પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીએ ફટકાર્યા વિસ્ફોટક 72 રન
IPL 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન તો પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ચટકાવી હતી.
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે. 12થી 18 એપ્રિલ ગિરનાર રોપ-વે બંધ રહેશેગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 12 એપ્રિલ 2026થી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. મેઈન્ટેનન્સની કામગીરીને પગલે નિર્ણયઆ સમયગાળા દરમિયાન રોપ-વેના મશીનરી ચેકઅપ, વાયર રોપનું નિરીક્ષણ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારે મેઈન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરોની સલામતી માટે અત્યંત અનિવાર્ય હોય છે. સાત દિવસ સુધી પગથિયાં ચઢીને ઉપર જવું પડશેગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને વડીલો, બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન સાબિત થયો છે. રોપ-વે શરૂ થયા બાદ અંબાજી સુધી પહોંચવાનો સમય અને શ્રમ બંનેમાં મોટો ઘટાડો થયો છે. જોકે, સાત દિવસ સુધી આ સેવા બંધ રહેવાના કારણે જે પ્રવાસીઓએ આ દિવસો દરમિયાન જૂનાગઢ આવવાનું આયોજન કર્યું હોય, તેઓએ પોતાની મુસાફરીમાં ફેરફાર કરવો પડશે અથવા પગથિયાં ચઢીને ઉપર જવું પડશે. 19 એપ્રિલથી સેવા પુનઃ શરૂ થશેરોપ-વે મેનેજમેન્ટે વધુમાં સ્પષ્ટતા કરી છે કે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સવારથી જ રોપ-વે સેવા ફરી પૂર્વવત કરી દેવામાં આવશે. તમામ ટ્રોલી અને સેન્સરનું બારીકાઈથી પરીક્ષણ કરાશેગિરનાર રોપ-વે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢની શાન માનવામાં આવે છે. પર્વતની ઉંચાઈ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવી પડતી હોય છે. ટેકનિકલ ટીમ દ્વારા આ સાત દિવસમાં તમામ ટ્રોલી અને સેન્સરનું પણ બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે. વેકેશન અને જાહેર રજાઓના દિવસો પહેલા આ મેઈન્ટેનન્સ પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આવતા પ્રવાસીઓના ધસારાને કોઈ પણ અવરોધ વિના પહોંચી વળાય.
ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર્કસ પરથી ફિલ્ટર થયેલું નેધરલેન્ડ યોજનાનું પાણી નાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવતું હતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નાખવામાં આવેલી નવી મોટી પાઇપલાઇનને હવે પાણીના સમ્પ સાથે જોડવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કામગીરી પૂર્ણ થતાં બંને સમ્પ પૂરતા પ્રમાણમાં મીઠા પાણીથી ભરાઈ રહેશે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પોતાના ખર્ચે તૂટેલા ઢાંકણા બદલીને સમ્પ પર નવા ઢાંકણા લગાવ્યા છે, જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ગામને નેધરલેન્ડ યોજના હેઠળ જરૂરિયાત મુજબ મીઠા પાણીનો પુરવઠો મળી શકશે. આ ઉપરાંત, પાણી પુરવઠાના બોર અને સમ્પ આસપાસ ભરાઈ રહેતા પાણીની સમસ્યા દૂર કરવા માટે માટી નાખવામાં આવી છે. તળાવડીનું વધારાનું પાણી જૂના બોરની પાઇપલાઇનમાં ઉતારી દેવાતા મોટાભાગનું પાણી ભૂગર્ભમાં રિચાર્જ થયું છે. સરપંચે ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરની ફીરદોશ સોસાયટીમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા છ શખ્સોને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹75,230નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડા ₹15,230, ગંજીપાનાના 52 નંગ પાના, બે મોબાઈલ ફોન જેની કિંમત ₹1,000, અને બે મોટરસાયકલ જેની કિંમત ₹50,000 સહિત કુલ ₹75,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના I/C પોલીસ અધિક્ષક વેદીકા બીહાની (IPS)ના નિર્દેશ મુજબ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારના કેસો શોધી કાઢી આવી બદીને નાબૂદ કરવા માટે અસરકારક કામગીરી કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.સંગાડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. એ.એસ.આઈ. ડી.જે. વાઘેલા, વિજયસિંહ પ્રવીણસિંહ પરમાર, પો.હેડ.કોન્સ રાજદીપસિંહ નારણભા ડોડીયા, મહાવીરસિંહ વજેસંગભાઈ બારડ, પો.કોન્સ મનસુખભાઈ માનસંગભાઈ જમોડ, ધવલસિંહ ચંદુભા સિસોદીયા, અને રાજુભાઇ જીવણભાઇ પઢેરીયા સહિતની ટીમે એ.એસ.આઈ. ધનરાજસિંહ જશુભા વાઘેલાની બાતમીના આધારે ફીરદોશ સોસાયટીની આડી લાઈન પાસે દરોડો પાડ્યો હતો. જેમાં પરવેઝભાઈ ઉર્ફે સદામ ઈબ્રાહીમભાઈ ખોજાણી (ઉ.વ.29, રીક્ષા ડ્રાઈવર), વિજયભાઈ અવસરભાઈ વિરમગામી (ઉ.વ.32, ચોકીદાર), અજયભાઈ ધીરૂભાઈ ભંકોડીયા (ઉ.વ.22, કડીયાકામ), દેવશીભાઈ જકશીભાઈ જખાણીયા (ઉ.વ.42, મજુરી), દલસુખભાઈ ચોથાભાઈ ગોઢકીયા (ઉ.વ.44, મજુરી), અને શેરખાન મુરાદભાઈ મમાણી (ઉ.વ.28, મજુરી)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ સુરેન્દ્રનગરના રહેવાસી છે.
માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલે સત્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, ભારતની પવિત્ર ભૂમિ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે કૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય મળ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. કૃષ્ણએ ચરિત્ર, કર્મ, ધર્મ, નીતિ અને દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. આ પ્રસંગે કૃષ્ણ અને રુક્મણીજીના જીવન પર આધારિત અદભુત મનહર માધવપુર મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ સહભાગી બન્યા હતા.ગુજરાતની ધરતી પર જન્મેલા મહાન વિચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ કૃષ્ણના જીવનને અત્યંત પવિત્ર ગણાવ્યું હતું. તેમજ કૃષ્ણએ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો, જે આજે સમગ્ર વિશ્વમાં માનવજીવન માટે માર્ગદર્શક બન્યો છે.આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂપે કૃષ્ણ અને રુકમણીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે.આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. મતદાર યાદી, મતદાન મથક, સુરક્ષા વ્યવસ્થા સહિતની તાલીમ અપાશેઆ તાલીમ કાર્યક્રમ અંતર્ગત નોડલ અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ, સહાયક અધિકારીઓ, પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા, મતદાન વ્યવસ્થા, ઈવીએમ/બેલેટ ઉપયોગ, મતગણતરી પ્રક્રિયા, આચાર સંહિતા અને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ દરમિયાન મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, મતદાન મથકની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી સ્થિતિમાં કરવાના પગલાં અંગે પણ વિશેષ સમજ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને રિપોર્ટ સોંપાશેજિલ્લા સ્તરે માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓએ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. તાલીમ માટે નિર્ધારિત સમયપત્રક મુજબ જુદા જુદા તબક્કામાં કાર્યક્રમ યોજાશે, જેમાં એક દિવસીય સત્રો દ્વારા પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માર્ગદર્શન આપવામાં આવશે. વ્યવસ્થા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચનારાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ આયોજનથી આવનારી ચૂંટણીઓ પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.
સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે સમગ્ર દિવસ ભંડારો યોજાશે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ મંદિરનું વિશેષ વર્ણન કરતાં જણાવ્યું કે, આ મંદિરનું 23 ઓગસ્ટ, 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે. આ હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે. જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળ લોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાયેલો, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે. ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ વધુમાં જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે. જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં 3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડે છે.આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું. હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 આરોપીઓની PCB સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન સહિત 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી કુંતલ પટેલની પોલીસે શોધખોળ શરૂ કરી છે. AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતાં 9 ઝડપાયાપોલીસ કમિશનરની PCB સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નારણપુરા AEC ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કેટલાક લોકો બેસીને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે PCB ટીમના માણસો વોચમાં ગોઠવાયા હતા અને પાર્કિંગ પ્લોટમાં આવેલા એક કન્ટેનરમાં કેટલાક લોકો ભેગા થયેલા હોવાનું જાણ થતાની સાથે દરોડો પાડયો હતો. પોલીસે જુગાર રમતા 9 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે કુંતલ પટેલ નામનો શખ્સ મળી આવ્યો ન હતો. 3 લાખ રોકડા સહિત 5.23 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે અંગજડતી તથા દાવના મળી કુલ્લે નાણા રૂ.3,03,000, મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.2,20,000 મળી કુલ્લે કિ.રુ.5,23,000/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બહારથી આવીને જુગારીઓ જુગાર રમતા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાં જુગાર ધામ ચાલતું હતું જેને લઈને આ મામલે પણ સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી કે કેમ તેને લઈને તપાસ થઈ શકે છે. પકડાયેલા આરોપીઓ
સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક
આધુનિક યુગના કૃત્રિમ મનોરંજનના સાધનો અને મોલ-સિનેમાની સંસ્કૃતિ વચ્ચે પણ સુરતીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે, જેનો જીવંત પુરાવો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના તાજેતરના આંકડાઓ આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા 12 મહિનામાં આ નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ હવે એક ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક વર્ષમાં 9 લાખ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધીઆ વર્ષ દરમિયાન અંદાજે 9,50,033 જેટલા મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે દર્શાવે છે કે લોકો હવે શહેરના કોંક્રિટના જંગલો અને ઘોંઘાટથી દૂર કુદરતના ખોળે સમય વિતાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓના ધસારાને કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં પણ માતબર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ટિકિટ બારી અને ઓનલાઈન બુકિંગના માધ્યમથી કુલ 2,57,75,460 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક માનવામાં આવે છે. વન્યજીવોની માવજત, તેમના ખોરાક અને પાર્કના આધુનિકીકરણ પાછળ જે ખર્ચ થાય છે, તેની સામે આ આવક પાલિકા વહીવટદારો માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્રતાપી નદીના મનોરમ અને શાંત કિનારે 81 એકર જેટલી વિશાળ જમીન પર પથરાયેલું આ નેચર પાર્ક તેની કુદરતી બનાવટ અને ગાઢ હરિયાળી માટે પ્રખ્યાત છે. નેચર પાર્કના મુખ્ય અધિકારી ડૉ. રાજેશ દેસાઈના જણાવ્યા અનુસાર, અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ અને શાંત છે કે જે કોઈપણ પ્રવાસીના મનને પ્રફુલ્લિત કરી દે છે. આટલા મોટા વિસ્તારમાં પથરાયેલી હજારો વનસ્પતિઓ અને ઘટાદાર વૃક્ષોને કારણે ભર ઉનાળામાં પણ અહીં તાપમાનમાં ઘટાડો અનુભવાય છે, જે સુરતીઓને કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. વન્યજીવોની વાત કરીએ તો, અહીં રાખવામાં આવેલા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ હંમેશાથી બાળકો અને મોટેરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ હિંસક પ્રાણીઓ ઉપરાંત, પાર્કની શોભા વધારતા અત્યંત સુંદર અને દુર્લભ ગણાતા સફેદ મોર તેમજ જળબિલાડી જોવા માટે પણ મુલાકાતીઓની ભારે ભીડ જામતી હોય છે. પક્ષીઓની સેંકડો પ્રજાતિઓ અને સરીસૃપો માટે તૈયાર કરવામાં આવેલા ખાસ વિભાગોને કારણે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રવાસનું સ્થળ પણ બની ગયું છે, જ્યાં તેઓ પ્રત્યક્ષ રીતે વન્યજીવનનો અભ્યાસ કરી શકે છે. ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારોનેચર પાર્કની સફળતા પાછળ તેના વ્યવસ્થિત મેનેજમેન્ટ અને આધુનિક સુવિધાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થાને કારણે રજાના દિવસોમાં પ્રવાસીઓને ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારો મળ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ જાહેર રજાઓ અને વેકેશનના ગાળામાં અહીં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. ખાસ કરીને દિવાળી, નાતાલ અને ઉનાળુ વેકેશન દરમિયાન રોજના હજારો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં સ્વચ્છતા અને સુરક્ષા બાબતે પાલિકા સતર્ક રહે છે. આગામી દિવસોમાં મુલાકાતીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે પાલિકા દ્વારા વધુ સુવિધાઓ વિકસાવવાનું અને વિદેશી કે અન્ય રાજ્યોના નવા પ્રાણીઓ લાવવાનું આયોજન પણ વિચારાધીન છે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ પ્રવાસન ક્ષેત્રે સુરતનું નામ સમગ્ર દેશમાં મોખરે લાવવાનો અને લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત કરવાનો છે. 9.50 લાખથી વધુ પ્રવાસીઓનો આ રેકોર્ડ એ વાતની સાબિતી છે.
જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા કાપી નાખવામાં આવ્યો અથવા તો ક્રૂરતાપૂર્વક તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનીક લોકો અને નરસિંહ મહેતાના ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રતિમાનો તૂટેલો ભાગ નીચે જમીન પર પડેલો જોવા મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને નગરજનોમાં વહીવટી સુરક્ષા વ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બનાવ અંગે નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી વિજયભાઈ કેકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા માત્ર પથ્થરની મૂર્તિ નથી પરંતુ જૂનાગઢના ભવ્ય વારસા અને ભક્તિ માર્ગનું પ્રતીક છે. તેમણે ટ્રસ્ટના ઇતિહાસ વિશે વાત કરતા ઉમેર્યું હતું કે આ ટ્રસ્ટની સ્થાપના મુરબ્બી વલ્લભદાસભાઈ દેવકાનંદભાઈ નાણાવટીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેઓ વર્ષોથી આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. આ પ્રતિમા જૂનાગઢની સૌથી પહેલી અને ઐતિહાસિક પ્રતિમા છે, જેની સ્થાપના પૂજ્ય દેવેન્દ્ર વિજયજીના વરદ હસ્તે વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી. આ સ્થળ પસંદ કરવા પાછળ પણ એક મોટું ધાર્મિક મહત્વ રહેલું છે કારણ કે જ્યારે નરસિંહ મહેતા જીવંત હતા ત્યારે તેઓ દરરોજ વહેલી સવારે દામોદર કુંડમાં સ્નાન કરવા જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરતા હતા, તેથી તેમની સ્મૃતિ કાયમી રાખવા માટે ગિરનાર દરવાજા પાસે જ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વિજયભાઈએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઈસમોએ આ પવિત્ર સ્થાને પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે જે કોઈ પણ કાળે ચલાવી શકાય તેમ નથી. આ કમનસીબ ઘટના અંગે ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે નજીકની પોલીસ ચોકીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે અને વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમણે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને કડક શબ્દોમાં અપીલ કરી છે કે આ ગુનામાં સામેલ શખ્સોને તાત્કાલિક શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં શહેરના કોઈ પણ ધાર્મિક કે ઐતિહાસિક વારસાને કોઈ નુકસાન પહોંચાડવાની હિંમત ન કરી શકે. વધુમાં ટ્રસ્ટી વિજયભાઈએ જૂનાગઢ મહાનગરપાલિકા અને તંત્ર પાસે એવી પણ માંગણી કરી છે કે આ પ્રતિમા જે જગ્યાએ આવેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં લાઈટિંગની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ત્યાં અડિંગો જમાવતા હોય છે, જેને અટકાવવા માટે પ્રતિમાની આસપાસ મજબૂત લોખંડની જાળીનું પ્રોટેક્શન મૂકવું જોઈએ. આ ઉપરાંત તેમણે વિનંતી કરી છે કે જે રીતે પ્રતિમાનો હાથ તોડવામાં આવ્યો છે તેનું સમારકામ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કુશળ કારીગરો પાસે કરાવવામાં આવે જેથી પ્રતિમાની ગરિમા જળવાઈ રહે. જૂનાગઢના લોકો અત્યારે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે.
મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં એક દિવસમાં 3129 જેટલા કરદાતાઓ એ રૂ.3.18 કરોડ નો વેરો ભર્યો હતો, ભાવનગર મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ના અંતિમ દિવસે તથા મહાવીર જયંતીની જાહેર રજા ના દિવસે મનપા કચેરી ખાતે મિલ્કત વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં 3 હજારથી વધુ કરદાતાઓ દ્વારા વેરો ભર્યો હતો જેમાંથી રૂ.3.18 કરોડની આવક થવા પામી હતી, આ સાથે જ નાણાકીય વર્ષ 2025-26 ની મનપાની કુલ આવક રૂ.184.69 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેનાથી મનપાની આવકમાં વધારો થયો હતો, નવા નાણાકીય વર્ષ 2026-27 ના મિલકતવેરાના બીલો કરતાઓ તા.3/4/2026 થી રાબેતા મુજબ ઓનલાઇન તથા મહાનગરપાલિકાની મુખ્ય ઝોનલ તથા પૂર્વ અને પશ્ચિમ કચેરી પરથી કેશબારીઓ પરથી ભરપાઈ કરી એપ્રિલ માસમાં કરવેરા અને સફાઈવેરાની રકમ પર 10 ટકા તથા ઓનલાઈન પેમેન્ટ કર્યાથી વધારાનું 2 ટકા મળી કુલ 12 ટકા જેટલું રિબેટ મેળવી શકશે.
ભાવનગર શહેરના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા યુવકે પત્ની અને પ્રેમીની અવાર-નવાર ધાકધમકી અને શારિરીક માનસીક ત્રાસના કારણે યુવક મરવા મજબુર બની ગતરાત્રીના શહેરના ઈન્દીરાનગરના રેલ્વે નાળા ઉપર પસાર થઈ રહેલી બોટાદ-ભાવનગર ટ્રેન નીચે ઝંપલાવી લઈ આપઘાત કર્યો હતો. જે સંદર્ભે મૃતક યુવકના નાના ભાઈએ તેની ભાભી અને પ્રેમી સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. ભાઈ અને ભાભીને અવાર નવાર ઝધડા થતા હતામળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના ઈન્દીરાનગર, વણકરવાસમાં રામાપીરના મંદિર પાસે રહેતા અને હાલ સુરત રહેતા જયેશ જેઠાભાઈ મક્વાણાએ ફરીયાદ નોંધાવી હતી કે, તેના મોટાભાઈના પત્નીને ઈન્દીરાનગરમાં જ રહેતા મેહુલ પરમાર સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે તેના ભાઈ અને ભાભીને અવાર નવાર ઝધડા થતા હતા અને તેના ભાભી અને મેહુલે તેના ભાઈ કિશોરભાઈને અમારી વચ્ચે આવતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપતા હતાં માનસિક ત્રાસથી કંટાળીને આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈવૈશાલીબેન કિશોરભાઈ મકવાણા અને મેહુલ મેઘજીભાઈ પરમાર બન્નેના માનસિક ત્રાસથી કંટાળી જઈ તેના ભાઈએ મરવા મજબુર બની ગઈકાલે રાત્રીના આઠ ક્લાકના સમય દરમિયાન ઈન્દીરાનગર પાસે રેલવે નાળા ઉપર પોતાની જાતેથી પસાર થઇ રહેલ બોટાદ ભાવનગર ટ્રેનની નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. જે ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે વૈશાલીબેન કિશોરભાઈ મકવાણા અને મેહુલ મેધજીભાઈ પરમાર સામે BNS એક્ટ 108, 352, 351(3), 54, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે. આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે આ સેવા પૂરી પાડી રહ્યું છે. આ સેવા કેમ્પ ચૈત્ર નવરાત્રી દરમિયાન માઈભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને નાહવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે. અહીં વણેલા ગાંઠિયા, પાપડી, ભજીયા, ચા, લીંબુ-વરિયાળીનું શરબત અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પણ પીરસવામાં આવે છે. ઝાલાવાડ પંથકમાં ઉત્તર ગુજરાત સહિત દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ માટે 100થી વધુ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાના દર્શનાર્થે ભક્તો બારે મહિના ઉમટી પડે છે. ખાસ કરીને ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવાનું અનોખું અને પરંપરાગત મહત્વ છે. ચૈત્રી પૂનમ નજીક આવતા અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ સહિત ઉત્તર ગુજરાત અને રાજ્ય બહારના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો ચોટીલા દર્શનાર્થે આવી રહ્યા છે. આ પદયાત્રીઓ માટે રસ્તા પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા-જમવા, રાત્રી રોકાણ, દવા, સારવાર, પગ દબાવવા અને માલિશ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધા સાથે ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સુરેન્દ્રનગર તરફ પણ ઠેરઠેર મા ચામુંડાના ભક્તો પગપાળા સંઘો અને રથો સાથે નાચતા-ગાતા ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે લાખો પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ પણ સામેલ હતું. આ પરિયોજનાના ઈ-લોકાર્પણના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે એક ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિતના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. આ જામનગર માટે ગૌરવની વાત છે. કાનાલુસ-જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે. આનાથી મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે, તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. મજબૂત કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય બને છે. આ ડબલિંગ લાઇન માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ તે વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતીક છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો. વિનોદ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખઓ, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા-અસારવા MEMU ટ્રેન સેવા શરૂ:વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી, પરિવહન સુવિધામાં વધારો
સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા બાદ આ માર્ગ પર ટ્રેન દોડતી થઈ છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, જે દર્શાવે છે કે લોકોમાં આ સેવા પ્રત્યે ઉત્સાહ છે. ખેડબ્રહ્માથી અસારવા તરફ પ્રથમ ટ્રેન રવાના થઈ તે પ્રસંગે ખેડબ્રહ્મામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને વાવ-થરાદથી વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું. આ નવી રેલવે સેવા ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નાના અંબાજી જતા યાત્રાળુઓ માટે પણ આ સેવા સુવિધાજનક બનશે. આ ટ્રેન સેવા શરૂ થવાથી પરિવહન સુવિધામાં વધારો થશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને ગતિ મળશે. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદું, રેલવેના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડબ્રહ્માના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પ્રસ્થાન કરતી મેમુ ટ્રેનને રસ્તામાં ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. ખેડબ્રહ્મા બાદ આ ટ્રેન ઇડર અને જાદર સ્ટેશન પર પણ ઉભી રહી હતી.
શહેરામાં જૂની અદાવતમાં ઇકો ચાલક પર હુમલો:પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા, અન્યની શોધખોળ
શહેરાના અણિયાદ પાસે જૂની અદાવતમાં ઇકો કાર ચાલક પર પાંચ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 30 માર્ચની વહેલી સવારે અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ઇકો કારને પાંચથી છ અજાણ્યા ઈસમોએ આંતરી હતી. હુમલાખોરોએ લાકડાના દંડા વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને ચાલક સાથે ઝપાઝપી કરી તેને ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ વેન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ ગાડી ઊભી રાખવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સુરેશ પટેલ, હંસરાજ ચાવડા અને હિમાંશુ બારિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા અન્ય બાઇક સવારોને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વારા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં તેનું સરઘસ કાઢીને લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ પોલીસ અધિકારીએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલા અને તેમના પતિ પોતાના નિવાસ સ્થાને ગઈકાલે સોમવારે બપોરના સમયે જમવા બેઠા હતા, ત્યારે તેમના પતિના મોબાઇલ ફોન પર ગોત્રી વિસ્તારના જુના વુડાના મકાનમાં રહેતા સાસુના પાડોશીનો ફોન આવ્યો હતો. ફોન પર તેમણે જાણ કરી હતી કે, યશ ઉર્ફે લસ્સી વસાવા નામનો ઈસમ તેમના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો છે. આ માહિતી મળતા મહિલાના પતિએ પોતાની માતાને ફોન કરીને ઘટના અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, યશ ઉર્ફે લસ્સી વસાવા દ્વારા મહિલાના નણંદ સાથે છેડતી કરવામાં આવી રહી છે તેમજ ગાળાગાળી કરીને ઝઘડો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મહિલા અને તેમના પતિ એક્ટીવા પર ગોત્રી વિસ્તારના દિનદયાળ નગર સ્થિત જુના વુડાના મકાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરોપી યશ ઉર્ફે લસ્સી વસાવા હાજર હતો અને આસપાસના લોકો સાથે ગાળાગાળી કરી રહ્યો હતો. મહિલાના પતિએ આરોપીને નણંદ સાથે છેડતી કરવા બાબતે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલતા બોલતા મહિલાના પતિ પર હુમલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાએ પતિને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ સિમેન્ટનો બ્લોક ફેંકીને મહિલાના જમણા હાથ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો અને જતા જતા મહિલા તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાને હાથમાં દુખાવો થતા તેમના પતિ દ્વારા તેમને ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આવીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે લક્ષ્મીપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સમગ્ર વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું. ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે, યશ વસાવા નામનો વ્યક્તિ છેલ્લા અઢી મહિનાથી મને હેરાન કરી રહ્યો હતો. તે મને ધમકી આપતો હતો કે, જો હું મારા પરિવારને કઈ પણ કહીશ, તો તે આખા પરિવારને ખતમ કરી નાખશે. એટલે ડરના કારણે મેં ઘરે કોઈને વાત કરી નહોતી. આ દરમિયાન ગઈકાલે રાત્રે અમે રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે તેણે અચાનક મારી છેડતી કરી અને મારી આબરૂ પર હાથ નાખ્યો હતો. તે મને જબરદસ્તી એવું કહેવા લાગ્યો કે તું મારી સાથે રિલેશનશિપ રાખ. જ્યારે મેં ના પાડી ત્યારે તે મને ટોર્ચર કરવા લાગ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી બહેન 8 મહિનાની ગર્ભવતી છે. જ્યારે તેણે જોયું કે, યશ મને હેરાન કરે છે, ત્યારે તેણે વિરોધ કર્યો હતો અને પૂછ્યું કે, તું મારી બહેનને કેમ હેરાન કરે છે? આ સાંભળીને યશ ઉશ્કેરાઈ ગયો અને તેણે મારી ગર્ભવતી બહેનના પેટ પર જોરથી લાત મારી દીધી હતી. મારી બહેન ત્યાં જ પડી ગઈ હતી. અમે તરત જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસનો અમને સહકાર ખૂબ જ સારો રહ્યો છે. અમારી ફરિયાદને પગલે લક્ષ્મીપુરા પોલીસના તમામ સ્ટાફે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. યુવતીએ ઉમેર્યું હતું કે, પહેલા મને ખૂબ જ ડર હતો, પણ પોલીસની મદદ બાદ હવે મને બિલકુલ ડર નથી. હું ઈચ્છું છું કે તેને એવી કડક સજા થવી જોઈએ, તે આખી જિંદગી જેલમાં જ રહેવો જોઈએ. તેને થવું જોઈએ કે, તેણે એક યુવતીની ઈજ્જત પર હાથ નાખ્યો હતો અને ગર્ભવતી મહિલાને લાત મારી હતી.
'અમારી ધરતી પર પગ મૂકનાર આક્રમણખોરોના પગ કાપી નાખીશું...' ઈરાનની દુશ્મનોને ચેતવણી
વાઈરલ તસવીર Strait of Hormuz: ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો તેની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલફાઘરીએ કહ્યું કે, ઈરાના સશસ્ત્ર દળો દેશ પર હુમલો કરનાર કોઈપણ હુમલાખોરના પગ કાપી નાખશે.
