અમેરિકા રહેતી મહિલાને સુરતમાં જી-3 શો રૂમનાં સેલ્સમેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઇરાદે ઓનલાઇન લગ્ન પણ કર્યા હતાં. જો કે, અમેરિકાનાં વિઝા નહીં મળતાં આ સેલ્સમેને તેણી પાસેથી 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના અને હૈદરાબાદ ખાતેનો ફલેટ પડાવી લીધો હતો. અમેરિકાથી યુવતીએ તેના ભાઈને મેઈલ કર્યો હતો અને આ મેઈલના આધારે જ ફરિયાદ નોંધવામાં આવી છે. લાલગેટ પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તપાસ દરમિયાન આરોપી યુવક પરણિત હોવાનું પણ સામે આવ્યું છે. યુવતીએ ઓનલાઈન કપડા મંગાવતા યુવક સંપર્કમાં આવ્યો હતોગુજરાતના હિંમતનગર ખાતે રહેતા પરિવાર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનો વેપાર કરે છે. તેની સૌથી નાની દીકરી હિનલ પટેલ (ઉ.વ. 40, નામ બદલ્યું છે) નાં લગ્ન વર્ષ 2014માં અમદાવાદ ખાતે થયા હતાં. પતિ હૈદરાબાદ ખાતે આઇટી કંપનીમાં નોકરી કરતો હોય હિનલ ત્યાં રહેવા ગઇ હતી. પતિએ હૈદરાબાદમાં હિનલનાં નામે એક ફલેટ ખરીદ્યો હતો. ત્યારબાદ પતિ અને હિનલ અમેરિકા જતાં રહ્યાં હતાં. જયાં તેમને એક દીકરીનો જન્મ થયો હતો. ત્યારબાદ આ બંને વચ્ચે અણબનાવ બનતાં તેઓ છૂટા પડયા હતાં. વર્ષ 2020માં છૂટાછેડા થયા બાદ હિનલ દીકરી સાથે રહેતી હતી. દરમિયાન હિનલે સુરત ઘોડદોડ ખાતે આવેલી જી-3 દુકાનમાંથી દીકરી માટે ઓનલાઈન કપડા મગાવ્યા હતા. એ સમયે જી-3 દુકાનમાં નોકરી કરતો એઝાઝ પટેલ (રહે-301, અલ મક્કા એપાર્ટમેન્ટ, છડાઓલ, લોખાત હોસ્પિટલ, રામપુરા, સુરત) તેણીનાં પરિચયમાં આવ્યો હતો. હિનલ પટેલ અવાર નવાર કપડા મગાવતી હોય એઝાઝે તેણીનો નંબર મેળવી લઈ મેસેજ કરવા માંડયા હતાં. 2024માં આરોપી એઝાઝ અને યુવતી સાઉદી અરેબિયામાં મળ્યા હતા સતત મેસેજ અને કોલ કરી એજાઝે હિનલ સાથે સંબંધ વધાર્યા હતાં. બાદમાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જાન્યુઆરી, 2024માં હિનલ હૈદરાબાદ આવી હતી. એ સમયે એઝાઝ તેને મળવા પહોંચી ગયો હતો. હોટેલમાં હિનલની સાથે રોકાયેલા એઝાઝે તેણીને ભોળવી ફલેટની ચાવી લઇ લીધી હતી. વીસ દિવસ રોકાઈ હિનલ ફરી અમેરિકા જતી રહી હતી. ત્રણ મહિના બાદ એપ્રિલ 2024માં એઝાઝે હિનલને સાઉદી અરેબિયા બોલાવી હતી. સાઉદી અરેબિયામાં ધર્મ પરિવર્તન કરાવી યુવતીનું નામ ઈકરા રાખ્યુંસાઉદી અરેબિયામાં કોઇ સંસ્થામાં લઈ જઈ હિનલનું ધર્મ પરિવર્તન કરાવી તેમનું નામ ઇકરા રાખી દીધું હતું. સાથે જ તેઓએ મે મહિનામાં ઓનલાઇન લગ્ન કરી લીધા હતાં. લગ્નનાં છ મહિના બાદ એઝાઝે હિનલ ઉર્ફે ઇકરા ઉપર અમેરિકા લઇ જવા દબાણ કરવા માંડયું હતું. જો કે, વિઝા ન મળતાં તે અમેરિકા જઈ શક્યો ન હતો. ત્યારબાદ એઝાઝે હિનલ પાસે પૈસાની માંગણી કરવા માંડી હતી. યુવતીની રોકડ, દાગીના અને ફ્લેટ પડાવી લીધોવોટ્સએપ તથા ઈમેઇલ કરી ધાક ધમકી આપી એઝાઝે તેણી પાસેથી 60 લાખ રૂપિયા બળબજરીથી ટ્રાન્સફર કરાવ્યા હતાં. વર્ષ 2025માં એઝાઝે હિનલને ઈન્ડોનેશિયા બોલાવી હતી. જ્યાં તેઓ છ દિવસ રોકાયા હતાં. એ દરમિયાન હિનલે ભાઈને કોલ કરી જણાવ્યું હતું કે, આપણા ઘરે પડેલાં દાગીનાની મારે જરૂર છે. તમે એ દાગીના એઝાઝને આપી દેજો એ મને અમેરિકા પહોંચાડી દેશે. જેથી ભાઈ હિંમતનગરથી સુરત આવ્યા અને એઝાઝને ઘરે જઈ 18 તોલા સોનાનાં દાગીના આપ્યા હતાં. આ દાગીના એઝાઝે હિનલને નહીં પહોંચાડી અંગત વપરાશમાં લઇ લીધા હતાં. આ રીતે 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાનાં દાગીના તથા હૈદરાબાદનાં ફલેટની ચાવી લઈ લેનારા એઝાઝ પાસેથી હિનલે પરત માંગ્યા તો તેણે ગાળા ગાળી કરી હતી. હિનલે આ વાત ભાઈ પ્રદીપને કરવા સાથે એઝાઝ સામે પોલીસ ફરિયાદ કરવા કહ્યું હતું. ફરિયાદ અંગે અમેરિકાથી હિનલે એક મેઈલ કર્યો હતો જેના આધારે ભાઈએ લાલગેટ પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરીપોલીસે હાલ પિતાના ધંધામાં સાથે કામ કરતા 30 વર્ષીય એઝાઝ સલીમભાઇ પટેલ (રહે.301, અલ મક્કા એપાર્ટમેન્ટ, છડાઓલ, લોખાત હોસ્પીટલ પાસે, રામપુરા, સુરત) ની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરી તેના એક દિવસના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે એઝાઝે પરણીત છે.
આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જ વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. સવાલા સીટના જિલ્લા પંચાયત સદસ્ય રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ વિવિધ પડતર પ્રશ્નો અને જમીન તબદિલીના મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી વિગતવાર જવાબ માંગ્યા છે. ટાઉનહોલ અને નિગમનું ગોડાઉન બનાવવાનો પ્રસ્તાવસદસ્યની મુખ્ય રજૂઆત ખેરાલુમાં લાયબ્રેરી બનાવવા, આરોગ્ય વિભાગ હસ્તકની જગ્યાનો હેતુફેર કરી ટાઉનહોલ બનાવવા અને આશરે 18,724 ચોરસ મીટર જમીનમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન બનાવવાના પ્રસ્તાવ અંગે છે. તેમણે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, જિલ્લા પંચાયત હસ્તકની કોઈપણ મિલકતની તબદિલી, હેતુફેર કે વેચાણ કરતા પૂર્વે ડિસ્ટ્રિક્ટ લેન્ડ કમિટી દ્વારા નક્કી કરાયેલ જંત્રી મુજબની પૂરેપૂરી રકમ જિલ્લા પંચાયતને મળવી જોઈએ. આ આર્થિક પાસાઓની ચર્ચા કર્યા બાદ જ યોગ્ય નિર્ણય લેવા તેમણે જણાવ્યું છે. બિલ્ડિંગના પ્લાન અને નકશા મનપામાં મંજૂરી અર્થે મોકલાયાજમીનના પ્રશ્નો ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના નવીન બિલ્ડિંગના નિર્માણમાં થઈ રહેલા વિલંબ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સદસ્યના જણાવ્યા મુજબ, બિલ્ડિંગના પ્લાન અને નકશા મહાનગરપાલિકામાં મંજૂરી અર્થે મોકલાયા છે. પરંતુ જગ્યામાં સરકારી નેળિયું દર્શાવેલ હોવાથી ટેકનિકલ કારણોસર મંજૂરી અટકી પડી છે. એજન્સીની નિમણૂક થઈ ગઈ હોવા છતાં કામ કેમ શરૂ નથી?ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ હોવા છતાં અને એજન્સીની નિમણૂક થઈ ગઈ હોવા છતાં કામ કેમ શરૂ નથી, થયું તે બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માંગ કરી છે. આ તમામ મુદ્દે આગામી સામાન્ય સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ અને ડીડીઓ ડૉ. હસરત જસ્મીન પાસે વિગતવાર અને લેખિત માહિતી આપવા રજૂઆત કરવામાં આવી છે.
ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેના પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે આજરોજ વહેલી સવારે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ સાત જગ્યાએ થી સાધનો સહિત 25 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાળોંધરાએ જણાવ્યું હતું કે, આજરોજ વહેલી સવારે ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રેતી ખનીજ ચાળવાની પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રી કચેરી ભાવનગર ની તપાસ ટીમ દ્વારા લાખણકા ગામ ખાતે અલગ અલગ 7 જગ્યાએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, તપાસ દરમ્યાન વિસ્તારમાં અલગ અલગ 7 જગ્યાએ રેતી ખનીજ ચાળવા માટેના 7 ચારણા, તેમજ ચારણા સાથેની અન્ય સામગ્રી સાથે અલગ અલગ 7 ઈસમો રણછોડ બચુભાઇ ખસીયા, મુના પ્રેમજીભાઈ ખસીયા, અશ્વિન ભુપતભાઈ ખસીયા, બીજલ હરજીભાઈ ખસીયા, દીપક કાનજીભાઇ બારીયા, ભોપા ખોડાભાઈ બારૈયા તથા મુન્ના ઘુસાભાઈ ચૌહાણ તમામ રહે.લાખણકા વાળાઓ ગેરકાયદેસર રેતી ચાળવાની ખનીજ પ્રવૃત્તિ કરતા હોવાનું જોવા મળેલ, જેથી અલગ અલગ વિસ્તારમાં માંથી કુલ 25 લાખનો મુદ્દામાલ સિઝ કરી જીએમડીસી તગડી ખાતે અટક રાખવામાં આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, ત્યારે ખાણ ખનીજ વિભાગની સતત કાર્યવાહીથી ખનીજ ચોરોમાં ફફટાડ ફેલાયો હતો.
ગઢડામાં એક સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ફરિયાદી 65 વર્ષીય જસુબેન કોરડિયા ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર સામેની સાંકડી શેરીમાં રહે છે. તેમણે ગઢડા પોલીસમાં હિતેશ બલદાણીયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જસુબેન જૂના સ્વામિનારાયણ મંદિરેથી પૂજા પાઠ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે રસ્તા વચ્ચે પડેલી એક બાઇક અંગે પૂછતા બાઇક માલિક હિતેશ બલદાણીયા ઉશ્કેરાઈ ગયો હતો. હિતેશ બલદાણીયાએ સાંખ્યયોગી બહેનને બિભત્સ શબ્દોમાં ગાળો ભાંડી હતી. ત્યારબાદ તે હાથમાં કાંટાવાળું ઝાડુ લઈને આવ્યો અને હવે મળીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ જસુબેન કોરડિયાએ ગઢડા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હિતેશ બલદાણીયા વિરુદ્ધ ગુનો નોંધીને તાત્કાલિક રાત્રે સાંકડી શેરી વિસ્તારમાં ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.
શિવરાત્રિની મધ્યરાત્રિએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલે ગિરનારના મૃગીકુંડમાં ડૂબકી લગાવતાં મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ મહારાજ લાલઘુમ થયા છે અને કહ્યું છે કે, મારી સ્પષ્ટ માંગ છે કે આ બાબતે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગુનો ક્ષમ્ય નથી, કારણ કે, આ લોકોની આસ્થા અને સંતોની પવિત્રતા સાથેનો ખેલ છે. આપણી પરંપરાઓ આદિકાળથી ચાલી આવે છે અને તેનું સન્માન જળવાવું જ જોઈએ. આવા 'નાટકો' પવિત્ર જગ્યાઓ પર ચલાવી લેવામાં આવશે નહીં. સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું હતું કે , મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢ ખાતે ભવનાથના મેળામાં મૃગી કુંડમાં સ્નાનનું અદકેરું મહત્વ છે. આ સ્નાન માટે દેશભરમાંથી નાગા સાધુઓ અને અન્ય સન્યાસીઓ પધારે છે. તેઓ અત્યંત વિરક્ત ભાવથી અને શ્રદ્ધાપૂર્વક આ પવિત્ર કુંડમાં ડૂબકી લગાવતા હોય છે. સોશિયલ મીડિયા પર સતત વિવાદિત નિવેદનો આપતી કીર્તિ પટેલ, જે પોતાને 'રીલ્સની હિરોઈન' ગણાવે છે, તેણે ભગવા કપડાં પહેરીને મૃગી કુંડમાં સ્નાન કર્યું છે. આ ખરેખર એક નિંદનીય ઘટના છે. તેણે લોકોને અને પોલીસને મૂર્ખ બનાવીને આ કૃત્ય કર્યું છે, જે કોઈ કાળે ચલાવી લેવાય નહીં. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢના તમામ સંતો આજે ભેગા મળીને આ મુદ્દે ચર્ચા કરશે અને આગળ શું પગલાં લેવા તે અંગે નિર્ણય કરશે. આ સનાતન પરંપરા અને સંતોની પવિત્રતા સાથેની મજાક છે. મારી સ્પષ્ટ માંગ છે કે આ બાબતે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. આ ગુનો ક્ષમ્ય નથી, કારણ કે, આ લોકોની આસ્થા અને સંતોની પવિત્રતા સાથેનો ખેલ છે. આપણી પરંપરાઓ આદિકાળથી ચાલી આવે છે અને તેનું સન્માન જળવાવું જ જોઈએ. આવા 'નાટકો' પવિત્ર જગ્યાઓ પર ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મહિલા પીઆઈ કે.જે.મોડે કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહાશિવરાત્રી મેળા દરમિયાન ફરજ પરના મહિલા પોલીસ અધિકારી કે.જે.મોડ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવા અને સરકારી ફરજમાં રૂકાવટ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલે જે પ્રકારે સાધુ-સંતો અને ખાસ કરીને રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપો કર્યાં છે, તેણે જૂનાગઢના ધાર્મિક વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. મૃગીકુંડમાં ડૂબકી બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરીને લખ્યું છે કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ મને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઇન્દ્રભારતી બાપુની સચાઇ પ્રૂફ સાથે હું કહીશ, ભગવાની પાછળના હું બધા રાજ જાણું છું. તે બધી સચ્ચાઈ પુરાવા સાથે જાહેર કરીશ. હું કદાચ શબ્દોથી ખરાબ હોઈશ, પણ એ અન્યાય સહન નહીં કરું. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે આયોજિત ભજનના કાર્યક્રમમાં કીર્તિ પટેલ પૈસા ઉડાવતી જોવા મળી હતી. આ વીડિયો વાઇરલ થયા બાદ તે શિવરાત્રિની રવેડી પહેલા પોતાના મિત્રો સાથે ભગવા વસ્ત્રો પહેરીને રવેડી રૂટ પર ફરતી જોવા મળી હતી. આ ઘટનાક્રમ બાદ મધ્યરાત્રિએ તેણે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું, જે કુંડ માત્ર સાધુ-સંતો માટે અનામત ગણાય છે. મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કીર્તિ પટેલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે તીખી તકરાર થઈ હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં કીર્તિ પટેલ ગેરવર્તણૂક કરતી જણાતાં મામલો વધુ બિચક્યો હતો. સમગ્ર ઘટનાની ગંભીરતા જોતાં જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ મામલે તટસ્થ તપાસના આદેશ આપ્યા છે. કીર્તિ સામે પોલીસ કાર્યવાહીની તલવાર લટકી રહી છે, ત્યારે તેણે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કર્યો છે.
મેમનગરમાં રહેતા વૃદ્ધે રાણીપમાં એક મકાન લેવા માટે મકાન માલિકને 19 લાખ રૂપિયા આપ્યા હતા. મકાન માલિકે મકાન પરની લોન પૂર્ણ કરવા માટે લીધેલા રૂપિયાથી લોન પૂર્ણ કરી નહીં અને સિનિયર સિટિઝનને 19 લાખનો ચૂનો લગાવ્યો હતો. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોસાયટી રીડેવલપમેન્ટમાં જતા મકાન લેવાનું નક્કી કર્યુંમેમનગરજોયતરામ પાર્કમાં રહેતા 61 વર્ષીય શિરીષ પ્રાભાકર ઓઝા ખાનગી કંપનીના માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. શિરીષભાઈની સોસાયટી રીડેવલપમેન્ટમાં જવાની હોવાથી તેમણે બીજી જગ્યાએ મકાન લેવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાના મિત્ર જીતુભાઈ શાહની મદદથી આંબાવાડીની એક સ્ટોક બ્રોકર કંપનીના મનન પંચાલનો સંપર્ક કર્યો હતો, કારણ કે તે મકાન વેચવાનું હતું. ફ્લેટનો ભાવ 42 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યોશિરીષ ઓઝાએ મનન અશોકભાઈ પંચાલનો સંપર્ક કર્યો, ત્યારે તેણે જણાવ્યું હતું કે હાલ તે વાડજના કલ્પતરુ એપાર્ટમેન્ટમાં રહે છે અને તેનો બીજો ફ્લેટ ન્યૂ રાણીપના અર્જુન વિલામાં છે, જે વેચવાનો છે. ફ્લેટ જોઈને ભાવતાલ નક્કી કરતાં ફ્લેટનો ભાવ 42 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. જ્યારે મનને શિરીષભાઈને કહ્યું કે, ફ્લેટ પર 18.81 લાખ રૂપિયાની લોન છે, માટે જો તેઓ આ રૂપિયા આપી દે તો તે લોન ભરીને મકાનના ઓરિજિનલ દસ્તાવેજ લઈ શકે. જેને પગલે શિરીષભાઈએ તેને 19 લાખ રૂપિયા આપ્યા હતા, જેના સામે શિરીષભાઈએ એફિડેવિટ કરાવી લીધું હતું. પૈસા કે ડોક્યુમેન્ટ ન આપતા ફરિયાદજોકે, આ રૂપિયા લીધા બાદ પણ મનન પંચાલે બેંકમાં જમા કરાવી ડોક્યુમેન્ટ છોડાવીને શિરીષભાઈને આપ્યા નહોતા. આ રૂપિયા તેણે અંગત લાભ માટે લઈને શિરીષભાઈ સાથે ઠગાઈ કરી હતી. જે અંગે તેમણે ક્રાઇમ બ્રાંચની આર્થિક ગુનો નિવારણ શાખામાં ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા આજથી શરૂ થઈ છે. આ ટ્રેન આજે સવારે 8:50 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચી હતી, જે નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ વહેલી હતી. ટ્રેનમાં ઓછા મુસાફરો જોવા મળ્યા હતા, જ્યારે હિંમતનગરના લોકો ટ્રેન જોવા માટે સ્ટેશને ઉમટી પડ્યા હતા. ટ્રેન નંબર 26964 અસારવા-ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) અસારવાથી સાંજે 5:45 વાગ્યે ઉપડીને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટી-અસારવા વંદે ભારત એક્સપ્રેસ 18 ફેબ્રુઆરી, 2026 થી દરરોજ (મંગળવાર સિવાય) ઉદયપુર સિટીથી સવારે 6:10 વાગ્યે પ્રસ્થાન કરીને સવારે 10:25 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશનો પર રોકાશે. તેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર સહિત કુલ 8 કોચનો સમાવેશ થાય છે.ઉત્તર પશ્ચિમ રેલવે (NWR) દ્વારા આગ્રા કેન્ટ-અસારવા અને અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન આજથી શરૂ કરવામાં આવી છે. આ ટ્રેન આજે સાંજે આગ્રા કેન્ટથી ઉપડશે અને આવતીકાલે સવારે 9:45 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચશે.ટ્રેન નંબર 01920 અસારવા-આગ્રા કેન્ટ સ્પેશિયલ 19 ફેબ્રુઆરીથી 01 માર્ચ, 2026 સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) દરરોજ બપોરે 2:50 વાગ્યે અસારવાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 7:45 વાગ્યે આગ્રા કેન્ટ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01919 આગ્રા કેન્ટ-અસારવા સ્પેશિયલ 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી, 2026 સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) દરરોજ સાંજે 6:10 વાગ્યે આગ્રા કેન્ટથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે. આ ટ્રેન કુલ 18 ટ્રિપ કરશે.આ ટ્રેન બંને દિશામાં હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલ ગઢ, બૂંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. તેમાં એસી 3-ટાયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે.
હિંમતનગરમાં હિંદુ સંમેલન યોજાયું:સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે લક્ષ્મીનારાયણ વસ્તી એકત્રિત થઈ
હિંમતનગરના મારુતિનગર પાસે આવેલા નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે રાત્રે લક્ષ્મીનારાયણ વસ્તીનું હિંદુ સંમેલન યોજાયું હતું. હિંદુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા તથા હિંદુ જાગરણને નવી ઊર્જા પ્રદાન કરવાના હેતુથી આ સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં લક્ષ્મીનારાયણ વસ્તીના ભાઈઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનની શરૂઆત દીપ પ્રાગટ્ય અને શૈલેષભાઈ જોશીના સ્વાગત પ્રવચનથી થઈ હતી. સંતો અને મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંતસ્વામી સદગુણદાસજીએ સનાતન ધર્મના ઇતિહાસ, શિખા, તિલક, સંસ્કૃત અને હનુમાન ચાલીસાનું મહત્વ સમજાવી સનાતન ધર્મને ચરિતાર્થ કરવા આહ્વાન કર્યું હતું. મુખ્ય મહેમાન બદ્રીનારાયણભાઈ મિસ્ત્રીએ હિંદુત્વની રક્ષા કરનારા યોદ્ધાઓને આદર્શ બનાવવાની વાત કરી હતી. તેમણે આતંકવાદ રોકવા, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલાઓ, સનાતન ધર્મના લક્ષણો, ભગવદ ગીતા અને ઉપનિષદમાં સનાતન માટે શું કહેવાયું છે તેની ચર્ચા કરી હતી. તેમણે ગૌમાતાને રાષ્ટ્રમાતા અને ભારતમાતાને હિંદુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે સૌ હિંદુઓને એકજૂથ થવા પ્રેરણા આપી હતી. સંમેલનના અધ્યક્ષ હર્ષદભાઈ કડિયાએ હિંદુઓને એક થઈ અધાર્મિક તત્વો સામે લડવા તૈયાર થવા આહ્વાન કર્યું હતું. માતૃશક્તિમાંથી યશોદાબેન ખત્રીએ સ્ત્રી સશક્તિકરણ વિશે વાત કરી બહેનોને વ્યક્તિગત જીવનમાં આગળ આવવા અને હિંદુ ધર્મ રક્ષા માટે સમયદાન આપવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મધ્ય ભાગમાં પ્રવીણભાઈ પંચાલ દ્વારા ભજન અને સત્સંગનું રસપાન કરાવવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા અને RSS ના પ્રાંત સેવા સહ પ્રમુખ અશ્વિનભાઈ કડેચાએ ભારત દેશના ભવ્ય ઇતિહાસ, શાંતિ સેવામાં છે, જીવમાત્રની રક્ષા આપણી સંસ્કૃતિ છે, રામ લક્ષ્મણની સંસ્કૃતિ અને આક્રાંતાઓ દ્વારા થયેલા હુમલાઓ વિશે વાત કરી હતી. તેમણે સંઘની સ્થાપનાના ઉદ્દેશો અને સંઘ દ્વારા કરાયેલા કાર્યો, ખાસ કરીને અસંગઠિત હિંદુઓને સંગઠિત કરવાના કાર્ય પર પ્રકાશ પાડ્યો હતો. સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કરાયેલા પંચ પરિવર્તન જેવા કે સામાજિક સમરસતા, પર્યાવરણ સુરક્ષા, સ્વબોધ, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્યની વિસ્તૃત માહિતી આપી સૌને સંઘના વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડાવા પ્રેરણા આપી હતી. ત્યારબાદ કમલેશભાઈ ઠક્કર દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા અને રામ ધૂન કરાવવામાં આવી હતી. ભારત માતાની આરતી સાથે સંમેલનની પૂર્ણાહુતિ થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચીનુભાઈ ચૌહાણે કર્યું હતું.
મજૂરને પાઈપથી માર મારવાનો તલાટી પર આક્ષેપ:ગોધરાની શક્તિનગર સોસાયટીમાં રોડના કામમાં બબાલ
ગોધરા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલી શક્તિનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. સ્થાનિક રહીશ ઉષાબેન વર્માએ આક્ષેપ કર્યો છે કે, તલાટી હર્ષદભાઈએ સરકારી કામ કરી રહેલા મજૂરો પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગાબાઈ સ્કૂલ પાસે રોડનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મજૂરો દ્વારા સામાન (માલ) નાખવા બાબતે તલાટી હર્ષદભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. મજૂરોએ આક્ષેપ કર્યો છે કે તલાટીએ તેમને પાઈપ વડે માર માર્યો હતો. આ ઘટનાથી ગભરાયેલા મજૂરોએ તાત્કાલિક સ્થાનિક રહીશ ઉષાબેન વર્માનો સંપર્ક કર્યો હતો. ઉષાબેને ઘાયલ મજૂરને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી હતી.
બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને ગતિ મળી છે. આ રિંગરોડ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં મદદ કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં બોટાદમાં વિકાસ થવાને કારણે વસ્તી અને વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આસપાસના ગામો અને જિલ્લાના લોકો રોજગારી, હીરા બજારમાં રત્નકલાકારો તરીકે કામ કરવા અને માર્કેટિંગ યાર્ડમાં પાક વેચવા માટે બોટાદ આવે છે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દે પ્રશ્ન પૂછ્યો હતો કે બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવા માટેની સર્વેની કામગીરી કયા તબક્કે છે, કેટલા ખર્ચે બનશે અને તેની લંબાઈ-પહોળાઈ કેટલી હશે. તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે રિંગરોડની સર્વેની કામગીરી હાલ પ્રાથમિક તબક્કે છે અને આ કામગીરી માટે 5560 લાખથી વધુની રકમ ફાળવવામાં આવી છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નજીકના સમયમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ એલાઈનમેન્ટની પ્રક્રિયા શરૂ થશે અને ભવિષ્યમાં રિંગરોડ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ રિંગરોડ 40 કિલોમીટર લાંબો અને ફોર-લેન બનાવવામાં આવશે, જે બોટાદની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવશે. આ માહિતી ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મોડીરાત્રે મ્યુનિસિપાલિટીની કચરા ગાડીએ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે મૃતકના પિતાની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે કચરાગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે યુવક એક્ટિવા લઈને જતાં અકસ્માતસિહોર તાલુકાના ભોજાવદરના રહેવાસી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સિંઘલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, 17 ફેબ્રુઆરીના રાત્રિના આશરે બે-સવા બે વાગ્યાના અરસામાં તેઓનો દીકરો બાદલ (ઉં.વ. 26) જે બે-ત્રણ વર્ષથી ભાવનગર રહેતો હતો અને સ્પા-મસાજ પાર્લરનું કામ કરતો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામા સિટીમાં કોઈ કામ સબબ દીકરો બાદલ એક્ટિવા નંબર GJ-04-ES-4472 લઈ જતો હતો, તે સમયે એસટી બસ સ્ટેન્ડની બહાર રોડ પર સામેથી આવતી મ્યુનિસિપાલટીની કચરા ગાડી જેના ઉપર ઓન કોન્ટ્રાક્ટ વિથ બી.એમ.સી. લખેલું હતુ, તેના ચાલકે પૂરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી તેઓના દીકરો બાદલના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. પોલીસે કચરા ગાડીના ચાલક સામે ગુનો નોંધ્યોઆ ઘટનામાં બાદલને માથાના અને કપાળના ભાગે તથા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સારવારમાં તેનું મોત નીપજ્યું છે. આ ફરિયાદના અનુસંધાને પોલીસે કચરાની ગાડી નંબર GJ-06-BX-0427ના ચાલક સામે BNS 106(1), 281, તેમજ મોટર વાહન અધિનિયમ 184, 177 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં દાગીના ધોવાના બહાને એક વૃદ્ધ મહિલાના સોનાના પાટલાની ચોરી થઈ છે. બપોરના સમયે અજાણ્યા ગઠિયાઓ આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ કાપડિયા (પટેલ) અને તેમના પત્ની કાંતાબેન બહારગામથી પરત ફર્યા હતા. થોડા સમય બાદ બપોરના સુમારે કેટલાક અજાણ્યા શખ્સો તેમના ઘરે આવ્યા હતા. તેમણે કાંતાબેનના હાથમાં પહેરેલા સોનાના પાટલા સાફ કરી આપવાની લાલચ આપી હતી. ગઠિયાઓએ યુક્તિપૂર્વક કાંતાબેનને ભોળવી, વૃદ્ધ દંપતી કંઈ સમજે તે પહેલાં જ આશરે 25 ગ્રામ વજનના સોનાના પાટલા સેરવી લીધા હતા. ત્યારબાદ તેઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણ થતાં દંપતીએ બૂમાબૂમ કરી હતી, જેથી સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. તેમણે અજાણ્યા શખ્સોને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. ભરબપોરે બનેલી આ ઘટનાને કારણે સોસાયટીના અન્ય રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ખાણી-પીણીની લારીઓ માટે ખાસ શેડ બનાવવાનું આયોજન કરાયું છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. શહેરના વ્યસ્ત ગણાતા જૂનાગંજ બજારમાં ખાણી-પીણીના કાચા-પાકા સ્ટોલો અને લારીઓને કારણે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હતો, તેમજ આસપાસ ગંદકી પણ ફેલાતી હતી. આ સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા અને લારીધારકોને વ્યવસ્થિત જગ્યા પૂરી પાડવાના હેતુથી પાલિકાએ આ નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે અલગ-અલગ સ્થળોએ શેડ તૈયાર કરવામાં આવશે. જેમાં 6 બાય 40 ફૂટનો એક શેડ જે.કે.ના દવાખાના પાસે અને 6 બાય 20 ફૂટનો બીજો શેડ ગંજ બજારના ઓટલા પાસે બનાવવામાં આવશે. આ સુવિધાને કારણે લારીધારકોને વ્યવસ્થિત જગ્યા મળશે અને બજારમાં થતા આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિક જામની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. પાલિકા દ્વારા સ્વચ્છતા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગે ચીફ ઓફિસર હિરલ ઠાકર, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, હર્ષ પટેલ સહિત સંબંધિત વોર્ડના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ શેડનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરી ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ભરુચ પોલીસનું હરિયાણામાં ઓપરેશન:33 વર્ષથી ફરાર આરોપીને યમુનાનગરથી ઉઠાવ્યો
ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા આરોપીને હરિયાણાના યમુનાનગર ખાતેથી ઝડપી પાડ્યો છે. લાંબા સમયથી બાકી રહેલા આ ગુનામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવાના માર્ગદર્શન હેઠળ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસની સર્વેલન્સ ટીમને મહત્વપૂર્ણ બાતમી મળી હતી. બાતમી મુજબ, ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી રાકેશકુમાર ધર્મપ્રકાશ ગુપ્તા 1993માં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતેથી પોલીસ જાપ્તા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે તેના વિરુદ્ધમાં ફરાર થવા બદલ બીજો ગુનો પણ નોંધાયો હતો. આરોપી છેલ્લા 33 વર્ષથી નાસતો-ફરતો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તે હાલ હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લાના જગાધરી શહેર વિસ્તારમાં વસવાટ કરતો હોવાની માહિતી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરી ઉપરોક્ત બંને ગુનાઓ અંગે અટકાયત કરવામાં આવી છે. પોલીસે વધુમાં જણાવ્યું છે કે, આ મામલે વધુ તપાસ સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી કાપડ બજારની શાન ગણાતી બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટની મીટર પેટીમાં અગમ્ય કારણોસર લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની નજીકની દુકાન સુધી પ્રસરી ગઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 10 લાખ રૂપિયાની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે. મીટર પેટીથી શરૂ થઈ તબાહી ગઈકાલે મોડી રાત્રે બોમ્બે માર્કેટની બે વિંગના કોમન મીટર બોક્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર લાગેલી આ આગે બાજુમાં જ આવેલી 'શ્રી નાગણેચિયા ટેક્સટાઈલ' નામની દુકાનને પોતાની ઝપેટમાં લીધી હતી. આ દુકાનમાં શૂટ, શેરવાની અને કુર્તાનું મોટા પાયે કામકાજ થતું હોવાથી કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ભારે જહેમત ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. પુણા ફાયર સ્ટેશનના ઓફિસર દિનુ પટેલના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે ત્રણ ફાયર સ્ટેશનની 7થી વધુ ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી. ભારે ધુમાડા અને આગના કારણે કામગીરીમાં અવરોધ આવ્યો હતો, પરંતુ બે કલાકના સતત પાણીના મારા બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ એક દુકાનમાં સીધી લાગી હતી, પરંતુ ધુમાડો અન્ય દુકાનોમાં પણ ઘૂસી જતાં ત્યાં રાખેલા માલસામાનને પણ નુકસાન પહોંચ્યું છે.લક્ષ્મણ સિંગ (દુકાન માલિક) એ જણાવ્યું હતું કે મીટર પેટીમાં લાગેલી આગ અમારી દુકાન સુધી પ્રસરી ગઈ હતી. દુકાનમાં રહેલા તમામ રેડીમેડ શૂટ, શેરવાની અને મોંઘું કાપડ બળીને રાખ થઈ ગયું છે. અમને આશરે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. નુકસાનીનો અંદાજ દુકાન માલિકના જણાવ્યા મુજબ, લગ્નસરાની સીઝન પૂર્વે તૈયાર કરવામાં આવેલો સ્ટોક આગમાં નાશ પામ્યો છે. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક દુકાનમાં આગ લાગી હતી જ્યારે અન્ય દુકાનોમાં ધુમાડો પ્રસરી જતા તેમાં પણ નુકસાની થઈ છે.
