અમદાવાદમાં રાણીપમાં બલોલનગર બ્રિજ પર ગત મોડી રાતે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે જ્યારે એક્ટિવા ચાલકની પત્નીને ઇજા પહોંચી છે.બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ઢોર પકડનાર ટીમને ધમકી:ગાય છોડાવી જનાર બે શખસ સામે સરકારી કામમાં અવરોધની ફરિયાદ
મોરબીમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. ખાખરેચી દરવાજા પાસે રખડતા ઢોર પકડતી ટીમના કર્મચારીઓ સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી. આ શખ્સોએ પકડાયેલી ગાયને છોડાવી જઈ, કર્મચારીઓને ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ મયાભાઈ રાતડીયા નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ફરિયાદી વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉંમર 29), જેઓ માળિયા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી છે અને મહાપાલિકામાં ઢોર પકડવાનું કામ કરે છે, તેમણે જણાવ્યું કે રાજુભાઈ દેવાભાઈએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે વિજયભાઈ રાતડીયાએ તેમને ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી દીધું હતું. આ રીતે તેઓએ મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે વિપુલભાઈ છૈયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ મયાભાઈ રાતડીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે માથાકૂટના બનાવો અવારનવાર બનતા હોય છે. અગાઉ પણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવા બે ગુના નોંધાયા છે, અને આ ત્રીજી ફરિયાદ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ સંલગ્ન 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. નિયમોની અવગણના અને વહીવટી અનિયમિતતાઓને કારણે આ કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી છે. કુલપતિની અધ્યક્ષતામાં બે દિવસીય રૂબરૂ સુનાવણી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના નીતિ-નિયમો, ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા અને અન્ય વહીવટી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ કોલેજો સામે પગલાં લેવાયા છે. યુનિવર્સિટી દ્વારા અગાઉ ત્રણથી પાંચ વખત પરિપત્રો અને નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ કોલેજો તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. યુનિવર્સિટીના પોર્ટલ પર પણ જરૂરી માહિતી અપડેટ કરવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીને પગલે યુનિવર્સિટી સત્તાધીશોએ કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકી છે. તેમના જોડાણ (એફિલિયેશન) અંગે ખુલાસો કરવા માટે પાટણ યુનિવર્સિટી ખાતે બે દિવસીય સુનાવણીનું આયોજન કરાયું છે. કુલપતિ ડો. કિશોર પોરીયા અને રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં આ સુનાવણી શરૂ થઈ છે, જેમાં કોલેજ સંચાલકોને રૂબરૂ સાંભળવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, કેટલીક કોલેજો વર્ષોથી પ્રવેશ પ્રક્રિયા કરતી નથી અને વારંવારના ફોલોઅપ છતાં જવાબ આપતી નથી. વહીવટી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણી કોલેજોમાં નોંધાયેલા ટ્રસ્ટીઓ અને આચાર્યો હવે હોદ્દા પર નથી, પરંતુ યુનિવર્સિટીના રેકોર્ડમાં કોઈ સુધારા થયા નથી. આ ગેરરીતિઓ અને સંકલનના અભાવે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કુલપતિ ડો. કે.સી. પોરીયાએ સ્પષ્ટતા કરી હતી કે જે કોલેજો પોર્ટલ પર માહિતી આપવામાં છ વખત નિષ્ફળ રહી છે અને ટેલિફોનિક સંપર્ક દરમિયાન પણ સંતોષકારક વિગતો પૂરી પાડતી નથી, તેમની સામે સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કડક પગલાં લેવાશે. આ બે દિવસીય સુનાવણીના અહેવાલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં શિસ્ત અને નિયમોનું પાલન થાય તે હેતુથી આ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ
Gold Market Cap News : સોનાના બજારમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા 24 કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.
પાટણમાં 2.75 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો:ચાણસ્માના સોનીએ ચોરીનો માલ ખરીદી લગડી-ચોરસો બનાવ્યો
પાટણની સિદ્ધચક્રની પોળમાં મુંબઈ સ્થિત જૈન પરિવારના બંધ ઘરમાંથી રૂ. 2.75 લાખના સોના-ચાંદીના દાગીના અને પૂજાના વાસણોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મુખ્ય આરોપી પાટણના જીતેન્દ્ર દિનેશભાઈ મોદી અને ચોરીનો માલ અડધી કિંમતે ખરીદનાર ચાણસ્માના સોની કૌશિકભાઈની ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. પોલીસ પૂછપરછમાં જીતેન્દ્ર દિનેશભાઈ મોદીએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા જ્યારે કુશલ શાહનો પરિવાર પાટણ આવ્યો હતો, ત્યારે તે તેમના ગીઝરનું રિપેરિંગ કરવા ગયો હતો. તે સમયે તેણે ઘરની મુખ્ય ચાવી ચોરી લીધી હતી. પરિવાર મુંબઈ પાછો ફર્યા બાદ, છેલ્લા એક મહિનાથી તે રાત-દિવસ પોતાની પાસેની ચાવી વડે ઘર ખોલીને તિજોરીઓને કટર અને ગ્રાઇન્ડરથી તોડીને ચોરી કરતો હતો. ચોરી કરેલો માલ તેણે ચાણસ્માના એક જ્વેલર્સ કૌશિકભાઈને અડધી કિંમતે વેચ્યો હતો. ચોરી કરાયેલા દાગીનામાં સોનાની ચેન, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા, પૂજાનો ખલ, ત્રણ ઓજાર અને ભગવાનને બેસવાનું સિંહાસન વગેરેનો સમાવેશ થતો હતો. કૌશિક સોનીએ ચોરીના આ દાગીના અને વાસણોમાંથી 72.43 ટચની 10 ગ્રામ સોનાની લગડી, જેની કિંમત રૂ. 1,25,000 છે, અને 71.74 ટચના 400 ગ્રામ ચાંદીનો ચોરસો, જેની કિંમત રૂ. 1,26,000 છે, તે બનાવી દીધા હતા. પોલીસે આ બંને વસ્તુઓ જપ્ત કરી છે. ચોરીનો માલ હોવાનું જાણવા છતાં તેને ખરીદવા બદલ સોની કૌશિકભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.
બગદાણા ચકચારી હુમલા પ્રકરણમાં 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરની મોડીસાંજે જેલમાં એન્ટ્રી કરી હતી. ત્યારે જિલ્લા જેલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, જયરાજ આહીરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. જયરાજ આહીરના પરિવારજનોએ તેની માટે બીસ્ત્રા અને ટિફિન માટે અરજી કરી હતી, જે 28 જાન્યુઆરીના રોજ મંજૂર કરવામાં આવી છે. છ દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજને ઘરનું જમવાનું મળશે. હાલ જયરાજ જિલ્લા જેલમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્તકનું વાંચન કરી દિવસ પસાર કરી રહ્યો છે.
અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત(30 જાન્યુઆરી) મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરી છે. સંપતિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોધી ધરપકડ કરી છે. માતા-પુત્ર વચ્ચે ઘરને લઈને વિવાદ ચાલતો હતોમકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો અજય આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ દંડા વડે માથામાં ફટકા માર્યાજોકે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી જેથી અજય ઉશ્કેરાયો હતો. અજયે કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી હતી જે બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા. સારવાર દરમિયાન માતાનું મોતકપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી વ્યાપારિક સમજૂતીને વાપીના ઉદ્યોગપતિઓએ આવકારી છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (VIA) ના પ્રમુખ સતીષભાઈ પટેલે આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સમજૂતી અમેરિકાના ટેરિફને કારણે મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે 'લાઇફલાઇન' સમાન સાબિત થશે. VIA પ્રમુખ સતીષભાઈ પટેલે સ્પષ્ટ કર્યું કે, આ નીતિને કારણે યુરોપના 29 દેશોમાં ભારતીય ઉત્પાદનો પર 'ઝીરો ટેરિફ' લાગુ પડશે. આનાથી આયાત અને નિકાસ બંને ક્ષેત્રે મોટો ફાયદો થશે. છેલ્લા છ મહિનાથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના ભય હેઠળ દબાણમાં રહેલા ઉદ્યોગો માટે આ નવું બજાર નિકાસકારોમાં ઉત્સાહ જગાવશે. વાપી અને આસપાસના વિસ્તારોમાં ગાર્મેન્ટ અને કેમિકલ ઉદ્યોગો મોટા પાયે કાર્યરત છે. સતીષભાઈ પટેલે જણાવ્યું કે, આ ડીલ આ ઉદ્યોગો માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે. અત્યાર સુધી યુરોપિયન બજારમાં ચીનનું વર્ચસ્વ હતું, પરંતુ હવે ભારતનો 'મેક ઇન ઇન્ડિયા' સામાન ચીની ઉત્પાદનોને સબળ સ્પર્ધા આપી શકશે. તેમણે ઉમેર્યું કે, વાપીના ગાર્મેન્ટ ઝોન માટે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નવું બજાર મળવાથી ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે. આગામી બે થી ત્રણ મહિનામાં જ આ ડીલની સકારાત્મક અસરો ધંધા-રોજગાર પર જોવા મળશે તેવી અપેક્ષા છે. ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક નીતિઓની પ્રશંસા કરી છે. VIA પ્રમુખે જણાવ્યું કે, અમેરિકન બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તતી હતી ત્યારે યુરોપનું આ નવું બજાર ખોલીને સરકારે ઉદ્યોગોને નવું બળ પૂરું પાડ્યું છે. આ ડીલથી ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ બમણો થયો છે અને આગામી સમયમાં નિકાસ ક્ષેત્રે વાપી મોટું યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડમાં સ્વચ્છતા અભિયાનને વેગ:ઓવાડાની 2 હેક્ટર જમીન સોલિડ વેસ્ટ પ્લાન્ટ માટે ફાળવાઈ
વલસાડ જિલ્લા કલેક્ટરે શહેરના કચરાના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડના ઓવાડા ગામની 2 હેક્ટરથી વધુ સરકારી પડતર જમીન હવે 'સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' માટે ફાળવી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના મહત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0' અંતર્ગત સાકાર થશે. મહેસૂલી દફતરે થયેલી નોંધ (નંબર 3201) મુજબ, વલસાડ કલેક્ટર દ્વારા 29મી જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અન્વયે મોજે ઓવાડા, તાલુકા-જિલ્લા વલસાડના સર્વે નંબર 394 (જૂનો સર્વે નંબર 444) ની અંદાજે 2-33-71 હેક્ટર (ચોરસ મીટર) જેટલી વિશાળ સરકારી પડતર જમીન વલસાડ નગરપાલિકાને સોંપવામાં આવી છે. આ જમીન સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તેનું નિર્માણ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ ફાળવાયેલી ગ્રાન્ટમાંથી થશે. ચીફ ઓફિસર, વલસાડ નગરપાલિકાને આ જમીનનો 'આગોતરો કબજો' (Advance Possession) સોંપવા સૂચના અપાઈ છે. જમીનનું ક્ષેત્રફળ ડી.આઈ.એલ.આર. (DILR) વલસાડની માપણી શીટ મુજબ નક્કી કરવામાં આવ્યું છે. આ જમીન ફાળવણી સરકારના પ્રવર્તમાન નિયમો અને મહેસૂલ વિભાગના ઠરાવોની જોગવાઈઓ મુજબ કરવામાં આવી છે. નગરપાલિકાએ કલેક્ટરના હુકમમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી વલસાડ શહેરના કચરાના વ્યવસ્થાપનની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી શક્યતા છે.
ભાવનગરના ગુલીસ્તા ગ્રાઉન્ડ સ્થિત ચંપારણ્ય ધામ ખાતે સમસ્ત મોઢ વણિક સમાજ દ્વારા 30 જાન્યુઆરીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજે જ્ઞાતિજનોને કથાનું શ્રવણ કરાવ્યું હતું. મોઢ વણિક સમાજના આગેવાન સુનિલ પારેખે જણાવ્યું હતું કે, ચંપારણ્ય ધામમાં આયોજિત ભાગવત સપ્તાહના ભાગરૂપે રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ અવસરે દ્વારકેશલાલજી મહારાજે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોને કથાનું રસપાન કરાવી ધન્ય કર્યા હતા. આ આયોજનમાં ભાવનગરના સમસ્ત મોઢ વણિક સમાજના જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક મંડળ સાથે જેમના ઘરે ઠાકોરજી પધરાવેલ છે, તે તમામ ભક્તોએ ચંપારણ્ય ધામના સભા મંડપમાં પોતાના ઠાકોરજીની પધરામણી કરી હતી.આ સપ્તાહ દરમિયાન દરરોજ ઠાકોરજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.
એકધારા તેજી વચ્ચે સોના-ચાંદીની કિંમતો અચાનક ક્રેશ કેમ થઇ? આ કારણો જાણવા જેવા
Silver Price Crash Reason : શુક્રવારનો દિવસ બુલિયન બજાર એટલે કે સોના-ચાંદી માટે બ્લેક ફ્રાઈ ડે સાબિત થયો. ચાંદીમાં એક જ દિવસમાં 1,07,971 રૂપિયા તો સોનામાં 33000થી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. આ કડાકાએ 2008ની મંદીમાં આવેલા ઘટાડાઓનો પણ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હતો. તો ચાલો જાણીએ કે સોના-ચાંદીની કિંમતો આટલી વધી કેમ અને પછી તેમાં કડાકો કેમ આ રીતે બોલાયો? સોના-ચાંદીની કિંમતો વધી કેમ હતી? ચાંદીનો ઉપયોગ સર્કિટ બોર્ડ, ઈલેક્ટ્રિક વ્હિકલ, બેટરી, સોલર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં વધુ થાય છે.
દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 'CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં માળિયા તાલુકાના સરવડ ગામમાં ગ્રામજનો દ્વારા સાયકલ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમે ગુજરાતના કચ્છ સ્થિત લખપત કિલ્લાથી ૨૮ જાન્યુઆરીના રોજ પ્રસ્થાન કર્યું હતું. ૩૦ જાન્યુઆરીના રોજ આ યાત્રા મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામમાં રાત્રે નવ વાગ્યે યાત્રાનું આગમન થયું હતું. ગ્રામજનોએ વાજતે-ગાજતે સાયકલ યાત્રીઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને ગરબા પણ રજૂ કરાયા હતા. સરવડ ગામના આગેવાન મણિભાઈ સરડવાએ આ માહિતી આપી હતી. CISFના અધિકારી મહેશસિંગે જણાવ્યું હતું કે, આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરીને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન 'વંદે માતરમ્'ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત છે. સાગર સુરક્ષાનો સંદેશ આપવા માટે શરૂ કરાયેલી આ યાત્રામાં કુલ ૧૩૦ જવાનો સાયકલ ચલાવી રહ્યા છે, જેમાં ૫૦ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. આ રીતે સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમ યાત્રામાં જોડાયેલા હરિયાણાના અનુકુમારીએ જણાવ્યું હતું. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી, એટલે કે ૨૫ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન તે ભારતના દરિયાકાંઠા પર અંદાજે ૬,૫૦૦ કિલોમીટરનું અંતર કાપશે. કચ્છથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા કોચી ખાતે સમાપ્ત થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના માલણપૂર ગામમાં 66 વર્ષીય વૃદ્ધે એક અનોખુ મ્યુઝિયમ બનાવ્યું છે. મુઘલ કાળના, રજવાડાના અને પૌરાણિક સિક્કાઓ સાથે તાંબા પિતળ તેમજ જર્મન સિલ્વરની જૂની એન્ટીક ચીજોનો સંગ્રહ જોવા મળે છે, સાથે બે વીઘા જમીનમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. જેમાં જામફળ, આંબળા, ચિકુ, દાડમ, લીંબુ, બોર સહીત અંજીર, ઈલાયચી, લાલ ચંદનના છોડ વચ્ચે અબોલ પક્ષીઓનો ક્લરવ સાંભળવા મળે છે. પ્રકૃતિ સાથે દુર્લભ સંસ્કૃતિનો અનોખો સંગમ66 વર્ષના નિવૃત શિક્ષક હિંમત પનારા પોતાની પત્ની પ્રભાબેન પનારા સાથે કુદરતના સાનિધ્યમાં પ્રકૃતિ સાથે દુર્લભ સંસ્કૃતિનો અનોખો સંગમ વચ્ચે પોતાનું નિવૃત જીવન ગાળે છે. હિંમત પનારાએ પોતાના ફાર્મમાં જામફળના 500 ઝાડ, આંબાના 30 ઝાડ, 30 ચીકુના ઝાડ, 30 દાડમના ઝાડ, 30 લીંબુના ઝાડ, 30 બોરના ઝાડનું વાવેતર કર્યું છે. વિવિધ પ્રકારના ફળોનું વાવેતરઆ ઉપરાંત વિવિધ પ્રકારના ફળોના વૃક્ષોની જાતો જેમાં 7 રાયણ, 7 સંતરા, 7 મોસંબી, 7 સીતાફળ, 7 અંજીર, 20 નાળિયેરી, 7 આંબલા, 3 સેતુર, 3 ગુંદો, 3 તજ, 5 ઈલાયચી, 5 તજપત્તા (તમાલપત્ર), 3 સફરજન, 5 લાલ ચંદન, 2 ગોરસ આંબલી, 2 લક્ષ્મણ ફળ, 2 રામફળ, 2 હનુમાનફળ, 10 જાંબુડા સફળતા પૂર્વક ઉગાડ્યા છે. ફાર્મ હાઉસમાં 1000 જેટલા પક્ષીઓ આવે છેહિંમત પનારા કહે છે કે, ફાર્મ હાઉસમાં 50 ટકા ફળો અમારા પક્ષીઓ માટે હોય છે. પહેલા અહીં પક્ષીઓની સંખ્યા શૂન્ય હતી. અત્યારે ફાર્મ હાઉસમાં વિવિધ 20થી વધુ પ્રકારના 800થી 1000 જેટલા પક્ષીઓ આવે છે. નાનપણના શોખને આગળ વધાર્યોહિંમત પનારાએ પોતાના નાનપણના શોખને આગળ વધારતા વિવિધ પ્રકારના એન્ટીક કોઈન્સનો સંગ્રહ જેમાં મુઘલ કાળના સિક્કાઓ, રજવાડાના સિક્કાઓ, પૌરાણિક સિક્કાઓ, બ્રિટિશ કાળના સિક્કાઓ, બ્રિટિશ ઇન્ડિયાના સિક્કાઓ જેમાં લગભગ 14મી સદીથી 2000ની સદીના તમામ દેશી અને વિદેશી સિક્કાઓનો અનોખો સંગ્રહ કર્યો છે. તાંબા, પિતળ, જર્મન સિલ્વરની એન્ટીક ચીજોનો સંગ્રહસાથે એમણે તાંબા, પિતળ તથા જર્મન સિલ્વરની જૂની એન્ટીક ચીજોનો સંગ્રહ કર્યો છે, જેમાં રમકડાં, દીવા, મૂર્તિઓ, જૂના રસોડા સેટ, ટીફીનો, તાંબા કુંડીઓ, અત્તરદાનીઓ, જર્મન સિલ્વરના જગ, કીટલીઓ (ટી-સેટ), ડીનર સેટ, બાળકોને રમવાના રમકડા, બેડા, ડોલ, મીનીચેયર, કોતરણીવાળા લોટા, ઘડા, જળઝારી, વિવિધ જાતની પાનદાની, પિત્તળના વજનદાર રમકડાં, હાથી, ઘોડા, ઉંટ, હથિયારો, નૃત્ય કરતી મૂર્તિઓ, પોટ્રીશિલ્પો, ગાંધીજી, સરદાર, મીરાંબાઈ, રવિન્દ્રનાથ ટાગોર, તમામ ડિઝાઇનના આદિવાસીના ઘરેણાં, ઓલ્ડ ઓર્નામેન્ટ્સ, તલવારની મુઠ, હુક્કા, તોલવાના નાના મોટા ત્રાજવાઓ પિત્તળના 10 ગ્રામથી 10 કિલો સુધીના બાટ જેવા લગભગ 4,000થી વધુ એન્ટીક પીસોનો દુર્લભ સંગ્રહ એમની પાસે છે. બે લાખથી વધુ ટપાલ ટિકિટોનો સંગ્રહએમની પાસે વધુમાં મ્યુઝિકના સાધનો 10 નંગ ઓલ્ડ ગ્રામોફોન, ઓલ્ડ તાનપુરા, સિતાર તથા 1000 જેટલી ગ્રામોફોન રેકર્ડ્સ, આ સિવાય જૂના રજવાડાના તથા બ્રિટિશ કાળના દસ્તાવેજોનો સંગ્રહ, 1200 નંગ લગભગ 15 રજવાડાના દસ્તાવેજોનો સંગ્રહ એમની પાસે છે. સાથે દુનિયાના તમામ દેશોની 100 વર્ષની ટપાલ ટિકિટોનો મળી કુલ બે લાખથી વધુ ટિકિટોનો એમની પાસે દુર્લભ સંગ્રહ છે. વધુમાં એમની પાસે જૂની સંસ્કૃતિના સંભારણા તરીકે રેશમના તોરણો, રેશમના ચંદરવા, ચાકડા, પથ્થરીયા મોતીના તોરણો, ભરેલા પંખા, બળદનો શણગાર, ઘોડાઓનો શણગાર જેવી 80થી 90 વર્ષ જૂની અસંખ્ય દુલર્ભ ચીજવસ્તુઓનો એમની પાસે સંગ્રહ છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હિંમત પનારાએ જણાવ્યું કે, અમદાવાદમાં ચિત્ર વ્યાયામ શિક્ષક તરીકે 2018માં નિવૃત થયા બાદ મારો શોખ હતો કે સંગીત અને નેચર સેવીંગ એટલે કે કુદરત સાથે રહેવું અને કુદરતનુ સેવીંગ કરવું તેમજ પર્યાવરણ બચાવવું. વિવિધ પ્રકારની વસ્તુઓનું કલેક્શન કરવું એ મારો શોખ છેએમણે વધુમાં જણાવ્યું કે, કુદરતી વાતાવરણમાં રહેવું અને કુદરતના ઝાડ પાનનો ઉછેર કરવો એ પણ મારો એક શોખ છે, એની સાથે સાથે વિવિધ પ્રકારની વસ્તુઓનું કલેક્શન કરવું કે જેમાં એન્ટીક વસ્તુઓનું કલેક્શન કરવું. એ સિવાય એક અનોખો મારો શોખ છે કે, જેમાં ટ્રેડિશનલ વસ્તુઓ કે જે આજથી પચાસ વર્ષ પહેલા વપરાશમાં હતી પણ હાલ વપરાશમાંથી નીકળી ગઈ છે. એનો હું સંગ્રહ કરું છું. મારા ફાર્મ પર આવી સેંકડો વસ્તુઓનો સંગ્રહ કરેલો છે, જેમ કે ખેતીના જૂના સાધનો પછી ઘંટી ઘન્ટુલા, પટારા પેટીઓ, ફાનશો, પેટ્રોમેકશો, પછી જૂની વાપરવાની સગડીઓ એ સિવાય જૂના કેટલાંક એવા સાધનો છે જે આજની નવી પેઢીએ ક્યારેય જોયા પણ નહીં હોય. આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતુંવધુમાં જણાવ્યું કે, આજથી પાંચ વર્ષ પહેલા આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતું. જેથી મેં જમીન સરખી કરીને એમાં અત્યારે વિવિધ ઝાડ અને ફળોનું વાવેતર કર્યું છે. ઈલાયચીના છોડ, તમાલપત્ર જે મસાલામાં વપરાય છે, એ પણ છે. લવિંગ અને તજના છોડ, મરીના વેલ, ખાવાના પાનની વેલ, દ્રાક્ષની વેલ પણ છે, સીતાફળ તો ઘણી જગ્યાએ જોવા મળે છે પણ મે સીતાફળ ઉપરાંત રામફળ, હનુમાનફળ અને લક્ષ્મણ ફળનું પણ વાવેતર કર્યું છે. વધુમાં જણાવ્યું કે, હું શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરી લઉં છું. મારે ત્યાં જેટલા પણ ફળોનું ઉત્પાદન થાય છે એ બજારમાં વેચવા કરતા મારા મિત્રો અહીં આવે છે, એમને ખવડાવવામાં મને વધારે રસ હોય છે. મારી આ જગ્યામાં પક્ષીઓનો પ્રેમ પણ જાળવી રાખ્યો છે, અહીં અનેક પક્ષીઓ આ બગીચા પણ નિર્ભર છે, જેમાં એ વિવિધ પ્રકારના ફળ ખાતા હોય છે.