ભાવનગર શહેરના નિલમબાગ બ્રાન્ચ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી વર્ષ 2023-25 દરમિયાન PMEGP અંતર્ગત લધુ ઉદ્યોગના નામે બેંકના એજન્ટો સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ કરી SBI બેંકમાં ખોટા બિલોને ખરા તરીકે દેખાડી લોનની રકમમાંથી મશીનરી કે, સ્ટોક વગેરે ખરીદ નહી કરી લોન પોતાના અંગત ઉપયોગમા લઈ રૂા.1.35 કરોડની રકમ બેંકમાંથી મેળવી તેના હપ્તા કે લોન ભરપાઈ ન કરતા SBI બેંકના આસી.જનરલ મેનેજરે 4 મહિલા સહિત 6 સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લધુ ઉદ્યોગકારોને મળતી આર્થિક સહાયની લોન ખોટા બિલથી મેળવી મળતી માહિતી અનુસાર શહેરના નિલમબાગ શાખાના SMECC વિભાગના આસિસન્ટ જનરલ મેનેજર કલ્પેશ રજનીકાંત ઝાલાએ નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, નાગરીકોને લધુ ઉદ્યોગ શરુ કરવાના હેતુથી લધુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે PMEGP અંતર્ગત લોન આપવામાં આવતી હતી જે અંતર્ગત ગત 17 ફેબ્રુઆરી, 2023થી 11 ઓકટોબર, 2025ના સમયગાળા દરમિયાન લોન આપવામાં આવી હોવાનું ધ્યાન પર આવ્યુ હતું. 24 લાખની લોન મંજુર થઈ હતીજેની તપાસ કરતા ભુમીબેન નિખીલભાઈ પંડ્યાને રેડીમેન્ટ કાપડ બનાવવા માટે 19 લાખ તેમજ સ્ટોક માટે સીસી 5 લાખની લોન મળી કુલ 24 લાખની લોન મંજુર થઈ હતી. જે પેટે તેઓને રૂા.20,83,093ની રકમ ભરવાની બાકી હતી. કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડને તેના રહેઠાણ ખાતે રેડીમેન્ટ ગારમેન્ટ બનાવવાના મશીન માટે ટર્મ લોન 28,50,000 તેમજ સ્ટોક માટે સી.સી લોન રૂ.19,00,000 મળી કુલ રૂા.47.50 લાખની લોન મંજુર થઈ હતી જે પેટે તેને 42,68,172 ની રકમ બાકી હતી. મશીનની ટર્મ લોન રૂ.38 લાખની મંજુર થઈ હતીજલ્પાબેન પિયુષભાઈ શાહે રેડીમેન્ટ કપડા બનવવા માટે મશીનની ટર્મ લોન રૂ.38 લાખની લોન મંજુર થઈ હતી તેઓને રૂા.31,39,543 ની રકમ ભરવાની બાકી હતી. જ્યારે જાગ્રતિબેન વિવેકભાઈ લાલવાણી એ રેડીમેડ કપડાં બનાવવા માટે મશીનની ટર્મ લોન રૂ.28,50,000 લોન તેમજ સ્ટોક માટે સીસી લોન મળી 47,50,000 ની લોન મંજુર થયેલી જે પૈકી રૂા.40,09,761ના રકમ ભરપાઈ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યુ હતું. જેને લઈ બેન્ક કર્મચારીઓ-અધિકારીઓ દ્વારા સ્થળ ૫ર ઈન્સ્પેકશન કરતા સ્થળ પર માલસામાન કે મશીનરી કઈ મળી આવ્યુ ન હતું. ખોટા બિલ આપીને લોન મંજૂર કરાવીબનાવના મામલે તપાસ દરમિયાન 4 મહિલા લોનધારકોએ ઈરાદાપુર્વક ગેરરીતી આચરીને પુર્વ આયોજીત કાવતરૂ રચી તમામે બેંકમાંથી લોન લેવા માટે ખોટા બિલો એજન્ટ ભરત સુગનામલ અડવાણી પાસેથી મેળવી તે બીલો ખોટા હોવાનું જાણવા છતા અન્ય બેંક એજન્ટ સુનિલ ત્રિલોકચંદ હાસેજા દ્રારા બેંકમાં રજુ કરાવી ખોટા બીલોને સાચા તરીકે રજુ કરી બેંકમાંથી ટર્મ લોન તેમજ સીસી લોન મેળવી તે મંજુર કરાવી લોનની રકમ મશીનરી, સ્ટોકની ખરીદી નહી કરી અંગત ઉપયોગ માટે લઈ લીધી હતી. 1.35 કરોડની બેંક સાથે છેતરપિંડી કરીચારેય મહિલા લોનધારકે બેંકને વિશ્વાસ અને ભરોસાના ભાગરૂપે આપવામાં આવેલ લોનના નાણા બેંકમાં જમા નહી કરાવી ચારેય લોનઘારકોએ ટર્મ લોન તેમજ સીસી લોન લઈ કુલ રૂા.1,35,00,569 ની બેંક સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. 4 મહિલા અને 2 એજન્ટ સામે ફરિયાદ નોંધાઈજે ફરીયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે લોનધારક ભુમીબેન નિખીલભાઈ પંડ્યા, કિરણબેન જીતેન્દ્રભાઈ રાઠોડ, જલ્પાબેન પિયુષભાઈ શાહ, જાગ્રતિબેન વિવેકભાઈ લાલવાણી, એજન્ટ ભરત સુગનામલભાઈ અડવાણી અને સુનિલ ત્રિલોકચંદ હાસેજા તમામ રહે.ભાવનગરનાઓ વિરુધ્ધ BNS એક્ટ 318(4), 336(2), 339(3), 338, 340(2), 3(5), 61(2), મુજબ ગુનો દાખલ કરી નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં લોનધારક મહિલા, એજન્ટ સહિતનાની ધરપકડ કરી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. ખોટા બિલથી લોન મેળવવા માટે છેતરપિંડી કરી આ અંગે સીટી DYSP આર.આર.સિંધાલ જણાવ્યું હતું કે, SBIના બ્રાન્ચ મેનેજર કલ્પેશ ઝાલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં 2023થી 2025 ના વર્ષમાં જે બ્રાન્ચના એજન્ટ ભરતભાઈ અને અન્ય બેંકના એજન્ટ સુનિલભાઈ, તેના દ્વારા ખોટા બિલ તે સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો છે અને બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલી છે. એમાં છ આરોપીઓ છે,તેઓએ 1 કરોડ 35 લાખથી વધુ રકમની એસબીઆઈ સાથે ટર્મ લોન અને સીસી લોન મેળવવા માટે છેતરપિંડી કરી છે. જેમાં આજે ખોટા બિલ છે, તેનાથી તેની મશીનરી અને સ્ટોક ખરીદવાની જે મેટર છે, તે વિશ્વાસઘાત સાબિત થતા, તેના ઈન્સ્પેક્શન દરમિયાન જોતા તે મશીનરી અને સ્ટોક તે હોય નહિ, જેથી બેન્ક મેનેજર કલ્પેશભાઈ ઝાલા દ્વારા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવીDYSPએ કહ્યું કે, આ બનાવની તપાસ પીએસઆઇ ચુડાસમા ચલાવી રહ્યા છે, અને આ બનાવના 6 આરોપીઓને અટક કરવામાં આવી છે, અને તમામ ને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ જે બેંકનો ગુનો જે છે, ઇકોનોમિક ક્રાઇમ ટાઇપ છે, અને તેની ઊંડી તપાસ કરી અને બીજા કોઈ અન્ય આરોપીઓ આમાં હોવાની પૂરી શક્યતા છે, અને ખૂબ જ ઊંડી તપાસ કરી અને બીજા જો આરોપી હશે, તો તમામની પોલીસ દ્વારા અટક કરવામાં આવનાર છે.
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. ભરૂચ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આકાશ પટેલે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પક્ષપલટા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભાજપમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના કાર્યકર આકાશ પટેલે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી AAP છોડી દીધી છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ AAPના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં કોર્ટ ખાતે હાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભરૂચ જિલ્લામાં પક્ષપલટાનો દોર શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં આ પરિવર્તનો ચૂંટણી પરિણામો પર કેવો પ્રભાવ પાડશે તે જોવું રસપ્રદ રહેશે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને એન્જિનિયર દેશના પ્રધાનમંત્રી ગયા છે. જેણે સોશિયલ મીડિયા બેન કરનારા દિગ્ગજોને જેન-ઝી એટલે કે યુવાનોના પાવરથી પત્તાની જેમ પાડી દીધા! કેપી શર્મા ઓલીની ધરપકડના આદેશ આપી દીધા અને તેમના જેવા નવા અને યુવા નેતા ફરી નેપાળમાં પેદા ન થાય તેના માટે સ્ટુડન્ટ પોલિટિક્સ પર પણ બેન લગાવી દીધો છે. માત્ર આટલું જ નહીં નેપાળમાં બનેલી નવી સરકાર દુનિયાની સૌથી યુવાન સરકાર બની ગઈ છે. 15 મંત્રીઓમાંથી 14ની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને એવરેજ ઉંમર 38 વર્ષ છે. એટલા માટે આપણે એ જાણવું ફરજિયાત બની જાય કે આપણા પાડોશી દેશમાં શું ચાલી રહ્યું છે? નેપાળનું નવું અને ગરમ લોહી ભારત ચીન સાથે કેવા સંબંધો રાખશે? વિગતે વાત કરીએ. નમસ્કાર.... ઈઝરાયલ-ઈરાન યુદ્ધના 32માં દિવસે પણ જંગ ચાલુ છે! અમેરિકા અને ઈઝરાયલે પાવર ગ્રીડ સિસ્ટમ પર હુમલાઓ કરીને તહેરાનને અંધારામાં ધકેલી દીધું છે, જ્યારે ઈરાનના ઈસ્ફહાનમાં બંકર બસ્ટર બોમ્બે તબાહી મચાવી છે. સામે પક્ષે લેબનોન હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલને જાનહાનિ થઈ છે અને હિઝબુલ્લાહના ડ્રોન ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર ગાજી રહ્યા છે. હોર્મુઝથી નહીં નીકળે અમેરિકન કે ઈઝરાયલી જહાજો આ બધા વચ્ચે ઈરાને હવે દરિયામાં પણ મોરચો ખોલ્યો છે; દુબઈ બંદર પરના ઓઈલ ટેન્કર પર હુમલો અને પાર્લામેટમાં નક્કી થયા મુજબ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટેક્સ વસૂલવાનો પ્લાન છે. હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજોને ઈરાન નહીં નીકળવા દે તેવો પણ પ્લાન છે. બીજા બાજુ ટ્રમ્પે ઈરાનને તેલના કુવા રાખ કરી દેવાની ધમકી આપી છે, તો નેતન્યાહુ ઈરાન સરકાર ઉથલાવવાની અને યુદ્ધ અડધું પૂરું થઈ ગયું છે તેવી વાતો કરી રહ્યા છે. આ મહાયુદ્ધ વચ્ચે ઈરાનના સતત હુમલાઓના કારણે સાઉદી, કતાર અને જોર્ડન પણ જેદ્દાહમાં એકઠા થઈને ઈરાન સામે લાલ આંખ કરી રહ્યા છે. ઇઝરાયલના ખભે બંદૂક રાખી અમેરિકાએ ઇરાનને તબાહ કરી દીધું છે. હવે આ જ અમેરિકા આરબ દેશોને પણ બરબાદ કરવા જઈ રહ્યું છે. હા, જગત જમાદાર ટ્રમ્પ આ યુદ્ધનો સંપૂર્ણ ખર્ચ આરબ દેશો પાસેથી વસૂલવાનો કારસો ઘડી રહ્યા છે. યુદ્ધમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે? વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇચ્છા છે કે, યુદ્ધના ખર્ચમાં આરબ દેશો યોગદાન આપે. કારણ કે, 1990-91નાં યુદ્ધમાં કુવૈત અને સાઉદી અરેબિયાએ જ અમેરિકાનાં યુદ્ધનો ખર્ચ ઉઠાવ્યો હતો. 32 દિવસનાં યુદ્ધમાં અમેરિકાના 35 અબજ ડોલર ખર્ચાઇ ગયા છે.એક્સપર્ટનું માનીએ તો આ યુદ્ધનો કુલ ખર્ચ 200 અબજ ડોલર થઈ શકે છે. યુદ્ધમાં દર સેકન્ડે 9 લાખ રૂપિયા સ્વાહા રોયટર્સના રિપોર્ટ મુજબ યુદ્ધમાં અમેરિકાના પ્રતિ સેકન્ડ 10,300 ડોલર એટલે કે, 9.08 લાખ રૂપિયા વેડફાઈ રહ્યા છે. જે ટેક્સપેયર્સ પર સીધો 2.63 લાખ કરોડનો બોજ છે. યુદ્ધનો ખર્ચ ક્યાં અને કેટલો? હવે એ સમજીએ કે, રોજનો આટલો ખર્ચ ક્યાં થાય છે? હથિયારો અને મિસાઇલો પાછળ 320, એરફોર્સ ઓપરેશનમાં 245, નેવી ઓપરેશનમાં 155, મિસાઇલ ડિફેન્સ સીસ્ટમમાં 95, સાયબર ઓપરેશનમાં 45 અને લોજિસ્ટિક્સ પાછળ 30 મિલિયન ડોલર ખર્ચાઇ રહ્યા છે. યુદ્ધનો ખર્ચ આરબ દેશોને ઉઠાવવો પડશે? જો અમેરિકા આવું કરે તો આરબ દેશોની હાલત પડ્યા પર પાટાં સમાન થશે. રણ કે, ઇરાનના હુમલાઓથી સાઉદી, UAE અને બહેરીનની રિફાઇરીઓ ઠપ છે. ડેટા સેન્ટર્સને પણ નિશાન બનાવ્યાં છે. પર્યટન અને એવિયેશન સેક્ટરમાં 40 અબજ ડોલરનું નુકસાન થયું છે. એમાં જો વધારાના 200 અબજ ડોલરનું બિલ થોપવામાં આવશે તો આરબ દેશોની સ્થિતિ વિકટ બની શકે છે. લાખો નેપાળીઓ મિડલ ઈસ્ટમાં ફસાયાં જેમ ભારતના લાખો લોકો મિડલ ઈસ્ટમાં કામ કરે છે કે રહે છે તે રીતે નેપાળમાં પણ એવું જ કંઈક છે. અંદાજે 19થી 25 લાખ નેપાળીઓ મીડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયા છે. અબુ ધાબી એરપોર્ટ પર 29 વર્ષના નેપાળી વ્યક્તિનું મોત થયું છે અને 15 જેટલા નેપાળી ઘાયલ થયા છે. સરકાર પર 5 હજાર લોકોને સહી સલામત નેપાળ લાવવાની જવાબદારી છે. મિડલ ઈસ્ટમાં બોમ્બ ને નેપાળમાં ધડાકો બોમ્બ અને મિસાઈલ ભલે ઈઝરાયલ-ઈરાન સહિત મિડલ ઈસ્ટમાં ફૂટી રહ્યા છે પણ તેનો ધમાકો નેપાળમાં બીજી રીતે જોવા મળ્યો. 27 માર્ચ 2026નો એટલે કે ઠીક ચાર દિવસ પહેલા નેપાળની રાજધાની કાઠમાંડુના શીતલ નિવાસમાં બાલેન્દ્ર શાહ ઊર્ફે બાલેને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપતા લખ્યું કે, હું ભારત-નેપાળની મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. સોશિયલ મીડિયા પર બેન અને યુવાનો ભડક્યાં પણ નેપાળમાં આટલો મોટો ઝટકો રાતોરાત નથી આવ્યો. તેની પાછળ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નેપાળમાં આવેલી જેનઝી એટલે કે જનરેશન ઝેડ યુવા ક્રાંતિ જવાબદાર છે. થયું કંઈક એવું હતું કે નેપાળના પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ યુટ્યૂબ અને ટિકટોક જેવી 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂક્યો, અને યુવાનોના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. નેતાના સંતાનોને મોજ ને નેપાળી યુવા બેરોજગાર ડિસ્કોર્ડ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી યુવાનોએ જૂના નેતાઓ અને તેમના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફને પડકારી. નેપાળના યુવાનો બેરોજગાર બની રહ્યા હતા અને નેતાઓના ભ્રષ્ટાચારના જોરે તેમના દીકરા-દીકરીઓ વિદેશમાં ફરી રહ્યા હતા કે મોજમજા કરી રહ્યા હતા. નેપાળના યુવાનોથી આ સહન ન થયું. નેપાળમાં દુનિયાની સૌથી યુવાન સરકાર! વિરોધ ચાલુ થયો અને બાલેન શાહે કાઠમાંડુ મેયર પદેથી રાજીનામુ આપીને નેશનલ પોલિટિક્સમાં કૂદકો માર્યો. આ મહિને નવી નેશનલ ચૂંટણીઓ થઈ અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એટલે કે RSPએ 275 બેઠકોમાંથી 182 બેઠકો જીતી લીધી. નેપાળની ચૂંટણીએ દુનિયાનું ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે નેપાળની સરકાર માટે મંત્રીઓના નામની જાહેરાતો થઈ. વિશ્વભરના રાજકીય વિશ્લેષકો ચોંક્યા કારણ કે આ લગભગ દુનિયાની સૌથી યુવાન સરકાર છે. બધુ સમજીએ તે પહેલા બાલેન શાહને જાણી લઈએ બાલેન શાહ એક પરિચય બાલેનઃ મધેશી સમુદાયના પહેલા વડાપ્રધાન જે સમાજમાંથી બાલેન આવે છે તેની વાત કરીએ તો મધેશી સમુદાય નેપાળના દક્ષિણમાં આવેલા તેરાઈ વિસ્તારનો છે. બાલેનનો સમુદાય વર્ષોથી મુખ્ય પ્રવાહથી વંચિત રહ્યો છે પણ બાલેને આ સીમાઓને તોડી નાખી છે. પણ એક સવાલ થાય કે લોકોએ બાલેનને કેમ પસંદ કર્યા? તો તેમણે મેયર પદે કરેલા કામોનો ટ્રેક રેકોર્ડ જોવો પડે બાલેનની કામગીરીને 7 મુદ્દાથી સમજો ભારતમાં ભણતર અને ટેક્નોલોજીનો સંગમ યુવા છે અને ભારતની દિગ્ગજ ઈજનેર સંસ્થામાંથી ભણ્યા છે તો સીધી વાત છે ટેક્નોલોજી સાથે પ્રેમ હોય જ. જેને તેણે પોતાની રાજનીતિમાં ઉતારી. લોકો સાથે વન ટુ વન બેઠકો અને સોશિયલ મીડિયા ગ્રુપ્સથી પોતાની પોલિટિકલ ઈમેજ બનાવી. બાલેને પોતાની રાજનીતિને એક પ્રોજેક્ટ તરીકે લોકો સામે મૂકી જે લોકોને ગમી. લોકોએ વિચારધારા કરતા રસ્તા પર થતા વિઝિબલ વિકાસ પર ભરોસો કર્યો અને બાલેનની રાજકીય ગાડીએ રોકેટ સ્પીડ પકડી. હવે આપણે એ મુદ્દાની વાત કરીએ જેણે ભારત કે ચીનમાં જ નહીં પણ દુનિયામાં ચર્ચા જગાવી છે. કારણ કે નેપાળની સરકારે દુનિયા સામે કંઈક એવું કરી બતાવ્યું છે જે અત્યાર સુધી લગભગ થયું નહીં હોય. સામાન્ય રીતે નેતાઓની ઉંમર ખૂબ મોટી હોય છે પણ નેપાળમાં એવું નથી. નેપાળના મહિલા મંત્રી માત્ર 29 વર્ષનાં બાલેન શાહની કેબિનેટમાં 15 મંત્રીઓ છે, જેની સરેરાશ ઉંમર 38.21 વર્ષ છે. 10 એટલે કે 66 ટકા મંત્રીની 40 વર્ષથી ઓછી છે. માત્ર 1 જ મંત્રીની ઉંમર 50 વર્ષથી મોટી છે. મહિલા મંત્રીઓ 5 એટલે કે 33 ટકા છે. નેપાળના ઈતિહાસમાં મહિલાઓને લગભગ આટલું માન ક્યારેય નહીં મળ્યું હોય. દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર કેટલી? તેની સામે દુનિયાની વાત કરીએ તો 1970માં દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર 55 હતી જે હવે 62 વર્ષ છે. લોકતાંત્રિક દેશોમાં 59 છે જ્યારે સરમુખત્યારશાહી દેશોમાં 68 વર્ષ છે. ટૂંકમાં નેપાળની સરેરાશ 38 વર્ષની સરકાર દુનિયા માટે એક કેસ સ્ટડી બની ગઈ છે. હવે નેપાળી મંત્રાલયના અમુક નેતાઓની પણ વાત કરીએ જેણે તો 30 પણ પાર નથી કર્યા. સસ્મિતા પોખરેલઃ 29 વર્ષના શિક્ષણ મંત્રી શિક્ષણ, વિજ્ઞાન અને રમતગમતના મંત્રી સસ્મિત પોખરેલની ઉંમર 29 વર્ષ જ છે. તે કેબિનેટના સૌથી યુવાન મંત્રી છે અને સરકારના પ્રવક્તા પણ છે. અમેરિકામાં અભ્યાસ કર્યો, પોખરેલમાં મેયર અને બાલેન શાહના સલાહકાર પણ રહી ચૂક્યા છે. 30-30 વર્ષના નેપાળી મહિલા મંત્રીઓ કાયદો, ન્યાય વિભાગના મંત્રી સોવિતા ગૌતમ માત્ર 30 વર્ષના જ છે. પત્રકાર અને વકીલ તરીકે ઈમેજ બનાવી 2023માં યંગ વર્લ્ડ પોલિટિશિયન ઓફ ધ યરનો ખિતાબ જીત્યો. મહિલા અને બાળક વિભાગના મંત્રી સીતા બાદીની ઉંમર 30 છે. હાંસિયામાં ધકેલાયેલી બાદી સમુદાયના પહેલા મંત્રી છે. સૌથી વધુ ઉંમર એટલે કે 51 વર્ષ નાણામંત્રી સ્વર્ણિમ વાગ્લેની છે. તેઓ વર્લ્ડ ફેમસ ઈકોનોમિસ્ટ અને UNDP ના પૂર્વ સલાહકાર પણ રહી ચૂક્યા છે. યુવા નેતાઓની વાત અધિકારીઓ સાંભળશે ખરાં? આવી પરિસ્થિતિમાં એક સવાલ થાય કે મંત્રીઓ હજુ સાવ યુવાન છે અને રાજકીય લેવલે કામ કરવાના અનુભવ વગરના છે તો શું તેઓ અનુભવી બ્યૂરોક્રેટ્સ એટલે કે બાબુઓ પાસે કામ કરાવી શકશે? જ્યારે 30 વર્ષના મંત્રી 50-60 વર્ષના અનુભવી સચિવો પાસે કામ કરાવે તો બની શકે કે મતભેદો થઈ શકે જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ બાલેન સરકાર આ મામલે કામ કરી રહી છે. હાલ તો બાલેન સરકારે વહીવટી તંત્રને રાજનીતિથી ફ્રી કરવાનું કામ શરૂ કરી દીધું છે. શિક્ષણ અને રમતગમત જેવા મંત્રાલયના વિભાગોમાંથી કામ વગરના બાબુઓને બીજે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓને પણ પોતાના વિષય મુજબ મંત્રાલયો અપાયા છે જેથી બાબુઓ તેમને ગોટે ન ચઢાવી શકે. ઉપરથી બધા મંત્રીઓને એક ઈન્ડિપેન્ડેન્ટ ટીમ અપાઈ છે જે સરકારી કામકાજ અને ડેટા પર ધ્યાન રાખી શકે. સોશિયલ મીડિયાના જોરે સરકાર પાડી અને બનાવી હવે આપણે સમજીએ કે બાલેન શાહે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ચૂંટણી કેવી રીતે જીતી? તો પહેલા તો તેમણે મીડિયા કે ન્યૂઝ પેપરને બદલે પોડકાસ્ટ અને નાના વીડિયો બનાવીને યુથ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કર્યું. ડિસ્કોર્ડ અને સ્નેપચેડ જેવી એપથી વર્ચ્યુઅલ વોર રૂમ બનાવ્યો. જાણીને નવાઈ લાગશે પણ અહીંથી જ નક્કી થયું કે કયો ઉમેદવાર કઈ બેઠક લડશે. આ સિવાય ઈમોશનલ કનેક્શન માટે નેતાઓના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ અને સામાન્ય બેરોજગાર નેપાળીનું કમ્પેરિઝન આપ્યું જેણે યુવાનોમાં ગુસ્સાનો જ્વાળામુખી તરીકે કામ કર્યું. લોકોએ નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓના દાયકા જૂના રાજને પાયામાંથી હલાવી નાખ્યું. અહીં એક વાત એ પણ જોવી જોઈએ કે બાલેન શાહની પાર્ટીએ એઆઈનો ઉપયોગ કરીને લોકોને પોતાની ભાષામાં વ્યક્તિગત મેસેજ મોકલ્યા હતા. અને આ બધુ થયું જેન-ઝી આંદોલન પછી. માટે આપણે આ આંદોલન વિશે પણ જાણવું પડે અને સમજવું પડે કે દુનિયાના કેટલા દેશોમાં યુવાનોના જેનઝી આંદોલનો થયા છે અને તેમણે સરકારોના સિંહાસન હલાવ્યા છે. જેનઝી આંદોલન અને તેની અસરો બાલેન શાહ નેપાળના પ્રધાનમંત્રી બની ભલે ગયા પણ તેમના ઘરઆંગણે ઘણા એવા કામો છે જે તેમને કરવા જ પડશે. આપણે નેપાળના 10 મોટા પડકારોની વાત કરીએ તો નેપાળ હવે ભારત-ચીન વચ્ચે બેલેન્સ રાખશે? આમાં સૌથી મોટો અને મહત્વના મુદ્દામાંનો એક છે ભારત અને ચીન વચ્ચે સંતુલન બનાવવું. હાલ નેપાળ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ છે. એટલે કે એક નાનો વિસ્તાર છે. જેમાંથી તેમને વિકસિત બનવું પડશે અને વિશ્વમાં અલગ છાપ છોડવી પડશે. બીજું કે ભારત કે ચીનમાંથી કોઈ એકની પડખે રહેવાની આઈડિયોલોજીની જગ્યાએ પોતાની જરૂર મુજબ બંને દેશ સાથે વ્યવહારવાદના પ્રેક્ટિકલ સંબંધો બનાવવા પડશે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે નેપાળના યુવા નેતાઓ પાસે વિદેશ નીતિનો અનુભવ નથી માટે તે એકડો જ ઘૂંટશે. માટે આ ભારત માટે સારી તક છે કે પાડોશી દેશ સાથે સારા સંબંધો બનાવી રાખે. PM બન્યા અને 24 કલાકમાં પૂર્વ PMને જેલભેગા કર્યા હવે આપણે નેપાળની એવી બે ઘટનાઓની વાત કરીએ જે આજકાલની રાજનીતિમાં બધે જોવા મળી રહી છે. જી હાં નેપાળના વિપક્ષનું માનીએ તો આ છે નફરતની પોલિટિક્સ. કારણ કે આ જ બાલેન શાહે પ્રધાનમંત્રી બનતાની સાથે 24 કલાકમાં જ પોતાના વિરોધમાં અને નેપાળના પ્રધાનમંત્રી રહી ચૂકેલા કેપી શર્મા ઓલીની ધરપકડ કરાવી લીધી છે. તેમના પર આરોપ છે કે જેનઝી પ્રોટેસ્ટમાં તેમણે જવાબદારીમાં લાપરવાહી રાખી હતી, જેના કારણે 77 લોકોના મોત થઈ ગયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઓલીની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પણ ઝપેટામાં લીધા છે. કહેવાય છે કે 10 વર્ષની જેલ તો પાક્કી જ છે. સ્કૂલ-યુનિવર્સિટીમાં નો સ્ટુડન્ટ પોલિટિક્સઃ નેપાળી PM માત્ર આટલું જ નહીં બીજો સૌથી મહત્વનો નિર્ણય લીધો તે છે કે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પાર્ટી બેઝ્ડ સ્ટુડન્ટ પોલિટિક્સ નહીં ચાલે. એટલે કે આપણે જેમ ભાજપની ABVP કે કોંગ્રેસની NSUI જેવી રાજકીય વિદ્યાર્થી પાંખો છે તેવી સ્ટુડન્ટ પોલિટિકલ વિંગ નેપાળમાં કામ કરી શકશે નહીં. 60 દિવસમાં બધી વિંગ્સે કેમ્પસ ખાલી કરવું પડશે, જેની જગ્યાએ બાલેન સરકાર 90 દિવસમાં સ્ટુડન્ટ કાઉન્સિલ જેવા નોન પોલિટિકલ પ્લેટફોર્મ શરૂ કરશે. નેપાળ પ્રગતિના પંથે કે લોકશાહીનો ડાઘ બીજી બાજુ આ જ મામલે બાલેન સરકારનો નવો વિચાર એ છે કે શિક્ષકો, પ્રોફેસર્સ કે સરકારી અધિકારીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કે યુનિયન્સ વગેરેમાં જોડાઈ નહીં શકે. જો કે આ બધા પર મિક્સ્ડ ઓપિનિયન છે કારણ કે ઘણા આને એન્ટી ડેમોક્રેટિક નિર્ણય કહે છે અને ઘણાનું કહેવું છે કે આનાથી દેશમાં સારી અસર પડશે. અને છેલ્લે... બાલેન શાહ ભારત માટે એક ઉદાહરણ છે કે એન્જિનિયર, ડોક્ટર, પત્રકાર કે રૈપર પણ રાજકારણમાં સફળ થઈ શકે છે અને દેશના પ્રધાનમંત્રી બની શકે છે. બીજું કે ભારતના નેતાઓ માટે નેપાળની ઘટના એક રેડ સિગ્નલ પણ છે કે યુવાનોને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે તે સરકારો પણ પલટી શકવાની ક્ષમતા રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ છે, પરંતુ આજે વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા. વરાછા જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ, રસ્તા પર પાણીની રેલમછેલવરાછા વિસ્તારમાં અચાનક રોડની વચ્ચેથી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આખા રસ્તા પર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પાકા ડામરના રોડને તોડીને પાણી બહાર આવી રહ્યું છે. મેટ્રોની કામગીરીના કારણે નુકસાન થયું હોઈ શકે છેઆ ઘટના જે સ્થળે બની છે, તેની બિલકુલ નજીકમાં જ સુરત મેટ્રો રેલનું કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મેટ્રોની કામગીરી જે ચાલી રહી છે તેના કારણે અનેક વખત નુકસાન થયું છે અને આ પણ તેના કારણે જ નુકસાન થયું હોઈ શકે છે. ભૂતકાળમાં પણ મેટ્રોની કામગીરી વખતે લાઈન તૂટવાની ઘટનાઓ બની છે, તો તેમાંથી બોધપાઠ કેમ લેવામાં આવ્યો નથી? પાણીનો આટલો મોટો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં લાઈન બંધ કરવામાં કેમ વિલંબ થયો? પાણી ભરાઈ જવાને લોકો પરેશાનવરાછા વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ટુ-વ્હીલર અને રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
યાત્રાધામ બહુચરાજીમાં આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ બેચરાજી પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રસ્તા પર ઢોર લઈ નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદઆ ઘટનાની વિગત એવી છે કે આજે સવારે દસ વાગ્યાના સુમારે બહુચરાજી શક્તિ સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. આ દરમિયાન બે શખ્સો પોતાના ઢોર સાથે જાહેર માર્ગ પરથી પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સો બેચર પરા વિસ્તારના રહેવાસી 58 વર્ષીય ચેલાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ અને 44 વર્ષીય દિનાભાઈ મોહનભાઈ ભરવાડ છે. જાહેરનામાની જાણ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર ઢોર લાવવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ધી ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ઢોરને તેમના સંબંધીઓને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે જાણ કરી હતી, તો તેને કહ્યું, જે બાકી હોય એને ફરીથી નવું ભોજન બનાવીને આપ્યું હતું. ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા ભારત સરકારના લેબર મંત્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) તથા રિજનલ ડાયરેક્ટર, ESIC ભવન (ઇન્કમટેક્સ)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓ ચોંક્યામળતી માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં 320 જેટલા બેડ ધરાવતી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળી હતી. જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં રોજબરોજ સરેરાશ 180થી 200 જેટલા દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ રહે છે. દરરોજની જેમ દર્દીઓને જમવાનું (પાલકની ભાજી, ખીચડી અને રોટી) પીરસવામાં આવ્યું હતું. પરંતુ પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો. દર્દીઓએ હોબાળો મચાવ્યો અને જમવાનું પરત આપી દીધુંઆ ઘટનામાં બાબુભાઈ પરમાર (ગોમતીપુર), વિજયાબેન મહેન્દ્રભાઈ દવે (નિકોલ), અશોકભાઈ એચ. જાદવ (મેમકો) નામના દર્દીઓના જમણામાં જીવાત જોવા મળી હતી. જેના પગલે તમામ દર્દીઓએ હોબાળો મચાવ્યો અને ગભરાઈને જમવાનું લીધા વગર પરત આપી દીધું હતું. આ અંગે ગોમતીપુરના દર્દીઓ દ્વારા ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હોસ્પિટલના CMO અને નાઈટ સુપરિન્ટેન્ડન્ટને મૌખિક ફરિયાદ કરી હતી. પૂર્વ કોર્પોરેટરે લેખિતમાં ફરિયાદ કરીપૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, તમામ દર્દીઓને તાત્કાલિક સ્વચ્છ અને તાજું જમવાનું ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી કડક રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને હોસ્પિટલના કિચનમાં ફરીથી સફાઈ કરીને દર્દીઓને નવું જમવાનું તૈયાર કરીને પીરસવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈને સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા ભારત સરકારના લેબર મંત્રી શ્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) તથા રિજનલ ડાયરેક્ટર, ESIC ભવન (ઇન્કમટેક્સ)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. અધિકારીના સગા હોવાના કારણે શું કાર્યવાહી થતી નથી?પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં વપરાતી તમામ ખાદ્ય સામગ્રી (શાકભાજી, દૂધ વગેરે) કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવે છે. કિચન અને સ્ટુઅર્ડની સંપૂર્ણ જવાબદારી કૈલાશ મીણા પાસે છે. છતાં, તેઓ એક સિનિયર અધિકારીના સગા હોવાના કારણે તેમના સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી તેવી માહિતી સામે આવી રહી છે. દર્દીઓના આરોગ્ય સાથે બેદરકારી!તેઓએ હોસ્પિટલ મામલે કેટલીક માંગણીઓ કરી છે જેમાં મુખ્ય માંગણીઓમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. હોસ્પિટલના કિચન વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમિત ચકાસણી કરવામાં આવે. દાખલ ગરીબ દર્દીઓને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને પોષણયુક્ત ભોજન મળવાની ખાતરી કરવામાં આવે. આ ઘટના હોસ્પિટલ વ્યવસ્થાપન માટે ચેતવણી સમાન છે. દર્દીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ પણ વાંચો CG રોડ પરની BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી 6 દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટની પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે (19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ. અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચે 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO 12 માર્ચ 2026: અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ. અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જેના સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના, IAS મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શિક્ષકો ને માર્ગદર્શન આપ્યું અને તેમને કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લીધેલ શિક્ષકોએ વર્કશોપમાં એમને ખૂબ જ નવું જાણવા અને શીખવા મળ્યું તથા તે તેમને ખૂબ ઉપયોગ બની રહેશે તેના વિષે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો,આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, IITE ગાંધીનગર, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારેલ હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષકો ને શિક્ષણ પ્રણાલી માં કેવી રીતે મદદરૂપ થઈ શકે, AI બેસ્ડ ઇફેક્ટિવ ક્લાસરૂમ પ્રોજેક્ટ, હેન્ડસ-ઓન રૉબોટિક્સ સેશન, પાયથોન પ્રોગ્રામિંગ, સ્માર્ટ બોર્ડ દ્વારા વર્ગખંડમાં AI નો ઉપયોગ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપ્યું હતું, સાથે સાથે આરએસસી ગેલેરી વિઝિટ, નેચર વોક, સ્કાય ગેઝીંગ તથા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી જેમાં શિક્ષકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોએ ભાગ લીધો હતા, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે, આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકો ની પસંદગી કરવામાં આવી છે. આરએસસી ભાવનગર દ્વારા અગાઉ એક વર્કશોપ શાળાના શિક્ષકો માટે તથા બે વર્કશોપ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.
જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય સંજય કોરડીયા સહિત અન્ય ધારાસભ્યો અને સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળેલી મેરેથોન બેઠક બાદ આ સમગ્ર પ્રકરણમાં સુખદ સમાધાન જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક બાદ વાલી મંડળના પ્રતિનિધિ જીતુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જે વિવાદ અને પ્રશ્નો ચાલી રહ્યા હતા, તેનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. વાલી મંડળ અને સમાજના તમામ આગેવાનોએ સાથે મળીને આ પ્રશ્નોનું ઊંડું ચિંતન અને ગંભીર ચર્ચા કરી છે. સમાજના વડીલો અને આગેવાનોએ જે કાંઈ પણ નિર્ણયો લીધા છે, તે વાલી મંડળને સંપૂર્ણપણે શિરોમાન્ય છે. વડીલોનું માન જાળવીને અને સામાજિક એકતાના હિતમાં તેઓ આ વિવાદને અહીં જ પૂર્ણ જાહેર કરે છે. તેમણે આ સમાધાનને સત્યના માર્ગે થયેલો સુખદ અંત ગણાવ્યો હતો. પોલીસ કાર્યવાહી અને અગાઉ કરવામાં આવેલી અરજીઓ અંગે જ્યારે જીતુભાઈ જસાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આપેલી કોઈ પણ અરજી કે ફરિયાદ વિશે હાલ તેમને કોઈ ચોક્કસ જાણકારી નથી, પરંતુ સમાજના મધ્યસ્થી અને વડીલોના નિર્ણય બાદ હવે આ પ્રકરણ આગળ વધારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમણે તમામ આગેવાનોની સૂચના અને સમજાવટને માન આપીને આ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી અને અંતમાં જય ઉમિયાજી ના નારા સાથે સામાજિક સંગઠનનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ, બેઠક બાદ સમાજના અગ્રણીઓએ પણ આ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો હતો. કમલેશ ધારાસભ્ય સંજય કોરડીયા એ જણાવ્યું હતું કે પટેલ કેળવણી મંડળ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી,પરંતુ તે દીકરીઓના ભવિષ્ય માટે સમગ્ર સમાજ દ્વારા ઊભું કરવામાં આવેલું એક મંદિર છે. આ સંસ્થા સમાજની છે અને તેનું હિત જળવાઈ રહે તે જ સૌની પ્રાથમિકતા હોવી જોઈએ. બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું કે વહીવટ દરમિયાન ક્યારેક ભૂલો થતી હોય છે, પરંતુ આવી ભૂલોને કારણે કોઈની સાથે ગેરવર્તન કે માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. લાંબી ચર્ચાઓના અંતે એવું નક્કી થયું કે હવેથી સંસ્થાની આગળની વ્યવસ્થા જૂનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો સંભાળશે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુના રાજીનામા અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સંજયભાઇએ જણાવ્યું કે રાજીનામું આપવું કે ન આપવું તે કોઈ વિષય નથી. કોઈપણ સંસ્થા કોઈ એક વ્યક્તિના આવવાથી કે જવાથી ચાલતી હોતી નથી, પરંતુ તે સમાજ અને જ્ઞાતિના લોકોના અવિરત સહયોગ અને સમર્પણથી ચાલે છે. તમામ લોકોએ સાથે મળીને કાર્ય કરવાનું રહેશે જેથી દીકરીઓનું શિક્ષણ અને સંસ્થાની ગરિમા જળવાઈ રહે. આમ છેલ્લા ચાર દિવસથી ટ્રસ્ટીઓના રાજીનામાની જીદ સાથે આંદોલન કરી રહેલા વાલીઓ હવે શાંત પડ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયા અને સમાજના મોભીઓની હાજરીમાં થયેલા આ સમાધાને સાબિત કર્યું છે કે સામાજિક પ્રશ્નોને ચર્ચા અને સમજાવટથી ઉકેલી શકાય છે. હવે આગામી દિવસોમાં સંસ્થાના વહીવટમાં નવા ફેરફારો જોવા મળી શકે છે, કારણ કે સંસ્થાનું સંચાલન અને દેખરેખ હવે જિલ્લાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. વાલીઓએ આંદોલન સમેટી લેતા સંસ્થામાં ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ અને શાંતિ સ્થપાયા છે
પંડિત હોલ્ડિંગ્સ સંસ્થાએ ટ્રેડમાર્ક અધિકારોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ, સિટી સિવિલ કોર્ટે એક વ્યક્તિને જ્યોતિષ સેવાઓ માટે બેજાન દારૂવાલા ટ્રેડનામનો ઉપયોગ કરવા પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. પંડિત હોલ્ડિંગ્સ આ ટ્રેડમાર્ક અને ટ્રેડનામની માલિકી ધરાવતો હોવાનો દાવો કરે છે. દારૂવાલા ટ્રેડમાર્કની નોંધણીની અરજી કરતા કાનૂની જંગ શરૂજે વ્યક્તિને આ ટ્રેડમાર્ક અને ટ્રેડનામનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા છે, તે વિશાલ લાડસરિયા છે. વિશાલ લાડસરિયા એ ચિરાગ લાડસરિયાના ભાઈ છે, જેમને દારૂવાલા પરિવારે દત્તક લીધા હતા અને તેઓ ચિરાગ નસ્તુર બેજાન દારૂવાલા તરીકે ઓળખાય છે. લાડસરિયાએ જ્યારે ચિરાગ બેજાન દારૂવાલા ટ્રેડમાર્કની નોંધણી માટે અરજી કરી ત્યારે આ કાનૂની જંગ શરૂ થયો હતો. બીજાના નામે પોતાનો વેપાર ચલાવવોનો આરોપ લગાવતી અરજીપંડિત હોલ્ડિંગ્સે ટ્રેડમાર્ક ઉલ્લંઘન અને પાસિંગ ઓફ એટલે કે બીજાના નામે પોતાનો વેપાર ચલાવવોનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી. કંપનીએ રજૂઆત કરી હતી કે તેઓ જ્યોતિષ સેવાઓ, રત્નો, યંત્રો, રુદ્રાક્ષ, પૂજા સેવાઓ અને પ્રકાશનો માટે નોંધાયેલા ટ્રેડમાર્ક બેજાન દારૂવાલા અને નસ્તુર દારૂવાલાના માલિક છે. આ ટ્રેડમાર્કસના અધિકારો વર્ષ 2003 અને 2006માં સ્વર્ગસ્થ જ્યોતિષી બેજાન દારૂવાલા સાથે થયેલા કરારો દ્વારા પ્રાપ્ત થયા હતા, જે બાદમાં 8 ડિસેમ્બર, 2020ના રોજ એક ડીડ દ્વારા પંડિત હોલ્ડિંગ્સને સોંપવામાં આવ્યા હતા. વેબસાઇટ્સ, મોબાઈલ પ્લેટફોર્મ અને પ્રિન્ટ મીડિયા દ્વારા લાંબા સમયથી થતા ઉપયોગને કારણે આ નામે બજારમાં મોટી શાખ ઊભી કરી છે. ચિરાગ નસ્તુર બેજાન દારૂવાલા તરીકે ઓળખાયવિશાલ લાડસરિયાએ આ અરજીનો વિરોધ કરતા આરોપ લગાવ્યો હતો કે હકીકતો છુપાવવામાં આવી છે અને પંડિત હોલ્ડિંગ્સ પાસે વાસ્તવિક માલિકી નથી. તેમણે દલીલ કરી હતી કે તેમના ભાઈને દારૂવાલા પરિવારે દત્તક લીધા છે અને હવે તે ચિરાગ નસ્તુર બેજાન દારૂવાલા તરીકે ઓળખાય છે. વિવાદિત ટ્રેડમાર્ક માટેની અરજી તેમના ભાઈ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના સંદર્ભમાં કરવામાં આવી હતી. બેજાન દારૂવાલા ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાનો અધિકાર નથીઆ સુનાવણી બાદ કોર્ટે અવલોકન કર્યું હતું કે, પંડિત હોલ્ડિંગ્સ પ્રથમ દૃષ્ટિએ પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યું છે. જો ચિરાગને દારૂવાલા પરિવારે દત્તક લીધો હોય, તો પણ તે પ્રતિવાદીને સમાન શ્રેણીની સેવાઓના વ્યવસાય માટે નોંધાયેલા ટ્રેડમાર્ક બેજાન દારૂવાલાનો ઉપયોગ કરવાનો આપોઆપ અધિકાર આપતું નથી. ચિરાગ બેજાન દારૂવાલા ટ્રેડનામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધઅદાલતે વચગાળાનો મનાઈહુકમ આપતા આદેશ કર્યો કે વર્તમાન નોટિસ ઓફ મોશન મંજૂર કરવામાં આવે છે અને પ્રતિવાદી વિરુદ્ધ વચગાળાની મનાઈહુકમ જાહેર કરવામાં આવે છે. પ્રતિવાદીને આ કેસનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી ‘ચિરાગ બેજાન દારૂવાલા’ ટ્રેડનામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.કારણ કે તે ફરિયાદીના ટ્રેડમાર્ક સાથે છેતરામણી રીતે મળતું આવે છે.
રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણાક મહોત્સવ નિમિત્તે રાજકોટમાં સમસ્ત જૈન સમાજ અને ‘જૈનમ’ દ્વારા ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબના મુખેથી માંગલિક ફરમાવ્યા બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ પાવન નિશ્રા પૂરી પાડી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો—સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યને વિશ્વ શાંતિ માટે અનિવાર્ય ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'જીવો અને જીવવા દો' તેમજ 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ના સંદેશ સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવી એ જ સાચી ભક્તિ છે. ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુદ્ધ ચાંદીના રથમાં બિરાજમાન થયા હતા, જેને પ્રહલાદ પ્લોટ યુવક મંડળના સભ્યોએ ઉઘાડા પગે ખેંચી નગરચર્યા કરાવી હતી. માર્ગો પર 24 તીર્થંકરોની યાદ આપતા 24 આકર્ષક ફ્લોટ્સ, કળશધારી બહેનો અને બેન્ડની સુરાવલીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર રૂટ પર નવપદ પર આધારિત 9 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભાવિકો દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રાના અંતે વિરાણી પૌષધશાળા ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદભાવમાં રૂ. 20નો ધરખમ વધારો કરાયો નવા નાણાકીય વર્ષના પ્રારંભ પૂર્વે જ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળ દ્વારા દૂધના ખરીદભાવમાં એકસાથે રૂ. 20નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની ઉનાળાની કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદી વાતાવરણના કારણે પશુપાલકોને થતા આર્થિક નુકસાનમાં રાહત આપવાના ઉદ્દેશ્યથી આ ભાવવધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 810થી વધારીને રૂ. 830 કરવામાં આવ્યો છે. આવતીકાલ તા. 1/4/2026થી દૂધ સંઘ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ. 830 ચૂકવશે, જ્યારે મંડળીઓ દૂધ ઉત્પાદકોને રૂ. 825 ચૂકવશે. રાજકોટ દૂધ સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે. પશુપાલકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે લેવાયેલા આ પગલાથી ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે. રાજકોટ જિલ્લાનાં 17 ગામમાં રૂ. 38.97 લાખના પાણી પુરવઠાના કામોને કલેક્ટરની મંજૂરી, પીવાના પાણીની સુવિધામાં વધારો થશે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાના માળખાને વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના 11 તાલુકાના 17 ગામોમાં રીજુવેનેશન કાર્યક્રમ અંતર્ગત રૂ. 38.97 લાખના વિવિધ વિકાસલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે નવા બોરનું શારકામ, પમ્પિંગ મશીનરીની સ્થાપના, હયાત બોર અને સંપ પર જરૂરી મશીનરીના કામો હાથ ધરવામાં આવશે. આજે કલેક્ટરે ઉનાળાના આગામી સમયમાં ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે અત્યારથી આગોતરું આયોજન કરવા અને જૂના કામોની સમીક્ષા કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન વાસ્મો કચેરીની કામગીરી જેવી કે પાણી વેરા વસૂલાત, પંપ ઓપરેટર તાલીમ અને ગ્રામ્ય સ્તરે પાણીના ટેસ્ટિંગની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એક મહત્વના નિર્ણયમાં, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જૂની અને જોખમી પાણીની ટાંકીઓને તોડી પાડવા માટે એન્જિનિયરોની એક વિશેષ કમિટી રચવા આદેશ અપાયો છે. આ કમિટીમાં જિલ્લા પંચાયત, સિંચાઈ, આર.એન્ડ બી. અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ ટાંકી તોડવા માટેની બેઝિક અપસેટ પ્રાઈઝ નક્કી કરશે. આ બાદ નિયમોનુસાર જર્જરિત ટાંકીઓને દૂર કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા વધારીને રૂ. 30,000 કરાઈ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં રાજકોટ મહાપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદામાં રૂ. 5000નો વધારો કરી કુલ મર્યાદા રૂ. 30000 નક્કી કરવામાં આવી છે. આ ખર્ચમાં કર્મચારીઓના મહેનતાણા સહિતની તમામ આનુષંગિક બાબતોનો સમાવેશ થાય છે. મહાવીર જયંતીની રજા હોવા છતાં કલેક્ટર કચેરીમાં કામગીરી ચાલુ રહી હતી અને ચૂંટણીનું જાહેરનામું પણ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયાને સુલભ બનાવવા માટે આ વખતે દરેક મતદાન મથક દીઠ 1200 મતદારોની સંખ્યા નિયત કરવામાં આવી છે. અગાઉની પ્રાથમિક યાદી મુજબ, રાજકોટ કોર્પોરેશનમાં અંદાજે 1172, જિલ્લા પંચાયતમાં 1197 અને ગોંડલ નગરપાલિકામાં 107 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ બેઠકો માટેની આખરી મતદાર યાદી આવતીકાલે 1 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણી માટે જરૂરી ફોટોગ્રાફી, મંડપ અને CCTV જેવી સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક આડે શ્વાન આવતા બાઈક સ્લીપ થયું હતું અને બંને પિતરાઈ ભાઈઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા જેથી 108 મારફત રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નમનને ગંભીર ઈજા નહોતી એટલે સારવાર બાદ રજા અપાઈ હતી જ્યારે સાવનને માથામાં ઈજા હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું જે પછી તેની તબિયત બગડતી ગઈ હતી અને આજે તેમનું મોત નીપજ્યું હતું. સાવન 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. લગ્ન પ્રસંગ વખતે જ આવો બનાવ બનતા પરિવારમાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. જલારામ હોટલમાં કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આપઘાતપવનકુમાર રામયશભાઈ યાદવ (ઉં.વ.25) ગઈકાલે સાંજે પોતે હોટેલ ખાતે આવેલ રૂમમાં હતો ત્યારે નાઈટ સીફ્ટમાં કામ કરવા માટે તેનો સાથી કર્મચારી તેને બોલાવવા જતા રૂમનો દરવાજો બંધ હતો જેથી દરવાજો તોડી જોતા પવનકુમાર પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો બનાવ અંગે 108 અને પોલીસને જાણ કરતા 108ના EMTએ આવી તપાસી સ્થળ પર તેને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પવનકુમાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જલારામ હોટેલમાં રહી કામ કરતો હતો તેમને સંતાનમાં એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લાવી રાજકોટમાં વેચાણ શરૂ કરે તે પહેલા ઝડપાઇ ગયો રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક ખાનગી બસમાંથી ઉતરેલા એક શખસને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સુરેશ પ્રહલાદભાઈ અમરાણી (ઉ.વ.44) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલી ટ્રોલી બેગમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 52,800ની કિંમતના 192 દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂના અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 57,800 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ પોતે કટલેરીનો વેપાર કરતો હોવાથી ગોવા કટલેરી ખરીદવા માટે ગયો હતો અને ત્યાંથી પોતાની સાથે વેપાર કરવા માટે દારૂ પણ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો રવિનાબેન મોટવાણીએ આરોપી ભગવાનદાસ મૈયાણી અને તેની પત્ની સીમાને અગાઉ 1 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જેમાંથી 45 હજાર રૂપિયા પરત મળી ગયા હતા પરંતુ બાકીના 55 હજાર રૂપિયા લાંબા સમયથી લેવાના બાકી હતા. દરમિયાન ગઈકાલે રાત્રિના 8 વાગ્યા આસપાસ રવિનાબેન બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરવા માટે ગયા ત્યારે સામેવાળા પક્ષે ઉશ્કેરાઈ તેમની સાથે ગાળાગાળી કરી હતી. મામલો બિચકતા ભગવાનદાસ અને તેની પત્ની સીમાએ રવિનાબેન પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જાહેરમાં થયેલા આ અપમાન અને મારપીટની ઘટનાથી રવિનાબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને તેઓએ ઘરે પરત આવી ફિનાઈલ પી લીધું હતું જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રવિનાબેનના લગ્ન 8 વર્ષ પૂર્વે થયા હતા અને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મહિલાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉશ્કેરાટમાં યુવકનો પોતાના અને સાથે ઉભેલા શખસ પર પેટ્રોલ છાંટી જાત જલાવવા પ્રયાસ મોરબી રોડ પર ફિલ્ડમાર્શલની વાડી નજીક સંગીતા સોસાયટી-2માં રહેતા સુનિલ પ્રવીણભાઈ અને કોઠારીયા વિસ્તારમાં રહેતા જયદીપ દિનેશભાઈ વચ્ચે સાંજના 6 વાગ્યા આસપાસ ફર્નિચરના એક શોરૂમમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે સુનિલએ ઉશ્કેરાઈ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને સાથે જ સામે ઉભેલા જયદીપ પર પણ પેટ્રોલ ફેંકી આગ ચાંપી દેવાનો પ્રયાસ કર્યો હતો જેથી બંને યુવકો શરીરના ભાગે સામાન્ય દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે સુનિલ ગોંડલ હતો ત્યારે જયદીપે તેને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ બંનેની મુલાકાત દરમિયાન આ કાંડ સર્જાયો હતો. સદનસીબે બંનેની ઈજાઓ ગંભીર ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી તેઓને રજા આપી દેવામાં આવી હતી. પતિ ઘરેથી ઝઘડો કરી ક્યાંક ચાલ્યા જતા પત્નીએ ઝેરી દવા પીધી હંસાબેન રાજુભાઈ સોલંકી (ઉં.વ.45) આજે સવારે 11 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના લગ્ન 22 વર્ષ પહેલાં થયા હતા અને સંતાનમાં 3 બાળકો છે. તેમના પતિ ગેસ કુકર રીપેરીંગનું કામકાજ કરે છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર નાની મોટી બાબતે ઝઘડો થતો હતો. આ ઝઘડાથી કંટાળીને પતિ આશરે 15 દિવસ પહેલા ઘરેથી ઝઘડો કરીને કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને આજ દિવસ સુધી પરત ન આવતા હંસાબેને આ પગલું ભર્યું હતું. હાલ હંસાબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે તેનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક સિગ્નલો પર મંડપ બાંધવામાં આવ્યા છે, પરંતુ પીપલોદ જેવા વ્યસ્ત વિસ્તારમાં જે પ્રકારની મંડપ વ્યવસ્થા કરવામાં આવી તે જોઇને જનતામાં રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થાછેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગરમ પવનો (લૂ) ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ટુવ્હીલર ચાલકો માટે આ ગરમી અસહ્ય બની રહી છે. ટ્રાફિક સિગ્નલ પર જ્યારે 60થી 90 સેકન્ડનું લાલ સિગ્નલ હોય છે, ત્યારે રસ્તા પર ઉભા રહેવું એ જાણે ધોમધખતા તાપમાં ઉભા રહેવા સમાન ભાસે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું હતું. પીપલોદમાં SMCએ સિગ્નલ પર 12 ફૂટનો જ મંડપ બાંધ્યોસુરતના પોશ ગણતા અને અત્યંત વ્યસ્ત એવા પીપલોદ વિસ્તારમાં સિગ્નલ પાસે SMC દ્વારા મંડપ તો બાંધવામાં આવ્યો છે, પરંતુ તેની સાઈઝ અને ક્ષમતા જોઇને વાહનચાલકો મજાક ઉજાવી રહ્યા છે. આ મંડપ માત્ર 10થી 12 ફૂટનો હોવાનું જોવા મળ્યું છે. શહેરના હજારો વાહનો જે રસ્તા પરથી પસાર થયા છે, ત્યાં આટલો નાનો મંડપ ઊંટના મોઢામાં જીરૂં સમાન સાબિત થઈ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, આ મંડપ નીચે માત્ર 4થી 5 મોટરસાયકલ કે એક્ટિવા ઉભા રહી શકે છે, જ્યારે સિગ્નલ પર એકસાથે 50થી 100 વાહનો ઉભા રહેતા હોય, ત્યારે બાકીના ચાલકોએ તો કાળઝાળ તડકામાં જ શેકાવું પડે છે. કામગીરી બતાવવા નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો?વર્ષોથી સુરત મનપા ગરમીના સમયે ગ્રીન નેટ અથવા મંડપની વ્યવસ્થા કરે છે. ભૂતકાળમાં મોટા જંક્શનો પર લાંબી ગ્રીન નેટ બાંધવામાં આવતી હતી, જેનો લાભ અનેક વાહનચાલકોને મળતો હતો. પરંતુ આ વખતે પીપલોદ જેવા વિસ્તારમાં માત્ર ફોટા પડાવવા ખાતર કે કામગીરી બતાવવા ખાતર આટલો નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો વ્યવસ્થા કરવી જ હોય તો વ્યવસ્થિત રીતે કરવી જોઈએ, નહીંતર આ માત્ર સરકારી નાણાંનો વેડફાટ છે. 'આ મંડપ થોડો મોટો થઈ જાય તો અમને રાહત મળે'વાહનચાલક જાવેદભાઈએ જણાવ્યું હતું કે, હું પોર્ટર કરું છું. આખો દિવસ અમે લોકો રોડ પર જ હોઈએ છીએ. અહીંયા જેમ કે તમે જોઈ રહ્યા છો કે સિગ્નલ થઈ ગયું છે, અમે બધા લોકો તડકામાં ઊભા રહીએ છીએ. અહીં મંડપ પણ લગાવ્યો છે, પણ ઘણો નાનો છે, જો આ મંડપ થોડો મોટો થઈ જાય ને, તો અમને ખૂબ રાહત મળશે. આ બહુ સારી વસ્તુ છે અને સરકારે કર્યું હોય કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ કર્યું હોય, આ બહું જ સારું છે, આના તો જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. અમારા માટે આ બહુ જ આરામદાયક વસ્તુ છે. બસ થોડી આની સાઈઝ મોટી થઈ જાય તો ઘણું સારું રહેશે. 'આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો'પીપલોદ સિગ્નલ પર ઉભેલા એક વાહનચાલકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ઉનાળામાં થોડી રાહત મળે. પરંતુ આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. જે આગળ પહોંચી ગયા તેમને છાંયડો મળે છે, બાકીના બધા તડકામાં જ ઉભા રહે છે. પાછળથી લોકો હોર્ન મારે છે અને અંદર ઘૂસવા માટે લડે છે. અન્ય એક રિક્ષાચાલક શરીફજીએ જણાવ્યું હતું કે, આ મંડપ ખૂબ જ નાનો બાંધ્યો છે. થોડો મોટો બાંધ્યો હોત તો સારું હતું. પેલા બિચારા બાઈકવાળા ઉભા રહે છે એમને તડકો લાગે છે. થોડો મોટો કરે તો સારું રહેશે. 'આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી'સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના બણગા ફૂંકે છે, પરંતુ જ્યારે જમીની હકીકત પર નાગરિકોની સુવિધાની વાત આવે છે, ત્યારે આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી નાખે છે. પીપલોદનો આ મંડપ એ વાતનું પ્રતીક છે કે તંત્ર પાસે સંસાધનો તો છે, પણ યોગ્ય દ્રષ્ટિકોણનો અભાવ છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ SMC જાગે છે અને મંડપની લંબાઈ વધારે છે કે પછી સુરતની જનતાએ આ આખા ઉનાળામાં આ રીતે જ અધૂરી સુવિધા વચ્ચે શેકાવું પડશે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં મોતની છલાંગ લગાવે તે પહેલા સગીરાને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢી હતી. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ છે. 14 વર્ષીય સગીરા તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા પહોંચીમળતી માહિતી પ્રમાણે, પુણા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર ભવનની વાડી પાસે એક મોટું તળાવ આવેલું છે. અહીં 14 વર્ષની એક સગીરા અચાનક દોડી આવી હતી અને કઈ પણ વિચાર્યા વગર તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા જતી હતી. આસપાસના લોકોએ આ દૃશ્ય જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ‘જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ’કોલ મળતા જ પુણા પોલીસ અને ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કિશોરીને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા ત્યારે કિશોરી કરી હતી કે, 'જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ, આ તરફથી અને સામેની તરફથી પણ કેટલાક લોકો અંદર આવ્યા છે જો કોઈ મારી નજીક આવ્યું તો હું કદી જઈશ'. ત્યારબાદ સગીરા પાણીમાં છલાંગ લગાવે તે પહેલા પોલીસ અને ફાયરના જવાનોએ જીવના જોખમે તળાવમાં ઉતરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ સગીરાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવવામાં આવી હતી. સમયસૂચકતાને કારણે સગીરાનો આબાદ બચાવ થયો હતો. ઘરકંકાસના કારણે સગીરાએ જીવન ટૂંકાવવાનું વિચાર્યુંપોલીસ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં સતત ચાલતા ઝઘડા અને ઘરકંકાસથી તે માનસિક રીતે થાકી ગઈ હતી. સતત તણાવમાં રહેતી સગીરાને બીજો કોઈ રસ્તો ન દેખાતા તેણે આ આઘાતજનક પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું. સગીરાની કાઉન્સેલિંગ બાદ વાલીઓને પરત સોંપીબચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સગીરાને સમજાવવામાં આવી હતી અને તેને જીવનનું મહત્ત્વ સમજાવ્યું હતું. બાદમાં તેના માતા-પિતાનો સંપર્ક કરી, જરૂરી સમજૂતી આપી સગીરાનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ પોલીસ અને ફાયર વિભાગની કામગીરીના વખાણ કર્યા હતા.
સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે માત્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ જ નથી રહ્યું, પરંતુ રફ અને પોલિશ્ડ હીરાના વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 2025-26 દરમિયાન અહીંના કસ્ટમ વિભાગે અદભૂત કામગીરી બજાવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયો અને અત્યાધુનિક સુવિધાઓને કારણે સુરતના હીરા ઉદ્યોગકારો હવે મુંબઈ પર નિર્ભર રહેવાને બદલે સીધું જ સુરતથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરી રહ્યા છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. બે દિગ્ગજ કંપનીઓની પહેલથી અન્ય વેપારીઓ પણ SDB સાથે જોડાયા ઓગસ્ટ 2024માં જ્યારે SDB ખાતે કસ્ટમ ક્લિયરન્સની સુવિધા શરૂ થઈ, ત્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) દ્વારા પ્રથમ ઇમ્પોર્ટ પાર્સલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા પ્રથમ એક્સપોર્ટ પાર્સલ ક્લિયર કરવામાં આવ્યું હતું. આ બે દિગ્ગજ કંપનીઓની પહેલ જોઈને સુરતના અન્ય સેંકડો વેપારીઓ પણ SDB સાથે જોડાયા છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે, સુરતના ઉદ્યોગકારો પોતાના ઘરઆંગણે જ વિશ્વ કક્ષાની સુવિધાઓ મેળવવા માટે સક્ષમ છે અને તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં છે. 41,515 કરોડના રફ હીરાનું સુરતમાં આગમનનાણાકીય વર્ષ 2025-26 દરમિયાન SDBમાં ઇમ્પોર્ટ પ્રવૃત્તિમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આખા વર્ષમાં કુલ 4160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ સુરત લાવવામાં આવ્યા હતા. આ માલની અંદાજિત કિંમત 41,515 કરોડ (4673 મિલિયન US ડોલર) નોંધાઈ છે. મુખ્યત્વે નેચરલ રફ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ સીડ્સનું ઇમ્પોર્ટ વધતા સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ અને રોજગારીની તકોમાં પણ મોટો વધારો થયો છે, જે અર્થતંત્ર માટે પ્રોત્સાહક છે. 1,121 કરોડના પોલિશ્ડ હીરા અને જ્વેલરીની નિકાસસુરતથી તૈયાર હીરા અને કલાત્મક જ્વેલરી હવે સીધી જ વિદેશી બજારોમાં પહોંચી રહી છે. વર્ષ 2025-26માં SDBમાંથી કુલ 928 પાર્સલ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 17.30 લાખ કેરેટ નેચરલ અને લેબગ્રોન પોલિશ્ડ હીરાનો સમાવેશ થાય છે. આ નિકાસની કુલ વેલ્યુ 1,121 કરોડ (172 મિલિયન US ડોલર) રહી છે. સુરતથી સીધું એક્સપોર્ટ થવાને કારણે વેપારીઓને મુંબઈ સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચ્યો છે અને ડિલિવરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ડિસેમ્બરમાં 4,791 કરોડનું જંગી ઇમ્પોર્ટવર્ષ 2025-26ના તમામ મહિનાઓમાં ડિસેમ્બર મહિનો SDBમાટે સૌથી સફળ રહ્યો હતો. આ એક જ મહિનામાં નેચરલ રફ ડાયમંડના 350 પાર્સલ અને લેબગ્રોન સીડ્સના 85 પાર્સલ મળીને કુલ ₹4,791 કરોડનું ઇમ્પોર્ટ થયું હતું. આ આંકડો બતાવે છે કે સુરતના વેપારીઓનો વિશ્વાસ બુર્સની સુવિધાઓ પર સતત વધી રહ્યો છે. તહેવારો અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે સુરતના ઉદ્યોગકારોએ SDB કસ્ટમ હાઉસનો મહત્તમ ઉપયોગ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. 31,300 સ્ક્વેર ફૂટનું અત્યાધુનિક કસ્ટમ હાઉસવેપારીઓની સુવિધા માટે SDBમાં 31,300 સ્ક્વેર ફૂટનું વિશાળ અને સંપૂર્ણ એર કન્ડિશન્ડ કસ્ટમ હાઉસ બનાવવામાં આવ્યું છે. અહીં હીરાની ચકાસણી માટે હાઇટેક DRC મશીન અને જ્વેલરી માટે જર્મન બનાવટના ફીશર ગોલ્ડ સ્કોપ મશીનો તૈનાત છે. વેઇટિંગ એરિયા, સુરક્ષિત પાર્કિંગ અને સેફ વોલ્ટ જેવી સુવિધાઓને કારણે ક્લિયરન્સની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બની છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈના ભારત ડાયમંડ બોર્સને પણ ટક્કર આપી રહ્યું છે, જે સુરત માટે ગર્વની વાત છે. KYC અને ટ્રાન્સશિપમેન્ટ ફીમાં મોટી બચતCBIC દ્વારા લેવાયેલા નિર્ણયોએ SDB ને વેગ આપ્યો છે. હવે જો વેપારીએ અન્ય કસ્ટમ હાઉસમાં KYC કરાવ્યું હોય, તો SDB માં ફરીથી KYC કરવાની જરૂર નથી. વધુમાં, મુંબઈથી સુરત માલ લાવવા માટેની ટ્રાન્સશિપમેન્ટ ફી માફ કરવામાં આવી છે અને બોન્ડની સમયમર્યાદા 10 દિવસથી ઘટાડીને 5 દિવસ કરાઈ છે. આ નીતિગત ફેરફારોને કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે પણ ઇમ્પોર્ટ-એક્સપોર્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ અને આર્થિક રીતે સસ્તી બની છે. ICEGATE અને ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈ, સાંજે વેપારીના હાથમાંનવી વ્યવસ્થા મુજબ, TP (Transshipment Permit) જનરેટ કરવાની જવાબદારી હવે SDB કસ્ટોડિયનને સોંપાઈ છે. આનાથી ICEGATE પોર્ટલ પર સીધું જ પરમિટ જનરેટ થાય છે. જો કોઈ પાર્સલ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે, તો તેને તાત્કાલિક ક્લિયર કરી સુરત રવાના કરી શકાય છે, જેથી સાંજ સુધીમાં વેપારીને માલ મળી જાય છે. આ ઝડપી પ્રક્રિયાને કારણે ટ્રાન્ઝેક્શનની ગતિ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના વેપારીઓની વિશ્વસનીયતામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
2025માં સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શંકર ઠાકોરભાઈ ચૌધરીએ DDOના હુકમ સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારને રાહત આપી છે. હવે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ લઈ શકશે. લાંચના આરોપમાં DDOએ પદ ઉપરથી દૂર કર્યા'તાDDOએ લાંચના આરોપસર અરજદાર તાલુકા પંચાયતના સદસ્યને પદ ઉપરથી 1 જાન્યુઆરી, 2025ના રોજ દૂર કર્યા હતા. જેની સામે અરજદાર સક્ષમ ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી. પરંતુ ઓથોરિટીએ પણ 19 એપ્રિલ, 2025ના રોજ DDO ના હુકમને યોગ્ય ઠેરવેલ હતો. જેની સામે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફરીથી પદ પર સ્થાપિત કરવા અરજદારની માગમૂળ અરજદારની માંગ હતી કે, તેમને જાન્યુઆરી, 2025 માં પદ ઉપરથી દૂર કરાતા તેમને ફરીથી પદ પર સ્થાપિત કરવામાં આવે. જો કે ટર્મ પૂરી થઈ જતા એક વધુ પડકાર તેમની સામે હતો કે તેમને ગુજરાત પંચાયત એક્ટની કલમ 71 અંતર્ગત દૂર કરાયા હોવાથી, તેઓ ફરીથી હોદ્દો સંભાળવા મહતમ 5 વર્ષ સુધી ગેરલાયક ઠરતા હતા. ચૂંટણી લડવા માંગતા હોવાથી હાઈકોર્ટમા અરજી કરીજો કે આગામી ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઓથોરિટીના હુકમ સામે રક્ષણ માંગ્યું હતું. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, હોદ્દાના દુરુપયોગ અને લાંચ જેવા સિસ્ટમ વિરુદ્ધનો ગુન્હો અરજદારે આચર્યો હોવાથી DDOનો હુકમ યોગ્ય છે. 'અરજદારને દોષિત ઠેરવીને ચૂંટણી લડવાથી દૂર કરી શકાય નહીં'જો કે ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ફક્ત પોલીસ ફરિયાદ અને ચાર્જશીટના આધારે અરજદારને દોષિત ઠેરવીને ચૂંટણી લડવાથી દૂર કરી શકાય નહીં. વળી હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ જ્યાં સુધી અદાલતી કાર્યવાહીથી આરોપીને દોષિત ન ઠેરવાય ત્યાં સુધી કેટલાય નેતાઓ ચૂંટણી લડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે હરિભાઈ પટેલ અને જાલાભાઇ પટેલના કેસ મુજબ અરજદારને રાહત આપી છે.
દુબઈમાં ખોલેલી ટ્રેડિંગ કંપનીમાં દર મહિને ચારથી પાંચ ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે રૂપિયા દોઢ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓ ગૌરાંગ મનસુખ ખુંટ (ઉ.વ.38) અને અરવિંદ લાલજીભાઈ ખૂંટ (ઉ.વ.61)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અરવિંદને સુરતથી અને ગૌરાંગને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ બંને આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જયારે આ કેસમાં હજૂ બે આરોપીઓ સાગર અરવિંદ ખુંટ અને જયોત્સનાબેન અરવિંદ ખુંટ વોન્ટેડ છે જેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે રાજકોટ રહેતા ચાર મિત્રો સાથે 1.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે જેમાં પ્રાઇવેટ નોકરી કરતા વિરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.28) દ્વારા રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 316 (5), 3(5) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમ 3 મુજબ સાગર ખુંટ, અરવિંદ ખુંટ, જ્યોત્સના ખુંટ તેમજ ગૌરાંગ ખુંટ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. જેને લઇ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ગૌરાંગ ખુંટ અને અરવિંદ ખુંટની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સાગર ખુંટ તેમજ તેની માતા જ્યોત્સના ખુંટની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા માયાણી ચોક ખાતે ગેમ ઝોનમાં ગેમ રમવા જતો હતો તે સમયે સાગર ખુંટ સંપર્ક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2023માં સાગર ખુંટએ જણાવ્યું હતું કે પોતે દુબઈ ખાતે ટ્રેડિંગનું કામકાજ શરૂ કર્યું છે તેમજ રોકાણ કરવાથી સારો એવો નફો પણ મળે છે અને તે કંપનીનું નામ NISHA INVESTMENT CONSULTANTS - FZCO જણાવ્યું હતું. જો તેમાં રોકાણ કરશો તો રોકાણ કરેલ રૂપિયા પર 4-5 ટકાનું વળતર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભારતમાં રાજકોટ ખાતે રહેતા પોતાના પિતા માતા તેમજ પોતાનો પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓ કંપનીના રૂપિયાની લેતીદેતીનો વ્યવહાર સંભાળતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કટકે કટકે મળીને કુલ 56,43,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ કર્યું હતું. જેની સામે માર્ચ 2025 સુધી આરોપીઓ દ્વારા વળતર પેટે દર મહિને 4 થી 4.50 ટકા જેટલી રકમ આરોપીઓ દ્વારા ચૂકવવામાં પણ આવતી હતી. તેમજ અંદાજિત 11,53,200 રૂપિયા જેટલી રકમ વળતર પેટે આપવામાં આવી હતી. આમ આજ દિવસ સુધી 44,90,300 રૂપિયા જેટલી રકમ આરોપીઓ દ્વારા પરત આપવામાં આવી ન હતી. વિરેન્દ્રસિંહ પરમારને દર મહિને રોકાણ કરેલ રૂપિયા ઉપર 4 થી 4.5 ટકા જેટલું વળતર મળતું હોવાથી તેમના અન્ય મિત્રો દ્વારા પણ આરોપીઓની કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને 1,74,93,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ સાગર ખુંટની કંપનીમાં કરવામાં આવ્યું હતું. જેની સામે સાગર ખુંટ દ્વારા વિરેન્દ્રસિંહ પરમાર તેમજ તેના મિત્રોને વળતર પેટે 26,77,400 રૂપિયા જેટલી રકમ પરત આપી હતી. પરંતુ આજ દિવસ સુધી 1.48 કરોડથી પણ વધુની રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુંટ પરિવારના સભ્યો દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે અન્ય 15 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ છેતરપિંડીનો આંક 5 કરોડથી પણ વધુનો હોવાનો પોલીસને અંદાજ છે. આ ઉપરાંત આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવવામાં આવી છે. તેમજ આરોપીઓ દ્વારા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલ કરોડો રૂપિયાની રકમમાંથી કોઈ મિલકત વસાવી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલ દરમિયાન મળેલી માહિતી આધારે નારીરોડ લાલ કારખાનની પાછળ ખુલી જગ્યામાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા 4 જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. બોરતળાવ પોલીસે 4 શખ્સો વિરુદ્ધ જુગરધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે રેડ પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યાઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર ગતરોજ બોરતળાવ પોલીસ સ્ટેશનો સ્ટાફ શહેરના કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ માહિતી આધારે નારી રોડ પર આવેલ લાલ કારખાના પાછળ ખુલી જગ્યામાં રેડ કરતા ચાર શખ્સો ગોળ કુંડાળું વળીને ગંજીપન પાના વડે તીન પત્તીનો જુગાર રમતા ઝડપાયા હતા, જાદીદ રસુલભાઈ મલેક (ઉં.વ.47, રહે. કુંભારવાડા), ભુપત લાલજીભાઈ મકવાણા (ઉં.વ. 55, રહે. કરદેજ ગામ), રમેશ છગનભાઈ પરમાર (ઉં.વ.55, રહે. કુંભારવાડા મફતનગર) અને કાનજી છગનભાઈ પરમાર (ઉં.વ.69, રહે. કુંભારવાડા મફતનગર)ને સ્થળ પરથી ગંજીપતાના પાના તથા રોકડા રૂપિયા 5370 સાથે ઝડપી લઇ ચારેય શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં જુગાર ધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીંના પાલી ગામમાં રહેતા એક પરિવારની માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી બીજા માળે ટેરેસ પર રમતા રમતા ગ્રીલના સળિયા વચ્ચે રહેલી જગ્યામાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાએ બહુમાળી મકાનોમાં રહેતા પરિવારો માટે સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માસૂમ ગ્રીલના ગેપમાંથી સરકીને સીધી જમીન પર પટકાઈસચિન GIDC નજીક આવેલા ન્યુ કૈલાશ નગરમાં રહેતા અરુણ ચૌહાણની અઢી વર્ષની પુત્રી એશવી મંગળવારે સવારે નવેક વાગ્યાના અરસામાં ઘરના બીજા માળે ટેરેસ પર રમી રહી હતી. ટેરેસની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવી હતી, પરંતુ બે સળિયા વચ્ચે આશરે 10 ઇંચ જેટલી મોટી જગ્યા (ગેપ) હતી. રમતી વખતે અચાનક એશવી આ ગેપમાંથી સંતુલન ગુમાવીને સીધી જમીન પર પટકાઈ હતી. બાલ્કની કે ટેરેસની ગ્રીલમાં રાખવામાં આવતી આવી બેદરકારી માસૂમ માટે કાળ સાબિત થઈ હતી. બાળકીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી બાળકી નીચે પડતા જ જોરદાર અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પડોશમાં રહેતા વિકાસભાઈએ સમયસૂચકતા વાપરી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એશવીને લોહીલુહાણ હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિવિલના તબીબોએ તેને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે બપોરે 2:00 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન એશવીએ અંતિમ શ્વાસ લીધા હતા. મોતના સમાચાર સાંભળીને આખો મહોલ્લો હિબકે ચડ્યોબાળકીના પિતા અરુણભાઈ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે અને તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. છેલ્લા 15 થી 20 વર્ષથી તેઓ સુરતમાં સ્થાયી થયા છે અને મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અચાનક એકાએક વહાલસોયી દીકરીનું મોત થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. પિતાની છત્રછાયા અને માતાના લાડકોડમાં મોટી થતી એશવીના મોતના સમાચાર સાંભળીને આખો મહોલ્લો હિબકે ચડ્યો હતો. એશવીના કિસ્સામાં આ 10 ઇંચનો ગેપ જ તેના માટે કાળ બન્યોઆ ઘટનામાં સૌથી મોટું કારણ બાલ્કનીની ગ્રીલની ખામીયુક્ત ડિઝાઇન સામે આવ્યું છે. સામાન્ય રીતે બાળકોના માથા અને શરીર નાના હોય છે, ત્યારે ગ્રીલના સળિયા વચ્ચે 10 ઇંચનો ગેપ રાખવો એ જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, ગ્રીલના બે સળિયા વચ્ચેનું અંતર 4 ઇંચથી વધુ ન હોવું જોઈએ જેથી બાળક તેમાંથી પસાર ન થઈ શકે. એશવીના કિસ્સામાં આ 10 ઇંચનો ગેપ જ તેના માટે કાળ બનીને આવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ આવ્યું કે, લેબ બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની 12 ફૂટ હાઈટ રાખી છે તે ઓછી પડશે. જે બાદ હવે બેઝમેન્ટની હાઈટ 24 ફૂટ કરવા લાખોના ખર્ચે તોડફોડ કરવામાં આવી રહી છે. બેઝમેન્ટનો સ્લેબ જ તોડી નાખતા બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. 42 કરોડના ખર્ચે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવાઈગુજરાત યુનિવર્સિટીના સત્તાધિસો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસમાં બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના પૈસાથી બનાવવામાં આવતી બિલ્ડિંગના આયોજનમાં બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અટલ કલામ પાસે 42 કરોડ 50 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક આપવામાં આવ્યું હતું. અધિકારીઓનું અણધડ આયોજન ને સત્તાધીશોનો ગંભીર છબરડોધ્રુવ કમલ રીસર્ચ પાર્ક જ્ઞાનનું પ્રતિક બનશે અને એસ્ટ્રો ફિઝિક્સ, મેડિકલ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં ભારતનું માર્ગદર્શક કેન્દ્ર બનશે તેવો દાવો ઉદ્ઘાટન સમયે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. 42 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં તમામ ખર્ચ પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના અણધડ આયોજન અને સત્તાધીશોની ઉદાસીનતાના કારણે ગંભીર છબરડો સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટને બદલે 12 ફૂટ હાઈટ રખાઈધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, તે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર લેબ બનાવવા માટે 24 ફૂટ હાઈટની જરૂર પડશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 12 ફૂટની હાઈટ રાખવામાં આવી હતી. જે બાદ એક તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પરીક્ષા ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર જોખમી રીતે તોડફોડ શરૂ કરાઈ. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રુવ કમલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું અને બારીઓના કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કામ ચાલે છે ત્યાં લાખોના ખર્ચે લાવેલા સોફા પણ હટાવવામાં આવ્યા નથી. જેથી સોફા પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની પરીક્ષા વચ્ચે બિલ્ડિંગમાં તોડફોડ શરૂગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટની ઊંચાઈ કરવા માટે પાયામાં મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા બિલ્ડિંગની ગુણવત્તાને અસર થઈ શકે છે તેવો આક્ષેપ કર્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ધ્રુવ કમલમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે રીતે મસમોટો ખાડો કરવામાં આવ્યો છે તેના કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 20 ટકા કમિશન કુલપતિ અને રજીસ્ટ્રારને મળી જાય છે, જેથી વિદ્યાર્થીઓના પૈસાની દિવાળી થઈ રહી છે. સત્તાધીશોન હવે યાદ આવ્યું કે બિલ્ડિંગમાં બેઝમેન્ટની જરૂરગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધ્રુવ કમલ નામનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, હવે બિલ્ડિંગમાં બેઝમેન્ટ બનાવવાની જરૂર પડી છે, ત્યારે નવું બનાવેલું બિલ્ડિંગ તોડવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો માત્ર એસી ઓફિસમાં બેસતા હોય તેવું જ લાગી રહ્યું છે. કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયાએન્જિનિયરો ફિલ્ડ પર ગયા વગર જ બે-બે લાખ રૂપિયા પગાર લઈ લે છે. ગ્રાઉન્ડ ફ્લોર તોડવામાં આવી રહ્યો છે તેને લઈને બિલ્ડિંગની ગુણવત્તા પર અસર પડશે. જો બિલ્ડિંગ તૂટી જશે તો તેની જવાબદારી કોની રહેશે? કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયા છે. પૂર્વ કુલપતિ જે એજન્સીને બ્લેક લિસ્ટ કરે છે તે જ એજન્સીને કુલપતિ પરત લાવીને બિલ્ડિંગો ઊભી કરવાની કામગીરી સોંપે છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળીએજન્સીઓ દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રારને જે ફંડ આપવામાં આવે છે તેના લીધે આ બધી બેદરકારી સામે આવી રહી છે. ફરી લાખો રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ બનાવી ત્યારે અધિકારીઓને યાદ ન આવ્યું કે આ રીતની કામગીરી કરવાની હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરીશુંઉગ્ર આંદોલનની માંગ સાથે વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ બન્યા બાદ અધિકારીઓને યાદ આવ્યું કે 12 ફૂટ નહીં પરંતુ 24 ફૂટની હાઈટની જરૂર હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. કુલપતિ જતા જતા પોતાના પર વધુ એક ડાઘ લગાવીને જતા હોય તેવું લાગી રહ્યું છે.
સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થિત સરકારી સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં સોંપાવાના નિર્ણય બાદ વિવાદ ઊભો થયો હતો.ત્યારે વિવાદને ઠારવા માર્ગ અને મકાન (RB) વિભાગે અતિથિગૃહને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને લીઝ પર સોંપવાના નિર્ણય અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણીયાએ ખાતરી આપી છે કે આ સમગ્ર હસ્તાંતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિર્ધારિત કાયદાકીય માળખાને અનુસરીને સંપન્ન કરવામાં આવી છે. કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશેRB વિભાગના જણાવ્યા અનુસાર, સર્કિટ હાઉસના સંચાલન અને રખરખાવ (OM) માટે ઓનલાઈન RFP પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે વાર્ષિક લાયસન્સ ફીનો અંદાજ 30.72 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જોકે, સ્પર્ધાત્મક હરાજીના અંતે MCWAY MANAGEMENTS LTD એ સૌથી ઊંચી 81 લાખ રૂપિયાની બોલી લગાવી આ કોન્ટ્રાક્ટ પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે આ કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. 132 લાખના ખર્ચ સામે આવક માત્ર 21 લાખ થતી હતીઆ વ્યૂહાત્મક નિર્ણયથી સરકારી તિજોરીને મોટું આર્થિક સંરક્ષણ મળશે. અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો, સર્કિટ હાઉસના નિભાવ પાછળ સરકાર વાર્ષિક આશરે 132 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરતી હતી, જેની સામે આવક માત્ર 21 લાખ રૂપિયા જ થતી હતી. આમ, દર વર્ષે તિજોરીને 111 લાખ રૂપિયાની આર્થિક ખોટ સહન કરવી પડતી હતી. PPP મોડેલના અમલીકરણથી આ આર્થિક ભારણ હવે ભૂતકાળ બની જશે. પ્રોટોકોલની ગરિમા જળવાઈ રહેશે ખાનગી સંચાલન હોવા છતાં, ગરિમાપૂર્ણ સરકારી શિષ્ટાચાર જાળવી રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ હોદ્દેદારોના આગમન માટે સર્કિટ હાઉસમાં 2 રૂમ કાયમી ધોરણે અનામત રાખવામાં આવ્યા છે, જેથી પ્રોટોકોલ જાળવવામાં કોઈ અવરોધ ન આવે. રોજગારીમાં ઘટાડો નહીં થાયસ્થાનિક રોજગારના મોરચે પણ આ નિર્ણય આશાસ્પદ રહ્યો છે. અગાઉ અહીં 53 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાર્યરત હતા, જેમના હિતોનું રક્ષણ કરતા નવી એજન્સી દ્વારા ફ્રન્ટ ડેસ્ક, હાઉસકીપિંગ, સિક્યુરિટી અને કેટરિંગ જેવા વિવિધ વિભાગો માટે અંદાજે 50 જેટલા કુશળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આમ, રોજગારીની તકોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયા વિના સેવાનું સ્તર સુધરશે. હોસ્પિટાલિટીના ઉચ્ચત્તમ માપદંડો જળવાઈ રહેશેસોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે હવે તેમને અહીં 'ફોર-સ્ટાર' કક્ષાની આધુનિક સુવિધાઓનો લ્હાવો મળશે. PPP મોડેલ હેઠળ ખાનગી સંચાલક પોતાના વ્યક્તિગત રોકાણથી ઇમારતની જાળવણી કરશે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના ઉચ્ચતમ માપદંડો મુજબની સેવાઓ પૂરી પાડશે. આ તમામ સેવાઓ પર રાજ્ય સરકારની સતત અને કડક દેખરેખ રહેશે. નુકસાનમાંથી બહાર નીકળી નફાનો હેતુવિભાગના મતે, સોમનાથ સર્કિટ હાઉસનું આ પરિવર્તન એક સુવિચારિત અને ડેટા-આધારિત કદમ છે. આ આધુનિક અભિગમ દ્વારા સરકારી અસ્કયામતને નુકસાનના ગર્તામાંથી બહાર કાઢી નફાકારક બનાવવાની સાથે યાત્રિકોને વિશ્વસ્તરીય સુવિધાઓ પીરસવાનો મુખ્ય ઉદ્દેશ્ય સાકાર કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાનું શબ્દશ: નિવેદનગીર સોમનાથ સ્ટેટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં નિર્મિત આ ભવ્ય સોમનાથ અતિથિગૃહનું વર્ચ્યુઅલી લોકાર્પણ સ્વયં માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે થયું હતું. ભક્તોની સુવિધા માટે બનેલા આ ગૃહમાં પ્રવાસીઓ સુવિધાઓથી સંતુષ્ટ તો હતા, પરંતુ તેઓ વધુ આધુનિક સેવાઓની અપેક્ષા પણ રાખતા હતા. સરકારી સંચાલન દરમિયાન માસિક સરેરાશ આવક માત્ર 2 થી 3 લાખ રૂપિયા રહેતી હતી, જેની સામે નિભાવણી ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા જેટલો ઊંચો રહેતો હતો. પ્રવાસીઓને હોટલ જેવો લક્ઝુરિયસ અનુભવ આપવા અને આર્થિક ખોટને નફામાં બદલવા માટે જ PPP મોડેલનો નિર્ણય લેવાયો છે. પારદર્શક ટેન્ડર પ્રક્રિયામાં ગાંધીનગરની મેકવે મેનેજમેન્ટ લિમિટેડનું 81 લાખ રૂપિયાનું વાર્ષિક ટેન્ડર મંજૂર કરાયું છે. તારીખ 16-03-2026 થી આ સંચાલન ખાનગી હાથોમાં સોંપાયું છે. વ્યવસ્થાના ભાગરૂપે 10 રૂમ સરકારી કામકાજ માટે ફાળવેલા રહેશે, જેમાંથી 8 રૂમમાં સરકારી રેન્ટ મુજબ જ રોકાણ કરી શકાશે. અમારો અંતિમ લક્ષ્યાંક સોમનાથ મહાદેવના શરણે આવતા પ્રત્યેક યાત્રાળુને શ્રેષ્ઠ આતિથ્ય સત્કાર આપવાનો અને આ સરકારી મિલકતની આજીવન માવજત કરવાનો છે. આ પણ વાંચો સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સર્કિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની મેક વે કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો છે. 16 માર્ચથી કંપનીએ સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન શરૂ કરી પોતાનો સ્ટાફ પણ નિયુક્ત કર્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લીક કરો)
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકીવાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાવ-થરાદ ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. 24 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા રજુ કરાઈ છે. આ પ્રોજેક્ટથી રાણકીવાવના ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. 3D શોમાં વિવિધ આકર્ષણો રજુ કરાશેઆ 3D શો માં પાટણની રાણકી વાવ ઉપરાંત સોમનાથ, મોઢેરા, કીર્તિ સ્તંભ, 100ની ચલણી નોટ, યુનેસ્કો, કુંભારીયા દેરાસર, પાલિતાણા જૈનના મંદિર, પાટણના પટોળા, શસ્ત્રલીગ તળાવ, પાટણના ઓતીયા પરિવાર દ્વારા દશામાની મૃતિ બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ, પાટણના દોરી ગરબા સહિતના આકર્ષણો રજુ કરવામાં આવશે. નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુથી રાણકીવાવના આ મહત્વકાંક્ષી પ્રોજેક્શન લોકાર્પણ કર્યું હતું. પાટણની રાણકીવાવ જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યાં હવે આ નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ દ્વારા રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા, પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ અને પૂર્વજોની સ્થાપત્ય કળાના વૈભવને 3D ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મારફતે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાણકીવાવ પરિસરની સુરક્ષા અને ઐતિહાસિક પ્રતિમાઓની જાળવણીને ધ્યાનમાં રાખીને, કોઈપણ પ્રકારની તોડફોડ વગર 10 અત્યાધુનિક લેસર પ્રોજેક્ટર ઇન્ટ્રીગ્રેસન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર પરિસરમાં હેરિટેજ લાઇટિંગ, પાથ-વે લાઇટિંગ અને એક અલાયદો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ શો દરમિયાન અંદાજિત 24 મિનિટની શોર્ટ ફિલ્મ વોઈસ ઓવર સાથે દર્શાવવામાં આવી રહી છે. જેના માટે પરિસરમાં 250 જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશેઆ પ્રોજેક્ટ સાકાર થવાથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશે. રાત્રિના સમયે પર્યટકોની અવરજવર વધવાથી પાટણ શહેરમાં નાસ્તા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો પણ સાંપડશે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને રાજ્યના પ્રવાસન વિભાગના સંકલનથી તૈયાર થયેલો આ શો ઐતિહાસિક વારસાને જીવંત રાખવાની દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવે છે. લેસર શોની વિશેષતારાણકી વાવને નુકસાન ન થાય તે માટે સાઈડમાં જમીન અંદર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવ્યા છે, જે શો સમયે જમીનમાંથી લિફ્ટ મારફતે 10 ફૂટ બહાર આવશે જેથી રાણકી વાવની સુંદરતા ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરરોજ બે શો ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું 5 વર્ષનું સુચારુ સંચાલન અને મેન્ટેન્સ પ્રવાસન વિભાગ કરશે. રાણકી વાવનો ઇતિહાસઅણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા' ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, 20 મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ નંદા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા 100ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ વાવ-થરાદથી અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સહિત કુલ 19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોરબંદરને લિકર પરમિટ આપવાની તૈયારીથી વિવાદ પોરબંદરમાં લિકર પરમિટની તૈયારીને લઈને વિવાદ થયો છે.. કોંગ્રેસે કહ્યું કે ભાજપ ગાંધીની વિચારધારા અને સંસ્થાઓને ખતમ કરી રહ્યું છે. એટલું જ નહીં પીએમ મોદીને અપીલ કરી કે આજે તેઓ ગુજરાતમાં જ જાહેરાત કરી દે કે મંજૂરી નહીં અપાય. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ થયું. PSI એન. કે. પંડ્યા પોતાના ફ્લેટ પર હતા ત્યારે રાત્રિના એક વાગ્યે આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક મિસફાયરિંગ થયું હતું. જેમાં તેઓ અને તેમની મહિલા મિત્ર ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશી દારુની કોથળીઓનું ઘરમાં પેકિંગ સાબરમતીના સરસ્વતી નગરમાં બુટલેગર ઘરમાં બેસીને દેશી દારુની કોથળીઓનું પેકિંગ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો. તેની સાથે બે મહિલાઓ પણ ગૃહઉદ્યોગની જેમ ઘરમાં આ કામ કરતી જોવા મળી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મકાનમાં લાગેલી વિકરાળ આગમાં 5ના મોત સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં એક ઘરમાં લાગેલી ભયાનક આગમાં 5 લોકોના મોત નીપજ્યા. રૂમમાં 8 ટન સાડીનું મટિરિય અને બે ગેસના બાટલા પડ્યા હતા જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુપ્ત ભાગમાં સંતાડ્યું હતું 83 લાખનું સોનુ કુઆલાલુમ્પુરથી ગુપ્તભાગમાં સોનાની પેસ્ટ સંતાડીને આવતી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ. કસ્ટમની તપાસમાં સામે આવ્યું કે, મહિલા 83 લાખનું સોનું કેપ્સ્યુલમાં પેસ્ટના રુપે લઈને આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રક ચાલકે કચડી નાખતા બેનું કમકમાટીભર્યું મોત બહુચરાજી જતાં પદયાત્રીને ટ્રક ચાલકે કચડી નાખતા બેનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભર ઉનાળે પાણીની તંગીથી લોકો ભારે હેરાન નડિયાદના પીજ ગામે 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા ભર ઉનાળે લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્કરમાં મરેલો ઉંદર નીકળતા અંતિમ યાત્રા લઈ લોકો પંચાયત પહોંચ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટથી પાંચ દાઝ્યા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરનો દરવાજો તૂટી સામેના ઘરે અથડાયો. બ્લાસ્ટમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ખરાબ હવામાનને કારણે પ્લેને શિરડીના આકાશમાં એક કલાક સુધી ચક્કર માર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ધ્રાંગધ્રામાં બોગસ ડોક્ટર ઝડપાયો:વિરેન્દ્રગઢ ગામે SOGએ કાર્યવાહી કરી, દવાઓ જપ્ત
સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 18,381ની દવાઓ જપ્ત કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીની સૂચના મુજબ, બોગસ ડોકટરોને પકડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, SOG શાખાના કર્મચારીઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ અરવિંદભાઈને બાતમી મળી હતી કે, વિરેન્દ્રગઢ ગામે હરેશભાઈ પોપટભાઈ ઠાકોર નામનો વ્યક્તિ કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. બાતમીના આધારે, SOG ટીમે કુડા PHCના મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. પ્રશાંતભાઈ એસ. સોલંકીને સાથે રાખીને વિરેન્દ્રગઢ ગામે હરેશભાઈ પોપટભાઈ ઠાકોરના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, 26 વર્ષીય હરેશભાઈ ઠાકોર મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી અલગ અલગ કંપનીઓની એલોપેથીક દવાઓનું લિસ્ટ અને કુલ રૂ. 18,381નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બોગસ ડોક્ટર મૂળ રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામનો રહેવાસી છે. આરોપી હરેશભાઈ પોપટભાઈ ઠાકોર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, HC અરવિંદભાઈ દિલુભા, PC સાહિલભાઈ મહંમદભાઈ, PC મહાવીરસિંહ જોરુભા અને PC વિશાલભાઈ અરવિંદભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:આવતીકાલે ભાજપના નિરીક્ષકો વડોદરામાં દાવેદારોને સંભાળશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગર ખાતે આવતીકાલે વિવિધ 19 વોર્ડના દાવેદારોને ફોર્મ ભરવા તેમજ સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચાર ઝોનમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂનિરીક્ષકો દ્વારા ચાર ઝોનમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમાં વહેંચાયેલા વોર્ડ મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના ટીપી 13 છાણી, તરસાલી, ખોડિયાર નગર તથા વાસણા રોડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશેતા. 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ બે દિવસ વડોદરા મહાનગરપાલિકાના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 1 એપ્રિલના રોજ વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 16, 17, 18 ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા 2 એપ્રિલના રોજ કરવામાં આવશે. તાલુકા-જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયાવડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ સેના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાશે, ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે મહાનગર તેમજ સ્થાનક સ્તરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.
પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીની પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરના મેળામાં વિવાહોત્સવ સંપન્ન થયા બાદ, દ્વારકા ખાતે યોજાનાર સત્કાર સમારોહ પૂર્વે આ શોભાયાત્રા પોરબંદર પહોંચી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત આ યાત્રામાં શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા. આ શોભાયાત્રાનો પ્રારંભ વીરભાનુની ખાંભીથી થયો હતો. તે કમલાબાગ, હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને બોખીરા બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. સુશોભિત રથમાં બિરાજમાન ભગવાન અને દેવીના પ્રતિકાત્મક સ્વરૂપોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા હતા. માર્ગો પર ફૂલોની વર્ષા, ઢોલ-શરણાઈના સૂર અને પરંપરાગત રાસની રમઝટ જોવા મળી હતી. સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના અધિકારીઓએ પ્રતિકાત્મક ભગવાનનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં કલેક્ટર એચ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રાસમાં જોડાઈને લોકઉલ્લાસમાં સહભાગી થયા હતા. શહેરના વિવિધ સંગઠનો દ્વારા પણ શિસ્તબદ્ધ અને ભક્તિમય માહોલમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. ચંચાણીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ કાર્યક્રમ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાના સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સુરેન્દ્રનગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીનો 2624મો જન્મ કલ્યાણક મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે 'અજરામર એક્ટિવ અસોર્ટ' સંસ્થા દ્વારા શહેરના જવાહર ચોક વિસ્તારમાં ભવ્ય મહાપ્રસાદ વિતરણનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પ.પૂ. ડૉ. નિરંજનમુનિ મ.સા. અને પ.પૂ. ચેતનમુનિ મ.સા.ના આશીર્વાદ તથા માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સવારે 10 કલાકે જવાહર ચોક સ્થિત 'કિંજલ બેગ' ખાતે બુંદીના લાડુના મહાપ્રસાદનું વિતરણ શરૂ કરાયું હતું. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. શહેરના અબાલ-વૃદ્ધ સૌ કોઈએ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે બુંદીના લાડુનો પ્રસાદ હોંશે-હોંશે ગ્રહણ કર્યો હતો. 'અજરામર એક્ટિવ અસોર્ટ'ના સ્વયંસેવકોએ ખંતપૂર્વક વ્યવસ્થા જાળવીને શિસ્તબદ્ધ રીતે પ્રસાદ વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જીવદયા અને સર્વધર્મ સમભાવનો સંદેશ આપવાનો હતો. ભગવાન મહાવીરના 'જીવો અને જીવવા દો'ના સિદ્ધાંતને લોકો સુધી પહોંચાડવાનો આ એક પ્રયાસ હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે ગુરુભગવંતોની પ્રેરણાથી દર વર્ષે આવા ધાર્મિક અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવે છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’
જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ:હિંમતનગર ફાયર ટીમે 20 હજાર લીટર પાણીથી કાબૂ મેળવ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામ નજીક આવેલા જેટકો સબસ્ટેશન પાસે સૂકા ઘાસમાં આગ લાગી હતી. સબસ્ટેશનના પરિસરમાં ઉગી નીકળેલા સૂકા ઘાસને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની બે ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. અંદાજે 20 હજાર લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. ફાયર વિભાગના જવાનોની સમયસર અને ઝડપી કામગીરીને કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
કેન્દ્ર સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતા વિવિધ મંત્રાલયોમાં વરિષ્ઠ IAS અધિકારીઓની નિમણૂક અને બઢતી જાહેર કરી છે. ખાસ કરીને ગુજરાત કેડરના અધિકારીઓને કેન્દ્રમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાતા રાજ્ય માટે ગૌરવની બાબત બની છે. મોના કે. ખંધારને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં મહત્ત્વની જવાબદારીજાહેર કરાયેલા આદેશ મુજબ મોના કે. ખંધાર (IAS GJ:96) ને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત આરતી કંવર (IAS GJ:2001) ને ટેક્સટાઇલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપાઈ છે. તે જ રીતે વિજય નેહરા (IAS GJ:2001)ને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે, જે આરોગ્ય ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. ગુજરાત કેડરના બે અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં મોકલાયાઅન્ય નિમણૂકોમાં વીર વિક્રમ યાદવ (IAS OR:96)ને ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે શ્રીધર ચિરુવોલુ (IAS BH:2001)ને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં એડિશનલ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. આ સાથે જ ગુજરાત કેડરના બે અધિકારીઓને ડેપ્યુટેશન પર કેન્દ્રમાં મોકલી મહત્ત્વની ભૂમિકાઓ સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય વહીવટી કાર્યક્ષમતા વધારવા તેમજ વિવિધ વિભાગોમાં ઝડપી નિર્ણયક્ષમતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
બોટાદમાં મહાવીર જન્મ કલ્યાણક ઉજવાયો:શહેરમાં મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી
બોટાદ શહેરમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જન્મ કલ્યાણકના દિવસે સવારે ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે દેરાસરમાં બહેનો દ્વારા સંધ્યા ભક્તિનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત, ભગવાનની અંગરચના પણ કરવામાં આવી હતી. આ જન્મ કલ્યાણક નિમિત્તે સકળ સંઘના ભાઈઓ અને બહેનોએ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બોટાદ જૈન સંઘના ટ્રસ્ટીગણે કાર્યક્રમોને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવકે પેટ્રોલ છાંટી રિક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. પ્રેમ પ્રકરણ બાબતે ટોકતા યુવકે અદાવત રાખીને રિક્ષા સળગાવી હતી. આ સમગ્ર ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સવારે 4 વાગ્યે રિક્ષામાં આગ લાગી હતીરાયખડ રહેતા પ્રદીપભાઈ ચૌધરી રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. રોજની જેમ તેઓ રિક્ષા ઘરની બહાર પાર્ક કરીને સૂઈ ગયા હતા. સવારના 4 વાગ્યાની આસપાસ પ્રદીપભાઈને તેમના ભાઈએ આવીને રિક્ષામાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. પ્રદીપભાઈ જ્યાર ગયા ત્યારે આસપાસના લોકોએ પાણી નાખીને આગ બુઝાવી દીધી હતી. આગ લાગવાના કારણ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. સીસીટીવીના આધારે પાડોશી યુવક સામે ફરિયાદઆગનું કારણ જાણવા સીસીટીવી તપાસ્યા ત્યારે પડોશમાં રહેતા મિલન કહાર નામના યુવકે પેટ્રોલ નાખીને આગ લગાવી હોવાનું દેખાતું હતું. જેથી પ્રદીપભાઈએ મિલન વિરુદ્ધમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રેમ પ્રકરણમાં પ્રદીપભાઈએ મિલનને ટોક્યો હતો જેની અદાવત રાખીને મિલને આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું.
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર માવઠાની આફત તોળાઈ રહી છે, જેમાં આગામી 2 એપ્રિલથી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 31 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ કુદરતી ફેરફારને પગલે મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, પરંતુ ભરઉનાળે વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિયહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 અને 3 એપ્રિલના રોજ રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. 2 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. 31 માર્ચ, 2 , 3 અને 4 એપ્રિલના રોજ વરસાદની શક્યતાવરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી અંગે તેઓએ જણાવ્યું કે, આજે એટલે કે 31 માર્ચ, 2 , 3 અને 4 એપ્રિલના રોજ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજનના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. થંડરસ્ટોર્મ માટે 31 માર્ચ, 2 એપ્રિલ અને 3 એપ્રિલના રોજ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીંછેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સૌથી વધુ 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. લઘુત્તમ તાપમાન નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં વાતાવરણ આંશિક રીતે વાદળછાયું રહેશેઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 15થી 20 નોટ્સ રહેવાની શક્યતા છે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે. આજે અમદાવાદમાં આંશિક રીતે વાદળછાયું રહેશે. મહત્તમ તાપમાન 38 અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. 2 એપ્રિલે બનાસકાંઠા, પાટણ સહિત આ સ્થળોએ વરસાદ પડશેઆજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 2 એપ્રિલના રોજ રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, કચ્છ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં દારૂબંધી વચ્ચે શહેર સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દારૂનું પેકિંગ કરતા બે બુટલેગર અને બે મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. બુટલેગર ઘરમાં દેશી દારૂની થેલીઓ ભરી રહ્યો હતો. જેનો વીડિયો વાઈરલ થતા જ પોલીસે ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, બે મહિના અગાઉ સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં જ દેશી દારૂનો અડ્ડો ચાલતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. બુટલેગરે ઘરમાં બેસીને દેશી દારૂની પોટલીઓ બનાવીસાબરમતી પોલીસ સ્ટેશન ફરી એકવાર દારૂને લઈને વિવાદમાં આવ્યું છે. સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરસ્વતીનગરમાં એક બુટલેગર પોતાના ઘરમાં બેસીને દેશી દારૂની પોટલીઓ બનાવી રહ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ બુટલેગર અને તેની સાથે બે મહિલાઓ મોટી સંખ્યામાં ખાલી થેલીઓમાં દારૂ ભરી રહ્યા હતા. બુટલેગર ભરત ઠાકોર સામે ગુનો નોંધાયોજોકે, વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું. સાબરમતી પોલીસ સ્ટેશનના પીઆઇ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાતા બુટલેગર ભરત ઠાકોર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ બારની જેમ દારૂનો અડ્ડો ધમધમતો હતોમહત્વનું છે કે, આ અગાઉ પણ સાબરમતી પોલીસ સ્ટેશન હદમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. બ્રિજની નીચે બારમાં વ્યવસ્થા હોય તે રીતે સોફા અને બેઠકની વ્યવસ્થા સાથે દારૂનો અડ્ડો ધમધમતો હતો, ત્યારે ફરી એકવાર મોટી માત્રામાં દારૂના જથ્થાનું પેકિંગ થતું હોવાનો વીડિયો વાઈરલ થતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા થયા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પીઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોના હિતમાં અને વહીવટી પારદર્શિતા વધારવા માટે બે મોટી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આવતીકાલે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. તો કાલથી જ ડિજિટલ જનગણના-2027ની કામગીરીનો પ્રારંભ પણ કરવામાં આવનાર છે. જે અંતર્ગત કુલ 4700નો સ્ટાફ ઘરે-ઘરે જઈ વિગતો મેળવશે. મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં આ બંને પ્રક્રિયા રાજકોટના ભાવિ આયોજન માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. ત્યારે મ્યુ. કમિશનર દ્વારા રાજકોટની જનતાને સાચી માહિતી આપી જરૂરી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. રાજકોટમાં 4700થી વધુ સ્ટાફ સાથે ડિજિટલ સર્વેક્ષણ ભારત સરકાર દ્વારા વર્ષ 2027 ની જનગણનાની મહત્વની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર તુષાર ડી. સુમેરાને 'પ્રિન્સિપલ સેન્સસ ઓફિસર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની સાથે નાયબ કમિશનર એચ.આર.પટેલ 'સિટી સેન્સસ ઓફિસર' અને ચૂંટણી શાખાના મેનેજર પ્રણય ડી.પંચાલ 'સેન્સસ ઓફિસર' તરીકે સમગ્ર અભિયાનનું સંચાલન કરશે. આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ કામગીરીનું માળખું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ શહેરના 1 થી 18 વોર્ડ ઉપરાંત આઉટર ગ્રોથ વિસ્તારના ગામો જેવા કે બેડી, રોણકી અને મનહરપુર-2 ને પણ આવરી લેવામાં આવ્યા છે. વર્ષ 2011 ના સીમાંકન મુજબ અંદાજિત 3535 બ્લોકમાં આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. ડિજિટલ ડેટા અને તાલીમબદ્ધ સ્ટાફ આ વખતે જનગણનાની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે ડિજિટલી હાથ ધરવામાં આવશે. આ માટે અંદાજે 4700 જેટલા ગણતરીદારો અને સુપરવાઈઝરોની ફોજ ઉતારવામાં આવશે. જેમાં સરકારી શાળાઓ, હાઈસ્કૂલ અને કોલેજોના પ્રાધ્યાપકો તેમજ વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ જોડાશે. માસ્ટર ટ્રેનર તરીકે નિરજ એમ.વ્યાસ અને ફિલ્ડ ટ્રેઈનર તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના CRC અને મુખ્ય શિક્ષકો દ્વારા સઘન તાલીમ આપવામાં આવશે. કામગીરીનો સમયગાળો * 01/04/2026 થી 05/04/2026: 150 થી 200 મકાનોના આધારે નવા બ્લોક બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થશે.* 20/04/2026 થી 19/05/2026: સ્ટાફ દ્વારા ઘરે-ઘરે જઈને 'હાઉસ લિસ્ટિંગ' (મકાનોની યાદી) તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. કમિશનર દ્વારા રાજકોટની જનતાને વિનંતી કરવામાં આવી છે કે જ્યારે ગણતરીદારો આવે ત્યારે તેમને સાચી માહિતી આપી સહયોગ પૂરો પાડે, જેથી શહેરના વિકાસનું સચોટ આયોજન થઈ શકે. મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ: તમારા મતાધિકારની વિગતો ચકાસી લો લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે સૌથી જરૂરી એવું પગલું એટલે કે મતદાર યાદીમાં નામની ખાતરી. રાજકોટ મહાનગરપાલિકાના તમામ 18 વોર્ડની આખરી મતદાર યાદી તા. 01/04/2026 ના રોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. યાદી 01/01/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે. આ યાદી રાજકોટમાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારોની યાદી (17/02/2026ના રોજ પ્રસિદ્ધ થઈ હતી) તેના આધારે બનાવવામાં આવી છે. જેમાં 67-વાંકાનેર (આંશિક), 68-રાજકોટ-પૂર્વ, 69-રાજકોટ-પશ્ચિમ, 70-રાજકોટ- દક્ષિણ અને 71-રાજકોટ-ગ્રામ્ય (આંશિક)નો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારું નામ ક્યાં ચેક કરશો? રાજકોટના નાગરિકો પોતાની વિગતો જોવા માટે નીચેના સ્થળોની મુલાકાત લઈ શકે છે: * મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી: ચૂંટણી શાખા, રૂમ નંબર-11, ત્રીજો માળ, ડો.આંબેડકર ભવન, ઢેબર રોડ. * વોર્ડ ઓફિસ: દરેક વોર્ડ નંબર 1 થી 18 ની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતે આ યાદી જનતાના અવલોકન માટે ઉપલબ્ધ છે. મનપા તંત્રની સંપૂર્ણ સજ્જતા સેન્ટ્રલ ઝોન કચેરીની બેઠકમાં નોડલ ઓફિસર દિગમ શાહ અને નોડલ ટીમ (સંજય કુમાર અને નિશાંત કુમાર) ની ઉપસ્થિતિમાં આ બંને પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી. એક તરફ જનગણના માટે 4700 થી વધુનો સ્ટાફ કાર્યરત થશે, બીજીતરફ મતદાર યાદી માધ્યમથી પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો પાયો નખાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ બંને પ્રક્રિયાઓમાં સક્રિયતા દાખવે. મતદાર યાદીમાં તમારું નામ તપાસવું અને જનગણનામાં સાચી વિગતો આપવી એ એક જવાબદાર નાગરિકની ફરજ છે, જે આવતીકાલના વિકસિત રાજકોટનું નિર્માણ કરશે.