માલવણ ગામમાં AAPના પોસ્ટર મંજૂરી વગર લાગ્યા:સરપંચે કલેક્ટરને લેખિત રજૂઆત કરી કાર્યવાહી માંગી
અમરેલી તાલુકાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી (AAP) ના પોસ્ટરોને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામપંચાયતની મંજૂરી વગર જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવવામાં આવતા ગામના સરપંચ ભરત બાલધાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. સરપંચના આક્ષેપ મુજબ, આ પોસ્ટરો ગ્રામપંચાયત કોમ્યુનિટી હોલ, શિવમંદિરની દીવાલ અને અન્ય જાહેર જગ્યાઓ પર ચોંટાડવામાં આવ્યા છે. આ કૃત્ય ગ્રામપંચાયતની પૂર્વ મંજૂરી વિના કરવામાં આવ્યું છે. સરપંચ ભરત બાલધાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે પોસ્ટરોમાં તોછડા અને ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ થયો છે, જે ગામના શાંત વાતાવરણને બગાડી શકે છે. તેમણે ઉમેર્યું કે આવા લખાણની બાળકોના મગજ પર પણ નકારાત્મક અસર થઈ શકે છે. આથી, તેમણે તાત્કાલિક આવા પોસ્ટરો દૂર કરાવી અને મંજૂરી વગર આ કૃત્ય કરનારા ઇસમો સામે કાયદેસર પગલાં ભરવાની માંગ કરી છે. આ ઘટના બે દિવસ પહેલા અજાણ્યા લોકો દ્વારા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પાટણ બાળ તસ્કરી કેસના આરોપીને જામીન:ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા કોર્ટે શરતી જામીન આપ્યા
પાટણ બાળ તસ્કરી કેસના મુખ્ય આરોપી સુરેશભાઈ પાંચાજી ઠાકોરને તેમની ભત્રીજીના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણની સેશન્સ કોર્ટના જજ એમ.એ. શેખે 18 ફેબ્રુઆરી, 2026 થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી શરતી મુક્તિનો આદેશ આપ્યો હતો. આરોપીને રૂ. 50,000 જામીનગીરી ડિપોઝિટ પેટે સંબંધિત કોર્ટમાં જમા કરાવવા અને રૂ. 25,000 નાં જાત મુચરકા રજૂ કરવાના રહેશે. આ શરતોને આધિન તેમને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે. સુરેશ ઠાકોર અને અન્ય સહઆરોપીઓ સામે 2024માં પાટણની એક હોસ્પિટલમાં નવજાત બાળકને રૂ. 1.20 લાખમાં વેચી બાળ તસ્કરી કરવાનો આરોપ છે. આ અંગે પાટણ 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સુરેશ ઠાકોર હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. આ ઉપરાંત, સાંતલપુરમાં અગાઉ નોંધાયેલા 'બોગસ તબીબ' કેસમાં પણ રાધનપુરની સેશન્સ કોર્ટે તેમને આ લગ્ન માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યા છે. આરોપીના વકીલ ડૉ. મિતેશ ડી. પંડ્યા દ્વારા રજૂ કરાયેલા તમામ દસ્તાવેજો અને બંને પક્ષોની રજૂઆતોને ધ્યાનમાં લઈને કોર્ટે આ નિર્ણય લીધો હતો.
ડાયમંડ સિટી સુરતમાં નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયાના ગણતરીના કલાકોમાં જ સરથાણા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી યુવકની ધરપકડ કરી છે. જાહેરમાં નશાની મહેફિલનો વીડિયો વાઇરલઘટનાની વિગત મુજબ, સરથાણાના વ્યસ્ત એવા યોગીચોક વિસ્તારમાં આવેલા એપલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં એક યુવક નિર્ભય બનીને નશો કરી રહ્યો હતો. આ યુવક ખુલ્લેઆમ રોલિંગ પેપરમાં ગાંજો ભરી રહ્યો હતો અને ત્યારબાદ ત્યાં જ તેનું સેવન પણ કર્યું હતું. આ દૃશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધોથોડી જ વારમાં આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયો હતો, જેને પગલે સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા. જોકે, વીડિયો નજરે પડતા જ સરથાણા પોલીસ હરકતમાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી યુવકને દબોચી લીધો હતો. કોણ છે આ યુવક?પોલીસ તપાસમાં પકડાયેલા યુવકની ઓળખ આદિત્ય ભાવેશભાઈ હીરપરા તરીકે થઈ છે, જે કામરેજ વિસ્તારનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન યુવકે પોતાનો ગુનો કબૂલતા જણાવ્યું હતું કે, મને ગાંજાના વ્યસનની આદત પડી ગઈ છે. હું મારા નશા માટે એક પુડી રેલવે ટ્રેક પાસેથી લાવ્યો હતો. હું કોઈ વેચાણ કરતો નથી કે અન્ય કોઈને આ માર્ગે દોરતો નથી, મેં માત્ર મારા પોતાના વ્યસન માટે આ કર્યું હતું. મારી આ ભૂલ બદલ હું માફી માગુ છું. પોલીસે ગાંજો વેચનારની શોધખોળ શરૂ કરીસુરત પોલીસ હાલમાં ડ્રગ્સ અને નશાના કારોબાર સામે 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવી રહી છે, ત્યારે જાહેરમાં આ રીતે નશાનો વીડિયો વાઇરલ થતાં અનેક સવાલો ઊભા થયાં છે. સરથાણા પોલીસે યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તે ગાંજો ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ચાર માળનું મુરલીધર કોમ્પલેક્ષ ભીષણ આગની ઘટના બાદ ભારે વિવાદમાં આવ્યું છે. ગત તા. 05 ફેબ્રુઆરીએ કોમ્પલેક્ષમાં લાગેલી આગમાં આશરે 40 દુકાનો અને 5 જેટલા મોપેડ સળગી ખાખ થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ શહેરમાં ફાયર સેફ્ટી અને ગેરકાયદે બાંધકામ મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. આ મામલે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ ખુલાસો કર્યો કે મુરલીધર કોમ્પલેક્ષ બાંધકામ પરવાનગી વિના તેમજ ફાયર NOC વિના ઊભું કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્લેક્ષના માલીક કે ધારક કોણ છે તે અંગે પાલિકા તંત્ર અજાણ છે અને પાલિકાપાલિકા તંત્ર દ્વારા કોમર્શિયલ કોમ્પલેક્ષ પર નોટિસ ચોંટાડવામાં આવી છે, પરંતુ હજુ સુધી માલિક આગળ આવ્યો નથી. ત્યારે ખુબ અચરજ પમાડે છે કે પાલિકા તંત્રને આ કોમ્પલેક્ષના ધારક કે માલિક મળતાં નથી. ઘટનાના 12દિવસ વીતી ગયા હોવા છતાં જિલ્લા કલેક્ટર દ્વારા માંગવામાં આવેલ અહેવાલ હજી સુધી મોકલાયો નથી, માત્ર ડિઝાસ્ટરને આગ લાગ્યાની જાણ કરાઈ છે પરંતુ કોમ્પ્લેક્ષની ગેરકાયદેસરતા મુદ્દે કોઈ વિસ્તૃત અહેવાલ આજ દિન સુધી મોકલવામાં આવ્યો નથી, જેના કારણે પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ આગ જેવી ગંભીર ઘટના છતાં કોમ્પલેક્ષમાં ફરીથી વ્યાપારી પ્રવૃત્તિઓ શરૂ થઈ જતાં ફરી કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે. પાલિકતંત્ર માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી સંતોષ માનતું હોય તેવું લાગી રહ્યું છે, આ કોમ્પલેક્ષમાં કોઈ દુર્ઘટના સર્જાઈ અને નિર્દોષનો ભોગ લેવાશે તો પણ શું તંત્ર મુકપ્રેક્ષક બની જોતું રહશે? ચાર માળનું વિશાળ કોમર્શિયલ કોમ્પલેક્ષ બાંધકામ મંજૂરી વગર ખડકાઇ ગયું અને પાલિકાનું ભ્રષ્ટતંત્ર મુક પ્રેક્ષક બની જોતું રહ્યું ત્યાર બાદ કોમ્પલેક્ષમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ના હોવાથી ગત 27/06/2024ના ફાયર વિભાગે ફાયર NOC મેળવી લેવા નોટિસ ફટકારી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો બાદમાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ના આવી. જવાબદાર તંત્રની ઉદાસીનતા અને ગંભીર બેદરકારીના કારણે કોમર્શિયલ કોમ્પલેક્ષમાં ભીષણ આગની ઘટના સામે આવી ભીષણ આગની ઘટના બાદ પણ જવાબદાર તંત્ર માત્ર કાગળ પર ની રમત રમી રહ્યું છે પરંતુ કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી સામે આવી નથી હાલ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી કડક પગલાંની માંગ ઉઠી રહી છે.
પાટણને સ્વચ્છ-સુંદર શહેર યોજના માટે મંજૂરી:રૂ. 1.25 કરોડની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી મળી
પાટણ શહેરને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 'સ્વચ્છ અને સુંદર શહેર'ના કામો માટે રૂ. 1.25 કરોડની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન, ગાંધીનગર કચેરી તરફથી મળેલા સૈદ્ધાંતિક મંજૂરી પત્રના આધારે આ નિર્ણય લેવાયો છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળના નવા ઘટક તરીકે 'સ્વચ્છ અને સુંદર શહેર' યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનો ઉદ્દેશ પાટણ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો છે. સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત, ગાંધીનગર દ્વારા નગરપાલિકાઓને નિર્ધારિત હેતુ માટે મળવાપાત્ર ગ્રાન્ટની મર્યાદામાં શહેરના વિકાસ અને સૌંદર્યલક્ષી સુધારણામાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે વિગતવાર વાર્ષિક બ્યુટિફિકેશન પ્લાન તૈયાર કરીને અભિપ્રાય સહ મોકલી આપવા જણાવાયું હતું. આ સૂચના મુજબ, પાટણ નગરપાલિકાએ ચેકલિસ્ટ અને ડીપીઆર (ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) સ્વચ્છ ભારત મિશન અર્બન, ગાંધીનગર કચેરીને મોકલી આપ્યા હતા. પાટણ નગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલા ડીપીઆરને પ્રમાણિત કરીને 'સ્વચ્છ અને સુંદર શહેર' યોજનાની કામગીરી સત્વરે હાથ ધરવા માટે દર્શાવેલી શરતોને આધીન સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂરી મુજબ, પાટણ નગરપાલિકાને 'A' વર્ગની નગરપાલિકા તરીકે રૂ. 125.00 લાખ (1.25 કરોડ)ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી શહેરની સ્વચ્છતા માટે 70 એટલે કે રૂ. 87,50,000 અને શહેરની સુંદરતા માટે 30 એટલે કે રૂ. 37,50,000ની રકમ ફાળવવામાં આવી છે. પાટણ નગરપાલિકાએ સામાન્ય સભાના ઠરાવ દ્વારા આ કામનું આયોજન કર્યું હતું. ગાંધીનગરની પ્રાદેશિક કચેરીના કાર્યપાલક ઈજનેર દ્વારા આ કામો માટે સક્ષમ તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રસ્તાની સફાઈ અને રહેણાંક તથા વાણિજ્યિક વિસ્તારની સફાઈ માટે રૂ. 84,57,034 અને શહેરના બ્યુટિફિકેશન કામ (દિવાલ માટે) રૂ. 40,22,887 મંજૂર કરાયા છે. આમ, પાટણ નગરપાલિકાને 'સ્વચ્છ શહેર સુંદર શહેર' યોજના અંતર્ગત ઉપરોક્ત કામો માટે સ્વચ્છ ભારત મિશનના કચેરી હુકમમાં જણાવેલી શરતો તેમજ વધારાની શરતોને આધીન કુલ રૂ. 1,24,79,921ની વહીવટી મંજૂરી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.
દાહોદમાં કમોસમી વરસાદ:ગાજવીજ સાથે માવઠું વરસતાં શિયાળુ પાક જોખમમાં, ખેડૂતોમાં ચિંતા પ્રસરી
દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે થયેલા આ માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દાહોદ શહેર સહિત લીમખેડા, રાબડાલ અને ગરબાડા પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વાતાવરણમાં અસ્થિરતા હતી. મોડી રાત્રે અચાનક વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતા પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વહેલી સવાર સુધી અનેક વિસ્તારોમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો, જેનાથી માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હાલ ખેડૂતો માટે શિયાળુ પાકને સાચવવાનો અત્યંત મહત્વનો સમય છે. ખેતરોમાં ઘઉંનો પાક લણણી માટે તૈયાર છે, જ્યારે ચણાની કાપણી પણ ચાલી રહી છે. કૃષિ નિષ્ણાતોના મતે, આ તબક્કે પડેલો વરસાદ પાક માટે આશીર્વાદને બદલે આફત સમાન છે. વરસાદના કારણે અનાજમાં ભેજનું પ્રમાણ વધે છે, જેનાથી ઘઉંના દાણા કાળા પડી શકે છે. જો અનાજની કુદરતી ચમક ઓછી થશે તો માર્કેટ યાર્ડમાં ખેડૂતોને યોગ્ય ભાવ મળશે નહીં, જે તેમને મોટો આર્થિક ફટકો પહોંચાડશે. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી ૨૪ કલાક દરમિયાન વાદળછાયું વાતાવરણ યથાવત્ રહી શકે છે. આ સ્થિતિને જોતા તંત્ર દ્વારા ખેડૂતોને સતર્ક રહેવા અને તૈયાર પાકને સુરક્ષિત સ્થાને ખસેડવા અપીલ કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં મતદાર યાદીમાંથી આશરે 24 હજારથી વધુ મતદારોના નામ કમી કરવા માટે દાખલ કરાયેલા ફોર્મ નંબર-7ના મોટાભાગના વાંધા રદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ મતદારોના નામ યાદીમાં યથાવત રહ્યા છે. ચૂંટણી પંચની SIR (Systematic Information Retrieval) પ્રક્રિયા બાદ આ વાંધા નોંધાવવામાં આવ્યા હતા. વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં ફોર્મ નંબર-7 દ્વારા મતદારોના નામ કમી કરવા માટે વાંધા દાખલ કરાયા હતા. આ વાંધાઓમાં સાવરકુંડલા-લીલીયામાં અંદાજે 8 હજાર, અમરેલીમાં 7 હજાર, લાઠીમાં 1 હજાર, ધારીમાં 2 હજાર અને રાજુલામાં 6 હજાર મતદારોનો સમાવેશ થતો હતો. કુલ મળીને આશરે 24 હજાર મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી સામે વાંધા નોંધાયા હતા. આ મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને તેમની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારીઓને રજૂઆતો કરી હતી. કોંગ્રેસે દાવો કર્યો હતો કે અનેક ફોર્મ નંબર-7 પૂરતા પુરાવા વિના દાખલ કરવામાં આવ્યા છે, જે મતદારોના બંધારણીય અધિકાર પર અસર કરી શકે છે. તેમણે વિધાનસભાવાર આવેદનપત્રો પાઠવી ખોટી રીતે દાખલ થયેલા ફોર્મ રદ કરવાની અને મનસ્વી રીતે વાંધા નોંધાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતાં, અગાઉ દાખલ કરાયેલા ફોર્મ નંબર-7 પૈકી મોટાભાગના વાંધાઓ રદ કરવામાં આવ્યા છે. પરિણામે, આશરે 24 હજાર જેટલા મતદારોના નામ મતદાર યાદીમાં જાળવી રાખવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે જણાવ્યું છે કે ખોટી રીતે વાંધા નોંધાવનાર 45 જેટલા વ્યક્તિઓ સામે તંત્ર ક્યારે પગલાં ભરે છે તે જોવું રહ્યું. તેમણે ચેતવણી આપી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો કાનૂની માર્ગ અપનાવવામાં આવશે. કોંગ્રેસે આ ઘટનાને પ્રજાહિત અને લોકશાહી માટેની લડત ગણાવી છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેએ માફી માંગી હતી અને ફરી આવું કૃત્ય ન કરવાની વાત કરી હતી. હજુ અન્ય બે શખ્સ પોલીસ પકડમાંથી દૂર છે. જેમાં શખ્સે માર માર્યો હતો અને બીજો વિડિયો ઉતરતો હતો. વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર માટે બોલાવી હતી. એને પગલે યુવતીના ભાઇ સહિતના 4થી5 લોકોએ યુવકને ઢોરમાર માર્યો હતો. એને પગલે સમગ્ર મામલો અકોટા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો, જોકે યુવકે ફરિયાદ કરવાની ના પાડતાં અકોટા પોલીસે કલમ 151 અંતર્ગત 2 યુવકની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી હતી. પકડાયા બાદ યુવકોએ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે, ઇન્ડિયા બુલ્સ મોલ ઉપર જે બનાવ બન્યો હતો, તેમાં સામેવાળા જે મિત્રો છે તે અમે બધા જ બાળપણથી મિત્રો છીએ. અમે સાથે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. જે દિવસે આ ઘટના બની, તે દિવસે અમે તેમને અમારી ઓફિસ પર બોલાવ્યા હતા. ત્યાં કોઈ નાની-મોટી બાબતે ગેરસમજ થતા આવેશમાં આવીને અમારા બંને વચ્ચે અંદરોઅંદર ઝગડો થઈ ગયો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા અમારા પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. અમે પોલીસને પૂરેપૂરો સહકાર આપ્યો છે. પોલીસ દ્વારા અમને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે. અમારા દ્વારા જે કંઈ પણ કૃત્ય થયું છે, તે માટે અમે અમારી ભૂલ સ્વીકારીએ છીએ. અમે ખાતરી આપીએ છીએ કે આગળ જતાં આવી કોઈ પણ ઘટના ફરીથી બનશે નહીં. ગર્લફ્રેન્ડને મેસેજ કરી ડિનર પર બોલાવતાં મામલો બિચક્યો વડોદરા શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને શહેરની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. પછી તેઓ મોબાઇલ પર મેસેજથી વાતો કરતાં હતાં અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. વેલેન્ટાઇન ડેના રોજ યુવકે તેની ગર્લફ્રેન્ડને મેસેજ કરીને ડિનર પર બોલાવી હતી, જેની જાણ યુવતીના ભાઇને થઈ ગઇ હતી. યુવતીનો ભાઇ અને યુવક બંને સારા મિત્રો છે, જેથી યુવતીના ભાઇએ યુવકને અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં બોલાવ્યો હતો અને ત્યાં યુવતી પણ હાજર હતી. યુવતીના ભાઇ સહિત 4થી 5 લોકોએ યુવકને તાલિબાની સજા આપતા હોય એમ ઢોરમાર માર્યો હતો. યુવતીએ પણ યુવકને લાફા ઝીંક્યા હતા, તેનો વીડિયો પણ ઉતાર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વીડિયો વાઇરલ થતાં અકોટા પોલીસ એક્શનમાં આવી હતી અને ફરિયાદી અને યુવકને માર મારનારા 2 યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા, જ્યાં બદનામીના ડરથી યુવકે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી દીધી હતી. જેથી પોલીસે કલમ 151 હેઠળ 2 આરોપીની અટકાયત કરી હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. યુવતીની હાજરીમાં ભાઈ સહિતના યુવકોએ બેફામ ગાળાગાળી કરી સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એેમાં એક યુવતી અને ત્રણ યુવકો નજરે પડી રહ્યાં છે. ત્રણ પૈકીનો એક યુવક યુવતીનો ભાઈ હોવાનું જણાય છે. યુવતીની હાજરી હોવા છતાં યુવકો બેફામ ગાળાગાળી કરતા નજરે પડી રહ્યા છે. યુવતીને જે યુવકે મેસેજ કર્યો હતો તેને બંધક બનાવી લાકડી, મુક્કા અને થપ્પડો મારી રહ્યા છે. વીડિયોમાં દેખાતા લોકોને સંવાદના મુખ્ય અંશો… પીડિત યુવકઃ 'અમે લોકો બહાર ગયા હતા' સામેનો યુવકઃ 'બહેન કહીને તું શું કરે છે, પછી શું થયું હતું, તું સાચું બોલ, તું ઊઠકબેઠક કર, કાન પકડ.' પીડિત યુવકઃ 'ઊભા રહો,ચશ્માં તૂટી જશે' યુવતીઃ 'એક મિનિટ ઊભો રહો, તું સાચું બોલ, નહીં તો હું મારીશ. હું ઇજ્જતથી બહુ મારીશ' સામેનો યુવકઃ 'બોલ હેપ્પી બર્થ ડે.' યુવતીઃ 'હું તારી શું થાઉ?' પીડિત યુવકઃ 'બહેન છે મારી.' યુવતીઃ 'મારા પપ્પાને બોલાવશે તોપણ મને શરમ નહીં, તું કહે છે કે તું ખોટો છે' પીડિત યુવકઃ 'હું કહું છું કે હું ખોટો છું.' સામેનો યુવકઃ 'તું સાચું બોલ, શું થયું હતું?' પીડિત યુવકઃ 'અમે લોકોએ વાતચીત કરી હતી અને અમે બેઠાં હતાં. અમે રાત્રે બેઠાં હતાં અને શાંતિથી વાતચીત કરી હતી' સામેનો યુવકઃ 'સાચું કહે કે તારા ઘરે શું થયું હતું, તારી ઔકાત ભૂલી ગયો છે, તું બહેન બોલ.' પીડિત યુવકઃ 'હું માનું છું કે મારી ભૂલ છે, સોરી ભાઇ, આજ પછી આવું નહીં થાય. કોઇપણ હોય, ઔકાતમાં રહીશ, એ મારી બહેન છે'
ગોધરામાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું:પંચમહાલમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો, ખેડૂતો ચિંતિત
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ થયેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જોકે બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અચાનક આવેલા વરસાદને કારણે ફેબ્રુઆરી મહિનાની ગરમી વચ્ચે વાતાવરણમાં એકાએક ઠંડક અનુભવાઈ હતી. હવામાનમાં આવેલા આ પલટાથી સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે. જોકે, આ કમોસમી વરસાદ રવિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઘઉં, ચણા અને ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે, કારણ કે પાકને નુકસાન થવાનો ભય છે. બદલાતા હવામાનને લીધે શરદી-ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધવાની પણ શક્યતા છે. આથી, સ્થાનિકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી જરૂરી છે.
બાર કાઉન્સિલ ચૂંટણી:સુરેન્દ્રનગરમાં ઉમેદવાર દિપેન દવે, વકીલો સાથે બેઠક યોજી, સમર્થન માટે અપીલ
ગુજરાત બાર કાઉન્સિલની 2026ની ચૂંટણીનો માહોલ જામ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર દિપેન દવે (ક્રમ નંબર 22) ફરી મેદાનમાં ઉતર્યા છે. સુરેન્દ્રનગરના વતની હોવાથી તેમણે સુરેન્દ્રનગરમાં વકીલો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે પોતાના 14 વર્ષના સેવાભાવ, ભ્રષ્ટાચાર સામે કડક વલણ અને ડિજિટલ પરિવર્તન પર ભાર મૂકી સમર્થન માટે અપીલ કરી હતી. દિપેન દવે 2012થી 2026 સુધી બાર કાઉન્સિલના સભ્ય, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે વકીલ આલમ માટે અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તેમણે 1100થી વધુ બેઠકોમાં હાજરી આપી છે, પરંતુ આજ દિન સુધી ભાડા-ભથ્થા (TA/DA) તરીકે એકપણ રૂપિયો સ્વીકાર્યો નથી. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે તેમણે બાર કાઉન્સિલના ઓડિટેડ એકાઉન્ટ્સ વેબસાઇટ પર મૂકી પારદર્શિતાની નવી પરંપરા સ્થાપિત કરી છે. વકીલોના પરિવારની સુરક્ષા માટે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમના પ્રયાસોથી મૃત્યુ સહાય 1,50,000થી વધારીને 5,00,000 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે માંદગી સહાય 30,000થી વધારીને 1,50,000 રૂપિયા સુધી પહોંચાડવામાં આવી છે. છેલ્લા સાત વર્ષમાં તેમણે રાજ્ય સરકાર પાસેથી વકીલોના વેલફેર માટે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. વકીલોને કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તેમણે કડક પગલાં લીધા છે. તેમના પ્રયાસોથી એક એડિશનલ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્રણ સબ-રજિસ્ટ્રારો સામે ACBની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત, તેમણે બાર કાઉન્સિલની પોતાની મોબાઇલ એપ્લિકેશન અને GLH ઇ-લાઇબ્રેરી શરૂ કરાવી વકીલોને ટેકનોલોજીથી સજ્જ કર્યા છે. દિપેન દવેએ 14,000 જુનિયર વકીલોની શપથવિધિ અને AIBE પરીક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડી યુવા વકીલોના માર્ગદર્શક બન્યા છે. તેમણે આગામી 6 માર્ચ, 2026ના રોજ યોજાનારી બાર કાઉન્સિલની ચૂંટણીમાં બેકલોટ નંબર 22ને પ્રેફરન્સ નંબર 1 આપવા માટે અપીલ કરી હતી.
