વિમાના 40 લાખ માટે પ્રેમી સાથે મળી નાની બહેનની હત્યા કરાવવાના કેસમાં તાલુકા પોલીસે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. હવે પોલીસ આરોપીઓનાં વોઈસ સ્પેક્ટ્રોગ્રાફી કરાવશે. ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરશે. શનિવારે સવારે આરોપી પ્રેમી રમીઝ શેખને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, પોલીસે સીસીટીવી, મોબાઇલ સીડીઆર અને હ્યુમન સોર્સથી તપાસ કરતાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારના જ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી મોપેડ પર બેસી નિકળી હતી. એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતુ. 9 ડિસેમ્બરે ફિરોજાબાનુંએ નાની બહેન અજીઝાબાનુ (મૃતક)ને કહ્યું હતું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે તો મારો ઓળખીતો છે તે રમીઝ રાજા કાઢી આપશે. શ્રમ કાર્ડ કઢાવવા ફિરોજાએ અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. પ્રેમી રમીઝને ~7 લાખ આપવાનો વાયદો કરાયો હતોહત્યાના બનાવમાં પોલીસને માહિતી મળી હતી કે, નાની બહેનના મોત બાદ વીમાની જે રકમ પાકે તે 40 લાખ રૂપિયામાંથી 7 લાખ રૂપિયા હત્યાને અંજામ આપનાર પોતાના પ્રેમી રમીઝ રાજાને આપવાનો વાયદો કર્યો હતો. આરોપીઓ પોતાના પ્લાન મુજબ હત્યા કરવામાં તો સફળ રહ્યા પણ પોલીસે ગણતરીના કલાકોમાં જ તેમને ઝડપી લીધા હતાં.
વિદ્યાર્થીઓ માટેની ઇન્ટર્નશિપના મુદ્દે મ.સ.યુનિ.ની તમામ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કોમર્સ ફેકલ્ટીએ તેના 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ અને ઇન્ડસ્ટ્રીના એમ બે મેન્ટર હશે, આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે ઇન્ટર્નશિપ દરમિયાન પણ પૂછપરછ સહિતની માહિતીની આપ-લે માટે અવિરત સંપર્ક જળવાયેલો રહે તેમાટે સોશિયલ મીડિયા ગ્રૂપ તૈયાર કરવામાં આવશે. આ માટે વિવિધ ગ્રૂપ તૈયાર કરવાની અને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યા નક્કી કરવાની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જાન્યુઆરી મહિનાથી વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ શરૂ કરવામાં આવશે. આ વિશે વાત કરતા ફેકલ્ટીના પ્રો. નંદિની કાનને જણાવ્યું કે, અત્યાર સુધી 250 કંપનીઓનો સંપર્ક કર્યો છે પણ અમે હજીય વધુ કંપનીઓ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ માટે અમારી સાથે જોડાય તેવું ઇચ્છીએ છીએ. અમે આગામી દિવસોમાં હજી નવી કંપનીઓને પણ ઇન્વિટેશન લેટર મોકલવાના છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, લઘુતમ 120 કલાકની આ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થી ગેરહાજર વધુ રહે કે કોઇ અન્ય મુદ્દાઓ ઉપસ્થિત થાય તેના પર પણ શિક્ષકોએ ચાંપતી નજર રાખવી પડશે. આ ઉપરાંત આ ઇન્ટર્નશિપ કર્યા બાદ વિદ્યાર્થીઓએ પણ તેમનો એક રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે અને વાઇવા થશે જેના આધારે તેમનું મૂલ્યાંકન થશે. આ ઇન્ટર્નશિપ 4 ક્રેડિટની છે. નોકરી કરતા વિદ્યાર્થીઓએ પણ ઇન્ટર્નશિપ કરવી પડશેઇન્ટર્નશિપના ઓરિએન્ટેશનમાં વિદ્યાર્થીઓએ ભારે રસ દાખવ્યો હતો. પણ ફેકલ્ટીમાં અભ્યાસ સાથે કેટલાક વિદ્યાર્થી નોકરી પણ કરે છે. આવા વિદ્યાર્થીએ દલીલ કરી હતી કે, અમે નોકરી કરીએ છીએ. ઇન્ટર્નશિપની જરૂર નથી. ફેકલ્ટીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ઇન્ટર્નશિપની પ્રોસિજર મુજબ ફેકલ્ટીમાંથી તેનું વિશેષ ફોર્મ ભરીને કંપની પાસેથી ઇન્ટર્નશિપની મંજૂરી લાવવી પડશે. ટીવાયના વર્ગો સોમવારથી ફરી શરૂ કરવામાં આવશેટીવાય બીકોમ અને એમકોમની પરીક્ષાઓના પગલે ટીવાયના વર્ગોનું શિક્ષણ કાર્ય બંધ હતું. હવે આગામી 15મી ડિસેમ્બર, સોમવારથી ટીવાયના વર્ગો રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. આ અંગે ફેકલ્ટી નોટિસ બોર્ડ પર પણ સૂચના આપવામાં આવી છે. વિદેશી છાત્ર માટે વિશેષ પ્રાવધાનનો નિર્ણય બાકીયુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી સહિતની ફેકલ્ટીઓમાં સંખ્યાબંધ વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમની ઇન્ટર્નશિપ માટે કોઇ વિશેષ પ્રાવધાનનો નિર્ણય લેવાયો નથી. ફેકલ્ટીએ જણાવ્યું કે, તેમના માટે અનુકુળ કંપનીઓને અગ્રતા અપાશે.
ભાસ્કર ઈનસાઈડ:બિલનાં મકાનો પણ તૈયાર નથી, લાભાર્થીને 1 વર્ષે ઘરનું ઘર મળશે
પીએમ આવાસના ડ્રોનો વિવાદ શમ્યો નથી. કલાલીમાં મકાનો બની રહ્યાં હોવાનું ખૂલ્યા બાદ બિલમાં આ જ સ્થિતિ હોવાનું જણાયું છે. ઇડબ્લ્યુએસનાં 136 મકાન બનતાં હજુ 1 વર્ષ લાગશે. બીજી તરફ ડ્રો બાદ મકાનો મળતાં ન હોવાથી લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના કાર્યકરોએ સ્થળ પર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. બીજી તરફ સ્થાયી અધ્યક્ષ ડો.શીતલ મિસ્ત્રીએ કહ્યું કે, ગ્રાન્ટ અને લાભાર્થીનો ફાળો બાકી છે. પાલિકાએ વધારાના 31 કરોડ ચૂકવ્યા છે. કોન્ટ્રાક્ટરોની આડોડાઈથી આવાસ સમયસર પૂરા નથી થતાંલાભાર્થીઓ ફોર્મના રૂા.200 અને ડિપોઝિટ પેટે 20 હજાર ચૂકવે છે, પરંતુ સમય મર્યાદામાં મકાનો પૂરાં કરાતાં નથી. કોન્ટ્રાક્ટરોની આડોડાઈ અને ધીમી ગતિની કામગીરીથી આવાસ સમયસર પૂરા નથી થતાં. ભાડે રહેતા લોકો ભાડું ચૂકવતા હોય છે, પરંતુ તેમને સમય પર મકાન મળી રહ્યાં નથી. ઉપરાંત ઝૂંપડપટ્ટી હટાવી તેમને 1 કિમી વિસ્તારમાં મકાનો આફવાને બદલે 5 કિમી દૂર ફાળવાય છે.
વડોદરા સહિત રાજ્યમાં મિથુન રાશિમાં શનિ અને રવિવારે ઉલ્કા વર્ષા નિહાળી શકાશે. જેમાં મોડી રાતે 12 વાગ્યા બાદ 1 કલાકમાં 50 થી 70 ઉલ્કાની વર્ષા નરી આંખે જોઈ શકાશે. આ ઉલ્કા વર્ષા પૂર્વ દિશા તરફ જોવા મળી શકે છે અને રાત પૂરી થશે તેમ તેની દિશા બદલાશે. નોંધનીય છે કે, શનિવારે ખગોળીય ઘટના જોવા લોકો શહેર બહાર ખેતર અને ખુલ્લા વિસ્તારમાં પહોંચ્યા હતા. ખગોળિય ઘટનાઓના જાણકાર મુકેશ પાઠકે કહ્યું કે, જેમને ઉલ્કા વિજ્ઞાનનો અભ્યાસ કરવો હોય તો તેમણે મિથુન રાશિની ઉલ્કા વર્ષા જોવી જોઈએ. આમ તો ઉલ્કા વર્ષા સપ્તાહ સુધી જોઈ શકાય છે, પરંતુ દિવસો પસાર થતાં તેની ગતિ ધીમી પડે છે. શનિવારે જે ઉલ્કા 1 કલાકમાં 50 થી 70 સુધી વરસતી હોય તે ધીરે ધીરે 5 થી 10 સુધી પહોંચી જતી હોય છે. જ્યારે પણ લઘુગ્રહની ઉલ્કા વર્ષા હોય ત્યારે તેનો પ્રકાશ ખૂબ જ તેજ હોય છે. 3200 પાયથોન નામના લઘુગ્રહની રજકણો પૃથ્વી પર પડતાં ઉલ્કા વર્ષા થશે દરરોજ 40 ટન જેટલી ઉલ્કા વાતાવરણમાં પ્રવેશે છેનિષ્ણાતોના મતે દરરોજ 40 ટન ઉલ્કા વાતાવરણમાં પ્રવેશે છે. આ ઉલ્કા વર્ષા પીળા, લીલા અને વાદળી જેવા રંગોમાં જોઇ શકાય છે. ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટિયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉલ્કા વર્ષા પાછળ ધૂમકેતુઓ જવાબદાર છે. સૌર મંડળમાં એવા ધૂમકેતુઓ છે, જેનું સતત વિસર્જન થતું રહે છે. તેમાંથી વિસર્જિત થયેલો પદાર્થ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે.
50 હજાર કર્મીને રાહત થશે:મકરપુરા જીઆઇડીસીના રસ્તાનું રિસર્ફેસિંગ, કાર્પેટિંગ કરાશે
મકરપુરા જીઆઇડીસીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની રજૂઆત બાદ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 1.25 કરોડના ખર્ચે 20 વર્ષ બાદ જીઆઇડીસીના હનુમાનજી મંદિરથી વિમલ ફાયર સુધીનો રોડ અને લકી રેસ્ટોરન્ટથી માંજલપુર પોલીસ મથકનો રોડ રિસર્ફેસ, કાર્પેટ, સીલકોટના કામનો શનિવારે પ્રારંભ થયો હતો. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય યોગેશ પટેલે કર્યું હતું. વીસીસીઆઈની રજૂઆતને ધ્યાને રાખી ધારાસભ્યે જાહેરાત કરી કે, 22 કરોડના ખર્ચે જીઆઇડીસીના 3 રોડના વાઈડનિંગ સાથેના કામના ટેન્ડરની પ્રક્રિયા પણ ચાલુ કરાઈ છે. કાર્યક્રમમાં વીસીસીઆઈના વરિષ્ઠ ઉપપ્રમુખ હિમાંશુ પટેલે કહ્યું કે, આ કામગીરીથી 4 હજાર ઉદ્યોગોના 50 હજાર કર્મીઓને રાહત થશે. રૂા.22 કરોડના ખર્ચે ત્રણ રસ્તા નવા બનાવાશેરાજ્ય સરકારની સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી 22 કરોડના ખર્ચે જ્યુપીટર ચોકડીથી કટારિયા મોટરના શોરૂમ પાછળ, જીજી માતાના મંદિરથી એબીબી સુધી, વડસર બ્રિજથી એબીબી સુધીના 3 રોડ નવા બનશે. વીસીસીઆઇની લાંબી લડત બાદ પ્રશ્ન ઉકલ્યોપાલિકા તમામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી ટેક્સ લે છે, પણ લોકો જ્યાં જતા હોય તે રસ્તાનું સમારકામ-ડેવલપમેન્ટ કરે છે. વીસીસીઆઈની લાંબી લડત બાદ ધારાસભ્યને રજૂઆત કરતાં પ્રશ્ન ઉકલ્યો છે.
લોક અદાલત:70 જજ-વકીલો દ્વારા એક જ દિવસમાં 1.32 લાખ કેસનો નિકાલ કરાયો,રૂા.112.37 કરોડનું સેટલમેન્ટ
દિવાળીપુરા કોર્ટ ખાતે વર્ષની છેલ્લી અને ચોથી મેગા નેશનલ લોક અદાલતનું વડોદરા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન વી.કે.પાઠકની અધ્યક્ષતામાં શનિવારે આયોજન કરાયું હતું. 70 જજ, વકીલ તથા સ્ટાફે એક દિવસમાં 1.32 લાખ કેસનો નિકાલ કર્યો હતો. લોક અદાલતમાં 78,617 કેસ મૂકાયા હતા. મોટર અકસ્માત તથા એનઆઈ એક્ટ મળી 4614 કેસ તથા 71,473 કેસ સ્પેશિયલ સિટિંગ મળી કુલ 76,087 કેસ પૂર્ણ કરાયા હતા. જ્યારે જે કેસ કોર્ટમાં નથી આવ્યા, તેવા પ્રીલિટિગેશનના કેસ, જેમાં બેંકનાં બાકી લેણાં, ગેસનાં બિલ તથા ટ્રાફિક ચલણ મળી 55,921 કેસમાં સમાધાન કરાયું હતું. તમામ કેસમાં 112.37 કરોડનું સેટલમેન્ટ કરાયું હતું. એક જ દિવસમાં વડોદરા કોર્ટના 15 ટકા કેસ પૂર્ણ થયા છે, હજુ 75 હજાર કેસ પેન્ડિંગ છે. સમાધાન થકી પણ વિવાદનો અંત આવી શકે છેલોક અદાલતને ફરી સફળતા મળી છે. લોકોએ સ્વીકાર્યું છે કે, સમાધાન થકી પણ વિવાદનો અંત લાવી શકાય છે. વર્ષો જૂના વિવાદને પણ સુમેળભર્યા સંબંધની આશા રાખીને ભેગા કરવામાં આવે તો કેસ પૂર્ણ થઈ શકે છે. > વી.જે.ગઢવી, એડી. સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પતિ જેલમાં ગયો, રૂા.5 લાખ ભરણપોષણ ન આપી શક્યો, 7 વર્ષે વિવાદનો અંત લાવી દંપતીને એક કરાયુંદંપતી વચ્ચે વિવાદ ચાલતો હતો. પત્નીએ પતિ સામે કેસ કર્યો હતો. કોર્ટે પતિને ભરણપોષણ આપવા હુકમ કર્યો હતો. જોકે તે રકમ ચૂકવતો ન હોવાથી રકમ 5 લાખ થઈ હતી. કોર્ટે પતિને જેલમાં મોકલ્યો હતો. 7 વર્ષના વિવાદમાં આખરે દંપતી વચ્ચે સમાધાન થયું હતું. મકરપુરા ડેપો પાસે વીટકોસ બસે રોંગ સાઇડ જઈને યુવકને અડફેટે લીધો, રૂા.45 લાખનો ક્લેઇમ પાસવકીલ રાજેશ પટેલે કહ્યું કે, માણેજા મારુતિધામ સોસાયટીનો હરદીપસિંહ વાંસિયા 2 વર્ષ પૂર્વે મકરપુરા ડેપો પાસેથી જતો હતો. ત્યારે રોંગ સાઇડ આવેલી વીટકોસની બસે અડફેટે લેતાં તેનું મોત થયું હતું. લોક અદાલતમાં 45 લાખનો ક્લેઇમ મંજૂર થયો હતો.
ભાસ્કર ઈનસાઈડ:ઉત્તર-પૂર્વની 17 ટાંકી-સંપમાં ઓછું પાણી મળતાં 11 લાખ લોકો હેરાન
મહીના રાયકા, ફાજલપુર ફ્રેન્ચ વેલમાં ડિસિલ્ટિંગની કામગીરીથી પાણીના લો-પ્રેશરનો પ્રશ્ન સર્જાયો છે. નવેમ્બર અંતમાં મહીના ફ્રેન્ચવેલમાં કામ શરૂ કર્યું હોવા છતાં પાલિકાએ 15 દિવસે પાણીકાપની જાહેરાત કરી છે. ઉત્તર-પૂર્વની 17 ટાંકી-સંપમાં ઓછું પાણી મળતાં 11 લાખ લોકોને અસર થઇ રહી છે. મહીમાં ગત ચોમાસામાં કડાણા ડેમમાંથી પાણી છોડાતાં આવેલા કાંપથી 4માંથી 2 પંપ બંધ કરવાનો વારો આવ્યો હતો.જ્યારે 2 પંપમાંથી 1 પંપ 24 કલાક અને 1 પંપ 16 કલાક કાર્યરત હતો. મહીમાંથી શહેરના ઉત્તર અને પૂર્વ ઝોનને પાણી અપાય છે. નવેમ્બરના અંતમાં ફ્રેન્ચવેલમાંથી રેડિયલ કાઢવાનું શરૂ કરાયું હતું. જોકે પાણી પુરવઠા શાખાએ જાહેરાત કરી નહતી. 15 દિવસથી લો-પ્રેશરની સમસ્યા સર્જાઇ હતી, જેથી 13 ડિસેમ્બરે પાણીકાપની જાહેરાત કરાઈ છે. જેમાં જણાવ્યા પ્રમાણે ઉત્તર અને પૂર્વ ઝોનના વિસ્તારોમાં 15 દિવસ પાણી ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે મળશે. જોકે પાલિકાએ જાહેરાત કરાયેલા વિસ્તારોમાં તો પહેલેથી પાણીકાપ છે ત્યારે હજુ 15 દિવસ પાણીકાપનો સામનો કરવો પડશે. 12 MLD પાણી વધશેહાલ 12 એમએલડી પાણી મળે છે. કામગીરી ન હોય ત્યારે 48 એમએલડી પાણી મળે છે.7 દિવસમાં સફાઇ પછી 12 એમએલડી પાણી વધશે. > ધાર્મિક દવે, એડી. સિટી ઇજનેર, પાણી પુરવઠા મહીમાં અત્યાર સુધી 4 ફ્રેન્ચવેલ ચાલતા હતા, હવે પાંચમો શરૂ કરાશેઅત્યાર સુધી મહીમાં 4 ફ્રેન્ચવેલ ચાલતા હતા, જેમાં કાંપ આવ્યા બાદ 2 કાર્યરત રહ્યા હતા. હવે તમામ 4 ફ્રેન્ચવેલ ચાલુ કરાશે અને પાંચમો ફ્રેન્ચવેલ જે બંધ હતો, તે માટેની પાણીની લાઇનની ક્ષમતા વધારી દેવાય તો તે પણ ચાલુ કરી દેવાશે. સફાઈ કામગીરીમાં એક રેડિયલ તૂટી ગયો છે, જે નવો બનાવાશે.
વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે નવા બનતા કોમ્પ્લેક્સના પાયા માટે જેસીબીથી ખોદકામ કરાઈ રહ્યું છે. શનિવારે બાજુમાં આવેલા 25 વર્ષ જૂના સર્જન કોમ્પ્લેક્સની 70 ફૂટની લાંબી કમ્પાઉન્ડ વોલનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જ્યારે અન્ય 40 ફૂટ દીવાલ નમી પડી હતી. જેથી રહીશો-દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયરબ્રિગેડે રહીશોને નીકળી જવા સૂચના આપી છે. નોંધનીય છે કે, માર્ચમાં છાણીના સત્વ પ્રાઇમમાં આવી ઘટના બની હતી, જેની દીવાલ બિલ્ડરે હજુ નથી બનાવી. કલાદર્શન ચાર રસ્તાથી કપુરાઇ ચોકડીના રસ્તે રાધે-ગોવિંદ એપાર્ટમેન્ટ સામે સર્જન એપાર્ટમેન્ટની બાજુમાં નવું કોમ્પ્લેક્સ બને છે. જ્યાં પાયા માટે જેસીબીથી ખોદકામ કરાઈ રહ્યું હતું. શનિવારે સવારે 10-30 વાગ્યે સર્જન કોમ્પ્લેક્સની 70 ફૂટની દીવાલ ધરાશાયી થઈ હતી. રહીશોએ કહ્યું કે,20 દિવસથી પાયો ખોદવાનું કામ ચાલે છે. 6 દિવસ પૂર્વે દુકાનોની આગળ પરસાળમાં ઝીણી તિરાડો જોતાં સાઇટ પરના માણસોને જાણ કરી હતી. તે સમયે જવાબ અપાયો કે,દીવાલ તૂટી જશે તો નવી બનાવી આપીશું. હવે બીજા-ત્રીજા માળના ફ્લેટમાં તિરાડો પડી છે. કોમ્પ્લેક્સના પ્રમુખ મુકેશ પટેલે કહ્યું કે, બિલ્ડરે સ્ટ્રક્ચરલ ઇજનેરને મોકલ્યા છે. નિર્ભયતા શાખાના નિરીક્ષણ બાદ નિર્ણય લેવાશે. આ અંગે સાઇટના બિલ્ડરનો ટેલિફોનિક કોલ અને મેસેજ થકી સંપર્ક કરવા પ્રયાસ કર્યો, પણ પ્રતિભાવ આવ્યો ન હતો. સ્ટ્રક્ચરલ ઇજનેર પાસે મૂલ્યાંકન કરાવી વળતરનો દાવો કરી શકાયઆવા કિસ્સામાં બિલ્ડિંગને કેટલું નુકસાન થયું છે તેનો રિપોર્ટ સ્ટ્રક્ચરલ એન્જિનિયર આપી શકે. રહીશો એન્જિનિયર પાસેથી રિપોર્ટ કઢાવી શકે છે. જરૂર જણાય તો બિલ્ડર સામે સિવિલ કોર્ટમાં વળતરનો દાવો કરી શકાય. જેમાં માનસિક ત્રાસનો પણ સમાવેશ થાય છે. જોકે કોઇ મોટી ઇમારત હોય તો દર 5 વર્ષે સ્ટ્રેન્ધનિંગ રિપોર્ટ કરાવવો જ જોઇએ. અમે તિરાડો પડવાની શરૂઆત થઇ ત્યારથી અમે ધ્યાન દોરીએ છીએ. પણ આટલું મોટું નુકસાન થશે તેવી કલ્પના કરી ન હતી. - ભરત વાઢેર, રહીશ ફ્લેટના આ ભાગમાં 10થી 12 છોકરાઓ સ્કૂલમાં અભ્યાસ કરે છે. હવે તેમનો અભ્યાસ પણ બગડશે. બીજે રહેવાનું આવ્યું તો ખર્ચ પણ વધશે. - મેહુલ સોની, રહીશ રસોડામાં હતી અને ધડાકાભેર અવાજ આવ્યો, બિલ્ડિંગ ધ્રુજી ઊઠી, બેડરૂમમાં લટકાવેલો ફોટો ફ્રેમ સાથે પડી ગયો. રૂમમાં ત્રણેક તિરાડો પડી ગઇ છે. - નેહા સોની, રહીશ 16 ફ્લેટ્સ અને 20 દુકાનો છે, ઉપર બહારના ભાગે પણ તિરાડો પડવાની શરૂ થઇસર્જન કોમ્પ્લેક્સમાં 16 ફ્લેટ છે, જેમાં 25 જેટલા સિનિયર સિટીઝન અને 10-12 છોકરા સહિત 70 રહીશો રહે છે. પહેલા માળના કેટલાક વડીલોએ પાલિકાની સૂચના ગંભીરતાથી લીધી ન હતી અને 2 કલાક બાદ પણ ફ્લેટમાં રહ્યા હતા. બીજા-ત્રીજા માળના રહીશો બહાર દોડી આવ્યા હતા. કેટલાકે સિનિયર સિટિઝન્સને અન્યત્ર રહેવાની વ્યવસ્થા શરૂ કરી છે.
દેશની મેરેજ (લગ્ન) ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતની સૌથી મોટા ખર્ચાળ ઇકોનોમિક સેક્ટરોમાંની એક છે, જેમાં આ વર્ષે સરેરાશ 35 લાખથી વધુ લગ્નો થશે અને લગભગ ₹5.5-6 લાખ કરોડનો બિઝનેસ થશે, એવું કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના અહેવાલમાં દર્શાવાયું છે. જે રીતે મેરેજ પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેની સાથે તેના રિસ્કને કવર કરવા માટે પણ લોકો જાગૃત થયા છે. જ્વેલરીની વધતી કિંમતો, કેટરિંગ, ડેકોરેશન અથવા આકસ્મિક બાબતોમાં મેરેજ કેન્સલ કરવા સુધીના રિસ્ક કવર પર ઇન્સ્યોરન્સ લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાંથી ચાલુ મેરેજ સિઝનમાં સરેરાશ 70-75 લોકોએ 500 કરોડથી વધુના ઇન્સ્યોરન્સ લીધા છે.લોકો લગ્નમાં ઘણા પૈસા ખર્ચે છે પરંતુ જો લગ્ન પહેલા જ લગ્ન આકસ્મિક કારણોસર કેન્સલ થતાં લોકોને જંગીનું નુકસાન વેઠવું પડે છે. આવી સ્થિતિમાં લોકોની મુશ્કેલી દૂર કરવા માટે વીમા કંપનીઓએ લગ્ન વીમો આપવાનું શરૂ કર્યું છે. આમાં, વીમા કંપની લગ્નમાં નુકસાનના કિસ્સામાં, લગ્ન રદ થવાના કિસ્સામાં, જ્વેલરી તથા અન્ય સામાનની ચોરીના કિસ્સામાં, કોઈપણ પ્રકારના અકસ્માતના કિસ્સામાં પોલિસીધારકના નુકસાનની ભરપાઈ કરે છે. ગુજરાતમાં સરેરાશ એક મેરેજ પાછળ 5 લાખથી કરોડો રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લગ્ન વીમા પૉલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના આધારે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ સંદર્ભે, નાણાકીય નિષ્ણાતો માને છે કે લગ્નના વીમાનો ટ્રેન્ડ અત્યારે ભારતમાં બહુ નથી, પરંતુ અવેરનેસ આવતા ટ્રેન્ડ ઝડપી વધી રહ્યો છે. લગ્ન વીમામાં, પોલિસી ખરીદનારને લગ્નના કુલ બજેટના 1 થી 1.5 ટકા ચૂકવવા પડે છે. જો તમારા લગ્નની કિંમત 20 લાખ રૂપિયા છે, તો તમારે વીમા પ્રિમિયમ તરીકે સરેરાશ 30,000 રૂપિયા ચૂકવવા પડશે. બાદમાં, કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિમાં, તમે તમારા નુકસાન માટે વળતર મેળવી શકો છો. મેરેજ પાછળ સૌથી વધુ ખર્ચ કરતા પાંચ રાજ્યો1.રાજસ્થાન: રાજાશાહી ડેસ્ટિનેશન અને પેલેસ વેડિંગ્સનું ખર્ચ સૌથી વધુ જોવા મળે છે (લક્ઝરી પેકેજ ₹1.5 કરોડ અને તેનાથી વધુ) 2. મહારાષ્ટ્ર : મુંબઈ અને પુણે જેવા શહેરો NRIના મોટા બજેટ કેન્દ્ર છે, જ્યાં ખર્ચ ₹50 લાખથી ₹15 કરોડ 3.ગોવા : બીચ/ડેસ્ટિનેશન મેરેજ માટે ₹75 લાખથી ₹5 કરોડ સુધી ખર્ચ 4.દિલ્હી-NCR: પંજાબ/હરીયાણામાં મેરેજ માટે જાણીતું છે. અહીં સામાન્ય મેરેજનું બજેટ એવરેજથી વધું રહે છે. 5.ગુજરાત: અમદાવાદ, સુરતમાં મેરેજ ખર્ચ રાજ્યનો મોટો હિસ્સો ધરાવે છે. સોનાના ભાવ વઘતા નજીવા પ્રીમિયમથી મોટું રિસ્ક કવરગુજરાતમાં કુલ મેરેજ પાછળ કરાતા ખર્ચના બે ટકા પણ ઇન્સ્યોરન્સ લેવાતો નથી. જાગૃતિ વધી રહી છે. આ સિઝનમાં અંદાજે રૂ.500 કરોડનો મેરેજ ઇન્સ્યોરન્સ લેવાયો છે. નજીવા પ્રીમિયમથી મોટું રિસ્ક કવર થઇ રહ્યું છે ત્યારે મોંઘા મેરેજ કરતા લોકો સલામતીને ધ્યાનમાં રાખી રિસ્ક કવર કરી રહ્યાં છે. ગોલ્ડ-સિલ્વર જ્વેલરીની ઉંચી કિંમતોના કારણે પણ રિસ્ક કવર વધ્યું છે. -જિગ્નેશ માધવાણી, ઇન્સ્યોરન્સ એક્સપર્ટ, તોરીન વેલ્થ ગ્રુપ. મેરેજ ઇન્સ્યોરન્સ શા માટે જરૂરી છે?લગ્નોમાં મોટા ખર્ચાઓનો સમાવેશ થાય છે. કોઈપણ કારણસર થતા નુકસાનની ભરપાઈ કરવા માટે લગ્ન વીમો એ ઉપયોગી વસ્તુ છે. તે એક આવરણ છે જે અમને કોઈપણ વિક્ષેપને કારણે થતા નાણાકીય નુકસાનથી રક્ષણ આપે છે જેમાં કાર્યને રદ કરવું અથવા મુલતવી રાખવાનો સમાવેશ થાય છે.
