SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

વિસ્કોસની નાણા-ટેક્સટાઈલ મંત્રાલયને રજૂઆત:ડોમેસ્ટિક યાર્ન ગુણવત્તા હલકી, હાઈસ્પિડ મશીનમાં 25 ટકા પ્રોડક્શન લોસ થાય છે

વિસ્કોસ યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવા બાબતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડિજીટીઆર) દ્વારા નાણામંત્રાલયને ભલામણ કરવામાં આવતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. આ મુદ્દે શનિવારે વિસ્કોસ વિવર એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ઉદ્યોગકારોએ એકસુરે આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. એસોસિએશને કેન્દ્રિય નાણામંત્રાલય અને ટેક્સટાઈલ મંત્રાલયને પત્ર લખી રજૂઆત કરી છે કે વિસ્કોસ યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવી હાલની પરિસ્થિતિમાં યોગ્ય નથી. ઉદ્યોગકારોના મતે, દેશમાં વિસ્કોસ યાર્ન બનાવતી કંપનીઓના પ્લાન્ટ્સ લગભગ 60 વર્ષ જૂના છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદિત યાર્નની ગુણવત્તા નીચી રહે છે. આ યાર્ન હાલના 700થી 800 આરપીએમની ઝડપે ચાલતા આધુનિક મશીનો પર અસરકારક રીતે કામ કરતું નથી. જો તેનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં આશરે 25 ટકા સુધી ઘટાડો થવાની શક્યતા છે. 7 વર્ષમાં મશીનરીમાં 10 હજાર કરોડનું રોકાણ થયુંવિવરોનું કહેવું છે કે સુરતમાં છેલ્લા સાત વર્ષમાં આધુનિક મશીનરીમાં આશરે 10,000 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવશે તો ઉત્પાદન ખર્ચ વધશે અને ઉદ્યોગ પર સીધી અસર પડશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:29 am

સિટી એન્કર:લોક અદાલત અકસ્માતમાં મોતને ભેટેલાના પરિજનોને 86 કરોડ ચૂકવાયા, ચેક બાઉન્સમાં રૂ. 384 કરોડના સમાધાન

લોક અદાલતનો હેતુ માત્ર કેસનો ઝડપી નિકાલ નથી, પરંતુ પક્ષકારોને ન્યાય અપાવવાનો પણ છે અને છેલ્લી પાંચ લોક અદાલતમાં તે ફળિભૂત થયું હોય એમ લાગી રહ્યુ છે. ખાસ કરીને એવા પરિવાર જેમના પરિજનો અકસ્માત મોતને ભેટે છે તેઓના પરિવાર માટે તો લોક અદાલત સંજીવની પુરવાર થઈ છે. મુખ્ય કમાનાર જ્યારે ન હોય ત્યારે ઘર ચલાવવું અઘરુ બની જાય છે અને આ સ્થિતિમાં અકસ્તામ ધારા હેઠળના કેસનો ઝડપી નિકાલ થતા બાળકોની શિક્ષણ ફી, ભરણપોષણ, માતા-પિતાની દેખરેખ સહિત અનેક ખર્ચાઓમાં આસાની રહેતી હોય છે. વર્ષ 2025-26માં 86 કરોડની ચૂકવણી પરિજનોને કરવામાં આવી છે. લોક અદાલતમાં અકસ્તાત વળતરના 875 કેસનો નિકાલ પાંચ લોક અદાલતમાં કરાયો છે. એડવોકેટ રહીમ શેખ કહે છે કે ઘણીવાર કેસ ચાલવામાં કોઇક કારણોસર મોડું થાય તેવા કેસમાં મરનારના પરિજનોને આર્થિક રીતે ઘણું જ સહન કરવુ પડે છે પરંતુ ઝડપી નિકાલ થવાથી સમગ્ર પરિવારની મદદ થાય છે. લોક અદાલત થકી ઝડપથી ન્યાય મેળવવામાં અને કેસના નિકાલમાં ઘણો ફાયદો થઈ રહ્યો છે. ચેક બાઉન્સના 17 હજાર કેસનો નિકાલ કરાયોચેક બાઉન્સના કેસોની વાત કરીએ તો કુલ 17,102 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં 383.67 કરોડની વસુલાત પણ કરવામા આવી છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે સુરત રાજયની આર્થિક રાજધાની છે અને ચેક બાઉન્સ થતા અનેકોના રૂપિયા ફસાતા હોય છે. ઝડપી નિકાલ એક રીતે રાહત આપે છે. ઘરેલું વિવાદમાં 577 કેસનો નિકાલ કરવામાં આવ્યોએક વર્ષની પાંચ લોક અદાલતમાં વૈવાહિક વિવાદના કુલ 577 કેસનો નિકાલ કરવામા આવ્યો છે, જેમાં 89.48 કરોડની વસુલાત કરવામાં આવી છે. એડવોકેટ સ્વાતી મહેતા કહે છે કે ઘણીવાર સ્ત્રી સાથે અન્યાય થાય તેણે પતિનું ઘર છોડવું પડે ત્યારે જો તેને ભરણપોષણની રકમ સમયસર મળી જાય તો તે માતા-પિતા પર બોજ બનતી નથી. ઉપરાંત જો બાળક હોય તો તેને આ રકમ વધુ ઉપયોગી સાબિત થાય છે. અડધો ન્યાય ત્યારે જ મળી જાય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:26 am

ભાસ્કર એક્સક્લુસિવ:નેશનલ હાઇવે 48 પર કામરેજ–ચલથાણ સેક્શનનો 13 કિમી રોડ હવે 4 લેનથી 6 લેન બનશે, ટ્રાફિકજામ અને અકસ્માતો પણ ઘટશે

સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નેશનલ હાઈવે-48ના કામરેજ–ચલથાણ સેકશનને આખરે 17 વર્ષ બાદ 6 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. લગભગ 13.875 કિમી લાંબા આ મહત્વપૂર્ણ કોરિડોરના વિસ્તરણ અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. હાલ આ સેકશન માત્ર 4 લેનનું છે, જેને 2009માં જ 6 લેન બનવાનું હતું. આ કોરિડોર દેશના સૌથી વ્યસ્ત હાઈવેમાંનો એક છે, જ્યાં ભારે પ્રમાણમાં કોમર્શિયલ ટ્રાફિક પસાર થાય છે. હાઈવે આસપાસ અનેક મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાને કારણે અહીં રોજ વાહનોનો દબાણ ખૂબ વધુ રહે છે. આંકડા મુજબ આ સેકશન પરથી દરરોજ અંદાજે 1.30 લાખ વાહનો પસાર થાય છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. પ્રોજેક્ટ હેઠળ હાલના 4 લેન કેરેજવેને 6 લેનમાં ફેરવવામાં આવશે અને બંને બાજુ સર્વિસ રોડ બનાવાશે. રોડનું નિર્માણકાર્ય પૂર્ણ થવામાં 1થી 1.5 વર્ષ લાગશેકેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ NH-48ના કામરેજ–ચલથાણના 13.875 કિમી સેકશનને 4થી 6 લેન તથા સર્વિસ રોડમાં બદલવાની જાહેરાત કરી છે, જેના કારણે રાહતની આશા જાગી છે. લાંબા સમયથી વાહનચાલકો આ માર્ગ પર જામ અને અકસ્માતોથી પરેશાન હતા. હવે ટ્રાફિકને અલગ કરવામાં મદદ મળશે. પરંતુ આ નિર્ણય 17 વર્ષની મોડાશીથી આવ્યો છે. 2009માં 90 હજાર વાહનોની ક્ષમતા માટે બનાવાયેલો હાઈવે હવે 1.5 લાખ પેસેન્જર કાર યુનિટ ટ્રાફિક સહન કરી રહ્યો છે. NHAIએ પણ વધતા ટ્રાફિકને અકસ્માતોનું કારણ ગણાવ્યું છે. હાઇવે 6 લેન થતાં બોટલનેક દૂર થશે, ચાલકોનો ડર ઓછો થશેટ્રાફિકના સંદર્ભમાં ‘બોટલનેક’ તે ભાગને કહેવાય છે જ્યાં રસ્તો અચાનક સંકુચિત થઈ જાય અને વાહનોની અવરજવર અટકાય છે. જેમ સુરતમાં NH-48ના કામરેજ–ચલથાણ સેકશન પર છે. આગળ-પાછળ રસ્તો 6 લેનનો છે, પરંતુ વચ્ચેનો 13 કિમીનો ભાગ માત્ર 4 લેનનો છે. આ કારણે ઝડપી ગતિએ આવતો ભારે ટ્રાફિક આ સંકુચિત ભાગમાં અટવાઈ જાય છે, જેના કારણે લાંબા જામ સર્જાય છે. ખાસ કરીને કડોદરા અને કામરેજ જેવા એન્ટ્રી-એગ્ઝિટ પોઇન્ટ્સ પર દબાણ વધુ વધી જાય છે. રસ્તાની આ સ્થિતિને ‘બોટલનેક’ કહેવાય છે, જે ટ્રાફિક જામનું મુખ્ય કારણ બને છે. ખાસ કરીને મોન્સૂનમાં પરિસ્થિતિ વધુ ખરાબ બની જાય છે, જ્યારે જામ 2થી 3 કલાક સુધી યથાવત રહેતો હતો. વરસાદની સીઝનમાં થતા ટ્રાફિકજામથી રાહત મળશેNH-48 પર ચલથાણથી કામરેજ વચ્ચેના 13 કિમી માર્ગને હવે 6 લેનમાં ફેરવવામાં આવશે. આથી ખાસ કરીને મોન્સૂન દરમિયાન થતા ભારે ટ્રાફિક જામથી રાહત મળશે અને અકસ્માતોમાં ઘટાડો થશે. ઉપરાંત આ સેકશનમાં 2 વ્હીકલ અંડરપાસ પણ બનાવાઈ રહ્યા છે, જેના કારણે NH-48 પરથી સુરત શહેરમાં એન્ટ્રી-એગ્ઝિટ વધુ સરળ બનશે. > સંજય યાદવ, પ્રોજેક્ટ ડિરેક્ટર, NHAI, સુરત યુનિટ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:22 am

ભાસ્કર એક્સક્લુસિવ:હજીરાના સ્ટિલ પ્લાન્ટમાં છે દેશનો સૌથી લાંબો 27 કિમીનો કન્વેયર બેલ્ટ, જેટી પર જહાજ પાર્ક થાય ત્યાંથી રો-મટિરિયલ સીધું જ ફેક્ટરીમાં પહોંચે છે

હજીરા ખાતે આવેલી AM/NS Indiaનો પ્લાન્ટ સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે. અહીં દેશનો સૌથી લાંબો 27 કિલોમીટરનો કન્વેયર બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા જેટી પર જહાજમાંથી ઉતારવામાં આવતું આયર્ન અને અન્ય કાચામાલ સીધું પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ સિસ્ટમના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ અને સમય બંનેમાં ઘટાડો થયો છે અને ઉત્પાદન પ્રક્રિયા વધુ ઝડપી બની છે. હાલ હજીરા ખાતે 60 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટનું વિસ્તરણ ચાલી રહ્યું છે. આ વિસ્તરણમાં 45 હજારથી વધારે લોકો કામ કરી રહ્યા છે. આ ઉપરાંત વિસ્તરણ કામગીરીમાં 1 હજાર ક્રેઈનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્પાદન ક્ષમતા 9 મિલિયન ટન પ્રતિ વર્ષથી વધીને 15 મિલિયન ટન થશે અને અંદાજે 60 હજારથી વધુ રોજગારીની તકો ઉભી થશે. આ પ્રોજેક્ટથી ઓટોમોટિવ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં સ્ટીલ આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે. ગ્રીન સ્ટીલ એટલે શું? AM/NS India તેન આવી રીતે બનાવે છે AM/NS આંતરરાષ્ટ્રીય સ્તરનું ઉચ્ચ ગુણવત્તાનું સ્ટીલ બનાવે છે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:20 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઈરાન યુદ્ધ રોકવા પાકિસ્તાનમાં મોટી મિટિંગ; મોદીએ કહ્યું- ઘણા દેશોમાં ખાવા-પીવાનું સંકટ, બાંગ્લાદેશે IPLનો પ્રતિબંધ હટાવ્યો

નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાન યુદ્ધ વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સે મોદી સાથે વાત કરી છે. તો ઈરાન યુદ્ધ પર વાત કરવા માટે ત્રણ દેશો પાકિસ્તાન જશે. ઉત્તરપ્રદેશના જેવરમાં વડાપ્રધાન મોદીએ દેશના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું. કોલકત્તા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર પ્રહારો કર્યા હતા. નેપાળમાં નવી સરકાર એક્શનમાં આવી છે. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીની ધરપકડ કરવામાં આવી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેડિયો પર મન કી બાત સંબોધન કરશે. આ કાર્યક્રમનો 132મો એપિસોડ હશે. 2. ગૃહમંત્રી અમિત શાહ આસામમાં બે ચૂંટણી રેલીઓ કરશે. 3. IPLમાં મુંબઈ Vs કોલકત્તા વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે મેચ. કાલના મોટા સમાચારો 1. PM મોદીએ સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી:હોર્મુઝ સ્ટ્રેટ અને વેપાર પર ચર્ચા કરી; ઈરાન યુદ્ધ પર વાત કરવા પાકિસ્તાન જશે 3 દેશ અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 29મો દિવસ છે. ઇરાનને લઈને વધતા તણાવ વચ્ચે તુર્કી, ઇજિપ્ત અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રીઓ 30 માર્ચે પાકિસ્તાન પહોંચશે. અહીં તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ મુલાકાત કરશે. ઇસ્લામાબાદમાં યોજાનારી આ બેઠકમાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર ચર્ચા થશે. યુદ્ધ શરૂ થયા પછી આ પહેલી મોટી બેઠક માનવામાં આવી રહી છે, જેમાં ઘણા દેશોના વિદેશ મંત્રીઓ એકસાથે સામેલ થશે. બીજી તરફ UAE પણ અમેરિકા અને ઇઝરાયેલ સાથે મળીને ઇરાન વિરુદ્ધ યુદ્ધમાં સામેલ થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ દેશના સૌથી મોટા એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું: જેવરમાં PMએ કહ્યું- યુદ્ધના સંકટ સામે દેશે એક થઈને લડવું પડશે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે 12:30 વાગ્યે ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. હાલમાં, તે એશિયાનું બીજા ક્રમનું સૌથી મોટું એરપોર્ટ છે. ચોથા તબક્કાના કાર્યકાળ પૂર્ણ થયા પછી, તે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. પીએમ મોદીએ લોકોને ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધથી ઉદ્ભવતા સંકટ સામે એક થવા અને લડવા માટે અપીલ કરી. તેમણે કહ્યું કે તેમણે ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. દેશવાસીઓને કહેવા માંગું છું કે આપણે આ સંકટનો શાંતિ, ધીરજ અને એકતાથી સામનો કરવો જોઈએ. આ એક એવું સંકટ છે જે સમગ્ર વિશ્વને પરેશાન કરી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. અમિત શાહ બોલ્યા- મમતા ચૂંટણીમાં વિક્ટિમ કાર્ડ રમે છે: ક્યારેક પગ તોડાવે છે, ક્યારેક માથા પર પટ્ટી બંધાવે છે; કોંગ્રેસ તમિલનાડુમાં 28, DMK 164 બેઠકો પર લડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી સરકાર વિરુદ્ધ ચાર્જશીટ બહાર પાડી. તેમણે કહ્યું, તેમાં ટીએમસી સરકારના 15 વર્ષના કાળા કામોનો ઉલ્લેખ છે. તે જનતાની ચાર્જશીટ છે. બંગાળ અરાજકતા અને દુઃખમાં છે. અહીંની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. બંગાળમાં જુઠ્ઠાણાની રાજનીતિ ચાલી રહી છે; ભય અને ભ્રષ્ટાચાર ટીએમસીના શસ્ત્રો છે. આ ચૂંટણી દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. મમતા બેનર્જી સરકાર ઘુસણખોરોને રક્ષણ આપે છે. જનતાએ ભાજપને ચૂંટવાનું મન બનાવી લીધું છે. તેમણે કહ્યું- મમતા દીદી હંમેશા વિક્ટિમ કાર્ડનું રાજકારણ રમે છે. ક્યારેક તેમનો પગ ભંગાવી લે છે, ક્યારેક માથા પર પાટો બંધાવી લે છે, ક્યારેક બીમાર પડી જાય છે, અને ક્યારેક તેઓ ચૂંટણી પંચને અપશબ્દો કહે છે. પરંતુ બંગાળના લોકો હવે મમતા દીદીના વિક્ટિમ કાર્ડના રાજકારણને સંપૂર્ણપણે સમજી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 4. નેપાળના પૂર્વ પીએમ કેપી ઓલીની ધરપકડ:Gen-Z પ્રોટેસ્ટ દરમિયાન બેદરકારી દાખવવાનો આરોપ; જેમાં 77 લોકોનાં મોત થયા હતા નેપાળના પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલી અને પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પોલીસે શનિવારે સવારે ધરપકડ કરી લીધી. આ ધરપકડ ગયા વર્ષે થયેલા GEN-Z વિરોધ પ્રદર્શનના મામલામાં થઈ છે. આ કાર્યવાહી તે સમયે થઈ, જ્યારે ગઈકાલે જ બાલેન શાહે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પોલીસ અનુસાર, ઓલીને શનિવારે સવારે ભક્તપુરના ગુંડુ સ્થિત તેમના ઘરેથી પકડવામાં આવ્યા. જ્યારે, રમેશ લેખકને સવારે લગભગ 5 વાગ્યે સૂર્યવિનાયકથી ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી ગૃહ મંત્રાલયની ફરિયાદ બાદ શરૂ થયેલી તપાસના આધારે કરવામાં આવી છે. એક તપાસ પંચે સૂચન કર્યું હતું કે આ નેતાઓ પર બેદરકારીનો કેસ ચલાવવામાં આવે. આ મામલામાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. બાંગ્લાદેશે IPL ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવ્યો:મંત્રીએ કહ્યું- રમતને રાજકારણથી અલગ રાખો; મુસ્તાફિઝુરને લીગમાંથી બહાર કરવા પર રોક લગાવી હતી બાંગ્લાદેશ સરકારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિકાસ્ટ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રી ઝહીર ઉદ્દીન સ્વાપને શનિવારે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે રમતગમતને રાજકારણથી અલગ રાખવું જોઈએ. બાંગ્લાદેશમાં IPLના પ્રસારણ પર કોઈ પ્રતિબંધ નથી. સ્વાપને કહ્યું - IPLનું પ્રસારણ કરવા માટે કોઈ પણ ચેનલે અમારો સંપર્ક કર્યો નથી. અમે IPLને વ્યાવસાયિક દૃષ્ટિકોણથી જોઈશું અને જો કોઈ ચેનલ IPLના પ્રસારણ માટે અરજી કરશે, તો અમે તેના પર સકારાત્મક રીતે વિચારણા કરીશું. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 66 વર્ષ જૂની સંસ્થાનું સંચાલન રાદડિયાને સોંપાયુ:લેઉવા પટેલ બોર્ડિંગના લોકાર્પણ સાથે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ; RTO ઓફિસ-AI ટ્રેક ખુલ્લો મુકાયો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 28 માર્ચને શનિવારે રાજકોટની મુલાકાતે છે. અહીં સૌપ્રથમ તેમણે અટલબિહારી વાજપેઈ ઓડિટોરિયમ ખાતે આયોજિત દાદાનો હેતનો હોંકારો કાર્યક્રમમાં હાજરી આપી હતી. અહીં હાઉસિંગ બોર્ડનાં રહેવાસીઓ દ્વારા મુખ્યમંત્રીનું સાફો અને 12 ફૂટનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રીએ દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની ચિંતા નહીં હોવાનું જણાવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માતાના હાથમાંથી દીકરી છટકીને પાણીની ટાંકીમાં પડી:બચાવી ના શકતા આરોપ ન આવે તે માટે ઢાંકણું બંધ કરી ઉપર તગારુ મૂક્યું, પતિએ ફરિયાદ કરતા પત્નીની ધરપકડ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : હવામાં વાઇબ્રેશન પછી એક એન્જિન બંધ થયું, ફાયર બ્રિગેડ-એમ્બ્યુલન્સ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર ઈન્ડિગોનું જોખમી લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાએ 4 મહિના માટે પેટ્રોલ નિકાસ અટકાવી:1 એપ્રિલથી લાગુ; ભારતને ઓછી ને ચીન-તુર્કી અને બ્રાઝિલને થશે વધારે અસર વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : VVIP ફ્લાઇટ્સ- નેતાઓ પાઇલટ પર દબાણ કરી શકશે નહીં:જો પરિસ્થિતિ યોગ્ય ન હોય તો ના પાડી શકાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : FBI ડાયરેક્ટર કાશ પટેલનું એકાઉન્ટ હેક:પર્સનલ ફોટા અને ડોક્યુમેન્ટ્સ ઇરાની હેકર્સે લીક કર્યા; ગુજરાતમાં રહેલાં બેંક અકાઉન્ટને લઈને પ્રશ્નાર્થ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું આ અઠવાડિયે ₹4,276 સસ્તું, ₹1.43 લાખ પર આવ્યું:ચાંદી ₹10,717 ઘટીને ₹2.21 લાખ પર પહોંચી, ડોલરની માગ વધવાથી ભાવ ઘટ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાયા:પાંચ દિવસથી BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં હતા, KKR સામે પ્રથમ મેચ રમી શકે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શેરબજાર: તમારા માટે 'લેરબજાર' કે 'ઝેરબજાર'?:કુંડળીનું પાંચમું સ્થાન 'રંક'માંથી 'રાજા' બનવાનું રહસ્ચ; ગુરુ-રાહુનો 'ચાંડાળ યોગ' રોકાણનું ગણિત વીખી નાખશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ વરરાજાએ એક જ લગ્ન મંડપમાં બે દુલ્હનો સાથે લગ્ન કર્યા છત્તીસગઢના કોંડાગાંવમાં એક યુવકે એક જ મંડપમાં બે મહિલાઓ સાથે લગ્ન કર્યા. હિતેશ યાદવે ફુલબતી અને યામિની સાથે સાત ફેરા લીધા. આ લગ્ન પરિવારની સંમતિથી અને આદિવાસી પરંપરાઓ અનુસાર કરવામાં આવ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ભારત પાસે 6 દિવસનું ઓઇલ બાકી કે 74 દિવસનું; પેટ્રોલ પંપ પર લાઇન લગાવતા પહેલા જાણો સંપૂર્ણ સત્ય 2. ભાસ્કર સિરીઝ: ‘મોં બંધ રાખવા આસારામે ₹20 લાખ ઑફર કર્યા’: તો માસૂમોના જીવ અને છોકરીઓની આબરૂની શું કિંમત લગાવી હશે? જુઓ ‘આસારામ’ સિરીઝનો 19મો એપિસોડ 3. MATCH મસાલા : આ IPLમાં સુંદર ચહેરા સ્ટેડિયમની રોનક વધારશે:ઈશાનની ગર્લફ્રેન્ડ, માહિકા, પ્રિતી અને કાવ્યા ચિયર કરતી દેખાશે; રોહિત શર્માની ફિટનેસ જોઈ નીતા અંબાણી ચોંક્યાં! 4. પારકી પંચાત : દીકરીઓના ભાગી જવા મુદ્દે આનંદીબેન બગડ્યાં:પાટીદારોને કડકાઇથી બે હિન્ટ આપી, વિદ્યાર્થીઓએ 5. શું મુખ્તાર અંસારીના મોત પાછળ 5 કરોડ:2 વર્ષ પછી પણ બેરેક નંબર-16 સીલ; વકીલે કહ્યું- અમારી પાસે ઝેર આપવાના પુરાવા છે 6. બાળપણથી જ મોડલ બનવાનું બીજ રોપાયું:સંબંધીઓનો સપોર્ટ નહીં, માત્ર કોન્ગ્રેચ્યુલેશન કહેવા આવે છે; 'મિસ ગુજરાત 2026' મૈત્રી ચાવડાએ કહ્યું- ફેશન ઇન્ડસ્ટ્રી અંદરથી ગંદી છે 7. બોલિવૂડના 'રહેમાન ડકૈત'ની ‘ધુરંધર’ કહાની:યુવાનીમાં ટાલ પડી, આમિરે ફિલ્મ છીનવી; ‘બોર્ડર’ની સફળતાથી લઈને ફિલ્મોના દુષ્કાળ સુધીની અક્ષય ખન્નાની સ્ટોરી ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: સિંહ-ધન રાશિના જાતકો માટે રોકાણ કરવું ફળદાયી રહેશે, કન્યા રાશિના લોકોના અટકેલા પૈસા પરત મળશે (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 5:00 am

જ્વેલરી સેક્ટર બન્યું નવું ગ્રોથ એન્જિન:સુરતમાં 450થી વધારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટો, 6 વર્ષમાં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35 હજાર કરોડથી 90 હજાર કરોડ પાર

દેશના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના છેલ્લા છ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે તૈયાર જ્વેલરી સેગમેન્ટ દેશના એક્સપોર્ટમાં નવું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વર્ષ 2020-21માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35,483 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 94,938 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે 2025-26ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન જ 40,670 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ નોંધાયું છે. ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2020-21માં 20,438 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 51,685 કરોડ થયો છે અને 2025-26માં પણ 53,502 કરોડ સુધી પહોંચ્યો છે. એટલે ડાયમંડ જ્વેલરી વેલ્યુ એડેડ સેગમેન્ટ તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. સિલ્વર જ્વેલરી માસ માર્કેટ તરીકે સ્થિર માંગ ધરાવે છે, જ્યારે પ્લેટિનમ જ્વેલરી સૌથી ઝડપી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. વર્ષ 2020-21માં માત્ર 133 કરોડનો પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટ વર્ષ 2025-26માં 2,000 કરોડને પાર કરી ગયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં હવે માત્ર હીરા કટિંગ-પોલિશિંગ નહીં પરંતુ તૈયાર જ્વેલરી સેગમેન્ટ વેલ્યુ એડિશન અને એક્સપોર્ટ વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ બની રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપમાં તૈયાર જ્વેલરીની વધતી માંગને કારણે ભારતમાંથી તૈયાર જ્વેલરીના એક્સપોર્ટમાં સતત વધારો થઈ રહ્યો છે. છ વર્ષના ગોલ્ડ, ડાયમંડ,સિલ્વર અને પ્લેટિનમ જ્વેલરી એક્સપોર્ટના આંકડા 6 વર્ષમાં 664 લાખ કેરેટ લેબગ્રોન હીરાનું એક્સપોર્ટ થયું, Gen-Z સૌથી મોટું બજારદેશના જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડ સેગમેન્ટ સૌથી ઝડપથી વધતો સેગમેન્ટ બની રહ્યો છે. છેલ્લા 6 વર્ષના આંકડા મુજબ વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન દેશમાંથી કુલ 664 લાખ કેરેટ લેબગ્રોન ડાયમંડ એક્સપોર્ટ થયા છે. આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક બજારમાં લેબગ્રોન ડાયમંડની માંગ સતત વધી રહી છે અને ભારત આ બજારમાં મહત્વપૂર્ણ સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે. ખાસ કરીને અમેરિકા અને યુરોપના બજારમાં યુવા ગ્રાહકો, ખાસ કરીને Gen-Z, લેબગ્રોન ડાયમંડ જ્વેલરી તરફ ઝડપથી વળી રહ્યા છે. લેબગ્રોન ડાયમંડની માંગમાં કેમ થઈ રહ્યો છે વધારો? વિદેશમાં જ નહીં ભારતમાં પણ ડિમાંડ વધી રહી છેઆઈગીરી જ્વેલર્સના ઓનર સ્મીત પટેલે કહ્યું હતું કે, ‘વિદેશમાં જ નહીં ભારતમાં પણ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની માંગ વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને અમે દેશમાં દિલ્હી, હૈદ્રાબાદ, જયપુર સહિતના 10 શહેરોમાં સ્પેશિયલ લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમ ખોલ્યા છે, લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની સતત માંગમાં વધારો થઈ રહ્યો છે’ લેબગ્રોન હીરાના એક્સપોર્ટમાં6 વર્ષમાં 3.5 ગણો વધારો સુરત જ્વેલરી ઉદ્યોગ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:55 am

