કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગી:પાવાગઢ રોડ પર સિટીઝન બેંક પાસેની ઘટના, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
આજ રોજ વહેલી પરોઢે 5:30 વાગ્યે પાવાગઢ રોડ પર કુભારવાડા ફળિયા સામે આવેલી સિટીઝન બેંક નજીક એક કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. કારમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક હાલોલ ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ કાર પર પાણીનો મારો ચલાવી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડની સમયસર કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ કે વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું. સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરત શહેરમાં ફરી એકવાર 'નબીરાઓ'ના આતંકનો વીડિયો સામે આવ્યો છે. અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર યુવકે તેમની લક્ઝરી કારો જેમાં બે ઓડી, એક રેન્જરોવર અને એક સ્કોડા કાર લઈને રેસ લગાવી હતી. તો એક યુવકે સનરૂફ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી. આ વીડિયો પોલીસને ધ્યાને આવતા તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય યુવકની ધરપકડ કરી છે અને તેમના દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચાર મોંઘી કાર પણ જપ્ત કરી છે. જમીને પરત જતાં સમયે યુવકોએ સ્ટંન્ટ કર્યાઘટના અંગેની મળતી માહિતી પ્રમાણે, 27 ઓક્ટોબરની રાતે શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓના પુત્રો સૈયદ ફેઝાન વાજિદ (ઉં.વ.24), મોહમ્મદ મન્સૂર ખાંડા (ઉં.વ.19), અમાર અફરોઝ મેમણ (ઉં.વ.20) અને મારૂફ ઈલિયાઝ ફનીવાલા (ઉં.વ.18) અડાજણ વિસ્તારમાં જમવા માટે ગયાં હતાં. જમીને ત્યાંથી નીકળ્યા બાદ આ નબીરાઓએ મોંઘી કારનો કાફલો રોડ પર સ્પીડમાં દોડાવી આતશબાજી કરી હતી. એક યુવકે સનરૂફ ખોલીને તેમાંથી શરીરનો અડધો ભાગ બહાર કાઢી ચાલુ કારે ફટકડા ફોડ્યો હતાં. આ સ્ટંટ માત્ર તેમના પોતાના માટે જ નહીં, પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકે તેવો હતો. વીડિયો વાઇરલ થતાં પોલીસે ઝડપી પાડ્યાંસદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં, આ બેફામ કૃત્યનો વીડિયો વાઇરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે વીડિયોમાં દેખાતી કારોના નંબર પ્લેટના આધારે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આ ચારેય યુવકની ઓળખ કરી તેમની ધરપકડ કરી લીધી હતી. પોલીસની તપાસમાં આ યુવકો વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે. ચારેય યુવકે ગુનો કબૂલી માફી માગી પોલીસે માત્ર યુવકોની ધરપકડ કરીને સંતોષ ન માન્યો. કાયદાનું કડક પાલન થાય અને આવા જોખમી કૃત્યો કરનારા અન્ય યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી, આ યુવકો દ્વારા સ્ટંટમાં ઉપયોગમાં લેવાયેલી ચારેય લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતાં, ચારેય યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કારે ફટાકડા ફોડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પકડાયા બાદ, આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માગી છે.
પાટણ પંથકમાં સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. રાત્રિ દરમિયાન પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો, જેણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.ત્રણ દિવસ પહેલાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેતરોમાં રાખેલો ઘાસચારો પલળી ગયો હતો, જેનાથી ખેડૂતોને નુકસાન થયું હતું. કપાસના પાકમાં ફાટી નીકળેલું રૂ પણ ભીંજાઈ ગયું હતું, જેનાથી તેની ગુણવત્તા પર અસર થવાની ભીતિ છે.હવામાન વિભાગની આગાહી બાદ પાટણ જિલ્લા સહિત અન્ય તાલુકાઓમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો હતો. પશુઓ માટે વાવેલો ઘાસચારો હજુ પણ ખેતરોમાં હોવાથી તે પલળી જવાનો ભય છે. જોકે, એરંડા અને જમીનમાંથી બહાર કાઢેલા રાયડાના પાક માટે આ વરસાદ અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે.સતત ચોથા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેતાં ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.
બનાસકાંઠામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ:પાલનપુરમાં રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારીની બેઠક
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) શરૂ થઈ છે. આ સંદર્ભે પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજાઈ હતી. ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ ઝુંબેશનું સમયપત્રક જાહેર કર્યું છે. બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ SIRના વિવિધ તબક્કાઓ વિશે માહિતી આપી હતી. 4 નવેમ્બર, 2025 થી 4 ડિસેમ્બર, 2025 દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે જઈને મતદારો પાસેથી એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ 9 ડિસેમ્બર, 2025 ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો 9 ડિસેમ્બર, 2025 થી 8 જાન્યુઆરી, 2026 સુધી સુધારા માટે દાવો કરી શકશે. દાવાઓની સુનાવણી અને પ્રમાણિકરણ 9 ડિસેમ્બર, 2025 થી 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આખરી મતદાર યાદીમાં મતદારો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે. મતદાર તરીકે સમાવેશ માટે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિત કુલ 12 દસ્તાવેજો માન્ય ગણાશે. મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે માટે સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ BLOની કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી.SIR બાબતે 30 ઓક્ટોબરના રોજ બનાસકાંઠા જિલ્લામાં ERO અને AERO માટે તાલીમનું આયોજન કરાશે. આ ઉપરાંત, 3 નવેમ્બર સુધીમાં તમામ BLO સુપરવાઈઝર, BLO અને BLAની તાલીમ પૂર્ણ કરવામાં આવશે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાળંગપુર ગામ નજીક આવેલી ઉતાવળી નદીમાં સફેદ ફિણવાળા પાણીનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાને પગલે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા રમેશભાઈ સીલુએ પ્રતિક્રિયા આપી છે અને તંત્ર પાસે તાત્કાલિક તપાસ તથા કડક કાર્યવાહીની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉતાવળી નદીમાં થોડા દિવસો પહેલા ફિણવાળું પાણી જોવા મળ્યું હતું. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત કેમિકલયુક્ત પાણી નદીમાં વહી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વિપક્ષ નેતા રમેશભાઈ સીલુએ આશંકા વ્યક્ત કરી છે કે, કોઈ દ્વારા નદીમાં કેમિકલ ભેળવવામાં આવી રહ્યું છે અથવા ડ્રેનેજનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વિસ્તારને નુકસાન થઈ રહ્યું છે. આ પાણી ખાંભડા સિંચાઈ ડેમમાં જાય છે, જેનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. આ ઉપરાંત, પાણી જમીનમાં ઉતરવાથી ભૂગર્ભજળ પણ દૂષિત થવાનો ભય છે. આ પણ વાંચો, બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણની 'ચાદર':વીડિયો વાઇરલ થતાં સ્થાનિકોમાં કુતૂહલ સાથે ચિંતા; પ્રદૂષણની આશંકા રમેશભાઈ સીલુએ તંત્રને તાત્કાલિક તપાસ કરવા અને નદીમાં કેમિકલ છોડનારા કે ડ્રેનેજનું પાણી છોડનારા જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ ગંભીર પર્યાવરણીય સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું અનિવાર્ય છે.
વીરપુર તાલુકાના ખેરોલી અને ગાધેલી ગામ વચ્ચે આવેલી લાવેરી નદીમાંથી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ ગામલોકોએ નદીમાં મૃતદેહ તરતો જોયો હતો. તેમણે તરત જ વીરપુર પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.પોલીસના પ્રાથમિક તારણ અનુસાર મૃતદેહ બે થી ત્રણ દિવસ જૂનો હોવાનું મનાય છે. મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પોલીસે મૃતદેહ પરના કપડાં અને અન્ય વસ્તુઓના આધારે તપાસ શરૂ કરી છે. તદેહને પોસ્ટમોર્ટમ માટે વીરપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વીરપુર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરના કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હોવાની શક્યતાને ધ્યાને લઈને જિલ્લા પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભપકાએ સમગ્ર જિલ્લામાં પાક નુકસાનનો સર્વે હાથ ધરવા તાત્કાલિક આદેશ આપ્યા છે. આ હુકમ મુજબ જિલ્લાના 6 તાલુકાના કુલ 49 ગામોમાં પાક નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. સર્વેની કામગીરી માટે 155થી વધુ ગ્રામસેવકો, વીસીસી અને સંબંધિત વિભાગોની ટીમો મેદાનમાં ઉતરશે. તમામ ટીમો “કૃષિ પ્રગતિ” મોબાઇલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ પદ્ધતિથી સર્વે કરશે. જે કિસ્સામાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં અસરગ્રસ્ત ખેતરોના અક્ષાંશ-રેખાંશ (latitude-longitude) દર્શાવતા ફોટોગ્રાફ્સ લેવાના રહેશે. આ કામગીરી તાત્કાલિક શરૂ કરી 7 દિવસની અંદર પૂર્ણ કરી રિપોર્ટ જિલ્લા પંચાયતને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર્વેમાં તાલાલા તાલુકાના 6, વેરાવળના 9, સુત્રાપાડાના 7, કોડીનારના 10, ગીર ગઢડાના 7 તથા ઉના તાલુકાના 10 ગામોનો સમાવેશ થયો છે. દરેક તાલુકામાં વર્ગ-1 અથવા વર્ગ-2 કક્ષાના અધિકારીને નોડલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે સમગ્ર કામગીરીનું માર્ગદર્શન અને દેખરેખ કરશે. સર્વે દરમિયાન ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, કૃષિ વિભાગના અધિકારીઓ અને આત્મા સ્ટાફ દ્વારા સહયોગ આપવામાં આવશે. અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી નિયત નમૂનામાં અરજી ફોર્મ, 7/12 અથવા 8-અ, આધાર કાર્ડ તથા બેંક પાસબુકની નકલ મેળવી માહિતી સંકલિત કરવાની રહેશે. જિલ્લા પ્રશાસનના આદેશમાં જણાવાયું છે કે ગુજરાત સરકારના મહેસુલ વિભાગના તા.27 એપ્રિલ 2015ના ઠરાવ તથા તા.15 ડિસેમ્બર 2016ના સુધારેલા ઠરાવ મુજબ કુદરતી આપત્તિ અથવા ચોમાસાની ઋતુ સિવાય પડેલા કમોસમી વરસાદને કારણે જો ખેડૂતોને 33 ટકા અથવા તેથી વધુ નુકસાન થયું હોય તો તેમને સરકારશ્રીની સહાય માટે પાત્ર ગણવામાં આવશે. ક્લસ્ટર અધિકારી દરરોજનો રિપોર્ટ તૈયાર કરી ગૂગલ શીટમાં અપડેટ કરશે અને તાલુકા નોડલ અધિકારી દ્વારા ચકાસણી બાદ સાંજે 4 વાગ્યા સુધી જિલ્લા કચેરીએ અહેવાલ મોકલાશે. કલેક્ટર અને ડી.ડી.ઓ. દ્વારા તમામ અધિકારીઓને સમયમર્યાદામાં સર્વે પૂર્ણ કરવા તેમજ સર્વે દરમિયાન લેવાયેલા ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજો તાલુકા કક્ષાએ રેકોર્ડરૂપે જાળવવા સૂચના આપવામાં આવી છે. આ કાર્યવાહી અત્યંત અગત્યની ગણાતી હોવાથી તમામ તાલુકા પ્રશાસનને તાત્કાલિક મેદાનમાં ઉતરી અસરગ્રસ્ત ખેતરોની ખરાઈ કરી, નિયમો મુજબ સહાય માટેના દસ્તાવેજી પુરાવા તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત સદસ્ય નિવાસમાં આવેલા ધારાસભ્યના એક ક્વાર્ટરમાંથી યુવક અને યુવતી શંકાસ્પદ સ્થિતિમાં ઝડપાતાં ચકચાર મચી છે. આ ક્વાર્ટર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસે બંનેને સ્ટેશન લાવી પૂછપરછ કરી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ ગતિવિધિ ન જણાતાં નિવેદન લઈને તેમને જવા દેવાયા હતા. મધરાત્રે ધારાસભ્યના કવાર્ટરે પહોંચી પોલીસપ્રાપ્ત વિગતો અનુસાર,ગઈકાલે(29 ઓક્ટોબર) મધરાતે ગાંધીનગર સેક્ટર-21 ખાતે આવેલા ધારાસભ્ય ક્વાર્ટરમાં એક કપલ રોકાયેલું હોવાની માહિતી સેક્ટર-21 પોલીસને મળી હતી. પોલીસ તાત્કાલિક ધારાસભ્ય અનંત પટેલના ફાળવેલા ક્વાર્ટર પર પહોંચી હતી. તપાસ દરમિયાન ત્યાં એક યુવક અને એક યુવતી હાજર મળ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સેક્ટર-21 પોલીસ મથકના સેકન્ડ પીઆઈ આર. જે. સિસોદિયાએ તેમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી. પૂછપરછમાં કોઈ શંકાશીલ પ્રવૃત્તિ જોવા મળી નથીઆ અંગે પીઆઈ સિસોદિયાએ જણાવ્યું કે, બંને યુવક-યુવતી એકબીજાના પરિચિત છે અને ઘણા સમયથી ઓળખે છે. જેઓ ગાંધીનગરના જ રહેવાસી છે. યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે, જ્યારે યુવક ખાનગી નોકરી કરે છે. આ કપલ ધારાસભ્ય અનંત પટેલના પર્સનલ આસિસ્ટન્ટ (PA)ના પરિચિત હોવાનું સામે આવ્યું છે. પૂછપરછમાં એવી કોઈ શંકાશીલ ગતિવિધિ જાણવા મળી નથી. બંનેના નિવેદન લઈને જવા દેવામાં આવ્યા છે. ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ઉઠ્યા સવાલઉલ્લેખનીય છે કે,ધારાસભ્ય ક્વાર્ટરનો આ પ્રકારે ઉપયોગ થતાં સદસ્ય નિવાસમાં ફફડાટ ફેલાયો છે અને ધારાસભ્યોને મળતી સરકારી સુવિધાઓના દુરુપયોગ પર ગંભીર સવાલો ઊભા થયા છે. સરકારી ક્વાર્ટરનો ઉપયોગ PA કે પછી પરિચિતો કરતા હોય છેસામાન્ય રીતે ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં રહેતા હોય છે, ત્યારે તેમના ફાળવેલા સરકારી ક્વાર્ટરનો ઉપયોગ તેમના PA કે પછી તેમના પરિચિતો દ્વારા વૈભવી સુખ-સુવિધાઓ ભોગવવા માટે થતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તાજેતરમાં જ સેક્ટર-17 ખાતે નવીન લક્ઝુરિયસ મકાનોનું લોકાર્પણ કરાયું છેતાજેતરમાં જ સેક્ટર-17 ખાતે ધારાસભ્યોના નવીન લક્ઝુરિયસ મકાનોનું લોકાર્પણ કરાયું છે. ત્યારે ક્વાર્ટરના દુરુપયોગને રોકવા માટે વિધાનસભા કક્ષાએથી કડક નિયમો અને દેખરેખ જરૂરી હોવાની માંગણી ઊઠી છે. ધારાસભ્ય પણ એક રાજ્ય સેવક હોવાથી સરકારી મકાનનો દુરુપયોગ કરવા બદલ તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેવી લોકચર્ચા છે. ધારાસભ્યો માટે 5 BHK ફ્લેટ, માત્ર કપડાં લઈને જ રહેવા જવાનું રહેશે, AC, ફ્રીઝ-TV સહિતની સુવિધાઓ ગાંધીનગરના સેક્ટર-17માં જૂનાં MLA ક્વાર્ટર્સને તોડીને 220 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ધારાસભ્યો માટે 216 આધુનિક અને લક્ઝરિયસ 5BHK(ઓફિસ અને સર્વન્ટ રૂમ સહિત) ફ્લેટ તૈયાર થઈ ચૂક્યા છે. ભાઈબીજના શુભ દિવસે એટલે કે 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહના હસ્તે આ નવીન આવાસોનું લોકાર્પણ થયું હતું. આ આવાસો આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે ગાંધીનગરના વહીવટી અને સાંસ્કૃતિક મહત્ત્વને વધુ ઉજાગર કરશે. ધારાસભ્ય બન્યા બાદ તમામ સભ્યોને ગાંધીનગર ખાતે MLA ક્વાટર્સ ખાતે એક આવાસ ફાળવવામાં આવશે. આ આવાસમાં ધારાસભ્યને એક ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ, ડાઈનિંગ રૂમ અને રસોડા સહિતના ફ્લેટની સગવડ આપવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખો રૂપિયાનો સરકારી પગાર લેતા એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને અધિકારીઓ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જાહેરમાં ખખડાવતા કહ્યું હતું કે, તમને જ તમારા વિભાગમાં શું કામગીરી કરવાની હોય છે, તેની ખબર નથી તો કામ કેવી રીતે કરશો? તમારી પાસે વિભાગની કોઈ માહિતી હોતી નથી. શું તમે મારા માટે કામ કરો છો? IAS કક્ષાના અધિકારીને આ રીતે જાહેરમાં ખખડાવવામાં આવતા અન્ય અધિકારીઓમાં પણ સોંપો પડી ગયો હતો. પ્રેઝન્ટેશન દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પોતાની વાત રજૂ કરી શક્યા નહોતા, જેથી કમિશનર ખૂબ નારાજ થયા હતા. દબાણ અંગેના પ્રેઝન્ટેશન સમયે બંછાનિધિ પાની ગુસ્સે ભરાયામ્યુનિસિપલ કમિશનરે યોજેલી રીવ્યુ બેઠકમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા શહેરના મુખ્ય કેટલાક રોડ પરથી દબાણો દૂર કરવા સંદર્ભે રોડ પરથી કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા, જેને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પ્રેઝન્ટેશન દરમિયાન પૂછ્યું હતું. દબાણો દૂર કરવામાં આવ્યા હોવા અંગેનું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું, પરંતુ કયા રોડ પરથી કેટલા દબાણો દૂર કરાયા, કેટલો માલ સામાન જપ્ત કરાયો તે અંગેની કોઈ માહિતી નહોતી. તેમની પાસે કોઈ માહિતી ન હોવાને લઈને મ્યુનિસિપલ કમિશનર ગુસ્સે ભરાયા હતા અને ખખડાવતા કહ્યું હતું કે, તમને જ તમારા વિભાગમાં શું કામગીરી થાય છે તેની ખબર હોતી નથી. તમારી પાસે કોઈ ગાઈડન્સ જ નથી કે, કેવી રીતે કામગીરી કરવી અને કરાવવી તેની માહિતી નથી. શું તમે મારા માટે અહીંયા કામ કરો છો? લાઈટ વિભાગની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરીવધુમાં પ્રેઝન્ટેશન દરમિયાન કી પર્ફોમન્સ ઇન્ડિકેટર પ્રેઝન્ટેશન એટલે કે, તેમના વિભાગના કયા-કયા કામો કેવી રીતે ચાલે છે? તે અંગે પણ પૂછ્યું હતું. જો કે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ બાબતે પણ જે પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે એ જ તેઓ રિવ્યુ લે છે, એવું કહેતા કમિશનર ફરી નારાજ થયા હતા અને તેમને વિભાગની કામગીરી યોગ્ય રીતે કરતા ન હોવાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. લાઈટ વિભાગના અધિકારીઓની કામગીરીથી પણ નારાજગી વ્યક્ત કરી અને તમારી મધ્યસ્થ કચેરીમાં કામગીરી શું છે એ તમને ખબર હોવી જોઈએ એવું પણ કહ્યું હતું. સીએનસીડી વિભાગના અધિકારીઓને રિપોર્ટ આપવા કહ્યું શહેરમાં ફરી એકવાર રખડતા ઢોર જોવા મળતા છેલ્લી બે રીવ્યુ બેઠકથી મ્યુનિસિપલ કમિશનર સીએનસીડી વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરે છે, ત્યારે વધુ એક વખત સીએનસીડી વિભાગના એક અધિકારી સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, તમારું કામ ઓફિસમાં બેસવાનું નથી, ફિલ્ડમાં પણ શું ચાલે છે તે જોવાનું કામ છે. જેથી હવે દરરોજ તમે ફિલ્ડમાં ક્યાં જાવ છો અને શું કામગીરી કરો છો? કેટલા ઢોર પકડાયા છે? તેનો રિપોર્ટ મને આપજો, એવું પણ કહ્યું હતું.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધાઓ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢમાં યોજાનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખી જૂનાગઢ પરિક્રમા માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવનાર છે. જેમાં પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર વેરાવળ–ગાંધીગ્રામ વચ્ચે દૈનિક સ્પેશલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. 1) ટ્રેન નંબર 09226 – વેરાવળ–ગાંધીગ્રામ દૈનિક સ્પેશલ ટ્રેન 31 ઓક્ટોબર, 2025 થી 10 નવેમ્બર, 2025 સુધી વેરાવળથી દરરોજ રાત્રે 21.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.00 વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. 2) ટ્રેન નંબર 09225 – ગાંધીગ્રામ–વેરાવળ દૈનિક સ્પેશલ ટ્રેન 1 નવેમ્બર, 2025 થી 11 નવેમ્બર, 2025 સુધી દરરોજ ગાંધીગ્રામથી રાત્રે 22.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.45 વાગ્યે વેરાવળ પહોંચશે. આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં માળિયા હાટીણા, કેશોદ, જૂનાગઢ, જેટલસર, વિરપુર, ગોંડલ, ભક્તિ નગર, રાજકોટ, સુરેન્દ્રનગર જં., વઢવાણ સિટી, બોટાદ, ધંધૂકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09225 અને 09226 માટે ટિકિટ બુકિંગ આજથી યાત્રી આરક્ષણ કેન્દ્રો તેમજ (IRCTC) વેબસાઈટ www.irctc.co.in પર શરૂ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જલારામ જયંતીના દિવસે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક આયોજનો પ્રભાવિત થયા હતા. અચાનક આવેલા આ કમોસમી વરસાદને કારણે જલારામ જયંતીના આયોજકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, કેટલાક જલારામ બાપાના ભક્તો વરસાદમાં પલળીને પણ પૂજા-અર્ચના કરતા અને ભજનમાં મગ્ન થયેલા જોવા મળ્યા હતા. ગુરુવારે પણ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો હતો. છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ વિસ્તારમાં અસામાન્ય હવામાન જોવા મળી રહ્યું છે, જ્યાં લોકો એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ ઋતુઓનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારમાં આગામી 31મી ઓક્ટોબર સુધી આ પ્રકારનું મિશ્ર વાતાવરણ જળવાઈ રહેવાની શક્યતા છે. આ સિઝનમાં વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં નોંધાયેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 2504 મિમી, ધરમપુર તાલુકામાં 2972 મિમી, પારડી તાલુકામાં 2664 મિમી, કપરાડા તાલુકામાં 4064 મિમી, ઉમરગામ તાલુકામાં 2766 મિમી અને વાપી તાલુકામાં 2744 મિમી વરસાદ નોંધાયો છે. 1લી જૂનથી અત્યાર સુધીમાં વલસાડ જિલ્લામાં સરેરાશ 2952.33 મિમી વરસાદ નોંધાયો છે.દિવાળી બાદ પડેલા આ કમોસમી વરસાદને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોને ડાંગર અને શાકભાજીના તૈયાર પાકમાં ભારે નુકસાન થયું છે, જે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે.
ભરૂચ જિલ્લાના ટોપ-10 નાસતા ફરતા આરોપીઓમાં સામેલ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં છેલ્લા 19 વર્ષથી નાસતા ફરતા મેવાતી ગેંગના આરોપીને હૈદરાબાદ (તેલંગાણા) ખાતેથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રાજ્યના દરેક જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા ટોપ-10 આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ એલ.સી. બી.ની ટીમો ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે સતત તપાસ કરી રહી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આમોદ પોલીસ મથકમાં નોંધાયેલા ધાડના ગુનામાં નાસતો ફરતો આરોપી અસલમ ધનમત મેવાતી છેલ્લા ઘણા વર્ષોથી તેલંગાણા રાજ્યના મેડાચાલ જિલ્લાના માલકજગીરી તાલુકાના ફુલતરુ ગામે કોન્ટ્રાક્ટ હેઠળ જે.સી.બી.ડ્રાઇવર તરીકે કામ કરી રહ્યો છે. બાતમી આધારે એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક હૈદરાબાદ પહોંચી આરોપીને વોચ રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આમોદ પોલીસ સ્ટેશનના ધાડના ગુનામાં પોતાની ધરપકડ બાકી હોવાની કબૂલાત આપી હતી.ક્રાઇમ બ્રાન્ચે ક્રીમીનલ પ્રોસીજર કોડની સલંગ્ન કલમ હેઠળ કાર્યવાહી કરી આરોપીને આમોદ પોલીસના હવાલે કર્યો છે.
રાજુલામાં બાઇકમાં આગ લાગી:સાંઈબાબા મંદિર પાસે પાર્ક કરેલું બાઇક સળગ્યું, સ્થાનિકોએ કાબૂ મેળવ્યો
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સાંઈબાબા મંદિર પાસે પાર્ક કરેલા એક બાઇકમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં બાઇક સળગી ઉઠ્યું હતું, જોકે સ્થાનિક લોકોની સમયસૂચકતા અને પ્રયાસોથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે બાઇકમાં આગ લાગી હોવાનું મનાય છે. શરૂઆતમાં સામાન્ય આગ લાગી હતી, પરંતુ જોતજોતામાં તેણે મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બાઇક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું હતું. આગ લાગતા જ આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે રહેણાંક વિસ્તારમાંથી પાણીની ડોલ ભરીને અને નાની પાઇપનો ઉપયોગ કરીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. સતત પાણીનો છંટકાવ કરવાથી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આગના કારણે બાઇકનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો, જેનાથી બાઇક ચાલકને ભારે નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાટણ શહેરના નાગરિકોને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી રાહત આપવા અને ભૂગર્ભ જળસ્તરને ઊંચા લાવવાના હેતુથી, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા નિયુક્ત કરાયેલી એજન્સીએ પાટણ નગરપાલિકાની મુલાકાત લીધી હતી. આ એજન્સી પાટણ શહેરના પાણીના 'એક્વીફર મેપિંગ' પ્રોજેક્ટ પર કાર્યરત છે. પાટણના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પાટણ શહેર માટે અત્યંત જરૂરી છે. તેના દ્વારા ભૂગર્ભ જળના સ્તર અને તેની ગુણવત્તા ચકાસી શકાશે. સરકાર દ્વારા જળસ્તર ઊંચા લાવવા માટે થઈ રહેલા પ્રયત્નોમાં આ પ્રોજેક્ટ મદદરૂપ થશે, જેથી ભવિષ્યમાં જનતાને પાણીની કોઈ તકલીફ ન પડે. નગરપાલિકાની મુલાકાત લેનાર નિષ્ણાત તજજ્ઞોની ટીમ ભૂગર્ભ જળની ગુણવત્તાની સઘન ચકાસણી કરશે. આ ઉપરાંત, કોઈપણ વિસ્તારમાં વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેના ટેકનિકલ સ્પેસિફિકેશન પર પણ કામ કરશે. ટીમ સમગ્ર શહેરમાં નગરપાલિકાના બોર તેમજ સંભવિત જગ્યાઓ પરથી પાણીના સેમ્પલ્સ એકત્રિત કરશે. વિદેશથી આયાત કરાયેલી અદ્યતન મશીનરી દ્વારા ભૂગર્ભ જળ ક્યાં ઉતારવું, તેનું સ્તર કેવી રીતે વધારવું અને પાણીનો વપરાશ માપમાં કેવી રીતે કરવો તે અંગેના આયોજનો અને સૂચનો નગરપાલિકાને કરવામાં આવશે. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, આ કાર્ય લગભગ એક વર્ષથી ચાલી રહ્યું હતું અને હવે પૂર્ણતાના આરે છે. અંતિમ તબક્કામાં નગરપાલિકાના બોર અને સંભવિત જગ્યાઓ પર સર્વે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો એક સંપૂર્ણ DPR (Detailed Project Report) તૈયાર કરી સરકારમાં રજૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં પાટણ શહેરની અંદર ખાન સરોવરમાં પાણીના સ્ત્રોત બંધ થયેલા છે, જેના કારણે પાણી પુરવઠો આપવામાં મુશ્કેલી પડી રહી છે. આવા સંજોગોમાં, આ 'એક્વીફર મેપિંગ' પ્રોજેક્ટ સરકારના પ્રયત્નોમાં ખૂબ મદદરૂપ થશે, જેથી જાહેર જનતાને પાણી સતત મળી રહે.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી-2025 કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાશે. આ દોડ ગુરુવાર, તા. 31 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગ્યે વેરાવળ મામલતદાર કચેરીથી શરૂ થશે. દોડનો રૂટ મામલતદાર કચેરીથી બોય્ઝ હાઈસ્કૂલ, ટાવરચોક, સટ્ટાબજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાકમાર્કેટ થઈને પરત ટાવરચોક ગાર્ડન પાસે સમાપ્ત થશે. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રાંત અધિકારી વિનોદ જોશીની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દોડના સુચારૂ આયોજન માટે જરૂરી સૂચનો અપાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સમગ્ર રૂટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરણાદાયી પ્રદર્શનો પણ યોજવામાં આવશે. બેઠકમાં ઈન્ડિયન રેડક્રોસ, ભારત વિકાસ પરિષદ જેવી સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ, સામાજિક અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા વેરાવળના નાગરિકોને આ દોડમાં ઉત્સાહપૂર્વક જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી છે.
આમ તો રવિન્દ્ર જાડેજા પોતાનો મોટાભાગનો સમય ક્રિકેટ પાછળ વિતાવે છે, પરંતુ બાકીનો કેટલોક સમય તે પોતાના અંગત મિત્રો એવા અશ્વો સાથે ફાર્મહાઉસમાં વિતાવે છે. સેલિબ્રિટી કોઈ પણ હોય તેમને બાઈક અથવા કાર રાઇડિંગનો શોખ હોય છે, પરંતુ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને શોખ છે હોર્સ રાઇડિંગનો. રવિન્દ્ર જાડેજા બુધવારે પોતાના ફાર્મહાઉસ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે હોર્સ રાઇડિંગ કર્યું હતું. ઘોડેસવારીના વીડિયો અને ફોટા કેપ્ચર કરી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને તેમાં લખ્યું હતું કે, મારા સપના તરફ દોડી રહ્યો છું. આ પોસ્ટ પર તેમના ફેન્સ દ્વારા માત્ર 7 કલાકમાં 4 લાખ લાઈક કરી 4000થી વધુ કોમેન્ટ કરી દીધી હતી. જાડેજાના વીડિયોને ફેન્સે ખુબ પસંદ કર્યોતાજેતરમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલ ટેસ્ટ સિરીઝમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવ્યા બાદ રાજકોટમાં રમાયેલ રણજી ટ્રોફીની સૌરાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચ ડ્રો થયા બાદ રવિન્દ્ર જાડેજા બુધવારે જામનગર જિલ્લામાં આવેલ પોતાના ફાર્મ હાઉસ પહોંચ્યા હતા. અહીં તેમને પોતાના મનપસંદ અંગત મિત્રો સમાન અશ્વો સાથે સમય વિતાવ્યો હતો, જેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ સાથે ઘોડેશ્વારી કરતા પણ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં ‘નાયક નહિ ખલનાયક....સોંગ અપલોડ કરવામાં આવ્યું છે. જ્યારે કેપ્સનમાં 'મારા સપના તરફ આગળ આગળ વધી રહ્યો છું' લખવામાં આવ્યું છે. જાડેજાએ ફાર્મમાં અશ્વો સાથે બળદ અને કબૂતરો પણ રાખ્યાં રવિન્દ્ર જાડેજાએ 8 એકરની જગ્યામાં જામનગર જિલ્લામાં ફાર્મહાઉસ વિકસાવ્યું છે, જ્યાં તેઓ પોતાની હળવાશની પળો માણતા હોય છે. અહીં તેમને પોતાના પાલતું પશુ-પક્ષી પણ રાખ્યાં છે, જેમની સાથે તેઓ સમય વિતાવતા હોય છે. અહીં અશ્વ ઉપરાંત તેઓએ બળદ અને કબૂતર પણ રાખ્યા છે. આના ઉપરથી એવું કહી શકાય કે, ક્રિકેટની સાથે-સાથે બાપુ પશુ-પક્ષીઓને પણ પ્રેમ કરે છે અને સમય મળ્યે તેમની સાથે પણ હળવાશની પળો વિતાવે છે.
