ગુજરાત હાઇકોર્ટમાં માનવ ગરીમા સંસ્થા દ્વારા વર્ષ 2016 માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગટર સફાઈ કામદારોના મોતના કેસમાં તેના પરીવારજનોને વળતર ચૂકવવા, મેન્યુઅલ સ્કેવેંજીગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ અને આવા કિસ્સાઓમાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની દાદ માંગવામાં આવી હતી. આ અરજીના પગલે જ મૃતકોના પરિજનોને વળતર ચૂકવાઈ ગયું છે, તો જવાબદાર સ્થાનિક ઓથોરિટીના અધીકારીઓ ઉપર આવા બનાવવામાં ફરિયાદ નોધાઇ રહી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની મશીનરી લાવશેહાઇકોર્ટમાં આ અંગે આજે આ મુદ્દે વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલે કહ્યું હતું કે, મશીનરી આવી ગયા બાદ કોન્ટ્રાક્ટ દ્વારા માણસો તેને ચલાવશે, પરંતુ મશીનરી ઓથોરિટી હસ્તક રહેશે. રાજ્યની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની મશીનરી લાવશે. માર્ચ મહિના સુધીમાં તમામ મશીનરી મળી જશે. ત્યાં સુધીમાં કોન્ટ્રાકટર મશીનરી લાવશે અને ગુજરાત અર્બન ડેવલેન્ટ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરશે, એટલે કે PPP મોડ ઉપર કામ ચાલશે. બે કામદારોના મૃત્યુ મામલે પ્લમ્બર સામે FIR પણ બિલ્ડર સામે નહીંઅરજદારે જણાવ્યું હતું કે, અમદાવાદના બોપલમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગ કરતા બે લોકોના મોત મુદ્દે FIR પ્લમ્બર સામે થઈ છે. પરંતુ બિલ્ડરે પ્લમ્બરને રાખ્યો હતો અને પ્લમ્બરે બે માણસોને રાખી મેન્યુઅલ સ્કેવેનજિંગ કરાવ્યું હતું. હાઇકોર્ટે પ્લમ્બરનું નિવેદન લેવાયા બાદ આ અંગે આગળ જોવા કહ્યું હતું. સરકારી વકીલે કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મેન્યુઅલ સ્કેવેનજિંગ કરાવી શકે નહીં. સ્થાનિક ઓથોરિટીને ડ્રેનેજ સફાઈ માટે કોઈ જાણ નહીં કરીને જાતે કામ કર્યું હતી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે આવા વ્યક્તિઓ સામે FIR સિવાય નિયમો કે કાયદામાં પગલાની જોગવાઈ છે? આ મુદ્દે વધુ સુનાવણી 19 ડિસેમ્બરે યોજાશે. છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથીઅગાઉ એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, સ્થાનિક ઓથોરિટી PPP મોડથી કામ ચાલુ કરવા જઈ રહી છે. જેમાં પ્રાઇવેટ માણસો મશીનરી પ્રોવાઇડ કરશે. કોર્ટે કહ્યું હતું કે હજુ સ્થાનિક સંસ્થાઓ પાસે મશીનો ઓછા છે, છેલ્લા ત્રણ વર્ષમાં કઈ પ્રોગ્રેસ દેખાતી નથી. કોર્ટને જણાવાયું હતું કે, અમદાવાદ ઝોનને ડ્રેનેજ સફાઈ માટે 3 ઓટોમેટિક મશીન મળશે. કંપની મશીનરી વાપરશે અને ઓપરેટ પણ કરશે. જેથી કોર્ટે કહ્યું હતું કે આ પણ એક પ્રકારનો કોન્ટ્રાક્ટ જ થયો ને! સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીંકોર્ટને જણાવાયું હતું કે, 10 મેનહોલ ક્લિનિંગ રોબોટ મેળવાયા છે. જે 6 મ્યુનિસિપલ ઝોનમાં કામ કરશે. 209 મશીનનો ઓર્ડર અપાયો છે. અરજદારે જણાવ્યું હતું કે, છેલ્લી સુનાવણી બાદ અમદાવાદના બોપલમાં મેન્યુઅલ સ્ક્વેન્જિંગથી બે લોકો માર્યા ગયા છે. અધિકારીની જગ્યાએ પ્લમ્બરને આરોપી બનાવાયો છે. હાઇકોર્ટે આ બાબત એડિડેવિટ ઉપર આપવા કહી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સોસાયટી જાતે માણસને બોલાવીને મેન્યુઅલ સ્કેવેન્જિંગ કરાવી શકે નહીં. આ કામ કોર્પોરેશનનું છે.તેને યોગ્ય પધ્ધતિથી કામ કરવાની ખબર હોય. આ એક સામાજિક પ્રશ્ન છે, સમાજમાં જાતિ વ્યવસ્થાને લઈને માનસિકતા બદલાવાની જરૂર છે. લોકોને જાગરૂક કરવાની જરૂર છે. શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશેમહત્વનું છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓમાં હવે ગટર સફાઈ માટે હવે મશીન અને રોબોટનો ઉપયોગ કરાશે. રાજ્યના મોટા શહેરોમાં સક્શન કમ જેટિંગ મશીનનો ઉપયોગ કરાશે. અમદાવાદમાં ઝોનમાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. ભાવનગરમાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. ગાંધીનગરમાં બે મશીન તૈનાત કરાયા છે. રાજકોટમાં ચાર, સુરતમાં બે અને વડોદરામાં ત્રણ મશીન તૈનાત કરાયા છે. હાલ રાજ્યના મોટા શહેરો માટે 17 મશીનોની ઉપલબ્ધ છે. 40 મેન હોલ ક્લિનિંગ રોબોટનો ઓર્ડર અપાયો છે. 10 મેન હોલ ક્લિનિંગ રોબોટ હાલ કાર્યરત છે. અમરેલી, આણંદ, ગોધરા, ભરૂચ, દ્વારકા, ભુજ, મોરબી, હિંમતનગર ડીસા અને સુરેન્દ્રનગરમાં આ રોબોટની ફાળવણી કરાઈ છે. 17 જેટિંગ મશીન 100 સ્થાનિક ઓથોરિટી આપવામાં આવશેઅગાઉની સુનાવણીમાં એડવોકેટ જનરલે સ્થાનિક ઓથોરિટી પાસે ગટર સફાઈના કેટલા સાધનો છે અમે કેટલા ખરીદવામાં આવનાર છે, તેનો પ્રોગ્રેસ રિપોર્ટ રજુ કર્યો હતો. જે મુજબ 16 જેટિંગ સક્શન મશીન અને 24 ડિસિલ્ટિંગ મશીન 16 સ્થાનિક ઓથોરિટીને આપવામાં આવ્યા છે. 209 મશીન મેળવવા ઓર્ડર અપાયો છે. જેમાં 59 જેટિંગ કામ સક્શન મશીન, 133 ડિસિલ્ટિંગ મશીન અને , 17 જેટિંગ મશીન 100 સ્થાનિક ઓથોરિટી આપવામાં આવશે. ઓથોરિટી નાની વસ્તુઓ વસાવી, મોટી અને કામની વસ્તુઓ નહીં!આગામી માર્ચ, 2026 સુધીમાં આ મશીનોની ડિલિવરી મળી જશે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરાની સ્થાનિક ઓથોરિટી પાસે જે મશીનો છે તેના સર્ટિફિકેટ અપાયા છે. જેટિંગ મશીન અને હાઇડ્રોલિક ડોલ મંગાવ્યા છે. જે ઓથોરિટી પાસે જરૂરી મશીન નથી તે બીજી નજીકની MNC પાસેથી ઉધાર મંગાવે છે. વળી અરજદારે જણાવ્યું હતું કે, ઓથોરિટી નાની નાની વસ્તુઓ વસાવી છે, મોટી અને કામની વસ્તુઓ નહીં! ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છેહાઇકોર્ટે કહ્યું હતું કે, નાની મ્યુનિસિપાલિટી પાસે જરૂરી મશીનો હોવા જ જોઈએ. જે મહાનગરપાલિકાઓ કે નગરપાલિકાઓ ગટર સફાઈનું કામ કોન્ટ્રાકટરને સોંપે છે. પરંતુ બધું કોન્ટ્રાકટર ઉપર ઢોળી ના દેવાય, કોન્ટ્રાક્ટરન વર્કને કોણ મોનીટર કરશે ? સરકારી ઓથોરિટી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. સરકારી વકીલે જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ આ કામ નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. દર ત્રણ મહિને કામગીરીનો રીપોર્ટ મંગાવાય છે.
પેંડા ગેંગ બાદ બાદ હવે મુર્ઘા ગેંગ બાદ ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો સહીત 21 આરોપીઓ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટમાં ગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર બન્ને ગેંગના સભ્યો દ્વારા સામસામે અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી સંજય ઉર્ફે સંજલો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ગત 9 નવેમ્બરના રોજ પેંડા ગેંગના 17 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે તમામ આરોપીઓ હાલ ગુજરાતની અલગ અલગ જેલમાં બંધ છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોરમકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરીંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરિયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેન વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બનવા પામી છે જેથી પોલીસ દ્વારા પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત હાઈકોર્ટમાં વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી ચાલી રહી છે. જેમાં વર્તમાનમાં આ દુર્ઘટનામાં પીડિતોને વળતર ચૂકવવા ઉપર ચર્ચા ચાલી રહી છે. અગાઉ હાઈકોર્ટે MACPની જોગવાઈ મુજબ વડોદરા જિલ્લા કલેકટરને ગણતરી કરીને મૃતકો તેમજ ઈજાગ્રસ્તોના પરિવારને કોટિયા પ્રોજેક્ટ દ્વારા ચૂકવવા પાત્ર થતી રકમ નક્કી કરવા હુકમ કર્યો હતો. કેટલાક મુદ્દાને લઈને કોટિયા પ્રોજેક્ટ સુપ્રીમ કોર્ટ ગયું હતું. જેમાં સુપ્રીમના આદેશ મુજબ જેટલી રકમ સરકારે વળતર તરીકે ભેગી કરી છે. તેને પીડિત પરિવારમાં વહેંચવા જણાવ્યું હતું. જે કાર્ય ઓથોરિટીએ પૂર્ણ કર્યું છે. ત્રણ પક્ષકારોની માહિતી રેકોર્ડ પર આપવા હુકમ કર્યો હતોજવાબદારીના કિસ્સામાં કોટિયા પ્રોજેક્ટ દ્વારા હરણી તળવામાં બોટિંગના જોઇન્ટ વેન્ચર પાર્ટનર અને ઇન્સ્યોરન્સ કંપનીને હાઇકોર્ટમાં ચાલી રહેલ જાહેર હિતની અરજીમાં જોડવા સુપ્રીમ કોર્ટમાં માગ કરી હતી. જે અંગે સુપ્રીમે જરૂરી નિર્દેશો આપ્યા છે. હાઇકોર્ટમાં કોટિયા પ્રોજેક્ટ તરફથી ત્રણ પક્ષકારોને જોડવા અરજી કરાઈ છે. પરંતુ હાઇકોર્ટે આ ત્રણ પક્ષકારો કયા છે? તેની માહિતી રેકોર્ડ ઉપર આપવા કોટિયા પ્રોજેક્ટને હુકમ કર્યો હતો. ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતીઆ હુકમ સંદર્ભે કોટિયા પ્રોજેક્ટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું હતું કે, હરણી તળાવમાં બોટિંગ પ્રવૃતિ ચલાવવા ત્રણ પાર્ટી એગ્રીમેન્ટ કરાયો હતો. જેમાં કોટિયા, ટ્રાઇ સ્ટાર એન્ટર પ્રાઈઝ અને ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ જોઇન્ટ પાર્ટનર છે. તેનો એગ્રીમેન્ટ ડેટ 8 જૂન, 2023 એ થયો હતો. કોટિયાને હરણી તળાવનો કોન્ટ્રાક્ટ મળ્યા પછી કોટિયાએ બોટિંગ પ્રવૃતિ માટે સબ કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જે VMC અને કોટિયા પ્રોજેક્ટ વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ મુજબ પરમિસિબલ છે. જોકે, હાઇકોર્ટે ઓરિજનલ કોન્ટ્રાક્ટ મુજબ સબ કોન્ટ્રાક્ટ આપવો પરમિસિબલ છે કે કેમ તે અંગે વડોદરા મહાનગરપાલિકાની એફિડેવિટ માગી હતી. સાથે જ આ તળાવ પ્રોજેક્ટની ઇન્સ્યોરન્સ કંપની યુનાઈટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને પક્ષકાર તરીકે જોડવા મંજૂરી આપી હતી. શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો?જેમાં VMCએ એડિડેવિટ રજૂ કરી હતી કે, કોટિયાએ સબ કોન્ટ્રાક્ટ માટે મંજૂરી માગી નથી કે VMC એ આપી નથી. હાઇકોર્ટે પૂછ્યું હતું કે શું કોટિયાએ ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કર્યો હતો? જેનો જવાબ ના મળ્યો હતો. હાઇકોર્ટે કોટિયા પ્રોજેક્ટને મળેલા કોન્ટ્રાક્ટમાં સબ કોન્ટ્રાક્ટ આપવાની મંજૂરી છે કે કેમ? કોટિયાએ જણાવ્યું હતું કે, બોટિંગ પ્રવૃતિ જોઇન્ટ વેન્ચર પાર્ટનર કરતા હતા. કોટિયા, ડોલ્ફિન અને ટ્રાય સ્ટાર રેવન્યુ શેરિંગ કરતા હતા. અમે 25 ટકા વળતરની રકમ ભરી છે. વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કેવી રીતે ગણવા?કોર્ટે કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટ તમારા વચ્ચેનો હતો. જેમાં વળતર માટે સબ કોન્ટ્રેક્ટરને જવાબદાર કેવી રીતે ગણવા તે જણાવો. 25 ટકા બાદ બાકીની રકમ બીજા ભરે તે કેવી રીતે સબિત કરશો? જ્યારે VMCએ કહ્યું છે કે તેમની કોઈ મંજૂરી સબ કોન્ટ્રાક્ટ માટે લેવાઈ નથી. આખરે હાઇકોર્ટે કોટિયાને વધુ રજૂઆતની તક આપીને ઇન્સ્યુરન્સ કંપનીને જવાબ રજૂ કરવા નોટિસ આપી છે. આ અંગે વધુ સુનાવણી 16 જાન્યુઆરીએ યોજાશે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે સુરત, રાજકોટ અને જામનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં 84 લાખની આર્થિક છેતરપિંડી આચરીને છેલ્લા 7 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે, આ આરોપી પોલીસથી બચવા માટે સંસારી જીવન છોડીને સાધુ બની ગયો હતો અને ઋષિકેશના આશ્રમમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને રહેતો હતો. ઉધનામાં ઓફિસ ખોલીને છેતરપિંડી કરી હતીવર્ષ 2015 દરમિયાન કાંતિલાલ રણછોડ તાડા નામના શખ્સે તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. આરોપીએ સુરતના કતારગામ વિસ્તારમાં લલીતા ચોકડી પાસે આવેલા જમનાબા કોમ્પલેક્ષમાં અને ઉધનામાં ઓફિસો ખોલી હતી. તેણે ‘કે.પટેલ એન્ડ એસોસીયેટ’ તથા ‘કે.પટેલ માઇક્રો ફાઇનાન્સ’ નામની કંપનીઓ શરૂ કરી હતી. લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી લોકોને ફસાવતોઆ કંપનીઓના નામે આરોપીઓએ ભોળા નાગરિકોને લોભામણી સ્કીમો અને ઈનામી ડ્રોની લાલચ આપી હતી. લોકો પાસેથી પૈસા ઉઘરાવીને રાતોરાત ગાયબ થઈ જવાના ઈરાદે તેણે સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, કીમ, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હાલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, સલાયા, અંજાર-કચ્છ અને જૂનાગઢ જેવા અનેક શહેરોમાં પોતાની બ્રાન્ચો શરૂ કરી દીધી હતી. 55,000 રૂપિયા પરત આપવાની લાલચે લોકો ફસાયાઆરોપી કાંતિલાલ તાડાએ લોકોને છેતરવા માટે એક વ્યવસ્થિત માળખું તૈયાર કર્યું હતું. તેની સ્કીમની વિગતો ચોંકાવનારી છે, આ યોજના 40 મહિના માટેની હતી. જેમાં સભ્યોએ દર મહિને 1,100 રૂપિયા ભરવાના રહેતા હતા. દર મહિને ડ્રો કરવામાં આવતો હતો. જે સભ્યનું નામ ડ્રોમાં નીકળે તેને ‘સ્પ્લેન્ડર પ્લસ’ મોટર સાયકલ અથવા 54,000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા. જો કોઈ સભ્યનું ઈનામ ન લાગે તો મુદત પૂરી થયે ભરેલા પૈસા વ્યાજ સહિત એટલે કે 55,000 રૂપિયા પરત આપવાની લાલચ આપવામાં આવતી હતી. આ સ્કીમમાં તેણે 500 જેટલા મેમ્બરો બનાવ્યા હતા. 84 લાખનું ફુલેકું ફેરવીને આરોપી કાંતિલાલ તાડા ગાયબ થયોઆ ઉપરાંત 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષના સમયગાળા માટે 0 થી 15% વ્યાજ આપવાની લાલચ આપી ફિક્સ ડિપોઝિટ અને બચત યોજનાઓ પણ ચલાવવામાં આવતી હતી. આ રીતે લાખો રૂપિયા ઉઘરાવીને, અંદાજિત 84,00,000 રૂપિયાનું ફુલેકું ફેરવીને કાંતિલાલ તાડા અચાનક ગાયબ થઈ ગયો હતો. લોકોએ જ્યારે ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ઓફિસો બંધ મળી હતી અને આરોપીનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ આવતો હતો. આ અંગે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018 માં ગુનો નોંધાયો હતો. ઋષિકેશમાં ‘કિશનગીરી મહારાજ’ બનીને છુપાયો હતોછેતરપિંડી આચર્યા બાદ કાંતિલાલ તાડાએ પોલીસથી બચવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તે ગુજરાત છોડીને સીધો ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચી ગયો હતો. ત્યાં તેણે પોતાની ઓળખ સંપૂર્ણપણે બદલી નાખી હતી. કાંતિલાલ તાડા મટીને તે ‘સ્વામી કિશનગીરી મહારાજ’ બની ગયો હતો. તેણે ભગવા વસ્ત્રો ધારણ કરી લીધા હતા અને સાધુ જેવો વેશ ધારણ કરી મુનિ કી રેતી વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ આશ્રમમાં છુપાઈને રહેવા લાગ્યો હતો. છેલ્લા 7 વર્ષથી તે પોતાના પરિવાર કે સંબંધીઓના સંપર્કમાં નહોતો અને સાધુ તરીકેનું જીવન જીવી રહ્યો હતો જેથી પોલીસ તેને પકડી ન શકે. પિતાની બીમારી અને વતનમાં વાપસીથી ઝડપાયોકહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાણો હોય, એક ભૂલ તેને પકડાવી દે છે. કાંતિલાલના પિતાને કેન્સરની ગંભીર બીમારી હતી. સાધુ બની ગયેલા કાંતિલાલને પિતાની તબિયત વધુ લથડી હોવાના સમાચાર મળતા તે રહેવાઈ શક્યો નહીં. તે ઋષિકેશથી ગુજરાત પરત આવ્યો. જોકે, પોલીસ પકડના ડરથી તે પોતાના મૂળ વતન જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના નિકાવા ગામે જવાને બદલે રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના નગરપીપળીયા પાસે આવેલા ‘જોગમઢી આશ્રમ’માં રોકાયો હતો. તે અહીં છુપાઈને પિતાની સારવાર અને ખબરઅંતર પૂછવા માંગતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે રાજકોટથી દબોચ્યોક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી રાજકોટના એક આશ્રમમાં છુપાયેલો છે. બાતમી ચોક્કસ હતી કે કાંતિલાલ તાડા સાધુના વેશમાં છે. આ માહિતીના આધારે પોલીસની એક ટીમે રાજકોટના નગરપીપળીયા ખાતેના જોગમઢી આશ્રમમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી સાધુના વેશમાં રહેલા 53 વર્ષીય કાંતિલાલ ઉર્ફે કિશનગીરી રણછોડ તાડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીપકડાયેલા આરોપી કાંતિલાલ વિરુદ્ધ પૈસાની લાલચ આપી મધ્યમ વર્ગના લોકોની મહેનતની કમાણી લૂંટીને સાધુ બની ગયેલા આ ગઠિયાનો ખેલ આખરે 7 વર્ષે પૂરો થયો છે. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 4 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે જ્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 80% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને હવે 6 દિવસ જ બાકી છે ત્યારે સમગ્ર વહીવટી તંત્ર આ કામગીરી પૂર્ણ કરવા માટે ઉંધા માથે થયુ છે. 29 અને 30 નવેમ્બર વિધાનસભા વાઇસ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે અત્યારસુધીમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 69310 મૃત મતદારો મળી આવ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, રાજકોટ શહેર અને જિલ્લામાં SIR ની ઓલ અવર 80.95 ટકા કામગીરી થઈ છે. જેમાં સૌથી સારી કામગીરી જસદણ વિધાનસભા મતવિસ્તારમાં થઈ છે. જ્યાં અત્યારસુધીમાં 93.04 ટકા છૂટી છે જ્યારે બીજા ક્રમે 87.13 ટકા સાથે ધોરાજી છે. જ્યારે રાજકોટ પૂર્વમાં સૌથી ઓછી 73.53 ટકા કામગીરી થઈ છે. ગ્રામ્ય વિસ્તારની સાપેક્ષમાં શહેરમાં મતદારો મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઓછો સહયોગ આપતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લામાં કુલ 23,91,027 મતદારો છે. જેમાંથી 19,35,491 ના ફોર્મ ડિજિટલાઈઝ એટલે કે ઓનલાઇન ચડાવી દેવામાં આવ્યા છે. હજુ 4,55,536 મતદારોના ફોર્મ મેળવી ઓનલાઈન અપલોડ બાકી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 69,310 મૃત મતદારો મળી આવ્યા છે. જે બતાવે છે કે આ વર્ષે ચૂંટણી પરિણામો ચોક્કસ અને પારદર્શક આવશે.
એક તરફ ખેડૂતોમાં માવઠાનો માર અને કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતા ઊભી કરી છે તો બીજી તરફ ખેડૂતોને પ્રાથમિક સુવિધા ન મળતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. કેશોદના મોવાણા ગામના સીમ વિસ્તાર અને અગતરાયને જોડતા રસ્તાની બિસ્માર હાલત એવી છે કે, ખેડૂતોને તેમની વાડી સુધી પહોંચવા માટેનું સીધું અંતર માત્ર 2 કિલોમીટર હોવા છતાં, તેમને 17 કિલોમીટરનું લાંબુ અને કંટાળાજનક અંતર કાપીને જવું પડે છે. વર્ષોથી ચાલી આવતી આ સમસ્યા આજે પણ એટલી જ ગંભીર છે અને ખાસ કરીને ચોમાસામાં અહીંના લોકોનું જીવન નર્ક સમાન બની જાય છે. 17 કિલોમીટર રસ્તો કાપીને ખેડૂતો પોતાની વાડીએ જવા મજબૂરમોવાણા ગામના સરપંચ અનિલભાઈ અ. આદવાણીએ ગામની આ સમસ્યા વિશે જણાવ્યું હતું કે, અમારા ગામની સમસ્યા રાજમાર્ગની છે અને અહીંના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખૂબ જ દુઃખી છે. વાડીએ જતો રસ્તો બે કિલોમીટરનો છે, પરંતુ અહીં રોડ ન બનતા 17 કિલોમીટર રસ્તો કાપીને ખેડૂતો પોતાની વાડીએ જવા મજબૂર બન્યા છે. સરપંચે હાલની પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું કે, ચોમાસામાં અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ હોય છે અને હાલમાં પણ પુલની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંથી બાઇક પણ પસાર કરવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તેમની માંગણી સ્પષ્ટ છે: “અમને વહેલી તકે અહીં સીસી રોડ બનાવી દેવામાં આવે, ગટર બનાવી દેવામાં આવે અને પુલ પણ ફરીથી બનાવી દેવામાં આવે.” આ મામલે કલેક્ટરને પણ સત્તાવાર રજૂઆત કરવામાં આવી હોવાનું સરપંચે જણાવ્યું હતું. પાંચ વર્ષથી રસ્તો બિસ્માર, અરજીઓનું નિરાકરણ નહીંગામના રહીશોની વેદના વર્ષો જૂની છે. મોવાણા ગામના રહીશ વૈભવ બોરસાણીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 2017-18થી રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અહીં ન તો પુલ બનાવવામાં આવ્યો છે અને ન તો રસ્તો સારો છે, રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે. આ સમસ્યાના નિરાકરણ માટે વૈભવ બોરસાણીયાએ સરકારી તંત્રના દરવાજા પણ ખખડાવ્યા હતા. રસ્તા મામલે અમે સીએમઓ (CMO)માં પણ રજૂઆત કરી હતી. ત્યાંથી અમારી અરજી ટ્રાન્સફર કરીને જિલ્લા સ્વાગતમાં મોકલવામાં આવી હતી, જ્યાં કલેક્ટર દ્વારા પ્રશ્નના નિરાકરણની ખાતરી પણ આપવામાં આવી હતી. અંતિમ માંગણી છે કે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવેજોકે, આ પછીની પરિસ્થિતિ વધારે નિરાશાજનક રહી. એન્જિનિયર દ્વારા વળતા જવાબમાં કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતોના વિરોધના કારણે આ રસ્તો બંધ થયો છે. આ વિરોધ પાછળના કારણો જાણવા માટે પણ રહીશોએ પ્રયત્ન કર્યો છે. અહીં કોના દ્વારા કેટલી પ્રેસ કદમી એટલે કે દબાણ કરવામાં આવ્યું છે જેને લઈને પણ મેં અરજી કરી હતી, જેનો રોજકામ પણ થઈ ગયું છે.” તેમની અંતિમ માંગણી છે કે વહેલી તકે આ રસ્તાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે. આઠ મહિનાથી ગામમાં જઈ શકાતું નથી: બે પેઢીની વેદનારસ્તાની આ બિસ્માર હાલત માત્ર ખેતરમાં જવાની સમસ્યા પૂરતી સીમિત નથી, પરંતુ ગામલોકોના દૈનિક જીવનને પણ અસર કરી રહી છે. વાડી વિસ્તારમાં બે પેઢીથી રહેતા ઉમરભાઈ સીડાએ પોતાની હાલાકી વર્ણવતા કહ્યું હતું કે, મોવાણા ગામથી અમારી વાડી માત્ર બે કિલોમીટર જ છે, પરંતુ અમે છેલ્લા આઠ મહિનાથી ગામમાં જઈ શકતા નથી કારણ કે અહીંનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, અમે કેશોદ પણ 15 કિલોમીટર ફરીને જઈએ છીએ.” આ દર્શાવે છે કે માત્ર વાડી વિસ્તાર જ નહીં, પરંતુ અન્ય શહેરી કેન્દ્રો સાથેનું જોડાણ પણ આ ખરાબ રસ્તાના કારણે અત્યંત મુશ્કેલ બન્યું છે. રસ્તા પર ઢોર ખૂંચી જાય છે, ખેડૂતો ખેતરમાં થઈને વાડીએ જાય છેમોવાણા ગામના અન્ય રહીશ રાજેશભાઈ મારડિયાએ રસ્તા મુદ્દે જણાવ્યું હતું કે, મોવાણા ગામ નજીક સીમ વિસ્તારમાં અને અગતરાયને જોડતો રસ્તો પાસ થયો હતો, પરંતુ રસ્તો હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. જેના કારણે લોકો આ રસ્તા પરથી ચાલીને પણ પસાર થઈ શકતા નથી. ઘણી વખત તો એવી પણ ઘટનાઓ બની છે કે ગામમાંથી રખડતા ઢોર રસ્તા પરથી પસાર થયા હોય અને તે આ ખરાબ રસ્તામાં ખૂંચી ગયા હોય.” તે સમયે ગામના સેવાભાવી લોકો અને ગૌશાળાની સંસ્થામાં જોડાયેલા લોકોએ આ ખૂંચી ગયેલા ઢોરને બહાર કાઢ્યા હતા. આ સીમ વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જવા માટે અન્ય રસ્તાઓ અને બીજા ખેડૂતોના ખેતરમાં થઈને પોતાના ખેતરે પહોંચવું પડે છે, જે આંતરિક ઘર્ષણનું પણ કારણ બની શકે છે. તેમણે કહ્યું કે, ચોમાસા દરમિયાન આ રસ્તામાંથી પસાર થઈ અગતરાય ગામે જવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ખેડૂતોની માગને પુનરાવર્તિત કરતા તેમણે જણાવ્યું કે, માત્ર 2 કિલોમીટર સીમ વિસ્તાર દૂર હોવા છતાં પણ આ ખરાબ રસ્તાના કારણે 17 કિલોમીટર ફરીને ખેડૂતોએ પોતાના ખેતરે જવું પડે છે. ત્યારે અમારી માગ છે કે આ રસ્તાનું કામ વહેલી તકે પૂરું કરવામાં આવે. આ મામલે કલેક્ટર, ગ્રામ પંચાયત અને તંત્રમાં વારંવાર રજૂઆત કરી છે અને અનેક વખત ગ્રામસભામાં પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે. 30% કામગીરી જમીનના અભાવે અધૂરી, તંત્રનો ખુલાસોઆ સમગ્ર વિવાદ અને અધૂરી કામગીરી અંગે આર.એન.બી વિભાગના અધિકારી એન. એન. સોલંકીએ ખુલાસો આપતા કહ્યું કે, અગતરાયથી મોવાણા તરફ જતો રસ્તો પહેલા કાચો રસ્તો હતો. સરકારે આ રસ્તો મંજૂર કરતાં 2019-21માં ખેડૂતોની મદદથી સાડા ત્રણ કિલોમીટર લંબાઇમાં ડામર કામ અને સીસી રોડનું કામ પૂરું કર્યું હતું. અધિકારીના મતે, “આવા રસ્તાઓમાં જમીન સંપાદનની કોઈ જોગવાઈ હોતી નથી. જેના કારણે ખેડૂતો પાસેથી જમીન તેમની સંમતિથી મેળવી રસ્તાની કામગીરી કરવામાં આવતી હોય છે. મોવાણા ગામ બાજુ 1500 મીટર ગારી (વાડી માર્ગ) અને જૂના વોંકડા જેવો રસ્તો છે, જેમાં સતત પાણીનો પ્રવાહ ચાલુ હોય છે અને ચોમાસા દરમિયાન વધુ પાણીનો પ્રવાહ હોય છે. જેના કારણે આ રસ્તાની સાઈડમાં ગટર મોટી કરવી પડે, પરંતુ કોઈ ખેડૂત સંમતિથી પોતાની જગ્યા આપવા તૈયાર ન હોય જેના કારણે રસ્તો પૂરો બની શક્યો નહોતો. અધિકારીએ માહિતી આપી હતી કે, હાલ આ રસ્તાની 70 % જેટલી કામગીરી પૂરી થઈ છે, પરંતુ બાકીની 30 ટકા કામગીરી જગ્યાના અભાવે થઈ શકી નથી. છતાં પણ હાલ અમારા પ્રયત્નો શરૂ છે કે ખેડૂતો દ્વારા જો જગ્યા આપવામાં આવે તો આ રસ્તો વહેલી તકે બની જાય, ગારીમાંથી પાણી નીકળી શકે અને સાઇડનો રસ્તો પણ બની શકે. પરંતુ અત્યાર સુધી આ શક્ય બન્યું નથી, જેના કારણે આ રસ્તાનું કામ અધૂરું રહી ગયું છે.
