SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

વલસાડમાં દારૂબંધીની કડક અમલવારી:વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું, ત્રણ દિવસમાં 400થી વધુ 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' કેસ

વલસાડ જિલ્લામાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી માટે જિલ્લા પોલીસે વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ત્રણ દિવસમાં 'ડ્રિંક એન્ડ ડ્રાઇવ' સહિત 400થી વધુ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે દારૂના નશામાં વાહન ચલાવતા ચાલકો સામે કડક પગલાં લેવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં 17થી વધુ સ્થાયી અને હંગામી ચેકપોસ્ટ ઊભી કરી હતી. આ ચેકપોસ્ટ પર વ્યાપક વાહન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી 28, 29 અને 30 ડિસેમ્બર, 2025 દરમિયાન વલસાડ જિલ્લાના અલગ-અલગ પોલીસ મથક વિસ્તારોમાં કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન મોટર વાહન અધિનિયમની કલમ 185 ('ડ્રિંક એન્ડ ડ્રાઇવ' ) હેઠળ તેમજ દારૂનો નશો કરેલા અન્ય ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ વિભાગે જણાવ્યું છે કે, આ ત્રણ દિવસની સઘન ઝુંબેશમાં કુલ 400થી વધુ કેસ નોંધાયા છે. જિલ્લા પોલીસે ચેતવણી આપી છે કે, દારૂબંધીના કાયદાનો ભંગ કરનારાઓ સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:20 pm

જૂનાગઢ જેલમાં હિંસક અથડામણ:'આપ'ના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર ગટરના ઢાંકણાથી હુમલો; હરેશ સાવલિયા અને સાગર ચાવડાએ સામ સામે નોંધાવી

જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ ઘટનામાં ગટરના ઢાંકણા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલાયા હોવાની સામસામી ફરિયાદો નોંધાઈ છે. ગટરના ઢાંકણાથી જીવલેણ હુમલાનો પ્રયાસ મૂળ કોડીનારના અને હાલ કાચા કામના આરોપી સાગર કાનજીભાઈ ચાવડાએ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હરેશ સાવલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.સાગરના તે જેલના દવાખાના પાસે ઉભો હતો ત્યારે હરેશ સાવલિયા ત્યાંથી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા નીકળ્યા હતા. જ્યારે સાગરે તેમને અટકાવ્યા ત્યારે હરેશ સાવલિયા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. વધુમાં આક્ષેપ છે કે હરેશ સાવલિયાએ તમે લોકોએ મારી ઉપર ખોટો એટ્રોસિટીનો કેસ કર્યો છે તેમ કહીને મારી નાખવાના ઇરાદે ગટરનું ઢાંકણું ઉપાડી સાગરના માથામાં માર્યું હતું. સાગર હટી જતાં તેનો બચાવ થયો હતો. પરંતુ નીચે પછાડી દઈને તેને જીવલેણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. હરેશ સાવલિયાએ 8 કેદીઓ વિરુદ્ધ નોંધાવી વળતી ફરિયાદ બીજી તરફ, 'આપ'ના નેતા હરેશ સાવલિયાએ પણ સાગર ચાવડા અને અન્ય 7 અજાણ્યા કેદીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.સાવલિયાના જણાવ્યા મુજબ, તેઓ પોતાની મુલાકાત પૂરી કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે સાગર અને તેની ટોળકીએ ગેરકાયદેસર મંડળી રચી તેમને રોક્યા હતા. કોઈપણ કારણ વગર આ શખ્સોએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હરેશ સાવલિયાને ઈજાઓ પહોંચતા તેમને પોલીસ જાપ્તા હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેલ અધિક્ષકનું નિવેદન: 'બે મિનિટની બોલાચાલીમાં ખેલાયો ખેલ' આ સમગ્ર હિંસક ઘટના અંગે જૂનાગઢ જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હરેશ સાવલિયા મુલાકાત લઈને પાછા વળતા હતા ત્યારે સાગર અને તેની સાથેના અન્ય કેદીઓ સામે મળ્યા હતા. માત્ર બે મિનિટની બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેલ સ્ટાફે તુરંત દોડી જઈને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. જેલના મેડિકલ ઓફિસરની તપાસ બાદ હરેશ સાવલિયાને વધુ સારવારની જરૂર જણાયતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાએ જૂનાગઢ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જેલ અધિક્ષકે સ્વીકાર્યું હતું કે જૂનાગઢ જેલની ક્ષમતા માત્ર 265 કેદીઓની છે, પરંતુ હાલ ત્યાં 610 કેદીઓને રાખવામાં આવ્યા છે. ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ હોવાને કારણે જેલ પ્રશાસન માટે વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહી છે. જેલની અંદર ગટરના ઢાંકણા જેવા સાધનો હુમલા માટે વપરાય તે બાબત પણ જેલની સુરક્ષામાં ક્ષતિ સૂચવે છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે સાગર ચાવડાની ફરિયાદ પરથી હરેશ સાવલિયા વિરુદ્ધ BNS ની નવી કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં કલમ 109(1), 115(2), 296(B) અને એટ્રોસિટીની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. જ્યારે હરેશ સાવલિયાની ફરિયાદ પરથી સાગર ચાવડા અને અન્ય 8 શખ્સો વિરુદ્ધ BNS કલમ 189(2), 115(2) અને 351(3) મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ. આર.એ. બાબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ હિંસક અથડામણને પગલે રાજકીય આલમમાં પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના મોટા ગજાના નેતા છે. હાલમાં જેલ પ્રશાસને બંને જૂથના કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડી સુરક્ષા સઘન બનાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:19 pm

ડોક્ટર પર હૂમલા પ્રકરણમાં તબીબોની હડતાલ:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને બ્લડ ચઢાવવા મામલે લાફા મારતા પરિચિતની ધરપકડ ન કરતી પોલીસ સામે રોષ, ઈમરજન્સી સિવાયની સારવાર બંધ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ પાર્થ પંડ્યા ઉપર હુમલો થયા પછી 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. ડોક્ટર પર હુમલો કરતો આરોપી ન પકડતા જુનિયર ડોકટર્સ એસોસિએશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હડતાળ શરૂ કરી દીધી છે. જેથી 200 જેટલા જુનિયર ડોક્ટર આજે બુધવારે સાંજે 6 વાગ્યાથી હડતાલ પર ઉતરી ગયા છે. હવે માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે તેવું જાહેર કરાયું છે. પ્રાપ્ત વિગત મુજબ, તા.29 ના રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બિલ્ડીંગના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ માર માર્યો હતો. આ બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમા ડોક્ટર દ્વારા જયદીપ ચાવડા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા શખ્સની શોધખોળ શરૂ કરી છે. જોકે આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તબીબોમાં રોષ ફેલાયો છે અને જુનિયર ડોક્ટર એસોસિએશનના 200થી વધુ તબીબોએ હડતાલનું એલાન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ જયદીપ ચાવડાના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને ડોક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે ગુરૂવારથી સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:19 pm

દમણમાં નવાવર્ષના સ્વાગત માટે મ્યુઝિકલ નાઈટ:લાઈવ બેન્ડ, D J પરફોર્મન્સ અને મધ્યરાત્રિએ ભવ્ય આતશબાજી, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા એડવાઈઝરી જાહેર

સંઘપ્રદેશ દમણમાં 31 ડિસેમ્બર, 2025ના રોજ નવવર્ષના સ્વાગત માટે ‘ન્યૂ યર ઈવ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી દમણના લાઈટ હાઉસ બીચ પર સાંજે 8 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે. આ કાર્યક્રમમાં નાગરિકો અને પ્રવાસીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઉપસ્થિત મેદની લાઈવ બેન્ડ, D J પરફોર્મન્સ અને મધ્યરાત્રિએ ભવ્ય આતશબાજીનો આનંદ માણી શકશે. પ્રસિદ્ધ ગાયક નીરજ શ્રીધર આ અવસરે શાનદાર લાઈવ પરફોર્મન્સ આપશે. પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતાની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકારવા અપીલ કરવામાં આવી છે. આ ઉજવણી દરમિયાન નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા મહત્વની ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ અનુસાર, જેટીથી લાઈટ હાઉસ ગ્રાઉન્ડ સુધીનો સી-ફ્રન્ટ રોડ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. કિલ્લાના મોટ સાઈડથી પ્રવેશ ફક્ત રહેવાસીઓ અને ઈમરજન્સી સેવાઓ માટે જ ચાલુ રહેશે. જાહેર જનતાએ કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે માંગેલવાડ કટ, બાદરપુર કટ અથવા ધોલર થઈને જામપોરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પોતાના વાહનો હોટેલ પ્રવેગ પોઈન્ટની બહાર નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરવાના રહેશે, કારણ કે હોટેલ પ્રવેગથી આગળ સામાન્ય વાહનોને પ્રવેશ મળશે નહીં. પ્રશાસને તમામ સહેલાણીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, નશાની હાલતમાં ડ્રાઈવિંગ ન કરવા અને પોલીસ કર્મચારીઓને સહકાર આપીને સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:10 pm

ભાજપના નવનિયુક્ત મહામંત્રીઓને જવાબદારી સોંપાઈ:પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ડો. પ્રશાંત કોરાટે લીધી, સિનિયર- અનુભવી નેતાને સૌરાષ્ટ્ર ઝોન સોપાયું

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. મહામંત્રીઓ, ઉપ-પ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે 31 ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચારેય મહામંત્રીને વિવિધ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખથી લઈને મહામંત્રીની જવાબદારી નિભાવનાર પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ગુજરાત ભાજપ સંગઠનમાં ડો. પ્રશાંત કોરાટને આપવામાં આવી છે. ગાંધીનગર કમલમના એટલે કે મુખ્યમથકના પ્રભારી તરીકે ડો. પ્રશાંત કોરાટને જવાબદારી આપવામાં આવી છે સાથે જ્યાંથી સૌથી ઓછા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એવા દક્ષિણ ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ચારેય મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપાઈભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ચારે મહામંત્રીને વિવિધ ઝોનના પ્રભારી અને મુખ્ય મથકના એટલે કે કમલમના પ્રભારી તરીકેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. સિનિયર અને અનુભવી મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના કમલમ એટલે કે હેડ ક્વાર્ટર ની મહત્વની જવાબદારી ડો. પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે. મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે. ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારીચારેય મહામંત્રીઓને જે રીતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા એવા પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું તેમ હવે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા ડો. પ્રશાંત કોરાટને પણ આ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા ગાંધીનગર કમલમ ખાતેના પ્રભારી હતા ત્યારે હવે ડો. પ્રશાંત કોરાટને પણ પ્રભારી બનાવવામાં આવતા હજી પણ દબદબો યથાવત હોવાની ચર્ચા જાગી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ઝોનની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સંગઠનને વધુ મજબૂત કરવા અનુભવી અને સિનિયર નેતા એવા અનિરુદ્ધ દવેને મૂકવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે ત્યારે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા તેઓને મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યુવા નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ખરી કસોટી હવે તેમની શરૂ થશે જ્યારે પાટીદારો અને ચૌધરી સમાજ સૌથી વધારે જ્યાં વસે છે એવા ઉત્તર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અજય બ્રહ્મભટ્ટને કમર કસવી પડશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 7:04 pm

ભરૂચના બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદર ધરાશાયી:વિસ્તારમાં અફરાતફરી મચી, પાલિકાએ ત્રણ વખત નોટિસ આપી છતાં જાળવણીના કોઈ પગલા ન લેવાયા

ભરૂચના વ્યસ્ત પાંચબત્તી સર્કલ પાસે આવેલા બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદર આજે ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શોપિંગ સેન્ટર વર્ષ 1987માં બન્યું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરને અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સંચાલકો દ્વારા તેની જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. દાદર ધરાશાયી થવાથી ડોક્ટર માલજીવાલા અને ડોક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો છે, જ્યાંથી રોજ દર્દીઓની અવરજવર રહે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાદરને સીલ કરી સુરક્ષાના પગલાં લીધા હતા. આશ્ચર્યજનક રીતે, રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારોએ પણ ઇમારતની જર્જરિત હાલત પ્રત્યે ગંભીરતા દાખવી નથી. પાલિકાની વારંવારની નોટિસ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણપણે સીલ કરીને કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તાર જોખમી ગણી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે નગરપાલિકા તંત્ર આ મામલે કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:57 pm

કાલથી ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવમાં સંગીત અને મસ્તીની મહેફિલ જામશે:નવા વર્ષની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ,કબીર કાફે અને ધ જોગી એક્સપિરિયન્સ મચાવશે ધૂમ

નવા વર્ષ 2026ના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવશે. તંત્ર ધ્વારા આ ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 'સ્પિરિટ ઓફ ગાંધીનગર' મહોત્સવ 3 દિવસ ચાલશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન જાણીતા કલાકારો નગરજનોને મનોરંજન પૂરું પાડશે. જે અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે ગાંધીનગરનું પ્રખ્યાત ‘રામસખા મંડળ’ અને ત્યારબાદ સૂફી બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’ સૂફી સંગીતની સુરાવલીઓ રેલાવશે. બીજો દિવસે એટલે કે 2જી જાન્યુઆરીએ લોકગાયક કુશલ ગઢવી લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે. 3 જાન્યુઆરીએ કબીર કાફેનો કાર્યક્રમજ્યારે 3જી જાન્યુઆરીએ દેશભરમાં જાણીતું ‘નીરજ આર્યાનું કબીર કાફે’ પોતાના ફ્યુઝન મ્યુઝિકથી મહોત્સવનું શાનદાર સમાપન કરાવશે.નગરજનો માટે આ ઉત્સવ ખાસ બની રહે તે માટે બાળકો માટે વિનામૂલ્યે ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે. જેમાં જાયન્ટ સાપસીડી, ટ્રેમ્પોલિન અને બલૂન હાઉસ જેવા આકર્ષણો હશે. આ સાથે જ સ્વાદપ્રિય નાગરિકો માટે વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવમાં નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને નગરજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:47 pm

બિલ્ડરના ઘરમાંથી લોડેડ રિવોલ્વર, 16 જીવતા કારતૂસની ચોરી:નોકરે સુરતથી કોલકાતા જઈ ઇન્સ્ટાગ્રામ પર ફોટા મુક્યાં; પૈસાની ચોરી કરતા ઝડપાતા કાઢી મૂક્યો હતો

સુરતના પોશ ગણાતા વેસુ કેનાલ રોડ પર રહેતા બિલ્ડર અને હીરાના વેપારી મનુ માંગુકીયાના ઘરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વેપારીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર જમા કરાવવા માટે લોકરમાં શોધખોળ કરી ત્યારે 50 હજારની કિંમતની રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘરમાં કામ કરતા નોકર દ્વારા 15મી ડિસેમ્બરે આ રિવોલ્વર કબાટમાં જોઈ હતી, પરંતુ ત્યાર બાદ ઘરમાંથી રિવોલ્વર ગાયબ થઈ ગયો. ડોક્યુમેન્ટ વગર નોકરીએ રાખેલો નોકર નીકળ્યો રીઢો ચોરવેપારી મનુ માંગુકીયાને ત્યાં અગાઉ મહેશ નામનો નોકર કામ કરતો હતો, જે ગત 10 ઓક્ટોબરે વતન જતા પોતાની જગ્યાએ પ્રવિણ નામના શખસને નોકરી પર મૂકી ગયો હતો. વેપારીએ વિશ્વાસમાં આવીને પ્રવિણના કોઈ પણ ઓળખના દસ્તાવેજો લીધા ન હતા. 20મી ડિસેમ્બરે પ્રવિણ 8 હજારની રોકડ ચોરી કરતા રંગેહાથ પકડાયો હતો, જેથી વેપારીએ તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તે સમયે કોઈને અંદાજ નહોતો કે પ્રવિણ જતા-જતા જીવલેણ હથિયાર પણ સાથે લઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કર્યાચોરી કરીને વતન ભાગી ગયેલા પ્રવિણે એક મોટી ભૂલ કરી દીધી. તેણે વેપારીના ઘરેથી ચોરેલી લોડેડ રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ સાથેના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા હતા. આ ફોટા વેપારીના ધ્યાને આવતા જ હકીકત સામે આવી ગઈ કે રિવોલ્વર બીજું કોઈ નહીં પણ પ્રવિણ જ ચોરી ગયો છે. સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરીને તે રોફ જમાવવા માંગતો હતો, પરંતુ આ ફોટા જ તેના જેલ જવાના રસ્તાનું કારણ બન્યા છે. આરોપીને પકડવા માટે ટીમ કોલકાતા રવાનાવેપારીએ આ ગંભીર મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવિણ સામે ગુનો દાખલ કર્યો છે. ચોરાયેલું હથિયાર લોડેડ હોવાથી અને તે ગુનાહિત માનસ ધરાવતા શખશ પાસે હોવાથી પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જાણવા મળ્યું છે કે, આરોપી હાલ કોલકાતામાં છુપાયેલો છે. પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક કોલકાતા રવાના થઈ ગઈ છે. નોકર રાખતા પહેલા સાવચેત રહેવું જરૂરીઃ સુરત પોલીસઆ ઘટના બાદ સુરત પોલીસે ફરી એકવાર શહેરના બિલ્ડરો અને વેપારીઓને અપીલ કરી છે કે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ વ્યક્તિને નોકરી પર રાખતા પહેલા તેના આધાર કાર્ડ, ફોટો અને વતનની વિગતો લેવી અનિવાર્ય છે. પ્રવિણના ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટને કારણે તે પકડાઈ જશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી એક-બે દિવસમાં આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:43 pm

CBI કોર્ટે લોન છેતરપિંડીના કેસમાં ત્રણ આરોપીને 3 વર્ષની કેદ:બાલમુકુંદ દુબે, ધર્મેશ ધૈર્યા અને અલ્પેશ ઠક્કરે વિજયા બેંક સાથે 7.85 લાખની છેતરપિંડી આચરી હતી

અમદાવાદની CBI કોર્ટે બાલમુકુંદ દુબે, ધર્મેશ ધૈર્યા અને અલ્પેશ ઠક્કરને બેંક છેતરપિંડીના કેસમાં 3 વર્ષની કેદ અને દરેકને 50 હજાર રૂપિયાનો દંડ કર્યો છે. CBI એ આ કેસ 15 ડિસેમ્બર, 2009 ના રોજ જયેશ પ્રજાપતિ અને વિજયા બેંકના અજ્ઞાત કર્મચારીઓ વિરુદ્ધ નોંધ્યો હતો. ખોટા દસ્તાવેજો રજૂ કરી 4.78 લાખની હાઉસિંગ લોન મેળવી હતીતેઓની ઉપર આરોપ હતો કે આરોપી જયેશ પ્રજાપતિએ વિજયા બેંકના અજ્ઞાત કર્મચારીઓ સાથે ષડયંત્ર કરીને માર્ચ, 2004 માં પોતાના ખોટા વેતનની વિગતો, નોકરી સંબંધિત વિગતો અને જલવીહાર સોસાયટીના ફ્લેટ સંબંધિત ખોટા દસ્તાવેજો રજૂ કરીને 4.78 લાખ રૂપિયાની હાઉસિંગ લોન મેળવી હતી. લોનની રકમ ટ્રાન્સફર કરવા નકલી ખાતું ખોલ્યું હતુંતપાસમાં જાણવા મળ્યું હતુ કે આરોપી જયેશ પ્રજાપતિ, અલ્પેશ ઠક્કર, બાલમુકુંદ દુબે અને ધર્મેશ ધૈર્યાએ ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા અને તેને અસલી તરીકે વાપરીને બેંકમાંથી લોન મેળવી હતી. તેમજ તમામ રકમ ટ્રાન્સફર કરવા માટે નકલી ખાતું ખોલ્યું હતું. જેથી વિજયા બેંકને ઠગી શકાય. વિજયા બેંકને 7.85 લાખ રૂપિયાનું નુકસાન થયું હતુંતપાસમાં વધુ ખુલ્યું હતુ કે આ લોન ખાતામાં અંદાજે 7.85 લાખ રૂપિયાની બાકી રકમ છે, જેમાં નહીં ભરાયેલા હપ્તા અને તેના વ્યાજનો સમાવેશ થાય છે. તેથી વિજયા બેંકને 7.85 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. તપાસ પૂર્ણ થયા પછી CBI એ 31 ડિસેમ્બર, 2010 ના રોજ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આરોપી જયેશ પ્રજાપતિ તપાસ દરમિયાનથી ભાગી ગયેલ હોવાથી તેનો અલગ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:36 pm

માળીયા હાટીનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો:વડિયાગીર પંથકમાં વરસાદથી ઘઉં, ચણા અને ધાણાના પાકને નુકસાનની ભીતિ

​સમગ્ર રાજ્યમાં બદલાતા હવામાનની વચ્ચે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. માળીયા હાટીના પંથકના વડિયા ગીર વિસ્તારમાં આજે બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માળીયા હાટીના પંથકના વાડી વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાને કારણે અત્યારે ખેતરમાં ઉભેલા રવિ પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂતોએ કરેલા ઘઉં, ચણા, તુવેર અને ધાણા જેવા મોંઘા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો વરસાદનું પ્રમાણ વધશે તો પાકની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે રાહતની વાત એ છે કે, આ વરસાદ માત્ર સામાન્ય ઝાપટાં સ્વરૂપે હોવાથી હાલના તબક્કે કોઈ મોટા નુકસાનના સમાચારો પ્રાપ્ત થયા નથી. પરંતુ સતત વાદળછાયા વાતાવરણને કારણે આગામી દિવસોમાં રોગચાળો ફેલાવાની અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં ખેડૂતો રાત-દિવસ એક કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:30 pm

બોટાદમાં 50 કરોડના ખર્ચે જિલ્લા જેલનું નિર્માણ:ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

બોટાદ જિલ્લામાં લાંબા સમયથી જિલ્લા જેલની અછત હતી. આ જરૂરિયાત પૂરી કરવા શહેરના અળવ રોડ પર આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ જેલનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિર્માણાધીન જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેમણે જેલના નિર્માણ કાર્ય અને તેની કામગીરીની સમીક્ષા કરી. ધારાસભ્યએ જણાવ્યું કે આ જિલ્લા કક્ષાની જેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ જેલમાં કેદીઓ માટે લાઈબ્રેરી, દવાખાના અને રોજગારીલક્ષી વિવિધ વ્યવસ્થાઓ કરાઈ રહી છે. જેલમાં 38થી વધુ કેદીઓને સમાવવાની ક્ષમતા હશે. મહિલા કેદીઓ માટે અલગ બેરેક, ઘોડિયા ઘર અને આંગણવાડી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, 50 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલી આ જિલ્લા જેલ 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ જેલ શરૂ થવાથી બોટાદ જિલ્લાના કેદીઓને આધુનિક અને સુવિધાજનક વ્યવસ્થા મળશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:20 pm

'પોલીસ વિભાગમાં ગ્રાન્ટના અભાવે 1 લાખ પોલીસકર્મીઓના પગાર મોડા થશે':કોંગ્રેસે રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યો, પગાર બિલ મોડા દાખલ કરવા મંજૂરી માગવામાં આવી

ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજિત 1 લાખ પોલીસ જવાન અને અધિકારીઓના પગાર બિલો ગ્રાન્ટના અભાવે સમયસર ન બનતા આ મહિને પગાર મોડા થાય તેવી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને લઈ રાજ્યની આર્થિક સ્થિતને લઈ સવાલ ઉઠાવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આ મહિને ગ્રાન્ટના અભાવે નિયત સમયમાં પગાર બિલ ન બની શકતા મોડા રજૂ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરકારી કાર્યક્રમો પાછળ બેફામ ખર્ચા કરી રહી છે બીજી તરફ રાજ્યની સુરક્ષાની જેમના પર જવાબદારી છે તે પોલીસકર્મીઓના પગાર માટે ગ્રાન્ટનો અભાવ છે. જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પોલીસકર્મીઓનો પગાર સમયસર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરવાની વાત કરી હતી. ગ્રાન્ટના અભાવે પગાર બિલ સમયસર ન બનતા મોડા રજૂ કરવા મંજૂરી માગવામાં આવીગુજરાત પોલીસ વિભાગની અલગ અલગ કચેરીઓમાં ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025ના પગાર બિલ નિયત સમયમાં તિજોરી અને પગાર અધિકારીની કચેરીમાં દાખલ કરી શકાય તેમ ન હોય પગારબિલો તિજોરીમાં વિલંબથી દાખલ કરવા માટે ગૃહ વિભાગના સેકશન ઓફિસર દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જેનો પત્ર સામે આવ્યો છે. કોંગ્રેસે રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યાકોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ પત્રને લઈ રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમમે કહ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025માં પગાર બિલ સમયસર રજૂ ન થતા 1 લાખ પોલીસ કર્મચારી- અધિકારીઓના પગાર સમયસર નહીં થઈ શકે. ગુજરાતની ભાજપ સરકાર એક તરફ સરકારી કાર્યક્રમોમાં બેફામ ખર્ચા કરે છે અને બીજી બાજુ પગાર કરવા માટે ગ્રાન્ટનો અભાવ હોય છે. પોલીસ વિભાગમાં પગાર માટે ગ્રાન્ટનો અભાવ કઈ રીતે આવ્યો, આના માટે જવાબદાર કોણ છે? આ બાબતે ગૃહમંત્રીની ધ્યાન દોરીશઃ જીતુ વાઘાણીપ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને જ્યારે આ બાબતે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓના પગાર સમયસર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ બાબત મારા ધ્યાન પર આવતા હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરીશ.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:14 pm

ગુજરાત એસ.ટી.ના ભાડામાં ત્રણ ટકાનો વધારો, નવા વર્ષે મોંઘવારીની ભેટ:આજ મધરાતથી જ અમલ, 27 લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો

ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો(વાંચો સંપૂર્ણ અહેવાલ). આમ 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે.() ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:11 pm

કોઠારીયામાં રૂ.2 કરોડની સરકારી જમીન ખૂલ્લી:ULC ફાજલ જમીન પર ખડકાયેલા કારખાના પર બુલડોઝર ફેરવી તોડી પડાયું

રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઠારીયામાં આવેલી રૂ.2 કરોડની કિંમતની 250 મીટર ULC એટલે કે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ આવતી સરકારી ફાજલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કારખાનું ખડકાઈ ગયું હતું. જોકે તાલુકા મામલતદાર તંત્રને ધ્યાને આવતા નોટિસ આપ્યા બાદ આજે અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. રમેશ સાવલિયા નામના શખસે દબાણ કર્યું હતુંરાજકોટ તાલુકા મામલતદાર મકવાણાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા કોઠારીયા વિસ્તારમાં ત્રાટકીને યુએલસીની ફાજલ જમીન ખુલ્લી કરાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારીયામાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જેટલી યુએલસીની ફાજલ જમીન પર રમેશ સાવલિયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર તંત્રની પરવાનગી વગર આખો કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈઆ બાબત ધ્યાન પર આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ અને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ કાફલા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. તાલુકા મામલતદારની સૂચના બાદ મામલતદાર ભૂમિબેન લાવડીયા, નાયબ મામલતદાર જોશી અને તલાટી કલ્પના ગોરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્રની ટીમે જેસીબીની મદદથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કારખાનાના શેડને તોડી પાડ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ તંત્રની આ કડક કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:06 pm

31stની ઉજવણીને લઈ પોલીસ સતર્ક:પોરબંદર, દ્વારકા, કચ્છમાં વરસાદી ઝાપટાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જાગી કોંગ્રેસ

રાજ્યભરમાં 31stની ઉજવણીનો થનગનાટ રાજ્યભરમાં આજે અલગ અલગ ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટમાં 31સ્ટની ઉજવણી કરવામાં આવશે.યુવાધન ન્યુ યર 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશેડીઓ અને રોમિયો પર રખાશે નજર તો બીજી તરફ રાજ્યની પોલીસ પણ આ ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સજ્જ છે. ડ્રોન કેમેરા, શી ટીમ વગેરે સાથે પોલીસ નશેડીઓ અને રોમિયો પર ચાંપતી નજર રાખશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા.. તો અમદાવાદમાં પણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા એક્શન મોડમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો એક્શન પ્લાન..કોંગ્રેસ પહેલી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરુ કરશે..જાન્યુઆરીના અંત સુધીમાં કૉંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ સરકરા પર કર્યો આક્ષેપ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ નેતા હરેશ સાવલિયા પર થયેલી ખોટી ફરિયાદ મામલે પત્રકાર પરિષદ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અસામાજિક તત્ત્વો સામે બુલડોઝર કાર્યવાહી ભાવનગરમાં પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આરોપીઓ પ્રોહિબિશન, મારામારી અને અન્ય ગુનાઓ સાથે સંકળાયેલા હતા.. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાફિક સિગ્નલ પર યુવકની શરમજનક હરકત વડોદરામાં જાહેરમાં પેશાબ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો..ટ્રાફિક સિગ્નલ પર જ યુવકે આ શરમજનક હરકત કરી.. પોલીસે આરોપીને પકડી તેની પાસે ઉઠક બેઠક કરાવી.. આરોપી નશામાં હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં આપઘાતના બે બનાવ રાજકોટમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા..લાપાસરી ગામે 19 વર્ષીય યુવતી અને રૂડાનગર વિસ્તારની 15 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેમ્પો અને કાર વચ્ચે ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થયો.. કાર ચાલકને ગંભીર ઇજાઓને લઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ટક્કર એટલી ભયાનક હતી કે કારના કર્ચેકુર્ચા ઉડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી શરુ થશે ફ્લવાવર શો આવતી કાલથી અમદાવાદમાં શરુ થશે ફ્લાવર શો શરુ થશે.. આ વખતે ટિકિટમાં 20 રુ.નો વધારો કરવામાં આવ્યો છે.12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.80 ને શનિ-રવિની ટિકિટ 100 રુ. રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 6:00 pm

મુકેશ અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શને પહોંચ્યો:નવા વર્ષ પૂર્વે મુકેશ, અનંત અને રાધિકાએ લીધા આશીર્વાદ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા અંબાણી નવા વર્ષના સ્વાગત પૂર્વે જગતમંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૫ સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક રહે તેવી મનોકામના સાથે અંબાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પરિવારે ભક્તિભાવપૂર્વક ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન, અંબાણી પરિવારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજના શિષ્ય બ્રહ્મચારી નારાયણ નંદજીની પણ મુલાકાત લીધી હતી. તેમણે બ્રહ્મચારી નારાયણ નંદજી પાસેથી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવાર હંમેશા મહત્ત્વના પ્રસંગો કે વર્ષના પ્રારંભે દ્વારકાધીશના આશીર્વાદ લેવાનું ચૂકતો નથી. આ મુલાકાતને પગલે દ્વારકા મંદિરે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં પણ અંબાણી પરિવારના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:59 pm

દ્વારકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાન:જીરું, ચણા સહિતના શિયાળુ પાકને વ્યાપક નુકસાનની ભીતિ

દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું અને ત્યારબાદ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. આ કમોસમી વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. વરસાદ એટલો વેગીલો હતો કે દ્વારકાના મુખ્ય બજારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વર્ષના અંતિમ દિવસોમાં યાત્રાળુઓનો ભારે ધસારો હોવાથી, અચાનક આવેલા વરસાદને કારણે ભક્તોમાં પણ દોડધામ મચી ગઈ હતી. ઠંડા પવન સાથેના આ માવઠાને કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી. શિયાળાના ભરપૂર તડકાની જરૂરિયાત વચ્ચે પડેલા આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં જીરું, ચણા, ઘઉં અને ધાણા જેવો શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે. પવન સાથેના વરસાદથી પાક આડો પડી જવાની અને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં હજુ પણ આવો જ માહોલ રહી શકે છે. વરસાદી માહોલ શમ્યા બાદ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની પણ શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:37 pm

જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:ઠંડા પવનોની લહેરો સાથે વાતાવરણમાં પલટો

જામનગરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જામનગર શહેર નજીક તેમજ દડીયા, ઠેબા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે શીતળ અને ઠંડા પવનોની લહેરો પણ જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગર જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેણે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર લાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:34 pm

પોરબંદરમાં 24 કલાકમાં દારૂબંધીના 24 ગુન્હા નોંધાયા:પોલીસે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરી

પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દારૂબંધીના કાયદાના ભંગ બદલ કુલ 24 ગુન્હા નોંધવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓ સામે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હેઠળ નિલેશ ધનજીભાઈ ગોહેલ, સંજય કરશન ચુડાસમા, કરશન ઉગાભાઈ સાદિયા, ગોપાલ રાણા ચાવડા, અમિત કરશન સાદિયા, પ્રકાશ વાલજીભાઈ બામણીયા, રવી ઉર્ફ ભૂરો બચુભાઈ શીંગરખીયા, મંજુ ધીરુભાઈ ગોહેલ, દેવી મેરામણભાઈ કડછા, મંજુ લીલા લાખા કેશવાલા, સલમા અહમદશાહ રફાઈ, ભીકા કાનાભાઈ ભરાઈ, ભીમાં ઉર્ફ ભીમકી રામાભાઈ ઓડેદરા, રામ અરહીભાઈ ઝુંડારીયા, સુરેશ સીતારામ મકવાણા, બાબુ મેનંદભાઈ સોલંકી, રામ બચુભાઈ મોતીવરસ, કલ્પેશ ઉર્ફ ભામઠો રાજુભાઈ છેલાવાડા, અશોક ગોવિંદભાઈ લોઢારી, ગોવિંદ વેલજીભાઈ સિંધવ અને પરેશ ધનજીભાઈ વરવાડીયા સહિતના આરોપીઓ સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે વીરા મેપા કોડીયાતર, હેમંત એભાભાઈ મારૂ, વિનુ ભનાભાઈ કોડીયાતર અને ભરત બાઘાભાઈ છેલાણા હાલ ફરાર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:32 pm

સેન્ટ્રલ GST પ્રિન્સીપાલ એડિશનલ એડીજીનું નિવેદન:દેશમાં માત્ર 1 ટકા જ લોકો GST ભરતા નથી, તેમાંથી અડધો ટકા તો જાણીજોઈને ટેક્સ ચોરી કરે છે. આવા કેસમાં સરકારી ટેક્સની વસૂલાત કરે છે

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ જીએસટી ભવન ખાતે સેન્ટ્રલ જીએસટી પ્રિન્સીપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં તેમણે જીએસટીના લાભો અને તાજેતરના ફેરફારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. હાલમાં જ જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા જીએસટીમાં ટેક્સ સ્ટ્રક્ચરને વધુ સરળ બનાવવામાં આવ્યું છે અને લોકોને વધુ લાભ મળે તે માટે રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સીધો ચૂકવીને અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ઉપયોગ કરીને જીએસટી ટેક્સ ભરી શકાય છે. ટેક્સ સિસ્ટમમાં મોટા ભાગના વેપારીઓ અને ઉદ્યોગો નિયમિતપણે ટેક્સ ભરે છે. જોકે કેટલાક લોકો ટેક્સ ભરતા નથી, એવા કિસ્સામાં જીએસટી વિભાગ તેમની પાસેથી ટેક્સ વસૂલ કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે, હવે GSTN (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક)ને સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. દર મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી સરકાર વતી ટેક્સ વસૂલાય છે, અને તે તેમણે જ ભરવાનો રહે છે. માત્ર 1 ટકા જ લોકો જીએસટી નથી ભરતા અને તેમાંથી અડધા ટકા એવા છે જે જાણીજોઈને ટેક્સ ચોરી કરે છે. આવા કેસમાં સરકારી કાર્યવાહી કરીને ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. કોઈપણ સમસ્યા કે ફરિયાદ હોય તો સીધા ડીજીએસટી (DGST) કચેરીમાં રૂબરૂ કે ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકાય છે. મીડિયામાં છપાતી કોઈપણ ખબર કે અહેવાલને પણ જીએસટી વિભાગ ગંભીરતાથી લે છે અને તપાસ કરે છે. આવતા વર્ષે નવા બજેટમાં જીએસટી તેમજ કસ્ટમ્સ ટેક્સના સ્લેબમાં વધુ ફેરફાર જોવા મળશે, જેનાથી વેપાર અને ઉદ્યોગને વધુ લાભ થશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:23 pm

આણંદના અયાન વ્હોરાએ અબાકસ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો:યુરોપમાં યોજાયેલ સ્પર્ધામાં ભારતને રનર્સઅપ બનાવવામાં યોગદાન આપ્યું

આણંદના 13 વર્ષીય અયાન મોહસીન વ્હોરાએ યુરોપના જ્યોર્જિયામાં યોજાયેલ યુસીમાસ અબાકસ વર્લ્ડ કપ-2025 સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેણે વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ ટ્રોફી જીતી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં અયાને ટીમ ઇવેન્ટમાં ભારતને રનર્સઅપ બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિશ્વના 84થી વધુ દેશોના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આણંદની યુસીમાસ અબાકસ સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી તાલીમ લઈ રહેલા અયાને આઠ મિનિટમાં 200 જેટલા જટિલ ગણિતના દાખલાઓ પેપર, પેન કે કેલ્ક્યુલેટર વિના ઉકેલી પોતાની અદભૂત માનસિક ક્ષમતા સાબિત કરી હતી. વર્લ્ડ કપ માટે તેણે દરરોજ 2થી 3 કલાક અને સ્પર્ધા પૂર્વે 8થી 10 કલાક કઠોર મહેનત કરી હતી. ભારત તરફથી માત્ર ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં આણંદના અયાન ઉપરાંત અમદાવાદ અને મુંબઈના ત્રણ અન્ય કિશોરો સામેલ હતા. અયાન આણંદની આનંદાલય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. અયાન વ્હોરાના પિતા ડૉ. મોહસીન વ્હોરા અમૂલ ડેરીમાં વેટરનરી ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. અયાને અગાઉ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ પ્રથમ સ્થાન મેળવી 18થી વધુ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવ્યા છે. જ્યોર્જિયાની નેશનલ યુનિવર્સિટીમાં યોજાયેલી આ સ્પર્ધામાં મલેશિયાના યુસીમાસ પ્રેસિડેન્ટ, સીઈઓ, સાઉદી અરેબિયા અને કઝાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અયાન અને તેની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અયાન ભવિષ્યમાં ગણિતશાસ્ત્રી બનવા સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો સંકલ્પ ધરાવે છે. તેની આ સિદ્ધિએ આણંદ જિલ્લા સાથે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:15 pm

250 બાળકોએ 'પર્વત બચાવો' સંદેશ આપ્યો:પાટણ શાળાના બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા પર્યાવરણ જાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 31 ડિસેમ્બર, 2025 ના રોજ 250 બાળકો દ્વારા 'પર્વત બચાવો' (SAVE MOUNTAINS) નો સંદેશ આપવામાં આવ્યો. બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા આ પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ માનવ રચિત કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય પર્વતોના ઘટતા અસ્તિત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. પર્વતમાળાઓ, જેમ કે અરવલ્લી રેન્જ, માત્ર પથ્થરોનો સમૂહ નથી, પરંતુ તે ભારતીય ઉપખંડનો સૌથી જૂનો ભૂસ્તરશાસ્ત્રીય વારસો છે. પર્વતમાળાઓ આબોહવા, જળ સુરક્ષા અને ઐતિહાસિક વારસાના રક્ષક છે. તે પાણી અને ભક્તિનો સ્ત્રોત છે, રણના આક્રમણ સામે ઢાલ સમાન છે. ભૌગોલિક, ઐતિહાસિક અને પર્યાવરણીય દૃષ્ટિએ તેમનું અત્યંત મહત્વ છે. પર્વતો નદીઓનું ઉદ્ભવ સ્થાન હોવા ઉપરાંત ધાર્મિક મહત્વ, પર્યટન સ્થળો, ખનીજ સંપત્તિ, રણને રોકતી દીવાલ, જળ વિભાજક અને જૈવ વિવિધતા માટે પણ અનિવાર્ય છે. આજે ગેરકાયદેસર ખનન અને શહેરીકરણને કારણે પર્વતમાળાઓનું અસ્તિત્વ જોખમમાં છે. આથી, તેમનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. શાળાના બાળકોએ આ સંદેશ દ્વારા સમાજને પર્વતોના સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:09 pm

નંદનવન શાળામાં ઉર્જા જાગૃતિ કાર્યક્રમ:GEDA અને નિસર્ગ સેન્ટરના સહયોગથી ચિરસ્થાયી ઉર્જા વિશે જાગૃતિ યોજાયો

ગાંધીનગરની નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેક્ટર–13 ખાતે ચિરસ્થાયી ઉર્જા વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિરસ્થાયી અને નવનીકરણીય ઉર્જા પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ ઊર્જા સંરક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સોલાર ઉર્જા, ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને ચિરસ્થાયી વિકાસ અંગે સરળતાથી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ઉર્જા જાગૃતિ ક્વિઝનું પણ આયોજન કરાયું હતું. ક્વિઝમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે આયોજકો અને સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:03 pm

દિગંબર જૈન સમાજ મહાસંઘની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:ઉત્તર ગુજરાત ઝોને હિંમતનગરમાં પ્રથમ વખત આયોજન કર્યું

ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ ઉત્તર ગુજરાત ઝોન અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા હિંમતનગર ખાતે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન દ્વારા આ પ્રકારની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમો અને મહિલાઓની 4 ટીમોએ ભાગ લીધો હતો. હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બે દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, હિંમતનગર નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી હિરેનભાઈ ગોર અને ડિરેક્ટર શ્રી રાકેશભાઈ સોની પણ હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર શ્રી અજીતભાઈ મહેતા, અન્ય ડિવિઝનના પ્રમુખો, તેમના કારોબારી મિત્રો અને ખેલાડીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનું સફળ આયોજન હિંમતનગર ડિવિઝનના પ્રમુખ શ્રી દિલીપભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એન્કર ઝલકબેન શાહ અને કોમેન્ટેટર શ્રી શુભમ શુક્લાએ તેમની સુંદર કોમેન્ટરી દ્વારા ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 5:00 pm

હોટેલ શ્રીજી સયાજીએ વંચિત બાળકો માટે નાતાલ ઉજવી:ચૈતન્ય ટ્રસ્ટના 50 બાળકો માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 'હેપ્પી ચિલ્ડ્રન સેન્ટર'ના 50 વંચિત બાળકો માટે આ વર્ષની નાતાલ યાદગાર બની રહી હતી. ટ્રસ્ટના લાંબા સમયના CSR પાર્ટનર હોટેલ શ્રીજી સયાજીના સહયોગથી આ બાળકો માટે એક ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ રમતગમત, બાઉન્સી કેસલ અને જાદુગરના ખેલનો ભરપૂર આનંદ માણ્યો હતો. હોટેલ શ્રીજી સયાજી દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન અને નાસ્તો પણ પીરસવામાં આવ્યો હતો, જેનાથી તેમના ઉત્સાહમાં વધારો થયો હતો. નાતાલની પરંપરા મુજબ દરેક બાળકને વિશેષ 'રિટર્ન ગિફ્ટ' આપવામાં આવી હતી. આ ભેટો સ્વીકારતી વખતે બાળકોના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાતી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ બાળકોમાં આત્મવિશ્વાસ જગાડવાનો અને તેમને સમાજનો એક મહત્વનો ભાગ હોવાનો અહેસાસ કરાવવાનો હતો. આ કાર્યક્રમની સફળતા પાછળ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક હિતેશ પંડ્યા અને કાજલ પંડ્યાનું સતત માર્ગદર્શન રહ્યું હતું. હોટેલ શ્રીજી સયાજીની ટીમ, જેમાં મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરત મોદી, જનરલ મેનેજર શ્રી સિદ્ધાર્થ ધાર, એચ.આર. શ્રી જાવેદ પાસ્તા, યુ.એફ.સી. શ્રી નઈમ જુવારિયા અને પરચેઝ વિભાગના શ્રી રાજેશ રાઠોડનો સમાવેશ થાય છે, તેમણે પણ સક્રિય સહયોગ આપ્યો હતો. ટ્રસ્ટના શિક્ષિકા રીટા દરિધણિયા અને સ્વયંસેવકો જ્યોતિ, સંજના, નિલેષ ફફલ અને દેવાંગ બથવારે પણ કાર્યક્રમમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:57 pm

ઊંઝા માનવ મંદિર દિવ્યાંગ કેન્દ્રની મુલાકાત:SK મેડિકલ કોલેજની ફિઝિયોથેરાપિસ્ટ ટીમે દિવ્યાંગ બાળકો સાથે કરી મુલાકાત

ઊંઝાના માનવ મંદિર દિવ્યાંગ બાળકોના ડે કેર સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વિસનગરની SK મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરોની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:55 pm

MLA ઇટાલિયાના આક્ષેપો:વિસાવદરના પ્રમુખ સાવલિયા સામે ખોટી FIR થઈ, પ્રવીણ રામના જન્મદિવસે જેલમાં મળવા ન દેવાયા

રાજકોટ આવેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના આપના પ્રમુખ હરેશ સાવલીયા સામે ખોટી FIR દાખલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આજે જેલમાં બંધ AAPના નેતા પ્રવીણ રામનો જન્મદિવસ હતો, આમ છતાં પણ તેના પરિવારજનોને મળવા દેવાયા નહોતા. ગુજરાતમાં ખેડૂતો માટે લડત ચલાવતા નેતાઓને ભાજપ જેલમાં પુરવાનું કામ કરી રહી હોવાનો ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. જેથી ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ ખોટી રીતે પોલીસ દ્વારા છેડતીની ખોટી FIR દાખલ કરવામાં આવી. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા. જોકે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા. ત્યાર બાદ હરેશભાઈ સાવલિયાને ગઈકાલે જેલમાં અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિસાવદર AAPના પ્રમુખ ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો માટે જે કોઈ પણ લડત ચલાવે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આયોજન ગોઠવાયેલું છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ હજુ પણ રાજકોટ જેલમાં છે. ભેંસાણ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દ્વારા તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર મારી ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો પર સહી કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. જેમાં મામૂલી બોલાચાલીની ફરિયાદ દાખલ કરવામાં આવી. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ કમરનો પટ્ટો ગળામાં પહેરી કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજે અમારા નેતા પ્રવીણભાઈ રામનો જન્મદિવસ હતો અને તેથી જેલમાં તેમને મળવા માટે ગયા હતા તેમને મળવા માટે અમે ફોર્મ પણ કર્યુ. મારી સાથે પ્રવીણભાઈના પિતા અને કાકા પણ હતા. આમ છતાં પણ મળવા ન દેવાયા અને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે અમને ઉપરથી મળવા દેવાની ના પાડવામાં આવી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:54 pm

હિરેન હિરપરા ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રમુખ:અમરેલીમાં પ્રથમવાર આગમન, જિલ્લા ભાજપે કર્યું ભવ્ય સ્વાગત

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની નિમણૂક થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા તેમના સન્માનમાં એક ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યકરો અને આગેવાનોએ 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે ખેડૂત નેતા હિરેન હિરપરાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને સન્માનિત કર્યા હતા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હિરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વર્ષ 2009માં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2013માં તેઓ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ બન્યા, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી અને 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી. 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી બન્યા બાદ, 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતો દ્વારા આવકારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:52 pm

