SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ઝળહળતી સિદ્ધિ:વાગડમાં માંજુવાસ પ્રાથમિક શાળાના 19માંથી 16 છાત્રો CET પરીક્ષામાં સફળ

માંજુવાસ પ્રાથમિક શાળામાં CET પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર છાત્રોના સન્માન માટે સમારોહનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે છાત્રોને સ્વ.અરજણભાઈ ડાંગરની સ્મૃતિચિન્હરૂપે ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરાયા હતા. જેના દાતા નાગદાનભાઈ ભચાભાઈ ડાંગર રહ્યા હતા. છાત્રો માટે પ્રીતિભોજનનું આયોજન વાલીગણ દ્વારા કરાયું હતું. આ વર્ષે CET પરીક્ષામાં શાળાના કુલ 19 છાત્રોમાંથી 16એ સફળતા પ્રાપ્ત કરી હતી. ઉપરાંત માસ દરમિયાન સો ટકા હાજરી ધરાવતા છાત્રોને પણ ઇનામ આપી વિશેષ પ્રોત્સાહન અપાયું હતું. આવા કાર્યક્રમો છાત્રોમાં નિયમિત હાજરી પ્રત્યે ઉત્સાહ વધારવામાં અને ડ્રોપઆઉટ દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. આચાર્ય ભૂમિકાબેન પટેલના માર્ગદર્શનમાં શિક્ષકોએ શાળા સમય બાદ નિયમિત રોજ એક કલાક વધારાનો સમય ફાળવી CET પરીક્ષાની વિશેષ તૈયારી કરાવી હતી, જેના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રસંગે સરપંચ આલાભાઈ ડાંગર દ્વારા દરેક વિદ્યાર્થીને ડિજિટલ આઈ-કાર્ડ બનાવી આપી પ્રોત્સાહિત કરાયા હતા. હરેશભાઈ ડાંગર અને બાબુભાઈ આહિરે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કર્યા હતા. ઉપરાંત ગામના દાતાઓએ છાત્રોના ગણવેશ માટે રૂ.1.50 લાખની રકમ આપવાની જાહેરાત કરી હતી. આ અવસરે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ ભરતસિંહ પરમાર, ઉપપ્રમુખ સુરેશગીરી ગોસ્વામી હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:57 am

15 હજારથી વધુ લોકોએ કરી સ્વદેશી મેળાની મુલાકાત:અંજારમાં નગરપાલિકા આયોજિત સ્વદેશી લોકમેળામાં રૂ.20 લાખનું વેચાણ થયું

અંજાર નગરપાલિકા દ્વારા ટાઉનહોલ મધ્યે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શન હેઠળ દસ દિવસીય ‘સ્વદેશી મેળા’ (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરાયું હતું. તેના સમાપન અર્થે સમારંભનું આયોજન પાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષ સ્થાને કરાયું હતું. કા. સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠીયાએ કહ્યું કે, સ્થાનિકોની ઉત્સાહપૂર્વકની ભાગીદારીથી મેળો સફળ બન્યો છે. શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસે ધંધાર્થીઓ, શહેરીજનો તથા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. પાલિકાના પદાધિકારીઓના હસ્તે ભાગ લેનાર તમામ સ્થાનિક વેપારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સ્વાગત પ્રવચન ખીમજી સિંધવ, સંચાલન ભારતીબેન બારોટ અને આભારવિધિ રશ્મિનભાઈ ભીંડેએ કરી હતી. દસ દિવસ ચાલેલા સ્વદેશી મેળામાં રેસિન આર્ટ પ્રોડક્ટ, ગોબર અગરબતી ધૂપ, હોમ મેડ લિક્વિડ, હર્બલ શેમ્પૂ સાબુ, ક્રોસેટ પ્રોડક્ટ, દેશી અતર પરફ્યુમ, ગાયનું શુદ્ધ ઘી, અથાણા, પાપડ, ખાખરા, અજરખ સાડી, ડ્રેસ, કુર્તી વગેરે જેવા 57 સ્ટોલ રાખવામાં આવ્યા, જેને આવકાર મળ્યો હતો. જેમાં 15 હજાર વ્યક્તિઓએ મુલાકાત લીધી અને અંદાજિત રૂ.20 લાખનું વેચાણ થયું હતું. દરેક ધંધાર્થીઓને સ્ટોલ વીજળી, પાણી, સફાઈ સહિતની આનુસાંગિક સુવિધા સાથે વિનામૂલ્યે અપાઈ હતી. સ્થાનિક વેપારીઓએ પાલિકાનો આભાર આવા મેળાનું આયોજન સરકાર તરફથી દર ત્રણ માસે કરવું જોઈએ એવું પોતાનું મંતવ્ય જણાવ્યું હતું. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, નરસિંહભાઈ દાવા, મયુરભાઈ હેરમા, નિરૂપાબેન પ્રજાપતિ, મીરલબેન વેગડ, જયભાઈ ખોડિયાર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:56 am

ABVPએ ક્રોસ તપાસ કરતા પોલ ખુલી:કનકપર કોલેજમાં છાત્રોની સુરક્ષા મુદ્દે લોલમલોલ, યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા!

ભુજની સંસ્કાર કોલેજ બહાર 7 મહિના અગાઉ વિદ્યાર્થીનીનું છરીથી ગળું કાપીને હત્યા કરાઈ હતી. આ ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર મારફતે સૂચના અપાઈ હતી કે, કોલેજમાં સુરક્ષા ગાર્ડ, સીસીટીવી કેમેરા રાખવા ફરજિયાત છે પરંતુ યુનિવર્સિટી સંલગ્ન અબડાસાના કનકપરમાં આવેલી કોલેજ દ્વારા હજુ સુધી કોઈ સુવિધા ઉભી કરાઈ નથી. એક મહિના અગાઉ એબીવીપી દ્વારા આ મુદ્દે કોલેજમાં રૂબરૂ જઈને આચાર્ય સમક્ષ રજૂઆત કરાઈ હતી. જે મામલે યુનિવર્સિટીએ જવાબ માંગતા કોલેજ દ્વારા કુલસચિવને સંબોધીને 5 માર્ચના એવો જવાબ મોકલાયો કે, મેઇન ગેટ પાસે કેમેરા લગાવવાની કામગીરી ચાલુમાં છે જે 7 માર્ચથી શરૂ થશે. સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરાઈ છે. પરંતુ એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજમાં ક્રોસ તપાસ કરતા હજુ સુધી કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. જેથી કોલેજે યુનિ.ને ઉંધા ચશ્મા પહેરાવ્યા અને યુનિ.એ પહેરી પણ લીધા છે. સ્થળ પર જઈને કોઈ તપાસ કરાઈ નથી જેથી યુનિ.ની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ, કનકપરમાં આવેલી એ.જે.પી.બી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મહિના અગાઉ એબીવીપીની રજૂઆત બાદ તાજેતરમાં કોલેજ પ્રશાસને કચ્છ યુનિવર્સિટીને લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે, કોલેજમાં સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને લાઈબ્રેરી જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરી દેવાઇ છે. જોકે, વાસ્તવિકતા તપાસતા આ તમામ દાવા માત્ર કાગળ પર હોવાનું સાબિત થયું છે. વાડી વિસ્તારમાં આવેલી આ કોલેજમાં સુરક્ષાના નામે શૂન્ય વ્યવસ્થા હોવા છતાં યુનિ.એ કોલેજના ખોટા અહેવાલને આંખ મીંચીને સ્વીકારી લીધો, જે યુનિવર્સિટી અને ખાનગી કોલેજ વચ્ચેની શંકાસ્પદ મિલીભગત તરફ આંગળી ચીંધે છે. ભૂતકાળમાં જિલ્લાની અન્ય કોલેજોમાં બનેલી હિંસક ઘટના બાદ પણ યુનિ. તંત્ર કનકપર કોલેજની બેદરકારી સામે મૌન સેવી રહ્યું છે તે આશ્ચર્યજનક છે. એબીવીપીએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા અંગત હિત ખાતર લાયકાત વિહોણી કોલેજોને છાવરવામાં આવે છે. સ્નાતકના છાત્રોને જ સ્નાતક જ ભણાવેચોંકાવનારી બાબત એ છે કે, જે કોલેજમાં વિદ્યાર્થીઓ સ્નાતક થવા જાય છે, ત્યાં તેમને ભણાવનારા 60 ટકાથી વધુ અધ્યાપકો પાસે પૂરતી લાયકાત નથી. યુજીસીના નિયમો મુજબ કોલેજમાં ભણાવવા માટે નેટ, સ્લેટ કે પીએચડી અનિવાર્ય હોવા છતાં અહીં માત્ર બેચલર ડિગ્રી ધરાવતા કેટલાક વ્યક્તિઓ પ્રાધ્યાપકની ખુરશી પર બેસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. કચ્છ યુનિ.ની ભૂમિકા શંકાના દાયરામાંઅબડાસાની કનકપર કોલેજમાં શિક્ષણના નામે ચાલતી લોલમ લોલ પરાકાષ્ઠાએ પહોંચી છે. આ કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી હોવા છતાં યુનિવર્સિટી પ્રશાસન લાયકાત વિહોણી નિમણૂકો સામે આંખ આડા કાન કરે છે. કોલેજમાં જઈને ક્રોસ તપાસના બદલે માત્ર કાગળ પરના જવાબને સાચો માની લેવામાં આવ્યો છે. યુનિ. દ્વારા સમયાંતરે તપાસનો દાવો કરાય છે તો સ્નાતક પ્રોફેસરો કેમ નજરે નથી ચડતા? વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડાં પર અંકુશ લાવવા અને લાયકાત વગરના સ્ટાફને દૂર કરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. ABVPએ તપાસ સમિતિની માંગ કરીયુનિ.દ્વારા તાત્કાલિક કનકપર કોલેજની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કમિટી બનાવવામાં આવે તેમજ લાયકાત વિનાના સ્ટાફ તથા ગેરમાર્ગે દોરતો ખોટો અહેવાલ આપવા બદલ કોલેજની માન્યતા રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ મામલે સંતોષકારક પગલાં લેવામાં નહીં આવે, તો ABVP દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ અને યુનિવર્સિટી પ્રશાસનની રહેશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:52 am

જેલમાં બિનવારસુ મોબાઈલ મળ્યા:પાલારા જેલમાં ગટરની કુંડી પાસે છુપાવેલા મોબાઈલ મળ્યા

શહેરની ખાસ ગણાતી પાલારા જેલમાંથી મોબાઈલ મળવા સામાન્ય બાબત બની ગઈ હોય તેમ એક મહિનાની અંદર બીજી વખત બિનવારસુ મોબાઈલ મળી આવ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદની ઝડતી સ્કવોર્ડે તપાસ કરતા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમના પાછળ ગટરની કુંડી નજીક છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા છે. પાલારા ખાસ જેલ ખાતે 11 માર્ચના અમદાવાદની ઝડતી સ્કવોર્ડ ટીમે તપાસ હાથ ધરી છે.એ દરમિયાન સાંજે પોણા છ વાગ્યાના અરસામાં જેલની અંદર આવેલા દવાખાના વિભાગમાં ઈસીજી રૂમની પાછળ આવેલ ગટરની કુંડી નજીક જમીનમાં ખાડો કરીને છુપાવેલા બે મોબાઈલ મળી આવ્યા હતા. બન્ને મોબાઈલ પ્લાસ્ટિકમાં વીંટાળેલી હાલતમાં બિનવારસુ મળી આવ્યા હતા.જે મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,અગાઉ 13 ફ્રેબ્રુઆરીના સ્થાનિક ટીમે ઝડતી તપાસ દરમિયાન બેરેક 505 ની બહાર આવેલા બાથરૂમ નજીક ગટરની ચેમ્બરના પાઈપમાંથી એન્ડ્રોઈડ મોબાઈલ,રાઉટર અને ચાર્જર કબ્જે કર્યા હતા.તેવામાં હવે ફરી એકવાર મોબાઈલ મળી આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:43 am

વેધર રિપોર્ટ:કંડલા અને ભુજ 40 ડિગ્રીની નજીક, કાલથી ગરમીમાં રાહત

કચ્છ જિલ્લામાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા એક સપ્તાહથી સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, આકરા તાપમાં શેકાતા કચ્છવાસીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આવતીકાલથી તાપમાનમાં 2 થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે. ગુરુવારે કચ્છના વિવિધ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડિગ્રીને પાર કરી ગયો હતો, જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતા. કચ્છમાં સૌથી ગરમ વિસ્તાર કંડલા એરપોર્ટ રહ્યો હતો જ્યાં 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ 39.6 ડિગ્રી, કંડલા પોર્ટ 36.૩ ડિગ્રી અને નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આજના દિવસે હજુ ગરમીનો પારો ઊંચો રહેશે અને લૂ જેવો અનુભવ થશે. પરંતુ શુક્રવારથી પવનની દિશામાં ફેરફાર અથવા સ્થાનિક વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે. જોકે, આ ઘટાડો માત્ર 2 થી 4 ડિગ્રી સુધીનો જ રહેશે, એટલે કે ઉનાળાની અસરો તો ચાલુ જ રહેશેે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:38 am

આવતીકાલે રાષ્ટ્રીય લોક અદાલત:કચ્છમાં કાલે રાષ્ટ્રીય લોક અદાલત અંદાજિત 10 હજાર કેસો રજૂ કરાશે

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ આવતીકાલે કચ્છ જિલ્લાના તમામ તાલુકા અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત તથા ખાસ મેજિસ્ટ્રેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ડીએસએલએ કચેરી દ્વારા મળતી માહિતી મુજબ, કચ્છ જિલ્લામાંથી 10 હજાર જેટલા કેસો લોક અદાલત તેમજ સ્પેશિયલ સિટિંગ સમક્ષ રજૂ કરવામાં આવશે. જેમાં, ફોજદારી સમાધાનપાત્ર ગુનાઓ, જમીન સંપાદન વળતર કેસો, ગ્રાહક તકરારો, બેંક રિકવરી, લેબર વિવાદો, મોટર અકસ્માત વળતર કેસો, લગ્ન સંબંધિત તથા અન્ય દિવાની કેસો, પબ્લિક યુટિલિટી સર્વિસીસ સંબંધિત મામલાઓ જેમ કે બેંક રીકવરી, પાણીના બાકી લેણાં તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળના કેસોનો સમાવેશ કરવામાં થાય છે. વાહન અકસ્માત વળતર સબંધિત તકરારો માટે આયોજિત પૂર્વ બેઠકમાં ટ્રાફિક નિયમભંગ બદલ નોટિસ મળેલા વાહનચાલકોને બાકી દંડની રકમ ભરપાઈ કરી કેસોનો સમાધાનથી અંત લાવવા અપીલ કરાઇ છે. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ મહિડા દિલીપ પી. ના માર્ગદર્શન હેઠળ આયોજિત લોક અદાલત અંગે વધુ માહિતી માટે ભુજ સ્થિત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (02832-254930) તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિઓ રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતે સંપર્ક કરી શકાય છે. કચ્છભરમાં આયોજિત લોક અદાલતની સાથે રાપર તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એ.એમ.પાટડિયા દ્વારા રાપર ન્યાયાલયના એન.જે. રબારીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:37 am

ભાસ્કર એક્સક્લુસિવ:કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ પાલિકાએ વર્ષમાં વાપર્યું

કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1,111 ફેરા થાય એટલું ઈંધણ ભુજ પાલિકાએ એક વર્ષમાં વાપર્યું છે. પેટ્રોલ અને ડીઝલ પર રૂ.1.80 કરોડનો ખર્ચ કરી પ્રજાના પૈસા અને ઇંધણ બંનેનો ધુમાડો પાલિકાએ કર્યો છે. ભુજ પાલિકાની ખાસ સામાન્ય સભામાં હિસાબી વર્ષ પૂરું થતું હોઈ આવતા વર્ષના અંદાજિત આવક ખર્ચ દર્શાવતું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં આગામી નાણાકીય વર્ષ માટે અંદાજિત રૂ. 149 કરોડની આવક સામે રૂ. 148 કરોડ જેટલો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમાં જીવન જરૂરિયાત સમાન દરેક માટે અનિવાર્ય એવા ઈંધણ પર પાલિકા દ્વારા એક વર્ષમાં રૂ.1.80 કરોડ ખર્ચ કરાયાનો ઉલ્લેખ છે. પાલિકા દ્વારા વર્ષ 2023-24માં રૂ.1.33 કરોડ ખર્ચ કરાયા હતા તો ત્યારબાદના વર્ષ 2024-25માં રૂ.13 લાખ ખર્ચના ઘટાડો નોંધાયો હતો અને રૂ.1.20 કરોડ વપરાયા હતા. તો, ત્યારબાદ 2025-26માં રૂ.60 લાખનો વધારો જોવા મળ્યો અને સમગ્ર વર્ષમાં રૂ.1.80 કરોડનો ખર્ચ ઈંધણ પાછળ દર્શાવાયો છે. 56 ચોરસ કિલોમીટર એટલે કે અંદાજે 7.5 કિમી લંબાઈ અને 7.5 કિમી પહોળાઈ વિસ્તાર ધરાવતા ભુજ શહેરમાં પાલિકા દ્વારા વર્ષ દરમિયાન રૂ.1.80 કરોડ વિવિધ વાહનો દ્વારા ઈંધણ પર વાપરવામાં આવ્યા છે. હાલે પેટ્રોલ રૂ.94.80 છે તો ડીઝલ રૂ.90.48 છે. જેને વાર્ષિક સરેરાશ રૂ.90 ગણીએ તો અંદાજે 2 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલ વાપરવામાં આવ્યું છે. ફોર વ્હીલર, ટુ વ્હીલર સહિત અન્ય સાધનો દ્વારા વપરાયેલું આ ઈંધણ જો સરેરાશ પ્રતિ લિટર 20ની પણ એવરેજ ગણવામાં આવે તો 40 લાખ કિમી અંતર કાપી શકાય એટલું આ ઈંધણ કહી શકાય. જે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 1111 આંટા માર્યા સમાન છે. જો કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું રસ્તા પરથી સફર કરવામાં આવે તો વધુમાં વધુ 3,600 કિમી થાય છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:30 am

અર્થરંગના ચોથા દિવસે વિદ્યાર્થીઓએ રજૂ કરી કળા:કોમર્સ ફેકલ્ટીના યૂથ ફેસ્ટમાં કલા, અભિનય અને નૃત્યના સંગમથી સ્ટુડન્ટ્સનો સ્ટેજનો ડર દૂર થયો

મ.સ.યુનિ.ના કોમર્સ ફેકલ્ટીના સાંસ્કૃતિક ઉત્સવ અર્થરંગના ચોથા દિવસે, વિવિધ ક્રિએટિવિટી અને પર્ફોર્મિંગ આર્ટ્સ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મિમિક્રી, સ્કીટ, પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ, પેઇન્ટિંગ અને વેસ્ટર્ન ડાન્સ જેવા કાર્યક્રમો યોજાયા હતા. જે વિદ્યાર્થીઓને તેમની કલાત્મક ક્ષમતાઓ, સર્જનાત્મકતા અને સ્ટેજ હાજરી દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડતા હતા. મિમિક્રી સ્પર્ધામાં જાણીતા વ્યક્તિત્વો અને પાત્રોના અનુકરણો દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું. જેમાં નોંધપાત્ર અવાજ મોડ્યુલેશન અને અભિવ્યક્તિઓ દર્શાવવામાં આવી હતી. વિઝ્યુઅલ આર્ટ્સ સેગમેન્ટમાં વિદ્યાર્થીઓએ પોસ્ટર મેકિંગ, કાર્ટૂન મેકિંગ અને પેઇન્ટિંગ સ્પર્ધાઓ દ્વારા રંગો અને ચિત્રો દ્વારા કલાત્મક રજૂ કરી હતી. તે સાથે પશ્ચિમી નૃત્ય સ્પર્ધામાં નૃત્ય નિર્દેશન અને જીવંત પ્રદર્શન આપ્યું હતું

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:06 am

પર્ફોર્મિંગ આર્ટ્સમાં કલા ઉત્સવ:ઉસ્તાદોથી ઊભરાતું મ્યુઝિક કોલેજનું ઓપન એર થિયેટર ફાયર સેફ્ટિની ગૂંચમાં 15 વર્ષે કલાથી ખીલ્યું

મ.સ. યુનિવર્સિટીની ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે આવેલા લગભગ 60 વર્ષ જૂના ઐતિહાસિક ઓપન એર થિયેટરમાં 15 વર્ષ બાદ ફરી વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. ઉસ્તાદોથી ઊભરાતું મ્યુઝિક કોલેજનું ઓપન એર થિયેટર ફાયર સેફ્ટિની ગૂંચમાં 15 વર્ષે કલાથી ખીલ્યું. લાંબા સમય બાદ આ મંચ પર સંગીત, નૃત્ય અને નાટ્યકલાના કાર્યક્રમો યોજાતા વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને કલારસિકો માટે આ વિશેષ પ્રસંગ બન્યો હતો. કાર્યક્રમમાં સંગીત, નૃત્યના સમન્વય દ્વારા શાસ્ત્રીય સમૃદ્ધિ દર્શાવવામાં આવી હતી. પ્રથમ દિવસના કાર્યક્રમો પ્રખ્યાત નાટ્યકાર અને શિક્ષણવિદ્ પદ્મશ્રી ચંદ્રવદન મહેતાની 125મી જન્મજયંતિને સમર્પિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત ગણેશ સ્તુતિથી કરવામાં આવી, જેના દ્વારા કાર્યક્રમને આધ્યાત્મિક અને કલાત્મક માહોલ પ્રાપ્ત થયો. ત્યારબાદ ‘રાગ-રંગ’ કાર્યક્રમ હેઠળ શાસ્ત્રીય સંગીત અને નૃત્યની વિવિધ રજૂઆતો કરવામાં આવી. તેમજ ‘ગ્લોરી ઑફ તીનતાલ’ કાર્યક્રમ દ્વારા ભારતીય લયપરંપરાની વિશિષ્ટતા અને તબલા વાદનની કલાત્મકતા રજૂ કરવામાં આવી. આ સાથે કાર્યક્રમ દરમિયાન રજૂ થયેલ તરાના તથા કથક નૃત્યની રચનાઓએ ભારતીય શાસ્ત્રીય કલાની સૌંદર્યપરંપરાને ઉજાગર કરી હતી. 60 વર્ષ જૂના ઓપન એર થિયેટરમાં ફરી કલાનો ગુંજારોપરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રેએ જણાવ્યું હતું કે, લાંબા સમય બાદ સંકુલના પ્રાંગણમાં યોજાતો આ વાર્ષિકોત્સવ સમગ્ર સંકુલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું કે સંગીત, નૃત્ય અને નાટ્યકલા ભારતીય સંસ્કૃતિના મહત્વપૂર્ણ સ્તંભો છે અને આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરવાની અમૂલ્ય તક મળે છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:04 am

ડ્રમમાંથી મળી આવી દારૂની 4498 બોટલો:દેણા બ્રિજ પાસે કટિંગ વેળા જ કન્ટેનર ભરેલો 23.06 લાખનો દારૂ પકડાયો

દેણા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી કન્ટેનર અને પીકઅપમાં ભરેલા ડ્રમમાંથી રૂા.23.06 લાખની 4498 દારૂની બોટલો સાથે રૂા.36 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. પોલીસે 4ની ધરપકડ કરી દારૂ મોકલનાર સુનિલ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂ વડોદરામાં કોણે મંગાવ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હરણી પીઆઈ એસ.વી.વસાવાએ જણાવ્યું કે, 11 માર્ચે બાતમી મળી હતી કે, દેણા બ્રીજથી ગોલ્ડન ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર કન્ટેનરમાંથી પીકઅપમાં દારૂનું કટીંગ થઈ રહ્યું છે. પોલીસે ટ્રક અને વડોદરા પાસીંગની પીકઅપમાં ભરેલાં ડ્રમ તપાસતા રૂા.23.06 લાખનો દારૂ મળ્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂા.36.19 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. પોલીસે પકડેલાં 4 આરોપીમાં અસીફખાન ઝુબેરખાન (હરીયાણા), હામિદહુસેન દિનમોહમ્મદ (હરીયાણા), અજમલહસન તાહિરહસન પઠાણ (છાણી), અતિકઅહેમદ વકિલઅહેમદ પઠાણ (ગોરવા)નો સમાવેશ થાય છે. ફતેગંજના બૂટલેગર જાવેદ એન્ડ કંપની દ્વારા શહેરમાં વર્ચસ્વ જમાવાયુંએસએમસીએ શહેરના બુટલેગરો સામે ગુજસીટોક સહિત કડક કાર્યવાહી કરી હતી. પરીણામે શહેરમાં દારૂ સપ્લાય કરતી સિંધી ગેંગ વેરવિખેર થઈ હતી. જેનો લાભ ઉઠાવી મુસ્લિમ ગેંગ સક્રિય થઈ છે. જેમાં ઈમરાન દરબાર, ખાલીદ, રિયાઝ, જાવેદ, રાંકો અને કાલુ સહિત બુટલેગરોએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. રેલ્વે દ્વારા દારૂનો જથ્થો શહેરમાં મંગાવતા હતાં. જેના અહેવાલો પ્રસિધ્ધ થતાં રેલ્વેમાંથી દારૂ મંગાવવાનું બંધ થયું છે. જ્યારે ફતેગંજના બુટલેગર જાવેદ એન્ડ કંપનીએ રોડમાર્ગે દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાને કહ્યું- શિપ માટે હોર્મુઝનો રસ્તો નહીં ખુલે; સિલિન્ડરનું બમણા ભાવે થતું વેચાણ; હાર્દિક પર તિરંગાના અપમાનનો કેસ

નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર ઈરાન સાથે જોડાયેલા છે, નવા સુપ્રીમ લીડરે કહ્યું કે તેલ માટે હોર્મુઝનો રસ્તો અત્યારે ખુલશે નહીં. જ્યારે બીજા સમાચાર દેશમાં LPG સંકટને લઈને છે, રસોઈ ગેસ સિલિન્ડર બમણા ભાવે વેચવામાં આવી રહ્યો છે.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ નરેન્દ્ર મોદી આસામનો પ્રવાસ કરશે. તેઓ અનેક પરિયોજનાઓનું શુભારંભ અને ઉદ્ઘાટન કરશે. 2. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ છે. LPGની અછત અને વધતી કિંમતો પર વિપક્ષ હંગામો કરી શકે છે. કાલના મોટા સમાચારો 1. ઈરાની સુપ્રીમ લીડરે કહ્યું- અમેરિકી બેઝ પર હુમલા ચાલુ રહેશે:પદ સંભાળ્યા બાદ મુજતબાનું પ્રથમ નિવેદન; કહ્યું- હોર્મુઝનો રસ્તો નહીં ખુલે ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનીએ પદ સંભાળ્યા બાદ ગુરુવારે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું. આમાં તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા જારી રહેશે. મુજતબાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેમણે ઈરાન પર કરેલા હુમલાની ‘ભરપાઈ’ કરવી પડશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં એલપીજીની અછત વધી રહી છે. ગેસ સિલિન્ડર એજન્સીઓ પર લાંબી કતારો લાગી છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરની કાળાબજારી પણ શરૂ થઈ ગઈ છે. બિહારમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1800 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોમર્શિયલ સિલિન્ડર બ્લેકમાં 4000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધને કારણે હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ઇન્ડક્શન પર રસોઈ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. 3. હાર્દિક પંડ્યા જોશમાં હોશ ખોઈ બેઠો:વર્લ્ડકપ જીતની ઉજવણી દરમિયાન તિરંગાના અપમાનની ફરિયાદ નોંધાઈ, ગર્લફ્રેન્ડ સાથે સ્ટેજ પર સૂઈ ગયો હતો ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા વિરુદ્ધ તિરંગાના અપમાનને લઈને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ બેંગલુરુના શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં પુણેના વકીલ વાજીદ ખાન બિડકરે કરી છે. ભારતની T20 વર્લ્ડકપ જીત બાદ અમદાવાદમાં ઉજવણી દરમિયાન પંડ્યા પર તિરંગાનું સન્માન ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, ટીમ ઈન્ડિયાની જીત બાદ મેદાન પર ઉજવણી કરતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. એક વીડિયોમાં પંડ્યા પોતાના ખભા પર તિરંગો ઓઢીને મેદાન પર નાચતા અને દોડતા જોવા મળી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. ટ્રમ્પ ભારતના મિત્ર છે કે દુશ્મન?:ફરી ભારે ટેરિફ લગાવવાની તૈયારી, 'સેક્શન 301'ને બનાવ્યું હથિયાર; ભારત સહિત 16 દેશ સામે તપાસ શરૂ કરી અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારત અને ચીન સહિત તેના 16 મુખ્ય ટ્રેડિંગ પાર્ટનર્સ વિરુદ્ધ 'સેક્શન 301' હેઠળ નવી તપાસ શરૂ કરી છે. 'સેક્શન 301' અમેરિકાને એવા દેશો પર એકતરફી ટેક્સ વધારવાની શક્તિ આપે છે, જે તેની કંપનીઓને નુકસાન પહોંચાડી રહ્યા હોય. ગયા મહિને અમેરિકી સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, પ્રશાસન હવે નવા કાનૂની રસ્તાઓથી ટેરિફનું દબાણ પાછું બનાવવાની તૈયારીમાં છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. JKના પૂર્વ CM ફારુક અબ્દુલ્લા પર ફાયરિંગ, VIDEO: સુરક્ષા જવાનોએ તેમને બચાવ્યા, હુમલાખોરે કહ્યું- 20 વર્ષથી તેમને મારવા માંગતો હતો નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર બુધવારે રાત્રે એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ. સદનસીબે, તેમને ગોળી વાગી નહીં. અધિકારીઓના જણાવ્યા મુજબ, ફારુક જમ્મુમાં એક લગ્નમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ હતા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તેમાં દેખાય છે કે 70 વર્ષીય હુમલાખોર કમલ સિંહ જામવાલ પાછળથી આવીને ફારુકના માથા પર રિવોલ્વર તાકી રહ્યો છે. સુરક્ષા જવાનોએ તાત્કાલિક હુમલાખોરનો હાથ હટાવ્યો, જેના કારણે હવામાં ફાયરિંગ થયું. સંપૂર્ણ સમાચાર વાંચો 6. વડોદરામાં ધોમધખતા તાપમાં ગેસ સિલિન્ડર માટે લાંબી કતારો:સુરતમાં ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાને આરે; તંત્રનો પૂરતા સ્ટોકનો દાવો ઘરેલું ગેસ માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હજુ પણ લાંબી કતારો જોવા મળી રહી છે. વડોદરામાં આજે સતત બીજા દિવસે ગેસ એજન્સીની બહાર ગેસ લેવા માટે કતાર જોવા મળી હતી. વહીવટી તંત્ર દ્વારા પૂરતો જથ્થો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, ત્યારે ગેસ સિલિન્ડર મેળવવા માટે લોકો લાંબી લાઇનો લગાવી રહ્યા છે. તો બીજી તરફ ખાણીપીણી માટે જાણીતા સુરતમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી ચાલતી તંગીને કારણે હજારો ફરસાણના વેપારીઓનો ધંધો ચોપટ થવાની આરે આવી ગયો છે. ગેસના અભાવે અનેક દુકાનોના ચૂલા ઠરી જવાની ભીતિ સેવાતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંજો વેચવા ગિફ્ટ સિટીમાં લક્ઝુરિયસ ફ્લેટ ભાડે લીધો:રાજકોટનો યુવાન રોજનું 3,000 ભાડું ચુકવતો; 26 લાખનો ગાંજો, બે આઇફોન, ઇલેક્ટ્રિક વજન કાંટો જપ્ત ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શરતોને આધિન દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટછાટ આપ્યા પછી ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. એવામાં ગઈકાલે(11 માર્ચ) ગિફ્ટ સિટીના શોભા ડ્રીમ હાઈટ્સ ટાવરના 23મા માળે ત્રાટકીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 26.11 લાખ રૂપિયાથી વધુ કિંમતનો નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે 25 વર્ષીય અંકિત રાજેશભાઈ કક્કડ(મૂળ રહે. દ્વારકા હાઇટ્સ, માધાપર ચોકડી પાસે, રાજકોટ, મૂળ વતની મોરબી) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આદિ કૈલાસ યાત્રા 1 મેથી શરૂ કરવાની તૈયારી:એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી પરમિટ મળશે; ગયા વર્ષે 30 હજારથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રિપોર્ટ- ઈરાનમાં હજુ સરકાર પાડી નહીં શકે અમેરિકા:વર્તમાન લીડરશિપનો જનતા પર સંપૂર્ણ નિયંત્રણ; ટ્રમ્પ ટૂંક સમયમાં ઓપરેશન બંધ કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ગેસના બાટલાની કાળાબજારી, 900 રૂપિયાના સિલિન્ડરના ₹1800:કોમર્શિયલ સિલિન્ડરના ₹4000, એજન્સી સંચાલકો-દલાલો લોકોને લૂંટી રહ્યાં છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પ પાસે યુદ્ધ સમાપ્ત કરવાનો કોઈ પ્લાન નથી:ઈરાનની તાકાતનો ખોટો અંદાજ લગાવ્યો, ઓઈલ સપ્લાય ઠપ થશે એવું વિચાર્યું નહોતું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : હવે નાના બાળકો પણ વાપરી શકશે વોટ્સએપ:મેટાએ પેરેન્ટ-મેનેજ્ડ મોડેલ રજૂ કર્યું; 13 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે હશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : BCCI ગિલને ક્રિકેટર ઑફ ધ યર એવોર્ડ આપશે:દ્રવિડને લાઇફટાઇમ અચીવમેન્ટ પુરસ્કાર મળશે; U-19 વર્લ્ડકપ જીતાડનાર મ્હાત્રે પણ સન્માનિત થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની રાજાને શીખ:જ્યાં સુધી આપણે આપણા ગુરુનું મનથી સન્માન નહીં કરીએ, ત્યાં સુધી આપણને જ્ઞાનનો પૂરો લાભ મળી શકશે નહીં વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ યુદ્ધમાં ઈઝરાયલની ‘બોમ્બ શેલ્ટર ડેટિંગ’ એપ ઈરાન સાથેના જંગ વચ્ચે ઈઝરાયલમાં એક એપ ચર્ચામાં છે. મિસાઈલ સાયરન વાગતા જ લોકો શેલ્ટરમાં છુપાઈ જાય છે અને અવારનવાર કંટાળી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ એપ બનાવવામાં આવી છે, જેથી શેલ્ટરમાં હાજર સિંગલ લોકો આસપાસના સિંગલ્સ સાથે કનેક્ટ કરી શકે. જોકે, આને પ્રમોટ કરવા બદલ સરકારની ટીકા પણ થઈ રહી છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી: 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે 2. એક્સક્લૂસિવ: ભારતની સ્માર્ટ ડીલ, શાહબાઝ સરકારનો મેન્ટલ ટ્રોમા:પાકિસ્તાનમાં 'પેટ્રોલ બોમ્બ'થી જનતામાં રોષ, PAK પત્રકારે કહ્યું IMFમાંથી બહાર પણ થઇ શકે 3. પારકી પંચાત : ‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો 4. ભાસ્કર એક્સપ્લેનર : ભારત પાસે કેટલા દિવસનો LPG સ્ટોક બાકી છે:જો યુદ્ધ લાંબુ ખેંચાય તો સરકાર ક્યાંથી લાવશે રસોઈ ગેસ; તમારે શું કરવું જોઈએ 5. બ્લેકબોર્ડ: તેમને રિસર્ચ માટે લોહી જોઈએ છે, અમને રૂપિયા:પોતાના પર દવાઓનો ટ્રાયલ કરાવી છીએ, મોતની ઈચ્છા રાખીએ છીએ; બાળકોને 25 લાખ તો મળશે 6. RSS સંપૂર્ણપણે બદલાવા જઈ રહ્યું છે:પ્રદેશ પ્રચારક પદ સમાપ્ત થશે, યુપી ચૂંટણીમાં પહેલો ટેસ્ટ; જાણો કેવું હશે નવું સ્ટ્રક્ચર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: ધન રાશિને દરેક ડગલે નસીબનો સાથ મળશે, તુલા જાતકોની યોગ્યતાની ચોમેર પ્રશંસા થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 5:00 am

