SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

સન્ડે ફોટો સ્ટોરી:માલેશ્રી નદીમાં વનસ્પતિથી પર્યાવરણને આડઅસર

નદીને માનવ જીવનની ધમની કહેવામાં આવે છે.પણ એજ નદીમાં જો સોંદર્યના બદલે વનસ્પતિનો વિકાસ થવા માંડે ત્યારે સોંદર્યની સાથે નદી , નદીમાં રહેતા જળચરો અને પર્યાવરણનું સંતુલન બગડી જતું હોય છે. આવા જ એક કિસ્સામાં ભાવનગરની નજીક આવેલ માલણકા ગામમાંથી પસાર થતી માલેશ્રી નદીનું સોંદર્ય તેના સાનિધ્યમાં આવેલ સુંદર અવળકંધી માતાના કારણે વધે છે પરંતુ આ નદીના અમુક ભાગમાં લીલી વનસ્પતિએ કબજો જમાવતા નદીનું અને આસપાસના પર્યાવરણનું સંતુલન પણ બગડી શકે એમ હોઈ ત્યાંના ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર તાકીદે આ વનસ્પતિને દૂર કરે તે અત્યંત આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:54 am

વાતાવરણમાં નોંધાયો ફેરફાર:બે દિવસમાં તાપમાન 5.8 ડિગ્રી વધ્યુ

ભાવનગર શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બે દિવસમાં રાતના ઉષ્ણતામાનમાં 5.8 ડિગ્રીનો વધારો થયો છે. આથી શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામમાન વધીને 16.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ છે. જેથી ઠંડીની તીવ્રતા ઓછી થઇ ગઇ છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાત્રે પવનની ગતિમાં થતાં ફેરફારને કારણે શહેરના તાપમાનમાં વધઘટ થતી રહી છે. આજે મહત્તમ તાપમાન પણ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જદ કે સાંજના સમયે પવનની ઝડપ વધીને 10 કિલોમીટર થઇ ગઇ હતી. આજે લઘુત્તમ ઉષ્ણતામાન સામાન્ય કરતા 2.7 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. શહેરમાં મહત્તમ તાપમાન આજે 0.2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 29.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 14.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે 2 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 16.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઠંડીમાં રાહતનો અનુભવ શહેરીજનોને થયો હતો. ભાવનગર શહેરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ જે સાંજે ઘટીને 40 ટકા નોંધાયુ હતુ જ્યારે આજે સવારે પવનની ઝડપ 8 કિલોમીટર હતી તે સાંજે 10 કિલોમીટર થઇ ગઇ હતી. શું કામ રાત્રે ઠંડીની તીવ્રતા વધતી નથી ?વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોય ત્યારે રાત્રિ દરમિયાન પવનની ગતિ 7થી 10 કિમી આસપાસ હોવાથી ઉપર અને નીચલા સ્તરમાં ગરમ-ઠંડા પવનો મિક્સ થાય છે, જેથી ઠંડીનો પારો ઊંચકાતો નથી, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળી જાય ત્યારે ઠંડા પવન ફૂંકાવાના શરૂ થાય છે. આજથી પવનની ઝડપમાં વધારો થશેઠંડીમાં હાલ રાહત મળી છે. જો કે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર બરફવર્ષા અને ભારે વરસાદ થવાનો છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21 થી 25 તારીખ વચ્ચે ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે. તા.18થી પવનની ઝડપમાં વધારો થશે. ભાસ્કર નોલેજએક સપ્તાહમાં રાતના તાપમાનમાં વધઘટ

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:53 am

ચોરીનો મામલો આવ્યો સામે:પરિવાર ખરીદી માટે સુરત ગયો’ને ઘરમાં 1.97 લાખની ચોરી

ભાવનગરના ફુલસર ઉપવન દર્શન સોસાયટી માં રહેતા નીલમબેન અલ્પેશભાઈ ડાભી નણંદના લગ્ન હોવાથી તેઓ ગત તારીખ 13 જાન્યુઆરીના ઘરે તાળું મારી સુરત ખરીદી કરવા માટે ગયા હતા. બાદ ત્યાંથી ભાવનગર ઘરે પરત ફરતા ઘરના દરવાજાનું તાળું તોડી અંદરની વસ્તુઓ વગેરે અસ્તવ્યસ્ત જણાતા અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતા ઘરમાંથી સોના ચાંદીના ઘરેણા, મોબાઈલો સહિત ₹1,97,980ની મતાની ચોરી કરી કોઈ તસ્કરો નાસી છૂટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:49 am

ગમખ્વાર બનાવ:કૂતરુ આવી જતા બાઇકથી પટકાયેલી મહિલાનું મોત

વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં રહેતા 50 વર્ષીય લીલાદેવી શાહુના પતિ લૂમ્સના કારખાનામાં કામ કરી બે પુત્ર અને બે પુત્રીઓ સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે બપોરે લીલાદેવી શેખપુર ખાતે સંબંધીને મળીને તેમના ભાણેજ સાથે બાઈક પર ઘરે જતા હતા. ત્યારે વેલંજા શુભ ગ્લોબલ વિલેજ ત્રણ રસ્તા પાસે રસ્તા વચ્ચે અચાનક કુતરૂ આડું આવતા અમનકુમારે બાઈક પરથી સંતુલન ગુમાવી દીધું હતું. જેમાં લીલાદેવી બાઈક પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાયેલા લીલાદેવીને સારવાર માટે કઠોર સીએચસી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:49 am

વોન્ટેડ આરોપી ઝડપાયો:રૂ.1.98 કરોડની કાપડ ઠગાઇમાં વોન્ટેડ પકડાયો

બોગસ પાનકાર્ડ બનાવી જીએસટી નંબર મેળવી 1.98 કરોડની કાપડની ઠગાઈમાં એક વર્ષથી વોન્ટેડે કાપડ દલાલ અજય રમેશ તોલાની(39)(પેલેડીયમ રેસીડન્સી, ન્યુ અલથાણ રોડ) સલાબતપુરાથી ઝડપાયો છે. ચીટિંગ કરનાર અજયે સાગરિત હિતેશ વઘાસીયા સાથે મળી આર.જે.એન્ટરપ્રાઇઝ ફર્મ ઊભી કરી હતી. પોલીસથી બચવા માટે આરોપીએ ભાડાનું મકાન ખાલી કરી નાખ્યું હતું. રઝા અલી હુસૈન સોલંકી જે પીવીસી બેગ મેન્યુફેકરીંગનો ધંધો કરે છે. તેમના જીએસટી નંબર અને પાનકાર્ડ નંબરનો દૂરુપયોગ કરી અજય તોલાનીએ વેપારીઓ પાસેથી 1.98 કરોડનો કાપડનો માલ ઉધારમાં લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:48 am

લાખોનું ફૂલેકું ફેરવનાર ઠગ ઝડપાયો:આવાસના નામે 60.21 લાખની ચીટિંગ કરનાર દિલ્હીથી પકડાયો

સરકારની આવાસ યોજના હેઠળ મકાન અપાવવાના બહાને સુરતના 49 જણા પાસેથી રૂ.60.21 લાખ પડાવી લઇ છેતરપિંડી કરનાર ઠગને શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના કારેલીબાગ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મુળ રાજસ્થાનના ચરૂ જિલ્લાના સુજાનગઢ ગામના વતની અને હાલ પાંડેસરા પિયુષ પોઇન્ટ પાસે આવેલા વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા મયંક સંજય મિશ્રા (ઉવ.23) એ સ્લમ વિસ્તારમાં રહેતા વ્યક્તિઓને પોતે સુરત મહાનગર પાલિકામાં નોકરી કરતા હોવાનું અને આવાસ યોજના તેમની પાસે હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી. વર્ષ 2024 દરમિયાન તેણે શહેરમાં રહેતા 49 જેટલા લોકોને ડ્રો વગર જ આવાસ અને દુકાન અપાવવાની લાલચ આપી ને કુલ રુ.60.21 લાખ પડાવી લીધા હતા. બનાવ અંગે પાલનપુર જકાતનાકા સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશ વિનોદભાઇ ચોટલીયાએ મયંક સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:47 am

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ:હિન્દુ નેતાની હત્યાના આરોપી યુસુફ પઠાણે ચપ્પુ બતાવી યુવકની કાર પડાવી,પોલીસે ઝડપી પાડ્યો

લખનૌમાં હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીના હત્યારા યુસુફખાન પઠાણ સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ થયો છે. પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લીધો છે સાથે તેની પાસેથી ગાડી પણ કબજે કરી લીધી છે. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા યુવકને આરોપીએ ચપ્પુ બતાવી ધમકાવી તેની કાર લઈ ફરાર થયો હતો. લિંબાયત ખાનપુરામાં તવક્કલ પ્લાજામાં રહેતા મુહમ્મદ ઈકબાલ આરીફ વેલ્ડિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જુન-2025માં આરોપી યુસુફખાન પઠાણ લિંબાયતમાં મુહમ્મદ ઈકબાલના ઘરે આવ્યો હતો અને તેને કહ્યું કે ‘તુમ્હારી ગાડી મુજે બહુત પસંદ હે, અબ તુમ યે ભૂલ જાઓ’, આથી યુવકે કહ્યું કે ‘ગાડી મારા કામ માટે લીધી છે અને તેની લોન પણ બાકી છે’, ત્યારે આરોપીએ ધમકી આપી કે ‘યે ગાડી ભુલ જાઓ નહીં તો તુમ જિંદા નહી રહોગે’, કહી ચપ્પુની અણીએ ગાડી લઈને ફરાર થઇ ગયો હતો. ક્રેટા ગાડી લઇને ફરાર થયાના ત્રણ દિવસ પછી આરોપી યુસુફ પઠાણે મુહમ્મદ ઇકબાલ પાસેથી ગાડીની આરસી બુક પણ પડાવી લીધી હતી. મુહમ્મદ ઇકબાલ જ્યારે ગાડી પરત માંગતો ત્યારે તે ધમકી આપતો હતો. ઉપરથી ગાડીના લોનના હપ્તા પણ તે પોતે ભરતો હતો. છેવટે તેણે હિંમત કરી ફરિયાદ આપતા લિંબાયત પોલીસે યુસુફખાન ઈશરતખાન પઠાણ(ગોવિંદનગર સોસા, લિંબાયત)ની સામે ખંડણી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે યુસુફખાનની ધરપકડ કરી ક્રેટા કાર કબજે કરી છે. આરોપી લિંબાયતના વેલ્ડરને ધમકી આપી કારના ડોક્યુમેન્ટ્સ પણ લઇ ગયો હતો 5.50 કરોડના સાયબર ક્રાઇમમાં મહિસાગરમાં વોન્ટેડયુસુફખાન સામે મહીસાગરમાં સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં નખાવી હતી જેમાં તે વોન્ટેડ હતો લખનૌમાં હિન્દુનેતા કમલેશ તિવારીની હત્યામાં સામેલ યુસુફખાન પઠાણ સામે મહીસાગર જિલ્લાના લુણાવાડા સાયબર ક્રાઇમમાં 5.50 કરોડની સાયબર ચીટીંગની ફરિયાદ થયેલી હતી. જેમાં આરોપી વોન્ટેડ હતો. યુસુફખાને મ્યુલ એકાઉન્ટથી સાયબર ફ્રોડની 5.50 કરોડની રકમ એક ટ્રસ્ટના ખાતામાં જમા કરાવી હતી. જેમાં તેનું નામ સામે આવ્યું હતું. જામીન પર આવ્યો ત્યારે વેલ્ડરે રહેવા જગ્યા કરી હતીલખનૌમાં વર્ષ 2019માં ઓકટોબરમાં હિન્દુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યા થઈ હતી. આ હત્યાકાંડમાં આરોપી યુસુફખાન પઠાણ જામીન પર છૂટયો હતો. લિંબાયતમાં વેલ્ડિંગનું કામ કરતા મુહમ્મદ ઈકબાલ યુસુફ પઠાણને બાળપણથી ઓળખતો હતો. જામીન પર છૂટીને આવ્યો ત્યારે મુહમ્મદ ઈકબાલે લિંબાયતમાં મિત્રને ત્યાં રહેવાની આરોપીને સગવડ કરી આપી હતી. થોડા વખતમાં મિત્રને પણ તેનો સ્વભાવ પસંદ ન આવતા બીજી જગ્યાએ રહેવાનું કહી દીધું હતું. આથી આરોપી યુસુફખાન પઠાણ બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:43 am

720 વિદ્યાર્થીઓને મળશે AI વિશે માર્ગદર્શન:સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા ગાંધી કોલેજ ખાતે ફ્રી AI વર્કશોપ

સંપ્રતિ ફાઉન્ડેશનએ યુવાધનને ટેકનોલોજીના ઉપયોગથી વિકાસની યોગ્ય દિશા, માર્ગદર્શન અને સાહસિકતાના ગુણોમાં વર્તમાન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કઈ રીતે કરવો તે માટે ગુજરાત રાજ્ય માટે નવગુરુકુલ સંસ્થા સાથે MOU કર્યાં છે. જેના પ્રથમ ચરણમાં ગાંધી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે સૌ પ્રથમવાર AI ફ્રી વર્કશોપ શરુ કરવામાં આવેલ છે. આ વર્કશોપ17થી 23 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં 720 વિદ્યાર્થીઓને 8-8કલાકના વર્કશોપ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ફાઉન્ડેશનના ચેરમેન નિરવ શાહે જણાવ્યું હતું કે સંસ્થા ઉચ્ચ-ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. ઉદઘાટન સમારોહમાં. મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે AI ટેકનોલોજીનો ઉપયોગ આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:39 am

શિક્ષાપત્રી કથાનું સમાપન થયું:બાળકોને નાનપણથી પ્રભુ, ગુરુ, પિતૃ અને રાષ્ટ્ર ભક્તિના સંસ્કારોનું સિંચન કરવું જોઈએ : સંતશ્રી

મોટા વરાછા, મહાદેવ ચોક ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના 14માં પાટોત્સવ અને સંપ્રદાયના બંધારણ સમાન ગણાતા ગ્રંથ શિક્ષાપત્રીના દ્વિ-શતાબ્દી વર્ષ નિમિત્તે ઉત્તરાયણ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શિક્ષાપત્રી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાના અંતિમ ચરણમાં વક્તા સતશ્રીએ જણાવ્યું હતું કે દરેક પરિવારોએ બાળકોને નાનપણથી જ પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, પિતૃ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના સંસ્કાર આપવા જોઈએ. જેનામાં ભક્તિ હશે તે માણસ ઉપકારક હશે ભક્તિ યુક્ત માણસ ક્યારેય કોઈનું અહિત કરશે નહીં. અત્યારે ટેકનોલોજી અને આધુનિકતામાં આપણે ખૂબ આગળ વધ્યા છે આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે પરંતુ આપણા મૂળભૂત હિંદુ વૈદિક સંસ્કૃતિમાં કહેલા 16 સંસ્કારોને ભૂલતા જઈએ છીએ. વૈદિક પરંપરામાં માતાના ગર્ભમાં જીવનો સંચાર થાય તે પહેલા સંસ્કારની શરૂઆત થઈ જાય છે. રોજગાર-પરિવાર-વ્યવહાર સાથે ભક્તિ માટે પણ સમય આપવોદરેક વ્યક્તિને 24 કલાકનો સમય મળે છે તેમાંથી ધંધા રોજગાર, પરિવાર, સંતાનો, પત્ની, માતા-પિતાને કેવી રીતે સમય ફાળવવો તેનો આયોજન કરવું જોઈએ. તે બધું કર્યા પછી પરલોકના કલ્યાણ માટે ભક્તિમાં સમય આપવો જોઈએ. શિક્ષાપત્રીમાં ભગવાને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતો એ દરરોજ મંદિરે જવું અને કીર્તન કરવું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:38 am

જેઇઇ મેઇન-1નું એડમિટ કાર્ડ જાહેર કરાયા:સ્માર્ટ સ્ટડી: પાંચ વર્ષના પેપરમાં 22 ચેપ્ટરમાં 50%થી વધુ પ્રશ્નો પૂછાયા

JEE મેઈન-2026 (સેશન-1) ના એડમિટ કાર્ડ જાહેર કરાયા છે. 21 થી 24 જાન્યુઆરી દરમિયાન પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ વેબસાઇટથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. છેલ્લા 5 વર્ષના પેપર્સનું વિશ્લેષણ દર્શાવે છે કે માત્ર 22 મહત્વના પ્રકરણો 50% પેપર કવર કરે છે. ભાસ્કર એનાલિસિસ અહીં જ છુપાયેલા છે 22 ચેપ્ટરના 150થી વધુના માર્કસ આત્મવિશ્વાસ વધારવા સૌથી પહેલા કયા પ્રકરણો કરવા?

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:36 am

GTUની નવી એજ્યુકેશન ફોર્મ્યુલા:હવે એન્જિનિયરિંગમાં વન પ્લસ વનની ઓફર એકસાથે જ બે ફિલ્ડના એક્સપર્ટ બની શકાશે

GTU દ્વારા NEP-2020ને ધ્યાનમાં રાખી એક નવી કોમ્પ્રિહેન્સિવ પોલિસી જાહેર કરી છે. આ સ્કીમ હેઠળ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હવે પોતાની મેઇન ડિગ્રીની સાથે માઇનોર કે ઓનર્સ સ્પેશિયલાઇઝેશન કરી ડબલ બેનિફિટ મેળવી શકશે. આ માટે યુનિવર્સિટીએ સત્તાવાર સર્ક્યુલર બહાર પાડીને નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. GTU ના જણાવ્યા મુજબ, આજકાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો ક્રેઝ છે, ત્યારે વિદ્યાર્થીને પ્રેક્ટિકલ સ્કિલ્સથી સજ્જ કરવા આ નિર્ણય લેવાયો છે. યુનિવર્સિટી મોટી કંપનીઓ સાથે ઇન્ડસ્ટ્રી-લેડ પ્રોગ્રામ પણ ચલાવશે, જેથી સ્ટુડન્ટ્સને માર્કેટમાં શું ચાલે છે તેનું વાસ્તવિક જ્ઞાન મળશે. પોતાની બ્રાન્ચ ઓનર્સ, બીજી માઈનોર વિદ્યાર્થી ઇન્સ્ટિટ્યૂટ કે ઇન્ડસ્ટ્રી પ્રોગ્રામ પસંદ કરી શકશે

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:32 am

SOGએ 7 દિવસમાં હાજર રહેવાની તાકીદ કરતી નોટિસ આપી:લેબોરેટરીમાં એમડી ડ્રગ્સની બનાવવાના કેસમાં દિનેશ અણઘણની પૂછપરછ થશે

શહેરના પરવટ પાટિયા કેનાલ રોડ પર પોલારીસ શોપિંગ સેન્ટરમાં SOGએ દરોડો પાડી ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબોરેટરીમાંથી MD ડ્રગ્સ બનાવવાનું રેકેટ પકડી પાડયું હતું. હવે આ બાબતે વધુ માહિતી મેળવવા SOGએ ઈશા અણઘણના પિતા દિનેશ અણઘણને પૂછપરછ માટે બોલાવવા નોટિસ આપી છે. નોટિસમાં SOG દ્વારા 7 દિવસની અંદર હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે. અગાઉ લેબના માલિક ઈશા અણઘણની SOGએ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. SOGના સ્ટાફે નોટીસમાં દિનેશ અણઘણ પાસેથી દીકરી ઈશાએ જે લેબ શરૂ કરી ત્યારે સાધન સામગ્રી ખરીદી કરી તે અંગેના નાણાકીય રોકાણની વિગતો માંગી છે સાથે દિનેશ અણઘણના બેંક ખાતાની વિગતો માંગી છે. કંપનીમાંથી કેમિકલ ટિફિન સંતાડી લાવતો હોવાની શંકાલેબોરેટરીમાં એમડી ડ્રગ્સ બનાવવા માટે ડ્રગ્સમાફીયા બ્રિજેશ ભાલોડીયા સચીન જીઆઇડીસીની જે કંપનીમાં નોકરી કરતો હતો ત્યાંથી કેમિકલ ટીફીન બોક્ષમાં સંતાડી લાવતો હોવાની શક્યતા એસઓજીને લાગી રહી છે. એમડી ડ્રગ્સ બનાવવા માટેના કેમિકલ બાબતે એસઓજીના સ્ટાફે કંપનીમાં પણ તપાસ શરૂ કરી છે. ઈશાની લેબમાં બ્રિજેશ ભાલોડીયાને લંડનમાં બેઠેલા જનક જાગાણીએ એમડી ડ્રગ્સ બનાવવાની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:29 am

ગ્રાહક કોર્ટનો ચુકાદો:વાહન ચોરાય અને FIRમાં મોડું થાય તો પણ વીમો ચૂકવવો પડે

વાહન ચોરી ઘટનામાં ફરિયાદ મોડી કરવામાં કે વીમા કંપનીને જાણ કરવામાં મોડું થાય તો ક્લેઇમ ચૂકવવાથી ઇન્કાર કરી દેવાય છે. આવા જ એક કેસમાં ગ્રાહક કોર્ટે વીમા કંપનીને ગાડીની રકમના 75 ટકા ચૂકવી દેવાનો હુકમ કર્યો હતો. અરજદાર તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ દલીલો કરી હતી. પાંડેસરા ખાતે રહેતા અરજદારે ઘરની પાસે જ રૂપિયા સાડા છ લાખમાં લીધેલી કાર ઊભી રાખી હતી અને બીજી નવેમ્બર, 2017ના રોજ રાત્રિના સમયે આ કાર ચોરાઈ ગઈ હતી. જેની ફરિયાદ આઠ દિવસ મોડે થઈ હતી.વીમા કંપની સામે જ્યારે ક્લેઇમ કરાયો ત્યારે તેને નકારી દેવામા આવ્યો હતો. જેથી કેસ ગ્રાહક કોર્ટમાં ગયો હતો. પીઆઇ રજા પર હોવાથી ફરિયાદ સાત દિવસ મોડીઅરજદાર પાંડેસરા પોલીસ મથકમાં તા. બીજી નવેમ્બર,2017ના રોજ ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં પીઆઇ રજા પર હોવાથી તેમની ફરિયાદ લેવાઈ નહતી અને આથી પીઆઇ 10મીના રોજ આવ્યા પછી ફરિયાદ લેવાઈ હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:28 am

વિપક્ષની માંગ:કચરા કૌભાંડમાં SIT રચી તપાસ કરવા વિપક્ષની માંગ

સ્વચ્છતા સર્વેક્ષણમાં છેતરપિંડી કરવા કાગળ પર ‘ફૂલ ગુલાબી’ ચિત્ર ઊભું કરવાનું સુનિયોજિત ષડયંત્ર હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકામાં ગાજેલા કરોડો રૂપિયાના કચરા કૌભાંડમાં હવે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. આ સમગ્ર મામલે સત્તાધારી પક્ષ અને મળતિયા કોન્ટ્રાક્ટર વચ્ચે મેળાપીપણું હોવાનો ગંભીર આક્ષેપ કરી વિપક્ષી નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં સૌથી ગંભીર મુદ્દો ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંગેનો છે. વિપક્ષ નેતા પાયલ સાંકરિયાએ રજૂઆતમાં જણાવ્યા મુજબ સુરતને ગાર્બેજ ફ્રી સિટી દર્શાવવા માટે કાગળ પર બધું બરાબર હોવાનું ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરાયું હતું. પ્રજાના પરસેવાની કમાણીના 215 કરોડ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરવી અનિવાર્ય બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:27 am

ભાસ્કર એક્સક્લુસિવ:એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે

સુરત એરપોર્ટ પર સહિત દેશભરમાં કસ્ટમ અધિકારીઓની વર્દી પર કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેથી તેઓની પેસેન્જર સાથેની વાતો કે ચેકિંગ દરમિયાનની ગતિવિધિ સહિત બધું જ રેકર્ડ થઈ જશે. રેકોર્ડિંગ રોજન સર્વર પર અપલોડ કરવું પડશે જેનું મોનિટરિંગ ઉચ્ચ લેવલથી કરવામા આવશે. એરપોર્ટ પર AI લોકોની વર્તણૂંક જાણશે, આમ તેમ જોઈ ગભરાશે તે પકડાઈ જશે અધિકારીઓએ છ મહિના સુધી બેકઅપ રાખવું પડશેએરપોર્ટ પર ડયૂટી ધરાવતા દરેક કસ્ટમ અધિકારીઓને આ કેમેરા આપવામા આવ્યા છે સુરતમાં ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ આવે છે અને તેનુ ટોટલ રેકોર્ડિંગ સાડા ચાર થી પાંચ કલાકનુ રહે છે. આ રોજનું રેકોર્ડિંગ અધિકારીઓએ અંદાજે છ મહિના સુધી રાખવુ પડશે. જો કે, અધિકારીઓને સમસ્યા એ છે કે તેમની પાસે બેકઅપ રાખવા માટેની વિશાળ સિસ્ટમ નથી. ટેકનોલોજીનો ઉપયોગ, સતર્કતા વધારશે અને સેફ્ટી પણઇડીના મામલાના સ્પે.પી.પી. વિશાળ ફળદુ કહે છે કે ટેકનોલોજીનો ઉપયોગ દરેક એરપોર્ટ પર સતર્કતા વધારશે અને સેફ્ટી પણ વધારશે. એઆઇના ઉપયોગના આધારે કરચોરી શોધવાના પ્રયાસ તો શરૂ થઈ ગયા છે હવે આ સિસ્ટમ સ્મગલિંગ કેસ પકડવામાં વપરાશે તો તેના પ્રભાવકારી પરિણામો જોવા મળે એવી આશા છે. એરપોર્ટ પર શંકાસ્પદ વ્યક્તિની ગતિવિધિ જાણી તેને પકડી શકાશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:24 am