નમસ્તે, મહત્વના સમાચાર પર નજર કરીએ તો, આર્જેન્ટિનાનો સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતની મુલાકાતે છે. તેમણે કોલકત્તા અને હૈદરાબાદમાં અલગ અલગ પ્રસંગોમાં હાજરી આપી હતી. 14 તારીખે મુંબઈ અને 15 તારીખે દિલ્હી જશે. ધુરંધર ફિલ્મનો પાકિસ્તાને વિરોધ નોંધાવ્યો છે અને અક્ષય ખન્ના સહિતના કલાકારો સામે ફરિયાદ નોંધાવાની માગણી કરી છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની 'વોટ ચોર ગદ્દી છોડ' રેલી, રાહુલ-પ્રિયંકા ભાગ લેશે. 2. કબાઈલિયા પ્રદેશ મોરોક્કો દેશથી આઝાદ થવાની જાહેરાત કરશે. 3. મેસ્સીના ભારત પ્રવાસનો બીજો દિવસ, મુંબઈમાં કાર્યક્રમો, તેંડુલકરને મળશે. 4. અંડર -19 એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર જંગ જામશે. 5. મણિપુરના ભાજપના સાંસદોને પાર્ટીએ દિલ્હી બોલાવ્યા છે. રાજ્યમાં 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા જઈ રહ્યું છે. કાલના મોટા સમાચારો 1. હૈદરાબાદમાં મેસ્સી, મ્યુઝિકલ-નાઇટ શરૂ:થોડીવારમાં ફ્રેન્ડલી મેચ; ફૂટબોલર કોલકાતા સ્ટેડિયમમાંથી વહેલો નીકળી જતા ફેન્સે તોડફોડ કરી દિગ્ગજ ફૂટબોલર આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સી 3 દિવસના ઇન્ડિયા ટૂર પર છે. હૈદરાબાદમાં તેમની ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે. ઉપ્પલ સ્ટેડિયમમાં મ્યુઝિકલ નાઇટ ચાલી રહી છે. તેના પછી મેસ્સી અહીં 7-7 પ્લેયર્સની ફ્રેન્ડલી મેચ રમશે. આ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ તાજ ફલકનુમા પેલેસમાં મેસ્સી સાથે મુલાકાત કરી. મેસ્સીની સાથે ઉરુગ્વેના સ્ટ્રાઇકર લુઈસ સુઆરેઝ અને આર્જેન્ટિનાના મિડફિલ્ડર રોડ્રિગો ડી પોલ પણ આવ્યા. ત્રણેય ફૂટબોલર રાત્રે લગભગ 2:30 વાગ્યે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા. સવારે 11 વાગ્યે મેસ્સીએ પોતાના 70 ફૂટ ઊંચા સ્ટેચ્યુનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું, જેમાં બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન પણ હાજર રહ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહને પાકિસ્તાનથી ખતરો:ગૃહ મંત્રાલયે સુરક્ષા વધારી; ભોપાલ-દિલ્હી આવાસ સામે વધારાની બેરિકેડિંગ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણની સુરક્ષા વધારવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મળેલા ઇનપુટ બાદ શુક્રવારે મોડી રાત્રે ભોપાલ અને દિલ્હી બંને જગ્યાએ તેમની સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવામાં આવી. ભોપાલમાં 74 બંગલા સ્થિત B-8 આવાસની ચારેય બાજુ પોલીસે વધારાની બેરિકેડિંગ કરી. જ્યારે દિલ્હી સ્થિત સરકારી આવાસ પર પણ સુરક્ષા વધારવામાં આવી છે. શિવરાજ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ધમકીની હોવાની માહિતી મળી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં ધુરંધર ફિલ્મ સામે આક્રોશ:ભુટ્ટોની પાર્ટીને આતંકવાદ સમર્થક દર્શાવવાનો આરોપ, અક્ષય ખન્ના સહિતના કલાકારો પર FIRની માગ પાકિસ્તાનમાં કરાચીની એક અદાલતમાં ભારતીય ફિલ્મ ‘ધુરંધર’ વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની તસવીરો, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ઝંડા અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વગર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે જ ફિલ્મ પર PPPને આતંકવાદનું સમર્થન કરનારી પાર્ટી તરીકે દર્શાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ અરજી PPPના કાર્યકર્તા મોહમ્મદ આમિરે કરાચીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ (સાઉથ)માં દાખલ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. શશિ થરૂર જ્યાંથી સાંસદ, ત્યાં NDA સ્થાનિક ચૂંટણી જીત્યું:તિરુવનંતપુરમના 101 વોર્ડમાંથી 50 પર જીત, 45 વર્ષથી લેફ્ટનો કબજો હતો કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં NDAને મોટી સફળતા મળી છે. ગઠબંધને તિરુવનંતપુરમ નગર નિગમના 101 વોર્ડમાંથી 50 વોર્ડ પર જીત મેળવી છે. છેલ્લા 45 વર્ષથી અહીં વામ લોકતાંત્રિક મોરચા (LDF)નો કબજો છે. LDFને 29 અને કોંગ્રેસ ગઠબંધન (UDF)ને 19 વોર્ડમાં વિજય મળ્યો છે. 2020માં તિરુવનંતપુરમની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં LDFએ 52 વોર્ડ જીત્યા હતા. ભાજપ-નેતૃત્વવાળા NDAને 33 વોર્ડ મળ્યા હતા અને UDFએ 10 વોર્ડમાં જીત મેળવી હતી. તિરુવનંતપુરમ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનો ગઢ માનવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાન-MPના 37 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી ઓછું:યુપીમાં ગાઢ ધુમ્મસ, રસ્તાઓ પર 10 મીટર જોવું પણ મુશ્કેલ; ઉત્તરાખંડમાં ઝરણાં થીજી ગયા રાજસ્થાનમાં ઠંડી વચ્ચે પશ્ચિમી વિક્ષોભ સક્રિય થયો છે. બીકાનેર, ચુરુ, શ્રીગંગાનગર, હનુમાનગઢ સહિતના ઘણા વિસ્તારોમાં વાદળો છવાયા છે. જેના કારણે ઠંડી હવાઓ નબળી પડી છે. રાજ્યના 18 શહેરોમાં શુક્રવારે તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રીએ પહોંચી ગયો. મધ્યપ્રદેશમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યના 19 શહેરોમાં ગઈકાલે રાત્રે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું હતું. ઇન્દોરમાં 5.2 ડિગ્રી તાપમાન રહ્યું. આટલું જ તાપમાન પ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન અને સૌથી ઠંડી જગ્યા ગણાતા પચમઢીમાં પણ નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધા 33 લાખ ટ્રાન્સફર કરવા બેંકે પહોંચ્યા, VIDEO:અમદાવાદમાં બેંક કર્મચારીને શંકા પડતા પોલીસને જાણ કરી, સમયસૂચકતાના કારણે 33 લાખનું ફ્રોડ થતા અટક્યું અમદાવાદ સાઇબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને વૃદ્ધ મહિલાના 33.35 લાખ રૂપિયા બચાવ્યા છે. સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 9.8 ડિગ્રી સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડું શહેર:1 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધ્યું; અઠવાડિયાના અંતમાં હજુ વધશે, પરંતુ વાદળછાયા વાતાવરણને કારણે ઠંડી અનુભવાશે રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઘટશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ રહે જેના કારણે ઠંડી અનુભવાશે. વાંચો સંપૂર્ણ સમાચાર ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : સળિયાથી માથું ફોડ્યું, પકડથી આંગળીઓ-કાન કાપ્યા:મોત પહેલાં બોલ્યો- પેન્ટ ખોલીને જોયું કે મુસ્લિમ છે, નવાદામાં મોબ લિન્ચિંગની ક્રૂર ઘટના વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પર દબાણ વધ્યું, અમેરિકી સાંસદોએ જ વિરોધ કર્યો:કહ્યું- ભારત પરથી ટેરિફ હટાવો, આ ગેરકાયદેસરઃ આનું નુકસાન અમેરિકન નાગરીકો ભોગવી રહ્યા છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : શિમલામાં નડ્ડા-અગ્નિહોત્રીની મુલાકાતથી રાજકારણ ગરમાયું:લગ્નની શુભેચ્છાઓ કે રાજકીય સંકેત, વિરોધ પક્ષના નેતા જયરામ ઠાકુર પણ હાજર રહ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : વધુ ઘઉંના ઉત્પાદનથી તુર્કીયેમાં 100 ફૂટ પહોળા ખાડા બન્યા:ખેતરોમાં અત્યાર સુધીમાં 684 સિંકહોલની ઓળખ થઈ; ગ્રાઉન્ડ વોટર લેવલ ઘટવાથી જમીન ધસી રહી છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોના-ચાંદીના ભાવમાં સતત ત્રીજા અઠવાડિયે તેજી:ચાંદી આ અઠવાડિયે 17,000 મોંઘી થઈ, 127% કિંમત વધી; ગોલ્ડે 74% રિટર્ન આપ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ક્રિકેટ પછી કોહલીનો હવે બિઝનેસમાં દબદબો વધ્યો:પોતાની બ્રાન્ડ વેચીને એજિલિટાસ સ્પોર્ટ્સમાં 40 કરોડનું રોકાણ કરશે; Xની પોસ્ટ વાયરલ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 ડિસેમ્બરે સફલા એકાદશી:આ દિવસે સફળતાની કામનાથી કરવામાં આવે છે; કૃષ્ણ એકાદશી પર ઉપવાસ, ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની પૂજાનું મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે તળાવમાંથી પસાર થઈ જાન, બોટમાં નીકળ્યા વરરાજા રાજસ્થાનના ભીલવાડામાં એક અનોખાં લગ્નની જાન જોવા મળી. વરરાજા સાત શણગારેલી હોડીઓ સાથે તળાવમાંથી પસાર થયા હતા. ડીજેના તાલ પર નાચતા અને ગાતા, કન્યાના ગામ પહોંચવા માટે 5 કિલોમીટરનો પ્રવાસ કર્યો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ગ્રાઉન્ડ રિપોર્ટ: 'અમે તો નથી છેતરાતા, બીજાને પણ નહીં છેતરાવા દઇએ...':ગુજરાતનું એવું ગામ જ્યાંના લોકો ભલભલા ચીટરને ધૂળ ચટાડી દે, એક પ્રોજેક્ટે દશા-દિશા ને ઓળખ બદલી 2. ભાસ્કર એક્સપ્લેનર: મા-બાપ પોતાના દીકરા માટે કેમ માગી રહ્યા છે ઈચ્છામૃત્યુ:સુપ્રીમ કોર્ટમાં વિનંતી મંજૂર, એઈમ્સ રિપોર્ટ બનાવી રહી છે; શું છે ઈજ્જતથી મરવાનો અધિકાર 3. ભાસ્કર એક્સક્લૂસિવ: RSSનો મેસેજ- યોગી પર સવાલ ઉઠાવ્યો તો બળવાખોર ગણાશો:હિંદુઓ એકતા જાળવી રાખો, અણબનાવની ખબરો પર કંટ્રોલ કરો 4. તમે ટીકા સહન નથી કરી શકતા?:આ વ્યક્તિગત નબળાઈ નથી, ઉછેર-પદ્ધતિનું પરિણામ; સાયકોલોજિસ્ટ પાસેથી જાણો કેવી રીતે ફીડબેકને સકારાત્મક લેવું 5. આજનું એક્સપ્લેનર:મંદિરના પક્ષમાં ચુકાદો આપનાર જજ પર મહાભિયોગની તૈયારી; 107 વિપક્ષી સાંસદોએ આપી નોટિસ; શું છે મંદિર-દરગાહ વિવાદ? 6. ગિફ્ટ સિટીનું પાતાળલોક:દેશનો પહેલો યૂટિલિટી કોરિડોર, 90 કિમીની ઝડપે કચરો બહાર ફેંકી દે, ભૂકંપમાં વાળ વાંકો નહીં થાય, જુઓ ઓટોમેટિક ટનલનો અંદરનો VIDEO કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ મળશે; કન્યા-મીન જાતકોને બિનજરૂરી ખર્ચ ટાળવા વાંચો સંપૂર્ણ રાશિફળ
ભાસ્કર ઈનસાઈડ:1 ટકો કમિશનમાં સાયબર ફ્રોડના 32 લાખપોતાનાં ખાતામાં જમા લેનારા 7 સામે ગુનો
મહેસાણા જિલ્લામાં ખેરાલુની બેન્ક ઓફ બરોડા, ઊંઝાની કેનેરા બેન્ક, વિજાપુરના માઢીની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને કુકરવાડાની બેંક ઓફ બરોડામાં ખોલેલા ચાલુ અને બચત 4 ખાતામાં દેશના 20થી વધુ રાજ્યોમાં અલગ અલગ સ્થળોએ થયેલી સાયબર છેતરપિંડીના 32 લાખ રૂપિયા જમા થયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે જેના ખાતામાં રૂપિયા જમા થયા છે તેવા ખાતાધારક, રૂપિયા ઉપાડીને જેને અપાયા છે તે સહિત 7 શખ્સો સામે ઊંઝા, લાડોલ, વસઈ અને ખેરાલુ એમ ચાર પોલીસ મથકોમાં સરકાર તરફી પોલીસે ફરિયાદી બનીને ગુના દાખલ કરાવ્યા છે. માત્ર થોડા રૂપિયા કે પોતાના ખાતામાં જમા થતા છેતરપિંડીના નાણાં પૈકી 1 ટકા કમિશનની લાલચે આ તમામ લોકોએ પોતાના નામે ખાતાં ખોલીને ભાડે આપ્યા છે. સમગ્ર કિસ્સામાં હવે પોલીસ જે લોકોએ ખાતાં ભાડે લીધા છે અને જેના થકી કરોડો રૂપિયા તેમાં જમા થયા છે તેના સુધી પહોંચે તે જરૂરી બન્યું છે. સાયબર ફ્રોડના કરોડો રૂપિયા સાયબર માફિયાઓ પાસે પહોંચી રહ્યા છે. લો કો પાસેથી પડાવેલા આ રૂપિયાનું સ્થાનિક બેંક એકાઉન્ટ વગર ટ્રાન્જેક્શન કરવું મુશ્કેલ છે. જેથી ગુજરાત પોલીસે આવા મ્યુલ એકાઉન્ટ અને તેને ઓપરેટ કરતા તત્વોને શોધવા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કર્યું છે. ઊંઝા : ઉનાવા APMCની પેઢીના નામે ખોલેલ ખાતામાં રૂ.24 કરોડની હેરાફેરીઊંઝા તાલુકાના મહેરવાડા ગામના સુભાષ ભરતભાઈ રાવળે ઉનાવા એપીએમસીની સુભાષ ટ્રેડર્સ નામની પેઢીના નામે કેનેરા બેંકમાં ખાતું ખોલાવ્યું હતું. જેમાં દોઢ વર્ષ દરમિયાન રૂ.24.14 કરોડનું ટર્નઓવર થયું છે અને તેમાં પણ દેશના અલગ અલગ રાજ્યોમાં 24 લોકો સામે થયેલી સાયબર છેતરપિંડીના રૂ.7.52 લાખ જમા થયા છે. અને આ રૂપિયા સુભાષ રાવળ અને તેના માણસો મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આપી દીધા છે. જાણવા છતાં સાયબર ફ્રોડનાં નાણાં મેળવવાની લ્હાયમાં વારંવાર પોતાના બેંક ખાતામાં મેળવી અંગત ફાયદા સારું ઉપયોગ કરતાં ઊંઝા પોલીસમાં તેની સામે ફરિયાદ નોંધાઇ છે. ખેરાલુ : પોતાનું ખાતુ મિત્રને આપતાં વર્ષમાં રૂ.7.14 કરોડનું ટર્નઓવર કર્યું ખેરાલુના વિઠોડા ગામે સાધુવાસમાં રહેતા કનુભાઈ જયંતીભાઈ સાધુએ પોતાનું ખાતુ તેના મિત્ર ગામના જ ચૌધરી રાહુલ જોઈતાભાઈને આપી અતુલ એન્ટરપ્રાઇઝ નામનું ખેરાલુની બેંક ઓફ બરોડામાં ખાતુ ખોલાવ્યું હતું. આ ખાતામાં એક વર્ષ દરમિયાન રૂ.7.14 કરોડનું ટર્નઓવર થયું છે. જેમાં ગુજરાત સહિત દેશના અલગ અલગ 13 રાજ્યોના લોકો સાથે થયેલી છેતરપિંડીના રૂ.61,949 જમા થયા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે કનુ સાધુ, રાહુલ ચૌધરી અને પાલનપુર ખાતે કનુ સાધુને કમિશનથી બેંક ખાતાં આપવાની વાત કરનાર રાજસ્થાનના વિક્રમ લોડર અેમ ત્રણ સામે ફરિયાદ નોંધાઇ છે. વડનગર : મિરઝાપુરના શખ્સે ભાડે આપેલ ખાતામાં ફ્રોડના રૂ.21.30 લાખ જમાવિજાપુર તાલુકાના માઢી ગામની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં વડનગરના મિરઝાપુરના વિહોલ વનરાજસિંહ અરવિંદસિંહે ખાતુ ખોલાવીને ભાડે આપ્યું હતું. જેમાં 24 ડિસેમ્બર 2021થી 16 સપ્ટેમ્બર 2025 ચાર વર્ષમાં રૂ.1.78 કરોડનું ટર્નઓવર થયું છે અને આ તમામ રૂપિયા ક્રેડિટ થયાની સાથે ડેબિટ પણ થઈ ગયા છે. આ રૂપિયામાં અલગ અલગ રાજ્યોમાં 5 લોકો સાથે થયેલી છેતરપિંડીના રૂ.21.30 લાખ જમા થયેલા છે અને તે વનરાજસિંહે સેલ્ફ ચેકથી ઉપાડીને તેના મિત્ર વડગામના કોદરામ ના અને વસ્ત્રાલના સહજાનંદ એંકલેવમાં રહેતા રાજેશ કાંતિલાલ પંચાલને ઉપાડીને આપ્યા છે. વનરાજને 1 ટકા કમિશન મળતું હતું. વિજાપુર : કુકરવાડાની બેંકમાં સાયબરફ્રોડના જમા રૂ.3.45 લાખ ઉપાડી લીધાવિજાપુર તાલુકાના વસઈ ગામના આશ્રમપુરાવિસ્તારમાં રહેતા પટેલ ધર્મેશ રમેશભાઈએકુકરવાડાની બેંક ઓફ બરોડા શાખામાં ખાતુખોલાવીને તેમાં છ મહિના દરમિયાન રૂ.7.95લાખનું ટર્નઓવર થયું છે. જેમાં કર્ણાટક અનેઉત્તરપ્રદેશના બે લોકો સાથે થયેલી સાયબરછેતરપિંડીના રૂ.3.45 લાખ જમા થયા હતા અને આરૂપિયા પણ ધર્મેશ પટેલે અલગ અલગ સેલ્ફ ચેક દ્વારાઉપાડી લેતાં તેની સામે પણ વસાઈ પોલીસે ગુનોદાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં એકમાત્રઆ બચત ખાતામાં જ છેતરપિંડીના લાખોનુંટર્નઓવર થયું છે, બાકી તમામ ખાતા ચાલુ હોવાનુંઅને કોઈ પેઢીના નામના હોવાનું બહાર આવ્યું છે. હવે ATMથી નાણાં ઉપાડનાર સામે ફરિયાદો નોંધાશેદેશના 20થી વધુ રાજ્યોમાં યેનકેન પ્રકારે લોકો સાથે થયેલી છેતરપિંડીની અલગ અલગ રાજ્યમાં કુલ 42 ફરિયાદો નોંધાઇ છે અને આ ફરિયાદના રૂ.32 લાખ મહેસાણા જિલ્લાના 4 ખાતામાં જમા થયા છે. સાયબર ફ્રોડના રૂપિયા જે ખાતામાં જમા થયા છે અને સેલ્ફ ચેકથી એકાઉન્ટ ધારક દ્વારા પોતાના રૂપિયા ન હોવા છતાં ઉપાડી લેતાં તેમની સામે ફરિયાદો દાખલ થઈ છે. હવે આગામી દિવસોમાં જે ખાતામાં રૂપિયા સાયબર ફ્રોડના રૂપિયા જમા થયા છે અને સેલ્ફ ચેકની જેમ એટીએમથી ઉપાડયા હશે તે તમામ સામે પણ ફરિયાદો નોંધાશે.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:અકસ્માત રોકવા મૂકેલા બેરિકેટ્સથી જ દુર્ઘટનાનું જોખમ
પોલીસ દ્વારા વાહન ચેકિંગ અને નાકાબંધી માટેનાંબેરિકેટ્સ હવે અકસ્માતનું જોખમ ટાળવા માટેઉપયોગ થઈ રહ્યો છે. મોટાભાગના બેરિકેટ્સ પરરેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ જ નથી, જેથી રાત્રિ દરમિયાનદેખાતાં જ નથી. બેરિકેટ્સની 200 મીટર પહેલાં કોઇસૂચન બોર્ડ લગાવ્યાં નથી. દરેક સ્થળની બેરિકેટ્સનીડિઝાઇન પણ અલગ-અલગ હોવાથી બેરિકેટ્સનીએકબાજુથી બીજી બાજુ સ્પષ્ટ જોઈ શકાતું નહોવાથી બ્લેકઆઉટ સર્જાઈ રહ્યો છે. આ સ્થિતિનાકારણે વાહનો બેરિકેટ્સને ભટકાઈ રહ્યા છે. આઅંગે પોલીસના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે,મોટાભાગના બેરિકેટ્સ કંપનીઓ અને બેંકો તરફથીદાનમાં મળેલા છે. એ લોકો પોતાની જાહેરાત પણકરતા હોય છે. એટલે આ સ્થિતિ છે. દિલ્હી પોલીસે 2021માં બેરિકેટ્સનેલઈ નિયમોમાં સુધારો કર્યો હતોજેમાં બેરિકેટ્સ ક્યારેય માનવરહિત નહીં રાખવા,ખોટી જગ્યા અથવા માનવરહિત બેરિકેટ્સથીઅકસ્માત થાય તો સ્ટાફ જવાબદાર ગણાશે,બેરિકેટ્સ પર માત્ર જિલ્લા/યુનિટનું નામ અને નંબર,પ્રતિબિંબિત ટેપ અને બ્લિન્કર્સ જરૂરી, અકસ્માતઝોન, ફ્લાયઓવર અને બસ સ્ટોપ પાસે બેરિકેડિંગનહીં કરાય તેમજ પાવર કટ, ધુમ્મસ કે વરસાદમાંબેરિકેટ્સ સુરક્ષિત જગ્યાએ ખસેડી કંટ્રોલ રૂમને જાણકરવી સહિતના નિયમો લાગુ કર્યા હતા. બેરિકેટ્સનોવૈકલ્પિક ઉપાયહાઇવે પર માત્ર બેરિકેટ્સમૂકવાથી અકસ્માતનું જોખમસંપૂર્ણપણે ટાળી શકાય તેમનથી. વાહનોની ગતિ ધીમીકરવા માટે ટ્રાન્સવર્સ બારમાર્કિંગનો પણ અસરકારક રીતેઉપયોગ કરી શકાય છે. જે સ્થળેવાહનોની ગતિ ધીમી કરવીહોય ત્યાંથી 50, 100 અને 200મીટરના અંતરે ત્રણ તબક્કામાં12થી 15 મીમી ઊંચાઈવાળાટ્રાન્સવર્સ બાર માર્કિંગ (પીળાપટ્ટા) કરવાથી વાહનો ક્રમશઃધીમા પડે છે અને અકસ્માતનુંજોખમ ઘટાડી શકાય છે. બેરિકેટ્સ પારદર્શક હોવા જોઈએ, જેથી સ્પષ્ટ દેખાય• બેરિકેટ્સ પારદર્શક હોવા જોઈએ,જેથી રસ્તો ક્રોસ કરતા રાહદારીઓતથા વાહનચાલકોને હાઇવે પરઆવતા વાહનો સ્પષ્ટ રીતે દેખાઈ શકે.• બેરિકેટ્સ મૂકેલા સ્થળે ફરજ પર એકકર્મચારી હાજર હોવો જોઈએ.• બેરિકેટ્સ મૂક્યા હોય તે સ્થળથી200 મીટર પહેલાં ચેતવણી આપતુંસૂચન બોર્ડ લગાવવું જોઈએ.• બેરિકેટ્સ પર રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપહોવી જોઈએ, જેથી રાત્રિના સમયેબેરિકેટ્સ સ્પષ્ટ દેખાય.• લાંબા ટ્રેલર સહિતના ભારે વાહનોસરળતાથી પસાર થઈ શકે તે રીતેબેરિકેટ્સ ગોઠવવા જોઈએ.
ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આ્વ્યું:વડનગર-વલસાડ સહિત 4 ટ્રેનો તા.16 થી 20 સુધી કલોલ સ્ટેશને ઉભી રહેશે
રેલવે વિભાગ દ્વારા મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 4 એક્સપ્રેસ ટ્રેનોને કલોલ સ્ટેશનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ચારેય ટ્રેનો તા.16 થી 20 ડિસેમ્બર સુધીમાં સ્ટોપેજ આપવાનું શરૂ કરશે. આ તમામ ટ્રેનો કલોલ સ્ટેશન પર 2-2 મિનિટ ઉભી રહેશે. જેનો લાભ મુસાફરોને મળશે. આ 4 ટ્રેનો કલોલ સ્ટેશને ઉભી રહેશે 1. ટ્રેન નંબર 20959 વલસાડ– વડનગર એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી સવારે 11.37 કલાકે આગમન અને 11.39 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે 20960 વડનગર–વલસાડ એક્સપ્રેસ એ જ દિવસ સાંજે 6.15 કલાકે આગમન અને 6.17 કલાકે પ્રસ્થાન કરશે. 2. ટ્રેન નંબર 12215 દિલ્લીસરાય રોહિલ્લા– બાન્દ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ 16 ડિસેમ્બરથી રાત્રે 10.41 કલાકે આગમન અને 10.43 કલાકે પ્રસ્થાન કરશે. તે જ રીતે 12216 બાન્દ્રા ટર્મિનસ– દિલ્લીસરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ રાત્રે 8.11 કલાકે આગમન અને 8.13 કલાકે પ્રસ્થાન કરશે. 3. ટ્રેન નંબર 16507 જોધપુર– કેએસઆર બેંગ્લુરુ એક્સપ્રેસ 18 ડિસેમ્બરથી બપોરે 12.55 કલાકે આગમન અને 12.57 કલાકે પ્રસ્થાન કરશે. જ્યારે 16508 કેએસઆર બેંગ્લુરુ– જોધપુર એક્સપ્રેસ 17 ડિસેમ્બરથી સવારે 6.19 કલાકે આગમન અને 6.21 કલાકે પ્રસ્થાન કરશે. 4. ટ્રેન નંબર 15269 મુજફ્ફરપુર– સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ 20 ડિસેમ્બરથી સવારે 5.53 કલાકે આગમન અને 5.55 કલાકે પ્રસ્થાન કરશે. તે જ રીતે 15270 સાબરમતી– મુજફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાંજે 6.28 કલાકે આગમન અને 6.30 કલાકે પ્રસ્થાન કરશે.
એક દિવસ બપોરના સમયે મહિલા સહાયતા કેન્દ્રમાં હું મારી ટેબલ પર બેઠી હતી. એ દરમિયાન એક યુવતી કચેરીના દરવાજે ઊભી રહી અંદર તરફ આશાની નજરે જોઈ રહી હતી. મેં તરત એને અંદર બોલાવી. પાણી આપીને શાંતિથી પૂછ્યું, શું થયું છે? થોડી ક્ષણો એ ચૂપ રહી. પછી ધીમે અવાજે બોલી, હું ઘર છોડીને આવી છું, મને મદદ કરો. એ શબ્દોમાં દુઃખ પણ હતું અને વિશ્વાસ પણ. યુવતીએ પોતાની વાત શરૂ કરતાં કહ્યું કે, માતાના અવસાન પછી પિતા સતત દારૂના નશામાં રહેતા હતા. પરિવારના દબાણથી સમાજમાં લગ્ન કરાયા, પરંતુ પતિ ન ગમતાં સંબંધ ક્યારેય બંધાયો નહીં. અંતે છૂટાછેડા લઈ સંબંધીના ઘરે રહેવા મજબૂર બની. જોકે, છૂટાછેડાનો સામાજિક વ્યવહાર બાકી હતો. એટલે લગ્ન તૂટ્યા બાદ સંબંધીઓનું વર્તન બદલાઈ ગયું. મારઝૂડ અને અપમાન વચ્ચે એકલી પડી ગઈ છું. આ હકીકતના આધારે કેસની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રથમ તબક્કે એ સંબંધીઓને કચેરી બોલાવ્યા, જેમણે એના લગ્ન કરાવ્યા હતા અને જ્યાં એ રહેતી હતી. યુવતીના મનની વાત તેમની સામે મૂકતાં ધીમે ધીમે વાત સ્પષ્ટ થવા લાગી. કાઉન્સેલિંગથી છૂટાછેડાની સામાજિક પ્રક્રિયા પૂર્ણ થઈ.છતાં પણ સમસ્યા ત્યાં અટકી નહીં. યુવતી ન તો પિતા પાસે જવા તૈયાર હતી, ન તો સંબંધીઓ પાસે. ફરીથી એની સાથે વાત કરતાં ખબર પડી કે એને પિતા પ્રત્યે ખૂબ પ્રેમ છે, પરંતુ વ્યસનથી ડરે છે. એ પછી મેં પિતાને કચેરી બોલાવ્યા. મેં તેમને તેમની દીકરી કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તે સમજાવ્યું અને કહ્યું, તમારી દીકરી તમને ખૂબ પ્રેમ કરે છે, પણ એ તમારાથી ડરે છે. આ શબ્દો સાંભળતાં જ પિતા ભાવુક થઈ ગયા. તેમણે પૂછ્યું, મારાથી શેનો ડર? એ જ ક્ષણે મેં તેમની કુટેવ વિશે વાત શરૂ કરી. આરોપ નહીં, પરંતુ દીકરીની લાગણીઓ સાથે. પિતા તૂટી પડ્યા. તેમણે દીકરીને ગળે લગાવી અને દારૂ છોડવાની બાંહેધરી આપી. આ પળ મારા માટે પણ ખૂબ ભાવુક હતી. માતાના અવસાન બાદ પિતાનો પ્રેમ પણ ગુમાવી બેઠેલી દીકરીને ફરી પરિવાર મળી ગયો. યુવતીને ઘર અને પિતા સુધી પહોંચાડવા 6 મહિનાનો સમય લાગ્યો હતો.