સમૂહ લગ્નોત્સવ ‎યોજાયો:રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં 12 યુગલે પ્રભુતામાં પાડ્યાં, છૂટાછેડા નહીં લેવા વચનબદ્ધ

વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા દર વર્ષની માફક સમસ્ત રાજપૂત સમાજનો 18મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો. ગીતા-કિશન સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, ભરૂચના સૌજન્યથી મકરપુરા ખાતે રાજપૂત સાંસ્કૃતિક ભવનમાં ધામધૂમથી લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 12 યુવક-યુવતીઓએ પ્રભુતામાં પગલા પડ્યાં હતા. નવદંપત્તીએ છુટાછેડા ન લેવાનું વચન આપ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા કાયાવરોહણ લકુલીશ ધામના પ્રિતમમુનીજીએ સરળ લગ્નજીવનના આશિર્વાદ આપ્યા હતા. 12 નવ દંપત્તિને કન્યાદાનમા ફ્રિજ, તિજોરી, ડબલ બેડ, ડ્રેસિંગટેબલ, સોફાસેટ, ટીપોઈ, સ્ટીલનો ડિનર સેટ, રસોડા સેટ, બાથરૂમ સેટ, મિક્સર ગ્રાઈન્ડર, ઇસ્ત્રી, ખુરશીઓ, વોટર કુલર જેવી અનેક જરૂરી ચીજ-વસ્તુઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કમલેશસિંહ રાઉલજી, ઉપપ્રમુખ જીતેન્દ્રસિંહ રાઠોડ, મહામંત્રી કિરણસિંહ રાઠોડ, પૂર્વ પ્રમુખ નરેશસિંહ ઝાલા સહિત આગેવાનોએ હાજર રહી આશીર્વાદ આપ્યા હતા. સમૂહ લગ્ન ઉત્સવમાં ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરાના નવદંપત્તિ અને તેઓના સંબંધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ વહેલી સવારે 8 કલાકે શરૂ થયો હતો અને સાંજે 5 કલાકે કન્યા વિદાય કરાઇ હતી. સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે હનુમાન ચાલીસા અપાયારાજપુત સમાજની મહિલા પાંખ દ્વારા પણ કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન અપાયું હતું. મહિલા સંગઠને કેટલીક વસ્તુઓ નવદંપત્તીને ભેટ આપી હતી. સાથે સનાતન ધર્મમાં આસ્થા રહે તે માટે દરેકને હનુમાન ચાલીસા પણ ભેટમાં આપવામાં આવી હતી. પરિવારોએ 1.20 કરોડ બચ્યા હોવાનું કહી આભાર માન્યોસમૂહ લગ્નમાં એકપણ રૂપિયો લીધા વગર લગ્ન કરાવવામાં આવ્યા હતા. જે અંગે રાજપુત સમાજ સમક્ષ 12 વર-કન્યાના 24 પરિવાઓએ સ્વીકાર્યું હતુ કે, પરિવાર દીઠ અંદાજે રૂ.5 લાખનો ખર્ચ થતો હતો, જેની મોઘવારીમાં બચત થઇ છે. પરિવારોએ સમાજનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:59 am

મોરિશિયસ ડે ઊજવાયો:આફ્રિકા ક્ષેત્રમાં વેપાર-રોકાણ માટે મોરિશિયસ મહત્ત્વપૂર્ણ પ્રવેશદ્વાર

ઇન્ડિયન કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ-ગુજરાત દ્વારા આજે મોરિશિયસ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારત અને મોરિશિયસ વચ્ચે વેપાર, ઉદ્યોગ, રોકાણ અને સહકારના નવા અવસરો પર ચર્ચા કરવામાં આવી હતી. કાઉન્સિલે જાહેરાત કરી કે, નજીકના સમયમાં ગુજરાતના ઉદ્યોગકારો અને વ્યવસાયિકોનું વિશેષ બિઝનેસ ડેલિગેશન મોરિશિયસની મુલાકાત લેશે. જેનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ વધુ મજબૂત બનાવવા, રોકાણના અવસરો શોધવા અને એમએસએમઇ ક્ષેત્રમાં સહકાર વધારવાનો રહેશે. યુદ્ધના માહોલમાં મોરિશિયસ-આફ્રિકા રૂટ સરળ અને ઉપયોગી થશે. કાઉન્સિલના ચેરમેન વિરલ ચૌધરીએ કહ્યું કે, આવા કાર્યક્રમો અને બિઝનેસ ડેલિગેશન્સ દ્વારા બંને દેશોના ઉદ્યોગકારોને પરસ્પર સહકાર, ટેક્નોલોજી વિનિમય અને નવાં બજારોમાં પ્રવેશ માટે તક મળશે. ગુજરાતના પર્યટનને પણ પ્રોત્સાહન અપાશેઇન્ડિયન કોમન વેલ્થ કાઉન્સિલ દ્વારા મોરિશિયસની આવનારી બિઝનેસ મુલાકાતમાં ગુજરાતના પર્યટનને પ્રોત્સાહન આપવા પહેલ થશે. મુલાકાતમાં મોરિશિયસના ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્રના પ્રતિનિધિ, રોકાણકારો સમક્ષ ગુજરાતનાં પર્યટન સ્થળો, સંસ્કૃતિ, હેરિટેજ, ધાર્મિક પર્યટન, ઇકો-ટુરિઝમના અવસર રજૂ કરાશે. ભારતની વસ્તી 35 દેશ જેટલી, MSMEનું વિશેષ મહત્ત્વભારતની વસ્તી 140 કરોડની છે, જે 35 દેશની વસ્તી સમાન છે. ભારત સોને કી ચીડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ભારતના લઘુ અને ગૃહ ઉદ્યોગોને પગલે હતું. આજે પણ એટલું મહત્ત્વનું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:56 am

નેશનલ સાયન્સ કોન્ફરન્સ યોજાઈ:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કરતાં માનવીય બુદ્ધિ ક્ષમતા વધુ પાવરફુલ છે: પ્રો.રંગરાજન

સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજનએ જણાવ્યું હતું કે એઆઇ કરતાં હ્યુમન ઇન્ટલીજન્સ વધારે પાવર ફૂલ છે. સાયન્સ ફેકલ્ટીના તમામ વિભાગોમાં રીસર્ચરે વૈજ્ઞાનિકોના લેકચર યોજાયા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા આયોજિત સયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સ-20226નું યુનિવર્સિટી કેમ્પસના પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસીય રાષ્ટ્રીય પરિષદ સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે અને શિક્ષણ, વિજ્ઞાન અને સામાજિક પ્રગતિમાં તેમના દૂરંદેશી યોગદાનની ઉજવણી કરે છે. કન્વીનર પ્રો. કે. મુરલીધરને સમકાલીન વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં વૈજ્ઞાનિક નવીનતા અને આંતરશાખાકીય સહયોગના મહત્વ પર પ્રકાશ પાડયો હતો. મુખ્ય વક્તા બેંગલુરુના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ડિરેક્ટર પ્રો. ગોવિંદન રંગરાજન દ્વારા આપવામાં આવ્યું હતું, જેમણે વૈજ્ઞાનિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં એઆઇના વધતા પ્રભાવ વિશે વાત કરી હતી. તેમણે એઆઇ યુગમાં સુસંગત રહેવા માટે મૌલિકતા અને વિવેચનાત્મક વિચારસરણી જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો, શૈક્ષણિક વહીવટકર્તાઓને શિક્ષણના ક્ષેત્રમાં એઆઇ પર પડકારો અને તકોને અસરકારક રીતે રજૂ કરવા વિશે જણાવ્યું હતું. યુનિવર્સિટીના વીસી ભાલચંદ્ર ભાણગએ સયાજીરાવ ગાયકવાડ દ્વારા શરૂ કરાયેલા સ્વપ્નદ્રષ્ટા શૈક્ષણિક સુધારાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને વૈજ્ઞાનિક સ્વભાવ, નવીનતા અને સંશોધન શ્રેષ્ઠતાને પોષવામાં યુનિવર્સિટીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે સર સયાજીરાવ ગાયકવાડના પ્રગતિશીલ વારસા પર પ્રતિબિંબ પાડ્યું હતું અને યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓને સામાજિક વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધતા સાથે વિજ્ઞાનમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુનિ.ને રિસર્ચમાં આગળ લાવવા નેશનલ સાયન્સ કોન્ફરન્સ શરૂ થઇમ.સ.યુનિવર્સિટીને રીસર્ચ ક્ષેત્રે આગળ લાવવા માટે નેશનલ સાયન્સ કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. ગત વર્ષે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિ નિમિત્તે આની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે દેશભરમાંથી ખ્યાતનામ વૈજ્ઞાનિકને આમંત્રિત કરીને રીસર્ચરોને આગળ વધારવા માટે પ્રોત્સાહીત કરવા માટે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી છે. સાયન્સ કોન્ફરન્સમાં દેશભરના 550થી વધુ પ્રતિનિધિએ ભાગ લીધોસયાજીરાવ ગાયકવાડ મેમોરિયલ નેશનલ સાયન્સ કોન્ફરન્સમાં 550 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. જેમાં દેશભરની સંસ્થાઓના શિક્ષણવિદો, સંશોધકો અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરિષદ વૈજ્ઞાનિક આદાનપ્રદાન અને આંતરશાખાકીય સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:54 am

નવી પહેલ:ધો.9થી 12ના વિદ્યાર્થીઓ માટે સાયબર સલામતીના અભ્યાસક્રમની શરૂઆત થશે

વિદ્યાર્થીઓમાં સાયબર સલામતી અને સુરક્ષા અંગે જાગૃતિ વિષયક અભ્યાસ હાથ ધરાશે. ધો.9થી12ના વિદ્યાર્થીનો સાયબર સલામતીના કોર્સમાં સમાવેશ થશે. વિદ્યાર્થીઓને લિંક-કયુઆર કોડ આપીને સર્વે કરાશે. એનઇપીનો ઉદ્દેશ્ય ડિજિટલ માળખું મજબૂત બનાવવા અને શિક્ષણ પ્રક્રિયાઓમાં ટેકનોલોજીને એકીકૃત કરવાનો છે. જેનાથી શિક્ષણમાં ચાલી રહેલા ડિજિટલ પરિવર્તનને ટેકો મળશે. શિક્ષણ મંત્રાલયે જાહેર કરેલા નિર્દેશમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ, સગીર હોવાને કારણે, ટેકનોલોજીના ઉપયોગમાં અત્યંત સલામતીની જરૂર છે. ઇન્ટરનેટ ઍક્સેસ તેમને હિંસક અને અપમાનજનક વર્તનનો ભોગ બનાવી શકે છે. તેથી આ ચિંતાઓને દૂર કરવા માટે, જાગૃતિ પહેલ અને અસરકારક સુરક્ષા પગલાં દ્વારા સાયબર સલામતીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. શિક્ષણ મંત્રાલયે શાળાના અભ્યાસક્રમમાં સાયબર સલામતી અને સુરક્ષાને એકીકૃત કરવા માટેની માર્ગદર્શિકા પણ શેર કરી છે. ઓનલાઈન ગૂગલ ફોર્મ દ્વારા માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેથી તમામ જિલ્લાઓને વિનંતી કરવામાં આવે છે કે આપના જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ધોરણ 9 થી 12 સુધી સૂચનાઓ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:52 am

ગંદા પાણીની ફરિયાદ ઉઠી:ફરામજી ચાલમાં ગંદું પાણી આવતાં 6 માસથી રહીશો કચરો ઠારી ઉપરનું પાણી પીવા મજબૂર

આકરા ઉનાળાની શરૂઆતથી જ શહેરમાં પાણીની પળોજણ શરૂ થઈ છે. સયાજીગંજ ફરામજી ચાલીમાં ગંદા પાણીની ફરિયાદ ઉઠી છે. રહીશોનું કહેવું છે કે, કચરો ઠરી ગયા બાદ ઉપરનું પાણી પીવા મજબૂર થયાં છીએ. જ્યારે વાઘોડિયા રોડની સાહિત્ય ગ્રીનમાં 2 વર્ષથી પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ફરામજી ચાલીમાં 6 મહિનાથી પાણી ગંદુ આવે છે. જેથી લોકો બીમાર પડી રહ્યા છે. મહિલાઓનું કહેવું છે કે, ગંદા પાણીના કારણે બાળકો માંદા પડે છે. પેટમાં ચૂકવવાની ફરિયાદો થઈ રહી છે. વોર્ડ કચેરી અને કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ આવતું નથી. પાણીનો કચરો ઠરી જતા બનેલા પાણીનો પીવા તરીકે ઉપયોગ કરીએ છીએ. વાઘોડિયા રોડ પર હાઇવે નજીક સાહિત્ય ગ્રીન ફ્લેટમાં બે વર્ષથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદ સાથે રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનું કહેવું હતું કે, બિલ્ડરે પાણીની લાઈન નાખી છે પરંતુ હાલમાં તેના નાણા ભર્યાની રસીદ કોર્પોરેશને આપી છે. બોરમાંથી આવતું પાણી 6000 ટીડીએસનું છે. અને કોર્પોરેટર દ્વારા ટેન્કરથી પાણી અપાતું હતું પરંતુ હવે તે પણ બંધ થયું છે. જેથી આગામી સમયમાં આવનારી ચૂંટણીમાં વોટિંગ નહીં કરી બહિષ્કાર કરીશું. 3 માસથી પાણીની લાઈન લીકેજ, અધિકારીઓને સસ્પેન્ડ કરવા ફરિયાદ કરતા સમારકામ શરૂ કરાયુંવોર્ડ-1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું કે, ફતેગંજ પોલીસ મથકની બાજુમાં પ્રાર્થના ફ્લેટ પાસે ત્રણ મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હતું. આમ તો, કેબલ નાખવાની કંપની અનેક રોડ તોડે છે અને કોઈ કાર્યવાહી થતી નથી, પરંતુ પાણી લાઈનના સમારકામ માટે રોડ ખોદતા ન હતા. જેથી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું છે અને લાઈનમાં પડેલા ભંગાણનું સમારકામ શરૂ કર્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:51 am

પારેશ્વર મંદિરની સામે આગ લાગી:ગોત્રી તળાવ નજીક રાત્રે 10 વાગ્યે વૃક્ષ નીચે અગરબત્તી કરી,4 કલાકમાં વૃક્ષ ભડકે બળ્યું

શહેરમાં કેટલાક મહિનાથી ઝાડમાં આગ લાગવાની ઘટના બની રહી છે. બુધવારે રાત્રે ગોત્રી તળાવમાં પારેશ્વર મંદિર સામેના વૃક્ષમાં આગ લાગી હતી. સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ આ વૃક્ષ થડના ભાગેથી સૂકું ભઠ્ઠ હતું. રાત્રે 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિએ વૃક્ષ નીચે શ્રદ્ધાપૂર્વક અગરબત્તી કરી હતી. તે પછી રાત્રે અઢી વાગ્યાના સુમારે ઝાડ ભડકે બળ્યું હતું. આ અંગે કરાતાં ફાયરબ્રિગેડે ઝાડ નીચેથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે, નીચેથી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ ઉપરના ભાગેથી આગ ભભૂકતી રહેતી હતી. જેથી સ્થાનિકોએ ઝાડની ઉપરના ભાગેથી પાણી છાંટવાં કહ્યું હતું. આગને પગલે લોકો ભેગા થઇ ગયા હતા. અટલાદરા ડામર પ્લાન્ટના કચરામાં આગગોત્રીના અટલાદરા ડામર પ્લાન્ટ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસેના કચરામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ લાગતાં પ્લાન્ટના સિક્યુરિટીએ ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવાનું ટાળવું જોઈએઅગરબત્તીની આગ નાની હોય છે. તે સૂકા લાકડાના સંપર્કમાં આવે અને ધીમો ધીમો પવન મળતો રહે તો ગરમી વધે છે. આ આગના સંપર્કમાં જ્વલનશીલ વાયુ ક્ષણવાર માટે આવે તો આગ ભભૂકી ઊઠે છે. જોકે એવા વાયુનું સંપર્કમાં આવવું અનિવાર્ય નથી. 2016માં બોટની વિભાગની પાછળ આગ ભભૂકી હતી. ઘટનાના બે દિવસ પૂર્વે માળીએ ધુમાડો જોયો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવી ટાળવી જોઇએ. > પ્રો.અરુણ આર્ય, વનસ્પતિ શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:49 am

સિલિન્ડરના સંકટની અસર:ગેસ લાઇનની માગમાં ત્રણ ગણો વધારો, રોજની 9ને બદલે હવે 30 અરજી

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર ઘરગથ્થુ ગેસ પર પડી છે. ગેસના બોટલની તંગીની ભીતિથી લોકોએ લાંબી લાઈનો લગાવી રહ્યા છે. બોટલ મળતાં લોકો ગેસ લાઇન નખાવવા દોડધામ કરી છે. જેમાં 1 સપ્તાહમાં ગેસ લાઈનની માગ ત્રણ ગણી વધી છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ 26 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન ઘરગથ્થુ ગેસ માટે રોજ 9થી 12 અરજી આવતી હતી. જોકે યુદ્ધની સ્થિતિમાં 25થી 30 અરજી મળી રહી છે. કોમર્શિયલ ગેસના બોટલ મળવાના બંધ થયા હોવાથી અનેક મેન્યુફેક્ચરિંગ એકમો-રેસ્ટોરન્ટો બંધ થવાની તૈયારીમાં છે. ત્યારે એક અઠવાડિયામાં કોમર્શિયલ ગેસ જોડાણ માટે 21 વેપારીએ પૂછપરછ કરી છે. એક સપ્તાહ પહેલાં માત્ર 6 વેપારીઓએ પૃચ્છા કરી હતી. ગેસ સંકટની અસર શહેરની આસપાસ ઔદ્યોગિક વસાહતો પણ પડી છે. જેમાં અઠવાડિયામાં 3 ઇન્કવાયરી આવતી હતી, જે વધીને 10 પર પહોંચી છે. ખાનગી યુનિ.ની હોસ્ટેલમાં ગેસની અછત, 25 હજાર વિદ્યાર્થી પરેશાન સિલિન્ડર લેવા સતત બીજા દિવસ કતારો, ભારત ગેસ એજન્સીની બહાર લાઇનમાં ઊભેલી મહિલા ઢળી પડી એજન્સીઓમાં બીજા દિવસે બોટલ લેવા કતારો લાગી હતી. કેટલીક એજન્સી દ્વારા ઓનલાઈન બુકિંગ ન કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. તંત્રના જણાવ્યા મુજબ લોકો પેનિકમાં આવી સિલિન્ડર લેવા એજન્સી પર પહોંચી રહ્યા છે. જોકે લોકોએ ઓનલાઈન બુકિંગ કરાવવું જોઈએ. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર બુકિંગ આવે છે, તેની સામે પ્રતિદિન ત્રણેય કંપની દ્વારા 14,700 બોટલ રિફીલ કરાય છે. બજારમાં ખોટી માહિતી ફેલાવાથી બુકિંગ વધી 12 હજાર થયું છે. બીજી તરફ મ.સ. યુનિ.ની હોસ્ટેલોમાં પાઇપથી ગેસનો સપ્લાય કરાય છે. જેથી હાલ અસર જોવા મળી રહી છે. જોકે શહેર નજીકની ખાનગી યુનિ.માં ગેસની અછતથી વિદ્યાર્થીઓને ભારે પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાનગી યુનિવર્સિટીમાં 25 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેસ તથા કેન્ટીનના ભરોસે છે. પાણીગેટની એજન્સી બહાર ઢળી પડેલી મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ ગેસ એજન્સીઓ બહાર સિલિન્ડર માટે લાઈનો પડી રહી છે. લોકો સિલિન્ડર નોંધાવવા અને લેવા પડાપડી કરી રહ્યા છે. ગુરુવારે પાણીગેટની ભારત ગેસ એજન્સીમાં સિલિન્ડર લેવા લાઈનમાં ઊભેલી મહિલા ઢળી પડી હતી, જેને લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. લોકોએ ઇન્ડક્શન અને ચૂલાની પણ વ્યવસ્થા કરીયુદ્ધ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે. જોકે લોકોને ઘરેલુ સિલિન્ડર પણ નહીં મળે તેવી ચિંતા છે. તેવામાં લોકોએ ઈલેક્ટ્રિક સગડી તેમજ ઈન્ડક્શનની ખરીદી પણ રાખી છે. ઉપરાંત ચૂલાની સગવડ કરી રાખી છે. જેના માટે ચાર દરવાજા વિસ્તારમાંથી લોખંડના ચૂલાની ખરીદી પણ લોકો કરી રહ્યા છે. સિલિન્ડરોનાં કાળાં બજાર ન થાય તેનું ધ્યાન રખાય છેવડોદરા શહેરમાં 6 ઝોનલ અને પુરવઠા વિભાગની ટીમ તેમજ તાલુકા લેવલે 2-2 મામલતદારોની ટીમ કામે લાગી છે. જેમાં સિલિન્ડરમાં કાળાબજાર ન થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જ્યારે એજન્સીઓ સાથે પણ સંકલન રાખવામાં આવી રહ્યું છે. — ગીતા દેસાઈ, પુરવઠા અધિકારી સિલિન્ડરનું મોનિટરિંગબરોડા મેડિકલ કોલેજ અને ગોત્રી જીએમઈઆરએસની હોસ્ટેલમાં ગુરુવારે સિલિન્ડરને લઈ મોનિટરિંગ થઇ રહ્યું છે. બરોડા મેડિકલ કોલેજમાં ભીતિ સર્જાઈ હતી કે, ટૂંક સમયમાં હોસ્ટેલમાં સિલિન્ડર ખૂટી પડશે. મેસ સંચાલકોને સિલિન્ડર મળી નથી રહ્યા. એક તબક્કે મેસ સંચાલકોએ તંત્ર સમક્ષ ઇન્ડક્શન સગડી ચલાવવા રજૂઆત કરતાં તંત્રે પરવાનગી પણ આપી દીધી હતી. ઉલ્લેખનિય છે કે, મેસ સંચાલકના કરારમાં ઈન્ડક્શન સગડી પર જમવાનું બનાવવા પર પાબંદી મૂકાઈ છે. આખરે મોડી સાંજે સિલિન્ડરનો સ્ટોક આવી જતાં રાહત થઈ હતી. બીજી બાજુ ગોત્રી જીએમઈઆરએસ હોસ્ટેલની મેસમાં દિવસમાં 2 વાર મોનિટરિંગ કરાય છે. જેમાં સિલિન્ડરના સ્ટોકની માહિતી લેવાય છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:47 am

પાલિકાની રિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનરનું કડક વલણ:રસ્તાઓ પરનો ડામર પીગળતાં મ્યુનિ. કમિશનર ઉકળ્યા, અધિકારીઓને રેતી નખાવવા,કોન્ટ્રાક્ટરને દંડ કરવા તાકીદ

શહેરમાં 3 દિવસથી પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે રોડ પરનો ડામર પીગળતાં વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની થઈ રહી છે. પાલિકાની બેઠકમાં રોડ પર ડામર પીગળવાની ઘટનામાં મ્યુનિ. કમિશનરે ગંભીરતા દાખવી છે. ઝોનના અધિકારીઓને રોડ પર ફરવા સાથે રેતીનો છંટકાવ કરવા અને કોન્ટ્રાક્ટરો સામે પેનલ્ટી વસૂલવા સુધીની કાર્યવાહી કરવા સૂચના આપી છે. શહેરમાં તાપમાનમાં એકાએક વધારો થતાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેની અસર હલકી ગુણવત્તાના રોડ પર પડી રહી છે. અનેક રોડ પર ડામર પીગળી જવાની ઘટના બાદ મ્યુનિ. કમિશનરે પણ પેનલ્ટી ફટકારવા સહિતની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ પણ નવાયાર્ડ અને અટલાદરા-કલાલી રોડ પર ડામર પીગળી જવાની ઘટના બની હતી. જેમાં માત્ર રેતી નાખી ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો. પાલિકામાં મળેલી રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રોડ પર ડામર પીગળવાની ઘટનાને ગંભીર ગણાવી હતી. તેઓએ અધિકારીઓને ફીલ્ડમાં જઈ રોડનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે. તદુપરાંત જો ડામર પીગળે તો તેના પર રેતી છંટાવવા અને હલકી કક્ષાની કામગીરી હોય તો કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા તાકીદ કરી છે. પાલિકા દ્વારા 100 રોડ પૈકી 56 રોડની સફાઈ કરાઈપાલિકાની રિવ્યૂ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી એક મહિનામાં પૂર્વ અને દક્ષિણ વિસ્તારને 12.50 કરોડ લિટર પાણી મળે તેની ચિંતા કરાઈ હતી. આ સિવાય 100 દિવસ-100 રોડની સફાઈ અભિયાન અંતર્ગત 56 રોડની સફાઈ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં વારંવાર રોડની સફાઈ કરવામાં આવશે. રિવ્યૂ બેઠકમાં વિશ્વામિત્રી નદી, સફારી પાર્ક, સ્વિમિંગ પુલ સહિત 20 મુદ્દા પર ચર્ચા કરાઈરિવ્યૂ બેઠકમાં મ્યુનિ. કમિશનર અરુણ મહેશ બાબુએ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભવિષ્યમાં થનારા કામ અંગે ચર્ચા કરી હતી. તદુપરાંત આજવા સફારી પાર્ક, હાઈસ્પીડ રેલવે કોરિડોર વિસ્તારને ડેવલપ કરવાના, લિનિયર પાર્ક, એરપોર્ટ રોડ વિકસાવવો, સિટીનો માસ્ટર પ્લાન, 6 ટ્રાફિક કોરિડોર, કમાટીબાગ પ્લેનેટોરિયમને શરૂ કરવા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ બનાવવા સહિત 20 કામો પર ચર્ચા કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:40 am

ભાસ્કર એક્સક્લુસિવ:વડોદરા નજીકનાં RTOમાં ટેસ્ટ ટ્રેક શરૂ, ટેસ્ટ આપ્યા વિના લાઇસન્સ લેવા જનારા 2 હજાર લોકો અટવાયા