વાપીમાં મોપેડ ધીમે ચલાવવા કહેતા વિવાદ થયો:15 શખસના ટોળાએ પાઇપ-સળિયા વડે ઘર પર હુમલો કરી તોડફોડ કરી
વલસાડ જિલ્લાના વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં મોપેડ ધીમે ચલાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આશરે 15 જેટલા શખ્સોના ટોળાએ લોખંડના સળિયા અને પાઇપ જેવા હથિયારો સાથે એક પરિવારના ઘર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઘરના દરવાજા અને ડસ્ટબિનમાં તોડફોડ કરવામાં આવી હતી. વાપી પોલીસે 10 નામજોગ અને અન્ય 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી રૂપેશકુમાર રાજમન પ્રસાદે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 11 ફેબ્રુઆરીની રાત્રે તેમનો ભાઈ ઈશ્વર ઘર પાસે બાળકને સાયકલ ફેરવી રહ્યો હતો. તે સમયે પડોશમાં આવેલી મુસ્તફા બિલ્ડિંગનો એક યુવક ઝડપથી મોપેડ લઈને પસાર થયો હતો. ઈશ્વરે તેને મોપેડ ધીમે ચલાવવા ટકોર કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીની અદાવત રાખીને પાંચ દિવસ બાદ, 16 ફેબ્રુઆરીની રાત્રે પાંચેક યુવકો મોપેડ પર ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં મુસ્તફા બિલ્ડિંગમાંથી આશરે 15 જેટલા ઈસમોનું ટોળું લોખંડના સળિયા અને પાઇપ જેવા હથિયારો સાથે ધસી આવ્યું હતું. હુમલાખોરોથી બચવા ફરિયાદીનો પરિવાર ઘરમાં ભરાઈ ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ ઘરના દરવાજા અને બહાર રાખેલી ડસ્ટબિન પર સળિયા ફટકારી તોડફોડ કરી આશરે ₹5,000નું નુકસાન કર્યું હતું. આ ઉપરાંત, પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે પોલીસે નિયાજ અબ્દુલ ગફુર ખાન, જીશાન ઈકબાલ અહેમદ શેખ, મોહમ્મદ ઈશરાર ચૌધરી, સલીમ ઉર્ફે રેયાન શેખ, નશરૂદ્દીન શેખ, ઈશહાક અલી શેખ, અબ્દુલ્લા અહેમદ શેખ, રીઝવાન અલીકદર શેખ, જાવેદ અબ્દુલ ગફુર ખાન અને મોહમ્મદ શાબીર શેખ સહિત અન્ય 5 થી 7 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ 20 અને 21 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. અમદાવાદમાં આજે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે, જેની અસર હવામાન પર પડી શકે છે. જોકે, હાલમાં રાજ્યમાં ઠંડી વધવાની કોઈ શક્યતા નથી, ઉલટાનું તાપમાન વધવાથી ગરમીનો અહેસાસ થશે. સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદરમાંરાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે અને તાપમાનમાં વધારો નોંધાશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદર ખાતે 15 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 19.2 ડિગ્રી અને ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 19.4, ભાવનગરમાં 19, ભુજમાં 17.2, દમણમાં 19, ડીસામાં 17.3, દીવમાં 15.8, દ્વારકામાં 19, ગાંધીનગરમાં 18.5, કંડલામાં 18, નલિયામાં 15.5, ઓખામાં 19.8, પોરબંદરમાં 15, રાજકોટમાં 15.2, સુરતમાં 19.2 અને વેરાવળમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેલ બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપાલ સેક્રેટરી સંજીવ કુમાર આજે શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિક, કલેક્ટર સુજીત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, કલેક્ટર, ડીઈઓ, એસપી સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરશે. કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આજે વીડિયો કોન્ફરન્સ યોજાવાની છે જેમાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને મહત્વની ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
નવસારી GIDCમાં શ્રી રામ ફાઈબર કંપનીમાં આગ:લાખોનો માલ બળીને ખાખ, 3 કલાકમાં કાબૂ મેળવાયો
નવસારી GIDCમાં આવેલી શ્રી રામ ફાઈબર શીટ બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, સવારે આશરે 6 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. ફાઈબર શીટ બનાવતી કંપની હોવાથી જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને જોતા નવસારી મહાનગરપાલિકાના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ ઓલવવા માટે ફાયર ફાઈટરની 4 ગાડીઓ, 2 મોટા વોટર ટેન્કર અને 40 સભ્યોની ફાયર ટીમ તૈનાત કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે સતત પાણી અને ફોર્મનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. અંદાજે 3 કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ દુર્ઘટનામાં કંપનીમાં રહેલો લાખો રૂપિયાનો કાચો માલ અને તૈયાર ફાઈબર શીટનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાનનો આંકડો ઘણો મોટો હોઈ શકે છે. સદનસીબે, વહેલી સવારનો સમય હોવાથી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વલસાડ અતુલ હાઇવે પર બાઇક સ્લિપ:પાર નદી પાસે પ્રોઢ ચાલક ઈજાગ્રસ્ત, સિવિલ હોસ્પિટલમાં દાખલ
વલસાડના અતુલ હાઇવે પર મંગળવારે રાત્રે એક માર્ગ અકસ્માત થયો હતો. પાર નદી નજીક બાઇક સ્લિપ થતાં 50 વર્ષીય પ્રોઢ ચાલક હિતેશભાઈ જનાભાઈ પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ધારાનગર વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પટેલ આલોક કંપનીમાં નોકરી પૂર્ણ કરીને પોતાની બાઇક (GJ-15-EA-5968) પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાર નદી પાસે અચાનક બાઇક પરથી કાબૂ ગુમાવતા બાઇક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં હિતેશભાઈને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટના બનતા જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવ અંગે નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિએ ટ્રિપલ તલાક આપી અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા જેથી ગેરકાયદેસર રીતે ટ્રિપલ તલાક આપી દેતાં અરજી કરી હતી. જે બાદ નિવેદન લઈ ટ્રિપલ તલાક આપ્યા હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 28 વર્ષીય યુવતીના વર્ષ 2013માં લગ્ન થયા હતામળતી માહિતી મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2013માં જમાલપુર વિસ્તારમાં જ રહેતા યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન એક બાળકીનો જન્મ થયો હતો. સંયુક્ત કુટુંબમાં સાથે રહેતા હતા. લગ્નજીવન બાદ ધીમે ધીમે ઘરમાં ઝઘડા શરૂ થઈ ગયા હતા. પરિણીતા ગર્ભવતી હતી ત્યારે પિયર મોકલી દીધીપરિણીતા સાથે સાસુ અને નણંદ બોલાચાલી કરતા હતા. અવારનવાર મેણા ટોણા મારતા હતા. પરિણીતા તેના માતા પિતા સાથે ફોન ઉપર વાત કરતી ત્યારે મોબાઈલ પણ ઝૂંટવી લેતા હતા. પરિણીતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેની દવા કરાવતા નહોતા અને ત્યારે જ તેને પિયર પણ મોકલી દીધી હતી. પતિએ પોસ્ટથી તીન તલાક આપ્યાબાળકીનો જન્મ થયા બાદ પણ પરિવારજનો જોવા માટે આવ્યા નહોતા. સાસરીમાં પરત લઈ જતા નહોતા. વર્ષ 2021માં સમાધાન કરી સાસરીમાં રહેવા ગઈ હતી ત્યારબાદ પણ બોલાચાલી કરી હતી અને તેના પતિએ કહ્યું હતું કે હું તેની સાથે રહેવા માંગતો નથી. વર્ષ 2025માં પતિએ પોસ્ટથી તીન તલાક આપ્યા હતા. જોકે મહિલાને તલાક આપવા નહોતા તેથી તેણે સ્વીકાર્યા નહોતા. જે બાદ સમજાવવા માટે મોકલ્યા ત્યારે પતિએ કહ્યું હતું કે મેં તલાક આપી દીધા છે જેથી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી આપી હતી જે બાબતે નિવેદન લખાવવા બોલાવતા તેમણે તલાક આપી દીધા હતા એવું કહ્યું હતું. પતિએ અન્ય યુવતી સાથે લગ્ન પણ કરી લીધાજાન્યુઆરી 2026માં સરખેજ રોજા ખાતે એક યુવતી સાથે પતિએ લગ્ન પણ કરી લીધા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ચાલુ નાણાકીય વર્ષના અંતિમ મહિનાઓ નજીક આવતા જ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેરા વસૂલાતની કામગીરી ઝડપી કરવામાં આવી છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનમાં બાકીદારો સામે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વિવિધ વિસ્તારોમાં કુલ 168 જેટલી મિલકતોને સીલ મારી દીધી હતી. આ સાથે જ રૂપિયા 70 લાખથી વધુની વસૂલાત કરી હતી. ડ્રાઈવ યોજી અઠવાલાઇન્સ, વેસુ, ડુમસ સહિતના વિસ્તારોમાં સપાટોસુરત મહાનગરપાલિકાના સાઉથ-વેસ્ટ (અઠવા) ઝોનના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા 17 ફેબ્રુઆરી, 2026ના રોજ એક વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કામગીરી હેઠળ અઠવાલાઇન્સ, વેસુ, ડુમસ, ભટાર, મજુરા, અલથાણ, સિટીલાઇટ તેમજ ભીમરાડ જેવા વિસ્તારોમાં ટીમો ત્રાટકી હતી. જે મિલકતદારો લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરી રહ્યા હતા, તેમની સામે સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. એક જ દિવસમાં ₹70.67 લાખની વસૂલાતપાલિકાની આ કડક કાર્યવાહીને પગલે અનેક બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેવી મિલકતો સીલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ, કે તુરંત જ અનેક મિલકતદારોએ બાકી લેણાં ચૂકવવાની તૈયારી બતાવી હતી. મળતી માહિતી મુજબ, આ ઝુંબેશ દરમિયાન મનપાએ એક જ દિવસમાં કુલ ₹70,67,183 (સિત્તેર લાખ સડસઠ હજાર એકસો ત્યાસી રૂપિયા)ની રોકડ વસૂલાત કરી હતી. ચાલુ વર્ષની કુલ આવક ₹189 કરોડને પારસાઉથ-વેસ્ટ ઝોન દ્વારા સતત વસૂલાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કડક વસૂલાત અને ઝુંબેશના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં આ ઝોન દ્વારા કુલ ₹189.54 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. હજુ પણ માર્ચ મહિના સુધી આ કામગીરી વધુ તેજ બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.
શહેરના રખિયાલ વિસ્તારમાં મુકબધીર અને માનસિક રીતે અસ્થિર સાત વર્ષથી બાળકીને મહિલા હેલ્પલાઇન અભ્યમ દ્વારા તેના પિતાનો મેળાપ કરાવવામાં આવ્યો હતો. બાળકી ઘરેથી નીકળી ગઈ હતી અને BRTS બસ સ્ટેન્ડ પર એકલી બેસી રહી હતી. જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઈનમાં ફોન કરીને મદદ કરી હતી. બાળકીને તેના પરિવાર વિશે પૂછતા તે કશું બોલતી નહોતી. બાળકી લઘુમતી સમાજની હોવાના કારણે હેલ્પલાઇન દ્વારા પોલીસની મદદ લઈને આસપાસના મસ્જિદોમાં એલાન કરાવવામાં આવ્યું હતું. આસપાસના પોલીસ સ્ટેશનમાં બાળકીના ફોટા મોકલવામાં આવ્યા હતા. જે બાદ તેના પિતાનો સંપર્ક થતા સહી સલામત બાળકીને સોંપવામાં આવી હતી. બાળકી 3 વાગ્યાની BRTS બસ સ્ટેન્ડ બેસીમહિલા હેલ્પલાઇન અભયમ 181માં કોલ આવ્યો હતો કે, રખિયાલ વિસ્તારમાં આશરે 6-7 વર્ષની બાળકી 3 વાગ્યાની BRTS બસ સ્ટેન્ડ બેસી રહી છે, પરંતુ તેને લેવા કોઈ આવ્યું નથી, જેથી ઓઢવ લોકેશનની ટીમ પહોંચી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ બાળકી 3 વાગ્યાની બસ સ્ટેન્ડ બેસી છે, પરંતુ પૂછપરછ કરતાં તે બાળકી કઇ બોલતી નથી અને સમજતી નથી. મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર દ્વારા બાળકીને નામ પૂછતાં તે કઈ પણ બોલતી ન હતી. ત્યારબાદ બાળકીને ચિત્રો બતાવતા તેમજ અવાજ સંભળાવતા તે મુસ્લિમ બાળકી હોવાનુ જણાવ્યું હતુ. એક ભાઈએ ફોટો જોઈ પિતાને ઓળખતા હોવાનું કહ્યુંબાળકીના પરિવારજનોને શોધવા માટે આસપાસની મસ્જિદમાં બાળકી મળી હોવાનુ એલાન કરાવેલકરાવવામાં આવ્યું હતું. તેમજ બાળકીને લઇ આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ આ બાળકીને ઓળખાતુ ન હતુ, જેથી બાળકીનો ફોટો આસપાસના પોલીસ સ્ટેશનમાં અપલોડ કર્યો. ચાઈલ્ડ હેલ્પલાઇન 1098માં જાણ કરતાં તેમનો સ્ટાફ પણ આવી ગયો હતો. આસપાસના વિસ્તારમાં ફોટો બાળકીનો બ્રોડકાસ્ટ કરતાં એક ભાઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હું તેના પિતાને ઓળખુ છું, તેમને સંપર્ક કરાવુ છું. ત્યારબાદ ફોનથી બાળકીના પિતાનો સંપર્ક થતાં તેઓએ જણાવ્યું કે, હું આવુ છું. 181ની ટીમે પિતાની બાળકીને સોંપીથોડાક સમયમાં બાળકીના પિતા આવતા તેઓએ જણાવ્યું કે, મારી બાળકી સાંભળી કે બોલી શકતી નથી. તેમજ માનસિક સ્થિતિ નબળી છે. 3 વાગ્યાથી ઘરેથી જતી રહી હતી, જેથી આસપાસના વિસ્તારમા તપાસ કરતાં મળી નહોતી. બાળકીના પિતાને એક ભાઈએ કીધુ કે, આપની બાળકી ખોવાઇ છે, જે મહિલા હેલ્પલાઇન પાસે છે. મહિલા હેલ્પલાઇન 181 દ્વારા બાળકીને તેના પિતાને સહી સલામત સોંપવામાં આવી હતી, જેથી તેમના પિતાએ 181નો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લાના વાપીમાં એક 77 વર્ષીય નિવૃત્ત મહિલા શિક્ષિકા ડિજિટલ છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાયબર ઠગબાજોએ SBI પેન્શન સ્કીમના નામે તેમનો મોબાઈલ હેક કરીને બેંક ખાતા અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માંથી કુલ ₹4,81,020 ટ્રાન્સફર કરી લીધા હતા. ફરિયાદી અનંતલક્ષ્મી અય્યર (ઉં.વ. 77) એ પોલીસને જણાવ્યું કે, ગત 26મી જાન્યુઆરીના રોજ તેમણે ફેસબુક પર SBI પેન્શનની એક જાહેરાત જોઈ હતી અને તેના પર 'Yes' ક્લિક કર્યું હતું. બીજા દિવસે તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાને બેંક ઓફિસર તરીકે ઓળખાવી, પેન્શન સ્કીમ માટે દર મહિને ₹3,000 કપાવવા પડશે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ વોટ્સએપ પર વિડીયો કોલ કરીને મહિલા પાસે મોબાઈલમાં 'સ્ક્રીન શેરિંગ' કરાવ્યું હતું. મહિલા પાસે ડેબિટ કાર્ડ ન હોવાથી તેમણે કાર્ડના છેલ્લા ચાર આંકડા આપ્યા હતા. સ્ક્રીન શેરિંગ ચાલુ હોવાથી ઠગબાજોએ મહિલાના મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો અને ફોન હેક કરી દીધો હતો. મહિલાને શંકા જતાં તેઓ બેંકમાં તપાસ કરવા ગયા હતા, પરંતુ તે દિવસે હડતાળ હોવાથી પરત ફર્યા હતા. બાદમાં જ્યારે તેમણે બેંકમાં તપાસ કરાવી ત્યારે જાણ થઈ કે તેમના SBI ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹4,81,020 ઉપડી ગયા છે. ઠગબાજોએ તેમની FD પણ તોડી નાખી હતી. આ મામલે અનંતલક્ષ્મી અય્યરે તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે વોટ્સએપ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના જેવી જ અલગ ઓળખ ધરાવતા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં લાખો રૂપિયાના ફ્લેટ લોકો રહે છે, પરંતુ પ્રાથમિક સુવિધાના નામે ખૂબ મોટો અભાવો જોવા મળ્યો છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં તાજેતરમાં જ બે દિવસ પહેલા ભાજપના કોર્પોરેટરો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા શ્રીરામ ચોક પાસે પાણીની લાઈન તૂટી ગઈ છે, જેના કારણે લાખો લીટર પાણી દરરોજ સવારે વહી રહ્યું છે. શ્રીરામ ચોક પાસે પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, જેના કારણે દરરોજ સવારે પાણી આવતાની સાથે જ રોડ ઉપર પાણી વહી રહ્યું છે. મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોને પણ પાણીમાંથી પસાર થવું પડે છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણીની લાઈન તૂટી ગઈ છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના અને ચાંદલોડિયા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. સવારે છ વાગ્યે પાણી આવતાની સાથે જ રોડ પર રેલમછેલમચાંદલોડિયા વોર્ડમાં આવતા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં શિવરાત્રીના દિવસે શ્રીરામ ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ જગ્યા પર જ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. સવારે છ વાગ્યે પાણી આવતાની સાથે જ રોડ ઉપર પાણી વહી રહ્યું છે જેના કારણે થઈને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે રોડ ઉપર પાણી વહેતું હોવાના કારણે ગંદકી થાય છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં દરરોજ અનેક લોકો મોર્નિંગ માટે નીકળતા હોય છે ત્યારે લોકોને પણ પાણીમાંથી પસાર થવું પડે છે. બે કલાકમાં લાખો લીટર શુદ્ધ પાણી રોડ ઉપર વહી જાય છે. લાઈટોથી લઈને રોડની સમસ્યા છતા અધિકારીઓ-કોર્પોરેટરો બેધ્યાનપશ્ચિમ વિસ્તારમાં ખૂબ સારી સ્કીમો ગોદરેજ ગાર્ડન વિસ્તારમાં આવેલી છે, ત્યારે આ વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાનો અભાવ જોવા મળી રહ્યો છે. પાણીની લાઈન બે દિવસથી તૂટી છે, છતાં પણ ઉત્તર પશ્ચિમ ઝોન અને ચાંદલોડિયા વોર્ડના ઇજનેર વિભાગના અધિકારીઓને આ બાબતે હજી સુધી ધ્યાન આવ્યું નથી. શ્રીરામ ચોકથી ઉમા ભવાની અંડર પાસ તરફ જવાના રોડ ઉપર પણ એક તરફનો આખો રોડ બંધ થઈ ચૂક્યો છે. આ રોડ ઉપર બે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની સાઈટો આવેલી છે, ત્યારે આ રોડ પર નવો રોડ હજી સુધી બનાવવામાં આવતો નથી. એક તરફનો રોડ બિલ્ડરના કામ માટે જાણે વપરાશ કરવાનો હોય તે પ્રમાણે ખુલ્લો રાખવામાં આવ્યો છે. લાઈટોથી લઈને રોડની સમસ્યા છે, છતાં પણ અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરો ધ્યાન આપી રહ્યા નથી.
રાતોરાત સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી 13000 ગબડી, સોનામાં 4000થી વધુનો ઘટાડો
Silver and Gold Price News : સોના અને ચાંદીના રોકાણકારો માટે મંગળવારની રાત આંચકા સમાન સાબિત થઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીમાં ₹13,000 થી વધુ અને સોનામાં આશરે ₹4,000 નો ઘટાડો નોંધાયો છે. MCX પર ભાવમાં ભારે પછડાટ: મંગળવારની રાત્રે કોમોડિટી માર્કેટમાં અચાનક આવેલી વેચવાલીને કારણે ચાંદીના ભાવમાં 5.
અમેરિકન સૈન્યનું મોટું ઓપરેશન: ડ્રગ્સ તસ્કરોની 3 નૌકા પર ભયાનક હુમલો, 11 માફિયાના મોત
AI Image
વડોદરાથી ડભોઇ તરફ જતા વિદેશી દારૂ ભરેલા ટ્રકને ગ્રામ્ય એલસીબીની ટીમે પલાસવાડા પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 23.04 લાખના દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે ટ્રક સાથે તેના ચાલકની ધરપકડ કરી છે જ્યારે દારૂ મંગાવરનાર અને મોકલનારને વોન્ટેડ જાહેર કર્યાં છે. ફાટેલી થેલીઓની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. વડોદરા જિલ્લામાં વિદેશી દારૂની મોટા ભાગે હેરાફેરી થતા રહેતી હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સુશિલ અગ્રવાલ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત દારૂની હેરાફેરી રોકવા સાથે બુટલેગર સહિતના આરોપીઓને ઝડપી પાડવાની સુચના આપવામાં આવી હતી. જેના આધારે ગ્રામ્ય એલસીબીની પોલીસની ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરવામાં આવતું હતું. પોલીસને બાતમી મળી હતી કે ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભર્યો છે અને આ ટ્રક વડોદરા તરફથી ડભોઈ જવાનો છે. જેના આધારે એલસીબી ટીમ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પલાસવાડા ફાટક આગળ ડભોઈ તરફ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતા એલસીબીની ટીમે ઝડપી પાડી હતી. ટ્રકમાં ડ્રાઈવર રાહુલકુમાર રામસીંગ જાટવ (રહે. પ્રતાપપુરા, ઇંન્દ્રજીત ગડી, તા.કાશીપુર જી.ઉધમસિંગ નગર રાજય- ઉત્તરાખંડ)ને ઝડપી પાડ્યો હતો. તેને સાથે રાખીને ટ્રકમાં પાછળ બાંધેલી તાડપત્રી હટાવી તપાસ કરતા મીણીયાની કાટેલી ખાલી થેલીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હતો. જેથી પોલીસે રૂ.23.04 લાખનો વિદેશી દારૂ, ટ્રક રૂ.10 લાખ, મોબાઇલ સહિત રૂપિયા 33.10 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. એલસીબીએ આરોપીને દારૂનો કયાંથી ભરી લઇ આવ્યો હતો અને કોને આપવાનો હતો તે બાબતે પુછપરછ કરતા દેવ રાઠવા મધ્યપ્રદેશના ભાભરા ખાતેથી દારૂ ભપેલો ટ્રક આપ્યો હતો. તેના કહ્યા મુજબના રૂટ ઉપરથી આવી વડોદરાથી કપુરાઈ ચોકડી થઈ ડભોઈ તરફ આવવાનું હતું. દારૂના સપ્લાયર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો છે.
કૃષિ ક્ષેત્ર પર સીધી અસર:ગાંધીનગરમાં બે વર્ષમાં 2.10 કરોડ ચો.મી. ખેતીની જમીન ઘટી
જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખેતીની જમીનોને બિનખેતી (નૉન એગ્રીકલ્ચર)માં ફેરવવાના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કુલ 2.10 કરોડ ચોરસમીટર ખેતીની જમીન ઓછી થઇ હોવાનું વિધાનસભામાં જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પટેલે પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં મહેસૂલ મંત્રી દ્વારા આ વિગતો જાહેર કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ વર્ષ 2024 દરમિયાન ગાંધીનગર જિલ્લામાં 96,98,459 ચો.મી. ખેતીની જમીન બિનખેતીમાં ફેરવવામાં આવી હતી. જ્યારે વર્ષ 2025 દરમિયાન આ આંકડો વધીને 1,13,45,280 ચો.મી. સુધી પહોંચ્યો છે. બે વર્ષનો કુલ આંકડો જોઇએ તો ગાંધીનગર જિલ્લામાં કુલ 2,10,43,739 ચો.મી. ખેતીલાયક જમીન ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. ખેતીની જમીન ઘટવાથી કૃષિ ક્ષેત્ર પર તેની સીધી અસર પડવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જમીનોને એન.એ.માં પરિવર્તિત કરવાથી રાજ્ય સરકારને આવકરૂપે નોંધપાત્ર રકમ પ્રાપ્ત થઈ છે. ગાંધીનગર જિલ્લામાંથી જ સરકારને રૂ. 27,80,14,861ની આવક થઈ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે.
SIR:જિલ્લામાં 11.95 લાખ મતદાર, 1.94 લાખ ઘટ્યા
ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન મતદાર યાદી ચકાસણી ઝૂંબેશ- SIRની 4 મહિનાની કવાયતનો અંત આવ્યો છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંગળવારે SIR પછીની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આખરી મતદાર યાદીમાં કુલ 11.95 લાખ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડ્રાફ્ટ યાદીની સરખામણીએ કુલ 21,233 મતદારો વધ્યાં છે. ઓક્ટોબર-2025માં SIRની પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકોમાં કુલ 13.89 લાખ મતદારો હતા. આ ચાર મહિનામાં SIR દરમિયાન 1.94 લાખ મતદારોનો ઘટાડો થયો છે. બીએલઓ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી ઝૂંબેશ દરમિયાન 2.15 લાખ મતદારો મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા અથવા તો ગેરહાજર હોવાનું જણાયું હતું. આ તમામ નામો કમી કરીને ચૂંટણી તંત્ર દ્વારા 19 ડિસેમ્બરના રોજ 11.73 લાખ મતદારોના નામ સાથેની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાઇ હતી. તે પછી વર્ષ 2002ની મતદાર યાદી સાથે મેપીંગ ન થયું હોય અને લોજીકલ એરર હોય તેવા કુલ 3.85 લાખ મતદારોને નોટીસ આપીને તેમની રૂબરૂ સુનાવણી કરાઇ હતી અને આધાર- પુરાવા તપાસાયા હતા. 10મી ફેબ્રુઆરી સુધી ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન કુલ 1702 મતદારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મતદારો 15 દિવસમાં અપીલ કરી શકશેજિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ વાંધા- સૂચનો, રજૂઆતો, ફોર્મ ધ્યાને લીધા બાદ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જો કોઇ મતદારોને આ બાબતે વાંધો કે સૂચન હોય તો 15 દિવસમાં કલેક્ટર સમક્ષ અપીલ કરી શકશે. ફોર્મ નં.7માં માત્ર 2346 નામ કમી થયાSIRની પ્રક્રિયા દરમિયાન ફોર્મ નં.7 મામલે ભારે વિવાદ થયો હતો. વિપક્ષો દ્વારા રાજકીય પક્ષના ઇશારે ચોક્કસ જાતિ અને ધર્મના લોકોના નામ કમી કરવા માટે ફોર્મ નં.7 ભરાતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાંધીનગર જિલ્લામાં ફોર્મ નં.7 અન્વયે મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જિલ્લાની પાંચેય બેઠકમાં કુલ 9035 ફોર્મ નં. 7 મળ્યા હતા જે પૈકી 2346 માન્ય રાખી નામ કમી કરાયા છે જ્યારે 6689 ફોર્મ નામંજૂર કરી દેવાયા છે એટલે કે તે નામ આખરી મતદાર યાદીમાં યથાવત રહ્યા છે. ડ્રાફ્ટ યાદી બાદ 7 હજાર નામ કમી થયા, 29 હજાર ઉમેરાયાચૂંટણી પંચ દ્વારા 19મી ડિસેમ્બર 2025ના રોજ 11.773 લાખ મતદારોના નામ સાથેની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જે પછી ફોર્મ નં.7 અને ફોર્મ નં. 8 હેઠળ કુલ 7883 નામ કમી થયા હતા. ફોર્મ નં.8માં જિલ્લા બહાર સ્થળાંતર થયેલા મતદારોનો સમાવેશ થાય છે. બીજીતરફ ફોર્મ નં.6 સાથે નવા નામ ઉમેરવા માટે કુલ 29116 અરજી મળી હતી. જેથી ડ્રાફ્ટ યાદીની સરખામણીએ આખરી મતદાર યાદીમાં કુલ 21233 મતદારોનો વધારો થયો છે. જિલ્લાની 5 વિધાનસભા મુજબ મતદારોની સંખ્યા બેઠક પુરુષ સ્ત્રી અન્ય કુલ ગાંધીનગર(ઉ) 104983 100480 07 205470 ગાંધીનગર(દ) 179653 169903 12 349568 દહેગામ 106357 101167 15 207539 કલોલ 112337 103642 04 215983 માણસા 112382 104212 05 216599 કુલ 615712 579404 43 1195159 સ્થળાંતરની અસર; ઉત્તરમાં માત્ર 1280, દક્ષિણમાં સૌથી વધુ 10 હજાર મતદારોનો વધારો થયોSIRની પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ ઘટાડો ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં થયો છે. ગાંધીનગર ઉત્તરમાં SIR પહેલા ગાંધીનગર ઉત્તરમાં 2.55 લાખ મતદારો નોંધાયા હતા. SIR દરમિયાન તેમાં સૌથી વધુ મતદારો સ્થળાંતરિત થયેલા જોવા મળ્યા હતા. જેથી 51 હજાર મતદારોનો ઘટાડો થતાં ડ્રાફ્ટ યાદીમાં 2.04 લાખ મતદારોના નામ સમાવાયા હતા. તે પછી ફોર્મ નં.6 અને 8ના ઉમેરામાં પણ સૌથી ઓછો 1280 મતદારોનો વધારો થયો છે જેથી હવે આખરી યાદીમાં ઉત્તર બેઠકમાં 2.05 લાખ મતદારો રહ્યા છે. સેક્ટરોમાંથી લોકો મોટી સંખ્યામાં નવા વિસ્તારોમાં જઇ રહ્યા હોવાથી ગાંધીનગર દક્ષિણ બેઠક પર તેની અસર દેખાઇ છે. ડ્રાફ્ટ યાદીની સરખામણીએ ગાંધીનગર દક્ષિણ બેઠકમાં 10,624 મતદારોનો વધારો થયો છે. કુલ વધેલા મતદારોમાં 50 ટકા જેટલા મતદારો ગાંધીનગર દક્ષિણના છે.
સુવિધા:6.60 લાખ કિલોગ્રામ વજન સાથે 18 ડમ્પર ઊભાં રાખી ભાઇજીપુરા બ્રિજનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો
ગાંધીનગર- કોબા હાઇવે પર આવેલા ભાઇજીપુરા બ્રિજની કામગીરી પૂર્ણ થતાં હાલ સ્ટેટીક લોડ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન બ્રિજ પર કુલ 18 ડમ્પર ઉભા રાખવામાં આવી રહ્યા છે. દરેક ટ્રકમાં મટીરીયલ સાથે 37 ટન જેટલું વજન રાખવામાં આવ્યું છે. જેથી બ્રિજ પર એકસાથે 666 ટન એટલે કે 6.60 કિલોગ્રામ જેટલું વજન રાખીને તેની ભાર વહન ક્ષમતા ચકાસવામાં આવી રહી છે. બ્રિજની નીચે ખાસ પ્રકારના સેન્સર લગાવવામાં આવ્યા છે જેના આધારે બ્રિજના સ્લેબ, બેરિંગ અને ગર્ડર જેવા મહત્વના ભાગો પર કેટલું દબાણ પડે છે અને તેનાંથી તે ભાગ પર શું અસર થાય છે તેનું રીયલ ટાઇમ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ બ્રિજનું કામ પૂર્ણ થઇ ગયું છે અને ચારથી પાંંચ દિવસ સુધી સ્ટેટીક લોડ ટેસ્ટીંગ ચાલશે. જેમાં તમામ બ્રિજની સ્ટેબિલિટી, વપરાયેલા મટીરીયલની ગુણવત્તા, વાહનોનો ભાર વહન કરવાની ક્ષમતા અને બ્રિજના તમામ કોમ્પોનન્ટ યોગ્ય જણાયા પછી બ્રિજનું લોકાર્પણ કરાશે. બ્રિજની નીચે ખુલ્લી જગામાં પાર્કિંગ બનશેભાઇજીપુરા બ્રિજની નીચે વિશાળ ખુલ્લી જગ્યામાં પાર્કિંગ બનાવવાનું પણ આયોજન છે. આસપાસમાં કોમર્શિયલ એકમો હોવાથી અને રહેણાંક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો જાહેર પરિવહનમાં અવરજવર કરતા હોવાથી વેપારીઓ, નાગરિકો અને અપડાઉન કરનારા કર્મચારીઓ પોતાના વાહનો પાર્ક કરી શકે તે માટે આ સુવિધા વિકસાવાશે. તાપમાનથી થતી અસરની પણ ચકાસણીબ્રિજના સ્લેબ, પીલર્સ, રોડ પર ડામર સહિતના તમામ મટીરીયલ્સ પર તાપમાનની શું અસર થાય છે, કેવા તાપમાનમાં શું ફેરફાર થાય છે તેની પણ ચકાસણી આ ટેસ્ટ દરમિયાન કરવામાં આવી રહી છે. આ તમામ બાબતોને ટેકનિકલ માપદંડો સાથે ચકાસવામાં આવી રહી છે.