રાજકોટ શહેરના શ્રમિક અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ મહત્વના અને આનંદના સમાચાર આપવામાં આવ્યા છે. પોતાના ઘરનું ઘર હોવું એ દરેક સામાન્ય માનવીનું એક મોટું સ્વપ્ન હોય છે, અને આ સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા કમર કસવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ કેટેગરીના કુલ 1080 આવાસો માટે આગામી તા. 07/04/2026 થી ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટે આવાસની કિંમત માત્ર રૂ. 2 લાખ રાખવામાં આવી છે, જેથી મોંઘવારીના સમયમાં સામાન્ય માણસ પણ ઘરનું ઘર મેળવી શકશે. વિવિધ કેટેગરી અને આવાસની કિંમતો મહાનગરપાલિકા દ્વારા આવાસ યોજનાને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે, જેથી સમાજના દરેક સ્તરના લોકો તેની ક્ષમતા મુજબ અરજી કરી શકે છે. * EWS કેટેગરી (Economically Weaker Section): આ યોજનામાં સૌથી મોટો હિસ્સો EWS આવાસોનો છે, જેની સંખ્યા 1057 છે. આ આવાસની કિંમત માત્ર રૂ. 02 લાખ છે. જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 03 લાખ સુધીની છે, તેઓ આ માટે અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે આ માટે ફોર્મ ફી શૂન્ય છે અને ડિપોઝિટની રકમ રૂ. 5000 રાખવામાં આવી છે. * LIG કેટેગરી (Low Income Group): જે પરિવારોની વાર્ષિક આવક રૂ. 03 લાખ થી રૂ. 06 લાખની વચ્ચે છે, તેમના માટે 06 આવાસો ઉપલબ્ધ છે. આ આવાસની કિંમત રૂ. 12 લાખ નક્કી કરવામાં આવી છે. આ માટે ફોર્મ ફી રૂ. 50 અને ડિપોઝિટ રૂ. 20000 ભરવાની રહેશે. * MIG કેટેગરી (Middle Income Group): મધ્યમ આવક ધરાવતા પરિવારો જેમની વાર્ષિક આવક રૂ. 06 લાખ થી રૂ. 7.5 લાખ છે, તેમના માટે 17 આવાસો છે. આ આવાસની કિંમત રૂ. 18 લાખ છે, જેમાં ફોર્મ ફી રૂ. 100 અને ડિપોઝિટ રૂ. 20000 રહેશે. આવાસમાં મળનારી સુવિધાઓ EWS કેટેગરીના આવાસો માત્ર રૂ. 2 લાખ જેવી નજીવી કિંમતમાં મળતા હોવા છતાં, આ આવાસોમાં પાયાની તમામ આધુનિક સુવિધાઓનો ખ્યાલ રાખવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસ વિસ્તારોમાં પાકા સીસી રોડ, સ્ટ્રીટ લાઈટ, પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન અને અધ્યતન ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, બાળકો માટે રમતનું મેદાન અને ગ્રીન બેલ્ટ જેવી સુવિધાઓ પણ આયોજન હેઠળ છે, જેથી સામાન્ય પરિવારના બાળકોને પણ ઉત્તમ વાતાવરણ મળી રહેશે. અન્ય કેટેગરીના આવાસોમાં પણ જીવન જરૂરી તમામ સુવિધાઓ આપવામાં આવશે. કેવી રીતે અને ક્યારે અરજી કરવી? રાજકોટ મહાનગરપાલિકાએ સમગ્ર પ્રક્રિયાને અત્યંત પારદર્શક અને સરળ બનાવવા માટે ઓનલાઇન માધ્યમ પસંદ કર્યું છે. ઈચ્છુક નાગરિકો તારીખ 7 એપ્રિલના રોજ બપોરે 1 વાગ્યાથી લઈને 6મેં ના રોજ સાંજે 05 વાગ્યા સુધી મનપાની અધિકૃત વેબસાઇટ www.rmc.gov.in પર જઈને ફોર્મ ભરી શકશે. એક મહિનાના સમયગાળા દરમિયાન અરજદારોએ પોતાની ડિપોઝિટની રકમ પણ ઓનલાઇન જ જમા કરાવવાની રહેશે. જરૂરી દસ્તાવેજો અને અપલોડ કરવાની સૂચના અરજદારોએ ફોર્મ ભરતી વખતે કેટલાક મહત્વના દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં સાથે રાખવા પડશે. આ તમામ દસ્તાવેજો JPG અથવા PDF ફોર્મેટમાં અને 01 MB થી ઓછી સાઈઝમાં હોવા જોઈએ. * અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી. * આધાર કાર્ડ (અરજદાર અને તેમના પતિ/પત્ની અથવા વાલીના). * તારીખ 01/04/2023 પછીનું વાર્ષિક આવકનું પ્રમાણપત્ર અથવા વર્ષ 2024-25 નું ITR. * રહેઠાણના પુરાવા તરીકે તારીખ 01/04/2025 પછીનું લાઈટબિલ, વેરાબિલ અથવા ભાડા કરાર. * ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને બેંકની વિગતો (કેન્સલ્ડ ચેક/પાસબુક). * જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગતાનું પ્રમાણપત્ર (40% થી વધુ) અથવા માજી સૈનિક હોવા અંગેના પુરાવા. આવાસ યોજના વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે કે અરજદારે 'સ્વ-પ્રમાણિત જાહેરનામું' (Self-attested Declaration) ડાઉનલોડ કરી, તેના દરેક પાના પર સહી કરી અને ફરી અપલોડ કરવાનું રહેશે. જો આ દસ્તાવેજ અધૂરો હશે અથવા અપલોડ કરવામાં નહીં આવ્યો હોય, તો અરજી ફોર્મ સીધું જ રદ કરવામાં આવશે. તો જાતિના પ્રમાણપત્ર જેવી વિગતોમાં અરજદારનું જ પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે. રાજકોટ મહાનગરપાલિકાની આ યોજનાથી હજારો પરિવારોને આર્થિક બોજ વગર પાકું મકાન મળશે. ખાસ કરીને શ્રમિકો માટે રૂ. 02 લાખમાં ઘરનું ઘર મળવું એ તેમની જીવનભરની મૂડી સમાન છે. મનપાના આવાસ યોજના વિભાગે લોકોને અપીલ કરી છે કે છેલ્લી ઘડીની ભીડ ટાળવા માટે વહેલી તકે ઓનલાઇન ફોર્મ ભરી દેવા. આ પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝડ ડ્રો દ્વારા કરવામાં આવશે, જેથી દરેક નાગરિકને સમાન તક પ્રાપ્ત થશે. રાજકોટ મહાપાલિકા દ્વારા PMAY 2.0 અંતર્ગત 3170 આવાસોનું નિર્માણ કરાશે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત શહેરના આર્થિક રીતે નબળા વર્ગના અને ઘરવિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 હેઠળ EWS-1 અને EWS-2 પ્રકારના કુલ 3170 આવાસોના નિર્માણ માટેની ટેન્ડર પ્રક્રિયા આજે 31 માર્ચનાં રોજ પૂર્ણ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ, આ ટેન્ડર 01-04-2026ના રોજ મહાનગરપાલિકાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થશે, જેમાં આધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે શુદ્ધ પાણી, ગટર લાઈન, સ્ટ્રીટલાઈટ, પાર્કિંગ અને બાળકો માટે રમતગમતના સ્થળોનો સમાવેશ કરવામાં આવશે. રાજ્ય સરકારના 24-03-2025ના ઠરાવ મુજબ અમલી બનેલી યોજનામાં AHP, ARH, BLC અને ISS જેવા વિવિધ ઘટકો દ્વારા લાભાર્થીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ કરાવી 'સર્વ માટે આવાસ'ના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.
વૈશ્વિક સ્તરે ખાડી દેશો વચ્ચે વણસી રહેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને આડકતરી અસર હવે ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતના આર્થિક માળખા પર વર્તાવા લાગી છે. ખાસ કરીને સુરતના હોસ્પિટાલિટી સેક્ટર એટલે કે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં અત્યારે ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, શહેરમાં બિઝનેસ ટ્રાવેલર્સની સંખ્યામાં ધરખમ ઘટાડો થતા હોટલના રૂમ ઓક્યુપન્સીમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે, જે ઉદ્યોગ જગત માટે ચિંતાનો વિષય બન્યો છે. 'ખર્ચમાં સતત વધારોને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો'ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ અને ગેસના પુરવઠા પર મોટી અસર પડી છે. સુરતમાં પણ એલપીજી સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં 50 ટકા જેટલી છૂટછાટ મળી છે, પરંતુ હજુ પણ સપ્લાય ચેઈન પૂર્વવત થઈ નથી. હોટલ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ, એકતરફ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ બેવડી મારને કારણે નાના અને મધ્યમ કદના હોટલ સંચાલકો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. રૂમ બિઝનેસમાં 50 ટકાનો ઘટાડોસુરત મુખ્યત્વે બિઝનેસ ટ્રાવેલર્સનું શહેર છે. અહીં આવતા 90 ટકા લોકો વેપાર-અર્થે આવતા હોય છે. પરંતુ યુદ્ધની અસર અને સ્થાનિક ઉદ્યોગોમાં મંદીના કારણે રૂમ બિઝનેસમાં 50 ટકાનો ગાબડો પડ્યો છે. સાઉથ ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ જણાવ્યું હતું કે, અત્યારે રૂમ બિઝનેસમાં બહુ મોટી અસર છે. અગાઉ જે રૂમ્સ કોર્પોરેટ ગેસ્ટથી ભરેલા રહેતા હતા, ત્યાં અત્યારે 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકો બિનજરૂરી ખર્ચ ટાળી રહ્યા છે અને કંપનીઓએ તેમના કર્મચારીઓના ટ્રાવેલિંગ બજેટ પર કાપ મૂક્યો છે. કર્મચારીઓના બિઝનેસ ટ્રાવેલિંગ પર રોકયુદ્ધના કારણે ઉભી થયેલી આર્થિક અનિશ્ચિતતાને જોતા અનેક મોટી કંપનીઓએ તેમના કર્મચારીઓના બિઝનેસ ટ્રાવેલિંગ પર રોક લગાવી દીધી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સેક્ટર સાથે જોડાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ જે અગાઉ સુરતની મુલાકાત લેતા હતા, તેમને અત્યારે કંપનીઓ તરફથી મુસાફરી માટે મંજૂરી આપવામાં આવતી નથી. આ 'ડાઉન સેન્ટિમેન્ટ'ને કારણે સુરતની લક્ઝરી અને બજેટ હોટેલોના રૂમ ખાલી પડી રહ્યા છે, જેની સીધી અસર હોટેલની આવક પર પડી છે. રેસ્ટોરન્ટ બિઝનેસમાં 30થી 35 ટકાનો ઘટાડોમાત્ર રહેવાની સગવડ જ નહીં, પણ ખાણીપીણીના શોખીન સુરતીઓના શહેરની રેસ્ટોરન્ટોમાં પણ મંદીની અસર દેખાઈ રહી છે. રેસ્ટોરન્ટ બિઝનેસમાં અંદાજે 25થી 35 ટકાનો ઘટાડો નોંધાયો છે. મોંઘવારી વધવા છતાં હોટલ માલિકો અત્યારે ભાવ વધારો કરી શકે તેવી સ્થિતિમાં નથી. જો ભાવ વધારવામાં આવે તો બચેલા ગ્રાહકો પણ હાથમાંથી નીકળી જવાનો ભય છે. આમ, 'ખર્ચો વધારે અને બિઝનેસ ઓછો' તેવી સ્થિતિમાં રેસ્ટોરન્ટ સંચાલકો મુકાયા છે. ટેક્સટાઇલ ઉદ્યોગમા બહારથી આવતા વેપારીઓની અવરજવર નહિવત સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ જે શહેરની આર્થિક કરોડરજ્જુ છે, તે અત્યારે સૌથી વધુ પ્રભાવિત થયો છે. ગેસ સપ્લાયમાં કાપને કારણે અનેક ટેક્સટાઇલ યુનિટો અને મિલો બંધ થવાની અણી પર છે અથવા અડધી ક્ષમતાએ ચાલી રહી છે. જ્યારે પ્રોસેસિંગ હાઉસ અને મિલોમાં કામ અટકે છે, ત્યારે તેની ચેઈન રિએક્શન હોટેલ ઉદ્યોગ સુધી પહોંચે છે. ટેક્સટાઇલ માર્કેટમાં નવા ઓર્ડરના અભાવે બહારથી આવતા વેપારીઓની અવરજવર નહિવત થઈ ગઈ છે. કારીગરોનું પલાયન અને પ્રોડક્શન પર માઠી અસરઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ કાપ એટલી હદે વકર્યો છે કે માત્ર ફેક્ટરીઓ જ નહીં, પણ શ્રમિકોના ઘરના ચૂલા પણ ઠરી ગયા છે. અનેક કારીગરોને રાંધવા માટે ગેસ ન મળતા તેઓ સુરત છોડીને વતન પરત ફરી રહ્યા છે. મિલ માલિકોનું કહેવું છે કે ગેસના અભાવે અડધું કામ અટકી ગયું છે. કારીગરોની આ હીજરત અને ઉત્પાદનમાં ઘટાડો થવાથી સુરતની એકંદર અર્થવ્યવસ્થા ખોરવાઈ ગઈ છે, જેની અસર હોટેલના વેપાર પર સ્પષ્ટ દેખાય છે. સ્ટાફ મેનેજમેન્ટ અને વધતા જતા સંચાલન ખર્ચની સમસ્યાબિઝનેસ ઘટવાની સાથે હોટેલ ઉદ્યોગ સામે સ્ટાફને સાચવવાનો પણ મોટો પડકાર છે. સનત રેલિયાના જણાવ્યા મુજબ, સ્ટાફમાં પણ અત્યારે ભાગાભાગીનો માહોલ છે. એકતરફ કામ ઓછું છે અને બીજી તરફ મોંઘવારીને કારણે સ્ટાફનો નિભાવ ખર્ચ વધી રહ્યો છે. હોટેલોમાં વીજળી, મેન્ટેનન્સ અને રો મટીરીયલ્સના ભાવ આસમાને પહોંચ્યા છે, જેની સામે આવક અડધી થઈ ગઈ છે. સુરતના હોસ્પિટાલિટી ઉદ્યોગમાં મંદીનો માહોલસુરત પ્રવાસન સ્થળ કરતા બિઝનેસ હબ તરીકે વધુ જાણીતું છે. અહીં આવતા મુલાકાતીઓ સીધા ટેક્સટાઇલ, ડાયમંડ અથવા મશીનરી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હોય છે. જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝમાં જ ગેસ અને યુદ્ધને કારણે મંદી હોય, ત્યારે હોટેલના રૂમ ભરાવા અશક્ય છે. નિષ્ણાંતોના મતે જો ખાડી દેશોમાં પરિસ્થિતિ વહેલી તકે થાળે નહીં પડે, તો સુરતના હોસ્પિટાલિટી ઉદ્યોગમાં હજુ પણ મોટો કડાકો આવી શકે છે.
વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા સ્ટેલાર કિચન ખાતે આગામી 25 એપ્રિલના રોજ 'સંતુર મોમ વડોદરા સિઝન-2'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શન દ્વારા આયોજિત આ સ્પર્ધા માટે અત્યારથી જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ મંચ પર ગુજરાતભરની કોઈપણ ઉંમરની માતાઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકશે. પ્રતિભા નિખારવા માટે ખાસ સેશન્સઆ સ્પર્ધાને બે દિવસના ખાસ કાર્યક્રમોમાં વિભાજિત કરવામાં આવી છે. 24 એપ્રિલના રોજ પ્રથમ દિવસે સહભાગી માતાઓ માટે કોરિયોગ્રાફી, વુમન એમ્પાવરમેન્ટ, ઝુમ્બા-ફિટનેસ અને સ્ટાયલિંગ જેવા વિવિધ સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન્સનો મુખ્ય ઉદ્દેશ્ય માતાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો છે. રેમ્પ વોક અને ભવ્ય ઇનામસ્પર્ધાના બીજા દિવસે એટલે કે 25 એપ્રિલના રોજ મુખ્ય ઇવેન્ટ યોજાશે. જેમાં સ્પર્ધકોએ બ્રાઇડલ વેર અને પેઝન્ટ ગ્રાઉન એમ બે અલગ-અલગ કોસ્ચ્યૂમમાં રેમ્પ વોક કરવાનું રહેશે. દિવસભરના વિવિધ સેશન્સ અને રેમ્પ વોકમાં જે માતાનું પ્રદર્શન સર્વોત્તમ રહેશે, તેમને વિજેતા જાહેર કરવામાં આવશે. વિજેતા બનનાર મોમને 40,000 રૂપિયાની કિંમતનો આકર્ષક હીરાજડિત ક્રાઉન એનાયત કરવામાં આવશે. આયોજકોનો ઉમદા અભિગમઆદિશ્રી ઇવેન્ટ પ્રોડક્શનના ફાઉન્ડર રાજશ્રી પાંજરોલિયા અને આદિત્યસિંહ પાંજરોલિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2025માં યોજાયેલી પ્રથમ સિઝનમાં રિચા કોઠારી વિજેતા બની હતી. તેઓ માને છે કે દરેક માતા પાસે અદભૂત પ્રતિભા હોય છે, બસ તેને યોગ્ય મંચની જરૂર હોય છે. આ પ્રયાસ દ્વારા ગુજરાતની માતાઓને પોતાની ઓળખ બનાવવાની એક સુવર્ણ તક મળી રહી છે.
જો તમે પણ નેચર અને આર્ટ ના શોખીન હોવ, તો 'બોરોડ અર્થ'ની મુલાકાત લેવા જેવી છે. શહેરના એક ફિલ્મમેકર તન્મય શાહ દ્વારા એક વિશેષ પેઇન્ટિંગ એક્સિબિશન ‘Borrowed Earth’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માત્ર કળાનું પ્રદર્શન નથી, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી અને સમજવા જેવી અનેક પેઇન્ટિંગનું એક્સિબિશન કરવામાં આવેલ છે. છ દિવસીય ચિત્ર પ્રદર્શન ‘Borrowed Earth’શહેરની આર્ટ ગેલેરી 'અમદાવદની ગુફા' ખાતે આજે ફિલ્મમેકર તન્મય શાહના છ દિવસીય ચિત્ર પ્રદર્શન ‘Borrowed Earth’નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કલા રસિકો, પર્યાવરણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 26 એક્રેલિક પેઇન્ટિંગ્સ અને 26 ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પ્રદર્શનની મુખ્ય થીમ એ વિચાર પર આધારિત છે કે આ પૃથ્વી આપણી માલિકીની નથી, પણ આપણે તે આવનારી પેઢી પાસેથી 'ઉધાર' લીધેલી છે. પ્રદર્શનનું ઉદઘાટન વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (AGS)ના ફાઉન્ડિંગ ક્યુરેટર ડૉ. સુનિલ આર. પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે, વિજ્ઞાન આપણને ઘટનાઓ સમજાવે છે, પરંતુ કળા આપણને તે ઘટનાઓની ગંભીરતા સમજવા માટે પ્રેરણા આપે છે. આ પેઇન્ટિંગ મનુષ્ય અને કુદરતના નાજુક સંબંધોને દર્શાવે છેઆ પ્રસંગે ફિલ્મમેકર તન્મય શાહે જણાવ્યું હતું કે, આ પ્રદર્શન દ્વારા મારો પ્રયાસ માલિકીની માનસિકતા છોડીને જવાબદારીની દૃષ્ટિ કેળવવાનો છે. છેલ્લા છ મહિનાની મહેનત દ્વારા તૈયાર થયેલા આ પેઇન્ટિંગ મનુષ્ય અને કુદરતના નાજુક સંબંધોને દર્શાવે છે. પ્રદર્શનમાં ઉત્તર ધ્રુવ (Northern Lights) ના અદભૂત ફોટોગ્રાફ્સ પણ મૂકવામાં આવ્યા છે, જે કુદરતની ભવ્યતાનો પણ સારી રીતે અહેસાસ કરાવે છે. તન્મય શાહ, જેઓ અગાઉ '52filmsProject' માટે વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે, તેમનું આ પાંચમું સોલો પ્રદર્શન છે. આ પ્રદર્શન 5 એપ્રિલ સુધી દરરોજ સાંજે 4 થી 8 વાગ્યા દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.
પાટણ જિલ્લાના વડલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને મૂર્તિઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. સંવત 2082 ના ચૈત્ર સુદ તેરસથી પૂર્ણિમા સુધી ચાલનારા આ ત્રણ દિવસીય મહોત્સવમાં શતચંડી મહાયજ્ઞ અને મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા મુખ્ય આકર્ષણ રહેશે. આ ત્રિ-દિવસીય મહોત્સવના પ્રથમ દિવસે, 31 માર્ચ, 2026 ના રોજ સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી ભવ્ય કળશયાત્રા અને શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સિકોતર માતાજીને હાથી પર બિરાજમાન કરાયા હતા. બે રથ, હાથી અને વાજતે-ગાજતે નીકળેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો, ગ્રામજનો અને દીકરીઓ માથે કળશ લઈ જોડાયા હતા. ઉપસ્થિત સાધુ-સંતોનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની રાત્રે 8:30 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પોતાની પ્રસ્તુતિ આપશે. આ સમગ્ર આયોજન વીરચંદભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે. મહોત્સવના બીજા દિવસે, 1 એપ્રિલ, 2026 ના રોજ યજ્ઞશાળામાં પ્રાતઃ પૂજન, પ્રાસાદ વાસ્તુ અને હોમ કર્મ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થશે. આ દરમિયાન હોમાત્મક કુંડી શતચંડી મહાયજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે, 2 એપ્રિલ, 2026 ના રોજ બપોરે 12:39 કલાકે મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે મંદિર પર હેલિકોપ્ટર મારફતે પુષ્પવર્ષા કરવાનું આયોજન કરાયું છે. ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4:00 કલાકે મહાઆરતી યોજાશે. મહોત્સવની પૂર્ણાહુતિના ભાગરૂપે રાત્રે 8:30 કલાકે માનસી કુમાવતના રાસગરબા અને રાત્રે 9:00 કલાકે 501 દીવાની ભવ્ય મહાઆરતીના દર્શનનું આયોજન કરાયું છે. આ ત્રણ દિવસ દરમિયાન ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ત્રિમંદિર સંકુલમાં ગૌશાળા પણ કાર્યરત છે અને હાલમાં હજારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન વિકરાળ બનતી ખાડી પૂરની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂતકાળમાં ખાડી પૂરને કારણે સર્જાયેલી તારાજી અને નાગરિકોની હાલાકીને ધ્યાને રાખીને મનપા પ્રશાસન દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જેમાં શહેરના ઇતિહાસમાં પ્રથમવાર પોકલેન મશીનોને સીધા ખાડીના પાણીમાં ઉતારીને અંદરથી સફાઈ અને ડ્રેજિંગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે મનપા વહીવટદાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને દરેક ઝોન દીઠ એક-એક પોકલેન મશીન ફાળવવાનું આયોજન છે, જેથી ખાડીના તળિયે વર્ષોથી જમા થયેલો કચરો અને સિલ્ટ અસરકારક રીતે દૂર કરી શકાય અને પાણીના વહનનો માર્ગ મોકળો બને. ડે.મ્યુ, કમિશનરની અધ્યક્ષતામાં હાઈ-લેવલ બેઠકઆ મહત્વાકાંક્ષી યોજનાના અમલીકરણ માટે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની અધ્યક્ષતામાં વરાછા, ઉધના, લિંબાયત અને અઠવા ઝોન સહિત સિંચાઈ-ડ્રેનેજ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે, ખાડીઓમાં ગંદકી અને સિલ્ટ જમા થવાને કારણે પાણીની વહન ક્ષમતા ઘટી જાય છે, જે પૂર જેવી સ્થિતિ ઉભી કરે છે. ખાસ કરીને ગત વર્ષે ચાર ઝોનના લોકોએ ભારે મુશ્કેલી વેઠી હતી, જેના કારણે તંત્ર પર માછલાં ધોવાયા હતા. આ સ્થિતિને સુધારવા માટે હવે માત્ર સફાઈ જ નહીં, પરંતુ ખાડીને પહોળી કરવા (વાઈડનીંગ) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ખાડીને પહોળી કરવાનો નિર્ણય લેવાયોઆ આયોજનના ભાગરૂપે ઉધના અને અઠવા ઝોન વચ્ચે આવેલા બમરોલી બ્રિજ નજીકની સરકારી જમીનમાં ખોદકામ કરીને ખાડીને પહોળી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને બ્લોક નં. 70 માં ખાડી અત્યંત સાંકડી હોવાથી ત્યાં પાણી અટકી જાય છે, જે હવે જમીન સંપાદન અને ખોદકામ દ્વારા દૂર કરવામાં આવશે. સિંચાઈ અને ડ્રેનેજ વિભાગ તેમજ ડીઆઈએલઆર વિભાગના સંકલનથી જમીનનું ડિમાર્કેશન કરી ચોમાસા પૂર્વે જ આ તમામ કામગીરી પૂર્ણ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપાના આ આક્રમક અભિગમથી આગામી ચોમાસામાં ખાડી પૂરની સમસ્યામાં મોટી રાહત મળે તેવી શક્યતા છે.
SAL હોસ્પિટલે કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ યોજ્યું:500થી વધુ લોકોએ ભાગ લીધો, નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું
SAL હોસ્પિટલ એન્ડ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટે તાજેતરમાં 'અર્લીકેર – લાઇફલોંગ વેલનેસ' શીર્ષક હેઠળ એક વિશેષ કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જાગૃતિ દ્વારા લોકોને સશક્ત કરવાનો હતો. આ અસરકારક સત્રમાં અગ્રણી કેન્સર નિષ્ણાતોએ જટિલ વિષયોને સરળ ભાષામાં સમજાવ્યા હતા. ઉપસ્થિતોને કેન્સરના વહેલા નિદાન, પ્રતિરોધ અને યોગ્ય આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુંબઈના પ્રખ્યાત કેન્સર સર્જન ડૉ. સંકેત મહેતા (SSO, મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. નિષ્ણાત પેનલમાં વરિષ્ઠ કેન્સર સર્જન ડૉ. જયવીરસિંહ ઝાલા, કેન્સર સર્જન ડૉ. ધવલ ઠક્કર, હેમેટોલોજિસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કન્સલ્ટન્ટ ડૉ. સંકેત શાહ અને ડૉ. મંથન કાથરોટિયાનો સમાવેશ થતો હતો.આ સિમ્પોઝિયમમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેના કારણે સત્ર હાઉસફુલ રહ્યું હતું. કાર્યક્રમને તેની જ્ઞાનવર્ધક માહિતી, ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને રસપ્રદ અનુભવ માટે ખૂબ પ્રશંસા મળી હતી. મેમનગર સિનિયર સિટીઝન, બી ગ્રુપ સિનિયર સિટીઝન અને હેત હેલ્પિંગ હેન્ડ્સ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર સહિતના મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આયોજકોએ તમામ ભાગ લેનારાઓ, ડોકટરો અને ભાગીદારોનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ નિરીક્ષકોની બે ટીમો 2 અને 3 એપ્રિલે જિલ્લાની મુલાકાત લેશે. આ ટીમોમાં ત્રણ-ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયત, 1 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાઓ માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવાનો છે. આ પ્રક્રિયા દ્વારા પક્ષના કાર્યકરોનો મિજાજ પારખીને લોકપ્રિય ચહેરાઓને તક આપવા માટે ‘સેન્સ’ લેવામાં આવશે. નિરીક્ષકોની પ્રથમ ટીમ 2 એપ્રિલે સવારે 10 વાગ્યાથી પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેશે. અહીં પાટણ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવશે. ત્યારબાદ, 3 એપ્રિલે આ જ ટીમ દ્વારા પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બીજી તરફ, નિરીક્ષકોની બીજી ટીમ 2 એપ્રિલે રાધનપુર APMC ખાતે રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકાના ઉમેદવારોની રજૂઆતો સાંભળશે. 3 એપ્રિલે આ ટીમ હારીજ ખાતે આવેલી રોહિત કોટન ઇન્ડસ્ટ્રીઝમાં હારીજ, શંખેશ્વર અને ચાણસ્મા તાલુકાના ઈચ્છુક ઉમેદવારો માટે બેઠક યોજશે. પ્રદેશમાંથી આવનારી આ બે ટીમો સમક્ષ પોતાનું પલડું ભારે કરવા માટે દાવેદારોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બાયોડેટા તૈયાર કરવા સહિતની તમામ ગતિવિધિઓ તેજ બની છે. નિરીક્ષકો દ્વારા મેળવવામાં આવેલા અભિપ્રાયો અને વિગતોના આધારે જ આગામી દિવસોમાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોના નામ પર આખરી મહોર મારશે. આ બે દિવસીય કવાયત બાદ પાટણ જિલ્લાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી હનુમાન જન્મોત્સવ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય કાર્યક્રમો અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્ષે ઉજવણીમાં મુખ્યમંત્રી પણ સહભાગી થશે.આવતીકાલે (1 એપ્રિલ)ચૈત્ર સુદ ચૌદસના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે.સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હનુમાન દાદાની આરતી ઉતારી અને સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સુધીર નાણાવટી પણ ઉપસ્થિત રહેશે.જાયન્ટ ગદા શોભાયાત્રામાં સામેલ થશેઆ વર્ષની શોભાયાત્રામાં અનેક વિશેષતાઓ જોવા મળશે.ઓપરેશન સિંદૂર ટેબ્લો અને અન્ય આકર્ષક ટેબ્લો સહિત કુલ 30 ટ્રક, જેમાં ભજન મંડળી અને સુશોભિત ટ્રકોનો સમાવેશ કરાયો છે. એટલું જ નહીં દાદાની જાયન્ટ ગદા, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક, 200થી વધુ બુલેટ સવારો અને મોટી સંખ્યામાં કાર જોડાશે. યાત્રાના રૂટ પર 50થી વધુ જગ્યાએ સ્વાગત કેન્દ્રો રાખવામાં આવ્યા છે.શોભાયાત્રા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી શરૂ થઈ શાહીબાગ અંડરબ્રિજ, નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, ગાંધી બ્રિજ, આશ્રમ રોડ, પાલડી થઈને વાયુદેવતાના મંદિરે પહોંચશે. ત્યાં વિશ્રામ બાદ અંજલી ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા થઈ સાંજે 5:30 કલાકે નિજ મંદિરે પરત ફરશે. દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવાશેહનુમાન જન્મોત્સવના મુખ્ય દિવસે એટલે કે ગુરુવારે મંદિરે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમો જોવા મળશે.મંગળા આરતી અને ફૂલોના શણગાર સાથે દાદાને 101 કિલો માવાનો હલવો ધરાવવામાં આવશે.સવારે 10:30 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે. સવારે 11 કલાકે ધ્વજારોહણ બાદ ભક્તો માટે મહાપ્રસાદ (ભંડારા)ની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે 4 થી 6 દરમિયાન મંદિરે સુંદરકાંડના પાઠનું આયોજન છે.
ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડતાં દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે અપ અને ડાઉન બંને ટ્રેક પરની અવરજવર પ્રભાવિત થઈ હતી. રેલવેના 25 હજાર કે.વી.નો વીજ વાયર તૂટી પડ્યો હતો અને એક વીજ પોલ પણ નમી ગયો હતો. ઘટનાસ્થળે એક મોરનું પણ મૃત્યુ થયું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોર કોઈ ધાતુ સાથે હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના સવારે અંદાજે 7:00 વાગ્યાના સુમારે બની હતી. 25 હજાર કે.વી.ના વીજ પ્રવાહના કારણે ભારે દબાણ અને સ્પાર્ક સર્જાયો હતો, જેના પરિણામે વીજ પોલની આસપાસની જમીનમાં મોટો ખાડો પડી ગયો હતો. સદનસીબે, તે સમયે કોઈ ટ્રેન પસાર ન થતી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ટેકનિકલ ખામીને કારણે અનેક ટ્રેનો મોડી પડી હતી. અપ લાઇન પર ઝાંસી પશ્ચિમ, જમ્મુતાવી અને મેમુ પેસેન્જર ટ્રેનો 2 થી 2.30 કલાક મોડી ચાલી રહી હતી, જ્યારે ડાઉન લાઇન પર દેહરાદૂન એક્સપ્રેસ અને કોટા પાર્સલ ટ્રેન 45 મિનિટ મોડી પડી હતી. બનાવની જાણ થતાં જ OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. રેલવે પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.