વડોદરા કરજણ નેશનલ હાઇવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બામણગામ પાસેથી ને.હા. 48 પર વડોદરા-ભરૂચ ટ્રેક ઉપર ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે બેથી વધુ મુસાફરોની સ્થિતિ ગંભીર છે. 5થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહને બહાર કાઢ્યો છે. સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
વિકાસના વર્ચ્યુઅલ વાયદાઓ અને બેરોજગારીની વરવી વાસ્તવિકતા
- પ્રજાનું આર્થિક સરવૈયું : રોકેટ ગતિએ વિકસી રહેલા ભારતીય અર્થતંત્રમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હાઈસ્કિલ ડિગ્રી લેનારા લાખો લોકો બેરોજગાર - શહેરી બેરોજગારીનો દર અંદાજે સાત ટકા પહોંચી ગયો હતો. બીજી તરફ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમરના વયજુથના યુવાનોમાં બેરોજગારીનો દર 12 ટકા જેટલો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં બેજરોજગારીનો દર તો તેના કરતા પણ વધારે હતો : ખરેખર વિકાસ થઈ રહ્યો છે તો ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. માત્ર ગણતરીના સેક્ટરમાં વિકાસ થયો છે અને જીડીપીની આંકડા મોટા થઈ રહ્યા છે પણ તેની સામે બેરોજગારી અને અસમાનતામાં વધારો થઈ રહ્યો છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી અને કદાચ જેવા દેવામાં પણ આવતું નથી : રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમનો જ અહેવાલ જણાવે છે કે, ભારતની મોટાભાગની નોકરિયાત વસતી તેમના ક્ષેત્રના પાયાગત શિક્ષણ અને તાલિમથી વંચિત હોય છે. તેનું પરિણામ એ આવે છે કે, કંપનીઓ કુશળ ઉમેદવારોની અછતની બુમરાણ મચાવે છે અને બીજી તરફ યુવાનો બેરોજગારીનો માર ઝીલી રહ્યા હોય છે
અમદાવાદ શહેર આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પર 43,890 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. 58 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, લાયબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે. અમદાવાદનું સૌપ્રથમ મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ પણ વસ્ત્રાલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવ્યોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 105 મીટર X 68 મીટરનું ગ્રાસી ફૂટબોલ મેદાન બનાવવામાં આવ્યું છે, જેમાં બે નંગ ફિક્સ બોલ તથા બે નંગ મુવેબલ પોલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે તથા ચોમાસાના પાણીનો નિકાલ કરવા માટે સ્ટોર્મ વોટર લાઈન પણ નાખવામાં આવી છે તથા બાજુમાં સિન્થેટીક લોંગ જમ્પ ટ્રેક બનાવવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ આપવામાં આવી છે. તેના વિશે વાત કરવામાં આવે તો 400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડ, 4 આઉટડોર ટેનિસ કોર્ટ, લોન્ગ જમ્પ, ટ્રીપલ જમ્પ તેમજ પાર્કિંગ એરીયા જેવી આઉટડોર સુવિધાઓનો લાભ નાગરિકો લઈ શકશે. લાઈબ્રેરી અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી શકે એવી વ્યવસ્થાલાયબ્રેરી બિલ્ડીંગ અને ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ કુલ બે બિલ્ડીંગનો સમાવેશ થાય છે. લાયબ્રેરી બિલ્ડીંગ અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી એવી સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ સાથેની વ્યવસ્થા સાથે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ બનાવ્યું છે. જેમાં આશરે 91 ટુ-વ્હીલર અને 40 ફોર વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે. સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર 100 માણસોની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઈન્ડોર ટેબલ ટેનિસ રૂમ કે જેમાં કુલ 6 ટેનિસની રમત કરાવી શકાય એવો એક હોલ બનાવેલો છે. આ સિવાય એક સ્વિમિંગ પુલ ફીલ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવેલો છે. જેના ઉપયોગ માટે કોચ રૂમ, ચેન્જીંગ રૂમ અને ટોઈલેટ બ્લોક બનાવેલા છે. સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર કુલ 100 માણસોની બેઠક વ્યવસ્થા બનાવેલી છે. થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બે માળના કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશિયમની વ્યવસ્થા સ્ટીમ, સોના અને જકુઝી સાથે કરવામાં આવી છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબીક્સ, બોક્સીંગ, ફ્લોર એકસરસાઈઝની વ્યવસ્થા ટોઈલેટ બ્લોક સાથે કરેલી છે. સેકન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોર્ટના હોલમાં બેડમિન્ટન, વોલી બોલ, બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણે બનાવવામાં આવ્યો છે. રમતોને જોવા માટે થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
ગત 27 જાન્યુઆરી, 2026ના રોજ વડોદરાના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ વિશાલ કહારે તેની લિવ-ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાખ્યા હતાં. આ હુમલા બાદ પાણીગેટમાં અરાજકતા છવાઇ હતી. હાલમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા છે અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. દિવ્ય ભાસ્કરે આ હત્યા પાછળના મૂળ શોધવા માટે તપાસ હાથ ધરી હતી. જેમાં કરવા ચૌથ(10 ઓક્ટોબર, 2025) પર ખેંચવામાં આવેલી એક તસવીર યુવકને મોતમાં મુખમાં લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. વિશાલ કહારે લિવ ઇન પાર્ટનરના પૂર્વ પતિ મોહંમદ હુસૈન ઝુલફીકાર અલી સૈયદને ઉપરા-છાપરી છરાના ઘા ઝિંકી આંતરડાં બહાર કાઢી નાંખ્યા હતાં. લોકોએ મો.હુસૈન ઝુલ્ફીકારને બચાવી 108 મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. વડોદરમાં યુવકની થયેલી કરપીણ હત્યા પાછળ એક મહિલા કે જેને અગાઉ પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા હતા અને અન્ય હિન્દુ પરણિત યુવક સાથે સંબંધો બાંધ્યા હત્યા. આ મહિલા આરોપી વિશાલ કહારના સંપર્કમાં છેલ્લા છ વર્ષથી હતી. વિશાલ અને આ મહિલાના પ્રેમ સંબંધો સામે કોને અને કયા વાંધો હતો અને આખરે પ્રેમી પૂર્વ પતિનું ખૂન કરવા શા માટે મજબૂર બન્યો હતો. રિક્ષામાં આવતા જતા સંપર્કમાં આવ્યા ને પ્રેમ થયોઆરોપી વિશાલ કહાર રિક્ષા ચલાવતો હતો અને છ વર્ષ અગાઉ આ મહિલાના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તે રિક્ષામાં લઈને જતો હતો ત્યારે આ મહિલાએ પોતે મહેંદી મૂકતી હોવાની વાત કરતા વિશાલે તેનો ફોન નંબર લીધો અને કામ અપાવવા માટે વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે અવાર નવાર વાતચીત થવા લાગી. આગળ જતા આ સંબંધો પ્રેમમમાં પરિણમ્યા. પ્રમિકા મિત્રની પૂર્વ પત્ની નીકળી ને ટ્વિસ્ટ આવ્યોજો કે આ પ્રેમ સંબંધો આડે ઘણી અડચણો આવવાની બાકી હતી અને તેનો અંજામ પણ લોહીયાળ આવશે તેનો પણ બન્નેને ખ્યાલ નહોતો. તેમાં પણ આ મહિલાનો પૂર્વ પતિ વિશાલનો જ મિત્ર હોવાનું સામે આવતા વધુ એકવાર આ સંબંધોમાં ટ્વિસ્ટ આવ્યો. વિશાલની પ્રેમિકા અને તેના પૂર્વ પતિએ બે વર્ષ પહેલાં ડિવોર્સ લીધા હતા. જ્યારે વિશાલ પણ પરણિત હતો. આ આ લવ સ્ટોરીમાં તેની પ્રેમિકા ડિવોર્સી, પોતે પરણિત અને પ્રેમિકાનો પૂર્વ પતિ પાછો તેનો મિત્ર. સંબંધોના આ કોમ્બિનેશનનો શેડ્સ તો ડાર્ક જ હોય તેમાં શંકાને કોઈ સ્થાન નહોતું. આ પ્રેમ સંબંધો છતાં મૃતક મોહંમદ હુસૈન ઝૂલફીકાર અલી સૈયદ અને વિશાલ વચ્ચેની દોસ્તી અતૂટ હતી. વિશાલની લિવ ઇન પાર્ટનર તેના પૂર્વ પતિના દ્વારા થયેલા સંતાનો સાથે અલગ રહેતી હતી. જ્યારે વિશાલને પત્ની અને બે બાળકો છે. પત્નીને જાણ થતા ઘર કંકાસ થવા લાગ્યોએક દિવસ વિશાલના આ મહિલા સાથેના આડા સંબંધો અંગે પત્નીને જાણ થઈ ગઈ. જેને પગલે બન્ને વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થવા લાગ્યા. માત્ર એટલું જ નહીં મૃતક યુવકના પરિવારજનો પણ આ બાબતે આરોપી વિશાલના ઘરે જઈ ઝઘડો કર્યો હતો. પ્રેમીને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતી, આત્મહત્યાનો પ્રયાસ કર્યોપોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર મૃતક યુવકની પત્ની છૂટાછેડા બાદ આરોપી વિશાલને ધર્મ પરિવર્તન અને લગ્ન માટે દબાણ કરતી હતી. આ ઉપરાંત વિશાલના ઘરે જઈ એક વાર તેની પ્રેમિકાએ આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પ્રેમિકાને ધર્મ બદલાવવા સામું પ્રેશર આપ્યુંઆ જ બાબતને લઈ આરોપી વિશાલ કહારની પત્ની વડોદરા પોલીસ કમિશનરને સંબોધી પત્ર લખે છે. જેમાં પોતાના પતિ સાથે આ મહિલાના આડા સંબંધો અને અવાર નવાર આ મહિલા પોતાના પતિ વિશાલને મરી જવાની ધમકી આપીને બ્લેકમેઇલ કરી ધર્મ પરિવર્તન અંગે દબાણ કરતી હતી. આ સાથે વિશાલ પણ આ મહિલાને પોતાનો ધર્મ છોડી હિન્દુ ધર્મ અપનાવવા માટે દબાણ કરતો હતો. કરવા ચૌથનું વ્રત કરી માંગમાં સિંદૂર સાથેનો ફોટો ને ખૂની ખેલના બીજા રોપાયાવિશાલની આ પ્રેમિકા અન્ય ધર્મની હોવા છતાં કરવા ચૌથનું વ્રત કરી માંગમાં સિંદૂર ભરી આરોપી વિશાલ સાથે ફોટો પડાવે છે. આ ફોટો વિશાલ પોતાના મિત્ર અને પ્રેમિકાના પૂર્વ પતિને મોકલે છે. આ જ ફોટો આ ખૂની ખેલના બીજ રોપી દે છે. ‘છૂટાછેડા થયા હોવા છતાં શા માટે મને ફોટો મોકલે છે’મૃતક મોહંમદ હુસૈન ઝૂલફીકાર અલી સૈયદ તેના પરિવારના લોકો સાથે આરોપી વિશાલના ઘરે જઈ આ બાબતે જણાવે છે કે મારે છૂટાછેડા થયા હોવા છતાં શા માટે મને ફોટો મોકલે છે. બાદમાં આજ બાબતે વિશાલ અને મૃતક યુવક વચ્ચે માથાકૂટ થાય છે. પ્રેમિકાના પૂર્વ પતિ અને મિત્રનું કાસળ કાઢવા પ્લાન ઘડ્યો27 જાન્યુઆરીની રાત્રે વિશાલ અને મૃતક યુવક બંને પાણીગેટ વિસ્તારમાં મળે છે. આ જગ્યાથી આરોપી અને મૃતક યુવકનું ઘર માત્ર 100 મીટરના જ અંતરે હોય છે. જો કે આ મુલાકાત પહેલા જ વિશાલે મોહંમદ હુસૈન ઝૂલફીકાર અલી સૈયદનું કાસળ કાઢવાનો પ્લાન ઘડી લીધો હોય છે અને તેની તૈયારીઓના ભાગરૂપે જ તે ઘરેથી છરો લઈને આવે છે. આંતરડાં બહાર કાઢી નાંખી મોત આપ્યુંપહેલા આ બાબતે સામાન્ય માથાકૂટ થાય છે અને બાદમાં આ ઝઘડો હત્યામાં પરિણમે છે. આ ઘટનાના વીડિયોમાં આરોપી વિશાલ કહાર મોટા છરા સાથે પાણીગેટના મો.હુસેન પર તુટી પડ્યો હતો. પહેલો ઘા વાગતા જ યુવક નીચે પડી ગયો હતો. હુમલાખોરે છરાના ઉપરાછાપરી ઘા માર્યા હતા. લોકોએ મો.હુસેનને બચાવવા જતાં આરોપીએ તેના પગ ખેંચી ફરીથી છરા માર્યા હતા. આ ઘટનામાં મૃતક મોહંમદ હુસૈન ઝૂલફીકાર અલી સૈયદ ગંભીર રીતે ઘાયલ થાય છે અને તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન યુવકનું મોત થાય છે. આખરે આ પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો.
ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સમાં વાત અમદાવાદથી ભાવનગર વચ્ચે નિર્માણ પામેલા એક્સપ્રેસ હાઈવેની. આ હાઈવેનો મુખ્ય હેતુ ધોલેરાને કનેક્ટ કરવાનો અને સમય તેમજ ઈંધણની બચત કરવાનો છે. ધોલેરા એક્સપ્રેસ હાઈવે કેટલા કિલોમીટર લાંબો છે અને એની વિશેષતાઓ શું છે? જાણવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ VIDEO
રિયલ એસ્ટેટ સેક્ટરમાં સમય સાથે અનેક ટ્રેન્ડ બદલાતા રહે છે. જેના લીધે આ સેક્ટર સાથે જોડાયેલા લોકોની કામ કરવાની રીતમાં પણ સમય સાથે જમીન આસમાનનો ફેર આવ્યો છે. આપણે પહેલા આ સેક્ટરમાં લે-વેચ કરનારા લોકોને દલાલ તરીકે ઓળખતા હતા પરંતુ બ્રોકરના આ બિઝનેસને ગુજરાતમાં પહેલીવાર નવી વ્યાખ્યા આપનાર યુવા ચહેરો એટલે દર્શક રાઠોડ. આજે તમારા મોબાઇલમાં પ્રોપર્ટી બતાવતા લોકોની રીલ અવારનવાર આવતી હશે. જેમાં તમે રામા રિઅલ્ટીવાળા દર્શક રાઠોડને પણ જોયા હશે. B.E. ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરનારો આ યુવાન આજે કરોડો રૂપિયાની મિલકતોનું વેચાણ કરે છે અને એ પણ ફક્ત રીલના આધારે. જ્યારે ગુજરાતમાં કોઇ આ રીતે બ્રોકિંગ નહોતું કરતું ત્યારે દર્શક રાઠોડને આ રીતે રિયલ એસ્ટેટના માર્કેટિંગનો વિચાર ક્યાંથી આવ્યો? ભાવનગરનાં મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા દર્શકે આટલી નાની ઉંમરમાં મોટી સફળતા કેવી રીતે મેળવી? શું ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખરેખર મંદી છે? ભવિષ્યમાં ક્યા એરિયામાં ઘર લેવાય? આવા અનેક પ્રશ્નોના જવાબ દિવ્ય ભાસ્કરે દર્શક રાઠોડ પાસેથી મેળવ્યા છે. દર્શકની અહીંયા સુધી પહોંચવાની સફર પણ ખૂબ રોમાંચક છે. તેણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરથી જ મેળવ્યું છે. તેના પિતા એગ્રિકલ્ચરનો બિઝનેસ કરે છે. દર્શકનું સપનું પાયલટ અથવા તો એન્જિનિયર બનવાનું હતું પણ હવે તે રિઅલ એસ્ટેટ એજન્ટ છે. દર્શકે કોલેજકાળથી જ ધંધો કરવાનું વિચારી લીધું હતું. તેણે શરૂઆતમાં ટ્રેકિંગ ટૂરનો બિઝનેસ શરૂ કર્યો પછી IT કંપનીમાં નોકરી કરી. જેના પછી રિયલ એસ્ટેટ કંપનીમાં જોબ કરી અને હવે તેણે પોતાની રિઅલ એસ્ટેટ એજન્સી શરૂ કરી છે. આખી દુનિયાને ઘર બનાવતા દર્શકનું ઘર ક્યાં છે અને કેવું છે? દર્શક આખી દુનિયાને ઘર બતાવે છે અને દરેક સ્કીમની ખાસિયત જણાવે છે તે પોતે ક્યાં રહે છે અને તેનું ઘર કેવું છે તે પણ જાણો. દર્શકે અમદાવાદમાં વૈષ્ણોદેવી એક્સટેન્શન પાસે અતિશય શિવાલય-4માં ઘર લીધું છે.તેણે કહ્યું કે ઘર લેવું દરેક માટે ઇમોશનલ નિર્ણય હોય છે. કોઇપણ જગ્યાએ સ્કીમ કે બિલ્ડર અંગે વિવાદ આવે તો તરત જ આપણને આપણા નિર્ણય પર શંકા થવા લાગે. મેં ડેવલપર, ક્વોલિટી અને તમામ વિગત ચકાસીને ઘર લીધું છે. મારા ઘર 3 BHKનું છે, બાલ્કની વિશાળ છે અને કિચન પણ મોકળું છે. યે જવાની હૈ દિવાની ફિલ્મ જોઇ ને પહેલો ધંધો શરૂ કર્યોતેણે કહ્યું, મેં કોલેજનો અભ્યાસ અમદાવાદની એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાંથી કરેલો છે. 2013માં યે જવાની હૈ દિવાની ફિલ્મ આવી હતી. અમે એ ફિલ્મ જોયા પછી ધંધો કરવાનું નક્કી કર્યું હતું. 'તે સમયે મારો મિત્ર એડવેન્ચરનો નાનકડો ધંધો કરતો હતો. મેં તેને કીધું તે આ બધી પ્રેક્ટિસ કરી છે અને મને ફેસબુક અને થોડું માર્કેટિંગ આવડે છે તો આપણે એડ રન કરીશું અને આપણને કસ્ટમર મળશે. અમે બન્નેએ ટ્રેકિંગ ટૂરનો બિઝનેસ શરૂ કર્યો અને ધીરે ધીરે એમાં સફળતા મળી. અમે કોલેજના સમયમાં જ ઝનૂન ટ્રેકિંગ નામથી ધંધો શરૂ કરી દીધો હતો. અમે હોસ્ટેલમાંથી જ આ ધંધો ઓપરેટ કરતા હતા. એક ઘટનાએ ટ્રેકિંગ બિઝનેસમાંથી રિયલ એસ્ટેટમાં લાવી દીધા2013માં કેદારનાથમાં થયેલી હોનારત બાદ દર્શકના પરિવારે તેને ટ્રેકિંગના ધંધાની મનાઇ કરી દીધી હતી. જેના પછી તેણે IT કંપનીમાં ડિજિટલ માર્કેટિંગ હેડ તરીકે નોકરીની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે, મારા પિતા એગ્રિકલ્ચરની સાથે થોડું જમીન લે-વેચનું કામ પણ કરતા હતા. તેમને જોઇને હું પણ થોડું થોડું શીખ્યો હતો. મને તેમાં મજા પડતી એટલે મેં 2018માં ITની નોકરી છોડી ઇસ્કોન ચાર રસ્તા પાસે એક રિયલ એસ્ટેટ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. મિત્ર સાથે શરત લાગી અને નોકરી છોડી દીધીએકવાર દર્શક અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરતો તેનો મિત્ર રાત્રે જમવા બેઠા હતા. તેની સાથે એક શરત લાગી અને દર્શકે ITની નોકરી છોડી દીધી હતી. આ કિસ્સાને યાદ કરતા તેણે કહ્યું કે, એ રાત્રે હું અને મારો મિત્ર જમતા હતા ત્યારે તેણે મને કહ્યું કે તુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ ન કરી શકે. એ મને દિલ પર લાગી ગયું અને મેં ત્યારે જ કહી દીધું કે શરત લગાવીએ, હું કંપનીમાંથી નોકરી છોડી દઇશ અને રિયલ એસ્ટેટમાં જ કામ કરીશ. જેના પછી મેં નોકરી છોડી દીધી પરંતુ ઘરે કોઇને ખબર જ નહોતી. 2018માં તે સમયે નોકરી છોડી ત્યારે મારો પગાર 25 હજાર હતો. હું ઘરે કેવી રીતે જાણ કરીશ તે સતત ચિંતા રહેતી હતી, પપ્પા ગુસ્સો કરશે તે નક્કી હતું. 'હું સંયુક્ત કુટુંબમાં રહું છું, મારા પિતાના 5 ભાઇઓ છે, દરેકની સહમતી જોઇએ. બીજી બાજુ અઢી મહિના સુધી એક પણ ડીલ ન થઇ. જો કે ત્રીજા મહિનાના એન્ડમાં ભાડાની એક ડિલ મળી અને હાશકારો થયો. મને બન્ને બાજુથી 15-15 હજાર રૂપિયા મળ્યા હતા. તે પછી મેં મારૂં પોર્ટલ પણ શરૂ કર્યું હતું. ધંધો ધીરે ધીરે ચાલતો થયો પછી તેના થોડા સમય બાદ કોરોના આવી ગયો અને મારે વતન જવું પડ્યું હતું.' પરિવારના સભ્યો સાથે બોલાચાલી થઇવાતને આગળ વધારતા તેણે કહ્યું કે, હું દોઢ વર્ષ ભાવનગર રહ્યો. મારો પોતાનો ધંધો થયો પછી પિતાના ધંધામાં વધારે રસ નહોતો ત્યાં થોડું ઘણું માર્કેટિંગનું કામ કરી લેતો પરંતુ દોઢ વર્ષ થયા પછી મારાથી ન રહેવાયું એટલે મેં મારા બાને રજૂઆત કરી. મારા બા-દાદા મને ખૂબ સપોર્ટ કરતા. જો કે મેં નોકરી છોડી દીધા બાદ દાદા થોડા ગુસ્સે હતા. બાને યાદ કરીને જ રીલ બનાવવાની શરૂઆતદર્શક કહે છે કે, હું અમદાવાદ આવ્યો પછી મારા બાને બ્રેઇન ટ્યૂમર થયું હતું. આ સમયે તેઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા. હું તેમની ખબર કાઢવા હોસ્પિટલ ગયો ત્યારે તેમણે મને કેટલીક વાતો કરી હતી જે જીવનભર યાદ રહી જશે. બાએ કહ્યું કે નીતિ ન ચૂકતો નહીં તો કુદરત પછડાટ આપશે. તેમણે કંઇક નવું કરવાનું પણ કહ્યું હતું. આ પછી મને મારી ફિલ્ડમાં નવું કરવાની પ્રેરણા મળી. 'દુબઇ અને મુંબઇમાં લોકો આ રીતે વીડિયોમાં પ્રોપર્ટી બતાવતા હતા પરંતુ અમદાવાદમાં આવું નહોતું એટલે મેં તેની શરૂઆત કરી. ત્યારથી લઇને આજ સુધી દરેક વીડિયોમાં હું પહેલાં મારા બાનું નામ લઉં છું. મારી સફળતાનો શ્રેય બાને જ આપું છું.' ટ્રેકિંગમાં મળેલા બહેનના કારણે કંપની ખોલવાનું સપનું પૂરૂં થયુંદર્શક પોતાની સફળતાનો શ્રેય પોતાના બાની સાથે પોતે બનાવેલા બહેનને પણ આપે છે. બહેન વગર તેમની કંપની ખોલવા સુધીની સફર અધૂરી છે. તે કહે છે કે, મેં પહેલા જે ટ્રેકિંગની કંપની શરૂ કરી હતી તે સમયે ટ્રેકિંગમાં મને કિંજલબહેન મળ્યા હતા. 2013માં પોલો ફોરેસ્ટ અમારી મુલાકાત થઇ હતી. તેઓ અમેરિકા રહેતા હતા. જ્યારે પણ અમદાવાદ આવતા ત્યારે મને મળતા. તેઓ પણ રિઅલ એસ્ટેટ સાથે જોડાયેલા હતા અને આ જ ધંધો ભારતમાં કરવા ઇચ્છતા હતા. તેમણે મને સપોર્ટ કર્યો હતો. હું બ્રોકર તરીકે કામ કરતો ત્યારે મારી પાસે ફાઇનાન્શિયલ સપોર્ટ નહોતો ત્યારે બહેને મને સપોર્ટ કર્યો અને આજે હું અહીંયા સુધી પહોંચ્યો છું. દર્શક રાઠોડે જ્યારે વીડિયો બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે તેને સપોર્ટ નહોતો મળ્યો તેમ છતાં તેણે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું અને સફળતા હાંસલ કરી. તેણે કહ્યું કે, આપણે કંઇક નવું શરૂ કરીએ એટલે સૌ પ્રથમ રોકનારા આપણા ફેમિલીવાળા હોય છે. મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું એટલે પપ્પાએ કહ્યું કે આવું આપણા સમાજમાં ન ચાલે. સમાજના લોકો પણ બોલતા કે તમારો છોકરો વીડિયો બનાવે છે, તમારું જે કામ નથી તે કરે છે પરંતુ હવે એ જ લોકો વખાણ કરતા કહે છે કે જો દર્શક સારા વીડિયો બનાવે છે. મારી અપીલ એટલી જ છે કે કોઇપણ વ્યક્તિને તેની શરૂઆતમાં સપોર્ટ કરવો જોઇએ કારણ કે શું ખબર તેનું ટેલેન્ટ તેમાં બહાર આવવાનું હોય. ઇંગ્લિશમાં વીડિયો ન ચાલ્યા એટલે ગુજરાતીમાં શરૂ કર્યાદર્શક રાઠોડની શરૂઆત બ્રોકર તરીકે થઇ હતી પરંતુ આજે તેઓ રામા રિઅલ્ટી નામની કંપની ચલાવે છે. તેની કંપનીમાં 40થી વધુ લોકો કામ કરે છે. આ કંપની શરૂ થવાની સફર વિશે વાત કરતા તે કહે છે કે, હું શરૂઆતમાં તો બ્રોકર હતો પરંતુ IT કંપનીમાં નોકરી કરતો ત્યારે સેમિનાર કરતો હતો એટલે બોલવાની તો પહેલાંથી આવડત હતી. જેથી મેં વીડિયો શરૂ કર્યો. પહેલો વીડિયો ક્યાં બનાવ્યો હતો અને કેટલા વ્યૂ મળ્યા હતા?પોતાના પહેલા વીડિયો અંગે વાત કરતા તેણે જણાવ્યું કે, પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા પેલેડિયમ 3BHKનો સૌથી પહેલો વીડિયો બનાવ્યો હતો. મેં પહેલા માળે વીડિયો શૂટ કર્યો હતો પરંતુ નીચે પ્રસંગ હોવાથી જમણવાર ચાલતો હતો. દીદીએ કહ્યું કે દર્શક અવાજ નહીં આવે પરંતુ અમે ગમે તેમ ટ્રાય કરી વીડિયો બનાવ્યો અને અપલોડ કર્યો. આ વીડિયોને મહામહેનતે માત્ર 100 વ્યૂ મળ્યા હતા. આ રીતે મારી સફર શરૂ થઇ હતી. પહેલા વાઇરલ વીડિયોનો રસપ્રદ કિસ્સો પણ તેણે કહ્યો. 'મારો 3BHKનો વીડિયો નારણપુરાના પ્રોજેક્ટનો હતો. મને આજે યાદ છે કે મેં બ્લેક કલરનું ટી-શર્ટ, ગ્રે કલરનું પેન્ટ અને ચેરી રેડ શૂઝ પહેરી અને રામા રિઅલ્ટીના લોગો સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો રાત્રે 8:30 વાગ્યે અપલોડ કર્યો હતો. સવાર સુધીમાં તો વીડિયો ખૂબ ચાલી ગયો હતો. આ વીડિયો એક મીલિયન સુધી પહોંચ્યો હતો. આ રીતે પહેલો 1 મીલિયન વ્યૂ વાળો વીડિયો ડિસેમ્બર-2023માં થયો હતો. 13 ફેબ્રુઆરી, 2023માં મારા માત્ર એક હજાર ફોલોઅર પૂરા થયા હતા.' પહેલાં 3 મહિને 15 હજારની કમાણી, આજે લાખોની આવકદર્શક રાઠોડે જ્યારે રામા રિઅલ્ટીની શરૂઆત કરી હતી ત્યારે બેકએન્ડમાં માત્ર એક જ ફિમેલ કર્મચારીને રાખી હતી પરંતુ જેમ-જેમ આગળ વધતા ગયા તેમ-તેમ લોકો સામેથી તેનો સંપર્ક કરતા ગયા અને ટીમ વધતી ગઇ. તેણે વધુમાં કહ્યું, અમારા ફિલ્ડમાં પગાર કરતાં વધારે મહત્વ કમિશનનું હોય છે. અમારી કંપનીમાં અમે કોઇને એમ્પ્લોય તરીકે નથી જોતા, દરેકને ટીમ માનીને કામ કરીએ છીએ. જે વ્યક્તિ ડિલ કરીને આવે તેને તેની બ્રોકરેજનું પેમેન્ટ એ જ દિવસે કરી દઇએ છીએ. આજે અમે 45 લોકોનો પરિવાર છીએ. તે પોતાની ડિલ વિશે કહે છે કે, હું દર મહિને ખૂબ સારી આવક કરી લઉં છું અને ઘણી ડિલ્સ થઇ જાય છે. તેમણે પોતાની આવક વિશે કંઇ સ્પષ્ટ તો ન કહ્યું પરંતુ એટલું કહી શકાય કે જે દર્શકને પહેલા 15 હજાર કમાવવામાં 3 મહિના લાગ્યા હતા તે દર્શક આજે ફક્ત એક જ મહિનામાં આરામથી લાખો કમાઇ લે છે. દર્શક માને છે કે રીલ બનાવીને બિઝનેસ ચલાવવાનો હોવાથી તેમાં કન્સીસ્ટન્સી ખૂબ જરૂરી છે. તેણે કહ્યું કે, આ ફિલ્ડમાં કન્સીસ્ટન્સી ખૂબ મહત્વની છે. દરેક લોકો કન્સીસ્ટન્સી જાળવી નથી શકતા અને પછી ફિલ્ડ છોડી દે છે. જે નિયમિત કામ કર્યાં કરે છે તેને સોશિયલ મીડિયાથી ઇન્કવાયરી આવે જ છે. આજે 150 થી 200 લોકો માત્ર રીલ પર જ ધંધો કરે છે. જે કોઈને આ ફિલ્ડમાં આવવું છે અને કોઇપણ મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરી શકે છે. હું તેને મારાથી બનતી તમામ મદદ કરીશ. બ્રોકર પાસેથી ઘર લઇએ તો મોંઘું પડે?તે કહે છે કે, બ્રોકર અંગે લોકોની માન્યતમાં ઘણો ફેર આવ્યો છે. હવે લોકો બ્રોકરને રાખીને ઘર લેતા થયા છે. અમદાવાદના લોકો મુંબઇની સ્ટાઇલ અપનાવતા થયા છે. તેનું કારણ છે કે બ્રોકર પાસે દરેક ડેવલપરની કુંડળી હોય છે. તેને એરિયા વિશેની પણ સમજ હોય છે. બ્રોકર પાસેથી લો એટલે ઘર મોંઘુ પડે તેવું નથી હોતું. ડેવલપર પાસે જે ભાવે ઘર મળે તે જ બ્રોકર પાસેથી મળતું હોય છે. ‘અમારે કસ્ટમર પાસેથી બ્રોકરેજ લેવાની નથી હોતી અમને ડેવલપર બ્રોકરેજ આપે છે. જો કે ધીરે ધીરે લોકોની મેન્ટાલિટી દૂર થઇ રહી છે. રિ-સેલ પ્રોપર્ટીમાં લેનાર અને વેચનાર બંન્ને પાસેથી બ્રોકરેજ લેવાની હોય છે એટલે બ્રોકર દ્વારા ઘર લેવામાં કોઇ વધારાની કિંમત તો નથી ચૂકવવી પડતી પરંતુ તમને યોગ્ય સલાહ સૂચન મળે છે.’ અત્યારે લોકો કેવા ઘર પસંદ કરે છે?અત્યારે લોકો એમિનિટિઝને પણ પ્રેફરન્સ આપે છે. પહેલા એમિનિટિઝનું વધારે મહત્વ ન હતું પણ હવે પરિવાર નાના થયા છે, તેમને વિકેન્ડમાં એન્જોય કરવા માટે એમિનિટિઝ જોઇએ છે. દર્શક કહે છે કે, પ્રિમિયમ રેન્જના કસ્ટમરને પણ તમામ સુવિધાવાળું ઘર અને પ્રિમિયમ લોકેશન જોઇએ છીએ. તેમણે પોતાના જેવો ક્લાસ પણ પાડોશમાં જોઇએ છે. આ બધી બાબતોના તેઓ કરોડો રૂપિયા આપે છે. ઇસ્કોન, આંબલી અને સિંધુભવન જેવા એરિયામાં લોકો લોકેશન અને લોકાલિટીને કારણે રહે છે. માર્કેટ વિશે તે કહે છે કે, અત્યારે રિયલ એસ્ટેટમાં મંદી છે તેવું નથી પરંતુ અત્યારે એક્ચ્યૂલ બાયર્સ જ માર્કેટમાં આવે છે. જેને ખરેખર ઘર ખરીદવું છે તેવા લોકો જ બજારમાં ઇન્કવાયરી કરે છે. અમદાવાદના આ એરિયા ભવિષ્યમાં ટ્રેડિંગમાં આવશેઅમદાવાદનો વિકાસ હોરિઝોન્ટલી થઇ રહ્યો છે. અમદાવાદ દરેક બાજુએ તે વધતું જાય છે. ફક્ત વેસ્ટ અમદાવાદ જ નહીં પરંતુ ઇસ્ટ અમદાવાદનો પણ ગ્રોથ થઇ રહ્યો છે. ભવિષ્યમાં કોમનવેલ્થ આવવાની છે જેના કારણે મોટેરા, ઝૂંડાલ, વૈષ્ણોદેવી, વાપા, ગોધાવી જેવા એરિયાને એડવાન્ટેજ મળશે. દર્શકના મતે, કોલ્ડ પ્લે જેવી ઇવેન્ટમાં અમદાવાદની તમામ હોસ્પિટાલિટી પેક થઇ ગઇ હતી તો કોમનવેલ્થમાં કેટલો ગ્રોથ મળશે તે વિચારવા જેવું છે. ભવિષ્યમાં આખા દેશમાં અમદાવાદનું માર્કેટ સૌથી વધારે મહત્વનું હશે તેવું મને લાગી રહ્યું છે. ઘર લેતા પહેલાં કઇ કઇ વસ્તુની કાળજી લેશો?અમે છેલ્લે દર્શક રાઠોડને પૂછ્યું કે કોઇપણ વ્યક્તિએ ઘર લેતા પહેલા કઇ કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ જેના જવાબમાં લોકોને ટિપ્સ તેણે કહ્યું કે, દરેકે ઘર લેતા પહેલા એક યોગ્ય કન્સલ્ટન્ટને હાયર કરવો જોઇએ. જો ન કરો તો તમારે સૌ પહેલાં ડેવલપરની હિસ્ટ્રી ચેક કરવાની છે. અત્યારે રેરા પર તમને દરેક ડેવલપરની આખી હિસ્ટ્રી મળી જાય છે. 'કોઇપણ પ્રોજેક્ટનો તમારી પાસે રેરા રજિસ્ટર્ડ નંબર હશે તો તમને દરેક વિગત મળી જશે. ડેવલપરની માસ્ટર ફાઇલ પણ તમારે તપાસવી જોઇએ. જેમાં લે-આઉટ, પ્લાન પાસ, 7-12માં નામ સહિતની વસ્તુ હોય છે. ધીરે ધીરે રેરા સ્ટ્રીક્ટ થઇ રહ્યું છે અને તે દરેકના ફાયદામાં છે.'