ટ્રેડ વોર સમાપ્ત કે પછી તણાવ હજુ વધશે? આજે 6 વર્ષ બાદ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત
Trump, Xi Jinping to Discuss Tariffs and Rare Earth Minerals : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે બેઠક કરશે. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ ટેરિફ યુદ્ધની વચ્ચે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં નક્કી થશે કે આ બે મહાશક્તિઓમાં કોણ નમતું જોખે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન અમેરિકાને પછાડી સૌથી શક્તિશાળી દેશ બનવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. કયા મુદ્દે ચર્ચા થશે?
સાઈબાબાનું પાત્ર ભજવનારા સુધીર દળવી સિરિયસઃ ઈલાજ માટે પૈસાની ટહેલ
'શિર્ડી કે સાંઈબાબા' ફિલ્મ સાઈ બાબા તરીકે લોકપ્રિય થયા હતા સુધીર દળવીની ફિલ્મ બાદ શિર્ડીમાં ભક્તોનું ઘોડાપૂૂર વધ્યું પરંતુ ખુદ દળવી બીમારીને કારણે આર્થિક ભીંસમાં મુંબઈ - 'શિર્ડી કે સાઈબાબા' ફિલ્મમાં સાઈબાબાની યાદગાર ભૂમિકા ભજવી મશહૂર બનેલા વરિષ્ઠ અભિનેતા સુધીર દળવીને અત્યારે ગંભીર બિમારીને લીધે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેમના ઈલાજ માટે પૂરતા પૈસા નથી. આથી દળવીના પરિવારજનો આર્થિક સહાય માટે ટહેલ નાખી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટમાં એક યુવકે તેની પત્નીને તેના જ પિયરીયાઓ સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા અને તેની મરજી વિરૂદ્ધ ગોંધી રાખી હોવાની રજૂઆત સાથે હેબિયસ કોર્પસ અજી દાખલ કરી છે. જે અંગે હાઈકોર્ટે પક્ષકારોને નોટિસ કાઢીને યુવતીને કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરીને વધુ સુનાવણી 4 નવેમ્બરના રોજ રાખી છે. 24 વર્ષીય યુવકે 12 આરોપીઓ સામે અપહરણની ફરિયાદ નોંધાવીચાલુ મહિનામાં બનાસકાંઠાના વડગામ પોલીસ મથકે એક 24 વર્ષીય યુવકે 12 આરોપીઓ સામે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેને એક બીજી જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નથી યુવતીના પિયરીયાઓને મન દુઃખ થયું હતું. જેથી તેઓ યુવતીને તેના ઘરેથી સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા છે. આ દરમિયાન યુવતીના પિયરીયાઓએ સાસરિયાઓ સાથે ધક્કામુક્કી કરતા તેમને ઇજા પણ થઈ હતી. પરિવારે ફરિયાદ નોંધાવતા યુવતી યુવક સાથે હજાર થઈ હતીયુવક બનાસકાંઠામાં ઝેરોક્ષ અને સાયબર કાફેની દુકાન ચલાવે છે. તેને અમદાવાદના દરિયાપુરમાં આવીને મેરેજ રજિસ્ટર રજિસ્ટ્રેશન વોર્ડમાં યુવતી સાથે પ્રેમ લગ્ન કરી મેરેજ રજિસ્ટર કરાવ્યા હતા. જો કે, યુવતીના પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે યુવતીના ગુમ થયાની અરજી આપી હતી. જેથી બંને પતિ-પત્ની પાલનપુર તાલુકા પોલીસ મથકે હાજર થયા હતા. પ્રેમલગ્નથી નારાજ પરિવારજનો યુવકના મામાના ઘરે પહોંચ્યાપાલનપુર તાલુકા પોલીસ મથકે યુવતી અને યુવક બંનેના પરિવારજનો હાજર હતા. યુવતીએ પોતાના પતિ સાથે રહેવાની ઈચ્છા દર્શાવતા પોલીસે તેનું નિવેદન નોંધીને બંનેને સહી સલામત વડગામ મૂકી આવી હતી. પરંતુ યુવતીના પરિવારજનો પ્રેમલગ્નથી નારાજ હતા. આથી તેઓ 2 સ્કોર્પિયો અને એક સ્વીફ્ટ ગાડી લઈને યુવક અને યુવતી જ્યાં રોકાયા હતા તે યુવકના મામાના ઘરે આવ્યા હતા. યુવકના પરિવાર સાથે ધક્કામૂકી કરી યુવતીને લઈ ગયા હતાયુવતીના કાકાએ યુવતીને ઘરમાંથી લાફો મારીને બહાર ખેંચી કાઢી હતી. આ દરમિયાન યુવકના પરિજનો વચ્ચે પડતા તેઓએ ધક્કા મૂકી કરી હતી. જેમાં યુવકના પરિજનોને ઈજા પણ થઈ હતી. જ્યારે યુવતીના પરિજનો તેને સ્કોર્પિયો કારમાં બેસાડીને લઈ ગયા હતા. આ અંગે યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસની ગાડી આવી હતી અને તેણે પોલીસ ફરિયાદ આપી હતી.
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. લ્યો બોલો... અમદાવાદના એક પીઆઇએ જ પોલીસકર્મીની ફરિયાદ લેવાનું ટાળ્યુંઅમદાવાદ પશ્ચિમનું પોલીસ સ્ટેશન જે રાજધાનીને જોડતું પોલીસ સ્ટેશન છે તેની હદમાં એક પોલીસકર્મી અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો થયો હતો. જે બાદ પોલીસકર્મી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા પરંતુ તેમની ફરિયાદ જ લેવામાં આવી નહોતી. પોલીસકર્મીએ બેથી વધુ વખત અધિકારીને રજૂઆત કરી છતાં ફરિયાદ લેવામાં જ આવી નહોતી. પુરાવા સાથેની ફરિયાદ હોવા છતાં રાજકીય ભલામણના કારણે પીઆઇ ફરિયાદ લઈ રહ્યા નથી. પીઆઇની બદલી આવી ગઈ પરંતુ છૂટ થયા નથી એટલે જ કોઈ વિવાદમાં ન આવી રાજકીય ભલામણના કારણે ફરિયાદ ન લીધી હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, સેફ સિટી અમદાવાદમાં જ પોલીસકર્મીની ફરિયાદ લેવામાં આવી રહી નથી તો સામાન્ય નાગરિકોનું શું થશે. એક પીઆઇને પોલીસકર્મીને હાંકી કાઢ્યા તો બીજા PIએ શરણ આપીપૂર્વ વિસ્તારના એક પોલીસ સ્ટેશનના ભા તરીકે જાણીતા પોલીસકર્મીને પીઆઇએ કાઢી મૂક્યા તો પડોશી પોલીસ સ્ટેશનના પીઆઇ શરણ આપી છે. બિલ્ડર અને ભા તરીકે જાણીતા પોલીસકર્મીને છેવાડાના પોલીસે સ્ટેશનમાં સારું વર્ચસ્વ હતું, પરંતુ પીઆઇની બદલી આવ્યા બાદ ભા જ્યારે નવા પીઆઇને મળીને રજૂઆત કરવા ગયા, ત્યારે પીઆઇએ તેમને કાઢી મૂક્યા હતા અને જે ઉદ્દેશ સાથે ગયા હતા તે માટે સ્પષ્ટ ના પણ પાડી દીધી હતી. ભા વર્ષોથી એક જ પોલીસે સ્ટેશનમાં વર્ચસ્વ જમાઈને બેઠા હતા. એટલે બાજુમાં જ ઇન્ડસ્ટ્રી ધરાવતા પોલીસે સ્ટેશનના પીઆઇને મળવા ગયા હતા. જે પીઆઇને ભાને શરણ આપી હતી. એક પીઆઇએ કાઢી મૂક્યા તો બીજાએ શરણ આપતા પોલીસબેડામાં ચર્ચા શરૂ થઈ છે. પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં વ્યસ્ત ને ગુનાની જગ્યાએ બિનઅધિકૃત લોકો પહોંચી ગયાઅમદાવાદ જિલ્લામાં તાજેતરમાં જ પોલીસે એક મોટી રેડ કરી હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસ રેડ કર્યા બાદ બંદોબસ્તમાં એટલી મશગુલ થઈ ગઈ હતી કે આટલી મોટી રેડના સ્થળે એક પોલીસકર્મી પણ બંદોબસ્તમાં રાખ્યો નહતો જેના કારણે કેટલાક વિદેશી નાગરિકો સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસની બેદરકારીના કારણે ગુનાની જગ્યાએ બિનઅધિકૃત લોકો પહોંચી પણ ગયા હતા, જ્યારે અધિકારીઓ બંદોબસ્ત કરતા રહી ગયા હતા. અધિકારીઓને મોડેથી જાણ થઈ તો કાર્યવાહી બતાવવા માટે મોડેથી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે જિલ્લાના ઘણા અધિકારીઓને મોટા બનાવમાં ફોન ઉપાડવાની પણ ફુરસત રહેતી નથી. શહેરમાં નિયમોને નેવે મૂકી ટ્રાવેલ્સ બેફામ દોડી રહી છે છતાં પોલીસ મૂકપ્રેક્ષક બનીઅમદાવાદમાં દિવસ દરમિયાન ટ્રાવેલ્સની અવરજવર બંધ હોય છે છતાં શહેરના એક વિસ્તારમાં જે ટ્રાવેલ્સનું હબ બની ચૂક્યું છે ત્યાં ટ્રાવેલ્સની અવરજવર માટે કોઈ નિયમ જ નથી. આ વિસ્તારમાં અગાઉ જ એક ટ્રાવેલ્સના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો છતાં પીઆઇ અને પોલીસકર્મીઓ આંખ આડા કાન કરીને ટ્રાવેલ્સની અવરજવર પર રોક લગાઈ શકતા નથી. ઉચ્ચ અધિકારીઓની કચેરી પણ આ વિસ્તારમાં હોવા છતાં પીઆઇ બિન્દાસ્ત ટ્રાવેલ્સની અવરજવર થવા દે છે. ટ્રાફિક, લોકોના જીવ કે નિયમોને નેવે મૂકીને ટ્રાવેલ્સ બેફામ દોડી રહી છે છતાં પોલીસ ક્યાં કારણથી મૂકપ્રેક્ષક બની છે તેને લઈને સવાલ છે. શહેરના એક પોલીસકર્મીના પરાક્રમ સામે પીઆઇ પણ લાચાર બન્યાઅમદાવાદના ટ્રાફિકના એક પોલીસકર્મીનું એવું પરાક્રમ કે તેમને એક ચોકીમાં પોતાની પર્સનલ ચેમ્બર બનાવી દીધી છે. શહેરના પૂર્વના સૌથી મોટા સર્કલ પાસે આવેલી ચોકીમાં બેસીને પોલીસકર્મી તેમનું પરાક્રમ બતાવી રહ્યા છે. પોલીસકર્મીએ દિવાળી પહેલાથી જ ચોંકીને ચેમ્બર બનાવીને કામ કાજ શરૂ કરી દીધું હતું. અમદાવાદની બોર્ડર જોડતો વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે જેથી પોલીસકર્મીએ પોતાના પીઆઇને જાણ કરીને જ ત્યાં બેઠા બેઠા દિવાળીનું બોનસ ઉઘરાવ્યું હતું. પોલીસકર્મીના આ પરાક્રમ સામે પીઆઇ અને પોલીસકર્મીઓ પણ લાચાર બન્યા છે. શહેરના એક PIની સામાન્ય લોકો સામે કાર્યવાહી તો કુખ્યાત લોકોના શરણે થયાઅમદાવાદના કોટ વિસ્તારમાં પાથરણા બજારમાં પીઆઇનું બેવડું વલણ જોવા મળ્યું છે. દરવાજાની એક તરફ ચાલી રહેલા પાથરણા ગેરકાયદેસર હોવાથી હટાવી દેવામાં આવ્યા છે, જ્યારે દરવાજાની બીજી તરફ કેટલાક કુખ્યાત લોકોના ચાલી રહેલા ગેરકાયદેસર પાથરણા પર પીઆઇની માઠી નજર છે. પોલીસે એક બાજુ બંદોબસ્ત ગોઠવ્યો છે તો બીજી તરફ પોલીસ શરણે થઈ ગઈ છે. પીઆઇના બેવડા વલણના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. દિવાળી અગાઉ દરવાજાની બીજી તરફના કેટલાક કુખ્યાત લોકો પીઆઇને મળીને દિવાળી બોનસ પણ આપી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.
ફરિયાદ:અમરાપર મારામારીમાં 3 શખસ, 15ના ટોળા સામે હુમલો, ફાયરિંગની ફરિયાદ
થાનગઢના અમરાપર ગામે કાર પસાર થવા દરમિયાન વરસાદી પાણી ઉડતા 15થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. જેમાં મારામારી અને ફાયરિંગ કર્યાનો ગુનો નોંધાયો છે. થાન પોલીસ મથકે વાંકાનેર ચિત્રાખડાના રહીશ મુકેશભાઇ મનસુખભાઇ ડાભીએ મારામારી અને ફાયરિંગ અંગે ફરિયાદ નોધાવી હતી. જેમાં જણાવ્યા મુજબ તેઓ તેમના નાના ભાઇ કાર લઇ અમરાપર ગામે જતા હતા ત્યારે દેવાભાઇને વરસાદી પાણી ઉડ્યાનું મનદુખ રાખી ટોળા સાથે આવીને લોખંડનો પાઇપ પણ સહિત લઇ આવી વિનુભાઇ અને તેમના પર હુમલો કરી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે 15થી 20 લોકોનું ટોળુ ભેગુ થઇ હુમલો કરીને મારી નાંખવાના ઇરાદે હથિયાર વડે ફાયરિંગ કરી કારના કાચ તોડી નાંખ્યા હતા. જ્યારે ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી આ બનાવમાં અમરાપરના દેવાભાઇ, અશોકભાઇ, ભરતભાઇ 2 અજાણ્યા શખસ તથા 15થી 20 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
આકર્ષણનું કેન્દ્ર:વેકેશનમાં સુરેન્દ્રનગરનું ત્રિમંદિર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
સુરેન્દ્રનગરથી 4 કિમી દૂર રતનપર મૂળી રોડ ઉપર અંધવિધાલયની બાજુમાં ત્રિમંદિર આવેલું છે. વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલા આ મંદિરમાં દર્શન કરવા માટે અનેક ભાવિકો આવે છે. તેમાં પણ ખાસ કરીને રવિવાર તેમજ વેકેશનના દિવસે તો સૌથી વધુ લોકો આવતા હોય છે. મંદિરમાં આવેલો સુંદર બગીચો બાળકોથી લઇને સૌ કોઇ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં હરવા ફરવા માટેના કોઇ ખાસ સ્થળો નથી. બીજી બાજુ અત્યારે બાળકોના વેકેશન ચાલી રહ્યા છે. જેને કારણે મોટા ભાગના ઘરે સગા સંબંધીના સંતાનો વેકેશન કરવા માટે આવતા હોય છે. ત્યારે ઘરે આવેલા મહેમાનોને ક્યાં લઇ જવા તે મોટો પ્રશ્ન બની જતો હોય છે. આવા સમયે આ ત્રિમંદિર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જતું હોય છે. અહીંયા બાળકોને રમવા માટેના સાધનો, સુંદર અને લીલુ ઘાસમાં પરિવાર સાથે બેસીને લોકો મજા માણે છે. રાત્રીના સમયે મંદિરની રોશની આકર્ષણ લાગે છે. આથી લોકો મોડી રાત સુધી મંદિરમાં રોકાતા હોય છે.
ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટ, સાવરકુંડલા, ધ્રાગધ્રા સહિતના 25 બાળક પરીક્ષાની તૈયારી કરે છે
મૂળ મૂળી તાલુકાના સોમાસર ગામના અને હાલ અમદાવાદ રહેતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અજીતભાઈ એસ.ચાવડા અને તેમના પત્ની વીરૂબેન બાળકોને જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરી શકે માટે નિ:શુલ્ક શિક્ષણ સેવા આપી રહ્યા છે. અજીતભાઈએ 2 માસ પહેલાથી જ બાળકોને ઓનલાઈન તૈયારી શરૂ કરાવી દીધી છે. પરંતુ હાલ વેકેશન હોવાથી સમયનો સદ્દઉપોયગ કરી શકાય તે માટે ઓફલાઈન સુરેન્દ્રનગર સિધ્ધાર્થ કેળવણી મંડળના મંત્રી અર્જુનભાઈ રાઠોડ સુરેન્દ્રનગર દ્વારા જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવામાં આવ્યા છે. ત્યારે વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સિધ્ધાર્થ છાત્રાલયમાં જુદા જુદા સ્થળોએથી આવેલા ધો. 4 અને 5 ધોરણના અંદાજે 25 દીકરા-દીકરી આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. રોજ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી જેમાં બપોરે 2 કલાક રિશેષ રહે છે. જેમાં 1 કલાક રમતગમતના પાઠ ભણાવવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 8થી 9 વધારાનો સમય ફાળવી તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં સાવરકુંડલાના 5, રાજકોટના 1, સાણંદના 2, ધ્રાંગધ્રા સોલડીના 1 તેમજ શહેરી વિસ્તાર સહિતના કુલ અંદાજે 25 વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓ ગણિત, રિજીનિંગ, ગુજરાતી વિષયનું જ્ઞાન તા. 27 ઓક્ટોબરથી શરૂ કરાયું છે અને તે તા. 4 નવેમ્બર-2025 સુધી ચાલશે. ત્યારબાદ ઓનલાઈન આ શિક્ષણ ચાલુ રહેશે. જ્યારે સી.યુ. શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કિશોરભાઈ યુ.મકવાણાએ જણાવ્યું કે, શિક્ષણ યજ્ઞ થકી બાળકોની શક્તિઓને બહાર લાવીને આ દંપતી અનેક લોકો તેમજ બાળકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. સંસ્થાએ રહેવા જમવાની ફ્રી સગવડ આપીસંસ્થાએ રહેવા જમવાની ફ્રી સગવડ સાથે બાળકો લાભ લઈ રહ્યા છે. અજીતભાઈ પોતે રાત્રિ રોકાણ બાળકો જોડે કરે છે. દીકરીઓને નજીકમાં એમની દીકરીનું મકાન છે ત્યાં અજીતભાઈના પત્ની વીરૂબેન રાખે છે. નવરાવી ધોવરાવી તેઓ સવારે ક્લાસમાં મૂકી જાય છે. જ્યારે અન્ય જિલ્લાના બાળકો સાથે શિક્ષક તેમજ દીકરીઓ સાથે પત્ની રાત્રિના સમયે સૂવે છે. મમ્મી-પપ્પા યાદ તો આવે છે પણ પરીક્ષાની તૈયારી એટલી જ મહત્વનીસાવરકુંડલાની ધો. 5ની વિદ્યાર્થિની રાઠોડ નમ્રતાએ જણાવ્યું કે, અજીત સર અમને 2 મહિનાથી ઓનલાઈન શિક્ષણ આપે છે. હાલ તો ગામથી દૂર છીએ એટલે મમ્મી-પપ્પાની યાદ આવે પરંતુ પરીક્ષાની તૈયારી પણ મહત્વની છે. વેકેશનમાં શિક્ષણનો લાભ મળ્યોરાજકોટના ધો. 5ના વોરા કૃણાલે જણાવ્યું કે, આ પરીક્ષાની અમારે ઓનલાઈન 2 માસથી તૈયારી ચાલે છે. તેમાંય વેકેશન પડતા ઓફલાઈન શિક્ષણ જે વઢવાણ સિધ્ધાર્થ છાત્રાલયમાં શરૂ થયું છે તેનો લાભ અતિ આનંદ દાયક છે. પરિવાર થોડો થોડો યાદ આવે પરંતુ મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરવાની મજા આવે છે.
અમેરિકા વસાહતીઓનો દેશ છે અને સાથે શિક્ષણ, કારકિર્દી, ધંધા અને બીજી ઘણી બાબતે તમારામાં અનન્ય પ્રતિભા હોય તો અદભૂત તક પૂરી પડતો દેશ પણ છે માટે જ વિશ્વભરમાંથી લોકો એમની તકદીર અજમાવવા અમેરિકા આવવા આતુર હોય છે. આવા જ એક વ્યક્તિ જેના મા-બાપ આ દેશમાં વસાહતીઓ તરીકે આવ્યા એ અત્યારે આવનાર બિગ એપલ એટલે કે ન્યૂયોર્ક શહેરના મેયરની રેસમાં પોતાનું નસીબ અજમાવવા અને મેયર બનવાની તકની રાહમાં અમેરિકામાં ખળભળાટ મચાવી રહ્યો છે. એ વ્યક્તિ છે ઝોહરાન મામદાની. જી હા, જેના બાપ દાદાના મૂળિયા ભારત દેશમાં છે એ વ્યક્તિ ઝોહરાન મામદાની એ અત્યારે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ સહિત અનેક લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. ચૂંટણી જીતશે તો ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર બનશેડેમોક્રેટિક પાર્ટી અને ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ અમેરિકાના સભ્ય, ઝોહરાન 2025ની ચૂંટણીમાં ન્યૂયોર્ક સિટીના મેયર માટે ડેમોક્રેટિક ઉમેદવાર છે અને નસીબ એમના પક્ષે હશે તો તેઓ ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર બનશે. 7 વર્ષની ઉંમરે ન્યૂયોર્કમાં સ્થાયી થયાસિઝન્ડ પોલિટિકલ કુટુંબમાંથી આવનારા અને ન્યૂયોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુમોને હરાવીને ન્યૂયોર્કની મેયર માટેની ડેમોક્રેટિક પાર્ટીની પ્રાઇમરી રેસની ચૂંટણી જીતનાર ઝોહરાન મામદાનીનો જન્મ યુગાન્ડાના કંપાલામાં શિક્ષણવિદ્ મહમૂદ મમદાની અને ફિલ્મ નિર્માતા મીરા નાયરને ત્યાં થયો હતો. 5 વર્ષની ઉંમરે તેમનો પરિવાર દક્ષિણ આફ્રિકા સ્થળાંતરિત થયો અને 7 વર્ષની ઉંમરે યુનાઇટેડ સ્ટેટ્સ ગયો અને ન્યૂયોર્ક શહેરમાં સ્થાયી થયો. મામદાનીએ બ્રોન્ક્સ હાઇસ્કૂલ ઓફ સાયન્સમાંથી સ્નાતક થયા અને બોડોઇન કોલેજમાંથી આફ્રિકાના અભ્યાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સલામ બોમ્બે, મોન્સૂન વેડિંગ અને ધ નેમ સેક જેવી જાણીતી ફિલ્મો આપનારા ભારતીય મૂળના મૂવી મેકર મીરા નાયર અને મુંબઇમાં જન્મીને યુગાન્ડામાં જેમનો ઉછેર થયો એવા ભારતીય મૂળના બૌદ્ધિક અને શિક્ષણવિદ મહેમૂદ મામદાનીને ત્યાં જન્મનારા ઝોહરાન રાજકારણ અને વૈશ્વિક બાબતોમાં રસ જગાડવા માટે તેમના માતાપિતાને શ્રેય આપે છે અને નોંધે છે કે આવા વિષયો પર ઘરે ઘણીવાર ચર્ચા થતી હતી. 2015માં રાજકારણમાં પ્રવેશ કર્યોમામદાનીએ 2015માં સિટી કાઉન્સિલના 23મા જિલ્લા માટે ખાસ ચૂંટણીમાં અલી નઝમીના પ્રચાર માટે સ્વયંસેવક તરીકે ન્યૂયોર્ક સિટીના રાજકારણમાં પ્રવેશ કર્યો. 2017માં મામદાની ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ ઓફ અમેરિકા (DSA) ના ન્યૂયોર્ક સિટી ચેપ્ટરમાં જોડાયા અને ન્યૂયોર્ક સિટી કાઉન્સિલના ઉમેદવાર ખાદર અલ-યતીમના પ્રચાર માટે કામ કર્યું. જે પેલેસ્ટિનિયન લ્યૂથર મંત્રી અને બેરિજ, બ્રુકલિનના ડેમોક્રેટિક સમાજવાદી હતા અને માટે જ ત્યારથી એમની રાજકીય વિચારધારા સમાજવાદી રહી છે. તેમના કેમ્પેઇન પ્લેટફોર્મમાં મફત સિટી બસ, પબ્લિક ચાઇલ્ડ કેર, શહેરની માલિકીની કરિયાણાની દુકાનો, LGBTQ અધિકારો, પરવડે તેવા આવાસ, પબ્લિક સેફ્ટી અને 2030સુધીમાં 30 ડોલર લઘુત્તમ વેતનનો સમાવેશ થાય છે. મામદાની કોર્પોરેશનો અને વાર્ષિક 1 મિલિયન ડોલરથી વધુ કમાણી કરનારા પર વધારે ટેક્સ નાખવાની વાતને પણ સમર્થન આપે છે. જે મામદનીનો ક્લિયર સમાજવાદી વિચારધારા તરફી ઝોક દર્શાવે છે અને માટે જ એક મૂડીવાદી અમેરિકન વર્ગ એ વિચારધારાના સમર્થનમાં નથી અને તેઓ માને છે કે આ સમાજવાદી વિચારધારા મૂડીવાદી દેશ અમેરિકાના હિતમાં નથી. ચિત્રકાર સાથે લગ્ન કર્યાંહિપ હોપ મ્યૂઝિકના શોખીન મામદાનીએ ફેબ્રુઆરી 2025માં, સીરિયન-અમેરિકન ચિત્રકાર રામા દુવાજી સાથે ન્યૂયોર્ક સિટી હોલ ખાતે એક સિવિલ સેરેમનીમાં લગ્ન કર્યા. આ દંપતી વર્ષો પહેલા ડેટિંગ એપ્લિકેશન હિન્જ પર મળ્યું હતું. જે પણ હોય પણ ન્યૂયોર્ક મેટ્સ અને ન્યૂયોર્ક જાયન્ટ્સના ચાહક અને અંગ્રેજી ઉપરાંત, હિન્દી-ઉર્દૂ, બંગાળી, સ્પેનિશ અને ચાઇનીઝ ભાષામાં પ્રાવીણ્ય ધરાવનાર મામદાનીએ અત્યારે તો અમેરિકન રાજકારણમાં એમના કોમ્યુનિસ્ટ અને પ્રો-મુસ્લિમ વિચારો દ્વારા હલચલ મચાવી દીધી છે. જો ઝોહરાન મામદાની ન્યૂયોર્ક શહેરના મેયર બનશે તો એ મહમદઅલી ઝીણા પછી વિશ્વના રાજકારણ પર અસર કરનાર બીજા ગુજરાતી મૂળના મુસ્લિમ હશે!
ઝાલાવાડના ખેડૂતને સતત ચોથા વર્ષે માવઠાનો માર પડ્યો છે. બીજી તરફ સરકાર નજીવી સહાય ચૂકવીને સંતોષ માનતાં ખેડૂતો વળતરથી વંચિત રહ્યાં છે. આવા સમયે અત્યારે જ્યારે કપાસ અને મગફળીનો પાક તૈયાર થઇ ગયો છે. શિયાળુ વાવેતરની તૈયારી શરૂ થઇ રહી છે તેવા સમયે માવઠુ થતા તૈયાર પાકને તો નુકસાન થયુ જ છે પરંતુ સાથે સાથે વરાપ ન થતા હવે શિયાળુ પાકનું વાવેતર પણ 15 દિવસ મોડુ થશે. જેના પગલે જીરૂ અને ઘઉં જેવા પાક ઉપર પાછળની ગરમીના લીધે વિપરીત અસર થવાથી ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 6.24 લાખ હેકટરમા શિયાળુ વાવેતર થાય છે. ચણા, જીરૂ, વરીયાળી, ઇસબ ગુલ ને શાકભાજી સહિતનું વાવેતરની શરૂઆત થઇ ચૂકી છે. અત્યારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે અને જયા ઓછો વરસાદ થયો છે ત્યા પણ ખેતરોમાં ભેજ આવી ગયો છે. આથી ખેડાણ કે વાવેતર કરવુ મુશ્કેલ બની ગયુ છે.તેને કારણે 15 દિવસથી વધુ સમયનું વાવેતર મોડુ થશે. વાવેતર મોડુ થવાના કારણે જીરૂ અને ઘઉં જેવા પાકમાં પાછળથી ગરમી પડે તો પાકના ઉત્પાદનમાં ઘટાડો થઇ શકે છે. આમ માવઠાને ચોમાસુ પાકનો તો સોથ બોલાવી દીધો છે.પરંતુ હવે તેની વિપરીત અસર શિયાળુ પાક ઉપર પણ પડશે. જિલ્લામાં હજુ યલ્લો એલર્ટ છે જો કે, બુધવારે વરસાદે વિરામ લીધો હતો. ખેડૂતોએ વરાપ થાય પછી ખેડાણ કરીને વાવેતર કરવું જોઇએ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે.કોઇ જગ્યાએ પાણી ભરાયા નથી પરંતુ ખેતરમાં ભેજ છે.આથી આવા સમયે ખેડાણ કરવુ યોગ્ય નથી.બીજી બાજુ હજુ પણ વરસાદ પડવી આગાહી છે ત્યારે ખેડૂતોએ આગાહી પુરી થઇ ગયા બાદ તડકો પડે અને વરાપ થાય પછી જ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરવુ જોઇએ. > જનકભાઇ કલોત્રા, નિવૃત ખેતીવાડી અધિકારી આગાહી પૂર્ણ થયા બાદ સર્વેની કામગીરી થશેઅત્યારે હજુ પણ વરસાદની આગાહી છે. આથી સર્વેની કામગીરી કરવાની ચાલુ કરી નથી.આગાહી પૂર્ણ થયા બાદ વરસાદ રહી જાય પછી સર્વે કરાશે. હજુ સર્વે બાબતે સરકાર તરફથી કોઇ સુચના નથી. છતાં વરસાદ રહી ગયા બાદ જિલ્લામાં કયા પાકને કેટલુ નુકસાન થયુ તેનો સર્વે કરાશે. જે બાદ સરકારની સુચના મુજબ કાર્યવાહી કરીશું > એમ.આર.પરમાર, ખેતીવાડી અધિકારી 33 ટકાથી ઓછી નુકસાની બતાવી ખેડૂતોને સહાયથી વંચિત રખાય છે જિલ્લામાં જયારે જયારે અતિવૃષ્ટી કે આવી આવી રીતે માવઠા થયા છે ત્યારે ખેતીવાડી શાખા દ્વારા નુકસાનીનો સર્વે કરાય છે. જેમાં સરકારના નિયમ અનુસાર 33 ટકાથી વધુ નુકસાન હોય તો જ સહાય અપાય છે.ત્યારે જિલ્લામાં 33 ટકાથી ઓછી નુકસાની બતાવી ખેડૂતોને સહાયથી વંચીત રખાતા હોય છે. આવા સમયે નિયમોની આટીઘુંટી ખેડૂતો માટે મુસીબત બની જાય છે.