સુરત શહેરમાં અત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત ગમે તે ક્ષણે થવાની અટકળો વચ્ચે શહેરના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારોએ પોતાની ટિકિટ પાકી કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં અથવા તો ગમે તે ક્ષણે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અટકળોએ નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્તેજના જગાડી છે. ઉલ્લેખનીય છે કે, સુરત પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદત 11 માર્ચના રોજ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં હજુ સુધી ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ નહોતી, જે હવે ટૂંક સમયમાં થવા જઈ રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો બેઠક મળી હતીસુરતનું રાજકારણ હંમેશા રસપ્રદ રહ્યું છે. 2021માં યોજાયેલી છેલ્લી ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપે 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તા પર કબ્જો જમાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી હતી, જેણે પ્રથમ વખત જ સુરતમાં મજબૂત પકડ જમાવી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને તેને ઝીરો બેઠક મળી હતી. પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે એડીચોટીનું જોરઆ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને 'આપ' વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પણ પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. 11 હજાર કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પર કબ્જો મેળવવા તમામ પક્ષો મરણિયા બન્યા છે. ટિકિટ માટે લોબિંગ શરૂચૂંટણી જાહેર થવાની શક્યતાને પગલે પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારો એક્શન મોડમાં આવી ગયા છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોએ પોતપોતાના પક્ષના ગોડફાધર અને મોટા નેતાઓની ઓફિસોના આંટાફેરા વધારી દીધા છે. નવા અને ઉત્સાહી ચહેરાઓને તક મળી શકેજોકે, તમામ રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ શકે છે. દરેક વોર્ડમાં અનેક દાવેદારો હોવાથી આંતરિક જૂથબંધી અને અસંતોષ ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી. ખાસ કરીને જે પૂર્વ કોર્પોરેટરોની કામગીરી સારી નથી રહી, તેમની ટિકિટ કપાઈ શકે છે, જ્યારે નવા અને ઉત્સાહી ચહેરાઓને તક મળી શકે છે. સોશિયલ મીડિયા પર પ્રચાર યુદ્ધ શરૂ આગામી દિવસોમાં વિવિધ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સાથે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવશે. સુરતના ટ્રાફિક, પાણી, પ્રદૂષણ અને ટેક્સ જેવા સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે. સોશિયલ મીડિયા પર પણ પ્રચાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. શું AAP ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરશે? સુરતની જનતા ફરી એકવાર કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. શું ભાજપ પોતાનો ગઢ સાચવી રાખશે? શું આમ આદમી પાર્ટી ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરશે? કે પછી કોંગ્રેસ ફરી બેઠી થશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીની જાહેરાત અને મતદાન બાદ જ મળશે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે સુરતનું રાજકારણ પૂરેપૂરું ગરમાયું છે અને સૌની નજર વડાપ્રધાનના પ્રવાસ બાદ થનારી જાહેરાત પર ટકેલી છે.
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુવાનની શોધખોળ જારી છે. આ ઘટનાને પગલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથીગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. હાલમાં તો આ ઘટનામાં બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. આ બંને મામલે ડભોડા પોલીસ તપાસ ચલાવી રહી છે. દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈને કેનાલમાં છલાંગ લગાવીઅમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ વાઘેલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બે પરણિત ભાઈઓ નિખિલ અને નીરજ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીરજ ઘર છોડીને રાયપુર કેનાલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. નાના ભાઈને બચાવવા માટે મોટો ભાઈ નિખિલ પણ પાછળ કૂદ્યો હતો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં બંને ભાઈઓ ગરકાવ થઈ ગયા હતા. નિખિલની લાશ અગાઉ મેદરા કેનાલમાંથી મળી હતી, જ્યારે નીરજનો મૃતદેહ ગઈકાલે છેક જાસપુર કેનાલમાંથી મળી આવ્યો છે. એકની લાશ જાસપુર તણાઈ આવીને અને તેનો ભાઈ લાપતા છેબીજી તરફ મૂળ ધોલેરાના અને હાલ અમદાવાદમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ પણ કેનાલની બલિ ચઢ્યા છે. સુનીલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે હાથ-પગ ધોવા ઉતર્યા હતા, ત્યારે એક ભાઈનો પગ લપસતા તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. તંત્ર દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સુનીલનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ રોશન આંબલીયા હજુ પણ લાપતા છે. ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાથી મૃતદેહો તણાઈને કિલોમીટરો દૂર પહોંચી ગયા હતાં. નીરજ વાઘેલાની લાશ જાસપુર સુધી તણાઈને આવી હતી. હાલમાં રોશનની શોધખોળ ચાલુ છે. આ પણ વાંચો કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. 30 માર્ચે છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનાઓમાં કરુણતા એ વાતની છે કે એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધીની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી થઈ છે. આ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાફ, અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ એન.એ. ચાવડાએ જામનગરમાં તેમની ફરજ દરમિયાન પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કર્યું હતું. તેમણે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની નિઃસ્વાર્થ સેવા અને સેવા-સુરક્ષા-શાંતિ ના પોલીસ સૂત્રને અનુરૂપ કામગીરીને સૌએ બિરદાવી હતી. આ વિદાય સમારોહમાં દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામેતી, પીએસઆઈ ડી.જી. રામાનુજ, પીએસઆઈ એમ.એન. રાઠોડ અને ખંભાળીયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે. બ્લોચ સહિત વિવિધ વિભાગોના સ્ટાફ હાજર રહ્યો હતો. સર્વેલન્સ સ્ક્વોડ, એલઆઈબી સ્ટાફ, દરબારગઢ ચોકી સ્ટાફ, ખંભાળીયા ગેટ ચોકી સ્ટાફ અને દિગ્વિજય પ્લોટ ચોકી સ્ટાફ દ્વારા પીઆઈ ચાવડાને ફૂલહાર પહેરાવી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષય રોગના દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2025માં જિલ્લામાં 1,355 ક્ષયના દર્દીઓ નોંધાયા હતા. જેની સામે વર્ષ 2026ના પ્રારંભિક ગાળામાં જ અત્યાર સુધીમાં 1,241 જેટલા દર્દી સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં ટીબીનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે આ ચિંતાજનક સ્થિતિની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના પ્રયાસોને પરિણામે મહેસાણાના 600 ગામ પૈકી 146 ગામ સંપૂર્ણપણે ક્ષય મુક્ત બનવામાં સફળ રહ્યા છે. એક તરફ નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ ગામડાઓને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ પણ વેગ પકડી રહી છે. 'જિલ્લામાં ક્ષયરોગથી મૃત્યુદરમાં વધારો થયો'મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ક્ષય રોગના કારણે મૃત્યુદરમાં પણ વધારો નોંધાયો છે.હાલની સ્થિતિએ દર 1 લાખની વસ્તીએ 3-4 વ્યક્તિઓના મૃત્યુ ક્ષય રોગને કારણે થઈ રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીબીના રોગને જડમૂળથી નાથવા માટે એક વિશેષ અને નવીન ‘એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત દર્દીઓનું વહેલું નિદાન,સચોટ સારવાર અને લોકોમાં જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.ખાસ કરીને જે ગામો હજુ ક્ષય મુક્ત થયા નથી, ત્યાં સઘન તપાસ હાથ ધરીને ટીબી મુક્ત ગામની સંખ્યા વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં વહીવટી તંત્ર આ આયોજનબદ્ધ કામગીરી દ્વારા જિલ્લામાં ક્ષય રોગના વ્યાપને ઘટાડવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.
પોરબંદરમાં જાણીતી હોટેલોને લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહિ અપાઈ તે જાહેરાત PM કરે તેવી માગપોરબંદરમાં 1500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. પરમિટ ધારકો જિલ્લા બહાર દારૂ લેવા માટે જતા હોય છે, જેથી પોરબંદરમાં જ લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. ભાજપ ગાંધીજીની વિચારધારાને ખતમ કરવા માગતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીની વિચારધારાને ખતમ કરવા માંગતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહીં આપવામાં આવે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરાત કરે તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે સમગ્ર ગુજરાતમાં દારૂ બાંધીના કાયદાની કડક અમલવારી થાય તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. ‘ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ’ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, જે આપણા સૌ માટે ચોંકાવનારા છે. એક તરફ ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. ગાંધીજીને સંસ્થાને તોડી નાખો અને આધુનિકરણ કરવાના બહાને બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગાંધી ગાંધી વિચારની સંસ્થાઓને કઈ રીતે ખતમ કરી શકાય તેવી સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર એવા છે કે, જેમણે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘વિદેશમાં પ્રધાનમંત્રી પોતે ગાંધીજી સિવાય બીજી વાત કરતા નથી’વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માગું છું કે પક્ષા-પક્ષીથી ઉપર રહીને કામ કરવાની જરૂર છે. વિશ્વમાં દેશ ગાંધીની વિચારધારા તરીકે ઓળખાય છે. ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય છે. વિદેશમાં જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે પણ ગાંધીજી સિવાય બીજી કોઈ વાત કરતા નથી. વિશ્વ આખું ગાંધી વિચારધારા પર આગળ વધતું હોય ત્યારે ગુજરાતની શાસકો જે રીતે પગલા ભરી રહ્યા છે તે જરાય પણ વ્યાજબી નથી. પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા છે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે, ગાંધીની ભૂમિ પર પણ સમગ્ર ગુજરાતની જેમ સખત કાયદાની અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારધારાને આગળ વધારી શકીશું અને નવ યુવાનો જે ગુજરાતનું ભવિષ્ય છે તેને નશાની આડમાંથી બચાવી શકીશું.
અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સક્રિય બની છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રભારી અમિત લવતુકા દ્વારા આ પ્રક્રિયા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષમાંથી અંદાજે 30 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે. સેન્સ પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેવાની હોવાથી વધુ ફોર્મ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષે આગામી નગરપાલિકા ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને લડવાનો નિર્ધાર કર્યો છે. ખાસ કરીને રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા તેમજ ટ્રાફિક જેવી જનહિતની સમસ્યાઓને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવવામાં આવશે. આ પ્રસંગે પ્રભારી અમિત લવતુકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય મેળવશે.
કલોલમાં સાસરીયાઓ સામે પરણિતાએ દહેજની માંગણી અને મારપીટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.પાંચહાટડી બજાર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતાના લગ્ન ગત ફેબ્રુઆરી 2025માં થયા હતા. લગ્ન બાદ થોડો સમય બધું બરાબર ચાલ્યા બાદ સાસરી પક્ષ દ્વારા પરિણીતાને પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. આ અગાઉ પણ પરિણીતા પિયરમાંથી 20 હજાર રૂપિયા લાવી હોવા છતાં સાસરીયાઓની લાલચ સંતોષાઈ ન હતી.પતિએ પત્નીને લાફો મારી દીધોગત રવિવારે બપોરે સાસુએ પુત્રના ધંધા માટે પિયરમાંથી વધુ પાંચ લાખ રૂપિયા મંગાવવા માટે દબાણ કર્યું હતું. જોકે પરિણીતાએ અગાઉ આપેલા નાણાં પરત ન કર્યા હોવાનું કહેતા જ મામલો બિચક્યો હતો. અને ઉશ્કેરાયેલા પતિએ પત્નીને લાફો ઝીંકી દીધો હતો.જેમાં તેના હાથમાં પહેરેલી ચાંદીની લકી ગાલના ભાગે વાગતા ગંભીર ઈજા થઈ હતી.પરણિતાને ઘરમાં પૂરી રાખીત્યારબાદ સાસુ પણ લાકડાનો ધોકો લઈને દોડી આવ્યા હતા અને પરિણીતાને માર માર્યો હતો. પતિ-પત્ની અને સાસુ વચ્ચેના આ ઝઘડામાં પરિણીતાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ મકાન માલિકોની નજર સામે જ આ અત્યાચાર ગુજારાયો હોવા છતાં કોઈ વચ્ચે પડ્યું ન હતું અને પરિણીતાને આખી રાત ઘરમાં પૂરી રાખવામાં આવી હતી.દહેજની માંગણી,મારપીટનો ગુનો નોંધાયોબીજી દિવસે સવારે જેવી તક મળી કે તુરંત જ પરિણીતા સાસરીમાંથી નાસી છૂટી હતી અને કડી ખાતે પોતાના પિયર પહોંચી હતી. ત્યાં પરિવારને સમગ્ર આપવીતી જણાવ્યા બાદ તેને સારવાર અર્થે કલોલ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ત્રણ ચાર વખત મારઝૂડની ઘટનાઓ બની હતી અને મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી.જ્યાં સમાધાન બાદ તે સાસરીમાં પરત ફરી હતી. હાલમાં પોલીસે દહેજની માંગણી અને મારપીટ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વસૂલાતનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે, જે મનપાની મજબૂત નાણાકીય સ્થિતિ અને વેરા વિભાગની આક્રમક કામગીરીનો પુરાવો આપે છે. ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, હજુ રાત સુધીમાં આ આંકડો રૂ. 445 કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે હજુપણ અનેક સરકારી સંસ્થાઓનાં મળીને કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. વેરા વસૂલાતના મુખ્ય આંકડા અને લક્ષ્યાંકની પ્રાપ્તિરાજકોટ મહાનગરપાલિકાનાં ટેક્સ મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે કુલ રૂ. 454 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે આજે 31 માર્ચ બપોરની સ્થિતિએ તંત્રએ રૂ. 438 કરોડ વસૂલીને 97% જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ સફળતા પાછળ મનપાની 'રિવોર્ડ અને પેનલ્ટી' નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વર્ષના પ્રારંભમાં એડવાન્સ વેરો ભરનારાઓને અપાયેલી રિબેટ યોજના અને વર્ષના અંતે બાકીદારો સામે લેવાયેલા કડક પગલાંને કારણે તિજોરી છલકાઈ છે. આજના દિવસમાં વેરા વસુલાતનો આંકડો રૂ. 445 કરોડને પાર થવાની શક્યતા વેરા મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, સૂલાતના માધ્યમો પર નજર કરીએ તો ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે. કુલ આવકમાંથી રૂ. 237.99 કરોડ જેટલી માતબર રકમ ઓનલાઇન પેમેન્ટ દ્વારા મળી છે, જે દર્શાવે છે કે મોટા ભાગના કરદાતાઓએ ઘરબેઠા વેરો ભરવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત, મનપાની બારીઓ પર રોકડ સ્વરૂપે રૂ. 123.03 કરોડની આવક થઈ છે, જ્યારે ચેક દ્વારા રૂ. 76.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વ્યાજમાફી યોજનાને મળ્યો જબરો પ્રતિસાદરાજકોટ મનપાની વ્યાજમાફી યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં 9 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી કુલ 43346 આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે. દરમિયાન મનપા દ્વારા કુલ રૂ. 11,84,04,468.00 જેટલી વ્યાજની રકમ માફ કરવામાં આવી છે, જેની સામે કુલ રૂ. 73,30,14,180.00ની વેરાની આવક થઈ છે. કેટેગરી મુજબ વિગતો જોઈએ તો, રહેણાંક હેતુના 31,061 આસામીઓએ યોજનાનો લાભ લીધો છે, જેમાં રૂ. 8,76,77,970.00 વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. અને રૂ. 39,65,01, 436.00 ની વસૂલાત કરવામાં આવી છે. બીજીતરફ બિન-રહેણાંક મિલકતોમાં 11668 આસામીએ લાભ લીધો છે, જેમાં રૂ. 2,86,55,096.00 વ્યાજ માફી સાથે રૂ. 32,14,45,899.00ની આવક થઈ છે. ઉપરાંત અનલિંક વોટર કેટેગરીમાં 617 આસામીએ લાભ મેળવ્યો છે, જેમાં પણ કુલ રૂ. 20,71,402.00 નું વ્યાજ માફ કરવામાં આવ્યું અને રૂ. 1,50,66,845.00 ની વેરાની રકમ ભરપાઈ થઈ છે. સરકારી કચેરીઓનાં કરોડોના લેણાં હજુ પણ બાકીએક તરફ રાજકોટના સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ સમયસર વેરો ભરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોટી સરકારી સંસ્થાઓ અને કચેરીઓ મનપા માટે માથાનો દુખાવો બની છે. તેમજ આશ્ચર્યજનક રીતે, ગરીબ કે મધ્યમ વર્ગના લોકો નહીં પરંતુ હાઈ-પ્રોફાઈલ સરકારી એકમો જ સૌથી મોટા બાકીદારો તરીકે ઉભરી આવ્યા છે. મુખ્ય બાકીદારોની વિગત જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સમરસ હોસ્ટેલના રૂ. 15.35 કરોડ, BSNL ટાવરના રૂ. 13.42 કરોડ, સિટી પોલીસના રૂ. 12.06 કરોડ અને રેલવેના રૂ. 11.94 કરોડ બાકી બોલે છે. કલેક્ટર ઓફિસે આ વર્ષે રૂ. 2.5 કરોડની ભરપાઈ કરી હોવા છતાં હજુ પણ રૂ. 10.25 કરોડનું લેણું મળી કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. સરકારી સંસ્થાઓનો બાકી વેરો1) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ2) સમરસ હોસ્ટેલ રૂ. 15.35 કરોડ3) BSNL ટાવર રૂ. 13.42 કરોડ4) સિટી પોલીસ રૂ. 12.06 કરોડ5) રેલવે વિભાગ રૂ. 11.94 કરોડ6) કલેક્ટર કચેરી રૂ. 10.25 કરોડ છેલ્લા 5 વર્ષની તુલનાત્મક સમીક્ષારાજકોટ મનપાની છેલ્લા પાંચ વર્ષની વેરા આવકનું વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે શહેરીકરણની સાથે વેરાની આવકમાં પણ તોતિંગ વધારો થયો છે. વર્ષ 2021-22માં કુલ વસૂલાત રૂ. 256.40 કરોડ હતી અને કરદાતાઓની સંખ્યા 3,85,120 હતી. જે ક્રમશઃ વધીને વર્ષ 2022-23માં રૂ. 312.15 કરોડ (4,02,450 કરદાતા), વર્ષ 2023-24માં રૂ. 385.60 કરોડ (4,12,060 કરદાતા) અને ગત વર્ષે એટલે કે 2024-25માં રૂ. 412.03 કરોડ (4,20,662 કરદાતા) સુધી પહોંચી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આ આંકડો રૂ. 438 કરોડને પાર કરી ગયો છે અને કરદાતાઓની કુલ સંખ્યા વધીને 4,59,681 પર પહોંચી છે. આ વર્ષે નવા 39,019 કરદાતાઓનો ઉમેરો થયો છે, જે દર્શાવે છે કે રાજકોટના ભૌગોલિક વિસ્તારની સાથે મિલકતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને નવા ભળેલા વિસ્તારોમાંથી ટેક્સની સારી આવક થઈ રહી છે. વર્ષ કરદાતાઓની સંખ્યા વેરાની વસુલાત2021-22 3,85,120 રૂ. 256.40 કરોડ2022-23 4,02,450 રૂ. 312.15 કરોડ2023-24 4,12,060 રૂ. 385.60 કરોડ2024-25 4,20,662 રૂ. 412.03 કરોડ2025-26 4,59,681 રૂ. 438.00 કરોડ જૂના રાજકોટમાં પડકાર અને સીલિંગની કાર્યવાહીજૂના રાજકોટના વિસ્તારો જેવા કે સોની બજાર, મોચી બજાર, ઘી કાંટા રોડ અને ધર્મેન્દ્ર રોડ પર વેરો વસૂલવો તંત્ર માટે હંમેશા પડકારજનક રહ્યો છે. આ વિસ્તારોમાં ઘણી મિલકતોના વર્ષો જૂના લેણાં બાકી હતા. આ વર્ષે મનપાએ નમ્રતા છોડીને કડક હાથે કામ લીધું છે. ટેક્સ વિભાગે આ વર્ષે અંદાજે 800 કરતા વધુ મિલકતોને સીલ કરી હતી. બાકીદારોના નળ જોડાણ કાપવા અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવા જેવી આકરી કાર્યવાહીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને કરદાતાઓ વેરો ભરવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હવે આગામી વર્ષે કોઈપણ પ્રકારની વ્યાજ માફી કે 'વોલ્ટરી ટેક્સ સેટલમેન્ટ' સ્કીમ લાવવામાં આવશે નહીં, તેથી બાકીદારોએ વ્યાજ સાથે પૂરી રકમ ચૂકવવી પડશે. કોઈપણ રજાઓ વિના ટેક્સ વિભાગ સતત ખડેપગેનાણાકીય વર્ષના અંતિમ બે સપ્તાહમાં ટેક્સ વિભાગના કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખી હતી. તમામ ઝોનલ ઓફિસ (સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ) ની બારીઓ મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવી છે. વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગે 'ડોર-ટુ-ડોર' સંપર્ક અને મોટા બાકીદારોને પર્સનલ કોલ કરીને વેરો ભરવા પ્રોત્સાહિત કર્યા હતા. મનપાએ પોતાની મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવી છે, જેના પરિણામે આ વર્ષે રૂ. 237 કરોડથી વધુની રકમ ઓનલાઇન આવી છે. આ તંત્રની મોટી સફળતા છે કારણ કે તેનાથી વહીવટી ખર્ચ ઘટે છે અને નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 438 કરોડનું કલેક્શન રાજકોટના વિકાસ માટેનો પાયો છે. આ રકમનો ઉપયોગ શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠો અને નવા બ્રિજ બનાવવા પાછળ કરવામાં આવશે. કલેક્ટર ઓફિસ અને રેલવે જેવી સંસ્થાઓ જો પોતાનો બાકી વેરો ભરી દે, તો આ આંકડો રૂ. 500 કરોડને પણ પાર કરી શકે તેમ છે. આગામી વર્ષ 2026-27 માટે મનપાએ હજુ વધુ મોટો લક્ષ્યાંક રાખ્યો છે. મિલકત વેરાના દરમાં ફેરફાર કર્યા વગર, માત્ર બાકી રહેલા એકમોને ટેક્સ નેટમાં લાવીને આવક વધારવાની મનપાની યોજના છે. જો યોજના સફળ થશે તો શહેરને 'સ્માર્ટ સિટી' બનાવવા તરફ વધુ એક ડગલું આગળ વધી શકાશે તે નિશ્ચિત છે.
અમદાવાદ શહેરના કાલુપુરમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને ગઠીયાએ એક ગૃહેણી પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત આવી ગઈ હતી કે, સીબીલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન થઈ જશે. જોકે મહિલાએ રસ દાખવતા ગઠિયાએ અલગ અલગ ચાર્જના નામે 16 હજાર રૂપિયા પડાવ્યા હતાં. કાલુપુર પોલીસે મહિલાની ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. વોટ્સએપ ગ્રુપમાં સરળ લોનની જાહેરાત આવી'તીમળતી માહિતી અનુસાર, કાલુપુર વિસ્તારમાં રહેતી મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ ચિંટીગની ફરિયાદ કરી છે. મહિલા પતિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. થોડા દિવસ પહેલા મહિલાના વોટ્સએપ ગ્રુપમાં સરળ લોન બાબતેની જાહેરાત આવી હતી. જાહેરાતમાં સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન મળી જશે તેવો ઉલ્લેખ કરાયો હતો. સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન કરી આપવાનું કહીને ફસાવીમહિલાએ જાહેરાતમાં દર્શાવેલા નંબર પર ફોન કર્યો હતો અને જેમાં સામેથી જણાવ્યુ હતું કે,પ્રધાનમંત્રી મુદ્રા લોનનું કામ કરીએ છે અને કોઈપણ સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન કરી આપીશું. મહિલાએ તેના તમામ ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતાં. બીજા દિવસે 6 લાખ રૂપિયાની મુદ્રા લોન થઈ ગઈ હોવાનું દર્શાવ્યુ હતું. ગઠીયાએ મહિલા પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લીધાગઠીયાએ મહિલાને જણાવ્યુ હતું કે, આ લોન તમારા ખાતામાં બે દિવસમાં જમા થઈ જશે. ત્યારબાદ ગઠીયાએ મહિલાને ફોન કર્યો હતો કે પ્રોસેસીંગ ચાર્જ વાળી ઓફિસ જાન્યુઆરી મહિના સુધી જ હતું જો તમારે લોન લેવી હોય તો 3 હજાર રૂપિયા પ્રોસેસીંગ ચાર્જ આપવો પડશે. મહિલાએ રૂપિયા ગુગલ પે કર્યા હતાં. ત્યારે ગઠીયાએ કહ્યુ હતું કે, તમારા બેંકમાં લોન ઓટો ડેબીટ થવામાં સમસ્યા આવી રહી છે જેથી તમારે એડવાન્સમાં માર્ચ મહિનાનો ઈએમઆઈ ભરવો પડશે. મહિલાએ 7929 રૂપિયા પણ ગુગલ-પેથી ટ્રાન્સફર કર્યા હતાં. આ સિવાય ઈન્સ્યોરન્સના રૂપિયા બાકી હોવાનું પણ જણાવીને 6 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. લોનના રૂપિયા નહી આવતા મહિલાએ તેને ફોન કર્યો હતો તો તેનો નંબર બંધ આવતો હતો. ગઠીયાએ મહિલા પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લીધા છે.કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને જોડતો અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને સાંકડી પહોળાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. ઔદ્યોગિક ભાર અને સાંકડો રસ્તો: અકસ્માતનું કારણ આ માર્ગ વેરાવળ-કોડીનાર-ઉના નેશનલ હાઈવેને સુત્રાપાડા તાલુકા મથક સાથે જોડે છે. આશરે 10.5 કિલોમીટર લાંબો આ રસ્તો માત્ર 5 મીટરની પહોળાઈ ધરાવે છે. સ્થાનિક અગ્રણીઓનો રોષ થરેલી ગામના માજી સરપંચ રામ બાંમભણીયા અને અમરપુરના યુવા અગ્રણી રાજસી જેઠવાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી 35થી વધુ ગામોના લોકો આ નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ માટે પણ આ રસ્તો અવરોધરૂપ બની રહ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. તંત્રની કબૂલાત અને હૈયાધારણ માર્ગ અને મકાન વિભાગ (RB)ના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એમ. ભીમાણીએ સ્વીકાર્યું હતું કે, ભારે ઔદ્યોગિક વાહનોના સતત અવરજવરના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે. તેમણે ખાતરી આપી છે કે, વિભાગ દ્વારા ટૂંક સમયમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત લાવી શકાય. લોકોની મુખ્ય માંગણીઓ: વર્ષોથી મુશ્કેલી વેઠી રહેલા સુત્રાપાડા પંથકના લોકો હવે 'આર યા પાર' ના મૂડમાં છે. જો વહેલી તકે મરામત શરૂ નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન છેડાય તેવી પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે RB વિભાગની આ હૈયાધારણ ક્યારે અમલમાં મુકાય છે.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા 'એલ્યુમિનિ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2002 અને 2006ની બેચના 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ્ય જૂની યાદો તાજી કરવાનો અને યુનિવર્સિટીના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન અંગે ચર્ચા કરવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થયો હતો. રસાયણશાસ્ત્ર વિભાગના વડા પ્રો. (ડો.) સંગીતા શર્માએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સાચી મૂડી હોય છે. તેમણે વિભાગની પ્રગતિની રૂપરેખા પણ રજૂ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. (ડો.) કે. સી. પોરિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને સમાજમાં જે સ્થાન ધરાવે છે તેનાથી યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે અને તેઓ સંસ્થાના વિકાસમાં મજબૂત સ્તંભ સમાન છે. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. આર. એન. દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના પૂર્વ વડા પ્રો. જે. ડી. જોષીએ વિદ્યાર્થીઓને નૈતિકતા અને મૂલ્યો પર ભાર મૂક્યો હતો, અને શૈક્ષણિક સફળતા સાથે જીવનમાં પ્રામાણિકતા અને કર્મયોગી બનવાનું આહવાન કર્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને પૂર્વ વડા પ્રો. જે. જે. વોરાએ એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શૈક્ષણિક ભવિષ્ય, પડકારો અને તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. એ. આર. મજમુદારે પોતાના શૈક્ષણિક અનુભવો રજૂ કર્યા, જ્યારે પ્રો. સી. પી. ભસીને 'નોબલ પ્રાઈઝનો ઇતિહાસ' વિષય પર વક્તવ્ય આપી સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન 'મેમરી લેન' સત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સત્રમાં વર્ષ 2002 અને 2006ની બેચના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવી પોતાની હોસ્ટેલ લાઈફ, લેબોરેટરીના અનુભવો અને જૂના કિસ્સાઓ યાદ કર્યા હતા. ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સફળતામાં વિભાગ અને ગુરુજનોના ફાળાનો સ્વીકાર કર્યો હતો. તેમણે આગામી સમયમાં યુનિવર્સિટીના વિકાસમાં સહયોગી બનવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં પ્રો. કે. એ. પરમારે આભાર વિધિ કરી હતી.