બહુચરાજી જવા 125થી વધુ ભક્તોનો સંઘ રવાના:ધજાજી ધારણ કરનાર તાપમાં ઉઘાડા પગે જાય છે, માતાજીને પીઠ બતાવતા નથી

શહેરના નવાપુરા સ્થિત જૂના બહુચરાજી મંદિરેથી 125થી વધુ ભક્તોનો ઐતિહાસિક પદયાત્રા સંઘ પ્રસ્થાન પામ્યો છે. ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા 350 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના એક નિજ મંદિરેથી નીકળી સીધો શક્તિપીઠ બહુચરાજી પહોંચે છે. મહંત અલ્કેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, ભક્તો પાંચ રાત ઘરની બહાર રહી કઠિન ઉપાસના કરે છે. વિશેષ કરીને, ધજાજી ધારણ કરનારા ભક્તો ચૈત્ર માસના આકરા તાપમાં પણ ચંપલ પહેર્યા વિના ઉઘાડા પગે યાત્રા પૂર્ણ કરે છે. માર્ગમાં અને મંદિરે ધજાજીની હાજરીમાં ભક્તો ક્યારેય માતાજીને પીઠ બતાવતા નથી અને ઊંધા પગે ચાલી મર્યાદા જાળવે છે. ચૈત્ર પૂનમે શંખલપુર અને બહુચરાજીના આદ્યસ્થાને પરંપરાગત પૂજા, આરતી અને લાડુનો ગોખ ભરીને આ યાત્રા પૂર્ણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:37 am

RTOના વાહનો વર્ષથી ગેરેજમાં:અમદાવાદ RTO એન્ફોર્સમેન્ટનાં બે વાહનો એક વર્ષથી ધૂળ ખાય છે

અમદાવાદ આરટીઓ પાસે એન્ફોર્સમેન્ટ માટે રહેલા ત્રણ વાહનો પૈકી બે વાહનો છેલ્લા એક વર્ષથી કંપનીના ગેરેજમાં પડ્યા છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિપેરિંગનું બજેટ ફાળવવામાં ન આવતા આ સ્થિતિ સર્જાઈ છે. ગેરેજ સંચાલકોએ હવે આરટીઓને અલ્ટીમેટમ આપ્યું છે કે જો વાહન રિપેર ન કરાવવા હોય તો તેને અહીંથી લઈ જાઓ, કારણ કે ગેરેજમાં પાર્કિંગની જગ્યા રોકાઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદના ઇન્સ્પેક્ટરો દ્વારા રિપેરીંગ માટે જે ક્વોટેશન અપાયા છે તેના પર વિભાગના ઉચ્ચ અધિકારીઓને વિશ્વાસ નથી. અધિકારીઓને આશંકા છે કે ઇન્સ્પેક્ટરો રિપેરીંગના બહાને ‘કટકી’ કરી રહ્યા છે, તેથી વારંવાર ક્વેરી કાઢી ફાઈલ પાછી મોકલવામાં આવે છે. નિયમ મુજબ સત્તાવાર શો-રૂમમાં વાહનો મોકલાયા હોવા છતાં મડાગાંઠ ઉકેલાઈ નથી. આ અંગે ટ્રાન્સપોર્ટ કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ અને ફાઈલ હેન્ડલ કરતા ઓએસડી વિજય પટણીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. વાહનો બંધ હોવાથી કામગીરી પર અસર

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:34 am

યુદ્ધના કારણે સપ્લાય ચેન ખોરવાઈ:કાચા માલનો ભાવ 70% વધ્યો, પ્લાસ્ટિક એકમોનું ઉત્પાદન ઘટી ત્રીજા ભાગનું થયું

ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાતા ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો થયો છે, જ્યારે પુરવઠામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પ્રતિકૂળ સ્થિતિને કારણે રાજ્યના 60 ટકા મેન્યુફેક્ચરિંગ એકમો હાલ તેમની કુલ ક્ષમતાના માત્ર ત્રીજા ભાગનું જ ઉત્પાદન કરી રહ્યા છે. ઉદ્યોગકારો પાસે માત્ર 10 એપ્રિલ સુધીનો જ કાચો માલ ઉપલબ્ધ છે, જે ખૂટી જતાં ઉત્પાદન ઠપ્પ થવાની અને અનેક યુનિટ્સ બંધ થવાની ભીતિ છે. જો સ્થિતિ વણસશે તો આગામી સમયમાં પ્લાસ્ટિકની રોજિંદી ચીજવસ્તુઓના ભાવમાં 35 ટકા સુધીનો વધારો થઈ શકે છે, જેનો સીધો બોજ સામાન્ય ગ્રાહકો પર પડશે. આ કપરા સમયમાં ‘ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન’ (GSPMA) એ સરકારના તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. એસોસિએશને પોલિમરના ભાવ સ્થિર કરવા, એમએસએમઈ એકમો માટે કાચા માલનો સ્પેશિયલ ક્વોટા નક્કી કરવા, વ્યાજમુક્ત લોન, વધારાની વર્કિંગ કેપિટલ અને આયાત શુલ્કમાં રાહત આપવા રજૂઆત કરી છે. કાચા માલની અછતને પહોંચી વળવા પ્લાસ્ટિક રિસાયક્લિંગના નિયમો હળવા કરી તેને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. પ્લાસ્ટિક પ્રોડક્ટના ભાવ 35 ટકા સુધી વધી શકે છેજો હાલની સ્થિતિ જળવાઈ રહેશે તો આવતા સમયમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સના ભાવમાં 35 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે, સીધો ભાર સામાન્ય ગ્રાહકો પર પડશે. - અનીશ પટેલ, પ્રમુખ, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:32 am

CM 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે:51 સ્કૂલને આજે રોબોટિક્સ લેબ, 6 હજાર લાભાર્થીને આવાસ મળશે

શહેરમાં 322.77 કરોડનાં 19 કામોનું લોકાર્પણ અને 673.37 કરોડનાં 49 કામોનું ખાતમુહૂર્ત રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મુખ્યમંત્રી કુલ 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સતાધાર વિસ્તારમાં આખરે ત્રણ વર્ષ બાદ તૈયાર થયેલા સતાધાર ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં આવતાં ત્યાંથી રોજ પસાર થતાં 1.5 લાખથી વધુ નાગરિકોને તેનો લાભ મળશે. નોંધનીય છે કે, હાઉસિંગ પ્રોજેક્ટના 2 આવાસોના ડ્રો કરવામાં આવતાં ત્યાં પણ 2184 નાગરિકોને તેનો લાભ મળશે. આ સિવાય ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરાની 51 સ્કૂલોને રોબોટિક્સ લેબ, નવરંગપુરામાં સ્વિમિંગ પૂલની સુવિધા મળશે. મુખ્યમંત્રી સવારે 9 વાગ્યે લોકાર્પણ-ખાતમુહૂર્ત બાદ સાંજે 4 વાગે ગુજ. યુનિ. ઓડિટોરિયમ ખાતે જાહેર સભાને સંબોધશે. જમાલપુર, મેમ્કો, શ્રેયસ ફ્લાયઓવર નીચે શાકમાર્કેટ પણ ખુલ્લું મુકાશે

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:31 am

સિટી એન્કર:58 વર્ષની મહિલા પર સ્વાદુપિંડના કેન્સરની સફળ સર્જરી, પિત્તનળી, જઠર, સ્વાદુપિંડનું આંતરડા સાથે જોડાણ તૂટી જાત તો જોખમ હતું

સોલા સિવિલમાં 58 વર્ષની એક મહિલા દર્દી પેટમાં દુખાવો, કમળો, ભૂખ ન લાગવી અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે આવી હતી. તપાસ કરતાં પેન્ક્રિયાસમાં ગાંઠ જોવા મળી અને એ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું કેન્સર 60 વર્ષ પછી વધુ જોવા મળે છે અને ખાસ કરીને સ્મોકર કે આલ્કોહોલિક દર્દીઓમાં જોવા મળે છે, પરંતુ આ કેસમાં ચોક્કસ કારણ કહી શકાય તેમ નહોતું. દર્દીને ડાયાબિટીસ પણ હતું, જેને પહેલા કંટ્રોલમાં લાવીને અમે સર્જરી માટે તૈયાર કર્યા. આ ‘વિપલ પ્રોસિજર’ પેટની સૌથી કોમ્પ્લિકેટેડ અને રિસ્કી સર્જરીમાંથી એક છે. આ સર્જરી લગભગ સાડા છથી સાત કલાક ચાલી હતી. સર્જરી પહેલાં સીટી સ્કેન દ્વારા ખાતરી કરવામાં આવી કે, કેન્સર મુખ્ય લોહીની નસોમાં ફેલાયેલું નથીને. તે જાણ્યા બાદ ઓપરેશન શક્ય બન્યું. ઓપરેશન દરમિયાન પેન્ક્રિયાસનો હેડ, ડ્યુઓડેનમ અને પિત્ત નળીનો ભાગ દૂર કરીને જરૂરી જોડાણ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યા હતા. ખાસ વાત એ રહી કે સર્જરી પછી કોઈ જટિલતા આવી નહીં. દર્દીનો રિકવરી પિરિયડ પણ ખૂબ સારો રહ્યો અને 10થી 11 દિવસમાં દર્દીને સંપૂર્ણ રીતે સ્વસ્થ હાલતમાં ડિસ્ચાર્જ આપી શક્યા. જ્યારે સામાન્ય રીતે આવા કેસમાં વધુ સમય લાગે છે. આ સમગ્ર પ્રક્રિયા ટીમવર્ક અને યોગ્ય આયોજનના કારણે સફળ બની. આ સર્જરીમાં દર ચારે એક દર્દીનું મૃત્યુ થાય છેઆવા કેસમાં પેન્ક્રિયાસ હેડ, નાના આંતરડાનો ભાગ અને પિત્ત નળીનો ભાગ કાઢવો પડે છે. ત્યાર બાદ શરીરમાં ફરીથી ત્રણ અલગ અલગ જોડાણ બનાવવાના હોય છે. આમાં કોઈ એક પણ જોડાણ લીક થાય તો દર્દીનું જીવન જોખમાઈ શકે. સામાન્ય રીતે આવી સર્જરીમાં 4માંથી 1 દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે ઓપરેશન જટિલ હોય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:28 am

વેલ્ફેર ફંડમાં ભ્રષ્ટાચારની ગંધ:મ્યુનિ.ને કર્મચારીઓ પાસેથી જ લોન પેટે આપેલા 3.5 કરોડ લેણાં નીકળે છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના હિત માટે ચલાવવામાં આવતી વેલ્ફેર લોન યોજનામાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. હાલમાં તંત્રને પોતાના કર્મચારીઓ પાસેથી રૂ. 3.50 કરોડથી વધુ રકમ લેણી નીકળે છે. આ જે મ્યુનિ. તંત્ર સામાન્ય નાગરિકનો 1 લાખનો ટેક્સ બાકી હોય તો મિલકત સીલ કરી દે છે, પરંતુ પોતાના કર્મચારીઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલવામાં નિષ્ફળ નીવડ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 93 કર્મચારી પાસે રૂ. 24 લાખથી વધુની લોન બાકી છે. નિયમ મુજબ, કર્મચારી નિવૃત્ત થાય, મૃત્યુ પામે કે અનફિટ જાહેર થાય ત્યારે લોનની વસૂલાત અટકી જાય છે. સફાઈ કર્મચારીઓના કિસ્સામાં, તેમના વારસદારોને રહેમરાહે નોકરી તો આપી દેવાય છે, પરંતુ પૂર્વજોના લેણાં વસૂલવા બાબતે ઉદાસીન રહે છે. સ્ટેન્ડિંગ કમિટીના સ્પષ્ટ ઠરાવ મુજબ, કર્મચારીને તેના પ્રોવિડન્ટ ફંડ કે ગ્રેચ્યુઈટી જેવી લેણી રકમ કરતાં વધુ લોન આપી શકાય નહીં. છતાં, અધિકારીઓએ આ નિયમને નેવે મૂકી લાયકાતથી વધુ રકમની લોન મંજૂર કરી દીધી છે. ઘણા કિસ્સામાં નિવૃત્તિના કાગળો બાકી લેણાંનો હિસાબ કર્યા વગર પૂર્ણ કરી દેવામાં આવે છે, જે સીધેસીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. સ્ટેન્ડિંગના ઠરાવનું ઉલ્લંઘન કરી મર્યાદા બહાર લોન અપાઈસ્ટેન્ડિંગ કમિટીમાં સ્પષ્ટ ઠરાવ કરાયો હતોકે, મ્યુનિ. પાસેથી નોકરી દરમ્યાન જેટલી રકમ લેણી નીકળતી હોય તેટલી રકમની જ લોન મ્યુનિ. આપી શકે છે. જોકે આ નિર્ણયને તંત્ર ઘોળીને પી ગયું છે. અનેક કર્મચારીઓની લેણી રકમ તેને મ્યુનિ. પાસેથી મળતી રકમ કરતાં પણ વધારે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:24 am

કપિરાજનો આતંક:ચાણક્યપુરીમાં વાંદરાનો આતંક 10થી વધુ લોકો પર હુમલો કર્યો

ચાણક્યપુરીના શાયોના વિસ્તારમાં આવેલી આર.સી. ટેકનિકલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના પટ્ટામાં છેલ્લા 15 દિવસથી વાંદરાનો આતંક જોવા મળી રહ્યો છે. આ ભયને કારણે સ્થાનિક 20થી વધુ સોસાયટીઓના રહીશોમાં ફફડાટ વ્યાપેલો છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વનવિભાગને આ અંગે ફરિયાદ કરાતા તેમણે કેટલાક વાંદરાઓને પાંજરે પૂર્યા છે, પરંતુ હુમલો કરનાર ‘પૂંછડી વગરનો’ વાંદરો હજુ પણ પકડાયો ન હોવાથી લોકોમાં ગભરાટ યથાવત્ છે. ગત શુક્રવારે એક માસૂમ બાળકીના પગ પર હુમલો કરતા તેને ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ વાંદરાએ 10થી 15 લોકો પર હુમલો કર્યો છે. એટલું જ નહીં, રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકોને પણ નિશાન બનાવવામાં આવતા હોવાથી હાલ આ માર્ગો સુમસામ બની ગયા છે. ત્યારે આ હિંસક વાંદરાને તાકીદે પાંજરે પૂરવામાં આવે તેવી માગણી પ્રબળ બની છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:23 am

ભાસ્કરનો 181 સેન્ટરનો આંખે દેખ્યો અહેવાલ:સંકટમાં છેલ્લી આશ: રોજ 1 હજાર મહિલાનાં આંસુ લૂછે છે અભયમ્

રાત્રે 1.17 વાગ્યા છે, શહેર સૂતું છે, પણ 181 હેલ્પલાઇન સેન્ટર જાગી રહ્યું છે.સ્ક્રીન સામે કાઉન્સિલરો કૉલ એટેન્ડ કરવા બેઠા છે. એટલામાં એક કૉલ આવે છે, જેમાં રડતી મહિલાનો અવાજ સંભળાય છે- ‘હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો પતિ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરે છે. મારી પાસે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી.’ કાઉન્સિલર તેને શાંતિથી સમજાવે છે, વિશ્વાસ અપાવે છે અને બીજી તરફ આખી ટીમ એક્શનમાં આવે છે... લોકેશન ટ્રેસ થાય છે, રેસ્ક્યુ ટીમ એલર્ટ થાય છે અને મિનિટોમાં મહિલા સુધી પહોંચે છે. ‘દિવ્ય ભાસ્કર’એ 181ના સેન્ટરમાં 4 કલાક બેસી રહી જોયું કે કેવી ગંભીરતા દાખવી રાજ્યના ખૂણે ખૂણે મહિલાઓને મદદ પહોંચાડાઈ રહી છે. દરેક કાઉન્સિલર ખૂબ જ ગંભીરતા અને સંવેદનશીલતાથી જાણે પોતાનું સ્વજન હોય એ રીતે મદદ માટે દોડે છે. રાજ્યભરનાં સેન્ટરોનો કન્ટ્રોલ રૂમ નવા નરોડામાં છે, જેમાં 34થી ‌વધુ કાઉન્સિલર 24 કલાક ખડેપગે રહે છે. રોજ સરેરાશ 1 હજાર કૉલ્સ આવે છે, જેમાં સૌથી વધુ ઘરેલુ હિંસાના હોય છે. પોણા કલાકમાં 3 મહિલા, સગીરાને મદદ પહોંચાડીકિસ્સો 1 • બચાવો, મારું ઘર નરક બની ગયુંરાતે 12:45 — હેલ્પલાઈન પર રડતી મહિલાનો કોલ આવ્યો, 'મારું ઘર નરક બની ગયું છે, જલદી બચાવો.' પતિ મંદિરનો પૂજારી છે, 21 વર્ષની સફાઈકામ કરતી યુવતીના મોહમાં છે. રોજ તેને ઘરે લાવે છે, વિરોધ કરું તો મારે છે. તુરંત અભયમે પહોંચી જઈ યુવતીના પરિવારને બોલાવ્યો અને બંનેને કાયદાનું ભાન કરાવ્યું. કિસ્સો 2 • સગીરાને માનવ તસ્કરીથી ઉગારી રાતે 1:12 — કોલમાં ગભરાયેલો અવાજ સંભળાય છે, 'મેડમ, હ્યુમન ટ્રાફિકિંગ છે, સગીરાને બચાવો.' મિનિટોમાં અભયમની વાન સાયરન વગાડતી રવાના. બાંગ્લાદેશી સગીરાને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી અમદાવાદ લવાઈ હતી. દલાલો તેને દેહવ્યાપારના નરકમાં ધકેલે એ પહેલાં જ ટીમ પહોંચી ગઈ અને ઉગારી. કિસ્સો 3 • છેડતી કરનારા પાસે માફી મગાવી રાતે 1:23 — સુરતથી એક માતાનો ફોન આવ્યો- 'મારી 16 વર્ષની દીકરી ટ્યૂશન જતા ડરે છે, પેલાં છોકરાં જીવવા નથી દેતા. ક્લાસીસે હાથ ઊંચા કરી લીધા છે. પણ અભયમ મેદાને આવ્યું. ટીમે તુરંત પહોંચી જઈ રસ્તા વચ્ચે આંતરી છેડતી કરતા બેને ઝડપી પાડ્યા. પોલીસમથકે લેખિત બાંયધરી, જાહેરમાં માફી મગાવી.' ટીમ આટલું ન કરે તો ખુલાસો આપવો પડે... રિસ્પોન્સ કોલની 30 સેકેન્ડમાં રેસ્ક્યુ ટીમે નીકળી જવું જરૂરી કૉલ કરનારનું લોકેશન મેળવીને જરૂર હોય એવા કિસ્સામાં ગણતરીની સેકન્ડમાં રેસ્ક્યુ ટીમે રવાના થવાનું હોય છે, પણ જો તેમાં મોડું થાય તો કન્ટ્રોલ રૂમમાં કારણ આપવું પડે છે. રિયલ ટાઇમ લોકેશન મેપના રૂટ સિવાય રસ્તો બદલે તો ભૂલ ગણાય કોલરના લોકેશન પર પહોંચવામાં કયા રસ્તા પર ટ્રાફિક ઓછો હશે તે મેપમાં જોવાનું હોય છે. લોકેશન સિવાય ડ્રાઇવર બીજા કોઈ રસ્તા પરથી જાય તો તે તેની ભૂલ ગણાય છે, તેનો ખુલાસો કરવો પડે છે. મોનિટરિંગ સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી181 સેન્ટરમાં વિશાળ ડિસ્પ્લેમાં આવતા કૉલ્સની વિગતો હોય છે. કોઈ કૉલ વેઇટિંગમાં ન રહે એ માટે સુપરવાઇઝર મોનિટરિંગ કરે છે. અહીં સ્ક્રીન પર એક પણ કોલ વેઇટિંગમાં રાખી શકાતો નથી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:21 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 લાખ હેક્ટર જમીન NA થતા શેરડીના વાવેતરમાં 40% ઘટાડો

એક સમયે જે સુગર ફેક્ટરીઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતી, તે આજે પોતે આર્થિક કટોકટીમાં સપડાઈ છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં 15% થી 25% સુધીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ભૂતકાળમાં જેમ કપાસ મંડળીઓ બંધ થઈ ગઈ, તેમ રાજ્યની કાર્યરત 13 સહકારી સુગર મિલો પણ ઇતિહાસ બની જશે. બીજી તરફ વધતા શહેરીકરણને કારણે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ 5 લાખ હેક્ટરથી વધુ જમીનો બિનખેતી થઈ ગઈ છે. સુગર મિલો શરૂ થઈ ત્યારે એકરે સરેરાશ 34 ટન ઉત્પાદન ક્ષમતા હતી, જે હવે ઘટીને માત્ર 15 ટન પર આવી ગઈ છે. વર્ષ 2020-21માં સુગર ફેક્ટરીઓએ 97.99 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું હતું, જે ચાલુ વર્ષે ઘટીને માત્ર 72.40 લાખ મેટ્રિક ટન (અંદાજિત) રહી ગયું છે. તેવી જ રીતે, ખાંડનું ઉત્પાદન પણ 1 કરોડ ક્વિન્ટલથી ઘટીને 75.49 લાખ ક્વિન્ટલ પર આવી ગયું છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગની ક્ષમતામાં સરેરાશ 25% નો ઘટાડો થયો છે. વર્ષ 2016-17માં ખેડૂતોને શેરડીના પ્રતિ ટન સરેરાશ 4000 રૂપિયા મળતા હતા, જે આજે વર્ષ 2024-25માં ઘટીને 3500 રૂપિયાની આસપાસ પહોંચ્યા છે. બીજી તરફ, મજૂરી, ખાતર અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા છે. ખેડૂતો માટે હવે શેરડીની ખેતી ‘ખોટનો ધંધો’ સાબિત થઈ રહી છે. કેમ ડગમગી રહ્યો છે સુગર ઉદ્યોગ? આ છે 3 મુખ્ય કારણો1. સરકારની MSP નીતિ અને આર્થિક વિસંગતતા:કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની MSP (લઘુત્તમ ટેકાના ભાવ) માત્ર 3100 રૂપિયા રાખવામાં આવી છે, જે ઉત્પાદન ખર્ચ સામે અત્યંત ઓછી છે. બજારમાં ચોખા જેવી જણસી 50 રૂપિયે કિલો મળે છે, જ્યારે જટિલ પ્રોસેસ બાદ તૈયાર થતી ખાંડ માત્ર 38 રૂપિયે કિલો વેચાય છે. 2. શહેરીકરણ અને બિનખેતી થતી જમીન: દક્ષિણ ગુજરાતમાં વધતા ઉદ્યોગો અને હાઈવે પ્રોજેક્ટ્સને કારણે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 5 લાખ હેક્ટર જમીન બિનખેતી (NA) થઈ ગઈ છે. ખેતીલાયક જમીન ઘટતા સીધી અસર શેરડીના વાવેતર પર પડી છે. 3. સંચાલકોની નિષ્ક્રિયતા અને રાજકીય દબાણ: સુગર ફેક્ટરીઓના મોટાભાગના સંચાલકો સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા હોવા છતાં, તેઓ કેન્દ્ર કે રાજ્ય સરકાર સમક્ષ ખાંડ ઉદ્યોગની વાસ્તવિક સ્થિતિ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પીલાણના દિવસો 180 થી ઘટીને 120 થઈ ગયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. આંકડાની નજરે ખાંડ ઉદ્યોગની દશા દક્ષિણ ગુજરાતનું અર્થતંત્ર ખાંડ ઉદ્યોગ પર ટકેલુંગુજરાતમાં 141 લાખ હેક્ટર શેરડીનું વાવેતર થાય છે, જે અંદાજે 22,500 કામદારોને સીધી અને 5 લાખ લોકોને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે. ઉદ્યોગનું વાર્ષિક 4 હજાર કરોડ ટર્નઓવર છે, જેમાં 95% હિસ્સો માત્ર દક્ષિણ ગુજરાતનો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:06 am

ભાસ્કર બ્રેકિંગ:‘પોપટ છાપ ભણતર’ બંધ થશે! ગોખણપટ્ટી નહીં પણ ‘સમજો અને જાતે કરો’ ભણાવાશે

ગુજરાતમાં સ્કૂલ શિક્ષણને સંપૂર્ણ બદલવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 2 થી 11માં 24 વિષયોના પાઠ્યપુસ્તકો બદલાશે. સરકારનું ફોકસ હવે ‘ગોખવાના અભ્યાસક્રમ’થી હટીને ‘સમજીને અને જાતે કરી શકાય’ તેના પર છે. નવી શિક્ષણ નીતિ મુજબ 2030 સુધીમાં ધોરણ 2થી 12 સુધીના તમામ પાઠ્યપુસ્તકો બદલી દેવાશે. ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો એનસીઈઆરટીના પુસ્તકોના આધારે તૈયાર રહેશે, જ્યારે કે અન્ય વિષયો ગુજરાતમાં જ તૈયાર થશે. સૌથી મોટો બદલાવ રહેશે કે હવે બાળકોને ગોખણ પટ્ટી કરવાની જરૂર રહેશે નહીં, પરંતુ પ્રવૃત્તિ દ્વારા શિખવાડાશે. ઉદાહરણ તરીકે, વિજ્ઞાન અને ગણીત જેવા અઘરા વિષયોના મુદ્દાઓને હવે રમત, પ્રયોગ અને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજાવાશે. ધોરણ 9 અને 11ના કમ્પ્યુટરના વિષયમાં પણ મોટો બદલાવ કરાયો છે. હવે એઆઇ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ જેવા વિષયોને જોડવામાં આવ્યા છે. વિદ્યાર્થી હવે વાસ્તવીક જીવનની સમસ્યાઓ સોફ્ટવેરના માધ્યમથી હલ કરવાનું શિખશે. સરકારનો દાવો છે કે, નવા પાઠ્યપુસ્તકો બાદ વિદ્યાર્થીઓએ ગાઇડ કે અન્ય ઇત્તર સાહિત્યની જરૂર રહેશે નહીં. સાથે જ શિક્ષકોને પણ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા ટ્રેનિંગ અપાશે, જેથી શિક્ષકો પણ નવી ટેકનોલોજીને યોગ્ય રીતે શીખી શખે. અકંદરે આ તમામ બદલાવ ગુજરાતની શિક્ષણ પદ્ધતિને આધુનિક, પ્રેક્ટિકલ અને ભવિષ્ય માટે તૈયાર કરવાની દીશામાં મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. નવી ઢબે ભણતર: એ બધું જે તમે જાણવા માગો છો હવે સ્કિલ આધારીત શિક્ષણનવી શિક્ષણ નીતિ પછી સરકાર પર દબાણ હતું કે શિક્ષણને સ્કિલ બેઇઝ્ડ બનાવવામાં આવે. ઉદ્યોગોની પણ એ જ માંગ હતી. કારણ એ પણ હતું કે કોચિંગ અને ગાઈડના પ્રભાવ પર અંકુશ આવે. કારણ કે તેનાથી શિક્ષણના મૂળ આશયને અસર થઈ રહી હતી. જુનિ શિક્ષણ વ્યવસ્થા નવી વ્યવસ્થામાં શું બદલાવ? | વિદ્યાર્થી પર અસર શિક્ષકો પર અસર સિસ્ટમ પર અસર ભવિષ્ય પર અસર નવા પાઠ્યપુસ્તકોમાં શું બદલાશે : પ્રવૃત્તિ, સમૂહકાર્ય તથા બાળકોમાં જિજ્ઞાસા સર્જાય એવા પ્રયાસો પર ભાર 1. ગોખણ પટ્ટીના સ્થાને પ્રવૃત્તિલક્ષી અભ્યાસ઼ હવે અભ્યાસ યાદ કરવા સુધી સિમિત નહીં રહે. બાળકો પ્રવૃત્તિ, પ્રોજેક્ટ અને સમુહ કાર્ય દ્વારા પોતે જ મુદ્દાની સમજ વિકસીત કરશે. જેનાથી કોન્સેપ્ટ લાંબા સમય સુધી યાદ રહેશે અને તેનાથી વ્યાવહારીક જ્ઞાનમાં પણ વધારો થશે. 2. વિજ્ઞાનમાં પ્રયોગ આધારીત શિક્ષણ વિજ્ઞાન માત્ર પાઠ્યપુસ્તકો સુધી સિમિત નહીં રહે. વિદ્યાર્થી જ નાના પ્રયોગ કરીને શીખશે, જેમ કે ખોરાકમાં પોષક તત્વોની ઓળખ કરવી. જેનાથી બાળકોની જિજ્ઞાસા પણ વધશે અને વિષય વધારે રોચક અને સમજવા માટે યોગ્ય રહેશે. 3. ગણિતને સરળ બનાવાયું ગણિતને રોજિંદાના ઉદાહરણો સાથે જોડવામાં આવ્યા છે. મોલના ફ્લોર જેવા ઉદાહરણથી પ્લસ- માઇનસ સમજાવાશે, જેથી બાળકોને ગણિતની વ્યાખ્યા અને મુદ્દાઓ પણ સરળ અને વ્યાવહારીક લાગશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર એનાલિસિસ:પાટણ જિલ્લાની 9 માંથી 5 તાલુકા‎ પંચાયતોમાં મહિલા પ્રમુખ બનશે‎