બોટાદ મુક્તિધામ મેલડી માતાજીનો 9મો પાટોત્સવ:ભવ્ય અન્નકૂટ-મહાઆરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
બોટાદના સુપ્રસિદ્ધ મુક્તિધામ મેલડી માતાજી મંદિરમાં નવમો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ અને મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પાટોત્સવ નિમિત્તે માતાજીને 56 પ્રકારના વિવિધ ભોગ ધરાવીને ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટના દર્શનનો લાભ લેવા માટે ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિથી મહાઆરતી સંપન્ન થઈ હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રના બ્ર.કુ. રજની બહેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિદ્વાન શાસ્ત્રી નિરવભાઈ જોષીએ કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બોટાદ નગર કવિવર બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ તરીકે જાણીતું છે. અહીં જાયન્ટસ સંસ્થાના 'ગ્રીન મેન' સી.એલ. ભીકડીયાના અથાગ પરિશ્રમથી હરિયાળું તીર્થધામ મુક્તિધામ નિર્માણ પામ્યું છે. આ પરિસરમાં જગત જનની મેલડી માતાજી બિરાજમાન છે. આ ધાર્મિક પ્રસંગે સહકારી આગેવાન અને મુક્તિધામના પ્રણેતા 'ગ્રીન મેન' સી.એલ. ભીકડીયા, મહેશભાઈ ભાદાણી, પરસોત્તમભાઈ, મકાભાઈ ભુવા, જીવરાજભાઈ કળથીયા, બીપીનભાઈ ગઢિયા, અમિતભાઇ વડોદરિયા, કિરણબેન, સંગીતાબેન, મહેન્દ્રસિંહ ઝાલા, દિપકભાઈ હોમગાર્ડ સહિત અનેક ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મુક્તિધામ પરિવારે પાટોત્સવના સફળ આયોજન બદલ સમગ્ર બોટાદ નગર અને ભાવિક ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટમાં આદિજાતિના કોલેજીયન વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયની બદતર સ્થિતિ સામે આવી છે. શિયાળાની સિઝનમાં કડકડતી ઠંડી છતાં વિદ્યાર્થીઓને ઓઢવા માટે ચાદર આપવામાં આવતી નથી. આ ઉપરાંત ભોજન પર સારું આપવામાં આવતું ન હોવાની ફરિયાદ સાથેના વીડિયો સામે આવ્યા છે, જેમાં ભાડાના મકાનમાં ચાલતા આ છાત્રાલયમાં સફાઈનો અભાવ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. શાકભાજીની બાજુમાં જ કપડાં ધોવાની ચોકડીઆ ઉપરાંત ખુલ્લામાં રાખેલા શાકભાજીની બાજુમાં જ વાસણ વિછરવા અને કપડાં ધોવાની ચોકડી દેખાઈ રહી છે. જોકે આ વીડિયો સામે આવ્યા બાદ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા સફાઈ અને રસોઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને માત્ર સુચના આપી સંતોષ માની લેવામાં આવ્યો છે. 'ભોજનમાં ટેસ્ટ યોગ્ય આવતો ન હતો'રાજકોટના આદિજાતિ વિકાસ અધિકારી અને મદદનીશ કમિશનરના ચાર્જમાં રહેલા અજય આચાર્યએ દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે બજરંગ વાડીમાં સ્થિત આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સરકારી કુમાર છાત્રાલય -1 ની મુલાકાત લીધી હતી. જ્યાં અમે જાતે ભોજન ટેસ્ટ કરેલું હતુ. ભોજનમાં ટેસ્ટ યોગ્ય આવતો ન હતો તેવી વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે સંબંધિત કર્મચારીઓને સૂચના આપી છે. આ ઉપરાંત સ્વચ્છતા માટે પણ વોર્ડન અને કેર ટેકરને સુચના આપી દીધી છે. સફાઈનો કોન્ટ્રાક્ટ સંકલ્પ એજન્સી પાસે છે અને રસોઈનો કોન્ટ્રાક્ટ વી.એસ.એજન્સી પાસે છે. જે બંને એજન્સી અમદાવાદની છે તેને કડક સુચના આપી દેવામાં આવી છે. બંને છાત્રાલય ભાડાના મકાનમાં ચાલે છેબજરંગવાડીમાં આવેલા છાત્રાલયમાં 50 વિદ્યાર્થીઓની કેપેસિટી છે જેની 16 વિદ્યાર્થીઓ છે. જ્યારે જંકશન વિસ્તારમાં આવેલું છે જ્યા 18 વિદ્યાર્થીઓ છે. જેઓને વિનામૂલ્યે ભોજન અને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જોકે આ બંને છાત્રાલય ભાડાના મકાનમાં ચાલે છે જેમાંથી બજરંગ વાડીમાં આવેલા છાત્રાલયનું ભાડું રૂ. 34 હજાર છે જ્યારે જંકશનમાં આવેલા છાત્રાલયનું ભાડું રૂ.16 હજાર જેટલું છે. રૈયા ગામમાં કાયમી છત્રાલય શરૂ થશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પોતાનું કાયમી છત્રાલય શરૂ કરવામાં આવશે. જે માટે રૈયા ગામમાં જમીન મળેલી છે અને તેની કાર્યવાહી ચાલુ છે. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા આ બિલ્ડીંગની ડિઝાઇન સહિતની પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. નવું મકાન મળતાની સાથે જ બંને છાત્રાલય ત્યાં શિફ્ટ કરી દેવામાં આવશે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય એકતા યાત્રા' આવતીકાલે વડોદરા શહેરમાં પ્રવેશ કરશે. વડોદરા શહેરમાં ઠેર ઠેર વિવિધ સમાજો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. આ દરમિયાન સરદાર સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. રાષ્ટ્રીય એકતા યાત્રાની માહિતી આપવા માટે આજે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ધનખર, સાંસદ ડૉ હેમાંગ જોષી, વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ.જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ હાજર રહ્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય એકતા યાત્રા નીકળી છે, જેનો આજે વડોદરા જિલ્લામાં પ્રવેશ થયો છે. આવતીકાલે રાષ્ટ્રીય યુનિટી યાત્રાનું વડોદરામાં આગમન થશે. વડોદરા શહેર અને જિલ્લામાં પાંચ દિવસ આ યાત્રા રહેશે. વડોદરા શહેરમાં બે દિવસ યાત્રાનો માર્ગ રહેશે. આવતીકાલે સેવાસી ખાતે આ યાત્રાનું આગમન થશે. જ્યાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પાટીદાર સહિતના વિવિધ સમાજ અને ધાર્મિક સંસ્થાઓ આ પ્રસંગે હાજર રહેશે. ત્યારબાદ યાત્રા આગળ વધશે અને ગોત્રી ખાતે પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગળ વધીને હરીનગર ચાર રસ્તા પાસે સાઉથ ઇન્ડિયન સમાજ યાત્રાનું સ્વાગત કરશે. ત્યારબાદ ઇસ્કોન મંદિર, તાંદલજા ગાર્ડન, આટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર, અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ યાત્રા સરદાર સભામાં પરિવર્તિત થઈ જશે. જ્યાં અમારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા હાજર રહેશે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે. આ ઉપરાંત પદયાત્રી તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી પણ જોડાશે. તેઓએ ઉમેર્યું હતું કે, સરદાર સભા પૂર્ણ થયા બાદ યાત્રા મુજમહુડા ખાતે પહોંચશે, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, ત્યારબાદ અકોટા ગામ ખાતે દરબારી સંસ્કૃતિથી યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે નવલખી મેદાન ખાતે યાત્રા ફરી જાહેર સભામાં ફેરવાઈ જશે. આ જાહેરસભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણી ઉપસ્થિત રહેશે. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે. તેઓએ કહ્યું કે, નવલખી મેદાનમાં ગાયક કિર્તીદાન ગઢવી દ્વારા સરદાર સાહેબના જીવન પર ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત 40 મિનિટનો મલ્ટીમીડિયા શો પણ થશે. ત્યારબાદ 30 નવેમ્બરના રોજ પણ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય એકતા યાત્રા ફરશે.
રાજકોટ મહાનગરપાલિકામા સફાઈ કામદારોના વારસદારોને નોકરીનો પ્રશ્ન ફરી એક વખત ગાજ્યો હતો. આજે વાલ્મિકી સમાજ મોટી સંખ્યામાં મનપા કચેરી ખાતે એકત્ર થયો હતો. જેમાં અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાના નિયમોનું પાલન કરવામાં આવે અને રાજીનામામાંથી મેડીકલ સર્ટિફિકેટ રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી તો તેમનો પ્રશ્ન નહીં ઉકેલાય તો 15 દિવસ બાદ આંદોલન અને હડતાલની ચિમકી ઉચ્ચારી હતી. રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર નયનાબેન પેઢડીયાને કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં અમદાવાદ, વડોદરા તેમજ સુરત તથા અન્ય મહાનગરપાલિકાની જેમ સફાઈ કામદારોમાં સ્વૈચ્છીક રાજીનામુ આપી તેમના વારસદારને નોકરીમાં લેવાનો નિયમ અમલમાં છે.પરંતુ છેલ્લા 4 વર્ષથી સીવીલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતા મેડીકલ સર્ટીફીકેટમાં વિસંગતતાઓને કારણે 200 થી વધારે સફાઈ કામદારોના રાજીનામાં અટવાયેલા પડયા છે અને ઘણા સફાઈ કામદારો અવસાન પામેલ તથા નિવૃત થઈ ગયેલ છતાં તેમને પોતાના વારસદારને નોકરીના હકકથી વંચીત રહેવુ પડ્યુ છે. તા.31 જુલાઈ, 2024ના રોજ સફાઈ કામદારોની રેલીના આવેદન બાદ કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓની તાકીદની મીટીંગ મળી હતી. જેમાં સફાઈ કામદારોની ભરતી તથા રાજીનામાંથી મેડીકલ સર્ટીફીકેટ રદ કરવાના મુદ્દા એક માસમાં પૂર્ણ કરવાની ખાત્રી અપાતા આગેવાનો દ્વારા આંદોલન સમેટવામાં આવ્યુ હતુ. જે બાદ ભરતી માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા અને અનેક બેરોજગાર લોકો દ્વારા ભરવામાં આવ્યુ હતુ પરંતુ ભરતી કરવામાં આવેલી નથી. જે પછી ઘણી રજુઆતો બાદ સફાઈ કામદારોના પેન્ડીંગ રાજીનામાઓ મેડીકલ અભિપ્રાય માટે સીવીલ હોસ્પિટલમાં મોકલવાનું થયુ અને દર ગુરૂવારે 30- 30 સફાઈ કામદારોને સીવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે પરંતુ ત્યાં પોતાના કામમાં રજાઓ મુકી મેડીકલ માટે જતા સફાઈ કામદારોને ધકકા ખવડાવે છે. હાલ સુધી એકપણ મેડીકલ સર્ટીફીકેટ મનપામાં જમા કરાવવામાં આવેલ નથી. જેથી અમારી વિનંતી છે કે, આ માટે ફરીથી જનરલ બોર્ડમાં ઠરાવ કરી અત્યાર સુધીની તમામ અરજીઓને મેડીકલ સર્ટીફીકેટમાંથી મુકિત આપી મંજુર કરવામાં આવે. આ ઉપરાંત સફાઈ કામદારોની ભરતી માટે જનરલ બોર્ડમાં 2- 2 વખત ઠરાવ કરવામાં આવ્યો અને 2-2 વખત ફોર્મ ભરવામાં આવ્યો પરંતુ હજુ સુધી ભરતી કરવામાં આવેલ નથી તો ભરાયેલા ફોર્મનો તાત્કાલીક ડ્રો કરી ભરતી કરવામાં આવે. અમારા પ્રશ્નોનો 15 દિવસમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો ફરીથી આંદોલન, હડતાલ સહિતના પગલા લેવાની ફરજ પડશે.
પાવીજેતપુર તાલુકા કક્ષા યુવા ઉત્સવ-૨૦૨૫નું આયોજન ભેંસાવહી હાઈસ્કૂલ ખાતે સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, છોટાઉદેપુર અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ ઉત્સવ યોજાયો હતો. આ યુવા ઉત્સવ ભેંસાવહી ખાતેની આદિવાસી માધ્યમિક શાળાના પ્રાંગણમાં ૨૮ નવેમ્બર, ૨૦૨૫, શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે શરૂ થયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને યોગ્ય મંચ પૂરો પાડવાનો હતો. આ પ્રસંગે પાવીજેતપુર તાલુકાના મોટી સંખ્યામાં યુવા ભાઈ-બહેનોએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉત્સવમાં લોકગીત, લોકનૃત્ય, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્રકલા, નિબંધ લેખન, સર્જનાત્મક કારીગરી અને વાદ્ય સંગીત જેવી સાંસ્કૃતિક અને કલાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. શાળાના આચાર્ય દિનેશ કોળીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આવા ઉત્સવો યુવાનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે અને સર્વાંગી વિકાસ માટેની પ્રેરણા પૂરી પાડે છે. આ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવનાર યુવા પ્રતિભાઓ હવે જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં પાવીજેતપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
રાજ્યમાં અત્યારે મતદારયાદી સુધારણા એટલે કે SIRની કામગીરી ચાલી રહી છે. શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવતા તેમના પર કામનું ભારણ વધી રહ્યું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસમાં શિક્ષકોના મોત થઈ રહ્યા છે. તો કેટલાક શિક્ષકોએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. BLO કામગીરી કરતા શિક્ષકોના મોત થતા કોંગ્રેસે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. BLO શિક્ષકોના મોત માટે કોંગ્રેસે સરકારની નીતિ અને અવ્યવસ્થાને જવાબદાર ગણાવી છે. તેમજ ચિંતન શિબિરમાં નાટક કરવાના બદલે સરકારે BLOના નિધન મુદ્દે ચિંતા કરવાની કોંગ્રેસે સરકારને સલાહ આપી છે. તેમજ ચૂંટણી પંચે ભારણ ઘટાડવા અન્ય વ્યવસ્થા કરવાની કોંગ્રેસે માગ કરી છે. 'આયોજનના અભાવે અને સરકારની નીતિના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે'ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશના 12 રાજ્યોમાં મતદારયાદીની ચકાસણી ચાલી રહી છે. જેમાં ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા. એક BLOએ તો કારણ ચીઠ્ઠી લખીને અંતિમ પગલું ભર્યું. કામનું અતિશય ભારણ, વારંવારની રજૂઆત, અધિકારીઓનું દબાણ, મૌખિક સૂચનાઓની જાણ છતાં તંત્રએ મૌન ધારણ કર્યું છે. આ મૌન વ્યવસ્થાના અભાવે, આયોજનના અભાવે અને સરકારની નીતિ અને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્રણ કાળા કાયદા સમયે પણ 750 કરતા વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. નોટબંધી વખતે પણ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. મહેસાણાના બીએલઓને હાર્ટએટેકે આવ્યોવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે બાદ મતદારયાદી સુધારણાના કારણે 5થી વધુ અને સમગ્ર દેશમાં 27થી વધુ કામગીરી સાથે જોડાયેલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે મહેસાણામાં જે આચાર્યએ BLOની કામગીરીની ફરજ દરમિયાન કામના ભારણના કારણે રાત્રે હાર્ટએટેક આવી ગયો હતો. સરકાર ક્યારે જાગશે ? ચૂંટણી પંચ પણ ક્યારે જાગશે ?ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, સરકારની નીતિ અને વ્યવસ્થાના અભાવના કારણે વ્યવસ્થામાં જોડાયેલા લોકોના પણ મોત થાય તો હવે સરકાર ક્યારે જાગશે ? ચૂંટણી પંચ પણ ક્યારે જાગશે ? કામના ભારણના કારણે ચૂંટણી પંચે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપ સરકારે BLO ના નિધન અંગે ચિંતા કરવાની જરૂર છે. ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં પરંતુ હકીકત લખશે જમીની પર વ્યવસ્થા આપવી પડશે. જેથી યોગ્ય વ્યવસ્થા આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
સુરતના કાપોદ્રા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ની મુખ્ય કચેરીમાં આજે એક અસામાન્ય દૃશ્ય જોવા મળ્યું. જ્યાં સામાન્ય રીતે એસી ચેમ્બરમાં બેસતા DGVCLના અધિકારીઓ ખુદ પોતાની ઓફિસમાં જમીન પર બેઠેલા નજર આવ્યા હતા. આ નજારો ગુજરાતના બે આદિવાસી નેતાઓ - કોંગ્રેસના અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના વિરોધ પ્રદર્શનના પગલે સર્જાયો હતો. આ બંને નેતાઓએ 'વિદ્યુત સહાયક'ની પરીક્ષા પાસ કરનાર આદિવાસી યુવાનોને નોકરી ન મળવાના મુદ્દે વિરોધ નોંધાવવા માટે કચેરીની મુલાકાત લીધી હતી. ગુજરાતની રાજનીતિમાં કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ એક જ મુદ્દે એકસાથે વિરોધ કરવા માટે આવ્યા, તે ઘટના સુરતના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તાજેતરમાં જ પેટાચૂંટણીમાં એકબીજા સામે ગંભીર આક્ષેપો કરનાર આ બંને પક્ષોનું આ 'વિરોધ ગઠબંધન' સૂચવે છે કે આદિવાસી યુવાનોના ભવિષ્યનો મુદ્દો તેમના રાજકીય ભેદભાવથી ઉપર છે. 1800 યુવાનોને વિદ્યુત સહાયકની હજી સુધી નોકરી મળી નથીવિદ્યુત સહાયકની પરીક્ષા પાસ કરનાર લગભગ 1800 જેટલા યુવાનોને હજી સુધી નોકરી મળી નથી. આ યુવાનોના હક માટે લડવા અનંત પટેલ વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અને ચૈતર વસાવા ડેડિયાપાડાના AAP ધારાસભ્ય DGVCL કચેરીએ પહોંચ્યા હતા . પ્રશ્નોનો યોગ્ય જવાબ ન મળતા, બંને નેતાઓ ત્યાં જ જમીન પર બેસીને વિરોધ શરૂ કર્યો. આ અનોખા વિરોધ પ્રદર્શનને જોતા, DGVCLના બે અધિકારીઓ પણ તેમની સાથે વાતચીત કરવા માટે જમીન પર બેઠા, જે આ ઘટનાનો સૌથી નોંધપાત્ર ભાગ રહ્યો. 'DGVCL યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે'કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલે આક્ષેપ કર્યો કે, DGVCL યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા પાસ કરનાર યુવાનોને નોકરી આપવાને બદલે, આઉટસોર્સિંગ દ્વારા એવા લોકોને નોકરી આપવામાં આવી રહી છે જેમણે ITI કે એપ્રેન્ટિસશિપ કરી નથી, જે ગેરરીતિ સૂચવે છે. તેમણે ઉમેર્યું કે જુલાઈ મહિનામાં પણ આ જ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો, જે બાદ લગભગ 157 લોકોને નોકરી મળી, પરંતુ હજી પણ 400 થી 500 યુવાનોની નોકરી બાકી છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો ચૈતરનો આક્ષેપઆમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાએ પણ અનંત પટેલના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી આદિવાસી સમાજના યુવાનોને તેમની મહેનતની નોકરી નહીં મળે અને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. તેમણે પણ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને યુવાનોના ભવિષ્ય સાથે થતા ચેડાં સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. 'બાકીના ઉમેદવારો વેઈટિંગ લિસ્ટમાં સામેલ'ભરતી પ્રક્રિયામાં વિલંબ અંગે DGVCLના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, અગાઉ 50% માર્ક્સનો નિયમ હતો, પરંતુ આ વખતે મેજોરિટીમાં લોકો પાસ થયા છે. તેમણે જણાવ્યું કે, જગ્યા અમારી માત્ર 195 જ હતી, જેના કારણે બાકીના ઉમેદવારો વેઈટિંગ લિસ્ટમાં દેખાઈ રહ્યા છે. જોકે, નેતાઓએ આ સ્પષ્ટતાને પૂરતી ગણી નહોતી. 'મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે, પરંતુ નોકરી મળતી નથી'પરીક્ષા પાસ કરનાર સૌરભ નામના એક યુવાને પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે, તેણે ખૂબ મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે, પરંતુ નોકરી મળતી નથી. તેના બદલે ખાનગી ભરતી દ્વારા અનિયમિત લોકોને નોકરી આપવાની વાતો ચાલી રહી છે, જેનાથી તેમને મળવાપાત્ર તમામ સુવિધાઓથી વંચિત રહેવું પડશે. પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજનાઆ બંને આદિવાસી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ભરતી પ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રાક્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે ભરતીમાં ગેરરીતિ કરી રહી છે. પાસ થનાર મોટાભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના આદિવાસી સમાજના છે, જેમના હક માટે આ નેતાઓ લડી રહ્યા છે.
પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના શુભારંભ પૂર્વે 29 નવેમ્બર, શનિવારના રોજ બપોરે 1:00 કલાકે ભવ્ય ગૌ ભક્તિ પોથીયાત્રા નીકળશે. આ વિરાટ પોથીયાત્રા રેલવે સ્ટેશનથી કથા સ્થળ સુધી જશે. યાત્રાનો પ્રારંભ રેલવે સ્ટેશન નજીક આવેલા લક્ષ્મી નિવાસ બંગલો પાસે મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ થશે. આ યાત્રામાં મુખ્ય પોથી હાથીની અંબાડી પર બિરાજમાન થશે. પોથીયાત્રાનું મુખ્ય આકર્ષણ 28 જેટલા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પરના ટેબ્લો રહેશે. જેમાં નાયકા દેવી, શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ અને દ્વારકાધીશના દ્રશ્યો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, 9 જેટલી સ્કૂલો અને મંદિરોના ટેબ્લો પણ જોડાશે. યાત્રામાં નાશિક ઢોલ, લાઠીના દાવ, 2 ડીજે પર લાઈવ ગાયક કલાકારો દ્વારા સંગીત અને 2 બેન્ડ જોડાશે. 108 યજમાનો ભાગવત ગ્રંથ માથે લઈને ચાલશે, જ્યારે 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે યાત્રાની શોભા વધારશે. કથાના મુખ્ય દાતા પરિવારો સંતો (મુકુંદ પ્રકાશજી મહારાજ સહિત) સાથે બગીઓમાં જોડાશે. શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવના ભાગરૂપે હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં કથાનું આયોજન થયું છે, જ્યાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથાનો શુભારંભ વાલ્મિકી સમાજની 51 દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે, જે સામાજિક સમરસતાનો સંદેશ આપશે. રેલવે સ્ટેશનથી રંગીલા હનુમાન મંદિર સુધી વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાયું છે. પોથીયાત્રા પૂર્ણ થયા બાદ તમામ ભાવિકોને વાહનો દ્વારા કથા સ્થળ (હરીઓમ ગૌશાળા, અનાવાડા) પર પહોંચાડવામાં આવશે. અહીં દરરોજ 50,000 ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના 15થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે દર વર્ષે યોજાતા “સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ”નું આ વર્ષે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાહસિક તત્વોને પ્રોત્સાહન આપવા અને સાગરકાંઠાના વિસ્તારોના સમૃદ્ધ જીવન, ઉદ્યોગો, કલા-સંસ્કૃતિ તેમજ સાગરલક્ષી પ્રવૃત્તિઓ અંગે પ્રત્યક્ષ માહિતગાર કરવા હેતુથી આ કાર્યક્રમ આયોજિત થાય છે. 10 દિવસના કાર્યક્રમ માટે 300 યુવાનોની પસંદગી થશેઆ વર્ષે ડિસેમ્બર માસમાં 10 દિવસ માટે યોજાનાર આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી કુલ 300 યુવાનોની પસંદગી કરવામાં આવશે.કાર્યક્રમ દરમ્યાન ભાગ લેનાર યુવાઓને સરકાર તરફથી નિવાસ, ભોજન તેમજ કાર્યક્રમ સ્થળે આવવા-જવાનું ભાડું આપવામાં આવશે. ઉપરાંત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારનું પ્રમાણપત્ર પણ અપાશે. અરજી કરવાની પ્રક્રિયાજે ઉમેદવારો 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ 15 થી 35 વર્ષની વય મર્યાદામાં આવે છે, તેઓએ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી ફોર્મ મેળવી જરૂરી વિગતો સાથે અરજી કરવી રહેશે. અરજીમાં નીચેની વિગતો ઉમેરવાની રહેશે: 15 ડિસેમ્બર સુધીમાં યુવાનો અરજી કરી શકશેજનરલ કેટેગરીના ઉમેદવારોએ ગીર-સોમનાથ, અનુસૂચિત જાતિના ઉમેદવારોએ જામનગર અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ નવસારીની જિલ્લા યુવા કચેરીમાં અરજી 15 ડિસેમ્બર 2025 સુધી મોકલવાની રહેશે, એવી માહિતી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર કચેરી દ્વારા આપવામાં આવી છે.
વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 3 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન થયું હતું. જેમાં કરજણ અને પાદરા બેઠક પર ભાજપ વિરુદ્ધ ભાજપનો જંગ સર્જાયો છે. આગાઉ 12 બેઠકો બિનહરીફ થઈ હતી, જોકે ત્રણ બેઠકો માટે કોકડું ગુંચવાતા આજે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. વડોદરા શહેરના જ્યુબેલી બાગ તરીકેશ્વર મહાદેવના પટાંગણમાં મતદાન થઈ થઈ રહ્યું છે. વાઘોડિયા, પાદરા અને કરજણ તાલુકામાં ભાંજગડ ઉભી થતા ચૂંટણીઓ યોજાઈ રહી છે. દરેક તાલુકામાં 30થી 35 મતદારો મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે 4 નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમયમર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મનફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી. સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ 18 નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું. ફોર્મ પરત ખેંચવાની તારીખે ભાજપ સામે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા અને કરજણમાંથી ભાજપના સહકારી અગ્રણી ઉમેદવારોએ ફોર્મ પરત નહીં ખેંચતા બે બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો ઘાટ સર્જાયો હતો. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઉભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, હું તો કાયમ મારો ઉમેદવાર ઊભો રાખું છું. હું લડવાનું નહીં છોડુ. ચંદ્રેશ પટેલ મારો ઉમેદવાર છે. બીજો ઉમેદવાર પણ મારા બાજુના ગામનો જ છે. પણ મેન્ડેટની સામે મારો વિરોધ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ જણાવ્યું હતું કે, 15 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા છે. માત્ર 3 ઝોનમાં ચૂંટણી થઈ રહી છે. મતદારો કઈ તરફનો ઝોક રાખે છે, તે આવતી કાલે જ ખબર પડશે. દરેક જગ્યાએ ભાજપની સામે ભાજપના ઉમેદવારો છે. ફોર્મ ભરાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખની ફરજ બનતી હોય છે કે, આપણે સંકલન સમિતિની મિટિંગ બોલાવીએ. જેમાં ધારાસભ્યો અને સંસદ સભ્ય પણ હોય, 12 બેઠક બિનહરીફ થતી હોય તો ત્રણ કેમ ન થાય? સંકલન સમિતિની બેઠક બોલાવી હતી તો 3 બેઠક પણ બિનહરીફ થઈ જાત. સંકલન સમિતિ બોલાવ્યા વગર મેન્ડેટ આપી દે અને ફોર્મ ભરી દીધા હોય તો બધાને પોતપોતાનો ઈગો હોય છે, તો ફોર્મ પાછા ન ખેંચે.