પરિણીતાને ત્રાસ:સરગાસણની મહિલાને પતિએ ત્રાસ આપતાં ફરિયાદ નોંધાવી
શહેરના સરગાસણ વિસ્તારમાં રહેતી પરિણિતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આખરે પતિ અને સાસરીયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પતિને અન્ય યુવતિ સાથે સંબંધ હોવાથી પત્નીને માર મારીને શારીરિક- માનસિક ત્રાસ આપતો હોવાનું પત્નીએ ફરિયાદમાં જણાવ્યું છે. સરગાસણમાં રહેતી યુવતીએ ભરૂચમાં રહેતા સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન 8 વર્ષ પહેલા મૂળ મહેસાણાના યુવાન સાથે થયા હતા. જે તેના પરિવાર સાથે હાલ ભરૂચમાં રહે છે. ચાર વર્ષ અગાઉ મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો હતો. તે પછી સાસરીયાનું વર્તન બદલાયું હતું. પતિને રેલવેમાં નોકરી મળતાં પરિવાર સાથે ભરૂચ રહેવા ગયા હતા. પરંતુ પતિ અન્ય યુવતી સાથે સંપર્કમાં હોવાના અને તેની સાથે સંબંધો હોવાની જાણ મહિલાને થતાં તે અંગેની પૃચ્છા કરતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ મામલે પતિ ઉશ્કેરાઇને પત્ની સાથે મારઝૂડ પણ કરતો હતો. અગાઉ મહિલાના પિતા આર્થિક મદદ કરતા હતા પરંતુ તેમનું અવસાન થયા બાદ તે બંધ થઇ ગઇ હતી. જેથી સાસુ અને સસરાએ પણ ત્રાસ આપવાનું ચાલું રાખ્યું હતું. મહિલાએ તેના ભાઇને આ બાબતની જાણ કરતા તેમણે મહિલાના પતિ અને ઘરના સભ્યોને સમજાવ્યા હતા પણ તેની કોઇ અસર થઇ ન હતી. જેથી મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને પતિ અને સાસુ સસરા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મોત:ગઠામણ પાટિયા પાસે બસની ટક્કરે બાઇક સવારનું મોત
પાલનપુર -અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટિયા પાસે શુક્રવારે રાત્રે માર્ગ એસ.ટી. બસ ચાલકે બાઇકને ટક્કર મારતાં એક યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુર નવા લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા પાનસિંહ બધેલ અને તેમના સાળા રાજાબાબુ ઉર્ફે કમલેશ બંને કાણોદર તરફ કલરકામ માટે ગયા હતા. કામ પૂર્ણ કરી શુક્રવારે રાત્રે આશરે 8 વાગ્યે તેઓ બાઇક નં. જીજે-08-એસી-8469 પર પાલનપુર પરત ફરી રહ્યા હતા. તે સમયે ગઠામણ પાટીયા પાસે પ્રેમ હોટલ સામે રોડ ક્રોસ કરતી વેળાએ પાલનપુર તરફથી આવતી એસ.ટી. બસ નં. જીજે-18-ઝેડટી-3195 ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.આથી બંને બાઇક સવારો રોડ પર પટકાયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી અને બંનેને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમ્યાન પાનસિંહને હાજર ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે રાજાબાબુને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર શરુ કરી હતી.આ અકસ્માતને લઈ મૃતકના ભાઈ કમલસિંહ ભગવાનદીન ચતુરસિંહ બધેલએ બસના ચાલક સામે પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પાણીનો વેડફાટ:પાટણના ગાંધીબાગમાં બોર ઓપરેટર મોટર બંધ કરવા ભૂલી જતાં પાણી વેડફાયું
પાટણ શહેરના ગાંધીબાગ ખાતે આવેલ બોરના ઓપરેટર પાણીની મોટર ચાલુ કરીને તેને બંધ કરવાનું ભૂલી જતાં હજારો લિટર શુદ્ધ પીવાના પાણીનો બેફામ બગાડ થયો હતો. ઓપરેટરની આળસને કારણે બોરમાંથી નીકળતું પાણી રોડ પર રેલાયું હતું અને તેનો પ્રવાહ છેક હોટેલ ગુર્જરી સુધી પહોંચ્યો હતો. ભર શિયાળામાં પણ રસ્તાઓ પર ચોમાસા જેવો માહોલ સર્જાતા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા.પાણીના ધસમસતા પ્રવાહને કારણે સમગ્ર ગાંધીબાગ છલોછલ ભરાઈ ગયો હતો. જેને પગલે બપોરના સમયે આરામ કરવા આવેલા લોકોને કાદવ અને પાણીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ઘણા વિસ્તારમાં પીવાના પાણીની હાલાકીને લઈને લોકો ત્રાહિમામ્ પોકારી વારંવાર નગરપાલિકામાં હલ્લાબોલ કરે છે. ત્યારે બીજી તરફ આવા કર્મીઓના કારણે પીવાના શુદ્ધ પાણીનો બગાડ થઈ રહ્યો છે.ગાંધીબાગમાં આવેલ બોરમાંથી પીવાનું પાણી ઉભરાવાના બનાવો વારંવાર બને છે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા MBBSના બીજા વર્ષના અંદાજે 400 જેટલા વિદ્યાર્થીઓની બીજા વર્ષની પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાઈ હતી. બે માસ જેટલો સમય પૂર્ણ થયા બાદ પરીક્ષા વિભાગ દ્વારા તેના પરિણામો જાહેર ના કર્યા હોય આ મામલે યુનિવર્સિટીમાં પૂછપરછ કરતા યોગ્ય જવાબ ના મળતા વિદ્યાર્થીઓની આગામી મંગળવારે શરૂ થનાર ત્રીજા વર્ષની પરીક્ષા આપવી કે નહીં તેને લઈને મુઝવણ તેમજ પરીક્ષાના પરિણામ અંગે સતત માનસિક ટેન્શન અનુભવી રહ્યો હોય ડિપ્રેશનમાં આવી ગયો હતો ખોટું પગલું ભરી લેવાના વિચારો આવતા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક ધોરણે પરીક્ષા વિભાગ દ્વારા તેમનું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે નહીં તો તેના ખોટા પગલાં માટે આ લોકો જવાબદાર રહેશે એવી ગર્ભિત ધમકી સાથેનો એક MBBSની વિદ્યાર્થીનો પત્ર HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન (HMSA)ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવ્યો હતો. વિદ્યાર્થીઓના સંગઠન HMSAએ આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોર ઉત્તર ગુજરાતની તમામ મેડિકલ કોલેજના ડીનને મોકલ્યા હતા. એસોસિએશન દ્વારા યુનિવર્સિટીને ચીમકી આપી છે કે 5000થી વધુ ફી લેવા છતાં પરીક્ષા વિભાગના આ વલણથી MBBS વિદ્યાર્થીઓ ભારે તણાવ અને હેરાનગતિ અનુભવી રહ્યા છે. જો આગામી સમયમાં પરિણામ જાહેર નહીં થાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. વિધાર્થીએ લખેલ શબ્દ અંશ પત્રવિષય : પરીક્ષા પરિણામ અને પુનઃમૂલ્યાંકન પરિણામોમાં અયોગ્ય વિલંબ બાબતે ગંભીર ફરિયાદ છેલ્લા ઘણા મહિનાથી HNGU દ્વારા લેવામાં આવેલી પરીક્ષાના પરિણામ તથા મૂલ્યાંકનના પરિણામો માટે વારંવાર રજૂઆત કરી ચૂક્યો છું. સપ્ટેમ્બર મહિનામાં લેવાઇ હોવા છતાં આજ તારીખ સુધી પરિણામ જાહેર કરવામાં આવેલ નથી.અને આ પરિણામ જાહેર થયું નથી અને 2 દિવસ પછી 3-સેમની પરીક્ષા છે.જો પરિણામ જાહેર ના થાય તો હું ત્રીજા સેમમાં એપ્રરૃવ થઈ શકું તેમ નથી. યુનિવર્સિટી દ્વારા દર વખતે અસ્પષ્ટ અંસતોષકારક તો કયારેક ઉદ્ધતાઈ જવાબ આપવામાં આવે છે.આ અયોગ્ય વિલંબ અને બેદરકારીના કારણે મને ગંભીર માનસિક ત્રાણ અસ્વસ્થતા ડિપ્રેશન અને શૈક્ષણિક તથા વ્યક્તિગત નુકશાન ભોગવવું પડી રહ્યું છે.અને મને જીવનની આશા છીનવી રહ્યું છે.તો અગર મને કાંઈપણ થયું એના માટે જવાબદાર સંસ્થા રહેશે.ને હું પગલું ભરતાં પહેલા જવાબદાર લોકોના નામ લખીને જઈશ ફરિયાદને ગંભીરતાથી લઈને તાત્કાલિક યોગ્ય લેવાય તેવી અપેક્ષા રાખું છું. વિદ્યાર્થી નવી સ્કીમના સ્પષ્ટીકરણ અને મૂલ્યાંકનના કારણેવિલંબ, સોમવારે પરિણામ જાહેર થશે : નિયામકપરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું કે કાઉન્સિલ દ્વારા આવર્ષમાં 100 અને 500 બંને અંગેની એક નવી સ્કીમ જાહેર કરી હોયતેના સ્પષ્ટીકરણના કારણે તેમજ મૂલ્યાંકન થઈને પરીક્ષા સેન્ટરમાંઉત્તરવહી આવવામાં વિલંબ થતા પરિણામ જાહેર કરવામાં વિલંબથયો છે શુક્રવાર જ પરિણામ જાહેર કરવાનું હતું પરંતુ થોડી ટેકનિકલએરર આવતા હવે સોમવારે વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ જશે.
ચરસ ગાંજો હાઈબીડ ગાંજો જેવાં ડ્રગ્સના માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતાં પ્રતિબંધિત રોલિંગ પેપર્સ ગોગો સ્મોકિંગ કોનના વેચાણનો પાટણ જિલ્લામાં પ્રતિબંધ બાદ સિદ્ધપુરમાં પોલીસે 3કરેલ પ્રથમ રેડમાં પહેલી વખત ત્રણ પાર્લર અને એક દુકાન ઉપરથી વેચાણ થતાં 694 નંગ ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર્સનાં જથ્થા સાથે 4 વેપારીને પકડી પાડ્યા છે. સિદ્ધપુર પોલીસે બાતમી આધારે સિદ્ધપુરમાં દેથળી રોડ પર વહાણવટી પાન પાર્લરમાંથી રૂ.1335ના 89 નંગ ગોગો સ્મોકિંગ કોન સાથે મેળોજના કરણજી ગણેશજી ઠાકોરને પકડી પાડ્યો હતો. જ્યારે સિદ્ધપુરના માધુપુરા ખાતે પાટીદાર કોમ્પ્લેક્સમાં ધ્રુવી પાર્લરમાં પોલીસે રેડ કરી રૂ.500નાં 50 નંગ રોલિંગ પેપર્સ સાથે મહેન્દ્રભાઈ રામજીભાઈ પ્રજાપતિને પકડી પાડ્યા હતા. જ્યારે જય ગોગા પાર્લર ખાતે રેડ કરી રૂ.555ના 37 નંગ ગોગો સ્મોકિંગ કોન સાથે રવિ હરેશભાઈ પટેલને પકડી પાડ્યા હતાં. જ્યારે સુપર માર્કેટની દુકાનમાં પોલીસે રેડ કરી રૂ.2520ના 168 ગોગો સ્મોકિંગ કોન અને રૂ.3,500નાં 350 રોલિંગ પેપર્સ સાથે અશોકકુમાર કંડાણીને પકડી પાડ્યા હતા. આ અંગે ચારેય વેપારીઓ સામે સિદ્ધપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી. બાઈક પર થતી હતી ડિલિવરી, સ્કૂલના બાળકો પણ ગ્રાહક હતાસિદ્ધપુર સહિત પાટણમાં પાર્લરના વેપારીઓને ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનાં વેચાણ અને માલ ક્યાંથી લાવતા અંગે પૂછતાં જાણવા મળ્યું હતું કે એક વ્યક્તિ બાઈક પર અઠવાડિયામાં એકાદ વખત ડિલિવરી આપી જતો હતો. વેપારીઓ જરૂરિયાત પ્રમાણે જથ્થો ખરીદતા હતાં અને નશીલા પદાર્થોનું સેવન કરતાં લોકો વેપારીઓ પાસેથી ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપસૅની ખરીદી કરતા હતાં. જેમાં સૌથી વધુ યુવકો ખરીદી કરવા આવતા હતા.એક કોનના 70 રૂપિયા લેતા હતા. કેટલાક સમયે તો સ્કૂલના બાળકો ખરીદી કરવા આવતા હતા.
આરોપી ઝડપાયો:પાલનપુરમાં મ્યુલ બેંક અકાઉન્ટ દ્વારા રુ.1.15 લાખના સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઈમ સામે મોટી સફળતા મેળવી છે. પોલીસે ગુજરાત, તેલંગાણા, તમિલનાડુમાં નોંધાયેલી અલગ અલગ 3 ફરિયાદોના આધારે 20 વર્ષીય યુવકની અટકાયત કરી રુ.1.15 લાખના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો હતો. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.કે. દેસાઈના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મહિન્દ્રા કોટક બેંકનું એક મ્યુલ બેંક અકાઉન્ટ શંકાસ્પદ રીતે વપરાયેલું હોવાનું સામે આવ્યું હતું. જેમાં કુલ રુ.1.15 લાખ જેટલા ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયેલા હતા. વધુ તપાસમાં આ અકાઉન્ટ પાલનપુરના નાની બજાર, નાગોરી વાસ, હુસૈનીચોક વિસ્તારમાં રહેતા આકીબખાન જહુરખાન નાગોરીનું હોવાનું બહાર આવ્યું હતું. આ એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યોમાં સાયબર ફ્રોડ કરાયેલો હોવાનું પણ ખુલ્યું હતું. જેમાં સુરતના વરાછા રોડ પોલીસ સ્ટેશન, તેલંગાણાના રાચકાંડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા તમિલનાડુના કૃષ્ણાગીરી જિલ્લામાં આ અંગે ઓનલાઈન સાયબર ફરિયાદો નોંધાયેલી હતી.જેના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસે શુક્રવારે સવારે 7:30 વાગે આરોપીની અટકાયત કરી હતી.
પર્દાફાશ:અલગ અલગ રાજ્યોમાંથી ફ્રોડ કરી મેળવેલા રૂ.33.20લાખના મ્યુલ બેંક ખાતાનો પર્દાફાશ
વાવ પોલીસને સાયબર ક્રાઇમ સેલ ગુજરાત રાજ્યની સૂચનાના આધારે સમન્વય પોર્ટલ પર નોંધાયેલા મ્યુલ બેંક એકાઉન્ટોની તપાસમાં મોટી સફળતા મળી છે. પોલીસે સાયબર ફ્રોડના અલગ અલગ રાજ્યોના નાણાંની હેરાફેરીમાં સંડોવાયેલા વાવ અને ધાનેરા તાલુકાના મળી ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાવ પોલીસે સાયબર ક્રાઇમ સેલની સૂચના અનુસાર સમન્વય પોર્ટલ પર મળેલા ઇનપુટના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, વાવ બ્રાંચના એસબીઆઇ બેંક અને બેંક ઓફ બરોડાના ખાતા નંબર પર પ્રવૃત્તિ શંકાસ્પદ જણાઈ હતી. એસબીઆઈ ખાતામાં રૂ.15,89,413ની અને બેન્ક ઓફ બરોડાના ખાતામાં રૂ.17,30,749 માતબર રકમના ટ્રાન્ઝેક્શન્સ જોવા મળ્યા હતા, જે ભારતના જુદા જુદા રાજ્યોમાં થયેલ સાયબર ફ્રોડની 4 ફરિયાદો સાથે સંકળાયેલા હતા.બેંક સ્ટેટમેન્ટની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે આ રકમ ખાતામાં જમા થતાંની સાથે જ ચેક અને એટીએમ દ્વારા તાત્કાલિક ઉપાડી લેવામાં આવી હતી. પોલીસે ખાતા ધારક શીવાભાઈ સામતાભાઈ ચૌધરી અને ભરતભાઈ ઉકાભાઇ રાજપૂતની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં શીવાભાઈએ ખુલાસો કર્યો હતો કે તેના મિત્ર પરશુભાઈ સુજાભાઈ ભાંડના કહેવાથી આ નાણાં ખાતામાં જમા થતા હતા અને તે રોકડા ઉપાડીને પરશુભાઈને આપતો હતો. બીજી તરફ અન્ય ફરિયાદની તપાસમાં પરશુએ કરેલા ફ્રોડના રૂ.17,30,749 શીવાભાઈના ખાતામાં ટ્રાન્ઝેક્સન કરતો જે નાણાં શીવાભાઈ ભરતના ખાતામાં ટ્રાન્ઝેક્સન કરતાં ભરત ચેક મારફતે એટીએમમાંથી ઉપાડી લેતો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં ત્રણેય આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરૂં રચી એકબીજાની મદદગારીથી સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમનું ટ્રાન્ઝેક્શન કરી નાણાકીય લાભ મેળવ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.આથી પોલીસે અલગ અલગ ફરિયાદના આધારે આરોપીઓ શીવાભાઈ સામતાભાઈ ચૌધરી (રહે. માડકા, તા. વાવ), ભરતભાઈ ઉકાભાઇ રાજપૂત (રહે.બિયોક તા.વાવ) અને પરશુભાઈ સુજાભાઈ ભાંડ (રહે. ધાખા, તા. ધાનેરા) વિરુદ્ધ અલગ અલગ ફરિયાદમાં ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. રાજ્યોમાં ફ્રોડ કર્યાં હોવાનું બહાર આવ્યુંવાવ પોલીસ મથકે ફ્રોડની બે ફરિયાદો નોંધાઈ છે. જેમાં અમદાવાદ સહિત અલગ અલગ જેવા કે કર્ણાટક,મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરળ, તેલંગણા સહિત રાજ્યોના લોકો સાથે નાણાં ફ્રોડ કર્યાની સાયબર કમ્પલેન રજીસ્ટર થયેલી હતી. જેને આધારે તપાસ હાથ ધરાઈ હતી.
ભાસ્કર ઈન્સાઈડ:ચંડીસરમાં ઘી બનાવતી શ્રી સેલ્સ એજન્સી પર ફૂડ ટીમ ત્રાટકતાં સંચાલક ભાગી ગયો,ગોડાઉન સીલ
ચંડીસર જીઆઇડીસીમાં શુક્રવારે રાત્રે પાલનપુર ફૂડ વિભાગે દરોડો પાડતા એજન્સી સંચાલક ભાગી ગયો હતો. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો. શ્રી સેલ્સ ફેક્ટરીમાં અગાઉ પણ લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તેવામાં ફરી ફૂડ વિભાગે કાર્યવાહી માટે દરોડો પાડતા સંચાલકના ભાગી ગયા બાદ તાત્કાલિક પોલીસને બોલાવીને અંદરનું મુખ્ય ગોડાઉન સીલ કરાયું હતું જ્યારે ફેક્ટરી ની બહાર પરિસરમાં મોટી સંખ્યામાં જીના ખાલી ડબ્બા આગળ બેસીને શનિવારે દિવસ દરમિયાન પંચનામુ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ અંગે ફૂડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ચંડીસર જી.આઇ.ડી.સી.માં આવેલી ''શ્રી સેલ'' નામની ઘી ઉત્પાદક પેઢીની તપાસ કરી હતી. પ્રાથમિક બાતમી મુજબ, પેઢીના માલિક શંકાસ્પદ ઘી બનાવતા હતા. અગાઉ પણ આ પેઢી સામે બેથી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂનાઓ ''સબ-સ્ટાન્ડર્ડ'' જાહેર થયા હતા. આ સંદર્ભે, ફરીથી ઘી બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન, પેઢીના માલિકના એક ગોડાઉનમાં માલ સંગ્રહ કરાતો હોવાનું જણાયું હતું. ગત વર્ષે રૂ. 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું જેનો કેસ ચાલી રહ્યો છે પાલનપુર નાયબ કલેકટરની કોર્ટમાં ફૂડ સેફટીના કેસો અંતર્ગત ચંડીસરની આજ ફેક્ટરીમાંથી 35 લાખનું ઘુમર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાતા સેમ્પલ પરીક્ષણમાં નાપાસ થયા હતા જે બાદ હાલમાં કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે તેવામાં ફરી લાખો રૂપિયાનો જથ્થો પકડાય તેવી આશંકા છે. ગોડાઉનની તપાસ કરતા માલિક ત્યાંથી પણ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરીને તેમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ બે જગ્યાએ તપાસ કરવામાં આવી છે.
કાર્યવાહી:સિદ્ધપુરમાં ચાઈનીઝ દોરીની 5 ફીરકી સાથે યુવક ઝડપાયો
પાટણ| સિદ્ધપુરમાંથી ચાઈનીઝ દોરીની 5 ફીરકીઓ સાથે યુવક પકડાતાં ફરિયાદ નોંધાઇ હતી. સિદ્ધપુર પોલીસની ટીમ પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે વખતે બાતમીના આધારે, પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફીરકીઓ ચંન્દ્રાવતી ગામના મંગાજી ધારુજી ઠાકોર ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની પાંચ ફીરકીઓ મળી આવી હતી. પોલીસે તેની વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ખાતે બી.એન.એસ. કલમ-223 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી:નવલપુર ભાટોડાની સીમમાંથી~3.34 લાખનો દારૂ પકડાયો
હિંમતનગર તાલુકાના ગાંભોઈ નજીક સૂરજપુરા ફાટક આગળ વાહન ચેકિંગ કરી રહેલ પોલીસને જોઈ ગાડી ભગાવી મૂકતાં પોલીસે પીછો કરતા ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ જતાં નવલપુર ભાટોડા ગામની સીમમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ફરાર થઈ ગયા હતા. પીછો કરી રહેલ પોલીસે ગાડી નજીક પહોંચી ગાડીની તપાસ કરતાં અંદરથી 3,34,800નો દારૂ મળ્યો હતો. તા.12-12-25ના રોજ ગાંભોઈ પોલીસ સૂરજપુરા ફાટક નજીક વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન ભિલોડા બાજુથી આવી રહેલ ગાડી નંબર જીજે-01-આરકે-4339ને ઉભી રાખવા ઈશારો કરતાં ચાલકે ગાડી દોડાવી મૂકી હતી. જેથી ગાંભોઈ પોલીસે પીછો કરતાં ખેપીયો ગાડી લઈને ગાંભોઈ ત્રણ રસ્તા થઈ શામળાજી તરફ ભાગ્યો હતો અને પોલીસનો પીછો ચાલુ રહેતા પકડાઈ જવાની બીકે નવલપુર ભાટોડા ગામની સીમમાં રોડની બાજુમાં ગાડી મૂકી ખેપીયો અને તેની બાજુમાં બેઠેલો શખ્સ ખેતરમાં થઈ ભાગી ગયા હતા. પાછળ આવી પહોંચેલ પોલીસે ગાડીમાંથી દારૂની 20 પેટીઓ બોટલ નંગ 828 કિં.3,34,800નો જથ્થો અને ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કરમસદ આણંદ મનપાના પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાંથી પાણીનું શુદ્વિકરણ કર્યા વગર જ ડેડ કેનાલમાં છોડી દેવામાં આવતાં 50 વીઘા જમીનમાં ગટરના ગંદા પાણી ફરી વળતાં ઘઉં, ટામેટી અને તમાકુના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે. પાંચ માસ પહેલા એસટીપી પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભારે નુકસાન થયું હતં. જે તે વખતે કલેક્ટરને રજૂઆત કરી હતી તેઓ મનપાને કડક સુચના આપીને ફરી આવું ના થાય તેની તકેદારી રાખવામાં જણાવ્યું હતું તેમ છતાં મનપા ડ્રેનેજ વિભાગ મનમાની કરી રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે. આ પ્રશ્ન તાત્કાલિક હલ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ,કરમસદ, સંદેશર રોડ પર પાલિયા વિસ્તારમાં ગટરના ગંદા પાણીના શુદ્વિકરણ માટેનો એસ ટી પી પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. તેમ છતાં મનપા દ્વારા પાણીનું શુદ્વિકરણ કર્યા સિવાય ડેડ કેનાલમાં ગટરના ગંદા પાણી છોડી દેવામાં આવતાં ખેડૂતોને છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત પાક નિષ્ફળ ગયો છે. વારંવાર ગંદા પાણી ઘુસી જતાં જમીન કેમિકલ તત્વો ઉમેરાતા બંજર બની જવાનો ભય સતાવી રહ્યો છે. કેનાલમાં નાંખે છે.જેથી કેનાલ ઉભરાઇને આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે છે.છેલ્લા બે વર્ષથી આ પ્રશ્ન સતાવી રહ્યો છે. ચાલુ વર્ષે પણ જુલાઇમાં ગટરના પાણી 25થી વધુ ખેતરોમાં ફરી વળતાં ચોળી,ગલકા સહિતના શાકભાજીના પાકને નુકશાન થયું છે. જે બાબતે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, આણંદ મનપા કમિશ્નરે રજૂઆત કરવા છતાં કોઇ જ પગલાં લેવાતા નથી.ખેતરમાં ચાર દિવસ ગટર ગંદા પાણી ભરાઇ રહેતા પાક કોહવાય જતાં ખેડૂતોને લાખો નુકશાન થઇ રહ્યું છે. વિદ્યાનગર, કરમસદ સહિત વિસ્તારના ગટરના ગંદા પાણી પાલિયા વિસ્તારમાં આવેલા એસટીપી પ્લાન્ટમાં નાંખવા આવે છે. પરંતુ આ પ્લાન્ટમાં પાણી શુદ્વ કરવાની કે તેનો નિકાલ કરવાની કોઇ જ વ્યવસ્થા નથી.જેથી પ્લાન્ટ ભરાઇ જાય એટલે તંત્ર દ્વારા બાજુ આવેલી માઇનોર કેનાલમાં પાઇપ દ્વારા પાણી છોડી દેવામાં આવે છે.,જે પાણી ખેતરોમાં ઘુસી જાય છે. ડેડ કેનાલ ઉભરાઇને તમાકુ રોપણી કરેલા ખેતરમાં ફરી વળતાં જયેશ તળપદા નામના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ભાસ્કર ઇનસાઇડમનપા એસટીપ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાનકરમસદ પાલિકાના શાસનમાં અંદાજે 50 લાખ ઉપરાંતના ખર્ચે કરમસદના પાલિયા વિસ્તારમાં તલાવડી પાસે એસટીપી પ્લાન્ટ બનાવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે એસટીપી પ્લાન્ટની તમામ મશીનરી ખોટકાઇ ગઇ છે. જે તે વખતે ગટરના ગંદા પાણીને એસટીપી પ્લાન્ટ થકી શુદ્વ કરીને ખેતી પાક માટે આપવાનો નિર્ણય કર્યો પરંતુ તંત્રની બેદરકારીને કારણે બે વર્ષથી એસટીપી પ્લાન્ટ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે. ગત જુલાઇમાં મનપાએ પ્લાન્ટ પુન: કાર્યરત કરી પાણીનું શુદ્વિકરણ કરવાની ખાતરી આપી પરંતુ આજદીન સુધી કામ હાથ ધરાયું નથી. જેને લઇને પુન:ખેડૂતોને શોષવાનો વખત આવ્યો છે. 3 વીઘા ખેતરમાં ઘઉંના પાકમાં ગંદા પાણી ફરી વળતાં નિષ્ફળ ગયો કરમસદ પાલિયા વિસ્તારમાં3 વીઘા ખેતરમાં ઘઉંનો પાક રોપ્યો હતો. હાલમાં ઘંઉ ફૂટ અવસ્થામાં હતા. .ત્યારે ગટરના ગંદા પાણી ખેતરમાં ફરી વળતા તમામ પાક ફેલ ગયો છે. જેથી અંદાજે30 હજારનું નુકશાન થયું છે. હવે પાણી ખાલી થાય ત્યાં સુધી બીજો પાક લઇ શકાશે નહી. જેથી શિયાળુ સિઝન મનપાના પાપે ફેઇલ જતાં મારે દિકરાઓની ફિ ભરવાના પૈસા ખોરવાનો વખત આવશે.> દશરથ ચાવડા, ખેડૂત
વાલીઓનો આક્ષેપ:સરવણા પ્રા. શાળાના 4 બાળકોને હોલ ટિકિટ મોડી મળતાં નવોદયની પરીક્ષાથી વંચિત રહ્યા
હિંમતનગર તાલુકાની સરવણા પ્રાથમિક શાળાના ધો. 5માં અભ્યાસ કરતાંં ત્રણથી ચાર બાળકોને હોલ ટિકિટ મોડી મળતાં નવોદય પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા.જો કે આ મામલે છાત્રોના વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શાળાના આચાર્યએ હોલ ટિકિટ શનિવાર સવારે એટલે કે પરીક્ષાના દિવસે આપતાં બાળકો પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. સરવણા પ્રાથમિક શાળામાં ભણતા હર્ષ પરમાર તથા અન્ય ત્રણ વિદ્યાર્થીઓને નવોદય પરીક્ષાની હોલ ટિકિટ મોડી મળતાં પરીક્ષાથી વંચિત રહી ગયા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય સંગીતાબેન દ્વારા અમને હોલ ટિકિટ આજે શનિવાર સવારે જ આપતાં તથા પરીક્ષા 11.30 વાગે શરૂ થઇ જતાં અમે 7થી 10 મિનિટ મોડા પડતાં અમારા બાળકોને પરીક્ષામાં બેસવા દીધા ન હતા. પરીક્ષામાં બેસવા ન દેતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો હતો. શરતચૂકથી મેસેજ જોવાનો રહી ગયોઆ મામલે શાળાના આચાર્ય સંગીતાબેને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શરતચૂકથી મેસેજ જોવાનો રહી જતાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આજે આપતાં તેઓ પરીક્ષા કેન્દ્ર ઉપર લેટ પહોંચ્યા હતા. જેથી તેઓ પરીક્ષા આપી શક્યા ન હતા શિક્ષક દોષી જણાશે તો કાર્યવાહી કરાશેઆ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી કૈયુર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વાલીઓેની રજૂઆત આવી છે, વાલીઓેએ જણાવ્યું હતું કે, શાળાના આચાર્યએ અમને પરીક્ષા અંગે મોડી જાણ કરી હતી તથા હોલ ટિકિટ પણ વિદ્યાર્થીઓને આજે જ આપતાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. આ અંગે ટીપીઇઓને જાણ કરી છે તેઓ શિક્ષકને નોટિસ આપશે અને શિક્ષક દોષી જણાશે તો કાર્યવાહી કરાશે. સાબરકાંઠામાં નવોદયની 7995 છાત્રોએ પરીક્ષા આપીસાબરકાંઠા જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય (JNV) માં ધોરણ 6 માં પ્રવેશ મેળવવા માટેની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા કુલ 34 કેન્દ્રો પર યોજાઈ હતી. જિલ્લાના હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, તલોદ, વિજયનગર, વડાલી, પોશીના અને ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓના કેન્દ્રો પર 7,995 વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી. આ પ્રવેશ પરીક્ષા સવારે 11.30 કલાકે શરૂ થઇ હતી. જેમાં વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતા, અંકગણિત અને ભાષાની કસોટીના વિભાગોની પરીક્ષા લેવાઇ હતી.
યુવક ગુમ થયો:ખાનપુરનો યુવક ગુમ
બોરસદ તાલુકાના ખાનપુર ગામે ગાંધી ચોક ખાતે રહેતા હિર અમીતભાઇ પટેલ ઉ.વ 19 ગત 11મીનો રોજ કોલેજ જવાનું કહીને ઘરે નીકળ્યો હતો. જે મોટી સાંજ સુધી ઘરે પરત ફર્યો ન હતો. તેમના પરિવારજનો તપાસ કરવા છતાં કોઇ પત્તો લાગ્યો ન હતો. આ બંને બનાવ અંગે બોરસદ પોલીસ મથકે જાણવા જોગ નોંધાઇ છે.
પ્રતિબંધના જાહેરનામાનો ઉડ્યો છેદ:સર્કીટ હાઉસ માર્ગ વાહનો માટે પ્રતિબંધ છતાં જાહેરનામાનો ભંગ
આણંદ સર્કીટ હાઉસ વ્હાઇટ ટોપીગ રોડ નિર્માણ પગલે આવાગમન પ્રતિબંધના જાહેરનામાનો થતો ભંગ, કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ(સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગ તરીકે ડેવલપ કરવાની કામગીરી અંતર્ગત સદર માર્ગ આગામી 6 ફેબ્રુઆરી સુધી સંપૂર્ણ બંધનું જાહેરનામું છતાં વાહનોના આવાગમન થતાં પ્રતિબંધના છેદ ઉડી રહ્યા નું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત સપ્તાહે કરમસદ આણંદ મહાપાલિકા દ્વારા ત્રિભુવનદાસ પટેલ (સર્કીટ હાઉસ) માર્ગને વ્હાઇટ ટોપીગ માર્ગની કામગીરી હાથ ધરતાં આગામી 6 ફેબ્રુઆરી સુધી વાહન આવાગમન પર પ્રતિબંધ નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત વાહન આવાગમન માટે વૈકલ્પિક વ્યવસ્થાના આયોજન કરવામાં આવ્યાં હતું તેમ છતાં હાલમા માર્ગની કામગીરી સમયે સદર માર્ગ પરથી વાહનોના અવરજવર ચાલુ રહેતા જાહેરનામુંના ભંગ થતાં હોવાનું જાણવા મળેલ છે. જો કે તંત્ર દ્વારા અમલ કરાવાતો નથી. જેથી ચાલકો ઘુસી જાય છે.