જૂનાગઢ શહેરના હૃદય સમાન ગણાતા જીઆઈડીસી-2 વિસ્તારના ઉદ્યોગકારો અને સ્થાનિક શ્રમિકો આજે તંત્રની ઘોર બેદરકારી સામે રણચંડી બન્યા છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો સામે બાયો ચડાવવામાં આવી છે અને આગામી 1લી એપ્રિલ 2026ના રોજ સવારના 11 વાગ્યાથી રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જીઆઈડીસી ગેટ પાસેથી ટ્રાફિકને ડાયવર્ઝન તરફ વાળી રસ્તા રોકો જેવી સ્થિતિ ઉભી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉદ્યોગકારોનો આક્રોશ એટલા માટે ચરમસીમાએ છે કારણ કે ભૂતકાળમાં જ્યારે હાઈવે પર પુલનું નિર્માણ ચાલતું હતું ત્યારે તંત્રએ રસ્તા બનાવી આપવાના વાયદા સાથે જીઆઈડીસીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કર્યો હતો, પરંતુ હવે પુલ બની ગયા બાદ તંત્ર જાણે 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' જેવો ઘાટ ઘડીને બેઠું હોય તેમ આ વિસ્તારના રસ્તાઓ સામે જોવાની પણ તસ્દી લેતું નથી. જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ જાણે અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોય તેવું જોવા મળે છે. ખાસ કરીને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ' પેચ વર્ક' અને સામાન્ય પેચવર્કની તસવીરો અપલોડ કરીને જાતે જ પોતાની પ્રશંસા લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં જૂનાગઢના રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને ઉડતી ધૂળ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. શહેરની જનતા જ્યારે બિસ્માર રસ્તાઓ અને ધૂળથી પરેશાન થઈ રહી છે ત્યારે સત્તાધીશો ઉદ્ઘાટનો અને રીબીનો કાપવાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહીને પ્રજાના પ્રશ્નો પ્રત્યે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવું જનતા અનુભવી રહી છે. આજથી 9 મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પલ્લવીબેન ઠાકરે ખૂબ જ ઉત્સાહપૂર્વક 270 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવાની જાહેરાત કરી હતી, જેમાં 50 કરોડ રૂપિયા તો માત્ર નવા રસ્તાઓ માટે ફાળવવામાં આવ્યા હતા. તે સમયે મોટા ઉપાડે એવા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે જૂનાગઢના રસ્તાઓ ટૂંક સમયમાં જ ચકાચક બની જશે અને જનતાને હાલાકીમાંથી મુક્તિ મળશે. પરંતુ આજે 9 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે. પલ્લવીબેન ઠાકરના તે કરોડોના આંકડાઓ આજે માત્ર કાગળ પરના સપના સાબિત થયા છે અને વાસ્તવિકતામાં રોડ રસ્તાની સ્થિતિ પહેલા કરતા પણ વધુ બિમાર બની ગઈ છે. જનતા સવાલ પૂછી રહી છે કે 270 કરોડ રૂપિયા ગયા ક્યાં અને જો મંજૂર થયા હતા તો જમીન પર કેમ દેખાતા નથી ? જીઆઈડીસી વિસ્તારની વ્યથા રજૂ કરતા ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિગત નથી પરંતુ વ્યવસ્થા સામે છે. એપ્રિલ 2025માં જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે મેયર અને કમિશનરે અમને વિનંતી કરી હતી કે જો ઉદ્યોગકારો ડાયવર્ઝન માટે રસ્તો આપે તો તંત્ર GIDCના તમામ રસ્તાઓ નવા બનાવી આપશે. અમે માનવતા અને શહેરના વિકાસ માટે આ સહમતિ આપી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં પુલ કાર્યરત થઈ ગયા બાદ તંત્રએ અમને અધ્ધરતાલ છોડી દીધા છે. અત્યારે જે સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે. ઉદ્યોગકારો હવે છેતરાવા તૈયાર નથી અને એટલે જ 24 કલાકનું અલ્ટીમેટમ આપીને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આ તરફ જય ભવાની એસ્ટેટના પ્રમુખ ચુનીભાઈ રાખોલિયા પણ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ગટર લાઈન નાખવા માટે જ્યારે રસ્તો ખોદવામાં આવ્યો ત્યારે તંત્રએ ખાતરી આપી હતી કે કામ પૂર્ણ થતા જ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ ડોકાતું નથી. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નાના રિક્ષાવાળાઓ ફેક્ટરી સુધી માલ લઈ જઈ શકતા નથી અને રિક્ષાઓને ધક્કા મારવા પડે છે. જવાબદાર અધિકારીઓ જાણે એસી ઓફિસોમાં બેસીને જનતાની તકલીફોથી અજાણ હોય તેવું વર્તન કરી રહ્યા છે. દેખરેખના અભાવે કામગીરીની ગુણવત્તા પણ કથળી રહી છે અને ઉદ્યોગકારો ટેક્સ ભરતા હોવા છતાં પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. સ્થાનિક અગ્રણી કિરીટભાઈ પાઘડાર જેવા સ્થાનિક અગ્રણીઓ પણ વીડિયોના માધ્યમથી તંત્ર પર પ્રહારો કરતા જણાવે છે કે પુલ નિર્માણ બાદ મુખ્ય રસ્તો 80 ટકા જેટલો દબાવી દેવામાં આવ્યો છે. રસ્તો સાંકડો થઈ ગયો છે અને ઉપરથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે 30-30 ટનના ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતનો સતત ભય રહે છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. કિરીટભાઈએ તીખો સવાલ કર્યો છે કે જો મહાનગરપાલિકા મસમોટો હાઉસ ટેક્સ વસૂલતી હોય તો બદલામાં સુરક્ષિત અને સારા રસ્તા કેમ આપી શકતી નથી ? જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો GIDC-2 ના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આ સમગ્ર વિવાદ અને આક્ષેપો અંગે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રક્ષણાત્મક વલણ અપનાવતા જણાવ્યું કે આજે જ કામો શરૂ થઈ ગયા છે પરંતુ વરસાદને કારણે વિઘ્ન આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે તેમણે બચાવ કર્યો કે તે કામચલાઉ પેચવર્ક છે અને કામ પૂર્ણ થશે એટલે લોકોના આક્ષેપો આપોઆપ શાંત થઈ જશે. 270 કરોડના ખર્ચે વિકાસના કામો કરવાની વાત પર તેઓ હજુ પણ મક્કમ છે, પરંતુ આ કામો ક્યારે પૂરા થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા તેઓ આપી શક્યા નથી. આમ, એક તરફ તંત્રના પોકળ વાયદાઓ છે અને બીજી તરફ જૂનાગઢની જનતા અને ઉદ્યોગકારોની રસ્તા પર ઉતરી આવવાની તૈયારી છે, જે જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટ પર મોટા સવાલો ઊભા કરે છે.
સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવેલા મહારાષ્ટ્રના એક વૃદ્ધ મહિલા લપસી પડ્યા હતા. મંદિર સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સમયસર સારવાર પૂરી પાડી હતી. આ ઘટનાએ સુરક્ષા સ્ટાફની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને ઉજાગર કર્યો છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ ગામના નિર્મલાબેન અનંતરાવ તાવે મંદિરના સભાખંડ પાસે અચાનક લપસી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મંદિર સુરક્ષા સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી ગયો અને વૃદ્ધાને પ્રાથમિક સંભાળ આપી. જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને મંદિર સુરક્ષા પીઆઈ ઉદય રાવલની દેખરેખ હેઠળ, સુરક્ષા સ્ટાફે વૃદ્ધાને ગોલ્ફ કાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના કમરના ભાગે ઈજા થઈ હોવાનું જણાયું હતું. સુરક્ષા કર્મચારીઓએ પરિવારજનની જેમ કાળજી લીધી અને સમગ્ર ઘટના દરમિયાન તેમની સાથે રહ્યા. સમયસર મળેલી મદદ બદલ નિર્મલાબેને સુરક્ષા સ્ટાફ અને પોલીસ તંત્રનો આભાર માન્યો. આ ઘટનાએ ગુજરાત પોલીસની માનવ સેવા અને સંવેદનશીલતા દર્શાવી છે. મંદિર સુરક્ષા સ્ટાફના આ કાર્યથી યાત્રાળુઓમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે.
PI આર.કે. રાજપૂતની ભરૂચમાં બદલી:ગોધરા બી ડિવિઝન PIને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય અપાઈ
પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ભાગરૂપે, ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂતની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે વિદાય સમારંભ યોજાયો હતો. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં PI રાજપૂતનો પણ સમાવેશ થાય છે, જેમણે ગોધરામાં પોતાની ફરજ બજાવી હતી. ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજિત વિદાય સમારંભમાં પોલીસ વિભાગના સહકર્મચારીઓ, શહેરના અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાથી પોલીસ કર્મચારીઓ દ્વારા PI રાજપૂતનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ પણ ફૂલોની વર્ષા કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સહકર્મચારીઓએ તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી.
'જીવો અને જીવવા દો'નો સંદેશ:જૈન ધર્મના 24માં તીર્થંકર મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉલ્લાસભેર ઉજવણી
અહિંસા પરમો ધર્મના પ્રણેતા અને જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની આજે વડોદરા શહેરમાં અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ મંગલમય અવસરે વડોદરાના વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર સ્વામી કી જયના જયઘોષશહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં જૈન શ્રાવકો અને શ્રાવિકાઓએ જોડાઈને વાતાવરણને 'મહાવીર સ્વામી કી જય'ના નાદથી ગુંજવી દીધું હતું. વહેલી સવારથી જ જૈન દેરાસરોમાં વિશેષ પૂજા-અર્ચના અને આંગીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભવ્ય વરઘોડાનું પ્રસ્થાન થયું હતું. મહાવીર સ્વામીની પ્રતિમાના દર્શન કરી ધન્યતાઆ શોભાયાત્રામાં ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાને સુશોભિત પાલખીમાં બિરાજમાન કરવામાં આવી હતી. ધ્વજ અને ફૂલોના શણગાર વચ્ચે નીકળેલી આ યાત્રામાં યુવાનો, વૃદ્ધો અને બાળકો પરંપરાગત શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાયા હતા. શોભાયાત્રામાં વિવિધ મંડળો દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જીવો અને જીવવા દો'નો સંદેશ વર્તમાન સમયમાં અત્યંત પ્રાસંગિકઆ પ્રસંગે જૈન સમાજના અગ્રણીઓએ ભગવાન મહાવીરના 'જીવો અને જીવવા દો'ના સંદેશને વર્તમાન સમયમાં અત્યંત પ્રાસંગિક ગણાવ્યો હતો અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શહેરના રાજમાર્ગો ભક્તિમય માહોલમાં રંગાયેલા જોવા મળ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે નીકળેલી આ યાત્રાએ કોમી એકતા અને શાંતિનો સંદેશ પ્રસરાવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત કરવામાં આવી છે. જો કે પાલિકા લક્ષ્યથી હજુ પણ 62 કરોડ દૂર છે. આજે રજાના દિવસે પણ કચેરીમાં વેરા વસૂલાત માટે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 790 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુંવડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના વેરાબિલોની બજવણી કરવામાં આવેલી હતી. ચાલુ નાંણાકીય વર્ષના વેરા વસુલાતના બજેટ લક્ષ્યાંક રૂ.790 કરોડ રાખવામાં આવ્યું હતું, જેની સામે 30 માર્ચ સુધીમાં કુલ વેરાની વસુલાત રૂ. 728 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી ચાલુ કરવામાં આવી છે. હાલ સુધીમાં 48 હજારથી વધુ મિલકતો સીલ કરાઈમહાનગ૨પાલિકાના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 400 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 48500 જેટલી બિનરહેણાંક મિલકતોને વેરા વસુલાત માટે સીલ કરવામાં આવી છે અને 8800 જેટલી રહેણાંક મિલકતોને નોટિસો આપવામાં આવી છે. તેમજ અંદાજે 120 જેટલી રહેણાંક મિલકતોના વેરા વસુલાત માટે પાણી કનેક્શન કાપવામાં આવ્યા હતા. રજાના દિવસે પણ વસૂલાત ચાલુકરદાતાઓની સુવિધા માટે વડોદરા મહાનગ૨પાલિકાના તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગ દ્વારા આજે દિવસે સવારે 9.30થી સાંજના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી. મિલકત વેરાની રકમ તમામ વોર્ડ કચેરીઓમાં રૂબરૂમાં તેમજ ઓનલાઈન પણ ભરી શકાય છે. હાલમાં રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ 52.80% તેમજ બિન રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ ૫૨ 60% વ્યાજ માફીની આકર્ષક વ્યાજ વળતર યોજના અંતિમ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી, જેની અનેક કરદાતાઓએ લાભ લીધો હતો. એપ્રીલ 2026થી રેવન્યુ રાહે વેરા વસુલાતની કામગીરી કરવામાં આવશે.
યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!
US Iran War Cost 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. એક તાજેતરના સંશોધન મુજબ, અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે 10,300 ડૉલર(આશરે 9.8 લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(SIPRI)ના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના 31મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં 27.68 અબજ ડૉલર(આશરે 2.63 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. ગત રોજ જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ દાખવ્યો હતો. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટેના સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગેવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ચર્ચા બાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓ માટેના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે. પ્રદેશમાંથી અંતિમ જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરશે. બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, સિનિયર આગેવાન અનિલ ભગત, યુવા આગેવાન શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામમાં એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી છે. યુવતીને હેરાન કરવાના મુદ્દે થયેલી આ મારપીટની ઘટનામાં પોલીસે 3 શખસ વિરુદ્ધ ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે. નિંગાળા ગામના પીપળીયા રોડ પર 2 દિવસ પૂર્વે આ હિંસક ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મિત હરેશ કાસોદરીયા નામના યુવકને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી તેને પકડી રાખ્યો હતો અને લાકડીઓ તેમજ ઢીકા-પાટુ વડે બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. હુમલાનું કારણ અને પોલીસ કાર્યવાહીપોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, યુવતીને હેરાન કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં મિત કાસોદરીયા પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગઢડા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે: આરોપીઓના નામ: ભરત વેરશી સાથળીયા પ્રેમ ભરત સાથળીયા સચિન ભરત સાથળીયા પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપી ભરત સાથળીયાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.
રાજકોટના જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - 2 માટેનો રસ્તો ખૂલી ગયો છે. અહીં રૂ.400 કરોડની 1,05,800 ચોરસ મીટર જમીન ઉપર 1358 પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને 3 મુદ્દતમાં સાંભળ્યા બાદ ડિમોલિશન માટેની કલમ 202 હેઠળની નોટિસ આપવામાં આવતા અરજદારો હાઈકોર્ટમાં ગયા હતા અને તે બાદ હવે રાજ્ય મહેસૂલ પંચે 720 અરજદારોની અપીલ રદ કરી નાખતા સરકારી જમીન પરની દબાણ હટાવવા માટેનો રસ્તો ખુલી ગયો છે. જોકે તેની સામે લોકોમાં રોસ ફેલાયો છે. અહીંના એક રહેવાસીના પરિવારમાં તો 21 એપ્રિલે દીકરાના લગ્ન છે તો અન્ય 10 વ્યક્તિઓનો પરિવાર પણ નોંધારો બની ગયો હતો. આ ઉપરાંત એક મહિલાએ રોસ ઠાલવતા કહ્યુ કે, સરકાર અમને હેરાન કરવા માંગે છે તો અહીં બોમ્બ ફેંકી દે. જેથી રસ્તો જ સાફ થઈ જાય અને આગામી ચૂંટણીમાં અમે ભાજપને મત આપવા જવાના નથી. જે મત આપવા જશે તેને પણ માર મારીશ. 21 તારીખે મારા દીકરાના લગ્ન છે, હવે શું કરવું?- રાયધનભાઈશહેરના ગોવિંદનગર મેઇન રોડના છેડે રહેતા રાયધનભાઈએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, અમે એવા કોઈ વ્યક્તિ નથી કે અમે કોઈ એવા વ્યક્તિ નથી કે આગળ કેસ લડી શકીએ. અમારી પાસે એવા કોઈ નાણા નથી કે લડત ચલાવી શકીએ. મજૂરી કરીને અમારુ ગુજરાન ચલાવીએ છીએ. સરકાર અમને મારવા તૈયાર થઈ છે તો અમે સહન કરવા તૈયાર છીએ. 21 એપ્રિલના મારા દીકરાના લગ્ન છે. અમે પરિવારમાં પતિ -પત્ની અને દીકરો રહીએ છીએ. અમે અહીં 30 વર્ષથી રહીએ છીએ. સરકારને કહો કે બોમ્બ ફેંકી દે એટલે જીવવું નહીં કે જોવું નહીં- દેવકુબેનજ્યારે સ્થાનિક દેવકુબેન લાવડીયાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર શેરી નંબર 18 માં રહીએ છીએ. અહીં અગાઉ રસ્તા ખોલવા હતા તો મકાનો પાડવામાં આવ્યા. અમારે એક વર્ષનો પુત્ર અને અઢી વર્ષનો પુત્ર છે. સરકારને કહેવા માંગીએ છીએ કે બોમ્બ ગોળા ફેંકી દે એટલે આ રસ્તો સાફ થઈ જાય. જેથી અમારે જીવવું નહીં અને જોવું નહીં. અહીં ગેસની લાઇન નથી મળતી અને લાકડા મળતા નથી. રસોઈ કઈ રીતે કરવી. અહીં 50 વર્ષથી રહીએ છીએ તો અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી. આગામી ચૂંટણીમાં અમે મત આપવા જવાના જ નથી. જે મત આપવા જશે તેને હું મારીશ. જે અમારા મકાન પાડી નાખે એ ભાજપ સરકારને મત ન અપાય. કેસ લડવા માટે પરિવાર દીઠ 5000-5000 હજાર રૂપિયા આપ્યા હતાઆ ઉપરાંત સ્થાનિક વજુભાઈ જળુએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં શક્તિ કૃપા મકાનમાં રહીએ છીએ. મકાન પાડવા માટે કલમ 202 હેઠળ દબાણ દૂર કરવા નોટીસ ફટકારવામાં આવી છે. આગામી મહિને 3 મહિના પૂર્ણ થશે. નાના માણસોને સરકાર રહેવા દે તો એમનો આભાર. અત્યાર સુધીમાં ત્રણ વખત સામાન ફેરવ્યો છે. આ ઉપરાંત અત્યારે ભાડે મકાન લેવા જઈએ તો કોઈ આપતું નથી. બધાએ પરિવાર દીઠ હાઇકોર્ટમાં કેસ લડવા રૂ.5000 આપ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા રાજ્ય મહેસૂલ પંચને 90 દિવસમાં ચૂકાદો આપવા આદેશ આપ્યો હતો. જોકે તે અપીલ રદ થઈ છે. અમે પરિવારમાં 10 વ્યક્તિઓ રહીએ છીએ. હવે અમારે ક્યાં રહેવા જવું. કોઠારીયા વિસ્તારમાં સામાન લઈ ગયા હતા. 2 દિવસ પહેલા જ અમે અહીં રહેવા આવ્યા છીએ. હવે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગામી નિર્ણય લેવાશે- મામલતદારજ્યારે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં રૂ.400 કરોડની સરકારી જમીન પર રહેલા 1358 બાંધકામોને દૂર કરવા અગાઉ 61 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણકર્તાઓ હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટે 90 દિવસનો સ્ટે આપી રાજ્ય મહેસૂલ પંચને ચૂકાદો આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય મહેસૂલ પંચે અરજદારોની અપીલ રદ કરી રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેથી હવે આ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃજંગલેશ્વરમાં ડીમોલીશન પાર્ટ-1માં 1509 બાંધકામ તોડી પડાયા હતા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક મહિના પહેલા હાથ ધરાયેલા મેગા ડીમોલીશન દરમિયાન કુલ 1509 ગેરકાયદે મિલકતો તોડી પાડવાાં આવી હતી. જ્યારે અન્ય મિલકતોનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય ડીમોલીશન પેન્ડિંગ રખાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદની સી. સી. શેઠ કૉલેજ ઑફ કૉમર્સ અને નવગુજરાત સેન્ટ્રલ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક પ્રેરણાદાયી વાંચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર ભારતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ અરુણકુમાર મહેતાના જીવન પર આધારિત પુસ્તક ‘હીરો – વન પર્સનાલિટી, ટુ મીનિંગ્સ’ પર કેન્દ્રિત હતું. લેખિકા ચિરંતના ભટ્ટ લિખિત આ પુસ્તક દ્વારા યુવા પેઢીને એક સફળ ઉદ્યોગસાહસિકના સંઘર્ષ અને મૂલ્યોથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઋષિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણથી વૈશ્વિક ફલક સુધીની સફરસત્રના પ્રારંભમાં કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર મિસ્ત્રીએ અરુણકુમાર મહેતાના જીવનના વિવિધ પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે પાટણના નાના ગામથી શરૂ થયેલી તેમની સફર તેમને વૈશ્વિક બિઝનેસ લીડર તરીકે પ્રસ્થાપિત કરી ગઈ. ત્યારબાદ ડૉ. ઋષિ ઠાકરે મહેતાના વ્યાવસાયિક વારસા, તેમની નમ્રતા અને સાદગી વિશે વાત કરતા જણાવ્યું કે, મજબૂત માનવીય મૂલ્યો જ તેમને અન્ય કરતા અલગ પાડે છે. વિદ્યાર્થીઓએ મેળવી સફળતાની ગુરુચાવીઆ સત્રમાં અંદાજે 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પુસ્તકમાંથી મેળવેલા બોધપાઠ રજૂ કર્યા હતા. બી.કૉમ. સેમેસ્ટર-2ની વિદ્યાર્થિની સોનુ કુમારીએ કટોકટીના સમયે સંયમ રાખવાની તેમની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. જ્યારે એમ.કૉમ. સેમેસ્ટર-2ની સાક્ષી પ્રજાપતિએ વૈશ્વિક સ્તરે વ્યવસાયના વિસ્તરણ અને વ્યાપારી પ્રથાઓના આધુનિકીકરણ વિશે ચર્ચા કરી હતી. અન્ય વિદ્યાર્થિની રાધિકા પાસીએ અરુણકુમાર મહેતાના જીવન પર જૈન મૂલ્યો અને પ્રામાણિકતાના પ્રભાવ વિશે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. નૈતિક મૂલ્યોનું મહત્ત્વકાર્યક્રમમાં કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધાર્મિક સોલંકીએ પણ ખાસ હાજરી આપી હતી. તેમણે અરુણકુમાર મહેતાના નૈતિક વ્યાપારી આચરણો અને આજના સ્પર્ધાત્મક યુગમાં તેની પ્રસ્તુતતા વિશે વાત કરી હતી. સમગ્ર સત્રના અંતે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ એક મહાન વિભૂતિના જીવનમાંથી સંઘર્ષ અને સફળતાના પાઠ શીખ્યા હતા.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021ની છેલ્લી ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદારોની સંખ્યામાં 8.11 લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જે રાજકીય આલમ અને વહીવટી તંત્ર માટે ભારે આશ્ચર્યનો વિષય બન્યો છે. 2021ની સરખામણીએ 8.11 લાખ મતદારો ઘટ્યાવહીવટી તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, સુરત પાલિકાના તમામ 30 વોર્ડ માટે ગયા સોમવારે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી મોટો ફેરફાર મતદારોની કુલ સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યારે પાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સુરત શહેરમાં કુલ 32.88 લાખ નોંધાયેલા મતદારો હતા. જોકે, તાજેતરમાં થયેલી એસઆઈઆરની કામગીરી અને મતદાર યાદીના શુદ્ધિકરણ બાદ આ આંકડો ઘટીને હવે 24.77 લાખ પર પહોંચી ગયો છે. આમ, સીધો 8.11 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ ડુપ્લીકેટ નામોનું કમી થવું, મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા અથવા કાયમી ધોરણે અન્ય શહેરોમાં સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ હટાવવા જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે. 30માંથી 18 વોર્ડમાં 25-25 હજાર મતદારો ઘટ્યામાત્ર મતદારો જ નહીં, પરંતુ મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે. 2021ની ચૂંટણી વખતે શહેરમાં કુલ 3185 મતદાન મથકો હતા, જે હવે ઘટાડીને 2587 કરી દેવામાં આવ્યા છે. આ આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, 30 વોર્ડ પૈકીના 18 વોર્ડ એવા છે જ્યાં સરેરાશ 25-25 હજાર જેટલા મતદારો ઘટ્યા છે. આટલા મોટા પાયે ફેરફાર થયો હોવા છતાં, જનતા કે રાજકીય પક્ષો તરફથી જોવા મળેલી ઉદાસીનતાએ તંત્રને અચરજમાં મૂક્યું છે. પાલિકાએ આ નવી યાદી સામે વાંધા-સૂચનો મંગાવવા માટે જે સમય આપ્યો હતો, તેમાં સમગ્ર સુરત શહેરમાંથી માત્ર 20 જેટલા જ વાંધા સૂચનો પ્રાપ્ત થયા છે. પ્રાથમિક યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો મળ્યાસામાન્ય રીતે ચૂંટણી પૂર્વે જ્યારે મતદાર યાદીમાં થોડા પણ નામો કમી થાય ત્યારે રાજકીય પક્ષો દ્વારા વહીવટી તંત્ર સામે મોરચો માંડવામાં આવતો હોય છે, પરંતુ 8 લાખથી વધુ નામો ઓછા થવા છતાં કોઈ મોટી પ્રતિક્રિયા જોવા મળી નથી. હાલમાં વાંધા-સૂચનો મંગાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વહીવટી તંત્ર આ 20 વાંધાઓનો નિકાલ કરીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં છે. આ અંતિમ યાદી જાહેર થયા બાદ જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે. સુરત જેવા સતત વિકસતા શહેરમાં મતદારોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો એ વહીવટી દ્રષ્ટિએ શુદ્ધિકરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
જામનગરમાં મહાવીર જયંતીની ઉજવણી:જૈન સમાજ દ્વારા રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ. રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, 13 ફૂટના કાર્ટૂન પાત્રો, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ જોડાયા હતા. રથયાત્રા શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભક્તામર પાઠ, પક્ષાલ પૂજા અને કેસર પૂજાનું આયોજન કરાયું હતું. બપોરે ૨:૩૦ વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પૂજા યોજાઈ હતી. સાંજે ભક્તિભાવના કાર્યક્રમ દરમિયાન ૧૦૮ દીવાની આરતી અને મંગલ દીવડાના ચડાવા પણ કરવામાં આવશે. આ રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં શહેરના વિવિધ જૈન સંઘો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા.
રાજકોટ મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થયા બાદ વહીવટદાર તરીકે IAS રેમ્યા મોહનની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ, ચૂંટણી પહેલા જ વહીવટદારમાં ફેરબદલ કરાયો છે. રેમ્યા મોહનની જગ્યાએ રાજેન્દ્રકુમારની નિમણૂક કરવામાં આવી છે. રેમ્યા મોહનને આગામી ચૂંટણીમાં મહત્વની જવાબદારી સોંપાઈ શકે છે. આ સમાચાર વાંચોઃરાજકોટ મનપાની ચૂંટણીમાં કોણ કપાશે-કોણ ફાવશે?:વિવાદ અને રોટેશનના કારણે 20થી વધુ સીટીંગ કોર્પોરેટરનું રિપિટ થવું મુશ્કેલ, 18 વોર્ડનું વોર્ડવાઈઝ એનાલિસિસ
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પદમલા ગામમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ ઉભો થયો હતો. જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને સામસામે પથ્થરમારો થયો હતો. જેને પગલે છાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મારામારી બાદ પરિસ્થિતિ વધુ બગડતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત હતા. આ દરમિયાન લોકોના ઘરો તેમજ મંદિરો પર પણ ઈંટ-પથ્થર પડ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ છાણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જૂની અદાવતને કારણે જ આ અથડામણ સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં કડક નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત રોહિતભાઈએ જણાવ્યું હતું કે, અમે ગેટ પાસે ઉભા હતા, અમે જે મેઈન ગેટ બનાવ્યો છે ત્યાં જ ઊભા હતા, ત્યાંથી પરત ફર્યા ત્યારે ઓટલે બૂમાબૂમ થઈ રહી હતી અને પથ્થરમારો પછી શરૂ થયો હતો. અમે ત્યાં ઉભા હતા અને અચાનક પથ્થરમારો થયો. મારી મમ્મી મને છોડાવવા આવી હતી અને હું જ્યારે મમ્મીને બચાવવા ગયો, ત્યારે સીધો એક પથ્થર મને વાગી ગયો હતો. મને એક જ પથ્થર વાગ્યો છે પણ એનાથી ઘણી ઈજા થઈ છે.

28 C