આજના સમયે ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે હવે તો સામાન્ય માણસ પણ અવકાશની મુસાફરી કરવી શક્ય છે. જો કે સ્પેસ ટૂરિઝમના નવા વિકલ્પો વચ્ચે પડકારો પણ ઓછા નથી. અવકાશમાં સૌથી મોટો ખતરો એટલે એવી અજાણી વસ્તુ જે સ્પેસશટલ સાથે ટકરાઈ શકે અથવા તો સ્પેસવોક વખતે અવકાશયાત્રીના સ્પેસશુટને નુકસાન કરી શકે છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોના મતે આવા મોટા કદના પદાર્થો પૃથ્વી પર પહોંચી જાય તો આફત નોતરી શકે છે. એટલે પૃથ્વી તરફ આવી રહેલી આવી વસ્તુને જાણવા, સમજવા અને ખતરાનો અંદાજો લગાવવા માટે વિશ્વભરની અગ્રણી સ્પેસ એજન્સીઓ મથામણ કરી રહી છે. અમદાવાદમાં આવેલી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLએ એક નાનકડું ઇક્વિપમેન્ટ બનાવીને અવકાશમાં મોકલ્યું છે. એક નાનકડા ચોરસ બોક્સે વિજ્ઞાનની દુનિયામાં નવા માપદંડો નક્કી કર્યા છે. આ બોક્સ એટલે કે કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, જે DEXના નામે ઓળખાય છે. નોંધવા જેવી વાત એ છે કે આ ઇક્વિપમેન્ટ વિશ્વમાં ક્યાંય વેચાતું નથી. એટલે PRLએ જાતે બનાવ્યું છે. આ ઇક્વિપમેન્ટ બનાવનાર જૂજ સભ્યોમાં નામ મેળવ્યા બાદ હવે DEXએ આપેલા ડેટાનું PRLના વૈજ્ઞાનિકો એનાલિસિસ કરી રહ્યા છે. જેમાં ઘણી મહત્વની માહિતી સામે આવી છે. દિવ્ય ભાસ્કરે આ ટીમ લીડ કરનાર વૈજ્ઞાનિક પ્રોફેસર જયેશ પાબારી સાથે વાત કરી હતી. જેમાં તેમણે આ માહિતીનો કેવી રીતે માનવજીવન અને અવકાશ મિશનમાં ઉપયોગ થઈ શકે એ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિશ્વમાં માત્ર ચાર જ સંસ્થા પાસે આવી ટેક્નોલોજીપ્રોફેસર પાબારીએ જણાવ્યું, આ ભારતનો પહેલો કોસ્મિક ડસ્ટ એક્સપેરિમેન્ટ છે. આ સબ્જેક્ટ ઉપર દુનિયામાં ચારેક ગ્રુપ જ કામ કરે છે. એમાનું એક ગ્રુપ અમારું PRLનું છે. અમેરિકાએ ચારેક ડિટેક્ટર્સ અલગ-અલગ ગ્રહ પર મોકલેલા છે. ઉપરાંત જર્મની, જાપાન અને રશિયાએ પણ આ ક્ષેત્રે કામ કર્યું છે. જો કે એક્ટિવ ગ્રુપ અમેરિકા, જર્મની અને ભારતમાં જ છે. લગભગ 4.6 બિલિયન વર્ષ પહેલા સૂર્યમંડળ બન્યું. સૌરમંડળ બન્યા પછી અમુક ટૂકડા બચી ગયા જેને પ્રિસટીન કહેવાય છે, જે સૂર્યમંડળમાં બે જગ્યાએ એકઠા થયેલા છે. જેમાંની એક જગ્યા એસ્ટેરોઇડ અને બીજી જગ્યા કાઈપર કે કુપર બેલ્ટ તરીકે ઓળખાય છે. જેમાં પાર્ટીકલની સંખ્યા હજારો કરોડમાં છે. આ પાર્ટીકલ પણ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે અને લાખો વર્ષોની યાત્રા બાદ અલગ-અલગ ગ્રહો સુધી પહોંચે છે. કરોડો કિલોમીટરની સફર પછી પૃથ્વી સુધી પહોંચે છે પાર્ટિકલસૌરમંડળમાં સૌથી કેન્દ્રમાં સૂર્ય છે. બુધ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. ત્યાર બાદ શુક્ર, પૃથ્વી અને મંગળ પરિભ્રમણ કરે છે. મંગળ અને ગુરુની વચ્ચે એસ્ટેરોઇડ બેલ્ટ આવેલું છે. એ પછી શનિ, યુરેન્સ અને નેપ્ચ્યુન આવેલા છે. એસ્ટેરોઇડ બેલ્ટમાંથી નાના પાર્ટીકલ્સ બહારની તરફ જાય છે અને મોટા અંદરની તરફ આવે છે. પહેલાં આ પાર્ટીકલ્સ મંગળની નજીક જાય છે જો ત્યાંથી બચી જાય તો પૃથ્વી પાસે આવે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળથી તે ખેંચાઈને વાતાવરણમાં ન પ્રવેશી શકે તો શુક્ર તરફ આગળ વધી જાય છે. ત્યાર બાદ બુધ અને ત્યાં પણ બચી જાય તો સૂર્ય તરફ જતા રહે છે. જેમ-જેમ સૂર્યની નજીક જાય એમ તાપમાન વધતું જાય અને અંતે સૂર્યની ગરમીના કારણે આવા પાર્ટિકલ બળી જતાં હોય છે. પૃથ્વીની સપાટીથી 350 કિલોમીટર ઊંચાઈએ PRLનું સેન્સરપૃથ્વીની નજીકથી પસાર થતાં આવા પાર્ટિકલના અભ્યાસ માટે જ PRLએ કોસ્મિક ડસ્ટ એક્પરિમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે. અવકાશમાં પૃથ્વીની સપાટીથી 350 કિલોમીટર ઊંચાઈએ ભ્રમણ કરતું આ ઇન્સ્ટ્રુમેન્ટમાં કરોડો કિલોમીટર દૂરથી આવેલા પાર્ટિકલ અથડાય છે. DEXમાં રાખેલા સેન્સર અને અન્ય ઇક્વિપમેન્ટ મારફતે આવા પાર્ટિકલનો ડેટા મળે છે, જે બાયનરી ફોર્મેટમાં હોય છે. જેમાં ડસ્ટની સિગ્નેચર અથવા ઇન્ફોર્મેશન હોય છે. આ સાથે જ સ્પેસમાં ડિટેક્ટરનું બેક ગ્રાઉન્ડ પણ જાણી શકાય છે. આ તમામ ડેટાને ફિલ્ટર કરીને તેનું એનાલિસિસ કરવામાં આવે છે. ટૂંકમાં આ ડેટા સાયન્ટિફિક અને ટેક્નોલોજીકલી એમ બે પ્રકારનો હોય છે. જયેશ પાબારીએ કહ્યું, અમે કેટલાક મહિનાઓ સુધી ઓબ્ઝર્વેશન કર્યું. ત્યારબાદ સતત 22 દિવસ સુધી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ પાર્ટીકલનું કદ આશરે 260 મીમીથી 230 મીમી જેટલું છે. આ ઇક્વિપમેન્ટની નીચે અને આજુબાજુના ભાગમાં ટાર્ગેટ પ્લેટ્સ લગાવી છે. જેથી પાર્ટીકલ તેની સાથે અથડાઈ શકે. અવકાશમાંથી આવતા ડસ્ટ પાર્ટીકલની ગતિ અત્યંત ઝડપી એટલે કે પ્રતિ સેકન્ડ 10થી 20 કિમી (36 હજારથી 72 હજાર કિ.મી. પ્રતિ કલાક) જેટલી હોય છે. જ્યારે ડસ્ટ પાર્ટીકલ ટાર્ગેટ પ્લેન સાથે અથડાય છે ત્યારે માઇક્રો સેકન્ડ માટે પ્લાઝમા (ઇલેક્ટ્રોન્સ અને આયન) ઉત્પન્ન થાય છે. આ પ્લાઝમાને ઉપલા ભાગમાં લગાવેલા ઇલેક્ટ્રોસ્ટેટિક એનેલાઇઝર દ્વારા કેપ્ચર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ઇલેક્ટ્રોનિક પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. 1 હજાર સેકન્ડે એક પાર્ટિકલ હિટ થાય છેઆ પ્રક્રિયા દરમિયાન મળતા સિગ્નલને અમે ડિજિટાઇઝ કરીએ છીએ. ડસ્ટ ઇમ્પેક્ટના કારણે મળતા પલ્સનો અમે અભ્યાસ કરીએ છીએ, જેમાં મુખ્યત્વે ત્રણ બાબતો તપાસવામાં આવે છે: પાર્ટીકલની સંખ્યા, રાઇઝ ટાઈમ અને પીક વૉલ્ટેજ. આ પ્રયોગ દ્વારા અમે પૃથ્વી પર કેટલી ધૂળ આવે છે એ માપી શકીએ છીએ. અમારા તારણ મુજબ સરેરાશ દર 1 હજાર સેકન્ડે એક પાર્ટીકલ હિટ થાય છે. એસ્ટેરોઈડ બેલ્ટમાંથી આવતા પાર્ટીકલ સૂર્યમંડળની રચના થઈ એ સમયના હોવાનું માનવામાં આવે છે, જ્યારે કાઇપર કે કુપર બેલ્ટના પાર્ટીકલની તેનાથી અલગ પડે છે. PRLએ બનાવેલા DEXથી આવા પાર્ટિકલના મટિરિયલ અને સોર્સ વિશે ઘણી મહત્વની જાણકારી મળે છે. કયું પાર્ટીકલ ક્યાંથી આવે છે? શેનું બનેલું છે? એ બધુ જાણી શકાય છે. ઉપરાંત પાર્ટીકલ સૂર્યમંડળમાં ફરતા હોય ત્યારે નોબલ ગેસ ટ્રેપ થતાં હોય છે. એના વિષે જાણી શકાય. વર્ષે 2 હજાર ડમ્પર ભરાય એટલી ધૂળ અવકાશમાંથી પડે છે1992માં કેટલાક વૈજ્ઞાનિકોએ આંકડો આપ્યો હતો કે પૃથ્વી પર વર્ષે 20થી 40 હજાર ટન ડસ્ટ પાર્ટીકલ અવકાશમાંથી આવે છે. સરળ રીતે તુલના કરીએ તો 2 હજાર ડમ્પર ભરાય એટલી ધૂળ અવકાશમાંથી પડે છે. આ અંદાજ પ્રમાણે 50થી 150 ટન જેટલી ડસ્ટ રોજ પૃથ્વી પર એસ્ટેરોઇડ બેલ્ટમાંથી આવે છે. જો કે મોટાભાગની ડસ્ટ વાતાવરણમાં પ્રવેશતા જ સળગી જાય છે. ખરતા તારા એ બીજું કઈ નહીં પણ ડસ્ટ કે સ્ટોન પાર્ટીકલ જ છે. જે વાતાવરણમાં પ્રવેશતા જ સળગી ઉઠે છે. જો બચે તો જમીન કે પાણી પર આવે છે. એક બાય એક સ્ક્વેર મીટરમાંથી પ્રતિ સેકન્ડ જેટલા પાર્ટીકલ પસાર થાય તેને ફ્લક્સ કહે છે. વૈશ્વિક વૈજ્ઞાનિક એજન્સીઓની હરોળમાં PRLતેમણે જણાવ્યું, અત્યાર સુધી કરવામાં આવેલું ડેટા એનાલિસિસ અમારી અપેક્ષાઓને અનુરૂપ છે. અમે આ વિષય પર વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહ્યા છીએ, જેનાથી આગામી સમયમાં વધુ સચોટ માહિતી પ્રાપ્ત થશે. ટૂંકમાં કહીએ તો વિશ્વની અન્ય સંસ્થાઓના સમકક્ષ ઇક્વિપમેન્ટથી મળેલી માહિતી સાથે અમને મળેલા પરિણામોની સરખામણી કરતા તે સચોટ જણાયા છે. આ સાબિત કરે છે કે આપણું ઇક્વિપમેન્ટ અપેક્ષા મુજબ સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે.આ અગાઉ આવું સંશોધન છેલ્લે વર્ષ 2007-08માં થયું હતું. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એવી ધારણા છે કે પૃથ્વી તરફ આવતા ડસ્ટ પાર્ટિકલ એકસરખી ગતિથી આવે છે, પરંતુ આ તથ્યની પુષ્ટિ કરવા માટે સમયાંતરે ડેટા મેળવી તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. PRL દ્વારા કરવામાં આવેલું આ મેઝરમેન્ટ એક મજબૂત પુરાવો આપે છે કે આ પાર્ટિકલ એ જ ગતિથી પૃથ્વી તરફ આવી રહ્યા છે. આ સંશોધન પરથી આપણે એવું પણ તારણ કાઢી શકીએ કે પૃથ્વીની સપાટીથી 350 કિલોમીટરની ઊંચાઈ સુધી આ રજકણો સળગ્યા વિના પોતાના મૂળ સ્વરૂપમાં જ હોય છે. મંગળ-શુક્ર પર મિશન મોકલવાની તૈયારીહવે આ જ ટેકનોલોજીનો ઉપયોગ મંગળ અને શુક્ર ગ્રહ પર રજકણોના માપન માટે કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે. મંગળ પર બની રહેલા મિટીયોર લેયરનું મુખ્ય કારણ આવા ડસ્ટ પાર્ટીકલ જ છે પરંતુ ત્યાં હજુ સુધી તેનું કોઈ એનાલિસિસ થયું નથી. મંગળ પર ડસ્ટ પાર્ટિકલનો અભ્યાસ કરવાથી તેના વાતાવરણના સ્તરની ઊંચાઈ અને તેની બનાવટ વિશે મહત્વની માહિતી મળી શકે તેમ છે. એવી જ રીતે શુક્રના ઉપરના વાતાવરણમાં પણ આવા પાર્ટીકલ્સની હાજરી અને ત્યાં મિટીયોર લેયરની સ્થિતિ અંગે સંશોધન થવાની શક્યતાઓ રહેલી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
''સ્વરક્ષણ તાલીમ'' શિબિરનું આયોજન:મોરબી યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં તાલીમ શિબિર યોજાઇ
આજની યુવતીઓ સશક્ત બને તે હેતુથી મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટસ કોલેજ ખાતે મહિલા સેલ અંતર્ગત વિદ્યાર્થિનીઓ માટે ખાસ ''સ્વરક્ષણ તાલીમ'' શિબિરનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રશિક્ષક તરીકે ગીર સોમનાથ કરાટે એસો.ના મયુરભાઈ પીપરોતર તેમજ બી ડિવિઝન પોલીસના મહિલા સુરક્ષા સેતુના ડી.આઈ. લાભુબેન મોરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મયુરભાઈએ વિદ્યાર્થિનીઓને આકસ્મિક અને મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેની વિવિધ સેલ્ફ ડિફેન્સ ટેકનિકો શીખવાડી હતી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા તાલીમ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના માર્ગદર્શન અને સહકારથી યોજાયો હતો.કાર્યક્રમનું સંચાલન મહિલા સેલના કો-ઓર્ડિનેટર ડો. કવિતા ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ખુલ્લેઆમ બેરોકટોક દેશી દારૂના ધમધમતા હાટડાઓ ખાખીને કલંકિત કરી રહ્યા છે. આથી પોલીસની શંકાસ્પદ કામગીરીથી દારૂબંધી કાગળ પર હોવાની કડવી વાસ્તવિકતા વચ્ચે હવે તો પોલીસની રહી સહી આબરૂનું પણ ધોવાણ થઈ ગયું હોય એવી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ વાર્ષિક ઇન્સ્પેકશન માટે આવ્યા હતા અને તેઓએ જિલ્લામાં એક વર્ષમાં ક્રાઈમ રેટ વિશે રેકર્ડ પર દર્શાવેલી માહિતીનું નિરીક્ષણ કર્યું હતું. આ આઈજીએ મોરબી જિલ્લા પોલીસની એક વર્ષની કામગીરી યોગ્ય રહી હોવાનું દર્શાવ્યું હતું. આથી જિલ્લા પોલીસે પણ વાહવાહી લૂંટી હતી. જો કે રેન્જ આઈજી ગયાની થોડી જ વારમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતો એક વિડીયો વહેતો થયો છે. આ વીડિયો મોરબી આસપાસના એક ગ્રામ્ય વિસ્તારની બાવળના કાંટ પરનો હોવાનું કહેવાય છે. જેમાં વિડીયો બનાવનાર વ્યક્તિએ વિડીયોમાં દેશી દારૂની ઢગલા મોઢે કોથળી બતાવીને કહ્યું કે, 15 દિવસ પહેલા અહીંયા દેશી દારૂનો વેપલો થતો હોવાની પોલીસને અરજી આપી હોવા છતાં કંઈ જ કાર્યવાહી કરતી નથી.ત્યારે હવે આ વીડિયો જોઈ ઉચ્ચ પોલીસ અધિકારી જે તે જવાબદાર સામે કાર્યવાહી કરવાની હિંમત કરશે કે કેમ તે જોવાનું રહ્યું!
મોરબી મનપા ટ્રાફિકને અડચણરૂપના નામે મુખ્ય બજારોમાં સામાન્ય ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા હતા. જેમાં મનપાએ સામાન્ય ધંધાર્થીઓની રેકડી, ગલ્લા, ફેરિયાનો સમાન અને બજારોમાં દુકાનો બહારનો સમાન જપ્ત કરી લેતા રોજગાર વિહોણા થયેલા વિસ્થાપિત એવા સામાન્ય ધંધાર્થીઓએ ધંધો છીનવાઈ જવાથી એકી સુરે અમે ક્યાં જઈએ તેવી વેદના વ્યક્ત કરી હતી. મોરબી મહાનગરપાલિકા છેલ્લા એકવર્ષથી અઠવાડિયામાં એકવાર શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તવાઈ બોલાવી રહી છે. મનપાની આ અવિરતપણે ચાલી રહેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશમાં માત્ર સામાન્ય માણસ જ ટાર્ગેટ કરીને તેમના ધંધા રોજગાર છીનવી લેવાતા હોવાની અનેક વખત સામાન્ય ધંધાર્થીઓએ મનપા સામે આક્રોશ સાથે હૈયાવરાળ ઠાલવી છે. જો કે થોડા સમય પહેલા જ બજાર વિસ્તારમાં દુકાનો બહાર રહેલા થોડાક સામાનને મનપાએ જપ્ત કરી લેતા વેપારીઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને વેપારીઓએ ચક્કાજામ કરતા કોંગ્રેસ તેમજ ભાજપ અગ્રણી પણ કૂદી પડતા આ આંદોલને રાજકીય રંગ પકડ્યો હતો. વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની નારાજગી વચ્ચે પણ મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દર અઠવાડિયે બજાર વિસ્તારમાં દબાણ દૂર કર્યા હતા. જેમાં તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઇન રોડને અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા. તેમજ તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ અને પરા બજાર મેઇન રોડ ખાતે દુકાનની બહાર સામાન રાખી વેચાણ કરતાં લારી - ગલ્લા અને ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કર્યો હતો.
મોરબી મહાનગર પાલિકા બન્યા બાદ નવા ભળેલા પંચાયત વિસ્તારમાં તેમજ શહેર નોન ડીપી વિસ્તારમાં પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલી બહુમાળી ઈમારતો તેમજ ટેનામેન્ટ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. પંચાયત વખતે નિયમ મુજબ બાંધકામ નિર્માણ માટે મંજૂરી ન લેનાર બિલ્ડર સામે કડક એક્શનના ભાગરૂપે છેલ્લા કેટલાક દિવસોથી મનપાની ટીપી શાખાના સર્વેયર દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્વે કરાઇ રહ્યા છે અને જે બાંધકામ નિર્માણ માટે પૂર્વ મંજૂરી લેવાઈ નથી તેવી મિલકત સીલ કરાઇ રહી છે. અગાઉ આવી મિલકતોને બે-ત્રણ નોટીસ ફટકારી બાંધકામ અટકાવી જરૂરી મંજૂરી લગતી વિગત મનપા કચેરીમાં રજૂ કરવા સુચના આપી હતી, પરંતુ આવી મંજૂરીને લગતા પુરાવા રજૂ ન કરી બાંધકામ ચાલુ રાખનાર બિલ્ડર સામે કડક એક્શન લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે ચાલુ સપ્તાહે મનપાની ટીમે અગાઉ અમરેલી ગ્રામ પંચાયત હદમાં આવતા રણછોડ નગર વિસ્તાર 10 જેટલા ટેનામેન્ટ અને કેનાલ રોડ પર ઓમ પાર્કમાં નિર્માણધીન ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરાયા છે અને પૂર્વ મંજૂરી વિના નિર્માણ પામી રહેલા આ બાંધકામ અટકાવ્યા હતા. ડીપી પ્લાન તૈયાર નહીં થાય ત્યાં સુધી મંજૂરી નહીંમોરબી મહાપાલિકા બન્યા બાદથી શહેરમાં નવા ભળેલી પંચાયતોમાં હાલ નવા બાંધકામ પ્રોજેક્ટ સાવ ઠપ્પ થઇ ગયા છે જેનું મુખ્ય કારણ મહાનગર પાલિકા દ્વારા નવા વિસ્તારમાં બાંધકામ નિર્માણ માટે અરજી સ્વીકારવાનું બંધ કર્યું તે છે અને તેની પાછળ મોરબીનો વિકાસ નકશો બન્યો નથી અને તેના નિર્માણ માટે 6 મહિના જેટલો સમય લાગશે. બાદમાં તેમાં વાંધા સૂચન આવશે. અંતે ફાયનલ ડીપી પ્લાન મંજૂર થયા પછી જ નવા બિલ્ડીંગને મંજૂરી મળવાની શરુ થશે અને ત્યાં સુધી શહેરના નવા ભળેલા વિસ્તારમાં નવા એક પણ પ્રોજેક્ટ અમલમાં આવી શકશે નહી. આથી કોઇ ધમપછાડા કામ લાગશે નહીં.
આગ લાગી:મોરબીના લીલાપર પાસે કારમાં અને જાજાસર નજીક પવનચક્કીમાં આગ
મોરબી પંથકમાં આગજનીના બે બનાવ સામે આવ્યા હતા. ગુરુવારે મોડી રાત્રે લીલાપર ચોકડી પાસે એક ઈનોવા કારમાં અચાનક કોઈ કારણસર આગ લાગી ગઈ હતી, જો કે ઘટના બાદ કાર ચાલક સમય સુચકતા વાપરીને બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. તો બીજી એક ઘટના માળિયા તાલુકાના જાજાસર ગામની સીમમાં આવેલી પવન ચક્કીમાં બની હતી અને કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠતાં ફાયર ટીમ પહોચી હતી અને તેમાં પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી અને ત્યાર બાદ કુલિંગ પ્રોસેસ હાથ ધરી હતી.
આપઘાતનો મામલો આવ્યો સામે:મોરબીના ગેરેજના માલિકે મધુપ્રમેહથી કંટાળી ફાંસો ખાધો
મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉ.વ.53 ) નામના યુવાને ફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું. પોલીસની તપાસમાં ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ખુલ્યું હતું. જ્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી પરશુરામનગર ખાતે રહેતા ઈરફાનભાઇ મહેબુબભાઇ સમા (ઉ.વ.41) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સ્પરકોસ સીરામીક નામના કારખાનામાં પતરા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પતરું તુટવાના કારણે તે 18 થી 20 ફૂટ જેટલી ઊંચાઇ ઉપરથી નીચે પટકયો હતો.આથી આ યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. તેમજ મોરબીના નીચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈ અજાણ્યા યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની સરપંચે જાણ કરતા ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢી ડેડબોડીને પીએમ માટે હોસ્પિટલે ખસેડયો હતો.
મોરબીમાં ખાસ કરીને બાળકો રમતા રમતા ભણે અને ભણતર બોજારૂપ ન બને તે માટે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો નવતર પ્રયોગ કરાયો હતો. જેમાં મોરબી જિલ્લાના 15 જેટલા તજજ્ઞ શિક્ષકોએ પોતાની આગવી બુદ્ધિ કૌશલ્ય તેમજ કલા અને કોઠાસૂઝથી ભાર વગરના ભણતરની અલગ અલગ શૈક્ષણિક કૃતિઓ રજૂ કરી બાળકોને શિક્ષણમાં આવતા તમામ મુદાઓ નવીન પ્રયોગોથી દર્શાવી મનમાંથી શિક્ષણનો હાઉ કાઢી નાખવા પ્રેરિત કર્યા હતા. શૈક્ષણિક કૃતિઓથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બાળકો પોતાની રીતે જાતે જ સમગ્ર શૈક્ષણિક માળખાને સમજીને જીવનમાં ઉતારે તેવો સકારાત્મક પ્રયાસ કરાયો હતો. અત્યાર સુધીમાં 500 જેટલા શિક્ષકોએ આ મેળાની મુલાકાત લીધા બાદ તેમાંથી શ્રેષ્ઠ પાંચ કૃતિઓની પસંદગી રાજ્ય કક્ષા માટે કરવામાં આવશે. વાંકાનેરની દિગ્વિજયનગર પ્રાથમિક શાળાના શિક્ષક ધ્રુવગીરી ગોસ્વામીએ મારે સ્વતંત્ર લેખન કરવું એ વિષય પર પોતાનું ઇનોવેશન રજૂ કરી ધો.6 થી 8 ના બાળકો નિબંધ કે વાર્તા લેખનમાં મુશ્કેલી પડતી હોવાથી તેના ઉકેલ માટે તેમણે બાળકોને પહેલા મુક્ત મને ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરતા મનમાં દ્રશ્ય કલ્પના શક્તિ વધી અને ચિત્રોના આધારે બાળકોએ મૌલિક લેખન શરૂ કર્યું હતું. વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે શિક્ષકોએ ખાસ તૈયાર કરી સાયરનસાર્વજનિક પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રિયંકાબેન ગોધાસરાએ સામાજિક વિજ્ઞાન જેવા વિષયને રસપ્રદ બનાવવા ''લર્નિંગ મેચિંગ મ્યુઝિક ગેમ'' બનાવી વાંચનમાં કચાશ ધરાવતા બાળકો માટે આ એક ગેમમાં સાચા જવાબ પર સ્પર્શથી સાયરન વાગે જેથી બાળકો રમતા-રમતા દેશના રાષ્ટ્રપતિ કે મંત્રીઓના નામ જેવી સામાન્ય જ્ઞાનની માહિતી યાદ રાખી શકે છે. હરબટિયાળીના શિક્ષિકા ગીતાબેન સંખલાએ ''નિપુણ ભારત''ના લક્ષ્યોને સિદ્ધ કરવા ''શૂટ એન્ડ વિન'' નામનું સાધન વિકસાવ્યું છે.
પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ:વીજ ચેકીંગ દરમિયાન 87 જોડાણોમાં ચોરી ઝડપાઈ, રૂ. 38.68 લાખનો દંડ વસુલાયો
ભાસ્કર ન્યૂઝ|સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર પીજીવીસીએલ તરફથી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના ચીફ ઈજનેર પી.જે.મેહતાની સુચનાથી સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર એન.એન.અમીનના માર્ગદર્શન હેઠળ તા.30ને શુક્રવારે કાર્યવાહી કરવામાં આવી હતી. પીજીવીસીએલની 38 ટીમો સાથે સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના વઢવાણ, થાન, દાનાવાડા, ગોદાવરી, કટુડા, કેસરિયા, ખમીસણા, કુંતલપુર, પેઢડા સહિતના ગામોમાં વીજ ચેકીંગ કરી હતી જેમાં 87 જોડાણોમાં ચોરી ઝડપાઈ હતી, જેનો 8.68 લાખનો દંડ વસુલાયો હતો. જિલ્લામાં 1 વર્ષમાં 20.01 કરોડની વીજચોરીપકડાઈ, 3 વર્ષમાં 14914 કેસ દાખલજિલ્લામાં 1 વર્ષમાં કુલ 38,494 વીજકનેકશનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી 5625 વીજજોડાણોમાંથી કુલ રૂ. 20.01 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે સુરેન્દ્રનગર જી.યુ.વી.એન.એલ. (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) પોલીસ સ્ટેશનમાં વીજચોરીના 2023થી તા. 24 ડિસેમ્બર-2025 એટલે ત્રણ વર્ષમાં કુલ 14,914 જેટલા ગંભીર કેસો નોંધાયા છે. આ કેસો પૈકી, 11,661 કેસો હાલમાં પેન્ડિંગ છે. જ્યારે 3,253 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રસ્તા ઉપર 2-2 ફૂટના ખાડા પડ્યા:સુરેન્દ્રનગર-વઢવાણ GIDCના બિસમાર રસ્તાથી લોકો પરેશાન
સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીમા સ્પેરપાર્ટ, ચશ્મા, દવા, બેરીંગ, નોટબોલ, સહિતના નાના મોટા કારખાનાઓ આવેલા છે. જેમાં બ્રાસ, ફાર્મા અને બેરીંગના સ્પાર્ટ તો એક્ષપોર્ટ કરવામાં આવે છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર બે બે ફુટના ખાડા જોવા મળે છે. રસ્તાની બાજુએ નજર કરો તો ગંદકીના ઢગલા પડેલા દેખાશે. કેટલાક કારખાનામાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. આથી દર મહિને કારખાનાના માલિકો પાણી માટે પૈસા ખર્ચી રહ્યા છે. મેડિકલ હોલ, ડી.માર્ટ ચોકડીથી અંદરનો રસ્તો, રીમટેક્ષ રોડ, મૂળચંદ રોડ ખરાબ છે. જીઆઇડીસીમાં દરરોજના અંદાજે પાંચ હજારથી વધુ નાના મોટા વાહનો આવે છે.જેમને રસ્તા ઉપરથી પસાર થવુ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ ભારે વજન ભરેલા વાહનોને અવાર નવાર નુકસાન થાય છે. જીઆઇડીસી અંદાજે 156 હેકટર જમીનમાં ફેલાયેલી છે. તેમાં નાના મોટા ઉદ્યોગ આવેલા છે. જયા જવા આવવા માટેના નાના મોટા ભાગના રસ્તા વર્ષો પહેલા બનાવવામાં આવ્યા છે. પરંતુ વર્તમાન સમયે રસ્તા બિસ્માર હાલતમાં છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિશે હતા. તેમણે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પાસેથી હિન્દુ ધર્મનો પુરાવો માંગ્યો હતો. બીજા મોટો સમાચાર ચાંદી-સોનાના ભાવમાં ઘટાડાના રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે. કાલના મોટા સમાચારો 1. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું-યોગી 40 દિવસમાં હિન્દુ હોવાનો પુરાવો આપે:ગાયને ગૌમાતા જાહેર કરે, નહીં તો અમે માનીશું કે ફક્ત દેખાડા માટે ભગવો પહેર્યો પ્રયાગરાજ માઘ મેળો છોડ્યા પછી શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરકાર પર તીવ્ર હુમલા કરી રહ્યા છે. તેમણે શુક્રવારે વારાણસીમાં પ્રેસ-કોન્ફરન્સ કરીને કહ્યું હતું, મારી પાસેથી શંકરાચાર્ય હોવાનું પ્રમાણપત્ર માગવામાં આવ્યું. મેં એ આપી દીધું. મારા પુરાવા સાચા હતા, તેથી તેમને માનવું પડ્યું. હવે પુરાવા માગવાનો સમય વીતી ગયો છે. હવે મુખ્યમંત્રીએ પોતાના હિંદુ હોવાનો પુરાવો આપવો જોઈએ. તેમણે કહ્યું- અમે તમને 40 દિવસનો સમય આપી રહ્યા છીએ. આ દિવસોમાં તમે ગોભક્ત હોવાનો પુરાવો આપો. જો પુરાવો આપી શકતા નથી, તો સમજાશે કે તમે નકલી હિંદુ, કાલનેમિ, પાખંડી અને ઢોંગી છો. ફક્ત દેખાડા માટે તમે ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અજિત પવારના પત્ની મહારાષ્ટ્રના ડેપ્યુટી-CM બનવા રાજી: આજે સાંજે 5 વાગ્યે શપથ ગ્રહણની શક્યતા; NCP નેતા ફડણવીસને મળ્યા, 'દાદા'ના વિભાગો માંગ્યા અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવા માટે સંમત થયા છે. સૂત્રો અનુસાર શનિવારે NCP ધારાસભ્ય દળની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવશે. તેમનો શપથગ્રહણ સાંજે 5 વાગ્યે થવાની શક્યતા છે. વિમાન દુર્ઘટનામાં અજિત પવારના મૃત્યુ બાદ નાયબ મુખ્યમંત્રી પદ ખાલી પડ્યું છે. અજિત પાસે નાણાં, આબકારી અને રમતગમત વિભાગો તેમજ નાયબ મુખ્યમંત્રી પદ હતું. સૂત્રો અનુસાર નાણાં મંત્રાલય મુખ્યમંત્રી ફડણવીસ પાસે રહી શકે છે. તેમણે નાયબ મુખ્યમંત્રી, નાણાં વિભાગ સહિતના વિભાગો અંગે શુક્રવારે વર્ષા બંગલો નિવાસસ્થાને ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને સુનીલ તટકરે બેઠકમાં હાજરી આપી હતી. બેઠક અડધો કલાક ચાલી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બાંગ્લાદેશે ભારત પાસેથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છીનવી લીધો:જમીન ચીનને ડ્રોન ફેક્ટરી બનાવવા માટે આપી, 20 ફાઇટર જેટની ડીલ કરી બાંગ્લાદેશની યુનુસ સરકારનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું છે. ચટગાંવમાં ભારતને આપવામાં આવેલ સેઝ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)ની જમીન ફાળવણી રદ કરવામાં આવી છે. લગભગ 850 એકરમાં હવે બાંગ્લાદેશ ચીનનો ડ્રોન પ્લાન્ટ બનાવી રહ્યું છે. વર્ષના અંત સુધીમાં અહીં ઉત્પાદન પણ શરૂ થઈ જશે. અહીં મધ્યમ રેન્જ અને વર્ટિકલ લિફ્ટવાળા ડ્રોન બનશે. ચટગાંવ પ્લાન્ટ ભારતીય સરહદથી 100 કિમી દૂર છે. બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં ભારત-પાક પછી ડ્રોન બનાવનાર ત્રીજો દેશ બની જશે. બાંગ્લાદેશી વાયુસેનાએ ચીનની સરકારી કંપની ચાઇના ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી ગ્રુપ કોર્પોરેશન ઇન્ટરનેશનલ (CETC) સાથે મંગળવારે એક મોટી ડીલ સાઇન કરી. આ ડીલ સરકારથી સરકારના માળખામાં થઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સુપ્રીમ કોર્ટે કહ્યું- સ્કૂલમાં છોકરીઓને મફતમાં સેનેટરી પેડ મળે:છોકરા-છોકરીઓ માટે અલગ ટોયલેટ હોવા જોઈએ, આદેશ ન માનવા પર શાળાની માન્યતા રદ થશે સુપ્રીમ કોર્ટે શુક્રવારે દેશની તમામ ખાનગી અને સરકારી શાળાઓને નિર્દેશ આપ્યો કે દરેક શાળામાં છોકરીઓને મફતમાં સેનેટરી પેડ્સનું વિતરણ કરવું ફરજિયાત રહેશે. છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વોશરૂમ બનાવવા પડશે. જે શાળાઓ આમ નહીં કરી શકે તેમની માન્યતા રદ કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે દરેક શાળામાં દિવ્યાંગ-અનુકૂળ (ડિસેબલ-ફ્રેન્ડલી) શૌચાલય બનાવવામાં આવે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ધોરણ 6 થી 12 સુધીની વિદ્યાર્થીનીઓ માટે સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં કેન્દ્ર સરકારની મેન્સ્ટ્રુઅલ હાઈજીન પોલિસીને સમગ્ર ભારતમાં લાગુ કરવા પર આ આદેશ સંભળાવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી ક્રેશ થઈ, એક ઝાટકે રૂ. 1 લાખથી વધુનો કડાકો:સોનું 20 હજાર રૂપિયા સસ્તું, 1.49 લાખ રૂપિયા પર આવ્યું; કારણ પ્રોફિટ બુકિંગ ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં 30 જાન્યુઆરી (શુક્રવાર)ના રોજ ઘટાડો જોવા મળ્યો. કારોબાર સમાપ્ત થવા સુધી પ્રોફિટ બુકિંગના કારણે MCX પર ચાંદી 1,06,092 રૂપિયા (26.53%) ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2,93,801 રૂપિયા પર આવી ગયો. ગયા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 3,99,893 રૂપિયા પહોંચી ગયો હતો. જ્યારે MCX પર સોનામાં 20,323 રૂપિયા (12%)નો ઘટાડો રહ્યો. 10 ગ્રામ સોનું 1,49,080 રૂપિયા પર આવી ગયું. ગત કારોબારી સેશનમાં સોનું 1,69,403 રૂપિયા પર હતું. આ ઉપરાંત સોના અને ચાંદીના ETFમાં શુક્રવારે 23% સુધીનો ઘટાડો નોંધાયો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાયો; બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. આ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 8 ફૂટ ઊપરથી કાર પુલ નીચે ખાબકી, ત્રણનાં મોત:નીચે પડતાં જ આગના ગોળામાં ફેરવાઈ; દરવાજા જામ થતાં છોટા ઉદેપુરના 2 મહિલા સહિત 3 શિક્ષક ભુંજાયા, ગોંડલ હાઈવે પર અકસ્માત રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર 30 જાન્યુઆરી વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે એક હ્યુન્ડાઈ 'ઓરા' કાર પુલ નીચે ખાબક્યા બાદ એમાં લાગેલી ભીષણ આગમાં બે મહિલા સહિત 3 શિક્ષક જીવતા ભુંજાયાં છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકોને બચવાની એક તક પણ મળી ન હતી. વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ સાણથલી 108 એમ્બ્યુલન્સને અકસ્માતનો કોલ મળ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, છોટાઉદેપુરથી ગોંડલ તરફ પૂરઝડપે જઈ રહેલી ઓરા કાર (નં.GJ 34 N 0962)ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડ પરથી નીચે ઊતરી 8 ફૂટની ઊંચાઈએથી પુલ નીચે ઊંધી ખાબકી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અજિત પવારે કહ્યું હતું- નિયતિ બોલાવે તો જવું જ પડે:5 દિવસ પછી પ્લેન ક્રેશમાં મોત; બારામતીના કાન્હેરીની સભાનો વીડિયો વાઇરલ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકામાં સસ્તી દવાઓ માટે ટ્રમ્પ વેબસાઇટ લોન્ચ કરશે:800% સુધી ખર્ચ ઘટશે; 16 કંપનીઓ સાથે કરાર, બદલામાં 3 વર્ષની ટેરિફ છૂટ આપી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બેંગ્લુરૂમાં ખૂંખાર કૂતરાએ મહિલાનો ચહેરો ચીરી નાખ્યો:50 ટાંકા લેવા પડ્યા; બચાવવા પડેલા યુવકને હાથ પકડીને ઢસડ્યો, માલિકના હાથમાંથી ચેઈન છોડાવીને ભૂરાયો થયો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઇન્ટીરિયર સેક્રેટરીની પત્ની સાથે જાહેરમાં ફ્લર્ટ કર્યું, VIDEO:પતિની સામે જ કહ્યું, તમે ખૂબ જ સુંદર છો, તમને ઘોડેસવારી કરતાં જોઈને જ તમારા પતિને મેં નોકરીએ રાખ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : બજેટમાં અપેક્ષાઓ: 300 નવી ટ્રેન મળવાની શક્યતા:13 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ-ફ્રી થઈ શકે; બજેટમાં 5 મોટી જાહેરાતો થઈ શકે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : જૂનાગઢની 14 વર્ષની દીકરીએ ઓસ્ટ્રેલિયામાં ભારતનો ડંકો વગાડ્યો:જેન્સી કાનાબારે ઓસ્ટ્રેલિયન ઓપન U-14 ટાઇટલ જીત્યું; આ ખિતાબ જીતનાર પહેલી ભારતીય પ્લેયર બની વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હનુમાનજીએ મૈનાક પર્વત પર આરામ કેમ ન કર્યો?:રામાયણનો બોધ- જ્યારે લક્ષ્ય સ્પષ્ટ હોય છે, ત્યારે કોઈ પણ આકર્ષણ આપણને રોકી શકતું નથી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ હાર્ટ એટેક પહેલા ચિપ એલર્ટ આપશે દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજે DRDO સાથે મળીને એક એવી ચિપ બનાવી છે, જે સૈનિકોને હાર્ટ એટેકની વોર્નિંગ આપશે. આ ચિપનું નામ BioFET છે. તે શૂન્ય ડિગ્રીથી નીચેના તાપમાનમાં ફરજ બજાવી રહેલા સૈનિકો માટે મદદરૂપ થશે, જ્યાં લોહી ગંઠાઈ જવાનું જોખમ સૌથી વધુ હોય છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પને 10 દિવસમાં 6 મોટા ઝટકા લાગ્યા, તમામ દાવ કેવી રીતે ઊંધા પડી રહ્યા છે; અમેરિકાએ કેટલું નુકસાન વેઠવું પડશે? 2. ડિજિટલ ડાકુ-5 73 વર્ષના વૃદ્ધે 3 કલાકમાં સવા કરોડ ભેગા કર્યા: શિવરાજે 13 તારીખે ખાતું ખોલાવ્યું અને 14મીએ ખાતામાં સવા કરોડ આવ્યા! ચીની ગેંગનો ખેલ થઈ ગયો 3. ફિલ્મી ફેમિલી : દિલીપ કુમારે બદલો લેવા સુરૈયાનું બ્લાઉઝ ફાડી નાખ્યું!: હિન્દુ યુવકના પ્રેમમાં પડી તો પરિવારે વિરોધ કર્યો, અંતિમ સમયે લોહાણા પરિવાર સાથે રહી, ભેદી સંજોગોમાં મોત થયું! 4. એક્સક્લૂસિવ : જયરાજની ધરપકડ પછી બાલધિયા એકલા પડ્યા!: કોળી સંમેલનથી હીરા સોલંકી અજાણ; નવનીતે કહ્યું, સમય હશે એ આવશે, માયાભાઈએ કર્યા હતા સમાધાનના પ્રયાસ 5. મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો સમય કેમ થંભી ગયો?: 8 દાયકા સુધી જેનો એક્કો હતો તે આજે ખતમ થવાને આરે, વેપારીઓએ કહ્યું, હવે પીક ટાઇમ પૂરો થઇ ગયો 6. ભાસ્કર એક્સપ્લેનર : ભારત-EUની ડીલથી અમેરિકા આટલું કેમ ભડક્યું છે?: મંત્રીએ કહ્યું, આમાં ભારતને વધુ ફાયદો; શું ટ્રમ્પનો ટેરિફ બેઅસર થશે? 7. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : 'નીરજની હત્યા કરી, છરીના જોરે લાશ સામે મારો રેપ કર્યો': બોયફ્રેન્ડથી હિરોઇનની બેવફાઈ સહન ન થઈ, કાસ્ટિંગ ડિરેક્ટરના 300 ટુકડા કરી જંગલમાં સળગાવ્યા કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મેષ-કર્ક રાશિના લોકોને રોકાણમાં એકના ડબલ થશે, સિંહ-કન્યા રાશિના જાતકો નવા ધંધાના શ્રીગણેશ કરી શકે છે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
108ની ટીમની સરાહનીય કામગીરી:પરનાળા ગામની સગર્ભાની પાણશીણાની 108 ટીમે સફળ ડિલિવરી કરાવી
પરનાળા ગામના 29 વર્ષિય મુક્તાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. જેથી તેમના પરિવારના સભ્યોએ 108 ટીમને જાણ કરતા પાણશીણા 108ના ઈએમટી કિશનભાઈ ભડિયાદરા અને પાયલોટ નિર્મળસિંહ ઝાલા પરનાળા ગામે આવ્યા હતા. સગર્ભાને લઈને લીંબડી સરકારી હોસ્પિટલે આવી રહ્યા હતા ત્યારે ચોરણિયા ગામ નજીક સગર્ભાને પ્રસૃતિની પીડા ઉપડતા 108ની ટીમે રસ્તા ઉપર મુક્તાબેનની સફળ ડિલિવરી કરાવી હતી. જન્મ બાદ માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે.
મનપા એક્શન મોડમાં:567 વેરા બાકીદારોને 31મી માર્ચ સુધીની મુદતરૂ. 97.98 લાખ વસુલવા મનપાએ કમર કસી
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા હાલ લોકોપાસે બાકી કરવેરા ઉઘરાવવાની કાર્યવાહી હાથ રવામાં આવી છે.ત્યારે હાલ ચાલુ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ તા.31 માર્ચ છે. મનપા દ્વારા શહેરના કરદાતાઓ 567 લોકોને એક કડક જાહેર નોટિસ જારી કરવામાં આવી છે. 567 નોટીસ ઇસ્યુ કરાઇ છે તેમાં 29,95,646 રકમ ભરપાઇ થઇ અને 97,98,606 ભરપાઇ કરવાની બાકી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે, બાકી રહેલા મિલકત વેરો, નળ વેરો તથા વ્યવસાય વેરાની રકમ આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ભરપાઈ કરવાની રહેશે. આ મુદતમાં વેરો ભરનાર નાગરિકો પર વ્યાજની રકમ લાગુ કરવામાં આવશે નહીં.જો નિયત સમયમર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે, તો કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારા કામની વાત 4 સ્થળોએ કચેરી કાર્યરત, ઓનલાઇન વ્યવસ્થા શરૂમહાનગરપાલિકાના નાગરિકો બાકી મિલકત વેરો, નળ વેરો અને વ્યવસાય વેરો ભરપાઈ કરવા માટે (1.) ઉત્તર ઝોન કચેરી, મેઘાણીબાગ રોડ, પાણીની ટીંકી પાસે, સ્નાનાગાર , (2.) દક્ષિણ ઝોન કચેરી, ફાયર સ્ટેશન સામે, સ્વામિનારાયણ મંદીર પાસે, વઢવાણ, (3.) મુખ્ય કચેરી, જૂની નગરપાલિકા બિલ્ડીંગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને (4.) લાઈબ્રેરી - જોરાવરનગર, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતેથી ભરપાઈ કરી શકશે. નાગરિકો https://app.snmcguja rat.com વેબસાઈટ પરથી સરળતાથી ઓનલાઈન વેરો ભરપાઈ કરી શકશે. વેરો ભરપાઈ કરતી વખતે નાગરિકોએ ચાલુ વર્ષનું બીલ, અગાઉ ભરેલા બીલની પહોંચ અથવા જૂનું બીલ સાથે રાખવાનું રહેશે.
મોબાઇલ ગુમ થવાની નોંધાઈ ફરિયાદ:હિંમતનગર અને પ્રાંતિજમાંથી ત્રણ મોબાઇલ ગુમ થતાં ગુનો
મતનગર અને પ્રાંતિજમાં કુલ પોણા બે લાખના ત્રણ મોબાઇલ ગુમ થઈ જવાની ત્રણ ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરની હોસ્પિટલમાં મહિલાના બેડ પરથી રૂ.75 હજારનો મોબાઇલ ચોરી થઈ ગયો હતો. હિંમતનગર શહેરની આવિષ્કાર હોસ્પિટલમાંથી ધવલકુમાર હિતેશભાઈ પટેલ (રહે.સલાલ તા પ્રાંતિજ) ની પત્નીનો મોબાઈલ કિં.75હજાર બેડ પરથી મોઢે રૂમાલ બાંધી આવેલ શખ્સ ચોરી કરી લઈ ગયો હતો. પ્રાંતિજમાં તા.25-01-26 ના રોજ નરેશકુમાર કચરાલાલ મોદી પ્રાંતિજના હાઇવે ત્રણ રસ્તા નજીક આવેલ પાર્લર પર જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમનો આઈફોન કિં.74,900 ક્યાંક પડી ગયા બાદ તરત જ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જ્યારે બીજા બનાવમાં પ્રકાશસિંહ દિનેશસિંહ રાઠોડ (રહે. બલવંતપુરા હિંમતનગર) તા.27-01-26 ના રોજ સવારે દસેક વાગ્યે સલાલ ખાતે રિક્ષામાં બેસવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ પડી ગયો હતો.
આદિવાસી સમાજના અગ્રણીઓનું કલેક્ટરને આવેદનપત્ર:સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકાત ધોરણ 40% રદ કરો
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ અન્વયે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તેને અરવલ્લી જિલ્લાના આદિવાસી સમાજ સહિત અન્ય સમાજ દ્વારા બંધારણ વિરોધી અનામત નીતિ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધી ગણીને તેનો વિરોધ કરાઇ રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ 40 ટકા તાત્કાલિક ધોરણે હટાવવા રદ કરવા બાબતે આદિવાસી સમાજના અગ્રણીઓ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને ઉદ્દેશીને અધિક કલેકટર મકવાણાને આવેદન પત્ર આપ્યું હતું. આદિવાસી સમાજના અગ્રણીઓએ સરપંચ રાહુલકુમાર સુરજીભાઈ ગામેતીની આગેવાની હેઠળ આપેલા આવેદનમાં જણાવ્યું છે કે રાજ્યમાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ 60 ટકા 40 ટકા માટે જોગવાઈઓ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે. સીસીઇનું નોટિફિકેશન જોગવાઈઓ જેમાં 40 ટકાની જોગવાઈ છે. ઉપરાંત દરેક પેપર પર 40 ટકા લઘુત્તમ લાયકી ધોરણ 40 ટકા ફરજિયાત કરવામાં આવ્યા છે. જેના લીધે આદિવાસી સમાજ હકક અધિકારથી વંચિત રહી જતાં હોવાનું જણાવી સામાન્ય વહીવટ વિભાગની જોગવાઇઓ તા. 18-5-2023 અને તા. 22-1-2026 બંધારણીય જોગવાઈઓ સાથે સુસંગત ન હોવાનો વિરોધ કરાઇ રહ્યો છે. વધુમાં જણાવ્યું છે કે આ 60 ટકા અને 40 ટકા ફરજિયાત લધુત્તમ લાયકી ધોરણના કારણે આદિવાસી સમાજને ખૂબ જ અન્યાય થઇ રહ્યો હોવાથી તાત્કાલિક ધોરણે બંધારણ વિરોધી બંધારણીય જોગવાઈઓ વિરોધીઅનામત નીતિ વિરોધી, 60 ટકા અને 40 ટકા ફરજિયાત તમામ જોગવાઇઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં રજૂઆત કરી હતાી. તાજેતરમાં રાજ્યમાં પોલીસ લોકરક્ષક ભરતીમાં આદિવાસી અનામત સીટો ખાલી રહી હતી. તદુપરાંત સીસીઇ ભરતીમાં ગૃપ A માં આદિવાસી સીટો ખાલી રહી હતી. તેમણે માંગણી કરી છે કે 1301 રેવન્યુ તલાટી ભરતીમાં તાત્કાલિક ધોરણે આદિવાસી ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે.
અકસ્માતને નોતરું:સલાલ બ્રીજ નીચે ગટરના ખૂલ્લા ઢાંકણાથી લોકોમાં અકસ્માતનો ભય
પ્રાંતિજ પ્રાંતિજની સલાલ ચોકડી ઉપર આવેલ બ્રિજ નીચે ખૂલ્લી ગટરના કારણે અકસ્માત સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે. સિક્સલેનનું કામ પૂર્ણ થવા પામ્યું છતાં પણ ગટર ઉપર ઢાંકણા મૂકી સુરક્ષિત કરાયા નથી. સલાલ બજારમાં રહેતા અગ્રણીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે રોડ નું કામ પૂર્ણ થવા પામ્યું છે. નવા બ્રિજ બનાવવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. પરંતુ ઘણા જ સમયથી બ્રિજ નીચેથી પસાર થતી ગટર લાઈનનું ઢાંકણું બેસાડાયું નથી. પંથકના જનતાની સુખાકારી માટે ગટર ઉપરનું ઢાંકણું લગાવી પેવર રોડ બનાવવા માંગ ઉઠવા પામી છે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:ભિલોડાના રામપુરીમાં ગાડીમાંથી 2.60 લાખના દારૂ સાથે ચાલક ઝડપાયો
અરવલ્લી એલસીબીએ ભિલોડાના રામપુરીમાં ગાડીમાંથી 2.60 લાખન દારૂ સાથે શખ્સને ઝડપી દારૂની હેરાફેરી કરનાર 4 વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એલસીબી સ્ટાફ વાહનોનું ચેકિંગ કરતો હતો. તે દરમ્યાન શામળાજી તરફથી એક નંબર વગરની ગાડી આવતાં જે ગાડીને ઉભી રાખવા પ્રયત્ન કરતાં ચાલકે ઉભી ન રાખી ભગાડી ટીંટીસરથી પાછી વાળી જીવણપુર ત્રણ રસ્તા શામળાજી આશ્રમ, પાલ્લા, ટોરડા થઇ રામપુરી ગામની સીમમાં રોડની નીચે ખેતરમાં ઉતારી દઇ ગાડીનો ચાલક તથા તેની બાજુમાં બેઠેલ બીજો શખ્સ બંને ભાગવા જતાં ગાડીનો ચાલક ડાલુરામ જોધારામ ગંગારામ જાટ રહે.મીરપુરા થાના-કરડા તા. રાણીવાડા જિ.ઝાલોર પકડાઇ ગયો હતો. બીજો શખ્સ નાસી ગયો હતો. પોલીસે ગાડીમાંથી દારૂ કિં.2,60,480, મોબાઇલ તથા ગાડી મળી કુલ કિં.10,70,480નો મુદામાલ કબ્જે કરી એકને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે. દારૂની હેરાફેરી કરનાર વોન્ટેડ આરોપીઓ
યુનિવર્સિટી સંલગ્ન ઉત્તર ગુજરાતના શિક્ષણ જગતમાં મોટો ભૂકંપ આવ્યો છે. અંદાજે 700 જેટલી કોલેજો પૈકી 240 જેટલી કોલેજો સરકારની પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી વિના જ વર્ષોથી ધમધમી રહી હોય અંતે આ ગંભીર બેદરકારી સામે યુનિવર્સિટી વહીવટીતંત્રે કડક વલણ અપનાવી વર્ષ 2026-27 માટે આવી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકાવવાનો સત્તાવાર નિર્ણય લીધો છે. કુલપતિએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, જો સરકારની પૂર્વે મંજૂરી વગર કોલેજોએ પ્રવેશ આપ્યો તો પ્રવેશ અમાન્ય ગણાશે અને તેની જવાબદારી કોલેજની રહેશે.આ વલણને લઇ કોલેજ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે અને તાત્કાલિક મંજૂરી મેળવવા માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. આ મામલે કુલપતિ ડૉ. કે. સી. પોરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણના નામે ચાલતી આવી મનસ્વીતા હવે નહીં ચલાવી લેવાય. વર્ષ 2025-26માં અમે સરકારના માર્ગદર્શન મુજબ એક વર્ષની મુદત આપી હતી, પરંતુ હજુ સુધી અનેક કોલેજોએ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. આ વર્ષે મંજૂરી વગર કોઈ પણ કોલેજ ઓનલાઇન જીકાસ (GCAS) પોર્ટલમાં ભાગ લઈ શકશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા 241 પૈકી 90 ટકા કોલેજોની ફાઈલો સરકારમાં મોકલાવી દેવાઇ છે. પરંતુ ઓનલાઇનમાં અત્યાર સુધી માત્ર એક જ કોલેજને મંજૂરી મળી છે. જો એપ્રિલ અને જુલાઈના પ્રવેશ પ્રકિયા પહેલા મંજૂરી નહીં મળે, તો આ કોલેજોમાં નવા વિદ્યાર્થીઓ પ્રવેશ ફાળવણી થઈ શકશે નહીં. દરેક કોલેજોને ઝડપથી પૂર્વ સૈદ્ધાંતિક મંજૂરી મેળવી લેવા માટે સૂચનાત્મક નોટિસ ફટકારાઇ છે.઼ કોલેજોએ સૈદ્ધાંતિક મંજૂરી માટે પ્રક્રિયા કરી પણસરકાર ઝડપી મંજૂરી આપતી નથી : સંચાલકોકોલેજના સંચાલકોએ જણાવ્યું હતું કે બધી જ કોલેજો ખોટી નથી તેમાં ગ્રાન્ટેડ અને સારા પ્રશ્નોની કોલેજો પણ છે. અમે સૈદ્ધાંતિક મંજૂરી માટેની પ્રક્રિયા કરીને ફાઈલ સરકારમાં મોકલી આપેલી છે. યુનિ.દ્વારા પણ કોલેજોની ફાઇલો મંજૂરી પ્રક્રિયા કરેલ છે. પરંતુ સરકાર તરફથી જ મંજૂરી મળવામાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને તમામ સંચાલકો અને કોલેજે સાથે મળી ઝડપથી સારી અને સાચી કોલેજોને સરકાર તરફથી મંજૂરી મળે માટે પ્રયાસ કરીશું. 4 વર્ષમાં નિયમ નેવે મૂકી આડેધડ મંજૂર થયેલ 270 પૈકી અનેક કોલેજોને તાળાં લાગશે યુનિવર્સિટીમાં વર્ષ 2018-22 વચ્ચે પાયાની સુવિધાઓ એટલે જમીન, મકાન અને સ્ટાફ જેવી મહત્વની સુવિધાઓ વગર જ 270 થી વધુ કોલેજોને માત્ર આડેધડ શરતી મંજૂરી આપી દેવાઇ હતી. અગાઉના શાસકોની રહેમનજર હેઠળ માત્ર કાગળ પરની શરતોને આધારે ધમધમતી આ સંસ્થાઓ હવે નવા કોમન એક્ટ અને ઓનલાઇન પ્રક્રિયાને કારણે ભરાઈ પડી છે. સરકારની (પૂર્વ મંજૂરી) વગર ચાલતા આ વહીવટો પર હવે બ્રેક લાગી છે. UGCના કડક નિયમોનું પાલન ન કરી શકતી અનેક કોલેજો સૈદ્ધાંતિક મંજૂરી મેળવી ના શકતા હવે જે પૈકી મોટા ભાગને તાળાં લાગે તેવી સર્જાઈ છે. કોલેજો બંધ થાય તો પણ અભ્યાસ કરતાંજૂના વિદ્યાર્થીઓને કોઇ અસર થશે નહીંયુનિવર્સિટી સંલગ્ન મંજૂરી વગર કોલેજો હાલમાં શરતી મંજૂરીથી ચાલી રહી છે જેથી તેનું યુનિવર્સિટી સાથે જોડાણ છે. જો સરકાર મંજૂરી નથી આપતી તો યુનિવર્સિટી દ્વારા ક્રમશઃ ડી એફિલેશન નિયમ મુજબ કોલેજ બંધ કરવાની પ્રક્રિયા કરશે. જેમાં હાલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના બાકી રહેલા અભ્યાસ જે તે કોલેજમાં જ પૂર્ણ થશે અને તેમની પરીક્ષા યુનિવર્સિટી લઈને માર્કશીટ અને ડિગ્રી પણ આપશે જેથી જૂના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને કોઈ અસર થશે નહીં.