નવું નજરાણું:એકતાનગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસો ઉમેરાશે
નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત એકતા નગરમાં બનાવવામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિના અવસર પર તા.31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ એકતા નગરને અનેક વિકાસ કાર્યો અને પ્રવાસન આકર્ષણોની ભેટ આપશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના હસ્તે પ્રવાસીઓની સુવિધા માટે નવી 25 ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવશે. હાલ એકતા નગરમાં પહેલાથી જ 30 ઈ-બસો દોડતી હોવાથી હવે કુલ 55 ઈ-બસો પ્રવાસીઓને સેવામા કાર્યરત રહશે. આ તમામ ઈ-બસો પ્રવાસીઓ માટે મફત મુસાફરી સેવા પૂરી પાડે છે,જેથી એકતા નગરમાં પ્રવાસ વધુ આરામદાયક અને પર્યાવરણમિત્ર બને. ઉલ્લેખનીય છે કે, નવી ઉમેરાયેલી ઈ-બસો ૯ મીટર લાંબી મિનિ એસી બસો છે, જે એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે. દરેક બસમાં બે ઇમર્જન્સી એક્ઝિટ બારીઓ સાથે દિવ્યાંગજનો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ માટે અલગથી 4 પિન્ક બેઠક તૈયાર કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક રીતે મુસાફરી કરી શકે.એકતા નગરમાં ઈ-બસોની વધારાની ભેટ સાથે પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે અને પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા સંચરિત થશે.
વળતરની માંગ:નર્મદામાં માવઠાથી થયેલા નુકસાનનો સર્વે કરીને વળતરને ચૂકવવાની માગણી કરાઇ
એસ્પિરેશનલ ડિસ્ટિક એવા આદિવાસી જિલ્લામાં ખેડૂતો જયારે પાયમાલ થાય તો તેમને બિયારણ અને ખાતર ના રૂપિયાની સહાય મળે તો પણ બીજું ઉત્પાદન લઇ શકાય એવી ખેડૂતોની માંગ ને વાચા આપી નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ નીલ રાવે મુખ્ય મંત્રી સહીત સંબંધિત અધિકારીઓ ને લેખિત પત્ર લખી ખેડૂતોની મદદ કરવા રજુઆત કરી છે. પ્રપ્ત માહિતી મુજબ હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સરક્યુલેશનના કારણે નર્મદા જીલ્લાના વિવિધ તાલુકાઓમાં કમોસમી વરસાદ (માવઠા) પડ્યો હતો. આ અસમયે થયેલા વરસાદને કારણે કપાસ,તુવેર,ડાંગર કેળા તેમજ પપૈયાનો તૈયાર થયેલ પાક પલળી જવાથી ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. નર્મદા જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ને નુકસાન થયું છે. આદિવાસી ખેડૂતનું મુખ્ય આજીવિકા ખેતી આધારિત હોવાથી આ નુકસાનથી તેઓ આર્થિક સંકટમાં છે. ત્યા રે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને ભાજપ જિલ્લા અધ્યક્ષ નીલ રાવે જણાવ્યું હતું કે જિલ્લામાં જે માવઠાથી ખેડૂતને નુકસાન થયું છે. જેના માટે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી કે કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરી, અસરગ્રસ્ત ખેડૂતોને થયેલ નુકસાનના આધારે યોગ્ય આર્થિક સહાય તથા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જેથી ખેડુતોને વાસ્તવિક રાહત મળી શકે.
પીએમનું આગમન:કેવડિયામાં આજે સાંજે 5 વાગ્યે પીએમનું આગમન બાદ બે દિવસ રોકાણ રહેશે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરૂવારના રોજ સાંજે 5 વાગ્યે કેવડિયા ખાતે આવી પહોંચશે જયાં તેઓ બે દિવસનું રોકાણ કરશે. સાંજે 5 વાગ્યે હેલિપેડ પર આગમન બાદ તેઓ 5.10 મિનિટે નવી 25 ઇ બસોનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ 6.30 વાગે નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ નં- 1 જશે જયાં તેમના હસ્તે 1220 કરોડના ખર્ચથી વિવિધ પ્રોજેકટના ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સાંજે 6.45 વાગે કલ્ચર પોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિધાર્થીઓ દ્વારા લોહપુરુષ નાટક નિહાળશે. સાંજે 7 વાગ્યા બાદ તેઓ વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે રોકાણ કરશે. બીજા દિવસે શુક્રવારે સવારે 8.10 વાગે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાના ચરણ પર પુષ્પાજલી આપશે. સવારે 8.15 થી 10.30 સુધી રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી ભાગરૂપે પરેડ નિહાળશે અને સંબોધન કરશે. સવારે 10.45 વાગ્યે તેઓ એસઓયુ ખાતે 800થી વધારે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓને સંબોધન કરશે. કાર્યક્રમ બાદ બપોરે 12.20 વાગ્યે તેઓ કેવડિયાથી વડોદરા જશે અને વડોદરાથી બપોરે 1 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. આ પ્રોજેકટની ભેટ મળશેવોકવે ફેસ ટુ, સ્માર્ટ બસ સ્ટોપ ફેસ ટુ , પ્રોટોકોશન વોલ લેન્ડ લેવલીંગ વિયર ડેમ નજીક, સાતપુડા પ્રોટેક્શન વોલ , (કેક્ટસ નજીક ) બોન્સાઈ ગાર્ડન, ઇ બસ ચાર્જિંગ સ્ટેશન, નર્મદા ઘાટ પાર્કિંગ, નવા રહેણાંક મકાન, એપ્રૉચ રોડ મોખડી નજીક, કૌશલ્ય પથ, લીમડી ટેન્ટ સિટી એપ્રોચ રોડ ,ગાર્ડન , ટાટા નર્મદા ઘાટ નું વિસ્તરણ, ડેમ રેપ્લિકા સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેતાં હજારો પ્રવાસીઓ અટવાઇ પડયાંવડાપ્રધાનના કાર્યક્રમને અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રોજેકટ બંધ રાખવામાં આવ્યાં છે. દિવાળી વેકેશન હોવાથી હાલ કેવડિયામાં સરેરાશ 50 હજાર કરતાં વધારે પ્રવાસીઓ આવી રહયાં છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇને કેવડિયા તથા આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવતાં પ્રવાસીઓ હેરાન થઇ રહયાં છે.
આકર્ષણનું કેન્દ્ર:કેવડિયામાં 1.48 કરોડના ખર્ચથી ડેમની રેપ્લિકાનો ફાઉન્ટેન તૈયાર
કેવડિયા એકતા નગર ખાતે સહકાર ભવન નજીક 4410 ચો.મી. વિસ્તારમાં રૂ. 1.48 કરોડના ખર્ચે વિકસિત ડેમ રેપ્લિકા ફાઉન્ટેન સરદાર સરોવર ડેમના નાનાં પ્રતિરૂપ રૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જે વિસ્તારને સૌંદર્ય અને શિક્ષણ બંને સાથે જોડે છે. આ ફાઉન્ટેનનો ઉદ્દેશ્ય ડેમના ઇજનેરી ચમત્કારને ઉજાગર કરવાનો છે, સાથે સાથે પ્રવાસીઓને દ્રશ્યાત્મક રીતે આકર્ષક અનુભવ આપવાનો છે. ઝરણા જેવા બેક વોલ ફાઉન્ટેન, તેજસ્વી લાઇટિંગ, ગઝેબો, ફૂલોથી સજેલું બગીચું, બાળકો માટે રમવાનું મેદાન અને પરિવાર માટે આઉટડોર જિમ જેવી સુવિધાઓ આ સ્થળને અનોખું બનાવે છે. રાત્રે પ્રકાશિત થતું આ ફાઉન્ટેન પ્રવાસીઓને આનંદદાયક અને જ્ઞાનપ્રદ અનુભૂતિ કરાવતું નવું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ફાઉન્ટન ને ખુલ્લો મુકવામાં આવશે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
મા(વ)ઠું:આસમાનના આંસુ હજુય 4 દિવસ કચ્છના ખેતરોને ભીંજવશે
અરબ સાગરમાં સર્જાયેલા ડીપ્રેશનના કારણે કચ્છના વાતાવરણમાં છેલ્લા 4 દિવસ દિવસથી પલટો આવ્યો છે. અનેક તાલુકામાં ઝાપટા રૂપી વરસાદ થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. જો કે ખેડૂતોને હજુય 4 દિવસ હરખાવા જેવું નથી. મોસામ વિભાગની આગાહી મુજબ આગામી 2 નવેમ્બર સુધી કચ્છમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં 30થી 40 કિમી પ્રતિ કલાકમી ઝડપે પવન ફુકાશે. સાથે છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધતી જોવા મળી રહી છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. સંભવિત ખરાબ હવામાન અને દરિયાની અશાંત સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ પોર્ટ પર જોખમ સૂચવતું LC 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે, જે સૂચવે છે કે જહાજોને પોર્ટ છોડતા પૂર્વે ગંભીર હવામાન સંબંધી ચેતવણી આપે છે. કચ્છમાં એકાએક ઠંડીનું પ્રમાણ વધ્યુંકચ્છમાં ડીપ્રેશનના કારણે વાતાવરણમાં પલટો આવતા છેલ્લા 4 દિવસથી સૂર્ય નારાયણ અદ્રશ્ય થઇ ગયા છે. જેના કારણે કચ્છમાં દિવસે પણ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાનમાં 27.4 ડીગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 8.4 ડીગ્રી ઓછું હતું. એ જ રીતે કંડલામાં 27.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 7 ડીગ્રી ઓછું હતું. નલિયામાં બુધવારે 29.0 તાપમાન રહ્યું હતું જે સામાન્ય કરતા 6 ડીગ્રી ઓછું હતું.
વૃદ્ધાનું મોત:મુલુંડ પાંચ રસ્તા ખાતે બેસ્ટ બસની હડફેટે કચ્છી વૃદ્ધાનું મોત નીપજ્યું
મુલુંડ (પશ્ચિમ) વિસ્તારમાં મંગળવારે સવારે એક દુઃખદ ઘટના બની, જેમાં 81 વર્ષનાં ઉષા જમનાદાસ ખેરાણીનું બેસ્ટ બસની અડફટે ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ઉષાબેન એન.એસ. રોડ સ્થિત પ્રકાશ કુંજ ઈમારતના બીજા માળે પુત્ર ધીરેન ખેરનાની અને તેમના પરિવાર સાથે રહેતાં હતાં. કચ્છી લોહાણા સમાજના અને મૂળ મોટી વિરાણીનાં ઉષાબેન દરરોજની જેમ મંગળવારે સવારે પાંચ રસ્તા પરના બિલેશ્વર મહાદેવ મંદિર તરફ પૂજા માટે નીકળ્યાં હતાં. આ ઘટના સવારે 10.20 વાગ્યે, તેમના ઘરથી લગભગ 200 મીટર દૂર બની. તે સમયે એક બેસ્ટ બસે વધુ ઝડપે આવીને ઉષાબેનને અડફેટે લીધાં, જેના કારણે તેમના ડાબા હાથ અને ડાબા પગ પર બસ ચઢી ગઈ. ઈજાઓ ગંભીર હોવાથી તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું.અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને રાહત કામગીરી હાથ ધરી. ત્યાં હાજર રહેલા રશ્મિન કોઠારી, જે ઉષાબેનના પુત્ર ધીરેનના મિત્ર છે, તેમણે મૃતદેહની ઓળખ કરી અને ધીરેન ખેરનાનીને અકસ્માતની જાણ કરી.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બસ ડ્રાઈવર અને કંડક્ટરને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. બસને જપ્ત કરવામાં આવી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ ઝડપ, બેદરકારી કે તકનીકી ખામી તે અંગે તપાસ ચાલુ છે.આ દુર્ઘટનાએ વિસ્તારના રહેવાસીઓમાં આક્રોશ અને દુઃખનું વાતાવરણ ફેલાવ્યું છે. સ્થાનિક લોકોએ પાંચ રસ્તા વિસ્તારમાં વધતા ટ્રાફિક અને બસોની ઝડપ પર નિયત્રંણ લાવવાની માગણી કરી છે. કારણ કે થોડા દિવસ પહેલા આ જ રસ્તા પર અકસ્માતમાં એક રાહદારીનું મોત થયું હતું. ઉષાબેન બિલેશ્વર મહાદેવના ભક્ત હતાં, અને દરરોજ મંદિરે દર્શન જતાં હતાં, પરંતુ મંગળવારે બસચાલકની બેદરકારીને કારણે તેમનું મોત થયું હતું.
19 ઓગસ્ટે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારી હત્યા કરી હતી. ત્યાર બાદ સ્કૂલને લઈ DEO દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં સ્કૂલ ગેરકાયદે ઉભી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેને પગલે સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર પણ લખી દેવાયો છે. 10 હજાર વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાને લઈ આગામી દિવસોમાં સ્કૂલ સરકાર હસ્તક થઈ જાય તેવી પૂરી શક્યતાઓ છે. આગામી દિવસોમાં સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. આ અંગે DEO રોહિત ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે રીતે ઊભી થઈ છે. જેના કારણે સત્તાધીશોએ હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સરકારની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કર્યો છે. સ્કૂલના સત્તાધીશો વિરૂદ્ધ આગમી દિવસોમાં ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે. હાઇકોર્ટના આદેશ બાદ ઓફલાઇન ક્લાસ શરૂ કરાયા હતા19 ઓગસ્ટનો એ કાળો દિવસ કે જ્યારે સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા નયન સંતાણીની ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરપીણ હત્યા કરી હતી, જેના કારણે જનાક્રોશ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે હત્યા કરનાર વિદ્યાર્થીની અટકાયત પણ કરી લીધી હતી. નયનની હત્યા બાદ થોડા સમય બાદ ઓનલાઈન ક્લાસ શરૂ થયા હતા અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટેના ઓફલાઈન ક્લાસ શરૂ કર્યાના આદેશ બાદ થોડા દિવસ પહેલા સ્કૂલ ઓફલાઈન શરૂ કરી દેવાઈ છે. આ પણ વાંચો: લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, 7 મિનિટ બાદ ટિંગાટોળી કરીને રિક્ષામાં લઈ જવાયો હતો સ્કૂલની મંજૂરી મેળવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યો હતોજોકે સ્કૂલની માન્યતા અને મંજૂરી અંગે તપાસ કરવામાં આવતા અનેક ખામીઓ સામે આવી છે. એડમિશન માટે વાલીઓ પાસે સ્કૂલના સત્તાધીશો દ્વારા ડોનેશન અને વધુ ફી ઉઘરાવાતી હતી. આ સિવાય સ્કૂલ કમિટી દ્વારા ફી કમિટી સમક્ષ ફી મંજૂરી માટેની દરખાસ્તમાં રજૂ કરેલો ભાડા કરાર પણ બોગસ હોવાનું સામે આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં સેવન્થ ડે સ્કૂલ વિરૂદ્ધ કેટલીક ફરિયાદો થઈ હતી જેમાં આરોપ હતા કે, જે જગ્યાએ સ્કૂલને મંજૂરી મળી છે તેના બદલે અન્ય કોઈ જગ્યાના ભાડા કરાર દરખાસ્તમાં રજૂ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, બોક્સ કટર ભોંક્યું: નજરે જોનારનો દાવો સ્કૂલે વાલીઓ અને સરકારની આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કર્યોDEOએ સમગ્ર મામલે તપાસ કરતા ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેને લઈને આગમી દિવસોમાં સ્કૂલના સત્તાધિશો વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી શક્યતા છે. DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સેવન્થ ડે સ્કૂલ ગેરકાયદે રીતે ઊભી થઈ છે, જેના કારણે સત્તાધીશોએ હજારો આશાસ્પદ વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ સરકારની આંખમાં ધુળ નાખવાનો પ્રયાસ કર્યો છે. બોગસ એફિડેવિટ કરીને વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવવાનું કાવતરૂ ધડવામાં આવ્યુ હતું. આ સિવાય સ્કૂલ વિરૂદ્ધ ઘણા બધા પુરાવા મળ્યા છે. સ્કૂલના સત્તાધીશો વિરૂદ્ધ આગમી દિવસોમાં ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે. આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક કરવા શિક્ષણ વિભાગને પત્રવિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કરીને સત્તાધીશોએ ગેરકાયદે રીતે સ્કૂલ ઉભી કરી દીધી હતી. હાલ સ્કૂલનો તમામ વહીવટ સરકાર હસ્તક લઈ લેવા માટે શિક્ષણ વિભાગને પત્ર લખી દેવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં સ્કૂલનો તમામ વહિવટ સરકાર હસ્તક જતો રહે તેવી શક્યતા છે, જ્યારે સત્તાધીશો વિરૂદ્ધ ગુનો નોંધાય તેવી પણ શક્યતાઓ નકારી શકાતી નથી. શું હતી ઘટના?અમદાવાદમાં 19 ઓગસ્ટને મંગળવારે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી નજીવી બાબતમાં ધો-10ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટને બોક્સ કટર મારી દીધું હતું. ત્યાર બાદ 20 ઓગસ્ટને બુધવારની સવારે મણિનગરની હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું, જેને પગલે બાળકનાં પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર મારી તોડફોડ કરી હતી. આ ઉપરાંત સ્કૂલે દોડી આવેલા 2000 જેટલા લોકોએ 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી, એટલે કે 4 કલાક સ્કૂલ આસપાસના વિસ્તારને બાનમાં લીધા હતા. ઉલ્લેખનીય છે કે સગીર આરોપી વિદ્યાર્થી શાહઆલમનો રહેવાસી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે એટલે કે, 30 ઓક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટઆવતીકાલે 31 ઓક્ટોબરના રોજ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવા વરસાદની આગાહીહવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે અને પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયામાં 800 કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરવાના છે. જે પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન થશે તેમાં 3 મ્યૂઝિયમ પણ છે. આ ત્રણ મ્યુઝિયમ એટલે ગુજરાત વંદના મ્યૂઝિયમ, વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમ અને મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા એટલે કે મોરકી મ્યૂઝિયમ. મોરકી મ્યૂઝિયમ રજવાડાનું મ્યૂઝિયમ છે. સરદાર પટેલની પ્રતિમાની પાછળની તરફ મોરકી મ્યૂઝિયમ બનશે. જેની એક્સક્લૂસિવ તસવીરો દિવ્ય ભાસ્કર પાસે છે. દિવ્ય ભાસ્કરે 12 ઓક્ટોબરે જ અહેવાલ પ્રસિદ્ધ કરીને કહ્યું હતું કે PM મોદી કેવડિયામાં રજવાડાના મ્યૂઝિયમનું ખાતમુહૂર્ત કરશે. કેવડિયામાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવાયું ત્યાર પછી રાજપૂત સમાજે રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવાની માંગ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 વર્ષ પહેલાં કેવડિયામાં જ એવી જાહેરાત કરી હતી કે અહીં રજવાડાનું મ્યૂઝિયમ બનશે. જો કે એ પછી કોઇ કાર્યવાહી નહોતી થઇ પણ હવે PM મોદી આજે તેનું ખાતમુહૂર્ત કરવાના છે. કેવડિયાના લીંબડી ગામે રજવાડાનું મ્યૂઝિયમ બનશેરજવાડાનું મ્યૂઝિયમ કેવડિયાના લીંબડી નામના ગામમાં આવેલી 5.5 એકર જમીન પર બનશે. જ્યાંથી સરદાર પટેલનું સ્ટેચ્યૂ સ્પષ્ટપણે જોઇ શકાશે. આ જગ્યા સરદાર પટેલના સ્ટેચ્યૂની પાછળની તરફ આવેલી છે. મ્યુઝિયમમાં રજવાડાઓ અને તેમના શાહી વારસાનો પરિચય હશે. રજવાડાઓના એકીકરણની વાત અને તેમાં સરદાર પટેલની ભૂમિકા અંગેનું પ્રદર્શન પણ હશે.'હોલ ઓફ યુનિટી' દ્વારા અગાઉના રજવાડાઓનું યોગદાન પણ બતાવવામાં આવશે. 5 ગેલેરીમાં રજવાડાની માહિતીથી માંડીને કેફે હશેમ્યૂઝિયમમાં કુલ 5 ગેલેરી હશે. આ 5 ગેલેરીમાંથી 4 ગેલેરી કાયમી હશે. જ્યારે એક ગેલેરી ટેમ્પરરી હશે. આ ગેલેરીનો વિસ્તાર 3077 ચોરસ મીટર હશે. જો ગેલેરી પ્રમાણે સમજીએ તો પહેલી ગેલેરીમાં રજવાડા વિશેની માહિતી અને વર્ગીકરણ હશે. બીજી ગેલેરીમાં રાજાઓનું જીવન અને તેમના રીત રિવાજો અને રાજ્ય સંરક્ષણની વાતો હશે. ત્રીજી ગેલેરીમાં ભારતના એકીકરણનો ઇતિહાસ, બ્રિટિશરોનું સામ્રાજ્ય, સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનની માહિતી હશે. જ્યારે ચોથી ગેલેરીમાં રજવાડાના બલિદાનની કહાનીઓ, મ્યૂઝિયમમાં યોગદાન આપનારા લોકોનો ઉલ્લેખ હશે. પાંચમી ગેલેરી રિસેપ્શન અને લોબી સાથે કનેક્ટેડ હશે. તેને ચિલ્ડ્રન ગેલેરી નામ અપાશે. પાંચમી ગેલેરી પાસે મ્યૂઝિયમ શોપ અને મ્યૂઝિયમ કેફે પણ હશે. 250 વર્ષોનો ઇતિહાસ હશેમ્યૂઝિયમમાં વર્ષ 1700 થી લઇને 1950 સુધીના રાજવી પરિવારોના અને રજવાડાઓના એકત્રીકરણના ઇતિહાસને વર્ણવવામાં આવશે સાથે જ સરદાર પટેલે રજવાડાઓને એક કરવામાં ભજવેલી ભૂમિકા પણ હશે.એકીકરણ વખતે રજવાડાઓએ સરકારને જે-જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા તે ઓરિજનલ ડોક્યુમેન્ટ્સનું ડિજિટલ સ્વરૂપે પ્રેઝન્ટેશન પણ અહીં જોવા મળશે. આ મ્યુઝિયમમાં માત્ર ડિજિટલ જાણકારી નહીં હોય એની સાથે ફિઝિકલ વસ્તુઓ પણ મૂકવામાં આવશે. 2027માં પ્રોજેક્ટ પૂરો થશેરજવાડાઓના ઇતિહાસ અને મહાનતાને દર્શાવતું આ મ્યૂઝિયમ કુલ 367 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર, 2027 પહેલાં પૂરો કરવામાં આવશે. રજવાડાના મ્યૂઝિયમનું કામ કોને સોંપાયું?પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચરનું કામ રતનજીવ બાટલી બોય નામની કંપની કરશે. જ્યારે મ્યૂઝિયમમાં મુકાનારા કન્ટેન્ટનો પ્રોજેક્ટ બકુલ રાજ મહેતા એસોસિયેટ્સને સોંપાયો છે.પ્રોજેક્ટના મેનેજમેન્ટનું કામ ini ડિઝાઇન સ્ટુડિયોને સોંપવામાં આવ્યું છે. મ્યૂઝિયમની વિઝિટ ફી અંગે હજુ સુધી કોઇ નિર્ણય નથી લેવાયો. સરકારી અધિકારીઓ રાજવી પરિવારોને મળ્યા હતામ્યુઝિયમના પ્રોજેક્ટ દરમિયાન સરકારી અધિકારીઓએ મોટાભાગના રાજવી પરિવારો સાથે મુલાકાત કરી હતી.આ મુલાકાત દરમિયાન મ્યૂઝિયમમાં શું-શું હોવું જોઇએ તેનો અભિપ્રાય પણ રાજવી પરિવારો પાસેથી મગાયો હતો.ઉપરાંત મ્યૂઝિયમમાં રાખવા માટે રાજવી પરિવારો કઇ-કઇ વસ્તુઓ આપી શકે છે તે જાણકારી પણ મેળવી હતી. ગુજરાત વંદના મ્યૂઝિયમપ્રવાસીઓની સુવિધા માટે 100 કરોડ રૂપિયાના ખર્ચે ગુજરાત વંદના મ્યૂઝિયમ બનશે. જેમાં વિઝિટર સેન્ટર પણ હશે. વીર બાળ ઉદ્યાન મ્યૂઝિયમઆ મ્યૂઝિયમમાં પૌરાણિક બાળ વીરોની ગાથા જોવા મળશે. 9 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા આ મ્યૂઝિયમમાં બાળ વીરોની ગાથા અલગ અલગ સ્વરૂપે રજૂ કરાશે. માર્ચ-2026માં આ મ્યૂઝિયમનું કામ પૂરૂં થશે.
મેરિટ:વિદ્યાસહાયક ખાસ ભરતી ધો.6 થી 8 ભાષા વિષયોનું બીજા તબક્કાનું મેરિટ જાહેર
કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - 2025 (ધોરણ - 6 થી 8 ગુજરાતી માધ્યમ) તા.08/05/2025ની જાહેરાતના ઉમેદવારો માટે બીજા તબક્કાનું ફાઈનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેમને કોલ-લેટર મેળવવા માટે સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોએ પોતાના કોલ લેટર વેબસાઈટ ઉપરથી ઓનલાઈન મેળવી લેવાના રહેશે. કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશીયલ ભરતી - 2025 (ધો. 6 થી 8 ગુજરાતી માધ્યમ) વિષયના અનામત / બિન અનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ કેટેગરી સામે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો ઓન-લાઈન કોલ-લેટર મેળવી શકશે. આ ઉમેદવારોને તા.01/11/2025 ના જિલ્લા પસંદગી માટે ગાંધીનગર બોલાવેલ છે. વિષય વાઇઝ મેરિટ જોઈએ ગુજરાતી વિષયમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 63.9825, હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરીમાં 61.5119 જ્યારે અનુસૂચિત જનજાતિ માં 61.0631, અંગ્રેજી વિષયમાં અનુસૂચિત જાતિ 68.0714 જ્યારે અનુસૂચિત જનજાતિમાં 64.6252 તેમજ સંસ્કૃત વિષયમાં અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 61.7236 ટકાએ મેરિટ અટક્યું છે. ભાષા-હિન્દી વિષયમાં બિન અનામત કેટેગરીમાં બોલાવેલ ઉમેદવારોમાં અનુસૂચિત જાતિ (SC), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે નબળા વર્ગો (EWS) પૈકી જે ઉમેદવારો બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતાં નથી તેઓના કોલલેટર મુકવામાં આવેલ નથી. કારણ કે તેઓની કેટેગરીમાં ખાલી જગ્યાઓ ઉપલબ્ધ નથી. જેની ઉમેદવારોને નોંધ લેવા જણાવાયું છે. આ સાથે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી જ ઓન-લાઈન કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. તેમજ ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દ૨૨ોજ આ વેબસાઈટ જોવા સૂચના આપવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સિટી એન્કર:સ્ટ્રોક હવે વડીલો જ નહીં યુવાનોને પણ ઝડપથી પ્રભાવિત કરે છે, કોલેસ્ટ્રોલ, આલ્કોહોલ જવાબદાર
ભુજની અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબોએ વિશ્વ સ્ટ્રોક દિવસ(૨૯ ઓકટો) નિમિત્તે કહ્યું કે, એક જમાનામાં બ્રેઇન સ્ટ્રોક વડીલોની સમસ્યા હતી, પરંતુ આજે બિન આરોગ્યપ્રદ ખાણીપીણી, સતત ટેન્શન, અને ખાસ કરીને અસ્પષ્ટ જીવનશૈલીને કારણે વૃધ્ધોની સાથે યુવાનોમાં પણ સ્ટ્રોકનું જોખમ વધ્યું છે. ગેઈમ્સના મેડિસિન વિભાગ ના ડો. દેવિકા ભાટે સ્ટ્રોક, તેના લક્ષણો અને બચાવના ઉપાય અંગે જણાવ્યું કે, સ્ટ્રોક એ મગજની ગંભીર બીમારી છે. સ્ટ્રોક ત્યારે આવે છે જ્યારે મગજના એક ભાગમાં રક્તનો પ્રવાહ પહોંચતો નથી પરિણામે ઓક્સિજન પણ પહોંચી શકતું નથી જેથી લકવો અર્થાત્ પેરેલેસિસ થાય છે. સ્ટ્રોકને કારણે બોલવાની સમસ્યા સર્જાય છે, એટલું જ નહીં ક્યારેક જીવલેણ પણ બની શકે છે. બોલવા ઉપરાંત ચહેરાનો એક ભાગ પણ આ અસરથી પ્રભાવિત થાય છે. એક હાથ સુન્ન થઈ જાય છે.ગંભીર શિરદર્દ,ચકકર અને સંતુલન ગુમાવવું વિગેરે જણાય તો દર્દીને તુરંત અસરગ્રસ્તોને હોસ્પિટલ પહોંચતા કરવામાં જ શાણપણ છે. મેડિસિન વિભાગના અન્ય તબીબો ડો. કશ્યપ બુચ અને ડો. યેશા ચૌહાણે આપેલી માહિતી મુજબ આ જોખમ જીવનશૈલીની જેમ આનુવંશિક પણ હોય છે. જોકે પારિવારિક ઇતિહાસ અને આનુવંશિક લક્ષણો બદલી નથી શકાતા, પરંતુ કેટલીક બાબતો વ્યક્તિના નિયંત્રણમાં હોય છે, જેમ કે હાઈ બી.પી ડાયાબિટીસ, ઉચ્ચ કોલેસ્ટ્રોલ, ધુમ્રપાન, આલ્કોહોલ, સ્થૂળતા, હૃદય રોગ. પણ જવાબદાર હોય છે.જેની તપાસ અને સારવાર કરાવી નિયંત્રિત કરી શકાય છે. બ્રેઈન સ્ટ્રોકથી બચવા નિયમિત તપાસ અને જરૂર જણાયતો નિયમિત દવા લેવી. ફળ,શાકભાજી,આખું અનાજ લેવું જ્યારે ખાંડ, નમક અને તળેલાં ખોરાકથી દૂર રહેવું, નિયમિત વ્યાયામ,ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું, વજન નિયંત્રણમાં રાખવું, ટેન્શનથી દૂર રહેવું અને નિયમિત સ્વાસ્થ્ય તપાસ કરાવવી તેવી સલાહ તબીબોએ આપી હતી.