પાટણ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદોની અનામત જાહેર થતાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થશે. આ અનામત મુજબ 50 ટકાથી વધુ તાલુકાઓમાં મહિલા નેતૃત્વ ઉભું થવાનું નિશ્ચિત બન્યું છે, જ્યારે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ સાથે નવી ગોઠવણો શરૂ થશે. જિલ્લામાં કુલ 9 તાલુકા પંચાયતોમાંથી 5 તાલુકાઓમાં મહિલા પ્રમુખ બનશે. પાટણ, ચાણસ્મા, સરસ્વતી, સમી અને શંખેશ્વર તાલુકાઓમાં મહિલા અનામત આવતાં મહિલાઓને નેતૃત્વમાં મોટો હિસ્સો મળવાનો છે. આ સ્થિતિ સ્થાનિક સ્તરે મહિલા રાજકારણને મજબૂત બનાવશે, પરંતુ સાથે સાથે પ્રોક્સી (પતિરાજ) પોલિટિક્સની ચર્ચાઓ પણ તેજ બની છે. બક્ષીપંચ (સા.શૈ.પ) વર્ગ માટે સિદ્ધપુર અને ચાણસ્મા મળી કુલ 2 તાલુકા પંચાયતો અનામત રાખવામાં આવી છે. જેના કારણે આ વિસ્તારોમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવારી માટે પક્ષોને કાળજીપૂર્વક ગોઠવણ કરવી પડશે. અનુસૂચિત જાતિ માટે માત્ર રાધનપુર તાલુકા પંચાયત અનામત રાખવામાં આવી છે. હારીજ અને સાંતલપુર તાલુકાઓ સામાન્ય કેટેગરી માટે ખુલ્લા રાખવામાં આવતા અહીં સીધી રાજકીય ટક્કર જોવા મળશે. આ બંને તાલુકાઓમાં પક્ષોની તાકાત, સંગઠન અને સ્થાનિક નેતાઓની લોકપ્રિયતા નિર્ણાયક સાબિત થશે. આ વખતે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખની સામાન્ય બેઠક જાહેર થઈ છે. અત્યાર સુધી એટલે કે 2002 થી 2023 સુધીમાં જિલ્લા પંચાયતમાં અનુ જાતિનાં બે, બક્ષીપંચ છ અને જનરલ કેટેગરીના બે પ્રમુખ રહી ચૂક્યા છે. આ વખતે સામાન્ય બેઠક હોય દરેક ઉમેદવારોને પ્રમુખ બનવા તક હોય પ્રમુખ પદ માટે વિજેતા ઉમેદવારોમાં સ્પર્ધા થશે. આ રીતે જોવામાં આવે તો મહિલાઓનો પ્રભાવ 55 ટકા કરતાં વધુ બેઠકોમાં જોવા મળશે, જ્યારે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ સાથે પાટણ જિલ્લાનું રાજકારણ નવા સમીકરણ તરફ આગળ વધે છે. આંકડાકીય વિગત કયા તાલુકામાં પ્રમુખની કઈ બેઠક અરજણસર બેઠક પર જીતનાર ઉમેદવાર રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ બનશે :આ અનામત બાદ ઘણા દિગ્ગજ નેતાઓ સીધી સ્પર્ધાથી બહાર થઈ ગયા છે, જોકે રાધનપુર તાલુકા પંચાયતની બેઠક અનુજાતી માટેની અનામત બેઠક છે. રાધનપુર તાલુકામાં એકમાત્ર અરજણસર બેઠક અનુજાતીની છે. એટલે આ બેઠક પર જીતનાર ઉમેદવાર તાલુકા પંચાયત પ્રમુખ બનશે. તેવું સ્થાનિક રાજકીય આગેવાને જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:બિલ નહીં ભરો તો કનેક્શન કપાશે,પછી સ્માર્ટ મીટર જ લાગશે‎

માર્ચ મહિનો પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બાકી લેણાં વસૂલવા માટે પાટણમાં કુલ 2,472 ગ્રાહકો પાસે ₹3.95 કરોડનું બાકી હોવાથી ટાર્ગેટ પૂર્ણ કરવા 8 ટીમો મેદાનમાં ઉતારી છે. જો ગ્રાહક બાકી બિલ ન ભરે તો તેનું જૂનું કનેક્શન કાપી નાખે છે અને એ નવી અરજી કરે એટલે ફરજિયાત ‘સ્માર્ટ મીટર’ લગાવી દેવામાં આવે છે. અત્યાર સુધીમાં 400 કનેક્શન કાપી 350 સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે. 50 અરજી અંગે મીટર લગાવવાની કામગીરી પ્રક્રિયામાં છે. વીજ બિલ બાકી વિગતો 85 ટકા લક્ષ્યાંક અધુરોહાલમાં પાટણમાં કુલ 77,000 વીજ ગ્રાહકોમાંથી અત્યાર સુધીમાં માત્ર 10,200 ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા છે. હાલમાં 85 ટકાનો લક્ષ્યાંક અધુરો હોય શહેરના તમામ ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાનો તેમનો લક્ષ્યાંક પૂર્ણ કરવાનો છે. લોકો સ્વેચ્છાએ સ્માર્ટ મીટર લગાવવા આગળ આવી રહ્યા ના હોય UGVCL દ્વારા હવે જે જૂના વીજ કનેક્શન કપાય છે અથવા કોઈ ફોલ્ટ સર્જાય તો ત્યાં નવા સ્માર્ટ મીટર લગાવીને લક્ષ્યાંક પૂર્ણ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જેને લઇ માર્ચ એન્ડિંગમાં જેમના પણ બિલો બાકી છે તેમના ઝડપથી વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે જેને લઇને ત્યાં નવા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરી શકાય છે. તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. યુજીવીએલ સાથે સંવાદસવાલ: લોકો જૂના મીટર માંગે છે, તો સ્માર્ટ મીટર જ કેમ લગાવો છો?જવાબ: કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવે જૂના મીટરની ખરીદી બંધ છે. રીડિંગમાં કોઈ ફરક નથી, માત્ર ટેકનોલોજી બદલાઈ છે. કનેક્શન કપાયા બાદ મીટર માટે અરજી કરતા નવા જ સ્માર્ટ મીટર લાગશે. સવાલ: ઘરે કોઈ ના હોય તો જાણ કર્યા વગર લાઈટ કેમ કાપો છો?જવાબ: અમે પાડોશીનો સંપર્ક કરીએ છીએ, મોબાઈલ પર મેસેજ પણ આપીએ છીએ. તમામ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે જ કાર્યવાહી થાય છે. સવાલ: સ્માર્ટ મીટર પ્રત્યે લોકોમાં વિશ્વાસ ઊભો કરવા શું કરવામાં આવી રહ્યું છે?જવાબ: ગ્રાહકને સમજાવવામાં આવે છે કે માત્ર ટેકનોલોજી બદલાઈ છે. મીટર રીડિંગમાં કોઈ જ ફરક આવતો નથી છતાં પણ જો વિશ્વાસમાં ના આવે તો અંતે તેમના ભ્રમ દૂર કરવા માટે એક મહિના માટે સ્માર્ટ મીટર સાથે જૂનો મીટર પણ ત્યાં લગાવવામાં આવે છે અને તેમને રીડિંગ ચેક કરવા માટે કહેવાય છે. જેથી લોકો ઇન્સ્ટોલ કરાવે છે. એકવાર બંનેના રીડિંગ સરખા આવ્યા બાદ જૂનું મીટર હટાવી દેવામાં આવે છે. ગ્રાહકોએ કહ્યું, વીજબિલ ન ભરતાં કનેક્શન કાપી નાખ્યું, ફરી ચાલુ કરવા માટે અરજી કરી તો કહ્યું સ્માર્ટ મીટર લાગશે કિસ્સો: 1 –ચેતનભાઈના ઘરે છેલ્લા બે મહિનાનું વીજ બિલ બાકી હતું. માર્ચ એન્ડિંગ હોવાથી UGVCLની ટીમ વસુલાત માટે ઘરે પહોંચી બિલ ભરપાઈ ન થતા કનેક્શન કાપી નાખ્યું હતું. જ્યારે બાકી રકમ ભરીને કનેક્શન ફરી ચાલુ કરાવવા અરજી કરી, ત્યારે તેમને કહેવામાં આવ્યું કે હવે જૂનું મીટર પાછું નહીં લાગે. ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવું પડશે. એટલે અંધારામાં રહેવા કરતાં મેં સ્માર્ટ મીટર સ્વીકારી લીધું છે. કિસ્સો: 2 –શૈલેષભાઈની દુકાનનું બિલ બાકી હોવાથી તંત્રએ કનેક્શન કાપ્યું હતું. જ્યારે તેઓ નવું કનેક્શન લેવા ગયા ત્યારે તેમને સ્માર્ટ મીટર માટે દબાણ કરાયું. શૈલેષભાઈએ દલીલ કરી કે સ્માર્ટ મીટર રીડિંગમાં ભૂલ બતાવે છે. આખરે તંત્રએ વચગાળાનો રસ્તો કાઢ્યો અને નવુ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવાની સાથે તેમનો ભ્રમ દૂર કરવા બાજુમાં થોડા સમય માટે જ તેમનું જૂનું મીટર પેરેલલ (સમાંતર) તરીકે રાખ્યું છે. જેથી એક માસના લાઈટ બિલ બાદ બંનેના રીડિંગ ચકાસી શકશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ચોરે કરી હાથ સફાઈ:સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીનું પર્સ ચોરાયું

સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીની બેગમાંથી અજાણ્યો શખ્સ રોકડ અને સોનાની ચુની સહિત રૂ.26,137ની મત્તા ભરેલું પર્સ ચોરી ગયો હતો.. ધાનેરાના થાવર ગામની અને મહેસાણાની નવદીપ સોસાયટીમાં રહી પાટણ ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોમતીબેન ભેમાભાઇ ચૌધરી પરીક્ષા આપવા માટે પાટણ જઈ રહી હતી. ત્યારે સાબરમતી-જેસલમેર ટ્રેનમાં ભીડનો લાભ લઈ અજાણ્યા શખ્સે તેની કોલેજ બેગમાં રાખેલું પર્સ સેરવી લીધું હતું. ટ્રેન ઉપડ્યા બાદ તપાસ કરતાં ખબર પડી કે બેગની ચેન ખોલી અંદરથી નાનું પર્સ કોઇ ચોરી ગયું છે. જેમાં રોકડ, સોનાની ચુની અને 2 પેનડ્રાઈવ મળી રૂ.26,137ની મત્તા હતી. તપાસ બાદ પર્સ ન મળી આવતાં આખરે મહેસાણા રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીછે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

બેંક મેનેજર ઉપર હુમલો:ગોરીસણાના બેંક મેનેજરને દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ લાફા ઝીંક્યા

ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પૂરતી રોકડ ન હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ બ્રાંચ મેનેજરને ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાતાં અટકાયત કરવામાં આવી હતી . ગોરીસણા યુનિયન બેંકમાં બપોરે સમીરખાન તાજમહંમદ મકરાણી નામનો ગ્રાહક રૂ.50 હજારનો ચેક લઈને નાણાં ઉપાડવા આવ્યો હતો. કેશિયર હર્ષિતાબેને બેંકમાં પૂરતી રોકડ ન હોવાથી થોડીવાર રાહ જોવા અથવા પછી આવવા જણાવ્યું હતું. આ સાંભળી તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પિતા તાજમહંમદ મહેરાબખાન મકરાણી (દેલવાડા ગામના સરપંચ)ને ફોન કરીને બોલાવ્યા હતા. સરપંચ તાજમહંમદે બેંકમાં આવી મેનેજર સુનિલકુમાર સરીયાને ગાળો આપી, લાફો મારી દીધો હતો અને છાતીના ભાગે ગડદા માર્યા હતા અને શર્ટ ફાડી નાખ્યું હતું. તેમજ હું દેલવાડાનો સરપંચ છું, તું બહાર નીકળ તને જાનથી મારી નાખીશ અને બેંક બંધ કરાવી દઈશની ધમકી આપી હતી. ઘટનાની જાણ પોલીસ હેલ્પલાઇન 112ને કરતાં ખેરાલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પિતા-પુત્રની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

હુમલો:વસાઇમાં અર્ધનગ્ન હાલતમાં ફરતા શખ્સને ઠપકો આપતાં પડોશી પર હુમલો, 5ને ઇજા

વિજાપુર તાલુકાના વસાઈ ગામે ઘર આગળ અર્ધનગ્ન હાલતમાં ઊભા રહી ગંદા ગીતો વગાડતા શખ્સને ઠપકો આપતાં 9 શખ્સોએ લોખંડની પાઇપ અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં 5 જણાને ઇજા પહોંચી હતી. હુમલાની ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે ઈજાગ્રસ્ત યુવતીએ 9 શખ્સો વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ શખ્સોએ અગાઉ પણ વર્ષ 2012માં પણ હુમલો કર્યો હતો નિકિતાબેન પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 18 માર્ચે રાત્રે વિજય કાંતિભાઈ પરમાર નામનો શખ્સ તેમના ઘર પાસે અર્ધનગ્ન હાલતમાં આંટા મારતો હતો અને મોબાઇલમાં ખરાબ વીડિયો જોઈ બિભત્સ ગીતો વગાડી લલકારતો હતો કે, હવે હું નવરો થઈ ગયો છું, જેણે સામે આવવું હોય તે આવી જાવ, ટાંગા ભાંગી નાખીશ. યુવતીએ ડરના માર્યા તેના કાકાને બોલાવતાં વિજય, રમેશ અને કાંતિ પરમારે લોખંડની જાળી તોડી ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરિવાર બચાવ માટે બહાર આવતાં ટોળાએ પાઇપ યુવતીના માથામાં મારી હતી. અન્ય મહિલાઓ છોડાવવા વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં નિકિતાબેન સંજયભાઈ પરમાર, તેમના બહેન મોનિકાબેન, કાકા રાજુભાઇ વરૂભાઇ, કાકાનો દીકરો દક્ષ અને કાકીને ઇજા થઇ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ 9 સામે ફરિયાદ 1. વિજય કાંતિભાઈ પરમાર 2. કાંતિભાઈ શિવાભાઈ પરમાર 3. રમેશ કાંતિભાઈ પરમાર 4. લકુભાઈ કાળાભાઈ પરમાર 5. સુજલ દિનેશભાઈ પરમાર6. આરતી ઉર્ફે ગગલી કાંતિભાઈ 7. સોનલબેન મનોજભાઈ 8. ઉર્મિલાબેન દિનેશભાઈ પરમાર 9. કાજલબેન વિજયભાઈ પરમાર

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

4070 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે‎ ગુજકેટની પરીક્ષા:હોલટિકિટ નીકળ્યા પછી 8 છાત્રને લેટ ફી સાથે ગુજકેટ પરીક્ષાની મંજૂરી મળી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રવિવારે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવશે. જિલ્લામાં ચાર વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું જ ભૂલી ગયા હતા. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓની હોલ ટિકિટમાં એના બદલે બી ગ્રુપ લખાયેલું હતું. આ તમામ આઠ વિદ્યાર્થીએ શાળા મારફતે શિક્ષણ બોર્ડમાં રજૂઆત કરતાં, બોર્ડે રૂ.1000 લેટ ફી સાથે પરીક્ષાની સંમતી આપી હતી. આથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આ આઠે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં બેઠક વ્યવસ્થા કરાઇ છે. જિલ્લામાં એ ગ્રુપના 1680, બી ગ્રુપના 2383 અને એ-બી ગ્રુપના 7 મળી કુલ 4070 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં 2117 વિદ્યાર્થી અને 1953 વિદ્યાર્થિનીઓ છે. જેમાં ગુજરાતી માધ્યમના 3206 અને અંગ્રેજી માધ્યમના 864 પરીક્ષાર્થીઓ છે. આ પરીક્ષા માટે મહેસાણા શહેરના 19 કેન્દ્રોના 205 બ્લોકમાં વ્યવસ્થા કરાઇ છે. એ ગ્રુપમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત મળી ત્રણ પેપરના કુલ 120 ગુણના MCQ (બહુવિકલ્પ) પ્રશ્નો આપવાના રહેશે. આ જ રીતે બી ગ્રુપમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાન મળી ત્રણ પેપરના 120 ગુણના પ્રશ્નો આપવાના રહેશે. જ્યારે એ-બી સંયુક્ત ગ્રુપના વિદ્યાર્થીઓએ 160 ગુણના પ્રશ્નો આપવાના થશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ઉત્તર ગુજરાતમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ:આજે મહેસાણા જિ.માં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની શક્યતા

પશ્ચિમી પવનના પ્રભાવથી શનિવારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં આકાશ દિવસભર સામાન્ય વાદળછાયું રહ્યું હતું, જેના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને પારો 36 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જોકે વધેલી ભેજને કારણે ઉકળાટ સાથેની ગરમીથી લોકો પરેશાન રહ્યા હતા. હવામાન વિભાગે રવિવારે વધુ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની સાથે આગામી 5 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ, તેજ પવન અને છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં રવિવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં થંડરસ્ટ્રોમ સાથે હળવા વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતમાં શનિવારે સરેરાશ 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. પશ્ચિમી પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણ સામાન્ય વાદળછાયું રહ્યું હતું. જેને લઇ દિવસના તાપમાનમાં પોણા 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તાપમાન 36 ડિગ્રીથી નીચે રહ્યું હતું, પરંતુ વધુ પડતાં ભેજના કારણે ઉકળાટ સાથેની ગરમીનો અનુભવ યથાવત રહ્યો હતો. આજે રવિવારે ગરમીમાં વધુ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના ટુંકાગાળાના અનુમાન મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 એપ્રિલ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન અને હળવી મેઘગર્જના સાથે છુટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. જો કે, પ્રિ-મોનસૂન વરસાદના આ રાઉન્ડમાં વરસાદની તિવ્રતા અને વિસ્તાર મર્યાદિત રહી શકે છે. એટલે કે, વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

કલેક્ટરની કડક સૂચના:ગ્રામ્ય કક્ષાએ પ્રજાના કામો ઝડપી પૂર્ણ કરી નિરાકરણ લાવો

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને કડક સૂચના અપાઈ હતી. બેઠકમાં પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ, વિવિધ વિભાગોના કામોની સમીક્ષા તેમજ સંકલન વધારવા પર ભાર મૂકાયો હતો. પાલનપુર સ્થિત કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં શુક્રવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નો અંગે અધિકારીઓએ આપેલા જવાબોની સમીક્ષા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી પ્રગતિ અહેવાલ મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન વધારી પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી હતી. કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્યોના પ્રશ્નોને સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ આપવો તેમજ વિકાસ કાર્યો સમયસર પૂર્ણ કરવું અત્યંત જરૂરી છે. આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા, નેશનલ હાઈવે અને ખાણ-ખનીજ વિભાગ સંબંધિત મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ખેડૂત પુત્રીએ કરી કમાલ:દિયોદરના રૈયાની આશા ચૌધરીને નેશનલ લેવલે 400 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ

દિયોદર તાલુકાના રૈયા ગામની ખેડૂત પુત્રી આશા ચૌધરીએ મર્યાદિત સુવિધાઓ વચ્ચે કઠોર મહેનત કરી રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. કેરળના ત્રિવેન્દ્રમ ખાતે 21 માર્ચ, 2026ના રોજ યોજાયેલી 7મી ઇન્ડિયન ઓપન 400 મીટર દોડ સ્પર્ધામાં તેણે અંડર-18 કેટેગરીમાં 59.62 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે, જેનાથી સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી પ્રસરી છે. વર્ષ 2019થી પોતાની રમતગમતની યાત્રા શરૂ કરનાર આશાએ અનેક પડકારોનો સામનો કર્યો છે. ખાસ કરીને, આ સ્પર્ધાના માત્ર 15 દિવસ પહેલા જ પ્રેક્ટિસ દરમિયાન તેને પગમાં સ્નાયુ ખેંચાવાની ગંભીર ઈજા થઈ હતી અને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. તેમ છતાં, હિંમત હાર્યા વગર તેણે ટૂંકા ગાળામાં સ્વસ્થ થઈ નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો અને મેડલ જીતીને પોતાની દ્રઢ ઈચ્છાશક્તિનો પરિચય આપ્યો છે. આશા તેની સફળતા માટે દરરોજ સવારે અને સાંજે એમ કુલ 4 કલાકથી વધુ સમય ડીએલએલએસ ગ્રાઉન્ડમાં કોચના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

માર્ચ એન્ડિંગને લઈને નિર્ણય:જિલ્લાના 14 માર્કેટયાર્ડ આજથી ત્રણ દિવસ બંદ

માર્ચ એન્ડિંગને પગલે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી ત્રણ દિવસ માટે ખરીદી-વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓની રોજિંદી લેવડદેવડ પર અસર પડશે અને પાક વેચાણ માટે ખેડૂતોને થોડા દિવસ રાહ જોવી પડશે. આ નિર્ણય નાણાકીય વર્ષના અંતિમ હિસાબ, ઓડિટ અને વહીવટી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓની રોજિંદી પ્રવૃત્તિ પર સીધી અસર પડશે અને પાક વેચાણ માટે ખેડૂતોને થોડા દિવસ રાહ જોવી પડશે. ખાસ કરીને ડીસા અને લાખાણી વિસ્તારમાં બટાકાના વેપાર માટે સબ યાર્ડ મહત્વ ધરાવે છે, જ્યારે થરાદ અને વાવ વિસ્તારમાં જીરું, રાયડો અને એરંડાની આવક વધુ રહે છે. પાલનપુરના ગઢ અને ચડોતર સબ યાર્ડ શાકભાજી અને અનાજ માટે જાણીતા છે. ત્રણ દિવસના બંધને કારણે કોઈપણ પ્રકારની ખરીદી-વેચાણ, હરાજી કે લેવડદેવડ નહીં થાય. તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાનો પાક વેચાણ માટે માર્કેટયાર્ડ ખુલ્યા બાદ જ લાવે. વેપારીઓ માટે પણ આ સમયગાળો હિસાબી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે મહત્વનો રહેશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

મુસાફરી વધુ સુલભ બનશે:પાલનપુર એસટી ડિવિઝનને 22 નવીન બસો ફાળવાઈ

પાલનપુર એસટી ડિવિઝનને કુલ 22 નવી બસો ફાળવાતા ડિવિઝન હેઠળના વિવિધ ડેપોમાં વહેંચણી કરવામાં આવી છે. નવી બસો શરૂ થતાં ગ્રામ્ય અને શહેર વિસ્તારો વચ્ચે અવર-જવર વધુ સરળ બનવાની સાથે મુસાફરી વધુ સુલભ બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ડિવિજનને 182 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાં પાલનપુર એસટી ડિવિઝનને 22 નવી બસો ફાળવવામાં આવી હતી. આ નવી બસો ડિવિઝન હેઠળના વિવિધ ડેપોમાં વહેંચવામાં આવી છે, જેના કારણે મુસાફરોને વધુ સુવિધા મળશે. પાલનપુર એસટીના પરિવહન અધિકારી વિનુભાઈ પટેલે જણાવ્યું હતું કે, અંબાજી અને ડીસા ડેપોને 2-2 બસો, સિદ્ધપુરને 1 બસ, દિયોદરને 4 બસો, રાધનપુર અને પાલનપુરને 5-5 બસો તેમજ થરાદને 3 બસો ફાળવવામાં આવી છે. આ વહેંચણીના કારણે તમામ વિસ્તારોમાં પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

શાંતિ તિવારી હત્યા કેસ:રેખાની કોલ ડિટેલ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલશે કેટલાક પૂરાવા રેકોર્ડ પર લેવાના બાકી :પોલીસ

શાંતિબેન હત્યા કેસની માસ્ટરમાઇન્ડ રેખાના ડિટેલ ગુનાનો ભેદ ઉકેલશે પણ હત્યારા જાહેર કરવામાં પોલીસ વિલંબ કરી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડૉ.સુનિલ જોશીએ જણાવ્યું કે ડિપ્રેશનથી આઘાત લાગ્યો હોય તેવી દર્દીએ ફરિયાદ કરતા મહિલા દર્દીને પોલીસ જાપ્તા સાથે દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે તેની તબિયત સારી થયા બાદ અહીંથી રજા આપવામાં આવી છે. હાલ આ હિચકારી ઘટનાની સમગ્ર તપાસ પાલનપુર પશ્ચિમ પોલીસ કરી રહી છે. તેવામાં આ તપાસ ન્યાયિક દિશામાં થાય અને દોષિતોને કડકમાં કડક સજા મળે તેવી માંગ સમાજના આગેવાનો દ્વારા થઈ રહી છે. જોકે ઘટનાના ત્રીજા દિવસે પણ પોલીસે આરોપીઓ જાહેર કર્યા નથી. પોલીસ દ્વારા આરોપીઓ જાહેર કરવામાં કેમ વિલંબ સર્જાઇ રહ્યો છે તેને લઈ ભાસ્કરે સવાલ ઉઠાવતા પશ્ચિમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક પુરાવાઓ રેકર્ડ પર લેવાના બાકી છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે. પાલનપુર શહેરના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા હનુમાન ટેકરી વિસ્તારમાં બનેલી શાંતિબેન આકેડીવાલાની બર્બરતાપૂર્વક હત્યાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. આ ચકચારી હત્યાકાંડની મુખ્ય સૂત્રધાર ગણાતી રેખા અને તેના પતિએ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી ઉભા કરેલા ફર્નિચરના વ્યવસાયના ઓથ હેઠળ આ ગંભીર ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી ચાલતા આ દબાણ સામે તંત્રની નિષ્ક્રિયતા અને પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને કારણે સ્થાનિકો અને સમાજના અગ્રણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મની બહેન તરીકે ઓળખાતી રેખાએ કેવી રીતે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો અને આ હત્યા પાછળ અન્ય કોઈ મોટા માથાઓનો હાથ છે કે કેમ, તે દિશામાં અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ તપાસ ચલાવી રહી છે. શાંતિની બહેનોએ કહ્યું, પૈસાની ઉઘરાણી મુદ્દે ટેન્શનમાં હતી બીજી તરફ મૃતક શાંતિબેનના પાર્થિવ શરીરનો શુક્રવારે સાંજે અંતિમ સંસ્કાર કરવામાં આવતા નેપાળથી તેમનો પરિવાર પણ આકેડી પહોંચી ગયો હતો. તેમના મોટી બહેન કલ્પનાએ જણાવ્યું કે ગત સપ્તાહે શુક્રવારે મોડી રાત્રે શાંતિબેનનો ફોન આવ્યો હતો. એક કલાક સુધી વાતો થઈ હતી. તે રેખાને આપેલા દાગીનાને લઈને ચિંતિત હતી. ઈદ પછી એ ડબલ પૈસા આપી દેશે એવું પણ એ કહેતી હતી. તેવામાં હવે પોલીસ દ્વારા રેખા રાઠોડની કોલ ડિટેલ ખંગાળવામાં આવશે તેવી પોલીસ સૂત્રો દ્વારા વિગતો પ્રાપ્ત થઈ છે. કરોડો રૂપિયાની સરકારી મોકાની જગ્યા વર્ષોથી પચાવી પાડી હતી. નેપાળથી આવેલી બંને બહેનોએ કહ્યું શુક્રવારે રાત્રે એક કલાક સુધી વાત થઈ હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

રજૂઆત:અગરિયાઓને પણ PM કિસાન સન્માન નિધિ, 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપો

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સુરેન્દ્રનગરના સાંસદે લોકસભામાં રજૂઆત કરી હતી. સાથે કચ્છના નાના રણમાં સદીઓથી અગરિયાઓને પણ ખેડૂતોની જેમ PM કિસાન સન્માન નિધિ અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ મળે તેવી કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરાએ લોકસભામાં બોલતા જણાવ્યું હતું કે, રણમાં મીઠું પકવતા અગરીયા સમુદાયને પવન અને વાવાઝોડાથી થયેલા નુકશાન બાદ સરકારને ધ્યાન દોર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તાકીદે અગરિયાઓને થયેલી નુકશાનીનો સર્વે કરાવવા બદલ સાંસદ ચંદુભાઈ શિહોરાએ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગાંધીનગર ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડાને કારણે કચ્છના નાના રણ વિસ્તારમાં અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરીયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

સમસ્યા:મોટીમાલવણ ગામમાં સોલાર પ્લાન્ટ સામે લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી સામે વિલંબ

ધ્રાંગધ્રાના મોટી માલવણ સોલાર કંપની સામે લેન્ડ ગ્રેબિંગ માટેની ડેપ્યુટી કલેક્ટર દ્વારા અરજી કર્યા બાદ વિલંબ થતા ભારે ચર્ચા જોવા મળી. ત્યારે કંપની દ્વારા સરકારી જમીન પર મંજૂરી વગર 41 વીજ પોલ નાખવામાં આવ્યા હતા. તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામ ખાતે આવેલી અને સતત વિવાદિત સોલર કંપની સામે તંત્ર પણ ઢીંચણીયે પાડી ગયું હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે. જેમાં મોટી માલવણ ગામે સોલર કંપની દ્વારા જુદા જુદા સરકારી જમીનો પર તંત્રની પૂર્વ મંજૂરી વગર 41 વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. અને આ વીજ પોલ વીજ પૂરવઠો પણ શરૂ કરી દેવાયો છે. તેવામાં આગાઉ ધ્રાંગધ્રાના તત્કાલિન પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યને આ અંગે રજૂઆતો થતા ખાનગી સોલર કંપની લેન્ડ ગ્રેબિંગ કરવા માટે જિલ્લા કલેકટરને અહેવાલ કરવામાં આવ્યો હતો. પરંતુ અહેવાલને 2 મહિના જેટલો સમય વીતી ગયા છતા પણ હજુ સુધી ખાનગી કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તરફ સામાન્ય વ્યક્તિ પર જમીન દબાણ મામલે અરજીની તત્કાલ કાર્યવાહી કરીને લેન્ડ ગ્રેબિંગનો હુકમ કરી ગુનો દાખલ કરવામાં આવે છે. પરંતુ ખાનગી કંપની સામે બે મહિના જેટલો સમય વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા તંત્ર પણ ખાનગી કંપની સામે ઘૂંટણિયે થઈ ચૂક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

તંત્ર નિષ્ફળ:કરોડોના ખર્ચે બનેલા બહુમાળી ભવનમાં‎હાલ કાળઝાળ ગરમીમાં વોટર રૂમને તાળાં‎

સુરેન્દ્રનગર શહેરના ખેરાળી રોડ પર નવનિર્મિત બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓ આવેલી છે. પરંતુ પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં કરોડોના ખર્ચે બિલ્ડિંગો તૈયાર થઈ, નળ અને પરબો પણ ફીટ કરી દેવાયા, પરંતુ તેમાં પાણીનું એક ટીપું પણ આવતું નથી. હાલત એવી છે કે તરસ્યા અરજદારોએ નળ જોઈને જ પાછા વળવું પડે છે. બહુમાળી ભવનના બીજા માળે આવેલા વોટર રૂમ પર હાલ તાળા લટકી રહ્યા છે. આ સંકુલમાં અનેક મહત્વની સરકારી કચેરીઓ બીજા અને ત્રીજા માળે આવેલી છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મોટી સંખ્યામાં અરજદારો અને ખાસ કરીને વૃદ્ધો જ્યારે પોતાના કામ માટે અહીં પહોંચે છે, ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે તેઓએ એક ઓફિસથી બીજી ઓફિસ ભટકવું પડે છે. બહુમાળી ભવનમાં પાણીની પરબો સજ્જ કરવામાં આવી છે, આથી લોકોની માંગ છે કે જો આટલી મોટી બિલ્ડિંગ બનાવી હોય તો અરજદારો માટે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા તાકીદે શરૂ કરવી જોઈએ. પાણીની બોટલ વેચાતી લાવવી પડે છે આ કચેરીઓમાં શહેરી તેમજ ગામડાના છેવાડાના વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. અમે દૂર ગામડેથી કામ માટે આવ્યા છીએ. અહીં નળ તો દેખાય છે પણ પાણી આવતું નથી. વોટર રૂમ બંધ છે, એટલે છેક નીચે ઉતરીને બહારથી પાણીની બોટલ વેચાતી લેવી પડે છે.- મહેશભાઈ પરમાર, અરજદાર

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

કામગીરી:22.15 લાખના બાકી વીજ બિલના સ્થળ પર જ વીજકનેક્શન કટ કર્યા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી વીજબીલ વસૂલાતની કામગીરી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગર વર્તુળ કચેરી હેઠળ તા.28-3-2026ને શનિવારે કુલ 245 ટીમો દ્વારા ડીસ કનેક્શન તેમજ વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં વીજ બિલ ન ભરનારા કુલ 188 ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. જેમની કુલ બાકી રકમ રૂ. 22.15 લાખ જેટલી થવા જાય છે. તેમજ જાગૃત ગ્રાહકોના સહકારથી કુલ 3870 ગ્રાહકો પાસેથી રૂ.110.31 લાખની વસૂલાત કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એન.એન. અમીને જણાવ્યું કે, જે ગ્રાહકો બિલ ભરપાઈ નહીં કરે તેમના વીજ જોડાણો કાપી નંખાશે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:ઝાલાવાડમાં શાળા આરોગ્યની તપાસમાં 4 વર્ષમાં આંખની ખામીવાળા 3500 વિદ્યાર્થી વધ્યા, રમતના બદલે મોબાઈલ તરફ બાળકો વળતા બીમારી વધી

સેતુગીરી ગોસ્વામી સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દર વર્ષે 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ થાય છે. જેમાં છેલ્લા 3 વર્ષનાં આંકડા જોતા ચોંકવનારી વિગતો સામે આવી છે. મોબાઈલ અને ફાસ્ટફુડની વિપરીત અસરોથી બાળકોના હૃદય અને આંખ નબળા પડ્યાં છે. છેલ્લા 3 વર્ષમાં જિલ્લામાં 750થી વધુ વિદ્યાર્થીઓને હૃદયની બીમારી જોવા મળી હતી. મોબાઈલનો સમય વધતા અને શારીરિક રમતો ઘટતા 20 હજારથી વધુ વિદ્યાર્થીઓને આંખની બીમારી જોવા મળી હતી. જ્યારે ફાસ્ટફૂડ અને ચોકલેટોના અતિરેકને કારણે 30 હજાર થી વધુ બાળકો દાંતના દર્દી બન્યા હોવાનું સામે આવ્યું હતું. શાળાકીય તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને હૃદયમાં ખામી જણાય, તેમને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રૂપિયા એક પણ ખર્ચ્યા વગર ઓપરેશન કરી આપવામાં આવે છે. જેમાં પ્રાથમિક તપાસ શાળામાં આયુષ ડોક્ટરોની ટીમ દ્વારા થાય છે, ત્યારબાદ વધુ તપાસ માટે જિલ્લા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન પાસે મોકલવામાં આવે છે. અને વધુ સારવાર માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ માં રિફર કરવામાં આવે છે. વર્ષે ત્રણ લાખથી વધુ બાળકોની તપાસ કરીને મફત સારવાર આપીદર વર્ષે 3 લાખથી વધુ વિદ્યાર્થીઓની તપાસણી દરમિયાન હૃદય રોગ, કિડની અથવા કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવતા બાળકોને શોધીને તેમને અમદાવાદની સિવિલમાં મફત સારવાર અપાવાય છે. ​સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓમાં લોહતત્વની ઉણપ સૌથી વધુ જોવા મળે છે, જેના માટે સરકાર દ્વારા આયર્ન-ફોલિક એસિડની ટેબ્લેટ્સ આપવામાં આવે છે. ગત વર્ષ દ્રષ્ટિની ખામી ધરાવતા બાળકો 6 હાજરથી વધુ વિદ્યાર્થીઓને મફત ચશ્મા વિતરણ કરાયું હતું. - આર. જી. ગોહિલ, જિલ્લા આરોગ્ય અધિકારી શારીરિક રમતો વધારવી એ જ એક માત્ર ઉપાયમોબાઈલનો ઉપયોગ વધવાથી શારીરીક રમતો ઘટી છે જેના ગંભીર પરિણામો સામે છે. 5 વર્ષ પહેલા એક બાળક સરેરાશ 30 થી 35 મિનિટ ખેલકુદ કરતું એ સમય આજે 15 થી 18 મિનિટ થઈ ગયો છે જેના કારણે અમુક કિસ્સામાં 10 વર્ષથી નાના બાળકોમાં પણ હૃદયની બીમારી વધી છે. શારીરીક શ્રમ થાય તેવી રમતો રમાય તે જ હૃદયરોગ ઘટાડવાનો એકમાત્ર ઉપાય છે. બાળકનો ટીવી અને મોબાઈલનો સ્ક્રિનટાઇમ ઘટાડી આઉટડોર ગેમ્સ રમવા મોકલવા જોઈએ. જેથી તેમની આંખની તકલીફમાં પણ રાહત રહે. - ડૉ. સૌરભ ગોસ્વામી, કાર્ડિયોલોજીસ્ટ 3 વર્ષનાં સરેરાશ આંકડા2021- 22 : એનિમીયા - 5300, આંખની ખામી - 5500, હૃદયની ખામી - 200, દાંતનો સડો - 35000, 2022-23 : એનિમીયા - 60,000, આંખની ખામી - 6800, હૃદયની ખામી - 220, દાંતનો સડો - 46500, 2024-25 : એનિમીયા - 65,800, આંખની ખામી - 9000, હૃદયની ખામી - 290, દાંતનો સડો - 46500.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

વસૂલાત:ગ્રામ પંચાયતના રૂપિયા 23 કરોડના માંગણા સામે અત્યાર સુધી માત્ર 10 કરોડની વસૂલાત

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતો પાસેથી વિવિધ પ્રકારના વેરા વસૂલાત કરવામાં આવતા હોય છે. અધિકારીઓ સાથે બેઠકોમાં વેરા વસૂલાત કરવાની સૂચના આપવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લા પંચાયતની 23 કરોડ માંગણા સામે હજુ સુધીમાં 9.63 કરોડ વેરો વસૂલાત થઈ છે. તેની સામે હજુ 13.36 કરોડ વેરાની વસૂલાત કરવાની બાકી છે. આમ જિલ્લા પંચાતયની 58.11 ટકા વેરાની વસૂલાત બાકી છે. જિલ્લા પંચાયત દ્વારા તાલુકાની પંચાયતો પાસેથી પાણી, મકાન વેરો સહિત અન્ય વિવિધ પ્રકારના વેરા વસૂલાત કરવાની હોય છે. જિલ્લા સંકલન સમિતિની બેઠકોમાં કલેક્ટર જિલ્લામાં બાકી રહેતા વેરાની વસૂલાત કરવા માટે સૂચનાઓ આપવામાં આવતી હોય છે. જિલ્લાની પંચાયતોના કુલ માંગણા સામે 58.11 ટકા જેટલા વેરાની વસૂલાત બાકી હોવાની વિગતો સામે આવી છે. જિલ્લામાં 10 તાલુકા પંચાયતો પાસેથી માંણણામાં 13.36 કરોડ વેરાની વસૂલાત બાકી છે. જેની વસૂલાત કાર્યવાહી બાકી હોવાથી 2026માં ઉધરાણી કાર્યવાહી કરાઈ છે. હજુ સુધીમાં 23 કરોડના માંગણા સામે 9.63 કરોડની વસૂલાત થઇ છે. તેની સામે 13.36 કરોડ વેરાની વસૂલાત કરવાની બાકી જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ખરીદી કરવા આવેલા લોકોને ધક્કો પડ્યો:માધવપુર મેળામાં હસ્તકલા હાર્ટ પ્રદર્શન રાત્રિના 9 વાગ્યામાં જ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ

માધવપુર મેળામાં હસ્તકલા હાર્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.આ જગ્યા પર અસમ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, ગુજરાત રાજયની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામની કૃતિઓનું વેચાણ થાય છે પરંતુ આ હસ્તકલા હાર્ટ 9 વાગ્યામાં જ બંધ થઈ જતું હોવાથી અહીં ખરીદી કરવા આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. માધવપુરના રાષ્ટ્રીયકક્ષાના મેળાનો શુકવારે પ્રારંભ થયો હતો.આ રાષ્ટ્રીય મેળામાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી પણ ખાસ કલાકરો ઉપસ્થિત થયા છે અને આ કલાકારો માટે ખાસ હસ્તકલા હાર્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેમાં અસમ, અરૂણાપલ પ્રદેશ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, સીકકીમ, ત્રિપુરા તથા ગુજરાત રાજયની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામ, ચર્મ કામ, જવેલરી, વાંસકામની ગૃહસજાવટની બેનમૂન કૃતિઓનું વેચાણ કરવામાં આવે છે. આ મેળામાં હસ્તકલા હાર્ટ સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવે છે.જે બાદ હસ્તકલા હાર્ટ બંધ કરી દેવામાં આવે છે જેથી અહીં ખરીદી કરવા આવતા લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

વેધર રિપોર્ટ:પોરબંદરમાં મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું

પોરબંદરમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો. મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું છે. પોરબંદરમાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપછાવ વાતાવરણ જોવા મળ્યું હતું અને બાદ ગરમીનો અહેસાસ થયો હતો. પોરબંદરમાં ગઈકાલે શુક્રવારે મહતમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે શનિવારે મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 2 ટકા વધીને 47 ટકા નોંધાયું છે. સવાર થી રાત સુધી ગરમી અને મોડી રાત્રે હળવી ઠંડક પ્રસરે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

પદ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું:રાણાવાવ લોહાણા મહાજન દ્વારા પદ ગ્રહણ સમારોહ યોજાયો

રાણાવાવ ખાતે રામજન્મોત્સવના દિવસે સમસ્ત લોહાણા મહાજન દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. જેમાં સમસ્ત લોહાણા મહાજન રાણાવાવની નવી કારોબારીના પ્રમુખ બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચા, ઉપપ્રમુખ દેવેનભાઈ ભરતભાઈ તન્ના, મંત્રી હિરેનભાઈ રસિકભાઈ રાયચુરા, સહમંત્રી મહેશભાઈ કાંતિભાઈ રૂપારેલિયા, ખજાનચી જીતેશભાઈ કિશોરભાઈ કોટેચા તથા કારોબારી સભ્યો અશોકભાઈ તુલસીભાઈ અમલાણી, સંજયભાઈ રમણીકભાઇ બારાઈ, ભાવેશભાઈ કાંતિભાઈ રાયચુરા, કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ રાયચુરા, અમિતભાઇ કાંતિભાઈ કારીયા, વૈભવભાઈ વશરામભાઇ કારીયા સહિતના તમામ હોદ્દેદારોનું સમસ્ત લોહાણા પરિવારોની હાજરીમા સન્માન કર્યું હતું. ત્યારબાદ સમૂહ જ્ઞાતિ ફરાળ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ. આ તકે પૂર્વપ્રમુખશ્રી ભરતભાઈ રાજાણી સહિત પોરબંદર લોહાણા મહાજન મંત્રી રાજેશભાઈ લાખાણી ઉપરાંત ભાવિનભાઈ કારીયા, પરિમલભાઈ ઠકરાર સહિતનાઓ તેમજ જલારામ સેવા મંડળ ટ્રસ્ટ રાણાવાવ અને અન્ય જ્ઞાતિઆગેવાનોએ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ટીમને શુભેચ્છા પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

વલ્લભી શિખર ધરાવતું અનોખું મંદિર:કુછડી ગામમાં પાંડવકાલીન ખીમેશ્વર મહાદેવ સમક્ષ નવદુર્ગા માતાજીનું પ્રાચીન દ્વિમુખી મંદિર આસ્થાનું કેન્દ્ર

પોરબંદર નજીક કુછડી ગામમાં આવેલ પાંડવકાલીન ખીમેશ્વર મહાદેવ મંદિર સામે સ્થિત નવદુર્ગા માતાજીનું પ્રાચીન દ્વિમુખી એટલેકે બે દરવાજાવાળું મંદિર ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ મંદિર વલ્લભી શિખર શૈલી ધરાવતું રાજ્યમાં અદ્વિતીય અને એકમાત્ર હોવાનું માનવામાં આવે છે. મંદિરની અંદર બંને બાજુ અત્યંત પ્રાચીન નકશીકામ જોવા મળે છે, જે પુરાતત્વ આધાર મુજબ 9મી સદીમાં નિર્મિત હોવાનું અનુમાન છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં પરંતુ પ્રાચીન શિલ્પકળાનો ઉત્તમ નમૂનો પણ છે. પૂજારી વિજયપુરી ગોસ્વામીએ જણાવ્યું છેકે, નવરાત્રિના પવિત્ર અવસરે અહીં નવ દિવસ સુધી વિશેષ સ્તોત્રોચ્ચાર, દેવી ભાગવત મુજબ પૂજા-અર્ચના, આરતી અને ભોગનો કાર્યક્રમ યોજાય છે. માતાજીના ઘટ સ્થાપન, ગણપતિ સ્થાપન, અખંડ દીપ તેમજ વિવિધ શૃંગાર સાથે દરરોજ અલગ-અલગ ફળ, ફૂલ અને ભોગના દર્શન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને આશ્વિન માસની નવરાત્રિ વિશેષ ભવ્યતા સાથે ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભક્તો માટે નવદુર્ગાના અલગ-અલગ સ્વરૂપોના દર્શન પણ યોજાય છે. મંદિર ખાતે ભક્તોમાં ભારે આસ્થા જોવા મળે છે અને નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. માતાજીના નવ સ્વરૂપો અહીં માતાજીના નવ સ્વરૂપો નવદુર્ગા જેમાંશૈલપુત્રી,બ્રહ્ મચારિણી,ચંદ્રઘંટા,કુ ષ્માંડા,સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી,સિદ્ધિદાત્રી માતાનો સમાવેશ થાય છે. આ પ્રાચીન મંદિર ધાર્મિક પરંપરા, ઐતિહાસિક વારસો અને ભક્તિનો અનોખો સંગમ રજૂ કરે છે, જે પોરબંદર જિલ્લામાં વિશેષ ઓળખ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરાયું:માધવપુર ખાતે બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો પ્રારંભ, 650થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળાના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે માધવપુર બીચ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે માધવરાય મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. માધવપુર ઘેડના મેળામાં યોજાયેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 650થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન તા.27-03-2026 થી તા.30-03-2026 સુધી માધવપુર બીચ ખાતે કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલ દરમિયાન બીચ ફૂટબોલ, બીચ કબડ્ડી, 100 મીટર દોડ, નાળીયેલ ફેંક અને પરંપરાગત અખાડા કુસ્તી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ પ્રસંગે માંગરોળ-માળિયા વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પરબતભાઈ પરમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, ગ્રામ્ય મામલતદાર ખીમાભાઈ મારૂ, ગ્રામ પંચાયત સરપંચ ભાનુભાઈ ભુવા સહિતના અગ્રણીઓ અને એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ટ્રેઈનના કોચનું વિસ્તરણ કરાયું:પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના કોચનું વિસ્તરણ કરવામાં આવ્યું

પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતેથી રોજ ઉપડતી પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈનના કોચનું વિસ્તરણ કરાયું છે જેમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી કોચના બદલે હવે એક સેકન્ડ એસી અને એક થર્ડ એસી કોચ 10 જુનથી લગાવવામાં આવશે. પોરબંદરના રેલ્વે સ્ટેશનથી રોજ ઉપડતી પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈનમાં રેલ્વે વિભાગ દ્વારા યાત્રિયોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 19016/19015 પોરબંદર– દાદર– પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસની કોચ સંરચનામાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેઈનમાં સેકન્ડ એસી કમ થર્ડ એસી (2AC cum 3AC) કોચના બદલે હવે અલગ-અલગ એક સેકન્ડ એસી (2AC) અને એક થર્ડ એસી (3AC) કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 10 જૂન, 2026 થી તેમજ ટ્રેન નંબર 19015 દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં 13 જૂન, 2026 થી કોચનું વિસ્તરણ કરવામાં આવશે. અનેકવાર રજુઆત કરી હતીપોરબંદરના રેલ્વે સ્ટેશન રોજ મુંબઇ જતા માટે પોરબંદર–દાદર–પોરબંદર દૈનિક સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેઈન ઉપડે છે ત્યારે આ ટ્રેઈન લગાવેલ કોચનું વિસ્તરણ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અનેકવાર રજુઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

પેપર ચકાસણી:પોરબંદરમાં 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં બોર્ડની પરીક્ષામા રોજ 17 હજાર પેપરની ચકાસણી

બોર્ડની પરીક્ષા હાલ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા બાદ પેપર ચકાસણી અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લામાં પણ આવેલ 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવેલ અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકો દ્વારા રોજના 17 હજારથી વધુ પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં માર્ચ માસના પ્રારંભે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ છે.ત્યારે આ પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીની કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી માટે અલગ અલગ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની પણ ફાળવણી કરવામાં આવી છે. જેમાં પોરબંદર જિલ્લામાં પણ માધવપુર ખાતે તેમજ પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ,બાલુબા સ્કૂલ અને એમ.ઇ.એમ સ્કૂલ ખાતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી છે.આ કેન્દ્રમાં આવતા પેપરની ચકાસણી માટે પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ કેન્દ્રમાં 4 શિક્ષકોની ટીમ વચ્ચે 144 પેપર ચકાસણી માટે આપવામાં આવે છે.આ શિક્ષકો દ્વારા અલગ અલગ વિષયના રોજ કુલ 17 હજાર પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે. જાણો, ક્યાં ક્યાં વિષયના પેપરની ચકાસણી થાય છે પોરબંદર જિલ્લામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધોરણ 12ના ગુજરાતી,અંગ્રેજી,મનો વિજ્ઞાન, તત્વજ્ઞાન,સંસ્કૃત,ભૂ ગોળ,સમાજશાસ્ત્ર, એચ.પી.સી.સી, વાણિજ્ય, આંકડાશસ્ત્ર, નામું અને ધોરણ 10ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ગણિત વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:માધવપુરમાં પૌરાણિક માધવરાયજીની નવી હવેલી તેમજ બળદેવજીનો માંડવો જીવંત

માધવપુરમાં માધવરાયજીની નવી હવેલીનું પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં 1896 માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799 ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જેવી મૂર્તિઓની જુગલજોડી ભારત ભરમાં નથી. આ મંદિરેથી જ માધવરાયજીની જાનનુ લગ્નોત્સવ વખતે પ્રસ્થાન થાય છે. તેમજ શ્રી બળદેવજીનો માંડવાનું સ્કંદપુરાણમાં બળદેવજીના માંડવાનો ઉલ્લેખ છે. ત્રેતાયુગમાં રેવત નામનો રાજા હતો તે રાજા બ્રહ્માજીના ઉપદેશથી પોતાની પુત્રી રેવતી બલદેવજીને આપી ગિરનાર ઉપર તપશ્ચર્યા કરવા ગયા હતા. તીર્થધામ માધવપુરમાં રેવતીકુંડ તથા બલદેવજીનો માંડવો અત્યારે પણ ગામની પૂર્વ બાજુએ સમુદ્રકિનારે પ્રત્યક્ષ છે. આ સ્થાન ચોબારી” તરીકે પ્રખ્યાત છે. રેવતી કુંડમાં સ્નાન કરવાથી દસ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે. બહારનાં યાત્રિક રેવતી કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ગ્રામ્ય પંથકના રૂટ બંધ થતાં મુસાફરો રઝળી પડ્યા:માધવપુર મેળામાં બસો ફાળવાતા એસ.ટી. બસના અનેક રૂટ બંધ થયા

પોરબંદરના માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનો પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રિય મેળામાં જવા માટે ગ્રામ્ય પંથકમાં એસ.ટી.બસની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે પોરબંદરના એસ.ટી.ડેપો દ્વારા પણ માધવપુર ખાતે એસ.ટી.બસની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે ડેપોમાંથી અમુક બસોની ફાળવણી કરવામાં આવતા ગ્રામ્ય પંથકના અનેક રૂટ બંધ થયા હતા જેથી અનેક મુસાફરો રઝળી પડ્યા હતા અને ખાનગી વાહનો સહારો લેવો પડ્યો હતો.જેથી મુસાફરોને રોષ જોવા મળ્યો હતો. માધવપુરમાં રાષ્ટ્રીય મેળાનો કેબિનેટમંત્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.ત્યારે આ રાષ્ટ્રીય મેળામાં જવા અને આવવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. પોરબંદરના એસ.ટી.ડેપો તેમજ અન્ય ડેપોની 30 થી વધુ બસો માધવપુરના મેળામાં ફાળવવામાં આવી હતી ત્યારે પોરબંદરના ડેપોમાંથી બસોની ફાળવણી કરવામાં આવતા પોરબંદરના ડેપોથી ઉપડતા રોજ ગ્રામ્ય પંથકમાં જતા અનેક રૂટ બંધ કરવામાં આવ્યા હતા. જેથી ગ્રામ્ય પંથકના મુસાફરોને ફરજિયાત ખાનગી વાહનોનો સહારો લેવાની ફરજ પડી હતી.જેથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર ફોલોઅપ:કર્લી જળાશયમાંથી જળકુંભી દૂર કરવા આખરે રૂ.59.20 લાખ મંજૂર

પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 59.20 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા અપાઈ છે. રતનપર અને છાંયા વિસ્તારમાં જળકુંભીનું પ્રમાણ વધતા પાણીની સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચતો ન હોવાથી જળચર જીવન પર અસર થઈ રહી છે. અસ્માવતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં આવતો આ ભાગ દ્રશ્યરૂપે પણ અસરગ્રસ્ત બન્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી ડિપોઝિટ વર્ક તરીકે હાથ ધરાશે. જળકુંભીને મેન્યુઅલી દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવશે અને ગુણવત્તા નિયંત્રણના નિયમોનું પાલન કરાશે. કામગીરી પૂર્ણ થયા બાદ જળપ્રવાહમાં સુધારો અને વિસ્તારની સ્વચ્છતા જળવાશે તેવું મનપાએ જણાવ્યું છે. ભાસ્કરે વખતોવખત અહેવાલ પ્રસિધ્ધ કરી મોહિમ ચલાવી હતી ઉલ્લેખનીય છેકે, કર્લી જળાશય સહિતના વિસ્તારમાં ગાંડીવેલ (જળકુંભી) ઊગી નીકળી છે અને આ ગાંડીવેલ દિવસે ને દિવસે વધતી હતી. હાલ જળાશયનું પાણી દેખાતું બંધ થયું છે. તંત્રની બેદરકારીના કારણે મીઠાપાણીની યોજના ફેઈલ થઈ છે. ગાંડી વેલના કારણે પાણીમાં રહેલ માછલી સહિતના જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે. આવા જળચર પ્રાણીઓ સામે ખતરો સર્જાયો છે. આ અંગે વખતો વખત અહેવાલ પ્રસિધ્ધ કરી ભાસ્કરે મોહિમ ચલાવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

રિનોવેશન:વંથલી પંથકના ઝાંપોદડ શાળાનું 25 લાખના ખર્ચે રિનોવેશન કરાયું

વંથલી તાલુકાના ઝાંપોદડ ગામની શેઠ બી. કે. મહેતા હાઈસ્કૂલ ખાતે રીનોવેશનનું કાર્ય પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પોતાની મૂળ શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ રીનોવેશન કાર્યની ખાસ વિશેષતા એ રહી કે, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો, ગામના અગ્રણીઓ તેમજ હાલના સ્ટાફના ઉદાર આર્થિક સહયોગ અને અથાગ મહેનતથી શાળાનું નવું ભવન આધુનિક સુવિધાઓ સાથે સજ્જ થયું છે. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'વક્રતુંડ મહાકાય' ગણેશ સ્તુતિ અને મા શારદાની 'સરસ્વતી વંદના' દ્વારા કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે ઝાંપોદડ ગામના સરપંચના પ્રતિનિધિ વસંતભાઈ પરમાર, ગોરધનભાઈ ઝાંઝરૂકિયા, મેહુલભાઈ જાની, વડારીયા તેમજ હાલના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ડૉ. સંજયભાઈ કોરિયાએ આ તકે જણાવ્યું હતું કે,આ નવું ભવન એ આપણા સૌના સહિયારા પુરુષાર્થનું પરિણામ છે. ભૂતપૂર્વ છાત્રો અને સ્ટાફનો પોતાની માતૃસંસ્થા પ્રત્યેનો આ લગાવ ખરેખર પ્રશંસનીય છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ભાસ્કર વિશેષ:હત્યા કેસમાં જેલ થઇ ત્યારે પુત્રીની ઉંમર શાળાએ‎જવાની હતી, છુટ્યો ત્યારે સાસરે વળાવવાની !‎