અકસ્માતની દહેશત સર્જાઈ:હિંમતનગરના સવગઢમાં મોબાઈલ ટાવર કેબલ નાખવા રસ્તા તોડી પાડતાં હાલાકી
હિંમતનગરના સવગઢમાં નવેમ્બર માસમાં ખાનગી મોબાઇલ કંપનીએ ટાવર ઊભું કરવા અને કેબલ લાઈન નાખવા પંચાયતને 2.28 લાખનો ચેક એડવાન્સ પેટે આપી 5 થી વધુ શેરીઓના રોડ-રસ્તા ઉપર ખોદકામ કર્યા બાદ સમારકામ માટે પંચાયત કે મોબાઈલ ટાવરના સંચાલકો ફરકતા નથી. સાથે સાથે ઉબડ ખાબડ તોડી પાડેલ રસ્તા પરથી પસાર થતાં સ્થાનિક રહીશો, સ્કૂલે જતાં વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને વાહન ચાલકોને અકસ્માતની દહેશત અનુભવી રહ્યા છે.
ગ્રામજનો થયા ભયભીત:મોડાસાના શામપુરમાં ડુંગરમાં થતાં ધડાકાના ભયંકર અવાજથી ગ્રામજનોમાં ભયનો માહોલ
મોડાસાના શામપુરની સીમમાં આવેલા ડુંગર ઉપર થતાં ખનન દરમિયાન ધડાકા કરાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. શનિવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં નાના બાળકો પણ મમ્મી બીક લાગે છે મમ્મી બીક લાગે છે ની બૂમો પાડતાં સંભળાઈ રહ્યા છે. ગામની સીમમાં છેલ્લા કેટલાય સમયથી વિવાદાસ્પદ રહેલા ખનન અંગે અગાઉ ગ્રામજએ સત્તાવાળાઓ સમક્ષ રજૂઆતો કરી છે. શામપુર ગામના ડુંગર ઉપર ખનીજ માફિયા દ્વારા ગેરકાયદે ધડાકા કરાતાં હોવાના ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે ખનન દરમિયાન કરાતાં ધડાકાના કારણે હવામાં પ્રદૂષણ ફેલાતા તેની સીધી અસર ખેડૂતોના વાવણી કરેલ પાકો ઉપર પણ પડી રહી છે અને અગાઉ મકાનો ની દિવાલોમાં પણ તિરાડો પડતાં ગ્રામજનો એ તત્કાલીન કલેક્ટરને પણ રજૂઆત કરી હતી.
સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં ચિલોડાથી શામળાજી નેશનલ હાઇવે-48 પર 93 કિલોમીટરમાં બનાવાયેલ 24 બ્રિજ પૈકી 21 બ્રિજ સામે આંગળી ચિંધાયા બાદ 8 બ્રિજ અલગ તારવાયા હતા. તે પૈકી ચાર બ્રિજની નબળી કામગીરીના કારણે દોઢ વર્ષમાં જ 8 થી 10 કરોડના ખર્ચે નવેસરથી મરામત અને એક્સપાન્શનની કામગીરી કરવાની ફરજ પડી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના જે તે સમયના એન્જિનિયર સુપરવાઇઝરની અણઆવડતના કારણે મરામત કરવી પડી રહી છે. ચિલોડાથી શામળાજી 93.210 કિલોમીટર નેશનલ હાઇવે પરના 24 બ્રિજ પૈકી 21 બ્રિજના એપ્રોચની સાઈડ અને પુરાણ અસુરક્ષિત હોવા અંગે સાંસદ શોભનાબેન બારૈયાએ ઓગસ્ટ-24માં નેશનલ હાઇવે ઓથોરિટીના રિજનલ ઓફિસરને બ્રિજના લોકેશન સાથે વિગતવાર રજૂઆત કરી હતી. તે પૈકી આઠ બ્રિજના એપ્રોચમાં ગુણવત્તાહીન કામગીરી થઈ હોવાનું બહાર આવ્યા બાદ ચાર બ્રિજના રેક્ટિફિકેશન અને સ્ટ્રેન્ધનીંગની કામગીરી હાથ ધરાઇ છે. ઓવરબ્રિજ બનાવ્યાના દોઢ બે વર્ષમાં જ બ્રિજના એપ્રોચની સાઈડો ખોલી નવેસરથી પુરાણ વગેરેની કામગીરી હાથ ધરાતાં જે તે સમયે બ્રિજ બનવા દરમિયાન એપ્રોચ બનાવતા ઉપયોગમાં લેવાયેલ ફીલિંગ મટેરિયલ-પુરાણ સામગ્રી, થયેલ કામ વગેરેનું નિરીક્ષણ કરનાર સુપરવાઈઝર એન્જિનિયર વગેરેની બેદરકારી બહાર આવી છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યા અનુસાર કામ કરનાર એજન્સીની ડિપોઝિટ સીઝ કરાઈ છે. પરંતુ બેદરકારી દાખવી વાહન ચાલકોને ફરીથી સિંગલ રોડ પર પસાર થવા મજબૂર કરનાર કર્મચારીઓ વિરુદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. હાલમાં ચાર બ્રિજ માટે કામગીરી હાથ ધરાઇ છે. જેમાં 8 થી 10 કરોડનો ખર્ચ થનાર છે. હાજીપુર મજરા, ધણપ અને ગાંભોઈ ઓવરબ્રિજનું સ્ટ્રેન્ધનીંગ અને એક્સપાન્શન થઈ રહ્યું છે. આ જગ્યાએ એકબાજુની સાઇડ ખોલવામાં આવી મળતી વિગત મુજબ હાજીપુર ખાતે 50 મીટર જેટલી એકબાજુની સાઈડ ખોલવામાં આવી છે તેવી જ રીતે મજરા નજીક પણ એક બાજુની 50 મીટર સાઈડ વૉલ ખોલી છે. જ્યારે ધણપ ખાતે બંને બાજુના એપ્રોચની 50 50 મીટર સાઈડ વૉલ ખોલી છે જેમાં નિયત ગુણવત્તા વાળું ફીલિંગ મટેરિયલનું પુરાણ કરી સાઈડ વોલ લગાવી આયર્ન બાર લગાવી મજબૂતી પ્રદાન કરાશે. જ્યારે ગાંભોઈ ખાતે શામળાજી તરફના છેડે ઓવરબ્રિજનો એપ્રોચ ઉતરે છે ત્યાં હરસોલ તરફના માર્ગનું જંકશન બનતું હોવાથી તે બ્લેક સ્પોટ બનતો હોય અવારનવાર અકસ્માત સર્જાય છે બ્રિજ સ્ટ્રેન્ધનીંગની સાથે સાથે એક્સપાન્શન માટે પણ મંજૂરી મળી ગઈ છે હાલમાં આ બ્રિજ ની લંબાઈ 1.40 કિલોમીટર છે તેની લંબાઈ 400 મીટર વધારી બ્લેક સ્પોટનું નિરાકરણ લાવવા કામગીરી હાથ ધરાઈ છે.
મોડાસામાં મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિક પટેલે પોતાના પરિવાર અને મિત્રોના નામે 10 કરતાં વધુ બોગસ કંપનીઓ ઉભી કરી માલસામાન હેરાફેરી કર્યા વગર બોગસ બિલ ઈસ્યુ કરી ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ લીધી હોવાનું તપાસ દરમિયાન બહાર આવતાં સેન્ટ્રલ જીએસટીએ 17 કરોડ કરતાં વધુ માતબર રકમની ખોટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ આઇટીસી લેવાયાના ગંભીર મામલે પ્રતિક પટેલની મોડાસાથી અટકાયત કરાઇ છે. રાતોરાત ટૂંકા ગાળામાં કરોડપતિ બનેલા અને વૈભવી ગાડીઓમાં ફરતા પ્રતિક પટેલ ને સબજેલ હવાલે કરાયો છે. મોડાસામાં રહેતા પ્રતિક પટેલ ઉપર સેન્ટ્રલ જીએસટી ગાંધીનગર કમિશનર કચેરી દ્વારા છેલ્લા કેટલાય સમયથી નજર રાખવામાં આવી રહી હતી. મેટ્રો વાયર ઇન્ડસ્ટ્રીઝના માલિક પ્રતિક પટેલે પરિવાર અને મિત્રોના નામે 10 કરતાં વધુ બોગસ કંપનીઓ ઉભી કરી માલ વગર અને સામાનની હેરાફેરી કર્યા વગર કાગળ ઉપર દર્શાવી રૂપિયા 17 કરોડ કરતાં વધુની આઇટીસી લેવાઈ હોવાનું સેન્ટ્રલ જીએસટી ગાંધીનગર કમિશનર કચેરીના અધિકારીઓની તપાસ દરમિયાન બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સેન્ટ્રલ જીએસટી ગાંધીનગર કમિશનર કચેરીના અધિકારીઓ દ્વારા મોડાસાના સ્વાગત 2 બંગ્લોઝમાં રહેતા પ્રતિક પટેલની તેના ઘરેથી અટકાયત કરીને તેને મોડાસાની કોર્ટમાં રજૂ કરાતાં બાદમાં તેને સબ જેલમાં ધકેલાયો હતો. માલપુર રોડ પર ખીલી બનાવવાનું કારખાનુંમોડાસામાં સ્વાગત2 બંગ્લોઝમાં રહેતો પ્રતિક પટેલ માલપુર રોડ ઉપર લોખંડની ખીલી બનાવવા નું કારખાનું ધરાવતો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને તે ટૂંકા ગાળામાં રાતોરાત કરોડપતિ બનીને વૈભવી ગાડીઓમાં ફરવા લાગતા આટલા બધા રૂપિયા તેની પાસેથી આવ્યા ક્યાંથી તે તેના સગા સંબંધી મિત્રો અને વેપારી વર્ગ માટે ચર્ચાનો વિષય બન્યો હતો.
ફરિયાદ નોંધાઈ:પટોસણથી ખનન મામલે 1.50 લાખનો દંડ ન ભરતાં ફરિયાદ
પાલનપુર તાલુકાના પટોસણ વિસ્તારમાં બે વર્ષ અગાઉ રોયલ્ટી વિભાગે કાર્યવાહી કરી ગેરકાયદે રીતે સાદી માટી ખનન અને વહન કરતા ટ્રેક્ટરને સીઝ કર્યું હતું. એક મેટ્રિક ટન માટી જપ્ત કરી ટ્રેક્ટર ડ્રાઈવર અને માલિક સામે ગુનો નોંધાયો હતો.તપાસ બાદ ગેરકાયદે ખનન, પર્યાવરણીય નુકસાન તથા દંડકીય રકમ સહિત કુલ રૂ.1.50 લાખથી વધુની દંડ ફટકાર્યો હતો, પરંતુ રકમ ભરપાઈ ન કરાતા ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના પટોસણ અને સાસમ ગામ વચ્ચે આવેલા વ્હોળાવાળા વિસ્તારમાંથી રોયલ્ટી ટીમે 17/11/2023ના રોજ બપોરે 3:30 વાગ્યે, તપાસ દરમિયાન ટ્રેક્ટર ( જીજે-08-બીએફ-6214) દ્વારા અંદાજે એક મેટ્રિક ટન ગેરકાયદે સાદી માટી ખનન અને વહન કરતા એક ટ્રેક્ટરને ઝડપી સીઝ કર્યું હતું. તપાસ સમયે ટ્રેક્ટર ચાલક રમેશજી હાથીજી ઠાકોર (રહે. પટોસણ) પાસે કોઈ પણ પ્રકારનો રોયલ્ટી પાસ, ડિલિવરી ચલણ કે વજનકાંટાની પાવતી નહોતી. ટ્રેક્ટર માલિક કાનુજી બાબુજી ઠાકોર સામે પણ ગુનો નોંધ્યો હતો. જેથી રોયલ્ટી વિભાગે સાદી માટી જપ્ત કરી હતી.
કેબલ ચોરી:પાલનપુરના તાલેપુરામાં 3 ખેડૂતોના બોર પરથી કેબલ ચોરાયો
પાલનપુર તાલુકાના તાલેપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ચોર ટોળકીએ 3 ખેડૂતોના ખેતરમાં બોરમાંથી 185 ફૂટ કોપર કેબલ ચોરી જતાં ગુરુવારે ગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના તાલેપુરા ગામમાં અજાણ્યા ચોરોએ ગયા શનિવારે રાત્રિના સમયે ત્રણ ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી બોરમાં મૂકેલા કોપર કેબલની ચોરી કરી ફરાર થઈ ગયો છે. જેમાં 185 ફૂટ કેબલની ચોરી થતા અંદાજે રૂ.1,00,500નું નુકસાન થયું હતું. ઇકબાલભાઈ અહેમદભાઈ શેખના ખેતરમાંથી રૂ.36000નો 60 ફૂટનો કેબલ ચોરાયો હતો. તપાસ કરતાં ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ શેખના ખેતરમાંથી 33,000નું 55 ફૂટ અને ભરતભાઈ શંકરભાઈ ડેરીયાના ખેતરમાંથી 31,500નો 70 ફૂટનું કેબલ ચોરાયોજાણવા મળ્યું હતું.
પાલનપુર મફતપુરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ગટરોની ચેમ્બરો ઉભરાતાં ગંદા પાણી દરરોજ 100થી વધુ મકાનો આગળથી જાહેર માર્ગ ઉપર વહે છે. જેનાથી રહીશો ત્રાસી ગયા છે. પાલિકા દ્વારા સમસ્યાનો કામયી ઉકેલ ન લવાતો હોવાથી નર્કાગાર સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. પાલનપુરમાં કંથેરીયા હનુમાન રોડથી માલણ દરવાજા ચોકડી વચ્ચે રબારીવાસના વળાંકથી આગળ આંબાના ઝાડ પાસેથી જેવા મફતપુરામાં જઇએ કે તરત જ જાહેર માર્ગ ઉપર ગંદું પાણી વહેતું જોવા મળે છે. આ સમસ્યા આજ કાલની નહીં પરંતુ છેલ્લા એક વર્ષની છે. ગુરૂવારે દિવ્ય ભાસ્કરની ટીમ આ વિસ્તારમાં ગઇ ત્યારે એવી જ સ્થિતિ જોવા મળી હતી. આ અંગે આબિદાબેન સહિત રહીશોએ જણાવ્યું કે, 100થી વધુ મકાનોના મુખ્ય દ્વાર સામે જ ગંદા પાણી વહેતાં રહીશો ઘર બહાર નીકળતા પણ વિચારવા મજબૂર બન્યા છે. ગંદા પાણીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતિ ફેલાઈ છે.એક કિલોમીટર લાંબા માર્ગ પર ગંદું પાણી ભરાઈ રહેતા દ્રિચક્રી અને ચારચક્રી વાહનોને પસાર થવામાં મુશ્કેલી પડે છે. કેટલાક સ્થળે ખાડાઓ દેખાતા નથી, જેથી વાહનચાલકો અકસ્માતની શક્યતા રહે છે. વેપારીઓએ જણાવ્યું કે ગ્રાહકો આવવાનું ટાળતાં ધંધા પર સીધી અસર પડી રહી છે. આ અંગે પાલિકા ભૂર્ગભશાખાના સૂત્રોએ જણાવ્યું કે, સ્થાનિક નગરસેવિકા આશાબેન રાવલ દ્વારા ચેમ્બરોની સફાઇ માટે જેટ મશીનની માંગણી કરી છે. જ્યાં જેટ મશીન મોકલી સફાઇ કરાશે. યુવકને ઝાડા-ઉલટી થતાં હોસ્પિટલ ખસેડાયો ગંદા પાણીથી ફેલાયેલા સંક્રમણના કારણે મફતપુરા વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતાં હુસેનમહંમદ સિંધીને ઝાડા ઉલટી થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. તબીબોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં પાણીજન્ય રોગની શક્યતા જણાઈ રહી છે.
આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરાયું:નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત આરોગ્ય ચેકઅપ કાર્યક્રમ યોજાયો
નેશનલ રોડ સેફ્ટી મંથ અંતર્ગત વિશેષ આરોગ્ય ચેકઅપ કાર્યક્રમનું ઉંડવારીયા ટોલ પ્લાઝા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એનએચઆઈટી વેસ્ટન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટ્રક ડ્રાઇવરો તથા સ્થાનિક નાગરિકો માટે આંખોની તપાસ તેમજ સામાન્ય બોડી ચેકઅપનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં આબુ રોડ આરટીઓ, સ્વરૂપગંજ એસએસઓ તેમજ એનએચઆઈટીના પ્રોજેક્ટ મેનેજર, પ્લાઝા મેનેજર, કોરિડોર મેનેજર અને મેન્ટેનન્સ મેનેજર સહિત ઉંડવારીયા તથા ખેમાણા ટોલ પ્લાઝાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ દરમિયાન 150થી વધુ ટ્રક ડ્રાઇવરો તથા આસપાસના લોકોની આંખોની તપાસ કરી તેમને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયોજન:પોરબંદરમાં આજે શનિવારથી પક્ષી ગણતરીનો પ્રારંભ થશે
પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા આજે શનિવારે પક્ષી ગણતરીનો પ્રારંભ કરવામાં આવશે જે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું છે. 2 દિવસ સુધી પક્ષી ગણતરી ચાલશે જેમાં દેશભરના 100થી વધુ પક્ષીપ્રેમીઓ 25 ટીમમાં ભાગ લેશે. પોરબંદરમાં બર્ડ કંઝરવેશન સોસાયટી ગુજરાત દ્વારા ખાનગી કંપનીના આર્થિક સહયોગથી તથા પોરબંદર વન વિભાગના સહકારથી પોરબંદર પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે દેશભરમાંથી મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી અંદાજિત 100 જેટલા પક્ષીપ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાશે. આ પક્ષીપ્રેમીઓ 25ની ટીમમાં વિભાજિત થઈ પોરબંદર જિલ્લાના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી કરશે. આ અભિયાનથી પક્ષી સંરક્ષણ, જૈવ વૈવિધ્યની સમજ તથા વેટલેન્ડ વિસ્તારોના મહત્વ અંગે માહિતી એકત્ર કરવામાં આવશે. આજે તા. 31/1ને શનિવારે લેઉવા પટેલ સમાજ વાડી, છાયા ચોકી પાસે સવારે 9:45 કલાકે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહેશે તેવું મોકરસાગર વેટલેન્ડ કમિટીના પ્રમુખ અને સ્થાનિક ટેકનિકલ કોઓર્ડિનેટર ડો. ધવલ વારગિયાએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છેકે, આ પક્ષી ગણતરી 2 દિવસ સુધી ચાલશે. છેલ્લા 10 વર્ષથી પક્ષી ગણતરીનું આયોજન થાય છેમોકરસાગર કમિટીના ડો. ધવલ વારગીયાએ જણાવ્યું હતુકે, જિલ્લાના વિવિધ વેટલેન્ડ ખાતે વિદેશી પક્ષીઓ શિયાળા દરમ્યાન મહેમાન બને છે. પક્ષીઓની ગણતરીનું આયોજન જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી થાય છે. અગાઉ દેશભરના 65 જેટલા પક્ષીવિદ પોરબંદર ખાતે પક્ષી ગણતરીમાં જોડાતા હતા આ વખતે 100 જેટલા પક્ષીવિદ પક્ષી ગણતરીમાં જોડાશે.
ભાસ્કર એનાલિસિસ:HIVની જેમ જ ફેલાતા હેપેટાઇટિસ B ના દર્દીઓની સંખ્યા 5 વર્ષમાં 40 ગણી થઈ ગઈ
પોરબંદર જિલ્લામાં એચ.આઈ.વી બાદ હેપેટાઈટીસના કેશ સામે આવી રહ્યા છે.જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષ પૂર્વે 3 કેશ હતા જેની હવે 121 કેશ થઈ છે. જિલ્લામાં 5 વર્ષમાં કુલ 312 કેશ નોંધાયા છે. હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જિલ્લામાં 5 વર્ષમાં હેપેટાઈટીસ Bના 312 નવા અને હેપેટાઈટીસ C ના 43 નવા કેશ નોંધાયા છે. હેપેટાઈટિસ લિવર સાથે જોડાયેલો રોગ છે. જે વાયરલ ઈંફેકશનથી થાય છે. આ રોગ થવાથી લિવર પર સોજો આવે છે અને બળતરા થાય છે. આ રોગના પાંચ પ્રકાર છે જેમાં હેપેટાઈટિસ A, B, C, D, Eનો સમાવેશ થાય છે. તેમાં ટાઇપ B તેમજ C સૌથી ઘાતક છે. તેના કારણે લિવર સિરોઝિસ અને કેન્સર થાય છે.હેપેટાઈટિસમાં A થી માંડી E સુધીના પ્રકારમાં હેપેટાઈટિસ B માટે ઓરલ દવાઓ મળે છે જ્યારે હેપેટાઈટિસ C માટે ઈંજેક્શન આપવામાં આવે છે. પરંતુ હવે હેપેટાઈટિસ C માટે પણ ઓરલ દવાઓ માર્કેટમાં મળી રહી છે. આ ઈંજેકશનની સરખામણી સસ્તી છે અને 90 ટકા સુધી અસરકારક હોય છે. જિલ્લામાં હેપેટાઈટીસના કેશમાં વધારો નોંધાયો છે.જેમાં 5 વર્ષમાં નવા 312 કેશ નોંધાયા છે.હેપેટાઈટીસ 5 પ્રકારના રોગ છે.જેમાં B અને C વધુ જોખમી અને જીવલેણ થઈ શકે છે.જિલ્લામાં 5 વર્ષમાં હેપેટાઈટીસ Bના 312 નવા અને હેપેટાઈટીસC ના 43 નવા કેશ નોંધાયા છે.HIV ની જેમ જ ફેલાતો હેપેટાઇટિસ B ના દર્દીઓની સંખ્યા પોરબંદરમાં 5 વર્ષમાં 40 ગણી થઈ ગઈ છે.જેટલી સજાગતા એઈડ્સ સામે રાખવામાં આવે છે તેટલી જ બેદરકારી હેપેટાઇટિસ B સામે સમાજમાં ફેલાઈ રહી છે:આ રોગમાં 20 થી 30 ટકા દર્દીઓને લીવર સિરોઝિસ થઈ શકે,લીવરનું કેન્સરનું જોખમ,વર્ષો પછી પણ આ રોગ જીવલેણ બની શકે છે. ક્યાં વર્ષમાં કેટલા કેસ નોંધાયા હેપેટાઇટિસ B : વર્ષ 2021-3 કેશ વર્ષ 2022-32 કેશ વર્ષ 2023-65 કેશ વર્ષ 2024-91 કેશ વર્ષ 2025-121 કેશ હેપેટાઇટિસ C : વર્ષ 2021-1કેશ વર્ષ 2022-7 કેશ વર્ષ 2023-12 કેશ વર્ષ 2024-12 કેશ વર્ષ 2025-11 કેશ હેપેટાઈટિસ A દૂષિત ભોજન અને પાણી શરીરમાં જવાથી થાય છે. લિવર, હાથ, પગમાં સોજા, ભૂખ ન લાગવી, તાવ આવવો, ઉલટી થવી તેમજ સાંધામાં દુખાવો થાય છે. હેપેટાઈટિસ B વાયરસ સંક્રમિત રક્ત, થૂક, યૂરિનના માધ્યમથી ફેલાય છે. લિવર પર અસર થાય તો રોગીને ઉલટી, થાક, પેટમાં દુખાવો, ત્વચાનો રંગ પીળો થવો જેવા લક્ષણો દેખાય છે. આ બીમારી ગંભીર થાય તો લિવર સિરોસિસ તેમજ કેન્સર થઈ જાય છે. હેપેટાઈટિસ C હીપેટાઈટિસ સી સૌથી ખતરનાક વાયરસ છે. આ વાયરસ શરીર પર ટેટૂ કરાવવાથી, દૂષિત રક્ત શરીરમાં જવાથી, બીજાની શેવિંગ કીટનો ઉપયોગ કરવાથી થાય છે. આ બીમારીના લક્ષણો ગંભીર સ્થિતી સર્જાય ત્યારબાદ જ જોવા મળે છે. હેપેટાઈટિસ D હીપેટાઈટિસ D થવાથી દર્દીને ઉલટીઓ થાય છે તેમજ સામાન્ય તાવ રહે છે. હેપેટાઈટિસ Eદૂષિત ખોરાકથી ફેલાય છે. જો કે ભારતમાં આ રોગના કેસ ઓછા જોવા મળે છે. આ બીમારીમાં દર્દીને થાક, વજન ઘટવું, ત્વચા પીળી થવી અને તાવ આવવા જેવી સમસ્યા થાય છે. શુ કહે છે ડોકટર હેપેટાઇટિસ વાઇરલ સંપર્કમાં આવ્યા બાદ લાંબા ગાળા પછી અસર દેખાઈ છે.જેથી બધા લોકોને સ્વૈચ્છિક સમયાંતરે હેપેટાઇટિસના રિપોર્ટ કરવી સાવચેત રહેવું જરૂરી છે.કેમ કે હીપેટાઇટિસ B અને C ની જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે લીવરનું કેન્સર થવાની શકયતા છે. > ડો.સિધ્ધાર્થ જાડેજા,ફિઝિશિયન
મનપાની કામગીરી સામે રોષ:હરીશ ટોકીઝ સામે ટ્રાફિકને નડતરરૂપ કેબિનધારકોને મનપાએ નોટિસ આપી
પોરબંદર શહેરમાં અનેક વિસ્તારોમાં આવેલ દબાણો દૂર કરવા મનપા દ્વારા નોટીસ આપવામાં આવે છે, જેના ભાગ સ્વરૂપે પોરબંદર શહેરના હરીશ ટોકીઝ ટેક્સી પાર્કિગ અંદર રહેલા 5 રેકડી-કેબિનને મનપા દ્વારા મંદિર તેમજ ટ્રાફિકને અડચણરૂપ થતી હોવાનુ કારણ આપી નોટીસ આપી દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે મનપાની કામગીરી સામે રેકડી કેબિન ધારકોએ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગો તેમજ જાહેર જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા નોટીસ આપવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના હરીશ ટોકીઝ સામે આવેલ ટેક્સી પાર્કિગ નજીક આવેલ મામાદેવ મંદિર નજીક આવેલ રેકડી કેબીનો મંદિર તેમજ ટ્રાફિક અડચણરૂપ બનતી હોવાના કારણ આપી નોટીસ આપવામાં આવી છે.આ નોટીસ આપી આગામી 7 દિવસમાં રેકડી કેબિન દૂર કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે ત્યારે મનપાની કામગીરી સામે રેકડી કેબિન ધારકોએ રોષ વ્યકત કરવામાં આવ્યો હતો. ખોટી રજુઆતને આધારે મનપાએ કામગીરી કરી હરીશ ટોકીઝ સામે આવેલ ટેક્સી પાર્કિગમાં મામાદેવનું મંદિર અમે જ બનાવ્યું છે ત્યારે આ મંદિર આવતા લોકોને રેકડી કેબિન અડચણરૂપ નથી પરંતુ અંગત સમસ્યાને લઈને કરેલ ખોટી રજુઆતને લીધે આ કાર્યવાહી કરાઈ છે જે વ્યાજબી નથી. >ભીખુભાઇ ઓડેદરા
શિક્ષણ:જિલ્લામાં તા.31 જાન્યુઆરીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજાશે
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા તા. 31/01/2026ના રોજ બપોરે 01:00 થી 03:30 કલાક દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)–2026 યોજાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને અને જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જિલ્લામાં નિયત કરેલા પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટર વિસ્તારમાં વિવિધ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં નિયત કરેલા પરીક્ષા કેન્દ્રો ખાતે તા.31/01/2026 ના બપોરના કલાક 12.30 થી કલાક 03.30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તેમજ મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી કે ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો સાધનો અને ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
પોરબંદરમાં મહાનગરપાલિકા દ્વારા 163 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, 2 એસટીપી પ્લાન્ટ, 10 પમ્પિંગ સ્ટેશન બનાવવા તેમજ મેન્ટેનન્સ માટે મશીનોની ખરીદી કરવાનું આયોજન કરી આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા બનતા શહેરમાં 4 ગામોનો સમાવેશ થયો છે. અગાઉ પાલિકા હતી ત્યારે શહેરમાં ભળેલા ખાપટ, ધરમપુર સહિતના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટર બનાવવામાં આવી ન હતી અને ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાનું આયોજન કર્યું હતું. રાજીવનગર, ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવાની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે હવે મનપા બનતા નવા ભળેલ 4 ગામ તેમજ છાંયા વિસ્તાર અને જે વિસ્તારમાં બાકી હોય તેવા વિસ્તારમાં ભૂગર્ભ ગટર બનાવવા અંગેનું મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા આયોજન કરી મંજૂરી મેળવી હતી. સિટી ઇજનેર જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતુકે, ભૂગર્ભ ગટર બનાવવા માટે અંદાજિત 70 કિલો મીટર નેટવર્કમાં ગટર બનાવવામાં આવશે, આ ઉપરાંત 2 સ્થળે નવા એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવશે અને 10 જેટલા સ્થળે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે જે માટે રૂ.163 કરોડના ખર્ચે આ કામગીરીનું આયોજન કર્યું છે જેમાં નાના મોટા 4 જેટિંગ મશીન અને 5 ડી સિલ્ટિંગ મશીનનો પણ સમાવેશ કર્યો છે જેથી મશીનો દ્વારા ગટરની સફાઈ મેન્ટેન થશે. આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે. સોલાર પેનલ મુકાશે કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતુકે, રૂ.163 કરોડના ખર્ચે નવા ભળેલ ગામમાં ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન અને એસટીપી પ્લાન્ટ તેમજ મશીનોની ખરીદી માટે ટેન્ડર કર્યું છે જેમાં 10 પમ્પિંગ સ્ટેશન અને 2 એસટીપી પ્લાન્ટ ખાતે સોલાર પેનલ મૂકવામાં આવશે જેથી વિજળીનો ખર્ચ બચી જશે તેમજ મશીનો દ્વારા સફાઈ અને મેન્ટેનન્સ પણ થશે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 31 ડિગ્રીએ પહોંચ્યું
પોરબંદરમાં ગઇકાલ કરતા શુક્રવારે મહતમ તાપમાનમાં 3 ડિગ્રીના વધારા સાથે મહતમ તાપમાન 31 ડીગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાન ઊંચકાતા બપોરે ઠંડીમાં રાહત મળી છે. ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું તેની સામે શુક્રવારે મહતમ તાપમાન 3 ડિગ્રી વધીને 31 ડીગ્રીએ પહોંચ્યું છે. જ્યારે ગઇકાલે ગુરુવારે લઘુતમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું અને શુક્રવારે પણ લઘુતમ તાપમાન 14 ડિગ્રી યથાવત રહ્યું છે. ઉલ્લેખનીય છેકે છેલ્લા 5 દિવસથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા નોંધાતું હતું જે શુક્રવારે ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી વધે છે.
