ખેતરમાં કામ કરતા યુવકનો કાન છૂટો પડ્યો:કાલોલના વાટા રીછીયા ગામે લોખંડની એંગલ વાગતા ગંભીર ઈજા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વાટા રીછીયા ગામે ખેતરમાં કામ કરતી વખતે એક યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. લોખંડની એંગલ વાગવાને કારણે યુવકનો કાનનો ભાગ છૂટો પડી ગયો હતો, જેને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટના આજે વાટા રીછીયા ગામના ખેતરમાં બની હતી. કલર કામ કરી રહેલા સોલંકી મહેશ નામના યુવકને કામ દરમિયાન લોખંડની તીક્ષ્ણ એંગલ કાનના ભાગે વાગી હતી. આ ગંભીર ઈજાને કારણે તેમનો કાન છૂટો પડી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં મહેશભાઈને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ઈજાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
દુનિયાનું 20-22% ઓઇલ જ્યાંથી સપ્લાય થાય છે, એ હોર્મુઝનો દરિયો અત્યારે ઉકળી રહ્યો છે. ચિંતાની વાત એ છે કે, હવે ભારત પણ એની રડારમાં આવી ગયું છે. બે દિવસમાં ઈરાની ગનબોટ્સે બે ભારતીય જહાજ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે. આ તરફ અમેરિકાએ ઈરાનના 900 ફૂટ લાંબા જહાજ ટોસ્કાના એન્જિન રૂમ પર ગોળીઓ વરસાવીને દરિયામાં ઊભું રાખી દીધું છે. ચીનથી આવતાં આ જહાજને અમેરિકન નેવીએ મધદરિયે રોકી દીધું છે. આ સ્થિતિમાં આવતીકાલની ઇસ્લામાબાદ શાંતિમંત્રણા પર સંકટનાં વાદળો ઘેરાયાં છે. અને ઈઝરાયેલ લેબનોનનાં 55 ગામ ગળી ગયું છે. એવામાં ઈરાને ઘાતક ખૈબર-શેકન મિસાઈલો તેલ અવીવ તરફ તાકી દીધી. આજે આપણે યુદ્ધમાં ગ્લોબલ ગેમના ગેમ્બલની વાત કરીએ... નમસ્કાર... દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી હવે માત્ર ઓપરેશન નથી રહી, પણ તે એક કાયમી જીઓગ્રાફિકલ ચેન્જ બાજુ આગળ વધી રહી છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એટલે કે IDFએ 20 એપ્રિલની સવાર સુધીમાં જે ડેટા જાહેર કર્યો છે તે ચોંકાવનારા છે. ઈઝરાયેલ હવે લેબનોનની સરહદની અંદર 5 થી 10 કિલોમીટરની એક ફોરવર્ડ ડિફેન્સ લાઈન નામની સિક્યોરિટી લાઈન બનાવી કરી રહ્યું છે. આ લાઈનનો મતલબ એ છે કે ઈઝરાયેલ હવે માત્ર સરહદની રક્ષા નથી કરી રહ્યું, પણ લેબનોનની જમીન પર પોતાનો દાવો ઠોકીને પોતાનું ડોમિનન્સ વધારીને બફર ઝોન બનાવી રહ્યું છે. ઈઝરાયલનો લેબનોનના ગામો પર કબજો પણ સવાલ થાય કે ઈઝરાયલ આવું કેમ કરી રહ્યું છે? તો જવાબ છે હિઝબુલ્લાહનો ખાત્મો... હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરના ભાગો પર સતત ડ્રોન અને રોકેટના મારા ચલાવી રહ્યું છે. જેના કારણે તે વધુ આક્રામક થયું છે. ઈઝરાયેલની 5 બ્રિગેડે નેવીની મદદથી લેબનોનના 55 ગામો પર કબજો કરી લીધો છે. આ જ વાત હિઝબુલ્લાહ માટે અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો છે. ઈઝરાયલે હિઝબુલ્લાહના 1,800થી વધુ લડવૈયાઓને પતાવી દીધા છે અને પ્રોક્સી ગ્રુપને પતાવવા મેદાને છે. હિઝબુલ્લાહની હથિયાર સપ્લાય પર ફટકો આમાં સૌથી મોટી વાત એ છે કે ઈઝરાયેલનો ટાર્ગેટ ખાલી હિઝબુલ્લાહના લડવૈયાઓ નથી, પણ સ્મગલિંગ પણ રૂટ છે. હિઝબુલ્લાહના સીરિયાથી લેબનોન આવતા હથિયારોના જથ્થાને રોકવા માટે લેબનોનના લિતાની નદી પરના પુલને ઈઝરાયલે નિશાન બનાવ્યું છે અને તોડી પાડ્યું છે. જોકે અપડેટ એવી છે કે લિતાનીના ઓપ્શનમાં લેબનોનની નાબાતીહ અને ટાયરના કેટલાક પુલો ફરી ખુલ્યા છે, જે સ્થાનિક વસ્તી માટે પણ રાહત હોઈ શકે, પણ સૈન્ય દ્રષ્ટિએ તે હજુ પણ જોખમી વિસ્તાર છે. ઈઝરાયલને ઈરાનનો વળતો પ્રહાર ઈઝરાયલની એગ્રેસિવનેસ દેખાડે અને ઈરાન ચૂપ બેસે તેવું બને? ગઈ રવિવારે રાત્રે ઈરાને તેની સૌથી એડવાન્સ ગણાતી ખૈબર-શેકન મિસાઈલોની તૈનાતી કરી છે. આ મિસાઈલો ઈઝરાયલના આયર્ન ડોમ નામની એર ડિફેન્સને નબળી પાડી શકે છે. સોલિડ-ફ્યુઅલ પર ચાલતી આ મિસાઈલો ખૂબ જ ઝડપી છે અને હુમલાના એન્ડ પોઈન્ટ સુધી પોતાનો રસ્તો પણ બદલી શકે છે. આવું કરીને ઈરાન ઈઝરાયલને મેસેજ આપવા માગતું હશે કે, જો ઈઝરાયેલ ઈરાનના પ્રોક્સી ઠેકાણાઓ પર હુમલો કરવાનું ચાલુ રાખશે, તો તેહરાન સીધું તેલ અવીવ કે હાઈફા ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવતા અચકાશે નહીં. ઈરાન પાસે હજુ કેટલો દારૂગોળો? અમેરિકાની ઈન્ટેલિજેન્સ એજન્સીના મતે, ઈરાન પાસે હજુ પણ 70% મિસાઈલ સ્ટોક પડેલો છે. ઈરાન અત્યારે તેની અંડર ગ્રાઉન્ડ ટનલો અને પર્વતોની વચ્ચે છુપાયેલા લોન્ચ પેડ્સને એક્ટિવ કરી રહ્યું છે. આ એશિયાના એનર્જી માર્કેટ અને વર્લ્ડ પીસ માટે ખતરાની ઘંટડી છે. અમેરિકાએ ઈરાની જહાજને પકડી પાડ્યું જ્યારે જમીન પર આટલું ટેન્શન હોય, ત્યારે દરિયો કેવી રીતે શાંત રહી શકે? 19 એપ્રિલ 2026ની રાતે નોર્થ અરબ સાગરમાં જે ઘટના બની, તેણે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધોમાં લાગેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈરાનનું 900 ફૂટ લાંબુ મહાકાય માલવાહક જહાજ M/V ટોસ્કા, ચીની બંદરથી ઈરાન તરફ જઈ રહ્યું હતું, તેને અમેરિકી નેવીના મહાકાય યુદ્ધ જહાજ USS સ્પ્રુઅન્સે ઉત્તર અરબ સાગરમાં અટકાવ્યું. US નેવીએ ચીનથી આવતું ઈરાની જહાજ મધદરિયે અટકાવ્યું અમેરિકાનો દાવો છે કે આ જહાજમાં કેમિકલ કાર્ગોના નામે પ્રિસિઝન મિસાઈલ બનાવવા માટેનો કાચો માલ, એટલે કે સોડિયમ પરક્લોરેટ લઈ જવામાં આવી રહ્યો હતો. જ્યારે જહાજે ચેતવણીઓને ધ્યાનમાં ન લીધી, તો અમેરિકી નેવીએ ટોક્સાના એન્જિન રૂમમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરીને જહાજને દરિયાની વચ્ચે જ લાચાર કરી દીધું. આ કોઈ સામાન્ય જપ્તી નહોતી, પણ દરિયાઈ કાયદાઓ અને સોવેર્નિટીને સીધી ચેલેન્જ હતી. ઈરાને તેને સશસ્ત્ર દરિયાઈ ચાંચિયાગીરી ગણાવી છે, જ્યારે અમેરિકા તેને આતંકવાદ વિરોધી કાર્યવાહી તરીકે જોઈ રહ્યું છે. ઈરાન-અમેરિકાના ઈગોએ યુદ્ધ ભડકાવ્યું હવે તમે આ ઘટનાને બીજી રીતે પણ સમજો. આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાનની યુદ્ધ રોકવા મીટિંગ થવાની હતી. પણ અમેરિકાએ ઈરાની જહાજ પર ફાયરિંગ કરી અને અધવચ્ચે રોકી દીધું અટલે ઈસ્લામાબાદ ટોક્સ પર પાણી ફરી ગયું છે. આ હુમલા પછી ઈરાને શાંતિ મંત્રણાના ટેબલ પર આવવાની ઘસીને ના પાડી દીધી છે. આનાથી એ સાબિત થાય છે કે મિડલ ઈસ્ટના દરિયામાં હવે વેપાર નહીં, પણ શક્તિ પ્રદર્શન સર્વોપરી બન્યું છે. હોર્મુઝ સ્ટ્રેટઃ દુનિયાની ડોક ને ઈરાનની તલવાર દુનિયાના કુલ તેલ વેપારનો 20-22% હિસ્સો જ્યાંથી પસાર થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યારે યુદ્ધનું સેન્ટર પોઈન્ટ બની ગયું છે. ઈરાને આ જળમાર્ગને પોતાની જાગીરની જેમ વાપરવાનું શરૂ કર્યું છે. 17 એપ્રિલે જ્યારે ઈરાને કોમર્શિયલ જહાજો માટે હોર્મુઝ ખોલ્યું, ત્યારે લાગ્યું કે તણાવ ઘટશે. પણ ઈરાનની શરતો અને અમેરિકાના ઈગોએ આખી વાત પર પાણી ફેરવી દીધું. હોર્મુઝની હઠઃ ઈરાન-અમેરિકા નમતું નથી જોખતા હવે ઈરાને માગ કરી છે કે અમે હોર્મુઝ ફરી ત્યારે જ ખોલીશું જ્યારે હોર્મુઝથી નીકળતું દરેક જહાજ ઈરાનને દરિયાઈ ટોલ ટેક્સ (ટ્રાન્ઝીટ) એટલે કે રૂપિયા ચૂકવે. એક શરત એવી પણ છે કે હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજો નહીં નીકળી શકે. ત્રીજી શરત એવી છે કે જે રૂટ પરથી ઈરાન કહે તે રૂટ પરથી જ જે-તે દેશના જહાજોને નીકળવું પડશે. હોર્મુઝમાં ફરી સન્નાટો છવાયો અમેરિકાએ આને બ્લેકમેલિંગ કહી અને ઈરાન સામે ઝૂકવાની ઘસીને ના પાડી દીધી. છેલ્લે થયું એવું કે હોર્મુઝ ફરીથી બંધ થઈ ગઈ. આની અસર ખાલી અમેરિકા અને ઈરાનને જ નહીં પણ આખી દુનિયાને ખરાબ રીતે થઈ. જે હોર્મુઝમાંથી રોજ કરોડો બેરલનું તેલ નીકળવાનું હતું તે ફરી બંધ થઈ ગયું છે અને અત્યારે ત્યાં સન્નાટો છવાઈ ગયો છે. જો કે યુદ્ધ જહાજોની ગર્જના તો છે જ છે. ઈરાને ભારતને પણ લપેટે લીધું પશ્ચિમ એશિયાનો આ જંગ હવે ખાલી ઈઝરાયેલ કે ઈરાન પૂરતો નથી રહ્યો, તેની લપેટમાં ભારત પણ આવી ગયું છે. 2026ના એપ્રિલ મહિનાનું આ ત્રીજું અઠવાડિયું ભારતીય વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા માટે કસોટીની ક્ષણ સાબિત થઈ રહ્યું છે. 18 એપ્રિલ 2026ની સાંજ ભારતીય નેવીના ઇતિહાસમાં એક કાળી ઘટના તરીકે નોંધાશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય રાષ્ટ્ર ધ્વજવાળા જહાજો પર ઈરાને ફાયરિંગ કર્યું છે. ભારતીય જહાજ જગ અર્નવ અને સન્માર હેરાલ્ડ હોર્મુઝ પાર કરીને ભારત આવી રહ્યું હતું ત્યારે ઈરાની ગનબોટ્સે અચાનક ગોળીઓનો મારો ચલાવ્યો. ભારતીય જહાજના કેપ્ટને ઈરાનને રડારમાં કહ્યું કે, તમે જ નીકળવાની પરમિશન આપી છે. તો ફરી કેમ ગોળીઓ ચલાવી રહ્યા છો? અમને પાછા જવા દો આ ઓડિયો પણ સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બનાવમાં સન્માર હેરાલ્ડ જહાજની બારીઓના કાચ તૂટી ગયા હતા. હોર્મુઝમાં હુમલો ને દિલ્લીમાં દંગલ આ ઘટના પછી નવી દિલ્હીમાં હલચલ મચી ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે તાત્કાલિક અસરથી ઈરાની રાજદૂત મોહમ્મદ ફતહલીને સમન્સ પાઠવ્યા હતા. ભારતે ચોખ્ખાં શબ્દોમાં ઈરાનને વોર્નિંગ આપી કે, ભારતીય ખલાસીઓ અને જહાજોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો કે સામેની બાજુ ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ્સની માનીએ તો અત્યારે પણ 22 જેટલા ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ જહાજોની સિક્યોરિટી ઈન્ડિયન નેવીના હાથમાં છે અને તેઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે જેથી કોઈ છમકલું ન થાય. ભારતની ચિંતા તેના જહાજો અને લોકો ભારત માટે સૌથી મોટી ચિંતા આપણા ફસાયેલા 22 જહાજો અને તેમાં રહેલા ભારતીય ક્રૂ મેમ્બર્સ છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તમામ ભારતીય ખલાસીઓ સુરક્ષિત છે, પરંતુ પર્શિયન ગલ્ફમાં વધતો તણાવ તેમને જોખમમાં મૂકી રહ્યો છે. દેશ ગરિમા નામના ભારતીય જહાજે હિંમત બતાવીને હોર્મુઝ ઓળંગ્યું છે, પણ BW લોયલ્ટી જેવા જહાજો હજુ પણ ત્યાં જ અટવાયેલા છે. ગ્લોબલ ઈકોનોમી પર વજ્રાઘાત જ્યારે હોર્મુઝ બંધ થાય છે, ત્યારે તેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે. આજ સવારથી જ ગ્લોબલ માર્કેટમાં ગભરાટનું વાતાવરણ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ 17 એપ્રિલે 90 ડોલર પ્રતિ બેરલ હતા તે આજે ઉછળીને 96 ડોલરને પાર પહોંચ્યા છે. જો આવું આમને આમ ચાલું રહેશે તો, તેલના ભાવ આભ આંબશે તે નક્કી છે. આનાથી વૈશ્વિક મોંઘવારી પણ આવી શકે તેમ છે. ક્રુડ ઓઈલ જ નહીં શેર બજારમાં પણ આની માઠી અસર થઈ છે. ભારતીય શેર બજાર લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યું છે. ઈન્વેસ્ટર્સ ડરી રહ્યા છે કે જો તેલ મોંઘું થશે તો ફૂગાવો વધી શકે તેમ છે અને જો આવું થાય તો વ્યાજ દરોમાં પણ વધારો આવી શકે. ઈસ્લામાબાદ મંત્રણા પર સંકટનાં વાદળ પશ્ચિમ એશિયાની આ કટોકટીમાં 21 એપ્રિલ એટલે કે આવતીકાલનો દિવસ આખા વિશ્વ માટે આશાનું કિરણ બનીને આવવાનો હતો. પણ આ સ્થિતિમાં બન્ને દેશો વચ્ચે હવે શું થાય છે તેના પર દુનિયાની નજર મંડાયેલી છે. એવા ચાર કારણ છે જેનાથી મંત્રણા પર પાણી ફરી શકે છે. 1. ટોસ્કા જહાજની જપ્તી ઈરાન માટે આ સૌથી મોટો આઘાત હતો. મંત્રણાના 24 કલાક પહેલા જ અમેરિકાએ ઈરાનના મહાકાય જહાજ ટોસ્કા પર ફાયરિંગ કરીને તેને જપ્ત કરી લીધું. ઈરાને તેને પીઠમાં છરો ભોંકવા જેવી ઘટના ગણાવી. તેહરાનનું માનવું છે કે એક તરફ અમેરિકા શાંતિની વાત કરે છે અને બીજી બાજુ ઈરાનના જહાજો પર હુમલા કરે છે. 2. અમેરિકાની કડક શરતો અમેરિકાએ મીટિંગ ટેબલ પર આવવા માટે એવી શરત મૂકી હતી કે ઈરાને તેના પરમાણુ પ્રોગ્રામને હંમેશા માટે ભૂલવો પડશે અને હોર્મુઝ પરની પકડ છોડવી પડશે. સામેની બાજુ ઈરાનને આ બિલકુલ બરદાશ્ત ન હતું કે તેમના દેશની અંદરની વાતમાં બીજો કોઈ દેશ આવીને દખલ કરે. 3. સુરક્ષાની ચિંતા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આવતીકાલની ઈસ્લામાબાદની મીટિંગમાં આવવાના હતા, પણ મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાની ગનબોટ્સની એક્ટિવિટીને કારણે સુરક્ષા એજન્સીઓએ આ મુલાકાતને જોખમી ગણાવી હતી. 4. બ્લોકેજની મડાગાંઠ ઈરાન ઈચ્છતું હતું કે પહેલા અમેરિકા તેના બંદરો પરથી નૌકાબંધી હટાવે, જ્યારે અમેરિકાની શરત હતી કે પહેલા ઈરાન હોર્મુઝના જલડમરુંમાંથી આંતરરાષ્ટ્રીય જહાજોને ફ્રી કરે. શું આપણે ત્રીજા વિશ્વયુદ્ધ તરફ? આ આખી ઘટનાનાના બધા ડોટ્સને જોડવામાં આવે તો એક મોટું ચિત્ર સામે આવે છે કે હવેનો સમય વધુ બદતર અને ભયાનક હોઈ શકે છે. ઈઝરાયલ અત્યારે દક્ષિણ લેબનોનમાં બફર ઝોન બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે તેનાથી સમજ પડે છે કે યુદ્ધ વધુ લંબાઈ શકે તેમ છે. ઈઝરાયલી ડિફેન્સ મિનિસ્ટર કાત્ઝના સ્ટેટમેન્ટ જણાવે છે કે તે હિઝબુલ્લાહને જ નહીં પણ લેબનોનને પણ નબળું પાડીને ત્યાં પોતાનું ડોમિનેન્સ વધારવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી આ મુદ્દો ક્યારેય સામે ફેણ ચઢાવીને ઉભો ન રહે. બીજી બાજુ, ઈરાને તેનું ટ્રુ પ્રોમિસ-4 ઓપરેશન ચલાવીની મિસાઈલ્સ તહેનાત કરી છે તે કહી જાય છે કે ઈરાન વહે વધુ આક્રામક બન્યું છે. આથી હોર્મુઝમાં પણ ટેન્શન વધી શકે છે અને સામેની બાજુ અમેરિકા પણ ઈરાન પર હવાઈ હુમલા કરવા બેતાબ બન્યું છે. આ યુદ્ધ મીડલ ઈસ્ટથી બહાર નીકળીને આખી દુનિયાને લપેટામાં લઈ લેશે. અને છેલ્લે... ટ્રમ્પે જ્યારે દુનિયાને ભરડામાં લીધી હતી ત્યારે યુરોપ ભારતની શક્તિ જાણીને સામે ચાલીને ફ્રી ટ્રેડ ડિલ કરવા પહોંચ્યું હતું. જો કે અમેરિકા કહે અમે કેમ બાકી રહીએ? તેણે પણ ફેબ્રુઆરીમાં ભારત સાથે ડિલ પાર પાડી હતી. આ વાત ફરી આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આજથી ત્રણ દિવસ સુધી આ જ ડિલ મામલે વોશિંગ્ટનમાં ચર્ચા ચાલશે. યુદ્ધની મિસાઈલ્સ વચ્ચે મીટિંગ શું બદલાવો લઈને આવશે તેના પર નજર રહેશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
સુરત શહેરની SOGએ આજરોજ શોર્ટકટથી કરોડપતિ બનવાના સપના જોતા ત્રણ શખસોને ડિંડોલી વિસ્તારમાંથી 1.07 કરોડના પ્રતિબંધિત 'એમ્બરગ્રીસ' (વ્હેલ માછલીની ઉલ્ટી) સાથે ઝડપી પાડ્યા છે. આ આઘાતજનક કિસ્સામાં પકડાયેલા મુખ્ય આરોપીઓમાં B.Com સુધીનો અભ્યાસ કરી ચૂકેલો અને ઓનલાઇન શોપિંગ કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો અમરીશ મિશ્રા પણ સામેલ છે, જેની સાથે બે રિક્ષાચાલકો પણ આ ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા હતા. ભરૂચના માછીમારો પાસેથી મેળવેલા આ કિંમતી પદાર્થને સુરતમાં વેચવા નીકળેલી આ ટોળકીનો પોલીસે ચોક્કસ બાતમીના આધારે પર્દાફાશ કરી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિકની થેલીમાં શંકાસ્પદ પદાર્થ સાથે ત્રણ યુવક ફરતા હતાસુરત SOGના DCP રાજદીપ સિંહ નકુમ અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં આર.જે.ડી. બિઝનેસ પ્લાઝા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ યુવાનો પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 1.071 કિલોગ્રામ વજનનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. FSL અને નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ પદાર્થ કિંમતી 'એમ્બરગ્રીસ' હોવાનું પુષ્ટિ પામ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત 1,07,10,000 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં (1) અમરીશ જયપ્રકાશ મિશ્રા, (2) સોનુ ઉર્ફે બબલુ દેવીપ્રસાદ ઉપાધ્યાય અને (3) સંદીપ ક્રિપાશંકર ઉપાધ્યાયનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના વતની છે. ભરુચના માછીમારો પાસેથી લીધો હતો આ માલઆ કેસમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, મુખ્ય આરોપી અમરીશ મિશ્રા B.Com સુધીનો અભ્યાસ કરી ચૂક્યો છે અને તે ફ્લિપકાર્ટમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો તેમછતાં શોર્ટકટથી અમીર બનવાની લાલચે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ માલ તેમને ભરૂચના કાવી કંબોઈ વિસ્તારના માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાએ આપ્યો હતો. અમરીશ મિશ્રા આ ધીરુનો બનેવી થાય છે અને તે છેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગ્રાહકની શોધમાં હતો. 'એમ્બરગ્રીસ' એટલે શું? (ફ્લોટિંગ ગોલ્ડ)એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલ માછલીના પાચનતંત્રમાં બનતો એક મીણ જેવો પદાર્થ છે. જ્યારે વ્હેલ માછલી તેને ઉલ્ટી દ્વારા બહાર કાઢે છે, ત્યારે તે દરિયામાં તરતો જોવા મળે છે. શરૂઆતમાં દુર્ગંધ મારતો આ પદાર્થ વર્ષો સુધી દરિયાના પાણી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં રહેવાથી સુગંધિત બની જાય છે. વિશ્વના સૌથી મોંઘા પરફ્યુમમાં 'ફિક્સેટિવ' તરીકે તેનો ઉપયોગ થતો હોવાથી તેને 'તરતું સોનું' (Floating Gold) પણ કહેવામાં આવે છે. વોન્ટેડ માછીમારોને પકડવા પોલીસના ચક્રો ગતિમાનભારતમાં વ્હેલ માછલી એક સુરક્ષિત પ્રજાતિ છે અને તેના કોઈપણ અંગ કે પદાર્થનો વેપાર કરવો એ 'વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972' હેઠળ ગંભીર ગુનો છે. પોલીસે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પકડાયેલા આરોપીઓને વધુ તપાસ માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગ (ડુમ્મસ) ને સોંપવાની તજવીજ કરી છે. હાલમાં મુખ્ય માછીમારો ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત પોલીસના ડીસીપી રાજદીપ સિંહ નકુમે લોકોને ચેતવણી આપી છે કે, ટૂંકી મહેનતે પૈસા કમાવવાની લાલચમાં યુવાનો પોતાનું ભવિષ્ય બગાડી રહ્યા છે, પરંતુ પોલીસ આવી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સહન કરશે નહીં અને કડક પગલાં લેશે.
