પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ ટૂંક સમયમાં સંવિધાનમાં 27મા સંશોધનનો પ્રસ્તાવ મૂકવાના છે. આ સંવિધાનના આર્ટીકલ 243માં એમેડમેન્ટ કરાશે, સંશોધન કરાશે. શરીફે ગઠબંધનમાં સામેલ બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) પાસેથી સમર્થન માગ્યું છે. આ સંવિધાન સંશોધનમાં ત્રણ મહત્વના મુદ્દા છે. આ ત્રણેય મુદ્દાની સીધી અસર ફિલ્ડ માર્શલ આસીમ મુનીરને થવાની છે. સંવિધાનમાં સંશોધન પછી સત્તાવાર રીતે મુનીર પાકિસ્તાનના સર્વેસર્વા બની જશે. મુનીર પાસે 'અસીમ' શક્તિ આવી જશે. નમસ્કાર, ઝિયા-ઉલ-હક હોય કે પરવેઝ મુશર્રફ. જ્યારે જ્યારે સત્તાની વાત આવી ત્યારે તેમણે સંશોધનમાં ફેરફાર કરીને પોતાની ખુરશી બચાવી લીધી. પણ એ વખતે તખતા પલટ માટે બળપ્રયોગ થતો હતો. આ વખતે મુનીરને જ સર્વેસર્વા બનાવી દેવા શાહબાઝ શરીફ સરકારે સંવિધાન સંશોધનમાં ફેરફારનો નવો રસ્તો બનાવ્યો છે. સંવિધાન સંશોધનમાં 3 મહત્વના મુદ્દા પાકિસ્તાન સરકાર 27મું સંવિધાન સંશોધન લાવવાની તૈયારીમાં છે. આનો મુસદ્દો સેનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને એ પછી સેનેટે આને સ્ટેન્ડિંગ કમિટિને મોકલી દીધો છે. નવા સંવિધાન સંશોધનમાં જે મહત્વના મુદ્દા પર વાત ચાલી રહી છે તેમાં 3 મુદ્દા મહત્વના છે. 1. ફિલ્ડ માર્શલનું પદ કાયદેસર બની જશે ફિલ્ડ માર્શલનું પદ સંવૈધાનિક બની જશે. અત્યાર સુધી ફિલ્ડ માર્શલનું પદ માત્ર માન માટે હતું, ઔપચારિક હતું. બધા જાણે છે તેમ પાકિસ્તાનમાં સરકાર માત્ર ચહેરો હોય છે પણ તેને સેના જ ચલાવતી આવી છે. આર્મી ચીફ તરીકે આસીમ મુનીરનો કાર્યકાળ 28 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જો ફિલ્ડ માર્શલનું પદ કાયદેસર બની જાય છે, સંવિધાનમાં આવી જાય છે તો મુનીર 2030 સુધી આ પદ પર રહેશે. એટલે આર્મી ચીફ તરીકે નિવૃત્ત થયા પછી પણ તે સેનામાં ફિલ્ડ માર્શલ તરીકે સૌથી ઊંચા પદ પર રહેશે. 2.નેશનલ ફાયનાન્સ કમિશનમાં ફેરફાર પાકિસ્તાનમાં ટેક્સના રૂપિયા બે ભાગમાં વહેંચાય છે. એક ભાગ કેન્દ્ર સરકાર પાસે જાય છે અને બીજો ભાગ રાજ્યોને મળે છે. 18મા સંશોધનમાં લખેલું હતું કે રાજ્યોને આપવામાં આવતા ટેક્સના ભાગમાં કોઈ ઘટાડો કરવામાં નહિ આવે. હવે જે નવું સંશોધન છે તેમાં રાજ્યોને આપવામાં આવતા રૂપિયા ઘટાડવાની વાત છે. આનાથી રાજ્યોની તાકાત ઘટશે અને કેન્દ્રની આર્થિક સ્થિતિ સારી થશે. આનું સૌથી મોટું કારણ એ છે કે રાજ્યોમાં સ્થાનિક સરકારો ચૂંટાય છે એ એટલા માટે ચૂંટાય છે કે લોકોને એમ છે કે રાજ્યોને પૈસા સારા મળે છે એટલે આપણાં કામ થશે. આના કારણે ચોક્કસ પાર્ટીઓનો જ સ્થાનિક લેવલે દબદબો રહે છે. સેના પણ રાજ્યોના દબાવમાં રહેતી હતી. એટલે આ સંશોધન પણ આડકતરી રીતે સેનાના હિતમાં જ કરવામાં આવી રહ્યું છે. 3. કોન્સ્ટિટ્યૂશનલ કોર્ટ પાકિસ્તાની સરકાર સંવૈધાનિક કોર્ટ બનાવવા માગે છે. સરકારનો હેતુ એવો છે કે સુપ્રીમ કોર્ટને એક સામાન્ય કોર્ટ બનાવી દેવાય અને સંવિધાનવાળા કેસ નવી કોર્ટમાં જ ચાલે. એટલે પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટનું મહત્વ મટી જશે. નવી કોર્ટમાં એ જ જજ હશે જે સરકારની નજીક હશે. એટલે આ કોર્ટ પણ સરકાર જ ચલાવશે અને પાકિસ્તાનમાં સરકાર એટલે આસીમ મુનીર. સંવિધાનમાં કલમ 243માં ફેરફાર પર સૌની નજર પાકિસ્તાનના સંવિધાનમાં કલમ 243 સૌથી અગત્યની કલમ છે. કારણ કે આ કલમ પાકિસ્તાની આર્મી અને તેના અધિકારો સાથે જોડાયેલી છે. આર્મીને લગતી કલમ 243માં ફેરફારની વાત છે. અત્યારે એવી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ જ આર્મીના સર્વોચ્ચ કમાન્ડર છે. તે વડાપ્રધાન સાથે વાતચીત કરીને સેનાના પ્રમુખોની નિમણૂક કરે છે અને તેના પગાર નક્કી કરે છે. 1973 પછી અસીમ મુનીર ફિલ્ડમાર્શલ બન્યા છે અને હવે તેમને સંવૈધાનિક સુરક્ષા આપવી જરૂરી છે એટલે ફિલ્ડમાર્શલના પદનો પણ સંવિધાનમાં સમાવેશ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. પાકિસ્તાનના કાયદાના નિષ્ણાત ફૈઝલ સિદ્દીકીએ એક લેખમાં લખ્યું છે કે કલમ 243માં સેનાના ચીફને જ સત્તાવાર પદ ગણાવાયું છે. ફિલ્ડ માર્શલ તો માનદ પદ છે એટલે અત્યારે ફિલ્ડ માર્શલ સંવિધાનમાં નથી. બિલાવલ ભુટ્ટોએ 3માંથી 2 મુદ્દાને સમર્થન આપ્યું શાહબાઝ શરીફ જ્યારે સંવિધાન સંશોધનમાં ફેરફારનો પ્રસ્તાવ લાવ્યા અને તેમણે બિલાવલ ભુટ્ટો ઝરદારી પાસે સમર્થન માગ્યું ત્યારે તેમણે 3માંથી 2 મુદ્દાને સમર્થન આપ્યું. પાકિસ્તાની પીપલ્સ પાર્ટી એટલે PPPના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાકિસ્તાનમાં પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં તેમણે કહ્યું કે 27મા સંવિધાન સંશોધનના 3 મહત્વના મુદ્દા છે અને ત્રણેયમાથી બેમાં મારી પાર્ટીના નેતાઓ સહમત છે. આર્મીની કલમ 243 માટે PPP સમર્થન કરે છે અને તેના પક્ષમાં વોટ કરશે. જ્યાં સુધી સંવૈધાનિક અદાલત (કોન્સ્ટીટ્યુશનલ કોર્ટ)ની વાત છે ત્યાં સુધી આ તો મારી પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં જ ઉલ્લેખ હતો એટલે તેમાં પણ અમારું સમર્થન છે. પણ પ્રોવિન્સ એટલે રાજ્યોને જે ટેક્સની રકમ મળે છે અને તેમાં ઘટાડો કરવાની વાત છે તે મુદ્દાને મારું સમર્થન નથી. આ બાબતે અમે શરીફ સાથે ચર્ચા કરીને નિર્ણય લેશું. બિલાવલ ભુટ્ટોએ ત્રીજો મુદ્દો કેમ ફગાવી દીધો? પાકિસ્તાનમાં ટેક્સની તગડી રકમ રાજ્યો એટલે કે પ્રાંતની સરકારો પાસે ચાલી જાય છે. ત્યાં રાજ્યોની તિજોરી છકલાય છે પણ રાજ્યોમાં સત્તા મેળવનારી પાર્ટીઓ મલાઈ ખાઈ જાય છે. લોકોને કશું મળતું નથી. જેમ કે બલુચિસ્તાન, સિંધ પ્રાંત કે પંજાબ પ્રાંતમાં વર્ષોથી ત્રીજો મારચો જ ચૂંટાતો આવ્યો છે. સિંધ પ્રાંતમાં બિલાવલ ભુટ્ટોની સરકાર છે. કારણ કે ચૂંટણી વખતે રાજ્યો પ્રજાને પૈસા આપીને વોટ ખરીદી લે છે. આ બધા વચ્ચે જે-તે રાજ્યોમાં કોઈ નવી સરકાર બની શકતી નથી. કેન્દ્રની તિજોરીમાં આવક ઓછી થાય છે ને ખર્ચનો માર વધારે છે. શાહબાઝ સરકારે નવા સંવિધાન સંશોધનમાં એવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાજ્યો એટલે કે પ્રાંતને જે ટેક્સની રકમ જાય છે તેમાં ઘરખમ ઘટાડો કરવો જોઈએ. હવે કેટલાક પ્રાંતમાં બિલાવલની સરકાર છે. તેને જો ફંડ ઓછું મળે તો મલાઈ કેવી રીતે ખાય? એટલે બિલાવલે આ ત્રીજા મુદ્દાનો વિરોધ કર્યો છે. પાકિસ્તાનમાં તખતા પલટનું નવું મોડલ 12 ઓક્ટોબર 1999નો દિવસ. પાકિસ્તાન એરલાઈન્સની ઈન્ટરનેશનલ ફ્લાઈટ PK805 કરાચીના આકાશમાં ચક્કર લગાવી રહી હતી. પ્લેનમાં ફ્યુઅલ સતત ઓછું થતું જતું હતું. આ પ્લેનને નીચે ઉતરવાની મંજૂરી મળતી નહોતી. આ પ્લેનમાં બેઠા હતા પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફ અને પાકિસ્તાનની ધરતી પરથી પ્લેન ન ઉતરવાનો આદેશ આપ્યો હતો નવાઝ શરીફે. પણ મુશર્રફના વફાદાર સૈનિકોએ એરપોર્ટને ઘેરી લીધું. લેન્ડિંગની પરમિશન મળી. પ્લેન ઉતર્યું ત્યારે તેમાં માત્ર 7 મિનિટનું જ ફ્યુઅલ બચ્યું હતું. પાકિસ્તાની ટીવીમાં સેના જ દેખાતી હતી અને નવાઝ શરીફ તેના જ ઘરમાં નજરકેદ હતા. સંસદ અને સંવિધાન ભંગ થઈ ગઈ. મુશર્રફે સત્તા છીનવી લીધી હતી. આ તખ્તા પલટની જૂની રીત છે. હવે વર્તમાનમાં આવીએ. વર્ષ 2025. આ વખતે સીન ઊંધો છે. સરકાર નરમાઈથી વર્તે છે એટલે જનરલ આસીમ મુનીર સંપૂર્ણ કંટ્રોલમાં છે. વડાપ્રધાન શાહબાઝ શરીફ સામે ચાલીને તેને મળવા ગયા હતા. શરીફ સરકાર મુનીર પાસેથી સહમતી ઈચ્છે છે કે સંવિધાનમાં ફેરફાર થાય.આ ફેરફારથી મુનીરની તાકાત અનેકગણી વધી જશે અને તે પાકિસ્તાનના સર્વેસર્વા થઈ જશે. આ તખ્તા પલટનું નવું મોડેલ છે. કાયદેસરનું મોડેલ, કોઈ વિવાદ, માથાકૂટ કે ઝઘડા વગરનું મોડેલ. આ વખતે પાકિસ્તાની સરકાર સામે ચાલીને સંવિધાનમાં ફેરફાર કરીને તમામ પાવર સત્તાવાર રીતે સેનાને આપી રહી છે. અગાઉ સંવિધાન સંશોધનમાં શું થયું હતું? મુનીર ક્યાં સુધી પદ પર રહેશે? ગયા વખતે નવેમ્બર 2024માં પાકિસ્તાનના બંને ગૃહો નેશનલ એસેમ્બલી અને સેનેટે આર્મી ચીફનો કાર્યકાળ 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે રક્ષામંત્રી ખ્વાજા આસીફે એવું કહ્યું હતું કે પાકિસ્તાની આર્મી ચીફ આસીમ મુનીર નવેમ્બર 2027 સુધી પદ પર રહેશે. આસીમ મુનીર 2027 નહિ પણ 2030 અને તેના પછી પણ આ પદ પર રહેશે કે નહિ, તેની ચર્ચા આખા પાકિસ્તાનમાં થઈ રહી છે. પાકિસ્તાની સરકારમાં કોઈ વડાપ્રધાને પાંચ વર્ષ પૂરા કર્યા નથી પણ ચીફ ઓફ આર્મી તેના પદ પર પાંચ વર્ષ રહી શકે. એ જરૂરી નથી કે તે પાંચ વર્ષ પછી ખુશી ખુશી રિટાયર થઈ જશે. તેને તેટલા જ સમયનું એક્સટેન્શન પણ મળી શકે છે. તેનો અર્થ એવો થયો કે અસીમ મુનીર નવેમ્બર 2030 કે 2032 સુધી તો આ પદ પર રહી શકશે. આર્મીને લગતી કલમ 243ની કહાની... આર્મીને લગતી કલમ 243ની અજબ કહાની છે. એક સમયના વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ત્રણેય સેના પ્રમુખની નિયુક્તિના અધિકાર પોતાની પાસે રાખ્યા. જ્યારે જનરલ ઝિયા-ઉલ-હક માર્શલ લો લગાવીને રાષ્ટ્રપતિ બની ગયા પછી ચીફ ઓફ આર્મી સ્ટાફ પણ પોતે જ બની ગયા. ટૂંકમાં ઝિયા-ઉલ-હક પોતાના જ બોસ બની ગયા. ઝિયાએ રાષ્ટ્રપતિ અને આર્મી ચીફ એમ બે પદ પર 11 વર્ષ પૂરા કર્યા ને તેનું વિમાન ક્રેશ થયું ને તેનું મૃત્યુ થયું. જ્યારે નવાઝ શરીફ વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે આર્મી ચીફ નિયુક્ત કરવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસેથી લઈને પોતાની પાસે લઈ લીધો. જ્યારે પરવેઝ મુશર્રફે નવાઝ શરીફને સાઈડ લાઈન કરીને સત્તા સંભાળી ત્યારે આર્ટીકલ 243ના હક પોતાની પાસે લઈ લીધા. આ તો બધી ઔપચારિક વાતો હતી, કારણ કે દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં સત્તાનું સુકાન હંમેશાં કોના હાથમાં હોય છે. પાકિસ્તાનમાં ઊલટું છે. વડાપ્રધાન આર્મી ચીફની પસંદગી નથી કરતા પણ આર્મી ચીફ પોતે નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ બનશે. છેલ્લે, યુનાઈટેડ નેશન્સમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત આસીમ ઈફ્તિખાર અહેમદે UNમાં મુદ્દો ઉઠાવ્યો છે કે ભારતે સિંધુ જળસંધીનો ભંગ કરીને પાણી રોકી રાખ્યું છે. તેના કારણે પાકિસ્તાનના લાખો લોકો પર જળ અને ભૂખનું સંકટ આવી ગયું છે. આ બરાબર નથી. ભારતે હજી કોઈ જવાબ આપ્યો નથી, કદાચ આપશે પણ નહિ. કારણ કે આતંકવાદીઓની ઘૂસણખોરી બંધ થઈ નથી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં અમરસિંહ શોપિંગ મોલમાં ચાલતી ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમના સંચાલકો સહિત છ એજન્ટો સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.1.44 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોધાયા બાદ પોલીસે મહિલા સહિત બે આરોપીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લામાં પોન્ઝી સ્કીમોનો જાણે કે રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમો સામે ફરિયાદ નોંધાઈ રહી છે.ત્રણ દિવસ પહેલા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધ બીગબુલ ફેમિલી નામની પોન્ઝી સ્કીમ સામે રણવીરસિંહ ઉર્ફે રંગુસિંહ ઇન્દ્રસિંહ ચૌહાણની ફરિયાદ આધારે સંચાલકો અને એજન્ટો સહિત છ સામે ગુનો નોધાયા બાદ બી ડિવિઝન પોલીસે મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી. બી ડિવિઝન પોલીસે અલગ અલગ 36 જેટલા રોકાણકારોના નિવેદનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં રોકાણકારોને રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ કરતા ઊંચું વ્યાજ આપવાની લોભામણી જાહેરાતો કરી રોકાણકારો પાસે મસમોટું રોકાણ કરાવ્યું હતું અને બાદમાં સંચાલકો દ્વારા રોકાણકારોને મૂડી અથવા વળતર ન ચૂકવી છેતરપિંડી આચરી હોવાની છ સામે ફરિયાદ નોધાઇ હતી. છ આરોપીઓ પૈકી એક મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ1.શીતલ જગદીશગીરી ગોસ્વામી-રહે-(જામળા,તા.હિંમતનગર)2.વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ-રહે-(સરોલી,તા.હિંમતનગર) પકડવાના બાકી આરોપીઓ.1. જગદીશ ગોવિંદગીરી ગોસ્વામી, રહે. (જામળા, તા. હિંમતનગર)2. મનીષ ગોવિંદભાઈ પટેલ, રહે (વિજાપુર, તા. વિજાપુર, જિ. મહેસાણા)3.મનહરસિંહ બાદરસિંહ ઝાલા, રહે (કાનડા, તા. હિંમતનગર)4.ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહે (ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર)
ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરતી સુરતની સ્પેશિયલ એ.સી.બી. કોર્ટે એક તલાટી કમ મંત્રીને લાંચ લેવાના ગુનામાં દોષિત ઠેરવીને સજા સંભળાવી છે. 17 વર્ષ જૂના આ કેસમાં સિંગણપોર ગામના તલાટી કમ મંત્રી, વર્ગ-3, હિમ્મતભાઈ સકરાભાઈ સોલંકીને 3 વર્ષની સખત કેદની સજા અને કુલ 50,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સજા 10 માં એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પે. એ.સી.બી. કોર્ટ, સુરત દ્વારા કરવામાં આવેલા આખરી હુકમનો ભાગ છે. શું હતો લાંચનો ગુનો?17 વર્ષ પહેલાં 25 માર્ચ 2008ના રોજ બની હતી. આ કેસના ફરિયાદીએ સિંગણપોર ગામની જમીનના ગામ નમૂના હક્ક પત્રક-6 (ઉતારા) મેળવવા માટે તલાટી કમ મંત્રી હિમ્મતભાઈ સોલંકીને અરજી કરી હતી. આરોપી હિમ્મતભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી ઉતારા આપવાના અવેજ પેટે શરૂઆતમાં 1,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીની રકઝક બાદ આ લાંચની રકમ રૂ. 800 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ બાબતે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી હિમ્મતભાઈ સોલંકીએ ફરિયાદી પાસેથી નક્કી કરેલા રૂ. 800 લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ના હાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. કોર્ટે પુરાવાઓને ધ્યાને લઈ સજા ફટકારીએ.સી.બી. દ્વારા ગુનાની તપાસના અંતે આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. લાંબી ન્યાયિક કાર્યવાહી દરમિયાન કોર્ટે મૌખિક પુરાવાઓ અને દસ્તાવેજી પુરાવાઓને સંપૂર્ણપણે ધ્યાનમાં લીધા હતા. કોર્ટે આખરી હુકમમાં આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 ની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવ્યા છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિ, 1988 ની કલમ-7 હેઠળના ગુનામાં દોષિત ઠરાવી 3 વર્ષની સખત કેદ અને રૂ!. 25,000 દંડ ફટકારવામાં આવ્યો. દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો. ભ્રષ્ટાચાર નિવારણ અધિ, 1988ની કલમ- 13(1) (ઘ) વાંચતા કલમ 13(2) મુજબના ગુનામાં દોષિત ઠરાવી પુનઃ 3 વર્ષની સખત કેદ અને રૂ 25,000 દંડ ફટકારવામાં આવ્યો. દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ તાજેતરમાં CRC અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી રિવાબા જાડેજાએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “બાળકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, “ફક્ત ફરજ નહીં, પરંતુ ભાવના અને જવાબદારીથી કામ કરો.” આ સંદેશ દ્વારા તેમણે શિક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને અધિકારીઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યા હતા.
ગોધરામાં LCBએ ₹32.11 લાખનો દારૂ ઝડપ્યો:લીલેસરા બાયપાસ પર ટ્રકમાંથી જથ્થો મળ્યો, એક આરોપી પકડાયો
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ગોધરા તાલુકાના લીલેસરા બાયપાસ ચોકડી પરથી ₹32.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી દરમિયાન આ જથ્થો પકડ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાઓના આધારે, LCB ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈએ તેમના સ્ટાફને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો પર નજર રાખવા જણાવ્યું હતું. આ સૂચનાના અનુસંધાનમાં, LCB ગોધરાના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન અને આ.હે.કો. કેહજીભાઈ સઈદુભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી. બાતમી મુજબ, HR-57-B-0527 નંબરના અશોક લેલન્ડ ટ્રકમાં ઇર્થ ગ્રાઉન્ડિંગ પાવડરની બેગોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ તરફથી વડોદરા જવાનો હતો. આ ચોક્કસ બાતમીના આધારે, LCB સ્ટાફના માણસોએ લીલેસરા બાયપાસ ચોકડી પાસે વડોદરા તરફ જતા હાઈવે રોડ પર નાકાબંધી કરી હતી. બાતમી મુજબની ટ્રકને રોકી તપાસ કરતા, તેમાંથી સ્ટાર ગોલ્ડ વ્હિસ્કીની 3540 બોટલો (કિંમત ₹21,09,840), અશોક લેલન્ડ ટ્રક (કિંમત ₹10,00,000), 450 ઇર્થ ગ્રાઉન્ડિંગ પાવડરની બેગો (કિંમત ₹90,000), 2 મોબાઈલ ફોન (કિંમત ₹10,000), તાડપત્રી અને દોરડું મળી કુલ ₹32,11,040 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપી ચંદનભારતી આનંદ ભારતી ગૌસ્વામી (રહે. મિઠડાખુર્દ, ધોરીમન્ન, જિ. બાડમેર, રાજસ્થાન) ને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. આ કેસમાં સહ-આરોપી તરીકે હરિયાણાના શાંતીલાલનું નામ પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં LCB ગોધરાના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન, એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ, આ.હે.કો. કેહજીભાઈ સઈદુભાઈ, અ.હે.કો. જોગેન્દ્રસિંહ દીલીપસિંહ અને અ.હે.કો. શૈલેષકુમાર બચુભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
વિજયનગર પોલીસે જાલેટી ત્રણ રસ્તા પાસેથી એક કારમાંથી રૂ. 7.74 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. પોલીસે કુલ રૂ. 10.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક હ્યુન્ડાઇ I-20 કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વિજયનગરના જાલેટી ત્રણ રસ્તા થઈ પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે જાલેટી ત્રણ રસ્તા ખાતે ખાનગી વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન વિજયનગર મામલતદાર કચેરી તરફથી GJ.05.RF.0332 નંબરની હ્યુન્ડાઇ I-20 કાર આવતા તેને રોકવામાં આવી હતી. કારની તપાસ કરતા પાછળની સીટ અને ડીકીમાંથી અલગ અલગ બ્રાન્ડની 2267 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,74,620 થાય છે. દારૂ ઉપરાંત, પોલીસે રૂ. 10,000ના બે મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની હ્યુન્ડાઇ I-20 કાર પણ જપ્ત કરી હતી. આમ, પોલીસે કુલ રૂ. 10,84,620નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક સહિત બે આરોપીઓ, વીરેન્દ્રસિંગ માલમસિંગ રાજપુત (ઉં.વ. 35, રહે. જોધપુર, રાજસ્થાન) અને અશોક કેરારામ જાટ (ઉં.વ. 32, રહે. ઓલ્વી, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂ ભરી આપનાર દીપુભાઈ નામનો ઈસમ (રહે. ઉદેપુર, રાજસ્થાન) ફરાર છે, જેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લેખિત-મૌખિક અને થીયરી એમ ત્રણ તબક્કામાં લેવાય પરીક્ષા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ પોતાનું ડાયમંડ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ એવોર્ડ રાજ્ય પાલ એવોર્ડ માટે ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા નવેમ્બર માસ દરમિયાન રાજ્યમાં રાજ્યપાલ એવોર્ડ ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે ભાવનગર જિલ્લાના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર માટે દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વાઘાવાડી રોડ સ્થિત આવેલ દક્ષિણામૂર્તિ બાલપમરાટ ખાતે બે દિવસ દરમિયાન લેખિત, મૌખિક અને પ્રેક્ટીકલ એમ ત્રણ તબક્કામાં એકઝામ લેવામાં આવી હતી, જેમાં ગાંઠો, લેસિન, પ્રાથમિક સારવાર, એસ્ટીમેશન, પાયોનીયરિંગ, ડ્રીલ, ટેન્ટ પીચીગ, ગેજેટ્સ જેવા વિષયોનું પ્રેક્ટીકલ કામ કરાવવામાં આવ્યું હતું, જ્યારે પ્રવેશથી તૃતીય સોપાન સુધીના વિવિધ વિષયોનું ફાઈલ વર્ક અને પ્રાવીણ્ય ચંદ્ર કોની લોગબુકનું નિરીક્ષણ અને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, આ સમગ્ર પરીક્ષા કાર્ય દરમિયાન રાજ્ય સંઘના પ્રતિનિધિ બી.કે સિદપરા અને અજયભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કેમ્પ સંચાલક દર્શનાબેન ભટ્ટ તેમજ સરલાબેન સાકળીયા, પ્રવીણભાઈ મકવાણા, ધ્રૃવાબેન ભટ્ટ, દીપકભાઈ દ્વારા પરીક્ષા કાર્યમાં સહયોગી થયા હતા, એક્ઝામમાં સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક શાળા, બીએન વિરાણી હાઇસ્કુલ, શિશુવિહાર ઓપન ટ્રુપ, ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, સ્વામી વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમ ના સ્કાઉટ ગાઈડ અને રોવર રેંજર વિદ્યાર્થીઓ જોડાયા હતા, સમગ્ર પરીક્ષા કાર્યને સફળ બનાવવા સિનિયર સ્કાઉટ ગાઈડ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.