મતદારયાદીની ચકાસણી:4 નવેમ્બરથી કચ્છમાં બીએલઓ ઘેર ઘેર જઈને મતદારયાદીની ચકાસણી શરૂ કરશે
ચૂંટણી પંચે ગુજરાત સહીત દેશના 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી હતી. SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, તેનો ઉદેશ્ય મતદાર યાદીમાં નામોની ચોકસાઈ સુનિશ્ચિત કરવાનો છે. જેમાં ઉમેરાઓ, નામ કાઢવા નાખવા, સુધારા અને ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. મૃત વ્યક્તિઓના નામ, ડુપ્લિકેટ એન્ટ્રીઓ, અધૂરી માહિતીઓને દુર કરીને નવી માહિતી દાખલ કરવામાં આવશે. કચ્છમાં 1848થી વધુ બુથ લેવલ ઓફિસરની નિમણુક પહેલા જ કરી દેવામાં આવી હતી. ચુંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાગુ કર્યો છે, જેમાં 4 નવેમ્બરથી બીએલઓ મતદારોના ઘરે જઈને મતદાર યાદીની વેરીફીકેશન કરશે, જેમાં મૃત, ડુપ્લિકેટ, સ્થળાંતરિત અને અયોગ્ય નામો કાઢી નાખવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન BLOs ફોર્મ 6, 7 અને 8 દ્વારા અરજીઓમાં નવા ઉમેરશે. જો કોઈ મતદાર અપીલ કરવા માંગે છે, તો તેઓ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે અપીલ કરી શકે છે. જો તેઓ પરિણામોથી સંતુષ્ટ ન હોય, તો તેઓ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને પણ અપીલ કરી શકે છે. ચૂંટણી પંચ ઘરે-ઘરે જઈને નવી મતદાર યાદી તૈયાર કરીને મતદાર યાદીનું વ્યાપક સુધારો કરશે. હાલની મતદાર યાદીઓનો સંપર્ક કર્યા વિના, ગણતરીદારો ચોક્કસ તારીખે લાયક મતદારોની યાદી તૈયાર કરવા માટે દરેક ઘરની મુલાકાત લે છે. આ સુધારો ત્યારે કરવામાં આવે છે જ્યારે કમિશન તારણ કાઢે છે કે હાલની મતદાર યાદીઓ સંપૂર્ણપણે બદલવાની જરૂર છે અથવા ખોટી છે.
રન ફોર યુનિટી:ભુજમાં કાલે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાશે
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે તા. 31/10ના ભુજ ખાતે સવારે 8 કલાકે આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની ઉજવણીને લઈને કલેક્ટર આનંદ પટેલે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડીને નાગરિકો, એનજીઓ, સરકારી સંસ્થાઓને સહભાગી બનાવવા જણાવ્યું હતું. આર.ડી.વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે. આયોજનમાં નગરપાલિકા, શાળાઓ-કોલેજના વિદ્યાર્થીઓ, સરકારી કચેરીઓ, એનજીઓ વગેરે સામેલ થશે.
મંજૂરી:ભુજના કોડકી ગામના બાયપાસ રોડને સરકારે આપી સૈદ્ધાંતિક મંજૂરી
ભુજ શહેરની ભાગોળે આવેલા કોડકી ગામમાંથી પસાર થતા ભારે વાહનોથી પરેશાન ગ્રામજનોને હવે ટૂંક સમયમાં છુટકારો મળશે. તાજેતરમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલની રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ તાત્કાલિક કોડકી ગામના બાયપાસની સૈધ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. કોડકી ગામમાં ઘણા સમયથી ભારે વાહનોની અવરજવર થવાથી લોકોને હેરાન કરતી હતી તેવી રજૂઆતને પગલે ધારાસભ્ય સત્તાવાર પ્રવાસે ગયા હતા તે વખતે આગેવાનો અને ઉપસ્થિત લોકોને હૈયા ધારણા આપી હતી કે તાત્કાલિક બાયપાસ માટે નિર્ણય લેવાશે. કાંકરી, રેતી, પથ્થર જેવા બાંધકામના મટીરીયલ ભરીને ટ્રકો દિવસભર ગામની વચ્ચેના સાંકડા માર્ગ પરથી પસાર થાય છે, માટે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય સતત રહે છે. ગ્રામજનોની આ રજૂઆતને અનુલક્ષીને તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્ન રજૂ કરાયો હતો અને બાયપાસ મંજૂરીની માંગ કરી હતી. તેને પગલે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કેશુભાઈએ જણાવ્યું હતું કે, બાયપાસ માર્ગ કોડકી હનુમાનજી મંદિરની ઉગમણી તરફથી નીકળશે. તેનાથી વર્ષો જૂનો પ્રશ્નનો ઉકેલ આવશે. વધુમાં ઉમેર્યું હતું કે કચ્છના વિકાસના કોઈપણ પ્રશ્નને મુખ્યમંત્રી ખાસ કાળજી લઈને ત્વરાએ નિર્ણય લે છે. થોડા સમય અગાઉ જ ભુજના સુખપર થી શેખપીર હોય કે કેરા બળદિયાના નારાણપર બાયપાસ જેવા માર્ગોને બહાલી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ભુજથી રતિયા અને છેક કોડકીની સીમ સુધી શહેરના સીમાડા વિસ્તર્યા છે અને નવી વસાહતો, બાંધકામો થઈ રહ્યા છે, ત્યારે કોડકી બાયપાસ માર્ગ એક મહત્વનું કદમ બની રહેશે.
ચોમાસા દરમિયાન કચ્છના અનેક માર્ગો ખરાબ થઈ ગયા. જિલ્લા મથક ભુજથી મુન્દ્રા રોડ, ભુજ થી નખત્રાણા, ખાવડા, અને જે હાઈ સ્પીડ કોરિડોર બનવાનો છે તે ભુજ–ભચાઉ માર્ગ પર ખાડા થઈ જતા પ્રવાસીઓએ રૂટ બદલાવ્યા છે. ચોમાસુ વિદાય લેતા નવરાત્રી આસપાસ મુખ્યમંત્રીની ટકોર બાદ રીપેરીંગના કામ થયા પરંતુ એ જ રસ્તા પર મીઠાના ઓવરલોડ વાહનો સતત પસાર થતા હોવાથી ફરીથી તૂટી જાય છે. પ્રવાસીઓને સ્પર્શે છે તે મુખ્ય ચાર રસ્તામાંથી જેનો સૌથી વધુ લોકો કચ્છ બહારથી માલિકીના વાહન દ્વારા આવતા ટુરિસ્ટ વપરાશ કરે છે તે ભુજ–ભચાઉ માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી ઠેર ઠેર ડાઇવર્ઝન અને જુના રસ્તા પર વરસાદમાં ખાડા પડી જવાથી ખૂબ ખરાબ થયો છે. માટે બહારથી આવતા પ્રવાસીઓને ખ્યાલ ન હોય પરંતુ પરત જતી વખતે ભુજ–અંજાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ થઈને ભીમાસર થી ભચાઉ નીકળી જાય છે. તે જ રીતે ભુજથી ધોરડો જતી વખતે ઉપયોગમાં લેવાતો ભુજ–ખાવડા રોડ પણ રીપેરીંગ થયા બાદ હજુ અનેક જગ્યાએ ખાડાઓ છે. વડોદરાથી પરિવાર સાથે ગાડીમાં આવેલા ચિરાગ શિંદે જણાવે છે કે અમે ઓછામાં ઓછા બે કલાક કચ્છમાં ખરાબ રસ્તાઓને કારણે મોડા ચાલીએ છીએ. અગાઉ બે વખત આવવાનું થયું ત્યારે આવા ખરાબ રસ્તા નહોતા. માર્ગોનું ધોવાણ થયું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ (રાજ્ય)ના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે વરસાદી માહોલ છે, માટે બે દિવસ બાદ બાકી રહેલું રીપેરીંગનું કામ એજન્સી પાસેથી કરાવવામાં આવશે. બીજી તરફ ધોરડો થી હાજીપીર અને હાજીપીર થી દેશલપરની સડક તદન ખરાબ હોવાથી પ્રવાસીઓને ખ્યાલ ન હોય તે આ માર્ગથી જીપીએસના માર્ગદર્શન મુજબ નીકળે છે પરંતુ ગાડી ફસાઈ જવા સુધીના દાખલા બન્યા છે. હજુ બે મહિના પ્રવાસીઓને અવરજવર રહેશે ત્યારે રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના કમસેકમ ખાડાઓ પણ પુરાઈ જાય તો હેરાનગતિમાં ઘટાડો થાય તેવું રાજકોટથી આવેલા જયસુખભાઈ મણીયારે જણાવ્યું હતું. આ માર્ગથી જીપીએસના માર્ગદર્શન મુજબ નીકળે છે પરંતુ ગાડી ફસાઈ જવા સુધીના દાખલા બન્યા છે. હજુ બે મહિના પ્રવાસીઓને અવરજવર રહેશે ત્યારે રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગના કમસેકમ ખાડાઓ પણ પુરાઈ જાય તો હેરાનગતિમાં ઘટાડો થાય તેવું રાજકોટથી આવેલા જયસુખભાઈ મણીયારે જણાવ્યું હતું. પેકેજ બુક કરાવતી વખતે પ્રવાસીઓ માર્ગની પરિસ્થિતિ પૂછે છેસામાન્ય રીતે પ્રવાસીઓ જે જગ્યાએ ફરવા જાય છે ત્યાંની હોટલ અને વાતાવરણ અંગે પૂછતાછ કરે છે પરંતુ કચ્છના માર્ગોની હાલત પ્રવાસીઓના અનુભવ અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા સમગ્ર રાજ્યમાંથી આવતા ટુરિસ્ટને પણ ખ્યાલ હોવાથી પેકેજ બુકિંગ કરાવતી વખતે કયા રસ્તે આવવું અને કઈ સડક સારી છે તે પણ પુછા કરે છે. રાજકોટના ટ્રાવેલિંગ એજન્ટ નરેશભાઈ જણાવે છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ રસ્તાઓ ખરાબ છે પરંતુ ફરવાના સ્થળ સુધી જવા માટેના કચ્છના માર્ગો ખરાબ છે તેવા અન્ય નથી.
બદલી:પોલીસ કંટ્રોલ રૂમમાંથી 20 પોલીસ કર્મીઓની બદલી
પોલીસ દ્વારા સહાયતા માટે નવો નંબર ગાંધીનગરથી 112 કાર્યરત થયો છે.પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર ઉપર કોલનું ભરણ ઘટયું છે. 20 પોલીસ કર્મીની શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં બદલી કરાઈ છે. પોલીસ કર્મીઓને બદલીના સ્થળી યાદી નામ ક્યાંથી ક્યાં તાત્કાલિક ચાર્જ છોડી બદલી કરાયેલા સ્થળે હાજર રહેવા સૂચના અપાઈ
ભાસ્કર ઈનસાઈડ:બાળકને કચડનાર નીતિનના માનવ વધમાં રિમાન્ડ ન માગ્યા, દારૂમાં માગતાં પ્રશ્નાર્થ
શહેરમાં નવા વર્ષની આગલી રાત્રે નશામાં ચુર નીતિન ઝાએ પુરપાટ કાર હંકારી ફુટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારના ચાર વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. સાપરાધ માનવ વધના ગુનામાં પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી. જ્યારે પ્રોહિબીશનના ગુનામાં રિમાન્ડ માગતા કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરી રિમાન્ડ નામંજૂર કર્યા હતા. અવધૂત ફાટક પાસે ફુટપાથ પર સુતેલા મારવાડી પરિવારના 4 વર્ષના માસુમ નીતિનનું અકસ્માતમાં મોત નિપજાવનાર નીતિન ઝા સામે સાપરાધ માનવ વધ, હિટ એન્ડ રન સહિતની કલમો ઉમેરી કોર્ટમાં રજુ કર્યો હતો. રિમાન્ડ ન માગતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલાયો હતો. ત્યારબાદ પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી 3 દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટે પોલીસને સવાલ કર્યા હતા કે, જામીન લાયક ગુનો છે, તો રિમાન્ડની માંગણી કેમ કરો છો? સિબિલ સ્કોર ખરાબ હોવાથી પત્નીને ગિફ્ટમાં કાર આપવા મિત્રની પત્નીના નામે લોન લઇ ખરીદીઆરોપી નીતિન ઝાની પત્નીનો ઓગસ્ટમાં જન્મ દિવસ હતો. ગિફ્ટમાં કાર આપવા તેણે લોનનું કામ કરતી મિત્રની પત્ની અર્પિતા નીરવ સુરતીનો સંપર્ક કર્યો હતો. સિબિલ સ્કોર યોગ્ય ન હોવાથી લોન નામંજૂર થઈ હતી. અંતે અર્પિતાને નામે લોન લઈ આપવા આગ્રહ કરતા અર્પિતા સુરતી તૈયાર થઈ હતી. કાર લઇ તેમાં જ દારૂ પીધો હતો. વધુ તપાસ માટે રિમાન્ડ માગ્યાઃ પીઆઇનશામાં કાર ચલાવી અકસ્માત કરી બાળકનું મોત નિપજાવનારનો જેલમાંથી કબજો મેળવ્યો હતો. તે દારૂ ક્યાંથી લાવ્યો, કોની સાથે પીધું? એની તપાસ માટે જેલમાંથી કબજો લઇ રિમાન્ડની માંગ અદાલતે નામંજૂર કરી છે. > સી.એફ.રાઠોડ, પીઆઇ, રાવપુરા
ધમકી:દુષ્કર્મની ફરિયાદી મહિલાને આરોપીના પરિવારની કેસ પાછો ખેંચવાની ધમકી
યુવકે બે વર્ષ લિવઇનમાં રહી લગ્નની લાલચે મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. ફતેગંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર યુવકની ધરપકડ કરી હતી. જેનાથી આરોપીના ઉશ્કેરાયેલા પરિવારજનોએ મહિલાને ફરિયાદ પાછી ખેંચવા ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનેલી મહિલાએ કરી છે. નવાયાર્ડની સૂર્યનારાયણ સોસાયટીમાં રહેતા હિતેશ રણછોડભાઈ મારવાડીએ લગ્નની લાલચે મહિલા સાથે લિવઇનમાં રહ્યો હતો. મહિલાએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, જીમમાં હિતેશ મારવાડીએ લગ્નની ખાતરી આપી લિવઇનમાં રહ્યો હતો. જો કે યુવકની ધરપકડ બાદ તેના માતા-પિતા અને બહેને મહિલાના નિવાસસ્થાને જઇ ફરિયાદ પાછી ખેંચી લેવા દબાણ કરી ધમકી આપી હતી. મહિલાએ પોલીસ કમિશનરને ધમકીની લેખિત ફરિયાદ કરી છે.
છેતરપિંડી:વેમાલીની વિઝા કન્સલ્ટન્સીને ફિનલેન્ડના બોગસ જોબ લેટર મોકલી 23 લાખ ઠગ્યા
વેમાલીની વિઝા કંસલ્ટન્ટને ત્રણ ભેજાબાજોએ મળી ચાર ક્લાઇન્ટના ફિનલેન્ડના બોગસ જોબ ઓફર લેટર મોકલી રૂ.23.22 લાખ પડાવી લીધા હતા. ત્યારે આ મામલે બાપોદ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. વેમાલી ગામ ગુરુદેવ વાટીકામાં રહેતા ભાવેશ વિનોદચંદ્ર શાહ સલાટવાડામાં વાહનના સ્પેર પાર્ટ્સની દુકાન ચલાવે છે. તેમના પત્ની પુનમબેન ઉમા ચાર રસ્તા પાસે એડયુવર્લ્ડ ઓવરસીસના નામે વિઝા કંસલ્ટન્સીનું કામ કરે છે. જુલાઈ 2024માં પુનમબેન પર અટલાદરા બંસી રેસિડેન્સના અજયસિંહ રણજીતસિંહ ઠાકોરે હું અજયસિંહ ફ્રોમ દુબઈ, તેવો મેસેજ ક્રયો હતો. તેને કહ્યું હતું કે, મારી ભાવનગર અને દુબાઈમાં એબી માઇન્ડ્સ ક્લિયરિંગ સર્વિસ નામે ઓફિસ છે. અમે યુરોપ તથા યુકેના વર્ક પરમીટનું કામ કરીએ છીએ. ત્યારે પુનમબેને અજયને ચાર વ્યક્તિના યુરોપ અને બેના યુકેના વર્ક પરમિટનું કામ સોંપ્યું હતું. તેને કુલ રૂ.40 લાખમાં નક્કી કરાયા હતા. પુનમબેને પહેલાં ચાર વ્યક્તિના વર્ક પરમિટનું કામ આપ્યું હતું. અયજે તેના પાર્ટનર કલ્પેશસિંહ કનકસિંહ ગોહિલ(રહે, ભાવનગર)ને રૂપિયા મોકલવાનું કહ્યું હતું. જેથી તેના ખાતામાં રૂ.9.70 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ અજયે કહ્યું હતું કે, હિરલબેન કૌશલકુમાર જાની(રહે,ખેડા) હાલ દુબઈ રહે છે. તે ઓફર લેટરનું કામ કરે છે. જેથી પુનમબેનની હિરલ સાથે વાત થઈ હતી. હિરલે ફિનલેન્ડના જોબ ઓફર લેટર મોકલ્યા હતા. ત્યારબાદ અજયનો સાગરીત મેહુલ સોલંકી પુનમબેન પાસેથી રૂ.2.64 લાખ લઈ ગયો હતો. સાથે જ પુનમબેને રૂ.2.56 લાખ અમદાવાદના રાજુભાઈને સાધના ટોકિઝ નજીક આવેલા પી.એમ.આંગડિયા મારફતે મોકલ્યા હતા. વિઝાને લઈ પુનમબેને કુલ રૂ.23.22 લાખ ચૂકવ્યા હતા. પુનમબેનના ક્લાઇટોને કોન્સેપ્ટમ લોજિસ્ટિક્સ(ફિનલેન્ડ) ઓય લી. કંપનીના જોબ ઓફર લેટર મોકલયા હતા. જોકે તે તમામ જોબ લેટર બોગસ હોવાની જાણ થઈ હતી. ત્યારે આ મામલે બાપોદ પોલીસે ત્રણ જણા સામે છેતરપિંડીનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
સુનાવણી:ભાયલીના ગેંગ રેપની સુનાવણી, 2 સાક્ષીઓને તપાસવામાં આવ્યા
ભાયલીનાં ચકચારી ગેંગ રેપ કેસમાં અદાલતમાં સુનાવણી યોજાઈ હતી. બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. વધુ સુનાવણી 6 નવેમ્બરે થશે. 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીમાં જ ભાયલીમાં ગેંગ રેપની ઘટના બની હતી. જેમાં 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા . મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ સુબેદાર બંજારા, શાહરૂખ કિસ્મતઅલી બંજારા, સૈફ મહંમદઅલી બંજારા અને અજમલ સત્તારઅલી બંજારા આરોપી હતા. જેમાં 6 હજાર પાનાની ચાર્જશીટ મુકાઇ હતી. ચાર્જશીટ તૈયાર કરવા ખાસ સરકારી વકિલ સુરતના મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલા અને વડોદરાનાં સિનિયર વકીલ શૈલેષ પટેલ, મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઈની પણ મદદ લીધી હતી. પીડિતાનો મેડિકલ રિપોર્ટ, તેનું, તેના સગીર મિત્રનું તથા તેની માતાનું નિવેદન, પાંચ આરોપીનો મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ, કોલ ડીટેલ, તૂટેલા ચશ્મા, આરોપીઓનાં ડીએનએ રિપોર્ટ પુરાવા તરીકે ચાર્જશીટમાં મૂક્યા હતા. બુધવારે 29 ઓક્ટોબરે આ મામલાની સુનાવણી થઈ હતી. જેમાં પીડિતાને લઈ સ્થળ ઉપર પંચનામુ કરવા ગયેલી મહિલા પો.કર્મી અને આરોપીઓના મોબાઇલ કબ્જે કરતા સમયે પાંચમાં હાજર બે સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા.
મોકડ્રિલ:રિફાઇનરીમાં હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ લીકેજથી ઈમરજન્સીનું મોકડ્રીલ
ગુજરાત રિફાઈનરી દ્વારા 16 ઓક્ટોબર 2025ના રોજ જિલ્લા તંત્ર સાથે સંકલનમાં રહીને સફળતાપૂર્વક લેવલ–3નું ઑફસાઇટ મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાઈડ્રોજન સલ્ફાઈડ લીક થયાનો મેસેજ મળતા જ મોકડ્રિલ જિલ્લા તંત્ર, જિલ્લા ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્ય વિભાગ , ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રૂપ વડોદરા સાથેના સંકલનથી યોજાઈ હતી. આ અભ્યાસમાં એનડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જીએસએફસી, ઈમરજન્સી કંટ્રોલ રૂમ જેવા મ્યુચ્યુઅલ એઈડ પાર્ટનર્સ સહિતની બાહ્ય એજન્સીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. મૉક ડ્રિલ બાદ ડીબ્રીફિંગ વડોદરા ગ્રામ્ય એસડીએમ ઐશ્વર્યા દુબે દ્વારા કરવામાં આવ્યું હતું, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રિફાઈનરી હેડ બિપ્લબ બિસ્વાસ તથા ડેપ્યુટી ડિરેક્ટર એ.વી. ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. 11 નવેમ્બર,2024ના રોજ વડોદરાના કોયલી ખાતેની આઈઓસીએલ રિફાઇનરીમાં બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે ગુજરાત રિફાઈનરી તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર આ પ્રકારની મોકડ્રિલનું આયોજન કરવામાં આવતું હોય છે. જે સ્થળ પર હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ લીક થયો હોય તો તે સ્થળથી દૂર જતું રહેવું જોઈએટેકનોલોજી ફેકલ્ટી હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ ની દુર્ગંધ ખુબ જ તીવ્ર હોય છે. જેની સ્મેલ ડુંગળી અને લસણ જેવી હોય છે. આ દુર્ગંધ માણસ સહન કરી શકે તેમ નથી હોતો. જો વધુ પડતો ગેસ શ્વાસમાં જતો રહે તો શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ ઉપરાંત ગભરામણ પણ થતી હોય છે. જ્યારે જે સ્થળ પર હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ લીક થયો હોય તો તે સ્થળથી દુર જતું રહેવું જોઈએ. જો આમ ન કરી શકાય તો ભીના પોતા નાક અને મોઢા પર મુકવા જોઈએ જેથી આ ગેસની અસર ઓછી થાય છે. હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ લીકેજ થતા જ એલર્ટ મળ્યું અને ટીમો સક્રિય થઈગુજરાત રીફાઈનરીમાં આવેલા એસઆરયુ-3 યુનિટમાં હાઈડ્રોજન સલ્ફાઈડ ગેસ લીકેજ થયાનું એલર્ટ મળતા જ રિફાઈનરીએ તાત્કાલીક ઈમરજન્સી રિસ્પોન્સ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સક્રિય કર્યું હતું. દરમિયાન ગેસ રિફાઈનરીની બહાર ઓએનજીસી ટર્મિનલ અને નજીકના ગામ તરફ પણ પ્રસરી ગયો હતો. પાણીનો મારો તેમજ સ્પ્રે અને સ્પ્રિંકલર દ્વારા ગેસની ઘનતા ઘટાડવા અને તેને નિયંત્રીત કરવાની કાર્યવાહી કરી હતી. જ્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં જિલ્લા તંત્ર દ્વારા લેવલ–3 ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બીજી એજન્સીઓને પણ સક્રિય કરી આસપાસના વિસ્તારોને ખાલી કરવાની પ્રક્રિયા મોકડ્રિલમાં યોજી હતી.
ભાસ્કર ઈનસાઈડ:કોમર્સ ફેકલ્ટીમાં એક લાખ ઉત્તરવહી ચકાસનાર અધ્યાપકોને રુ.18 લાખનું મહેનતાણું નથી મળ્યું
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ-મેમાં લેવામાં આવેલી પરીક્ષાનું મહેનતાણું હજુ ચૂકવાયું નથી. કોમર્સમાં 1 લાખ કરતાં વધુ ઉત્તરવહી ચકાસનાર અધ્યાપકોને હજુ પેમેન્ટ કરાયું નથી. ઉત્તરવહી ચકાસણીના નવા ભાવ નક્કી થયા બાદ 6 મહિને પણ ચૂકવણી કરવામાં આવી નથી. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ-મે મહિનામાં લેવામાં આવેલી એક્ષર્ટનલ પરીક્ષા તથા ઇન્ટરનલ પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી કરનાર અધ્યાપકોને હજુ સુધી મહેનતાણું ચૂકવવામાં આવ્યું ના હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચકાસણી માટે નવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તે પ્રમાણે એફવાય-એસવાયમાં એક્ષર્ટનલ-ઇન્ટરનલના 18 રૂપીયા છે. જયારે ટીવાયના 20 રૂપિયા ચૂકવામાં આવે છે. કોમર્સ ફેકલ્ટીમાં આ અધ્યાપકોએ એક્ષર્ટનલ-ઇન્ટરનલની 1 લાખ કરતાં વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરી હતી. જોકે તેમને અંદાજીત 18 લાખ રૂપીયાની રકમ ચૂકવવાની થાય છે. તે હજુ સુધી આપવામાં આવી ના હોવાનું જાણવા મળ્યુ છે. પરીક્ષાઓ દરમિયાન જેમણે પણ સુપરવીઝનની ડયુટી કરી હતી તેમને પણ હજુ સુધી મહેનાતણું ચૂકવામાં આવ્યું નથી. 200થી વધારે કર્મચારીઓએ સુપરવીઝનની ડયુટી કરી હતી. સુપરવીઝનની ડયુટીના 200 રૂપિયા લેખે 6 લાખ જેટલી રકમ ચૂકવાની થાય છે જેની પણ કર્મચારીઓ રાહ જોઇ રહ્યા છે. કે મહેનતાણું કયારે મળશે. ઓનલાઇન ડેટા એન્ટ્રીમાં સમસ્યા સર્જાતા કોઇ પણ અધ્યાપકને હજુ સુધી મહેનતાણું મળી રહ્યું નથીયુનિવર્સિટીના કોમપ્યુટર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા પોર્ટલમાં સમસ્યાના પગલે એક પણ અધ્યાપકની ડેટા એન્ટ્રી થઇ રહી નથી જેના કારણે બીલ બની રહ્યા નથી. યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચકાસણી અને સુપરવીઝનના રેટ રીવાઇઝ કરવામાં આવ્યા છે ત્યાર બાદ સમસ્યા સર્જાઇ રહી છે. પોર્ટલમાં એન્ટ્રી જ થઇ રહી ના હોવાની ફરીયાદો અધ્યાપકો દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આર્ટસ, સાયન્સ, લો સહિતની તમામ ફેકલ્ટીઓમાં સમસ્યા સર્જાઈકોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી તેમાં ચૂકવાની રકમ વધારે થાય છે. જોકે કોમર્સ સિવાયની તમામ ફેકલ્ટીઓમાં આ જ સમસ્યા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ, લો સહિતની 14 ફેકલ્ટીઓમાં એપ્રિલ-મે મહિનામાં લેવામાં આવેલી પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનું મહેનતાણું અધ્યાપકોને ચૂકવવામાં આવ્યું નથી. તેવી જ રીતે સુપરવીઝનના નાણાં પણ મળ્યા નથી. જેના પગલે અધ્યાપકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૂના સત્રની પરીક્ષાનું મહેનતાણું નવું સત્ર શરૂ થયા બાદ દિવાળી વેકેશન પૂરું થવા આવ્યું હોવા છતાં પણ મળ્યું નથી.
હોનારત:ઓપી રોડના કોમ્પ્લેક્સમાં આગ,હોસ્પિટલના દર્દી-સગાંને મળસ્કે અગાશી ઉપર ખસેડાયા
વહેલી સવારે જૂના પાદરા રોડના ગજાનન કોમ્પ્લેક્સમાં આગ લાગતા 5માં માળ સુધીનું વાયરિંગ ખાક થઇ ગયું હતું. કોમ્પ્લેકસનો વીજપુરવઠો ખોરવાયેલો રહ્યો હતો. કોમ્પ્લેક્સના બીજા માળે હોસ્પિટલ હોવાથી દર્દીઓ-સ્ટાફને ટેરેસ પર ખસેડવા પડ્યા હતા. ફાયર બ્રિગેડ મુજબ મંગળવારે સવારે 5 વાગ્યે ભોંયતળિયે પેનલ બોર્ડમાં આગ ભભૂકી હતી. સવારે કોમ્પ્લેક્સમાં આવનજાવન ન હોવાથી આગ આઉટર વાયરિંગમાં પ્રસરી 5મા ફ્લોર સુધી પહોંચી હતી. વાયરો સળગતાં કોમ્પ્લેક્સમાં ધૂમાડો ઉઠતાં દોડધામ થઇ હતી. બીજા માળે હોસ્પિટલમાં ફાયર એલાર્મ ગૂંજતાં સ્ટાફે દર્દી-સગાંને ટેરેસ પર ખસેડ્યા હતા. મકરપુરા જીઆઇડીસી, વડીવાડી લાશ્કરોની ટીમે આવી એક્સટિંગ્વિશર્સથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આગ પ્રસરતા એમજીવીસીએલની ટીમને જાણ કરતાં ટીમે આવી વીજ પુરવઠો બંધ કરતાં પાણીથી આગ બુઝાવી હતી. ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ ન બૂઝાતાં વીજ પુરવઠો બંધ કરી પાણીથી ઓલવી(હરેન્દ્રસિંહ ચૌહાણ, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર, વીએમસી સાથે થયેલ વાતચીતના આધારે)1.વાયરિંગ કે વીજ ઉપકરણોમાં આગ લાગે ત્યારે ફાયર એક્સટિંગ્વિશર્સનો સૌથી પહેલા ઉપયોગ કરો2. જેટલું બને તેટલું વધુ વાપરીને તે સંપૂર્ણ પણે ઓલવાય તે માટેના જ પ્રયાસ કરો3. જો રેતી કે ઝીણી ઘૂળ હોય તો તે નાંખીને બુઝાવવાનો પ્રયાસ કરો4. એકવાર વીજ કનેકશન બંધ થાય પછી જ પાણીનો મારો ચલાવો
વહાલના દરિયા માટે દરેક પરિવારમાં માતા-પિતા કોઇક અલાયદી વ્યવસ્થા કરતાં હોય છે. આ વ્યવસ્થામાં ઉપયોગી થઇ શકે તેવી કેન્દ્ર સરકારની એક યોજના કન્યા સમૃદ્ધિ બચત યોજના છે. જે અંતર્ગત મૂકાતી રકમને પરિવારની પુત્રી 21 વર્ષની થાય કે તેનું 18 વર્ષ કે તેની બાદ લગ્ન લેવાનું હોય ત્યારે માતા-પિતાને મળે તેવો આશય હોય છે. વડોદરા ટપાલ વિભાગ(પ.)ના રિપોર્ટ મુજબ વડોદરામાં 47 હજાર ખાતા ખુલ્યા છે, જેમાં રૂ.2.31 અબજ બચતમાં મૂકાયા છે. બચતને ટેક્સ બેનિફિટ મળે છે અને પોસ્ટ કે બેંકમાં આ ખાતા ખોલવામાં આવે છે. સુકન્યા સમૃદ્ધિ બચત યોજનાનો આરંભ 2015થી કરવામાં આવ્યો હતો. ત્યારથી ધીમે ધીમે ખાતાઓ ખુલવા માંડ્યા હતા. વડોદરા પશ્ચિમ વિભાગના ટપાલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષથી પરિવારોમાં આ યોજના અંતર્ગત બચત કરવામાં સંખ્યા વધી છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે, આ યોજનાના રૂપિયા સલામત છે અને 8.2 ટકા જેટલો ઊંચો વ્યાજદર છે. આ વ્યાજદર ચક્રવૃદ્ધિ વ્યાજમાં હોવાથી રકમ પણ ઝડપથી વધે છે. સામાન્ય રીતે પરિવાર આ ખાતામાં વાર્ષિક રૂ.250થી માંડીને રૂ.1.5 લાખની રકમ પણ જમા કરાવી શકે છે. જો પુત્રીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવું હોય કે કોઇ પ્રતિષ્ઠિત સંસ્થામાં પ્રવેશ મેળવવો હોય ત્યારે આ રકમ ખૂબ ઉપયોગી પૂરવાર થાય છે. જોકે આ બચત ખાતામાં દર વર્ષે નિયત તારીખ સુધીમાં રકમ જમા કરાવવાની હોય છે. જો રકમ જમા ન કરાવે તો રૂ.50ની પેનલ્ટી ખાતાધારકે ભરવી પડે છે. PF ફંડના 8031 ખાતા ખુલ્યાનવા વર્ષમાં પ્રોવિડન્ટ ફંડના પણ 8031 ખાતાઓ પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓ-અધિકારીઓ માટે કંપનીઓ દ્વારા ખોલવામાં આવ્યાં છે. આ ખાતાઓમાં પણ 49.21 કરોડ રૂપિયાની માતબર રકમ જમા કરાવવામાં આવી છે.