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામ્યો છે, પરંતુ પ્રચારની શરૂઆતમાં જ વોર્ડ નં.9માં ભાજપના ઉમેદવારોના બોર્ડને લઈને સર્જાયેલી સ્થિતિએ સમગ્ર જિલ્લામાં કુતૂહલ જગાવ્યું છે. સામાજિક વિવાદને કારણે અહીં ત્રણ દિવસમાં ત્રણ વાર મધ્યસ્થ કાર્યાલયના બોર્ડ બદલવાની નોબત આવી છે, જે કદાચ ગુજરાતની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ ઘટના હોઈ શકે છે. શું છે સમગ્ર વિવાદ?મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે. વોર્ડ નં. 9 માં ભાજપની પેનલ જાહેર થયા બાદ, ઉમેદવાર હિરેન કરોતરા સામે કોઈ સામાજિક પ્રશ્ન ઉભો થયો હતો. આ વિવાદની અસર સીધી ચૂંટણી પ્રચાર પર જોવા મળી. 3 દિવસમાં 3 વખત બેનરો બદલાયાશરૂઆતમાં ચારેય ઉમેદવારોના નામ અને ફોટા સાથેનું પરંપરાગત બોર્ડ લગાવાયું હતું. વિવાદ વકરતા હિરેન કરોતરાનો ફોટો હટાવી દેવાયો અને માત્ર ત્રણ ઉમેદવારોના ફોટા રાખવામાં આવ્યા. આનાથી 'પેનલ તૂટી' હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું. વિવાદ વધુ ગરમાતા ગણતરીની કલાકોમાં ત્રીજું બોર્ડ આવ્યું, જેમાં હવે એકપણ ઉમેદવારનો ફોટો કે નામ નથી. જિલ્લા ભાજપ પ્રમુખની સ્પષ્ટતાઆ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જણાવ્યું હતું કે, ઉમેદવાર સામેનો સામાજિક પ્રશ્ન જૂનો છે અને માત્ર ચૂંટણી સમયે ભાજપને બદનામ કરવા માટે તેને ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે વોર્ડ નં. 9 ના ભાજપના ચારેય ઉમેદવારો એકજૂથ છે. તેઓ સાથે હતા, છે અને રહેશે. સામાજિક પ્રશ્નોને સામાજિક રીતે ઉકેલી લેવામાં આવશે. તમામ ઉમેદવારોને સાથે મળીને જ પ્રચાર કરવાની કડક સૂચના 'કમલમ' દ્વારા આપી દેવામાં આવી છે. લોકોમાં ચર્ચાનું કેન્દ્રસામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે ખેંચતાણ જોવા મળતી હોય છે, પરંતુ અહીં ભાજપના જ મધ્યસ્થ કાર્યાલય પર વારંવાર બદલાતા બોર્ડ કાર્યકરો અને મતદારોમાં અનેક તર્ક-વિતર્ક જન્માવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ સંગઠન આ સામાજિક વિવાદને શાંત પાડીને ચારેય ઉમેદવારોને ખરેખર મેદાનમાં સાથે ઉતારી શકશે કે કેમ? આ પ્રશ્નનો જવાબ તો આગામી પ્રચારના દિવસોમાં જ મળશે.
રાજકોટના વોર્ડ નંબર 7 માં આવેલા ઢેબર રોડ પરના અત્યાધુનિક એસ.ટી. બસપોર્ટમાં છેલ્લા 8 દિવસથી મુસાફરો અને સ્થાનિક વેપારીઓ નરકાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના જણાવ્યા અનુસાર, બસપોર્ટના કનક રોડ પરના ગેટ પાસે ત્રીજા માળની પાઈપોમાંથી ગંદા પાણીના ધોધ વહી રહ્યા છે, જે સીધા રાહદારીઓ અને મુસાફરો પર પડે છે. આ ઉપરાંત, ભૂતખાના ચોકથી ફાયર બ્રિગેડ સુધીના મુખ્ય માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. મ્યુનિસિપલ કમિશનરની કચેરીની નજીક જ ગંદા પાણીની રેલમછેલ અને અસહ્ય દુર્ગંધને કારણે વેપારીઓનું દુકાને બેસવું પણ મુશ્કેલ બન્યું છે. આ ગંભીર સમસ્યા અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્ર સિંહ ઝાલાએ સ્થળ મુલાકાત લીધી હતી. સમિતિ દ્વારા સીટી ઇજનેર રાવલ અને ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશભાઈ સોલંકી સમક્ષ પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. તેમણે જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનારા જવાબદારો સામે કડક દંડનીય કાર્યવાહી કરવા અને ગટર લાઈનોની તાત્કાલિક સફાઈ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વેકેશન અને લગ્નગાળાને લઈ રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 50 એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉનાળુ વેકેશન અને લગ્નગાળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા રાજ્યવ્યાપી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ એસટી ડિવિઝન હેઠળના રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાંથી 1 મે થી 31 મે દરમિયાન 50 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ખાસ કરીને સોમનાથ, દ્વારકા, પાવાગઢ અને અંબાજી જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળો માટે વધુ ટ્રીપોનું સંચાલન કરાશે. રાજકોટ ડિવિઝન દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને ભુજ જેવા રૂટો પર આ વધારાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો મુસાફરોનો પ્રવાહ વધશે તો એસટી વિભાગ દ્વારા વધુ ટ્રીપો દોડાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો, એસટી નિગમ દ્વારા આ વર્ષે વેકેશન દરમિયાન વિવિધ રૂટો પર અંદાજે 1000 જેટલી વધારાની બસો દોડાવવામાં આવશે. વર્ષ 2025 ના ઉનાળુ વેકેશનમાં નિગમે 27650 ટ્રીપો દ્વારા 12 લાખથી વધુ મુસાફરોને સેવા આપી હતી. તેના આધારે વર્ષ 2026 ના આ વેકેશન ગાળામાં માત્ર મુખ્ય ધાર્મિક સ્થળો માટે જ અંદાજે 10000 થી વધુ ટ્રીપોનું સંચાલન કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ એક્સ્ટ્રા સંચાલનથી મુસાફરોને હાલાકી ભોગવવી ન પડે અને સરળતાથી પરિવહન સેવા મળી રહે તેવો હેતુ છે. રાજકોટ મનપામાં સફાઈ કામદારોના પગારમાં કૌભાંડનો આક્ષેપ, કમિશનરને આવેદન રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સફાઈ કામદારોના પગાર અને અન્ય સુવિધાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો સાથે કામદાર યુનિયન દ્વારા મ્યુ. કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. યુનિયનનો આક્ષેપ છે કે અધિકારીઓ, એસ.આઈ., એસ.એસ.આઈ. અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કામદારોને પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને નિયમ મુજબ 10મી તારીખ સુધીમાં પગાર પણ ચૂકવવામાં આવતો નથી. આ ઉપરાંત, PF અને ESICના નાણાંમાં પારદર્શકતાનો અભાવ હોવાનું જણાવી જી.ડી. અજમેરા એજન્સી દ્વારા કરોડો રૂ.નું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો સણસણતો આક્ષેપ કરાયો છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે 136 કાયમી સફાઈ કામદારોના સ્વૈચ્છિક રાજીનામામાં પણ ગેરરીતિ થઈ છે. ગંભીર બીમારી ન હોવા છતાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરીને રાજીનામા મંજૂર કરાવાયા છે, જ્યારે જરૂરિયાતમંદ કામદારો રહી ગયા છે. યુનિયને ડમી કામદારોનું દૂષણ બંધ કરવા, લઘુતમ વેતન સુનિશ્ચિત કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી એજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી છે. આ સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી કામદારોના બેંક ખાતામાં મળવાપાત્ર રકમ જમા કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
મહેસાણા શહેરના એક વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા 8 વર્ષની બાળકીને પોતાની કેબિનમાં બોલાવી તેની સાથે છેડતી કરવામાં આવી હોવાની ચોંકાવનારી ફરિયાદ મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. સોસાયટીની કેબીનમાં બાળકીને બોલાવી છેડતી કરીગત 18 એપ્રિલના રોજ સવારે 10.30 વાગ્યાના અરસામાં ફરિયાદીની 8 વર્ષની ભાણી સોસાયટીના પરિસરમાં રમી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં ફરજ બજાવતા આરોપી સિક્યુરિટી ગાર્ડ મણિલાલ લક્ષમણભાઈ રાવત, જે મૂળ કૂકસ ગામનો રહેવાસી છે, તેણે બાળકીને પોતાની સિક્યુરિટી કેબિનની અંદર બોલાવી હતી.કેબિનમાં પ્રવેશ્યા બાદ આરોપીએ બાળકીને ડરાવી-ધમકાવી હતી કે, હું તને જે બતાવું તે તારે જોવાનું છે અને આ વાત તારે કોઈને કહેવાની નથી, જો તું આ વાત કોઈને કહીશ તો હું તને જાનથી મારી નાખીશ. બાળકીએ હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યાઆ પ્રકારની ધમકી આપીને આરોપીએ પોતાની પેન્ટની ચેઈન ખોલીને અશ્લીલ કૃત્ય કરી બાળકીની છેડતી કરી હતી. ઘટનાને પગલે બાળકી ખૂબ જ ડરી ગઈ હતી અને બાદમાં તેણે સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની ભાણી સાથે થયેલી આ ગંભીર ઘટના અંગે બાળકીના મામાએ તાત્કાલિક મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બીએનએસ કલમ 79, 351(3) તથા પોસ્કો એક્ટની કલમ 12 હેઠળ ગુનો નોંધીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ત્રણ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત સાત જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખેતરમાં વિદેશી દારૂનું કટિંગની બાતમી મળતાં જ દબોચાયામળતી માહિતી મુજબ SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠીયારડા ગામમાં આવેલા નુમાનખાન પઠાણના ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે SMC ના PSI ડી. એ. તુવર અને તેમની ટીમે તુરંત જ ખેતર પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. 18 લાખની 5074 બોટલો સાથે 3 ઝડપાયાદરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 5074 નંગ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત 18,03,935 રૂપિયા જેટલી થવા જાય છે. દારૂ ઉપરાંત ઘટનાસ્થળ પરથી બે ઈનોવા કાર પણ ઝડપાઈ છે.જેની કિંમત 22 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ 40,08,935 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 7 વોન્ટેડઘટનાસ્થળેથી વિપુલજી ઠાકોર, નરેશજી ઠાકોર અને મદરજી ઠાકોર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે છઠીયારડાના આનંદ રમેશ રાવળનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત નુમાનખાન અયુબખાન પઠાણ (રહે. છઠીયારડા) અને અમિત ઠાકોર (રહે. લણવા) સહિત કુલ સાત આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં SMCની ટીમે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉનાના ગુપ્તપ્રયાગ આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની પ્રેરણાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ઉના, દીવ, દેલવાડા અને ધોધલા સહિતના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે. 'હરિઓમ અન્ન સેવા' નામની આ પહેલ અંતર્ગત વૃદ્ધો, દિવ્યાંગો અને નિરાધાર લોકોને સવાર-સાંજ ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા દ્વારા જરૂરિયાતમંદોને નિયમિત ભોજન મળી રહેશે. આ નિઃશુલ્ક અન્ન સેવા માત્ર ઉના-દીવ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જૂનાગઢ, બિલખા, ચાપરડા અને મુનિ પળી જેવા અન્ય સ્થળોએ પણ વૃદ્ધો અને દિવ્યાંગોને ભોજન પૂરું પાડવામાં આવે છે. પરમ પૂજ્ય મુક્તાનંદબાપુનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ ભૂખ્યું ન સૂવે તે છે, અને આ સેવા દ્વારા તેમનો આ લક્ષ્ય સાર્થક થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉના-દેલવાડા ખાતે આવેલા ગુપ્તપ્રયાગ આશ્રમમાં સવાર-સાંજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ તેમજ ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પહેલેથી જ કાર્યરત છે.
જૂનાગઢના ઐતિહાસિક અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદે હવે નવું સ્વરૂપ ધારણ કર્યું છે. આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી મહારેલી પૂર્વે જૂનાગઢનો જૈન સમાજ ભય અને ચિંતાના ઓથાર નીચે જીવી રહ્યો છે. આજે જૂનાગઢના વિવિધ જૈન સંઘોના પ્રતિનિધિઓએ રેન્જ આઈજી અને પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટને મળીને એક ભાવુક આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જૈન સમાજે પોતાની સુરક્ષા અને ધાર્મિક લાગણી દુભાવા અંગે ગંભીર આક્ષેપો કર્યા છે. જૈન સમાજનું કહેવું છે કે અહિંસક અને શાંતિપ્રિય લઘુમતી સમુદાયને જાણીજોઈને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.જૂનાગઢના શ્રી મૂર્તિપૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ અને લોકાગચ્છ જૈન સંઘ સહિતના તમામ લોકોએ એકસૂરે વહીવટી તંત્રને જણાવ્યું છે કે આગામી 23 તારીખે યોજાનારી રેલીનું નેતૃત્વ કરનારા કેટલાક તત્વોનો ઈતિહાસ ગુનાહિત રહ્યો છે. તેમની વાણી અને વર્તન સામાજિક સૌહાર્દ બગાડનારા છે. જૈન સમાજે પોતાની આત્મા કંપી ઉઠે તેવો ભય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આજે આ તત્વોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેઓ અન્ય પવિત્ર ધર્મસ્થાનો પર પણ અનધિકૃત કબજો જમાવવાનો પ્રયાસ કરશે. આવેદનપત્રમાં સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે 23 એપ્રિલની રેલી અટકાવવામાં આવે અને જૈન વસાહતો તથા મંદિરોની સુરક્ષા માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવે. આ રજૂઆત બાદ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેશ સંઘવીએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે આજે હું અને મારી સાથે મૂર્તિપૂજક સંઘના વીરેનભાઈ વસા, લોકાગચ્છ જૈન સંઘ અને દિગંબર સંઘના અટવાભાઈ સહિત સમગ્ર જૈન સમાજના પ્રતિનિધિઓ આઈજી સાહેબને મળવા આવ્યા હતા. હિતેશ સંઘવીએ રોષે ભરાઈને કહ્યું હતું કે અત્યારે અમુક તત્વો શાંત પાણીમાં પથરા ફેંકીને જૂનાગઢ જ નહીં પણ સમગ્ર ભારતમાં હજારો વર્ષોથી સાથે રહેતા સનાતન હિંદુ અને જૈનો વચ્ચે મતભેદો ઊભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે લોકો શાંતિથી જીવી રહ્યા છે ત્યાં અશાંતિ ફેલાવવાનું આ એક મોટું કાવતરું છે. હિતેશ સંઘવીએ ધર્મસ્થાનકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે 23મી તારીખની રેલી દરમિયાન અમારા કોઈ ધર્મસ્થાનકો પર હુમલો ન થાય તેવી અમે ખાસ રજૂઆત કરી છે. લોકશાહીમાં સૌને પોતાના વિચારો રજૂ કરવાનો અધિકાર છે તેમાં અમને વાંધો નથી પણ તે પ્રક્રિયા શાંતિપૂર્ણ હોવી જોઈએ. આ ઉપરાંત તેમણે જૈન તીર્થંકરો વિશે થતી અભદ્ર ટિપ્પણીઓ અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. સંઘવીએ જણાવ્યું હતું કે સનાતન અને જૈન ધર્મ એક જ સિક્કાની બે બાજુ છે, પરંતુ જે લોકો રાજકારણમાં અત્યારે ઝીરો થઈ ગયા છે તેઓ હીરો બનવા માટે સંત તરીકેની ભાષા મર્યાદા ગુમાવી રહ્યા છે. તેઓ હરિગીરી મહારાજ ને હરિયો અને ગિરીશભાઈ જેવા ને ગીરીયો જેવા અપમાનજનક શબ્દો વાપરી રહ્યા છે અને જૈન તીર્થંકરો વિશે ખોટું બોલીને જૈન સમાજના બાળકો અને મોટેરાઓના હૃદયને ઠેસ પહોંચાડી રહ્યા છે. અંતમાં હિતેશ સંઘવીએ ભગવાન મહાવીર સ્વામી, ઋષભદેવ અને નેમિનાથ પ્રભુના અહિંસાના માર્ગનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે અમારો સંદેશ હંમેશા જીવો અને જીવવા દો રહ્યો છે. અમે પોલીસ પ્રશાસનને માત્ર એટલી જ વિનંતી કરી છે કે બહારથી જે નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી કોઈ અઘટિત ઘટના ન બને. પોલીસ વિભાગ દ્વારા અમને સંપૂર્ણ ખાતરી આપવામાં આવી છે કે જૈન સમાજ નિર્ભય બનીને પૂજા-અર્ચના કરી શકશે અને સુરક્ષાની પૂરી વ્યવસ્થા કરવામાં આવશે. આમ, ગિરનારના મુદ્દે અત્યારે જૂનાગઢમાં ભારે તણાવભરી શાંતિ જોવા મળી રહી છે અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર અમદાવાદ જિલ્લાના ધંધુકામાં થયેલી ધર્મેશ ભરવાડની હત્યાના મામલે આપવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, 18 એપ્રિલ 2026ના રોજ ધંધુકામાં યુવક ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી. આ ઘટનાને પગલે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંગઠનોએ આ ઘટનાને ગંભીરતાથી લઈ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં સંગઠનો દ્વારા મુખ્યત્વે આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પગલાં લેવા અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાની માંગ કરવામાં આવી છે. તેમણે સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી પણ અપીલ કરી છે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે સુરેશ માલવિયા, સુનિલ શાહ, અનિલ વણઝારા, યશ દોશી, યક્ષ બ્રહ્મભટ્ટ, તીર્થ જયસ્વાલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
સમાજમાં માસૂમ દીકરીઓ અને અસહાય વ્યક્તિઓ પર થતા અત્યાચારો સામે ન્યાયતંત્રએ ફરી એકવાર લાલ આંખ કરી છે. ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે 15 વર્ષની માનસિક અસ્વસ્થ કિશોરીને ચોકલેટની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપી જયંતીજી ભલાજી ખાંટ (ઠાકોર) ને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનાર સગીરાને 4 લાખનું વળતર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફતે ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે. ચોકલેટની લાલચ આપી માનસિક દિવ્યાંગ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુંઆ કેસની વિગત મુજબ, 18 જુલાઈ 2022ના રોજ ગાંધીનગરના સેક્ટર-30 વિસ્તારમાં રહેતા આરોપી જયંતીજી ખાંટે 15 વર્ષની માનસિક રીતે અસ્વસ્થ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આરોપીએ સગીરાને ચોકલેટ આપવાની લાલચ આપી પોતાના એક્ટિવા પર બેસાડી સેક્ટર-30માં આવેલા એક બંધ મકાનમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી જઘન્ય અપરાધ આચર્યો હતો. આ મામલે 20 જુલાઈ 2022ના રોજ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના સમયમાં આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ ગાંધીનગરના બીજા એડિશનલ સેશન્સ જજ એસ. વી. શર્માની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદની સજાજેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ સુનિલ એસ. પંડ્યાએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીએ પીડિતાની માનસિક સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને અત્યંત ગંભીર ગુનો કર્યો છે. સમાજમાં આવા કિસ્સાઓ અટકાવવા અને દાખલો બેસાડવા માટે આરોપીને સખતમાં સખત સજા થવી અનિવાર્ય છે. સરકારી વકીલની આ રજૂઆતો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર કિશોરીને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મારફત 4 લાખનું વળતર આપવાનો પણ મહત્વનો આદેશ કર્યો છે.
ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ ક્લેકટર ઓફીસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવ મામલે ધંધુકામાં કાયદો વ્યવસ્થા કથડી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આરોપીને ફાંસીની સજા આપવા હિંદૂ સંગઠનની માગઆવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મેશ ભરવાડ કેસમાં હજુ યોગ્ય ન્યાય નથી મળ્યો અને ત્યાં વધુ એક જેહાદીએ ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી છે. વળી આ હત્યા બાઇક ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કરવામાં આવી છે. આરોપીઓને ફાંસીની સજા થાય અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો- ધંધુકા હત્યા કેસમાં SITની રચના જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશેબીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ધંધુકામાં બનેલી ઘટનાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનામાં પોલીસ કાર્યવાહી સાથે ઘટનાની ચૂંટણી પ્રક્રિયા પર અસર ન પડે તેનું પણ ધ્યાન અપાઈ રહ્યું છે. દરેક જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવતી વ્યવસ્થા જેવી જ ધંધુકામાં સંવેદનશીલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવશે. ધંધુકામાં ધર્મેશ ભરવાડાની હત્યા ઘટના બાદ ફરી સર્વે કરી કેટલાક વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાય તેવી શક્યતા છે. સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસ સાથે સંકલન કરીને જિલ્લા વહીવટી તંત્ર ધંધુકામાં ચૂંટણી વ્યવસ્થાપનની કામગીરી કરશે. ધંધુકાનો જાણો શું હતો બનાવ ધંધુકામાં બે વ્યક્તિ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર (છરી) વડે પગના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અહીં ક્લિક કરી વાંચો શું હતો આખો બનાવ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-7 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડમાંથી અગાઉ બિનહરીફ જાહેર થયેલા મહિલા ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે આ કાર્યાલયનો શુભારંભ કરાયો હતો. બિનહરીફ જાહેર થયેલા સ્વાતીબેન માંડલીયા અને મીનાબેન જોષી ખાસ ઉપસ્થિત રહી અન્ય ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. કાર્યાલયના ઉદ્ઘાટન સમયે શહેર ચૂંટણી સહ-ઇનચાર્જ મનહરસિંહ રાણા તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકાના ત્રણ પૂર્વ પ્રમુખો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ભાજપના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડી વોર્ડ નંબર-7 ના તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ દેવાંગભાઇ રાવલ, પૂર્વ સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, પૂર્વ ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, ધનરાજભાઇ કૈલા, વિપુલભાઇ ચૌહાણ અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર-7 ના ઉમેદવારો ઉપેન્દ્રસિંહ હાલુભા રાણા, પ્રશાંતભાઇ સુરેશભાઇ ભટ્ટ, મીનાબેન અશોકભાઇ મહેશ્વરી સહિત નગરજનો અને સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અગાઉ બિનહરીફ થયેલા પિન્ટુબેન જગદીશભાઇ અસાણીયાનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યાલયના શુભારંભ બાદ તમામ ઉમેદવારો અને કાર્યકરોએ વોર્ડના વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન તેજ બનાવ્યું છે. વિવિધ સમાજના આગેવાનોના સમર્થનથી ભાજપ આ વોર્ડમાં પોતાની સ્થિતિ મજબૂત માની રહ્યું છે.