પોરબંદર શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અઢી કલાકમાં જ 37 જેટલા બુલેટ બાઈક ડિટેઈન કર્યા હતા. પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની સૂચના મુજબ ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.બી. ચૌહાણ, કે.એન. અઘેરા તેમજ ટ્રાફિક ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન અઢી કલાકમાં કુલ 37 જેટલા બુલેટ બાઈક મોડીફાઇડ સાઈલેન્સર સાથે મળી આવ્યા હતા. કર્કશ અવાજ કરતા મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટ બાઇક ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ કલમ 207 મુજબ ડીટેઈન કરવામાં આવ્યા હતા. મોડીફાઇડ સાઈલેન્સરવાળા બુલેટના કર્કશ અવાજથી જાહેર જનતાને અસુવિધા થતી હોવા સાથે ટ્રાફિક સલામતી માટે જોખમ ઊભું થતું હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા આવી કાર્યવાહી આગામી એક સપ્તાહ સુધી સતત ચાલુ રાખવામાં આવનાર હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આરટીઓ ખાતે દંડ ભરવો પડેઉલ્લેખનીય છે કે, વાહનો ડિટેઇન કરવામાં આવે ત્યારે ચાલકોએ આરટીઓ ખાતે જઈને દંડની રકમ ભરવી પડે છે અને ત્યાંથી પહોંચ લઈને ટ્રાફિક ઓફિસે રજૂ કરવામાં આવે ત્યારે વાહન છોડવામાં આવે છે. એકજ દિવસમાં અઢી કલાકમાં 37 બુલેટ બાઈક ડિટેઈન કર્યા બાદ વાહન ચાલકો તાકીદે પોતાનું વાહન છોડાવવા આરટીઓ કચેરીએ પહોંચ્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં 20 જેટલા ચાલકો આરટીઓ ખાતે દંડ ભરી વાહન છોડાવી ગયા હતા. રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર સુધીનો આરટીઓ દંડ ભરવો પડે છે.
તપાસ:ભોદ ગામના યુવાનનું બાપોદર વાડી વિસ્તારમાં શંકાસ્પદ મોત
રાણાવાવ પંથકના ભોદ ગામે રહેતા એક યુવાનનું બાપોદર ગામે વાડીવિસ્તારમાં શંકાસ્પદ મોત થયું હતું.આ ઘટના બાદ યુવકના મૃતદેહ ફોરેન્સિક પી.એમ.માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભોદ ગામે વાડી વિસ્તારમાં રહેતા ટુકડીયા ગોપાલ જીવાભાઈ (ઉ.35)નામના યુવાન બાપોદર ગામે થયો હતો ત્યારે આ યુવાનનું કોઇ અગમ્ય કારણોસર બાપોદર ગામે વાડીવિસ્તારમાં શંકાસ્પદ મોત થયું હતું.આ યુવાનના મોતને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.આ ઘટના બાદ મૃતક યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે રાણાવાવ પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને પરિવારમાં પણ શોક વ્યાપી ગયો હતો.
તસ્કરો થયા સક્રિય:ઝરણ ગામે આદિવાસી સંમેલન દરમિયાન સાત ઘરોના તાળા તૂટ્યા
ડાંગ જિલ્લાના ઝરણ ગામે ગત 27 જાન્યુઆરી 2026ના રોજ આયોજિત આદિવાસી સંમેલન દરમિયાન ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. જ્યારે સમગ્ર ગામ પ્રોગ્રામમાં વ્યસ્ત હતું ત્યારે તસ્કરોએ તેનો લાભ ઉઠાવી સાત ઘરોને નિશાન બનાવ્યા હતા. ઝરણ ગામે 27 જાન્યુઆરી મંગળવારના રોજ રાત્રિના સમયે ગામમાં ગુજરાત અને મહારાષ્ટ્રના કલાકારો તથા યુટ્યુબરોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયું હતું. ગ્રામજનો પોતાના ઘરને તાળા મારી બેન્ડ પાર્ટી અને સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા ગયા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ સાત ઘરોના દરવાજા તોડી કબાટ ફંફોસ્યા હતા અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત કરી દીધો હતો. જેમાં શિવાભાઈ ઝાપટના ઘરના કબાટમાંથી રૂ 7 હજાર રોકડા અને એટીએમ કાર્ડની ચોરી થઈ હતી. સદનસીબે, શિવાભાઈએ સમયસૂચકતા વાપરી સવારે બેંકમાં જઈ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું, જેથી ખાતામાં રહેલા રૂ 18 હજાર બચી ગયા હતા. જ્યારે અરવિંદભાઈ હીલીમના કાચા મકાનની છત તોડી અંદર પ્રવેશી કબાટ તોડ્યો હતો અને મોબાઈલની ચોરી કરી હતી. જોકે આ બનાવની હજુ સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. કાર્યક્રમની ભીડનો લાભ ઉઠાવી તસ્કરો ચોરી કરીને ફરાર થવામાં સફળ થયા હતા.
ભાસ્કર એક્સક્લુસિવ:ડાંગમાં ધોલ બાદ હવે કૂતરા પ્રજાતિનું બીજું પ્રાણી ‘ભારતીય લોંકડી'' દેખાયું
ડાંગમાં ધોલ બાદ કૂતરા પ્રજાતિનું બીજું પ્રાણી ભારતીય લોંકડી પ્રથમવાર નજરે પડ્યું છે. રાજ્યમાં જે મહત્વના જંગલ વિસ્તાર અને અભ્યારણો છે તેમાં ડાંગ વિસ્તારનો પણ સમાવેશ થાય છે. અહીંના જંગલોમાં કેટલાય જીવ લુપ્ત થયા છે તો નવા દેખાઈ પણ રહ્યા છે. આજથી ચાર વર્ષ અગાઉ અહીંના જંગલોમાં કૂતરા પ્રજાતિનું ગણાતું પ્રાણી ધોલ દેખાયું હતું,જે સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર નોંધાયું હોવાનું જાણવા મળ્યું છે. હવે કૂતરા પ્રજાતિનું જ ગણાતું વધુ એક પ્રાણી ભારતીય લોંકડી ડાંગમાં પ્રથમવાર થોડા દિવસ અગાઉ નજરે પડ્યું છે.આ પ્રાણી ઉત્તર ગુજરાતમાં મોટેભાગે દેખાય છે. નવસારી કૃષિ યુનિ.ના ફોરેસ્ટ્રી વિભાગના તજજ્ઞ ડો.આદિલ કાઝી જણાવે છે કે ડાંગમાં દીપડા માટે ચાલી રહેલ કેમેરા ટ્રેપિંગ સર્વે દરમિયાન ભારતીય લોંકડીનો ફોટો અને વીડિયો રેકર્ડ થયો હતો. બાદમાં વધુ નિરીક્ષણ કરતા 8 પરસ્પર જોડાયેલ લોંકડીના આવાસસ્થાન પણ મળી આવ્યા હતા. અહીં ઓછામાં ઓછી ચાર લોંકડી હોવાની પુષ્ટિ થઈ છે. સ્થાનિકો આ પ્રાણીને કિલ્લા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાંથી તે ડાંગમાં આવી હોવાનું અનુમાન છે.અહીં ઉલ્લેખનીય છે કે નવસારી કૃષિ યુનિ સાથે જોડાયેલ સંશોધકોએ તેનો આ અભ્યાસ કર્યો ,જે પ્રતિષ્ઠિત જર્નલ journal of threatened taxaમાં પ્રકાશિત થયું છે. કદ નાનું, લાંબી પૂંછડી, ભૂરા વાળ..ભારતીય લોંકડીનું કદ નાનું અને પુછડી લાંબી હોય છે. આહારમાં જીવજંતુ ઉપરાંત, નાના સસ્તન પ્રાણી વગેરે લે છે. આમ તો તે સામાન્ય રીતે ખુલ્લા, સપાટ, સૂકા પ્રદેશ પસંદ કરે પણ ડાંગનો ઊંચા, નીચા જંગલ પ્રદેશમાં હાજરી આશ્ચર્યજનક છે.
ભાસ્કર ફોલોઅપ:‘ડાંગ સ્વરાજ આશ્રમ’ કન્યા છાત્રાલયની માન્યતા રદ
ડાંગ જિલ્લાના આહવામાં ‘ડાંગ સ્વરાજ આશ્રમ'માં ધોરણ-11માં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થિની પર સંસ્થાના પ્રમુખના પતિ પ્રફુલ નાયક દ્વારા આચરાયેલ દુષ્કર્મના કૃત્ય એ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ કૃત્ય સામે આવતા જ ગુજરાત સરકારના આદિજાતિ કલ્યાણ વિભાગે ત્વરિત નિર્ણય લીધો છે. ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને સાંસદ ધવલ પટેલની રજૂઆતો બાદ સરકારે ડાંગ સ્વરાજ આશ્રમ સંચાલિત કન્યા છાત્રાલયની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. છાત્રાલયમાં રહેતી 70 જેટલી વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમને અન્ય સુરક્ષિત સરકારી છાત્રાલયોમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટ્રોસિટી અને પોક્સો એક્ટ હેઠળ પીડિતાને મળવાપાત્ર રૂ. 5 લાખની સહાયમાંથી નિયમ મુજબ રૂ. 2.50 લાખ રકમ તાત્કાલિક ચૂકવી દેવામાં આવી છે. આ ઘટનાને લઈ ડાંગમાં આદિવાસી સમાજ સહિત અન્ય સમાજોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પાલનપુરમાં તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં જૈનમુનિશ્રીને અતિપ્રાચીન કલ્પસૂત્ર ગ્રંથ અર્પણ કરાયું હતુ. મુનિશ્રીએ જણાવ્યું હતુ કે, જૈન ધર્મનો અત્યંત મહત્વપૂર્ણ આગમ ગ્રંથ એટલે કલ્પસૂત્ર. જે માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પરંતુ જૈન સંસ્કૃતિ, ઇતિહાસ અને આચાર વિચારનું જીવંત દસ્તાવેજ પણ છે. પાલનપુર નગરે શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયના આંગણે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર મહારાજ સાહેબ ને શ્રી તપાગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી દિલીપભાઈ એલ શાહે અતિપ્રાચીન ત્રણ ભાષામાં કલ્પસૂત્ર ગ્રંથ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબે જણાવ્યું હતુ કે, જૈન પરંપરાનું અમૂલ્ય ગ્રંથ કલ્પસૂત્ર જૈન ધર્મનો એક અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ આગમ ગ્રંથ છે. આ ગ્રંથનું પઠન ખાસ કરીને પર્યુષણ પર્વ દરમિયાન શ્રાવક–શ્રાવિકાઓ દ્વારા ભાવપૂર્વક કરવામાં આવે છે. કલ્પસૂત્ર માત્ર ધાર્મિક ગ્રંથ જ નથી પરંતુ જૈન સંસ્કૃતિ, ઇતિહાસ અને આચારવિચારનું જીવંત દસ્તાવેજ પણ છે. કલ્પસૂત્રની રચના મહાન આગમાચાર્ય ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ બાદ ગણધર પરંપરા દ્વારા સંકલિત થઈ હોવાનું માનવામાં આવે છે. પરંપરા અનુસાર આ ગ્રંથનું સંકલન આચાર્ય ભદ્રબાહુ સ્વામી દ્વારા થયું હોવાનું માન્ય છે. પર્યુષણ પર્વ દરમિયાન કલ્પસૂત્રનું શ્રવણ કરવાથી ક્ષમા, મૈત્રી અને કરુણાની ભાવના વિકસે છે. આ રીતે કલ્પસૂત્ર જૈન ધર્મનો આત્મા સમાન ગ્રંથ છે.
સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:પાટણમાં સરવાલ-ચાબખા-એકલવાને જોડતા માર્ગનું કામ ઓગસ્ટમાં પૂર્ણ થશે
પાટણ : હારિજનો માઇનોર બ્રિજ રૂ.7.10 કરોડના ખર્ચે હારિજ તાલુકામાં આવેલ સરવાલ–ચાબખા–એકલવા માર્ગ પર નવીન માઇનોર બ્રિજ તેમજ રીસર્ફેસીંગનું કામગીરી ચાલી રહી છે. કામ પૂર્ણ થતાં ટ્રાફિક સમસ્યા હળવી બનશે. મહેસાણા : ખારી નદીનો ફ્લાયઓવર રૂ.35 કરોડના ખર્ચે મહેસાણાની ખારી નદી પર ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. ચોમાસા પહેલાં ફ્લાયઓવર બનીને તૈયાર થવાની સાથે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે. હિંમતનગર : દુર્ગા રેલવે ફાટક પ્રોજેક્ટ હિંમતનગરના દુર્ગા રેલવે ફાટક ઉપર રૂ.18 કરોડના ખર્ચે ફલાય ઓવરનું કામ ચાલી રહ્યું છે. તમામ પિયરનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. સ્લેબ લગાવવાની કામગીરી ચાલી રહી છે. આ ફ્લાયઓવર બનીને તૈયાર થશે ત્યારે શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થશે. વાવ-થરાદ : આગથળા-ધાનેરા ટુ લેન રોડ વાવ થરાદ જિલ્લાનો નવો બનનાર આગથળા-ધાનેરા રોડ પાછલા ત્રણ વર્ષથી ખોરંભે ચઢ્યો છે. વર્ષ 2024ની ડેડલાઇન હોવા છતાં, કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીને કારણે રસ્તો બિસમાર અને જોખમી છે.
વાહનચાલકોને થઈ હેરાનગતિ:ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધી ખાનગી કંપનીએ ખાડા પૂર્યા પણ રેતીના ઢગ અકબંધ
પાલનપુરમાં ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધીના માર્ગ પર ખાડાઓથી વાહનચાલકોને શુક્રવાર બપોરે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધી ખાનગી કંપનીએ માર્ગની બાજુમાં પડેલા ખાડાઓ ખાનગી કંપની દ્વારા પૂરાયા હતા. ખાડાઓ પૂર્યા પછી રેતીના ઢગ ચડાવ્યા હતા, પરંતુ કેટલીક જગ્યાઓએ વાયર બહાર નિકળ્યા અને કેટલાક ખાડા અધૂરા પૂરેલા જોવા મળ્યા હતા. બપોરે જ્યારે ટ્રાફિકજામ થયો ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાહનચાલક ઇશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, ગુરુનાનક ચોકથી કીર્તિસ્તંભ સુધીના વિસ્તારમાં ખાનગી કંપનીએ કામ અધૂરું કર્યું હોવાથી રોડ પર અકસ્માતનું જોખમ વધ્યું છે. કામમાં ક્ષતિ જણાશે તો કંપનીને નોટિસ અપાશે પાલિકા પ્રમુખ ચિમનભાઇ સોલંકી જણાવ્યું કે પાલનપુરની અંદર ખાનગી કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ વાયરીંગ નંખાઈ રહ્યું છે. જે બાબતે અમે તેને સખ્ત શબ્દોમાં કહ્યું હતું કે, કામ બાદ ખાડા વ્યવસ્થિત પુરાવા પરંતુ જો તેમણે ખાડા વ્યવસ્થિત નહીં પૂર્યા હોય અને ક્ષતિ જણાશે તો નોટિસ અપાશે અને કામ અટકાવાશે.
અંબાજી ગબ્બર પર્વત પર ‘51 શક્તિપીઠ પરિક્રમા’નો શુક્રવાર સવારે વિધિવત પ્રારંભ થયો. વહેલી સવારે પાલખી યાત્રા અને ધજા યાત્રાના પ્રસ્થાન સાથે જ પરિક્રમા માર્ગ જાણે શ્રદ્ધાળુઓના કીડીયારા જેવો ઉભરાઈ ગયો હતો. આનંદ ગરબા મંડળના ઉપાસકો દ્વારા અખંડ ઘૂનના નાદ સાથે ગબ્બર તળેટી અને શક્તિપીઠ પરિક્રમા પથ પર અલૌકિક શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો. સમય પસાર થતો ગયો તેમ તેમ પરિક્રમા માર્ગ પર શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થયો. આબાલ-વૃદ્ધો “જય અંબે”ના જયઘોષથી ગિરિમાળાને ગુંજાવતા જોવા મળ્યા. માર્ગ પર ઠેર ઠેર ચા-નાસ્તા, પીવાનું પાણી તેમજ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હતી. પરિક્રમા મહોત્સવને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા 7 વાહન પાર્કિંગ સ્થળોનું આયોજન કરાયું છે. એસટી વિભાગના 700થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ વ્યવસ્થાપન સંભાળી રહ્યા છે. પાર્કિંગ સ્થળોએ મીની બસ તથા ભોજન સુવિધા શ્રદ્ધાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઉત્તર ગુજરાત ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદ તરફથી આશરે 500 બસો દ્વારા આવેલા શ્રદ્ધાળુઓ પરિક્રમા સાથે શક્તિપીઠ ગબ્બરના દર્શન કરતા જોવા મળ્યા. માઁ શક્તિના સાનિધ્યમાં પહોંચતા ભક્તોમાં થાકનો અણસાર પણ જોવા મળતો ન હતો. જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા ભક્તોનું સ્વાગત કરી ગબ્બર પરિક્રમા પથ પર અલ્પાહારની વ્યવસ્થા કરી છે. અરવલ્લીના માનપુરના સરપંચ મનહરભાઈએ જણાવ્યું કે બે ગામમાંથી મળી 50 જેટલા લોકો આવ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પાર્કિંગ, મીની બસ અને વ્યવસ્થાઓ વધુ સુવ્યવસ્થિત છે. નાના બાળકો પણ સરળતાથી પરિક્રમા કરી શક્યાગાંધીનગરના ખોરજથી આવેલા માધવીબેન પટેલે જણાવ્યું કે, એક દિવસ અગાઉ નામ નોંધાવ્યા બાદ વહેલી સવારે 5 વાગે ઉઠી, 4 વર્ષના જિયાન્શ અને 5 વર્ષના જેનિલ સાથે 7 વાગે બસ દ્વારા અંબાજી પહોંચ્યા હતા. રસ્તામાં ચા-નાસ્તા તથા અંબાજી ઉતર્યા બાદ મીની બસની સુવિધા હોવાથી કોઈ તકલીફ પડી નથી. નાના બાળકો પણ સરળતાથી પરિક્રમા અને ગબ્બર દર્શન કરી શક્યા. જીવનમાં એકવાર આ પરિક્રમાનો લાભ લેવો જોઈએ :શ્રદ્ધાળુઅરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુ પ્રતિકાબેન ભાવસારે જણાવ્યું કે, એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન થવાથી માતાજીના અનેક સ્વરૂપોના આશીર્વાદ મેળવવા સરળ બન્યા છે. અમદાવાદના શ્રદ્ધાળુ અમિત પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી ડિજિટલ માધ્યમો પર જોયેલા શક્તિપીઠોને રૂબરૂ નિહાળવાનો દિવ્ય લ્હાવો અંબાજીમાં મળ્યો છે. રાજ્ય સરકારની પરિવહન અને અન્ય સુવિધાથી યાત્રા સુખદ બની છે અને દરેક ભક્તે જીવનમાં એકવાર આ પરિક્રમાનો લાભ લેવો જોઈએ. અઢી કલાકમાં પરિક્રમા પૂર્ણગાંધીનગરથી આવેલા 85 વર્ષના કમળાબાએ જણાવ્યું કે, પ્રથમ વખત અંબાજી આવ્યા હોવા છતાં અઢી કલાકમાં પરિક્રમા પૂર્ણ કરી ગબ્બર દર્શન કર્યા, છતાં થાક લાગ્યો નથી. આ બધું માઁ શક્તિની કૃપા હોવાનું તેમણે કહ્યું. રાધનપુરથી આવેલા ગૌતમભાઈએ જણાવ્યું કે, દૂર દૂર આવેલા કુળદેવીના દર્શન એક જ સ્થળે 51 શક્તિપીઠ પરિક્રમામાં શક્ય બન્યા છે.
CETની પરીક્ષા:બ.કાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં આજે 63383 છાત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપશે
પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં આજે બપોરે 1 થી 3.30 વાગ્યા દરમિયાન કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાશે. બંને જિલ્લામાંથી કુલ 63,383 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે, તંત્ર દ્વારા 219 પરીક્ષા કેન્દ્રો અને 2,194 બ્લોક પર આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા અને વાવ-થરાદ સહિત રાજ્યભરમાં આજે શનિવારના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) યોજાનાર છે.આ પરિક્ષાને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તરીકે ઓળખવામાં આવે છે.જેમાં ગણિત, માનસિક ક્ષમતા અને સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં ખોટા જવાબના ગુણ કપાતા નથી.આ ટેસ્ટ માટે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના કુલ 63,838 વિદ્યાર્થીઓ નોંધાયા છે. 219 પરીક્ષા સ્થળો પર બપોરે 01:00 થી 03:30 સુધી પાલનપુર, ડીસા અને થરાદ એમ ત્રણ ઝોનમાં 2194 બ્લોક પર વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા, દેખરેખ સ્ટાફ તેમજ માર્ગદર્શન ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ સહિતની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પરીક્ષા પાસ કરનાર છાત્રને સરકાર ખર્ચ આપે છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 6થી 12 સુધીના અભ્યાસનો ખર્ચ સરકાર દ્વારા અપાય છે. ઉપરાંત સરકાર સાથે કરાર કરેલ ખાનગી રેસિડેનશિયલ શાળાઓમાં હોસ્ટેલ તથા ભણવાની ફી પણ સરકાર ભરે છે. તેમજ આ વિદ્યાર્થીઓને જ્ઞાનસેતુ સ્કોલરશીપ પણ મળવા પાત્ર રહે છે.
વિરોધનો સૂર ઉઠ્યો:તોરણવાળી માતા ચોક ડેવલોપ પ્રોજેક્ટ રદ કરી દેવાશે તો આંદોલનની તૈયારી
મહેસાણાના તોરણવાળી માતા ચોક ને હેરિટેજ લૂકમાં વિકાસ કરવાનો પ્રોજેક્ટ શરૂ કર્યા પછી બજારમાંથી વિરોધનો સૂર ઉઠતા કામ ઠપ્પ થયેલુ પડ્યુ છે. આ દરમિયાન તોરણવાળી માતાજી ટ્રસ્ટ દ્વારા તોરણવાળી માતા ચોક ને હેરિટેજ તરીકે વિકસાવવાથી શહેરની ઓળખમાં વધારો થશે અને નાગરીકો માટે ગૌરવ સમાન ઓળખ ઉભી થશે. ત્યારે આ પ્રોજેક્ટ જો રદ થાય તો નગરજનોની ધાર્મિક લાગણી દુભાશે. જેથી આગામી 15 દિવસમાં પ્રોજેક્ટ ચાલુ કરવો. આ પ્રોજેક્ટ કોઇના દબાણમાં રહીને રદ થયો તો એક જન આંદોલન ઊભું કરાશે તેવી તોરણવાળી માતાજી ટ્રસ્ટના નેજા હેઠળ મહાનગરપાલિકા કમિશનર સમક્ષ રજૂઆત કરાઇ છે. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એજન્સીને તોરણવાળી માતા ચોક વિકાસ કામગીરીનો એજન્સીને વર્કઓર્ડર અપાયેલો છે અને મુખ્યમંત્રીએ આ કામનું લોકાર્પણ કરતા 16 જાન્યુઆરીથી કામ ચાલુ કરતા માપણી કરી નિશાન લગાવ્યા હતા. ત્યારે કયા કારણોસર કામ સ્થગિત કરવામાં આવ્યું તે સમજાતું નથી. કોઇ રાજકીય કે વગદારથી આ કામ સ્થગિત કર્યાનું જાણવામાં આવ્યું છે. ત્યારે શહેરમાં ચાલતા વિકાસ કામોમાં બીજા કોઇ વિસ્તારમાં આ રીતે કામ સ્થગિત કરાયા નથી. ત્યારે તોરણવાળી માતાના નામથી આ તોરણ હેરિટેઝ નામ રાખીને વિકાસ પ્રોજક્ટ શરૂ કરવા માંગ કરાઇ છે. વર્ષો પછી મહેસાણા એકને આવો પ્રોજેક્ટ મળ્યો છે. તેને કેટલાક વિઘ્ન સંતોષી લોકો તરકીબ વાપરી રહ્યા છે. અમદાવાદના ભદ્રકાળી મંદિરની જેમ વિકાસ કરોગામ દેવી તોરણવાળી માતાજી મંદિરમાં આવતા દર્શનાર્થીઓનો ધસારો અમદાવાદના ભદ્રકાળી મંદિરની જેમ વધે તેવી રીતે વિકસિત કરો. આસપાસ કાયમી ઉભી રહેતી લારીઓને ખસેડવા માંગ કરાઇ છે. આ પ્રોજેક્ટને રદ કરાશે તો પ્રથમ 20 દિવસ પ્રતિક ઉપવાસ અને ત્યારપછી રેલી સ્વરૂપે આવેદન અપાશે અને જરૂર પડે તો આમરણાંત ઉપવાસ કરવા જણાવ્યું છે. પ્રોજેક્ટ ઝડપથી શરૂ કરવા સમર્થન પત્ર મનપાએ આપ્યું હતું. હજી પ્રોજેક્ટ અંગે કોઇ નિર્ણય લેવાયો નથીતોરણવાળી માતા ચોક ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કામ કયા તબક્કે છે, શુંપ્રોજેક્ટ રદ કરાયો ? તેવી પૃચ્છા કરતાં કમિશ્નર રવિન્દ્ર ખતાલેએ કહ્યુંકે, હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રતીક્ષા કરો .
વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સરહદે 3.1ની તીવ્રતાનો ભૂકંપ
ગાંધીનગર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સીસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ, શુક્રવારે સાંજે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો અને રાજસ્થાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિએક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.1 નોંધવામાં આવી છે. આ ભૂકંપ સાંજે ૦7:21 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ ઉત્તર ગુજરાતના ધરોઈથી 49 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં, રાજસ્થાન સરહદ પાસે નોંધાયું છે. ભૂકંપના આંચકાની ઊંડાઈ જમીનથી માત્ર 3.5 કિમી નીચે હતી. આ આંચકાના ચોક્કસ સ્થાનની વાત કરીએ તો તે લેટિટ્યુડ 24.435 N અને લોન્ગીટ્યુડ 72.9430 E પર સ્થિત હતું.
SIRની કામગીરી:જિલ્લાની 7 વિધાનસભામાં 2.58 લાખ મતદારોની ખામીઓ સુધારવા નોટિસ
મહેસાણા જિલ્લાની સાતેય વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદી ખાસ સુધારણા કવાયતમાં મતદારોની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી યાદીમાં આવેલા મતદારો પૈકી જે મતદાર અને તેમના માતા-પિતા કે દાદા-દાદી સાથે મેપિંગ માં ક્યાય નામ, ઉમર, અટકમાં તાર્કિગ ખામી હોય તો સુધારા માટે તેમજ નો મેપિગ હોય તેવા મતદારોની ચૂંટણી તંત્રએ નોટિસ જનરેટ કરી છે. જેમાં મહેસાણા જિલ્લામાં અંદાજે 2.58 લાખ જેટલી તાર્કિક ખામીના મતદાર અને મેપિગ વગરના મતદારોની નોટિસ જનરેટ થતા બીએલઓ રાહે મતદારોના ફરી ડોક્યુમેન્ટ મેળવીને સક્ષમ અધિકારી રાહે નિવારણની કામગીરીમાં જોતરાયા છે. 2002ની સરખામણીએ અટકના સ્થાનમાં ફેરફાર થયો હોય અથવા વંશાવલીના નામ મેચ ન થતા હોય તેવા કિસ્સાઓમાં દસ્તાવેજો મેળવીને સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત સૌથી વધુ મહેસાણામાં 54 હજાર, બહુચરાજીમાં 48 હજાર, ખેરાલુમાં 36 હજાર, ઊંઝામાં 33 હજાર, વિસનગરમાં 27 હજાર અને સૌથી ઓછી વિજાપુરમાં 12 હજાર નોટિસો જનરેટ થતા ચૂંટણી તંત્રના ઓપરેટરો દ્વારા રાત-દિવસ કામગીરી કરીને તેની પ્રિન્ટ કાઢવામાં આવી છે. હાલમાં બીએલઓ દ્વારા મતદારોનો સંપર્ક કરીને જન્મનું પ્રમાણપત્ર, એલ.સી., પાસપોર્ટ કે પાનકાર્ડ જેવા પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોને રૂબરૂ સાંભળીને ડોક્યુમેન્ટની ચકાસણી બાદ ખામીઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને કારણે મામલતદાર કચેરીઓમાં મતદારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.બી. પરમારના જણાવ્યા અનુસાર, દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ જન્મ તારીખના પુરાવા સહિતના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને વિસંગતતા દૂર કરવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
જીવલેણ હુમલો:મહેસાણામાં વરઘોડામાં થયેલી ઝઘડાની અદાવત રાખી યુવકને માથામાં છરો મારતાં 40 ટાંકા આવ્યા
મહેસાણાના ભોયરા વાસમાં વરઘોડા દરમિયાન થયેલી બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખ્સો અને તેમના સાથીદારોએ માથામાં છરો મારતાં માથામાં 40 ટાંકા આવ્યા છે. 28 જાન્યુઆરીએ મુકેશજી અમરસિંહ ઠાકોર વરઘોડો જોવા ગયા હતા, જ્યાં કમલેશ ઉર્ફે કમો ઓમદાસ બાવાજી તલવાર ફેરવતી વખતે મુકેશજીની દીકરીને અથડાતા તે નીચે પડી ગઈ હતી. આ બાબતે થયેલી તકરાર બાદ, જ્યારે મુકેશજી તેમના મિત્ર રાકેશજી વાઘેલાને મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કમલેશ, તેનો ભાઈ મોનુ ઓમદાસ બાવાજી, મોઈન અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ધારિયું, છરો અને તલવાર જેવા હથિયારોનો ઉપયોગ કર્યો હતો, રાકેશજીને માથાના ભાગે છરો વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલામાં દશરથજી અને અનિલજી પણ ભોગ બન્યા હતા. મુકેશજીની ફરિયાદના આધારે કુલ છ શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો.
મહેસાણા જિલ્લામાં 20થી માંડી ને 50 વર્ષ જૂની જર્જરિત એવી 80 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનાવવા માટે શુક્રવારના રોજ તમામ 10 તાલુકાઓના ગામડાઓમાં એક સાથે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 101 જેટલી ગ્રામ પંચાયતોના નવીન પંચાયત ઘર બનવાના છે. 80 જેટલી જર્જરિત પંચાયત સિવાય 20 પંચાયતના નવીન મકાન બનવાના છે જ્યાં પંચાયત ઘર બનાવવામાં જ આવ્યા નથી. મહેસાણા જિલ્લાના 610 પૈકી 80 જેટલી ગ્રામ પંચાયતો 20 વર્ષથી માંડીને 50 વર્ષ સુધીના જૂના મકાનો હોવાથી જર્જરિત હાલતમાં હતી. જ્યારે 20 જેટલી ગ્રામ પંચાયતોનું વિભાજન થતાં તેનું અલગ અસ્તિત્વ આવ્યા પછી ત્યાં ગ્રામ પંચાયતનું મકાન જ બનાવવામાં આવ્યું ન હતું અને વાડી કે પછી કોઈ અન્ય સંસ્થાના મકાનમાં પંચાયત કાર્યરત હતી. તેવા 20 ગ્રામ પંચાયત ઘર મળી કુલ 101 જેટલી નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવા માટે જિલ્લા પંચાયતના બાંધકામ વિભાગ દ્વારા ટેન્ડર બહાર પાડીને વર્ક ઓર્ડર આપતા શુક્રવારના રોજ દરેક ગામડે તેનું ખાતમુહૂર્ત કરાયું હતું. વર્ક ઓર્ડર આપ્યાની તારીખથી 9 મહિના સુધીમાં આ તમામ નવીન પંચાયત ઘરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. વસ્તીના આધારે પંચાયત ઘર બનાવવાની ગ્રાન્ટ મળે છેગામડામાં ગ્રામ પંચાયતનું નવીન મકાન બનાવવા માટે વસ્તીના ધોરણે રાજ્ય સરકાર રકમ ફાળવે છે જેમાં 5000 ની વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતનું મકાન બનાવવા 25 લાખ, 10 હજારની વસ્તી ધરાવતી પંચાયતને 35 લાખ અને 10 હજારથી ઉપરની વસ્તી ધરાવતી પંચાયતને મકાન બનાવવા માટે 40 લાખ રૂપિયા ની રકમ ફાળવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવીન પંચાયત ઘરની મંજૂર કરવામાં આવેલી સરકારી ડિઝાઇનમાં ઉપરના માળે બે રૂમ અને ટોયલેટ, બાથરૂમ સાથે નું તલાટી આવાસ અને નીચે પંચાયત ની ઓફિસ સહિતનું બે માળનું મકાન બનાવવામાં આવશે.
મહેસાણાની અક્ષર વિદ્યામંદિર દ્વારા ‘ગુરુકુળથી ગૂગલ’ થીમ પર પ્રાચીન ભારતીય સંસ્કાર અને આધુનિક ટેકનોલોજીના સુમેળનો દર્શન કરાવતો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો હેતુ આજના ડિજિટલ યુગમાં બાળકો ટેકનોલોજી સાથે જોડાયેલા રહે તે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવી રાખે તે હતો. વિદ્યાર્થીઓએ નાટક અને નૃત્ય દ્વારા ગુરુકુળ પરંપરાથી લઈને આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ સુધીની શિક્ષણ યાત્રાનું જીવંત મંચન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. જ્ઞાન મેળવવાના સાધનો બદલાયા હોવા છતાં ગુરુ અને જ્ઞાનનું મહત્વ શાશ્વત છે તેવો સશક્ત સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા. સંસ્થાના રજનીકાન્તે વિદ્યાર્થીઓ ગૂગલની ઝડપ સાથે ગુરુકુળની શિસ્ત જાળવે તેવા પ્રયાસોની વાત કરી. મોટી સંખ્યામાં વાલીઓ અને શિક્ષણપ્રેમીઓ હાજર રહ્યા હતા.
હુમલો:મહેસાણામાં સ્કૂટર ચાલકને જોઈને ચલાવોનું કહેનાર મહિલા, તેના ભાઈ પર હુમલો
સ્કૂટર ચાલકને જોઈને ચલાવવાનું કહેનાર મહિલા પોતાના બહેનના ઘરે જતાં તેની પાછળ અન્ય ત્રણ જણને લઈ પહોંચેલા સ્કૂટર ચાલકે મહિલા અને તેના ભાઈ ઉપર હુમલો કરી મારામારી કરી હતી. સાથે યુવકની છરી મારતાં મહિલાએ પોતાના અને ભાઈ ઉપર હુમલો કરનાર અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. મહેસાણાના ઉચરપી રોડ પર શ્રીજી શરણમ ફ્લેટમાં રહેતા બિનલબેન મહેન્દ્રકુમાર નાયક 29 જાન્યુઆરીના રોજ રામોસણાની દિવ્યભૂમિ સોસાયટીમાં રહેતા પોતાની બેનના ઘરે ગયા હતા. પણ ત્યાંથી ચોકડીના માર્ટમાં દૂધ લઈને પરત આવતા હતા તે સમયે સ્કૂટરના ચાલકે પૂરઝડપે ચલાવી તેમના એક્ટિવાની ટક્કર મારતાં રહી ગયો હતો. ત્યારે તેમણે તેને ભાઈ તમારું સ્કૂટર જોઈને ચલાવો તેમ કહેતા તેણે તમારી એક્ટિવાને ક્યાં ટક્કર મારી છે તે મને કહો છે તેમ કહી તે ત્યાંથી જતો રહ્યો હતો. બાદમાં સ્કૂટરનો ચાલક અને બે થી ત્રણ શખ્સોએ ત્યાં રોડ ઉપર કેમ દાદાગીરી કરતા હતા. તેમ કહી લાકડી પગે મારી હતી. તેમનો ભાઈ બ્રિજકુમાર દિલીપભાઈ નાયક છોડાવવા વચ્ચે પડતાં ડાબા હાથે છરી મારી હતી. જ્યાં બિનલબેને જીજે 02 .બી ક્યુ. 4956 નંબરના સ્કૂટર ચાલક અને અન્ય ત્રણ શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
કેબલની ચોરી:મણુંદમાં એક જ રાતમાં બે બોર પરથી કેબલની ચોરી
પાટણ તાલુકાના મણુંદમાં એક જ રાતમાં બે બોર પરથી કેબલ ચોરી થઇ છે.મણુંદના અંબિકા સોસાયટીમાં રહેતા કુલદીપકુમાર પટેલના ભરોળી આંટામાં આવેલા બોરની ઓરડીનું તાળું તોડી તસ્કરો અંદાજે 70 ફૂટ લાંબો કિંમતી કેબલ કાપી ફરાર થઈ ગયા હતા. આ મંગળવારની રાત્રે બનેલી આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે થઈ ત્યારે ઓરડીનો નજારો જોઈ ખેડૂત સ્તબ્ધ રહી ગયા હતા.માત્ર કુલદીપકુમાર જ નહીં, પરંતુ તેમના જ ગામના દિનેશભાઈ પટેલના બોર પરથી પણ 30 ફૂટ કેબલની ચોરી થઈ છે.
મૃતદેહ મળી આવ્યો:હારિજના ભલાણા પાસે નર્મદા કેનાલમાંથી ચંદ્રુમાણાના 24 વર્ષના યુવકનો મૃતદેહ મળ્યો
હારિજ તાલુકાના ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી શુક્રવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના 24 વર્ષીય યુવક તરીકે થઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ તેજ કરી છે. ભલાણા ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતા હારિજ પોલીસના દિનેશભાઈ અને સંજયભાઈ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનો પ્રિન્સ જયંતિલાલ પટેલ (ઉં.વ. 24) હોવાનું સામે આવ્યું હતું. યુવાન દીકરાના મોતના સમાચાર મળતા જ ચંદ્રુમાણા ગામમાં અને પટેલ પરિવારમાં ગમગીની છવાઈ છે.
સમીના જલાલાબાદ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈ કોરીધાકોર કેનાલમાં ઉભા રહીને પાણી આપોના નારા લગાવી તંત્ર સામે વિરોધ પ્રદર્શન કરી તાત્કાલિક કેનાલમાં સિંચાઈના પાણી છોડવા માટે માંગ કરી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ બની ત્યારથી આજ દિન સુધી તેમાં પાણીનું ટીપું પણ આવ્યું નથી.હાલ શિયાળુ પાક અંતિમ તબક્કામાં છે ત્યારે પાણીના અભાવે ઘઉં પીળા પડી રહ્યા છે. જલાલાબાદના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી જણાવ્યુ હતુ કે રાજપુરા બ્રાન્ચ કેનાલ મારફતે આ વિસ્તારમાં પાણી છોડવામાં આવે છે, પરંતુ આ પાણી માત્ર ગુજરવાડા ગામ સુધી જ સીમિત રહે છે. જલાલાબાદ સુધી પાણી પહોંચાડવામાં નર્મદા વિભાગના અધિકારીઓને વારંવારની લેખિત રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગોવિંદભાઈ નાડોદાએ જણાવ્યું હતું કે પાણી તો આવતું નથી, પણ કેનાલની સફાઈ પણ થતી નથી. નાળું તૂટેલું હોવાથી અવરજવરમાં પણ તકલીફ પડે છે.ખાવા પૂરતા ઘઉં વાવ્યા છે, પણ હવે એ પીળા પડી રહ્યા છે. જો અઠવાડિયામાં પાણી નહીં મળે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે
થરા કોલેજમાં નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, થરાના સંયુક્ત ઉપક્રમે એક ભારત શ્રેષ્ઠ ભારત વિષય પર રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. જિતેન્દ્રકુમાર પટેલે જણાવ્યું હતું કે, ભારત માત્ર ભૂગોળ નથી પણ એક જીવંત વિચાર અને સંસ્કાર છે. પશ્ચિમની સંસ્કૃતિ જગતને બજાર માને છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ સંસારને પરિવાર માની વસુધૈવ કુટુંબકમ્માં માને છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારે રાષ્ટ્ર પ્રથમ અને સ્વાર્થ ગૌણ બને ત્યારે જ સાચા અર્થમાં શ્રેષ્ઠ ભારતનું નિર્માણ થાય છે. સેમિનારમાં સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદના દ્રષ્ટિકોણથી રાષ્ટ્રીય એકતા પર વિવિધ વિદ્વાનોએ પ્રકાશ પાડ્યો હતો. કોલેજના આચાર્ય ડૉ. દિનેશકુમાર ચારણે મહેમાનોનું સ્વાગત કરી સેમિનારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો. આ પ્રસંગે અનેક અધ્યાપકો અને સંશોધક વિદ્યાર્થીઓએ પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.
પાટણમાં શહેરની વધતી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે 24 કરોડના ખર્ચે ખાનસરોવર પાસે 20 MLDનો ફિલ્ટર પ્લાન્ટ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પ્રોજેક્ટ મંજૂર કર્યો, પણ કામ પૂરું થવાના આરે હોવું જોઈતું હતું ત્યાં હજુ જગ્યા મેળવવામાં જ તંત્રનો દમ નીકળી રહ્યા છે. 30 મહિનાની સમયમર્યાદામાંથી 22 મહિના વીતી ગયા હોવા છતાં હજુ જમીન મળી નથી.જેને લઈ પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે. પાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે 24 કરોડના પ્રોજેક્ટમાં સિદ્ધિ સરોવર પાસે ફિલ્ટર પ્લાન્ટ માટે 20,000 ચો.મી. જેવી વિશાળ જમીનની જરૂર છે, જેની ફાઈલ સીટી સર્વે ઓફિસમાં ધૂળ ખાઈ રહી છે. બીજી તરફ, રોટરીનગરની ટાંકી માટે હજુ સુધી પ્લોટ પણ ફાઈનલ થયો નથી. જો 73% સમય વીતી ગયા પછી પણ જમીન ન મળી હોય, તો બાકીના 8 મહિનામાં કામ પૂરું થવું શક્ય નથી. ઉપરાંત શહેરમાં માતરવાડી ખાતેની ટાંકીનું કામ પૂરું થઈ ગયું છે અને તિરૂપતિ વિસ્તારમાં 90% કામગીરી પૂર્ણ થઈ છે. પરંતુ, અસલી પડકાર સિદ્ધિ સરોવર અને રોટરી નગરમાં છે. રોટરી નગરની જમીન પરના દબાણો હજુ પાલિકા હટાવી શકી નથી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ભલે ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થવાનો દાવો કર્યો પણ કલેક્ટર અને મામલતદાર કચેરીના અભિપ્રાયોની ફાઈલ હજુ સ્ટેશન પર જ પડી છે. જેથી આ પ્રોજેક્ટ હજુ એક કે દોઢ વર્ષ સુધી લંબાય તેવુ પાલિકાએ જણાવ્યુ છે. પ્રોજેક્ટની વિગતો
સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:બારડોલીમાં ગૌરવ પથ અને રોડના કામ બાકી તો વ્યારામાં હોકર્સ ઝોન બંધ
પ્રોજેક્ટ : વ્યારા હોકર્સ ઝોન પ્રોજેક્ટ બંધ વ્યારામાં 2022માં હોકર્સ ઝોન બનાવવાનું નક્કી કર્યું હતું. ખાતમુહૂર્ત કરી કામ ચાલુ કરી દેવાયું પરંતુ મંજૂરીના અભાવે હાલ કામ બંધ છે. અત્યારે 30 ટકા કામ પૂર્ણ થયું છે. હેતુફેર અને અન્ય મંજૂરીના અભાવે કામ અટકાવાયુ હતુ. પાલિકાએ કલેક્ટરમાં રજૂઆત કરી ગાંધીનગર મંજૂરી માટે દરખાસ્ત મોકલી છે. જે આવતા કામગીરી ચાલુ થશે. પ્રોજેક્ટ : શામરિયા મોરામાં રોડ ડેવલોપમેન્ટ બારડોલી નગરના શામરિયા મોરા વિસ્તારની ખાડી પર દિવાયાદર સાથે આશાપુરા માતા મંદિર ચોક પર રોડ ડેવલપમેન્ટનું કામ વર્ષ 2024માં આપવામાં આવ્યું હતું. પરતું પૂર્ણ થવાનું નામ લેતું નથી.જોકે ત્રણેક માસમાં કામગીરી પૂર્ણ થવાની વાત છે. પ્રોજેક્ટ : સોનગઢ પાલિકાની લાઈબ્રેરી સોનગઢ પાલિકા દ્વારા અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જ્ઞાનના પ્રસાર અને ઉજ્જવળ ભવિષ્યના હેતુથી તૈયાર થઈ રહેલું ડિજિટલ યુગનું પુસ્તકાલય, યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને વાંચન માટે શાંત તેમજ પ્રેરણાદાયી વાતાવરણ આપશે. પ્રોજેક્ટ : બારડોલી ગૌરવ પથનું 60% કામ પૂરું બારડોલી નગરમાં સત્યાગ્રહના ઐતિહાસિક થીમ પર મુખ્ય માર્ગ પર ડીવાયડર બનવાની કામગીરી પાંચ મહિનાથી ચાલી રહી છે. જે નગર માટે આગવી ઓળખ બની રહેશે. હાલ પચાસ ટકાથી વધુ કામ થઈ ગયું છે. કામ પૂરું થતા નગરની શાન બની રહેશે.
સામાજિક કુરિવાજોને દૂર કરવા અને મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવા માટે ગઢવાડા-દાંતારી રબારી સમાજ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. સતલાસણા અને દાતા તાલુકાના વિવિધ ગામોના સમાજના અગ્રણીઓની હાજરીમાં મળેલી બેઠકમાં સમાજનું નવું બંધારણ સર્વાનુમતે અમલી બનાવવામાં આવ્યું છે. આ બંધારણ મુજબ હવે લગ્ન પ્રસંગોમાં ડી.જે., વરઘોડો અને ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અંધાધૂંધ ખર્ચને રોકવા મામેરાની રકમ મર્યાદિત કરીલગ્નમાં સાદી ચોરી અને સાદો જમણવાર રાખવાની સાથે વીડિયોગ્રાફી પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સામાજિક મોભા પાછળ થતા અંધાધૂંધ ખર્ચને રોકવા મામેરાની રકમ મર્યાદિત કરી દેવામાં આવી છે અને પત્રિકાઓ છપાવવાને બદલે વોટ્સએપ આમંત્રણને માન્યતા આપવામાં આવી છે. છૂટાછેડાના કિસ્સામાં કડક આર્થિક દંડની જોગવાઈમરણ પ્રસંગે પણ સમાજે અત્યંત ગંભીરતા દાખવીને અફીણ-ડોડા જેવા નશા મુક્ત રહેવા અને સાદગીપૂર્ણ લોકાચાર પાળવા પર ભાર મૂક્યો છે. છૂટાછેડાના કિસ્સામાં સમાજની શિસ્ત જળવાઈ રહે તે માટે કડક આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં કુવારું સગપણ તૂટે તો 5 લાખ અને સંતાનો સાથે છૂટાછેડાના કિસ્સામાં 21 લાખ રૂપિયા સુધીના વળતરનો નિયમ બનાવ્યો છે. નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાયદાકીય કાર્યવાહીઈશ્વરભાઈ હડોલ, લીલાભાઈ હડોલ અને તેજાભાઈ ભચડિયા સહિતના અગ્રણીઓએ ભેગા મળીને સતલાસણા, ટીંબા, હડોલ, સુદાસણા સહિતના પરગણાના ગામો માટે આ નિયમો લાગુ કર્યા છે.સમાજની સુખાકારી અને પ્રગતિ માટે લેવાયેલા આ નિર્ણયોનું ઉલ્લંઘન કરનાર સામે દંડ સહિતની કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. લગ્ન પ્રસંગ મરણ પ્રસંગ છુટાછેડા પ્રસંગ
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં ડૉક્ટરના બંધ ઘરમાં કરોડોની ચોરી થઈ હતી. કરોડોની ચોરી ચોરીનો ભેદ આખરે ઉકેલાયો છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન પરિવાર સાથે દુબઈ ગયેલા એક ડોક્ટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ એક કરોડથી વધુની ચોરી કરી હતી. ડૉક્ટરોના ઘરમાંથી કરોડો રૂપિયાની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જેથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 200 જેટલા CCTV ચેક કર્યા બાદ બે ઘરફોડ ચોરી કરનાર બેને ઝડપી પાડ્યા છે તેમજ ચોરી કરેલો તમામ મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘરફોડ ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતુંસેટેલાઇટ વિસ્તારમાં રહેતા ડૉક્ટર ઉત્તરાયણની રજા હોવાથી પરિવાર સાથે દુબઇ ફરવા માટે ગયા હતા. જે દરમિયાન માણેકબાગ સોસાયટીમાં રહેતા ડૉક્ટરના ઘરમાં 16 જાન્યુઆરીના રોજ ચોરીની મોટી ઘટના બની હતી. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ડોક્ટર પરિવાર સાથે દુબઇ ફરવા ગયા હતા, તે દરમિયાન આ ઘરફોડ ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરમાં ઘૂસીને અંદાજિત એકથી દોઢ કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન સેફ લોકર તોડી 203.5 તોલા સોનાના દાગીના, 45 લાખ રોકડ તેમજ ચાંદી અને ડાયમંડના કિંમતી દાગીનાની ચોરી કરી ભાગી ગયા હતા. ડોક્ટર દુબઈથી ઘરે પરત ફર્યા ત્યારે કુલ 1.47 કરોડની ઘરમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જેમાં માત્ર દાગીનાની કિંમત જ 1 કરોડથી વધુ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. DVRને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું જોકે, ફરિયાદ નોંધાયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે શાતિર તસ્કરોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ સામે આવ્યું કે, આરોપી કમલેશ ઉર્ફે ગુગો પરમાર અને મેહુલ પરમાર બંને બાળપણના મિત્રો છે અને રિક્ષા ચલાવે છે. જ્યારે કમલેશ પરમાર રીઢો ઘરફોડ ચોર છે. કમલેશ અને મેહુલ દારૂ પીવા મળ્યા ત્યારે ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. રિક્ષા લઈને માણેકબાગ ચોરી કરવા પહોંચ્યા હતા. ચોરી કર્યા બાદ પોતાની ઓળખ ન થાય તે માટે તસ્કરો ઘરમાં લાગેલું CCTVનું DVR પણ સાથે લઈ ગયા હતા. બાદમાં DVRને નદીમાં ફેંકી દીધું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ ચોરીના પૈસાથી 5 લાખની કારની બુકિંગ કરી હતીચોરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે 200 કરતા વધુ CCTV ફૂટેજ ચેક કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલેન્સ અને બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ચોરીના પૈસાથી 5 લાખની કારની બુકિંગ કરી હતી. આરોપી કમલેશ પરમાર સામે અગાઉ સેટેલાઇટ, સાબરમતી, પાલડી, વાડજ, નવરંગપુરા અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી કાર્યવાહી કરીને કરોડોની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે ચોરીમાં ગયેલા તમામ રોકડ, સોના-ચાંદી તથા ડાયમંડના દાગીના કબ્જે કરી લીધા છે. આરોપીઓએ અન્ય કેટલા ગુનાઓ આચાર્ય છે અને આ ઘરફોડ ગેંગમાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. બે આરોપીને ઝડપી 100 ટકા મુદ્દામાલ જપ્ત કબ્જે કરવામાં આવ્યોક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ.એલ.સાલુકેએ જણાવ્યું હતું કે, ફરિયાદીના લાકડાની બારીમાંથી તસ્કરોએ ઘરમાં ઘૂસી ચોરી કરી હતી. ફરિયાદના ઘરમાં 1.47 કરોડનું ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેથી અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમને સોંપવામાં આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે ગુનામાં સંડોવાયેલા બે આરોપીને ઝડપી 100 ટકા મુદ્દામાલ જપ્ત કબ્જે કરવામાં આવ્યો છે. કમલેશ ઉર્ફે ગુગો અને મેહુલ પરમારની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ.એ જણાવ્યું હતું કે, 45 લાખ રૂપિયા રોકડા, 1.01 કરોડના સોનાના દાગીના, 50 હજારનો ચાંદીનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. કમલેશ અગાઉ 10 જેટલા ઘરફોડ ચોરીમાં ગુનામાં પકડાઈ ચૂક્યો છે. મેહુલ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. આરોપીઓ બંને મિત્ર છે. અગાઉ કમલેશે આ જ સોસાયટીમાં ચોરી કરી હતી. જેથી, તે સોસાયટીથી સારી રીતે વાફેક હતો. આરોપીઓએ ચોરી કરી રોકડ રકમની બે ભાગમાં ડિવાઇડ કરી હતી તેમજ દાગીના બધા કમલેશે પોતાની પાસે જ રાખ્યા હતા. જેથી, આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ ઉપરથી માતા અને પુત્રનું એકતરફી પ્રેમમાં પાગલ શખસે કારમાં અપહરણ કરી લેતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ગણતરીની કલાકોમાં બંને માતા-પુત્રને ત્રંબા નજીકથી છોડાવી અપહરણ કરનાર ચાર શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં આરોપી પ્રેમી બાબુ ઉર્ફે કૃણાલ મીઠારની પ્રેમિકાના લગ્ન પરિવારજનો દ્વારા બીજે નક્કી કરી દેવામાં આવતા રોષે ભરાયેલ પ્રેમીએ પ્રેમિકાની માતા અને તેના ભાઈનું કારમાં અપહરણ કરી લઇ ગયો હતો. જેમાં તેને તેના મિત્રોએ પણ સાથ આપ્યો હતો. હાલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. માતા-પુત્રને મુક્ત કરાવી ચાર આરોપીને ઝડપી પાડ્યારાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અપહરણની ફરિયાદમાં પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ભાવનગર રોડ પર ત્રંબા નજીકથી આર્ટીગા કાર મળી આવી હતી. જોકે, તેમાં આરોપી કે માતા-પુત્ર મળી આવ્યા ન હતા. દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી કાર બદલાવી પરત રાજકોટ તરફ ભાગ્યાં છે ત્યારે ફરી પોલીસે તેનો પીછો કરતાં ભાવનગર રોડ પરથી આરોપીને આંતરી માતા-પુત્રને મુક્ત કરાવ્યાં હતા અને આરોપી બાબુ ઉર્ફે કૃણાલ માલા મિઠાર (ઉં.વ.29), ભરત જીવા કલોત્રા (ઉ.વ.30), અલ્પેશ ઠાકોર (ઉ.વ.20) અને જયદિપ લીંબાસીયા (ઉ.વ.24)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાબુ ઉર્ફે કુણાલને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતોસાધુ વાસવાણી રોડ પર રહેતાં 55 વર્ષીય પ્રૌઢે યુનિવર્સિટી પોલીસમાં બાબુ ઉર્ફે કૃણાલ અને તેના મિત્રો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેઓ ટીફીન લઈ કે.કે.વી હોલ પાસે આવેલ બ્લીંકીટના સ્ટોર ખાતે નોકરી પર જતા હતા ત્યારે અગાઉ પાડોશમાં રહેતો બાબુ ઉર્ફે કુણાલ જેને મારી દીકરી સાથે પ્રેમ સંબંધ હતો. મારી દીકરીના અમદાવાદ લગ્ન કરાવી દીધા હતા. જેથી કુણાલ તથા તેનો મિત્ર ભરત કુણાલની સફેદ કલરની આર્ટીગા ગાડી લઈ તેમની પાછળ આવતા હતા, જેમાં કુણાલ ગાડી ચલાવતો હતો જેથી તેઓ સાધુવાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાસે આવેલી મૈયાભાઈની ચાની હોટલે ઉભા રહી ગયા હતા. એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બેસાડી લઈ ગયાઆરોપીઓ ફોવ્હીલર લઈ સામેની બાજુ ઉભા હતા જેથી પ્રૌઢે પત્નીને ફોન કર્યો હતો કે આપણો જુનો પાડોશી કુણાલ તથા તેનો મિત્ર ભરત બંને તેની કાર લઈ મારી પાછળ પાછળ આવે છે. બાદમાં પત્ની મૈયાભાઈની હોટેલ ખાતે આવ્યા હતા અને પાછળથી દીકરો પણ ત્યાં આવ્યો હતો. થોડીવાર પછી આરોપીઓ કાર લઈને જતા રહ્યા હતાં જેથી પત્ની તથા દીકરાને ઘરે મોકલી દીધા હતા અને પોતે ત્યાથી બ્લીંકીટના સ્ટોર નોકરી પર જતા રહ્યા હતા. બાદમાં 9.15 વાગ્યે પત્નીને ફોન કર્યો હતો પરંતુ પત્નીએ ફોન ઉપાડ્યો ન હતો જેથી તે ઘરે પહોંચી દીકરીને પૂછતાં તેને જણાવ્યું કે, મમ્મી તથા ભાઈ બંને ઘરે આવ્યા નથી જેથી આસપાસમાં તપાસ કરી હતી. જનકપુરીના ક્વાર્ટરની બાજુમાં આવેલ મહાદેવના મંદિર પાસે જતા એક અજાણ્યા વ્યક્તિને પુછતા જાણવા મળ્યું કે એક એર્ટીગા કારમાં એક બહેન તથા છોકરાને બળજબરીથી બે વ્યકિતઓ ગાડીમા બેસાડીને લઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, આરોપી કુણાલને ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવા હોય અને દીકરીના લગ્ન કરાવવા ન હોય અને તેણીના લગ્ન અમદાવાદ ખાતે કરાવતા કુણાલએ ઉશ્કેરાઈ માતા પુત્રને બળજબરીથી ગાડીમા બેસાડી અપહરણ કરી નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે આરોપીઓ પાસેથી એક અર્ટિગા કાર અને એક ઓરા કાર કબ્જે કરી રિમાન્ડ મેળવવા તપાસ તજવીજ હાથ ધરી છે. આરોપી બાબુ ઉર્ફે કૃણાલ વિરુદ્ધ અગાઉ વર્ષ 2016માં પોક્સો સહીત કલમ હેઠળ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ગત 28 જાન્યુઆરીએ કડી નર્મદા કેનાલમાંથી 25 વર્ષીય એક યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ ગાંધીનગરના સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા બિલ્ડરના પુત્ર ઋષભ પટેલની હતી. ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી હતી. ગાંધીનગરના બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં હવે સટ્ટો અને ટોર્ચરિંગનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત સસરાના ઓળખીતા સાથે લાખોની લેતીદેતી પણ શંકાના ઘેરમાં આવી છે. આ તમામ પાસાઓને લઈને હવે બિલ્ડર પુત્રના આપઘાતનું રહસ્ય વધુ ઘેરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પુત્રના મોત મામલે પિતાએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 2 ફેબ્રુઆરી સુધીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવી ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતાગાંધીનગર કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા 25 વર્ષીય ઋષભ પટેલની આત્મહત્યા કેસમાં ઇન્ફોસિટી પોલીસ સ્ટેશને મૃતકના પિતા પ્રવિણભાઈએ ચાર શખસોના નામજોગ આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ મૃતક ઋષભના સસરાના ઓળખીતા છે. એક આરોપી પૂર્વ કોર્પોરેટરનો દીકરોપૈસાની લેવડ દેવડમાં બે ત્રણ મહિનાથી માનસિક અને શારીરિક હેરાનગતિ કરતા ઋષભે અંતિમ પગલું ભર્યું હતું. ચાર આરોપીઓમાંથી એક મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર પૂર્વ કોર્પોરેટર તારાબેન પટેલનો દીકરો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસે મહિપાલસિંહ નામના એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરી છે. પોલીસે મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરીઆ અંગે ગુનો દાખલ થતા જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર. ખેર સહિતની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોશ શરૂ કરી તાબુંલ પાન પાર્લરના સંચાલક મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મહિપાલસિંહની પ્રાથમિક પૂછપરછમાં ક્રિશાલ પટેલ અને ઋષભ બંને મિત્રો છે. ક્રિશાલને ઋષભ પાસે 4 લાખ લેવાના હતાજ્યારે મનિષ ઉર્ફે સ્પ્લેન્ડર અને કલ્પેશ ઉર્ફે તલાટી ક્રિશાલના મિત્રો છે. આ ચારેય એકબીજાને ઓળખતા હોવાથી પાર્લર ઉપર બેસવા જતા હતા. ક્રિશાલને ઋષભ પાસે સાડા ત્રણથી ચાર લાખ લેવાના હતા. એજ રીતે મનિષ અને કલ્પેશ પણ ઋષભ પાસે પૈસા માગતા હતા. જેના લીધે નાના ચિલોડા પાસેના અન્ય એક પાર્લર ખાતે ઋષભને માર મારવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીની શંકાબીજી તરફ સુસાઇડ નોટમાં પણ માનસિક ટોર્ચરના ચોક્કસ કારણનો ઉલ્લેખ નથી અને પરિવારજનો પણ કશું જાણતા નહીં હોવાનો દાવો કરી આ ચારેય શખસો 007થી ગેંગ ચલાવી રહ્યા હોવાનો દાવો કરી રહ્યા છે. જેના પગલે પોલીસે મહિપાલસિંહને સાથે રાખી ગુનાવાળી જગ્યા સહિતના સ્થળે લઈ જઈ તપાસ આગળ વધારી છે. તો પોલીસને સમગ્ર ઘટના સટ્ટા બેટિંગના પૈસાની લેતીદેતીમાં ઘટી હોવાની શંકા છે. પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશેકહેવાઈ રહ્યું છે કે, સટ્ટા બેટિંગના હારજીતના લાખો પૈસા એક ચોક્કસ આઇડીમાં જમા થયા હતા. જોકે, અન્ય ત્રણ આરોપીઓ પકડાયા પછી જ આપઘાતનું સાચુ કારણ બહાર આવી શકે છે. ઉપરાંત ઋષભની પત્ની હેલી મૂળ જૂનાગઢની હોવાથી અને આરોપીઓ પણ તેના પારિવારિક પરિચિત હોવાથી પોલીસ આગામી દિવસોમાં હેલીની પણ પૂછપરછ કરશે અને ઋષભના મોબાઈલની પણ વિગતો મેળવવામાં આવશે. શું છે સમગ્ર ઘટના?સુઘડ ખાતે અપોલો હોસ્પિટલ નજીક આવેલા શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવિણભાઈ પટેલના લગ્ન તા. 12 જાન્યુઆરીના રોજ થયા હતા. લગ્નના 13 દિવસ બાદ એટલે કે, 25 જાન્યુઆરીના રોજ તે સાઈટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પત્તો લાગ્યો નહોતો. આ દરમિયાન 26 જાન્યુઆરીના રોજ ઋષભની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના, મોબાઈલ અને રોકડ રકમની સાથે બે પેજની અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. 28 જાન્યુઆરીના રોજ ઋષભનો મૃતદેહ ઘરથી 39 કિમી દૂર કડી નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. લગ્નજીવનનના 13 જ દિવસમાં જુવાનજોધ યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ સમાચાર પણ વાંચો 'હેલી... મને તારા માણસોએ મરવા મજબૂર કર્યો, તેમને સજા અપાવજે'ગાંધીનગરના સુઘડ ખાતે રહેતા 25 વર્ષીય ઋષભ પટેલે લગ્નજીવનના 13 દિવસમાં જ નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની બિનવારસી મળી આવેલી કારની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાંથી બે પાનાંની સુસાઇડ નોટ મળી હતી, જેમાં તેણે પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખસના માનસિક ત્રાસથી કંટાળીને આ પગલું ભરી રહ્યો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. તો બીજી તરફ ઋષભે લખેલી સુસાઈડ નોટમાં પોતાની પત્નીને સંબોધીને લખ્યું છે કે હેલી બેટા (પત્ની)… ખુશ રહેજે, મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, તેમને સજા અપાવજે. (વાંચો સંપૂર્ણ સમાચાર) ઋષભ પટેલની લાશ કડીમાંથી મળી, સુસાઈડ નોટમાં 50 લાખની લેતીદેતીમાં માર માર્યોનો ઉલ્લેખગત 25 જાન્યુઆરીના રોજ રહસ્યમય રીતે ગુમ થયેલા 25 વર્ષીય યુવકની લાશ કડી પોલીસ મથકની હદમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે પટેલ પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઋષભ પટેલના 12 જાન્યુઆરીના રોજ લગ્ન થયા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર)
વડોદરા શહેરમાં દર વર્ષની ચાલુ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 1 ફેબ્રુઆરીના રોજ દોડવીરો આ ફુલ, હાફ અને ફન સહિત વિવિધ દોડમાં ભાગ લેવા માટે દેશ તથા વિદેશમાંથી આવવાના છે. આ ઉપરાંત સંસ્કારી વડોદરાના દોડવીરો પણ ભારે ઉત્સાહ ભારે આ દોડ લગાવવા છે. ત્યારે આ દોડને લઇને વાહનચાલકોને મુશ્કેલી ના પડે અને ટ્રાફિક પણ ના ખોરવાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિગ, નો એન્ટ્રી, વૈકલ્પિક રૂટ તથા પ્રતિબંધ રસ્તાના સાથેનુજાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. આ જાહેરનામું મેરેથોન પૂર્ણ ના થાય ત્યા સુધી અમલમાં રહેશે. વડોદરા શહેરના 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડનું આયોજન નવલખી ગ્રાઉન્ડ ખાતેથી રાખવામાં આવી છે. આ મેરેથોનમાં અલગ અલગ દોડ જેવી 42 કિમી (ફુલ મેરેથોન), 21 કિમી(હાફ મેરથોન),10 કિમી, 5 કિમી (ટાઇન રન) તથા 5 કિમી (ફનરન)માં ભાગ લેવા માટે દેશ વિદેશમાં દોડવીરો તેમજ વડોદરાના મોટી સખ્યામાં દોડવીરો ભાગ લેવાના છે. જેના અલગ અલગ રૂટ આપવામાં આવ્યાં છે. આંતરાષ્ટ્રીય મેરેથોન દરમિયાન લોકોને મુશ્કેલી ના પડે તેના માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા પ્રતિબંધિત રૂટ તથા વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તમામ મેરેથોન પુર્ણ નહી થાય ત્યાં સુધી જાહેરનામુ અમલમાં રહેશે. આ ઉપરાતનો નો પાર્કિંગ તથા નો એન્ટ્રી અને વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યાં છે.