પર્યાવરણને અનુકૂળ અને સલામત વિકલ્પની શોધમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સંશોધકોએ મોટી સફળતા હાંસલ કરી છે. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગની ટીમે લીલી ચહાના પત્તા (લેમનગ્રાસ), લીમડો અને તુલસીના કુદરતી અર્કનો ઉપયોગ કરીને એક એવું સુતરાઉ કાપડ વિકસાવ્યું છે જે મચ્છરોને 85 ટકા સુધી દૂર રાખે છે, સાથે જ એન્ટિમાઇક્રોબાયલ અને યુવી રક્ષણના ગુણ પણ ધરાવે છે. આ સંશોધનનું નેતૃત્વ ડો.ભરત એચ.પટેલે કર્યું છે, જ્યારે સહ-માર્ગદર્શક દેવાંગ પી.પંચાલ અને વિદ્યાર્થી સંશોધક જયંત પાટીલે મહત્વનું યોગદાન આપ્યું છે. સંશોધનમાં પેડ-ડ્રાય-ક્યોર પદ્ધતિથી કોટન કાપડ પર આ ત્રણેય વનસ્પતિઓના અર્કનું મિશ્રણ લગાવવામાં આવ્યું હતું. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ સારવાર કરાયેલ કાપડ મચ્છરો સામે 85 ટકા સુધીની રિપેલન્સી (ભગાડવાની ક્ષમતા) દર્શાવે છે. તેની સાથે કાપડમાં બેક્ટેરિયા- વિરોધી ગુણ અને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી બચાવવાની ક્ષમતા પણ જોવા મળી છે. આ કાપડ પૂરેપૂરું બાયોડિગ્રેડેબલ અને પર્યાવરણને અનુકૂળ હોવાથી રાસાયણિક જંતુનાશકોનો વિકલ્પ બની શકે છે. ડો.ભરત પટેલે જણાવ્યું હતું કે, આ કાપડ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝિકા જેવા મચ્છરજન્ય રોગો સામે સલામત અને ટકાઉ રક્ષણ આપી શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં રાસાયણિક રિપેલન્ટની પહોંચ મર્યાદિત છે, ત્યાં આ કાપડનો ઉપયોગ મચ્છરદાની, કપડાં કે પડદા તરીકે થઈ શકે છે.
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આયોજિત 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસે કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથને ભારતના આર્થિક વિકાસ અને સુશાસનની વ્યૂહરચનાઓ પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ વચ્ચેનો સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજાકેન્દ્રી બનાવે છે. સોમનાથને સ્પષ્ટ કર્યું કે, એક તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકઇચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે અધિકારીઓ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન સુનિશ્ચિત કરે છે. આ સમન્વય સુશાસન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આ સત્રમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે કેન્દ્ર સરકાર આર્થિક વિકાસ, ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી નીતિઓ, સરળ વ્યાપારી માહોલ અને સુશાસન તરફ સક્રિય પગલાં ભરી રહી છે. ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપના ઉદ્યમીઓને ટેક્સ વિભાગો દ્વારા બિનજરૂરી હેરાનગતિ ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્તરે નીતિગત સુધારાના પ્રયત્નો ચાલી રહ્યા છે. સોમનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત યોગ્ય વિકાસ નીતિઓ, સુધારેલી શાસનવ્યવસ્થા અને ચૂંટાયેલી પાંખ તથા વહીવટી તંત્ર વચ્ચેના ગાઢ સમન્વયથી 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે. તેમણે દેશના મજબૂત ફોરેક્સ રિઝર્વ, નિયંત્રણમાં રહેલી મોંઘવારી, રોજગાર સર્જનમાં વૃદ્ધિ અને સ્થિર રાજકોષીય સ્થિતિને સર્વાંગી વિકાસ માટે શુભ સંકેત ગણાવ્યા. છેલ્લા 10-12 વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. આ પરિણામો નાગરિક સુખાકારી આધારિત નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપન, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા સસ્તા ઘર, સ્વચ્છતા અભિયાન અને સામાજિક સુરક્ષા યોજનાઓને આભારી છે. દેશમાં અનેક નવી IIT, IIM, મેડિકલ અને નર્સિંગ કોલેજોની સ્થાપનાએ યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઊભી કરવાના અપાર અવસરો સર્જ્યા છે, જે આગામી દાયકાઓ માટે વિકાસનો મજબૂત પાયો સાબિત થશે. અંતે, તેમણે ગુજરાત સરકારની ચિંતન શિબિરની પહેલને અનુકરણીય ગણાવી. તેમણે જણાવ્યું કે, મંત્રીગણ અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા વિચારો અને માર્ગદર્શન દેશમાં નીતિ-નિર્માણ અને વહીવટી સુધારાઓ માટે દિશાદર્શક સાબિત થશે. આ માટે તેમણે મુખ્યમંત્રી સહિત તમામ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
ઝાલોદ તાલુકાના પાવડી ખાતે એસ.આર.પી. ગ્રુપમાં સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા (લોકસભા)નો પ્રારંભ થયો. સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આ સ્પર્ધા ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે સાંસદ સહિત અન્ય મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, સરકારની રમતગમત પ્રોત્સાહક નીતિઓને કારણે દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા ઓલિમ્પિકમાં ખેલાડીઓ ગત વખત કરતાં વધુ સારું પ્રદર્શન કરીને દેશને વધુ મેડલ અપાવશે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખેલ મહોત્સવ તથા સાંસદ ખેલ સ્પર્ધા જેવા કાર્યક્રમો દ્વારા નવા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં વર્ણવેલી ૬૪ અને ૭૨ કળાઓમાં રમતગમતનું પણ મહત્ત્વનું સ્થાન છે, અને સરકાર તેના વિકાસ માટે સતત પ્રોત્સાહન આપી રહી છે. દાહોદના ખેલાડીઓ અત્યંત પ્રતિભાશાળી હોવાનું જણાવતાં સાંસદે કહ્યું કે, રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે આ ખેલાડીઓએ દાહોદનું નામ રોશન કર્યું છે. તેમણે આ સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ ભૂરિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર પેરોલ ફર્લો સ્કવોડે હત્યાના ગુનામાં સજા પામેલા એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયો હતો અને તેને જામનગરના અંબર ચોકડી વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ પેરોલ ફર્લો રજા પરથી ફરાર થયેલા કેદીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે જામનગર એલ.સી.બી.ના પી.આઈ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એસ્કોન્ડર પેરોલ ફર્લો સ્ક્વોડના પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા અને સ્ટાફ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને કામગીરી કરી રહ્યા હતા. ઝડપાયેલા કેદીનું નામ મહમદ ઉર્ફે મેમુડો ઇશાકભાઇ ખાટકી છે, જે જામનગરના હુસેની ચોક, ખાટકી વાસનો રહેવાસી છે. તે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ૨૩/૨૦૦૫ આઈ.પી.સી. ૩૦૨, ૧૪૭, ૧૪૮ મુજબના ગુનામાં રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નંબર-૪૬૮૬૯ હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશથી તેને પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેને તા. ૦૩/૦૯/૨૦૨૫ના રોજ જેલ ખાતે પરત ફરવાનું હતું, પરંતુ તે આજદિન સુધી પરત ન ફરતા ફરાર થઈ ગયો હતો. તેની વિગતો ICIS એપ્લિકેશનની મદદથી મેળવવામાં આવી હતી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફ સલીમભાઈ નોયડા, ગોવિંદભાઈ ભરવાડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ અને દિલીપસિંહ જાડેજાને બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે કેદી GJ.10.***** નંબરની રીક્ષામાં નીકળ્યો છે. આ બાતમીના આધારે તાત્કાલિક નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર પાસેથી મળેલી ચોક્કસ માહિતી મુજબ, સદર રીક્ષા જામનગરના અંબર ચોકડી અને જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હાજર હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેદી મહમદ ઉર્ફે મેમુડો ખાટકીને શોધી કાઢ્યો અને તેને પકડી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી દીધો હતો. આ કામગીરીમાં એસ્કોન્ડર પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. એમ.વી. ભાટિયા, એ.એસ.આઈ. ગોવિંદભાઈ ભરવાડ, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઈ સાદિયા, હાર્દિકભાઈ ભટ્ટ, તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજા જોડાયા હતા.
બનાસકાંઠા જિલ્લા પોલીસે ચોરી અને લૂંટના 16 ગુનાઓનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કર્યો છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલ ભોગ બનનાર મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં સોના-ચાંદીના દાગીના, હીરા, મોબાઈલ ફોન અને વાહનો સહિતની કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. પરત કરાયેલા મુદ્દામાલમાં ત્રણ સોના-ચાંદીના દાગીના ચોરીના કેસ, એક હીરા ચોરીનો બનાવ, નવ મોબાઈલ ચોરીના કેસ અને ચાર વાહન ચોરીના કેસનો સમાવેશ થાય છે. વાહન ચોરીના કેસોમાં બે મોટરસાયકલ, એક સ્વિફ્ટ કાર અને એક ટ્રેક્ટર-ટ્રોલીનો મુદ્દામાલ પણ ભોગ બનનારને પાછો મળ્યો છે. પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી એક મોટી સોનાની ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ પરત કરાયો હતો. આ ગુનો ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી ઉકેલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, CEIR પોર્ટલના માધ્યમથી નવ ચોરાયેલા અથવા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને સુપરત કરવામાં આવ્યા હતા. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચાંદીના દાગીનાની લૂંટનો મુદ્દામાલ પણ પરત અપાયો છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મંદિરમાં થયેલી ચોરીના દાગીના, ઝુમ્મર અને દાનપેટીમાંથી ચોરાયેલો મુદ્દામાલ પણ મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પરત સોંપવામાં આવ્યો હતો. આ તમામ કામગીરી જિલ્લા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે જણાવ્યુ હતું કે આ કુલ ત્રણ જેટલા ગુનાના સોના-ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછા આપવામાં આવેલ છે. જેમાં એક પાલનપુર પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ, ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે. સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે. જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ, હીરાનો પાછો આપવામાં આવેલ છે. આના સિવાય નવ જેટલા મોબાઇલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય, તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે. આ સિવાય જે વાહન ચોરી છે, જેમાં બે બાઈક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર-ટ્રોલીને પણ પાછા આપવામાં આવેલ છે. હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટનો બનાવ બનેલો હતો, તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછા આપવામાં આવેલ છે. પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થયેલ હતી, આ પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમ્મર હોય અથવા દાનપેટીમાં મુદ્દામાલ હોય, તેઓને પણ આ જ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે, તેઓને પાછા આપવામાં આવેલ છે. આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીના કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે, તે પાછો આપવામાં આવે, તેના તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત. તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઇલ હતા, એ આ જ વર્ષના હતા, તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછા આપવા આવ્યા છે ભોગ બનનાર મમતા બેને જણાવ્યું હતું કે હું અમદાવાદથી મારા પિયર સોજીત્રા નિકળી હતી બસ દ્વારા. બસમાં મારો બેગ હતું , જેમાં મારું 15-16 તોલા સોનું હતું, ₹50,000 રોકડા હતા. રસ્તામાં કોઈકે મારો બેગ ચોરી કરી લીધો. જ્યારે હું સાંદેસરા પહોંચી, રાજસ્થાન, તો મેં જોયું મારો બેગ નહોતો. તો પછી મેં કોલ કર્યો, મેં પાછું ત્યાં પોલીસકર્મીઓ ને જાણકારી આપી. તો બસવાળાએ જણાવ્યું કે જે છોકરાઓ રસ્તામાં બેઠા હતા, તે પાલનપુર ઉતર્યા. તો હું પાછી પાલનપુર આવી. પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મેં રિપોર્ટ નોંધાવી. પછી ત્યાં પોલીસવાળાઓએ મારી ખુબજ મદદ કરી અને ગુજરાત પોલીસે પણ મદદ કરી. એમની મદદને કારણે મારું બધુંમુદ્દમાલ મને પાછું મળી ગયું.
ગુજરાત હાઈકોર્ટમાં સિંગલ જજ દ્વારા અમદાવાદના સાબરમતીમાં આવેલ અચેર ગામના બળદેવનગર વિસ્તારમાં રહેતા 29 રહેવાસીઓ દ્વારા દાખલ કરેલી અરજીઓને નકારી દેવાઈ હતી. સાથે જ સિંગલ જજે પોતાના ચુકાદા ઉપર બે સપ્તાહનો સ્ટે મૂક્યો હતો. જે પૂર્ણતાના આરે છે, ત્યારે રહેવાસીઓએ સિંગલ જજના ચુકાદાને ડબલ જજની બેન્ચ સમક્ષ પડકારતા તાત્કાલિક સુનવણીની માગ કરી છે. તેઓએ કહ્યું હતું કે તેમના રહેણાક મકાન કોર્પોરેશન તોડી શકે તેમ છે. ત્યારે હાઇકોર્ટે આ મુદ્દે સોમવારે(1 ડિસેમ્બરે) સુનવણી રાખી છે. બળદેવ નગરના 29 રહેવાસીઓની હાઇકોર્ટમાં અરજી સાબરમતી તાલુકામાં બળદેવ નગરના 29 રહેવાસીઓએ AMCની મકાન ખાલી કરવાની નોટિસ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ 29 અરજદારોએ એડવોકેટ વિક્રમ ઠાકોર મારફતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં કહેવાયું હતું કે, 21 મેના રોજ AMC દ્વારા તેમને 07 દિવસમાં મકાનો ખાલી કરી દેવા નોટિસ પાઠવવામાં આવી હતી. આ વિસ્તાર બળદેવ નગર, અચેરમાં છે. અહીં 1984માં રોડ બનાવવાની TP સ્કીમમાં જોગવાઈ કરાઈ હતી. પરંતુ જમીનના મૂળ માલિકે તેના પ્લોટ પાડી લોકોને ભાડે આપ્યા હતા. તેઓ 60 વર્ષથી અહીં રહી રહ્યા છે. 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાતબળદેવનગરને સ્લમ ક્લિયરન્સ એરિયા જાહેર કરાયો છે. છત્તા તેના રીડેવલપમેન્ટની કોઈ વાત કરવામાં આવી નથી. તેઓએ કાનૂની રીતે વીજળી, પાણીના કનેક્શન મેળવેલ છે અને AMCનો ટેક્સ પણ ભરે છે. અહીં 24 મીટર પહોળો TP રોડ બનાવવાની વાત છે. આમ 1984ની TP સ્કિમનો અમલ 41 વર્ષ બાદ કરાઈ રહ્યો છે. અહીં 100 જેટલા પાકા મકાનો તૂટતા 01 હજાર જેટલા લોકોને અસર થશે. ખરેખરમાં TP સ્કિમ 1984ની હવાલો અને ભારત 2036માં ઓલિમ્પિકની યજમાની કરે તેવી શકયતાઓને જોતા આ વિસ્તારમાં વિકાસ કરાઈ રહ્યો છે. જેમાં 24 મીટર પહોળો રોડ બનાવવાની વાત છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ, પડકારાઈ નથીસરકારી વકીલની દલીલ મુજબ અહીં ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઇનલાઈઝ થઈ ચૂકી છે. તે દરમિયાન તેને પડકારવામાં આવેલ નથી. એક વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ ફાઈનલ થઈ જાય ત્યારબાદ રોડ બનાવવા માટે જગ્યા ખાલી કરવી જ પડે. આ માટે સરકારી વકીલે કોર્ટના અગાઉના ચુકાદા પણ હાઇકોર્ટ સમક્ષ મૂક્યા હતા. AMC ના જણાવ્યા મુજબ TP સ્કીમના ફાઈનલાઈઝેશનને કોર્ટ સમક્ષ ચેલેન્જ કરાયેલ નથી. હાઈકોર્ટે આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો'તોસિંગલ જજે નોંધ્યું હતું કે અરજદારોને અપીલમાં આપવામાં આવેલી સૂચના મુજબ જગ્યા ખાલી કરીને શાંતિપૂર્ણ રીતે સત્તાધિકારીઓને સોપવાની રહેશે. સાથે જ સિંગલ જજે અરજદારોને વૈકલ્પિક રહેઠાણ માટે યોગ્ય સત્તાધિકારીઓ પાસે અરજી કરવાની છૂટ આપી. હાઈકોર્ટે તેના આદેશને બે અઠવાડિયા સુધી સ્થગિત રાખ્યો હતો. જેથી રહેવાસીઓ અપીલ કરી શકે.
જલાલપોર તાલુકાના ઓંજલ ગામના એક યુવાનની ફરિયાદના આધારે મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાના બહાને 21 યુવાનો સાથે રૂ. 40.34 લાખની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, ઓંજલમાં રહેતા માછીમાર તુરંગમાર ટંડેલની દોઢ વર્ષ પહેલાં તેમના મિત્ર તર્પણ મારફતે વિનોદ પટેલ સાથે મુલાકાત થઈ હતી. વિનોદે તુરંગકુમારને મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. વિનોદે એડવાન્સ ફી પેટે રૂ. 2 લાખની માંગણી કરી હતી, જે તુરંગકુમારે ગુગલ પે દ્વારા બે હપ્તામાં ચૂકવ્યા હતા અને તેની કન્સલ્ટન્સીની રસીદ પણ મેળવી હતી. બાદમાં મુંબઈમાં ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. 10 માર્ચ 2025ના રોજ જોબ ઓફર આવી ગઈ હોવાનું જણાવી, ટિકિટના બહાને વધુ 50 હજાર રૂપિયા તેમના મામાના ગુગલ પે નંબર પરથી અનમોલકુમાર નામના સ્કેનર પર જમા કરાવ્યા હતા. આમ, વિનોદે તુરંગકુમાર પાસેથી કુલ રૂ. 2.50 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ વિનોદે દુબઈની ટ્રીપ, 'શીપ એન્કર પર છે', 'રમઝાનની રજાઓ છે' અને 'શીપ કેન્સલ થઈ ગયું છે' જેવા વિવિધ બહાના બતાવીને તુરંગકુમારને શીપમાં જોઈનિંગ કરાવ્યું ન હતું. તુરંગકુમારે પોતાના પૈસા પાછા માંગતા વિનોદ આનાકાની કરતો હતો અને ફોન પર વિવિધ બહાના બતાવતો રહ્યો હતો. એકલા તુરંગકુમાર સાથે જ નહીં, પરંતુ કાંઠા વિસ્તારના કુલ 21 યુવાનો સાથે આ જ રીતે છેતરપિંડી આચરવામાં આવી હતી, જેમાં કુલ રૂ. 40.34 લાખની રકમ પડાવી લેવામાં આવી હતી. માછીમાર સમાજના યુવાનોમાં શીપની નોકરીનો ક્રેઝ હોવાનો લાભ લઈને આરોપીએ આ છેતરપિંડી કરી હતી. જલાલપોર પોલીસ મથકમાં ભોગ બનનાર યુવાનોએ ફરિયાદ આપતા પોલીસે આરોપી વિનોદ પટેલની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ યુવાનો છેતરપિંડીના ભોગ બન્યાંઓંજલ માછીવાડના તુરંગ ટંડેલે ફરિયાદ આપ્યા બાદ અન્ય 20 યુવાનો સાથે વિનોદ પટેલે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આ તમામ લોકો સાથે કુલ રૂ. 40.34 લાખની છેતરપિંડી કરી હોવાની માહિતી મળી છે. ભોગ બનનારમાં પ્રીતેશ ટંડેલ (રહે. ધોલાઈ બંદર) પાસે 1.90 લાખ, પ્રશાંત ટંડેલ (ઓંજલ માછીવાડ) પાસે 2.90 લાખ, પાર્થ ટંડેલ અને વિવેક ટંડેલ (રહે.રામનગર) પાસેથી 2-2 લાખ, ભાવિન ટંડેલ (ઓંજલ માછીવાડ) પાસે રૂ.2.લાખ, ચિંતન ટંડેલ (કૃષ્ણપુર) પાસેથી 1.50 લાખ, ધવલ ટંડેલ (કણિયેટ) પાસેથી 2.50 લાખ, અનિકેત ટંડેલ (ચોરમલા ભાઠા) પાસેથી રૂ. 1.99 લાખ, જીગર ટડેલ (કૃષ્ણપુર) પાસેથી 1 લાખ, કિર્તન ટડેલ (કણિયેટ) પાસેથી 2 લાખ તથા પાસપોર્ટ, પિયુષ ટંડેલ (કૃષ્ણપુર) પાસેથી 1.50 લાખ, વિરલ ટંડેલ (કૃષ્ણપુર) પાસેથી 1.80 લાખ, મુકેશ ટંડેલ, જીગ્નેશ ટંડેલ અને મનીષ ટંડેલ (બોરસી માછીવાડ) પાસેથી 2-2-2 લાખ, મેંધરના મૌલિક ટંડેલ પાસેથી 2 લાખ, રાજ ટંડેલ પાસેથી 1.75 લાખ, ભાર્ગવ ટંડેલ પાસેથી 2.50 લાખ, ચિરાગ ટંડેલ (રહે. કૃષ્ણપુર) પાસે 1.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ઉપરાંત જય માંગેલા (રહે. ઉદવાડા) પાસેથી 1 લાખ અને પાસપોર્ટ અને CDC જે શીપમાં જવાના દસ્તાવેજ આપ્યા હતા. આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂરજલાલપોરમાં શીપમાં નોકરી મેળવવા માટે યુવાનો સાથે છેતરપિંડી કરનાર વિનોદ પટેલની ધરપકડ કરી છે. 21 લોકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ છે. વિનોદ ઘરે જ કન્સલ્ટન્સી ચલાવતો હતો. યુવાનોના દસ્તાવેજ કબજે કરવામાં બાકી છે તેમજ અન્ય છેતરપિંડીમાં સામેલ છે કે કેમ તે બાબતે તેને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરતના પુણા વિસ્તારમાંથી 11 મહિના પહેલા એક 15 વર્ષની સગીરાને એક યુવક ભગાવીને લઈ ગયો હતો. પરિવારજનો દ્વારા આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસ દ્વારા યુવકને સગીરા સાથે રાજસ્થાનથી પકડી પાડવામાં આવ્યા હતાં. જોકે સગીરા 8 માસ ગર્ભવતી હોવાનું જાણીને પરિવાર પણ ચોકી ઉઠ્યો હતો. પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે ત્યારે સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. અપહરણ થયાના 7 મહિના થવા છતાં પણ દીકરી અંગે કોઈ ભાળ ન મળતા પરિવારજનો પોલીસને પગે પડીને પોતાની દીકરીને પરત લાવવા માટે પણ આજીજી કરી હતી. યુવક સગીરાને અપહરણ કરીને ભગાવી ગયોમળતી માહિતી પ્રમાણે, ગત 27 ડિસેમ્બર 2024ના રોજ પુણા વિસ્તારમાં રહેતા એક પરિવારની 15 વર્ષીય દીકરીને તુષાર નામનો યુવક ભગાવી ગયો હતો. આ મામલે પરિવારજનો દ્વારા પુણા પોલીસ સ્ટેશનમાં તુષાર નામના યુવક વિરુદ્ધ સગીરાને અપહરણ કરીને ભગાવી ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિવારજનો રોજબરોજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા. સગીરાના પિતા સવાર અને સાંજ એમ બે ટાઈમ પોલીસ સ્ટેશન જતા હતા અને પોતાની દીકરીની ભાળ મળી કે નહીં તે અંગે પૂછપરત કરતા હતાં. પરિવારે પોલીસને પગે લાગીને દીકરીને પરત લાવવા આજીજી કરીડિસેમ્બર 2024થી જુલાઈ 2025 સુધીમાં પરિવારજનો દ્વારા ભાજપના નેતાઓ અને પોલીસ કમિશનર સુધીનાને આ બાબતે રજૂઆત કરી હતી. જોકે છતાં પણ દીકરીની કોઈ ભાળ ન મળતા અને પોલીસ દ્વારા અમે શોધખોળ કરી રહ્યા છીએ તેવા રટણને લઈને પરિવારજનો રસ્તા ઉપર બેનર સાથે ન્યાય આપોના સૂત્રોચાર સાથે સીતાનગર ચોકડી પર ઉતરી આવ્યા હતાં. આ અંગે જાણ થતા પુણા પોલીસ દોડી આવી હતી તે દરમિયાન પરિવારજનો દ્વારા પોલીસને પગે લાગીને પોતાની દીકરીને પરત લાવવા માટે આજીજી કરી હતી. આરોપી યુવક સગીરાને સુરતથી રાજસ્થાન લઈ ગયો15 વર્ષની દીકરીના અપહરણ થયાના 11 મહિના બાદ થોડા દિવસ પહેલા આરોપી તુષારને સગીરા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સગીરાને લઈને સુરતથી રાજસ્થાન અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફર્યો હતો. આરોપી તમિલનાડુ સુધી છેલ્લા 11 મહિના સુધીમાં ભાગતો ફર્યો રહ્યો હતો. દરમિયાન સુરત પોલીસને બાતમી મળતા બંનેને ઝડપીને સુરત લઈ આવ્યા હતા. સગીરાને આઠ માસનો ગર્ભઆરોપીની પૂણા પોલીસે ધરપકડ કરી હતી, જોકે, સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે પરિવારજનો પણ જાણીને ચોંકી ગયા હતા. સગીરાએ માતા-પિતા પાસે જવાની મનાઈ કરીઆ સાથે જ સગીરા પણ તેના માતા-પિતા પાસે જવાની મનાઈ કરતી હોવાથી સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી તેને રજા આપવામાં આવતા સગીરાને નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી છે. હાલ સગીરાની ઉંમર 16 વર્ષ છે અને ગર્ભપાત કરાવવાની પણ મનાઈ કરી રહી છે. પરિવારે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધાપરિવારને અત્યારે એવી વિડંબણામાં મુકાયો છે કે, જે દીકરી માટે 11 મહિના સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા, નેતાઓની ઓફિસના ધક્કા ખાધા, ઠેર ઠેર દીકરીની શોધખોળ કરી અને હવે જ્યારે તે મળે છે તો તે આઠ માસથી ગર્ભવતી છે અને તે પણ હવે માતા પિતા પાસે આવવા પણ તૈયાર નથી. પરિવારજનો પણ આ બાબતે મૂંઝવણમાં મુકાયો છે.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ શહેરના 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાંથી છોટા હાથી વાહનમાં ઘોડાની આડશમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. LCB એ બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 8,25,190 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય બે આરોપીઓ ફરાર છે. પાટણ LCB પોલીસ ટાઉનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, પાટણ જિમખાનાથી ખોડિયાર ચોકડી જતા રસ્તે આવેલ અમીર સહીદ સાહબ દરગાહની વાડીમાં છોટા હાથી ના પાછળના ડાલામાં ઘોડાને બાંધી તેની આડશમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો. આ બાતમીના આધારે, LCB એ તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે છોટા હાથીની તપાસ કરતાં, તેમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 485 બોટલ/ટીન મળી આવી હતી, જેની કિંમત રૂ. 2,65,190 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી દારૂ ભરીને આવનાર ભીલ વીરારામ માનારામ (રહે. બાઉડી કલા, બાડમેર, રાજસ્થાન) અને દારૂ મંગાવનાર ફારૂકી મુસ્તકીમ કયુમુદ્દીન (રહે. પાટણ બોકરવાડો)ની ધરપકડ કરી હતી. જોકે, દારૂ મંગાવનાર અન્ય બે આરોપીઓ ફારૂકી સદ્દામ કયુમુદ્દીન અને ફારૂકી આરીફ કયુમુદ્દીન (બંને રહે. પાટણ બોકરવાડો) સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા અને તેઓ ફરાર છે. પોલીસે દારૂ ઉપરાંત રૂ. 5,00,000/-ની કિંમતનું છોટા હાથી વાહન, રૂ. 10,000/-ની કિંમતના બે મોબાઈલ ફોન અને રૂ. 50,000/-ની કિંમતનો એક ઘોડો સહિત કુલ રૂ. 8,25,190/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહેલો છે. વીરારામ વિરુદ્ધ વિઠલાપુર પોલીસ સ્ટેશનમાં, જ્યારે મુસ્તકીમ અને સદ્દામ વિરુદ્ધ પાટણ તાલુકા અને સીટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પરથી MD ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રીક્ષામાંથી 47.100 ગ્રામ MD ડ્રગ્સ સાથે અમદાવાદના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે કુલ ₹3,52,550 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં ₹1,41,300 ની કિંમતનું MD ડ્રગ્સ, ત્રણ મોબાઈલ ફોન, ₹750 રોકડા અને ઓટો રીક્ષા નો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં અમદાવાદના ફૈસલ ઇકબાલ વલીમહમદ મેમણ, મહોમદશાહરુખ મહેબૂબ હુસેન મીરઝા અને ફૈઝાન અહેમદ શેખનો સમાવેશ થાય છે. ફૈસલ મેમણ મૂળ મહારાષ્ટ્રના વસઈનો રહેવાસી છે, જ્યારે મહોમદશાહરુખ મીરઝા જુહાપુરા અને ફૈઝાન શેખ સરખેજ, અમદાવાદના રહેવાસી છે. પ્રાથમિક તપાસ મુજબ, આ MD ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું. બનાસકાંઠા પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ હેરાફેરીના આ પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા નેનાવા ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન આ રીક્ષા શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તલાશી લેતા ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં દુકાનના 7 હજાર રૂપિયા બાકી બિલના કારણે પડોશી દુકાનદારે બીજા દુકાનદાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. આ મામલે આરોપી દુકાનદાર સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા પ્રશાંત એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી રાજીશકુમાર શિયપા (ઉં.વ. 47)એ જણાવ્યું હતું કે, તેઓ કારેલીબાગ વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલની સામે ‘શ્રી ગુરુવાયુરપ્પન ટાયર સર્વિસ’ નામની ટાયરની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દુકાને હતા અને રસ્તા પર ઘાયલ થયેલા કૂતરાનો વીડિયો બનાવી એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ જ સમયે પડોશમાં આવેલી ‘સત્વજીવન પ્રોવિઝન સ્ટોર’ના માલિક સત્યેન માધવલાલ પટેલ (રહે. વી.આઈ.પી. રોડ, કારેલીબાગ)એ તેમને પોતાની દુકાને બોલાવ્યા હતા. જ્યાં તેમણે રાજીશકુમારને જણાવ્યું હતું કે, તેઓ અને તેમના પરિવારજનો દુકાનેથી વેફર, પાન-પાનીપુરીનો મસાલો તથા અન્ય ઘરવખરીનો સામાન લઈ જાય છે અને તેનું આશરે 7 હજાર રૂપિયા બિલ બાકી છે. જેની તાત્કાલિક ચુકવણી કરવા દબાણ કર્યું હતું. રાજીશકુમારે પૈસા હાલ ન હોવાથી થોડા દિવસમાં ચૂકવી આપવાનું કહ્યું હતું, જેથી સત્યેન પટેલ ગુસ્સે થઈ ગયા હતા. તેમણે બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું અને રાજેશકુમારને ગાળો આપી હતી અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ નાક પર મુક્કો માર્યો હતો અને ઢોર માર માર્યો હતો અને ડાબા હાથના કાંડા પર હાથ વડે માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ રાજીશકુમારના નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને હાથમાં તીવ્ર દુખાવો થયો હતો. તેઓ ત્યાંથી નીકળીને પોતાના મામા પીયુષભાઈ ઠાકોરભાઈ અમીન (રહે. શિવશક્તિ બંગલોઝ, મેન્ટલ હોસ્પિટલ સામે કારેલીબાગ, વડોદરા)ના ઘરે ગયા હતા. જેથી તેમના મામા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ડોક્ટરે એક્સ-રે કરાવતાં રાજીશકુમારના નાક તથા ડાબા હાથના કાંડામાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું છે. હાલ તેમની સારવાર ચાલુ છે કારેલીબાગ પોલીસે આરોપી સત્યેન માધવલાલ પટેલ સામે ગુનો નોંધીને વધુ વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી રાજીશકુમાર શિયપાએ જણાવ્યું હતું કે, સત્યજીવન પ્રોવિઝન સ્ટોરમાંથી હું ખરીદી કરું છું અને ચાર પાંચ મહિને 5 હજાર જેટલા રૂપિયા આપી દઉં છું. આ વખતે 7 હજાર રૂપિયા બિલ થઈ ગયું છે. આ વખતે પૈસા આપવામાં એક મહિનો મોડું થઈ ગયુ હતો. જેથી રૂપિયા માંગીને દુકાન માલિક સત્ય મને મારવા લાગ્યો હતો. મેં એને કહ્યું હતું કે, બે દિવસમાં આપું છું. પણ એ માન્યો નહોતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેને મારો ફોન ખેંચી લીધો હતો, પછી ફોન પડી ગયો મારો. પછી મને એકદમથી હાથથી ધક્કા માર્યો એટલે હું ફૂટપાથમાં પડી ગયો હતો અને મને જાનવરની જેમ મરવા લાગ્યો હતો અને આખો ચહેરો ફૂલાવી દીધો હતો. નાક તોડી નાખ્યું હતું અને હાથ પણ તોડી નાખ્યો હતો અને WWFની જેમ ઉચકીને અને ઘસડી-ઘસડીને લઈ ગયો હતો અને માર મારતો રહ્યો હતો.