કાર્યવાહી:18,740 વાહનોની ખરીદી પર રૂ. 15 કરોડનો વેરો વસૂલાયો
ગાંધીનગર શહેરમાં નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.1લી એપ્રિલ 2025થી તા. 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં કુલ 18,740 નવા વાહનોની નોંધણી થતા મહાનગરપાલિકાને આજીવન વાહનવેરા રૂપે અંદાજે રૂ. 15 કરોડની આવક થઈ છે, જે વાર્ષિક લક્ષ્યાંક કરતાં 20 ટકા વધુ હોવાનું તંત્રએ જણાવ્યું છે. શહેરમાં વધતી વસતિ અને વ્યક્તિગત વાહન પ્રત્યેનો વધતો ઝોક આ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા માંગણા બીલ અને નોટિસ મારફતે હાથ ધરાયેલી ઝુંબેશને પગલે તા. 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં રૂ. 16 કરોડનો વ્યવસાયવેરો વસૂલ થયો છે, જે વાર્ષિક લક્ષ્યાંક કરતાં 13 ટકા વધુ છે. હાલ વ્યવસાયવેરા બાકીદારોને ઝોનવાઈઝ રૂબરૂ નોટિસ પાઠવી વસૂલાતની કાર્યવાહી ચાલુ છે. નોંધણી અથવા વેરા ચુકવણીમાં કસૂર કરનાર સામે વ્યાજ અને પેનલ્ટી સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કામગીરી:રિનોવેશનને કારણે ડભોડા હનુમાન મંદિર 25 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે
ડભોડા ખાતે આવેલું પ્રસિદ્ધ શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના રીનોવેશન (નવીનીકરણ) તથા જરૂરી સુધારાકાર્યો ચાલી રહ્યા હોવાથી દર્શનાર્થીઓ માટે તાત્કાલિક રીતે મંદિર બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ તા. 16 ફેબ્રુઆરી (સોમવાર) થી તા. 25 ફેબ્રુઆરી (બુધવાર) સુધી મંદિર સંપૂર્ણપણે ભક્તો માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારના દર્શન, પૂજા અથવા ધાર્મિક વિધિઓ માટે મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરના રીનોવેશન કાર્ય અંતર્ગત મંદિરના આંતરિક ભાગની મરામત, રંગરોગાન, વ્યવસ્થામાં સુધારા તેમજ ભક્તોની સુવિધા માટે જરૂરી માળખાકીય ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી ભવિષ્યમાં ભક્તોને વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણ મળી શકે. ટ્રસ્ટે જણાવ્યું છે કે આ કામગીરી દરમિયાન ભક્તોની સલામતી મહત્વની હોવાથી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રીનોવેશનનું કાર્ય પૂર્ણ થયા બાદ તા. 26 ફેબ્રુઆરી (ગુરુવાર)થી મંદિર ફરીથી નિયમિત સમયસર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. મંદિર ટ્રસ્ટે તમામ ભક્તજનોને આ સમયગાળા દરમિયાન મંદિર પર ન આવવા તથા ટ્રસ્ટને સહકાર આપવા અપીલ કરી છે. સાથે સાથે ભક્તોને તેમની ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન અનુકૂળ રીતે કરવા વિનંતી કરવામાં આવી છે.
સિટી એન્કર:એમએમઆરમાં 10 વોટર મેટ્રો, સરકારની મહત્વકાંક્ષી યોજના
ટ્રાફિકજામના કારણે હેરાન મુંબઈગરા માટે એક રાહતના સમાચાર છે. મુંબઈના ટ્રાફિકાજામ પર ઉપાય તરીકે 10 જળમાર્ગનો પ્રસ્તાવ છે. એમાં મુંબઈ, મિરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ, થાણેનો સમાવેશ છે. આ 10 જળમાર્ગ શરૂ થશે તો 85 કિલોમીટરનો જળમાર્ગ કુલ 200 કિમી સુધી પહોંચશે. ઉપરાંત આ 10 જળમાર્ગના લીધે મુંબઈના પ્રવાસી પરિવહનનો ચહેરો બદલાશે એવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે. મુંબઈ મહાનગર પ્રદેશ એટલે કે એમએમઆર રીજિયનના ટ્રાફિકજામને દૂર કરવાના ઉદ્દેશથી આંતરિક પરિવહન વ્યવસ્થા મજબૂત કરવા કરવા અનેક રસ્તા પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવ્યા છે. એમાં હવે જળ પરિવહનને ઉત્તેજન આપવામાં આવે છે. મહારાષ્ટ્ર સાગરી મંડળ તરફથી એમએમઆરમાં નવા 10 માર્ગ પર જળ મેટ્રોના વિસ્તરણની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું. દરમિયાન આ કામ અંતિમ તબક્કામાં છે અને મંડળને ટૂંક સમયમાં સલાહકાર કંપની તરફથી રૂપરેખા રજૂ કરવામાં આવશે. સાગરી મંડળ તરફથી અત્યારે કુલ 85 કિમી અંતર વ્યાપતા 21 જળમાર્ગ પર જળ પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. એમએમઆરને મોટો સમુદ્ર મળ્યો હોવાથી અહીંની ટ્રાફિકજામ દૂર કરવા સાગરી મંડળ પ્રવાસનો અતિઝડપી વિકલ્પ આપશે અને નવા 10 જળમાર્ગ વિકસિત કર્યા છે. દરમિયાન ઓગસ્ટ 2025ના અહેવાલમાં 21 ઠેકાણાની પસંદગી કરવામાં આવી હતી. એમાં હવે 10 નવા જળમાર્ગનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. એમાં મુંબઈ, મિરા-ભાઈંદર, વસઈ-વિરાર, કલ્યાણ, થાણે પરિસરમાં જળ પરિવહનન રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. અત્યારે 21 ઠેકાણે જલ પરિવહન માર્ગ, 85 કિમી માર્ગ, 10 નવા માર્ગ શરૂ થશે તો 200 કિમીનું જળ પરિવહન પ્રસ્તાવિત છે. રસ્તા, રેલવે, પરિવહનનો તાણ ઓછો કરવા જળ પરિવહનનો વિકલ્પ છે. સાગરમાલ 2.0 અંતર્ગત 60 ટકા કેન્દ્ર અને 40 ટકા રાજ્ય સરકારના ભંડોળમાંથી પ્રકલ્પ અમલમાં મૂકવામાં આવશે. રૂપરેખાનું કામ અંતિમ તબક્કામાંઅમે જળમેટ્રોનો વિષય રજૂ કર્યો હતો અને રાજ્ય સરકારે એના પર કામ ચાલુ કર્યું છે. મુંબઈને જળ મેટ્રોની જરૂર છે. ઉપરાંત આ જળમાર્ગની વ્યવહારિકતા તપાસ અહેવાલ આ પહેલાં જ પૂરો કરવામાં આવ્યો છે. એ પછી આ નવા જળમાર્ગની વિગતવાર રૂપરેખા તૈયાર કરવા એક કંપનીની સલાહકાર તરીકે નિમણુક કરવામાં આવી છે. આ રૂપરેખાનું કામ અંતિમ તબક્કામાં હોવાની લેખિત માહિતી સાગરી મંડળે આપી છે.
રાજકારણ ગરમાયું:પાર્થ પવારને હજુ સુધી ક્લીન ચિટ અપાઈ નથીઃ સામાજીક કાર્યકર્તા દમણિયાનો દાવો
પાર્થ પવારને કથિત રીતે ક્લીન ચિટ મળવાના સમાચાર પર સામાજિક કાર્યકર્તા અંજલિ દમણિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે અને રાજકીય હેતુઓ માટે ફેલાવવામાં આવ્યા છે. કેટલાક નેતાઓ અજિત પવારના મૃત્યુ પછી પાર્ટીમાં સર્જાયેલી પરિસ્થિતિનો લાભ લેવા અને સ્ત્રોતો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ધ્યાનમાં લેતાં તેમણે મહાયુતિ સરકાર અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અજિત પવાર જૂથની આકરી ટીકા કરી.દમણિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે હજુ સુધી કોઈ સત્તાવાર અહેવાલ બહાર પાડવામાં આવ્યો નથી ત્યારે ક્લીન ચિટના સમાચાર કેવી રીતે ફેલાવી શકાય? તેમણે કહ્યું કે ખડગે સમિતિને આવો ચુકાદો આપવાનો કોઈ અધિકાર નથી. તેમણે આરોપ લગાવ્યો કે આ માહિતી સંબંધિત જૂથ દ્વારા જાણીજોઈને ફેલાવવામાં આવી હશે. પાર્થ પવારની છબિ સુધારવા માટે તેમને રાજ્યસભામાં મોકલવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દમણિયાએ અજિત પવારના મૃત્યુ પછી સર્જાયેલા રાજકીય શૂન્યાવકાશ પર પણ ટિપ્પણી કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે હાલમાં પાર્ટીમાં ઘણી દોડધામ ચાલી રહી છે. તેમના મતે, બાકીના નેતાઓ જેમ કે સુનીલ તટકરે, પ્રફુલ્લ પટેલ અને છગન ભુજબળ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે. આ સમગ્ર બાબત આયોજનબદ્ધ છે.દમણિયાએ વહીવટી કાર્ય પર પણ પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે થાણે, નવી મુંબઈ અને પનવેલમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ડાન્સ બાર ચાલી રહ્યા છે. મને દરરોજ આ સંદર્ભમાં વિડિયો મળી રહ્યા છે. ઉપ મુખ્ય મંત્રી શિંદેના થાણે અને ગણેશ નાઈકના નવી મુંબઈમાં આવી ઘટનાઓ વધુ વારંવાર બની રહી છે.તે જ સમયે, તેમણે વિમાન દુર્ઘટના કેસમાં બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી તરફ ધ્યાન દોર્યું. તેમણે સીધો પ્રશ્ન કર્યો કે બ્લેક બોક્સમાંથી માહિતી કેમ મળી રહી નથી. રિપોર્ટ જાહેર કરવામાં વિલંબ વહીવટી શિથિલતા અને રાજકીય હસ્તક્ષેપને કારણે છે.દમણિયાએ પરિવારની ભૂમિકા પર પણ ટિપ્પણી કરી. જો સુનેત્રા પવાર ઝિરવાળથી નારાજ છે, તો તે પાર્થથી કેમ નારાજ નથી? મંત્રાલયમાં દરેક કામ માટે દર નક્કી હોવાનો આરોપ લગાવતા, તેમણે વિવિધ ટ્રસ્ટ દ્વારા પૈસા લેવામાં આવી રહ્યા છે તેની તપાસની માગણી કરી છે. રાજ્યમાં ફરી રાજકારણ ગરમાયુંદમણિયાએ કહ્યું કે તેમણે પોતે મુખ્ય મંત્રીને સંદેશ મોકલીને આ મામલે સત્તાવાર રિપોર્ટ માગ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સત્તાવાર દસ્તાવેજ પ્રકાશમાં ન આવે ત્યાં સુધી આવા સમાચાર આપવાનું ખોટું છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાજકીય દબાણને કારણે રિપોર્ટ દબાવવામાં આવી રહ્યો છે, જેમ એકનાથ ખડસેના કિસ્સામાં થયું હતું. આ બધા આરોપોએ રાજ્યમાં ફરી એક વાર રાજકારણ ગરમાયું છે અને આગામી થોડા દિવસોમાં આ વિવાદ વધુ ભડકવાની શક્યતા છે.
નિર્ણય:મુંબઈના મેયર તરીકે મળનાર માનધન રિતુ તાવડે મેયર ભંડોળમાં આપશે
મુંબઈના મેયર તરીકે મને મળનાર માનધન હું મેયર ભંડોળમાં આપીશ. મારા સહિત તમામ નગરસેવકો, મુંબઈ મહાપાલિકાના અધિકારી અને કર્મચારીઓએ મેયર ભંડોળમાં આર્થિક મદદ કરીને ગરીબ દર્દીઓની આરોગ્ય સેવામાં સિંહફાળો આપવો એવી હાકલ મેયર રિતુ તાવડેએ કરી છે. મુંબઈના મેયર તરીકે પસંદગી થયા પછી મેયર ભંડોળમાં વધારો થાય એ માટે રિતુ તાવડેએ કેટલાક નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી તબીબી સહાયતા ભંડોળ પ્રમાણે મેયર ભંડોળમાં 5 હજારથી 50 હજાર રૂપિયા સુધી વધારવાની દષ્ટિએ વિશેષ પ્રયત્ન કરશે એવું આશ્વાસન મેયરે આપ્યું છે. મુંબઈના મેયર પદની જવાબદારી સ્વીકાર્યા પછી મુંબઈગરા નાગરિક મોટા પ્રમાણમાં મળવા માટે શાલ અને પુષ્પગુચ્છ લઈને આવે છે. એના બદલે નાગરિકોએ બીમાર ગરીબ દર્દીઓને આર્થિક મદદ કરવી. મેયર ભંડોળમાં આર્થિક મદદ આપવી એવી હાકલ પણ તેમણે કરી છે. મેયર ભંડોળમાં આર્થિક મદદ કરવાની ઈચ્છાવાળા નાગરિકો માટે ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ક્યૂઆર કોડ દ્વારા નાગરિકો પોતાની આર્થિક મદદ મેયર ભંડોળમાં આપી શકે છે. મેયર કાર્યાલયની બહાર દેખાય એ રીતે ક્યૂઆર કોડ લગાડવામાં આવશે. નાગરિકોએ એની નોંધ લેવી એવી હાકલ તાવડેએ કરી છે. હ્રદયરોગ, મગજની ગંભીર બીમારી, કિડની નિષ્ફળ જવી, કેન્સર જેવી બીમારીથી પીડિત આર્થિક દષ્ટિએ નબળા ઘટકને મેયર ભંડોળમાંથી આર્થિક મદદ કરવામાં આવે છે. મેયર ભંડોળમાં આવતું દાન ઓછું થયું હોવાથી દર્દીઓને આર્થિક મદદ કરવામાં મર્યાદા આવે છે. મેયર ભંડોળમાંથી છેલ્લા અનેક વર્ષથી ગરીબ દર્દીઓને 5 હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે.
આયોજન:એપ્રિલથી દક્ષિણ મુંબઈની 12 હજારથી વધુ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરાશે
દક્ષિણ મુંબઈની 12 હજાર 252 ઉપકરપ્રાપ્ત ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરીને અતિજોખમકારક ઈમારતો શોધવાનો નિર્ણય મ્હાડાના મુંબઈ ઈમારત રિપેરીંગ અને પુનર્રચના મંડળે લીધો છે. આ કામ માટે ખાનગી કંપનીની નિયુક્તી કરીને એપ્રિલથી કામ શરૂ કરવાનું નિયોજન છે. એ અનુસાર ચાર વોર્ડની ઈમારતોના કામ માટે ટેંડર જારી કરવામાં આવ્યા છે. ચાર ખાનગી કંપનીઓની નિયુક્તી થયા પછી એપ્રિલમાં સ્ટ્રકચરલ ઓડિટનું કામ શરૂ કરવામાં આવશે. એક વર્ષમાં આ કામ પૂરું કરવાનું નિયોજન છે. ઉપકરપ્રાપ્ત ઈમારતોના પુનર્વિકાસનો પ્રશ્ન ગંભીર છે. આજની તારીખે દક્ષિણ મુંબઈમાં 12 હજારથી વધારે ઉપકરપ્રાપ્ત ઈમારતો છે. આ બધી ઈમારતો જૂની અને જર્જરિત થઈ છે. એમાંથી મોટા ભાગની ઈમારતોની અવસ્થા ઘણી ખરાબ છે. તેથી અતિજોખમકારક ઈમારતોને શોધવા મંડળે આ ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય લીધો છે. એ અનુસાર ગયા વર્ષે પહેલા તબક્કામાં એક હજાર ઈમારતોની તપાસ કરવામાં આવી. અંદાજે 650 ઈમારતોની તપાસ પૂરી થઈ. એમાં 95 ઈમારતો અતિજોખમકારક મળી આવી. આ ઈમારતો વિરુદ્ધ 79(એ)ની કાર્યવાહી પૂરી કરીને પુનર્વિકાસ કરવામાં આવનાર હતો. જો કે 79(અ)ની પ્રક્રિયા હાઈ કોર્ટે ગેરકાયદે ઠરાવી હોવાથી આ પ્રક્રિયા જ ઠપ્પ થઈ છે. અત્યારે આ પ્રકરણ કોર્ટમાં ચાલુ છે. તેમ છતાં બીજી તરફ લાખો રહેવાસીઓ જીવ મુઠ્ઠીમાં લઈને જર્જરિત ઈમારતોમાં રહે છે. તેથી અતિજોખમકારક ઈમારતો શોધી કાઢવી અને એના પુનર્વિકાસ માટે પ્રયત્ન કરવો જરૂરી હોવાથી રિપેરીંગ મંડળે નવેસરથી ઈમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ કરવાનો નિર્ણય લીધો છે. એક વર્ષમાં કામ પૂરું કરવાનું નિયોજનમાર્ચ સુધી ટેંડર અંતિમ કરીને એપ્રિલથી સ્ટ્રકચરલ ઓડિટના કામની શરૂઆત કરવામાં આવશે. એક વર્ષમાં કામ પૂરું કરવાનું નિયોજન હોવાનું તેમણે જણાવ્યું છે. આ તપાસ પછી ઈમારતોનું અતિજોખમકારક, જોખમકારક, તાત્કાલીક રિપેરીંગ કરવી જેવા વિભાજન કરવામાં આવશે. રિપેરીંગની જરૂરવાળી ઈમારતોનું રિપેરીંગ કામ શરૂ કરવામાં આવશે. અતિજોખમકારક ઈમારતો બાબતનો નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર રાખે છે. જો કે અતિજોખમકારક ઈમારતોને શોધવી જરૂરી હોવાનું જણાવતા મંડળે સ્ટ્રકચરલ ઓડિટનો નિર્ણય લીધો છે. આગળ એનો ફાયદો થશે. કોર્ટના ચુકાદા બાદ તરત પુનર્વિકાસનું કામ હાથમાં લઈ શકાશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
કામગીરી:અજિત પવાર વિમાન દુર્ઘટનામાં મોટી અપડેટ; L-3 વાતચીતની માહિતી પ્રાપ્ત
સ્વર્ગસ્થ ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના મૃત્યુ માટે કારણભૂત વિમાન દુર્ઘટના અંગે પહેલી વાર સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દુર્ઘટના પછી બંને વિમાનનાં રેકોર્ડિંગ ઉપકરણોમાં આગ લાગી હતી. આ ઉપકરણો લાંબા સમય સુધી આગની જ્વાળાઓમાં રહ્યાં, જેના કારણે તેને મોટું નુકસાન થયું. આનાથી તપાસ પ્રક્રિયામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ છે. એજન્સીએ જણાવ્યું છે કે ઉપલબ્ધ પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે. ખોટી માહિતીથી દોરવાઈ નહીં જતાં સત્તાવાર તપાસ પર વિશ્વાસ રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. બ્યુરોએ જણાવ્યા મુજબ વિમાનમાં બે અલગ અલગ રેકોર્ડિંગ ડિવાઇસ હતાં. તેમાંથી એકમાંથી L-3 વાતચીત સંબંધિત માહિતી સફળતાપૂર્વક મેળવી લેવામાં આવી છે. કોકપિટ વોઇસ રેકોર્ડરની સંપૂર્ણ ટેકનિકલ તપાસ ચાલી રહી છે. આ ડિવાઇસ હનીવેલ દ્વારા બનાવવામાં આવ્યું હોવાથી, સંબંધિત દેશોના અધિકૃત પ્રતિનિધિઓ પાસેથી મદદ માગવામાં આવી છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પુરાવા આધારિત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરોએ તપાસ પ્રક્રિયા વિશે ખોટી માહિતી ન ફેલાવવા અપીલ કરી છે. વિમાન દુર્ઘટના પછી સૌથી પહેલું ઉપકરણ બ્લેક બોક્સ હોય છે. તે વાસ્તવમાં નારંગી રંગનું હોય છે અને તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક ભાગ ફ્લાઇટ સંબંધિત ટેકનિકલ માહિતી સંગ્રહિત કરે છે, જ્યારે બીજો ભાગ કોકપિટમાં થતી વાતચીત રેકોર્ડ કરે છે. આ ઉપકરણ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે સામાન્ય રીતે આગ કે પાણીથી પ્રભાવિત થતું નથી. તેની બેટરી લગભગ ત્રીસ દિવસ ચાલે છે અને તેમાં રહેલી માહિતીનો ઉપયોગ ઘણાં વર્ષો પછી પણ થઈ શકે છે. તેથી કોઈ પણ વિમાન દુર્ઘટનામાં આ ઉપકરણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. વિમાન દુર્ઘટના પછી, ખાસ તાલીમ પામેલી તપાસ ટીમો ઘટનાસ્થળે પહોંચે છે. આ ટીમો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય અને હવાઈ અકસ્માત તપાસ શાખા દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. ઘણી વાર, નૌકાદળ અથવા ખાસ બચાવ ટીમો પણ આ શોધ કામગીરીમાં સામેલ થાય છે. બ્લેક બોક્સમાંથી મળેલી માહિતી દુર્ઘટના પાછળનાં ચોક્કસ કારણો શોધવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી, તપાસ માટે આ ઉપકરણોની સ્થિતિ વિશેની માહિતી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. તપાસ પ્રક્રિયા પર રાજકીય દબાણના સંકેતોઆ દરમિયાન, રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે તપાસની ગતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે દુર્ઘટનાના વીસ દિવસ પછી પણ તપાસને અપેક્ષિત ગતિ મળી નથી. તેમણે ટીકા કરી કે સામાન્ય લોકો અજિતદાદાનું મૂલ્ય સમજી ગયા છે, પરંતુ તપાસ એજન્સીઓ હજુ સુધી તે સમજી શકી નથી. તેમણે એવી શંકા પણ વ્યક્ત કરી કે કેટલાક પુરાવાઓનો નાશ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સામાન્ય નાગરિકોના મનમાં પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું સંબંધિત કંપનીનો તેમાં હાથ છે. રોહિત પવારે દાવો કર્યો હતો કે પાંચ દિવસ પહેલાં વ્યક્ત કરવામાં આવેલી શક્યતા હવે સાચી પડી રહી છે. તેમણે કહ્યું કે બ્લેક બોક્સને નુકસાન થયું હોવાની માહિતી સામે આવ્યા બાદ તેમની શંકા વધુ મજબૂત બની છે. તેમણે કડક ચેતવણી આપી હતી કે જ્યાં સુધી અમને જવાબ ન મળે ત્યાં સુધી અમે ચૂપ બેસી રહીશું નહીં કે આ અકસ્માત હતો કે હત્યા. તેમના નિવેદનને કારણે તપાસ પ્રક્રિયા પર રાજકીય દબાણ વધવાના સંકેતો દેખાવા લાગ્યા છે. અફવાઓ ફેલાવશો નહીં, અહેવાલની રાહ જુઓદરમિયાન, તપાસ એજન્સીએ ફરી એક વાર સ્પષ્ટતા કરી છે કે સમગ્ર તપાસ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અને પુરાવા આધારિત રીતે હાથ ધરવામાં આવી રહી છે. ક્ષતિગ્રસ્ત નોંધણી ઉપકરણોમાંથી શક્ય તેટલી વધુ માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે સંબંધિત નિષ્ણાતોની મદદથી તકનિકી તપાસ પૂર્ણ કરવામાં આવશે. ખોટી અફવાઓ ન ફેલાવવા અને સત્તાવાર અહેવાલની રાહ જોવાની પણ અપીલ કરવામાં આવી છે. એકંદરે, વિમાન દુર્ઘટનાને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા છે. રેકોર્ડિંગ ઉપકરણોને થયેલા નુકસાનને કારણે તપાસને પડકારવામાં આવી હોવા છતાં, સત્તાવાર એજન્સી દાવો કરી રહી છે કે તે સંપૂર્ણ તપાસ કરી રહી છે.
સુનાવણી મુલતવી:પેરોડી ગીત મામલે કામરા- અંધારે ઉલ્લંઘન સમિતિ સમક્ષ હાજર થયાં
શિવસેનાના પ્રમુખ અને ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે પર વ્યંગાત્મક ગીત રજૂ કરવા બદલ હાસ્ય કલાકાર કુણાલ કામરા સામે મોટો વિવાદ ઊભો થયો હતો. આ ગીત બાદ શિવસૈનિકો ગુસ્સે ભરાયા હતા. આ પ્રકરણે શિવસેના ઠાકરે જૂથનાં ઉપનેતા સુષ્મા અંધારે અને મહાવિકાસ આઘાડીના કેટલાક નેતાઓએ કામરાનો વિડિયો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. આ પછી, આ મુદ્દાએ વધુ રાજકીય રંગ લીધો. આ વિવાદ પછી, કેટલાક નેતાઓ દ્વારા વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો હતો. ભાજપના ધારાસભ્ય પ્રવીણ દરેકરે કામરા અને સુષ્મા અંધારે સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ નોંધાવી હતી. તેમના મતે, વ્યંગાત્મક ગીત દ્વારા વિધાનસભા અને વિધાનસભ્યનું અપમાન કરવામાં આવ્યું હતું. લગભગ એક વર્ષ પહેલાં દાખલ કરાયેલો આ કેસ હવે સુનાવણીના તબક્કામાં પહોંચી ગયો છે.આને લઈ કામરા અને અંધારે મંગળવારે સમિતિ સમક્ષ હાજર થયાં હતાં. તેમણે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. જોકે, સુનાવણી થઈ શકી ન હતી, કારણ કે વિશેષાધિકાર ઉલ્લંઘન પ્રસ્તાવ રજૂ કરનારા ધારાસભ્ય પ્રવીણ દરેકર હાજર નહોતા. તેથી, સમિતિએ સુનાવણી આગામી તારીખ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો. હવે આ કેસની આગામી સુનાવણી 10 માર્ચે યોજાશે.મંગળવારે સુનાવણી ન થવાથી રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. કામરા અને અંધારે સમિતિ સમક્ષ હાજર થવા છતાં કાર્યવાહી ન કરવા બદલ વિપક્ષે શાસક પક્ષની ટીકા કરી હતી, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે ભાજપ આ મામલાને ગંભીરતાથી લેશે. હવે બધાનું ધ્યાન એક વર્ષથી પડતર આ મુદ્દા પર શું નિર્ણય લેવામાં આવશે તેની પર છે.દરમિયાન, કામરાના ટી-શર્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. તેણે જે ટી-શર્ટ પહેર્યું હતું તેની પર ભારતનું બંધારણ શબ્દો સાથે એક પુસ્તક છપાયેલું હતું. આ પ્રતીકાત્મક સંદેશે ચર્ચા જગાવી હતી. તેની પર પ્રતિક્રિયા આપતાં કામરાએ સ્પષ્ટતા કરી કે તેઓ બંધારણનો આદર કરે છે અને તે મુજબ પોતાનો પક્ષ રજૂ કરશે. વિગતવાર ભૂમિકા રજૂ કરવાની તૈયારીકામરાએ આગામી સુનાવણીમાં વિગતવાર વલણ રજૂ કરવાની તૈયારી દર્શાવી. સુષ્મા અંધારેએ કહ્યું કે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરવા માટે સમિતિ સમક્ષ હાજર થયાં હતાં. એકંદરે, વ્યંગાત્મક ગીતથી શરૂ થયેલો આ વિવાદ હવે વિધાનસભાની અધિકારોના ઉલ્લંઘન સમિતિ સુધી પહોંચી ગયો છે અને આગામી સુનાવણીમાં આ મામલો શું વળાંક લે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
તપાસ:વિમાનની પૂંછડીમાં રહેલું બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયું? મિટકરીનો પ્રશ્ન
શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અમોલ મિટકરીએ અજિત પવારના વિમાનનું બ્લેક બોક્સ બળી ગયું હોવાના દાવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. વિમાનનું બ્લેક બોક્સ તેની પૂંછડીમાં હોય છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનની પૂંછડીને કશું થયું ન હતું, તો આ બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયું? એમ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે.૨૮ જાન્યુઆરીના રોજ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. ત્યારથી તેમના મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વિમાનના બ્લેક બોક્સમાંથી માહિતી મળી રહી નથી તે અંગે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમોલ મિટકરીએ બ્લેક બોક્સ બળી જવાનો મુદ્દો નકારી કાઢ્યો છે. આ કિસ્સામાં, તેમણે એ હકીકત તરફ ધ્યાન દોર્યું છે કે અજિત પવારના વિમાનની પૂંછડી સારી સ્થિતિમાં છે. મિટકરીએ જણાવ્યું હતું કે વિમાનનું બ્લેક બોક્સ તેની પૂંછડીમાં હોય છે. આનું કારણ એ છે કે જ્યારે કોઈ વિમાન ક્રેશ થાય છે, ત્યારે ઘણી વાર એવું જોવા મળે છે કે વિમાનની પૂંછડી સંપૂર્ણપણે બળી જતી નથી. તેથી જ આ બ્લેક બોક્સ વિમાનની પૂંછડીમાં રાખવામાં આવે છે. જે વિમાનમાં દુર્ઘટના થઈ તેની પૂંછડી સંપૂર્ણપણે અકબંધ છે. તે બિલકુલ બળી નથી. તેથી, આ બ્લેક બોક્સને કોઈ નુકસાન થતું નથી. ઉપરાંત, બ્લેક બોક્સ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે ઊંચા તાપમાનમાં પણ, ગમે તેટલી આગ લાગે, તે બળતું નથી. મિટકરીના મતે દુર્ઘટના પછી ફાટી નીકળતી આગનું તાપમાન 1,100C થી વધુ હોય અથવા 60 મિનિટથી વધુ સમય સુધી ચાલે, તો આંતરિક ઘટકો - ખાસ કરીને ફ્લેશ મેમરી - ગરમીથી નુકસાન થઈ શકે છે. ૩,૪૦૦ Gs થી વધુનો આંચકો (જે સામાન્ય કરતા ઘણો વધારે છે, જીવલેણ દુર્ઘટનામાં પણ) ઉપકરણને સંપૂર્ણપણે નાશ કરી શકે છે. આ જ રીતે ઊંડા સમુદ્રમાં ખારા પાણીમાં લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી કાટ લાગી શકે છે અને ડેટાનું નુકસાન થઈ શકે છે. જોકે, બ્લેક બોક્સ 30 દિવસ સુધી ઉચ્ચ દબાણનો સામનો કરવા માટે રચાયું છે.