ભાસ્કર નોલેજ:વડોદરા એસટીની સ્પે. 837 ટ્રિપ 11 દિવસમાં ~46 લાખની આવક
દિવાળીમાં વડોદરા એસટી ડિવિઝનને સ્પેશિયલ ટ્રીપોથી આવક થઇ છે. 17 ઓક્ટોબરથી 11 દિવસમાં ~46 લાખની આવક થઇ છે. આ વિશે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, વેકેશનને પગલે 8 ડેપોથી વિશેષ ટ્રીપો યોજી હતી. 17થી 22માં 85, 23થી 27માં 45 સ્પે.ટ્રીપો મૂકાઇ હતી. જેને પગલે ધસારો ટાળી શકાયો હતો. વડોદરા અને ડભોઇ, બોડેલી, છોટાઉદેપુર, કરજણ સહિતના 8 ડેપોથી દાહોદ, ઝાલોદ, અમદાવાદ, સુરત સહિતના શહેરો વચ્ચે આ ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ દિવાળીમાં એક ટ્રીપમાં 42 મુસાફરોની જ સફર, ધસારો ઓછો
સુરક્ષા:જનરક્ષકને સરદાર એસ્ટેટ પોઈન્ટથી સૌથી વધુ 609 કોલ મળ્યા, રિસ્પોન્સમાં વડોદરા અગ્રેસર
ગુજરાત રાજ્ય પોલીસે 2 સપ્ટેમ્બરથી જનરક્ષક વેન શરૂ કરી છે. જે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 30 જનરક્ષક વેન કાર્યરત છે. તમામને બેઝ પોઈન્ટ આપવામાં આવ્યા છે. જેને વૈજ્ઞાનિક ઢબે નક્કી કરાય છે. ભૂતકાળમાં 100 નંબર ઉપર જે વિસ્તારમાંથી વધુ કોલ આવતા હતા તેમાં જનરક્ષક વેનના બેઝ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. વડોદરામાં વેનનો રીસપોન્સ સમય 9 મીનીટ આખા રાજ્યમાં સૌથી ઓછો હતો. 2 મહિનામાં જનરક્ષક વેને 10 હજારથી વધુ લોકોને મદદ પહોંચાડી છે. સૌથી વધુ કોલ સરદાર એસ્ટેટ બેઝ પોઈન્ટથી મળ્યા છે. જેનો એવરેજ રીસપોન્સ સમય 5.11 મીનીટ છે. સોથી ઓછા 20 કોલ વૃંદાવન ચાર રસ્તા બેઝ પોઇન્ટને મળ્યા જેનો રીસપોન્સ ટાઈમ 11.5 મિનિટ છે. જનરક્ષક વેન 112 સાથે તમામ ઈમર્જન્સી સેવા જોડી દેવાઇ છે. એક જ કોલ પર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા મળે છે. 100 નંબરના કોલ 112 પર હાઈવર્ટ કરાય છે. જ્યારે 112 પરના કોલ ફિલ્ટર પણ કરવામાં આવી રહ્યા છે. જનરક્ષક વેનની કોઇ હદ નહીં, તમામ વિસ્તારમાં કામ કરશે112 જન રક્ષક વેન બોર્ડર લેસ પ્રોજેક્ટ છે. કોઈ પણ જનરક્ષક વેન જે લોકેશનથી નજીક હોય ત્યાં તેઓને જવાનું રહે છે. ભલે તે પોલીસ મથકનો તે હદ વિસ્તાર ન હોય. કોલરનું લોકેશન વેનને મળશે.
હાલાકી:કમાટીબાગ બ્રિજની ડિઝાઈન બદલાશે હજુ 1 વર્ષ લોકોને દોઢ કિમીનો ફેરો થશે
કમાટીબાગમાં પક્ષીઘરથી વાઘખાના તરફ જતો બ્રિજ ત્રણ વર્ષથી બંધ હોવાથી સહેલાણીઓએ 1.5 કિમીનો ફેરો કરવો પડે છે. જે ન કરવો પડે તે માટે જૂના બ્રિજની સમાંતરે રૂ.14.62 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજ બનાવવાનો હતો. પરંતુ આ બ્રિજ બનાવવાની દરખાસ્ત પરત કરવામાં આવશે. ત્યારે હવે સહેલાણીઓનો આ ફેરો યથાવત રહેશે. આઇકોનિક બ્રિજની ડિઝાઇન બદલવાની હોવાથી કામને પરત કરવાનો નિર્ણય લેવાશે. બ્રિજ 2022થી બંધ છે. જેથી સહેલાણીઓ દોઢ કિમી ફરી વાઘખાના તરફ જાય છે. સ્થાયીમાં અગાઉ જૂના બ્રિજની સમાંતર નવા બ્રિજની દરખાસ્ત મુકાઈ હતી, પરંતુ તેને દલીલો કરી પરત કરી જૂનથી મુલતવી કરાયું છે. રૂ.14.62 કરોડના બ્રિજની ડિઝાઇન બદલવાની હોવાનું જાણવા મળ્યું છે. ગુરુવારે સ્થાયીમાં કામને પરત કરવાનો નિર્ણય લેવાશે. બનતાં બનતાં અટકી રહેલા બ્રિજનો ઘટનાક્રમ1 વર્ષ 2024ના ઓક્ટોબર મહિનામાં બ્રિજ બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડા પર મુકાતા તેને મુલતવી કરાઈ હતી2 નવેમ્બર 2024માં ફરીથી દરખાસ્તને એજન્ડા પર ચઢાવતા સ્થાયીના સભ્યે બ્રિજને સમારકામ કરીને ચલાવો જોઈએ, નવો બનાવવાની જરૂર નથી તેમ કહી પરત કરવાની જીદ પકડતા દરખાસ્ત પરત કરાઈ હતી 3 એપ્રિલ 2025માં તત્કાલીન મ્યુનિ. કમિશનરે આ દરખાસ્ત પર ફેરવિચારણા કરવા માટે પત્ર લખ્યો હતો4 ત્યારબાદ જૂન 2025માં આ કામને એજન્ડા પર ચડાવ્યું હતું. જોકે તે સમયે પણ કામને મુલતવી કરાયું હતું.5 જોકે હવે ડિઝાઇન બદલવાનું ભૂત ધુણતા ચાર મહિના બાદ સ્થાયીમાં દરખાસ્તને મુકાઈ છે. જેને પરત કરાશે.
આગમન:ઓપરેશન સિંદૂર બાદ 157 દિવસે વડાપ્રધાન આજે વડોદરામાં, એરપોર્ટ ફરતે 100 ઘરોમાં ચેકિંગ કરાયું
ઓપરેશન સિંદૂર બાદ મેમાં વડોદરા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજી અભિવાદન ઝીલ્યું હતું. જેના 157 દિવસ બાદ 30 ઓક્ટોબરે તેઓ વડોદરા આવશે. 31મીએ કેવડિયા એકતા પરેડમાં હાજરી પૂર્વે એરપોર્ટ પર ટૂંકું રોકાણ કરશે. કેવડીયાના કાર્યક્રમમાં વડોદરાના 500થી વધુ હોદ્દેદાર-કાર્યકર્તાને આમંત્રણ મળ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ 26 મે 2024ના રોડ શોમાં વડાપ્રધાન વડોદરા આવ્યા હતા. 31મીના કાર્યક્રમમાં માટે સાંસદ, શહેર ભાજપ પ્રમુખ, સંગઠનની ટીમ, પદાધિકારીઓ, ધારાસભ્યો સહિતના હાજર હશે. સૂત્ર મુજબ વડાપ્રધાનનું સ્વાગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પિન્કીબેન સોની, કલેક્ટર અને પોલીસ કમિશનર કરશે. હવામાનને પગલે વડાપ્રધાન રોડ માર્ગે કેવડિયા પહોંચે તેવી શક્યતા છે. 2022માં વડાપ્રધાન જૂના કાર્યકર્તાઓને મળ્યા હતા એરપોર્ટમાં કોઈ કૂદે નહી તે માટે 15 ઝાડનું ટ્રિમિંગ કરી દેવાયુંવડાપ્રધાનના એરપોર્ટ પર આગમન પૂર્વે સુરક્ષાને લઈ પોલીસે તૈયારીઓ કરી છે. ઝાડ પર ચઢી કોઈ એરપોર્ટમાં કુદે નહીં તે માટે પાલિકાએ 15થી વધુ ઝાડ ટ્રીમ કર્યા છે. પોલીસે એરપોર્ટ ફરતે 100થી વધુ ઘરનું ચેકિંગ કરાયું હતું. સુરક્ષાને પગલે શહેરને બે દિવસ માટે નો-ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરી દેવાયું છે. પોલીસે બુધવારે સીઆઈએસએફ, એસપીજી, પાલિકા, ફોરેસ્ટ સાથે બેઠક કરી સાંજે રિહર્સલ પણ કરાયું હતું. પોલીસે નવા રહેવા આવેલા ભાડુઆત, મજૂરની પણ તપાસ કરી હતી. એરપોર્ટ ફરતે ધાબા પોઇન્ટ ગોઠવી દેવાયા છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાહુલ ગાંધીના નિવેદન અંગેના હતા, જેમાં તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મત માટે નાચી પણ શકે છે. બીજા મોટા સમાચાર રાષ્ટ્રપતિ સાથે જોવા મળેલી ઓપરેશન સિંદૂરની પાયલટ વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મુઝફ્ફરપુર અને છપરામાં અને રાહુલ ગાંધી શેખપુરામાં જાહેર સભાઓ કરશે. 2. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ₹1,140 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. 3. યુએસ પ્રમુખ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ટ્રેડ ડીલ પર ચર્ચા કરશે. કાલના મોટા સમાચારો 1. મત માટે મોદી નાચી પણ શકે છે:ટ્રમ્પના ડરથી ઓપરેશન સિંદૂર રોક્યું હતું; ચેલેન્જ છે કે... PM એકવાર કહી દે કે ટ્રમ્પ ખોટું બોલે છે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બુધવારે (29 ઓક્ટોબર) બિહારમાં બે રેલીઓ યોજી હતી. પહેલી મુઝફ્ફરપુરમાં અને બીજી દરભંગામાં હતી. દરભંગામાં તેમણે ઓપરેશન સિંદૂર મામલે વડાપ્રધાન પર પ્રહાર કરતા કહ્યું, મોદી ટ્રમ્પથી ડરે છે. અમેરિકન રાષ્ટ્રપતિ 50 વાર બોલી ચૂક્યા છે. કે મેં નરેન્દ્ર મોદીને ધમકાવીને ઓપરેશન સિંદૂર બંધ કરાવ્યું હતું. ટ્રમ્પ જુદા જુદા દેશોમાં જઈને તેમનું અપમાન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે તેમણે મોદીને ઝુકાવી દીધા છે. આ બાબતે તેમણે એક પણ શબ્દ પણ કહ્યો નથી. આવા માણસ ક્યારેય બિહારમાં વિકાસ લાવી શકશે નહીં. ટ્રમ્પ આપણી સેના વિશે વાત કરી રહ્યા છે. તે આપણી વાયુસેના વિશે વાત કરી રહ્યા છે. મોદીજી ચૂપ છે. ઇન્દિરા ગાંધીએ અમેરિકાને ચૂપ કરી દીધું. ટ્રમ્પ કહે છે કે મેં મોદીને ફોન કરીને ઓપરેશન સિંદૂર બંધ કરવાનું કહ્યું, અને પછી ઓપરેશન બંધ કરવામાં આવ્યું. હું મોદીને પડકાર ફેંકું છું કે તેઓ બિહાર આવીને કહે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું- મોદી મત માટે ડ્રામા કરે છે પીએમ મોદી અને નીતિશ કુમાર પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું, મોદીજી મત માટે કોઈ પણ નાટક કરી શકે છે. તેઓ ફક્ત તમારો મત ઇચ્છે છે. જો તમે મોદીજીને નાચવાનું કહો છો, તો તેઓ નાચશે પણ. વાંચો સંપૂર્ણ સમાચાર... 2. સોનમ પર હત્યા, પુરાવાનો નાશ કરવાનો આરોપ નક્કી:પ્રેમી રાજ સહિત 5 અન્ય પર પણ આ આરોપો લાગ્યા; રાજા મર્ડર કેસમાં કોર્ટમાં રજૂ કર્યા મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાની એક કોર્ટે ઈન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પાંચ આરોપીઓ સામે આરોપો ઘડ્યા છે. તેમાં રાજા રઘુવંશીની પત્ની સોનમ રઘુવંશી, તેના બોયફ્રેન્ડ રાજ કુશવાહ અને અન્ય ત્રણ આરોપીઓ: વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મીનો સમાવેશ થાય છે. મંગળવારે કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 103(1) (હત્યા), 238(a) (પુરાવા ગાયબ કરવા) અને 61(2) (ગુનાહિત કાવતરું) હેઠળ ઔપચારિક રીતે આરોપો ઘડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર... 3. મોદી 'Killer' અને 'Nicest looking guy'...:ટ્રમ્પે સાઉથ કોરિયામાં PM મોદીનાં વખાણ કરતાં કહ્યું- હું મોદીનું સન્માન કરું છું, અમે જલદી જ ટ્રેડ ડીલ પર વાત કરીશું ભારત અને અમેરિકા વચ્ચે જલદી જ ટ્રેડ ડીલ થવાની આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે 29 ઓક્ટોબરના રોજ સાઉથ કોરિયામાં થઈ રહેલા એપેક CEO સમિટમાં આ દાવો કર્યો છે. તેમણે કહ્યું- ભારત સાથે જલદી જ ટ્રેડ ડીલ થશે, હું પીએમ મોદીનું સન્માન કરું છું. ટ્રમ્પે પોતાના ભાષણમાં ભારત-પાકિસ્તાન તણાવનો ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે બંને દેશ લડી રહ્યા હતા તો મેં બંનેને યુદ્ધ રોકવા માટે કહ્યું, પરંતુ તેમણે ના પાડી દીધી. આ દરમિયાન તેમણે પીએમ મોદીની કોપી પણ કરી અને મોદીની જેમ જ કહ્યું- નો વી વિલ ફાઇટ 250% ટેરિફ ફટકારવાની ધમકી આપી દીધી ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે બંને દેશ પર 250% ટેરિફ ફટકારવાની ધમકી આપી દીધી. તેના બે દિવસ પછી બંનેએ ફોન કર્યો અને યુદ્ધવિરામ અંગે સહમતી દર્શાવી. આ દરમિયાન તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનાં પણ વખાણ કર્યાં. મુનીરને તેમણે જબરદસ્ત ફાઇટર ગણાવ્યા. ટ્રમ્પે મોદીને 'કિલર' અને 'નાઇસેસ્ટ લુકિંગ ગાય' કેમ કહ્યું? 4. રાષ્ટ્રપતિ સાથે 'ઓપરેશન સિંદૂર'ની પાયલટ દેખાઈ:સ્ક્વોડ્રન લીડર શિવાંગીને પાકિસ્તાને પકડી હોવાનો દાવો કર્યો હતો; મુર્મુએ રાફેલમાં ઉડાન ભરી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો છે. ફાઇટર સૂટ પહેરીને તેઓ રાફેલમાં બેઠાં હતાં અને જતી વખતે રાષ્ટ્રપતિએ હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિનો સ્ક્વોડ્રન લીડર શિવાંગી સિંહ સાથેનો ફોટો પણ સામે આવ્યો હતો, જેમને પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન પકડવાનો દાવો કર્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 29 ઓક્ટોબર, 2025ના રોજ અંબાલા એરબેઝ પર રાફેલ જેટ ઉડાવ્યું હતું. આ એ જ વિમાન છે, જેનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની આતંકવાદી અડ્ડાઓ પર હુમલો કરવા માટે થયો હતો. PIBએ 10 મેના રોજ પાકિસ્તાનના દાવાને ખોટો ગણાવ્યો હતો. રાફેલ સવારે 11.10 વાગ્યે ઉડાન ભરી હતી અને 11.50 વાગ્યે લેન્ડ કર્યું હતું. રાષ્ટ્રપતિ જે રાફેલ વિમાનમાં બેઠાં હતાં એ ગ્રુપ કેપ્ટન અમિત ગેહાની દ્વારા ઉડાડવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર... 5. સોનાનો ભાવ ₹1,309 વધીને ₹1.19 લાખ પ્રતિ 10 ગ્રામ થયો:આ વર્ષે ચાંદી ₹43,190 મોંઘી થઈ, ચાંદી આજે ₹3,832 વધીને ₹1.46 લાખ પ્રતિ કિલોએ પહોંચી આજે, 29 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,309 વધીને ₹1,19,352 થયો છે. અગાઉ, આ ભાવ ₹1,18,043 પ્રતિ 10 ગ્રામ હતો. આ દરમિયાન ચાંદીનો ભાવ ₹3,832 વધીને ₹1,45,728 પ્રતિ કિલોગ્રામ થયો. ગઈકાલે તેનો ભાવ ₹1,41,896 પ્રતિ કિલોગ્રામ હતો. આ મહિનાની શરૂઆતમાં, 17 ઓક્ટોબરે, સોનું ₹1,30,874 અને ચાંદી ₹1,71,275ની ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું હતું. જોકે, તે પછી ભાવમાં ઘટાડો થયો હતો. દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ સ્ત્રોત: ગુડરિટર્ન્સ (29 ઓક્ટોબર, 2025) વાંચો સંપૂર્ણ સમાચાર... 6. માવઠાંથી થયેલા પાક નુકસાનીનું વળતર ચૂકવાશે:કેબિનેટે સર્વેની મંજૂરી આપી, ગ્રામસેવકો અઠવાડિયામાં રિપોર્ટ સોંપશે; વાઘાણી-સંઘવીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં ખેતરોમાં પાકને ભારે નુકસાન થયું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવવા મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં જવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીના આ નિર્દેશ બાદ મંત્રીઓએ મેદાનમાં ઊતરી ખેડૂતોની વચ્ચે પહોંચી તેમની વેદના સાંભળીને સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે મળેલી કેબિનેટની બેઠકમાં સર્વેને મંજૂરી અપાઈ છે. હવે ગ્રામસેવકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાનીનો સર્વે કરશે. સર્વે બાદ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે. એક અઠવાડિયામાં સર્વેની કામગીરી કરાશે. વાંચો સંપૂર્ણ સમાચાર... 7. શિરડીદર્શન કરી પરત ફરતા સુરતના 7 મિત્રનો અકસ્માત, 3નાં મોત:સ્કૂલબસ કોન્ટ્રેક્ટરે કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર પલટી બુકડો બોલી ગયો, બેની ડેડબોડી ગુરુવારે લવાશે સુરતના 7 યુવાન શિરડી(મહારાષ્ટ્ર) દર્શન કરીને પરત વતન ફરી રહ્યા હતા ત્યારે સુરત સ્કૂલબસ કોન્ટ્રેક્ટર વિક્રમ ઓસવાલે કાબૂ ગુમાવતાં ફોર્ચ્યુનર પલટી હતી. એમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. ચાર યુવકને ઈજા થતાં સારવાર માટે નાસિકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ મૃતકમાંથી પ્રણવ દેસાઈનો મૃતદેહ તેમના વતન પારડી ખાતે મોકલવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે મૃતદેહો ગુરુવારે સુરત પહોંચે તેવી શક્યતા છે. ત્રણ મૃતકમાં પ્રણવ દેસાઈ (લેબર કોન્ટ્રેક્ટર), મિત્ર પલક કાપડિયા અને વિક્રમ ઓસવાલના સ્ટાફના સભ્ય સુરેશ સાહુનો સમાવેશ થાય છે. આ કારમાં વિક્રમ ઓસવાલના અન્ય મિત્રો વિપિન રાણા (કાર એજન્ટ) અને એક એકાઉન્ટન્ટ સહિત સ્ટાફના અન્ય સભ્યો પણ હતા. વાંચો સંપૂર્ણ સમાચાર... આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ચક્રવાત મોન્થાએ તેલંગાણામાં ભારે તબાહી મચાવી:શાળાઓ ડૂબી, કાર-ટ્રકો તણાયા, રેલવે સ્ટેશનમાં પાણી ભરાયું; 2 ટ્રેનો રોકવામાં આવી (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : રશિયાએ પરમાણુ ક્ષમતા ધરાવતા ટોર્પિડો 'પોસાઇડન'નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું:કિરણોત્સર્ગી દરિયાઈ મોજા ઉત્પન્ન કરે છે, જે દરિયાકાંઠાના વિસ્તારોને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : PM મોદીએ કહ્યું-દેશનું મેરીટાઇમ સેક્ટર ગ્રોથનું નવું એન્જિન:ઇન્ડિયા મેરીટાઇમ વીક 2025માં કહ્યું- ભારતીય પોર્ટ્સ દુનિયાના સૌથી કાર્યક્ષમ પોર્ટ્સમાં સામેલ (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલે ગાઝામાં યુદ્ધવિરામનો ભંગ કરી હુમલો કર્યો: 104 લોકોના મોત, આમા 46 બાળકો; ટ્રમ્પે હુમલાને ટેકો આપ્યો (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : એમેઝોને 14,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા:ટર્મિનેશન લેટરમાં લખ્યું- બધા એક્સેસ બંધ, જો તમે ઑફિસમાં છો તો સિક્યોરિટી તમને બહાર કાઢશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : IND Vs AUS વચ્ચેની પહેલી T20 વરસાદના કારણે રદ:માત્ર 58 બોલની રમત રમાઈ, ભારતે એક વિકેટ પર 97 રન બનાવી લીધા હતા (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર : ગોપાષ્ટમી, ભગવાન કૃષ્ણ અને ગાયોની પૂજાનો તહેવાર: બાળ ગોપાલે આ દિવસથી ગાયો ચરાવવાનું શરૂ કર્યું હતું, જાણો ઉત્સવ સાથે સંકળાયેલી પરંપરાઓ (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે મહિલાઓ ત્રણથી વધુ ઘરેણાં નહીં પહેરી શકે ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત જૌનસર-બાવર ક્ષેત્રમાં, મહિલાઓ હવે લગ્ન કે સામાજિક મેળાવડામાં ફક્ત ત્રણ ઘરેણાં પહેરી શકશે. આમાં કાનની બુટ્ટી, નાકની નથણી અને મંગળસૂત્રનો સમાવેશ થાય છે. નિયમ તોડવા પર 50,000 રૂપિયાનો દંડ થશે. દેખાડો ઘટાડવા માટે ગામની સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર એક્સક્લૂસિવ ઇરાનની ધરતી પર પાકિસ્તાની એજન્ટોએ ગુજરાતીઓ સાથે કાવતરું રચ્યું:બંધક બનાવાયેલા લોકોની ઇનસાઇડ સ્ટોરી, મોટી રકમ લઇને છોડ્યા 2. Editor's View: પાકિસ્તાનનું ચિકન નેક ષડયંત્ર: યુનુસ સાથે મળીને બનાવ્યો ખતરનાક પ્લાન, ભારતનાં સાત રાજ્ય બાંગ્લાદેશમાં ભેળવવાનાં શેખચલ્લી જેવાં સપનાં 3. ગ્રાઉન્ડ રિપોર્ટ-અહીં લોકોને નથી જોઈતો વિકાસ: 11 ગામના લોકોનો એક જ સૂર, 'HUDA' ન જ જોઈએ, કાલે હિંમતનગરમાં ખરાખરીનો ખેલ 4. ગ્રાઉન્ડ રિપોર્ટ-મરાંડીના પુત્ર-ભાઈની હત્યા કરનાર નક્સલીની પત્નીની કબૂલાત:જમીનના બદલામાં મને ઉઠાવી લીધી, બાળકોને કહ્યું, નક્સલવાદી ન બનતા 5. દર્દી સાથે દાદાગીરી કરનાર મહિલા ડોક્ટર પોતે એક પેશન્ટ:સોલા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું- સાઇકિયાટ્રિસ્ટ સાથે કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે, ક્લિનિકલ કામમાંથી દૂર કરી રિસર્ચ વિંગમાં મૂક્યાં 6. આજનું એક્સપ્લેનર:'મોન્થા' એટલે 'સુગંધિત ફૂલ', 13 દેશ રાખે છે ચક્રવાતોનાં નામ, ઘૂમતા પાણીમાંથી કેવી રીતે બને છે ઊંચાં મોજાંવાળું વાવાઝોડું? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:ધન રાશિના લોકોને વિશિષ્ટ લોકો સાથેની મુલાકાત ફાયદાકારક રહેશે, વૃશ્ચિક જાતકોને કામમાં અવરોધ આવી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર...
વાતાવરણમાં ઠંડક:મોરબીમાં કમોસમી વરસાદ થંભી ગયો પણ ટાઢાબોળ પવનથી વાતાવરણ ઠંડુંગાર
મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલ વરસાદનું જોર ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે અને મંગળવાર વરસાદ વરસયા બાદ આજે તેમાં રાહત જોવા મળી હતી.દિવસ દરમિયાન વરસાદ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના વિરામ સાથે ઠંડીનું જોર વધ્યું હતું.દિવસ દરમ્યાન ઠંડા પવન ફુંકાતા સમગ્ર શહેર ટાઢું બોળ બની ગયું હતું. દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 23 ડિગ્રી જ્યારે મહતમ તાપમાન 28 વચ્ચે રહ્યું હતું . દિવાળી બાદથી સમગ્ર રાજ્યમાં હવામાનમાં બદલાવ આવ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદની એક મોટી સિસ્ટમ સમગ્ર ગુજરાત કમોસમી વરસાદ લઈને આવી હતી જેના કારણે કેટલાક જિલ્લામાં અતિ ભારે વરસાદ ને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી તો મોરબી જિલ્લામાં પણ બે ઇંચ સુધી વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરમાં તૈયાર પાક નો સોથ વળી જતા ખેડૂતોની હાલત દયનીય બની છે.છેલ્લા ત્રણ દિવસથી સર્જાયેલ વરસાદી માહોલ બુધવારે નરમ પડ્યો હોય તેમ દિવસ દરમિયાન વાદળની વધઘટ જોવા મળી હતી તો વરસાદે વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવયો હતો. જોકે વરસાદના વિરામની સાથે સાથે જાણે ઠંડીનું જોર વધ્યું હોય તેમ દિવસ દરમિયાન ઠંડા પવન ફુંકાયા હતા.જેના કારણે લઘુતમ તાપમાન 23 ડિગ્રી સુધી જ્યારે મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું.આખો દિવસ મોરબી શહેરમાં વાતાવરણ ટાઢું બોળ રહ્યું છે.જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદના સંપૂર્ણ વિરામ પર કોઈ સ્પષ્ટતા કરી નથી કારણ કે અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ બે દિવસ સુધી સ્થિર રહ્યા બાદ ફરી ગુજરાત તરફ આગળ વધે એવી શક્યતા વ્યક્ત કરી છે જેના કારણે 31 ઓગસ્ટ સુધીમાં ફરી વરસાદ નું જોર વધવાની આગાહી કરવામાં આવી છે જોકે આ વખતે આ વરસાદ દરિયાઈ કાંઠાના જિલ્લા સુધી સીમિત રહેશે કે સૌરાષ્ટ્ર કચ્છ સુધી લંબાશે તે વિશે સ્પષ્ટતા કરી નથી મિશ્ર ઋતુએ તાવ અને શરદી- ઉધરસના કેસમાં વધારો કર્યોદિવાળી પર્વ પહેલા ગરમી અને હળવી ઠંડીનો માહોલ હતો જોકે આ વરસાદી માહોલ ના કારણે અચાનક વાતાવરણમાં ઠંડક વધી છે. છેલ્લા એક સપ્તાહ થી સમગ્ર જિલ્લામાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેની અસર લોકોના સ્વસ્થ પર પણ પડી રહી છે.મોરબીમાં શરદી ઉધરસ અને તાવ સહિતના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલ સીએચસી પીએચસી તેમજ ખાનગી ક્લિનિક માં દર્દીના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
ડિમોલિશન:મોરબી મનપાએ નવા વર્ષના પ્રારંભે જ રાજપર રોડ પરથી ડિમોલિશન શરૂ કર્યું
મોરબી મહાપાલિકાએ ડીમોલેશનથી નવા વર્ષની કાર્યવાહીનું ખાતું ખોલાવ્યું છે. જેમાં મહાનગરપાલિકાએ શહેરના રાજપર રોડ ઉપર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી. ટ્રાફિકનું ભારણ ઘટાડવા આ રોડને 24 મીટર પહોળો કરવા જેસીબીથી નડતરરૂપ દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને આ રોડને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે. મોરબી મહાપાલિકા બન્યા બાદ શરુઆતથી શહેરમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવા વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ દર અઠવાડિયે એકવાર ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવતી હતી. પણ ચોમાસું શરૂ થતાં મહાપાલિકાની આ ડીમોલેશનની કામગીરી અટકી ગઈ હતી. ત્યારે ફરી હવે વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ ડીમોલેશનની કામગીરી હાથ ધરી છે. ખાસ કરીને મહાપાલિકાએ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા મનપાની હદમાં આવતા માર્ગ અને મકાન વિભાગના હસ્તકના મુખ્ય રસ્તાને પોતાની હદમાં સમાવિષ્ટ કરીને આ માર્ગોને પહોળા કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ દબાણકારોને મનપાએ અગાઉ જ નોટિસ ફટકારી હતી. નોટીસની મુદત વીતવા છતાં દબાણો ન હટતા મનપાએ અંતે દબાણો હટાવ્યા હતા. રોડ ખુલ્લો થતા હવે ટ્રાફિકનું ભારણ ઘટશે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે ચોમાસા પૂર્વે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટની કાર્યવાહી કરી હતી. આ રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો. તેના પાસેથી લઇ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને વાંધા પણ મંગાવ્યા હતા. આ રોડની પહોળાઈ વધારીને 24 મીટર કરવામાં આવી રહી છે.