સુરતના કોસાડ વિસ્તારમાં રહેતી 37 વર્ષીય વિધવાએ વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચુકવી આપ્યા હોવા છતાંયે વ્યાજખોરોએ વધુ પૈસાની માંગણી કરી છેડતી કરી હતી. વ્યાજખોરો તેની અભદ્ર માંગણી નહી સંતોષાતા વિધવાનું મકાન પચાવી પાડી દીકરા સહિત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પૂણા પોલીસના જાણવા મુજબ કોસાડ ડી-માર્ટ પાસે રહેતા 37 વર્ષીય વિધવાએ એપ્રિલ 2013માં રાણા ભગા ભમ્મર (આહિર) (રહે, સપના સોસયટી, મારૂતીચોક, વરાછા) પાસેથી 22 લાખ 2 ટકાના વ્યાજે લીધા હતા. જેની સામે વિધવાએ સિક્યુરીટી પેટે તેમનું પૂણાગામ ગુરુકુપા સોસાયટીમાં આવેલ મકાન નામ ઉપર કરાવી લીધુ હતું. વિધવાએ વ્યાજખોર રાણા આહિરને માર્ચ 2025 સુધી દર મહિને રોકડથી તેમજ ઓનલાઈથી વ્યાજ ચુકવી આપતા હતા. વિધવાની પાસે પૈસાની સગવડ નહી થતા વ્યાજ ચુકવી શકતા ન હતા. રાણા તેમના ઘરે જઈ વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરતા વિધવાએ તેની પાસે વ્યાજ આપવા સમયની માંગણી કરતા ઘર ખાલી કરવાની તેમજ દીકરા સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારબાદ એક દિવસ વિધવા ઘરે એકલા હતા તે વખતે રાણા આહિર તેમના ઘરે પહોંચી જઈ શારીરીક અડપલા કર્યા હતા રાણાએ અડપલા કરવાની સાથે અભદ્ર માંગણી કરી હતી. જોકે વિધવા તેમના તાબે નહી થતા જાનથી મારી નાંખવાની ધમકી આપી મકાન પચાવી પાડ્યું હતુ. પૂણા પોલીસે વિધવાની ફરિયાદ લઈ વ્યાજખોર રાણા આહિર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત રુવા સીએચસી સેન્ટરમાં છેલ્લા એક મહિનાથી લિફ્ટ બંધ છે, જ્યારે મહિલા વોર્ડનું શૌચાલય પણ ઉપયોગ માટે બંધ રાખવામાં આવ્યું છે. ઉપરાંત દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા પરિવારજનો માટે બેસવાની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને લઈને પૂર્વ મેયરે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી છે. જ્યારે આરોગ્ય કેન્દ્રના તબીબે વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવાની ખાતરી આપી છે. સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવથી દર્દીઓને મુશ્કેલીભાવનગરના સુભાસનગર વિસ્તારમાં આવેલ રુવા સીએચસી સેન્ટરમાં મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મનપા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતાં તેનું યોગ્ય સંચાલન નથી થતું. છેલ્લા એક માસથી લિફ્ટ બંધ છે, પુરુષ અને મહિલા વોર્ડમાં બેડ પર ઓશિકા અને બ્લેંકેટ જેવી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ નથી, તેમજ મહિલા વોર્ડનું શૌચાલય પણ બંધ રાખવામાં આવ્યું છે. પરિણામે દર્દીઓ તથા તેમના સ્વજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.અને વહેલી તકે તમામ સુવિધાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધઆ અંગે પૂર્વ મેયર પારૂલબેન ત્રિવેદીએ જણાવ્યું કે, વીપી સોસાયટી નજીક સુભાષનગરમાં જે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે તેમાં એક મહિનાથી આરોગ્ય કેન્દ્રમાં લિફ્ટ બંધ છે, જ્યારે દર્દીને બીજા કે ત્રીજા માળે દાખલ કરવામાં આવે છે, ત્યારે દર્દીઓને હેરાન થવું પડે છે. આરોગ્ય કેન્દ્રમાં મહિલા/ પુરુષના વોર્ડમાં બેડ મૂકવામાં આવ્યા છે, પણ કોઈ ઓશીકા નથી. ઓઢવાના બ્લેન્કેટની કોઈપણ સુવિધા નથી. દર્દીની સાથે આવેલા બહેનો અથવા ભાઈઓને કોઈ બેસવાની વ્યવસ્થા નથી. ખુરશી કે બેસવા માટે ટેબલ કોઈ પણ સુવિધા નથી. મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું ખાલી એક બેડ આપી દે છે અને દર્દી સાથે આવે તેને દર્દીના બેડ ઉપર બેસવું પડે તેવી પરિસ્થિતિ છે. આરોગ્ય કેન્દ્રની અંદર સ્પેશિયલ ટોયલેટ કરવામાં આવ્યા છે જે તેને આડે વસ્તુઓ મૂકી બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર પાસે લાગણી સાથે માંગણી છે વહેલી તકે પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે અને વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીના ધ્યાન પર મૂકીશું અને મેં મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીને ધ્યાને મુક્યું છે પણ અહીંયા મેનેજમેન્ટનો ખુબ અભાવ હોય એવું લાગી રહ્યું છે. અલગ બાથરૂમની વ્યવસ્થા સુવિધા ઉભી કરવામાં આવીઆ અંગે આરોગ્ય કેન્દ્રના તબીબ શરદ પંડ્યાએ જણાવ્યું હતું કે, લિફ્ટનું કામ છે જે એજન્સીને કહી દીધેલું છે અને એનું કામ છે એ પ્રોસેસમાં છે. સેન્સર અને સોફ્ટવેરનો ઇસ્યુ હોવાથી એની ઉપર કામગીરી શરૂ છે. જલ્દીમાં જલ્દી કામ થઈ જશે. જે દર્દી માટે ઓશીકા અને ટેબલનો ઇસ્યુ છે એની મંજૂરી અમે ઉપરથી લીધી છે, એનું પણ ટૂંક સમયમાં નિરાકરણ લાવી અને ખરીદી કરવાના છીએ. મહિલા શૌચાલયમાં પાણી ભરાતું હતું. એટલે મચ્છરનો ઇસ્યુ થોડો હતો તે માટે થઈને દર્દીઓને તકલીફ ના પડે એ માટે અલગ બાથરૂમની વ્યવસ્થા હોવાથી ઓટરનેટ સુવિધા ઉભી કરવામાં આવી છે અને આ બધી સુવિધા પૂર્ણ થઈ જાય અને દર્દીને કોઈ તકલીફ ન થાય તેની કાળજી લેવામાં આવશે.
બે વિસ્તારોમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ:24 કેસ કરી દેશી દારૂ અને આથો ઝડપાયો, 7 વાહન ડિટેઈન
ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આડોડીયાવાસ અને અકવાડામાં પોલીસે પ્રોહીબિશન અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં પોલીસે 24 કેસો કરવામાં આવ્યા હતા અને 7 જેટલા વાહનો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના સીધા સુપરવિઝન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘાલ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના I/C પોલીસ ઇન્સ્પેક્ટર, ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એચ. કુરેશી, બોરતળાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.કે. ડાભી, ગંગાજળીયા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ. મકવાણા, ભાવનગર સિટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. અને કુલ 25 પોલીસકર્મીઓની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ ટીમો દ્વારા આડોડીયાવાસ અને અકવાડા વિસ્તારમાં અલગ અલગ રેઈડ કરવામાં આવી હતી. જેમાં કુલ 226 લિટર દેશી દારૂ, જેની કિંમત રૂ.45,200 છે અને 3590 લિટર દેશી દારૂ બનાવવાનો આથો, જેની કિંમત રૂ.89,750 છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબિશનના કુલ 24 કેસ નોંધ્યા હતા અને 2 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, મોટર વાહન અધિનિયમની કલમ-207 હેઠળ 7 વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં નાર્કોટિક્સના વધતા દૂષણને ડામી દેવા માટે જુનાગઢ પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જુનાગઢ રેન્જ આઇજીનિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાએ સુચના કરતા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.ક્રાઇમ બ્રાન્ચે પ્રતિબંધિત હાઈબ્રીડ ગાંજાના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપી સહિત કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને કુલ ₹ 1.49 કરોડ નો મુદ્દામાલ કબજે કર્યો છે... બેંગકોકથી હાઈબ્રીડ ગાંજો જુનાગઢ પહોંચ્યો આ ગુનાની તપાસની શરૂઆત ત્યારે થઈ જ્યારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર કૃણાલ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ મળેલી હકીકતના આધારે પોલીસે હાઈબ્રીડ ગાંજાના 3 પેકેટ ,કુલ 3.160 કિલોગ્રામ, કિંમત ₹ 1,10,60,000 સાથે 4 આરોપીઓને પકડી પાડ્યા હતા. આ આરોપીઓમાં (1) ધવલ કાળુભાઈ ભરાડ (વિસાવદર), (2) હુસેન નાસીરભાઈ તુર્ક (જુનાગઢ), (3) મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ (જુનાગઢ) અને (4) જઠાંગીરશા રજાકશા શાહમદાર (જુનાગઢ) નો સમાવેશ થાય છે. આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ગુનામાં આંતરરાષ્ટ્રીય રેકેટની સંડોવણી સામે આવતા એસપી સુબોધ ઓડેદરાએ આ ગંભીર ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢને સોંપી હતી. હાઈબ્રિડ ગાંજાનું આંતરરાષ્ટ્રીય રેકેટનું કનેક્શન પી પીઆઈ કે.એમ.પટેલ,પીએસઆઇ ડી.કે ઝાલાની ટીમે પકડાયેલા આરોપી મુજાહીદખાન યુસુફજઈની સઘન પૂછપરછ હાથ ધરી. પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ ખુલ્યા અને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઝડપથી તપાસના ચક્રો ગતિમાન કર્યા.પોલીસ તપાસમાં સામે આવ્યું કે વડોદરાનો મુખ્ય આરોપી ઇરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ આરીફખાન પઠાણ આ રેકેટમાં સંડોવાયેલો હતો. ઇરફાન દ્વારા રાજકોટની શેરબાનુ નાગાણીને હાઈબ્રીડ ગાંજો લેવા માટે બેંગકોક મોકલવામાં આવી હતી. શેરબાનુ ગાંજો લઈને આવી, પરંતુ તેણે આ ગાંજો ઇરફાનને ન આપતા બારોબાર વેચી દેવાનો પ્લાન ઘડ્યો. આ પ્લાન માટે તેણે તેના મિત્ર મુજાહિદીનનો સંપર્ક કર્યો અને વોટ્સએપ કોલ દ્વારા જુનાગઢના મોઈન ખંધાને અમદાવાદ એરપોર્ટ પર બોલાવ્યો. એરપોર્ટ પરથી શેરબાનુ, મુજાહિદીન અને ધવલ ભરાડ ગાંજો લઈને જુનાગઢ આવ્યા હતા.જુનાગઢ આવ્યા બાદ શેરબાનુએ લાવેલા કુલ 4 પેકેટમાંથી 3 પેકેટ મુજાહિદીનને આપ્યા અને 1 પેકેટ પોતાની પાસે રાખ્યું હોવાનું મુજાહિદીને જણાવ્યું હતું. સુરત, વડોદરા અને નવસારી સુધી ફેલાયેલું નેટવર્ક શેરબાનુએ તેની પાસે રહેલું 1 પેકેટ વેચવા માટે વેરાવળના તેના મિત્ર સોહિલ શેખનો સંપર્ક કર્યો. સોહિલે આ વાત સુરત ખાતે રહેતી તેની બહેન ઉજમાને કરી. ઉજમાએ તેના મિત્ર વડોદરાના મુખ્ય આરોપી ઇરફાનખાનને જાણ કરી, જેણે ગાંજો ખરીદવાની હા પાડી.સોહિલ શેખ અને શેરબાનુ સુરત ખાતે ઉજમાના ઘરે ગયા. દરમિયાન, મુખ્ય આરોપી ઇરફાનખાન વડોદરાથી તેના મિત્ર અફઝલ જાનુવાલા, તેની પત્ની હાફીઝા પટેલ તથા જાવીદ મીરજા અને તેની પત્ની નીલોફર સાથે સુરત પહોંચ્યો અને હાઈબ્રીડ ગાંજાનું 1 પેકેટ લઈ લીધું. મુખ્ય આરોપી ઇરફાનની નડિયાદથી ધરપકડ ઇરફાન પાસે ગાંજાનું પેકેટ હોવાની હકીકત મળતા, વડોદરા-સુરત રવાના કરાયેલી પોલીસ સબ ઇન્સપેક્ટર પી. કે. ગઢવીની ટીમે તાત્કાલિક ઇરફાનને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા. ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરતાં જણાયું કે ઇરફાન નડિયાદ ખાતે તેના સસરાના ઘરે ગયો છે.પોલીસે તાત્કાલિક નડિયાદ ખાતે પહોંચીને ગેઝેટેડ અધિકારીની હાજરીમાં પંચો રૂબરૂ તપાસ કરતાં આરોપી ઇરફાનખાન પાસેથી 0.936 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો કિંમત ₹ 32,76,000/ કબ્જે કર્યો અને તેની ધરપકડ કરી.ઇરફાનની પૂછપરછમાં ખુલાસો થયો કે આ આંતરરાષ્ટ્રીય રેકેટ બેંગકોકના હબીબી દ્વારા ચલાવવામાં આવતું હતું અને ભારત ખાતે તેના એજન્ટ બેંગ્લોરના અનુપ ઉર્ફે રવુ મારફતે ઇરફાન તથા અન્ય આરોપીઓ કેરીયર તરીકે કામ કરતા હતા. આ ગુનામાં અગાઉ પકડાયેલા 4 આરોપીઓમાં ધવલ કાળુભાઈ ભરાડ, હુસેન નાસીરભાઈ તુર્ક,મુજાહીદખાન રીયાજખાન યુસુફજઈ,જઠાંગીરશા રજાકશા શાહમદારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.આ આરોપીઓની પુછ પરછ દરમિયાન મોઈન સતા૨ભાઈ ખંધા,સાહીલ દાદાભાઈ શેખ,શેરબાનુ મહમદરફીક નાગાણી (બેંગકોકથી ગાંજો લાવનાર), ઈરફાનખાન ઉર્ફે સોહિલ ઉર્ફે ઇરફાનડબલ પઠાણ,જાવીદ અલીમહમદ મીરજા તુર્ક પઠાણ, અફઝલ અબ્દુલગફાર મેમણ,હાફીઝા યુસફભાઈ વોરા પટેલ,,નીલોફર અયુબભાઈ વોરા પટેલ મળી 8 સાગરીતોની ધરપકડ કરી છે. શેરબાનુ સહિત વડોદરા, રાજકોટ, વેરાવળ, સુરત અને નવસારી સુધી ફેલાયેલા આ નેટવર્કના અત્યાર સુધીમાં કુલ 12 આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડવામાં આવ્યા છે. હાઈબ્રીડ ગાંજાનો જથ્થો 0.936 કિલો ગ્રામ કિંમત કિંમત રૂ.32,76,000,વજન કાંટો, કોથળીઓ, ફોન, એક્સેસ, રોકડ કિંમત રૂ.31,500,અગાઉ પકડાયેલ ગાંજો 3.160 કિલોગ્રામ જેની કિંમત રૂ.1,10,60,000 મળી કુલ મુદ્દામાલ 1,49,78,500/- પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અને બેંકોકથી ગાંજો સપ્લાય કરનાર બેંકોકના હબીબી અને બેંગલોરના અનુપ ઉર્ફે રવુંને પકડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 20 વર્ષીય આરોપી હાર્દિક હળપતિની જામીન અરજી વાપી કોર્ટે નામંજૂર કરી છે. આ કેસમાં ન્યાયાધીશ એચ.એન. વકીલે આરોપીને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ઘટના 10 સપ્ટેમ્બર 2025ના રોજ બની હતી, જ્યારે આરોપી હાર્દિક હળપતિએ પારડી તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો. કિશોરી મોડે સુધી ઘરે પરત ન ફરતા તેના પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કોઈ ભાળ ન મળતા, અંતે પારડી પોલીસ મથકે કિશોરીના અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પારડી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, પોલીસે સગીરા અને આરોપી હાર્દિક હળપતિને શોધી કાઢ્યા હતા અને તેમને કસ્ટડીમાં લીધા હતા. કિશોરીના મેડિકલ તપાસના અહેવાલ અને તેના નિવેદનના આધારે, પોલીસે ગુનામાં પોક્સો અધિનિયમ અને અન્ય સંબંધિત કલમોનો ઉમેરો કર્યો હતો. આ કેસમાં આરોપી હાર્દિક હળપતિએ રેગ્યુલર જામીન માટે વાપી કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી પરની સુનાવણી દરમિયાન, ડેપ્યુટી ગવર્મેન્ટ પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીએ દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા છે અને જામીન મળ્યા બાદ તે પુરાવાઓ સાથે છેડછાડ કરી શકે છે. તેમણે ગુનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો. ન્યાયાલયે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. આ ચુકાદાથી પીડિત પરિવારને ન્યાય મળવાની આશા વધુ મજબૂત બની છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ માટે સુધારેલું સમયપત્રક અને સ્થળો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાઓ શાળા/ગ્રામ્ય અને તાલુકા/ઝોન કક્ષા પછી યોજાશે. આ મહાકુંભમાં લોન ટેનિસ, બેડમિન્ટન, કુસ્તી, બાસ્કેટબોલ, કબડ્ડી, સ્કેટીંગ, આર્ટીસ્ટીક સ્કેટીંગ, ચેસ, કરાટે, યોગાસન, ફુટબોલ, હેન્ડબોલ, એથ્લેટીક્સ અને જુડો જેવી વિવિધ રમતોનો સમાવેશ થાય છે. લોન ટેનિસની સ્પર્ધા 12 અને 13 નવેમ્બર 2025ના રોજ ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે. બેડમિન્ટન માટે 16 અને 17 નવેમ્બર 2025ના રોજ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ સંકુલ, સરદાર કૃષિનગર ખાતે આયોજન કરાયું છે. કુસ્તીની સ્પર્ધા 18 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે. બાસ્કેટબોલની સ્પર્ધા 17 થી 23 નવેમ્બર દરમિયાન જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે યોજાશે. કબડ્ડીની સ્પર્ધા 25 અને 26 નવેમ્બર 2025ના રોજ ખસા (તાલેગઢ) ખાતેની પગાર કેન્દ્ર શાળામાં યોજાશે. સ્કેટીંગ અને આર્ટીસ્ટીક સ્કેટીંગની સ્પર્ધા 14 થી 16 નવેમ્બર દરમ્યાન ડીસા સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાશે. ચેસની સ્પર્ધા 20 અને 21 નવેમ્બર 2025ના રોજ સસ્કૃતિ વિદ્યાલય, દિયોદર ખાતે યોજાશે. કરાટેની સ્પર્ધા 2 અને 3 ડિસેમ્બર દરમિયાન આદર્શ હાઇસ્કૂલ, માલગઢ ખાતે યોજાશે. યોગાસનની સ્પર્ધા 29 અને 30 નવેમ્બર દરમિયાન અર્બુદા વિદ્યાલય, પાંથાવાડા ખાતે યોજાશે. ફુટબોલની સ્પર્ધા 28 થી 30 નવેમ્બર દરમિયાન BSF કેમ્પસ, દાતીવાડા ખાતે યોજાશે. હેન્ડબોલની સ્પર્ધા 16 થી 20 નવેમ્બર દરમિયાન મોરવાડા અને પાલનપુર ખાતે યોજાશે. એથ્લેટીક્સની સ્પર્ધા 7 અને 8 ડિસેમ્બર દરમિયાન વિમળા વિદ્યાલય, ગઢ ખાતે યોજાશે. જુડોની સ્પર્ધા 1 ડિસેમ્બર 2025ના રોજ ડી.એન.જે આદર્શ હાઇસ્કૂલ, ડીસા ખાતે યોજાશે.
હિંમતનગર ઓવરબ્રિજ પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:કાર ચાલક ઝડપાયો, ચાર સામે ગુનો નોંધાયો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નેશનલ હાઈવે 48 પર સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પરથી LCBએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ચાલકને ઝડપી પાડ્યો હતો. રાજસ્થાનથી અમદાવાદ જઈ રહેલી આ કાર અંગે બાતમી મળી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે, LCBએ નવી સિવિલ ચાર રસ્તા પરના ઓવરબ્રિજ પર નાકાબંધી કરી હતી. રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશી અમદાવાદ જઈ રહેલી એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીને રોકવામાં આવી હતી. આ ગાડીમાંથી 576 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.2,64,080 થાય છે. કાર સહિત કુલ રૂ.7,73,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ધામોદ, તા. વીછીંવાડા, જિ. ડુંગરપુર (રાજસ્થાન)ના સુનીલ વિશ્રામભાઈ સેંગાભાઈ ભગોરા નામના ચાલકની ધરપકડ કરી છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે. તેમાં ધામોદ, તા. વીછીંવાડા, જિ. ઉદેપુર (રાજસ્થાન)નો પિન્ટુ વિશ્રામભાઈ ભગોરા સામેલ છે, જેણે દારૂ ભરી આપ્યો હતો અને પાયલોટિંગ પણ કર્યું હતું. પાયલોટિંગમાં તેની સાથે રહેલો એક અજાણ્યો ઈસમ પણ વોન્ટેડ છે. આ ઉપરાંત, અમદાવાદ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા ઈસમની પણ શોધખોળ ચાલી રહી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં તા. 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. મતદારોના મેપિંગ, લિંન્કિંગ વગેરે પ્રશ્નોના નિવારણ માટેની આ ખાસ વ્યવસ્થાનો લાભ લેવા કલેકટરે પણ અનુરોધ કર્યો છે. મતદાન મથકો પર શનિ-રવિ પણ BLO બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશેભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે હાલમાં ચાલી રહેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) ને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના તમામ મતદારોને ચોક્કસ દિવસોએ મતદાન મથક પર જઈને પોતાના પ્રશ્નોનું નિવારણ મેળવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ દવે દ્વારા જણાવાયું છે કે, મતદારોની ગણતરી અંગે તા.15, 16,22 અને 23 નવેમ્બરના એટલે કે બે શનિવાર અને બે રવિવારે પણ તમામ મતદાન મથકો ઉપર સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી BLO ઉપસ્થિત રહેશે. લોકો પોતાના હક્ક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેમતદારોને આ દિવસોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ છે. આ સમય દરમિયાન BLOs દ્વારા મતદારોને પોતાના ઘરનું મેપિંગ અથવા આધાર કાર્ડ સાથે લિન્કિંગ કરાવવું હોય તો તે અંગેની કાર્યવાહી કરી આપવામાં આવશે. આ ઉપરાંત જે મતદારોના નામ અથવા તેમના માતા-પિતા/ દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય એવા કિસ્સામાં કયા-કયા પુરાવાઓ રજૂ કરવા તે અંગેનું સચોટ માર્ગદર્શન મળશે. કલેક્ટરે મતદારોને વિનંતી કરી છે કે, તેઓ આ વિશેષ દિવસોએ પોતાના સંબંધિત મતદાન મથકોની મુલાકાત લે અને મતદાર યાદીની શુદ્ધતા તેમજ પોતાના હક માટે આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લે.