સન્ડે ફોટો સ્ટોરી:નાનપુરાની પાલિકાની સ્કૂલમાં મધ્યાહન ભોજનનો ‘ભાર’ બાળક પર, શિક્ષકો ગપ્પામાં મશગૂલ અને બાળકો પાસે વાસણો ઉચકાવાઈ રહ્યા છે

સરકાર એક તરફ વિદ્યાર્થીઓ પર ભાર વિનાનું ભણતરની સ્થિતિ બનાવી રાખવા મોટા ઉપાડે જાગૃતિ ફેલાવી રહી છે, ત્યારે સુરતના નાનપુરા ચેમ્બર ઓફ કોમર્સ નજીક આવેલી પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન પીરસવાની જવાબદારી માસૂમ વિદ્યાર્થીઓ પર જ થોપી દેવાઇ છે, જે બાળકોના અધિકારો અને સુરક્ષા સામે પણ ગંભીર પ્રશ્ન ઊભા કરે છે. અક્ષયપાત્ર ફાઉન્ડેશન તરફથી ફાળવાતા ભોજન ભરેલા ભારે વાસણો વિદ્યાર્થીઓને ઉઠાવવા અને ખેંચી લાવવા માટે મજબૂર કરાતા હોવાના દ્રશ્યો સપાટી પર આવ્યા છે. સ્કૂલના ગેટ સુધી વાહન પહોંચી ન શકતું હોય ત્યારે બાળકોને દૂરથી ભારે વાસણો ઉંચકી લાવવાની ફરજ પણ પડાઇ રહી છે. અચરજ એ છે કે વિદ્યાર્થીઓ જ્યારે ભોજનનો ભાર ઊંચકવામાં હેરાન થઈ રહ્યા હતા, ત્યારે શાળાના શિક્ષકો લોબીમાં બેસીને ગપ્પા મારતા નજરે પડ્યા હતા, જે તેમની જવાબદારી અને સંવેદનશીલતા ઉપર પણ મોટો પ્રશ્ન ચિહ્ન મૂકે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:21 am

ભાસ્કર એક્સક્લુસિવ:લાંચમાં 70% આરોપી નિર્દોષઃ રૂપિયા કયા ખિસ્સામાં મુક્યા તે સાબિત ન થયું, કોઈ કેસમાં આરોપી ન ઓળખાયો, તો કોઈમાં સાક્ષી ફરી ગયા

તાજેતરમાં જ ફાયર અધિકારી ઇશ્વર પટેલ સહિતના આરોપીઓ લાંચના છટકામાં સપડાયા છે ત્યારે લાંચના આવા 300 કેસ કોર્ટમાં પેન્ડિંગ છે, જેનો ઝડપી નિકાલ આવે એ માટે હવે 10થી વધુ કોર્ટમાં કેસ ટ્રાન્સફર કરી દેવાયા છે. કેટલાંક એવા કેસ પણ તાજેતરમાં જ સામે આવ્યા છે જેમાં પુરાવાના અભાવે આરોપીઓ નિર્દોષ છૂટ્યા હોય. બે વર્ષની સરેરાશ જોઈએ તો 70 ટકાથી વધુ આરોપીઓ નિર્દોષ સાબિત થયા છે. ઘણીવાર સાહેદો ફરી જાય છે. ફરિયાદી આરોપીને ઓળખી શકતો નથી કે આરોપીની કારમાં લાંચની રકમ મૂકી દીધી તો તે લાંચ તરીકે સાબિત ન થઈ. એક કેસમાં તો આરોપીએ રકમ ડાબા હાથથી જમણામાં લઈ ગજવામાં મૂકી તો પોલીસ પુરાવા રજૂ કરી ન શકી. એક કેસમાં અધિકારીએ કહ્યું લાંચની રકમ આગળના ગજવામાં મૂકી, સાહેદે કહ્યું કે આગળ ગજવું જ ન હતું. અન્ય કેસમાં આરોપીએ ક્હ્યું કે 30 કે 50 આપી જાઓ, પરંતુ તેમાં લાંચ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી ગુનો સાબિત ન થયો. કેસ- 1 : ટ્રેપ ફેલ જતાં આરોપીના હાથ પકડીને બીજા કોન્સ્ટેબલે ખિસ્સામાં નોટ મૂકીલાંચના એક કેસમાં જ્યારે કેસ ટ્રાયલ પર આવ્યો ત્યારે આરોપીએ બચાવ કર્યો હતો કે ટ્રેપ ફેલ જતાં આરોપીના બે હાથ પકડીને બીજા કોન્સ્ટેબલે ખિસ્સામાં નોટ મૂકી દીધી હતી. આ કેસમાં જે સીઝર મેમો બનાવવામાં આવ્યો હતો તેના પર ફરિયાદીની સહી ન હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદી પાસેથી આરોપીએ લાંચની રકમ સ્વીકારી પેન્ટના ખિસ્સામાં મુકી તે હકીકત બાબતે વ્યાજબી શંકા ઉપસ્થિત થાય છે. કેસ- 2 : આગળ ગજવું ન હતું તો રકમ ક્યાં મૂકી તેના પુરાવા જ મળી ન શક્યાઓવરલોડિંગ ટ્રકના કેસમાં PSIએ 50 હજારની લાંચ માગી. આ કેસ જ્યારે ટ્રાયલ પર આવ્યો ત્યારે તેમાં તપાસ અધિકારીએ કહ્યું કે, લાંચની રકમ લઇને આગળના ગજવામાં મૂકી અને તેની સામે સાહેદને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેણે ઊલટમાં કહ્યું કે લાંચની રકમ લઇને પાછળના ગજવામાં મૂકી, આગળ ગજવું ન હતું. ઉપરાંત ઓડિયો રેકોર્ડિંગમાં આરોપીએ 35 અને 50 આપી દેવાનું કહે છે કે પરંતુ તેમાં લાંચ શબ્દનો ઉલ્લેખ ન હતો. કેસ- 3 : અધિકારીએ કહ્યું કે કવર આપ્યું પણ ફરિયાદીએ કહ્યું કે રોકડા આપ્યા હતાપાલિકાના બે અધિકારી સામે 3500ની લાંચનો કેસ હતો. બાંધકામ સાઇટ પર પાણીના છંટકાવના લીધે મચ્છર થતા હોવાની ફરિયાદ હતી. આ કેસની ટ્રાયલમાં ટ્રેપ કરનાર અધિકારીએ કહ્યું કે આરોપીને કવર અપાયું હતું, જે જમણા હાથે લીધું હતું, પરંતુ ફરિયાદીએ કહ્યું કે, રોકડા આપ્યા હતા જે ખિસ્સામાં મૂકયા. ફરિયાદ પક્ષ એ સાબિત ન કરી શક્યો કે લાંચની રકમ માંગવામાં આવી હતી. કેસમાં અધિકારી રસીદ બુક લઇને પણ ગયા હતા. 2025માં એસીબીએ 14 કેસ કર્યા2025માં કોર્ટમાં લાંચ કેસમાં 22 ચુકાદા આવ્યા, જેમાંથી 6 કેસમાં જ આરોપીઓને સજા થઈ શકી છે. બાકીના 18 નિર્દોષ સાબિત થયા છે. ગત નાણાકીય વર્ષમાં 8 ચુકાદા આવ્યા હતા, જેમાંથી 5માં આરોપીઓ નિર્દોષ સાબિત થયા હતા. 2025માં એસીબીએ 14 કેસ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:18 am

સિટી એન્કર:2024ના ડિસેમ્બરની સરખામણીમાં 2025માં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 8.91 ટકા, લેબગ્રોનમાં 3.31 ટકાનો વધારો થયો

અમેરિકા દ્વારા ટેરિફ નાંખવામાં આવ્યો છે પરંતુ સુરત અને મુંબઈના હીરા અને જ્વેલરી ઉત્પાદકોએ અન્ય દેશોમાં માર્કેટ શોધી લેતા જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. 2024ના ડિસેમ્બરમાં 6577 કરોડ રૂપિયાના નેચરલ ડાયમંડ એક્સપોર્ટ થયા હતાં જે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 7163 કરોડ રૂપિયાના એક્સપોર્ટ થયા હતાં. આમ વર્ષ 2025ના ડિસેમ્બરમાં નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં 8.91 ટકાનો વધારો થયો હતો. તેવી જ રીતે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં પણ 3.31 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં 711 કરોડ રૂપિયાના લેબગ્રોનનું એક્સપોર્ટ થયું જ્યારે વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં 746 કરોડનું એક્સપોર્ટ થયું. સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 16.11 ટકા, સિલ્વર જ્વેલરીમાં 270 ટકા વધારો થયો હતો. ભાસ્કર નોલેજયુએઈ, ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ વધ્યુંઅમેરિકા દ્વારા ડાયમંડ પર 56 ટકા જ્યારે જ્વેલરી પર 50 ટકા ટેરીફ નાંખ્યો છે. જેને લઈને વેપારીઓએ અન્ય દેશોમાં બજારની શોધ કરી હતી. જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં યુએઈમાં 28 ટકા, હોંગકોંગમાં 28 ટકા જ્યારે ઓસ્ટ્રેલિયામાં 40 ટકાનો વધારો થયો છે. ઉદ્યોગકારોએ સમયસર માર્કેટ ડાયવર્સિફિકેશન કર્યુ હોવાથી એક્સપોર્ટમાં વધારો થયો છે. આગામી સમયમાં યુએઈ, ઓસ્ટ્રેલિયા અને એશિયન બજારો પર વધુ ફોકસ રાખવામાં આવે તો અમેરિકાની ઘટતી માંગની અસર ઘટાડી શકાય છે. સિલ્વર જ્વેલરી એક્સપોર્ટમાં 270%ના વધારો - આંકડા રૂપિયા કરોડમાં

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:12 am

લૂંટની ઘટના:આંબેડકરનગરમાં યુવક પર હુમલો કરી સોનાનો ચેઇન-રોકડ પડાવી લીધા

શહેરના આંબેડકરનગરમાં રહેતાં પ્રકાશ વસંતભાઇ ચાવડા (ઉ.વ. 35) પર 7 શખ્સે હુમલો કરી સોનાનો ચેઇન અને રોકડ પડાવી લીધા હતા. પ્રકાશ ચાવડાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રમેશ સોલંકી, ગીરધર ઉર્ફે ગીધો સોલંકી, પુંજા સોલંકી, ભાવેશ સુમેશરા, ધવલ, જયદીપ તથા હમીરના નામ આપ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:07 am

રિક્ષા ગેંગનો ભોગ બન્યો યુવક:યુવકના ખિસ્સામાંથી મહિલા સહિતની ગેંગે રૂ. 34 હજાર સેરવી લીધા

શહેરમાં વધુ એક યુવક રિક્ષાગેંગનો ભોગ બન્યો હતો. યુવકના ખિસ્સામાંથી રૂ. 34800 સેરવી લેવાયા હતા. માંડાડુંગર પાસેની માધવવાટિકામાં રહેતો પ્રભાત જંજવાડિયા નામનો યુવક શુક્રવારે બપોરે રિક્ષામાં બેસીને બહાર જવા નીકળ્યો હતો. રિક્ષામાં અગાઉથી જ એક મહિલા સહિત બે શખ્સ મુસાફરના સ્વાંગમાં બેઠા હતા. રિક્ષા આજીડેમ ચોકડી નજીક પહોંચી હતી ત્યારે મહિલાએ ઉલટી ઉબકા થવાનો ઢોંગ કર્યો હતો. થોડીવાર બાદ મહિલાની તબિયત લથડી છે તેને હોસ્પિટલે લઇ જવી પડશે તેમ કહી રિક્ષા ચાલકે પ્રભાતને ઉતારી દીધો હતો. રિક્ષામાંથી ઉતરેલા યુવકે થોડીવાર બાદ પોતાના પેન્ટના ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેને ખિસ્સામાંથી રૂ. 34800 સેરવાઇ ગયાની જાણ થઇ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:06 am

ગુનો નોંધાયો:ઉદ્યોગનગરમાં જાહેરમાં બખેડો કરનાર 6 શખ્સ સામે ગુનો નોંધાયો

શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમાં કેટલાક કખ્સો ગાળાગાળી કરી બખેડો કરતા હોવાનો વીડિયો ફરતો થયો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ કરી બખેડો કરનારની ઓળખ સ્પષ્ટ કરી હતી. પોલીસે આ મામલે ગજેન્દ્ર ઉર્ફે ગજ્જો, બહાદુરસિંહ જાદવ, ભાવેશ વિનોદ મકવાણા, હર્ષદ રામસી ઠાકોર, અમિત નિલેશ કુકાવા, જગદીશ રાકેશ ઉધરેજિયા અને અનિલ શકરા ઉધરેજિયા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે તમામ નઆરોપીઓની ધરપકડ કરી આગવી ઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:05 am

SIRની કામગીરી:રાજકોટ જિલ્લામાં 2.25 લાખ મતદારને નોટિસ, દાવો કરવા આજે છેલ્લો દિવસ

ગુજરાત સહિત દેશના 12 રાજ્યમાં નવેમ્બર માસમાં SIR પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિસેમ્બર મહિનામાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે ત્યારે આગામી 18 જાન્યુઆરી સુધી હક્ક-દાવા રજૂ કરવા સમય આપવામાં આવ્યો હોય ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ રાજકોટ જિલ્લામાં SIR પ્રક્રિયામાં 2002ની તુલનાએ પુરાવા રજૂ નહીં કરનાર 2.25 લાખથી વધુ મતદારને નોટિસ આપી પુરાવા સાથે સુનાવણીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. જિલ્લામાં અનમેપ મતદારોની સુનાવણી માટે 200થી વધુ અધિકારીઓને ખાસ પાવર આપી પ્રત્યેક અધિકારીઓ દૈનિક 50-50 અનમેપ મતદારોની સુનાવણી કરી રહ્યા છે. જેમાં આજે હક્ક-દાવા રજૂ કરવા માટે અંતિમ દિવસ છે. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલ 23,91,027 મતદારને ઘેર-ઘેર એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરી તમામ મતદારોનું વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ મેપિંગ કરવામાં આવતા 20,55,357 મતદારોનું મેપિંગ પૂર્ણ કરી ડિજિટાઇઝેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 2,25,329 મતદાર વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ પુરાવા રજૂ કરી નહીં શકતા SIR બાદ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં અનમેપ કેટેગરીમાં સમાવેશ કરી હાલમાં તમામ મતદારને નોટિસ આપી પુરાવા મેળવવા સુનાવણી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:04 am

ધારાસભ્યોની પાંખી હાજરી:સંકલન સમિતિની બેઠકમાં 9 MLA જ હાજર, 47માંથી 42 પ્રશ્ન રિપીટ

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં 9 ધારાસભ્ય અને એક સાંસદ હાજર રહ્યા હતા. તેમાંથી શહેર ભાજપના ધારાસભ્યોએ કુલ 47 પ્રશ્નો પૂછ્યા હતા, જેમાંથી 42 પ્રશ્નો લાંબા સમયથી રિપીટ હતા. અધિકારીઓ દ્વારા દર મહિને યોજાતી બેઠકમાં એક જ જવાબ ધારાસભ્યોને અપાય છે. જ્યારે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય દ્વારા કુલ 27 પ્રશ્નો પૂછ્યા હતા અને માત્ર 2 પ્રશ્નો રિપીટ પ્રકારના જોવા મળ્યા હતા. આ ઉપરાંત સાંસદ નરહરિ અમીન બેઠકમાં હાજર રહ્યા હતા, પણ લેખિતમાં કોઈ પ્રશ્ન પૂછ્યા ન હતા. નરોડાનાં ધારાસભ્ય પાયલ કુકરાણીએ મૌખિક પ્રશ્નો પૂછ્યા હતા, કોઈ લેખિત પ્રશ્ન પૂછ્યો ન હતો. દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ બેઠકમાં કોઇ લેખિત પ્રશ્ન પુછાયો ન હતો. અમદાવાદના ધારાસભ્યોમાંથી 50 ટકા ધારાસભ્યો પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા નથી અને અમદાવાદના સાંસદો પણ ભાગ્યે જ કલેક્ટર કચેરી ખાતે યોજાતી સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે. જ્યારે મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો, પણ તેઓ હાજર ન હતા અને વેજલપુરના ધારાસભ્યે પણ પ્રશ્ન પૂછ્યા હતા અને પોતે હાજર રહ્યા ન હતા. સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા મોટા ભાગના પ્રશ્નો સરકારી જમીન પર થયેલા દબાણ અંગે પૂછતા હોય છે. લોકોની સમસ્યાને લગતા પ્રશ્નો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. જ્યારે કેટલાક ધારાસભ્યો તો વર્ષમાં એકાદ વખત જ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેતા હોય છે, જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર અને અમરાઇવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો સમાવેશ થાય છે. શહેર ભાજપના ધારાસભ્યોના 98 ટકા પ્રશ્નો એક વર્ષથી એકના એક જ, કોંગ્રેસના ધારાસભ્યે 27 પ્રશ્ન પૂછ્યા ધારાસભ્ય પૂછેલા પ્રશ્નો નવા પ્રશ્નો રિપીટ પ્રશ્નો ઇમરાન ખેડાવાલા 27 25 2 અમિત ઠાકર 2 1 1 અમિત શાહ 7 0 7 હર્ષદ પટેલ 17 1 16 જિતેન્દ્ર પટેલ 17 2 15 અમૂલ ભટ્ટ 3 0 3 કુલ 73 29 44

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

મોડાસાના પિતા-પુત્રએ સોનાની કડીઓ અને રોકડ કાઢી લીધી હતી:સતલાસણામાં પશુપાલકને વાતોમાં ભેળવી સોનાની કડીઓ કાઢી લેનાર ગઠિયો ઝડપાયો

દસ દિવસ પૂર્વે બનાસકાંઠાના ભચડિયા ગામના પશુપાલકને સતલાસણામાં વાતોમાં ભેળવી તેના કાનમાંથી સોનાની કડીઓ અને રોકડ કાઢી લેનારા બે ગઠીયા પૈકી ચોરી કરેલી સોનાની કડીઓ વેચવા નીકળેલા એકને મહેસાણા એલસીબીની ટીમે રામપુરા ચોકડી નજીકથી ઝડપી લીધો હતો અને વોન્ટેડ તેના પુત્રને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભચડિયાના દેવાભાઈ ખેતાભાઇ રબારી ગત 5 જાન્યુઆરીએ સતલાસણા કામે આવ્યા હતા. ત્યારે સતલાસણા અંબાજી હાઈવે પર તેમની પાસે આવેલા બે અજાણ્યા શખ્સોએ અમદાવાદ કઈ બાજુથી જવાય તેવું પૂછીને તેમના કાનની સોનાની કડીઓ અને રૂ.5000 સિફતપૂર્વક ચોરી લીધા હતા. સતલાસણા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદને આધારે મહેસાણા એલસીબીની ટીમે તપાસ હાથ ધરતાં હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રકુમારને બાતમી મળી હતી કે, રામપુરા ચોકડી નજીક એક્ટિવા સાથે ઊભેલ શખ્સ સોનાની કડીઓ વેચવા ફરી રહ્યો છે. જેને આધારે એલસીબીએ ઘટના સ્થળે પહોંચી દેવાભાઈ ધીરાભાઈ સલાટ (રહે. સર્વોદયનગર, સલાટ વાસ, મોડાસા)ની તલાસી લેતાં પેન્ટના ખિસ્સામાંથી કડીઓ અને રોકડા રૂ.3400 મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતાં દસ દિવસ પૂર્વે તેના દીકરા કરણ સાથે બંનેએ સતલાસણા હાઇવે પર ઉંમરલાયક કાકાને બંડલ બતાવી વાતોમાં લઈ તેમની પાસે કાનમાં રહેલી સોનાની કડીઓ અને રૂ.5000 લીધાની કબૂલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

પક્ષીઓને સારવાર આપી વન વિભાગને સોંપાયા‎:બનાસકાંઠા-વાવ થરાદમાં દોરીથી 23 ઈજા પહોંચી

બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લામાં ઉતરાયણના દિવસે દોરી વાગવાના 23 બનાવો નોંધાયા હતા.જેમાં 9 લોકોને ગળાના ભાગે જ્યારે 14 લોકોને શરીરના વિવિધ ભાગોમાં દોરીથી ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઉતરાયણને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 52 જેટલી 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જે દિવસભર સતત કામગીરીમાં વ્યસ્ત રહી હતી. આ વર્ષે જિલ્લામાંથી 108ને કુલ 103 કોલ મળ્યા હતા, જ્યારે ગત વર્ષે આ આંકડો 120 હતો. આ રીતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અંદાજે 16.5 ટકા ઓછા કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું.આ વર્ષે ધાબા પરથી અથવા ઊંચાઈ પરથી પડી જવાના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ઉતરાયણના દિવસે આ સંખ્યા વધીને 8થી વધુ કેસ સુધી પહોંચી હતી.ચાઈનીઝ દોરીથી કોઈ ગંભીર ઈજા કે, મૃત્યુની ઘટના સામે આવી નથી. પાલનપુર શહેરમાં ઉત્તરાયણ દરમિયાન દોરીના કારણે 125 પક્ષીઓ ઘાયલ થયા હતા. આ તમામ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

પોરબંદરના યાર્ડમાં મગફળી, અડદ, ચણા, જીરુની આવકમાં નોંધાઈ:યાર્ડમાં મગફળીની સૌથી વધુ 35,100 કિલો‎આવક થઇ,ભાવ રૂ.1005થી 1405 બોલાયા‎

પોરબંદરના માર્કેટયાર્ડ ખેડૂતોની જણસીની આવકમાં થતી હોય છે..યાર્ડમાં મગફળી,અડદ, જુવાર,ઘઉં, ચણા, જીરું સહિતના પાકની આવકમાં નોંધાઇ છે.પોરબંદરના યાર્ડમાં મગફળી, ઘઉં સહિતની તમામ જણસીની આવક નોંધાઈ છે.પોરબંદરના યાર્ડમાં સૌથી વધુ મગફળીની 35,100 કિલો આવક જોવા મળી હતી.જેનો પ્રતિમણે ભાવ રૂ.1005 થી 1405 બોલાયા છે. પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમાં અલગ અલગ વિભાગમાં ખેડૂતોના પાકની આવક થતી હોય છે.પોરબંદરના માર્કેટયાર્ડ હાલ આવકમાં ઘટાડો નોંધાયો છે.યાર્ડમાં આવેલ તેલીબિયાં વિભાગ,શાકભાજી વિભાગ,ફ્રૂટ વિભાગ સહિતના વિભાગ આવેલ છે ત્યારે પોરબંદરના યાર્ડમાં તેલીબિયાં વિભાગમાં આવતી જણસીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. યાર્ડમાં શનિવારે મગફળીની 35,100 કિલો,અડદની 1000 કિલો,ચણાની 100 કિલો અને જીરુની 1200 કિલો,ઘાણાની 400 કિલો,સોયાબીનની 700 કિલો,ઘઉંની 2000 કિલો,જુવારની 200 કિલો આવક જોવા મળી રહી છે.યાર્ડમાં મગફળીના પ્રતિમણે રૂ.1005 થી 1405 ભાવ,અડદના રૂ.1000થી 1250 ભાવ,જીરુના રૂ.3225 થી 3900 ભાવ અને ચણાના રૂ. 1035 ભાવ બોલાયા હતા. પોરબંદરના યાર્ડમાં હાલ વિવિધ જણસીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો યાર્ડમાં મગફળીના ભાવ પણ ખેડૂતો ઓછા મળી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. નબળી ગુણવત્તાને લઈને મગફળીના ભાવ ઘટયાપોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને મગફળીનો પાક પલળી ગયો હતો.ત્યારે મગફળીની ગુણવત્તા ખરાબ થતા હાલ યાર્ડમાં નબળી ગુણવત્તાની મગફળીની આવક જોવા મળી રહી છે જેને લઈને યાર્ડમાં મગફળીના ભાવ ઘટયા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ:ગામતળના પડતર પ્રશ્નો,જમીન માપણી- ફાળવણી સહિતના પ્રશ્નો રજૂ થયા

પોરબંદરમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામતલના પડતર પ્રશ્નો,જમીન માપણી,જમીન ફાળવણી,રસ્તાના કામો સહિતના પ્રશ્નો રજૂ થયા હતા.આ બેઠકમાં પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ગ્રામતલના પડતર પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.વધુમાં પર્યાવરણની જાળવણી માટે જિલ્લામાં વનીકરણનો વ્યાપ વધારવા અને રસ્તાની માપણી કરી ચોક્કસ માઈલસ્ટોન નક્કી કરી સઘન વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાના કામોની ગુણવત્તા અને ગતિ વધારવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું એ અધિકારીઓની નૈતિક જવાબદારી છે. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, એસપી ભગીરથસિંહ જાડેજા, પોરબંદર મહાનગર પાલિકા કમિશનર એચ.જે.પ્રજાપતિ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, નાયબ કલેક્ટર એન.બી.રાજપૂત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ સંભવિત ‎પ્રવાસ અંગે ચર્ચા કરાઈ‎બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર‎એસ. ડી. ધાનાણીએ પોરબંદરમાં‎રાજ્યપાલના સંભવિત પ્રવાસ, ગ્રામ‎મુલાકાત અને રાત્રિ નિવાસના‎આયોજન અંગે વિગતો આપી હતી.‎પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું,‎ગ્રામ કલ્યાણ કાર્યક્રમોનું અસરકારક‎અમલીકરણ અને વીજળી વપરાશ‎પર અંકુશ મેળવવા બાબતે ઉપસ્થિત‎અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું‎પાડ્યું હતું.‎

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:માર્ગ અને મકાન વિભાગની કચેરીના તાળા તોડી કોઈ દસ્તાવેજો ફંફોસી ગયું