લોક માંગ:મનપા વિસ્તારમાં આવેલ મહાવીર ઝુંપડપટ્ટીના ગેરકાયદે બાંધકામ અને દબાણ હટાવવા માગ
કરમસદ આણંદ મનપા દ્વારા મનપા વિસ્તારમાં આવેલ ટીપી 10મા વર્ષોથી કાચા પાકા બાંધકામ કરી રહેતાં રહીશો ને દૂર કરવા નોટિસ આપવામાં આવી છે.જયારે છેલ્લા3 વર્ષથી આણંદ પાલિકા શાસન દરમ્યાન થી ટીપી 1ના ફાઇનલ પ્લોટનં 479 પર ગેરકાયદે બાંધકામ દબાણ હટાવવાની રજૂઆત છતાં હજુ સુધી મનપા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવમાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપા દ્વારા બે દિવસ પૂર્વ શહેરના ટીપી 10મા ગેરકાયદે દબાણ બાંધકામ કરી વસવાટ કરતા આશરે ત્રણસો જેટલા રહીશો ને જગ્યા ખાલી કરવાની પખવાડિયા ની નોટિસ આપવામાં આવી છે. જેના પગલે વર્ષ 2023થી પાલિકા શાસન દરમ્યાન શહેરના ધાસવાલા હાઇસ્કૂલથી રત્નદીપ સોસાયટીથી મુખ્યમાર્ગ તરફ જતા ટીપી1 ના ફાઇનલ પ્લોટનં479 પર વર્ષોથી મહાવીર ઝુંપડપટ્ટી તરીકે ઓળખતા વિસ્તારમાં ગેરકાયદે દબાણ બાંધકામ કરવામાં આવ્યા છે. સ્થાનિક નાગરિક રિયાઝ વ્હોરા દ્વારા વર્ષ 2023 પાલિકા શાસન દરમ્યાન સદર ગેરકાયદે દબાણ બાંધકામ હટાવવામાં આવે ની વારંવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન કરવામાં આવતાં પ્રાદેશિક કમિશ્નર થી લઇ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત કરતાં યેનકેન પ્રકારે જે તે સમયના પાલિકા શાસકો દ્વારા ચૂપકીદી સેવામાં આવી હતી. ભાસ્કર ઈનસાઈડબાંધકામ માટે અગાઉ કોઇ પરવાનગી આપી નથીઆણંદના જાગૃત નાગરિક દ્વારા 2023 માં આરટીઆઇ કરીને ટીપી 1ના પ્લોટની માહિતી માંગી હતી. ત્યારે આરટીઆઇ દ્વારા માહિતી મેળવતા પાલિકા દ્વારા સ્પષ્ટ સદર માર્ગ પર કોઇ કાચા પાકા બાંધકામ ની પરવાનગી આપવામાં આવી નથી ના ઉલ્લેખ છતાં કાર્યવાહી કેમ કરાતી નથી તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.
હેકરની કરતૂત:બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાયું
આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના બીએલઓ ગ્રૂપમાં વોટસએપ એકાઉન્ટને હેકરે હેક કરી દેતા તંત્ર મુંઝવણમાં મુકાઇ ગયું હતું. તેમજ બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકો ફફડાટ વ્યાપી ગયો હતો. સોજિત્રા તાલુકામાં બી.એલ.ઓ (બૂથ લેવલ ઓફિસર) ગ્રૂપમાં વોટ્સએપ એકાઉન્ટ હેક થવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. બી. એલ. ઓ ગ્રૂપમાં એક કર્મચારીનું વોટ્સએપ હેક થતાં ગ્રૂપમાં સામેલ તમામને એસ. બી. આઈ ની એપીઆરએપ્લિકેશન હેકર દ્ધારા મોકલાઈ જતાં ઘણા બી. એલ. ઓ અસમંજસ સ્થિતિમાં મુકાઇ ગયા હતા અને 3 કર્મીઓએ એપ ડાઉનલોડ કરી પરંતુ સાચી હકીકત ખબર પડતાં તાત્કાલિક ડિલીટ કરાઇ હતી. આ બાબતે બી. એલ. ઓ ગ્રુપનો પ્રોફાઇલ ફોટો હેકર દ્ધારા બદલાઈ ગયો હતો અને લોભામણી સ્કીમ પીડીએફ મુકાઇ હતી આ બાબતની જાણ થતાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવામાં આવ્યું હતું . ઉલ્લેખનીય છે કે હાલ શિક્ષકોના ખાતા સ્ટેટ બેન્કમાં ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે ત્યારે આ એપીઆર એપ્લિકેશનથી ઘણા શિક્ષકો મુઝવણમાં મુકાઇ ગયા હતા. વોટસએપ હેક થઇ જાય તો શંકાસ્પદ કોલની ભીંતી વર્તાઇ તપાસમાં ખુલ્યું કે હેક કરાયેલા વોટ્સએપ એકાઉન્ટનો ગેરઉપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેને લઇને બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોમાં તાત્કાલિક ગ્રુપ ડિલીટ કરવાનો વખત આવ્યો હતો
આણંદ બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન દુધના ટીપાના આકારનું અને રંગનુ બનશે. ત્રણ મજલી બનનાર આણંદ રેલવે સ્ટેશનના પાયાનું કામ ડિસેમ્બર 2021માં શરૂ થયુ હતુ. જયારે હાલમાં કોન્કોર્સ સ્લેબ ટ્રેક સ્લેબ અને સ્ટ્રકચરલ સ્ટીલનું કામ 100 ટકા પુર્ણ સાથે સ્ટેશનનું કામ 80 ટકા પુૂર્ણ થયુ હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેકટના સત્તાવાળાઓએ જણાવ્યુ હતુ. આણંદ દૂધ નગરી તરીકે ઓળખ ધરાવે છે. જેથી બુલેટ ટ્રેન સ્ટેશનનો અગ્રભાગ અને ઇન્ટિરિયર ડિઝાઇન દૂધના ટીપાંના પ્રવાહી સ્વભાવ, આકાર અને રંગથી પ્રેરિત છે.પદયાત્રી પ્લાઝાની જગ્યાની સાથે કાર, દ્વિ-ચક્રીય, રિક્ષા અને બસ માટે સ્ટેશન બિલ્ડિંગની બાજુમાં યાત્રીઓને લેવા અને મૂકવાનું અને પાર્કિંગ સહિતની કામગીરી પૂર્ણતાના આરે પહોચી ગઇ છે. આણંદ બુલેટ ટ્રેન સ્ટેશનની વિશેષતાઓ
ચોથી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા:આણંદ જિલ્લામાં 1141 ઉમેદવારો જીપીએસસીની પરીક્ષા આપશે
આગામી 4થી જાન્યુઆરીએ જીપીએસસીની પરીક્ષા લેવામાં આવનાર છે.ત્યારે આણંદ જિલ્લામાં 48 બ્લોકમાં 1141 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. જો કે દિવ્યાંગ ઉમેદવારો અને બે લહિયા મેળવવા માટે પરીક્ષા કેન્દ્ર ભોયતળિયે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેના પગલે પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓ પડે નહીં તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ આણંદ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. પરીક્ષાની તડામાર તૈયારીઓના ભાગરૂપે આણંદ ડી.એન.હાઇસ્કૂલમાં 12 બ્લોક 288 પરીક્ષાર્થી, કસ્તુરબા કન્યા વિદ્યાલય 15 બ્લોક 360 પરીક્ષાર્થી, ચરોતર ઇગ્લીંશ મીડિયમ સ્કૂલ15 બ્લોક 360 પરીક્ષાર્થી અને આણંદ હાઇસ્કૂલમાં 6 બ્લોક 133 પરીક્ષાર્થી પરીક્ષા આપશે. જો કે ચાલુવર્ષે જીપીએસસીના પરીક્ષાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો ના પડે તે માટે કેન્દ્રના સંચાલક નું નામ અને મોબાઇલ નંબર વિગતો લખવામાં આવશે. ત્યારબાદ 20 જેટલા દિવ્યાંગો ઉમેદવાર માટે અલગ બ્લોકની વ્યવસ્થા ઉભી કરાશે. તેમજ 2 રૂમ લહિયા ઉમેદવાર માટે ભોયતળિયે રીર્ઝવ રાખવામાં આવશે. આમ આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે જીપીએસસી પરીક્ષાને લગતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મહત્વના માર્ગોને મંજૂરી અપાઈ:બમથીયા-નાના ખડબા રોડ 81 કિ.મી.ના રોડનું રૂ.4 કરોડના ખર્ચે થશે નવીનીકરણ
જામનગર જિલ્લાના જામજોધપુર અને લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુલ રૂ. 4.60 કરોડના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે. પ્રથમ, બમથીયા નાના ખડબા રોડ કે જે 8.100 કિમી લંબાઈ ધરાવે છે, તેના માટે રૂ. 400.00 લાખનો જોબ નંબર મંજૂર થયો છે. આ રસ્તો જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડતો અગત્યનો ગ્રામ્ય માર્ગ છે, જેની સપાટી લાંબા સમય અને ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગઈ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ દીવાલ તથા રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના તમામ ગામોના વાહન ચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. સાથે જ, બીજું કાર્ય મોટા પાંચસરા ટુ જોઇન એસ.એચ. રોડનું છે, જેની લંબાઈ 1.5 કિમી છે અને તેના માટે રૂ. 60.00 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. આ રસ્તો મોટા પાંચસરા ગામને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડતો અગત્યનો માર્ગ છે, અને આ રસ્તા પર ડામર કામ તથા રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી કરવામાં આવનાર છે, જેનાથી મોટા પાંચસરા તરફ જતા આવતા વાહન ચાલકોને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા તથા નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા આ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે અને તેને બનતી ત્વરાએ ઉચ્ચ ગુણવત્તા સાથે આ કામો પૂર્ણ કરાવવામાં આવનાર છે.
માછીમારોમાં આક્રોશ:ઓખામાં ડિઝલ સબસિડીથી સાગર ખેડૂઓ વંચિત, આંદોલનની ચીમકી
દ્વારકા જિલ્લાના ઓખામાં માછીમારોને ડિઝલ પર સબસિડી મળી રહી નથી જેને કારણે થઇ રહેલા આર્થિક નુકસાનનાં પગલે માછીમારોમાં આક્રોશ વ્યાપી ગયો છે. માછીમારોને બોટ રજીસ્ટ્રેશન અનુસાર ટ્રીપ માટે ડિઝલની ખરીદીમાં સબસિડી આપવામાં આવતી હોય છે પરંતુ આ વર્ષે સિઝન આરંભ થઇ ત્યારથી જ એટલે કે ઓગસ્ટ મહિનાનાં બીજા પખવાડીયાથી જ સબસિડીની પ્રક્રિયા ઠપ્પ છે! જાણવા મળ્યા મુજબ આ ચર્ચિત મુદ્દે મત્સ્યોદ્યોગ કચેરીમાં સ્ટાફની અછતનું બહાનુ ગણગણાટનો વિષય બન્યું છે. તો એવી પણ ચર્ચા છે કે તાજેતરમાં પ્રકાશમાં આવેલ બોટ કૌભાંડને કારણે ડિઝલ સબસિડીની પ્રક્રિયા કરવામાં કોઈ અધિકારીને રસ નથી અથવા તેઓ મુદ્દે નિષ્ક્રિય રહેવા માંગે છે. ઉલ્લેખનીય છે કે માછીમારોને વર્ષ દરમ્યાન પ્રાપ્ત થતી ડિઝલની સબસિડીથી માછીમારોને રૂ. 3 લાખ જેટલો લાભ થતો હોય છે પરંતુ ઓખામાં સિઝન ચાલુ થયાનાં 3 મહિના પછી પણ સબસિડીની કામગીરી ઠપ્પ હોવાથી નુકસાન વેઠતા માછીમારો આક્રોશ સાથે લાચારી અનુભવી રહ્યા છે. બીજી બાજુ રજૂઆતો છતા મળવાપાત્ર સબસિડી સહિતનાં લાભથી વંચિત રહેલા માછીમારો હવે લડી લેવાનાં મૂડમાં છે. ઓખા સાગરપુત્ર ફિશીંગ બોટ એસોસિએશન દ્વારા આ મુદ્દે ઘટતુ કરવા મત્સ્યોધ્યોગ કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું છે તથા ૭ દિવસમાં સમસ્યાનું સમાધાન ન થાય તો તમામ બોટ - હોડીઓ બંધ કરી ઓખામાં મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ આંદોલનની ચીમકી પણ આપી છે. અન્ય બંદરો પર સબસિડી ચાલુ, ઓખામાં કેમ બંધ...અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, માછીમારોને મળવાપાત્ર ડિઝલની સબસિડીનો લાભ અન્ય બંદરો પણ મળી જ રહ્યો છે. ફક્ત ઓખામાં જ આ પ્રક્રિયા ઠપ્પ પડેલી છે. તો આ માટે કોણ જવાબદાર છે! ઓખાનાં માછીમારોને તાત્કાલિક સબસિડીનો લાભ મળે અને છેલ્લા ત્રણ મહીનામાં થયેલ નુકસાનીનું વળતર પણ મળે એવી માંગ ઉઠી છે.
જાગૃતિ શિબિરનું આયોજન કરાયું:ઓખામાં મહિલા-બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અંગે સેમિનાર
દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશ ભાંભીના માર્ગદર્શન હેઠળ ઓખા ખાતે સ્થાનિક મહિલાઓ સાથે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. શિબિરમાં કાનૂની સેવા સત્તા મંડળ સાથે સંકળાયેલ વકીલ આર.એન. ઠાકર દ્વારા અધિનિયમની વિવિધ જોગવાઇઓ તથા કલમો વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર વિશ્વમાં થઈ રહેલા ઘરેલુ હિંસાના બનાવો, ઉદાહરણો, તેનાથી પોતાનું રક્ષણ, હિંસાનો ભોગ બને તો લેવાના પગલાં, વગેરે અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી.જાદવ દ્વારા આ અધિનિયમનો દુરુપયોગ ન થાય તે માટે સમજ આપવામા આવી હતી. વધુમાં ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી-વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પ લાઇન વગેરે મહિલાઓ માટેની સેવાઓની માહિતી, મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓની વિગતો આપીને કાયદાકીય રક્ષણને લગતાં સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યકમમાં ટીસીએસઆરડીના કિરણબેન કવા અને ટીમ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોના કર્મચારીઓ અને સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો.
વિશ્વ વિકલાંગ દિવસની અનોખી ઉજવણી:મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાનું લાઇટ બીલ ભરી આપતા દાતા
જામનગરમાં પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી જાડેજા દ્વારા ખરેખર વિશ્વ વિકલાંગ દીવસની અનાેખી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીથી સંસ્થાને સારી એવી રાહત થવા પામી હતી અને જાડેજા પરિવારની આ સેવાકાર્યને બિરદાવવામાં આવ્યું હતું. શહેરના ઓમ ટ્રેનીંગ સેન્ટરના મનોદીવ્યાંગ બાળકોની સંસ્થામાં આવેલ પીજીવીસીએલનું લાઈટ બીલ જે રૂા. 42,000 આવ્યું હતું. ત્યારે જાડેજા પરીવાર દાતા તરીકે તેમણે લાઈટબીલની ચુકવણી કરીને મનોદીવ્યાંગ માટે કામ કરતી સંસ્થામાં મદદરૂપ થઇને લોકોને એક અનોખું ઉદાહરણ પુરૂ પાડી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી હતી. આમ ઉજવણી સંસ્થાના ખર્ચને પહોચી વળવા માટે જે પ્રોફેસર પી.બી જાડેજા તેમજ પ્રોફેસર ભારતીબા પી.જાડેજાએ દાતા તરીકે આવીને મદદ કરતા ઓમ ટ્રેનિંગ સેન્ટરના ટ્રસ્ટીઓ તેમજ ફાઉન્ડર ડીમ્પલબેન મહેતાએ આ સરાહનીય કામગીરીને બિરદાવી છે.
સાંસદે આશ્વાસન આપ્યું:હુડા : સંકલન સમિતિના સભ્યોએઓફિસ પહોંચી સાંસદનો ઘેરાવ કર્યો
શુક્રવારે હિંમતનગર બંધનું એલાન આપ્યા બાદ સાંજે રાજકીય આગેવાનોની કચેરી આગળ ધરણાં કરવાની ચીમકી ઉચ્ચારાયા બાદ 24 કલાકમાં જ સાબરકાંઠા સાંસદ તેમના કાર્યાલય પર આવ્યાની જાણ થતાં સંકલન સમિતિના સભ્યો અને ખેડૂતો પહોંચી ગયા હતા અને હુડા રદ કરી આપવામાં તમારું સ્ટેન્ડ શું છે તેની સ્પષ્ટતા કરવા માંગ કરી હતી. અને સાંસદને ઘેરી વળ્યા હતા અને હુડા રદ કરાવવાની બાબતમાં તેમનું સ્ટેન્ડ ક્લિયર કરવા માંગ કરી હતી. આ સમગ્ર મામલે સાંસદ શોભનાબેન બારૈયાએ અત્યારે લોકસભાનું સત્ર ચાલતું હોવાથી 20 તારીખ પછી ખેડૂતો સાથે બેઠક કરી તેમની મિટિંગ મુખ્યમંત્રી સાથે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. સંકલન સમિતિના ઉત્સવ પટેલે જણાવ્યું કે અમારું આંદોલન ચાલુ રહેશે અને બીજા રાજકીય અગ્રણીઓને પણ તેમનું સ્ટેન્ડ ક્લિયર કરી ખેડૂતો સાથે છે કે નહીં તેની સ્પષ્ટતા કરવી પડશે. સંકલન સમિતિએ ઓફિસ પહોંચી સાંસદનો ઘેરાવ કર્યો હતો.
અકસ્માત:પ્રાંતિજના ઓરણની સીમમાં આયશર પાછળ બાઇક ઘૂસી જતાં ચાલકનું મોત
એક સપ્તાહ અગાઉ પ્રાંતિજના ઓરણ ગામની સીમમાં મોડી રાત્રે શામળાજી દર્શન કરી બાઈક પર પરત ફરી રહેલ અમદાવાદના યુવકોનું બાઈક આગળ જઈ રહેલ આયશર પાછળ ઘૂસી જતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હતો. અમદાવાદના સરસપુરની આમલીવાળી પોળમાં રહેતા કમલેશભાઈ ફકીરભાઈ પંચાલનો દીકરો રાજ પંચાલ તા.7-12-25 ના રોજ બાઈક નંબર જીજે-01-વાયએન-8297 લઈને બપોરે ત્રણેક વાગ્યે ઘેરથી નીકળ્યો હતો અને રાત્રે મોડે સુધી ઘેર ન આવતાં રાત્રે નવેક વાગ્યે તેના પિતાએ ફોન કરતાં 15-20 મિનિટમાં આવવાનું કહ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે બાઈકના અકસ્માતના સમાચાર મળતાં કમલેશભાઈ પ્રાંતિજના ઓરણ ખાતે દોડી આવ્યા હતા. જ્યાં તેમને ખબર પડી હતી કે બાઈક તેમની પડોશમાં રહેતા પિયુષ જીતેન્દ્રભાઈ ખલાસી ચલાવી રહ્યો હતો અને બંને શામળાજી દર્શન કરી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન ટોલ પ્લાઝાથી આગળ ઓરણ ગામની સીમમાં આયશરનો ઓવરટેક કરવા દરમિયાન પાછળ ઘૂસી ગયા હતા અને બંને પટકાયા બાદ પિયુષ ખલાસી (25) નું મોત થયું હતું.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:ધારાગઢ દરવાજા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા 4 શખ્સો પકડાયા
શહેરમાં લાઈટના અંજવાળે જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી લઇ રૂપિયા 14,700નો મુદ્દામાલ કબજે લીધો હતો. ધારાગઢ દરવાજા પાસે આવેલ તલાવડી નદી નજીકના આશારામ બાપુના આશ્રમથી ટીમલુવાળા સરકારની દરગાહ તરફ જતા રોડ ઉપર જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પીએસઆઇ સોલંકી, એએસઆઈ બી. એ. રવૈયા સહિતની ટીમે શુક્રવારે રાત્રે દરોડો પાડ્યો હતો. જુગાર રમી રહેલા સુખનાથ ચોક પાણીના ટાંકા પાસે રહેતો મુના અબલાભાઇ મકરાણી, જમાલવાડીનો શબીરમિંયા ઉર્ફે લેવલબાપુ યુસુફમિંયા સૈયદ, કુંભારવાડાનો રફીક મહમદભાઇ કપળવંજી, રાજકોટનો પ્રકાશ કાળુભાઇ ગુલવાણીને ઝડપી લઇ 14,700ની રોકડ રકમ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
ભાસ્કર ફોલોઅપ:ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે વર્ષ બાદ પણ ચાર્જશીટ નહીં
વિજલપોરની એક શાળામાં અભ્યાસ કરાવતા કમલ અને સરિતા નાસકર દ્વારા પ્રાર્થના સભામાં ધર્મપરિવર્તન બાબતનો વીડિયો વહેતો થયો હતો. જેને પગલે તા. 29/11/24ના રોજ સરિતા નાસકર અને કમલ નાસકર વિરૂદ્ધ સનાતની સમાજની લાગણી દુભાયાની જલાલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. આ ફરિયાદ બાદ વીડિયો લેબોરેટરીમાં મોકલ્યો હતો પણ 8 માસ સુધી કોઈ પણ જાતની રિપોર્ટ ન આવતા નવા એસપી આવ્યા અને ફોલોઅપ લેતા માત્ર સાત દિવસમાં રિપોર્ટ આવ્યો હતો. બાદમાં ચાર્જશીટ માટે કલેકટરના ખાનગી અહેવાલ બાદ ગૃહ વિભાગમાં ઓક્ટોબર 2025 માં મોકલી આપ્યું હતું. જ્યાં મોકલ્યાને બે માસ થવા છતાં હજુ સુધી ચાર્જ શીટ માટેના કોઈ અહેવાલ ન આવતાં હિન્દુ સંગઠનોમાં નારાજગી છે. નાસકર દંપતી નવસારીની બહાર છે ધર્મ પરિવર્તન બાબતે નાસકર દંપતી સામે ફરિયાદ બાદ તેમના ઘર પાસે તેમની કારની અમુક તત્વોએ તોડફોડ કરતા નાસકર દંપતી હાલ નવસારીમાં નથી પણ તેઓ ક્યાં રહે છે તે બાબતે પોલીસ મથકે જાણ કરી હોવાની માહિતી મળી છે.
આગ લાગી:જામનગરમાં અનાજ કરીયાણાની દુકાનમાં આગથી લોકોના ટોળા એકઠા થયા
જામનગર શહેરના શંકર ટેકરી નહેરૂનગર વિસ્તારમાં આવેલી અનાજ કરીયાણાની દુકાનમાં અકસ્માતે આગ ભભુકી ઉઠતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ એક ગાડી પાણીનું ફાયરીંગ કરીને આગ બુઝાવી હતી. આગથી દુકાનમાં તમામ કરીયાણા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
સન્ડે ફોટો સ્ટોરી:રાજયભરમાં અગ્રેસર ભાટીયા યાર્ડમાં મગફળીની મબલખ આવક
સમગ્ર ભારતમાં મગફળીના ઉત્પાદનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો મોખરાનુ સ્થાન ધરાવે છે.ભાટીયા એપીએમસી કેન્દ્ર ધબકતુ કેન્દ્ર રહયુ છે.ગત વર્ષ 2016-17માં સમગ્ર રાજયભરમાં પહેલા ક્રમે ભાટીયા યાર્ડ રહયુ હતુ. ચાલુ વર્ષ દરમિયાન ભાટિયા એપીએમસી ખાતે 3.50 લાખ બોરી અને કુલ 10236 મેટ્રિક ટન જથ્થો મળી કુલ 4313 ખેડૂતોની મગફળી ટેકાનાં ભાવથી ખરીદ કરવામાં આવી છે. જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતા ખરીદી કેન્દ્રોમાં પ્રથમ ક્રમે ભાટિયા એપીએમસી ખરીદી કેન્દ્ર રહ્યું છે.ગુણવત્તાની દ્રષ્ટીએ વખણાતી મગફળીની મબલખ આવકથી યાર્ડ ઉભરાયુ હોય તેવા અવકાશી દ્રશ્યો નજરે પડે છે.
અમદાવાદના ઓઢવ નજીક આવેલા સિંગરવાના ગામ પાસે આવેલી સાગર કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક ભયાનક આગ ફાટી નીકળતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાનો બનાવ બનતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કારીગરો ફેકટરીમાં કામ કરતા હોય છે. આ ફેક્ટરીમાં બોઇલર પણ છે. જો તેને કઈ થયું તો મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામેલ નથી. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગ ઘણી વિકરાળ હતી. હાલમાં પણ આગ ફેક્ટરીમાં ફેલાઈ રહી છે. ખૂબ દૂરથી આગની જ્વાળાઓ જોઈ શકાય છે. જેના કારણે સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા વેળાવદર ગામની સીમમાં ખેતરોમાં જવાનો રસ્તો રાજાશાહી વખત જૂનો છે. છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો દ્વારા વાડી ખેતરો સુધી પહોંચવાના એકમાત્ર રસ્તાને બ્લોક કરી દઈ દરવાજો મૂકી દેવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને આ અંગે કોર્ટ તથા પોલીસ તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. અસામાજિક તત્વોએ આતંકથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષવેળાવદર ભાલ ગામે વર્ષોથી લોકો ખેતી સાથે સંકળાયેલા છે. આ પંથકમાં સૂકી ખેતી હોય અને વર્ષમાં માત્ર એક અથવા બે એટલે કે ચોમાસુ અને શિયાળુ પાક જ ખેડૂતો લઈ શકે છે, ત્યારે ગામની સીમમાં આવેલ ખેતરોમાં જવા માટે એકમાત્ર રસ્તો હોય આ રસ્તો ફોરેસ્ટ વિભાગની હદમાં હોવા છતાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રોડ બ્લોક કરી દઈ રોડ ખેડી નાંખી આ રોડ પર પસાર થવાની ખેડૂતોને અને રાહદારીઓને મનાઈ ફરમાવી અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવતા વેળાવદર ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. રોડ પ્રકરણને લઈને ખેડૂતો દ્વારા નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કોર્ટે રોડ ખુલ્લો કરવા હુકમ કર્યો હોવા છતાં આજદિન સુધી રોડ પરના દરવાજા અને બ્લોક દૂર કરવામાં આવ્યા નથી. રોડ પર પસાર થવાની કોશિશ કરતા ખેડૂતોને ધમકાવી દમદાટી આપવામાં આવે છે. ખેડૂતોની ભાવનગર જિલ્લા પોલીસવડાને રજૂઆતજેને લઈને આજે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેને રજૂઆત કરવા દોડી આવ્યા હતા. ખેડૂતોએ એસપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ત્રણ પેઢી કરતાં વધુ સમય જૂનો રાજાશાહી કાળનો આ રસ્તો ખેડૂતો ગામમાંથી પોતાના ખેતર જવા માટે ઉપયોગ કરે છે અને આશરે 300 વીઘા કરતા વધુની ખેતીની જમીન સુધી પહોંચવા આ એકમાત્ર રસ્તો છે. આ રોડને અસામાજિક તત્વોએ પોતે જમીનના માલિક ન હોવા છતાં કબ્જો વાળી લઈ ભય સાથે દહેશતનો માહોલ ઉભો કર્યો છે. આથી પોલીસ તંત્ર કોર્ટના હુકમનું પાલન કરાવે અને તત્કાલ રોડ ખુલ્લો કરાવે ભવિષ્યમાં આ રોડ પર કોઈ પણ પ્રકારનું દબાણ ન થાય અને ખેડૂતોનું હિત તથા રક્ષણ થાય તે માટે યોગ્ય પગલા લેવાની એસપી સમક્ષ માંગ કરી હતી, દરમિયાન એસપીએ પણ હકારાત્મક અભિગમ દાખવી ખેડૂતોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ આવશે એવી ખાત્રી આપી હતી. ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસનઆ અંગે ખેડૂતોના આગેવાન વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, વેળાવદર ગામમાં 300 વીઘા જમીનના જમીનદારો આજે એસપી કચેરીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, ભાવનગર એસપી દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, જે જગ્યાએ તમને ચાલવા જગ્યાએ ચાલવા માટે ધાક ધમકી આપવામાં આવી છે. ગેટ અને તાળું મારી દેવામાં આવ્યું છે જે રસ્તા ઉપર તમારે જે રસ્તા ઉપર તમારે કાયમી ચાલવાનો હક છે તે રસ્તા પર બાવળના કાંટા નાખીને દેવામાં આવે છે તેવા શખસોને મનુ ઓધા વેગડ, એ વ્યક્તિ છે એમની કાયદેસરની કાર્યવાહી કરી જે રસ્તો કાયદેસરનો છે મામલતદારે હુકમ કર્યો છે. કલેક્ટરે હુકમ કર્યો છે. હુકમને અનુલક્ષીને ઉલ્લંઘન કરનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવામાં આવશે. ખેડૂતોને ભયમુક્ત બનાવવા અમારા 100 ટકા પ્રયાસો રહેશેવધુમાં એસપી જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના કોઈપણ ખેડૂતોને આવી મુશ્કેલી પડે તો અડધી રાત્રે હોંકારો બનશું, અને ખેડૂતોને ભયમુક્ત બનાવવા માટે અમારા 100 ટકા પ્રયાસો રહેશે. આ સ્થળ પર 11 જેટલા ખેડૂત ખાતેદારો જેની આશરે 500 જેટલી વીઘા જમીન અસરકારક છે 300 વીઘા જેટલી જમીન પડતર પડી છે જેના કારણે ખેડૂતો આજીવિકા, એનો ભય, મુશ્કેલીઓ ઉભી થઇ છે અને રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, ખેડૂતોને ભયમુક્ત કરવા સુરતથી અમારી ટીમ આવીવેળાવદર ગામના 11 જેટલા અસરકારક ખેડૂતોઓમાં પાટીદાર અને અલગ અલગ સમાજના લોકો પણ સાથે છે. જે ઘઉં, કપાસ અને ચણાનો પાક ઉપજ લે છે. રાજાશાહી હતી અને ત્યાર પછી જે ખેડૂતોને જમીન અર્પણ કરવામાં આવી છે એ જમીન છે ત્યારથી રસ્તો છે, અલગ પ્રકારના કોઈ પણ બીજા રસ્તાઓ નીકળતા નથી. જેથી કરીને ખેડૂતો અત્યારે મૂંઝવણમાં છે કેમ મૂંઝવણને દૂર કરવા માટે ભયમુક્ત કરવા માટે સુરતથી અમારી ટીમ સાથે એસપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા. અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છેઅમે હર હંમેશ માટે ખેડૂતો માટે ખેડૂતોની સાથે છીએ, અને આખું સુરત આમ ગણી શકાય કે ભાવનગર જિલ્લાના 70થી 75 ટકા લોકો સુરતમાં જે પલાઈન કરીને ગયા છે એમના હૃદયમાં જમીન અને જમીર બચાવવા માટેના ભાવ છે અને તન મન ધનથી બધા લોકો ખેડૂતોની સાથે ઊભા રહે છે. કારણ કે અહીંયા રોજગારીની સાથે ક્યાંકને ક્યાંક હૂંફ પણ મળે છે, નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીની ધરતી પરથી હૂંફ પણ મળે છે અને રોજગારી પણ મળે છે, જો આગામી દિવસોમાં આ રસ્તો ખુલ્લો કરવામાં નહીં આવે તો બનાવવાના પ્રયાસો કરવામાં આવશે.
સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ભોગ બનનાર અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદતા હોવાનું નજરે પડ્યું હતું. બે મોપેડ અજાણ્યા શખ્સોએ સળગાવી દીધાખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બ્રેડલાઇનર સર્કલ પાસેની ઠાકોરદીપ સોસાયટીમાં ગત 7 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. સોસાયટીમાં રહેતા અનિલભાઈ બાલુભાઈ રાઠોડના ઘર નંબર 44ની બહાર પાર્ક કરેલા બે મોપેડ (હોન્ડા એક્ટિવા અને સુઝુકી એક્સેસ)ને અજાણ્યા શખ્સોએ સળગાવી દીધા હતા. રાત્રિના અંધકારમાં વાહનો સળગતા જોઈ આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. CCTV એ ખોલ્યા ગુનાના રાઝઘટનાની ગંભીરતાને જોતા ખટોદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.આર. રબારી અને સર્વેલન્સ ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસ માટે સૌથી મહત્વનું હથિયાર સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા. જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને આગ ચાંપી દીધીસોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા પોલીસને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. ફૂટેજમાં દેખાયું કે રાત્રે આશરે 3:30 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમો બાઇક પર સવાર થઈને સોસાયટીમાં પ્રવેશ કરે છે. તેઓએ અત્યંત ઠંડા કલેજે મોપેડ પર કોઈ જ્વલનશીલ પદાર્થ છાંટ્યો અને તેને આગ ચાંપી દીધી હતી. આગ લગાવ્યા બાદ તેઓ ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી પલાયન થઈ ગયા હતા. સીસીટીવીમાં આરોપીઓના બાઇક અને તેમની હિલચાલ કેદ થતા પોલીસને તપાસની ચોક્કસ દિશા મળી હતી. ત્રણ આરોપીઓની ધરપકડટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં કુણાલ બાબુરાવ સાળુકે (ઉ.વ. 24, રહે. ગોધામણે, સુરત),યશ સુરજ પ્રસાદ પટેલ (ઉ.વ. 25, રહે. હવાડીયા ચકલા, સુરત),રાહુલ દિલીપ ચૌહાણ (ઉ.વ. 28, રહે. અઠવા, સુરત) શામેલ છે. જૂની અદાવતનો બદલો લેવા વ્હિકલ સળગાવ્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી રાહુલ ચૌહાણને ફરિયાદી સાથે એક અઠવાડિયા પહેલા કોઈ બાબતે બોલાચાલી અને અણબનાવ થયો હતો. આ જૂની અદાવતનો બદલો લેવા માટે રાહુલે તેના મિત્રો સાથે મળીને કાવતરું ઘડ્યું અને આવેશમાં આવીને વાહનો સળગાવી નુકસાન પહોંચાડ્યું હતું.
અમદાવાદના નારોલ વિસ્તારમાં કર્ણાવતી નગર પાસે આવેલા સત્યમ નગરમાં મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી હતી. મકાનમાં રહેલા બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જ્યારે એક વ્યક્તિ બેભાન થતાં સારવાર અર્થે ત્રણેયને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગેસનો બાટલો ફાટ્યો ને આગ ફેલાઈફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં આવેલા સત્યમ નગરમાં એક મકાનમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. બ્રિગેડ જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યું ત્યારે ત્યાં ગેસનો બાટલો ફાટ્યો હતો જેના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી.આગ ને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગમાં બે લોકો દાઝી ગયામકાનમાં આગ લાગતા બે લોકો દાઝી ગયા હતા. જ્યારે એક વ્યક્તિ બેભાન હાલતમાં હતો જેને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી અને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે. આગ કાબુમા આવીફાયર બ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી અને બાદમાં બાટલો ફાટતાં આગ વધુ પ્રસરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
વડોદરા શહેરના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં કરોડિયા લક્ષ્મીપુરા ચાર રસ્તા પાસે પાઇપલાઇન લિકેજ સમારકામ દરમિયાન કામ કરતા શ્રમિક પર ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક દોડી આવી માટીમાં દબાયેલ યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભેખડ ધસી પડતા ઊંડા ખાડામાં શ્રમિક દટાયોવડોદરા નજીક આવેલ કરોડિયા ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સમારકામ દરમ્યાન માટીમાં શ્રમિક ઊંડા ખાડામાં દબાયો હતો. જેને ભારે જહેમત બાદ સ્થાનિક લોકોએ બહાર કાઢી 108 મારફતે ગોત્રી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દીધો હતો. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયોમૃતક શ્રમિકનું નામ કાંતિભાઈ ચારેલ (દાહોદ મૂળ, ઉંડેરા તળાવ વડોદરા) હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ શ્રમિક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલમાં આવેલા કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો છે અને આવતી કાલે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોલીસે તપાસ હાથ ધરીઆ ઘટના અંગેની જાણ થતા જવાહરનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી કે કોઈ અન્ય એજન્સી તે બાબતે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જવાહનગર પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેનું મગફળી ખરીદ કેન્દ્ર ગુજરાતમાં બીજા ક્રમે આવ્યું છે. આ કેન્દ્રને કેન્દ્રીય નોડલ એજન્સીઓ નાફેડ (NAFED) અને એન.સી.સી.એફ. (NCCF) દ્વારા મોડેલ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. ચાલુ સીઝનમાં શરૂ કરાયેલા આ કેન્દ્ર પર પારદર્શક અને આધુનિક વ્યવસ્થા સાથે મગફળીની ખરીદી કરવામાં આવે છે. અહીં સીસીટીવી કેમેરા, ડિજિટલ વજનકાંટા અને ત્વરિત ચુકવણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ મોડેલ કેન્દ્રની વ્યવસ્થાને આવકારી છે. ખેડૂતોના મતે, પારદર્શક ખરીદી, ઝડપી ચુકવણી અને યોગ્ય ભાવ મળવાથી તેમને મોટી રાહત મળી છે. આ કેન્દ્ર સ્થાનિક ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય સુનિશ્ચિત કરે છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ગુજરાત સરકારનું આ પગલું કૃષિ ક્ષેત્રે રાજ્યને વધુ સશક્ત બનાવવામાં મદદરૂપ થશે. મોડાસા મગફળી ખરીદ કેન્દ્રના નોડલ ઇન્ચાર્જ ભાનુ પટેલના જણાવ્યા અનુસાર, ગત 9મી તારીખથી શરૂ થયેલી ખરીદીમાં અત્યાર સુધીમાં કુલ 1200 ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને ₹12 કરોડનું ચુકવણું કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, અન્ય 300 ખેડૂતો માટે પણ ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મગફળી વેચવા આવતા તમામ ખેડૂતો માટે ચા, પાણી અને બેસવાની વ્યવસ્થા પણ કેન્દ્ર ખાતે કરવામાં આવી છે.
ગોધરા શહેરમાં રાણી મસ્જિદ પાસે આવેલા એક વીજપોલ પર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ગોધરા ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગતા જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વીજપોલ પર લાગેલા પ્લાસ્ટિકના વાયર અને અન્ય સામગ્રી સળગી ઊઠી હતી, જેના કારણે આગ વધુ પ્રસરવા લાગી હતી. સ્થાનિકોએ તાત્કાલિક MGVCLને જાણ કરી હતી, પરંતુ તેમની ટીમ ઘટનાના ઘણા સમય બાદ સ્થળ પર પહોંચી હતી. આ દરમિયાન આગ વધુ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતા જોતા ગોધરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં ફાયર એક્સ્ટિંગ્યુસરથી કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો, પરંતુ પ્લાસ્ટિક સામગ્રીને કારણે આગ વધુ પ્રસરતા ટીમે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે અંધારપટ છવાઈ ગયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ વ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વીજપોલના સમારકામ માટે અગાઉ પણ MGVCLને જાણ કરવામાં આવી હતી, પરંતુ રજૂઆત છતાં કોઈ કામગીરી કરાઈ ન હતી, જેના પરિણામે આજે આગની આ ઘટના બની હતી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનજીર્વિત જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કાલે તા.14ના રવિવારે મહા જળકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.વિખ્યાત કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે જળસંચય અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જલ એકત્ર કરવામાં આવ્યા હતા.આ પવિત્ર જલને કળશમાં ભરીને રાજકોટના જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સૌરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલવામાં આવ્યા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે(14 ડિસેમ્બરે) સવારે પુન: રાજકોટ આવી પહોંચશે. રવિવારના રોજ સવારે 8 કલાકે બહુમાળી ભવન ચોકથી આ મહા જળ કળશયાત્રાનો પ્રારંભ થશે. જે બેન્ડની સુરાવલીઓ સાથે દિવ્ય વાતાવરણમાં જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે.રેસકોર્સ મેદાનમાં સવારે 9 કલાકે મહા જલપૂજનનો પ્રારંભ થશે. રાજકોટમાં આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે આ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજન વિધિને અનુલક્ષીને જલપ્રેમીઓ અને નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે. રાજકોટના એડિશનલ કલેક્ટર હવે નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવરાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજકોટ કલેકટર કચેરીના અધિક નિવાસી કલેકટર તરીકે ફરજ બજાવતા આલોક ગૌતમ સહિત છ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે.જેમાં રાજકોટ કલેકટર કચેરીના અધિક કલેકટર આલોક ગૌતમને રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિક અંગત સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે તેમની સાથે નાયબ સચિવ દિક્ષિત જોષીને પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ તરીકે નિમણુંક આપવામાં આવી છે. ભાદરમાંથી 47 ગામો માટે પાણી છોડવાનું શરૂરાજકોટ સિંચાઈ વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાંથી આજે સવારથી ખેડૂતો માટે પાણી છોડવાનું શરૂ કરી દેવાયું છે. સિંચાઈ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ જેતપુર પાસે આવેલ ભાદર-1 ડેમમાંથી ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ અને ઉપલેટા તાલુકાના 47 ગામોના ખેડૂતો માટે સિંચાઈનું પાણી આજ સવારથી કેનાલ મારફતે છોડવામાં આવેલ છે. સિંચાઈ વિભાગ દ્વારા ઉપરોકત ગામોને 90 દિવસ સુધી ક્રમશઃ શિયાળુ પાક માટે પાણી આપનાર છે. ઉભા પાક માટે ત્રણ પાણ અને વાવેતર માટે છ પાણ આપવામાં આવશે. અને સિંચાઈના હેતુસર ભાદરમાંથી કુલ 2000 એમસીએફટી જેટલુ પાણી છોડવાનું આયોજન છે. ભાદર ઉપરાંત રાજકોટ જીલ્લાના આજી-2 સહિતના ડેમોમાંથી પણ સિંચાઈનું પાણી છોડવાનું આયોજન છે. વૈષ્ણવજન તો તેને રે કહીયે.. જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશેરાજકોટની જાણીતી કલા કલેકટીવ ફાઉન્ડેશન અને કલા રાત્રિ દ્વારા પ્રભાત ફેરીનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે. જે રેસકોર્સ પાસે આવેલ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી પાસેથી સવારે 7 કલાકે શરૂ થશે. આ કાર્યક્રમ નિઃશુલ્ક રાખેલ છે. આથી રાજકોટના કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે. રેસકોર્સ ફરતે 3 કિ.મી.ની પ્રભાત ફેરી યોજાશે. અંદાજે 200 થી વધુ લોકો જોડાશે.પ્રભાત ફેરી પૂરી થયા બાદ શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરીમાં આયોજીત રાઈઝિંગ રાજકોટ એક્ઝિબિશનની મુલાકાત લેશે. આ આયોજનમાં RMC અને સ્માર્ટ સીટી જોડાયું છે. મંજીરાં, એક તાર, કરતાલ જેવા વાજિંત્રો ના સથવારે પ્રભાતીયા ગાવામાં આવશે. જેમાં જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જળકમળ છાંડી જા રે, બાળા ! સ્વામી અમારો જાગશે, વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે, વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ જેવા ભજનોથી રેસકોર્સ રીંગરોડ ગુંજી ઉઠશે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ માટે મ્યુલ એકાઉન્ટોનો ઉપયોગ કરનાર સાયબર ક્રાઈમ ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. ઓપરેશન મ્યુલ હંટની તપાસ દરમિયાન અમદાવાદ સાયબર સેલ દ્વારા ફ્રોડની ફરિયાદ અને ફ્રોડની રકમ જે ખાતામાં ગઈ હોય તે ડેટાનું એનાલિસિસ કરવામાં આવ્યુ હતું. સમન્વય પોર્ટલના ડેટાનું એનાલિસિસ કરતા ઉત્કર્ષ બેંક એકાઉન્ટ નંબર વિરુદ્ધ પંજાબ અને ગુજરાતમાં 2 ફરિયાદ તેમજ Yash બેંકમાં ગુજરાત, દિલ્હી અને કર્ણાટકમાં ફરિયાદ મળી આવી હતી. જેના ટેકનિકલ એનાલિસીસ દરમિયાન સાયબર સેલ દ્વારા એક ટ્રેડીંગ કંપનીના ઓઢવના રહેવાસી કોટેચા ગીરીશ અને ઠક્કરનગરના રહેવાસી પંચાલ બ્રિજેશને ઝડપી પાડ્યો છે. આરોપીઓના ખાતામાં છેલ્લા ત્રણ મહિનામાં 4.77 કરોડ રૂપિયાના વ્યવહારો પણ મળી આવ્યાં હતાં. કમિશનની લાલચમાં આરોપીઓ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાયાપોલીસે બંને બેંક એકાઉન્ટ હોલ્ડરની પુછપરછ કરતા તેમના સંયુક્ત પાર્ટનરશીપમાં તથા વ્યક્તિગત 12 જેટલા બેંક ખાતાની 22 જેટલી સાયબર ક્રાઇમની ફરીયાદ અલગ અલગ રાજ્યોમાં નોંધાઇ હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓની વધુ તપાસ દરમિયાન પોલીસને 57 ચેકબુક, 4 પાસબુક, 15 ચેક, 17 મોબાઈલ ફોન, 40 ડેબીટ/ક્રેડીટ કાર્ડ, લેપટોપ, UPI સ્કેનર, POS મશીન 9 સીમકાર્ડ મળી આવ્યા છે. આરોપી ગીરીશ કોટેચાએ માત્ર ધો. 9 જ્યારે બ્રિજેશ પંચાલે ધો. સુધીનો અભ્યાસ કર્યો છે અને કમિશનની લાલચમાં આરોપીઓએ સાયબર ફ્રોડના નેટવર્કમાં જોડાઇને આ ખેલ શરૂ કર્યા હતા. ક્યુઆર કોડ સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતાએપ્લીકેશનથી નાણાં આવતા અને ખાતામાં મેળવતા હતા. આ બંને આરોપીઓની સાથે અન્ય આરોપીઓની પણ સંડોવણી છે. મુખ્ય આરોપીઓ એપ્લીકેશન બનાવીને તેમાં ડીપોઝીટ ઓપ્શન પર ક્લીક કરીને ક્યુઆર કોડ જનરેટ કરે છે. જેને સ્કેન કરાવીને રુપિયાનું ટ્રાન્જેક્શન કરાવતા હતા. એપ્લીકેશનમાં જે રૂપિયા આવે તેના માટે પકડાયેલા બંને આરોપીઓ બેંક ખાતા પૂરા પાડતા હતા. અલગ અલગ રાજ્યમાં 108 સાયબર ફ્રોડની ફરીયાદોજુદા જુદા રાજ્યોમાં 100થી વધુ ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપીઓની તપાસ દરમિયાન કુલ 60 જેટલા બેંક એકાઉન્ટ ખોલાવેલાનું સામે આવ્યુ છે. તેમાંથી 21 બેન્ક એકાઉન્ટો ઉપર જુદા જુદા રાજ્યોમાં કુલ 108 સાયબર ફ્રોડની ફરીયાદો નોંધાઇ છે. આરોપીઓની સાથે સાથે હવે પોલીસે વિદેશમાં બેઠેલા તેમના આકાઓની ચેઇન તોડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યુલ એકાઉન્ટની 35 ફરિયાદ નોંધાઈમ્યુલ એકાઉન્ટને લઈને પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 35 ફરિયાદ નોંધવામાં આવી છે. સાયબર ફ્રોડની ફરિયાદ નોંધીને તપાસ દરમિયાન જે જે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હોય તે ખાતાની માહિતી એકઠી કરવામાં આવી હતી. બેંક એકાઉન્ટ હોલ્ડ્રી, એકાઉન્ટ ભાડે આપનાર, એજન્ટ સહિતના લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જે બાદ પુરાવાના આધારે ફરિયાદ નોંધવાની શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન હેઠળ સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધી 35 ફરિયાદ નોંધવામાં આવી છે. દુબઈ, કંબોડિયા જેવા દેશોથી મ્યુલ એકાઉન્ટનો ઉપયોગમ્યુલ એકાઉન્ટનો ઉપયોગ દુબઈ, કંબોડિયા જેવા દેશમાં બેસીને સાઇબર માફિયાઓ કરે છે. સાયબર માફીઓ દ્વારા દેશના લોકો સાથે ડિજિટલ એરેસ્ટના રોકાણના નામે ફ્રોડ અને ગેમ્બલિંગના નાણા ટ્રાન્સફર કરવા માટે મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આરોપીઓ વિદેશમાં બેઠા બેઠા ભારતના મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરે છે. એજન્ટ મારફતે બેન્ક એકાઉન્ટ ભાડે મેળવ્યા બાદ એજન્ટને કમિશન આપવામાં આવે છે. એજન્ટ દ્વારા એકાઉન્ટ હોલ્ડરને કમિશન આપી એકાઉન્ટ મેળવી લેવામાં આવે છે. હજુ મ્યુલ એકાઉન્ટની ડ્રાઇવ ચાલુ રહેશે.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા જૂનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના સમાપન દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં કૃષિ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ક્લાઈમેટ ચેન્જની આંબામાં ફ્લાવરિંગ, મોર અને પોલીનેશનની પ્રક્રિયા પર થતી વ્યાપક અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જોકે નાળિયેરીના પાકને ક્લાઈમેટ ચેન્જથી ફાયદો થયો હોવાનું પણ સામે આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 વર્ષ પહેલાં ગુજરાતમાં બાયોટેકનોલોજીના વ્યાપ વધારવા માટે મજબૂત પાયો નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પહેલ છેવાડાના વિસ્તારો સુધી પહોંચી રહી છે. GSBTM, ગુજરાતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના પાકો અને વન્ય જીવોના સંરક્ષણ માટે બાયોટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકાય તે દિશામાં સંશોધકોને આવકારીને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેના પરિણામો આગામી સમયમાં વધુ ફળદાયી બનશે. GSBTM: વ્યવસાયિક તકો અને સંશોધન માટે સેતુ GSBTMના ડાયરેક્ટર ડી.ડી. જાડેજાએ જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યવસાયિક તકો વધારવા માટે GSBTM એક સેતુ બનશે. નવા બિઝનેસ શરૂ કરવા માટે માર્ગદર્શન અને સંશોધન કાર્ય માટે પૂરતું ફંડ તથા માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે, રિસર્ચથી જ સમાજ અને દેશ-દુનિયાનું કલ્યાણ થતું હોય છે. કેસર કેરી અને નાળિયેરી: પડકારો અને બાયોટેકનોલોજીનો ઉકેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી.પી. ચોવટીયાએ ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરી અને નાળિયેરના પાકો સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે નાળિયેરના પાકમાં સફેદ માખી અને કેસર કેરીના પાકમાં પોલીનેશનમાં બાયોટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે સંશોધનની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટીકલ્ચરના ડાયરેક્ટર ડો. ડી. કે. વરુએ જણાવ્યું હતું કે, કેરી એક સંવેદનશીલ પાક છે અને ક્લાઈમેટ ચેન્જના પરિણામે તેના પાકને વ્યાપક અસર થઈ રહી છે. ફ્લાવરિંગ મોટા પ્રમાણમાં બંધાઈ રહ્યા છે પરંતુ તે ટકી શકતા નથી અને સોપારી જેવડા આકારમાં ખરી પડે છે. દિવસ અને રાતના તાપમાનમાં જોવા મળતો મોટો તફાવત પણ આંબાના પાક પર અસર કરી રહ્યો છે. તેમણે કેરીની નિકાસ ખાડી દેશો ઉપરાંત વિકસિત યુરોપ અને અમેરિકા સુધી પહોંચાડવાના સમય પર ભાર મૂક્યો હતો. જીનેટીક્સ અને પ્લાન્ટ બ્રીડિંગના પ્રો. રાજીવ કુમારે બાયોટેકનોલોજીની મદદથી છોડમાં આવનાર રોગના નિયંત્રણ અને ટીસ્યુ કલ્ચર દ્વારા નાશપ્રાયઃ થતા કે સંગ્રહ ન કરી શકાતા બીજોને કૃત્રિમ રીતે બનાવવાની શક્યતાઓ વિશે માહિતી આપી હતી. તેમણે એક છોડના ગુણધર્મો અન્ય છોડમાં ઉમેરવા અને નવી જાતો વિકસિત કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. આંબાની બાગોનું નવીનીકરણ અને નાળિયેરીની સંભાવનાઓ તાલાલા ગીર ખાતેના સેન્ટર ફોર એક્સેલેન્સ (મેંગો)ના વિજયસિંહ બારડે 40- 50 વર્ષ જૂની આંબાની બાગોના નવીનીકરણ માટે ખાસ પ્રોનિંગ કટિંગની હિમાયત કરી હતી. તેમણે સમજાવ્યું કે મોટા ઝાડ રોગ અને જીવાતનો પ્રશ્ન વધારે છે, સૂર્યપ્રકાશ ઓછો મળે છે અને 40 ફૂટ જેટલા ઊંચા ઝાડ નિયંત્રણમાં રહી શકતા નથી. તેમણે ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જને કારણે નેટ હાઉસ કે ગ્રીન હાઉસ બનાવવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી હતી. મહુવા ખાતેના ફળ પાકોના એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશનના સાયન્ટિસ્ટ જી.એસ. વાળાએ નાળિયેરના પાકોમાં રહેલી મોટી સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાથી નાળિયેરની સતત માંગ વધી રહી છે. ક્લાઈમેટ ચેન્જની નાળિયેરના પાકને આડકતરી રીતે ફાયદો થઈ રહ્યો છે કારણ કે વધુ વરસાદથી ભેજવાળું વાતાવરણ મળી રહે છે. નાયબ બાગાયત નિયામક અલ્પેશ દેત્રોજાએ કેન્દ્ર-રાજ્ય સરકારની બાગાયત કૃષિ માટેની યોજનાઓ અને સહાયોની વિગતવાર જાણકારી આપી હતી. નિવૃત્ત વન વિભાગના અધિકારી રઘુવીરસિંહ જાડેજાએ પોતાના કેરીના બાગના નવીનીકરણની સફળતાની વાત કરી હતી.GSBTMના સંયુક્ત નિયામક સ્નેહલ બગથરીયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મેનેજર દીપીકા ડાભીએ આભાર વિધિ કરી હતી. આ સેમિનારમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના જુદી જુદી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ, વૈજ્ઞાનિકો, પ્રાધ્યાપકો વગેરે મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.
ગાંધીનગર જિલ્લા કોર્ટે આજે યોજાયેલી નેશનલ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અને ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાની અદાલતોમાં કુલ 18,692 કેસોનો સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો છે. જેના પગલે જિલ્લા અદાલતમાં પેન્ડિંગ કેસોનો બોજ નોંધપાત્ર રીતે હળવો થયો છે. સમાધાન લાયક કેસોનો નિકાલ કરાયોજિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ આશિષ જે.એસ. મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ આયોજિત આ અદાલતમાં ચેક રીટર્ન, મોટર અકસ્માત વળતર, ફોજદારી અને પ્રિ-લીટીગેશન સહિતના વિવિધ સમાધાન લાયક કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિયેશનનો સહકાર મળ્યો હતો. ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ એચ.એમ.પવારે પણ લોક અદાલત દરમિયાન ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનલોક અદાલતની સૌથી મોટી સિદ્ધિમાં મોટર અકસ્માત વળતરના કેસોનો સમાવેશ થાય છે. મોટર અકસ્માતના 98 કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને પીડિતોને કુલ રૂ. 1,98,530 નું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રિ-લીટીગેશનના 15,322 કેસ અને સ્પેશ્યલ સીટિંગમાં 2520 ફોજદારી કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. ચેક રીટર્નની 274 અપીલમાંથી 39માં પક્ષકારો વચ્ચે સમાધાનએજ રીતે ચેક રીટર્નની 274 અપીલમાંથી 39 અપીલોમાં પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આ લોક અદાલતમાં વર્ષ 2020ના એક મોટર અકસ્માત વળતર કેસમાં કોર્ટની બેન્ચના અથાગ પ્રયાસોથી વીમા કંપની શ્રી રામ જનરલ ફાઇનાન્સ દ્વારા અરજદારના વારસોને કુલ રૂા. 45 લાખનો ચેક વળતર તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં નિવૃત્ત જીવન જીવતા એક શિક્ષિકાને મહાઠગોએ ડિજિટલ એરેસ્ટ અને મની લોન્ડરિંગના ખોટા કેસનો ડર બતાવીને ખાતામાંથી કુલ 47 લાખની મોટી રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે સિમકાર્ડ ખરીદાયાની ઠગે વૃદ્ધ મહિલાને ધમકી આપીકલોલમાં રહેતાં 63 વર્ષીય મહિલાને ત્રીજી ડિસેમ્બરના રોજ પહેલો કોલ આવ્યો હતો, જેમાં ઠગે પોતાને દૂરસંચાર વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી તેમના આધાર કાર્ડ પર મુંબઈમાં ગેરકાયદેસર સિમકાર્ડ ખરીદાયાની ધમકી આપી હતી. ઠગે ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યાઆ પછી કોલરોએ પોતાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના IPS અધિકારીઓ અને CBI ડાયરેક્ટર તરીકે ઓળખાવ્યા હતાં. તેમણે નિવૃત્ત શિક્ષિકાને ડરાવવા માટે 'નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસ' માં સસ્પેક્ટ હોવાનું જણાવી ED એરેસ્ટ ઓર્ડર અને સુપ્રીમ કોર્ટના નકલી લેટરો વોટ્સએપ પર મોકલ્યા હતા. નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યાબાદમાં મહાઠગોએ વીડિયો કોલ દ્વારા નકલી CBI અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહી પણ કરીને નિવૃત શિક્ષિકાને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. અને ડિજિટલ ધરપકડનો હાઉ ઉભો કરી પૈસા અને ગુનેગારના પૈસા મેચ કરીને વેરીફિકેશન કરવાનું છે અને RBI દ્વારા રકમ પરત કરવામાં આવશે તેમ કહેવાયું હતું. 47 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કર્યાજેના પગલે 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ નિવૃત શિક્ષિકાએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના પોતાના ખાતામાંથી 47 લાખ RTGS મારફતે ઠગ દ્વારા અપાયેલા ICICI બેંકના અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. બાદમાં ઠગોએ તમામ FD ક્લોઝ કરાવીને બીજા ICICI બેંક ખાતામાં 1.50 કરોડ ટ્રાન્સફર સૂચના આપી હતી. મેનેજરને શંકા ગઈ ને ડિજિટલ એરેસ્ટ વિશે મહિલાને માહિતગાર કર્યાઆથી 8મી ડિસેમ્બરે ઉર્મિલાબેન જ્યારે ક્લોઝ કરેલી FDની રકમ ટ્રાન્સફર કરાવવા કલોલ બ્રાન્ચના મેનેજરનો સંપર્ક કર્યો હતો. ત્યારે મેનેજરે આટલી મોટી રકમ ટ્રાન્સફર કરવા અંગે શંકા વ્યક્ત કરી અને દેશમાં ચાલી રહેલા ડિજિટલ એરેસ્ટ ફ્રોડ વિશે તેમને માહિતગાર કર્યા હતા. ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ ગૂનો નોંધ્યોઆમ મેનેજરની ચેતવણીથી નિવૃત શિક્ષિકાને પોતે સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાની જાણ થઈ હતી. આ મામલે નિવૃત્ત શિક્ષિકાએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ મથકમાં ગૂનો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ સેલે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વપરાતા મ્યુલ (Mule) બેંક એકાઉન્ટ ઓપરેટરો સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ બી ડિવિઝન અને વંથલી પોલીસ સ્ટેશનની સંયુક્ત કામગીરીમાં કુલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમણે દેશના વિવિધ રાજ્યોના નાગરિકોને રોકાણ, શેર બજાર અને નોકરીની લાલચ આપીને છેતરીને મેળવેલા કુલ ₹24,50,418 ની માતબર રકમ પોતાના એકાઉન્ટ દ્વારા જમા કરાવીને તાત્કાલિક સગેવગે કરી દીધી હતી. આ સમગ્ર કાર્યવાહી ભારત સરકારના NCCRP પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે કરવામાં આવી છે. પોલીસ સમન્વય પોર્ટલ (JMIS) અને NCCRP પોર્ટલના માધ્યમથી સાયબર ક્રાઇમ સેલને લેયર વાઇઝ ડિટેઇલ મળી હતી, જેના આધારે જુનાગઢ જિલ્લાના કેટલાક શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સની માહિતી મળી. C-ડિવિઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ બાવનજીભાઇ હુણ અને વંથલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. રામભાઈ મેસુરભાઈ ગરચર દ્વારા આ બંને કેસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ફ્રોડની મોડસ ઓપરેન્ડી મુજબ, જ્યારે નાગરિકો છેતરાય ત્યારે તેઓ સાયબર હેલ્પલાઇન નં.1930 પર કોલ કરીને ઓનલાઈન ફરિયાદ નોંધાવે છે. આ ફરિયાદોના આધારે સાયબર ક્રાઇમ સેલ દ્વારા નાણાં કયા શંકાસ્પદ બેંક એકાઉન્ટમાં જમા થયા છે તેની તપાસ કરવામાં આવે છે, જે 'મ્યુલ એકાઉન્ટ્સ' તરીકે ઓળખાય છે. આ બંને આરોપીઓના એકાઉન્ટ્સનો ઉપયોગ માત્ર ફ્રોડથી મેળવેલી રકમ જમા કરાવવા અને બદઈરાદાથી ઉપાડી લેવા માટે કરવામાં આવ્યો હતો. જુનાગઢ શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી અભય ધીરુ પરસાણિયાના નામે ચાલી રહેલા મ્યુલ એકાઉન્ટનો પર્દાફાશ કર્યો છે. અભય પરસાણિયાનું એકાઉન્ટ એસ.બી.આઈ. બેંક, જોષીપરા શાખામાં આવેલું છે.આ એકાઉન્ટમાં રોકાણની લાલચ સંબંધિત કુલ બે સાયબર ફ્રોડની ફરિયાદોની રકમ જમા થઈ હતી. ગુજરાતના ભોગ બનનાર યોગેશ જે. દેસાઈ પાસેથી ₹5,00,000 અને તેલંગાણાના ભોગ બનનાર બંડારી રાજાઇયા પાસેથી ₹ 4,00,000 જમા થયા હતા.આમ અભય પરસાણિયાના એકાઉન્ટમાંથી કુલ ₹9,00,000 ની રકમ બદઈરાદાથી ઉપાડીને સગેવગે કરવામાં આવી હતી. વંથલી પોલીસે બીજા મોટા કેસમાં આરોપી રવિ રાણાભાઈ સુત્રેજા જે ધંધુસરનો રહેવાસી છે જેના નામે ચાલી રહેલા કુલ બે મ્યુલ એકાઉન્ટ્સને ઝડપી પાડ્યા છે. રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સ (એસ.બી.આઈ. બેંક, ધંધુસર શાખા અને બેંક ઓફ મહારાષ્ટ્ર, રાણાવાવ ચોક શાખા) માં NCCRP પોર્ટલ પર કુલ 9 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જે રોકાણ, નોકરી અને અન્ય લાલચો સંબંધિત હતી. રવિ સુત્રેજાના એસ.બી.આઈ. એકાઉન્ટમાં ગુજરાતના યોગેશ જે. દેસાઈની એક ફરિયાદના ₹7,50,000 જમા થયા હતા. જ્યારે બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં 8 ફરિયાદોની રકમ જમા થઈ હતી, જેના ભોગ બનનાર દેશના વિવિધ રાજ્યોમાંથી હતા. આ ભોગ બનનાર પૈકી જામનગર તમિલનાડુ માં નોકરીની લાલચ આપી, ઉત્તર પ્રદેશ, દિલ્હી (ઇન્ટરનેટ બેન્કિંગ ફ્રોડ), મહારાષ્ટ્ર (ટેલિગ્રામ દ્વારા રોકાણ) અને ઉત્તરાખંડના નાગરિકોનો સમાવેશ થાય છે.બેંક ઓફ મહારાષ્ટ્રના એકાઉન્ટમાં ₹8,00,418 ની રકમ જમા થઈ હતી, આમ રવિ સુત્રેજાના બંને એકાઉન્ટ્સમાંથી કુલ ₹15,50,418 ની ફ્રોડથી મેળવેલી રકમ સગેવગે કરવામાં આવી હતી. જુનાગઢ પોલીસે આ બંને કેસમાં સંડોવાયેલા મ્યુલ એકાઉન્ટ ધારકો દ્વારા કુલ ₹9,00,000 અને ₹15,50,418 મળીને કુલ ₹24,50,418 ની રકમનો ફ્રોડ ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ અભય ધીરુ પરસાણિયા અને રવિ રાણાભાઈ સુત્રેજાએ પોતાના બેંક એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં, ગુનાહિત ઈરાદાથી આ રકમને ઉપાડીને પોતાના આર્થિક ફાયદા માટે વાપરી હતી. પોલીસે બંને આરોપીઓ અને આ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 317(2), 317(4) અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66(ડી) મુજબ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસમાં NCCRP પોર્ટલના ભોગ બનનાર અરજદારો અને પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટને સાક્ષી તરીકે રાખીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે તમામ નાગરિકોને અજાણી લાલચમાં ન ફસાવા અને કોઈપણ સંજોગોમાં પોતાના બેંક એકાઉન્ટની વિગતો અન્ય કોઈને ન આપવા માટે અપીલ કરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે અત્યંત વિશાળ અને જ્ઞાતિ આધારિત સંતુલન જાળવતું માળખું મેદાનમાં ઉતાર્યું છે. નવા સંગઠનમાં સંગઠન મહામંત્રી તરીકે રોહિત સાવલિયા અને ખજાનચી તરીકે રવીન્દ્ર પટેલ તેમજ નિર્વ રાણાની વરણી કરવામાં આવી છે. આ નિમણૂકો સાથે જ કોંગ્રેસે શહેરમાં પોતાની સક્રિયતા વધારવાના સંકેત આપી દીધા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવીઆ નવા માળખાની સૌથી મહત્વની બાબત તેમાં હોદ્દેદારોની સંખ્યા છે. કોંગ્રેસે કોઈને નારાજ ન કરવાની નીતિ અપનાવી હોય તેમ 20 જેટલા ઉપપ્રમુખની નિમણૂક કરી છે. 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજઆ ઉપરાંત, સંગઠનને મજબૂત કરવા માટે 35 મહામંત્રીઓ અને 66 મંત્રીઓની જંગી ફોજ ઉતારવામાં આવી છે. કારોબારી સમિતિમાં પણ 22 સભ્યોનો સમાવેશ કરાયો છે, જ્યારે પક્ષનો પક્ષ મજબૂતીથી રાખવા માટે 5 પ્રવક્તાઓ નિમણૂક પામ્યા છે. આટલી મોટી સંખ્યામાં હોદ્દેદારોની નિમણૂક પાછળ પક્ષનો ઉદ્દેશ્ય શહેરના દરેક વોર્ડ અને વિસ્તાર સુધી પહોંચવાનો હોવાનું જણાય છે. કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરીરાજકીય વિશ્લેષકો આ માળખાને ભાજપના વર્તમાન માળખા સાથે સરખાવી રહ્યા છે. ભાજપમાં હાલમાં સામાન્ય રીતે 8 ઉપપ્રમુખ અને 8 મહામંત્રી હોય છે, જેની સરખામણીએ કોંગ્રેસે અઢી ગણી મોટી 'બ્રિગેડ' તૈયાર કરી છે. ભાજપનું નવું માળખું હજુ જાહેર થવાનું બાકી છે, ત્યારે કોંગ્રેસે આક્રમક સંખ્યાબળ બતાવીને ભાજપ સામે મનોવૈજ્ઞાનિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો છે. પાટીદારોને માળખામાં વિશેષ સ્થાનખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે પાટીદારોને આ માળખામાં વિશેષ સ્થાન અને મહત્વના હોદ્દાઓ સોંપવામાં આવ્યા છે. એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસની મથામણસુરત મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસનું આ 'મેગા લિસ્ટ' જ્ઞાતિવાદના સમીકરણો સાધવા માટેનું મોટું કદમ માનવામાં આવે છે. દરેક જ્ઞાતિના ચહેરાઓને સ્થાન આપીને એન્ટી-ઇન્કમ્બન્સીનો લાભ ખાટવા કોંગ્રેસ મથામણ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સંખ્યાબળની દ્રષ્ટિએ આટલું મોટું માળખું મેદાનમાં ઉતાર્યા બાદ, કોંગ્રેસના આ કાર્યકરો જમીની સ્તર પર ભાજપના સંગઠિત માળખાને કેટલી ટક્કર આપી શકે છે અને પાટીદારોના મતો મેળવવામાં કેટલા સફળ રહે છે.