અખાત્રીજે 10,000 લોકોને શેરડી રસનું વિતરણ:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનોખી સેવા
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા અખાત્રીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 10,000થી વધુ લોકોને મફત શેરડીના રસનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકાર્ય સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર, એચબી કાપડિયા સ્કૂલ સામે ગોપાલ આવાસ ખાતે યોજાયું હતું. વર્તમાન સમયમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે લોકોને રાહત આપવા અને પૌષ્ટિક પીણું પૂરું પાડવાના હેતુથી આ આયોજન કરાયું હતું. હવામાન નિષ્ણાતો દ્વારા પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે, જેમાં દિવસ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે. આ પ્રસંગે, જૈન ધર્મ અનુસાર અક્ષયતૃતીયાના વર્ષીતપના પારણા નિમિત્તે દેરાસરોમાં ભગવાનના અભિષેક માટે, સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવવા માટે અને વર્ષીતપના તપસ્વીઓને વિનામૂલ્યે શેરડીનો રસ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, જાહેર જનતા પણ અમર્યાદિત માત્રામાં રસ પી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સેવાકાર્ય માટે એક સંપૂર્ણ ટ્રક ભરીને 10 ટન ઓર્ગેનિક શેરડી મંગાવવામાં આવી હતી. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ માનવસેવા, રાષ્ટ્રસેવા, સમાજસેવા અને ધર્મસેવા સહિતની 45થી વધુ પ્રવૃત્તિઓ અવિરતપણે ચલાવી રહ્યા છે. શેરડી રસ વિતરણનો કાર્યક્રમ સવારે 10:30 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. આ કાર્યક્રમના આયોજનમાં વીરુભાઈ અલગોતર સહિત સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવા, પાન મસાલાની પીચકારી ન મારવા અને કચરો ડસ્ટબીનમા નાખવા અપીલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સુખદ વાતાવરણ પૂરું પાડવા માટે 'સ્વચ્છતા હી સેવા' ના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવાની નેમ લેવામાં આવી છે વારંવારની અપીલ અને સમજાવટ છતાં બસ સ્ટેશન કે બસોમાં ગંદકી ફેલાવતા અને તમાકુનું સેવન કરી જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા ઈસમો સામે હવે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં માર્ચ દરમિયાન ભાવનગર વિભાગના વિવિધ 8 ડેપો માંથી 256 જેટલા ઈસમો પાસેથી કુલ રૂ.6470 નો દંડ વસૂલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમા માહે-માર્ચ-26 દરમિયાન ભાવનગર વિભાગના અલગ અલગ ડેપો ખાતે આવી કાર્યવાહી જેમા અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ જેવા કે જાહેર સ્થળો એ ધુમ્રપાન કરવું, સીધી કે આડકતરી રીતે અધિનિયમ ના ભંગ બાબતે કુલ 256 ઈસમો પાસેથી દંડ પેટે રૂા.6470 ની રકમ વસુલવામા આવેલ હતી, જેમાં ભાવનગર ડેપોમાં કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.780, તળાજા ડેપો કેઈસ ની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.860, મહુવા ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.1540, પાલીતાણા ડેપો કેઈસની સંખ્યા 29 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.585, ગારીયાધાર ડેપો કેઈસની સંખ્યા 35 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.390, બરવાળા ડેપો કેઈસની સંખ્યા 30 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.730, બોટાદ ડેપો કેઈસની સંખ્યા 34 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.945, ગઢડા ડેપો કેઈસની સંખ્યા 31 દંડ પેટે વસુલાયેલ રકમ રૂ.640 આમ, કુલ 256 કેઈસ દ્વારા રૂ.6470 દંડ પેટે લેવામાં આવ્યા હતા, આ તકે એસ. ટી. પ્રશાસન દ્વારા મુસાફર જનતાને પુન; વિનંતી કરવામા આવે છે કે આવી દંડનાત્મક કાર્યવાહીથી બચવા મુસાફર જનતા જાતે જ સ્વચ્છતા જાળવે અને અન્યોને પણ સ્વચ્છતા જાળવવા સમજાવે જેમ કે બસ કે બસ સ્ટેશન પરિસરમા ધુમ્રપાન ન કરવુ, પાન મસાલાની પીચકારી ન મારવી, અને જયાં ત્યાં કચરો ન ફેકી ડસ્ટબીન જ મા નાખવો જેથી નિગમના દરેક મુસાફરોને સ્વચ્છ અને આરોગ્ય પ્રદ વાતાવરણ મળી રહે તે માટે નમ્ર અપીલ કરવામાં આવી છે.
હિરેન ખેની ARA ના સ્પોર્ટ્સ ચેરમેન બન્યા:યુવા પ્રેસિડેન્ટ તરીકે પણ જવાબદારી સંભાળશે
અમદાવાદ રિએલ્ટર્સ એસોસિએશન (ARA) એ વર્ષ ૨૦૨૬-૨૦૨૮ના કાર્યકાળ માટે નવી કારોબારીની જાહેરાત કરી છે. આ જાહેરાત અંતર્ગત હિરેનભાઈ પ્રવીણભાઈ ખેનીને સ્પોર્ટ્સ ચેરમેન અને યુવા પ્રેસિડેન્ટ એમ બે મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. હિરેનભાઈ ખેની સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, વૈષ્ણોદેવી (અમદાવાદ) ના સક્રિય સભ્ય છે. તેઓ લાંબા સમયથી સામાજિક ક્ષેત્રે, ખાસ કરીને રમતગમત અને યુવા પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.તેમની આ નિમણૂકથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો અને સમાજમાં સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો છે. આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવીના પ્રમુખ હિતેષભાઈ રામોલીયા, ઉપપ્રમુખ અંકિતભાઈ હિદડ, મંત્રી કેવિનભાઈ રાખોલિયા અને સમગ્ર કારોબારી સમિતિએ હિરેનભાઈને અભિનંદન પાઠવ્યા હતા. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હિરેનભાઈના નેતૃત્વ હેઠળ સંગઠનની રમતગમત પ્રવૃત્તિઓને વેગ મળશે અને યુવાનો માટે નવી તકોનું નિર્માણ થશે. પોતાની નિમણૂક બદલ હિરેનભાઈએ ARAના હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુવાનોમાં એકતા, શિસ્ત અને વ્યવસાયિક કૌશલ્ય વધારવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.
ઈએસઆઈસી મણિનગર વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન તા. ૧૮ એપ્રિલ, ૨૦૨૬ના રોજ વી. ડી. શાહના નિવાસસ્થાને યોજાયું હતું. આ પ્રસંગે સંગીતની મહેફિલ અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રૂખસાના જરીવાલા અને રીટા શાહ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અનિલ ખરેએ ઉપસ્થિતોનું સ્વાદિષ્ટ મીઠાઈથી સ્વાગત કર્યું, જ્યારે રમેશ સિંહ રાજપૂતે નુક્તી (ઉડદ જલેબી) દ્વારા સૌનું અભિવાદન કર્યું હતું. યજમાન દ્વારા કોલ્ડ ડ્રિંક્સ પણ પીરસવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌ સભ્યોએ વાતચીત, હળવી રમૂજ અને ESICના જૂના દિવસોની યાદો તાજી કરી હતી. ત્યારબાદ કરાઓકે સિસ્ટમ પર ગીતો ગાવાનો કાર્યક્રમ શરૂ થયો. કિશોરકુમાર, મુકેશ, મોહમ્મદ રફી, હેમંતકુમાર જેવા રેટ્રો ગાયકોના જૂના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કિરીટ ઠક્કર અને જગદીશ પટેલ સહિત અન્ય સભ્યોએ પણ ભાગ લીધો હતો. કેટલાક ઝડપી ગીતો સૌએ સાથે મળીને ગાયા હતા. સંગીત કાર્યક્રમ પછી, એન. સી. પુરાણીએ રમેશ સિંહ રાજપૂતને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, તેમણે લેખકને ખેસ (દુપટ્ટો) અને નેપકિન પેક આપીને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ, સૌએ અંતાક્ષરી રમીને આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે, યજમાન દ્વારા ભાજી પાવ, પુલાવ અને છાશની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો સૌએ સ્વાદ માણ્યો હતો. આ ભોજન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે પાનસરે, બી. વી. રાણા, અશોક મહેતા, હર્ષા વ્યાસ, જનક ભટ્ટ, કે. બી. વણકર, બિપિનભાઈ મોદી, રમણભાઈ અને કેનેડામાં હોવાથી સુરેશ ઠાકર જેવા કેટલાક સાથીદારો અંગત કારણોસર હાજર રહી શક્યા ન હતા. યજમાન વી. ડી. શાહ અને તેમના પરિવારના સભ્યોનો ઉષ્માભર્યા સ્વાગત અને ઉત્તમ વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હારીજ તાલુકાના અડિયા ગામે કોંગ્રેસની એક જાહેર સભામાં નામચીન બુટલેગરોએ સ્ટેજ પર સ્થાન મેળવી, જાહેરમાં પોતાના કાળા કારોબારની કબૂલાત કરતા જિલ્લાના રાજકારણમાં મોટો વંટોળ ઉભો થયો છે. ધારાસભ્યની હાજરીમાં સ્ટેજ પરથી બુટલેગરોનું સંબોધનઆ વિવાદ ચાણસ્મા વિધાનસભા હેઠળ આવતી હારીજ તાલુકાની મોકા જિલ્લા પંચાયત બેઠકના પ્રચાર દરમિયાન સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આયોજિત આ સભામાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જ કેટલાક સ્થાનિક શખ્સોએ માઈક સંભાળ્યું હતું અને પોતે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સ્વીકારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તંત્ર અને કોંગ્રેસની રણનીતિ સામે ગંભીર સવાલોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, આ શખ્સોએ જાહેરમાં કબૂલ્યું કે તેઓ બુટલેગર છે. જોકે, તેમણે એવી ખાતરી પણ આપી હતી કે તેઓ હવે આ ધંધો બંધ કરી દેશે અને વિસ્તારમાં દારૂબંધી કરાવશે. આ કબૂલાતને પગલે સ્થાનિકોમાં બે મુખ્ય સવાલો ચર્ચાઈ રહ્યા છે કે જો આ લોકો ખુલ્લેઆમ દારૂ વેચતા હતા, તો પાટણ પોલીસ અત્યાર સુધી શું કરી રહી હતી? અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાને બદલે તેમને રાજકીય મંચ કેમ આપવામાં આવ્યો? ગુનેગારોને પ્રોત્સાહન આપવું કેટલું યોગ્ય? રાજ્યમાં એક તરફ કડક દારૂબંધીના દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ ચૂંટણી જીતવા માટે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોનો સહારો લેવો તેને લોકો 'લોકશાહીનો તમાશો' ગણાવી રહ્યા છે. વિરોધ પક્ષો અને જાગૃત નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ છે. ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ગુનેગારોને પ્રોત્સાહન આપવું એ લોકશાહી માટે ખતરનાક સંકેત છે.
નિકોલ રોડ પર બાપા સીતારામ મઢુલીનો 21મો પાટોત્સવ:સુંદરકાંડ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયું
અમદાવાદના નિકોલ રોડ પર આવેલી સરિતા સોસાયટી ખાતે બજરંગદાસ બાપાના 21મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુંદરકાંડ, શોભાયાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. પાટોત્સવના ભાગરૂપે શનિવારે સાંજે સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં સોસાયટીના બાળકો અને વડીલો સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ રવિવારે બજરંગદાસ બાપાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં સરિતા સોસાયટીના રહેવાસીઓ તેમજ આસપાસના વિસ્તારના લોકો ઉત્સાહભેર જોડાયા હતા અને ધાર્મિક વાતાવરણનો અનુભવ કર્યો હતો. સાંજે સરિતા સોસાયટી દ્વારા બાપાના સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભાવિક ભક્તોએ બાપાના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. સામાજિક અગ્રણીઓએ પણ આ આયોજનમાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ખાતેના આશરે 535 વર્ષ જૂના પૌરાણિક શ્રી નેમિનાથ દિગંબર જૈન દેરાસરમાં અખાત્રીજ, 19 એપ્રિલ, 2026ના રોજ ધ્વજા-રોહણ અને શાંતિવિધાનનો કાર્યક્રમ યોજાયો હતો. આચાર્ય 108 સુધીન્દ્ર સાગરજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પેથાપુર ગામમાં ભગવાનની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી. સૌધર્મ ઇન્દ્રનો ચઢાવો મુકેશભાઈ પરીખે લીધો હતો, જ્યારે ધ્વજા-રોહણનો લાભ અજયભાઈ રમણલાલ શાહે પ્રાપ્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં 20 જેટલા સામાન્ય ઇન્દ્રોએ પણ ભાગ લીધો હતો, જેમાં અજયભાઈ રમણલાલ શાહ, રાજેન્દ્રભાઈ કોઠારી (મુંબઈ), કંચનબેન દિનેશચંદ્ર શાહ સહિતના ધર્મપ્રેમીઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંદિરના જીર્ણોદ્ધાર અંગે કોઠારી, શાહ અને પરીખ પરિવારના સભ્યો સાથે વર્તમાન ટ્રસ્ટી મંડળ દ્વારા બેઠક યોજવામાં આવી હતી. ભવિષ્યમાં શ્રી નેમિનાથ દિગંબર જૈન મંદિરને અતિશય ક્ષેત્ર તરીકે વિકસાવવા માટે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રિ દ્વારા 'એન્વાયરમેન્ટ સર્વિસ વીક'ના ભાગરૂપે દિવાલિપુરાના અવિચલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો અને હરિયાળું તથા સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો હતો. આ પ્રસંગે ક્લબના સભ્યોએ કુલ 25 વૃક્ષોના રોપા વાવ્યા હતા. ગાર્ડનની સંભાળ રાખનારાઓએ વાવેલા વૃક્ષોની નિયમિત દેખભાળ અને પાણી આપવાની જવાબદારી સ્વીકારી છે.ડિસ્ટ્રિક્ટ ગવર્નર (E) લાયન અશોક જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ક્લબ દ્વારા કરવામાં આવતી પર્યાવરણલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં PDG લાયન જયેશ દલાલ, લાયન રાજેન્દ્ર શાહ, લાયન દેવેન્દ્ર ખેરા, લાયન મુકેશ દલાલ, લાયન રાજેશ લુહાર, લાયન જશવંત શાહ, લાયન સંજય માંકડ, લાયન ધર્મેન્દ્ર પરમાર અને LL નિરૂપા દલાલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ક્લબના સભ્યોએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ પર્યાવરણનું સંતુલન જાળવવા અને આવનારી પેઢીને સ્વચ્છ તથા હરિયાળું પર્યાવરણ પૂરું પાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. લાયન્સ ક્લબ ઓફ બરોડા વિશ્વામિત્રિ ભવિષ્યમાં પણ આવી સેવાકીય અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવા માટે પ્રતિબદ્ધ રહેશે.
DPS ગાંધીનગર ધોરણ 10 બોર્ડમાં ઉત્તમ પરિણામ:99.4% સર્વશ્રેષ્ઠ, 118 વિદ્યાર્થી 90%થી વધુ ગુણ મેળવ્યા
દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગરના વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 10 બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના કુલ 118 વિદ્યાર્થીઓએ 90%થી વધુ ગુણ મેળવી શૈક્ષણિક શ્રેષ્ઠતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓના તેજસ્વી પ્રદર્શનમાં ગ્રેસી પટેલે શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 99.4% ગુણ મેળવીને શાળામાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે વિધાત્ર પટેલે મુખ્ય પાંચ વિષયોમાં 98.6% ગુણ સાથે અગ્રસ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાએ શ્રેષ્ઠ પાંચ વિષયોમાં 85.78% અને મુખ્ય પાંચ વિષયોમાં 81.26% નો સરેરાશ નોંધાવ્યો છે, જે શૈક્ષણિક ગુણવત્તા અને સાતત્યપૂર્ણ પ્રદર્શન દર્શાવે છે. આ સફળતા પાછળ શાળાના સંચાલક મંડળ, આચાર્ય તથા શિક્ષકોનું પ્રતિબદ્ધ માર્ગદર્શન, વિદ્યાર્થીઓની અવિરત મહેનત અને વાલીઓનો વિશ્વાસપૂર્ણ સહકાર મુખ્ય આધાર રહ્યા છે. શાળા સંચાલને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને આ અદ્ભુત સફળતા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભાવનગર શહેરમાં થોડા દિવસ પૂર્વે હાદાનગર વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી યુવાનની માતા શાકમાર્કેટમાં વસ્તુ લેવા જાય તે વેળાએ બે શખ્સો અપશબ્દો બોલી છેડતી કરતા હોય જે બાબતે યુવાન શખ્સોને થોડા દિવસ પહેલા સમજાવવા ગયેલ જેની દાઝ રાખી આઠ શખ્સોએ યુવાનના ઘર પર પથ્થરમારો તેમજ બાઈકની તોડફોડ કરી હતી. જે મામલે યુવાને બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો. જેને પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી 8 શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મહિલાની છેડતીથી મામલો બિચક્યોમળતી વિગતો અનુસાર, હાદાનગર વિસ્તારમાં રહેતા યુવાને હરેશ ઉર્ફ ભાકો ગોવિંદ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશ પરમાર, હર્ષદ રમેશ ચૌહાણ, વિરલ રમેશ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, અને રામો ઉર્ફે ઓઢી વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, યુવાનની માતા જ્યારે પણ માર્કેટમાં ચીજ વસ્તુની ખરીદી કરવા માટે જતી હોય ત્યારે શખ્સો ખરાબ નજર નાખી એલ ફેલ બોલતા હોય આ અંગે યુવાનની માતાએ શખ્સોને ટપારતા શખ્સોએ યુવાનની માતા સાથે અડપલા કરી બાવડું પકડી પછાડી દીધી હતી અને યુવાનએ પણ ઠપકો આપ્યો હતો. સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારોઆ વાતની આઠેય શખ્સોએ દાઝ રાખી ધોકા પાઇપ તથા લાકડી જેવા હથિયારો સાથે યુવાનના ઘરે આવ્યા હતાં, તેના ઘર બહાર પાર્ક કરેલ સ્કૂટરોની તોડફોડ કરી ઘર પર પથ્થર મારો તથા સોડા બોટલના ઘા કર્યા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે બોરતળાવ પોલીસ મથકમાં 8 શખ્સો સામે BNS એક્ટ 115(2), 352, 351(3), 75, 324(4), 125, 189(2), 191(2), 191(3), 190 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધાયો હતો. 8 શખસોની ધરપકડજે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હરેશ ઉર્ફે ભાકો ગોવિંદભાઇ પરમાર, રાહુલ હરેશ પરમાર, હર્ષિલ હરેશભાઇ પરમાર, હર્ષદ રમેશભાઈ ચૌહાણ, વિરલ હરેશભાઇ ચૌહાણ, હાદો ઉર્ફે દેરી, અમિત ડાભી, રામો ઉર્ફે ઓઢી રહે. તમામ ભાવનગરના રહેવાસીઓ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના અંદરના મુવાડા પ્રાથમિક શાળામાં વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અજાણ્યા શખ્સે આ કૃત્ય આચર્યું હતું, જેના કારણે શાળામાં પંખા અને લાઈટ વિના અભ્યાસ કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૮ એપ્રિલના રોજ એક અજાણ્યો વ્યક્તિ શાળામાં આવ્યો હતો. તેણે પોતાને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) નો કર્મચારી ગણાવી સ્માર્ટ મીટર લગાવવાની વાત કરી હતી. શાળાના આચાર્યએ તેની પાસે ઓળખપત્ર માંગતા તે બતાવી શક્યો ન હતો અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, તે જ સાંજે ફરી આવીને તેણે શાળાનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. આ ઘટનાના પરિણામે, ૧૯ અને ૨૦ એપ્રિલે વિદ્યાર્થીઓને પંખા અને લાઈટ વિના ગરમીમાં અભ્યાસ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, મધ્યાહન ભોજન બનાવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. મહત્વપૂર્ણ છે કે, આ શાળા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બૂથ તરીકે પણ ફાળવવામાં આવી છે, જેના કારણે સમસ્યા વધુ ગંભીર બની છે. આ મામલે શાળાના આચાર્યએ કાંકણપુર સબ ડિવિઝનના અધિકારીઓને લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. MGVCL અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વિભાગ તરફથી કોઈ કર્મચારીને મોકલવામાં આવ્યો ન હતો અને આ કૃત્ય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢના ચોબારી ફાટકથી ઝાંઝરડા રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ રસ્તા પર લાંબા સમયથી એક કદાવર સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું, પરંતુ તેના પર કોઈ પણ પ્રકારના સફેદ પટ્ટા કે સાવચેતીના ચિહ્નો ન હોવાને કારણે તે 'મોતનું સ્પીડ બ્રેકર' બની ગયું હતું. આ સ્પીડ બ્રેકર અંધારામાં કે દૂરથી વાહનચાલકોને દેખાતું ન હોવાથી રોજબરોજ ત્રણથી ચાર અકસ્માતો અહીં સામાન્ય બની ગયા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસ પહેલા આ સમસ્યા અંગે અહેવાલ રજૂ કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હલ્યું નહોતું. અંતે, તંત્રની રાહ જોયા વગર એક જાગૃત નાગરિકે પોતે જ આ જવાબદારી ઉપાડી લીધી છે. જૂનાગઢના જાગૃત નાગરિક ચેતનભાઈ પરમાર પોતે પણ આ સ્પીડ બ્રેકર પરથી પસાર થતી વખતે અચાનક ઝટકો લાગવાને કારણે ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે જોયું કે આ રસ્તે અનેક વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને શાળાઓએ જતા બાળકો પસાર થાય છે, જેમના જીવ પણ જોખમમાં છે. તંત્રની નિષ્ક્રિયતા જોઈને ચેતનભાઈએ નિશ્ચય કર્યો કે જે પીડા તેમણે ભોગવી છે તે અન્ય કોઈ નાગરિકે ન ભોગવવી પડે. આ ઉમદા હેતુ સાથે તેમણે પોતાના ૨ થી ૩ હજાર રૂપિયાના વ્યક્તિગત ખર્ચે કલર લાવીને સ્પીડ બ્રેકર પર સફેદ પટ્ટા મારવાનું કામ શરૂ કર્યું છે. ચેતનભાઈએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આમાં તેમનો કોઈ રાજકીય હેતુ નથી અને તેઓ માત્ર એક જાગૃત નાગરિક તરીકે બીજાના જીવ બચાવવા આ કામગીરી કરી રહ્યા છે. આ સેવાકાર્યમાં સ્થાનિકોનો પણ પૂરો સહયોગ સાંપડ્યો છે. નજીકમાં જ આવેલી મહાદેવ મોટર્સના માલિક બબન પંડિતે આ બાબતે ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ રોડ પર અકસ્માતોની હારમાળા સર્જાય છે. બે દિવસ પહેલા જ એક ટ્રેક્ટર પસાર થતી વખતે બમ્પના કારણે જોરદાર ઉછળ્યું હતું અને તેમાં બેઠેલો મજૂર ટાયર નીચે આવતા માંડ બચ્યો હતો. આ વિસ્તારમાં હોસ્પિટલો અને શાળાઓ વધુ હોવાથી અહીં સતત ટ્રાફિક રહે છે, છતાં મનપાના અધિકારીઓ તેમની એસી ચેમ્બરમાં બેસીને માત્ર કાગળ પર જ કળા કરી રહ્યા હોય તેવું લાગે છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર અકસ્માત થાય ત્યારે હોસ્પિટલે ફોટા પડાવવા પહોંચી જાય છે, પરંતુ અકસ્માત અટકાવવા માટે કોઈ નક્કર પગલાં લેતા નથી. અન્ય એક સ્થાનિક નાગરિક નિલેશભાઈએ પણ તંત્રની નીંભરતા પર પ્રહાર કરતા કહ્યું હતું કે જે કામ મહાનગરપાલિકાએ કરોડોના બજેટમાંથી કરવાનું હોય તે કામ આજે એક સામાન્ય નાગરિકે પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચીને કરવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા જ અહીં એક વૃદ્ધ મહિલા બાઈક પરથી નીચે પછડાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને થોડા મહિનાઓ પહેલા બે યુવકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આટલી જાનહાનિ અને અકસ્માતો પછી પણ જો તંત્ર ન જાગે તો જૂનાગઢના લોકોએ હવે પોતાના જીવની ચિંતા જાતે જ કરવી પડશે અને દરેક અસુવિધા સામે જાતે જ લડવું પડશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રોડ, ગટર અને પાણી માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ નાની એવી સ્પીડ બ્રેકરની કામગીરીમાં પણ અણઆવડત અને બેદરકારી છતી થઈ રહી છે. અત્યારે સ્થિતિ એવી નિર્માણ પામી છે કે જો આ નીંભર તંત્ર ગંભીર ઘટનાની રાહ જોઈને બેસી રહેશે, તો આગામી સમયમાં જૂનાગઢના રસ્તાઓ હોસ્પિટલના ખાટલામાં ફેરવાઈ જશે તેવી ભીતિ છે. ચેતનભાઈ પરમાર જેવા જાગૃત નાગરિકોની આ કામગીરી તંત્રના મોઢા પર લપડાક સમાન છે અને તે સાબિત કરે છે કે હવે જનતાએ પોતાના રક્ષણ માટે પોતે જ રસ્તા પર ઉતરવું પડશે.
સુરત રેલવે સ્ટેશન જેવા અતિ વ્યસ્ત વિસ્તારમાં એક લક્ઝુરિયસ થાર કારના ચાલકની બેદરકારીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 તરફ જવાના પ્રતિબંધિત માર્ગ અને નો-પાર્કિંગ ઝોનમાં ઘુસી આવેલા એક નબીરાએ પોતાની થાર 'રોક્સ' રિવર્સ લેતી વખતે સુરક્ષા દીવાલને ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રેલવેની મિલકતને મોટું નુકસાન થયું છે, જ્યારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચાલકની અટકાયત કરી છે. થાર અથડાતા દીવાલને નુકસાન થયુંમળતી માહિતી મુજબ, સવારે અંદાજે 10:30 વાગ્યે સી-એરિયામાં ફરજ પર તૈનાત કોન્સ્ટેબલ રાજેશ કુમારે વોકી-ટોકી પર સંદેશ આપ્યો હતો કે પ્લેટફોર્મ નંબર 1 પાસે એક વાહને સુરક્ષા દીવાલ તોડી પાડી છે. સંદેશ મળતા જ ASI સુનિલ પાટીલ અને ભંવર સિંહ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં તપાસ કરતા કાળા રંગની થાર ROXX (MH 04 MU 5999) દીવાલ તોડીને અત્યંત જોખમી હાલતમાં ઊંઘી લટકેલી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રેલવેના ટેકનિકલ અધિકારીઓ અને SSE (વર્કસ) નવીન યાદવ તેમજ ડેપ્યુટી CMI આનંદ શર્માએ સ્થળ પર જ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. એન્જિનિયરિંગ વિભાગના અંદાજ મુજબ, નુકસાનની રકમ 22,088 રૂપિયા છે. સ્ટેશનની મજબૂત સુરક્ષા દીવાલ ધરાશાયી થઈ ગઈ છે. રેલવે એક્ટ કલમ 154 અને 159 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કોણ છે આ નબીરો?પોલીસે સ્થળ પરથી કાર ચાલકની અટકાયત કરી હતી. પકડાયેલા યુવકની ઓળખ નવીન અશોક બંસલ (ઉં.વ. 21, રહે. સિંગર રેસીડેન્સી, વેસુ, સુરત) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તે ભૂલથી નો-પાર્કિંગ ઝોનમાં વાહન લઈ આવ્યો હતો અને ગભરામણમાં રિવર્સ લેવા જતાં કાર દીવાલ સાથે અથડાવી દીધી હતી. RPFની કડક કાર્યવાહીરેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા નબીરા સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. તેને રેલવે કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સદનસીબે જે સમયે આ ટક્કર વાગી તે સમયે ત્યાં કોઈ મુસાફર હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી, નહિતર સુરત સ્ટેશન પર આજે લોહીના ફુવારા ઉડ્યા હોત. પ્રતિબંધિત માર્ગ પર લક્ઝુરિયસ કાર કેવી રીતે ઘુસી ગઈ તે તપાસનો વિષય છે. હાલમાં અમે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ASI સુનિલ પાટીલને સોંપી છે.