(Image - Ians) Rahul Gandhi on Delhi Air Pollution: દિલ્હીમાં છેલ્લા ઘણાં દિવસોથી હવામાન ખરાબ છે. આજે શુક્રવારે પણ રાજધાનીની હવાની ગુણવત્તા 'ખૂબ જ ખરાબ' રહી હતી અને તેનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 384 નોંધાયો હતો.
મોરબીમાં નશાકારક દ્રવ્યોનું બેફામ વેચાણ:કોંગ્રેસનો આક્ષેપ, જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં SPને આવેદન
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોર ચીખલીયાની આગેવાની હેઠળ કોંગ્રેસના આગેવાનોએ આજે મોરબી એસપી કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં મોરબી જિલ્લામાં દારૂ, ડ્રગ્સ અને ગાંજા સહિતના નશાકારક દ્રવ્યોના બેફામ વેચાણને તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ એસપીને 300 જેટલી જગ્યાઓની યાદી પણ સુપરત કરી હતી, જ્યાં દેશી દારૂ અને અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, પોલીસની કથિત હપ્તાખોરીને કારણે આ દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ આક્ષેપ કર્યો હતો કે મોરબીમાં દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજો અને ડ્રગ્સ જેવી નશાકારક વસ્તુઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. આ આવેદનપત્ર કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પણ આપવામાં આવ્યું હતું, જેમણે થોડા દિવસો પહેલા શિવનગરમાં સભા યોજી પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી હતી. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજય કોટડીયા, માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપ કાલરીયા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજન, અમુ હુંબલ અને મહેશ રાજકોટીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના નગર દેવી ગણાતા ભદ્રકાળી મંદિરના પાસે આવેલા ભદ્ર પરિસરમાંથી પાથરણાંવાળાઓને હટાવી દેવામાં આવ્યા છે. કુલ 844 જેટલા કાયદેસર માન્યતા ધરાવનાર પાથરણા વાળાઓને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢાલગરવાડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટ અને પાનકોર નાકા નજીક પાર્કિંગના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવી છે. જેની જાહેર સૂચનાના બેનર પણ ભદ્ર પરિસરમાં લગાવી દેવામાં આવી છે. જોકે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે ફાળવવામાં આવેલા બંને પ્લોટમાં પાથરણાંવાળા બેસવા માટે તૈયાર નથી. દિવાળી પહેલાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોવા છતાં પણ પાથરણાંવાળાઓ પ્લોટમાં બેસવા તૈયાર ન થતા હવે બેનર મારીને જાણ કરી દેવામાં આવી છે.
મનુષ્યના જીવનની જીવનદાતા ગણાતી એમ્બ્યુલન્સનો ઉપયોગ હવે બૂટલેગરોએ દારૂની હેરાફેરી માટે શરૂ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોગ્ય સેવાની આડમાં દારૂ સપ્લાય કરવાના બૂટલેગરોના ઇરાદા પર પાવી જેતપુર પોલીસે સફળતાપૂર્વક પાણી ફેરવી દીધું છે અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યોપાવી જેતપુર પોલીસને બાતમી મળી હતી કે, એક એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શિહોદ જનતા ચોકડી પાસે સઘન વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની મારૂતિ વાન એમ્બ્યુલન્સ આવતાં પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. જોકે, પોલીસને જોતા જ એમ્બ્યુલન્સના ચાલકે ગાડી ભગાવી મૂકી હતી અને પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. દર્દીની શીટ નીચે છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયોચાલક ફરાર થઈ ગયા બાદ પાવી જેતપુર પોલીસે આ ખાનગી એમ્બ્યુલન્સમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, જે શીટ પર દર્દીને સુવડાવવામાં આવે છે તેની નીચે ગુપ્ત રીતે સંતાડીને લઈ જવાતી વિદેશી દારૂની કુલ 928 બોટલ મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. 2,64,480/- થાય છે. દારૂ અને એમ્બ્યુલન્સ સહિત પોલીસે કુલ રૂ. 5,14,480/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. '108 ગુજરાત સરકાર'ના નામે દારૂની ખેપઆ એમ્બ્યુલન્સના ઉપયોગ પરથી સ્પષ્ટ જણાય છે કે, બૂટલેગરો દ્વારા પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. લોકોને જીવનદાન આપવાના બદલે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી આ એમ્બ્યુલન્સને ઝડપી પાડીને પાવી જેતપુર પોલીસે બૂટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. હાલમાં પોલીસ ફરાર ચાલક અને આ નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે વધુ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી લગ્ન માટે યુવક શોધવામાં એક યુવતીને મોઘું વળતર ચૂકવવું પડ્યું છે. યુવકને શોધવા માટે યુવતીએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો, જેમાં એક યુવકે ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું કહી યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી. લગ્નની લાલચ આપી યુવકે યુવતીને પોતાની વાતોમાં ફસાવી દીધી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ મળવા માટે આવ્યો હોવાનું કહ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી યુવતી પાસેથી 94 હજાર રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આધારકાર્ડ સહિતના પુરાવા આપી યુવતીને વિશ્વાસમાં લીઘીબાપુનગર વિસ્તારની એક યુવતીના લગ્ન બાકી હતા, જેથી પતિને શોધવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર યુવતીએ લગ્ન માટેની જાહેરાત જોઈ હતી. જાહેરાતમાં આપેલી લિંક ખોલી યુવતીએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ યુવકે પોતાનું નામ રવિ શર્મા જણાવી યુવતીને મેસેજ કર્યો હતો. થોડા વાતચીત શરૂ થયા બાદ યુવકે પોતાની ઓળખ આપી ઓસ્ટ્રેલિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું. આધારકાર્ડ સહિતના પુરાવા આપી યુવતીને વિશ્વાસમાં લેવામાં આવી હતી. યુવકે પ્રપોઝ કરતા યુવતીએ લગ્ન માટે હા પણ કહીજે બાદ થોડા દિવસ વાતચીત થયા બાદ યુવકે ઇમોશનલ વાતો કરી યુવતીનો વધુ વિશ્વાસ કેળવ્યો હતો. યુવકે પોતાની પત્નીનું અકસ્માતમાં મોત થયું છે અને 9 મહિનાની દીકરી હોવાનું કહેતા યુવતીને તેના પર લાગણી થવા લાગી હતી. જેથી થોડા દિવસ બાદ યુવકે લગ્નની લાલચ યુવતીને પ્રપોઝ કહ્યું હતું, જે દરમિયાન યુવતીએ લગ્ન કરવાની હા પાડી હતી. આ સમગ્ર બાબતની જાણ યુવતી તેની સાથે કામ કરતા એક યુવક સાથે શેર કરી હતી. યુવતી સાથે કામ કરતા યુવકને રવિ શર્મા નામના વ્યક્તિ પર શંકા હોવાથી આ પ્રકારના લોકો સાથે વાતચીત ન કરવા કહ્યું હતું. યુવકે મુંબઈની ટિકિટ પણ યુવતીને બતાવીજેથી યુવતી સાથી કર્મચારીની વાત માની યુવક સાથે વાતચીત બંધ કરી દીધી હતી. જે બાદ યુવકે અન્ય નંબર પરથી યુવતીનો સંપર્ક કર્યો હતો. રવિ શર્મા નામના યુવકે બે દિવસ બાદ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવતો હોવાનું કહી ટિકિટના ફોટો પણ યુવતીને મોકલી આપ્યા હતા. બે દિવસ બાદ યુવકે મુંબઈ એરપોર્ટ આવી યુવતીને વોટ્સએપ પર કોલ કર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પકડ્યો હોવાનું કહી યુવતી પાસે રૂપિયાની માંગણી કરી હતી. યુવતીને વિશ્વાસ આવે તે માટે કહી યુવકે કસ્ટમ અધિકારી કહીને એક વ્યક્તિ પાસે વાતચીત કરાવી હતી. કસ્ટમના નામે 95 હજાર પડાવી ફોન બંધ કરી દીધોયુવતી સાથેની વાતચીત કસ્ટમ અધિકારી બનીને વાતચીત કરતા વ્યક્તિએ યુવક અને તેની દીકરીને બહાર જવા માટે 25 હજારનો ટેક્સ ભરવા માટે કહ્યું હતું. તેમજ અલગ મુદ્દાઓને લઈને યુવતી પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો કસ્ટમ વિભાગ ઘર સુધી આવશે તેવી ધમકી આપી યુવતી પાસેથી 94 હજાર રૂપિયા પાડવામાં આવ્યા હતા. જે બાદ યુવકનો અચાનક નંબર બંધ થઈ જતા તપાસ કરતા પૈસા ખોરી રીતે પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજે આઠમો દિવસ છે અને ગાંધીનગર પહોંચી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આજે રાજ્યની કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે સરકાર પર કટાક્ષ કરતા દારૂબંધીના કાયદાને નામ પૂરતો ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ સહેલાઈથી દરેક જગ્યાએ ઉપલબ્ધ છે અને સમગ્ર ગેરકાયદેસર વ્યવસાયને સત્તાધીશો અને ભાજપના નેતાઓના સંરક્ષણ હેઠળ હપ્તાના ધંધા દ્વારા ચલાવવામાં આવે છે. સરકાર માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે: અમિત ચાવડાઅમિત ચાવડાએ કહ્યું કે ગેરકાયદેસર દારૂના કારણે અનેક પરિવારો તૂટી રહ્યા છે, યુવા પેઢીનો નાશ થઈ રહ્યો છે, અનેક બહેનો-દીકરીઓ વિધવા બની રહી છે, છતાં રાજ્ય સરકાર અને ગૃહમંત્રી મૌન ધારણ કરીને માત્ર બુટલેગરોને બચાવવાની ભાષા બોલે છે. 'પીવાનું પાણી નથી મળતું, પણ દારૂ સહેલાઈથી મળી જાય છે'તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં લોકો પોતે કહે છે કે પીવાનું પાણી નથી મળતું, પરંતુ દારૂ સહેલાઈથી મળી જાય છે.” તેમણે આરોપ લગાવ્યો કે હાલની સરકાર ઈમાનદાર પોલીસ અધિકારીઓનું મનોબળ તોડે છે અને તેમને સાઈડ પોસ્ટિંગમાં ધકેલી દે છે, જ્યારે જે અધિકારીઓ ઊઘરાણું કરી આપે છે તેમને જ સારું પોસ્ટિંગ આપવામાં આવે છે. ખાતરની અછત બાબતે ચાવડા એ જણાવ્યું કે, ખાતરની ગંભીર અછત છે ખાતરની કાળાબજારી થઈ રહી છે ખેડૂતો લાઈનોમાં ઉભા રહેવા મજબુર છતાં પણ ખાતર નથી મળી રહ્યું ખેડૂતોનો આક્ષેપ છે કે રાજસ્થાનમાં બ્લેકમાં ખાતર વેચી દેવામાં આવે છે ગૂગલ મેપ પર દારૂના અડ્ડાઓના લોકેશનગામે ગામ જનતા જાણે છે ગૂગલને પણ ખબર છે પણ સંસ્કારી ગૃહમંત્રીને ખબર નથી એનું કારણ એ છે કે દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં આ દારૂ ડ્રગ્સના હપ્તાના પહોંચે છે. સીએમ પાસેથી ગૃહ ખાતું લઈને હર્ષ સંઘવીને કેમ આપવામાં આવ્યું એ પણ ગુજરાતની જનતા પૂછે છે કારણ કે એમના જ રાજમાં સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતમાં વધ્યું છે. અંતમાં તેમણે કહ્યું કે આ જ ભાજપ સરકારનો વાસ્તવિક ચહેરો છે, જેમાં કાયદો અને પ્રજાની સુરક્ષા કરતા હપ્તા અને રાજકીય સંરક્ષણને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ગોધરાના લાડપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત:કેબિનમાં ફસાયેલા ચાલકનું ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યું
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના લાડપુર ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને ગોધરા નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, લાડપુર પાસેથી પસાર થતા માર્ગ પર બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રકના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતના કારણે ટ્રકનું સ્ટેયરિંગ અને કેબિનના પતરા દબાઈ જતાં ચાલક અંદર ફસાઈ ગયો હતો અને તે જાતે બહાર નીકળી શકે તેમ નહોતો. ઘટનાની જાણ થતાં જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરો બચાવ કામગીરી માટેના આધુનિક સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે અત્યંત સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી, દબાયેલા ભાગોને દૂર કરી ચાલકને ઈજા ન થાય તે રીતે બહાર કાઢ્યો હતો. ફાયર ટીમના સમયસર અને સઘન પ્રયાસોને કારણે ચાલકનો જીવ બચી ગયો હતો. રેસ્ક્યુ કરાયેલા ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ઘટનાસ્થળે હાજર એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
મહીસાગરની માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન. કે. મહેતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કોલેજ માલવણમાં 22 નવેમ્બરના રોજ આયોજિત હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને આવેદન પણ આપવામાં આવ્યું છે. 22 નવેમ્બરની પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ નથીઃ યુવરાજસિંહવિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ માલવણ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.કે. મહેતા અને શ્રીમતી એમ.એફ. દાણી આર્ટસ કોલેજના ભરતી પરીક્ષામાં ગેરરીતિ અને કૌભાંડના ગંભીર આક્ષેપો કર્યા છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે, 22 નવેમ્બરના રોજ યોજાયેલી પરીક્ષાની સમગ્ર જવાબદારી માલવણ કોલેજને સોંપવામાં આવી હતી. પરીક્ષા નિયંત્રણની જવાબદારી મોરવા–હડફ આર્ટ્સ સાયન્સ કોલેજના પ્રોફેસર દિનેશ માછી પાસે હતી. તેમના દ્વારા માત્ર નામરૂપ કે દેખાવપૂર્તી વીડિયોગ્રાફી કરવામાં આવી હોવાથી જરૂરી પ્રક્રિયાઓનું પૂરતું રેકોર્ડિંગ થયું નથી અને પારદર્શિતા જળવાઈ નથી. ‘ચોક્કસ ઉમેદવારોને OMR શીટ ખાલી રાખવા સૂચના અપાઈ’ વધુમાં યુવરાજસિંહે કોલેજના આચાર્ય સી. એમ. પટેલ પર સીધો આક્ષેપ કર્યો છે કે, તેમણે ચોક્કસ સગા-સંબંધીઓ અને નજીકના વ્યક્તિઓને લાભ મળે તે માટે ગેરરીતિપૂર્ણ વ્યવસ્થા ઊભી કરી હતી. આચાર્યની ભૂમિકા પક્ષપાતપૂર્ણ હોવાથી કેટલાક ખાસ ઉમેદવારોને અનુકૂળ રહે તે માટે પરીક્ષા પ્રક્રિયામાં ચેડાં કરવામાં આવ્યો છે. કેટલાક ચોક્કસ ઉમેદવારોને OMR શીટ ખાલી રાખવા માટે મૌખિક સૂચના આપવામાં આવી હતી. યુવરાજસિંહે દાવો કર્યો કે, 44 નંબરના એક ઉમેદવારે OMR શીટ ખાલી રાખી હતી અને તે તાજના સાક્ષી બનવા તૈયાર છે. OMR શીટમાં E વિકલ્પ પણ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ગખંડો અને આચાર્યની ઓફિસના CCTV ફૂટેજની તપાસ કરવા માગ આ પરીક્ષા પૂર્ણ થયા બાદ OMR શીટને કોલેજની બહાર લઈ જવામાં આવી હતી. નિયમ મુજબ, OMR શીટ એક જ સ્થળે, વર્ગખંડમાં કે નિર્ધારિત રૂમમાં સીલ થવી ફરજિયાત છે. આ સમગ્ર કૌભાંડ CCTV ફૂટેજ દ્વારા ચકાસી શકાય તેમ છે. આ મુદ્દે યુવરાજસિંહે માગ કરી છે કે, 22 નવેમ્બરના રોજ બપોરે 1.30થી 4 દરમિયાનના તમામ વર્ગખંડો અને આચાર્યની ઓફિસના CCTV ફૂટેજની તાત્કાલિક તપાસ કરવામાં આવે. સમગ્ર ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કોલેજ આચાર્ય સહિત સંકળાયેલા તમામ કર્મચારીઓની ભૂમિકા તપાસી કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
નાગપુરથી શરૂ થયેલી 'યુનિટી માર્ચ - નર્મદા યાત્રા' મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો પ્રવાસ કરીને ગુજરાતના ગોધરા પહોંચી હતી. 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું ગોધરાના સરદાર નગર ખંડ પાસે સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાના સહભાગીઓએ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવવંદના કરી હતી. આ પ્રસંગે યાત્રિકો અને સ્થાનિક લોકોએ 'ભારત માતા કી જય' અને 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના નારા લગાવ્યા હતા. યાત્રાના સંયોજક ક્રિષ્નાએ માહિતી આપતા જણાવ્યું કે, આ નર્મદા યાત્રા નાગપુરથી શરૂ થઈ મધ્યપ્રદેશના માર્ગે ગુજરાતમાં પ્રવેશી છે. તેમણે ઉમેર્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના રજવાડાંઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. આ જ ભાવના સાથે 'સરદાર ઉપવન'નું નિર્માણ કરાયું છે, જ્યાં સરદાર પટેલે એક કર્યા હતા તેટલા જ રજવાડાંની સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ યુનિટી માર્ચમાં 6 રાજ્યો (મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તેલંગાણા અને પુડુચેરી) ના 195 જિલ્લાઓમાંથી 385 જેટલા પ્રતિભાગીઓ જોડાયા છે. 11 બસ અને 2 વ્યવસ્થાપન વાહનોના કાફલા સાથે નીકળેલી આ યાત્રા 4 દિવસમાં અંદાજે 850 થી 900 કિલોમીટરનું અંતર કાપીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવી રહી છે.
ખેરાલુના ધારાસભ્યના ફાર્મ હાઉસમાં આપઘાતની ઘટના સામે આવી છે. ખેરાલુના ચાડાથી ગણેશપુરા જવાના માર્ગ પર ધારાસભ્ય સરદાર ચૌધરીનું ફાર્મ હાઉસ આવેલું છે. ભરત માનસંગભાઈ કઠિયારા નામના યુવકે ફાર્મ હાઉસની ઓરડીમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતક ભરત કઠિયારા લગભગ 10 વર્ષ પહેલાં આ ફાર્મ હાઉસમાં ટ્રેક્ટર ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. મંગળવારની રાત્રે જૂનો માણસ હોવાથી તેણે ફાર્મ હાઉસ પર રાત્રિ રોકાણની મંજૂરી મેળવી હતી. લાશ લટકતી હાલતમાં મળતાં ખેરાલુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું અને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. હાલમાં પોલીસે અકસ્માતે મોત અંગેની જાણવાજોગ (AD) નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
શ્રીકૃષ્ણની નગરી દ્વારકાથી 12 કિલોમીટરના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશેષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ 2023 અને 2024માં 13 લાખ 58 હજારથી વધુ પ્રવાસીઓએ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી છે. આ રીતે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર રાજ્યના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અને રાજ્યના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાત પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ (TCGL) અનુસાર, વર્ષ 2023માં 6,78,647 અને 2024માં 6,80,325 પ્રવાસીઓ શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાતે આવ્યા હતાં. 2020માં બ્લૂ ફ્લેગ બીચ સર્ટિફિકેશન મળ્યા બાદ શિવરાજપુર બીચ ભારતના બ્લૂ ફ્લેગ બીચની યાદીમાં સામેલ થયો છે. પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી, સુરક્ષા અને સેવાઓને આવરી લેતા 32 માપદંડોના આધારે આ પ્રમાણપત્ર આપવામાં આવે છે. અહીં સ્કુબા ડાઇવિંગ, બોટિંગ અને સ્કિઇંગ જેવી સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓની સુવિધા પણ ઉપલબ્ધ છે. શિવરાજપુરની સફળતા ‘દેખો અપના દેશ’ પહેલ સાથે સુસંગત છે. આ પહેલની શરૂઆત જાન્યુઆરી 2020માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય પાંચ શ્રેણીઓ અંતર્ગત સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે. આ પાંચ શ્રેણીઓ છે: આધ્યાત્મિક, સંસ્કૃતિ અને વારસો, પ્રકૃતિ અને વન્યજીવન, એડવેન્ચર અને અન્ય. દેશવ્યાપી આ અભિયાનને આગળ લઇ જવામાં શિવરાજપુર દરિયાકિનારાનું મહત્વપૂર્ણ યોગદાન છે. આ વિસ્તારમાં પ્રવાસન અને સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે અમુક મોટી પહેલો પણ હાથ ધરી છે. ક્ષેત્ર વિશિષ્ટ રોકાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC)નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કૉન્ફરન્સની બીજી આવૃત્તિ 8-9 જાન્યુઆરીએ રાજકોટમાં યોજાશે, જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત છે. આ કૉન્ફરન્સમાં શિવરાજપુર જેવા પ્રવાસન આકર્ષણોને ઉજાગર કરવામાં આવશે જે દર્શાવે છે કે પ્રાકૃતિક સંસાધનો અને સાંસ્કૃતિક વારસાનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ કરીને રાજ્ય વિકાસ વિકસિત ગુજરાત@2047 તરફ અગ્રેસર છે.
પાટણ શહેરમાં રેલવે અંડરગ્રાઉન્ડ નાળા પાસે ચાલી રહેલા રસ્તાના કામને કારણે ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. આ સમસ્યાના નિરાકરણ માટે પાટણ શહેર સ્કૂલ રિક્ષા વાહન ડ્રાઇવર એસોસિયેશને યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ યુનિવર્સિટીનો કેમ્પસ ગેટ ખોલવા માટે લેખિત રજૂઆત કરી છે. કોલેજ કેમ્પસ માર્ગ પર રેલવે અંડરગ્રાઉન્ડ નાળા પાસે રોડ અને બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર માટે માત્ર એક જ રસ્તો ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ એકમાર્ગીય અવરજવરને લીધે સવાર-સાંજ પીક અવર્સ દરમિયાન ભીષણ ટ્રાફિક જામ થાય છે. આ ટ્રાફિક જામને કારણે શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓની સલામતી જોખમાઈ રહી છે. બાળકો સમયસર શાળાએ પહોંચી શકતા નથી. એસોસિયેશનના પ્રમુખ નવનીત ગોસ્વામીના જણાવ્યા અનુસાર, દરરોજ તેમના 200 સ્કૂલ રિક્ષા વાહનો અને અંદાજે 5,000 વાલીઓ પોતાના વાહનોમાં બાળકોને મૂકવા કે લેવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિદ્યાર્થીઓની સલામતી જાળવવા માટે એસોસિયેશને કુલપતિ સમક્ષ માંગ કરી છે. જો યુનિવર્સિટીનો કેમ્પસ ગેટ શાળા શરૂ થવાના અને છૂટવાના ચોક્કસ સમય દરમિયાન ખોલી આપવામાં આવે, તો વાહનોને વૈકલ્પિક માર્ગ મળી રહેશે. આનાથી મુખ્ય માર્ગ પરનો ટ્રાફિકનો ભાર ઓછો થશે અને બાળકો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે. કુલપતિએ આ મામલે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
કચ્છમાં નવેમ્બર મહિનો પૂરો થવા છતાં ઠંડીની પકડ મજબૂત બની નથી. જિલ્લામાં લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. જોકે, નલિયા 13.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સતત 14મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. અબડાસા તાલુકાના નલિયામાં લઘુતમ પારો આજે બે ડિગ્રી ઊંચકાઈને 13.6 ડિગ્રી નોંધાયો હતો. તાપમાનમાં સામાન્ય વધારો થયો હોવા છતાં, નલિયા રાજ્યના શીત મથકોમાં મોખરે રહ્યું છે. મોડી સાંજથી સવાર સુધી ઠંડીનો અનુભવ થતા લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. જિલ્લા મથક ભુજમાં 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. મહત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. પવનની ગતિ વધુ હોવાને કારણે બપોરના સમયે પણ વાતાવરણમાં થોડી શીતળતા અનુભવાઈ હતી. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. પહાડી રાજ્યોમાં હિમવર્ષાની અસરને કારણે વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે.