પોરબંદરના જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના પેટા કચેરીમાં રાત્રીના સમયે કચેરીના મુખ્ય દરવાજાના તાળા તોડી અને કચેરીમાં રહેલ ત્રણ કબાટના દસ્તાવેજ ફંફોડાયા હતા.આ ઘટનાની સવારે ઓફિસના સ્ટાફને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોરબંદર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલ છે. પોરબંદરના એસ.ટી.રોડ પર જિલ્લા પંચાયત કચેરી આવેલ છે.આ કચેરી ઉપરાંત સામે આવેલ બિલ્ડિંગમાં પણ અમુક કચેરીઓ કાર્યરત છે ત્યારે જુના બિલ્ડિંગમાં વર્ષોથી કાર્યરત નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પોરબંદરની કચેરીમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કચેરીના મુખ્ય દરવાજા પર લગાવેલ તાળું સ્કૂટરના અરીસાના સળિયા વડે તોડી કચેરીમાં પ્રવેશ કરી અંદર રહેલા ત્રણ કબાટમાં આવેલ દસ્તાવેજોની ફાઈલો ફંફોળવામાં આવી હતી.આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જોકે આ ઘટનામાં કોઈપણ વસ્તુ કે દસ્તાવેજની ચોરી ન થઇ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું. હું સવારે 9:50 વાગ્યે આવ્યો અને કચેરીમાં પ્રવેશ કરવા જતો હતો ત્યારે કચેરીનો મુખ્ય દરવાજો અડધો ખુલ્લો અને અડધો બંધ હતો જેથી મને એવું લાગ્યું કે સાફ-સફાઈ માટે ખુલ્લું હશે,પરંતુ અંદર જોયું તો ત્રણ કબાટ ખુલ્લા હતા જેથી ફરી બહાર આવ્યો તો મુખ્ય દરવાજાના તાળા તૂટેલ બાજુમાં પડ્યા હતા.આ અંગે અધિકારીને ફોન કરી જાણ કરી હતી. > એન. ડી. લાલચેતા,અધિક મદદનીશ ઈજનેર ભૂતકાળમાં આ બિલ્ડિંગમાં સિક્યોરિટી‎ગાર્ડ ચોરી થતા અટકાવી હતી‎આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી જોકે‎સિક્યોરિટી ગાર્ડ પાસે મળતી વિગતો અનુસાર અગાઉ પણ‎જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ જુના બિલ્ડિંગમાં અમુક‎શખ્સોને ચોરી કરતા હોવાની જાણ થતાં તેમને પકડવામાં‎પ્રયાસો કરવામાં આવ્યા હતા ત્યારે તે શખ્સો નાસી ગયા હતા.‎

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

ભાસ્કર ફોટો ઇન્વેસ્ટિગેશન:જૂનાગઢનાં ઉપરકોટ પરથી જુઓ દબાણોનું સત્ય''‎

આ ઉપરકોટના કિલ્લા પરથી લેવાયેલી તસવીર માત્ર નજારો નથી, પણ વહીવટી તંત્રની આંખ ઉઘાડતો અરીસો છે. રાજ્ય સરકાર આ વખતે મેળા પાછળ કરોડોના ખર્ચનું આયોજન કરી રહી છે, મનપા અને તંત્ર રોજ નવી જગ્યાઓ શોધવા દોડધામ કરે છે. પણ સવાલ એ છે કે, આ તસવીરમાં દેખાતી વર્ષો જૂની કિંમતી જમીન કેમ કોઈને દેખાતી નથી? તળેટીના આ વિસ્તારોમાં વર્ષોથી ભયંકર દબાણો થયા છે. જો તંત્ર ઈચ્છાશક્તિ બતાવીને આ ગેરકાયદે દબાણો દૂર કરે, તો શિવરાત્રી મેળા માટે વિશાળ અને મોકળું મેદાન મળી શકે તેમ છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે જ્યારે જગ્યા ઓછી પડે છે, ત્યારે આ આંખ આડા કાન ગંભીર સવાલો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

સમસ્યા:ભૂગર્ભ ગટરના કામના કારણે રોડ 1 માસ બંધ

જામનગર શહેરના કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર ઠેબા ચોકડી પાસે બારાડી પેટ્રોલ પમ્પ પાસે ઠેબા ચોકડીથી રવિ જ્યોત સોસાયટી પાસે આવેલ ડીવાઈડર ગેપ સુધી ડિવાઈડરની મધ્યરેખાથી ઉત્તર દિશા તરફના રસ્તામાં ભૂર્ગભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. જેથી સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.15 જાન્યુઆરથી તા.15 ફેબ્રુઆરી (એક માસ) સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મ્યુ.કમિશનર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે. આ હુકમનો ભંગ કરશે તો તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. ભૂર્ગભ ગટરની મુખ્ય પાઈપ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે. ત્યારે વાહન વ્યવહાર માટે રસ્તા માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે જામનગર કાલાવડ રોડ મુખ્ય રસ્તા પર ઠેબા ચોકડી પાસે બારાડી પેટ્રોલ પમ્પ પાસે ઠેબા ચોકડીથી રવિ જ્યોત સોસાયટી પાસે આવેલ ડીવાઈડર ગેપ સુધી ડિવાઈડરની મધ્યરેખાથી દક્ષિણ દિશા તરફનો રસ્તો પરિવહન માટે ખુલ્લો રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

માર માર્યાનો મામલો:હાથીગઢમાં સગપણનું મનદુ:ખ રાખી આધેડને 4 શખ્સે માર્યા

લીલીયાના હાથીગઢમાં રહેતા હેતલબેન રમેશભાઈ લીંબાસીયા (ઉ.વ.25)એ ખારાના કરણ ઘનશ્યામભાઈ વેકરીયા, સની હિંમતભાઈ વેકરીયા, રાહુલ ઘનશ્યામભાઈ વેકરીયા અને કીર્તી હિંમતભાઈ વેકરીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનું સગપણ અંગે ચારેય શખ્સોના કુટુંબીજનોએ માગુ નાખ્યું હતું. પરંતુ તેના કુટુંબીજનોએ હેતલબેન લીંબાસીયાનું સગપણ બાબરા મુકામે કર્યું હોવાનું મનદુ:ખ રાખી કરણ વેકરીયાએ હાથીગઢ ખાતે આંટાફેરા મારી તેના પરિવારને અપશબ્દો આપ્યા હતા. આ ઉપરાંત કરણ વેકરીયા, સની વેકરીયા, રાહુલ વેકરીયા અને કીર્તી વેકરીયાએ હેતલબેનના કાકા વેલજીભાઈ ગોબરભાઈ લીંબાસીયાને લોખંડના પાઈપ, લાકડી તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત હેતલબેનનું સગપણ તોડાવી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લીલીયા પોલીસ મથકમાં ચારેય શખ્સો સામે ગુનો નોંધાતા હેડ કોન્સ્ટેબલ એસ.કે.ધાંધળ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

ધમકી:ભીલાડના વેપારીને વાપીના વેપારીની મારી નાખવાની ધમકી

ભીલાડના ખેરનાં વેપારીને 2 માસ પહેલા મનોર ફોરેસ્ટ ખાતામાં ખેર પકડાવી દેવાની અદાવત રાખી વાપીના વેપારીએ મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભીલાડમાં રહેતા અબ્બાસ ખાન હફીસ ખાન ખેરના લાકડાંનો વેપાર કરે છે.વાપી ડુંગળી ફળિયામાં રહેતા ઉસ્માન ઉર્ફે જુમ્મન શેખ પણ ખેરનાં લાકડાંનો વેપાર કરે છે. બે મહિના પહેલા મહારાષ્ટ્રના મનોર ફોરેસ્ટ વિભાગ પાસે ખેરના લાકડાંની ટ્રક પકડાવી હોવાની અદાવત રાખી 15 ડિસેમ્બરે રાત્રે 10.57 કલાકે સ્કોપિયો કારમાં બે ઈસમો સાથે ભીલાડ પહોંચ્યા હતા. ભીલાડ પહોંચી મોબાઇલ પર જોરજોરથી ગાળો બોલી,તુમને હમારી ટ્રક મહારાષ્ટ્ર મનોર ફોરેસ્ટમે પકડાઈ હે, ઈશ લિયે હમ તુજે છોડને વાલે નહીં હે,તુમ બહાર નિકલ,આજ તુજે જાન સે માર દેંગે. જેવી ધમકી આપતા ભીલાડના વેપારીએ ટેરેસ પરથી જોતા રોડ પર સ્કોપિયો કાર નં. GJ. 15.CR.9571 પાસે ફરમાન અલી ઉર્ફે છોટુ આજમ શેખ અને જૈદ શેખ ઉર્ફે ડબલા આબેજ શેખ (તમામ રહે,ડુંગરી,વાપી) ઊભા હતા. વાપીનાં વેપારીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અબ્બાસ ખાન હફીસ ખાને ભીલાડ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 4:00 am

રાજકોટના કોઠારીયામાં કડકડતી ઠંડીમાં AAPની પરિવર્તન સભા યોજાઈ:મેં સતા પક્ષના મંત્રી પર જૂતું ફેંક્યું હતુ, વિપક્ષ પર નહીં, ગુજરાતમાં સરકાર નહીં સર્કસ ચાલે છે : ઈટાલીયાના ભાજપ પર પ્રહાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના ગામેગામ આમ આદમી પાર્ટી પોતાનું નેટવર્ક મજબૂત બનાવવા કમર કસી રહી છે. ગોપાલ ઈટાલીયાના ધારાસભ્ય બન્યા બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતનો પ્રવાસ કરી પરિવર્તન સભાને સંબોધન કરી રહ્યા છે ત્યારે ગઈકાલે શનિવારના રોજ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રોલેક્સ રોડ ઉપર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા રાત્રે કડકડતી ઠંડીમાં યોજાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નેતાઓના ભાષણ સાંભળ્યા હતા. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, બ્રિજરાજ સોલંકી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સરકાર પર આકરા પ્રહારો કરી આવનાર ચૂંટણીમાં ભાજપને મત ન આપી ગુજરાતમાં પરિવર્તન લાવી આમ આદમી પાર્ટીને જીતાડવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીની સભામાં દિવસે દિવસે ઉતરોતર જનમેદનીની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં સૌ પ્રથમ રાજકોટના સંતકબીર રોડ પર સભા કરતા મવડી વિસ્તારમાં બાપાસીતારામ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એ જ રીતે ગઈકાલે રાત્રે જયારે વોર્ડ નંબર 18 એટલે કોઠારીયા વિસ્તારમાં કડકડતી ઠંડીમાં પણ લોકો કલાકો સુધી સભામાં બેસી એકચિત્તે નેતાઓની ભાષણ બાજી સાંભળતા નજરે પડ્યા હતા. ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાના વક્તવ્ય દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ સરકાર નહીં પરંતુ સર્કસ ચાલે છે. તમે જેને મત આપો છો તે ભાજપ સરકાર પાસે લોકોનું જીવન ધોરણ સુધારવા માટેનું કોઈ આયોજન જ નથી. રાત્રે 10 વાગ્યા છે તેમ છતાં પણ તમે બધા અહીં બેઠા છો તેનો મતલબ એ છે કે તમે જાગી ગયા છો. તમે સરકારને મત અને ટેક્સ બંને આપો છો પરંતુ સરકાર તમને શું આપે છે ? લાઈટ, પાણી, શિક્ષણ, આરોગ્ય અને સારા રસ્તા એ જ લોકોની સામાન્ય આશા હોય છે તે આશા પણ સરકાર પૂરી કરી શકતી નથી. સમાજમાંથી કાઢી મુકેલાઓ ભાજપમાં મોટા નેતા બને છે અત્યારે લાઈટ, પાણી ગટર અને રસ્તા એ સમસ્યા નથી પરંતુ મહત્વની સમસ્યા એ છે કે સરકારમાં હાલ કોઈ સારો નેતા નથી ગુજરાતમાં ભાજપ સરકાર પાસે લોકોનું જીવન ધોરણ સુધારવા માટેનું કોઈ આયોજન જ નથી. કારણ કે તેમને ખબર છે કે આયોજન કરો કે ન કરો. આ લોકો મત અમને જ આપવાના છે. તેમણે વધુમાં જણાવ્યું કે એક પત્રકારે મને પૂછયુ કે જૂતું ફેકવાની શરૂઆત તો તમે જ કરી હતી ને ? ત્યારે હું કહેવા માગું છું કે મેં સત્તા પક્ષના નેતા પર જૂતું ફેંક્યું હતુ વિપક્ષ ઉપર નહિ. અને મેં શેના માટે જુતુ ફેક્યું હતું તે તપાસ કરી લેજો. હાલ ભાજપ સરકાર વિપક્ષના નેતાઓ પર જૂતું ફેંકાવે છે જેના તેવડ હોય એ ગાંધીનગર જઈ નેતાને જુતુ મારીને બતાવે.. જતા નહિ વાંસા કાબરા કરી નાખશે.. નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ મોરે મોરો આપવામાં વિચારતા નથી : ઈસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પોતાના માટે તો સૌ કરે પરંતુ બીજાના માટે મર્યા હોય તેના ઇતિહાસ લખાય. સો વર્ષ પહેલા સરદાર પટેલ અને મહાત્મા ગાંધી અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે ભાજપની ગુલામી છે. ભાજપ સરકાર પોલીસ મિત્ર બનાવે છે અને પોતાના કામ કરાવે છે પરંતુ તેમાં 80 ટકા સારા છે કે જેઓને ભાજપ ગમતું નથી. કારણ કે તેમને ખબર છે કે ગ્રેડ-પે આમ આદમી પાર્ટી જ અપાવી શકશે. ગુજરાતમાં 30 વર્ષમાં શુદ્ધ પાણી ન આપી શકે તેવા નમાલા નેતાઓની જરૂર નથી. નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ મોરે મોરે આપવામાં અમે વિચારતા નથી. ભાજપ પાસે હવે બે વર્ષ છે વર્ષ 2027માં ચૂંટણી આવશે ત્યારે અમે લોકોનું એક એક પૈસો વ્યાજ સાથે તમામ નેતાઓ પાસેથી વસૂલ કરશું.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 1:02 am

રાજકોટમાં 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 5 વર્ષ વધી:MLA ની 6 માસની રજૂઆતને પગલે રાજ્ય સરકારનો નિર્ણય, 2031 સુધી અશાંતધારો લાગૂ

ન્યૂ રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત આજે પૂર્ણ થતી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જાહેર કરાયુ છે. આજે મુદત પૂર્ણ થતી હોવાથી જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી હતી. જોકે હવે અહીં વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે. જેથી અહીં મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી વિના જમીન - મકાનની લે - વેંચ નહીં થઈ શકે. ધારાસભ્ય ડૉ. શાહે જણાવ્યુ હતુ કે, રાજકોટમાં વોર્ડ નં.2ની છોટુનગર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી, નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, સ્વસ્તિક સોસાયટી, આરાધનપા સોસાયટી, દિવ્ય સિધ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજલી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી સહિતના 28 સોસાયટી વિસ્તારોમાં સામાજીક સંતુલન જળવાય રહે અને મિલ્કતોના ખરીદ-વેચાણમાં ગેરરીતિ અટકાવવાના ઉદ્દેશ સાથે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. જેની મુદત ગત તા.13 જાન્યુઆરીના વિધિવત રીતે પૂર્ણ થઇ ગઈ હતી. જે માટે છેલ્લા 6 માસથી થઈ રહેલી રજૂઆત બાદ આજરોજ ગૃહ વિભાગ દ્વારા આ 28 સોસાયટીની અશાંતધારા મુદત 16 જાન્યુઆરી 2031 સુધી લંબાવવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ન્યુ રાજકોટની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત ગત તા.13 જાન્યુઆરીના પૂર્ણ થતાં આ સોસાયટી વિસ્તારના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી પર તાબડતોબ બ્રેક મારી દેવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા 28 સોસાયટીના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી હાલ તૂરંત નહીં કરવા માટે સબ રજીસ્ટ્રારને પણ તાકિદ કરી દેવામાં આવી હતી. જોકે હવે ધારાસભ્યે જણાવ્યા મૂજબ અશાંતધારાની મુદ્દત વધારવાને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:18 am

ગુજરાતના નિવૃત IASની પરણિત દીકરીનું કૂતરું કરડતા હડકવાથી મોત:સ્કૂલમાં સિક્યુરિટી ગાર્ડના બીગલ ડોગને રમાડતા ચેપ લાગ્યો હતો, 15 દિવસની સારવાર બાદ દમ તોડ્યો

ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીને કૂતરું કરડ્યા બાદ હડકવાથી મોત થતા સ્કૂલ પ્રશાસન અને સનદી અધિકારીઓના વર્તુળમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક મહિલા ગાંધીનગરની નામાંકિત શાળા સાથે જોડાયેલા હતા. જ્યારે તેમના પિતા ગુજરાત સરકારમાં એડિશ્નલ ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે અને 2001માં નિવૃત થયા હતા. આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે ચેપ લાગ્યો હતો. ડીસેમ્બરના અંતમાં હડકવાના લક્ષણો જણાતા 30મી ડીસેમ્બરે ભાટ સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 17મી જાન્યુઆરીએ સવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બીગલ બ્રીડના ડોગને રમાડતી સમયે મહિલાને કરડ્યું હતુંઅંદાજે ચારેક મહિના પહેલા ગાંધીનગરની જે શાળા સાથે મહિલા જોડાયેલા છે તે શાળાના જ સ્ટાફ પાસે રહેલા 'બીગલ' બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા ત્યારે કરડ્યું હતું. પોતાના ઘરે પણ પાલતું ડોગ હોય આ ઘટનાને સામાન્ય ગણી હતી અને રેબીઝ રસી લેવાનું ટાળ્યું હોવાનું જાણવા મળ્યું છે. 17 ઓક્ટોબરે ડોગનું મોત થતા શાળાએ એડવાઈઝરી જાહેર કરી હતી ગત 17 ઓક્ટોબર 2025ના રોજ આ શ્વાનનું રેબીઝના લક્ષણો સાથે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ સ્કૂલ સંચાલકો સફાળા જાગ્યા હતા અને તાત્કાલિક તમામ વાલીઓ તેમજ સ્ટાફને મેસેજ કરી જાણ કરી હતી કે, જો કોઈ વિદ્યાર્થી કે સ્ટાફ શ્વાનના સંપર્કમાં આવ્યો હોય તો તાકીદે રસી મુકાવી લે. જેને લઈ સ્કૂલ દ્વારા રેબીઝની રસી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મહિલાની તબિયત લથડતા 30મી ડીસેમ્બરે સારવાર માટે દાખલ કરાયા'તાડીસેમ્બર મહિનાના અંતમાં મહિલાની તબિયત લથડતા અમદાવાદના ભાટ નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 19માં દિવસે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલાના મૃતદેહને પૂરતા પ્રોટેક્શન સાથે ગાંધીનગર સેક્ટર-30 સ્મશાન ગૃહ લઈ જવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે સેકટર 30 સ્મશાનના સત્તાવાર સૂત્રોએ કહ્યુ કે, આજે સવારે મૃતકના પાર્થિવદેહને લેવા માટે અમારી એમ્બ્યુલન્સ મોકલવામાં આવી હતી. જે વાસ્તવમાં જેતે હોસ્પિટલે વ્યવસ્થા કરવાની હોય છે. ત્યાંથી કહેવાયું હતું કે, હડકવાના લીધે મૃત્યુ થયું હોવાથી મૃતદેહ પેક કરીને આપવામાં આવ્યો છે. જેને કોઈએ ખોલવો નહીં. મૃતકનું ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે આરોગ્ય વિભાગના વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું કે, આશરે 50 વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી રેબીઝની બીમારીમાં સપડાયા હતા. જેઓની ભાટ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. જેમનું રેબીઝ (હડકવા)ની બીમારીથી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હોવાની પુષ્ટિ થઇ છે. હડકવા જેને હાઇડ્રોફોબિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક તીવ્ર વાયરલ ચેપ છે જે લગભગ હંમેશા જીવલેણ હોય છે. તે ચેપી રોગોની શ્રેણી હેઠળ આવે છે. માણસોમાં હડકવા પ્રાણીના કરડવાથી થાય છે. આ વાયરસ પ્રાણીની લાળ દ્વારા ફેલાય છે. શ્વાન, ગાય, ઘોડા, બકરા, સસલા અને જંગલી પ્રાણીઓ જેવા કે શિયાળ, ચામાચીડિયા, કોયોટ્સ, શિયાળ અને હાયના જેવા ખેતરના પ્રાણીઓ હડકવાથી સંક્રમિત થઈ શકે છે. ભારતમાં રખડતા કૂતરાઓ ચેપનો સૌથી સંભવિત સ્ત્રોત છે.કારણ કે પાલતુ પ્રાણીઓને રસી આપવામાં આવે છે. મૃતક મહિલાએ અનેક નામાંકિત કંપનીઓમાં ફરજ બજાવેલીમૃતક મહિલા અત્યંત તેજસ્વી કારકિર્દી ધરાવતા હતા. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક અને પ્રતિષ્ઠિત આઈઆઈએમ (IIM) અમદાવાદમાંથી MBAની ડિગ્રી મેળવી હતી. બે દાયકાથી વધુના અનુભવમાં તેમણે ફિલિપ્સ, ટાઇટન, રિલાયન્સ ઇન્ફોકોમ જેવી કંપનીઓમાં નેતૃત્વની મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ભારત સરકારના આરોગ્ય મંત્રાલયમાં સલાહકાર તરીકે રહી HIV અને ક્ષય રોગ નિવારણ જેવા જાહેર આરોગ્યના મોટા પ્રોજેક્ટ્સ પર પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. હાલ તેઓ ગાંધીનગર સ્થિત નામાંકિત શાળામાં એડવાઈઝરી સભ્ય તરીકે સેવા આપતા હતા. સુત્રોએ કહ્યું કે, સ્કૂલના એડવાઝરી સભ્ય અમદાવાદ ખાતે રહેતા રહેતા હતા . પરંતુ નિવૃત આઈએસ પિતાની ઉંમર ને ધ્યાનમાં લઈ તેઓ ગાંધીનગર સેકટર 8 ખાતે રહેવા આવી ગયા હતા. અને સ્કૂલમાં એડવાઈઝરી સભ્ય તરીકે માતા સાથે સેવા આપતા હતા. જ્યારે નિવૃત આઈએસની નાની દિકરી દિલ્હીમાં રહે છે.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:05 am

અમદાવાદના મેયરના ખર્ચના ખોટા બિલો ચૂકવાયા, મોટા કૌભાંડની શક્યતા:ભાજપના નેતાઓના ધ્યાને આવતા તપાસના આદેશ, AMCના અધિકારીને શો-કોઝ નોટિસ

રાજ્યની સૌથી મોટી અને 15,000 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી અમદાવાદ મહાનગરપાલિકાના બજેટમાંથી મેયરના ખર્ચાના ખોટા બીલો બનાવીને કૌભાંડ કરાયું હોવાની વાત સામે આવતાં ભાજપના નેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. બોગસ બીલો બનાવી અને પૈસા ચૂકવવામાં આવ્યા હોવાની શક્યતા છે. જે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના સત્તાધીશો વચ્ચે બેઠક થઈ હતી. બેઠકમાં આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટેની સૂચના કમિશનરને આપવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય એક ઉચ્ચ અધિકારી સામે પણ તપાસ થઈ શકે છે. બજેટમાંથી મેયરના ખર્ચાના બિલોની રકમ ચૂકવાઇઅમદાવાદના મેયરને વિશેષ ખર્ચ માટેની સત્તા આપવામાં આવેલી છે. મેયર દ્વારા કાર્યક્રમના ખર્ચાની મંજૂરી માટેના બિલો મુકવામાં આવે છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશનના નાણા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવતા હોય છે. સૂત્રો પાસેથી મળતી માહિતી તાજેતરમાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોને શંકા ગઈ હતી કે AMCના બજેટમાંથી મેયરના ખર્ચાના બિલોની રકમ ચૂકવાઇ છે તેમાં કેટલાક બોગસ બિલો બનાવીને ખર્ચ બતાવવામાં આવ્યો હોઈ શકે છે. આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવી હતી. જેમાં કેટલાક ખર્ચાના ખોટા બિલો બનાવી અને દર્શાવવામાં આવ્યું હોવા અંગેની જાણ થઈ હતી. મ્યુ. કમિશનર નાણા વિભાગના અધિકારીઓ પર ગુસ્સે ભરાયાઆ સમગ્ર બાબત ધ્યાને આવતા મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સહિતના પદાધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહ અને નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીષ શાહની વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખોટા બિલો બનાવી અને ખર્ચની ચૂકવણી કરવામાં આવી હોવા મામલે ચર્ચા કરવામાં આવી હતી. આરટીઆઈમાં આપવામાં આવેલા જવાબો અને જે પણ ખર્ચાના બિલો બતાવવામાં આવ્યા હતા જેનું સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ મામલે મ્યુનિસિપલ કમિશનર પણ નાણા વિભાગના અધિકારીઓ પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસ સોંપવા આદેશભાજપના પદાધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને સ્પષ્ટતા માગી હતી. આ સમગ્ર બાબત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિભાગના બે કલાર્કને સસ્પેન્ડ કરી અને કૌભાંડ પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે કમિશનરને જાણ હતા તેઓ દ્વારા સસ્પેન્શન રદ કરવામાં આવ્યું હતું. નાણા વિભાગ પાસે આ બાબતે સ્પષ્ટતા માગવામાં આવી છે. આ સમગ્ર મામલે ભાજપના પદાધિકારીઓએ જવાબદાર અધિકારીઓની જાણ સિવાય આ કૌભાંડ થઈ ના શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા તેમજ સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસ સોંપવા આદેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Jan 2026 12:05 am

ફુલસરમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:લગ્નની ખરીદી કરવા સુરત ગયેલા પરિવારના ઘરેથી રૂ.1.97 લાખથી વધુની મત્તાની ચોરી

ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી ઉપવનદર્શન સોસાયટીમાં ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, પરિવાર જ્યારે નણંદના લગ્નની ખરીદી કરવા સુરત ગયો હતો, ત્યારે બંધ મકાનના તાળા તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહિત કુલ 3 લાખની મત્તા ચોરી કરી અજાણ્યો શખ્સો ફરાર થઈ ગયા હતો, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે જણાવા મળતી વિગતો અનુસાર શહેરના ​ફુલસર વિસ્તારમાં આવેલ ઉપવનદર્શન સોસાયટીમાં રહેતા નિલમબેન અલ્પેશભાઈ ડાભીના નણંદ પાયલબેનના આગામી એપ્રિલ મહિનામાં લગ્ન હોવાથી, પરિવાર ગત તા.13/01/2026 ના રોજ રાત્રે નવેક વાગ્યે સુરત ખરીદી કરવા માટે ગયો હતો. આ દરમિયાન ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા તેમજ બેડરૂમને તાળા મારેલા હતા, ​આજે સવારે સાડા છ વાગ્યે જ્યારે પરિવાર સુરતથી પરત ફર્યો ત્યારે જોયું તો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું, અંદર જઈને જોતા બેડરૂમનું તાળું પણ તૂટેલું જણાયું હતું અને આખો સામાન વેરવિખેર હાલતમાં હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તસ્કરોએ કબાટમાંથી નીચે મુજબની ચીજવસ્તુઓની ચોરી કરી છે ​સોનાના દાગીનામાં મંગળસૂત્ર, ચેઈન અને વીંટીઓ કુલ આશરે રૂ.1,17,440 ​ચાંદીના દાગીનામાં સિંહાસન, છડા, સિક્કા અને અન્ય વસ્તુઓ કુલ આશરે રૂ.25,540, ​રોકડા રૂ.30,000, 3 મોબાઈલ ફોન કુલ રૂ.25,000 મળી કુલ 1,97,980 ની મતા ની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, તેમજ આ સાથે લગ્ન માટે ખરીદેલા નવા કપડાં, શેરવાની, સાડી, ચણીયા-ચોળી તથા મકાનના દસ્તાવેજની નકલ અને દાગીનાના બિલ સહિતની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા, આ બનાવ અંગે નિલમબેન ડાભીએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:53 pm

IND vs BAN U19 WC: ભારતીય ટીમની સતત બીજી જીત, બાંગ્લાદેશને રોમાંચક મુકાબલામાં હરાવ્યું

India vs Bangladesh: ભારતીય ટીમનો મુકાબલો શનિવારે (17 જાન્યુઆરી) ICC મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશ સામે થયો હતો. ભારતીય ટીમે DLS પદ્ધતિ હેઠળ 18 રનથી રોમાંચક વિજય મેળવ્યો હતો. વરસાદને કારણે બાંગ્લાદેશને 29 ઓવરમાં 165 રનનો સુધારેલો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશની ટીમ 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ટુર્નામેન્ટમાં આ ભારતીય ટીમની સતત બીજી જીત છે. ભારતે DLS પદ્ધતિ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) ને 6 વિકેટથી હરાવીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી.