મહેસાણાના રામોસણા બ્રિજ પર સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાથી ડીસા જઈ રહેલી એક ઇકો કારમાં અચાનક આગ લાગતા વાહન બળીને ખાખ થઈ ગયું હતું. બનાસકાંઠા પાસિંગની GJ08BS4162 નંબરની આ કારમાં સવાર ચાલકની સમયસૂચકતાને કારણે મોટો અનર્થ ટળ્યો હતો. કારમાં વાયર બળ્યા ને આગે વિકરાળ સ્વરૂપ લેતાં ગાડી બળીને ખાખબનાવની વિગત મુજબ ચાલક શામળભાઈ નાયી જ્યારે કાર લઈને રામોસણા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ગાડીમાં અજીબ દુર્ગંધનો અહેસાસ થયો હતો. કંઈક અજુગતું હોવાની આશંકાએ તેમણે તાત્કાલિક ગાડીને રસ્તાની બાજુમાં સાઈડ પર ઉભી રાખી હતી. ગાડીમાંથી નીચે ઉતરીને તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, ગાડીના વાયર બળી રહ્યા છે. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારને લપેટમાં લઈ લીધી હતી. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આશરે 4000 લીટર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતોઆ અચાનક બનેલી ઘટનાને પગલે રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, ચાલક શામળભાઈએ સમયસૂચકતા વાપરી ગાડીમાંથી તાત્કાલિક બહાર નીકળી જતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ખુલો કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં શેરબજારમાં થયેલા મોટા નુકસાનને કારણે એક યુવાને આત્મહત્યા કરી છે. રાજપાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અકસ્માત મોત નંબર 17/2026 મુજબ, મૃતકનું નામ દેવાંગભાઈ પ્રવીણભાઈ પોપટ (ઉંમર 35) છે. તેઓ રાજપાર્ક, ડિવાઇન હોસ્પિટલ પાછળ, જામનગર ખાતે રહેતા હતા. છેલ્લા છ મહિનાથી તેઓ શેરબજારમાં ટ્રેડિંગ કરતા હતા અને તેમને આશરે 25 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આ આર્થિક નુકસાનને કારણે તેઓ માનસિક તણાવમાં હતા. પોલીસ તપાસ અનુસાર, 7 એપ્રિલ 2026ના રોજ સાંજે લગભગ ૪:૩૦ વાગ્યે દેવાંગભાઈએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોએ તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા. 13 દિવસની સારવાર બાદ ગઈકાલે તેમનું અવસાન થયું હતું. મૃતકની પત્ની દિવ્યાબેન દેવાંગભાઈ પોપટે આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પી. કે. વાઘેલાએ બી.એન.એસ.ની કલમ ૧૯૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં પ્રોબેશનર IASના ડ્રાઈવર લાંચ લેતા હોવાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ સરકારને તંત્રમાં શિસ્ત અને પારદર્શિતા વધારવા માટે કડક પગલાં લેવા પ્રેર્યા છે. તેના ભાગરૂપે ગુજરાત સરકારે સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા ડ્રાઈવરના ગણવેશ (ડ્રેસ)ના કલરમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી કચેરીઓના ડ્રાઈવરોના ગણવેશમાં ફેરફારસામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ગાંધીનગરથી જારી કરાયેલા આદેશ અનુસાર, અગાઉ નક્કી કરાયેલ ડ્રેસ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના નિયમ મુજબ ડ્રાઈવરો માટે પેન્ટનો કલર સ્ટીલ ગ્રે અને શર્ટનો કલર લાઇટ ગ્રે રાખવામાં આવ્યો હતો. હવે નવા નિર્ણય પ્રમાણે પેન્ટ માટે ઘાટો બદામી (Brown/Walnut) અને શર્ટ માટે આછો બદામી (Almond) કલર નક્કી કરવામાં આવ્યો છે. ભાવનગર લાંચ કાંડ બાદ સરકારનો નિર્ણયસરકારે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ રીતે જાહેર કર્યો નથી, પરંતુ સૂત્રો મુજબ તંત્રમાં કર્મચારીઓની ઓળખ સરળ બને, એકરૂપતા જળવાઈ રહે અને જવાબદારીની ભાવના મજબૂત થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. ભાવનગરની ઘટનાએ બતાવ્યું કે, કચેરીઓમાં કામ કરતા સ્ટાફની કામગીરી પર વધુ નજર રાખવાની જરૂર છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર હવે સિસ્ટમમાં નાના-મોટા ફેરફારો કરીને કડક સંદેશ આપવાની કોશિશ કરી રહી છે. સંબંધિત વિભાગોને ડ્રેસકોડનું કડક પાલન કરવા સૂચનાઆ આદેશ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં લાગુ પડશે અને સંબંધિત વિભાગોને તેનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉના આદેશમાં દર્શાવેલ અન્ય શરતો યથાવત રાખવામાં આવી છે, એટલે કે ડ્રેસ કોડ સિવાયના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 'ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે'રાજ્યભરના સરકારી ડ્રાઈવરોમાં આ નવા ગણવેશ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક કર્મચારીઓ આ નિર્ણયને સામાન્ય પ્રશાસકીય ફેરફાર તરીકે જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ભાવનગર લાંચ કાંડ બાદ સરકાર દ્વારા આપવામાં આવેલા સંકેત તરીકે લઈ રહ્યા છે કે હવે તંત્રમાં બેદરકારી અથવા ગેરવર્તણૂક માટે કોઈ સહનશીલતા નહીં રાખવામાં આવે. આ રીતે, એક વિડિયોથી શરૂ થયેલી ઘટના હવે રાજ્યસ્તરે નીતિગત ફેરફાર સુધી પહોંચી છે, જે આગામી સમયમાં તંત્રની કાર્યપદ્ધતિ પર કેવી અસર કરે છે તે જોવાનું રહેશે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાંથી અપહરણ થયેલા એક બાળકની તપાસ દરમિયાન પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વડગામ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત કાર્યવાહીમાં મુખ્ય સૂત્રધાર મુરુગન સહિત 3 શખસની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે અત્યાર સુધીમાં ગુજરાત, દિલ્હી, તેલંગાણા સહિત 4 રાજ્યોમાં કુલ 8 નવજાત બાળકોનો સોદો કર્યો હોવાની કબૂલાત કરી છે. તપાસનો ઘટનાક્રમ અને ધરપકડ6 એપ્રિલના રોજ વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળકનું અપહરણ થયું હતું. ટેક્નિકલ ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગથી પોલીસે તપાસ હાથ ધરી સૌપ્રથમ મુંબઈ-વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ સગીરની માતા પણ અગાઉ બાળ તસ્કરીના ગુનામાં આંધ્રપ્રદેશની જેલમાં હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની પૂછપરછમાં મુખ્ય દલાલ મુરુગનનું નામ ખુલતા વડગામ પોલીસે તેલંગાણાના કાગઝનગરથી તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના અન્ય 2 સાગરીતો કાસરપ્પુ તિરુપતિ અને કેલેટી ગંગાધરને પણ દબોચી લેવામાં આવ્યા હતા. IVF સેન્ટરથી બાળ તસ્કરી સુધી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ગેંગ અગાઉ IVF સેન્ટરોમાં તંદુરસ્ત મહિલાઓને દાખલ કરાવી કમિશન મેળવવાનું કામ કરતી હતી. જોકે, વધુ નફાની લાલચમાં તેઓ નવજાત બાળકોની તસ્કરીના ગુનામાં સંડોવાયા હતા. તેઓ ગરીબ વાલીઓ પાસેથી બાળકો મેળવી નિસંતાન દંપતીઓ અથવા અન્ય એજન્ટોને ઊંચી કિંમતે વેચતા હતા. કુલ 8 બાળકોનું વેચાણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં 4 રાજ્યના બાળકો વેચ્યા છે: દાંતા-વડગામ (ગુજરાત): 2 બાળકો હૈદરાબાદ (તેલંગાણા): 3 બાળકો મુંબઈ (મહારાષ્ટ્ર): 2 બાળકો દિલ્હી: 1 બાળક વધુ તપાસ ચાલુપોલીસે સગીર એજન્ટ પાસેથી બાળક વેચાણના રોકડા 1.5 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ રેકેટમાં હૈદરાબાદની શિવારાણી અને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4થી 5 શખસોની સંડોવણી પણ સામે આવી છે, જેમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. બનાસકાંઠાના અન્ય એક કેસમાં દાંતા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે મહિલા અનામત બિલ મુદ્દે ભાજપ ભ્રમ ફેલાવતી હોવાનો આક્ષેપ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચંડોળા તળાવ મુદ્દે ધારાસભ્યએ મત માગ્યા ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ચંડોળા તળાવનો મુદ્દો ઉઠાવી મત માંગ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાભી રીવાબાએ નણંદ નયનાબાને શુભકામના પાઠવી રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી..સાથે જ કહ્યું કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે તો સામે નયનાબાએ કહ્યું એ તો 28 તારીખે ખબર પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાળા વાવટા ફરકાવી જીગ્નેશ મેવાણીનો વિરોધ કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો કાળા વાવટા ફરકાવી અને નારેબાજી કરી વિરોધ કરવામાં આવ્યા..ચાંદખેડા બાદ રખિયાલ -સરસપુર વોર્ડમાં પણ ટિકિટના વિવાદ મામલે મેવાણીને વિરોધનો સામનો કરવો પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મમતાને હરાવવા ભાજપે દોડાવી ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 1300 શ્રમિક સાથેની 'વોટર્સ સ્પેશિયલ' એસી ટ્રેન રવાના થઈ. આ ટ્રેનનો ખર્ચ ભાજપ ભોગવશે.. ગઈકાલે આ જ સ્ટેશન પર યુપી બિહારના શ્રમિકો સાથે લાઠીચાર્જ કરાયો હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસે મુસાફરો પર લાઠીચાર્જ કર્યાનો ઈનકાર તો આ અફરાતફરીની સ્થિતિની સમીક્ષા કરવા પહોંચેલા પશ્ચિમ રેલવ વિભાગના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ કહ્યું કે કોઈ મુસાફર પર લાઠીચાર્જ થયો નથી. જો કે પોલીસનો લાઠીચાર્જ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષાને ટક્કર મારી BMW AMTS બસ સ્ટેન્ડમાં ભટકાઈ અમદાવાદના નિકોલમાં બીએમડબ્લ્યુ કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી અને એએમટીએસ બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ. ટક્કર એટલી ખતરનાક હતી કે ગાડી અને બસ સ્ટેન્ડ બંનેનો કચ્ચરઘાણ વળી ગયો. રિક્ષાચાલક ગંભીર હાલતમાં છે, જ્યારે કારચાલક 2.5 કરોડની ગાડી મૂકી ફરાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એક્ટિવા ટકરાયાનો ઠપકો આપતા છરીના ઘા માર્યા અમરેલીમાં પણ ધંધૂકા જેવો બનાવ બન્યો..બીનાકા ચોકમાં પાનની દુકાને ઊભેલા શખ્સને એક્ટિવા ટકરાવ્યું.. જેનો ઠપકો આપતા તેને ઉપરાઉપરી છરીના 3 ઘા ઝિંકી દીધા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અર્ટિગાની ટક્કરે એક જ પરિવારના ત્રણના મોત સુરતના અનાવલમાં અર્ટિગા કારે ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. બાઈક સવાર યુવક, તેની પત્ની અને સાસુનું મોત નીપજ્યું, જ્યારે 6 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો અમદાવાદના નમો સ્ટેડિયમમાં આજે ગુજરાત vs મુંબઈનો મુકાબલો. નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી એક પણ મેચ જીતી નથી.. રોહિત શર્મા મેચ રમશે કે નહીં તે હજુ સસ્પેન્સ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
શ્રી પારકર યુવક મંડળ અમદાવાદ દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ રવિવારે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ જોધપુર, સેટેલાઇટ સ્થિત જલારામ હોલ ખાતે યોજાયો હતો. આ રક્તદાન શિબિરમાં સમાજના ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા કુલ 151 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનના આ ભગીરથ કાર્ય બદલ પ્રથમા બ્લડ સેન્ટર દ્વારા શ્રી પારકર યુવક મંડળના કાર્યકર્તાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિલ્વર ઓક યુનિવર્સિટીએ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે IEEE સ્ટુડન્ટ બ્રાન્ચના સમર્પિત 'વર્કસ્પેસ'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે IEEE પ્રવૃત્તિઓ માટે ફાળવવામાં આવેલું આ ભારતનું પ્રથમ અદ્યતન વર્કસ્પેસ છે. આ પ્રસંગે IEEE MGA ગવર્નન્સ કમિટીના સભ્ય અને ONGCના પૂર્વ ચીફ જનરલ મેનેજર ડૉ. દીપક માથુર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને વૈશ્વિક ટેક્નિકલ કૌશલ્યો સાથે જોડવામાં અને ઉદ્યોગ જગતની માંગ મુજબ સજ્જ કરવામાં મદદરૂપ થશે. સિલ્વર ઓક યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલ અને વાઇસ પ્રેસિડેન્ટ જનક ખાંડવાલા પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવનિર્મિત વર્કસ્પેસ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર કેન્દ્રિત છે. તેમાં હાઈ-એન્ડ કમ્પ્યુટર સિસ્ટમ ધરાવતી વર્કશોપ સ્પેસ, સંશોધન અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે કોન્ફરન્સ એરિયા તેમજ રિક્રિએશનલ ઝોનનો સમાવેશ થાય છે. આ વર્કસ્પેસના માધ્યમથી વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન પૂરતા સીમિત ન રહેતા ઇનોવેશન, રિસર્ચ, આઇડિએશન અને ટેક્નિકલ અપલિફ્ટમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ સુવિધા તેમની કલ્પનાશક્તિને વાસ્તવિકતામાં બદલવાનું સક્ષમ માધ્યમ બનશે. સિલ્વર ઓક યુનિવર્સિટી વૈશ્વિક સ્તરના શિક્ષણ અને આધુનિક એક્સપોઝરની પોતાની પરંપરાને સતત વેગ આપી રહી છે. IEEE જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથેના તેના જોડાણને આ વર્કસ્પેસ એક નવો આયામ આપશે. અહીંથી પ્રશિક્ષિત યુવા પ્રતિભાઓ ભવિષ્યના ટેક્નોલોજી લીડર્સ અને નવોન્મેષી સંશોધકો તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા છે. આ અદ્યતન સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. સૌરિન શાહ, એડવાઈઝર ડૉ. એમ. એન. પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. મિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ઓફ ટેક્નોલોજીના ડીન અને IEEE ગુજરાત સેક્શનના પ્રોફેશનલ એક્ટિવિટી ચેર ડૉ. સાત્વિક ખારા, એચ.ઓ.આઈ. ડૉ. જૈમિન દવે, કોમ્પ્યુટર વિભાગના વડા પ્રો. મયુરેશ કુલકર્ણી અને ફેકલ્ટીગણમાંથી પ્રો. પરિમલ પટેલ, પ્રો. ગૌરવ તિવારી, ડૉ. મોનાલી સુથાર અને પ્રો. દિગંત પરમાર પણ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીમાં GCAS મારફતે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં તમામ સરકારી યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ અને ફેકલ્ટીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી ખાતે મળેલી મિટિંગમાં આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. તેમજ જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન પણ આપવું પડશે. GCAS પોર્ટલની અનેક ખામીઓથી વિદ્યાર્થીઓને પરેશાનીછેલ્લા 2 વર્ષથી રાજ્યની તમામ 15 સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને GCAS મારફતે પ્રવેશ આપવામાં આવે છે. જો કે GCAS પોર્ટલની અનેક ખામીઓના કારણે છેલ્લા બે વર્ષથી અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા હતા. તેમજ GCAS પોર્ટલની ખામીઓના કારણે પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવો પડ્યો હતો. ABVPએ GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરી હતીજેથી તેનો ફાયદો ખાનગી યુનિવર્સિટીઓને થતો હતો. જેથી ABVP દ્વારા છેલ્લા ઘણા સમયથી GCAS પોર્ટલને બંધ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. નહિતર ખાનગી યુનિવર્સિટીઓને પણ GCASમાં સમાવવા માટેની સરકાર પાસે માંગ કરવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીમાં અધિકારીઓની મિટિંગ યોજાઈ GCASમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. જોકે GCAS પોર્ટલને બંધ કરવાની માંગ વચ્ચે સરકાર દ્વારા તેમાં સુધારા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ GCAS પોર્ટલમાં છે તેને દૂર કરવા માટે ગુજરાત યુનિવર્સિટીમાં સરકારી યુનિવર્સિટીઓ વિવિધ ફેકલ્ટીના અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ચર્ચા બાદ ફાઈનલ ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદ છેલ્લા બે વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મહત્વનું છે કે દર વર્ષે 30 - 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી પરંતુ હવે તેને ત્રણ રાઉન્ડમાં જ પૂરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરાયોગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ સમિતિના કો ઓર્ડીનેટર એન.કે. જૈને જણાવ્યું હતું કે, પ્રવેશ પ્રક્રિયા 2026-27ના સંદર્ભમાં GCAS પોર્ટલ પર દરેક કોર્સની એલીજીબીલીટી અને મેરીટ રૂલ્સ સરખા થાય તે માટે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં 15 સરકારી યુનિવર્સિટીના સંદર્ભમાં એક મિટિંગ રાખવામાં આવી હતી. દરેક યુનિવર્સિટીના ફેકલ્ટી વાઈઝ અધિકારીઓ અને અધ્યાપકો હાજર રહ્યા હતા. જેથી આ ચર્ચા બાદ કોન્સ્યુલેટેડ ગુજરાત યુનિવર્સિટી રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. જેનો રીવ્યુ થયા બાદ એવું નક્કી કરવામાં આવ્યું છે કે દરેક યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીના પ્લેટફોર્મ પર આવીને રીવ્યુ મીટીંગ કરી હતી. જેમાં કોઈ સુધારા વધારા હોય કે કોઈ એડિશન હોય તો કે કોઈ વસ્તુ ઉમેરવાની થતી હોય તો કોન્સ્યુલેટેડ રિપોર્ટનો ફરી ફાઈનલ ડ્રાફ્ટ તૈયાર કરી શકાય. ત્રણ રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજનબે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફ થઈ હોવાનો સ્વીકાર કરી એન.કે. જૈને જણાવ્યું હતું કે, જે સરકારને સબમિટ કરવામાં આવશે જેથી કોઈપણ વિદ્યાર્થી કોઈપણ યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા માંગતો હોય તો તેને લાયકાત પ્રમાણે કોર્સ જોવા મળે અને મેરીટ પ્રમાણે ફાળવણી થઈ શકે તે માટે એકરૂપતા તૈયાર કરવા માટે મીટીંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી 2012થી પ્રવેશ પ્રક્રિયા કરી રહી છે. જેમાં સરળતાથી વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા હતા. પરંતુ તે બાદ સરકારે 15 સરકારી યુનિવર્સિટીઓને એક પ્લેટફોર્મ પર લાવવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં એકરૂપતા ન હોવાને કારણે બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં એન.કે. જૈને જણાવ્યું હતું કે, જેથી સરકારે સલાહ સૂચન પ્રમાણે GCAS પોર્ટલને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા થતી હતી તેના સંદર્ભમાં પોર્ટલને મોડીફાઇ કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેટલા અગત્યના મુદ્દા નક્કી કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને પ્રવેશ મળે પછી તે પ્રવેશ કન્ફર્મ કરે કે સિક્યોર ન કરે તે બાદ પણ તે બીજી વખત તે કોર્સમાં રીપીટ ના થાય તે માટે જ્યાં સુધી કન્ફર્મેશન ન આવે ત્યાં સુધી તે બીજા રાઉન્ડમાં શકશે નહીં. જેથી ખોટા ખોટા જે રીપીટેશન અને લાંબા લાંબા રાઉન્ડ થયા તે અટકાવી શકાશે. ત્રણ રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તે બાદ કેટલી જગ્યા ખાલી રહેશે તેના આધારે આગળના તબક્કામાં પ્રવેશ રાઉન્ડ કરવામાં આવશે. પોર્ટલ માટે જે ડેવલપમેન્ટ કરવાનું હતું તે કરી દેવામાં આવ્યું છે. મેરીટ રૂલ્સ અને એલિજીબીલીટી રુલ્સ પોર્ટલમાં એન્ટર થઈ જાય તે બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ખાખરા હડમતિયા ગામ ખાતે આસોદરિયા પરિવાર દ્વારા આયોજિત પારિવારિક મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ પ્રસંગે પરિવારના તમામ સભ્યોની નોંધપાત્ર હાજરી અને સહભાગિતા જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન મેન્ટર હિમાનીબેન ભૂવાએ પારિવારિક મહોત્સવ વિષય પર સરળ અને પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમના વિચારો અને રજૂઆતે ઉપસ્થિત સૌમાં નવી ઊર્જા અને સકારાત્મક દૃષ્ટિકોણ જગાવ્યો હતો. અન્ય નેતૃત્વદાયી વ્યક્તિત્વોના અનુભવો અને વિચારો પણ સભ્યો માટે પ્રેરણારૂપ બન્યા હતા. આયોજકો દ્વારા કરવામાં આવેલ સુવ્યવસ્થિત આયોજન અને માહિતીપ્રદ કાર્યક્રમ માટે તમામ ઉપસ્થિતોએ આભાર વ્યક્ત કર્યો હતો. આવા પ્રયત્નો સમાજમાં એકતા, સંવાદ અને વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આસોદરિયા પરિવારના આ ઉપક્રમની પ્રશંસા કરવામાં આવી હતી. ભવિષ્યમાં પણ આવા જ ઉત્તમ અને પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાતા રહે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર અભિયાન તેજ બન્યું છે. આ સંદર્ભમાં, આમ આદમી પાર્ટી (AAP) ના સાંસદ માલવિન્દ્રસિંગ કાંગ ભરૂચની મુલાકાતે આવ્યા હતા, જેનાથી રાજકીય ગરમાવો વધુ વધ્યો છે. AAP ઉમેદવારોને સમર્થન આપવા અને પ્રચારને વેગ આપવા માટે આવેલા સાંસદ કાંગે પ્રચાર અભિયાન શરૂ કરતા પહેલા પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂત પ્રદર્શન કરશે અને જીત મેળવશે. તેમણે જિલ્લાના લોકોને અપીલ કરતા કહ્યું કે, એક વખત આમ આદમી પાર્ટીને તક આપો, અમે વિકાસ અને પારદર્શક શાસન આપીશું. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન સાધતા જણાવ્યું કે, ભાજપને સત્તામાં આવતા દાયકાઓ લાગ્યા, જ્યારે AAPએ ટૂંકા ગાળામાં બે રાજ્યોમાં સરકાર બનાવી પોતાની ક્ષમતા સાબિત કરી છે. સાંસદ કાંગે વધુમાં આક્ષેપ કર્યો કે વર્તમાન સરકાર દ્વારા AAPના કાર્યકરો અને સમર્થકોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસ કાર્યવાહી દ્વારા તેમને ડરાવવામાં આવે છે. તેમ છતાં, અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ પાર્ટી સતત આગળ વધી રહી છે અને જનસમર્થન મેળવી રહી છે. સાંસદ કાંગના આગમનથી ભરૂચમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનવાની શક્યતાઓ છે.