સુરત શહેરમાં બાંધકામ સાઇટ્સ પર જઈને ધાક-ધમકી આપી ખંડણી ઉઘરાવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લીંબાયત વિસ્તારમાં એક બિલ્ડરને માનસિક ત્રાસ આપી, પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ખંડણી માગવાના આરોપસર પોલીસે કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરી છે. ભૂતકાળમાં રાજકીય પદ ધરાવતા આ આરોપીએ ખોટી ઓળખ આપીને બિલ્ડર પાસેથી મોટી રકમ પડાવી હતી. શું હતો સમગ્ર મામલો?લીંબાયત વિસ્તારમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા નામના બિલ્ડરની એક કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે. આ સાઇટ પર મોહમ્મદ જમાલ સાદિક અન્સારી નામનો વ્યક્તિ પહોંચ્યો હતો. પોલીસ તપાસ મુજબ, આરોપી મોહમ્મદ શાદિક અન્સારીએ બિલ્ડર ફયાઝ મિર્ઝા સમક્ષ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી હતી, જે સંપૂર્ણપણે ખોટી હતી. ખોટી ઓળખ આપ્યા બાદ તેણે બિલ્ડરને ધમકી આપી હતી કે, બાંધકામમાં ખામીઓ છે અને જો તેને ચાલુ રાખવું હોય તો 2 લાખની ખંડણી આપવી પડશે. જો ખંડણી નહીં આપવામાં આવે તો તે બાંધકામ તોડાવી નાખશે. આરોપીએ માત્ર ધમકી જ નહીં આપી, પરંતુ બિલ્ડરનું ચાલી રહેલું બાંધકામ તોડાવી પણ પાડ્યું હતું. હપ્તે-હપ્તે ખંડણી વસૂલવાની મોડસ ઓપરેન્ડીબાંધકામ તોડાવ્યા બાદ આરોપી મોહમ્મદ જમાલ અન્સારીએ ફરીથી બિલ્ડરનો સંપર્ક સાધ્યો અને બાંધકામ ફરી શરૂ કરવા દેવાના બદલામાં 2 લાખની માંગણી કરી હતી. વારંવારની ધમકીઓ અને દબાણને કારણે કંટાળેલા બિલ્ડરે શરૂઆતમાં તેને તબક્કાવાર રકમ આપવાનું શરૂ કર્યું. આરોપીએ આ બિલ્ડર પાસેથી પહેલાં 83,000 જેટલી રકમ પડાવી લીધી હતી. આટલેથી ન અટકતાં, તેણે ફરીથી ગુગલ પે મારફતે વધુ 15,000 ની ખંડણી વસૂલી હતી. આમ, પૂર્વ કોંગ્રેસ વોર્ડ પ્રમુખે બિલ્ડર પાસેથી હપ્તે-હપ્તે મોટી રકમ પડાવી, જેના કારણે બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝા માનસિક ત્રાસથી અત્યંત કંટાળી ગયો હતો.આરોપીના વારંવારના ત્રાસ અને ખંડણીની માંગણીથી કંટાળીને બિલ્ડર મોહમ્મદ ફયાઝ મિર્ઝાએ આખરે હિંમત કરીને લીંબાયત પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. બિલ્ડરની ફરિયાદના આધારે, લીંબાયત પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી મોહમ્મદ જમાલ સાદિક અન્સારી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એ હકીકત સામે આવી છે કે, આરોપી મોહમ્મદ જમાલ અન્સારી ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષનો વોર્ડ પ્રમુખ રહી ચૂક્યો છે અને તેણે પોતાના અંગત ફાયદા માટે પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી હતી. એક જવાબદાર રાજકીય પદ પર રહેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવતા, રાજકીય અને વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે.હાલમાં લીંબાયત પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આવતીકાલે મંગળવારે ચેરમેન જયમીન ઠાકરે બોલાવી છે, જેમાં કુલ 52 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. આ દરખાસ્તોમાં પૂર્વ ઝોનમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રસ્તાઓ પર મેટલીંગ કરવા, જુદા-જુદા વોર્ડમાં સફાઈ અને કચરો ઉપાડવાના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કરોડોના કામોમાં ઊંચા 'ઓન'ના ભાવ મંજૂર કરવા સહિતના મહત્ત્વના નિર્ણયોનો સમાવેશ થાય છે. પૂર્વ ઝોનના 6 વોર્ડમાં રૂ. 9.66 કરોડના ખર્ચે રોડનું મેટલીંગમહાનગરપાલિકા દ્વારા ચોમાસા પછી એક્શન પ્લાન અંતર્ગત નવા રોડ-રસ્તા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, પૂર્વ ઝોનના વોર્ડ નં. 4, 5, 6, 15, 16 અને 18માં જુદી-જુદી સોસાયટીના યુટિલિટી રોડનું રિસ્ટોરેશન અને ટીપી રોડ પર મેટલીંગ કરવા માટે રૂ. 9.66 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી છે. આ કામ પવન કન્સ્ટ્રક્શન કંપનીને 14.04% ઓછા ભાવથી આપવા માટે ભલામણ કરાઈ છે. ઉપરાંત, આ છ વોર્ડમાં અમૃત-2.0 યોજના હેઠળ ડીઆઈ પાઈપ અને ડ્રેનેજ પાઈપલાઈનનું કામ પૂર્ણ થયા બાદ રૂ. 11.25 કરોડના ખર્ચે મેટલીંગ અને પેવર કામ કરવાની દરખાસ્ત પણ મંજૂરી માટે રજૂ કરાઈ છે. આ સાથે વોર્ડ નં. 12ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રસ્તાઓનું મેટલીંગ અને નવા ભળેલા વિસ્તારમાં ડિવાઇડર બનાવવા માટેની દરખાસ્ત પણ સામેલ છે. ન્યારી પર ઇન્ટેક વેલ સહિત વોટર વર્ક્સના કામોમાં ઊંચી 'ઓન' ન્યારી ડેમ પર ઇન્ટેક વેલ: 150 એમએલડીનો ઇન્ટેક વેલ બનાવવા માટે રૂ. 14.53 કરોડના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં ફિનિક્સ પ્રોજેક્ટ લી. એ 28.32% વધુ 'ઓન' એટલે કે રૂ. 21.89 કરોડના ખર્ચે આ કામ આપવા માટેની દરખાસ્ત મૂકી છે. મેઇન્ટેનન્સના કામો: ન્યારી ઝોન, ભાદર ઝોન, હડાળા, બેડી, ન્યારાના પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ટર પ્લાન્ટ સહિતના મેઇન્ટેનન્સ અને નવી પાઇપલાઇનના કામોમાં 36% થી 54% સુધીની ઊંચી 'ઓન' સાથે નવા ઝોનલ કામોના કોન્ટ્રાક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે. પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ માટે રૂ. 7.67 કરોડનો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ મહાપાલિકામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ના સંપૂર્ણ સંચાલન માટે ખાસ એજન્સી રોકવામાં આવશે. આ અંગે ઉચ્ચ ટેકનિકલ સ્ટાફ રોકવા માટે ડિલોઇટ ટચ તોહમાત્સુ ઇન્ડિયા એલએલપી (Deloitte Touche Tohmatsu India LLP) ને બે વર્ષનો રૂ. 7.67 કરોડનો મોટો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે. આ કંપની પ્રોજેક્ટ ડિરેક્ટરની 1 જગ્યા, પ્રોજેક્ટ મેનેજર, અર્બન મેનેજરની 5 જગ્યા, ટેકનિકલ સપોર્ટ સ્ટાફની 2 અને સપોર્ટ સ્ટાફની 1 જગ્યા મળી કુલ 9 જગ્યાઓ માટે સ્ટાફ પૂરો પાડશે. જેમાં સંતોષકારક કામગીરીના આધારે મુદતમાં બે વર્ષનો વધારો પણ કરવાની ભલામણ કરવામાં આવી છે. PMU સરકારી ગ્રાન્ટના પ્રોજેક્ટ્સનું આયોજન, ટેન્ડરથી લઈને લોકાર્પણ, દૈનિક મોનીટરીંગ અને વિવિધ વિભાગો વચ્ચે સંકલનનું કામ સંભાળશે. અન્ય મહત્ત્વની દરખાસ્તો સફાઈ અને કચરા ઉપાડવાના કોન્ટ્રાક્ટ: અલગ-અલગ વોર્ડમાં પાર્ટ ટાઇમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાના કામના કોન્ટ્રાક્ટની મુદત વધારવા તેમજ નવો દ્વિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા માટે એક સાથે 11 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. રામવનમાં ફૂડ કોર્ટ: રાજકોટ કોર્પોરેશનના રામવન (અર્બન ફોરેસ્ટ) ખાતે મુલાકાતીઓની સુવિધા અને કોર્પોરેશનની આવક માટે બનાવવામાં આવેલી 3 ફૂડ કોર્ટનું દ્વિવાર્ષિક સંચાલન આપવાની દરખાસ્ત મંજૂરી માટે રજૂ થઈ છે. બઢતી અને કાયમીકરણ: સબ ઓડિટરની જગ્યા પર બઢતી માટેની લાયકાત હવે 10 વર્ષના અનુભવને બદલે 5 વર્ષના ઓડિટ ક્લાર્કના અનુભવમાં હળવી કરવાની દરખાસ્ત મુકાઈ છે. ઓડિટ વિભાગમાં વર્ગ-4માં બઢતીની પ્રક્રિયા શરૂ કરવા માટેની અને હંગામી જગ્યા પર ફરજ બજાવતા 3 પટાવાળા (કિશોરસિંહ ટી. જાડેજા, હરગોવન કે. ચાવડા અને પરસોતમ સી. કિયાડા) ને કાયમી સ્ટેઅપ પર પોસ્ટિંગ આપવાની દરખાસ્તો પણ આવતીકાલની બેઠકમાં રજૂ થશે. અન્ય: અલગ અલગ પમ્પિંગ સ્ટેશનના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 2 સક્શન મશીન ખરીદવા અને કર્મચારીઓને આર્થિક તબીબી સહાય આપવા સંબંધિત દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ છે.
લુણાવાડામાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો:પત્ની સાથે સંબંધની શંકાએ બે આરોપીઓએ હત્યા કરી
લુણાવાડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં એક હત્યાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટના લુણાવાડાના જેસિંગપુર ખાતે બની હતી, જ્યાં મંગળભાઈ જવરાભાઈ નાયકની હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મંગળભાઈ જવરાભાઈ નાયકને આરોપી મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયક દ્વારા માર મારવામાં આવ્યો હતો. મુખ્ય આરોપી મહેશ વજેસિંહ નાયકને તેની પત્ની પર મૃતક સાથે સંબંધ હોવાનો શક હતો. આ શંકાના આધારે બંને આરોપીઓએ મંગળભાઈ સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ઝપાઝપી દરમિયાન, આરોપીઓએ લાકડાના ડફણા વડે મંગળભાઈ નાયકના માથાના ભાગે અને શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ, તેમણે હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે મકાનના પહેલા માળેથી મૃતદેહને નીચે ફેંકી દીધો હતો. આરોપીઓએ ગુનાની કબૂલાત કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફિન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાની સૂચનાથી લુણાવાડા ટાઉન પીઆઈ જે.એસ. વળવીએ તપાસ માટે અલગ અલગ ટીમો બનાવી હતી. જેસિંગપુરમાં ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનના બાંધકામ સ્થળે 6 તારીખે સવારે શ્રમિક મંગળભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માત જેવી લાગતી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક સાથે કામ કરતા કેટલાક શ્રમિકો ઘટના બાદ ગાયબ થઈ ગયા હતા. શંકાના આધારે પોલીસે મહેશ વજેસિંહ નાયક અને મહેશ મણિલાલ નાયકને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી. યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હતી. આ શ્રમિકો છેલ્લા દોઢ મહિનાથી એક સાથે રહેતા હતા. ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ શંકા-વહેમના આધારે ઝઘડો કર્યો હતો અને મંગળભાઈને લાકડી વડે માર માર્યો હતો. ત્યારબાદ, મૃતદેહને ધાબા પરથી નીચે ફેંકી દઈ અકસ્માતે મોતનો દેખાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ ચાલુ છે.
ડાંગ જિલ્લાના ગીરા દાબદર ગામનો સ્મશાન માર્ગ ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લા બે મહિનાથી ધોવાઈ ગયો છે. માર્ગનું સમારકામ ન થતાં ગ્રામજનોને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. ખાપરી નદીના કિનારે આવેલો આ સ્મશાન માર્ગ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. બે મહિના વીતી ગયા હોવા છતાં, તેના સમારકામ માટે કોઈ કાર્યવાહી થઈ નથી. હાલ માર્ગ પર ઊંડા ખાડા, કાદવ અને કીચડ જોવા મળે છે. ગ્રામજનોને મૃતદેહને ખભે ઊંચકીને સ્મશાન સુધી પહોંચાડવામાં જોખમનો સામનો કરવો પડે છે. વરસાદી વાતાવરણ કે અંધારામાં લપસી પડવાનો ભય રહે છે, જેના કારણે અંતિમ સંસ્કાર માટે જવામાં હાલાકી થાય છે. ગ્રામજનોએ આ સમસ્યા અંગે ડુંગરડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વાંસળીબેન રાજાભાઈ ચૌધરી સમક્ષ રજૂઆત કરી હતી. સરપંચના જણાવ્યા અનુસાર, આ માર્ગ વન વિભાગની હદમાં આવતો હોવાથી પંચાયત તેના પર કામ કરી શકતી નથી. બીજી તરફ, વન વિભાગના અધિકારીઓ આ માર્ગ પંચાયતની હદમાં આવતો હોવાનું કહી જવાબદારી ટાળી રહ્યા છે. આ રીતે, વન વિભાગ અને પંચાયત વચ્ચે જવાબદારીનો વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે માર્ગનું સમારકામ અટકી પડ્યું છે. ગ્રામજનોની માંગ છે કે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ આ મામલે ધ્યાન આપી બંને વિભાગો વચ્ચેના અવરોધો દૂર કરે. તેઓ તાત્કાલિક ધોરણે સ્મશાન માર્ગનું સમારકામ પૂર્ણ કરે, જેથી ગ્રામજનો અંતિમ સંસ્કાર માટે સરળતાથી જઈ શકે.
જામનગરમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આ કાર્યક્રમની કામગીરીની સમીક્ષા જામનગર કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન. મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. હાલમાં જામનગર જિલ્લામાં બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનો મુખ્ય હેતુ મતદારયાદીમાં સુધારા-વધારા કરવાનો છે. સમીક્ષા બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન EF (Enumeration Form) ફોર્મ વિતરણ અને E-Roll મેપિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણ અને ફોર્મ કલેક્શનના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને ખાસ કેમ્પનું આયોજન કરવા માટે સૂચનાઓ આપી હતી.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં બાયપાસની જમીન સંપાદન મુદ્દે 15 ગામના ખેડૂતો વિરોધ નોંધાવવા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, બાયપાસ માટે જમીન સંપાદનની કામગીરી દરમિયાન સરકાર દ્વારા તેમની સાથે ઘોર અન્યાય કરવામાં આવ્યો છે. તેમને યોગ્ય વળતર મળ્યું નથી અને જમીનના માપમાં પણ અન્યાય થયો છે, જેમાં 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ થાય છે. આના કારણે ખેડૂતો વચ્ચે વાદ-વિખવાદ પણ ઊભા થયા છે. આ વિરોધ પ્રદર્શનમાં બાયપાસ અસરગ્રસ્ત 15 ગામના ખેડૂતો એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ અને તેમના પરિવારો આગામી ચૂંટણીમાં મતદાન કરશે નહીં. આ અંગે દિનેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે બાયપાસની જમીન સંપાદન મુદ્દે આસપાસના 15 ગામના ખેડૂતો કલેક્ટર ઓફિસ ખાતે ભેગા થયા છીએ અને ચૂંટણી બહિષ્કાર માટેનું આવેદનપત્ર પણ કલેક્ટરને આપ્યું છે. અમારી માંગો સંતોષાઈ નથી, એને ધ્યાનમાં રાખી અને તમામ ખેડૂતો આવેદનપત્ર માટે આજે બધા ભેગા થયા છીએ. બાયપાસની જમીનના વળતરમાં અન્યાય થયો છે. 100 મીટરની જગ્યાએ 60 મીટર જમીનનો સમાવેશ કરાયો છે એમાં પણ ઘણાને અન્યાય થયેલો છે. તો એ ધ્યાનમાં રાખી અને આજે અમે ચૂંટણી બહિષ્કાર કરવા માટે તમામ ભેગા થયા છીએ.
રાજકોટમાં સરકારી જમીન ઉપર વધુ એક દબાણ સામે આવ્યું છે. જેમાં શહેરના કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળા શરૂ થઈ ગયાનું સામે આવ્યું છે. સોનાની લગડી જેવી કરોડો રૂપિયાની સરકારી જગ્યા પર શ્રી સિધ્ધાર્થ ગૌશાળા અને વિધાતા ગૌ શાળા શરૂ કરી દેવાઈ છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. જે તપાસ પૂર્ણ થયા બાદ સામે આવશે કે કેટલી કિંમતની કેટલી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે અને કેટલા સમયથી અહીં સરકારી ખરાબા પર દબાણ છે? જોકે સરકારી જમીન પચાવી પાડવાનો મોટો કારસો ખૂલ્લો પડ્યો છે. રાજકોટ શહેર પ્રાંત - 2 અધિકારી મહેક જૈને દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતું કે, કુવાડવા હાઈવે ઉપર સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વરૂપે 2 ગૌ શાળા તૈયાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા જિલ્લા કલેકટરના હુકમથી તપાસ શરૂ કરવામાં આવી છે અને કુવાડવા સર્કલ ઓફિસર હાલ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં તેમના જણાવ્યા પ્રમાણે, કુવાડવા હાઈવે પર સરકારી ખરાબાની જગ્યા પર 2 ગૌ શાળાનું નિર્માણ થયું છે. જે ગેરકાયદેસર છે. જેથી કુવાડવા સર્કલ ઓફિસર આ સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. જે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે કેટલી કિંમતની સરકારી ખરાબાની જગ્યા ઉપર ગૌશાળાનું દબાણ કરવામાં આવેલું છે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણી 15 નવેમ્બરે થનાર છે. આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ જોડાશે. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં યોજાશે, જેમાં સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા ક્લેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમમાં મહત્તમ લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને તે માટે જરૂરી આયોજન હાથ ધરવા સૂચના અપાઈ હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાની કઠેચી ખાતે યોજાનાર સેવા સેતુ અને મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમ્પ દ્વારા સ્થાનિક લોકોને વિવિધ સરકારી સેવાઓ અને આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આયોજન બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારીઓ તેમજ અગ્રણીઓ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભુજમાં જુગારધામ પર LCBનો દરોડો:7 જુગારીઓને રોકડ રકમ 59,760 સાથે ઝડપી પાડ્યા
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. સુરલભીટ રોડ પરના અંજલીનગર વિસ્તારમાં દરોડો પાડી સાત જુગારીઓને ₹59,760 રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ અને ભરતભાઇ ગઢવીને સંયુક્ત બાતમી મળી હતી કે, સુરલભીટ રોડ પર જૂના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં અંજલીનગર સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે, પોલીસ સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સાત ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાસમ ઉર્ફે કાસુ ઉર્ફે કીસ્ટો હાજી મોખા (ઉ.વ. ૫૦, રહે. ભુતેશ્વર વિસ્તાર, દાદુપીર રોડ, ભુજ), બસીર હારૂનભાઇ મમણ (ઉ.વ. ૫૬, રહે. સીફાનગર, સુરલભીટ રોડ, ભુજ), ઉંમર અલાના ભટ્ટી (ઉ.વ. ૪૨, રહે. અંજલીનગર, સુરલભીટ રોડ, ભુજ), આરીફ દાઉદ કુંભાર (ઉ.વ. ૪૨, રહે. લખુરાઇ ચાર રસ્તા, ભક્તિનગર, ભુજ), જુણસ સુલેમાન કુંભાર (ઉ.વ. ૩૪, રહે. સુરલભીટ રોડ, હનુમાનજી મંદિર સામે, ભુજ), ઇબ્રાહીમ ઇસ્માઇલ સોઢા (ઉ.વ. ૩૧, રહે. માંજોઠી મદ્રેસાની બાજુમાં, કેમ્પ એરિયા, ભુજ) અને લતીફ ઇબ્રાહીમ મોખા (ઉ.વ. ૬૦, રહે. દાદુપીર રોડ, ભીઢયારી ફળીયુ, ભુજ) નો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડા ₹59,760 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૩૮૬/૨૦૨૫ મુજબ જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે લીધેલા બ્લર સેમ્પલનો રિપોર્ટ પોઝિટવ આવતા કાર્યવાહીગત તારીખ 17/10/2025 ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે, કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ રજી. નં. GJ-05-RA-4369 વાળી બલેનો કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં હકીકત સાચી જણાઈ હતી. આ મામલે પ્રાથમિક રીતે તહોમતદાર વ્રજ જયેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમ 65(એ)(એ), 98 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસ દરમિયાન પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી, પોલીસે ગુનામાં પ્રોહી. એક્ટ કલમ 81 મુજબનો ઉમેરો કરીને સમીર શાહની અટકાયત કરી હતી. જૈનમ શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરતા અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગથી ગુનો નોંધાયો હતોઆ ઉપરાંત, સમીર શાહના પુત્ર જૈનમ સમીર શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ પણ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી ગુનો દાખલ કરવામાં આવ્યો અને જૈનમ શાહને ગાંધીનગરથી અટકાયતી પગલાં બાદ જામીન મળી ગયા છે. હાલ તે ત્યાં ભણી રહ્યો છે. બ્લડ રિપોર્ટમાં આવ્યું 'આલ્કોહોલ પોઝિટિવ'પોલીસે પ્રોહિબિશનના નિયમો મુજબ સમીર શાહ, તેમના પત્ની હેતલ શાહ અને પુત્ર જૈનમ શાહે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તે જ દિવસે નવી સિવિલ હોસ્પિટલમાં તેમના બ્લડ સેમ્પલ લેવડાવ્યા હતા. આ બ્લડ સેમ્પલને પૃથ્થકરણ માટે ગાંધીનગર સ્થિત FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ખાતે મોકલવામાં આવ્યા હતા. હાલમાં FSLનો રિપોર્ટ આવતા તેમાં આલ્કોહોલ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ અલથાણ પોલીસે નિયમ મુજબ ત્રણેય ઈસમો વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનના પાર્ટ સી ગુના રજીસ્ટરમાં પ્રોહિબિશન કલમ 66(1)બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે. પરમિટ હોવા છતાં તપાસ ચાલુજોકે, સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્યોગપતિ સમીર શાહ અને તેમના પત્ની હેતલ શાહ બંને પાસે દારૂની કાયદેસરની પરમિટ છે. તેમ છતાં, જાહેરમાં નશાની હાલતમાં મળી આવવું અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપોને પગલે કાયદાકીય પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે.
શામળાજી પોલીસે 10 લાખનો દારૂ ઝડપ્યો:અણસોલ ચેકપોસ્ટ પર સફેદ પાવડરની આડમાં લઈ જવાતો હતો
શામળાજી પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી અણસોલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ટ્રકમાંથી સફેદ પાવડરની થેલીઓની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી ટ્રક સહિત કુલ રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શામળાજી પોલીસ ગુજરાત-રાજસ્થાન સરહદ પર વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રકમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકાવી તપાસ હાથ ધરી હતી. ટ્રકના ટ્રેલરમાં ઉપરના ભાગે સફેદ પાવડરની થેલીઓ ભરેલી હતી, જ્યારે તેની નીચેના ભાગે વિવિધ બ્રાન્ડની દારૂની પેટીઓ છુપાવેલી હતી. પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ભરીને ગુજરાતના મોરબી પહોંચાડવાનો હતો. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં સૂર્યનગર પાસે ઝાડીમાંથી મેડિકલ વેસ્ટ મળ્યો:આરોગ્ય વિભાગે તપાસ કરી, કચરાનો યોગ્ય નિકાલ કર્યો
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક અમદાવાદ હાઇવે પર આવેલી સૂર્યનગર સોસાયટી પાસે ગત ૮ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ઝાડી ઝાંખરામાંથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો. આ કચરામાં બિનઉપયોગી ટેબ્લેટ્સ અને ખાલી દવાઓની બોટલોનો સમાવેશ થતો હતો. જાહેરમાં મેડિકલ વેસ્ટ ઠાલવી દેવાને કારણે અનેક સવાલો ઉભા થયા હતા, કારણ કે તે કોઈ હોસ્પિટલ કે મેડિકલ સંચાલક દ્વારા નાખવામાં આવ્યો હોવાનું અનુમાન હતું. દિવ્યભાસ્કર દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેની નોંધ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી. આજરોજ ગોધરા શહેરના સિંધૂરી માતા મંદિર પાસે આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના મેડિકલ ઓફિસર ડો. આશુતોષ જોષી અને આયાબેન અંજલી ચૌહાણ દ્વારા સૂર્યનગર સોસાયટી સામે ઝાડી ઝાંખરામાં મળી આવેલા મેડિકલ વેસ્ટના જથ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ બાદ, આ સમગ્ર મેડિકલ વેસ્ટને ડસ્ટબીનમાં ભરીને તેના યોગ્ય નિકાલ માટે લઈ જવામાં આવ્યો હતો. દિવ્યભાસ્કર ટીમ દ્વારા જ્યારે મેડિકલ વેસ્ટ કોના દ્વારા નાખવામાં આવ્યો તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે મેડિકલ ઓફિસર ડો. આશુતોષ જોષીએ જણાવ્યું હતું કે, 'હાલ અમારી ટીમ દ્વારા મેડિકલ કચરાનો જથ્થો ડસ્ટબીનમાં લઈ તેનો યોગ્ય નિકાલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. કોના દ્વારા આ કચરો નાખવામાં આવ્યો તે તપાસ દ્વારા જ ખબર પડશે.'