જૂનાગઢ ઓપન જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા હત્યા કેસના આરોપી અશોક સાંકરીયાને સારી વર્તુણકને લીધે 14 વર્ષે જ જેલમાંથી મુક્તિ મળી છે. 14 વર્ષ પહેલા તેઓ જેલમાં ગયા ત્યારે તેમની દીકરી વૈશાલીની ઉંમર શાળાએ મોકલવાની હતી અને હવે જ્યારે 28 માર્ચ 2026ના રોજ તેમને સારી વર્તણુંકના લીધે જેલમાંથી મુક્તિ મળી છે ત્યારે દીકરી સાસરે વળાવવા જેવડી મોટી થઇ ગઇ છે. પિતા જેલમાંથી મુક્ત થયા ત્યારે શનિવારે દિકરી પિતાને મળીને ભાવુક બની હતી. જિલ્લા જેલ અધિક્ષક નાસીરુદ્દીન લોહારે જણાવ્યું કે, જેલ તંત્રનો હેતુ કેદીને સુધારીને સમાજમાં જવાબદાર નાગરિક તરીકે પુનઃસ્થાપિત કરવાનો છે. 21ને સજા માફી જેલવડા ડો.કેએલએન રાવનાં પ્રયાસોથી દર વર્ષે સરકાર દ્વારા પાકા કામના કેદીની સારી વર્તુણકને કારણે સજા માફ કરી વહેલી જેલમાંથી મુક્તિ અપાવવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાતભરમાંથી કુલ 650થી વધુ કેદી અને જૂનાગઢ જિલ્લા જેલમાંથી 21 કેદીઓને સજા માફી મળી છે એમ જેલરે જણાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ગુજકેટની પરીક્ષાને લઈને તંત્ર સજ્જ:આજે ગુજરાતી-અંગ્રેજી માધ્યમના કુલ 3085 છાત્રો ગુજકેટ આપશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 29 માર્ચને રવિવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાંથી ગુજરાતી-અંગ્રેજી માધ્યમના મળી કુલ 3085 વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે, તાજેતરમાં જ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા પૂર્ણ થઇ છે. હવે તારીખ 28 માર્ચને રવિવારના રોજ જિલ્લામાં 156 બ્લોક, 13 બિલ્ડીંગમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છેે. પરીક્ષાને લઇ તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને તમામ બ્લોક સીસીટીવીથી સજ્જ કર્યા છે. ગરમીને કારણે કોઇપણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા સાથે ઓરઆરએસ, ગ્લુકોઝની તૈયારી સાથે આરોગ્યની ટીમ પણ તૈનાત રહેશે. પરીક્ષાની વિશેષ તકેદારીના ભાગરૂપે ઝોનલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ અધિકારીઓ પ્રશ્નપત્રો અને ઓએમઆર શીટના ગોપનીય પરિવહનથી લઇ પરીક્ષા પુર્ણ થયા સુધીની સંપૂર્ણ દેખરેખ રાખશે. આમ, જિલ્લામાં રવિવારના રોજ મેડિકલ, એગ્રીકલ્ચર, ઇજનેર સહિતનામાં એડમીશન લેવા માટે 3085 છાત્રો ગુજકેટની પરીક્ષા આપનાર છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

જૂનાગઢના પ્રોફેસરનું રિસર્ચ:ભારતીય શેરબજારમાં સ્થિરતા માટે વિદેશી નહીં, સ્થાનિક રોકાણકારો મહત્વના

જૂનાગઢ સ્થિત નોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનમાં ખુલાસો થયો છે કે, ભારતીય શેરબજારમાં અસ્થિરતા દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારો બજારને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો મુખ્યત્વે બજારના ટ્રેન્ડને અનુસરે છે. ડૉ. જય તલાટી અને ડૉ. રિદ્ધિ સંઘવી દ્વારા તૈયાર કરાયેલું સંશોધન પેપર સંવાદ ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે આયોજિત 2026 આંતરરાષ્ટ્રીય પરિષદમાં બેસ્ટ પેપર એવોર્ડથી સન્માનિત થયું છે. આ સંશોધન 2020થી 2025 દરમિયાનના 1,488 દૈનિક આંકડાના વિશ્લેષણ પર આધારિત છે. અભ્યાસ મુજબ, ગ્લોબલ વોલેટિલિટી ઈન્ડેક્સ બજાર પર નકારાત્મક અસર કરે છે, જ્યારે ભારતીય બજાર હવે વધુ સ્થાનિક રોકાણ પર આધારિત બનતું જઈ રહ્યું છે. ખાસ નોંધનીય છે કે, 2020ના માર્કેટ ક્રેશ દરમિયાન વિદેશી રોકાણકારોએ મોટા પાયે મૂડી બહાર ખેંચી હતી, ત્યારે સ્થાનિક સંસ્થાઓએ ખરીદી વધારીને બજારને સંતુલિત રાખ્યું હતું. આ અભ્યાસ પોલિસી નિર્માતાઓ અને રોકાણકારો માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે. આ રહ્યા સંશોધનના મુખ્ય નિષ્કર્ષ

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ચોરીનો ભેદ ઉકેલાયો:કાઝીવાડા ચોરી કેસમાં ઉપરકોટ પાસે રહેતી મહિલાની ધરપકડ

શહેરના કાઝીવાડા વિસ્તારમાં રહેતા પરિવારના બંધ મકાનમાંથી ગયા સોમવારે ધોળા દિવસે રૂપિયા 5.50 લાખની ચોરી થઈ હતી. અંતે પોલીસે ભેદ ઉકેલી ઉપરકોટ પાસે રહેતી શાતિર મહિલાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. કાઝીવાડામાં આવેલ નવકાર એપાર્ટમેન્ટના 402 નંબરના બ્લોકમાં રહેતા મુસ્તુફા નજીરભાઈ કાઝી ગઈ તા. 22 માર્ચના રોજ બપોરે 1:30 વાગ્યે મકાનને તાળા લગાવી પરિવાર સાથે આવેલ ફાર્મ હાઉસમાં ફરવા ગયા હતા અને રાત્રિના 8:15 વાગ્યા સુધી બંધ રહેલા મકાનના કબાટમાંથી રૂપિયા 1.50 લાખની રોકડ રકમ અને 4 લાખના સોનાના દાગીના મળી કુલ રૂપિયા 5.50 લાખની ચોરી થઈ હતી. ઘટનાના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઇ એસ. કે. દેસાઈની ટીમના પીએસઆઇ વાય. એન. સોલંકીએ તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા ઉપરકોટ રોડ, ગેબનશાહ પીરની દરગાહ પાસે સૈયદવાડામાં રહેતી 42 વર્ષીય તબસુમફાતિમા ઝહિર અબ્બાસ બુખારીની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. આથી પીએસઆઇ સોલંકીએ નોટિસ આપી મહિલાને પોલીસ સ્ટેશન પર બોલાવી સતત 4 દિવસ પૂછપરછ હાથ ધરતા અંતે મહિલાએ મુસ્તુફા કાઝીના મકાનમાંથી ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે મહિલા પાસેથી સોનાના 8 તોલા દાગીના અને રૂપિયા 75,000 ની રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ મહિલા પાસેથી 300 જેટલી ચાવી અને 8 તાળા પણ મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. પૂછપરછમાં કામકાજના બહાને પરિચય કેળવી, હાથફેરો કરતી હોવાનું જણાવ્યું હતું. 8 તોલા દાગીના, 75,000ની રોકડ કબજે રીઢા તસ્કરની માફક પોલીસને હંફાવનાર મહિલાની સતત 4 દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. મહિલા કાઝીવાડાના બંધ મકાનમાંથી માત્ર રૂપિયા 75,000ની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે મહિલા પાસેથી 75 હજારની રોકડ અને સોનાના 8 તોલા દાગીના જપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

પ્રમુખ પદના અનામતોનું રોટેશન જાહેર:જામનગર જિ. પંચાયતના પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામત

જામનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં આગામી સામાન્ય ચુંટણીમાં અગાઉ તમામ બેઠકોના અનામત રોટેશન જાહેર થયા હતા. જે બાદ હવે પ્રમુખ પદના બાકી રહેતા અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય વર્ગ મહિલા અનામત જાહેર કરવામાં આવ્યું છે. આ જ રીતે તાલુકા પંચાયતોમાં પણ પ્રમુખ પદના અનામતોનું રોટેશન જાહેર કરાયું છે. જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પ્રમુખો માટેના જાહેર થયેલા અનામત રોટેશન મુજબ જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઓબીસી-પુરુષ જાહેર થયા છે. જ્યારે જામનગર તાલુકાની કુલ 26 બેઠકોમાં 3 અનુ, 1 અનુ.જનજાતિ, 7 ઓબીસી, 15 બેઠકો સામાન્ય મળીને કુલ 26 બેઠકો છે. જોડીયા તાલુકા પંચાયતમાં સામાન્ય મહિલા પ્રમુખ જાહેર થયા છે, તાલુકાની કુલ 16માંથી અનુ.જાતિ અને અનુ.જનજાતિની 1-1, ઓબીસી-4 અને જનરલ 10 બેઠકો છે. લાલપુર તાલુકા પંચાયતમાં સામાન્ય પુરુષ પ્રમુખ જાહેર કરાયા છે, લાલપુર તાલુકાની 18 બેઠકોમાં અનુ.જાતિની 2, અનુ.જનજાતિની 1, ઓબીસી-5, સામાન્ય 10 બેઠકો છે, અને પ્રમુખ પદ માટે સામાન્ય પુરૂષ જાહેર કરાયા છે. કાલાવડ તાલુકાની કુલ 18 બેઠકોમાં 2 અ.જા., અનુ.જનજાતિની 1, ઓબીસીની 5 અને સામાન્ય 10 બેઠકો છે. જેમાં પ્રમુખ તરીકે મહિલા અનુસુચિત જાતિ તરીકે જાહેર કરાયા છે. જામજોધપુર તાલુકાની કુલ 18 બેઠકોમાં અનુ.જાતિની 2, અનુ. જનજાતિની 1, ઓબીસીની 5 અને સામાન્ય 10 બેઠકો જાહેર કરાઈ છે, અને પ્રમુખ પદ માટે ઓબીસી મહિલા જાહેર કરાઈ છે. ધ્રોલ તાલુકાની કુલ 16 બેઠકોમાં અનુ.જાતિની 1, અનુ.જનજાતિની 1 તેમજ ઓબીસીની 4 અને સામાનય 10 બેઠકો જાહેર કરાઈ હતી. જેમાં પ્રમુખ પદ માટે સામાન્ય પુરૂષ જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ડિજિટલ કરન્સીના નામે રિયલ લૂંટ:યુવાન પાસેથી ડોલર આપવાના બહાને રૂા. 44.50 લાખનું ચીટીંગ

જામનગર શહેરમાં ખાનગી બેંકના ડે.મેનેજર સસ્તામાં ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરવા જતાં વેપારીનું નાટક કરતો શખસ રૂ.44.50 લાખ રોકડ કારમાં લઈને નાશી છુટતા ચકચાર મચી જવા પામી છે. ફોનમાં યુ.એસ.ડી.ટી.થી ક્રીપ્ટો કરન્સી ટ્રાન્સફર કરવાનું કહીને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તપાસમાં તેને નામ પણ ખોટુ ધારણ કર્યુ હોવાનું અને વેપારી પણ ન હોવાનું સામે આવતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. જામનગર શહેરના પટેલ કોલોની શેરીનં-9માં રહેતા અને ખાનગી બેંકમાં ડે.મેનેજર તરીકે ફરજ બજાવતા તેજસભાઈ પ્રવીણભાઈ પટેલ (ઉ.વ.40) નામના સોની યુવક બેંકમાં ગોલ્ડ લોન કરાવતા હતા. જેથી અવાર-નવાર નવાજ સુમરીયા નામનો યુવક અવાર-નવાર ગોલ્ડ લોન કરાવવા આવતો હોવાથી મિત્રતા થઈ ગઈ હતી. તેમના પિતા દુબઈ હોવાથી તેમની સાથે મેનેજર તેજશભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા સહિતની વાતો કરી હતી. જેથી વસીમ ગત તા.2 ફેબ્રુઆરીના રોજ બેંકે આવ્યો હતો અને તેમનો એક ઓળખીતો વસીમ મકવાણાના એક ઓળખીતા એક ભાઈ યુ.એસ.ડી.ટી.(ક્રીપ્ટ ો કરંન્સી) માર્કેટ રેટ કરતા સસ્તામાં આપે છે. તમારે તેમાં રોકાણ કરવું હોય તો હુ આગળ વાત કરૂ. જેથી બેંક મેનેજરે તપાસ કરવાની વાત કરી હતી અને તેમના શેઠ તુષારભાઈ શાહ (વાણીયા) કે, તેઓ બ્રાસના કન્ટેનર એક્સપોર્ટ કરે છે જે અંગેની ઓળખ આપી હતી. તેમને રૂપિયાની જરૂરિયાત હોવાથી રૂ.95ના ક્રીપ્ટો માત્ર રૂ.89માં આપવાની લાલચ આપી હતી. રૂ.89નો ભાવ ગણી 50 હજાર યુએસડીટીના રૂ।.44 લાખ 50 હજાર થતા હતા. તે લેવાનું નક્કી થયા બાદ ગઈ તા.8 ફેબ્રુઆરીની બપોરે તેજસભાઈએ ખંભાળિયા બાયપાસ નજીક મળવા માટે નક્કી થયેલા સ્થળે તુષાર શાહ (ખોટુ નામ) બે-ત્રણ વખત ભેગા થયા. તેમ છતાં ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર થયા ન હતા. જે બાદ ફરી લાલપુર બાયપાસ નજીક ભેગા થયા હતા. જ્યાં બેંકના ડે.મેનેજર તેજસભાઈ તેમના મિત્રો સાથે ગયા હતા અને તુષાર શાહ (ખોટુ નામ)એ આવ્યા હતા અને કારમાં બેઠા પછી મિત્રને રૂપિયા વિડીયો કોલમાં બતાવ્યા હતા. જે બાદ મારી કારમાં જ તેમને બતાવવા જોશે, ત્યારે જ વિશ્વાસ આવશે તેમ કહીને રૂ.44.50 લાખનો બેગ પોતાની કારમાં લઈ ગયો હતો અને તે કાર લઈને નાશી છુટ્યો હતો. તેનો પીછો કરતા તે મળી આવ્યો ન હતો. તેમને ફોન કરતા જણાવ્યું હતું કે, તમે પોલીસને સાથે લઈને આવ્યા હતા. જેથી હું નિકળી ગયો અને હું તમને ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરું છું તેમ કહીને મોબાઈલ બંધ કરી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

વ્યવસ્થા:જામનગર એરપોર્ટ પર આજથી ફલાયબ્રેરી-અવસરનો સુવિધા

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટેની બે નવી સુવિધાઓ કે જેમાં ફલાયબ્રેરી અને અવસર( એરપોર્ટ એઝ વેન્યુ ફોર સ્કીલ્ડ આર્ટીસન્સ ઓફ ધી રીઝન)નો આજે રવિવારે 29મી માર્ચના રોજ પ્રારંભ કરવામાં આવશે. જામનગર અરપોર્ટ પર નવીનત્તમ બંને સુવિધાઓનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુજી દ્વારા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરના વિવિધ એરપોર્ટ પર ઉડાન યાત્રી કેફે, મુસાફરો માટેની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા કાર્યોના રાષ્ટ્રીય સ્તરના ઉદ્ઘાટન કાર્યક્રમના ભાગરૂપે યોજાશે. ફલાયબ્રેરી પહેલ અંતર્ગત મુસાફરો ફ્લાઇટની રાહ જોતા સમયે પુસ્તકો વાંચી શકે છે, પ્રવાસ દરમિયાન વાંચવા માટે પુસ્તક લઈ જઈ શકે છે અથવા અન્ય મુસાફરો માટે પોતાનું પુસ્તક અહીં મૂકીને જઈ શકે છે. આ પહેલ મુસાફરોમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. જયારે અવસર કાઉન્ટર પર જામનગરના સ્થાનિક કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનો જેમ કે બાંધણી કાપડ અને અન્ય હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપતી અને તેમને બજાર ઉપલબ્ધ કરાવતી છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

વરણી:જામનગર જિ. પ્રભારી સચિવ તરીકે આરતી કંવરની નિમણૂંક

જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે નિમણુંક કરવામાં આવેલી આરતી કંવરને હવે જિલ્લાના પ્રભારી સિચવ તરીકે પણ જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગે જુદા જુદા આદેશો કરીને વિકાસકાર્યો, સરકારી યોજનાઓ મોનીટરીંગ માટે 21 આઈએએસ અધિકારીઓને જુદા જુદા જિલ્લાના પ્રભારી સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોમાં હાલારના બન્ને જિલ્લાઓ માટે પણ પ્રભારી સચિવ નિમાયા છે, જેમાં જામનગર જિલ્લા માટે આરતી કંવર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે ધવલ કુમાર પટેલને મુકવામાં આવ્યા છે. હવે આ પ્રભારી સચિવો જિલ્લાના સરકારી તંત્રો તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન કરીને વિવિધ સરકારી યોજનાઓ તથા વિકાસકાર્યો માટે કામ કરશે. તેઓ સમયાંતરે સમીક્ષા બેઠકો યોજશે અને સતત મોનીટરીંગ પણ કરશે. જ્યારે જામનગરમાં પ્રભારી સચિવ તરીકે મુકાયેલા વિજયકુમાર ખરાડીને દાહોદ જિલ્લામાં મુકવામાં આવ્યા છે. તો અન્ય જિલ્લાઓમાં પણ 21 આઈએએસ અધિકારીઓની પ્રભારી સચિવ તરીકે નિમણુંક કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

પ્રાથમિક મતદાર યાદીની વાંધા સુનાવણી પૂર્ણ‎:ચૂંટણી તંત્રે 7 વાંધાની સુનાવણીને અંતે 4 વાંધા મંજૂર અને 3 રદ કર્યા

​હિંમતનગર પાલિકા ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદી જાહેર કરી ચૂંટણી તંત્ર દ્વારા વાંધા સૂચનો મંગાવાયા બાદ ભાજપ કોંગ્રેસના કાર્યકરોએ રજૂ કરેલ 7 વાંધાની સુનાવણીને અંતે 4 વાંધા મંજૂર રાખી 3 વાંધા રદ કરાયા હતા. ચૂંટણી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દરેક વોર્ડમાં મતદારોની સંખ્યા મામલે સમાનતા જાળવી રાખવા રજૂ થયેલા વાંધા મામલે તંત્ર ગોટે ચડી ગયું હતું અને શુક્રવારે નિર્ણય ન લેવાયા બાદ કાયદા નિષ્ણાંતોના અભિપ્રાય બાદ શનિવારે બંને વાંધા રદ કરાયા હતા. આ ઉપરાંત વોર્ડ નં-4 માં આવતાં જૂની માય ઓન હાઈસ્કૂલ વિસ્તારના 600 ઉપરાંત મતદારોને વોર્ડ નં-3 માં ઉમેરવા ભૌગોલિક સ્થિતિનું કારણ દર્શાવી થયેલ સૂચન બાદ વોર્ડ નં-3 માં મતદાર સંખ્યા અસંતુલિત થઈ જતી હોવાથી આ વાંધો પણ રદ કરાયો હતો. ​પન્નાપાર્ક અંદર ગલીમાં આવેલ જલારામ જ્યોત સોસાયટીના 64 મતદારોને વોર્ડ નંબર-8 માં પણ બતાવ્યા હતા તેમને તેમના મૂળ વોર્ડ નં-9 માં જાળવી રાખવાનું ગ્રાહ્ય રખાયું હતું. તેવી જ રીતે કૈલાપાર્ક વિસ્તારના 160 મતદારો વોર્ડ નં-2 અને વોર્ડ નં-9 બંનેમાં બતાવ્યા હતા. તેમને વોર્ડ નં-9 માં મૂળ જગ્યાએ રાખવાનું માન્ય રખાયું હતું. આ ઉપરાંત બળેલી મિલ વિસ્તારના 216 મતદારોને આખરી સીમાંકનના હુકમ મુજબ વોર્ડ નં-6 થી દૂર કરી વોર્ડ નં-4 માં યથાવત રાખવાનું અને રોનક સ્ટ્રીટના 100 જેટલા મતદારો જે પહેલાથી જ વોર્ડ નં-3 માં સમાવિષ્ટ છે તેમને વોર્ડ નં-2 માં દર્શાવતા રજૂ થયેલ વાંધો માન્ય રાખી રોનક સ્ટ્રીટને પણ વોર્ડ નં-3 માં મૂકવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 29 Mar 2026 4:00 am

ગાંધીનગરના ચકચારી ઋષભ પટેલ આપઘાત કેસ:વોન્ટેડ આરોપી કલ્પેશ પટેલ પોલીસ સંકજામાં આવ્યો, ફરાર મનીષ અને ક્રિષાલની શોધખોળ ચાલુ

ગાંધીનગર સુઘડના યુવાન બિલ્ડર ઋષભ પટેલના ચકચારી આત્મહત્યા કેસમાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલા મુખ્ય આરોપીઓ પૈકીના એક એવા કલ્પેશ ઉર્ફે તલાટી અંબાલાલ પટેલને ઇન્ફોસિટી પોલીસે ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી ફરાર આ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા હવે આ સમગ્ર પ્રકરણના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. જાન્યુઆરીમાં ઋષભ પટેલે આપઘાત કર્યો હતોઉલ્લેખનીય છે કે, ગાંધીનગર નજીક સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલે ગત જાન્યુઆરીમાં માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે મરનારના પરિવારે કરેલી ફરિયાદના આધારે પોલીસે કોબાની નેસ્ટ રેસીડેન્સીના કલ્પેશ તલાટી, નાના ચિલોડાના મનીષ ઉર્ફે સ્પ્લેન્ડર, ક્રિષાલ ઉર્ફે વિક્રમ પટેલ અને પાન પાર્લર ચલાવતા મહિપાલસિંહ વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાના ગુના હેઠળ તપાસ શરૂ કરી હતી. કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયોઆ અગાઉ પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરી લીધી હતી, પરંતુ અન્ય ત્રણ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી હતી કે, ધરપકડથી બચવા માટે કલ્પેશ તલાટી સહિતના આરોપીઓ નેપાળમાં છુપાયા હોવાની પ્રબળ શંકા હતી. પોલીસની સતત વધતી જતી ભીંસ અને સર્વેલન્સને કારણે આખરે કલ્પેશ તલાટી ઇન્ફોસિટી પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરીહાલ પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે કલ્પેશની પૂછપરછમાં ઋષભ પટેલને આત્મહત્યા સુધી દોરી જનારા ચોક્કસ કારણો અને અન્ય ફરાર આરોપીઓ મનીષ અને ક્રિષાલના ઠેકાણા વિશે મહત્વની કડીઓ મળી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:16 pm

મસીતીયામાં ઘોડા રેસમાં 'જલાલી 1616' વિજેતા:હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે પરંપરાગત આયોજન, ઊંટ ગાડીની રેસમાં અશરફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે

જામનગર તાલુકાના કોમી એકતાના પ્રતીક સમા મસીતીયા ગામે હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબાના ઉર્ષ નિમિત્તે શનિવારે પરંપરાગત ઘોડા રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેસમાં સૌરાષ્ટ્રભરના 30થી વધુ જાતવંત ઘોડા અને ઘોડાસવારોએ ભાગ લીધો હતો. આ વર્ષની ઘોડા રેસમાં હાજી અયુબભાઈ ખફીનો 'જલાલી 1616' નામનો ઘોડો પ્રથમ ક્રમે વિજેતા બન્યો હતો. ઊંટ ગાડીની રેસમાં અશરફ અલ્તાફ ખફીનો ઊંટ પ્રથમ ક્રમે આવ્યો હતો. મસીતીયા ગામની આ પરંપરાગત ઘોડા રેસમાં વિજેતા થનાર ઘોડાસવારને રોકડ રકમ કે અન્ય કોઈ પુરસ્કારને બદલે પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવે છે. આ મોભાદાર પાઘડી મેળવવા દર વર્ષે મોટી સંખ્યામાં જાતવંત ઘોડા સાથે ઘોડાસવારો ઉત્સાહભેર જોડાય છે. રેસ બાદ મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી દ્વારા વિજેતાઓને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પંચકોષી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ બે દિવસીય ઉર્ષ નિમિત્તે રાત્રે કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ અને આમનિયાઝનું પણ આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને હિન્દુ સમાજના લોકો આ ઉર્ષ પ્રસંગે મસીતીયા ગામની મુલાકાત લઈને કોમી એકતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. હઝરત પીર કમરૂદ્દીનશાહ બાબા ઉર્ષ કમિટીના યુવાનોએ આયોજનમાં જહેમત ઉઠાવી હતી. મસીતીયા ગામના સરપંચ કારાભાઈ ખફી, હાજી કાસમભાઈ ખફી, પૂર્વ સરપંચ ગફારભાઈ ખફી, અલતાફભાઈ ખફી, જાવિદ કાસમભાઈ ખફી અને આરીફ પઠાણી સહિતના આગેવાનોએ આ પરંપરાગત ઘોડા રેસને સફળ બનાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:13 pm

IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ:4 કોર્સના 629 વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરાઈ, 5 વિદ્યાર્થી અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત

IIM અમદાવાદનો 61મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. ગ્રેમી-એવોર્ડ વિજેતા સંગીતકાર, બિઝનેસ લીડર, હ્યુમનિટેરિયન ચંદ્રિકા ટંડન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ચંદ્રિકા ટંડન દ્વારા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાય સંદેશો પણ આપ્યો હતો. 61મા પદવીદાન સમારંભમાં અલગ-અલગ કોર્સના કુલ 629 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તેમજ 5 જેટલા વિદ્યાર્થીઓને તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા61મા પદવીદાન સમારંભમાં ચાર કાર્યક્રમના 629 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં ડોક્ટરલ મેનેજમેન્ટ પ્રોગ્રામના 20 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 408 વિદ્યાર્થીઓ, બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન ફૂડ એન્ડ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટના 45 વિદ્યાર્થીઓ અને એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટના 156 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના પરિવારના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. એમબીએ-પીજીપીના વિરાજ મોદી, અક્ષિત મિત્તલ અને દેવવ્રત વાગલે, એમબીએ-એફએબીએમના જાગૃતિ ગોયલ, અને એમબીએ-પીજીપીએક્સના હર્ષ મોદીને મુખ્ય મહેમાન દ્વારા તેમની અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સુવર્ણ ચંદ્રકોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, સફળતાઓ ગલીઓમાં થતી નથી’ગ્રેમી-પુરસ્કાર વિજેતા સંગીતકાર ચંદ્રિકા ટંડને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સંકલિત બુદ્ધિમત્તા માટેના ચાર માર્ગદર્શક મંત્રો અપનાવવા જોઈએ. આંતરસૂઝ, હેતુ, આંતરિક સ્થિરતા અને પ્રભાવ. વિદ્યાર્થીઓએ બહાર નીકળવાની જરૂર છે, પછી ભલે તે ગમે તે હોય. વ્યૂહાત્મક રીતે શોધખોળ કરો. વિવેચનાત્મક રીતે વિચારો. એક જ માર્ગ પર અટવાઈ જશો નહીં, કારણ કે સફળતાઓ ગલીઓમાં થતી નથી. તમારાથી દૂર રહેલી દુનિયા વિશે સતત જાણો, પરંતુ તમારે આકસ્મિક જીવનથી ઇરાદાપૂર્વકના જીવનમાં આગળ વધવું જોઈએ. ધ્યેય ગમે તેટલો પડકારજનક હોય, સ્પષ્ટતા અને પ્રતિબદ્ધતા સાથે યોગ્ય રીતે અમલમાં મૂકવા માટે ઇરાદાની જરૂર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ઇન્ટિગ્રેટિવ ઇન્ટેલિજન્સ-સંકલિત બુદ્ધિમત્તા એટલે સંપૂર્ણ માનવ બનવું. તે સાચું નેતૃત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:13 pm

અમદાવાદમાં બે અકસ્માતમાં બેના મોત:ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોત, વિકટોરીયા ગાર્ડ પાસે રોડ ક્રોસ કરતા યુવકે અજાણ્યા વાહને અડફેટે લેતા જીવ ગુમાવ્યો

અમદાવાદ શહેરમાં બે અલગ અલગ રોડ અકસ્માતમાં બે યુવકના મોત થયા છે. દાણીલીમડાના વેપારી ટુવ્હીલર લઈને પીરાણા ડમ્પ સાઈટ પર જતા હતા, ત્યારે ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું મોત થયું છે. જ્યારે વિકટોરીયા ગાર્ડન પાસેથી રોડ ક્રોસ કરતા યુવકનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત નિપજ્યું હતું. બન્ને અકસ્માત અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડમ્પરની ટક્કરથી ટુવ્હીલર ચાલકનું મોતદાણીલીમડાના ઠાકોરવાસમાં 45 વર્ષીય માજીદભાઈ રંગરેજ પરીવાર સાથે રહે છે. 27 તારીખે સવારના સમયે તેઓ પોતાનું ટુવ્હીલર લઈને અજમેરી ફાર્મની સામે આવેલી પીરાણા ડમ્પ સાઈટની અંદર જઈ રહ્યા હતા. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા એક ડમ્પર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેથી હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાઈ પડેલા માજીદભાઈને માથા, મોઢા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહને અડફેટે લેતા યુવકે જીવ ગુમાવ્યોઅન્ય બનાવમાં ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સિવિલ હોસ્પિટલ તરફથી વર્ધી મળી હતી કે, વિકટોરીયા ગાર્ડન પાસે એક અકસ્માત થયો છે. જેથી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, 40 વર્ષીય કલ્પેશ પવાર (રહે.વિકટોરીયા ગાર્ડન) 24 તારીખે રાત્રિના સમયે વિકટોરીયા ગાર્ડ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે સમયે ઓવરસ્પીડમાં આવેલા અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:07 pm

વલસાડ ધારાસભ્ય ભરત પટેલના જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ:નાણાં મંત્રી કનુ દેસાઈની વિશેષ ઉપસ્થિતિ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ

વલસાડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ભરત પટેલ દ્વારા તેમના મત વિસ્તારના લોકોના પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે નવનિર્મિત જન સંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ અને લોકસભાના દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યાલય કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું સેવા કેન્દ્ર બનશે. લોકાર્પણ વિધિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર જ લોકોની સેવા કરવાના છે. દરેક ધારાસભ્ય માટે જન સંપર્ક કાર્યાલય હોવું અનિવાર્ય છે, જેથી લોકો પોતાની સમસ્યાઓ સીધી રીતે રજૂ કરી શકે. લોકસભાના દંડક ધવલ પટેલે આ કાર્યાલયને કાર્યકરો માટે 'મંદિર' ગણાવ્યું હતું, જ્યાંથી જનતાના હિતની નીતિઓ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર થશે. ધારાસભ્ય ભરત પટેલે કાર્યાલયની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કાર્યાલય અગાઉ પણ કાર્યરત હતું, પરંતુ હવે તેને વધુ આધુનિક બનાવવામાં આવ્યું છે. અહીં બે ઓપરેટરોની નિમણૂક કરવામાં આવી છે અને કોમ્પ્યુટર તથા ટેકનોલોજીની મદદથી સરકારી યોજનાઓનું માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પણ આ કાર્યાલય કેન્દ્રસ્થાન બનશે. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અરવિંદ પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ લોકોએ ધારાસભ્ય ભરત પટેલને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:06 pm

દ્વારકામાં દ્વારકાધીશ-રુક્મણીના વિવાહ પ્રસંગે રાજ સવારી નીકળી:હજારો ભક્તો ઉમટ્યા, શહેર જયઘોષથી ગુંજી ઉઠ્યું

યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ અને માતા રુક્મણીજીના વિવાહ પ્રસંગે રાજ સવારી યોજાઈ હતી. આ પરંપરાગત વરઘોડો દ્વારકાધીશ જગત મંદિરથી વિધિવત રીતે નીકળ્યો હતો. આ વરઘોડામાં રુક્મણી માતાજી મંદિરના પૂજારી પરિવાર અને દ્વારકાના સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. હજારો કૃષ્ણ ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો, જેના કારણે સમગ્ર દ્વારકા શહેર ભગવાનના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. વર્ષો જૂની પરંપરા અનુસાર, આ વિવાહ ઉત્સવ દર વર્ષે રુક્મણી મંદિરના પૂજારી પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દ્વારકાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:06 pm

બોટાદમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ:લોયાધામ દ્વારા ધામધૂમથી ઉજવણી, હરિભક્તો ઉમટ્યા

બોટાદ ખાતે ભગવાન સ્વામિનારાયણનો 245મો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ભવ્ય ઉત્સવનું આયોજન સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પટેલ સમાજની વાડી, ગોવિંદ પાર્ક સોસાયટી, પાળીયાદ રોડ, બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી આ ઉત્સવ યોજાયો હતો.આ પ્રસંગે સ્વામિનારાયણ મહામંત્ર યજ્ઞ, ચોકલેટ અન્નકૂટ, ધૂન-ભજન-કીર્તન અને રાસોત્સવ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરજુવલ્લભ સ્વામી દ્વારા સુંદર શૈલીમાં કથા વાર્તાનું આયોજન થયું હતું, જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ સત્સંગ સભામાં લાભ લીધો હતો.લોયાધામથી પધારેલા સંતોએ આ કાર્યક્રમ બદલ રાજીપો વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી. અંતે, બોટાદના હરિભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:05 pm

જામનગરમાં 28 ગામોમાં જળ સંચય કાર્ય શરૂ:ઠેબા ગામમાં તળાવ ઊંડા ઉતારવાનું કામ 28 માર્ચે શરૂ થયું

જામનગર જિલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવો ઊંડા ઉતારી જળ સંચય કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલના ભાગરૂપે, 28 માર્ચના રોજ ઠેબા ગામમાં કામનો પ્રારંભ થયો હતો. જૈન સંગઠન ફાઉન્ડેશન જામનગરના સંયોજકો શરદ શેઠ, નવીન કોઠારી, રક્ષિત શેઠ, કેતન મહેતા, જયેશ મહેતા તેમજ રોટરી ક્લબ જામનગરના પ્રમુખ હિતેશ ચાંદરિયા, સેક્રેટરી નિહાર માલદે અને સભ્યો મિલન શાહ, ડો. રૂપેન દોઢીયા, જીતેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઠેબાના સરપંચ હાર્દિક મુંગરા અને ગ્રામજનોની હાજરીમાં નવકાર મંત્રના પઠન બાદ માટી-કાંપ દૂર કરવાના કાર્યનો શુભારંભ કરાયો હતો. ઠેબાના તળાવમાં સવા કરોડ લિટરથી વધુ વરસાદી જળનો સંગ્રહ થશે. આનાથી ગામના અનેક ખેડૂતો, પશુ-પક્ષીઓ અને ઢોર-ઢાંખરને લાભ મળશે. જામનગર જિલ્લામાં જૈન સંગઠન ફાઉન્ડેશન અને રોટરી ક્લબ જામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વ-ભંડોળથી ડબાસંગ, આરીખાણા, બાલાચડી, નેસડા, મચ્છુ-બેરાજા, સડોદરમાં ફૂલનાથ મહાદેવ મંદિર અને રાવલસર જેવા અનેક ગામોમાં જળ સંચયના કાર્યો હાલ ચાલી રહ્યા છે. બંને સંસ્થાઓ દ્વારા આ ભગીરથ કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. વરસાદી પાણીને વહી જતું અટકાવવું અત્યંત જરૂરી છે. લોકો પોતાના ઘર કે ફેક્ટરીની છત પર પડતા વરસાદી પાણીનો સંગ્રહ કરે તો જળસ્તર ઊંચું આવે અને પાણીની ગુણવત્તા પણ સુધરે. જળ સંચયના કાર્યમાં માર્ગદર્શન માટે સંસ્થાનો સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 10:04 pm

વલસાડને મળી ‘મિની અટલ બ્રિજ’ની ભેટ:ઉમરસાડીમાં ₹12 કરોડના ખર્ચે નવનિર્મિત વોક-વેનું લોકાર્પણ, પેડેસ્ટ્રિયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો

વલસાડ જિલ્લાના પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ખાતે નવનિર્મિત પેડેસ્ટ્રીયન બ્રિજ (વોક-વે) ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ બ્રિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સ્થિત અટલ બ્રિજ જેવી જ અનુભૂતિ કરાવતો હોવાથી પ્રવાસીઓમાં તે 'મિની અટલ બ્રિજ' તરીકે લોકપ્રિય બન્યો છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓલંબાઈ અને પહોળાઈ: આ પેડેસ્ટ્રીયન બ્રિજ 126 મીટર લાંબો અને 5.50 મીટર પહોળો છે. કનેક્ટિવિટી: ઉમરસાડી દેસાઈવાડથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે વચ્ચે આવતી ખાડી ઓળંગવા આ વોક-વે આશીર્વાદરૂપ સાબિત થશે. ખર્ચ: બ્રિજ અને રસ્તાના વાઈડનિંગ પાછળ કુલ 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રવાસન સર્કિટનો વિકાસ લોકાર્પણ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વલસાડ જિલ્લામાં એક મજબૂત પ્રવાસન સર્કિટ વિકસાવવા માટે કટિબદ્ધ છે. આ સર્કિટમાં વિલ્સન હિલ, કપરાડા, પારનેરા અને નારગોલ બીચ જેવા પ્રવાસન સ્થળોને સાંકળવામાં આવશે. ઉમરસાડી પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ પૂર્ણ થયો છે અને આગામી સમયમાં ફેઝ-2 અંતર્ગત અહીં પાર્કિંગ, ફૂડ સ્ટોલ્સ અને બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. રોજગારીની નવી તકોપ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સ્થાનિક સ્તરે ખાણી-પીણી અને અન્ય વ્યવસાયો દ્વારા રોજગારીની નવી તકો ઊભી થશે. ઉલ્લેખનીય છે કે, લોકાર્પણ પહેલા જ આ વોક-વે સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં ઉમટી પડ્યા હતા. આધુનિક સુવિધાઓથી સજ્જ બીચપ્રવાસીઓની સુવિધા માટે સ્થાનિક સાંસદના ફંડમાંથી 25 બાંકડા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, રાત્રિના સમયે પણ સહેલાણીઓ દરિયા કિનારાની મુલાકાત લઈ શકે તે માટે હાઈમાસ્ટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. કલેક્ટર ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ ઉમરસાડી બીચને તીથલ બીચની જેમ આધુનિક રીતે ડેવલપ કરવાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:59 pm

રાધનપુરમાં 4 કરોડના ખર્ચે આહીર શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ:વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું- શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે

રાધનપુરમાં શ્રી વઢીયાર આહીર કેળવણી મંડળ દ્વારા આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરચાવડા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વઢીયાર, ચોરાડ અને વાગડ આહીર સમાજ દ્વારા શિક્ષણના વ્યાપને વિસ્તૃત કરવાના ઉદ્દેશ્યથી આ સંકુલનું નિર્માણ દાતાઓના સહયોગથી કરાયું છે. આ સંકુલ સમાજના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણના નવા દ્વાર ખોલશે. લોકાર્પણ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ 51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ 31 લાખ રૂપિયાનું દાન આપી સંસ્થાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે. આ સંકુલ દ્વારા અનેક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની નવી તકો પ્રાપ્ત થશે. તેમણે મંડળના આ પ્રયાસને સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમ છાંગાએ કહ્યું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસ માટેનું શક્તિશાળી સાધન છે. આ સંકુલ વિદ્યાર્થીઓને નવી દિશા અને પ્રેરણા આપશે, જે સમાજને પ્રગતિના માર્ગે દોરી જશે. સમારોહમાં સંસ્થા માટે દાન આપનાર દાતાઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ભગા બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા, પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ સહિત સમાજના આગેવાનો, યુવાઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:48 pm

'હિસાબની વાત કરી તો જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું':HBC લાઈફસાયન્સ કંપનીનું ઓડિટ કૌભાંડ, મહિલા એકાઉન્ટન્ટનું હેરિયર કારમાં અપહરણ; AAPના પ્રદેશ ઉપપ્રમુખની ધરપકડ

ગાંધીનગરના સેક્ટર-25 જીઆઈડીસીમાં આવેલી HBC લાઈફ સાયન્સ કંપનીના ઓડિટમાં કૌભાંડ પકડાતા મહિલા એકાઉન્ટન્ટના અપહરણ અને મારપીટના ગુનામાં ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરતા રાજકીય ચકચાર મચી ગઈ છે. ઓડિટમાં 85 લાખના શંકાસ્પદ વ્યવહારો મળ્યાઅમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા મહિલા HBC લાઈફ સાયન્સમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. કંપનીના માલિક હિમાંશુભાઈ પટેલે પોતાની બીજી કંપની મેક્સિમસ હોલીડે પ્રા.લિ. ના ઓડિટની જવાબદારી સોંપી હતી. આ ઓડિટ દરમિયાન મહિલાએ અંદાજે 80 થી 85 લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો અને બિલો વગરની ચૂકવણીઓ પકડી પાડી હતી. આ કૌભાંડ બહાર આવતા કંપનીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. મહિલાનું બળજબરીપૂર્વક હેરિયર ગાડીમાં અપહરણફરિયાદ મુજબ, 26 માર્ચના રોજ બપોરે કંપનીના પાર્કિંગમાંથી મહિલાનું બળજબરીપૂર્વક ગ્રીન કલરની હેરિયર ગાડીમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. ચાલુ ગાડીમાં આરોપી સપના ડુમરે અને રિષા દેસાઈએ મહિલાના વાળ ખેંચી, લાફા અને મુક્કા મારી ગંભીર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે જો આ હિસાબોની વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખી ક્યાંય દાટી દઈશું. AAPના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડઆ ઘટના બાદ ભયભીત થયેલી મહિલાએ જ્યારે કંપનીના માલિક હસમુખભાઈ પટેલને ફોન કરીને હકીકત જણાવી હતી, ત્યારે તેઓએ પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ હિંમત દાખવી સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. આ મામલે પોલીસે કડક વલણ અપનાવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ધરપકડ કરી લેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, સેકટર 21 પોલીસ મથકે નોંધાયેલા BNS કલમ 137(2), 351(3), 352, 115(2), 61(1)એ, 54 મુજબ આમ આદમી પાર્ટીમા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હસમુખ શકરભાઇ પટેલ ઉ.વ. (રહે. સિધ્ધીવિનાયક બંગલોઝ, નાયરા પેટ્રોલપંપની પાછળ, સરગાસણ, મૂળ પાટણ) ની ધરપકડ કરી લેવાઈ છે. હસમુખ પટેલે વર્ષ 2020-21માં AAPના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામ કર્યું હતુંહસમુખભાઇ પટેલે વર્ષ 2020-21માં આમ આદમી પાર્ટીમા ગુજરાત રાજય, પ્રદેશ સંગઠન મંત્રી તરીકે કામકાજ કર્યું હતું. હસમુખ પટેલ તથા તેના ભાઇ હિમાંશુ પટેલની માલિકીની HBC લાઇફ સાયન્સ પ્રા.લિ. કંપની તથા મેક્સિમસ હોલીડે પ્રા. લિ.,માં કામ કરતા ફરિયાદી મહિલાને આરોપી હિમાંશુભાઇ તથા સપના ડુમરેએ તેમની કંપનીના બેનામી હિસાબો તેમજ કંપનીના ખોટા ટ્રાન્જેક્શનો સંબધી માહિતી ક્યાંય લીક થશે અથવા કંપનીને તેમનાથી કોઇ નુકશાન થશે તેવા ભયથી હસમુખભાઇના કહેવાથી હિમાંશુ પટેલ તથા સપના ડુમરે તથા રિષા દેસાઇ દ્વારા ભેગા મળી પુર્વ આયોજીત પ્લાન બનાવી હિમાંશુ પટેલની ગાડીમાં ફરિયાદીનું અપહરણ કરી ધાક-ધમકી આપી મુઢ માર મારી ઇજાઓ કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:46 pm

પાટડીની વિદ્યાર્થિનીની અનોખી શોધ, મુખ્યમંત્રીએ સન્માન કર્યું:વરસાદમાં કપડાં આપોઆપ શેડમાં લેતી સિસ્ટમ બનાવી

પાટડીની વિદ્યાર્થીની રુમીનબાનુ સોયબમહંમદ જુણેજાને તેમની અનોખી શોધ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી છે. આ શોધ વરસાદ દરમિયાન કપડાંને આપોઆપ શેડની અંદર લઈ લેતી ટેકનોલોજી પર આધારિત છે. આ ટેકનોલોજી એવી રીતે વિકસાવવામાં આવી છે કે જ્યારે વરસાદ આવે અને કપડાં બહાર સુકાતા હોય, ત્યારે જો ઘરમાં કોઈ હાજર ન હોય તો પણ કપડાં આપમેળે શેડની અંદર આવી જાય છે. આનાથી કપડાંને વરસાદથી બચાવી શકાય છે. ગાંધીનગર ખાતે યોજાયેલા 'સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી નમો લક્ષ્મી યોજના સરસ્વતી વિજ્ઞાન સાધના કાર્યક્રમ' અંતર્ગત રુમીનબાનુને આ પુરસ્કાર એનાયત કરાયો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઇ વાંઝા અને રિવાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. રુમીનબાનુ અમદાવાદની શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય (SNGV) માં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. તેઓ પાટડીના ભૂતપૂર્વ જાણીતા શિક્ષક અબ્દુલભાઈ જુણેજા (ચાચા સાહેબ)ના પૌત્રી છે, જેમણે પાટડી પંથકમાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રુમીનબાનુની આ શોધ સુરેન્દ્રનગર જિલ્લા, પાટડી-દસાડા પંથક અને સમગ્ર ગુજરાત માટે પ્રેરણાદાયક બની રહી છે. અગાઉ પણ તેમણે સુરેન્દ્રનગર જિલ્લા અને ગુજરાત સ્તરે સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:45 pm

મોરબીમાં ₹106 કરોડના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત:બ્રિજ સહિતના પ્રોજેક્ટ્સથી શહેરના વિકાસને વેગ મળશે

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 106 કરોડથી વધુના 14 વિકાસ કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા તથા કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વિકાસ કામોમાં એક નવા બ્રિજના નિર્માણનો પણ સમાવેશ થાય છે, જે મોરબીમાં છઠ્ઠો બ્રિજ બનશે. અગાઉ શહેરમાં પાંચ બ્રિજ કાર્યરત હતા. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય મોરબીના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. ખાતમહુર્તનો કાર્યક્રમ મોરબીના વેજીટેબલ રોડ પર આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં અગાઉની સરખામણીમાં હવે વિકાસ કાર્યો અનેક ગણી વધુ ગતિથી થશે. તેમણે ખાતરી આપી હતી કે લોકોની જરૂરિયાત મુજબના તમામ વિકાસ કામો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે, જેથી નાગરિકોની સુખાકારીમાં વધારો થાય. કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે તેનું વાર્ષિક બજેટ રૂ. 100 કરોડ હતું. મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમ વર્ષે રૂ. 700 કરોડથી વધુ અને બીજા વર્ષે રૂ. 1100 કરોડથી વધુનું બજેટ બનાવવામાં આવ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ઔદ્યોગિક નગરી મોરબી એક નમૂનેદાર શહેર તરીકે ઓળખાશે. આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ રીસીપ કૈલા, મહામંત્રી ભાવેશ કંજારીયા અને ભુપત જારીયા, તેમજ ભાજપના આગેવાનો જયંતી પટેલ, જેઠાભાઇ મિયાત્રા, જયરાજસિંહ જાડેજા, કેતનભાઇ વીલપરા, ચંદુ હુંબલ, જ્યોતિસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 9:14 pm

પત્નીના મોતનો વિરહ જીરવી ન શક્યો GRD જવાન:રાજકોટનાં આજીડેમ વિસ્તારમાં રહેતા યુવકે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પત્નીના અકાળે અવસાન બાદથી સતત માનસિક આઘાતમાં હતો

રાજકોટના આજીડેમ વિસ્તારમાં રહેતા અને યુની. પોલીસ મથકમાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય યુવાન દિપક દિનેશ દાણીધારિયાએ પત્નીના મોતના વિયોગમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. કાલાવડના મોકાજી મેઘપર ગામના વતની દિપકે ગઈ રાત્રિના 11 વાગ્યાના અરસામાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ પછી તે મવડી વિસ્તારમાં રહેતા કાકા મનોજભાઈના ઘરે ગયો હતો, જ્યાં અચાનક તબિયત લથડતા અને બેભાન થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતક દિપક યુની. પોલીસમાં ફરજ બજાવવાની સાથે મેટોડામાં ઘડિયાળની કંપનીની બસ ચલાવી ગુજરાન ચલાવતો હતો અને તે પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો. 4 વર્ષ પહેલાં તેના લગ્ન રિદ્ધિબેન સાથે થયા હતા, પરંતુ માત્ર 3 મહિના પહેલા જ તેની પત્નીનું ફેફસામાં ઇન્ફેક્શન અને ટીબીની બીમારીને કારણે અવસાન થયું હતું. પત્નીના અકાળે અવસાન બાદ દિપક સતત માનસિક આઘાતમાં રહેતો હતો, જે અંતે તેના આપઘાતનું કારણ બન્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટનાં મહિકા પાસે હિટ એન્ડ રન, જૂનાગઢના 19 વર્ષીય યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટિયા પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં જૂનાગઢના વતની અને ઇમિટેશનના વ્યવસાય સાથે સંકળાયેલા 19 વર્ષીય યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ યુવાન જ્યારે હોટલથી જમવાનું લઈને પોતાના બાઈક પર પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અકસ્માત સર્જીને વાહનચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો. આ બનાવની જાણ થતા જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને 108ની ટીમને જાણ કરી હતી, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક યુવાન પોતાના પરિવારમાં બે ભાઈ અને બે બહેનોમાં વચેટ હતો અને મહિકા પાટિયા પાસે ભાડાના મકાનમાં રહી મજૂરી કરતો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં ગાય આડે ઉતરવાથી બાઇક સ્લીપ થતા પ્રૌઢનું કરૂણ મોત, પરિવારમાં શોકનો માહોલ રાજકોટના સંતકબીર રોડ પર રહેતા 55 વર્ષીય પ્રૌઢનું માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજા થવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ બનાવથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી વિગત મુજબ, સંતકબીર રોડ પર આવેલી બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ માધવજીભાઇ ભરાડ ગઇ તા. 22 ના રોજ પોતાના વતન પાટખીલોરી ગામ તરફ બાઇક પર જઇ રહ્યા હતા. આ દરમિયાન પાટખીલોરી ગામ નજીક અચાનક ગાય આડે ઉતરતા વિનોદભાઇએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તેમનું બાઇક સ્લીપ થઇ ગયું હતું. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા અંતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. મૃતક દોશી હોસ્પિટલમાં કેન્ટીન ચલાવતા હતા. તેને સંતાનમાં 1 પુત્ર અને 2 પુત્રી છે. હાલ આ મામલે પોલીસે જરૂરી કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપ, બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ રાજકોટના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી એક શાળાના પરિસરમાં નેપાળી સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાના આક્ષેપથી ચકચાર મચી ગઈ છે. જામનગર રોડ વિસ્તારમાં રહેતા 15 વર્ષીય સગીરે એ ડિવિઝન પોલીસ મથકમાં અરજી આપી છે. આ અરજીમાં તેણે આક્ષેપ કર્યો છે કે, પાણીના પ્લાન્ટમાં કામ કરતી વખતે સંચાલક જયેશ મજેઠીયા અને લાલો પટેલ તેને લલચાવી-ફોસલાવી અવારનવાર હવસનો શિકાર બનાવતા હતા. આરોપીઓએ આ બાબતે કોઈને જાણ ન કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ સગીરે ઉલ્લેખ કર્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીએસઆઈ એસ એમ રાણાની ટીમે સગીરનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તે સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસને આ મામલે વિડિયો આધારિત પુરાવા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર આક્ષેપો અને પ્રાથમિક પુરાવાઓના આધારે એ ડિવિઝન પોલીસે બંને શખ્સો વિરુદ્ધ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરી છે. સગીરે પોતાની અરજીમાં અન્ય બાળકોના પણ શારીરિક શોષણ થયા હોવાની આશંકા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:54 pm

20 ફૂટ ઊંડા ખાડામાંથી મહિલા સહિત બેનું દિલધડક રેસ્ક્યૂ:મેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં બેદરકારીને પગલે રાહદારીઓ મોપેડ સાથે ખુલ્લા ખાડામાં ખાબક્યા, ક્રેન વડે બહાર કઢાયા

સુરત શહેરમાં ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી ફરી એકવાર વિવાદોમાં અને સ્થાનિકો માટે જોખમી સાબિત થઈ રહી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રો પ્રોજેક્ટની લાપરવાહીને કારણે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં એક મહિલા અને વાહનચાલક સહિત બે વ્યક્તિઓ અચાનક 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વાહનચાલક મહિલા સહિત બે અચાનક ખુલ્લા ખાડામાં પટકાયામળતી માહિતી મુજબ, પર્વત પાટિયાના વ્યસ્ત એવા કબૂતર સર્કલ પાસે મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. આજે સાંજે અહીં રસ્તા પરથી પસાર થઈ રહેલા વાહનચાલક મહિલા સહિત બે અચાનક જ ખુલ્લા ભયજનક ખાડામાં પટકાયા હતા. મેટ્રો પ્રોજેક્ટ માટે બનાવવામાં આવેલો આ ખાડો અંદાજે 20 ફૂટ ઊંડો હોવાનું જણાવાયું છે. ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલી મહિલા-પુરુષને બહાર કઢાયાઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સ્થાનિક પ્રશાસન તથા મેટ્રોના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ખાડો ઊંડો હોવાને કારણે લોકોને બહાર કાઢવા મુશ્કેલ હતા, જેથી મેટ્રો સાઇટ પર હાજર ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્રેનની મદદથી ખાડામાં ફસાયેલી મહિલા અને પુરુષને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભોગ બનનાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સુરક્ષાના બોર્ડે કે બેરિકેડિંગ ન હોવાથી સ્થાનિકોમાં પાલિકા સામે રોષમેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં સુરક્ષાના સાધનો કે બેરિકેટિંગના અભાવે અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે, રાત્રિના સમયે પણ પૂરતી લાઈટિંગની વ્યવસ્થા હોતી નથી. જોખમી ખાડાઓની આસપાસ મજબૂત ફેન્સિંગ કરવામાં આવતું નથી. જમીન ધસવાની શક્યતા હોવા છતાં બેદરકારી રાખવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:30 pm

SOGની કાર્યવાહી:ચેક રિટર્ન કેસમાં સજા પામેલો વોન્ટેડ આરોપી રવજીને ઘોઘા ગેઈટ પાસેથી ઝડપાયો

ભાવનગર શહેર અને જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ ચેક રિટર્ન કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ લાંબા સમયથી ફરાર રહેલા રવજીને ઘોઘા ગેઈટ ચોક વિસ્તારમાંથી S.O.G. ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, આ બનાવ અંગે એસઓજી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગરના રવજી બુધીલાલ ચૌહાણ ઉં.વ.50, રહે.અગરીયાવાડ, કરચલીયા પરા વિરુદ્ધ ભાવનગરની બીજ એડી. સીનિયર સિવિલ જજ ની કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો ફોજદારી કેસ ચાલી રહ્યો હતો, આ કેસમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે, આરોપી કોર્ટમાં હાજર ન થતા તેની વિરુદ્ધ સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, બાતમીના આધારે S.O.G. પોલીસે આજે આરોપી રવજીભાઈ ચૌહાણને ઘોઘાગેટ ચોક વિસ્તારમાંથી ઝડપી લીધો હતો,​પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:18 pm