વિદ્યાર્થીઓએ સાયણ સુગર ફેક્ટરીની મુલાકાત લીધી:પરીયા શાળાના વિદ્યાર્થીઓએ ખાંડ ઉત્પાદન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

પરીયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયણ સુગર ફેક્ટરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોને ઔદ્યોગિક એકમની કાર્યપ્રણાલી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો હતો. ફેક્ટરીમાં વિદ્યાર્થીઓને શેરડીના આગમનથી લઈને ખાંડના અંતિમ ઉત્પાદન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર દર્શાવવામાં આવી હતી. બાળકોએ રૂબરૂ નિહાળીને ખાંડ કેવી રીતે બને છે તેની જટિલ પ્રક્રિયાને સમજવાનો અનુભવ મેળવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં શાળા પરિવારના સભ્યો અને એસએમસી (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આવા પ્રત્યક્ષ અનુભવોના શૈક્ષણિક મહત્વ પર ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:50 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને ગરમ હુડીનું વિતરણ:શિયાળાની ઠંડીમાં બાળકોને રક્ષણ આપવામાં મદદરૂપ થશે

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીથી બચાવવા ગરમ હુડીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલ ખાસ કરીને એવા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, જેઓ ઠંડીના કારણે શાળાએ આવવામાં મુશ્કેલી અનુભવતા હતા. આ ગરમ હુડી મળવાથી બાળકોને ઠંડીથી રક્ષણ મળે છે અને તેઓ શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓથી બચી શકે છે. સ્વસ્થ બાળકો નિયમિતપણે શાળામાં હાજર રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે, જે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે અત્યંત જરૂરી છે. હુડી વિતરણથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ખુશીનો સંચાર થાય છે. જ્યારે કોઈ સંસ્થા તેમની કાળજી લે છે, ત્યારે બાળકોને લાગે છે કે સમાજ તેમની સાથે છે. આ ભાવના તેમને ભણતર પ્રત્યે વધુ ઉત્સાહિત બનાવે છે અને શાળા પ્રત્યેનો તેમનો લગાવ વધે છે. આ સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. શિયાળાના ગરમ કપડાં ખરીદવા એ ઘણા પરિવારો માટે આર્થિક બોજ હોય છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા મળતી આ હુડીથી પરિવાર પરનું આર્થિક ભારણ ઘટે છે. સમગ્ર રીતે જોતાં, હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ શાળાના બાળકોને ગરમ હુડીનું વિતરણ માત્ર કપડાં આપવાનું કાર્ય નથી, પરંતુ તે માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રયાસ બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:47 pm

મોરબીના નેસડામાં પાણી જતન માટે ગ્રામસભા:ગીરગંગા પરિવાર ટ્રસ્ટે ચેકડેમ અને બોર રિચાર્જિંગનું મહત્વ સમજાવ્યું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના જતન માટે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ ગ્રામજનોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેના સંગ્રહથી જમીનના જળસ્તરને ઊંચા લાવવામાં ચેકડેમની અસરકારકતા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ચેકડેમથી જળસ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ થશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એકથી વધુ સિઝનમાં ખેતી કરી શકશે. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી ભાવેશભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાણીની કટોકટી ટાળવા માટે અત્યારથી જ જાગૃત થવું અનિવાર્ય છે. આકાશમાંથી વરસતા વરસાદી પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારવો એ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે ઉમેર્યું કે, જો આજે પાણીનું જતન કરીશું તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પાણી મળી રહેશે. તેમણે ખેત તલાવડી, ચેકડેમ અને બોર રિચાર્જિંગ જેવી પદ્ધતિઓ અપનાવીને ગામનું પાણી ગામમાં જ રોકવા ગ્રામજનોને આહ્વાન કર્યું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાં લોકભાગીદારીથી પૃથ્વીની જીવસૃષ્ટિના રક્ષણ માટે કાર્યરત છે. સંસ્થા જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીના સ્તરને ઊંચા લાવવા માટે અનેક ચેકડેમનું સમારકામ, ઊંચા, ઊંડા અને નવા ચેકડેમ બનાવવાનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા બોર રિચાર્જિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટે કુલ ૧,૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો છે. આ ગ્રામસભામાં નેસડા ગામના સરપંચ પંકજભાઈ ભાડજા, કિસાન સંઘના પ્રમુખ મહાદેવ મગનભાઈ, હરજીવનભાઈ ભાડજા, ગંગાભાઈ ભાડજા, લાલજીભાઈ ભાડજા, જશમંતભાઈ ચીકાણી, નંદલાલભાઈ ભાડજા સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:44 pm

તેરા તુજ કો અર્પણમાં રેકોર્ડબ્રેક કામગીરી:વડોદરા પોલીસે વર્ષ-2025માં 22 કરોડનો મુદ્દામાલ અરજદારોને પરત અપાવ્યો, અરજદારે કહ્યું- મારા 36 લાખ પરત અપાવ્યા

વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આજે(31 ડિસેમ્બર) તેરા તુજ કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 698 જેટલા અરજદારોને તેમનો 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી, લૂંટ અને ઠગાઇમાં ગયેલા ઘરેણાં, મોબાઇલ અને રોકડ રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી. જેના કારણે અરજદારોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત અરજદારોએ પોતાનો ગુમાવેલા મોબાઇલ સહિતનો સામાન લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2025માં તેરા તુજ કો અર્પણના 87 કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં 1840 લાભાર્થીઓને 22.84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસે તેરા તુજ તો અર્પણમાં રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓ અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ગુનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટીવ મેજર્સ લીધા હતા. આજે વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડો થયો છે અને બનેલા ગુનાઓમાં 73.5 ટકા ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. ડિકોય 100 ટકા, લૂંટ 100 ટકા, ઘરફોડ ચોરી 76 ટકા, ચેઇન સ્નેચિંગા 96 ટકા અને અન્ય ગુનાઓમાં 73.5 ટકા કેસોને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાંતેઓેએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરીકોને ચોરાયેલો મુદ્દામાલ પરત મળે તે માટે વડોદરા શહેર પોલીસ એક્ટિવ છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાં છે. જેમાં 18.14 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આજે 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં પરત કરાવેલા 44.08 લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જેમાં 1243 મોબાઇલ, વાહનો, સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમનો સમાવેશ થાય છે. રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો, 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યોઅરજદાર જોયબ્રતો મુખર્જીએ જણાવ્યું હતું કે, હું ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. હું 36 વર્ષ સુધી એબીબી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો હતો. છતાં મારી સાથે સાયબર ફ્રોડ થતાં મારો કોન્ફિડેન્સ હલી ગયો હતો. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટના નામેે 35.05 લાખ રૂપિયા મેં ગુમાવી દીધા હતા. મારા મિત્રએ મને કહ્યું હતું કે, તમે સાયબર ક્રાઇમ પોલીસમાં સપર્ક કરો. મેં રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો હતો. સામેથી 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યો હતો. તેઓએ મારા ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે, વડોદરા શહેર પોલીસ પ્રોફેશનલ રીતે કામ કરે છે. તેઓએ સતત મહેનત કરીને મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. આ મારા માટે મિરેકલથી ઓછું નથી. મે આશા છોડી દીધી હતી. પણ પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. હું વડોદરા પોલીસનો આભાર માનુ છું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:44 pm

રાહી ફાઉન્ડેશને આદિવાસી છાત્રાલયને સ્વેટર, ટોપી, તિજોરી આપ્યા:બનાસકાંઠાના ઈકબાલગઢમાં બાળકોને ગરમ કપડાં, સંસ્થાને પલંગ પણ મળ્યા

અમદાવાદના રાહી ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢ ખાતે આવેલા પછાત વર્ગ ઉત્કર્ષ સેવા સંઘ સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલયને વિવિધ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. આ અંતર્ગત છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 30 ગરમ સ્વેટર અને ગરમ ટોપીઓ તેમજ છાત્રાલય માટે એક ઓફિસ કબાટ અને એક પલંગનું દાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સામાજિક અગ્રણીઓ પ્રવીણભાઈ પટેલ, સરૂપાજી દેસાઈ, અમીચંદભાઈ શ્રીમાળી, જીતુભાઈ જોષી અને શનિભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન પછાત વર્ગ ઉત્કર્ષ સેવા સંઘના સતીષભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. સતીષભાઈ જોષીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે અમીચંદભાઈ શ્રીમાળીએ પણ પ્રવચન આપ્યું હતું. રાહી ફાઉન્ડેશનના પ્રમુખ જયેશ પરીખે વિદ્યાર્થીઓને જીવન ઉપયોગી, પર્યાવરણ બચાવો અને શાળા માટે ઉપયોગી બનવાની શીખ આપી હતી. તેમણે માતા-પિતાને ભગવાન માની સવારે બહાર નીકળતા પહેલા તેમના ચરણોમાં નમીને નીકળવાની પ્રેરણા આપી હતી. રાહી ફાઉન્ડેશન દ્વારા ભવિષ્યમાં શાળાને લાઇબ્રેરી અને સ્ટેશનરીની મદદ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓનું સંસ્થા તરફથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. મહેમાનોને જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક પુસ્તક સુખનો સૂર્યોદય ભેટ આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:42 pm

છઠીયારડા શાળા-આંગણવાડીના બાળકોને તિથિ ભોજન અપાયું:ઐયુબખાન પઠાણના દીકરાના લગ્ન પ્રસંગે આયોજન કરાયું

છઠીયારડા ગામમાં ઐયુબખાન યાકુબખાન પઠાણના દીકરા નોમાનખાનના લગ્ન પ્રસંગ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ ભોજન છઠીયારડા ગામની પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા અને તમામ આંગણવાડી કેન્દ્રોના બાળકોને પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ પ્રાર્થના સભામાં શ્રી ઐયુબખાન પઠાણના સેવાભાવી કાર્યને બિરદાવ્યા હતા. તેમણે ઐયુબખાનના દીકરા નોમાનખાનને તેમના ભાવિ વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય સથવારાએ જણાવ્યું હતું કે આવા કાર્યો બાળકોમાં સંસ્કાર અને સામાજિક ભાવનાનો વિકાસ કરે છે. શાળા પરિવારે શ્રી ઐયુબખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તિથિ ભોજન કાર્યક્રમથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:38 pm

દર્શના બુટાલા 27 વર્ષની સેવા બાદ સન્માનિત:કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર વાસણા ખાતે હાયર ઘેન હોપ ફાઉન્ડેશન દ્વારા સન્માન

કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા ખાતે છેલ્લા 27 વર્ષથી સેવા આપનાર શ્રી દર્શનાબેન બુટાલા નિવૃત્ત થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની સામાજિક સંસ્થા 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન' દ્વારા આ સન્માન કરાયું હતું.ગુજરાત કેન્સર સોસાયટી (ફાઉન્ડેશન) દ્વારા સંચાલિત આ સેન્ટરમાં દર્શનાબેન બુટાલા પી.આર.ઓ., સોશિયલ વર્કર, કેન્સર એજ્યુકેશન અવેરનેસ અને પ્રદર્શન વિભાગના વડા તરીકે કાર્યરત હતા. તેમણે ૨૭ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. આ સન્માન સમારોહમાં 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન'ના સ્થાપકો પરેશ શેઠ અને ક્ષિતિજ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના કેતકીબેન શાહ, જાગૃતિબેન પટેલ અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતા. દર્શનાબેનને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમની સેવાઓ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દર્શનાબેન બુટાલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:35 pm

અકસ્માતમાં યુવકે જીવ ગુમાવ્યો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક પલટી ખાઈ જતા સુરતના યુવકનું મોત, પરિવારમાં માતમ છવાયો

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફાજલપુર ટોલનાકા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં શેરડી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા સુરતના રહેવાસી 41 વર્ષીય ગોપાલભાઈ પુંજાભાઈ દેવીપુજકનું મોત નીપજ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માત રાત્રે 12:30 વાગ્યે બન્યો હતો. ફરિયાદી સુરેશભાઈ રવજીભાઈ જીલીયા (ઉ.વ. 36, રહે. બોટાદ) તેમના ફુઆ ગોપાલભાઈ તથા અન્ય સગા પ્રહલાદભાઈ સાથે સુરતથી શેરડી ભરેલા આઈસર ટ્રકમાં બોરસદ તરફ જઈ રહ્યા હતા. ફાજલપુર ગામ પાસે ટોલનાકા નજીક ઉતાર પર ટ્રકચાલક કિશનભાઈ ઘનશ્યામભાઈ રાફુસાએ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી બેદરકારીથી ટર્ન લીધું હતું. આના કારણે ટ્રક પલટી ખાઈ ગયો અને શેરડી નીચે ગોપાલભાઈ નીચે દબાઈ ગયા હતા. ઘાયલ ગોપાલભાઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ગોપાલભાઈ મૂળ સબાસર ગામ (તા. બાવળા, જી. અમદાવાદ)ના વતની હતા અને હાલ યોગી ચોક, નાના વરાછા, સુરતમાં રહેતા હતા. ફરિયાદી સુરેશભાઈએ ટ્રકચાલક કિશનભાઈ રાફુસા વિરુદ્ધ બેદરકારી અને ગફલતથી વાહન ચલાવવાના આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી ગોપાલભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:35 pm

સંત નિર્વાણ સાહેબની 512મી સમાધિજયંતિ ઉજવાઈ:સુરતમાં 'જ્ઞાન ગોદડી મેળો' યોજાયો, હજારો ભક્તો ઉમટ્યા

સુરતના બેગમપુરા સ્થિત નિર્વાણ અખાડા ખાતે સંત સદગુરુ શ્રી નિર્વાણ સાહેબની 512મી જીવંત સમાધિજયંતિ નિમિત્તે આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 30-12-2025 થી 31-12-2025 દરમિયાન યોજાયો હતો. આ અવસરે 'જ્ઞાન ગોદડી મેળા'નું પણ આયોજન થયું હતું. આ મેળાના દર્શન માટે સુરત તેમજ મહારાષ્ટ્રથી હજારો ભક્તો વહેલી સવારથી બસો દ્વારા ઉમટી પડ્યા હતા. ભક્તોએ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. સંત નિર્વાણ સાહેબની સમાધિ આવેલો આશ્રમ 545 વર્ષથી વધુ જૂની ભૂમિ તરીકે ઓળખાય છે. ઇતિહાસ મુજબ, વિ. સં. 1537માં જ્યારે સુરત પર નવાબનું શાસન હતું અને હિન્દુ સાધુ-સંતોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે કુંભમેળાની ચર્ચા બાદ સંત નિર્વાણ સાહેબ સુરત આવ્યા હતા. તેમના ચમત્કારોના પરિણામે નવાબ સ્વયં તેમના ભક્ત બન્યા અને ત્યારબાદ સુરતમાં ધર્મ-સહિષ્ણુતાનો નવો અધ્યાય શરૂ થયો. સંત નિર્વાણ સાહેબે 33 વર્ષ સુધી સુરતમાં નિવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન નિર્વાણ આશ્રમમાં જાહેર અન્નક્ષેત્ર, હાથીઓનું સંરક્ષણ, હજારો ભક્તોની દૈનિક સેવા અને 'જ્ઞાનીજીનો મેળો' જેવી પરંપરાઓની શરૂઆત થઈ. આજના સુરતના ગોપીપુરા, ગોપીતળાવ, હાથી ફળીયા, દુકાળપોળ અને દાણાપીઠ જેવા વિસ્તારોના નામકરણનો ઈતિહાસ પણ સંત નિર્વાણ સાહેબ સાથે જોડાયેલો હોવાનું આશ્રમ સંચાલકો જણાવે છે. નવાબી યુગના પુરાતન દસ્તાવેજો અનુસાર, નિર્વાણ અખાડાની જમીન નવાબના મહેલથી મોતી ટોકીઝ દાણાપીઠ સુધી વિસ્તરેલી હતી. આ આશ્રમમાં હનુમાનજી, યોગી ભર્તુહરી, યોગી ગોપીચંદ, ગેબીનાથ, મલ્લીનાથ, ગોરખનાથ સહિત અનેક મહાન સંતો સંત નિર્વાણ સાહેબને મળવા આવતા. ઉપરાંત ગુરુ નાનકજી, સંત કમાલ સાહેબ, મીરાબાઈ, કબીર સાહેબ અને સંત નામદેવ જેવા મહાત્માઓ સાથેના સમાગમના પ્રસંગો અનેક ગ્રંથોમાં વર્ણવાયેલા છે. સ્વયં સહજાનંદ સ્વામી પણ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન માટે અહીં આવ્યા હતા. આ વર્ષે યોજાયેલા મહોત્સવે સુરતની સંત પરંપરાને ફરી એકવાર ઉજાગર કરી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:34 pm

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર:ધનુર્માસ નિમિત્તે વૃંદાવનના વાઘા ધરાવાયા, અન્નકૂટ કરાયો

સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં 30 ડિસેમ્બર, 2025, મંગળવારના રોજ આયોજન કરાયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંદિરના સિંહાસનને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5.30 કલાકે મંગળા આરતી અને 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને ૫૧ ડઝન કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું છે. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ (૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. આ જાપ યજ્ઞમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જાપ દરરોજ સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન કરવામાં આવે છે. આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:30 pm

ફતેગંજ બ્રિજ ખુલ્લો મુકાયો:કાર્પેટીંગ કામગીરી પૂરી થતાં વર્ષના અંતિમ દિવસે બ્રિજ ખોલાયો, થર્ટી ફસ્ટની ઉજવણી માટે આવતા લોકોને રાહત

વડોદરા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજના પ્રમુખ સ્વામી બ્રિજ કાર્પેટીંગની કામગીરીને કારણે બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતો. ત્યારબાદ હવે ખુલ્લો થતા વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવી રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું. પરિણામે આ બ્રિજ કેટલાક દિવસોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને રાહતઆ દરમિયાન કાર્પેટિંગની કામગીરી પૂરી થતાં જ તંત્ર દ્વારા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો કરાયો હતો. પરિણામે ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને ખૂબ રાહત થઈ હતી. આજે વર્ષનો અંતિમ દિવસ છે અને તેની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. જેથી આ વિસ્તારના રોડ રસ્તા બંધ કરવા પણ પોલીસ તંત્રને ફરજ પડે છે. ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થશેજ્યારે બીજી બાજુ ફતેગંજનો આ પ્રમુખસ્વામી બ્રિજ ખુલ્લો થતાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યા પણ હળવી થવાની શક્યતા નકારી શકાતી નથી. આજે થનાર ઉજવણીમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્યારે ટ્રાફિક પોલીસે પણ આ માર્ગ ખુલ્લો કરવામાં આવતા રાહતનો શ્વાસ લીધો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

ટાઉન હોલ ધોવા માટે ફાયર બ્રિગેડ અને કર્મીઓનો દુરુઉપયોગ:નોન યુઝ ગાડી છે કહીને મહેસાણાના ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યા

મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા ટાઉન હોલ ધોવા માટે મીની ફાયર બ્રિગેડ અને ફાયરકર્મીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ટાઉનહોલની સફાઈ કરવા ફાયર બ્રિગેડનો દુરઉપયોગમળતી વિગતો અનુસાર મહેસાણા આવતીકાલે મુખ્યમંત્રી આવનારા હોવાથી અને ટાઉન હોલમાં કાર્યક્રમ હોવાથી મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગતરાત્રી દરમિયાન શહેરના ટાઉનહોલની સફાઈ કરવા માટે ફાયર બ્રિગેડના સાધનોનો અને એક-બે ફાયર કર્મીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જે સાધનો માત્ર આગ જેવી કટોકટીની સ્થિતિમાં લોકોના જીવ અને મિલકત બચાવવા માટે ફાળવવામાં આવ્યા છે, તેને ટાઉનહોલ ધોવા જેવા સામાન્ય કામમાં જોતરી દેવામાં આવ્યા હતાં. મીની બ્રાઉઝરનો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવાયુંઆ ઘટનામાં ફાયર બ્રિગેડના 'મીની બ્રાઉઝર'નો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવામાં આવ્યું હતું. સ્વચ્છતાના બહાને સરકારી મશીનરી અને પાણીનો આ પ્રકારે વ્યય કરવામાં આવ્યો હતો.નિયમ મુજબ ફાયર ફાઈટર કે મીની બ્રાઉઝરનો ઉપયોગ માત્ર આગ ઓલવવા કે રેસ્ક્યુ ઓપરેશન માટે જ કરવાનો હોય છે. ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યાફાયર ઇન્સ્પેક્ટર હરેશ પટેલે જણાવ્યું કે, જો ફાયર વિહિકલ અને ફાયર સ્ટાફ હોય તો જ્યારે કોઈ પણ ઇમરજન્સી આવે આગ બુઝાવવા માટેની કે એ કામગીરી દરમિયાન આપણે ફાયર વિહિકલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વધુમાં જણાવ્યું કે જે, ગાડીનો ઉપયોગ હતો એ અમે એની કાર્યક્ષમતાના હિસાબે ફાયરમાં અત્યારે ઉપયોગ કરતા નથી અને નોન-યુઝ ગાડી છે અમારી ફાયરની. એના અંદર હાઈ પ્રેશર પંપ છે તો અમે એને ટૂંક સમયમાં કન્વર્ટ કરી છે પ્રેશર પંપ માટે બીજું કે જે સ્ટાફ હતો એ ટેકનિકલ કઈ રીતે ચાલુ કરવું કે શું કરવું એના માટે ફાયરનો સ્ટાફ ત્યાં આગળ હતો એ ગાડીમાં. એ તો પ્રેશર પંપ તરીકે ઉપયોગ કરેલો છે અને હાલ ફાયર માટે અમે બિલકુલ એ ગાડીનો ઉપયોગ કરતા નથી, એની જગ્યાએ અમે નવી ગાડી વસાવેલી છે.આમ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

જંબૂરી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ:વલસાડ કોર્ટે વિપુલ હળપતિને દોષિત ઠેરવી સજા ફટકારી

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જંબૂરી ગામમાં થયેલી હત્યાના કેસમાં વાપીના બીજા એડિશનલ સેશન્સ જજે આરોપી વિપુલ નારણભાઈ હળપતિ (ઉં.વ. 35)ને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીએ ફરિયાદી અંજુબેન વારલીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમના પુત્ર કલ્પેશ વારલીની લાકડાના ફટકા મારી હત્યા કરી હતી. કેસની વિગત અનુસાર, 5 ફેબ્રુઆરી 2022ના રોજ સાંજે લગભગ 7 વાગ્યે ઘરની બહાર થયેલી બોલાચાલીની અદાવત રાખી આરોપી વિપુલ હળપતિ લાકડાનું ફાડચું લઈને ફરિયાદીના ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ઘરની પેજારીમાં ચૂલા પાસે બેઠેલા કલ્પેશ વારલીના માથા પર ઉપરાછાપરી ત્રણ ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ હુમલામાં મૃતકની બહેન કવિતા વારલીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આરોપીને IPC કલમ 302 હેઠળ આજીવન કેદ અને ₹10,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, IPC કલમ 449 હેઠળ 10 વર્ષની કેદ અને ₹2,000નો દંડ તથા કલમ 324 હેઠળ એક વર્ષની કેદ અને ₹1,000નો દંડ પણ કરવામાં આવ્યો છે. અદાલતે ગુજારનારના આશ્રિતોને વળતર આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને કેસ રિફર કરવાનો પણ આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:27 pm

K.P.E.S. ઇંગ્લિશ સ્કૂલ ખાતે 'પ્રજ્ઞાન એક્સપો'નું આયોજન:ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીતૈ 110 જેટલા પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓએ બતાવી પ્રતિભા, ભાવનગર ના યુવરાજ ઉપસ્થિત રહ્યા