એનાલિસીસ:જિલ્લામાં આખરી યાદીમાં 29,964 મતદારનો વધારો
ગુજરાતમાં સાડાત્રણ મહિના સુધી ચાલેલી SIRની કામગીરી બાદ આજે મતદારયાદીની અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે. ફાઈનલ મતદાર યાદી મુજબ ભાવનગર જિલ્લામાં 8,66,937 પુરુષ, 8,00,994 મહિલા અને 14 અન્ય (થર્ડ જેન્ડર ) મળી કુલ 16,67,945 મતદારો નોંધાયા છે. જે અગાઉ ડ્રાફ્ટ રોલમાં નોંધાયલા કુલ મતદાર 16,37,981માં 29,964 મતદારનો વધારો એટલે કે ટકાવારીની દ્રષ્ટીએ 1.83 ટકાનો વધારો થયો છે. જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા. જિલ્લા ચૂંટણી અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ અંગેની બેઠક યોજાઈ હતી. વિધાનસભા મતવિસ્તાર મુજબ મહુવા વિધાનસભા મતવિસ્તારમાં 1,19,386 પુરુષ મતદારો, 1,12,919 મહિલા મતદારો એમ કુલ 2,32,305 મતદારો, તળાજા વિધાનસભા મતવિસ્તારમાં 1,22,710 પુરુષ મતદારો, 1,11,980 મહિલા મતદારો અને 1 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,34,691 મતદારો, ગારિયાધાર વિધાનસભા મતવિસ્તારમાં 1,08,162 પુરુષ મતદારો, 98,433 મહિલા મતદારો એમ કુલ 2,06,595 મતદારો, પાલિતાણા વિધાનસભા મતવિસ્તારમાં 1,37,483 1 પુરુષ મતદારો,1,25,436 મહિલા મતદારો અને 3 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,62,922 મતદારો, ભાવનગર ગ્રામીણ વિધાનસભા મતવિસ્તારમાં 1,47,154 પુરુષ મતદારો,1,33,332 મહિલા મતદારો એમ મળી કુલ 2,80,486 મતદારો, ભાવનગર પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં 1,16,492 પુરુષ મતદારો, 1,12,301 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,28,798 મતદારો અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં 1,15,550 પુરુષ મતદારો તેમજ 1,06,593 મહિલા મતદારો અને 5 થર્ડ જેન્ડર અન્ય એમ કુલ 2,22,148 મતદારો નોંધાયા છે. SIR દરમિયાન મળેલા નાગરિકોના અદ્યતન ફોટોગ્રાફ પણ આગામી મતદાન યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે આખરી મતદારયાદી સંબંધિત મતદાન મથકોએ જોવા મળશેજિલ્લાના તમામ નાગરિકોની જાણકારી માટે આ આખરી મતદારયાદી સંબંધિત મતદાન મથકો (Polling Stations)એ જાહેર જનતાના અવલોકન માટે મૂકવામાં આવી છે. આ યાદીની નકલ માન્ય રાજકીય પક્ષોને પણ સુપરત કરવામાં આવી છે. મતદારો પોતાનું નામ મતદાન મથકો પર જઈને અથવા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પર ચકાસી શકશે. મતદાન મથકોની રેશનલાઇઝેશન/રી-એરેન્જમેન્ટ પ્રક્રિયા અંતર્ગત એક બૂથ પર 1200થી વધુ મતદારો ન રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જિલ્લામાં કુલ 2143 મતદાન કેન્દ્રો કાર્યરત છે. 1.24 લાખથી વધુ મતદારો સ્થળાંતર કરી ગયાજિલ્લામાં કુલ 16,37,981 એટલે કે 87.74 ટકા મતદારોની ડિજિટલાઇઝેશન નોંધણી કરવામાં આવી છે. જેમાં સેલ્ફ મેપિગ 6,30,754 (33.98%), પ્રોજેની મેપિગ 9,13,506 ( 48.93 %) અને નો મેપિગ 93,721 ૯૩,૭૨૧ ( 5.02 %) નોંધાયા છે. ASD યાદીમાં કુલ 2,28,956 (12.26 %) મતદારોનો સમાવેશ થાય છે. જેમાં મૃત્યુ પામેલ મતદારો 66,086 (3.54%), કાયમી સ્થળાંતર થયેલ મતદારો 1,24,850 (6.69 %) અનટ્રેસેબલ 22,004 ( 1.18 %), ઓલરેડી ઈન રોલ્ડ મતદારો 14,262 (0.76%), અન્ય મતદારો 1,754 ( 0.09%) મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદીમાં નામ જોવા માટેની વેબસાઇટઆખરી યાદી પ્રસિદ્ધ થઈ છે ત્યારે મતદારો પોતાનું નામ યાદીમાં છે કે નહીં તે ચકાસવા માટે વેબસાઈટ https://ceo.gujarat.gov.in અથવા તો http://electoralsearch.eci.gov.in/ વેબસાઈટના માધ્યમથી ચકાસી શકાશે આ ઉપરાંત વૉટર પોર્ટલ voters.eci.gov.in , મતદારો માટેની એપ્લિકેશન ECINET App પર અથવા તો જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી બીએલઓ ખાતે પણ યાદી દ્વારા સંપર્ક કરી શકાશે. તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે તપાસવા માટે તેની પદ્ધતિને અનુસરવાની રહેશે.
ચકચાર:પ્રેમલગ્ન કરવા આવેલા હિન્દુ યુવાન પર મુસ્લિમ યુવતીના ભાઈઓ સહિતનો હુમલો
ભાવનગર શહેરમાં પ્રેમસબંધને અંતે આંતરધર્મીય લગ્ન માટે સબ રજીસ્ટર કચેરીએ પહોંચેલા યુગલ પર યુવતીના સગા ભાઈઓએ હુમલો કરી યુવકને મારમુકી, છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતીને જબરદસ્તી લઈ જવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેને લઈ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ હતી. ભાવનગર જિલ્લાના ધોળા ગામ ઉમરાળા ખાતે રહેતા સચિનભાઈ ઘનશ્યામભાઈ ખેરાળાએ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, બે વર્ષ પૂર્વે સરકારી એસટી બસમાં ગઢડા થી બોટાદ જતાં દરમિયાન તેમની રેશ્માબેન ગફારભાઈ બોદીયા સાથે ઓળખાણ થઈ હતી. ઓળખાણ બાદ બંનેએ મોબાઈલ નંબર આપલે કર્યા હતા અને અવારનવારની વાતચીત તથા મુલાકાતોથી પ્રેમસબંધ ગાઢ બન્યો હતો. ફરિયાદ મુજબ, રેશ્માબેને સચિનભાઈને પોતાના ઘરેથી લઈ જવા જણાવ્યું હતું, જેથી તા. 21/12/2025ના રોજ બંને સચિનભાઈની રિક્ષામાં સુરત જવા નીકળ્યા હતા. ત્યાંથી બંને દીવ અને ગોવા રોકાયા હતા અને પરસ્પર સંમતિથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. તા. 16/02/ 2026ના રોજ બંને ભાવનગરના વિદ્યાનગર સ્થિત સબ રજીસ્ટર કચેરીએ લગ્ન માટે ફોર્મમાં સહી કરવા પહોંચ્યા હતા. ત્યારે ગાડી નં. GJ/33/AU/5786માં રેશ્માબેનના બે સગા ભાઈઓ સાહિલ અને ભોલુ તેમજ તેમની સાથે બે અજાણ્યા ઇસમો આવી ચડ્યા હતા. તેમણે સચિનભાઈને પકડી રાખી ઢીકાપાટાનો માર માર્યો હતો અને છરી બતાવી કંઈ બોલીશ તો મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સચિનભાઈના ખિસ્સામાંથી રોકડ રૂપિયા અને જરૂરી કાગળ પણ છીનવી લીધા હતા. બાદમાં રેશ્માબેનને જબરદસ્તી પોતાની ગાડીમાં બેસાડી સાથે લઈ ગયા હતા. ફરિયાદમાં સચિનભાઈએ જણાવ્યું હતું કે તેઓ હિન્દુ અને રેશ્માબેન મુસ્લિમ હોવા છતાં બંનેએ સ્વઇચ્છાથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો અને કાયદેસરની પ્રક્રિયા માટે સબ રજીસ્ટર કચેરીએ હાજર રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે નીલમબાગ પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે જાણ્યું કે આકાશના લગ્ન ધરતી નામની યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ ઘરની આર્થિક પરિસ્થિતિમાં મદદરૂપ થવા માટે ધરતીએ એક કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી હતી. નોકરી દરમિયાન ધરતીને પોતાની સાથે જ કામ કરતા ધ્રુવ નામના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. ધીરે ધીરે બન્ને એકબીજાની વધુ નજીક આવ્યા હતા. આ વાત ધરતીના પતિ આકાશને ખબર પડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. એક રાતે ધ્રુવે પિતાને ફોન કરીને કહ્યું હતું હતું કે હું ધરતીના ઘર કડીથી વડોદરા આવું છું. જો કે બીજા દિવસે સવાર સુધી તે ઘરે પહોંચ્યો નહોતો. પરિવારે ફોન કર્યો ત્યારે કોઇએ કોલ રિસિવ કરીને એટલું જ કહ્યું કે ધ્રુવ હવે રહ્યો નથી. જેના પછી પરિવાર બદામડી બાગ પહોંચ્યો હતો. જ્યાં ધ્રુવની લાશ પડી હતી. ધ્રુવની હત્યા કોણે અને શા માટે કરી આ સવાલ સૌ કોઇના મનમાં હતો. હવે આગળ વાંચો.... ધ્રુવની લાશ જ્યાં પડી હતી ત્યાં ધરતી પણ હાજર હતી. પોલીસે ધરતીને ઘટનાસ્થળેથી જ પકડી લીધી. હવે ધરતીની પૂછપરછમાં એક પછી એક ઘટસ્ફોટ થવાના હતા. શરૂઆતમાં તો ધરતી પોલીસ સામે રડતી રહી અને મને કંઇ ખબર નથી તેવું કહેતી રહી પણ જ્યારે પોલીસે ઊંડાણપૂર્વક પૂછ્યું ત્યારે તેણે હકીકત કહી દીધી. તમારો દીકરો હવે રહ્યો નથી, તમે જ્યાં હો ત્યાંથી જલ્દી આવી જાઓ.... ધ્રુવના મમ્મીને આવો ફોન કરનાર બીજું કોઇ નહીં ખુદ ધરતી જ હતી. ધ્રુવની હત્યા બાદ ધરતી ત્યાં જ ઊભી રહી હતી અને ત્યાંથી જ ફોન કર્યો હતો. ધરતીએ પોલીસને શરૂઆતથી ધ્રુવની હત્યા સુધીનો ઘટનાક્રમ જણાવ્યો. આકાશને જ્યારથી ધ્રુવ અને ધરતીના પ્રેમ વિશે ખબર પડી હતી ત્યારથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા. છેવટે આકાશે ધરતીને છુટાછેડા આપી દેવાનું નક્કી કર્યું હતું. તેણે ધરતીને કહ્યું, જો તારે ધ્રુવની સાથે જ રહેવું હોય તો મને વાંધો નથી પણ છુટાછેડા આપતા પહેલા મારે એકવાર ધ્રુવને મળવું છે. મારે અમુક સ્પષ્ટતા કરવી છે. હકીકતમાં આ સમયે આકાશના મનમાં એક ખતરનાક પ્લાન ચાલી રહ્યો હતો. જેની કોઇને ખબર નહોતી. ધરતીને લાગ્યું કે આકાશ સમજી ગયો છે પણ તે આકાશની આંખોમાં રહેલા વેરને ઓળખી ન શકી. તેણે પતિની વાત માની લીધી અને 31મી મેની સવારે ધ્રુવને બદામડી બાગ પાસે મળવા બોલાવ્યો હતો. ધ્રુવ જ્યારે બદામડી બાગ આવ્યો ત્યારે આકાશ અને ધરતી તેની રાહ જોઇને ઊભા હતા. જેવો ધ્રુવ નજીક આવ્યો કે આકાશે ધરતીને કહ્યું.... ધરતી, તુ અહીં જ ઊભી રહે. હું ધ્રુવ સાથે વાત કરૂં છું. આના પછી આકાશ ધ્રુવને ધરતીથી થોડે દૂર લઇ ગયો. ધરતી તે બન્નેને જોતી રહી. ધરતીને કંઇ ન સંભળાય તેટલા અંતરે પહોંચીને આકાશે ધ્રુવ સાથે વાતચીત શરૂ કરી. આકાશઃ તે મારી પત્નીને ફસાવી છે.ધ્રુવઃ આવું કંઇ નથી, ધરતી અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. ધરતી હવે તારી સાથે ખુશ નથી.આકાશઃ તને ખબર છે કે મારા અને ધરતીના લગ્ન થઇ ગયા છે અને અમે બન્ને પતિ-પત્ની છીએ તો પણ તું એની પાછળ પડ્યો છે?ધ્રુવઃ પ્રેમને કોઇ બંધન નથી નડતા. અમે સાથે જ રહીશું. આ સંવાદ પછી બન્નેની વાતમાં ઉગ્રતા આવવા લાગી. આ સમયે ધરતી ત્યાં હાજર જ હતી પણ તે કંઇ બોલી શકે તેવી સ્થિતિમાં નહોતી કેમ કે એક તરફ પતિ હતો તો બીજીતરફ પ્રેમી. તેના મનમાં ગડમથલ ચાલતી હતી કે મારે કોની સાથે રહેવું. વળી, તેને પોતાની દીકરીની પણ ચિંતા હતી. આ તરફ આકાશ અને ધ્રુવ વચ્ચેની ઉગ્ર વાતચીત ઝઘડામાં બદલાઇ ગઇ. બન્ને એકબીજાને અપશબ્દો કહેવા લાગ્યા. અપશબ્દોથી વાત આગળ વધી અને મારામારી શરૂ થઇ ગઇ. આકાશ વ્યવસાયે લેબ ટેક્નિશિયન હતો. તેને ખબર હતી કે શરીરની કઇ નસ કાપવાથી માણસ તરત જ મોતને ભેટે છે. તે પોતાની લેબમાંથી જ સર્જિકલ બ્લેડ લઇને નીકળ્યો હતો. ગુસ્સામાં પાગલ બનેલા આકાશે પોતાની પાસે છુપાવી રાખેલી સર્જિકલ બ્લેડ કાઢી અને તે લઇને ધ્રુવ પર તૂટી પડ્યો. ધ્રુવ કંઇ સમજે તે પહેલાં જ આકાશ તેના ગળા, ખભા, પીઠ અને ડોક પર આડેધડ ઘા ઝીંકવા લાગ્યો. ધ્રુવને જરાપણ અંદાજો નહોતો કે આકાશ તેના પર અચાનક આ રીતે હુમલો કરશે. તે ડઘાઇ ગયો. પોતાનો જીવ બચાવવા મથતો રહ્યો પણ આકાશે તેના ગળા પર એટલા ઘા માર્યા કે તેની શ્વાસનળી કપાઇ ગઇ અને જોતજોતામાં તેણે દમ તોડી દીધો. આકાશ ધ્રુવના છેલ્લા શ્વાસ સુધી બ્લેડના ઘા મારતો રહ્યો હતો. ચારે બાજુ લોહીના ફૂવારા ઉડ્યા હતા. આકાશના કપડાં પણ ધ્રુવના લોહીથી રંગાઇ ગયા હતા. થોડે દૂર ઊભેલી એક યુવતી આ બધું પોતાની નજર સામે જોઇ રહી હતી તે યુવતી હતી ધરતી. પળવારમાં ન બનવાનું બની ગયું. હવે આકાશને ભાન થયું કે તેણે ગુસ્સામાં આવીને શું કરી નાખ્યું છે? ધ્રુવ સાથેની ઝપાઝપી દરમિયાન આકાશને પણ ડાબા હાથે ઇજા પહોંચી હતી. તેને લોહી નીકળતું હતું પણ ધ્રુવની લાશ જોઇને તે ડરી ગયો. હાથમાં રહેલી સર્જિકલ બ્લેડ ત્યાં જ ફેંકીને અને પળવારમાં એક નિર્ણય લઇ લીધો. આ નિર્ણય હતો ઘટનાસ્થળેથી ભાગી જવાનો. ભાગતી વખતે તેણે ધરતી એક શબ્દ પણ ન કહ્યો. માત્ર એક નજર તેના પર નાખી. હવે અહીં રહી ગયા હતા માત્ર ધરતી અને તેની અધૂરી પ્રેમ કહાની. ધ્રુવનો નિશ્ચેતન દેહ જમીન પર પડેલો હતો. ઘટનાસ્થળે લોકોનું ટોળું ભેગું થઇ ગયું. થોડી જ વારમાં પોલીસ આવી ગઇ. એમ્બ્યુલન્સ અને FSLના અધિકારીઓને બોલાવી લેવાયા. પોલીસે ભાગી ગયેલા આકાશને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા. આકાશ ફરાર થઇ ગયો હતો એટલે પોલીસે તરત તેના પિતાની ઊંડી પૂછપરછ શરૂ કરી હતી. આકાશ પાસે પોતાનો મોબાઇલ પણ હતો એટલે પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરવાનું પણ શરૂ કરી દીધું હતું પણ તે પોતાનું લોકેશન બદલી રહ્યો હતો. આકાશને સરળતાથી પકડવા માટે પોલીસે એક યુક્તિ વાપરી. તેના પિતાને વિશ્વાસમાં લીધા અને કહ્યું કે તમે આકાશને ફોન કરો અને અમે અહીં છીએ તેની આકાશને ખબર ન પડવી જોઇએ. પિતાએ પોલીસના કહ્યા મુજબ જ કર્યું. આમને આમ પોલીસે 3-4 વખત પિતા-પુત્રની વાત કરાવી. પોલીસે આકાશના પિતાને કહ્યું કે તમે તેને મળવા માટે બોલાવો. પિતાએ થોડા ખચકાટ સાથે આ વાત સ્વીકારી લીધી. ધ્રૂજતા હાથે આકાશને ફોન કર્યો. પિતાઃ આકાશ, તું ક્યા છે?આકાશઃ પપ્પા, હું પોલીસથી ભાગતો ફરૂં છું. પિતાઃ બેટા, એવું ન કર.આકાશઃ પપ્પા, મારી પાસે બીજો કોઇ રસ્તો નથી.પિતાઃ બેટા, આજે નહીં તો કાલે પોલીસ તને પકડી જ લેશે.આકાશઃ પપ્પા, તો હું શું કરૂં? તમે જ કંઇક કહો.પિતાઃ આકાશ, હું કંઇક કરૂં છું પણ એ પહેલાં આપણે મળીએ. આકાશને લાગ્યું કે પિતા તેને મદદ કરશે એટલે તેણે મળવાની તરત હા પાડી દીધી. બન્નેએ હરણી સર્કલ પાસે મળવાનું નક્કી કર્યું. હવે પોલીસનો રસ્તો ક્લિયર હતો. પોલીસને ખબર હતી કે આકાશ હરણી સર્કલ પાસે આવવાનો છે એટલે પોલીસ આકાશના પિતાને લઇને ત્યાં સાદા વેશમાં ગોઠવાઇ ગઇ. કોઇ પોલીસકર્મી ચાની કિટલી પર બેઠો હતો તો કોઇ બસ સ્ટોપ પર મુસાફર તરીકે ઊભો રહ્યો હતો, કોઇએ શ્રમિકનો વેશ ધારણ કર્યો હતો. જેવો આકાશ હરણી સર્કલ પાસે આવ્યો કે પોલીસે તેને ઝડપી લીધો. તેને હાથમાં ઇજા થઇ હોવાથી સારવાર માટે શહેરની સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને સારવાર કરાવી હતી. બીજા દિવસે પોલીસે તેની પૂછપરછ આદરી. આકાશે પોલીસને કહ્યું કે, મારી પત્નીને ધ્રુવ સાથે અફેર હતું. જે હું સહન ન કરી શક્યો. આ લવ ટ્રાયેંગલમાં કોઇ એક વ્યક્તિએ મરવાનું નક્કી હતું. જો મેં ધ્રુવની હત્યા ન કરી હોત તો ધ્રુવે મારી કે ધરતીની હત્યા કરી નાખી હોત. જેથી ધ્રુવને રસ્તામાંથી હટાવવા માટે મેં આ પ્લાન બનાવ્યો હતો. આકાશની કબૂલાત બાદ પોલીસે તેને ઘટનાસ્થળે પણ લઇ ગઇ હતી અને આખા બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં પોલીસે આકાશ અને તેની પત્ની ધરતીની આરોપી તરીકે ધરપકડ કરી હતી. કેસ કોર્ટમાં ચાલતો હતો એ દરમિયાન આકાશના પક્ષે રજૂઆત કરી હતી કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે પરંતુ સાક્ષીઓ અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જ્યારે ધરતીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરી હતી. ધરતીના રોલ વિશે કોર્ટે અવલોકન કર્યું હતું કે તેની સક્રિય સંડોવણી સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. જે પ્રેમ માટે આટલો મોટો ખેલ ખેલાયો તેનો અંત જેલના સળિયા પાછળ આવ્યો. કોર્ટે આકાશને આજીવન કેદની સજા ફટકારી. બીજીતરફ ધ્રુવના પરિવારે જુવાનજોધ દીકરો ગુમાવ્યો....વડોદરાની એ સવાર આજે પણ ધ્રુવના પરિવાર માટે એક ખરાબ સપના જેવી છે. આજીવન કેદની સજા સામે આકાશે ઉપલી કોર્ટમાં અપીલ કરી છે. જ્યાં કેસ ચાલી રહ્યો છે. નોંધઃ- ઘટનામાં પાત્રોના નામ બદલેલા છે. પત્નીના પ્રેમીને પતાવી દેવા પતિએ ખતરનાક પ્લાન બનાવ્યો, વાંચો પાર્ટ-1
આયોજન:મરીન બાયોલોજીમાં M.Sc.ના છાત્રોને દર મહિને રૂ.15 હજારની સ્કોલરશીપ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી મરીન સાયન્સ ભવન ધ્વારા રૂ.4.12 કરોડ નાં કરાર (MoA) નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશન ટેકનોલોજી ચેન્નઇ ખાતે કરવામાં આવ્યો. મરીન બાયોલોજી વિષય સાથે M.Sc. કરનારા વિદ્યાર્થીઓને માસીક રૂ.15 હજાર જેટલી સ્કોલરશીપ ઉપરાંત ઇન્ટર્નશીપ માટે રૂ.10 હજારની વિશેષ શિષ્યવૃતિ આપવામાં આવશે. કુલપતિ પ્રો.(ડો),ભરતભાઈ બી. રામાનુજ અને મરીન સાયન્સ ભવનનાં અધ્યક્ષ ડો.ઇન્દ્ર ગઢવી ચેન્નઈ ખાતે નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓશન ટેકનોલોજી ખાતે આયોજીત એક રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં મરીન બાયોલોજીનાં અનુસ્નાતક પ્રોગ્રામ માટે ભારત સરકારના પૃથ્વી મંત્રાલય ધ્વારા ડીપ ઓશન મિશન અંતર્ગત વર્ટીકલ-6 અનુસંધાને મરીન સાયન્સ ભવન માટે આગામી ત્રણ વર્ષ માટે રૂ. 4.12 કરોડની માતબર ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જેમાં અંદાજે રૂ.2 કરોડ નાં વૈજ્ઞાનિક સાધનો વડે મરીન સાયન્સ ભવનની લેબોરેટરી સુસજ્જ થશે ઉપરાંત આગામી ત્રણ વર્ષ માટે બે અધ્યાપકો અને બે ટેકનિશિયનની કોન્ટ્રાકટ બેઇઝ ભરતી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પદ્મશ્રી ડો. શૈલેશભાઈ નાયક, સમગ્ર કાર્યક્રમના અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કરારથી શ્રેષ્ટ નોકરી-વ્યવસાયની તક મળશેઆ એગ્રીમેન્ટનાં કારણે મરીન સાયન્સ ભવનના વિદ્યાર્થીઓને શ્રેષ્ટ નોકરી-વ્યવસાય ની તક આગામી સમયમાં મળશે. ભારત સરકારના પૃથ્વી મંત્રાલય ધ્વારા બ્લુ-ઈકોનોમી એટલે કે સમુદ્ર આધારિત વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે આ કરાર ધ્વારા ભાવનગરના મરીન સાયન્સ ભવનમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને માટે વિકાસના અનેક નવા ધ્વાર ખુલશે. રાજ્યમાં મરિન બાયોલોજીનો કોર્સ એક માત્ર ભાવનગર યુનિ.માંગુજરાત રાજ્યમાં M.Sc. મરીન બાયોલોજી અને Ph.D મરીન બાયોલોજી નો અભ્યાસક્રમ ચલાવનાર એક માત્ર યુનિવર્સિટીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી છે. જેમાં મરીન સાયન્સ ભવન ખાતે આ ગ્રાન્ટ મળી છે. સમગ્ર ભારતનાં પશ્ચિમ કાંઠા પર માત્ર બે જ યુનિવર્સિટીને આ ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવી છે. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં મરીન સાયન્સ ભવનનો સમાવેશ થાય છે.
પ્રથમ ગ્રાસે મક્ષિકા:ઈ બસની બેટરી ડાઉન તો બીજી એકને નડયો અકસ્માત
ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં શરૂ કરવામાં આવેલી ઈલેક્ટ્રીક બસનો શહેરીજનોમાં સારો એવો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ હજુ શરૂ થયાના બે જ દિવસમાં જુદા જુદા બે બનાવોએ ઈલેક્ટ્રીક બસની સેવા પર પ્રશ્નો ઉભા કર્યા છે. ગત રાત્રે બેટરી લો થઈ જતા રોડ પર જ બસ બંધ થઈ ગઈ હતી તો આજે ઈલેક્ટ્રીક બસના અકસ્માતે એક મહિલાને ઈજા પહોંચી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા તેના સ્થાપના દિવસે 14મી ફેબ્રુઆરીએ શહેરના જુદા જુદા આઠ રૂટ પર 50 ઇલેક્ટ્રીક બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. ભાવનગર માટે ચોક્કસપણે ઈલેક્ટ્રીક બસની સુવિધા આવકારદાયક છે પરંતુ શરૂ થયાના ગણતરીના દિવસોમાં ઇલેક્ટ્રીક બસની સેવાની ખામી બહાર આવી છે. અકવાડાથી ઘોઘા સર્કલના રૂટની બસ ગઈ મોડી સાંજે ક્રેસન્ટ સર્કલ પાસે બેટરી લો થઈ જતા અચાનક બંધ પડી ગઈ હતી. જેથી અધ વચ્ચે રસ્તામાં જ મુસાફરો પણ રઝળી પડ્યા હતા. અને બસને ડેપો સુધી પહોંચાડવાની કાર્યવાહી કરી હતી. જ્યારે આજે માધવ દર્શન નજીક અકવાડા રૂટની ઈલેક્ટ્રીક બસ અડફેટે એકટીવા મહિલા ચાલકને ગંભીર ઇજાપહોંચી હતી. એકટીવા મહિલા ચાલકનો હાથ ઈલેક્ટ્રીક બસના પાછલા વ્હીલ નીચે ચગદાઈ ગયો હતો. અને અકસ્માત સર્જી ઇલેટ્રીક બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. તેમજ હાલમાં હાઇકોર્ટ રોડ પર ચાલતી ઇલેક્ટ્રિક બસને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા પણ રહે છે. જેથી તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્રએ વિચારવી જોઈએ. એક દિવસનો કોર્પોરેશનને 5.85 લાખ ખર્ચઈલેક્ટ્રિક બસ સરકારે માત્ર સેવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. પેમેન્ટની સિક્યુરિટી માટે સરકારે એસ્પ્રો એકાઉન્ટ દ્વારા સુવિધા ઉભી કરી છે. કોર્પો.દ્વારા 65 રૂપિયા પર કિલોમીટર દીઠ ચૂકવવાના રહે છે. અને દરેક બસે રોજના 180 કિલોમીટર ચલાવવાની રહે છે. જેથી રોજનો એક બસનો રૂ.11,700 મુજબ 50 બસના રૂ.5.85 લાખ ખર્ચ કોર્પોરેશનને થાય છે. જોકે, ઇન્ડોનેશિયામાં ચાલતી સીટી બસ એકમાત્ર પ્રોફીટેબલ છે. બાકી ભારત દેશમાં શહેરમાં નફો કરતી કોઈ બસ સુવિધા નથી.
પેન્શનરોમાં નારાજગી:ભાવનગર રેલવે હોસ્પિટલ દ્વારા OPDમાં સમયકાપ મુકાતા રોષ
ભાવનગરના રેલવે કર્મચારીઓની તબીબી સુવિધા માટે રેલવે હોસ્પિટલની સુવિધાની ઓપીડીના સમયગાળામાં અચાનક ઘટાડો કરવામાં આવતા રેલ કર્મચારીઓ, પેન્શનરોમાં નારાજગી ફેલાઇ ચૂકી છે. સંબંધિત વિભાગ દ્વારા કરવામાં આવેલા ફરમાન મુજબ હવે, બધા જ ડોક્ટરો 4 વાગ્યા સુધી જ મળી શકશે. કર્મચારીઓને સારવાર કરાવવા માટે રજા મુકવી પડે અથવા ચાલુ નોકરીએ જવું પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓ તાલુકા મથકોએ નોકરી કરી રહ્યા હોય, ઉપરાંત તેઓની સવારે 7 થી 4 અથવા 8 થી 5ની ડ્યુટી હોય તેવા કર્મચારીઓને તો રજા મુકીને રેલવે હોસ્પિટલમાં દવા લેવા કે તબીયતનું ચેક-અપ કરાવવા માટે આવવું પડે છે. અગાઉ કર્મચારીઓને અનુકુળ હોય તેવો સમય હતો અને સવારે 9થી 1 તથા સાંજે 4 થી 6 દરમિયાન ઓપીડી શરૂ રાખવામાં આવતી હતી તેથી કર્મચારીઓ પોતાની નોકરીના સમયગાળા અનુરૂપ તબીબી સેવાઓ મેળવી રહ્યા હતા. પરંતુ અચાનક ઓપીડીનો સમય સાંજે 4 વાગ્યા સુધીનો જ કરવામાં આવતા કર્મચારીઓને હેરાનગતિ નડી રહી છે. વર્કશોપ અને ભાવનગર ડિવિઝનના કર્મચારીઓ પોતાની અથવા પરિવારજનોની દવા લેવા, તબીયત બતાવવા માટે સાંજે 5 વાગે નોકરી પુરી કરી અને રેલવે હોસ્પિટલ જઇ શક્તા હતા, અને રજા પાડવાની જરૂર પડતી ન હતી. વર્ષોથી ચાલી રહેલા તબીબી સેવાઓના સમયપત્રકમાં અચાનક કરાયેલા ફેરફારથી ભાવનગર રેલવે ડિવિઝનના કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઇ રહી છે.
