SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ગજેરા બંધુ અને બગદાણાને ત્યાં 72 કલાકથી ITની તપાસ:જમીન લે-વેચમાં બેનામી વ્યવહારોની આશંકા, ધીરુ ગજેરાનું રેડ અંગે અજાણ હોવાનું રટણ અને સવાલ કરતાં ગાડી લઈને ભાગ્યા

સુરતના ગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપ અને બિલ્ડર લોબી સાથે સંકળાયેલા અનિલ બગદાણાના ત્યાં ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહી છે. વહેલી સવારથી જ આઈટી અધિકારીઓ ગજેરા બંધુઓની ઓફિસ અને નિવાસસ્થાને પહોંચી ગયા હતા. સતત 72 કલાકથી ચાલી રહેલી આ તપાસને પગલે શહેરના રિયલ એસ્ટેટ અને હીરા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. જમીન લે-વેચમાં બેનામી વ્યવહારો ખૂલવાની શક્યતા છે. રેડ અંગે અજાણ હોવાનું રટણ કરીને ધીરુ ગજેરા ગાડી લઈને ભાગ્યાજ્યારે વસંત ગજેરાના ભાઈ ધીરુ ગજેરાના નિવાસસ્થાને દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી ત્યારે ધીરુ ગજેરા મીડિયાના કેમેરાથી બચતા અને ભાગતા નજરે પડ્યા હતા; તેમણે આ રેડ અંગે પોતે સાવ અજાણ હોવાનું રટણ કર્યું હતું. વધુમાં, મીડિયાના પ્રશ્નોથી બચવા માટે બપોર પછી મળો તેમ કહી તેઓ ઉતાવળમાં પોતાની ગાડી હંકારી ત્યાંથી રવાના થઈ ગયા હતા, જેના કારણે સમગ્ર મામલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. જમીન લે-વેચમાં બેનામી વ્યવહારોની આશંકાઆઈટી વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જમીન ખરીદીમાં ઇન્કમટેક્સ બચાવવા માટે આ ગ્રુપ દ્વારા મોટા પાયે અન્યોના નામે વેપલો કરવામાં આવતો હતો. ખાસ કરીને જમીન ટોચ મર્યાદાના કાયદામાંથી બચવા માટે પહેલા જમીન બીજા વ્યક્તિઓના નામે ખરીદવામાં આવતી અને ત્યારબાદ ચોક્કસ ગોઠવણ કરીને તે પોતાના નામે કરી લેવામાં આવતી હતી. આ દિશામાં અત્યારે દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. કંપનીએ કરેલા નાણાકીય વ્યવહારો તપાસના ઘેરામાંતપાસ દરમિયાન સામે આવ્યું છે કે, ગજેરા પરિવારના સભ્યો અનેક કંપનીઓમાં ડાયરેક્ટર પદે બિરાજમાન છે. જેમાં વસંત ગજેરા 32 કંપનીમાં, ચુની ગજેરા 41 કંપનીમાં, વૃષાલ 23 અને જતીન ગજેરા 8 કંપનીઓમાં ડિરેક્ટર છે. આ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો હવે તપાસના ઘેરામાં છે. વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ કર્યુંઆ ઉપરાંત, વસંત ગજેરાએ તેમના વેવાઈના જમીન પ્રોજેક્ટ્સમાં પણ મોટા પાયે રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. મોટા પાયે રોકડ અને દસ્તાવેજો જપ્તબીજા અને ત્રીજા દિવસની તપાસમાં આઈટી વિભાગે શેરબજારમાં કરેલા જંગી રોકાણો, સોના-ચાંદીની જ્વેલરી અને રોકડ રકમ કબજે કરી છે. ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા એન્ડ કંપનીને દસ દિવસ પહેલા જ ટેક્સ ચોરી અંગે નોટિસ ફટકારી હતી, તેમ છતાં સંતોષકારક જવાબ ન મળતા આ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટની તૈયારીહાલમાં જપ્ત કરાયેલા વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓના મતે, આગામી દિવસોમાં સુરતના ઇતિહાસનો સૌથી મોટો કાળા નાણાનો ખેલ બહાર આવી શકે છે. હજુ પણ કેટલાય લોકરો ખોલવાના બાકી હોવાથી આ આંકડો કરોડોમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. 1.30 કરોડથી વધુની બિનહિસાબી રોકડ આ તપાસ દરમિયાન અંદાજે 1.30 કરોડથી વધુની બિનહિસાબી રોકડ મળી આવી હોવાના અહેવાલ છે, સાથે જ મોટા પાયે બે નંબરી આર્થિક વ્યવહારોના દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને દેશ છોડીને ભાગી ગયેલા મેહુલ ચોકસીના હજારો કરોડ રૂપિયાના રોકાણનું પગેરું શોધવા માટે આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગ દ્વારા આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ઝવેરાત અને મિલકતો સંબંધિત વ્યવહારોનું ઊંડાણપૂર્વક વેરિફિકેશન ચાલી રહ્યું છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની શરૂઆત વર્ષ 1968માં થઈ લક્ષ્મી ડાયમંડ ગ્રુપની શરૂઆત વર્ષ 1968માં થઈ હતી, જ્યારે પરિવારના સૌથી મોટા ભાઈ વસંતભાઈ ગજેરા અમરેલીથી સુરત સ્થળાંતરિત થયા હતા. વ્યવસાયે ખેડૂત એવા તેમના પિતાએ આ વ્યવસાય શરૂ કરવા માટે 10,000ની મૂડી આપી હતી. વસંતભાઈએ તેમના અન્ય બે ભાઈઓ, ધીરુભાઈ અને ગિરધરભાઈ સાથે મળીને સુરતના એક ભાડાના મકાનમાં માત્ર ત્રણ ડાયમંડ પોલિશિંગ ઘંટીઓથી કામકાજ શરૂ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 1972માં વિધિવત રીતે 'લક્ષ્મી ડાયમંડ' સંસ્થાની સ્થાપના કરવામાં આવી. છેલ્લા 50 વર્ષોમાં આ કંપની ત્રણ ભાઈઓની ભાગીદારીમાંથી એક નાનું એકમ અને તેમાંથી વૈશ્વિક હીરા ઉદ્યોગના મોટા ગ્રુપ તરીકે વિકસી છે. ધીરુ ગજેરાની કોર્પોરેટરથી ધારાસભ્ય સુધીની સફર ધીરુ ગજેરાનો જન્મ 14 ઓક્ટોબર, 1953ના રોજ અમરેલીના મોહપર ગામમાં થયો હતો. તેમના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર છે. તેમના પિતા હરિભાઈ ગજેરા પીઢ રાજકારણી દ્વારકાદાસ પટેલના ટેકેદાર હતા અને નાનપણથી જ રાજકીય પ્રવૃત્તિઓના સાક્ષી બનવાને લીધે આ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ ધીરુભાઈ 1987માં સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તથા ત્યાર પછી 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2007માં ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા ને 2021માં ઘરવાપસી કરી લક્ષ્મી ડાયમંડના વસંત ગજેરા, ધીરુ ગજેરા અને ચુની ગજેરા પાટીદાર સમાજમાં ખૂબ મોટું નામ ધરાવે છે, જેમાં રાજકીય રીતે ધીરુ ગજેરા હંમેશાં સક્રિય રહ્યા છે. ધીરુભાઇ ગજેરા મૂળ જનસંઘથી જોડાયેલા હતા. વર્ષ 1995થી વર્ષ 2007 સુધી ભાજપ સાથે જોડાયેલા રહ્યા અને ધારાસભ્ય પણ બન્યા હતા. ત્યાર બાદ 2007માં ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2017માં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં તેમની હાર થઇ હતી. ત્યાર બાદ 2021માં ફરી તેઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાંથી 4 વખત ધારાસભાની ચૂંટણી હાર્યા કોંગ્રેસમાંથી સતત તેઓ ચાર વખત પરાજિત થયા છે. ધીરૂ ગજેરા રાજકીય મંચ ઉપરથી ભાષણ આપીને લોકોની તાળીઓ તો ખૂબ મેળવતા હોય છે પરંતુ મત મેળવવામાં નિષ્ફળ જાય છે. તેમનું વ્યક્તિગત કદ પણ હવે રાજકીય રીતે ઓછું થયું છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:56 am

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ:‘બોલ માડી અંબે’ના નાદ સાથે પાલખી યાત્રા, વનમંત્રીએ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા

ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે ગઈકાલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે આજથી 1 ફેબ્રુઆરી સુધી ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે. વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે. 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે.આ શેષનાગ ગુફા ગબ્બર કાળ ભૈરવ મંદિર હસ્તક આવેલી છે. ગબ્બર પહાડ પર ઉતરવાના રસ્તા પર આવેલી આ ગુફામાં મહાદેવ અને મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. ગુફાનો આકાર શેષનાગ જેવો હોવાથી તે શેષનાગ ગુફા તરીકે ઓળખાય છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:27 am

મૌસમે મિજાજ બદલ્યો:ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, 2.5 ડીગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું

ભાવનગરમાં ભરશિયાળે મોસમનો માહોલ બદલાયો છે છેલ્લા બે દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તાર સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે, આજે 2.5 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, ભાવનગર શહેર જિલ્લામાં વાતાવરણ ડોહળાયું હતું અને આકાશમાં વાદળો જોવા મળ્યા હતા,આકાશમાં ધુમ્મસનું પ્રમાણ વધુ રહેવા સાથે ભેજના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ બદલાયેલા માહોલને પગલે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે કારણ કે, માવઠું થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના પ્રબળ બને છે, પરંતુ જો આ જ માહોલ વધુ સમય સુધી અકબંધ રહેશે તો કેરી સહિત બાગાયત ખેતને પણ નુકસાન કરી શકે છે. છેલ્લા પાંચ દિવસ નો તાપમાન નો પારો તા.26 જાન્યુઆરી ને સોમવારના રોજ મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 36 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.27 જાન્યુઆરી ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 48 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.28 જાન્યુઆરી ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 27 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.29 જાન્યુઆરી ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.30 જાન્યુઆરી ને શુક્રવારના રોજ લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 80 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:24 am

ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી:રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઊંચકાયો; બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે

રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 48 કલાકમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હાલ અનુભવાતી ઠંડીમાં આંશિક રાહત મળશે. જો કે, આ રાહત લાંબા સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. પરિણામે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું જોર વધશે. જોકે શીતલહેર જેવી ગંભીર સ્થિતિ સર્જાવાની શક્યતા નથી. માછીમારોને દરીયો ન ખેડવા સૂચનાઆ પછી ફરી તાપમાનમાં થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને ઠંડી બંને ઋતુઓનો મિશ્ર અનુભવ થવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપ વધવાની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:23 am

જાહેરમાં છરી વડે હુમલો:ફતેવાડીમાં રોડ પર એક શખસે છરી કાઢતા ફફડાટ, વીડિયો વાઇરલ થતાં કાયદો-વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થયા છે. જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં જાહેરમાં એક શખસ છરી વડે એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં પોલીસને પડકાર ફેંકતો હોય તેમ એક શખસ હાથમાં છરી લઈને ટ્રાફિકની વચ્ચે અન્ય વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે. છરી લઈને આતંક મચાવતા અસામાજિક તત્વોના કારણે આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. જો કે વાઇરલ વીડિયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જાહેર રોડ પર છરી લઈ હુમલોજુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેવાડીના સવેરા હોટલ પાસે મોડી સાંજના સમયે જાહેરમાં એક શખસ પોતાના એક હાથમાં છરી લઈને અન્ય વ્યક્તિને મારી રહ્યો હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઇરલ વીડિયોમાં ખુલ્લા રોડ પર આ શખસનો એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો તે ઝઘડામા આ શખસ હાથમાં છરી લઈને સામેવાળી વ્યક્તિ પર હુમલો કરતો દેખાય છે. જોકે આ વીડિયો વાઇરલ થતાં અને પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. વેજલપુર પોલીસે વાઇરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે. ગુંડાઓને પોલીસનો કોઈ ડર નથીઅગાઉ પણ જુહાપુરામાં જાહેરમાં છરી વડે મારામારી અને બે જૂથ વચ્ચેની મારામારીનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારે ફરી એક વખત આ પ્રકારનો જાહેરમાં હથિયાર વડે મારામારી કરતો વીડિયો વાઇરલ થતા કાયદો -વ્યવસ્થાને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો ડર ના હોય તેમ બેફામ બનીને હથિયાર લઈને લોકોમાં ભય ફેલાઈ રહ્યા છે. વીડિયોના આધારે તપાસ કરી રહ્યા છીએ: PIવેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ ચૌહાણે જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોમાં દેખાતા શખસની ઓળખ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:12 am

ઈન્સ્ટા પર વાંધાજનક વીડિયો અપલોડ કરનાર સામે કાર્યવાહી:જાગૃત નાગરિકે પોલીસને X પર ટેગ કર્યુ; ધાર્મિક શાંતિ ડહોળાય તેવા શબ્દનો ઉપયોગ હોવાથી સન્ની શાહ સામે ફરિયાદ

સાબરમતી પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયામાં વાંધાજનક વીડિયો અપલોડ કરવામાં આવતા સન્ની ગિરીશભાઈ શાહ સામે પોલીસે ફરિયાદ નોંધી છે. સન્ની ગિરિશભાઈ શાહ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વાંધાજનક અને ઉશ્કેરણીજનક વીડિયો અપલોડ કર્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર narsinhma_2730 નામના એકાઉન્ટ પરથી વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં સામાજિક સમરસતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચાડે તેવો હોવાથી સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક વ્યક્તિએ ઈન્સ્ટા પરનો વીડિયો પોલીસને X પર ટેગ કર્યોસાબરમતી પોલીસ સ્ટેશનમાં સાયબર સ્કોડમાં હાજર લોકો સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યા હતા. ત્યારે 29 જાન્યુઆરીના બપોરે 1 વાગ્યે એક વીડિયો અપલોડ થયો હોવાનું અને તે વાંધાજનક હોવાનું સામે આવ્યું હતું. જેનો સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક વ્યક્તિ તે વીડિયો અપલોડ કરીને અમદાવાદ પોલીસને ટેગ કરીને વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મૂકાયેલા વીડિયોમાં વ્યક્તિ એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવી ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ કરતો હોવાનું જણાયું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા તેની અસર સામાજિક શાંતિ પર પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે વીડિયોની તપાસ કરતા સન્ની શાહનું નામ બહાર આવ્યુંઆ વીડિયોમાં કરવામાં આવેલા નિવેદનો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે તેવા હોવાની અમદાવાદ પોલીસને ટેગ કરીને ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પોલીસે તપાસ કરતા વાંધાજનક શબ્દો સાથે અપલોડ થયેલો વીડિયો narsinhma_2730 નામની ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી અપલોડ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા વીડિયો બનાવી અપલોડ કરનાર સન્ની ગિરીશભાઈ શાહ હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગુનો દાખલ કર્યોજેથી વાંધાજનક વીડિયોના કારણે સામાજિક સમરસતાનું વાતાવરણ ડહોળાઈ અને લોકો ઉશ્કેરાય તેવા પ્રયત્નો કરાયા હોવાનું અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને નુકસાન થાય અને શાંતિનો ભંગ થાય તેવી શક્યતા હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. જેથી પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જણવાઈ રહે તે માટે ઈન્સ્ટાગ્રામ આઇડી narsinhma_2730 પરથી વીડિયો અપલોડ કરનાર સન્ની ગિરીશભાઈ શાહ સામે સાબરમતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 11:10 am

સચાણા ગામે નવા સીસી રોડનું નિર્માણ થશે:ધારાસભ્ય રાઘવજી પટેલના હસ્તે ખાતમુહૂર્ત, ગ્રામજનોએ ધારાસભ્યનું સન્માન કર્યું

જામનગર તાલુકાના સચાણા ગામે ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સચાણા ગામના સરપંચ કાદરભાઈ કક્લ અને તેમના સદસ્યઓ પણ હાજર રહ્યા હતા. આ રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોએ ધારાસભ્ય રાઘવજી પટેલનું સન્માન કર્યું હતું અને ગામમાં વિકાસ કાર્યો કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:58 am

સમૂહલગ્નની પ્રથામાં ક્રાંતિકારી બદલાવ:મહેસાણાના સુથાર સમાજે શરૂ કરી 'દૈનિક લગ્ન યોજના', મુર્હત વરઘડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે

આજના મોંઘવારીના યુગમાં લગ્ન પ્રસંગોમાં થતા લાખો રૂપિયાના બિનજરૂરી ખર્ચાઓ અટકાવવા અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ભારણમાંથી મુક્ત કરવા માટે મહેસાણાના પાટણવાડા ગજ્જર સુથાર સમાજે એક પ્રેરણાદાયી પહેલ કરી છે. સમાજ દ્વારા પરંપરાગત સમૂહ લગ્નને બદલે હવે ‘દૈનિક લગ્ન યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વર-કન્યા પક્ષ વર્ષના કોઈપણ દિવસે પોતાના મનગમતા મુહૂર્તમાં લગ્ન કરી શકશે. દાતા પાસેથી મળતા 31 હજારથી લગ્નનો ખર્ચ સામાન્ય રીતે સમૂહ લગ્નો વર્ષમાં એક જ વાર યોજાતા હોય છે, જેના કારણે પરિવારોએ લાંબો સમય રાહ જોવી પડતી હોય છે. વળી એક જ દિવસે અનેક લગ્નો હોવાથી ભીડભાડ અને વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાના ઉકેલ રૂપે સમાજના પ્રમુખ દિનેશ સુથાર અને કારોબારી સભ્યો દ્વારા આ નવતર પ્રયોગ શરૂ કરાયો છે. આ યોજના હેઠળ દાતા પાસેથી માત્ર 31 હજાર રૂપિયા જેવી નજીવી રકમ લઈને સમાજ લગ્નનો તમામ ખર્ચ અને વ્યવસ્થા સંભાળે છે. વિદેશમાં રહેતા યુવક-યુવતીઓ માટે આશીર્વાદરૂપઃ કારોબારી સભ્યસમાજના કારોબારી સભ્ય જશવંત સુથારના જણાવ્યા મુજબ, આ યોજના ખાસ કરીને વિદેશમાં ભણતા કે રહેતા યુવક-યુવતીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. વિદેશથી આવતા યુવાનો પાસે વેકેશનનો સમય મર્યાદિત હોય છે. ત્યારે તેઓ સમૂહ લગ્નની ચોક્કસ તારીખની રાહ જોયા વિના પોતાના અનુકૂળ સમયે લગ્ન કરી શકશે. આ પદ્ધતિથી લગ્ન કરવા છતાં પરિવારને પોતાના અંગત પ્રાઈવેટ પ્રસંગ જેવો જ અનુભવ અને માન-સન્માન મળે છે. 6 યુગલો પાછળ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચઆ યોજનાની આર્થિક સફળતા વિશે વાત કરીએ તો ગત વર્ષે સમૂહ લગ્નમાં 6 યુગલો પાછળ અંદાજે 20 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે આ નવીન દૈનિક યોજનામાં તેટલા જ લગ્ન માત્ર 2 લાખ રૂપિયાના નજીવા ખર્ચમાં સંપન્ન થઈ શકે છે. આમ સમાજની મોટી બચત સાથે પરિવારો પરનો આર્થિક બોજ પણ ઘટ્યો છે. વરઘડિયાને લગ્ન માટે બાર માસની રાહ જોવી પડતી હતીઃ પ્રમુખપાટણ ગજ્જર વાળા સમાજ મહેસાણાના પ્રમુખ દિનેશ સુથારે જણાવ્યું કે, આ દૈનિક લગ્ન યોજના છે. પહેલા સમૂહ લગ્ન યોજના કરતા હતા, એમાં એકજ તારીખે બધા વરઘડિયાના લગ્ન કરવાના, જેથી બધા વરઘડિયાને રાહ જોવી પડતી હતી. દૈનિક લગ્ન યોજનામાં મુર્હત વરઘડિયાનું અને લગ્ન સમાજ કરી આપશે. એટલે જે રાહ જોવી પડતી હતી હવે એ રાહ જોવી પડશે નહિ. સમૂહ લગ્નમાં ખર્ચા બહુ થતા હતા અને તકલીફો ઘણી પડતી હતી. વરઘડિયાને લગ્ન માટે બાર માસની રાહ જોવી પડતી હતી. આ દૈનિક સમૂહલગ્નમાં તમામ ખર્ચ સમાજ ભોગવે છે. ગઈ સાલ આજણા પરિવાર દ્વારા સમૂહલગ્ન કરવામાં આવ્યા હતા. એમાં છ વરઘડિયાના લગ્ન માટે વીસ લાખથી વધુ ખર્ચ થયો હતો. એમાંથી પ્રેરણા લઈ ખર્ચ ઘટાડવા માટે દૈનિક સમૂહલગ્ન યોજના ચાલુ કરી છે. આ સમૂહલગ્ન યોજના દાતાઓ પાસેથી 31 હજાર રૂપિયા લેવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન થતા હોય તેવો જ અહેસાસ થાય છેઃ કન્યાના પિતાતાજેતરમાં જ આ યોજનાનો લાભ લેનાર કન્યાના પિતા જયેશ સુથારે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં ભીડભાડ વગર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે. ઘરઆંગણે લગ્ન થતા હોય તેવો જ અહેસાસ થાય છે અને સમાજનો સહકાર પણ પ્રશંસનીય રહે છે. અત્યાર સુધીમાં 4 યુગલો આ યોજના હેઠળ લગ્નગ્રંથિથી જોડાઈ ચૂક્યા છે. પાટણવાડા ગજ્જર સુથાર સમાજની આ અનોખી પહેલ આજે અન્ય સમાજો માટે પણ અનુકરણીય ઉદાહરણ બની છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:58 am

કોળી સમાજની ન્યાય સભાનું બેનર ફાડવા મામલે FIR:આવારાતત્વોએ આવીને માફી ન માગતા અમારે ના છૂટકે ફરિયાદ કરવી પડી: કિશન મેર

ભાવનગર શહેરમાં 29 જાન્યુઆરીની મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પર, સરીતા સોસાયટીના નાકા પાસે નવનીત બાલધિયા માટેની ન્યાય સભાના બેનર ફાડવાની ઘટના સામે આવી હતી. જેમાં અજાણ્યા બે શખસે બેનર ફાડ્યું હતું, જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ગતમોડી રાત્રિના આ મામલે અજાણ્યા શખસો વિરુદ્ધ બોરતળાવ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કોળી સમાજ દ્વારા બેનરો લગાવાયા હતાંઆ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખ કાળુભાઈ જાંબુચા ફરિયાદ નોંધાવી છે કે, બગદાણા ગામના નવનીત બાલધિયાની સાથે મારામારીનો બનાવ બન્યો છે, જે બાબતમાં કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજનો આભાર માનવા માટે ન્યાય સભાનુ આયોજન કુંભારવાડા અક્ષર પાર્ક ખાતે મેદાનમાં કરવામાં આવ્યું હતું. આ સભાના આયોજન બાબતે પ્રચાર અને પ્રસાર હેતુથી અલગ-અલગ જગ્યાએ કોળી સમાજના સ્વયં સેવકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીમને સોશિયલ મીડિયામાં વીડિયો આવ્યો કે, 29 જાન્યુઆરીના રોજ મોડીરાતે ભાવનગર-રાજકોટ રોડ પરના સરીતા સોસાયટીનું નાકુ, સિંહણદીપ કોમ્પેક્ષ પાસે જે પોસ્ટર લગાવવામાં આવ્યું હતું તે પોસ્ટર એક બાઈક પર અજાણ્યા શખસોએ આવી કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે દુશ્મનાવટ અને ધીક્કારની લાગણી અનુભવે તેમજ કોળી સમાજની લાગણીઓને નુકશાન પહોંચાડવાના હેતુથી દ્વેશ પૂર્ણ ઇરાદાથી ન્યાય સભાના પોસ્ટર ફાડી નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જાહેર સુલેહ શાંતીનો ભંગ થાય તેવુ કૃત્ય કર્યું હોવાથી તે અંગે ફરિયાદ નોંધાવું છું. કાળુભાઈ જબૂચની ફરિયાદના આધારે બોરતળાવ પોલિસે અજણાયા ઈસમો વિરુદ્ધ BNS 196(1)(B), 270, 324(1), 54 કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શખસો માફી ન માગતા અમારી ના છુટકે ફરિયાદ કરવી પડીઆ અંગે કોળી સમાજના આગેવાન કિશન મેરે જણાવ્યું હતું કે, અમારા સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા જે કોળી સમાજની ન્યાય સભા થવા જઈ રહી છે, તે અનુસંધાને જે બેનરો લાગ્યા હતા, તે બેનરો કોઈ અજાણ્યા સમાજ દ્વારા આવારા તત્વો દ્વારા ફાડી નાખવામાં આવ્યા છે. ત્યારે અમારી લાગણી હતી કે, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરે. આ અજાણીયા શખસો આવીને માફી માંગી લે. કોળી સમાજ જતુ કરવાની ભાવના વાળો સમાજ છે. અમારે કોઈ સાથે ભેદભાવ કે વિખવાદ છે નહીં, જેથી કરીને પોલીસ તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ આજ સુધીમાં આવારા તત્વો આવીને માફી માગી નથી અને જેના કારણે અમારે ફરિયાદ ના છૂટકે નોંધવાની જરૂરિયાત પડી છે. જે અમારા સમાજના આગેવાન કાળુભાઈ જાંબુચા દ્વારા ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:41 am

અડાલજ પાસે હિટ એન્ડ રન, એકનું મોત:અમદાવાદથી ગાંધીનગર આવતા બાઇક સવાર બે મિત્રને અજાણ્યા વાહને ટક્કર મારી

અમદાવાદ-ગાંધીનગર એસ.જી. હાઇવે પર અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને બાઇકને જોરદાર ટક્કર મારતા એક 28 વર્ષીય યુવકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાહનચાલક અકસ્માત સર્જી ફરારઅમદાવાદના ઘાટલોડિયામાં રહેતા લક્ષ્મણજી ઠાકોરનો 22 વર્ષીય પુત્ર સાહિલ અને તેનો મિત્ર ચંદ્રકાન્ત રમણલાલ યાદવ 28 જાન્યુઆરીની મોડીરાતે બાઈક પર થઈને અમદાવાદથી ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે અદાણી શાંતિગ્રામ બ્રિજ ઉતરતા સમયે કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને યુવકો રોડ પર ફંગોળાયા હતા, જ્યારે અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બેભાન યુવકે સારવારમાં દમ તોડ્યોઆ અકસ્માત બાદ બંને મિત્રોને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સાહિલને માથાના ભાગે ગંભીર ઇજા અને જમણા પગે ફ્રેક્ચર થતા તેને બેભાન હાલતમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે. જોકે 28 વર્ષીય ચંદ્રકાન્ત યાદવની હાલત વધુ નાજુક હોવાથી તેને અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન 29 જાન્યુઆરીની રાત્રે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અડાલજ પોલીસે તપાસ શરૂ કરીઆ અંગે અડાલજ પોલીસે લક્ષ્મણજી ઠાકોરની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના સીસીટીવી ચેક કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:23 am

રાયખડ શ્રીકાશી વિશ્વનાથ મંદિરમાં માતા પાર્વતીના ચાંદીના મુકુટની ચોરી:ભક્તના વેશમાં આલેવી મહિલાએ હાથ સાફ કર્યો, CCTVના આધારે તપાસ શરૂ

રાયખડ વિસ્તારમાં આવેલા એક પ્રાચીન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. રાયખડ ચાર રસ્તા BRTS પાસે આવેલા શ્રીકાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાંથી પાર્વતી માતાજીના ચાંદીના મુકુટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. મંદિરના પૂજારીએ સાફ-સફાઈ કરતા સમયે કાચનો દરવાજો ખોલ્યો ત્યારે ચાંદીનો મુકુટ ગાયબ હતો, જેથી મંદિરના ટ્રસ્ટીને જાણ કરતા તેમને CCTV ચેક કરતા ભક્તના વેશમાં આવેલી અજાણી સ્ત્રી કાચનો દરવાજો ખોલીને મુકુટ ચોરી ગઈ હોવાનું કેદ થયું હતું, જેથી મંદિરના ટ્રસ્ટીએ CCTV ફૂટેજના આધારે અજાણી સ્ત્રી સામે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પૂજારીના જાણ થતાં ટ્રસ્ટીના જાણ કરી15 ડિસેમ્બર,2025ના સાંજે પૂજારી મંદિરમાં સાફ સફાઈ કરી રહ્યા હતા. સાફ સફાઈ દરમિયાન મંદિરની ડાબી બાજુ પર આવેલા પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખુલ્લી હોવાનું સામે આવ્યું હતું. જેથી મંદિરના પૂજારીએ અંદર જઈને ચેક કરતા માતાજીના માથા પર મૂકેલ ચાંદીનો મુકુટ જોવા મળ્યો નહોતો. પૂજારીએ મંદિરના આસપાસના ભાગમાં પણ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પણ ચાંદીનો મુકુટ મળી આવ્યો નહીં. ચાંદીનો મુકુટ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવતા પૂજારીએ ટ્રસ્ટીને જાણ કરી હતી, જેથી મંદિરના ટ્રસ્ટી પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મંદિરમાં અંદર અને બહાર લાગેલા CCTV કેમેરા ચેક કર્યા હતા. DVR બંધ હોવાથી ચાંદીનો મુકુટ કોણ ચોરી ગયું તે જોઈ શકાયું નથી, જેથી તાત્કાલિક DVR રિપેરિંગ કરાવી હતી અને તે બાદ મંદિરમાં લાગેલા CCTV ચેક કરવામાં આવ્યા હતા. CCTVમાં એક મહિલા ચોરી કરતી જોવા મળીમંદિરમાં લાગેલા CCTV ચેક કરતા 12 ડિસેમ્બરના દિવસે 11.30 વાગ્યે એક અજાણી સ્ત્રી મંદિરમાં દર્શન કરવા માટે આવી હતી. ગુલાબી કલરની સાડી પહેરીને ભક્તનો વેશ ધારણ કરીને આવેલી સ્ત્રીએ પાર્વતી માતાજીના સ્થાનકનો કાચનો દરવાજો ખોલ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કાચનો દરવાજો ખોલી સ્ત્રીએ માતાજીના માથાના પર મૂકેલ ચાંદીનો મુકુટ ચોરી કરી ફરાર થઈ જતી હોવાનું CCTV કેમેરામાં કેદ થયું હતું. જે બાદ ટ્રસ્ટીએ સ્ત્રી કોણ હતી તેની પૂછપરછ કરતા કોઈ વિગતો મળી આવી નહોંતી, જેથી CCTV ના આધારે 30 હજારના માતાજીના મુકુટની અજાણી સ્ત્રી ચોરી કરી હોવાની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે અજાણીની સ્ત્રીની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:19 am

વેરાવળના લુંભા ગામમાં સિંહોની 'શાહી મિજબાની':મોડીરાત્રે 4 સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું; શિવમંદિરના પ્રાંગણમાં ગાયનું મારણ કર્યું, ગ્રામજનોમાં ફફડાટ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનું લુંભા ગામ અત્યારે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. ગત (29 જાન્યુઆરી) મોડી રાત્રે ચાર સિંહનું ટોળું ગામની ગલીઓમાં ઘૂસી આવ્યું હતું અને ગામની મધ્યમાં આવેલા પવિત્ર શિવ મંદિરના પ્રાંગણમાં જ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાને પગલે વન્યપ્રાણી અને માનવ સંઘર્ષની ભીતિ સેવાઈ રહી છે. ગામની ગલીઓમાં સાવજોની ડણકમધ્યરાત્રિના સમયે જ્યારે આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું, ત્યારે ચાર સિંહનો પરિવાર ખોરાકની શોધમાં રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો. સિંહો કોઈ પણ ડર વગર ગામની મુખ્ય ગલીઓમાં આંટાફેરા કરતા રહ્યા હતા. આ દરમિયાન શિવ મંદિર પાસે બાંધેલી એક ગાય પર સિંહોએ તરાપ મારી હતી અને મંદિરના પ્રાંગણમાં જ તેનું મારણ કરી લાંબો સમય સુધી મિજબાની માણી હતી. કેમેરામાં કેદ થઈ ‘શાહી મિજબાની’ગામની ગલીઓમાં સિંહોના ખુલ્લેઆમ આંટાફેરા અને મંદિરના ચોકમાં મારણના દૃશ્યો કેટલાક સ્થાનિકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા જ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. ગામની શાંત ગલીઓમાં સિંહોની આ પ્રકારે હાજરીથી લોકોમાં ભારે દહેશત જોવા મળી રહી છે. માનવજીવન પર મંડરાતો ખતરોલુંભા ગામ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી સિંહ અને દીપડાના આંટાફેરા વધ્યા છે. પશુપાલકો, બાળકો અને વૃદ્ધો માટે હવે રાત્રે તો ઠીક પણ વહેલી સવારે ઘરની બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. અવારનવાર થતા મારણથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. વન વિભાગ પાસે પેટ્રોલિંગની માગઘટનાને પગલે લુંભા ગામના લોકોમાં ભારે રોષ અને ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ માંગણી કરી છે કે: હાલ તો લુંભા ગામના લોકો રાત્રિ પડતા જ ઘરોમાં કેદ થઈ જાય છે અને વન વિભાગ ક્યારે જાગશે તેની રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 10:19 am

3 વીઘામાં ફેલાયેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનોમાં આગ:એકલેરા ચોકડી પાસે 5 કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયા, 6 કલાકથી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ

સુરત શહેરના છેવાડે આવેલા એકલેરા ચોકડી પાસે ગઈકાલે(29 જાન્યુઆરી) મોડી રાત્રે આગની એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંદાજે 3 વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા વેસ્ટેજ કાપડ (ચીંદી)ના ગોડાઉનોમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. છેલ્લા છ કલાકથી ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે. 5 કિમી દૂરથી ધુમાડાના ગોટેગોટા દેખાયાસબ ફાયર ઓફિસર દીપક બારોટે જણાવ્યું હતું કે, સુરતના ડીંડોલી અને ભેસ્તાન વચ્ચે એકલેરા ચોકડી નજીક આવેલા વેસ્ટેજ કાપડના ગોડાઉનમાં આગની ઘટના મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમો એક્શનમાં આવી હતી. ભેસ્તાન, ડિંડોલી અને સચિન જીઆઈડીસી સહિતના સ્ટેશનો પરથી 5થી વધુ ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અંદાજે 50 ટકા જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતાછેલ્લા 6 કલાકથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે અંદાજે 50 ટકા જેટલા કાપડના જથ્થાને બચાવી લેવામાં સફળતા મળી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠાર્યા બાદ તપાસ હાથ ધરવામાં આવશે. ગેરકાયદેસર ગોડાઉનો પર ઉઠ્યા સવાલોનોંધનીય છે કે આ ગોડાઉનો 3 વીઘા જમીનમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ પાંડેસરા અને સચિન જીઆઈડીસી જેવા વિસ્તારોમાં આ જ પ્રકારે ગેરકાયદેસર ચીંદીના ગોડાઉનોમાં આગની ઘટનાઓ બની ચૂકી છે, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:52 am

જુગારના અડ્ડા પર રેડ, 21 લોકોની ધરપકડ:ગોડાદરા પોલીસે વેપારી, રિક્ષાચાલક, હીરા મજૂર અને સંચા કામદારોને પત્તા રમતા રંગે હાથ ઝડપ્યા

ગોડાદરા પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 21 લોકોની ધરપકડ કરી છે. રેડ દરમિયાન ત્યાં હાજર રહેલા 21 શખસ નાસભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા. આ જુગારધામમાં મજૂરી કરનારાથી લઈને વેપારીઓ અને ડ્રાઇવિંગ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા શખસો પણ સામેલ હતા. પોલીસે ઘટનાસ્થળેથી લાખોની રોકડ અને વાહનો સહિત કુલ 7.74 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જપ્ત કરવામાં આવેલી મત્તાપોલીસે આ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અંગઝડતીમાં 1,29,850 અને દાવ ઉપરથી 29,350 મળી કુલ 1,59,200ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત, ગુનામાં વપરાયેલા 19 મોબાઈલ ફોન (કિંમત 1,95,000) અને 6 વાહનો (કિંમત 4,20,000) પણ જપ્ત કરવામાં આવ્યા છે. આમ, કુલ 7,74,200ની મત્તા સાથે પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ અને તેમનો વ્યવસાય ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખસો મજૂરી અથવા નાના વ્યવસાયો સાથે સંકળાયેલા છે. આરોપી નંબર 1 અનિલ દિનકર સાઠે છે, જે પાણીના બોર બનાવવાનો ધંધો કરે છે. આરોપી નં.2 મહેન્દ્ર પ્રહલાદ્ભાઇ પાટીલ અને આરોપી નંબર 18 જયવંત બેન્દ્રે હાલમાં કોઈ વ્યવસાય કરતા નથી અને બેકાર છે. આરોપી નંબર 3 વિજય પટેલ સંચા ખાતામાં કામ કરે છે, જ્યારે આરોપી નંબર 4 ઇશ્વર પ્રજાપતિ, આરોપી નંબર 5 નીતિન પાટીલ અને આરોપી નંબર 17 કંગરૂભાઇ મુદુલી વેપારના ધંધા સાથે જોડાયેલા છે. પરિવહન ક્ષેત્રે જોડાયેલા આરોપીઓઆરોપી નંબર 6 હિરાલાલ પાટીલ અને આરોપી નંબર 14 બાબુલાલ ખટીક રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. જ્યારે આરોપી નંબર 15 હેમંત ઉર્ફે શૈલેષ રાજપૂત ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. નોકરી કરતા શખસોમાં આરોપી નંબર 7 અનિલ કોળી, આરોપી નંબર 8 મનોજ મારવાડી, આરોપી નંબર 11 શેખ મોહમદ અઝરૂદીન અને આરોપી નંબર 20 રફીક પટેલનો સમાવેશ થાય છે. નાના ધંધા સાથે જોવાયેલા આરોપીઆ ઉપરાંત, આરોપી નંબર 9 જીવન લોનારી મજુરી કામ કરે છે અને આરોપી નંબર 10 પ્રવિણ પાટીલ સંચા મશીનમાં કામદાર તરીકે જોડાયેલા છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા આરોપી નંબર 12 હિતેષ ધરમ હીરા મજૂરી કરે છે. ખાણી-પીણી અને છૂટક વેચાણ સાથે જોડાયેલા શખ્સોમાં આરોપી નંબર 13 રઝાઉદ્દીન શેખ ઈંડાની લારી ચલાવે છે અને આરોપી નંબર 21 વિશાલ સપકાડે શાકભાજીની લારી ચલાવે છે. જ્યારે આરોપી નંબર 19 મોહસીન પઠાણ લાઇટીંગના કામ સાથે જોડાયેલો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:49 am

આજે સાંજે 12 વિસ્તારમાં પાણી નહીં આવે:કોટ વિસ્તારમાં આવતીકાલે પણ સવારે પાણી કાપ, બોડકદેવમાં લાઈન તૂટી જતાં પાણીનો વેડફાટ

કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કસ બંધ કરવાનું છે, જેના કારણે મધ્ય ઝોન વિસ્તારમાં પાણી આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં સાંજે અને આવતીકાલે (31 જાન્યુઆરી) સવારે પાણી નહીં આવે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે. બીજી તરફ શહેરના બોડકદેવ વિસ્તારમાં સાંઈબાબા મંદિર રોડ પર પાણીની પાઇપલાઇન તૂટી જતા વહેલી સવારથી હજારો લિટર પાણી રોડ ઉપર વહી ગયું છે. સવારથી લાઈન તૂટી હોવા છતાં પણ તંત્રના અધિકારીઓએ પાણીની લાઈન બંધ ન કરતા પાણી રોડ પર વેડફાયું છે. અધિકારીને ધ્યાને ન આવતા હજારો લીટર પાણી વેડફાયુંઆજે 30 જાન્યુઆરીના રોજ સવારે પાણી આપવાની શરૂઆત થતાની સાથે જ બોડકદેવ વિસ્તારમાં મોકા રેસ્ટોરન્ટ પાસે સાઈબાબા મંદિર રોડ ઉપર પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી, જેમાંથી પાણી ઉછળીને બહાર આવ્યું હતું. પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ ઉપર વહેવા લાગ્યું હતું, રોડ આખો ખરાબ થઈ ગયો હતો. બીજી તરફ આજુબાજુમાં આવેલા ફલેટો અને સોસાયટીઓમાં પણ પાણી ઓછું આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ બાબતે જાણ ન હોવાના કારણે પાણી પણ બંધ કરાયું નહીં અને ત્યાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો હતો. સવારે અધિકારીઓ વોર્ડમાં રાઉન્ડ લેતા હોય છે, ત્યારે સવારથી પાણી બહાર જતું હોવા છતાં પણ તેમના ધ્યાને આવ્યું ન હતું. મધ્ય ઝોન સાંજનું પાણી સપ્લાય બંધ રહેશે બીજી તરફ શહેરના દૂધેશ્વર વોટર વર્કસ-1માં નવા બનાવવમાં આવેલા 20 MLD અન્ડરગ્રાઉન્ડ સમ્પની 700મી.મી. વ્યાસની ફીડર લાઈનું 1600 મી.મી. વ્યાસ કોતરપુર મેઈન ટ્રંક લાઈનમાં જોડાણ કરવાની અને નવા બનાવાયેલા 20 MLD પંપહાઉસમાંથી નીકળતી 640પી મી.મી. વ્યાસની મેઈન હેડર લાઈનનું બુસ્ટર પંપ નં. 3 પાસે આવેલી હયાત 1200 મી.મી. વ્યાસની પાઈપલાઈ સાથે જેડાણ કરવાની કામગીરી તેમજ નવી પૂરી થયેલી કોતરપુર 20 MI.D ટાંકીનું હયાત ભૂગર્ભ ટાંકી સાથે ઈન્ટર કનેક્શનની કામગીરી કરવાની છે. આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈનલાઇનમાં શટડાઉન કરવાની થતી હોવાથી મધ્ય ઝોનના તમામ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં સાંજનો પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 9:12 am

અમિત ખૂંટ આત્મહત્યા કેસ: મુખ્ય આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર:8 મહિનાથી ફરાર રહીમ મકરાણીને કોર્ટે પોલીસ કસ્ટડીમાં સોંપ્યો

રિબડાના બહુચર્ચિત અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં આખરે કાયદાનો સકંજો મજબૂત બન્યો છે. છેલ્લા આઠ મહિનાથી પોલીસની નજરોથી બચતા ફરતા અને કોર્ટ દ્વારા 'ફરાર' જાહેર કરાયેલા મુખ્ય આરોપી રહીમ અબ્દુલભાઈ મકરાણીની ધરપકડ બાદ કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લખનીય છે કે, પોલીસ તપાસમાં મિસ્ટર X નામના વ્યક્તિ સાથે મળી બંને મહિલાએ અમિત ખૂંટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પકડાયેલા રહીમ મકરાણીને જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. પરમાર દ્વારા ગત 29 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસના ઊંડા મૂળ સુધી પહોંચવા, આત્મહત્યા પાછળના ચોક્કસ કારણો અને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની તપાસ માટે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી 31 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાંઅદાલતમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રહીમ મકરાણી 31 જાન્યુઆરીના રોજ બપોરે 4 વાગ્યા સુધી પોલીસની પૂછપરછ હેઠળ રહેશે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપી પાસેથી આત્મહત્યા માટે ઉશ્કેરણી કરનારા પુરાવાઓ એકત્રિત કરવા પ્રયાસ કરશે. શું હતી સમગ્ર ઘટના?3 મે 2025ના રોજ રાજકોટમાં મોડેલિંગક્ષેત્રે કાર્યરત સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મેના રોજ અમિત ખૂંટે ગોંડલના રીબડામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસમાં રાજદિપસિંહ જાડેજા અને તેના પિતા અનિરુદ્ધસિંહ તથા અન્ય બે આરોપીઓ સામે અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રિબડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ કેસમાં રહીમ મકરાણી મુખ્ય આરોપી તરીકે સામે આવ્યો હતો, પરંતુ તે ધરપકડથી બચવા છેલ્લા 8 મહિનાથી નાસતો ફરતો હતો. ગતરોજ 29 જાન્યુઆરીએ રાજકોટ ગ્રામ્ય પોલીસની ખાસ ઝુંબેશ અંતર્ગત જૂનાગઢમાંથી તેને દબોચી લેવામાં સફળતા મળી હતી. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 108 અને 61(2) હેઠળ ગુનો નોંધાયેલો છે. તપાસના મુખ્ય મુદ્દાઓ: પોલીસ આ રિમાન્ડ દરમિયાન આરોપીના નિવેદનો અને ટેકનિકલ પુરાવાઓને આધારે કેસની કડીઓ જોડશે. આ પણ વાંચો, રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં મિસ્ટર Xની ભૂમિકા:યુવતી-સગીરા સાથે મળી હનીટ્રેપનું ષડ્યંત્ર ઘડ્યું X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યુંવધુ જણાવતા કહ્યું હતું કે, પોલીસની પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક સગીરા અને અન્ય મહિલાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં બંનેએ કાવતરું રચ્યું હોવાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે. 2મે પૂર્વે 10 દિવસ અગાઉ બંને મહિલાઓ X નામના વ્યક્તિને મળી હતી. મિસ્ટર Xએ એક વ્યક્તિને ફસાવવા પૂજાને સારી લાઇફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપી હતી. સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકિલો તમારી સાથે રહેશે અને મીડિયા આ કેસમાં પ્રેશર કરશે એટલે ઝડપથી ફરિયાદ પણ દાખલ થશે. કહીને X નામના વ્યક્તિએ મહિલાઓ સાથે મળી કાવતરું રચ્યું હતું. આ ષડયંત્રમાં મિસ્ટર X 1 વર્ષથી પૂજા રાજગોરના સંપર્કમાં હતો અને તેની આ કેસમાં મહત્ત્વની ભૂમિકા છે. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી મિસ્ટર X વાત કરતોસગીરાએ ફરિયાદ નોંધાવ્યાના 10 દિવસ પહેલા સગીરાએ અમિત ખૂંટની ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ લાઇક કરી હતી. તે બાદ બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને વચ્ચે ચેટ શરૂ થઈ હતી. સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું આઇડિ અને પાસવર્ડ મેળવી મિસ્ટર X પોતે સગીરા બનીને વાત કરતો હતો. ચેટમાં વાત કરવાની હોય ત્યારે મિસ્ટર X વાત કરતો હતો જ્યારે ફોન પર વાત કરવાની હોય ત્યારે સગીરા અમિત ખૂંટ સાથે વાત કરતી હતી. પોલીસ તપાસમાં મિસ્ટર X મળ્યા બાદ અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા મામલે વધુ માહિતી સામે આવશે. આ પણ વાંચો, અમિત ખૂંટ સાથે રહીમ મકરાણી સગીરાના સો.મીડિયાથી વાત કરતો, ખોટી ફરિયાદ કરવા યુવતીઓને આઇફોન અને રૂપિયાની લાલચ અપાતી બે યુવતી અને રાજદીપ સહિત 4 સામે થઈ હતી ફરિયાદકેટલાક આરોપીઓ સામે ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ છે. એક આરોપી સગીરા છે. ઉપરાંત અન્ય આરોપી રહીમ મકરાણી અને અતા ઉલા ભાગેડું છે. ફરિયાદ મૂળ 04 આરોપી સામે કરવામાં આવી હતી. જેમાં અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને બે યુવતીનો સમાવેશ થાય છે. 05 આરોપી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં એક સગીર આરોપી છે. આ પણ વાંચો: પહેલાં સો. મીડિયા પર મિત્રતા પછી મળવા બોલાવી, હેરિયર કારમાં જ્યુસ પીવડાવી બળજબરી કરી રહીમ મકરાણી મારફતે સગીરાનો ઉપયોગ કરી અમિત ખૂંટને ફસાવવા કાવતરું કરવામાં આવ્યું હતું. રહીમ મકરાણી સગીરાના સોશિયલ મીડિયાના ID, પાસવર્ડ મેળવી અમિત ખૂંટ સાથે વાતચીત કરીને તેને ફસાવ્યો હતો. આરોપી રહીમ મકરાણી અને વકીલો દિનેશ પાતર તેમજ સંજય પંડિતે મૃતક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવવા મહત્વનો ભાગ ભજવ્યો હતો. મૃતક પાસેથી સુસાઇડ નોટ તરીકે 04 ચિઠ્ઠી મળી હતી. આ પણ વાંચો: સુસાઇડનોટ લખી દુષ્કર્મના આરોપીએ ફાંસો ખાધો, મને મરવા મજબૂર કરવામાં અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ, રાજદીપ ત્રાસ આપતો' પૂજાએ સગીરાને અમિત ખૂંટ સામે પોલીસ ફરિયાદ કરવા સમજાવી હતીપૂજાએ સગીરાને અમિત ખૂંટ સામે પોલીસ ફરિયાદ કરવા સમજાવી હતી. રહીમ અને પૂજા વચ્ચે ફોન થયેલા અને પૂજા તેમજ વકીલ દિનેશ પાતર અને સંજય પંડિત વચ્ચે પણ ફોન થયેલા. રહીમે અમિત ખૂંટને ફસાવવા યુવતીઓનો સંપર્ક કર્યો અને અતા ઉલાએ એડવોકેટનો સંપર્ક કર્યો. રહીમ મકરાણીએ છોકરીને અમિત ખૂંટને ફસાવવા પ્લાન કહ્યો કે તેને ફસાવી શરીર સંબંધ બાંધીને કેસ કરવાનો તો આઈફોન અને બીજા ખર્ચાઓ મળશે. પહેલી છોકરીએ ના પાડી તો બીજી સગીર છોકરીને હાથો બનાવાઈ, કારણ કે સગીર છોકરી આ કામનું પરિણામ સમજી શકે નહીં આ પણ વાંચો: 'મને વડોદરાથી જયરાજસિંહના 3 માણસ બ્લેક સ્કોર્પિયોમાં ગોંડલ લાવ્યા', પીડિતાના મુખે અમિત સાથે દોસ્તીથી દુષ્કર્મ ને રાજરમત સુધી 'અમિત ખૂંટ પાણીના વોંકળામાં ઝાડ ઉપર લટકતો હતો'આ મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અનિરુદ્ધસિંહ મહીપતસિંહ, રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ સામે આપઘાતની દુષ્પ્રેરણા અને ષંડ્યંત્રની ફરિયાદ નોંધાઈ હતી. મૃતક અમિત ખૂંટના ભાઈ મનીષભાઈ દામજીભાઇ ખૂંટે ફરિયાદમાં જણાવ્યું હતું કે સવારે 6.30 વાગ્યાની આસપાસ હું મારા ઘરે હતો ત્યારે અમારા ગામના અશોકભાઇ કાનજીભાઇ ખૂંટનો મને ફોન આવ્યો હતો અને તેમણે મને કહ્યું હતું કે તમે તાત્કાલિક લોધિકા રોડ ઉપર આવેલા સોબનવાડીએ આવો. જેથી હું તરત જ વાડીએ ગયો તો ત્યાં અશોકભાઈ વાડીએ હતા અને મારો નાનો ભાઈ રાજેશ ઉર્ફે અમિત ખૂંટ પાણીના વોંકળામાં ઝાડ ઉપર દોરડા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો. આ પછી મેં મારા કાકા અનિલભાઇ તથા ઉમેશભાઈને ફોન કરી બનાવ અંગે જાણ કરી હતી અને તાત્કાલિક વાડીએ બોલાવ્યા હતા. આ પણ વાંચો: CP ઓફિસ, હોટલ સહિતના CCTV ફૂટેજ પણ માગ્યા, અમિત ખૂંટ આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં વળાંક અમિતના ખિસ્સામાંથી ચાર પેજની સુસાઇડ નોટ મળીથોડીવારમાં ગામના લોકો તથા બીજા લોકો પણ આવી ગયા હતા અને પોલીસને જાણ કરતાં તે પણ આવી હતી, જેની હાજરીમાં અમિતના મૃતદેહને ઝાડ ઉપરથી નીચે ઉતાર્યો હતો. તપાસ કરતાં અમિતના ખિસ્સામાથી ચાર ચિઠ્ઠી મળી હતી, જેમાં ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે અનિરુદ્ધસિંહ મહીપતસિંહ તથા રાજદીપસિંહ અનિરુદ્ધસિંહે જમીનો પડાવી લીધેલી હોવાથી એનો વિખવાદ થતાં જે બાબતે તેમણે અમિત ઉપર હુમલો કર્યો હોઈ, જે અંગે અમિતે પોલીસ કેસ કર્યો હતો.આ પણ વાંચો: 'તમારાં સરનામાં હું વીખી ન નાખું તો જયરાજસિંહ નહીં' આ પણ વાંચો: દુષ્કર્મ, ગળાફાંસો ને રીબડા જૂથ કનેક્શન, જાણો અમિત ખૂંટ કેસનો ઘટનાક્રમ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:45 am

તાપીમાં 39 કર્મચારી પર બેરોજગારીની તલવાર,:20 વર્ષની સેવા બાદ 1 ફેબ્રુઆરીથી ફરજમુક્ત થવા આદેશ

​તાપી જિલ્લા અને તાલુકા પંચાયતમાં બે દાયકાથી ઈ-ગ્રામ અને 15મા નાણાપંચ જેવી મહત્વની યોજનાઓ સંભાળતા 39 કર્મચારીઓનું ભાવિ અત્યારે અંધકારમય બન્યું છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી, ગાંધીનગરના આદેશ મુજબ આગામી 1 ફેબ્રુઆરીથી આ ટેકનિકલ અને વહીવટી સ્ટાફને છૂટા કરવાની તજવીજ હાથ ધરાતા ભારે રોષ ફાટી નીકળ્યો છે. વ્યથિત કર્મચારીઓએ ભેગા મળી રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમનો મુખ્ય આક્ષેપ છે કે, સરકાર સાથેનો આઉટસોસિંગ કરાર હજુ એક વર્ષ બાકી છે, તેમ છતાં પૂર્વ નોટિસ વગર 9 ઈ-પંચાયત સ્ટાફ, 13 TLE અને 17 PMU કર્મચારીઓને છૂટા કરવા તે અન્યાયી છે. નોંધનીય છે કે ગત જુલાઈ માસમાં જ DDOએ આ સ્ટાફની કામગીરી અનિવાર્ય હોવાની ભલામણ કરી હતી, છતાં ગાંધીનગરથી છૂટા કરવાનો આદેશ છૂટ્યો છે. પરિવારના અસ્તિત્વ સામે જોખમ2004થી કાર્યરત આ કર્મચારીઓ હવે મધ્યમ વયે પહોંચ્યા છે. આ ઉંમરે નવી નોકરી મેળવવી અશક્ય હોવાથી તેમના બાળકોના શિક્ષણ અને પરિવારના ગુજરાન સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું થયું છે. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી સરકાર માનવીય અભિગમ અપનાવે અને આ પ્રક્રિયા સ્થગિત કરે તેવી માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:23 am

NH-48 પર અકસ્માત, 2ના મોત:વડોદરામાં કરજણ-ધાવટ ચોકડી પરના બ્રિજ પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ, 10 ઈજાગ્રસ્ત

વડોદરા નેશનલ હાઇવે 48 પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કરજણ ધાવટ ચોકડી પરના બ્રિજ પર અકસ્માત થયો છે. ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી જય ખોડિયાર ટ્રાવેલ્સ બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બસમાં સવાર 25થી વધુ લોકોનું કરજણ ફાયર વિભાગે દોઢ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું હતું. બસમાં 10 જેટલા ઇજાગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ગોજારા અકસ્માતમાં બે લોકોના મોત થયાની વિગતો છે. આ મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:22 am

આસ્થાની યાત્રાનો પ્રારંભ:તાપી મૈયા પરિક્રમા પદયાત્રા ઉકાઈ પહોંચી, 64 દિવસ અને 1800 કિમી પ્રવાસ ખેડશે

શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન ‘માં તાપી સંપૂર્ણ પરિક્રમા પદયાત્રા’ આજે નિર્ધારિત રૂટ મુજબ ઉકાઈ ખાતે આવી પહોંચતા સ્થાનિકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓએ ઉકાઈના સુપ્રસિદ્ધ હરિ હરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યાં તેમના માટે ભોજન અને વિશ્રામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પદયાત્રા મધ્યપ્રદેશના મુલ્તાઈ (તાપી ઉદ્ગમ સ્થાન) થી શરૂ થઈ સુરત (સમુદ્ર સંગમ) અને ત્યાંથી પુનઃ મુલ્તાઈ સુધીનો આશરે 1800 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. 64 દિવસ સુધી ચાલનારી આ આસ્થાની યાત્રામાં કુલ 128 પડાવ નક્કી કરવામાં આવ્યા છે, જે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યોમાંથી પસાર થાય છે. હરિ હરેશ્વર મંદિરે પદયાત્રીઓનો આદરસત્કારલાંબા અંતરની પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ માટે હરિ હરેશ્વર મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભક્તિમય માહોલમાં પદયાત્રીઓએ સાથે મળીને પ્રસાદી ગ્રહણ કરી વિરામ લીધો હતો. સ્થાનિક રહીશોએ પુષ્પવર્ષા અને જય તાપી મૈયાના નાદ સાથે યાત્રીઓને આવકારી સેવાભક્તિનો પરિચય આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:20 am

વિકાસના કામોનું ખાતમુહૂર્ત:વઘઇ અને આહવા તાલુકાના છેવાડાના ગામોને મળશે પાકા રસ્તા

વઘઇ તાલુકાના બોરીગાંવઠા ગામે ગુરૂવારના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ આહવા તાલુકાના ભીસ્યા ગામે મેઇન રોડ બોરખેતથી ભીસ્યા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા તમામ નવિન રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ડાંગ જિલ્લામાં પણ મહત્વના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રસ્તાઓની કામગીરી પૂર્ણ થવાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂત તેમજ રોજગાર માટે આવનજાવન કરતાં નાગરિકોને મોટી રાહત મળશે. આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઇ ગાવિત સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:15 am

ગંભીર અકસ્માત સર્જાયો:મટવાડ કટ પાસે લકઝરીએ બ્રેક‎મારતા પાછળ ડમ્પર અથડાયું‎

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતો ને.હા.નં. 48 પર મટવાડ પાટિયા પાસે રાત્રે લક્ઝરી બસ ચાલક એક કારને બચાવવા જતા પાછળથી આવતા બેકાબુ ડમ્પર ચાલકે લક્ઝરીમાં અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલ લકઝરી બસ રાત્રિના 1.30 વાગે મટવાડ ગામની સીમમાંથી પસાર થઇ રહી હતી. એ સમયે મુંબઇ તરફથી એક કાર ચાલકે મટવાડ કટ પાસે આવતી લકઝરી બસને નજર અંદાજ કરી યુ ટર્ન મારતા લક્ઝરી ચાલકે કારને બચાવવા બ્રેક મારી હતી. બરાબર આજ સમયે પાછળથી ઝડપથી આવતા ડમ્પર (નં. જીજે-5-સીયુ- 5740)ના ચાલકે લકઝરીમાં પાછળના ભાગે અથડાવી સીધી હાઇવેની બાજુમાં આવેલ ચાની લારી ઉપર ફરી વળી મટવાડ ગામના એન્ટ્રી ગેટમાં અથડાઈ હતી. ડમ્પરનો ચાલક કેબિનમાં જ ફસાયો હતો. જેને લોકોએ ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢ્યો હતો. જોકે તેને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હતી પરંતુ ડમ્પર અને ચાની લારીનો ખુરદો બોલી ગયો હતો. કહેવાય છે કે કાર ચાલક એક્ષ.હાઇવે પર ખારેલ આગળ યોગ્ય દિશા સૂચક બોર્ડના અભાવે મટવાડ સુધી આવી ગયો હતો પછી ખ્યાલ આવતા અહીંથી યુટર્ન મારતા આ અકસ્માત સર્જાયો હતો. જોકે લકઝરીમાં સવાર લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:13 am

વૃદ્ધે કર્યો આપઘાત:ઘેલખડીમાં યુવાન અને તવડી ગામે વૃદ્ધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

નવસારીના ઘેલખડીમાં 43 વર્ષીય યુવાને અગમ્ય કારણસર તો જલાલપોરના તવડી ગામે વૃદ્ધે બિમારીથી કંટાળી ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૂળ ઓડિશાના અને હાલ નવસારીના ઘેલખડી રિક્ષા સ્ટેન્ડ પાછળ ભવાનીનગરમાં રહેતા રાજીવ વાસુદેવ સામલ (ઉ.વ. 43) એ ગત 28 જાન્યુઆરીના રોજ વહેલી સવારે પોતાના રહેણાંક મકાનમાં લોખંડના એંગલ સાથે સફેદ કાપડના કટકા વડે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ જગદીશભાઇ માગનુરે કરતા નવસારી ટાઉન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. રાજીવ સામલે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ અકબંધ છે. જ્યારે બીજા બનાવમાં જલાલપોરના તવડી ગામના કણબીવાડ ફળિયામાં રહેતા 74 વર્ષીય પ્રકાશભાઇ મગનભાઇ પટેલ છેલ્લા ઘણાં સમયથી સુગર, બ્લડ પ્રેશર અને સાંધાના દુ:ખાવાની બિમારીથી પીડાતા હતા. સતત રહેતી બિમારીથી તેઓ માનસિક રીતે કંટાળી ગયા હતા. તારીખ 28 જાન્યુઆરીના રોજ તેઓ પોતાના ઘરે એકલા હતા ત્યારે ઘરના પતરાના શેડમાં આવેલી લોખંડની ચેનલ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પુત્ર તેજશભાઇ પ્રકાશભાઇ પટેલે આ અંગે પોલીસને જાણ કરતા મરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી એએસઆઇ ગોપાળભાઇ વિરસીંગભાઇ તપાસ કરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:11 am

રક્તપિત દિવસ વિશેષ:5 વર્ષમાં 1287 દર્દીઓ થયા રક્તપિત્ત મુક્ત

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 જાન્યુઆરીને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં રક્તપિત્ત પ્રત્યે જાગૃતિ લાવવી, રોગચાળાને અટકાવવો અને દર્દીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે. એક સમયે અસાધ્ય ગણાતો આ રોગ હવે આધુનિક તબીબી વિજ્ઞાનને કારણે સંપૂર્ણપણે મટી શકે તેમ છે. નવસારી જિલ્લામાં રક્તપિત્ત નાબૂદીના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો પાંચ વર્ષમાં કુલ 1287 દર્દીઓ મળી આવ્યા હતા, જેમણે પોતાની સારવાર પૂર્ણ કરી રોગમુક્ત બન્યા છે. ડિસેમ્બર-2025 સુધીમાં 255 નવા દર્દીઓ નોંધાયા છે. આ 255 દર્દીઓમાંથી 151 દર્દીઓ ટૂંકા ગાળામાં જ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના દર્દીઓની સારવાર હાલ પ્રગતિમાં છે. આ સાથે જ જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સબ-સેન્ટરો પર એમડીટી સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. જો કોઈને ચામડી પર શંકાસ્પદ ડાઘ જણાય, તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા આરોગ્ય વિભાગ અને નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ રોગ કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે, જે મુખ્યત્વે ચામડી અને જ્ઞાનતંતુઓને અસર કરે છે. ચામડી પર આછા રંગના ડાઘ અને ત્યાં સ્પર્શ ન પરખાવો એ તેના મુખ્ય લક્ષણો છે. વહેલું નિદાન અને મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ દ્વારા કોઈપણ વિકૃતિ કે અપંગતા વગર આ રોગને જડમૂળથી મટાડી શકાય છે. રક્તપિતની અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1954માં વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઈ છે. ભારતમાં પણ 30મી જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથી નિમીત્તે તે દિવસને એન્ટી લેપ્રસી ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે. શું છે સત્ય અને શું છે અફવા ? સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે રક્તપિત્ત અડવાથી કે હાથ મિલાવવાથી ફેલાય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુથી થતો રોગ છે. તે માત્ર લાંબા સમય સુધી સારવાર ન લીધેલ દર્દીના શ્વાસોશ્વાસના સંપર્કથી ફેલાઈ શકે છે, પરંતુ સાથે ઉઠવા-બેસવાથી કે સ્પર્શથી ફેલાતો નથી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:08 am

મંથરગતિએ થતી કામગીરીથી લોકો કંટાળ્યા:વિરાવળથી ટાટા બોયઝ સુધીની ‎કામગીરી બની માથાનો દુ:ખાવો‎

નવસારી શહેરના વિરાવળ સ્મશાન ગૃહથી લઈને ટાટા બોયઝ સ્કૂલ સુધીના માર્ગ પર ચાલી રહેલી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની કામગીરી હવે સ્થાનિકો અને ખાસ કરીને સુરત અપ-ડાઉન કરતા નોકરિયાત વર્ગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા આ મંથરગતિના કામને કારણે સવાર-સાંજ ટ્રાફિકના ચક્કાજામ સર્જાઈ રહ્યા છે. વિરાવળ જકાતનાકા પાસે રિંગરોડના પ્રવેશ દ્વારે છેલ્લા દોઢ મહિનાથી ખોદકામ ચાલી રહ્યું છે, જે હજુ સુધી પૂર્ણ થયું નથી. એક તરફ રસ્તાઓ પહેલેથી જ સાંકડા છે અને બીજી તરફ રસ્તાની બંને બાજુ બોક્સ લાઈન બનાવવાની કામગીરીને કારણે વાહન ચાલકોને નીકળવા માટે પૂરતી જગ્યા મળતી નથી. નવસારીથી સુરત નોકરી કે ધંધા માટે જતા હજારો લોકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે. ટ્રાફિકજામને કારણે ઓફિસ પહોંચવામાં મોડું થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. એપીએમસીથી વિરાવળ સુધીના પટ્ટામાં કામગીરીને કારણે ધૂળની ડમરીઓ અને અસ્તવ્યસ્ત પડેલા સાધનોને લીધે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. સમગ્ર વિસ્તારમાં આરંભાયેલી આ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી સતત સર્જાતા ટ્રાફિકજામમાંથી મુક્તિ મળે. જો આગામી દિવસોમાં કામ ઝડપી નહીં કરાય તો લોકોમાં રોષ વધવાની પૂરેપૂરી શક્યતા છે. વિકાસના કામ સાથે આયોજન પણ જરૂરીવિકાસના કામો જરૂરી છે, પરંતુ તેનું આયોજન એવી રીતે થવું જોઈએ કે લોકોને મહિનાઓ સુધી હાલાકી ન ભોગવવી પડે. વહીવટી તંત્ર આ કામ જલદી પૂરું કરાવે તેવી અમારી માંગ છે.> પાર્થ દેસાઇ, સ્થાનિક મુસાફર

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:06 am

બોરસદમાં શિક્ષણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો:પ્રિન્સ ટ્રસ્ટે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું

બોરસદના રબારી ચકલા સૈયદ ટેકરા ખાતે પ્રિન્સ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુવારે શિક્ષણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. માતા-પિતા તેમના સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપે અને વિદ્યાર્થીઓ સારા શિક્ષણ થકી સફળતા મેળવી દેશનું નામ રોશન કરે તે માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ફારૂકભાઈ વહોરાએ વિદ્યાર્થીઓને સંબોધન કરી શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. મુનાફઅલી સૈયદે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે શિક્ષણથી સમાજનો વિકાસ થાય છે અને શિક્ષણ વિનાનું જીવન અંધકારમય હોય છે. તેમણે બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવી દેશ સેવા કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે સૈયદ અહેસાનઅલી બાપુ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:06 am

પાણીકાપ લંબાતા‎ લોકો થયા ચિંતિત:દુધિયા તળાવનું તળિયું દેખાયું, પાણી કાપ લંબાતા મોકાણ તો ડાંગરના હજારો ખેડૂતોને પણ હાલાકી

નહેરનું રોટેશન લંબાવા ઉપરાંત વધુ એક અઠવાડિયું મોડું થવાના કારણે નવસારી શહેરમાં પાણીકાપ લંબાવવાની સ્થિતિમાં બૂમરાણ શરૂ થઈ છે તો ઉનાળુ ડાંગર પકવતા ખેડૂતોને પણ મુશ્કેલી વધી શકે છે. નહેરના રોટેશનમાં આમ તો પાણી બંધ કરવાનો સમય ઓછો હોય છે અને તકલીફ વધુ પડતી નથી પણ રોટેશન લંબાતા ખેતી તથા પીવાના પાણીમાં પણ મુશ્કેલી પડે છે. હાલ પણ નહેર 11 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી બંધ રહેવાની જાહેરાત થઈ હતી. પાણી લગભગ 50 દિવસ નહી આવવાને કારણે જુના નવસારી પાલિકા વિસ્તારમાં તો મનપાએ પાણીકાપ મૂકી બેની જગ્યાએ એક ટાઈમ પાણી આપવાની શરૂઆત કરી હતી. આમ તો 30 જાન્યુઆરી સુધી જ પાણીકાપ મૂક્યો પણ નહેરનું પાણી 1 ફેબ્રુઆરીથી છોડાય એમ હોય પાણીકાપ 4 ફેબ્રુઆરી બાદ જ ઉઠી શકે એમ છે. મળતી માહિતી મુજબ દુધિયા તળાવમાં હાલ પાણી ખૂબ ઓછું થઈ ગયું છે અને બૂમરાણ વધવા માંડી છે. બીજી તરફ ઉનાળુ ડાંગર પકવતા 6 હજારથી વધુ ખેડૂતોને તરૂ તૈયાર થઈ ગયું હોય રોપણી માટે પાણી મળવાનું વિલંબ થતા તેઓની પણ મુશ્કેલી પણ વધી છે. પાણી ખેંચાતા તૈયાર ડાંગર‎પાકને પુનઃ નુકસાનીનો ભય‎મળતી માહિતી મુજબ ગત વર્ષે મે મહિનામાં વરસાદ પડતા નવસારી જિલ્લામાં તૈયાર થઈ ગયેલ ઉનાળુ ડાંગરના પાક નુકસાનગ્રસ્ત થયો હતો,જેને લઈ ચાલુ સાલ ખેડૂતોએ 15 જાન્યુઆરી સુધીના નહેરનું પાણી આપવાની માંગ કરી હતી,જેથી રોપણી થઈ અને કાપની મે ની શરૂઆતમાં થઈ શકે. આ માંગ સામે 24 જાન્યુઆરીએ પાણી આપવાની જાહેરાત કરાઈ પણ હજુ પાણી આવ્યું નથી અને 1થી 2 ફેબ્રુઆરી દરમિયાન મળશે. ખેડૂતોના જણાવ્યા મુજબ ડાંગરનું તરૂ તૈયાર થઈ ગયું છે અને તુરંત રોપણી ન થાય તો ગુણવત્તા બગડી શકે. બીજું કે રોપણી 2 ફેબ્રુઆરી બાદ થતા કાપની મે આખરમાં થશે અને વરસાદ ગત વર્ષની જેમ વહેલો પડે તો નુકસાની થઈ શકે. ઉનાળુ ડાંગરના પાકમાં ભારે મુશ્કેલી પડી છે નહેરનું રોટેશન લંબાતા ઉનાળુ ડાંગર માટેનું તરુ વધુ દિવસનું થઇ ગયું છે. જેથી પાકમાં સારી ફુટ આવવાની શક્યતા ઘટી ગઇ છે. બીજી તરફ રોપણી પણ લંબાતા ગત સાલની જેમ ચાલુ સાલ પણ કાપણી મોડી થશે અને વરસાદને લઇ નુકસાનીની શક્યતા પણ વધુ છે. > પિનાકીન પટેલ, ખેડૂત. 5 ફેબ્રુઆરી બાદ પાણી કાપ ઊઠી શકશે..નહેરનું રોટેશન લંબાતા શહેરમાં પાણીકાપ મુકાયો છે.જોકે હાંસાપોર તળાવનો ઉપયોગ કરાય રહ્યો છે. હાલ મળતી માહિતી મુજબ તળાવમાં નહેરનું પાણી ઠલવાયા બાદ 5 ફેબ્રુઆરીના અરસામાં પાણીકાપ ઊઠશે. > રાજેશ ગાંધી, અધિકારી, પાણી વિભાગ, મનપા

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:05 am

ધારાસભ્ય હસ્તે વિવિધ ખાતમુહૂર્ત‎ કરાયા:11 કરોડના વિકાસકાર્યથી કપરાડા તાલુકાને વહીવટી મજબૂતી મળશે : જીતુભાઈ ચૌધરી

કપરાડામાં ગુરુવારે રૂ.11 કરોડના ખર્ચે બનનાર નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરીનું ખાતમુહૂર્ત પ્રાંત અધિકારી અને માર્ગ મકાનના અધિકારીની ઉપસ્થિતિમાં ધારાસભ્યના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે આ નવા મકાનનું નિર્માણ 18 મહિનામાં પૂરું કરાશે જેથી લોકોને તેનો વહેલો લાભ મળશે,તેમજ તાલુકા પંચાયતના નવા મકાન માટે પણ પ્રયાસો ચાલુ છે. જેનું પણ કામ શરૂ કરાશે. તેમજ નાનાપોંઢા અને કપરાડા એમ બે તાલુકા બનતા પ્રાંત અધિકારીની કચેરી પણ કપરાડાને ફાળવવા આવે તો અહીંના લોકોને ધરમપુર સુધી લંબાવવું નહીં પડે તે દિશામાં પણ પ્રયાસો ચાલુ છે.રાજ્યમાં ભાજપ સરકારના નેતૃત્વમાં કપરાડા તાલુકાને મહત્વપૂર્ણ વહીવટી સુવિધા મળવા જઈ રહી છે. નવી કચેરી કાર્યરત થતાં જમીન, આવક, દસ્તાવેજ નોંધણી, ઇ-ધારા તથા જન સેવા કેન્દ્ર જેવી તમામ સેવાઓ એક જ છત હેઠળ ઉપલબ્ધ બનશે. રાજ્ય સરકાર દ્વારા નવી મામલતદાર (ટાઇપ-એ) તથા સબ-રજીસ્ટ્રાર કચેરી માટે વહીવટી અને તાંત્રિક મંજૂરી આપી છે. ગ્રાઉન્ડ પ્લસ બે માળનું આ મકાન કુલ 2158.27 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા ધરાવશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઇ-ધારા અને જન સેવા કેન્દ્ર, વિશાળ વેઇટિંગ એરિયા તથા રેકોર્ડ રૂમ રહેશે.નવી મામલતદાર તથા સબ-રજીસ્ટ્રાર કચેરી કપરાડા તાલુકાના વહીવટી ઇતિહાસમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે અને તાલુકાના વિકાસને નવી ગતિ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, પ્રાંત અધિકારી આર.સી. પટેલ, મામલતદાર, સંજયભાઈ ટેલર, તાલુકા વિકાસ અધિકારી, વિપુલ ભોયા, રમેશ ગાંવિત, મુકેશ પટેલ, સરપંચો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:03 am

બોરસદમાં ભંગારના પીઠામાં આગ લાગી:ધુમાડાના ગોટેગોટા છવાયા, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

બોરસદ શહેરની સાકરિયા સોસાયટીમાં આવેલા ભંગારના પીઠામાં ગુરુવારે મોડી રાત્રેે લગભગ ૧૦ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ભંગારના પીઠામાં લાગી હોવાથી પ્લાસ્ટિક સહિતનો ભંગાર સળગતા ભારે દુર્ગંધ ફેલાઈ હતી. રહેણાંક વિસ્તારમાં આગ લાગવાના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.ઘટનાની જાણ થતાં આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને આગ પર પાણી છાંટીને તેને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ, બોરસદ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં મોટા પ્રમાણમાં ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું. આગની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 8:00 am

રાઇસ મિલોની હાલત દયનીય:ઉમરગામ તાલુકામાં આૈદ્યોગિક વિકાસની દોટમાં ડાંગર ભરડવાની મિલો બંધ થવાના આરે‎

વલસાડ જિલ્લાના ખેતીપ્રધાન ઉમરગામ તાલુકામાં આૈદ્યોગિક વિકાની આંધળી દોડમાં અહીંની રાઇસમિલોને તાળાં લાગવા માડ્યા છે.ઉમરગામ તાલુકામાં બે ઔદ્યોગિક એકમો હોવા છતાં ગામડાંઓમાં ઉદ્યોગો આવ્યા બાદ ખેતી અંતિમ શ્વાસ લઈ રહી છે. વાડીઓનું નિકંદન નીકળી ગયું છે અને ડાંગરના ખેતરોમાં ઉદ્યોગો આવી ગયા છે.ખતલવાડા ગામે આવેલી 100 વર્ષ જૂની રાઇસ મિલ બંધ થવાના આરે આવીને ઉભી છે. આ રાઇસ મિલના પાયા આજે 100વર્ષ પછી પણ અડીખમ છે અને બળદગાડાના કાળની જાણે રાહ જોