ભાવનગર ખાતે આંતર-મહાનગરપાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ ની આજરોજ ફાઇનલ મેચ ભરૂચ કલબ ખાતે યોજાઇ હતી, જેમાં પ્રથમ કમિશનર ઇલેવન સુરતની મેચ રાજકોટ ઇલેવન સામે રમાઈ હતી જેમાં સુરતની ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી, જ્યારે બીજી મેચમાં ભાવનગર મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે રમાઇ હતી જેમાં સુરત ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો, આમ, સુરત મહાનગરપાલિકાએ કમિશનર અને મેયર ઈલેવન બંને મેચમાં ફાઈનલ જીતી લીધી હતી. ભારે રસાકસી બાદ સુરત ટિમ વિજેતા બની જેમાં આજે પ્રથમ મેચ કમિશનર ઈલેવન ફાઇનલની ફાઈનલ મેચ સુરત અને રાજકોટ વચ્ચે રમાઈ હતી, જેમાં રાજકોટ ઇલેવન પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 141 રન બનાવ્યા હતા, જ્યારે આ લક્ષ્યાંક સુરતની ટીમે માત્ર 17.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવી જીત હાંસલ કરી હતી આમ, બને ટિમો વચ્ચે ભારે રસાકસી જામી હતી, જેમાં સુરત તરફથી ચિરાગ પટેલે 51 રનની શાનદાર અડધી સદી ફટકારી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, સુરતની ટીમે માત્ર 9.3 ઓવરમાં ફાઈનલ મેચ જીતી જ્યારે બીજી મેયર ઇલેવનની ફાઈનલ મેચ ભાવનગર અને સુરત વચ્ચે રમાઈ હતી, જેમાંભાવનગર ઈલેવનએ ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી, પરંતુ સુરતની ધારદાર બોલિંગ સામે ભાવનગરની ટીમ 18.5 ઓવરમાં માત્ર 96 રનમાં સમેટાઈ ગઈ હતી, જેના જવાબમાં સુરત ઇલેવનની જીતવા માટેના 97 રનના લક્ષ્યાંકને સુરત મેયર ઇલેવનની ટીમે માત્ર 9.3 ઓવરમાં 8 વિકેટ બાકી રાખીને આસાનીથી હાંસલ કરી લીધો હતો, આમ, ભાવનગર મેયર ઈલેવનની ટિમની કારમી હાર થઈ હતી, આ મેચમાં ભાવનગરની ટીમ રનર-અપ રહી હતી, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મેચના અંતે આયોજિત પૂર્ણાહુતિ સેરેમનીમાં સુરત અને ભાવનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા અને દંડકની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કલેક્ટર, કુલપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ, ભાજપ અધ્યક્ષ, સંગઠનના મહામંત્રીઓ અને વિવિધ કમિટીઓના ચેરમેન સહિતના મહાનુભાવોએ હાજર રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, સન્માન અને ખેલદિલી મહાનુભાવોના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે જ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર લાઇસનિંગ સ્ટાફ, ગ્રાઉન્ડ સ્ટાફ, અમ્પાયરો અને કોમેન્ટટ્રેટરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સમગ્ર ટુર્નામેન્ટ સ્પોર્ટ્સમેન સ્પિરિટ અને સુંદર આયોજન સાથે સંપન્ન થઈ હતી, જેમાં સુરતની ટીમે ડબલ જીત હાંસલ કરી મેદાન મારી લીધું હતું.
સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે મહાનગરપાલિકાએ ઝુંબેશ તેજ કરી છે. અઠવા ઝોનના આરોગ્ય વિભાગે ભટાર અને અલથાણ વિસ્તારમાં પાણીપુરીના લારી-ગલ્લાઓ પર ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન ગંદકી અને અખાદ્ય સામગ્રીનું ભયાનક સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તંત્રએ સ્થળ પર જ કાર્યવાહી કરી અંદાજે 235 કિલો જેટલા સડેલા બટાકા, ચણા અને માવા-મસાલાનો નાશ કર્યો હતો, જે લોકોના પેટમાં જઈને મોટી બીમારી નોતરી શકે તેમ હતા. 10,000 નંગ પુરીઓ ફેંકી દેવાઈલોકોના જીવ સાથે રમત કરનારાઓને 48 હજારનો દંડ આરોગ્ય વિભાગની ટીમે તપાસ દરમિયાન જોયું કે અનેક વિક્રેતાઓ વાસી અને દુર્ગંધ મારતી પુરીઓ ગ્રાહકોને પીરસી રહ્યા હતા. પરિણામે, 10,000 નંગ જેટલી અખાદ્ય પુરીઓનો જથ્થો તાત્કાલિક ફેંકી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા 6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી બદલ 18 જેટલા એકમો પાસેથી કુલ 48,000 રૂપિયાનો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેનાથી ખાણીપીણીના બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભ્રષ્ટ એજન્સીને અઢી કરોડનો જંગી દંડબીજી તરફ, સુરતના ચકચારી ખજોદ કચરા કૌભાંડમાં પાલિકા કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. કચરાનું પ્રોસેસિંગ કર્યા વિના જ તેને બહાર વેચી દેવાના અને વજનમાં ગેરરીતિ આચરવાના ગુનામાં સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને 2.50 કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકારવામાં આવ્યો છે. એજન્સીએ અધિકારીઓ સાથે મળીને કરેલા આ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે પાલિકા તંત્રમાં મોટા ફેરફારોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓને શો-કોઝ નોટિસઆ કૌભાંડમાં માત્ર ખાનગી એજન્સી જ નહીં, પણ પાલિકાના પોતાના અધિકારીઓની મિલિભગત પણ સામે આવી છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર રાકેશ મોદી અને એન્વોયરમેન્ટ એન્જિનિયર શરદ કાકલોતરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ફરજમાં બેદરકારી અને ભ્રષ્ટાચારને છાવરવા બદલ આ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહીથી પાલિકાના એન્જિનિયરિંગ વિભાગમાં ગભરાટનો માહોલ છે. નવા નિયમો સાથે રિ-ટેન્ડરિંગની તૈયારીકચરા કૌભાંડમાં બદનામી થયા બાદ હવે વહીવટી તંત્રે આખી સિસ્ટમને પારદર્શક બનાવવાનો નિર્ણય લીધો છે. જૂના કોન્ટ્રાક્ટરોની મુદત પૂર્ણ થતા હવે બે જ દિવસમાં નવા નિયમો અને કડક શરતો સાથે રિ-ટેન્ડર બહાર પાડવામાં આવશે. આ નવા ટેન્ડરમાં કચરાના નિકાલની પ્રક્રિયા પર બાજ નજર રાખવા માટે ડિજિટલ મોનિટરિંગ અને કડક ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી, ભવિષ્યમાં આવા કૌભાંડો અટકાવી શકાય.
સુરતના સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે આવેલી બંધ હાલતમાં પડેલી ભાગેડુ નિરવ મોદીની જર્વેલરીની કંપનીમાં ગુરુવાર રાત્રે ગ્રાઉન્ડ ફલોર આગ ફાટી નીકળ્યા બાદ શુક્રવારે ફરી આગ લાગતા ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ત્યાંના લોકોમાં ગભરાટ ફેલાતા અફડાતફડી અને નાસભાગ થઇ જવા પામી હતી. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી આ કંપનીમાં આગ લાગી કે પછી આગ લગાવવામાં આવી હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે. આ કંપની વર્ષોથી ED દ્વારા સીલ કરવામાં આવી હતી. વીજળી, પાણી, ડ્રેનેજ સહિતના બધા કનેક્શન કાપેલા હોવા છતાં આગ લાગી. જેના કારણે આગને લઈને સૌથી મોટા સવાલ ઊભો થાય છે. ગ્રાઉન્ડ ફ્લોરની આગે પહેલા માળને પણ ઝપેટમાં લીધોફાયરબ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ સચિન રોડ પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે ભાગેડું નીરવ મોદીની બંધ હાલતમાં પડેલી ફાયર સ્ટાર ડાયમંડ નામક જર્વેલરીની કંપનીમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર ગુરુવારે મોડી રાતે આગ ફાટી નીકળી હતી. આગ ફેલાતા પહેલો માળ પણ ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સચીન નોટી ફાઇડ ફાયરને જાણ થતા ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી. છ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોશુક્રવાર ફરી આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધૂમાડાના ગોટાગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્યાંના હાજર લોકોમાં ભય ફેલાતા અફડાતફડી અને દોડધામ થઈ જવા પામી હતી. જોકે પાલિકાના ફાયર બિગ્રેડને કોલ મળતા લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ઘસી જઈને સતત પાણીનો છંટકાવ કરતાં છ કલાક સુધી ભારે જહેમત ઉઠાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓફિસની ફાઈલ સહિતનું બળીને ખાખઆગના લીધે એ.સી, કોમ્પ્યુટર, ફર્નિચર, તિજોરી, મશીન, એલિવેશન, સ્ટોરેજ કરેલો સામાન, ઓફિસની ફાઈલ, વાયરિંગ સહિતની વસ્તુને નુકસાન થયું હતું. આ બનાવામાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યું હતું. સચીન નોટિફાઈડ ફાયરે બુઝવેલી આગ બાદ ફરી લાગીજર્વેલરીની કંપનીમાં ગુરુવારે રાતે આગ ફાટી નીકળી હતી. જેથી સચીન નોટિફાઇડ ફાયરજવાનો ત્યાં પહોચીને કામગીરી કરતા આગ કાબુમાં આવી હતી. બાદમાં શુક્રવારે ફરી ત્યાં આગ લાગતા ત્યાંથી ફાયર ટીમ આગ બુઝાવી શક્યા નહીં, જેથી પાલિકાના ફાયર કાફલો ત્યાં પહોચીને છ કલાક સુધી કામગીરી કરતા આગ કાબુમાં આવી હતી. સચીન નોટિફાઇડ ફાયર કંન્ટ્રોલ આગની માહિતી આપવા અખાડાજર્વેલરીની કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી. આ અંગે સચીન નોટિફાઇડ ફાયર કંન્ટ્રોલ દ્વારા માહિતી આપી નહીં, એટલુ નહીં આગ અંગે જરૂરી માહિતી માટે ત્યાંના અધિકારીનો ફોન નંબર પણ આપ્યો નહી, જોકે સચીન જી.આઈ.ડી.સી કેટલીક વખતે ત્યાં કંપનીમાં આગના બનાવો અંગે જરૂરી માહિતી ત્યાંના ફાયર અધિકારીઓ આપવા અખાડા કરે છે. જોકે સચીન નોટિફાઇડના અમુક ફાયરના અધિકારીઓને સચીન જી.આઇ.ડી.સીના કંપની કે મીલ સહિતના ખાતા વાળા સાથે સારા સંબંધ હોવાના લીધે જરૂરી માહિતી આપતા નહી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. આગ લાગી કે લગાવવામાં આવી તેને લઈને શંકાલાંબા સમયથી બંધ હાલતમાં રહેલી ભાગેડું નિરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી સાથે જોડાયેલી હોવાનું કહેવાતી આ કંપનીમાં આગ લાગી કે પછી આગ લગાવવામાં આવી હોવાની આશંકાએ અનેક સવાલો ઊભા કર્યા છે. મોડી રાતે રહસ્યમય સંજોગોમાં લાગેલી આગ પર બીજા દિવસે કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગ અકસ્માત છે કે પછી પુરાવા નષ્ટ કરવાનું ષડયંત્ર?મળતી માહિતી પ્રમાણે કંપનીના ગેટ અને બારીઓ તૂટેલી હાલતમાં મળી આવી છે. એટલે સવાલ એ છે કે સીલ બંધ કંપનીમાં કોણ ઘૂસ્યું? SEZ જેવી કડક સુરક્ષા ધરાવતી જગ્યા પર આ કેવી રીતે શક્ય બન્યું? ફાયર વિભાગની અનેક ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો, કલાકો સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ રહ્યું, પરંતુ કરોડોની મશીનરી અને દાગીના અંગેની ચર્ચાઓએ મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ શું આ આગ પાછળ મોટું કવર-અપ છે? શું કોઈ મહત્વના પુરાવા નષ્ટ કરાયા? આગના પગલે અનેક સવાલો ઊભા થયા છે.
મહેસાણામાં રવિવારે 9 કલાકનો મેગા પાવર કટ:શહેર અને હાઈવેના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ રહેશે
ઉત્તર ગુજરાતના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આગામી રવિવાર, 11 જાન્યુઆરી 2026ના રોજ વીજ તંત્ર દ્વારા મોટા પાયે સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 66 KV મહેસાણા સબ સ્ટેશનમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરીને પગલે મહેસાણા-1 અને મહેસાણા-2 (હાઈવે) હેઠળ આવતા અનેક વિસ્તારોમાં સવારથી સાંજ સુધી વીજ પુરવઠો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણા-1 વિભાગની વિગતો મુજબ રવિવારે સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધી ગોપીનાળા, સીટી ફીડર, રોહિત નગર, માર્કેટ યાર્ડ, આશ્રમ, ગૌરવ, એગ્રો, સોમનાથ, અયોધ્યા નગર અને અમરપુરા ફીડર હેઠળ આવતા તમામ રહેણાંક અને વ્યાપારિક ગ્રાહકોને પાવર કટનો સામનો કરવો પડશે. નોંધનીય છે કે શોભાસણ રોડ સિવાય મહેસાણા-1 ના તમામ વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન વીજળી ઉપલબ્ધ રહેશે નહીં. બીજી તરફ મહેસાણા-2 એટલે કે હાઈવે વિસ્તારમાં પણ હાઈવે ફીડર, રાજકમલ, સર્કિટ હાઉસ, જીડીસીએલ, નાગલપુર અને ડેરી ફીડર હેઠળના વિસ્તારોમાં વીજ કાપ રહેશે. જેમાં ખાસ કરીને રામોસણા રોડ, રાધનપુર રોડ (કમળ પથ સુધી), જેલ રોડ, ડેરી રોડ, સર્કિટ હાઉસ તેમજ સર્કિટ હાઉસની સામેના રોડથી મોઢેરા ચાર રસ્તા સુધીના વિસ્તારો પ્રભાવિત થશે. વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર વીજ પુરવઠો ગમે ત્યારે પુનઃ સ્થાપિત કરવામાં આવશે. રવિવારના રજાના દિવસે જ લાંબા સમયનો પાવર કટ હોવાથી નાગરિકોને પોતાના જરૂરી કામો વહેલા પતાવી લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. નશો એટલો હદબહાર હતો કે અકસ્માત બાદ શખસે શરમ અનુભવવાને બદલે સ્થળ પર હાજર લોકો અને મજૂરો સાથે ગાળાગાળી કરી હતી. આ અકસ્માતમાં બે મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સામે આવ્યું છે. નશામાં ધૂત ડ્રાઇવરે ટ્રેક્ટર પર કાર ચડાવ્યાનું કબૂલ્યુંઅકસ્માત એટલો ભયાનક હતો કે, ફોર્ચ્યુનર કાર ટ્રેક્ટર પર ચડી ગઈ હતી. નશામાં ધૂત કાર ચાલકની શાન ઠેકાણે નહોતી, તેણે સ્થળ પર જાહેરમાં કબૂલાત કરી હતી કે, ટ્રેક્ટર સહેજ અડતા જ તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે જાણીજોઈને ટ્રેક્ટર પર કાર ચડાવી દીધી હતી. અકસ્માત બાદ આ શખ્સે રોડને બાનમાં લીધો હતો અને મનફાવે તેમ અપશબ્દો બોલી ધમાલ મચાવી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતોકારની ટક્કર એટલી પ્રચંડ હતી કે, ટ્રેક્ટરમાં ભરેલી માલસામાનની બોરીઓ હાઈ-વે પર વેરવિખેર થઈ ગઈ હતી. લક્ઝરી ફોર્ચ્યુનર કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનાને પગલે હાઈ-વે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. બે મજૂરોની હાલત ગંભીર, ચાલક ફરારઆ હિટ એન્ડ રન જેવી ઘટનામાં ટ્રેક્ટરમાં સવાર બે નિર્દોષ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જી અને ધમાલ મચાવ્યા બાદ વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ વડાલ પોલીસ આ મામલે ગુનો નોંધી નશાખોર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલો વડોદરાના સાવલી ગામનો યુવક આજે વડોદરા એરપોર્ટ પર આવતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સો.મીડિયામાં થોડા સમય પહેલા એક યુવકે વીડિયો વાઇરલ કરી ભારત સરકાર પાસે વતન પરત લાવવા માટે આજીજી કરી હતી, ગુજરાતના આશરે 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાઈ જવાની એક ઘટના સામે આવી હતી ત્યારે આજરોજ વડોદરાના ગુંજને એરપોર્ટ પર પહોંચી મ્યાનમારમાં તેની સાથે શું-શું થયું અને કેવા અનુભવો રહ્યા તેની આપવીતી જણાવી હતી. દરેક વ્યક્તિને અલગ-અલગ બહાનાથી બોલાવવામાં આવ્યા હતાગુંજન શાહે મ્યાનમારમાં ઘટેલી ઘટનાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, ડેટા એન્ટ્રીની જોબના નામે અમને બધાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિને અલગ-અલગ બહાનાથી ત્યાં બોલાવવામાં આવ્યા હતા. એવુ નહોતું કે, દરેક વ્યક્તિને સ્કેમિંગની ખબર હતી. મોટાભાગે ડેટાએન્ટ્રી અને અન્ય નાના-મોટા કામના બહાને લોકોને ત્યાં બોલાવ્યા હતા. કોઈને 70-75 હજારની સેલેરી ઓફર કરી હતી તો કોઈને લાખો રુપિયાની સેલેરી ઓફર કરવામાં આવી હતી. આપણા 5 ભારતીયો પણ મ્યાનમારની જેલમાં ફેબ્રુઆરીથી છેઅમને બહાર લાવવા માટે સરકારનો પૂરતો સપોર્ટ મળ્યો અને ત્યાં મ્યાનમારમાં પણ અનેક NGOએ અમારી મદદ કરી હતી. નોકરી માટે પહેલા અમને થાઈલેન્ડ કીધુ હતું અને ત્યાંથી અમને જંગલના રસ્તે ડાયરેક્ટ મ્યાનમાર લઈ ગયા હતા. અમે હજુ નવા-નવા પહોંચ્યા હતા એટલે અમારા પર એટલો ત્રાસ નહોતો ગુજાર્યો પણ જે લોકો પહેલાથી અહીં હતા તેમાંથી અમુક તો જેલમાં છે. આપણા 5 ભારતીયો પણ મ્યાનમારની જેલમાં ફેબ્રુઆરીથી છે, જે હજુ સુધી ત્યાં ફસાયેલા છે. નોકરી છોડવી હોય તો 4.5-5 લાખ રુપિયા ભરવાના હતા આ જોબસ્કેમના કૌભાંડમાં અમુક એજન્ટો તો અમુક અન્ય લોકો પણ સામેલ હોય છે, જે સામાન્ય લોકોને ઊંચા પગારે જોબની લાલચ આપીને ત્યા લઈ જતા હોય છે. અમારી જોડે પૈસા નહોતા માંગ્યા પણ જો અમારે નોકરી છોડવી હોય તો 4.5-5 લાખ રુપિયા ભરવાના હતા કે તમે તે ભરો તો જ અહિંથી નીકળી શકો છો. ગુજરાતના આણંદ-અમદાવાદ સહિત અનેક શહેરોના લોકો હતાવધુમાં તેણે જણાવ્યું કે, ત્યાં ઓલરેડી વોર ચાલી રહી હતી. મ્યાનમારની જ બે આર્મીઓ વચ્ચે વોર ચાલી રહી હતી તો તેમાં અમે ત્યાંથી બચીને નીકળી ગયા હતા. ગુજરાતના અમે લગભગ 19 લોકો હતા. અમે NGOમાં જે જગ્યાએ શરણાર્થીઓ બન્યા હતા ત્યા ગુજરાતના આણંદ-અમદાવાદ સહિત અનેક શહેરોના લોકો હતા. તે સિવાય ઉતરાખંડ, હિમાચલ જેવા અનેક રાજ્યોના ફસાયેલા લોકો પણ હતા, જે દિલ્હી પહોંચી રહ્યા છે. તદુપરાંત કેનેડા, ઈથોપિયા, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાલ સહિતના દેશના લોકો પણ ત્યા ફસાયેલા હતા. હજુ અમુક લોકો જોબની લાલચમાં કે બીજા લોકોને બોલાવવા માટે બોસની સાથે કંબોડિયા પણ ગયા છે. હજુ પણ બીજા લોકોની ડિટેઈલ્સ મારી પાસે છે, એ મે સોંપી દીધી છે. અહીં બોસનું નામ ચાઈનીઝ હોય છે, જે ઓરિજિનલ નેમ નથી હોતા. એ બધા જ ચાઈનીઝ લોકો હતા પણ મોટાભાગે ત્યા લોકોને બોલાવવામાં આપણા લોકો જ હતા.સરકાર, ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સ ને અમારા તરફથી ધન્યવાદ છે. મ્યાનમારમાં ફસાયેલા યુવકે વધુ 3 ઓડિયો શેર કર્યા વિદેશમાં ઊંચા પગારની લાલચે ડેટા એન્ટ્રીની નોકરી કરવા ગયેલા વડોદરા અને ગુજરાતના આશરે 100 જેટલા યુવકો મ્યાનમારમાં ફસાઈ….(સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો) મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું રેકેટ વિદેશમાં ઊંચા પગારની નોકરી મેળવવાની ઘેલછા હવે ગુજરાતી યુવકો માટે જીવનું જોખમ બની રહી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાંઢાસાલ ગામના યુવક સહિત કુલ 10 યુવાન મ્યાનમારમાં ફસાઈ ગયા….(સંપૂર્ણ આર્ટિકલ વાંચવા અહીં ક્લિક કરો)
અમદાવાદમાં હવે ફ્લેટ કે સોસાયટીમાં પીજી-હોસ્ટેલ ચલાવવામાં આવતી હશે તો પોલીસ વેરિફિકેશન, સોસાયટીની તેમજ ફાયર NOC હોવી ફરજીયાત છે નહીં તો મકાનને નોટિસ આપીને સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી પોલીસી તૈયાર કરવામાં આવી છે. શહેરના મેમનગર વિસ્તારમાં ગુરુકુળ રોડ પાસે આવેલી સ્ટર્લીંગ સોસાયટી અને નીલમણિ સોસાયટીમાં કુલ ત્રણ જેટલા મકાનોનો પીજી- હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જીપીએમસી એક્ટના નિયમોનું પાલન ન કરવામાં આવતા ત્રણેય મકાન હાલ સીલ કરી દેવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દરેક ઝોનમાં આવા પીજી હોસ્ટેલોને નોટિસ આપી દેવામાં આવી છે. મેમનગરમાં ત્રણ મકાનો સીલ કરાયાઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી સ્ટર્લીંગ સોસાયટી અને નીલમણિ સોસાયટીમાં તેમાં કુલ ત્રણ જેટલા મકાનોને પેંઇંગ ગેસ્ટ અને હોસ્ટેલ તરીકે ચલાવવામાં આવતી હતી. પોલીસી મુજબ તેઓને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. બે નોટિસ આપવામાં આવી છતાં પણ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. જેથી આજે 9 જાન્યુઆરીના રોજ ત્રણે મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ વેરિફિકેશન અને ફાયર એનઓસી ફરજિયાતમ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા પેંઇંગ ગેસ્ટ - હોસ્ટેલ માટે પોલીસી બનાવવામાં આવેલી છે. અંતર્ગત સોસાયટી અને ફ્લેટમાં જે લોકો પેંઇંગ ગેસ્ટ - હોસ્ટેલ ચલાવતા હોય છે તેમને પોલીસ વેરિફિકેશન અને ફાયર એનઓસી તેમજ ખાસ કરીને સોસાયટીની એનઓસી હોવી ફરજીયાત છે. પોલીસી મુજબ જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપવામાં આવે છે. પ્રથમ નોટિસમાં 15 દિવસનો સમય આપવામાં આવે છે જેમાં તેમને અલગ અલગ પુરાવાઓ રજૂ કરવાના હોય છે. જ્યારે બીજી નોટિસ આપવામાં આવે તેમાં ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે. જો આ પુરાવાઓ રજૂ ન કરવામાં આવે તો તેને સીલ કરવામાં આવે છે. શહેરમાં 250થી વધારે પેંઇંગ ગેસ્ટ અને હોસ્ટેલશહેરમાં અંદાજે 250થી વધારે પેંઇંગ ગેસ્ટ - હોસ્ટેલ આવેલા છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં જ 200 જેટલા પીજી આવેલા છે. જોકે મોટાભાગના પીજીમાં પોલીસ વેરીફીકેશન અને સોસાયટીના એનઓસી નહી હોવાની શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પોલિસી તૈયાર કરીને શહેરમાં આવેલા પીજી ચલાવતા હોય તેઓને નોટિસ પણ આપી છે. કેટલીક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ થોડા સમય બાદ આ પ્રક્રિયા બંધ થઈ ગયા અને હવે ઉત્તર પશ્ચિમ ઝોનમાં કાર્યવાહી થઈ રહી છે, ત્યારે હજી પણ શહેરમાં અનેક એવા પીજી દ્વારા કોઈ પુરાવા રજૂ ન કરતા તેમની સામે કાર્યવાહી થઈ નથી. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા RMC પ્લાન્ટને સીલ કરાયોશહેરના શીલજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવની જગ્યામાં આવેલ રેડી મિક્સ કોન્કીટ (RMC)ના માલિક/કબજેદાર દ્વારા RMC પ્લાન્ટનો કોન્ક્રીટ વેસ્ટ નાખવામાં આવ્યો હતો. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી. કોંક્રિટનો વેસ્ટ નાખીને ગંભીર કૃત્ય કરતાં તથા AIR QUALITY CENSOR પ્લાન્ટમાં નાખવામાં આવ્યું નહોતું. જેથી એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા RMC પ્લાન્ટને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં આવા તમામ પ્લાન્ટમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરીને જો નિયમોનું પાલન નહીં કર્યું હોય તો કાર્યવાહી કરશે.
ભારતીય કિસાન સંઘની મોટી જાહેરાત:વડાપ્રધાનના કાર્યક્રમના પગલે ખેડૂતોનું આંદોલન હાલ સ્થગિત
ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી 12 તારીખે યોજાનાર કિસાનોના આંદોલનને હાલ પૂરતું સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સંઘના મહામંત્રી આર.કે. પટેલે સત્તાવાર નિવેદન આપીને માહિતી આપી છે. વડાપ્રધાનના મહત્વપૂર્ણ કાર્યક્રમ તેમજ પ્રોટોકોલ અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું. ભારતીય કિસાન સંઘના જણાવ્યા અનુસાર, સરકાર સાથે થયેલી ચર્ચામાં મોટાભાગના મુદ્દાઓ પર સહમતિ સર્જાઈ છે. કિસાનોના હિતને લગતા અનેક પ્રશ્નોમાં સરકાર સકારાત્મક વલણ દાખવી રહી હોવાનો દાવો પણ સંઘ દ્વારા કરવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં સંઘે હાલ તણાવ ન વધે અને વ્યવસ્થાઓ સુચારુ રીતે ચાલે તે માટે આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. સંઘના નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે, આંદોલન સંપૂર્ણ રીતે પાછું ખેંચવામાં આવ્યું નથી, પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને થોભાવવામાં આવ્યું છે. જો આવનારા સમયમાં કિસાનોના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ નહીં આવે, તો ફરીથી આંદોલન શરૂ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. ભારતીય કિસાન સંઘે કિસાનોને શાંતિ જાળવવા અને સંઘના આગામી નિર્ણય સુધી રાહ જોવા અપીલ કરી છે. સરકાર સાથે સંવાદ ચાલુ રાખીને કિસાનોના હક અને હિત માટે લડત યથાવત રહેશે તેમ પણ સંઘે જણાવ્યું છે.
હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા:પત્નીનું અપમાન કરનાર મિત્રને બે મિત્રોએ મોતને ઘાટ ઉતાર્યો
મગદલ્લા જંક્શન પાસે ચાની દુકાન ચલાવતા રોહિતસિંઘની હત્યાના કેસમાં કોર્ટે બે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં ખાસ વાત એ રહી હતી કે, અનેક મહત્વના સાક્ષીઓ પોતાની જુબાનીથી ફરી ગયા હોવા છતાં, વૈજ્ઞાનિક પુરાવાઓ અને ફોરેન્સિક રિપોર્ટના આધારે ન્યાય મળ્યો હતો. મરનારનું લોહી જે આરોપીઓના કપડાં અને હથિયાર પર મળી આવ્યું હતું, તે જ પુરાવો આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે નિર્ણાયક સાબિત થયો હતો. 80 હજારના દેવામાંથી મુક્તિ મેળવવા રચાયું હત્યાનું કાવતરુંઘટનાની વિગત મુજબ, આરોપી અજય સદામ ગઢાઈએ રોહિતસિંઘ પાસેથી 80 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. રોહિતસિંઘ દ્વારા વારંવાર નાણાંની ઉઘરાણી કરવામાં આવતા, અજયે નાણાં પરત ન આપવા પડે તે માટે તેની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. 16 સપ્ટેમ્બર 2021ના રોજ, જ્યારે રોહિતસિંઘ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે અજયે તેના સાથીદાર કિશન ગુપ્તા સાથે મળીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ફરિયાદી પક્ષના વકીલોની દલીલો અને લોહીના નમૂનાના મજબૂત પુરાવાને માન્ય રાખી કોર્ટે બંનેને સખત સજા કરી છે. ડિંડોલીમાં પત્ની વિશેની અભદ્ર ટિપ્પણીએ લીધો મિત્રનો જીવબીજી તરફ, સુરતના ડિંડોલી વિસ્તારમાં મિત્રતાના સંબંધોને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. માનસી રેસિડેન્સી પાસેના ખુલ્લા મેદાનમાં ત્રણ મિત્રો વચ્ચે બેસીને વાતચીત ચાલી રહી હતી, ત્યારે અચાનક ઉશ્કેરાટમાં આવી બે મિત્રોએ મળીને ત્રીજા મિત્ર ઉમાશંકરસિંઘ પાંડેની હત્યા કરી નાખી હતી. ઉમાશંકર પાંડેસરામાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા. મિત્રો સાથેની બેઠકમાં તેમણે એક મિત્રની પત્ની વિશે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો, જે અંતે લોહીયાળ સંઘર્ષમાં પરિણમ્યો હતો. પત્નીની મર્યાદા બાબતે ઠપકો આપતા ઝઘડો ઉગ્ર બન્યોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 8મી જાન્યુઆરીની સાંજે ઉમાશંકર તેમના મિત્રો આશુ અને દિલ્લુ યાદવ સાથે મેદાનમાં બેઠા હતા. વાતવાતમાં ઉમાશંકરે આશુની પત્ની વિશે ખરાબ શબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આશુએ તેને પત્ની વિશે આવી વાત ન કરવા વારંવાર સમજાવ્યો હોવા છતાં ઉમાશંકર ગાળો બોલતા રહ્યા હતા. આ બાબતે આશુ અને દિલ્લુ ઉશ્કેરાઈ ગયા હતા અને ઉમાશંકરને ઢીક-મુક્કી તેમજ બોથડ પદાર્થ વડે એટલો ઢોર માર માર્યો કે હોસ્પિટલ પહોંચતા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યા થઈ રહી હતી ત્યારે જ પત્નીનો ફોન આવ્યો, પણ 'મેટર' ન ઉકેલાઈઆ કેસનો સૌથી કરુણ વળાંક એ છે કે, જ્યારે ઉમાશંકર પર હુમલો થઈ રહ્યો હતો, ત્યારે જ તેમની પત્ની રુચિસિંઘનો ફોન આવ્યો હતો. રાત્રે 1:30 વાગ્યાના અરસામાં ઉમાશંકરે ફોન ઉપાડીને પત્નીને ફક્ત એટલું જ કહ્યું હતું કે, હું મિત્રો આશુ અને દિલ્લુ સાથે બેઠો છું અને એક મેટરમાં ઝઘડો ચાલી રહ્યો છે. આટલું કહીને ફોન કપાઈ ગયો હતો. એ સમયે પત્નીને અંદાજ પણ નહોતો કે જે મિત્રોના નામ તેનો પતિ લઈ રહ્યો છે, તે જ લોકો તેને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પોલીસ તપાસ અને સ્મીમેર હોસ્પિટલમાં લાશ મળતા પરિવારમાં માતમબીજા દિવસે સવાર સુધી ઉમાશંકર ઘરે ન પહોંચતા અને ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. અંતે તપાસ કરતા જાણવા મળ્યું કે ઉમાશંકરની લાશ સ્મીમેર હોસ્પિટલમાં પડી છે. ડિંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. આમ, સુરતમાં બનેલી આ બે અલગ ઘટનાઓ દર્શાવે છે કે, ક્યારેક સામાન્ય બોલાચાલી કે નાણાકીય લેણદેણ માણસને જનમટીપ સુધી પહોંચાડી દે છે અથવા જીવ ગુમાવવાનો વારો આવે છે.
જિલ્લામાંથી તડીપાર કરાયેલ ઇસમ ઝડપાયો:પોરબંદરમાં બીરલા હોલ રોડ પરથી પોલીસે પકડ્યો
પોરબંદર એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ જિલ્લામાંથી તડીપાર કરાયેલા એક ઇસમને ફરી જિલ્લામાં પ્રવેશ કરતા ઝડપી પાડ્યો છે. સંજય બાબુભાઈ ગોરાણીયા નામના આ આરોપીને પોરબંદર શહેરના બીરલા હોલ રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો, અને તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એ.એસ.આઈ. ગોવિંદભાઈ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે સંજય બાબુભાઈ ગોરાણીયા સામે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, કુતિયાણા દ્વારા તડીપારીનો આદેશ અપાયો હતો. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે સંજય બાબુભાઈ ગોરાણીયા, રહે. હનુમાનગઢ ગામ, તા. રાણાવાવ, જી. પોરબંદરને ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ થી બે વર્ષ માટે પોરબંદર જિલ્લામાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ છતાં, આરોપી સંજય બાબુભાઈ ગોરાણીયા (ઉંમર ૩૧) પોરબંદર શહેરના બીરલા હોલ રોડ પર ધોબી સમાજ પાસે હાજર હતો. તે હનુમાનગઢ ગામના વાડી વિસ્તાર ગંડીયાવાળા નેસ તરફ જતા રસ્તે મળી આવ્યો હતો, જેના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી માટે તેને કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. એલ.સી.બી.ની આ કાર્યવાહી તડીપારીના આદેશનો ભંગ કરનારાઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ આપે છે.
RGT કોલેજ ગ્રાઉન્ડમાં જુગાર રમતા ચાર ઝડપાયા:પોરબંદર LCBએ દરોડો પાડી ₹20,600 રોકડા જપ્ત કર્યા
પોરબંદરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે જુગાર પર કાર્યવાહી કરવામાં આવી છે. બીરલા ફેક્ટરી સામે આવેલા RGT કોલેજના ગ્રાઉન્ડમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં મુકેશ દેવાયતભાઈ મોરી, ભરતસિંહ મનુભા જેઠવા, રામા ઉર્ફે ભભન પાંચાભાઈ કટારા અને ભીખુ જીવાભાઈ મકવાણાનો સમાવેશ થાય છે.LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ASI ગોવિંદભાઈ મકવાણા અને HC જીતુભાઈ દાસાને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ચારેય આરોપીઓ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર માટે વપરાતા ગંજીપાનાના પાનાં અને કુલ ₹20,600/- રોકડા જપ્ત કર્યા હતા.આ સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. LCBની આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાજેન્દ્રનગર ખાતે આવેલી સહયોગ કુષ્ઠ યજ્ઞ સંસ્થાની મુલાકાત લીધી હતી. તેઓ શામળાજી મહોત્સવમાં જતા પહેલા સાંજે 5:30 કલાકે સંસ્થા પહોંચ્યા અને લગભગ 40 મિનિટ રોકાઈને 6:20 કલાકે શામળાજી જવા રવાના થયા. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સંસ્થાના સ્થાપક અને જાણીતા સમાજસેવક પદ્મશ્રી સુરેશભાઈ સોનીની માનવસેવાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કુષ્ઠરોગથી પીડિત વ્યક્તિઓની સારવાર અને પુનર્વસન માટે સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી હોસ્પિટલ, તાલીમ કેન્દ્રો અને નિવાસી સંકુલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી. પદ્મશ્રી સુરેશભાઈ સોની સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, સુરેશભાઈએ પોતાનું સમગ્ર જીવન કુષ્ઠરોગીઓના પુનર્વસન અને તેમના સન્માનજનક જીવન માટે સમર્પિત કર્યું છે. તેમની આ નિઃસ્વાર્થ સેવાના પરિણામે હજારો દર્દીઓ સમાજની મુખ્યધારામાં જોડાઈ શક્યા છે. મુખ્યમંત્રીએ સંસ્થામાં આશ્રય લઈ રહેલા દર્દીઓના ખબર-અંતર પૂછ્યા હતા. તેમણે સંસ્થાના સંચાલકો અને લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો અને સમર્પિત કાર્યકરોની સેવાભાવનાને બિરદાવી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, સંસ્થાના પરિવારજનો અને સંચાલકો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ શામળાજી મહોત્સવનું સમાપન કર્યું:અરવલ્લી જિલ્લાને ₹168 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં યોજાયેલા શામળાજી મહોત્સવનું સમાપન કર્યું હતું. આ પ્રસંગે તેમણે અરવલ્લી જિલ્લાને ₹168 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી હતી. રાજ્ય સરકારે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ મુખ્યમંત્રીનો આ પ્રથમ કાર્યક્રમ હતો. આ શામળાજી મહોત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ સમાન બન્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે અરવલ્લી જિલ્લા માટે ₹1232 કરોડના વિકાસ કાર્યો મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ ભી, વિરાસત ભી મંત્રનો ઉલ્લેખ કર્યો હતો, જે ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની દિવ્યતા જાળવીને આધુનિક વિકાસ સાધે છે. તેમણે ઉમેર્યું કે, આદિજાતિ વિસ્તારોને આવાસ, અભ્યાસ, આજીવિકા અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રોને અપગ્રેડ કરીને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. આદિજાતિ વિસ્તારોમાં 12 સાયન્સ કોલેજ, બે યુનિવર્સિટી અને 11 મેડિકલ કોલેજ શરૂ થવાથી આદિવાસી પરિવારોના સંતાનો માટે ડોક્ટર અને એન્જિનિયર બનવાની તકો ખુલી છે. રાજ્ય મંત્રી પી. સી. બરંડાએ જણાવ્યું હતું કે, શામળાજી મહોત્સવ આદિજાતિ સમુદાયની એકતા, સંસ્કૃતિ અને આસ્થાનું જીવંત પ્રતીક છે. આ વર્ષે હજારો લોકોની ભાગીદારી અને કલાકારોના લોકસંગીત, નૃત્ય તથા ભક્તિમય વાતાવરણથી સમુદાયનો વારસો વધુ મજબૂત બન્યો છે. તેમણે ઉમેર્યું કે, આજે મળેલા વિકાસ કાર્યો અને લોકાર્પણથી અરવલ્લીના વિકાસને વધુ વેગ મળશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય)ના ₹107.02 કરોડના પ્રકલ્પો, શિક્ષણ વિભાગના ₹24.49 કરોડના વિવિધ પ્રકલ્પો, રમતગમત વિભાગના ₹19.9 કરોડના પ્રકલ્પો, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના ₹12.5 કરોડના પ્રkલ્પો અને જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ₹3.46 કરોડના પ્રકલ્પો સહિત અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિચરતી-વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમો અને કિશન મિશન મંગલમ જૂથોને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શામળાજી મહોત્સવના સમાપન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકા ડામોર, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્યો ભીખુસિંહજી પરમાર અને ધવલસિંહ ઝાલા, જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘ, જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં કેન્દ્ર સરકારના ખનિજ મંત્રાલય દ્વારા આયોજિત પ્રથમ રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ત્રણ દિવસીય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નવા ભારતના નિર્માણ માટે માઈનિંગ સેક્ટરનો સ્પષ્ટ અને દ્રઢ રોડમેપ તૈયાર કરવાનું સક્ષમ મંચ આ ચિંતન શિબિર બનશે. માઈનિંગ સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, વડાપ્રધાન દેશને આત્મનિર્ભર બનાવવા દરેક સેક્ટરમાં હોલિસ્ટિક એપ્રોચ સાથે વ્યાપક સુધારાઓ લાવ્યા છે. ક્લિયર પોલિસી, પોલિટિકલ વિલ અને ટ્રાન્સપરન્ટ ગવર્નન્સના પરિણામે માઈનિંગ સેક્ટરમાં પણ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું છે. પ્રકૃતિ સાથે સંતુલન જાળવીને વિકાસના સિદ્ધાંત પર આધારિત ગ્રીન માઈનિંગ, સાયન્ટિફિક રેક્લેમેશન અને ટેકનોલોજી આધારિત મોનિટરિંગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન ગુજરાત લિગ્નાઈટ, લાઈમસ્ટોન અને બોક્સાઇટ જેવા મુખ્ય ખનિજોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે તેમ જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે ખાણ ખનિજ ક્ષેત્રને પારદર્શિતા, અનુશાસન અને નિયમોની કડક અમલવારીનું પ્રતીક બનાવ્યું છે. ખાણથી અંતિમ સ્થળ સુધી ખનિજ પરિવહન માટે GPS આધારિત રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાત પોતાની ખનિજ સંપત્તિ દ્વારા ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’થી ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. 11 વર્ષમાં મિનરલ એક્સપ્લોરેશનમાં 190 ટકાનો વધારો થયો છે કેન્દ્રીય કોલસા અને ખનિજ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું કે, ભારતનું માઈનિંગ ક્ષેત્ર વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે. છેલ્લા 11 વર્ષમાં મિનરલ એક્સપ્લોરેશનમાં 190 ટકાનો વધારો થયો છે અને પારદર્શક હરાજી તથા DMFના કારણે રાજ્યોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. લિથિયમ, કોબાલ્ટ અને ટંગસ્ટન જેવા ‘ક્રિટિકલ મિનરલ્સ’ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારત હવે માત્ર ખનન નહીં પરંતુ રિફાઇનિંગ, રિસાયકલિંગ અને રિપ્રોસેસિંગની સમગ્ર વેલ્યુ ચેઇન તરફ આગળ વધી રહ્યું છે. વિકસિત ભારત @2047ના લક્ષ્ય માટે ખનિજ ક્ષેત્ર અને જળ વ્યવસ્થાપન વચ્ચેનું સંકલન અનિવાર્યકેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે ખનિજ ક્ષેત્રને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાવતા કહ્યું કે, વિકસિત ભારત @2047ના લક્ષ્ય માટે ખનિજ ક્ષેત્ર અને જળ વ્યવસ્થાપન વચ્ચેનું સંકલન અનિવાર્ય છે. તેમણે ‘માઈનિંગ વિથ માઇન્ડફુલનેસ’નો મંત્ર આપતા પર્યાવરણ અને જળ સંસાધનોની જાળવણી સાથે જવાબદાર ખનન પર ભાર મૂક્યો. આ ચિંતન શિબિરમાં બિહારના ઉપમુખ્યમંત્રી સહિત દેશના વિવિધ રાજ્યોના ખાણ ખનિજ મંત્રીઓ, કેન્દ્રીય રાજ્ય મંત્રી સતિષચંદ્ર દુબે અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. આગામી વર્ષો માટે માઈનિંગ ક્ષેત્રનો વ્યૂહાત્મક પ્લાન તૈયાર કરવા, ડિજિટાઈઝેશન, આરએન્ડડી, કૌશલ્ય વિકાસ અને ‘અર્બન માઈનિંગ’ જેવા વિષયો પર વિસ્તૃત મંથન કરવામાં આવશે.
બોટાદ LCB એ ચાર માસથી નાસતા ફરતા આરોપીને ઝડપ્યો:રાજકોટના કોઠારીયા ચાર રસ્તા પાસેથી ધરપકડ
બોટાદ એલ.સી.બી. પોલીસે પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા ફરતા એક આરોપીને રાજકોટના કોઠારીયા ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી સામે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો. પકડાયેલ આરોપીનું નામ કૃણાલગીરી ઉર્ફે મારાજ રાજેશગીરી ગૌસ્વામી છે. તેની સામે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ 65(ઇ), 98(2), 116(બી) અને 81 હેઠળ ગુનો નોંધાયેલ હતો. આ કાર્યવાહી ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચનાથી બોટાદ એલ.સી.બી. પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે. જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 12મીએ વાડજ સ્મશાનગૃહ કટથી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી વાહનચાલકોને વૈકલ્પિક રોડની અવર જવર માટે ઉપયોગ કરવો પડશે. પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં હાજરી આપવાના છે તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં VIP અને VVIP પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપવાના છે. જેથી પશ્ચિમ રિવરફ્રન્ટ પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેમાં વાહનચાલકોને ડાયવર્ઝન રૂટ માટે વાડજ સ્મશાન ગૃહ કટ થઈ વાડજ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, ઇન્કમટેક્સ ઓવરબ્રિજ મધ્યભાગ, બાટા શો રૂમ, ડી લાઇટ ચાર રસ્તા, ટાઉન હોલ ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા થઈને અવર જવર કરી શકશે. આ જાહેરનામાંનો અમલ 12મીએ સવારે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધી કરવો પડશે તેમજ જો કોઈ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘન કરશે તો તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છેશહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું બાંધકામ સાબરમતીથી વટવા સુધીનું પાયલોટિંગનું કામ ચાલી રહ્યું છે. કેડિલા બ્રિજની ઉપરના ભાગે પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી કરવામાં આવનાર છે પરંતુ, કેડિલાબ્રિજ પર ટેક્નિકલ કારણોસર રેલ્વેના શિડ્યુલને કારણે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ નથી. જેથી આ કામગીરી આગામી 30 તારીખ સુધી કરવામાં આવશે. જેથી ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. BRTS રોડ ઉપયુક્ત સમયગાળા માટે બંને છેડાથી આશરે 600 મીટર જેટલો બંધ રહેશેજેમાં કેડિલા બ્રિજ ઉપર આવેલ ત્રણ રસ્તા પૈકી મધ્ય ભાગમાં આવેલા BRTS રોડ ઉપયુક્ત સમયગાળા માટે બંને છેડાથી આશરે 600 મીટર જેટલો બંધ રહેશે. જેથી, વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે કેડિલા બીજ ઉપરથી અવર જવર માટે થતી BRTS બસ દિવસ દરમિયાન બાજુમાં આપેલા બંને રોડનો ઉપયોગ કરી શકશે તેમજ સદર કેડીલા બ્રિજ ઉપર રાત્રિ દરમિયાન અવરજવર કરતા વાહનો બંને બાજુ આવેલા રોડનો વારાફરતી ઉપયોગ કરી શકશે એટલે કે જે સાઇડનું કામ ચાલુ રહેશે તેની બાજુના રોડ ઉપર વાહન અવરજવર કરી શકશે.
મોરબી શહેરમાં સમાજને લાલબત્તી સમાન એક અત્યંત હૃદયદ્રાવક અને શરમજનક ઘટના સામે આવી છે. શહેરની એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્વસ્થ મહિલાઓ પર અજાણ્યા નરાધમો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ્યા હવસખોરોપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી. હવસખોર શખ્સોએ સૌપ્રથમ સંસ્થાની કમ્પાઉન્ડ વોલ (દીવાલ) કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, જે રૂમમાં આ મહિલાઓને રાખવામાં આવી હતી, તેની દીવાલમાં બાકોરું પાડીને શખ્સો અંદર ઘૂસ્યા હતા. નરાધમોએ રૂમમાં રહેલી 2 અસ્થિર મગજની મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી અને ગુનો આચરી ફરાર થઈ ગયા હતા. પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસનો ધમધમાટઆ ગંભીર બનાવની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક પુરાવાઓ અને સંસ્થાની આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. વધતી વિકૃતિ ચિંતાનો વિષયવર્તમાન સમયમાં જ્યારે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, ત્યારે મોબાઈલ પર ઉત્તેજના ફેલાવતી સામગ્રી જોયા બાદ માનસિક વિકૃતિના કિસ્સાઓ વધી રહ્યા હોય તેવું જણાય છે. અગાઉ પણ નાની બાળાઓ અને સગીરાઓ સાથેના દુષ્કર્મની ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે નિરાધાર અને અશક્ત મહિલાઓ સાથે આચરાયેલું આ કૃત્ય સંવેદનશીલ સમાજ માટે મોટા પ્રશ્નાર્થ ચિન્હો ઉભા કરે છે. હાલમાં મોરબી પોલીસે આ કેસમાં કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળામાં નર્સરી અને શિશુવર્ગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાળકોએ વિવિધ વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. નર્સરીના વિદ્યાર્થીઓએ ઝાડ અને ફૂલોના સુંદર પ્રોજેક્ટ બનાવ્યા હતા. નર્સરી-ક,ખના વિદ્યાર્થીઓએ ઝાડ અને નર્સરી-ગ,ઘના વિદ્યાર્થીઓએ ફૂલોના પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા. આ વર્ગોના શિક્ષકો રૂચિતાબહેન રાવળ, હિમાલીબેન, નંદાબહેન અને રૂચિતાબહેન શાહના માર્ગદર્શન હેઠળ બાળકો ઝાડ અને ફૂલ બનીને આવ્યા હતા. શિશુવર્ગના વિદ્યાર્થીઓએ રથયાત્રા, ઉત્તરાયણ, દિવાળી, નવરાત્રી, હોળી, જન્માષ્ટમી, ગણેશચતુર્થી અને રાષ્ટ્રીય તહેવારો જેવા વિવિધ તહેવારોના પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. બાળકોએ પોતાના પ્રોજેક્ટ વિષય પર સુંદર વક્તવ્ય પણ આપ્યા. શિશુવર્ગના શિક્ષકો જયશ્રીબહેન દેસાઈ, મિતાલીબહેન સરવૈયા અને અલ્પાબેન સોલંકીએ બાળકોને આ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને શિક્ષકોના કાર્યની સરાહના કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન સંગીત શિક્ષક હર્ષદભાઈ પટેલે કર્યું હતું. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે નર્સરી અને શિશુવર્ગના શિક્ષકોએ સઘન પ્રયાસો કર્યા હતા, જેમાં વાલીઓનો પણ સહકાર મળ્યો હતો. કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
UGVCL દ્વારા આયોજિત 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આવતીકાલે હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલ વચ્ચે રમાશે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર UGVCL સર્કલના યજમાન પદે આ ત્રણ દિવસીય ટુર્નામેન્ટ હિંમતનગરના ધ ગેલેક્સી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહી છે. ટુર્નામેન્ટના પ્રારંભે 20 ઓવરની પ્રથમ મેચ સાબરમતી સર્કલ અને મહેસાણા કોર્પોરેટ ઓફિસ વચ્ચે રમાઈ હતી. જેમાં મહેસાણા કોર્પોરેટ ઓફિસે 6 વિકેટે 123 રન બનાવ્યા હતા, જ્યારે સાબરમતી સર્કલની ટીમ 93 રનમાં ઓલઆઉટ થઈ હતી. આથી, મહેસાણા કોર્પોરેટ ઓફિસ 30 રને વિજયી બન્યું હતું. શુક્રવારે સવારે હિંમતનગર સર્કલ અને મહેસાણા સર્કલની ટીમ વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં હિંમતનગર સર્કલે 9 વિકેટે 133 રન કર્યા હતા, જ્યારે મહેસાણા સર્કલ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન બનાવી શકતા 4 રનથી હાર્યું હતું. આ જીત સાથે હિંમતનગર સર્કલ ફાઇનલમાં પહોંચ્યું હતું. બીજી મેચ 20 ઓવરની પાલનપુર સર્કલ અને મહેસાણા કોર્પોરેટ વચ્ચે યોજાઈ હતી. જેમાં પાલનપુર સર્કલે 6 વિકેટે 198 રન બનાવ્યા હતા. તેની સામે મહેસાણા કોર્પોરેટ ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેથી પાલનપુર સર્કલનો વિજય થયો હતો. UGVCL દ્વારા આયોજિત આ 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટ અંગે સિલેક્ટર રિપલ જોશીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવતીકાલે 40 ઓવરની ફાઇનલ મેચ હિંમતનગર સર્કલ અને પાલનપુર સર્કલ વચ્ચે રમાશે.
પાટણના 4 એવોર્ડી શિક્ષકોનું સન્માન:રાજ્ય શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણ મંત્રીના હસ્તે બહુમાન.
ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશન દ્વારા ગાંધીનગરના સુઘડ સ્થિત આનંદ નિકેતન સ્કૂલ ખાતે વાર્ષિક શૈક્ષણિક અધિવેશન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ જિલ્લાના ચાર એવોર્ડી શિક્ષકોનો પણ સમાવેશ થાય છે. આ શિક્ષકોને શિક્ષણ મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ જિલ્લામાંથી સન્માનિત થયેલા શિક્ષકોમાં ડિજિટલ ગુરુ તરીકે ડો. એલ.કે. ચૌધરી સાહેબનો સમાવેશ થાય છે, જેમણે શિક્ષણ અને ICT ક્ષેત્રે કરેલી કામગીરી બદલ રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના પારિતોષિકો મેળવ્યા છે. કલ્પેશભાઈ અખાણી સાહેબને સાહિત્ય સાધના પારિતોષિકથી સન્માનિત કરાયા હતા, જેમણે ગણિત અને સાહિત્ય ક્ષેત્રે કરેલી કામગીરી બદલ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવ્યું છે. વર્ષ 2024ના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન બદલ ડો. હેમાંગીનીબેન પટેલ અને ડો. ઝુઝારસંગ સોઢાનું પણ મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને શિક્ષકોને તેમની શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાં કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરાયા હતા. આ ચાર શિક્ષકોએ સમગ્ર પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ પ્રસંગે બોરીસાગર સાહેબે જણાવ્યું હતું કે શિક્ષક હોવું એ ગૌરવની વાત છે અને શિક્ષકોએ સ્વયંમાં ગૌરવ તથા સ્વાભિમાન જગાવવાની જરૂર છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.સી. જોષી સાહેબે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વાત કરી હતી અને વિદ્યાર્થીઓને વિચાર કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આનંદ નિકેતન સ્કૂલના ટ્રસ્ટી કમલ મંગલજીએ જીવન વિદ્યા અને તેના મહત્વ પર ભાર મૂક્યો હતો. શિક્ષકોના એસ.ટી. બસના પાસ બાબતના પ્રશ્નોના નિરાકરણ અંગે માનનીય ડો. કુબેરભાઈ ડિંડોર સાહેબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે 5 સપ્ટેમ્બર, 2023ના રોજ શિક્ષક દિન નિમિત્તે રાજ્ય સરકારે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકો માટે નિગમની તમામ બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત કરી હતી, જેનો અમલ પણ થઈ ગયો છે. પ્રવર્તમાન રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સૌ શિક્ષકો આદરને પાત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના બે લાખ શિક્ષકોમાં વિશિષ્ટ કાર્ય કરીને આ એવોર્ડી શિક્ષકોએ પોતાની શાળાનું અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ અધિવેશનને સફળ બનાવવા માટે શૈલેષભાઈ, સંજયભાઈ અને સમગ્ર ટીમે સઘન પ્રયાસો કર્યા હતા. પાટણ જિલ્લા એવોર્ડ ટીચર્સ ફેડરેશનના કન્વીનર અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઘેમરભાઈ દેસાઈ સહિત પાટણમાંથી કુલ 22 જેટલા સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના શેલામાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં પ્રાયમરી ક્લાસના વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે વિદ્યાર્થીઓએ રમતગમત કૌશલ્ય અને ટીમવર્કનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. આ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ખોખો, ફૂટબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, વોલીબોલ, સ્કેટિંગ અને ચેસ જેવી વિવિધ રમતોનો સમાવેશ થતો હતો. ધોરણ એક થી પાંચના પ્રાયમરી ક્લાસના વિદ્યાર્થીઓએ આ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક રમતના વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટે વિદ્યાર્થીઓને ખેલદિલી, ટીમવર્ક અને સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની તક પૂરી પાડી હતી.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપીને સાયલા ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વચગાળાના જામીન પરથી ભાગી છૂટ્યો હતો અને પોતાનું નામ બદલીને રહેતો હતો. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) દ્વારા રેન્જના જિલ્લાઓમાં પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને, સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) એ જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે અસરકારક કામગીરી કરવા નિર્દેશ આપ્યો હતો. એલ.સી.બી. શાખાના પો.સબ.ઈન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના I/C પો.સબ.ઈન્સ. એન.એ. રાયમાના નેતૃત્વ હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિંગ કર્યું હતું અને હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે આરોપી સંજય લાભુભાઈ સુરેલાને સાયલા સુદામડા રોડ પરથી પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી સંજય લાભુભાઈ સુરેલા (ઉં.વ. 25, ધંધો-મજુરી, રહે. લીંબડી, ચુનારાવાડ, રેલવે સ્ટેશન સામે, તા. લીંબડી, જી. સુરેન્દ્રનગર) રાજકોટ મધ્યસ્થ જેલનો કાચા કામનો કેદી હતો, જે છેલ્લા ત્રણ વર્ષથી વચગાળાની રજા પરથી ફરાર હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીનો કબજો રાજકોટ મધ્યસ્થ જેલને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI જે.વાય. પઠાણ, PSI એન.એ. રાયમા, HC મુન્નાભાઈ નાનજીભાઈ, PC શક્તિસિંહ જોરુભા, PC કપિલભાઈ ખોડાભાઈ અને SL.HC વિક્રમભાઈ નારાયણભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ રોકાયેલા હતા.
સમી કોલેજમાં કાયદા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:જાતીય સતામણી અને બળાત્કાર સંબંધિત કાયદાઓની માહિતી અપાઈ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગરના પરિપત્ર અનુસાર એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Anti-Sexual Harassment Cell, CWDC અને NTF સમિતિના સંયુક્ત ઉપક્રમે Sexual Harassment and Rape-related Laws Awareness વિષય પર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમી પોલિસ સ્ટેશનના અ.પો.કૉ. દિલીપભાઈ દેવરાજભાઈ અને મહિલા અ.પો.કૉ. ભાવનાબેન હરિભાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંબંધિત વિષય અંતર્ગત વક્તવ્ય આપ્યું હતું. દિલીપભાઈએ જણાવ્યું હતું કે કાયદાઓનું પાલન કરવું એ સૌની જવાબદારી છે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ નૈતિક ફરજ છે. તેમણે અને શ્રી ભાવનાબેને મહિલાઓના જાતીય શોષણ સંબંધિત વિવિધ કાયદાકીય કલમોની વિગતે માહિતી આપી વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવી હતી. તેમણે કોલેજની વિદ્યાર્થિનીઓને કાયદો હંમેશા તેમની સાથે છે તેમ જણાવી સમાજમાં નિર્ભયતા પૂર્વક જીવન જીવવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી ડૉ. ટી.પી.આનંદના માર્ગદર્શન હેઠળ Anti-Sexual Harassment Cell અને CWDCના કન્વીનર ડૉ. ખુશ્બુ પ્રતિક મોદી અને NTF સમિતિના નોડલ અધિકારી ડૉ. અમર ચક્રવર્તીએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ખુશ્બુ પ્રતિક મોદીએ અને આભારવિધિ ડૉ. અમર ચક્રવર્તીએ કરી હતી.તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લાના જૂના પાણી ખાતે રાહી ફાઉન્ડેશન દ્વારા આધાર ટ્રસ્ટ અને મોજાળ ફળિયા ગ્રામ્ય સમિતિ સંચાલિત સ્થળાંતરિત આદિવાસી બાંધકામ શ્રમિક વિદ્યાર્થી છાત્રાલયના બાળકોને ભેટ આપવામાં આવી હતી. ધોરણ 1 થી 9 માં અભ્યાસ કરતા બાળકો માટે એક મહિનાથી વધુ ચાલે તેટલી ભોજન સામગ્રી, ગરમ વસ્ત્રો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું હતું.આ ભેટમાં ઘઉંનો લોટ (108 કિલો), ચોખા (112 કિલો), તુવેર દાળ (26 કિલો), મગની દાળ (26 કિલો), મગ (26 કિલો), ખાંડ (26 કિલો), ગોળ (26 કિલો), મસાલા (મરચું, ધાણાજીરું, હળદર - કુલ 15 કિલો), તેલ (20 કિલો) અને ચા (7 કિલો) જેવી ભોજન સામગ્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગરમ ટોપી, ગરમ ધાબળા, વેસેલિન, બાળકોના નવા કપડાં, પડદા, ચવાણું, બિસ્કિટ, કાપડની થેલી, મીણબત્તી, માચીસ અને રમકડાં પણ આપવામાં આવ્યા હતા.આ વિતરણ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, વિજય દલાલ અને અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આધાર ટ્રસ્ટના વિપુલ પંડ્યાએ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને માર્ગદર્શન કર્યું હતું. છાત્રાલયના લક્ષ્મીબેન અને નરેશભાઈએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.આ છાત્રાલયમાં દાહોદ જિલ્લાના જૂના પાણી ગામ અને આસપાસના સાત ગામના બાંધકામ મજૂરોના સંતાનો રહીને અભ્યાસ કરે છે. કાર્યક્રમ દરમિયાન બાળકોએ આદિવાસી ગીતો પણ રજૂ કર્યા હતા.
નવાવાડજમાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે આયોજિત શ્રીમદ દેવી ભાગવત કથાના પાંચમા દિવસે નવદુર્ગા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કથાનું આયોજન નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્મિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર વાડી ખાતે કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દરમિયાન, એક મનોદિવ્યાંગ દીકરી સહિત કુલ નવ દીકરીઓને નવદુર્ગાના સ્વરૂપે બિરાજમાન કરવામાં આવી હતી. તેમનું પૂજન કરીને ભેટ અર્પણ કરવામાં આવી હતી અને આરતી ઉતારવામાં આવી હતી. નવદુર્ગા બનેલી દીકરીઓએ રાસ પણ રમ્યો હતો. કથા અંતર્ગત આ વિશેષ પ્રસંગનું યજમાનપદ સંગીતાબેન નિલેશ પંચાલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ પણ પૂજન અને આરતીનો લાભ લીધો હતો.
રાજકોટ સ્થિત આર.કે. યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા 30 ડિસેમ્બરે ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસ (GCP) અને બાયોમેડિકલ રિસર્ચ વિષય પર એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવ સંશોધનમાં નૈતિકતા, ગુણવત્તા અને નિયમનકારી માર્ગદર્શિકાઓ વિશે જાગૃતિ વધારવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન આર.કે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમિત લાઠીગારાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ FDP માટે ડૉ. પ્રિયાંશુ રાઠોડને સંસાધન વ્યક્તિ તરીકે આમંત્રિત કરાયા હતા.ડૉ. રાઠોડે ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસની માર્ગદર્શિકાઓ, ઇન્ફોર્મ્ડ કન્સેન્ટ અને બાયોમેડિકલ સંશોધનની નૈતિક બાબતો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓમાંથી ફેકલ્ટી સભ્યો અને સંશોધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના સમાપનમાં પ્રતિસાદ સત્ર યોજાયું હતું અને કાર્યક્રમ સંયોજક ડૉ. પાર્થકુમાર દેવમુરારી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
યુનાઇટેડ વે ઓફ ગરબા દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ:વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળાની દીકરીઓને સહાય
યુનાઇટેડ વે ઓફ ગરબા દ્વારા વીર સાવરકર કન્યા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કીટ શાળામાં અભ્યાસ કરતી ગરીબ અને માતા-પિતા વિહોણી દીકરીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાના હેતુથી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત, શાળાના આચાર્ય વિપુલ મકવાણા અને સમગ્ર શાળા પરિવારે યુનાઇટેડ વે ઓફ ગરબાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સહાયથી વિદ્યાર્થીનીઓને શિક્ષણ મેળવવામાં મદદ મળશે.
મણિલાલ મગનલાલ સમાજ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સાબરમતીની કુમાર શાળા દ્વારા ગાંધીનગર ટાઉનહૉલ ખાતે રસોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો, મહાનુભાવો, આમંત્રિતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રસોત્સવમાં નગીનદાસ મગનલાલ હાઈસ્કૂલ અને પોપટલાલ મગનલાલ પ્રાથમિક શાળા, સાબરમતીના કુમાર શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બાલવાટિકા, જુનિયર અને સિનિયર વિભાગના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક પર્ફોમન્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગણેશા થીમ, ઓપરેશન સિંદૂર, રાધે રાધે, કાશ્મીર ટુ કન્યાકુમારી, તારક મહેતા, મોર્ડન ગરબા, દશાવતાર, એજ્યુકેશન થીમ ડાન્સ અને બોલીવુડ ધમાકા જેવી વિવિધ થીમ પર આકર્ષક પ્રસ્તુતિઓ આપી હતી. ઉપસ્થિત સૌએ પર્ફોમન્સ કરનાર તમામ વિદ્યાર્થીઓ અને આયોજનમાં જોડાયેલા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી 9 થી 13 જાન્યુઆરી, 2025 દરમિયાન છત્તીસગઢ ખાતે યોજાનારી પ્રથમ નેશનલ રોવર-રેન્જર જાંબોરીમાં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. આ યુનિવર્સિટીના 'ધ ભારત સ્કાઉટ ગાઇડ સેલ'ના વિદ્યાર્થીઓને આ ગૌરવપૂર્ણ તક મળી છે. આ રાષ્ટ્રીય સ્તરની જાંબોરીમાં સિલ્વર ઓક યુનિવર્સિટીના કુલ 15 વિદ્યાર્થીઓ ભાગ લેશે. તેઓ પ્રોગ્રામ ઓફિસર ધ્રુવાભટ્ટ (ગુજરાત કન્ટિજેંટ લીડર)ના માર્ગદર્શન હેઠળ જોડાશે. આ કાર્યક્રમમાં દેશના તમામ રાજ્યોમાંથી 17 થી 25 વર્ષ વયજૂથના યુવાનો એકત્રિત થશે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના ભાવને સાકાર કરશે. જાંબોરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં માર્ચ પાસ્ટ, કેમ્પફાયર, ફોક ડાન્સ, ફૂડ પ્લાઝા અને સ્ટેટ એક્ઝિબિશનનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું આદાન-પ્રદાન થશે. આ ઉપરાંત, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફન એક્ટિવિટીઝ તથા ડિબેટ જેવી પ્રવૃત્તિઓ આ જાંબોરીના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ જાંબોરી રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા, સંસ્કૃતિ અને નેતૃત્વ કૌશલ્ય પ્રદર્શિત કરવાની એક મહત્વપૂર્ણ તક સાબિત થશે.
સુરતની શાન ગણાતી 70 હજાર કરોડની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી હાલમાં પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહી છે. જે ઉદ્યોગમાં એક મશીન દીઠ 60 લાખથી 1 કરોડ રૂપિયાનું તોતિંગ રોકાણ હોય, ત્યાં મંદીના ઓછાયા વિવર્સની કમર તોડી રહ્યા છે. આ પરિસ્થિતિમાંથી ઉગરવા અને 3,500 થી વધુ વિવર્સના હિતોનું રક્ષણ કરવા માટે 'રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન' દ્વારા એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના સભ્યોએ નવા નિયમો ઘડ્યાસુરતની રેપિયર જેકાર્ડ ઇન્ડસ્ટ્રી આજે 70 હજાર કરોડના ટર્નઓવર સાથે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ ઉદ્યોગમાં એક-એક મશીનની કિંમત 60 લાખથી લઈ 1 કરોડ રૂપિયા સુધીની હોય છે. આટલું મોટું મૂડીરોકાણ હોવા છતાં, હાલની વૈશ્વિક મંદી અને કાચા માલના વધતા ભાવને કારણે વિવર્સ આર્થિક ભીંસમાં મુકાયા છે. આ કપરી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એસોસિએશનના 3,500 થી વધુ સભ્યોએ એકસંપ થઈને નવા નિયમો ઘડ્યા છે. 'નો અન્ડર કોસ્ટિંગ' નુકસાનના સોદા પર પૂર્ણવિરામબેઠકનો સૌથી મહત્વનો નિર્ણય 'અન્ડર કોસ્ટિંગ' બંધ કરવાનો લેવાયો છે. અત્યાર સુધી મંદીના કારણે માલ કાઢવાની ઉતાવળમાં વિવર્સ પોતાની પડતર કિંમત કરતા પણ નીચા ભાવે માલ વેચતા હતા, જેનાથી સમગ્ર ઉદ્યોગને નુકસાન થતું હતું. હવે સર્વાનુમતે નક્કી કરાયું છે કે કોઈપણ વિવર નક્કી કરેલા રેટથી નીચે માલ નહીં વેચે. નુકસાન વેઠીને વેપાર કરવા કરતા ઉત્પાદન મર્યાદિત રાખવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે. MSMEના 45 દિવસના નિયમનું કડક પાલનપેમેન્ટ સાયકલને પાટા પર લાવવા માટે એસોસિએશને કેન્દ્ર સરકારના MSME નિયમોનો સહારો લીધો છે. હવેથી તમામ વિવર્સ દ્વારા 45 દિવસમાં પેમેન્ટ લેવાનો આગ્રહ રાખવામાં આવશે. લાંબા સમય સુધી નાણાં રોકાઈ રહેવાને કારણે વિવર્સની વર્કિંગ કેપિટલ ખોરવાઈ જતી હતી, જેનો ઉકેલ લાવવા માટે આ કડક ધારાધોરણ અમલી બનાવવાનું નક્કી થયું છે. આનાથી ઉદ્યોગમાં નાણાકીય તરલતા જળવાઈ રહેશે. ડિફોલ્ટર્સ અને ખોટા રીટર્ન સામે 'બ્લેકલિસ્ટ' હથિયારવેપારમાં ઘણીવાર પાર્ટીઓ ખોટી રીતે જી.આર. આપીને માલ પરત ધાબડી દેતી હોય છે અથવા પેમેન્ટમાં ધાંધિયા કરતી હોય છે. આવા લેભાગુ તત્વો સામે લાલ આંખ કરતા એસોસિએશને નિર્ણય લીધો છે કે જે પણ પાર્ટી ખોટું કરશે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. એટલું જ નહીં, આવી પાર્ટીઓના નામ મીડિયામાં જાહેર કરીને અન્ય વિવર્સને પણ સાવચેત કરવામાં આવશે, જેથી છેતરપિંડીના કિસ્સાઓ અટકાવી શકાય. 900થી વધુ વિવર્સની હાજરીમાં લોકશાહી ઢબે નિર્ણયએસોસિએશનના પ્રમુખ સી.કે. માનિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં અંદાજે 900 જેટલા વિવર્સ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. જ્યારે પ્રમુખે ઉદ્યોગના હિતમાં આ કડક નિર્ણયોની દરખાસ્ત મૂકી, ત્યારે તમામ વિવર્સે એકસાથે હાથ ઊંચા કરીને તેને આવકાર્યા હતા. આ એકતા દર્શાવે છે કે સુરતનો વિવર હવે જાગૃત થયો છે અને પોતાના હકની લડાઈ લડવા સક્ષમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિવારે રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી રીજીયોનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. આ મહત્ત્વના પ્રવાસ પૂર્વે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનના હેલીકોપ્ટરના ઉતરાણ માટે મારવાડી યુનિવર્સિટીની નજીક આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે 3 નવા હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાના જણાવ્યા અનુસાર, યાર્ડમાં 26,000 મીટરની જગ્યામાં 4.50 કરોડના ખર્ચે આધુનિક RCC પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. નવનિર્મિત પ્લેટફોર્મનું કામ માત્ર બે દિવસ પૂર્વે જ પૂર્ણ થયું છે અને તેનો પ્રથમ ઉપયોગ વડાપ્રધાનના આગમન માટે કરવામાં આવશે. વડાપ્રધાન સોમનાથથી હેલીકોપ્ટર મારફતે સીધા અહીં ઉતરાણ કરશે અને ત્યારબાદ સમિટ સ્થળે પહોંચશે. સુરક્ષાની દ્રષ્ટિએ SPG દ્વારા આ સમગ્ર વિસ્તારનો કબજો સંભાળી લેવામાં આવ્યો છે અને હેલીકોપ્ટરના ઉતરાણનું સફળ રિહર્સલ પણ યોજવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ આરસીસી પ્લેટફોર્મ ભવિષ્યમાં ચોમાસા દરમિયાન ખેડૂતોની જણસીના રક્ષણ માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા જાળવવા માટે નવતર પ્રયોગરાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-2026 અંતર્ગત શહેરમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવા માટે એક અનોખા 'સ્વચ્છતા રેન્કિંગ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં શહેરની તમામ હોટલ, હોસ્પિટલ, શાળાઓ, સરકારી કચેરીઓ, માર્કેટ એસોસિએશન, રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન ભાગ લઈ શકશે. મનપા દ્વારા આ રેન્કિંગ પ્રક્રિયા હવેથી દર મહિને હાથ ધરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામુદાયિક સ્તરે સ્વચ્છતાના ધોરણો સુધારવાનો છે. સ્પર્ધામાં વિજેતાઓ નક્કી કરવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેઇન્ટેનન્સ અને લોકોના ફીડબેક જેવા મહત્વના પેરામીટર્સ ધ્યાને લેવામાં આવશે. દરેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાને સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના માપદંડોમાં પરિસરની સફાઈ, શૌચાલયની સુવિધા, ભીના અને સૂકા કચરાના નિકાલની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સંસ્થાઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધના લોગોવાળા બેનર લગાવવા ફરજિયાત રહેશે, જે સેન્ટ્રલ ઝોન કચેરીના રૂમ નં. 7 પરથી મેળવી શકાશે. સ્પર્ધામાં ભાગ લેવા રસ ધરાવતા સંચાલકોએ WWW.RMC.GOV.IN વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20-1 નક્કી કરવામાં આવી છે. આ સ્પર્ધા અંગેનો અંતિમ નિર્ણય મ્યુનિસિપલ કમિશનર સહિતની કમિટી દ્વારા લેવામાં આવશે. રાજકોટમાં રૂ. 5000થી વધુનો વેરો બાકી હશે તો નળ જોડાણ કપાશે અને મિલકત સીલ થશેરાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા રૂ. 454 કરોડનો મિલકત વેરો વસૂલવાનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે હવે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. જે મિલકત ધારકોનો રૂ. 5000 કે તેથી વધુનો વેરો બાકી હશે, તેમના નળ જોડાણ કાપવા અને મિલકત સીલ કરવા જેવી ઝુંબેશ હાથ ધરવામાં આવશે. વેરા વિભાગે પ્રક્રિયા ઝડપી બનાવવા માટે નોટિસ આપવાની રાહ જોવાને બદલે મનપાની વેબસાઈટ પર બાકીદારોના નામની યાદી જાહેર કરી દીધી છે અને આ જાહેરાતને જ અંતિમ નોટિસ ગણવા સૂચના આપી છે. જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રિયલ સહિતની તમામ મિલકતોના ધારકોએ પોતાની બાકી વિગતો વેબસાઈટ પરથી મેળવી તાત્કાલિક નાણાં જમા કરાવવાના રહેશે. જો સમયસર વેરો ભરપાઈ કરવામાં નહીં આવે, તો જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 128 હેઠળ મિલકતની હરરાજી સુધીનાં પગલાં લેવામાં આવશે. તમામ બાકીદારો વેરો ઓનલાઈન, વોર્ડ ઓફિસ, સિટી સિવિક સેન્ટર અથવા ઝોન ઓફિસ પર ભરી શકશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા રાજ્ય પોલીસ દળમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયા સંદર્ભે મહત્વની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ, વાયરલેસ વિભાગ તેમજ હેડ કોન્ટેબલ, ડ્રાઈવર મેકેનિક (ગ્રેડ-1) સહિતના વર્ગ-3 સંવર્ગ માટે ભરતીની પ્રક્રિયા અંગે ઉમેદવારો માટે જરૂરી તમામ માર્ગદર્શિકા આ સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવી છે. 29 જાન્યુ. સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશેભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ સૂચના મુજબ, ઓનલાઈન અરજી પ્રક્રિયા OJAS પોર્ટલ (ojas.gujarat.gov.in) પર 9 જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1 વાગ્યાથી શરૂ થઈ છે અને 29 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉમેદવારો અરજી કરી શકશે. જરૂરી દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક વાંચવીસૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા ભરતી સંબંધિત લાયકાત, વયમર્યાદા, શારીરિક ધોરણો, કેટેગરી મુજબની જગ્યાઓ અને જરૂરી દસ્તાવેજોની માહિતી ધ્યાનપૂર્વક વાંચવી ફરજિયાત રહેશે. અરજી ફોર્મ કન્ફર્મ કર્યા બાદ તેનું પ્રિન્ટઆઉટ પોતાના પાસેથી સાચવી રાખવાનું રહેશે અને જરૂર પડ્યે રજૂ કરવું પડશે. ઉમેદવારોની અરજી કોઈપણ તબક્કે રદ કરાઈ શકેભરતી બોર્ડે વધુમાં જણાવ્યું છે કે, અરજીમાં ખોટી અથવા અધૂરી માહિતી આપનાર ઉમેદવારોની અરજી કોઈપણ તબક્કે રદ કરવામાં આવી શકે છે. ફોટો અને સહી અપલોડ કરતી વખતે નિર્ધારિત સાઈઝ અને ફોર્મેટનું ખાસ ધ્યાન રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. બોર્ડની વેબસાઇટ અને OJAS પોર્ટલ પર અપડેટ્સ તપાસવા અપીલગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા પારદર્શક અને નિયમસર થાય તે માટે આ વિગતવાર સૂચના જાહેર કરવામાં આવી હોવાનું બોર્ડ દ્વારા જણાવાયું છે. ઉમેદવારોને નિયમિત રીતે ભરતી બોર્ડની વેબસાઇટ અને OJAS પોર્ટલ પર અપડેટ્સ તપાસવાની અપીલ કરવામાં આવી છે.
ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદના નિકોલ નરોડા રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિગમાં બિલ્ડર હિંમત રૂડાણીની તીક્ષણ હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી ત્યારે પોલીસે આ કાવતરા પાછળ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં સોપારી આપનાર મૃતકના પાર્ટનર આરોપી બિલ્ડર મનસુખ લાખાણી, સોપારી લેનાર હિમાંશુ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને એક સગીર આરોપીનો સમાવેશ થાય છે. મનસુખ લખાણી સિવાય ત્રણેય આરોપી રાજસ્થાનના છે. આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા રજૂઆત કરી હતીઆ વિવાદ નિકોલ ખાતે કેન્સ કોર્નર સાઇટના બાંધકામના હિસાબના વિવાદમાં થયો હતો. જેમાં આરોપી મનસુખ લાખાણીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા રજૂઆત કરી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપી 70 વર્ષની ઉમરના છે. તેઓએ ખૂન કરેલ નથી. સોપારી આપ્યાનો કોઈ પુરાવો નથી. સામે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે દલીલ કરી હતી કે, વર્તમાન અરજદાર આરોપીએ મૃતકની હત્યા માટે 1.20 કરોડની સોપારી આપી હતી અને ભાડુતી માણસો પાસેથી હત્યા કરાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ચાર્જશીટમાં સોપારી આપ્યાના પુરાવા છે ત્યારે આરોપીને જામીન આપી શકાય નહીં.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા થલતેજ વોર્ડમાં રોડ બનાવવા અને પેવર બ્લોકના કામ માટે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી કામ મંજૂર કરવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. શહેરમાં રોડ, ફૂટપાથ, પેવરબ્લોક સહિતનાં ઇજનેર ખાતા સબંધિત કામો માટે ઝોન અને પ્રોજેક્ટમાં સંખ્યાબંધ કોન્ટ્રાક્ટરો હોવા છતાં 8 કરોડનું કામ સિંગલ ટેન્ડરથી બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લીને આપી દેવામાં આવ્યું છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં કામગીરી કરવા માટે અનેક કોન્ટ્રાક્ટર ઓછા ભાવથી પણ કામ કરતા હોય છે છતાં પણ કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ન ભર્યું અને બીજા પ્રયત્નોમાં સિંગલ ટેન્ડરથી કામ આપી દેવામાં આવતા અનેક સવાલ ઉભા થયા છે. પ્રથમ વખતમાં કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું જ નહીં ઉત્તર પશ્ચિમ ઝોનનાં ઇજનેર વિભાગ દ્વારા થલતેજ વોર્ડમાં હીરક એપાર્ટમેન્ટથી ગુરૂકુળ રોડ, શ્રેયા અમલ્ગાથી પુરૂષોત્તમ બંગ્લોઝથી રબારીવાસ રોડ, નારાયણ ધામથી શિવધારા-અલ્પાઇન રોડ, સ્ટર્લીંગ હોસ્પિટલથી સેંટ એન સ્કૂલ રોડ સહિત જુદી જુદી જગ્યાએ આરસીસી રોડ તથા પેવરબ્લોક નાખવા માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. પ્રથમ વખતમાં કોઈ કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું નહીં. જે આશ્ચર્યજનક હતું અને બીજી વખત ટેન્ડર કરવામાં આવ્યું હતું. ઉત્તર પશ્ચિમ ઝોનના ઇજનેર ખાતાએ ફરી ટેન્ડર બહાર પાડ્યુ અને માત્ર બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. નામનાં કોન્ટ્રાક્ટરે ટેન્ડર ભર્યું હતું. કોન્ટ્રાક્ટરે છેલ્લે 12 ટકા વધુ ભાવે કામ કરવાની તૈયારી દાખવી હતીઇજનેર ખાતાએ આ કામ માટે 6.76 કરોડનો અંદાજ મૂકી ટેન્ડર બહાર પાડ્યુ હતું. જોકે, કોન્ટ્રાક્ટર કંપની બુકોન એન્જિનિયર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. નામનાં 18 ટકા ઉંચા ભાવ ભર્યા હતા. સિંગલ ટેન્ડર હોઇ તેને રદ કરવાને બદલે ઇજનેર ખાતાએ કોન્ટ્રાક્ટર સાથે રાબેતા મુજબ વાટાઘાટો કરતાં કોન્ટ્રાક્ટરે છેલ્લે 12 ટકા વધુ ભાવે એટલે કે 7.58 કરોડ અને GST અલગથી ચૂકવવાની શરત સાથે કામ કરવાની તૈયારી દાખવી હતી, જેને ઇજનેર ખાતાએ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં મંજૂરી માટે મુકતા તેને મંજૂર કરી દીધું હતું. 8 કરોડનું સિંગલ ટેન્ડર મંજૂર કરાયુંસૂત્રો મુજબ દરેક ઝોનમાં રોડનાં નાના કામો, પેચવર્ક, ફૂટપાથ, પેવરબ્લોક વગેરે પ્રકારનાં કામો માટે ચોક્કસ કોન્ટ્રાક્ટરોની રીંગ બનેલી હોય છે. જ્યારે RCCના મોટા રોડ કે ડામરનાં મોટા રોડ માટે મોટા કોન્ટ્રાક્ટરો પણ છે તેમછતાં અન્ય કારણોસર 8 કરોડનુ સિંગલ ટેન્ડર મંજૂર કરાયુ છે. આ ટેન્ડરને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દેવામાં આવતા સવાલો ઊભા થયા છે.
ભાવનગર શહેરના આડોડીયાવાસમાં 5 ડિસેમ્બરમાં રોજ દેશી દારૂની ભઠ્ઠીમાં LCB ટીમે રેડ કરી જેમાં રેડ દરમિયાન દેશી દારૂ, આથો, વિદેશી દારૂની બોટલો, સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટે અખાદ્ય સડેલો ગોળ પૂરો પાડનાર શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા નદીમ ટ્રેડર્સ નામની દુકાને રેડ કરી અખાદ્ય (સડેલો) ગોળ મળી આવતા નાશ કર્યો હતો. જેમાં સડેલા ગોળ અને યીસ્ટનું વેચાણ કરતા બે વેપારી સહિત 7ની ધરપકડ કરવામાં આવી હતી. આડોડીયાવાસમાં દેશી દારૂની ભઠ્ઠી તોડી પાડવામાં આવી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી મુજબ, તા 5 ડિસેમ્બરના રોજ ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતાં નીતાબેન સરજુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીની બાતમી મળી હતી. જે આધારે LCB ટીમે રેડ કરતાં દેશીદારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સહિતના સાધનો, દેશી દારૂ 229 લીટર, ઈગ્લીશ દારૂની નાની-મોટી બોટલ 52 નંગ, આથો 3225 લીટર, નાના મોટા બેરલ 25 નંગ મળી કુલ રૂ. 1,47,925નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અખાદ્ય સડેલો ગોળ પુરો પાડનાર 2 વેપારીઓની ધરપકડસમગ્ર બનાવ અંગે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા માટે અખાદ્ય સડેલો ગોળ પુરો પાડનાર દાણાપીઠ વિસ્તારમાં આવેલા નદીમ ટ્રેડર્સ નામની દુકાને રેડ કરવામાં આવી હતી. અખાદ્ય સડેલો ગોળ 300 કિલો રૂ.12,600 નો મળી આવતા અખાદ્ય સડેલો ગોળનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગુનામાં અખાદ્ય (સડેલો) ગોળ પુરો પાડનાર તથા યીસ્ટ પુરૂ પાડનાર 2 વેપારીઓની ધરપકડ કરવામાં આવી હતી. દેશી દારૂની ભઠ્ઠીમાં સંકળાયેલા આરોપીઓ
વલસાડ જિલ્લાના વાપી GIDC વિસ્તારમાં મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન સક્રિય બન્યું છે. પોલીસે ચાઈનીઝ માંજાના ગેરકાયદેસર વેચાણ અને ઉપયોગથી થતી દુર્ઘટનાઓને અટકાવવા માટે વિવિધ વિસ્તારોમાં અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, પતંગ અને માંજા વેચતી દુકાનોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. પોલીસે માંજાની ગુણવત્તા, પ્રકાર અને કાયદેસરતાની ચકાસણી કરી હતી. પોલીસ અધિકારીઓએ દુકાનદારોને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ક્યાંય પણ પ્રતિબંધિત ચાઈનીઝ માંજાનો સંગ્રહ કે વેચાણ મળી આવશે, તો સંબંધિત દુકાનદાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે જણાવ્યું હતું કે ચાઈનીઝ માંજા માનવજીવન, વાહનચાલકો, બાળકો તેમજ પક્ષીઓ માટે ગંભીર જોખમરૂપ છે. વાપી GIDC પોલીસ મથકના PI અમીરાજસિંહ રાણાના નેતૃત્વમાં આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં PSI દિપાંજલિ ત્રિપાઠી, PSI કે.કે. પરમાર, PSI એલ.જી. વડવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે જનતાને પણ ચાઈનીઝ માંજાનો ઉપયોગ ન કરવા અને તેના ગેરકાયદેસર વેચાણ અંગે માહિતી આપવા અપીલ કરી છે.
વાપી પાલિકાએ 127 ચાલી રૂમો સીલ કરી:રૂ. 16.78 લાખનો ઘરવેરો વસૂલ્યો, સ્થળ પર 4.22 લાખની વસૂલાત
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી 127 ચાલી રૂમોને સીલ કરી છે. આ અભિયાન અંતર્ગત કુલ રૂ. 16.78 લાખનો વેરો વસૂલવામાં આવ્યો હતો, જેમાંથી રૂ. 4.22 લાખની વસૂલાત સ્થળ પર જ કરવામાં આવી હતી. કમિશનર યોગેશ ચૌધરીની સૂચના અને નાયબ કમિશનર અશ્વિન પાઠકના માર્ગદર્શન હેઠળ આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ ઠક્કર અને ટેક્સ ઇન્સ્પેક્ટર દીપક ચભાડિયાની ટીમે વેરો ન ભરનાર ચાલીના મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરી હતી. મિલકતધારકોને નોટિસો આપવા છતાં વેરો ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. ચલા વિસ્તારમાં નિરંકારી નગર, હળપતિવાસ અને અપનાઘર સહિતના વિસ્તારોમાં 39 રૂમોને સીલ કરવામાં આવી હતી, જેનાથી રૂ. 6.35 લાખની વસૂલાત થઈ. આ ઉપરાંત, ડુંગરા વિસ્તારના ઢોડિયાવાડ, આહીરવાડ અને કોળીવાડ જેવા વિસ્તારોની 77 રૂમોને સીલ કરીને રૂ. 8.78 લાખનો વેરો વસૂલવામાં આવ્યો. વાપીમાં કબ્રસ્તાન રોડ, ખડકલા રોડ અને ટાંકી ફળિયા સહિતના વિસ્તારોમાં 11 રૂમોને સીલ કરી રૂ. 1.65 લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં, લાંબા સમયથી વેરો ન ભરનારા ગ્રામ્ય વિસ્તારના ચાલીના મિલકતધારકોને નોટિસો આપવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, ઓક્ટોબર-2025 થી દર મહિને 1% લેખે દંડકીય વ્યાજ વધશે અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ થઈ શકે છે. પાલિકાએ ચાલીના માલિકોને સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવા અપીલ કરી છે.
કચ્છના ભુજ અને માંડવી તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર રેતી અને માટી ખનન તથા વહન સામે ટાસ્કફોર્સે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ ત્રણ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને રૂ. 52 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ભુજ તાલુકાના સુમરાસર સીમ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે ખાનગી વાહન દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, લોડર (રજીસ્ટ્રેશન નં. GJ-12-CM-8113) અને ડમ્પર (રજીસ્ટ્રેશન નં. GJ-12-BX-4051) દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ટાસ્કફોર્સે આ બંને વાહનોને અટકાવી કુલ રૂ. 35 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને સીઝ કરીને ભુજ ખાતેના સરકારી ગોદામમાં કસ્ટડીમાં સોંપવામાં આવ્યા છે. આ અંગે નિયમોનુસારની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, વી-કોંક્રિટ શિરાચા ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. અહીં ડમ્પર (રજીસ્ટ્રેશન નં. GJ-16-Z-3190) રોયલ્ટી પાસ વગર સાદી માટીનું ગેરકાયદેસર વહન કરતું ઝડપાયું હતું. ટાસ્કફોર્સે આ ડમ્પરને અટકાવી રૂ. 17 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ડમ્પરને સીઝ કરીને વી-કોંક્રિટ પ્લાન્ટ, શિરાચા ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે. આ મામલે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વલસાડના ઝેનિથ ડૉ. હાઉસ ખાતે હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડૉ. ધ્રુમિલ સરકારે અદ્યતન હેડ એન્ડ નેક કેન્સર સર્જરી સફળતાપૂર્વક કરી છે. ડિજિટલ પ્લાનિંગ અને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરાયેલી આ સારવારથી વલસાડ જિલ્લાના દર્દીઓને સ્થાનિક સ્તરે જ આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા પ્રાપ્ત થઈ છે. અગાઉ, ગંભીર હેડ એન્ડ નેક કેન્સરના દર્દીઓને સારવાર માટે સુરત કે મુંબઈ જેવા મોટા શહેરોમાં જવું પડતું હતું. ડૉ. સરકારના નેતૃત્વ હેઠળ ઝેનિથ ડૉ. હાઉસે આ સમસ્યાનો ઉકેલ લાવી સ્થાનિક દર્દીઓ માટે મોટી રાહત પૂરી પાડી છે. આ સર્જરીમાં આધુનિક ડિજિટલ સર્જિકલ પ્લાનિંગ, કસ્ટમાઇઝ્ડ 3D-પ્રિન્ટેડ સર્જિકલ ગાઇડ્સ અને દર્દી-વિશિષ્ટ ઇમ્પ્લાન્ટ્સનો ઉપયોગ કરાયો હતો. આનાથી ટ્યુમરને સંપૂર્ણપણે દૂર કરી, દર્દીના ચહેરાનો દેખાવ અને જીવનની ગુણવત્તા જાળવી રાખવામાં સફળતા મળી છે. એક જ ઓપરેશનમાં ટ્યુમર દૂર કરીને તરત જ પુનઃનિર્માણ અને રિહેબિલિટેશન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે દર્દીની સાજા થવાની પ્રક્રિયા ઝડપી બની હતી. આ સિદ્ધિ વલસાડ-વાપી વિસ્તાર માટે ગૌરવપૂર્ણ છે, કારણ કે વલસાડ હવે આધુનિક હેડ એન્ડ નેક કેન્સર સર્જરીમાં સુરત અને મુંબઈની કક્ષા સુધી પહોંચી રહ્યું છે. ઝેનિથ ડૉ. હાઉસ હેડ એન્ડ નેક કેન્સર સર્જરી માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' તરીકે ઉભરી આવ્યું છે. આ જટિલ સર્જરીની સફળતા પાછળ મજબૂત મલ્ટિડિસિપ્લિનરી ટીમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. આ ટીમમાં રેડિયોલોજિસ્ટ ડૉ. વિશાલ દેસાઈ, પ્રોસ્ટોહોડોન્ટિસ્ટ ડૉ. સિદ્ધાર્થ દેસાઈ, ડોક્યુમેન્ટેશન મેન્ટોર ડૉ. ભાવિન ટંડેલ, ફેશિયલ પ્લાસ્ટિક સર્જન ડૉ. કુંજન પટેલ સરકાર અને એનેસ્થેટિસ્ટ ડૉ. દેવાંશી પટેલ સહિતની સમગ્ર ઓપરેટિંગ ટીમનો સમાવેશ થાય છે. ઝેનિથ ડૉક્ટર હાઉસના ચેરમેન ડૉ. કુરેશીના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં આ પ્રકારની અદ્યતન સર્જરી સફળતાપૂર્વક થઈ રહી છે.
ગાંધીનગરમાં ટાઈફોઈડના રોગચાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુનાહિત બેદરકારી બહાર આવી છે. શહેરના જૂના સેક્ટરોમાં ઘરે-ઘરે બીમારીના ખાટલા છે. એક તરફ ટાઈફોઈડનો આંકડો 200 સુધી પહોંચવા આવ્યો છે. ત્યારે હવે ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં બે દિવસથી ગંદા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. સિટી પલ્સ પાસે સૂકુન સ્કાય ફ્લેટની સામે ગટરનું દૂષિત પાણી રોડ પર વહી રહ્યું હોવા છતાં, ‘સબ સલામત’ના દાવા કરતું મનપા તંત્ર હજુ પણ હરકતમાં આવ્યું નથી. 15 નવા કેસ સામે આવતા 75 દર્દીઓ સારવાર હેઠળગાંધીનગર મનપા અને સિવિલ હોસ્પિટલના આંકડાઓમાં મોટી વિસંગતતા જોવા મળી રહી છે. જે તંત્રની દાનત સામે સવાલો ઉભા કરે છે. મનપાનો દાવો કરે કે આજે માત્ર 15 નવા કેસ અને કુલ 75 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સિવિલની વાસ્તવિકતા મુજબ છેલ્લા 24 કલાકમાં જ નવા 35 દર્દીઓ દાખલ થયા છે. હાલ સિવિલમાં 89 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 52 પોઝિટિવ અને 37 શંકાસ્પદ છે. આ તફાવત સાબિત કરે છે કે વહીવટી તંત્ર રોગચાળાની ગંભીરતા ઘટાડી કઈ અલગ બતાવવા મથી રહ્યું છે. ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળ્યુંગાંધીનગરમાં 24 કલાક પાણી આપવા માટે 250 કરોડના ખર્ચે જે નવી પાઈપલાઈન નાખવામાં આવી હતી, તે જ આજે આફત બની છે. નવી લાઈનમાં ઠેર-ઠેર લિકેજ હોવાથી ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. અત્યાર સુધીમાં 48 લિકેજ મળી આવ્યા છે. સેક્ટર-24, 26 અને આદિવાડા વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આશ્ચર્યની વાત એ છે કે નવી લાઈન નંખાઈ ત્યારે જ લિકેજની ફરિયાદો થઈ હતી, પણ ત્યારે તંત્રએ આ આક્ષેપોને કાને ધર્યા ન હતા. દૂષિત પાણીની લાઈનો રિપેર ન થાય તો વિસ્તાર ટાઈફોઈડના ભરડામાંનઘરોળ તંત્રની પોલ ત્યારે ખુલી જ્યારે ખુદ મેયરના જ વોર્ડમાં ગટરના ગંદા પાણી બેક મારવા લાગ્યા છે. જે રોડ પર અગાઉ હિટ એન્ડ રનમાં માસૂમનો જીવ ગયો હતો, ત્યાં જ હવે ગંદા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. સ્થાનિકોની અનેક ફરિયાદો છતાં તંત્ર મચક આપતું નથી. જો આ દૂષિત પાણીની લાઈનો તાકીદે રિપેર નહીં થાય તો આ વિસ્તાર પણ ટાઈફોઈડના ભરડામાં આવી જાય તો નવાઈ નહીં. ગંદા પાણીના ફુવારા તંત્રની નિષ્ફળતાબીજી તરફ, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગએ આ ગંભીર બેદરકારી બદલ ગુજરાત સરકાર પાસે બે સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હાલમાં ગાંધીનગર મનપાની હાલત ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી થઈ ગઈ છે. એક તરફ સર્વેલન્સ અને ક્લોરીનેશનના બણગા ફૂંકવામાં આવે છે, તો બીજી તરફ રસ્તા પર વહેતા ગંદા પાણીના ફુવારા તંત્રની નિષ્ફળતાની જીવતી જાગતી સાક્ષી પૂરી રહ્યા છે.
પાટણ નગરપાલિકામાં વિવિધ સંવર્ગની કુલ 22 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી સમિતિની બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા માટે લેખિત પરીક્ષાના આયોજન અને ઓનલાઈન અરજીઓ મંગાવવા માટે એજન્સીની નિમણૂક કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. પ્રાદેશિક કમિશનર, ગાંધીનગર ઝોન દ્વારા મંજૂર કરાયેલા મહેકમ મુજબ, પાટણ નગરપાલિકામાં વર્ગ-3ની 22 જગ્યાઓ પર સીધી ભરતીની મંજૂરી મળી છે. પાટણ નગરપાલિકા ખાતે પ્રમુખ હીરલબેન પરમારના અધ્યક્ષસ્થાને મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ અંગેનો એજન્ડા રજૂ કરી ઠરાવ નંબર 1 પસાર કરાયો હતો. આ ભરતીમાં ક્લાર્ક, ટેક્સ ઇન્સ્પેક્ટર, ઓડિટર, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયર, ટાઉન પ્લાનર અને વાયરમેન સહિતના વિવિધ ટેકનિકલ અને વહીવટી સંવર્ગોનો સમાવેશ થાય છે. ભરતી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે લેખિત પરીક્ષા લેવા અને મેરિટ તૈયાર કરવા સરકાર માન્ય સંસ્થાઓ અથવા યુનિવર્સિટીઓ પાસેથી ભાવો મંગાવવાનો નિર્ણય લેવાયો છે. આ માટે 7 દિવસની સમયમર્યાદામાં દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપી સ્પર્ધાત્મક ભાવો મંગાવવામાં આવશે. સૌથી ઓછા ભાવ આપનાર યોગ્ય સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને સરકારના ધારાધોરણ મુજબ પરીક્ષા ફીની ચુકવણી કરવાની રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાનો સિલેબસ સરકાર દ્વારા નિયત કર્યા મુજબનો રહેશે. સમિતિ દ્વારા જણાવાયું છે કે સંપૂર્ણ પ્રક્રિયા મેરિટના આધારે પારદર્શક રીતે કરવામાં આવશે. આ બેઠકમાં ચીફ ઓફિસર હીરલ ઠાકર સહિત સમિતિના સભ્યો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
11 જાન્યુઆરી 2026. આ કોઈ તારીખ કે કેલેન્ડરનું પાનું નથી પણ ભારતીય ઈતિહાસનું એક કરુણ અને ગૌરવશાળી અધ્યાયની નિશાની છે. બરાબર 1 હજાર વર્ષ પહેલા 1026માં ગઝનીના મહમૂદ ગઝનવીએ સોમનાથ પર 30 હજારથી વધુ લડવૈયાઓની સેના સાથે સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું. તેમને લાગ્યું હશે કે તે માત્ર મંદિર તોડી રહ્યા છે પણ ગઝનવી ભારતની સંસ્કૃતિના આત્માને કચડી રહ્યો હતો. સોમનાથ મંદિર બચાવવા જતા કહેવાય છે કે અંદાજે 50થી 70 હજાર લોકોએ પોતાનો જીવ દઈ દીધો હતો. આજે આક્રમણકારોની કબર ક્યાં છે તે કોઈને ખબર નહીં હોય પણ સોમનાથ મંદિર આજે પણ અનેકવાર ખંડિત થયા બાદ ચટ્ટાનની જેમ અડીખમ ઊભું છે. સોમનાથ દાદાનું મંદિર એ વાતનો પુરાવો છે કે પથ્થરો તોડી શકાય છે પણ પરંપરાઓ નહીં...આજે આપણે સોમનાથ મંદિર સાથે જોડાયેલા ગૂઢ રહસ્યો, પુરાતત્વીય અજાયબીઓ, વૈજ્ઞાનિક તથ્યો તથા સિદ્ધિઓ, ભુલાયેલા વીર યોદ્ધાઓ અને આઝાદી પછીના રાજકીય વિવાદોની વાત કરવી છે. નમસ્કાર... ઈ. પૂ. 206માં હોકાયંત્ર બન્યું, 1849માં હવામાં ઉડતું બલૂન બન્યું, 1903માં એરક્રાફ્ટ બન્યું, 1930ના દાયકામાં પહેલું ડ્રોન, 1957માં સેટેલાઈટ બન્યો, 2006માં ગૂગલ અર્થ બન્યું. આ બધું જ આવ્યા પછી આપણને ખબર પડી કે પૃથ્વી પર કઈ વસ્તુ ક્યાં છે. પરંતુ આજથી હજારો વર્ષ પહેલા સોમનાથના બાણસ્તંભે દુનિયાને કહી દીધું હતું કે દુનિયામાં કયાં-કયાં શું-શું છે. બાણસ્તંભમાં સંસ્કૃતમાં લખાયું છે કે, સમુદ્રના આ બિંદુથી દક્ષિણ ધ્રુવ સુધીના માર્ગમાં કોઈ અવરોધ કે જમીનનો ટુકડો આવતો નથી. સ્કંદપુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ આજે જ્યારે આપણે ગૂગલ અર્થ પર સોમનાથથી દક્ષિણ દિશામાં 10,000 કિલોમીટરની રેખા દોરીએ છીએ, ત્યારે આશ્ચર્ય વચ્ચે એ સાચું સાબિત થાય છે! વિચાર કરો, જ્યારે સેટેલાઈટ નહોતા, ડ્રોન નહોતા, ત્યારે ભારતીયોએ પૃથ્વીના નકશાનું આટલું સચોટ જ્ઞાન કેવી રીતે મેળવ્યું હશે? માટે જ સોમનાથ મંદિર માત્ર શ્રદ્ધાનો વિષય નથી; તેની પાછળ વિજ્ઞાન પણ છે. સ્કંદ પુરાણ મુજબ રાજા દક્ષ પ્રજાપતિના શ્રાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રએ બ્રહ્માની સલાહથી સોનાનું મંદિર બનાવ્યું હતું. પૌરાણિક માન્યતાઓ મુજબ મંદિર સમયાંતરે જુદા-જુદા દ્રવ્યોમાથી બનતું આવ્યું છે. નામ અને દ્રવ્યની વાત કરીએ આપણે બધા જ જાણીએ છીએ કે પોલો કોએલોનું એલ્કેમિસ્ટ નામનું પ્રખ્યાત પુસ્તક વિશ્વમાં કરોડો લોકોએ વાંચ્યું. તેમાં ધાતુને સોનામાં બદલવાની વાત છે. જાણીને નવું લાગે પણ 12મી સદીમાં ફેમસ થયેલો એલ્કેમિસ્ટ શબ્દ આપણા પુરાણોમાં તો સદીઓ પહેલા ઉલ્લેખ થઈ ગયો છે. એ પણ સ્યમંતક મણિના સ્વરૂપે. 11મી સદીમાં ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું ત્યારે તેમની સાથે ઈતિહાસકાર અને લેખકો પણ આવેલા હતા. અલ બરૂનીએ પોતાના પુસ્તકોમાં આક્રમણની વાત કરી જ્યારે બાદમાં ઝકરિયા અલ કવિઝે આશ્ચર્ય સાથે લખ્યું કે, ઝકરિયા અલ કવિઝે લખ્યું કે…'જ્યારે અમે ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે શિવલિંગ કોઈ પણ આધાર વગર હવામાં અદ્ધર લટકતું હતું'. સોમનાથઃ શ્રદ્ધા અને સાયસન્સનું અદ્ભૂત મિશ્રણ આજના બુલેટ ટ્રેનના યુગમાં આપણે જેને મેગ્નેટિક લેવિટેશન કહીએ છીએ તે ટેક્નોલોજી 11મી સદીના ભારતીય મંદિરોમાં વપરાતી હતી. આ જ સમયે ગઝનવીએ જ્યારે છતના પથ્થરો હટાવવાના આદેશો આપ્યા ત્યારે ચુંબકીય સંતુલન બગડ્યું હતું અને શિવલિંગ નીચે પડી ગયું હતું. ટૂંકમાં 11મી સદીમાં ભારત પાસે ચુંબકીય વિજ્ઞાનનું જ્ઞાન હતું. સોમનાથનો ઈતિહાસ વિનાશનો જ નહીં પણ શૌર્યનો પણ છે. મહમૂદ ગઝની, ખીલજી, ઝફરખાન અને બેગડા જેવા આક્રમણખોરોનો ઈતિહાસ ફંફોળીએ તો હમીરજી ગોહીલજી અને વેગડા ભીલનો પણ ઉલ્લેખ મળે છે. વીર હમીરજી ગોહીલઃ લગ્નમંડપથી રણમેદાન સુધી ચારણી સાહિત્ય મુજબ અરઠીલા-લાઠીના રાજકુમાર વીર હમીરજી ગોહિલના લગ્ન દ્રોણગઢડા ગામમાં લેવાયા હતા. એવામાં સોમનાથ આક્રમણના સમાચાર મળતા હમીરજીએ સંસારના માંડવાના બદલે સોમનાથના રક્ષણે ચઢ્યા હતા. લોકવાયકા મુજબ તેમણે જતાં-જતાં પત્નીને કહ્યું હતું કે, “હું સોમનાથની સખાતે જાઉં છું, કદાચ પાછો ના પણ ફરું.” સોમનાથ રક્ષામાં માથું કપાયું, ધડ લડતું રહ્યું અંતે તેમનું જુઝાર થયું. એટલે કે માથું કપાયું પણ યુદ્ધ રણમાં ધડ લડતું રહ્યું. આ પરાક્રમમાં ક્ષત્રિયો સાથે ખભેખભો મિલાવીને વનવાસી નેતા વેગડા ભીલ પણ જોડાયા, શહીદ થયા અને સામાજિક એકતાનું ઉદાહરણ આપતા ગયા. કહેવાય છે કે આવી જ રીતે ગઝનવીના આક્રમણમાં 50થી 70 હજાર લોકોએ શિવાલય માટે પોતાનો જીવ ખપાવ્યો હતો. કદાચ એક મંદિર પાછળ વિશ્વના ઈતિહાસની સૌથી મોટી રક્તરંજિત લડાઈ હશે. સોમનાથ અને અહિલ્યાબાઈની ચતુરાઈ સોમનાથ મંદિર સાથે ઈન્દોરના મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરનું પણ નામ જોડાયું છે. કહેવાય છે કે 1782માં તેમને સપનામાં શિવજી આવ્યા અને આદેશ કર્યો કે તેમનું મંદિર જીર્ણ અવસ્થામાં છે. અહિલ્યાબાઈએ મંદિર બનાવવા માટે ચતુરાઈ વાપરી. તેમણે શિવલિંગને જમીન નીચે ભૂગર્ભમાં સ્થાપિત કરીને નવું મંદિર બનાવ્યું. જેથી ભવિષ્યમાં કોઈ આક્રમણકારો આવે તો મુખ્ય મંદિર પર કોઈ આક્રમણ ન કરે અને મુખ્ય શિવલિંગની પવિત્રતા જળવાઈ રહે. નવા મંદિરમાં ભક્તોને ગર્ભગૃહમાં જવાની મનાઈ છે પણ અહિલ્યાબાઈ મંદિરમાં ગર્ભગૃહમાં ઉતરીને શિવલિંગને સ્પર્શ કરી પૂજા કરી શકાય છે. હાથવગા તથ્યો મુજબ 2 હજાર વર્ષ પહેલા ઉજ્જૈનના વિક્રમાદિત્યએ પથ્થરનું સોમનાથ મંદિર બનાવડાવ્યું હતું. સામેની બાજુ મંદિરને અનેકવાર લૂંટવામાં કે નષ્ટ કરવામાં આવ્યું છે. હિંદુઓને ખુશ કરવા બ્રિટિશરે ભગો વાળ્યો બ્રિટીશ શાસન કાળ સમયે પણ સોમનાથ મંદિરની એક વાતનો ઉલ્લેખ છે. 1842માં લોર્ડ એલનબરોએ હિન્દુઓને ખુશ કરવા એક આદેશ આપ્યો કે ગઝનીમાંથી સોમનાથના સુખડના દરવાજા પાછા લાવવામાં આવે. દરવાજા આવ્યા ખરા, પણ પછી ખબર પડી કે તે સુખડના નહીં પણ દેવદારના હતા અને તેના પરનું કોતરકામ સોલંકી કાળનું નહીં પણ ઈસ્લામિક શૈલીનું હતું. આ કિસ્સો બતાવે છે કે પશ્ચિમી શાસકો ભારતીય વારસાને સમજવામાં કેટલા કાચા હતા. અંતે એ દરવાજાઓએ આગ્રાના કિલ્લામાં ધૂળ ખાધી હતી. સોમનાથ મામલે સરદાર-નેહરુ સામસામે આવ્યા નજીકના સમયની વાત કરીએ તો સોમનાથ મંદિરના પુનઃનિર્માણ સમયે આઝાદ ભારતની મોટી રાજકીય કસોટી જામી હતી. 1947માં નવભારતના નિર્માણ પછી 13 નવેમ્બરે સરદાર વલ્લભભાઈ પ્રભાસ પાટણ આવ્યા હતા ત્યારે તેમણે હાથમાં જળ લઈને સમુદ્ર કિનારે પ્રતિજ્ઞા લીધી હતી કે સોમનાથનું પુનઃનિર્માણ થશે. અફસોસ તેમનું નિધન થયું પણ આ જવાબદારી કનૈયાલાલ મુનશીએ સંભાળી. જો કે આ મામલે નેહરુનું માનવું હતું કે ભારત બિનસાંપ્રદાયિક છે. ભારતમાં તમામ ધર્મો સમાન છે. દેશની સરકારે મંદિર નિર્માણની જગ્યાએ દેશ નિર્માણમાં ધ્યાન દેવું જોઈએ. તેમણે આને હિન્દુ પુનરુત્થાનવાદ ગણાવ્યો હતો અને રાજેન્દ્ર પ્રસાદને પણ ઉદ્ઘાટનમાં ન જવાની સલાહ આપી હતી. જો કે મુનશીએ જવાબમાં સોમનાથિઝ્મ શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે સરકારે રૂપિયા નથી આપવાના. લોકફાળે ટ્રસ્ટ દ્વારા મંદિર બનશે. અંતે વિરોધ બાદ પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા. સોમનાથના કારણે ધમધમતું સૌરાષ્ટ્ર આજે સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ સૌરાષ્ટ્રના અર્થતંત્રની ધરી છે. સોમનાથના કારણે જ વેરાવળ, પ્રભાસ પાટણ અને જૂનાગઢના હોટલ, ટ્રાન્સપોર્ટ અને નાના વેપારીઓ નફો કમાવી રહ્યા છે. સુરત કે અમદાવાદના શ્રદ્ધાળુઓ માટે પણ સોમનાથ આસ્થાનું કેન્દ્ર છે. 2017માં IIT ગાંધીનગરે મંદિર પરિસસમાં ગ્રાઉન્ડ પેનેન્ટ્રેટિંગ રડાર એટલે કે GPRથી સર્વેક્ષણ કર્યું હતું. અને છેલ્લે આવનાર 11 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સહિત અનેક ભક્તો સોમનાથ દાદાના સાનિધ્યમાં હશે. લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા પણ સોમનાથથી જ શરૂ થઈ હતી. આ કાર્યક્રમ ભારતનો સાંસ્કૃતિક દસ્તાવેજ બની જશે. શાસક પક્ષ આ કાર્યક્રમને ભક્તિ અને શ્રદ્ધાનો વિષય કહી રહ્યું છે જ્યારે વિપક્ષ વોટબેંકની રાજનીતિ કહી રહ્યું છે. બંનેથી પર થઈને વાત કરીએ તો સોમનાથ સાક્ષી છે કે સમય ગમે તેટલો ક્રુર હોય, પણ જેનો રક્ષક સ્વયં કાળ હોય તેનું અસ્તિત્વ ભૂંસવું અશક્ય છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચઃ સમીર પરમાર)
ભરૂચના તણછામાં એક દિવસીય ખેડૂત શિબિર યોજાઈ:ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓનું માર્ગદર્શન મળ્યું
ભરૂચ જિલ્લાના તણછા ખાતે કૃષિ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, તણછા અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ., ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને સંશોધન નિયામક ડો. ટી.આર. અહલાવત તેમજ સહ સંશોધન નિયામક ડો. વી.આર. નાયકના માર્ગદર્શન હેઠળ આ શિબિર યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને નવીનતમ કૃષિ તકનીકોથી પરિચિત કરાવવાનો હતો. શિબિર દરમિયાન, ખેડૂતોને કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલા તુવેર, તરબૂચ, પાપડી અને દિવેલાના નિદર્શન પ્લોટની મુલાકાત કરાવવામાં આવી હતી. આ મુલાકાત દ્વારા તેમને આધુનિક ખેતી તકનીકો વિશે પ્રાયોગિક અને વિગતવાર માહિતી આપવામાં આવી. કેન્દ્રના વડા ડો. અંકિત ગઢિયાએ કૃષિ સંશોધન કેન્દ્ર દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત સમજણ આપી. ત્યારબાદ, વિસ્તારના વિવિધ પાકોની ખેતી અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું. ખેતીમાં આધુનિકરણ અપનાવીને ખર્ચ ઘટાડીને કેવી રીતે નફાકારક ખેતી કરી શકાય તે અંગેની જાણકારી પણ પૂરી પાડવામાં આવી. સરદાર સરોવર નર્મદા નિગમના સિનિયર રિસર્ચ ફેલો પ્રતિક પટેલે ખેડૂતોને સંકલિત પોષણ વ્યવસ્થાપન અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં કુલ 54 ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ખેતીવાડી શાખા, આમોદના વિસ્તરણ અધિકારી (ખેતી) શ્રી ધવલસિંહ રાજે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. જ્યારે ખેતીવાડી શાખા, વાગરાના વિસ્તરણ અધિકારી (ખેતી) દિલીપ વસાવાએ ખેતીવાડી શાખાની કાર્યપદ્ધતિ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા.
રાજકોટમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતાં રાજુ કૃષ્ણભાઈ ટમટા નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હ્રહ્યરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન મુળ નેપાળનો વતની હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક રાજુ ટમટાનો નાનો ભાઈ જોગીયા કૃષ્ણભાઈ ટમટા પોતાના વતન નેપાળમાં આંટો મારવા ગયો હતો અને તે નેપાળથી પરત રાજકોટ આવી રહ્યો હતો ત્યારે જયપુર પહોંચતાં તેને છાતીમાં દુ:ખાવો ઉપડયો હતો જ્યાં જયપુરની હોસ્પિટલમાં જોગીયા ટમટાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. નાના ભાઈના મોતના સમાચાર સાંભળી મોટાભાઈ રાજુ ટમટાનું હ્રહ્ય બેસી ગયું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પહેલા માળેથી પાંચ વર્ષના બાળકનું પડી જતા મોત રાજકોટ શહેરના મવડી ગામે બાયાસિતારામ ચોક નજીક રહેતો પાંચ વર્ષનો બાળક મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. દિપેશ ખંખેન્દ્રભાઇ કડાયત (ઉ.વ.5) ગઇકાલે મોડી રાત્રે મકાનના પહેલા માળેથી નીચે પટકાતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં દિપેશ એક બહેનનો એકનો ભાઇ હતો અને તેમના પિતા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. એક કરોડની ઠગાઈ કેસમાં આરોપી ગાંધીનગરથી ઝડપાયો કોઠારીયા રોડ પર રહેતા મિતેશભાઇ સાયાણી નામના વેપારીએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મન્સૂર અરબિયાની, વિનુ કાસુન્દ્રા, જમીલ મંસુરી, અમજદ મેવ, બદરૂદ્દીન હફિફઉલ્લા ઉર્ફે હાફિજી અમજદનું નામ આપતાં જણાવ્યું હતું કે, મન્સૂર અરબિયાનીએ પોતાની ઓળખ સોપારીના દલાલ તરીકે આપી અન્ય આરોપીઓને સોપારીના વેપારી તરીકે બતાવી તેમની પાસેથી વર્ષ 2023માં કટકે કટકે 27,910 કિલો સોપારી મેળવી લઇ રૂ1,08,28,004ની રકમ નહિ ચૂકવી ઠગાઈ આચરી હતી જે અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી આરોપી નાસ્તો ફરતો હોવાથી પેરોલ ફર્લો સ્કોડ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનીકલ એનાલિસિસ આધારે વિનોદ છગન કાસુન્દ્રાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરી ભક્તિનગર પોલીસના હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. એકટીવાના હપ્તા બાબતે ઝઘડો થતા યુવાને ફિનાઈલ પી લીધું રાજકોટ શહેરમાં રામનાથ પરા શેરી નંબર 16માં રહેતા અને ટેલિકોમ કંપનીના ખાનગી કર્મચારી તરીકે નોકરી કરતા અલીભાઈ જમાલભાઈ સુમરા (ઉં.વ.40)એ ગઈકાલે રાત્રે 8 વાગ્યે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગે પોલીસે અલી ભાઈનું નિવેદન નોંધ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં અલી ભાઈએ તેમના માસીજીને લોન ઉપર એકટીવા લઈ દીધું હતું તેના થોડા હપ્તા ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કરીને પૈસા આપવાનો ઇન્કાર કરતા સામસામે પોલીસમાં અરજી કરી હતી જેથી કંટાળી અલીભાઈએ ફિનાઈલ પી લીધું હતું. આ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે, કડકડતી ઠંડીમાં એક માસૂમ બાળકીને તેની જ જનેતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી. જે દીકરીને જોઈને પથ્થર દિલના માણસનું હૃદય પણ પીગળી જાય, તેને રામના આશરે નિરાધાર છોડી દેવામાં આવી હતી, પરંતુ કહેવાય છે કે 'જેનું કોઈ નથી હોતું તેનો ભગવાન હોય છે', અને આ કિસ્સામાં ભગવાન બનીને ડીંડોલી પોલીસ વ્હારે આવી છે. હોસ્પિટલના બિછાને પડેલી આ માસૂમ બાળકીને જ્યારે ડીંડોલી પોલીસના મહિલા સ્ટાફે જોઈ, ત્યારે એક અત્યંત ભાવુક દ્રશ્ય સર્જાયું હતું. મહિલા પીએસઆઈના માતૃત્વની લાગણી છલકાઈ ઉઠી હતી અને તેમણે બાળકીને પોતાની ગોદમાં લઈ એવી રીતે વ્હાલ કર્યું જાણે તે તેમની પોતાની જ દીકરી હોય. પોલીસ દીકરીના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે આ બાળકીને ભલે જનેતાએ રડતી છોડી દીધી હતી, પરંતુ ડીંડોલી પોલીસે તેના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે તેનું નામ 'હસ્તી' રાખ્યું છે. પોલીસ ઈચ્છે છે કે આ બાળકીના જીવનમાં ક્યારેય રડવાનો વારો ન આવે અને તે હંમેશા હસતી રહે. અનાથ ગણાતી આ બાળકી હવે અનાથ નથી, કારણ કે આખું ડીંડોલી પોલીસ સ્ટેશન તેનું પરિવાર બન્યું છે. રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી, ડીંડોલી પોલીસ તેના સ્વજન બનીને અનાથ આશ્રમ જશે અને પરંપરાગત રીતે તમામ વિધિ-વિધાન પૂર્ણ કરશે. ખાખી વર્દીની અંદર છુપાયેલા એક માનવીય હૃદયની આ સંવેદનાએ સુરતવાસીઓની આંખો ભીની કરી દીધી છે. છઠ્ઠીના દિવસે PIના નામે બેંકમાં એક એકાઉન્ટ ખોલાશેમાત્ર નામ આપવા કે છઠ્ઠી ઉજવવા પૂરતું જ નહીં, પણ 'હસ્તી' નું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડીંડોલી પીઆઈ આર.જે. ચુડાસમાએ એક પ્રશંસનીય નિર્ણય લીધો છે. તેમણે જાહેરાત કરી છે કે, બાળકીની છઠ્ઠીના દિવસે પોલીસ ઇન્સ્પેક્ટરના નામે બેંકમાં એક ખાસ એકાઉન્ટ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં ડીંડોલી પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની શક્તિ મુજબ 'ભવિષ્ય નિધિ' તરીકે રકમ જમા કરાવશે. આ નાણાં હસ્તીના શિક્ષણ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાપરવામાં આવશે, જેથી તે મોટી થઈને આત્મનિર્ભર બની શકે. કાયદેસર દતક કોઈ ન બને ત્યાં સુધી પોલીસ કાળજી રાખશેપીઆઈ આર.જે. ચુડાસમાએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, બાળકી જ્યાં સુધી સક્ષમ ન થાય અથવા તો કોઈ તેને કાયદેસર દતક ન લે ત્યાં સુધી અમે તેની સંપૂર્ણ કાળજી રાખીશું. બેંક એકાઉન્ટ ખોલાવવાનો હેતુ એ જ છે કે તેને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવો ન પડે. પોલીસ સ્ટેશનના નાનામાં નાના કર્મચારીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ પોતાની દીકરી સમજીને આ ભંડોળમાં ફાળો આપવા ઉત્સાહિત છે. ખાખી વર્દી પહેરીને ગુનેગારોને પકડતી પોલીસ જ્યારે એક રઝળતી બાળકીની ઢાલ બને છે, ત્યારે સમાજમાં માનવતા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને છે. ડીંડોલી પોલીસની પહેલથી ખરા અર્થમાં સુરતની દીકરી બનીતળાવના કિનારે ઠંડીમાં ધ્રૂજતી એ માસૂમ બાળકી આજે હોસ્પિટલમાં સ્વસ્થ છે અને તેને મળેલા નવા પરિવારના કારણે સુરક્ષિત છે. જનેતાએ આપેલી પીડાને ડીંડોલી પોલીસના પ્રેમ અને મમતાએ ભુલાવી દીધી છે. જ્યારે મહિલા પીએસઆઈ તેને તેડે છે ત્યારે હસ્તીના ચહેરા પર આવતું સ્મિત એ વાતની સાક્ષી પૂરે છે કે લોહીના સંબંધો કરતા ક્યારેક લાગણીના સંબંધો વધુ મજબૂત હોય છે. ડીંડોલી પોલીસની આ પહેલથી 'હસ્તી' ખરા અર્થમાં હવે સુરતની દીકરી બની ગઈ છે. ડીંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામીઆમ, દેલાડવા ગામના મંદિર પાસે તરછોડાયેલી આ બાળકી હવે ડીંડોલી પોલીસના હૃદયમાં સ્થાન પામી છે. પોલીસના આ માનવીય અભિગમે એ સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પરંતુ મુસીબતમાં મુકાયેલા નિરાધાર નાગરિકો માટે એક સુરક્ષા કવચ પણ છે. હસ્તીનું ભવિષ્ય હવે અંધકારમાં નથી, પણ ડીંડોલી પોલીસના રક્ષણ હેઠળ સુરક્ષિત છે.
મહુવા તાલુકાના બગદાણા ગુરુ આશ્રમમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધીયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ તમામ 8 આરોપીઓ સામે મહુવા કોર્ટમાં વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેને કોર્ટે માત્ર 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગત 29 ડિસેમ્બરના રોજ બગદાણામાં અજાણ્યા અને ઓળખીતા 8 આરોપીઓએ પાઈપ અને ધોકા વડે નવનીતભાઈ પર હુમલો કર્યો હતો, જેની તપાસ હાલ SITના પક્ડામાં ચાલી રહી છે. ગઈકાલે SITએ જેલમાંથી આરોપીઓનો કબજો લઈને તેમનો મેડિકલ ચેકઅપ સરટી હોસ્પિટલમાં કરાવ્યો હતો, જે પછી કોર્ટમાં રજૂઆત કરી હતી. આ ઘટના બાદ નવનીતભાઈને 11 દિવસની સારવાર પછી હોસ્પિટલમાંથી રજા મળી છે, પરંતુ તેઓ હજુ પૂરી રિકવરીની અવસ્થામાં છે. SITની તપાસમાં 'ગુનાહિત કાવતરા' (BNS 109, જૂના IPC 307 જેવી) જેવી નવી કલમો ઉમેરાઈ છે અને માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર આરોપો લાગ્યા હોવાનું ચર્ચામાં છે. જોકે DySP રીમાબાએ તપાસમાં તેમની સંડોવણીના પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં SITએ તપાસને ધમધમાટ આપ્યો છે, જેમાં આરોપીઓના રિ-કન્સ્ટ્રક્શન, મોબાઈલ રેકોર્ડ અને અન્ય પુરાવાઓની ચકાસણી કરવામાં આવશે. આ કેસમાં કોળી સમાજના નેતાઓ પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, કુંવરજી બાવળિયા સહિતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી તટસ્થ તપાસ અને SITની રચનાની માંગ કરી હતી, જેના પગલે IPS જયવીર ગઢવીના નેતૃત્વમાં 5 સભ્યોની SIT રચાઈ છે. બગદાણા પીઆઈ ડાંગરની પણ બદલી થઈ છે અને સમાજમાં ન્યાયની માંગ ઉચ્છલાઈ છે. પોલીસે દરરોજ સરકારને રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા છે, જેથી કેસની તટસ્થતા જળવાઈ રહે.
65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા
India-Germany Submarine Deal : જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ આવતા અઠવાડિયે ભારતની પ્રથમવાર સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 12 જાન્યુઆરીએ અમદાવાદ પહોંચવાવાના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે. બંને દેશોના નેતાઓની મુલાકાત દરમિયાન સૌથી વધુ ધ્યાન 8 બિલિયન ડોલર (અંદાજે 65 હજાર કરોડ રૂપિયા)ના સબમરીનની ડીલ પર રહેશે, જે બંને દેશો વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ ભાગીદારી બની શકે છે. જર્મન-ભારતની કંપનીઓ ભારતીય સેના માટે બનાવશે છ સબમરીન આ ઐતિહાસિક ડીલ હેઠળ ભારતીય નૌસેના માટે 6 અત્યાધુનિક સબમરીન બનાવવામાં આવશે, જેમાં વધુ 3 સબમરીન બનાવવાનો વિકલ્પ પણ સામેલ હશે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાહત દરે અનાજ અને કઠોળ પૂડું પાડવા માટે અનેક યોજનાઓ અમલી છે. જોકે, ઘણા આર્થિક સધ્ધર લોકો પણ ગરીબોના હકનું અનાજ પડાવતા હોવાની વિગતો સામે આવતી હોય છે. આ દિશામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી (e-KYC) ની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ડેટાની ચકાસણી દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવતા જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે 33 હજારથી વધુ અપાત્ર સભ્યોને NFSA (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) ની યાદીમાંથી કમી કરવાનો આદેશ આપ્યો છે. 1.37 લાખ સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો જૂનાગઢ જિલ્લા પુરવઠા અધિકારી કે. બી. ગરસરે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ કુલ 9,32,121 સભ્યો નોંધાયેલા છે. સરકારના આદેશ મુજબ જ્યારે આ સભ્યોનું ઈ-કેવાયસી કરવામાં આવ્યું, ત્યારે કુલ 1,37,527 સભ્યોનો ડેટા શંકાસ્પદ જણાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે ઘણા સભ્યો પાસે મર્યાદા કરતા વધુ જમીન હતી, કેટલાક ઈન્કમ ટેક્સ ભરતા હતા, તો કેટલાક કિસ્સામાં સભ્યનું અવસાન થયું હોવા છતાં તેમના નામે અનાજ ઉપાડવામાં આવતું હતું. 33,678 સભ્યોને NFSA માંથી હટાવી સામાન્ય કાર્ડમાં ફેરવાયા તંત્ર દ્વારા છેલ્લા 6 મહિનાથી આ યાદી તૈયાર કરી ફિલ્ડ લેવલે ચકાસણી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન તમામ કાર્ડધારકોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપીને આધાર પુરાવા કે આવકના પુરાવા રજૂ કરવા તક આપવામાં આવી હતી. આમ છતાં, 33,678 સભ્યો દ્વારા કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ ન કરાતા, તેમને 'અપાત્ર' જાહેર કરવામાં આવ્યા છે. હવે આ સભ્યોને NFSA (સસ્તા અનાજના લાભાર્થી) માંથી દૂર કરી Non-NFSA (સામાન્ય રેશન કાર્ડ) કેટેગરીમાં ફેરવી દેવામાં આવ્યા છે. જ્યારે 99,246 સભ્યોએ પુરાવા રજૂ કરતા તેઓ પાત્ર ઠર્યા છે. જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર NFSA સભ્યોની સ્થિતિ પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અપાત્ર સભ્યોની સંખ્યા • જૂનાગઢ શહેર (ઝોન 1 અને 2): શહેરી વિસ્તારમાં કુલ 1,47,145 સભ્યોમાંથી 6,367 સભ્યો અમાન્ય ઠર્યા છે. • જૂનાગઢ તાલુકો: 79,906 સભ્યોમાંથી 5,561 સભ્યોને યાદીમાંથી દૂર કરાયા છે.• માંગરોળ પંથક: સૌથી વધુ 1,64,072 સભ્યો છે, જેમાંથી 4,067 સભ્યો અમાન્ય થયા છે.• વિસાવદર: 65,324 સભ્યોમાંથી 3,874 સભ્યો અપાત્ર ઠર્યા છે.• માળીયા હાટીના: 1,24,989 સભ્યોમાંથી 3,532 સભ્યોને નોન-NFSA માં ખસેડાયા છે.• કેશોદ: 1,23,484 સભ્યોની સામે 2,302 સભ્યો અપાત્ર જણાયા છે.• માણાવદર: 78,076 સભ્યોમાંથી 2,996 સભ્યો અમાન્ય થયા છે.• મેંદરડા અને ભેંસાણ: આ બંને તાલુકાઓમાંથી અંદાજે 1,730 અને 1,614 સભ્યોને યાદીમાંથી કમી કરાયા છે.• વંથલી: 58,014 સભ્યોમાંથી 1,635 સભ્યો અમાન્ય ઠર્યા છે. સાચા જરૂરિયાતમંદોને લાભ મળે તેવો ઉદ્દેશ્ય પુરવઠા અધિકારીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા પરિવારો જે તે સમયે ગરીબી રેખા હેઠળ હતા, પરંતુ સમય જતાં તેમની આર્થિક સ્થિતિ સુધરી હોવા છતાં તેઓ NFSA ના લાભ લેતા હતા. આ સક્રિય કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખરેખર જરૂરિયાતમંદ ગરીબ પરિવારો અનાજથી વંચિત ન રહે. જો કોઈ પાત્રતા ધરાવતો સભ્ય ભૂલથી રહી ગયો હોય, તો તે મામલતદાર કચેરીએ અરજી કરી શકે છે. દર મહિને મામલતદાર કચેરી ખાતે મળતી કમિટીની મીટિંગમાં આવી અરજીઓની પુનઃ ચકાસણી કરી સાચા પાત્ર લાભાર્થીને ફરીથી NFSA માં સમાવવામાં આવશે.
ગાંધીનગરમાં શિક્ષણ અને યુવા વિકાસને નવી ઊંચાઈ આપવાના ભવ્ય પ્રયાસના ભાગરૂપે આંજણા ચૌધરી સમાજ દ્વારા અંદાજે 300 કરોડથી વધુના ખર્ચે 'વિશ્વ આંજણાધામ'નું નિર્માણ થવા જઈ રહ્યું છે, જે આગામી તા. 11 જાન્યુઆરીએ ભૂમિપૂજન સાથે પ્રારંભ થશે. જમિયતપુરા ખાતે 6.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ઉભરી આવનાર આ 13 માળના આધુનિક ભવનમાં 2500થી વધુ વિદ્યાર્થીઓને એક જ છત્ર હેઠળ રહેવા, અભ્યાસ, સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારી, AI આધારિત કોમ્પ્યુટર લેબ, વિશાળ લાયબ્રેરીઓ, હાઈજેનિક ડાઇનિંગ એરિયા અને ઇન્ડોર-આઉટડોર રમતગમતની સુવિધાઓ સાથે આત્મનિર્ભર બનાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી સહિતની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર આ ભૂમિપૂજન કાર્યક્રમ આંજણા સમાજના યુવાનોને શિક્ષણ, રમતગમત અને વૈજ્ઞાનિક ખેતી-પશુપાલનમાં આગળ વધારીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારવાના સંકલ્પનું પ્રતીક બનશે. 11 જાન્યુઆરીની સવારે આંજણાઘામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે'શિક્ષણ' એ કોઈપણ સમાજના સર્વાંગીણ વિકાસનો મુખ્ય 'આધારસ્તંભ' છે, જેને સાકાર કરવા સમગ્ર આંજણા ચૌધરી સમાજના પ્રયત્નોથી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં જમિયતપુરા ખાતે અંદાજે 300 કરોડથી વધુના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય 'વિશ્વ આંજણાધામ' આકાર પામશે. જેના ભાગરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા સહિત દાતા તથા સમાજના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા. 11 જાન્યુઆરીને રવિવારે સવારે 9.30 કલાકે વિશ્વ આંજણાઘામનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાશે. 6.50 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ભવન તૈયાર થશેઉલ્લેખનીય છે કે, આંજણા ચૌધરી સમાજ દ્વારા નિર્માણાધીન 'વિશ્વ આંજણાધામ' શિક્ષણ, રમતગમત અને આત્મનિર્ભરતાનું એક અભૂતપૂર્વ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે, જે અંદાજે 6.50 લાખ ચોરસ ફૂટ વિશાળ જગ્યામાં ઉભરી આવશે અને 2500થી વધુ વિદ્યાર્થીઓને એક જ છત્ર હેઠળ તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડશે. આ 13 માળના ભવ્ય ભવનમાં વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર 572 કક્ષો ધરાવતી આધુનિક હોસ્ટેલ, 200 વિદ્યાર્થીઓને બેસી શકે એવા પ્રોજેક્ટરથી સજ્જ બે વિશાળ વર્ગખંડો તેમજ અન્ય છ ખંડો, 250થી વધુ કોમ્પ્યુટર સાથેની AI આધારિત અત્યાધુનિક કમ્પ્યુટર લેબ, ત્રણ 25 હજાર ચોરસ ફૂટની અદ્યતન લાઇબ્રેરીઓ અને હાઈજેનિક ડાઇનિંગ એરિયા જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરની રમતગમતમાં યુવાનોને તૈયાર કરવા માટે 285 મીટરનું રનિંગ ટ્રેક, ફૂટબોલ, બેડમિન્ટન, વોલિબોલ, બાસ્કેટબોલ કોર્ટ તેમજ ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધાઓ ભવનના 12મા અને 13મા માળે ઉભી કરવામાં આવશે, જેથી આંજણા સમાજના યુવાનો શિક્ષણ સાથે રમતગમતમાં પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળહળી ઉઠે. 2,500થી વધુ દીકરા-દીકરીઓ અહીં રહીને સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારી કરી શકશેઆંજણાધામના પ્રમુખ મણીભાઈ ચૌધરીએ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપતાં કહ્યું કે,ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે અડાલજ ટોલ નાકા નજીક જમિયતપુરામાં આધ વિશ્વ આંજણાધામ આકાર પામશે. અંદાજે 6.50 લાખ ચોરસ ફૂટમાં વિસ્તારમાં વિશ્વ આંજણા ધામ તૈયાર થશે. જેમાં 2,500થી વધુ દીકરા-દીકરીઓ રહીને અભ્યાસ-સ્પર્ધાલક્ષી પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે એવી આધુનિક વ્યવસ્થા સાથેના આંજણાધામનું નિર્માણ કરવામાં આવશે. 25 હજાર ચોરસ ફૂટની ત્રણ અદ્યતન લાઇબ્રેરીઓની વ્યવસ્થાદીકરી અને દીકરાઓને રહેવા માટે કુલ 572 સુવિધાસભર કક્ષ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, વિશ્વ આંજણાધામમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારીઓ અને વાંચન માટે 25 હજાર ચોરસ ફૂટની ત્રણ અદ્યતન લાઇબ્રેરીઓની વ્યવસ્થા, 200 વિદ્યાર્થીઓ સાથે ટ્રેનિંગ, લેક્ચર એટેન્ડ કરી શકે એવા વિશાળ વર્ગખંડોની વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઈન્ટરવ્યૂ રુમની પણ વ્યવસ્થાઉમેદવારોના ઇન્ટરવ્યૂ લઇ શકાય એવી ક્ષમતાનો ઇન્ટરવ્યૂ રૂમ પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત સમયને અનુરૂપ 250થી વધુ AI આધારિત સજ્જ અત્યાધુનિક કમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવશે. અંદાજે 650 વિદ્યાર્થીઓ ભોજન લઇ શકે તેટલી ક્ષમતાનો હાઈજેનિક ડાઇનિંગ એરિયા અને ભોજન તૈયાર કરવા માટે વિશાળ રસોડાનું નિર્માણ થશે. સમાજના યુવાનો કોમનવેલ્થ અને ઓલિમ્પિકમાં જાય તે માટે ઇન્ડોર ગેમ્સની પણ વ્યવસ્થાઆંજણાધામના મહામંત્રી અમિતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અભ્યાસની સાથે વિશ્વ આંજણાધામમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સની તૈયારીઓ માટે પણ ચૌધરી સમાજના યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે 285 મીટર રનિંગ ટ્રેક, ફૂટબોલ અને બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ, બાસ્કેટ બોલ કોર્ટ ઉપરાંત ઇન્ડોર ગેમ્સ માટેની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સરકારી નોકરીમાં સમાજના યુવાનો આગળ રહે એવા ધ્યેયથી ધામ તૈયાર થશેતેમણે કહ્યું કે, આ ભવનમાં 12મા અને 13મા માળે વિવિધ ઇન્ડોર રમતો માટે 11,300 ચોરસ ફૂટ જગ્યામાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે. આંજણા સમાજના યુવાનો અને યુવતીઓને સરકારમાં ઉચ્ચ નોકરીઓની તૈયારીઓ માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવાના ધ્યેય સાથે આ ધામ તૈયાર થવા જઈ રહ્યું છે.રમત ગમત ક્ષેત્ર યુવાનો બેઝિક લેવલથી તૈયારીઓ માટેની સુવિધાઓ આપી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સારૂ પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારવા તૈયાર કરવામાં આવશે. 300 કરોડની રકમ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી છેઆ ઉપરાંત ખેતીવાડી અને પશુપાલન સાથે જોડાયેલા આંજણા સમાજને ખેતી-પશુપાલનની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે જોડી વધુ ઉત્પાદન અને આવક મેળવવામાં માર્ગદર્શન પુરુ પાડવામાં આ આંજણા ધામ ખૂબ જ મદદરૂપ બનશે. વધુમાં બે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ, ઓફિસ, વેઇટિંગ એરિયા,કાફેટરિયા તેમજ પાર્કિંગ એરિયાનો જેવી વિવિધ વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવશે. અત્યાર સુધીમાં લગભગ 300 કરોડની રકમ દાતાઓ દ્વારા જાહેર કરવામાં આવી છે.
વિજલપોર પોલીસ મથકના કોન્સ્ટેબલ ભરત હીરામણ પાટીલ અને ચેતન ધીરુ પટેલ સામે ભ્રષ્ટાચાર અને બ્લેકમેઈલિંગના વધુ ગંભીર આક્ષેપો થયા છે. કાપડના વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવવાના આક્ષેપ બાદ, હવે એક પૂર્વ પોલીસ કર્મચારીએ આ બંને કોન્સ્ટેબલોની કાર્યપદ્ધતિ અને ભૂતકાળના કિસ્સાઓનો પર્દાફાશ કર્યો છે. તેમણે બંનેને સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પૂર્વ પોલીસ કર્મચારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2014માં જ્યારે તેઓ નવસારી જિલ્લા B.D.D.S.માં ફરજ બજાવતા હતા, ત્યારે ભરત પાટીલ અને ચેતન ધીરુએ તેમના ગોવાના ફોટાને દાંડી રોડ પરની દારૂની મહેફિલ તરીકે રજૂ કરી ખોટા સમાચાર છપાવ્યા હતા. આ મામલે પતાવટ માટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન આપતા, ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોરી અરજદાર સહિત P.S.I. એસ.બી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ કડવાભાઈ અને ASI ઈશ્વરદાસ સામે ખાતાકીય તપાસ કરાવી તેમને ફરજમોકૂફ કરાવ્યા હતા. જોકે, બાદમાં તેઓ નામદાર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવી ફરી ફરજ પર હાજર થયા હતા. અરજદારે એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ બંને કોન્સ્ટેબલોએ અંગત અદાવત રાખી વર્ષ 2024માં તેમના પુત્ર સૂરજકુમાર ઈશ્વરદાસ પાનપાટીલનું નામ મારામારીના એક કેસમાં ખોટી રીતે સંડોવ્યું હતું. તે સમયે પણ 3 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને માંગણી પૂરી ન થતા પુત્રની ધરપકડ કરવામાં આવી હતી. અરજીમાં વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે, આ બંને પોલીસ કોન્સ્ટેબલો વર્ષ 2014થી 2023 સુધી વિજલપોર પોલીસ મથકમાં કઈ રીતે ફરજ બજાવતા રહ્યા? કયા ક્લાર્કની રહેમનજર હેઠળ તેમની 8-9 વર્ષ સુધી બદલી કરવામાં આવી નથી? અનેક ફરિયાદો છતાં તેમને છાવરનાર જવાબદારો કોણ છે? ભોગ બનનાર પૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે, આ બંને કર્મચારીઓ તોડ કરવામાં માહેર છે અને લોકો તેમના ડરથી ફરિયાદ કરતા ગભરાય છે. તેમની સામે ACB (એન્ટી કરપ્શન બ્યુરો) દ્વારા તપાસ થવી જોઈએ. અગાઉનો મામલો શું હતો ?માત્ર બે દિવસ અગાઉ જ વિજલપોરના એક કાપડના વેપારીએ આક્ષેપ કર્યો હતો કે, તેના દીકરાને કેસમાંથી બચાવવા માટે આ બંને પોલીસકર્મીઓએ 2,75,000 રૂપિયાનો તોડ કર્યો હતો. આ અરજીની તપાસ હજુ શરૂ થાય તે પહેલા જ વધુ એક સ્ફોટક અરજી આવતા નવસારી પોલીસની છબી ખરડાઈ છે
સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા FRC એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ઉઘરાવી દીધી હતી. જે બાદ FRC એ ફીમાં ઘટાડો કર્યો હોવા છતાં સ્કૂલ દ્વારા વાલીઓને વધારાની ફી પરત આપવામાં આવી નહોતી. જે બાદ FRCના ઓર્ડર સામે સ્કૂલ રિવિઝન કમિટીમાં ગઈ હતી. જોકે, હવે રિવિઝન કમિટીએ પણ FRCએ નક્કી કરેલો ફીનો ઓર્ડર યોગ્ય ઠેરવ્યો છે. સ્કૂલ દ્વારા 2 કરોડ જેટલી વધારાની ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે તે 15 દિવસમાં વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો છે. તેમજ વાલીઓને ફી પરત કરી તેના પુરાવા FRCમાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે. FRCએ ફી ઘટાડી છતાં સ્કૂલે ફી વધુ વસૂલીસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ-1થી 8ની ફી માટે અમદાવાદ ઝોનની કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે કમિટી સમક્ષ 39,359ની ફી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જોકે, અમદાવાદ ઝોનની FRC કમિટીએ 33 ટકાનો કાપ મૂકીને 26,250 રૂપિયા ફાઈનલ ફી મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં શાળાઓએ મંજૂર કરેલી ફી કરતા દરખાસ્ત કરેલી ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી દીધી હતી. જેથી શાળાએ રિવિઝન કમિટીમાં અરજી કરી હતી. પરંતુ રિવિઝન કમિટી દ્વારા સ્કૂલની અરજી ફગાવી દીધી છે. અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે તે જ માન્ય રાખ્યો છે. તેમજ શાળાને FRCના આદેશનું પાલન કરવા પણ સૂચના આપી છે. રિવિઝન કમિટીએ FRCનો ઓર્ડર યોગ્ય ઠેરવ્યોઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલામાં વર્ષ 2024-25 અને 2025-26 ફી માટે જે દરખાસ્ત કરવામાં આવી હતી. તેમાં અમદાવાદ ઝોનની FRC કમિટીએ તેમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને સ્કૂલ દ્વારા રિવિઝન કમિટીમાં અપીલ કરી હતી. પરંતુ રિવિઝન કમિટીએ FRC એ જે ઓર્ડર કર્યો છે તે યોગ્ય ઠેરવ્યો છે. તેમજ સ્કૂલ દ્વારા જે વધારાની ફી મેળવવામાં આવી છે એટલે કે ફી મંજૂર થયા વગર જ ઉઘરાવી છે તે ફી સરભર કરવા અથવા તો પરત આપવા માટે આદેશ કરવામાં આવ્યો છે. સ્કૂલે ફીના 2 કરોડ પરત કરવા પડશેઅંદાજે બે કરોડ જેટલી રકમ વિદ્યાર્થીઓને પરત કરવા સૂચના આપવામાં આવી છે. ફી રિવિઝન કમિટી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે તેના આધારે સૂચના આપવામાં આવી છે. સ્કૂલ દ્વારા 39 હજાર જેટલી ફી દરખાસ્ત કરી હતી જેની સામે 22 હજાર જેટલી ફી મંજૂર કરવામાં આવી હતી. જેથી જે પણ વધારાની ફી ઉઘરાવી છે તે ચાલુ વર્ષમાં સરભર કરવા અથવા તો પરત કરવા સૂચના અપાય છે.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં સૂચિત સોલિડ વેસ્ટ પ્લાન્ટ સામે ગ્રામજનોના વિરોધનો મામલો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પહોંચ્યો છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે, મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટને હાલ પૂરતો સ્થગિત કરવાના આદેશ આપ્યા છે. બીજી તરફ સરકારી અધિકારીઓ તરફથી આ મુદ્દે કોઈ લેખિત આદેશ ન આવ્યો હોવાનું જણાવાયું છે. વલસાડ શહેરની ડમ્પિંગ સાઇટ ભરાઈ જતાં નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક કચરા પ્રોસેસિંગ સાઇટ બનાવવાની તૈયારી ચાલી રહી હતી. આ માટે ઓવાડા ગામમાં આવેલી સરકારી જમીન પસંદ કરવામાં આવી હતી. આ જાણ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી અને તેઓએ આ પ્રોજેક્ટનો વિરોધ શરૂ કર્યો હતો. ગત મંગળવારે ઓવાડા ગામના સરપંચ કમલેશ સોલંકી, આજુબાજુના ગામના આગેવાનો, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોર ગાંધીનગર પહોંચ્યા હતા. તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે, આ પ્લાન્ટ ખેતીલાયક જમીનની નજીક હોવાથી પર્યાવરણ અને ખેતીને નુકસાન થશે. ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાતું હોવાથી ગંદકી અને દુર્ગંધની સમસ્યા વધશે, જેનાથી સ્થાનિક રહીશોના આરોગ્ય પર ગંભીર અસર પડવાની ભીતિ છે. ધારાસભ્ય અને ગ્રામજનોની રજૂઆતને ગંભીરતાથી સાંભળ્યા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સૂચિત પ્લાન્ટને સ્થગિત કરવાની સૂચના સંબંધિત અધિકારીઓને આપી હોવાનું ઓવાડા ગામના આગેવાનો જણાવી રહ્યા છે. જોકે, સરકારી અધિકારીઓ તરફથી આ મુદ્દે કોઈ લેખિત આદેશ ન આવ્યા હોવાનું કહેવાય છે. મીડિયા સાથે વાત કરતા સરપંચ કમલેશ સોલંકીએ જણાવ્યું હતું કે, 'અમે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને અમારી સમસ્યા જણાવી હતી. તેમણે અમને સંતોષકારક જવાબ આપ્યો છે અને પ્રોજેક્ટ રોકવાની ખાતરી આપી છે.' તેમણે ઉમેર્યું હતું કે જો ભવિષ્યમાં ફરી આવી કોઈ ગતિવિધિ થશે તો તેમનો વિરોધ યથાવત રહેશે.
કેશોદમાં પોસ્ટ ઓફિસની સામે આવેલી જાણીતી ‘રાજધાની હોટલ’ની માલિકી અને કબજાને લઈને લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હોટલના મૂળ માલિક અને જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય અતુલભાઈ મોહનભાઈ ઘોડાસરાએ ગત તારીખ 22ના રોજ પોતાની મિલકત પર વીજ કનેક્શન કપાવવા જતાં ત્રણ શખ્સોએ તેમને ઘેરી લીધા હતા. ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અતુલભાઈએ માંડ માંડ જીવ બચાવી ત્યાંથી ભાગવું પડ્યું હતું. સમગ્ર મામલે કેશોદ પોલીસ મથકે ગોવિંદ ડાંગર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો છે.તો સામે પક્ષે પણ અતુલ ઘોડાસરા વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. અતુલભાઈ ઘોડાસરા એ જણાવ્યું હતું કે હીરા પન્ના કોમ્પ્લેક્સમાં આવેલી ‘રાજધાની હોટલ’ નામની પ્રોપર્ટીના કાયદેસરના માલિક છે. તેમણે મિત્રતાના દાવે અને વહીવટી સમાધાનની શરતે તેમણે સામા પક્ષને આ હોટલનો કાચો કબજો સોંપ્યો હતો. જોકે, સામા પક્ષના લોકોએ પ્રોપર્ટીનો બિનકાયદેસર ઉપયોગ શરૂ કર્યો હોવાથી અતુલભાઈએ હોટલનું લાયસન્સ, શોપ લાયસન્સ રદ કરાવી દીધા હતા અને PGVCLમાં વીજ મીટર ઉતારવા માટે પણ અરજી કરી હતી. PGVCLની ટીમની હાજરીમાં થયો હોબાળો 22 તારીખે બપોરે 12 વાગ્યે જ્યારે PGVCLની ટીમ મીટર ઉતારવા માટે હોટલ પર પહોંચી, ત્યારે પ્રોપર્ટી માલિક તરીકે અતુલભાઈને પણ ત્યાં બોલાવવામાં આવ્યા હતા. અતુલભાઈ જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં પહેલેથી જ ગોવિંદભાઈ મેરામભાઈ ડાંગર, જગદીશભાઈ મ્યાત્રા અને સંજયભાઈ બકોત્રા હાજર હતા. અતુલભાઈને જોતા જ આ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે અતુલભાઈ પર પિત્તો ગુમાવી ગાળાગાળી શરૂ કરી હતી અને કહ્યું હતું કે, આ અમારા બાપની પેઢી છે, તારે અહીંયા આવવાનું નથી. જાનથી મારી નાખવાની ધમકી અને ગાડી પર હુમલો વિવાદ વધતા ત્રણેય શખ્સો અતુલભાઈને મારવા માટે તેમની પાછળ દોડ્યા હતા. જીવનું જોખમ જણાતા અતુલભાઈ તુરંત પોતાની ગાડીમાં બેસી ગયા હતા. આરોપીઓએ ગાડીના કાચ તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો અને રસ્તામાં આંતરીને મારી નાખવાની ધમકી આપી હતી. અતુલભાઈએ સમયસૂચકતા વાપરી ગાડી હંકારી મૂકી સીધા કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોતાની આપવીતી જણાવી હતી. વ્યાજવટાવ અને વિશ્વાસઘાતનો આક્ષેપ અતુલભાઈએ આક્ષેપ કર્યો છે કે આ ટોળકી વ્યાજવટાવના વ્યવસાય સાથે જોડાયેલી છે અને વિશ્વાસઘાત કરીને તેમની કરોડોની મિલકત પચાવી પાડવા માંગે છે. સામા પક્ષે અગાઉ સાટાખત રજીસ્ટર કરાવેલું હતું, પરંતુ તેની મુદત 4 વર્ષ પહેલાં જ પૂર્ણ થઈ ગઈ છે. અતુલભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા 2 વર્ષથી તેમને સતત ડરાવવામાં આવી રહ્યા છે. તેઓ જ્યારે જૂનાગઢ કે ગાંધીનગર કામ અર્થે જાય છે ત્યારે પણ હથિયારો સાથે તેમનો પીછો કરી દસ્તાવેજ કરી આપવા દબાણ કરવામાં આવે છે. પોલીસ કાર્યવાહી અને તપાસ આ અંગે કેશોદ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલભાઈની અરજીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ આ પ્રોપર્ટીના કાયદેસરના દસ્તાવેજો અતુલભાઈના નામે છે, જ્યારે કબજો આરોપીઓ પાસે છે અને મામલો કોર્ટમાં પણ પેન્ડિંગ છે. જોકે, સરકારી કામગીરી (PGVCL) દરમિયાન ફરિયાદી પર હુમલાનો પ્રયાસ અને ધમકી આપવા બદલ ગોવિંદ ડાંગર, જગદીશ મ્યાત્રા અને સંજય બકોત્રા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...
શહેરના આશ્રમ રોડ પર આવેલ નવગુજરાત કેમ્પસ સ્થિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજના ઇનોવેશન ક્લબ દ્વારા પ્રોગ્રામિંગ અને ઇનોવેશનના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની ટેકનિકલ ક્ષમતા અને વિશ્લેષણાત્મક વિચારસરણીને મજબૂત બનાવવાના હેતુથી (05/01/2026 થી 09/01/2026) 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ ઓન પાયથોન સફળતાપૂર્વક યોજવામાં આવ્યો. આ કોર્સ પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો, જેમનો સતત ટેકો અને દ્રષ્ટિ કૌશલ્ય-આધારિત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પહેલને પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ કોર્સનું નેતૃત્વ પ્રતિષ્ઠિત સંસાધન વ્યક્તિઓ ચિંતન પટેલ - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદના શૈક્ષણિક સહયોગી અને કેસીજી (ગુજરાત સરકાર)ના દર્શિલ ધ્રુવ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સંયુક્ત કુશળતાએ શૈક્ષણિક ઊંડાણ અને વ્યવહારુ અનુભવને એકસાથે લાવ્યા, જેનાથી વિદ્યાર્થીઓ પાયથોનને માત્ર પ્રોગ્રામિંગ ભાષા તરીકે જ નહીં પરંતુ સમસ્યાનું નિરાકરણ અને નવીનતા માટે એક શક્તિશાળી સાધન તરીકે પણ સમજી શક્યા. આ કાર્યક્રમ નું સંકલન ઈનોવેશન ક્લબ નાં કોઓર્ડિનેટર ડૉ. પલ્લવી વ્યાસ અને ડૉ. હેતલ દોશી દ્વારા કાર્યક્ષમ રીતે સંચાલિત કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમ દરમિયાન સુગમ આયોજન, અમલીકરણ અને અસરકારક જોડાણ સુનિશ્ચિત કર્યું હતું. કુલ 35 વિદ્યાર્થીઓએ અભ્યાસક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સત્રોમાં પાયથોનના મૂળભૂત અને અદ્યતન ખ્યાલો આવરી લેવામાં આવ્યા હતા, જેમાં તર્ક નિર્માણ, વ્યવહારુ પ્રેક્ટિસ અને વાસ્તવિક દુનિયાના ઉપયોગો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્ટરેક્ટિવ શિક્ષણ પદ્ધતિઓ, વ્યવહારુ પ્રદર્શનો અને સમસ્યાનું નિરાકરણ કરવાની કસરતોએ શીખવાના અનુભવને સમૃદ્ધ અને અસરકારક બનાવ્યો હતો. 09/01/2026 ના રોજ સમાપન સત્રમાં સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઇનોવેશન ક્લબે સંસાધન વ્યક્તિઓ, અભ્યાસક્રમ સંયોજકો અને તમામ સહભાગીઓનો તેમના મૂલ્યવાન યોગદાન બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો, જેનાથી કાર્યક્રમ એક અર્થપૂર્ણ અને સફળ શૈક્ષણિક પહેલ બન્યો હતો.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પાટીદાર સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને ખર્ચાળ રીત-રિવાજો સામે મોરચો માંડ્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એકતાંતણે બાંધવા અને 'સમાજનું બંધારણ' ઘડવા માટે જનમત માંગ્યો છે. સુરતના પાટીદાર અગ્રણી અને જળક્રાંતિના પ્રણેતા મથુરભાઈ સવાણીએ સમાજમાં વધી રહેલા દેખાડા અને ખર્ચાળ પ્રસંગો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ભાવૂક અને તાર્કિક પોસ્ટ મૂકીને સમગ્ર પાટીદાર સમાજ સહિત અન્ય સમાજોને પણ આત્મમંથન કરવા અપીલ કરી છે. રીત-રિવાજોને અંકુશમાં લેવા 'સામાજિક બંધારણ' હોવું જરૂરી: મથુર સવાણીમથુર સવાણીએ જણાવ્યું છે કે, હાલના સમયમાં લગ્ન પ્રસંગો અને સામાજિક મેળાવડાઓમાં જે રીતે આંધળું અનુકરણ અને મોજ-શોખ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે, તેનાથી મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો આર્થિક ભારણ હેઠળ દબાઈ રહ્યા છે. આ રીત-રિવાજોને અંકુશમાં લેવા માટે એક 'સામાજિક બંધારણ' હોવું અત્યંત જરૂરી છે. જનમત મેળવવા માટે એક લિંક ડેવલપ કરીમથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા ઘણા મહિનાથી વિવિધ જ્ઞાતિ સમાજો પોતાના સમાજના રીત-રિવાજો માટે બંધારણો બનાવે છે. તે સાંભળીને પાટીદાર સમાજના જાગૃત લોકો જ્યાં ત્યાં મળે ત્યારે એવું બોલે કે આપણે પણ આવું કરવું જોઈએ. તેને આપણે સમાજનો અવાજ કેવી રીતે ગણવો? તો સમાજ શું વિચારે છે, સમાજ આ તરફ જવા માગે છે કે નથી માંગતો, એ માટે એક લિંક ડેવલપ કરી છે. એ લિંક ગુજરાતભરના પાટીદાર સુધી પહોંચે અને એ લિંકમાં એ પોતે પોતાનું નામ લખશે, ગામ લખશે અને મોબાઈલ નંબર લખશે. 'લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો સમાજ બંધારણની સહમતી ગણશું'આવી રીતે જો લાખો લોકો આ લિંકમાં પોતાનો મત આપશે, તો સમાજ બંધારણ માટે વિચારે છે એવું સાબિત થશે. એના માટે વડીલો, અમારી માતાઓ, બહેનો, યુવાનો તમામ લોકોને અપીલ કરું છું કે આ લિંક ગુજરાતભરના પાટીદાર સુધી પહોંચે, દરેક ગ્રુપમાં આ લિંક જાય. તેથી કરીને પાટીદાર સમાજ આ કરવા માગે છે કે નથી માગતો એ એક નક્કી થશે. જો લાખો લોકો રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એવું માનશું કે સમાજ બંધારણ બનાવવા માટે ઇન્ટરેસ્ટ ધરાવે છે, ચિંતિત છે, તો એના માટેની આગળની જરૂરી તમામ કાર્યવાહી સૌ સમાજના લોકોને સાથે રાખીને કરશું. સમાજમાં ચર્ચાનો વિષયઅને જો સમાજ આમાં રજીસ્ટ્રેશન નહીં કરાવે તો આપણે એવું માનશું કે સમાજને વર્તમાનમાં જે કંઈ ચાલી રહ્યું છે, જે કંઈ રીત-રિવાજ છે, એ ગમતો વિષય છે, એને મંજૂર છે. એટલે એ નક્કી થઈ જાય છે કે સમાજની અંદર શું વિચાર પડેલો છે. મિત્રો, આજે શહેરી વિસ્તારમાં મોટાભાગનો સમાજ રહે છે, મોંઘવારી વચ્ચે આપણે જીવીએ છીએ એટલે ખર્ચ ઘટાડો, સોનાના ખૂબ ભાવ વધી ગયા છે, ચાંદીના ખૂબ ભાવ વધી ગયા છે - આવું આમ લોકો અવારનવાર ચિંતા કરતા હોય છે. એટલા માટે આ વિચાર સમાજ સુધી પહોંચાડવા માટે છે. પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદમથુર સવાણીની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. અનેક લોકો તેમના આ સાહસિક કદમને વધાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને અમલમાં મૂકવું કેટલું વ્યવહારુ છે તે અંગે ચર્ચા કરી રહ્યા છે.
અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં અંબિકા રોડ પર આવેલી આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. 8 જાન્યુઆરીની રાત્રે 1 વાગ્યાની આસપાસ મહાલક્ષ્મી જવેલર્સ દુકાનની દીવાલમાં બાકોરૂં પાડીને અંદાજે 6 લાખની કિંમતના દાગીનાની ચોરી કરાઈ. ચોરીની આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. જેમાં દેખાય છે કે, એક ચોર મોઢે રૂમાલ બાંધીને, દુકાનમાં હાથ ફેરો કરી રહ્યો છે. બાકોરૂં પણ નાનું એવું પાડવામાં આવ્યું છે જેથી વધારે મહેનત ન કરવી પડે અને એક પાતળો માણસ સરળતાથી અંદર જઈને ચોરી કરી શકે. જ્યાંથી બાકોરૂં પાડવામાં આવ્યું તે જગ્યા પર સીડી છે અને પાછળ રેસિડેન્સિયલ મકાન આવેલા છે. હાલમાં પોલીસે તપાસ કરીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. દુકાનમાં સમાન વેર વિખેર પડ્યો હતોદુકાનના માલિક મનીષભાઈ નાગરે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હું CTM વિસ્તારમાં રહું છું અને હાટકેશ્વરમાં મેઈન રોડ પર છેલ્લા 10 વર્ષથી મહાલક્ષ્મી જવેલર્સ નામની દુકાન ચલાવું છું. આજે સવારે 9:30 વાગ્યે જ્યારે હું દુકાન પર પહોંચ્યો અને શટલ ઊંચું કરીને જોયું તો હું જોઈને દંગ રહી ગયો. દુકાનમાં સમાન વેર વિખેર પડ્યો હતો અને બાજુની દિવાલમાં બાકોરૂં પાડેલું હતું. CCTV કેમેરા ચેક કરતા રાત્રે 1 વાગ્યા બનાવ બન્યોમેં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરતા અમરાઈવાડી પોલીસ અમારી દુકાને આવી પહોંચી હતી. મારી આ 10 બાય 10ની નાની દુકાન છે. CCTV કેમેરા ચેક કરતા આ બનાવ રાત્રે 1 વાગ્યા આસપાસ બન્યો છે. મેઈન રસ્તા પર આવેલી દુકાનમાં આવી રીતના ચોરી થાય અને કોઈને ખબર પણ ન પડે એ વિચારવા જેવી વાત છે.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક સમાન સોમનાથ મંદિર ખાતે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થયો છે. આ ઉપલક્ષમાં આજે સુરત રેલવે સ્ટેશન ખાતેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત જિલ્લાના 1296 જેટલા શ્રદ્ધાળુઓથી ભરેલી સુરત-વેરાવળ સ્પેશિયલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. 'વિકાસ ભી, વિરાસત ભી'નો મંત્ર ટ્રેનને રવાના કરાવતા મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્ર સાથે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનું કાર્ય કરી રહી છે. તેમણે ઇતિહાસને યાદ કરતા જણાવ્યું કે, આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં આક્રમણખોર ગઝનવીએ સોમનાથ મંદિર પર હુમલો કરી તેને નુકસાન પહોંચાડ્યું હતું. વર્ષ ૨૦૨૬માં આ ઘટનાને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ પર્વ એ આસ્થાના વિજયનો ઉત્સવ છે. અનેક આક્રમણો છતાં સનાતન ધર્મ પ્રત્યેની લોકોની અડગ શ્રદ્ધા અજેય રહી છે. ઐતિહાસિક વારસો અને આધુનિક ભવ્યતા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો પાયો નાખ્યો હતો, જેને વર્તમાન વડાપ્રધાને આગળ વધારીને મંદિરને સુવર્ણથી મઢીને તેના પ્રાચીન વૈભવને વિશ્વ સમક્ષ મૂક્યો છે. આ ઐતિહાસિક પર્વમાં સહભાગી થવા વડાપ્રધાનશ્રી પોતે પણ ઉપસ્થિત રહેવાના છે. ઉત્સાહભર્યું વાતાવરણ સુરત રેલવે સ્ટેશન 'ભારત માતા કી જય' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ૧૨૯૬ જેટલા વડીલો અને યુવા શ્રદ્ધાળુઓ આ દિવ્ય દર્શનના પ્રવાસે ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સંગીતાબેન પાટીલ, શહેર સંગઠન પ્રમુખ પરેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં વર્ષ 2016માં એડવોકેટ સિદ્ધરાજસિંહ ચુડાસમા દ્વારા ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માગ સાથેની જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે ઉપરોક્ત સામગ્રી સાથે સિન્થેટિક દોરી પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ આગામી મકરસંક્રાંતિ પહેલા રાજ્યની પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહીના આંકડાઓ સોગંદનામા દ્વારા રજૂ કર્યા હતા. જે મુજબ રાજ્યમાં સિન્થેટિક દોરીનો પતંગ ચગાવવા માટે ઉત્પાદન વેચાણ સંગ્રહ અને વપરાશ કરતા કિસ્સાઓમાં 409 ગુના નોંધવામાં આવ્યા છે. 2.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી 477 લોકોની ધરપકડ કરાઈચાઈનીઝ દોરીના 71,819 યુનિટ જપ્ત કરવામાં આવ્યા છે. જે કુલ મુદ્દામાલની રકમ 2.67 કરોડ જેટલી થવા જાય છે અને 477 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 342 મિટિંગો જનજાગૃતિ માટે યોજવામાં આવી છે. જાહેર માધ્યમોમાં 37 જાહેરાતો અને 73 ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યા છે. 683 જેટલી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જ્યારે જાગૃતિ માટે 14 વાહનો રાખવામાં આવ્યા છે. 2 કરોડથી વધુની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરાયોદર વર્ષે 2000 જેટલા પક્ષીઓ ઉતરાયણમાં ઘાતક દોરીનો ભોગ બને છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના SP ઓમ પ્રકાશ જાટ દ્વારા ઓપરેશન દોરી અંતર્ગત દાદરા નગર હવેલીની ફેક્ટરી પર દરોડા પાડીને 2 કરોડથી વધુની ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બાબતે વધુ સુનવણી 30 જાન્યુઆરીના રોજ રાખવામાં આવી છે. રાજ્ય સરકારના એક સોગંદનામાને હાઇકોર્ટે રેકર્ડ પર લીધું હતુંગત સુનવણીમાં ઉત્તરાયણમાં વપરાતી ઘાતક ચાઇનીઝ અને કાચ પાયેલા માંજાના મામલે થયેલી અરજીમાં રાજ્ય સરકારના એક સોગંદનામાને હાઇકોર્ટે રેકર્ડ પર લીધું હતું. જેમાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ અને કાચ પાયેલા સિન્થેટિક માંજા પરના પ્રતિબંધનો અમલ થઇ રહ્યો છે અને જરૂરી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારબાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, ચાઇનીઝ માંજા અને કાચ પાયેલા દોરા પર પ્રતિબંધ અંગે જાન્યુઆરી-2026 માટેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ માટેની જાહેર પ્રસિદ્ધિ પણ સોશિયલ મીડિયા, મીડિયા, રિક્ષા પર જાહેરાતના માધ્યમથી કરવામાં આવી રહી છે. એ ઉપરાંત ઓથોરિટી પ્રતિબંધ વસ્તુઓના ગેરકાયદેસર ઉત્પાદન એકમો ઉપર રેડ પણ પાડી રહ્યા છે. અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. રંગાયેલી કે ઘસાયેલી માંજા પર પ્રતિબંધથી તહેવાર નિર્થક બનશેદર વર્ષે ચાઇનીઝ અને કાચ પાયેલા ઘાતક માંજાના પ્રતિબંધ માટે હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવે છે. આ મામલે હાઇકોર્ટે કાયમી નિકાલની કોશિશ કરી છે. જેના ભાગરૂપે અગાઉ એક આકરો આદેશ પણ કર્યો હતો. જેના પગલે દોરીના ઉત્પાદકોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને રજૂઆત કરવામાં આવી હતી કે જો સામાન્ય રીતે રંગાયેલી કે ઘસાયેલી દોરી કે માંજા પર પ્રતિબંધ મૂકી દેવાશે તો તહેવાર નિરર્થક બની જશે. જો કે ત્યારબાદ સામાન્ય દોરા કે માંજા અંગેની સરકારી પરિપત્ર દ્વારા સ્પષ્ટતા થઇ જતાં ઉત્પાદકોને રાહત મળી છે. તુક્કલ ઉપર પ્રતિબંધની માગ સાથેની અરજી દાખલ કરાઈ હતીઉતરાયણના તહેવાર પહેલાથી જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે, ત્યારે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે, તેમજ મૃત્યુ પામતા હોય છે. પશુ-પક્ષી ઉપરાંત માણસો પણ ઘાતકી દોરીથી ઈજાગ્રસ્ત થાય છે. ત્યારે વર્ષ 2016માં હાઇકોર્ટમાં ચાઇનીઝ દોરી, નાયલોન દોરી, સિન્થેટિક દોરી અને ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગની દુર્ઘટના માટે જવાબદાર ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માગ સાથે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદથી સતત હાઇકોર્ટ વિવિધ આદેશો કરતી રહી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામુંઅમદાવાદ શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પતંગ ચગાવવાના હેતુથી ચોખાનો લોટ, મેંદો, છોડ આધારિત, ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસીવની મદદથી કાંચના પાવડરનું કોટીંગ કરેલી ઓછી તિક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનનો માંજો, જે સંપૂર્ણપણે તૂટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલો હોય તથા તેમાં તમામ ઘટકો બાયો ડીગ્રેડેબલ પદાર્થો હોવા જોઇએ તથા કોટનના દોરા પર કોટીંગ માટેનો કાંચનો પાવડર 10 %થી વધુ ન હોવો જોઇએ, જયારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ 30%, મેંદો 35%, કુદરતી ગુંદર અને રંગ 24% કોટેડ સામગ્રીનો હોઇ શકે તથા કાંચનો પાવડર જે કોટીંગ પદાર્થનો 10 ટકા હોઇ શકે છે, પરંતુ તે કોટનના મોજાના કુલ વજનના 0.5 ટકાથી વધુ ના હોવુ જોઇએ.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગમાં ભૌતિક સુવિધાઓ તો વધી છે, પરંતુ તેની સાથે માનસિક તણાવ અને સામાજિક પ્રશ્નો પણ વધ્યા છે. આ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન રૂપે અને માનવીના આંતરિક વિકાસના ઉમદા હેતુ સાથે મહેસાણા સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે 08 જાન્યુઆરી 2026 થી 12 જાન્યુઆરી 2026 દરમિયાન પાંચ દિવસીય 'માનવ ઉત્કર્ષ મહોત્સવ’નો પ્રચંડ પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રથમ દિવસે BAPS સંસ્થાના પ્રખર વક્તા અને વિદ્વાન સંત અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્થિત મેદનીને સંબોધિત કરી હતી. તેમણે પોતાની આગવી અને પ્રભાવશાળી શૈલીમાં ‘માનવ ધારે તો શું ન કરી શકે?’ વિષય પર કથા-પ્રવચનનો લાભ આપ્યો હતો. સ્વામીજીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભૌતિક સમૃદ્ધિ એ સુખની ગેરંટી નથી. સ્વામીજીએ જણાવ્યું કે, કોઈપણ શહેર તેની ગગનચુંબી ઇમારતો, નદીઓ કે તળાવોથી નહીં, પરંતુ ત્યાં વસતા લોકોના સંસ્કારો અને મૂલ્યોથી ઓળખાય છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો વધ્યું છે, પરંતુ સાથે સાથે વૃદ્ધાશ્રમો, છૂટાછેડા અને આત્મહત્યાના કિસ્સાઓ પણ વધ્યા છે. સાચો ઉત્કર્ષ ત્યારે જ કહેવાય જ્યારે વ્યક્તિની વાણી, વર્તન અને વ્યવહારમાં પરિવર્તન આવે. તેમણે ઉમેર્યું કે, વસ્તુઓ વધારવાથી સુખ નથી મળતું, પરંતુ વિચારો બદલવાથી જીવનમાં શાંતિ આવે છે. વિવિધ વ્યવસાયોની સામાજિક જવાબદારી સમજાવતા તેમણે કહ્યું કે, સમાજને સુરક્ષિત રાખવો એ પોલીસની, શિક્ષિત રાખવો એ શિક્ષકની અને સ્વસ્થ રાખવો એ ડોક્ટરની ફરજ છે, તેમ સમાજને સુસંસ્કારી બનાવવો એ સાધુની નૈતિક ફરજ છે. માનવ શક્તિનો મહિમા ગાન કરતા સ્વામીજીએ જણાવ્યું કે, દ્રઢ ઈચ્છાશક્તિ અને સકારાત્મક અભિગમ દ્વારા અશક્યને પણ શક્ય બનાવી શકાય છે. શૂન્યમાંથી સર્જન કરવું અને જે પણ કાર્ય હાથમાં લઈએ તેમાં સર્વોત્તમ પ્રદર્શન કરવું એ જ સાચો માનવ ઉત્કર્ષ છે. મહોત્સવના પ્રથમ દિવસે જ મહેસાણા શહેરના અંદાજે 3500 થી વધુ ભાવિક ભક્તોએ કથામૃતનો લાભ લીધો હતો. આગામી 4 દિવસ દરમિયાન આ પારાયણમાં આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક ઉત્કર્ષના વિવિધ પાસાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે.
વડોદરા શહેરના ફતેગંજ છાણી રોડ પર ગઈકાલે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ટ્રકે એક્ટિવા પર સવાર 60 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક રાજુભાઈ પરમાર ફતેગંજ વિસ્તારના અમરનગરમાં રહેતા હતા અને રેલ્વેમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર એક્ટિવા ચાલક પર ફરી વળ્યું, જેના કારણે રાજુભાઈના માસના લોચા રસ્તા પર ઊડી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ડમ્પર ટ્રકે એક્ટિવા ચાલકને અડફેટે લઈ કચડ્યોમળતી માહિતી અનુસાર રાજુભાઈ પરમાર બેંકના કામ અર્થે એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેજ ગતિએ આવતા ડમ્પર ટ્રકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, એક્ટિવાચાલક ટ્રકના ટાયર નીચે આવી ગયા અને તેમનું શરીર ચિરાઈ ગયું હતું. અકસ્માતની ઘટનાના આ CCTVમાં આ કરુણ દૃશ્ય કેદ થયું છે, જેમાં ડમ્પરચાલક એક્ટિવાને અડફેટે લેતો અને તેનું ટાયર એક્ટિવાચાલક પર ફરી વળતું જોવા મળે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઅકસ્માત બાદ ડમ્પરચાલક વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ફરાર ચાલકની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં વાહનચાલકોની બેદરકારી અને તેજ ગતિના કારણે થતા અકસ્માતોના મુદ્દે ચિંતા વધારી છે. પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકોમાં રોષ પણ વ્યાપી રહ્યો છે.
33 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:મહીસાગર પેરોલ ફર્લો સ્કોડે મહારાષ્ટ્રના પુણેથી દબોચ્યો
મહીસાગર પેરોલ ફર્લો સ્કોડે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 33 વર્ષથી ફરાર 75 વર્ષીય આરોપીને મહારાષ્ટ્રના પુણે જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી બાકોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. જિલ્લા પોલીસ વડા સફીન હસને નાસતા-ફરતા આરોપીઓ અને વોન્ટેડ ગુનેગારોને શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પેરોલ ફર્લો શાખા સક્રિય બની હતી. પેરોલ ફર્લો શાખાના પીએસઆઈ બી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ, સ્ટાફને બાકોર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 454, 457, 380 હેઠળ નોંધાયેલા ગુનાના આરોપી સદરા ઉર્ફે સરદારભાઈ બદિયાભાઈ (રાઠોડ) નટ (ઉ.વ. 75, રહે. બામરોલી, તા. શહેરા, જિ. પંચમહાલ) વિશે બાતમી મળી હતી. તે છેલ્લા 30 વર્ષથી મહારાષ્ટ્રના પુણે જિલ્લાના સાસવડ તાલુકાના વાલાપુરંદર ગામમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. બાતમીના આધારે, 06 જાન્યુઆરી 2026ના રોજ પેરોલ ફર્લો સ્ટાફ તપાસ માટે રવાના થયો હતો. 07 જાન્યુઆરી 2026ના રોજ ટીમે બાતમીવાળી જગ્યાએથી આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લાના જેજુરી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેને આગળની કાર્યવાહી માટે બાકોર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળતાથી મહીસાગર પેરોલ શાખાએ 33 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.
ઐતિહાસિક નગરી વડનગર ખાતે આગામી ઉત્તરાયણ પર્વના પૂર્વે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી જાન્યુઆરી રવિવારના રોજ વડનગરના આકાશમાં દેશ અને દુનિયાના વિવિધ દેશોના પતંગબાજો પોતાની કળાના કામણ પાથરશે. ભારતભરના વિવિધ રાજ્યોમાંથી નામી પતંગબાજો આવશેઅધિક કલેક્ટર જે.કે જેગોડા આ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પતંગોત્સવમાં 100થી વધુ પતંગબાજો ભાગ લેવા પહોંચી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ભારતભરના વિવિધ રાજ્યો જેવા કે દિલ્હી અને હિમાચલ પ્રદેશ સહિતના વિસ્તારોમાંથી નામી પતંગબાજો આવશે. અનેક દેશોના કાઇટિસ્ટો પણ વડનગરના મહેમાન બનશેઆ ઉપરાંત, વૈશ્વિક સ્તરે યુકે, રશિયા, ફ્રાન્સ, વિયેતનામ, ટ્યુનિશિયા, ફિલિપાઈન્સ, મોરેશિયસ, મલેશિયા, કોરિયા, જોર્ડન, ઇન્ડોનેશિયા, ગ્રીસ, આર્જેન્ટિના, કંબોડિયા અને અલ્જેરિયા જેવા અનેક દેશોના કાઇટિસ્ટો પણ વડનગરના મહેમાન બનશે. રવિવારે સવારે 10 વાગ્યાથી રંગબેરંગી કાર્યક્રમનો પ્રારંભવિદેશી અને ભારતીય પતંગબાજો દ્વારા આકાશમાં વિવિધ આકાર અને પ્રકારની અવનવી પતંગો ચગાવવામાં આવશે, જે પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને રાજ્યના નાગરિકોને આ અનોખા પતંગોત્સવને માણવા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના લોકભવન અને મહાત્મા મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. PMની SPG સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પ્રવેશ પ્રતિબંધ અને નો-પાર્કિંગ ઝોનના કડક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. જાણો ક્યાં ચોક્કસ રૂટ પર અવરજવર બંધવડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા કારણોસર ચોક્કસ રૂટ પર અવરજવર બંધ રાખવામાં આવી છે. જે અન્વયે 11 જાન્યુઆરી બપોરે 2 થી 12 જાન્યુઆરી સવારે 10 સુધી 'ચ-0' સર્કલથી સેક્ટર-30 સર્કલ સુધીનો 'જ' રોડ સંપૂર્ણ બંધ રહેશે. ઉપરાંત 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી 'ક' રોડ હોટલ લીલાથી સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ બંધ રહેશે. એજ રીતે 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી ખ-3 સર્કલથી સાંઈ ચાર રસ્તા મહાત્મા મંદિર સુધીનો મુખ્ય રોડ પ્રતિબંધિત રહેશે. આ માર્ગો પર પાર્કિંગની સખત મનાઈતદુપરાંત શહેરના મહત્વના સર્કલો અને સર્વિસ રોડ પર પાર્કિંગ પર પાબંદી લાદવામાં આવી છે. જે મુજબ અપોલો સર્કલથી અક્ષરધામના મુખ્ય માર્ગ અને સર્વિસ રોડના 50 મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરી શકાશે નહીં. તેમજ સેન્ટ્રલ વિસ્ટા રોડ મહાત્મા મંદિરથી ટાઉનહોલ અને ઉદ્યોગભવન થઈ અપોલો સર્કલ સુધીના માર્ગો પર પાર્કિંગની સખત મનાઈ છે. રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવી પ્રતિબંધમાંથી મુક્તિ11 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી 12 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધી અપોલો સર્કલ, કોબા સર્કલ અને ચ-0થી સેક્ટર-30 સુધી ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વૈકલ્પિક માર્ગો તરીકે વાહનચાલકો ચ-રોડ, રોડ નંબર-7, વાવોલ ગામ અને ઉવારસદ માર્ગનો ઉપયોગ કરી શકશે. જોકે રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સને આ પ્રતિબંધોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. મોરબી એલસીબીની ટીમે દરોડો પાડી ₹૩,૦૪,૭૭૬નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે અધિકારીઓને સૂચના અપાઈ છે. આ અંતર્ગત એલસીબીના પીએસઆઈ જે.પી. કણસાગરા અને તેમનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને કડીયાણાથી માથક તરફ જતા રસ્તે એક કિલોમીટર દૂર ડાબી તરફના કાચા રસ્તે ખરાબામાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૨૩૨ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૩,૦૪,૭૭૬ આંકવામાં આવી છે. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ હાજર ન હોવાથી પોલીસે રાહુલ ઉર્ફે ધુમો કોળી (રહે. મોરબી) અને લાલો કોળી (રહે. હળવદ) નામના બે શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. પોલીસે જપ્ત કરાયેલો મુદ્દામાલ હળવદ પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે અને બંને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી પીઆઈ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ પીએસઆઈ જે.પી. કણસાગરા તથા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
અમદાવાદના એક બિલ્ડરને NCPના ઉપપ્રમુખ અને પત્રકારે એક યુવતી સાથે મળી હનીટ્રેમમાં ફરાવ્યો હતો. યુવતીએ બિલ્ડરના અન્ય યુવતી સાથેના અંગત પળોના વીડિયો ઉતાર્યા બાદ પત્રકાર સાથે મળી બ્લેકમેઈલ કરી 10 કરોડની ખંડણી માગી હતી. જોકે, બિલ્ડરની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. વોટ્સએપમાં બિલ્ડરને અંગત પળોનો વીડિયો મોકલ્યોઅમદાવાદના એક બિલ્ડરને છ મહિના અગાઉ એક યુવતી સાથે સંપર્ક થયો હતો. બંને વચ્ચે મિત્રતાથી શરૂઆત થઈ જે બાદમાં અંગત સંબંધ સુધી પહોંચી હતી. યુવતીએ એક ઘરમાં બિલ્ડર સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ NCP ઉપપ્રમુખ અને પત્રકાર અશ્વિન ચૌહાણે બિલ્ડરનો સંપર્ક કરી તેને વોટ્સએપમાં વનટાઈમ વ્યૂમાં એક નાનો વીડિયો મોકલ્યો હતો. જેમાં બિલ્ડર યુવતી સાથે અંગત પળો માણી રહ્યો હતો. પત્રકારે વીડિયો સમાચારમાં ન લેવા 10 કરોડ માગ્યાઅશ્વિન ચૌહાણે આ વીડિયો સુનિતા રાજપૂત નામની યુવતીએ આપ્યો હતો. લાંબા સમય સુધી અશ્વિને બિલ્ડર સાથે વાતચીત કરી આ વીડિયો સમાચારમાં ન લેવા માટે 10 કરોડની માગ કરી હતી. આ વીડિયો બાબતે વાતચીત કરીને થોડા સમય અગાઉ અશ્વિને અંતે 7 કરોડની માગ કરી હતી. જોકે, બિલ્ડરે આ બધાથી કંટાળી પોલીસના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જેથી ઉચ્ચ અધિકારીએ સાયબર ક્રાઈમનો સંપર્ક કરાવતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. સુનિતાનું બોયફ્રેન્ડ સાથે મળી બિલ્ડરને ફસાવવા કાવતરૂંસાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો નોંધી પત્રકાર અશ્વિન ચૌહાણ અને સુનિતા રાજપૂતની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ કાવતરૂં સુનિતાએ તેના બોયફ્રેન્ડ બિની ગિલ સાથે મળીને ઘડ્યું હતું. સુનિતા નેલ આર્ટનો બિઝનેસ કરે છે. જ્યારે બિની ગિલ જીમ ટ્રેનર છે. સુનિતાએ બિલ્ડરની માહિતી મેળવી તેની પરિચિત યુવતીનો બિલ્ડર સાથે સંપર્ક કરાવ્યો હતો. જે બાદ યુવતીએ બિલ્ડર સાથે વાતચીત કરી હતી. યુવતી અને બિલ્ડરે સુનિતાના ઘરે જ અંગત પળો માણી હતી. જેનું સુનિતાએ અગાઉથી જ સેટઅપ કરી સ્પાય કેમેરાથી રેકોર્ડિંગ કર્યું હતું. બંને આરોપીઓનો ફોનમાંથી બિલ્ડરના વીડિયો મળ્યાસુનિતા અને બિનીએ રેકોર્ડિંગ પત્રકાર અશ્વિનને આપ્યું હતું. અશ્વિન ચૌહાણે બિલ્ડરને બ્લેકમેઇલ કરી પૈસાની માગ કરી હતી. જોકે, બિલ્ડરે લાંબા સમય સુધી વાતચીત કરી પૈસા આપ્યા નહોતા. હાલ પોલીસે સુનિતા અને અશ્વિનની ધરપકડ કરી છે. બંનેના ફોનમાંથી બિલ્ડરના વીડિયો મળી આવ્યા હતા. બિની ગિલ ફરાર થઈ ગયો છે જેની શોધખોળ ચાલી રહી છે. આ સમગ્ર મામલે યુવતીને જાણ હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી કુખ્યાત કડીયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સીસોદીયા અને 11 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી ક્રિષ્ના સીસોદીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 5,00,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. આ કાર્યવાહીથી પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થયેલા અનેક ચોરીના ગુનાઓના ભેદ ઉકેલાયા છે. પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોની બહારથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતી આ ગેંગને પકડવા માટે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડીયા સાંસી ગામની છે. આ બાતમીના આધારે, પાટણ LCBની ટીમે રાજગઢ ખાતે વેશ પલટો કરીને સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ રાજકુમાર સીસોદીયાને 3,00,000 રૂપિયાની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પૂછપરછના આધારે, અન્ય આરોપી કલાવતી ઉર્ફે કાડી દિલીપ સીસોદીયાના ઘરેથી વધુ 2,00,000 રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, 11 વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપી ક્રિષ્ના પત્ની બીરૂ પ્રભુ સીસોદીયાને પણ પચૌર તાલુકાના કડીયા સાસી ગામેથી દરોડો પાડીને ઝડપી પાડવામાં આવી હતી. ક્રિષ્ના સામે વર્ષ 2014માં પાટણ સિટી B ડિવિઝન, અંબાજી અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 379 અને 114 મુજબ ગુના નોંધાયેલા હતા. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં અનેક ગુનાઓની કબૂલાત થઈ છે. જેમાં 6 મહિના પહેલા રાધનપુર બસ સ્ટેશન પાસે બાઈક પરથી થયેલી 3,00,000 રૂપિયાની ચોરી, 6 વર્ષ પહેલા પાટણના બાલાજી પાર્ટી પ્લોટમાંથી થયેલી 6,55,000 રૂપિયાની ચોરી, સિદ્ધપુર SBI બેંક પાસેથી 1,00,000 રૂપિયાની ચોરી અને હારીજમાં કિરાણા સ્ટોર પાસેથી 1,00,000 રૂપિયાની ચોરીનો સમાવેશ થાય છે. પાટણના ખોડાભા અને જે.જે. પાર્ટી પ્લોટમાં થયેલા ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે. મુખ્ય આરોપી નકુલ સીસોદીયા અગાઉ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હતો. હાલમાં આ ગેંગના અન્ય સાગરીતો કોહીનૂર સીસોદીયા, કલાવતી અને અર્ચના સીસોદીયાને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવા સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં આરોપીઓ પોતાના ક્રેડિટ કાર્ડના લાખો રૂપિયાના દેવા ભરવા માટે સીનિયર સિટિઝન્સને ટાર્ગેટ કરતા હતા. સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ટેકનોલોજીનો દુરુપયોગ કરી નિર્દોષ વૃદ્ધોના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાં સેરવી લેતા હતા. આ કૌભાંડનો મુખ્ય હેતુ આરોપીઓના અંગત મોજશોખ અને ક્રેડિટ કાર્ડના બિલોની ચૂકવણી કરવાનો હતો. પકડાયેલા આરોપીઓ રૂ. 6 થી 7 લાખની તોતિંગ લિમિટ ધરાવતા ક્રેડિટ કાર્ડ રાખતા અને તેના પર બેફામ ખર્ચ કરતા હતા. જ્યારે આ બિલો ભરવા માટે તેમની પાસે નાણાંની સગવડ નહોતી, ત્યારે તેઓએ સીનિયર સિટિઝન્સને શિકાર બનાવવાનું કાવતરું ઘડ્યું હતું. RTO CHALLAN નામની APK ફાઇલ મોકલતાઆરોપીઓ સીનિયર સિટિઝન્સને RTO CHALLAN નામની એક જોખમી APK ફાઇલ મોકલતા હતા. ખાસ કરીને નિવૃત્ત જીવન જીવતા વૃદ્ધોને ટાર્ગેટ કરવામાં આવતા હતા કારણ કે તેઓ ટેકનોલોજીથી વધુ વાકેફ હોતા નથી. જેવી વ્યક્તિ આ ફાઇલ પર ક્લિક કરે, કે તરત જ તેમનો આખો મોબાઈલ ફોન હેક થઈ જતો અને તમામ વિગતો આરોપીઓ પાસે પહોંચી જતી હતી. ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 16,49,961 ઉપાડી લેવામાં આવ્યાતામિલનાડુના કોઈમ્બતુરના એક નિવૃત્ત વૃદ્ધ આ ટોળકીનો ભોગ બન્યા હતા. આરોપીઓએ તેમના મોબાઈલ ફોનમાં APK ફાઇલ મોકલીને તેમનો ડેટા એક્સેસ કરી લીધો હતો. ત્યારબાદ, વૃદ્ધના ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં રહેલી FDના નાણાંનો ઉપયોગ કરી અલગ-અલગ ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 16,49,961 ઉપાડી લેવામાં આવ્યા હતા. ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા માટે 2% કમિશનની લાલચ આપતાક્રાઈમ બ્રાન્ચના એસીપી કિરણ મોદીના જણાવ્યા અનુસાર, આરોપીઓ પોતાના સાગરીતોને ક્રેડિટ કાર્ડમાં નાણાં ટ્રાન્સફર કરાવવા માટે 2% કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા નાણાંથી તેઓ પોતાના ક્રેડિટ કાર્ડના બાકી લેણાં ચૂકવતા અને લક્ઝરી લાઈફસ્ટાઈલ જાળવી રાખતા હતા. સુરતની મોબાઈલ સ્નેચિંગ સ્કોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આ આખી ગેંગને ટ્રેક કરી હતી. આ આરોપી ઝડપાયાપકડાયેલા 10 આરોપીઓમાં રજની ભાલડીયા, વિશ્વાસ રાદડીયા અને સાવન રાદડીયા સહિતના યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ અમરોલી, વરાછા અને ઉધના જેવા વિસ્તારોમાં રહીને આ નેટવર્ક ચલાવતા હતા. આ આરોપીઓ એટલી ચાલાકીથી કામ કરતા હતા કે ક્રેડિટ કાર્ડના બિલો ભરવા માટે તેઓ દર વખતે નવા ટાર્ગેટ શોધતા હતા. કોઈમ્બતુર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે સુરત પોલીસે આ તમામ આરોપીઓને કોઈમ્બતુર પોલીસને સુપ્રત કર્યા છે. કોર્ટ દ્વારા આરોપીઓના 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા સીનિયર સિટિઝન્સના ક્રેડિટ કાર્ડ કે બેંક ખાતા સાફ કર્યા છે.
6 કલાકમાં 11 આંચકાથી ધ્રુજ્યુ જેતપુર રાજકોટના જેતપુરમાં ગઇકાલ સાંજથી આજે બપોરે 12 સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઉપલેટાથી 30 કિલોમીટર દૂર નોંધાયું. આ આંચકાઓમાં જાનમાલનું કોઈ નુક્શાન નથી થયું.. જો કે સાવચેતીના ભાગરુપે શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દેવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આખરે રાજ્યમાં જામી કડકડતી ઠંડી રાજ્યમાં 24 કલાકમાં તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. સિઝનમાં પહેલીવાર નલિયાનું તાપમાન 4.8 ડિગ્રી અને અમદાવાદનું 11.7 ડિગ્રી રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિતાભ બચ્ચનને જોઈ ભીડ બેકાબૂ થઈ ISPLની ઓપનિંગ સેરેમની માટે સુરત આવેલા અમિતાભ બચ્ચનને જોઈને ભીડ બેકાબૂ થઈ. ઉદ્યોગપતિને સુનિલ શાહને ગૃહ પ્રવેશ કરાવવા આવેલા અમિતાભ બચ્ચનને જોવા પડાપડી થઈ ,જેમાં એપોર્ટમેન્ટનો કાચનો ગેટ તૂટી ગયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શ્રમિકોના સમર્થનમાં કોંગ્રેસની જનાક્રોશ રેલી પારડીમાં શ્રમિકોના કથિત શોષણ મામલે મુદ્દે કોંગ્રેસ અને કામદારોના એમ્પ્લોઈઝ યુનિયને ‘જન આક્રોશ રેલી’ યોજી,.ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં શ્રમિકોએ 'સમાન કામ, સમાન વેતનની માગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 500થી વધુ સાધુ સંતોની ડમરું યાત્રા સોમનાથમાં આજે સ્વાભિમાન પર્વના બીજા દિવસે 500થી વધુ સાધુ-સંતોની ભવ્ય ડમરું યાત્રા યોજાઈ હતી. એક કિલોમીટર લાંબી આ યાત્રાએ ભવનાથ જેવું વાતાવરણ સર્જી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઇડમાં આવતા બાઈક ચાલકને બચાવવા જતા મોત સુરતના કતારગામમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકને બચાવવા જતા 29 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સીટી બસના ટાયર નીચે કચડાતા હીરાના કારખાનેદાર યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બોટાદથી 100 ગાડીઓનો કાફલો બગદાણા પહોંચ્યોં નવનીત બાલધિયા પર થયેલા હુમલા મામલે સુરત બાદ આજે બોટાદથી કોળી સમાજ 100 ગાડીઓના કાફલા સાથે બગદાણા પહોંચ્યો..સમાજની એક જ માગ છે કે એફઆઈઆરમાં મુખ્યા આરોપીનું નામ ઉમેરવામાં આવે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી સુવાલી બીચ ફેસ્ટિવલની શરુઆત આજથી સુરતમાં ત્રણ દિવસ માટે સુવાલી બીચ ફેસ્ટિવલની શરુઆત થઈ..આ ફેસ્ટિવલમાં 130 સ્ટોલ્સ, ફોટો કોર્નર, પતંગબાજી, સહિતનાં આકર્ષણો હશે..તો ઓસમાણ મીર અને આમિર મીર આજે સંગીતની મહેફિલ જમાવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં બે સગીરા પર સામુહિક દુષ્કર્મ નવસારીના વાંસદામાં 17 વર્ષની સગીરા પર 8 યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યું. સગીરાની માતાની ફરિયાદ બાદ પોલીસે આઠેયને ઝડપી પાડ્યા છે. આ તરફ વડોદરામાં પણ 14 વર્ષીય સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ કર્યું. પરિવાર સાથે ગેરવર્તન કરી પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્સપોમાં તમામ મશીન 'મેડ ઈન ચાઈના' સુરતમાં ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો'માં 60 જેટલી પ્રખ્યાત બ્રાન્ડ્સના 200 થી વધુ મશીનો રજૂ કરવામાં આવ્યા છે. જોકે તેમાંથી મોટાભાગના મશીન મેડ ઈન ચાઈના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધતા કેસ અને રોગચાળાના ભય વચ્ચે રાજકોટ મહાપાલિકાનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીપુરીની લક્ઝરી દુકાનો અને લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂડ વિભાગની ટીમે અલગ-અલગ ફ્લેવરના પાણીના 50 જેટલા નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. જોકે આ નમુનાનો રિપોર્ટ આગામી 2 મહિના બાદ આવશે. ત્યાં સુધી આ વેપારીઓ સામે મનપા કોઈ પગલાં લઈ શકશે નહીં. વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ રાજકોટના મુખ્ય માર્ગો અને ખાણીપીણી માટે જાણીતા વિસ્તારો જેવા કે 150 ફૂટ રિંગ રોડ, યુનિવર્સિટી રોડ, પુષ્કરધામ, કોટેચા ચોક, રેસકોર્સ, સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક રોડ પર ફૂડ વિભાગની ટીમોએ ત્રાટકીને તપાસ કરી હતી. તપાસ દરમિયાન અંદાજે 12 જેટલી મોટી દુકાનો તેમજ અનેક લારીવાળાઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને લોકોમાં લોકપ્રિય એવી પાણીપુરીની વિવિધ વેરાયટીઓ જેવી કે તીખું, મીઠું, જીરા, લસણ, હાજમા, રેગ્યુલર, જલજીરા, ફુદીના અને ખજૂરના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તપાસના દાયરામાં આવેલી મુખ્ય પેઢીઓ મનપા ફૂડ વિભાગ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીમાં પંચનાથ મંદિર સામે રાજેન્દ્ર જેશવા, યાજ્ઞિક રોડ પર શ્રી ચાઇનીઝ-પંજાબી અને મમતા પાણીપુરી તેમજ સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેળ, ક્રિષ્ના મારવાડી અને બોમ્બે સ્ટાઇલ ભેળ જેવી જાણીતી પેઢીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાલભવન ગેટ પાસે સંતોષ ભેળની વિવિધ શાખાઓ, બાલાજી પાણીપુરી, સાવરીયા શેઠ પાણીપુરી, ગપ્પે વીથ ગોલ ગપ્પે અને નુતનનગર હોલ સામે શ્રીનાથજી ભેળ સેન્ટર ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. કોટેચા ચોકમાં કે.પી.ફુડસ, મીત રેસ્ટોરન્ટ અને એ.જી. ચોક હોકર્સ ઝોનમાં દિલખુશ અને શ્રીનાથજી પાણીપુરી તેમજ પુષ્કરધામ રોડ પર ક્રિષ્ના, ચાંદની અને મા રતનગઢવાલી પાણીપુરીની ચકાસણી કરાઈ હતી. નોનવેજ પેઢીમાં અખાદ્ય જથ્થાનો નાશ પાણીપુરીના વિક્રેતાઓ ઉપરાંત ફૂડ વિભાગે રામનાથપરા વિસ્તારમાં પણ તપાસ લંબાવી હતી. જુમ્મા મસ્જિદ મેઇન રોડ પર આવેલ એસ.એ. નોનવેજ નામની પેઢીમાં તપાસ કરતા ત્યાં વેચાણ માટે રાખવામાં આવેલ 5 કિલો જેટલો વાસી પ્રિપેર્ડ-ફૂડનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે જોખમી એવા આ અખાદ્ય જથ્થાનો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો. આ સાથે પેઢીના માલિકને યોગ્ય સ્ટોરેજ જાળવવા અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. વેપારીઓને નોટિસ અને સૂચનાઓ નાણાવટી ચોકથી રામેશ્વર મેઇન રોડ સુધીના વિસ્તારમાં પણ ફૂડ વિભાગની ટીમે 18 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી હતી. જેમાંથી 8 વેપારીઓને સ્વચ્છતા અને નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી હતી. જેમાં મોમાઈ સુપર માર્કેટ, વિશ્વાસુ પ્રોવિઝન સ્ટોર, મોમાઈ અમૂલ પાર્લર, પરી મેડીકલ, સ્વસ્તિક પ્રોવિઝન સ્ટોર, શ્રીરામ ડેરી ફાર્મ, પિતૃકૃપા ચીકી અને ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે. આ સિવાય જય ચામુંડા ફરસાણ, એબી બેકરી, બ્રજ બાઇટ અને જલિયાણ ફરસાણ સહિતની અન્ય પેઢીમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે મનપા દ્વારા લેવાયેલા આ કડક પગલાંથી ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમુનાઓનો રિપોર્ટ આવતા 2-3 મહિના જેટલો સમય લાગે છે. આ કારણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી ભેળસેળ કરનારાઓની ઓળખ થતી નથી. ત્યારે આ રિપોર્ટ ઝડપથી મળી શકે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર (ઓરણ) ખાતે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) જયંતિ રવિએ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેમની સાથે મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંજુ અને સેટલમેન્ટ કમિશનર બિજલ શાહ પણ જોડાયા હતા. આ અધિકારીઓએ ગ્રામ પંચાયતના દફ્તરની તપાસણી કરી હતી. તપાસણી દરમિયાન મહેસૂલી ગામના નમૂના 1થી 18, ગૌચર જમીન, ગામના જમીનના નકશા, તલાટી મેન્યુઅલ, મિલકતની નોંધ, આકારણી રજિસ્ટર અને વસૂલાત સહિતના વિવિધ રજિસ્ટરની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ ગામના ખેડૂત ખાતેદારોની જમીનના ક્ષેત્રફળની પણ તપાસ કરી હતી. આ ઉપરાંત, જયંતિ રવિ અને અન્ય અધિકારીઓએ ગામના આગેવાનો સાથે જમીન સંબંધિત અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાતનો હેતુ મહેસૂલી કામગીરીની પારદર્શિતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાનો હતો. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, પ્રાંતિજ પ્રાંત અધિકારી આયુષી જૈન, હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, ગામના સરપંચ વીણાબેન ચૌધરી, ઉપસરપંચ નિકિતાબેન પટેલ અને અન્ય ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી એક પિતાએ પોતાની પત્ની પાસેથી 11 વર્ષીય સગીર દીકરીની કસ્ટડી મેળવવા માટે ફેમિલી કોર્ટ ગોંડલના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગોંડલની ફેમિલી કોર્ટમાં મૂળ માતાએ દીકરીના પિતા પાસેથી કસ્ટડી મેળવવા માટે અરજી કરી હતી જેને ગ્રાહ્ય રાખતા ગોંડલની ફેમિલી કોર્ટે દીકરીના પિતાને દર રવિવારે ઉપરાંત ઉનાળુ વેકેશનમાં, શિયાળુ વેકેશનમાં અને દિવાળી વેકેશનના પ્રથમ 5 દિવસ મળવા માટે પરવાનગી આપી હતી. દલીલ દરમિયાન માતાના વકીલે જણાવ્યું હતું કે દીકરી સાપ સાથે રમે છે. તો ફેમિલી કોર્ટે પણ એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે અસુરક્ષિત ગણાવ્યું હતું. ફેમિલી કોર્ટે એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે સુરક્ષિત ગણાવ્યું ન હતુંહાઇકોર્ટ સમક્ષ ફાર્માસિસ્ટ માતા પાસેથી 11 વર્ષીય દીકરીની કસ્ટડી માંગતા ડોક્ટર પિતા વતી રજૂઆત કરવામાં આવી હતી કે દીકરી પિતા પાસે હતી ત્યારે તે ભણવામાં અવ્વલ હતી. તે ઈતર પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરતી હતી. તે પ્રાણીઓ અને સરીસૃપો સાથે મિત્રતા ભાવ રાખતી હતી. તે કાળજી રાખવાના પૂરતા સાધનો સાથે એનિમલ રેસ્ક્યૂ શીખી રહી હતી. આ એક રસપ્રદ સ્કીલ છે. જો કે ફેમિલી કોર્ટે એનીમલ રેસ્ક્યૂને દીકરી માટે સુરક્ષિત ગણાવ્યું ન હતું. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે પિતા સર્ટિફાઇડ એનિમલ રેસ્ક્યૂઅર હોવાનું સર્ટિફિકેટ રજૂ કરી શક્યા નથી. ફેમિલી કોર્ટના નિર્દેશ છતાં પાસપોર્ટ અંગે કોઈ ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ મુકાયા નહોતાપિતા વતી વધુમાં રજૂઆત કરાઈ હતી કે માતા તેની દીકરીને મલેશિયા જવા દેતી નથી. તેનો પાસપોર્ટ તેની માતા પાસે છે. ફેમિલી કોર્ટના નિર્દેશ છતાં પાસપોર્ટ અંગે કોઈ ડોક્યુમેન્ટ કોર્ટ સમક્ષ મુકાયા નહોતા. પાસપોર્ટ નહીં હોવાથી પ્રાણીઓના રેસ્ક્યૂ સંબંધિત ટ્રેનિંગ માટે દીકરી વિદેશ જઈ શકી નહોતી. ફેમિલી કોર્ટનું માનવું છે કે સગીર દીકરી કોની સાથે રહેવા માંગે છે તે માત્ર તેની ઈચ્છા નહીં, પરંતુ તેના ભવિષ્ય અને સુવિધાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. દીકરીની માતા વર્તમાનમાં બેરોજગારપિતાના ઘરમાં કોઈ મહિલા મેમ્બર નથી, પરંતુ તેઓએ મહિલા કેેરટેકર રાખી છે. પિતાએ વધુમાં જણાવ્યું હતું કે દીકરીની માતા વર્તમાનમાં બેરોજગાર છે. દીકરીને વર્તમાન શાળામાંથી બીજી શાળામાં એડમિશન કરાવવું પડે તેમ છે. જેથી તેના અનુકૂળ વાતાવરણમાં ફેરફાર આવતા તેની માનસિકતા ઉપર અસર પડી શકે તેમ છે. પિતા ડોક્ટર અને માતા ફાર્માસિસ્ટસામે પક્ષે સગીર દીકરીની માતા વતી રજૂઆત થઈ હતી કે તેઓના લગ્ન વર્ષ 2012માં થયા હતા. જ્યારે દીકરીનો જન્મ વર્ષ 2014માં થયો હતો. લગ્નના 8 વર્ષ દરમિયાન કોઈ તકલીફ થઈ નહોતી, પરંતુ વર્ષ 2020થી સંબંધોમાં ઉણપ આવવાની શરૂઆત થઈ હતી. માતા બેચલર ઓફ ફાર્મસીની ડિગ્રી ધરાવે છે. જ્યારે પિતા એક ડોક્ટર છે જે 6 કલાક પોતાના વ્યવસાયને આપે છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં પણ તેમને બહાર જવાનું થાય તો દીકરીનું ઘરે ધ્યાન રાખવા કોઈ મહિલા મેમ્બર નથી. સેફગાર્ડ-ટ્રેનિંગ વગર પ્રાણીઓ અને સરીસૃપ સાથેની દીકરીની રમતથી ચિંતામાતાથી 4 વર્ષ દૂર બાળકી પિતાની કસ્ટડીમાં હતી. દીકરીને માતા પ્રત્યે કોઈ અણગમો નથી, પરંતુ માતાને દીકરીના કોઈપણ સેફગાર્ડ કે ટ્રેનિંગ વગર પ્રાણીઓ અને સરીસૃપ સાથેની રમત ચિંતિત કરનારી છે. ફેમિલી કોર્ટે માતાને દીકરીની વચગાળાની કસ્ટડી આપી હતીદીકરીના પિતા ગોંડલમાં ડોક્ટર છે. જેવો અવારનવાર દીકરીની માતા સામે વિવિધ ફરિયાદો કરતા રહે છે અને ન્યુઝ પેપરમાં તેની બદનામી કરતા રહે છે. વર્ષ 2021માં માતાએ દીકરીની કસ્ટડી માટે ગોંડલની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023માં ફેમિલી કોર્ટે માતાને દીકરીની વચગાળાની કસ્ટડી આપી હતી. સગીરવયની દીકરીની સંભાળ રાખવા માટે માતા સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે. સરીસૃપો સાથે દીકરીની રમત ગંભીર બાબત છે. દીકરી સાપ સાથે રમે છેમાતાએ કોર્ટને જણાવ્યું હતું કે વર્ષ 2020માં પતિ શરાબ પીને ઘરે આવ્યો હતો. દીકરી કુતરા, બિલાડીઓ અને સાપ જેવા પ્રાણીઓ સાથે મિત્રતા ભાવ રાખે છે. તે સાપ સાથે રમે છે. પતિએ દીકરીની માતાને માથાભારે ચીતરવા માટે પ્રયત્ન કર્યા હતા. પરંતુ સમાચાર કટીંગને આધારભૂત પુરાવા માનવાનો કોર્ટ ઇન્કાર કર્યો છે. પતિએ ફક્ત પત્નીને મુશ્કેલીઓમાં વધારો કર્યો છેહાઇકોર્ટે નોંધ્યું હતું કે દીકરીના સર્વગ્રાહી ઉછેર માટે તેનું માતા સાથે રહેવું જરૂરી છે. તેમ છતાં પિતાને પોતાની દીકરી સાથે મળવાનો પૂરો હક છે. દીકરી વર્તમાનમાં 11 વર્ષની છે. ત્યારે તે હવે કિશોર અવસ્થામાં પગ મુકશે. આ સમયે તેની માતાની ખૂબ જરૂર પડશે. અરજદાર પિતાની બંને બહેનો શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલ છે, પરંતુ તેઓ અરજદાર પિતાના ઘરે રહેતી નથી. માતાની દીકરીના ઉછેર કરી શકવાની ક્ષમતાની યોગ્યતા અંગે કોઈ નકારાત્મક બાબત સામે આવી નથી. વળી પતિએ ફક્ત પત્નીને મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ઓર્ડર પર 6 અઠવાડિયાનો સ્ટેબાળકની કસ્ટડી સાથે એથીકલ અને મોરલ વેલ્યુ પણ જરૂરી હોય છે. અરજદાર પતિ એક ડોક્ટર હોવા છતાં તેને પરિપક્વતા દેખાડી નથી. એક દીકરીને તેની માતાથી દૂર રાખી છે. પતિ પત્ની 99 કિલોમીટર દૂર રહે છે. હવે પત્ની ગોંડલ રહેવા જશે તેમજ પતિ બાળકીનો ખર્ચ ઉપાડશે. જો કે અરજદારના વકીલે ઉપલા ફોરમમાં અપીલ માટે ઓર્ડર ઉપર સ્ટે માંગતા હાઈકોર્ટ દ્વારા 6 અઠવાડિયાનો સ્ટે ગ્રાહ્ય રાખવામાં આવેલ છે.
હિંમતનગરમાં 25 ચાઈનીઝ દોરીની ફીરકી જપ્ત:બી ડીવીઝન પોલીસે બસ સ્ટેન્ડ સામેથી બે શખ્સોને ઝડપ્યા
હિંમતનગર બી ડીવીઝન પોલીસે બસ સ્ટેન્ડ સામે આવેલા મુલ્કીભવન પાસેથી ચાઈનીઝ દોરીની 25 ફીરકી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના PI એ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના હિતેશકુમાર અને ધરમવીરસિંહ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, બસ સ્ટેશન સામેના મુલ્કીભવન કોમ્પ્લેક્સ પાસે રોડ પર એક કાળા કલરના એક્ટિવા પર બે શખ્સો ઊભા છે અને તેમની પાસે એક શંકાસ્પદ કોથળો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને એક્ટિવા પર ઊભેલા બંને શખ્સોને પકડી પાડ્યા હતા. પૂછપરછ કરતા તેમણે પોતાના નામ આર્યનકુમાર કલ્પેશભાઈ વાઘેલા અને પીયુષભાઈ રાજેશભાઈ વાઘેલા (બંને રહે. જનરલ પોસ્ટ ઓફિસ પાછળ, વાઘેલા વાસ, હિંમતનગર) જણાવ્યું હતું. તેમની પાસેથી કંતાનના કોથળામાંથી કુલ 25 નંગ ચાઈનીઝ દોરીની ફીરકી મળી આવી હતી, જેની કિંમત આશરે રૂ. 12,500 આંકવામાં આવી છે. બી ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કર્યો છે. આ કાર્યવાહી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં તેનું વેચાણ કરતા તત્વો સામે કડક પગલાં લેવાનો સંકેત આપે છે.
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં જેશીંગબાપા વાનપ્રસ્થ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધોલવાના રામજીબાપા અને કાકરોલના નરસિંહબાપાના હસ્તે ભવનનું ઉદ્ઘાટન કરાયું હતું. તેમણે આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ લોકાર્પણ સમારોહમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ભાજપ પ્રમુખ કનુભાઈ સહિત ભાજપના આગેવાનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ અવસરે મંદિરના મુખ્ય દાતા અને ટ્રસ્ટી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ (હાંસલપુર) તેમજ ડૉ. સુમનચંદ્ર રાવલનું મહાનુભાવોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંતોના ભક્તિમય વ્યાખ્યાનો સાંભળી ભક્તો ભાવવિભોર બન્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તોએ મહાદેવની આરતી અને પ્રસાદનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સર્વ બદ્રીનારાયણ મિસ્ત્રી, ગોપાલસિંહ રાઠોડ, ગિરીશભાઈ ભાવસાર, સુમનચંદ્ર રાવલ, ડૉ. ચીમનભાઈ પટેલ, હરેશભાઈ સોમપુરા, દિલીપભાઈ સોની, કૈલાસભાઈ દુધાળી, શશીકાંત સોલંકી, મનુભાઈ વાઘેલા સહિતના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી.
સુરતના આર્થિક અને ભૌતિક વિકાસને નવી ઊંચાઈ આપવા માટે ક્રેડાઈ (CREDAI) સુરત દ્વારા ‘GLAM સુરત પ્રોપર્ટી શો 2026’ની 6ઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. અઠવા લાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે 9થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા આ શોમાં સુરતના અગ્રણી 55 બિલ્ડરો દ્વારા 200થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. “ચમ-ચમતા સુરતમાં ધમ-ધમતું પ્રોપર્ટી શો” ના સૂત્ર સાથે શરૂ થયેલા આ પ્રદર્શનમાં સુરતના રિયલ એસ્ટેટ માર્કેટની બદલાતી તસવીર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. સુરતીઓમાં પ્રીમિયમ લાઈફસ્ટાઈલનો ક્રેઝ વધ્યોઆ વખતના પ્રોપર્ટી શોમાં સૌથી વધુ આકર્ષણ લક્ઝરી પેન્ટહાઉસનું જોવા મળી રહ્યું છે. સુરતીઓમાં પ્રીમિયમ લાઈફસ્ટાઈલનો ક્રેઝ એટલો વધ્યો છે કે, બજારમાં પેન્ટહાઉસની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રેડાઈ સુરતના પ્રમુખ સંજય માંગુકિયાના જણાવ્યા અનુસાર, ખાસ કરીને રૂ. 5 કરોડથી 15 કરોડની રેન્જમાં આવતા 'લિમિટેડ એડિશન' પેન્ટહાઉસ માટે ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છે, જે સુરતના સમૃદ્ધ થતા અર્થતંત્રનો નિર્દેશ કરે છે. સુરત આગામી સમયમાં મુંબઈની હરોળમાં ઊભું રહેશેસુરતનું આકાશ હવે મુંબઈની જેમ હાઈરાઈઝ બિલ્ડિંગોથી ઘેરાઈ રહ્યું છે. શહેરમાં બિલ્ડિંગોની ઊંચાઈ હવે 100 મીટર (આશરે 30થી વધુ માળ) સુધી પહોંચી ગઈ છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્લોબલ કનેક્ટિવિટીને ધ્યાનમાં રાખીને ડેવલોપર્સ હવે ઊંચી ઈમારતો પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ, મેટ્રો રેલ અને બુલેટ ટ્રેન જેવા મેગા પ્રોજેક્ટ્સને કારણે સુરત આવનારા સમયમાં મુંબઈની હરોળમાં ઊભું રહેશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સ્માર્ટ હોમ્સ સુધીના તમામ વિકલ્પો એક જ છત નીચે ઉપલબ્ધરેરા (RERA)ના આંકડા મુજબ, સુરતમાં હાલમાં 450થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ્સ રનિંગમાં છે. જેમાંથી આશરે 400 જેટલા પ્રોજેક્ટ્સ હાલ પ્રગતિ હેઠળ છે. વેસુ, અલથાણ અને પાલ જેવા વિસ્તારોમાં હાઈરાઈઝ રેસિડેન્શિયલ ટાવર્સ જ્યારે આઉટર રિંગ રોડ અને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લોટિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોપર્ટી શોમાં એફોર્ડેબલ હાઉસિંગથી લઈને અલ્ટ્રા-લક્ઝરી સ્માર્ટ હોમ્સ સુધીના તમામ વિકલ્પો એક જ છત નીચે ઉપલબ્ધ કરાવાયા છે. આ વર્ષના પ્રોપર્ટી શોની ખાસિયત તેની 'સસ્ટેનેબલ લિવિંગ' થીમ છે. શોમાં પ્રદર્શિત કરાયેલા પ્રોજેક્ટ્સમાં ગ્રીન એનર્જી, જળ સંરક્ષણ અને ટેકનોલોજી આધારિત સુરક્ષા વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો છે. ક્રેડાઈ સાથે જોડાયેલા 850થી વધુ ડેવલોપર્સના માર્ગદર્શન હેઠળ સુરતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર માત્ર ઈમારતો જ નહીં પણ ભવિષ્યની જરૂરિયાતો મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે, જે રોકાણકારો માટે લાંબા ગાળાના વળતરની સુવર્ણ તક પૂરી પાડે છે.
પાટડી નગરપાલિકા ખાતે પ્રભારી મંત્રી અને શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના હસ્તે રૂ. 49.23 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ નગરજનોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંત્રી દર્શનાબેન વાઘેલાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય પી.કે. પરમારની રજૂઆતોને કારણે પાટડીમાં છેલ્લા ત્રણ વર્ષમાં મોટા પાયે વિકાસ કાર્યો થયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 24 કલાક વીજળી મળતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે. મંત્રીએ પાટડીમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે, જેમાં વોકિંગ ટ્રેક અને બેસવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. તળાવ પાસે એક નયનરમ્ય ગાર્ડન પણ ખુલ્લો મુકાયો છે. તેમણે આ તળાવને અમદાવાદના કાંકરિયા લેક જેવું આધુનિક બનાવવાની અને તેના બીજા તથા ત્રીજા તબક્કાના કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું કે, નળ, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત અન્ય મહત્વના કામો પણ હાથ ધરાયા છે. યાત્રાધામ શક્તિપીઠ મંદિર પાસે ટ્રાફિક સમસ્યા નિવારવા બે નવા રસ્તાઓ ખુલ્લા મુકાયા છે અને બ્યુટિફિકેશન કરાયું છે. મંત્રીએ પાટડીની શક્તિપીઠને યાત્રાધામ તરીકે વિકસાવવાની પણ ખાતરી આપી હતી. શહેરી વિકાસના 'આગવી ઓળખ' બજેટ હેઠળ નગરપાલિકા વિસ્તારમાં વધુ વિકાસ કાર્યો કરાશે. નગરપાલિકાને ફાયર ફાઈટર અને સક્શન મશીન જેવા આધુનિક સાધનો પણ અપાયા છે. મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર પાસે વિકાસ માટે ભંડોળની કોઈ કમી નથી અને પાટડીને 'ડ' વર્ગમાંથી 'ક' વર્ગમાં લઈ જવાના પ્રયાસો ચાલુ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકાર માત્ર વાયદા નથી કરતી, પરંતુ ખાતમુહૂર્ત કરેલા કામોનું લોકાર્પણ પણ કરે છે. આ પ્રસંગે સાંસદ ચંદુ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને 2047 સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, આ લોકાર્પણ અને ખાતમુર્હુતથી લોકોના જીવન ધોરણમાં સુધારો આવશે. વધુમાં તેમણે પાટડી વિધાનસભા મતવિસ્તારમાં આગામી વિકાસ કાર્યો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન, અગ્રણી દિલીપ પટેલ, જયેશ પટેલ, અધિક કલેક્ટર વિષ્ણુ પ્રજાપતિ, પાટડી પ્રાંત અધિકારી મિલન રાવ, ચીફ ઓફિસર રઘુ ખાંભલા અને અન્ય વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કૉંગેસ આગેવાનોને વહેલી સવારથી જ ડિટેક્ટ કરી પોલીસ મથકે લઈ જવાયાપાટડી રીવરફ્રન્ટના લોકાર્પણનો કૉંગેસ માનવ સાંકળ રચી મૌન ધારણ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હોઈ પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વિક્રમ રબારી, શહેર કોંગ્રેસ પ્રમુખ સતિષ ચંદારાણા સહિતના તમામ કૉંગેસી કાર્યકરોને વહેલી સવારથી જ ડિટેઇન કરી પાટડી અને દસાડા સહિતના વિવિધ પોલીસ મથકોમાં લઇ જવામાં આવ્યા હતા અને કાર્યક્રમ બાદ તમામ કોંગ્રેસી કાર્યકરોને મુક્ત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના વિઝનને રમતગમત ક્ષેત્રે સાકાર કરવાના હેતુથી અમદાવાદના નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 'સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ક્લેવમાં ભારતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ બનાવવા માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી. કોન્ક્લેવને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત હવે રમતગમતમાં માત્ર સહભાગી થવા પૂરતું સીમિત નથી, પરંતુ વિજેતા બનવા સજ્જ છે. તેમણે જાહેરાત કરી હતી કે સરકાર ટૂંક સમયમાં 'સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ' લાવશે, જેનો મુખ્ય હેતુ સ્પોર્ટ્સ ફેડરેશનોમાં પારદર્શિતા લાવવાનો અને ખેલાડીઓના હિતોને સર્વોપરી રાખવાનો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી 10 વર્ષ માટે વિશેષ 'મેડલ સ્ટ્રેટેજી' તૈયાર કરાઈ છે. અમારું લક્ષ્ય 2036 ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી 2047 સુધીમાં ભારતને વિશ્વના ટોચના 5 રમતગમત રાષ્ટ્રોમાં સ્થાન અપાવવાનું છે. નવી શિક્ષણ નીતિમાં રમતગમતને શૈક્ષણિક ક્રેડિટ સાથે જોડવાના નિર્ણયથી ખેલાડીઓને કારકિર્દીની સુરક્ષા મળશે અને નિવૃત્તિ બાદ કોચિંગ કે મેનેજમેન્ટમાં નવી તકો પણ પ્રાપ્ત થશે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાતની રમતગમત ક્રાંતિ વિશે વાત કરતા કહ્યું કે, ગઈકાલે જે ગુજરાત માત્ર તેની ખાણીપીણી માટે જાણીતું હતું, તે આજે 'ખેલ મહાકુંભ'ને કારણે રમતગમત ક્ષેત્રે વિશ્વ સ્તરે દબદબો બનાવી રહ્યું છે. આ વર્ષે ખેલ મહાકુંભમાં 73 લાખ ખેલાડીઓની વિક્રમી નોંધણી એ બદલાતી માનસિકતાનું પ્રતીક છે. તેમણે કેન્દ્રીય મંત્રીની નવી બ્લુપ્રિન્ટને ‘રમત જગતની ગીતા’ ગણાવી હતી. કોન્ક્લેવમાં ચર્ચા કરવામાં આવી હતી કે ભારત હવે 'પૂલ ટુ પોડિયમ' (Pool to Podium) રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જે અંતર્ગત, શાળા સ્તરેથી પ્રતિભાઓની શોધ કરવામાં આવશે, ખેલાડીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે, 'વન સ્ટેટ, વન સ્પોર્ટ' નીતિ દ્વારા દરેક રાજ્યની વિશેષતા મુજબ રમતને પ્રોત્સાહન અપાશે, સ્પોર્ટ્સ સાધનોના સ્વદેશી ઉત્પાદન દ્વારા આત્મનિર્ભરતા કેળવવામાં આવશે. આ પ્રસંગે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ સુશ્રી પી.ટી. ઉષા, અજય પટેલ, રમતગમત સચિવ રવિ રંજન અને રાહુલ ગુપ્તા સહિત વિવિધ ફેડરેશનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવ ભારત માટે 2036 ઓલિમ્પિક્સના યજમાન બનવા અને રમતગમત ક્ષેત્રે સુવર્ણ યુગની શરૂઆત કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં મોટો વિવાદ સર્જાયો છે. યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા સેમિસ્ટર પરીક્ષાની 11,000 જેટલી ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત મોકલી દેવામાં આવી છે. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ (VC) હરિભાઈ કાતરિયાએ સ્પષ્ટતા કરી છે. કુલપતિ હરિભાઈ કાતરિયાએ સ્વીકાર્યું હતું કે ઉત્તરવહીઓ તપાસ્યા વગર પરત આવી છે. તેમણે પ્રાથમિક શક્યતા વ્યક્ત કરી હતી કે સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો પાસે પૂરતા લાયકાત ધરાવતા અધ્યાપકો હોતા નથી, જેના કારણે પ્રોફેસરો સેલ્ફ-ફાઇનાન્સ કોલેજની ઉત્તરવહીઓ તપાસવા તૈયાર ન હોઈ શકે. કુલપતિએ જણાવ્યું કે અગાઉ આચાર્યો સાથેની બેઠકમાં પરીક્ષા સંબંધિત કામગીરીમાં તમામ અધ્યાપકોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી. ઉત્તરવહીઓ પરત આવવી વ્યાજબી નથી. યુનિવર્સિટી આ સમગ્ર બાબતના કારણો જાણવા પ્રયાસ કરી રહી છે, જેમ કે વધારાના કામના ભારણને કારણે કે અન્ય કોઈ કારણોસર ઉત્તરવહીઓ પરત મોકલાઈ છે. આ ઘટનાને કારણે બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., એલ.એલ.બી. સહિતની સેમિસ્ટર-5ની પરીક્ષાના પરિણામો આપવામાં વિલંબ થઈ રહ્યો છે. અગાઉ 15-20 દિવસમાં પરિણામ આવી જતા હતા, જ્યારે હાલ 45 દિવસ થયા હોવા છતાં પરિણામ જાહેર થઈ શક્યા નથી. વિદ્યાર્થીઓને સમયસર પરિણામ આપી શકાય તે માટે ઉત્તરવહી ચકાસણીની કામગીરી અધ્યાપકોને સોંપવામાં આવી હતી. જોકે, કોઈ કારણોસર પ્રોફેસરો દ્વારા એકસાથે 11 હજાર જેટલી ઉત્તરવહીઓ પરત મોકલી દેવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા તમામ સંબંધિત પ્રોફેસરો પાસેથી આ મામલે ખુલાસો માંગવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને યુવાનોમાં નશીલા દ્રવ્યોના દૂષણને રોકવા માટે વલસાડ જિલ્લા પોલીસે પહેલ કરી છે. 'નેશનલ રોડ સેફ્ટી મન્થ' અંતર્ગત વાઘલધરાની આર.એમ.ડી. આયુર્વેદિક કોલેજ ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના DySP ભાર્ગવ પંડ્યાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. તેમણે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું. આ ઉપરાંત, તેમણે નાર્કોટિક્સ ડ્રગ્સ અને તેના ગેરફાયદા વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી. માર્ગ સલામતી ઉપરાંત, સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહિલા સશક્તિકરણ, 'ગુડ ટચ-બેડ ટચ' જેવા સંવેદનશીલ વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી. કટોકટીના સમયે પોલીસ અને અન્ય સેવાઓનો સંપર્ક કેવી રીતે કરવો તે માટે હેલ્પલાઇન નંબરોની માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં મેડિકલ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તમામ ઉપસ્થિતોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સામાજિક જવાબદારી નિભાવવા માટેના શપથ લીધા. પોલીસ વિભાગ દ્વારા વીડિયો અને વ્યાખ્યાન દ્વારા 'શું કરવું અને શું ન કરવું' અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. DySP ભાર્ગવ પંડ્યાએ અંતમાં જણાવ્યું કે, યુવા વર્ગને ડ્રગ્સ અને તમાકુની કુટેવોથી બચાવવા તેમજ શિક્ષિત વર્ગ વધુ જાગૃત બને તે હેતુથી આગામી સમયમાં પણ શાળા-કોલેજોમાં આવા કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.
હિંમતનગર બી ડિવિઝન પોલીસે કોમ્બિંગ નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગાંભોઈ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશન ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી હિંમતનગર બસ સ્ટેન્ડ નજીકથી કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI એ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કોમ્બિંગ નાઈટ રાઉન્ડમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન રાકેશકુમાર અને રાજેન્દ્રકુમારને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે, પોલીસે હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતેથી વિમલ પ્રકાશ ડામોર (રહે. ખડક્યા, તા. નયાગાંવ, જિ. ઉદયપુર, રાજસ્થાન) નામના આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા SOG ટીમે પોશીનાના ગોયાનાકા પાસેથી ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી ફૂલ્લીદાર બંદૂક મળી આવી હતી. સાબરકાંઠા SOG ના PI ડી.સી. પરમારે જણાવ્યું કે, PSI પી.એમ. ઝાલા સાથે SOG ટીમ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. પોલીસે પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારના ગોયાનાકા નજીકથી સરવણભાઈ લાલુભાઈ બુંબડીયા (ઉં.વ. 22, રહે. આંજણી ચેક પોસ્ટની બાજુમાં, તા. પોશીના, જિ. સાબરકાંઠા) ને ઝડપી પાડ્યો હતો. તેના અંગત કબજામાંથી રૂ. 10,000ની કિંમતની દેશી ફૂલ્લીદાર બંદૂક મળી આવી હતી. આરોપીને બંદૂક સાથે પોશીના પોલીસ સ્ટેશનને સોંપી આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની ગટર લાઈનમાં ઝેરી કેમિકલ ખાલી કરવાના મસમોટા કૌભાંડનો GPCBએ પર્દાફાશ કર્યો છે. આ મામલે કડક કાર્યવાહી કરતા તંત્રએ દહેજ, પાનોલી અને સુરતની કુલ ચાર કંપનીઓ સામે ક્લોઝર ઓર્ડર આપી કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. બે ટેન્કરો પકડાતા થયેલી તપાસમાં પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું આખું નેટવર્ક સામે આવ્યું છે. ગટર લાઈનમાં વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઈડ ઠાલવતા બે ટેન્કરો ઝડપાયાGPCBની ટીમે મળેલી બાતમીના આધારે પાંડેસરા-બમરોલી GIDCમાં દરોડા પાડ્યા હતા. અહીં ઉમા એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝની ગટર લાઈનમાં ગેરકાયદેસર રીતે વેસ્ટ કેલ્શિયમ ક્લોરાઈડ ઠાલવતા બે ટેન્કરો ઝડપાયા હતા. તપાસમાં ખુલ્યું હતું કે, આ ઝેરી કેમિકલ દહેજની ઓપીજકેમ પ્રાઈવેટ લિમિટેડ અને પાનોલીની ઓમ ક્લોરાઈડ કંપનીમાંથી લાવવામાં આવ્યું હતું. GPCBએ સુરતની બે કંપનીઓને 25 લાખનો દંડ ફટકાર્યોઆ ગંભીર બેદરકારી બદલ GPCBએ સુરતની ઉમા એન્ટરપ્રાઈઝ અને માં એન્ટરપ્રાઈઝને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપ્યા છે. આ બંને કંપનીઓ કેમિકલ માફિયાઓને કેમિકલ ઠાલવવા માટે પ્લેટફોર્મ પૂરું પાડતી હોવાનું સાબિત થતા, તેમને 25-25 લાખ રૂપિયાનો તોતિંગ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ દહેજ અને પાનોલીની ઉત્પાદક કંપનીઓ સામે પણ ક્લોઝરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કાયદાકીય સકંજો કસતા GPCBએ વોટર એક્ટ 1974 હેઠળ કલમ-33-એ અંતર્ગત તમામ ચાર એકમોને ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાનું ફરમાન કર્યું છે. આ આદેશના પગલે સંબંધિત વિભાગોને આ કંપનીઓના વીજળી અને પાણીના જોડાણો તાત્કાલિક કાપી નાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. GPCBની આ કડક કાર્યવાહીથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વોમાં ભારે ફફડાટતપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, કેમિકલ માફિયાઓ વેસ્ટ કેમિકલના નિકાલ માટે 'ફેક બિલિંગ' નો સહારો લેતા હતા. ટેન્કરમાં ઝેરી વેસ્ટ હોવા છતાં તેને કાયદેસરની 'પ્રોડક્ટ' દર્શાવતા બિલો બનાવવામાં આવતા હતા, જેથી રસ્તામાં પોલીસ કે આરટીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સરળતાથી બચી શકાય. આ સુઆયોજિત રીતે ચાલતા કૌભાંડને તોડવા માટે તંત્ર હવે ઊંડી તપાસ કરી રહ્યું છે. સુરતની સચિન, પાંડેસરા અને બમરોલી જીઆઈડીસીની ગટરો દરિયામાં મળતી હોવાથી કેમિકલ માફિયાઓ રાત્રિના સમયે અહીં વેસ્ટ ઠાલવવા આવતા હોય છે. GPCBની આ કડક કાર્યવાહીથી પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકો સામે પણ પગલાં લેવાય એવી શક્યતા છે.
રાજ્યમાં એક માત્ર રાજકોટમાં કાર્યરત AIIMS હોસ્પિટલના નિર્માણને 6 વર્ષ થઈ ગયા બાદ પણ સુપર સ્પેશિયાલિટી સારવાર, હાડકાના ઓપરેશન માટે ઇમ્પ્લાન્ટ અને નર્સિંગ કોલેજ સહિતની સુવિધાઓ શરૂ થઈ શકી નથી. આ ઉપરાંત રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટ ઝડપી પૂર્ણ કરવામાં આવે, રાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલોપ કરવામાં આવે એવી માગ કરી હતી તો બામણબોરથી સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી ખનીજચોરી રોકવામાં આવે અને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે મુસાફરોને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળે એવી સુવિધા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કલેક્ટર મારફત પ્રધાનમંત્રીને 5 મુદ્દાની રજૂઆત કરી હતી. રાજકોટ AIIMS નિર્માણને 6 વર્ષ બાદ પણ પૂરતી આરોગ્ય સુવિધા નથીપ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેકટ એવી AIIMS હોસ્પિટલનો પ્રોજેકટ આજે પણ પૂર્ણ કક્ષાએ સાકાર થઈ શક્યો નથી. AIIMS હોસ્પિટલના બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનુ કામ ખુબજ ધીમી ગતીએ ચાલી રહ્યું છે. હજુ સુધી બીલ્ડીંગ-એ અને બીલ્ડીંગ-બી બની શકી છે. બીલ્ડીંગ-સી અને બીલ્ડીંગ-ડી AIIMSના સ્ટાફ કવાર્ટસ કયારે બનશે તેની કોઈ સમય મર્યાદા નથી. જે નક્કી કરવુ ખુબજ જરૂરી છે. પ્રધાનમંત્રીએ 2020માં આ પ્રોજેકટને ખુલ્લો મુક્યો હતો, જેને આજ 6 વર્ષ જેવો સમય થવા આવ્યો છતાં હજુ પણ AIIMS હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓ ચાલુ થઈ શકી નથી એટલે કે ત્યાં ન્યુરોસર્જન, કીડની અને કેન્સર સહિતની અનેક સેવાઓ શરૂ થઈ શકી નથી જે ભારત સરકારના આરોગ્ય વિભાગની મોટી નિષ્ફળતા બતાવે છે. અહીં હાડકાના ઓપરેશનમાં વપરાતા ઈમ્પ્લાન્ટ દર્દીઓ પાસેથી બહારથી મંગાવવામાં આવે છે. આ ઉપરાંત નર્સિંગ કોલેજ 2023માં ચાલુ કરવાની હતી અને નર્સિંગ ટ્યુટરની ભરતીની જાહેરાત પણ બે વર્ષ પહેલા કરવામાં આવી હતી. અત્યારે 2026 ચાલુ થયું છતાં નર્સીગ કોલેજ ચાલુ નથી અને નર્સિંગ ટયુટરની ભરતીઓ પણ થઈ નથી. આ ઉપરાંત અહીં કામ કરતી કન્સ્ટ્રકશન કંપની નિયત સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી શકી નથી અને અનેક બાંધકામો ક્ષતિગ્રસ્ત અને નબળા હોવાની ફરીયાદો ઉઠી છે. આમ છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા શા માટે આ કન્સ્ટ્રકશન કામની એજન્સીને બ્લેક લીસ્ટેડ કરી તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી. તે સીધો જ ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલીત થાય છે. રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-પોરબંદર નેશનલ હાઈ-વે પ્રોજેકટરાજકોટ–પોરબંદર નેશનલ હાઈવે નવીનીકરણ પ્રોજેકટ ખૂબજ ધીમી ગતીએ ચાલી રહ્યો છે. જેથી રાજકોટથી ગોડલ-જુનાગઢ- પોરબંદર- સોમનાથ તરફ જતાં લાખો મુસાફરો, વાહન ચાલકો – યાત્રાળુઓ -રાજકોટથી શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીઝના હજારો મજૂરો અને ઉદ્યોગપતિઓને ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રોડનાં પ્રોજેકટના કામ કરતી એજન્સી અને સરકારી કર્મચારીઓના મીલીભગતથી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાય છે. પબ્લીક સલામતીમાં અને ટ્રાફીક સેફ્ટીના તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. આ કામગીરીમાં વપરાતું મટીરીયલ ખૂબજ ખામીયુકત છે. રોડને પ્રોપર ડાયવર્ઝનો આપવામાં આવ્યા નથી જે ભારતીય રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગની અને બાબુશાહી કામગીરીનો ઉત્તમ ભ્રષ્ટ નમૂનો સાબીત થઈ રહ્યું છે. રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી પણ નેશનલ હાઈવેના નોર્મ્સ મુજબ કરવામાં આવેલી નથી. આ રોડ ઉપર રાજકોટથી કુવાડવા અને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધીના રોડની કામગીરી આજે પણ પૂર્ણ થઈ નથી. લીંમડી અને બગોદરા પાસે બનાવવામાં આવેલ ઓવર બ્રીજ અને નદી-નાળાના પૂલોની કામગીરી પણ ખૂબજ નબળી હોવાના કારણે રોડ બન્યાના થોડા દિવસોમાં જ રોડ તૂટી જાય છે. પુલ ઉપરના સ્લેબોમાં તિરાડો - ગાબડાઓ પડે છે જે પણ તપાસ કરી યોગ્ય પગલાઓ ભરવા જોઈએ. જેથી લોકોને ટ્રાફીક સમસ્યા અને અકસ્માતોથી બચાવવા યોગ્ય ઉકેલ લાવવા અમારી માંગણી છે. રાજકોટ રેલ્વે સ્ટેશન, ભક્તિનગર રેલ્વે સ્ટેશન અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશન પ્રોજેકટરાજકોટ રેલ્વે સ્ટેશનને મોર્ડન રેલ્વે સ્ટેશન બનાવવાની વર્ષોથી થતી વાતો હજુ સુધી સાકાર થઈ શકી નથી અને રાજકોટ રેલ્વે સ્ટેશન ખૂબજ ખરાબ તેમજ ખખડધજ હાલતમાં જોવા મળે છે ત્યારે રાજકોટ રેલ્વે સ્ટેશનને મેટ્રો સીટી કક્ષાનું આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવામાં આવે અને સાથે સાથે ભક્તિનગર અને મોરબી હાઉસ રેલ્વે સ્ટેશનને પણ ડેવલપ કરવામાં આવે તેવી અમારી માંગણીઓ છે. બેફામ થતી ખનીજ ચોરી રોકવામાં રાજય સરકાર નિષ્ફળરાજકોટ જિલ્લાના બામણબોરથી લઈ સુરેન્દ્રનગર જિલ્લાના થાન-ચોટીલા સહિતના વિસ્તારોમાંથી સરકારની ભ્રષ્ટ નીતિના કારણે અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની મીલી ભગતથી બે રોકટોક પણે કુદરતી ખનીજ સંપતિનું ખનન કરવામાં આવી રહ્યું છે. લોકમુખે ચર્ચાતી ચર્ચા મુજબ ખનન માફીયાઓએ રાજકોટથી અમદાવાદ તરફ જતો પ્રતિબંધીત રેલ્વે ટ્રેક વિસ્તારના નીચેથી પણ ખોદકામ કર્યા હોવાનો અહેવાલ છે ત્યારે આ ખનીજ સંપતિની ચોરી અટકાવવા અમોએ અનેક વખત આધાર-પુરાવાઓ અગાઉ જિલ્લા કલેક્ટરને રજૂ કરેલા હતા પરંતુ નીંભર તંત્ર દ્વારા કોઈ જ પગલાઓ ભરવામાં આવ્યા નથી. જે બાબતે પગલાઓ ભરવા અને કુદરતી સંપતિ લૂંટાતી બચાવવા અમારી માંગણી છે. અઢી વર્ષ બાદ પણ રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળી નથીરાજકોટ શહેરની વચ્ચોવચ્ચ આવેલ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની નેમ સાથે રાજકોટથી 35 કિ.મી. દૂર હીરાસર ખાતે ખસેડવામાં આવ્યુ. જે એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થયા પહેલા ઉતાવળે લોકાર્પણ કરી ચાલુ કરી દેવામાં આવ્યાને આજે ચારથી પાંચ વર્ષ જેવો સમયગાળો વિતવા છતાં હજુ સુધી રાજકોટને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટ મળી નથી અને ઈન્ટરનેશનલ કક્ષાનું કહી શકાય તેવી સુવિધાવાળુ એરપોર્ટ પણ મળ્યું નથી. રાજકોટ સીટીથી આ એરપોર્ટ જતા મુસાફરોને કુવાડવા પાસે ટ્રાફિકની મોટી સમસ્યાનો સામનો પણ કરવો પડે છે ત્યારે આ એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાની તમામ સુવિધાઓ અને ઈન્ટરનેશનલ કક્ષાની ફલાઈટની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે.
અમદાવાદના ભાડજ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની ક્રેટા કારના ચાલકે ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલને બોનેટ પર પટકી દોઢ કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પૂરપાટ ઝડપે દોડાવી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. સાયન્સ સિટી રોડ પરથી આવતી આ શંકાસ્પદ કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા ક્રેટા કારના ચાલકે પોલીસથી બચવા ગાડી ભગાવી હતી, જેમાં કોન્સ્ટેબલ બોનેટ પર લટકાઈ ગયા હતા. કોન્સ્ટેબલને બોનેટ પર લટકાવી ક્રેટાચાલકે એસ.પી. રિંગ રોડ તરફ ગાડી હંકારવાનું ચાલુ રાખ્યું હતું. હેબતપુર બ્રિજ પાસે ટ્રાફિકજામના કારણે ગાડી ધીમી પડતા કોન્સ્ટેબલ નીચે પટકાયા હતા, જ્યારે પીછો કરી રહેલી પોલીસે કારમાં સવાર ત્રણ પૈકી એક આરોપી પ્રભુજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો, જોકે મુખ્ય આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે હત્યાના પ્રયાસ અને સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સફેદ ક્રેટા કારને રોકવાનો ઈશારો કરતા કાર ધીમી પાડી હતીગત 7 તારીખે એ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સ્ટાફ વાહન ચેકિંગની કામગીરીમાં જોડાયેલા હતા. સાંજના સમયે ભાડજ ચાર રસ્તા બ્રિજ નીચે વાહન ચેકિંગ પોઇન્ટ ઉપર ફરજ પર હાજર હતા. તે દરમિયાન જે પણ વાહન આવતા હતા તેની તપાસ કરી તેને જવા દેવામાં આવતા હતા. આ દરમિયાન સાંજના 6 વાગ્યાની આસપાસ સાયન્સ સીટી રોડ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા કાર આવી રહી હતી. જેથી પોલીસે કારચાલકને ઇશારો કરીને કાર સાઇડમાં ઉભી રાખવાનો પ્રયાસ કરતા કારચાલકે કાર ધીમી પાડી હતી. કાર પૂરઝડપે હંકારી પોલીસ કોન્સ્ટેબલ પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યોજે દરમિયાન ફરજ પર હાજર સ્ટાફે કારને રોડની સાઇડમાં કરવાનું કહેતા કારચાલક ધીમે ધીમે કાર આગળ ચલાવતો હતો. જેથી પોલીસે કાર કોર્ડન કરી દીધી હતી. કારચાલકને કાર રોકવા માટે જણાવવા છતાં કારચાલકે અચાનક જ કાર પૂરપાટ ઝડપે હંકાવી દીધી હતી. કારમાં બેસેલા ડ્રાઇવર સિવાયના બે ઇસમોએ ડ્રાઇવરને કાર ભગાડવા માટેનો ઇજારો કરતા કારચાલકે કાર પૂરપાટ ઝડપે ચલાવીને ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ પર કાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. દોઢેક કિલોમીટર સુધી કોન્સ્ટેબલને બોનેટ પર લટકાવી રાખ્યાઅચાનક કાર રોકવાના બદલે પૂરપાર ઝડપે હાંકવી દેતા પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ બોનેટ પર પટકાયા હતા. છતાં પણ કારચાલકે કાર રોકી નહતી. જે બાદ કારચાલક પોલીસથી બચવા ભાગવા માટે SP રીંગ રોડ પર શીલજ તરફ પૂરપાટ ઝડપે કાર લઇ ફરાર થઇ ગયો હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ તેનો પીછો કર્યો હતો. લગભગ દોઢેક કિલોમીટર કારચાલકે પોલીસ કોન્સ્ટેબલને કારની બોનેટ પર લટકાવી રાખી કાર ચલાવી હતી. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલે કાર રોકવા માટે અનેક વખત બુમો પાડી હતી, પરંતુ કારચાલકે કાર રોકી નહીં. ગાડી ધીમી પડતા એક શખ્સ નીચે ઉતર્યો ત્યાં પોલીસને જોઈ બીજા બે ફરારહેબતપુર બ્રિજ પહેલા ટ્રાફિકજામ થતાં કારચાલકે કાર ધીમી પાડી હતી. જેથી પોલીસ કોન્સ્ટેબલ નીચે પટકાતા સામાન્ય ઇજા પહોચી હતી. જ્યારે કારની પાછળની સીટમાં બેસેલો શખ્સ કારમાંથી નીચે ઉતર્યો ત્યારે પાછળથી આવતા અન્ય પોલીસ કર્મચારીઓને જોઈને કારચાલક અને કારમાં સવાર અન્ય એક શખસ ફરાર થઈ ગયા હતા. જો કે, એક શખ્સ ગાડીમાંથી ઉતરી જતા તેને પાછળ આવી રહેલા અન્ય પોલીસ કર્મચારીઓએ ઝડપી લીધો હતો. જેની પૂછપરછ કરતાં પોતે મુળ થરા બનાસકાંઠાનો વતની હોવાનું અને તેનું નામ પ્રભુજી ઠાકોર હોવાનું સામે આવ્યું છે. કારચાલક ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું ખુલ્યુંકારચાલક ઇન્દ્રેશખાન પઠાણ જે પાટણ હારીજનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. તેના સામે અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. મુખ્ય આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાથી આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. આમ પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને અન્ય બે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
શેરબજાર કડડભૂસ: સેન્સેકસમાં 5 દિવસમાં 2 હજાર પોઈન્ટનો કડાકો, આ 5 પરિબળો જવાબદાર
(AI IMAGE) Stock Market News: ભારતીય શેરબજારમાં છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે રોકાણકારો ચિંતિત છે. દુનિયાભરમાં વેપારને લઈને વધતી અસ્થિરતા, અમેરિકાના રાજકારણમાં આવતા બદલાવ અને દેશો વચ્ચેના તણાવને લીધે બજાર નીચે જઈ રહ્યું છે.
મોરબી જિલ્લા આદિવાસી સમાજે આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. મોરબી જિલ્લાના ટંકારા સહિતના વિસ્તારોમાં ખેતીવાડી અને ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે આવતા આદિવાસી પરિવારોનું શોષણ થતું હોવા અને તેમને પૂરતી સુવિધાઓ ન મળતી હોવાના આક્ષેપો સાથે સમાજે 12 જેટલી વિવિધ માંગણીઓ રજૂ કરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજ્ય બહારથી અનેક આદિવાસી પરિવારો મોરબી જિલ્લામાં કામ અર્થે આવે છે. આ શ્રમિકોને જરૂરી સલામતીના સાધનો અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી. ભૂતકાળમાં તેમની બહેન-દીકરીઓ સાથે અઘટિત ઘટનાઓ અને અત્યાચારના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવેદનપત્રમાં રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે શૌચાલયની વ્યવસ્થા, સલામતીના સાધનો પૂરા પાડવા, શ્રમિક પરિવારોને વીમા કવચ અને આરોગ્ય સારવારની સુવિધા આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અતિવૃષ્ટિ કે દુષ્કાળને કારણે પાક નિષ્ફળ જાય તો ભાગિયા તરીકે તેમને પણ વળતર મળે તેવી માંગ કરાઈ છે. અન્ય માંગણીઓમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના ભાવમાં ઘટાડો કરવો, ખેડૂતોની જણસના ઊંચા ભાવ આપવા, આદિવાસી પરિવારના બાળકોના સારા શિક્ષણ માટે વ્યવસ્થા કરવી અને બહારથી રોજગારી માટે આવતા આદિવાસી પરિવારોનું રજીસ્ટ્રેશન કરવું સામેલ છે. સરકારે બહાર પાડેલા વિવિધ જાહેરનામાઓની અમલવારી કરી તેનો પૂરતો લાભ આપવાની પણ માંગ કરવામાં આવી છે.આ આવેદનપત્ર સુપરત કરતી વખતે અશોક સમ્રાટ, મનસુખ ચૌહાણ, નાગજી ચૌહાણ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદમાં PM પોષણ સંચાલકોને ફૂડ ફોર્ટિફિકેશન પર માર્ગદર્શન:બાળકોના આરોગ્ય સુધારવા તેના લાભો સમજાવ્યા
બોટાદ જિલ્લામાં PM પોષણ યોજનાના સંચાલકો માટે પોષણ અને ફૂડ ફોર્ટિફિકેશન અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરને સુધારવાનો તેમજ કુપોષણ સામે અસરકારક કામગીરી કરવાનો હતો. આ કાર્યક્રમમાં બરવાળા, ગઢડા, બોટાદ અને રાણપુર તાલુકાના PM પોષણ સંચાલકો જોડાયા હતા. PM પોષણ વિભાગ, બોટાદ અને ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ, ગાંધીનગરના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં રિજનલ કોઓર્ડિનેટર વિપુલભાઈ ઠાકરેએ માર્ગદર્શન આપ્યું હતું. વિપુલભાઈ ઠાકરેએ ડબલ ફોર્ટિફાઇડ નમક, ફોર્ટિફાઇડ ચોખા અને ફોર્ટિફાઇડ તેલના યોગ્ય ઉપયોગ, તેના આરોગ્યલક્ષી લાભો અને સંભાળ અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા માહિતીપ્રદ વિડિયો દ્વારા વિગતવાર સમજૂતી આપી હતી. માર્ગદર્શન દરમિયાન જણાવાયું કે PM પોષણ યોજનામાં વપરાતા ડબલ ફોર્ટિફાઇડ નમકમાં આયોડિન અને આયર્ન, ફોર્ટિફાઇડ ચોખામાં વિટામિન B12, ફોલિક એસિડ અને આયર્ન, તેમજ ફોર્ટિફાઇડ તેલમાં વિટામિન A અને D જેવા અગત્યના પોષક તત્ત્વો સમાવિષ્ટ છે. આ પોષક તત્ત્વો બાળકોમાં કુપોષણ દૂર કરવામાં તથા બહેનોમાં એનિમિયા જેવી સમસ્યાઓ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના તાલુકાવાર PM પોષણ સંચાલકો, સસ્તા અનાજના દુકાનદારો તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સહિત કુલ 280થી વધુ લોકોએ ઉપસ્થિત રહી ઉપયોગી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે, પોષણયુક્ત ભોજન દ્વારા સ્વસ્થ અને સશક્ત પેઢી નિર્માણના સંકલ્પ સાથે સૌએ પોતાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.
પાલનપુરમાં રોજગાર ભરતી મેળો યોજાયો:21 કંપનીઓએ 694 યુવાનોને નોકરીની ઓફર કરી
પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ. પાલનપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. આ મેળામાં કુલ 1045 ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી 694 યુવાનોને નોકરીની ઓફર કરવામાં આવી હતી. આ ભરતી મેળામાં ટાટા, ડ્યુક પમ્પિંગ, રોકી મિન્ડા, જે.બી.એમ., અરવિંદ મિલ, કોચ ઇન્ટરનેશનલ, એસ.બી.આઈ. લાઇફ, ભારત સીટ લિમિટેડ, વસંત ફેબ્રિકેટર, યાઝાકી ઇન્ડિયા અને રિલાયન્સ જીઓ જેવી 21 નોકરીદાતા કંપનીઓ હાજર રહી હતી. જિલ્લા રોજગાર અધિકારી એમ. જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ ભરતી મેળાઓ સ્થાનિક યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે અને આવા કાર્યક્રમો સતત ચાલુ રહેશે. રોજગાર કચેરી યુવાનોને ઘરઆંગણે નોકરીની તકો પૂરી પાડવામાં સફળ રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુવાનોએ નોકરીમાં જોડાયા પછી પણ સતત નવી કુશળતાઓ શીખતા રહેવું જોઈએ, જેથી પ્રમોશનમાં સરળતા રહે. બનાસકાંઠામાં ઉદ્યોગો માટે પુષ્કળ તકો છે અને યુવાનોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ, જેમાં બિઝનેસ આઈડિયાથી લઈને વિસ્તરણ સુધીની યોજનાઓનો સમાવેશ થાય છે. તેમણે યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને અન્ય કોર્સ શીખવા પર પણ ભાર મૂક્યો હતો. આઈ.ટી.આઈ. પાલનપુરના ફોરમેન નિસર્ગ પરમારે આ પ્રસંગે યુવાનો અને નોકરીદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. ભરતી મેળા દરમિયાન યુવાનો અને નોકરીદાતાઓ માટે સ્વરૂચિ રિફ્રેશમેન્ટ અને લંચની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. નોકરીદાતાઓએ કુશળ માનવબળ મેળવવામાં મદદરૂપ થવા બદલ રોજગાર કચેરી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ભરતી મેળાને સફળ બનાવવા માટે રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ.ના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મળી આવવાના મામલે હવે વન વિભાગ સાથે IB પણ તપાસમાં જોડાઈ છે. વન વિભાગે આ ચામડા અને નખને FSLમાં તપાસ અર્થે મોકલ્યા છે. FSL રિપોર્ટ બાદ બહાર આવશે એ કે આ બધા ચામડા અને નખ વાઘના છે કે અન્ય કોઈ પ્રાણીના પણ છે. તો મંદિરના જૂના મકાનમાં તપાસ દરમિયાન વનવિભાગને દિવંગત પૂજારી માધવાનંદજીનો પાસપોર્ટ પણ મળી આવ્યો છે. આ પણ વાંચો : રાજપીપળામાં 40થી વધુ વાઘના ચામડા મળ્યા:મંદિરના જૂના મકાનમાંથી 37 આખા વાઘના ચામડા, 133 જેટલા વાઘના નખ મળ્યાં; ગુજરાતમાં પ્રથમ ઘટના ધર્મેશ્વર મંદિરના દિવંગત પૂજારી માધવાનંદજી કોણ હતા?ધર્મેશ્વર મંદિરના દિવંગત પૂજારી સ્વામી માધવાનંદજીનો પાસપોર્ટ મળ્યો છે તેમાંથી અને મંદિરના ટ્રસ્ટી પાસેથી મળેલી વિગતોના આધારે ભાસ્કરે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ધર્મેશ્વર મંદિરના દિવંગત પૂજારી માધવાનંદજી કોણ હતા? સ્વામી માધવાનંદજીના પાસપોર્ટ મૂજબ તેમનો જન્મ 3-3-1934ના રોજ તત્કાલીન મધ્યપ્રદેશના રાયગઢ જિલ્લાના વાયંક ગામમાં થયો હતો. આ પાસપોર્ટ 24-3-1973માં અમદાવાદ પાસપોર્ટ કચેરીમાંથી કઢાવવામાં આવ્યો હતો. પાસપોર્ટમાં તેમનું નામ માધવાનંદજી ભગતરામ દ્વિવેદી લખેલું છે અને તેમના વ્યવસાય સામે Priest એટલે કે સંત લખેલું છે. પાસપોર્ટમાં તેમનું કાયમી સરનામું ગીતા મંદિર, અમદાવાદ લખેલું છે. 23-03-1978 સુધી તેમનો આ પાસપોર્ટ વેલીડ હતો અને તેમણે 17-02-1978ના દિવસે રીન્યુ કરાવ્યો હતો જે 23-03-1983 સુધી વેલીડ હતો. 1977માં USA ગયાની એન્ટ્રીસ્વામી માધવાનંદજીના પાસપોર્ટમાં તેઓ 1977માં USA ગયાની એન્ટ્રી પણ છે. તેમને 11-05-1977ના દિવસે અમેરિકાના 6 મહિનાના વિઝા મળ્યા હતા જે, 11-10-1977 સુધી વેલીડ હતા. પાસપોર્ટમાં તેઓ મુંબઈના સાંતાક્રુઝ એરપોર્ટથી અમેરિકા ગયા હોવાની એન્ટ્રી અને સિક્કા પણ મારેલા છે. 40 વર્ષ પહેલા ધર્મેશ્વર મંદિર આવ્યાં હતાસ્વામી માધવાનંદજી 40 વર્ષ પહેલા અમદાવાદના ગીતા મંદિરથી ધર્મેશ્વર મંદિર આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેઓ કોઈ અખાડા, મઠ કે સાધુ મંડળ સાથે જોડાયેલા ન હતા. તેઓ 40 વર્ષ સુધી ધર્મેશ્વર મંદિરમાં પૂજારી-કર્તા હર્તા તરીકે રહ્યા હતા. માધવાનંદજીને કોઈ પણ પ્રકારનું વ્યસન ન હતું, તેઓ સાત્વિક ભોજન લેતા હતા. ધર્મેશ્વર મંદિરના જૂના ટ્રસ્ટીઓ સાથે માધવાનંદજીને બનતું ન હતું. ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તણૂક કરતા હોવાના જુના ટ્રસ્ટીઓ પાસેથી જાણવા મળ્યું હતું. ગયા વર્ષે 7-7-2025ના રોજ 91 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું. IB અને વનવિભાગની સંયુક્ત તપાસધર્મેશ્વર મંદિરના જૂના મકાનમાં સ્વામી માધવાનંદજીના રૂમમાંથી મળી આવેલા વન્યજીવના 40 જેટલા ચામડા અને 133 નખ મામલે IB અને વનવિભાગે સંયુક્ત તપાસ શરૂ કરી છે. આ ચામડા અને નાખ વાઘના હોવાની આશંકાએ મધ્યપ્રદેશ સુધી તપાસ શરૂ કરવામાં આવી છે, તો માધવાનંદજી 1977માં USA ગયા હતા, તેના આધારે અમેરિકામાં તેઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવશે.
નવસારીના ઘેલખડીમાં 4.50 લાખનું જનરેટર ચોરાયું:પાઇપલાઇન પ્રોજેક્ટ સ્થળેથી અજાણ્યા શખ્સો ચોરી કરી ફરાર
નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન પ્રોજેક્ટ સ્થળેથી રૂ. 4.50 લાખની કિંમતનું જનરેટર ચોરાઈ ગયું છે. જાહેર રોડ પર મૂકવામાં આવેલું 35 KVનું જનરેટર અજાણ્યા તસ્કરો ઉઠાવી ગયા હતા. આ મામલે પ્રોજેક્ટના સુપરવાઇઝરે નવસારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પ્રકાશ ભીમાભાઇ ઠાકોર, જે મૂળ બનાસકાંઠાના વાવ તાલુકાના વતની છે અને હાલ નવસારીના ઇટાળવા ખાતે રહે છે, તેઓ 'એલ.સી. ઇન્ફ્રા. પ્રોજેક્ટ પ્રા.લી' કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપની GUDC અંતર્ગત નવસારીમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું કામ કરી રહી છે. છેલ્લા એક મહિનાથી ઘેલખડી વિસ્તારમાં કામગીરી ચાલી રહી હતી. આ કામ માટે સુરતના દિલીપભાઇ ગેરીયા પાસેથી ભાડે રાખેલું KOIL કંપનીનું 35 KV જનરેટર ત્યાં કાર્યરત હતું. ગત 5 જાન્યુઆરીના રોજ રાત્રે 8:30 વાગ્યે કામ પૂરું થયા બાદ જનરેટર ઘેલખડી માતા ફળિયા પાસે જાહેર રોડ પર જ મૂકવામાં આવ્યું હતું. બીજા દિવસે, 6 જાન્યુઆરીના રોજ સવારે 10 વાગ્યે સુપરવાઇઝર સાઇટ પર પહોંચ્યા ત્યારે જનરેટર ગાયબ જણાયું હતું. આસપાસ તપાસ કરવા છતાં તે ન મળતા કંપનીને જાણ કરવામાં આવી હતી. આશરે રૂ. 4,50,000ની કિંમતના જનરેટરની ચોરી અંગે પ્રકાશ ઠાકોરે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નવસારી પોલીસે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા ગઈ કાલે વિકાસના કામોને લઈ વહીવટી તંત્ર દ્વારા જવાબદાર અધિકારીઓ કામ ન કરતા હોવાની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કરી હતી. ત્યારબાદ વડોદરાના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. શહેરના ધારાસભ્યો આ બાબતે કઈ બોલવા તૈયાર નથી તો બીજી તરફ સાંસદ આ પત્ર બાબતે અજાણ હોવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જસપાલસિંહ પઢીયાર પણ કહ્યું કે જો અઘિકારીઓ સંભાળતા ન હોય તો તેઓની સામે બાયો ચઢાવવી જોઈએ. હાલ તો આ પત્ર બાદ ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆત અંગે સાંસદ હેમાંગ જોશીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, આ વિષય તેમને મીડિયા મારફતે જાણવા મળ્યો છે અને તેઓ વડોદરા મહાનગરના ધારાસભ્યો સાથે ચર્ચા કરીને વધુ માહિતી મેળવશે. જો કોઈ રજૂઆત કરવામાં આવી હોય તો તેને મંગાવીને જ તેઓ કોઈ પ્રતિક્રિયા આપી શકશે. કોઈપણ મુખ્યમંત્રી સમક્ષ લાગણીઓ અને વેદના વ્યક્ત કરી શકે: હેમાંગ જોષીતેમણે વધુમાં કહ્યું કે, કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ અધિકારીઓ અને મંત્રીમંડળના તમામ મંત્રીઓ તથા મુખ્યમંત્રી સમક્ષ પોતાની લાગણીઓ અને વેદના વ્યક્ત કરી શકે છે. વડોદરા જિલ્લામાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સારો સમન્વય અને સંકલન જોવા મળે છે. તેઓ એકબીજાને સમર્થન આપીને કામ કરી રહ્યા છે. દર મહિને યોજાતી સંકલન બેઠકોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અધિકારીઓ સાથે મળીને લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવાના પ્રયાસો કરે છે. તેથી આ વિષય અંગે હાલ તેમને વધુ જાણકારી નથી, પરંતુ તેઓ વિષયનો ઊંડો અભ્યાસ કરીને સાથીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ પ્રતિક્રિયા આપશે. લોકસભા વિપક્ષ નેતા વિદેશમાંથી મળતા કાગળો પર આધારિત લાઇન વાંચે છેજિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા અંગે પૂછતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસના લોકસભા વિપક્ષ નેતા વિદેશમાંથી મળતા કાગળો પર આધારિત લાઇન વાંચે છે. રાજ્ય કક્ષાનું કોઈ વાસ્તવિક સંગઠન નથી અને ત્યાં માત્ર થોડા છૂટક કાર્યકર્તાઓ જ છે. જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ પણ જ્યોર્જ સોરોસ જેવી સ્ક્રિપ્ટ વાંચવાની આદત પડી ગઈ છે. તેથી આ અંગે તેમને કંઈ કહેવું નથી. ચૂંટણી સમયે તેઓ સક્રિય થાય છે અને ચૂંટણી પૂર્ણ થતાં જ તેઓ થાઇલેન્ડ, ગોવા કે પતાયા જેવા સ્થળોએ ફરવા જતા રહે છે. ધારાસભ્યો બોલી નથી શકતા કે કામ કરાવી નથી શકતા: જસપાલસિંહ પઢીયારવડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યો એ સરકાર સામે લેટર બોમ્બ મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપલસિંહ પઢિયારે જણાવ્યું હતું કે, જે રીતે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોના પત્ર બાબતે સમાચાર મળ્યા છે. તે અધિકારીઓ સંભાળતા નથી અને લોકોના કામો થતા નથી. આ આજે અંદાજે ત્રણ થી સાડા ત્રણ વર્ષ જેટલો સમયગાળો વિધાનસભાની ચૂંટણીનો થયો છે. જો આ જ પરિસ્થિતિ રહી હોય તો આટલા વર્ષોમાં તેમણે શું કામ કર્યું? જે પ્રકારે અમુક ધારાસભ્યો તો થૂંક ઉડાડે છે, પણ બોલી નથી શકતા કે કામ કરાવી નથી શકતા. વધુમાં કહ્યું કે ધારાસભ્યો પોતાનું હિત સાચવવા માટે અવાજ ઉઠાવી શકતા નથી કે 2027માં મને ટીકીટ મળશે કે કેમ, મારો મંત્રીમંડળમાં સમાવેશ થશે કે કેમ તેની બીક પણ ચોક્કસપણે એની પાછળ એનું રહસ્ય હોઈ શકે છે. પરંતુ અધિકારીઓ જો ના સાંભળતા હોય તો એમની સામે બાયો ચડાવવી જોઈએ, એમની સામે જનતા વતી લડાઈ લડવી જોઈએ અને ચોક્કસ પણે આવા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ.

24 C