ચંદ્રયાન, મિશન ટુ માર્સ, ઇકો બ્રિક્સ, ટેકનોલોજી, સોલર એનર્જી તથા ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ રજૂ કર્યા અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ધ કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આજરોજ 'પ્રજ્ઞાન એક્સપો 2025' વિજ્ઞાન પ્રદર્શનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં પ્રી-પ્રાયમરીથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ વિષયો પર 110 જેટલા નવીનતમ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા, ​આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભાવનગરના યુવરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓના કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો, આ સમગ્ર આયોજન સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્ય તરૂણભાઈ વ્યાસ અને પ્રાયમરી સેક્શનના હેડ મલ્લિકાબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ​​વિદ્યાર્થીઓએ માત્ર મોડેલ જ નહીં, પરંતુ વર્તમાન અને ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ સમાન પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જેમાં મુખ્ય આકર્ષણોઓમાં ​સ્પેસ સાયન્સ ચંદ્રયાનનું આબેહૂબ મોડેલ અને 'મિશન ટુ માર્સ' (મંગળ અભિયાન) ના પ્રોજેક્ટ્સ, ​પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલી 'ઇકો બ્રિક્સ', ​આરોગ્ય અને ટેકનોલોજી, ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ અને સોલર એનર્જીના વિવિધ ઉપયોગો સહિતના 110 જેટલા પ્રોજેકટો બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, ​કેપીઈએસ સાયન્સ એકેડમીના એડમિનિસ્ટ્રેટિવ પ્રણવ દેવલુકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શનને નિહાળવા માટે સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા, તમામ વિભાગના હેડ્સ અને શિક્ષકોના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ઉત્સવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:17 pm

મોરબીના શાપર પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ઘુસ્યા:ખેડૂતોના વાવેતરને મોટું નુકસાન; અધિકારીઓ ફોન ઉપાડતા હોવાના આક્ષેપ

મોરબી તાલુકાના શાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઘટનાને કારણે ખેડૂતોએ વાવેલા પાકને મોટા પાયે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રસાદ મિનરલ્સની પાછળથી પસાર થતી આ માઈનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હતી. કેનાલમાં પાણી છોડતા પહેલા તેની સફાઈ ન થવાને કારણે પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. શાપર ગામના અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. ખેડૂતો અધિકારીઓના બિનજવાબદાર વલણથી નારાજ છે. મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાની અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત વર્ષે પણ ચોમાસામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આવી પરિસ્થિતિમાં કેનાલના પાણીથી પાકને નુકસાન થતા ખેડૂતોને 'પડ્યા ઉપર પાટુ' જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:16 pm

રાજકોટમાં આપઘાતના બે બનાવ:15 વર્ષની સગીરા અને 19 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં લાપાસરી ગામે 19 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે બીજા બનાવમાં રૂડાનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. લાપાસરી ગામે 19 વર્ષીય યુવતીનો આપઘાત રાજકોટ નજીક લાપાસરી ગામે ટ્વિંકલ દોલતસિંહ ગોહિલ (ઉ.વ.19) નામની યુવતીએ ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ઉપરના માળના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તાત્કાલિક 108માં જાણ કરત 108 ઇએમટી સ્થળ પર આવી અને ટ્વિંકલને તપાસી મૃત જાહેર કરી બનાવની જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ટ્વિંકલ 1 ભાઈ અને 1 બહેનમાં મોટી હતી તેમના પિતા દોલતસિંહને કાપડની દુકાન છે અને તેમાં ટ્વિંકલ પિતાને મદદ પણ કરાવતી હતી. જો કે તેને આપઘાત ક્યાં કારણોસર કર્યો તે ણ પરિવારજનો પણ અજાણ હોય જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂડાનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરાનો આપઘાત આપઘાતના બીજા બનાવમાં રૂડાનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા 108ના ઇએમટીએ સ્થળ પર પહોંચી સગીરાને તપાસી મૃત જાહેર કરી બનાવની જાણ તાલુકા પોલીસને કરતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:16 pm

ભાગવત કથામાં ચોરી કરતી મહિલા ઠગ ગેંગ ઝડપાઈ:પોલીસ પર હુમલો કરવામાં પણ નથી અચકાતી આ મહિલાઓ, ગેંગની માસ્ટરમાઈન્ડનો ગુનાહિત ઈતિહાસ

સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન સાત મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાની તફડંચી કરનાર દિલ્હીની કુખ્યાત મહિલા ઠગ ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. કથામાં શ્રદ્ધાળુ બનીને ઘૂસેલી વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી અને તેની ટોળકીએ અંદાજે રૂ. 6.77 લાખની કિંમતના 140 ગ્રામ સોનાની ચેઈન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી, જેને ક્રાઈમ બ્રાન્ચે કીમ ચાર રસ્તા પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધી છે. મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં ગોવા સહિતના રાજ્યોમાં વોન્ટેડધરપકડ કરાયેલી આ મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગોવા સહિતના અનેક રાજ્યોમાં વોન્ટેડ છે અને પોલીસ પર હુમલો કરવા જેવી હિંમત ધરાવતી રીઢા ગુનેગાર છે, જેઓ જેવો દેશ તેવો વેશ ધારણ કરી ધાર્મિક પ્રસંગોમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતીસુરતના વેસુ વિસ્તારમાં નંદીની-1 એપાર્ટમેન્ટ ખાતે આયોજિત ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી. ગત 27 ડિસેમ્બરના રોજ કથાના ધમધમાટ વચ્ચે તસ્કરોએ સાત મહિલાઓના ગળામાંથી આશરે 140 ગ્રામ સોનાની ચેઈન (અંદાજે કિંમત 6.77 લાખ) ચોરી લીધી હતી. આ ઘટનામાં સંડોવાયેલી ગેંગ એટલી વ્યવસ્થિત હતી કે કથાના વાતાવરણમાં કોઈને શંકા સુદ્ધાં ગઈ નહોતી. વેસુ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિંતાની કલમ-303(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વનિતા કોઈ સામાન્ય ચોર નહીં, પરંતુ એક રીઢી ગુનેગારઆ ટોળકીની મુખ્ય સૂત્રધાર દિલ્હીની વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી છે. વનિતા કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢી ગુનેગાર છે. તેના નામે ગુજરાતના અમદાવાદ (ગાયકવાડ હવેલી), ભુજ, વલસાડ અને સુરત (અલથાણ)માં અનેક ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની ગુનાખોરીની સીમાઓ ગુજરાત બહાર ગોવા સુધી ફેલાયેલી છે. ગોવા પોલીસના મરગાઉ, માપુસા અને કેનાકોના પોલીસ સ્ટેશનમાં પણ તે ચેઈન સ્નેચિંગ અને લૂંટના ગુનામાં વોન્ટેડ હતી. અન્ય બે મહિલાઓ પોલીસ પર હુમલો કરી ભાગી છૂટવાની ટેવ ધરાવનારધરપકડ કરાયેલી અન્ય બે મહિલાઓ, રાધા અને મનિષા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ખાસ કરીને રાધા સામે સુરતના અલથાણ પોલીસ મથકે અગાઉ ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો છે, જેમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતી. આ મહિલાઓ માત્ર ચોરી જ નથી કરતી, પરંતુ જ્યારે પોલીસ તેમને પકડવા જાય ત્યારે પોલીસ ટીમ પર હુમલો કરી ભાગી છૂટવાની પણ ટેવ ધરાવે છે. આ ગેંગ 'ઠગ' ગેંગ તરીકે ઓળખાય છે, જે ભારતના વિવિધ રાજ્યોમાં સક્રિય છે. મહિલાઓ તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જતીઆ ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની 'વેશપલટો' કરવાની કળા છે. તેઓ જે રાજ્યમાં જાય અને જે ધાર્મિક પ્રસંગ (હિન્દુ, જૈન કે અન્ય) માં જાય, ત્યાંના લોકો જેવા જ પારંપરિક કપડાં પહેરી લે છે. આથી ભીડમાં તેઓ સામાન્ય શ્રદ્ધાળુ જેવા જ લાગે છે. કથા કે લગ્ન જેવા પ્રસંગોમાં તેઓ સોનાના ભારે દાગીના પહેરેલી મહિલાઓની ઓળખ કરી અને તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જાય છે. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી ત્રણેય મહિલાઓને દબોચી લીધીસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ મહિલાઓ સુરત ગ્રામ્યના કીમ ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. ગેંગના હિંસક ઈતિહાસને જોતા પોલીસે મહિલા કોન્સ્ટેબલો સાથે એક મજબૂત સંયુક્ત ટીમ બનાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી આ ત્રણેય મહિલાઓને દબોચી લીધી હતી. આ ઓપરેશનથી માત્ર વેસુની ચોરીનો જ નહીં, પણ ગોવા અને અન્ય શહેરોમાં થયેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:11 pm

હિંમતનગર પાલિકાએ 12 દબાણ દૂર કર્યા:ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાયા

હિંમતનગર નગરપાલિકાએ ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારોમાં દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. બુધવારે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કુલ 12 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સોસાયટીના અને ટીપી રોડના રસ્તાઓ ખુલ્લા થયા હતા. પાલિકા દ્વારા ભોલેશ્વર ખાતે આવેલી શિવધારા અને સુંદરમ સોસાયટીઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં 20 ફૂટના રસ્તા પરના કાચા અને પાકા દબાણો, જેમાં ઓટલા, પગથિયાં અને શૌચાલયોનો સમાવેશ થતો હતો, તે હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોતીપુરા વિસ્તારમાં આવેલી શરણમ સોસાયટીમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પર બનાવેલા પાકા કોટ દૂર કરવામાં આવ્યા હતા. 9 મીટરના ટીપી રોડ પરના દબાણો પણ હટાવી દેવાયા હતા, જે હાઈવેના સર્વિસ રોડને ટીપી રોડ સાથે જોડે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:08 pm

ગોધરા રેલવે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન:થર્ટી ફર્સ્ટની સુરક્ષા માટે BDDS અને પોલીસે તપાસ કરી

ગોધરા રેલવે સ્ટેશન પર થર્ટી ફર્સ્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવા માટે રેલવે પોલીસ, આર.પી.એફ. અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ અભિયાન અંતર્ગત સ્ટેશન પર આવતી-જતી તમામ પેસેન્જર ટ્રેનોના ડબ્બાઓમાં મુસાફરોના સામાનની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ, મુસાફરખાના અને પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા એજન્સીઓએ આધુનિક સાધનોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ચેકિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે બિનવારસી સામાન મળી આવ્યો ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નવા વર્ષની ઉજવણીના માહોલમાં કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આ સુરક્ષા વ્યવસ્થાને પગલે રેલવે સ્ટેશન પર હાજર મુસાફરોમાં પણ સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 4:05 pm

થર્ટી ફર્સ્ટે કષ્ટભંજન દેવના દર્શને લાઈનો લાગી:દુનિયા આખી મોજ-મસ્તી કે પાર્ટીમાં મસ્ત ત્યારે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર, વર્ષના છેલ્લા દિવસે દાદાના આશીર્વાદનું ભાથું

આજે 2025નો અંતિમ દિવસ છે, જ્યારે વિશ્વભરમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બોટાદના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો. થર્ટી ફર્સ્ટ એટલે કે વર્ષના વિદાયના દિવસે લાખો ભક્તોએ મોજ-મસ્તી કે પાર્ટીઓના બદલે દાદાના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક રીતે વર્ષ પૂર્ણ કરવાનું પસંદ કર્યું હતું. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારોવર્ષના છેલ્લા દિવસે દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન દાદાના દિવ્ય અને ભવ્ય શણગારના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આગામી વર્ષ સૌ માટે સુખદ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય હનુમાન' અને 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિસામાન્ય રીતે થર્ટી ફર્સ્ટના દિવસે યુવાનો ક્લબ, રિસોર્ટ કે સિનેમાઘરોમાં પાર્ટી કરતા જોવા મળે છે. જોકે, આ વખતે સાળંગપુરમાં ચિત્ર અલગ જોવા મળ્યું હતું. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સાળંગપુરની મુલાકાત લીધી હતી. યુવા ભક્તોએ જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ કરતા પોતાની સંસ્કૃતિ મુજબ ભગવાનની ભક્તિ સાથે વર્ષની વિદાય આપવી વધુ ગૌરવશાળી છે. કોઠારી વિવેક સ્વામીનું નિવેદનમંદિરના કોઠારી વિવેક સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનો હિસ્સો હોવા છતાં, આજે હિન્દુ સમાજમાં મોટી જાગૃતિ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં ભક્તો, ખાસ કરીને યુવાનો, નિજાનંદ અને ભક્તિ માટે સાળંગપુર આવ્યા છે તે ગૌરવની વાત છે. આ રીતે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી ભક્તિમય વાતાવરણમાં વર્ષની પૂર્ણાહુતિ કરવી એ સરાહનીય છે. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પણ ભાવભીના હૈયે વર્ષ 2025ને 'બાય બાય' કહી નવા વર્ષના મંગલ વધામણાં માટે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:58 pm

ટેમ્પો-કાર વચ્ચે જોરદાર ટક્કરમાં કારના કર્ચેકુર્ચા ઉડ્યા:કારચાલકને ગંભીર ઇજાઓને પગલે હોસ્પિટલ ખસેડાયો, વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે અકસ્માત

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા GSFC બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે ટક્કર થતા કારના કુર્ચેકુર્ચા ઉડી ગયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ મામલે છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છાણી GSFC બ્રિજ પાસે ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કરવડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 દિવસે ને દિવસે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ પર અકસ્માતની ભયાનક ઘટનાઓ સામે આવી રહી છે. આજે છાણી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સ સામે છાણી GSFC બ્રિજ પાસે ફોર વ્હીલર અને ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ફોર વ્હીલર ચાલક રાજનાથ શિવપ્રસાદ પાલ (ઉંમર વર્ષ 42, રહે કૃષ્ણાપાર્ક નવાયાર્ડ વડોદરા) ને ગંભીર સ્થિતિમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રાફિક જામ થાય તે પહેલા બંને વાહનોને દૂર કરવામાં આવ્યાઆ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કારચાલક રાજનાથ પાલને કારમાંથી કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ છાણી પોલીસની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી બંને વાહનોને રસ્તાની સાઈડમાં ખસેડવાની કામગીરી કરી હતી. આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ થાય તે પહેલા આ બંને વાહનોને દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ અંગે છાણી પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોચાલકને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ટેમ્પોચાલકને ઇજાઓ પહોંચી નથી. હાલમાં આ મામલે છાણી પોલીસે અકસ્માત અંગે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ નેશનલ હાઈવે 48 પર થતા અકસ્માતો જોતા ફરી એકવાર નેશનલ હાઈવે મોતનો હાઈવે હોય તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:53 pm

બોટાદમાં રેન્જ આઈજીનું ઇન્સ્પેક્શન:ગૌતમ પરમારે પરેડ નિરીક્ષણ કરી પોલીસને માર્ગદર્શન આપ્યું

ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્સ્પેક્શન કર્યું. આ દરમિયાન તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસે વિવિધ પ્રકારની મુવમેન્ટ અને ડ્રિલનું પ્રદર્શન કર્યું હતું. આઈજી ગૌતમ પરમારે પરેડના નિરીક્ષણ દરમિયાન પોલીસની શિસ્ત, તૈયારી અને કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. આ ઇન્સ્પેક્શન અને પરેડથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહ અને શિસ્તબદ્ધ કામગીરીનો સંદેશ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:52 pm

સગીરાનું અપહરણ કરી છેડતી કરનાર 'સંબંધી'ને 3 વર્ષની કેદ:ઘરે મુકવાના બહાને ગુનાને અંજામ આપ્યો હતો, કલોલ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને જેલભેગો કર્યો

કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં પારિવારિક સંબંધનો ગેરફાયદો ઉઠાવી 17 વર્ષની સગીરાનું ઘરે મૂકી જવાના બહાને કારમાં અપહરણ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ ગોંધી રાખીને તેની સાથે અડપલાં કરનાર શખ્સને કલોલની સ્પેશિયલ પોકસો કોર્ટે 3 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડી​કેસની વિગત મુજબ, ગત 10 ઓગસ્ટ 2023ના રોજ બપોરે ભોગ બનનાર 17 વર્ષીય સગીરા માય લાઈફ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે કૌટુંબિક સબંધી હોવાનો લાભ ઉઠાવી વિજય હિરાજી રાઠોડે (ઉ.વ. 24, હાલ રહે. મટવાકુવાથી તેરસા પરા રોડ ખાતે આવેલ એક શોરૂમની ઓરડીમાં) સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડી હતી. ગાડીમાં ગોંધી રાખી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીબાદમાં ​આરોપીએ સગીરાને ઘરે લઈ જવાને બદલે કે.આઈ.આર.સી. કોલેજ પાછળના સૂમસામ રોડ પર લઈ જઈ ગાડીમાં ગોંધી રાખી હતી. ત્યાં સગીરાની છેડતી કરી જાતીય સતામણી કરી હતી. જેનો સગીરાએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા આરોપીએ તેને ગાળો આપી મોઢા પર ફેટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વકીલે આરોપીને કડક સજા કરવા ધારદાર દલીલો કરી​આ મામલે કલોલ પોલીસે આઈ.પી.સી. અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ પાંચમાં એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેની ​સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.એચ. જોષી અને રાકેશ એલ. પટેલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સમાજમાં સગીરાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો અનિવાર્ય છે. આરોપીને 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમસ્પેશિયલ પોક્સો કોર્ટે ભોગ બનનારની જુબાની, તબીબી પુરાવા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વિજય રાઠોડને ગુનેગાર ઠેરવી 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:47 pm

“મજુર પિતાનું વર્દી પહેરવાનું સ્વપ્ન સાકાર કર્યું”:ચેન્નાઈમાં કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું, પી.ટી.આઈ. પારૂલબેન મકવાણા એરફોર્સ NCCમાં ફ્લાઈંગ ઓફિસર બન્યા

સામાન્ય પરિવારની યુવતી એ ભાવનગર નું નામ રોશન કર્યું કોલેજ દ્વારા ઓફિસર રેન્ક મેળવી ને પરત આવ્યા બાદ ભવ્ય સ્વાગત કરાયું નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે એરફોર્સ યુનિટની મંજુરી બાદ આ યુનિટ ના કેરટેકર તરીકે કોલેજના પી.ટી.આઈ. પારૂલબેન મકવાણાને સોપવામાં આવી હતી, ત્યારબાદ કેરટેકર પારૂલબેન મકવાણાએ વર્ષ દરમિયાન સખત મહેનત કરી સૌથી કઠીન ટ્રેનીંગ માટે ચેન્નાઈ(તમિલનાડુ) ખાતે પસંદગી પામી હતી, આ ટ્રેનીંગ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માંથી સૌ-પ્રથમ વખત ફ્લાઈંગ ઓફિસર નો રેન્ક મેળવ્યો હતો. ભાવનગર ના રેલ્વે સ્ટેશન જેવા પછાત વિસ્તાર વડવા વિસ્તાર માં મજુરી કામ કરતા પિતા જેન્તીભાઈને ત્યાં દીકરી તરીકે પારૂલબેન મકવાણાનો 1994 માં જન્મ થયો. બાળપણ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પસાર કરી પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પ્રવેશ મેળવી બાદ હાઇસ્કુલ નો અભ્યાસ સેન્ટ મેરી હાઇસ્કુલમાં શિષ્યવૃતિ મેળવી ને પૂર્ણ કર્યો હતો, પિતા જેન્તીભાઈ મકવાણાનું સ્વપ્ન હતું કે, પારૂલ એક સારી ક્રિકેટર બને અથવા વર્દી પહેરીને દેશ ની સેવા કરે, પારૂલબેન મકવાણાએ પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે નાનપણથી ક્રિકેટ રમી ને રણજી ટ્રોફી સુધી પસંદગી પામીને ભાવનગરનું નામ રોશન કર્યું હતું, પારૂલબેન મકવાણા ની સંઘર્ષભરી જીંદગી માં અચાનક તેમના પિતાના અવસાન બાદ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પી.ટી.આઈ. તરીકે પોતાની સેવા આપવાનું શરુ કર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એરફોર્સ એન.સી.સી. યુનિટ ની મંજુરી બાદ કેરટેકર તરીકે પારૂલબેન મકવાણાએ જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ અથાગ મહેનત અને ટ્રેનીંગને કારણે ફ્લાઈંગ ઓફિસરની રેન્ક મેળવી કોલેજ અને ભાવનગર નું ગૌરવ વધાર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ભાવનગર ખાતે વિધાર્થીનીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ થાકી વિધાર્થીનીઓ શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવાના ઉદ્દેશથી વિવિધ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શક શિબિર કરવામાં આવે છે, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સમાં યુનિવર્સીટી માં જનરલ ચેમ્પિયન, કલ્ચરલ, એન.એસ.એસ. અને એન.સી.સી. માં અવ્વલ નંબરે છે અનેક વિધાર્થીનીઓ આર.ડી.સી. કેમ્પમાં ભાગ લઈને કોલેજનું ગૌરવ વધાર્યું છે, એકેડમિક વર્ષ 2024-25 થી એર-ફોર્સ એન.સી.સી.નું 50 વિધાર્થીનીઓનું યુનિટ મંજુર કરવામાં આવતા વિધાર્થીનીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રીટીશરો એ યુનિવર્સીટી કોપર્સ ની રચના કરી હતી, આ યુનિવર્સીટી રચના કરવાનો ઉદ્દેશ સંરક્ષણ માટેની બીજી હરોળ તૈયાર કરવાનો હતો, આમ ભારતની સ્વતંત્રતા પહેલાજ એન.સી.સી.ની કલ્પના કરવામાં આવી હતી. 1948 ના રોજ વિધિવત રીતે એન.સી.સી. ની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ભારતના વિવિધ રાજ્યોની કોલેજો શાળાઓની અંદર ની શરૂઆત કરવામાં આવી. એન.સી.સી. માં વિધાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને સ્વતંત્ર બને તે હેતુ થી એન.સી.સી. માં એર-ફોર્સ, નેવી અને આર્મી ના વિગની રચના કરવામાં આવી હતી, પારૂલબેન મકવાણાની આ સિદ્ધિ બદલ કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:43 pm

દાહોદમાં બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર સાથે એન્કાઉન્ટર જેવી સ્થિતિ:PSIને ગળાફાંસો આપવાનો પ્રયાસ કરતા બચાવમાં આરોપીના પગમાં ગોળી મારી, DIG નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો

દાહોદ જિલ્લામાં બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઇ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના વડા અને DIG નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. અશોક બિશ્નોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતાDIG નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, ગત 29 ડિસેમ્બરના રોજ આસામના ગુહાટીથી આરોપી અશોક બિશ્નોઇની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અશોક બિશ્નોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતા છે. આરોપીની ધરપકડ માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીને પકડવા SMCએ યુપી-લખનઉમાં બે ટીમો દોડાવી હતીતપાસમાં ખુલ્યું હતું કે, આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો. તે નકલી આઇડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટલોમાં રોકાતો હતો. આરોપીને ઝડપી લેવા માટે SMC દ્વારા યુપી અને લખનઉમાં બે ટીમો પણ દોડાવવામાં આવી હતી. અચાનક PSI પર હુમલો કરી ગળાફાંસો આપવાનો પ્રયાસ કર્યોઆરોપીને ગુહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી. પોલીસ વાહન પસાર થતું હતું ત્યારે અશોક બિશ્નોઇએ અચાનક PSI કે.ડી. રાબિયા પર હુમલો કરી, ચાલતી ગાડીએ તેમને ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા માટે પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારીસાથી પોલીસ કર્મચારીના જીવને જોખમમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાતા, તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી. ફાયરિંગ સંપૂર્ણપણે આત્મરક્ષા અને ફરજ નિભાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું DIG નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બિશ્નોઇ ગેંગ સામે અગાઉની કાર્યવાહી દરમિયાન બે PSI શહીદ થયા હતા. આ કારણે બિશ્નોઇ ગેંગ સામે SMC દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી DIGએ આપી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:41 pm