અકસ્માતની ભીતિ:રામોસણા અંડરપાસથી ગામ તરફનો સીસી રોડ બન્યાને 15 દિવસ પછીયે માટીનો ઢગલો જૈસેથે
મહેસાણામાં રાધનપુર રોડથી રાજધાની ટાઉનશીપ થઈ રામોસણા ગામને જોડતા બાયપાસ પૈકી સામોસણાના અંડરપાસથી લઇને ગામ સુધી મહાનગરપાલિકા દ્વારા નવીન રોડ બનાવાયો છે. જેના 15 દિવસ પછી પણ મનપા દ્વારા માટીનો ઢગલો કરીને બંધ કરવામાં આવેલો રસ્તો હજુ સુધી ખુલ્લો નહીં કરાતાં વાહનચાલકો ફરીને જવા મજબૂર બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા નવીન આરસીસી રોડ બનાવ્યા બાદ માટીનો મોટો ઢગલો રોડ વચ્ચે ઠાલવી દઈ કોઈ વાહન નવા રોડ ઉપર ન જાય તે માટે રસ્તો બંધ કરાયો હતો. પરંતુ, આરસીસી રોડ બની ગયાના 15 દિવસ પછી પણ એ માટીનો ઢગલો દૂર કરાયો નથી. જેથી સ્થાનિક વાહન ચાલકોએ બંને સાઈડથી માટી અને રોડા હટાવીને ટુ-વ્હીલર અને ફોરવ્હીલ વાહનો જઈ શકે તેવો હંગામી રસ્તો કરી બંધ રોડ ખુલ્લો કરી દીધો છે. મહાનગરપાલિકા રોડ વચ્ચેનો માટી રોડાનો આ ઢગલો હટાવીને રસ્તો ચોખ્ખો કરે તેવું વાહનચાલકો ઇચ્છી રહ્યા છે. કારણ કે, રાત્રિ દરમિયાન માટીના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ રહે છે.
રાશન વિતરણ નહી કરાય:કમિશન, ઘટ સહિતની માગણીઓ નહીં ઉકેલાતાં સસ્તા અનાજના દુકાનદારો રાશન વિતરણ નહીં કરે
અગાઉ રાજ્ય સરકાર સમક્ષ મૂકેલી 20 જેટલી પડતર માંગણીઓનો હજુ સુધી ઉકેલ નહીં આવતાં રાજ્યના ફેરપ્રાઇઝ એસોસિયેશનની સાથે મહેસાણા જિલ્લા એસોસિએશને જિલ્લા કલેક્ટરને તેમજ વિસનગર અને ઊંઝા શહેર-તાલુકાના એસોસિયેશને સ્થાનિક મામલતદારને આવેદનપત્ર આપ્યાં હતાં અને પોતાની માંગણીઓ મૂકીને 1 નવેમ્બરથી અનાજ વિતરણની વ્યવસ્થાથી અળગા રહેવા ચીમકી ઉચ્ચારી છે. દુકાન ઉપર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેનો 15 ઓક્ટોબર 2025નો ઠરાવ રદ કરવો, મોંઘવારીને ધ્યાને રાખી કમિશનમાં પ્રતિ કિલો રૂ.3 અને મિનિમમ ગેરંટેડ કમિશનની રકમમાં વધારો કરી રૂ.30 હજાર કરવું. રાશન ડીલરની કામગીરી સામે મળતું અનિયમિત કમિશન બેંક એકાઉન્ટમાં સમયસર મળે, રાશન ડીલરના ઇપ્રોફાઈલમાં ડીલરના પરિવારના સભ્યને પણ દાખલ કરવા અને તેમના બાયોમેટ્રિકથી લોગીન થઈ શકે તેવી વ્યવસ્થા કરી સર્વરમાં સુધારો કરવો રાશન ડીલરોની હયાતીમાં વારસાઈ કરવાની જોગવાઈ પુનઃ ચાલુ કરવી, દુકાન સુધી વિતરણ કરવા માટે મળતા જથ્થામાં માલઘટ આવે અને વિતરણ દરમિયાન વેરણઘટ જથ્થો સુક મારે તે ઘટ તે તમામ માલની ઘટ સામે યોગ્ય અને વ્યવહારિક ઉકેલ લાવવા સહિતની પડતર માંગણીઓ રાજ્ય સરકાર દ્વારા હજુ પૂરી કરાઇ નથી. આ માંગણીઓને લઇ બુધવારે મહેસાણા જિલ્લા ફેરપ્રાઇઝ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી પડતર માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી ચલણ નહીં ભરી 1લી નવેમ્બરથી વિતરણ વ્યવસ્થાથી અળગા રહી અસહકાર આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. ઊંઝામાં તાલુકા ફેરપ્રાઇઝ શોપ એસો. પ્રમુખ અલ્પેશભાઈ શાહ, ઉપપ્રમુખ ભરતભાઈ બારોટ સહિત હોદેદારોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. વિસનગર તાલુકા પ્રમુખ જયંતીભાઈ ચૌહાણની આગેવાનીમાં શહેર અને તાલુકાના રેશન ડીલરોએ મામલતદારને આવેદન આપ્યું હતું.
ભાસ્કર એક્સક્લૂસિવ:હવે માત્ર 5 વર્ષમાં સ્નાતક અને LLB ડિગ્રી સાથે મેળવી શકશે
ઉત્તર ગુજરાતમાં ધોરણ 12 પછી કાયદા અભ્યાસ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિધાર્થીઓને 3 વર્ષના સ્નાતક અભ્યાસ બાદ 3 વર્ષનો LLM અભ્યાસ કરવો ફરજીયાત છે. જેમાં 6 વર્ષ લાગે છે. હવે હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં ઓછી ફીમાં અને એક વર્ષ ઓછા અભ્યાસ સાથે માત્ર પાંચ વર્ષમાં જ સ્નાતકની સાથે LLBની ડિગ્રી પણ મેળવી શકે માટે પ્રથમવાર ઉ.ગુ.યુનિવર્સિટી કેમ્પસમાં ઇન્ટીગ્રેટેડ LLB અભ્યાસ શરૂ કરવા આયોજન કરાયું છે. તેના માટે બાર કાઉન્સિલમાં મંજૂરી માટે પ્રક્રિયા હાથ ધરાઇ છે. ડિસેમ્બર મહિના પૂર્વે જ મંજૂરી મેળવી આ અભ્યાસક્રમ આગામી નવા વર્ષથી શરૂ થાય માટે ફર્નિચર, સ્ટાફ સહિતની વ્યવસ્થા કરાશે. પ્રથમ વર્ષમાં અંદાજે 60 અથવા વધુમાં વધુ 120 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આયોજન વિચારણા હેઠળ છે. કાઉન્સિલની મંજૂરી આધારિત પ્રવેશ અપાશે.
ભાસ્કર એક્સક્લૂસિવ:તોરણવાળી ચોક હેરિટેજ થીમ પર ડેવલપ કરાશે, જ્યાં કોઈ વાહન પાર્કિંગ નહીં થાય
મહેસાણાની ઓળખ સમી પરા વિસ્તારમાં આવેલી 72 કોઠાની વાવને રાણકી વાવની જેમ ટુરિસ્ટ પોઇન્ટ તરીકે પુરાતત્વ ખાતાના સંકલનમાં રહીને ડેવલપ કરવાના કામને તેમજ શહેરના હાર્દસમાન તોરણવાળી માતા ચોકને હેરિટેજ થીમ પર ડેવલપ કરવા સહિતના બંને કામને મનપાના વહીવટદાર વ જિલ્લા કલેક્ટર શૈલેશભાઈ પ્રજાપતિએ બુધવારે લેખિત વહીવટી મંજૂરી આપી હતી. જે અંતર્ગત હિમાચલ પ્રદેશના કસૌલ, સીમલા અને મસુરીના મોલ રોડ પર આવેલા ચોકની જેમ તોરણવાળી માતા ચોકને હેરિટેજ થીમ પર ડેવલપ કરવામાં આવશે. જ્યાં કોઈ વાહન પાર્કિંગ નહીં થાય કે પછી ત્યાં કોઈ વાહન પણ પ્રવેશી નહીં શકે. આ ચોકમાં શહેરીજનો અને પ્રવાસીઓ માત્ર શોપિંગ, ખાણી-પીણી અને હરી-ફરી શકશે અને ત્યાં બેસીને લોકો પોતાનો સુવર્ણ સમય પસાર કરી શકશે. આ સાથે 72 કોઠાની વાવની રીનોવેશન સાથેની આર્કિટેક એજન્સી અલગ અલગ ડિઝાઇન બનાવશે. જે તમામ ડિઝાઇન મનપાની કમિટીમાં આવ્યા બાદ કમિટી દ્વારા કોઈ એક ડિઝાઇન પસંદ કરી તેના ઉપર ખોદકામ કરી ડેવલપ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા શહેરને ડેવલપ કરવાના ઘણા બધા પ્રોજેક્ટ હાથ ધરાયા છે. પરંતુ, આ બંને પ્રોજેક્ટ મેંહોણાની ઓળખ સમાન સાબિત થશે. ઉલ્લેખનિય છે કે, આ બંને કામ માટે રાજ્યમાં અન્ય જગ્યાઓને ડેવલપ કરનાર એજન્સીને કામ આપવામાં આવનાર છે.
કૃષિ:જામજોધપુર અને વંથલી પંથકમાંથી રોજ 6000 કિલો સીતાફળની આવક
પોરબંદરના યાર્ડમાં પ્રતિદિન જામજોધપુર અને વંથલી પંથકમાંથી 6000 કિલો સીતાફળની આવક જોવા મળી રહી છે.પરંતુ વરસાદી વાતાવરણને લઈને સીતાફળનું વેચાણ ઘટતા સીતાફળના પ્રતિકીલોના રૂપિયા 20 થી 30 રૂપિયા ભાવ બોલાયા હતા. પોરબંદરના માર્કેટ યાર્ડમાં વિવિધ વિભાગો આવેલ છે.આ વિભાગોમાં પ્રતિદિન સિઝન મુજબ પાક અને ફ્રૂટ તેમજ શાકભાજીની આવક થતી હોય છે. પોરબંદરના માર્કેટયાર્ડમાં આવેલ ફ્રૂટ વિભાગમાં પણ સિઝન મુજબ ફ્રૂટની આવક થતી હોય છે.યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી સીતાફળની આવક થઈ રહી છે. પોરબંદરના યાર્ડમાં જામજોધપુર તેમજ વંથલી પંથકમાંથી રોજ 6 હજાર કિલો સીતાફળની આવક નોંધાઈ રહી છે.પરંતુ હાલ લેવાલી ન હોવાથી પોરબંદરના યાર્ડમાં સીતાફળના પ્રતિકીલોના રૂપિયા 20 થી 30 રૂપિયા ભાવ બોલાયા હતા.શિયાળાના પ્રારંભે જ યાર્ડમાં સીતાફળની આવક દર વર્ષે શરૂ થાય છે ત્યારે આ વર્ષે પણ સીતાફળની આવક શરૂ થઈ છે. ઠંડુ વાતાવરણ હોવાથી વેચાણ ઘટ્યું પોરબંદર સહિત સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી વાતાવરણ તેમજ ઠંડુ વાતાવરણ હોવાથી હાલ સીતાફળનું વેચાણ ઘટ્યું છે.યાર્ડમાં રોજ 6000 કિલો સીતાફળની આવક થઈ રહી છે પરંતુ વેચાણ ઓછું હોવાથી ભાવ પણ ઘટયા છે.
ભાસ્કર એનાલિસીસ:રાજ્યના જીડીપીમાં ખેતીનું યોગદાન 15.7 ટકા, રોજગારીમાં 42.4 ટકા
ગુજરાતનું સર્વિસ સેક્ટરમાં રોજગારીમાં 28% ફાળો આપે છે. એક કરોડથી વધુ ગુજરાતીઓ આ ક્ષેત્રમાં કામ કરે છે. તેમ છતાં ગુજરાત આ ક્ષેત્રમાં નોકરી આપવાના પ્રમાણમાં મોટા રાજ્યોમાં 12મા ક્રમે છે. નીતિ આયોગે જાહેર કરેલા રિપોર્ટ ‘ઇન્ડિયાઝ સર્વિસ સેક્ટરઃ ઇનસાઇટ ફ્રોમ જીવીએ-એમ્પલોયમેન્ટ ટ્રેન્ડ એન્ડ સ્ટેટ લેવલ ડાયનેમિક્સ’માં આ વિગતો બહાર આવી છે. સૌથી વધુ દિલ્હીમાં કુલ નોકરીમાંથી 71% સર્વિસ સેક્ટરમાં છે. ગુજરાતના ગામડાંના 14% અને શહેરના 53% લોકો સર્વિસ સેક્ટરમાંથી રોજગારી મેળવે છે. રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી જીડીપીમાં માત્ર 15.7% અને રોજગારીમાં સૌથી વધુ 42.4% યોગદાન આપે છે. જ્યારે સર્વિસ સેક્ટર જીડીપીમાં 36% અને રોજગારીમાં 28.2% ફાળો આપે છે. હોલસેલ-રિટેલ, ટ્રાન્સપોર્ટ, હોટેલ, રેસ્ટોરન્ટ જેવા સર્વિસ સેક્ટરમાં રોજગારીની હિસ્સેદારી ઘટી છે. રિઅલ એસ્ટેટ મજબૂત કરવા સૂચન નિતિ આયોગના આ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં રિઅલ એસ્ટેટ, ઇન્ફર્મેશન કમ્યુનિકેશન અને પ્રોફેશનલ સર્વિસને વધુ મજબૂત કરવાની જરૂર છે. કૌશલ્ય વિકાસ, પ્રોડક્ટ ડિઝાઇન, ગુણવત્તા, માર્કેટિંગ અને આધુનિક તક્નીકના ઉપોયગનું સૂચન કરાયું છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો, બેટરી, એનર્જી ઓડિટ પર ભાર મૂકવા કહેવાયું છે. GIFT સિટી, ઉત્પાદન અને રિન્યુએબલ એનર્જીમાં કુશળતાનો ઉપયોગ કરીને ગુજરાત નાણાકીય, વ્યાવસાયિક અને ઊર્જા સેવાઓમાં નિકાસ વધારી શકે છે. 8% શિક્ષણમાંથી રોજગારી મેળવે છેરાજ્યના સર્વિસ સેક્ટરમાંથી કુલ 8% લોકો જ શિક્ષણમાંથી રોજગારી મેળવે છે. ગુજરાતમાં હોલસેલ અને રિટેલ ટ્રેડ ક્ષેત્રમાં કુલ સર્વિસ સેક્ટરના 35% લોકો રોજગારી મેળવે છે, જ્યારે સર્વિસ સેક્ટરના કુલ જીડીપીમાં હિસ્સો 32.9% છે. ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ ક્ષેત્ર જીડીપીમાં 17% અને રોજગારીમાં 14.3% યોગદાન આપે છે. ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ રોજગારીમાં માત્ર 4.3% અને જીડીપીમાં 14.9% યોગદાન આપે છે. જાહેર વહીવટ જેવી સેવામાં રોજગારીનો હિસ્સો 4% અને જીડીપીમાં હિસ્સો 7.3% છે. હોટેલ અને રેસ્ટોરન્ટ સેક્ટર આઠમા સ્થાને છે અને રોજગારી આપવામાં 4.5% હિસ્સો ધરાવે છે. મહિલા 20%, પુરુષો 33% રાજ્યના વિવિધ ક્ષેત્રમાં જેટલા લોકો રોજગારી મેળવી રહ્યો છે, તેમાંથી 20%થી ઓછી મહિલાઓ સર્વિસ સેક્ટરમાં અને 32.7%થી વધુ પુરુષો સર્વિસ સેક્ટરમાં નોકરી છે. નીતિ આયોગે 2023-24ના પિરિયોડિક લેબર ફોર્સ સરવેના આધારે આ આંકડો આપ્યા છે. દેશમાં ગ્રામિણ મહિલાઓની સર્વિસ સેક્ટરમાં ભાગીદારી માત્ર 10.5% છે, જ્યારે શહેરી વિસ્તારોમાં મહિલાઓની ભાગીદારી 60%થી વધુ છે અને તેમને પુરુષોને જેટલુ વેતન મળે છે તેના 84% જેટલુ જ વેતન મળે છે. એનાલિસિસ
સરકારી વિભાગમાં પ્રમોશન મેળવવામાં કર્મચારીઓને અનેક અડચણો આવતી હોય છે. દરેક તબક્કાના વેરિફિકેશન તેમજ ખાતાકીય પરીક્ષા પાસ કર્યા બાદ પ્રમોશન મળે છે. જોકે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરીક્ષા પાસ કર્યા વગર કોઇ બીજા વેરિફિકેશન વગર જ એક જ સાથે 28 જુનિયર ક્લાર્કને સિનિયરના પ્રમોશન આપી દેવાયા હતા. બે વર્ષ બાદ ફરીથી જુનિયર ક્લાર્કના ઓર્ડર કરી દીધા. મામલો કોર્ટમા ગયો પણ ત્યાં ખોટું ટક્યું નહિ અને રિવર્ઝન ઓર્ડર માન્ય રહ્યા. આ બધી લડાઈમાં પાંચ વર્ષ વીતી ગયા છતાં વધારાના પગારની રિકવરી નથી થઈ તેમજ ખોટા ઓર્ડર કરનાર સામે ફોજદારી કાર્યવાહી નથી થઈ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના તત્કાલીન કમિશનર હેમંત કોશિયાની સહી સાથે 23 જૂન 2020ના બઢતીના ઓર્ડર થયા જેમાં 28ને જુનિયરમાંથી સિનિયર ક્લાર્ક બનાવાયા હતા. આ સાથે જ તેમનો ગ્રેડ પે 5200-20200થી વધારી 25,500-81400 લેવલ 4 કરી દેવાયો હતો. જોકે બાદમાં ખબર પડી કે આ એકપણ કર્મચારીએ બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણની કોઇ પરીક્ષા આપી નથી કે પાસ નથી કરી. નિયમ મુજબ પરીક્ષા પાસ કરે તેને જ પ્રમોશન મળે. અહીં તો પરીક્ષા વગર જ સીધા પ્રમોશન આપી દેવાયા હતા. બે વર્ષ બાદ 6 સપ્ટેમ્બર 2022ના આ 28 અને તે ઉપરાંતના 2 સહિત 30 ક્લાર્કને વળી જુનિયર ક્લાર્ક કરી નાખવા ઓર્ડર થયો. આ ઓર્ડર સામે ક્લાર્ક કોર્ટમાં ગયા અને સુનાવણી ચાલી. કોર્ટે 5 માર્ચ 2025ના ચુકાદો આપી જેણે પરીક્ષા પાસ નથી કરી તેમજ મોડી પરીક્ષા પાસ કરી છે તેમની અરજી કાઢી નાખી. આ સમય સુધી પ્રમોશન મેળવેલા તમામને લેવલ 4નો પગાર પણ મળ્યો અને નિવૃત્ત થનારને લાભો મળી ગયા તેની હજુ સુધી કોઇ રિકવરી કરાઈ નથી તેમજ આ રીતે ખોટા ઓર્ડર કરીને સરકારી તિજોરીને કરોડોનું નુકસાન અને છેતરપિંડી કરનાર જવાબદાર અધિકારીઓ સામે કોઇ ફોજદારી કાર્યવાહી પણ કરાઈ નથી. ફરી જુનિયરના ઓર્ડર થયા ત્યાં સુધીમાં ફક્ત 4 જ પાસ થયા છે કોર્ટે ટાંક્યું કે રિવર્ઝન પહેલાં પરીક્ષા પાસ કરી તે જ યોગ્યકોર્ટે પોતાના હુકમમાં ટાંક્યું છે કે, પ્રમોશન અને રિવર્ઝન ઓર્ડર વચ્ચેનો જે સમય ગાળો છે તેમાં જે કોઇ કર્મચારીએ પરીક્ષા પાસ કરી છે તેને જ પ્રમોશન માટે લાયક ગણી શકાય. આ સિવાયના સમયમાં જેણે પરીક્ષા પાસ કરી હોય તે અંગે વિભાગે નિર્ણય લેવો. જેણે પરીક્ષા પાસ નથી કરી તેઓએ તો ચુકાદા પહેલાં જ પોતાની અરજી પરત ખેંચી લીધી હતી. આ સમયગાળા દરમિયાન માત્ર 4 ક્લાર્કે જ પરીક્ષા પાસ કરી હતી. આ ઉપરાંત 14 ક્લાર્ક તો નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમને કોર્ટે એવી ટકોર કરી છે કે, ટૂંક સમયમાં જ તેઓ વિભાગમાં અરજી કરે અને આ અરજીમાં નિર્ણય લેવા માટે વિભાગને પણ સમયમર્યાદા આપી છે. આ 14ને સિનિયર ક્લાર્ક મુજબ ભથ્થા, પગાર બાદ નિવૃત્તિના લાભો મળી ગયો છે. આરોગ્ય વિભાગે ભરતી માટે વિગતો માગી મહેકમ માગ્યું અને આખું કૌભાંડ બહાર આવ્યુંફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજ્યના આરોગ્ય વિભાગની હેઠળ આવે છે. દરેક પેટા વિભાગમાં ભરતી કરવા માટે આરોગ્ય વિભાગે વિગતો માગી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર કચેરીએ જેટલી પણ સિનિયર ક્લાર્કની ખાલી જગ્યા હતી તે પ્રમોશનથી ભરી દીધી છે. જેથી પ્રમોશન અંગેની વિગતો મેળવતા ખબર પડી કે ખાતાકીય પરીક્ષા પાસ કરી નથી છતાં કમિશનર કચેરીએ પ્રમોશન આપી દીધા છે. વિભાગે આ મામલો સરકારના ધ્યાને મૂક્યો અને તપાસમાં કૌભાંડ જણાયું. જેથી આરોગ્ય વિભાગે જ 29-07-2022ના ખાનગી પત્ર મોકલી દીધો. જે પત્રમાં રિવર્ઝન કરવાનો આદેશ હતો. ભાસ્કર ઈન્સાઈડ સ્ટોરી: વકીલે કોર્ટમાં કહ્યું, આ ઓર્ડર અધિકારીએ બદઈરાદાથી કર્યો!, 6 વર્ષ સુધી એક્સટેન્શનનો ભરપૂર લાભ લીધોએચ.એ. કોશિયા 2018-19માં જ નિવૃત્ત થઈ ગયા હતા પણ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર પદે સરકારે તેમને એક્સટેન્શન આપ્યું હતું. એક બે નહીં છ-છ વખત તેમને એક્સટેન્શન મળ્યા હતા. આ રીતે જોતા તેમની પાસે બહોળો અનુભવ હતો. આમ છતાં તેમની જ સહીથી 23 જૂન 2020ના પ્રમોશનના ખોટા ઓર્ડર નીકળ્યા હતા અને અંતે વિવાદ બાદ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. આ મુદ્દે કોર્ટમાં દલીલ ચાલતી હતી તેમાં એજીપીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, 2020નો આ ઓર્ડર વિભાગના જ એક અધિકારીની મિસચીફ એટલે કે બદઈરાદાથી થયો છે અને તે આ મામલાની ખાતાકીય તપાસ હાલ ચાલી રહી છે. કોર્ટે આ મુદ્દો પોતાના હુકમમાં ફકરા નં.9.1 તરીકે ટાંક્યો છે. ચુકાદો માર્ચમાં આવ્યો અને તે જ વર્ષે કોશિયાને એક્સટેન્શન મળવાનું હતું જે ન મળ્યું જેથી આ પ્રકરણ પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ગયું છે.
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલના બી, સી અને ડી બ્લોકની હાલત ગંભીર બની ગઈ છે. કુલપતિના આધુનિક નિવાસ અને અધિકારીઓની એસી ઓફિસથી માત્ર એક કિલોમીટર દૂરના હોસ્ટેલના બી અને ડી બ્લોકના વિદ્યાર્થીઓ પીવાનાં પાણી અને વપરાશ માટે વલખાં મારતાં નજરે પડ્યાં છે. તેમને સી બ્લોકમાં પીવાનું પાણી લેવા જવું પડે છે. બી, સી, ડી બ્લોકમાં બાથરૂમ, ટોઇલેટ, વોશરૂમ તૂટેલા અને ગંદા છે. દીવાલો અને છત બિસ્માર છે, કચરો અને દુર્ગંધ મારે છે. જ્યારે યુનિવર્સિટી કેમ્પસમાં ગેસ્ટહાઉસ અને પ્રાઇવેટ રેસિડન્સ, હોસ્ટેલના બી, સી, ડી બ્લોકમાં સાફ-સફાઈ, મચ્છર નિયંત્રણ અને જાળવણી માટે દર મહિને પાંચ લાખથી વધુ રૂપિયાનો કોન્ટ્રાક્ટ છતાં બાથરૂમ-ટોઇલેટમાં ગંદકી, દુર્ગંધ છે. તૂટેલા નળ છે. બેઝમેન્ટમાં વોટર કૂલર વર્ષોથી બંધ છે. બી-ડી બ્લોકના વિદ્યાર્થીઓ પીવાનું પાણી અપૂરતું હોવાથી તેમને સી બ્લોક સુધી જવું પડે છે, છતાં ઉચ્ચ સત્તાવાળાઓ ગાઢ નિદ્રામાં છે. અગાઉ બી બ્લોકમાં રહેતો હતો, પરંતુ પાણી ન મળતાં ડી બ્લોકમાં પ્રવેશ લીધોએક વિદ્યાર્થીએ જણાવ્યું કે, હું ગુજરાત યુનિવર્સિટીમાં પીજી કોર્સમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરું છું અને હોસ્ટેલમાં રહું છું. અગાઉ બી બ્લોકમાં રહેતો હતો, પરંતુ આવશ્યકતા મુજબ હોસ્ટેલમાં પીવાના પાણીની, વપરાશના પાણીની સવલત ના હોવાથી કંટાળીને ચાલુ વર્ષે ડી બ્લોકમાં પ્રવેશ લીધો છે. અપૂરતી સવલતોને લીધે વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ- અભ્યાસ પર અસરહોસ્ટેલના વિદ્યાર્થીઓને પીવાનું પાણી મેળવવા માટે 80 મીટર સુધી જવું પડે છે, અને વપરાશના પાણીની પણ અછત છે. મચ્છરનો ત્રાસ છે અને પીવાના પાણીની ખરીદી પાછળ ઘણાં વિદ્યાર્થીઓને પ્રતિમાસ રૂ. 1 હજારથી 2 હજાર પીવાના પાણી પાછળ વપરાય છે. > વિદ્યાર્થી
રાણીપમાં રહેતા અને રાણીપમાં જ દુકાન ધરાવતા એક જ્વેલર્સનું 7 મહિના પહેલાં કેટલાક માણસો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયા હતા. તેમણે વેપારી પાસેથી 40 કિલો સોનું લૂંટી લીધું હતું. જ્યારે તેને 18 કલાક સુધી ગોંધી રાખી માર મારી હેમખેમ છોડવા માટે બીજું 42 કિલો સોનું મગાવીને તે પણ પડાવી લીધું હતું. ફરિયાદ નોંધાવવા વેપારી રાણીપ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા, પરંતુ બિલ ન હોવાથી પોલીસે ફરિયાદ લીધી ન હતી. આખરે વેપારીએ કમિશનરને મળીને અરજી આપી હતી. રાણીપમાં રહેતા રાકેશભાઈ તિવારી રાણીપમાં જ જ્વેલરી શોપ ધરાવે છે. માર્ચ મહિનામાં વેપારીઓના દાગીનાનો ઓર્ડર હોવાથી રાકેશભાઈ 40 કિલો સોનાના દાગીના આપવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક કારમાં આવેલા 4 માણસ રાકેશભાઈનું અપહરણ કરીને લઈ ગયા હતા. તેમને અવાવરું જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી અસહ્ય માર માર્યો હતો. ત્યાર બાદ તેમને હેમખેમ છોડવા માટે બીજું સોનું મગાવ્યું હતું, જેથી રાકેશભાઈએ તેમને બીજું 42 કિલો સોનું આપ્યું હતું. આથી 18 કલાક બાદ અપહરણકર્તાઓએ તેમને છોડ્યા હતા. જોકે આ ઘટનાની ફરિયાદ કરવા માટે રાકેશભાઈ રાણીપ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી જ ન હતી. આથી રાકેશભાઈ ઉપરી અધિકારીઓને મળવા પણ જતા હતા. આખરે થાકીને તેઓ પોલીસ કમિશનરને મળ્યા હતા અને રજૂઆત કર્યા બાદ ત્યાં અરજી આપી હતી, જેના આધારે રાણીપ પોલીસે 7 મહિના બાદ તેમની અરજી લીધી હતી. આ અંગે રાણીપ પીઆઈ કે. એન. વ્યાજે જણાવ્યું કે, રાકેશભાઈ પાસેથી 82 કિલો સોનું લૂંટી લેવામાં આવ્યું હોવાની રજૂઆત તેઓ કરી રહ્યા છે. તેમની પાસેનાં સોનાનાં બિલ કે અન્ય કોઈ પણ પુરાવા હોય તો તે રજૂ કરવા કહેવામાં આવ્યું છે. તેઓ પુરાવા આપશે ત્યાર બાદ જ આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારી-કર્મચારીઓ શપથ લેશે:રાજ્યભરની તમામ સરકારી કચેરીઓમાં 30 ઓક્ટોબરે 'રાષ્ટ્રીય એકતા દિવસ' ઉજવાશે
રાજ્યના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 31 ઓક્ટોબર, 2025ના રોજ સમગ્ર ગુજરાતમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ' તરીકે ઉજવણી કરવામાં આવશે. ત્યારે 31 ઓક્ટોબરના રોજ રજા હોવાથી 30 ઓક્ટોબરે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે. ‘રાષ્ટ્રીય એકતા દિનની શપથ’ લેશેઆ અંગે ગૃહ વિભાગ દ્વારા સચિવાલયના તમામ વિભાગો અને જિલ્લાના મેજિસ્ટ્રેટોને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા મુજબ, સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે સવારે 11 વાગ્યે તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિનની શપથ’ લેવામાં આવશે. ગૃહ વિભાગના સચિવાલય સહિતના તમામ વિભાગો તેમજ પોલીસ મુખ્યાલયોમાં પણ અધિકારીઓ અને કર્મચારીઓ હાજરી આપીને એકતા દિનની પ્રતિજ્ઞા લેશે. આ શપથમાં રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવાનો સંકલ્પ લેવામાં આવશે તથા આ સંદેશ સમગ્ર દેશમાં ફેલાવવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવશે. સરદાર પટેલના દ્રષ્ટિકોણ અને કાર્ય દ્વારા રચાયેલ રાષ્ટ્રની એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ પણ શપથનો હિસ્સો રહેશે. આ રીતે રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં દેશની એકતા અને સુરક્ષાને અડગ રાખવાનો સંદેશ આપવામાં આવશે.