મોરબીના સનાળા રોડ પર આવેલી અરિહંત સોસાયટીના રહીશોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોના નેતાઓને મત માંગવા ન આવવા માટે સોસાયટીના પ્રવેશદ્વાર પર બોર્ડ લગાવ્યા છે. રોડ-રસ્તા, પાણી અને ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9 માં આવેલી આ સોસાયટીમાં છેલ્લા સાતથી આઠ વર્ષથી રોડ, ગટર અને પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. આ સમસ્યાઓ અંગે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. અગાઉની ચૂંટણીઓ દરમિયાન પણ આ પ્રશ્નો ઉકેલવાની ખાતરીઓ આપવામાં આવી હતી. તે સમયે તાત્કાલિક ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું અને સામાન પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે માત્ર એક દેખાડો જ સાબિત થયો. આ ખાતમુહૂર્ત લોકોને મૂર્ખ બનાવવા માટે હતું કે કેમ, તે આજદિન સુધી સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ન ઉકેલાતા રોષે ભરાયેલા સોસાયટીના લોકોએ આખરે આ કડક પગલું ભર્યું છે. સોસાયટીના બંને પ્રવેશદ્વાર પર સ્પષ્ટપણે લખેલા બોર્ડ દ્વારા તેમણે પોતાની વેદના અને રાજકીય નેતાઓ પ્રત્યેનો અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટના મોરબીના અન્ય વિસ્તારોમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે લોકોની સમસ્યાઓ પ્રત્યેની ઉપેક્ષાને ઉજાગર કરે છે.
ગોધરા સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જે શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસને દર્શાવે છે. આ ઘટનાઓ શહેરના વિવિધ વિસ્તારોમાંથી, ખાસ કરીને સિગ્નલ ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવી છે. ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે નાગરિકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં નોંધાયેલા આ કેસોમાં મોટાભાગના ભોગ બનનાર દર્દીઓ ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારના રહેવાસીઓ છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર અને એન્ટી-રેબીઝ રસીકરણ (ARV) સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી આપતા ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. યશરાજ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે ઇમરજન્સી વિભાગમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા છે, જેમાં સિગ્નલ ફળિયા વિસ્તારના કેસ વધુ છે. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે, જો કોઈને પણ શ્વાન કરડે અથવા શ્વાનનો હુમલો થાય, તો તાત્કાલિક હોસ્પિટલ આવી એન્ટી-રેબીઝ વેક્સિન (ARV) ઇન્જેક્શન અને જરૂરી સારવાર લેવી અનિવાર્ય છે. ડો. ઠાકોરે ચેતવણી આપી હતી કે, જો સમયસર સારવાર ન લેવામાં આવે તો 'હડકવા' (Rabies) જેવી જીવલેણ બીમારી થઈ શકે છે, જેનો કોઈ ઈલાજ નથી. તેમણે લોકોને આ બાબતે ગંભીરતા દાખવવા અને સાવચેતી રાખવા જણાવ્યું હતું.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે દરજી પરિવારોના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગામ અને બહારગામથી આવેલા દરજી પરિવારોએ માતાજીના દર્શન, યજ્ઞ અને પ્રસાદનો લાભ લીધો હતો. દરજી પરિવારો દ્વારા દર વર્ષે બ્રહ્માણી માતાનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ માતાજીનો યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં જગદીશભાઈ ઉમેદભાઈ દરજીએ મુખ્ય યજમાન તરીકે યજ્ઞનો લાભ લીધો હતો. શાસ્ત્રી ભરતભાઈ દવે, અજીતભાઈ દવે અને મહેશભાઈ શાસ્ત્રી સહિતના વિદ્વાનોએ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ સંપન્ન કરાવી હતી. આ ધાર્મિક પ્રસંગે કાંતિભાઈ દરજી, જેન્તીભાઈ દરજી, હરગોવનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, બકાભાઇ અને પ્રવીણભાઈ દરજી સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. પાટોત્સવના આ પવિત્ર અવસરે કૌશિકભાઈ ધુડાભાઈ દરજી તરફથી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
કુમકુમ મંદિરમાં ભગવાનને ચંદનના વાઘા ધરાવાયા:5 કિલો ચંદન 7 દિવસ ઘસીને તૈયાર કરાયા
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૧૯ એપ્રિલ, રવિવારના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને શીતળતા મળે તે હેતુથી આ શણગાર કરવામાં આવ્યા હતા. આ શણગાર માટે પાંચ કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા સાત દિવસથી કિશોરો અને યુવાનો દ્વારા પથ્થર પર ચંદન ઘસીને આ વાઘા તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ તેમાંથી ગોટીઓ બનાવવામાં આવે છે. આ ગોટીઓનો ઉપયોગ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો અને હરિભક્તો કપાળમાં તિલક કરવા માટે કરે છે. વૈશાખ માસમાં સખત ગરમી પડતી હોય છે, ત્યારે ભક્તો ભગવાનને પ્રસન્ન કરવા માટે વિવિધ સેવાઓ કરે છે. આધુનિક સમયમાં લોકો ગરમીથી બચવા પંખા, એરકુલર કે એરકન્ડીશનરનો ઉપયોગ કરે છે અને મંદિરોમાં પણ ભગવાનને ઠંડક આપવા માટે એ.સી. અને પાણીના ફુવારા ગોઠવવામાં આવે છે. જોકે, જ્યારે આ સાધનો ઉપલબ્ધ ન હતા, ત્યારે ભક્તો હાથથી પંખો નાખીને અને ચંદનના લાકડાને પથ્થર પર ઘસીને તેનો લેપ તૈયાર કરી ભગવાનના શણગાર કરતા હતા, જેને ચંદનના શણગાર કહેવાય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩મા વચનામૃતમાં ઋતુ અનુસાર ભગવાનની સેવા કરવાનો આદેશ આપ્યો છે. આ પરંપરાને અનુસરીને કુમકુમ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી ચંદન વાઘાના શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અખાત્રીજના દિવસનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે જગન્નાથપુરી અને અમદાવાદમાં યોજાતી રથયાત્રાના રથોના નિર્માણ કાર્યનો પ્રારંભ થાય છે. ભગવાન પરશુરામનું પ્રાગટ્ય પણ આ જ દિવસે થયું હતું અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ પણ આ જ દિવસથી થાય છે.
સુરતમાં શ્રી ઉમરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા 423 વર્ષિતપ પારણા પંચાહિકા જિનભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માતૃ પારૂબેન મયાચંદજી વર્ધાજી આરાધના ભવન ખાતે યોજાયો હતો. આ મહોત્સવ આચાર્ય કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાયો હતો. તેમની સાથે આચાર્ય પૂર્ણચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. અને પ્રવચનકાર આચાર્ય રશ્મિરાજસૂરીશ્વરજી મ.સા. સહિતના વિદ્વાન સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવનો પ્રારંભ વિક્રમ સંવત 2082ના ચૈત્ર વદ-14, ગુરુવાર, તા. 16 એપ્રિલ 2026ના રોજ થયો હતો. પારણાનો મુખ્ય કાર્યક્રમ સુરતના સરસાણા ડોમ, ખજોદ ચોકડી સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયો હતો. વિક્રમ સંવત 2082ના વૈશાખ સુદ-3, સોમવાર, તા. 20 એપ્રિલ 2026ના રોજ રજવાડી પારણોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે લેવામાં આવ્યો છે. આ બેઠક (અનુસૂચિત આદિજાતિ સ્ત્રી) માટે 26 એપ્રિલ, 2026 ના રોજ મતદાન યોજાવાનું હતું. ઉમેદવાર લીનાબેન નિનામાનું 17 એપ્રિલ, 2026 ના રોજ બીમારીના કારણે નિધન થયું હતું. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994 ના નિયમ 23 મુજબ, વિજયનગરના ચૂંટણી અધિકારી અને મામલતદાર દ્વારા આ બેઠકનું મતદાન મોકૂફ રાખવાનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ જ આ બેઠક માટેની આગામી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
મોરબીના રવાપર ગામ પાસે આવેલી લોટસ સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં બપોરના સમયે મીટર બોક્સ પાસે આગ લાગી હતી. આ ઘટનામાં ધડાકા થતાં સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. રવાપર ગામથી ઘૂનડા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા લોટસ સોસાયટીના A-3 એપાર્ટમેન્ટમાં આ આગ લાગી હતી. મીટર બોક્સ પાસે અચાનક આગ લાગ્યા બાદ ધડાકા થવા માંડ્યા હતા. આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. ઘટનાની જાણ થતાં જ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. આગને કારણે એપાર્ટમેન્ટનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બાદમાં વીજ કંપનીના સ્ટાફે સ્થળ પર આવીને વીજ પુરવઠો ફરીથી કાર્યરત કર્યો હતો.
ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આજે પ્રતિષ્ઠિત લીલાવતી હોસ્પિટલની નવી શાખાનો પ્રારંભ થયો છે, જે ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થવાની અપેક્ષા છે. અત્યાધુનિક સુવિધાઓ અને અનુભવી ડોક્ટરોની ટીમ સાથે શરૂ થયેલી આ હોસ્પિટલમાં દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાવાળી તેમજ પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખાસ કરીને હૃદયરોગ (કાર્ડિયોલોજી), કેન્સર (ઓન્કોલોજી) અને ન્યુરોલોજી જેવી જટિલ બીમારીઓ માટે વિશેષ વિભાગો ઉભા કરવામાં આવ્યા છે, જેથી ગંભીર દર્દીઓને પણ સ્થળ પર જ શ્રેષ્ઠ સારવાર મળી શકે. ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને મુંબઈ લાંબુ નહી થવું પડેહોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં શરૂ થયેલી આ હોસ્પિટલ ગુજરાત માટે આરોગ્ય ક્ષેત્રે નવી દિશા આપશે. મુંબઈની લીલાવતી હોસ્પિટલ જેવી જ અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓને હવે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે. શરૂઆતના તબક્કામાં હોસ્પિટલમાં 120 બેડની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેમાં 60 ફૂલ-ટાઈમ ડોક્ટર્સ અને 60 રેસિડેન્ટ ડોક્ટર્સની ટીમ સતત સેવા આપશે. ખાસ વાત એ છે કે પ્રારંભિક 30 દિવસ સુધી દર્દીઓ માટે ફ્રી OPD સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે, જેનાથી સામાન્ય લોકોને મોટો લાભ મળશે. વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ આ ઉપરાંત હોસ્પિટલ દ્વારા ગિફ્ટ સિટી નજીક એર એમ્બ્યુલન્સ માટે પણ જગ્યા માગવામાં આવી છે. આ સુવિધા ખાસ કરીને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવા ઇમર્જન્સી કેસમાં અત્યંત ઉપયોગી સાબિત થશે, જેથી સુરત અથવા વડોદરા જેવા શહેરોમાંથી અડધા કલાકમાં અંગો હોસ્પિટલ સુધી પહોંચાડી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ ગિફ્ટ સિટી અને આસપાસના 20-25 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને વિશ્વસ્તરીય આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો આ પ્રયાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
માલપુર તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મામલતદાર જાગૃતિબેન મકવાણાને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ આવેદનપત્ર ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના વિરોધમાં આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય બજરંગ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરોએ ધર્મેશ ભરવાડના હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમણે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની પણ રજૂઆત કરી હતી. કાર્યકરોએ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક પગલાં ભરવા અને દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. આવેદનપત્ર સુપરત કરતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મનીષભાઈ કોઠારી, પંડ્યા અમરીશભાઈ, સંતોષભાઈ વ્યાસ, લાલજીભાઈ ભગત, સોની રમેશભાઈ, સોની કેતનભાઈ, ભરવાડ હીરાભાઈ, સંજયભાઈ ભરવાડ, પ્રવીણભાઈ, વિક્રમભાઈ અને ચૌહાણ ભરતભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું છે. જાહેર સભામાં તેઓએ કહ્યું હતું કે, ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ આપણે ચૂંટણી ચાલુ રાખવી છે. કોંગ્રેસવાળા ફોર્મ ભરી ગયા છે. હું ધારત તો 24 બેઠકોમાંથી કેટલીય બેઠકો બિનહરીફ કરાવી શકત, પણ તમને લોકોને મજા ન આવે એટલે ન કરાવી.ચૂંટણી ચાલુ રહે તો જ ઉમેદવારો મતદારો પાસે જાય, મતદારોનું ઋણ તેમને ખબર પણ પડે, અમને મત આપ્યા છે, અમને જીતાડ્યા છે. ‘કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમને જીતાડ્યા તો અમારે પાંચ વર્ષ લોકોના કામ કરવા પડે. બાકી 24 માટે કેટલાય સામેથી આવીને કહેતા હતા કે, ગોઠવી આપો. બરોડા ભાગોળ મને સપોર્ટ આપે 24 બેઠકોમાંથી 24 પાક્કી. કયા વોર્ડમાં કોણ શું કરે છે તે મને ખબર છે. કોની જોડે બેસે છે તે પણ મને ખબર છે. ચા પીતા-પીતા શું વાતો કરે છે એ બધું જ મારા ધ્યાન પર છે. તેઓએ ઉમેર્યું હતું કે, પરિણામ આવી જાય અને પછી નેતા બની જઇએ, તો લોચો પડે. મજૂર તો હું પોતે જ છું. ચૂંટણી જીતવાના છે. એ વિશ્વાસ છે, પણ જો આમાંથી એક પણ ઉમેદવાર ફેલ ગયો, તો હું પોતે ફરીથી આ જ રીતે જાહેર સભા કરીશ અને જનતાને કહીશ કે - 'જુઓ, આ ઉમેદવારને આપણે જીતાડીને લાવ્યા હતા, પણ હવે તે નવરો જ નથી અને હું જાહેરમાં જ એનું રાજીનામું લેવડાવી દઈશ. હું કોઈ મજાક નથી કરી રહ્યો. તમારે જનતાને સમય આપવો જ પડશે. 'બેન્ડ' તો પણ વગાડું છું.
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, કલેક્ટરે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી હતી. તેમણે વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે સંવાદ સાધી તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય સેવાઓ ઉપરાંત, કલેક્ટરે વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી હતી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરાયું હતું. સાથે જ, વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરાઈ હતી. તેમણે હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ જાણકારી મેળવી હતી. મુલાકાતના અંતે, કલેક્ટરે હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુકતા પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
ગુજરાત રાજ્યમાં હિન્દુ સંગઠનના વ્યક્તિઓ પર હુમલા અને હત્યાના બનાવો વધી રહ્યા છે. આ સંદર્ભે, ધંધુકા શહેરમાં ધર્મેશ માલધારી નામના હિન્દુ યુવકની હત્યાના વિરોધમાં બોટાદમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ, બોટાદ દ્વારા 20 એપ્રિલ, 2026ના રોજ સાધુ-સંતો સાથે બોટાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ધર્મેશ માલધારીની હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા, જેમાં ફાંસીની સજાનો પણ સમાવેશ થાય છે, તેની માંગ કરવામાં આવી હતી. સંગઠનોએ આવા બનાવો હિન્દુ સમુદાય પર બંધ થાય તેવી અપીલ કરી હતી. વધુમાં, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા અપાવવા અને પીડિત પરિવારને યોગ્ય મદદ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી અને સિવિલ સર્જન ડો. ચૈતન્ય પરમાર સાથે હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ હોસ્પિટલના વિવિધ વિભાગોની જાત તપાસ કરી દર્દીઓને અપાતી સેવાઓનું સીધું નિરીક્ષણ કર્યું. તેમણે સેમ્પલ કલેક્શન રૂમ, ઓપરેશન થિયેટર, નવજાત શિશુ સારવાર કેન્દ્ર (SNCU), મિડવાઈફરી લીડ કેર યુનિટ, સર્જિકલ વોર્ડ, મેલ વોર્ડ અને આઈ (Eye) OPDની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, તેમણે હોસ્પિટલના રજીસ્ટરની સઘન ચકાસણી કરી. વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે આત્મીય સંવાદ સાધી, તેમને મળતી સારવાર અંગેનો પ્રતિભાવ મેળવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફની કામગીરી, ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (IPD) અને બેડ ઓક્યુપન્સી રેટ જેવી બાબતોની પણ તેમણે સમીક્ષા કરી. કલેક્ટરશ્રીએ આરોગ્ય સેવાઓ ઉપરાંત વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો અને યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા કરી. જેમાં પોસ્ટમોર્ટમ, મેડિકો-લીગલ કેસ, બાળકોને અપાતી રસીઓ, DEIC, એન્ટી-રેબીસ ક્લિનિક, ન્યુટ્રીશન રિહેબિલિટેશન સેન્ટર (NRC), ART ક્લિનિક અને HIV ટ્રેન્ડ, NVHCP, NOHP અને MTP ક્લિનિક જેવી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમણે વાહન અકસ્માત સહાય યોજના, સાધન સહાય યોજના, CM સેતુ યોજના અને RPWD એક્ટ-2016ના અમલીકરણ, મેડિકલ બિલ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટના અમલીકરણની પણ સમીક્ષા કરી. હોસ્પિટલની તાજેતરની સિદ્ધિઓ અને સુધારાઓ વિશે પણ તેમણે જાણકારી મેળવી. મુલાકાતના અંતે, કલેક્ટરશ્રીએ હોસ્પિટલના માળખાગત વિકાસ પર ભાર મુક્યો. તેમણે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા અને પાવર બેકઅપ માટે જનરેટર જેવી પાયાની જરૂરિયાતો અંગે તંત્રને જરૂરી સૂચનો આપ્યા. વધુમાં, તેમણે હોસ્પિટલ પ્રશાસનને તાકીદ કરી કે, છેવાડાના માનવીને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધાઓ મળવી જોઈએ અને સારવાર અર્થે આવતા કોઈપણ દર્દીને અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવી.
આમોદમાં મગરના આતંકનો અંત:વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો, નિકોએ રાહત અનુભવી
ભરૂચ જિલ્લાના આમોદમાં થોડા દિવસોથી ફેલાયેલા મગરના આતંકનો અંત આવ્યો છે. વન વિભાગે હુમલાખોર મગરને પાંજરે પકડ્યો છે, જેનાથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તાજેતરમાં અશરફ પટેલ પર મગરે હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ તળાવ વિસ્તારમાં સઘન શોધખોળ કરી હતી. અંતે, હુમલાખોર મગરને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. મગર પકડાતા ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે, કારણ કે તેઓ રોજિંદા કામકાજ માટે તળાવ અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા હોય છે. વન વિભાગે લોકોને જળાશયોની આસપાસ સાવચેત રહેવા અને સતર્કતા જાળવવા અપીલ કરી છે.
જૂનાગઢ જિલ્લાના રત્નકલાકારો છેલ્લા લાંબા સમયથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રત્નદીપ સહાય યોજનામાં વહીવટી અવરોધો આવતા આજે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં એકત્રિત થયેલા રત્નકલાકારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની પડતર માંગણીઓ અને સહાયના પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. આ અહેવાલમાં રત્નકલાકારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે યોજનાના અમલીકરણમાં ટેકનિકલ ખામીઓને આગળ ધરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રત્નકલાકાર યુનિયનના લીડર કેતન હીરપરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રત્નકલાકારોની વેદના રજૂ કરી છે. રત્નદીપ સહાય યોજના અંતર્ગત કુલ 2892 જેટલા રત્નકલાકારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હતા, પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંથી માત્ર 676 કલાકારોને જ આર્થિક સહાય પ્રાપ્ત થઈ છે. બાકીના મોટી સંખ્યામાં કલાકારો સહાયથી વંચિત રહી ગયા છે. કેતન હીરપરાએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ બાબતે જિલ્લા ઉદ્યોગ અધિકારીની કચેરીએ તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ઘણી અરજીઓમાં માત્ર તારીખને બદલે મહિનો અને વર્ષ લખેલું હોવા જેવી સામાન્ય ટેકનિકલ ક્ષતિઓને કારણે અરજીઓ સીધી જ નામંજૂર કરી દેવામાં આવી છે. તેમણે સરકારને વિનંતી કરી છે કે રત્નકલાકાર વર્ગ અભણ અને અજ્ઞાત હોવાથી આવી નાની ભૂલો થઈ શકે છે, પરંતુ તેના આધારે તેમને સહાયથી વંચિત ન રાખવા જોઈએ અને અરજીમાં સુધારો કરવાની તક આપવી જોઈએ. બીજી તરફ, અન્ય એક અગ્રણી રત્નકલાકાર જિતેન્દ્ર ઠાકરે પણ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે રત્નદીપ સહાય યોજનાના લાભાર્થીઓમાં માત્ર 20 ટકા કલાકારોનો જ સમાવેશ થયો છે, જ્યારે 80 ટકા જેટલો મોટો વર્ગ હજુ પણ આ સહાયની રાહ જોઈ રહ્યો છે. તેમણે કલેક્ટરને તાત્કાલિક ધોરણે આ સહાય મંજૂર કરવા વિનંતી કરી છે. જિતેન્દ્ર ઠાકરે સરખામણી કરતા જણાવ્યું કે સરકારના વિવિધ વિભાગોમાં અધિકારીઓ માટે આઠમો પગાર પણ લાગુ થઈ ચૂક્યો છે અને તેમને મોંઘવારી ભથ્થા જેવી અનેક સુવિધાઓ મળે છે, પરંતુ તેની સામે રત્નકલાકારોની હાલત અત્યંત દયનીય છે. છેલ્લા 20 વર્ષમાં રત્નકલાકારોના મહેનતાણાના દરમાં કોઈ મોટો વધારો થયો નથી, જ્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ બમણા થઈ ગયા છે. જૂનાગઢના રત્નકલાકારોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે. કલાકારોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર માનવીય અભિગમ અપનાવીને અરજીઓની ટેકનિકલ ખામીઓ સુધારવાની મંજૂરી આપે, તો સેંકડો પરિવારોને આર્થિક ટેકો મળી શકે તેમ છે. આવેદનપત્રમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે રત્નકલાકારો આ આર્થિક સ્થગિતતા વચ્ચે જો સહાય મેળવવામાં નિષ્ફળ રહેશે તો તેમની સ્થિતિ વધુ કફોડી બનશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર રત્નકલાકારોની આ વ્યાજબી માંગણીઓ પર કેવા પ્રકારના પગલાં ભરે છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યોઆ યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેનું નામ દાનિશ અસજરે ( ઉંમર વર્ષ 20) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે GIDC ગેઈટ સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં શ્રમિક તરીકે કામ કરતો હતો અને સેન્ટિંગનું કામ કરતો હતો. આ પગલું ભરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ યુવકે આજે કામગીરીમાંથી રજા લીધી હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળે હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકે આપઘાત શા માટે કર્યો છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક શ્રમિક તરીકે પોતાના સંબંધી સાથે અહીંયા રહેતો હતો અને સેન્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનવાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ત્રણ યુવકો વિસ્તારમાં દાદાગીરી કરતા હોવા અંગેનો વિરોધ યુવક દ્વારા કરવામાં આવતા તેના ઉપર દાઝ રાખી અને ગાળો બોલી હથિયારો વડે માર માર્યો હતો. ટી- સ્ટોલ પર હથિયારો વડે તૂટી પડ્યા હતા. લાકડીઓ અને ખુરશીઓ વડે મારતા જીવ બચાવવા માટે યુવક ભાગ્યો હતો. ત્યારે તેનો પીછો કરી અને ફરીથી પકડી અને હથિયારો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે બાપુનગર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. PI બદલાતા અસામાજિક તત્વો ફરી સક્રિય થઈ ગયાશહેરના બાપુનગર વિસ્તારમાં નવા પીઆઇ આવતાની સાથે જ અસામાજિક તત્વો ફરીથી સક્રિય થઈ ગયા છે. બાપુનગર વિસ્તારમાં એકવાર કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા યુવકને દોડાવી દોડાવીને માર માર્યો છે. બાપુનગરમાં રહેતા અને સ્ટીમ પ્રેસનું કામ કરતા સાહિલ શેખે બાપુનગર પોલીસ સ્ટેશનમાં અયાન ઉર્ફે માયા, ફૈઝાન ઉર્ફે ભીમ પઠાણ અને આવેશ મિર્ઝા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. મોડીરાતે સાહિલ શેખ ટી સ્ટોલ પર ગયો હતો ત્યારે ત્યારે અયાન, ફૈઝાન અને આવેશ આવ્યા હતા. બાપુનગર વિસ્તારમાં તેઓ દાદાગીરી કરતા હોવાને લઈને સાહિલે વિરોધ કર્યો હતો જેને લઈ તેની ઉપર દાજ રાખતા હતા. ત્રિપુટીની દાદીગીરી સામે અવાજ ઉઠાવનાર યુવક પર હુમલોત્રણેયની દાદાગીની સામે સાહિલ વાંધો ઉઠાવતો હોવાથી તેની સાથે બબાલ કરવા આવ્યા હતા. સાહિલ કઈ વિચારે તે પહેલા ત્રણેય માથાભારે તત્વોએ ગાળો આપવાની શરૂ કરી દીધી હતી અને હથિયારો લઈને માર માર્યો હતો. જીવ બચાવવા માટે પોતે ત્યાંથી અજીત મિલ કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો ત્યારે ત્યાં પણ તેનો પીછો કર્યો હતો અને પાછળથી સાહિલના માથામાં કુહાડી મારતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્રણેય હુમલાખોરોએ સાહિલને દંડા અને પાઈપથી મારતા હતા. આસપાસના લોકો આવી જતા ત્રણેયે ધમકી આપી કે હવે જો અમારો વિરોધ કર્યો તો તને જાનથી મારી નાખીશુ. ઈજાગ્રસ્ત સાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે બાપુનગર પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મધરાતે મેગા કોમ્બિંગ અને સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. આ ઓપરેશનમાં ડીવાયએસપી ઝાલા સાથે વિવિધ પોલીસ સ્ટેશનના પી.આઈ. અને પી.એસ.આઈ. સહિતનો મોટો પોલીસ કાફલો જોડાયો હતો. ચૂંટણી પહેલાં અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવાનો આ સઘન પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. પોલીસે શહેરના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો તેમજ જૂના શહેરના સાંકડા વિસ્તારોમાં સઘન કોમ્બિંગ કર્યું. રાત્રિ દરમિયાન શંકાસ્પદ વાહનોનું એફ.એસ.એલ. અને અન્ય ટેકનિકલ સાધનોની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના રહેઠાણો પર પણ તપાસ કરાઈ હતી. તેમની ગતિવિધિઓ પર નજર રાખવા સૂચનાઓ અપાઈ હતી. જાહેર માર્ગો અને ચોક વિસ્તારોમાં પોલીસની હાજરી વધારીને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો પ્રયાસ કરાયો હતો. જામનગર પોલીસ વિભાગે જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને લોકો નિર્ભય બનીને લોકશાહીના પર્વમાં ભાગ લઈ શકે તે માટે જામનગર પોલીસ કટિબદ્ધ છે. રાત્રિ પેટ્રોલિંગ અને ચેકિંગની આ પ્રક્રિયા આગામી દિવસોમાં વધુ તેજ બનાવાશે. પોલીસની આ આક્રમક કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, શહેરીજનોમાં તંત્રની આ સતર્કતાને લઈને સંતોષ જોવા મળ્યો છે.
ખેડબ્રહ્મા પ્રચાર સભામાં સાંસદે અનોખી રચના રજૂ કરી:રાધા-કૃષ્ણ પર આધારિત રજૂઆતનો વીડિયો વાયરલ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડા શામળાજી ખાતે યોજાયેલી ચૂંટણી પ્રચાર સભામાં એક અનોખો પ્રસંગ જોવા મળ્યો હતો. આ સભામાં ઉપસ્થિત સાંસદ શોભનાબેન બારૈયાએ રાધા અને કૃષ્ણને કેન્દ્રમાં રાખી એક રચના રજૂ કરી હતી. સાંસદે રજૂ કરેલી આ રચનામાં રાધા અને કૃષ્ણ વચ્ચેના સવાલ-જવાબને રજૂ કરાયા હતા. તેમની આ રજૂઆત દરમિયાન સભામાં હાજર શ્રોતાઓ ધ્યાનપૂર્વક સાંભળતા રહ્યા હતા. ચૂંટણી પ્રચાર સભામાં આ પ્રકારની સાહિત્યિક રજૂઆત લોકો માટે નવીન રહી હતી. પ્રેક્ષકો તરફથી આ રજૂઆતને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં લોકો સાંસદની આ કલાત્મક રજૂઆતની નોંધ લઈ રહ્યા છે.
છોટા ઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે હ્યુમન ચેઇન બની:કલેક્ટર ગાર્ગી જૈને મતદારોને મતદાન કરવા અપીલ કરી
છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદારોમાં જાગૃતિ લાવવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના નેતૃત્વ હેઠળ એક કિલોમીટર લાંબી હ્યુમન ચેઇન બનાવવામાં આવી હતી.આ હ્યુમન ચેઇન છોટા ઉદેપુર નગરના પેટ્રોલ પંપ ચોકડીથી માણેકચોક સુધી લંબાવવામાં આવી હતી. તેમાં શાળાના બાળકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણીમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે કલેક્ટર ગાર્ગી જૈને તમામ મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
નારી શક્તિ અધિનિયમ બિલ અંગે ભાજપે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસે પણ મહિલા આરક્ષણ બિલની સચ્ચાઈ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ઓલ ઇંડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિકે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા ખાસ હાજર રહ્યા હતા અને મુકુલ વાસનિકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાને કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નથી. આ પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં અવરોધો ઊભા કરવાનું મોટું પાપ કર્યું છે, જેનાથી દેશની કરોડો મહિલાઓનું મનોબળ તૂટ્યું છે. આઝાદીના દાયકાઓ સુધી એકહથ્થુ શાસન કરનાર કોંગ્રેસ પાર્ટી હંમેશા નકારાત્મક રાજનીતિ જ કરતી આવી છે. દેશના વિકાસ અને નીતિ ઘડતરમાં બહેનોના સન્માનજનક યોગદાનનો આ એક શ્રેષ્ઠ અવસર હતો, પરંતુ કોંગ્રેસે હંમેશાની જેમ તેનો પણ વિરોધ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ‘ઇન્ડીયા’ ગઠબંધને અત્યાર સુધી માત્ર પરિવારવાદને પોષવાનું કામ કર્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં જે રિફોર્મ્સ થઈ રહ્યા છે, તે કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સહન કરી શકતા નથી. તેમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જશે, તો સામાન્ય પરિવારની બહેનોને પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. મહિલાઓના હિતોની અવગણના કરવી એ કોંગ્રેસની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા અને ત્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સુવિધાઓ અને સ્વતંત્રતાથી પણ વંચિત રાખવામાં આવી હતી. ‘લટકાવવા, ભટકાવવા અને અટકાવવા’નું કોંગ્રેસનું વલણ દેશ માટે ખૂબ નુકસાનકારક રહ્યું છે. તેઓએ કહ્યું કે, કોંગ્રેસે માત્ર મહિલા બિલ જ નહીં, પરંતુ 'વન નેશન વન ઇલેક્શન', SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપવાનો કાયદો (CAA), જનધન યોજના, આધાર અને ડિજિટલ પેમેન્ટ જેવા અનેક લોકહિતના સુધારાઓનો પણ વિરોધ કર્યો છે. કોંગ્રેસની આ બે મોઢાની રાજનીતિ આજે જનતા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, મેં ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો રાષ્ટ્રજોગ સંદેશ ચોક્કસ સાંભળ્યો છે. જ્યારે પ્રધાનમંત્રી રાષ્ટ્રના નામે સંદેશ આપે છે, ત્યારે તે ખરેખર રાષ્ટ્રહિતનો સંદેશ હોવો જોઈએ. પરંતુ અહીં એવું જોવા મળ્યું નથી. તેઓ પ્રધાનમંત્રી તરીકે બોલી રહ્યા હતા, પણ તેમનું વક્તવ્ય એક ભાજપના નેતા જેવું વધુ લાગતું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેમના 29 મિનિટના ભાષણમાં 58 વાર 'કોંગ્રેસ'નું નામ લેવામાં આવ્યું. તેમણે સતત કોંગ્રેસ અને વિપક્ષ પર આરોપો લગાવ્યા. આ મહિલા અનામત માટેનું સંશોધન નહોતું, પણ જનતાને ગેરમાર્ગે દોરવાનો એક પ્રયાસ હતો. બિલ તો 22 સપ્ટેમ્બર 2023ના રોજ સંસદમાં સર્વસંમતિથી પસાર થઈ ગયું છે, એટલે હવે 'મહિલા અનામત' એ વિષય જ રહ્યો નથી. જો હવે પ્રધાનમંત્રી કે ભાજપના નેતાઓ આ મુદ્દે બોલે છે, તો તે ખોટું છે. તેઓ લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીની દાનત આ સંશોધનને ખરેખર મંજૂર કરવાની નહોતી. તમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી નથી, તો શું તમે વિપક્ષ સાથે વાત કરી? વિપક્ષે તો સર્વદલીય બેઠકની માંગ કરી હતી, સંસદીય સમિતિને બિલ મોકલવા કહ્યું હતું, પણ તમે કશું જ ન કર્યું. કોઈ ચર્ચા વગર, સીમાંકનના મુદ્દે ગૂંચવીને છેલ્લી ઘડીએ આ બિલ લાવવામાં આવ્યું. તેઓએ કહ્યું કે, મોદીજીએ વિચાર્યું હશે કે જો બિલ પાસ થશે તો તેઓ મહિલાઓના 'મસીહા' બનશે, અને જો નહીં થાય તો વિપક્ષ પર દોષ ઢોળશે. પણ હવે દેશની જનતા સમજી ગઈ છે. 12 વર્ષથી લોકો તેમને જોઈ રહ્યા છે. તેમની કથની અને કરણી વચ્ચેનો તફાવત હવે સ્પષ્ટ છે. હવે લોકો તેમની આવી વાતોમાં આવવાના નથી.
વિશ્વ હિન્દુ પરિષદનો જિલ્લા અભ્યાસ વર્ગ યોજાયો:નારણપુરા ખાતે સંગઠનના કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું
અમદાવાદના નારણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા જિલ્લા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ગમાં પ્રાંત, વિભાગ, જિલ્લા અને પ્રખંડ સ્તરના કાર્યકર્તાઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ વર્ગ દરમિયાન કુલ ૯ સત્રો યોજાયા હતા. આ સત્રોમાં પ્રાંત અને વિભાગ સ્તરના અગ્રણીઓએ વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હર્ષદભાઈ ગિલેટવાળા, નિપુણભાઈ ભટ્ટ, તેજસભાઈ ઓઝા, ગણેશભાઈ રાઠોડ, કૈલાસભાઈ રાજપુરોહિત અને ચંદ્રિકાબેન પટેલ સહિતના વક્તાઓએ સંગઠનના મજબૂતીકરણ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સમાપન બાદ કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને સંગઠન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી હતી.
પાટણમાં રિક્ષામાં વૃદ્ધાને છરી બતાવી લૂંટ:મહિલા સહિત ત્રણ આરોપીઓએ દાગીના, રોકડ ઝૂંટવી ધમકી આપી
પાટણ શહેરમાં રિક્ષામાં બેઠેલા એક વૃદ્ધાને છરી બતાવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. રિક્ષાચાલક અને તેના બે સાથીદારોએ વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓ અને રોકડ રકમ મળી કુલ ₹15,600ની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. 65 વર્ષીય શારદાબેન ડીસાથી પાટણ જઈ રહ્યાં હતામૂળ ચાણસ્માના રૂપપુરના અને હાલ મહેસાણા ખાતે રહેતા 65 વર્ષીય શારદાબેન હરગોવનભાઈ રાવળ ગત 18 એપ્રિલ, 2026ના રોજ ડીસાથી પાટણ પોતાની દીકરીના ઘરે આવવા નીકળ્યા હતા. સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પાટણ ટી.બી. ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ચાલતા જતા હતા. રિક્ષામાં ચાલક ઉપરાંત એક મહિલા અને પુરુષ અગાઉથી હાજર હતાબંસી કાઠિયાવાડી હોટલ પાસે એક કાળા-લીલા રંગની રિક્ષા તેમની પાસે આવી હતી. રિક્ષાચાલકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. તેણે વૃદ્ધાને વિશ્વાસમાં લઈ માત્ર ₹10ના ભાડામાં નિર્ધારિત સ્થળે ઉતારવાનું કહી રિક્ષામાં બેસાડ્યા હતા. રિક્ષામાં અગાઉથી જ પાછળના ભાગે સફેદ ડ્રેસ પહેરેલી એક મહિલા તેની નાની છોકરી સાથે બેઠેલી હતી, જ્યારે ડ્રાઈવરની બાજુમાં પણ એક શખ્સ હાજર હતો. વૃદ્ધાને છરી બતાવી મારી નાખવાની ધમકી આપી, ઓઢણીથી મોઢું બાંધી દીધુંરિક્ષાચાલકે CNG પંપ પર ગેસ ભરાવ્યા બાદ રિક્ષા સિદ્ધપુર રોડ તરફ હંકારી હતી. જ્યારે વૃદ્ધાએ પોતાના ઉતરવાના સ્થળ શાંતિનાથ સોસાયટી પાસે રિક્ષા ઊભી રાખવા જણાવ્યું, ત્યારે રિક્ષામાં બેઠેલી મહિલા અને શખ્સે તેમને ઉતરવા દીધા ન હતા. રિક્ષામાં બેઠેલા શખ્સે છરી બતાવી વૃદ્ધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મહિલાએ પોતાની ઓઢણીથી વૃદ્ધાનું મોઢું બાંધી દીધું હતું. સોનાની બે બુટ્ટીઓ બળજબરીથી કાઢી લીધીલૂંટારુઓએ રિક્ષાને એક ખુલ્લા મેદાનમાં લઈ જઈ વૃદ્ધા પાસે રહેલું પાકીટ ઝૂંટવી લીધું હતું, જેમાંથી ₹600ની રોકડ કાઢી લીધી હતી. ત્યારબાદ મહિલાએ વૃદ્ધાના કાનમાં પહેરેલી 4 થી 5 ગ્રામની સોનાની બે બુટ્ટીઓ, જેની કિંમત આશરે ₹15,000 હતી, તે બળજબરીથી કાઢી લીધી હતી. રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદલૂંટ ચલાવ્યા બાદ આરોપીઓએ વૃદ્ધાને રિક્ષામાંથી નીચે ઉતારી દીધા હતા અને ઘટના અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ અંગે શારદાબેને પાટણ બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા રિક્ષાચાલક, એક મહિલા અને એક અન્ય શખ્સ વિરુદ્ધ B.N.S.ની કલમ 309(4), 351(3), 126(2), 311, 3(5) તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન કેવી રીતે કરવું' તે દર્શાવતો એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જામનગરના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહીને મજબૂત કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર કલાત્મક રીતે રજૂ કર્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ગુજરાતમાં હિટવેવનો ખતરો:જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં 'હીટ વોર્ડ' શરૂ કરાયા, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં
ગુજરાતમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હિટવેવની આગાહી વચ્ચે રાજ્યનું આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગરમીના વધતા પ્રકોપને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ‘વોર રૂમ’ જેવી તૈયારી કરવામાં આવી છે. રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં ખાસ ‘હીટ વોર્ડ’ કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ સારવારની સુવિધા ઉભી કરવામાં આવી છે. જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં ખાસ વોર્ડ બનાવી બેડની વ્યવસ્થા કરાઈહીટ સ્ટ્રોકના ગંભીર કેસોને પહોંચી વળવા માટે દરેક CHC (કોમ્યુનિટી હેલ્થ સેન્ટર)માં 2 બેડ અને જિલ્લા હોસ્પિટલમાં 5 બેડ અનામત રાખવામાં આવ્યા છે. આ બેડોમાં પૂરતી કુલિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી દર્દીઓને તાત્કાલિક રાહત મળી રહે. સાથે સાથે હોસ્પિટલમાં જરૂરી દવાઓનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ORS કોર્નર ઉભા કરવામાં આવ્યાગરમીથી ડિહાઇડ્રેશનના કેસોમાં વધારો થવાની શક્યતા વચ્ચે હોસ્પિટલમાં ORS કોર્નર પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં લોકોને મફત ORS આપવામાં આવશે. SNCU અને ICU જેવા સંવેદનશીલ વિભાગોમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે જેથી નવજાત શિશુઓ અને ગંભીર દર્દીઓ પર ગરમીની અસર ઓછા થાય. આ સાથે જ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ચકાસણી કરવામાં આવી રહી છે અને ફાયર સેફ્ટી અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ ગરમી દરમિયાન સાવચેત રહેવા, પૂરતું પાણી પીવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની સલાહ આપી છે.
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી 26મી એપ્રિલે યોજાશે. ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટવેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વાપી મનપા વિસ્તારમાં કુલ 1.13 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારો માટે 123 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી વિમલ પટેલના જણાવ્યા અનુસાર, તમામ 123 મતદાન મથકો પર પ્રાથમિક સુવિધાઓ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા, છાંયડો અને બેસવાની સુવિધાની ચકાસણી કરવામાં આવી છે. આ સુવિધાઓ મતદારોને ગરમીમાં કોઈ અગવડ ન પડે તે સુનિશ્ચિત કરવા માટે છે. હીટવેવની આગાહીને પગલે મતદારોને કોઈ તકલીફ ન થાય તે માટે આરોગ્ય વિભાગની ટીમની મદદ લેવામાં આવી છે. ગરમીના ઊંચા પારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સાથે ખાસ સંકલન સાધવામાં આવ્યું છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મેડિકલ સહાય મળી રહે. ચૂંટણી અધિકારીએ મતદારોને વહેલી સવારે મતદાન કરવા ખાસ અપીલ કરી છે. મતદાન સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. બપોરની ગરમી અને લૂથી બચવા માટે મતદારો સવારે 10:00 વાગ્યા પહેલા મહત્તમ મતદાન કરી લે તે હિતાવહ છે. વહેલી સવારે મતદાન કરવાથી મતદારોને લાંબી કતારો અને ગરમી બંનેથી રાહત મળશે. વાપીમાં ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુવિધાયુક્ત મતદાન સુનિશ્ચિત કરવા માટે કમર કસવામાં આવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવીને નાણાં પડાવતી હનીટ્રેપ ગેંગનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં રહી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા યુવકને 'જીવનસાથી' એપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા ફસાવી, પાટણના સંખારી ગામની સીમમાં બોલાવી માર મારી બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ 15 લાખની ખંડણી માંગી યુવક પાસેથી 3 લાખ પડાવી લીધા હતા. આ મામલે રણુજ પોલીસે 4 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ બોલાવ્યોમૂળ ગીર સોમનાથના અને હાલ અમદાવાદમાં કાર્યરત ગુરુદત્ત મોવિલયાનો સંપર્ક 20 દિવસ પહેલા 'જીવનસાથી' એપ પર માનસી પટેલ નામની યુવતી સાથે થયો હતો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર વાતચીત થતા બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. 12 એપ્રિલ 2026ના રોજ યુવતીએ યુવકને ચાણસ્મા બોલાવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર લોકેશન મોકલી ખીમીયાણા અને સંખારી ગામ વચ્ચેની સીમમાં આવવા જણાવ્યું હતું. સીમમાં બંધક બનાવી માર માર્યોયુવક નિર્ધારિત લોકેશન પર પહોંચતા જ બે અજાણ્યા શખસોએ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ ત્રીજા શખસે આવી પોતે યુવતીનો ભાઈ હોવાનું કહી યુવકને ગડદાપાટુ તેમજ લાકડી વડે માર માર્યો હતો. આરોપીઓએ યુવકનો મોબાઈલ અને બાઈકની ચાવી પડાવી લઈ તેને ખેતરમાં બંધક બનાવ્યો હતો અને 15 લાખની ખંડણીની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બેંક ટ્રાન્સફર દ્વારા 3 લાખની લૂંટતે જ સાંજે ચોથો શખસ કાર લઈને ત્યાં આવ્યો હતો. આરોપીઓએ યુવકના મોબાઈલ એપ દ્વારા HDFC બેંકના ક્રેડિટ કાર્ડમાંથી 1 લાખ 'શ્રી નકલંગ ભગવાન પેટ્રોલિયમ'ના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ તેને ચાણસ્માની હોટલમાં આખી રાત બંધક રાખ્યો હતો. 13 એપ્રિલના રોજ આરોપીઓ તેને પાટણની SBI બેંકમાં 2 લાખ ઉપાડવા લઈ ગયા હતા, પરંતુ ચેક ન હોવાથી નાણાં ઉપડી શક્યા ન હતા. અંતે હોટલ ફાઉન્ટેન ફર્ન ખાતે તેને રોકી રાખી, ટ્રાન્ઝેક્શન મર્યાદા પૂરી થતા બીજા 2 લાખ ગિરધર પંચાલ નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ધમકી અને પોલીસ ફરિયાદકુલ 3 લાખ પડાવ્યા બાદ આરોપીઓએ યુવકના પરિવારને મારી નાખવાની ધમકી આપી છોડી દીધો હતો. ડરના માર્યા છ દિવસ મૌન રહ્યા બાદ યુવકે તેના મિત્રને જાણ કરી હતી. 18 એપ્રિલના રોજ ઘટનાસ્થળની મુલાકાત વખતે યુવકની તબિયત બગડતા તેને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રણુજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે BNSSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
સૌરાષ્ટ્રમાં આ વર્ષે પણ સારા ચોમાસાના સંકેત છે. જૂનાગઢ જિલ્લામાં રહેતા અને ભડલી વાક્ય, અખાત્રીજના પવનની દિશાના આધારે આગાહી કરતા રમણિક વામજાએ આ વર્ષે લાંબા અને સારા ચોમાસાની આગાહી કરી છે. આગાહીકારે કહ્યું છે કે, આ વર્ષે સૌરાષ્ટ્રના ખેડૂતોએ ચિંતા કરવાની જરુર નથી. અખાત્રીજના પવનની દિશાના આધારે અપાયો વરસાદનો વરતારોજૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠ પંથકના વતની અને છેલ્લા સાડા ત્રણ દાયકાથી પવનની ગતિ તેમજ ખગોળ વિદ્યાના ઊંડા અભ્યાસ દ્વારા વરસાદનું સચોટ અનુમાન લગાવતા રમણીકભાઈ વામજાએ આ વર્ષના ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે અખાત્રીજના પવિત્ર દિવસે વાતાવરણમાં સર્જાયેલી સ્થિતિ અને પવનની દિશાના આધારે જણાવ્યું છે કે આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થશે. ખાસ કરીને પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવન ફૂંકાયા હોવાથી તેમજ આકાશમાં વાદળોની જે પ્રકારની ગોઠવણ જોવા મળી છે, તે જોતા ખેડૂતો માટે આ વર્ષ ખુશખાલ સાબિત થવાનું છે. ચોમાસું વહેલું શરૂ થશે અને લાંબુ ચાલશે- રમણિક વામજાઆગાહીકાર અનુસાર વરસાદની શરૂઆત વહેલી થઈ શકે છે. આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રના પ્રભાવ હેઠળ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. જોકે, મુખ્ય ચોમાસું ઘણું લાંબુ ચાલશે તેવું અનુમાન છે. આ વર્ષે ચોમાસું અંદાજે 50 થી 55 દિવસ સુધી સક્રિય રહે તેવી શક્યતા છે, જેને કારણે ખેતી અને જળ સ્તરમાં મોટો ફાયદો થશે. રમણીકભાઈએ લાલબત્તી ધરતા એમ પણ કહ્યું છે કે જુલાઈ મહિનામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી પણ શક્યતા છે, પરંતુ તેની સાથે જ સૌરાષ્ટ્રના તમામ ડેમ, નદી અને નાળા છલકાઈ જશે જે ભવિષ્ય માટે સારા સંકેત છે. ભાદરવા મહિનાના અંત ભાગમાં પણ વરસાદનો જોર યથાવત રહેશે. હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ પડતા ખેતીના પાકોને જીવનદાન મળશે. જોકે, ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડવાની સંભાવના છે, જે અમુક પાકો માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હશે, તેમને નવરાત્રીના વરસાદથી નુકસાન થવાની ભીતિ છે. મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદો કરાવી શકે- આગાહીકારખેતીના પાકો વિશે વિસ્તૃત સલાહ આપતા વંથલીના આ આગાહીકારે જણાવ્યું હતું કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ પાકની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. આ વર્ષે મગફળી અને સોયાબીનનું વાવેતર કરનાર ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થઈ શકે છે, કારણ કે આ પાકોને વરસાદની અનુકૂળતા રહેશે. બીજી તરફ, કપાસના પાકમાં આ વર્ષે જીવાતનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. કપાસના વાવેતરમાં જોખમ વધારે હોવાથી ખેડૂતોએ મગફળીને પ્રથમ પસંદગી આપવી જોઈએ તેવું તેમનું મંતવ્ય છે.
અમદાવાદમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. નિકોલમાં ભક્તિ સર્કલ પાસે એક BMW કાર ચાલકે પૂર ઝડપે રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માત બાદ BMW કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવ અંગેઆઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. રિક્ષા પલટી ખાઈને દૂર પડી, કાર ઘૂસતાં બસ સ્ટેશન તૂટી ગયું અમદાવાદના નિકોલમાં ભક્તિ સર્કલ પાસેથીના AMTS બસ સ્ટેશન પાસે BMWની EV કાર પૂર ઝડપે આવી રહી હતી. આ કારે રિક્ષા ચાલકને પુર ઝડપે ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈને દૂર પડી હતી. જ્યારે કાર બસ સ્ટેશનમાં ઘૂસી જતા આખું બસ સ્ટેશન તૂટી ગયું છે. રિક્ષા ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઅકસ્માત થતા ચાલક કાર મુકીને નાસી ગયો છે. જ્યારે રિક્ષા ચાલકને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોચી હતી. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. આઈ. સુમરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. રિક્ષાચાલકને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે. અમારી એક ટીમ હોસ્પિટલમાં ફરિયાદ લેવા પહોંચી છે, જ્યારે બીજી ટીમ કાર ચાલકની તપાસ કરી રહી છે. અકસ્માત કરનાર કાર મહારાષ્ટ્રની હોવાનું સામે આવ્યું છે. અમે સમાચાર અપડેટ કરી રહ્યા છીએ….
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીએ આજે પોતાના ચૂંટણી મેનીફેસ્ટોની જાહેરાત કરીને તૈયારી કરી છે. પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે રાજ્યભરમાં કુલ 5266 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, કેટલાક સ્થળોએ ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે ષડયંત્રો પણ કરવામાં આવ્યા છે, છતાં પાર્ટીના કાર્યકરો મજબૂતાઈથી લડી રહ્યા છે.ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે રસ્તા, શિક્ષણ અને આરોગ્ય સહિતના મુદ્દા સાથે મેનિફેસ્ટો જાહેરપાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં ગ્રામ વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપી છે. જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસ માટે આયોજન કરવામાં આવશે. ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓને સુધારવા અને વાડી વિસ્તારોમાં એક વર્ષમાં રોડ સુધારવાની ખાતરી આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે સરકારી શાળાઓનું સંચાલન સુધારવા, શિક્ષકોની ભરતી કરવા અને નવા વર્ગખંડો બનાવવા વચન આપવામાં આવ્યું છે. આરોગ્ય સેવાઓમાં CHC અને PHC કેન્દ્રોને મજબૂત બનાવવામાં આવશે, ડોકટરોની હાજરી સુનિશ્ચિત કરવામાં આવશે અને પૂરતી દવાઓ ઉપલબ્ધ કરાશે. કૃષિ ક્ષેત્રે આધુનિક ખેતી માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા અને ખેડૂતની આવક વધારવા યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવા પણ આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલન માટે રસીકરણ અને સુવિધાઓ વધારવા પર ભાર મૂકાયો છે. ગરીબી ઘટાડવા અને જરૂરિયાતમંદોને સરકારી પેન્શન યોજનાઓનો લાભ પહોંચાડવાની પણ ખાતરી આપવામાં આવી છે. 'ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે'ઇસુદાન ગઢવીએ મતદારોને લોભ-લાલચમાં ન આવવા અપીલ કરી અને ભાજપ તથા કોંગ્રેસ બંને પક્ષો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે, બંને પક્ષોએ વર્ષો સુધી શાસન કર્યું છતાં લોકો માટે પૂરતું કામ કર્યું નથી. આંગડિયા પેઢી મામલે તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ડરી ગઈ છે અને કોંગ્રેસ સાથે મળીને લડી રહી છે. સાથે જ તેમણે આક્ષેપ કર્યો કે 150થી વધુ કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધાવી તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે અન્ય પક્ષોના નેતાઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ચૂંટણી લડી રહી છે અને ભાજપ તેને દબાવવા પ્રયાસ કરી રહી છે, એવો આરોપ પણ ઇસુદાન ગઢવીએ લગાવ્યો હતો.
જામનગર મનપાની ચૂંટણીમાં પ્રચાર તેજ:ઉમેદવારો ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે સંતોના આશીર્વાદ લઈ રહ્યા છે
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેરમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારો સુધી પહોંચવા માટે વિવિધ માધ્યમો અપનાવી રહ્યા છે, જેમાં ધાર્મિક સ્થળોના દર્શન અને સંતો-મહંતોના આશીર્વાદ મેળવવાનું એક મહત્વપૂર્ણ પાસું બન્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP), આમ આદમી પાર્ટી (AAP), કોંગ્રેસ સહિતના મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો તેમજ કેટલાક અપક્ષ ઉમેદવારો શહેરના જુદા જુદા મંદિરો અને ધાર્મિક સ્થળોએ જઈ રહ્યા છે. તેઓ સંતો અને મહંતોના આશીર્વાદ મેળવીને પોતાના ચૂંટણી પ્રચારને ગતિ આપી રહ્યા છે. ચૂંટણીના આ માહોલ વચ્ચે, ઉમેદવારો ધાર્મિક આસ્થાનો સહારો લઈને જનસંપર્ક મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધાર્મિક સ્થળોએ ઉમેદવારોની મુલાકાતો વધતા પ્રચારને એક નવી દિશા મળી રહી છે. આમ, જામનગરમાં ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળો અને સંતોના આશીર્વાદ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જે ઉમેદવારો માટે પ્રચારનું એક અસરકારક માધ્યમ સાબિત થઈ રહ્યું છે.
મહિલા અનામત બિલને લઈને દેશના રાજકારણમાં ગરમાવો તેજ બન્યો છે. ભાજપ જ્યારે કોંગ્રેસને આ મામલે જવાબદાર ઠેરવી રહી છે, ત્યારે કોંગ્રેસે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર વળતા આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસનો દાવો છે કે સંસદમાં રજૂ થયેલું બિલ મહિલાઓના હિતમાં નહીં પરંતુ લોકોમાં ભ્રમ ફેલાવવા માટે છે. RSS અને ભાજપમાં મહિલાઓનું સ્થાન ક્યાં?: મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે ભાજપની નીતિને મહિલા વિરોધી ગણાવતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, RSSને સ્થપાયાને 100 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, પરંતુ આટલા સમયમાં ક્યારેય કોઈ મહિલાને 'સરસંઘચાલક' બનાવવામાં આવી નથી. તેવી જ રીતે, ભાજપ પણ અનેક દાયકાઓથી સક્રિય છે, છતાં ક્યારેય કોઈ મહિલાને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોંપવામાં આવ્યું નથી. આના પરથી તેમનો મહિલાઓ પ્રત્યેનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. ‘ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડ્યું’મુકુલ વાસનિકે વધુમાં જણાવ્યું હતું કે, સંસદમાં જે વિધેયક રજૂ કરવામાં આવ્યું છે તે ખરેખર મહિલાઓને તાત્કાલિક અનામત આપવા માટે નથી. ભાજપ માત્ર તોડી-મરોડીને વાતો રજૂ કરી રહી છે. તેમણે હાથરસ કાંડ, મણિપુર હિંસા અને મહિલા પહેલવાનોના આંદોલનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભાજપ શાસિત રાજ્યોમાં મહિલાઓને ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરવું પડે છે. ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે’કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ મહિલાઓને સશક્ત કરવામાં ક્યારેય વિશ્વાસ રાખતી નથી અને આ બિલ માત્ર આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવ્યું છે. વાસનિકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ભાજપના આ 'ખોટા ઈરાદા' સમજી ગઈ છે અને સમય આવ્યે સત્ય સામે આવશે.
સુરતના અમરોલી વિસ્તારમાં રવિવારે યોજાયેલી પીએસઆઈ (PSI) ભરતીની પરીક્ષા દરમિયાન ચોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. પરીક્ષામાં કડક સુરક્ષાના દાવાઓ વચ્ચે એક ઉમેદવાર મોબાઈલ ફોન સાથે વર્ગખંડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો હતો અને પરીક્ષા દરમિયાન ગૂગલની મદદ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાની વિગતોઅમરોલીની મધુવન ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા શિવમ રામકુમાર યાદવ નામના ઉમેદવારે પોતાની બેઠક વ્યવસ્થા પાસે મોબાઈલ ફોન છુપાવી રાખ્યો હતો. પેપર શરૂ થયા બાદ તે મોબાઈલ ફોન પર ગૂગલ સર્ચ કરીને પ્રશ્નોના જવાબ શોધી રહ્યો હતો. પરીક્ષા સુપરવાઈઝરની નજર પડતા જ તેને અટકાવવામાં આવ્યો હતો અને તેની પાસેથી પ્રતિબંધિત મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો. સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થપરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર અને સઘન શારીરિક ચેકિંગ હોવા છતાં, ઉમેદવાર મોબાઈલ ફોન અંદર લઈ જવામાં કઈ રીતે સફળ રહ્યો? આ ઘટનાએ પરીક્ષા કેન્દ્રના સંચાલકો અને ચેકિંગ સ્ટાફની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. આ ઘટના બાદ પરીક્ષા સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી શિવમ યાદવ વિરુદ્ધ પરીક્ષામાં ગેરરીતિ અને પ્રતિબંધિત સાધનોના ઉપયોગ બદલ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે તેને અંદર કોઈની મદદ મળી હતી કે કેમ.
નવસારીમાં હુમલાના 3 આરોપી હથિયાર સાથે ઝડપાયા:વિરાવળ નાકા પાસે યુવાન પર જીવલેણ હુમલો કર્યો હતો
નવસારીના વિરાવળ નાકા પાસે યુવાન ઇમરાન શેખ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. નવસારી ટાઉન પોલીસે પીછો કરીને તેમને મરોલી-ઉભરાટ રોડ પરથી દબોચી લીધા હતા. આ ઘટના જૂની અદાવતમાં બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના 17 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે વિરાવળ નાકા પાસે આવેલી 'હિંદ ચા-નાસ્તા'ની દુકાન નજીક બની હતી. કાગદીવાડના રહેવાસી ઇમરાન તૈયબ શેખ પર આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ, કિશન દુબે અને અન્ય એક સાગરીતે ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઇમરાનને શરીર પર આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇમરાન હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલે તાત્કાલિક આરોપીઓને પકડવા સૂચના આપી હતી. ટાઉન પીઆઈ કે.ડી. નકુમ અને વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઘુઘા અને જીતુને બાતમી મળી હતી કે, આરોપીઓ સુરતથી ઉભરાટ તરફ જઈ રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે મરોલી-ઉભરાટ રોડ પર 'વેલકમ હોટલ' પાસે વોચ ગોઠવી હતી. આરોપીઓની કાર પસાર થતાં જ પોલીસે કોર્ડન કરીને ત્રણેયને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં મોહંમદ આસિફ ઉર્ફે ફ્રૂટ પઠાણ (ઉંમર 30, રહે. મરીયમપુરા, નવસારી, મૂળ ઉત્તરપ્રદેશ), કિશન અખીલેશ દુબે (ઉંમર 25, રહે. ઘેલખડી, નવસારી) અને સૂરજ રાજકુમાર દુબે (ઉંમર 22, રહે. ડીંડોલી, સુરત, મૂળ ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે. પોલીસે ગુનામાં વપરાયેલા બે તીક્ષ્ણ ચપ્પુ પણ કબજે કર્યા છે. નવસારી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109(1), 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા અગાઉ એપીએમસી પાસે પણ મારામારી કરવામાં આવી હતી. ટાઉન પોલીસની આ સતર્કતાને કારણે ગંભીર ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલાઈ ગયો છે.
વડોદરા જિલ્લાના કુંઢેલામાં સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિધાર્થીઓની તબિયત લથડી હતી. જે બાદ વિદ્યાર્થીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી તેમને ફૂડ પોઈઝનિંગ કે હિટ સ્ટ્રોકની આશંકા છે. જો કે હાલ તબિયત લથડવાનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. યુનિવર્સિટીના 11 વિધાર્થીઓ તબિયત લથડીડભોઈના કુંઢેલામાં સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 11 વિધાર્થીઓની ગઈકાલે રાત્રે અચાનક તબિયત લથડી હતી. આ તમામ વિધાર્થીઓને 18 એપ્રિલે જમ્યા બાદ પેટમાં દુખાવો અને ઝાડા ઉલટી થતા હોવાની ફરિયાદ કરી હતી. આ અંગે યુનિવર્સિટી સતાધીશોનું કહેવું છે કે, અહીંયા અભ્યાસ કરતા વિધાર્થીઓને અઠવાડિયામાં એકવાર વડોદરા સિટીમાં ખરીદી માટે લાવવામાં આવે છે. તેઓ ગઈકાલે આખો દિવસ શહેરમાં રહ્યા હતા. તેઓની તબિયત રાત્રે લથડી હતી. બાદમાં તેઓને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 'સેમ્પલ હેલ્થ લેબોરેટરીમાં મોકલીશું'યુનિવર્સિટી સતાધીશોએ જણાવ્યું હતુ કે, બાળકોને ફૂડ પોઇઝનિંગ થયું હોય તો તેઓની સાથે 1 હજાર લોકો જમ્યા હતા. માત્ર 11 વિધાર્થીઓને જ અસર થઈ છે. અને જો ફૂડ પોઈઝનિંગ થયું હોય તો અમે તે બાબતે પણ અમારા દ્વારા હેલ્થ લેબોરેટરીમાં સેમ્પલ મોકલીશું. જે કંઈ આવશે તો તેની સામે કાર્યવાહી કરીશું.
પાલનપુરના દિલ્હીગેટ વિસ્તારમાં આજે બપોરે ખુલ્લા પાર્કિંગમાં ત્રણ વાહનોમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક કાર અને જીપ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના દિલ્હીગેટ નજીક સંજય ચોક, અમીર રોડ પર આવેલા ડીપી પાસેના ખુલ્લા પાર્કિંગમાં બની હતી. આગ લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર અધિકારી રોહિતે જણાવ્યું કે, માહિતી મળતા જ પાલનપુર ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે બજારના ભરચક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાસ્થળે પોલીસ, ફાયર વિભાગ અને UGVCની ટીમો પણ પહોંચી હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ હજુ ચાલુ છે.
ગીર સોમનાથ જિલ્લાના આદ્રી વાવડી ગામે આદ્રી જિલ્લા પંચાયત બેઠક માટે યોજાયેલી ચૂંટણી સભામાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ લીધા વિના તેમની કાર્યશૈલી પર સીધા સવાલો ઉઠાવ્યા હતા. સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, “તમારા ધારાસભ્ય જ્યારે મત માંગવા આવે ત્યારે એક જ પ્રશ્ન પૂછજો—વિધાનસભામાં સોમનાથ વિસ્તાર માટે કેટલા પ્રશ્નો પૂછ્યા?” તેમણે કટાક્ષ કર્યો કે ધારાસભ્ય વિધાનસભામાં “મૂંગી માફક” બેસી રહે છે અને સત્ર દરમિયાન વિસ્તારના પ્રશ્નો અંગે એક શબ્દ પણ બોલતા નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આરોપ લગાવ્યો કે વિસ્તારના રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓ માટે ધારાસભ્ય દ્વારા યોગ્ય રજૂઆતો કરવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે, “આ વિસ્તારના વિકાસ માટે ભાજપના સાંસદ અને જિલ્લા પ્રમુખ સતત પ્રયત્નશીલ છે. તેઓ જનતાની ચિંતા લઈને સરકાર સમક્ષ રજૂઆત કરે છે, જેના આધારે રાજ્યના મુખ્યમંત્રી વિકાસના કામોને મંજૂરી આપે છે.” વિશ્વકર્માના આ નિવેદનથી સભામાં રાજકીય તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળી હતી. ભાજપે વિકાસના મુદ્દાને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને સ્થાનિક મતદારોને ‘કાર્યના આધારે નિર્ણય લેવા’નો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. આ ચૂંટણીસભા માત્ર પ્રચાર પૂરતી ન રહી, પરંતુ સોમનાથ વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચેની રાજકીય લડતને વધુ તીવ્ર બનાવતી સાબિત થઈ છે. આગામી સમયમાં મતદારો કોના પક્ષે વળે છે તે સ્પષ્ટ થશે, પરંતુ હાલ રાજકીય પાટા પર આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે.
અમરેલી શહેરના ભરચક ગણાતા બીનાકા ચોક પાસે આવેલી ડિલક્સ પાનની દુકાન નજીક એક યુવક પર ત્રણ શખસે જાહેરમાં છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. એક્ટિવા અથડાવા બાબતે યુવકે ટોક્યા હતા. સામાન્ય બોલાચાલીમાં થયેલી આ મારામારીની લાઈવ ઘટના દુકાનના CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદના ધંધૂકામાં બાઈક ઓવરટેક કરવા મુદ્દે યુવકની છરી મારી હત્યા કરાઈ હતી. આખો બનાવ કેવી રીતે બન્યો?ફરિયાદ મુજબ, સિરાજ મહેબૂબ કુરેશી જ્યારે ડિલક્સ પાનની દુકાન પર હાજર હતા, ત્યારે ત્રણ શખસ એક્ટિવા લઈને ત્યાં આવ્યા હતા. આ શખસે બેદરકારીપૂર્વક વાહન ચલાવી પાનની દુકાન સાથે અથડાવ્યું હતું. સિરાજ કુરેશીએ તેમને વાહન સરખી રીતે ચલાવવાની સલાહ આપતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા શખસે એક્ટિવામાંથી છરી કાઢી સિરાજ કુરેશી પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પીઠના ભાગે છરીના 3 ઘા ઝીંકી દીધા હતા અને ઢીકાપાટુનો મૂંઢ માર માર્યો હતો. આ સાથે જ આરોપીઓએ જાહેરમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્રણેય આરોપીઓને પોલીસ રાઉન્ડ અપ કર્યાભોગ બનનાર યુવકે આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની અટકાયત કરી છે: દાદલીમિયા રફીકમિયા સૈયદ ઇરફાન રફીક સૈયદ અજુમિયા રફીક સૈયદ સામાન્ય બાબતે હુમલાથી ફફડાટઅમરેલી પોલીસે ત્રણેય આરોપીઓને રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ પણ કબજે કર્યા છે અને આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. જાહેરમાં થયેલા આ આતંકને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વોર્ડ નં. 10માં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ક્રાંતિકારી સેનાના એક માસ્ક પહેરેલા યુવાને સરદાર પટેલની પ્રતિમાને પગે પડીને ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ‘હિસાબ આપો’ના નારા લગાવ્યાતેઓએ આક્ષેપ કર્યો છે કે, નીતિન દોંગાએ અગાઉ સ્ટેટમેન્ટ પેપરમાં ચૂંટણી ન લડવાનું જાહેર કર્યું હતું, છતાં તેઓ ત્રીજી વખત ટિકિટ મેળવીને ઉમેદવાર બન્યા છે. આ કાર્યને તેમણે ‘જૂઠાણું’ ગણાવ્યું છે. સાથે માસ્ક મેને વાસણાથી ભાયલી ગામ સુધી કારમાં રેલી કાઢીને મતદાન જાગૃતિ અભિયાન ચલાવ્યું અને નીતિન દોંગા તેમજ અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ સ્લોગનો આપ્યા હતા. સરકારી આવાસ યોજનાના ફ્લેટમાં લીફલેટ વહેંચીને ‘હિસાબ આપો’ના નારા લગાવવામાં આવ્યા હતા. માસ્કમેન PM નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવોઆ સાથે ઉમેદવારોના હોળીંગ (પોસ્ટર/બેનર) પર નીતિન દોંગાના સ્ટેટમેન્ટ પેપરના કટિંગ લગાવીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી વોર્ડ-10નું રાજકારણ વધુ ગરમાયું છે. તેઓએ સવાલ ઉઠાવ્યા કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મામલે કોઈ એક્શન લેશે કે કેમ? કારણ કે આ વિરોધ વડોદરા ભાજપના વોર્ડ-10ના ઉમેદવારો વિરુદ્ધ છે અને માસ્ક મેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રેરિત હોવાનો દાવો કરે છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને નીતિન દોંગા વચ્ચે વિવાદઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી માસ્ક મેન અને ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર નીતિન દોંગા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અગાઉ પણ ક્રાંતિકારી સેનાના આ માસ્ક મેન દ્વારા ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફરી એકવાર મતદાન જાગૃતિ માટે પ્રચાર કરનાર માસ્ક મેન ચર્ચમાં આવ્યો છે.
જૂનાગઢની ગિરનાર તળેટીમાં આવેલો દામોદર કુંડ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. પુરાણો મુજબ, આ કુંડમાં સ્નાન કરવાથી અને પિતૃઓનું તર્પણ કરવાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે પવિત્ર દામોદર કુંડ આગામી 21 અને 22 એપ્રિલના દિવસે બંધ રહેશે.આ એજ પવિત્ર સ્થાન છે જ્યાં નરસિંહ મહેતા દરરોજ પ્રભાતિયા ગાતા સ્નાન કરવા આવતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણએ પોતે અહીં સ્નાન કર્યું હોવાની માન્યતા છે. આ કુંડના પાણીમાં હાડકાં ઓગળી જવાની ચમત્કારિક શક્તિ હોવાનું કહેવાય છે, તેથી જ હજારો લોકો પોતાના સ્વજનોના અસ્થિ વિસર્જન માટે અહીં આવે છે. ગિરનારની ગોદમાં આવેલું આ તીર્થ હરિ અને હરના મિલનનું પ્રતીક મનાય છે. જૂનાગઢમાં આવેલું અને પિતૃઓના મોક્ષ માટે પરમ પવિત્ર મનાતું દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર આગામી બે દિવસ માટે ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને કુંડની સ્વચ્છતા અને જાળવણી માટે લેવાયો છે. તાજેતરમાં જ પૂર્ણ થયેલા ચૈત્ર માસ દરમિયાન ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પિતૃ તર્પણ અને અસ્થિ વિસર્જન જેવી ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડ્યા હતા. આ વિશાળ જનમેદનીને કારણે કુંડના પાણી અને આસપાસના ઘાટ પર સફાઈની તાતી જરૂરિયાત ઊભી થઈ છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી તારીખ 21 અને 22 એપ્રિલના રોજ કુંડના ઘાટ પર થતી તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ જેવી કે પિતૃ તર્પણ અને પૂજા-અર્ચના સંપૂર્ણપણે બંધ રહેશે. આ બે દિવસો દરમિયાન કુંડના તળિયાની ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે અને વર્ષોથી જમા થયેલો કાંપ તેમજ અન્ય કચરો દૂર કરવામાં આવશે. ત્યારબાદ 23 એપ્રિલના રોજ કુંડમાં નવું અને શુદ્ધ નીર ભરવામાં આવશે અને ફરી એકવાર શ્રદ્ધાળુઓ માટે તીર્થ ખુલ્લું મૂકવામાં આવશે. આ સફાઈ પાછળનું એક મહત્વનું કારણ આગામી સમયમાં આવતો પુરુષોત્તમ માસ પણ છે. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસનું વિશેષ મહત્વ હોય છે અને તે સમયે અહીં આવનારા યાત્રિકોની સંખ્યામાં અનેકગણો વધારો થતો હોય છે. આ પવિત્ર માસની શરૂઆત પૂર્વે કુંડની પવિત્રતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે અત્યારથી જ આ આયોજન કરવામાં આવ્યું છે. નિલેશભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, વ્યવસ્થાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયમાં ભાવિકો સહકાર આપે અને આ બે દિવસ દરમિયાન દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ પોતાની યાત્રાનું આયોજન ગુરુવાર પછી કરે તેવી નમ્ર વિનંતી છે. ગુરુવાર સવારથી તમામ વિધિઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.
પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પક્ષની શિસ્તનો ભંગ કરી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના આદેશ અનુસાર, આ કાર્યકર્તાઓને પક્ષના પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી 6 વર્ષ માટે દૂર કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતેથી જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગર પાલિકાની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે જે કાર્યકર્તાઓએ અન્ય પક્ષ અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેઓ સામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ યાદી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ દ્વારા જાહેર કરવામાં આવી છે. સસ્પેન્ડ કરાયેલા 26 સભ્યોમાં જિલ્લા પંચાયતના 2, ચાણસ્મા તાલુકા પંચાયતના 1, શંખેશ્વર તાલુકા પંચાયતના 1, રાધનપુર તાલુકા પંચાયતના 1, સાંતલપુર તાલુકા પંચાયતના 4, સિધ્ધપુર તાલુકા પંચાયતના 2, પાટણ નગર પાલિકાના 7 અને સિધ્ધપુર નગર પાલિકાના 8 કાર્યકર્તાઓનો સમાવેશ થાય છે. સસ્પેન્ડ કરવામાં આવેલા મુખ્ય નામોમાં બિલીયા જિલ્લા પંચાયત બેઠક પરથી પટેલ ભગવતીબેન કનુભાઈ અને નેદરા જિલ્લા પંચાયત બેઠક પરથી રાજપૂત માનજી પ્રતાપજીનો સમાવેશ થાય છે. પાટણ શહેરના વિવિધ વોર્ડમાંથી લીંબાચીયા શુશીલભાઈ આત્મારામ, રાવલ છાયાબેન મયુરકુમાર, રાજપુત ગોપાલસિંહ ગંગાસિંહ, પ્રજાપતિ ચેતનાબેન કમલેશભાઈ, ફારુકી મહમદકુસેન અતાહુસેન, સોલંકી પિનલબેન વિપુલભાઈ અને ઠાકોર ભવાનજી વરસાજીને પક્ષમાંથી દૂર કરાયા છે. આ પૈકીના મોટાભાગના સભ્યો પૂર્વ નગર પાલિકા સદસ્ય અથવા સક્રિય સભ્યો તરીકેની જવાબદારી સંભાળતા હતા. સિધ્ધપુર શહેરમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ વાઘેલા કનુભા દલાજી, ઠાકોર નિરમાબેન સેધુસિંગ, પ્રજાપતિ હસમુખભાઈ હરગોવનભાઈ, પ્રજાપતિ વિકાસભાઈ હસમુખભાઈ, ભટ્ટ હેતલબેન રાકેશકુમાર, વ્યાસ દિપીકાબેન કિરણકુમાર, ઠાકર ગાયત્રીબેન મિતેશકુમાર અને ઠાકોર સજનબેન રાજુજીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તાલુકા કક્ષાએથી ઠાકોર હંસાબેન માધવસિંહ (ધાણોધરડા), ઠાકોર ભેમાજી અમથાજી (શંખેશ્વર), સોલંકી મુકેશભાઈ પચાણભાઈ (કામલપુર), ઠાકોર જમુબેન ધિરાજી (ઝઝામ), પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ (લોદરા), ચૌધરી મઘાભાઈ દેવણભાઈ (વારાહી-2), આહીર રાણીબેન નારણભાઈ (મઢુત્રા), પટેલ અગ્નિભાઈ રણછોડભાઈ (કુવારા) અને રાઠોડ ધનજીભાઈ વિરાભાઈ (ડીંડરોલ) સામે પણ શિક્ષાત્મક પગલાં ભરી તેઓનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડે સિદસર વિસ્તારમાં વાળુકડ ચોકડી પાસેથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે મામલે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં અન્ય બે શખસના નામ પણ ખૂલ્યા હતા. દારૂ, કાર અને મોબાઈલ સહિત 7,09,424 રુપિયાનો મુદ્દામાલ કબજે કરી વરતેજ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કારનો અટકાવવાનો પ્રયાસ કર્યોમળતી વિગતો અનુસાર, 19 એપ્રિલે રાત્રિના સમયે પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમ શહેરના સિદસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેમને ચોક્કસ માહિતી મળતા વાળુકડ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન એક કાર નંબર GA-10-A 5757 આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ચાલકે ત્યાંથી ગાડી પૂરપાટ ઝડપે ભગાવી હતી. ત્યારે પોલીસ જવાનોએ આ કારનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી લીધી હતી.કારમાં સવાર ગોપાલ મેર (રહે.સિદસર) તથા અરજણ ચભાડ (રહે. સિદસર)ની અટકાયત કરી હતી. કારની તપાસ હાથ ધરતા વિના પરમિટે વિદેશી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની 1,152 નંગ બોટલ મળી આવી હતી. સુરતના શખસે દારૂ ભરેલી ગાડી આપી હતીઆ દારૂ અંગે પૂછતા બંન્ને શખસોએ જણાવ્યું હતું કે સુરત રહેતા રઘુ ચભાડે આ દારૂનો જથ્થો ભરેલી ગાડી આપી હતી. જેને શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ખારામાં બાપાની મઢૂલી પાછળ રહેતા હરેશ અલગોતરે મંગાવી હતી. આથી પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે વિદેશી દારૂની બોટલ અને કાર સહિત રૂપિયા 7,09,424નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોપાલ મેર અને અરજણ ચભાડ, રઘુ ચભાડ, હરેશ આલગોતર સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ગાંધીનગર જિલ્લામાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારી 2 નગરપાલિકાઓ કલોલ-દહેગામ તેમજ જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શાંતિ જળવાઈ રહે અને મતદારો કોઈ પણ ભય વગર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કડક પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીંગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ-163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ હુકમ અનુસાર મતદાનના દિવસે મતદાન મથકની અંદર તેમજ 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારનો પ્રચાર કરી શકાશે નહીં. ખાસ કરીને મતદાન મથકોમાં મોબાઈલ ફોન, કોડલેસ ફોન કે વાયરલેસ સેટ જેવા સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધઆ ઉપરાંત મતદાન મથકની આસપાસ વાહનોના જમાવડા પર પણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.આર. શર્માએ પણ ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ દરેક મતદારે મતદાન મથકના અધિકૃત પ્રવેશદ્વાર પાસે લાઈનમાં ઉભા રહેવું પડશે. સ્ત્રીઓ માટેની અલગ કતારમાં પણ શિસ્તબદ્ધ રીતે ઉભા રહીને પોતાના વારા મુજબ મતદાન કરવાનું રહેશે. મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતદારોએ મથક અને તેની આસપાસનો વિસ્તાર ખાલી કરવાનો રહેશે જેથી અન્ય મતદારોને અડચણ ન પડે. આગામી 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.જે 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્રને વિશેષ સત્તાઓ સોંપાઈ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉચ્ચ હોદ્દો ધરાવતા અધિકારીઓ કાયદેસરની ફરિયાદ દાખલ કરી શકશે. ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને નિરીક્ષકોને ફરજ માટે જરૂરી સાધનો વાપરવાની છૂટછાટ આપવામાં આવી છે.જ્યારે સામાન્ય નાગરિકો માટે આ નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે રાત્રે રાષ્ટ્ર જોગ સંબોધન કરી મહિલા અનામત બિલ પાસ ન થઇ શક્યું એ માટે વિપક્ષને જવાબદાર ગણાવ્યા બાદ આજ રોજ ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નારી શક્તિનું સન્માન માટેનો અવસર હતો 17 એપ્રિલનો એ દિવસ ઇતિહાસમાં નારી શક્તિના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાયો હોત પરંતુ કોંગ્રેસ પક્ષે વિરોધ કરતા આ દિવસ નારી શક્તિ માટે કાળો દિવસ બની ગયો છે આ દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન છે. રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલનો દિવસ મહિલાઓના સન્માન માટે સુવર્ણ અક્ષરે લખાઈ શક્યો હોત પરંતુ કોંગ્રેસે વિરોધ કરતા આ દિવસ મહિલાઓના સન્માન માટે કાળો દિવસ સાબિત થયો છે. સંસદમાં જે થયું એ માત્ર બિલની હાર ન હતી પરંતુ એ દેશની 70 કરોડ મહિલાઓ દીકરીઓએ જોયેલા સપનાઓ ઉપર કોંગ્રેસનો આઘાત જનક પ્રહાર હતો. દેશ આખાએ જોઈ લીધું કે ભાજપ સરકાર મહિલાઓ માટે અને કોંગ્રેસ સરકાર મહિલાઓના માર્ગમાં સતત અવરોધ બનીને આગળ વધી રહ્યું છે. કોંગ્રેસ અને બાકીના વિપક્ષોએ વીલ પસાર ન થતા જે આનંદ વ્યક્ત કર્યો પાટલી થપથપાવી આ મહિલાઓનું અપમાન નથી તો શું છે.? તેમને વધુમાં જણાવ્યું હતું કે, મહિલાઓના અધિકાર રોકવા એ કોંગ્રેસની જીત બની ગઈ છે. કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છડ, વિલંબ અને દગાનો રહ્યો છે. કોંગ્રેસે 60 વર્ષ સતામાં રહી માતૃ શક્તિનું અપમાન કરી વોટબેન્કની રાજનીતિ કરી છે. મહિલાઓના અધિકાર એ કોંગ્રેસ માટે માત્ર ભાષણનો વિષય રહ્યો છે નિર્ણયની બાબતમાં કોંગ્રેસ ક્યારે પણ મહિલા શક્તિને આગળ વધવા નથી દીધી. બિલ પાસ ન થવા દેવું એ કોંગ્રેસનું પૂર્વનિયોજિત રાજકીય ષડયંત્ર હતું. જે લોકોએ OBC અને દલિત મહિલાઓના શશક્તિકરણ માટે કહી જ નથી કર્યું તેમના નામે હવે આ બિલને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસને ડર છે કે દેશની સામાન્ય પરિવારની મહિલાઓ સાંસદમાં અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરશે અને તેમની પરિવારવાદની રાજનીતિને પડકારશે. સતા પરિવાર પૂરતી સીમિત રાખવી એ તેમની માનસિકતા છે. પોતાના પરિવારની મહિલાઓને જ આગળ વધારવી એ જ એમની માનસિકતા છે. માતૃશક્તિ ને માત્ર રસોડા સુધી સીમિત રાખવાની માનસિકતા આ કોંગ્રેસ પક્ષની છે. આ એજ કોંગ્રેસ છે જેને 370 કલમનો વિરોધ કર્યો, રામ મંદિરનો વિરોધ કર્યો, ત્રિપલ તલાકનો વિરોધ કર્યો, CAAનો વિરોધ, GSTનો વિરોધ, UCCનો વિરોધ કર્યો, સર્જીકલ સ્ટ્રાઇક અને ઓપરેશન શિંદુરનો વિરોધ, નર્મદા ડેમનો વિરોધ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો. કોંગ્રેસની માનસિકતા એ જ છે કોઈપણ રિફોમેશન આવે એમાં જૂઠું બોલો, ભ્રમ ફેલાવવો અને આગળ વધવા ન દેવું.
અરવલ્લી LCB એ 1608 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો:નાંદીસણ સીમમાંથી દારૂ ભરેલી કોમ્પાસ જીપ પકડી, એક ઝડપાયો
અરવલ્લી જિલ્લા LCB એ ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના નાંદીસણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1608 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. LCB ગદાધર ગામથી જીવણપુર જતા વાહનોનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કોમ્પાસ જીપને રોકવાનો પ્રયાસ કરાતા ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે જીપના ચાલકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. તપાસ દરમિયાન જીપમાંથી 4.88 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની કુલ 1608 બોટલો મળી આવી હતી. પોલીસે દસ લાખ રૂપિયાની કિંમતની કોમ્પાસ જીપ પણ જપ્ત કરી છે. આમ, પોલીસે કુલ 14.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં પોલીસે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના રહેવાસી બસુભાઈ કાવાજી ભગોરા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે શહેરના રાજકારણમાં એક મસમોટા હવાલા કાંડના ઘટસ્ફોટે સનસનાટી મચાવી દીધી છે. મહીધરપુરા વિસ્તારમાં આવેલી અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢી મારફતે છેલ્લા ચાર મહિનામાં આશરે સવા કરોડ રૂપિયા જેટલી માતબર રકમ દિલ્હીથી સુરત મોકલવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર પોલિટિક્સ હવાલા કાંડનો માસ્ટર માઈન્ડ દિલ્હીનો હિમાંશુ પાહુજા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, હિમાંશુ પોતે આમ આદમી પાર્ટીનો નેતા હોવા છતાં આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક 'પનીરના વેપારી' તરીકે આપતો હતો. આ પૈસા સુરતમાં દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂકેલો આકાશ મિશ્રા દ્વારા મેળવવામાં આવતા હતો, જેના સીસીટીવી પુરાવા હવે પોલીસના હાથમાં છે. આંગડિયા સંચાલકની કબૂલાતમહીધરપુરાની અરવિંદભાઈ હિરેનભાઈ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ખુલાસો કરતા કહ્યું કે, દિલ્હીથી હિમાંશુ નામની વ્યક્તિ દ્વારા છેલ્લા ત્રણ-ચાર મહિનાથી નિયમિત રીતે પેમેન્ટ મોકલવામાં આવતું હતું. હિમાંશુ આંગડિયા પેઢીમાં પોતાની ઓળખ એક મોટા પનીરના વેપારી તરીકે આપતો હતો, પરંતુ આ નાણાંનો અસલી હેતુ રહસ્યમય હતો. આ રોકડ રકમ લેવા માટે પૂર્વ મંત્રીનો PA આકાશ મિશ્રા પોતે દર મહિને આંગડિયા પેઢી પર આવતો હતો. અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં અંદાજે 80થી 90 લાખ રૂપિયા આ રીતે મોકલવામાં આવ્યા છે, જેની છેલ્લી ડિલિવરી 10મી તારીખે લેવામાં આવી હતી. હાલમાં પોલીસે આંગડિયા પેઢીના રેકોર્ડ્સ અને એન્ટ્રીઓની તપાસ હાથ ધરી છે. પનીર વેપારીના સ્વાંગમાં હિમાંશુનો માસ્ટર પ્લાનતપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, દિલ્હીમાં બેઠેલો હિમાંશુ પાહુજા આ આંગડિયા પેઢીનો રેગ્યુલર કસ્ટમર હતો. આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈના જણાવ્યા અનુસાર, હિમાંશુએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે દિલ્હીમાં તેની પનીર બનાવવાની મોટી ફેક્ટરી અને દુકાન છે. આ વેપારના બહાને તે નિયમિત અંતરે સુરત પેમેન્ટ મોકલતો હતો. જોકે, પડદા પાછળની સત્યતા કંઈક અલગ જ હતી. પનીરના વેપારના નામે મોકલવામાં આવતા આ લાખો રૂપિયા વાસ્તવમાં ચૂંટણીલક્ષી પ્રચાર અને અન્ય ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે વપરાતા હોવાની પ્રબળ આશંકા છે. અજય તિવારી નામનો અન્ય એક કાર્યકર પણ સામેલઆ હવાલા કાંડમાં સુરતનું કનેક્શન પીપલોદ વિસ્તાર સાથે જોડાયેલું છે. દિલ્હીથી મોકલવામાં આવેલા નાણાં મેળવવા માટે આકાશ મિશ્રા નામનો યુવક આંગડિયા પેઢી પર આવતો હતો. નોંધનીય છે કે, આકાશ મિશ્રા દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો PA રહી ચૂક્યો છે. આકાશ છેલ્લા ચાર મહિનામાં અનેકવાર આંગડિયા પેઢી પર રૂબરૂ આવીને લાખોની રોકડ રકમ લઈ ગયો હતો. તેની સાથે અજય તિવારી નામનો અન્ય એક સક્રિય કાર્યકર પણ સામેલ હતો. આ બંને યુવકો મૂળ પરપ્રાંતીય છે, પરંતુ વર્ષોથી સુરતમાં સ્થાયી થઈ રાજકીય રીતે સક્રિય છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયો 'કાળો કારોબાર'આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે 10 એપ્રિલના સીસીટીવી ફૂટેજ વાઇરલ થયા. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આંગડિયા પેઢીમાંથી નાણાં રિસિવ કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. પોલીસ તપાસમાં આંગડિયા પેઢીના માલિકે કબૂલાત કરી છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં આશરે 8થી 90 લાખ રૂપિયા આકાશ મિશ્રાને હેન્ડઓવર કરવામાં આવ્યા છે. પોલીસ હવે આ સીસીટીવી ફૂટેજ અને આંગડિયા પેઢીના ચોપડાઓના આધારે તપાસનો વ્યાપ વધારી રહી છે. ચૂંટણી પૂર્વે ફંડિંગનો ખેલ: ક્યાં વપરાયા આટલા પૈસા?ક્રાઈમ બ્રાંચ અને ઉમરા પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ ફંડિંગ ખાસ કરીને આગામી ચૂંટણીઓના પ્રચાર-પ્રસાર અને કાર્યકર્તાઓના નેટવર્કને મજબૂત કરવા માટે મોકલવામાં આવ્યું હતું. સવાલ એ ઊભો થાય છે કે, જો આ વ્યવહાર કાયદેસરનો હતો, તો તેને હવાલા અને આંગડિયા મારફતે કેમ કરવામાં આવ્યો? શા માટે હિમાંશુએ પોતાની ઓળખ છુપાવી પનીરનો વેપારી બનવું પડ્યું? પોલીસની કડક પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સમહીધરપુરા પોલીસ અને અન્ય એજન્સીઓએ આંગડિયા પેઢીના સંચાલક અલ્પેશભાઈ પટેલની સઘન પૂછપરછ કરી છે. પોલીસે નામની એન્ટ્રીઓ, દિલ્હી ઓફિસ સાથે થયેલા સંપર્કો અને વ્યવહારના સમયગાળાની સંપૂર્ણ વિગતો એકત્ર કરી છે. આ ઉપરાંત, આકાશ મિશ્રા અને હિમાંશુ પાહુજાના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ્સનું ટેકનિકલ સર્વેલન્સ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે માત્ર એક જ નહીં, પરંતુ અન્ય આંગડિયા પેઢીઓ મારફતે પણ કરોડો રૂપિયા સુરતની ધરતી પર ઠાલવવામાં આવ્યા હોઈ શકે છે. આગામી દિવસોમાં મોટા માથાના નામ ખુલવાની શક્યતાઆ હવાલા કાંડ માત્ર આકાશ મિશ્રા કે હિમાંશુ સુધી સીમિત નથી. પોલીસ માની રહી છે કે આ એક મોટા સિન્ડિકેટનો ભાગ છે. દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલા આ નેટવર્કમાં અનેક 'સફેદપોશ' ચહેરાઓ સામેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે. જેમ જેમ તપાસ આગળ વધશે, તેમ તેમ આ ફંડિંગના અસલી લાભાર્થીઓ અને રાજકીય આકાઓના નામ બેનકાબ થશે. સુરત પોલીસ હવે ઇન્કમ ટેક્સ વિભાગને પણ આ મામલે જાણ કરે તેવી શક્યતા છે, જેથી નાણાકીય ગેરરીતિઓની ઊંડી તપાસ થઈ શકે.
ભરૂચમાં કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ:ગ્યાસુદ્દીન શેખે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, પરિવર્તનનો દાવો
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા એક પ્રચાર સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા ગ્યાસુદ્દીન શેખે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યમાં સત્તારૂઢ ભાજપ એન્ટી-ઇન્કમ્બન્સીનો સામનો કરી રહી છે. શેખે આરોપ લગાવ્યો કે હારના ડરથી ભાજપ સરકારી તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને શાસક પક્ષ લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. શેખે આમ આદમી પાર્ટી (AAP) અને AIMIM પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે આ પક્ષો મતવિસ્તારમાં મત વિભાજન કરીને ભાજપને પરોક્ષ રીતે ફાયદો પહોંચાડી રહ્યા છે. આ સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ, યુસુફ મલેક સહિતના અગ્રણી નેતાઓ અને ઉમેદવારો હાજર રહ્યા હતા. આ નેતાઓએ ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી સ્થાનિક વિકાસના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે નગર સેવા સદનની આ ચૂંટણીમાં જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપને સત્તાથી દૂર રાખવાનો લોકોનો મિજાજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. 19 એપ્રિલની રાત્રે મગુના જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાર કાફલા પર મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ભાજપના એક કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કાફલાની બે કારના કાચ તૂટ્યા છે. સાંથલ પોલીસે આ મામલે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરિયાદ અને હોસ્પિટલમાં દાખલ ઘાયલ કાર્યકર પંકજ પટેલના જણાવ્યા અનુસાર તેઓ ચૂંટણીની પ્રચાર સભા પૂર્ણ કરી રામનગરથી મગુના તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડ પર આવેલી ડેરીની સામે અંધારાનો લાભ લઈ અજાણ્યા શખ્સોએ તેમની ટાટા પંચ પર જોરદાર પથ્થરમારો કર્યો હતો. ડ્રાઈવર સાઈડનો કાચ તોડી પથ્થર સીધો તેની જમણી આંખ ઉપર વાગ્યો હતો. જેના કારણે તેઓ લોહીલુહાણ બન્યા હતા. તેમની પાછળ આવતી અન્ય એક અર્ટીગા કાર પર પણ પથ્થર પડતા ઘોબો પડ્યો હતો. હાલ પંકજભાઈ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને ત્રણ ટાંકા લેવા પડ્યા છે. પંકજભાઈએ આ હુમલા પાછળ કોંગ્રેસના કાર્યકરોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસના લોકોએ હતાશામાં હુમલો કર્યો હોય શકે: નરેશ પટેલઆ સમગ્ર મામલે મગુના સીટના ભાજપના ઉમેદવાર નરેશ પટેલે જણાવ્યું હતું કે, ભાજપની જીત નિશ્ચિત જણાતા કોંગ્રેસના લોકોએ હતાશામાં આવીને આ હુમલો કર્યો હોઈ શકે છે. જોકે અગાઉ તેમની પોતાની ટિકિટ ફાળવણી સમયે થયેલા વિરોધ અંગે પૂછતા તેમણે બચાવ કરતા કહ્યું હતું કે પક્ષના કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી પરંતુ હવે કોઈ આંતરિક વિરોધ નથી. મહેસાણાના મગુના પંથકમાં બનેલી આ ઘટનાએ શાંત ચૂંટણી માહોલમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. એક તરફ ભલે ઉમેદવાર અને કાર્યકર આક્ષેપ કોંગ્રેસ પર કરી રહ્યા હોય પરંતુ ટિકિટ ફાળવણી વખતના આંતરિક વિરોધ અને ભાજપના ઉકળતા ચરુની વાતોએ પણ સ્થાનિક કક્ષાએ જોર પકડ્યું છે. હાલમાં સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 125(એ), 118(1), 324(2) મુજબ ગુનો દાખલ કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હવે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે આ હુમલા પાછળ ખરેખર કોનો હાથ છે.
ગોધરા SOG ટીમે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી બે ઓટો રીક્ષા, આઠ ગેસ સિલિન્ડર સહિત કુલ 87 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગોધરાના દેવ તલાવડી વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓ રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેરકાયદેસર રીતે અન્ય સિલિન્ડરોમાં ગેસ રિફિલિંગ કરતા હતા.ઝડપાયેલા આરોપીઓમાં ઓમ પ્રકાશ તારાની, મુકેશ સોલંકી અને આરીફ સદામસનો સમાવેશ થાય છે. આ ત્રણેય વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેરમાં આત્મહત્યાના પ્રયાસોની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે મોડીરાત્રે વધુ એક યુવકે કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનના જવાનોની સમયસૂચકતા અને તાત્કાલિક કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો હતો. ફાયર વિભાગે યુવકને સહી-સલામત નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. રાહદારીઓએ બૂમાબૂમ કરી અને તંત્ર દોડતું થયુંમળતી માહિતી મુજબ, શહેરના કાપોદ્રા બ્રિજ પરથી રાત્રે એક અજાણ્યા 25 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં પડતું મૂક્યું હતું. બ્રિજ પરથી પસાર થતા રાહદારીઓની નજર આ યુવક પર પડતા જ ભારે હોબાળો મચી ગયો હતો. જાગૃત નાગરિકોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા અને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમો રિંગ બોયા અને લાઈફ જેકેટ જેવા અત્યાધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ નદીના પ્રવાહમાં ડૂબતા યુવક સુધી પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. અંતે ફાયર જવાનોએ ફિલ્મી ઢબે નદીમાં ઉતરીને યુવકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો હતો. આત્મહત્યાના પ્રયાસનું કારણ અકબંધફાયર વિભાગે યુવકને બચાવી લીધા બાદ તેને અશ્વિનીકુમાર પોલીસ ચોકીને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ હાલ યુવકના પરિવારજનોનો સંપર્ક કરી રહી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના વાડજ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે એક યુવક હાથમાં મોટો છરો લઈને જાહેર રસ્તા પર આતંક મચાવતો અને રાહદારીઓને ધમકાવતો જોવા મળ્યો હતો. આ યુવકે પોલીસ અને BRTS તંત્રને પણ બીભત્સ ગાળો ભાંડી હતી. ‘અહીં નહીં આવવાનું, બધું બંધ કરી દો’, આરોપીની દાદાગીરીવાઇરલ વીડિયો મુજબ, યુવક BRTS બસ સ્ટેન્ડ પાસે રસ્તાની વચ્ચે છરો લહેરાવીને નીકળતા વાહનચાલકોમાં ભય ફેલાવી રહ્યો હતો. તેણે દુકાનદારોને ધમકી આપતા કહ્યું હતું કે, બધું બંધ કરી દો, આ બધું મારું છે. અહીં માત્ર ચિકનની દુકાનો જ ચાલુ રહેશે. રાહદારીઓને છરો બતાવી તે અહીં નહીં આવવાનું કહીને ધમકાવી રહ્યો હતો. નવા PI માટે અસામાજિક તત્ત્વોનો પડકારવાડજ વિસ્તારમાં લાંબા સમય સુધી કાર્યરત PI વી. આર. ડાંગરની બદલી થયા બાદ, નવા આવેલા PI એચ. પી. ગરાસિયા માટે આ કિસ્સો એક મોટો પડકાર સાબિત થયો છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસ અધિકારીઓની બદલી થતા જ અસામાજિક તત્ત્વોએ ફરી માથું ઊંચક્યું છે. આ ઘટનાએ પોલીસ પેટ્રોલિંગની ક્ષમતા પર પણ સવાલો ઊભા કર્યા છે. પોલીસ કાર્યવાહી: ગુનો નોંધવાની તજવીજઆ અંગે વાડજ પોલીસ સ્ટેશનના PI એચ. પી. ગરાસિયાએ જણાવ્યું હતું કે, વીડિયો વાઇરલ થયા બાદ યુવકની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે.

30 C