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારમાં ધકેલતા એક મોટા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં બાંગ્લાદેશી મુખ્ય એજન્ટ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને દેહવ્યાપારના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે. LCB અને SOGની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને ખાનગી માહિતી મળી હતી કે ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો છે. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો અને તેમને દેહવ્યાપારમાં ધકેલતો હતો. ભરૂચ જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, માહિતીના આધારે LCB અને SOGની સંયુક્ત ટીમે અલફારૂક પાર્ક સોસાયટીમાં રેડ કરી મુખ્ય એજન્ટ ફારૂક શેખને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે છેલ્લા દસ વર્ષથી ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં વસવાટ કર્યો હતો. તેણે અત્યાર સુધીમાં અંદાજે 60 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી હતી, જેમાંથી કેટલીકને ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં અન્ય એજન્ટોને સોંપી દેવામાં આવી હતી. ફારૂક શેખે કબૂલ્યું હતું કે તેણે હાલમાં ભરૂચ અને અંકલેશ્વરમાં અલગ-અલગ સ્પા અને ગેસ્ટહાઉસમાં મહિલાઓને સેક્સ વર્કર તરીકે મોકલી હતી. આ કબૂલાતના આધારે LCB અને SOGની ત્રણ અલગ-અલગ ટીમોએ ભરૂચ અને અંકલેશ્વરના ત્રણ સ્પા અને એક ગેસ્ટહાઉસમાં રેડ કરી કુલ 10 મહિલાઓને બચાવી હતી. અગાઉ મળી આવેલી મહિલાઓ સહિત કુલ 14 મહિલાઓને આ ઓપરેશનમાં મુક્ત કરાવવામાં આવી છે. મુક્ત કરાયેલી મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ રોજગારની આશાએ ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી હતી. જોકે, એજન્ટે તેમને કોઈ નોકરી ન આપી દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 5 મોબાઇલ ફોન (કિંમત રૂ. 65,000), બાંગ્લાદેશ નેશનલ આઈડી કાર્ડની નકલ સહિત દેહવ્યાપાર સાથે સંબંધિત સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ચારેય આરોપીઓ વિરુદ્ધ ઈમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ-1956, ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ-2025 તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને જાણીતા સામાજિક કાર્યકર રહીશાબેન શેઠ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી રાજકીય આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ મામલે સુરતના સલાબતપુરા પોલીસ મથકમાં ચાર શખસ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, રહીશાબેન શેઠ જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર પાસે ઊભા હતા, ત્યારે સ્થાનિક અસામાજિક તત્વોએ તેમને નિશાન બનાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરીફ ઉર્ફે આરો, ગુડ્ડી ઉર્ફે સરફરાજ અને અન્ય બે અજાણ્યા શખસે રહીશાબેન સાથે બોલાચાલી શરૂ કરી હતી. આરોપીઓએ રહીશાબેન પર પોલીસ બાતમીદાર હોવાનો આક્ષેપ મૂકી જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી. એક શખસે મહિલાને લાફો મારી લીધોહુમલાખોરો પૈકી ગુડ્ડી ઉર્ફે સરફરાજે રહીશાબેન પર હુમલો કરી તેમને લાફો મારી દીધો હતો. આ દરમિયાન આસપાસના લોકો દોડી આવતા રહીશાબેનનો બચાવ થયો હતો. જોકે, હુમલાખોરોએ જતાં-જતાં ધમકી આપી હતી કે, આ વખતે તો તું બચી ગઈ છે, પણ બીજી વાર મળીશ તો જાનથી મારી નાખીશું. નશીલા પદાર્થના વેચાણનો વિરોધ કરતા હુમલો કરાયાનો આક્ષેપકોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રહીશાબેન લાંબા સમયથી વિસ્તારમાં ચાલતા નશીલા સીરપ અને દારૂના વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આરોપી આરીફ નશાકારક વસ્તુઓના વેચાણ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે. અસામાજિક તત્વોને ભય છે કે, રહીશાબેનની સક્રિયતાને કારણે પોલીસ જનતા રેડ કરશે અને તેમનો કાળો કારોબાર બંધ થઈ જશે. યુવાધનને બચાવવા માટે કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી વિચલિત થઈને આ હુમલો કરાયો હોવાનું મનાય છે. અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર નહિરહીશાબેન શેઠે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ સામાજિક કાર્યકર તરીકે ફરજ બજાવે છે અને આ હુમલો તેમની અવાજ દબાવવાનો એક પ્રયાસ છે. તેઓએ જણાવ્યું હતું કે, મેં ગાળાગાળી કરવાની ના પાડી તો તેઓ વધુ ઉશ્કેરાયા હતા. અસામાજિક તત્વોના મનમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હાલમાં પોલીસે આરીફ ઉર્ફે આરો અયુબ મલીક અને ગુડ્ડી ઉર્ફે સરફરાજ સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શહેર કોંગ્રેસે આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી છે.
શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ વાપી ખાતે નેશનલ હાઇવે નં. 48 પર ₹11.73 કરોડના કુલ ચાર વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. આ કામો વાપી નિર્દિષ્ટ વિસ્તાર દ્વારા સર્વગ્રાહી યોજના હેઠળ હાથ ધરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં નેશનલ હાઇવે નં. 48 પર બલીઠા, ગુંજન, જીઆઇડીસી ચાર રસ્તા અને યુપીએલ બ્રિજ નીચે પેવર બ્લોકનું કામ સામેલ છે. ઉપરાંત, વાઇબ્રન્ટ બિઝનેસ પાર્ક પાસે રોડ પહોળો કરવાની અને ગટરની કામગીરી પણ કરાશે. ગુંજન અને જીઆઇડીસી ચાર રસ્તા ખાતે બ્રિજ નીચે પાર્કિંગ ડેવલપમેન્ટનો પણ સમાવેશ થાય છે. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. 180 બેડની હોસ્પિટલ પણ તૈયાર થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, હાઇવે પર પાર નદીથી દમણગંગા નદી સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે અને સદભાવના ફાઉન્ડેશન સાથે મળીને 5 વર્ષ સુધી તેનું જતન કરાશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ₹160 કરોડના ખર્ચે વિયરની સાથે રિવરફ્રન્ટનું પણ નિર્માણ કરાશે. વાપી શહેરના તમામ રસ્તાઓનું કામ માત્ર 2 મહિનામાં પૂર્ણ કરાશે, તેમજ બલીઠા અન્ડરપાસ સહિતના કામો પણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. તેમણે નાગરિકોના સહયોગથી શહેરમાં અને જીઆઇડીસી વિસ્તારમાં થઈ રહેલી સફાઈ કામગીરીની પણ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સતિષભાઈ પટેલે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે વાપી નોટિફાઇડ બોર્ડના ચેરમેન યોગેશભાઈ કાબરીયાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, નોટિફાઇડ એરિયા પ્રમુખ મનીષભાઈ, નોટિફાઇડ એરિયા ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારી, નોટિફાઇડ બોર્ડના પદાધિકારીઓ, એડવાઇઝરી બોર્ડના મેમ્બર્સ સહિત મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ખારાઘોડા રણ રોડ રૂ.1.35 કરોડ મંજૂર, હજી બિસ્માર:ફેબ્રુઆરીથી મીઠાના ટાંકા આવતા રોડ બનાવવો મુશ્કેલ
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડાથી રણમાં જવાનો રૂ. 1.35 કરોડના ખર્ચે મંજૂર થયેલો રસ્તો હજુ પણ બિસ્માર હાલતમાં છે. આને કારણે વાહનચાલકો અને મીઠાના વેપારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે ફેબ્રુઆરીથી રણમાંથી મીઠાના ટાંકા આવવાની શરૂઆત થયા બાદ આ રસ્તો બનાવવો અશક્ય બની જશે, અને બજેટ પણ પરત જવાની નોબત આવશે. ખારાઘોડા ગામ મીઠા ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે આશરે 20 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. આ મીઠું રેલવે વેગન અને ટ્રકો દ્વારા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નિકાસ કરવામાં આવે છે. દર વર્ષે ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન, જેસીબી અને ડમ્પર વડે રણમાંથી મીઠું ખારાઘોડા લાવીને તેના ગંજા બનાવવામાં આવે છે. મીઠું ખેંચવાની સિઝનમાં ખારાઘોડાથી રણમાં જવા-આવવાના રસ્તાની ખરાબ હાલત વાહનચાલકો માટે ભારે મુશ્કેલી ઊભી કરે છે. થોડા મહિનાઓ અગાઉ, ધારાસભ્ય પી.કે. પરમારની ગ્રાન્ટમાંથી આ રસ્તો રૂ. 1.35 કરોડના ખર્ચે મંજૂર થતાં મીઠાના વેપારીઓ અને વાહનચાલકોમાં ખુશીની લહેર વ્યાપી હતી. ખારાઘોડાના સરપંચ, મીઠા એસોસિએશન અને અગરિયા મંડળના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનો અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. જોકે, રૂ. 1.35 કરોડના ખર્ચે રસ્તો મંજૂર થયાને આટલો સમય વીતી જવા છતાં, આ રોડ હજુ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. ખારાઘોડા પરફેક્ટ કેમફૂડ ઇન્ડસ્ટ્રીઝના રામપાલજી પારીકે આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ફેબ્રુઆરીમાં રણમાંથી ટાંકા આવવાની શરૂઆત થયા બાદ રસ્તો બનાવવો અશક્ય બનશે અને આખું વર્ષ વીતી જતાં બજેટ પણ પરત જઈ શકે છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશન, અગરિયા સમુદાય અને વાહનચાલકો દ્વારા તંત્રને ફેબ્રુઆરી પહેલા આ રોડનું કામ તાકીદે હાથ ધરવા વ્યાપક માંગ કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામમાં આજે (13 ડિસેમ્બર) બપોર બાદ વન વિભાગની જમીનના લાંબા સમયથી ચાલતા વિવાદને લઈને પરિસ્થિતિ અચાનક અત્યંત તંગ બની ગઈ હતી. વન વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમ પર સ્થાનિકોના ઉશ્કેરાયેલા ટોળાએ ભીષણ પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલીસ અને ફોરેસ્ટ વિભાગના કુલ 35 કર્મચારી અને અધિકારીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, પાડલીયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી, ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે તાત્કાલિક અનેક ટીયર ગેસના સેલ છોડ્યા હતા, પરંતુ ટીયર ગેસ છોડ્યા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને ટોળું વધુ આક્રમક બન્યું હતું. PI સહિત 35 જવાન ઘાયલઆ ભીષણ પથ્થરમારામાં પોલીસજવાનો અને અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સૌથી ગંભીર ઇજા અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર (PI) આર.બી. ગોહિલને થઈ હતી. તેમની હાલત નાજુક બનતા LCB દ્વારા સારવાર માટે તાત્કાલિક પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા. ઘટનામાં ઘાયલ થયેલા ફોરેસ્ટ વિભાગ અને પોલીસ વિભાગના તમામ 35 ઇજાગ્રસ્ત અધિકારી અને કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસના વાહનોને આગ ચાંપીહુમલા દરમિયાન, ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી હતી. પથ્થરમારાં દરમ્યાન આ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ બનાસકાંઠાના ડીસીએફ (નાયબ વન સંરક્ષક) તાત્કાલિક અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ઘાયલોની ખબર અંતર પૂછી હતી. હાલમાં પાડલીયા ગામમાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે અને ભારે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. પોલીસે હુમલાખોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટેની તજવીજ શરૂ કરી દીધી છે.
પાટણ ખાતે 18 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાનાર સશક્ત નારી મેળા–2024ના આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મેળાના સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના અપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી સ્તરે 11 થી 23 ડિસેમ્બર દરમિયાન સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 11 ડિસેમ્બર, 2024ના રોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વદેશી અભિયાન અંતર્ગત આ મેળાનું આયોજન કરાયું છે. પ્રગતિ મેદાન, ગુંગડી રોડ ખાતે 18, 19 અને 20 ડિસેમ્બર એમ ત્રણ દિવસ માટે આ મેળો યોજાશે. મેળામાં કુલ 100 સ્ટોલ ઉભા કરવામાં આવશે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ થશે. આ સશક્ત નારી મેળા–2024 પાટણ જિલ્લાની મહિલા શક્તિને ઉજાગર કરવા અને ગામથી શહેર સુધી મહિલાઓની વિકાસયાત્રાને ગતિ આપવા માટે એક મહત્વપૂર્ણ મંચ બનશે. આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે. રાજ્ય સરકારની આ પહેલનો ઉદ્દેશ્ય મહિલા ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો (SHGs), મહિલા ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ સહિત વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓના યોગદાનને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવશે. મહિલા સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યો પર આધારિત આ જિલ્લા-સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને મજબૂત બનાવશે. તે રાજ્ય સહિત પાટણ જિલ્લાની હજારો મહિલાઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નાયબ નિયામક આર.કે. મકવાણા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં BU પરમિશન વગર ચાલતી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહેલા પ્રિ પ્રાયમરી શાળાઓને અને હવે BU પરમિશન વગર ચાલતી પ્રાથમિક શાળાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી શાળાઓના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ અસર થતા અમદાવાદ શહેર DEO એ 9 પ્રાથમિક શાળાઓને શો કોઝ નોટિસ ફટકારી ઈમ્પેક્ટ ફી હજુ સુધી કેમ ભરવામાં આવી નથી તેનો જવાબ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે. તેમજ જો શાળા દ્વારા ઇમ્પેક્ટ ફી ભરવામાં નહીં આવે તો DEO એ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. AMC દ્વારા 9 પ્રાથમિક શાળાઓને સીલ કરાઈ9 જેટલી પ્રાથમિક શાળાઓ પાસે BU પરમિશન ન હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. જેથી સીલ થયેલી શાળાઓને વિદ્યાર્થીઓના અભ્યાસ ઓનલાઇન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસની વૈકલ્પિક વ્યવસ્થા કરી BU પરમિશન અને ફાયર સેફ્ટી મેળવી લેવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેર DEO એ અન્ય તમામ શાળાઓને વિદ્યાર્થીઓની સલામતી માટે જરૂરું ફાયર NOC અને બીયું મેળવી લેવા કડક સૂચના આપી છે. શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશઅમદાવાદ શહેર DEOએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં આવતી 9 જેટલી સેલફાઇન્સ પ્રાથમિક શાળાઓને સીલ મારવામાં આવી છે. ઇમ્પેક્ટ ફી ભરીને પ્રક્રિયા હાથ ધરું હોવાનું વખતો વખત શાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવતા શાળાઓને શો કોઝ નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલ સીલ થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર માઠી અસર થાય તે જરાય પણ ચલાવી ન લેવાય. જેથી સૂચના આપવામાં આવી છે કે ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. BU પરમિશન ન મેળવે તો માન્યતા રદ કરવાની તૈયારીવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જો વહેલી તકે ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર બાંધકામ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં નહીં આવે તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું શાળાઓને જણાવવામાં આવ્યું છે. કારણકે વિદ્યાર્થીઓની સલામતી તે પહેલી પ્રાથમિકતા છે. તેમજ તમામ શાળાઓને BU પરમિશન અને ફાયર સેફ્ટીનું પાલન કરવા સહિતના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં જીલ જયંતભાઈ રાજપરા (ઉં.વ.24) નામની યુવતીએ ગઈકાલે રાત્રે ઘરે એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યો પ્રસંગમાં ગયો હતો અને ઘરે આવતા દીકરીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા તુરંત 108માં જાણ કરી હતી જે બાદ 108ના ઇએમટીએ સ્થળ પર આવી તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી અને બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, જીલ 2 બહેનમાં મોટી હતી તેના પિતા સોની કામ કરે છે અને બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો જે બાદ કોઈ કામ કરતી ન હતી. થોડા સમયથી ગુમસુમ રહેતી અને બધા સાથે ઓછું બોલતી શું થયું પૂછે તો કંઈ કહેતી નહીં અને ડિપ્રેશનમાં રહેતી હતી. અગાઉ તેણે ફીનાઇલ પી અને ઝેરી દવા ખાઈને પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આપઘાત અંગે ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધો.9ની છાત્રાને ઈન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી પીછો કરી નંબર માંગી જાતીય સતામણી કરી રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનાર 13 વર્ષની વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ પરથી નરેન્દ્ર જેઠા મકવાણા અને માલવી જીતેન્દ્ર ચૌહાણ વિરૂધ્ધ જાતીય સતામણી, પોક્સો હેઠળ ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, આરોપીઓ નરેન્દ્ર અને માલવે અઠવાડીયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી અને તેણીના મોબાઈલ નંબર મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ બાળા પોતે આ બંનેને ઓળખતી ન હોઇ રિકવેસ્ટ ડીલીટ કરી નાંખી હતી. આમ છતાં આ બંનેએ તેણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો અને સતત પીછો કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. અંતે વિદ્યાર્થિનીએ આ અંગે વાલીને જાણ કરતાં તાલુકા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી બંને આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે. સગીરા પર દુષ્કર્મના ગુનામાં આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ ગત તા.11.09.2025ના રોજ ફરિયાદીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમની સગીર વયની 15 વર્ષ 11 માસની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી અને અપહરણ કરી ગયેલ છે. પોલીસે તે ગુનાની તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન સગીરા મળી આવતા તેની પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું કે, આરોપી ઇમરાન ઉર્ફે બાપુ અશગરભાઈ કાદરી તેણીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને તેણીની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા પોલીસે આરોપી ઇમરાન કાદરીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરૂધ્ધ પૂરતો પુરાવો મળી આવતા પોક્સો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.ચાર્જશીટ બાદ જામીન અરજી કરી હતી ચાર્જશીટ થયા બાદ આરોપીએ જેલમાંથી છૂટવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહી અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, આરોપી સામે સમાજ વિરોધી ગંભીર ગુનો છે અને આરોપીની ઉંમર 26 વર્ષની છે જ્યારે તે જાણતો હતો કે, સગીરાની ઉંમર 15 વર્ષ 11 માસની છે. તેમ છતાં તેણીને લલચાવી ફોસલાવી અને લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. આવા ગંભીર ગુનામાં આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ પોકસો અદાલતના સેશન્સ જજ વી.એ. રાણાએ આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે.