ધો.10-12ની પરીક્ષા માટે હોલ ટિકિટ જાહેર:શાળાઓ વેબસાઈટ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી લેવાનારી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા માટેની હોલ ટિકિટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ વેબસાઈટ પર હોલ ટિકિટ મૂકવામાં આવી છે. ssc.gsebht.in અથવા gsebht.in અથવા gseb.orb પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી દ્વારા લોગીન કરીને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની ખરાઈ કરીને હોલ ટિકિટમાં યોગ્ય સ્થળે જરૂરી વિગતો અને ફોટા લગાવીને પરીક્ષાર્થીને આપવાની રહેશે અને સાથે પરીક્ષાર્થીને પરીક્ષા માટેની સૂચનાઓ ફરજિયાત પણે આપવાની રહેશે. ધો. 12 સામાન્ય પ્રવાહ, બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાના તમામ ઉમેદવારો માટે પરીક્ષાની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ gen.gsebht.in અથવા gsebht.in અથવા gseb.orb પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદનપત્ર મુજબના વિષયો અને માધ્યમની ખરાઈ કરીને પૂરતી ચકાસણી કરીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. આવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની હોલ ટિકિટ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે. બોર્ડની વેબસાઈટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.orb પરથી ડાઉનલોડ કરી શકાશે. શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દ્વારા લોગીન કરીને ડાઉનલોડ કરી શકાશે અને હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને વિષય અને માધ્યમની ચકાસણી કરીને આપવાની રહેશે તેમ ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. પરીક્ષણ માટે શિક્ષકોના નિમણૂંકપત્ર મોકલાયાફેબ્રુઆરીની પરીક્ષાના પરીક્ષણ કાર્ય માટે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પરના શિક્ષકોના નિમણૂક પત્ર હોલ ટિકિટ સાથે ઓનલાઇન જ મોકલી આપવામાં આવ્યા છે. જે શાળા દ્વારા ઓનલાઈન ડાઉનલોડ કરવાના રહેશે અને નિમણૂક થઈ હોય જે શિક્ષકોને જરૂરી વિગત સાથે જાણ કરી સુપ્રત કરવાના રહેશે વિષયોમાં વિસંગતતા હોય તો બોર્ડનો સંપર્ક કરવો26મીથી લેવાનારી ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.12ની પરીક્ષાના પરીક્ષાર્થીના કોઇ વિષયો બાબતે કે અન્ય કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની કચેરી ખાતે માધ્યમિક વિભાગનો જરૂરી આધાર સાથે સંપર્ક કરવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.
તંત્ર સામે આક્રોશ:પાથરણાવાળા સાથે દારૂ, ડ્રગ્સ અને ગાંજો વેચતા હોય એવું વર્તન : કોંગ્રેસ
ભાવનગર શહેરમાં ઈલેક્ટ્રીક બસ શરૂ થતા તેના રૂટ પર લારી ગલ્લા અને પાથરણાવાળાને કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવી રહ્યા છે ત્યારે તંત્ર સામે આક્રોશ સાથે આજે કોંગ્રેસ અને લારી ગલ્લાધારકો રેલી સ્વરૂપે કોર્પોરેશન પહોંચતા કોર્પોરેશનના મુખ્ય દરવાજાના શટર પાડી અટકાવ્યા હતા. ભારે હોબાળા બાદ કોંગ્રેસના આગેવાનોએ ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. ભાવનગર શહેરના લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ હટાવ વિભાગ દ્વારા હેરાનગતિ કરી રહ્યા હોવાનો અને સાધનો જપ્ત કરી કાર્યવાહી કરી રહ્યા હોવાના આક્રોશ સાથે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્ત લારી ગલ્લા ધારકો સાથે ગંગાજળીયા તળાવથી કોર્પોરેશન સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યો હતો. રેલી કોર્પોરેશન પ્રીમાઈસીસમાં પહોંચતા જ કોર્પોરેશનના મુખ્ય દરવાજો બંધ કરી શટર પાડી દીધા હતા. જેથી કોંગ્રેસના કાર્યકરો અને લારી ગલ્લા ધારકોએ હોબાળો મચાવ્યો હતો. સૂત્રોચાર દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસ પણ બોલાવવામાં આવી હતી. અંતે કોંગ્રેસના આગેવાનો અને થોડા લારી ગલ્લા ધારકોને મંજૂરી આપતા ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરી હતી. કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પાથરણાવાળા સાથે દારૂ, ડ્રગ્સ-ગાંજો વેચતા હોય એવું વર્તન શું કામ કરી રહ્યા છે. ભાવનગર મનપા પાસે મોટા બિલ્ડરો કે ઉદ્યોગપતિઓના દબાણો હટાવવાની તાકાત નથી ને ગરીબ લોકોને હેરાન કરી રહ્યા છે. જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ફરિયાદ:ભાવનગરમાં જૂના સંબંધોની દાઝ રાખી ફોરવ્હીલર પર હુમલો, 1.5 લાખનું નુકસાન
ભાવનગર શહેરમાં વ્યક્તિગત અદાવતનું ભયંકર રૂપ સામે આવ્યું હતું, જ્યાં જૂના સંબંધોના વિવાદે તોફાની વળાંક લઈ ફોરવ્હીલર કાર પર લોખંડના પાઇપ વડે હુમલો કરી આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદ વરતેજ પોલીસ મથકે નોંધાઈ હતી. ભાવનગર શહેરના સર પટણી રોડ કામળફળી ચોક, રબ્બાની મસ્જિદ પાસે નિવાસ કરતા શબ્બીરભાઈ હાજીભાઈ શેખે વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના સંબંધીઓ સાથે તેના શેઠની ફોરવ્હીલર કાર લઈને જુના પાદર ખાતે સુન્નતના પ્રસંગે હાજરી આપવા ગયા હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ પરિવારજનો સાથે તેઓ તેમના માસાની વાડીએ આંટો મારી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાર પાર્ક કરેલી જગ્યાએ પહોંચતા ગાડીના કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા અને બોનેટ, બમ્પર તથા દરવાજાઓ પર ઘોબા પડેલા હતા. આ બનાવ અંગે આસપાસના લોકોને પૂછપરછ કરતાં જાણ થઈ કે જુના પાદર ખાતે રહેતા અરબાજ મુનાફભાઈ તૂરે લોખંડના પાઇપ વડે કારને જાનીજોઈને નુકસાન પહોંચાડ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ શબ્બીરભાઈના મામાની દીકરી સાથે આરોપી અરબાજના અગાઉ લગ્ન થયા હતા, પરંતુ બાદમાં દાંપત્ય જીવન વિખૂટું પડ્યું હતું. ત્યારબાદ શબ્બીરભાઈએ તે જ યુવતી સાથે લગ્ન કરતાં આરોપીએ જૂની દાઝ અને અદાવત મનમાં રાખી આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું હતું. આ ઘટનામાં કારના કાચ, બોનેટ, બમ્પર અને દરવાજાઓને ભારે નુકસાન થતાં અંદાજે રૂપિયા દોઢ લાખ જેટલું નુકસાન થયાનું જણાવાયું છે. વરતેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ હતી.
તસ્કરી:ગારિયાધારમાં કલરના ગોડાઉનમાંથી ચાર લાખથી વધુની ચોરીની ફરિયાદ
ગારીયાધારમાં કાયદો-સુવ્યવસ્થાને પડકારતી વધુ એક ચોરીની ઘટનાએ વેપારી વર્ગમાં ચિંતા ફેલાવી છે. શહેરના સુખનાથ મહાદેવ મંદિર સામે આવેલા ખાંચામાં સ્થિત કલરના ગોડાઉનમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને અલગ-અલગ કંપનીની લાખો રૂપિયાની કલરની ડોલો ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવ અંગે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ વધુ તપાસ હાથ ધરાઈ છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, કલરના વેપારી મૂર્તુજાભાઈ હુસેનભાઈ લક્ષ્મીધરે પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનું ગોડાઉન બંધ હાલતમાં હોવા છતાં અજાણ્યા શખ્સોએ તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો દ્વારા એશિયન પેઇન્ટ ની 30 નંગ ડોલ (કિંમત રૂ. 1,24,500), ઈન્ડિગો પેઇન્ટ કંપનીની ડેમ પ્રૂફ કલરની 70 નંગ ડોલ (કિંમત રૂ. 2,80,000) તેમજ બિરલા ઓપસની ડેમ પ્રૂફ 19 નંગ ડોલ (કિંમત રૂ. 78,850) મળી કુલ રૂ. 4,83,350ની માલમસાલાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. શહેરના મુખ્ય ધાર્મિક સ્થળની આસપાસ આવી ઘટના બનતા સુરક્ષા વ્યવસ્થાની પણ ચર્ચા ઉઠી છે. ગારીયાધાર પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્રિત કર્યા છે અને અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કામગીરી હાથ ધરી છે. કેટલીક શંકાસ્પદ હલચલના આધારે આરોપીઓને ઝડપવાની પોલીસ આગળ વધી રહી છે.
ડ્રોન સર્વેલન્સ:શેત્રુંજીમાં ગેરકાયદેસર રેતી ખનન: 20 લાખનો મુદ્દામાલ સિઝ
તળાજા તાલુકાના દાત્રડ ગામે આવેલ શેત્રુંજી નદીપટ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનનો કારોબાર ફરી એકવાર ભાંડો ફોડાયો હતો. તા. 16/02/2026 ના રોજ સવારે મળેલી બાતમીના આધારે ભૂસ્તરશાસ્ત્રી કચેરી, ભાવનગરની તપાસ ટીમે ડ્રોન સર્વેલન્સ દ્વારા આકસ્મિક દરોડો પાડી ગેરકાયદેસર ખોદકામ કરતા એક જેસીબી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર કબજે કર્યા હતા અને અંદાજે રૂ. 20 લાખ નો મુદ્દામાલ સિઝ કર્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલા વાહનો તળાજા પોલીસ સ્ટેશન ખાતે અટકમાં રાખી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી વિગત મુજબ તપાસ ટીમે દાત્રડ ગામ નજીક આવેલ શેત્રુંજી નદીપટ્ટ વિસ્તારમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી. આધુનિક ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી સમગ્ર વિસ્તારનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સવાલવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનીજનું ખોદકામ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી ખોદકામમાં સંડોવાયેલ એક જેસીબી મશીન સાથે એક લોડર અને એક ટ્રેક્ટર કાર્યરત હાલતમાં ઝડપાયા હતા તપાસ દરમ્યાન લોડર અને ટ્રેક્ટરના માલિક તરીકે અનુક્રમે સંજય ડાંગર તથા કિશોર ઘુઘાભાઈ આલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી તમામ વાહનો કબજે કર્યા હતા અને અંદાજિત રૂ. 20 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. સમગ્ર મુદ્દામાલ તળાજા પોલીસ સ્ટેશન ખાતે જમા રાખી કાયદેસરની કાર્યવાહી પ્રગતિ પર હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું હતું. ગેરકાયદેસર ખનન વિરુદ્ધ તંત્રની આ કાર્યવાહીથી રેતી માફિયાઓમાં હડકંપ મચી છે. જ્યારે છેલ્લા ઘણા વર્ષોથી અનેક ખનીજ માફિયાઓ ખનન કરીને શેત્રુંજી નદીમાંથી ખૂબ મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરી છે.
અનેક તર્ક વિર્તક:વલભીપુર નગરપાલિકાની માઠી દશા બેઠી નગરપાલિકાના સીટી ઈજનેરનું પણ રાજીનામુ
વલભીપુર નગરપાલીકાનાં બાંધકામ શાખાના સીટી સિવિલ ઈજનેરે રાજીનામુ આપી દેતા અનેક તર્ક વિર્તક થઇ રહ્યાં છે અને રાજીનામુ કયાં કારણોસર આપ્યુ તે કારણ અકબંધ છે. વલભીપુર નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસર વગર ચાર માસથી પ્રશ્ન ગુંચવાયેલો છે ત્યાં તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા સવા વર્ષથી ખાલી છે. વિકાસના કામો માટે મહત્વની ગણાતી આ બન્ને કચેરીઓ જવાબદાર અધિકારીઓ વગરની રામ ભરોસે વહીવટ ચાલે છે જેમાં અધુરામાં પુરૂ વલભીપુર નગરપાલીકાનાં બાંધકામના સીટી સિવિલ ઈજનેરે પણ રાજીનામુ ધરી દેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. વલભીપુર નગરપાલીકાની સ્થાપના થયાને 20 વર્ષ થયા છે અને આ સમયગાળા દરમ્યાન અંદાજે 38 જેટલા ચીફ ઓફીસરો રાજીનામુ ધરીને ચાલતી પકડી છે અને હવે તેમાં સીટી સીવીલ ઈજનેરે સરકારને નિયમ મુજબના ભરપાઇ કરવાના થતા રૂ.35 હજાર ભરીને રાજીનામુ આપી દીધુ છે. 38 ચીફ ઓફિસર તો આવીને જતા પણ રહયાંનગરપાલિકામાં તો પાલિકાની સ્થાપનાના સમય કરતા વધુ ચીફ ઓફિસર રાજીનામુ આપીને જતાં રહ્યા છે. 20 વર્ષમા 38 ચીફ ઓફિસર આવ્યાને ગયા તેથી કહી શકાય કે ચીફ ઓફિસરો સાથે સતાધીશોને ફાવતુ નથી કે શું ? તાલુકા પંચાયત પણ તાલુકા વિકાસ અધિકારી વગરની હોય તેમની જગ્યાએ ઇન્ચાર્જથી ગાડું ગબડી રહ્યુ છે.નગર પાલિકામાં ભા.જ.પ.નું શાસન છે અને લોકોએ ભા.જ.પ.ને ધીંગી બહુમતી આપી શાસન સોપ્યુ છે છતાં વહીવટ સુધારવા માટે કોઇને રસ હોય તેમ જણાતું નથી નહીં તો આવી આવી હાલત ન હોય શહેરની.
રાજકોટ શહેરમાં સંત કબીર રોડ એટલે ઈમિટેશન અને ચાંદીના વેપારીઓની બજારનો મહત્ત્વનો વિસ્તાર. આ જ રોડ પર નંદુ બાગ એટલે કે શિવશક્તિ સોસાયટીમાં હનુમાનજીની દેરી પાસેના ખૂણાના પ્લોટ પર દુકાનો ચણાઈ રહી છે. આ વિસ્તાર સૂચિત વિસ્તાર છે. રાજકોટમાં સૂચિતમાં નવું બાંધકામ કરવા પર વર્ષોથી પ્રતિબંધ છે. આમ છતાં ખૂણાના પ્લોટમાં એક ફૂટ પણ માર્જિન છોડ્યા વગર પીજીવીસીએલના થાંભલા અને ગુજરાત ગેસની પેટીની લગોલગ દીવાલો ચણાઈ છે અને બે માળનું કોમ્પ્લેક્સ ખડકાઈ રહ્યું છે. આ બાંધકામ કોઇ માથાભારે શખ્સનું નહિ પણ મેયર નયનાબેનના પતિ વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ પેઢડિયાનું હોવાનું ભાસ્કરની તપાસમાં સામે આવ્યું છે. વર્તમાન શાસકોની ટર્મ પૂરી થવા જઈ રહી છે તેવા સમયે સત્તાનો દુરુપયોગ કરીને મેઈન રોડ પર ગેરકાયદે બાંધકામ કરીને તેનું વેચાણ કરીને લાખો કમાવવાની મુરાદ સામે આવી છે. મેયરના પતિ કે જે આરએસએસમાં પણ સક્રિય છે તે વિનોદભાઈએ કોઇપણ પ્રકારના રેગ્યુલરાઈઝેશન કે પછી મનપામાં પ્લાન મૂક્યા વગર દુકાનોનુ બાંધકામ ચાલુ કરી દીધું છે. બાંધકામ કરવા માટે વીજ કનેક્શન લેવાયું છે તે મીટર પણ થાંભલા પર જ લગાવ્યું છે અને દુકાનની દીવાલ સીધી ગુજરાત ગેસની કનેક્શનની પેટીની પાસે જ આવે છે એટલે કે જરા પણ માર્જિન છોડાયું નથી. મનપાની ટી.પી. શાખા આંતરિક વિસ્તારમાં પણ ગેરકાયદે બાંધકામ શોધી લ્યે છે પણ અહીં મુખ્ય માર્ગ પર થઈ રહેલા ગેરકાયદે બાંધકામ સામે આંખ આડા કાન કરી દેવાયા છે. એટીપી વાછાણીએ કર્યા ઢાંકપિછોડા, કહ્યું મને જાણ જ નથી લેખિત ફરિયાદ થાય તો ખબર પડે!એટીપી રેનિશ વાછાણીને સ્થળ પરના ફોટો, લોકેશન સહિતની વિગતો મોકલીને બાંધકામ કાયદેસર છે કે નહિ તે પૂછવામાં આવ્યું હતું. જો કે તેઓએ ત્રણ દિવસ સુધી કોઇ પ્રત્યુત્તર આપ્યો ન હતો અને બાદમા એવું જણાવ્યું હતું કે ત્યાં પ્લાન મુકાયો છે કે નહિ તેની તેમને જાણ નથી. રજા ચિઠ્ઠી હોય તો ખબર પડે! હવે જેની મંજૂરી જ નથી લેવાઈ તેની રજા ચિઠ્ઠી ક્યાંથી મળે તેવું કહેતા તેઓએ લેખિતમાં ફરિયાદ આવે તો તપાસ કરી ખબર પડશે તેવું કહીને મામલો રફેદફે કરવા પ્રયત્ન કર્યો છે. બાપ-દાદાનો પ્લોટ છે તેના પર બનાવી છીએ, રેગ્યુલરાઈઝ અને બાંધકામ મંજૂરી પ્રોસેસમાં છેઆ પ્લોટ અમારા બાપ-દાદાના સમયનો છે, સૂચિત છે. અત્યાર સુધી મૂડી ભેગી થઈ નહિ એટલે બનાવી શક્યા ન હતા હવે બનાવું છું. આ દુકાનો વેચવા માટે નથી બનાવી મારા સંતાનોને કામધંધો ચાલુ થઈ જાય તે માટે બનાવી છે. રેગ્યુલરાઈઝ તેમજ બાંધકામ મંજૂરી બધું જ પ્રોસેસમાં ચાલી રહ્યું છે. > વિનોદભાઈ પેઢડિયા ટીપી શાખાને બધી જ ખબર હતી, મેયરનું નામ આવતા આંખો બંધ કરી દેવાઈવોર્ડ નં.5માં સંત કબીર રોડ પર જ સૂચિત સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ થતું હોય તે સીધું જ મનપાના સર્વેયર અને એટીપીના ધ્યાનમાં આવી જાય. ખબર ન હોય તેવું બને નહીં. જ્યારે પાયા ખોદાયા ત્યારે જ ટીપી શાખાને ખબર પડી ગઈ હતી. પણ, મેયરના પતિ વિનોદભાઈ(વિનુભાઈ) પેઢડિયાની સાઈટ છે તે ખબર પડતા આંખો બંધ કરી દેવાઈ હતી.
અધિક્ષક ઈજનેર એટલે કે વર્ગ-1ના અધિકારીને વિભાગમાંથી એવો પત્ર આવે કે તમે જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી રહ્યા નથી. તો આ ગંભીર ઠપકો ગણાય અને કોઇ મહત્ત્વની અને મોટા પ્રોજેક્ટમાં બેદરકારી બદલ અપાય પણ ડ્રાઈવરને લોન સેવા માટે મૂકવામાં આવો ઠપકો અપાયાની ઘટના રાજકોટના અધિક્ષક ઈજનેરને મળ્યો છે. રાજકોટ સિંચાઈ વર્તુળ એટલે કે સૌરાષ્ટ્ર-કચ્છ સિંચાઈ ઝોનમાં ફરજ બજાવતા વર્કચાર્જ ડ્રાઈવર ડી.ડી. કારિયાને લોન સેવામાં બીજી કચેરીમાં મૂકવા માટે અરજી આવી હતી. જેની સત્તા કચેરીના વડા એટલે કે અધિક્ષક ઈજનેરને જ હોય છે. આમ છતાં અધિક્ષક ઈજનેર પ્રેક્ષાબેન ગોસ્વામીએ તે મુદ્દો સીધો સરકારમાં મોકલી દીધો હતો. સરકારમાં પત્ર લખીને આ મુદ્દે માર્ગદર્શન માગ્યું હતું. તેનો જવાબ એવો આવ્યો હતો કે તમારી કક્ષાએથી કરો. ત્યારબાદ દરખાસ્ત તૈયાર કરીને ફરી વિભાગમાં મોકલ્યો હતો અને ત્યાંથી મંજૂરી અપાય તેવો પ્રયાસ થયો હતો. આ રીતે ડ્રાઈવરની બદલી ન કરવા તેમજ લોન સેવા પર ન મુકાય તે માટેના પ્રયાસો થયા હતા. જેને લઈને આખરે સિંચાઈ વિભાગમાંથી જવાબ આપ્યો હતો કે, રાજકોટ કચેરી દ્વારા વારંવાર માર્ગદર્શન માગી બિનજરૂરી વહીવટી જટિલતા ઊભી કરવા અને જવાબદારીનું યોગ્ય વહન ન કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ કામગીરી માટે આપની કચેરી સત્તાધિકારી છે.’ આ ઠપકો આપ્યા બાદ પણ હજુ કચેરીએ કોઇ કાર્યવાહી કરાઈ નથી. અધિક્ષક ઈજનેરને પત્રમાં આ રીતે ઠપકો અપાયો‘વર્કચાર્જ માટે નિમણૂક અને શિસ્ત અધિકારી તરીકે આપની કચેરી સક્ષમ સત્તાધિકારી છે તેમ છતાં આપની કચેરી દ્વારા આ પ્રકારના વારંવાર માર્ગદર્શન માગી બિનજરૂરી વહીવટી જટિલતા ઊભી કરવા અને જવાબદારીનું યોગ્ય રીતે વહન ન કરવા પ્રયત્નો કરવામાં આવે છે જે વહીવટી દૃષ્ટિએ યોગ્ય જણાતું નથી. આથી આપની દરખાસ્ત અન્વયે હુકમને અત્રેથી કોઇ બહાલી આપવાની રહેતી નથી તેમજ વિભાગના તા.6-1-2026ના સમાનાંકી પત્રથી જણાવ્યા મુજબ કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર જણાવવામાં આવે છે. તેમજ આપની કચેરી ખાતેના અગત્યના પેન્ડિંગ કોર્ટ કેસોમાં પૂરતો સમય આપવા અને સત્વરે વિભાગને દરખાસ્ત રજૂ થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.’
અકસ્માત:બૂટલેગરે દારૂ ભરેલી કાર ઈકો સાથે અથડાવી, એક મહિલાને ઈજા : આરોપી વાહન મૂકી ફરાર
રાજકોટની ભાગોળે દારૂની બોટલ ભરેલ કારે ઇકોએ અડફેટે લેતા ઇકોમાં બેઠેલ એક મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે બૂટલેગર દારૂ ભરેલી કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત ઉપરાંત પોલીસે દારૂની રૂ.1.58 લાખની કિંમતની 396 બોટલ કબજે કરી અલગથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં રમીલાબેન સુરેશભાઈ જાદવ(ઉંમર વર્ષ 49, હાલ રહે. કુવાડવા ગામ, શિવધારા રેસિડેન્સી, વાંકાનેર રોડ, તાલુકો જિલ્લો રાજકોટ)સોમવારે રાત્રે દોઢેક વાગ્યા આસપાસ ઇકો કારમાં બેસીને કુવાડવા તરફ આવતા હતા ત્યારે હડમતિયા ગામ પાસે અજાણ્યા કારચાલકે ઇકો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રમીલાબેનને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી. તેઓને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારજનો અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, ઇકો રમીલાબેનના પતિ સુરેશભાઈ લાલજીભાઈ જાદવ ચલાવતા હતા અને તેમની સાથે તેમની પુત્રી ક્રિષ્ના પણ ઇકો કારમાં સવાર હતી. પરિવાર મૂળ સાવરકુંડલાનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુવાડવા ગામે રહે છે. સોમવારે રાતે સાવરકુંડલાથી થોડો-ઘણો સામાન ઇકો કારમાં ભરીને કુવાડવા આવતા હતા, ત્યારે દોઢ વાગ્યા આસપાસ સરધાર અને કુવાડવા વચ્ચે હડમતિયા ગામ પાસે પૂરપાટ ઝડપે સામેથી આવતી સ્વિફ્ટ કારના ચાલકે ઇકો કાર સાથે અથડાવતા રમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે સુરેશભાઈ અને તેમની પુત્રી ક્રિષ્નાને મૂઢ ઇજાઓ થઈ હતી. આજી ડેમ પોલીસે સુરેશભાઈ જાદવની ફરિયાદ પરથી અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત પોલીસે ફરિયાદી બનીને દારૂનો અલગથી ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઈ પી.કે.ગામેતીએ જણાવ્યા અનુસાર, દારૂની 396 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર નવાગામ આણંદપરમાં રહેતા મનસુખ પરાલિયાની હોવાનું ખુલ્યું હતું.
રાજકોટ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં માતા-શિશુ માટે અત્યંત અગત્યની ગણાતી ‘ખિલખિલાટ’ વાન સેવા છેલ્લા ત્રણ દિવસથી અડધી ઠપ થતાં આરોગ્ય તંત્રની કામગીરી સામે ગંભીર વહીવટી સવાલો ઊભા થયા છે. કુલ 26માંથી 13 વાન અચાનક બંધ થતાં રોજિંદા આશરે 450થી વધુ સગર્ભાઓ અને તેમના પરિવારજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રાજકોટ જિલ્લામાં માતા-શિશુ આરોગ્ય સેવાઓ હેઠળ ચાલતી ખિલખિલાટ યોજના સામાન્ય રીતે ડિલિવરી બાદ માતા અને નવજાત શિશુને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત પહોંચાડવા માટેની મફત પરિવહન વ્યવસ્થા છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આ સેવા પર હજારો પરિવારો નિર્ભર રહે છે, પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કુલ 26 વાનમાંથી 13 વાન અચાનક બંધ થતાં સેવા અડધી થઈ ગઈ છે. ઉપરોક્ત તસવીરો ગુંદાવાડીમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ સામેના ખાલી પ્લોટ અને રાજકોટ ઝનાના હોસ્પિટલના કેમ્પસમાં બંધ પડેલી ખિલખિલાટ વાનની છે. આ સ્થિતિને પરિણામે સરકારી હોસ્પિટલ બહાર મોટી સંખ્યામાં સગર્ભા મહિલાઓ વાહનની રાહ જોતી જોવા મળી રહી છે. સમયસર સેવા ન મળતાં પરિવારજનોને મજબૂરીમાં ખાનગી વાહનો બાંધીને હોસ્પિટલે પહોંચવું પડે છે. ઘણા કેસમાં ઓટો-રિક્ષા અથવા ખાનગી વાહનોમાં લાંબા અંતરની મુસાફરી કરવી પડતાં સગર્ભાઓનું આરોગ્ય પર જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ સમયે વાહન ઉપલબ્ધ ન હોવાથી સારવારમાં વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ હોવાનું પણ જાણવા મળે છે. જીવનદાયી સેવા બંધ થતા સગર્ભાને ભોગવવી પડતી મુશ્કેલીઓ? વહીવટી કારણો અંગે વિસંગત માહિતીજવાબદાર અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા બજેટના અમલીકરણ સાથે થયેલા વહીવટી ફેરફારોને કારણે સેવા તાત્કાલિક રીતે સ્થગિત કરવી પડી હતી. જોકે સૂત્રોનું કહેવું છે કે, સંબંધિત ગ્રાન્ટ સમયસર ન મળતાં વાનના સંચાલન માટે નાણાકીય મુશ્કેલી ઊભી થઈ હતી, જેના કારણે સેવા અચાનક બંધ કરવી પડી હતી. આ વિસંગતતાઓને કારણે આરોગ્ય તંત્રની આયોજન ક્ષમતા તથા સંકલન અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ પ્રશ્ન માત્ર રાજકોટ જિલ્લા પૂરતો જ નહિ, પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ સર્જાયો છે. જો વહીવટી પ્રશ્નોને કારણે સેવા સ્થગિત કરવામાં આવી તો માત્ર અડધી સેવા શા માટે સ્થગિત કરવામાં આવી? પણ રાહતના સમાચાર એ છે કે, 108 તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યા અનુસાર, હાલની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને આવતી કાલથી તમામ ખિલખિલાટ વાન ફરી નિયમિત રીતે કાર્યરત થઈ જશે.