રાજ્ય સરકારે એઆઇ બેઝ આરટીઓ ટેસ્ટ ટ્રેક શરૂ કરવા કવાયત કરી છે. બીજી બાજુ વડોદરાની નજીકનાં તમામ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક કાર્યરત કરાયાં છે. જેથી આરટીઓ એજન્ટોનો ઘરે બેઠાં લાઇસન્સ કઢાવી આપવાનો ગોરખધંધો બંધ થયો છે. ટેસ્ટ ટ્રેક ન હોય તેવા આરટીઓમાં વડોદરાના લોકો પાસેથી લાઇસન્સ કઢાવી આપી 10 થી 15 હજાર પડાવાતા હતા, જે હવે બંધ થયું છે. વડોદરાથી બે મહિનામાં આણંદ, ગોધરા અને છોટાઉદેપુરમાં લર્નિંગ લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. હવે ટેસ્ટ ટ્રેક કાર્યરત થતાં લર્નિંગ લાઇસન્સ પૂરું થાય ત્યાં સુધી રાહ જોયા બાદ 6 મહિને ફરી વડોદરામાં લર્નિંગ લાઇસન્સ કઢાવી અત્રે ટેસ્ટ આપવો પડશે. અગાઉના આરટીઓમાં ટેસ્ટ આપે અને વારંવાર નાપાસ થાય તો દૂર સુધી ધક્કો ખાવો પડે. બીજી તરફ વડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનારાની સંખ્યા પણ વધી છે. એક મહિલાએ 5 ટેસ્ટ આપ્યા છતાં નાપાસ થઈવડોદરાથી અન્ય આરટીઓમાં લાઇસન્સ કઢાવનારા 2 હજાર લોકો અટવાયા છે. અત્રે આજે ટેસ્ટ આપનાર સુરક્ષા એજન્સીની એક મહિલા 5 વાર ટેસ્ટ આપવા છતાં પાસ થઇ નથી. > પી.જે. પંચાલ, હનુમંત ઓટો એડવાઇઝર એજન્સી ઉમેદવારોની ચાલાકી બંધ કરવા ટેસ્ટ ટ્રેક શરૂ કર્યાટેસ્ટ ટ્રેક ન હોય ત્યાંથી લાઇસન્સ કઢાવવાની પ્રવૃત્તિ બંધ થાય તે માટે સરકારે ટ્રેક શરૂ કર્યા છે. ટેસ્ટ આપનારા 10 ટકા વધ્યા છે. > કેતન ખપેડ, આરટીઓ, વડોદરા વડોદરામાં ટેસ્ટ આપનાર 60 ટકા મહિલા નાપાસ થાય છેવડોદરા આરટીઓમાં ટેસ્ટ આપનાર ઉમેદવારો પૈકી 60 ટકા મહિલા નાપાસ થાય છે. આરટીઓ કન્સલ્ટન્ટે જણાવ્યા મુજબ જે મહિલાની ટ્રેક પાસ કરવાની ક્ષમતા હોતી નથી, તે ટ્રેક ન હોય ત્યાં લાઇસન્સ કઢાવાનું પસંદ કરતી હતી. હવું આવું નહીં થઈ શકે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:37 am

સિટી એન્કર:સૂતી વખતે શ્વાસ રુંધાતો હોય તો સ્લીપ એપનિયા હોઈ શકે છે, હૃદય સહિતની ગંભીર બીમારીની શક્યતા, શહેરમાં આવા 5 હજાર દર્દીઓ

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા 13 માર્ચે વર્લ્ડ સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ‘સારું ઊંઘો અને સારું જીવો’ની થીમ પર સ્લીપ ડેની ઉજવણી કરવામાં આવશે. સારી ઊંઘ ન મળવાને કારણે ઘણી બીમારીઓ થઈ શકે છે, જેમાંથી મુખ્ય બીમારી સ્લીપ એપનિયા છે. જેમાં સૂતી વખતે વારંવાર શ્વાસ લેવાનું બંધ થઈ જાય છે અને ફરી શરૂ થાય છે. હાલના સમયમાં લોકોમાં સ્લીપ એપનિયા ઝડપથી વધી રહ્યો છે. જેને કારણે હૃદય રોગ અને અન્ય ગંભીર સમસ્યાની શક્યતા વધે છે. હાલ શહેરમાં 5 હજારથી વધુ દર્દી સ્લીપ એપનિયાથી પીડાઈ રહ્યા છે. આ અંગે ડૉ.દર્શન બેંકરે કહ્યું કે, સ્લીપ એપનિયાને કારણે હૃદયની બીમારી વધવાની શક્યતા રહે છે. અમારી ઓપીડીમાં 20 થી 25 ટકા દર્દીને સ્લીપ એપનિયાની તકલીફ હોય છે. જેમાં હાઈપર ટેન્શન થાય છે અને બ્લડ પ્રેશર વધે છે. આ રોગથી હૃદય પણ બંધ પડી જાય છે સાથે હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે. આ રોગમાં વ્યક્તિ ઊંઘતો હોય ત્યારે ઓક્સિજન ઘટી જાય છે અને હૃદયના ધબકારા ઘટી જાય છે. જ્યારે ડૉ.મહેશ બસર્ગેએ જણાવ્યું કે, સ્લીપ એપનિયામાં દર્દીના શ્વાસ રુંધાઈ જાય છે અને તેના કારણે તે ઊઠી જાય છે. જેથી તે દિવસ દરમિયાન ઘેનમાં રહે છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કાબૂમાં ન રહેવો જેવી તકલીફ રહે છે. જેને કારણે હ્રદય રોગનો હુમલો, નળીઓ બ્લોક થવાની સંભાવના વધી જાય છે. સાથે નસકોરાં બોલવવા એ સ્લીપ એપનિયાનું લક્ષણ છે. લોકો નસકોરાને અવગણી સ્લીપ સ્ટડી કરાવતા નથી. લોકો નસકોરાને બીમારી સમજતા જ નથી અને ચેકઅપ નથી કરાવતા. દર્દીને જે તે સમયે ખ્યાલ આવતો નથી પણ લાંબા સમયે ઘણી બધી સમસ્યા થઈ શકે છે. મોટાપાને કારણે સ્લીપ એપનિયાનું જોખમ વધે છેમોટાપાથી સ્લીપ એપનિયાનું જોખમ વધી જાય છે. મોટાપાને કારણે ગળાની આસપાસ ચરબી જમા થાય છે, તેને કારણે શ્વસન નળી સંકોચાય છે. જેથી રાત્રી દરમિયાન શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જવાને કારણે વ્યક્તિ નસકોરાં બોલાવે છે. ઓક્સિજન ઘટવાથી અન્ય અવયવોને તકલીફ પડે છે અને તેના કારણે હૃદય રોગના હુમલાનું જોખમ વધે છે. લોકો માને છે કે, નસકોરા એ સારી ઊંઘની નિશાની છે, પણ તેવું નથી. > ડૉ.અમિત દવે, પલ્મોનોલોજિસ્ટ

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:35 am

બોર્ડની પરીક્ષા:મોરબી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય, વિજ્ઞાન પ્રવાહમાં 20 છાત્ર ગેરહાજર

રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જે અંતર્ગત મોરબી જિલ્લામાં ધોરણ 12ના વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયનું પેપર લેવાયું હતું જેમાં કુલ 4,043 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 4,027 વિદ્યાર્થી હાજર રહ્યા હતા ત્યારે 16 વિદ્યાર્થી ગેરહાજર હતા. અંગ્રેજી માધ્યમમાં 166 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આમ કુલ 4,209 વિદ્યાર્થીમાંથી 16 વિદ્યાર્થી ગેરહાજર અને 4,193 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં આજે ગુજરાતી વિષયનું અને સંસ્કૃત વિષયનું પણ પેપર આજે લેવાયું હતું, જેમાં ગુજરાતી ભાષામાં કુલ 244 વિદ્યાર્થીમાંથી 241 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, ત્યારે સંસ્કૃત વિષયમાં 1480 વિદ્યાર્થીમાંથી 1479 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:31 am

ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં કારે રિક્ષાને અડફેટે લેતા બે બાળક સહિત ચાર ઘાયલ

મોરબીના ઘુનડા રોડ પર આવેલા વૈદેહી ફાર્મ પાસે અકસ્માતની એક ઘટના સામે આવી છે. જેમાં સામેથી આવતી કારના ચાલકે એક રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં સવાર 4 લોકોને ઇજાઓ પહોંચી છે. ઘટનાના પગલે આસપાસ લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવા તજવીજ શરૂ કરી હતી. ઘટનાની તપાસ શહેર પોલીસ ચલાવી રહી છે અને ફરાર ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મોરબીના સજનપર રોડ પર રહેતો પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક વિક્રમ અબ્રાહમ ભરવાડિયા (ઉ.વ. 20), માયા અર્જુન ભરવાડિયા (ઉ.વ. 22), જાગુ અર્જુન ભરવાડિયા (ઉ.વ. 2) અને માત્ર 4 મહિનાના માસૂમ રાજ અર્જુન ભરવાડિયાને ઇજાઓ પહોંચી છે. અકસ્માત સર્જાતા જ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:26 am

જન્મદિવસની અનોખી ઉજવણી:મોરબીમાં સત્સંગ સભા યોજી સ્ત્રી સશક્તિકરણનું માર્ગદર્શન આપી પિતાએ પુત્રીનો બર્થડે ઉજવ્યો

મોરબીના ચામુંડાનગરમાં રહેતા સામાન્ય વર્ગના ચાવડા સુરેશભાઈ રામજીભાઈની પુત્રી હર્ષાબેન કુલદીપભાઈ રાઠોડનો મહિલા દિવસે જન્મદિવસ હોવાથી નારી શક્તિ વિશે સમાજને વિસ્તૃત જ્ઞાન આપવા પ્રેમાળ પુત્રીના જન્મદિવસને યાદગાર બનાવવા સત્સંગસભાનું આયોજન કરાયું હતું. સત્સંગ સભામાં પીપળીમાં આવેલ કિરણ આશ્રમના સંત કિરણબેને પરમ આધ્યાત્મિક વાણીની સાથે કુટુંબ, સમાજ અને દેશમાં નારી યોગદાનની વાત કરી સિક્કાની બે બાજુની જેમ પુરુષ પ્રધાન સમાજમાં ક્યાંકને ક્યાંક સ્ત્રીનું હિત અને સ્વમાન જળવાતું ન હોય તો બીજી તરફ કેટલીક સ્ત્રીઓના અહંકારથી આખા ઘરનું સુખ હણાય જતું હોય અને કુટુંબ ક્લેશમાં મોટાભાગે સાસુ, વહુ, નંણદ ભોજાઈ સહિતની ઘરની સ્ત્રીઓના એકબીજાના વર્ચસ્વ અને સ્વમાનનો પ્રશ્ન જવાબદાર હોય છે. એટલે ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવી હોય દરેક સ્ત્રીને સમજણ કેળવવાની શીખ આપી હતી. આ તકે હર્ષાબેને કહ્યું હતું કે, મારા પિતા સુરેશભાઈએ સામાન્ય આવકમાં પણ સારું શિક્ષણ અપાવી ઉચ્ચ સંસ્કાર સાથે જીવનનું ઘડતર કરી સાસરે વળાવી હતી. સાસુ-સસરાને માબાપ સમજીને એમની સેવામાં તારું જીવન અર્પણ કરી દેજે અને એમની લાગણી ક્યારેય દુભાય એવી વાણી કે વર્તન કરીશ નહિ. સત્સંગ સભામાં શ્રાવકોને સંત કિરણબેને આધ્યાત્મિક વાણી પીરસી હતી. રવિ બરાસરા

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:24 am

શ્રમિકોનું વતન તરફ પ્રયાણ:મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશને એડવાન્સ ટિકિટમાં વધારો, સિરામિક ઉદ્યોગના 400થી વધુ એકમ બંધ થયા

ઈરાન - ઇઝરાયેલ અમેરિકા યુદ્ધની અસરને પગલે અચાનક પ્રોપેન ગેસનો પુરવઠો મળતો બંધ થતા હવે મોટાપાયે ફેકટરીઓમાં શટ ડાઉન થઇ ગયું છે અને જે ફેક્ટરી પાસે ગેસનો જથ્થો જેટલો ઉપલબ્ધ છે તેટલા સમય સુધી ફેક્ટરી ચાલુ રાખશે. જેના કારણે આ સપ્તાહ બાદ મોટાભાગની ફેક્ટરી બંધ થવાની તૈયારી છે. આજની સ્થિતિએ 400થી વધુ એકમ બંધ થઇ જતા હવે મજૂરો માટે રોજગારીનો પ્રશ્ન સર્જાઈ શકે છે. બીજી તરફ મોટા ભાગના શ્રમિકો ખાનગી કમ્પનીના ગેસ સીલીન્ડરનો ઉપયોગથી રસોઈ કરતા હોય છે. ગેસના વધતા ભાવને પગલે તેમની રોજીંદા ખર્ચમાં પણ ઝડપથી ઉછાળો આવે તેવી શક્યતા છે અને ફેકટરીઓ કેટલો સમય બંધ રહેશે તેની પણ કોઈ સમય મર્યાદા નથી આવી સ્થિતિમાં હવે મજૂરો ફેકટરીઓમાં તેમના વતન તરફ વાટ પકડી રહ્યા છે. ખાસ કરીને યુ પી, બિહાર,એમપી રાજસ્થાન અને ઓરિસ્સાના શ્રમિકો રેલ્વે સ્ટેશનમાં તેમના વતની ટ્રેનના બુકિંગ માટે આવી રહ્યા છે. મોરબી રેલ્વે સ્ટેશનમાં ચાલુ સપ્તાહમાં દૈનિક 300થી વધુ ટીકીટનું એડવાન્સ બુકિંગ થઇ રહ્યું છે અગાઉ આ આંકડો 150ની આસપાસ હતો આવી સ્થિતિ નઝરબાગ મકનસર તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનમાં પણ બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે મજૂરો ઝડપથી પોતાના વતનની ટ્રેનની ટીકીટની ખરીદી માટે આવી રહ્યા છે જેના કારણે આગામી દિવસોમાં ફરી શ્રમિકોનું પલાયન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત મોરબીના ઔદ્યોગિક વિસ્તારના મજૂરોને એમપી યુપી કે રાજસ્થાન તરફ લઇ જતી બસમાં પણ વતન તરફ જતા મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. મોરબીના સિરામીક ઉદ્યોગકારો તો શ્રમિકોને આવનાર સમય સાચવવા તૈયારી દાખવી રહ્યા છે પરંતુ ફેક્ટરી કેટલો સમય બંધ રહેશે તેનો અંદાજ નથી આવી સ્થિતિમાં ફેક્ટરી સંચાલકો પણ ક્યાં સુધી સાચવશે તેવા ભયથી મજૂરો વતન તરફની વાટ પકડી રહ્યા છે. ટિકિટ લેવા આવ્યા છીએ હવે ઘરે જવાની તૈયારીમારું નામ શ્રવણ કુમાર સોની નામ છે અમે યુપીના વતની છીએ અમે રેલ્વે સ્ટેશનમાં ટીકીટ લેવા આવ્યા છીએ અત્યાર સુધી બરાબર ચાલતું હતું જોકે ફેક્ટરી બંધ થવાથી હવે ઘરે તરફ જવાની તૈયારી કરી રહ્યા છીએ ટીકીટ લેવા આવ્યા છીએ ફેક્ટરી બંધ થવાથી અહી અમે ઘરે જઈ છીએ. મોરબીથી ટ્રેન નહીં વાંકાનેર, રાજકોટથી બુકિંગ મોરબીમાં લાંબા અંતરની ટ્રેન ન હોવાથી મોટા ભાગના શ્રમિકો રાજકોટ અથવા વાંકાનેરનું તેમજ રાજસ્થાનના શ્રમિકો માળિયા કે હળવદ રેલ્વે સ્ટેશન ટ્રેન પકડવા અહીંથી બુકિંગ કરે છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:23 am

બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો

વાંકાનેર શહેરમાં વોરા સમાજના જમાતખાનામાં જમવા બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે શખ્સોએ યુવકની દાઢી ખેંચી, આંગળીમાં બચકું ભર્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન મહિના દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હુસેનભાઈ મહંમદહુસેન વેદ જમાતખાનામાં જમવા ગયા હતા. તે સમયે જમવા બેસવાની બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જતા હુસેનભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીની દાઢી ખેંચી હતી તેમજ તેમની આંગળીમાં બચકું ભર્યું હતું. વધુમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હુસેનભાઈ વેદે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરતજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:20 am

મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં

મોરબીમાં હમણાં જ વીજતંત્રએ લાંબા સમયથી વીજ બિલ ભરવામાં નાદારી કરતા બાકીદારોને વીજ જોડાણ કટની નોટિસ ફટકારી વીજબીલની આકરી વસુલાત કરી હતી અને ઘણાના વીજ જોડાણ કટ પણ કરી નાખ્યા હતા. તેવી રીતે નગરપાલિકા વખતથી મનપા સુધી મોટી રકમનું વીજ બિલ બાકી હોવાથી મનપાને પણ વીજતંત્રએ નોટિસ ફટકારી હતી. પણ તંત્રએ વીજ જોડાણ કટ ન કરતા કોંગ્રેસે ભારે કાગારોળ મચાવી વીજતંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. આથી શરમમાં મુકાતા જવાબદારીનું ભાન થતા મનપાએ રાતોરાત લાંબા સમયથી રૂ.16.33 કરોડના બાકી બિલ ભરીને સિંહ માર્યો હોય તેવું જાહેર કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના પીજીવીસીએલના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે મનપા બન્યાને પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને પાલિકા વખતના બીલ બાકી હતા તો અત્યાર સુધી તંત્રએ ચલાવી કેમ લીધુંં?! આ મામલે શહેરમાં ચર્ચા ઉઠી છે કે સામાન્ય ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતી વીજ કંપનીએ મનપા સામે લાંબા સમય સુધી શા માટે નરમ વલણ દાખવ્યું તેની પણ તપાસ થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:19 am

હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વધી રહેલા તાપમાન અને હવામાન વિભાગની હીટવેવની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી હસ્તકના તમામ જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો અને બેંક-પોસ્ટના આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અસહ્ય ગરમી અને લૂથી બચવા માટે હવે આ કેન્દ્રો પર બપોરના સમયે કામગીરી સ્થગિત રાખી, સવાર અને સાંજ એમ બે પાળીમાં અરજદારોનું કામ કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આકરા ઉનાળાના આરંભ થઈ ગયો છે. સાથે હાલ ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાને ધ્યાને રાખીને, નાગરિકોને હીટવેવની વિપરિત અસરોથી બચાવવા માટે કલેક્ટર કચેરી દ્વારા જનસેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રોના કાર્યકાળના સમયમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લાની કલેક્ટર કચેરી, તમામ તાલુકાના જનસેવા કેન્દ્રો, ઇ-ધરા કેન્દ્રો તેમજ બેંક અને પોસ્ટ ઓફિસમાં કાર્યરત તમામ આધાર કેન્દ્રોના સમયમાં ફેરફાર લાગુ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ કેન્દ્રો સવારના 10-30થી સાંજના 6-10 કલાક સુધી કાર્યરત રહેતા હતા, પરંતુ હવે હિટવેવને પગલે નવો સમય નક્કી કરવામાં આવ્યો છે. જે મુજબ હવે આ બધા જ કેન્દ્રો 2 સત્રમાં ચાલશે. જેમાં બપોરે 1થી 4 સુધી કામગીરી બંધ રહેશે. નવો સમય પત્રક 31-5 સુધી રહેશે નવા નક્કી કરાયેલા સમય મુજબ, હવે આ કેન્દ્રો સવારે 9થી બપોરે 1 કલાક સુધી અને ત્યારબાદ બપોર પછી 4થી સાંજના 6 કલાક સુધી જનતા માટે ખુલ્લા રહેશે. બપોરે 1થી 4 દરમિયાનના અસહ્ય તાપના સમયગાળામાં જાહેર જનતાની કામગીરી બંધ રહેશે. જેથી હીટવેવની સીધી અસરથી બચી શકાય. આ નવા સમયપત્રકની અમલવારી તા.13-3-2026થી શરૂ થઈને તા.31-5-2026 સુધી અમલમાં રહેશે - કે.આર. પટેલ, નિવાસી અધિક કલેક્ટર

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:16 am

ભાસ્કર ફોલોઅપ:3 ફૂટની દીવાલ ઉપર 3 ફૂટની નવી દીવાલ ચણતાં દુર્ઘટના ઘટી‎

પાટડીના કચોલીયા ગામે 7 માર્ચે સ્નાનાઘાટની દીવાલ ધરાશાઈ થતાં 38 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. દિવ્ય ભાસ્કરની તપાસમાં સામે આવ્યું હતું કે, કચોલીયામાં 3 ફૂટની જૂની દીવાલવાળા હોજ પર નવી 3 ફૂટ ઊંચી દીવાલ બનાવી, જે પાણીના પ્રેસરથી વજન ન ઝીલતા દીવાલ તૂટતાં 38 વર્ષની મહિલાનો ભોગ લેવાયો હતો. જેમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. દિવ્ય ભાસ્કરની તપાસમાં વિગતો સામે આવી કે, અગાઉ તળિયેથી 3 ફૂટ ઊંચાઈમાં ચારે બાજુ દીવાલવાળો હોજ હતો. આ દીવાલ પર 3 ફૂટ હાઈટ ઊંચો ઉપાડવાની કામગીરી પંચાયતે કરાવી હતી. જેથી પાણીની સ્ટોરેજ કેપેસિટી ડબલ થઈ ગઈ હતી. પરંતુ નીચે જૂનું બાંધકામ હોય પાણીના પ્રેસરથી નીચેથી દીવાલો તૂટી પડી હતી. જેના કારણે ત્યાં કપડા ધોઈ રહેલી મહિલા પર દીવાલ પડતા દટાઈ જવાથી સ્થળ પર જ મહિલાનું મોત થયું હતું. FSL અધિકારીએ નમૂના લઈ ગયા છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કામ કરાયું હોવાનું સામે આવતા તપાસના આદેશ કરાયા છે. સામાજિક આગેવાન કિરિટ રાઠોડે જણાવ્યું કે, આ ઘટનામાં માર્ચ માસમાં ગ્રાન્ટ લેપ્સ ના જાય એટલે પ્લાન એસ્ટિમેન્ટ કે વર્ક ઓર્ડર વગર કે તાલુકા પંચાયતની મંજૂરી વગર માત્ર ઠરાવ પસાર કરીને જ આ કામ કરાયું હોવાથી 10 મુદ્દા સાથે ન્યાયિક તપાસની માંગ સાથે લેખિત આવેદનપત્ર આપ્યું હતું. નાયબ ડીડીઓ દ્વારા તપાસના આદેશઆ અંગે પાટડીના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી નિલેશભાઈ પંચાલે જણાવ્યું કે, આ કામનો પ્રાથમિક રિપોર્ટ તો કરી દેવામાં આવ્યો છે. આ કામમાં માત્ર ઠરાવ કરીને કામ કર્યું હોવાનું સામે આવ્યું છે, આ કામમાં તાલુકા પંચાયતની કોઈ જ મંજૂરી લેવામાં આવી નથી. આથી આ બાબતે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ કચોલીયા ગામે તળાવ પાસે આવેલા પાણીના હોજની દીવાલ પડી જવાથી મહિલાના મોત મામલે આ મિલ્કત કયારે બનાવવામાં આવેલ છે ? તથા ગ્રામ પંચાયતમાં ખર્ચ કે ઠરાવ કરેલ છે કે કેમ ? તથા આ અંગેના પ્લાન-એસ્ટિમેન્ટ / વહીવટી મંજૂરી /વર્ક ઓર્ડર મેળવેલ છે કે કેમ ? તથા આ અંગેના તમામ સાધનિક કાગળો તથા આ બનાવ કઈ રીતે બનવા પામેલ છે ? તે અંગેના રોજકામ સહિત સાધનિક કાગળો સાથેનો અહેવાલ દિન-3માં રજૂ કરવા ટીડીઓ દ્વારા તલાટી કમ મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:14 am

લોકોનું બજેટ ખોરવાયું:ઘરેલુ ગેસના 14 કિલોના 60 અને કોમર્શિયલના 19 કિલોના 100, 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો

મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધની સ્થિતિને લઇ હાલ ગેસના સતત ભાવ વધારો થતા લોકોના બજેટ ખોરવાઇ રહ્યા છે. હાલ ઘરેલુ ગેસના 14 કિલોના 60, કોમર્શિયલના 19 કિલોના 100 અને 5 કિલો કોમર્શિયલમાં રૂ. 28નો વધારો થયો છે. સુરેન્દ્રનગરમાં મહિને 3.20 લાખ ઘર વપરશ અને 50 હજાર કોમર્શિયલ ગેસ બાટલાનું વેચાણ થતું હોવાથી ભાવ વધારાને લઇ લોકો માથે દર મહિને 6.50 કરોડનું ભારણ વધે તેમ છે. મીડલ ઇસ્ટના દેશોમાં યુધ્ધને પગલે કોમર્શિયલ ગેસના સપ્લાય પર કાપની અસર વર્તાઈ રહી છે. જેને પગલે ઘરેલુ ગેસના ભાવમાં થોડા સમયમાં રૂ.60ના ભાવ વધારા સાથે 14 કિલો બાટલાના 919 થયા જ્યોર કોમર્શિયલમાં 19 કિલોના બાટલામાં રૂ.100 વધારા સાથે 1944 અને કોમર્શિયલ ગેસના 5 કિલોના રૂ. 28ના વધારા સાથે 553 ભાવ થયો છે. જેમાં જિલ્લામાં મહિને 3.20 લાખ ઘેરલુ વપરશ અને 50 હજાર કોમર્શિયલ બાટલાની જરૂર હોય છે. 5 વર્ષમાં ઘરેલુ, કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં અનેક ફેરફાર

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:13 am

ઇમાનદારીના દર્શન થયા:સુરેન્દ્રનગરની મહિલાએ મળેલું સોનાનું મંગળસૂત્ર પરત કર્યુ

સુરેન્દ્રનગરમાં મહેતા જ્વેલર્સની બહાર રોડ પરથી એક મહિલાને બે તોલાનું સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું. રાધિકાબા અજયરાજસિંહજી નામના ગ્રાહકે આ મંગળસૂત્ર દુકાન માલિકને પરત કર્યું હતું. નવલગઢના રાધિકાબા અજયરાજસિંહજીને દુકાનની બહાર રોડ પરથી આ મંગળસૂત્ર મળ્યા બાદ તેમણે મહેતા જ્વેલર્સના સંચાલકોને જાણ કરી હતી. દુકાનના સીસીટીવી કેમેરા તપાસતા આ મંગળસૂત્ર વણા ગામના સોનલબેનનું હોવાનું જાણવા મળ્યું હતું. સંપૂર્ણ ખાતરી કર્યા બાદ, મહેતા જ્વેલર્સ દ્વારા સોનલબેનને તેમનું મંગળસૂત્ર પરત સોંપાયુ હતું.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:08 am

સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિના સમૂહલગ્ન યોજાયા:જોરાવનગરના સમૂહ લગ્નમાં 6 નવદંપતીના પ્રભુતામાં પગલાં

સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ, જોરાવનગર દ્વારા 27માં સમૂહ લગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ હતું. આ પ્રસંગે 6 નવદંપતીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનના શ્રીગણેશ કર્યા હતા. 27 વર્ષથી સતત ચાલતી આ પરંપરાએ સમાજમાં આર્થિક બચત અને સાદગીનો પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો છે. સેવાકીય પરંપરાના 27 વર્ષ પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં કુલ 290 નવદંપતી જોડાયા છે. આ અવસરે નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવદંપતીઓને આશીર્વાદ પાઠવતા જ્ઞાતિ મંડળની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સમૂહ લગ્નમાં મુખ્ય યજમાન પદે છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવારે સેવા આપી દીકરીઓને ભેટ અર્પણ કરી હતી. ઉદારદિલ દાતાઓ દ્વારા દીકરીઓને ઘરવખરી સહિતનો સંપૂર્ણ કરિયાવર ભેટમાં આપવામાં આવ્યો હતો. જોરાવનગર સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળે 27 વર્ષમાં કુલ 290 નવદંપતીઓના સમૂહ લગ્ન કરાવી મંડળે સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:08 am

રાષ્ટ્રીય શાયરને સ્વરાંજલિ અપાઈ:પાંચાળની પાવન ધરા પર ભક્તિ તેમજ લોક સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ રચાયો

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં પ્રારંભ થયો છે. ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓ વચ્ચે પાંચાળની ધરા ગુંજી ઉઠી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જ જન્મભૂમિ પર આયોજિત આ કાર્યક્રમમાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ચોટીલા ઉત્સવના પ્રથમ દિવસે લોકસાહિત્ય અને ભક્તિ સંગીતની સરવાણી વહી હતી, જેમાં મોટી સંખ્યામાં ભકતો અને કલાપ્રેમી જનતા ઉમટી પડી હતી.આ પ્રસંગે ઉપસ્થિત કલેક્ટર કે.એસ.યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ચોટીલા એ માત્ર શક્તિધામ તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં વિખ્યાત છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ હંમેશા કલાના સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. તેમણે ‘રંગ મેઘાણીફોક ફ્યુઝન મ્યુઝિક શો જેવી પ્રસ્તુતિઓની વિશેષતા સમજાવતા કહ્યું કે, મેઘાણીજીના જીવન – કવન અને સાહિત્યને આધુનિક શૈલી થકી નવી પેઢીને પણ સરળતાથી આપણા ભવ્ય વારસા, દુહા - છંદ અને લોકસાહિત્યના ઇતિહાસ સાથે જોડવાનું ભગીરથ કાર્ય શક્ય બને છે. મુખ્ય આકર્ષણ તરીકે અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી ફોક ફ્યુઝન મ્યુઝિક શો રજૂ કરાયો હતો, જેમાં આધુનિક શૈલીમાં રજૂ થયેલી મેઘાણીજીની અમર રચનાઓ અને સોરઠાની પ્રસ્તુતિએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા લાવણી નૃત્ય સાથે ગણેશ વંદના, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા પ્રખ્યાત હુડો રાસ તેમજ ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના પાવરી નૃત્યની પ્રસ્તુતિએ સાંસ્કૃતિક વિવિધતાના દર્શન કરાવ્યા હતા. આ તકે તમામ કલાકારોને મોમેન્ટો અને પ્રમાણપત્ર અપાયા હતા.આ પ્રસંગે ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા મંદિર મહંત લાલબાપુએ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:07 am

હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:હળવદ : બોલેરો ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા 1નું મોત

હળવદના જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ઇદ્રીશભાઈ રસુલભાઈ માણેકે બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ ચાર રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર નજીકથી તેઓ ડબલ સવારી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે બોલેરો ગાડીના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ બનાવમાં બાઈકમાં પાછળના ભાગે બેઠેલ સાહેદ હમીરભાઇને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:05 am

રખડતાં શ્વાનને અંકુશમાં લાવવવા પહેલ:સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રખડતાં શ્વાનનો સર્વે ફોટો સાથે બાયોડેટા બનાવી ખસીકરણ કરાશે

સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. સ્ટ્રીટ ડોગ્સની સંખ્યા અને સ્થિતિ અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે કામગીરી શરૂ કરાઇ છે. ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મનપાએ શહેરમાં રખડતાં કૂતરાંઓ ઉપર અંકૂશ મેળવવા અમદાવાદની એજન્સીને સર્વે કામગીરી સોંપી છે. ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા 1 મહિનામાં બે ઝોન પાડી સોફ્ટવેરની મદદથી તમામ વિગતો ડિજિટલ કરશે. જેમાં શ્વાનના લીંગ, તદુરસ્તી, ખોડખાપણ અને કદ સુધીની વિગત આવી જશે. સુરેન્દ્રનગર મનપા દ્વારા વર્ષ 2030 સુધીમાં શહેરને રેબીસ ફ્રી સિટી બનાવવાનો લક્ષ્ય રખાયો છે. આથી અમદાવાદ સ્થિત અનુભવી અને એક્સપર્ટ ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા ડોગ્સની ગણતરી, તેમની સ્થિતિ અને સ્થળની માહિતી ડિજિટલ એપ અને જીઓ-મેપિંગ દ્વારા નોંધવામાં આવશે. આ પ્રક્રિયા વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં અસરકારક આયોજન શક્ય બને.સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગોલ ફાઉન્ડેશન દ્વારા શહેરના નાગરિકોને આ કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવે છે. નાગરિકોના સહકારથી જ શહેરમાં રેબીસ નિયંત્રણ અને સ્ટ્રીટ ડોગ મેનેજમેન્ટ સફળતાપૂર્વક અમલમાં આવી શકશે. ખસીકરણ બાદ 6 દિવસ ઓબઝર્વમાં રખાશે‎સોફ્ટવેરમાં ઓનલાઇન એન્ટ્રીથી ડોગની સંપૂર્ણ વિગત આવી જશે. શ્વાનનો કુલ આંકડો મળી ગયા બાદ પાંજરાની વ્યવસ્થા કરાશે. ખસીકરણ કર્યા બાદ ડોગને 6 દિવસ ઓબઝર્વમાં રખાશે. ત્યારબાદ તે વિસ્તારમાં જ મુકત કરાશે. > ભાવિકભાઇ શાહ, ગોલ ફાઉન્ડેશન બાયોડેટાાં આ વિગતો હશે મહિને 425 ડોગબાઇટના કેસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતાં કૂતરાંઓનો ત્રાસ ઘણો છે. થોડા સમયમાં પહેલાં એક સાથે 40 લોકોને કરડવાનો બનાવ બન્યો હતો. આમ દર મહિને 425થી વધુ લોકોને કૂતરાં કરડે છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:04 am

ફરિયાદ:અમરેલીમાં પતિએ કહ્યું નહીં કરતા પત્નીને લાફા ઝીંક્યા

અમરેલીના બટારવાડી વિસ્તારમાં પતિ દ્વારા પત્નીને માર મારી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈ કાલે સાંજે આશરે 5 વાગ્યાના સમયે અમરેલીના બટારવાડી વિસ્તારમાં રહેતી રેશમાબેન શકીલભાઈ ચૌહાણ (ઉ.વ.24)એ ફરિયાદ નોંધાવી હતી. કે, તેમના સાસુ દ્વારા તેમના વિરુદ્ધ અરજી કરાતા પોલીસે તેમને બોલાવ્યા હતા પરંતુ રેશમાબેન ત્યાં ન જતા તેમના પતિ શકીલ ઇકબાલભાઈ ચૌહાણ ઉશ્કેરાયા હતા, બાદ પત્નીએ ચીડવવાની ના પાડતા પતિએ ઉશ્કેરાઈ જઈ માર મારી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અમરેલી પોલીસે શકીલ ઇકબાલભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

આયોજન:અમરેલીમાં એક સપ્તાહમાં રૂપિયા 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

અમરેલી જિલ્લામાં તા.1 માર્ચથી 8 માર્ચ દરમિયાન રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે આશરે રૂ. 75 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં થયેલા આ વિકાસકાર્યોમાં શિક્ષણ, વીજળી, પીવાનું પાણી, જળસંચય-સિંચાઈ, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ તથા પુર સંરક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે. જેમાં અમરેલી શહેરમાં 124 વર્ષ જૂનો ગાયકવાડી શાસનકાળમાં નિર્મિત ઐતિહાસિક હેરિટેજ ક્લોક ટાવર શહેરની ઓળખ છે. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 3 કરોડના ખર્ચે ક્લોક ટાવર રિસ્ટોરેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરની શોભામાં વધારો થશે અને ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ પણ થશે. અમરેલી જિલ્લાના વરસડા ખાતે રૂ.42 કરોડના ખર્ચે તૈયાર થયેલી ઈશ્વરીયા જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ યોજના થકી અમરેલી, લાઠી અને લીલીયા તાલુકાના કુલ 50 ગામોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે, જેના કારણે ગ્રામજનોને મોટી રાહત મળશે, સાથે જ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી વેકરીયાના હસ્તે નાની કુંકાવાવ અને સનાળા મુકામે સૌની યોજના લિંક-4 હેઠળ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના અમલમાં આવતાં 200 હેક્ટર જેટલો ખેતી વિસ્તાર નર્મદાના પાણીથી લાભાન્વિત થશે, જેના કારણે ખેતી ઉત્પાદન વધશે, અમરેલી તાલુકાના ગામડાઓમાં કરોડોના ખર્ચે નવી પ્રાથમિક શાળાઓના પણ લોકાર્પણ કરાયા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

અનોખુ આયોજન:પ્લાસ્ટિક બોટલ, જૂના કાગળ, કાર્ડ બોર્ડ, ટીનના ડબ્બા અન્ય વેસ્ટ સામગ્રીમાંથી પેન સ્ટેન્ડ, ફૂલદાની અને રમકડાં બનાવાયા

સાવરકુંડલાના દાધિયા પ્રાથમિક શાળા ખાતે શાળાના બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષકો ધ્રુવીકાબેન, ઇશીતાબેન, કિજલબેન, સંજયભાઈ વિગેરેએ પ્રાથમિક શાળાના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ બાળકોને માહિતી આપી હતી. શાળાના આચાર્ય મહેશભાઈ શેલાર દ્વારા બાળકોને કાર્યક્રમમાં ભાગ લેવા અને સફળતા મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાના બાળકોએ તૈયારી કરી શાળામાં આવી પોતાની પાસે રહેલી વેસ્ટ વસ્તુઓ માંથી મોડીફિકેશન કરી વિવિધ આકર્ષક વસ્તુઓ બનાવી હતી. છેલ્લે શિક્ષકો દ્વારા બનેલા વિવિધ પ્રોજેક્ટ માંથી સૌથી સરસ ત્રણ પ્રોજેક્ટોને નંબર આપી બાળકોને પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા. દાધિયા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે વેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિનું આયોજન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રોજબરોજના ઉપયોગ પછી ફેંકાઈ જતી વસ્તુઓમાંથી ઉપયોગી અને સુંદર વસ્તુઓ બનાવી પોતાની સર્જનાત્મકતા અને કુશળતાનો પરિચય આપ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિક બોટલ, જૂના કાગળ, કાર્ડબોર્ડ, ટીનના ડબ્બા તેમજ અન્ય વેસ્ટ સામગ્રીમાંથી પેન સ્ટેન્ડ, ફૂલદાની, રમકડાં અને વિવિધ શૈક્ષણિક મોડલ તૈયાર કરવામાં આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

આજે આખું ગુજરાત મેઘાણીમય છે:બગસરાની ભૂમિ ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ : મોરારિબાપુ

બગસરામાં માનસ મેઘાણી કથાના છઠ્ઠા દિવસે આખો પંથક મેઘાણીમય બન્યું હતું. આ પ્રસંગે રામકથામાં મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. મોરારિબાપુએ જણાવ્યું કે અનેક પ્રકારની ઐતિહાસિક ઘટનાઓથી સમૃદ્ધ એવી બગસરાની પવિત્ર ભૂમિને તેઓ પ્રણામ કરે છે. બાપુએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં ભાગ્યે જ એવી કોઈ રાત હશે. જ્યારે ઝવેરચંદ મેઘાણીનું સ્મરણ ન થતું હોય, ભાગ્યે કોઈ રાત આવે ત્યારે કવિ કાગ અને દાદાનું સ્મરણ પણ જરૂર થાય છે. મેઘાણીજીના સાહિત્યનું મનોમંથન કોઈ સાધુએ કરવું જોઈએ તેવું પણ બાપુએ જણાવ્યું હતું. આજે નાનામાં નાનો માણસ પણ બગસરા તરફ નજર રાખે છે. જે દર્શાવે છે કે મેઘાણી સમગ્ર સમાજ માટે કેટલા પ્રિય છે. આજના સમયમાં આખું ગુજરાત મેઘાણીમય બન્યું છે. મેઘાણી પોતે એક એવા વિશાળ દરિયા જેવા છે જે દરિયાની અંદરથી મીઠી મીઠી વીરડી શોધી સમાજ સુધી પહોંચાડી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

નબળા વિકાસની હરણફાળ:માત્ર 10 દિવસ બનેલો પુલ ધરાશાયી !, બાઢડામાં લામધાર નદી પર પરા વિસ્તારને જોડતો પુલ 5 લાખના ખર્ચે બન્યો હતો‎

આમ તો અમરેલી જિલ્લામાં રસ્તા પુલ અને મકાનના કામો તદન નબળા થઈ રહ્યા છે. પરંતુ સાવરકુંડલાના બાઢડામાં હદ તો એ વાતની થઈ કે પરા વિસ્તાર સાથે જોડતો પુલ બન્યાના 10 જ દિવસમાં ધરાશાયી થયો છે. આ માટે જવાબદારો સામે પગલાંની માંગ ગામ લોકોએ ઉઠાવી છે. સાવરકુંડલાના બાઢડામાં લામધારી નદી પર ગ્રામ પંચાયત હસ્તક રૂપિયા 5,00000ના ખર્ચે પરા વિસ્તારને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલનું કામ 10 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું. પરંતુ આટલા દિવસોમાં આજે આ પુલ અચાનક તુટી પડ્યો હતો. પુલ પાસે માટી કામ કરવામાં આવતું હતું. ત્યારે તે બેસી ગયો હતો. ગામ લોકોનો આક્ષેપ છે કે પુલ બનાવતી વખતે તદન નબળી કક્ષાનું મટીરીયરલ વપરાયું હતું. સ્થાનિક લોકોને અવરજવર માટે આ પુલ ઉપયોગી હતી. પરંતુ 5 લાખનો ખર્ચ પાણીમાં ગયો હતો. જવાબદારો સામે પગલાં લેવા માંગ પુલનું કામ ખુબજ નબળું થયું છે. માટીનું કામ ચાલુ હતું. ત્યાં જ પુલ બેસી ગયો છે. કામમાં માત્ર ભુકી વાપરવામાં આવી છે અને આઠ એમએમનું લોખંડ વપરાયું છે. જવાબદારો સામે પગલાં લેવાવા જોઈએ. > ગોવિંદભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વડિયા ખાતે 1000 સિલિન્ડરનું બુકીંગ, પણ આવ્યા માત્ર 300: ગેસ એજન્સી પર ધસારો

યુદ્ધની પરિસ્થિતિના કારણે રાંધણ ગેસ સીલીન્ડરની વ્યવસ્થા ખોરવાશે તેવી આશંકાએ જિલ્લાભરમાં લોકોએ બુકીંગ કરાવવા પડાપડી કરી છે. વડીયામાં 1000ના વેઈટીંગ સામે માત્ર 300 સીલીન્ડર આવતા ગેસ એજન્સી પર આજે ભારે ધસારો જોવા મળ્યો હતો. દેશની સરકારથી લઈને અમરેલી જિલ્લાનું વહીવટી તંત્ર પણ રાંધણ ગેસના સીલીન્ડરની કોઈ અછત નહી હોવાનું કહેતું હોવા છતાં લોકોમાં ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવવા માટે પડાપડી જોવા મળી રહી છે. સરકારે હવે એલપીજીનું બુકીંગ 21 દિવસના બદલે 30 દિવસે કરવાનું નક્કી કર્યું છે. મોટી સંખ્યામાં લોકો એકથી વધુ સીલીન્ડર ધરાવે છે અને ઘરના ચાલુ વપરાશના સીલીન્ડરમાં 10 થી 15 દિવસ ચાલે તેટલો ગેસ પડ્યો હોવા છતાં સાવચેતી ખાતર ઘરમાં ખાલી પડેલા સીલીન્ડરોનું બુકીંગ પણ કરાવી રહ્યા છે. હાલમાં અછત નથી. પણ આવનારા સમયમાં અછત થઈ શકે છે તેવા વિચારે એડવાન્સમાં બુકીંગ કરાવાઈ રહ્યું છે. જો કે તેના કારણે ઓનલાઈન બુકીંગ માટેનું સર્વર ધીમું ચાલી રહ્યું છે અને લોકોને સીલીન્ડર બુક કરાવવામાં રાહ જોવી પડી રહી છે અને અન્ય અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વધુ પડતા બુકીંગના કારણે મોટું વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. વડીયામાં પણ આવું જ થયું છે. અહીં 1000 લોકોએ ગેસ સીલીન્ડરનું બુકીંગ કરાવ્યું છે. જેની સામે આજે ગેસની માત્ર એક જ ગાડી આવી હતી. માત્ર 300 સીલીન્ડર ઉપરથી આવતા વડીયા ગેસ એજન્સી પર લોકોએ ધસારો કરી મુક્યો હતો. અહીં કલાકો સુધી લાંબી લાઈન જોવા મળી હતી. મામલતદાર કચેરી ખાતે પણ લોકો રજૂઆત કરવા દોડી ગયા હતા. બીજી તરફ લીલીયામાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો વિજયભાઈ વિરાણી, રાજુભાઈ ગરણીયા વિગેરે અહીંની ગેસ એજન્સી ખાતે દોડી ગયા હતા અને સીલીન્ડરનું નિરીક્ષણ કરી ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળા સીલીન્ડર અપાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીં પણ રજીસ્ટ્રેશન માટે સર્વર ધીમું ચાલી રહ્યું છે. આપના કાર્યકરો આ મુદ્દે રજૂઆત કરવા માટે લોકો મામલતદાર કચેરી ખાતે દોડી ગયા હતા. સીએનજી, પાઈપલાઈન મારફત ગેસ વિતરણમાં કોઈ અવરોધ નહીઅમરેલી શહેરના ઘણાખરા વિસ્તારમાં લોકોને પાઈપલાઈન મારફત ઘરે ઘરે ગેસ કનેકશન અપાયા છે. આ ગેસ વિતરણમાં હાલમાં તબક્કે કોઈ અવરોધ નથી. આવી જ રીતે વાહનો માટેના સીએનજીનું વિતરણ પણ નિયમીત થઈ રહ્યું છે. લીલીયા મામલતદારે તપાસની ખાતરી આપી આમ આદમી પાર્ટના કાર્યકરોએ અહીની એજન્સીમાં એક્સપાયરી ડેટ વાળા સીલીન્ડર અપાતા હોવાની રજૂઆત કરતા લીલીયાના મામલતદારે આ મુદ્દે આવતીકાલે તપાસ કરવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:સાવરકુંડલાને હવે રોજ 8 એમએલડી પાણી શેલ દેદુમલ ડેમમાંથી મળશે

સાવરકુંડલા શહેર નજીક તાલુકાના હાથસણી ગામે આવેલ શેલ દેદુમલ ડેમમાંથી હવે રોજનું 80 લાખ લિટર પાણી પીવાના ઉપયોગ માટે મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી સાવરકુંડલાને કાયમી પાણીનો સ્ત્રોત મળી રહેશે. રૂપીયા 10.31 કરોડના ખર્ચે શહેર માટે પાણી શહેર અનામત રાખવાનો નિર્ણય સરકારે કર્યો હતો. સાવરકુંડલા શહેર માટે એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની સતત રજૂઆતોને સફળતા મળી હતી અને સાવર અને કુંડલા વિભાગને દરરોજ આઠ MLD એટલે 80 લાખ લિટર પીવાનું શુધ્ધ પાણી શેલ દેદુમલ ડેમમાંથી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી શહેરની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શહેરીજનો મળશે. આ નિર્ણયના પરિણામે એક હજાર ફૂટ ઊંડા ક્ષારયુક્ત પાણીથી મુક્તિ મળશે અને ઘરે ઘરે લોકોને શુદ્ધ જળ નાગરિકો મળશે. સાવરકુંડલા શહેરમાં અત્યાર સુધી એક હજાર ફૂટ ઊંડા બોરના હાઈ TDS ક્ષારયુક્ત પાણી પીવા મજબૂર હતા. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હતું. પાણીએ જનતાની પાયાની જરૂરિયાતને સમજીને ડેમનું શુદ્ધ પાણી અપાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે હવે નાગરિકોને ગુણવત્તા યુક્ત પાણી ઉપલબ્ધ થશે. પાણીની અછત હવે સાવરકુંડલા માટે ભૂતકાળ બનશે. દર વર્ષે ઉનાળો આવતા જ સાવરકુંડલામાં પાણીની વિકટ સ્થિતિ સર્જાતી હતી. તેનું હવે કાયમી નિરાકરણ આવ્યું છે. પાણી અનામત રાખવા નિર્ણયસાવરકુંડલા માટે વાર્ષિક 292 કરોડ લિટર પાણીના જથ્થાને અનામત રાખવાના નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બોર યોજનાનું પાણી તો મળતું જ રહેશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

આયોજન:અમરેલીમાં મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ તાલીમ અપાશે

અમરેલીમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ અંતર્ગત સંચાલિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે મહિલા ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેન્કિંગ (FWWB) સંસ્થા સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો. આ સમજૂતી કરાર યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ MOU અંતર્ગત અમરેલી જિલ્લાના મહિલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન, તાલીમ તેમજ તેમના ઉત્પાદનોનું મૂલ્યવર્ધન, યોગ્ય પેકેજિંગ, બ્રાન્ડિંગ અને ડાયરેક્ટ માર્કેટીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે મહિલા ખેડૂતો માટે ત્રણ દિવસીય માર્કેટીંગ કૌશલ્ય વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અંગે વ્યવહારૂ તાલીમ અપાઇ હતી. કુલપતિ ડો. સી. કે. ટીંબડિયાએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી માત્ર પરંપરાગત પદ્ધતિ નથી. પરંતુ વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલી એક સસ્ટેનેબલ ખેતી પદ્ધતિ છે. મહિલા ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી સાથે માર્કેટીંગ કૌશલ્ય પણ વિકસાવે છે. ત્યારે તેઓ કૃષિ ક્ષેત્રમાં નવી દિશા આપી શકે છે. FWWB સાથેનો આ સહયોગ મહિલા ખેડૂતોને સફળ કૃષિ ઉદ્યમી તરીકે વિકસવામાં મદદરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

સંત સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું:નર્મદાની પંચકોશી પરિક્રમા દરમિયાન બોટનું ભાડું 50ના બદલે રૂા.20 લેવા માટે માગણી

નર્મદા જિલ્લાના સાધુ સંતો અને વિશ્વ હિન્દુ પરિષદ સંત સમિતિ દ્વારા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું જેમાં આગામી દિવસોમાં શરૂ થનારી પંચકોષી પરિક્રમાની અંદર પ્રાથમિક સુવિધાઓ કરવા હેતુ નાવડીના માત્ર 20 રૂપિયા રાખવામા આવે તે અમારી માગણી કરવામાં આવી છે. આ બાબતે અખિલ ભારતીય સંતસમિતિના નર્મદા જિલ્લા આધ્યક્ષ એવા સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે માં નર્મદાજી ની પરિક્રમા યાત્રા આધ્યાત્મિક સાંસ્કૃતિક પરંપરા અનુસાર વર્ષોથી ચાલી રહી છે. પરંતુ થોડા વર્ષોથી અનેક પ્રશ્નો ઉદભવી રહ્યા છે. વર્ષોથી માત્ર દસ રૂપિયામાં એક વ્યક્તિને રેંગણ ઘાટ થી રામપુરા કીડીમંકોડી ઘાટ પર લાવવામાં આવતા જે એક સેવાની ભાવના હતી. અત્યારે ચૈત્ર મહિનાની અંદર કોન્ટ્રાક્ટર સ્થાનિક લોકોને નહીં મળતા લાગણી દુબઈ રહી છે. સ્થાનિક લોકોની અપેક્ષા ઉચિત નથી માટે જિલ્લા વહીવટી પ્રશાસન સૌની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે પોતાનું કર્તવ્ય નિભાવે તે સમયની માંગ છે. નાવડી નું ભાડું માત્ર 20 રૂપિયા જ રાખવામાં આવે તે વિશ્વ હિન્દુ પરિષદ નો આગ્રહ છે સમાજને ધર્મના નામે લુંટ ચલાવી યોગ્ય નથી માટે પ્રશાસન સેવાની ભાવના રાખીને પોતાનું કાર્ય દીપાવે એ ખૂબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

રાજપીપળાની કોર્ટે ચૂકાદો આપ્યો:સાગબારા વિસ્તારની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર બે આરોપીને 20 વર્ષની સજા

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બે વર્ષ પહેલાં બનેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટનામાં રાજપીપળાની એડિશનલ સેસન્સ કોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે બંને આરોપીઓને તકસીરવાર ઠેરવી 20-20 વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. ઘટનાની વિગતો મુજબ, સાગબારા તાલુકાના ગૌતમ વસાવા અને રમેશ વસંત ઉર્ફે વિશાલ વસાવાએ ગત 16 માર્ચ 2022 ના રોજ સાંજના સમયે ભોગ બનનાર સગીરા જ્યારે તેના ઘરમાં એકલી હતી. ત્યારે બંને આરોપીઓએ તેનું મોઢું દબાવી, શારીરિક છેડછાડ કરી હતી અને તેને સળગાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક અપહરણ કરી ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ બંને નરાધમોએ તેના પર સામુહિક દુષ્કર્મ કર્યું હતું. સામુહિક દુષ્કર્મ કર્યા બાદ બંનેએ અમે ડોન છીએ. જો આ બાબતે તેં કોઈને પણ વાત કરી તો તારું ઘર સળગાવી દઈશું. આ મામલે સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ રાજપીપળાના એડિશનલ સેસન્સ જજ એ.વી.હિરપરાની કોર્ટમાં ચાલી જતા જિલ્લા સરકારી વકીલ જિતેન્દ્રસિંહ ગોહિલની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે ગૌતમ વસાવા અને રમેશ વસાવાને 20 વર્ષની કેદની સજા સાથે બંને આરોપીઓને રૂ. 70-70 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કર્યો છે.આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂ. 3 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં સગીરાઓ સાથે દુષ્કર્મના બનાવો વધી રહયાં છે. રાજપીપળાની કોર્ટે સામુહિક દુષ્કર્મના કેસમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ ગુનેગાર આલમમાં ફફડાટ જોવા મળી રહયો છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

SOGએ 1.46 લાખના મુદ્દામાલ સાથે 1ને પકડ્યો:વલસાડમાં મોપેડની ડિકીમાંથી 1.220 કિલો ગ્રામ ગાંજો કબજે

વલસાડમાં મોપેડની ડિકીમાં ગાંજા લઈને ફરતા આરોપીને પકડી પાડી એસઓજીએ કુલ રૂ. 1.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આગળની તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપાઇ છે. વલસાડ જિલ્લામાં એનડીપીએસના ગુનામાં આરોપીઓને પકડવા રેન્જ આઇજી અને જિલ્લા એસપીની સુચના મુજબ એસઓજી પીઆઇ એ. યુ. રોઝ અને તેમની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન પારનેરા ગામ ટેકરા ફળિયા મુસ્લિમ સુન્નત જમાત કબ્રસ્તાનની બાજુમાંથી આરોપી કયુમ બાઉદ્દીન કુરેશી ઉ.વ. 29 રહે. પારનેરા ને તેના કબજાની સુઝુકી અવેનીસ મોપેડ નં. જીજે-15-ઇએ-4685 કિં. રૂ. 80,000ની ડિકીમાંથી ગેરકાયદે રીતે ગાંજાનો જથ્થો 1.220 કિલોગ્રામ કિં. રૂ. 61,000 અને એક ફોન કિં. રૂ. 5000 મળી કુલ રૂ. 1,46,000ના મુદ્દામાલ સાથે પકડી આરોપી સામે એનડીપીએસ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

રાષ્ટ્રિય સ્તરે ઝળહળતી સિદ્ધિ:વલસાડની શિક્ષિકા મેઘાપાંડેએ રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો

વલસાડની દીકરી અને પારડીની સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેએ ચંડીગઢ ખાતે યોજાયેલી અખિલ ભારતીય મુલ્કી પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. મહિલા દિવસની આનાથી શ્રેષ્ઠ ઉજવણી બીજી કઈ હોઈ શકે? ગુજરાત રાજ્ય સેક્રેટરિયેટ વતી પ્રતિનિધિત્વ કરતા તેમણે આ રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા પાછળ તેમની કઠોર મહેનત, શિસ્તબદ્ધ આહારશૈલી અને વલસાડના ટ્રેનર રોન આલ્મેડાનું વૈજ્ઞાનિક માર્ગદર્શન રહેલું છે. મેઘા પાંડેની આ સફરમાં તેમના પતિ પ્રજ્ઞેશ પાંડે મજબૂત આધારસ્તંભ બનીને સાથે રહ્યા છે. ઘર અને બાળકોની જવાબદારીઓ વચ્ચે પણ પતિ-પત્નીના સુંદર તાલમેલથી તેમણે સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલસાડની પારડી સાંઢપોર શાળાના મુખ્ય શિક્ષક કિર્તેશભાઈ ગોહિલ અને સમગ્ર શિક્ષકગણે તેમને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સાંઢપોર પ્રાથમિક શાળાની શિક્ષિકા મેઘા પાંડેની આ સફળતા સાબિત કરે છે કે જો મક્કમ નિર્ધાર હોય તો ઉંમરના કોઈપણ તબક્કે સપના સાકાર કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

વલસાડ પાલિકા પ્રમુખ સામે વિરોધી જૂથનો બળવો:સભામાં સભ્યોનો આક્રોશ‘ લોકો પુછે છે કચરો લેવા કોઇ આવતું નથી, અમે શું જવાબ આપીએ ’

ફુલ મેજોરિટી ધરાવતી ભાજપ શાસિત વલસાડ પાલિકામાં બે ત્રણ જૂથ પડી જતાં છાશવારે ટકરાવની સ્થિતિ સામે આવી રહી છે.હાલમાં પ્રમુખ સામે કેટલાક સભ્યોનો ભારે વિરોધ છે. ગુરૂવારે બજેટ માટે પ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભામાં વિરોધી જૂથના ભાજપી સભ્યોનો ઉગ્ર રીતે ખુલ્લો બળવો બહાર આવ્યો હતો. ડોર ટુ ડોર કામગીરી માટે નિમણૂંક થયેલી નવી એજન્સીએ 8 દિવસ પહેલા ચાર્જ લીધાં છતાં સફાઇની કામગીરી ઠેકાણે નહિ પડવાનો મુદ્દો ઉઠાવી પ્રમુખ માલતી ટંડેલને પ્રશ્નો ઉઠાવી તેમના વિરોધીજૂથના સભ્યોએ મોરચો માડ્યો હતો. કામો ન થાય તો લોકોને શું જવાબ આપવા તે સવાલ પ્રમુખ સામે ઉઠાવ્યો હતો. પ્રમુખ મોડા પડતાં બજેટની સભાના સંચાલન માટે એક સભ્યએ અગાઉ પ્રમુખપદના દાવેદાર રહી ચૂકેલા મહિલા સભ્ય જેસ્ટિકા પટેલની અધ્યક્ષ તરીકે નામ જાહેર કરી દેતાં ઘણાં સભ્યોએ સમર્થન આપ્યું હતું. સભામાં શહેરના વોર્ડમાંથી કચરો ઉઠાવવા માટેની ડોર ટુ ડોર કામગીરી કેમ થતી નથી અને વોર્ડ નં.2માં રસ્તા સહિતના કામો કેમ થતાં નથી તેવા પ્રશ્નો નિતેશવશી, જ્યોત્સાના રાઠોડ, ઉર્વશી પટેલ,સોનલ પટેલ, હિતેશ પટેલ વિગેરે સભ્યોએ ઉઠાવી સફાઇ એજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવા પ્રમુખ અને સીઓ પર પસ્તાળ પાડી હતી. જો કે સીઓએ સભ્યોને જવાબો આપી સમજ આપી હતી. સફાઇના મુદ્દે સભા ગરમાઇ હતી. પાલિકાનું 1974થી નહેરના પાણીના બિલનું દેવુંપાલિકાની સામાન્ય સભામાં પાણીની સુવિધાની ચર્ચામાં અમિત દેસાઇએ પ્રમુખને સવાલ કર્યો હતો કે,પાલિકાનું પાણીનું દેવું કેટલું છે. તેનો જવાબ આપતાં કાર્તિક દેસાઇએ જણાવ્યું કે,1974થી આ બિલની બાકી રકમનું બિલ બાકી ચાલતું આવેલું છે.જેમાં વ્યાજની રકમ દર માસે ઉમેરાતી આવી હતી.જેના કારણે મોટાભાગની રકમ ચઢતા રહેતાં ચક્રવર્તી વ્યાજનું ભારણ છે.વર્ષોથી નહેર વિભાગના પાણીના બિલ પાલિકા ભરવા સક્ષમ નથી તેવું સામે આવી રહ્યું છે.સી્ઓએ કહ્યું કે,આ મામલો સરકારની નિતી વિષયક બાબતનો છે. સફાઇનો મુદ્દો ગાજ્યો સભામાં નિતેશ વશીએ સફાઇ એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માગ સાથે મુદ્દો ઉઠાવી પ્રમુખને સવાલોના ઘેરામાં મૂકી દીધાં હતા. શહેરમાં નવી એજન્સી આવી પરંતું કચરાના ઢગલાં ઘણી્ જગ્યાએ જોવા મળી રહ્યા છે.તેની પાસે વાહનોની સુવિધા નથી, અગાઉ જે સફાઇની કામગીરી વાર્ષિક રૂ.1.70 કરોડમાં થતી હતી પરંતુ નવી એજન્સીને ડબલ પૈસા આપી 4.50 કરોડના ટેન્ડરથી કામગીરી સોંપવામાંઆવી છે પ્રમુખના પ્રશ્નને COનો‎ જવાબ નથી માગ્યો‎વલસાડ પાલિકાની સભામાં નવી એજન્સી પાસે‎સફાઇના વાહનો કેટલા સાધનો છે પ્રમુખને પ્રશ્ન‎કર્યો હતો ત્યારે સીઓને વચ્ચે પડી તેનો જવાબ‎આપવા જતાં સભ્ય નિતેશ વશીએ કહ્યું કે, સીઓ‎નહિ, મારો પ્રશ્ન પ્રમુખને છે,પ્રમુખ જવાબ‎આપે.વશી દ્વારા એજન્સીને બ્લેક લિસ્ટ કરવા મુદ્દે‎છેવટે સીઓએ જવાબ આપ્યો હતો.‎

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ધૂળ અને ખાડાથી વાહનચાલકો પરેશાન:નવસારીમાં નવી લાઇન તો નંખાઈ, પણ રોડ બનાવવાનું મુહૂર્ત ક્યારે?

નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવી લાઇન નાખવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ કામગીરી હવે સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. તંત્ર દ્વારા લાઇન નાખવા માટે માર્ગો તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ કામ પૂરું થયા બાદ તેને યોગ્ય રીતે પૂર્વવત કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના અતિ વ્યસ્ત એવા વિરાવળથી ટાટા બોયઝ સ્કૂલ અને વિજલપોરના શિવાજી ચોકથી સરદાર ચોક સુધીના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. ખોદકામ બાદ માર્ગો પર પડેલી માટીને કારણે સતત ધૂળની ડમરીઓ ઊડે છે, જેનાથી વાહનચાલકોની દ્રશ્યતા ઘટે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. અનેક જગ્યાએ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં દિવસો સુધી રસ્તા બનાવવામાં આવતા નથી. કેટલીક જગ્યાએ કામની ગતિ એટલી ધીમી છે કે મુખ્ય માર્ગો લાંબા સમયથી બંધ જેવા છે. સૌથી વધુ અવર-જવર ધરાવતા વિસ્તારોમાં પણ રિપેરીંગની કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર ખોદાયેલા ખાડાઓ અને અધૂરા રસ્તાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભય અનુભવી રહ્યા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો પ્રશ્ન અત્યારે નવસારીના જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

વાંસદાના નાની વાલઝર ગામે બનેલી ઘટના‎:આંબાવાડીમાં લગાવેલ ડ્રીપ ઇરીગેશનના પાઇપની ચોરી

વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે આંબાવાડીમાંથી ચોરટાઓ ડ્રીપ ઇરીગેશન પાઈપની ચોરી કરી જતા વાંસદા પોલીસ મથકે વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી. વાંસદા તાલુકાના નાની વાલઝર ગામે તસ્કરોએ હવે ખેતીકામના સાધનોને નિશાન બનાવવાનું શરૂ કરતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. નાની વાલઝર પટેલવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ જયંતિલાલ પાટીદારની માલિકીની આંબાવાડીમાં સિંચાઈ માટે ડ્રીપ ઈરીગેશનની સુવિધા કરવામાં આવી હતી. ગત 9 માર્ચના રોજ રાત્રિ દરમિયાન ચોરટાઓએ આ વાડીમાં પ્રવેશી પાઈપની ચોરી કરી હતી. ચોરાયેલા આ પાઈપની અંદાજિત કિંમત રૂ. 6,000 જેટલી થાય છે. સવારે જ્યારે વાડી માલિક ખેતરે પહોંચ્યા ત્યારે પાઈપ ગાયબ હોવાનું જણાતા ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે પ્રવીણભાઈએ તાત્કાલિક વાંસદા પોલીસ મથકે તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે. ખેતરોમાંથી થતી આવી નાની-મોટી ચોરીઓને પગલે સ્થાનિક ખેડૂતોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં પાઇપ લાઇનની ચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે ત્યારે તંત્ર તે દિશામાં કામગીરી કરે તે જરૂરી જણાય છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ધીમી કામગીરીથી લોકો હેરાન:વિજલપોર બ્રિજની ગોકળગાય ગતિએ ચાલતી‎કામગીરીથી 40 ડિગ્રી ગરમીમાં શેકાતી જનતા‎

વિજલપોર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજનું નિર્માણ જાણે સ્થાનિકો માટે અભિશાપ બની ગયું છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી રહેલું આ કામ પૂર્ણ થવાનું નામ લેતું નથી, જેના પરિણામે હજારો નાગરિકો દૈનિક ધોરણે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વહીવટી તંત્રની ઉદાસીનતા અને નેતાઓની ઈચ્છાશક્તિના અભાવે આ પ્રોજેક્ટ વિલંબનો પર્યાય બની ગયો છે. હાલ નવસારીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. આ કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે રેલવે ફાટક બંધ થાય છે, ત્યારે વાહનચાલકોની લાંબી કતારો લાગે છે. ધગધગતા ડામર અને ઉપરથી વરસતા સૂર્યના તાપમાં લોકોએ કલાકો સુધી ફાટક ખુલવાની રાહ જોવી પડે છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ માટે આ સ્થિતિ અસહ્ય બની છે. માત્ર બ્રિજ જ નહીં, પણ તેની આસપાસના અને નીચેના માર્ગોની દશા પણ અત્યંત દયનીય છે. મોટા ખાડાઓ અને ઉડતી ધૂળને કારણે વાહનચાલકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કોઈપણ અધિકારી સ્થળ મુલાકાત લેવાની તસ્દી લેતા નથી. સ્થાનિક નેતાઓ માત્ર આશ્વાસનો આપી રહ્યા છે. રસ્તાના સમારકામ માટે કરવામાં આવતી રજૂઆતો બહેરા કાને અથડાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

બોર્ડની પરીક્ષા:ધો.12 વિ.પ્ર. સંસ્કૃત અને સા. પ્ર.માં SPCC ના પેપરો સરળ નીકળતા છાત્રોને હાશકારો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી બોર્ડની પરીક્ષામાં ગુરૂવારે ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના સરળ રહેતા વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદની લહેર જોવા મળી હતી. ધોરણ-12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)માં ગુરુવારે સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્રવ્યવહાર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ વિષયમાં ખાસ કરીને થિયરીના પ્રશ્નો પાઠ્યપુસ્તક આધારિત અને અપેક્ષા મુજબના પૂછાતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. જિલ્લામાં કુલ 1434માંથી 1426 છાત્રોએ હાજરી આપી હતી, જ્યારે 8 છાત્રો ગેરહાજર રહ્યા હતા.બીજી તરફ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી. વિજ્ઞાન પ્રવાહના જટિલ વિષયો વચ્ચે સંસ્કૃતનું પેપર ઘણું સરળ અને સ્કોરિંગ રહ્યું હોવાનો પ્રતિભાવ વિદ્યાર્થીઓએ આપ્યો હતો. જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2249 નોંધાયેલા ઉમેદવારોમાંથી 2247 હાજર રહ્યા હતા અને માત્ર 2 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. સમગ્ર જિલ્લામાં પરીક્ષાનું વાતાવરણ શાંતિપૂર્ણ રહ્યું હતું. શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રની સતર્કતાને કારણે ક્યાંય પણ ગેરરીતિ કે કોપીકેસનો એક પણ કિસ્સો નોંધાયો નથી. પેપર પૂર્ણ કરીને કેન્દ્રની બહાર નીકળતા છાત્રોમાં પેપર સારા ગયાનો પોતાના પર આત્મવિશ્વાસ છલકાતો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

રીંગરોડ પર મોડી રાત્રે સામાન્ય રકઝક ઉગ્ર બની:નવસારીમાં ફ્રુટ ખરીદવા મુદ્દે બે પક્ષ વચ્ચે બબાલ, ચપ્પુ- પથ્થરથી હુમલો

નવસારી શહેરમાં જાહેરમાં ફ્રૂટ ખરીદવા બાબતે થયેલી સામાન્ય રકઝક ઉગ્ર બની હતી અને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં ચપ્પુ અને પથ્થરબાજી થતાં ત્રણથી વધુ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. નવસારી ટાઉન પોલીસે આ મામલે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીમાં ફરિયાદી સાદીકખાન સાબીરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમનો ભાઈ સલમાન અને સંબંધી ફારૂક ફ્રૂટ વિક્રેતા અઝમત ઝાયેદઅલીની લારી પર ફ્રૂટ ખરીદવા ગયા હતા. ફ્રૂટના ભાવ બાબતે બોલાચાલી થતા આરોપી અજમતે તેના મિત્રોને બોલાવી પથ્થર અને ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફારૂકને માથામાં ગંભીર ઇજા થતા તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે સાદીકખાન અને સલમાનને પણ માથાના ભાગે ટાંકા આવ્યા છે. સામે પક્ષે ફ્રૂટ વિક્રેતા અઝમતઅલી ઝાયેદઅલી ખાને પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ફારૂક શેખ અને સલમાન ખાન ફ્રૂટ લેવા આવ્યા ત્યારે ભાવ બાબતે ગાળાગાળી કરી હતી. આ દરમિયાન સાદીકખાન પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને ત્રણેયે ભેગા મળી વેપારીને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં વેપારી સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાં સારવાર હેઠળ છે. નવસારી ટાઉન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

મનપા એક્શન મોડમાં:નવસારીમાં વેરો ન ભરતા‎ 45 મિલકત સીલ કરાઇ‎

નવસારી મનપાએ શહેરમાં એક જ દિવસમાં વેરા બાકી મુદ્દે 45 જેટલી મિલકતો સીલ કરી હતી. વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે 20 દિવસ પણ બાકી રહ્યાં નથી ત્યારે મહાનગરપાલિકાએ વેરા વસૂલાત કડક શરૂ કરી છે. ગુરુવારે તો અગાઉના વર્ષોની વધુ બાકી મુદ્દે કડકાઈ દાખવી એક જ દિવસમાં 45 જેટલી મિલકતો સીલ કરી દીધી હતી. આ મિલકતોમાં દુધિયા તળાવ શોપિંગ સેન્ટર વિસ્તારમાં આવેલી દુકાનો વધુ હતી. ઉપરાંત વોર્ડ-13ની પણ અનેક મિલકતો હતી. શોપિંગ સેન્ટરમાં તો સ્થળ ઉપર જ લાખો રૂપિયાની વસૂલાત કરાઇ હતી. અહીં ઉલ્લેખનીય છે જે છેલ્લા કેટલાક દિવસોમાં મનપાએ શહેરમાં વધુ વેરા બાકી મુદ્દે 350 જેટલી મિલકતો સીલ કરી છે. મનપા સૂત્રોએ દાવો કર્યો કે હાલ સુધીમાં વર્તમાન નાણાંકીય વર્ષની 77 ટકા વેરા વસૂલાત થઈ ગઈ છે, જે નાણાંકીય વર્ષ પૂર્ણ થતા 80 ટકાથી વધુ થશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:જીવાતથી ફ્લાવરિંગ, કણીની અવસ્થાએ નુકસાની, વળી અતિશય ગરમીથી બાજી વધુ બગડી

નવસારી જિલ્લામાં ચાલુ સાલ કેરીના પાકમાં થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ ખુબ વધતા અનેક વિસ્તારોમાં પાક ખૂબ ઓછો ઉતરશે એવી જાણકારી બહાર આવી છે. જીવાત સાથે માર્ચના પ્રથમ પખવાડિયામાં જ પડતી ભારે ગરમી પણ પાક ઉપર અસર કરશે. નવસારી જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર અને કેરીનો છે. જિલ્લામાં 35 હજાર હેક્ટરમાં કેરીનું પ્લાન્ટેશન છે. છેલ્લા 15 થી 20 વર્ષમાં પ્લાન્ટેશનમાં ભારે વધારો થયો છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી વાવાઝોડું, કમોસમી વરસાદ, અયોગ્ય વાતાવરણ, જીવાત જેવા કારણોથી પાક ખૂબ ઓછો ઉતરી રહ્યો છે. જીવાતમાં થ્રીપ્સ નામની જીવાત જોવા તો મળી રહી હતી પણ ચાલુ સાલ આ જીવાત ખુબ વધુ પાકમાં ફેલાઈ હોવાની જાણકારી બહાર આવી છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાત વધી હતી, જેના કારણે કરોડો રૂપિયાના કેરીના પાક ઉપર ખતરો પેદા થયો છે. થ્રીપ્સ સાથે કેટલીક જગ્યાએ ઇયળ પણ પાકમાં નજરે પડી રહી છે. જ્યાં જીવાતને લઈ કેરીના પાક ઉપર વિપરીત અસર પડી છે ત્યાં હાલ માર્ચના પ્રથમ પખવાડિયાના જ રેકર્ડબ્રેક તાપમાન ઉપર જઈ ગરમી પડતા સનસ્ટ્રોક પણ પાક ઉપર હાલના તબક્કે વિપરીત અસર પાડી રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. ચીકુ જેવા કલરની કેરી થાય છે અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાત વધુ છે અને તેના કારણે નુકસાની છે, કેરી ચીકુ જેવા કલરની પણ થાય છે. વધુમાં અતિશય ગરમી જે પડી રહી છે તેના કારણે કેરીમાં પીળા ડાઘા પણ પડી રહ્યા છે. > સંજય નાયક, પ્રગતિશીલ ખેડૂત, ગણદેવા ફેબ્રુઆરી મધ્ય બાદ ઉપદ્રવ વધ્યોચાલુ સાલ અગાઉના વર્ષ કરતા થ્રીપ્સ જીવાતનો ઉપદ્રવ વધેલો જોવા મળે છે. ફેબ્રુઆરી મધ્ય બાદ તાપમાન વધતા જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. કેરીના પાકને નુકસાની છે પણ ચોક્કસ કેટલી તે કહીં શકાય નહીં. >દિનેશ પડાલીયા, બાગાયત અધિકારી છેલ્લા 3-4 વર્ષથી પાકમાં નુકસાનને લઇ ખેડૂતોમાં હવે પુનર્વિચાર નવસારી જિલ્લામાં આજથી 20 વર્ષ અગાઉ કેરીનું પ્લાન્ટેશન પ્રમાણમાં ઓછું હતું. ડાંગરનું વધુ હતું પણ લેબરની તથા સમયની પણ ઓછી જરૂર સાથે આવક પણ સારી મળવાની આશાએ હજારો ખેડૂતો કેરીની ખેતી ભણી વળ્યા અને વાવેતરમાં ખૂબ વધારો થયો. આમ તો અગાઉના અનેક વર્ષોમાં ખેડૂતોને સારું વળતર મળ્યું પણ હતું. જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષે સ્થિતિ બદલી છે. જીવાત, બદલાતા સતત વાતાવરણ, પ્રદુષણ વગેરે કારણોને લઇ ખેડૂતોના મોટા વર્ગને ખાસ આવક મળી નથી. આ સ્થિતિમાં ખેડૂતો આ પાક માટે પુનર્વિચાર શરૂ કર્યો છે. ભાસ્કર નોલેજફૂલથી ફળ આવવા તબક્કામાં જીવાત નિયંત્રણ માટે આટલું કરવુંફૂલોથી ફળ આવવાના તબક્કા દરમિયાન થ્રીપ્સનું ઉપદ્રવ વધારે જોવા મળે છે. થ્રીપ્સના બચ્ચા અને પુખ્ત કીટકો નાની કુમળી પીલવણી, મોર ઉપરના ફૂલો, અને ફળધારણ થયેલ કુમળા ફળોમાંથી રસ ચૂસે છે જેના પરિણામે પાંદડાની કિનારીઓ ઉપર તરફ વળાંક લે છે, વૃદ્ધિ અટકે છે, ફુલ ખરીને મોર સુકાઇ જાય છે અને ફળની સપાટી ચીકુના કલર જેવા ડાઘા જોવા મળે છે, જેના કારણે અકાળે ફળ ખરી પડે છે. થ્રીપ્સ જીવાતના નિયંત્રણ માટે બુફ્રોફેઝિન 25 ઈસી, 2 મિલી અથવા થાયોમિથોક્ઝામ 25 ડબલ્યુજી, 0.3 ગ્રામ અથવા લેમડા સાયહેલોથ્રીન 5 ઈસી 1 મિલી અથવા ટોલ્ફેનપાયરીડ 15 ઈસી 2 મિલી સાથે નીમ ઓઈલ 1500 પીપીએમ 1 મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવું. (કૃષિ યુનિ.ના તજજ્ઞ દ્વારા કરાયેલ ભલામણ)

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ચોરીનો મામલો આવ્યો સામે:દહેજની માધવ ઇન્ડસ્ટ્રિઝમાંથી 2.66 લાખના મટિરિયલની ચોરી

દહેજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાંથી અજાણ્યા ચોરોએ આશરે રૂ. 2.66 લાખના સ્ટેઇનલેસ સ્ટીલ સહિત અન્ય મટીરીયલની ચોરી કરી જતા દહેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વાવ ગામની સીમમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીઝમાં ખુલ્લી જગ્યાએ ફેબ્રિકેશન માટે રાખવામાં આવેલ મટીરીયલ ગાયબ થયાનું સામે આવ્યું છે. કંપનીમાં પ્લાન્ટના ફેબ્રિકેશન અને બાંધકામનું કામ ચાલી રહ્યું હોવાથી વિવિધ કોન્ટ્રાક્ટરો માટે એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, રેડ્યુસર અને વેલ્ડિંગ કેબલ સહિતનું મટીરીયલ કેન્ટીન પાસે ખુલ્લી જગ્યાએ રાખવામાં આવ્યું હતું. 9 માર્ચની રાત્રે મટીરીયલ સ્થળ પર હતું, પરંતુ 10 માર્ચની સવારે કામદારો કામે આવ્યા ત્યારે મટીરીયલ ગાયબ હોવાનું જાણવા મળ્યું. તપાસ કરતા ચાર ઇંચ તથા છ ઇંચના એસ.એસ. ફ્લેન્જ, પાઈપ, ચેનલ, 50 મીટર વેલ્ડિંગ કેબલ અને રેડ્યુસર સહિત કુલ રૂ. 2,66,400 જેટલા મટીરીયલની ચોરી થયાનું સામે આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ભીષણ આગ લાગી:લસુન્દ્રાની શાર્પ પેટ્રોકેમ કંપનીમાં ગેસ લીકેજ બાદ ભીષણ આગ, લોકોને શ્વાસમાં તકલીફ તેમજ ગળામાં બળતરા

સાવલી તાલુકાના લસુન્દ્રા ગામે શાર્પ પેટ્રોકેમ નામની કંપની આવેલી છે. જેમાં જાણવા મળ્યા મુજબ પેટ્રો પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. સાથે સાથે વિવિધ ક્રૂડનું ડિસ્ટિલેશન પણ થાય છે. હાલ આ કંપની બંધ હાલતમાં છે. પરંતુ કંપનીમાં વિવિધ રસાયણો કેમિકલોના બેરલો ટાંકીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન ગુરુવારે સવારના સમયે કંપનીમાં કોઇ ઉત્પાદનની પ્રક્રિયા વેળાએ ગેસ લીકેજ થયો હતો. તેના પગલે આજુબાજુના એકમમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. રાહદારીઓને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ગળામાં બળતરા તેમજ ચચરાટ થતો હોવાનું જોવા મળ્યું હતું. બનાવના પગલે કંપનીમાં હાજર કામદારોએ પ્રાથમિક રીતે પાણી રેતી કોથળા નાખીને ગેસ લીકેજને રોકવાના પ્રયાસો કર્યા હતા. બનાવના પગલે મંજુસર પોલીસને જાણ થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને બનાવ બાબતે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જીપીસીબીનો સંપર્ક કરીને તેમને પણ કંપની ખાતે બોલાવ્યા હતા ત્રણેય વિભાગોએ ગેસ લીકેજનું મુખ્ય કારણ તેમજ કંપનીમાં વપરાતા કેમિકલો મુદ્દે તપાસ હાથ ધરી હતી. બાદ સાંજે ચાર વાગ્યે અચાનક કંપનીમાં આગ ભભૂકી ઉઠતાં ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ફરી એકવાર આ કંપની શંકાના દાયરામાં આવી છે. આ આગ લાગી હોવા છતાં કંપનીના માલિકો અહીં ફરકયા પણ ન હતા અને માત્ર કામદારો હાજર હતા. તેઓ કંઈ બોલવા તૈયાર ન હતા. મંજુસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. જીપીસીબીના દફતરે બંધ હોવા છતાં કંપની રાત્રે ધમધમતાં આશ્ચર્ય સાવલીના લસુન્દ્રા રોડ પર આવેલ શાર્પ પેટ્રોકેમ કંપની જીપીસીબી વિભાગના દફતરે બંધ છે. છતાં આશ્ચર્યજનક રીતે આ કંપની રાત્રે ધમધમતી હતી અને વિવિધ કેમિકલો સ્ટોર થતા હતા. તેમ છતાંય તંત્રનું ધ્યાન ગયું ન હતું. અને વારે ઘડીએ ગેસ લીકેજ અને આગના બનાવો બનતા રહે છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. બંધ હાલતમાં રહેલી કંપનીમાં સ્ફોટક કેમિકલ્સનો જથ્થો તપાસનો વિષય છેકંપની બંધ હાલતમાં છે અને આટલો મોટો જથ્થો કેવી રીતે સ્ટોર કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. પરંતુ સવારમાં ગેસ લીકેજ થયો હતો અને સાંજે આગ લાગી હતી. તેવો સરપંચ દ્વારા ફોન કરવામાં આવતાં અમે અહીંયા આવીને તપાસ કરતાં સોલ્વન્ટ લીકેજના કારણે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. > આર એમ પટેલ, ઇન્ચાર્જ સર્કલ ઓફિસર કંપનીમાં બે વર્ષ પહેલાં પણ ગેસ લીકેજ થતાં‎ગામને ખાલી કરવાનો નિર્ણય લેવાયો હતો‎બે વર્ષ અગાઉ પણ આ કંપનીમાં રાત્રિના સમયે ગેસ લીકેજ થયો હતો. તેના પગલે‎આજુબાજુની કંપનીઓના કામદારોને છોડી મૂકવામાં આવ્યા હતા. જો ગેસ પર કાબૂ ના‎મેળવી શક્યા હોત તો લસુન્દ્રા ગામને ખાલી કરવાનો નિર્ણય પણ તંત્ર દ્વારા લેવાયો‎હતો. મોટા પ્રમાણમાં સ્ફોટક કેમિકલો આ કંપનીમાં સંગ્રહ કરવામાં આવેલ છે. જો તંત્ર‎દ્વારા તટસ્થ તપાસ કરાય તો મસ મોટું કૌભાંડ બાહર આવે તેમ છે. આ કેમિકલોના‎બેરલો સ્ટોર કરવા માટેની પરમિશન છે કે કેમ ? તે પણ તપાસનો વિષય છે.‎

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠકનું આયોજન:ભરૂચ જિલ્લા ભાજપના સંગઠનની‎ નવી ટીમની પરિચય બેઠક યોજાઇ‎

ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચનામાં મોટા નેતાઓના માનીતાઓના પત્તા કાપી નાખવામાં આવતાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. પક્ષમાં ચાલી રહેલાં આંતરિક વિખવાદ વચ્ચે ગુરૂવારના રોજ સંગઠનની ટીમની પરિચય બેઠક મળી હતી. મકતમપુર સ્થિત જિલ્લા પંચાયત પ્રમુખના નિવાસે આ બેઠક મળી હતી. જેમાં જિલ્લાના સંગઠન પ્રભારી અને વડોદરાના મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. જિલ્લા ભાજપના પ્રમુખની રચનાના એક વર્ષ બાદ જિલ્લા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. નવા 48 હોદ્દેદારોની વરણી કરાઇ છે જેમાંથી માત્ર 5 જ લોકોને રીપીટ કરવામાં આવ્યાં છે જયારે 43 નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. નવા સંગઠનમાં જુના જોગીઓના પત્તા કપાઇ જતાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહયો છે. ભાજપમાં ઉકળતા ચરૂ વચ્ચે ગુરૂવારના રોજ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે નવી ટીમની બેઠક મળી હતી. જેમાં જિલ્લા સંગઠન પ્રભારી પરાક્રમસિંહ જાડેજા હાજર રહયાં હતાં. બેઠક જિલ્લા ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓ, ઉપપ્રમુખો, મંત્રીઓ, જિલ્લાના તમામ 14મંડળોના પ્રમુખો, અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. નવી સંગઠનની આ પ્રથમ સંયુક્ત બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં મનોમંથન થયું હતું. પરાક્રમસિંહ જાડેજાએ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને કાર્યકરોને ચૂંટણીલક્ષી સક્રિયતા દાખવવા આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ 2021 ની ચૂંટણી કરતાં પણ વધુ બહુમતી સાથે ભરૂચ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં ભવ્ય જીત મેળવવાના ધ્યેય સાથે વ્યૂહરચના ઘડવા પર ભાર મૂક્યો હતો. શુક્રવારે નેત્રંગ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ અને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ભરૂચ જિલ્લાના પ્રવાસના આયોજન અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ફરિયાદ નોંધાઈ:કડીથી મહારાષ્ટ્ર મોકલાઇ રહેલો રૂ. 38.45 લાખનો પામ તેલનો જથ્થો સગેવગે કરાયો

ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. ખાલી ટેન્કર અંકલેશ્વરની આરામ હોટલ પાસે મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વાપી ખાતે રહેતા અનિલ મિશ્રા એ પોતાના ટેન્કર ડ્રાઇવર સાજીદ અલી મોહમ્મદ ફારૂક આપ્યું હતું જે ગત 8 મી માર્ચના રોજ કડી કલોલ ખાતે આવેલ જી-1 એગ્રો પ્રોડક્ટ લિમિટેડ કંપની માંથી પામોલીન તેલ ભરી મહારાષ્ટ્ર ના બેલાપુર સ્થિત આનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જવા માટે નીકળ્યું હતું. દરમિયાન ચાલક દ્વારા રસ્તા માં પોતાના આર્થિક ફાયદો સારું ટેન્કર માં રહેલા 28350 લીટર પામોલીન તેલનો જથ્થો બારોબાર કોઈ જગ્યા એ વેચી નાખી સગેવગે કરી નાખ્યો હતો. 10 મી માર્ચ રાત્રી ના માંડવા ટોલ થઇ અંકલેશ્વર હાઇવે પર આવેલ આરામ હોટલ કમ્પાઉન્ડ માં ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઇ ગયો હતો. ટેન્કર ચાલક ફોન સ્વિચ ઓફ કરી દીધા બાદ ટેન્કર ના માલિક અનિલ મિશ્રા ના ફોન ના ઉઠાવતા તેને શંકા જતા જીપીએસ લોકેશન આધારે તેઓ અંકલેશ્વર ની આરામ હોટલ ખાતે પહોંચ્યા હતા ગાંધીનગર ના કડી થી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે 38.45 લાખનું પામ તેલ ટેન્કર ચાલકે સગેવગે કરી દીધું હતું. જ્યાં ટેન્કર ચેક કરતા અંદર થી પામ તેલ સગેવગે થઇ ગયું હતું. આ અંગે ટેન્કર ચાલક સાજીદ અલી મોહમ્મદ ફારૂક વિરુદ્ધ ટેન્કર માલિક અનિલ મિશ્રા દ્વારા 38.54 લાખ રૂપિયા ના પામ તેલ ને સગેવગે કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

વેધર રિપોર્ટ:ભરૂચ જિલ્લાનું તાપમાન 36 ડિગ્રી થતાં ગરમી વધી

ભરૂચ જિલ્લામાં ધીરે ધીરે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા એક સપ્તાહથી અંદાજે સરેરાશ 1 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે. જેના કારણે દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગરમી વધતાં લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ ગરમીના કારણે એસી, કુલરનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આમ ભરૂચ જિલ્લાનું દિવસ દરમિયાન મહત્તમ તાપમાન વધીને 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. ગરમી વધતાં ભેજનું પ્રમાણ ઘટીને 13 ટકાની આસપાસ રહ્યું હતું. પવનની ગતિ વધીને 19 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 42 ડિગ્રી થવાની સંભાવના છે. ગરમીમાં વધારો થતાં ખેડૂતોને ખેતી પાક માં જરૂરિયાત મુજબ પિયત આપવા ભલામણ કરવામાં આવી છે. સાથે પવનની ગતિ ને ધ્યાને લઈને ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

પુલના સમારકામની કામગીરી હાથ ધરાઈ:વ્યારા-તરસાડા રોડ પર જોખમી બનેલા પુલનું સમારકામ શરૂ

વ્યારાથી તરસાડાને જોડતા અને કાકરાપાર અણુ મથક જેવા મહત્વના સ્થળ સુધી જતા મુખ્ય માર્ગ પર આવેલા પુલની બિસ્માર હાલત અંગે દિવ્ય ભાસ્કર’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે. તંત્રની ઘોર બેદરકારી અને માત્ર આડશ મૂકીને સંતોષ માનતી નીતિ સામે લાલ આંખ કર્યા બાદ, આજે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલના સાંધા વચ્ચેની લોખંડની એંગલો રોડની સપાટીથી બહાર આવી ગઈ હતી, જેના કારણે ટુ-વ્હીલર સવાર સ્લિપ થવાની કે વાહનોના ટાયર ફાટવાની ગંભીર ઘટનાઓનો ભય સેવાઈ રહ્યો હતો. તંત્રએ માત્ર પ્લાસ્ટિકના કોન મૂકીને કામગીરી પૂર્ણ માની લીધી હતી, જેનાથી લોકોમાં ભારે રોષ હતો. ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર પ્રસિદ્ધ થતાં જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક મજૂરો તેમજ જરૂરી મશીનરી સાથે પુલ પર સમારકામ શરૂ કરાયું છે. બહાર નીકળી ગયેલી લોખંડની એંગલોને વ્યવસ્થિત બેસાડવા અને રોડને સમતલ કરવાની કામગીરી અત્યારે પ્રગતિમાં છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ડિજિટલ‎ એરેસ્ટ:ભરૂચના નિવૃત્ત કર્મીને 4 દિવસ ડિજિટલ‎એરેસ્ટ કરી ગઠિયાએ 58 લાખ પડાવ્યાં‎

ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કોલોનીમાં રહેતાં નિવૃત કર્મચારીને ટ્રાઇ તથા પોલીસના નામે ધમકાવી સાયબર ગઠિયાઓએ રૂા.58 લાખ પડાવી લીધાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નિવૃત કર્મચારી કાંતિલાલ પટેલ પર 18મી ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવ્યો હતો અને તેમના ફોન પરથી મની લોન્ડ્રીંગ અને લોકોને હેરાનગતિ કરતાં મેસેજ થયાં હોવાની વાત કરી હતી. ફોન કરનારની વાત સાંભળીને કાંતિલાલ ગભરાઇ ગયાં હતાં. બાદમાં સામેવાળાએ વિડીયો કોલ કરીને અન્ય વ્યકતિ સાથે વાત કરાવી હતી જેણે પોતાની ઓળખ પોલીસ ઇન્સપેકટર વિજય ખન્ના તરીકે આપી હતી. સાયબર ગઠિયાઓએ કાંતિલાલને ડીજીટલ એ રેસ્ટ કરી દીધાં હતાં અને તેમના બેંક ખાતાઓમાં રાખેલી રકમ વિશે માહિતી મેળવી હતી. 24મી તારીખ સુધી તેમને ડીજીટલ એરેસ્ટ રાખી પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં આવેલાં બેંક ખાતાઓમાં રૂા.58 લાખની રકમ જમા કરાવડાવી લીધી હતી. બનાવ અંગે તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નિવૃત કર્મચારીઓ અને વયસ્કો સાયબર માફિયાઓનો સૌથી વધારે શિકાર બનતાં હોય છે. તેઓ એકલવાયા રહેતાં હોવાથી અજાણ્યા નંબર પરથી આવતાં કોલ ઉપાડી લેતાં હોય છે અને તેમની સાથે પરિવારના અન્ય સભ્યો નહિ હોવાથી ગભરાઇ જઇને સાયબર ગઠિયાઓની ચુંગાલમાં ફસાઇ જાય છે. કાયદાકીય કાર્યવાહીના ડરથી તેઓ પોતાની એફડી તોડીને ગઠિયાઓના બેંક ખાતામાં પૈસા જમા કરાવી દેતાં હોય છે. બે વર્ષમાં જનજાગૃતિ માટે 80થી વધુ સેમિનાર છતાં ગુનાઓ વધ્યાં ભરૂચ પોલીસ સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા માટે બે વર્ષમાં 80થી વધારેથી સેમીનાર યોજયાં છે તેમ છતાં લોકોમાં હજી જાગૃતિ આવતી નથી. સાયબર માફિયાઓ ખાસ કરીને રોકણના બદલામાં વધારે રીટર્ન, વોટસએપ પણ અજાણી લીંક મોકલીને ફોન હેક કરી પૈસા પડાવવા તથા સીબીઆઇ તેમજ પોલીસના નામે ડરાવી ધમકાવીને પૈસા પડાવવાના કિમીયાઓ અજમાવી રહયાં છે. વોટસએપ પર આવતી અજાણી લીંક નહિ ખોલવા તથા વધારે રીટર્નની લોભામણી જાહેરાતોમાં નહિ ફસાવવા તથા કોઇ પણ કોલથી ડર્યા વિના પોલીસને જાણ કરવા માટે પોલીસ તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 4:00 am