ગુજરાત સમાચાર 17 Jan 2026 10:33 pm

ગીર સોમનાથ જિલ્લો રાજ્યપાલની બે દિવસીય મુલાકાત માટે સજ્જ:વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં, કલેક્ટરે ઉમરેઠીમાં વ્યવસ્થા સમીક્ષા કરી

ગીર સોમનાથ જિલ્લો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બે દિવસીય મુલાકાત માટે સજ્જ બન્યો છે. રાજ્યપાલ 20 અને 21 જાન્યુઆરીના રોજ સોમનાથની મુલાકાત લેશે. આ મહત્વપૂર્ણ મુલાકાત માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. રાજ્યપાલના કાર્યક્રમો સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે તાલાલા તાલુકાના ઉમરેઠી ગામ ખાતે વિવિધ કાર્યક્રમ સ્થળોનું સ્થળ નિરીક્ષણ કરી આયોજનની વિગતવાર સમીક્ષા કરી હતી. કલેક્ટર ઉપાધ્યાયે ઉમરેઠી પ્રાથમિક શાળા, આહીર સમાજની વાડી ખાતેના સભાસ્થળ, મોડલ ફાર્મ અને વૃક્ષારોપણના પ્રસ્તાવિત સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે બેઠક વ્યવસ્થા, મંચ, પાર્કિંગ, માર્ગ વ્યવસ્થા, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજ પુરવઠો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરી હતી. સભાસ્થળ પર ઉપસ્થિત વિભાગીય અધિકારીઓને કલેક્ટરે સૂચના આપી હતી કે, રાજ્યપાલના દરેક કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થાઓમાં કોઈ ખામી ન રહે તે માટે તમામ વિભાગો સંકલન સાથે કામ કરે. સ્થળ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે ખેતીવાડી, બાગાયત, માર્ગ અને મકાન, ગ્રામ વિકાસ, આત્મા પ્રોજેક્ટ, પોલીસ તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જવાબદારીઓ ફાળવીને જરૂરી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલના કાર્યક્રમોની રૂપરેખા મુજબ, 20 જાન્યુઆરીના રોજ તેઓ વેરાવળ ખાતેની સંસ્કૃત યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં હાજરી આપશે. 21 જાન્યુઆરીના રોજ તેઓ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદને સંબોધશે અને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં ગ્રામજનો સાથે સંવાદ કરશે. રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન પ્રાકૃતિક ખેતી, ગ્રામ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ઉમરેઠી ખાતેના કાર્યક્રમો ગ્રામ્ય વિકાસ માટે પ્રેરણારૂપ બનશે તેવી અપેક્ષા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્યપાલની મુલાકાતને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 10:03 pm

'SRP જવાનના પરિવારે મારા પિતાને મરવા મજબૂર કર્યા':20 વર્ષ જૂના જમીન વિવાદમાં વંથલીના વૃદ્ધનું સુસાઈડ, ત્રણ પાનાની સુસાઈડ નોટમાં લખી આપવીતી

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ગાદોઈ ગામમાંથી કંપારી છૂટી જાય એવી ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક સમયથી જમીન પચાવી પાડવા માટે પોતાના જ સંબંધીઓ દ્વારા અપાતા માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને 65 વર્ષીય વૃદ્ધ કરશનભાઇ ગોવિંદભાઇ કટારીયાએ ગત 1 જાન્યુઆરી, 2026ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે મૃતકના પુત્રએ વંથલી પોલીસ સ્ટેશનમાં SRP જવાન સહિત એક જ પરિવારના પાંચ સભ્યો સામે ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધે ​20 વર્ષ જૂના જમીન વિવાદના કારણે આત્મહત્યાનું પગલું ભર્યું ​ફરિયાદમાં જણાવ્યા મુજબ ગાદોઈ ગામની કરાર નામની સીમમાં કરશનભાઇ અને તેમની બે બહેનોના સંયુક્ત નામે અઢી વીઘા ખેતીની જમીન આવેલી છે. આ જમીન 20 વર્ષ પહેલા તેમના કાકાના દીકરા દુર્લભભાઇ (દુલાભાઇ) પીઠાભાઇને વાવવા આપી હતી. વર્ષ 2010માં એકવાર પોલીસ ફરિયાદ બાદ કબજો પરત મળ્યો હતો પરંતુ, છેલ્લા 10 વર્ષથી ફરીથી દુલાભાઇ આ જમીન વાવતા હતા અને હવે તે જમીન પચાવી પાડવા માંગતા હતા. ઘરના ઉપરના માળે રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ લીધો હતો​મૃતકના પુત્ર લીલાભાઇ ઉર્ફે નિલેષભાઇ કટારીયાએ નોંધાવેલી વિગતો મુજબ કરશનભાઇએ તારીખ 1 જાન્યુઆરીના રોજ સવારે 9થી 9:30 વાગ્યાના અરસામાં ઘરના ઉપરના માળે રૂમમાં કોઈને જાણ કર્યા વગર ફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો અને પાડોશીઓએ તેમને તાત્કાલિક નીચે ઉતારી વંથલી સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જોકે, આ આત્મહત્યા પાછળનું કારણ 29 ડિસેમ્બર, 2025થી શરૂ થયેલા માનસિક દબાણમાં છુપાયેલું હતું. ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ આરોપીઓ કરશનભાઇને સમાધાનના બહાને ગાડીમાં બેસાડી લઈ ગયા હતા અને ત્યાં તેમને ધમકીઓ આપી હતી, જેના કારણે વૃદ્ધ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. છેલ્લા બે વર્ષથી દુલાભાઇ, તેમની પત્ની મંજુબેન અને SRPમાં નોકરી કરતો પુત્ર મહેશ, કરશનભાઇ પર જમીન પોતાના નામે કરી આપવા દબાણ કરતા હતા. ​મૃતકના ખિસ્સામાંથી મળી ત્રણ પાનાની ચિઠ્ઠી​પોલીસ તપાસ અને પીએમ વિધિ દરમિયાન મૃતક કરશનભાઇના પેન્ટના ખિસ્સામાંથી ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, ​જીગુ રાજા, રાજા કાળા, મહેશ દુલા, મંજુબેન દુલા, દુલાભાઈ પીઠાભાઈ કાયમી માનસિક ત્રાસ આપે છે. જમીન ખાતે કરવાની ધમકીઓ આપે છે, જેથી હું આત્મહત્યા કરું છું. 'અમારી પાસે કોઈ રસ્તો નહોતો'​મૃતકના પુત્ર સુરેશભાઈએ જણાવ્યું કે, આરોપીઓ ખૂબ જ વગદાર છે. તેમનો એક પુત્ર SRPમાં છે, એક મિલિટ્રીમાં છે અને એક દીકરી પોલીસમાં છે. તેઓ વારંવાર ધમકી આપતા હતા કે, તમે પોલીસ કેસ કરશો તો પણ અમારી લાગવગ છે, અમારી પાસે પૈસા છે, તમે અમારું શું કરી લેશો? અમે તમારા ટાંગા ભાંગી નાખીશું. આ ધમકીઓને કારણે અમારો પરિવાર ડરમાં જીવતો હતો. મારા પિતાને મરવા માટે મજબૂર કરનાર આ લોકો સામે કડક કાર્યવાહી થાય એવી માંગ છે. પોલીસે પાંચ આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી​આ ઘટનાએ જૂનાગઢ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. જમીન હડપવા માટે એક વૃદ્ધને આત્મહત્યા સુધી દોરી જનાર શખસો સામે પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે. હાલ પોલીસે પંચનામુ કરી સ્યુસાઈડ નોટ કબજે લીધી છે અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટની મદદથી તપાસ આગળ ધપાવી છે. ગાદોઈ ગામના લોકોમાં આ દુઃખદ અવસાનને લઈ શોકનું મોજું ફરી વળ્યું છે. વંથલી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ધમકીના ગુના હેઠળ SRPના પરિવારના પાંચ સભ્યો સામે કાર્યવાહી હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:40 pm

મોઢેરા સૂર્યમંદિરે 'ઉત્તરાર્ધ મહોત્સવ 2026'નો શાનદાર પ્રારંભ:દેશના ખ્યાતનામ કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા

વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આજે ઘૂંઘરૂના નાદ અને નર્તનથી એક નયનરમ્ય નજારો સર્જાયો હતો. ઉત્તરાયણ પર્વ બાદ પ્રતિવર્ષ યોજાતા શાસ્ત્રીય નૃત્યના બે દિવસીય પર્વ ‘ઉત્તરાર્ધ મહોત્સવ’નો પ્રારંભ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવ ભારતની ભવ્ય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવાનું સબળ માધ્યમ બન્યો છે. કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું અદભૂત પ્લેટફોર્મઉત્સવના પ્રારંભ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે કલાના સાધકોને બિરદાવતા જણાવ્યું હતું કે, મોઢેરાના પવિત્ર સાંનિધ્યમાં ભારતની કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતું આ એક અદભૂત પ્લેટફોર્મ છે. તેમણે કહ્યું હતું કે અગાઉ કલા અને સંસ્કૃતિને ક્યારેય યોગ્ય પ્રોત્સાહન મળ્યું નહોતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાનારીરી મહોત્સવ અને ઉત્તરાર્ધ ઉત્સવ જેવા વિશિષ્ટ કાર્યક્રમો દ્વારા કલાના સાધકોને પ્રોત્સાહન અને પોષણ પૂરું પાડ્યું છે. મંત્રીએ કલા વારસાને આગામી પેઢી સુધી પહોંચાડવા બદલ સૌ કલાગુરુઓનો આભાર માન્યો હતો અને ઉપસ્થિત તમામ કલાકારોનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. મોઢેરાના મહત્વ વિશે વાત કરતા મંત્રીએ ઉમેર્યું હતું કે, સૂર્ય ઉર્જાનું પ્રતીક છે અને આજે આપણે દેશના પ્રથમ સોલાર ગામ મોઢેરામાં બેઠા છીએ. આ ગામ સૂર્યની ઉર્જાથી દિવસે સંગ્રહ કરી રાત્રે ઝળહળે છે. પૃથ્વી પર ક્રૂડ કે કોલસાના સંસાધનો મર્યાદિત છે, ત્યારે ભારત આજે સૂર્ય, પવન અને જળ જેવા કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને 'ક્લિન એનર્જી' તરફ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે મંત્રીએ સખી મંડળો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટોલોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992થી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલા રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમાં રમીન્દર ખુરાના દ્વારા ઓડીસી, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણીપુરી અને બીના મહેતા દ્વારા કુચિપુડી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:35 pm

હરિદ્વારમાં શતાબ્દી ઉજવણીમાં આદિવાસી નૃત્યોએ મંત્રમુગ્ધ કર્યા:ગુજરાતના સંતરામપુરથી વલસાડ સુધીના આદિવાસી કલાકારોએ સંસ્કૃતિનો રંગ છાંટ્યો

હરિદ્વાર ખાતે 19 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી યોજાનારા શતાબ્દી ઉજવણીના ભાગરૂપે શનિવારનો દિવસ આદિવાસી સંસ્કૃતિના જીવંત રંગોથી છલકાયો હતો. ગુજરાતના સંતરામપુર, ગોધરા, છોટા ઉદેપુર, વલસાડ અને નવસારી જિલ્લાઓમાંથી આવેલા આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય પ્રસ્તુતિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમને મંત્રમુગ્ધ બનાવી દીધો. આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાના સ્વયંસેવકોની રજૂઆતએ પણ વિશેષ આકર્ષણ ઉભું કર્યું હતું. વાંસળી, સીટીઓ, ઢોલના તાલ સાથે ધનુષ્ય-તીર ધારણ કરીને રજૂ કરાયેલા નૃત્યોમાં આદિવાસી જીવનશૈલી, લોકકથાઓ અને પરંપરાગત આસ્થા સ્પષ્ટ દેખાઈ આવી. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કલાકારોએ સમગ્ર કેમ્પસમાં નૃત્ય કરી ઉજવણીને ઉર્જા અને આનંદથી ભરપૂર કરી દીધી. આ પ્રસ્તુતિઓ માત્ર દર્શકોને મંત્રમુગ્ધ કરી નથી, પરંતુ શતાબ્દી ઉજવણીના માધ્યમથી દેશની સાંસ્કૃતિક એકતા, વૈવિધ્યતા અને લોકપરંપરાની સમૃદ્ધિને પણ સશક્ત રીતે રજૂ કરી છે. વિવિધ રાજ્યોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ અને મહેમાનોએ આદિવાસી કલાના આ અદભુત દર્શનને વખાણ્યા હતા. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગંગાના તટે આવેલા બૈરાગી કેમ્પ ખાતે અખંડ દીપક જન્મ શતાબ્દી નિમિતે વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી શરૂ થનારી આ શતાબ્દી ઉજવણીમાં ગુજરાતના વિવિધ આદિવાસી વિસ્તારોમાંથી આવેલા આદિવાસી કલાકારોએ નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. વિશ્વભરમાંથી અંદાજે એક લાખ જેટલા લોકો આ આયોજનમાં એકત્રિત થયા છે. પાંચ દિવસ ચાલનારા કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહેવાના છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:21 pm

ભાવનગરમાં બે જગ્યાએ વિદેશી-દેશી દારૂના જથ્થો ઝડપાયો:બોરતળાવ અને ઘોઘારોડ પોલીસે મહિલા સહિત 4 ને ઝડપી પાડ્યા, બે મહિલા ફરાર

ભાવનગર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં બોરતળાવ અને બે ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ કુલ ત્રણ અલગ-અલગ બનાવોમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક્સેસ સ્કૂટર પર દારૂની હેરાફેરી કરતો શખસ ઝડપાયોપ્રથમ બનાવ અંગે ​બોરતળાવ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રુત્વીક ઉર્ફે માંજો મુકેશભાઈ મકવાણા નામનો શખસ પોતાના એક્સેસ સ્કૂટર પર વગર પરમિટની ભારતીય બનાવટની વિદેશી દારૂની 12 બોટલો કિંમત રૂ.4,320 સાથે મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, આ જથ્થો તેને ચિત્રા વિસ્તારમાં રહેતા ફૈઈ નયનાબેન ઉર્ફે નનુ જેન્તીભાઈ બારેયાએ વેચાણ અર્થે આપ્યો હતો, પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આડોડિયાવાસમાં રહેણાંક મકાન પર દરોડો, મહિલા સંચાલક ઝડપાઈ​બીજા બનાવ અંગે ઘોઘા રોડ પોલીસની ટીમે આડોડિયાવાસમાં આવેલા ડબલ થાંભલા પાસે રેડ કરી હતી. અહીં રહેતી મહિલાના રહેણાંક મકાનમાંથી 8 પી.એમ. સ્પેશ્યલ રેટ વ્હીસ્કીની 180 MLની 13 સીલપેક બોટલો કિંમત રૂ.3432 મળી આવી હતી. પોલીસે મહિલા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી છે. દેશી દારૂના અડ્ડા પર ત્રાટકી પોલીસ બે શખસોની ધરપકડત્રીજા બનાવ અંગે ​ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં સરદારનગર વિસ્તારમાં બ્રહ્મકુમારીની સામે આવેલા મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી ગબ્બરસિંહ બાલીસિંહ તોમર ઉ.વ.42 અને યોગેન્દ્રસિંહ બાલીસિંહ તોમર ઉ.વ.30 બંને મૂળ ઉત્તર પ્રદેશ ઝડપાયા હતા. ​પોલીસે સ્થળ પરથી 36 લિટર દેશી દારૂ કિંમત રૂ.3200, ​રોકડ રકમ રૂ.9,590 તથા ​બે મોબાઈલ ફોન કિંમત રૂ.20,000 મળી ​કુલ મુદ્દામાલ રૂ.36,790 ઝડપી લીધો હતો. ​આ કેસમાં દારૂ પૂરો પાડનાર મહિલા મકાન માલિક હાજર મળી આવી નહોતી. પોલીસે હાજર બંને શખસો અને ફરાર મહિલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. બે મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યાઆમ, પોલીસ બોરતળાવ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ અલગ અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડી કુલ રૂ. 44,542 નો મુદ્દામાલ સાથે મહિલા સહિત 4 ઝડપાયા, જ્યારે અન્ય બે મહિલાઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:05 pm

વલસાડમાં ડ્રગ્સ અવેરનેસ સેમિનાર યોજાયો:ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્ઝેના અધ્યક્ષસ્થાને કાનૂની માર્ગદર્શન અપાયું

વલસાડ જિલ્લા કાનૂની સેવા સંસ્થા (DLSA) દ્વારા વલસાડના મોંઘાભાઈ હોલ ખાતે ડ્રગ્સ અવેરનેસ અંગે કાનૂની માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્ઝેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે મેમ્બર સેક્રેટરી એચ.એમ. પવાર, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નિપા રાવલ, DLSA સેક્રેટરી બી.જી. પોપટ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભાર્ગવ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં વલસાડની શાહ કે.એમ. લો કોલેજ, જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, એન.એચ. શાહ કોલેજ, બી.કે.એમ. સાયન્સ કોલેજ, દોલત ઉષા કોલેજ તથા નર્સિંગ કોલેજ સહિત કુલ છ કોલેજોના 590 જેટલા વિદ્યાર્થીઓ અને 10 પ્રોફેસરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ NALSAની ‘DAWN’ (Drug Awareness and Wellness Navigation – For Drug Free India) Scheme, 2025 અંતર્ગત યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સના દુષ્પરિણામો અને નશામુક્તિ માટેની કાનૂની જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રેઝન્ટેશન અને વિડિયો દ્વારા જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત, ભારત સરકારના ‘માનસ’ પોર્ટલની હેલ્પલાઇન નં. 1933 અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, તમામ ઉપસ્થિતોને નશામુક્તિ અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, જેનો મુખ્ય ઉદ્દેશ યુવાધનને નશાના રવાડેથી દૂર રાખી સ્વસ્થ અને નશામુક્ત ભારતનું નિર્માણ કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 9:00 pm

નાયક સમાજવાડી માટે ₹45 લાખની જાહેરાત:રાજ્યસભા, લોકસભા સાંસદ અને ધારાસભ્યએ દાન આપ્યું

હિંમતનગરના બેરણા ખાતે નાયક સમાજવાડીમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના નાયક સમાજ દ્વારા 'સેવા, સંગઠન અને એકતા સ્નેહમિલન' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યસભા, લોકસભાના સાંસદો અને સ્થાનિક ધારાસભ્ય દ્વારા સમાજવાડી માટે કુલ ₹45 લાખનું દાન જાહેર કરવામાં આવ્યું હતું. શ્રી નવ સંસ્કરણ નાયક વિકાસ મંડળ અને અસાઈત નાયક સમાજ યુવા સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના અગ્રણીઓ અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા અને સંગઠનને પ્રોત્સાહન આપવાનો હતો. આ સ્નેહમિલન પ્રસંગે, રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ₹25 લાખ, લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાએ ₹15 લાખ અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ₹5 લાખ નાયક સમાજવાડીના નિર્માણ માટે આપવાની જાહેરાત કરી હતી. આમ, કુલ ₹45 લાખનું દાન જાહેર થયું હતું. આ કાર્યક્રમમાં સમાજની તેજસ્વી યુવા પ્રતિભાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેઓ સમાજની ઓળખ અને ભવિષ્ય છે. નાયક સમાજે હંમેશા કળા, સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે સમાજને વધુ સશક્ત અને પ્રગતિશીલ બનાવે છે. QCI કમિટીના સભ્ય હિમાંશુ પટેલ, ડૉ. જગદીશ નાયક, ડૉ. અશ્વિન નાયક સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવા ભાઈઓ-બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:54 pm

CEPT યુનિવર્સિટીનો 20મો દીક્ષાંત સમારોહ:589 વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત કરાઈ, MBA ઇન રિયલ એસ્ટેટના પ્રોગામની જાહેરાત

અમદાવાદમાં આવેલી CEPT યુનિવર્સિટીએ આજે 20મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરલ પ્રોગામના 589 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી.. આ પ્રસંગે યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ હેઠળના MBA ઇન રિયલ એસ્ટેટ પ્રોગ્રામમાં પ્રવેશની જાહેરાત કરવામાં આવી. દીક્ષાંત સમારોહમાં 390 અનુસ્નાતક, 196 સ્નાતક અને એક ડોક્ટર ઓફ ફિલોસોફીને ડીગ્રી એનાયત કરવામાં આવી. જ્યારે 45 વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ બદલ યુનિવર્સિટી એવોર્ડ્સ ઓફ પ્રોફિશિયન્સી એનાયત કરવામાં આવ્યા. સ્નાતકોમાં 213 વિદ્યાર્થીઓ આર્કિટેક્ચર ફેકલ્ટીમાંથી, 95 વિદ્યાર્થીઓ ડિઝાઇન ફેકલ્ટીમાંથી, 10 વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ફેકલ્ટીમાંથી, 151 વિદ્યાર્થીઓ પ્લાનિંગ ફેકલ્ટીમાંથી અને 120 વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીમાંથી હતા. દિક્ષાંત સમારોહમાં પ્રખ્યાત ડિઝાઇન શિક્ષક અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રોફેસર અશોક ચેટર્જી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. CEPT યુનિવર્સિટીના પ્રમુખ પ્રો. બર્જોર મહેતાએ યુનિવર્સિટીના વિકસતા શૈક્ષણિક દ્રષ્ટિકોણ પર પ્રતિબિંબ પાડ્યો અને મેનેજમેન્ટ ફેકલ્ટી હેઠળ એક નવો ફ્લેગશિપ પ્રોગ્રામ MBA ઇન રિયલ એસ્ટેટના લોન્ચની જાહેરાત કરી. પ્રો. મહેતાએ જણાવ્યું કે, MBA ઇન રિયલ એસ્ટેટ દેશમાં ઝડપથી વિસ્તરતા ઔપચારિક રિયલ એસ્ટેટ ક્ષેત્રનું સંચાલન કરવા સક્ષમ વ્યાવસાયિકોની વધતી જતી જરૂરિયાતને ઓળખે છે.નવો પ્રોગામ વિવિધ સ્નાતકના વિદ્યાર્થીઓને કારકિર્દી બનાવવાની તકો પૂરી પાડશે. CEPTના પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓ કાર્યક્રમસ્થળે હાજર રહ્યા હતા. શોભાયાત્રાનું નેતૃત્વ CEPT યુનિવર્સિટીના ચેરમેન સંજય લાલભાઈ, પ્રમુખ પ્રો. બર્જોર મહેતા,મુખ્ય અતિથિ, પ્રોફેસર અશોક ચેટર્જી, ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (અમદાવાદ) મંચ પર આવ્યા અને તેમની સાથે અન્ય પ્રોફેસરો, રજિસ્ટ્રાર અને સંબંધિત ફેકલ્ટીના ડીન જોડાયા. મુખ્ય અતિથિ પ્રોફેસર અશોક ચેટર્જીએ વ્યક્તિગત યાદોને તાજી કરી હતી. તેમણે સ્નાતકોને એવા વ્યાવસાયિકોમાં વિકસિત થવા માટે પ્રોત્સાહિત કર્યા જે લોકો, સ્થળ અને સામૂહિક સ્મૃતિની કાળજી રાખે છે. સમારોહ દરમિયાન પ્રોફેસર રસિક શાહ અને પ્રો. વિદ્યાધર ફાટકને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને શહેરી આયોજનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ માનદ ડોક્ટરેટરની પદવી એનાયત કરવામાં આવી. પ્રો. શાહની કારકિર્દી દાયકાઓ સુધી શિક્ષણ, વ્યાવસાયિક પ્રેક્ટિસ અને સંશોધનમાં નીકળી છે. ભારતમાં શહેરી વિકાસ, નીતિ ઘડતર અને આયોજન શિક્ષણમાં તેમના પાંચ દાયકા લાંબા યોગદાન માટે પ્રો. ફાટકનું વ્યાપકપણે સન્માન કરવામાં આવે છે. કેન્દ્રીય દીક્ષાંત સમારોહ પછી ફેકલ્ટી સ્તરનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જે દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત ડીન પાસેથી તેમની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:44 pm

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ‘સેતુ’ અંતર્ગત પરિસંવાદ:“Safe, Healthy and Inclusive Spaces” પર જાગૃતિ માટે કાર્યશાળાનું આયોજન કરાયું

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે જેન્ડર રિસોર્સ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી ‘સેતુ’ અંતર્ગત “Safe, Healthy and Inclusive Spaces” વિષય પર એક પરિસંવાદ અને કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હેલ્થ-ન્યુટ્રીશન, જેન્ડર ડેવલપમેન્ટ અને POSH Act અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પરિસંવાદ અને કાર્યશાળા યુનિવર્સિટીના તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓ માટે તા. 17 જાન્યુઆરી, 2026ના રોજ યોજાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકી સહિત આશરે 200 કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગા અને સૂક્ષ્મ વ્યાયામ સત્રથી થઈ હતી. યોગ બોર્ડના સોનલબેન અને દીપિકાબેને આ સત્રનું સંચાલન કર્યું હતું અને રોજિંદા જીવનમાં યોગના મહત્વ વિશે સમજાવ્યું હતું. આ પ્રસંગે ગોધરા સિવિલ હોસ્પિટલના ડોકટરો અને સપોર્ટ સ્ટાફ દ્વારા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રો. ડૉ. હરિભાઈ કાતરીયાએ જણાવ્યું હતું કે માત્ર પુસ્તકજ્ઞાન જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વિવિધ વિષયો અંગેનું પ્રાયોગિક જ્ઞાન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેમણે યોગ, સ્વસ્થ આહાર અને કાયદાકીય જ્ઞાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. એમ.એસ. યુનિવર્સિટીના એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્વાતિબેન ધ્રુવે “Integrating Nutrition and Work-life Balance for Holistic Health” વિષય પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે તંદુરસ્ત જીવન માટે આહારનું મહત્વ અને પૌષ્ટિક આહાર અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. જેન્ડર રિસોર્સ સેન્ટરના ઓફિસર મહેન્દ્ર મકવાણાએ શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓની સુરક્ષા માટેના POSH Act અને આંતરિક ફરિયાદ સમિતિ (Internal Complaints Committee)ની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે ઉપસ્થિતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ પણ કર્યા હતા. કુલસચિવ ડૉ. અનિલભાઈ સોલંકીએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના આયોજન અને સંચાલનમાં ડૉ. હેમેન્દ્ર શાહ, ડૉ. પલક કંસારા અને ડૉ. બીનાબેન વાઢેરે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:32 pm

સુરતમાં દિગ્ગજ નેતાઓનો જમાવડો:ઉદ્યોગપતિ સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં CM યોગી આદિત્યનાથે હાજરી આપી, નવ દંપતીને આશીર્વાદ આપ્યા

ડાયમંડ સિટી સુરતમાં આજે રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળ્યો હતો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથ એક ખાનગી સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે ખાસ સુરત આવી પહોંચ્યા હતા. શહેરના જાણીતા ઉદ્યોગપતિ સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં તેમણે હાજરી આપી નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આગમનમુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સુરત એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ ત્યાંથી સીધા જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયા હતા. સુરક્ષાના કારણોસર એરપોર્ટ થી લઈને પાર્લે પોઈન્ટ સુધીના માર્ગ પર ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પાર્લે પોઈન્ટ ખાતે ભવ્ય આયોજનશહેરના પોશ વિસ્તાર ગણાતા પાર્લે પોઈન્ટ ખાતે આવેલી એક જાણીતી હોટલમાં સાવરમલ બુધિયાના પૌત્રના પ્રિ-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. CM યોગી આદિત્યનાથ અહીં પહોંચતા જ યજમાન પરિવાર દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગીજીએ લગ્નગ્રંથિથી જોડાનાર નવયુગલને મળીને તેમના સુખમય દામ્પત્ય જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. રાજકીય દિગ્ગજોની ઉપસ્થિતિઆ પ્રસંગ માત્ર સામાજિક જ નહીં પરંતુ, રાજકીય દ્રષ્ટિએ પણ મહત્વનો બની રહ્યો હતો. યોગી આદિત્યનાથની સાથે રાજ્ય અને કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા, સુરતના સાંસદ મુકેશ દલાલ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો અને અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ ભવ્ય સેલિબ્રેશનમાં સહભાગી થયા હતા. એક તરફ ઉત્તર પ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી અને બીજી તરફ કેન્દ્રીય મંત્રીઓની હાજરીને પગલે હોટલ પરિસરમાં કડક સુરક્ષા ઘેરો જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:08 pm

HNGU સંલગ્ન કોલેજમાં ડિગ્રી વેચાણ કૌભાંડનો આક્ષેપ:‘ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ’ કહી યુવરાજસિંહના આક્ષેપ, ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજમાં વિદ્યાર્થીદીઠ ₹2 હજાર ‘ડિજિટલ દક્ષિણા’!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજો પર ‘ડિગ્રી વેચવાનો શોપિંગ મોલ’ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજમાં ચાલતા ‘ડિજિટલ દક્ષિણા’ કૌભાંડના પુરાવા જાહેર કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, ધાનેરા સ્થિત સૂર્યોદય DHSI (ડિપ્લોમા હેલ્થ એન્ડ સેનિટરી ઈન્સ્પેક્ટર) કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. આરોપ છે કે અહીં વિદ્યાર્થી દીઠ ₹1000થી ₹2000 લઈને પરીક્ષા આપ્યા વગર જ પાસ કરાવી દેવામાં આવે છે. હાલમાં આ મામલે સૂર્યોદય કોલેજ સામે તાત્કાલિક તપાસ, જવાબદારો સામે FIR અને યુનિવર્સિટી સંલગ્ન અન્ય સંસ્થાઓમાં વ્યાપક ઓડિટ કરવાની માંગણી યુવા અધિકાર ન્યાય ચળવળના વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવી છે. યુનિવર્સિટીને ફરિયાદો થઈ પણ કડક કાર્યવાહી નહીંHNGU સામે અગાઉ પણ અનેક ફરિયાદો થઈ ચૂકી છે, જેમાં નર્સિંગ કાઉન્સિલના એનરોલમેન્ટ વગર પરીક્ષા લેવી, લો પરીક્ષામાં 2024 ના પેપર 2025 માં પૂછવા અને પરીક્ષાખંડમાં વિદ્યાર્થીઓ દ્વારા મોબાઈલ રીલ્સ બનાવવી જેવી ઘટનાઓ સામેલ છે. આ ગેરરીતિઓ બાબતે વાઈસ ચાન્સેલરને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ડિજિટલ લાંચ લઈ 80% હાજરી દર્શાવાતીહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન ધાનેરાની સૂર્યોદય DHSI કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર પાસ કરાવવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. ડિજિટલ પેમેન્ટ દ્વારા લાંચ લઈને વિદ્યાર્થીઓની 80% હાજરી દર્શાવવામાં આવતી હતી અને પરીક્ષાના પ્રથમ દિવસે જ તમામ ઉત્તરવહીઓ પર સહી કરાવી લેવામાં આવતી હતી. આ અંગે પુરાવા સાથે ગંભીર આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે. ટ્રાન્ઝેક્શન નંબર અને ઓડિયો જાહેર કર્યાઆ કૌભાંડમાં વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ગયા વગર કે અભ્યાસ કર્યા વગર માત્ર ₹1,000થી ₹2,000 ચૂકવીને પાસ કરાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓ પાસેથી મેળવવામાં આવતી રકમ કોલેજના કર્મચારીઓના ખાતામાં ગુગલ પે દ્વારા જમા કરાવવામાં આવતી હતી. આના પુરાવા તરીકે ટ્રાન્ઝેક્શન આઈડી અને ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કરવામાં આવ્યા છે. પેપરની ઉત્તરવહીઓ પર એડવાન્સમાં સહી!કોલેજમાં પરીક્ષા પદ્ધતિ સાથે પણ ગંભીર ચેડાં થયા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ પાસેથી ભવિષ્યના તમામ પેપરની ઉત્તરવહીઓ પર એડવાન્સમાં સહીઓ કરાવી લેવાતી હતી, જેથી તેમને બાકીના દિવસોમાં પરીક્ષા આપવા આવવું ન પડે. જે વિદ્યાર્થીઓ હાજર ન હોય તેમની પણ 80 % હાજરી પૂરી બતાવવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડમાં કોલેજ સંચાલકો અને યુનિવર્સિટી દ્વારા નીમવામાં આવેલા પરીક્ષકો વચ્ચે મિલીભગત હોવાના આરોપો લાગ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:08 pm

બનાસકાંઠા LCBએ ધાનેરામાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી:5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, કારચાલક ફરાર

બનાસકાંઠા LCB એ ધાનેરા વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. એક સ્વીફ્ટ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર સહિત કુલ 5,05,008 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કારચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં LCB, પાલનપુર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન બાતમીના આધારે ડુંગડોલ, તા. ધાનેરા ગામની સીમમાં નાકાબંધી કરવામાં આવી હતી. એક સફેદ કલરની સ્વીફ્ટ કાર (નં. GJ08AP2469) ના ચાલકે નાકાબંધી તોડી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે કારનો પીછો કરતા, કાર જડિયા, તા. ધાનેરા ગામે આવેલા લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી અને કારચાલક ગાડી છોડીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાંથી 783 બોટલ/ટીન ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યો, જેની કિંમત 2,05,008 રૂપિયા છે. સ્વીફ્ટ કાર સહિત કુલ 5,05,008 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર થયેલા કારચાલક વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 8:01 pm

વલસાડમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી:26 જાન્યુઆરીની ઉજવણી અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ

વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની માસિક બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં કુલ પાંચ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી અંગે પણ આયોજનની સમીક્ષા કરાઈ હતી. સંકલન બેઠકમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર દ્વારા જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આંગણવાડી, પાણી પુરવઠો અને વિવિધ કચેરીઓમાં આઉટસોર્સ આધારિત કર્મચારીઓના પગાર સહિતના વિભાગીય પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઝડપી નિકાલ માટે જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકના બીજા ભાગમાં, 26 જાન્યુઆરીના રોજ ઉમરગામ તાલુકાના નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે યોજાનાર પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે આ અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા, વલસાડ, પારડી અને ધરમપુરના પ્રાંત અધિકારીઓ વિમલ પટેલ, નિરવ પટેલ અને આર.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરીયા, જિલ્લા આયોજન અધિકારી ભરતભાઈ પટેલ, દક્ષિણ અને ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષકો દિનેશ રબારી અને લોકેશ ભારદ્વાજ, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક રોહિત ચૌધરી, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર જતીન પટેલ અને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર ભાવેશ પટેલ સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:58 pm

સુરેન્દ્રનગર જિલ્લા પુસ્તકાલય 6 કરોડના ખર્ચે આધુનિક બન્યું:વાંચકો માટે WiFi, AC હોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ

સુરેન્દ્રનગરનું સરકારી જિલ્લા પુસ્તકાલય 6 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક બન્યું છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય 6 દાયકાથી વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની જ્ઞાનની ભૂખ સંતોષી રહ્યું છે. આ પુસ્તકાલય શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું છે. આજે પણ વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત 3792 સભ્યો તેનો નિયમિત લાભ લઈ રહ્યા છે. ગત માસમાં જ 335 સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે, જે ડિજિટલ યુગમાં પણ પુસ્તકાલયના મહત્વને દર્શાવે છે. આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 1 કરોડ રૂપિયાના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને 5 કરોડ રૂપિયાના ખર્ચે 400 ચોરસ મીટરમાં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે 250 વિદ્યાર્થીઓ અને 50 સિનિયર સિટીઝન આરામથી બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત, એ.સી. કોન્ફરન્સ હોલ, બાળ વિભાગ અને વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના થકી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ કરી શકે છે. દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલચેર અને દિવ્યાંગ ટોયલેટની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં પુસ્તકાલયમાં 24880 ગુજરાતી, 16547 હિન્દી, 9683 અંગ્રેજી અને અન્ય ભાષાના 4226 પુસ્તકો મળીને કુલ 55336 પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે. સુરેન્દ્રનગરનું આ સરકારી જિલ્લા પુસ્તકાલય માત્ર જ્ઞાનનું મંદિર જ નહીં, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવીને પ્રત્યેક શહેરીજનને આગળ વધવા માટેનો પથ દર્શાવતી દીવાદાંડી સમાન છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:57 pm

ચોટીલાના નાવા ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે:નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યક્રમના આયોજન પર ચર્ચા

ચોટીલા તાલુકા કક્ષાના 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીના આયોજન માટે એક બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને આ બેઠક ચોટીલા તાલુકાના નાવા ગામે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અપાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી મામલતદાર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલાને કાર્યક્રમ સ્થળે કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને જરૂરી બંદોબસ્ત ગોઠવવા અને પરેડનું આયોજન કરી અગાઉથી રિહર્સલ કરવા પણ જણાવાયું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર, પી.જી.વી.સી.એલ. ચોટીલાને કાર્યક્રમ દરમિયાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, તાલુકા હેલ્થ ઓફિસર ચોટીલાને કાર્યક્રમ દરમિયાન મેડિકલ ટીમ હાજર રાખવા આદેશ કરાયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ચોટીલાને દેશભક્તિના ગીતો વગાડી દેશભક્તિને લગતી કૃતિઓ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી ચોટીલાને શાળા અને તેની આજુબાજુના વિસ્તારમાં સફાઈ માટે યોગ્ય પગલાં લેવા જણાવાયું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણનું આયોજન કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચોટીલાને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમનો ડાયસ પ્લાન નક્કી કરવા માટે મામલતદાર ચોટીલાને જવાબદારી સોંપવામાં આવી હતી. પાણીની વ્યવસ્થા કરતી વખતે પ્લાસ્ટિકનો બિલકુલ ઉપયોગ ન કરવા અને તેના બદલે કાચની બોટલો અથવા ગ્લાસનો ઉપયોગ કરવા સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:54 pm

જમવાના ઝઘડામાં પતિએ પત્નીને કુહાડીથી પતાવી દીધી:જલાલપોરના એથાણમાં લોકોએ મધ્યસ્થી કરી શાંત પાડ્યો, આવેશમાં આવી હુમલો કરતાં ઘટનાસ્થળે મોત

જલાલપોર તાલુકાના એથાણ ગામમાં ઘરકંકાસની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતે થયેલા વિવાદમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એથાણ ગામના હળપતિવાસમાં રહેતા સુખા હળપતિ અને તેની પત્ની મનીષા (ઉંમર 34) વચ્ચે શનિવારે બપોરે અંદાજે 1:00 વાગ્યાના સુમારે જમવા બાબતે તકરાર થઈ હતી. આ સામાન્ય બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. શરૂઆતમાં આસપાસના લોકોએ દોડી આવી મધ્યસ્થી કરી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ બાદ પણ આવેશમાં આવી હુમલો કર્યો સ્થાનિકોની સમજાવટ બાદ થોડો સમય શાંતિ રહી હતી, પરંતુ થોડી જ વારમાં સુખા ફરી આવેશમાં આવી ગયો હતો. ગુસ્સા પર કાબૂ ગુમાવી તેણે ઘરમાં રહેલી કુહાડી વડે પત્ની મનીષા પર હિંસક હુમલો કર્યો હતો. કુહાડીના ગંભીર ઘા વાગવાને કારણે લોહીલુહાણ હાલતમાં મનીષાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતાં જ જલાલપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જલાલપોર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સામાન્ય બાબતમાં થયેલી આ હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:52 pm

ભાવનગર કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ:અધિકારીઓને પેન્ડિંગ અરજીઓ અને નાગરિક સુવિધાઓ અંગે કડક સૂચના

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે યોજાઈ હતી. પેન્ડિંગ અરજીઓ અને નાગરિક સુવિધાઓ અંગે કડક સૂચનાભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસો, કોન્સોલિડેટેડ માહિતી, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજી, સ્વાગત કાર્યક્રમ સહિત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા કલેકટર ડૉ.મનીષ કુમાર બંસલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ધારાસભ્યઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો અંગે ચર્ચા કરી તેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યોઆ ઉપરાંત જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલા પ્રશ્નોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. તેમજ કલેકટરની રૂબરૂ મુલાકાત દરમ્યાન રજૂ થયેલ અરજીઓ અંગેની અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલ આ બેઠકમાં ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક વાય. એ. દેસાઈ, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી, મદદનીશ કલેકટર પ્રતિભા દહિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુ, આર.સી.એમ.કચેરી અધિક કલેકટર ડી.એન. સતાણી, પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લા-તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:42 pm

VNSGUના સિલીંગ તૂટેલા કન્વેન્શન હોલને લઈ DyCMની કુલપતિને ટકોર:હર્ષ સંઘવીએ 11 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, વિદ્યાર્થીઓને કહ્યું 'ચિંતા ન કરતા નવો હોલ બનવાનો છે'

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 11 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. VNSGU કેમ્પસમાં કલ્પતરૂ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર, પુનઃનિર્મિત નર્મદ સ્મૃતિ ભવન તથા પુનઃનિર્મિત ડાઇનિંગ હોલનું લોકાર્પણ તેમજ યુટિલિટી ભવન, મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. આ સાથે જ નાયબ મુખ્યમંત્રી હર સંઘવી જ્યારે કન્વેન્શન હોલમાં આવ્યા ત્યારે હોલની સિલીંગ તૂટેલી હાલતમાં હોવાથી કુલપતિને આ અંગે સૂચના આપી હતી અને ટકોર પણ કરી હતી. ત્યાર બાદ પોતાના સંબોધનમાં પણ વિદ્યાર્થીઓને ચિંતા ન કરવા પણ જણાવ્યું હતું. 'ખૂબ ઝડપથી આ હોલ નવો બનવાનો છે'હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે જે હોલમાં આપણે બેઠા છીએ, હવે છેલ્લા છેલ્લા દિવસો છે. ખૂબ ઝડપથી આ હોલ નવો બનવાનો છે, એનું રીનોવેશન થવાનું છે. પછી મારા આ બધા જ વિદ્યાર્થી મિત્રોને આનાથી પણ વધારે સુવિધાઓ આ હોલની અંદર ભવિષ્યની અંદર મળવાની છે. મારા ખ્યાલથી એક-બે મહિનામાં કામ ચાલુ થઈ જશે હવે. 16 કરોડ રૂપિયાના ખર્ચે આ હોલને આખી વ્યવસ્થાઓ હજી સુદ્રઢ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે. એટલે ભવિષ્યની અંદર એ વ્યવસ્થાઓ પણ તમને ખૂબ સારી રીતે અહીંયા ઉપલબ્ધ થશે. 'પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ'VNSGU ના કન્વેશન હોલમાં આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથોસાથ જીવનમાં પ્રેક્ટિકલ નોલેજ અત્યંત જરૂરી છે. પ્રેક્ટિકલ જ્ઞાનથી યુવાનો સ્વવિકાસ સાધી પરિવાર અને દેશને આગળ લઈ જઈ શકે છે. જીવનમાં સપનાઓ સાકાર કરવા માટે આયોજનબદ્ધ મહેનત જરૂરી છે. યોગ્ય યોજના બનાવી પોતાના સપનાઓ પર સતત કાર્ય કરવું જોઈએ. મહેનત દ્વારા વ્યક્તિ પોતાનું, પરિવારનું અને દેશનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકે છે. વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશેસંઘવીએ કહ્યું કે, વીર કવિ નર્મદે સમાજ સુધારણા અને શિક્ષણના આજીવન હિમાયતી રહ્યા હતા, ત્યારે વીર કવિ નર્મદના નામથી સ્થાપિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પારદર્શી શિક્ષણથી આગવી ઓળખ ઉભી કરી છે. અહીં આરોગ્ય કેન્દ્રના નિર્માણને કારણે વિદ્યાર્થીઓને કેમ્પસમાં જ આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે. યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપીતેમણે વધુમાં જણાવ્યું કે, દેશને વિકસિત બનાવવામાં ગુજરાત ગુજરાતનું બહુમૂલ્ય યોગદાન રહેશે. સરકારની વિવિધ કલ્યાણ યોજનાઓના કારણે વિદ્યાર્થીઓના સપનાઓ સાકાર થઈ રહ્યા છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓ યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:38 pm

ટંકારાના મોટા ખીજડીયા ગામે મંદિરમાં ચોરીની ઘટના CCTVમાં કેદ:શક્તિ માતાજીના મંદિરમાંથી 3 લાખ રૂપિયાની મૂર્તિ-આભૂષણોની ચોરી

ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરમાં ચોરી થઈ છે. તસ્કરો રાત્રિના સમયે મંદિરમાં ઘૂસીને ભગવાન હનુમાનજીની મૂર્તિ તેમજ સોના-ચાંદીના આભૂષણો ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગામના આગેવાનો પાસેથી મળેલી માહિતી મુજબ, ચોરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત 3 લાખ રૂપિયા આંકવામાં આવી છે. સીસીટીવી ફૂટેજમાં એક શખ્સ ચોરી કરતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, અને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે. જોકે, સમાચાર લખાય ત્યાં સુધી આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. મોરબી જિલ્લામાં ચોરી, લૂંટ અને મારામારી જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. આવા સંજોગોમાં શિયાળાની ઠંડીમાં પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:36 pm

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આકરી પ્રતિક્રિયા:કહ્યું- પંજાબ-પશ્ચિમ બંગાળમાં મીડિયા દબાવવાના પ્રયાસો થાય છે, TMC એટલે 'તુષ્ટિકરણ, માફિયા અને ક્રાઈમ'નું સમીકરણ

મીડિયા સરકાર અને પ્રજા વચ્ચે વિશ્વાસનો સેતુબંધ છે અને મીડિયાને દબાવવાના પ્રયાસો લોકશાહી પર સીધો હુમલો છે તેમ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’માં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પંજાબ અને પશ્ચિમ બંગાળની પરિસ્થિતિ અંગે કડક શબ્દોમાં ટીકા કરી હતી. પંજાબની સરકાર મીડિયાને દબાવવાના પ્રયાસ કરી રહી છેવિશ્વકર્માએ કહ્યું કે, કેજરીવાલના ઈશારે પંજાબની ભગવંત માન સરકાર દ્વારા મીડિયા પર કરવામાં આવતું દમન લોકતંત્રના ચોથા સ્તંભ પર ખુલ્લો હુમલો છે. સત્ય અને નિષ્પક્ષતા સાથે સમાચાર પ્રકાશિત કરનાર મીડિયા સંસ્થાઓ પર રેડ, ફરિયાદો અને દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે. તાજેતરમાં પંજાબ કેસરી ગ્રુપની ભટિંડા સ્થિત પ્રિન્ટિંગ પ્રેસ પર કોઈ નોટિસ કે આદેશ વિના પાડવામાં આવેલી પોલીસ રેડ, પત્રકારો સાથે થયેલી મારામારી અને ગેરકાયદેસર અટકાયત લોકશાહી માટે ગંભીર ચેતવણી છે. કોંગ્રેસના ઇમરજન્સીના કાળા દિવસોની યાદ અપાવે છેતેઓએ જણાવ્યું કે, અગાઉ પણ પંજાબમાં અનેક વખત આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા મીડિયા પર હુમલા થયા છે. મધ્યરાત્રિએ અખબારોની પ્રેસવાન જપ્ત કરાવી, નકલો સળગાવવી, પત્રકારોને ડરાવવા અને સરકારની ટીકા કરનાર યુટ્યુબર્સ સામે કાર્યવાહી કરવી એ કોંગ્રેસના ઇમરજન્સીના કાળા દિવસોની યાદ અપાવે છે. ભાજપ આવા દમનકારી વલણની કડક શબ્દોમાં નિંદા કરે છે. પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય કોઈ સુરક્ષિત નથીપશ્ચિમ બંગાળ અંગે પ્રતિક્રિયા આપતાં વિશ્વકર્માએ જણાવ્યું કે, એક સમયે લોકશાહી ચેતના અને બૌદ્ધિક પરંપરા માટે જાણીતી બંગાળની ધરતી આજે મમતા બેનર્જીની TMCના શાસનમાં ભય, હિંસા અને ગુંડારાજની પ્રયોગશાળા બની ગઈ છે. મતદાર યાદીમાંથી ગેરકાયદેસર નામો દૂર ન કરવા માટે BLO અશોક દાસ પર થયેલું દબાણ અને તેમની આત્મહત્યા લોકશાહીની હત્યા સમાન છે. તેમણે TMCને વ્યાખ્યાયિત કરતાં કહ્યું કે, T = તુષ્ટિકરણની રાજનીતિ, M = માફિયા અને ગુંડારાજ, C = ક્રાઈમ કલ્ચર. આજે પશ્ચિમ બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સિવાય કોઈ સુરક્ષિત નથી. TMC ખોટા મતદારો અને ઘૂસણખોરોના દમ પર ચૂંટણી જીતવા માગે છે અને ચૂંટણી પંચની પ્રક્રિયામાં અડચણ ઊભી કરે છે. અંતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, ભાજપ ભય અને દમનના રાજકારણ સામે ચૂપ નહીં રહે. અશોક દાસને ન્યાય મળે ત્યાં સુધી અને પશ્ચિમ બંગાળ ભયમુક્ત ન થાય ત્યાં સુધી આ સંઘર્ષ ચાલુ રહેશે. આ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રશાંત કોરાટ અને મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:33 pm

ભાજપના MLA એ કહ્યું - અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવો:રાજકોટમા સંકલન બેઠકમાં કોઠારીયા ફ્લાય ઓવરબ્રિજ- AIIMS માં નર્સિંગ કોલેજ શરૂ કરાવવા, સિવિલનું નવીનીકરણ કરવા લોકમાંગ

રાજકોટ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનું ખુદ ભાજપના ધારાસભ્યે સ્વીકાર્યું હતુ અને વોર્ડ નંબર 18 માંથી આ પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તેવી લોક માંગણી આજે કલેકટરની અધ્યક્ષતામાં મળેલી સંકલનની બેઠકમાં કરી હતી. આ સાથે જ રાજકોટ શહેરમાં ચોમાસા પૂર્વે 176 જર્જરિત ઇમારતો રિપેર કરવા અથવા તોડી પાડવામાં આવે, કોઠારીયા ફ્લાય ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ સાંસદ મોકરીયાએ કરી હતી તો લોકસભા સાંસદ રૂપાલાએ દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ કર્યો હતો. જ્યારે ધારાસભ્ય ડૉ. શાહે સિવિલ હોસ્પિટલ નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને નર્સિંગ કોલેજના પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા રાજકોટના સાંસદ પરશોત્તમ રૂપાલા વતી દેપાળીયા ગામનો રિ-સર્વે તેમજ દબાણ સંબંધિત પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં ટેક્નિકલ વિગતો ચકાસીને તેનો ઉકેલ લાવવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે સાંસદ રામ મોકરિયા દ્વારા સિવિલ હોસ્પિટલને લગતા, શહેરમાં જર્જરીત સરકારી ઇમારતો, કોઠારીયા બાયપાસ ફ્લાયઓવર સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલમાં સુરક્ષા જાળવવા માટે કડક પગલા લેવા, શહેરમાં રહેલી 176 જર્જરીત ઇમારતો અંગે તેમજ કોઠારીયા ફ્લાયઓવરનું કામ સમયસર શરૂ થઈ જાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા સિવિલ હોસ્પિટલના નવીનીકરણ, રજીસ્ટ્રાર ઓફિસ નવી બનાવવા તથા એઈમ્સમાં વિવિધ વિભાગો અને નર્સિંગ કોલેજ સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા વોર્ડ નં.18 માં લાલપાર્કમાં ઝૂંપડા તેમજ પાર્કિંગ સહિતના દબાણો તેમજ અસામાજિક પ્રવૃતિનો બંધ કરાવવા તથા વોર્ડ.17 માં ખુલ્લા પ્લોટમાં દબાણોનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નોના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુર ખાતે થશે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુચારુ, શિસ્તબદ્ધ તથા ભવ્ય રીતે યોજાય તે હેતુસર આજરોજ તૈયારીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઇ હતી. રાજકોટ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જેતપુર ખાતે કરવામાં આવશે. કલેક્ટરે જેતપુર ખાતે યોજાનાર જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી, પોલીસ બેન્ડ, પરેડ તથા સલામતીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ,મંડપ તથા માઈક પોડીયમની વ્યવસ્થા, સન્માનપત્રો તૈયાર કરવાં,વાહન પાર્કિંગની વ્યવસ્થા, કાર્યક્રમનાં સ્થળે મેડીકલ વાહન/એમ્બ્યુલન્સ ઉપસ્થિત રાખવાં,ધ્વજવંદન કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ બાબતે સવિસ્તાર પરામર્શ કરવામાં આવ્યો હતો તેમજ વિશિષ્ટ કામગીરી કરેલા નાગરિકોને સન્માનપત્ર વિતરણ દરમિયાન ગોઠવણ અને વ્યવસ્થાપનમાં અંગે માર્ગદર્શન આપ્યું હતુ. 8 વર્ષના બાળકને સુરક્ષિત માતા–પિતાને સોંપાયુ રાજકોટમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 તથા ભક્તિનગર પોલીસ સ્ટેશનની સહિયારી કામગીરીથી 8 વર્ષના વિખૂટા પડી ગયેલા બાળકનું સુખદ મિલન તેના પરિવારજનો સાથે કરાવી આપવામાં આવ્યુ હતુ. આ અંગે 181 અભયમ ટીમના કાઉન્સેલર બીનાબેન ગોહિલે જણાવ્યું હતુ કે, મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન નાગરિકે આશરે 8 વર્ષનુ બાળક એકલુ મળી આવ્યાનું જણાવ્યુ હતું. ફોન પર આપવામાં આવેલી વિગત મુજબ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકની સુરક્ષા કસ્ટડી લીધી હતી. બાળકનો ફોટો નજીકની શાળાઓમા મોકલી તપાસ કરાઈ. જોકે કોઈ સ્પષ્ટ ઓળખ ન મળતા મામલો ભક્તિનગર પોલીસ સ્ટેશનને હવાલે કરાયો.જે બાદ અટિકા ફાટક વિસ્તારથી બાળકના ભાઈ સુધી પહોંચવામાં સફળતા મળી. તે પછી માતા–પિતાને બોલાવી આધારકાર્ડ દ્વારા ઓળખ ચકાસી અને બાળકને સહીસલામત તેમના વાલી–વારસને સોંપવામાં આવ્યું હતુ. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ક્ષયના દર્દીઓને મદદરૂપ થવા 179 લોકો નિક્ષય મિત્ર બન્યા રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટી.બી.મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને ક્ષય અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર પ્રદર્શન યોજવામાં આવ્યું હતુ. રાજકોટ જિલ્લા ક્ષય અધિકારી ઘનશ્યામ મહેતાના માર્ગદર્શન મુજબ આયોજિત સ્ટોલમાં ક્ષયના દર્દીઓને આર્થિક અને સામાજિક ટેકો આપવાના ઉદેશથી કાર્યરત નિક્ષય પોષણ યોજનાનો લાભ લેવા અને નિક્ષય મિત્ર અભિયાનમાં જોડાવાની અપીલને લોકોએ ઝીલી લીધી હતી. પ્રદર્શનના પાંચ દિવસમાં 8000થી વધુ લોકોએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી અને 179 લોકોએ નિક્ષય મિત્ર તરીકે નોંધણી કરાવીને દર્દીઓની સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. ઉલ્લેખનીય છે કે, દર્દીને સારવાર દરમિયાન નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને રૂ.1000ની સહાય અને નિક્ષય મિત્રોના સહયોગથી પોષણ કીટ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:32 pm

અમદાવાદ સિવિલ મેડિસિટી બનશે મેડિકલ ટૂરિઝમનું કેન્દ્ર:14 દેશોના ડોક્ટરો લેશે વિશેષ તાલીમ, 125 દર્દીઓને સારવારનો લાભ મળશે

અમદાવાદ શહેરની સિવિલ મેડિસિટી ફરી એકવાર દેશ અને દુનિયામાં એક વર્કશોપ યોજવા જઈ રહી છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં 17થી 23 જાન્યુઆરી દરમિયાન 18મો આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ યોજાવાનો છે. આ વર્કશોપ ખાસ કરીને બાળકોમાં જોવા મળતી બ્લેડર એક્સટ્રોફી નામની જટિલ બીમારીના ઓપરેશન અને સારવાર માટે યોજાઈ રહ્યો છે. આ બીમારીમાં બાળકના મૂત્રાશયમાં જન્મજાત ગંભીર ખામી હોય છે, જેને સુધારવા માટે ખૂબ કઠિન સર્જરી કરવી પડે છે. ડોક્ટરો કોઈ પણ ફી લીધા વિના માત્ર સેવા ભાવનાથી અમદાવાદ આવશેવર્કશોપની ખાસ વાત એ છે કે અમેરિકા અને કેનેડાની જાણીતી ચિલ્ડ્રન હોસ્પિટલોના નિષ્ણાત ડોક્ટરો કોઈ પણ ફી લીધા વિના માત્ર સેવા ભાવનાથી અમદાવાદ આવશે. તેઓ અહીંના ડોક્ટરોને તાલીમ આપશે અને બાળકોની જટિલ સર્જરી પણ કરશે. દરરોજ 8થી 10 કલાક સુધી સર્જરીઆ વર્કશોપ દરમિયાન ભારતના 15 રાજ્યો અને પડોશી દેશ નેપાળમાંથી મળીને કુલ 125 દર્દીઓને સારવારનો લાભ મળશે. જેમાંથી 15થી 20 ગંભીર કેસોમાં જટિલ ઓપરેશન કરવામાં આવશે. દરરોજ 8થી 10 કલાક સુધી સર્જરી કરવામાં આવશે, જેથી બાળકોને સામાન્ય જીવન મળી શકે. અમેરિકા, કોરિયા સહિતના આ 14 દેશના ડોક્ટરો તાલીમ લેશેસિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, છેલ્લા 18 વર્ષથી સિવિલ હોસ્પિટલ આ પ્રકારના આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજી રહી છે. અમારો ઉદ્દેશ માત્ર દર્દીઓને સારવાર આપવાનો નથી, પરંતુ દેશ-વિદેશના ડોક્ટરોને શ્રેષ્ઠ તાલીમ આપવાનો પણ છે. વર્ષ 2020માં આ વિભાગને બ્લેડર એક્સટ્રોફીની સારવાર માટે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ની માન્યતા મળી છે. આ વર્કશોપમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, પોલેન્ડ, કુવૈત, કતાર, કોરિયા, સ્પેન, ઈરાન, સ્વિટ્ઝર્લેન્ડ સહિત 14 દેશોના ડોક્ટરો તાલીમ લેવા આવશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:32 pm

બોટાદના તુરખા ગામે હુમલામાં મહિલાનું મોત:પરિવારે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

બોટાદના તુરખા ગામે પરિવાર પર થયેલા હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. આ મામલે, મૃતકના પરિવારે આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ ઘટના 15 જાન્યુઆરીના રોજ બની હતી, જ્યારે તુરખા ગામે 13 જેટલા લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે એક પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બોટાદ પોલીસે આ હુમલાના સંબંધમાં 13 જેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. ઘટનાને બે દિવસ વીતી ગયા હોવા છતાં, મૃતદેહ હાલ ભાવનગરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે, મૃતકના પરિવારજનો અને સમાજના આગેવાનોએ આઈજી કચેરીએ રજૂઆત કરી હતી. આ અંગેની માહિતી મૃતકના સગા રાહુલભાઈ પરમાર અને સમાજના આગેવાન કિર્તીભાઈ ચાવડાએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:27 pm

રાણાવાવમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સમીક્ષા બેઠક:જિલ્લા કક્ષાના કાર્યક્રમો અને તૈયારીઓ પર ચર્ચા કરાઈ

પોરબંદર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારુ આયોજન માટે રાણાવાવ સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી, જેમાં 26 જાન્યુઆરીના કાર્યક્રમોની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. બેઠક દરમિયાન, પ્રાંત અધિકારી સોજીત્રાએ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરી હતી. પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરકારી યોજનાઓના ટેબ્લો સહિતની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમ સ્થળે પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, સરકારી ઇમારતોને રોશનીથી શણગારવા, સ્થળ પર સ્વચ્છતા જાળવવા, વૃક્ષારોપણ કાર્યક્રમો અને વિવિધ વિષયક સ્ટોલોની તૈયારીઓ અંગે પણ માર્ગદર્શન અને આયોજન ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે પોરબંદર જિલ્લા કક્ષાના મુખ્ય પ્રજાસત્તાક પર્વનું આયોજન રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:23 pm

ગીર સોમનાથ RTOએ NHAIના સહયોગથી 200 હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કર્યું:નેશનલ રોડ સેફ્ટી મંથમાં માર્ગ સલામતીનો સંદેશ અપાયો

ગીર સોમનાથ જિલ્લા આર.ટી.ઓ કચેરી દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામત ડ્રાઇવિંગ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુસર ‘નેશનલ રોડ સેફ્ટી મંથ–2026’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત હેલ્મેટ અને સીટબેલ્ટના મહત્વ અંગે વિસ્તૃત માહિતી આપી આશરે 200 જેટલા હેલ્મેટનું NHAIના સહયોગથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આર.ટી.ઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ–જૂનાગઢ રોડ પર આવેલા ડારી ટોલ પ્લાઝા ખાતે યોજાયો હતો. જ્યાં પસાર થતા વાહનચાલકોને રોકી માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું, રોંગ સાઈડ ડ્રાઈવિંગથી બચવું, માર્ગ સૂચક ચિહ્નોને અનુસરવા, તેમજ દ્વિચક્ર વાહનચાલકો માટે હેલ્મેટ અને ચાર ચક્ર વાહનચાલકો માટે સીટબેલ્ટ ફરજિયાત ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી હતી. માર્ગ અકસ્માતો મોટેભાગે બેદરકારીના કારણે થતા હોવાને ધ્યાનમાં રાખી જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. ઉપરાંત કેન્દ્ર સરકારની ‘રાહવીર યોજના’ અંગે વાહનચાલકો અને રાહદારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર નાગરિકોને પ્રોત્સાહન આપતી આ યોજનાનો વ્યાપક પ્રચાર–પ્રસાર કરી માર્ગ સલામતીની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ વિતરણ તેમજ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના આ કાર્યક્રમમાં આર.ટી.ઓ કચેરીના ઈન્સ્પેક્ટર પી.એન. માંગુકિયા, એન.જે. ગુજરાતી, આર.ઈ. ચાવડા, ટ્રાફિક પી.એસ.આઈ વી.એન. મોરવાડીયા તેમજ NHAIના ડેપ્યુટી મેનેજર અતુલ કુમાર અને સીનિયર એન્જિનિયર પ્રવાલ મિશ્રાનો નોંધપાત્ર સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એ માત્ર નિયમ નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે, અને નિયમોના પાલનથી જ અકસ્માતો અટકાવી અનેક અમૂલ્ય જીવ બચાવી શકાય.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:17 pm

વાઈડ એન્ગલ સિનેમા પાસેથી 283 દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો:દારૂ ભરેલી XUV ગાડી સાથે 5.11 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લામાં પ્રોહીબિશન અને નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલા વાઈડ એન્ગલ સિનેમા પાસેથી એક શખ્સને વિદેશી દારૂના જથ્થા અને લક્ઝરી ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ગાડીની બાતમી મળીને બૂટલેગરનો ખેલ ખતમઇન્ચાર્જ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાની સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રશ્મેન્દ્રસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ આકાશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાગલપુર વાઈડ એન્ગલ સિનેમા પાસે શ્રી બાલાજી સ્ટેટસ ફ્લેટના ગેટ પાસે એક શંકાસ્પદ ગાડી ઊભી છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ગ્રે કલરની મહેન્દ્રા XUV 500 ગાડી (નંબર GJ-07-BB-7262) મળી આવી હતી. વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 283 બોટલો મળીપોલીસે પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 283 બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે ₹1,46,915 થાય છે. આ સાથે પોલીસે ₹3,50,000 ની કિંમતની XUV ગાડી અને ₹15,500 ની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ ₹5,11,815 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અમદાવાદના રહેવાસીની ધરપકડઆ મામલે પોલીસે મૂળ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના વતની અને હાલ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારમાં રહેતા 33 વર્ષીય સુરેશ પુનમભાઈ અજાભાઈ ચૌધરીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:12 pm

અંધારામાં થેલી લઈને જતો યુવક દેખાયો ને ગુનો ઉકેલાયો:હાટકેશ્વર જ્વેલર્સ શોપમાં બાકોરું પાડીને ચોરી કરનારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

અમદાવાદ શહેરના હાટકેશ્વરમાં આવેલા જ્વેલર્સ શોપમાં એક ચોરે દીવાલમાં બાકોરું પાડીને દુકાનમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.અલગ જ પ્રકારે જ્વેલર્સ શોપમાં ચોરી કરનારને પકડવા ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ચોરની માનસિકતા આધારે તપાસ કરી હતી. સેકડો CCTV તપાસતા રાતના અંધારામાં વજનદાર થેલી લઈને જતા શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી હતી. જેના આધારે પોલીસે રામોલ જામફળવાડીમાંથી ચોરને ઝડપી 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે. દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને 1.84 લાખના દાગીના ચોર્યાઅમરાઇવાડીમાં રહેતા મનીષભાઇ નાગર હાટકેશ્વર ચાર રસ્તા નજીક શ્રી મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. 9 જાન્યુઆરીએ તે દુકાને ગયા ત્યારે તસ્કરોએ તેમની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને 1.84 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. અમરાઇવાડી પોલીસ અને ક્રાઇમબ્રાંચે દુકાનના સીસીટીવી તપાસ્યા હતા.ચોરની નવી મોડેસ ઓપરેન્ડી પોલીસ માટે પણ ચેલેન્જ હતી.ક્રાઈમ બ્રાન્ચે ચોરની માસિકતાના આધારે પણ તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી પોલીસે યુવકની ધરપકડ કરીક્રાઇમ બ્રાન્ચની ટીમે વધુ CCTV ફૂટેજ અને આરોપીની ચોરીની મોડ્સ ઓપરેન્ડી પર તપાસ કરી હતી. જે આધારે કડિયાકામ જેવું કામ કરનાર વ્યક્તિઓ પર વોચ રાખી હતી. તે પોલીસે અંધારામાં વજનદાર થેલી લઈને જતા શંકાસ્પદ લોકોની હિલચાલ પર વોચ રાખી તે દરમિયાનમાં પોલીસે એક શંકાસ્પદ યુવકને ઝડપી લીધો હતો. પોલીસે અશ્વિન ખડિયા (ઉ.19, રહે. રામોલ)ને ઝડપી તેની પૂછપરછ કરતા તેણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:11 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20-21 જાન્યુઆરી ગીર સોમનાથની મુલાકાતે:સોમનાથ-વેરાવળ અને તાલાલામાં વિવિધ કાર્યક્રમો, પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી; પ્રાકૃતિક કૃષિ પર સંવાદ કરશે

ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાત અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20 અને 21 જાન્યુઆરીના રોજ સોમનાથ-વેરાવળ અને તાલાલા તાલુકાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાજ્યપાલની સોમનાથ મુલાકાતના આયોજન માટે વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કાર્યક્રમોનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિવિધ સમાજના આગેવાનો, સામાજિક સેવાકીય સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રાંત અધિકારી વિનોદ જોશીએ મીડિયાને રાજ્યપાલના કાર્યક્રમોની માહિતી આપી હતી અને સૌના સહકારથી કાર્યક્રમોને સફળ બનાવવાની અપીલ કરી હતી. 20 જાન્યુઆરીના રોજ, રાજ્યપાલ વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ભાગ લેશે. ત્યારબાદ બપોરે 2:30 કલાકે વેરાવળ નગરપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલ ખાતે શહેરના પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી યોજાશે. આ ગોષ્ઠીમાં વિવિધ ક્ષેત્રોના સમાજશ્રેષ્ઠીઓ સાથે સંવાદ અને પરિસંવાદ થશે. રાજ્યપાલ સાથેની આ પ્રબુદ્ધ નાગરિકોની ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા શહેરની વિવિધ સંસ્થાઓ, સામાજિક સંગઠનો અને એનજીઓના હોદ્દેદારોને અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યપાલ તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કરશે અને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'ને સંબોધન કરશે. તેઓ ઉમરેઠી ગામની પ્રાથમિક શાળામાં રાત્રિ રોકાણ કરીને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ'માં પણ સહભાગી થશે. 21 જાન્યુઆરીના રોજ, રાજ્યપાલ ઉમરેઠી ગામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાશે અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:11 pm

'ભાજપે દગો કરીને જીત મેળવી, અમે ગદ્દારોને ટક્કર આપી...', BMC ચૂંટણીમાં હાર બાદ ઉદ્ધવની આકરી પ્રતિક્રિયા

BMC Election: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. સ્થિતિ સ્પષ્ટ થતાં શિવસેના(UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગદ્દારી/દગો કરીને તેમને જીત મેળવી છે. આ વિજય મુંબઈને ગીરવે રાખવા માટે છે. તેમને કાગળ પર શિવસેનાને ખતમ કરી દીધું પણ..

ગુજરાત સમાચાર 17 Jan 2026 7:08 pm

મકરપુરામાં યુવકની હત્યા કરનાર પિતા અને પુત્ર સહિતની ત્રિપુટી જેલભેગા:ચાવી લઇ લેવા જેવી સામાન્ય બાબતે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વાહનની ચાવી મુદ્દે ઝઘડો કર્યાં બાદ યુવકને મોત ઘાટ ઉતારીના ટોળા પૈકીના ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પણ મેળવ્યાં હતા. દરમિયાન તેમના રિમાન્ડ પુરા થતા મેજિસ્ટ્રેટ દ્વારા ત્રણ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામા આવ્યાં છે. જ્યારે હત્યાના ગુનામાં સામેલ અન્ય આરોપીઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી. યુવકની હત્યા કરનાર પિતા અને પુત્ર સહિતની ત્રિપુટી જેલભેગા વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા શિવશક્તિનગરમાં રહેતા અનુપભાઇ પટેલ પોતાના ભત્રીજા બર્થડેમાં હાજરી આપીને નોકરી પર જવા નીકળ્યાં હતા. ત્યારે રાહુલ યાદવ સાથે વાહનની ચાવી લેવા માટે ઝઘડો થયો હતો. જેમા રાહુલ યાદવનું ઉપરાણું લઇને તેના પિતા મનુ યાદવ, શુભાષ યાદવ સહિત અન્ય લોકો ભેગા થઇ ગયાં હતા અને અનુપભાઇ પટેલ પર લાકડીઓથી હુમલો કર્યાં બાદ તેમને ઉચરીને લોખંડી ગ્રીલ સાથે માથુ ભટકાવી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ત્રણેયના બે દિવસના રિમાન્ડ ને રિકન્સ્ટ્રક્શન કરાયુંઆ મામલે મકપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને અનુપભાઇની હત્યા કરનાર રાહુલ, મનુ તથા સુભાષ યાદવ સહિતના ત્રિપુટીની ધરપકડ કરી લીધા બાદ તેમને કોર્ટમાં રજૂ કરીને સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. ત્યારે કોર્ટ દ્વારા ત્રણ આરોપીઓના બે દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન મકરપુરા પોલીસ દ્વારા આરોપીઓને લઇને હત્યાના સ્થળ પર લઇ જવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે આ હત્યાના ગુનામાં અન્ય આરોપીઓ પણ સામેલ છે તેમને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. અમૂક આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા!મૃતકના પરિવારના સભ્યો દ્વારા આરોપીઓને ઓળખતા હોય પોલીસને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવ્યા છે અને પોલીસ પણ અલગ અલગ ટીમો બનાવીને તેમની શોધખોળ કરી રહી છે. પરંતુ આરોપીઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ પોલીસના હાથમાં હજુ સુધી આવ્યાં નથી. ત્રિપુટીને જેલના સળિયા પાછળ ધકેલાયાદરમિયાન રાહુલ યાદવ, મનુ યાદવ તથા સુભાષ યાદવના રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાયાં હતા. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા ત્રિપુટીને જ્યુડિશિયલ કસ્ટીડમાં મોકલી આપવા માટે હુકમ કરતા તેમને વડોદરા સેન્ટ્રલ જેલના સળિયા પાછળ ધકેલી દેવામા આવ્યાં છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:05 pm

બામણબોરમાં સમૂહલગ્નમાં બાળલગ્ન:સગીરાના પિતાએ જ સમાજ સુરક્ષા વિભાગને જાણ કરતા લગ્ન અટકાવ્યા, આયોજક સહિત લગ્ન કરાવનાર સામે ગુનો દાખલ