કચ્છના આદિપુર ખાતે એસ.ટી. બસ સ્ટેન્ડ સામે રહેતી લોહાણા સમાજની યુવતીના છ માસ પૂર્વે રાજકોટના યુવક સાથે લગ્ન થયા બાદ દહેજ માટે ત્રાસ અપાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ મુજબ, સગાઇ બાદ જ આરોપી પતિએ ફરિયાદીને ગીર સોમનાથ લઇ જઈ શરીરસંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી અને બાદમાં તેની જાણ બહાર દવા આપીને ગર્ભપાત કરાવ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, મૂળ કચ્છના આદિપુરની રહીશ અને હાલમાં રાજકોટના એરપોર્ટ રોડ પર જસાણી પાર્ક વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પરિણીતાએ આરોપી તરીકે પતિ ધારવ શશીકાંત મજેઠિયા, સાસુ નૈનાબેન શશીકાંત મજેઠિયા, સસરા શશીકાંત મજેઠિયા અને નણંદ માનસી શશીકાંત મજેઠિયાનું નામ નોંધાવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, લગ્ન પહેલાં આરોપી પતિ ફરિયાદીને ગીર સોમનાથ મહાદેવના દર્શન કરવા લઇ ગયો હતો. ત્યાં રિસોર્ટમાં સહમતીથી બન્ને વચ્ચે શરીરસંબંધ બંધાયા હતા. ત્યારબાદ ફરિયાદીને પેટમાં દુખાવો શરૂ થતાં વૈશાલીનગર સ્થિત શિવાલિક હોસ્પિટલમાં તપાસ કરાવતા ગર્ભવતી હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આક્ષેપ છે કે ત્યારબાદ આરોપીએ ફરિયાદીની જાણ બહાર દવા આપીને ગર્ભપાત કરાવી દીધો હતો. પછી બન્નેના લગ્ન થયા હતા, પરંતુ લગ્ન બાદ પતિ સહિતના સાસરિયાંઓએ દહેજની માગણી શરૂ કરી મેણાં-ટોણાં મારવા, ઝઘડા કરવા તેમજ મારપીટ કરી ત્રાસ આપ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગર્ભપાત મુદ્દે હોસ્પિટલની ભૂમિકા પણ તપાસના ઘેરામાંફરિયાદમાં થયેલા આક્ષેપ મુજબ પરિણીતાનું ગર્ભપાત તેની જાણ બહાર દવા આપીને કરાવવામાં આવ્યું હોવાનું કહેવાયું છે. જો તપાસ દરમિયાન આક્ષેપ પ્રાથમિક દૃષ્ટિએ સાચા સાબિત થાય તો સારવાર કરનાર હોસ્પિટલ અને તબીબોની જવાબદારીનો મુદ્દો પણ ઊભો થઈ શકે છે. કાયદાકીય રીતે ગર્ભપાત (Medical Termination of Pregnancy) માટે ગર્ભવતી મહિલાની લેખિત સંમતિ ફરજિયાત ગણાય છે. મહિલાની જાણ અને મંજૂરી વિના ગર્ભપાત કરાવવું ગુનો બની શકે છે. આવા કેસમાં તપાસ એજન્સીઓ દ્વારા આ મુદ્દાની તપાસ થતી હોય છે જેમાં ગર્ભપાત પહેલાં મહિલાની લેખિત સંમતિ લેવામાં આવી કે નહીં, સારવાર દરમિયાન કોણ હાજર હતું, દવા અથવા પ્રોસિજર કઈ પરિસ્થિતિમાં અપાઇ, હોસ્પિટલના રેકોર્ડ / ફોર્મ પર સહી કોની છે, MTP Act મુજબની પ્રક્રિયા પાલન થઈ કે નહીં સહિતનો સમાવેશ થાય છે. જો નિયમોનું ઉલ્લંઘન સામે આવે તો સંબંધિત તબીબ અને હોસ્પિટલ સામે કાર્યવાહી થવાની શક્યતા રહે છે.
નિર્ણય:રાજકોટ એરપોર્ટ 24 X 7 ધમધમશે, અમદાવાદનો ટ્રાફિક ડાઇવર્ટ કરી શકાશે
ગુજરાતના હવાઈ મુસાફરો અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇમર્જન્સી લેન્ડિંગ માટે 24 કલાક કાર્યરત રાખવાની મંજૂરીમાં વધુ ચાર મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે 30 જૂન 2026 સુધી રાજકોટ એરપોર્ટ દિવસ-રાત ઓપરેશનલ રહેશે. એટલે કે હવે રાજકોટ એરપોર્ટ 24 X 7 ધમધમશે, રાત્રે પણ ફ્લાઈટનું લેન્ડિંગ થઇ શકશે, અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક વધુ થાય તો તે ટ્રાફિક રાજકોટ ડાઇવર્ટ કરી શકાશે. આ નિર્ણય પાછળ ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક-રાજકીય તણાવ અને ભારત દ્વારા ચલાવાયેલા ‘ઓપરેશન સિંદૂર’ મુખ્ય કારણ છે. પાકિસ્તાને પોતાનું એરસ્પેસ (હવાઈ માર્ગ) બંધ કરતા, ખાસ કરીને દિલ્હીથી દુબઈ અને મિડલ ઈસ્ટના દેશો તરફ જતી ફ્લાઈટ્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અનિવાર્ય હતી. અમદાવાદ એરપોર્ટ અતિ વ્યસ્ત હોવાને કારણે રાજકોટને પસંદ કરાયું છે. મુસાફરો અને એરલાઇન્સને આટલા લાભ થઇ શકે છે 24 કલાક સેવા | સામાન્ય રીતે રાજકોટ એરપોર્ટ સવારે 6:00થી સાંજે 8:30 સુધી જ કાર્યરત રહેતું હતું, પરંતુ આ નવી છૂટછાટથી તે રાત્રિના સમયે પણ ધમધમતું રહેશે. લેટ ફ્લાઈટ્સમાં રાહત | જો કોઈ ફ્લાઈટ નિર્ધારિત સમય કરતા મોડી હોય, તો 24 કલાક ઓપરેશનના કારણે મુસાફરોને મુશ્કેલી પડતી નથી. ઇમર્જન્સી ડાયવર્ઝન | છેલ્લા દસ મહિનામાં ઘણી વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું રાજકોટ ખાતે સફળતાપૂર્વક ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું છે.
30 વર્ષ બાદ શિયાળામાં રમઝાન:ગત વર્ષ કરતા 20 મિનિટ ઓછી થતા રોજા 13 કલાકના રહેશે
મુસ્લિમ સમાજનો અતિ પવિત્ર માસ એટલે રમઝાન માસ. જેમાં રોજા રાખીને મુસ્લિમ સમાજ દ્વારા અલ્લાહની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન માસનો રોજા માત્ર ભૂખ્યા રહેવા માટે નથી હોતા આત્મ શુદ્ધિ, સંયમ માટે હોય છે અને જેનો મૂળ ઉદ્દેશ પોતાની જાતને અલ્લાહની બંદગીમાં સમર્પણ કરવાનો છે. આ પવિત્ર રમઝાન માસમાં વિશિષ્ટ નમાઝ તરાવીહ પણ અદા કરવામાં આવે છે. ગુરુવારે ચંદ્ર દર્શન થશે તો રમઝાનના પહેલા દિવસે શુક્રવાર અને બુધવારે ચંદ્ર દર્શન થશે તો છેલ્લા દિવસે શુક્રવાર રહેવાની સંભાવના છે. આ પવિત્ર રમઝાન માસનો મહિમા એ હોય છે કે, આ મહિનામાં કરવામાં આવતા સારા કાર્યોનું પુણ્ય વધારે મળે છે. જેથી મુસ્લિમ સમાજ દ્વારા વધુમાં વધુ લોકો દ્વારા પોતાની આવકમાંથી અલ્લાહની રાહમાં જકાત જેવું દાન આપી પોતાની ફરજ પૂરી કરવામાં આવે છે. સદકા તેમજ ફિત્રા જે એક દાનનો પ્રકાર છે તે વધુમાં વધુ જરૂરિયાતમંદોને કરવામાં આવે છે. આ તકે 27મા રોજા(હરણી રોજા)ની રાજકોટની ઘણી બધી મસ્જિદોમાં આયોજન કરાયું છે. મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે, છેલ્લા 30 વર્ષ બાદ શિયાળાની ઋતુમાં રમઝાન માસ આવ્યો છે. જેમાં દર વર્ષે 15-15 દિવસનો તફાવત આવવાથી આ વર્ષે 15 દિવસ વહેલા રમઝાન માસ આવ્યો છે. રોજા રાખવામાં રાહત; 15થી 20 રોજા ઠંડા વાતાવરણમાં રહેશે 2026નો અને ઇસ્લામિક હિજરી સન 1447નો રમઝાન માસ બુધવારે ચંદ્ર દર્શન થતા ગુરુવારથી પ્રારંભ થવાની પૂરી સંભાવના છે. ગત વર્ષ કરતા આ વર્ષે 20 મિનિટ જેટલો સમય ઓછો થતા રોજાનો કુલ સમય 13 કલાક જેવો રહેશે. આ સાથે જો ગુરુવારે રમઝાન માસનો પ્રારંભ થશે તો રમઝાન માસનો બીજો દિવસ શુક્રવાર હશે અને રમઝાન માસનો અંતિમ શુક્રવાર તથા અંતિમ રોજાનો દિવસ સાથે હશે. આ ઘટના ત્રણ વર્ષ બાદ ફરી પુનરાવર્તન થઇ છે. અહીં ઉલ્લેખનીય છે કે, રમઝાન માસના અંતિમ શુક્રવારનો પણ મહિમા વધારે છે. આ દિવસે મુસ્લિમ સમાજના લોકો પોતાને ચાલુ વર્ષે રમઝાન માસ નસીબ થયો તે બદલ અલ્લાહનો આભાર વ્યક્ત કરે છે. { સૈયદ એજાઝબાપુ બુખારી, મુસ્લિમ અગ્રણી આ વર્ષે રમઝાન માસ વહેલો હોવાથી રોજા રાખવામાં રાહત થશે. જેમાં 15થી 20 રોજા આ વાતાવરણમાં થઇ શકશે. આમ, રોજા રાખવાવાળાને તો ઉપરવાળો તાકાત આપે છે. જેમાં નમાઝ પઢીને આવી તો પણ પાણી વગર રહી શકીએ છીએ. આ માસ એવો પવિત્ર હોય છે કે સમાજના કોઇ પણ વ્યક્તિને વ્યસન હોય તો પણ આ દિવસો દરમિયાન બંધ કરી દે છે. પહેલા 10 રોજા ખજૂરથી, બીજા 10 નમકથી તથા ત્રીજા 10 પાણીથી ખોલવામાં આવે છે. મોટા ભાગે લોકો તેની તાસીર પ્રમાણે ઇફતાર મેનુ લેતા હોય છે. જેમાં દહીં, ઘોળવું, લીંબુ શરબત, અન્ય શરબતો, ફાલુદા, ફ્રૂટ સલાડ સહિતનો સમાવેશ થાય છે. { વકાર બ્લોચ સકલૈની, મુસ્લિમ અગ્રણી
રાજકોટ સહિત દેશભરમાં મંગળવારથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે. 17 ફેબ્રુઆરી 2026ના આ મહત્ત્વના દિવસે રાજકોટ જિલ્લાના 8000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 માટે પ્રથમ પેપર ગણિતનું લેવાયું હતું, જ્યારે ધોરણ 12માં બાયોટેક્નોલોજી અને શોર્ટ હેન્ડના વિષયોની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ હતી. બોર્ડે જાહેરાત કરી છે કે, પરીક્ષા પૂર્ણ થયાના માત્ર 35 દિવસમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. સામાન્ય રીતે ગણિતનું પેપર અન્ય વિષયો કરતા અઘરું માનવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે પ્રથમ દિવસે જ આ વિષય રાખીને બોર્ડે વિદ્યાર્થીઓની મુખ્ય મૂંઝવણ દૂર કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ દિવસે મુખ્ય પ્રવાહના વિષયોને બદલે સ્પેશિયલાઈઝ્ડ અને વોકેશનલ વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી. રાજકોટમાં આરકેસી, કેન્દ્રીય વિદ્યાલય અને જીનિયસ સ્કૂલ સહિતના કેન્દ્રમાં સીબીએસઈની પરીક્ષા લેવાઇ હતી. પરીક્ષા કેન્દ્રમાં મંગળવારે સવારથી જ વિદ્યાર્થીઓની ભીડ જોવા મળી હતી. તમામ વિદ્યાર્થીઓને કડક ચેકિંગ બાદ જ એન્ટ્રી અપાઇ હતી. ધો.10ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવાશે, બીજી 15 મેથી 1 જૂન દરમિયાન હશેહવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા લેવાશે. પ્રથમ પરીક્ષા અત્યારે શરૂ થઈ છે, જ્યારે બીજી પરીક્ષા 15 મેથી 1 જૂન દરમિયાન યોજાશે. વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છા મુજબ પેપરો આપીને પરિણામ સુધારી શકશે. ધોરણ 12ની ઉત્તરવહીઓ આ વખતે પ્રથમવાર કમ્પ્યૂટર પર ડિજિટલી તપાસવામાં આવશે, જેથી માનવીય ભૂલોની શક્યતા નહિવત્ રહે અને પારદર્શિતા જળવાય. બોર્ડની પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા કડક સૂચના, ખોટું કરનારની પરીક્ષા રદ થઇ શકે છેબોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિદ્યાર્થી એવા વિષયની પરીક્ષા આપશે જે તેના એડમિટ કાર્ડમાં નોંધાયેલ નથી, તો તેને તે વિષયમાં ‘ગેરહાજર’ ગણવામાં આવશે અને તેની પરીક્ષા રદ થઈ શકે છે. આ બાબતે શાળાઓને પણ કડક સૂચના અપાઈ છે કે, તેઓ વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નપત્ર જ ફાળવે. કડક કાર્યવાહી; બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સામે પગલાંજો કોઈ શાળા બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ નવા નિયમો પાછળનો હેતુ પરીક્ષામાં શિસ્ત અને સચોટતા લાવવાનો છે. રાજકોટના પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ જોવા મળવાને બદલે એક પ્રકારનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જે નવી શિક્ષણ નીતિ અને લવચીક પરીક્ષા પદ્ધતિનો પ્રભાવ દર્શાવે છે.
VCનો ‘યૂ-ટર્ન’:કોલેજ ટુ કોલેજ ટ્રાન્સફર પહેલા બંધ કરાવી પછી શરતી છૂટછાટ આપી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી વહીવટી નિર્ણયોમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ખાસ કરીને ‘કોલેજ ટુ કોલેજ ટ્રાન્સફર’ મુદ્દે કુલપતિએ પહેલા અત્યંત કડક વલણ અપનાવીને આ પ્રક્રિયા પર રોક લગાવી દીધી હતી, પરંતુ ટૂંકા ગાળામાં જ નિયમોમાં બાંધછોડ કરીને નરમ વલણ અપનાવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. યુનિવર્સિટી દ્વારા 5 ફેબ્રુઆરી 2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, શૈક્ષણિક વર્ષ 2024-25 અને 2025-26 માટે કોલેજ ટુ કોલેજ ટ્રાન્સફર પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો હતો. એવી બાબત રજૂ કરી હતી કે, NEP-2020 અંતર્ગત વિવિધ વૈકલ્પિક વિષયો (M.D.C., A.E.C., S.E.C. વગેરે) દરેક કોલેજમાં અલગ હોવાથી ટ્રાન્સફર શક્ય નથી. આ નિર્ણયથી સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. કુલપતિના કડક વલણ સામે વિરોધ ઉઠતા, માત્ર 10 દિવસ બાદ એટલે કે 15 ફેબ્રુઆરી 2026ના રોજ નવો પરિપત્ર બહાર પાડીને અગાઉના નિર્ણયમાં સુધારો કરવામાં આવ્યો છે. નવા સુધારા મુજબ હવે કેટલીક શરતોને આધીન ટ્રાન્સફર મળી શકશે. જેમકે જે કોલેજમાં ઇન્ટેક કરતા ઓછી સંખ્યા હોય એટલે કે જગ્યા ખાલી હોય ત્યાં જ ટ્રાન્સફર આપી શકાશે. બીજું કે ટ્રાન્સફર આપનાર અને લેનાર બંને કોલેજમાં NEP-2020ના વૈકલ્પિક વિષયો (MDC, AEC, SEC, VAC) એકસરખા હોવા જોઈએ. યુનિવર્સિટીના આ બદલાતા વલણને કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે કે, જો ટ્રાન્સફર શક્ય જ હતી, તો પહેલા તેને બંધ કરીને વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં કેમ મુકાયા? પહેલા કડક આદેશ આપ્યા બાદ હવે નિયમોમાં ઢીલ મૂકીને વહીવટી તંત્ર ‘નરમ’ પડી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ સમગ્ર મામલે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ભારે ચર્ચા જાગી છે.
દરોડો:જુગાર રમી રહેલા 7 સિનિયર સિટીઝન રૂપિયા 72 હજારની રોકડ સાથે ઝડપાયા
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રૈયા રોડ સવન સેરેના એપાર્ટમેન્ટ એ-વિંગમાં બીજા માળે ફ્લેટ નં.202માં રહેતા મનુભાઈ આરદેસણાના મકાનમાં જુગાર રમાતો હોવાની માહિતી મળતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આર.કે. જાડેજાની ટીમે દરોડો પાડતા 7 શખ્સ જુગાર રમતા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે જુગાર રમી રહેલા સાતેય શખ્સની ધરપકડ કરી જુગારપટમાંથી રૂ.72 હજાર કબજે કર્યા હતા. પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ મનુ લાલજીભાઈ આરદેસણા(ઉં.વ.73, નિવૃત્ત), પ્રકાશ રસિકલાલ આડેસરા(ઉં.વ.52, રહે. લક્ષ્મીવાડી શેરી નં.7), સાગર કિરીટભાઇ ફિચડિયા(ઉં.વ.43, ધંધો:ચાંદીકામ, રહે. હાથીખાના મેઇન રોડ), ભૂરા રવજીભાઈ સુદાણી(ઉં.વ.65, ધંધો ખેતી રહે. મોવૈયા ગામ પડધરી), સંજય હિંમતભાઈ આરદેસણા(ઉં.વ.48, રહે. કરણપરા શેરી નં.7), હસમુખ લવજીભાઈ રાજા (ઉં.વ.67, રહે. હસનવાડી શેરી નં.3) અને રાજેન્દ્ર ઉર્ફે રાજુ દેવચંદભાઈ રાજદેવ(ઉં.વ.68, રહે નીલકંઠ ટોકીઝ શેરી નં.5) આમ રોકડ રૂ.72 હજાર સહિત 7 શખ્સને પોલીસે ઝડપી લઈ સાતેય શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
ચકચાર:ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને RFO સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો
મુંજકા રેન્જ ફોરેસ્ટની કચેરીમાં ગત જાન્યુઆરીમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ઓફિસે હાજરી પુરાવવા આવેલા આરોપીને આર.એફ.ઓ. સહિતના સ્ટાફે ફડાકા ઝીંકી કાનનો પડદો ફાડી નાખ્યો હતો. યુવકે દોઢ મહિના પૂર્વે બનેલી ઘટનાની યુનિ.પોલીસ મથકમાં જાણ કરતા દોઢ મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. અમરેલી જિલ્લાના બાબરા રોડ રાજકોટ-ભાવનગર હાઇવે પાસે આવેલા ચાવંડ ગામે રહેતા આરિફભાઈ કાળુભાઈ સૈયદ(ઉં.વ.48) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિક્રમસિંહ પરમાર, હંસાબેન મોકરિયા, ડાંગરભાઈ તથા ઝાલાભાઇના નામ આપ્યા હતા. આરિફે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે વોશિંગ મશીન-ફ્રીઝ રિપેરિંગનું કામ કરે છે. તેના વિરુદ્ધ સામાજિક વનીકરણની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં તેની ધરપકડ બાદ તે જેલહવાલે થયો હતો અને દર માસની પહેલી તથા 15મી તારીખે રેન્જ ફોરેસ્ટ મુંજકાની ઓફિસે 6 માસ સુધી હાજરી પુરાવાનો આદેશ થયો હતો. ગત તા.1 જાન્યુઆરીના આરિફભાઇ મુંજકા ફોરેસ્ટ ઓફિસે હાજરી પુરાવવા ગયા હતા. તેમની સાથે રાણાભાઈ નામનો વ્યક્તિ પણ હાજરી પુરાવવા આવેલો હતો. હાજરી પૂરનાર ફોરેસ્ટ કર્મચારી હાજર નહીં હોવાથી રાણાભાઈએ આરએફઓ વિક્રમસિંહ પરમાર તથા મહિલા કર્મચારી મોકરિયાને ફોન કરતા બંનેએ કહ્યું હતું કે, થોડી વારમાં કોઈ કર્મચારી આવશે ત્યાં બેસો. થોડીવાર બાદ આરએફઓ વિક્રમસિંહ પરમાર આવ્યા હતા અને તેમણે આરિફભાઈનો મોબાઈલ લઇ તપાસ શરૂ કરી હતી. આરિફભાઈએ પોતે કઈ જાણતા ન હોય તેથી કઈ ઉત્તર આપ્યો ન હતો. સાંજે સાતેક વાગ્યે ફરીથી ઓફિસમાં બોલાવતા ત્યાં અગાઉથી હાજર વિક્રમસિંહ, હંસાબેન મોકરિયા, ડાંગરભાઈ તથા ઝાલાભાઈએ લાકડીઓ તથા પ્લાસ્ટિકના પાઇપ ફટકારવાનું શરૂ કર્યું હતું. બાદમાં વિક્રમસિંહ પરમાર તથા ડાંગરભાઈએ આરિફભાઈને કાનમાં ફડાકા ઝીંક્યા હતા. બહેરહેમીથી માર મરાતા આરિફભાઇ ઓફિસની બહાર નીકળી ગયા હતા. રાત્રિના અગિયાર વાગ્યે ફોરેસ્ટના અધિકારી અને કર્મચારીઓએ આરિફભાઈને ફરીથી પૂછપરછ માટે અંદર બોલાવી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો. રાત્રિના દોઢેક વાગ્યે હાજરી પૂર્યા બાદ આરએફઓ વિક્રમસિંહે કહ્યું હતું કે, આવતી તારીખમાં આનાથી પણ વધુ ખરાબ હાલત કરી નાખીશ,”તારે જ્યાં જવું હોય ત્યાં જા’. ત્યારબાદ આરિફભાઈ ચાવંડ પોતાના ઘરે જતા રહ્યા હતા. બીજા દિવસે સવારે તેમની તબિયત લથડતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના કાનનો પડદો ફાટી ગયો હોવાનું તબીબોના નિદાનમાં સ્પષ્ટ થયું હતું. તેમજ ઢોરમાર મારવાને કારણે આરિફભાઇની ગરદન તથા શરીરે મોઢા પર સોજા તથા પગની પિંડીમાં ચાંભા પડી ગયા હતા. અંતે આ મામલે યુનિવર્સિટી પોલીસે આરએફઓ સહિત ફોરેસ્ટ વિભાગના ચાર કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો.
ફરિયાદ:દંપતીના ઝઘડામાં વચ્ચે કૂદેલા શખ્સે સમાધાન તો ન કરાવ્યું પણ ઝઘડા કર્યા
શહેરના રૈયા રોડ, વીમાનગર શેરી નં.2માં રહેતા આબેદાબેન હારુનભાઈ અલાણા(ઉં.વ.55) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અનવર અબ્દુલકાદર દારૂવાલા, તેમનો પુત્ર વાજીદ અને પુત્રી જીલેખાના નામ આપ્યા હતા. આબેદાબેને જણાવ્યું છે કે, વર્ષ 2020માં તેણીના નાનાભાઈ અફઝલના લગ્ન શહેનાઝ સાથે થયા હતા. જે બાદમાં બંને વચ્ચે માથાકૂટ થતા શહેનાઝ રિસામણે જતી રહી હતી. શહેનાઝે જમાતના લોકોને એકઠા કરી અફઝલના ઘરે રાખેલો તેનો સામાન લઈ જવા માટે વાત કરી હતી. જે બાદ શહેનાઝના પરિવારે ઘરે આવીને માથાકૂટ કરી હતી. જે બાબતે અનવરભાઈ દારૂવાલાએ સમાધાન કરી આપવાનું જણાવ્યું હતું. બાદમાં સમાધાનના બદલે અનવરભાઈએ સામેવાળા સાથે ઝઘડો શરૂ કર્યો હતો. થોડા સમય બાદ આ મામલે તેઓને ઘરમેળે જ સમાધાન થઈ ગયું હતું. અનવરભાઈએ વર્ષ 2017થી તેને જ્ઞાતિના આગેવાનો સાથે ઝઘડો થતો હોવાનું જણાવ્યું હતું. જે બાબતે સામેવાળાએ અનવરભાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ થયા બાદ તેઓના કોર્ટ કેસના ખર્ચા ગણાવીને આ અનવરભાઈ તેણીના ભાઈ પાસેથી અવારનવાર પૈસાની માગણી કરી હતી. આરોપીએ રૂ.20 લાખની માગણી કરતા તેના ભાઈએ કેસ પેટે 2.11 લાખ આપ્યા હતા. તેમ છતાં ઝઘડાઓ કરી ધમકી મારતા એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. એ-ડિવિઝનમાં અગાઉ કરેલા કેસમાં 50 હજારની માગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
આત્મહત્યા:ફ્રીઝ લેવા બાબતે દંપતી વચ્ચે ઝઘડામાં પતિનો ઝેર પી આપઘાત
માંડાડુંગરના યુવકે ઝેર ગટગટાવી લીધા બાદ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ફ્રીઝ લેવા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજી ડેમ ચોકડી માંડાડુંગર પાસે રહેતા નીતિન ઉર્ફે કલ્પેશભાઈ કેશુભાઈ ધોળકિયા (ઉં.વ.28)એ ગત તા.13ના રોજ માંડાડુંગરમાં ખાણ વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતા પ્રથમ મવડીની આસ્થા હોસ્પિટલ બાદ દોશી હોસ્પિટલમાં નીતિનને દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. પરિવારે જણાવ્યું કે, નીતિન બે ભાઈમાં નાનો હતો. હજુ એક વર્ષ પહેલાં જ તેના લગ્ન થયા હતા. તે માંડાડુંગર વિસ્તારમાં ચામુંડા પાન નામે પાન-માવાની દુકાન ચલાવતો હતો. થોડા દિવસો પૂર્વે દંપતી માતા-પિતાથી અલગ થઈ આ જ વિસ્તારમાં ભાડે મકાન રાખીને રહેવા ગયા હતા. જેમાં જૂના ઘરે રહેલું જૂનું ફ્રીઝ આ મકાનને લઈ આવવા અથવા તો નવું ફ્રીઝ લેવું એ બાબતે બંને પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઝઘડો થયો હતો. જેથી ગૃહકંકાશથી કંટાળીને નીતિને આપઘાત કરી લીધાનું પરિવારનો અનુમાન છે. બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
સમસ્યા:વીરપુર રેલવે સ્ટેશને રાજકોટ-સોમનાથ ટ્રેનને બે કલાક રોકી મુસાફરોનો હોબાળો
રાજકોટ સોમનાથ ટ્રેનને વારંવાર ક્રોસિંગ નડતાં કાયમ મોડી પડતી હોવાથી તેમજ તેમાં અમુક ડબ્બા ઘટાડી દેવામાં આવ્યા હોવાથી અપડાઉનક કરતા મુસાફરો આકરા પાણીએ થયા હતા અને વીરપુર રેલવે સ્ટેશને હોબાળો મચાવ્યો હતો અને ટ્રેનને પસાર થવા દીધી ન હતી. આ ટ્રેનનો વીરપુર પહોંચવાનો સમય સાડા સાતનો છે, અને કાયમ આઠ પછી જ પહોંચતી હોવાનો સિલસિલો આજે પણ જળવાયો હતો અને સવા આઠે ટ્રેન પહોંચતાં જ મુસાફરો ટ્રેન આડે ગોઠવાઇ ગયા હતા અને રેલવે અધિકારીઓ સમક્ષ આક્રમક રજૂઆત કરી હતી, ઘટનાની જાણ થતાં જ આરપીએફ અને પોલીસ કાફલો દોડી ગયા હતા અને ટ્રેનને રવાના કરાવી હતી. જો કે આ બધી ભાંજગડ બે કલાક ચાલી હતી અને ટ્રેન 10 કલાકે આગળ રવાના થઇ શકી હતી. ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર રેલવે સ્ટેશને આવતા પહેલાં રીબડાથી જ મુસાફરો ટ્રેનની સાંકળ ખેંચતા આવતા હતા અને ટ્રેન વીરપુર થોભતાં જ મુસાફરોએ દેકારો મચાવી દીધો હતો. દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ દલીલો કરી હતી કે કાયમ ક્રોસિંગના લીધે આ જ ટ્રેન મોડી પડે છે અને વેરાવળ પહોંચતાં અડધી રાત થઇ જાય છે.બીજી તરફ આ ટ્રેનના અમુક ડબ્બા પણ ઘટાડી દેવામાં આવ્યા છે આથી ભારે ગીરદીનો પણ સામનો કરવો પડે છે. આ અંગે મુસાફરોએ અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં રેલવે પ્રશાસન દ્વારાકોઈ નક્કર પગલાં ન લેવાતાં રાતે મુસાફરો પાટાપર ઉતરી આવ્યા હતા. વીરપુર પોલીસ અને RPFટીમે મુસાફરોને સમજાવવા કોશિશ કરી જે નાકામ રહેતાં અંતે પ્રશાસન આક્રમક બન્યું હતું અનેટ્રેનને લીલીઝંડી આપી દીધી હતી.
ધરપકડ:NRI હિન્દુ મહિલાને ફસાવી સાઉદીમાં ધર્મપરિવર્તન કરાવી રૂ. 60 લાખ, ફ્લેટ, 18 તોલા સોનું પડાવાયું
લાલગેટ રામપુરા વિસ્તારમાં રહેતા પરિણીત યુવકે હિંદુ NRI મહિલાને પ્રેમજાળમાં ફસાવી સાઉદી અરેબિયા લઈ જઈ ધર્મપરિવર્તન કરાવ્યું હતું. એટલું જ નહીં આરોપીએ મહિલાને બ્લેકમેઇલિંગ કરી 18 તોલા સોનાના દાગીના, હૈદરાબાદમાં 50 લાખનો ફ્લેટ તથા રૂપિયા 60 લાખની રોકડ પડાવી છે. મહિલાના ભાઈએ આ બાબતે લાલગેટ પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે એઝાઝ સલીમ પટેલ (30) (રહે, અલ મક્કા એપાર્ટમેન્ટ, છડાઓલ, રામપુરા)ની સામે ખંડણી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. ઘોડદોડ રોડ પર આવેલા જાણીતા રેડીમેડ કપડાના શોરૂમાંથી NRI મહિલા દીકરી માટે ઓનલાઇન કપડાની ખરીદી કરતી હતી. આ દરમિયાન આરોપી કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. શોરૂમમાં ફીડબેક આપતી વેળા કોઈરીતે મહિલાનો મોબાઇલ નંબર આરોપીએ મેળવી લીધો હતો. મહિલા સાથે આરોપીએ શરૂઆતમાં મિત્રતા કરી બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી. હાલમાં આરોપીએ શોરૂમમાંથી નોકરી છોડી દીધી છે. વધુમાં મહિલાના વર્ષ 2020માં છૂટાછેડા થયેલા છે અને તેણી 5 વર્ષની દીકરી સાથે અમેરિકામાં રહે છે.