સોશિયલ મીડિયાના યુગમાં ગુનેગારોને હવે ‘રીલ’ બનાવીને પોતાનો ખોફ જમાવવાનો ચસ્કો લાગ્યો છે. સુરતમાં નવ મહિના પહેલા થયેલા મર્ડર કેસના આરોપીઓએ પેરોલ પર બહાર આવીને ઇન્સ્ટાગ્રામ પર ‘આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ’ લખી પોસ્ટ મૂકીને વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ‘ખેલ’ તેમને જ ભારે પડી ગયો હતો. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ તત્વોની એવી ‘સર્વિસ’ કરી છે કે તેમની તમામ હેકડી ઉતરી ગઈ હતી. સુરત પોલીસ હવે આવા ‘ઇન્સ્ટાગ્રામિયા ડોન’ને કાયદાનું ભાન કરાવવા માટે મેદાનમાં ઉતરી છે. આવા તત્વોને ખુલ્લી ચેતવણી આપતા ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે, જો લોકોને ભયભીત કરવાનું કૃત્ય કરશો તો કાયદેસરની કાર્યવાહી કરી સર્વિસ કરી અને છોતરા કાઢી નાખવામાં આવશે. પેરોલ પર બહાર આવી સો. મીડિયામાં ભાઈગીરી કરીસુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી નવ મહિના પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી. આ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા બે આરોપી તાજેતરમાં જ પેરોલ પર બહાર આવ્યા હતા. સામાન્ય રીતે પેરોલ સુધરવા માટે મળતી હોય છે, પરંતુ આ ગુનેગારોએ બહાર આવતાની સાથે જ પોતાની ‘ભાઈગીરી’ બતાવવાનું શરૂ કર્યું હતું. હાથમાં તલવાર અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા અપલોડ કર્યાઆરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં બેકગ્રાઉન્ડમાં ડાયલોગ વાગતો હતો કે, “આજ જેલ, કલ બેલ, ફીર વહી પુરાના ખેલ..” આટલું જ નહીં, હાથમાં તલવાર લઈને અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા પણ અપલોડ કર્યા હતા. એક ફોટામાં તો હિન્દીમાં લખ્યું હતું કે, જો સાથ દે ઉસકો સાથ મે રખો, ઔર સાલે દગાબાજો કો ઉનકી ઔકાત મે રાખો...” આ પ્રકારની પોસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ફરિયાદી પક્ષ અને સાક્ષીઓને ડરાવવાનો હતો. પેરોલ પર આવ્યા બાદ આ આરોપીઓએ પોતાના વિસ્તારમાં આતશબાજી કરી ફટાકડા ફોડીને જાણે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવો માહોલ ઉભો કર્યો હતો. ફરિયાદી મહિલાની અરજી બાદ પોલીસની ત્વરિત કાર્યવાહીઆ બંને ગુનેગારો જે હત્યાના કેસમાં સંડોવાયેલા હતા, તે કેસના ફરિયાદી એક બહેન હતા. આરોપીઓના આવા વર્તનથી ફરિયાદી બહેન અને તેમનો પરિવાર ભયભીત થઈ ગયો હતો. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને સીધી ધમકી આપી રહ્યા હોવાનો અહેસાસ થતા ફરિયાદી બહેને તાત્કાલિક લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ શખસો રીલ અને પોસ્ટ મારફતે અમને ડરાવી રહ્યા છે અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. SOGએ આરોપીને દબોચી ફટાકડા ફોડ્યા તે જ વિસ્તારમાં લઈ ગઈ આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત પોલીસ કમિશનરની સૂચનાથી SOGએ ‘ઓપરેશન ગુનેગાર’ હાથ ધર્યું હતું. SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમ અને પીઆઈ અતુલ સોનારાની ટીમે ત્વરિત હરકતમાં આવીને બંને આરોપીઓને દબોચી લીધા હતા. બાદમાં જે વિસ્તારમાં આ શખસો ફટાકડા ફોડીને અને તલવારો બતાવીને દાદાગીરી કરતા હતા, તે જ વિસ્તારમાં પોલીસ તેમને લઈ ગઈ હતી. બંન્નેએ હાથ જોડી કહ્યું, હવે ફરી આવી કરતૂત નહીં કરીએપોલીસ જ્યારે આરોપીઓને લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે દૃશ્ય જોવા જેવું હતું. જે હાથમાં તલવારો હતી, તે હાથ હવે પોલીસની પકડમાં હતા. જે મોઢેથી “ફીર વહી પુરાના ખેલ” ના ડાયલોગ બોલાતા હતા, તે મોઢા હવે સીલ થઈ ગયા હતા. પોલીસે જાહેરમાં તેમનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન જે મહિલાઓને તેઓ ધમકી આપતા હતા, તેમની સામે જ બંને આરોપીઓને ઉભા રાખી ફરિયાદી પાસે રાખીને માફી મંગાવવામાં આવી હતી. વિસ્તારના લોકો જેમનાથી ડરતા હતા, તેમણે જોયું કે પોલીસની એક જ ઝાપટમાં કઈ રીતે ગુંડાઓની હેંકડી ઉતરી જાય છે. બંને આરોપીઓએ હાથ જોડીને કહ્યું હતું કે, હવે ફરી આવી કરતૂત નહીં કરીએ. ડીસીપી રાજદીપસિંહની આરોપીઓને ખુલ્લી ચેતવણીઆ સમગ્ર ઓપરેશન બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે મીડિયા સમક્ષ અત્યંત કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીનો આ દેશી અને મિજાજી અંદાજ સ્પષ્ટ કરે છે કે સુરત પોલીસ હવે આવા ‘સોશિયલ મીડિયા ગેંગસ્ટર્સ’ને સાંખી લેવાના મૂડમાં નથી. તેમણે ઉમેર્યું હતું કે, જેલમાંથી બહાર આવીને સુધરવાને બદલે જો કોઈ ગુનેગાર ફરીથી અપરાધની દુનિયામાં પગ મુકશે અથવા સમાજમાં ભય ફેલાવશે, તો તેમની જગ્યા માત્ર જેલમાં જ છે અને ત્યાં સુધી પહોંચાડતા પહેલા કાયદાનું ભાન રસ્તા પર જ કરાવી દેવામાં આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા દિશામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 32મી બેઠક જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે કલેકટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની વિસ્તૃત સમિક્ષા કરવામાં આવી હતી અને પાણી વેરા વસુલાતમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયતો અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. રૂ. 16.99 લાખના પ્રોત્સાહક ચેક વિતરણપાણી વેરા પ્રોત્સાહન યોજના હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં મંજૂર થયેલ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓને કુલ રૂ. 16.99 લાખની પ્રોત્સાહક રકમનો ચેક કલેકટરના હસ્તે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી. ચૌહાણને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રોત્સાહનથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વેરા વસુલાત પ્રત્યે જાગૃતિ વધશે તેમજ પાણી વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. અન્ય ગામોને ‘સરસ મેળા’માં પ્રોત્સાહનયોજનામાં સમાવેશ થયેલા અન્ય ગામોને મળનાર પ્રોત્સાહન રકમ આગામી “સરસ મેળા” દરમિયાન રાજ્ય મંત્રી તથા મહાનુભાવોના હસ્તે આપવામાં આવશે તેમ બેઠકમાં જાણ કરવામાં આવી હતી. બેઠકમાં યાંત્રિક વિભાગ દ્વારા રજૂ કરાયેલ કોડીનાર તાલુકાના અરણેજ તેમજ સૂત્રાપાડા તાલુકાના ભુવાટીંબી અને વાસાવડ ગામોની પાણી પુરવઠા યોજનાઓને સૈદ્ધાંતિક તથા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લામાં જર્જરિત હાલતમાં આવેલી અંદાજે ૩૫ ઊંચી પાણી ટાંકીઓના નવીનીકરણ માટે નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેકટરએ સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. 25 ગામાં સોર્સ રીચાર્જની કામગીરી હાથ ધરાશેઉનાળાની પાણી તંગી અટકાવવા સોર્સમાં પાણી ખૂટી જાય તેવી શક્યતા ધરાવતા અંદાજે 25 ગામોમાં સોર્સ રીચાર્જના કામો હાથ ધરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ સંલગ્ન વિભાગોના અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દહેગામ પોલીસ દ્વારા દારૂબંધીને અસરકારક રીતે લાગુ કરવાના પ્રયાસોના ભાગરૂપે ગેરકાયદેસર દેશી દારૂની હેરાફેરી કરતી એક મોટી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મેશ્વો નદી ખાતેથી ચાર અલગ-અલગ બાઇક મારફતે 158 લીટર દેશી દારૂનો જથ્થો અમદાવાદમાં ઠાલવવાના નેટવર્કનો પર્દાફાશ કરી 1.76 લાખના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી-વિદેશી દારૂની હેરાફેરી રસ્તો?દહેગામ પોલીસ મથકના પીઆઇ મુકેશ દેસાઈની ટીમને બાતમી માલી હતી કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તાર બૂટલેગરો માટે દેશી વિદેશી દારૂની હેરાફેરી માટે મોકળો માર્ગ બની ગયો છે. જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ મને કમને અત્રેના વિસ્તારમાં ધ્યાન કેન્દ્રિત કરી વોચ ગોઠવી દઈ બાઇકનો ઉપયોગ કરીને દેશી દારૂનો જથ્થો સપ્લાય કરવાના નેટવર્કને ઝડપી લેવામાં આવ્યું છે. પોલીસે ચાર બાઈક સાથે ચારને દબોચ્યા પોલીસે કુલ ચાર હોન્ડા સાઇન બાઇક કબજે કરી છે .જેનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે થતો હતો. આ વાહનોમાંથી કુલ 158 લીટર દેશી દારૂ સાથે યોગેશ પંડ્યા, ધર્મેન્દ્ર કઠેરીયા, અને પિન્ટુ ગોસ્વામી (ત્રણેય રહે. અમદાવાદ) ની ધરપકડ કરી કુલ રૂ.1.76 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 'દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો'આ અંગે દહેગામ પીઆઈ મુકેશ દેસાઈએ જણાવ્યું કે, મેશ્વો નદી બ્રિજ વિસ્તારથી દેશી દારૂ ની હેરાફેરીનું નેટવર્ક ઝડપી લેવાયું છે. જેમાં એક આરોપી નાસી ગયો છે. આ દારૂનો જથ્થો ખેડાના કાકખડ ગામથી લાવવામાં આવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભિલોડા અને મેઘરજ તાલુકાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ આર.એચ. પટેલ વિદ્યાલય, પાલ્લા ખાતે યોજાયો હતો. આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં અને સાંસદ શોભનાબેન બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પર્ધાનું સંચાલન કરવામાં આવ્યું. આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં શિસ્ત, ટીમ વર્ક અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવાનો છે. સંસદ ખેલ મહોત્સવમાં કબડ્ડી ઉપરાંત ખોખો અને દોડ જેવી વિવિધ રમતોનું પણ આયોજન કરાયું હતું. સાંસદ શોભનાબેન બારૈયાએ વિદ્યાર્થીઓને રમતોમાં સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને રમતગમતના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક સહિત અન્ય જિલ્લા પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા રમત-ગમત અધિકારી પ્રકાશ કલાસ્વા અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભૌમિક ઓઝાએ સ્પર્ધાનું સંચાલન અને તકનીકી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા, જેના કારણે વાતાવરણ ઉત્સાહપૂર્ણ બન્યું હતું. આવા આયોજનો દ્વારા અરવલ્લી જિલ્લાના યુવાનોમાં રમત પ્રત્યેની રુચિ વધશે અને તેઓ વિકાસના પથ પર આગળ વધશે તેવી અપેક્ષા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માધવપ્રિયદાસજી સ્વામીની બાયપાસ સર્જરી બાદ તેમના આરોગ્ય અંગે આત્મીય ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાને ફોન પર માધવપ્રિયદાસજી સ્વામીને સફળ ઓપરેશ બદલ શુભકામનાઓ પાઠવી હતી અને ખબર-અંતર પૂછ્યાં હતાં. આ કોલ 1 મિનિટ અને 45 સેકન્ડ સુધી ચાલ્યો હતો. વડાપ્રધાને માધવપ્રિયદાસજી સ્વામીને કહ્યું કે, તમે આખી દુનિયાની સંભાળ લો છો, અમે તમારી લઈએ. સ્વામીએ આ ક્ષણને માત્ર એક કોલ નહીં, પરંતુ સંવેદના, સંસ્કાર અને સન્માનનું પ્રતિક ગણાવ્યું છે. શ્રીસ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર (છારોડી-SGVP)ના પ્રમુખ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત માધવપ્રિયદાસજી સ્વામીની બાયપાસ સર્જરી ભગવાન શ્રીહરિની કૃપાથી સફળતાપૂર્વક પાર પડી છે. તેઓના સફળ ઓપરેશન બાદ શુભેચ્છા અને ખબરઅંતર પૂછવા ધર્મપ્રિયદાસજી સ્વામી (બાપુ સ્વામી-ધંધુકા) સ્નેહી મિત્ર નારાયણચરણદાસજી સ્વામી (વ્રજભુમી), બ્રહ્મપ્રકાશ સ્વામી (વડતાલ) સાથે છારોડી ગુરુકુળ પહોંચ્યાં હતાં. છારોડી ગુરુકુળ SGVP ખાતે માધવપ્રિયદાસજી સ્વામીની તબિયત જોવા આવેલા ભાઈશ્રી (રમેશભાઈ ઓઝા)ને વડતાલવાસી લક્ષ્મીનારાયણદેવનો પ્રસાદીનો વરીયાળીનો હાર પહેરાવી શુભેચ્છા મુલાકાત કરાઈ હતી. આ પ્રસંગે બાલકૃષ્ણ સ્વામી (મેમનગર) પણ સાથે રહી સૌની સાથે ભાવાત્મક વાતો કરી હતી. વડાપ્રધાન દ્વારા વ્યક્ત કરાયેલી આત્મીય ચિંતાએ સંતો અને અનુયાયીઓમાં હૃદયસ્પર્શી લાગણી જન્માવી છે.
મહેસાણામાં રહેતા એક ડોકટર રાધનપુર રોડ પર આવેલ સેવન સ્પેસ કોમ્પલેક્ષ પાસે એક્ટિવા પાર્ક કરી પીઝા ખાવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તસ્કરો પાર્કિગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયામહેસાણામાં રાધનપુર રોડ પર આવેલ રાધેકુંજ સોસાયટીમાં રહેતા અને ડોકટર ની નોકરી કરતા મોદી ભાવેશભાઈ 3 ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે રાધનપુર રોડ પર આવેલા સેવન સ્પેસ કોમ્પ્લેક્ષ પાસે પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન તેઓએ GJ02CH4362 નંબર નું એક્ટિવા કોમ્પલેક્ષ ના પાર્કિગમાં મૂક્યું હતું. બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈએક્ટિવા પાર્ક કરી તેઓ પીઝા ખાવા ગયા હતા એ દરમિયાન અજાણ્યા તસ્કરો તેઓનું એક્ટિવા ચોરી ગયા હતા. ફરિયાદી જ્યારે પીઝા ખાઈ એક્ટિવા લેવા ગયા એ દરમિયાન એક્ટિવા જોવા મળ્યું નહોતું.જેથી તેઓએ આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા એક્ટિવા ક્યાંય ન મળી આવતા આખરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 30 હજાર કિંમતના એક્ટિવા ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે.
મહેસાણા જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અઘ્યક્ષ એ. એલ. વ્યાસની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલઆ નેશનલ લોક અદાલતમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એકસીડન્ટ કલેઈમ પીટીશન, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના કેસો, દેવા વસુલાતને લગતા દિવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરાયોઆ લોક અદાલતમાં 59 મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ 1,52,71,000નો વળતરનો હુકમ કરવામાં આવ્યો છે તેમજ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 ના ચેક રીર્ટનના 1857 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. તથા પ્રિલીટીગેશન કેસોના 3322 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. 9.61 કરોડની રકમના સમાધાન થયેલ આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારો તથા વકીલઓના સહયોગથી કુલ રૂા. 9,61,61,140 ની રકમના સમાધાન થયેલ છે. આમ, આ નેશનલ લોક અદાલતમાં કુલ- 17,793 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ નેશનલ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ ન્યાયાધીશઓ તથા કર્મચારીઓ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઈમ સેક્રેટરી આઈ. કે. જાંગડ સહિતનાઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે.
સેક્ટર-10 મીનાબજારમાં બાકી ભાડું ન ભરનાર 8 દુકાનો સીલ:ગાંધીનગર મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરી
ગાંધીનગર મહાનગરપાલિકાએ બાકી લેણાં વસૂલવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે.આજે મનપાની ટીમે સેક્ટર-10 સ્થિત મીનાબજાર કોમ્પ્લેક્સમાં ધંધો કરતા દુકાનદારો ધ્વારા ઘણા સમયથી બાકી રહેલા ભાડાની રકમ ભરવામાં નહીં આવતા 8 દુકાનો સીલ કરી સ્થળ પર જ રૂ.3.10 લાખની વસૂલાત કરતા અન્ય બાકીદારોમાં પણ ફફડાટ ફેલાયો છે. 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું, વારંવાર નોટિસપ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, મીનાબજાર ખાતે આવેલી કુલ 10 દુકાનોનું ભાડું લાંબા સમયથી બાકી હતું. આ 10 દુકાનોનું કુલ બાકી લેણું રૂ. 12,63,137 હતું. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા વારંવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં નિયત સમયમર્યાદા બાકીદારોએ બાકી રકમ ભરપાઈ કરી ન હતી. ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતામહાનગરપાલિકા દ્વારા આ ભાડુઆતને વારંવાર સૂચના અપાયા છતાં બેદરકારી દાખવતા આખરે કોર્પોરેશનને કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે ફરજ પડી હતી.આજરોજ કોર્પોરેશનની ટીમ મીનાબજાર ખાતે પહોંચી હતી અને બાકી ભાડાની વસૂલાતની કામગીરી શરૂ કરી હતી. કોર્પોરેશનની ટીમે સ્થળ પર જ બાકીદારોને તાત્કાલિક ભાડું ભરપાઈ કરવા જણાવ્યું હતું. મનપાએ સ્થળ પર જ 3.10 લાખની વસૂલાત કરીઆ કાર્યવાહીના દબાણ હેઠળ કેટલાક દુકાનદારોએ તાત્કાલિક આંશિક રકમ ભરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરી દરમિયાન કુલ બાકી લેણાંમાંથી રૂ. 3,10,000ની રકમ સ્થળ પર જ ચેક મારફતે વસૂલ કરવામાં આવી હતી. જોકે મોટા ભાગના દુકાનદારો બાકી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહેતા મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સીલિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. 8 દુકાનોને સીલ કરાઈઆ ઝુંબેશ હેઠળ કુલ 8 દુકાનોને સીલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ કહ્યું છે કે, જ્યાં સુધી દુકાનદારો બાકી રહેલો સંપૂર્ણ ભાડાનો જથ્થો વ્યાજ સહિત જમા નહીં કરાવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં અને જો નિયત સમયમાં બાકી ભાડું ભરપાઈ નહીં થાય તો નિયમ મુજબ દુકાનોની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે. ટેક્સ, ભાડું કે અન્ય કોઈ પણ પ્રકારના સરકારી લેણાં બાકી હોય તેવા તમામ એકમો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની સઘન વસૂલાતની કામગીરી ચાલુ રહેશે.
રાજકોટમાં ડોક્ટરોની બેદરકારીના કારણે વધુ એક યુવકે જીવ ગુમાવ્યો હતો. શહેરના કુવાડવા રોડ પર આવેલી સ્કંદ લાઈફ કેર હોસ્પિટલમાં સપ્ટેમ્બર 2024ના ડેન્ગ્યૂની સારવાર સમયે એન્જિનિયર યુવક જય રેણપરાની તબિયત લથડી હતી અને ડો. હાર્દિક સંઘાણી અને ડો. જીગ્નેશ પટેલે બેદરકારી દાખવતાં યુવકની જિંદગીનો અંત આવ્યો હતો. જોકે, આ મામલે પીડીયુ સરકારી મેડિકલ કોલેજના રિપોર્ટમાં બેદરકારી સ્પષ્ટ થતાં હવે બી ડિવિઝન પોલીસે બંને ડોક્ટર સામે ફરિયાદ દાખલ કરી છે. જોકે, પોતાનો વહાલસોયો દીકરો ગુમાવતા માતા-પિતાએ ભારે હૈયે કહે છે કે, આવા ડોક્ટરોને તો જન્મપીટની સજા થવી જોઇએ. તે કોઈ દિવસ જેલમાંથી બહાર જ ન આવવા જોઇએ અને માત્ર નામની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને તાળા મારી દેવા જોઇએ. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ: ચાંદનીબેન રેણપરા20 સપ્ટેમ્બર 2024ના રોજ ડોક્ટરની બેદરકારીના કારણે વહાલસોયા પુત્રને ગુમાવતા માતા ચાંદનીબેને જણાવ્યું હતું કે, મારા પુત્રના મોત માટે ત્રણ ડોક્ટર જવાબદાર છે. જેમાં સ્કંદ હોસ્પિટલના હાર્દિક સંઘાણી અને તેના પત્ની તેમજ ડો. જીગ્નેશ પટેલ સામેલ છે. જ્યારે ડેન્ગ્યૂની સારવાર ડો. હાર્દિકના પત્ની ડો. શ્વેતાએ કરી હતી. જેથી ત્રણેય ડોક્ટરોને સજા થવી જોઇએ. મારા દીકરાને 19 સપ્ટેમ્બર 2014ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને 20 સપ્ટેમ્બરના સાંજે તેનું મોત થયું. આ ડોક્ટરોને જન્મટીપની સજા થવી જોઇએ. જેલમાંથી બહાર જ આવવા ન જોઇએ અને સ્કંદ હોસ્પિટલ સીલ થવી જોઇએ અને તાળા લાગી જવા જોઇએ. રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો: સુભાષ રેણપરામૃતક જયના પિતા સુભાષ રેણપરાએ જણાવ્યું હતું કે, આજથી સવા વર્ષ પહેલાં 19 સપ્ટેમ્બર, 2024ના મારા પુત્રને તાવ આવતા રિપોર્ટ કરાવતા ડેન્ગ્યૂ હોવાનું સામે આવ્યું હતું. જેથી મારો પુત્ર અને સાઢુભાઈનો દીકરો એક્ટિવા પર ગયા હતા અને સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જે બાદ 20 સપ્ટેમ્બરના સવારે તેની તબિયત વધારે ખરાબ થઈ હતી અને રાત્રે 7:30 વાગ્યે કેસ લગભગ ફેઈલ થયો હતો અને અમને એવું કહેવામાં આવ્યું હતું કે, હવે તેને વોકહાર્ટ હોસ્પિટલમાં લઈ જાઓ. જોકે, બાદમાં મારા પુત્રનું મોત થયું. 'ડો. હાર્દિક ન હોય ત્યારે તેમના પત્ની સારવાર આપતા હોય છે'વધુમાં જણાવ્યું હતું કે, સ્કંદ હોસ્પિટલ માત્ર નામ પૂરતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હતી. જ્યાં સગવડતાના નામે કંઈ જ નહોતું. જ્યાં દર્દીને ઉપરના માળે લઈ જવા હોય તો બાચકું લઈને જતા હોય તે રીતે લઈ જતા હતા. ડો. હાર્દિક સંઘાણી ન હોય ત્યારે તેમના પત્ની જે સ્કીન ડોક્ટર છે તે સારવાર આપતા હોય છે. ગંભીર બેદરકારી તાત્કાલિક ધોરણે બંધ થવી જોઇએ. શું છે સમગ્ર મામલોરાજકોટના પેડક રોડ પરની સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ચાંદનીબેન સુભાષભાઇ રેણપરા (ઉ.વ.49)એ બી.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુવાડવા રોડ પર આવેલા સ્કંદ લાઇફકેર હોસ્પિટલના ડો.હાર્દિક સંઘાણી અને ડો.જીજ્ઞેશ પટેલના નામ આપ્યા હતા. ચાંદનીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર 18 સપ્ટેમ્બર 2024ના તાવ આવતા રિપોર્ટ કરાવ્યો હતો અને તેને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ આવતાં તા.19ના તેને સ્કંદ લાઇફકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી ખાતરી આપી હતીત્યારે તેના પ્લેટલેટ કાઉન્ટ 41 હજાર હતા, ત્યારબાદ કાઉન્ટ સતત ઘટતા ગયા હતા, તા.20ના તબિયત વધું લથડી હતી, જરૂર હોય તો અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરીએ તેવું પરિવારજનોએ કહેતા ડો.હાર્દિક સંઘાણીએ કહ્યું હતું કે, અન્ય કોઇ હોસ્પિટલમાં લઇ જાવ કે અમેરિકા લઇ જાવ સારવાર તો આ જ થશે, હું કેસ હેન્ડલ કરી લઇશ તેમ કહી સ્વસ્થ થઇ જવાની ખાતરી આપી હતી. વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જતાં અડધો કલાકમાં જ જયનું મોત થયુંત્યાર બાદ કેસ વધુ બગડતાં ડો.હાર્દિકે વોકહાર્ટ હોસ્પિટલના ડો.જીજ્ઞેશ પટેલને બોલાવ્યા હતા અને તેણે સારવાર ચાલું કરી લઇશ પરંતુ તબિયતમાં સુધારો થયો નહોતો. તા.20ની સાંજે ક્રિટિકલ સિચ્યુએશન થઇ જતાં હોસ્પિટલના આઇસીયુમાં ખસેડ્યો હતો અને ત્યાંથી અંતે વોકહાર્ટ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં અડધો કલાકની સારવાર બાદ જયનું મૃત્યુ થયું હતું.
બરવાળા પોલીસે 7 મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ચોકડી ગામના શખ્સની ધરપકડ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ બરવાળા પોલીસે મોટરસાઇકલ ચોરીના સાત અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોકડી ગામના એક શખ્સની ધરપકડ કરીને ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બરવાળા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બરવાળા ખોડિયાર મંદિર પાસે એક શંકાસ્પદ મોટરસાઇકલ ચાલકને અટકાવવામાં આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિપુલ ચમનભાઈ ગોરાહવા, રહે. ચોકડી ગામ જણાવ્યું હતું. વિપુલ પાસે મોટરસાઇકલના જરૂરી કાગળો ન હોવાથી અને સંતોષકારક જવાબ ન મળતા પોલીસને શંકા ગઈ હતી. તેને પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા તેણે બરવાળા બસ સ્ટેન્ડ સહિત બરવાળા, વિરપુર અને ધંધુકા વિસ્તારમાંથી કુલ સાત મોટરસાઇકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીની કબૂલાત બાદ પોલીસે ચોરી કરાયેલી કુલ સાત મોટરસાઇકલ કબ્જે લીધી છે, જેની અંદાજિત કિંમત ₹1.40 લાખ થાય છે. બરવાળા પોલીસે આ મામલે BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મોલ ખાતે મોડી રાત્રે જન્મદિવસની ઉજવણી કરવા આવેલા કેટલાક અસામાજિક તત્વોએ વોચમેન સાથે ગેરવર્તન કરતાં ચકચાર મચી જવા પામી છે. જોકે, ઘટનાની જાણ થતાં જ ઉત્રાણ પોલીસે તુરંત કાર્યવાહી કરીને પાંચ જેટલા લુખ્ખાગીરી કરનારા ઈસમોની શાન ઠેકાણે લાવી દીધી હતી અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વેલંજા રંગોલી ચોકડીની ઘટનાપ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા રંગોળી ચોકડી પાસે આવેલા MTC મોલ ખાતે બની હતી. મોડી રાત્રિના સમયે કેટલાક યુવકોનો એક જૂથ મોલમાં કે તેની આસપાસ જન્મદિવસની ઉજવણી કરવાના ઇરાદે એકઠું થયું હતું. મોલમાં રાત્રિના સમયે ઉજવણીની મનાઈ હોવાથી, મોલના ફરજ પર હાજર વોચમેને તેમને કાયદાનું પાલન કરવા અને ત્યાંથી ઉજવણી ન કરવા સમજાવ્યા હતા. પરંતુ, આ સમજાવટથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ વોચમેન સાથે તર્ક-વિતર્ક કરીને અભદ્ર ભાષામાં ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું, અને જાહેરમાં આતંક મચાવ્યો હતો. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદઅસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ સમગ્ર લુખ્ખાગીરીની ઘટના મોલમાં અને આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાતું હતું કે કઈ રીતે આ યુવકો કાયદાનું ઉલ્લંઘન કરીને વોચમેન સાથે દાદાગીરી કરી રહ્યા હતા. આ સાથે જ વોચમેનને તાક ધમકીઓ પણ આપવામાં આવી રહી હતી. પોલીસની ત્વરિત અને કડક કાર્યવાહીઆ ગેરવર્તન અને લુખ્ખાગીરીની જાણ થતાં જ ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અને સ્થાનિક માહિતીના આધારે ગેરવર્તન કરનારા પાંચ જેટલા ઈસમોને ઝડપી પાડ્યા હતા. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાંપોલીસે આ લુખ્ખાગીરી કરનારા યુવકોને પોલીસ સ્ટેશન લાવીને તેમની કાયદાકીય રીતે શાન ઠેકાણે લાવી હતી. યુવકો વિરુદ્ધ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા અને તેમને કાયદાનું મહત્વ સમજાવીને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવાની સખત ચેતવણી આપવામાં આવી હતી. લુખ્ખાગીરી સામે પોલીસની કાર્યવાહીઉત્રાણ પોલીસે આ કડક કાર્યવાહી દ્વારા જાહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે જાહેરમાં શાંતિ અને કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને તેનું ઉલ્લંઘન કરનારા કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ ઘટનાથી સુરતમાં રાત્રિના સમયે જાહેર સ્થળો પર થતી અનિયંત્રિત ઉજવણીઓ અને લુખ્ખાગીરી સામે પોલીસની સજાગતા અને કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે. 'અમારી ભૂલ છે, આવી ભૂલ કોઈ ન કરતા'પોલીસે કાયદાનો પાઠ ભણાવતા આરોપીએ જણાવ્યું હતું કે, મારા દોસ્તોનો બર્થડે હતો, એમટીસીમાં અમે કેક કાપવા ગયા હતા. ત્યાં વોચમેન કાકા આવ્યા, અમને એમ કીધું કે તમે બહાર જતા રહ્યો. અને વોચમેન કાકા સાથે અમે ગેરવર્તન કર્યું હતું. એ અમારી ભૂલ છે. આવી ભૂલ કોઈ ન કરતા. બીજા કોઈ આવી ભૂલ ન કરતા. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
પેરોલ પર બે વર્ષથી ફરાર આરોપી હિંમતનગરમાં ઝડપાયો:અમદાવાદ લૂંટ-મર્ડર કેસનો આરોપી સબજેલમાં ધકેલાયો
સાબરકાંઠા SOGએ હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી પેરોલ પર બે વર્ષથી ફરાર આરોપી વિષ્ણુ ઉર્ફે રાજુ બાબુભાઈ ઠાકોરને ઝડપી પાડ્યો છે. તે અમદાવાદમાં લૂંટ વીથ મર્ડર અને હિંમતનગર, કલોલ તથા અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હતો. SOGના PI ડી.સી. પરમારના જણાવ્યા અનુસાર, અમદાવાદના કાળીગામ રેલવે સ્ટેશન પાછળ રહેતો વિષ્ણુ ઠાકોર લૂંટ વીથ મર્ડરના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો. આ ઉપરાંત, હિંમતનગર બી-ડિવિઝન, કલોલ અને અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પણ તેની સંડોવણી હતી. બે વર્ષ અગાઉ તે પેરોલ ફ્લો અથવા વચગાળાની રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ નિર્ધારિત સમય મર્યાદામાં જેલમાં પરત હાજર થયો ન હતો. ત્યારથી તે ફરાર હતો. સાબરકાંઠા SOGને મળેલી બાતમીના આધારે, પોલીસે હિંમતનગરના બસ સ્ટેન્ડ રોડ પાસેથી વિષ્ણુ ઠાકોરને પકડી પાડ્યો હતો. તેની ધરપકડ બાદ, તેને હિંમતનગર સબજેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
ટંકારા: આજી નદી પુલ ભારે વાહનો માટે બંધ:કલેક્ટરના જાહેરનામાનો અમલ, પોલીસ દ્વારા અવરજવર અટકાવાઈ
મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ આજી નદી પરનો પુલ ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. કલેક્ટરના જાહેરનામાની અમલવારી ન થતી હોવા અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સક્રિય બન્યું છે અને પોલીસે પુલ પરથી વાહનોની અવરજવર અટકાવી છે. રાજ્યમાં તાજેતરમાં બનેલી પુલ દુર્ઘટનાઓને પગલે સરકારે તમામ જિલ્લાઓમાં પુલોનું નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામ નજીક આજી નદી પરના મુખ્ય પુલને સમારકામની જરૂર જણાતા તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. સમારકામ શરૂ કરતા પહેલા, ટંકારાથી જામનગર તરફ જતા માર્ગ પરના આ પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પણ સૂચવવામાં આવ્યા હતા. જોકે, કલેક્ટરના જાહેરનામા છતાં ટ્રક, ડમ્પર અને આઇશર જેવા મોટા વાહનો પુલ પરથી પસાર થતા હતા, જેના કારણે જાહેરનામાનો અમલ થતો ન હતો. દિવ્ય ભાસ્કરમાં જાહેરનામાની અમલવારી ન થવા અંગેના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. હાલમાં ટંકારા અને ધ્રોલ પોલીસે પુલની બંને બાજુએ બેરીકેટીંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ટ્રક, ડમ્પર, સરકારી અને ખાનગી બસો સહિતના તમામ ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટ જય દુબરિયાએ જણાવ્યું હતું કે, આ પુલનું સમારકામ લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે અને આગામી દસ દિવસમાં તેને ભારે વાહનો માટે ફરીથી ખોલી દેવામાં આવશે.
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર થઇ રહેલા પ્રાદેશિક આર્થિક આયોજનને મૂર્તિમંત કરવા માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ દ્વારા આજે મધ્ય ગુજરાતના સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. સાત જિલ્લાના કલેક્ટરો સાથે બેઠકઆ બેઠકમાં વડોદરા ઉપરાંત ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં કેવા પ્રકારની આર્થિક ગતિવિધિઓને અવકાશ રહ્યો છે. આ અવકાશ માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરવી પડે એમ છે? તે સહિતની બાબતો અંગે સંબંધિત જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત હયાત ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક ઉત્પાદનોના પ્રકાર, તેમાં વિસ્તરણની સંભાવનાઓ, રોજગારીની તકોનું નિર્માણ, પરિવહનની સુવિધાઓ સહિતની બાબતો અંગે પણ આ બેઠકમાં ઉદ્યોગ કમિશનર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચાઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી સુવિધાઓ, પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિત વિષયો પણ આ બેઠકમાં ચર્ચાને સ્થાને રહ્યાં હતાં. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વલસાડના વાપી તાલુકામાં આવેલી ખાનગી શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર મારતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શાળાની બહાર વિદ્યાર્થીઓનો એક સમૂહ અન્ય એક વિદ્યાર્થીને ઘેરી વળીને તેને માર મારી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ચિંતા વ્યાપી છે. આ પ્રકારની ઘટનાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. અગાઉ પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીની ઘટનાઓમાં વિદ્યાર્થીઓના મોત થયા હોવાના કિસ્સાઓ બન્યા છે. આવી ઘટનાઓને ગંભીરતાથી લઈને શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે કડક પગલાં ભરે અને શાળા પરિસરમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે. જોકે, વાયરલ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
નવસારી પાલિકાનું કડક વલણ:17 ડિસેમ્બર સુધી વેરો ન ભરનારની સુવિધાઓ કપાશે
નવસારી મહાનગરપાલિકાએ વેરા વસૂલાત માટે કડક વલણ અપનાવ્યું છે. પાલિકાએ જાહેરાત કરી છે કે 17 ડિસેમ્બર સુધીમાં બાકી વેરો નહીં ચૂકવનાર મિલકત ધારકોની લાઇટ, પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગે શહેરમાં ₹71 લાખથી વધુના જૂના વેરાની વસૂલાત શરૂ કરી છે. ₹50,000 થી વધુ બાકી વેરો ધરાવતા 69 મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં 17 ડિસેમ્બર સુધીમાં વેરો ન ભરવા પર પાયાની સુવિધાઓ બંધ કરવાની ચેતવણી અપાઈ છે. નોટિસ મેળવનારાઓમાં વોર્ડ નં. 1માં સબરસ ફૂડ પ્રોડક્ટ, વોર્ડ નં. 4માં સંસ્કૃતિ બિલ્ડરર્સના ભાગીદારો તેજસ ભરત શાહ, વોર્ડ નં. 6ના સંજય મોહન અગ્રવાલ, વોર્ડ નં. 8માં જલારામ કન્સ્ટ્રક્શન અને ચિનમ આરકેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 9માં વેસ્ટના (પરાગજી) ડિસ્ટ્રીબ્યુટર, શ્રીરામ નોન ટ્રેડિંગ એસોસિએશન, આઇડિયા મોબાઇલ, વ્યોમ નેટવર્ક્સ (એ.ટી.સી.: ટેલિકોમ, ઇન્ફ્રા પ્રા. લિ., એરટેલ મોબાઇલ ટાવર) અને માધવ ડેવલોપર્સના ભાગીદારો કેતન પટેલ, રમેશ પટેલ, અનિલ ગજેરા, સુરેશ રાજાણી પણ યાદીમાં છે. વોર્ડ નં. 11માં ટાવરવિઝન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ., વોર્ડ નં. 12માં ગોકુળ બિલ્ડકોન પ્રા. લિ. ના સંજય પ્રદીપ પટેલ, અને વોર્ડ નં. 13માં અલ્ટ્રા ડેવલોપર્સના કર્ણ અરુણાભાઈ હરિયાણી, ઉર્વશી કર્ણા હરિયાણી તથા સાંગાણી ગ્રુપના મહેશ જયંતિ સાંગાણી અને વિલાસબેન મહેશભાઈ સાંગાણીને પણ નોટિસ અપાઈ છે. જો 17 ડિસેમ્બર સુધીમાં બાકી લેણાં ચૂકવવામાં નહીં આવે તો પાણી પુરવઠો, ડ્રેનેજ કનેક્શન અને વીજળી સપ્લાય બંધ કરવા ઉપરાંત બિલ્ડિંગની યુઝ પરમિશન રદ કરીને મિલકત સીલ કરવામાં આવશે.