ભરૂચ કોંગ્રેસે દારૂબંધીના કડક અમલની માંગ કરી:જિલ્લા SP કચેરીએ આવેદનપત્ર સુપરત કર્યું
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતીએ રાજ્યમાં દારૂબંધી અને નશાખોરીના વધતા પ્રસાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં એસપી કચેરી ખાતે આગેવાનો અને કાર્યકર ભાઈઓ અને બહેનોએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.જેમાં જણાવ્યું હતું કે,મહાત્મા ગાંધીના મૂલ્યો ધરાવતા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું સામ્રાજ્ય દિવસ-પ્રતિદિન વિસ્તાર પામે છે. પક્ષે આક્ષેપ કર્યો કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર દારૂ-ડ્રગ્સની બદીને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. પાંચ વર્ષમાં 93,691 કિલો ડ્રગ્સ, 2229 લીટર પ્રવાહી ડ્રગ્સ અને 73,163 ડ્રગ્સ પિલ્સ-ઇન્જેક્શન પકડાયા હોવા છતાં કાર્યવાહી અસરકારક નથી. વર્ષ 2020 થી 2024 દરમિયાન 16 હજાર કરોડના 19 ડ્રગ્સ કેસોમાં એકપણ આરોપીને સજા ન થઈ હોવાને કોંગ્રેસે ગંભીર બાબત ગણાવી.કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા નશામુક્તિ માટે કામ કરતી 75 જેટલી સંસ્થાઓની ગ્રાન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે, જેનાથી જનજાગૃતિ અભિયાન નબળું પડ્યું છે. જનઆક્રોશ યાત્રા દરમિયાન થરાદના શિવપુર ગામની મહિલાઓ દ્વારા દારૂ-ડ્રગ્સના ખુલ્લેઆમ સેવન અંગે પાર્ટી નેતાઓને રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે સ્થાનિક ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસમાં રજૂઆત કરી. પરંતુ તંત્ર દ્વારા પગલાં ન લેવાતા કોંગ્રેસે ભાજપ સરકાર પર બુટલેગરોને રક્ષણ આપવાનો આક્ષેપ કર્યો. બુટલેગરોએ ખુદ જ શેખી મારી છે કે તેમનો હપ્તો ગાંધીનગર સુધી જાય છે, તેમ કોંગ્રેસે ઉલ્લેખ કર્યો.કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે ઇમાનદાર અને નિષ્ઠાવાન પોલીસ કર્મચારીઓને પક્ષ હંમેશા બિરદાવે છે, પરંતુ ભ્રષ્ટ તંત્ર અને લાંચિયા તત્વોને ખુલ્લા પાડવાનું કામ ચાલુ રાખશે. કોંગ્રેસની મુખ્ય માંગણીઓમાં રાજ્યમાં દારૂબંધી અને નશાબંધીના કાયદાનો કડક અમલ થયો જોઈએ,નશાખોરી અને ડ્રગ્સના બેરોકટોક વેપાર પર તાત્કાલિક રોક લગાવી, યુવાધનને નશાની અસરથી બચાવવા અસરકારક પગલાં અને મહિલા સુરક્ષા માટે કડક પોલીસ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. આવેદન કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજ્ય સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે દારૂ-ડ્રગ્સનો બેફામ પ્રસાર રોકવા માટે તાત્કાલિક અસરકારક પગલાં લેવાં જરૂરી છે,નહીંતર જનઆંદોલન તેજ કરવામાં આવશે.આ પ્રંસગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી,પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પાલિકા નેતા સમસાદઅલી સૈયદ,પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ,ઝુબેર પટેલ,મહિલા આગેવાન જ્યોતિ તડવી, શહેર કોંગ્રેસ મહીલા પ્રમુખ હુસૈનાબાનુ હાફેજી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
નવરંગપુરામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. વૃદ્ધને બીભત્સ ફોટા, ચાઇલ્ડ પોનોગ્રાફી, બીભત્સ મેસેજ, 126 કરોડના કૌભાંડ, મની લોન્ડરીંગ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં નામ ખુલ્યું હોવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ ઓર્ગન ડોનર કરનારના અંગો ચાઇના જેવા દેશોમાં વેચી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના કેસમાં સંડોવાયેલા હોવાનું કહી વૃદ્ધને ડરાવવામાં આવ્યા હતા. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી IPS ઓફિસર અને RBI ઓફિસરની ખોટી ઓળખ આપી વ્હોટ્સએપ કોલ કરી ડિજિટલ એરેસ્ટ કરવાનું કહી વૃદ્ધ પાસેથી 7.14 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા. વૃદ્ધ પાસેથી વધુ રૂપિયાની માંગણી કરતા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અજાણ્યા શખસે કોલ કરી વૃદ્ધને વિવિધ કેસની વાત કરી ધમકાવ્યાંનવરંગપુરા વિસ્તારમાં રહેતા વૃદ્ધને અજાણ્યા નંબર પરથી વ્હોટસએપ કોલ આવ્યો હતો, જેમાં અજાણ્યા શખસે jio કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહી મોબાઈલ નંબર બંધ કરવાની વાત કરી હતી. બીભત્સ ફોટા, ચાઈલ્ડ પોર્નોગ્રાફી, બીભત્સ મેસેજ જેવા કેસમાં નામ ખુલ્યું હોવાનું કહી વૃદ્ધ પર ગુસ્સો કર્યો હતો. 126 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા છો અને દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા હોવાનું કહી ધમકાવવામાં આવતા વૃદ્ધ ગભરાઈ ગયા હતા. જેથી વૃદ્ધે આમાંથી બહાર નીકળવા માટે કોઈ રસ્તો જણાવવા મદદ માંગી હતી. જે બાદ અજાણ્યા શખ્સે મુંબઈ પોલીસ સાથે ફોન કનેક્ટ કરાવી આપ્યો હતો. ઠગોએ સિનિયર IPS ઓફિસરની ઓફિસ હોય તેવું સેટઅપ ગોઠવ્યુંજે બાદ શંકર પાટિલ નામના વ્યક્તિએ વ્હોટ્સએપ કોલ કર્યો હતો, જેમાં પોલીસ યુનિફોર્મ પહેરેલો હતો, માથા ઉપર યુનિફોર્મની ટોપી હતી અને પાછળના ભાગે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચ લખેલું બોર્ડ મૂકેલું હતું. તેમજ ટેબલ પર જુદા જુદા ફોર્મ પડ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. જે બાદ શંકર પાટિલ નામના વ્યક્તિએ આ બધા કેસમાંથી બહાર નિકળવા સિનિયર ઓફિસર સાથે વીડિયો કોલ કનેક્ટ કરી આપ્યો હતો. જ્યાં સિનિયર IPS ઓફિસરની ઓફિસ હોય તેવું સેટ અપ ગોઠવેલું હતું. માનવ અંગોની તસ્કરીનો વૃદ્ધ પર આરોપી લગાવ્યોજે બાદ ઓફિસમાં IPS ઓફિસરનો યુનિફોર્મ પહેરેલા એક વ્યક્તિએ વીડિયો કોલમાં વૃદ્ધ સાથે વાતચીત કરી હતી. આધારકાર્ડ પરથી હરિયાણા, પંજાબ, દિલ્હી, હૈદરાબાદ જેવી સિટીમાં બેંક એકાઉન્ટ ખોલવી હોટલ બુકિંગ કરાવી હોવાનું વૃદ્ધને જણાવ્યું હતું. ઓર્ગન ડોનર કરનારના અંગો ચાઇના જેવા દેશોમાં વેચીને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપ લગાવી વૃદ્ધ પાસે એકાઉન્ટની ડિટેઈલ અને આધારકાર્ડ અને તેમાં કેટલા પૈસા છે, તેની માહિતી વીડિયો કોલમાં માંગવામાં આવી હતી. જેથી વૃદ્ધે ગભરાઈ માંગવામાં આવેલી તમામ વિગતો વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. ડિઝિટલ એરેસ્ટનું કહી ઠગોએ વૃદ્ધને વધુ ડરાવ્યાંજે બાદ IPS ઓફિસરે અન્ય પોલીસ કર્મચારીને વૃદ્ધને હજુ સુધી ડિજિટલ એરેસ્ટ કેમ કર્યા નથી તેવો સવાલ પણ કર્યો હતો. જે દરમિયાન શંકર પાટીલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, વૃદ્ધના ઘરે અત્યારે લગ્ન પ્રસંગ છે અને તે પોલીસ કાર્યવાહીમાં સપોર્ટ કરી રહ્યા છે, જેથી ડિજિટલ એરેસ્ટ ન કર્યા હોવાનું જણાવ્યું હતું. બાદમાં આગળની કાર્યવાહી માટે વૃદ્ધની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારી સુરેશ અનુરાગ સાથે વીડિયો કોલ પર વાતચીત કરાવી હતી. જે દરમિયાન વૃદ્ધ પાસે બેંકની હિસ્ટ્રી અને ફંડની વિગતો અને અત્યારે બેંક એન્કાઉન્ટમાં કેટલી રકમ છે તે માંગવામાં આવી હતી. તેમજ વીડિયો કોલમાં આપેલી સૂચના બાદ વૃદ્ધે બેંકની એફડી તોડાવી બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. વીડિયો કોલ વિશે કોઈને વાતચીત કરશો તો કોઈ મદદ નહીં કરવાની અને એરેસ્ટ કરવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી. જેથી વૃદ્ધે ડરના કારણે કોઈ સાથે વાતચીત કરી નહતી. બેંકમાં રહેલાં રૂપિયા પણ ઠગોએ ટ્રાન્સફર કરાવી લીધા30 ઓક્ટોબરના સવારે વૃદ્ધને વીડિયો કોલ કરી બેંકમાં રહેલા તમામ રૂપિયાનું વેરિફિકેશન કરવાનું હોવાથી રૂપિયા ગવર્મેન્ટના RBIના સિક્રેટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. પૈસા વેરીફાઈ થયા બાદ વ્યાજ સાથે પરત આપવાની પણ લાલચ આપવામાં આવી હતી. તેમજ ગઠિયાઓ એટલા સક્રિય હતા કે, બેંકના મેનેજર પૂછે તો મિત્રના બેંક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાના હોવાનું પણ વૃદ્ધને કહેવામાં આવ્યું હતું. જેથી વૃદ્ધે ડરના કારણે 5.85 લાખ રૂપિયા બેંકના ખાતામાં આરટીજીએસથી મોકલી આપ્યા હતા. જે બાદ પણ વોટ્સએપ કોલ સતત ચાલુ રહેતા હતા. દીકરીના લગ્ન હોવાથી સમાજમાં બદનામીના ડરે વૃદ્ધે કોઈને જાણ ન કરીસાયબર ગઠિયાઓ દરરોજ વૉટ્સએપ કોલ કરી કેસ કોર્ટમાં મોકલી આપ્યો હોવાનું કહી ધરપકડ વોરંટ કાઢવાની ધમકી આપી વૃદ્ધને દરરોજ માનસિક ત્રાસ આપતા હતા. 5.85 લાખ રૂપિયા આપ્યા બાદ પણ વૃદ્ધ પાસે વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ ઘરમાં પુત્રના લગ્ન પ્રસંગ હોવાથી આટલા બધા રૂપિયાની સગવડ ન થઈ શકે તેવું વૃદ્ધે સાયબર ગઠિયાઓને વીડિયો કોલમાં જણાવ્યું હતું. વૃદ્ધને દર બે કલાકે ઓનલાઇન હાજરી પરવડાવી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી વૃદ્ધે ખોટા કેસમાં ધરપકડ ન થાય તે ડરથી કુલ 7.14 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. તેમજ સમાજમાં કોઈ બદનામી ન થાય તે ડરથી વહોટ્સએપ ચેટ અને અન્ય પુરાવા પણ વૃદ્ધે ડિલિટ કરી દીધા હતા. દીકરાના લગ્ન પૂર્ણ થયા બાદ વૃદ્ધે પરિવારને સમગ્ર બાબતે જાણ કરી હતી. જે બાદ તપાસ કર્યા સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
સોલા સિવિલમાં બનેલું ઘોડિયા ઘર મહિલા કર્મચારીઓને દેવદૂત સમાન સાબિત થયું છે. 8થી 10 મહિલા કર્મચારીઓને પોતાના બાળકોની સાર સંભાળ રાખવા માટે ઘોડિયા ઘરનું 3 નવેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 દિવસમાં સોલા સિવિલની મહિલા કર્મચારીઓને આનાથી ખૂબ ફાયદો થયો છે. અનેક મહિલા કર્મચારીને પોતાના બાળકો ઘરે મૂકીને આવું અઘરું પડતું હતું. તેઓનું મન પણ કામમાં નહોતું લાગતું, પરંતુ જ્યારથી આ ઘોડિયા ઘર બનાવવામાં આવ્યું છે, ત્યારથી સોલા સિવિલની મહિલા કર્મચારીઓ આરામથી પોતાનું કામ કરી શકે છે. નાના બાળકની ચિંતા કર્યા વિના તેઓ કામ પર ધ્યાન આપી શકે છે. 'ડે-કેરમાં અમને અમારા બાળકની કોઈ ચિંતા રહી નથી'- મહિલા કર્મચારીCSSDના સિસ્ટર ઇન-ચાર્જ અમી વ્યાસે હોસ્પિટલમાં શરૂ થયેલા ઘોડિયાઘર (ડે-કેર) વિશે પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ડે-કેર શરૂ થવાથી તેમને ઘણી રાહત મળી છે. અગાઉ, જ્યારે તેમનું બાળક નાનું હતું, ત્યારે તેઓ ઘરે આયા રાખતા હતા અથવા ક્યારેક સાસુને આવવું પડતું હતું. આ વ્યવસ્થામાં ઘણી તકલીફો પડતી હતી. આયા વ્યવસ્થિત રીતે બાળકને ખવડાવતી કે ઊંઘાડતી નહોતી, જેના કારણે બાળક રડતું રહેતું હતું. ઘણીવાર, બાળકને સાથે હોસ્પિટલ લાવવું પડે તો ડિપાર્ટમેન્ટમાં ઇન્ફેક્શન લાગવાનો પણ ડર રહેતો હતો. બાળકની પૂરેપૂરી દેખરેખજોકે, ડે-કેર શરૂ થયા પછી તેમને આ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. તેઓ સવારે બાળકને ડે-કેરમાં મૂકી જાય છે અને તેમને બિલકુલ ટેન્શન રહેતું નથી. ડે-કેરના સિસ્ટર અને માસીઓ બાળકની પૂરેપૂરી દેખરેખ રાખે છે, તેને ખવડાવે છે અને ઊંઘાડે છે. આના પરિણામે, અમી વ્યાસ હવે 100% માનસિક રીતે મુક્ત થઈ ગયા છે અને તેમના કામ પર પૂરેપૂરું ધ્યાન આપી શકે છે, કારણ કે તેમને ખાતરી છે કે તેમનું બાળક સુરક્ષિત અને યોગ્ય સંભાળમાં છે. 'ડે કેર હોવાથી અમે ઓફિસ કામ પણ શાંતિથી કરી શકીએ છીએ'અંજુબેન પટેલ સોલા સિવિલમાં 8 વર્ષથી જોબ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે અહીંયા ડે કેર નહોતું ત્યારે બાળકને રાખવામાં બહુ જ પ્રોબ્લેમ થતો હતો. પણ જ્યારથી ડે કેરની સુવિધા થઈ ગઈ છે, ત્યારથી અમે ઓફિસ કામ પણ શાંતિથી કરી શકીએ છીએ. અને અહીંનો સ્ટાફ પણ બહુ જ સારો છે, માસી, સિસ્ટર, સિક્યુરિટી બેન બધા જ સારી રીતે અમારું બાળક સાચવી લે છે. 'ડે કેરમાં બાળક સારી રીતે સચવાઈ છે'તેને વધુમાં કહ્યું કે, આના પહેલા બહુ જ તકલીફ પડતી હતી. બાળક ઘરે હોય કોણ રાખશે, શું કરશે, એ બધી બહુ ચિંતા રહેતી હતી. કોઈકવાર એવું પણ થતું હતું કે અમે ઓન ડ્યુટી પણ સાથે લઈને બાળક આવતા હતા. ત્યારે કામ કરવામાં પણ તકલીફ થતી હતી અને બાળકને સાચવવામાં પણ તકલીફ પડતી હતી. પણ જ્યારથી ડે કેર ખુલ્યું છે ત્યારથી અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ. અને અહીંયા બાળક પણ સારી રીતે સચવાઈ જાય છે.
અમદાવાદમાં લોજિસ્ટિક કંપનીના કર્મચારીઓના પગાર ડિજિટલ સ્વરૂપે એપ્લિકેશન મારફતે ખાતામાં જમા કરાવી તેના આધારે કર્મચારીઓના અંગત કેવાયસી (KYC) દસ્તાવેજોનો દુરુપયોગ કરીને લોન કરાવી લેવાના એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. કર્મચારીઓના નામે અવન્તી ફાયનાન્સમાંથી લોન કરાવીને કુલ રૂ. 8,20,638ની રકમની ચૂકવણી ન કરીને કર્મચારીઓ સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. ટ્રોકો લોજીસ્ટીક પ્રા.લી. નામની કંપનીના માલિક, મેનેજર અને સુપરવાઈઝર વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. એપ્લિકેશનથી પગાર આપવાનું કહી એક લિંક મોકલીમળતી માહિતી મુજબ, દરીયાપુરના રહેવાસી શાકીર શેખ ટ્રોકો લોજિસ્ટીક પ્રા.લી.માં કુરિયર બોય તરીકે ફરજ બજાવતા હતા. ફેબ્રુઆરી, 2025માં કંપનીના ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણે કર્મચારીઓને માલિક કરણ બોથરાની સૂચનાના નામે જણાવ્યું હતું કે, પગાર ચૂકવવામાં થતા વિલંબને ટાળવા માટે હવે 'કર્મા લાઇફ' નામની એપ્લિકેશન દ્વારા પગાર આપવામાં આવશે. આ અધિકારીઓએ વ્હોટ્સએપ મારફતે લિંક મોકલીને કર્મચારીઓના ફોનમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ, તેમણે કર્મચારીઓ પાસેથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા મહત્ત્વના કેવાયસી દસ્તાવેજો આ એપ્લિકેશનમાં અપલોડ કરાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને આરોપીઓએ કર્મચારીઓના નામે અવન્તીકા ફાયનાન્સમાંથી લોન કરાવી દીધી હતી. કર્મચારીઓના નામે લોન લેવાઈ હોવાની જાણ થતાં તપાસ કરીજૂન, 2025માં શાકીર શેખના સહકર્મી સલમાન યુનુસ શેખ જ્યારે મોબાઈલ ફાઇનાન્સ કરાવવા ગયા, ત્યારે બજાજ ફાયનાન્સના કર્મચારી દ્વારા તેમને કહેવામાં આવ્યું કે તેમના પાન કાર્ડ પર અવન્તીકા ફાયનાન્સની લોન બોલે છે. અન્ય કર્મચારીઓએ પણ તપાસ કરતાં તેમના નામે લોન બોલતી હોવાનું સામે આવ્યું હતું. શાકીર શેખે પણ પોતાનું સીબીલ ચેક કરાવતા તેમના નામે લોન બાકી હોવાનું જાણવા મળ્યું. કર્મચારીઓએ જ્યારે આ બાબતે કંપનીના અધિકારીઓનો સંપર્ક કર્યો, ત્યારે ઓપરેશન મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણે આશ્વાસન આપ્યું હતું કે, માલિક કરણ બોથરા જલદીથી લોન ભરપાઈ કરી દેશે. જોકે, માલિક કરણ બોથરાએ પણ લોન કંપની દ્વારા ભરવાની છે, તેમ કહીને કર્મચારીઓને ભરોસો આપ્યો હતો, પરંતુ સમય વીતવા છતાં લોન પેન્ડિંગ જ બતાવતી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીફેબ્રુઆરી, 2025થી મે, 2025 દરમિયાન ફરિયાદી શાકીર શેખે પગાર પેટે કુલ રૂ. 41,330 ઉપાડ્યા હતા. જોકે, તેમના નામે થયેલી લોનની રકમની ભરપાઈ ન થતાં, 'કર્મા લાઇફ કેર' એપ્લિકેશન દ્વારા સતત લોન પેન્ડિંગ હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. છેવટે, લોન ભરપાઈ ન થતા અને કરણ બોથરા દ્વારા વોટ્સએપ પર સમાધાનના પત્રો મોકલવા છતાં ખાતરી મળી નહીં. શાકીર શેખ અને અન્ય ભોગ બનેલા કુરિયર બોયની કુલ રૂ. 8,20,638ની લોન ન ભરવા બદલ, ટ્રોકો લોજીસ્ટીક પ્રા.લી.ના માલિક કરણ બોથરા, મેનેજર પ્રદીપસિંહ કુશ્વાહ અને સુપરવાઈઝર પરવેજ પઠાણ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
નવા સચિવાલયમાં આજે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા અમુક બ્લોકોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સચિવાલયના દરેક એન્ટ્રી પોઇન્ટ પર સ્ટાફ દ્વારા આઈકાર્ડનું કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે કર્મચારી ઓળખ કાર્ડ લઈને આવ્યા ન હતા, એવા કર્મચારીઓને એન્ટ્રી આપવામાં આવી નહોતી. ચેકિંગ દરમિયાન ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, કોઈ કર્મચારી બીજાના I-Cardનો ઉપયોગ કરીને પંચ ન કરે, તેમજ એન્ટ્રી સમયે ઓળખની યથાર્થતા ચકાસવામાં આવી હતી. આઈકાર્ડ વગરના કર્મીઓને ઓન્ટ્રી ન અપાઈકાયમી તેમજ કરાર આધારિત સ્ટાફ વચ્ચે ભેદ સ્પષ્ટ રહે તે માટે કાયમી સ્ટાફ અને કોન્ટ્રાક્ટ સ્ટાફના કાર્ડ અલગ બનાવવામાં આવ્યા છે, જેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. વધુમાં, કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓના આઈકાર્ડની તારીખ સમાપ્ત એટલે કે, એક્સપાયર થઈ ગઈ હોય તો તેમને પણ એન્ટ્રી આપવામાં આવી નહોતી. ઘણા કર્મચારીઓ પહેલાં પહોંચી ગયાંસામાન્ય વહીવટ વિભાગ સમયે-સમયે આવા અચાનક ચેકિંગ અભિયાન ચલાવતું રહે છે. આજે ચેકિંગ શરૂ થયાની ખબર પડતા ઘણા કર્મચારીઓ કચેરીમાં વહેલા પહોંચી ગયા હતા, જેથી તપાસ દરમિયાન કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન સર્જાય.
સુરતનો હીરા ઉદ્યોગ પહેલેથી જ મંદીના માહોલનો સામનો કરી રહ્યો છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઇચ્છાપોર સ્થિત જાણીતી ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં રત્નકલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં કપાત થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, વિવાદ વધતા એક બાજુ માલિકે કહ્યું કે, ભાવ ઘટાડો કરાયો નથી. જોકે, મેનેજરે તમામ રત્નકલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે, એ જ ભાવે પાછા આવી જાઓ, ત્યારબાદ રત્નકલાકારો પાછા નોકરી પર પરત ફર્યા હતા. 100થી વધુ રત્નકલાકારોએ ગેટ પર એકઠા થઈ વિરોધ નોંઘાવ્યોરત્નકલાકારોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા પ્રતિ કેરેટ રૂ. 250 જેટલો ભાવ તોડવામાં આવ્યો છે, જેના કારણે તેમની રોજી-રોટી પર સીધી અસર થઈ છે. રત્નકલાકારોના જણાવ્યા અનુસાર, હીરા ઉદ્યોગમાં મંદીની અસર પહેલેથી જ જોવા મળી રહી છે અને દિવાળી પહેલાં પણ ભાવ તોડવામાં આવ્યો હતો, જેના કારણે કારીગરોની સ્થિતિ કફોડી બની હતી. હવે જ્યારે ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા જાગી હતી, તેવામાં પ્રતિ કેરેટ રૂ. 250નો મોટો ભાવ કપાત થતાં રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 100થી વધુ કારીગરો વહેલી સવારે કંપનીના ગેટ બહાર એકઠા ગયા હતા. ભાવ કપાત નહીં, ગેરહાજરીના પગાર કપાતનો કંપનીનો દાવોવિવાદ વધતાં કંપનીના માલિક મુકેશ પટેલ જેમની કંપની લેબ-ગ્રોન ડાયમંડ બનાવે છે, તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી. મુકેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં કેટલાંક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી મોડા આવતા હતા, જેના કારણે તેમના પગારમાં કપાત કરવામાં આવી હતી. ભાવ તોડવાની કોઈ સ્થિતિ નથી. આ ગ્રીન લેબ ડાયમંડ કંપની મુકેશ પટેલની માલિકીની છે, અને આ જ કંપની અયોધ્યામાં રામ મંદિર માટે ભગવાન રામના આભૂષણો તૈયાર કરવાના કામ સાથે પણ જોડાયેલી છે. જોકે, ભાવ કપાત થતાં રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો કે જે કંપની ધાર્મિક કાર્યો સાથે જોડાયેલી છે તે જ કારીગરોની મજૂરી પર કાપ મૂકી રહી છે. ઓડિયો મેસેજથી વિવાદનો અંત આવ્યોવિવાદ વધુ વણસે નહીં તે માટે કંપની મેનેજમેન્ટે તાત્કાલિક પગલું ભર્યું હતું. કંપનીના મેનેજર તરફથી તમામ હડતાળી રત્નકલાકારોને એક ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો મેસેજમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, જૂના ભાવે જ તમામ રત્નકલાકારો કંપનીમાં પરત આવી જાય. કંપની તરફથી જૂના ભાવે કામ પર પાછા ફરવાની ખાતરી મળતાં જ તમામ રત્નકલાકારો સંતુષ્ટ થયા હતા અને તાત્કાલિક કંપનીના ત્રીજા ગેટ મારફતે અંદર પ્રવેશ કરીને પોત-પોતાના કામકાજ પર લાગી ગયા હતા. આ ઓડિયો મેસેજના હસ્તક્ષેપથી મોટો વિવાદ ગણતરીના કલાકોમાં જ થાળે પડ્યો હતો, પરંતુ હીરા ઉદ્યોગની વર્તમાન કફોડી સ્થિતિ અને રત્નકલાકારોની મજૂરીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
ચોટીલાના જય શાહે પોતાના લગ્નની ઉજવણી અનોખી રીતે કરી છે. તેમણે વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લગ્ન કર્યા અને ભવ્ય ભોજન સમારંભને બદલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી કરી. લગ્નના પ્રથમ માંડવાના દિવસે, જય શાહે વૃદ્ધાશ્રમમાં વડીલો માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, ચોટીલાના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના બાળકોને ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી. પાંજરાપોળમાં ગૌસેવા રૂપે ગાયોને લીલો ચારો અને ગોળ અર્પણ કરવામાં આવ્યા હતા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રહેતા જય શાહે પોતાના લગ્નનું આયોજન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર સ્થળે સાદગીપૂર્વક કર્યું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડેસ્ટિનેશન મેરેજને બદલે ધાર્મિક આસ્થા કેન્દ્રો ઈશ્વરના સાનિધ્યમાં જ લગ્ન સ્થળ કેમ ન બની શકે? તેવા આહ્વાનને ચરિતાર્થ કર્યું. જય શાહ જાહેર જીવનમાં સન્માનનીય પદ ધરાવે છે, જ્યારે તેમના પત્ની ડોક્ટર રચના MS સર્જન છે. આર્થિક રીતે સક્ષમ હોવા છતાં, તેમણે ભવ્ય રિસોર્ટ કે ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરવાને બદલે સદાશિવના ચરણોમાં લગ્નગ્રંથિથી જોડાવાનો સંકલ્પ કર્યો હતો. આ નિર્ણયને બંને પક્ષના પરિવારોએ ભારતીય સંસ્કૃતિના પવિત્ર ભાવથી સ્વીકાર્યો હતો. આ લગ્ન સમારોહને ફક્ત એક વ્યક્તિગત ઉત્સવ નહીં, પરંતુ સમાજ માટે સેવા અને સંસ્કારના પર્વ તરીકે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના લગ્ન ખર્ચાળ ડેસ્ટિનેશન વેડિંગના પ્રચલિત વલણ વચ્ચે સમાજને એક નવી દિશા સૂચવે છે. જેમાં લગ્નના પ્રથમ માંડવાના દિવસે ભવ્ય ભોજન સમારંભને બદલે ચોટીલા ખાતે ગૌરીબેન વૃદ્ધાશ્રમમાં વડીલો માટે મિષ્ટાન અને ફરસાણ ભોજન સંભારંભ તથા શાલ ઓઢાડી આશીર્વાદ (લગ્નપ્રસંગ પર ઘરના વડીલોને સાલ ઓઢાડવાનો રીવાજ હોય છે, તો વૃદ્ધાશ્રમના વડીલોને પોતાના વડીલની જેમ આશીર્વાદ લીધા) ચોટીલાના અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નાના બાળકો માટે ભોજન સેવા, ચોટીલા પાંજરાપોળમાં ગૌસેવા રૂપે લીલો ચારો અને ગોળ અર્પણ કરી સેવા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ પ્રમાણે માગશર સુદ પાંચમના દિવસે ભગવાન શ્રીરામ અને જાનકી માતાના વિવાહ સંપન્ન થયા હતા. આ દિવસને વિવાહ પંચમી તરીકે પણ ભારતમાં ઉજવવામાં આવે છે. જયારે જય અને ડો.રચનાના વિવાહ પણ આ જ શુભ દિવસે જ સંપન્ન થયા હતા. આ નવી પરંપરા દ્વારા સમાજને સંદેશ આપવામાં આવ્યો કે, લગ્ન જેવા પવિત્ર પ્રસંગોને ફક્ત ખર્ચાળ ઉજવણીને બદલે સેવા, સાદગી અને સંસ્કાર સાથે જોડીને યાદગાર બનાવી શકાય. નવદંપતીએ પ્રભુ સોમનાથ પાસે પ્રાર્થના કરી છે કે, આ પ્રયાસ દ્વારા સમાજમાં સાદગીપૂર્ણ, સેવાભાવી અને ધાર્મિક લગ્નોની નવી પરંપરા સ્થપાય.
રોંગ સાઈડ આવેલા ટેન્કરે બાઈકચાલકનો જીવ લીધો:જાફરાબાદના છેલણા નજીક ઘટના, નાગેશ્રી પોલીસે તપાસ શરૂ કરી
અમરેલી જિલ્લામાંથી પસાર થતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ તાલુકાના છેલણા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવેલા પાણીના ટેન્કરે બાઈકને ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, છેલણા ગામના નારણભાઈ નાજાભાઈ સુપા ઘાસચારો લેવા જઈ રહ્યા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે પર કામ કરતી એગ્રો કંપનીનું MP-09-BF-6019 નંબરનું પાણીનું ટેન્કર પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યું હતું. ટેન્કરે નારણભાઈની બાઈકને જોરદાર ટક્કર મારતા તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ મૃતકના પુત્ર મનુભાઈ સુપાએ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગે ફરિયાદ નોંધાવી હતી. નાગેશ્રી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે. નેશનલ હાઈવે પર અધૂરા કામો કરતી એગ્રો કંપનીના વાહનો દ્વારા જ રોંગ સાઈડમાં વાહન ચલાવવામાં આવતા હોવા છતાં કોઈ માર્ગદર્શન કે નિયંત્રણ ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જવાબદાર એજન્સી સામે ગંભીર બેદરકારીનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
જામનગરમાં પરિણીતા પર ત્રાસ:સગર્ભાને 'ડાકણ' કહી સાસરિયાઓનો માર ઘરમાંથી કાઢી મૂકતા પોલીસ ફરિયાદ
જામનગરમાં એક સગર્ભા મહિલાએ સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓએ મહિલાને 'ડાકણ' કહી માર માર્યો હતો અને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ ઘટના ગોકુલ નગર નજીક મયુર નગર શેરી નંબર બેમાં બની હતી. સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પોલીસે મહિલાના પતિ, સસરા, સાસુ અને નણંદ સામે BNS-2033ની કલમ ૮૫, ૧૧૫(૨), ૩૫૨ અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને આપેલી માહિતી અનુસાર, ૩૨ વર્ષીય પીડિત મહિલાના લગ્ન નવ વર્ષ પહેલા અ થયા હતા. તેમને છ વર્ષની એક મંદબુદ્ધિ પુત્રી છે અને હાલમાં મહિલા ચાર માસના ગર્ભવતી છે. મહિલાએ જણાવ્યું કે તેમના સસરા તેમને 'તું ડાકણ છે અને જાદુટોના કરે છે' તેમ કહી ત્રાસ આપતા હતા. સાસુ-સસરાના સતત ત્રાસને કારણે પતિ-પત્ની થોડા સમય માટે અલગ પણ રહ્યા હતા. તાજેતરમાં મહિલાના દિયરના લગ્ન હોવાથી, તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા જેથી તેઓ લગ્નમાં હાજર ન રહી શકે. આથી તેઓ પોતાની માતાના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પતિએ તેમને પુત્રીનો સામાન લઈ જવા જણાવ્યું હતું. જ્યારે મહિલા પોતાનો સામાન લેવા પાછા આવ્યા, ત્યારે તમામ આરોપીઓએ તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો. સગર્ભા હોવા છતાં તેમને લાતો મારી ઘરમાંથી હાંકી કાઢવામાં આવતા આ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આણંદમાં 44 BLO એ 100% SIR કામગીરી પૂર્ણ કરી:જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું
આણંદ જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદારયાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, 44 બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા SIR (Special Summary Revision) કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીનો ગણતરીનો તબક્કો ચાલી રહ્યો છે અને 4 ડિસેમ્બર સુધીમાં BLOs દ્વારા SIR સંબંધિત કામગીરી પૂર્ણ કરાશે. આ ઝડપી અને શ્રેષ્ઠ કામગીરી બદલ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આણંદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આ 44 BLOs ને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સન્માનિત કરાયેલા 44 BLOs માં ખંભાત વિધાનસભા મતવિસ્તારના 15, બોરસદના 4, આંકલાવના 4, ઉમરેઠના 6, આણંદના 4, પેટલાદના 5 અને સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના 6 BLOs નો સમાવેશ થાય છે. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ 100 ટકા કામગીરી પૂર્ણ કરનાર BLOs ને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે અન્ય BLOs ને તેમની બાકી રહેલી કામગીરીમાં મદદરૂપ થવા પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીની આ અપીલને સ્વીકારીને, આ 44 BLOs એ ખાતરી આપી હતી કે તેઓ પોતાની કામગીરી પૂર્ણ થયા બાદ અન્ય BLOs ને મદદરૂપ બનશે. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન સહિત ચૂંટણી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત સરકારના ઊર્જા મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ ગુજરાતમાં શરૂ થયેલ સ્માર્ટ મીટર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ચારેય ડિસ્કોમમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. તે અનુક્રમે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આજદિન સુધી કુલ 7.27 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં કુલ 28.76 લાખ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર સામે વિરોધ ચાલી રહ્યો છે કે દરમિયાન 7 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાડી દીધા છે. સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવવાની ધારણા એ તદ્દન ખોટી છે. ઉપરાંત, ગ્રાહકોના વિશ્વાસને મજબૂત બનાવવા માટે, જો કોઈ ગ્રાહક ઇચ્છે તો સ્માર્ટ મીટર સાથે ચેક (જૂનું સ્ટેટિક) મીટર પણ લગાડવાની સુવિધા ઉપલબ્ધ છે, જેથી બંને મીટરોમાં દર્શાવેલ વીજ વપરાશની તુલના ગ્રાહક પોતે કરી શકે છે. સુરતના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ મીટરની સાથે ગ્રાહકોના સ્થાપન પર ચેક મીટર તરીકે જૂનું સ્ટેટિક મીટર વીજ વપરાશના યુનિટની નોંધણી-સરખામણી માટે લગાવવામાં આવેલ છે. જેમાં સ્માર્ટ મીટર તેમજ ચેક મીટરમાં વીજ વપરાશના યુનિટમાં તફાવત જોવા મળેલ નથી. દેશભરના અન્ય રાજ્યોમાં પણ સ્માર્ટ મીટર સ્થાપન કાર્ય તેજ ગતિએ શરૂ થઈ ગયું છે. જેમાં પંજાબમાં 18 લાખ, મહારાષ્ટ્રમાં 75 લાખ, ઉત્તર પ્રદેશમાં 55 લાખ, આસામમાં 45 લાખ, છત્તીસગઢમાં 30 લાખ, મધ્ય પ્રદેશમાં 28 લાખ તેમજ અન્ય રાજ્યોમાં પણ વિશાળ પ્રમાણમાં સ્માર્ટ મીટર લગાડવાનું કાર્ય ચાલુ છે.