સુરતના રીંગરોડ પર આવેલા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 9 નવેમ્બર, 2025ના રોજ સવારે સાડા નવ વાગ્યાના અરસામાં એક સફાઈકર્મીની હત્યાન બનાવ બનવા પામ્યો છે. આ હત્યાનું કારણ કોઈ મોટી અદાવત નહીં પરંતુ, સગાઈ તૂટવાનો વહેમ અને પ્રેમસંબંધની શંકા હતી. સલાબતપુરા પોલીસે હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી નાખી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છેમૃતક યુવકનું નામ સરદાર ઉર્ફે ચડ્ડા દેવીદાર ચૌહાણ (ઉં.વ. 21, રહે. સુમન કેશર આવાસ, ડીંડોલી) હતું, જે ટેક્સટાઇલ માર્કેટમાં સફાઈકર્મી તરીકે કામ કરતો હતો. આ હત્યા પાછળનો મુખ્ય આરોપી મુકેશ મધુકર સકટ (ઉં.વ. 19, રહે. મહાદેવનગર-1, ડીંડોલી) છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે, આ ઘટનાનું મૂળ એક યુવતી છે. આરોપી મુકેશના ભાઈની સગાઈ જે યુવતી સાથે થઈ હતી, તેની સાથે મૃતક સરદાર ઉર્ફે ચડ્ડા વાતચીત કરતો હતો. આ બાબત આરોપી મુકેશને ખટકતી હતી. તેને શંકા હતી કે, મૃતક ચડ્ડા અને તે યુવતી વચ્ચે સંબંધ છે, જેના કારણે તેના ભાઈની સગાઈ તૂટી જશે. સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુંઆ જ શંકાના વહેમમાં મુકેશે શનિવારે સવારે ટેક્સટાઇલ માર્કેટના પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં બ્લોક નંબર O અને Sની વચ્ચે, ગેટ નંબર-5 પાસે જાહેરમાં સરદાર ઉર્ફે ચડ્ડા પર ચપ્પુના જીવલેણ ઘા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે સરદાર ઉર્ફે ચડ્ડાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. સલાબતપુરા પોલીસે હત્યારાને ઝડપી પાડ્યોહત્યાની ઘટના બનતાં જ રીંગરોડ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી. હત્યારો મુકેશ મધુકર સકટ હત્યા બાદ ફરાર થઈ ગયો હતો પરંતુ, સલાબતપુરા પોલીસ ટીમે સઘન તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ 19 વર્ષના આરોપી મુકેશ સકટને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુકેશ સકટની ધરપકડ કરીને આ ગુનામાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે. સફાઈકર્મી જેવા સામાન્ય શ્રમજીવી યુવકની સગાઈ તૂટવાના વહેમમાં હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
હળવદ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે કપાસની હરાજી શરૂ થતા પહેલાં કપાસના ઢગલામાં આગ લાગી હતી. આ ઘટનામાં અંદાજે 350થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. માર્કેટ યાર્ડના મહારાણા પ્રતાપ સેડમાં કોઈ અગમ્ય કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી. જોતજોતામાં આગ 7થી 8 જેટલા કપાસના ઢગલામાં પ્રસરી ગઈ હતી, જેના કારણે કપાસને ભારે નુકસાન થયું હતું. આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ સંપૂર્ણપણે કાબૂમાં આવે ત્યાં સુધીમાં અંદાજે 350 થી 400 મણ કપાસ બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનાથી ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશ પટેલે જણાવ્યું હતું કે, જે કપાસ આગમાં બળી ગયો હતો તેનું વજન થયું ન હતું. યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
13 ઓક્ટોબરના રોજ અમદાવાદના પાલડી પોલીસ મથકે એક જૈન દેરાસરના પૂજારી મેહુલ રાઠોડ તથા બે સફાઈ કર્મચારી સામે ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ આરોપીઓએ જૈન દેરાસરમાંથી 117 કિલો જેટલી 1.64 કરોડ રૂપિયાની ચાંદીની ચોરી કરી હતી. આ ફરિયાદ લક્ષ્મી વર્ધક જૈન સંઘના સેક્રેટરી દ્વારા દાખલ કરવામાં આવી હતી. પૂજારી લાઈટની સ્વીચ બંધ કરી ચોરી કરતા CCTVમાં કેદ થયોફરિયાદમાં જણાવ્યા મુજબ ભગવાનને ચઢાવવાના દાગીના દેરાસરના ભોંયરાના લોકર રૂમમાં મૂકવામાં આવ્યા હતા, જે ગાયબ થયા હતા. આથી જિનાલયના CCTV તપાસતા મંદિરનો પૂજારી વીજળીની મુખ્ય સ્વીચ બંધ કરીને ચોરી કરતો હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં દેરાસરની સાફ સફાઈ કરતા બે અન્ય આરોપી પણ સામેલ હતા. ચોરીની જાણ થતા પૂજારી અને સાફ-સફાઈ કરતા કર્મચારીઓ ગાયબ થઈ ચૂક્યા હતા. ગુના સાથે સંકળાયેલા 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતાવધુ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, સાફ-સફાઈના કર્મચારીઓનો માસિક પગાર 10 હજાર રૂપિયા પગાર હોવા છતાં તેઓએ વિસનગરમાં એક ટેનામેન્ટ અને પિકઅપ વાન ખરીદી હતી. આ કેસમાં પોલીસે તપાસ કરીને ગુન્હા સાથે સંકળાયેલા કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે પૈકી મુખ્ય આરોપી દેરાસરના પૂજારી મેહુલ રાઠોડે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાઈ છે. જેમાં અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે તેની પાસેથી કોઈ મુદ્દામાલ મળેલ નથી.સહ આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. તો ફરિયાદી અને સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે આરોપીના જામીન અરજી વિરુદ્ધ દલીલ કરી હતી કે મોટા ભાગના મુદ્દામાલની રિકવરી હજુ થઈ નથી. મુદ્દામાલ પૈકી 72 લાખની 48 કિલો જેટલી ચાંદી મળી છે. આરોપીઓ આભૂષણોના ટુકડા કરીને ચોરતા હતા. જેમાં અરજદાર દેરાસરમાં સાફસફાઈ કરતા કર્મચારીના ઘરે ચોરીનો સામાન મુકાવીને રાત્રે લઈ લેતો હતો. કોર્ટે નોંધ્યું હતું કે અગાઉ જામીન અપાયેલા આરોપી કરતા અરજદારનો રોલ મોટો છે. મોટા ભાગના મુદ્દામાલની રિકવરી બાકી છે. આ કેસમાં તપાસ ચાલુ છે. ત્યારે કોર્ટે આરોપીની જામીન અરજી નકારી નાખી હતી.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં કડકડતી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગત રાત્રિએ પારો એકાએક નીચે સરકીને 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર સાપુતારામાં તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. અચાનક વધેલી ઠંડીના કારણે પ્રવાસીઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ ઠુંઠવાઈ ગયા હતા. રાત્રિના સમયે ઠંડીનો પ્રકોપ વધતાં લોકો ઘરોમાં તાપણીનો સહારો લેતા જોવા મળ્યા હતા. હોટલોમાં રોકાયેલા અનેક પ્રવાસીઓએ વહેલી સવારે બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઠંડા પવન સાથે ધુમ્મસ છવાઈ જતાં દૃશ્યતા ખૂબ જ ધૂંધળી બની ગઈ હતી. સાપુતારા જેવી ઊંચાઈએ આવેલી પર્યટન નગરીમાં સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે ઠંડીનો માહોલ અનુભવાય છે. જોકે, આ વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ પારો 10 ડિગ્રી સુધી પહોંચી જવાથી પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઘણા પ્રવાસીઓએ ઠંડીના આ આનંદને કેમેરામાં કેદ કર્યો હતો, જ્યારે કેટલાકે સવારના નજારાનો આનંદ ચા અને કોફી સાથે માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડાની શક્યતા છે. ઉત્તર ભારત તરફથી આવતી ઠંડી હવાની લહેરો સાપુતારા સહિત ડાંગ જિલ્લાના અન્ય પર્વતીય વિસ્તારોમાં પણ અસરકારક બની શકે છે. સ્થાનિક વેપારીઓ માટે પણ આ ઠંડીનું વાતાવરણ લાભદાયી સાબિત થઈ રહ્યું છે. સ્વેટર, હૂડીઝ અને ગરમ કપડાંની માંગમાં વધારો નોંધાયો છે, જ્યારે હોટલ અને લોજમાં બુકિંગનો દર પણ ધીમે ધીમે વધતો જોવા મળી રહ્યો છે. સાપુતારાની આ શિયાળાની ઠંડી પ્રવાસીઓને હિમાચલ કે કાશ્મીર જેવી અનુભૂતિ કરાવી રહી છે. પર્યટન સિઝનની શરૂઆત સાથે સાપુતારા ફરી એકવાર પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ બની રહ્યું છે.
અમદાવાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (ગ્રામ્ય)એ નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા. લિ.ને મોટો ઝટકો આપ્યો છે. કમિશનના પ્રમુખ એ.બી. પંચાલ અને સભ્ય ડી.એમ. સોનીએ ફરિયાદી ચિમનભાઇ મોહનભાઇ વાળાની અરજી મંજૂર કરી, ફ્લેટના અવેજમાં ચૂકવેલ ₹3,45,600 (તા. 24.12.2014થી) વાર્ષિક 12% વ્યાજ સાથે તેમજ ₹15,000 ખર્ચ અલગથી ચૂકવવાનો હુકમ કર્યો છે. નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશુંઅમદાવાદ શહેરના સ્વામિનારાયણ પાર્ક પાસે, હરિદર્શન ક્રોસ રોડ, નરોડા સ્થિત દિવ્યજીવન ઇન્ફાસ્ટ્રકચર પ્રા. લી. દ્વારા 50 ચો.વારના એફોર્ડેબલ ફલેટસ રૂ.7,55,000/- માં વેચાણ કરવાની સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. ફરિયાદી ગ્રાહકે ફલેટ નં.જે-304 બુક કરાવ્યો અને એડવાન્સ EMI દ્વારા નિયમિત અવેજ ચુકવતા હતા પરંતુ, બિલ્ડર દ્વારા બાંધકામનો પ્રોગ્રેસ નહી થતા નાછુટકે EMI ચુકવવાનું બંધ કરવાની ફરજ પડી હતી અને ફરિયાદીએ બુકિંગ કેન્સલ કરાવી જમા રકમ પરત માગી પરંતુ, બિલ્ડર દ્વારા નવો ગ્રાહક આવશે તો ફલેટનું બુકીંગ કેન્સલ કરી રકમ પરત આપીશુ એવો જવાબ આપ્યો. અસહ્ય વિલંબ બાદ રકમ પરત કરી નહી. જેથી, ચિમનભાઇ વાળાએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદના પગલે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી જમા રકમ વ્યાજ અને ખર્ચા સાથે પરત મેળવવા દાદ માંગી લેખિત અને મૌખિક રજુઆત કરી. ગ્રાહક સુરક્ષા સમિતિએ બિલ્ડરને 12 ટકાના વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યોગ્રાહક કમિશને અવલોકન કર્યું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહેણાંક ફલેટોની કિંમતો ઉત્તરોત્તર ખુબ જ વધી રહી છે. તે સંજોગોમાં ફરિયાદીએ સામાવાળાને ચૂકવણી કરેલી રકમ પ્રવર્તમાન ભાવ તેમજ વલણ પ્રમાણે ફલેટ ખરીદવા માટે ખૂબ જ અપૂરતી નિવડે તે રીતે બિલ્ડરે ફરિયાદી દ્વારા ચૂકવણી કરેલી રકમ પરત નહી કરીને ગ્રાહકને ખુબ મોટુ આર્થિક નુકશાન કરેલ હોવાનું ફલિત થાય છે. જે ચોક્કસ રકમમાં નિર્ણિત કરી શકાય તેમ ન હોય ફરિયાદીને વ્યાજરૂપે વળતર આપવું યોગ્ય અને વ્યાજબી જણાય છે. આથી છેલ્લે ચુકવેલી રકમ તા.24.12.2014 થી ખરેખર ચુકવી આપવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે વાર્ષિક 12 ટકાના વ્યાજ સાથે ચુકવી આપવી. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ જણાવે છે કે, બિલ્ડરો અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરે છે. ગ્રાહક કમિશનનો ચુકાદો આવકારદાયક અને પ્રશંસનીય છે, બદમાશ અને લેભાગુ બિલ્ડરને લપડાક મારવામાં આવી છે. ગ્રાહકોની બચતની કિંમતી મુડી પચાવી પાડી ઘરના ઘરનું સ્વપ્ન છિન્નભિન્ન કરનાર બિલ્ડરને ફટકાર છે. વધુ ને વધુ ગ્રાહકો નિર્ભયતાપૂર્વક ન્યાય મેળવવા આગળ આવે તે જરૂરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે ધ્વનિ પ્રદૂષણ સંદર્ભની કન્ટેમ્પ્ટ અરજી ઉપર સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોના ઉલ્લંઘન બદલ આ અરજી કરવામાં આવી છે. આજે ડબલ જજની કેન્ટેમ્પ્ટ બેંચ સમક્ષ સુનાવણી યોજાઈ હતી. જેમાં અરજદારે જણાવ્યું હતું કે, ધ્વનિ પ્રદૂષણને રોકવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે નિર્દેશો આપ્યા છે તેનું પાલન ઓથોરિટી કરાવી શકી નથી. આ માટે સર્ક્યુલર અને SOP બનાવી છે પણ તે ફક્ત કાગળ ઉપર છે. 'અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા'આ મામલે હાઈકોર્ટે પૂછ્યું હતું કે, ઓથોરિટીએ સુપ્રીમ અને હાઈકોર્ટના નિર્દેશોના પાલન માટે શું કર્યું? ઓથોરિટીએ જે પગલાં ભર્યા હોય તે કોંક્રિટ ફોર્મમાં આપો. GPCBનું કામ SOP આપવાનું છે. અમલવારીનું કાર્ય ગૃહ વિભાગનું છે. હાઈકોર્ટે ફક્ત સુપ્રીમ અને તેના નિર્દેશોના પાલનમાં રસ છે. રાજ્ય સરકાર તરફથી યોગ્ય અધિકારી એફિડેવિટ કરે કે શું કોંક્રિટ પગલાં લેવામાં આવ્યા છે. આ અંગે વધુ સુનાવણી 20 નવેમ્બર યોજાશે. રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીંઅગાઉની સુનાવણીમાં GPCBએ કોર્ટ સમક્ષ પોતાની એફિડેવિટ રજૂ કરી હતી. જે સમયે કોર્ટમાં થયેલી ચર્ચા મુજબ અવાજ 75 DBથી વધે નહીં અને જે એરિયામાં જેટલો અવાજ હોય તેનાથી 10 DB વધે નહીં તેવા નિયમો છે. SOP મુજબ રાત્રે 10થી સવારે 6 સુધીમાં સ્પીકર વગાડી શકાય નહીં. સાઉન્ડ સિસ્ટમમાં સાઉન્ડ લિમિટર લગાવવું ફરજિયાત છે. પોલીસ ઓથોરિટીએ તે જોવાનું રહેશે કે નક્કી કરેલી સીમા કરતા વધુ અવાજ થયા નહીં. આવું કરનારા સામે પોલીસે પગલાં લેવાના રહેશે. જેમાં ઓડિયો સિસ્ટમ જપ્ત થઈ શકે છે. 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરીરાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરના ઉપોયગ, બાંધકામ અને ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ છે. જાહેર સ્થળોએ નિયતમાત્ર કરતા જો વધુ 10 ડેસીબલથી અવાજ વધતો હોય તો તેની સામે પોલીસ IPC ની કલમ 188 મુજબ પગલાં ભરાશે. જેમાં જેલ તેમજ દંડની જોગવાઈ છે. હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો વગેરેની આસપાસ 100 મીટરનો ઘેરાવામાં સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય નહીં. લાઉડ સ્પીકર અને ડીજેના વપરાશના 7 દિવસ પહેલાં પહેલાં પોલીસ પરમિશન લેવી જરૂરી છે. નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશેDJનો અવાજ 129 ડેસિબલ જેટલો હોય છે. DJ ટ્રક એક મોટું દૂષણ છે. જે લોકોના જીવ લઈ શકે છે. કોર્ટમાં થયેલી રજૂઆત મુજબ DySPથી નીચે નહીં એવા સરકારે ઓથોટાઈઝ કરેલા અધિકારીઓ પબ્લિક એડ્રેસ સિસ્ટમની મંજૂરી આપશે. સરઘસ, કાર્યક્રમ, સભાની પરવાનગી આયોજકે લેવાની રહેશે. સિસ્ટમ વગાડવા પરવાનગી પણ લેવાની રહેશે. પરવાનગી આપતી વખતે GPCBના નોટિફિકેશનના પાલનની બાહેંધરી આયોજકે આપવાની રહેશે. નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરેસાયલન્સ ઝોન પોલીસ કમિશનર કે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવે છે. તેના 100 મીટરની ત્રિજ્યમાં સ્પીકર્સ વગાડી શકાય નહીં. કોર્ટ સમક્ષ નિયમો તોડનારા સામે પેનલ્ટી, મોનિટરિંગ, ડેસિબલની ગણતરી કેવી રીતે કરાશે વગેરે પ્રશ્નો રજૂ કરાયા હતા. કોર્ટે કહ્યું હતું કે, નિયમોનો ભંગ થાય છે. જો સરકાર પાસે સરક્યુલર, SOP, પોલિસી બધું છે તો તે નિયમોના પાલન અંગે એફિડેવિટ ફાઇલ કરે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ આજે ખેડા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ પહોંચ્યા હતા. જ્યાં ક્ષત્રિય વીર ભથીજી મહારાજના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું હતું. ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું હતું. તેમજ તલવાર અને પુષ્પ ભેટ સાથે સાકર તુલા કરાઈ હતી. ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા. નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે શહેરના માર્ગો પર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ બાઈક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા. સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી. તેઓ સૌ પ્રથમ નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા, જ્યાં તેમણે પૂજન-અર્ચન કરીને સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ, તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નડિયાદ આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ભવ્ય સ્વાગતની તૈયારીઓ વચ્ચે જનમેદની ઉમટી પડી છે. નડિયાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર એકત્રિત થઈ રહ્યા છે. પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરવા માટે યોગી ફાર્મ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં કાર્યકરોમાં પોતાના નેતાને આવકારવાનો અને તેમને ટેકો દર્શાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય સ્વાગત કાર્યક્રમ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે તે સ્થાનિક સ્તરે પક્ષની મજબૂત હાજરી અને આગામી રાજકીય ગતિવિધિઓ માટે કાર્યકરોમાં નવો જોશ ભરવાનો સંકેત આપે છે. પ્રદેશ પ્રમુખની આ મુલાકાત દરમિયાન અનેક મહત્વપૂર્ણ રાજકીય ચર્ચાઓ અને માર્ગદર્શન સત્રો યોજાવાની સંભાવના છે, જેના લીધે કાર્યકરોમાં ભારે આશા અને ઉત્સાહનું વાતાવરણ છે.
બોટાદમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ:જિલ્લા ભાજપ પ્રમુખ, APMC ચેરમેન સહિત આગેવાનો ઉપસ્થિત
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. આજે બોટાદ કોટન યાર્ડ ખાતે આ ખરીદીનો પ્રારંભ થયો હતો, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ, APMC ચેરમેન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ ચાર ખરીદી કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ગઢડા અને પાળીયાદ સબ યાર્ડ ખાતે ગઈકાલે જ ખરીદી શરૂ થઈ હતી. બોટાદ જિલ્લામાં ૯ હજારથી વધુ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ખરીદી કેન્દ્રો દ્વારા દરરોજ ૧૦૦ ખેડૂતોને મેસેજ કરીને બોલાવવામાં આવશે. સરકાર દ્વારા પ્રતિ મણ ૧૪૫૨ રૂપિયાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. એક ખેડૂત પાસેથી વધુમાં વધુ ૧૨૫ મણ મગફળી ખરીદવામાં આવશે. હાલ બજારમાં મગફળીનો ભાવ ૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયા પ્રતિ મણ ચાલી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા બજારભાવ કરતાં ૪૦૦ રૂપિયાથી વધુ ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, APMC ચેરમેન મનહર માતરીયા, પૂર્વ પ્રમુખ ઘનશ્યામ વિરાણી, ડિ.એમ. પટેલ સહિત આગેવાનોએ જણાવેલ કે સરકાર દ્વારા ૧૪૫૨ રૂપિયાના ભાવથી પ્રતિ મણ મગફળીની ખરીદી કરે છે જ્યારે બજારભાવ ૧૧૦૦ રૂપિયા છે ત્યારે બજારભાવ કરતા ૪૦૦ રૂપિયા ખેડુતોને વધારે મળી રહ્યાં છે જેથી ખેડુતોમા પણ આનદ છે.
છોટા ઉદેપુર જિલ્લા LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ઈકો ગાડીમાંથી ₹2,82,864/- ની કિંમતનો દારૂ મળી આવ્યો હતો. આ મામલે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, એક ઈકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને સુરખેડાથી છોટા ઉદેપુર તરફ આવી રહી છે. આ બાતમીના આધારે, LCBએ વનાર જામલા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબની GJ 02 CP 7216 નંબરની ઈકો ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ 264 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2,82,864/- આંકવામાં આવી છે. LCBએ વિદેશી દારૂ, ઈકો ગાડી, મોબાઈલ ફોન અને રોકડ સહિત કુલ ₹7,93,284/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાડીના ચાલક મહેશભાઈ બુધાભાઈ ચૌહાણ (રહે. ખનીજ કમ્પાઉન્ડ, છોટા ઉદેપુર, મૂળ રહે. આંબલી ફળિયા, ડભાસી, તા. બોરસદ, જિ. આણંદ) અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી, જે ક્રાઈમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો, તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે. નવસારીના ડાભેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતાં જ તેની સાન ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો છે. ત્રણ દિવસની સારવાર બાદ આરોપીને રજા આપવામાં આવીપોલીસ પકડથી લાંબા સમયથી ફરાર સલમાન લસ્સી વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી અને મારામારી સહિત 14 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપી શુક્રવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે નવસારીના ડાભેલ ખાતે પોતાની પત્નીના ઘરે છુપાયો હોવાની ચોક્કસ માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારતાં જ આરોપીએ ચપ્પુ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિણામે, પોલીસે પોતાના બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું, જેમાં સલમાનના પગના ભાગે ગોળી વાગી. ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તેને રજા આપવામાં આવી. માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયામાત્ર ત્રણ દિવસની હોસ્પિટલની સારવાર અને કાયદાના સકંજામાં સપડાયા બાદ માથાભારે આરોપીના બોલ સંપૂર્ણપણે બદલાઈ ગયા. બહાર આવતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને કસ્ટડીમાં લીધો ત્યારે જાણે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એવું લાગ્યું. સિવિલ હોસ્પિટલના બારણે ઊભા રહીને પોલીસ પકડમાં રહેલા સલમાને જે વાત કહી, તે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ સલમાનનું કબૂલાતનામું- મારું નામ સલમાન લસ્સી છે. હું મીઠી ખાડી, લિંબાયતમાં રહું છું. મારા પર 302, 326, 323, 324 જેવા ગુનાઓ છે. અત્યારે હું બચી ગયો છું અને જો મને કંઈ થઈ જાત તો મારા પરિવારનું શું થાત? જો હું અહીંથી છૂટીને બહાર આવીશ તો 40 ગામ દૂર જતો રહીશ. તમે પણ એવો કોઈ ગુનો ન કરો, જેનાથી તમારા પરિવારને તકલીફ થાય. ગુન્હાખોરીથી દૂર રહો અને શાંતિથી જીવો, શાંતિથી રહો. ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છેમાત્ર થોડા દિવસ પહેલાં પોલીસ પર હુમલો કરનાર આ ખૂંખાર આરોપીનું હૃદય પરિવર્તન સો ચૂહે ખા કે બીલ્લી હજ પે ચલી જેવો ઘાટ સૂચવે છે. હાલમાં સલમાન લચ્છી ઉર્ફે લસ્સી, જેને ઈજાને કારણે હવે લોકો 'સલમાન લંગડો' કહી રહ્યા છે, તેની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોલીસ પર હુમલાના કેસમાં પણ સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ કાર્યવાહી સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં બે અલગ અલગ અકસ્માતોમાં એક પરપ્રાંતિય શ્રમજીવીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય અકસ્માતમાં મોપેડ સવાર દંપતિને ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ગત રાત્રે સારસા-રાજપારડી માર્ગ પર સીંગચણાની લારી ફેરવીને ગુજરાન ચલાવતા 45 વર્ષીય રામબરન મહારાજદીન બહેલિયા (રહે. રાજપારડી,મૂળ ઉત્તરપ્રદેશ) રાજપારડી તરફ પાછા ફરતા હતા. આ દરમિયાન રાત્રીના પોણા આઠ વાગ્યાના અરસામાં માધુમતી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થવાને કારણે તેઓ લોહીલુહાણ થયા હતા. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અવિધા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળેથી અજાણ્યા વાહનચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. રાજપારડી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છેકે, ઘટનાસ્થળથી રાજપારડી ચાર રસ્તા સુધીના વિસ્તારમાં અનેક ધંધાકીય સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત છે, જેના આધારે પોલીસ અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની ઓળખ માટે તપાસ ચલાવી રહી છે. બીજી ઘટના ગોવાલી નજીકની છે, જ્યાં તા.8મીના રોજ રાત્રીના નવ વાગ્યાના અરસામાં હાઇવા ટ્રકે એક્ટિવા મોપેડને અડફેટમાં લેતા મોપેડ સવાર ધનરાજ મંગાભાઇ પટેલ અને તેમની પત્ની ઇજાગ્રસ્ત થયા હતા. બંનેને તાત્કાલિક સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. આ ઘટનાને લઇ ઝઘડિયા પોલીસે હાઇવા ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ- ઝઘડિયા ધોરીમાર્ગ પર સતત વધતા અકસ્માતો લઇ લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠી છે.
ભારતના સુરક્ષા અને ન્યાય ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. મહત્વનું છે કે તુર્કીના નેવસેહિરમાં યોજાયેલી INTERPA એક્ઝિક્યુટિવ બોર્ડ મીટિંગ દરમિયાન આ પ્રતિષ્ઠિત ચૂંટણી કરવામાં આવી હતી. ડૉ. જે.એમ. વ્યાસ INTERPAના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રી થી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA)ના ઉપપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા છે. ડૉ. વ્યાસની આ પુનઃ પદ-પ્રાપ્તિ માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ વિજ્ઞાન અને શિક્ષણ દ્વારા વૈશ્વિક સુરક્ષા અને ન્યાયને પ્રોત્સાહન આપવાની ભારતની કટિબદ્ધતા માટે એક સીમાચિહ્નરૂપ પરિણામ છે. પુનઃ વૈશ્વિક પદપ્રાપ્તિ અંગે ડૉ. જે.એમ. વ્યાસે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, INTERPAના ઉપપ્રમુખ તરીકે સેવા આપવી એ સન્માનની વાત છે. આ પદની પુનઃ પ્રાપ્તિ વૈશ્વિક સ્તરે ફોરેન્સિક વિજ્ઞાન અને પોલીસ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતના વધી રહેલા નેતૃત્વને પ્રતિબિંબિત કરે છે. હું વૈજ્ઞાનિક પોલિસિંગ અને તાલીમના વિકાસમાં વધુ સક્રિય રીતે યોગદાન આપવા તત્પર છું. પોલીસ તાલીમનું વૈશ્વિક પ્લેટફોર્મઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ પોલીસ એકેડેમીઝ (INTERPA) એ 63 દેશોની 80 સભ્ય સંસ્થાઓ ધરાવતી એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આ સંસ્થા પોલીસ તાલીમ અને શિક્ષણના ધોરણોને વધારવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક ડૉ. વ્યાસનું પુનઃચૂંટાવું એ ફોરેન્સિક વિજ્ઞાન અને કાયદા અમલીકરણ શિક્ષણમાં તેમના અસાધારણ નેતૃત્વ અને યોગદાનનો પુરાવો છે. તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, NFSU એ ફોરેન્સિક, સાયબર અને સુરક્ષા વિજ્ઞાનને સમર્પિત વિશ્વની સર્વપ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી તરીકે વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. NFSU, જે INTERPAની એક સક્રિય સભ્ય છે, તે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંશોધન આદાનપ્રદાન અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરીને વૈશ્વિક સ્તરે કાયદા અમલીકરણ એજન્સીઓની વ્યાવસાયિક ક્ષમતાઓનું નિર્માણ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, જિલ્લામાં 16 થી 21 નવેમ્બર દરમિયાન 'એક ભારત આત્મનિર્ભર ભારત'ના સૂત્ર સાથે ભવ્ય પદયાત્રા યોજાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા રજૂ કરતા જણાવ્યું હતું કે, વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે. આ પદયાત્રાઓમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. મહત્તમ લોકો આ પદયાત્રામાં સહભાગી બને તે માટે જિલ્લાના પદાધિકારીઓ અને અગ્રણીઓ સાથે સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. યાત્રાના રૂટ પર મેડિકલ ટીમની વ્યવસ્થા, મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈ, સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા અને યોગ સહિતના કાર્યક્રમો પણ યોજાશે. જિલ્લા કક્ષાની પદયાત્રા પૂર્વે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવશે. ઉજવણીના ભાગરૂપે My Bharat પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને નાગરિકો 'સરદાર@150 યંગ લીડર ક્વિઝ', 'સરદાર@150 નિબંધ સ્પર્ધા' અને 'રાષ્ટ્રીય રીલ પ્રતિયોગિતા' માં ભાગ લઈ શકશે. આ સમીક્ષા બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારી તેમજ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના સંબંધિત અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂ. 9.21 કરોડથી વધુના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. પ્રમુખ હંસાબેન પારઘીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં કુલ 16 એજન્ડા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણીએ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના દેવા માફ કરવા અને પાક વીમો ફરી શરૂ કરવા માટે ઠરાવ કરવાની માંગ કરી હતી. જોકે, શાસક પક્ષના સભ્યોએ આ માંગણીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં ખેડૂતો માટે રૂ. 10,000 કરોડનું કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. આથી, વિપક્ષની માંગણીને અવગણીને કોઈ ઠરાવ કરવામાં આવ્યો ન હતો. જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી થનારા કામો માટે ડીડીઓ દ્વારા વિકાસ કમિશનરમાંથી અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. આ અભિપ્રાયમાં વિલંબ થવાને કારણે છેલ્લા બે મહિનાથી વિકાસ કામો અટકેલા હતા, જેને હવે સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.
વલસાડ તાલુકામાં ચોમાસા બાદ કરવામાં આવતા રોડ સમારકામ (પેચ વર્ક)ની ગુણવત્તાને લઈને નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી સમારકામ કરાયેલા રસ્તા ગણતરીના કલાકોમાં જ ફરીથી બિસ્માર બની રહ્યા હોવાના આક્ષેપો થયા છે. આ અંગે વલસાડના સામજીક કાર્યકર મિત દેસાઈએ નાગરિકો વતી તંત્રને આવેદન પત્ર પાઠવ્યું છે. આ રજૂઆતમાં નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ માંગ કરી છે કે ડામર, કપચી અને ઓઈલ જેવી સામગ્રીની ગુણવત્તાની વૈજ્ઞાનિક પદ્ધતિથી સક્ષમ લેબોરેટરીમાં તપાસ કરાવવામાં આવે. આ ઉપરાંત, સમારકામની ગુણવત્તા નક્કી કરવા માટે નિષ્ણાતોની એક કમિટી બનાવવામાં આવે. વલસાડવાસીઓએ વધુમાં જણાવ્યું છે કે, રોડ સમારકામમાં બેદરકારી દાખવનારા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આનાથી પ્રજાના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થશે અને નાગરિકોને ટકાઉ માર્ગ સુવિધા મળી રહેશે. વધુમાં જણાવાયું કે, કેટલાક કોન્ટ્રાક્ટરો ફોન પર ઉદ્ધત અને બેજવાબદાર જવાબો આપે છે. ઉદાહરણ તરીકે, વલસાડ ઓવરબ્રિજથી કન્ટ્રી ક્લબ સુધીનો રસ્તો દિવાળીના એક દિવસ પહેલાં રિપેર કરાયો હતો, પરંતુ થોડા જ દિવસોમાં તે ફરીથી જર્જરિત થઈ ગયો. જ્યારે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે વરસાદ પડે એટલે રસ્તા ધોવાવાના જ એવો ઉદ્ધત જવાબ આપ્યો હતો, જેનાથી નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
લોકશાહીના પાયા સમાન મતદાર યાદીની સચોટતા જળવાઈ રહે તે હેતુથી ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સઘન રીતે કાર્યરત છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મેહુલ કે. દવેએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR-2026 અંતર્ગતની કામગીરી પર અંગત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અધિકારીઓને આંકડાઓ પર ધ્યાન આપવાને બદલે લોકોને SIR વિશે સમજ આપવા સૂચના ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી નોડલ અધિકારીઓની બેઠકમાં કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ચાલી રહેલા આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાની કામગીરી સુમેળભર્યા વાતાવરણમાં અને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂરી થવી જોઈએ. કલેક્ટરે તમામ નોડલ અધિકારીઓને માત્ર આંકડાઓ પર ધ્યાન આપવાને બદલે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ફોર્મ વિતરણ કરતી વખતે લોકોને SIR વિશે વિશેષ સમજ આપવા અને તેમને લોકતાંત્રિક પ્રક્રિયામાં સામેલ કરવા સૂચના આપી હતી. કામગીરીની વિશ્વસનીયતા જાળવવા માટે કલેક્ટરે રુબરુ મુલાકાત લીધીજિલ્લામાં હાલમાં મતદાર ગણતરી/નોંધણીના તબક્કામાં ફોર્મ વિતરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીની વિશ્વસનીયતા જાળવવા માટે કલેક્ટર મેહુલ કે. દવેએ પોતે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કલેક્ટરની આ અચાનક મુલાકાત અને ચાંપતી નજરને કારણે ફિલ્ડ સ્ટાફ એલર્ટ રહે છે અને કામગીરીમાં ગેરરીતિની શક્યતા નહિવત્ થઈ જાય છે. આનાથી જિલ્લામાં મતદાર યાદીની કામગીરી ચોકસાઈ અને પારદર્શિતા સાથે પૂર્ણ થાય એવી સંભાવના છે.
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. પાકને ભારે નુકસાન થવાના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ ચાર જેટલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાની ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ નહીં પડીકું જાહેર કર્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં કરવામાં આવે તો અનેક ખેડૂતો આત્મહત્યા કરી શકે તેવી કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી છે. '10 હજાર કરોડનું પેકેજ નહીં પડીકું જાહેર કર્યું'કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક તરફ ગુજરાતમાં આર્થિક રીતે ખેડૂતો પાયમાલ થયા છે, દરેક રીતે હેરાન પરેશાન છે, આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરી રહ્યા છે. તેની ચિંતા કરવાના બદલે તેના માટે આગળ આવવાના બદલે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી સરકાર ઢોલ પીટી રહી છે કે અમે 10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. પરંતુ આ પેકેજના નામે પડીકું જાહેર કરવામાં આવ્યું છે. જેમાંથી ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા જ મળવાના છે. આ સરકારની આવી ખોટી નીતિના કારણે જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જે ઉદ્યોગપતિઓ માટે લાલ ઝાંઝમ બિછાવે છે. પરંતુ જ્યારે ખેડૂતો મરી રહ્યા છે તેની ચિંતા કરતી નથી. કેટલાનો ભોગ લેશો? કેટલા મરે તેની રાહ જોશો?વધુમાં જણાવ્યું હતું કે, જેના કારણે પહેલા દ્વારકામાં અને ત્યાર બાદ ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી, જેથી દુઃખ સાથે કહેવું પડે છે કે પેકેજ જાહેર કર્યાના બે દિવસમાં રાજકોટના કોટડા સાંગાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, જસદણના ખેડૂતે આત્મહત્યા કરી છે. ભુપેન્દ્ર પટેલને પૂછવું છે કે, કેટલા ખેડૂતોનો ભોગ લેશો. કેટલા લોકો મરે તેની રાહ જોશો. ખાલી પેકેજની જાહેરાતો કરો છો પણ જમીન પર જે હકીકત છે તે તો જુઓ. તમે ખેતરમાં ફોટા પડાવવા માટે ગયા પણ ખેડૂતોની હાલત ના સમજ્યા. તેના માટે દયા રાખી વધારે કેવી રીતે મદદ થાય તે વિચાર ના આવ્યો. 'ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે'સરકારને કહેવા માગીએ છીએ કે, આ ગુજરાતમાં ખેડૂતોને મરતા બચાવવામાં આવે. તાત્કાલિક ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવામાં આવે. નહિતર ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી તે આંકડો આવનાર સમયમાં ખૂબ મોટો થઈ જશે. જો સરકાર નહીં જાગે તો ખેડૂતો માટે મદદ કરવા આગળ નહીં આવે તો તેના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થવાની છે. તેની જવાબદારી સરકારની રહેશે.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન સૂત્ર 'બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ભલામાં આપણું ભલું'ની ભાવનાને કેન્દ્રમાં રાખીને BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા (મહેસાણા)ના વિદ્યાર્થીઓએ કાર્ય કર્યું હતું. સેવા કરુણા દયા અને માનવતા જેવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન વિદ્યાર્થીઓના જીવનમાં થાય એવા ઉદ્દેશ સાથે આ વિદ્યાર્થીઓએ મહેસાણાની સિવિલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લીધીઆ મુલાકાત માત્ર દર્દીઓને મળવા પૂરતી સીમિત નહોતી પરંતુ, તેમના માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરીને તેમને માનસિક શક્તિ અને આશાનો સંદેશ આપવાનો હતો.કુલ 123 જેટલા દર્દીઓની બેડ ટુ બેડ મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓએ તેમની બીમારીઓમાંથી જલ્દી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. બાળકોની આ નાનકડી અને નિર્દોષ પ્રાર્થનાએ દર્દીઓના મનમાં શાંતિ, હૂંફ, હિંમત, આશા અને આનંદનો અનુભવ કરાવ્યો હતો. વિદ્યાર્થીઓમાં અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચનઆજના સમયમાં જ્યારે બાળકોના પોતાના સગાં-સંબંધીઓ સાથેના વ્યવહાર પણ ગૌણ થતા જાય છે ત્યારે બીજા માટે આવી લાગણી અને ભાવના ઉજાગર કરવાના શાળાના આ કાર્યથી દર્દીઓના પરિવારજનો તેમજ હોસ્પિટલના કર્મચારીઓ અને ડોક્ટરો ખૂબ પ્રભાવિત થયા હતા. અભ્યાસની સાથે-સાથે આવા ઉચ્ચ મૂલ્યોનું સિંચન કરવાનું કાર્ય BAPS સ્વામિનારાયણ વિદ્યામંદિર, ખેરવા દ્વારા સરાહનીય રીતે કરવામાં આવી રહ્યું છે.
નવસારી મહાનગરપાલિકામાં યોજાયેલી ત્રિમાસિક સમીક્ષા બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડ્રેનેજ નિકાલના પોઈન્ટ્સની ઓળખ માટે સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત, નિરાલી હોસ્પિટલ પાસે નેશનલ હાઇવેથી ભેસતખડાને પૂર્ણા નદી સાથે જોડતા ક્રીક વિકાસ માટેનો DPR તૈયાર થઈ ગયો છે. શહેરમાં પાણી પુરવઠાની સ્થિતિ અંગે માહિતી અપાઈ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સરોવરમાંથી કાચું પાણી ખેંચીને, ટ્રીટમેન્ટ કરીને દિવસમાં બે વાર આશરે 72 MLD પાણી પૂરું પાડે છે. જેમાં તળાવમાંથી 47 MLD અને બોરવેલમાંથી 25 MLD પાણીનો સમાવેશ થાય છે. પાણી પુરવઠા પ્રણાલી માટે લાંબા ગાળાનું આયોજન શરૂ કરાયું છે. ટ્રીટ કરેલા પાણીની ગુણવત્તા પર લોકોનો વિશ્વાસ વધારવા માટે RO પાણી અને સપ્લાય કરાયેલા ટ્રીટેડ પાણીની તુલનાત્મક એનાલિસિસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખંભલાવમાં પશુ આશ્રયસ્થાન સ્થાપવા માટે જમીન ઓળખી કાઢવામાં આવી છે અને તેનો પ્રસ્તાવ નવસારી કલેક્ટરને સુપરત કરાયો છે. આશ્રયસ્થાનના બાંધકામનું કાર્ય શરૂ થઈ ગયું છે. નવી ઓફિસ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે દેવર્ષ કન્સ્ટ્રક્શનને ટેન્ડર અપાયું છે અને પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે. ચોમાસા દરમિયાન રોડ પરના ખાડાઓની ફરિયાદો માટે સમર્પિત મોબાઈલ નંબરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રોડ રીસર્ફેસિંગ પ્રોજેક્ટ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હંસાપોર ખાતે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના કન્સ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની ટેન્ડર પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. સરકારી સહાય હેઠળ કુલ 15 PM ઈ-બસો પ્રદાન કરવામાં આવશે, અને NMC એર-કન્ડિશન્ડ બસોની વ્યવસ્થા કરશે. સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન અને હોમ કમ્પોસ્ટિંગ અંગે જાગૃતિ લાવવા કામગીરી શરૂ કરાઈ છે. હાલમાં 2 સોસાયટીઓમાં વેસ્ટ સેગ્રીગેશન શરૂ થયું છે અને ડિસેમ્બર 2025 સુધીમાં દરેક વોર્ડમાં 2-3 સોસાયટીઓમાં આ પ્રથા નિયમિતપણે શરૂ કરવાનું આયોજન છે. CD વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ માટે જમીનનો પ્રસ્તાવ મોકલાયો છે અને તેના ટેન્ડરની પ્રક્રિયા શરૂ કરાઈ છે. વપરાયેલા ફૂલો અને અન્ય સામગ્રીમાંથી અગરબત્તીઓ સફળતાપૂર્વક તૈયાર કરવામાં આવી છે. તળાવોમાં ડ્રેનેજ અથવા વેસ્ટવોટરનો નિકાલ સખત રીતે પ્રતિબંધિત કરાયો છે. રોડ સફાઈ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ન્યુસન્સ ટેન્કરોની ખરીદી કરીને તેનો ઉપયોગ શરૂ કરાયો છે. સામાજિક પહેલ હેઠળ પડોશ સ્તરના બગીચાઓમાં મૂળભૂત ફિઝીયોથેરાપી અને ફિટનેસ ઇક્વિપમેન્ટ સાથેનું યોગ કેન્દ્ર વિકસાવવાની પ્રગતિ ચાલી રહી છે. HP ગોપાણીને શહેરના વિવિધ વિસ્તારોમાં દસ આકાંક્ષી જાહેર શૌચાલયો બાંધવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ ચાલુ છે. આગામી મહિનાઓ માટે બુક ફેર, નશા મુક્ત ભારત કેમ્પ, સરદાર સન્માન યાત્રા, ફ્લાવર શો, ફૂડ ફેસ્ટિવલ, NMC ક્રિકેટ ટુર્નામેન્ટ, નાઇટ મેરેથોન અને NMCની 1લી એનિવર્સરી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો બીજો દિવસ છે. સમગ્ર ગુજરાતમાં ગઈકાલથી મગફળી ખરીદી શરૂ થઈ છે. અરવલ્લી જિલ્લામાં 17,000થી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે સવારથી જ ખેડૂતો મગફળી વેચવા ઉમટી પડ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કુલ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી માટે તંત્ર સજ્જ છે. ગઈકાલે મોડાસા કેન્દ્ર પરથી ફક્ત એક જ ટ્રેક્ટરની મગફળી ખરીદી શકાઈ હતી. આજે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે મેસેજ કરવામાં આવ્યા હતા, જેના પગલે સવારથી જ ખેડૂતોએ ટ્રેક્ટરોની લાંબી કતારો લગાવી હતી. તંત્ર દ્વારા ત્રણ વજન કાંટા ગોઠવીને મજૂરો દ્વારા મગફળી તોલવાની કામગીરી શરૂ કરાઈ છે. ખેડૂતોને કોઈ તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મગફળી વેચવા માટે ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ છતાં તેઓ હાલના જાહેર કરાયેલા ભાવમાં વધારો કરવાની વિનંતી કરી રહ્યા છે. આ અંગે ખેડૂત સુરેશ પટેલે જણાવ્યું હતું કે, મોડાસાના બાજકોટ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થવાથી ખેડૂતો ખુશ છે. અહીં વ્યવસ્થા અને તોલાટ પણ સારો છે. જોકે, ખેડૂતોને મગફળીના એક મણ દીઠ રૂ. 1472 મળે છે, તેમાં રૂ. 200 થી 300 નો વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. તેમણે ઉમેર્યું કે તેમની જમીનમાં મગફળીનો જ પાક થાય છે અને દર વર્ષે ઉતારામાં ઘટાડો થતો હોવાથી ખેડૂતોને નુકસાન થાય છે. આથી ભાવ વધારો અપાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
પંચમહાલમાં 7 અકસ્માતમાં 4ના મોત, 5 ઇજાગ્રસ્ત:ગોધરા-ઘોઘંબા તાલુકામાં જુદા જુદા બનાવો બન્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોમાં સાત જુદા જુદા અકસ્માત સર્જાયા છે. આ ઘટનાઓમાં કુલ ચાર વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને કાકણપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોધરા તાલુકાના કાસુડી ગામે મોડી રાત્રે બાઇક અથડામણમાં પ્રભાતસિંહ બારીયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં સમરસિંહ બારીયા ઇજાગ્રસ્ત થતા તેમને ગોધરા સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા છે. ઘોઘંબા તાલુકાના ઝાખરીયા ગામે બાઇક પર જઈ રહેલા સુરેશભાઈ વજેસિંહ રાઠવાને અજાણ્યા વાહને ટક્કર મારતા તેમનું પણ મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં મોકલાયો છે. ગોધરા તાલુકાના ટીંબા ગામે શંકર લહેરના મુવાડા ખાતે વિક્રમભાઈ વાઘાભાઈ ઠાકોરનું લીમડાના ઝાડ પરથી પડી જવાથી આકસ્મિક મોત થયું હતું. તેમના મૃતદેહને પણ પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘોઘંબા તાલુકાના પાલ્લા ગામના પ્રભાતભાઈ રવજીભાઈ પગી અને શેમાની મુવાડીના વિજયભાઈ રમણભાઈ સોલંકી પણ જુદા જુદા અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થયા હતા, જેમને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તાજેતરમાં બપોરના સમયે ગોધરા તાલુકાના છક્કડીયા ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક આઈશર ટ્રકે બાઇક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક રોડ પર ઘસડાતા શહેરાના વતની હેતભાઈ સુરેશભાઈ પગીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાઇક પર સવાર અન્ય બે વ્યક્તિઓ, કાવ્ય મહેશભાઈ મારવાડી અને જયેશભાઈ ગણપતભાઈ ખાંટ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક કાકણપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયેશભાઈ ગણપતભાઈ ખાંટને વધુ ઇજાઓ થતાં તેમને ગોધરા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે.
સુરતના સી.કે. પીઠ્ઠાવાલા સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની મેચ દરમિયાન એક ઇતિહાસ નોંધાયો છે. મેઘાલય તરફથી રમતા 25 વર્ષીય આકાશે અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. ફાસ્ટ બોલર એવો આકાશે 8માં ક્રમે બેટિંગ ઉતરીને ધાકડ પર્ફોર્મન્સ આપી સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. જો કે હવે તે ઓલરાઉન્ડર બની ચૂક્યો છે. દિવ્ય ભાસ્કરે આજે આકાશ ચૌધરી સાથે વાત કરી હતી. જમાં તેણે અહીં સુધી પહોંચવાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું. એક સામાન્ય પરિવારમાંથી આવતા અને પિતા વેલ્ડિંગનું કામ કરતા હોવા છતાં, આકાશે પોતાના સ્વપ્નને કઈ રીતે જીવંત રાખ્યું, તે અંગે જણાવ્યું હતું. નામ આકાશ અને સિદ્ધિ પણ આકાશ જેવી મેળવવા માટે કરેલી મહેનત અંગે કહ્યું કે મહેનત તો પહેલાથી જ ચાલી રહી છે, પરંતુ એવું નહોતું વિચાર્યું કે આમ અચાનક આવીને મારો રેકોર્ડ બનશે... હું આટલા રન બનાવી શકીશ. કારણ કે હું સામાન્ય રીતે ફાસ્ટ બોલર છું. મને બેટિંગ કરવાની તક ઓછી મળે છે. આ ગેમમાં મને બેટિંગની સારી તક મળી. ઓવર્સ પણ ઓછી હતી. આને તમે મહાદેવની કૃપા જ કહી શકો કે એ સમયે મારી બેટિંગ ટીમ માટે કામ આવી ગઈ. ત્રીજી સિક્સ ફટકારી ને 6 સિક્સર ફટકારવાની ગાંઠ વાળી લીધીએક બાદ એક સિક્સર મારતા હતા ત્યારની સ્થિતિ અને સામેની ટીમને પ્રેશરમાં લાવવા અંગે કહ્યું કે, ના, સામેની ટીમને પ્રેશરમાં નહોતો લાવવા માગતો પણ અમારો એક જ પ્લાન હતો. અમારી ટીમ ખૂબ જ સારી સ્થિતિમાં હતી. તેથી અમારો એક પ્લાન હતો કે અમે જલદીથી જલદી ટીમ માટે રન બનાવીએ. મારો ઇરાદો એ હતો કે ઓછા બોલમાં વધુમાં વધુ રન મારવા. પહેલા બે છગ્ગા લાગ્યા. ત્રીજો લાગ્યા પછી થોડુંક મગજમાં આવ્યું કે હવે છ છગ્ગા મારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને ત્યાર પછી એ છગ્ગા લાગ્યા. સાતમો અને આઠમો છગ્ગો એ મારું વિચારીને ગયેલું નહોતું કે હું સાત-આઠ ફટકારીશ. 'મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો' એક ફાસ્ટ બોલર બેટિંગ માટે ગ્રાઉન્ડમાં ઉતરે અને સામે પણ ફાસ્ટ બોલર હોય, તો તે સમયે મગજમાં ચાલતા વિચારો અંગે કહ્યું કે, કશું નહીં, મારું માઇન્ડસેટ ખૂબ રિલેક્સ હતું, કારણ કે છેલ્લી ગેમમાં પણ બિહાર સામે મારી બેટિંગ સારી થઈ હતી. તેમાં પણ હું ચાર છગ્ગા મારીને આવ્યો હતો. તેથી મારું માઇન્ડસેટ સારું હતું અને હું રમતનો આનંદ માણવા ગયો હતો અને સદભાગ્યે હું આજે છ છગ્ગા મારી શક્યો. રાતોરાત સ્ટાર બનવા અને સંઘર્ષ અંગે આકાશે કહ્યું કે, હું એવું નહીં કહું કે કોઈ ખાસ સંઘર્ષ હતો. આ અમારી યાત્રા છે. હું સ્કૂલ ક્રિકેટથી આવ્યો છું. કેવી કેન્દ્રીય વિદ્યાલયમાંથી, ક્લસ્ટર, રિજનલ રમીને આવ્યો. પછી સ્કૂલ ક્રિકેટથી શિલોંગમાં જે ઇન્ટર-સ્કૂલ હોય છે, તેના દ્વારા એસોસિએશન વાળાએ મને બેક કર્યો. ત્યાંથી હું એનસીએ(નેશનલ ક્રિકેટ એકેડમી) કેમ્પમાં ગયો. ત્યાંથી સ્ટેટ રમ્યો. પછી નોર્થ-ઈસ્ટની ટીમ બની, હું અંડર-19 માં તેમાં પણ હતો.ત્યાર પછી તો પરિવારની આર્થિક સ્થિતિ પણ સારી થઈ, કારણ કે મેચની ફી આવવા લાગી. ડેબ્યુ કર્યા પછી પરિવારની સ્થિતિ થોડી સારી થઈ. અને હું એવું નહીં કહું કે કોઈ ખૂબ ખતરનાક સંઘર્ષ હતો, કારણ કે તે તો બધાના જીવનમાં હોય છે. તેથી હું તે વસ્તુ વિશે વધારે વાત કરતો નથી. 'મેં નાનપણમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી, હું ટેનિસ બોલથી રમતો'ટ્રેનિંગ અને પરિવાર અંગે આકાશ ચૌધરી કહે છે કે, મેં નાનપણમાં ક્યારેય પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી નથી. હું ટેનિસ બોલથી રમતો હતો. અને ત્યાર પછી જ્યારે 16 વર્ષનો હતો, ત્યારથી એનસીએ કેમ્પ લાગ્યો. તો તમે કહી શકો કે બીસીસીઆઇએ જે અમને નોર્થ-ઈસ્ટને એનસીએ કેમ્પ આપ્યો, તે મારી પ્રોફેશનલ ટ્રેનિંગ હતી. 'પપ્પા વેલ્ડિંગ કામ અને માતા સીવણકામ કરે છે'મારા પપ્પા વેલ્ડિંગનું કામ કરે છે. તો સામાન્ય વાત છે. વેલ્ડિંગ કરીને ઘર ચલાવવું, સ્કૂલમાં ભણાવવું જ્યારે અમે ત્રણ ભાઈ-બહેન છીએ - એક દીદી, એક નાનો ભાઈ.મારા ભાઈને તો અત્યારે અમે જોઈ શકીએ છીએ , પરંતુ મારા દીદી અને મારા માટે તેમણે ખૂબ મહેનત કરી. મમ્મીએ પણ ખૂબ મહેનત કરી. મમ્મી ટેલરિંગનું કામ કરતી હતી. તો ટેલરિંગથી અમારું ઘર ચાલતું હતું. IPL અને ટીમ ઇન્ડિયા માટે રમવાનું સપનુંતેમની ક્રિકેટ કરિયર અને ભવિષ્ય અંગે કહ્યું કે, એક ફાસ્ટ બોલર તરીકે, તો પહેલા મારે ટીમને જીતાડવાની છે. અમારે ઇલિટ ગ્રુપમાં પહોંચવું છે. તે પહેલા મારા મગજમાં છે. ફાસ્ટ બોલિંગમાં મારે રહેવું છે. અત્યારે મારો પ્રથમ ગોલ તો મારી 100 ફર્સ્ટ ક્લાસ વિકેટ પૂરી કરવાનો છે. થોડોક દૂર છું. પહેલો ગોલ તે છે. અને અલ્ટીમેટ ગોલ ઇન્ડિયા માટે રમવું અને IPL (આઇપીએલ) રમવું છે, કારણ કે IPL પ્લેટફોર્મ મને તે બધું આપી શકે છે જે હું ઈચ્છું છું. વીડિયોમાં જુઓ આકાશના સતત 8 છગ્ગા ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઝડપી ફિફ્ટીઆકાશ ચૌધરીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો છે. સૌથી ઝડપી ફર્સ્ટ-ક્લાસ હાફ સેન્ચુરીનો રેકોર્ડ ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ટીમ લેસ્ટરશાયરના વેઇન નાઈટના નામે હતો, જેમણે 2012માં 12 બોલમાં 50 રન બનાવ્યા હતા. શ્રીલંકાના ક્લાઇવ ઇનમેને 1965માં 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. સમયની દૃષ્ટિએ તે સૌથી ઝડપી ફિફ્ટીની યાદીમાં બીજા ક્રમે છે. આકાશે આ હાફ સેન્ચુરી 9 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે ઇનમેને માત્ર 8 મિનિટમાં 50 રન બનાવ્યા હતા. 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર ત્રીજો ખેલાડીઆકાશ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારનાર માત્ર ત્રીજો ખેલાડી બન્યો. ગેરી સોબર્સ 1968માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી હતો. તેણે ગ્લેમોર્ગન અને નોટિંગહામશાયર વચ્ચેની મેચમાં માલ્કમ નેશ દ્વારા ફેંકાયેલી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ 1984-85માં આ સિદ્ધિ મેળવી હતી. 2019થી રમી રહ્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ 25 વર્ષીય આકાશ કુમાર 2019થી ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી રહ્યો છે. અત્યાર સુધીમાં તેણે 30 મેચમાં 14.37ની સરેરાશથી 503 રન બનાવ્યા છે. સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં યુવરાજ સિંહે 6 છગ્ગા ફટકાર્યા2007ના ટી20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે છ છગ્ગા ફટકાર્યા હતા. તેણે એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથેની દલીલ બાદ સ્ટુઅર્ટ બ્રોડના ઓવરના સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
આખરે નશાનો કારોબારી ઝડપાયો:ગાંધીનગર SOGએ NDPS ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી દબોચી લીધો
રાજ્યમાં ગંભીર ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ ચાલી રહેલી ડ્રાઇવ અંતર્ગત ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થોના એક કેસમાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ખાસ ડ્રાઇવ શરૂ કરીગુજરાત રાજ્યના પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા પણ લાંબા સમયથી પોલીસની પકડથી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવી હતી. એક વર્ષથી વોન્ટેડ આરોપીને મહેસાણાથી વોન્ટેડ દબોચ્યોજેના પગલે SOG ટીમે ટેકનિકલ ડેટા એનાલિસિસ અને સ્થાનિક બાતમીદારો પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આરોપીના આશ્રય સ્થાનો ઉપર કોમ્બિંગ હાથ ધર્યું હતું અને સુનીલભાઈ ઉર્ફે 'સાઈ' તુલસીદાસ માખીજા(રહે.ઝુલેલાલ સોસાયટી, તાલુકો કડી, જિલ્લો મહેસાણા) ને ઝડપી લીધો હતો. આરોપી સુનિલ છેલ્લા એક વર્ષથી NDPSના ગુનામાં વોન્ટેડ હતો. જે પોલીસ ધરપકડથી બચવા આશ્રય સ્થાનો બદલતો રહેતો હતો. જેને પકડીને ચિલોડા પોલીસને સોંપી દેવાયો છે.
રાજકોટમાં જાહેર આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મચારીઓની બેદરકારીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે રાજકોટના નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાંથી એક અત્યંત ચોંકાવનારો અને જવાબદારી પર સવાલ ઉઠાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ બનાવનો વિડીયો વાયરલ થયો છે. જેમાં નર્સ ફરજ દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ હોવા છતાં એક નાના બાળકને આપવાનું ઇન્જેક્શન તૈયાર કરી રહી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. નર્સનું સંપૂર્ણ ધ્યાન મોબાઈલ ફોનમાં હોવાને કારણે બાળકની સુરક્ષા અને સારવારની ગુણવત્તા પર સવાલ ઉઠ્યા છે. સમગ્ર મામલે મનપાનાં આરોગ્ય અધિકારી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં થયેલી આ ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે એક નર્સ ખુરશી પર બેસીને પોતાના મોબાઈલ ફોન પર વીડિયો કોલ પર વાત કરી રહી છે. તે સમયે તેના ટેબલ પર એક નાનું બાળક સૂતેલું છે, જેને ઇન્જેક્શન આપવાની કાર્યવાહી ચાલી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નર્સ વીડિયો કોલ પરની વાતચીતમાં એટલી બધી ગૂંચવાયેલી છે કે તેનું ધ્યાન બાળક પર કે ઇન્જેક્શન આપવાની પ્રક્રિયા પર જરા પણ નથી. વીડિયોમાં દેખાય છે કે નર્સ વીડિયો કોલ જોઈને હસી રહી છે અને વાતચીત કરી રહી છે, જ્યારે તેનો હાથ યાંત્રિક રીતે ઇન્જેક્શન તૈયાર કરી રહ્યો છે. આ પ્રકારે બેધ્યાન રહીને ઇન્જેક્શન આપવું એ બાળક માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. આ સમયે બાળકના વાલી પણ હાજર હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ મ્યુ. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, વીડિયો વાયરલ થતાની સાથે જ નાનામૌવા આરોગ્ય કેન્દ્રના ડોક્ટરની પૂછપરછ કરવામાં આવી છે. આ સાથે વીડિયોમાં દેખાતા નર્સને પણ સાંજે હાજર થવા માટે જણાવાયું છે. ડો. વાંકાણીએ ખાતરી આપી હતી કે, નર્સને પૂછવામાં આવશે કે આ વીડિયો ક્યારનો છે અને શા માટે તેઓ કામ છોડીને મોબાઈલમાં ધ્યાન આપી રહ્યા હતા. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો તપાસમાં કોઈપણ પ્રકારની બેદરકારી હોવાનું સામે આવશે, તો તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીમાં સસ્પેન્શન કે અન્ય શિસ્તભંગના પગલાં પણ લેવાઈ શકે છે. કામના સમય દરમિયાન આવી કોઈ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાએ ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી પર મોટો સવાલ ઊભો કર્યો છે. આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓ, ખાસ કરીને બાળકો, સંપૂર્ણપણે કર્મચારીઓના ભરોસે હોય છે. ઇન્જેક્શન જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન બેદરકારીના કારણે બાળકના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. જોકે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે નર્સ સામે ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
સેટેલાઈટ વિસ્તારમાં આનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો હતો. આનંદ નિકેતનની સ્કૂલ બસ ડિવાઇડર પર ચડી ગઈ હતી. સ્કૂલ બસચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સ્કૂલ બસ જઈ રહી હતી ત્યારે અચાનક એક બાઇકચાલક વચ્ચે આવી ગયો હતો. જેને બચાવવા જતા આનંદ નિકેતનની સ્કૂલ બસના ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે, સમગ્ર ઘટનામાં મોટી જાનહાનિ થતા બચી ગઈ છે. બસમાં 5 વિદ્યાર્થીઓ સવાર હતાઆનંદ નિકેતનની સ્કૂલ બસનો અકસ્માત સર્જાયો ત્યારે બસમાં 5 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. જેથી સ્થાનિક લોકોએ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જે બાદ સ્કૂલની અન્ય બસમાં વિદ્યાર્થીઓ પોત પોતાના ઘરે લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીઓને ઇજા પહોંચી નથી. સ્કૂલ બસ ડિવાઈડર પર ચડ્યા બાદ પલટી ન ખાતા મોટી જાનહાનિ થતા ટળી છે તેમજ મળતી માહિતી મુજબ આ મામલે હજુ સુધી કોઈ પણ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી હતી.
પાલનપુર જિલ્લા પંચાયત કચેરીના ત્રીજા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. આ ઘટના કચેરીઓ શરૂ થવાના સમયે બની હતી. સદનસીબે જાનહાનિ ટળી હતી. સ્લેબ ધરાશાયી થતા કચેરીના કર્મચારીઓ અને કામ અર્થે આવતા અરજદારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અગાઉ પણ જિલ્લા પંચાયતમાં પોપડા પડવાની ઘટનાઓ સામે આવી હતી. આ અંગે જિલ્લા પંચાયત કાર્યપાલક ઈજનેર એમ. જે. ઠાકોરે જણાવ્યું હતું કે,લટકતા બીમના છજાનો ભાગ પડ્યો છે. સ્ટ્રક્ચરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. બીજા કોઈ ભાગમાં આવું હશે તો તેને ટૂંક સમયમાં તોડીને સરખા કરી દઈશું. તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોઈને ઈજા થઈ હોત તો જવાબદારી અમારી જ હતી. આ ઈમારત આશરે 45 વર્ષ જૂની હોઈ શકે છે. સપોર્ટની દીવાલો એટલી ડેમેજ નથી કે પડી જાય. છજાવાળા ભાગને રિપેર કરાવી દેવામાં આવશે. ઠાકોરે ઉમેર્યું કે, આ બિલ્ડિંગ તોડીને નવું બિલ્ડિંગ બનાવવાનું છે અને શિફ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં આજે જે સ્લેબ પડ્યો છે તેના કારણે કોઈને પણ ઈજા પહોંચી નથી, પરંતુ સતત ત્રીજી વાર આવી ઘટના બની છે. તંત્ર વહેલી તકે કોઈ પગલાં લે તેવી માંગ છે.
કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમજીવીનું મૃત્યુ:લીફ્ટના ખાડામાં પટકાયા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા
વિજલપોરની એક કન્સ્ટ્રક્શન સાઇટ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય શ્રમજીવી ઉમેશકુમાર સત્યનારાયણ વિશ્વકર્માનું મૃત્યુ થયું છે. તેઓ લીફ્ટ બનાવવાના ખાડામાં પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના શનિવાર, 9 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ વિજલપોરના અમરદીપ એપાર્ટમેન્ટ સામે આવેલી અભિષેક નરોત્તમ પાટીલની માલિકીની કન્સ્ટ્રક્શન સાઇટ પર બની હતી. ઉમેશકુમાર વિશ્વકર્મા ત્યાં સુથારી કામ કરતા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઉમેશકુમાર પહેલા માળે પોતાનું કામ પૂરું કરીને દાદર પરથી નીચે ઉતરી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે તેમનો પગ લપસ્યો અને તેઓ લીફ્ટ બનાવવા માટેના ખાડામાં નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં તેઓ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઉમેશકુમારને તાત્કાલિક ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આઇ.સી.યુ.માં સારવાર દરમિયાન, 9 નવેમ્બરના રોજ સાંજે 7:45 વાગ્યાની આસપાસ તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે વિજલપોર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજલપોર પોલીસ સ્ટેશનના કર્મચારી ભરતભાઇ લક્ષ્મણભાઇ આ અકસ્માત મોતની તપાસ કરી રહ્યા છે.
અસારવા ગામનો માંડવી મહોત્સવ પૂર્ણ:માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ અસારવા ગામમાં દિવાળીથી દેવ દિવાળી સુધી “માંડવી મહોત્સવ” હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. ગઈકાલે રંગારંગ રીતે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઈ હતી. શનિવારે તો આખી રાત ગરબા ગાઈને વહેલી સવારે માતાજીને વળાવવામાં આવ્યા હતા. શનિવારે રાત્રે તો ભક્તજનો માતાજીની ચૂંદડી લઈને ગરબે ઘૂમ્યા હતા ત્યારે સમગ્ર વાતાવરણ માતાજીની ચૂંદડીઓથી છવાઈ ગયું હતું. માતાજીને અસંખ્ય સાડીઓ અર્પણ કરવામાં આવી હતીઆ અવધિ દરમિયાન અસારવા ગામના દરેક મહોલ્લામાં ગામની કુળદેવી માતર ભવાની માતાજી તેમજ ઉમિયા માતાજીની માંડવીની પધરામણી કરવામાં આવી હતી અને માઈ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગરબા રમી માતાજીની આરાધના કરી હતી. આ વર્ષે સૌ પ્રથમવાર દેવ દિવાળીના દિવસે ખારાકુવા વાસમાં માતાજીના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. માંડવી મહોત્સવ દરમિયાન માતાજીને અસંખ્ય સાડીઓ (ચૂંદડીઓ) અર્પણ કરવામાં આવી હતી. માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી ગયો“જ્યાં જાય અસારવાવાસી, ત્યાં ઊજવાય માંડવી મહોત્સવ!” — આ વાક્યને સાકાર કરતાં આ વર્ષે માતર ભવાની માતાજીની માંડવી અસારવા ગામની સીમા વટાવી થલતેજ અને સિંધુ ભવન વિસ્તાર સુધી લઈ જવામાં આવી હતી. ત્યાં પણ પારંપરિક શાસ્ત્રોક્ત વિધિ મુજબ માંડવીની સ્થાપના કરી આખી રાત ગરબા રમી માતાજીની ભક્તિ કરવામાં આવી હતી. અસારવા ગામનો આ માંડવી મહોત્સવ હવે માત્ર એક ગામની સીમામાં નહીં, પરંતુ અમદાવાદના પશ્ચિમ વિસ્તાર સુધી પ્રસરી રહ્યો છે. તેથી આ પવિત્ર અને ઉત્સાહી ઉજવણીને યોગ્ય રીતે “વાઈબ્રન્ટ માંડવી મહોત્સવ ઓફ અસારવા” તરીકે ઓળખાવી શકાય.
વડોદરા શહેરના એમજી રોડ પર આવેલી ચકાભાઇ જ્વેલર્સની દુકાનમાં ગ્રાંહક બનીને ખરીદી કરવા માટે આવેલો ચોર કર્મચારીની નજર ચુકવીને 75 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. લવ પેટર્નની સોનાની વીંટી બતાવો તેમ કહેતા મહિલા કર્મચારીએ ટ્રેમાં અલગઅલગ ડીઝાઇનની વીંટીઓ જોવા માટે આપી હતી. પરંતુ ગઠિયો વિંટીની ચોરી કરીને ભાગ્યો હતો. સિટી પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના એમ.જી.રોડ પર ચકાભાઈ જવેલર્સ નામની દુકાનમાં 9 નવેમ્બરના રોજ સવારના 12 વાગ્યાની આસપાસ એક ગ્રાહક આવ્યો હતો. આ શખ્સે મહિલા કર્મચારીને લવ પેટર્નની સોનાની વીંટી બતાવવા માટે કહ્યું હતું. જેથી મહિલા કર્મચારીએ સોનાની વીંટીઓ કાઢીને ટ્રેમાં બતાવી હતી. થોડીવાર સુધી સોનાની વીંટી lઓ જોયા બાદ આ શખ્સે તેને આમાંથી કોઇ પેટર્ન પસંદ નથી આવી તેમ કહીને દુકાનમાંથી નીકળી જતો રહ્યો હતો. ખરીદી નહી કરતા દુકાનમાં કામ કરતા મહિલા કર્મચારીએ ટ્રેમાં મુકેલી સોનાની વીંટીની ગણતરી કરી હતી, જેમાં એક વીંટી ઓછી હતી. જેથી મહિલા કર્મચારીએ તેના મેનેજરને વાત કરી હતી અને તાત્કાલિક દુકાનમાં લગાવેલા CCTV ચેક કર્યાં હતા ત્યારે ચોર મહિલા કર્મચારીની નજર ચુકવી ટ્રેમાં મુકેલી એક સોનાની વીંટીઓમાંથી રૂપિયા 75 હજારની કિંમતની 8.540 ગ્રામની સોનાની વિટી ચોરી કરી લીધી હતી. જેથી મેનેજર જયરાજ રાજપૂતે સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે CCTVના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે.
જામનગર જિલ્લામાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધ જિલ્લાના 154 સંવેદનશીલ રેડ અને યલો ઝોન વિસ્તારોમાં લાગુ પડશે. જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પર આવેલો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં મિલિટરી સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, આઈએનએસ વાલસુરા, એશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી, થર્મલ પાવર સ્ટેશન સિક્કા અને જી.એસ.એફ.સી. જેવા અનેક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક તથા સંરક્ષણ એકમો આવેલા છે. જિલ્લામાં કુલ 154 ક્રિટિકલ-સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સને રેડ ઝોન અને યલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ પૈકી 112 ઇન્સ્ટોલેશન્સ રેડ ઝોનમાં અને 42 ઇન્સ્ટોલેશન્સ યલો ઝોનમાં સમાવિષ્ટ છે. આ જાહેરનામા મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લાના રેડ અને યલો ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન ઉડાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ આગામી 8 ડિસેમ્બર, 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.
સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સોસાયટીના મકાનમાંથી મોંઘી દારૂની બોટલમાં સસ્તો દારૂ ભરીને વેચનાર શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી 52 મોંઘી દારૂની ભરેલી બોટલ મળી આવી છે, જ્યારે 13 ખાલી બ્રાન્ડેડ દારૂની બોટલ પણ મળી આવી છે. આરોપી સસ્તa દારૂ મોંઘી દારૂની બોટલમાં ભરીને વેચતો હતો. આરોપી વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે રેડ કરીસોલા પોલીસે બાતમીના આધારે ઘાટલોડિયામાં આવેલી ગજરાજ સોસાયટીના મકાનમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન દારૂની અનેક બોટલ કબજે કરી હતી. આ ઉપરાંત દારૂની બોટલ સાથે કિરણ ખટીક નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી બ્રાન્ડેડ દારૂની ખાલી બોટલ લાવતો હતો, જેમાં સસ્તો દારૂ ભરીને વેચી દેતો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યોઆરોપી પાસેથી દારૂ ભરેલી 52 બોટલ મળી આવી છે, જ્યારે બ્રાન્ડેડ દારૂની પણ 13 ખાલી બોટલ મળી આવી છે. આરોપી પાસેથી 19931 રૂપિયાના દારૂ સહિત કુલ 24931 રૂપિયાનો મુદ્દામાલા કબજે કરવામાં આવ્યો છે. આરોપી દારૂ ક્યાંથી લાવતો હતો અને કોને વેચતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં આજે નેશનલ મેરિટાઈમ સર્ચ એન્ડ રેસ્ક્યુ (NMSAR) બોર્ડની 23મી બેઠક મળી હતી. દરિયાઈ શોધ અને બચાવ (SAR) કામગીરી સંબંધિત તમામ બાબતો માટેનું આ દેશનું સર્વોચ્ચ નિર્ણયકારી અને સંકલન મંચ છે. ભારત સરકાર દ્વારા 2002માં સ્થાપિત આ બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલની અધ્યક્ષતામાં કાર્યરત છે. NMSAR બોર્ડનો મુખ્ય હેતુ ભારતીય શોધ અને બચાવ ક્ષેત્ર (ISRR)માં નીતિ ઘડતર, ક્ષમતાવૃદ્ધિ અને વિવિધ એજન્સીઓ વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનો છે. ભારતનું SAR ક્ષેત્ર વિશ્વના સૌથી વિશાળ ક્ષેત્રોમાંનું એક છે, જે હિંદ મહાસાગરના આશરે 4.6 મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. આ બેઠકમાં ભારતીય નૌકાદળ, વાયુસેના, ડિરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભારતીય હવામાન વિભાગ (IMD), ભારતીય રાષ્ટ્રીય મહાસાગર માહિતી સેવાઓ (INCOIS), વિવિધ રાજ્ય મેરીટાઇમ બોર્ડ, બંદર સત્તાવાળાઓ, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેપારી મરીન, માછીમારી અને ઓફશોર ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. બોર્ડની અધ્યક્ષતા પરમેશ શિવમણી, ચેરપર્સન, NMSARએ કરી હતી. બેઠક દરમિયાન દરિયાઈ દુર્ઘટનાઓ દરમિયાન ઝડપી પ્રતિભાવ, આધુનિક ટેકનોલોજીના ઉપયોગ, તાલીમ અને આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ. NMSAR બોર્ડ દેશના દરિયાઈ અને એરોનોટિકલ SAR પ્રયાસોને એકીકૃત કરીને મુશ્કેલીની પરિસ્થિતિઓમાં સમયસર અને કાર્યક્ષમ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે કાર્ય કરે છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક ST બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 35 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક મહિલાની ઓળખ આંબા ગામના જાનવીબેન ઘનશ્યામભાઈ મંગાણી (ઉ.35) તરીકે થઈ છે. તેઓ GJ14 BC 9490 નંબરના બાઈક પર ગઢડાથી પોતાના ગામ આંબા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન લાઠીથી લીલીયા તરફ આવી રહેલી અમરેલી ST ડેપોની સરકારી બસે પુરપાટ ઝડપે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ST બસના પાછળના ભાગે બાઈક અથડાતા જાનવીબેન રોડ પર પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. લીલીયા પોલીસે ST બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા આગામી 2 દિવસ એટલે કે, 11 અને 12 નવેમ્બરના રોજ ગાંધીનગર હાઈવે પર રાંધેજા ખાતે આવેલો રેલવે ફાટક નં. 13 અને રેલવે ફાટક નં. 15 એ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. બન્ને ફાટક ત્રણ કલાક માટે બંધ રહેશેઆવતીકાલથી એટલે કે, 11થી 12 નવેમ્બર, 2025 દરમિયાન રાંધેજા હાઈવે પરનો ફાટક 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે. આદરજ મોટી-વિજાપુર રેલવે લાઇનના ગેજ રૂપાંતરણ પ્રોજેક્ટ માટે સૂચિત મશીન ટેમ્પિંગ કામ (MTT) માટે થઈને બંધ કરવામાં આવશે. ગાંધીનગર હાઈવેથી રૂપાલ- માણસા જતાં વાહનચાલકોને હાલાકી થશેરેલવે ફાટક નં. 13, ગાંધીનગર હાઈવેથી રૂપાલ વચ્ચે આવેલ આવતીકાલે એટલે કે, 11 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 10 વાગ્યાથી 12 નવેમ્બર, 2025ના રોજ 1 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે બંધ રહેશે. જ્યારે રેલવે ફાટક નં. 15, ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલો 12 નવેમ્બરના રોજ રાત્રે 1 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કુલ 3 કલાક માટે માર્ગ અવરજવર માટે બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે. ચાલુ વર્ષે પણ શહેરનાં એસજી હાઇવે પર સિંધુભવન રોડ, શીલજ, આંબલી, સાયન્સ સીટી રોડ, મોટેરા, ગોતા, શીલજ અને થલતેજ સહિતના વિસ્તારોમાં આવેલા રેસીડેન્સિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ 13 પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય AMCએ લીધો છે. છેલ્લા એક વર્ષથી સિંધુ ભવન રોડ ઉપર કોમર્શિયલ હેતુ માટે મૂકવામાં આવેલા રૂ. 333 કરોડના બે પ્લોટ સહિત મોટેરા અને થલતેજના પ્લોટ ખરીદવામાં કોઈ કંપની રસ દાખવી રહી નથી. પ્લોટ વેચાણમાંથી AMCને 1188 કરોડની આવક થવાનો અંદાજસિંધુભવન રોડ શહેરનો સૌથી પોશ વિસ્તાર અને અનેક કોમર્શિયલ કંપનીઓની ઓફિસ આવેલી છે છતાં પણ આ જગ્યા ઉપર હવે કોઈ પ્લોટ ખરીદવા રસ બતાવી રહ્યું નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેચાણ માટે મૂકવામાં આવેલા પ્લોટનું 27 અને 28 નવેમ્બરના રોજ ઇ ઓકશન થશે. આજે 10 નવેમ્બરથી લઈને 24 નવેમ્બર સુધી પ્લોટના ઈ ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કોમર્શિયલ અને રહેણાંક હેતુના પ્લોટ વેચાણ કરી 1188 કરોડની આસપાસની આવક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉભી કરવામાં આવશે. સિંધુભવન રોડ પરના બે પ્લોટ માટે કોઈ ખરીદદાર નથી મળતાશહેરના એસજી હાઇવે પર સિંધુભવન પાસે મેંગો હોટલની પાછળ સૌથી મોંઘા પ્લોટ વેચાણમાં મૂકવામાં આવ્યા છે. એક જ ટીપી અને FPમાં AMCના બે પ્લોટ આવેલા છે. જે બંને પ્લોટને વેચાણ માટે કાઢવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ ઉપર પ્રતિ ચોરસ મીટર જમીનનો ભાવ 2.52 લાખ રૂપિયા છે જે મુજબ બંને પ્લોટની કુલ કિંમત રૂપિયા 333 કરોડ છે. આ બંને પ્લોટ બેથી ત્રણ વખત ઓનલાઈન વેચાણ માટે મૂકવામાં આવ્યો છે પરંતુ છેલ્લા એક વર્ષથી કોઈ બિલ્ડર કે કંપની દ્વારા પ્લોટ લેવામાં આવ્યો નથી. ચાંદખેડા અને મોટેરામાં ત્રણ, સિંધુભવન રોડ પર બે, થલતેજ, વટવા, નિકોલ અને શીલજ સહિતના વિસ્તારમાં આવેલા પ્લોટ વેચાણમાં મુકાયા છે. પ્લોટના વેચામ માટે 27 અને 28 નવેમ્બરે ઈ ઓકશન યોજાશેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ વિસ્તારોમાં પાણી, ગટર, રોડ, લાઇટ, સ્ટોર્મ વોટર લાઇન, બાગબગીચા, લાયબ્રેરી, સિવિક સેન્ટર, ફાયર સ્ટેશન વગેરે માળખાકીય સુવિધા પૂરી પાડવા તેમજ વિકાસનાં કાર્યો કરવા ટીપી સ્કીમ અંતર્ગત પ્રાપ્ત થયેલા કોમર્શિયલ અને રેસીડેન્સીયલ હેતુના પ્લોટને વેચાણ કરવામાં આવતાં હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટનું વેચાણ કરી 1000 કરોડથી વધુની આવક ઊભી કરાઈ હતી જેમાંના 10 જેટલા પ્લોટ હજી સુધી વેચાણ થયા નથી. જેના પગલે ફરીથી પ્લોટો વેચાણ માટે મૂકવામાં આવ્યા છે. જાહેર હરાજી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. કોર્પોરેશનની વેબસાઈટ પર 10 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી કંપનીઓ કે બિલ્ડરો રજીસ્ટ્રેશન અને બીડ ભરી શકાશે. 27 અને 28 નવેમ્બરના રોજ ઓનલાઈન ઇ ઓકશન કરવામાં આવશે.
વલસાડ શહેરના RPF ગ્રાઉન્ડ પાસેના ડબલ લેયર રેલવે ઓવરબ્રિજ (ROB) પ્રોજેક્ટનો અદ્યતન ગ્રાફિક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વલસાડ શહેરના ભવિષ્યના આધુનિક સ્વરૂપને સ્પષ્ટપણે દર્શાવે છે, જે શહેરના વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ROB બ્રિજને વલસાડ શહેરના પ્રવેશદ્વાર તરીકે ઓળખ મળી રહે અને શહેરની શોભા વધે તે રીતે અનોખી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મલ્ટી-લેયર બ્રિજ ટ્રાફિક વ્યવસ્થાને સુધારવામાં મદદ કરશે. બ્રિજનું એક લેયર અબ્રામા અને વશિયાર તરફથી વલસાડ શહેરમાં પ્રવેશવા માટે ઉપયોગી થશે, જ્યારે બીજું લેયર વલસાડ શહેરમાંથી બહાર નીકળીને ધરમપુર રોડ તરફ જવા માટે રહેશે. આ વ્યવસ્થા ટ્રાફિકને સરળ બનાવશે. આ બ્રિજની લંબાઈ આશરે 2 કિલોમીટર છે અને તેની ઊંચાઈ લગભગ સાત માળના એપાર્ટમેન્ટ જેટલી છે. આ ઊંચાઈ પરથી વલસાડ શહેરનો અદભૂત નજારો જોવા મળશે, જે તેને માત્ર એક સુવિધા જ નહીં, પરંતુ એક આકર્ષણનું કેન્દ્ર પણ બનાવશે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹192 કરોડ છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે. હાલ તેનું નિર્માણકાર્ય અંતિમ તબક્કે છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ROB બ્રિજ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ ડબલ લેયર ROB તૈયાર થયા બાદ વલસાડ શહેરના ટ્રાફિક દબાણમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને રેલવે ક્રોસિંગ પાસે થતી લાંબી રાહત દૂર થશે. આ બ્રિજ વડે વશિયાર, અબ્રામા અને ધરમપુર માર્ગે અવરજવર વધુ સરળ બનશે. શહેરના નાગરિકો અને વેપારીઓએ આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમનું માનવું છે કે આ ROB વલસાડના વિકાસનું નવું પ્રતીક બની રહેશે અને શહેરને આધુનિક શહેરી માળખું પ્રદાન કરશે.
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા અસહ્ય ટેરીફના કારણે રાજકોટ શહેર અને જિલ્લાનો USA નિકાસ દર 60%માંથી ઘટીને 35% થઈ ગયો છે. જેના લીધે નિકાસકારોને અસહ્ય ફટકો પડ્યો છે. જેથી, ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી છે. નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છેરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ રાજ્યના CM ભુપેન્દ્ર પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ભારત દેશ નિકાસ ક્ષેત્રે ખૂબ જ નોંધપાત્ર પ્રગતિ કરી રહી રહ્યું છે તેમજ સરકાર દ્વારા નિકાસકારોને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકા દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવેલ અસહ્ય વધારાના ટેરિફ દરને કારણે તમામ ઔદ્યોગિક ક્ષેત્રો અને ખાસ કરીને નિકાસકારોને નુકશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા છેલ્લા 6 મહિનાનો તૈયાર કરાયેલ રાજકોટ તથા આસપાસના વિસ્તારનો અંદાજીત USA નિકાસ દરના ડેટા મુજબ મે-2025માં આશરે 60% નિકાસદર હતો, જે ડોલરમાં રૂપાંતર કરતા 59,54,027.57 થયેલો છે. આ જ નિકાસદર ઓકટોબર, 2025માં ઘટીને 35%ની સાથે ડોલરમાં રૂપાંતર કરતા 35,31,112.41 થઈ ગયો છે. આમ, લગભગ 25% અને આશરે 25 લાખ ડોલર જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં આ નિકાસદર ઘટવાની સાથે ખૂબ જ નુકશાનકારક સાબિત થઈ શકે એવું જણાઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાના અસહ્ય વધારાના ટેરિફ દરના કારણે સમગ્ર ઔદ્યોગિક અને નિકાસકારોને થવા પાત્ર અસહ્ય ધંધાકીય નુકશાનીની તીવ્રતાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કેન્દ્ર સરકારની રાહ જોયા વગર રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પૂરતા રાહત-પેકેજ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. જેથી, ઉદ્યોગકારો અને વેપારીઓને મોટી રાહત થશે.
અમદાવાદના શાહીબાગમાં રહેતી યુવતી ઘરની કામવાળીને કેશવનગર મૂકવા ગઈ હતી જે બાદ ગાડી લઈને પરત ફરી રહી હતી ત્યારે એક કારચાલક યુવતીનો પીછો કરતા યુવતીની સોસાયટીમાં આવી ગયો હતો. યુવતીની ગાડીનો દરવાજો ખોલવા અનેક પ્રયત્ન કર્યા હતા. જોકે આજુબાજુના લોકો ભેગા થઈ જતા પોલીસને જાણ કરી હતી.પોલીસે દારૂ પીધેલા યુવકની ધરપકડ કરી છેડતી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કારચાલક યુવતીનો પીછો કરી તેના ઘર સુધી આવી ગયોશાહીબાગમાં રહેતી 19 વર્ષીય યુવતી કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે.ગઈકાલે રાતે યુવતીના ઘરે આવેલી કામવાળીને યુવતી તેના ઘરે મૂકવા કેશવનગર ગઈ હતી.કામવાળીને મૂકીને યુવતી સુભાષબ્રિજ પરથી કારમાં પરત આવી રહી હતી ત્યારે એક ઇકો સ્પોર્ટ્સ કારનો ચાલક યુવતીનો પીછો કરી રહ્યો હતો જે છેક યુવતીની સોસાયટીની અંદર આવી ગયો હતો.કાર ચાલક તેની કારમાંથી ઊતરીને યુવતીની કારનો દરવાજો ખોલવા પ્રયત્ન કરી રહ્યો હતો જોકે યુવતીએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પીધેલી હાલતમાં અને કારમાંથી દારૂની બોટલ મળીઆ દરમિયાન સોસાયટીના રહીશો ભેગા થયા હતા.યુવતીના પિતા પણ નીચે આવ્યા હતા. તમામે જ્યારે યુવકની પૂછપરછ કરી ત્યારે યુવકે પોતાનું નામ લક્ષ્મણ મારવાડી(31 વર્ષ) જણાવ્યું હતું જે બાદ યુવકની ગાડી તપાસતા દારૂની બોટલ મળી આવી હતી.યુવકને મોઢામાંથી પણ દારૂની વાસ આવતી હતી જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.માધવપુરા પોલીસે સ્થળ પર પહોંચીને યુવકની અટકાયત કરી યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, વિસલપુર કેળવણી મંડળ સંચાલિત તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક વિધિ મહેતા અને સાત સ્નાતકોએ શાળાની મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓને સરદાર પટેલના જીવન, તેમના કાર્યો, સ્વદેશી વસ્તુઓનું મહત્વ, સ્વાવલંબન અને ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના અને સ્વદેશી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. શાળા પરિવાર વતી ગીતાબેન કે. પટેલે અધ્યાપક વિધિ મહેતાનું સૂતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું. કાર્યક્રમના અંતે, શાળાના શિક્ષિકા ગીતાબેન આર. પટેલે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં પાલડી સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલના અંડર-14 બોયઝ વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે. આ ટીમે પ્રથમ સ્થાન મેળવીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધાનું આયોજન નારણપુરા ખાતેના વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમે હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પણ પસંદગી મેળવી છે, જ્યાં તેઓ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે.
દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા ખેલ મહાકુંભમાં વિજેતા:પાલડીની શાળાએ ઝોન કક્ષાની વૉલીબૉલ સ્પર્ધા જીતી
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની અંડર-14 વૉલીબૉલ સ્પર્ધામાં પાલડીની દીવાન-બલ્લુભાઈ ગુજરાતી પ્રાથમિક શાળાની ટીમે વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શાળા રાજનગર-પાલડી વિસ્તારમાં આવેલી ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળા છે.
અમરેલી જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના રાહત પેકેજ અને રૂ. 15,000 કરોડની ટેકાના ભાવે ખરીદીના નિર્ણયને ખેડૂતોએ આવકાર્યો છે. આ યોજનાઓથી ખેડૂતોને આર્થિક રીતે મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લાના કુલ 92,118 ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવી છે. અમરેલી જિલ્લાના કેટલાક ખેડૂતોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, રૂ. 10,000 કરોડનું રાહત પેકેજ અને ટેકાના ભાવની ખરીદીથી ખેડૂતો ફરી બેઠા થશે. આ નિર્ણયોથી પાક નુકસાનીનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત મળશે. અમરેલી તાલુકાના સણોસરા ગામના ખેડૂત રમણિકભાઈ ધોરાજીયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરીને બે હેક્ટર દીઠ રૂ. 44,000ની સહાય જાહેર કરી છે. આ ઉપરાંત, ટેકાના ભાવે ખરીદીની જાહેરાત પણ કરવામાં આવી છે, જેનાથી ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકશે. તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ખેડૂત દિલીપભાઈ નાકરાણીએ આ પેકેજને ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે, એક હેક્ટર દીઠ રૂ. 22,000ની સહાયતાનું આ સમગ્ર રૂ. 10,000 કરોડનું પેકેજ અગાઉની કોઈપણ સરકારે જાહેર કર્યું નથી. આ સહાયતાથી ખેડૂતોને ઘણી રાહત થશે. જાળિયાના ખેડૂત કાળુભાઈ બાબરિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે પાક નુકસાની બદલ ટેકાના ભાવે ખરીદી અને હેક્ટર દીઠ સહાય આપવાનું જાહેર કર્યું છે, જેનાથી ખેડૂતને મજબૂત ટેકો મળશે. ધારી તાલુકાના લાઇનપરાના ખેડૂત કલ્પેશભાઈ રુદાણીએ ટેકાના ભાવની ખરીદીમાં મગફળી પાસ થઈ જતાં અને બજાર કરતાં સારા ભાવ મળતા હર્ષ વ્યક્ત કર્યો. ધારી તાલુકાના ત્રંબકપુરના ખેડૂત પ્રકાશભાઈ વેકરિયાએ પણ રાજ્ય સરકારનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ટેકાના ભાવે ખરીદી શરૂ કરવા અને રાહત પેકેજ આપવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે. રાજ્ય સરકારની ટેકાના ભાવની ખરીદી પ્રક્રિયા માટે અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં નોંધણીના આંકડા નીચે મુજબ છે: બાબરા તાલુકામાં 15,950, સાવરકુંડલામાં 13,270, કુંકાવાવ-વડિયામાં 12,727, ધારીમાં 11,048, અમરેલીમાં 9,469, ખાંભામાં 8,793, રાજુલામાં 6,983, લાઠીમાં 5,555, બગસરામાં 5,420, જાફરાબાદમાં 2,231 અને લીલિયા તાલુકામાં 672 ખેડૂતોએ નોંધણી કરાવી છે. આમ, કુલ 92,118 ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે એનરોલમેન્ટ કરાવ્યું છે.
ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગ ની બજારો આજથી ધમધમતી થઈ છે. દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે. હીરાના વેપારીઓએ લેબગ્રોન ડાયમંડમાં તેજી આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પર હોવાનું જણાવ્યું હતું. જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ મંદીના માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યા છે. વેકેશન પૂર્ણ થઈ ગયા બાદ પણ 70 ટકા યુનિટ જ શરૂ થયાસુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી બાદ પણ હજુ વેકેશન જેવો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. વેકેશન પૂર્ણ થઈ ગયું હોવા છતાં પણ હજુ 70% જ યુનિટ શરૂ થયા છે અને તેમાં પણ 20 ટકામાં બપોર બાદ રજા રહે છે. આજથી હીરા બજારો પણ શરૂ થઈ છે. રીયલ ડાયમંડમાં હાલ પણ મંદી જેવો માહોલ છે જ્યારે લેબગ્રોનમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે લેબગ્રોનની ફેક્ટરીઓમાં કારીગરોની અછત જોવા મળી રહી છે. રીયલ ડાયમંડના હીરાના કારખાનાઓમાં પણ કામ ઓછું હોવાના કારણે પણ હજુ પણ કારીગરો વતનથી પરત ફરી રહ્યા નથી. દિવાળી પહેલા માહોલ નબળો હતો, હવે પબ્લિક દેખાય છે- શૈલેષ કાકડીયાઆજથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી મીની બજાર ખાતે હીરા બજાર શરૂ થઈ છે. હીરા વેપારી શૈલેશ કાકડીયાએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાનો માહોલ થોડોક નબળો હતો અને હવે પબ્લિક ઘણું બધું દેખાય છે એટલે રિસ્પોન્સ સારા લાગે છે કે માર્કેટ થોડુંક આવશે પણ રિયલનું માર્કેટ તો અત્યારે હાલ દબાયેલું છે એટલે સીવીડીનું માર્કેટ જે છે એ લાગે છે કે થોડું ઉછાળામાં આવે છે અને બીજું તો કંઈ મને એવું દેખાતું નથી કે આગળના શું રિસ્પોન્સ આવશે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખેડૂત સમન્વય સમિતિના સહયોગથી ખેડૂતોને સંમતિ એવોર્ડ એનાયત કરાતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂત સમન્વય સમિતિ દ્વારા અંદાજે 450 જેટલા ખેડૂતો અને વિધવા બહેનોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવી સંમતિ એવોર્ડ સ્વીકારવા માટે સમજાવવામાં આવ્યા હતા. જેના અનુસંધાને આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંમતિ પ્રક્રિયા યોજાઈ હતી,જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા,પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, કલેકટર ગૌરાંગ મકવાણા અને પાર્થ જયસવાલ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળી યોગ્ય વળતર મળવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ અવસરે ખેડૂત સમન્વય સમિતિના હિરેન ભટ્ટ સહિત ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરના થાનમાં ડ્રોનથી ભૂમાફિયાઓની તપાસ:ગેરકાયદેસર પ્રવૃત્તિના ઠેકાણા શોધવા પોલીસની પહેલ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે થાન પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. આ એક નવી પહેલ છે, જેમાં ગેરકાયદેસર ઠેકાણાઓ શોધવા માટે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. પોલીસ દ્વારા આકાશમાંથી નજર રાખીને ગેરકાયદેસર જમીનના કબજા અને તેની હેરાફેરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોની ગતિવિધિઓ પર નજર રાખવાનો છે. આગામી દિવસોમાં થાન પોલીસ દ્વારા અસામાજિક શખ્સોની માહિતી એકત્ર કરીને તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લગાવવાનો પોલીસનો પ્રયાસ છે.
અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નર્સની નોકરી અપાવવાના બહાને ₹14.90 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. એક યુવતીના પિતાએ ચાર આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. રાજુલા શહેરમાં રહેતા બાલુભાઈ માલજીભાઈ ગોહિલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની દીકરીને સ્ટાફ નર્સની નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ બાલુભાઈ પાસેથી આંગડિયા મારફતે ₹14,90,000 મેળવ્યા હતા અને તેમની દીકરીના મૂળ દસ્તાવેજો પણ લઈ લીધા હતા. પૈસા અને દસ્તાવેજો લીધા પછી પણ આરોપીઓએ નોકરી અપાવી ન હતી. વાયદાઓ આપીને છેવટે નોકરી ન આપતા, આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ગુનામાં અશોક મકવાણા (કાટીકડા, મહુવા), શૈલેષ વિનુભાઈ શિયાળ (દાઠા), શક્તિસિંહ સરવૈયા (દાઠા) અને વિશાલ સહિત ચાર ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડા આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં યુવાન પર લોખંડના પાઇપથી હુમલો:પૈસાની લેતીદેતી મામલે માથું ફોડ્યું, ત્રણ સામે ફરિયાદ
જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતીના મામલે થયેલા આ હુમલામાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનામાં ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડ્રાઇવિંગનું કામ કરતા 33 વર્ષીય યાસીન સિદ્દીકભાઈ ગંઢાર નામના યુવાને ઇન્દ્રિષ આલા, મોઇન આલા અને રાજા આલા નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યાસીનના માથાના ભાગે લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડી નાખવામાં આવ્યું હતું. ઉપરાંત, પગમાં પણ પાઇપના પ્રહારથી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યાસીનને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, યાસીન આરોપીના પરિચિત સમીર પાસેથી રૂ. 22,000 માંગતો હતો. આ રકમની ઉઘરાણી કરવા જતાં ત્રણેય આરોપીઓએ તેને માર માર્યો હતો. આરોપીઓએ યાસીનને ફરીથી ઉઘરાણી કરવા આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હાલ ત્રણેય આરોપીઓને શોધી રહી છે.
રાજકોટમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો સતત વકરી રહ્યો છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે ડેંગ્યુનાં 4, કમળાનાં 5 સહિત વિવિધ રોગનાં 1,704 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. અને મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખનારાઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1,704 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 807 કેસ, ઝાડા-ઉલટીનાં 169 જેટલા કેસ, સામાન્ય તાવનાં 717 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 4 કેસ, સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 8,000 કરતા વધુ હોવાની શક્યતા છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેમલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં આવા 30 આસમીઓ પાસેથી રૂ. 28 હજાર કરતા વધુ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. દૈનિક દરેક કેસોનું ટ્રેકીંગ શરૂ કરવામાં આવ્યુંપાણીજન્ય રોગચાળો અટકાવવા જ્યાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય તેમજ હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા કેસો સામે આવતા હોય તે વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વોલેન્ટીયર્સ દ્વારા તા. 03 નવેમ્બરથી 09 નવેમ્બર સુધી 35,659 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 1289 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 18માં પોરાનાશ કામગીરી હાથ ધરવામાં આવીગતવર્ષની તુલનાએ હાલ ડેંગ્યુનાં કેસોમાં ઘટાડો થયો છે. ગતવર્ષે આ સમયગાળામાં ડેંગ્યુનાં કેસો વધુ હતા. જેની સામે હાલ સાપ્તાહિક છૂટાછવાયા માત્ર 2-4 કેસો સામે આવી રહ્યા છે. જે ખરેખર સારી બાબત છે. આમ છતાં જે કોઈ સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવે તે વિસ્તારમાં અમારી ટીમો દ્વારા ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા 18 વોર્ડમાં તાજેતરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને મેલેરિયા અને ચિકનગુનિયા મહદઅંશે નાબૂદ થયા હોય તેમ છેલ્લા ત્રણેક સપ્તાહથી ખાસ કોઇ કેસ નોંધાયા નથી. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 509 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 319 તો કોર્મશીયલમાં કુલ 165 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ 30 જેટલા લોકો પાસેથી મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખવા સબબ રૂ. 28,750નો દંડ પણ વસૂલી લેવામાં આવ્યો છે. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા બન્યે 10 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. તેમ છતાં શહેરમાં આવેલ તુલસી ગરનાળાની આસપાસના વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યાં છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તાં, ઉભરાતી ગટરો, ઠેર-ઠેર ગંદકી, તેમજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકોવાર મહાનગરપાલિકા કચેરીમાં રજુઆતો કરવામાં આવી છે. પરંતુ, સમસ્યાનો હલ ન થતાં, આજરોજ સામાજિક કાર્યકર હર્ષિલભાઈ દવે ની આગેવાની હેઠળ સ્થાનિક આગેવાનો હાથમાં મીણબત્તી લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યાં હતાં અને કમિશ્નરને આવેદનપત્ર આપી, વહેલીતકે વિસ્તારની તમામ સમસ્યાનો હલ લાવવા માંગ ઉચ્ચારી છે. જો વહેલીતકે સમસ્યાનો હલ નહીં થાય તો આ મહિનાના અંતમાં આણંદ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં જઈને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ...તો વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું; હર્ષિલ દવેઆ અંગે સામાજિક આગેવાન હર્ષિલભાઈ દવે જણાવે છે કે, તુલસી ગરનાળાની આસપાસ આવેલ 25 થી 30 જેટલી સોસાયટીઓ છેલ્લાં ઘણાં સમયથી વિકાસથી વંચિત છે. જેથી આજે અમે અમારા વિસ્તારનો વિકાસ શોધવા માટે મીણબત્તી લઈને કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ આવ્યાં હતાં. કમિશ્નરે અમને ટૂંક સમયમાં કામ પતાવવાની હૈયાધારણા આપી છે. પરંતુ, જો ટૂંક સમયમાં કામ નહીં પતે તો અમે વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. કમિશ્નરે વહેલીતકે સમસ્યાનો હલ લાવવા ખાત્રી આપીકરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશ્નર મિલિંદ બાપના એ ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાનો હલ તુરંત જ લાવી આપવાની ખાત્રી આપી છે. જોકે, ગટર તેમજ રોડ-રસ્તાની સમસ્યા થોડા મહિનામાં ઉકેલાની બાંહેધરી આપી છે. સ્થાનિકોની 7 રજુઆતો
પૂર્વ કચ્છના મહાબંદર ધરાવતા કંડલા-ગાંધીધામ હાઇવે પર આજે ફરી એક વખત વાહન વ્યવહાર ખોરવાયો છે. કંડલાના હનુમાન મંદિરથી જૂના નકટી પુલ સુધી ચાલતા ડામર રોડના કામને કારણે માર્ગ એકતરફી બન્યો છે, જેના લીધે 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો છે. ગાંધીધામથી કંડલા આવતા વાહનો રોંગ સાઈડમાં ઘૂસી જતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી છે. હાલ કંડલા ટ્રાફિક પોલીસ અને એસઆરડીના જવાનો દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે, યોગ્ય દિશા સૂચક બોર્ડના અભાવે વાહનો આવકના માર્ગે પણ ઘૂસી આવે છે, જેના કારણે સામસામે વાહનો આવી જવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવે તે જરૂરી છે. કંડલાના સ્થાનિક ચેતન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી જૂના નકટી પુલ પાસે ચારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આજે સવારના 10 વાગ્યાથી બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જૂના નકટી પુલના નવ નિર્માણના કારણે માર્ગ ઉપર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે, જેને લઈ એકતરફી વાહન વ્યવહાર પસાર થઈ રહ્યો છે. જોકે, યોગ્ય દિશા સૂચનના અભાવે વાહનો સામસામે આવી જાય છે અને ટ્રાફિક સમસ્યા ઉદભવે છે. ચેતન મહેશ્વરીએ સૂચવ્યું કે, આ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વાહનોને સિંગલ માર્ગ પરથી એક બાદ એક જથ્થામાં પસાર કરવામાં આવે તે જરૂરી છે. આ ઉપરાંત, માર્ગ નિર્માણ કાર્ય સ્થળે યોગ્ય દિશા સૂચક બોર્ડ પણ લગાવવાની તાતી જરૂર છે. આ બાબતે કંડલા ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ હનુમાન મંદિરથી જૂના નકટી પુલ ઉપર ડામર રોડનું કામ ચાલે છે, જેના કારણે ડબલ માર્ગ સિંગલ માર્ગમાં ફેરવાયો છે. તેમણે ઉમેર્યું કે, વાહન ચાલકો રોંગ સાઈડમાં ઘૂસી આવવાથી આ સમસ્યા સર્જાતી હોય છે. ટ્રક ચાલકોને વારંવાર સૂચના અને રોકવામાં આવતા હોવા છતાં તેઓ ઉતાવળ કરતા હોવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થાય છે. હાલ વાહન નિયંત્રણની કામગીરી ચાલુ છે અને વાહનો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે.
પારડી તાલુકાના ડુમલાવ ગામે ફરી એકવાર દીપડાના આતંકની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે ડુમલાવના દેસાઈ ફળિયામાં કરશન છગનભાઈ પટેલના ઘરે દીપડો ઘૂસી ગયો હતો અને એક કૂતરાનો શિકાર કર્યો હતો. આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ પ્રકાશભાઈ પટેલે તાત્કાલિક વન વિભાગને માહિતી આપી હતી. વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું છે. વન અધિકારીઓએ ગામલોકોને રાત્રિના સમયે એકલા ઘરની બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા સૂચના આપી છે. ડુમલાવ ગામમાં દીપડાનો ઉપદ્રવ નવો નથી. અગાઉ પણ ગામમાંથી બે દીપડા પાંજરામાં પુરાયા હતા. મળતી માહિતી મુજબ, ગામની આસપાસના જંગલ વિસ્તારમાં હજી પણ ચારથી પાંચ દીપડા ફરતા હોવાની ચર્ચા છે. વન વિભાગ દ્વારા અગાઉ પણ અનેકવાર પાંજરાં મુકાયા હોવા છતાં દીપડાઓ તેમાં પકડાતા નથી. ગામના વડીલો જણાવે છે કે દીપડાઓ ઘણીવાર રાત્રે ફળિયામાં અથવા ખેતર નજીક દેખાય છે. ગામમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને ગ્રામજનો દ્વારા દીપડાને જલ્દી પાંજરે પૂરવાની માગ ઉઠી રહી છે.
કોંગ્રેસની 'ખેડૂત આક્રોશ યાત્રા' સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશી છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના દેવા માફ કરવા અને તમામ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી આપવાની માંગ સાથે સરકાર સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેમની સરકાર સત્તામાં આવશે તો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે અને MSPની કાયદેસર ગેરંટી આપવામાં આવશે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના નોલી, દેવગઢ, સુદામડા અને સાયલા જેવા ગામોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન, કોંગ્રેસના નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારો સમક્ષ ખેડૂતોના બાકી દેવા સંપૂર્ણપણે માફ કરવાની અને દરેક પાકની MSP પર ખરીદીની કાયદેસર ખાતરી આપવાની અપીલ કરી હતી. આ યાત્રામાં ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી, લાલજીભાઈ દેસાઈ, ગોપાલભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, કલ્પનાબેન ધોરીયા, ચેતનભાઈ ખાચર અને ગુણવંતભાઈ પંડ્યા સહિત અનેક અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ રેલીમાં જોડાયા હતા. નેતાઓએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો અને પાકના ઓછા ભાવને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં ખેડૂતોને ન્યાય આપવાની જવાબદારી સરકારની છે. આ યાત્રાને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કોંગ્રેસે જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સરકારને જાગૃત કરવા માટે રાજ્યભરમાં આવી વધુ યાત્રાઓનું આયોજન કરવામાં આવશે.
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આ શિયાળાની ઋતુ માટે પોતાના વિમાનોમાં નવો ઉમેરો કરવા જઈ રહી છે. એરલાઇનએ જાહેરાત કરી છે કે, તે કોરેન્ડન એરલાઇન્સ પાસેથી બોઇંગ 737 વિમાનો વેટ-લીઝ પર લેશે, જેથી તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ થશે. દિલ્હીમાં આ વિમાન કાર્યરત રહેશે અને અમદાવાદ સહિતના શહેરોને સેવા પૂરી પાડશે. આ વિમાનોની કામગીરી 22 નવેમ્બર, 2025થી શરૂ થવાની શક્યતા છે. ઇન્ડિગોનું આ નવું લિઝિંગ કરાર ખાસ કરીને શિયાળાની વધતી મુસાફરીની માગને પહોંચી વળવા માટે કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરને વધુ સુવિધા મળશેઆ લીઝ પર લેવામાં આવેલા 737 વિમાનો દિલ્હી એરપોર્ટ પરથી કાર્યરત રહેશે અને રાંચી, અમદાવાદ, નાગપુર સહિતના અનેક શહેરોને સેવા આપશે. ખાસ કરીને ઇન્ડિગોનું આ પગલું સ્પાઇસજેટ દ્વારા અગાઉ સીઝ પર લીધેલા વિમાનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિયાળામાં મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાની લઈ કરારઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન સ્પાઈસજેટએ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર પાંચ નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 10 થઈ ગઈ હતી. ત્યારે સ્પાઈસજેટ બાદ ઈન્ડિગો એરલાઈન્સએ પણ આ નિર્ણય લીધો છે.
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિર દ્વારા યુવાનોમાં સકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંદિર 11 અને 12 નવેમ્બર, 2025ના રોજ “ક્રિએટર્સ સંગ” ઇન્ફ્લુએન્સર્સ મીટનું આયોજન કરશે. આ બે દિવસીય કાર્યક્રમમાં દેશભરમાંથી 50થી વધુ પ્રભાવશાળી ડિજિટલ ક્રિએટર્સ, આર્ટિસ્ટ, મ્યુઝિશિયન અને વિચારકો એક મંચ પર આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જાગૃત પ્રભાવ અને સામાજિક પરિવર્તનની શક્તિ પર ચર્ચા કરવાનો છે. “ક્રિએટર્સ સંગ” વ્યક્તિગત જવાબદારી, નૈતિકતા અને સોશિયલ મીડિયા દ્વારા ઉચ્ચ મૂલ્યોને કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય તેવા મહત્વપૂર્ણ સંવાદને પ્રોત્સાહન આપશે. ભાગ લેનારાઓ માટે પ્રેરણાત્મક સત્રો, ભારતની પ્રાચીન આધ્યાત્મિક પરંપરા સાથે જોડાયેલ સર્જનાત્મક ઉર્જાને દિશા આપવા પર ચર્ચા, ભગવદ ગીતા પર આધારિત વર્કશોપ અને મધવાસ ઇકો વિલેજમાં પ્રકૃતિ અનુભવ જેવા કાર્યક્રમો તૈયાર કરાયા છે. આજના યુગમાં ડિજિટલ કન્ટેન્ટ યુવાનોના વિચારોને આકાર આપે છે. આ સંદર્ભમાં, “ક્રિએટર્સ સંગ” એવા અવાજોને મજબૂત બનાવશે જે મનને ઉન્નત કરે અને હૃદયને પ્રેરણા આપે. કાર્યક્રમમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ-સ્નેહી પ્રવૃત્તિઓ જેવી સામાજિક સેવા સાથે જોડાવાની તક પણ મળશે. આ ઉપરાંત, ઇન્ટરફેથ સંવાદ, વ્યક્તિગત આત્મચિંતન અને એકતા, દયા અને રાષ્ટ્રભાવના વધારતા અનુભવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હરે કૃષ્ણ મંદિરનું નેતૃત્વ માને છે કે આ પ્રતિષ્ઠિત કન્ટેન્ટ ક્રિએટર્સનું એકત્ર આવવું મંદિરની સીમાઓ બહાર પણ સકારાત્મક અસર કરશે. આધ્યાત્મિક મૂલ્યો અને નવીન ડિજિટલ પહોંચને જોડીને, “ક્રિએટર્સ સંગ” ભારતીય સમાજમાં જવાબદારી, એકતા અને ઉજળા ભવિષ્યની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર 9 નવેમ્બરની મોડીરાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોપેડ લઈને જઈ રહેલા બે ભાઈને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર વાગતા બંને જમીન પર પટકાયા હતા, જેમાં મોપેડચાલક યુવકને માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે. અન્ય મોપેડ સવાર યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મોપેડને ટક્કર માર્યા બાદ ડમ્પરચાલક ફરારઓઢવમાં રહેતો ગોવિંદ પરમાર નામનો યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત મોડીરાતે ગોવિંદભાઈ તેમના પિતરાઈ ભાઈ શૈલેષ સાથે એક્સેસ પર કઠવાડા ચોકડીથી નીકળી ઘર જતા હતા. ગોવિંદભાઇએ એક્સેસ ચલાવી રહ્યા હતા, ત્યારે ઓઢવ રિંગ રોડ પાસે પહોંચતા ડમ્પરચાલકે એક્સેસને પૂરઝડપે ટક્કર મારી હતી. અકસ્માત કરીને ડમ્પરચાલક ડમ્પર લઈને સિંગરવા તરફ નાસી ગયો હતો. મોપેડ ચાલકને ગંભીર ઈજા થતાં સ્થળે જ મોતઅકસ્માતમાં ટક્કર વાગતા ગોવિંદભાઈ અને શૈલેષ નીચે પટકાયા હતા. અકસ્માતમાં ગોવિંદભાઈને શરીરના ભાગે અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સ્થળ પર જ મોત થયું હતુ. જ્યારે શૈલેષને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ગોવિંદના પરિવારમાં પત્ની અને 10 વર્ષનું બાળક છે. અકસ્માતમાં 10 વર્ષના પુત્રએ પોતાના પિતા ગુમાવ્યા છે. આ મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં દિવાળી બાદ પણ પાણી અને મચ્છરજન્ય રોગોના કેસો યથાવત રહેવા પામ્યો છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં સચિન GIDCમાં તાવ આવ્યા બાદ 4 વર્ષીય બાળકી અને વેસુમાં વીઆઈપી રોડ ખાતે ટાઈફૉઈડની અસર થયા બાદ યુવતીની તબિયત વધુ બગડતા મોત નિપજ્યું હતું. સિવિલમાં એક માસમાં ડેન્ગ્યુના 312 અને ટાઈફૉડના 27 કેસ નોંધાયા છે. તાવ આવ્યા બાદ ચાર વર્ષીય બાળકીનું મોતમળતી માહિતી પ્રમાણે, મુળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં સચિન GIDCમાં બરફ ફેકટરી પાસે હરીભાઇની ચાલમાં રહેતા પંકજકુમારની 4 વર્ષીય પુત્રી અંજલીને પાંચ દિવસથી તાવ આવતો હોવાથી પરિવારજનો ઘર પાસેથી દવાખાનામાં સારવાર માટે લઇ ગયા હતા. બાદમાં બે દિવસ પહેલા રાત્રે તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ પછી નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટી હતી. જયારે તેના પરિવારના સભ્યોએ કહ્યુ કે, નવી સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા.ત્યારે બાળકી બોલતી હતી. બાદમાં તે મોતને ભેટી હોવાના આક્ષેપ કર્યા હતા. તેના પિતા મીલમાં નોકરી કરી છે. 43 વર્ષીય મહિલાનું ટાઈફોઈડ થયા બાદ મોતબીજા બનાવમાં વેસુમાં વી.આઈ.પી રોડ પર નંદની ખાતે રહેતી 43 વર્ષીય નિમિષાબેન નિતેષકુમાર રાણાને તાવ સહિતની તકલીફ હતી. જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે તે ટાઈફૉડની અસર થતા વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં સારવાર દરમિયાન ગત રાતે તેમનું મોત નીપજયું હતું. જયારે નિમિષાબેનને સંતાનમાં એક પુત્ર છે. તેમના પતિ જરીના ધંધા સાથે સંકળાયેલા છે. સુરતમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યૂના 312, ટાઈફોઈડના 27 કેસ શહેરમાં ચોમાની માસમાં ફેલાતો મચ્છર અને પાણીજન્ય રોગચાળો દિવાળી દરિમિયાન પણ ઝાડા-ઉલ્ટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં ઘણા વ્યક્તિઓ ઝપેટમાં આવી રહ્યા છે. જેથી આ બીમારીથી પીડાતા દર્દીઓ સારવાર માટે નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં જવા માટે ઘસારો વધી ગયો છે. તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં ઓકટોબર માસમાં ડેન્ગ્યુમાં 312, ટાઇફૉઈડમાં 27, તાવમાં 235, મેલેરીયામાં 61, ગ્રેસ્ટોમાં 51, ચિકુન ગુનિયામાં 1 દર્દી સારવાર અર્થે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ગારમેન્ટ ટેક્સટાઇલ એક્સપો (GTE) 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં કાપડ, ગારમેન્ટ, ડિઝાઇનિંગ, ટેલરિંગ, તેમજ કાપડ પર થતા વિવિધ ભરતગુંથણ, પ્રિન્ટિંગ, ઝરદોશી વર્ક, ગાંઠ વર્ક, સાદું ભરતકામ, ટિકી વર્ક, અઝરખ વર્ક અને હસ્તકલા જેવી કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉપરાંત, રેશમ જેવા કાપડના ઉત્પાદન માટેના મશીન, રોબોટિક મશીન અને ઓટોમેશન પદ્ધતિના આધુનિક ગારમેન્ટ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ્ય કાપડ ઉદ્યોગમાં નવીનતમ ટેકનોલોજી અને ડિઝાઇન્સનું પ્રદર્શન કરવાનો હતો. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલ (RVVM) પણ આ એક્સપોમાં ઉપસ્થિત રહ્યું હતું. મંડળે મોટા પાયે રોજગાર આપતા ગારમેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ સેક્ટર વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. તેમણે મહિલા ઉદ્યોગકારો, ગ્રામ્ય વિસ્તારના ગૃહ ઉદ્યોગો અને રમકડા ઉદ્યોગની બનાવટના સ્ટોલનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ એક્સપોમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, જમ્મુ કાશ્મીર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને દિલ્હી સહિત દેશ-વિદેશની ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલી મશીનરી ઉત્પાદક કંપનીઓએ ભાગ લીધો હતો. સહભાગીઓને પ્રોત્સાહન રૂપે પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારના નિયમો અને કાયદાની ઉપરવટ જઈને કલેક્ટર ઓફિસમાં NA(નોન એગ્રિકલ્ચર)ની ફાઇલો દબાવી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા આજે વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને હાલમાં 200 જેટલી NAની ફાઇલો નિકાલ વગર પડી છે. જેને લઈનેકાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિના મહામંત્રી જીતુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી છે કે, વડોદરા કલેક્ટર ઓફિસમાં એનએ ની 200 જેટલી ફાઈલો લાંબા સમયથી પન્ડિંગ છે, એનો તુરંત નિર્ણય કરવામાં આવે, જે કેસમાં ખેડૂતને એનએ કરાવવાની જરૂર નથી, એમાં પણ એનએ કરાવવાની ફરજ પાડવામાં આવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,કાયદામાં એવી જોગવાઈ છે કે, કોર્પોરેશન અને વુડાની હદથી બહાર જે ગામ હોય એમાં પણ એનએ કોઈપણ પ્રકારનું એને કરાવવાનું નથી. તેમ છતાં પણ ખેડૂતોને કહેવામાં આવે છે કે તમારે એને કરાવવું પડશે. તેઓએ ઉમેર્યું હતું કે, અમને એવી પણ ફરિયાદ મળી હતી કે, કલેક્ટર ફાઇલ મંજૂર કરી દે છે, પછી પણ અરજદારને એની જાણ કરવામાં આવતી નથી, જેને લીધે 200 જેટલી ફાઈલો તમારે ત્યાં પેન્ડિંગ છે. કલેક્ટર સાહેબે કહ્યું છે કે, અમે એની તપાસ કરીશું અને હું બનતા બધા જ પ્રયત્ન કરીશ. અને અમને આશા છે કે આ પ્રશ્નનું નિરાકરણ થઈ જશે.
અમદાવાદમાં સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) દ્વારા જીવનસાથી પસંદગી સંમેલન 'સ્નેહ બંધન - 2025' સફળતાપૂર્વક યોજાયું. દીનદયાળ ઉપાધ્યાય ઑડિટોરિયમ ખાતે આયોજિત આ સંમેલનમાં 850થી વધુ લગ્નોત્સુક યુવાન-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે SVVP મેટ્રિમોની અને SVVP બિઝનેસ ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું. SVVP એ ગુજરાત મૂળના વૈષ્ણવ વણિક પરિવારો માટે સેવાકીય પ્રવૃત્તિઓ કરતું એક મહાસંગઠન છે. કિરીટભાઈ શાહ, દક્ષેશ શાહ અને ટીમ SVVP ના સબળ નેતૃત્વ હેઠળ તેની રચના કરવામાં આવી છે. SVVP અમદાવાદના પ્રમુખ શ્રી યોગેશ પરીખ અને હિરેન શાહના નેતૃત્વમાં ટીમ SVVP ની મહેનતથી આ કાર્યક્રમ સફળ બન્યો. આ ભવ્ય કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ટાઉન પ્લાનિંગ કમિટીના અધ્યક્ષ પ્રીતેશ શાહ અને AMC સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સુજય મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SVVP શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પરસ્પરની ઓળખ જેવી વિવિધ લોકઉપયોગી પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે.
અમદાવાદ: અખિલ ભારતીય વૈષ્ણવ વૈરાગી પરિષદના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટણના વાસુદેવભાઈ સાધુની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અમદાવાદ ખાતે રામાનંદી ગુરુકુલમાં યોજાયેલી પરિષદની બેઠકમાં કરવામાં આવી હતી. આ બેઠક પ્રમુખ ચંદુભાઈ સાધુના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મહાગુજરાત ચતુ:સંપ્રદાય વૈષ્ણવાચાર્ય સમાજ મધ્યસ્થ સંઘ અમદાવાદ અને વઢિયાર વિભાગ રામાનંદી સાધુ સમાજના પ્રમુખ ચંદુભાઈ સાધુ, મહામંત્રી ગોપાલભાઈ વૈષ્ણવ, તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વાસુદેવભાઈ સાધુ પાટણ ખાતે લીલીવાડી હોટલ ધરાવે છે. આ ઉપરાંત, રામાનંદી સાધુ સમાજના બનાસકાંઠા વિભાગના પ્રમુખ વાસુદેવભાઈ સાધુનું અયોધ્યા ખાતે ચાલી રહેલી રામકથામાં સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભુરિયા આશ્રમના મહામંડલેશ્વર ઘેવરદાસજી બાપુ, વઢિયાર વિભાગના નારસિંહભાઈ સાધુ અને સમાજના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.
ગોધરા SOGએ બે વોન્ટેડ આરોપીને ઝડપ્યા:પશુ સંરક્ષણ અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા હતા
ગોધરા SOG પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ અને પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. મુસ્તાક નિશાર અધીને ગોધરાની એમ.ઇ.ટી. સ્કૂલ પાસેથી અને અશોક બાબુભાઈ પટેલ (રાઠવા)ને હાલોલ તાલુકાના ચન્દ્રાપુરા ગામના બસ સ્ટેશન પાસેથી પકડવામાં આવ્યા હતા. SOG ગોધરાના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે, પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને તેમની ટીમે મુસ્તાક નિશાર અધીને ઝડપી પાડ્યો હતો. તે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1), 6(બી), 8(2), 8(4), 10, BNS-2023ની કલમ 325, તેમજ જી.પી. એક્ટની કલમ 119 મુજબ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. તે ખંખારીયા પ્લોટ, ગોધરાનો રહેવાસી છે. અન્ય એક કાર્યવાહીમાં, પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને મળેલી બાતમીના આધારે SOG ટીમે અશોક બાબુભાઈ પટેલ (રાઠવા)ને ઝડપી પાડ્યો હતો. તે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ કલમ 65(એ), 65(ઇ), 98(2), 81, 83 મુજબના ગુનામાં વોન્ટેડ હતો. ઝડપાયેલા બંને આરોપીઓને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે. આ કાર્યવાહી SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં રન ફોર યુનિટી રોડ શો યોજાયો:મુખ્યમંત્રીની હાજરીમાં શરબત વિતરણ કરાયું
જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 'રન ફોર યુનિટી' રોડ શો દરમિયાન શરબત વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જૂનાગઢ પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા, અન્ય મંત્રીમંડળના સભ્યો અને જૂનાગઢના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા અને પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ. મેઘનાથી સહિત અનેક સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા. અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ દીકરીઓ પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી. પ્રભારી મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાનું બહુમાન કરવામાં આવ્યું હતું. રોડ શોમાં પ્રસ્થાન કરનાર તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો અને પોલીસ સ્ટાફને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંધ કન્યા છાત્રાલયની એમ.એ.માં અભ્યાસ કરતી દિવ્યાંગ લાભાર્થી રેખા બોખાણીએ વક્તવ્ય આપ્યું હતું. બી.એડ.માં અભ્યાસ કરતી અંધ દીકરી વાળા દયાએ પણ આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
શહેરના માધવપુરામાં એક યુવકે દિવાળી પર થયેલી ઝઘડાની અદાવત રાખીને અન્ય યુવકના શરીર પર આડેધડ છરીના ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દીધો હતો. યુવક તેના મિત્રો સાથે ઉભો હતો ત્યારે આરોપી એકાએક તાનમાં આવી ગયો હતો અને છરીના ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. આરોપીની હેવાનીયત જોતા યુવકના મિત્રો ત્યાથી નાસી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.માધવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યોમાધવપુરા વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પાસે ઘોડાગાડીના ડહેલામાં રહેતા જયેશ ઘાનકાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં વિજય દંતાણી વિરૂદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી છે. જયેશ સંયુક્ત પરિવારમાં રહે છે અને ઘી કાંટા ખાતે આવેલા કપડાની શોપમાં નોકરી કરે છે. ગઈકાલે રાતે નવ વાગ્યાની આસપાસ જયેશ તેના મિત્ર સાહિલ, સંતોષ, ક્રિષ્ના પાસે ઉભો ઉભો ઘોડાગાડીના ડહેલાની અંદર વાતચીત કરી રહ્યો હતો તે વખતે તેના પડોશમાં રહેતો વિજય આવ્યો હતો. વિજયે આવતાની સાથેજ જયેશને કહેવા લાગ્યો હતો કે, તું દિવાળીના તહેવાર વખતે મારા જોડે બોલાચાલી કરતો હતો, આજે હુ આવી ગયો છે, બોલ તારે મારી જોડે ઝઘડવુ છે તો આજે લડી લઈએ.વિજયની વાત સાંભળીને જયેશે તેને શાંતી વાત કરવા તેમજ ઘરે જતા રહેવાનું કહ્યુ હતું. જયેશે વિજયને એમ પણ કહ્યુ હતુકે મારે તારી જોડે કોઈ મગજ મારી કરવી નથી. આજે ઓછો માર્યો હોવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપીવિજય ગિન્નાયો હતો અને જયેશને ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી.જયેશે વિજય ગાળો નહી બોલવા માટેનું કહેતા તે વધુ ઉશ્કેરાયો હતો અને તેની પાસે રહેલી છરી કાઢી હતી.જયેશ કઈ વિચારે તે પહેલા વિજયે તેના પેટ, છાતી, હાથ અને મોઢા પર છરીના આડેધડ ઘા ઝીંકવાના શરૂ કરી દીધા હતા. જયેશના કેટલાક મિત્રો નાસી ગયા હતા જ્યારે કેટલાક તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. લોહીથી લથપથ થઈ ગયેલો જયેશ જમીન પર ઢળી પડ્યો હતો જ્યારે વિજય ત્યાથી નાસી ગયો હતો.વિજય જતા જતા ધમકી આપી હતીકે આજે તો તને બહુ ઓછો માર્યો છે,ફરીથી તુ મને જોવા મળીશ તો તને હુ જાનથી મારી નાખીશ.જયેશને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો જ્યા તેની હાલત નાજુક હતી. ઘટનાની જાણ માધવપુર પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિજય વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

28 C