જૂનાગઢ પોલીસ દ્વારા શહેરમાં ગેરકાયદેસર રીતે બુટલેગરો દ્વારા લાવવામાં આવેલા દારૂનો જથ્થો 2024 થી 2025 સુધીમાં પકડી પાડવામાં આવેલા દારૂનો આજે નાશ કરાયો હતો. જુનાગઢ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ ડામવા અને કાયદાનો કડક અમલ કરવાના ભાગરૂપે આજે (શનિવાર) જુનાગઢ સિટીના B ડિવિઝન અને C ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરવામાં આવેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયા જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના અધ્યક્ષપદ હેઠળ એક કમિટીની હાજરીમાં પાર પાડવામાં આવી હતી. આ કમિટીમાં જુનાગઢ શહેર ડિવિઝનના Dysp હિતેશ ધાંધલીયા, આબકારી ખાતાના અધિકારી બી. વેકરીયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. પટેલ અને સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહિલનો સમાવેશ થતો હતો. પોલીસ દ્વારા વર્ષ 2024 અને 2025 દરમિયાન બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશનના કુલ 48 ગુનાઓમાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.જેમાં બોટલની સંખ્યા: 9,967 નંગ જેની કુલ કિંમત: ₹45,43,649 નોંધવામાં આવી હતી. આ તમામ મુદ્દામાલનો નાશ ડુંગરપુર ખાતે કાયદા મુજબની તમામ કાર્યવાહી કરીને કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને પકડાયેલા મુદ્દામાલનો નિયમિતપણે નિકાલ કરવાની કાયમી પ્રક્રિયા જાળવી રાખી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ અને ખાનગી બેંકના કર્મચારીઓએ મળીને વૃદ્ધ મહિલાના 33.35 લાખ રૂપિયા બચાવ્યા છે. સાઇબર ગઠિયાઓએ વૃદ્ધ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને તેમને ડરાવી, ધમકાવી 33.35 લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા જ્યારે ડરીને એક સાથે બેંકમાંથી આટલી મોટી રકમના ટ્રાન્જેક્શન કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે બેંક કર્મચારીઓને શંકા જતા પોલીસને જાણ કરી હતી. સાયબર ક્રાઇમની ટીમ જયારે બેંકમાં પહોંચી ત્યારે મહિલાએ ડિજિટલ એરેસ્ટ અંગે જાણ કરી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરી ડિજિટલ એરેસ્ટના ફ્રોડ વિશે તેમને સમજાવ્યાં હતાં. વૃદ્ધ મહિલા બેંકમાં પહોંચ્યાને ડિજિટલ અરેસ્ટની ખબર પડી મળતી વિગત અનુસાર, 10 ડિસેમ્બરે મણિનગર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં એક વૃદ્ધ મહિલા પહોંચ્યા હતા.આ મહિલાએ બેંકમાં જઈને તેમની તમામ એફડી અને નાણા કોઈ ખાતામાં જમા કરાવવા માટે ઉતાવળ કરતાં હતા. મહિલાએ 33.35 લાખ રૂપિયા એક શંકાસ્પદ ખાતામાં ડરતા ડરતા ટ્રાન્સફર કરવાનું બેંકના અધિકારીને કહ્યું હતું. બેંકના અધિકારીને શંકા જતા સાઇબર ક્રાઈમને જાણ કરી હતી. ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતોજેથી સાયબર ક્રાઇમની એક ટીમ બેંકમાં પહોંચી હતી.પીએસઆઇ ઈશ્વર પટેલ અને તેમની ટીમે બેંકમાં પહોંચીને બેંકના અધિકારી અને મહિલાની પૂછપરછ કરી ત્યારે વૃદ્ધ મહિલાના ફોનમાં કોઈ અજાણ્યા વ્યક્તિનો વોટ્સએપ કોલ ચાલુ હતો. પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો'તો મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને ડિજિટલ એરેસ્ટ કરેલા છે જેથી પોલીસે મહિલાનો ફોન ચેક કર્યો ત્યારે તેમના ફોનમાં અલગ અલગ બનાવટી દસ્તાવેજો મળી આવ્યા હતાં. આ દસ્તાવેજ તો જોતાં જ પોલીસને જાણ થઈ ગઈ હતી કે મહિલાને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા છે. પોલીસે ફોન કટ કરાવી મહિલાને ડિજિટલ એરેસ્ટ વિશે સમજાવ્યા હતા અને મહિલાના સંબંધીઓને બોલાવીને પણ આ અંગે જાણ કરી દીધી હતી. સાયબર ઠગે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને ડરાવ્યાપોલીસે સમગ્ર બનાવવાની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મણિનગરમાં રહેતા વૃદ્ધ મહિલાને 18 નંબર પરથી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ મહિલાને જણાવ્યું હતું કે તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ સંદિગ્ધ ગતિવિધિઓમાં થયો છે જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમ કહી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને ફોન ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. 33.35 લાખ ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા ધમકી આપીજે બાદ મહિલાનો આધાર કાર્ડ નંબર મેળવી આધાર કાર્ડ નંબરથી એક બેન્ક એકાઉન્ટમાં સ્કેમના પૈસા આવ્યા છે તેવું કહ્યું હતું. મહિલાને ડરાવીને તેમના બેંકની ડિટેલ, ડિપોઝિટ, LIC પોલિસી સહિતની તમામ માહિતી મેળવી લીધી હતી. જે બાદ મહિલાના નાણાંનું વેરિફિકેશન કરવાના બહાને 33.35 લાખ રૂપિયા ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. બેંક કર્મચારીઓ અને પોલીસે વૃદ્ધ મહિલાને બચાવ્યામહિલા ડરીને બેંકમાં પહોંચ્યા હતા અને તેમને ડિજિટલ એરેસ્ટ કર્યા હોવાથી કેસમાંથી છૂટવા 33.35 લાખ રૂપિયા વેરિફિકેશન માટે ટ્રાન્સફર કરવાના હતા. જોકે બેંક કર્મચારીઓની સમય સૂચકતા અને સાઇબર ક્રાઇમના સમજાવટ બાદ મહિલાના ખાતામાંથી 33.35 લાખ રૂપિયા ટ્રાન્સફર થતા બચી ગયા હતાં.
₹600 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, CMની ભ્રષ્ટાચાર પર 'ગુગલી' મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સુરત મહાનગરપાલિકા અને સુડાના અંદાજે ₹600 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે ભ્રષ્ટાચાર પર આડકતરી મજાક કરતા કહ્યું કે, આપણે એકલો ટેક્સ જ લેવાનો, બીજું કંઈ નહીં પાછું..! આ નિવેદન દ્વારા તેમણે નેતાઓ અને અધિકારીઓને માત્ર નિયમાનુસાર જ કામ કરવા પર ભાર મૂક્યો હતો, જેનાથી કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો ભરુચના સાંસદ મનસુખ વસાવાની પ્રેસ કોન્ફરન્સને લઈને ભરુચ અને નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે, જેમાં રાજપીપળાના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે સાંસદ પર માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી હતી. ડૉ. દર્શના દેશમુખે ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ હોવાના સાંસદના આડકતરા આક્ષેપોને કારણે પોતાની બદનામી થઈ હોવાનું જણાવ્યું હતું. જેના જવાબમાં સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, તમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે, અને તેમને જાહેરમાં આરોપ લગાવવાને બદલે પાર્ટી ફોરમમાં વાત કરવી જોઈતી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દલાલે દગો કરતા પરિવાર લીબિયામાં બંધક બનાવાયો મહેસાણાના બદલપુરા ગામનો એક યુવક, તેના પત્ની અને ત્રણ વર્ષની દીકરી પોર્ટુગલ જવાના પ્રયાસમાં એજન્ટોના દગાનો ભોગ બની લિબિયામાં અપહરણકારોના બંધક બન્યા છે. અપહરણકારોએ આ પરિવારને છોડાવવા માટે ₹2 કરોડની જંગી ખંડણીની માંગણી કરી છે, જેના કારણે યુવકના વૃદ્ધ માતા સહિત સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો છે. પરિવારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને રાજકીય આગેવાનો સુધી રજૂઆત કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બેરોજગાર રત્નકલાકારનો આપઘાત સુરતના કાપોદ્રા વિસ્તારમાં બેરોજગારી અને 20 વર્ષની આંતરડાની લાંબી બીમારીથી કંટાળી ગયેલા રત્નકલાકાર ઘનશ્યામભાઈએ આપઘાત કર્યો. તેમણે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. મોતની છલાંગ લગાવતા પહેલાં તેમણે ચપ્પુથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પત્નીએ ચપ્પુ ઝૂંટવતા તેમને હાથમાં ઘા વાગ્યો હતો.આ નિષ્ફળ પ્રયાસ બાદ ઘનશ્યામભાઈ દોડીને ટેરેસ પરથી કૂદી ગયા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીની હત્યા કરી ફરાર પતિનો મૃતદેહ મળ્યો ગીર સોમનાથના ડારી ગામે વિનોદ સોમા ધોળિયા નામના વ્યક્તિએ શુક્રવારે રિસામણે રહેલી પોતાની 42 વર્ષીય પત્ની ચંપાબેનની છરીના સાત ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પત્નીની હત્યા કર્યા બાદ ફરાર થયેલા પતિ વિનોદનો મૃતદેહ આજે ગામની કબ્રસ્તાન નજીકની દરગાહમાંથી મળી આવ્યો છે, જ્યાં તેણે ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ લોહિયાળ ઘટનાને કારણે તેમના બે પુત્રોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 'નંબરપ્લેટથી મેમો આપતી પોલીસ આરોપીને પકડી ન શકી' અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મંદિર જઈ રહેલા એક વૃદ્ધને અજાણ્યા બાઇકચાલકે ટક્કર મારી હિટ એન્ડ રનનો ગુનો આચર્યો હતો, જેમાં ગંભીર ઇજા થવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવા છતાં અને બાઇકની નંબર પ્લેટ દેખાતી હોવા છતાં પોલીસ આરોપીને પકડી ન શકતા મૃતકના પુત્રએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભવનાથમાં 20થી વધુ દબાણો દૂર કરાયા જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા આગામી મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ 20થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેથી શ્રદ્ધાળુઓની અવરજવર માટે રસ્તાઓ ખુલ્લા થઈ શકે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરેન્દ્રનગરમાં એક દિવસમાં બે ગંભીર અકસ્માત, બેના મોત સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં અકસ્માતની બે ગંભીર ઘટનાઓ નોંધાઈ છે, જેમાં લખતર-વિરમગામ હાઇવે પર રોંગ સાઇડથી આવતી ટ્રકની ટક્કરે બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે બીજી ઘટનામાં ચોટીલા-રાજકોટ હાઇવે પર નાની મોલડી પાસે બે ટ્રક, એક બસ અને વેગેનાર કાર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં વેગેનાર કારનો પડીકું વળી જતાં તેમાં ફસાયેલા 3-4 લોકોને JCB મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો કોંગ્રેસ સાંસદે સંસદમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉઠાવ્યો જૂનાગઢ શહેરની ગંભીર ટ્રાફિક સમસ્યાનું મૂળ કારણ એવા 11 રેલવે ફાટકનો મુદ્દો કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે દિલ્હીમાં ઉઠાવ્યો છે. શક્તિસિંહ ગોહિલે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ શહેરની બહાર બાયપાસ રેલવે લાઇન બનાવવાની તાત્કાલિક માગણી કરી હતી. આ મુદ્દો સ્થાનિક ભાજપના જનપ્રતિનિધિઓને બદલે વિપક્ષના નેતાએ ઉઠાવતા, સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપ નેતાગીરીની નિષ્ક્રિયતા અને લોકોની સમસ્યાઓ પ્રત્યેની રજૂઆત પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી સપ્તાહમાં ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે અને પવનની દિશા પૂર્વ તરફની રહેશે, જ્યારે નલિયા 9.8 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે.. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા હોવાથી લોકોને ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
પોરબંદરમાં ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો:ગોડાઉનમાં સફાઈ કરતાં આધેડનું ઘટનાસ્થળે મોત
પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે આવેલા હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં ફાયર સેફ્ટીનો બાટલો ફાટ્યો હતો. આ ઘટનામાં 55 વર્ષીય મહેન્દ્રભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે પોરબંદર પોલીસ, ફાયર વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મૃતક મહેન્દ્રભાઈ હરિલાલ મકવાણા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના બાટલાની સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બાટલો ફાટતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. મહેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી જી.આઈ.ડી.સી.માં આવેલી તમાકુની ફેક્ટરીમાં કામ કરતા હતા. તેઓ કામ પૂરું થયા બાદ હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝમાં છૂટક કામ માટે જતા હતા. તેમના પરિવારમાં એક દીકરો અને એક દીકરી છે. ઘટનાની જાણ થતા પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે મકાન માલિક અને હરસિધ્ધિ એન્ટરપ્રાઇઝના માલિક અશ્વિનભાઈની પૂછપરછ કરી હતી. અશ્વિનભાઈએ જણાવ્યું કે મહેન્દ્રભાઈ ક્યારેક ક્યારેક સફાઈ માટે આવતા હતા અને આ ઘટના કેવી રીતે બની તેની તેમને ચોક્કસ માહિતી નથી. આ ગોડાઉન રહેણાંક મકાનમાં કોમર્શિયલ હેતુથી ઉપયોગમાં લેવાતું હોવાથી મહાનગરપાલિકાએ પણ વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ફાયર વિભાગ પણ બાટલો ફાટવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. પોરબંદર ફાયર વિભાગના ફાયર ઓફિસર અભય મહેતાએ જણાવ્યું હતું કે, ફાયર બોટલ બ્લાસ્ટ થવાના સંભવિત કારણોમાં બોટલ પર વધુ દબાણ (ઓવર પ્રેશર), બોટલની નબળી ગુણવત્તા અથવા સમયસર હાઈડ્રો ટેસ્ટ ન થવો મુખ્ય હોઈ શકે છે. બોટલના રી-ઉપયોગ પહેલા સમયાંતરે હાઈડ્રો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU)ના નિર્માણ બાદ ગરુડેશ્વર તાલુકાની જમીનોના ભાવ આસમાને પહોંચતા સરકારી અધિકારીઓ પણ આ વિસ્તારમાં પ્લોટ મેળવવાથી બાકાત રહ્યા નહોતા. વર્ષ 2019માં, તે સમયે જિલ્લામાં ફરજ બજાવતા 13 અધિકારીએ રાજ્ય સરકાર પંચાયત સેવાના બદલીપાત્ર અધિકારી-કર્મચારીઓને રહેણાક હેતુસર રાહત દરે સરકારી પડતર જમીન ફાળવવાની જોગવાઈઓ હેઠળ 135 ચો.મી.ના રહેણાક પ્લોટની માંગણી કરી હતી. તત્કાલીન જિલ્લા કલેક્ટર, નર્મદા દ્વારા ગરુડેશ્વર ગામની સર્વે નંબર – ૩૯૫ (જુના સર્વે નં. 235/બ/1)માં નિયમો અને શરતોને આધિન આ જમીન ફાળવી આપવામાં આવી હતી. શરતભંગનો આદેશજમીન ફાળવણીના હુકમની શરત નંબર-2 મુજબ, અધિકારીઓને ફાળવણીના 6 માસની અંદર પ્લોટ પર બાંધકામ શરૂ કરીને 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી રહેણાક માટે ઉપયોગ કરવાનો હતો. આ બાબતે રજૂઆતો બાદ પ્રાંત અધિકારી, રાજપીપલા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ અહેવાલ મુજબ, ફાળવવામાં આવેલા 13 પ્લોટમાંથી 4 અધિકારીના પ્લોટ પર નિયત સમયમર્યાદામાં બાંધકામ પૂર્ણ થયું ન હોવાનું જણાયું હતું. આથી, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ ચારેય અધિકારીને સુનાવણી માટે નોટિસ આપી હતી. જે 4 અધિકારીની જમીન 'શ્રી સરકાર' કરવા આદેશ અપાયો: અધિકારીઓના બચાવ અને કલેક્ટરનો નિર્ણયસુનાવણી દરમિયાન, અધિકારીઓએ બાંધકામની પરવાનગી ન મળવી, આર્થિક સંકડામણ, અને એક અધિકારીના કિસ્સામાં મૃત્યુ જેવા વિવિધ કારણો રજૂ કર્યા હતા અને મુદત લંબાવવા વિનંતી કરી હતી. જોકે, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ તમામ ખુલાસા ફગાવી દીધા હતા. તેમણે નોંધ્યું કે નિયમો મુજબ, કાબૂ બહારના કારણોસર બાંધકામ શક્ય ન હોય તો મુદ્દત લંબાવવા માટે સરકારી કચેરીમાં અગાઉથી રજૂઆત કરવી ફરજિયાત છે. અધિકારીઓ દ્વારા મુદત પૂર્ણ થયા છતાં વધુ મુદત વધારવા માટે કોઈ લેખિત પરવાનગી મેળવી ન હોવાથી કે રજૂઆત કરી ન હોવાથી, જમીન ફાળવણીના હુકમની શરતોનો ભંગ થયેલો ગણાય છે. આથી, જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પ્લોટ નં. 3, 4, 5, અને 10 ની જમીન વિના વળતરે સરકાર હસ્તક પરત લેવા (શ્રી સરકાર કરવા) આદેશ કર્યો છે, જેનાથી જિલ્લાના વહીવટી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઉભા થયેલા મુખ્ય પ્રશ્નો વર્ષ 2019માં પ્લોટ મેળવનાર 13 અધિકારી (તત્કાલીન હોદ્દા મુજબ):
પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, 7 ટ્રક ઝડપાઈ:₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત, 12 લોકોની અટકાયત
પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગે પાંચ તાલુકાઓમાં દરોડા પાડી ગેરકાયદેસર રેતી ભરેલી સાત ટ્રકો ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹3.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને 12 લોકોની અટકાયત કરાઈ છે. જિલ્લામાં ખનીજ ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમો જાંબુઘોડા, ઘોઘંબા, મોરવા હડફ, કાલોલ અને શહેરા તાલુકામાં રૂટિન ચેકિંગ પર હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જાંબુઘોડા પંથક, ઘોઘંબાના ગોદલી, મોરવા હડફ, કાલોલના દેલોલ અને શહેરાના ધામણોદ ગામ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોયલ્ટી પાસ વિના અથવા નિયમોનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતી સાત ટ્રકો ઝડપાઈ હતી. ખાણ ખનીજ વિભાગે સ્થળ પરથી આ સાત ટ્રકો સાથે ડ્રાઈવર અને ક્લીનર સહિત કુલ 12 ઈસમોની અટકાયત કરી હતી. તંત્ર દ્વારા જપ્ત કરાયેલા તમામ વાહનોને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઝડપાયેલા વાહન ચાલકો સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એકસાથે પાંચ તાલુકામાં થયેલા આ દરોડાને કારણે જિલ્લાના ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદ શહેરમાં લગ્નને લઈ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. ઇસનપુર વિસ્તારમાં રહેતા યુવકના 12 ડિસેમ્બરના લગ્ન હતા, પરંતુ 11 ડિસેમ્બરની રાતથી યુવક ગુમ હતો. પોલીસે તપાસ કરતા યુવક મુંબઇની હોટલમાંથી મળી આવ્યો. લગ્ન ન કરવા હોવાથી ડિપ્રેશનમાં આવી જતા યુવક આત્મહત્યા કરવાનો હતો જેને પોલીસે જીવ બચાવી લીધો છે. જોકે, યુવકે પોલીસ પહોંચે તે પહેલાં જ મહેંદીથી શુભ વિવાહ લખેલા પોતાના હાથ પર બ્લેડ મારી દીધી હતી. લગ્નની આગલી રાત્રે અચાનક યુવક ગાયબ થયોઅમદાવાદના ઇસનપુરમાં રહેતો 27 વર્ષીય યુવક ખાનગી બેંકમાં નોકરી કરે છે. આ યુવકના 12 ડિસેમ્બરના રોજ લગ્ન હતા. પરંતુ લગ્નની આગલી રાત્રે અઢી વાગ્યાની આસપાસ યુવક ગાયબ થઈ જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારે કુટુંબના સભ્યો અને યુવકના મિત્રોને ફોન કરી તપાસ કરતા યુવકની ક્યાંય ભાળ મળી નહોતી. જેથી પરિવારે ડરના કારણે પોલીસને જાણ કરી હતી. ઇસનપુર પોલીસે તપાસ શરૂ કરી ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા જેમાં યુવક એક ટેક્સીમાં બેસીને જતો દેખાયો હતો, ત્યાર બાદ પોલીસે યુવકનો મોબાઈલ શોધ્યો હતો. પોલીસને મુંબઇની હોટલમાંથી યુવક મળ્યોપોલીસને યુવકનો મોબાઈલ ઘરમાંથી જ મળી આવ્યો હતો. મોબાઈલમાં તપાસ કરતા યુવકની મુંબઇની ફ્લાઈટની ટિકિટ મળી આવી હતી અને બેંકની વિગત પણ મળી આવી હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીની પરવાનગી લઈ ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ એક ટીમ તાત્કાલિક મુંબઇ રવાના કરી હતી. ઇસનપુર પોલીસની ટીમે મુંબઇ પોલીસની મદદથી યુવક જે હોટલમાં રોકાયો હતો ત્યાં તપાસ કરી ત્યારે રૂમમાંથી યુવક મળી આવ્યો હતો. યુવકે હાથમાં બ્લેડ મારી ગળેફાંસો ખાવાની તૈયારી કરીયુવકે મહેંદીથી શુભ વિવાહ લખાવેલા હાથના ભાગે નસ કાપી હતી અને ગળેફાંસો ખાવાની તૈયારી કરી રહ્યો હતો. યુવકના રૂમમાંથી એક દોરડું પણ મળી આવ્યું હતું. જોકે, પોલીસે સમયસર પહોંચીને યુવકનો જીવ બચાવી લીધો હતો. પોલીસે યુવકની મુંબઇમાં જ પ્રાથમિક સારવાર કરાવી હતી. જે બાદ યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે જણાવ્યું હતું કે, તેને લગ્ન કરવા નહોતા જેથી તે અમદાવાદથી ભાગીને મુંબઈ આવી ગયો હતો અને ડિપ્રેશનના કારણે તે આત્મહત્યા કરવાનો હતો. પોલીસે યુવકનો જીવ બચાવી પરત અમદાવાદ લાવીઇસનપુર પોલીસની સમય સૂચકતાથી યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસની ટીમ યુવકને લઈ પરત અમદાવાદ આવી હતી. યુવકને ઇસનપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારના સભ્યો પણ પહોંચ્યો હતો. પોલીસની કામગીરીથી પરિવારને તેમનો એકનો એક દીકરો જીવતો મળ્યો હતો. જેથી પોલીસ સ્ટેશનમાં પણ ભાવુક દૃશ્યો સર્જાયા હતા. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કર્યુંઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસની ટીમ સમયસર મુંબઇની હોટલમાં પહોંચી હતી. જો પોલીસની ટીમ મોડા પહોંચી હોત તો કદાચ યુવકે આત્મહત્યા કરી લીધી હતો. યુવકને અમદાવાદ લાવીને પોલીસે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું અને યુવકે પણ ભવિષ્યમાં આ પ્રકારનું પગલું ના ભરે તેવી પોલીસને બાહેંધરી આપી હતી.
વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા વર્ષ 2025ની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન અને નિકાલ કરવામાં આવ્યો હતો. સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકાયાઆ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. વકીલો તથા જ્યુડિશિયલ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી પ્રી-લોક અદાલત સીટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્ન કેસો તથા 100 જેટલા મોટર એક્સિડેન્ટ ક્લેમ કેસોનું સફળ સમાધાન કરવામાં આવ્યું હતું. કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યોરાષ્ટ્રીય લોક અદાલત દ્વારા બેંક અને નાણાકીય સંસ્થાઓના કેસો, વીજળી તથા પાણીના બિલના વિવાદો, મોટર વાહન અકસ્માતના કેસો, પારિવારિક વિવાદો, નાના ગુનાહિત કેસો, વિવાહ તથા છૂટાછેડાના મામલા તેમજ મિલકત વિવાદો જેવા કેસોમાં સુલેહ કરાવી ઝડપી ન્યાય પૂરો પાડવામાં આવ્યો હતો. આનાથી લોકોને ત્વરિત ન્યાય મળ્યો અને ન્યાયિક વ્યવસ્થા પરનો ભાર પણ ઘટ્યો છે.આ પ્રસંગે અધિકારીઓએ લોક અદાલતને વધુ સફળ બનાવવા માટેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમો દ્વારા ન્યાય વ્યવસ્થાને મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના ચેરમેન તથા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ વી.કે. પાઠક, પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ એમ.એમ. પટેલ, સેક્રેટરી વિશાલ ગઢવી તેમજ વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો અને વકીલોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
જામીન કે પેરોલ પર બહાર આવીને વર્ષો સુધી જેલમાં પરત ન ફરનારા ગંભીર ગુનાહિતો સામે ગુજરાત પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યભરમાં ચાલેલી વિશેષ ઝુંબેશ દરમિયાન ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં આજીવન કેદની સજા ભોગવી ચૂકેલા 41 ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ નામ-હુલિયો બદલ્યા હતાપોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે પકડાયેલા આરોપીઓમાંથી 15 જેટલા પાંચ વર્ષથી વધુ સમયથી કાયદાની પકડથી દૂર હતા. કેટલાક આરોપીઓએ તો પોતાનું નામ-હુલિયો બદલીને અન્ય રાજ્યોમાં નવી ઓળખ સાથે જીવન શરૂ કરી દીધું હતું. તેમ છતાં ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસ તેમની સુધી પહોંચી શકી. 25 આરોપીઓ મૃત્યુ પામ્યાઆ કાર્યવાહી દરમિયાન વધુ 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. તેમના ડેથ સર્ટિફિકેટ મેળવીને કાયદેસર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પૈકીના ઘણા આરોપીઓ પણ વર્ષોથી ફરારની યાદીમાં હતા. આ સમગ્ર કામગીરીમાં આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય સ્તરે મજબૂત સંકલન મહત્વપૂર્ણ સાબિત થયું. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ફરાર આરોપીઓ જ્યાં-જ્યાં છુપાયા હતા ત્યાં સુધી પહોંચવા માટે ટીમોએ દિવસ-રાત મહેનત કરી. કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે કાર્યવાહીરાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ જણાવ્યું છે કે, કાયદાથી બચી રહેલા આરોપીઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે. જેલમાંથી છૂટ્યા બાદ પરત ન ફરનારા આરોપીઓ માટે હવે રાજ્યમાં છુપાઈ રહેવું વધુ મુશ્કેલ બનશે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ-પીપલોદ અને લીમખેડા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર રેતી વહન સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત રીતે પરિવહન કરતી કુલ 6 ટ્રકો સિઝ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂપિયા 1 કરોડ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને નિયમ મુજબ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં આવેલી પાનમ અને ઉજ્જવલ નદીમાંથી લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની ફરિયાદો સતત સામે આવી રહી છે. રોયલ્ટી પાસ કે પરમીટ વિના દરરોજ 200થી વધુ ટ્રકો રેતી ભરેલી લીમખેડાના માર્ગે ઝાલોદ થઈ રાજસ્થાન તરફ જતી હોવાની માહિતી મળી રહી છે. મોટાભાગના ડમ્પરો રોયલ્ટી ચૂકવ્યા વિના ગેરકાયદેસર રીતે પસાર થતા હોવાથી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને વહીવટી તંત્રને ચકમો આપવા માટે રેતી ખનન માફિયાઓ દ્વારા પોતાનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. રાત્રિના 9:00 વાગ્યાથી વહેલી સવારના 5:00 વાગ્યા સુધી ગેરકાયદેસર રેતીનું વહન કરવામાં આવે છે. ટ્રકોના આવન-જાવનની માહિતી એકબીજાને ટેલિફોનિક સંપર્ક તેમજ સોશિયલ મીડિયા મારફતે પહોંચાડવામાં આવે છે, જેથી તપાસ એજન્સીઓથી બચી શકાય. આ પરિસ્થિતિ વચ્ચે ખાણ ખનીજ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગેરકાયદેસર રેતી વહન કરતી છ ટ્રકો ઝડપી પાડવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ ટ્રકોમાં રોયલ્ટી પાસ વિના 150 ટનથી વધુ રેતી લઈ જવાઈ રહી હતી. ખાણ ખનીજ વિભાગે તમામ ટ્રકો સિઝ કરી કુલ રૂપિયા 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ દાહોદ જિલ્લામાં સફેદ રેતીના કાળા કારોબાર પર સંપૂર્ણ અંકુશ લાવવો હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ પાસે મર્યાદિત સ્ટાફ અને સંસાધનો હોવાના કારણે સતત દેખરેખ રાખવી મુશ્કેલ બની છે. દેવગઢ બારિયા થી ઝાલોદ સુધી ત્રણ પ્રાંત અધિકારીઓ તેમજ દેવગઢ બારિયા, લીમખેડા, ગોવિંદ ગુરુ લીમડી અને ઝાલોદ એમ ચાર મામલતદાર કચેરીઓના કાર્યક્ષેત્રમાંથી આ ટ્રકો પસાર થાય છે. પોલીસ વિભાગની વાત કરીએ તો દેવગઢ બારિયા, પીપલોદ, લીમખેડા, લીમડી અને ઝાલોદ એમ કુલ પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી આ ગેરકાયદેસર અને ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો બિન્દાસ રીતે પસાર થતી હોવાની ચર્ચા છે. જો સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને આરટીઓ વિભાગ સંકલિત રીતે કડક કાર્યવાહી કરે તો રેતીના કાળા કારોબાર પર અંકુશ આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલી ટ્રકોના કારણે માર્ગોને ભારે નુકસાન થઈ રહ્યું છે. રેતીમાંથી વહી જતું પાણી ડામર રોડને નુકસાન પહોંચાડે છે, જેના કારણે રસ્તાઓ ઝડપથી તૂટી જાય છે. આવી સ્થિતિમાં તમામ સંબંધિત વિભાગો દ્વારા કડક અને સતત કાર્યવાહી કરવામાં આવે તો ગેરકાયદેસર રેતી વહન અટકી શકે અને સરકારની તિજોરીને દર વર્ષે થતા કરોડો રૂપિયાનાં નુકસાનથી બચાવી શકાય તેમ છે.

23 C