10 વર્ષથી ફરાર પોક્સો કેસનો કેદી ઝડપાયો:રાજકોટ જેલમાંથી પેરોલ પર ભાગી કચ્છમાં નામ બદલી રહેતો હતો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી છેલ્લા દસ વર્ષથી ફરાર પોક્સો કેસના એક કેદીને ભુજ (કચ્છ) ના ધાણેટી ગામમાંથી પકડી પાડવામાં આવ્યો છે. આ કેદી પોતાનું નામ બદલીને રહેતો હતો. ચકાભાઇ ગગજીભાઈ કોળી નામના આ કેદીને પોક્સો કલમ 6 સહિત આઈપીસી કલમ 363, 366 હેઠળ 12 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તે હળવદ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 01/2014ના ગુનામાં સંડોવાયેલો હતો. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા અને પેરોલ ફર્લો સ્કોડના I/C પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાની ટીમો દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ટીમોએ સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને ફરાર આરોપીઓને શોધી કાઢવા પ્રયાસ કર્યો હતો. આ ઝુંબેશ દરમિયાન, પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. સંજયને હ્યુમન સોર્સ દ્વારા અને એલ.સી.બી.ના પો.કોન્સ મહેન્દ્રને ટેકનિકલ સોર્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ધાણેટી ગામ, તા. ભુજ-કચ્છ ખાતેથી ફરાર કેદી ચકા કોળીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી કરીને તેને રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી દેવામાં આવ્યો છે.
પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલા બાલારામ બ્રિજ પર અમદાવાદથી જયપુર જતી એક બસનો અકસ્માત થયો હતો. બ્રિજની પાળી સાથે બસ અથડાતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી, જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બસમાં સવાર 50થી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પાલનપુર-આબુ નેશનલ હાઈવે પર ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર બસ ચાલક ગોળાઈમાં બસ હંકારી રહ્યો હતો. તે સમયે બાજુમાંથી એક પૂરપાટ ઝડપે આવતા ટેલરે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. બસ અને ટેલર વચ્ચે અકસ્માત ટાળવા માટે બસ ચાલકે બસને બ્રિજની પાળી સાથે અથડાવી દીધી હતી. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) વિભાગ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો. બસ બ્રિજની પાળી સાથે ટકરાયેલી હોવાથી, બસમાં ફસાયેલા 50થી વધુ મુસાફરોને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. બસ ચાલકની સમયસૂચકતા અને ચાલાકીને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને 50થી વધુ લોકોનો જીવ બચ્યો હતો.
બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી કરતી કુખ્યાત 'રાજા ટકલા' ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ધરપકડથી 16 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. જેમાં 12 ઘરફોડ ચોરીના તેમજ 4 વાહન ચોરીના ગુનાનો સમાવેશ થાય છે. પોલીસને સીસીટીવી ફૂટેજ દ્વારા જાણવા મળ્યું હતું કે, ચોરીના બનાવોમાં ત્રણથી ચાર ઇસમો સંડોવાયેલા હતા જેમનું વર્ણન એકસરખું હતું. ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ અટકાવવા માટે, એલસીબી બનાસકાંઠાની ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે આયોજનબદ્ધ તપાસ હાથ ધરી હતી. વિસ્તૃત તપાસના અંતે, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવોમાં અમદાવાદની 'રાજા ટકલા' ગેંગ સંડોવાયેલી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે, ગેંગના સભ્યોના ચોક્કસ નામ-સરનામા અને અન્ય વિગતો ઉપલબ્ધ ન હોવાથી, ટીમોએ 500થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસીને આરોપીઓના વર્ણનના આધારે તેમના પૂરા નામ મેળવ્યા હતા. આરોપીઓ ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં હંગામી ધોરણે રહેતા હોવાથી તેમને શોધવામાં મુશ્કેલી પડી હતી. પાલનપુર એલસીબીની ટીમે વાહન ચેકિંગ દરમિયાન એક એક્ટિવા અને એક મોટરસાયકલ પર સવાર ત્રણ ઇસમોને પકડ્યા હતા. તેમની પાસેથી મળી આવેલા વાહનોના કાગળો ન હોવાથી 'પોકેટ કોપ' દ્વારા તપાસ કરતા બંને વાહનો ચોરીના હોવાનું જણાયું હતું. તેમના કબજામાંથી ચાંદીના અલગ-અલગ સાઈઝના 15 સિક્કા પણ મળી આવ્યા હતા, જેના કોઈ આધાર-પુરાવા ન હોવાથી તે પણ ચોરીના હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ લાગ્યું હતું. ઝડપાયેલા આરોપીઓમાં (1) અનિલ ઉર્ફે કાળીયો પુરબીયા, (2) રાજા ઉર્ફે ટકલો મુન્નાભાઈ સતલુભાઈ કેવટ અને (3) પિન્ટુ ઉર્ફે રાહુલ મોતીભાઈ સોમાભાઈ અહારીનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ રૂ. 1,19,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં એક એક્ટિવા, એક મોટરસાયકલ, ત્રણ મોબાઈલ, બે ડિસમિસ, એક લોખંડનું પકડ, એક લાકડાના હાથાવાળો હથોડો, એક લોખંડ કાપવાની હેક્સોબ્લેડ, એક લોખંડનું પતરું કાપવાની કાતર અને 15 ચાંદીના સિક્કાનો સમાવેશ થાય છે. તેમની સઘન પૂછપરછમાં તેમના અન્ય સાગરીત જીવા અહારી (મીણા) દ્વારા પણ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. ગુનાની મોડસ ઓપરેન્ડી આ ગુનામાં સંડોવાયેલ રાજા ટકલા ગેંગના મુખ્ય સુત્રધાર રાજા હોવાનું જણાય આવ્યું છે. સદર ગેંગના બીજા માણસોમાં બે રાજસ્થાનના ડુંગરપુર તથા એક માણસ સુરેન્દ્રનગર જિલ્લાનો હોવાનું જણાઈ આવ્યું હતું. તમામ સાગરીતો ફકત ચોરી કરવાના ઇરાદાથી ભેગા થતા હતા અને ચોરી કરવા માટે અમદાવાદથી પેસેન્જર વાહનોમાં નીકળી જે તે વિસ્તારમાં ગયા બાદ ટુ વ્હીલર જેવા કે, મોટર સાયકલ/ એક્ટિવાની ચોરી કરતા અને તેના મારફતે રોકડ રકમ મળી શકે તેવા મોલ, પાર્લર, દુકાનો ટાર્ગેટ કરતા હતા અને ચોરી કર્યા બાદ ચોરીમાં ઉપયોગ કરેલા મોટર સાયકલ કે એક્ટિવા બીનવારસી અન્ય જગ્યાએ છોડી દેતા હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું છે. જિલ્લા વાઇઝ ડીટેક્ટ કરેલા ઘરફોડ ચોરીના ગુનાઓની વિગતબનાસકાંઠા જિલ્લાની ઘરફોડ ચોરીના ગુના-06મહેસાણા જિલ્લાની ઘરફોડ ચોરીના ગુના-01પાટણ જિલ્લાની ઘરફોડ ચોરીના ગુના-01સાબરકાંઠા જિલ્લાની ઘરફોડ ચોરીના ગુના-01
બોટાદ ભાજપનો સ્નેહમિલન સમારોહ:કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ સ્વદેશી અપનાવવા અપીલ કરી
બોટાદ જિલ્લા ભાજપ દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બોટાદ શહેરના ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો, જેમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગર-બોટાદના સાંસદ નિમુબેન બાંભણીયા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ ઉપસ્થિત સૌ કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે પોતાના સંબોધનમાં દેશના યુવાનો અને લોકો દ્વારા નિર્મિત વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ 'હર ઘર સ્વદેશી – ઘરઘર સ્વદેશી' સૂત્રને જીવનમાં અપનાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આપણે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, મધુસૂદન ડેરીના ચેરમેન ભોળાભાઈ રબારી, APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, ઘનશ્યામભાઈ વિરાણી, ભીખુભા વાઘેલા, નગરપાલિકા પ્રમુખ ધર્મીષ્ઠાબેન જોટાણીયા સહિત ભાજપના અનેક હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ આગેવાનો અને કાર્યકરોએ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી સ્નેહમિલનનું સમાપન કર્યું હતું.
સુરત શહેરમાં ડ્રગ્સની હેરાફેરી માટે 'કપડા આ ગયા હૈ' જેવા કોડવર્ડનો ઉપયોગ કરી રહેલા ત્રણ ડ્રગ્સ માફિયાઓને લાલગેટ પોલીસે ડમી ગ્રાહક બનીને રંગે હાથ ઝડપી પાડ્યા છે. મંગળવારે મોડી રાત્રે રાજમાર્ગ વિસ્તારમાંથી પોલીસે સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 20.79 લાખની કિંમતનું 204.70 ગ્રામ એમડી ડ્રગ્સ સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે બાઇક અને મોપેડ પાસે ઊભેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતાલાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી અને તેમની ટીમે બાતમીના આધારે રાજમાર્ગ પર વોચ ગોઠવી હતી. પોલીસે બાઇક અને મોપેડ પાસે ઊભેલા ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ સરફરાજ ઉર્ફે સફી અમદાવાદી મોહંમદ પટેલ (રહે. કોસાડ આવાસ, અમરોલી), તેનો સાગરિત ઉબેદુલ્લાહ ઉર્ફે ઉબેર ગુલામહુસૈન પેરીયા (રહે. જમરૂખ ગલી, નાનપુરા) અને ઈમરાન ફકરૂદ્દીન સુલતાનીયા (રહે. જીમખાન, રાંદેર) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી કે, આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી. ત્રણેય રીઢા ગુનેગારોએ જેલમાંથી બહાર આવ્યા બાદ એકબીજાનો સંપર્ક કરીને છેલ્લા એક વર્ષથી સુરતમાં એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. કોડવર્ડ 'કપડા આ ગયા હૈ'થી થતી ડિલિવરીઆરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે ડ્રગ્સની ડિલિવરી દરમિયાન ગ્રાહકો સાથે કોડવર્ડનો ઉપયોગ કરતા હતા. જ્યારે ગ્રાહક સાથે ડીલ ફાઇનલ થતી, ત્યારે તેઓ ડ્રગ્સ માટે કપડા આ ગયા હૈ એવો કોડવર્ડ વાપરીને ડિલિવરી કરતા હતા. પોલીસે આ કોડવર્ડને ડિકોડ કરીને જ ડમી ગ્રાહક બનીને આરોપીઓને પકડ્યા હતા. પોલીસે આરોપીઓના ખિસ્સા અને મોપેડની ડિકીમાંથી 20.70 લાખનું ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ કાંટો, ઇન્જેક્શનની સિરીંજો, ૪ મોબાઇલ, એક મોપેડ અને એક બાઇક સહિત કુલ 22.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૂત્રધાર દર મહિને કિલોથી વધુ MD વેચતો હોવાની શંકાપોલીસને શંકા છે કે, સૂત્રધાર સફી અમદાવાદી દર મહિને એકાદ કિલોથી વધુ એમડી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સફીને એમડી ડ્રગ્સનો મુખ્ય સપ્લાય માંગરોળનો ઇરફાન મકરાણી કરતો હતો, જે અમરોલી કોસાડ આવાસ ખાતે સફીને ડ્રગ્સ આપવા આવતો હતો. પોલીસનું માનવું છે કે ઇરફાન મકરાણી આ ડ્રગ્સ મુંબઈથી લાવતો હતો. આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, સૂત્રધાર સફી અગાઉ હથિયાર, ડ્રગ્સ, જુગાર અને જાહેરનામા સહિતના 4 ગુનામાં કતારગામ, અડાજણ, રાંદેર અને અમદાવાદ ડીસીબીમાં પકડાયો હતો અને તે વર્ષ 2020માં જેલમાં ગયો હતો.ઉબેર અગાઉ જુગાર, મારામારી, ડ્રગ્સ અને જાહેરનામા સહિતના ૭ ગુનામાં પકડાયો હતો, જેમાં અઠવા પોલીસમાં 6 અને રાંદેરમાં 1 ગુનો છે. તે 2 વર્ષ પહેલાં જેલમાંથી છૂટ્યો હતો. ઈમરાન સુલતાનીયા અગાઉ ડીસીબીમાં ડ્રગ્સના કેસમાં પકડાયેલો હતો અને તે પણ માત્ર 8 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો. લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, મુખ્ય સપ્લાયર ઇરફાન મકરાણી અને તેના મુંબઈ સ્થિત સપ્લાયરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના માર્ગદર્શન હેઠળ વિશ્વભરમાં 'મિશન રાજીપો' અભિયાન અંતર્ગત એક અનોખી આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કુલ 15,666 બાળ-બાલિકાઓએ મહંત સ્વામી મહારાજ રચિત 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરીને આ અભૂતપૂર્વ સાધના પૂર્ણ કરી છે. ત્યારે ભરૂચના પણ 232 જેટલા બાળ-બાલિકાઓએ સંસ્કૃત શ્લોક કંઠસ્થ કરીને હોમાત્મક યજ્ઞમાં ભાગ લીધો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં બાળપણથી જ સંસ્કાર, સત્સંગ, શિસ્ત અને સંસ્કૃતિના મૂલ્યોનું સિંચન કરવાનો છે. મહંત સ્વામી મહારાજના સંકલ્પથી આ અભિયાન દિવાળી 2025 સુધીમાં પૂર્ણ કરવાનો ધ્યેય નિર્ધારિત કરાયો હતો. સ્વામીજીએ સ્વહસ્તે રચેલા આ ગ્રંથમાં 315 સંસ્કૃત શ્લોકો દ્વારા સનાતન ધર્મ, આદર્શ જીવન અને નૈતિક મૂલ્યોનો સમન્વય દર્શાવવામાં આવ્યો છે. વિશ્વભરના 8,500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ભારતના ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક તેમજ અમેરિકા, કેનેડા, યુકે, યુએઈ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને આફ્રિકા જેવા દેશોમાંથી 40,000થી વધુ બાળકો આ અભિયાનમાં જોડાયા હતા. તેમાંથી 15,666 બાળકોએ ગ્રંથનું મુખપાઠ પૂર્ણ કરીને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. બાળકોને શાળાકીય અભ્યાસની સાથે રજાઓ દરમિયાન ગ્રંથનું મુખપાઠ કરવા પ્રોત્સાહિત કરાયા હતા, જેનાથી તેમની એકાગ્રતા, ધ્યાન અને આત્મવિશ્વાસમાં વધારો થયો છે. ભરૂચ ખાતે બી.એ.પી.એસ. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે પણ આ અવસરે 'સત્સંગ દીક્ષા' હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 232 જેટલા બાળ-બાલિકાઓએ મુખપાઠ પૂર્ણ કરીને આધ્યાત્મિક ભાવનાથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કોઠારી અનિર્દેશદાસ સ્વામી, ઘનશ્યામજીવનદાસ સ્વામી તથા મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
વેરાવળમાં વરસાદી વાતાવરણ વચ્ચે સંત શિરોમણી પૂ. જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતિની લોહાણા મહાજન દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.મોટી શાક માર્કેટ સ્થિત જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. બપોરે અને સાંજે મહાઆરતી યોજાઈ હતી. પૂ.બાપાના ચરણોમાં વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગતમંદિરને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.બપોરે મંદિરેથી પૂ. જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ યાત્રા વિવિધ રાજમાર્ગો પર ફરી હતી.શોભાયાત્રા દરમિયાન ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. ડીજેના તાલે રઘુવંશી ભાઈ-બહેનો નાચ-ગાન કરીને ઉત્સાહભેર જોડાયા હતા. રાજમાર્ગો પર વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું. સામાજિક-રાજકીય આગેવાનો શોભાયાત્રામાં જોડાયાઆ શોભાયાત્રામાં પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર, લોહાણા મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, મંદિર ટ્રસ્ટના ભદ્રેશભાઈ દાવડા, અશોકભાઈ ગદા, નીતુભાઈ રાડીયા, જનકભાઈ સોમૈયા, મુકેશભાઈ ચોલેરા, પાલિકા ચેરમેન અંકુર અઢીયા, સાગર પુત્ર ફાઉન્ડેશનના અધ્યક્ષ લખમભાઈ ભેસલા, પટેલ દામજીભાઈ ફોફંડી, બોટ એસોસિએશનના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ અને જિલ્લા ભાજપના ડો. સંજય પરમાર સહિતના અગ્રણીઓ અને આગેવાનો જોડાયા હતા. સર્વે જ્ઞાતિજનોએ પ્રસાદનો લાભ લીધોકમોસમી વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જલારામ જયંતિ પ્રસંગે દર વર્ષે બપોરે લોહાણા મહાજન વાડીમાં અને સાંજે લોહાણા બોર્ડિંગમાં યોજાતી સમૂહ જ્ઞાતિ પ્રસાદીમાં ફેરફાર કરાયો હતો. આ વર્ષે ફક્ત સાંજની પ્રસાદી કોમ્યુનિટી હોલ ખાતે યોજવામાં આવી હતી, જેનો સર્વે જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. પ્રભાસ પાટણમાં પણ જલારામ જયંતિની ઉજવણીઆ ઉપરાંત, સોમનાથ નજીક પ્રભાસ પાટણમાં પણ પૂ. જલારામ જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણમાં લંડનના એક પરિવારે બનાવેલા જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં લોહાણા, સિંધી, કોળી સહિત તમામ સમાજના લોકો સામૂહિક રીતે જોડાયા હતા. યુવાનો ડીજેના તાલે નાચ-ગાન કરતા વિવિધ માર્ગો પર ફર્યા હતા.લોહાણા મહાજન પ્રમુખ લાલભાઈ અટારાના નેજા હેઠળ લોહાણા વંડીમાં સમૂહ જ્ઞાતિ પ્રસાદનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે સત્યનારાયણની કથા સાથે કઢી-ખીચડીની પ્રસાદી યોજાઈ હતી, જેમાં સર્વે જ્ઞાતિજનોએ સામેલ થઈ જલારામ બાપાની ભક્તિમાં લીન થયા હતા.
વાગડના મીની વીરપુર જલારામ મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાપર તાલુકાના બાદરગઢ પાટિયા પાસે આવેલું આ મંદિર છેલ્લા ત્રણ દાયકાથી વાગડ વિસ્તારમાં મીની વીરપુર તરીકે પ્રખ્યાત છે, જે સંત જલારામ બાપાના પવિત્ર પગલે ચાલી રહ્યું છે. આ ઉજવણી અંતર્ગત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના યજમાન દાતા હરખા ગોવિંદભાઈ બેરા વોંધ હતા. કાર્યક્રમમાં 226 દીવડાની મહાઆરતી, ધૂન, જલારામ ચાલીસા, રાસોત્સવ અને ભજન સંધ્યા જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, બાપાની ઝૂંપડી બનાવવામાં આવી હતી. જલારામ ગ્રુપ દ્વારા મંદિર પાસે 'વીરબાઈનો વિસામો' નામનો શેડ બનાવવામાં આવ્યો છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ મંદિર માટે વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભચાઉ નગરપાલિકાના માજી પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડે, વિનુ થાનકી, મધુભા વાઘેલા, હમીરજી સોઢા, કમલસિંહ સોઢા અને કાંતિલાલ ઠક્કર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજન લોહાણા સમાજ, લોહાણા યુવક મંડળ અને લોહાણા સમાજ મહિલા મંડળ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બુધવારનો દિવસ બે મહત્વપૂર્ણ સિદ્ધિઓ લઈને આવ્યો છે, જેણે સુરતના વ્યાપાર અને ઉદ્યોગ જગત તેમજ એરપોર્ટની સુરક્ષા અને સુવિધાઓને નવી ઊંચાઈ આપી છે. એક તરફ એરપોર્ટ પર હવે દિલ્હી-મુંબઈની જેમ ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ શરૂ થઈ છે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે તો બીજી તરફ ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન શરૂ થવાની સંભાવનાઓ પ્રબળ બની છે, જેનાથી સુરત વૈશ્વિક નકશા પર ઊભરી શકે છે. ઇન્ટરનેશનલ કાર્ગો હબ બનવાની દિશામાં મજબૂત પગલુંસુરત એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્ગો ઓપરેશન શરૂ થવાની શક્યતાઓ ખૂબ જ વધી ગઈ છે. એર કાર્ગો લોજિસ્ટિક્સ એન્ડ એલાઇડ સર્વિસિસ કંપની લિમિટેડ (AAICLAS)ના CEO અજય કુમારે બુધવારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લીધી હતી અને અહીં ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન શરૂ કરવાની તમામ સંભાવનાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. એરપોર્ટ ડાયરેક્ટર એ.એન. શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું અને હાલની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. ડાયમંડ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ફાર્માને મોટો ફાયદો થશેહાલમાં સુરત એરપોર્ટ પર માત્ર ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલની સુવિધા છે, જેનો ઉપયોગ દેશના વિવિધ ભાગોમાં ટેક્સટાઇલ અને ઔદ્યોગિક ઉત્પાદનોની શિપમેન્ટ માટે થાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય કાર્ગો સેવા શરૂ થવાથી સુરતના મુખ્ય ઉદ્યોગો ડાયમંડ, ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ અને ફાર્માને મોટો ફાયદો થશે. ખાસ કરીને ગલ્ફ દેશો, યુરોપ અને સાઉથ ઈસ્ટ એશિયા જેવા મહત્વના બજારો માટે ડાયરેક્ટ કાર્ગો શિપમેન્ટની સુવિધા મળવાથી સુરતનો એક્સપોર્ટ વેપાર અપેક્ષિત રીતે વધશે અને તેને નવી ગતિ મળશે. સુરત ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ કાર્ગો હબ તરીકે ઓળખ બનાવી શકશેCEO અજય કુમારે એરપોર્ટના કાર્ગો ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક નેટવર્ક અને સુરક્ષા પ્રણાલીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે વિવિધ હિતધારકો સાથે બેઠક પણ યોજી હતી, જેમાં ઇન્ટરનેશનલ કાર્ગો ઓપરેશનની તકનીકી જરૂરિયાતો, કસ્ટમ્સ ક્લિયરન્સ સિસ્ટમ અને સ્ટોરેજ ક્ષમતાને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓના મતે જો AAICLAS તરફથી જરૂરી તકનીકી મંજૂરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મંજૂરી મળી જાય તો સુરત ટૂંક સમયમાં જ ઇન્ટરનેશનલ કાર્ગો હબ તરીકે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી શકશે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે નિર્ણય લેવાયો'ઇન-લાઇન બેગેજ' સિસ્ટમ શરૂ, મુસાફરી હવે સુપરફાસ્ટ અને સુરક્ષિત કાર્ગોની સંભાવનાઓની સાથે જ સુરત એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા અને સુવિધા વધારવા માટે વધુ એક મોટો નિર્ણય લેવાયો છે. દિલ્હી, મુંબઈ અને અમદાવાદ જેવા દેશના મોટા એરપોર્ટની જેમ જ સુરત આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર બુધવારથી ઇન-લાઇન બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ (ILBHS)ની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રસંગે AAICLASના CEO અજય ભારદ્વાજ અને એરપોર્ટ ડાયરેક્ટર એ. એન. શર્મા સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ILBHS શું છે અને શું ફાયદો થશે? આ એક સંપૂર્ણપણે ઓટોમેટેડ સ્કેનિંગ સિસ્ટમ છે, જે સીધી એરપોર્ટના બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ (BHS) સાથે જોડાયેલી છે. ઝડપી ચેક-ઇન: અત્યાર સુધી મુસાફરોને ચેક-ઇન કરાવતા પહેલા તેમના સામાનને અલગથી એક્સ-રે મશીન પર લઈ જઈને સ્કેન કરાવવો પડતો હતો, જેના કારણે સમયનો વ્યય થતો હતો અને કાઉન્ટર પર ભીડ થતી હતી. સુરક્ષાનો ઉચ્ચ સ્તર: નવી સિસ્ટમમાં જ્યારે મુસાફર ચેક-ઇન કાઉન્ટર પર બેગ જમા કરાવે છે, ત્યારે બેગ કન્વેયર બેલ્ટ દ્વારા સીધી હાઇ-ટેક એક્સ-રે સ્કેનિંગ મશીનમાંથી પસાર થાય છે. આ સિસ્ટમમાં બેગેજની ચાર સ્તરો સુધી ઊંડાણપૂર્વક તપાસ થાય છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો સુરક્ષા ટીમને તુરંત ઓટોમેટિક એલર્ટ મળી જાય છે. સમય અને ભીડમાં ઘટાડો: આ સિસ્ટમ લાગૂ થવાથી મુસાફરોનો સમય બચશે, તેમને અલગ લાઇનમાં ઊભું રહેવું નહીં પડે અને એરપોર્ટ પર ભીડમાં પણ ઘટાડો થશે. બેગેજની સુરક્ષામાં અને ગુણવત્તામાં પણ અનેકગણો સુધારો થશે. એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું કે, ILBHSથી ચેક-ઇન પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે, જેનાથી મુસાફરોનો અનુભવ વધુ સારો થશે. આવનારા સમયમાં આ સિસ્ટમ દ્વારા બેગેજ ટ્રેકિંગની સુવિધા પણ જોડી શકાય છે, જેથી મુસાફરો રિયલ ટાઇમમાં તેમના સામાનની સ્થિતિ જાણી શકે. સુરત હવે દેશના તે ચુનંદા એરપોર્ટમાં સામેલ થઈ ગયું છે જ્યાં સંપૂર્ણ સ્વચાલિત બેગેજ સ્કેનિંગ સિસ્ટમ કાર્યરત છે.
અરેઠના મુંજલાવ ગામે દીપડો પાંજરે પુરાયો:ખેતરાડી વિસ્તારમાં વનવિભાગે પકડ્યો, ગ્રામજનોએ રાહત અનુભવી
સુરત જિલ્લાના અરેઠ તાલુકાના મુંજલાવ ગામે ફરી એકવાર દીપડો પાંજરે પુરાયો છે. છેલ્લા કેટલાક સમયથી ખેતરાડી વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. વનવિભાગની ટીમે દીપડાને પકડવા માટે મુંજલાવ ગામના ખેતરાડી વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. મારણની આશાએ દીપડો આ પાંજરામાં ફસાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. વનવિભાગ દ્વારા દીપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોધરામાં બંધ મકાનમાંથી ચોરી:વેકેશન પર ગયેલા પરિવારના ₹1.55 લાખ રોકડ ગાયબ
ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી મીનાક્ષી ગ્રીન સોસાયટીમાં એક બંધ મકાનમાંથી ₹1.55 લાખ રોકડની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ ઘરનું તાળું તોડીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોસાયટીમાં રહેતા ભાથીભાઈ ફુદાભાઈ પાદરીયા તેમના પત્ની અને બાળકો સાથે 17 ઓક્ટોબરના રોજ બપોરે તેમના વતન શિયાલ, તા. કડાણા, જિ. મહીસાગર ખાતે વેકેશનમાં ગયા હતા.27 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 5:15 વાગ્યે, તેમના પાડોશી અમિતભાઈ બાબુભાઈ પટેલે ભાથીભાઈને ફોન કરીને જાણ કરી હતી કે તેમના ઘરની લાઈટ ચાલુ છે અને બારીમાંથી ઘરનો સામાન વેરવિખેર દેખાઈ રહ્યો છે. આ માહિતી મળતા ભાથીભાઈ, તેમના પુત્ર દિલીપભાઈ અને પત્ની રસીલાબેન સાથે તાત્કાલિક ગોધરા પરત ફર્યા હતા. તેમણે જોયું કે ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું હતું. અંદર બેડરૂમમાં ત્રણ તિજોરીઓના લોક તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડ્યો હતો. બીજા માળે, જ્યાં તેમના પુત્ર દિલીપ અને પુત્રવધૂ વિરલબેન રહે છે, ત્યાંની તિજોરીનું લોક પણ તૂટેલું હતું. દિલીપભાઈએ વતનમાં ઘરના સમારકામ માટે રાખેલા ₹1.55 લાખ રોકડા તિજોરીમાંથી ગાયબ હતા. અજાણ્યા ચોર વિરુદ્ધ ભાથીભાઈ પાદરીયાએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અરવલ્લી જિલ્લા LCB ટીમે મોડાસા નજીક ગાઝણ ટોલનાકા પાસેથી એક ટ્રકમાંથી ઇલેક્ટ્રિક સામાનની આડમાં છુપાવેલો રૂ. 10 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, ઇલેક્ટ્રિક સામાન અને ટ્રક સહિત કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. ટ્રકમાં છુપાવી હતી 10 લાખથી વધુની 3087 નંગ દારૂની બોટલોજિલ્લા LCBની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, LCB ટીમે મોડાસા પાસે આવેલા ગાઝણ ટોલનાકા નજીક તપાસ શરૂ કરી. તે દરમિયાન એક આયશર ટ્રક શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ટ્રકના કન્ટેનરમાં તપાસ કરતા, ઇલેક્ટ્રિક માલસામાનના બોક્સની આડમાં કુલ 3087 નંગ દારૂની બોટલો છુપાવેલી મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 10 લાખથી વધુ આંકવામાં આવી છે. દારૂની હેરાફેરી કરનાર એક આરોપીની અટકાયતપોલીસે દારૂ, ઇલેક્ટ્રિક સામાનના બોક્સ અને ટ્રક સહિત કુલ રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની હેરાફેરી કરનાર એક આરોપીને પણ ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસ મુજબ, આ દારૂ રાજસ્થાન-ગુજરાત સરહદ પરથી શામળાજી અને ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તાર વટાવીને મોડાસા સુધી પહોંચ્યો હતો. આ ઘટના રાજ્યમાં દારૂની હેરાફેરીના પડકારને ફરી એકવાર ઉજાગર કરે છે.
સરકારી અને સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં સરકારી, મેનેજમેન્ટ અને NRI બેઠકો પર વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનના આધારે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. ડોક્યુમેન્ટ ચકાસણી થયા બાદ કેટેગરીના આધારે મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મેરીટના આધારે વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીમાં પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. તો 140 જેટલા વિદ્યાર્થીઓને ગેરલાયક પણ ઠેરવવામાં આવ્યા છે. પી.ડબલ્યુ.ડી ક્વોટાનું મેરિટ ટૂંક સમયમાં જાહેર કરાશેશૈક્ષણિક વર્ષ 2025 -26 માટે મેડિકલ અનુસ્નાતકની સરકારી અને સ્વનિર્ભર કોલેજોમાં બેઠકો પર એડમિશન માટે વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં પી.ડબલ્યુ.ડીમાં જે ઉમેદવારોએ અરજી કરી હતી તેની ચકાસણી અત્યારે ચાલી રહી છે. જેથી ચકાસણી પૂર્ણ થયા બાદ આવા વિદ્યાર્થીઓના પી.ડબલ્યુ.ડી ક્વોટાનું મેરિટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જાહેર કરાયેલા મેરિટ લિસ્ટમાં પ્રશ્ન હોય તો ઇમેલ કરવા જણાવાયું અત્યારે જાહેર કરેલા મેરિટ લિસ્ટમાં જો કોઈ ઉમેદવારને કોઈપણ પ્રશ્ન હોય તો medadmgujarat2018@gmail.com પર યોગ્ય પ્રમાણપત્રોની કોપી સાથે 1/11/2025 સુધીમાં ઈમેઇલ કરી શકશે. જેનો જવાબ ઉમેદવારોને ઇમેઇલ દ્વારા જ મળશે. કંઈ બેઠક પર કેટલા વિદ્યાર્થીઓને એડમિશન ફાળવવામાં આવ્યા છે?
સુરતમાં વિશ્વાસ અને મિત્રતાની આડમાં એક યુવક સાથે 37 લાખની ફોર્ચ્યુનર કાર અને 30 લાખની લોનની ઠગાઈનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતના ડ્રાઇવિંગ કરતા એક યુવકના નામે બે મિત્રોએ લોન લઈને કાર ખરીદી, માત્ર ચાર હપ્તા ભર્યા બાદ કાર બારોબાર હરિયાણામાં વેચી મારી હતી અને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે સોશિયલ મીડિયા પર 'મહિલા આઇડી' બનાવીને ફેક ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલીને આ બંને ઠગ મિત્રોને દબોચી લીધા છે. ડ્રાઇવિંગ કરતા યુવકનું નામ વાપરી 39 લાખની લોન લીધીપ્રાપ્ત વિગતો મુજબ, લિંબાયતના શ્રીનાથ સોસાયટીમાં રહેતા મુકેશ નામદેવભાઈ જાદવ ડ્રાઇવિંગનું કામ કરે છે. વર્ષ 2021માં તેમની મુલાકાત ઘનશ્યામ સરવાળીયા અને ગીરીશ હિદડ સાથે થઈ હતી, જેઓ લોખંડના સળિયાનો વેપાર કરતા હતા. ઓક્ટોબર-2021માં ઘનશ્યામ અને ગીરીશે મુકેશનો સંપર્ક કરી જણાવ્યું કે, તેમના સિબિલ સ્કોર ખરાબ હોવાથી ધંધા માટે કાર લેવા માટે મુકેશનું નામ વાપરવું પડશે. બંને ઠગ મિત્રોએ મુકેશને ખાતરી આપી હતી કે તેઓ કારની લોનના તમામ હપ્તા ભરી દેશે અને માત્ર બે મહિનામાં લોન પૂરી કરી દેશે. મુકેશે વિશ્વાસ કરીને કાર તેના નામે લેવા માટે સંમતિ આપી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ 37 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર ખરીદી અને તે માટે એચડીએફસી બેંકમાંથી 30 લાખની લોન પણ મુકેશના નામે લેવડાવી હતી. કાર લોનના માત્ર ચાર હપ્તા ભર્યા બાદ ઠગ મિત્રો ફરારગીરીશ અને ઘનશ્યામે કાર લીધા બાદ નિયમિતપણે માત્ર ચાર જ હપ્તા ભર્યા હતા. ત્યારબાદના હપ્તા ભરવાનું બંધ કરી દેતા બેંકના કર્મચારીઓ લોનની ઉઘરાણી કરવા માટે મુકેશના ઘરે પહોંચ્યા હતા. જ્યારે મુકેશે આ મામલે ઘનશ્યામ અને ગીરીશનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેમના મોબાઈલ સ્વીચ ઓફ આવતા હતા અને બંને મિત્રો ફરાર થઈ ગયા હતા. પોતાના નામે 30 લાખની લોનનું ભારણ આવતા મુકેશે આખરે આ મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગત 19 જૂનના રોજ પોલીસે ગીરીશ અને ઘનશ્યામ વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 'ફેક આઇડી'નું છટકું ગોઠવી આરોપીઓને પકડ્યાઆરોપીઓ પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલતા હતા, પરંતુ સરથાણા સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન સોર્સીસના આધારે તેમની શોધખોળ ચાલુ રાખી હતી. આ દરમિયાન, પોલીસે આરોપીઓને પકડવા માટે એક અનોખું અને ફિલ્મી સ્ટાઇલનું છટકું ગોઠવ્યું હતું. પોલીસની એક ટીમે સોશિયલ મીડિયા પર મહિલાના નામે એક ફેક આઇડી બનાવ્યું અને આરોપીઓને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી. આરોપીઓએ આ રિક્વેસ્ટ સ્વીકારતા પોલીસકર્મીઓએ મહિલાના નામે તેમની સાથે મિત્રતા કેળવી હતી. આરોપીઓ મિત્રતામાં વિશ્વાસ કેળવ્યા બાદ તેમને મળવા માટે તૈયાર થયા હતા. પોલીસે યોજના મુજબ તેમને મળવા બોલાવીને ગીરીશભાઈ મધુભાઈ હિદડ (ઉં.વ. 40, રહે. કામરેજ) અને કુલદીપ રમેશભાઈ સોલંકી (ઉં.વ. 30, રહે. સિંગણપુર)ને પકડી પાડ્યા હતા. ખોટી સહીઓ અને ડુપ્લિકેટ દસ્તાવેજોથી કાર પંજાબમાં વેચીઆરોપીઓની આકરી પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે, તેમણે મુકેશના નામે લીધેલી ફોર્ચ્યુનર કારને બારોબાર વગે કરી દીધી હતી. તેમણે બેંકમાંથી ડુપ્લીકેટ NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવ્યું હતું અને T.T.O. ફોર્મ પર ફરિયાદી મુકેશની ખોટી સહીઓ કરીને દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે આરોપીઓએ આ ફોર્ચ્યુનર કાર 'કાર 24' (Car 24) એપ્લિકેશન મારફતે પંજાબના લુધિયાણા ખાતે વેચી દીધી હતી. પોલીસે હવે આ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વેચેલી કાર અને બાકીની રકમ પાછી મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામના વાવડી ફળિયામાં પાણીના એક કોતર પાસે એક મહાકાય અજગર જોવા મળ્યો હતો. આ અંગેની જાણ થતાં જ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના સર્પ રેસ્ક્યુઅર્સ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મંડળના અનુભવી સભ્યો ચિરાગ તલાટી અને શેખ અબ્દુલ કાદિર ઉર્ફે ભઈલુ દુબઈએ સ્થાનિક વન વિભાગના અધિકારીઓ તથા પોતાની ટીમ સાથે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અજગરની લંબાઈ આશરે 12 ફૂટ અને વજન 28 કિલોગ્રામ જેટલું હતું. ટીમે તેને સુરક્ષિત રીતે પકડવામાં ખાસ કાળજી રાખી હતી, જેથી રેસ્ક્યુ પ્રક્રિયા દરમિયાન અજગરને કોઈપણ પ્રકારની ઈજા ન પહોંચે. સફળ રેસ્ક્યુ બાદ, અજગરને વાહનમાં સુરક્ષિત રીતે લઈ જઈ નજીકના જંગલ વિસ્તારમાં તેના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટનાએ પ્રકૃતિ મિત્ર મંડળની વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી કાર્યક્ષમતાને ફરી એકવાર દર્શાવી છે. સ્થાનિક લોકોએ પણ આ ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી હતી.
વિઝા કન્સલ્ટન્સીનું કામ કરતા મહિલાને દુબઈથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તેઓ પણ વિઝા કન્સ્ટન્સીનું કામ કરે છે, જેથી કામ આપવા બાબતે વાત કરી હતી. જેથી મહિલાએ દુબઈના એજન્ટ સહિત તેના બે પાર્ટનરને તેમના 6 કલાયન્ટના વિદેશના વર્ક પરમિટ વિઝા માટેના કામ આપ્યા હતા. આ ત્રિપુટીએ અન્ય કંપનીના બોગસ જોબ ઓફર લેટર પધરાવી મહિલા પાસેથી રૂપિયા ઓનલાઇન રોકડા તથા આંગડિયા મારફતે રૂ. 23.22 લાખ પડાવી લીધા હતા. જેથી મહિલાએ એજન્સી સામે ત્રિપુટી સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. કેનેડાના PR અને વર્ક પરમીટના વિઝા કરી આપવાની વાત કરીવડોદરા શહેરના સમા-સાવલી રોડ પર વેમાલી ગામ પાસે ગુરુદેવ વાટિકામાં રહેતા ભાવેશ વિનોદચંદ્ર શાહે ફરિયાદ નોંધાવી છે કે, સલાટવાડા ખાતે ફોર વ્હીલર વાહનોની સ્પેર પાર્ટ્સની દુકાનમાં છેલ્લા 15 વર્ષની ધંધો કરૂ છું. મારી પત્ની પુનમબેન ઉમા ચાર રસ્તા પાસે આવેલી માણકી કોમ્લેક્ષમાં દુકાન ભાડેથી રાખી એડયુવર્લ્ડ ઓવરસીસના નામથી વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. ગત 23 જુલાઈના રોજ મારી પત્ની પુનમના વ્હોટ્સએપ ઉપર મેસેજ આવેલો હતો કે, હું અજયસિંહ રણજીતસિંહ ઠાકોર દુબઈથી વાત કરૂ છું. મને આશીતભાઈ મેહતા (હાલ રહે. કેનેડા)એ રેફરન્સ આપેલો છે. કેનેડાના પી.આર અને વર્ક પરમીટના વિઝાનું કામ કરી આપવા માટે વાત કરી હતી. 12 લાખ મળી કુલ 6 લોકોના કામ માટે 40 લાખ નક્કી કર્યાઅજયભાઇએ વધુમાં કહ્યું હતું કે, હું વડોદરા શહેરનો જ વતની છે. હાલ દુબઈ ખાતે રહું છું. મારી વિઝા કન્સલટન્સીની ઓફિસ ભાવનગર અને દુબઈ ખાતે ચાલે છે. જેમાં હું યુરોપ તથા યુ.કે માટે વર્ક પરમીટનું કામ કરું છું. મારી પત્ની પુનમે ચાર યુરોપ અને બે યુ.કે. માટેના વર્ક પરમીટના કામ આપ્યા હતા. જેમાં યુરોપના વર્ક પરમીટ માટે વ્યક્તિ દીઠ રૂપિયા 4 લાખ તથા યુ.કે. ના વર્ક પરમીટ માટે વ્યકિત દીઠ રૂપિયા 12 લાખ મળી કુલ 6 લોકોના કામ માટે રૂપિયા 40 લાખ નક્કી કર્યા હતા. ત્રણેય ત્રિપુટી સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યામને અજય ઠાકોરે કહ્યું હતું કે, મારા પાર્ટનર કલ્પેશસિંહ નકસિંહ ગોહિલ ( રહે, મરૂન નગર, દુધેલ, જિલ્લો- ભાવનગર )ના બેન્ક ખાતામાં રૂપિયા મોકલવાના રહેશે. જેથી મારી પત્ની પુનમે કલ્પેશસિંહ ગોહિલના ખાતામાં અમારી કંપનીના ખાતામાથી 9.70 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ તેના અન્ય પાર્ટનર હિરલ જાની સાથે પણ વાત કરાવી હતી, ત્યારબાદ 13.52 લાખ રૂપિયા આંગડિયાથી મોકલ્યા હતા. આમ કુલ 23.22 લાખ રૂપિયા કલ્પેશ ગોહિલ, હિરલ જાની અને અજય ઠેકોરે પડાવી બોગસ કંપનીના જોબ ઓફર લેટર પધરાવી છેતરપિંડી આચરી હતી. બાપોદ પોલીસે મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક બાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવનાર Special Intensive Revision (SIR) પ્રક્રિયા વિશે ચૂંટણી પંચ જરા પણ ગંભીર નથી અને તેની કામગીરી ચિંતાનો વિષય છે. ચૂંટણી પંચે SIRની પદ્ધતિ અપનાવી પણ તંત્ર તૈયાર નથીચૈતર વસાવાએ જણાવ્યું કે, કેન્દ્રના આદેશથી ચૂંટણી પંચે SIRની પદ્ધતિ અપનાવી છે, પરંતુ તેમની પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી અને તંત્ર પણ તૈયાર નથી. બોગસ વોટિંગ કેવી રીતે પકડાશે તેની કોઈ સિસ્ટમ જ નથી. ગુજરાત અને અન્ય રાજ્યોમાં બંને જગ્યાએ મતદાન કરતા લોકોને ઓળખવા માટે કોઈ વ્યવસ્થા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, “ગુજરાતમાં 5,08,39,000 મતદારોના ફોર્મ ભરવા પૂરતા BLO નથી. 1987 પછી જન્મેલા લોકોના નામ 2002ની યાદીમાં નથીચૈતર વસાવાએ જણાવ્યું કે, ઘણા આદિવાસી વિસ્તારોના લોકો મજૂરી માટે બહારગામ ગયા હોય ત્યારે તેઓ કઈ રીતે ફોર્મ ભરી શકશે? શિક્ષકો, તલાટીઓ અને ગ્રામસેવકો પર વધારાનો ભાર પડશે અને આખી પ્રજાને મુશ્કેલી થશે. 1987 પછી જન્મેલા લોકોના નામ 2002ની યાદીમાં નથી, તો એનું કમ્પેરીઝન કેવી રીતે થશે તેના જવાબમાં ચૂંટણી પંચ કહે છે કે સંબંધીઓના નામ જોડીને કરાશે, પરંતુ ઘણા કિસ્સામાં તો સંબંધીઓના નામ પણ નથી. એટલે આખી પ્રક્રિયા ગુંચવાયેલી છે. બાયોમેટ્રિક કે આધાર લિંક કરવાની કોઈ યોજના નથીધારાસભ્ય વસાવાએ ચૂંટણી પંચની તૈયારી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનું પાણી થશે. રૂટીન પ્રક્રિયા જ ચાલુ રાખવી જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિલંબિત ન થવી જોઈએ. અમે અંકલેશ્વરમાં ડુપ્લીકેટ મતદાતાઓના પુરાવા આપી ચૂક્યા છીએ છતાં ચૂંટણી પંચે કોઈ કાર્યવાહી કરી નહોતી. હવે પણ ડુપ્લીકેટ મતદાતાઓ પકડાશે નહીં એવું લાગે છે. ચૂંટણી પંચ પાસે બાયોમેટ્રિક કે આધાર લિંક કરવાની કોઈ યોજના નથી.” યાદી મેચ કરવાની કોઈ ટેક્નિકલ સિસ્ટમ નથીચૈતર વસાવાએ અંતમાં કહ્યું કે, આ આખી પ્રક્રિયા ફક્ત ખર્ચાળ અને જનતાને હેરાન કરતી છે. બોર્ડર વિસ્તારોમાં રહેતા લોકો, ખાસ કરીને જ્યાં લગ્નથી રાજ્યો બદલાય છે, ત્યાં યાદી મેચ કરવાની કોઈ ટેક્નિકલ સિસ્ટમ નથી. ચૂંટણી પંચે કહ્યું છે કે, બિહારમાં જે રીતે SIR કર્યું છે એ જ રીતે ગુજરાતમાં કરશે, જે અત્યંત ચિંતાજનક છે.”
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગત મહિને આંતર કોલેજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જે પૈકી કબડ્ડી લીગની પણ સ્પર્ધા યોજાયા બાદ યુનિવર્સિટીની કમિટી દ્વારા લાતુર ખાતે યોજાનાર વેસ્ટ ઝોન યુનિવર્સિટી કબડ્ડી ટુર્નામેન્ટ અંતર્ગત વિદ્યાર્થિનીઓની ટીમ પસંદગી કરાઈ હતી. આ ટીમમાં પસંદ થયેલી વિદ્યાર્થિનીઓએ તનતોડ મહેનત શરૂ કરી હતી અને આ ટુર્નામેન્ટમાં વિજય મેળવી, યુનિવર્સિટીનું નામ રોશન થાય તેવા શમણાં સેવ્યા હતાં. પરંતુ, છેલ્લી ઘડીએ યુનિવર્સિટી દ્વારા આ ટુર્નામેન્ટમાં ભાગ ન લેવાનો નિર્ણય કરાતાં વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થિનીઓની મહેનત પર પાણી ફરી વળ્યુંઆ અંગેની જાણ યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતને થતાં તેઓએ ન્યાય માટે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રાર તેમજ જિલ્લા કલેક્ટરનો સંપર્ક સાધી રજૂઆત કરી હતી. વિદ્યાર્થિનીઓએ નવનિયુક્ત કેબિનેટ મંત્રી રમણ સોલંકી (ધારાસભ્ય, બોરસદ)ને ફોન કરી આ અંગેની રજૂઆત કરી હતી. પરંતુ, જે તે વખતે દિવાળીની રજાઓ હોવાથી કોઈ નિવેડો આવ્યો ન હતો અને વિદ્યાર્થિનીઓની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. કબડ્ડી ટીમની વિદ્યાર્થિનીઓ જોડે થયેલા અન્યાય મામલે યુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે આજરોજ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને મૌખિક રજૂઆત કરી છે અને જવાબદાર સામે પગલાં ભરવાની માગ કરી છે. ટીમ બરાબર નથી, બહાર રમવા નહીં જાય તેવો મેસેજ કરાયોયુનિવર્સિટીના પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત આ મામલે જણાવે છે કે, આ લોકોએ યુનિવર્સિટીને રાજકીય અડ્ડો બનાવી દીધો છે. ચાર જણાંની કમિટી 10 ઓક્ટોબરે કબડ્ડીની ખેલાડીઓનું ફાઇનલ સિલેક્શન કરે છે. 10 થી 16 તારીખ સુધી ખેલાડીઓ પ્રેક્ટીસ કરે છે. 16 તારીખે સાંજે એક જ સેશન માટે કોચ આવે છે અને એ કોચના આધારે વિદ્યાર્થિનીઓને આ ટીમ બરાબર નથી, ટીમ બહાર રમવા નહીં જાય તેવો મેસેજ 22 ઓક્ટોબરે કરવામાં આવે છે. આ ખેલાડીઓ જોડે ખેલ કરાયો છે: પૂર્વ સિન્ડીકેટ સભ્યવધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓ સાથે થયેલા અન્યાય મુદ્દે બે દિવસ સતત વી.સી અને રજીસ્ટ્રારને મળવા ગયાં. પણ તેઓ રજાઓમાં ફરતાં રહ્યાં અને છોકરીઓ હેરાન થતી રહી. આ ખેલાડીઓ જોડે ખેલ કરવામાં આવ્યો છે અને આ ખેલ સામે અમે રજુઆત કરી છે. તેઓએ તપાસ માટે 10 દિવસનો સમય માંગ્યો છે. તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે: રજીસ્ટ્રારયુનિવર્સિટીના રજીસ્ટર જણાવે છે કે, આ ટીમ રમવા યોગ્ય નથી, તેવી જાણ કમિટી દ્વારા અમને કરવામાં આવી હતી. જેથી એ વિદ્યાર્થિનીઓને મોકલવામાં આવી નથી. છતાં વિદ્યાર્થિનીઓની રજુઆતોને ધ્યાને લઈ, યુનિવર્સિટી દ્વારા તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને ખેલમાં પ્રોત્સાહન મળે તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષથી જ ખેલાડીઓનું દૈનિક ભથ્થું વધાર્યું છે. વિદ્યાર્થીઓ પહેલા સેકન્ડ એ.સી માં જતાં હતાં, જેના બદલે હવે થ્રીટાયર એ.સી માં મોકલવામાં આવે છે અને જરૂર જણાય તો ક્યારેક ફ્લાઇટમાં પણ વિદ્યાર્થીઓને મોકલ્યાં છે. નેશનલ કક્ષાએ રમતાં વિદ્યાર્થીઓને 50 હજારનું પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું છે. સવાલ આ કબડ્ડીની ટીમનો છે તો કમિટીનો રિપોર્ટ અમે જોયો અને એ રિપોર્ટનો અમે હજુ પણ ગહન અભ્યાસ કરી, જો કોઈ કસુરવાર હશે તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ સહીત આખા રાજ્યમાં ચકચારી બનેલા TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા હતા જેના કારણે એક વર્ષનો મેળાનું આયોજન પણ થઇ શક્યું ન હતું. જેના બીજા જ વર્ષે SOPમાં ફેરફાર કરવામાં આવતાની સાથે જ માર્ગ અને મકાન વિભાગના બાબુઓને કટકી કરવાનો વિચાર આવ્યો અને રાઇડ્સ સંચાલકને ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે રૂપિયા એક લાખની લાંચ પણ માંગી હતી જો કે ફરિયાદીએ એસીબીને જાણ કરતા આજ રોજ રાજકોટ એસીબીના હાથે માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલક ઈજનેર તથા ક્લાસ ટુ અધિકારી નાયબ કાર્યપાલક ઈજનેર અન્ય ખાનગી માણસ સાથે મળી રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરતા ફરીયાદીએ ભાગીદારીમાં જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના રણુજા ખાતે લોકમેળામાં યાંત્રીક રાઇડ્સ ચકડોળ રાખેલ હતું દરમિયાન રાજકોટ માર્ગ અને મકાન વિભાગના ક્લાસ વન અધિકારી કાર્યપાલ ઈજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયા ચેકિંગમાં ગયા ત્યારે તેની સાથે નાયબ કાર્યપાલ ઈજનેર ક્લાસ ટુ અધિકારી નિરવ પ્રવિણચંદ્ર રાઠોડએ ફરિયાદીને યાંત્રીક રાઇડસનુ ફીટનેસ સર્ટી આપવાના રૂ.1 લાખની માંગણી કરી હતી અને અંતે રૂ.50,000 આપવાનું નક્કિ કર્યું હતું. ફરિયાદી ફીટનેસ સર્ટી માટે લાંચ આપવા ન માંગતા હોવાથી મોરબી એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું દરમ્યાન આરોપી કાર્યપાલ ઇજનેર પીયુષ બાબુભાઇ બાંભરોલીયાએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ આરોપી સુધીરભાઇ નવિનચંદ્ર બાવીશીને આપવાનું કહેતા પારેવડીચોક પુલ નીચે બજરંગ ટી સ્ટોલની પાસે આવી લાંચની રકમ રૂ.50,000 સ્વીકારતા સ્થળ ઉપરથી પકડાઇ જતા તેની ધરપકડ કરી માર્ગ અને મકાન વિભાગના બન્ને અધિકારીઓ મળી ત્રણેય એક બીજાને મદદગારી કરી લાંચ લેવા બદલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે મહિના પૂર્વે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકમેળા તેમજ ખાનગી મેળાના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા ત્યારે આરોપીઓ દ્વારા અન્ય કોઈ સંચાલકો પાસે લાંચ લેવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરના વાવડી જલારામ મંદિરે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો.મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. દિવસભર આરતી, પાદુકા પૂજન અને ધજા આરોહણ જેવા વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા હતા.મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરાની ધર્મપ્રેમી જનતાએ જલારામ બાપાની મહાપ્રસાદીનો લ્હાવો લીધો. રાત્રિના સમયે ભજન-કીર્તનનું પણ આયોજન કરાયું છે.ગોધરા શહેરમાં આવેલા જય જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પંચાસર ચોકડી પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં સ્નેહમિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પ્રભારી મુકુલ વાસનિક અને તુષારભાઈ ચૌધરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમિતભાઈ ચાવડાએ સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આવતીકાલે, 30 ઓક્ટોબર, મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જ્યારે દુર્ઘટના બની ત્યારે પાલિકામાં ભાજપના 52 સભ્યો હોવા છતાં એક પણ સભ્ય કે આગેવાન સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે પીડિત પરિવારોને વહેલી તકે ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ચાવડાએ મોરબીના વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હાલ આ ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહ્યો છે અને ઘણા કારખાના બંધ થઈ ગયા છે. તેમણે સરકાર સમક્ષ સિરામિક પ્રોડક્ટ્સ પરના 18% GST સ્લેબને ઘટાડીને 5% કરવા માંગ કરી હતી. તેમણે રાજસ્થાનના માર્બલ ઉત્પાદનો 5% GST માં આવતા હોય તો મોરબીના સિરામિક ઉદ્યોગને પણ તે સ્લેબમાં શા માટે ન લેવાય તેવો પ્રશ્ન કર્યો હતો. આ સભામાં કોંગ્રેસના નેતાઓએ કમોસમી વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સરકારના મંત્રીઓ દ્વારા કરાયેલા 'તાયફાઓ'ને લઈને ભાજપની ટીકા કરી હતી. અંતમાં, અમિતભાઈ ચાવડાએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે અને જીતશે.
રાજકોટ સમાચાર:દિવાળી બાદ પણ રાજકોટ એસટીની મોટાભાગની બસો ફૂલ, રોજ 90 હજારથી વધુ મુસાફરો
રાજકોટ એસટી વિભાગને દિવાળીના તહેવારો તો ફળ્યા જ છે પરંતુ દિવાળી બાદનાં દિવસો પણ વિભાગને હજુ ખુબજ ફળી રહ્યા છે. ગત તા.26 બાદ પણ રાજકોટ વિભાગની બસો હજુ ફુલ દોડી રહી છે અને તંત્રને રિટર્ન ટ્રાફિકની જંગી આવક મળી રહી છે. રાજકોટ એસટી વિભાગનાં જણાવ્યા મુજબ ગત તા.26 બાદ પણ દૈનિક આવક રૂા.75 લાખ જળવાઈ રહી છે. રાજકોટ એસટી વિભાગને ગત તા.18થી 26 સુધીમાં રૂા.5.81 કરોડથી વધુની આવક થઈ હતી અને આ 9 દિવસો દરમ્યાન વિભાગે 15003 ટ્રીપો વિવિધ રૂટો ઉપર દોડાવી હતી. અને આ ટ્રીપોનો 8 લાખ જેટલા મુસાફરોએ લાભ લીધો હતો. એસટી વિભાગે જણાવ્યા મુજબ ગત તા.25ના રોજ રાજકોટ એસટી વિભાગને સૌથી વધુ રૂા.78.16 લાખની આવક થઈ હતી. ગત તા.24થી 26 દરમ્યાન દૈનિક એક લાખથી વધુ મુસાફરોએ રાજકોટ વિભાગની બસોમાં મુસાફરી કરી હતી. ઉપરાંત હજુ પણ તા.27થી મોટાભાગની બસો રોજ ફુલ રહે છે. તેમજ દરરોજ 90 હજારથી વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે. જેને લઈને રાજકોટ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે. રાજકોટનાં લક્ષ્મીનગર મેઇન રોડ પર ‘ખાડાનું સામ્રાજ્ય વરસાદના વિઘ્ને રિપેરિંગ અટકાવ્યું રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી ફરી ચોમાસુ માહોલ હોવાથી ડામર કામ - પેચવર્ક અટકી ગયા છે. ટ્રાફિકથી ધમધમતા અને પોશ વિસ્તારો સાથે જોડાયેલા અનેક રોડની હાલત કફોડી બની છે. ખાસ કરીને, લક્ષ્મીનગર અંડરબ્રીજથી નાના મવા ચોક તરફ જતો મેઇન રોડ ભાંગીને ભૂક્કો થઇ ગયો છે. પાઇપલાઇનના ખોદકામ બાદ તુરંત ડામર કામની ખાતરી અપાઇ હતી, પરંતુ વરસાદના કારણે દિવાળી પહેલા બંધ થયેલું કામ હજુ શરૂ થયું નથી. એકતરફ લક્ષ્મીનગર મેઇન રોડ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડ્યા છે, જેમાં પાણી ભરાયેલા રહે છે. જેના કારણે સિટિબસો, તેમજ ટુ-વ્હીલર અને ફોર વહીલર ચાલકોને ખાડાથી બચવા સંઘર્ષ કરવો પડે છે, અને અકસ્માતોની દહેશત ઉભી થઇ છે. ત્યારે આ રોડનું રિપેરિંગ તાત્કાલિક પૂર્ણ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. રાજકોટમાં 1 જાન્યુઆરી-2024 સુધીમાં પ્લાન પાસ હોય તેવા ફ્લેટને કમ્પ્લીશન મળવાની શક્યતા રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ ટીપી શાખામાં ભ્રષ્ટાચારના બોમ્બ ફુટયા હતા. જેને લઈ હાઇરાઇઝ અને લોરાઇઝ બિલ્ડીંગમાં પ્લાનમાં નહીં દર્શાવાતા ફલાવર બેડ અને કબાટની `ફ્રી' જગ્યા સાથે કમ્પલીશન આપવાનું તત્કાલીન કમિશ્નર દેસાઈએ બંધ કરીને સરકારનો અભિપ્રાય લેતા હજારો ફલેટના બીયું પરમિશન અટકી ગઇ હતી. જે અંગે સરકારમાં વારંવાર રજુઆતો બાદ દિવાળી પૂર્વે સરકારે બિલ્ડરોને રાહત આપતો નિર્ણય લીધો હતો. જેમાં વધારાના બાંધકામને ઇમ્પેકટની જેમ રેગ્યુલર કરવાનું જાહેર કરાયું હતું. જોકે રાજકોટ મનપા અને રૂડા તેનો કયારે અમલ કરશે એવી રાહ બિલ્ડરો જોઇ રહ્યા છે. પરંતુ કચેરી દ્વારા હજુ કોઇપણ જાહેરાત કરાઈ નથી. જોકે બિલ્ડર એસો. દ્વારા ગાંધીનગર કરેલી તપાસમાં 1-1-2024 પહેલાના પ્લાન પાસ બિલ્ડીંગને તેનો લાભ મળશે તેવું જાણવા મળ્યું છે. ફલાવર બેડના જેટલા સ્કવેર ફુટ હોય તેને જંત્રીના દર મુજબ ફી સાથે ગુણીને કોર્પોરેશન અને રૂડામાં ફી ભરવાની થશે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા 14 હજાર જેટલા ફ્લેટને તેનો લાભ મળશે.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે તા. 7 ઓક્ટોબર 2025ના આદેશથી વધુ ડેપ્યુટી કલેક્ટર તથા પ્રાંત અધિકારીઓની બદલી અને બઢતી કરી છે. આ બદલીઓમાં અમદાવાદ, મોરબી, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, વલસાડ, દાહોદ, અમરેલી, તાપી સહિતના જિલ્લાઓના અધિકારીઓ સામેલ છે. આ આદેશ હેઠળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્ટેમ્પ ડ્યુટી, ફૂડ કંટ્રોલર, સ્પોર્ટ્સ ઓથોરિટી, એરપોર્ટ ડેવલપમેન્ટ, ચૂંટણી વિભાગ જેવા મહત્વના ક્ષેત્રોમાં નવા ચહેરા જોવા મળશે. અધિકારીઓની બદલી આ ઉપરાંત આર.બી. ગઢવીને એસ્ટેટ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) તરીકે અને એચ.જે. સોલંકીને ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર, વલસાડ તરીકે બઢતી આપવામાં આવી છે.

27 C