ભાવનગરમાં LCBની રેઇડ, સરદારનગરમાંથી 3 લાખનો વિદેશી દારૂ જપ્ત:રામતીર્થ સોસાયટીના મકાનમાંથી 756 બોટલ દારૂ ઝડપાયો, દરોડા સમયે શખસ હાજર ન મળ્યો

ભાવનગર એલસીબી પોલીસે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા એક મકાન પર રેઇડ કરતા વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192 નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જ્યારે રેઇડ દરમિયાન શખ્સ હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે શખ્સ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર એલસીબી કચેરીથી મળતી માહિતી મુજબ એલસીબી પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, એ દરમ્યાન બાતમી મળી હતી કે રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ સરદારનગર ખાતે રહેતો કલ્પેશ હસમુખભાઈ બારૈયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરતા શખસ હાજર મળી આવ્યો ન હતો. જ્યારે રહેણાંક મકાનમાં તપાસ દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની કુલ 756 બોટલો સહિત રૂ.3,90,192નો મુદામાલ મળી આવતા કબ્જે લીધો હતો. જે બનાવ સંદર્ભે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે કલ્પેશ હસમુખભાઈ બારૈયા રહે. પ્લોટ નંબર 9, રામતીર્થ સોસાયટી, લંબે હનુમાન મંદિર પાછળ, સરદારનગર, ભાવનગર વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 12:13 am

'બે દિવસથી મારી જાનને ખતરો, મોટી ભૂલ થઈ ગઈ':વડોદરામાં કેરળા સ્ટોરી-2 જેવી ખૌફનાક ઘટના, બે વર્ષ પહેલા જ અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરનાર પીડિતાની દર્દનાક આપવીતી

મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ... મારી જાનને બે દિવસથી ખતરો છે! – આ દર્દભર્યા શબ્દો છે વડોદરાની એક પીડિતાના, જેણે બે વર્ષ પહેલાં અન્ય ધર્મના યુવક સાથે કોર્ટ મેરેજ કર્યા બાદ 'કેરળા સ્ટોરી 2' જેવી ખૌફનાક વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. પતિ સલમાન સલીમખાન પઠાન દ્વારા શારીરિક-માનસિક અત્યાચાર, ચપ્પુ ગળે મૂકીને બૂમ પાડીશ તો ટુકડા કરી થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ જેવી ધમકીઓ, ખેતરમાં લઈ જઈ ગળું દબાવી માર મારવો આ તમામ ભયાનક ઘટનાઓ પછી યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પીડિતાને SHE ટીમ દ્વારા રક્ષણ તથા કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે, પરંતુ યુવતીનું કહેવું છે કે હવે છૂટકારો જ જોઈએ છે, જાન બચાવો! આ ઘટનાએ ફરી એકવાર ઇન્ટર-ફેથ મેરેજમાં છુપાયેલા જોખમો અને ઘરેલુ હિંસાના અંધકારમય પાસાને ઉજાગર કર્યા છે. 'મને ખેતરમાં દૂર લઈ જઈને ચપ્પુથી ધમકી આપી'આ મામલે ભોગ બનનાર પીડિતાએ જણાવ્યું હતું કે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે પણ હવે ભૂલ મારી સુધારવા માંગુ છું. હવે મારે એનાથી છુટું જ જોઈએ છે, કેમ કે એ મને બહુ હેરાન કરે છે, બહુ તકલીફ આપે છે. મારવાની ધમકી આપે છે, ચપ્પુ લઈને પાછળ ભાગે છે, આખા એકતાનગરમાં મારી પાછળ ભાગે છે. મારી જાનને બે દિવસ બહુ ખતરો હતો, કેમ કે બહુ દૂર મને લઈ ગયેલો ખેતરમાં અને ત્યાં જઈને લઈને મને બહુ ખતરનાક મારી, ચપ્પુ પણ હતું. એની જોડે અને મને ધમકાવતો હતો કે, તારે મારી જોડે રહેવું છે કે નહીં રહેવું એમ તેમ. 'મને કે તું જઈશ તો તારા ઘરનાઓને મારીશ'વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તેણે મારા ગળા પર ચપ્પુ મૂકી દીધેલું. તે ડરાવી ધમકાવીને મને અત્યાર સુધી રાખી છે એટલે જ રહી બાકી તો ના રેત. મારી મમ્મી લોકોને મારવાની જ ધમકી આપતો હતો. મને કે તું જઈશ તો તારા ઘરનાઓને મારીશ. મેં ઝઘડો કરી ને કંટાળીને આવી ગઈ હતી ત્યારે કે મારી મમ્મીના હાથે જ ચપ્પુ મારી દીધું હતું. મને કોઈની બીક નથી સરકાર પણ કઈ મારું કરી શકશે નહીં. મને ત્યાં જબરદસ્તી રાખવી છે અને અન્ય યુવતીને પણ રખાવી છે. 'પીડિત મહિલાએ ધર્મપરિવર્તન અંગે કોઈ ફરિયાદ પોલીસમાં નથી કરી'મામલે ડીસીપી ઝોન-4 એન્ડ્રુ મેકવાને જણાવ્યું છે કે, આ કિસ્સો લવ જેહાદનો નથી, પરંતુ પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો છે. પત્નીએ પોતાના પતિ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પીડિત મહિલાએ ધર્મપરિવર્તન અંગે કોઈ ફરિયાદ પોલીસમાં નથી કરી. પોલીસ હાલમાં આખા મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પીડિત યુવતી અને તેના પરિવારને શી ટીમ દ્વારા રક્ષણ આપવામાં આવશે. શી ટીમ દ્વારા પીડિત મહિલાનું કાઉન્સેલિંગ પણ ચાલુ છે. યુવતી અને સલમાને 2024માં કોર્ટ મેરેજ કર્યા હતાઆ ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે, વર્ષ 2024માં સલમાન સલીમખાન પઠાન સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ તેઓ એકતાનગર પોલીસ ચોકીની સામે, આજવા રોડ વડોદરા ખાતે રહેતા હતા. તેણી ઘરકામ કરતી હતી અને પતિ ઓટોરિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2025માં તેણીને ખબર પડી કે, તેના પતિના અન્ય મહિલા સાથે આડાસંબંધ છે. આ વાત પર પતિને પૂછતાં તેણે ગાળો બોલીને ગળદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ તેણી પિયરમાં ગઈ હતી. પતિના પરિવારના સભ્યોએ સમજાવતાં તેણી ફરી સાસરિયામાં ગઈ હતી. થોડા સમય સુધી વર્તન સુધર્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ ફરીથી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતો રહ્યો હતો તેમ છતાં ઘર ન ભાંગે એવા ઉદ્દેશથી તેણીએ સહન કર્યું હતું. 14 જાન્યુઆરી,2026ના રોજ પતિ ઘરે ન આવતા ફોન કર્યો તો ઉપાડ્યો નહીં. ઘરે આવ્યા પછી પૂછતાં ફરી ગાળો બોલીને માર માર્યો હતો. તેણી પિયરમાં ગઈ અને માતા સાથે રહેવા લાગી હતી. બાદમાં 25 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે દવા લેવા જતી વખતે પતિ રસ્તામાં આવીને ગાળો બોલી ધમકી આપી અને ત્રાસ આપ્યો હતો. 'હવે બૂમો પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ'મહિલા, માતા અને તેના ભાઈ સાથે રિક્ષામાં કમલાનગર ખાતે પૂજાનો સામાન લેવા જઈ રહ્યા હતા ત્યારે પતિ સલમાન તેની રિક્ષા લઈને હોસ્પિટલ પાસે આવ્યો અને ફરિયાદીને બળજબરીથી પોતાની રિક્ષામાં બેસાડી લીધી હતી. તેને આજવા-નીમેટા રોડ ખાતે એક ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે પૂછ્યું કે, તારે મારી સાથે રહેવું છે કે નહીં? ફરિયાદીએ કહ્યું કે ઝઘડો ન કરો તો રહીશ. ત્યારે પતિએ ગદ્દા-પાટુથી માથા પર માર માર્યો. તેણી રડવા લાગી તો મોઢામાં રૂમાલ નાખીને ધમકી આપી કે બૂમ પાડીશ તો ટુકડા કરીને થેલામાં ભરી દઈશ અને મારી નાખીશ. ગંદી ગાળો બોલી, ગળું દબાવ્યું અને મુક્કા માર્યા હતા. બાદમાં તે ભાગીને પોતાના ભાઈને કોલ કર્યો હતો. બાદમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 12:05 am

હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ASIએ ઘરે ફાંસો ખાધો:પોલીસ જવાનના આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો

વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ જવાને ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. આ બનાવ મામલે મકરપુરા પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયાનો અગમ્ય કારણોસર આપઘાતશહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં પોતાના નિવાસસ્થાને 57 વર્ષીય કૃષ્ણકાંત સોરઠીયાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી. આ સમયે તેમનો પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો. મકરપુરા પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયોઆ આત્મહત્યા પોલીસ જવાને શા માટે કરો તે બાબતે હજુ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવને લઈ પોલીસ જવાનના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથીઆ અંગે મકરપુરા પોલીસ મથકના પી.આઈ. એ.એમ. ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પોલીસ જવાન એ એસ આઈ તરીકે ફરજ બજાવતા હતા. બપોરે જમ્યા બાદ તેઓ પોતાના ઘરે આ પગલું ભર્યું છે. આ આત્મહત્યા પાછળ કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ પોલીસે તેઓનો મોબાઈલ ફોન કબજે લીધો છે. તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. હાલમાં મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે બાદમાં વધુ તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 12:05 am

નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક:રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ જિલ્લાઓમાં વોર્ડવાઈઝ અધિકારીઓને જવાબદારી સોંપાઈ

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર સંબંધિત જિલ્લાઓ અને નગરપાલિકાઓના વોર્ડ માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણય ભારતના બંધારણના અનુચ્છેદ 243 (ક) તેમજ ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને સંબંધિત નિયમો હેઠળ લેવામાં આવ્યો છે. જાહેર કરાયેલા આદેશ મુજબ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, કચ્છ સહિતના જિલ્લાઓની નગરપાલિકાઓમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારુ રીતે યોજાય તે માટે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપાઈઅમદાવાદ જિલ્લામાં બોપલ, વિરમગામ અને ધોળકા નગરપાલિકાના વોર્ડ નં.1 માટે ચૂંટણી અધિકારી તરીકે મામલતદાર કચેરીના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે સંબંધિત મામલતદારને નિયુક્ત કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓના નામનું લિસ્ટ જોવા ક્લિક કરો અમરેલી જિલ્લામાં અમરેલી, બાબરા, બગસરા, ધારી અને સાવરકુંડલા નગરપાલિકાઓના વોર્ડ માટે જિલ્લા પંચાયત અને વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. સાથે જ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તરીકે મામલતદાર અને અન્ય પ્રશાસનિક અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે. પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નિયુક્તઅરવલ્લી જિલ્લાના મોડાસા અને બાયડ નગરપાલિકા માટે પણ પ્રાંત અધિકારીઓ અને જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં ઉમરેઠ, બોરસદ, પેટલાદ, સોજિત્રા અને આણંદ નગરપાલિકાઓમાં પણ વિવિધ વિભાગોના અધિકારીઓને ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. તે ઉપરાંત કચ્છ જિલ્લાના ભુજ નગરપાલિકામાં પણ ચૂંટણી પ્રક્રિયા સંચાલન માટે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશેરાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવેલી આ નિમણૂકથી આવનારી નગરપાલિકા ચૂંટણી માટેની પ્રશાસનિક તૈયારીઓ તેજ બનવાની શક્યતા છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિયમબદ્ધ રીતે પૂર્ણ થાય તે માટે આ અધિકારીઓ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી સંભાળશે.

દિવ્ય ભાસ્કર 13 Mar 2026 12:02 am

નાગા સાધુના વેશમાં સેતાનની કરતૂત:ગાંધીનગરના ખેડૂતને પૈસા ચાર ગણા કરવાની લાલચ આપી 15 લાખની છેતરપિંડી

ગાંધીનગરના રૂપાલ ગામના એક ખેડૂત સાથે પૈસા ડબલ અને ચાર ગણા કરી આપવાની લાલચ આપી 15 લાખની છેતરપિંડી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. તાજેતરમાં સુરત ક્રાઈમ બ્રાંચે પકડેલા સાધુના વેશમાં ઠગને ઓળખી લેતા પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગરના રૂપાલ ગામના દિનેશજી પથુજી ચાવડા નવ મહિના અગાઉ એક્ટિવાની નંબર પ્લેટ નંખાવવા નારદીપુર રોડ પરથી પસાર થતા હતા.ત્યારે સફેદ ગાડીમાં બેસેલા બે શખ્સોએ તેમને ઉભા રાખ્યા હતા. ગાડીમાં બેસેલા એક નગ્ન બાવાજીએ આશીર્વાદ રૂપે રુદ્રાક્ષનો મણકો અને 500ની નોટ આપી દિનેશજીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ પૈસા ડબલ કરી આપીશ તેમ કહી પ્રથમ તબક્કે 50 હજાર રૂપિયા લઈ રૂમાલમાં વીંટીને પરત આપી ખેડૂતને પોતાની માયાજાળમાં ફસાવ્યા હતા. ​બાવાજીએ ત્યારબાદ દિનેશજીને ફોન કરી 15 લાખ રૂપિયા લઈને બાલાસિનોર બોલાવ્યા હતા. આથી, ખેડૂત દિનેશજી પોતાની બેંકની એફ.ડી. તોડીને 10 લાખ અને અન્ય 5 લાખ હાથ ઉછીના મેળવી કુલ 15 લાખ રૂપિયા એલ્યુમિનિયમના ડબામાં ભરીને બાવાજી અને તેની સાથેના શખ્સને સોંપી દીધા હતા. આરોપીઓએ આ રકમ ચાર ગણી કરીને ઘરે આવીને આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા અને મોબાઈલ પણ બંધ કરી દીધા હતા. લાંબા સમય સુધી પૈસા પરત ન મળતા ખેડૂતને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ દરમિયાન સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચે ઠગબાજ રાજેશનાથ ઉર્ફે રાજલો બાબુનાથ મદારીને પકડી પાડ્યાના સમાચાર ઓનલાઇન જોતા ખેડૂત ચોંકી ઉઠ્યા હતા. સમાચારમાં દેખાયેલો ફોટો એ જ બાવાજીનો હતો જેણે 15 લાખની ઠગાઈ કરી હતી.​પેથાપુર પોલીસે આ મામલે રાજેશનાથ મદારી (રહે. કપડવંજ) અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:58 pm

સાળંગપુર રોડ પર સ્ટ્રીટ લાઈટ નંખાઈ:25 વારિયા વિસ્તારમાં અંધારાની સમસ્યાનો અંત

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલા 25 વારિયા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી છે. લાંબા સમયથી સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની માંગ કરવામાં આવી રહી હતી, જે હવે પૂર્ણ થઈ છે. બોટાદ નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના અધિકારી સંજયભાઈએ સ્થળ પર હાજર રહીને તમામ પોલ પર એંગલ સહિત સ્ટ્રીટ લાઇટો લગાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કામગીરી દરમિયાન પૂર્વ કોર્પોરેટર અનવરહુસેન નિયાતર, ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા ઉપપ્રમુખ ગનીભાઈ પાઘરશી અને વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નગરપાલિકાના કર્મચારીઓ અને લાઈટ શાખાના સંજયભાઈ સાથે રહીને કામ ઝડપથી પૂર્ણ કરવામાં સહયોગ આપ્યો હતો.મોટાભાગનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્ટ્રીટ લાઇટ લાગી જતાં વિસ્તારમાં અજવાળું થયું છે, જેના કારણે સ્થાનિક રહીશોએ નગરપાલિકા અને લાઈટ શાખાનો આભાર વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:57 pm

સુરત મહાનગરપાલિકાનો મિલિન્દ તોરવણે વહીવટદારનો ચાર્જ સંભાળ્યો:પહેલો દિવસ જ પડકારજનક સાબિત થયો

સુરત સહિત સમગ્ર રાજ્યની તમામ આઠ મહાનગરપાલિકાઓમાં જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની મુદત પૂર્ણ થતાં જ હવે વહીવટદારોના શાસનનો આરંભ થયો છે. આ કડીમાં આજે સુરત મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણેએ વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય અને નવું બોર્ડ અસ્તિત્વમાં ન આવે ત્યાં સુધી શહેરના તમામ મહત્વપૂર્ણ વહીવટી અને નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા હવે મિલિન્દ તોરવણેના હસ્તક રહેશે. વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતીગઈકાલે 11મી માર્ચના રોજ સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની પાંચ વર્ષની ટર્મ સત્તાવાર રીતે પૂર્ણ થઈ હતી. આ સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓએ સત્તાવાર રીતે વિદાય લીધી હતી. લોકશાહી ઢબે ચૂંટાયેલા બોર્ડની ગેરહાજરીમાં મહાનગરપાલિકાના કામકાજમાં કોઈ અવરોધ ન આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ મહાનગરોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી હતી. જે અંતર્ગત સુરતની જવાબદારી મિલિન્દ તોરવણેને સોંપવામાં આવી છે. મિલિન્દ તોરવણેનો સુરત સાથે જૂનો નાતોમિલિન્દ તોરવણે સુરત માટે કોઈ નવું નામ નથી. તેઓ અગાઉ વર્ષ 2014થી 2016 દરમિયાન સુરત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન સુરતના વિકાસમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. તેમની કાર્યક્ષમતા અને સુરત શહેરની ભૌગોલિક તેમજ વહીવટી સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હોવાથી, રાજ્ય સરકારે ફરી એકવાર તેમના પર ભરોસો મૂકી સુરતની સુકાન સોંપી છે. ચૂંટણી સુધી તમામ સત્તાઓ વહીવટદાર પાસેસામાન્ય રીતે મહાનગરપાલિકામાં નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિ પાસે હોય છે. પરંતુ હવે જ્યારે ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં નથી, ત્યારે મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ જે ગુજરાતમાં પણ લાગુ પડે છેતે મુજબ સ્થાયી સમિતિ અને સામાન્ય સભાની તમામ સત્તાઓ હવે વહીવટદાર પાસે રહેશે.શહેરના વિકાસના કામો, ટેન્ડરોની મંજૂરી અને આર્થિક નિર્ણયો હવે મિલિન્દ તોરવણે લઈ શકશે. ચૂંટણી આચારસંહિતા અને લોકશાહીના માપદંડો જળવાય તે રીતે વહીવટ ચલાવવાની તેમની પ્રાથમિક જવાબદારી રહેશે. વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ હવે મિલિન્દ તોરવણે સામે અનેક પડકારો પણ છે. આગામી સમયમાં ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે પીવાના પાણીની વ્યવસ્થા, સફાઈ અભિયાન અને ચોમાસા પૂર્વેની તૈયારીઓ પ્રી-મોન્સૂન કામગીરી તેમની પ્રાથમિકતામાં રહેશે. આ ઉપરાંત, પડતર પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા અને વહીવટી પારદર્શિતા જાળવી રાખવી એ પણ એક મુખ્ય કાર્ય બની રહેશે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છેસુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં પણ સળવળાટ તેજ થયો છે. ટિકિટવાંચ્છુઓની દોડધામ વધી ગઈ છે, પરંતુ જ્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શહેરીજનોની સુખાકારી અને વહીવટી ગતિશીલતા જાળવી રાખવાની જવાબદારી હવે સંપૂર્ણપણે મિલિન્દ તોરવણેના ખભે છે. સુરત મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકેનો પદભાર સંભાળતાની સાથે જ વરિષ્ઠ અધિકારી મિલિન્દ તોરવણે માટે પ્રથમ દિવસ જ પડકારજનક સાબિત થયો હતો. પોતાની માંગણીઓને લઈને પાલિકાના મુખ્ય દ્વાર પાસે વિરોધ કરી રહેલા પાથરણાવાળાઓએ સાંજે ઓફિસ સમય પૂર્ણ કરી નીકળતા વહીવટદારની ગાડીને મ્યુનિસિપલ કમિશનરની ગાડી સમજીને ઘેરી લીધી હતી મળતી વિગતો મુજબ, સુરત મહાનગરપાલિકાના મુખ્ય ગેટ પાસે પાથરણાવાળાઓ અને લારી-ગલ્લા ધારકો છેલ્લા પોતાની વિવિધ માંગણીઓ અને પાલિકાની કથિત હેરાનગતિ સામે આંદોલન ચલાવી રહ્યા હતા. ગુરુવારે સાંજે આશરે 6:00 વાગ્યે, જ્યારે વહીવટદાર મિલિન્દ તોરવણે પોતાનો પ્રથમ દિવસનો કાર્યભાર સંભાળીને ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા, ત્યારે આંદોલનકારીઓએ તેમની ગાડીને આંતરી લીધી હતી. પ્રદર્શનકારીઓમાં એવી ગેરસમજ ઉભી થઈ હતી કે આ ગાડી મ્યુનિસિપલ કમિશનરની છે. આક્રોશિત લોકોએ ગાડીની આસપાસ કુંડાળું વળી લીધું હતું અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે કેટલાક દેખાવકારો પાલિકાના મુખ્ય ગેટની બિલકુલ સામે રસ્તા પર જ સુઈ ગયા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો. આ ઘટના બાદ મિલિન્દ તોરવણે ચાલતા જ ગેટ બહાર આવી ગયા હતા અને વિરોધ કરતા લોકોએ તેમને ઘેરી લીધા હતા અને પોતાની આપ વીતી જણાવવા લાગ્યા હતા મિલિન્દ તોરવણે વિનમ્ર ભાવે તેમને સમજાવ્યા હતા કે હું કમિશનર નથી કમિશનર અંદર છે તમે તમારી રજૂઆત તેમની પાસે શાંતિથી કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:57 pm

ડ્રોન ટેકનોલોજી શીખીને સુરતને બનાવશે વધુ સ્માર્ટ:પાલિકાના 16 અધિકારીઓની ટીમ ચેન્નાઈ રવાના, ડૉ. કલામ રિસર્ચ સેન્ટરમાં તાલીમ લેશે

સુરત મહાપાલિકા હવે સ્માર્ટ સિટીથી એક ડગલું આગળ વધીને 'ટેક-સિટી' બનવા તરફ જઈ રહી છે. ટેકનોક્રેટ કમિશનર એમ. નાગરાજનના વિઝનરી નેતૃત્વ હેઠળ પાલિકાના વહીવટમાં હવે ‘ડ્રોન’ શક્તિનો ઉદય થવા જઈ રહ્યો છે. માત્ર ફાયર બ્રિગેડ જ નહીં, પરંતુ આરોગ્યથી લઈને ટાઉન પ્લાનિંગ સુધીના તમામ મહત્વના વિભાગોમાં કસ્ટમાઇઝ્ડ ડ્રોનનો ઉપયોગ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કમિશનર એમ. નાગરાજનની પહેલ પર સુરત પાલિકાના વિવિધ વિભાગોના 16 નિષ્ણાત અધિકારીઓની એક વિશેષ ટીમ ચેન્નાઈ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ડૉ. કલામ એડવાન્સ રિસર્ચ સેન્ટરની મુલાકાતે પહોંચી છે. આ ટીમમાં ફાયર, ટાઉન પ્લાનિંગ, આઈ.એસ.ડી. (IT), આરોગ્ય અને વર્કશોપ વિભાગના એન્જિનિયરોનો સમાવેશ થાય છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય ડ્રોન નહીં પણ સુરતની જરૂરિયાત મુજબના ‘કસ્ટમાઇઝ્ડ ડ્રોન’ તૈયાર કરવાની ટેકનોલોજી સમજવાનો છે. બહુમાળી ઈમારતોમાં લાઈવ રેસ્ક્યુ ઓપરેશનસુરતમાં વધી રહેલી હાઈરાઈઝ બિલ્ડિંગોને ધ્યાને રાખી ફાયર વિભાગ માટે ખાસ ડ્રોન તૈયાર કરાશે. આ ડ્રોન આગની ઘટના વખતે ઈમારતની અંદરની ગંભીર પરિસ્થિતિનું લાઈવ વિડિયોગ્રાફી દ્વારા નિરીક્ષણ કરશે. જેનાથી ફાયર ઓફિસરો નીચે બેઠા જ જાણી શકશે કે અંદર કેટલા લોકો ફસાયા છે અને આગ કયા લેવલ પર છે, જેનાથી રેસ્ક્યુ કામગીરી વધુ સચોટ બનશે. ખાડી અને પ્લોટમાં દવાનો છંટકાવ હવે આસાનશહેરમાં મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે આરોગ્ય વિભાગ અત્યાર સુધી મેન્યુઅલ કામગીરી કરતું હતું. હવે નવા પ્રોજેક્ટ મુજબ, ડ્રોન દ્વારા ખુલ્લા ખેતરો, પ્લોટ કે ખાડી વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. આ ટેકનોલોજીથી દુર્ગમ વિસ્તારોમાં પણ ચોકસાઈપૂર્વક દવાનો છંટકાવ કરી શકાશે, જે રોગચાળો અટકાવવામાં મદદરૂપ થશે. ટાઉન પ્લાનિંગ વિભાગ ડ્રોનનો ઉપયોગ શહેરના સર્વેક્ષણ અને ગેરકાયદેસર દબાણો શોધવા માટે કરશે. આ ડ્રોન દ્વારા થતા ડિજિટલ મેપિંગથી પ્રોજેક્ટ મોનિટરિંગ અને ડેટા એનાલિસિસમાં મોટી મદદ મળશે. આઈ.એસ.ડી. વિભાગ આ ડેટાનો ઉપયોગ કરીને શહેરનો ચોક્કસ ડિજિટલ નકશો તૈયાર કરશે, જેનાથી ભવિષ્યના આયોજનમાં સરળતા રહેશે. માત્ર નિરીક્ષણ નહીં પણ સેવાનું નવું માધ્યમસામાન્ય રીતે ડ્રોનનો ઉપયોગ માત્ર ફોટોગ્રાફી કે નિરીક્ષણ માટે થાય છે, પરંતુ સુરત પાલિકા દરેક વિભાગની સ્પેસિફિક જરૂરિયાત મુજબના ડ્રોન બનાવવા માંગે છે. ચેન્નાઈની સંસ્થામાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ ત્યાં પ્રત્યક્ષ ટેકનિકલ પાસાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ટીમ પરત આવ્યા બાદ સોંપશે વિગતવાર રિપોર્ટચેન્નાઈ ગયેલી 16 અધિકારીઓની ટીમ પરત આવ્યા બાદ કમિશનરને રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટમાં કયા વિભાગને કેવા પ્રકારના સેન્સર અને કેમેરા ધરાવતા ડ્રોનની જરૂર છે તેનું વર્ણન હશે. આ રિપોર્ટના આધારે આગામી સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી સુરત મહાપાલિકાના કાફલામાં અત્યાધુનિક ડ્રોન્સનો ઉમેરો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:54 pm

રાજકોટમાં નકલી ચલણી નોટોનો કારોબાર પકડાયો:ભારતીય બનાવટની 38 ડુપ્લીકેટ નોટ સાથે શખ્સ ઝડપાયો, બજારમાં કેટલી કરન્સી ઘૂસાડી તે અંગે તપાસ શરૂ

રાજકોટ SOG એ ભારતીય બનાવટની નકલી ચલણી નોટ બનાવનારા પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે રૈયાધાર ગૌશાળા પાસે મફતિયાપરામાં રેડ પાડી નૈતિક અગ્રાવત નામના શખ્સની ધરપકડ કરી છે અને તેની પાસેથી 100 અને 200 ના દરની 38 નકલી નોટ કબ્જે કરી છે. આ શખ્સ કેટલા સમયથી ભારતીય બનાવટની નકલી ચલણી નોટનું છાપકામ કરતો હતો અને કેટલી ચલણી નોટો બજારમાં કઈ કઈ જગ્યાએ આપી છે તે અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આજે 12 માર્ચના રાજકોટ SOG પોલીસને બાતમ મળી હતી કે શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક પાસે રૈયાધાર ગૌ શાળા નજીક મફતીયાપરામાં રહેણાંક મકાનમાં નકલી ચલણી નોટોનું છાપકામ થાય છે. જેથી પોલીસે ત્યાં રેડ પાડતા નૈતીક મહેન્દ્રભાઇ અગ્રાવત પાસેથી ભારતીય બનાવટની 38 નકલી ચલણી નોટ ઝડપાઈ ગઈ હતી. આ સાથે જ ત્યાંથી A-4 સાઇઝના ફુલ પેપરમા આગળ પાછળ પ્રીન્ટ કરેલા તેમજ એક સાઇડ પ્રીન્ટ કરેલા ભારતીય ચલણની રૂ.100 ના દરની નોટવાળા 35 પેપર મળી આવ્યા હતા. આ ઉપરાંત ફૂટપટ્ટી, કટર, પ્રિન્ટર અને મોબાઈલ સહિત રૂ.23,100 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી નૈતિક અગ્રાવત સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ તો ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરીનો ગૂનો નોંધાઈ ચૂક્યો છે. જોકે હવે ભારતીય બનાવટની નકલી ચલણી નોટો છાપવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યારે તેની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે કે નહીં અને કઈ કઈ જગ્યાએથી આ નોટો બજારમાં ઘુસાડી છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 11:18 pm

વેરાવળમાં ડો.આંબેડકર પાર્કનું લોકાર્પણ:2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ બાદ જનતા માટે ખુલ્લો