રાજકોટ નજીક બામણબોર ગામે ગત ડિસેમ્બર મહિનામાં યોજાયેલા સમૂહલગ્નમાં એક સગીર વયની કન્યાના લગ્ન કરવામાં આવી રહ્યા હતા, જે અંગેની જાણ થતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ પોલીસને સાથે રાખી અહીં પહોંચી બાળ લગ્ન અટકાવ્યા હતા. આ અંગે કન્યાની માતા,વરરાજા, વરરાજાના માતા-પિતા, સમૂહ લગ્નના આયોજક સહિતનાઓ સામે બાળલગ્ન પ્રતિબંધક અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના બાળ લગ્ન થતા હોવાની ખુદ તેના પિતાએ જ ચાઈલ્ડલાઈન મારફત ફરિયાદ કરી હતી, જે બાદ સમાજ સુરક્ષા વિભાગની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. સમાજ સુરક્ષા અધિકારીએ નોંધાવી ફરિયાદજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સદન-2 બ્લોક નંબર-5ના બહુમાળી ભવનમાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે ફરજ બજાવતા ડો.પ્રાર્થના વી. શેરીસિયાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કન્યાની માતા કરૂણાબેન રમેશભાઈ સાકરીયા, વરરાજા વિપુલ મનુભાઈ જીંજરિયા, વરરાજાના પિતા મનુભાઈ ઉર્ફે મનસુખભાઈ સામાભાઈ જીંજરિયા, વરરાજાની માતા વસંતબેન અને સમૂહ લગ્નના આયોજકના નામ આપ્યા છે. મંડપ નંબર-10માં સગીર કન્યાના લગ્ન થઈ રહ્યા હતાફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.21.12.2025ના તેમને ચાઇલ્ડ લાઈન મારફત કન્યાના પિતાએ ફરિયાદ કરી હતી કે, બામણબોર ખાતે મેલડી માતાના મંદિરે આયોજિત સમૂહલગ્નમાં તેમની સગીરવયની દીકરીના બાળલગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ ફરિયાદ મળતા સમાજ સુરક્ષા વિભાગની ટીમ અહીં બામણબોર સમૂહ લગ્નના સ્થળ પર પહોંચી હતી. અહીં મંડપ નંબર 10માં જે કન્યાના લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા તેની ઉંમર અંગે ખરાઈ કરતા તે સગીર વયની હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરીઆ અંગે બાળ લગ્ન કરાવનાર સગીરાની માતા, વરાજા તેના માતા-પિતા અને સમૂહ લગ્નના આયોજક સહિતનાઓ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ ઇલાબેન સાવલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપીઓ સામે બાળલગ્ન પ્રતિબંધિત અધિનિયમ 2006ની કલમ 9, 10, 11(1) તથા બીએનએસની કલમ 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:02 pm

ગીર સોમનાથમાં માર્ગ સલામતી, કોસ્ટલ સિક્યોરિટી પર બેઠક:કાયદો-વ્યવસ્થા મજબૂત કરવા, જનજાગૃતિ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા ચર્ચા

ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ સલામતી, કોસ્ટલ સિક્યોરિટી તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના વી.સી. હોલમાં જિલ્લા માર્ગ સલામતી સમિતિ, કોસ્ટલ સિક્યોરિટી તેમજ લો એન્ડ ઓર્ડર સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન અધિક નિવાસી કલેક્ટરએ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સ્થિતિ, ટ્રાફિક નિયમોના પાલન અને વાહન ચાલકોની સલામતી અંગે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગોને માર્ગ સલામતીના નિયમોનું કડક અમલ, અકસ્માત નિવારણ માટે જરૂરી પગલાં અને જનજાગૃતિ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવાની સૂચનાઓ આપી હતી. ખાસ કરીને બ્લેક સ્પોટ ઓળખ, સાઇનેજ, સ્ટ્રીટ લાઈટ, સ્પીડ કંટ્રોલ તથા હેલ્મેટ અને સીટબેલ્ટના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં આર.ટી.ઓ. ઓફિસર વાઘેલાએ માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ અને વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની સંકલિત માહિતી રજૂ કરી હતી. તેમણે ટ્રાફિક ચેકિંગ, દંડાત્મક કાર્યવાહી, માર્ગ સલામતી જાગૃતિ અભિયાન તેમજ શાળાઓ અને કોલેજોમાં ચલાવવામાં આવતા કાર્યક્રમોની વિગત આપી હતી. લૉ એન્ડ ઓર્ડર, હીટ એન્ડ રન કેસો તથા કોસ્ટલ સિક્યોરિટી અંગેની બેઠકમાં સંબંધિત વિભાગોના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા, અનધિકૃત પ્રવૃત્તિઓ પર નજર રાખવા તેમજ સંકલિત કાર્યવાહી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ તહેવારો અને જાહેર કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તથા અન્ય વિભાગો વચ્ચે વધુ સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મહત્વપૂર્ણ બેઠકોમાં પ્રાંત અધિકારી વિનોદ જોશી, સર્વ નાયબ પોલીસ અધિક્ષક સી.પી. ખટાણા તથા વી.આર. ખેઙગાર, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ તેમજ વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 7:00 pm

હદપાર આરોપી પોરબંદરમાંથી ઝડપાયો:LCBએ કુતિયાણાના વાઘેશ્વરી વિસ્તારમાંથી પકડ્યો

પોરબંદર જિલ્લામાં હદપાર કરાયેલા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. એલ.સી.બી.એ કુતિયાણાના વાઘેશ્વરી વિસ્તારમાંથી 30વર્ષીય મીતેશ ઉર્ફે નીતેશ લીંબડની ધરપકડ કરી છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, કુતિયાણા દ્વારા મીતેશ ઉર્ફે નીતેશ વલ્લભભાઈ લીંબડને 15 જુલાઈ,2025 થી એક વર્ષ માટે પોરબંદર જિલ્લામાંથી હદપાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હદપારના આદેશનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કુતિયાણા પોલીસને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:52 pm

ઇટાલિયા પર જૂતું ફેંકવા મામલે ઈસુદાન ગઢવીના ભાજપ પર પ્રહારો:કહ્યું- યુવકને ભાજપે દારૂ પીવડાવી અને પૈસા આપી મોકલ્યો, CM-DYCM તપાસ કરાવે

રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા પૂર્વે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જૂનાગઢના માળીયા હાટીનામાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારને ભાજપે મોકલ્યાનો આક્ષેપ કર્યો હતો. બેરોજગાર યુવાનને દારૂ પીવડાવી રૂપિયા 50 હજાર આપી જૂતું ફેકાવડાવામાં આવ્યું હતું. યુવાનને કારમાં બેસાડીને લાવવામાં આવ્યો હતો. તેની પાસે છરી હોવાનું પણ સામે આવ્યું હતું. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવે અને ગુજરાતની જનતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપી ભાજપને જવાબ આપે. આ સાથે તેમણે TRP ગેમઝોન દુર્ઘટનાની તપાસમાં SIT ઢાંકવાનું કામ કરી રહી હોય તેવા આક્ષેપો પણ કર્યા હતા. 'ભાજપે નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરી હોય તેમ હુમલા કરાવે છે'ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જૂનાગઢના માળીયા હાટીનામાં OBC વિંગના પિયુષ પરમારની આગેવાનીમાં 1500 જેટલા ભાજપ કાર્યકર્તાઓ ગોપાલ ઇટાલિયાના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે આ ભાજપ નેતાઓને ગમ્યું ન હોય અને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર તરી ગયેલા ભાજપના લોકોએ નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ કરી હોય તેમ AAPના નેતાઓ પર હુમલાઓ કરાવે છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, એક યુવકે વીડિયો બહાર આવ્યો છે અને તેણે કબૂલ્યું છે તે પ્રમાણે કેટલાક લોકોએ 50 હજાર રૂપિયા આપીને ગોપાલભાઈ પર જૂતું ફેંકવાનું કહ્યું હતું અને દારૂ પણ પીવડાવ્યો હોવાનું કબૂલ્યું છે. તે યુવક છરી લઈને આવ્યો હોવાનું પણ મેં સાભળ્યું હતું. ભાજપ એટલી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી રહ્યું છે કે, તે બેરોજગાર યુવાનને દારૂ પીવડાવી અને પૈસાની લાલચ આપી AAP નેતાઓનું મોરલ ડાઉન થાય અને નેગેટિવ મેસેજ જાય એ માટે જૂતા ફેંકાવે છે. આ ભાજપે હુમલો કરાવ્યો છે. 'ગોપાલ ઈટાલિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે'ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુવાન દારૂ પીધેલો છે છતાં પોલીસ પકડતી નથી. ભાજપના નેતા અને પોલીસની મીલીભગતથી ગોપાલ ઈટાલિયા પર હુમલો કરાવ્યો. ભાજપની સરકાર ગોપાલ ઈટાલિયા જેવા પાટીદાર યુવાન પર હુમલો કરાવે છે. ભાજપના એકપણ નેતા લોકોમાં પ્રિય નથી અને ઈટાલિયા જેવા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગુજરાતની જનતાનો અવાજ બની રહ્યા છે, ત્યારે તેને દબાવવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ મામલે તપાસ કરાવેજો ભાજપ લોકો માટે કામ કરવા લાગે તો અમારા પર હુમલો કરાવવાની જરૂર નથી. અમે સન્યાસ લઈ લઇશું. ગોપાલ ઈટાલિયા પાટીદાર યુવાન પર જીવલેણ હુમલો કરવાનું ષડયંત્ર ભાજપના રાજમાં થયું છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ સ્વીકારવું પડે કે તેમણે હુમલો કર્યો છે. ક્યાં પછી સ્વીકારવું પડે કે એમને સરકાર ચલાવતા આવડતી નથી. કાયદો વ્યવસ્થા ચલાવતા આવડતી નથી. આ મામલે ઊંડાણપૂર્વ તપાસ થવી જોઇએ. આ બેરોજગાર અને નાના યુવાનનો ભાજપે દૂરપયોગ કર્યો છે. આને હું ગુનેગાર નથી માનતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આ મામલે તપાસ કરાવે. 'TRP આગકાંડમાં SITએ ઢાંકવાનું કામ કરતા આરોપીઓ ખુલ્લા ફરે છે'અંતમાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા. જેમાં SITની રચના કરવામાં આવી. જેણે તપાસ કરવાને બદલે ઢાંક પીછોડો કર્યો. જેને કારણે જ આજે તમામ આરોપીઓ ખુલ્લા ફરી રહ્યા છે. તો બીજી વખત લોકો ભાજપને મત આપશે તો આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે અને લોકો મુશ્કેલીમાં મુકાતા રહેશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:51 pm

પોરબંદરમાં બિનઅધિકૃત માછીમારી સામે કાર્યવાહી:મિયાણી મરીન પોલીસે LED લાઇટ વડે ફિશિંગ કરતા પીલાણા પર ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લાના દરિયાઈ જળસીમામાં બિનઅધિકૃત માછીમારી સામે મિયાણી મરીન પોલીસે કડક કાર્યવાહી કરી છે. મિયાણી મરીન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં LED લાઇટનો ઉપયોગ કરીને માછીમારી કરતી એક પીલાણા (નાની બોટ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્ય સ્તરેથી ગુજરાત મત્સ્યધોગ અધિનિયમ–2003 હેઠળ ફિશરીઝ એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવમાં, પીલાણાના ટંડેલ વિરુદ્ધ મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ધોરણસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:45 pm

પોરબંદરમાં દારૂના ધંધા સામે કડક કાર્યવાહી:બે આરોપીઓને PASA હેઠળ સુરત અને વડોદરા જેલમાં મોકલાયા

પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના ધંધામાં સંડોવાયેલા બે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ અનુસાર, જાહેર સલામતીને જોખમ પહોંચાડતી પ્રવૃત્તિઓ બદલ આ બંને આરોપીઓને PASA હેઠળ અટકાયત કરીને સુરત અને વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રથમ કેસમાં, કુતિયાણા તાલુકાના દેવડા ગામના રહેવાસી ભોજા બાલુભાઇ મોરી (ઉંમર 25) વિરુદ્ધ PASA વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું. તેને સુરત જેલમાં મોકલવામાં આવ્યો છે. આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની કુલ 3840 સીલપેક વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત 6,82,800 રૂપિયા આંકવામાં આવી છે. બીજા કેસમાં, રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામના રહેવાસી રામા મુરૂભાઇ ચાવડા (ઉંમર 40) સામે પણ PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાણાવાવ વિભાગમાં નોંધાયેલા પ્રોહિબિશન કેસમાં તેની સંડોવણી હતી. આરોપી રામા ચાવડા પાસેથી બહારથી મંગાવીને વેચાણ કરાયેલી વિવિધ બ્રાન્ડની દારૂની 240 બોટલો અને 20 બોક્સ, કુલ 2,64,000 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે તેને વડોદરા જેલમાં અટકાયત હેઠળ મોકલવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:41 pm

ગાંધીનગર જિલ્લામાં પાણી પુરવઠાની 384 યોજનાઓ સંપન્ન:કલેક્ટરની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક, 30 ગામોમાં પીવાના પાણીના સ્તર સુધારવા કવાયત

ગાંધીનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ અને જળ વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લાની વિવિધ ગ્રામ સમિતિઓ હેઠળની પાણીની યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને નવા વિકાસલક્ષી કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી. પાણી પુરવઠાની 384 યોજનાઓના કામો સંપન્નજિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની જુદી જુદી ગ્રામ સમિતિઓ હેઠળ કુલ 390 યોજનાઓ કાર્યરત કરવામાં આવી હતી. જેમાંથી 384 જેટલી યોજનાઓના કામો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.જ્યારે બાકીની 6 યોજનાઓ હાલ અંતિમ તબક્કામાં એટલે કે પ્રગતિ હેઠળ છે. નવીન બોર, પંપીંગ મશીનરી, વીજળીકરણ અને એસેસરીઝના કામોકલેક્ટરે આ કામોને સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.જ્યારે જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ દ્વારા જિલ્લાના ગામોમાં જરૂરી સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગામોની જરૂરિયાત મુજબ નવીન બોર, પંપીંગ મશીનરી, વીજળીકરણ અને એસેસરીઝના કામો ઓળખી કાઢવામાં આવ્યા હતા. 30 ગામો પૈકી 5 ગામોમાં કામગીરી પૂર્ણ ત્યારે સર્વેક્ષણ હેઠળના 30 ગામો પૈકી 5 ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને 25 ગામોમાં હાલ મશીનરી ઇન્સ્ટોલેશન સહિતના કામો તેજ ગતિએ ચાલી રહ્યા છે. ખાસ કરીને માણસા તાલુકાના આજોલ ગામની પાણીની જરૂરિયાતને ધ્યાને રાખીને ત્યાં બે નવા બોર અને નવીન પંપીંગ મશીનરી માટે ખાસ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સંકલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.જેમાં જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ, અધિક નિવાસી કલેક્ટર નિશા શર્મા, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ આયુષ જૈન, તેમજ પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા અને મયંક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મામલતદાર અને વાસ્મો ના અધિકારીઓ સહિતના સંલગ્ન વિભાગના વડાઓએ હાજરી આપી ગ્રામીણ સ્તરે સ્વચ્છતા અને જળ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:40 pm

એશિયા ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન:ખેલ મહાકુંભમાં ધૈર્ય બારોટે બોક્સિંગ અને આરવ શાહે ચેસમાં ગોલ્ડ મેડલ જીત્યો

રાજ્યમાં આયોજિત ખેલ મહાકુંભમાં એશિયા ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ બે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ લાવીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ જીતવા પર શાળા પરિવારે બંને વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી હતી એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 10 ના વિદ્યાર્થી ધૈર્ય બારોટે રાજ્ય સ્તરીય ખેલ મહાકુંભ અંડર‑17 બોક્સિંગ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિદ્ધિ વિદ્યાર્થી અને સંસ્થા બંને માટે મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થાય છે. જે રમતગમતની ઉત્તમતા, શિસ્ત અને સ્પર્ધાત્મક મંચો પર પ્રતિભા વિકસાવવાની શાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. એશિયા ઇંગ્લિશ સ્કૂલના ધોરણ 8 ના વિદ્યાર્થી આરવશાહે ખેલ મહાકુંભ અંડર‑14 રાજ્ય સ્તરીય ચેસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવી રાજ્ય ચેમ્પિયન તરીકે સ્થાન મેળવ્યું છે. તેમની સિદ્ધિ સમર્પણ, વ્યૂહાત્મક કુશળતા અને ધીરજનું પ્રતિબિંબ છે, જે સંસ્થાને ગૌરવ અપાવે છે અને પ્રતિભા વિકસાવવાના પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:35 pm

પંચમહાલ કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક:ગોધરામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ પર ભાર

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિરાકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન, જિલ્લાના જનપ્રતિનિધિઓએ વીજળી અને 'નલ સે જલ' યોજના હેઠળના જોડાણ સહિતના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેક્ટર દહિયાએ સંબંધિત અધિકારીઓને પડતર અરજીઓનો નિકાલ કરવા, આરોગ્ય સેવાઓ સુધારવા, વિવિધ યોજનાઓ હેઠળ સહાય વિતરણ કરવા અને વીજ જોડાણ સહિતના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નોનો સકારાત્મક અભિગમથી ઝડપી અને યોગ્ય ઉકેલ લાવવા માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા વન સંરક્ષક, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. દેસાઈ અને નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:33 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:આસ્ટોડિયા દરવાજા પાસે અકસ્માતમાં પુત્રીની નજર સામે પિતાનું મોત, સાબરમતી જેલમાં કેદીએ પોતાની જ પાઘડીથી ગળેફાંસો ખાધો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:31 pm

હાંસડા શાળા બાંધકામમાં ગેરરીતિના આક્ષેપ:ગ્રામજનોએ હલકી ઈંટો, પાતળા સળિયા વાપરવાનો આરોપ લગાવ્યો

છોટા ઉદેપુર જિલ્લાના હાંસડા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. સ્થાનિક ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાની ઈંટો અને પાતળા સળિયાનો ઉપયોગ થતો હોવાનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોએ કામની ગુણવત્તા સુધારવા અને તપાસની માંગ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બહુલ્ય ધરાવતો વિસ્તાર છે, જ્યાં શિક્ષણનું સ્તર સુધારવા અને જર્જરિત શાળાના ઓરડાઓને બદલે પાકા મકાનો બનાવવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. આ અંતર્ગત, જિલ્લામાં અનેક સ્થળોએ શાળાના ઓરડા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હાંસડા ગામની પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી રહી હોવાનો ગ્રામજનોનો આરોપ છે. તેઓ દાવો કરે છે કે બાંધકામમાં હલકી ગુણવત્તાની ઈંટોનો ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રામજનોએ વધુમાં જણાવ્યું કે, બાંધકામમાં પાતળા સળિયા વાપરવામાં આવી રહ્યા છે અને તેમને 18 ઇંચના અંતરે નાખવામાં આવી રહ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન છે. હાંસડા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના 46 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ શાળાનું નિર્માણ લગભગ 1986માં થયું હતું. લગભગ 40 વર્ષ બાદ થઈ રહેલા ઓરડાના બાંધકામમાં પણ ગેરરીતિ થઈ રહી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આ શાળાનું બાંધકામ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલી રહ્યું છે અને તેની દેખરેખ પણ તેમના દ્વારા જ કરવામાં આવે છે. સર્વ શિક્ષા અભિયાનના TRP મિલીન પાર્ટેને આ અંગે પૂછવામાં આવતા, તેમણે સ્વીકાર્યું કે એક ટ્રેક્ટર ખરાબ ઈંટો આવી હતી, જેને બાજુ પર મૂકી દેવામાં આવી છે અને તેનો ઉપયોગ પાણી છાંટવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, બે કારીગરો વચ્ચે ઝઘડો થતાં એક કારીગરને કામ પરથી હટાવી દેવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા હલકી ગુણવત્તાના કામના આક્ષેપો અને સર્વ શિક્ષા અભિયાનના અધિકારી દ્વારા કરવામાં આવી રહેલા ખુલાસા વચ્ચે, ગ્રામજનોએ આ સમગ્ર કામગીરીની યોગ્ય તપાસ થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:28 pm

ઘોઘામાં ‘બેટી બચાવો-બેટી પઢાવો’ જાગૃતિ સેમિનાર:આશાવર્કર બહેનોને PC PNDT એક્ટ અંગે સમજ અપાઈ

ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ઘોઘા ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 16/01/2026 ના રોજ બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાની આશાવર્કર બહેનોને PC PNDT એક્ટ (ગર્ભ પરીક્ષણ પ્રતિબંધિત કાયદો) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. ચંદ્રમણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમાજમાં દીકરીઓનો જન્મદર વધારવો અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણી પ્રાથમિકતા છે. જો કોઈ પણ વ્યક્તિ આ કાયદાનું ઉલ્લંઘન કરી ગર્ભ પરીક્ષણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરે, તો તેની તુરંત જિલ્લા કક્ષાએ જાણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. લાખાણીએ કાયદા હેઠળ થતી સજા અને દંડની જોગવાઈઓ વિશે આશાવર્કર બહેનોને માહિતગાર કર્યા હતા. આ સેમિનારમાં PBSC અને સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ પણ પોતાની કામગીરી વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશ્યાલીસ્ટ અજયભાઈ ધોપાળ અને મોટી સંખ્યામાં આશાવર્કર બહેનો હાજર રહી હતી. આ પ્રકારના આયોજનથી ગ્રામીણ સ્તરે કાયદાકીય જાગૃતિ આવશે અને દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:24 pm

AIથી નેતા, બિલ્ડર્સને સોશિયલ મીડિયામાં બદનામ કરી ખંડણી:જામનગર સાયબર ક્રાઈમે માસ્ટર માઈન્ડ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી, પૂર્વ કૃષિમંત્રી સહિતે ફરિયાદ કરી

સોશિયલ મીડિયાના માધ્યમથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો દુરુપયોગ કરી પ્રતિષ્ઠિત રાજકીય અગ્રણીઓ અને બિલ્ડરોને બદનામ કરી લાખોની ખંડણી વસૂલતા આંતરજિલ્લા રેકેટનો જામનગર સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં માસ્ટર માઈન્ડ નેપાળથી સોશિયલ મીડિયામાં બધાને બદનાર કરતો હતો. અગાઉ આરોપીના પિતાની ધરપકડ થઈ હતી. જેને છોડાવવા આવતા બાપ-બેટા સહિત આરોપીને પકડીને ખંડણી માગવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ ગુનાની પદ્ધતિ શું હતી?મુખ્ય આરોપી વિશાલ કણસાગરા ફેસબુક પર 'Vishal Kansagara' અને ઇન્સ્ટાગ્રામ પર 'v.kansagara77' નામના આઈડી ચલાવતો હતો. તે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ, જમન ફળદુ, જસ્મીન અને બિલ્ડર સ્મિત પરમાર જેવા જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોના ફોટા તેમની મંજૂરી વગર મેળવતો હતો. ત્યારબાદ AI ટૂલ્સની મદદથી આ ફોટાઓને વિકૃત (Morph) કરી તેમાંથી આપત્તિજનક વીડિયો તૈયાર કરતો હતો. આ વીડિયો અને ફોટા પર ઉશ્કેરણીજનક તેમજ બદનક્ષીભર્યું લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવામાં આવતા હતા. બદનામીનો ડર બતાવી આરોપીઓ ભોગ બનનાર પાસેથી મોટી રકમની ખંડણી માંગતા હતા. સોદો 23 લાખમાં નક્કી થયો હતો તપાસમાં ખુલાસો થયો છે કે બિલ્ડર સ્મિત પરમારને બદનામ કરતી પોસ્ટ હટાવવા માટે આરોપીઓએ 50 લાખની માંગણી કરી હતી, જેમાં અંતે 23 લાખમાં સોદો નક્કી થયો હતો. અન્ય એક કિસ્સામાં 2 લાખની રોકડ રકમ વસૂલવામાં આવી હતી, જે મુખ્ય આરોપીના પિતા હેમંત કણસાગરાએ સ્વીકારી હોવાનું સામે આવ્યું છે. રેકેટમાં કોની ભૂમિકા કઈ હતી? વિશાલ ઉર્ફે કાનો કણસાગરા: મુખ્ય સૂત્રધાર, જે AI એડિટિંગ અને સોશિયલ મીડિયા હેન્ડલ કરતો હતો. પુરષોત્તમ ઉર્ફે પસા પરમાર: ખંડણી માટે મધ્યસ્થી કરી ભોગ બનનાર સાથે વાતચીત ગોઠવતો હતો. હેમંત કણસાગરા: ખંડણીના નાણાં સ્વીકારવાનું કામ કરતો હતો. રાજેન્દ્રસિંહ સોલંકી: ટાર્ગેટ કરવામાં આવેલા વ્યક્તિઓની વિગતો અને ગુના સંબંધિત માહિતી આરોપીઓ સુધી પહોંચાડતો હતો. પોલીસ કાર્યવાહીજામનગર સાયબર ક્રાઈમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023 (BNS)ની કલમ 308(5), 336(2), 351(4), 356 અને 61(2) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66(C) હેઠળ ગુનો નોંધી આરોપીઓને જેલહવાલે કર્યા છે. વિશાલ કણસાગરા નેપાળમાં બેસીને નાણાં પડાવવા માટે નેતા અને બિલ્ડરોની પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકીને તેઓને બદનામ કરતો હતો. આરોપીને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. બિલ્ડરની બદનામ કરનાર બે આઈડી ધારકો સામે ફરિયાદ આ કેસમાં જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રએ સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ બે આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા બદનામ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પૂર્વ મંત્રીના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીપૂર્વ મંત્રી રાઘવજી પટેલના ફોટાને એડિટ કરી સાડી પહેરાવીને 'આ છે આપણા ગુજરાતનું ગૌરવ, પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર' જેવું લખાણ લખીને બે ID ધારકોએ ફેસબૂક અને ઇન્ટ્રાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં અપલોડ કરતા પૂર્વ મંત્રીએ બંને આઇડી ધારકો સામે જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સોશિયલ મીડિયામાં અપલોડ કરી બદનામી કરીરાઘવજી પટેલે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફેસબુક ID વપરાશકર્તા વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામ ID વપરાશકર્તા વી. કણસાગરા77 એ તેમના ફોટા તેમની મંજૂરી વગર મેળવી લીધા હતા અને આ ફોટોગ્રાફ્સને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા એડિટ કરીને વિકૃત કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા હતા. અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે ખંડણી માંગવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અગાઉ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જેલ હવાલે છે. મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા, જે હેમતલાલ કણસાગરાનો પુત્ર છે, તે ફરાર હતો અને નેપાળથી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નાણાં પડાવતો હતો. તેના પિતાને જામીન પર છોડાવવા તે ભારતમાં જામનગર આવ્યો ત્યારે સાયબર પોલીસની ટીમે તેનું લોકેશન શોધીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિશાલ કણસાગરાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. તેણે તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હોવા છતાં, સાયબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરી લીધો છે. પોલીસ તે આઈડી દ્વારા લોકોને બદનામ કરવાના ષડયંત્ર સંબંધિત ડેટા કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. વિશાલ કણસાગરાની ક્રાઈમ કુંડળીજામનગરનો વતની વિશાલ કણસાગરા સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ અનેક કારસ્તાન કરી ચૂક્યો છે, અને જામનગરના પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી 11 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તે પકડાયો પણ છે. ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા કે જેની સામે પણ સાઈબર ફ્રોડના અન્ય ચાર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. વિશાલ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આઇડી વગેરે બનાવવાનું જાણતો હોવાથી બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસે નાણા પડાવાના બહાને આ કરતૂત કરતો હોવાનું પણ કબુલ્યું છે. આ પણ વાંચો-FB પર 'રાઘવજી પટેલ ભ્રષ્ટાચારનું ઘર'ની પોસ્ટ વાઇરલ