બનાસકાંઠા કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારો પર ચર્ચા

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની રણનીતિ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યત્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ ઉપરાંત, પક્ષના આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ નક્કી કરવામાં આવી હતી. ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો અને ચૂંટણી પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધવું તે અંગેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી સમયમાં દરેક તાલુકામાં હાથ ધરવામાં આવનાર સેન્સ પ્રક્રિયા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થઈ હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:08 pm

તમારા બાળકનો RTE હેઠળ પ્રવેશ લેવો હોય તો જાણો:રાજકોટ મહાપાલિકા દ્વારા એક માત્ર દીકરી ધરાવતા વાલીઓને માટે પ્રમાણપત્ર અપાશે, 4થી 17 એપ્રિલ સુધી ચાલશે પ્રક્રિયા, જાણો વધુ

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ શૈક્ષણિક સત્ર 2025 ના પ્રથમ ધોરણના પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જે માતા-પિતાને સંતાનમાં ફક્ત એક માત્ર દીકરી હોય, તેઓને પ્રવેશ પ્રક્રિયામાં અગ્રતા આપવામાં આવશે. આ અગ્રતાનો લાભ લેવા માટે જરૂરી સિંગલ ગર્લ ચાઇલ્ડ પ્રમાણપત્ર રાજકોટ મહાપાલિકા દ્વારા ઈશ્યુ કરવામાં આવશે. જે દીકરીઓનો જન્મ 1 જૂન 2018થી 30-મે 2019 દરમિયાન થયો હોય તેમના વાલીઓ તારીખ 04/04/2026 થી 17/04/2026 સુધી રાજકોટ મનપાના સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોન કચેરીનાં સિવિક સેન્ટર પરથી કામકાજના દિવસોમાં સવારે 10.30 થી સાંજે 6.00 કલાક દરમિયાન આ પ્રમાણપત્ર મેળવી શકશે. આ પ્રમાણપત્ર મેળવવા માટે વાલીઓએ મનપાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી સાથે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, માતા-પિતાના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને રહેઠાણનો પુરાવો રજૂ કરવાનો રહેશે. ઉપરાંત, નિયત નમૂના મુજબ રૂ. 50 ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ્ડ સોગંદનામું પણ જોડવાનું રહેશે. આવતીકાલથી સમર શેડ્યુલ અમલી બનશે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવે દરરોજ 14 ફ્લાઇટ રાજકોટ હિરાસર એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો હોવા છતાં કોઇ આંતરરાષ્ટ્રીય ફલાઇટ હજુ શરુ થઇ નથી. ત્યાં ડોમેસ્ટીક ફલાઇટ માટે સમર શિડ્યૂલ લાગુ થયું છે. જેને લઈને દરરોજ 14 ફલાઇટો ઉડાન ભરશે. હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવતીકાલથી લાગુ થતું સમર શિડ્યુલ ડીસેમ્બર સુધી અમલમાં રહેશે. સમર શિડ્યુલમાં ફલાઇટની સાથોસાથ એકાદ-બેના સમયમાં પણ ફેરફાર છે. મુંબઇ સાથેની એર કનેકટીવીટીમાં વધારો થયો છે. જેમાં નસવાર-સાંજની નવી મુંબઇ માટે એક-એક ફલાઇટ શરુ થશે. મુંબઇની અન્ય 3 ફલાઇટ યથાવત છે. દિલ્હીની ચાર તથા બેંગ્લોર-હૈદ્રાબાદની એક-એક ફલાઇટ છે. પુનાની અઠવાડિયામાં ફલાઇટ ઉડાન ભરશે. ગોવાની વિમાની સેવા અટકાવી દેવામાં આવી છે. આ સિવાય આંતર જિલ્લા હવાઇ સેવા અંતર્ગત સુરતની ફલાઇટ ઉડાન ભરશે. હૈદ્રાબાદની ફલાઇટનો સમય બદલાયો છે. હવે બપોરને બદલે રાત્રે આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી રામ મોહન નાયડુ કાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. એરપોર્ટ પર ઉડાન માટેનું ઉદ્ઘાટન કરશે. ત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય ફલાઇટ વિશે કોઇ સંકેત આપે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે. રાજકોટમાં માર્ચ એન્ડિંગને લઈ રજાના દિવસોમાં પણ દસ્તાવેજ કરી શકાશે, સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રહેશે રાજકોટની તમામ 18 સબ રજીસ્ટ્રાર કચેરીઓ આજે ચોથા શનિવારની રજા હોવા છતાં માર્ચ એન્ડિંગના ધસારાને પહોંચી વળવા માટે કાર્યરત રહી હતી. ચાલુ નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે માત્ર 3 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મિલકત દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં કોઈ વિલંબ ન થાય તે માટે રજાના દિવસોમાં પણ કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વ્યવસ્થાના ભાગરૂપે આગામી 31 માર્ચના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મજયંતીની જાહેર રજા હોવા છતાં શહેરની તમામ રજીસ્ટ્રાર કચેરીઓમાં મિલકત રજીસ્ટ્રેશનની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. સાથે અરજદારોની સુવિધા માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્લોટ સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હવે સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા સળંગ ચાલુ રાખવામાં આવશે. માર્ચ એન્ડિંગ દરમિયાન અરજદારોને કોઈ મુશ્કેલી ન પડે અને વધુમાં વધુ કામગીરી પૂર્ણ થઈ શકે તે હેતુથી આ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 31 માર્ચ, સોમવારના રોજ કચેરીઓ સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ધમધમતી રહેશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:01 pm

સોલાર પ્લાન્ટમાં ગંભીર બેદરકારીના કારણે સગીરનો જીવ ગયો:વીજલાઈન હોવા છતા નીચે બાંધકામ ચાલતું હતું, ડાયરેક્ટરે કહ્યું- પોતાની ભૂલ હોવાનો સ્વીકાર કર્યો

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ઝીંઝરી ગામે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં સોલાર પ્લાન્ટના સંચાલકોની લાલચ અને વહીવટી તંત્રની મીલીભગતનો ભોગ એક 14 વર્ષનો નિર્દોષ સગીર બન્યો છે. રાજકોટની માર્કલ સ્પિનિંગ નામની કંપની દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી વગર શરૂ કરાયેલા બાંધકામ પર પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તુષાર ગેડા નામના સગીર માટે જીવલેણ સાબિત થઈ છે. જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ત્યારે ગેડા પરિવારના આંગણે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. પિતાની તરસ છિપાવવા પાણીનો લોટો લઈને અગાશી પર ગયેલા પુત્રને કાળ આંબી ગયો અને આખું ગામ અરેરાટીમાં ગરકાવ થઈ ગયું છે. જે સોલાર પ્લાન્ટની કામગીરી ચાલી રહી છે તેના ડાયેરક્ટરે પોતાની ભૂલના કારણે આ ઘટના બની હોવાનો સ્વીકાર કર્યો હતો. ચાલુ વીજલાઈન હોવા છતા નીચે ઓરડીનું કામ ચાલતું હતુંઆ કરુણ ઘટના અંગે મૃતક સગીરના કાકા ભરતભાઈ ગેડાએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ અને તેમનો ભાઈ ચંદ્રકાંતભાઈ કામ કરવા માટે આ મકાનની અગાશી પર ગયા હતા. તેમની સાથે તેમનો ભત્રીજો પણ ત્યાં હાજર હતો. અગાશી પર કામ શરૂ કરતા પહેલા ત્યાં હાજર લોકોએ તેમને ખાતરી આપી હતી કે, ઉપરથી પસાર થતી વીજ લાઈન બંધ છે. પરંતુ વાસ્તવિકતામાં લાઈન ચાલુ હતી જેની તેમને જાણ નહોતી. જેવો તેમનો ભત્રીજો અગાશી પર તેમના પિતાને પાણી આપવા માટે આવ્યો કે તરત જ તેને ચાલુ લાઈનનો જોરદાર કરંટ લાગ્યો અને તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવારે આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરી પૂરતો ન્યાય મળે તેવી માંગણી કરી છે. વીજલાઈન બંધ હોવાનું કહી મજૂરોને કામ લગાડાયા હતા- હરદાસ ચૌહાણઘટના મામલે મૃતકના સગા હરદાસભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, ઝીંઝરી-સરદારગઢ રોડ નજીક એક સોલાર પ્લાન્ટનું કામ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યું છે. આગામી પાંચમા મહિના સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા હોવાથી ડાયરેક્ટરે ઉતાવળમાં ગેરકાયદેસર બાંધકામ શરૂ કરી દીધું હતું. બાંધકામની બિલકુલ ઉપરથી હાઈવોલ્ટેજ લાઈન જતી હોવા છતાં મજૂરોને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. મજૂરોને લાઈન બંધ હોવાનું ખોટું કહીને કામે લગાડાયા હતા. હરદાસભાઈએ આક્ષેપ કર્યો હતો કે ઝીંઝરી પંથકમાં આવા અનેક ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે અને આ મામલે કસૂરવારો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અમારી પાસે સોલાર પ્લાન્ટની કોઈ સત્તાવાર અરજી આવી નથી- PGVCLના અધિકારીઆ સમગ્ર મામલે પીજીવીસીએલના અધિકારી માણાવદરિયાએ ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં વિભાગની કોઈ ભૂમિકા નથી કારણ કે જે જગ્યાએ બાંધકામ થયું છે ત્યાં વીજ લાઈન હટાવવા માટેની અરજી ‘વશરામભાઈ’ ના નામે કરવામાં આવી હતી, જે વ્યક્તિ હકીકતમાં મૃતક છે. સોલાર પ્લાન્ટના નામની કોઈ સત્તાવાર અરજી વિભાગને મળી નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે જે સમયે અરજી કરાઈ ત્યારે ત્યાં કોઈ બાંધકામ નહોતું અને હાલનું બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદે છે. જો પ્લાન્ટના સુપરવાઈઝરે અગાઉથી જાણ કરી હોત તો લાઈન બંધ કરી શકાઈ હોત, પરંતુ ત્યાં કોઈ સુપરવાઈઝર પણ હાજર નહોતો. પ્લાન્ટના ડાયરેક્ટરે કહ્યું- 'મારી ભૂલના કારણે આ ઘટના બની છે'બીજી તરફ હાલ જે સોલાર પ્લાન્ટની સમગ્ર કામગીરી સંભાળી રહ્યા છે તે ઓનસ સોલાર પ્લાન્ટના ડાયરેક્ટર પ્રતાપ સિંધવે દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની ભૂલનો એકરાર કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, રાજકોટની માર્કલ સ્પિનિંગ કંપની વતી તેઓ આ કામગીરી સંભાળી રહ્યા છે અને 31 મે 2026 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હોવાથી ઉતાવળમાં આ કામ શરૂ કરાયું હતું. તેમણે કબૂલાત કરી હતી કે વીજ લાઈન પસાર થતી હોવા છતાં બાંધકામ કરવું એ તેમની મોટી ભૂલ છે અને આ સગીરના મોત માટે તેઓ પોતે જવાબદાર છે. તેમણે એ પણ સ્વીકાર્યું કે નીતિ-નિયમો વિરુદ્ધ જઈને આ બાંધકામ કરવામાં આવ્યું હતું. ઝીંઝરી ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ હરસુખભાઈ ગરાડાએ આ બાબતે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા માત્ર અમુક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા પરંતુ આ ચોક્કસ જગ્યા પર બાંધકામ કરવાની કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી નહોતી.આ ઘટના બાદ જ્યારે ગામના તલાટી મંત્રી હેતલબેન રૂપાપરાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે મીડિયાના ફોન ઉપાડવાનું ટાળ્યું હતું અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું જણાયું હતું. વહીવટી તંત્રનું આ મૌન અને ડાયરેક્ટરની સ્વીકારેલી ભૂલ વચ્ચે ગેડા પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે, જેની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી.ત્યારે હાલ તો આ સમગ્ર મામલે જુનાગઢનું તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે અને લાગવગ શાહી વાપરી બચાવે છે તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 8:01 pm

કુંભારવાડામાં પરિણીતાની છેડતી કરી સાસુ-વહુ પર હુમલો:વિપુલે તુલસીને 'તું મારી સાથે કેમ બોલતી નથી?' તેમ કહી સાડીનો છેડો પકડી અડપલાં કર્યા, શખ્સ સામે ફરિયાદ

ભાવનગર શહેરના નારી રોડ પર આવેલા કુંભારવાડા વિસ્તારમાં ઘરની સામે જ રહેતા એક શખ્સે ઘરમાં ઘૂસી પરિણીતાની છેડતી કરી, વિરોધ કરતા સાસુ અને વહુ બંનેને ઢીકાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ પરિણીતાએ બોરતળાવ પોલીસ મથકે નોંધાવી હતી, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ​કુંભારવાડા શેરી નં.10, લાલ કારખાના પાછળ રહેતા 20 વર્ષીય તુલસી અજયભાઈ વેગડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજે તા.28/03/2026ના રોજ સવારે જ્યારે તેમના પતિ કામે ગયા હતા, ત્યારે સામે જ રહેતો વિપુલ ગદાભાઇ મકવાણા તેમના ઘરમાં ધસી આવ્યો હતો. વિપુલે તુલસીને 'તું મારી સાથે કેમ બોલતી નથી?' તેમ કહી સાડીનો છેડો પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું હતું, તુલસીબેને બુમાબુમ કરતા બાજુના રૂમમાં રહેલા તેમના સાસુ દોડી આવ્યા હતા, સાસુએ વિપુલને રોકવાનો પ્રયાસ કરતા તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસુ-વહુ બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યો હતો, ઉશ્કેરાયેલા શખ્સે સાસુને ધક્કો મારી નીચે પાડી દીધા હતા, હોબાળો થતાં આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જેને જોઈ આરોપી વિપુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો, ​તુલસીએ જણાવ્યું હતું કે, આરોપી વિપુલ અવારનવાર તેમની સામે જોઈ ખરાબ ઈશારા કરતો હતો, આ બાબતે અગાઉ પતિ અને સાસુએ તેને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે ઝઘડો કર્યો હતો, હાલ આ મામલે તુલસીબેને વિપુલ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકે બી.અને.એસ ની કલમ 75(2), 115(2) મુજબ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:58 pm

માધવપુર વરઘોડાની તૈયારી, દ્વારકામાં બેઠક યોજાઈ:તંત્ર અને આગેવાનોએ કાર્યક્રમના આયોજનની સમીક્ષા કરી

31 માર્ચે દ્વારકા ખાતે યોજાનારા માધવપુર વરઘોડા અને રાજ્યસ્તરીય કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓ માટે એક મહત્વપૂર્ણ શહેરસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વહીવટી તંત્ર અને શહેરના આગેવાનોએ કાર્યક્રમના સુચારુ સંકલન અને આયોજન અંગે ચર્ચા કરી હતી. બેઠકમાં દ્વારકા મંદિરના પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, દ્વારકા મામલતદાર, ચીફ ઓફિસર અને શહેરના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપલબ્ધ માહિતી મુજબ, પ્રાંત અધિકારી અમોલ આવટેનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ બેઠકમાં મુખ્યત્વે યાત્રાળુઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્વચ્છતા અને કાર્યક્રમોના સુવ્યવસ્થિત આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં આવનારા ભક્તોને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:53 pm

મચ્છરોનો નાશ કરવા હવે AI અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ:સુરત મહાનગરપાલિકાનો હાઈટેક પ્રહાર, ધાબા કે અવાવરુ જગ્યાઓએ ક્યાંય મચ્છર નહીં બચે

સ્માર્ટ સિટી તરીકે દેશભરમાં ડંકો વગાડનાર સુરત મહાનગરપાલિકાએ હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન અને ત્યારબાદ વધતા જતા મચ્છરોના ઉપદ્રવ અને તેને કારણે ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે પાલિકાએ હવે આકાશમાંથી નજર રાખવાનું નક્કી કર્યું છે. સુરત પાલિકા દ્વારા હવે AI અને ML આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોનો નાશ કરવામાં આવશે. પ્રોજેક્ટ પાછળ 67 લાખનો ખર્ચ મંજૂરસુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ ખાસ પ્રોજેક્ટ પાછળ અંદાજે 67 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શરૂઆતના તબક્કામાં શહેરનો 150 સ્ક્વેર કિલોમીટર જેટલો વિશાળ વિસ્તાર આવરી લેવામાં આવશે. અત્યાર સુધી પાલિકાના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને અથવા ફોગિંગ મશીન દ્વારા મચ્છરોનો નાશ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ ગીચ વિસ્તારોમાં આ પદ્ધતિની મર્યાદાઓ હતી. હવે ડ્રોન ટેકનોલોજી આ મર્યાદાઓને દૂર કરશે. AI-ML કેવી રીતે કામ કરશે?આ માત્ર સાદા ડ્રોન નથી, પરંતુ તે Artificial Intelligence અને Machine Learning થી સજ્જ છે. ડ્રોનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા એવા સ્થાનો શોધી કાઢશે, જ્યાં પાણી ભરાયેલું હોય અને મચ્છરોના પોરા હોવાની શક્યતા હોય. મશીન લર્નિંગના ઉપયોગથી ડ્રોન જાતે જ નક્કી કરી શકશે કે કયા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધુ છે અને ક્યાં તાત્કાલિક દવાનો છંટકાવ કરવાની જરૂર છે. આ ટેકનોલોજીની મદદથી ધાબા પર પડેલા ભંગાર, ટાયરો અથવા ખુલ્લા પ્લોટમાં ભરાયેલા પાણીમાં સચોટ રીતે દવાનો છંટકાવ કરી શકાશે, જ્યાં માનવ હસ્તક્ષેપ મુશ્કેલ છે. સુરતના જે વિસ્તારોમાં વસ્તી ગીચતા વધારે છે અને જ્યાં રોગચાળો ફેલાવાની શક્યતા વધુ રહેતી હોય છે, તેવા વિસ્તારોને આ પ્રોજેક્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ખાસ કરીને ઉધના, લિંબાયત અને વરાછા જેવા ઝોનમાં પાલિકાએ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ વિસ્તારોમાં અગાઉ મેન્યુઅલ કામગીરીમાં અનેક પડકારો આવતા હતા, જેનો ઉકેલ હવે આધુનિક ડ્રોન આપશે. પાકને આ દવાથી કોઈ નુકસાન નહીં થાયપાલિકા દ્વારા કરવામાં આવેલા દાવા મુજબ, ડ્રોન દ્વારા જે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે તે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે સુરક્ષિત છે. વિશેષ કરીને શહેરની સરહદ પર આવેલા વિસ્તારોમાં જ્યાં ખેતી કે વાડીઓ આવેલી છે, ત્યાંના પાકને પણ આ દવાથી કોઈ નુકસાન નહીં થાય. આ બાબત ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ માટે મોટી રાહત સમાન છે. મચ્છરોના બ્રીડિંગ સ્પૉટ શોધવા ડ્રોનનો ઉપયોગઆરોગ્ય અધિકારી ધ્વનિ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2025-26માં આપણે વીબીડીસી વિભાગ, આરોગ્ય વિભાગનો સબ ડિવિઝન, એમના દ્વારા મચ્છરોના બ્રીડિંગ સ્પૉટ શોધવા માટે આપણે ડ્રોનનો ઉપયોગ કરેલ છે. એ AI/ML બેઝ્ડ ટેકનોલોજી છે અને આ ટેકનોલોજીના ઉપયોગથી આપણે જ્યાં જ્યાં વોટર લોગિંગ સ્પૉટ્સ હશે, જેનાથી આપણા આખા સુરત શહેરમાં મચ્છરોનું બ્રીડિંગ થઈ શકે અને મચ્છરોનું ન્યુસન્સ થઈ શકે તેને અટકાવવા માટે ડ્રોન દ્વારા આ સ્પૉટ શોધવામાં આવે છે. એ એવા સ્પૉટ્સ છે જેમ કે ખાડી કિનારા, ઊંચી ઊંચી કન્સ્ટ્રક્શન સાઈટ, તે સિવાય જ્યાં માનવ બળથી પહોંચી ન વળાય તેવી જગ્યાઓ, એ જગ્યાઓ પર આપણે બ્રીડિંગ સ્પૉટ શોધીએ છીએ, વોટર લોગિંગ સ્પૉટ શોધીએ છીએ અને ત્યાં ડ્રોન દ્વારા આપણે ઈન્સેક્ટીસાઈડનું સ્પ્રેઈંગ કરાવીએ છીએ અને જંતુનાશક દવાના સ્પ્રેઈંગ પછી આપણે એમાં ફરીથી લાર્વલ ડેન્સિટી ચેક કરીએ છીએ કે જેથી કરીને બ્રીડિંગનો નાશ થયો છે કે નહીં તે પણ ચેક કરી શકાય. આ કામગીરીના ખર્ચ અંગેની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષ પ્રમાણે એટલે કે 2025-26 માં જ્યારે આપણે ટેન્ડર પાડ્યું હતું તે 67 લાખનું આપણું ટેન્ડર છે. જેમાં 150 સ્ક્વેર કિલોમીટર આપણે સિટીમાં કવર કર્યા છે અને એમાં આવા જ બધા ઔદ્યોગિક એકમો, ખાડી કિનારા અને એવા સ્પૉટ્સ કે જ્યાં આપણા માનવ બળથી પહોંચી ન વળાય તેવા સ્પૉટ્સ શોધી નાખ્યા છે. ડ્રોનથી ઈન્સેક્ટીસાઈડનો સ્પ્રેઈંગ કરાશેતેમણે વધુમાં જણાવ્યું હતું કે એવા ખાસ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ઉધના ઝોન, લિંબાયત ઝોન, વરાછા ઝોન, તે સાથે સાથે ખેતરો જેવા કે જે ખેતરોમાં ભાતના ખેતરોમાં જ્યાં પાણી ખાસા દિવસ સુધી ભરાઈ રાખવામાં આવે છે તેવા વિસ્તારો, પાલ-ભાઠાનો જે વિસ્તાર છે તે, વેસ્ટ ઝોનના જહાંગીરપુરા સાઈડના વિસ્તારો એ વિસ્તારોમાં આપણે ત્યાં કામગીરી કરવામાં આવેલ છે અને ત્યાં ડ્રોન દ્વારા ઈન્સેક્ટીસાઈડનો સ્પ્રેઈંગ પણ કરવામાં આવેલ છે, જેથી કરીને એ લાર્વા જે છે તે મરી જાય પરંતુ પાકને કોઈ નુકસાન થતું નથી. તેમણે દવા અંગેની જાણકારી આપતા જણાવ્યું હતું કે, એવી દવાઓ આપણે ઇન્ટર-ડોમેસ્ટિકમાં છાંટીએ છીએ અને સાથે સાથે પેરી-ડોમેસ્ટિકમાં કન્સ્ટ્રક્શન સાઈટ છે અને ઓપન પ્લોટ્સ છે જે ચોમાસા દરમિયાન પાણીથી ભરેલા હોય છે, તેમાં આપણે પ્રિકોશનના રૂપમાં છાંટી રાખીએ છીએ કે જેથી કરીને એમાં ભવિષ્યમાં પણ બ્રીડિંગ ન થઈ શકે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:30 pm

ચીખલીના કણભઈ ગામે લાખોનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે દરોડો પાડી રૂ. 5.72 લાખના મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી લીધો

નવસારી LCB એ ચીખલી તાલુકાના કણભઈ ગામે મોટી કાર્યવાહી કરી છે. પતરાના શેડમાં સંતાડેલો રૂ. 5.72 લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ દરોડામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ સક્રિય બની છે. રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. આહિરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ અયાઝ મતરફ અને ગણેશને ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, કણભઈ ગામના દેસાઈ ફળીયામાં રાજુ અમ્રત પટેલે સારવણીના પ્રિયંક ઉર્ફે લાલુ સાથે મળી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થો રાજુના ઘરની બાજુમાં આવેલા પતરાના શેડમાં ઉતારી, ટેમ્પોમાં ભરીને કાર્ટિંગ કરવાની તૈયારી હતી. બાતમીના આધારે પોલીસે કણભઈ ગામે દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ ત્રણ ઇસમો ભાગવા લાગ્યા હતા, જેમાંથી પોલીસે પીછો કરીને અમન શાંતિલાલ પટેલ (રહે. સારવણી) ને ઝડપી પાડ્યો હતો. જોકે, મુખ્ય આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલ ભાગવામાં સફળ રહ્યા હતા અને તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન પોલીસને પતરાના શેડ અને ટેમ્પોમાંથી કુલ રૂ. 5,72,600/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેમાં 1,320 નંગ વિદેશી દારૂની બોટલ અને બિયર (કિંમત ₹2,67,600/-), એક ટેમ્પો (GJ-21-T-6331, કિંમત રૂ. 3,00,000/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹5,000/-) નો સમાવેશ થાય છે. આ મામલે પોલીસે પકડાયેલ આરોપી અમન પટેલ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓ પ્રિયંક ઉર્ફે લાલુ અને રાજુ પટેલને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:30 pm

વડલી સિકોતરમાતા ત્રિમંદિરમાં 2 એપ્રિલે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા:108 કુંડી શતચંડી મહાયજ્ઞ સાથે ત્રણ દિવસીય મહોત્સવ

પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર સુદ પૂનમ સુધીના ત્રણ દિવસીય આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે. મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા 2 એપ્રિલ, 2026 ના રોજ થશે. આ સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવપીર, બ્રહ્માણી માતાજી અને અન્ય દેવગણોના નવીન મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન લોકડાયરો અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. મહોત્સવનો પ્રારંભ 31 માર્ચ, 2026, મંગળવારના રોજ કળશયાત્રા અને શોભાયાત્રા સાથે થશે. પ્રથમ દિવસે સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી વડલી ગામની પરિક્રમા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરશે. આ યાત્રામાં હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળશે. પ્રથમ દિવસે રાત્રે 8:30 કલાકે લોકડાયરો યોજાશે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પ્રસ્તુતિ આપશે. મહોત્સવના બીજા દિવસે 1 એપ્રિલ, 2026, બુધવારના રોજ યજ્ઞપૂજાના વિવિધ કાર્યો જેવા કે પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ કરવામાં આવશે. ત્રીજા અને મુખ્ય દિવસે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. આ સમયે હેલિકોપ્ટર મારફતે મંદિર પર પુષ્પવર્ષાનું પણ આયોજન કરાયું છે, તેમ ભુવાજી વીરચંદભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4:00 કલાકે મહાઆરતીનું આયોજન છે. મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસગરબા અને રાત્રે 9:00 કલાકે 501 દીવાની મહાઆરતીના દર્શન યોજાશે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન ભુવાજી વિરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવમાં વિવિધ સંતો-મહંતોની ઉપસ્થિતિ રહેશે અને ભક્તો માટે ત્રણેય દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રિમંદિર યાત્રાધામમાં ગૌશાળા પણ આવેલી છે. ભુવાજીના સેવકે જણાવ્યું હતું કે, આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:24 pm

ભાજપ પ્રદેશ અધ્યક્ષની મધ્ય ગુજરાતના પદાધિકારીઓ સાથે બેઠક:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મંથન; તમામ કાર્યકરોને કામગીરીમાં જોતરાઈ જવા આહવાન