વેરાવળ શહેરના હાર્દસ્થળે આવેલો ડો. આંબેડકર પાર્ક હવે આધુનિક સુવિધાઓ સાથે નવી ઓળખ મેળવી રહ્યો છે. રૂ. 2.35 કરોડના ખર્ચે રીડેવલોપમેન્ટ અને નવીનીકરણ કામ પૂર્ણ થતાં તેને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ પાર્ક હવે બાળકો, યુવાનો અને વડીલો માટે મનોરંજન તથા આરોગ્ય માટેનું આકર્ષક કેન્દ્ર બનશે. ગુરુવારે રાત્રે યોજાયેલા લોકાર્પણ સમારોહમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ શૈલેષ મેસવાણીયા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન સિકોતરિયા, નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે પાર્કનું લોકાર્પણ થતાં શહેરવાસીઓમાં આનંદનો માહોલ સર્જાયો હતો. નવીનીકરણ બાદ ડો. આંબેડકર પાર્કમાં બાળકો માટે ખાસ આકર્ષણ રૂપે ટોય ટ્રેન, હીંચકા અને વિવિધ રમતગમતના સાધનો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સુવિધાઓ બાળકો સાથે પરિવાર માટે મનોરંજનનું પ્રિય સ્થળ બનશે. પાર્કમાં આકર્ષક ફાઉન્ટેન અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે, જે લોકો માટે ફોટોગ્રાફી અને મોજમસ્તીનું કેન્દ્ર બનશે. વેરાવળ શહેરમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાના હેતુથી પાર્કમાં અદ્યતન કસરત સાધનો અને ઓપન જિમ પણ ઉભું કરવામાં આવ્યું છે. વહેલી સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો અહીં વોક અને કસરત માટે આવે છે, જેઓ હવે વધુ સુવિધાસભર માહોલમાં સ્વાસ્થ્યલાભ લઈ શકશે. આ ઉપરાંત, પાર્કમાં ફૂડ કોર્ટ, હાઇમાસ્ટ ટાવર લાઇટિંગ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંદાજે 35 CCTV કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આનાથી પાર્કમાં આવનારા નાગરિકોને સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ મળી રહેશે. વર્ષો જૂના આ પબ્લિક ગાર્ડનનું આધુનિક રૂપાંતરણ થતાં ડો. આંબેડકર પાર્ક હવે વેરાવળ શહેર માટે મનોરંજન, સ્વાસ્થ્ય અને પરિવાર સાથે ગુણવત્તાભર્યો સમય પસાર કરવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યો છે. શહેરના નાગરિકોએ નવી સુવિધાઓ સાથે ખુલ્લા મુકાયેલા પાર્કનું સ્વાગત કરતાં ખુશી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:35 pm

ગૃહમંત્રીને ગાળો આપનારે મિત્રના ઘરમાં ચોરી કરી:રાજકોટમાં ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવકની કારમાં તોડફોડ - પરિવારને મારી નાખવાની ધમકી : છરીના હૂમલાનો આરોપી 18 વર્ષે ઝડપાયો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોશ્યલ મીડિયામાં વીડિયો બનાવી ગાળો આપનાર શખ્સે મિત્રના ઘરમાંથી જ ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે બીજા બનાવમાં શહેરમાં છરીથી હૂમલાના કેસમાં આરોપી 18 વર્ષે પકડાયો છે તો ખજૂરભાઈ સાથે બોલાચાલી કરનાર યુવાનના ખોખડદડ ખાતે રહેતા પરિવારને 12 શખ્સોની ટોળકીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યુ છે. જોકે એક માસ પૂર્વે બનેલી આ ઘટનાની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસુલપરામાં હુસેની ચોક પાસે રહેતા સલમાનભાઈ કરીમભાઈ નકુમ (ઉ.વ.34) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રસુલપરામાં જ રહેતા પોતાના મિત્ર આશિફ ઉર્ફે બુઢો હનીફભાઈ કુંઢાનું નામ આપી જણાવ્યું હતું કે, આશરે 10 મહિના પહેલા તેના દાદાનું મકાન હિરાસર ગામ પાસે આવેલું હોય એરપોર્ટની જગ્યામાં આ મકાન કપાતમાં જતા સરકાર તરફથી રૂ. 9.11 લાખ વળતર ચૂકવવામાં આવ્યું હતું. જે રકમમાંથી યુવાનના પિતા અને કાકાએ ભાગબટાઈ કરી હતી. જે રકમ પૈકી રૂપિયા દોઢ લાખ યુવાનના પિતાએ રસુલપરામાં આવેલ ઘરે કબાટમાં તિજોરીમાં રાખ્યા હતા. આ દરમિયાન ગત તા. 19/5 ના સાંજના 8 વાગ્યા આસપાસ યુવાનના મોટા બાપુ ગુલમહંમદભાઈ રૈયાના પુત્ર અનીષના લગ્નમાં ગયા હતા અને ઘરને તાળું મારી ચાવી મિત્ર આશિફને આપી હતી. જોકે ગત તા. 20/5 ના બપોરના 2:00 વાગ્યા આસપાસ યુવાનના માતા-પિતા ઘરે આવી કબાટમાં રહેલી તિજોરીમાં જોતા રૂ.1.50 લાખ જોવા મળ્યા ન હતા. જેથી તેણે પુત્રને ફોન કરી ચોરી થઈ હોવાનું કહ્યું હતુ. ત્યારબાદ સલમાને ઘરે આવી તેના મિત્ર ઉર્ફે બુઢાને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા સમય બાદ આશિફે ઇન્સ્ટાગ્રામમાંથી કોલ કરી યુવાનને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૂર હોય માટે તારા ઘરેથી પૈસા લઈ ગયો છું. બાદમાં તેણે પોતાનાથી ભૂલ થઈ ગઈ હોય અને પૈસા ચૂકવી દેશે તેવું જણાવતા યુવાને આજદિન સુધી આ અંગે ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં પૈસા પરત ન આપતા અંતે યુવાને મિત્ર વિરુદ્ધ ચોરીની આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોઠારિયા વિસ્તારના રસૂલપરામાં રહેતા આશીફ નામના શખસે વીડિયો બનાવી બેફામ વાણી વિલાસ કર્યો હતો. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા ઇરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનેઇની તરફેણ કરી અત્યંત અભદ્ર ભાષામાં આ વિડીયો આશીફે બનાવ્યો હતો. તેણે રાજ્યના ગૃહમંત્રી વિશે બેફામ ટિપ્પણી કરી હતી. તેણે ગૃહમંત્રીને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. છરીથી હૂમલાના કેસમાં આરોપી વર્ષ 2007 થી ફરાર હતો, રાજકોટ પોલીસે ગોંડલથી ઝડપી પાડ્યો રાજકોટમાં છરીથી હુમલાના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપવામાં પોલીસને 18 વર્ષ લાગ્યા છે. શહેરમાં વર્ષ 2007માં જૂના ઝઘડાનો ખાર રાખી સંજય પરમાર નામના યુવાન પર છરીથી હૂમલો થયો હતો. જે ઘટનામાં અગાઉ 2 આરોપી ઝડપાઈ ગયા હતા. જોકે શાંતિલાલ ચૌહાણ નામનો શખ્સ ફરાર હતો. જોકે પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આધારે આ શખ્સને ગોંડલથી પકડી પાડ્યો છે. જેથી આ શખ્સને યુવા વયે આચરેલા ગૂનાની સજા પ્રૌઢ અવસ્થામાં જેલમાં ગાળશે. શહેરના શ્રધ્ધા પાર્ક મેઈન રોડ પર બાલાજી ચોક પાસે વર્ષ 2007 માં સંજયભાઈ જયસુખભાઈ પરમારને (ઉ.વ.20, રહે. હુડકો કવાર્ટર) જૂના ઝઘડાના મનદુ:ખમાં ઘરેથી બોલાવી છરીના ઘા ઝીંકી હિચકારો હુમલો કરતા તેને ગંભીર ઈજા થઈ હતી.ભક્તિનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અગાઉ કુખ્યાત હિતેશ ઉર્ફે રામલો શાંતિલાલ માનસેતા અને કિશોર ઉર્ફે ડકો હેમરાજભાઈ મિસ્ત્રીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જયારે શાંતીલાલ બોઘાભાઈ ચૌહાણ (ઉ.વ.40) નામનો આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાને 18 વર્ષ વીતિ ગયા બાદ રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે આરોપી ગોંડલથી ઝડપી ભક્તિનગર પોલીસને સોંપ્યો હતો. ભક્તિનગર પોલીસે આરોપીની પુછપરછ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી શાંતીલાલ ઉર્ફે શાંતીયો રાજકોટમાં ગુનો આચરી ફરાર થઈ ગયા બાદ અલગ-અલગ સ્થળે ગયો હતો. જેમાં સુરત ગયા બાદ ત્યાં લગ્ન કરી લીધા હતા. પરંતુ થોડા વર્ષો બાદ તેના છુટાછેડા થઈ ગયા હતા. જે બાદ તે ગોંડલ રહેવા આવી ગયો હતો. હાલ તે માતા સાથે રહી મજુરી કામ કરતો હતો. ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ થારમાં તોડફોડ કરી આતંક મચાવ્યો ખોખડદડ ગામે સશસ્ત્ર ટોળકીએ મધ્યરાત્રિએ થાર કારમાં તોડફોડ કરી પરિણીતાને ધમકી આપી હતી. પ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમજ યુવરાજ ખુમાણ સાથે યુવકને થયેલી બોલાચાલીને પગલે યુવરાજ ખુમાણ આણી 13 શખ્સોની ટોળકીએ ધોકા, પાઇપ, તલવાર સાથે ધસી આવી યુવકની થાર કારમાં તોડફોડ કરી પરિણીતાના ભાઈના આખા પરિવારને મારી નાખવાની ધમકી આપતાં ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ખોખડદડ ગામે ત્રિશા પાર્કમાં રહેતા 32 વર્ષીય પરિણીતા મનિષાબેન રામભાઈ લાખનોત્રાએ આરોપી તરીકે યુવરાજ ખુમાણ, રવિ અને તેની સાથે આવેલા બારથી તેર અજાણ્યા શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, તેમના પરીવારમાં પતિ રામભાઈ, દીકરી હાર્મીશા અને દીકરો દ્વારકેશ છે. તેમની સોસાયટીમાં ઘરની સામે સગા ભાઈ કાળુભાઈ ઉર્ફે લાલાભાઈ બામરોટીયા રહે છે અને તેમની પાસે થાર કાર છે. જેના નં. જીજે-03-પીજે-5554 છે. ગત તા.14/02 ના રાત્રીના આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ તેણી ઘરે સુતી હતી ત્યારે ઘરની બહાર શેરીમાં ગાડીના કાચ તુટવાના જોરથી અવાજ આવતા ઘરનો દરવાજો ખોલી બહાર આવી જોયું તો શેરીમાં લાલાભાઈની થાર કાર પાસે બારથી તેર શખ્સો ઉભા હતા અને તેમના હાથમાં પાઈપ -ધોકા તથા તલવાર જેવા હથીયાર હતા. જેમાંથી એક યુવરાજ ખુમાણ હતો અને તેની સાથે બીજા 12થી 13 અજાણ્યા શખ્સો હતા. તેણીને યુવરાજ ખુમાણ જોઈ જતા તે તથા તેની સાથેના રવી તેણી પર હુમલો કરવા દોડ્યા હતા. જે બાદ શખ્સો ગાળો આપી ધમકી આપવા લાગ્યા હતા કે, તારો ભાઈ લાલો ક્યાં છે, તારા ભાઇ લાલાને સમજાવી દેજે કે સીધી રીતે ચાલે બાકી તેના પરિવારને જીવવા નહીં દઉં. જાનથી મારી નાખીશ. જોકે બાદમાં તેણીએ 112 માં ફોન કરતા આરોપી તેમની અલગ -અલગ ત્રણ કારમાં બેસી નાસી ગયા હતા. વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેમના ભાઇ લાલાભાઈને નીતીન ઉર્ફે ખજૂર જાની તથા યુવરાજ ખુમાણ સાથે સાવરકુંડલા ખાતે બોલાચાલી થઈ હતી. જે ઝઘડાનો ખાર રાખી યુવરાજ ખુમાણે ટોળાં સ્વરૂપે ધસી આવી ખૂનની ધમકી આપી થાર કારમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે રાયોટિંગ, ધમકી, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. પતિ સાથે ઝઘડો થતા ઝેરી દવા પી જતી સગર્ભા, ભૃણનું મોત મોટામવા ગામ નજીક ઝૂપડામાં રહેતા પરિવારમાં પતિ સાથે ઝઘડો થયા પછી સગર્ભા પત્નીએ ઝેર પીધું હતું. જેથી ગર્ભમાં રહેલ શિશુ અને માતા બંનેનું મોત નીપજ્યું હતુ. પાયલબેન અજયભાઇ મીડોલીયા (ઉં.વ. 20, એ આશરે 6 દિવસ પહેલા પોતાના ઝુંપડે હતી ત્યારે ઉંદર મારવાની ઝેરી દવા ફ્રૂટ સલાડમાં નાખી પી લીધી હતી.પરિવારજનોને જાણ થતા તત્કાલ પાયલને રાજકોટ સિવિલની ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી કારણ કે, તેને 7 મહિનાનો ગર્ભ હતો. પરિવારજનોને જણાવ્યું કે, પાયલનો પતિ અજય ગોપાલ મીડોલીયા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક બે વર્ષની દીકરી છે. આશરે છ દિવસ પહેલા પતિ-પત્ની વચ્ચે કોઈ કારણે ઝઘડો થયો હતો.જેમાં અજય પત્ની પાયલને ફડાકા મારી લીધા હતા. જેથી લાગી આવતા તેણીએ ઝેરી દવા પી લીધી હતી. જોકે કોઈને જાણ કરી નહોતી. તા.10 માર્ચે એટલે કે બનાવના થોડા દિવસો પીછી તેની તબિયત બગડવા લાગી હતી. તે દિવસે સવારનાં 7 વાગ્યે ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડોક્ટરે દર્દીની હાલત જોતા ગર્ભમાં અંદરના ભાગે વધારે ડેમેજ જણાયું.દર્દી એ કોઇ હીસ્ટ્રી બતાવેલ નહીં અને તેને 29 મહીનાનો ગર્ભ હતો અને પેટમાં બાળક હોય જેથી ડીલેવરી કરાવતા તેણે મૃત બાળકને જન્મ આપ્યો હતો. પણ પાયલ વેન્ટીલેટર ઉપર હતી. દરમ્યાન ગત મોડી રાત્રે તેનું પણ મોત નીપજ્યું હતું. વેપારી પાસેથી રૂ.65.58 લાખની રાખડીઓ લઈ ઠગાઈ કરનાર સુરતથી ઝડપાયો રાજકોટના રાખડીના વેપારી પાસેથી અલગ અલગ સમયગાળા દરમિયાન રૂ. 65.58 લાખની રાખડીઓ મંગાવી સુરતના ભેજાબાજે નાણાં નહિ આપી છેતરપિંડી આચર્યા બાદ ફરાર થઇ જતાં પેરોલ ફર્લોની ટીમે આરોપીને સુરતમાંથી દબોચી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે યુનિવર્સીટી રોડ પર સનરાઈઝ એપાર્ટમેન્ટ મકાન નંબર-401 માં રહેતા 55 વર્ષીય પ્રૌઢ વેપારી પ્રવીણભાઈ કાનજીભાઈ ઘેટીયાએ પેડક રોડ ઉપર આવેલ જી.બી. ડાયમંડ નામના કોમ્પલેક્ષમાં 210 નંબરની ઓફિસમાં અજંતા રાખડી નામે દુકાન આવેલ છે. અગાઉ સુરત ખાતે રહેતાં મુળ સાવરકુંડલાના વતની મારા કૌશીકભાઈ સાદરાણી રાખડીનો ધંધો કરતાં હોય તેમને સુરત ખાતે જઈ રાખડી પહોચાડતો હતો.તેમજ બે-અઢી વર્ષ પહેલાં રાખડીઓના નમુના લઇ સુરત ગયેલ હતો. તે વખતે મીત્ર કૌશીકભાઈ સાદરાણીની દુકાને જતાં ત્યાં એક વ્યક્તિ હાજર હતી. જેની ઓળખાણ યોગેશકુમાર પ્રવીણચંદ ગઢીયા તરીકે કરાવી હતી. મિત્રએ જણાવ્યું હતું કે, યોગેશ ગઢીયા પણ રાખડીનો વેપાર કરે છે અને તમે યોગેશકુમારને રાખડીઓ વેપાર કરવા માટે આપજો. ત્યારબાદ યોગેશકુમારને તેમના ઓર્ડર પ્રમાણે વર્ષ 2023 માં અલગ અલગ સમયે મળી કુલ રૂ.65,58,972 ની રાખડીઓ લઈ ગયા હતાં. જે તમામ રાખડીખો મે તેમને તેમના ઓર્ડર પ્રમાણે મારી દુકાનના નામના પાકા બીલથી તેમની દુકાનના નામે પાકા બિલથી ટ્રાવેલ્સથી સુરત ખાતે મોકલેલ હતી. જેના રૂપીયા મને રક્ષાબંધન પછી મોકલી આપવા વાયદો કર્યો હતો. જેથી આરોપીએ તા.08/07/2023 થી તા.17/08/2023 સુધીના જુદા જુદા સમયગાળા દરમ્યાન કુલ રૂ.65,58,972 ની રાખડીઓ મંગાવી તેના રૂપીયા નહિ આપી ઠગાઈ આચરવા મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 10:01 pm

પાલનપુરમાં શાકભાજીની આડમાં દારૂની હેરાફેરી:12.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા

પાલનપુર તાલુકાના ખેમાણા ટોલપ્લાઝા પાસેથી બનાસકાંઠા પોલીસે શાકભાજીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ રૂ. 12,49,392/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી જિલ્લામાં દારૂના વેચાણ અને હેરાફેરી રોકવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી. ધાંધલ્યાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશદાન રામસીંહને ખાનગી બાતમી મળી હતી કે, RJ-01-GD-2046 નંબરનું મહિન્દ્રા પીકઅપ ડાલુ આબુરોડ (રાજસ્થાન) તરફથી શાકભાજીની આડમાં વિદેશી દારૂ ભરી પાલનપુર આવી રહ્યું છે. આ બાતમીના આધારે ખેમાણા ટોલપ્લાઝા ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ પીકઅપ ડાલાને રોકાવીને તપાસ કરતા, શાકભાજીના કટ્ટા હટાવતા અંદરથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરની કુલ 1560 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 7,39,392/- થાય છે. દારૂ ઉપરાંત, મહિન્દ્રા પીકઅપ ડાલુ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 12,49,392/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં કાનારામ મુખરામ વણઝારા (ઉં.વ. 21, રહે. બાડીઘાટી, તા. રિયાંખડી, જિ. નાગૌર, રાજસ્થાન) અને શિવપાલ કાલુરામ વણઝારા (ઉં.વ. 23, રહે. બાડીઘાટી, તા. રિયાંખડી, જિ. નાગૌર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:54 pm

પોરબંદર વન વિભાગે વન્યજીવ અંગોના ગેરકાયદે વેપારમાં ગેંગ ઝડપી:મધ્ય પ્રદેશના 4 આરોપીઓની ધરપકડ, 2 મહિલાઓ સામેલ

પોરબંદર વન વિભાગે વન્યપ્રાણીઓના અંગોના ગેરકાયદે વેપાર કરતી એક ટોળકીને ઝડપી પાડી છે. ચોપાટી મેદાન વિસ્તારમાંથી મધ્ય પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક ચિરાગ ચાંદકુડેના માર્ગદર્શન હેઠળ બરડા અભયારણ્ય, રાણાવાવની ટીમને ગુપ્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ચોપાટી ગ્રાઉન્ડ પાસે વન્યપ્રાણીઓના અવશેષોનું ગેરકાયદે વેચાણ કરતા પરપ્રાંતિય શખ્સોને દરોડો પાડીને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી વન વિભાગને વન્યપ્રાણીઓના શંકાસ્પદ અંગો મળી આવ્યા છે. તેમાં સિંહ અને વાઘના હોવાનું મનાતા નખ તેમજ કસ્તૂરી મૃગના અંગો જેવી સામગ્રીનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા આ તમામ મુદ્દામાલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વન વિભાગે આ ગેંગની અન્ય પ્રવૃત્તિઓ અને વન્યજીવોના અંગો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:35 pm

હનીટ્રેપ કરતી ગેંગ ઝડપાઇ:રાજકોટની હોટલમાં નિવૃત શિક્ષક પાસે બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો, ફોટા-વિડીયો ઉતારી રૂ. 12 લાખ પડાવ્યા, ક્રાઇમ બ્રાન્ચે બે મહિલા સહિત ત્રણને ઝડપી પાડ્યા

રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપની જાળમાં ફસાવી તેમની પાસેથી લાખો રૂપિયા ખંડણી પડાવવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં નિવૃત શિક્ષકને જમીન બતાવવાનાં બહાને રાજકોટ બોલાવ્યા હતા. બાદમાં તેને હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીરસંબંધ બંધાવ્યો હતો. અને તેના ફોટા-વિડીયો ઉતારી બ્લેકમેલ કરવાનું શરૂ કરી રૂ. 40 લાખની માંગ કરી હતી. જોકે ત્યારબાદ રૂ. 12 લાખ આપવાનું નક્કી થતા શિક્ષકે રકમ RTGS દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે આરોપીઓને ફરી વધારે રૂપિયાની માંગ કરતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીની કલાકોમાં જ બે મહિલા સહિત 3 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પકડાયેલા આરોપીઓમાં નિલેશ ઝુંઝા, પાયલ પરસાણા અને તેજલ ટિંડાણીનો સમાવેશ થાય છે. પોલીસે આ ટોળકી પાસેથી ગુનામાં વપરાયેલા સાધનો કબજે કરવાની અને અન્ય ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. બોટાદ ખાતે રહેતા 59 વર્ષીય નિવૃત્ત શિક્ષક બટુક પટેલ ગત 31 ઓક્ટોબર 2025ના રોજ પોતાની સેવામાંથી નિવૃત્ત થયા હતા. જીવનભરની મૂડી અને નિવૃત્તિ બાદ મળેલી રકમમાંથી તેઓ સારી જમીન ખરીદવા ઈચ્છતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક પાયલ પટેલ નામની મહિલા સાથે થયો હતો. પાયલ અને શિક્ષકની પ્રથમ મુલાકાત અંદાજે એક વર્ષ પૂર્વે બોટાદમાં એક શાળાના કાર્યક્રમ દરમિયાન થઈ હતી. પાયલે પોતાની ઓળખ જમીન-મકાન લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિ તરીકે આપી હતી અને મીઠી-મીઠી વાતો કરીને શિક્ષકનો વિશ્વાસ જીતી લીધો હતો. ગઠિયાઓએ નિવૃત્ત શિક્ષકને શિકાર બનાવવા માટે અત્યંત ચોકસાઈપૂર્વકનું આયોજન કર્યું હતું. પાયલ પટેલે શિક્ષકને ફોન કરીને જણાવ્યું કે રાજકોટ પાસે ખેતીની ખૂબ જ સારી જમીન વેચવા માટે આવી છે અને જો તેઓ જોવા માંગતા હોય તો રાજકોટ આવી શકે છે. શિક્ષક જમીન રાખવાના હેતુથી સહમત થયા હતા. નક્કી કર્યા મુજબ, પાયલ અને શિક્ષક અમદાવાદના ઉજાલા સર્કલ પાસે મળ્યા હતા અને ત્યાંથી પાયલની કારમાં રાજકોટ આવવા માટે રવાના થયા હતા. રાજકોટ પહોંચતા જ ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી પાયલે અન્ય એક મહિલાને કારમાં બેસાડી હતી અને ત્યારબાદ તેઓ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એલેક્સા હોટેલમાં રોકાયા હતા. હોટેલના રૂમમાં પહોંચ્યા બાદ પાયલ પટેલે નાટક રચ્યું હતું અને 'હું જમીન માલિક કે પાર્ટીને બોલાવવા જાવ છું' તેમ કહીને રૂમની બહાર નીકળી ગઈ હતી. પાયલના ગયા બાદ રૂમમાં હાજર અન્ય એક મહિલાએ અચાનક પોતાના કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન બીજી એક મહિલા પણ રૂમમાં પ્રવેશી હતી અને શિક્ષક પર શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવા લાગી હતી. જ્યારે શિક્ષકે આ અનૈતિક પ્રવૃત્તિનો સખત વિરોધ કર્યો, ત્યારે મહિલાઓએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમણે શિક્ષકને ધમકી આપી હતી કે જો તેઓ તેમની વાત નહીં માને તો તેમને પોક્સો (POCSO) અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે. આ ગેંગે પરાણે શારીરિક સંબંધ બંધાવીને તેના વાંધાજનક ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વીડિયોના આધારે આરોપીઓએ શિક્ષકને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. સમાજમાં બદનામી થવાના ડરથી ગભરાયેલા શિક્ષક પાસે આરોપીઓએ શરૂઆતમાં રૂ. 40,00,000ની માતબર રકમની માંગણી કરી હતી. ઘણી રકઝક અને આજીજી બાદ અંતે રૂ. 12,00,000માં સોદો નક્કી થયો હતો. શિક્ષકે આરોપીઓના દબાણ વશ થઈને પાયલ પટેલના બેંક ખાતામાં RTGS મારફતે રૂ. 12,00,000 ટ્રાન્સફર કરી આપ્યા હતા. જોકે, આટલી મોટી રકમ મેળવ્યા બાદ પણ ટોળકીની લાલચ સંતોષાઈ નહોતી અને તેઓ વધુ નાણાં મેળવવા શિક્ષકને સતત ધમકાવતા હતા. અંતે કંટાળીને અને હિંમત ભેગી કરીને નિવૃત્ત શિક્ષકે પોલીસનો આશરો લીધો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત બસિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની ચોક્કસ માહિતીના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ પાયલ પટેલ, નિલેશ ઝુંઝા અને તેજલ ટિંડાણીને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પાયલ પટેલ અગાઉ 2025માં અંકલેશ્વરમાં પણ હનીટ્રેપના સમાન ગુનામાં પકડાઈ ચૂકી છે. તેજલ ટિંડાણી વિરુદ્ધ પણ રાજકોટમાં ખંડણી અને ગુનાહિત કાવતરાના અગાઉના કેસો નોંધાયેલા છે. આ ગેંગમાં સામેલ અન્ય એક મહિલા આરોપી અંજલી સોલંકી હજુ ફરાર છે, જેને પકડવા માટે હાલ સઘન તપાસ ચાલી રહી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ BNSની વિવિધ કલમો જેવી કે 140 (4), 308 (5), 308 (7), 127 (7), 115 (2) અને 3(5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે, જેથી પડાવેલી રૂ. 12,00,000ની રકમ રિકવર કરી શકાય. સાથે જ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અગાઉ અન્ય કેટલા નિર્દોષ લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે અજાણી વ્યક્તિઓ પર અંધ વિશ્વાસ મૂકવો કેટલો જોખમી સાબિત થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:32 pm

બોટાદ MLAએ વિધાનસભામાં જનતા માટે કરી માંગણીઓ:મહિલા-બાળકોને બસ-મેટ્રોમાં રાહત, ગ્રામ્ય આવાસને શહેરી સમકક્ષ ભંડોળ, મહિલા ITI

બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ગુજરાત વિધાનસભામાં રાજ્યની મહિલાઓ અને બાળકો માટે બસ અને મેટ્રો ટિકિટમાં રાહત, ગ્રામ્ય આવાસ યોજનામાં શહેરી વિસ્તાર જેટલું ભંડોળ અને બોટાદમાં મહિલા ITI સ્થાપવા સહિતની અનેક માંગણીઓ કરી હતી. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, તેમણે વિધાનસભામાં માંગણી ક્રમાંક 105, 96, 93, 71 અને 57 પર ચર્ચા દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે માંગણી નંબર 57 પર કાપ દરખાસ્ત પણ રજૂ કરી હતી અને મંત્રીને સૂચનો કર્યા હતા. આવાસ યોજના અંગે તેમણે માંગ કરી હતી કે, શહેરી વિસ્તારોમાં મકાન બનાવવા માટે જે ૩ થી ૫ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે, તેટલી જ રકમ ગ્રામ્ય વિસ્તારોમાં મકાન બનાવનારાઓને પણ ફાળવવામાં આવે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓછી રકમ મળે છે. વધુમાં, ધારાસભ્યએ બોટાદ જિલ્લામાં મહિલા ITI કોલેજ સ્થાપવાની માંગ કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે, બોટાદ જિલ્લામાં અત્યાર સુધી એક પણ મહિલા ITI કોલેજ બનાવવામાં આવી નથી. મહિલાઓ અને બાળકો માટે તેમણે ગુજરાતમાં ST બસ અને મેટ્રો ટ્રેનમાં 50 ટકા ટિકિટ કન્સેશન આપવાની પણ માંગ કરી હતી. છેલ્લે, મકવાણાએ મહારાષ્ટ્ર, હરિયાણા, બિહાર અને પંજાબ જેવા રાજ્યોની જેમ ગુજરાતની મહિલાઓને પણ માસિક સન્માન રાશિ આપવાની માંગ કરી હતી. તેમણે ઉદાહરણ આપ્યું કે પંજાબમાં મહિલાઓ માટે દર મહિને ₹1000 થી ₹1500 સન્માન રાશિની જાહેરાત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:29 pm

મોરબીમાં ફાયર સેફ્ટીના અભાવે શોપિંગ સેન્ટરના બે માળ સીલ:કન્યા છાત્રાલય રોડ પર પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળને સીલ કરાયા

મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલા પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરના બીજા અને ત્રીજા માળને ફાયર સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી મોડી સાંજે કરવામાં આવી હતી. આ શોપિંગ સેન્ટરમાં બીજા અને ત્રીજા માળની માલિકી ડો. નીતિન બુદ્ધદેવની છે, જેને 'ચાણક્યપુરી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ફાયર વિભાગ દ્વારા અગાઉ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ માલિક દ્વારા કોઈ બાંહેધરી આપવામાં આવી ન હતી કે સાધનો મૂકવામાં આવ્યા ન હતા. મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ વિવિધ બહુમાળી બાંધકામો અને શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી રહી છે. ફાયર સેફ્ટીના સાધનો ન હોય તેવા સ્થળોને નોટિસ આપવામાં આવે છે અને જો નોટિસની અવગણના કરવામાં આવે તો મિલકતો સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. ફાયર વિભાગના અધિકારી જયેશભાઈ ડાકીએ જણાવ્યું હતું કે, પાર્થ પ્લાઝા શોપિંગ સેન્ટરને અગાઉ ક્રમશઃ ત્રણ નોટિસ આપવામાં આવી હતી. નીચેના માળ પરની ૧૬ દુકાનોના માલિકોએ ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે બાંહેધરી આપી હતી. જોકે, ડો. નીતિન બુદ્ધદેવની માલિકીના બીજા અને ત્રીજા માળ માટે કોઈ તકેદારી લેવાઈ ન હતી અને નોટિસની અવગણના કરવામાં આવી હતી. આથી, ફાયર વિભાગની ટીમે આજે આ બે માળને સીલ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 9:17 pm

હીટવેવની આગાહીને લઈને શાળા તંત્ર એલર્ટ:સ્કૂલ સંચાલકો માટે જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ

રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે ત્યારે શહેરમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હીટવેવ 2026ની તૈયારીઓના ભાગરૂપે શાળાઓને કેટલીક ખાસ સૂચનાઓનું પાલન કરવા આદેશ અપાયો છે. સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયુંશાળાઓએ શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવું. ઉનાળા દરમિયાન કોઈપણ પ્રકારના ઓપન-એર (ખુલ્લામાં) વર્ગો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાલવાટિકા અને ધોરણ-1થી 8ના બાળકો માટે સ્કૂલનો સમય બપોરે 12 વાગ્યા સુધી રાખવો હિતાવહ છે, જે અંગે સ્કૂલના આચાર્યને સ્થાનિક સ્તરે નિર્ણય લેવા જણાવાયું છે. આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને પરીક્ષાર્થીઓ માટે ઠંડા પાણીની સુવિધા, હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા અને અન્ય આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવા ખાસ તાકીદ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:55 pm

દોષિતની આજીવન કારાવાસની સજા યથાવત:દાહોદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગળું દબાવતા મૃત્યુ નીપજ્યું હતું

13 વર્ષીય સગીરા સાથે રેપ બાદ તેની હત્યાના મામલે આરોપી મુકેશ ચમકાને આજીવન કેદની સજાને હાઇકોર્ટે યથાવત રાખી છે. આ મામલે આરોપી દ્વારા વર્ષ 2014માં દાહોદની ટ્રાયલ કોર્ટે આપેલા આજીવન કેદના ચુકાદા સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે અપીલ હાઇકોર્ટે ફગાવી કાઢી હતી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યોહાઈકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસમાં એકંદરે વિચારણા કરતાં એવું જાણવા મળ્યું છે કે સાંયોગિક પુરાવાઓની સાંકળ સંપૂર્ણ અને અખંડ છે. જે સ્પષ્ટપણે અપીલકર્તાના અપરાધ તરફ નિર્દેશ કરે છે. જેને ફરિયાદી અને છેલ્લે જોનારા સાક્ષી, FIR, તબીબી પુરાવા, FSL રિપોર્ટ્સ અને અપીલકર્તાના ગુના પછીના વર્તન સહિત મુખ્ય સાક્ષીઓની સુસંગત જુબાનીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. ફરિયાદ પક્ષના કેસને નબળી પાડતી કોઈ વિરોધાભાસી કે વિસંગતતા ભરેલી સામગ્રી મળી આવી નથી. ફરિયાદ પક્ષે વાજબી શંકાની બહાર આરોપીના દોષને સાબિત કર્યો છે. તેથી અપીલમાં કોઈ દખલગીરી કરવાની જરૂર નથી. આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટઆ મામલે હાઈકોર્ટે IPCની કલમ 376 અને 302 હેઠળના ગુના માટે આરોપી પર લાદવામાં આવેલી સજા અને આજીવન કેદની સજાને બહાલી આપી છે. સાથે જ દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને દોષિત ઠેરવવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે. હાઇકોર્ટે અવલોકન કર્યું છે કે હુમલાની ક્રૂરતા અને દુષ્કર્મ પછી ગળું દબાવવાના કૃત્યથી સ્પષ્ટપણે હત્યાનો ઈરાદો અથવા ઓછામાં ઓછું મૃત્યુ સંભવિત પરિણામ હોવાનું કોર્ટને જાણવા મળ્યું છે. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આરોપીની અપીલ ફગાવી દેતા અવલોકન કર્યું હતું કે આરોપીએ આચરેલી ક્રૂરતાથી તેના બદ ઈરાદો સ્પષ્ટ થાય છે. ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળીઆ કેસમાં ફરિયાદ પક્ષનો એવો આક્ષેપ હતો કે પીડિતાએ ગામમાં મોડી રાત્રે યોજાયેલા એક સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ સમાપ્ત થયા પછી આરોપી પીડિતાને તે સ્થળેથી લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બીજા દિવસે સવારે પીડિતા નજીકના ખેતરમાં શરીરે ઇજાઓ સાથે મૃત હાલતમાં મળી આવી હતી. તેથી આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, અને પોલીસે કલમ 376 અને 302 IPC હેઠળ FIR નોંધી હતી. તપાસ દરમિયાન, પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનાના સ્થળનો પંચનામું તૈયાર કર્યું હતું. કપડાં અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી અને સામગ્રીને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી. બંને ગુનાઓમાં આજીવન કેદની સજા ફટકારીતપાસમાં સાક્ષીઓના નિવેદનો નોંધવા, તબીબી તપાસ કરાવવા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટ મેળવવાનો પણ સમાવેશ થતો હતો. આ મામલે સેશન્સ કોર્ટે આરોપીઓ સામે કલમ 376 અને 302 IPC હેઠળ ગુનાઓ માટે આરોપો ઘડ્યા હતા. ટ્રાયલ પછી કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને બંને ગુનાઓ માટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:46 pm

જીનિયસ સ્કૂલના વિદ્યાર્થીઓએ WTPની મુલાકાત લીધી:પાણી શુદ્ધિકરણ પ્રક્રિયાનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

બોટાદ શહેરના તુરખા રોડ પર આવેલી જીનિયસ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 5થી 9 ના વિદ્યાર્થીઓએ તા.12 માર્ચના રોજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) ની એક દિવસીય શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાનના વિષયોમાં પાણીના શુદ્ધિકરણ અને ગંદા પાણીના નિકાલ વિશેના પુસ્તકીય જ્ઞાનની સાથે પ્રાયોગિક અનુભવ પૂરો પાડવાનો હતો. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ અશુદ્ધ પાણીને ક્લોરિનેશન, સેડિમેન્ટેશન અને ફિલ્ટરેશન જેવી વિવિધ પ્રક્રિયાઓ દ્વારા પીવાલાયક શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરવાની આધુનિક પદ્ધતિઓ પ્રત્યક્ષ નિહાળી હતી. તેમણે વપરાયેલા ગંદા પાણીને કેવી રીતે રિસાયકલ કરવામાં આવે છે તેની પણ ઝીણવટભરી માહિતી મેળવી હતી. આવી શૈક્ષણિક મુલાકાતોથી વિદ્યાર્થીઓમાં પાણીના બચાવ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે છે. તે તેમને વ્યવહારિક જ્ઞાન અને સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે.આ પ્રવાસમાં વિદ્યાર્થીઓની સાથે સંસ્થાના વિજ્ઞાન શિક્ષકો અને અન્ય સ્ટાફ મિત્રો જોડાયા હતા. પ્લાન્ટના અધિકારીઓએ વિદ્યાર્થીઓના જિજ્ઞાસુ પ્રશ્નોના સરળ ભાષામાં જવાબો આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:37 pm

પાટડીમાં પરપ્રાંતિય પરિણીત મહિલા પર ખેતરમાં દુષ્કર્મ:દુષ્કર્મીએ મહિલા અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

પાટડી તાલુકાના સિધ્ધસર ગામે મજૂરી કરવા આવેલી મધ્યપ્રદેશની 21 વર્ષીય પરપ્રાંતિય મહિલા પર ખેતરમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મહિલા એકલી જીરું ઉપાડી રહી હતી ત્યારે એક યુવાને આ કૃત્ય આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મધ્યપ્રદેશની વતની પર પ્રાંતિય મહિલા તેમના પતિ અને અન્ય એક પરિવાર સાથે રક્ષાબંધન બાદ ખેતીકામ માટે પાટડી પંથકમાં આવ્યા હતા. તેઓ ગામડાના એક ભાઈના 30 વીઘાના ખેતરમાં ભાગીદારીમાં જીરાનું વાવેતર કરી મજૂરી કરતા હતા. ઘટનાના દિવસે, મહિલાના પતિ અને એમનો સાથી જીરાનો પાક ઉતારવા ખેતર માલિકના ઘરે ગયા હતા, જ્યારે અન્ય મહિલા બાજુના ખેતરમાં મજૂરી કરવા ગયા હતા. આથી મહિલા ખેતર માલિકના ખેતરમાં બાકી રહી ગયેલું જીરું એકલા ઉપાડી રહ્યા હતા. આશરે બપોરના બાર વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. તે સમયે એક યુવાન તેમની પાસે આવ્યો હતો અને પાછળથી બાથ ભરી બળજબરીપૂર્વક તેમને નીચે પાડી દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ યુવાને મહિલાને ધમકી આપી હતી કે જો તે કોઈને આ વાત જણાવશે તો તેને અને તેના પતિને જાનથી મારી નાખશે. ધમકી આપીને યુવાન ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહિલાએ રવીભાઈ રાજેશભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇન્ચાર્જ પીઆઈ એ.કે. વાઘેલા આ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:32 pm

સ્ટીલ કંપનીના ડિરેક્ટર સાથે 1.51 કરોડની છેતરપિંડી:2 શખસોએ સ્ટીલનો માલ ખરીદી શરૂઆતમાં પૂરું પેમેન્ટ કર્યું, પછી વિશ્વાસઘાત કરી રફૂચક્કર

રાજકોટમાં સ્ટીલનું વેચાણ કરતા સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર સાથે રૂ.1.51 કરોડની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. 2 શખ્સોએ આર. પી. સ્ટીલ પેઢીના નામે સ્ટીલ ખરીદવાનું શરૂ કર્યુ હતુ. જે બાદ એક વખત પૂરું પેમેન્ટ આપ્યા બાદ પેમેન્ટમાં ધાંધિયા શરૂ કર્યા હતા. રૂ.3.74 કરોડમાંથી રૂ.2.23 કરોડ ચૂકવ્યા બાદ બાકીના પૈસા ન ચૂકવી ફોન બંધ કરી દીધો હતો. જે બાદ વેપારીએ બંને શખ્સોની પેઢી અને ઘર પર તપાસ કરી હતી. જોકે તેઓ મળી આવ્યા ન હતા. જેથી વેપારીએ બંને શખ્સો સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બંને શખ્સોએ ગોંડલ, શાપર વેરાવળ અને અમદાવાદમાં માલ લઈ નાણા ન આપ્યાના બનાવો બન્યા હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત આપીએ છીએરાજકોટમાં સનરાઈઝ મલ્ટી સ્ટીલ કંપનીના ડિરેક્ટર 54 વર્ષીય સંજયભાઇ પાણે ક્રાઇમ બ્રાન્ચમા આર.પી.સ્ટીલ પેઢીના પ્રોપરાયટર રૂષીકેશભાઇ પંકજભાઈ મહેતા અને કીશોરભાઈ સામે રૂ.1.51 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019માં સનરાઇઝ કંપની શરૂ કરી હતી અને 2021માં સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું હતુ. અમે સ્ટીલનું વેચાણ વધે તે માટે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી જાહેરાત આપીએ છીએ. આ દરમિયાન માર્ચ 2025માં ઋષિભાઈ અને કિશોરભાઈએ કોન્ટેક્ટ કર્યો હતો. જેઓ આર. પી. સ્ટીલ નામની કંપની ધરાવતા હોવાનું કહ્યું હતું અને સ્ટીલની જરૂરિયાત વિશે વાત કરી હતી. ફરિયાદીએ બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી જે બાદ રૂ.12,08,460 નો સ્ટીલનો ઓર્ડર આપી નાણા આપી દીધા હતા.ત્યારબાદ રૂ.3,74,31,353 નો સ્ટીલનો માલ મોકલ્યો હતો. જોકે તેમાંથી રૂ.2,23,21,032 આપ્યા હતા અને બાકીના રૂ.1,50,37,980 આપ્યા નહીં. આ ઉપરાંત અગાઉના રૂ.72,347 મળી રૂ.1,51,10,321 આપવાના બાકી છે. બાકી નાણાં બાબતે અનેક વખત ફોન કરવા છતાં બંને દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા. જે પછી તપાસ કરતા આર. પી. સ્ટીલની સાઇટ બંધ હતી અને ઋષિકેશભાઈના ઘરે જતા ત્યાં પણ તેઓ મળી આવ્યા ન હતા. જેથી ફરિયાદીએ બંને સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4),3(5) મૂજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:29 pm

બનાસકાંઠામાં LPG ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ:વહીવટી તંત્રની નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

પાલનપુર ખાતે જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ગેસ એજન્સીના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી. મધ્યપૂર્વ વિસ્તારમાં ઉભી થયેલી બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને ઘરેલું ઉપયોગ માટે એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો પૂરતો અને નિયમિત પુરવઠો મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ અને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સંબંધિત વિભાગો દ્વારા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સમન્વય સાધીને ગેસ પુરવઠા વ્યવસ્થા સુચારૂ રહે તે માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું કે, જિલ્લામાં હાલમાં કુલ 37 ગેસ એજન્સીઓ કાર્યરત છે. આ 37 એજન્સીઓ મારફતે ત્રણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ગેસનો પુરવઠો આપવામાં આવે છે. આ કંપનીઓ દ્વારા ગેસ સીલીન્ડરની સપ્લાય નિયમિત રીતે કરવામાં આવી રહી છે અને જિલ્લામાં ગેસનો પુરવઠો સુનિશ્ચિત રહે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લામાં ગેસ સપ્લાય સંપૂર્ણપણે નિયમિત છે અને પુરવઠામાં કોઈપણ પ્રકારની અછત કે વિક્ષેપ સર્જાયો નથી. પરિણામે, જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને ગ્રાહકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ગેસ સીલીન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જિલ્લાના તમામ ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન કરે અને પોતાની જરૂરિયાત મુજબ જ ગેસ સીલીન્ડર બુકિંગ કરાવે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક જ ગ્રાહક દ્વારા ગેસ સીલીન્ડર બુકિંગ વચ્ચે ઓછામાં ઓછો 25 દિવસનો સમયગાળો રાખવો ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે ગેસનો અનાવશ્યક સંગ્રહ ન થાય અને તમામ ગ્રાહકોને સમાન રીતે ગેસ સીલીન્ડર ઉપલબ્ધ રહે. આ ઉપરાંત, કોઈપણ વ્યક્તિ દ્વારા એલ.પી.જી. ગેસ સીલીન્ડરનો અનધિકૃત સંગ્રહ, કાળાબજારી અથવા નિયત કરેલી કિંમત કરતાં વધુ ભાવ વસુલ કરવામાં આવે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ - 1955 તથા એલ.પી.જી. કંટ્રોલ ઓર્ડર - 2000 હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ગેસનો અનાવશ્યક સંગ્રહ ન કરે અને નિયમોનું પાલન કરીને ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરે. સરકાર તથા સંબંધિત વિભાગો દ્વારા ગેસ પુરવઠાની વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી દરેક ગ્રાહક સુધી ગેસ સીલીન્ડર સમયસર પહોંચે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:29 pm

વર્લ્ડ હેરિટેજ સિટીના જતન માટે AMCનું વિશેષ અભિયાન:સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નિષ્ણાંતો અને શહેરીજનો વચ્ચે હેરિટેજ સંરક્ષણ મુદ્દે ગહન ચિંતન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સીટી ટ્રસ્ટ અને અર્બન મેનેજમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં હેરિટેજ મેનેજમેન્ટ વિષય પર એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અમદાવાદના ઐતિહાસિક વારસા પ્રત્યે નાગરિકોને જાગૃત કરવાનો અને તેના સંરક્ષણમાં જનભાગીદારી વધારવાનો હતો. આ સેમિનારમાં હેરિટેજ ક્ષેત્રના નિષ્ણાંતો, સંશોધકો, વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને હેરિટેજ સ્ટેક હોલ્ડર્સ સહિત અંદાજે 150 જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વારસાના જતન માટે તજજ્ઞોનું માર્ગદર્શનકાર્યક્રમની શરૂઆતમાં ડેપ્યુટી કમિશનર રમ્ય કુમાર ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ અમદાવાદના વૈશ્વિક વારસાના મહત્વ અને તેના પડકારો પર પ્રકાશ પાડતું પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. ટેકનિકલ સત્રમાં અ.વ.હે.સી. ટ્રસ્ટના આસિસ્ટન્ટ આર્કિટેક્ટ શિવાની શાહે લિસ્ટેડ હેરિટેજ મકાનોના રિસ્ટોરેશન માટેની અરજી પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી, જેથી રહેવાસીઓ સરળતાથી પોતાના મકાનોનું સમારકામ કરાવી શકે. સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસા પર ગહન ચર્ચાઆ સેમિનારમાં બે મુખ્ય પેનલ ચર્ચાઓનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાપત્ય વારસો (Built Heritage) અને અમૂર્ત વારસો (Intangible Heritage) વચ્ચેના આંતરસંબંધો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચર્ચામાં મન્વિતા બારાડી, ડો. રીઝવાન કાદરી, રાજીવ પટેલ, પારૂલ ઝવેરી, આશિષ ત્રાંબડીયા, જીજ્ઞેશ મહેતા, પ્રો. શિવાનંદ સ્વામી, ભાવના રામરખિયાણી, ડો. માણેક પટેલ, અનિલ મુલચંદાણી, ઉત્પલા દેસાઈ, શ્યામ પારેખ અને જીજ્ઞા દેસાઈ જેવા નિષ્ણાંતોએ ભાગ લીધો હતો. તેઓએ હેરિટેજ સંરક્ષણ સાથે જોડાયેલા આર્થિક પડકારો, બદલાતી જીવનશૈલી અને સાંસ્કૃતિક મેપિંગ જેવા મહત્વના મુદ્દાઓ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. નાગરિકોના સૂચનો અને ભાવિ આયોજનકોટ વિસ્તારના રહેવાસીઓ અને વિવિધ હિતધારકોએ સંવાદ દરમિયાન પોતાની ચિંતાઓ અને અનુભવો વ્યક્ત કર્યા હતા. ઉપસ્થિત લોકોએ AMC સમક્ષ મહત્વના સૂચનો મૂક્યા હતા અને વારસાને જીવંત રાખવા માટે સરકાર તેમજ નાગરિકોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે સહભાગીઓએ આ પરામર્શ પ્રક્રિયાની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સેમિનાર નિયમિતપણે યોજાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:24 pm

ઓનલાઈન ગેમિંગના નવા કાયદા હેઠળ ગુજરાતમાં પ્રથમ ગુનો નોંધાયો:'ઓલ પેનલ' વેબસાઈટથી સુરતમાં ચાલતું નેટવર્ક, મોટા વરાછાના ખેની બ્રધર્સની ધરપકડ

ગુજરાતમાં ઓનલાઇન ગેમિંગ અને સટ્ટાબાજી પર અંકુશ લાવવા માટે અમલમાં આવેલા નવા કાયદા હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. રાજ્યનો આ પ્રકારનો સૌ પ્રથમ કેસ સુરતમાં નોંધીને પોલીસે મોટા વરાછા વિસ્તારમાંથી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને ભાઈઓ વેબસાઈટના માધ્યમથી ક્રિકેટ સટ્ટો અને કેસિનો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 'ઓનલાઇન ગેમિંગ એક્ટ-2025' હેઠળ કાર્યવાહીગુજરાત સરકાર દ્વારા ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીને રોકવા માટે 'The Promotion and Regulation of Online Gaming Act-2025' અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાયદાની કલમ-9 મુજબ સમગ્ર ગુજરાતમાં સૌથી પહેલો ગુનો સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછાના 'ખેની બ્રધર્સ'ની ધરપકડસાયબર ક્રાઇમ સેલે મોટા વરાછામાં આવેલા સુદામા ચોક પાસેની 'આવિષ્કાર હાઇટ્સ'માં દરોડા પાડ્યા હતા. અહીંથી પોલીસે જીગ્નેશ ભીમજીભાઈ ખેની (ઉ.વ. 40) અને તેના ભાઈ કેયુર ભીમજીભાઈ ખેની (ઉ.વ. 36)ની અટકાયત કરી છે. આ બંને મૂળ ભાવનગરના ગારીયાધાર તાલુકાના પરવડી ગામના વતની છે અને સુરતમાં વેપારની આડમાં ઓનલાઇન સટ્ટાનું નેટવર્ક ચલાવતા હતા. તેમની પાસેથી ચાર મોંઘા દાટ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. 'ઓલ પેનલ' વેબસાઈટ દ્વારા ચાલતો ખેલપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલા બંને ભાઈઓ વોન્ટેડ આરોપી 'ગોલ્ડી' નામના શખસના સંપર્કમાં હતા. ગોલ્ડી પાસેથી તેઓ www.allpanelexch.app નામની વેબસાઈટના આઈડી અને પાસવર્ડ મેળવતા હતા. આ વેબસાઈટ પર ક્રિકેટ મેચનો સટ્ટો અને કેસિનોની વિવિધ ગેમ્સ ઉપલબ્ધ હતી. આરોપીઓ આ આઈડી પોતાના ગ્રાહકોને આપી તેમની પાસેથી રોકડમાં નાણાં ઉઘરાવતા હતા. મોબાઈલમાંથી મળ્યા સટ્ટાના પુરાવાધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 1.80 લાખની કિંમતના 4 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મોબાઈલ ફોનની પ્રાથમિક તપાસમાં અનેક ગ્રાહકોના આઈડી, પાસવર્ડ અને નાણાકીય વ્યવહારના સ્ક્રીનશોટ મળી આવ્યા છે. આરોપીઓ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કેવી રીતે લોકો પાસે જુગાર રમાડતા હતા તેના મજબૂત પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. ઓનલાઇન જુગારના નેટવર્ક પર પોલીસની વોચસુરત પોલીસના જણાવ્યા અનુસાર, નવા કાયદા હેઠળ હવે ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ પૂરું પાડનાર અને રમનાર બંને વિરુદ્ધ કડક જોગવાઈઓ છે. હાલમાં પોલીસ આ કેસમાં વોન્ટેડ 'ગોલ્ડી'ની શોધખોળ કરી રહી છે. આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય એજન્ટો અને મોટા માથાઓની પણ ધરપકડ થવાની શક્યતા છે. સાયબર સેલે નાગરિકોને આવી ગેરકાયદેસર વેબસાઈટથી દૂર રહેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:23 pm

દુષ્કર્મ પીડિત સગીરા બાળકને જન્મ આપશે:26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતમાં જીવને જોખમ હોય હાઈકોર્ટે અરજી નામંજૂર કરી, સગીરા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે

વડોદરાની એક દુષ્કર્મ પીડિત સગીરા ગર્ભવતી બનતા 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. સગીરાના મેડિકલ રિપોર્ટમાં ગર્ભપાત કરવામાં જોખમ રહેલું હોય કોર્ટે ગર્ભપાતની અરજી નામંજૂર કરી છે. સગીરાની ડિલિવરની ખર્ચ અને બાળકના જન્મ બાદ માતા અને બાળકનો 6 મહિના સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. દુષ્કર્મ પીડિતાને ગર્ભ રહી જતા ગર્ભપાત માટે હાઈકોર્ટમાં અરજી કરી હતીવડોદરાથી એક દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સગીરા ગર્ભ રાખવા માંગતી નથી. જેથી તેને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. ગુજરાત હાઇકોર્ટે આ અરજી મુદ્દે વડોદરાની SSG હોસ્પિટલના મેડિકલ બોર્ડને 11 માર્ચના રોજ સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા.જેનો રીપોર્ટ આજે કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યો હતો. જે સગીરાના ગર્ભપાતના પક્ષમાં નહોતો. બાળકને જન્મ આપે તેના કરતા ગર્ભપાતમાં વધુ જોખમ હોવાનો રિપોર્ટરિપોર્ટ મુજબ સગીરાના ગર્ભપાતમાં જોખમ રહેલું છે, આ જોખમ તે બાળકને જન્મ આપે તેના કરતા વધુ છે. વળી જો બાળક જીવતું જન્મે તો શ્વસનમાં તકલીફ અને હેમરેજ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તેને વેન્ટિલેટર ઉપર રાખવું પડી શકે તેમ છે. જેથી ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી નથી. ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે સગીરાને બાળકને જન્મ આપવામાં હોસ્પિટલ દ્વારા પૂરતી કાળજી સાથે મદદ કરવામાં આવે. બાળકના જન્મ બાદ સગીરાની ઈચ્છા જાણીને તેને ચાઈલ્ડ એડોપ્શન એજન્સીને સોંપવામાં આવે. જો સગીરા પરિવાર સાથે રહેવા માણતી ન હોય તો તેને નારી સંરક્ષણ ગ્રુહમાં મૂકવામાં આવે. સગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશેસગીરાની ડિલિવરીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. તેમજ ત્યારબાદ છ મહિના સુધી બાળક અને સગીરાની દેખરેખનો ખર્ચ પણ રાજ્ય આપશે. સગીરાને વ્યવસાયની તાલીમ આપવામાં આવે. સગીરાને ભણતર માટે ડિસ્ટ્રિક્ટ સર્વિસ ઓથોરિટી નિર્ણય લે. આ સમગ્ર પ્રક્રિયા ઉપર DLSAના સેક્રેટરી નિરીક્ષણ કરશે. આ સમાચાર પણ વાંચોઃ28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી.(સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:20 pm

વાપી દુષ્કર્મ કેસ: આરોપીની જામીન અરજી નામંજૂર:સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો

વલસાડ જિલ્લાના વાપીમાં એક 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી વિકાસ રતિલાલ મીણાની જામીન અરજી વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે નામંજૂર કરી છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કેસની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશની અને હાલ વાપીમાં રહેતી 15 વર્ષ અને 8 માસની કિશોરી ગત તારીખ 17મી મે, 2025ના રોજ સાંજે ગુમ થઈ હતી. સગીરાના પિતાએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો છે. ડુંગરા પોલીસે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, આરોપી વિકાસ રતિલાલ મીણા સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જેલવાસ ભોગવી રહેલા આરોપી વિકાસ મીણાએ જામીન પર મુક્ત થવા માટે પ્રથમ વખત રેગ્યુલર જામીન અરજી કરી હતી. જિલ્લા સરકારી વકીલ (DGP) અનિલ ત્રિપાઠીએ જામીનનો સખત વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ સગીરા સાથે ગંભીર ગુનો આચર્યો છે. જો તેને જામીન આપવામાં આવે તો કેસની ન્યાયિક પ્રક્રિયા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્પેશિયલ જજ એચ.એન. વકીલે ગુનાની ગંભીરતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ ચુકાદાથી સગીરાઓના જાતીય શોષણના કિસ્સાઓમાં કાયદાનું કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:18 pm

પાટણના યુવાનો માટે સુવર્ણ તક:NGES કેમ્પસમાં UPSC/GPSC સેમિનારને સારો પ્રતિસાદ: એપ્રિલ પછી વિશેષ ક્લાસિસ શરૂ

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) કેમ્પસ ખાતે તાજેતરમાં UPSC અને GPSC અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 350થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના આશાવાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી, જેના કારણે કાર્યક્રમ ખૂબ જ માહિતીપ્રદ રહ્યો. કાર્યક્રમ દરમિયાન, અનુભવી કીનોટ સ્પીકર વિવેક ઠાકર અને તેમની ટીમ દ્વારા UPSC અને GPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે તૈયારી કરવાની યોગ્ય દિશા, અભ્યાસ પદ્ધતિ અને સફળતા માટે જરૂરી શિસ્ત અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી સત્રમાં સક્રિયપણે ભાગ લીધો અને કાર્યક્રમને લાભદાયક ગણાવ્યો. આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી કે NGES કેમ્પસમાં મધ્ય એપ્રિલ પછી UPSC અને GPSC માટે વિશેષ કોચિંગ ક્લાસિસ શરૂ કરવામાં આવશે. આ ક્લાસિસમાં Symbiosis Academy ના અનુભવી અને નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તાજેતરમાં આ સંસ્થાના ચાર વિદ્યાર્થીઓએ UPSC પરીક્ષામાં સફળતા મેળવી છે, જે તેમની શિક્ષણ પદ્ધતિની ગુણવત્તા દર્શાવે છે. NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે સંસ્થા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાનું માર્ગદર્શન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શ્રેષ્ઠ તૈયારી અહીં જ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આ પહેલથી પાટણ જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને હવે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત વગર જ શ્રેષ્ઠ માર્ગદર્શન મળશે. સેમિનારના અંતે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓએ આવનારા UPSC અને GPSC ક્લાસિસમાં જોડાવા માટે રસ દર્શાવ્યો. આ પ્રસંગે NGES ની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલો અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:15 pm

નિકોલ ડી-માર્ટ પાસે ગેરકાયદેસર ખાણીપીણીની લારીઓનો જમાવડો:એસ્ટેટ વિભાગે લારીઓ જપ્ત કરી, સદંતર બંધ કરાવાશે

શહેરના નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલા ચાર રસ્તા નજીક ફાયર સ્ટેશનથી ડી - માર્ટ તરફ જવાના રોડ ઉપર ગેરકાયદેસર રીતે 25થી વધુ ખાણીપીણીની લારીઓ રોડ પર ઉભી રહેતી હોવાને લઈને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે 12 માર્ચના રોજ સાંજે ડ્રાઇવ કરીને 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી હતી. નવા બનાવેલા રોડ ઉપર ગેરકાયદેસર રીતે દરરોજ ખાણીપીણી બજાર ઊભું કરી દેવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે એસ્ટેટ વિભાગ દ્વારા અવારનવાર લારીવાળાઓને લારી ન ઉભી રાખવાની સૂચના આપવા છતાં પણ દાદાગીરી કરી રોડ ઉપર લારી ઉભી રાખી ટ્રાફિક કરતા આજે લારીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લોકો પોતાના વાહનો રોડ પર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છેનિકોલ ફાયર સ્ટેશનથી ડી- માર્ટ તરફ જવાના રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટની બહારના ભાગે દરરોજ સાંજે 4 વાગ્યાથી મોડી રાત સુધી ખાણીપીણીની લાગી જાય છે. રોડ ઉપર લારીઓ મૂકી અને ખાણીપીણી બજાર શરૂ કરી દેવામાં આવે છે. ફૂડ કોર્ટની ગાડી લઈને પણ કેટલાક લોકો ટેબલ ખુરશી લગાવીને રોડ ઉપર જ ગેરકાયદે ખાણીપીણીનો ધંધો શરૂ કરી દીધો છે. રોડ ઉપર તારી અને ફૂડ કોર્ટની ગાડી લગાવવામાં આવી હોવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. લોકો પોતાના વાહનો રોડ ઉપર મૂકીને ખાવા માટે ઊભા રહી જાય છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતીમ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગમાં આ બાબતે અવારનવાર ફરિયાદો અને અરજી કરવામાં આવી હતી, જેના પગલે આજે 12 માર્ચના રોજ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સાંજે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સાંજે એસ્ટેટ વિભાગની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રોડ પર જેટલી પણ લારીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. 10થી વધુ લારીઓને જપ્ત કરી લેવામાં આવી છે, જેને હવે 90 દિવસ સુધી છોડવામાં આવશે નહીં.તેને ઉપાડી લેવામાં આવ્યું હતું. ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવીઅવારનવાર ભૂતકાળમાં પણ લારીઓના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, કેટલાક લારીવાળાઓ સ્થાનિક અસામાજિક તત્વોનો લાભ લઈને લારીઓ ચલાવતા હતા. જોકે એસ્ટેટ વિભાગ દ્વારા હવે આ ખાણીપીણી બજારને સદંતર બંધ કરાવવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો હવે ખાણીપીણી બજાર શરૂ થશે તો પોલીસ ફરિયાદ નોંધાવવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિકોલ વિસ્તારમાં ડી માર્ટ પાસે ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે સૌપ્રથમ ચારથી પાંચ લારીઓ ઉભી રહેતી હતી હવે 25 જેટલી લારીઓ અને ફૂડ કોર્ટની ગાડીઓ ઉભી રહે છે. સાંજે ચાર વાગ્યાથી મોડી રાત સુધી ગેરકાયદેસર ખાણીપીણી બજાર ચલાવવામાં આવે છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે દૂર કરવા જાય ત્યારે તેમના સાથે લારી ધારકો દ્વારા ઘર્ષણ કરવામાં આવે છે. પોલીસ બંદોબત માનવામાં આવે છે પરંતુ, પોલીસનો સપોર્ટ ન હોવાના કારણે પણ હટાવી શકાતી નથી. મોડી રાત સુધી ખાણીપીણી બજારો ચાલતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક નિકોલ પોલીસની પણ મિલીભગત હોવાની ચર્ચા છે. નવો રોડ બનાવવામાં આવ્યો છે છતાં પણ આવા રોડ ઉપર બજારો શરૂ થઈ ગયા છે તેને દૂર કરાવવા ભાજપના કોર્પોરેટરોને પણ આ લારીઓ હટાવવામાં રસ નથી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 8:07 pm