US-Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને દેશો વચ્ચે ક્યારે યુદ્ધ શરૂ થશે તે સ્પષ્ટ નથી. એક તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાનને સતત ધમકીઓ આપી રહ્યા છે, અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની લશ્કરી તૈયારીઓને સક્રિય રીતે મજબૂત બનાવી રહ્યું છે. યુદ્ધ બે કલાક પણ નહીં ચાલે: ઈરાનના લશ્કરી પ્રવક્તા બીજી તરફ, ઈરાનના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરામિનિયાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, 'જો ઈરાન પર હુમલો કરવામાં આવશે, તો ઈરાન તરત જ બદલો લેશે.
સુરેન્દ્રનગરમાં ગાંધી નિર્વાણ દિવસે કાર્યક્રમ:કોંગ્રેસ સમિતિએ ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પી
સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલના પટાંગણમાં યોજાયો હતો.કોંગ્રેસના અગ્રણી આગેવાનો અને કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા. તેમણે બે મિનિટનું મૌન પાળી રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી હતી. 30 જાન્યુઆરી, 1948ના રોજ મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. તેમની યાદમાં આ દિવસને ભારતમાં 'બલિદાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સત્ય, અહિંસા અને શાંતિના તેમના સંદેશને યાદ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગરમાં પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું:સાધુ-સંતો અને અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા.
સુરેન્દ્રનગરના રામનગર ખાતે પોલીસ મિત્ર સંગઠનનું અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં સાધુ-સંતો તેમજ સંગઠનના પ્રદેશ, જિલ્લા અને સ્થાનિક કક્ષાના અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સુરેશ મહારાજ, પ્રદેશ સચિવ કિશોરજી બાપુ, જિલ્લા ઉપાધ્યક્ષ કુણાલભાઈ શાહ, જિલ્લા પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા, જિલ્લા ઉપાધ્યક્ષ ભલાભાઈ ઠાકોર, જિલ્લા કાર્યકારી અધ્યક્ષ અનિલભાઈ પરમાર અને જિલ્લા મહામંત્રી મહેબુબભાઈ કોટવાલનો સમાવેશ થાય છે.આ અધિવેશનનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું હતું.
સુરત જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ યુનિટ (DGGI) દ્વારા સુરતમાં એક વિશાળ બોગસ બિલિંગ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ કરેલી તપાસમાં અંદાજે 800 કરોડથી વધુના શંકાસ્પદ આર્થિક વ્યવહારો મળી આવ્યા છે. આ કૌભાંડમાં કોઈપણ ભૌતિક માલસામાનની હેરફેર કર્યા વગર માત્ર કાગળ પર બિલો બનાવીને નાણાકીય ટ્રાન્ઝેકશન બતાવવામાં આવ્યા હતા. વોટ્સએપ ડેટા અને ડિજિટલ પુરાવાઓનો પહાડઆ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે અધિકારીઓએ દરોડા દરમિયાન આરોપીઓના મોબાઇલ ફોન કબજે કર્યા. વોટ્સએપ ચેટિંગના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ બાદ કરોડોના વ્યવહારોના પુરાવા મળી આવ્યા હતા. ડિજિટલ ડેટાના આધારે જ એ સાબિત થયું કે કેવી રીતે વિવિધ ડમી પેઢીઓ વચ્ચે આંકડાઓની માયાજાળ રચીને સરકારની આંખમાં ધૂળ નાખવામાં આવતી હતી. 44 કરોડની ખોટી ITC દ્વારા સરકારી તિજોરીને નુકસાનતપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપીઓએ આ બોગસ બિલોના આધારે કુલ રૂ. 44 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી લીધી હતી. સરકારી ધારાધોરણો મુજબ ટેક્સ ક્રેડિટનો લાભ લેવા માટે વાસ્તવિક માલની લે-વેચ અનિવાર્ય છે, પરંતુ અહીં આરોપીઓએ માત્ર બિલના આધારે જ રોકડ વટાવવાનું અને ટેક્સ ચોરી કરવાનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું. સુરતના ત્રણ મુખ્ય સૂત્રધારોની ધરપકડઆ કેસમાં કડક કાર્યવાહી કરતા વાપી DGGI ની ટીમે સુરતના ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ન્યૂ સિટિલાઇટ વિસ્તારમાં રહેતી જ્યોતિ છોરારિયા, અડાજણ વિસ્તારના નિરલ ભરત શાહ અને બાબુલાલ શર્માનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ ભેગા કરવાની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. શંકાસ્પદ પેઢીઓ અને અમદાવાદ કનેક્શનઆ કૌભાંડના તાર અમદાવાદ સુધી જોડાયેલા છે. અગાઉ અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડામાં મળેલી લિંકને આધારે સુરતમાં તપાસ શરૂ કરાઈ હતી. જેમાં આર.ટી. એન્ટરપ્રાઇઝ, હરિની ઇન્ફોટેક, રેબિડ ઓટો અને જેમ્કો ટ્રેડર્સ જેવી અંદાજે 10થી વધુ પેઢીઓ આ કૌભાંડમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ પેઢીઓ દ્વારા જ ખોટા બિલો જનરેટ કરવામાં આવતા હતા. કાયદાકીય સકંજો અને મિલકત જપ્તીની તૈયારીનિષ્ણાતોના જણાવ્યા અનુસાર 5 કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં અધિકારીઓને ધરપકડની સીધી સત્તા છે. CGST એક્ટ હેઠળ આરોપીઓને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જો આરોપીઓ દ્વારા મેળવવામાં આવેલી 44 કરોડની ITC રિકવર નહીં થાય, તો આગામી દિવસોમાં તેમની મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. સત્તાધારી પક્ષ હવે જનતા વચ્ચે જતા પહેલા પોતાની આંતરિક નબળાઈઓ સુધારવા અને નગરસેવકોનો વિશ્વાસ જીતવા માટે એક્શન મોડમાં આવ્યો છે ત્યારે વોર્ડ દીઠ યોજાઈ રહેલી સંકલન સમિતિની બેઠકોમાં ખુદ શાસક પક્ષના જ અત્યાર સુધી મૌન ધારણ કરનારા નગરસેવકો પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સક્રિય થયા છે. મૌન ધારણ કરનારા નગરસેવકો હવે અચાનક સક્રિય થયાગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાના સૂત્રો ફરી હાંસલ કરવા માટે ભાજપે ઈલેક્શન મોડ ઓન કરી દીધું છે. વર્ષો સુધી મૌન ધારણ કરનારા નગરસેવકો હવે અચાનક સક્રિય થયા છે.છેલ્લા ચાર વર્ષથી ગાંધીનગરના નાગરિકો જે હાલાકી ભોગવી રહ્યા છે તેની વાચા હવે ખુદ ભાજપના જ નગરસેવકો દ્વારા સંકલન સમિતિની બેઠકોમાં આપવામાં આવી રહી છે. સંકલન બેઠકમાં વિકાસના કામોની પોકળતા છતી થઈ હતીઆજે પ્રથમ તબક્કામાં મેયર મીરાબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર-4 અને 5ની જે સંકલન બેઠક યોજાઈ.તેમાં વિકાસના કામોની પોકળતા છતી થઈ હતી. ગાંધીનગરને કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો થાય છે પરંતુ, જમીની હકીકત કંઈક અલગ જ છે. કોંગ્રેસમુક્ત બનેલી ગાંધીનગર મનપામાં ફરીથી એકચક્રી શાસન સ્થાપવા માટે ભાજપની નેતાગીરી હવે કાઉન્સિલરોનો વિશ્વાસ સંપાદિત કરવા મથી રહી છે. લીકેજના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છેઆ બેઠકમાં હાજર કાઉન્સિલરોએ પોતાની રજૂઆત કરી હતી કે, નવી નખાયેલી પાણીની પાઈપલાઈનોમાં અનેક સ્થળોએ ભયંકર લીકેજ છે. આ લીકેજના કારણે એકતરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને બીજી તરફ રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે લાખો - કરોડોના કોન્ટ્રાક્ટ આપીને જે કામ કરાવાયા છે.તેની ગુણવત્તા તપાસવાની જવાબદારી કોની છે? વિકાસના નામે જે રીતે રસ્તાઓનું ખોદકામ થાય છે તેનાથી પણ નગરસેવકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. એક તરફ તંત્ર ખાડા પૂરવાનો દાવો કરે છે અને બીજી જ બાજુ કોઈને કોઈ નવી કામગીરીના બહાને ફરીથી રસ્તા ખોદી નાખવામાં આવે છે. આ પ્રકારના આયોજન વગરના કામોને કારણે મતદારોમાં ભારે રોષ છે અને હવે જ્યારે ચૂંટણી માથે છે ત્યારે કાઉન્સિલરોને જનતાના પાયાના સવાલોના જવાબ આપવા અઘરા પડી રહ્યા છે. માત્ર રસ્તા જ નહીં પરંતુ રખડતા ઢોર અને કૂતરાઓના ત્રાસની સમસ્યા પણ ઠેરની ઠેર જ છે. નબળી કામગીરી માટે જવાબદાર કોણ છે?તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરતા એક કાઉન્સિલરે તો ત્યાં સુધી કહ્યું હતું કે, જે ઢોર પકડાય છે તેને કોણ છોડાવે છે તે અધિકારીઓ સારી રીતે જાણે છે. આ સંકલન બેઠકમાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસની હાજરીમાં અધિકારીઓને પણ આડે હાથ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધી કમિશનર કે અન્ય શાખાઓ સામે મૌન રહેતા શાસક પક્ષના નેતાઓએ હવે સીધો સવાલ પૂછ્યો હતો કે આ નબળી કામગીરી માટે જવાબદાર કોણ છે? જોકે અધિકારીઓએ ટેકનિકલ વિગતો આપીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કાઉન્સિલરોનો આક્રોશ ઓછો થયો નહોતો. અંતે મેયરે સાંત્વના આપતા જણાવ્યું હતું કે તમામ કામોમાં ગુણવત્તા જાળવવી અનિવાર્ય છે અને જનહિતના કામો સમયસર પૂર્ણ થાય તે માટે તંત્રને કડક સૂચના આપવામાં આવશે. જોકે ચૂંટણી પહેલાની આ કવાયત જનતાના પ્રશ્નો ઉકેલવા માટે છે કે માત્ર રાજકીય ડેમેજ કંટ્રોલ તે તો આવનારો સમય જ કહેશે.
બોટાદ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. આ ધમકી ઈ-મેઈલ મારફતે આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું હતું. ધમકીની જાણ થતાં જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, LCB, SOG અને ડોગ સ્ક્વોડનો મોટો કાફલો બોટાદના ખસ રોડ પર આવેલી કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો. પોલીસે કલેક્ટર કચેરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે ધમકી આપનાર ઈ-મેઈલની ટેક્નિકલ તપાસ શરૂ કરી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવા માટે સાયબર ટીમ પણ સક્રિય રીતે કાર્યરત છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં મકાનમાં આજે શુક્રવારે સાંજે ગેસ લીકેજના લીધે આગ ભડકી ઉઠી હતી. બાદમાં ફ્લેસ ફાયરના લીધે પ્રચંડ બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. જેમાં બે યુવાન દાઝી જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ બાદ બ્લાસ્ટના પગલે બે રૂમના બારી બારણા પણ તૂટી ગયા હતા અને દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટમળતી માહિતી પ્રમાણે, પાંડેસરા પોલીસ લાઈન પાસે ગણપતનગરમાં એક માળના મકાનમાં પહેલા માળે ચાર રૂમમાં સાત જેટલા વ્યક્તિઓ રહે છે. જેમાં રૂમ નંબર ચારમાં આજે શુક્રવારે સાંજે નાના ગેસના ચુલા ઉપર રસોઈ બનાવતા હતા. ત્યારે ગેસ લીકેજના લીધે આગ લાગવાની સાથે ફ્લેશ ફાયરના થવાના લીધે જોરદાર ધડાકા સાથે બ્લસ્ટ થયો હતો. બારી-બારણા તૂટ્યા તો દિવાલોમાં તિરાડો પડીબ્લાસ્ટના પગલે ઘરવખરી સહિતનો સામાન વેરવિખેર થઇ ગયો હતો. એટલુ નહી પણ તે રૂમના બારી-બારણા અને બાજુના રૂમના બારી બારણા સહિત વસ્તુ તુટી ગઇ હતી. આ સાથે દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ હતી. જોકે આગ અને ધડાકાના લીધે ત્યાંના હાજર સહિતના લોકો ભય ફેલાતા અપરા તફરી અને ભાગદોડ મચી થઇ જવા પામી હતી. બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાકોલ મળતા 3 ફાયર સ્ટેશના ફાયર લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે ધસીને કામગીરી કરી હતી. જોકે ધડાકાના લીધે રૂમમાં હાજર રાકેશ ગુલાબ બિંદ (ઉ-વ-30) અને બ્રિજલાલ, રામાશંકર બિંદ (ઉ-વ-30)ને દાઝી જવાથી ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે આગ અને બ્લાસ્ટ થવાન લીધે બે રૂમમાં ઘરવકરી, પંખા, બારી-બારણા સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતું.
ડાંગમાં મોડી રાત્રે કમોસમી વરસાદ:શિયાળુ પાક અને આંબાના મોરને નુકસાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ડાંગ જિલ્લામાં શિયાળાની ઋતુમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો છે. સાપુતારા સહિત ગોટીયામાળ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. અણધાર્યા વરસાદને કારણે શિયાળુ પાક અને આંબાના મોરને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હતું. ઠંડી વચ્ચે આવેલા આ વરસાદથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જોકે વરસાદની માત્રા ઓછી હતી, તેમ છતાં ખેડૂતો શિયાળુ પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ઘઉં, ચણા, તુવેર જેવા પાકો હાલ વૃદ્ધિ અવસ્થામાં હોવાથી ફૂગજન્ય રોગો ફેલાવવાની શક્યતા વધી છે. ખેડૂતોના મતે, જો આગામી દિવસોમાં ફરી વરસાદ પડશે તો પાકને વધુ નુકસાન થઈ શકે છે. ભેજવાળા વાતાવરણથી પાક પલળી જવાથી ઉત્પાદન ઘટવાની સંભાવના છે. ડાંગ જિલ્લાનો મુખ્ય પાક ગણાતો આંબાનો પાક પણ જોખમમાં મુકાયો છે. હાલ આંબાના ઝાડ પર મોર આવવાની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે કમોસમી વરસાદ અને ભેજને કારણે મોર ખરી પડવાની શક્યતા છે, જે કેરીના ઉત્પાદનને અસર કરી શકે છે. આંબા ઉગાડતા ખેડૂતો મોરને બચાવવા માટે વિવિધ સ્થાનિક ઉપાયો કરી રહ્યા છે. કેટલાક ખેડૂતો ધુમાડો કરીને ભેજ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય દવાઓના છંટકાવની તૈયારીમાં છે. ખેતી વિભાગે પણ ખેડૂતોને સાવચેત રહેવા અને પાકની નિયમિત દેખરેખ રાખવા સૂચના આપી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં આર્થિક નુકસાનની ચિંતા વધી છે. હવામાનની અનિશ્ચિતતા વચ્ચે આગામી દિવસોના વાતાવરણ પર સૌની નજર છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવામાન સ્થિર રહે અને ખેતીને વધુ નુકસાન ન થાય.
વર્ષ 2021માં ખોખરા પોલીસ મથક ખાતે 43 વર્ષે આરોપી જગદીશ ઠાકોર સામે IPC અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, 11 સાહેદ અને 24 પુરાવા ધ્યાને રાખીને જજ એ.બી.ભટ્ટે આરોપીને 10 વર્ષની સખત કેદ અને કુલ 42 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જ્યારે સગીરાને 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે. આરોપી સગીરાના ઘરે આવતો જતો હતોઆ કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ અને FSL પુરાવા રેકર્ડ પર લેવામાં આવ્યા હતા. વર્ષ 2019 માં આરોપી સગીરાના ઘરે આવતો જતો હતો. ત્યારે તેને ઘરમાં એકલી જોઈને દરવાજો બંધ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બદનામાં કરી દેવાની ધમકી આપી હતી. કેસમાં જણાવ્યા મુજબ તે અવારનવાર આવી રીતે સગીરાનુ શારીરિક શોષણ કરતો હતો. પરંતુ વર્ષ 2021 માં સગીરા સાથે શારીરિક અડપલા કરતા સગીરાના પિતા અને ભાઈ જોઈ ગયા હતા. આથી સગીરાએ સઘળી હકીકત પોતાના પરિજનોને જણાવી હતી. આરોપી પરિણીત અને બે સંતાનોનો પિતાજ્યારે આરોપી તરફથી બચાવ કરવામાં આવ્યો હતો કે એક નાના ઝઘડાને લઈને તેની ઉપર આવા પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખરેખરમાં સગીરા તેને પ્રેમ કરતી હતી. પરંતુ ભોગ બનનારની ઉંમર 17 વર્ષની છે. જ્યારે આરોપી પરિણીત અને બે સંતાનોનો પિતા છે. જો ભોગ બનનાર જો આરોપીને પ્રેમ કરતી હોય તો પણ કાયદા અનુસાર તે ગુનો છે. વળી આરોપીને માર મારવાની ક્રોસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં સગીરાના પરિજનોને પ્રોબેશનનો લાભ આપીને દંડ કરીને છોડી દેવામાં આવ્યા હતા.
શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા વરલી મટકાના નેટવર્ક પર પી.સી.બી. પોલીસે મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત 4 શખસોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ટોળકી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રૂબરૂ તેમજ ઓનલાઈન આંકડા મેળવી વરલી મટકાનો જુગાર ચલાવતી હતી. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ, 4 મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 60,180/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં પર્વત પાટીયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર શોધવા તપાસ તેજ કરી છે. મુંબઇથી જાહેર થતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતાસુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાડવાની એક ચોક્કસ પદ્ધતિ અમલમાં હતી. આરોપીઓ મુંબઈથી જાહેર થતા 'મિલન ટાઇમ ઓપન-બંધ' અને 'ટાઇમ ઓપન-બંધ' જેવા આંકડાઓ પર સટ્ટો લેતા હતા. આ નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે ગ્રાહકો માત્ર રૂબરૂ આવીને જ નહીં, પરંતુ મોબાઈલ ફોન દ્વારા પણ પોતાના આંકડાઓ લખાવતા હતા. જે આંકડો લાગે તેના પર અનેકગણું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને આ જુગારની જાળમાં ફસાવવામાં આવતા હતા. પોલીસ રેડ દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને કેલ્ક્યુલેટર મળી આવવું એ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરીપૂર્વક જુગારનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવતું હતું. કેવી રીતે ચાલતું હતું જુગારનું નેટવર્ક?આ જુગારધામ વિશ્વકર્મા સોસાયટીના ઘર નંબર 154 ના ઓટલા પરથી ચલાવવામાં આવતું હતું. PCBને મળેલી બાતમી મુજબ, આરોપીઓ ટેકનોલોજી અને પરંપરાગત ચિઠ્ઠી પદ્ધતિ એમ બંનેનો ઉપયોગ કરતા હતા. ગ્રાહકો જ્યારે ફોન પર આંકડો લખાવે ત્યારે તેના સ્ક્રિનશોર્ટ પાડીને પુરાવા તરીકે રાખવામાં આવતા હતા. મુખ્ય બુકીઓ જીતુ મુકેશ રાવલ અને હિતેષ હસમુખભાઇ રાવલ પડદા પાછળ રહીને આ આખું ઓપરેશન સંભાળતા હતા. તેઓ પર્વત પાટીયા વિસ્તારના હળપતીવાસમાંથી ઓપરેટ કરતા હોવાનું બહાર આવ્યું છે. આ નેટવર્કમાં મહિલા સભ્યની હાજરીથી રહેણાંક વિસ્તારમાં કોઈને શંકા ન જાય તે રીતે જુગાર રમાડવામાં આવતો હતો. મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડપોલીસે ઘટનાસ્થળેથી કુલ ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ભરતભાઇ શાંતીલાલ રાવલ (ઉ.વ. 55), વિલાસભાઇ રાઘોભાઇ ચૌધરી (ઉ.વ. 50), રાજેશભાઇ અશોકભાઇ પાટીલ (ઉ.વ. 40) અને સંગીતાબેન મહેશભાઇ નળગે (ઉ.વ. 46) નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારો જેવા કે પુણા અને ડિંડોલીના રહેવાસી છે. સંગીતાબેનની હાજરીને કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિને રહેણાંક મકાનનું કવર મળી રહેતું હતું. રૂ. 60 હજારથી વધુની મત્તા કબજેદરોડા દરમિયાન પી.સી.બી.એ આરોપીઓની અંગ ઝડતી અને અડ્ડા પરથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં કુલ રૂ. 20,080/- રોકડા, રૂ. 40,000/- ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન, આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ, બોલપેન અને ગણતરી માટેનું કેલ્ક્યુલેટર મળી આવ્યું છે. આમ, કુલ રૂ. 60,180/- નો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનમાંથી પોલીસને અનેક ગ્રાહકો અને મુખ્ય બુકીઓ સાથેના સંપર્કોની વિગતો મળી છે. વોન્ટેડ બુકીઓ અને અન્ય કનેક્શનપોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ માત્ર એજન્ટ તરીકે કામ કરતા હતા, જ્યારે આ આખા ખેલના મુખ્ય સૂત્રધાર (બુકીઓ) અન્ય કોઈ હતા. પોલીસે પર્વત પાટીયા વિસ્તારના હળપતીવાસમાં રહેતા જીતુ મુકેશ રાવલ અને હિતેષ હસમુખભાઇ રાવલને વોન્ટેડ જાહેર કર્યા છે. આ બંને બુકીઓ તમામ આંકડાઓનું કલેક્શન લેતા હતા અને મોટા પાયે નાણાકીય વ્યવહારો સંભાળતા હતા. આ ઉપરાંત, મોબાઈલ પર આંકડા લખાવનાર અજ્ઞાત ગ્રાહકોની પણ પોલીસ તપાસ કરી રહી છે.

25 C