પાટણના 70 દિવ્યાંગ બાળકોએ ગાંધીનગરની મુલાકાત લીધી:વિધાનસભા, ઇન્દ્રોડા પાર્ક અને અક્ષરધામનો શૈક્ષણિક પ્રવાસ કર્યો

સમગ્ર શિક્ષાના આઈ.ઈ.ડી. યુનિટ (પાટણ), બી.આર.સી. પાટણ અને ઉદાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ સાધવાનો અને તેમને રાજ્યના ઐતિહાસિક તેમજ રાજકીય વારસાથી અવગત કરાવવાનો હતો. આ એક દિવસીય પ્રવાસમાં ધોરણ 1 થી 8 ના આશરે 70 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રવાસ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં બાળકોએ રાજ્યની રાજકીય ગતિવિધિઓ વિશે જીવંત માહિતી મેળવી હતી. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે ભોજન લીધા બાદ, બાળકોને ગાંધીનગરના પ્રસિદ્ધ ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને અક્ષરધામ મંદિરના દર્શને લઈ જવામાં આવ્યા હતા. વન્યજીવો અને ભવ્ય સ્થાપત્ય જોઈ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, પાઠ્યપુસ્તકના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાથી દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને માનસિક વિકાસ ઝડપી બને છે. આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો, જેમાં વેદાંતભાઈ પટેલ, અંકિતભાઈ પરીખ, વિજયભાઈ વ્યાસ, હેમાંગીબેન પટેલ, કામિનીબેન પટેલ, કોમલબેન પરમાર, રાજુભાઈ મોદી, વિષ્ણુભાઈ દેસાઈ, જીગરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ ઝાલાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ તેમજ પાટણ તાલુકાના સ્પેશિયલ શિક્ષકોએ હાજર રહીને સમગ્ર પ્રવાસનું સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:35 pm

મહેલોલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ આનંદ મેળામાં ₹95,000નું વેચાણ કર્યું:ગોધરામાં ખાણીપીણીના સ્ટોલ દ્વારા વ્યવસાયિક કૌશલ્ય શીખ્યા

ગોધરા તાલુકાની શ્રી જી.ડી. શાહ એન્ડ જી.આઈ. પંડ્યા હાઈસ્કૂલ, મહેલોલમાં એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ ૩૮ ખાણીપીણીના સ્ટોલ લગાવી ત્રણ કલાકમાં કુલ ₹૯૫,૦૦૦નું વેચાણ કર્યું હતું. આ મેળા માટે શાળાને સુંદર રીતે સજાવવામાં આવી હતી, જેમાં મંડપ ડેકોરેશન અને રંગોળીનો સમાવેશ થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી લાવેલ સામગ્રીનો ઉપયોગ કરીને શાળામાં જ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. આજુબાજુના ગામોમાંથી યુવાનો, માતાઓ, વડીલો અને વાલીઓ મોટી સંખ્યામાં આ મેળામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ દાબેલી, પાણીપુરી, સમોસા, ઢોકળા, ભજીયા, બ્રેડ પકોડા, સેવપુરી, નુડલ્સ, રાઈસ, સ્વીટ કોર્ન, સેન્ડવીચ, ઈડલી, ભેલ, સેવ ખમણી, દાલ પકવાન જેવી મસાલેદાર વાનગીઓ રજૂ કરી હતી. મીઠાઈઓમાં સુખડી, લાડુ, ગાજરનો હલવો અને રસગુલ્લા ઉપલબ્ધ હતા. રજવાડી ચા અને મસાલા છાશ પણ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો અને મહેનતનું મહત્વ સમજાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો કે નોકરીની રાહ જોવાને બદલે નાના-મોટા વ્યવસાયથી પણ પ્રામાણિકતાથી કમાણી કરી શકાય છે અને કોઈ પણ કામ નાનું નથી હોતું. શાળાના પ્રધાન આચાર્ય ધર્મેશ મહેતાના માર્ગદર્શન, ગુરુજનોના ઉત્સાહભેર કાર્ય અને વાલીઓના સહયોગથી આ આનંદ મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગ વિદ્યાર્થીઓ અને શાળા માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:29 pm

બેફામ સ્કોર્પિયોચાલકે બાઈક સવારને કચડ્યો:ઘરે પરત ફરી રહેલા રાહુલ સોનવણેનું ત્રણ દિવસની સારવાર બાદ મોત, પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ વાહનચાલકે એક નિર્દોષનો ભોગ લીધો છે. ડિંડોલીની ગ્રીનવિલાસ સોસાયટી પાસે એક સ્કોર્પિયો કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. મિલેનિયમ પાર્ક પાસે ફૂલોની દુકાન ચલાવતા રાહુલ સોનવણે રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક સફેદ રંગની સ્કોર્પિયો કારના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રાહુલભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક મદદ કરવાને બદલે ફરારઅકસ્માત સર્જીને કારચાલક માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સ્કોર્પિયો ચાલક અત્યંત બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો અને અકસ્માત બાદ ઉભા રહેવાને બદલે ગાડી ભગાવી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં રાહુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્રણ દિવસથી સારવાર લઈ રહેલા યુવકનું ટૂંકી સારવાર બાદ મોતછેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહેલા રાહુલ સોનવણેનું આજે ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકના સંબંધી સતીશભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દીપ દર્શન સ્કૂલ પાસે પાછળથી આવેલી સફેદ સ્કોર્પિયોએ તેમને અડફેટે લીધા હતા. અમારી પોલીસ પાસે એક જ માગ છે કે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને તે હત્યારા કારચાલકને પકડીને અમારી સામે હાજર કરવામાં આવે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ફરાર કારચાલકની ઓળખ કરી તેને ઝડપી શકાય. સ્થાનિક રહીશોમાં પણ બેફામ દોડતા વાહનો સામે રોષ જોવા મળી રહ્યો છે

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:23 pm

ભર શિયાળે ચોમાસા જેવો માહોલ: પોરબંદર-દ્વારકા પંથકમાં માવઠું, ખેડૂતોના જીવ અદ્ધર

Gujarat Weather Update: રાજ્યમાં વર્ષ 2025ના અંતિમ દિવસે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી જ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વીજળીના કડાકા-ભડાકા વગર ધીમી ધારે વરસાદ શરુ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ આજે વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. ત્યારબાદ પોરબંદર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

ગુજરાત સમાચાર 31 Dec 2025 3:20 pm

જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસ પ્રદેશ માળખું જાહેર કરશે:નવા વર્ષથી 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ કરશે, પ્રજાના મંતવ્યો આધારે વિઝન ડોક્યુમેન્ટ તૈયાર થશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેના ભાગરૂપે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 'મહાજનસંપર્ક અભિયાન' શરૂ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે, કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે, જ્યારે 17 મહાનગરોમાં 'કોંગ્રેસ આપના દ્વાર' કાર્યક્રમ હેઠળ ઘરે-ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળશે. આ વખતે કોંગ્રેસ પ્રજાના મંતવ્યો અને સૂચનોને આધારે 'જનતાનો મેનિફેસ્ટો' અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે 'જનઆક્રોશ પદયાત્રા' યોજીને વિપક્ષ જનતાનો અવાજ બુલંદ કરશે, જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 'સંગઠન સૃજન અભિયાન હેઠળ પ્રદેશ માળખું તૈયાર કરાઈ રહ્યું છે'શહેરી વિસ્તારમાં વિઝન ડોક્યુમેન્ટમાં જનતાના મુદ્દાઓને સમાવવા મંતવ્યો લેવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં જનઆક્રોશ પદયાત્રા યોજાશે. તેમજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની જાહેરાત જાન્યુઆરીના અંતમાં થઈ જવાની છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સંગઠન અંગે જાહેરાત કરી છે, કે સંગઠન સૃજન અભિયાન હેઠળ પ્રદેશ માળખું તૈયાર કરાઈ રહ્યું છે. અગાઉ તાલુકા-જિલ્લા પ્રમુખોમાં નામોની જાહેરાત કરાઈ હતી. અગાઉની બાકી નિમણૂકો અને પ્રદેશના નામો જાન્યુઆરીના અંતમાં જાહેર કરીશું. લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અવાજ બુલંદ કરવા પ્રયાસગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી તેમનો અવાજ બુલંદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં મત અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમમાં આપવામાં આવ્યા છે. ખેડૂતોના હક માટે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી જે 11 જિલ્લામાં યોજવામાં આવી હતી. ગુજરાતના લોકોનો અવાજ બુલંદ કરવા માટે જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં અનેક મુદ્દો પર અવાજ ઉઠાવીને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જે સરકાર મોટા મોટા ફણગા ફૂંકે છે તેમાં લોકોનો મત શું છે અને લોકોનો અવાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠક પર જનસંવાદ કાર્યક્રમોવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નવા વર્ષથી રાજ્યભરમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિકાસ અને મહાનગરમાં અલગ અલગ કાર્યક્રમ યોજાશે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે લોકો સાથે સંવાદ કરવાનું નક્કી કરાયું છે. રાજ્યની 1090 જિલ્લા પંચાયત બેઠકો પર મહાજનસંપર્ક અભિયાન ચલાવીશું. 5200 તાલુકા બેઠક પર જનસંવાદ કાર્યક્રમો થશે. તમામ નગરપાલિકા નાગરિકોના ટેક્સના પૈસાથી લૂંટ ચાલી રહી છે. તેમજ તેમાં વહીવટમાં ગોટાળા થઈ રહ્યા છે જેથી તેમનો અવાજ પણ બુલંદ બનાવાશે. જનતાને સરકાર પાસે અનેક અપેક્ષાઓ છે, પરંતુ સરકાર કોઈપણ વાત સાંભળવા માટે તૈયાર નથી. જેથી કોંગ્રેસે નક્કી કર્યું કે ચૂંટણી સમયે નહીં પરંતુ આ વખતે પ્રથમવાર વિઝન ડોક્યુમેન્ટ જનતાના મુદ્દાઓને આધારે તૈયાર કરાશે. 17 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજાશેવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક એક પરિવારના ઘરે જઈને તેમને કેવું શહેર જોઈએ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે બાદ કોંગ્રેસ તમામ 17 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજશે. સફાઈ, ગટર રોડ રસ્તા વગેરેના સૂચનો જનતા પાસે મેળવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મિનિફેસ્ટો તૈયાર કરશે. પ્રજાના મતથી ચૂંટાય છે, પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઇ કરતા નથી. જન આક્રોશ પદયાત્રા પણ યોજવામાં આવશેએ માટે પ્રજાને પોતાના પ્રશ્નો રજૂઆતો કરવા માટેનું એક મંચ મળે અને એ મંચ પર થયેલી રજૂઆતો કોંગ્રેસ પાર્ટી બુલંદી રીતે રજૂ કરશે. પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તમામ 17 મહાનગરોમાં જન સંવાદ મંચ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જ્યાં પણ સિસ્ટમને સુધારવાની વાત છે. જેથી વોર્ડ દીઠ જન મંચ કાર્યક્રમ યોજવામાં આવશે. જેથી આ તમામ મુદ્દાઓને લઈને સ્થાનિક વોર્ડના પીડિત લોકોને સાથે રાખી જનતાના અવાજને બુલંદ કરવા માટે જન આક્રોશ પદયાત્રા પણ યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:11 pm

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો

Nimesulide Ban India: કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં સેવન માણસોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

ગુજરાત સમાચાર 31 Dec 2025 3:11 pm

આણંદ કલેક્ટરે લોટેશ્વર તળાવ, ઓમકારેશ્વર બાગની મુલાકાત લીધી:વોટર ATM પાણીની ગુણવત્તા ચકાસી, નાગરિકો સાથે સંવાદ કર્યો

આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરીએ શહેરના લોટેશ્વર તળાવ અને કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને જાહેર સ્થળોની જાળવણીની સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરવાનો હતો. લોટેશ્વર તળાવના નવીનીકરણ અને જાળવણી અંગે કલેક્ટરે મહાનગરપાલિકાની ટીમને સૂચના આપી હતી. તેમણે તળાવની આસપાસના વિસ્તારમાં જરૂરી સાફ-સફાઈ રાખવા અને નાગરિકોની સુરક્ષા માટે ફૂટપાથ પર પૂરતું લાઈટિંગ લગાવવા જણાવ્યું હતું. ઓમકારેશ્વર બાગની મુલાકાત દરમિયાન, કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વરિષ્ઠ નાગરિકો અને રમી રહેલા બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે બાગની જાળવણી, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા અંગે લોકોના પ્રતિભાવો મેળવ્યા હતા. કલેક્ટરે બાગમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને ટીમને અભિનંદન પાઠવ્યા. પીવાના પાણીની સુવિધાના નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરે બાગમાં સ્થાપિત વોટર એટીએમમાંથી જાતે પાણી પીને તેની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસી હતી. તેમણે અધિકારીઓને નાગરિકોને હંમેશા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ મુલાકાત સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે. ગરવાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:04 pm

અયોધ્યામાં રામ, લક્ષ્મણ, જાનકીના બે વર્ષ પૂર્ણ:જામનગરમાં મહાપ્રસાદ સાથે ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી

અયોધ્યામાં શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના બીજા વર્ષ પૂર્ણ થઈ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ પ્રસંગે જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઓશવાળ હોસ્પિટલ પાસે 12,212 પાનનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહાપ્રસાદ વિતરણ પહેલા 11 દીવાની આરતી પણ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત મુરલીધર માલધારી ચા તરફથી ચા અને પાણીનું વિતરણ કરાયું હતું, જ્યારે હિંગળાજ આલ્ફા તરફથી ગાંઠિયા-જલેબીનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દેશભરમાં દર વર્ષની જેમ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં પણ રામભક્તો દ્વારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ખાસ કરીને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ક્ષત્રિય, ભરવાડ અને ભાનુશાળી યુવાનો દ્વારા વિવિધ પ્રકારના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે, દિગ્વિજય પ્લોટ પાસે ઓશવાળ હોસ્પિટલ સામે ઠાકર ડીલક્ષ પાનના ઇન્દ્રજીતસિંહ, સંજયસિંહ અને નરેશસિંહ ચૌહાણ દ્વારા મીઠા પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષે 10 હજાર, બીજા વર્ષે 11 હજાર અને આ વર્ષે 12,212 પાનનું વિતરણ કરાયું હતું. મુરલીધર હોટલના રવાભાઈ, રાજુભાઈ અને મેઘાભાઈ બોરસીયા (ભરવાડ) દ્વારા ચાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હિંગળાજ અલ્પાહારના કપિલ કનખરા અને અમિત ભાનુશાળી દ્વારા ગાંઠિયા અને જલેબીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. બપોરે 12:12 વાગ્યે મહાઆરતી બાદ આ મહાપ્રસાદનું વિતરણ શરૂ થયું હતું, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:03 pm

ભરૂચમાં ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ:ન્યૂ યર પૂર્વે સી ડિવિઝન પોલીસે 9 લોકો પકડ્યા

ભરૂચ સી ડિવિઝન પોલીસે ન્યૂ યર પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, ચોક્કસ બાતમીના આધારે તવરા–શુકલતીર્થ માર્ગ પર આવેલા ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દરોડો પાડી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસને માહિતી મળી હતી કે ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા લોકો ગેરકાયદેસર રીતે દારૂ પી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પરથી 9 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ અને નમકીન સહિત કુલ રૂપિયા 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામીત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશી સહિત 9 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી દ્વારા ન્યૂ યરની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 3:02 pm

ડેમોસા કંપનીમાં કામદારોની હડતાળનો 5મો દિવસ:ધારાસભ્યની મધ્યસ્થીથી ઉકેલની આશા

વલસાડ તાલુકાના ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કંપનીમાં છેલ્લા પાંચ દિવસથી કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય ભરતભાઈ પટેલે મધ્યસ્થી કરી સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. કામદારોના જણાવ્યા અનુસાર, તેમની મુખ્ય માંગણીઓમાં PF (પ્રોવિડન્ટ ફંડ) ના નાણાંની કપાત અને તેની ચુકવણીમાં જોવા મળતી અનિયમિતતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાયરમેન, ફિટર અને ઓપરેટર જેવા કુશળ કામદારોને હજુ સુધી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા નથી. 25-25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને તેમના અનુભવ મુજબ પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ હડતાળમાં 58 કાયમી કર્મચારીઓ અને આશરે 530 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો જોડાયા છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તેમને કામદારોના પડતર પ્રશ્નો અને સંઘર્ષની માહિતી મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કામદારોની સમસ્યાઓ સાંભળી અને કંપનીના માલિકો તથા મેનેજર સાથે પણ વાતચીત કરી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી તેમણે 4-5 દિવસની મુદત લીધી છે. આ સમયગાળામાં કામદારોના પ્રતિનિધિઓ અને માલિકો વચ્ચે બેઠક કરાવી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. હડતાળ પર બેઠેલા કામદાર આગેવાનોએ જણાવ્યું કે તેઓ 27 તારીખથી આંદોલન કરી રહ્યા છે. કંપની મેનેજમેન્ટ તરફથી અગાઉ પણ અનેક આશ્વાસનો મળ્યા છે પરંતુ તેનું અમલીકરણ થયું નથી. જોકે, હવે ધારાસભ્યની દરમિયાનગીરી અને વર્તમાન સરકાર તરફથી તેમને આશા છે કે તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે. કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:57 pm

ભાવનગરના વિદ્યાર્થીઓની ટેનિસ વોલીબોલમાં રાષ્ટ્રીય સિદ્ધિ:રાંચીમાં યોજાયેલી સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા

ભાવનગરના વિદ્યાર્થીઓએ ટેનિસ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાંચી, ઝારખંડ ખાતે તાજેતરમાં આયોજિત 27મી સિનિયર મીની એન્ડ યુથ નેશનલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ અને દિવાળીબેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને રાજ્ય અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 25થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારતના 19 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની મીની બહેનોની ટીમે અને મીની ભાઈઓની ટીમે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. મીની ગુજરાતની ટીમમાં દિવાળીબેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બહેનોમાં ગોહિલ કાત્યાની, ગોહિલ કૃપા, ધાપા નેન્સી, જોશી માહિ, જાબુંચા હસ્તી અને ગોહિલ યશ્વીએ મેડલ મેળવ્યા હતા. જ્યારે ભાઈઓની ટીમમાં જાડેજા જયદીપસિંહ, વેગડ ધ્રુવ, સોલંકી હંસરાજ, સૈયદ તૈયબ, ગોહિલ યુવરાજ અને કુડેચા હર્ષિતે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, બી.એમ. કોમર્સ હાઈસ્કૂલના યુથ વિભાગના ખેલાડીઓએ પણ મેડલ મેળવ્યા હતા. યુથ બહેનોમાં રાઠોડ માહિએ સિલ્વર મેડલ અને યુથ ભાઈઓમાં સિંઘા યશરાજે ગોલ્ડ મેડલ જીતીને શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિ બદલ ગુજરાત સેક્રેટરી અને પ્રાથમિકના આચાર્ય નિહારિકાબેન શિયાત, આચાર્ય અરવિંદભાઈ સોલંકી, કોચ ઋતુબેન જાની, પી.ટી. શિક્ષકો તુષારભાઈ અને દિનેશભાઈ તેમજ ટ્રસ્ટી જયભાઈ અને જાનકીબેન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધરમવીરસિંહ જાડેજા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:34 pm

રોંગ સાઈડ કાર ચલાવવા બાબતે ટોકતા ત્રણ મિત્ર પર હુમલો:કારચાલકે ભાઈ સાથે મળી કડાથી માથું ફોડ્યું ને ચપ્પુ ફેરવતા ગંભીર ઇજા, બંને ભાઈને પોલીસે પાઠ ભણાવ્યો

સુરતના ઉત્રાણ વિસ્તારમાં રોંગ-સાઈડમાં કાર ચલાવવાની બાબત હિંસક અથડામણમાં ફેરવાતાં વિસ્તારમાં ભય અને રોષનું વાતાવરણ સર્જાયું છે. ટ્રાફિક નિયમોના ભંગ અંગે સમજાવવાનો પ્રયાસ કરનાર યુવક અને તેના બે મિત્ર પર માથાભારે ભાઈઓએ ઢીકામુક્કી તથા ચપ્પુથી હુમલો કરતાં ત્રણેયને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા બંને સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે અને જે જગ્યા પર રોફ જમાવ્યો હતો ત્યાં લઈ જઈને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. રોંગ સાઈડમાં કાર ન હંકારવાનું કહેતા આરોપી ઉશ્કેરાયોબે દિવસ પહેલાં રાત્રે ગોવિંદ પાર્ક સોસાયટી નજીક ગેટ પાસે શુભમ કૈલાશ અખાડે પોતાના મિત્ર ક્રિશ સોલંકી સાથે બેઠા હતા, ત્યારે જગદીશ નગર સોસાયટીના 24 વર્ષીય કરણ મીઠારામ સપકાળે પોતાની કાર રોંગ-સાઈડમાં હંકારીને પસાર થયા હતા. શુભમે ટ્રાફિક સલામતી માટે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરણ સપકાળે શુભમ સાથે ઉગ્ર ગાળાગાળી શરૂ કરી અને હાથના કડાથી માથા પર હુમલો કર્યો. કરણ તેના ભાઈ શીવા ઉર્ફે બાડાને લઈને પહોંચ્યો અને ચપ્પુથી શુભમ પર હુમલો કરી આંખ, કપાળ અને હોઠ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે હુમલાખોર બંને ભાઈઓને કાયદાનો પાઠ ભણાવ્યોશુભમના મિત્ર દિનેશ અને ક્રિશ પર પણ બંને ભાઈએ ઢીકામુક્કી અને હથિયારથી હુમલો કર્યો હતો. લોકો એકત્ર થતાં હુમલાખોર બંને ભાઈ નાસી છૂટ્યા હતા. જે બાદ ત્રણેય ઘાયલ યુવકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. શુભમના પિતાની ફરિયાદને આધારે પોલીસે કરણભાઈ મીઠારામ સપકાળે (ઉ.વ. 24, જગદીશનગર સોસાયટી, ઉત્રાણ) અને શીવા મીઠારામ સપકાળે (ઉ.વ. 26, જગદીશનગર સોસાયટી, ઉત્રાણ) વિરુદ્ધ ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ સાથે બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:31 pm

આપ-નેતા શ્રવણ જોશી અને સાગરીત વિરુદ્ધ 36 કલાકમાં બીજી FIR:સસ્તા અનાજના વેપારીને ડરાવી ધમકાવીને 80,000 પડાવ્યા હતા

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા અને યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સસ્તા અનાજના વેપારીઓને ટાર્ગેટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 36 કલાકમાં આ નેતા વિરુદ્ધ આ બીજી ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. શું છે સમગ્ર મામલો?ગોડાદરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ચલાવતા કમલેશભાઈ મદનલાલ ખટીકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી તેમની દુકાને આવ્યા હતા. શ્રવણ જોશીએ પોતાની ઓળખ 'આમ આદમી પાર્ટીના કાર્યકર' તરીકે આપી વેપારી પર કાળાબજારના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કર્યું હતું. 'દુકાન શાંતિથી ચલાવી હોય તો, દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે'આપ નેતાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે, તમે ગ્રાહકોને ઓછું અનાજ આપી લાખો રૂપિયા કમાઓ છો. હું તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ અને દુકાનને તાળા મરાવી દઈશ. આટલું જ નહીં, શ્રવણ જોશીએ અગાઉ અન્ય એક વેપારીનો વીડિયો વાયરલ કર્યો હોવાનું જણાવી ધમકી આપી હતી કે જો દુકાન શાંતિથી ચલાવવી હોય તો દર મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે. આ પણ વાંચો:સુરતમાં 'AAP' નેતાના સાગરીતનો હપતો લેતો VIDEO:સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વીડિયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા આરોપીએ વેપારીને ડરાવીને 80,000 પડાવ્યા હતાફરિયાદીના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશી એનકેન પ્રકારે વેપારીઓને હેરાન કરવા માટે ગ્રાહકોને ઉશ્કેરીને દુકાને ઝઘડો કરવા મોકલતો હતો. સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરી દુકાન બંધ કરાવી દેવાના ડરથી, વેપારીએ અંતે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. શ્રવણના સાગરીત સંપત ચૌધરી સાથે વાતચીત કર્યા બાદ 80,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પૈસાની લેતી-દેતીનો વીડિયો મોબાઈલમાં કેદ ગત 5 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આદર્શ સ્કૂલ પાસે જાહેર રોડ પર સંપત ચૌધરીએ વેપારી પાસેથી 80,000 રૂપિયા રોકડા સ્વીકાર્યા હતા અને ખાતરી આપી હતી કે હવે શ્રવણ જોશી તમારા વિરુદ્ધ વીડિયો નહીં બનાવે. જોકે, જાગૃત વેપારીએ આ પૈસાની લેતી-દેતીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બનશે. સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતોઆપ નેતા શ્રવણ જોશી માત્ર એક વેપારી નહીં, પરંતુ વિસ્તારના અનેક સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતો હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક વેપારી નિલેશભાઈ મોરે પાસેથી પણ શ્રવણ અને સંપતે 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે નિલેશભાઈએ પોલીસ ફરિયાદ કરવાની હિંમત બતાવી, ત્યારે અન્ય ભોગ બનનાર વેપારીઓ પણ સામે આવ્યા છે. શ્રવણ જોશી અને તેના સાગરીત પર વધુ એક ગુનો નોંધાયોસુરતની ગોડાદરા પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા, ધમકાવીને પૈસા પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેના જ પદાધિકારીઓ વેપારીઓ પાસે 'હપ્તા' ઉઘરાવતા પકડાતા પક્ષની છબી ખરડાઈ છે. હાલમાં પોલીસ આ મામલે શ્રવણ જોશી અને તેના સાગરીતની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. તપાસ દરમિયાન આ તોડબાજીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે પણ બહાર આવવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:21 pm

રાજકોટમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી:વિરાણી હાઈસ્કૂલના 900 વિદ્યાર્થીઓએ 24000 વસ્ત્રો એકત્ર કરી ગરીબોને આપ્યા, દિવ્યાંગોને રાશન કીટ વિતરણ થઈ

આજે યુવાનો ડાન્સ અને ડિનરની પાર્ટી યોજી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાથીઓએ નવા વર્ષને અનોખી રીતે આવકારી છે. જેમાં ધોરણ 9 થી 12 ના 900 વિદ્યાર્થીઓએ 23,997 વસ્ત્રો એકત્ર કર્યા છે. જે વસ્ત્રો ઝૂંપડપટ્ટીના ગરીબોને વિતરણ કરી વસ્ત્રદાન મહાદાનનો સંકલ્પ સાકાર કરવામાં આવ્યો હતો. જેમાં કોમર્સના 200 વિદ્યાર્થીઓ દ્વારા પોકેટમનીમાંથી એક માસ ચાલે તેટલું રાશન ખરીદી દિવ્યાંગોને વિતરિત કરવામાં આવ્યું હતુ. પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં સેવાની હૂંફ અંતર્ગત સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 23997 વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતા. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, સાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આરએસએસના સહયોગથી રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી જેવી કે મીઠાના અગરિયા કચ્છ, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, કુવાડવા રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવશે. સૌથી વધુ વસ્ત્રો એકત્રિત કરનાર વિદ્યાથીઓ તથા વર્ગ શિક્ષકનું સી.જે ગ્રુપ ના સહયોગથી સન્માન ક૨વામાં આવ્યું હતું, આજે યુવાધન પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઈન અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે. ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે. આજે માનવી જયારે સ્વાર્થી, સ્વચ્છનંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે ત્યારે 13 થી 17 વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પુરૂ પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ કરતા નબીરાઓ તથા અન્ય માટે અનુકરણીય ઉદાહરણ પૂરુ પાડયું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ, માધ્યમિક શિક્ષણ સમિતિના રસીલાબેન સાકરિયા, ચિરાગભાઈ ધામેચા (સી.જે. ગ્રુપ), આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી 31 ડીસેમ્બરની ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. ધોરણ 10 ના વિદ્યાર્થી દક્ષ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્રો એકત્ર કરવામાં આવ્યા છે જે રૈયાધાર સહિતના વિસ્તારોમાં ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ ખૂબ જ પુણ્યનું કામ હોવાથી વિદ્યાર્થી તરીકે ખૂબ સારુ લાગે છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:18 pm

મહારાષ્ટ્રની 'પારધી ગેંગ' ઇન્સ્ટાગ્રામની મદદથી ઝડપાઈ:કોઈને શક ન જાય તે માટે પોતાની જ સગીર બાળકીઓ પાસે ચોરી કરાવતા, રેલવે સ્ટેશનની લિફ્ટમાં 15 લાખના દાગીના ચોરી કરી'તી

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ પર્દાફાશ કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ પોતાની માસૂમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબોચી લઈ 15.30 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાળકીઓએ પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધુંગત તારીખ 16 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર-દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવદેવી સુરત આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ ઉમરાવદેવીના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં મંગળસૂત્ર, ચેઈન, બંગડીઓ અને વીંટી સહિત કુલ 15,60,700 ની કિંમતના દાગીના હતા. પોલીસ શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ ID પરથી આરોપીઓ સુધી પહોંચીચોરીની ફરિયાદ બાદ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી-પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો, પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પોલીસને તપાસમાં એક શકમંદનું Instagram ID મળી આવ્યું હતું. ટેકનિકલ સેલના ASI દ્વારા આ આઈડીના IP એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા, જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે. સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓ ઝડપાયાટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેવો ફરી સુરત પહોંચ્યા, કે તુરંત જ એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતાપૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા. તેઓ પોતાની 9 અને 7.5 વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા જ મુસાફરોનો સામાન ચોરતા. આરોપીઓ માનતા હતા કે નાની બાળકીઓ પર કોઈ શંકા ન કરે અને જો પકડાય તો પણ પોલીસ તેમને છોડી દેશે. સુરત રેલવે સ્ટેશન પર અન્ય બે અને એક ભોપાલ રેલવે સ્ટેશન પર ચોરીની કબૂલાતઆ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબૂલાત કરી છે. આરોપીઓએ સુરતમાં 15.60 લાખના દાગીનાની ચોરી, લિફ્ટમાં 50,000 રોકડાની ચોરી, સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાઆરોપીઓએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચ્યા હતા. પોલીસે અમરાવતી જઈ વેપારીની ધરપકડ કરી હતી. વેપારીએ દાગીના ઓગાળી નાખ્યા હતા, જેમાંથી તૈયાર કરેલી 109.800 ગ્રામ સોનાની લગડી (કિંમત 15.30 લાખ) પોલીસે કબજે કરી છે. હાલમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 2:12 pm

હરવા ફરવાના તળાવમાં ગટરના પાણી:પરા તળાવમાં વરસાદી લાઈનમાં ગટરના પાણીનો નિકાલ,અધિકારીએ કહ્યું બે દિવસમાં કનેક્શનોનો તાગ મેળવી પાણી બંધ કરાશે

મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકનો પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચોમાસાના પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઈન ચાલુ રાખેલી છે. જોકે, હૈદરીચોક તરફથી આવતી વરસાદી લાઈન મારફતે ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતાં દુર્ગંધ ફેલાવા લાગી છે. તળાવમાં ચોમાસા પછી જંગલી વેલ જામતાં કામદારો મારફતે વેલ કાઢવામાં આવી છે. તળાવમાં હૈદરીચોક સાઈડથી આવતી વરસાદ લાઈનની પાઈપ પણ વેલમાં ઢંકાયેલી હતી એટલે આવતું પાણી દેખાતું નહોતું. હવે વેલ દૂર થતાં પાઈપ દેખાવા લાગી અને સવારે આ વરસાદી લાઈનમાંથી ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતું હોઈ સ્થાનિક લોકોએ મનપામાં જાણ કરી હતી. તો બીજી બાજુ આ તળાવમાં લોકોને હરવા ફરવા અને બાળકોને રમવા માટે સુવિધા ઉભી કરવામાં આવી હતી.જોકે હાલમાં આ તળાવમાં જ્યાં જોવો ત્યાં ગંદકી,લાઈટો વગરના થાંભલા,અને તળાવમાં ઝાડીઓ ઊગી નીકળી છે.ત્યારે તળાવમાં આવતા ગટર ના પાણીના કારણે દુર્ગંધ મારતા લોકો એ બાજુ જવાનું પણ ટાળી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલમાં આ તળાવ ની હાલત બિસમાર જોવા મળી રહી છે. *કનેક્શન નો તાગ મેળવી ગટર નું પાણી બંધ કરવામાં આવશે-અધિકારી*આ અંગે ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે જે જગ્યાએ આ જોડાણ આપેલું છે તે જગ્યાઓનો સર્વે ચાલુ છે. આ સર્વે પૂર્ણ થયા બાદ આ તમામ જગ્યાઓએ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ શખ્સો અથવા જે પણ આવા કોઈ દુકાન હોય અથવા નાની મોટી કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એને પણ નોટિસ આપી અને દાખલા રૂપ એક કાર્યવાહી કરવામાં આવશે. દર્શનસિંહ ચાવડાએ આગળ જણાવ્યું કે, આ તળાવને 'સ્વામી વિવેકાનંદ તળાવ' પણ કહેવામાં આવે છે અને પરા તળાવ નામે પણ મહેસાણા વાસીઓમાં પ્રસિદ્ધ છે. લગભગ 2015 આસપાસ 8 કરોડના ખર્ચે તળાવનો વિકાસ કરવામાં આવ્યો હતો. હવે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આ તળાવનું પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસની કામગીરી અંદાજીત 7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવેલી છે.લગભગ બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણ કનેક્શનોનો તાગ મેળવી લેવામાં આવશે અને કનેક્શન કાપી પાણી બંધ કરવામાં આવશે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો: વિપક્ષના પૂર્વ નેતાપૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ જણાવ્યું કે મહેસાણા મહાનગરપાલિકા ઠેર-ઠેર ગંદકી મુક્ત મહેસાણા અને સ્વચ્છ મહેસાણાની વાતો કરી રહેલ છે. પરંતુ મહેસાણા નગરપાલિકા હતી ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આ સુંદર તળાવ બનાવવામાં આવેલ, પરંતુ એ તળાવની અંદર અત્યારે મહેસાણા નગરપાલિકાની એજન્સી દ્વારા ભૂગર્ભનું ગંદુ પાણી છોડવામાં આવી રહેલ છે. ખરેખર સ્વચ્છ મહેસાણાની વાતો કરતા આ સત્તાધીશો કે આ અધિકારીઓને આ તળાવ દેખાતું નથી, અહીંયા બિલકુલ ગટરનું ગંદુ પાણી, ભૂગર્ભનું પાણી ઠલવવામાં આવી રહ્યું છે. મહેસાણાને ગંદુ કરવામાં આવે છે.મારી એવી માંગણી છે કે મહેસાણાના હાલના મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ એજન્સી અને જે કોઈ પણ જવાબદાર હોય આના માટે, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:43 pm

ગૂડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ

New Year 2026 in Ahmedabad: વર્ષ 2025 હવે ઈતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. ‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ છે, જ્યાં વિદેશી પાર્ટીઓને ટક્કર મારે તેવા ભવ્ય આયોજનો ક્લબો, હોટેલો અને ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મિની વેકેશન જેવો માહોલ: પ્રવાસન સ્થળો હાઉસફૂલ આ વખતે ક્રિસમસ અને ન્યૂ યર વીકેન્ડમાં આવતા હોવાથી પ્રવાસના શોખીન ગુજરાતીઓએ રાજ્યની બહાર દોટ મૂકી છે.

ગુજરાત સમાચાર 31 Dec 2025 1:39 pm

ઘરકંકાસમાં નણંદે ભાભી પર કર્યો હુમલો:‘અભયમ’ની ટીમે ગેરસમજ દૂર કરી નણંદ ભાભીનું સુખદ સમાધાન કરાવ્યું

ભાવનગરની અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા કૌટુંબિક ઝઘડોનું સુખદ સમાધાન કરાવ્યું હતું જેમાં નણંદ દ્વારા ભાભી પર થયેલા શારીરિક અને માનસિક હુમલાના કિસ્સામાં, કાઉન્સિલર મકવાણા ચંદ્રિકા અને ટીમ દ્વારા બંને પક્ષોનું યોગ્ય કાઉન્સિલિંગ કરી, ગેરસમજ દૂર કરી સ્થળ પર જ સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગર 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેમના નણંદ ઘરે આવીને મારકુટ કરે છે તથા ગાળો બોલે છે આથી અભય મહિલા હેલ્પલાઇન ટીમ એમને સમજાવવા માટે મોકલી આપવામાં આવે, પીડીતાનો કોલ તુરંત બાદ અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ સાથે કાઉન્સિલર મકવાણા ચંદ્રિકા મહિલા કોન્સ્ટેબલ નીતાબેન સાથે ઘટના સ્થળ પર પહોંચેલ ઘટના સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે, પીડીતાબેન ને તેમના નણંદ હેરાન કરે છે તથા મારકુટ કરી છે, પીડીતાબેનના પતિ બે દિવસથી તેમના ભાઈબંધ ના ઘરે રોકાવા માટે ગયા છે જેની જાણ તેઓએ પીડિતાને કરી છે પીડિતાને ગઈકાલે વિડીયો કોલ પણ આવેલ અને ફોનમાં પણ જણાવેલ છે છતાં પીડીતાના નણંદ પિડીતાને એવું કહે છે કે તારા ત્રાસથી મારો ભાઈ ક્યાંક જતો રહ્યો છે તું જ મારા ભાઈને ઘરેથી કાઢી મૂકે છે એમ કરી અને પીડિતાની સાથે આજે મારકુટ કરી કપડા ફાડી નાખ્યા અને ફાવે એવી ગાળો આપી હતી એટલે પીડિતા બેને અભયમ 181 મહિલા હેલ્પલાઇન પીડીતાના નણંદને સમજાવવા બોલાવી હતી, નણંદનું કાઉન્સિલિંગ કરી અને શાંતિપૂર્ણ સમજાવેલ કે તેમના ભાઈ ક્યાંય ગયા નથી તેમના ભાઈ ફરવા ગયા છે જેની જાણ પીડિતાને કરેલ છે છતાં પીડિતાના પતિ અને સામા પક્ષકારના ભાઈ તેઓને એવું લાગતું હોય કે ક્યાંક જતા રહ્યા છે તો પોલીસ સ્ટેશનમાં જઈ અને રૂબરૂ ગુમની નોંધ કરાવે પરંતુ પીડીતા સાથે કોઈ પણ પ્રકારે ઝઘડો ના કરે કે માથાકૂટ ના કરે આ બાબતની જાણ સામાપક્ષકારને ન હતી તેમને જાણ થયેલ કે તેમના ભાઈ ફરવા ગયા છે તો તેમને પણ પોતાની ભૂલ સમજાઈ અને પોતાની ભૂલની માફી માંગી અને ત્યાંજ ઘટના સ્થળ પર બંને પક્ષકારનું 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સુખદ સમાધાન કકરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:34 pm

વડોદરામાં બાંગ્લાદેશ મુર્દાબાદનું રોડ પર લખાણ લખાયું:હિન્દુઓની નિર્મમ્ હત્યાના પડઘા, માંજલપુર જ્યુપિટર રોડ પર અજાણ્યા લોકોએ 'બાંગ્લાદેશ મુર્દાબાદ' લખાતા લોકોમાં ચર્ચા

છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં ભારતીય હિન્દુ પર થઈ રહેલ અત્યાચારને લઈ આજે વડોદરામાં વિરોધ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે જેને લઈ વડોદરાના વિરોધ દર્શાવવામાં આવ્યો છે. 'બાંગ્લાદેશ મુર્દાબાદ' લખી અજાણ્યા શખ્સોએ વિરોધ નોંધાવ્યોબાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જયુપીટર ચોકડી નજીક બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ચાર રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદ લખી અજાણ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દૂઓ પર બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારના પડઘા સ્વરૂપે લખવામાં આવ્યું છે. લખાણ પરથી વાહનોના પૈડા ફરી વળ્યામાંજલપુર શહેરના જ્યુપિટર ચાર રસ્તા પર લખાયેલ આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ બાંગ્લાદેશમાં બની રહેલા ઘટનાને લઈ ચોક્કસ તેના પડઘા વડોદરામાં પડ્યા છે. આ સ્થળે બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજ પર અહીંયાથી પસાર થતા વાહનોના પૈડા ફરી વળ્યા છે. ત્યારે આ જાહેર માર્ગ પર આ રીતે બાંગ્લાદેશ મુર્દાબાદનું લખાણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. 'આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી'-PIઆ મામલે અમે માંજલપુર પોલીસ મથકના પી. આઈ. એલ. ડી. ગમારા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કોને લખાણ લખ્યું છે હજુ સ્પષ્ટ થયું નથી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:32 pm

પાલનપુર ટેલિફોન એક્સચેન્જ રોડ પર ટ્રક ઘૂસ્યો:ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાયા

પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર એક ટ્રક અચાનક ઘૂસી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ટ્રાફિક જામમાં નાના વાહનોના ચાલકો અને રાહદારીઓ ફસાયા હતા. એક માર્ગીય રસ્તા પર ભારે ટ્રકના પ્રવેશથી ઇમરજન્સી વાહનો, જેમ કે 108 એમ્બ્યુલન્સ, ને પણ પસાર થવામાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને કારણે સામાન્ય અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના લીધે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:20 pm

નશો કરીને નીકળ્યા તો જેલભેગા થશો:જામનગર પોલીસનું કડક ચેકિંગ, 700 પોલીસકર્મીઓ તૈનાત

જામનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત અને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિત 4 DySP, 24 PI, 35 PSI, તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ અને ટ્રાફિક સ્ટાફ મળીને કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. દારૂબંધીની પ્રવૃત્તિઓને રોકવા માટે બોડી વોર્ન કેમેરા (206) અને બ્રેથ એનાલાઈઝર (52) નો ઉપયોગ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાશે અને નશો કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં કુલ 8 આંતર-જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં વાહન ચેકિંગ સઘન બનાવાશે. પેટ્રોલિંગ માટે 30 ફોર-વ્હીલર, 27 જનરક્ષક બોલેરો અને 80 પોલીસ બાઈક સહિત કુલ 137 વાહનો તેમજ માઉન્ટેડ યુનિટ (ઘોડેસવાર) નો ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 16 “SHE TEAM” અને એન્ટી રોમિયો સ્કવોડની ટીમો તૈનાત રહેશે. LCB ટીમ પ્રોહિબિશન બુટલેગરો પર ખાસ નજર રાખશે અને તમામ રિસોર્ટ તથા ફાર્મ હાઉસ પર કડક ચેકિંગ કરશે. SOG ટીમ ડ્રગ્સ ડિટેક્શન કીટ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરનારાઓ પર વોચ રાખશે. સાયબર ટીમ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરશે અને વાંધાજનક પોસ્ટ મૂકનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ સ્ટેશનો દ્વારા જાહેર જગ્યાઓ, હોટલ, ધાબા, પ્રવાસી સ્થળો, ગેસ્ટ હાઉસ, ભીડભાડવાળી જગ્યાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વેલન્સ સ્કવોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનનાં ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડ ની સ્પેશયલ ટીમોની રચના કરીને વૉચ રાખવામાં આવશે.જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:20 pm

ભરૂચમાં એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ સામે વકીલોની હડતાળ:વકીલોની હેરાનગતિના આક્ષેપોને લઈ ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન

ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે.બાર એસોસિએશનના નિર્ણય અનુસાર,હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે. બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી. આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે,તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે.બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે,જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશન નો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહ્વાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ પર ઉતરશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:18 pm

'15-મીટરથી નીચું બિલ્ડિંગ હોય તો ફાયર NOCની જરૂર નથી':SC:શાળા સંચાલકોનો આક્ષેપ રાજ્ય સરકાર આ નિયમનું પાલન કરતી નથી, હાઇકોર્ટમાં સરકારને પડકારવા તૈયાર

રાજ્યભરમાં કોઈપણ બાંધકામ પર ફાયર પરમિશન રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. એમાં પણ શૈક્ષણિક સંસ્થામાં પણ સ્કૂલઓને ફાયર NOC માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે. સ્કૂલઓએ પૂરતા ફાયર સેફ્ટીના સાધનો લગાવીને ફાયર વિભાગ પાસે તેનું ઈન્સ્પેકશન કરાવી NOC લેવી ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ હવે સ્કૂલ સંચાલકો તે નિયમમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. 15 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય તેવું સ્કૂલઓને ફાયર સેફ્ટી માટેની NOC માટેના નિયમમાંથી છૂટ આપવામાં આવે તેવી શાળા સ્કૂલ સંચાલક મહામંડળ માંગ કરી રહ્યું છે. તો નિવૃત ફાયર અધિકારીનું માનવું છે કે બાળકોની સેફટીની ચિંતા કરીએ તો ફાયર સેફટીના નિયમમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવે નહીં. હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળની તૈયારી15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોને ફાયર સેફ્ટીના નિયમમાં છૂટ આપવા માટે માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. ફાયર સેફ્ટીના નિયમનું પાલન કરવામાં 15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલઓને 10 લાખ જેટલો ખોટો ખર્ચ કરવો પડતો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર નિયમોમાં છૂટછાટ નહીં આપે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળ તૈયારી દર્શાવી રહ્યું છે. સ્કૂલ સંચાલકોની રજૂઆતને લઈને ફાયર વિભાગના નિવૃત અધિકારીનું માનવું છે કે જો નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તો બાળકોની સલામતિ સામે પ્રશ્ન ઊભા થઈ શકે છે. '15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી'શાળા સ્કૂલ સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના જે નિયમ છે તેમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 15 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા મકાન હોય તો તેને ફાયર NOC લેવાનો કાયદો લાગુ પડતો હોય છે. સુપ્રીકોર્ટના ડબલ જજની બેન્ચે એક ચૂકાદો આપ્યો જેમાં સ્પષ્ટ કહ્યું છે કે, 15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી. ગુજરાતમાં 9 મીટરનો નિયમ...ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગ્નિશામક સેવા કચેરી છે તેના અધિકારીઓ સરકારને અને ચૂંટાયેલા નેતાઓને ગેરમાર્ગે દોરે છે, અને તે લોકો 9 મીટરની વાત લઈને બેઠા છે. જેથી 9 મીટરના દાયરાના કારણે સ્કૂલોને ફરજિયાત 10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવે છે. સ્કૂલોમાં આજદિન સુધી ક્યાંય પણ આગ લાગી હોય તેવું સામે આવ્યું નથી. તેમ છતાં પણ 9 મીટરનો જે નિયમ છે તેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, કે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે નહિતર અમારે નામદાર હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે જવું પડશે. જેથી સરકારને એવું લાગશે કે અમે સરકાર સામે બાયો ચડાવી છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવા શાળા સંચાલકોની માગરાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, વાસ્તવિકમાં ચકાસવામાં આવે તો શૈક્ષણિક સંકુલોની અંદર ભૂતકાળમાં આગ લાગવાની ઘટનાઓ જે બની છે તેમાં ઊંચી બિલ્ડીંગ કરતા નીચી બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટના વધારે બની છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવાની વાત કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોના ભરોસે આવતા બાળકોનો આ પ્રશ્ન છે. કાયદા પ્રમાણે જોગવાઈ હોય કે ન હોય પરંતુ બાળકોની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. 'વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ'વધુમાં રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોએ સલામતી બાબતે આગળ આવવુ જોઈએ. વર્ષ દરમિયાન ટ્રાવેલ્સના કે અન્ય કોઈ ખર્ચ હોય તેને કોમ્પ્રોમાઇઝ કરીને સલામતી બાબતે ખર્ચ કરવો જોઈએ. સલામતી ભર્યું શૈક્ષણિક સંકુલ બનાવવું ખૂબ જ આવશ્યક છે. આમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન ચલાવી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સલામતીમાં કોઈપણ બાંધછોડ ન આપવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:14 pm

સાયબર ફ્રોડનો તરખાટ યથાવત:ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી રાજકોટના ડોક્ટર સાથે રૂ.51 લાખની ઠગાઈ, ડોક્યુમેન્ટ, ઓફર લેટર, વિઝા વગેરેના બહાને ઓનલાઈન પૈસા આપ્યા

રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે જેમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો.ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા છે. બનાવ અંગે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરી અપાવવા લાલચ આપી ફરિયાદમાં ડો. ચિન્મય ત્રિવેદીએ જણાવ્યું હતું કે, તેમને ગાંધીનગરની મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસ કર્યો છે. હાલ ઓનલાઈન એએમસી પરીક્ષાના કલાસ ચલાવે છે. આગળ નોકરી માટે ઓસ્ટ્રેલિયાની રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ માટે જવાનું હોવાથી પરીક્ષા આપી હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓનું એએમસી ઓસ્ટ્રેલીયા-2025 ડ્રીમ કમ ટુ નામનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. જેમાં રોયલ એડીલેઈટ હોસ્પિટલમાં જોબ માટે એડ આવી હતી. જેમાં જણાવેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરતાં તેને હોસ્પિટલ વિશે બધી માહિતી આપી ડોક્યુમેન્ટસ મગાવ્યા હતા. જેની ફી પેટે 2100 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.1.20 લાખ) ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં ઓફર લેટર મોકલ્યો હતો. તેમા જણાવેલી તમામ ફી 28,400 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.16.50 લાખ) પણ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સ્કર કર્યા હતા. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે રૂપિયાની માંગણી કરી ત્યાર પછી હોસ્પિટલના મેઈલ આઈડીમાંથી સીટ કન્ફર્મ થઈ ગયાનું જણાવાયું હતું. સાથો સાથ પ્લાનિંગ બફર અને એપ્લિકેશન એન્ડ ફોરવર્કીંગ માટે 12,879 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.7.50 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. આ પછી ડો.જોશુઆ દ્વારા ઓસ્ટ્રેલીયાના વીઝા એજન્ટ ડેનિયલનો મોબાઈલ નંબર અપાતા તેની ઉપર સંપર્ક કરતાં બધા ડોકયુમેન્ટસ માગ્યા હતા. જે આપી દેતાં ત્યાંની કોમોન વેલ્થ બેન્ક ઓફ ઓસ્ટ્રેલીયામાં તેનું બેન્ક ખાતું ખોલાવ્યું હતું. વીઝા અને બેન્ક વેરીફિકેશન માટે મિનિમમ બેલેન્સ રાખવાના બહાને 41,000 ઓસ્ટ્રેલીયન ડોલર (રૂ.24 લાખ)ની માગણી કરતા તે રકમ પણ ભારતના જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી. તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ ત્યાર પછી બેન્કની એપમાંથી તેના એકાઉન્ટમાં રહેલી બેલેન્સનો સ્ક્રીનશોટ મોકલાવ્યો હતો. આ પછી બેન્ક એકાઉન્ટની માહિતી માટે બેન્કના મોબાઈલ નંબર અને ઈ-મેઈલથી સંપર્ક કરતાં તેના નામનું કોઈ એકાઉન્ટ ઓપન નહીં થયાની માહિતી મળી હતી. તે સાથે જ રોયલ એડિલેઈડ હોસ્પિટલનો સંપર્ક કરતાં એજન્ટ ફોડ થયાનું જણાવાયું હતું. જેથી હેલ્પ લાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી. જેના આધારે આજે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રાન્સફર કરવામાં આવેલ તમામ રકમ ગુજરાત બહારના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને સાયબર સિક્યોરિટી અને એક્સપર્ટની મદદથી આ ગુનામાં વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:14 pm

નવસારી પાલિકાની ગૌશાળામાં ગાયોના મોત:મૃતદેહને કૂતરા પીંખતા વીડિયો વાયરલ, ડેપ્યુટી કમિશનરે તપાસના આદેશ આપ્યા

નવસારી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કામચલાઉ ગૌશાળામાં ગાયોના મોતનો મામલો સામે આવ્યો છે. શહેરના કાગદીવાડ વિસ્તારમાં આવેલી આ ગૌશાળામાં યોગ્ય જાળવણી અને ઘાસચારાના અભાવે ગાયો મૃત્યુ પામી રહી છે. આ ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં મૃત ગાયના દેહને કૂતરાઓ પીંખતા જોવા મળે છે, જેના પગલે ગૌભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો છે. દૂધિયા તળાવ પાસે આવેલી આ કામચલાઉ પાંજરાપોળમાં પશુઓની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું ગૌરક્ષકો જણાવી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મૃત ગાયના શરીરને રખડતા કૂતરાઓ ફાડી રહ્યા હતા. ગૌરક્ષકોનો આરોપ છે કે અહીં 150થી 200 ગાયોને અત્યંત ઓછી જગ્યામાં ખીચોખીચ રાખવામાં આવી છે, જ્યાં તેમને પૂરતો ખોરાક કે પાણી પણ મળતું નથી. આ ગંભીર મામલે નવસારી મનપાના ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, વાયરલ વીડિયોની બાબત ગંભીર છે અને આવી ઘટના ન થવી જોઈએ. તેમણે ખાતરી આપી કે આ મામલે જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાવચેતીના ભાગરૂપે ગાયોને નજીકની પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાંચ ગાયોને સ્થળાંતરિત કરવામાં આવી છે. ગૌરક્ષક સાજન ભરવાડે સરકાર અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકારે ગૌચરની જમીનો પચાવી પાડી છે, જેના કારણે પશુઓ રસ્તા પર આવવા મજબૂર બન્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તમામ ગાયોને આઝાદ કરી દેવામાં આવશે અને ગૌરક્ષકો ધરણા પર ઉતરશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:13 pm

પંચમહાલમાં 2025માં દુર્ઘટનાઓની ભરમાર રહી:પાવાગઢના રોપ-વે અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા, ગોધરામાં આખો પરિવાર ભૂંજાઈ મર્યો, મર્ડર-એક્સિડન્ટના બનાવ

2025નું વર્ષ આજે વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલથી 2026નો શુભારંભ થશે. પંચમહાલ જિલ્લા માટે આ વર્ષમાં બનેલી કેટલીક ઘટનાઓ દુઃખદ રહી છે. જેમાં કેટલીક ગુનાહિત ઘટનાઓ પણ બની. જેમાં 29 જૂને શહેરામાં એક ભુવાએ પોતાની પરિણીત પ્રેમિકાને ડુમેલાવ ગામના જંગલમાં લાવીને તેની હત્યા કરી. 4 જુલાઈના રોજ રહસ્યમય વાયરસથી 3 બાળકોના મોત થયા. 7 સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ-વેની દુર્ઘટનામાં શ્રમિક મજૂરો સહિત 6 લોકો મોતને ભેટ્યા. 29 ઓક્ટોબરના રોજ મહીસાગર હાઈવે પર નશામાં ધૂત શિક્ષકે બાઈક સવારને 4 કિલોમીટર સુધી કારના બોનેટ પર ઘસેડ્યો હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. ગોધરાના ગંગોત્રી નગરમાં 21 નવેમ્બરના રોજ સગાઈના દિવસે જ જાણે યમરાજાએ માનવતા નેવે મૂકી દીધી હોય તેમ, આગ લાગતા આખો દોશી પરિવાર હોમાઈ ગયો. ઔદ્યોગિક ક્ષેત્રે 06 ડિસેમ્બરના રોજ ઘોઘંબાની GFL કંપનીમાં ઝેરી ગેસ લીક થતાં 105 કામદારોને અસર થઈ હતી. 27 ડિસેમ્બરના રોજ પત્નીની બેવફાઈથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી. જોકે, વર્ષના અંતે 27 ડિસેમ્બરના રોજ ગોધરામાં ભારતનું પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર ATM શરૂ કરી નાગરિકોની સુખાકારી માટે એક પ્રશંસનીય કદમ પણ ઉઠાવવામાં આવ્યું. આમ, પંચમહાલ જિલ્લામાં આ વર્ષની ઘટનાઓનો ચઢાવ-ઉતાર રહ્યો. બ્રેકઅપ અને પોલીસ કસ્ટડીના ત્રાસે યુવકનો હાલોલની કેનાલમાં આપઘાત કાલોલના 24 વર્ષીય ધ્રુમલ પરમારે 17 મેએ હાલોલની નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આપઘાત પહેલા યુવકે ભાવુક વીડિયો બનાવી પત્ની પ્રીતિ, તેના પિતા અને સ્થાનિક ભાજપ નેતા બંસી ભરવાડ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. ધ્રુમલના જણાવ્યા મુજબ, યુવતીએ લગ્નની ના પાડી તેને છેતર્યો હતો અને ભાજપ નેતાની મદદથી તેને ખોટી રીતે જેલભેગો કરાવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ગ્લાનિમાં આવી યુવકે અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલોલ પાસે ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બે યુવકોના મોત હાલોલના બાસ્કા-ઉજેતી રોડ પર સનફાર્મા કંપની પાસે 6 જૂને એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી આઈસર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાસ્કા ગામના ઝીયાઉલહક મકરાણી (32) અને જિજ્ઞેશ પરમાર (27) ના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. અન્ય એક ઘટનામાં, ગોધરાના પરવડી પાસે ટ્રકની અડફેટે 3 વર્ષની બાળકી શિવાનીનું મોત થતા શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ચાલકોની શોધખોળ આદરી છે. શહેરામાં પ્રેમિકાની જીદથી કંટાળી ભુવાએ કરી હત્યા શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી 29 જૂને 32 વર્ષીય રંજનબેન પટેલનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે માતરિયા ગામના ભુવા દિલીપ ડામોર સાથે મહિલાને પ્રેમસંબંધ હતો. પરિણીત રંજનબેન પોતાના પતિને છોડી ભુવા સાથે રહેવા જીદ કરતી હતી. આ કલેશથી છુટકારો મેળવવા ભુવાએ બાધા પૂરી કરવાના બહાને મહિલાને જંગલમાં બોલાવી હતી. ત્યાં તેણે સાયકલના બ્રેક વાયરથી ગળું દબાવી પ્રેમિકાની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાવાગઢમાં ચાલુ ACવાળી કારમાંથી પ્રેમીપંખીડાના મૃતદેહ મળ્યા પાવાગઢ તળેટીના એસટી બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ઈનોવા કારમાંથી હિંમતનગરના આઝાદ રહેવર અને શ્રેયા પ્રજાપતિના મૃતદેહ મળી આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ હતી કે કારનું એન્જિન અને AC ચાલુ હાલતમાં હતા. 26 જૂનથી ગુમ થયેલા આ પ્રેમીપંખીડાએ સમાજ સ્વીકારશે નહીં તેવા ડરથી નાસ્તામાં ઝેરી પદાર્થ ભેળવી આત્મહત્યા કરી હોવાની આશંકા છે. પ્રાથમિક પીએમમાં કોઈ સ્પષ્ટ કારણ ન મળતા પોલીસે એફએસએલ (FSL) સેમ્પલ સુરત મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પંચમહાલમાં રહસ્યમય વાયરસે 3 બાળકોનો ભોગ લીધો પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકામાં એક્યુટ વાયરલ એન્સેફાલીટીસના કારણે 4 જુલાઈ સુધીમાં ત્રણ નાના બાળકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ વાયરસના લક્ષણોમાં તીવ્ર તાવ અને મગજમાં સોજો આવવાને કારણે બાળકોના મોત નીપજ્યા હતા. શરૂઆતમાં આ કેસો ચાંદીપુરા વાયરસ હોવાની શંકા સેવાઈ હતી, જે સામાન્ય રીતે રેત માખી દ્વારા ફેલાય છે. જોકે, લેબોરેટરી તપાસમાં ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, જેને કારણે વાયરસનું રહસ્ય વધુ ઘેરાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) અને પોન્ડિચેરીની વિશેષ હેલ્થ ટીમ પંચમહાલ આવી પહોંચી હતી. આ ટીમોએ અસરગ્રસ્ત ગામોમાંથી સેમ્પલ લીધા હતા અને વાયરસના ફેલાવાના કારણોની તપાસ શરૂ કરી હતી. પાવાગઢ ગુડ્સ રોપ-વે દુર્ઘટના 6 લોકોના કરુણ મોત યાત્રાધામ પાવાગઢમાં 7 સપ્ટેમ્બરે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. મંદિરના વિકાસ કાર્યો માટે સામાનની હેરાફેરી કરવા માટે બનાવાયેલા ગુડ્સ રોપ-વેનો કેબલ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ટ્રોલીમાં સવાર 2 ઓપરેટર, 2 મજૂર, એક સુરક્ષા ગાર્ડ અને એક ફૂલના વેપારી સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા હતા. બચી ગયેલા ઓપરેટર તનવીર અહેમદના જણાવ્યા મુજબ, ટ્રોલી ચોથા પિલર સુધી પહોંચી હતી ત્યારે અચાનક કેબલ તૂટતા તે રિવર્સમાં ખૂબ જ સ્પીડ સાથે પહેલા પિલર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રોલીમાં સવાર તમામ લોકોના શરીરના હાડકાંનો ભૂક્કો થઈ ગયો હતો. નશામાં ધૂત શિક્ષકે બાઈક સવારને 4 કિમી ઢસડ્યો હાલોલ-શામળાજી હાઈવે પર હિટ એન્ડ રનની હચમચાવતી ઘટના 29 ઓક્ટોબરે બની હતી. વડોદરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મનીષ પટેલે નશાની હાલતમાં બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ બાઈક સવાર યુવક સુનિલ મચ્છર કારના બોનેટમાં ફસાઈ ગયો હોવા છતાં, કારચાલકે ગાડી ઉભી રાખવાને બદલે 4 કિમી સુધી પૂરઝડપે ઢસડ્યો હતો. ગોધરાના એક પરિવારે આ ભયાનક દ્રશ્ય જોઈ 130ની સ્પીડે પીછો કરી કારને રોકી હતી. પોલીસે નશામાં ધૂત શિક્ષક અને તેના મિત્રની અટકાયત કરી છે. ગોધરામાં સગાઈના દિવસે જ આખો દોશી પરિવાર ખાખ ગોધરાના ગંગોત્રીનગર વિસ્તારમાં જાણીતા જ્વેલર કમલ દોશીના પરિવારના ચાર સભ્યો 21 નવેમ્બરે જીવતા હોમાઈ ગયા હતા. જે દિવસે પુત્ર દેવની સગાઈ માટે પરિવારે વાપી જવાનું હતું, તે જ દિવસે વહેલી સવારે ઘરમાં ભયાનક આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘર ચારે બાજુથી કાચથી પેક હોવાને કારણે ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહોતો અને પરિવારનું ગૂંગળામણથી મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં કમલભાઈ દોશી, પત્ની દેવલબેન અને બે પુત્રો દેવ અને રાજના કરુણ મોત થયા હતા. ઘોઘંબાની GFL કંપનીમાં ગેસ લીકેજ,105 કામદારોને અસર પંચમહાલના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) કંપનીમાં 6 ડિસેમ્બરે ઝેરી ગેસ લીક થવાની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં કુલ 105 લોકોને ગેસની ઝેરી અસર થઈ હતી. ગેસના કારણે શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરાની ફરિયાદો ઉઠતા અફડાતફડી મચી ગઈ હતી. અસરગ્રસ્તો પૈકી 5 લોકોની હાલત વધુ ગંભીર જણાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહીવટી તંત્રએ સુરક્ષા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીને 'ક્લોઝર નોટિસ' આપી ઉત્પાદન બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ગોધરામાં ભારતનું પ્રથમ સાર્વજનિક આલ્કલાઈન વોટર ATM કાર્યરત ગોધરા નગરપાલિકાએ નાગરિકોના સ્વાસ્થ્ય માટે અટલ ઉદ્યાન ખાતે 27 ડિસેમ્બરે ભારતનું પ્રથમ સાર્વજનિક 'આલ્કલાઈન વોટર ATM' શરૂ કર્યું છે. ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ લોકોને ખૂબ જ વ્યાજબી દરે (500 મિલીના 1 રૂપિયો અને 20 લિટરના 25 રૂપિયા) શુદ્ધ આલ્કલાઈન પાણી મળી રહેશે. આ નવતર પ્રયોગથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પ્લાસ્ટિક કચરામાં પણ ઘટાડો થશે. ભુરખલમાં પત્નીના પ્રેમસંબંધ અને ધમકીથી કંટાળી યુવકનો આપઘાત શહેરાના ભુરખલ ગામના 26 વર્ષીય ગિરીશ પટેલે 27 ડિસેમ્બરે પત્નીની બેવફાઈ અને તેના પ્રેમીના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. ગિરીશની પત્નીને તેના સહકર્મી સુનીલ વસાવા સાથે અફેર હતું, જે બાબતે પ્રેમીએ ગિરીશને મર્ડર કરવાની ધમકી આપી હતી. મોત પહેલા ગિરીશે ભાઈને ફોન કરી બચાવવા આજીજી કરી હતી. પોલીસે પત્ની અને પ્રેમી વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો (BNS) ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:06 pm

મેલેરિયા અધિકારી વિરુદ્ધ ₹1.74 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો. ​:ભ્રષ્ટાચારનો ગઢ જૂનાગઢ ? મેલેરિયા અધિકારીએ આવક કરતા 62% વધુ મિલકત ભેગી કરી, ACBએ 12 વર્ષના હિસાબ તપાસતા ફૂટ્યો ભાંડો

​જૂનાગઢમાં ACB એ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે. મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગના અધિકારી સામે એસીબીએ આવક કરતા વધુ સંપતિ હોવાનો ગુનો દાખલ કર્યો છે. મેલેરિયા શાખામાં બાયોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતાહરસુખ રાદડિયા સામે આ કાર્યવાહી કરવામાં આવતા સરકારી આલમમાં ફફડાટ મચી ગયો છે. અગાઉ જિલ્લા પંચાયતમાં ક્લાસ-2 અધિકારી રહી ચૂકેલા હરસુખભાઇ ફુલાભાઇ રાદડીયા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ અધિકારીએ પોતાની કાયદેસરની આવકની તુલનામાં કરોડો રૂપિયાનું કાળું નાણું ભેગું કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ​₹1,74,32,085ની અપ્રમાણસર મિલકત ઝડપાઈ જૂનાગઢ એસીબીના પી.આઈ. જે.બી. કરમુરે આ મામલે ફરિયાદ નોંધી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આક્ષેપિત અધિકારી હરસુખભાઇ રાદડીયાએ તેમના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટ રીતે કુલ ₹1,74,32,085 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી છે. આ રકમ તેમની કુલ કાયદેસરની આવક કરતા 62.08% જેટલી વધુ હોવાનું એસીબીના ગણિતમાં સામે આવ્યું છે. ​12 વર્ષના 'ચેક પીરીયડ'માં મિલકતોનું સામ્રાજ્ય ઉભું કર્યું એસીબી દ્વારા આક્ષેપિત અધિકારીના નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે 01/04/2009 થી 31/03/2021 સુધીના 12 વર્ષના સમયગાળાને 'ચેક પીરીયડ' તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. આ ગાળા દરમિયાન તેમણે જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી હતી. તપાસનીશ ટીમે આ બંને કચેરીઓમાંથી અધિકારીના પગાર-ભથ્થાની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અને સબ-રજિસ્ટ્રાર કચેરીમાંથી તેમની સ્થાવર મિલકતોના દસ્તાવેજો એકત્ર કરી ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ​પરિવારના નામે મિલકતો વસાવી હોવાનો આક્ષેપ એસીબીની ફરિયાદ મુજબ હરસુખભાઇએ માત્ર પોતાના નામે જ નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના નામે પણ અપ્રમાણસર મિલકતો વસાવી હતી. પ્રાથમિક તપાસમાં ભ્રષ્ટ રીત-રસમો દ્વારા રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો અયોગ્ય લાભ લીધો હોવાના પુરાવા મળતા આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ સુધારા અધિનિયમ-2018 ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એસીબીએ તપાસ દરમિયાન પારદર્શિતા જાળવતા હરસુખભાઇ રાદડીયાને પોતાનો પક્ષ રાખવાની પૂરતી તક આપી હતી. એસીબીના ઉચ્ચ અધિકારીઓ અને તપાસનીશ પી.આઈ. સમક્ષ તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા. જોકે, તેમણે રજૂ કરેલો બચાવ પક્ષ અને આવકના સ્ત્રોત એસીબીની તપાસ સામે ટકી શક્યા ન હતા અને આખરે તેમની સામે ગુનો નોંધાયો છે. ​કોણ છે આ અધિકારી ? હરસુખભાઇ રાદડીયા જૂનાગઢના લાલબાગ પાછળ, નવી કલેક્ટર કચેરી સામે આવેલ અમૃતનગરમાં ‘દૈવીક’ નામના મકાનમાં રહે છે. તેઓ લાંબા સમયથી મેલેરિયા વિભાગમાં મહત્વના હોદ્દા પર ફરજ બજાવી રહ્યા હતા. એસીબીની આ કાર્યવાહીથી જૂનાગઢના વહીવટી તંત્રમાં અને ખાસ કરીને ભ્રષ્ટ માનસિકતા ધરાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ​

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 1:00 pm

સુરતમાં નવા વર્ષનું સ્વાગત અનોખી રીતે:સુરતના વૈજનાથ મહાદેવ મંદિરમા 2026 ના આગમનના સ્વાગત માટે 9 કુંડીય લક્ષ્મી નારાયણ અને શનિદેવ મહારાજનો મહાયજ્ઞ

એક બાજુ જ્યાં દુનિયા મા લોકો નવા વર્ષ નું સ્વાગત નશા કરીને કરતા હોય છે તો બીજી બાજુ આપણા દેશ મા મોટી સંખ્યા મા લોકો ધાર્મિક યાત્રા પણ કરે છે. નવા વર્ષનું સ્વાગત સુરતમા એક દમ અનોખી રીતે થઇ રહ્યું છે. સુરતના અમરોલી કોસાડ ખાતે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમા જુના વર્ષ 2025 ની વિદાઈ અને નવા વર્ષ 2026 ના આગમન ના સ્વાગત માટે 9 કુંડીયા લક્ષ્મી નારાયણ અને શનિદેવ મહારાજ નું મહાયજ્ઞ થઇ રહ્યું છે.જેમા દર રોજ સવારે અને બપોર પછી મોટી સંખ્યા મા ભક્તો આહુતિ આપી રહ્યાં છે. વિશ્વ કલ્યાણ અર્થે સાર્વજનિક નવ દિવસિય લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ અને શનિદેવ મહાયજ્ઞ આયોજન બેજનાથ મહાદેવ મંદિરમા પરમ ભગવતી સાધક તપોનિધિ સંત સ્વામી વિજયાનંદ પુરીમહારાજ ના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. આ આયોજનમાં શ્રી શનિ હનુમાન મંદિર સેવા સમિતિ અને વૈજનાથ મહાદેવ મંદિર અને ગુરુજી ના ભક્તગણ સામેલ છે. આ મહાયજ્ઞમાં દરરોજ સવારે 9:00 વાગે થી બપોરે 12:00 વાગ્યા સુધી અને સાંજે 3:00 વાગે થી સાંજે 6:00 વાગ્યા સુધી ભક્ત લોકો આહુતિ આપી રહ્યા છે. કોસાડ ગામના અગ્રણી રાજુભાઈ પટેલ અને વેદાંત ગ્રુપ દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવી રહ્યું છે. 24 ડિસેમ્બર થી શરુ થયેલ આ મહા યજ્ઞ નવા વર્ષના પહેલા જ દિવસે એટલે કે એક જાન્યુઆરી આ મહાયગ્ય પૂર્ણાહુતિ થશે ત્યારબાદ વિશાલ ભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે. એક બાજુ જ્યાં નવા વર્ષમાં લોકો દેશ અને દુનિયામાં અલગ અલગ પ્રકારથી સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે અહીં મંદિરમાં ભક્તો મહાયજ્ઞમાં આહુતિ આપીને નવા વર્ષનું સ્વાગત કરશે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:56 pm

પાદરા સરકારી અનાજ કૌભાંડ મામલો:પાટોદ ગામના ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ, 2.38 લાખનો જથ્થો ખુલ્લા બજારમાં વેચવાનો નિષ્ફળ પ્રયાસ

વડોદરા જિલ્લાના કરજણમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. આ કૌભાંડમાં કરજણ પોલીસ મથકમાં પાદરા તાલુકાના પાટોદ ગામના સરકારી અનાજના ગોડાઉનના મેનેજર સહિત 3 સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે. કૌભાડીઓએ રૂપિયા 2.38 લાખના ઘઉ, ચોખા અને ચણા સહિતનો જથ્થો ખૂલ્લા બજારમાં વેચી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, અનાજનો જથ્થો ચોક્કસ સ્થળે પહોંચે તે પહેલાં કરજણ પોલીસે જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. સરકારી અનાજના જથ્થાના ખોટા હિસાબો બનાવી સરકારને ગુમરાહ કરીપાદરા તાલુકાના પાટોદ ગામ સ્થિત સરકારી અનાજના ગોડાઉનના ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર અક્ષય ભાલચંદ્ર પંડયાએ સરકારી ફરજ દરમિયાન સરકારી અનાજના જથ્થાના ખોટા હિસાબો બનાવી સરકારને ગુમરાહ કરી વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ સહઆરોપી કાનાભાઈ કાળુભાઈ મીર તથા આયશર ટેમ્પોના ડ્રાઈવર અકરમભાઈ સલીમભાઈ સિંધી સાથે મળી સરકારી અનાજ સગેવગે કરવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. 2.38 લાખના અનાજને સગેવગે કરવાનો નિષ્ફળ પ્રયાસ કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 22 ડિસેમ્બરના રોજ સાંજના સમયે પાટોદ સરકારી ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં સરકારી અનાજ ટેમ્પોમાં ભરવામાં આવ્યું હતું. જેમાં 50 કિલોની 120 બોરી ચોખા 50 કિલોની 60 બોરી ઘઉં અને 50 કિલોની 5 બોરી ચણાનો જથ્થાનો સમાવેશ થાય છે. આ અનાજની કુલ બજાર કિંમત અંદાજે રૂપિયા 2,38,000 હોવાનું જણાવવામાં આવ્યું છે. ગોડાઉન મેનેજર સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈઆ અનાજનો જથ્થો ડ્રાઈવર અકરમભાઈ સિંધી દ્વારા રાત્રિના સમયે શિવવાડી મંદિર કેનાલ પાસે કાનાભાઈ મીરને આપવામાં આવ્યો હતો. આ કૌભાંડ અંગે નાયબ જિલ્લા મેનેજર રમેશભાઈ મથુરભાઈ પટેલ, નાયબ જિલ્લા મેનેજરે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:49 pm

ભાજપના વોર્ડ પ્રમુખનું પૌષ્ટિક આહારનું કૌભાંડ:દૂધસાગર રોડ પરની શાળા નંબર-78 ની આંગણવાડીમાંથી બારોબાર જથ્થો મોકલતા વર્કર ઝડપાયા

રાજકોટમાં વોર્ડ નંબર 6 ના ભાજપ પ્રમુખે દૂધસાગર રોડ પાસે આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાં પૌષ્ટિક આહારનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભૂલકાઓને આપવામાં આવતું બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ રિક્ષામાં જતા હોવાનું પકડાઈ ગયું હતું. ICDSના CDPO દ્વારા આ કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું. જોકે આ બાબતે પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે સામે પક્ષે આંગણવાડી કાર્યકર રજા પર ઉતરી ગયા છે અને હેલ્પરે કોઈ કૌભાંડ ન થયું હોવાનું જણાવ્યું હતું. CDPO(ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર)એ આક્ષેપ કર્યો છે કે જે સમયે અનાજ રીક્ષામાં લઈ જવાતું હતું ત્યારે રેડ પાડી હતી. આ દરમિયાન આંગણવાડી વર્કરના ફોનમાંથી ભાજપના કોઈ વ્યક્તિની ભલામણ આવી હતી. શહેરના દૂધસાગર રોડ ઉપર આવેલી શાળા નંબર 78માં આંગણવાડીનો પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની સોસાયટીમાં લઈ જવા તો હોવાની બાતમીના આધારે ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીઓએ રેડ પાડી હતી અને રીક્ષા ચાલકને પકડી પાડ્યો હતો જે બાદ પૌષ્ટિક આહારના 36 પેકેટ ફરી આંગણવાડીમાં મૂકવામાં આવ્યા હતા. આ બાબતે CDPO જયશ્રીબેન સાકરીયાએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે મને ફોન આવ્યો હતો કે કોડ નંબર 6માં આવેલી શાળા નંબર 78ની આંગણવાડીમાંથી GJ 03 BX 5984 નંબરની રિક્ષામાં બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાના 120 પેકેટ પગ કરી જતા ઝડપી પાડ્યા હતા. પૌષ્ટિક આહારના પેકેટ રામવન પાસેની સોસાયટીમાં લઈ જવાઈ રહ્યા છે. જેથી ત્યાં પહોંચી તપાસ કરી તો ત્યાં રીક્ષા ચાલક હતો અને તેનો વિડીયો પણ ઉતાર્યો છે. જેમાં તે એવી કબુલાત આપે છે કે મને અહીંથી પૌષ્ટિક આહાર રિક્ષામાં ભરી રામવન પાસેની રાધે કૃષ્ણ સોસાયટીમાં લઈ જવામાં આવતો હતો. જે બાદ આંગણવાડી વર્કર નજમાબેન પઠાણની CDPOએ કરેલી પૂછપરછમાં કબુલાત આપી હતી કે આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલા મારફત જથ્થો પહોંચાડવાનો હતો. જે બાદ નજમાબેન દ્વારા ભાજપના કોઈ વ્યક્તિ સાથે ફોન ઉપર વાત કરાવવામાં આવી હતી અને આમાં જોજો એવું કહ્યું હતું. તે વખતે મેં કહ્યું કે હું જો આમાં જોવાનું તો મારી નોકરીનું શું થાય. જોકે તે વ્યક્તિ કોણ હતું તેનો મને ખ્યાલ નથી. હવે 25/11ના GR મુજબ સરકારે જે ઠરાવો ટાંકયા છે તે મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પોલીસ ફરિયાદ તો આંગણવાડી કાર્યકર દ્વારા જ નોંધાવવી જોઈએ તેવું તેમણે કહ્યું હતું. જ્યારે આંગણવાડી હેલ્પર આંગણવાડી હેલ્પર ખમાબા ઝાલાએ કહ્યું કે, અહીં કોઈ પણ પ્રકારનું કૌભાંડ થતું નથી. ગઈકાલે પણ 36 ફૂડ પેકેટ હતા અને આજે પણ 36 ફૂડ પેકેટ છે. અહીં 78 બાળકો છે. જ્યારે આંગણવાડી વર્કર નજમાબેનના પરિવારમાં ડીલિવરી હોવાથી તેઓ રજા પર છે તેમ જણાવ્યુ હતું. સમગ્ર મામલે કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 6ના મહિલા ભાજપ પ્રમુખ આ આંગણવાડી કેન્દ્રના સંચાલક છે. તેમના દ્વારા જ આ કૌભાંડ કરવામાં આવ્યું છે. આ મામલે અમે મનપા કમિશનર અને જિલ્લા કલેકટરને પત્ર લખીશુ. સમગ્ર કૌભાંડ મામલે તપાસ કરવામાં આવે. અગાઉ પણ બાળકોના ભોજનમાં આ પ્રકારે ગેરરીતિઓ સામે આવી ચૂકી છે. જ્યારે ફરી એક વખત આ પ્રકારે આંગણવાડીના બાળકોના ફૂડ પેકેટમાં કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે આવા કૌભાંડ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી એક અમારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:47 pm

અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ જમીનદોસ્ત:ભાવનગરમાં 5 આરોપીના ગેરકાયદેસર રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યા, પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી

ભાવનગરમાં ગુનાહિત પ્રવૃત્તિ જેવી કે પ્રોહીબિશન અને શરીર સબંધના ગુનાના અસામાજિક તત્વોના મકાનોના ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં એક મહિલા સહિત 4 શખસના રહેણાંક મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. સિટી DYSP સહિત 150થી વધુ પોલીસ જવાન અને 4 JCB સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે. તંત્રની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણની ડિમોલિશન ડ્રાઈવઆ અંગે સિટી DYSP આર.આર.સિંઘાલએ જણાવ્યું હતું કે ભાવનગર શહેરના સિંધુનગર વિસ્તાર, મફતનગર વિસ્તાર તથા સુભાષનગર વિસ્તારમાં બુટલેગર તથા શરીર સંબંધીત ગુના કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણના ડિમોલિશનની ડ્રાઈવ અનુસંધાને આજે(31 ડિસેમ્બર) SP નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના સિંધુનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. તેમનું મકાન ગેરકાયદેસર હતું તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. 5 અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ જમીનદોસ્તશ્રમજીવી અખાડા પાસે આવેલા મફતનગર વિસ્તારમાં રહેતા ધવલ મકવાણા જે શરીર સંબંધિત ગુનામાં સંકળાયેલા છે તેના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. આ ડિમોલિશન કામગીરીમાં કોર્પોરેશનનો સ્ટાફ, મેડિકલ ટીમ, ફાયર ટીમ, પીજીવીસીએલ ટીમ અને 150થી વધુ પોલીસ જવાનોને સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ડિમોલિશનમાં 5 જેટલા પ્રોહીબીશન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને શરીર સંબંધી ગુનાઓ કરેલા અસામાજિક તત્વોના ગેરકાયદેસર રહેઠાણ પર ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ છે. આ 5 આરોપીની ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:43 pm

શેરબજારમાં રોકાણના નામે યુવક સાથે 17.90 લાખની ઠગાઈ:એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવી પૈસા પરત જ ન આપ્યા, ફરિયાદ નોંધાઈ

અમદાવાદના યુવક સાથે સાયબર ગઠિયાઓએ શેર બજારમાં રોકાણ કરાવવાના બહાને 17.90 લાખ રૂપિયા પડાવ્યા છે. ગઠિયાઓએ યુવકને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં 1 લાખનું રોકાણ કરાવી 25 હજાર ઉપાડવા દીધા હતા, જે બાદ યુવકને વિશ્વાસ આવતા ટુકડે ટુકડે 17.90 લાખનું રોકાણ કર્યું હતું. જોકે યુવકને રોકાણ કે નફાની રકમ પરત આપવામાં આવી ન્હોતી જેથી યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો ને ફસાયોવસ્ત્રાલમાં રહેતો પ્રમિત દરજી નામનો યુવક વડોદરાની ખાનગી કંપની નોકરી કરે છે. પ્રમિતને અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ આવ્યો હતો જે શેર બજા રોકાણ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રમિત લિંક દ્વાર ગ્રુપમાં એડ થયો હતો.ગ્રુપમાં શેર બજાર અને સ્ટોકની લગતી માહિતી આપવામાં આવતી હતી.પ્રમિતને ગ્રુપના મેનેજરે ઓળખ આપીને સલાહ સૂચન આપવાની ચાલુ કરી હતી. ટૂકડા ટુકડે 17.90 લાખ રૂપિયાનું રોકાણ હતુંગ્રુપના મેનેજરે પ્રમિતને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મોકલી હતી. પ્રમિતે લિંક ડાઉનલોડ કર્યા બાદ પોતાની વિગતો એડ કરી હતી. પ્રમિતે એપ્લીકેશનમાં 1 લાખનું રોકાણ કર્યું હતું, જેની સામે નફા સહિતની રકમ બતાવતા હતા જેથી પ્રમિતે 25 હજાર ઉપડ્યા હતા. પ્રમિતને વિશ્વાસ આવતા ટૂકડા ટુકડે 17.90 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેની સામે પ્રમિતને નફો કે રોકાણની રકમ પરત મળી ન્હોતી જેથી સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:41 pm

નેશનલ હાઈવે 48 પર જામ્બુઆ પાસે ઓઇલ ભરેલ ટેન્કર પલટ્યું:ડ્રાઈવર રિવર્સ લેતા પલટી મારી, બે ક્રેનની મદદથી ખાડામાંથી બહાર કાઢ્યું

વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માત સર્જાયો છે. આ વિચિત્ર અકસ્માતમાં શહેરના કપૂરાઇથી જામ્બુઆ તરફ જતા મહાદેવ હોટલ પાસે રિવર્સ લેતા ટેન્કર પલટી મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. આ અકસ્માતમાં વડોદરા GIDC ફાયર સ્ટેશન અને સ્થાનિક હોટલ પરના લોકોએ આ ડ્રાયવરને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. આ અંગે કપુરાઇ પોલીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ટેન્કર પલટી મારતા ડ્રાઈવરનો આબાદ બચાવ નેશનલ હાઈવે પાસે ઓઇલ ભરેલ ટેન્કર પલટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ટેન્કર ડ્રાઇવરના જણાવ્યા અનુસાર આ ટેન્કર ગાંધીધામથી હૈદરાબાદ જઈ રહી હતી. હોટેલ પાસે આરામ કરી ડ્રાઈવર રિવર્સ લેતો હતો, ત્યારે ઊંડા ખાડામાં ટેન્કર પલટી મારી હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના બાદ આસપાસના લોકો, પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક પોહચી ડ્રાયવરને બહાર કાઢ્યો હતો. આ ટેન્કરનો પણ બે ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. 'શુ થયું તે મને કઈ સમજાયું જ નહીં અને આખે આખી ટેન્કર ખાડામાં પડી ગઈ'આ અકસ્માત અંગે ટેન્કરના ડ્રાઈવર સાથે દિવ્ય ભાસ્કરે ટેલિફોનીક વાતચીત કરતા અજય રાજપૂતે જણાવ્યું હતું કે, હું ગાંધીધામથી હૈદરાબાદ તરફ જઈ રહ્યો હતો. વડોદરા પાસે આવેલ મહાદેવ હોટલે આરામ કરી હું નીકળતો હતો. ટેન્કર વળે તેમ ન હતી તેથી ત્યાં મેં રિવર્સ લીધી હતી અને અચાનક પાછળ મોટો ખાડો હતો. શુ થયું તે મને કઈ સમજાયું જ નહીં અને આખે આખી ટેન્કર ખાડામાં પડી ગઈ હતી. બે ક્રેનની મદદથી ઓઈલ ભરેલ ટેન્કરને બહાર કાઢ્યુંવધુમાં કહ્યું કે, ટેન્કરમાં ઓઈલ ભરેલ હતું. મને ફાયર, પોલીસ અને સ્થાનિક હોટલ પરના લોકોએ મળી બહાર કાઢ્યો હતો અને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અહીંયા ભયાનક ખાડો હતો જેથી મારું આખેઆખું ટેન્કર પલટી મારી અંદર સમાઈ ગયું હતું. ફાયર વિભાગે બે ક્રેનની મદદથી ઓઈલ ભરેલ ટેન્કરને બહાર કાઢ્યું હતું. હું એટલુંજ કહેવા માંગુ છું કે આવા નેશનલ હાઈવે પાસે ભયજનક ખાડા ન હોવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:35 pm

મુંબઈમાં રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાની કેન્સરની સારવાર:માળિયાના વાધરવા ગામે રામમંદિરમાં રામધૂન, ધારાસભ્યના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરાઈ

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિ અમૃતિયાના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે માળિયા તાલુકાના વાધરવા ગામે રામધૂનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. મુંબઈ ખાતે સારવાર હેઠળ ઉલ્લેખનીય છે કે, મંત્રી કાંતિ અમૃતિયા હાલ મુંબઈ ખાતે કેન્સરની સારવાર લઈ રહ્યા છે. તેમના ઝડપી સ્વસ્થ થવા માટે સમગ્ર વિસ્તારમાં તેમના ટેકેદારો અને કાર્યકરો દ્વારા સતત પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં વાધરવા ગામના રામજી મંદિર ખાતે તાજેતરમાં મંગળવાર, 30 નવેમ્બરના રોજ રાત્રે રામધૂન બોલાવવામાં આવી હતી. પરિવાર અને ટેકેદારોની ઉપસ્થિતિ આ ધાર્મિક કાર્યક્રમમાં મંત્રીના પુત્ર પ્રથમ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગોપાલ સરડવા, જયદીપ કંડિયા, લાલજી ગામી, અનિલ વરમોરા, જયદીપ દેત્રોજા, કેતન વિલપરા અને મણિ સરડવા સહિતના અગ્રણીઓ તેમજ કાંતિ અમૃતિયાના સમર્થકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મંત્રીના સુસ્વાસ્થ્ય માટે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:27 pm

ઉધના ભીમનગરમાં અસામાજિક તત્વોનો આતંક:ત્રણ મહિનામાં બીજી વખત વાહનો સળગાવતા અફરાતફરી, પેટ્રોલની ટાંકી ફાટતા મકાન પણ ઝપેટમાં આવ્યું

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. અજાણ્યા શખ્સો દ્વારા ઘરની બહાર પાર્ક કરેલા બે બાઇક અને એક મોપેડને નિશાન બનાવી આગ ચાંપવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ જ જગ્યાએ બરાબર ત્રણ મહિના પહેલા પણ આવી જ રીતે વાહનો સળગાવવાની ઘટના બની હતી. આગની વહેલી જાણ થતાં પરિવાર ઘર બહાર નીકળી ગયોરાત્રિના સમયે જ્યારે લોકો નિંદ્રાધીન હતા, ત્યારે અચાનક વાહનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે બાઇકની પેટ્રોલની ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે આગની જ્વાળાઓ નજીકના મકાન સુધી પહોંચી ગઈ હતી. મકાનમાં આખો પરિવાર સૂતો હતો, પરંતુ સદનસીબે આગની જાણ વહેલી થતા પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્રણેય વાહનો અને મકાનમાં રહેલી ઘરવખરી બળીને ખાખઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ત્રણેય વાહનો અને મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, આગને કારણે તેમનો કિંમતી સામાન અને આજીવિકાના સાધન સમાન વાહનો નષ્ટ પામ્યા છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશ રહેમાન મન્સૂરીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, અમારી ત્રણ ગાડીઓ અહીં પાર્ક કરેલી હતી જેમાં આવારા તત્વોએ આગ લગાવી દીધી છે. પેટ્રોલની ટાંકી ફાટવાથી આગ સીધી અમારા ઘરમાં ઘૂસી ગઈ હતી. આ બીજી વખતની ઘટના છે; ત્રણ મહિના પહેલા પણ આ જ જગ્યાએ આવી જ ઘટના બની હતી અને અમે FIR પણ કરાવી હતી, પરંતુ શું કાર્યવાહી થઈ ખબર નથી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:19 pm

અમરેલીમાં દીવથી આવતા નશાખોરો સામે પોલીસની કાર્યવાહી:જિલ્લામાં 17 ચેકપોસ્ટ પર બપોર બાદ લોખંડી બંદોબસ્ત

અમરેલી જિલ્લા પોલીસે દીવથી આવતા અને સ્થાનિક નશાખોરો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને, જિલ્લામાં પ્રવેશવાના તમામ માર્ગો પર બપોર બાદ 17 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવશે. DYSP કક્ષાના અધિકારીઓના નેતૃત્વ હેઠળ પોલીસ નશો કરીને વાહન ચલાવતા લોકો સામે કાર્યવાહી કરશે. ગુજરાતમાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય અને નશાખોરી અટકાવવા માટે આ આદેશો આપવામાં આવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. દીવમાંથી નશો કરીને બેફામ વાહન ચલાવી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રવેશતા લોકોને રોકવા માટે આ ચેકપોસ્ટ શરૂ કરાશે. આ ચેકપોસ્ટ્સમાં ધારીના દુધાળા, બગસરાના માણેકવાડા, ખાંભાના ખડાધાર, વડીયા નજીક ચોકી ચાર રસ્તા, લાઠીના ચાવંડ ત્રણ રસ્તા, બાબરાના કોટડાપીઠા, દામનગર નજીક નારાયણનગર ચોકડી, લીલીયા ભોરિંગડા ચોકડી, સાવરકુંડલા રૂરલ વીજપજડી, ડુંગર નજીક દાતરડી, માંડળ અને નાગેશ્રી નજીક ટીંબી સહિતના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોલીસ પણ નેશનલ હાઈવે પર સઘન વાહન ચેકિંગ કરશે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના સીધા સુપરવિઝન હેઠળ ASP જયવીર ગઢવી અને DYSP ચિરાગ દેસાઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ કામગીરી પર દેખરેખ રાખશે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:11 pm

કચ્છમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સક્રિય:કાયદો વ્યવસ્થા જાળવવા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ

કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરમાં સી ટીમે એરપોર્ટ રિંગ રોડ પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહન તપાસ કરી હતી. આ ઉપરાંત, નખત્રાણા પોલીસે પણ 31 ડિસેમ્બરની ઉજવણીના અનુસંધાનમાં ફૂટ માર્ચ કરી હતી. નખત્રાણા પોલીસ સ્ટેશનથી સુપરમાર્કેટ, વથાણ, મુખ્ય બજાર, જૂનાવાસ અને નવાવાસ સહિતના વિસ્તારોમાં પોલીસે ફરીને પરિસ્થિતિ પર નજર રાખી હતી. પીઆઈ એ.એમ. મકવાણાની સૂચનાથી શાંતિપૂર્ણ ઉજવણી માટે ચેકિંગ હાથ ધરાયું હતું. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર પીઆઈ જે.એમ. વાળા અને સામખીયારી પીઆઈ વી.કે. ગઢવીના નેતૃત્વ હેઠળ સુરજબારી પોલીસ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી, બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોંજીયા, આદિપુર પીઆઈ એમ.સી. વાળા, અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા, લાકડીયા પીઆઈ જે.એમ. જાડેજા, બાલાસર પીએસઆઈ વી.એ. ઝા, રાપર પીઆઈ જે.બી. બુબડીયા, ગાગોદર પીઆઈ વી.એ. સેગલ, દુધઈ પીઆઈ આર.આર. વસાવા તથા ખડીર પીઆઈ એમ.એન. દવે અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા જુદા જુદા સ્થળો પર પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. ખાસ કરીને, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બ્રેથ એનાલાઇઝર મશીનનો ઉપયોગ કરીને દારૂ પીધેલા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Dec 2025 12:09 pm