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:22 pm

ક્રાઇમ બ્રાન્ચે દારૂ-બિયરથી ભરેલ ખોટી નંબર પ્લેટવાળું આઈશર પકડી પાડ્યુ:વલસાડથી દારૂનો જથ્થો ભરી ગોંડલ પહોંચાડવા માટે બુટલેગર કૌશિક પટેલ, સંજય પટેલ અને હાર્દિક પટેલ દારૂ ભરેલ ટ્રકનું પાયલોટિંગ કરતા'તાં

• કુવાડવા નજીકથી રૂ.53.68 લાખનો દારૂ આઇશર મળી 63.58 લાખનો મુદામાલ કબ્જે રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામ પાસેથી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રૂ.53.68 લાખનો દારૂ ભરેલ આઈશર ઝડપી પાડી આઇશર ચાલક ઉત્તરપ્રદેશના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો દારૂનો જથ્થો વલસાડથી ભરી ગોંડલ પહોંચાડવા માટે બુટલેગર કૌશિક પટેલ, સંજય પટેલ અને હાર્દિક પટેલ પાયલોટિંગ કરતાં હોવાનું સામે આવતાં તેની શોધખોળ હાથ ધરી છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ અને બિયરના 13944 બોટલ-ટીન સહિત કુલ રૂ.63.68 લાખનો મુદામાલ કબ્જે કરી ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અમદાવાદ તરફથી એક દારૂ ભરેલ ટ્રક રાજકોટ તરફ આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ કુવાડવા ગામ પાસે આવેલ ગુજરાત ગેસના પંપ નજીક રોડ પર વોચમાં હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ આઇસર ટ્રક નંબર જીજે.23.એડબ્લ્યુ.5219ને અટકાવી ટ્રક ચાલકની અટકાયત કરી તેનું નામ પૂછતા બ્રજેશકુમાર રામશ્રય વર્મા (ઉ.વ.29) જણાવ્યું હતું. આરોપીને સાથે રાખી આઇસર ટ્રકમાં તપાસ કરતા તેમાં ચોખાના ભુસાની આડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ.53.68 લાખનો અલગ અલગ બ્રાન્ડનો દારૂ અને બિયરની 13944 બોટલ અને ટીન મળી કુલ રૂ.63.83 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આઇસર ટ્રકમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે પકડાયેલ શખ્સની પુછપરછમાં દારૂનો જથ્થો વલસાડથી કૌશિક પટેલ, સંજય પટેલ અને હાર્દિક પટેલ નામના બુટલેગરોએ ભરી આપ્યો હોવાનું સામે આવ્યું હતું તેમજ દારૂનો ટ્રક વલસાડથી નીકળ્યા બાદ કૌશિક પટેલની કારમાં આગળ પાયલોટિંગ કરતો હતો. હાર્દિક પટેલ અને સંજય પટેલ કારમાં ટ્રકની પાછળ પાછળ આવી પાયલોટિંગ કરી રહ્યા હતા. જે દારૂનો જથ્થો ભરેલ ટ્રક ગોંડલ પહોંચ્યા બાદ તેઓ તેમને વોટ્સએપ કોલથી આગળ કયા માલ પહોંચાડવાનો છે તે અંગે માહિતી આપવાના હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચે નાસી છૂટેલા ત્રણેય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:20 pm

મેંદરડામાં મહિલા સરપંચોનો સંવાદ સેતુ:‘બેટી બચાવો બેટી પઢાવો’ અંતર્ગત વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો એનાયત કરાયા

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મેંદરડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ‘મહિલા સરપંચો સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મેંદરડા તાલુકાના મહિલા સરપંચો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે મહિલા નેતૃત્વને મજબૂત બનાવવાનો અને દીકરીઓના શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ સંવાદ દરમિયાન બાલિકા પંચાયતની રચના, દીકરી જન્મને ઉત્સવ તરીકે ઉજવવો, કન્યા કેળવણી નિધિ અને શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ઘટાડવા જેવા મહત્વના વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે મહિલાઓના સ્વાસ્થ્ય અને બાળકોની યોગ્ય જાળવણી અંગે પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું હતું. આ તકે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો, દીકરી વધામણા કીટ, શૈક્ષણિક કીટ અને મહિલા સ્વાવલંબન યોજનાના સબસિડી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી બી. ડી. ભાડ અને સી. જી. સોજીત્રાએ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. આ ઉપરાંત, મેંદરડા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ. સુહાગભાઈ ભાલોડીયા અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પૂજાબેને મહિલાઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મનિષાબેન પાનસુરીયા, મેંદરડા સરપંચ જયાબેન ખાવડુ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 6:13 pm

ગીર સોમનાથ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:જનહિતલક્ષી પ્રશ્નોના ઝડપી નિવારણ પર ભાર

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલેએ લોકહિતના પ્રશ્નોનું નિયમોનુસાર અને સમયમર્યાદામાં નિવારણ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે તમામ વિભાગોને પરસ્પર સંકલનમાં રહીને કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન ધારાસભ્ય ભગવાન બારડ અને વિમલ ચુડાસમા દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કરાયા હતા. જેમાં સૂત્રાપાડા ખાતે 'દિશાસૂચક' દિવાદાંડીની વ્યવસ્થા, નગરપાલિકા સંબંધિત પ્રશ્નો, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા વડોદરા ઝાલાથી વિરોદર સુધી આર.ઓ. પ્લાન્ટથી પાઇપલાઇન અને પંપ હાઉસના કામ, તેમજ ખાંભા ગામે પ્રાચી-માધુપુર હાઇવે અને વળતર સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રશ્નો પર ચર્ચા કરતા અધિક નિવાસી કલેક્ટરે અમલીકરણ અધિકારીઓને જનહિતલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી ઝડપી અને અસરકારક નિવારણ લાવવા સૂચના આપી. તેમણે જિલ્લામાં બાકી રહેલા વિકાસકામો સરકારની માર્ગદર્શિકા મુજબ સમયસર પૂર્ણ થાય અને વિવિધ વિભાગો વચ્ચે સુમેળ જળવાઈ રહે તે પર પણ ભાર મૂક્યો. બેઠકમાં પ્રજાના પ્રશ્નોને ઝડપથી વાચા આપી જનસુખાકારીના કાર્યોને વેગ આપવા અનુરોધ કરાયો હતો. અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ સહિતના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:56 pm

ગોધરા નગરપાલિકાએ જાહેરમાં ગંદકી કરનારા સામે કાર્યવાહી કરી:વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો, સ્વચ્છતા જાળવવા અપીલ

ગોધરા નગરપાલિકાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. સેનેટરી વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ સામે દંડાત્મક પગલાં લેવાયા છે. નગરપાલિકાની ટીમે બસ સ્ટેન્ડ રોડ, ભુરાવાવ વિસ્તાર અને પાંજરાપોળ સહિતના મુખ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન જે દુકાનદારો પોતાની દુકાનની બહાર કચરો ફેંકતા કે ગંદકી કરતા ઝડપાયા, તેમની પાસેથી સ્થળ પર જ રોકડ દંડ વસૂલવામાં આવ્યો. નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારા વેપારીઓને વહીવટી નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ટીમે વેપારીઓને ડસ્ટબિનનો ઉપયોગ કરવા અને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ કરી હતી. આ સમગ્ર કામગીરી ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર સહલ મન્સૂરી, આર. કે. મહેતા અને સુરપાલસિંહ સોલંકી સહિતના કર્મચારીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીથી ગંદકી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની સ્વચ્છતા ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે તેવી સંભાવના છે, જેથી શહેરમાં સ્વચ્છતાનું સ્તર જાળવી શકાય.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:47 pm

શામળાજીમાં માર્ગ સલામતી જાગૃતિ માટે નુક્કડ નાટક:રાષ્ટ્રીય અભિયાન હેઠળ બસ સ્ટેશનમાં PIની હાજરીમાં કાર્યક્રમ

શામળાજી બસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન અંતર્ગત નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ અકસ્માતો નિવારવા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શામળાજી પીઆઈ એસ.એસ. માલ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીના શામળાજી બસ સ્ટેશનમાં યોજાયેલા આ નુક્કડ નાટકનું આયોજન નેશનલ હાઈવે વિભાગ, ઉદયપુરના ખાંડી ઓબરી ટોલ પ્લાઝાના પ્રોજેક્ટ અધિકારી વીરેન્દ્ર શયોરાનની આગેવાની હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે લોકોને માર્ગ સલામતી માટે સક્રિયતા દાખવવા અને સરકારે બનાવેલા સડક વહન નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું. હાઈવે પર ટ્રાફિક જાગૃતિના અભાવે વધતા જતા માર્ગ અકસ્માતોને કારણે અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. આવા અકસ્માતોને ટાળવા અને ટ્રાફિક નિયમોની ચોક્કસ જાણકારી પૂરી પાડવા માટે આ પ્રકારના જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:43 pm

હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું:મૂળ પંજાબનો અને રાજકોટમાં રહી વેલ્ડિંગ કામની મજૂરી કરતો 27 વર્ષનો યુવક જમીને ઉભો થતાં જ ઢળી પડ્યો હતો

પ્રદ્યુમન પાર્ક ઝૂની બાજુમાં આવેલ આરએમસી ટ્રાન્સપોર્ટનગરમાં રહેતો અમનકુમાર જંગબહાદુર પંજાબી (ઉં.વ.27) ગઈકાલે રાત્રે 12 વાગ્યા આસપાસ બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અમનકુમાર મૂળ પંજાબનો વતની હતો 3 ભાઈમાં મોટો અને અપરણિત હતો. રાજકોટમાં તે વેલ્ડિંગ કામ કરતો હતો ગઈકાલે રાત્રે કામ પૂરું કરી તે સાથે કામ કરતા લોકો સાથે જમવા બેઠો હતો. જમીને તે ઉભો થયો અને પોતાની ડીશ મુકવા જતો હતો ત્યાં જ અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન ગેમિંગમાં હારી જતા યુવકનો આપઘાત સહકારી સોસાયટીમાં રહેતા રેનીસ જેન્તીભાઈ કોરાટ (ઉ.વ.34) નામના યુવાને પોતાના ઘરે ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાન પોતે છેલ્લા ઘણા સમયથી કાંઈ કામ કરતો ન હતો અને તેમને સંતાનમાં એક દીકરી છે. ગઈકાલે પરિવારજનો બહાર ગયા હતા ત્યારે રેનીસ ઘરે એકલો હોવાથી ગળેફાંસો ખાઈ લીધો હતો. રેનિસભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તે ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયો હતો ત્યારે તેનું દેણું પરિવારજનોએ ભર્યું હતું અને પોતે કાંઈ કરી ન શકતો હોવાથી કંટાળી આપઘાત કરું છું. દીકરી અને પત્નીનું ધ્યાન રાખજો પોલીસ કોઈને હેરાન ન કરતા. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જેટકો સબ સ્ટેશનમાંથી રિએક્ટરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ પાટણવાવ પાસે આવેલ જેટકો જી.ઇ.બી. 66 કે.વી. સબ સ્ટેશનમાંથી ગત તા.5 જાન્યુઆરીના રોજ 11 કે.વી. કેપીસેટર બેંકના ત્રણ રીએક્ટર રૂ. 1.17 લાખની કિંમતના ચોરી થવાના ગુનાનો ભેદ ઉકેલી આરોપી કાટીયો ઉર્ફ કટી ઉર્ફ અશોક નરશી વિરમગામીયા (ઉ.વ.35), આકાશ સુરેશ વિકાણી (ઉ.વ.24), ઘનશ્યામ રાજુ હળવદીયા (ઉ.વ.26), શંભુ કરશન ખાવડીયા (ઉ.વ.38) અને વિજય ઉર્ફે કાળીયો વિનોદ સોલંકી (ઉ.વ.28) તેમજ એક સગીર સહિત 6 આરોપીઓને મોટીમારડ ગામે ચીખલીયા રોડ પરથી ઇકો કાર, મોબાઈલ ફોન-3, સ્ટીલના પાના, લોખંડનું કટર અને રોકડ મળી કુલ રૂ.3,14,050ના મુદામાલ સાથે પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે આ ટોળકીના સાગરીત દીપક કેશુ ડેરવાણીયા, શાયર દલસુખ મકવાણા, અણ વજુ વિરમગામીયા અને કરણ ઓઘા ભુતીયા પોલીસના હાથે ન આવતાં તેની શોધખોળ હાથ ધરી છે. આ ટોળકી જેટકો જીઇબી સબ સ્ટેશનમાં પાવર બેંકના પડેલ રિએક્ટરના આઇસોલેટેડ કેબલ કટર દ્વારા કાપી જમ્પર ખોલી રિએક્ટરની ચોરી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતા હતાં. ઝડપાયેલા શખસો દ્વારા દોઢેક માસ પહેલા મોરબીથી બપોર બાદ નીકળી અને મોડી રાત્રે ગોંડલના રીબડા ગામ પાસે એક જી.ઇ.બી.ના ટાવરમાંથી કોપર વાયરની ચોરી કરી હતી, તેમજ ગઇ તા.12ના રોજ મોરબીથી બપોરના ચારેક વાગ્યે નીકળી અને જુનાગઢ તરફ ચોકી ગામ પાસે રાતના એકાદ વાગ્યે જી.ઇ.બી.ના સબ સ્ટેશનમાંથી બે રીએકટરની ચોરી કરી હતી. આ ઉપરાંત ગઇ તા.11ના અમરેલીના સારંભડા ગામે રાતના દોઢ-બે વાગ્યે જી.ઈ.બી.ના સબ સ્ટેશનમાંથી રીએકટરની ચોરી કરી હોવાની કબુલાત આપી છે. કોલેજીયન યુવાને ખિસ્સામાં રાખેલા રૂ.34 હજાર રીક્ષા ગેંગે સેરવી લીધામૂળ ચોટીલાના અને હાલ રાજકોટના માંડાડુંગરમાં રહેતા અને જસાણી કોલેજમાં અભ્યાસ કરતા પ્રભાતભાઇ વનરાજભાઇ જંજવાડીયા (ઉ.વ.20)ને ગઈકાલે આજીડેમ ચોકડી પાસે રીક્ષા ગેંગ ભટકાઈ હતી અને આ ટોળકીએ પ્રભાતભાઈના ખિસ્સામાંથી 34 હજાર સેરવી લેતા આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રભાતે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.16.01.2026ના રોજ સવારના બાબરાથી રાજકોટ આવવા નીકળ્યો હતો. ઉત્તરાયણના તહેવાર ઉપર પતંગ-દોરાનો સ્ટોલ કર્યો હતો જેના વકરાના રોકડા રૂ.34,800 પેન્ટના ખીસ્સામા રાખ્યા હતા અને બપોરના 12.45 વાગ્યાની આસપાસ આજીડેમ ચોકડી ખાતે ઉતરી અને ત્યાંથી એક રીક્ષામાં બેસી ખોખડદડ નદીના કાંઠે વેલનાથપરામાં જવા માટે નીકળ્યો હતો. આ રીક્ષામાં પાછળની સીટમાં એક બહેન તથા એક ભાઈ બેઠા હતા આજીડેમ ચોકડીથી હુડકો ચોકડી તરફ સર્વિસ રોડ ઉપર પહોચ્યા ત્યારે રીક્ષામા વચ્ચે બેઠેલા બહેને ઉલ્ટી-ઉબકા થાય છે તેમ કહી મને કહ્યું કે તમે ભાઈ અહીં વચ્ચે બેસી જાવ જેથી હું ચાલુ રીક્ષાએ વચ્ચે બેસી ગયો અને તે વખતે આ રિક્ષા ચાલકે તેની રીક્ષા ઉભી રાખી અને મને કહ્યું કે ભાઈ તમે નીચે ઉતરી જાવ મારે બીજી જગ્યાએ ઈમરજન્સી જવાનું છે. નીચે ઉતરી અને જોયુ તો મારા ખીસ્સામા રાખેલ રોકડા રૂ.34,800 ગાયબ હતા હાલ આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:42 pm

વડોદરામાં 5 દિવસીય રોજગાર ભરતી મેળા:18 થી 23 જાન્યુઆરી દરમિયાન 5 ભરતી મેળા યોજાશે, દિવ્યાંગો માટે પણ વિશેષ તક

વડોદરા જિલ્લાના રોજગાર ઈચ્છુક ઉમેદવારો માટે આગામી સપ્તાહ ખુશીના સમાચાર લઈને આવ્યું છે. મદદનીશ નિયામક રોજગાર કચેરી-તરસાલી અને યુનિવર્સિટી રોજગાર માહિતી માર્ગદર્શન કેન્દ્ર (UEB) દ્વારા સંયુક્ત રીતે ૧૮ જાન્યુઆરી 2026 થી 23 જાન્યુઆરી 2026દરમિયાન વડોદરાના વિવિધ વિસ્તારોમાં ૫ મોટા રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળાઓમાં આઈ.ટી.આઈ., ગ્રેજ્યુએટ, બી.એડ. અને બી.ઈ. જેવી વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 230 થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે. ભરતી મેળાના સમયપત્રક મુજબ, 18 જાન્યુઆરી ના રોજ હરણીની સદગુરુ સ્કૂલ ખાતે ગ્રેજ્યુએટ્સ માટે, 20 જાન્યુઆરી ના રોજ જેતલપુર રોડ પર એપોલો ફાર્મસી દ્વારા, 21 જાન્યુઆરી ના રોજ વિશ્વામિત્રી બ્રિજ પાસે ગ્રોમેક્ષ એગ્રી ઈક્વિપમેન્ટમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવારો માટે મેળા યોજાશે. ખાસ નોંધનીય છે કે 22 જાન્યુઆરી ના રોજ તરસાલી રોજગાર કચેરી ખાતે 100થી વધુ જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે, જેમાં મુક-બધિર અને ઓર્થો દિવ્યાંગ ઉમેદવારો માટે પણ રોજગારીની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. અંતિમ મેળો 23 જાન્યુઆરી ના રોજ કમાટી બાગ સામે UEB ખાતે બી.ઈ. અને માસ્ટર્સ થયેલા ઉમેદવારો માટે યોજાશે. આ ભરતી મેળામાં ઉમેદવારોને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY) અને સ્વરોજગાર લોન સહાય વિશે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારોએ પોતાના ૫ બાયોડેટા નકલ સાથે સ્વખર્ચે નિયત સ્થળે હાજર રહેવાનું રહેશે. વહીવટી તંત્રે સ્પષ્ટતા કરી છે કે આ પસંદગી પ્રક્રિયા માટે ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:17 pm

મહાશિવરાત્રીએ ₹25માં સોમનાથની ઘરેબેઠા ‘બિલ્વ પૂજા’:શિવભક્તો ઓનલાઈન નોંધણી કરાવી બિલ્વપત્ર અર્પણ કરી શકશે, પ્રસાદ સ્વરૂપે ટ્રસ્ટ રુદ્રાક્ષ અને ભસ્મ મોકલશે

મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે વિશેષ ‘₹25 બિલ્વ પૂજા’ સેવા શરૂ કરવામાં આવી છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની આ પહેલથી શિવ ભક્તો હવે ઘરેબેઠા ઓનલાઈન નોંધણી કરાવી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરી શકશે.એટલું જ નહીં, સોમનાથ ટ્રસ્ટ તમારા સરનામે પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ અને ભસ્મ મોકલશે. શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો વિશેષ મહિમા વર્ણવાયો છે.त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम्। त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम्॥ અર્થાત્, ત્રણ પર્ણવાળું બિલ્વપત્ર ભગવાન શિવને અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપોનો નાશ થાય છે. ઓનલાઈન નોંધણી અને પ્રસાદની સુવિધાશ્રદ્ધાળુઓ ટ્રસ્ટની અધિકૃત વેબસાઈટ somnath.org અથવા આપેલા QR કોડ દ્વારા માત્ર ₹25ની ન્યોછાવર રાશિ ભરીને પૂજા નોંધાવી શકે છે. આ પૂજા મંદિરના પૂજારીઓ દ્વારા જ્યોતિર્લિંગ પર વિધિવત રીતે કરવામાં આવશે. પૂજાના પ્રસાદ સ્વરૂપે ભક્તોને રુદ્રાક્ષ અને ભસ્મ પોસ્ટ મારફત દેશભરમાં તેમના સરનામે મોકલવામાં આવશે. અભિજીત મુહૂર્તમાં લોન્ચિંગઆ વિશેષ સેવાનું આજે અભિજીત મુહૂર્તમાં સોમનાથ મંદિરના મુખ્ય પૂજારી દ્વારા ઔપચારિક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રથમ બિલ્વ પૂજા નોંધાવી સેવાનો વિધિવત આરંભ કરાયો હતો, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. 12.65 લાખ પરિવારોનો અત્યાર સુધી પ્રતિસાદટ્રસ્ટની માહિતી મુજબ, છેલ્લા 3 વર્ષથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રી દરમિયાન આ સેવા પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશભરના 12.65 લાખથી વધુ પરિવારો આ પૂજાનો લાભ લઈ ચૂક્યા છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, ભગવાન શિવને ત્રણ પર્ણવાળું બિલ્વપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપોનો નાશ થાય છે, જેના કારણે ભક્તોમાં આ પૂજાનું વિશેષ મહત્વ છે. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026નોંધનીય છે કે વર્ષ 2026માં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓને પૂજામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. મહાશિવરાત્રીના દિવસે આ પૂજાનું લાઈવ પ્રસારણ સોમનાથ ટ્રસ્ટના યુટ્યુબ અને ફેસબુક પેજ પર કરવામાં આવશે, જેથી વિદેશમાં વસતા ભક્તો પણ ઓનલાઈન દર્શન કરી શકશે.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:14 pm

લાંચ કેસમાં અડાજણ સબ રજીસ્ટ્રારને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા:જમીન વેચાણ દસ્તાવેજમાં હુકમ કરવા વકીલ પાસેથી 3 લાખ માગ્યા હતા, 2.50 લાખ લેતા ACBએ ઝડપ્યો હતો, અત્યારે સસ્પેન્ડ

સુરતના અડાજણના સબ રજીસ્ટ્રાર સામે ACB પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેની સામે ચાર્જશીટ ફાઇલ થતા તેને સુરતની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ કિશન.એન. બ્રહ્મભટ્ટ દ્વારા જામીન અરજી દાખલ કરી હતી. જેને હાઇકોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને 50 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા છે. ACBએ 2.50 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યોકેસને વિગતે જોતા આક્ષેપ મુજબ એક વકીલે પોતાના અસીલનો 1.90 કરોડની જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો હતો, જેમાં ઓર્ડર કરાવવા આરોપીએ 3 લાખની લાંચ માગી હતી. પરંતુ ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં 2.50 લાખની લાંચ લેતા તે ઝડપાઈ ગયો હતો. ફરિયાદી વકીલની ઓફિસના કર્મચારી બન્યા હતા. કર્મચારીઓ લાંચ સંદર્ભની વાતનું ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. સબ રજીસ્ટ્રાર ઓફિસમાંથી કોઈના સ્ટેટમેન્ટ લેવાયા નથીઅરજદાર વતી રજૂઆત કરાઈ હતી કે આ કેસમાં ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. ફરિયાદીએ બદઇરાદાથી ફરિયાદ કરી છે. આવા કેસમાં આજીવન કારાવાસ કે મૃત્યુ દંડ જેવી સજાની જોગવાઈ હોતી નથી. આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી. ફરિયાદીએ રેકોર્ડ કરેલા ઓડિયો રેકોર્ડિંગના આધારે તૈયાર કરાયેલા ડોક્યુમેન્ટમાં આરોપીએ લાંચની રકમ માગી હોય તેવું ક્યાય નથી. ફરિયાદી સિવાય સબ રજીસ્ટ્રાર ઓફિસમાંથી કોઈના સ્ટેટમેન્ટ લેવાયા નથી. આરોપી ઉપર કોઈ પૂર્વ ગુના નથી. તે એક પ્રમાણિક સરકારી કર્મચારી છે. હાઇકોટ આરોપીને 50 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યાસરકારી વકીલે દલીલ કરી હતી કે, પંચોની હાજરીમાં લાંચની રકમ રીકવર કરવામાં આવી છે. પ્રથમદર્શી કેસ આરોપી સામે છે. આરોપીને જામીન મળતા તે સાહેદ અને ફરિયાદી ઉપર દબાણ લાવી શકે છે. આરોપીને જામીન મળતા સરકારના કર્મચારીઓને આવું કૃત્ય કરવા પ્રોત્સાહન મળી શકે તેમ છે. કોર્ટે નોંધ્યું હતું કે આરોપી બે મહિનાથી જેલમાં છે. તેને સસ્પેન્ડ કરાયો છે, આમ તે પુરાવા કે સાહેદ સાથે ચેડા કરી શકે તેમ નથી. હાઇકોટ આરોપીને 50 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Jan 2026 5:12 pm