આયોજન:સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે પોતાના વતન નાનીમાળ ગામે 17 મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો
સુરતના શ્રેષ્ઠિઓ વતનની વાત આવે ત્યારે મન મૂકીને સેવા કરે છે. શિવરાત્રીના દિવસે પાલીતાણા નજીકના નાનીમાળ ગામ અને આસપાસના ગામોના 70 હજારથી વધારે લોકોએ મંદિરોમાં દર્શનનો લાભ લીધો હતો. તે ધામ નિર્માણ કરવાનો યશ સુરતના લેબ્રોન ડાયમંડ ઉદ્યોગના અગ્રણી મુકેશ પટેલના ફાળે જાય છે. એક જ પરિસરમાં વર્ષો પહેલા ત્યાંના મહંતે અલગ અલગ નાની દેરીઓ બનાવીને 12 જ્યોતિર્લિંગ, શિવ, હનુમાન, ગણેશ,કાલભૈરવ, શક્તિ સહિત 17 મંદિરો બનાવ્યા હતા વર્ષો પછી તેનો જીર્ણોદ્ધાર થયોછે.મુકેશ પટેલે જણાવ્યું હતું કે આપણા વતનમાં કોઈ મંદિર જીર્ણ થઈ ગયું હોય તો તેને નવું બનાવી આપવાની આર્થિક રીતે સક્ષમ વ્યક્તિઓની ફરજમાં આવો છે. લોકોને જીર્ણદ્ધાર માટે પ્રેરણા મળશેપાલીતાણાની તળેટીમાં આવેલું નાનીમાળ ગામ ખૂબ જ રમણીય છે. મંદિર સાથે લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે હવે માર્બલથી બનેલા મંદિરોની આયુષ્ય ખૂબ વધી જશે અને અન્ય શ્રેષ્ઠિઓ પણ પોતાના વતનમાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની પ્રેરણા લેશે એટલે અમારું કાર્ય સાર્થક થયું ગણાશે.
JEE મેઈન સેશન-1માં સુરતનો ડંકો વાગ્યો છે.જેમાં શૌર્ય ખેમકાએ 99.9924 પર્સન્ટાઈલ સાથે શહેરમાં પ્રથમ અને રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે. તે સાથે નીરજ પરતાનીએ પણ 99.9897 પર્સન્ટાઈલ સાથે શહેરમાં બીજો ક્રમ મેળવી મેદાન માર્યું છે. સિટી ટોપર શૌર્ય ખેમકાએ (99.9924 પર્સન્ટાઈલ) જણાવ્યું કે કોરોના વાયરસની મહામારીમાં ઓનલાઈન અભ્યાસમાં ધ્યાન હટી જતા તે મોબાઈલ ગેમ્સના રવાડે ચઢ્યો હતો. ધો. 7માં માત્ર 50% માર્ક્સ આવ્યા હતા, બીજા મિત્રો હસતા હતા અને તે જ વાત દિલ પર લાગતા તેણે ગેમ છોડી પેન પકડી હતી. શહેરની શાળાઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. પી.પી. સવાણી સ્કૂલની સાન્વી ઝવેરી 99.79 PR સાથે ગર્લ્સ કેટેગરીમાં ગુજરાતમાં પ્રથમ રહી છે. આશાદીપ સંસ્થાના અણદાણી વ્રજ અને ભીંગરાડિયા પલે ગુજરાતી માધ્યમમાં મેદાન માર્યું છે, જ્યારે પટેલ સત્યએ ફિઝિક્સમાં 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ ઉપરાંત, યોગી પ્રવૃત્તિ વિદ્યાલય, કૌશલ વિદ્યાભવન, ભૂલકા વિહાર, મૌની ગ્રુપ અને જે.બી. એન્ડ કાર્પો વિદ્યાસંકુલના અનેક વિદ્યાર્થીઓએ 90થી વધુ PR મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. મેથ્સ મારી ‘સ્ટ્રેન્થ’ હોવાથી તેમાં પ્રેક્ટિસ ચાલુ રાખી અને પરિણામ મળ્યુંમેં ત્રણેય વિષયોને સરખો સમય આપ્યો હતો. જોકે, કેમેસ્ટ્રી મારા માટે ‘ચેલેન્જ’ હતું, તેથી છેલ્લા દિવસોમાં મેં NCERT બુક્સ પર વિશેષ ભાર મૂક્યો, જ્યારે મેથ્સ મારી ‘સ્ટ્રેન્થ’ હોવાથી તેમાં પ્રેક્ટિસ ચાલુ રાખી. ક્યારેક ભણવામાં ‘લો પોઈન્ટ’ આવે ત્યારે હું મિત્રો કે પરિવાર સાથે વાત કરીને માઈન્ડ રિફ્રેશ કરતો. મેં ક્યારેય બીજાના ઓપિનિયન પર ધ્યાન આપ્યું નથી, માત્ર મારા ટીચર્સના માર્ગદર્શન પર ભરોસો રાખ્યો. ઘણાને નવાઈ લાગશે, પણ મોક ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવતા ત્યારે હું ખુશ થતો, કારણ કે તે ભૂલો સુધારવાની નવી તક હતી. જુનિયર્સને કહેવું છે કે પોતાની જાત પર વિશ્વાસ રાખો અને તૈયારીમાં કન્સિસ્ટન્સી જાળવો. જો તમે હિંમત નહીં હારો, તો સફળતા ચોક્કસ મળશે. > નીરજ પરતાની મેં ક્યારેય પ્રેશર લીધું નથી, દરેક મોક ટેસ્ટને મેં JEEની જેમ જ આપીમારી સફળતાની ચાવી સ્માર્ટ પ્લાનિંગ છે. મારા આખા દિવસનું આયોજન હું આગલી રાત્રે જ કરી લેતો અને ગમે તે સંજોગોમાં તેને વળગી રહેવાનો પ્રયત્ન કરતો. હું સવારે 4 વાગ્યે ઉઠી જતો, ત્યારબાદ ક્લાસિસમાં જઈ મેન્ટર્સ સાથે ડાઉટ્સ ક્લિયર કરતો અને રાત્રે 9 વાગ્યે સુઈ જતો. સોશિયલ મીડિયાના ડિસ્ટ્રેક્શનથી બચવા માટે હું ભણતી વખતે ફોન મારાથી દૂર રાખતો અને તેનો ઉપયોગ નહિવત્ કરતો હતો. મેં વીકલી ટાર્ગેટ નક્કી કરીને આખો સિલેબસ કવર કર્યો હતો. મેં ક્યારેય પરીક્ષા કે માર્ક્સનું પ્રેશર લીધું નથી, બસ દરેક મોક ટેસ્ટને મેં JEE પેપરની જેમ જ આપી છે. ટેસ્ટમાં ઓછા માર્ક્સ મને નિરાશ કરવાને બદલે મારી ભૂલો સુધારી આગળ વધવામાં મદદ કરતા હતા. જુનિયર્સ કન્સિસ્ટન્સી જાળવો. જે દિવસે ભણવાનું મન ન થાય, ત્યારે ભૂતકાળની જીત વિશે વિચારીને ફરી મોટિવેટ થાઓ. > શૌર્ય ખેમકા
CBSE બોર્ડ દ્વારા આજે લેવાયેલી ધોરણ 10 ગણિતની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સમજાયું કે હવે ગણિતમાં માત્ર સૂત્રો ગોખવાથી માર્ક્સ નહીં મળે. પેપર ભલે NCERT આધારિત હતું, પણ સ્ટાન્ડર્ડ મેથ્સમાં પ્રશ્નોને એવી રીતે ફેરવીને પૂછવામાં આવ્યા હતા કે વિદ્યાર્થીઓએ ડગલે ને પગલે પોતાનું ‘લોજિક’ (તાર્કિક બુદ્ધિ) વાપરવું પડ્યું હતું. બીજી તરફ, બેઝિક મેથ્સના પેપરમાં ગણતરીઓ લાંબી હોવાથી વિદ્યાર્થીઓને સમયની ખેંચતાણ અનુભવાઈ હતી. પેપરનું ગણિત: કેટલા ટકા પ્રશ્નો અઘરા હતા? બેઝિક મેથ્સ સ્ટાન્ડર્ડ મેથ્સ જુનિયર્સ માટે ખાસ ટિપ્સ
સુરત SIRની ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ છે, જેમાં કુલ મતદારો 36.39 લાખ નોંધાયા છે તથા 11 લાખ મતદારો કપાઈ ગયા છે. માંડવી અને મહુવામાં પુરુષો કરતા મહિલા મતદાર વધુ છે. કુલ મતદારોની સંખ્યા 36,39,042 થઈ છે, જેમાં પુરુષ મતદારો 18,83,381 જ્યારે મહિલા મતદારો 17,55,568 છે. જિલ્લામાં પુરુષ મતદારો મહિલા કરતાં 1,27,813 વધુ છે. કુલ મતદારોમાં પુરુષોની ભાગીદારી 51.76 ટકા અને મહિલાઓની 48.25 ટકા છે, જેથી આગામી ચૂંટણીઓમાં પુરુષ વોટ બેંકનો પ્રભાવ વધારે રહેશે છતાં મહિલા મતદારોનો હિસ્સો પણ નિર્ણાયક સ્તરે પહોંચી રહ્યો છે, જેને ધ્યાને લેવું પડશે. એનાલિસીસ: કામરેજ, ચોર્યાસી, ઓલપાડમાં પુરુષ વોટ બેંક રાજકીય રીતે નિર્ણાયક બની શકે સમગ્ર જિલ્લાની મતદાર યાદીને મતવિસ્તાર મુજબ જોવામાં આવે તો કામરેજ, ચોર્યાસી અને ઓલપાડ જેવી મોટી બેઠકોમાં પુરુષ મતદારોનો ગેપ નોંધપાત્ર છે. કામરેજમાં પુરુષ મતદારો મહિલાઓ કરતાં 25 હજારથી વધુ છે, જ્યારે ચોર્યાસીમાં 24 હજારથી વધુ અને ઓલપાડમાં 13 હજારથી વધુનો તફાવત છે. આ વિસ્તારોમાં ઉદ્યોગ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જમીન સંબંધિત મુદ્દાઓ પુરુષ મતદારોને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષો માટે મહત્વના બની શકે છે. બીજી તરફ માંડવી અને મહુવા જેવી બેઠકો છે જ્યાં મહિલા મતદારો પુરુષોથી વધુ છે. માંડવીમાં લગભગ 4,900 અને મહુવામાં 5,700 જેટલી મહિલાઓ વધુ નોંધાઈ છે. આ બંને બેઠકોમાં મહિલા કેન્દ્રીત યોજનાઓ, મોંઘવારી, ગેસ, આરોગ્ય, પાણી અને સુરક્ષા જેવા મુદ્દાઓ ચૂંટણીના એજન્ડાને પ્રભાવિત કરી શકે એમ છે. હાલમાં તો તમામ રાજકીય પક્ષો માટે અહીં મહિલા વોટ બેંકને ટાર્ગેટ કરવી અનિવાર્ય બની રહેશે એવું જણાય રહ્યું છે. શહેરની બેઠકો જેમ કે સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કરંજણ, કતારગામ અને સુરત વેસ્ટમાં પુરુષ મતદારો થોડા વધારે હોવા છતાં મહિલા મતદારોનો હિસ્સો 47થી 49 ટકા વચ્ચે પહોંચ્યો છે, જેથી અર્બન વિસ્તારોમાં મહિલા મતદારો હવે અવગણવા જેવી સ્થિતિમાં નથી અને બંને વર્ગોને ધ્યાનમાં રાખતી મિશ્ર સ્ટ્રેટેજી જરૂરી બનશે. યાદીના સરેરાશ ચિત્ર મુજબ જિલ્લામાં પુરુષ મતદારોની સંખ્યા વધારે હોવા છતાં કેટલાક મતવિસ્તારોમાં મહિલા વોટ બેંકનું મહત્વ વધ્યું છે. ખાસ કરીને માંડવી અને મહુવામાં મહિલા મતદારો ચૂંટણીના પરિણામને અસર કરી શકે છે, જ્યારે કામરેજ, ચોર્યાસી અને ઓલપાડમાં પુરુષ વોટ બેંક રાજકીય રીતે નિર્ણાયક બની શકે છે. આવનારી ચૂંટણીમાં રાજકીય પક્ષો માટે મતવિસ્તાર મુજબ પુરુષ અને મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વ્યૂહરચના બનાવવી પડશે એ વાત નિશ્ચિત છે.
પાલિકાના બજેટ પર સતત બીજા દિવસે ચાલેલી સભામાં ભ્રષ્ટાચાર, પ્રાથમિક સુવિધા, ગંદકી વગેરે મુદ્દે શાસક-વિપક્ષે આક્ષેપો કર્યા હતા. બે દિવસ મળી 1020 મિનિટની સભામાં 120 કોર્પોરેટર હાજર રહ્યા હતા, જેમાંથી 82 કોર્પોરેટરોને બોલવાની તક મળી હતી. આખરે પાલિકાના 11,301 કરોડના અને શિક્ષણ સમિતિના 1062 કરોડના બજેટને મંજૂરી અપાઈ હતી. અખાદ્ય પદાર્થો મુદ્દે ફુડ વિભાગ નિષ્ફળ: વિપક્ષના દંડક રચના હીરપરાએ કહ્યું કે આ વર્ષે 1500 ટકા વધુ અખાદ્ય પનીર, ચીઝ અને માખણ પકડાયું છે. સેમ્પલિંગ કામગીરી ઝડપી બનાવી દરેક ઝોનમાં ફૂડ લેબ સ્થાપવી જોઈએ. ઊંચા ટેન્ડરથી 2500 કરોડનો બોજ: વિપક્ષ ઉપ નેતા મહેશ અણઘણે આક્ષેપ કર્યો કે વિવિધ પ્રોજેક્ટના ટેન્ડર એસ્ટિમેટ કરતાં ઊંચા રજૂ થતાં તિજોરી પર માતબર ભારણ પડ્યું છે. 3 વર્ષમાં જ 2500 કરોડનો વધારાનો ખર્ચ થયો હતો. 3 બ્રિજ કરતા એક લાંબો બ્રિજ બનાવો: ભાજપના વિજય ચોમાલે ચોમાસામાં તૂટતા રસ્તાનો કાયમી ઉકેલ લાવવા પોલિમર કે સીસી રોડ બનાવવા માગ કરી હતી. સુરત-બારડોલી અને સુરત-નવસારી માર્ગ પર ટૂકડામાં બનેલા ફલાયઓવરની ટીકા કરતા તેમણે કહ્યું કે, પર્વત પાટિયાથી સારોલીમાં ખુબ ટૂંકા અંતરમાં 3 બ્રિજ છે જેથી એક જ લાંબા ફ્લાયઓવરનું આયોજન કરવું જોઈતું હતું. સાથે વોર્ડ દીઠ પ્લે ગ્રાઉન્ડ બનાવવા માગ કરી હતી. વિપક્ષને માત્ર વીડિયો બનાવવામાં જ રસ: આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સી શાહે કહ્યું કે, કચરાના વીડિયો બનાવી સ્વચ્છતા સર્વેક્ષણ ઍવૉર્ડ પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. નક્કી માપદંડો પર ખરા ઉતર્યા બાદ ઍવૉર્ડ મેળવ્યો છે. જેથી માત્ર કચરાના ઢગલાના વિડીયો બનાવવામાંથી બહાર આવો. શહેરમાં કૂતરાઓનાં સેન્સસ માટે ટેન્ડર પ્રક્રિયા શરુ કરી છે. વિપક્ષની એકસાથે ફરિયાદો સાંભળી નિકાલ કરો: દિનેશ જોધાણીએ કહ્યું કે વિપક્ષ બજેટ ચર્ચામાં પણ વાંધા કાઢે છે, તમામ સભ્યોને સાથે બોલાવી કાર્યપાલક ઇજનેરો સાથે બેઠક ગોઠવો. સોનેરી સુરતને વિશ્વ ફલક પર લઇ જવાનું વિઝનપાલિકા કમિશનર એમ.નાગરાજને કહ્યું કે, સોનેરી સુરતને વર્લ્ડ ક્લાસ સ્તરે કઇ રીતે લઇ જવાય તે માટેનું પ્લાનિંગ કરી બતાવવા ચેલેન્જ ઉપાડી છે, જેને ટીમ અને ચૂંટાયેલી પાંખના સહકારથી પૂરી કરાશે. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો પ્રયાસથી આગળ વધીશું. શિક્ષણને વધુ ઉંચાઇએ લઇ જવાનો પણ ધ્યેય છે.
નિમણૂંક:ડો. ભટ્ટના સ્થાને ડો. કિંજલ પટેલને સેન્ટ્રલ ઝોનનો હવાલો
ભાગળ શાકમાર્કેટ ખાતે નિર્ધારિત સમય છતાં આરોગ્ય અધિકારી પહોંચે પહેલાં કમિશનર એમ. નાગરાજન પહોંચી ગયા હતા અને વહીવટી શિસ્તના ભાગરૂપે સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. અજીત ભટ્ટને સસ્પેન્ડ કરાયા હતા. કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નાયબ આરોગ્ય અધિકારી તરીકે ડો. કિંજલ પટેલની નિમણૂક કરી છે. ડેપ્યુટી કમિશનર નિધિ સિવચના આદેશ મુજબ, હાલ ઉધના ઝોનમાં ડેપ્યુટી મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ (MOH) ડો. કિંજલ પટેલને હવે સેન્ટ્રલ ઝોનનો વધારાનો હવાલો સોંપાયો છે. ડો. પટેલ ઝોનમાં આરોગ્યલક્ષી સહિતની કામગીરી પણ સંભાળશે. કામચોરી ચલાવી લેવાશે નહીંપાલિકા કમિશનર નાગરાજને કહ્યું કે, નંબર-1 નો દરજ્જો જાળવી રાખવા શિસ્તબદ્ધ કામગીરી અનિવાર્ય છે. સફાઈ ઝુંબેશ વચ્ચે ડો. ભટ્ટ હાજર ન હતા. કામગીરી શરૂ થઈ ન હતી, પ્લાનિંગનો પણ અભાવ હતો. મોનિટરિંગની જવાબદારી હોવાથી ઝોનલ ચીફ એડિ. સિટી ઈજનેર આશિષ નાયકને શો-કોઝ ફટકારાઈ હતી.
જાહેરનામું:મેટ્રોના અંડરગ્રાઉન્ડ સ્ટેશનના નિર્માણ માટે શહેરના કેટલાક માર્ગો બંધ કરાયા
મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ સ્ટેશનોના નિર્માણ માટે કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર અને પાર્કિંગ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હવે 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. સુરત મેટ્રો રેલ વહીવટી તંત્રની ભલામણ પર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોતે આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું છે કે સેન્ટ્રલ વેરહાઉસ, લાભેશ્વર ચોક અને કાપોદ્રા અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનની આસપાસના માર્ગો આંશિક અથવા સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પ્રભાવિત માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. ઇમરજન્સી સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. પોલીસના જાહેરનામા મુજબ બંધ માર્ગો અને વિકલ્પો સેન્ટ્રલ વેરહાઉસ સ્ટેશનના નિર્માણને કારણે લંબે હનુમાન રોડ પર જેબી ડાયમંડ સર્કલથી વસંતભીખા ની વાડી સુધીનો માર્ગ બંધ રહેશે. સ્થાનિક નિવાસીઓ અને દુકાનદારો માટે માત્ર 1.5 મીટરનો રસ્તો છોડવામાં આવ્યો છે. લાભેશ્વર ચોક અંડરગ્રાઉન્ડ સ્ટેશનના કામને કારણે માતાવાડી સર્કલથી લાભેશ્વર પોલીસ ચોકી સુધીનો માર્ગ બંધ રહેશે, જ્યારે સ્થાનિક આવન-જાવન માટે મર્યાદિત પહોળાઈનો રસ્તો ઉપલબ્ધ રહેશે. કાપોદ્રા વિસ્તારમાં ફિનિક્સ સર્કલથી ઝંડફિયા સર્કલ સુધીનો માર્ગ બાંધકામ કાર્યને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં સ્થાનિક લોકો માટે લગભગ 4 મીટરનો માર્ગ છોડવામાં આવ્યો છે.
વાતાવરણ:બપોરે પારો 3.1 ડિગ્રી ગગડી 30.9 થતાં ગરમીમાં રાહત
શહેરમાં 24 કલાકમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ઉત્તરથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે મહત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો થતાં શહેરીજનોએ બપોરના સમયે પણ રાહત અનુભવી હતી. હવામાન વિભાગ મુજબ, મંગળવારે મહત્તમ તાપમાન 30.9 ડિગ્રી નોંધાયું હતું, જેમાં ગઈકાલની સરખામણીમાં 3.1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. બીજી તરફ, લઘુતમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો નજીવો વધારો થતાં પારો 19.2 ડિગ્રી પર લગભગ સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં આવેલા આ પલટા પાછળ ઉત્તર દિશાથી ફૂંકાતા 10 કિ.મી. પ્રતિ કલાકની ગતિના ઠંડા પવન મુખ્ય કારણ રહ્યા હતા. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 19થી 20 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચેના આ સંધિકાળમાં મિશ્રઋતુનો અનુભવ યથાવત રહેશે. હવામાં ભેજનું પ્રમાણ સવારે 88 ટકા અને સાંજે 66 ટકા રહેતા વાતાવરણમાં સહેજ નમી અનુભવાઈ હતી.
ચેમ્બર અને ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર 21થી 23 ફેબ્રુઆરી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘સિટેક્સ-સુરત ઈન્ટરનેશનલ ટેક્સ્ટાઇલ એક્સ્પોનું આયોજન કરશે. ચેમ્બર પ્રમુખ નિખિલ મદ્રાસીએ કહ્યું કે, ‘આ પ્રદર્શનમાં પોઝિશન પ્રિન્ટિંગ મશીન, પોઝિશન એમ્બ્રોઇડરી મશીન, હાઇ સ્પીડ રેપિયર લૂમ, હાઇ સ્પીડ એરજેટ લૂમ, હાઇ સ્પીડ વોટરજેટ લૂમ, વેલ્વેટ એરજેટ પ્રદર્શિત કરાશે. મોટા ભાગે એરજેટ કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એક્ઝિબિશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ પણ હશે. એક્સપો માટે 15 હજાર વિઝિટર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કિરણ ઠુંમરે કહ્યું કે, અગાઉ જેકાર્ડ લૂમ્સ સ્થાપિત કરવા વિશાળ જગ્યાની જરૂર પડતી હતી, જેથી નાના ઉદ્યોગકારો માટે મુશ્કેલી થતી હતી. આ એકિઝબિશનમાં પ્રદર્શિત થનારા અદ્યતન જેકાર્ડ લૂમ્સ માત્ર 7 ફૂટ જગ્યામાં પણ સ્થાપિત કરી અસરકારક ઉત્પાદન મેળવી શકાશે. કોમ્પેકટ ડિઝાઇનના કારણે મશીનરીનું ઇન્સ્ટોલેશન પણ સરળ બનશે. ઊર્જા અને સંચાલન ખર્ચ ઘટશે તથા નાના ઉત્પાદન એકમો માટે પણ ઉચ્ચ ગુણવત્તાવાળા જેકાર્ડ ફેબ્રિકનું ઉત્પાદન શક્ય બનશે. એક્સ્પોમાં 4 પનાનું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ લોન્ચ કરાશેવિશ્વભરના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે ઐતિહાસિક ગણી શકાય તેવું પ્રથમ વખત 490 સેન્ટિમીટર લંબાઇ ધરાવતું 4 પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સિટેક્સ એક્સ્પોમાં લોન્ચ કરવામાં આવશે. સુરતમાં વર્ષ 2009-10 દરમિયાન 2 પનાવાળું મશીન વિકસાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એકસાથે બે સાડીઓનું ઉત્પાદન શકય બન્યું હતું. ત્યારબાદ વર્ષ 2015માં 3 પનાવાળું રેપિયર જેકાર્ડ મશીન બજારમાં આવ્યું હતું, જેના પર એકસાથે ત્રણ સાડીઓ બનાવવી શકય બની હતી. હાલમાં વિશ્વભરમાં ત્રણ પનાવાળા મશીનો જ કાર્યરત છે, ત્યારે સુરતમાં પ્રથમ વખત લોન્ચ થનારું ચાર પનાવાળું અદ્યતન રેપિયર જેકાર્ડ મશીન આખી દુનિયાના ટેક્સ્ટાઇલ ઉદ્યોગ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આયોજન:ટ્રાફિક હળવો કરવા 3 વર્ષમાં 632 રોડ માટે 30 લાખ ચોમી જમીન કબજે લીધી
સામાન્ય સભામાં મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતને ગ્લોબલ સિટી બનાવવા ટાઉન પ્લાનિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે મહત્ત્વની કામગીરી થઈ છે, જેમાં ટ્રાફિકને હળવો કરવા 3 વર્ષમાં 362 રોડ માટે 30 લાખ ચો.મી. જમીનનો કબજો લેવાયો છે. 8 ડ્રાફ્ટ ટી.પી. તૈયાર કરી છે જ્યારે વિકાસ પરવાનગી પેટે 4,068 કરોડની આવક થઈ છે. નવા વિસ્તારોમાં રોડ માટે 27.45 લાખ ચો.મી. જમીન મેળવાઈ છે. MMTH માટે પાલિકાએ 18,900 ચો.મી. જમીન આપીરેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ MMTH પ્રોજેક્ટ માટે પાલિકાએ 18,900 ચો.મી. જમીન ફાળવી છે અને વધુ 20,000 ચો.મી. સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. જ્યારે મેટ્રોના ડેપો અને સ્ટેશન માટે 1.81 લાખ ચો.મી. જેટલી 22 જમીનો GMRCLને સોંપાઈ છે. GETCO અને GMRCને જમીન ફાળવણી પેટે મહાપાલિકાને 350 કરોડની આવક થઈ છે. 5 વર્ષમાં કુલ 30,409 ડેવલપમેન્ટ પરમિશન અપાઈશહેર વિકાસ વિભાગની નોંધનીય કામગીરી અંગે મેયરે આંકડાકીય માહિતી રજૂ કરતાં કહ્યું હતું કે, છેલ્લાં 5 વર્ષમાં કુલ 30,409 ડેવલપમેન્ટ પરમિશન આપવામાં આવી છે. બાંધકામ ક્ષેત્રે મળેલી મંજૂરીઓ અને પેઈડ FSI પેટે મહાપાલિકાને 4,068 કરોડની માતબર આવક થઈ છે. શહેરમાં 9,192 પ્લોટ સબડિવિઝન સર્ટિફિકેટ અને 1,478 રહેણાંક પ્રોજેક્ટ્સને BUC આપવામાં આવ્યા છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓનો સાથ આપવા વહારે આવ્યું છે. AI ચશ્મા અને સ્માર્ટ ટૂલ્સ સાથેનું લેપટોપ હવે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ભવિષ્યનું દ્વાર બની ગયું છે. હજી તો ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 9 અને 11ના અભ્યાસક્રમમાં AIના ટોપિક્સ ઉમેરી રહ્યું છે, ત્યારે સુરતના ધો.10-12ના ત્રણ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ધર્મ વઘાસિયા, વુષ્ટી વેકરિયા અને રૂકસારા પીજાણી અત્યારથી જ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વનિર્ભરતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. આ ત્રણેય તેજસ્વી તારલાઓએ પુસ્તકોને AI ચશ્માના કેમેરાથી સ્કેન કરી, સ્પીકર દ્વારા સાંભળીને લેપટોપમાં ડિજિટલ નોટ્સ તૈયાર કરી છે. હવે આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ધો.10માં ધર્મ વઘાસિયા (ગણિત) અને વુષ્ટી વેકરિયા (સંગીત) તેમજ ધો.12 આર્ટ્સમાં રૂકસારા પીજાણી કોઈ પણ ‘રાઈટર’ વિના જાતે જ લેપટોપ દ્વારા પરીક્ષા આપશે. આ માટે શિક્ષણ બોર્ડે પણ તેમને ખાસ મંજૂરી આપી છે. હાલમાં આ વિદ્યાર્થીઓ 80 માર્ક્સનું પેપર 3 કલાકમાં ગુજરાતીમાં ટાઈપ કરીને 22 પેજ ભરી દે છે, જોકે ગણિતના ચિન્હો માટે અત્યારે તેઓ સખત મહેનત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ રીતે તૈયારી કરી રહ્યા છે દિવસે 4 થી 5 કલાક વાંચન, સ્પીડ વધારવા સાંજે બે કલાક ટાઈપિંગ પ્રેક્ટિસવિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી માટે રિવિઝન સાથે ગુજરાતી ટાઈપિંગની સ્પીડ પર વિશેષ ભાર આપી રહ્યા છે. દિવસભર વાંચન કર્યા બાદ રાત્રે તેઓ લેપટોપ પર જવાબો લખવાની પ્રેક્ટિસ કરે છે, જેથી 3 કલાકમાં 80 ગુણનું પેપર સારી રીતે પૂર્ણ કરી શકાય.
સાઈબર ક્રાઈમ:ફાઇનાન્સ મૅનેજરે USTDમાં રોકાણ કરી 15.78 લાખ ખોયા
ટેલિગ્રામ ઉપર મહિલાના નામની ડમી પ્રોફાઇલ બનાવીને સાઇબર ગઠિયાઓએ રોકાણના બહાને ખાનગી ફાઇનાન્સ કંપનીના મૅનેજર પાસેથી રૂ. 15.78 લાખ પડાવી લીધા હતા. નારણપુરાના પુલકિત શાહ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં ડેપ્યુટી ફાઇનાન્સ મૅનેજર છે. ફેબ્રુઆરી 2025માં તેમને નેન્સી નામની મહિલાના ટેલિગ્રામ આઇડીમાંથી યુએસડીટીમાં ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાવાનો મેસેજ આવ્યો હતો. તેમણે રસ દાખવતાં લિંક મોકલાઈ હતી. પુલકિતે રજિસ્ટેશન કરાવ્યા પછી 10 હજાર રોકતાં 100 યુએસડીટી બેલેન્સ દેખાતું હતું. પુલકિતે રૂ. 20 હજાર વિડ્રો કર્યા પછી નેન્સીએ 7 દિવસમાં દસ ગણી કમાણીની ગેરંટી આપીને ટ્રેડિંગ શરૂ કરવા રૂ. 2.50 લાખ ડિપૉઝિટ કરવા કહ્યું હતું. 7 દિવસના કોન્ટ્રાકટમાં નફાના 15થી 20 ટકા કમિશન આપવા કહ્યું હતું. આથી પુલકિતે કમિશન પેટે રૂ.15.98 લાખ ચૂકવ્યા હતા. બીજા વિડ્રો કરવા 5 ટકા ટેક્સ પેટે રૂ. 3.50 લાખ ભરવા કહ્યું હતું. પુલકિતે રૂપિયા ભરતાં નેન્સીએ એકાઉન્ટ ડિલિટ કરી નાખ્યું હતું. એપ્લિકેશન પણ ઓપન થતી ન થતાં પુલકિતે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

27 C