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ભાજપ દ્વારા વિવિધ સ્થળોએ બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વડોદરા ખાતે મધ્ય ગુજરાત ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ તેમજ ખેડા જિલ્લાના પદ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. મહત્તમ લોકો સુધી પહોંચવા આહવાનમધ્ય ગુજરાત ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ પદ અધિકારીઓને પ્રદેશ અધ્યક્ષે સંબોધ્યા હતા. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જવા માટે તમામ કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓના વિસ્તારમાં થયેલા વિકાસને મહત્તમ લોકો સુધી પહોંચાડવા માટે કામે લાગી જવા સૂચના આપવામાં આવી હતી. ચૂંટણીમાં MP-MLAનું ચાલશે કે નહીં તેની ચર્ચાબેઠક શરૂ થાય તે પહેલા કાર્યકરોમાં એવો ગણગણાટ પણ જોવા મળ્યો હતો તે આ ચૂંટણીમાં કોણ રહેશે અને કોણ કપાશે? એક દિવસ અગાઉ ગાંધીનગર ખાતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ ચૂંટણીઓમાં ધારાસભ્ય તેમજ સાંસદની ભલામણ નહીં ચલાવાય ત્યારે લોકોમાં પણ એવી ચર્ચા છે કે હવે લોબિંગ કરવું તો કોની પાસે કરાવવું? આ બેઠકમાં વર્તમાન હોદ્દેદારો તેમજ અપેક્ષિતો પણ જોવા મળ્યા હતા. વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચાની શક્યતાહાલમાં દેશમાં પેટ્રોલ ડીઝલ તેમજ ગેસની અછતની અફવાઓના કારણે લોકો આમેય પરેશાન છે, ત્યારે આગામી સમયમાં ચૂંટણીમાં લોકો સુધી પહોંચવા કેવી રણનીતિ અપનાવવી તે અંગેની પણ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બેઠક માત્ર હોદ્દેદારોની વચ્ચે બંધ બારણે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વડોદરાના પ્રભારી ગોરધન ઝડફીયા, મધ્ય ગુજરાત ઝોનના ઈનચાર્જ જશવંતસિંહ ભાભોર, યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ અને વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષી, વડોદરાના સહ પ્રભારી મંત્રી કમલેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 7:03 pm

મહેસાણા મનપાનો માસ્ટર પ્લાન:80 મીટરનો ગ્રીન રિંગ રોડ અને રિવરફ્રન્ટ સાથે શહેરની કાયાપલટ થશે

વિકસિત ભારત અને વિકસિત ગુજરાતની તર્જ પર હવે “વિકસિત અને પ્રગતીશીલ મહેસાણા” અગ્રેસર થવા જઈ રહ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના સુચારુબદ્ધ આયોજન માટે આગામી 20 વર્ષના તબક્કાવાર વિકાસને આવરી લેતી 116.77 ચોરસ કિલોમીટર વિસ્તારની ‘મુસદારૂપ વિકાસ યોજના-2045’ DP પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્યની નવનિર્મિત 9 મહાનગરપાલિકાઓ પૈકી મહેસાણા પ્રથમ એવી મનપા બની છે, જેણે આ પ્રકારનો ડેવલપમેન્ટ પ્લાન સૌથી ટૂંકા ગાળામાં જાહેર કર્યો છે. 80 મીટરનો ગ્રીન રિંગ રોડ અને હાઈરાઈઝ બિલ્ડિંગોઆ પ્લાનની મુખ્ય વિશેષતા 80 મીટરનો રિંગ રોડ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં શિવાલાથી ફતેપુરા સુધીના હયાત 60 મીટરના બાયપાસ રોડને હવે 80 મીટર પહોળો કરી પૂર્વ વિસ્તારના ગામોને સાંકળી ‘ગ્રીન રિંગ રોડ’ તરીકે વિકસાવવામાં આવશે. આ રિંગ રોડની બંને બાજુ 250 મીટરના પટ્ટામાં અન્ય વિસ્તારો કરતા વધુ FSI આપવામાં આવશે, જેના કારણે અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોની માફક મહેસાણામાં પણ ઊંચી ઇમારતો અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ આકાર લઈ શકશે. ખારી નદી પર રિવરફ્રન્ટ અને પર્યાવરણની જાળવણીશહેરીજનો માટે મનોરંજનના ભાગરૂપે ખારી નદીના કિનારે અમદાવાદની તર્જ પર રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ રિક્રિએશનલ ઝોનમાં સિટી પાર્ક, ગેમ ઝોન અને બાગબગીચા જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. પર્યાવરણની જાળવણી માટે બ્લુ-ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકીને હયાત તળાવોની આસપાસ પણ રિક્રિએશનલ ઝોનનું આયોજન કરાયું છે. ઔદ્યોગિક વિકાસ અને નવી બાંધકામ મંજૂરીઓમહેસાણા નજીકથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અને અમદાવાદ-થરાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે જેવી યોજનાઓને ધ્યાને રાખીને નવા પ્લાનમાં લોજિસ્ટિક અને ઔદ્યોગિક ઝોન સૂચિત કરવામાં આવ્યા છે, જે શહેરના આર્થિક વિકાસને વેગ આપશે. નોંધનીય છે કે, મનપા બન્યા બાદ નવા વિસ્તારોમાં અટકેલી બાંધકામ પરવાનગીઓ હવે શરતોને આધીન તુરંત શરૂ થશે, જેનાથી ડેવલપર્સ અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. આ વિકાસ યોજના અંગે મહેસાણાના શહેરીજનો આગામી 2 મહિના સુધી પોતાના વાંધા-સૂચનો રજૂ કરી શકશે ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તેને અંતિમ મંજૂરી આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:54 pm

ઉત્રાણમાં પ્લોટના ડખામાં પોલીસની હાજરીમાં જ ધીંગાણું:મહિલાઓ સહિત બે પરિવારો સામસામે આવી ગયા, પત્તરા ઉખાડી ઘરનો સામાન બહાર ફેંક્યો, ચારથી વધુ ઘાયલ

સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ખોડિયાર નગરમાં એક પ્લોટની માલિકી હક્કને લઈને ચાલી રહેલો વિવાદ લોહિયાળ જંગમાં ફેરવાયો હતો. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ કાફલો સ્થળ પર હાજર હતો, ત્યારે જ બંને પક્ષો વચ્ચે છૂટાહાથની મારામારી થઈ હતી. જેમાં ચાર જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા છે, જોકે પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. એક પ્લોટના બે દાવેદારો થતાં માલિકીનો વિવાદખોડિયાર નગરમાં આવેલા એક પ્લોટ પર લાંબા સમયથી કછાવર અને ચાવડા પરિવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. ચાવડા પરિવારનો પક્ષ એવો છે કે તેમનો દાવો છે કે આ પ્લોટ ગોકુલબેન નામના સભ્યને કરિયાવરમાં ભેટ તરીકે મળ્યો હતો. જ્યારે કછાવર પરિવારનો પક્ષ એવો છે કે કછાવર પરિવારે દાવો કર્યો છે કે આ પ્લોટ તેમને તેમના મોટા બાપાએ આપ્યો હતો અને તેના પર તેમનો જ હક્ક છે. પોલીસ તપાસ કરવા ગઈ ત્યારે જ મામલો બિચક્યોમિલકત વિવાદને લઈને પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે સત્યતા તપાસવા માટે ઉત્રાણ પોલીસની ટીમ ખોડિયાર નગર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ બંને પક્ષના લોકો એકઠા થઈ ગયા હતા અને બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે લાકડીઓ અને પથ્થરો ઉછળ્યા હતા. જેમાં ચાર જેટલાને ઇજા પહોંચી છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો ઘરમાં ઘૂસીને તોડફોડ કરી રહ્યા છે. પોલીસે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યાઘટના બાદ ફરિયાદી પક્ષે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસની હાજરી હોવા છતાં ગુંડાતત્વોએ હુમલો કર્યો અને પોલીસે તેમને રોક્યા નહીં. આ મામલે ઉત્રાણ પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે પ્લોટના વિવાદની અરજીના આધારે સ્થળ પર તપાસ કરવા ગયા હતા. બંને પક્ષો અચાનક ઉશ્કેરાઈને સામસામે આવી ગયા હતા. પોલીસ પર લાગેલા આરોપો તદ્દન ખોટા છે. અમે તાત્કાલિક પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને બંને પક્ષો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરીહાલમાં પોલીસે મારામારી અને તોડફોડના દૃશ્યોના આધારે સામસામે ગુનો દાખલ કર્યો છે. વાઇરલ વીડિયોમાં દેખાતા ઈસમોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉત્રાણ પોલીસે આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ પણ વધારી દીધું છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:44 pm

PM મોદી હસ્તે 31 માર્ચે 626 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલ બનશે; 1976 EWS-II આવાસથી ગરીબ-મધ્યમ વર્ગને સપનાનું ઘર મળશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ અંદાજે રૂ. 626.68 કરોડના વિવિધ 10 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગર મહાનગરપાલિકા અને ગુડા દ્વારા આયોજિત આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને જનસુખાકારીમાં ધરખમ ફેરફારો લાવશે. વડાપ્રધાનની આ મુલાકાતને પગલે શહેરના શહેરી વિકાસના ઇતિહાસમાં એક નવું સુવર્ણ સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. 10 જેટલા મહત્વાકાંક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોના સર્વાંગી ઉત્કર્ષ માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 10 જેટલા મહત્વાકાંક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસ કાર્યોથી માત્ર શહેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત નહીં થાય, પરંતુ નાગરિકોની સુખાકારીમાં પણ મોટો ઉછાળો આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં આવાસનું લોકાર્પણવડાપ્રધાનના હસ્તે ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગો માટે આવાસની મોટી ભેટ આપવામાં આવશે. વાસણા-હડમતિયા TP-9 વિસ્તારમાં અંદાજે 246 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા કુલ 1976 EWS-II આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના ઘરનું સપનું સાકાર કરશે. આ ઉપરાંત, શહેરની સ્વચ્છતા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને પેથાપુર ખાતે 15 MLD ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ લોકાર્પણ થશે જે જળ શુદ્ધિકરણની પ્રક્રિયાને વેગ આપશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણમાં નવા રસ્તા બનાવાશેગાંધીનગરના વિસ્તરતા જતા વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે. કુડાસણ, રાયસણ, રાંદેસણ અને સરગાસણ જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં 72.91 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. ટ્રાફિક અને પરિવહન સુવિધા સુધારવા માટે સેક્ટર-11 ખાતે બિઝનેસ કોરિડોર રોડ ડેવલપમેન્ટ અને સુશોભનનું કાર્ય પણ હાથ ધરાશે, જે શહેરના આર્થિક હૃદય સમાન વિસ્તારને નવી ઓળખ આપશે. સ્ટ્રોમ વોટર લાઈનનું પણ ખાતમુહૂર્તચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિકાલ માટે કોબા, રાયસણ અને રાંદેસણ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું આયોજન છે. આ સાથે જ રાંધેજા ખાતે ચાર તળાવોને જોડવાની કડી અને સ્ટ્રોમ વોટર લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે જળ સંચયની દિશામાં પણ મહત્વનું પગલું સાબિત થશે. ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે મોટા ચિલોડામાં નવું નેટવર્ક અને STP તેમજ TP-29થી અડાલજ સુધી ટ્રંક મેઈન લાઈન નાખવાના કામો શરૂ કરવામાં આવશે. TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરાશેશહેરમાં રોજગારી માટે આવતી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર TP-6માં વર્કિંગ વુમન હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. 25.61 કરોડના ખર્ચે આકાર પામનારી આ હોસ્ટેલ કામકાજી મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો​ગાંધીનગર મહાનગરપાલિકા અને ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ તમામ પ્રકલ્પોની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડાપ્રધાનની આ મુલાકાત અને વિકાસ કાર્યોની ભેટ ગાંધીનગરને સ્માર્ટ સિટી અને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:42 pm

મહેસાણા બાયપાસ પર ફિલ્મી દૃશ્યો સર્જાયા:ટ્રકચાલકે અર્ટિગાને ટક્કર મારી 10 કિમી સુધી ઢસડી, પોલીસે નાકાબંધી કરતા ટ્રક મૂકી આરોપી ફરાર

મહેસાણા બાયપાસ હાઈવે પર ગત રાતે એક બેફામ બનેલા ટ્રકચાલકે ખતરનાક રીતે ટ્રક હંકારી અર્ટિગા કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આટલેથી ન અટકતા ટ્રકચાલકે કારને રોડ પર ઢસડી હતી. પોલીસ પીછો કરી રહી હોવા છતાં ડિવાઈડર કૂદાવી રોન્ગ સાઈડમાં ટ્રક ભગાવી હતી. અંતે પોલીસની ઘેરાબંધી જોઈ ચાલક ટ્રક મૂકીને ખેતરોમાં નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હોર્ન વગાડતા ટ્રક કાર પર ચડાવવાનો પ્રયાસ કર્યોહારીજમાં રહેતા અને અંબિકા સેલ્સમાં ખાનગી નોકરી કરતા પરેશ હસમુખભાઈ બાબુલાલ ગત 27 માર્ચ, 2026ના રોજ પોતાના શેઠની અર્ટિગા ગાડી GJ-18-BQ-5281 લઈને અમદાવાદ કામ અર્થે ગયા હતા. રાત્રે દસેક વાગ્યાના સુમારે તેઓ મહેસાણા બાયપાસથી ડી-માર્ટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આગળ જતી ટ્રક GJ-08-AW-8085ને ઓવરટેક કરવા માટે તેમણે હોર્ન વગાડ્યો હતો. આ બાબતની અદાવત રાખી ટ્રકચાલકે અચાનક ટ્રક અર્ટિગા પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. કારને ટક્કર મારી ઢસડીફરિયાદીએ ગાડી ઉભી રાખવા ઈશારો કરતા ઉશ્કેરાયેલા ટ્રકચાલકે અર્ટિગાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને ગાડીને રોડ પર ઢસડી હતી. ભયભીત થયેલા પરેશભાઈએ તુરંત પોલીસને જાણ કરી ટ્રકનો પીછો શરૂ કર્યો હતો. ટ્રકચાલક ધીણોજ, મગુના થઈ રણેલા તરફ ભાગ્યો હતો. આ દરમિયાન તેણે ચાલુ ટ્રકે ફરિયાદીને લોખંડનો સળિયો મારવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે. અંધારાનો લાભ લઈ ચાલક ટ્રક મૂકી ફરારપોલીસે રણેલા નજીક બે ડમ્પર આડા મૂકી નાકાબંધી કરી હતી, પરંતુ ટ્રકચાલકે જોખમી રીતે ડિવાઈડર કૂદાવી ટ્રકને હાઈવે પર રોન્ગ સાઈડમાં દોડાવી હતી. અંતે પોલીસ અને ફરિયાદીની ગાડી સતત પાછળ હોવાથી રણેલા-મોઢેરા રોડ પર ટ્રક અધવચ્ચે મૂકી અંધારાનો લાભ લઈ ચાલક ખેતરોમાં ભાગી ગયો હતો. આ અકસ્માતમાં અર્ટિગા ગાડીના પાછળના ભાગે અંદાજે રૂ 2.50 લાખનું નુકસાન થયું છે. જોકે ફરિયાદીનો આબાદ બચાવ થયો છે. મહેસાણા તાલુકા પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:27 pm

ABVP એ ગોધરામાં રક્તદાન કેમ્પ યોજ્યો:શહીદ દિવસ નિમિત્તે 100થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું

ગોધરામાં શહીદ દિવસ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 23 માર્ચના રોજ યોજાયેલા આ કેમ્પમાં 100થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ શિબિર ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલી શ્રી શામળાજી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે યોજાઈ હતી. આ કાર્યક્રમ શહેરના બે અલગ-અલગ કેમ્પસમાં આયોજિત કરાયો હતો, જેમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સહિત કુલ 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ABVP ગોધરા નગર મંત્રી મુક્ષિત રાણાએ જણાવ્યું હતું કે, શહીદોના બલિદાનને યાદ કરવા અને સમાજ માટે ઉપયોગી થવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઉપયોગી થશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 6:05 pm

કોડીનાર-ઉના બાયપાસ પર 105 કિલો શંકાસ્પદ ઘી જપ્ત:ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ શરૂ કરી

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-ઉના બાયપાસ પરથી પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. નિયમિત ચેકિંગ દરમિયાન બોલેરો વાહનમાંથી આશરે 105 કિલો ઘી મળી આવ્યું હતું. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક બોલેરો વાહનને શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યું હતું. વાહનની તપાસ કરતા તેમાંથી 7 ડબ્બામાં ભરેલું અંદાજે 105 કિલો ઘી મળી આવ્યું હતું. આ ઘી ઉનાની શ્રીજી કરિયાણા દુકાનમાંથી માઢવડ તરફ લઈ જવાઈ રહ્યું હતું. પોલીસે તાત્કાલિક ઘીનો જથ્થો કબજે કરી કોડીનાર પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાની જાણ ફૂડ વિભાગને કરવામાં આવતા, તેમના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘી શંકાસ્પદ જણાતા, તેમાં ભેળસેળ કે નકલી ઘી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો લેબોરેટરી રિપોર્ટમાં ઘી અપ્રમાણભૂત સાબિત થશે, તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે ચિંતા વ્યાપી છે. લોકો દ્વારા તંત્ર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. હાલ આ મામલે શંકાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. ફૂડ વિભાગના લેબ રિપોર્ટ બાદ જ ઘીની ગુણવત્તા અંગેનું અંતિમ સત્ય સામે આવશે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:57 pm

કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ:સીએમનો મજબૂત શીર્ષ નેતૃત્વનો દાવો તો રાજ્યમાં પૂરતો પુરવઠો હોવાની ડે. સીએમની સાંત્વના, PM પ્રવાસ પહેલા કોંગ્રેસ લાલઘુમ

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં રાજકોટમાં ‘હેતનો હોંકારો’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત કરાયુ.... આ પ્રસંગે દાદાએ કહ્યુ કે દેશનું શીર્ષ નેતૃત્વ મજબૂત હાથમાં હોવાથી કોઈને યુદ્ધ સહિતની કોઇને ચિંતા નથીઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM સાથે બેઠક બાદ સરકારની હાઈલેવલ મીટિંગ વડાપ્રધાન સાથે ગઈકાલે બેઠક બાદ આજે મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક બોલાવી... નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સાથે અફવા ફેલાવવા વાળાઓ પર કડક કાર્યવાહી થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PMના સાણંદ પ્રવાસ પહેલા કોંગ્રેસના આક્ષેપ PMના સાણંદ પ્રવાસ પહેલા કોંગ્રેસે એજ્યુકેશન કમિશનરને સવાલ કરતા કહ્યુ કે સાહેબ વ્હાલા થવા માટે વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવે છે, પરંતુ ખાલી પડેલી જગ્યા કેમ ભરવામાં આવતી નથી?આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOની ચેતવણી RTE હેઠળ પ્રવેશ શરૂ થાય તે પહેલા વાલીઓને DEOએ વાલીઓને ચેતવણી આપતા કહ્યુ કે આવક ઓછી બતાવી બાળકને પ્રવેશ અપાવશે તો તમારી સામે ફોજદારી ગુનો દાખલ થશે અને પ્રવેશ પણ રદ્દ થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોમાતાથી દીકરી ટાંકીમાં પડતા ઢાંકણું બંધ કર્યુ અમાદાવાદના અમરઇ વાડીમાં માતાના હાથમાંથી છટકી દીકરી પાણીની ટાંકીમાં પડી જતા માતાએ તેને બચાવી નહી અને ભૂલ ઢાંકવા ઢાંકણુ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ.. પિતાએ માતા વિરુધ ફરીયાદ નોંધાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જમીન માટે ભાઈઓએ બહેનની હત્યા કરી ઉનાના નેસડા ગામે જમીન માટે પિતરાઇ ભાઈઓએ બહેનની હત્યા કરી... અગાઉ બહેનને પ્રેમી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી અડધી જમીન પચાવી પાડી... ગુનો છપાવવા હાર્ટએટેકનું તરકટ રચી લાશ ટ્રેક્ટરમાં લાશ નાખી અડધો કલાકમાં જ અંતિમ સંસ્કાર પતાવ્યા .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના રાજકોટની સાધના સોસાયટીમાં એક વ્યક્તિ આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો હતો ને બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો... સોસાયટીના પાર્કિંગમાં 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર કબજે કરાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિએ જ પત્ની પર એસિડ એટેક કરાવ્યો અમદાવાદના નરોડામાં યુવતી પર થયેલ એસિડ એટેકમાં પતિનો હાથ હોવાનું ખુલ્યુ... ભોગ બનનાર આરોપીને મર્દાનગી બાબતે મેણાં-ટોણાં મારતી હતી જેથી આરોપીએ સબક શીખવાડવા એસિડ એટેક કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદરમાં બે બાળકોના ડૂબવાથી મોત પોરબંદરમાં શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નાહ્વા ગયેલા બે કિશોરોના ડૂબી જવાથી મોત થયા,,, તળાવની ઊંડાઈનો અંદાજ ન હોવાથી બંને ડૂબી ગયા.. બે બાળકોના મોતથી ગામમાં માતમ છવાયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે માવઠાના એંધાણ! કાળઝાળ ગરમી સાથે આગામી દિવસોમાં માવઠાના એંધાણ છે ... 29 અને 30 માર્ચે યલ્લો એલર્ટ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:55 pm

પંચમહાલમાં DDOનું પદ નવ મહિનાથી ખાલી:વિકાસ કાર્યો પર અસર; કાલોલના MLA અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કાયમી અધિકારીની નિમણૂકની માગ કરી

પંચમહાલ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO)નું પદ છેલ્લા નવ મહિનાથી ખાલી છે. આ 'ઇન્ચાર્જ રાજ'માંથી મુક્તિ અપાવવા અને કાયમી અધિકારીની નિમણૂક કરવા માટે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં રજૂઆત કરી છે, જ્યારે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ આ મામલે કાયમી અધિકારીની નિમણૂકની માંગ કરવામાં આવી રહી છે. જિલ્લામાં મુખ્ય વહીવટી વડાની ગેરહાજરીને કારણે વિકાસ કાર્યો પર અસર પડી રહી હોવાનું મનાય છે. પંચમહાલ જિલ્લામાં 65 ટકા મહેકમનો અભાવ હોવાથી DDOની ખાલી જગ્યાની અસર વધુ વર્તાઈ રહી છે. હાલમાં, પંચમહાલ જિલ્લામાં કાયમી DDO ન હોવાથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક DDO તરીકેનો વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. એક જ અધિકારી પાસે બે મહત્વની જવાબદારીઓ હોવાને કારણે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અજીત ભાટીએ આ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકાર વિકાસની વાતો કરે છે, પરંતુ પંચમહાલ જેવા મહત્વના જિલ્લામાં નવ મહિનાથી કાયમી વહીવટી વડાની નિમણૂક કરી શકાતી નથી, જે ગંભીર બાબત છે. તેમણે તાત્કાલિક કાયમી DDOની નિમણૂક કરવા અને વહીવટી અંધાધૂંધી દૂર કરવાની માંગ કરી છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની ઘણા સમયથી ખાલી પડેલી જગ્યા પર કાયમી નિમણૂક કરવામાં આવે તેવી રજૂઆત મારા દ્વારા કરવામાં આવી છે. આ અંગે RAC પંચમહાલના કે.કે. પટેલે સ્પષ્ટતા કરી હતી કે, સમકક્ષ અધિકારીની નિમણૂક માટે જિલ્લા કક્ષાએથી GAD કે પંચાયત વિભાગને કોઈ લેખિત જાણ કરવામાં આવતી નથી. DDOની નિમણૂક સીધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં વહીવટી તંત્રના પાયાના ગણાતા વર્ગ-3ના મહેકમમાં પણ મોટી ખાલી જગ્યાઓ છે. જુનિયર ક્લાર્કની 133 જગ્યાઓ સામે હાલ માત્ર 40 જગ્યાઓ ભરેલી છે, જ્યારે 93 જગ્યાઓ ખાલી પડી છે. હાલ 40 હંગામી કર્મચારીઓ 133 કર્મચારીઓનું કામ સંભાળી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:53 pm

સોમનાથમાં પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ઉજવાયો:પૂર્વ ચીફ સેક્રેટરીએ વર્ચ્યુઅલી મહાપૂજનમાં ભાગ લીધો

આજે સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી પ્રવીણ લહેરીનો 82મો જન્મદિવસ ધાર્મિક વિધિપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પવિત્ર પ્રસંગે સોમનાથ મહાદેવના ચરણોમાં વિશેષ મહાપૂજન અને આયુષ્ય મંત્રજાપનું આયોજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજારીગણના સંસ્કૃત મંત્રોથી મંદિર પરિસરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. નોંધનીય છે કે પ્રવીણ લહેરીએ તેમના ધર્મપત્ની સાથે આધુનિક ટેકનોલોજીના સહારે આ પૂજામાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તોની અવરજવર જોવા મળી હતી. ટ્રસ્ટના અધિકારીઓ અને સેવકમંડળે સમગ્ર આયોજનને સુવ્યવસ્થિત રીતે પાર પાડ્યું હતું. સાંજના સમયે ભગવાન સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે દીપમાળા આરતી યોજાશે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવારે પ્રવીણભાઈ લહેરીના સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુષ્ય જીવન માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:52 pm

₹5.24 કરોડના ખર્ચે પોરબંદર ચોપાટીની કાયાકલ્પ થશે, 3D વીડિયો:ઓપન જિમ, યોગ કેન્દ્ર, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઊભી કરાશે, પ્રથમ તબક્કાનું ટેન્ડર જાહેર

ગુજરાત સરકારની વિકાસલક્ષી નીતિઓને અનુસરીને પોરબંદર શહેરમાં પાયાની સુવિધાઓ અને પ્રવાસન વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાઈ રહ્યા છે, જેમાં હવે ચોપાટી પુનઃવિકાસ પ્રોજેક્ટનો ઉમેરો થયો છે. અસ્માવતી ઘાટથી રતનપુર સુધીનો વિકાસતંત્ર દ્વારા અસ્માવતી ઘાટથી રતનપુર સુધીના દરિયાકિનારાને વિકસાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ યોજનાના ભાગરૂપે ચોપાટી અને દરિયાકાંઠાના વિસ્તારને વધુ આકર્ષક બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 5.24 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાએ આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓસીયનિક હોટેલની પાછળના વિસ્તારમાં આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં વિવિધ સવલતોનો સમાવેશ થાય છે: યોગ કેન્દ્ર: નાગરિકોના સ્વાસ્થ્ય માટે વિશેષ જગ્યા. ટ્રાફિક એજ્યુકેશન પાર્ક: બાળકોને મનોરંજન સાથે ટ્રાફિકના નિયમોનું શિક્ષણ મળશે. ચિલ્ડ્રન પ્લે એરિયા: બાળકો માટે આધુનિક રમત-ગમતના સાધનો. ઓપન જિમ: જાહેર જનતા માટે ખુલ્લી વ્યાયામશાળા. ક્રિએટિવ પેવેલિયન: આધુનિક સ્થાપત્ય શૈલી ધરાવતું બેઠક વ્યવસ્થાનું સ્થળ. પરિવારમિત્ર અને સુરક્ષિત પર્યટન સ્થળઆ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચોપાટી વિસ્તારને સ્વચ્છ, સુરક્ષિત અને 'ફેમિલી ફ્રેન્ડલી' જાહેર સ્થળ તરીકે સ્થાપિત કરવાનો છે. દરિયાકાંઠાના કુદરતી સૌંદર્ય સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમન્વય થવાથી સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે પોરબંદર એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે. આ વિકાસકાર્ય પૂર્ણ થતાની સાથે જ શહેરના પ્રવાસન ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો આવવાની અને નાગરિકોના જીવનધોરણમાં સુધારો થવાની આશા રાખવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:46 pm

વ્યાજખોર રાઘુભા સોલંકીની જામીન અરજી કોર્ટે ફગાવી:આરોપીના ત્રાસથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો, રણેલાના યુવકની આત્મહત્યાનો મામલો

મહેસાણા જિલ્લાના રણેલા ગામના યુવક સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી કરી લીધેલી આત્મહત્યાના મામલે કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બન્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકી દ્વારા મુકવામાં આવેલી રેગ્યુલર જામીન અરજી મહેસાણા સેશન્સ કોર્ટે નામંજૂર કરી દીધી છે. વ્યાજખોરના ત્રાસથી યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હતુંમૃતક સંદીપ પટેલે વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધાકધમકીથી ત્રસ્ત થઈને આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ મામલે પોલીસ તપાસ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રાઘુભા સોલંકીએ જેલમુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન સરકાર પક્ષે સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, વ્યાજખોરી જેવા ગંભીર ગુનાઓમાં જો આરોપીને જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને કેસની તપાસ પર પણ તેની માઠી અસર પડી શકે છે. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે જામીન અરજી ફગાવીબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, નામદાર સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ સરકારી વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા કોર્ટે આરોપી રાઘુભા ઉર્ફે શક્તિ મંગાજી સોલંકીની જામીન અરજી ફગાવી દેવાનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત પરિવારને ન્યાયની આશા બંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 28 Mar 2026 5:45 pm