તસ્કરોનો તરખાટ:દહેગામના કનીપુરના રહેણાંક મકાનના તાળા તોડી રૂ.4.44 લાખની મત્તા ચોરી પલાયન
દહેગામ તાલુકાના કનીપુર ગામ ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાનને બનાવી તાળા તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂ.4 લાખ 44 હજારથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના કનીપુર ગામ સ્વામીનારાયણ ખડકીમાં પરિવાર સાથે રહેતા નરેન્દ્રભાઈ ઉર્ફે લાલો કાન્તિ પટેલ મીરાપુર ગામની સીમમાં આવેલ શક્તિ મેટલ પ્રા.લી.નામની કંપનીમાં ફીટર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગત તા.26 નવેમ્બરના રોજ નરેદ્રભાઈ તેમની પત્ની ભૂમિકાબેનને ભરૂચ મરણ પ્રસંગે જવા માટે સવારે કપડવંજ બસ સ્ટેશન ખાતે મુકવા ગયા હતા. જ્યારે તેમના માતા પુરા વતનમાં ગયા હતા. બાદમાં નરેદ્રભાઈ કપડવંજથી સીધા જ પોતાની નોકરી ઉપર ગયા હતા અને નોકરી પૂર્ણ કરીને રાતે આઠેક વાગ્યે ઘરે પરત ગયા હતા. જોકે કંપનીમાં તેમની સાથે કામ કરતા રિલિવર બીમાર હોવાથી નરેદ્રભાઈને નાઇટ શિફ્ટમાં નોકરી જવાનું આવ્યું હતું. આથી તેઓ જમી પરવારી ઘરના વચ્ચેના રૂમ બંધ કરી તાળુ મારી તથા ઘરના મુખ્ય જાળી વાળા દરવાજે પણ તાળુ મારીને નોકરીએ જતા રહ્યાં હતા. સોનાનો દોરો ,સોનાની ઝુમ્મરબુટ્ટી સહિતની વસ્તુઓ ચોરાઈબીજા દિવસે સવારે 27 નવેમ્બરે નોકરી પૂર્ણ કરીને નરેદ્રભાઈ ઘરે પહોંચતા જાળીવાળા મુખ્ય દરવાજો ખુલ્લો જોઈને ચોંકી ઉઠ્યા હતા. તેમણે અંદર જઈને જોતા રૂમનું તાળું પણ તૂટેલી હાલતમાં અને તિજોરી તથા લાકડા સહિત ઘરનો સર-સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. બાદમાં તેમણે વિગતવાર તપાસ કરતા તિજોરીમાંથી 8 હજાર ,સોનાનો દોરો ,સોનાની ઝુમ્મરબુટ્ટી ,સોનાની ફેન્સી બુટ્ટી,સોનાની વીંટી, સોનાની ચુની, સોનાની કાનની કળી ,ચાંદિના પાયલ તથા બ્રેસલેટ મળીને કુલ રૂ. 4.44 લાખથી વધુની મત્તા ચોરાઈ ગયાનું માલુમ પડ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે કરમસદથી શરૂ થયેલી 'સરદાર @ 150 રાષ્ટ્રીય પદયાત્રા'નો આજે (તા. 28 નવેમ્બર) ત્રીજો દિવસ છે. આ પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી સરબાનંદ સોનોવાલ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી અજય ટામટા સહિતના અગ્રણી નેતાઓ સહભાગી બન્યા હતા. આંકલાવથી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશતા પહેલા ભવ્ય સ્વાગત માટેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મનસુખ માંડવિયા બપોરે 12:00 કલાકે સિંધરોટ ખાતે સરદાર સભાને સંબોધિત કરશે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દર્દી સારવાર માટે આવ્યા ત્યારે ડોક્ટર ઉંઘતા જોવા મળ્યા હતા. જ્યારે દર્દીના સગા ડોક્ટરને જગાડી સારવાર આપવાનું કહેતા નજરે પડે છે. ત્યાર બાદ પણ ડોક્ટર ઉંઘમાં ફાઇલ વાંચતા જોવા મળે છે. રાત્રિ ડ્યુટી કરતા ડોક્ટરો અનેક વખત વિવાદમાં આવ્યા છે, ત્યારે વધુ એકવાર વીડિયો સામે આવતા ફરી સરકારી હોસ્પિટલ વિવાદમાં આવી છે. જે મામલે સિવિલ હોસ્પિટલના RMOએ તપાસ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલનો અંદાજે 2 દિવસ પહેલાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં હાથમાં ઇજા સાથે દર્દી અને તેના સગા હાડકાના વોર્ડમાં પ્રવેશે છે. આ દરમિયાન તબીબ સુતા હોય છે. જેથી દર્દીના સગા કહે છે કે સાહેબ 24 કલાક નોકરી કરે છે એટલે નીંદર આવતી હશે. જે બાદ દર્દીના સગા ડોક્ટરને ઉઠાડે છે અને કહે છે કે સાહેબ આ ફાઈલ જોવો, દર્દીને વધારે વાગ્યું છે તેમ છતાં પણ દાખલ કરવામાં નથી આવ્યો. ડોક્ટરે નીંદરમાંથી જાગી પૂછ્યું શું વાગ્યું છે?જેથી ડોક્ટર નીંદરમાંથી જાગી પૂછે છે કે શું વાગ્યું છે? ત્યારે દર્દીના સગા કહે છે કે યુવાનને બેઝબોલનો ધોકો મારવામાં આવ્યો છે અને તેને કારણે ઇજા થઈ છે. જેથી ડોક્ટર પૂછે છે કે રિપોર્ટ કરાવેલો છે? ત્યારે દર્દીના સગા કહે છે કે એક્સ રે કરાવેલો છે હવે શું કરવાનું છે એ કહો. જેથી ડોક્ટર કહે છે કે સોનોગ્રાફી કરાવતા આવો. આ વિડીયો અંગે સિવિલ હોસ્પિટલના RMO ડૉ. હર્ષદ દૂસરાએ જણાવ્યું હતું કે, મીડિયા દ્વારા મારી પાસે વિડીયો આવ્યો છે. જેમાં પેશન્ટ જ્યારે ડોક્ટર પાસે ગયો ત્યારની પરિસ્થિતિના આધારે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જે વિભાગના જે ડોક્ટર જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા એરપોર્ટ પર આવનારી મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 વાગ્યે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હતી. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. ઓપરેશન રિઝનના કારણે ફલાઈટ રદ કરવામાં આવીઆજે સવારે 7.20 વાગ્યે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5126/6087 મુંબઈ-વડોદરા-મુંબઈ રદ કરવામાં આવી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 વાગ્યે આવે છે અને પરત વડોદરાથી 7.50 વાગ્યે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી હતી. જેથી મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાયા. આ સાથે જે મુસાફરોને રિફંડ જોઈતું હતું તેમને રિફંડ આપવામાં આવ્યું છે. 160થી વધુ પેસેન્જરને વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અપાયુંગત રોજ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 વાગ્યે આવે છે અને પરત વડોદરાથી 8.40 વાગ્યે ઉડાન ભરે છે. આજે ફરી આજ એરલાઇન્સની ફલાઇટ રદ થતા 160થી વધુ પેસેન્જરને વૈકલ્પિક વ્યવસ્થા કે રિફંડ અપાયું.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ અત્યારે લઘુતમ તાપમાનમાં વધારો નોંધાતા રાજ્યમાં સામાન્ય ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાન મુજબ 13.6 ડિગ્રી સેલ્સિયસ સાથે નલિયા રાજ્યનું સૌથી વધુ ઠંડુ શહેર નોંધાયું હતું. જ્યારે સૌથી ગરમ શહેર ઓખા જ્યાં 22.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. જાણો અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું?હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં થોડો ફેરફાર નોંધાયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.5 અને લઘુત્તમ 21.1 રહ્યું. અમરેલીમાં મહત્તમ 31.9 અને લઘુત્તમ 19.2 હતું. વડોદરામાં મહત્તમ તાપમાન 33 સુધી પહોંચ્યું, જ્યારે લઘુત્તમ 21.2 રહ્યું. ભુજમાં મહત્તમ તાપમાન 30.3 અને લઘુત્તમ 16 ડિગ્રી નોંધાયું. દીવ, દ્વારકા, ગાંધીનગર અને કંડલા સહિતના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 30થી 32 વચ્ચે રહ્યું. રાજકોટનું મહત્તમ તાપમાન 33.1 અને સુરતમાં 34.4 નોંધાયું, જ્યારે વેરાવળમાં મહત્તમ 30.7 અને લઘુત્તમ 21.9 રહ્યું હતું.
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ કાર્યમાં જોડાયેલા પેટા કોન્ટ્રાક્ટરોને પેમેન્ટ ન મળતા ગંભીર આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે કોન્ટ્રાક્ટરોએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવા રોલા હાઇવે ઉપર ગઈકાલે આવી પહોંચ્યા હતા. જ્યાં ટ્રાન્સપોર્ટ મંત્રીને લેખિત રજુઆત જારી બાકી પ્રેમેન્ટ ચૂકવવા માંગ કરી છે. આણંદની કાર્ટર ઇન્ફ્રાના હરપાલ સિંહે જણાવ્યું હતું કે, તેમણે છેલ્લા છ મહિનાથી એક્સપ્રેસ વેના પેકેજ નંબર 8માં ગણદેવીથી પારડી વચ્ચેના ચેઈનેજ 170 થી 175 પર માટીકામ અને સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ કર્યું છે. કામ પૂરું થયાના મહિનાઓ વીતી ગયા હોવા છતાં તેમને હજુ સુધી એક પણ રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. તેમનું આશરે 2.75 કરોડ રૂપિયાનું લેણું બાકી છે. હરપાલ સિંહના આક્ષેપ મુજબ, રોડવેઝ કંપની અને ઓમકાર ઇન્ટરનેશનલ દ્વારા તેમને આપવામાં આવેલા ચેક પણ બાઉન્સ થયા છે. જ્યારે પણ પેમેન્ટની માંગણી કરવામાં આવે છે, ત્યારે કંપની દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવે છે. ચેરમેનને મળવા દિલ્હી ગયા હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી અને વાયદાઓ છતાં ચૂકવણી થઈ નથી. પીડિત કોન્ટ્રાક્ટરે નવસારી અને વલસાડ કલેક્ટર તેમજ સાંસદ ધવલ પટેલને પણ રજૂઆત કરી હતી. સાંસદ તરફથી આશ્વાસન મળ્યું હતું, પરંતુ આજદિન સુધી પેમેન્ટ છૂટું થયું નથી. હરપાલ સિંહે પોતાની આર્થિક સ્થિતિ વર્ણવતા કહ્યું કે, લોનના હપ્તા ન ભરાતા બેંકે તેમની ગાડીઓ ખેંચી લીધી છે. તેમને મજૂરો અને અન્ય વેપારીઓને પણ પૈસા ચૂકવવાના બાકી છે. તેમણે ઉમેર્યું કે માત્ર તેઓ જ નહીં, પરંતુ સ્ટીલ, ડીઝલ અને માટી પૂરી પાડતા અન્ય કોન્ટ્રાક્ટરો પણ ચૂકવણી માટે રાહ જોઈ રહ્યા છે. પેમેન્ટના મુદ્દાને કારણે હાલમાં પેકેજ 8, 9 અને 10માં કામકાજ બંધ હાલતમાં છે, જ્યારે અન્ય પેકેજમાં કામ પૂર્ણતાના આરે છે. આ ત્રણેય પેકેજમાં મિલીભગત હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મુલાકાત હોવાથી, ચૂકવણી ન મળવાથી પરેશાન કોન્ટ્રાક્ટરો પોતાની રજૂઆત કરવા માટે વલસાડ તાલુકાના રોલા ગામ ખાતે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી.
વડોદરા શહેરના સરદાર એસ્ટેટ પાસે ચાઈનીઝ ફૂડનો વ્યવસાય કરતા વેપારીને PSI તરીકેની ખોટી ઓળખ આપીને ચાઇનીઝ ફૂડના પૈસા આપ્યા નહોતા અને પોલીસ પાસે પૈસા માંગો છો? તેમ કહીને ધમકાવ્યા હતા. આ અંગે આરોપી પતિ પત્ની સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને નકલી PSI બનેલા શખ્સને કાન પકડાવીને ઉઠક બેઠક કરાવી હતી અને આરોપીએ કહ્યું હતું કે, મારું નામ બકુલ છે, મેં પીએસઆઇ તરીકેની ખોટી ઓળખ આપીને જમવાનું પાર્સલ મંગાવ્યું હતું, મારી ભૂલ થઈ ગઈ છે, હવે હું આવી ભૂલ નહીં કરું, હું માફી માંગુ છું. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલ અહમદ પાર્કમાં રહેતા વેપારી સિદ્દીકઅલી મંજુરઅલી સૈયદ (ઉંમર 38 વર્ષ)એ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ સરદાર એસ્ટેટની બહાર કોલોની પાસે ચાઈનીઝ ફૂડની દુકાન ચલાવે છે. તા. 23 નવેમ્બર 2025ના રોજ રવિવારે સાંજે આશરે 6:30 વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ બાઈક પર આવ્યો હતો. તેણે વેપારીની ફૂડની દુકાનનાના કારીગર વિકાસ છેત્રી સાથે વાત કરી અને દુકાનના માલિક વિશે પૂછપરછ કરી હતી. આ વ્યક્તિએ વેપારીને ફોન પર વાત કરી હતી અને વેપારીને કહ્યું હતું કે હું વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ નલવાયા સાહેબ બોલુ છું. તેણે ચિકન ચાઈનીઝ ભેળનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ પૈસા માંગતા આ વ્યક્તિએ ફરીથી પીએસઆઈ સાથે વાત કરાવી હતી અને મોબાઈલ નંબર આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, બાપોદ પોલીસ સ્ટેશનના તેમના મિત્ર એક-બે કલાકમાં આવીને રૂ.140નું પેમેન્ટ કરી દેશે. આ વાત પર વિશ્વાસ કરીને ફરિયાદીએ પાર્સલ આપી દીધું હતું. બીજા દિવસે આશરે 12:30 વાગ્યે ફરિયાદીએ આપેલા મોબાઈલ નંબર પર કોલ કર્યો તો ફોન એક મહિલાએ ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે, અડધા કલાકમાં પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરી દેશે અને વધુમાં કહ્યું હતું કે, તેમના પતિ પીએસઆઈ છે, તમને રૂ. 140 માટે શરમ નથી આવતી? જોકે, ત્યારબાદ કોઈ પેમેન્ટ ન આવ્યું અને વારંવાર કોલ કરવા છતાં ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ શખ્સોએ PSIની ખોટી ઓળખ આપીને રેપીડો વાળાના રૂ. 40નું પેમેન્ટ કર્યું નહોતું. આરોપીઓએ પોલીસમાં નથી તેમ છતાં પીએસઆઈ તરીકેની ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી છે. બાપોદ પોલીસે આરોપી બકુલ જશુભાઈ (ઉંમર 27 વર્ષ) અને તેમની બહેન રશ્મિબેન બકુલભાઈ (ઉંમર 27 વર્ષ), (બંને રહે. હરિ ટાઉનશીપ, સયાજી પાર્ક પાસે, આજવા રોડ, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે અને બન્નેની ધરપકડ કરી છે.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ મોટા રેલવે સ્ટેશન ગેટ સામે, યાત્રી ગેસ્ટ હાઉસ નજીક ખુલ્લી જગ્યામાંથી સિક્કા ઉછાળી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.15,450 અને જુગારમાં વપરાયેલા બે સિક્કા મળી કુલ રૂ. 15,454 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી અનુસાર LCB પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મોટા રેલવે સ્ટેશન ગેટ સામે, યાત્રી ગેસ્ટ હાઉસની બાજુમાં કેટલાક લોકો ભારતીય ચલણના સિક્કા ઉછાળીને કાંટ-છાપનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા છ ઇસમોને ઝડપી લીધા હતા, ઝડપાયેલા શખ્સઓમાં વિશાલ નગીનભાઈ ગોહેલ ઉ.વ.37, રહે.સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન સામે, દાણા પીઠા, અફઝલ ગફારભાઈ શેખ ઉ.વ.35, રહે.નવાપરા, ડોસલીનું નહેરુ, કૃપાલ હરગોવિંદભાઈ વિસાણી ઉ.વ.42, રહે.પ્લોટ નં.159, નવી L.I.G., છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, આનંદનગર, રહીમ મહેમુદભાઈ અજમેરી ઉ.વ.36, રહે.ગરીબ શા પીરની દરગાહ પાસે, સાલીમાર હોટલ વાળો ખાંચો, આંગણવાડીની બાજુમાં, સિહોર, જિ. ભાવનગર, બિપીન બટુકભાઈ મકવાણા ઉ.વ.46, રહે. ભરવાડ વાડો, મસ્જીદની પાસે, કરચલીયા પરા તથા અસ્પાક ઈસ્માઈલભાઈ શેખ ઉ.વ.39, રહે.વડવા, વરતેજીયા ફળી, અલ્કા ટોકીજ રોડ, માસ્તર પાન વાળા ખાંચામાં વાળા ને ઝડપી લીધા હતા, પોલીસે જુગાર રમવામાં ઉપયોગમાં લેવાયેલા ભારતીય ચલણના રૂ.2 ના બે સિક્કા અને રોકડા રૂ. 15,450 સહિત કુલ રૂ. 15,454 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આ તમામ આરોપીઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં 852 દારૂ બોટલ કેસ:બે આરોપી પકડાયા, બે દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલી ઇકો કાર પકડવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમને કોર્ટમાં રજૂ કરતા, કોર્ટે બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટના થોડા દિવસો પહેલા મોરબીના રણછોડનગર વિસ્તારમાં બની હતી. એલસીબીની ટીમે GJ 3 NK 3973 નંબરની ઇકો કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર ચાલક વાહન છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની કુલ 852 બોટલો મળી આવી હતી, જેમાં 276 મોટી અને 576 નાની બોટલો હતી. પોલીસે 5.88 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો, 20,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન અને 4 લાખ રૂપિયાની કાર સહિત કુલ 10.08 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.બી. મિશ્રાને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન, પોલીસે લાયન્સનગર, નવલખી રોડ, મોરબીના રહેવાસી વિપુલ પ્રેમજીભાઈ ધંધૂકિયા (ઉંમર 28) અને રજૂ હિતેશભાઈ નાગહ (ઉંમર 25) ની ધરપકડ કરી છે. બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા, કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
કારખાનેદારના આપઘાત કેસમાં 10 સામે ગુનો નોંધાયો:સુસાઈડ નોટના આધારે વ્યાજખોરો સહિતની ધરપકડની તજવીજ
હળવદ નજીક એક કારખાનેદારે પોતાની કારમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. મૃતકના વાહનમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેના આધારે પોલીસે વ્યાજખોરો સહિત કુલ દસ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના હળવદના કેદારીયા ગામ પાસે આવેલા લીજોન એગ્રી પ્રોડક્ટ પ્રા.લિ.ના નવા બનતા કારખાનાના ગ્રાઉન્ડમાં બની હતી. મૃતક કારખાનેદાર હળવદના સરા રોડ પરની ઉમા સોસાયટીમાં રહેતા હતા. તેમની પત્ની હંસાબેન નવીનભાઈ આદ્રોજા (ઉં.વ. 45), જે મૂળ મોરબી તાલુકાના પીપળીયા ગામના છે, તેમણે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શરદભાઈ વાલજીભાઈ પટેલ અને સુરેશભાઈ વાલજીભાઈ પટેલ (બંને હળવદ), ભરતભાઈ ગાંડુભાઈ ભટાસણા (મોરબી), અનિલભાઈ મંગલ (સેંધવા ગામ, એમ્ફિ), ગજાનનભાઈ જોશી (રાધનપુર), સૌરભ રાઠી (રાઠી એન્ટરપ્રાઈઝ), ગિરીશભાઈ મહેશ્વરી (સૌરભ રાઠીના બનેવી), ઘેટીદાદા (ગજાનંદભાઈનો માણસ), જગદીશભાઈ મહાદેવ (કેન્વાસિંગવાળા) અને રામજીભાઈ રામનિવાસ એન્ડ કુ. વાળા સહિત દસ વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે. હંસાબેને જણાવ્યું છે કે, તેમના પતિએ શરદભાઈ અને સુરેશભાઈ પાસેથી લીધેલી જમીનના તમામ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો અને વધારાના એક કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભરતભાઈ ભટાસણા પાસેથી ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની ચુકવણી કર્યા પછી પણ વધુ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. બાકીના સાત આરોપીઓ દ્વારા પણ ધંધાના બાકી રૂપિયાની ઉઘરાણી કરીને ફરિયાદીના પતિને ધાકધમકીઓ આપવામાં આવતી હતી. આરોપીઓના આ માનસિક ત્રાસના કારણે તેમના પતિએ કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે આ ફરિયાદના આધારે દસ આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઇસજેટની ફ્લાઇટ SG8193માં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે 27 નવેમ્બરની રાત્રે 10 વાગ્યે ટેકઓફ થનારી ફ્લાઇટમાં 9 કલાકનો મોટો વિલંબ થયો હતો અને તે 28 નવેમ્બરની સવારે 7:25 વાગ્યે ટેકઓફ થઈ હતી, જોકે મુસાફરોએ 12 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું હતું. ફ્લાઇટના લાંબા વિલંબને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને એરપોર્ટ પર હોબાળો થયો હતો, કારણ કે એરલાઈન સ્ટાફ તરફથી રહેવાની કે જમવાની સુવિધા અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન કે સ્પષ્ટ માહિતી આપવામાં નહોતી આવી, જેના કારણે મુસાફરોએ રોષ ઠાલવતા કહ્યુ હતું કે, 'આની કરતા રાજધાનીમાં નીકળ્યા હોત તોય વહેલા પહોંચી જાત'. દિલ્હી-અમદાવાદ સ્પાઇસજેટની ફ્લાઇટ લેટ થતાં હોબાળોદિલ્હીથી અમદાવાદ આવતી સ્પાઈસજેટની ફ્લાઇટ SG8193, જે ગઈકાલે રાત્રે એટલે કે 27 નવેમ્બરની રાત્રે 10 વાગ્યે ટેક ઓફ થવાની હતી, જેમાં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો. ફ્લાઇટ હવે 28 નવેમ્બરની સવારે 7:40 કલાકે જવાનો સમય બતાવવામાં આવી રહ્યો હતો. તે સમય પણ એરલાઈન તરફથી મળતી માહિતી મુજબ ચોક્કસ રીતે કન્ફર્મ ન હોવાના કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. રાત્રે 12 વાગ્યે અમદાવાદ પહોંચવાની જગ્યાએ બીજા દિવસે સવારે ફ્લાઈટ ટેકઓફ થઈ મુસાફરોનું કહેવું છે કે, લાંબા સમયથી એરપોર્ટ પર રાહ જોતા હોવા છતાં સ્ટાફ તરફથી યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય જવાબ આપવામાં નહીં આવી રહ્યો. કેટલાક મુસાફરોને રહેવાની કે જમવાની સુવિધા અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. ઘણાં મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરતા જોવા મળ્યા અને સ્પાઈસજેટની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. જે બાદ એરલાઈન મેનેજમેન્ટ દ્વારા સવારે 7:25 વાગ્યે ફ્લાઇટને ટેકઓફ કરવામાં આવી હતી અને જે 27 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે અમદાવાદ પહોંચવાની હતી તે 28 નવેમ્બરે સવારે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડી મુસાફરો ફરિયાદ કરી રહ્યાં હતા કે, ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડી હતી, જેના કારણે મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર અટવાયા હતા. એરલાઇન દ્વારા ફ્લાઇટના નવા સમય વિશે સ્પષ્ટ અને સમયસર માહિતી આપવામાં આવતી નહોતી. પ્રસ્થાનનો સમય વારંવાર બદલવામાં આવતો હતો, જેનાથી મુસાફરોમાં નિરાશા અને ગુસ્સો વધ્યો હતો. મુસાફરોને ફ્લાઇટ ડીલે દરમિયાન ખોરાક, પાણી, અથવા રહેવાની પૂરતી વ્યવસ્થા જેવી સગવડો પૂરી પાડવામાં આવી નહોતી અથવા તો લાંબા વિવાદ પછી જ આપવામાં આવી હતી. મુસાફરોને તેમની એપોઇન્ટમેન્ટ, પરીક્ષાઓ ચૂકી જવાનો ડરમુસાફરોએ એરલાઇન કર્મચારીઓ દ્વારા તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાની અને તેમની ફરિયાદોને ગંભીરતાથી ન લેવાઈ હોવાની ફરિયાદ કરી હતી. કેટલાક મુસાફરોએ ફરિયાદ કરી હતી કે, આ વિલંબને કારણે તેઓ અમદાવાદ કે ગાંધીનગરમાં અગત્યની એપોઇન્ટમેન્ટ, પરીક્ષાઓ અથવા રજૂઆતો ચૂકી જશે.
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામની કન્યાશાળાના મુખ્ય શિક્ષક અને BLO તરીકે ફરજ બજાવતા દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. મળતી માહિતી અનુસાર નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા. જેથી, તેઓ રાત્રે લગભગ 2 વાગ્યે જાગીને SIRની કામગીરી કરી રહ્યા હતા. રાત્રે કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો ઉપડ્યો હતોરાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુદાસણ ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છેસુદાસણા પગાર કેન્દ્ર આચાર્ય ગોવિંદસિંહ બારડએ જણાવ્યું કે જે મૃતક છે એ સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય છે દિનેશકુમાર મેલાભાઈ રાવળ અને સુદાસણા પ્રાથમિક કન્યા શાળામાં 17 જાન્યુઆરી 2001થી સર્વિસ કરે છે. BLO તરીકેનું કામ એમનું સુદાસણાના ભાગ નંબર 3માં બુથ નંબર 38ની અંદર હતું અને અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે એ કામ એ કરતા હતા. દિનેશભાઈ છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મ અપલોડ કરતા હતાહવે બધા જ જાણે છે એ પ્રકારે, એસઆરની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે.ઓનલાઈન કરવાના હોય છે. એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા બે-ચાર દિવસથી રાત્રે ઊઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા. સારવાર માટે વડનગર લાવ્યા હતાગઈકાલે રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઊઠીને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે. એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીમાં દુખાવો ઊપડ્યો. પરિવારજનોને જાણ થતાં તેમના મિત્રોને બોલાવ્યા. ગામમાં દવાખાને લઈ ગયા પરંતુ ત્યાં સારવાર મળી નહીં ડૉક્ટર ઉપલબ્ધ નહોતા. એટલે એ લોકો વડનગર સિવિલમાં લાવ્યા. સિવિલમાં ડૉક્ટરે એમને મૃત જાહેર કર્યા છે. દિનેશભાઈએ SIRની કામગીરી લગભગ 70% પૂરી કરી હતીSIRની કામગીરી દિનેશભાઈની લગભગ 70% જેવી પૂરી હતી. અને કામ પણ એમનું સારું હતું. શિક્ષકોમાં સ્ટ્રેસ એ વાતનો હતો કે ટૂંકાગાળાની અંદર જે એમને આપેલું હતું એ ગોલ એમને પૂરો કરવાનો હતો. અને એમાં ખાસ કરીને જે સર્વર છે એ બરાબર કામ કરતું નથી. એટલે ફોર્મ તો એકત્રિત કર્યા હોય એમાં માહિતી ભરવાની હોય, પરંતુ એ જ્યારે અપલોડ કરવાના હોય ત્યારે સર્વર બરાબર કામ ન કરતું હોય, કામગીરી પૂરી કરવાની હોય, એટલે એ દબાણ થોડું રહેતું હોય એમને માનસિક રીતે. અને એ કામ એ રાત્રે કરતા હતા, એ દરમિયાન આ બનાવ બન્યો છે, હું એવું કહેવા માંગું છું.
ધરમપુર, વલસાડ ખાતે યોજાયેલી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાનપદ ભારતને મળવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહની દુરંદેશીતા તથા સનિષ્ઠ પ્રયાસોના પરિણામે ભારતને આ વૈશ્વિક ઇવેન્ટનું આયોજન સોંપવામાં આવ્યું છે. આ શિબિરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ગ્લાસગોથી સીધા વલસાડ પહોંચ્યા હતા, જેના કારણે કાર્યક્રમમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ 2030 કોમનવેલ્થ ગેમ્સ ભારત માટે વિશ્વને આંગણે આવકારવાની મહાસરજમીન બની રહેશે. આનાથી ગુજરાત સહિત દેશભરમાં ખેલ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવું હબ બનાવવા માટે આપણે સંપૂર્ણ સજ્જ છીએ. આ 12મી ચિંતન શિબિર સામુહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ ના વિષય પર કેન્દ્રિત હતી. શિબિર દરમિયાન નીતિ, વિકાસ, સુશાસન અને રમતગમત જેવા મહત્વના મુદ્દાઓ પર સામૂહિક ચિંતન થકી ભવિષ્યના વિકાસનો માર્ગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો.
ધરમપુર ખાતે યોજાઈ રહેલી રાજ્ય સરકારની 12મી 'ચિંતન શિબિર-2025'ના બીજા દિવસની શરૂઆત યોગાભ્યાસથી થઈ હતી. આ યોગસત્રમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓએ સક્રિય ભાગ લીધો હતો. વિવિધ આસનો કર્યાશ્રીમદ્દ રાજચંદ્રજીની વિશાળ પ્રતિમાના સાન્નિધ્યમાં સામૂહિક યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ મનની એકાગ્રતા, શાંતિ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને આંતરિક શક્તિમાં વૃદ્ધિ માટે એડવાન્સ મેડિટેશન યોગના વિવિધ આસનો કર્યા હતા. કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયુંઆશ્રમના યોગ પ્રશિક્ષકો આત્માર્પિત અપૂર્વજી અને આત્માર્પિત માનસીજીએ યોગાભ્યાસ કરાવ્યો હતો. તેમણે પરંપરાગત અને આધુનિક યોગપદ્ધતિઓના સંયોજન રૂપે લાઠી સાથે યોગ અભ્યાસ પણ કરાવ્યો હતો. આ અનોખા યોગ દ્વારા શરીરની લવચીકતા, સંતુલન અને કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
ભરૂચમાં તાપમાન વધ્યું, ઠંડી ઘટી:વહેલી સવારે શીતલ વાતાવરણ, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સવારે શરૂઆતમાં થોડું શીતલ વાતાવરણ અનુભવાય છે, પરંતુ દિવસ ચઢતા જ ગરમીનો અહેસાસ વધતો જાય છે. સતત બે દિવસથી ભેજનું પ્રમાણ પણ ઊંચું રહેતા લોકો ઉકળાટ જેવી સ્થિતિ અનુભવી રહ્યાં છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આજે જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાવાની શક્યતા છે.જ્યારે આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 20 થી 23 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. વાતાવરણમાં આવેલા આ અચાનક પલટાની અસર લોકોના આરોગ્ય પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને શરદી અને ખાંસીના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેથી ડૉક્ટરો સાવચેત રહેવા તથા જરૂરી તકેદારીઓ અપનાવવા સૂચના આપી રહ્યા છે.
પાટણ બસસ્ટેન્ડમાં મહિલાના પર્સમાંથી દાગીના ચોરાયા:રાધનપુર જતી મહિલાના રૂ. 6.83 લાખના દાગીના ગુમ
પાટણના સિદ્ધપુર ચાર રસ્તા રોડ પર આવેલા હંગામી બસસ્ટેન્ડમાં એક મહિલાના પર્સમાંથી રૂ. 6.83 લાખના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયા છે. રાધનપુર ખાતે સાસરી જવા નીકળેલી મહિલા બસમાં ચડતી વખતે ભીડનો લાભ લઈ તસ્કરોએ આ ચોરી કરી હતી. આ અંગે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માતરવાડી ગામની ગોકુલધામ સોસાયટીમાં રહેતા રીંકલબેન વસાભાઈ ભરવાડ (ઉં.વ. 23) તેમની દીકરી સાથે 25 નવેમ્બરે સવારે 10:30 વાગ્યે રાધનપુર જવા નીકળ્યા હતા. તેમના પિતા તેમને બાઈક પર પાટણના બસસ્ટેન્ડ પર મૂકી ગયા હતા. રીંકલબેન બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અંજાર જતી એક બસ આવી. બસમાં ચડતી વખતે ભારે ભીડ હતી. તેઓ બસમાં ચડ્યા પછી તેમના લેડીઝ પર્સની ચેઈન ખુલ્લી જોઈને ચોંકી ઉઠ્યા હતા. પર્સમાં રાખેલું દાગીનાનું બોક્સ ગાયબ હતું. તેમણે તરત જ બસમાંથી નીચે ઉતરી આસપાસ તપાસ કરી, પરંતુ દાગીના મળ્યા નહોતા. રીંકલબેને તેમના ભાઈ જયરામભાઈને જાણ કરી, જેઓ પણ બસસ્ટેશન પહોંચ્યા હતા. ઘણી શોધખોળ કરવા છતાં દાગીના ન મળતા, તેમણે પોલીસને જાણ કરી હતી. ચોરાયેલા દાગીનામાં એક સોનાનો સેટ, દોઢ તોલાની બુટ્ટી, દોઢ તોલાનું મંગળસૂત્ર અને સાડા ત્રણ તોલાના અન્ય સોના-ચાંદીના દાગીનાનો સમાવેશ થાય છે. કુલ સાડા છ તોલાના આ દાગીનાની કિંમત રૂ. 6,83,160 આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ આ જ બસસ્ટેન્ડ પર એક મહિલાના ગળામાંથી દોઢ લાખના સોનાના દોરાની ચિલઝડપ થઈ હતી, જેના આરોપીઓને ઝડપી લેવાયા હતા. તેમ છતાં, બસસ્ટેન્ડમાં તસ્કરોનો ત્રાસ યથાવત રહ્યો છે.
રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણને મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો ફૂટ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા બ્રિજ નીચે જાહેરમાં જુગાર, ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. વીડિયોમાં 10 વર્ષનો છોકરો ખાટલા પર સૂતા સૂતા જાહેરમાં ગાંજો વેચતો હોવાનું અને બ્રિજ નીચે જ જુગારધામ પણ ચાલતું હોવાનું દેખાયું હતું. એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગૃત યુવાનો બાદ ભાજપના જ ધારાસભ્ય મેદાનમાં ઉતરી આવ્યા હતા. ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા. જયારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાની માંગણી કરી હતી. ત્યાર બાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જે રાત્રે પણ ચાલુ રહી હતી. રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ અલગ અલગ રીતે કરવામાં આવેલા દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા. પોદાર આર્કેડથી સરથાણા જકાતનાકા સુધી બ્રિજ નીચે દબાણ હટાવાયાપોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી. પોદાર આર્કેડથી સરથાણા જકાતનાકા સુધીના 7.5 કિમીના રોડ પર આવેલા બ્રીજની નીચે વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા. રાત સુધીમાં 250થી વધુ ગેરકાયદેસર રહેતા લોકોને હટાવવામાં આવ્યા હતા. આ સાથે જ ત્રણ વ્હીલવાલી માલવાહક રેકડી, ઘરવખરી સમાન, ફોર વ્હીલ રેંકડી, સાઈન બોર્ડ, પાથરણા સહિતનું દબાણ હટાવવામાં આવ્યું હતું. સુરત કોર્પોરેશનને સાથે રાખી ક્લીનઅપ ઓપરેશન શરૂ કર્યું: DCPDCP આલોક કુમારે જણાવ્યું હતું કે, વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ, ઉમિયા માતા રોડ અને વરાછા મેઈન ફ્લાયઓવરની નીચે ગેરકાયદેસર રીતે રહેતા લોકોની અમને રજૂઆત મળી હતી કે અહીં રહેતા લોકો અસામાજિક તત્વોની જેમ વર્તન કરે છે. જેને લઈ અમે એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને અમે અહીંયા એક ક્લીનઅપ ઓપરેશન શરૂ કર્યું છે. ‘નિયમિત ઓપરેશન કરીશું’વધુમાં જણાવ્યું હતું કે, ઝોન-1ના પોલીસ સ્ટેશન જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન, સરથાણા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે, જેમાં પણ બ્રિજની નીચે જે લોકો ગેરકાયદેસર રીતે રહે છે, તેમનું પણ અમે ક્લીનઅપ ઓપરેશન કરી રહ્યા છીએ. સાથે જ આ એક દિવસનું કામ નથી એટલે અમે નિયમિત આ ઓપરેશનને હાથ ધરીશું. ‘સમગ્ર કામગીરી SMCના કો-ઓર્ડિનેશન સાથે થઈ રહી છે’સતત ચેકિંગ કરી ગેરકાયદેસર રહેતા લોકોને હટાવીશું. સમગ્ર કામગીરી SMCના કો-ઓર્ડિનેશન સાથે થઈ રહી છે. SMCની ટોટલ સાત ટીમ અમારી સાથે જોડાઈ છે, તેમના જે પણ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર બધા અમારી સાથે જોડાયા છે, અને પ્રોપર લીગલ રીતે અમે અહીંયા કામ કરી રહ્યા છીએ જેથી કોઈને પણ તકલીફ ના પડે. વરાછા ગૌરવ સમિતિએ જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવીવરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનો દ્વારા નિર્મિત વરાછા ગૌરવ સમિતિએ સરથાણા બ્રિજ નીચે જાહેરમાં ચાલતા જુગાર, ગાંજાના વેપલા સામે બાંયો ચઢાવી છે. જાહેરમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાનો અને જાહેરમાં ગાંજો વેચાતો હોવાનો વીડિયો બનાવી તે મારફતે સિસ્ટમ સામે સીધી આંગળી ચીંધવામાં આવી છે. આ બાબતે યુવાનોએ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રૂબરૂ મળીને આવેદનપત્ર પણ આપ્યું હતું. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલા મુદ્દે આવેદનપત્ર આપ્યુંમામલો એટલો ગંભીર થયો છે કે, ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ ડ્રગ્સ, દારૂ, જુગારના વેપલાની ટકોર સાથે સણસણતા આક્ષેપો કર્યા છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ પાલિકા કમિશનરને આવેદનપત્ર આપ્યું છે અને તાકીદે બ્રિજ નીચેથી દબાણો દૂર કરવાની, ગેરકાયદે વસવાટ કરનારાઓને જગ્યાથી ખસેડવાની માંગણી કરી છે. કાયમી ધોરણે ઉકેલ લાવવા માગધારાસભ્યે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સૂર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધી આવેલા ઓવરબ્રિજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે ખૂબ જ ભયંકર મોટા પ્રમાણમાં લોકો રહે છે. જેસીબી, ટ્રક, ટેમ્પો જેવા મોટા વાહનોનું પાર્કિંગ થાય છે. જેને કારણે તેની આડમાં ગેરકાયદેસર ધંધા જેવા કે અફીણ, ગાંજો, ડ્રગ્સનું ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ અને સેવન થાય છે. પારાવાર ગંદકી પણ થાય છે. લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાબત ધ્યાને મૂકવામાં આવી હોય ગંભીર ગણી શકાય. પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે કેટલા દિવસમાં ઉકેલ લાવવા માંગો છો તેનો લેખિત જવાબ આપે એ જરૂરી છે.
ભચાઉમાં અદ્યતન કૃષિ મહાવિદ્યાલયનું ઉદ્ઘાટન:કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે ઇમારતનું અનાવરણ કરાયું
ભચાઉમાં સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અંતર્ગત કૃષિ મહાવિદ્યાલયની નવી ઇમારતનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ કોલેજના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના હસ્તે દીપ પ્રાગટ્ય અને ભૂમિપૂજન સાથે આ અદ્યતન મહાવિદ્યાલયનું વિધિવત અનાવરણ થયું. આ પ્રસંગે દસમી સંશોધન સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણ ઉપરાંત સંશોધન નિયામક ડૉ. સી. કે. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. પી. એસ. પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. સોલંકી અને ભૂતપૂર્વ સંશોધન નિયામક ડૉ. સી. એમ. મુરલીધરન સહિત યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ તથા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવી ઇમારત અને તેમાં ઉપલબ્ધ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કર્યું. કચ્છ જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલી આ દસમી સંશોધન અને પ્લાન સમીક્ષા બેઠકનું અધ્યક્ષસ્થાન કુલપતિએ સંભાળ્યું હતું. આ બેઠકમાં કૃષિ ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને સંશોધનો પર ચર્ચા કરવામાં આવી. આ અવસરે કુલપતિએ બદલાતા હવામાનને અનુકૂળ ઊંચું ઉત્પાદન આપતી પાકોની નવી જાતો વિકસાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, કચ્છમાં કૃષિ શિક્ષણ અને સંશોધનને મજબૂત બનાવવા માટે નવી કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે વિસ્તારના કૃષિ વિકાસ માટે યુનિવર્સિટીની સંપૂર્ણ પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. કુલપતિએ બન્ની વિસ્તારમાં ઉપલબ્ધ ઉત્તમ જર્મપ્લાઝમના સંશોધન દ્વારા નવી ઘાસચારા જાતોના વિકાસને વેગ આપવા પર ભાર મૂક્યો. તેમણે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત દરેક કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા 2 હેક્ટર મોડલ પ્લોટની પ્રશંસા કરી. ખેત તળાવડી આધારિત પાણી સંરક્ષણના સરાહનીય મોડલની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન ઇન્ચાર્જ સહ-સંશોધન વૈજ્ઞાનિક ડૉ. રાજદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થયું હતું. યુનિવર્સિટીના વિવિધ સંશોધન મથકોમાંથી આશરે 75 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ કૃષિ મહાવિદ્યાલય, ભચાઉના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત કુલ 195 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવા મકાનમાં વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે. હાલમાં આહીર બોર્ડિંગ ખાતે રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ આગામી વર્ષે અહીં હોસ્ટેલનું નિર્માણ શક્ય બનશે. ભચાઉના અધિકારી રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, હોસ્ટેલ માટે મંજૂરી મળી ગઈ છે અને બજેટમાં જોગવાઈ થતાં છ માસમાં તેનું નિર્માણ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, ચાર વર્ષનો બી.એસ.સી. એગ્રી. અભ્યાસક્રમ રોજગારલક્ષી અને અત્યંત ઉપયોગી છે. ભચાઉમાં આ અભ્યાસક્રમનું આ બીજું વર્ષ છે અને ચાર વર્ષ બાદ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય અને આતુરતાપૂર્વક પ્રતિક્ષિત મેળાઓમાંના એક એવા શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025”નો ગતરોજ (27 નવેમ્બર) ભવ્ય પ્રારંભ થયો છે. ભારે વરસાદના કારણે મેળાની તારીખોમાં ફેરફાર કરીને તા. 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 સુધી આયોજન કરવામાં આવ્યું હોવા છતાં, મેળાના પ્રથમ જ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓની જંગી મેદની ઉમટી પડી હતી, જેણે આ મેળાની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. જુનાગઢ રેન્જના આઈ.જી.પી., નિલેશકુમાર ઝાઝડિયાના શુભહસ્તે આ મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમવર્ષ 1955થી શરૂ થયેલી સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળાની આ ભવ્ય પરંપરા આજે પણ એટલા જ ભવ્યરૂપે ઝળહળતી દેખાઈ રહી છે. આ મેળામાં શ્રદ્ધાળુઓ અને દર્શકો માટે વિશાળ આયોજનો કરવામાં આવ્યા છે: આ સાથે જ, નાના બાળકો માટે સલામત અને રોમાંચક રાઇડ્સ તેમજ મનોરંજન ક્ષેત્ર પણ પ્રથમ દિવસે ભારે ભીડ આકર્ષવામાં સફળ રહ્યું હતું. પ્રથમ સાંજનું મુખ્ય આકર્ષણ: અપેક્ષા પંડ્યાના લયબદ્ધ સ્વરોસાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસિદ્ધ લોકગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યાએ પોતાના લયબદ્ધ સ્વરોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે લોકગીતો, ભજનો અને ભક્તિગીતોની રમઝટ બોલાવી હતી. દૂર-દૂરથી આવેલા ભક્તોની સાથે સાથે વિદેશમાં રહેલા શ્રદ્ધાળુઓએ પણ સોમનાથ મંદિરના અધિકૃત ફેસબુક અને યુટ્યૂબ ચેનલ દ્વારા આ સાંસ્કૃતિક કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવાનો લાભ લીધો હતો. પ્રથમ દિવસની આ જોરદાર સફળતા બાદ, આ પાંચ દિવસીય મેળા દરમિયાન 10 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધારે તેવો અંદાજ છે. મુલાકાતીઓની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સ્થાનિક નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
'દિતવા' અને 'સેન્યાર' વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Ditwah Cyclone LIVE : દક્ષિણ ભારતના રાજ્યો પર એકસાથે બે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. બંગાળની ખાડીમાં બનેલું ડીપ ડિપ્રેશન ગુરુવારે વધુ મજબૂત બનીને 'દિતવા' (Ditwah) વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે. બીજી તરફ, નબળું પડી રહેલું 'સેન્યાાર' (Senyar) વાવાઝોડું પણ 'દિતવા' સાથે મળીને દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે આ બેવડા ખતરાને જોતાં ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશ માટે પ્રી-સાયક્લોન એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુથી તેલંગાણા સુધી ભારે વરસાદની આગાહી
અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગત રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પડોશમાં રહેતા યુવકે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી સાથેની તકરારના પગલે ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે જ પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. જે બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. સળગતી હાલતમાં રોડ પર તરફડિયા મારતો હોય તેવા દ્રશ્યોના વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. યુવતી સાથે રકઝક થયા બાદ યુવકે પોતાના શરીરે આગ લગાડીઅમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતી અને પડોશમાં રહેતો 29 વર્ષનો યુવક મિત્ર હતા. બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તકરાર ચાલતી હતી. તે દરમિયાન ગઈકાલે રાત્રે 8:30 વાગ્યે યુવતી જ્યાં હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ત્યાં કામરાન પેટ્રોલ અને લાઇટર લઈને પહોંચી ગયો હતો. જે બાદ બંને વચ્ચે રકઝક થઈ હતી. દરમિયાન કામરાન ઉશ્કેરાઈ ગયો અને તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માટે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. યુવતી પણ આગ લાગતા બેભાન થઈ ગઈ હતી. યુવક સળગતી હાલતમાં જ પહેલા માળેથી નીચે પટકાયોકામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માટેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ કામરાનને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, કામરાનનું મોટાભાગનું શરીર દાજી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડી રાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીનું નિવેદન નોંધવામાં આવશે: PI, એસ.એ ગોહિલસરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એ ગોહિલે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે જેથી એડી નોંધવામાં આવી છે. યુવતી હાલ સારવાર હેઠળ છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવશે.
વ્હાઈટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતાં 19 દેશના લોકો સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી
Donald trump News : અમેરિકાના સત્તાનું કેન્દ્ર ગણાતા વ્હાઇટ હાઉસની બહાર થયેલા ગોળીબાર બાદ ટ્રમ્પ પ્રશાસન સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. નેશનલ ગાર્ડ પર ગોળીબાર કરનાર આરોપી અફઘાન મૂળનો હોવાથી, ટ્રમ્પ પ્રશાસને શુક્રવારે જાહેરાત કરી છે કે તેઓ અમેરિકામાં રહેતા 19 દેશોના ગ્રીન કાર્ડ ધારકો (સ્થાયી નિવાસીઓ)ની ફરીથી તપાસ કરશે. આ દેશો પહેલાથી જ 'કન્ટ્રીઝ ઓફ કન્સર્ન'ની યાદીમાં સામેલ આ એવા દેશો છે જેમને અમેરિકી સરકારે પહેલેથી જ 'કન્ટ્રીઝ ઓફ કન્સર્ન' (ચિંતાજનક દેશો)ની યાદીમાં મૂકેલા છે. આ 19 દેશોની યાદીમાં ભારતના બે પાડોશી દેશો - અફઘાનિસ્તાન અને મ્યાનમારનો પણ સમાવેશ થાય છે.
જીવલેણ હુમલો:નવસારીમાં યુવતીને છેડતી બાબતે ઠપકો આપવાજતા પરિવારજનો પર 10 જણાએ હુમલો કર્યો
નવસારીના જૂનાથાણાવિસ્તારમાં આવેલ ઝુમરુ ગેસ એજન્સી નજીક ઝૂંપડપટ્ટીમાંરહેતા ભરતભાઇ નાથાભાઈ દંતાણીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ તેમના પરિવારમાંત્રણ છોકરા અને બે દીકરીઓ છે.તા. 26 નવેમ્બરના રોજ રાત્રિના8.30 વાગ્યા અરસામાં તેમનોમોટો દીકરો સુનિલ દંતાણીહોમગાર્ડમાં ફરજ બજાવતો હોય લોહીલુહાણ હાલતમાં આવ્યોહતો. ભરતભાઇએ તેને પૂછ્યું કેશું થયું તેમણે જણાવ્યું કે બહેનનીછેડતી કરી ગાળાગાળી કરતા હતાત્યારે હું આવી ગયો અને કેમગાળો આપો છો તેમ કહેતા ભરતપપ્પુ દંતાણી લોખંડના સળિયા વડેસુનિલના માથા પર ફટકારતાલોહીલુહાણ થઈ ગયો હતો. તેમના પરિવાર ઘરની બહારઆવતા તેમના મહોલ્લાના ભરતપપ્પુ દંતાણી, સંજુ લલ્લુ દંતાણી,રોહિત વસંત દંતાણી, કાળો વસંતદંતાણી, શ્રવણ કચો દંતાણી, કચોછોટુ દંતાણી, બે મહિલા સહિત 10લોકોના ટોળાએ તેમના ઘર પાસેઆવીને માર મારવા લાગ્યો હતો.આ હુમલામાં પાંચ વ્યક્તિને ઇજાપહોંચી હતી. પ્રેમસંબંધમાં યુવતી ભાગી ગયા બાદબન્ને પરિવારજનો વચ્ચે વેર બંધાયુંએક જ મહોલ્લામાં રહેતા બન્નેદેવીપૂજન સમાજના લોકો હોયતેમ એક યુવતીને પ્રેમસંબંધ હોય પ્રેમી સાથે ભાગી ગયા હતા.જ્યાંથી આવ્યા બાદ બન્ને પરિવારમાં અંગત અદાવતના બીજરોપાયા હતા. બે-ત્રણવાર બન્ને પરિવાર વચ્ચે મારામારીની ઘટનાબની. તેમાં યુવકના પરિવારજનોને સ્થાનિક બુટલેગરનો સાથ હોયતેઓની મદદથી લડાઈ ઝઘડો વારંવાર કરતા હતા. પોલીસે મારમારનાર 8 આરોપીઓની વહેલી સવારે અટક કરી હતી. આ ઘટનાબાદ જુનાથાણા વિસ્તારમાં ભયનો માહોલ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
ગોઝારો અકસ્માત સર્જાયો:કમલાપુર ગામ પાસે અજાણ્યા વાહન ટક્કરે યુવકનું ઘટના સ્થળે જ મોત
ડોલવણ પોલીસ સ્ટેશન હદમાં આવેલા કમલાપુર ગામની સીમમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાણી ગામ રાજપૂત ફળીયાના નિવાસી 31 વર્ષીય આશાસ્પદ યુવક ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.બનાવ બાદ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ની સીસીટીવી કેમેરામાં શોધ હાથ ધરી હતી. માહિતી મુજબ ઘટના તા. 26/11/2025ના રોજ સાંજે 6 કલાકે દર્શનકુમાર કિરણસિંહ પરમાર જેઓ ખેતી અને ઘરે થી જોબ કરતા હતા. પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઇકલ (નં. GJ-19-Q-4938) પર કમલાપુરના બેડચીત ત્રણ રસ્તા પરથી બુહારી તરફ જઇ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે પોતાના વાહનને બેફિકર ઝડપે અને બેદરકારીથી હંકારી દર્શનકુમારની મોટર સાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે દર્શનકુમારને મોઢા–નાક ઉપર, છાતીના જમણા ભાગે અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને કારણે તેમનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું હતું, જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઇ હાર્દિકસિંહ પરમાર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે ડોલવણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માત અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જી. રબારીના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. ડોલવણ પોલીસ દ્વારા અકસ્માતથી હાઇવે સુધીમાં પોલીસે અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ માટે સીસીટીવી કેમેરાને તપાસ હાથ ધરી હતી. આશાસ્પદ યુવકનું મૃત્યુને લઈને પરિવારજનો અને ઘાણી ગામમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:ગડતમાં 110 બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ વિષય પર 55 મોડેલ રજૂ કર્યા
તાપી જિલ્લામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી પેઢીનો રસ વધારવા ડોલવણ તાલુકાના ગડત વિનોબા આશ્રમ શાળામાં “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM” થીમ હેઠળ જિલ્લાસ્તરીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન થયું હતું. જીએસીઈઆરટી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) તાપી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી તથા બીઆરસી ભવન ડોલવણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન રુષિભાઈ ગામીતે કર્યું હતું. પ્રદર્શન તાપી જિલ્લાના 110 બાળ વૈજ્ઞાનિકો માટે સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક કાર્ય રજૂ કરવાનો ઉત્તમ મંચ બન્યું. કુલ 55 નવીન મોડેલો રજૂ થયા હતા, જેમાં પર્યાવરણ સંરક્ષણ, રીન્યુએબલ એનર્જી, ટેક્નોલોજીકલ ઈનોવેશન, સ્વચ્છતા, ટકાઉ કૃષિ અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયોનો સમાવેશ થયો હતો. ખાસ કરીને પ્રદર્શન જોવા આવેલા બાળકોને પણ વિવિધ વૈજ્ઞાનિક મોડેલો કેવી રીતે કામ કરે છે, તે શું સંદેશ આપે છે અને ભવિષ્યની ટેક્નોલોજીમાં તેનો ઉપયોગ શું રીતે થઈ શકે તે અંગે માર્ગદર્શક શિક્ષકોએ સમજણ આપી હતી. આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મદદરૂપ બને છે. બાળ વૈજ્ઞાનિકોના નવતર પ્રયોગોથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ નાના બાળકોમાં પણ વૈજ્ઞાનિક જ્ઞાન અને ટેક્નોલોજી પ્રત્યે નવી ચેતના જગાવી હતી.
મોક ડ્રિલનું આયોજન:વ્યારામાં કે.બી. પટેલ સ્કૂલમાં આપત્તિ વ્યવસ્થાપન મોક ડ્રિલ
ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે. બી. પટેલ ઇંગ્લિશ મીડિયમ માધ્યમિક તથા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં સુરક્ષા જાગૃતિ ફેલાવવા આપત્તિ વ્યવસ્થાપન અંગે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 22 નવેમ્બર 2025ના રોજ યોજાયો હતો, જેમાં આગ, ભૂકંપ અથવા અચાનક બનતી અન્ય આપત્તિ સમયે કેવી રીતે સુરક્ષિત રહેવું તેની પ્રેક્ટિકલ સમજ વિદ્યાર્થીઓને અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા આપત્તિના સમયે શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે બહાર નીકળવાની પ્રક્રિયા સમજાવવાથી થઈ હતી. ત્યારબાદ વ્યારાના ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ ગઢવી અને તેમની ટીમે અદ્યતન ફાયર સેફ્ટી સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત પ્રસ્તુતિ આપી હતી. ટીમે આગ લાગવા જેવી પરિસ્થિતિ સર્જી તેનો પ્રતિસાદ કેવી રીતે આપવો તે વિદ્યાર્થીઓને દર્શાવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક મોક ડ્રિલમાં ભાગ લીધો. આપત્તિ સમયે જરૂરી કૌશલ્યો તેમજ સાવચેતીઓ શીખી હતી. આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર સુરક્ષા જાગૃતિ જ નહીં પરંતુ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
પાણીની યોજના અધૂરી:ભીનાર ખડકાળા ફળિયામાં અઢી વર્ષે વીજ- જોડાણ મળ્યું છતાં ટાંકી શોભાના ગાંઠિયા સમાન
ભીનારના ખડકાળા ફળિયાના સર્કલ પાસે આવેલ ટાંકીને અઢી વર્ષ બાદ વીજ-જોડાણ મળ્યું પરંતુ હાલ પણ પાણીની યોજના અધૂરી સાબિત થઇ છે. વાંસ તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં 16 જેટલા નળના જોડાણ આપી લાખોના ખર્ચે પીવાના પાણીની ટાંકીના નવ નિર્માણ કાર્ય બાદ તંત્ર વીજ-જોડાણ આપવનું ભૂલી જતા ટાંકી શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ હતી. સ્થાનિકોની ફરિયાદને પગલે અખબારી અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર હરકતમાં આવી ગયા બાદ યુદ્ધના ધોરણે વીજ-જોડાણ આપીને પાણીની ટાંકી ચાલુ કરી છે. જોકે માત્ર એક નળ જોડાણમાં પાણી આવતું હોવાથી 15 જોડાણમાં ટીપુય પાણી આવતું ન હોવાની ફરિયાદ ઉઠી છે. ભીનારના ખડકાળા વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વળવા પાણી પુરવઠા, વિભાગે 14-માં નાણાંપાંચ અંતર્ગત ટાંકીનું નિર્માણ કર્યું હતું પરંતુ અધિરીઓની અણઆવડતને કારણે આ ટાંકી બન્યાને અઢી વર્ષ વિતી ગયા બાદ પણ વીજ-જોડાણ નહીં આપતા આ ટાંકી બિન-ઉપયોગી બની છે. 15મા નાણાંપંચ યોજના અંતર્ગત વર્ષ-2012/22 માં 3 લાખ ના ખર્ચે ટાંકીનું નિર્માણ કરાયું હતું. અહીંના સ્થાનિક ઘરો તેમજ સર્કલ પાસે રાહદારીઓને પાણીની સગવડ મળી રહે તેમજ સામેની સ્કૂલમાં પણ પાઈપલાઇન કરી તેને આજે લગભગ અઢી વર્ષ વીતી ગયા પાણીની કરેલી પાઈપ લાઈનોમાં પણ અનેક જગ્યાએ ભંગાણ થયું હતું. અખબારી અહેવાલ બાદ પાણી પુરવઠા વિભાગને રેલો આવતા અઢી વર્ષ બાદ ટાંકીને કાર્યરત કરવા વીજ જોડાણ આપીને ઔપચારિક કામગીરી બતાવી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
વાંસદા તાલુકાના મોળાઆંબા ગામના નીચલા ફળિયા રોડ માટે આ વિસ્તારના લોકોની લાંબા સમયની માંગણીને ધ્યાનમાં રાખી રૂ. 53.40 લાખના ખર્ચે 0.89 કિ.મી. રસ્તાના રિસરફેસિંગની કામગીરી શરૂ કરતા આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો. વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની રસ્તાના રિસસફેસિંગ તથા નવિનીકરણની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં એમએમજીએસવાય 10 વર્ષ રીસરફેસિગ(પીએમજીએસવા ય) વર્ષ 2024-25 યોજના હેઠળ મોળાઆંબા નીચલા ફળિયા રોડ કુલ 0.89 કિમી રસ્તાના રિસરફેસિંગ માટે રૂ. 53.40 લાખ મંજુર થયા છે. ગ્રામજનોની લાંબા સમયની માંગણી અને ગામના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને રસ્તાના રિસરફેસિગની કામગીરી શરૂ કરાઇ છે. આ રોડ ગામને મુખ્ય ધોરીમાર્ગ/ તાલુકા મથક સાથે વધુ સરળતાથી જોડશે. ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાનું સરળ બનશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને શાળાઓ અને હોસ્પિટલો સુધી પહોંચવામાં ઓછો સમય લાગશે. જેને લઈ આ વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.
BLOનું સન્માન:મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડાંગના 9 BLOનું સન્માન
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ડાંગ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની દુહાનના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત SIRની ઇએફ વિતરણ અને ડિજિટાઇઝેશનની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડાંગ જિલ્લાના વિવિધ મતદાન મથકોના બીએલઓને પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયા હતા. જે અન્વયે 13- જામન્યામાળ-1ના બીએલઓ રવિન્દ્રભાઈ ખૈરાડ, 20-સાજુપાડાના બીએલઓ અમિતભાઈ એસ. ગાવિત, 26-ભોંગડીયાના બીએલઓ ઈન્દીયાભાઈ એસ. મરાલી, 144-બિલબારીના બીએલઓ રવિન્દ્રભાઈ એમ. ગવળી, 191-ધૂળચોંડના બીએલઓ છગનભાઈ ગાવિત, 243- ટેમ્બ્રુનઘર્ટાના બીએલઓ પ્રિયંકાબેન ચૌધરી, 253-કુમારબંધના બીએલઓ હરેશભાઈ ગવળી, 257-ચીખલદાના બીએલઓ સેવંતાબેન બાગુલ અને 316-હુંબાપાડાના બીએલઓ ઉષાબેન ઠાકરેને ડાંગ નિવાસી અધિક કલેક્ટર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ મતદાર નોંધણી અધિકારી, 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને આહવા પ્રાંત અધિકારી દ્વારા પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના આ BLOઓની કર્તવ્યનિષ્ઠા અને ઝીણવટભર્યા કામની નોંધ લીધી હતી. આ સન્માનપત્ર દ્વારા તેમની મહેનત, નિષ્ઠા અને ચૂંટણીલક્ષી કામગીરી પ્રત્યેના અસાધારણ સમર્પણને બિરદાવ્યું હતું.
લુન્સીકૂઇ મેદાનને કોંક્રિટમુક્ત રાખવા પહેલ:નવસારીમાં રમતવીરો આજે વિરોધ પ્રદર્શન કરશે
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારીના એક માત્ર મેદાનની અંદર બાથરૂમ અને અન્ય રમતોના કોંક્રિટના મેદાનો બનાવાની મનપાની યોજનાની શરૂઆત થયા બાદ રમતવીરોએ વિરોધ કરતા શુક્રવારે ઘર્ષણ થવાની શક્યતા નકારી શકાતી નથી. રમતવીરો અને સંસ્કારી નગરીના નગરજનો આજે સવારે ભેગા થશે. નવસારીના રમતવીરોએ નગરજનોને અપીલ કરતા જણાવ્યું કે લુન્સીકૂઇનાં ઐતિહાસિક અને વિશાળ મેદાનમાં ચાલી રહેલા કોંક્રિટીકરણના આયોજનનો સખત વિરોધ કરવા એકજૂથ થાઓ. આ મેદાનમાં ટોયલેટ-બાથરૂમ યુનિટ્સ તેમજ અન્ય રમતો માટે કોંક્રિટના મેદાનો બનાવાની યોજના છે. આ પગલું ન માત્ર મેદાનની કુદરતી સુંદરતા અને હરિયાળીનો નાશ કરશે પરંતુ ભવિષ્યમાં શહેરીજનો, રમત-ગમતના ખેલાડીઓ તેમજ સામાન્ય જનતા માટે ગંભીર અકસ્માતોનું જોખમ પણ ઊભું કરશે. કોંક્રિટ સપાટી બાળકો અને ખેલાડીઓના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. આ મેદાન નવસારીના ફેફસાં સમાન છે અને તેને જાળવવું આપણી સામૂહિક જવાબદારી છે. જો આ બાંધકામ થશે તો બાળકો માટેની ખુલ્લી જગ્યા કાયમ માટે ગુમાવી દઈશું. આરોગ્ય અને મેદાનના અસ્તિત્વ માટે લડી લેવા આજે શુક્રવારના રોજ સવારે 9.30 વાગે લુન્સીકૂઇ મેદાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સંસ્કારી નગરીમાં રહેતા રમતવીરોએ અપીલ કરી છે. પારસી દાતાએ મેદાન અબોલ પશુઓને ઘાસચારો મળે તે માટે દાન કર્યું હતુંનવસારીના પારસી દાતાઓએ લુન્સીકૂઇનું મેદાન અબોલ પશુઓને ઘાસચારો મળી રહે તે માટે પાલિકાને દાન કર્યું હતું પરંતુ હેતુ બદલાઈ જતા સંસ્કારી નગરીના રમતવીર સરકારની સામે મેદાનને બચાવવા ભેગા થશે.
ભાસ્કર ન્યૂઝ । નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા ગ્રીડ વિસ્તારમાં લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા કેચ ધ રેઈન થીમ આધારિત સર્કલના ફુવારા લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બંધ થઈ જતા પાલિકાની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. ગત સપ્તાહે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના હસ્તે 16મી નવેમ્બરના રોજ આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જળ સંચયનો સંદેશો આપતા આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત રૂ. 18.80 લાખનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે, લોકાર્પણના 10 દિવસમાં જ આ સર્કલમાંથી પાણી વહેતું બંધ થઈ ગયું છે. શહેરની શોભા વધારવા અને પર્યાવરણ જાગૃતિ માટે બનાવેલું આ સર્કલ હાલ માત્ર એક સ્ટ્રક્ચર બન્યું છે. આ ઉપરાંત પાણી બંધ થતા સર્કલમાં નીચેના ભાગે ધૂળ પણ જામવા લાગી છે, જેના કારણે લાખોના ખર્ચે ઉભા કરાયેલ સર્કલની હાલત પણ શહેરના અન્ય સર્કલ જેવી જ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરમાં એક ખાસ અભિયાનની ઓળખ આપતું સર્કલ અને તેમાં આકર્ષિત કરતા સ્કલ્પચરને મુકવામાં લાખોનો ખર્ચ કરાયો પણ જો તેમાંથી પાણી જ ન વહેતુ હોય તો નાણાંનો વેડફાટ કરવા કરતા માત્ર મોરનું સ્કલ્પચર મનપાએ મુકી દીધુ હોત તો પણ ચાલી જાત એવુ હાલની સ્થિતિ જોઇને પ્રતિત થઇ રહ્યું છે. અગાઉ પણ ફૂવારાયુક્ત સર્કલ બન્યા પણ જાળવણી ન થઇ શહેરમાં અગાઉ પણ ફૂવારાયુક્ત લોકોને આકર્ષિત સર્કલ બનાવવામાં આવ્યા છે પણ તેની જાળવણી ન કરવામાં આવતા આજે મૃત:પ્રાય બની ગયા છે. જેમાં પરમાર હોસ્પિટલ પાસેનો ફૂવારો જેને હાલમાં બદવવામાં આવ્યો છે. આશાપુરી મંદિર પાછળનું સર્કલ, સુશ્રૃષા હોસ્પિટલ પાસે સરદાર સર્કલ, આંબેડકર ઉદ્યાનમાં બનાવેલ ફૂવારો વગેરે.
આધુનિક ડેપો બન્યો માથાના દુ:ખાવા સમાન:બસ પોર્ટમાં લાંબુ અંતર કાપતા દિવ્યાંગ મુસાફર ફસડાઈ પડ્યો
નવસારીવાસીઓ જેની છેલ્લા 8 વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, તે નવું એસ.ટી. બસ ડેપો આખરે બનીને તૈયાર તો થયું છે, પરંતુ લોકાર્પણ બાદ હવે આ આધુનિક ડેપો મુસાફરો માટે આશીર્વાદને બદલે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. વિકાસના નામે બનેલા આ સંકુલમાં મુસાફરોની સુવિધા કરતા કોમર્શિયલ હિતો અને કંપનીના ફાયદાને વધુ પ્રાધાન્ય અપાયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.નવા ડેપોની ડિઝાઈનમાં સૌથી મોટી ક્ષતિ એ છે કે બસ પ્લેટફોર્મ મુખ્ય પ્રવેશદ્વારથી આશરે 100 મીટર અંદર બનાવ્યા છે. આક્ષેપ થઈ રહ્યો છે કે આગળની મોકાની જગ્યાનો ઉપયોગ બિઝનેસ પોઈન્ટ તરીકે કરી કંપનીને વધુ ફાયદો કરાવવા માટે પ્લેટફોર્મ પાછળ ધકેલી દેવાયા છે, જેના કારણે દિવ્યાંગો, વૃદ્ધો અને અશક્ત મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગુરૂવારના રોજ આ અવ્યવસ્થાનું વરવું ઉદાહરણ જોવા મળ્યું હતું. ચાલવામાં તકલીફ ધરાવતા એક દિવ્યાંગ મુસાફર બસ પકડવા માટે આ લાંબુ અંતર કાપતી વખતે સંતુલન ગુમાવીને જમીન પર પટકાયા હતા. આ ઘટનાએ તંત્રની સંવેદનહીનતા છતી કરી છે. આ 100 મીટરનું અંતર યુવાનો માટે સામાન્ય હોય શકે પરંતુ વૃદ્ધો, અશક્ત દર્દીઓ અને દિવ્યાંગો માટે તે કોઈ સજાથી ઓછું નથી. ભારે સામાન સાથે આટલું અંતર કાપવું મુશ્કેલ બની રહ્યું છે. જુના બસ ડેપોની 70 ટકા જગ્યામાં બિઝનેસ સેન્ટર તાણી દેવાયું છે અને માત્ર 30 ટકા જેટલી જગ્યા બસ માટે ફાળવી હોય તેવુ સ્પષ્ટ જણાઇ રહ્યું છે. સરકાર વિકાસના નામે લોકોને અંધારામાં રાખીને ખાનગી કંપની અને બિઝનેસમેનને ફાયદો કરાવી રહી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ નવસારી બસ પોર્ટ છે તે વાતમાં કોઇ બેમત નથી. પાર્કિંગ તૈયાર છતાં તાળાબંધી અને બહાર ટ્રાફિક જામડેપોમાં સુવિધાના નામે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ તો બનાવવામાં આવ્યું છે, પરંતુ તે હજુ સુધી મુસાફરો માટે ખુલ્લું મુકાયું નથી. તંત્ર દ્વારા કોઈ એજન્સીને પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાની વાતો કરીને તેને બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે, મુસાફરો અને તેમને મૂકવા આવતા લોકો પોતાના વાહનો રોડ પર જ પાર્ક કરવા મજબૂર બન્યા છે. આડેધડ પાર્કિંગને કારણે ડેપોની બહારના વિસ્તારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે અને અન્ય વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે.
કરુણ બનાવ:ધામદોડ પાસે હાઇવે પર મોપેડ સ્લીપ ખાતા યુવકનું મોત થયું
માંગરોળના ધામરોડ ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા મોપેડ સ્લિપ થતાં ચાલકનું માથું ડિવાઈડર સાથે અથડાયું હતું. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. મૃતક મહેન્દ્રસિંહ ખેર (ઉં.વ. 32) માંગરોળના તરસાડી ખાતે ગંગાસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ પોતાની એક્ટિવા લઈને ધામરોડ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા. મુંબઈથી અમદાવાદ તરફ જતા રોડના પહેલા ટ્રેક પર મહેન્દ્રસિંહ મોપેડ ચલાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો. બેકાબૂ બનેલી મોપેડ પશુ કેન્દ્ર સામે સ્લિપ ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મહેન્દ્રસિંહનું માથું હાઈવેના ડિવાઈડર સાથે અથડાયું હતું. તેમને માથાના જમણા ભાગે અને જમણી આંખ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું.
BLOની તબિયત લથડી:BLOનું કામ કરતી શિક્ષિકાની તબિયત લથડી, ICUમાં દાખલ
નવસારીના એરુ ચાર રસ્તા વિસ્તાર રહેતા શિક્ષિકા શીતલબેન હાલમાં SIR (Special Intensive Revision) અંગેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામના પ્રેશર ને કારણે તેમની તબિયત લથડી પડતાં તેમને ખાનગી હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં ખસેડાયા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. હાલ SIR ની પ્રથમ તબક્કાની કામગીરી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે ત્યારે જલાલપોર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. તાજેતરમાં શીતલબેન ને ત્યાં દીકરાના લગ્ન હતાં.એ દરમિયાન પણ SIR ની કામગીરીમાં BLO ની જવાબદારી પૂર્ણ કરવા દબાણ હતું. એક ઘરમાં પ્રસંગ અને બીજી તરફ સરકારની કામગીરી વચ્ચે તેઓ મથામણ અનુભવતા હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું હતું.ઘરમાં જ દિકરાન લગ્ન પૂર્ણ કરી ઊપલા અધિકારીએ તેમને કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા પછી તેઓ પુનઃ BLOની કામગીરીમાં જોડાઇ ગયા હતા પરંતુ કામનું પ્રેશર થી તેઓ ચિંતામાં ગરક થઇ ગયા હતા. દરમિયાન આજે સાંજે 4 થી 5 કલાકની આસપાસ કામગીરી કરતા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી. પ્રેશર વધી ગયું હતું જેને લઇને તેમને તાત્કાલિક સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન તેમના પતિ તેમની સાથે હતા જેથી તેમને સમયસર તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પ્રેશર વધી જતાં તેમને આઇ.સી યુ.માં ખસેડાયા હતાં. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ તેમના 400 જેટલા ફોર્મ રિકવર કરવાના બાકી છે. બીએલઓની કામગીરીનું ટેન્શનઘરમાં પ્રસંગ હોવા છતાં બીએલઓ ની કામગીરી ને લઈને ટેન્શનમાંહતા. સમય મર્યાદા કામ પૂરું કરવાનું હોવાથી અને તે અંગે સતતમોનીટરીંગથી થતા ચિંતામા પડી જતાં તેમની તબિયત લથડી છે. હાલતેમને સારવારમાં ખસેડાયા છે. આઇસીયુ મા તેમની સારવાર ચાલી રહીછે. દીકરાના લગ્ન હતા ત્યારે પણ તેઓ આ જ ટેન્શનમાં રહ્યાં હતા.સતત કામગીરીને લઇ ચિંતામાં રહેતા તેમની તબિયત પર અસર રહેવાનુંલાગી રહ્યું છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. પરિસ્થિતિમાં સુધારો થઇરહ્યો હોવાનું તબિબે જણાવ્યું હતું. > જગદીશભાઈ પટેલ, બીએલઓશિક્ષક પતિ કોઇ પ્રેશર કરાયું નથી ઉલટાનું કચેરીતરફથી તમામને સહકાર અપાય છેદરેકને કચેરી તરફથી જરૂર જણાય ત્યાં મદદ કરાય છે. એરૂ વિસ્તારમાંઝોન સુપર વાઈઝર તરીકે મારી ફરજ બજાવી રહ્યો છું. છેલ્લા 15 વર્ષ થીઆ કામગીરી કરતા રહ્યા છીએ પણ કોઈને પ્રેશર આપવામા આવતુંનથી. સરકારે જે કામ આપ્યું છે પૂર્ણ કરવાની દરેક કર્મચારીની ફરજછે. તેના ભાગ રૂપે દરેકે પોતાનું યોગદાન આપવાનું હોય છે. વધુમાંકચેરી તરફથી ફોર્મ અપલોડ કરવા માટે પણ વ્યવસ્થા ઉભી કરાઇ છે જેમોડી રાત સુધી કામ ચાલી રહ્યું છે.BLO ને ઘરમાં પ્રસંગ હોવાથી પણજેટલી છૂટ આપવાની હતી આપી જ હતી.એ પછી જ તેમણે કામ શરૂ કર્યુંહતું.બાકી પ્રેશર આપવાની વાત ખોટી છે. >ડો.ચિરાગ દેસાઇ, ઝોનસુપરવાઈઝર, જલાલપોર
વૈશ્વિક ચિંતા : એઆઈનો દૂરુપયોગ ગુનાખોરી વધારી રહ્યો છે
- 2019 થી અત્યાર સુધીમાં ભારતમાં ડીપફેક સાથે જોડાયેલા ગુનાઓમાં ૫૫૦ ટકાનો વધારો, આ ગુનાખોરીના કારણે 70,000 કરોડ રૂપિયાનું નુકસાન ગયાનો અંદાજ છે - 2024માં સાઈબર ક્રાઈમના કુલ 19.18 લાખ કેસ નોંધાયા હતા. જે તેના આગળના વર્ષની સરખામણીએ ઘણા વધારે હતા. આ દરમિયાન લોકોએ કુલ 22,812 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. જે 2023ના આંકડા કરતા ત્રણ ગણા વધારે છે : મોટાભાગે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને ટાર્ગેટ કરતા હોય છે.
નારગોલ ગામના તળાવમાં બિલ્ડિંગના તમામ શૌચાલયનું ગંદુ પાણી પાઇપ લંબાવી છોડવામાં આવી રહ્યું હોય જાહેર આરોગ્યને જોખમ ઊભું થયું છે જેને લઇ જવાબદાર બિલ્ડર સામે પંચાયતે પોલીસ GPCB ને ફરિયાદ કરી છે. ગ્રામ નારગોલ વિસ્તારમાં હરિ રેસીડન્સી નામક બિલ્ડિંગ આવેલી છે. જે બિલ્ડિંગના તમામ ફ્લેટના શૌચાલયનું ગંદુ પાણી પાઇપલાઇન ક્ષતિગ્રસ્ત થવાથી ગંદુ પાણી બિલ્ડિંગની નીચે પાર્કિંગમાં ફેલાઈને વહી રહ્યું હતું જેને લઇ પાડોશી પારસી પીરઝાદ જીનવાલાએ ફરિયાદ કરી પંચાયતનું ધ્યાન દોરતા આ બાબતે બિલ્ડર મુકેશ ભાનુશાલીને પંચાયતે નોટિસ ફટકારી હતી. ત્યારબાદ બિલ્ડરે પાઇપ રિપેર કર્યાનું જણાવ્યું હતું. પરંતુ ગંદુ પાણીની પાઇપ સોપપિટ ટેન્કમાં જોડવાના બદલે બિલ્ડરે પાઇપ બિલ્ડિંગની જમીનને અડીને પંચાયતના તળાવમાં લંબાવી ગંદુ પાણી તળાવમાં છોડવાની બાબત પંચાયત સરપંચ સ્વીટીબેન ભંડારી તથા તલાટી કમ મંત્રી પ્રદીપ કેવટને ધ્યાને આવતા સાક્ષીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી ગંદું પાણી JCB થી બંધ કરાવી જાહેર આરોગ્યને જોખમ ઉભુ કરનાર બિલ્ડર મુકેશ ભાનુશાલી તથા જવાબદારો સામે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જાહેર આરોગ્ય અધિકારી, મરીન પોલીસ સમક્ષ લેખીત ફરિયાદ કરી છે. પંચાયતે બિલ્ડર સમક્ષ મોટો દંડ વસૂલ કરવા તથા RERAમાં પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ભાસ્કર નોલેજગંદકી કરનાર સામે આ કાર્યવાહી થઈ શકે
ભીનું સંકેલવાના પ્રયાસ:ખેરના લાકડાની તસ્કરી પ્રકરણમાં મહિલા ફોરેસ્ટરની બદલી સાથે સસ્પેન્ડ કરાઇ
ચીખલીના ગોડથલ વિસ્તારમાંથી ખેરના લાકડાની તસ્કરીના નેટવર્કનો મહારાષ્ટ્ર વન વિભાગ દ્વારા પર્દાફાશ કરવાના પ્રકરણમાં મહિલા ફોરેસ્ટરની બદલી સાથે ફરજ મોકૂફીના હુકમથી વન વિભાગના અધિકારીઓ સંતોષ માની જવાબદાર ઉચ્ચ અધિકારીને બચાવી લઈ સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલવાના અણસાર જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રના વન વિભાગ દ્વારા 4 નવેમ્બરની આસપાસ ચીખલી તાલુકાના ગોડથલ ગામેથી ભરાયેલ ખેરના લાકડાનો મસમોટા જથ્થો સાથેની ટ્રક ઝડપી પાડતા ચીખલી-વલસાડના વન વિભાગના અધિકારીઓની પોલ ખુલી ગઇ હતી અને હવે ગુનાની ચોક્કસ વિગત જાહેર કરવામાં આવતી નથી. ગતરોજ સુરત સર્કલના સીએફ ઉપરાંત વલસાડ ઉત્તર વન વિભાગના ડીસીએફ સહિતના અધિકારીઓએ ચીખલીમાં ધામા નાંખી કેટલાક વન કર્મીઓની પૂછપરછ બાદ ચીખલીના રાઉન્ડ ફોરેસ્ટરને વલસાડ ડીસીએફ દ્વારા વલસાડ ડિવિઝનમાં બદલી સાથે મહિના સુધી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ફરજ મોકૂફીનો હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. હકીકતમાં ગોડથલની ભરાયેલ ખેરના લાકડાના 100થી વધુ નંગનો જથ્થો હોય તેવામાં એકલા રાઉન્ડ ફોરેસ્ટરની જ જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરાઈ છે ત્યારે ફોરેસ્ટરની ઉપરના આરએફઓ, એસીએફ સહિતના અધિકારીઓની કોઈ જવાબદારી નથી થતી ? માત્ર ફોરેસ્ટર પર કાર્યવાહી કરી જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા પર ઢાંકપિછોડો કરવા સાથે ભીનું સંકેલવાના અણસાર જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ચીખલી રેંજ ધરમપુર સબ ડિવિઝનના તાબામાં હોય ખેરના લાકડાની તસ્કરીમાં આજદિન સુધી ઉચ્ચ અધિકારી સામે કેમ કોઈ પગલાં લેવાયા નથી તે ચર્ચાનો વિષય બની રહ્યો છે.
આજના સમયમાં પણ માનવતા મરી પરવારી નથી તેનું ઉત્તમ ઉદાહરણ બીલીમોરાના યમુનાનગર વિસ્તારમાં જોવા મળ્યું છે. 10 મહિના અગાઉ ઓસ્ટ્રેલિયામાં પોતાના જ રૂમ પાર્ટનર દ્વારા હત્યાનો ભોગ બનેલા મિહિર દેસાઈના પરિવાર પર આવી પડેલા દુઃખના પહાડ વચ્ચે ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિત મિત્ર વર્તુળ સહારે આવ્યું છે. મિત્રોએ એકત્ર કરેલા 17 લાખમાંથી માતાના ભવિષ્ય માટે 16 લાખની ફિક્સ ડિપોઝીટ (FD) કરવામાં આવી છે. મૂળ બીલીમોરા નજીકના દેગામના વતની અને હાલ બીલીમોરાના યમુનાનગરમાં રહેતા માયાબેન દેસાઈનો પુત્ર મિહિર દેસાઈ ઓસ્ટ્રેલિયાના બરુડમાં સ્થાયી હતો. આશરે 10 મહિના પહેલાં મિહિરની સાથે જ રહેતા તેના રૂમ પાર્ટનરે કોઇ અગમ્ય કારણોસર તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ સમાચાર મળતા જ બીલીમોરામાં રહેતી તેની વિધવા માતા માયાબેન દેસાઈ અને સમગ્ર પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો અને દીકરાના મૃત્યુથી માતા નિરાધાર બની ગઈ હતી. આ કપરા સમયમાં માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા ઓસ્ટ્રેલિયામાં રહેતા જીતેશ ઢીમ્મર (મુશી) દ્વારા અથાગ પ્રયત્નો કરી મિહિરનો મૃતદેહ ભારત મોકલ્યો હતો. હાલ જીતેશભાઈ ઓસ્ટ્રેલિયામાં જ સ્થાયી છે. મિહિરના મૃત્યુ બાદ તેમને મિહિરના માતાની જીવન નિર્વાહની ચિંતા થતાં તેમણે માતાના મદદ અર્થે ફંડ એકત્ર કરવા મુહિમ ચલાવી હતી અને તેમાં પણ જીતેશ અને તેમના સામાજિક કોન્ટેક્ટ અને તેમનું મિત્ર મંડળ આગળ આવ્યું હતું. જીતેશ ઢીમ્મર અને મિત્રોએ સ્વૈચ્છિક ફાળો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. જેમાં ઢીમ્મર સમાજ દ્વારા પર માતબર રકમ ફાળવાઇ હતી અને ફંડ એકત્ર કરાયું હતું. જોતજોતામાં મિત્ર વર્તુળ દ્વારા કુલ 17 લાખ રૂપિયા જેવી માતબર રકમ એકઠી કરાઇ હતી. એકત્ર થયેલી રકમમાંથી મિહિરની માતાના નામે બીલીમોરાની એસબીઆઇ શાખામાં રૂ.16 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવી છે, જેથી તેના વ્યાજમાંથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે. બુધવારે આ ફંડ અંગે બીલીમોરા એસ.બી.આઈમાં મિહિરના સ્થાનિક મિત્ર મંડળ અને માતા માયાબેન દેસાઈ, માજી શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ, શહેરના જાણીતા વકીલ પંકજ મોદી, બીરેન બલસારા એસ.બી.આઈ. મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
યોગાસન તાલીમ શિબિર:ખેરગામમાં કોલેજ ખાતે યોગાસન તાલીમ શિબિરમાં 85 વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, ખેરગામમાં આચાર્ય ડૉ. એસ.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ NSS વિભાગ અંતર્ગત કમિશનર,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી નવસારી આયોજિત ‘વ્યક્તિત્વ વિકાસ અને યોગાશન તાલિમ શિબિર’ કાર્યક્રમનુ ઉદ્ઘાટન કરાયું હતુ. આ કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યએ જણાવ્યુ હતુ કે પોતાનો વિકાસ કેવી રીતે કરવો, જીવનમાં આગળ વધવા કેવા પ્રયત્ન કરવા તેમજ આ તાલિમ વિદ્યાર્થિઓ માટે કેટલી જરૂરી છે? તે અંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પુર્વીબેન તોમર (મોટીવેશનલ સ્પીકર) જેઓએ વિદ્યાર્થિઓને એનરર્જેટિક બનાવવા માટે એક ટ્રીક દ્વારા શરૂઆત કરી હતી.,મનિષાબેન (ઝોન ટ્રેનર) જેમણે યોગનું મહત્વ, જીવનમાં યોગ શરીર માટે કેટ્લુ જરૂરી છે વગેરે જેવી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ગાયત્રીબેન તલાટી (નવસારી જિલ્લા યોગ-કો-ઓર્ડિનેટર) જેમણે યોગ કરવાથી રોગ મુક્ત રહી શકાય તેમજ લાબું જીવન જીવી શકાય વગેરે ચર્ચા કરી હતી તેમજ આનંદભાઇ નાયક (યોગ કોચ),અમિતભાઇ પટેલ (યોગ કોચ) દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિક્ષકની તાલીમ, યોગ શિક્ષક કેવી રીતે બની શકાય? માહિતી આપી હતી.આ કાર્યક્રમમા S.Y./T.Y.B.A./ B.COM ના કુલ 85 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનુ સંચાલન ડૉ.યોગેશ એન. ટંડેલ અને આભારવિધિ પ્રા. અમિતભાઈ પટેલ દ્વારા કરી હતી.

31 C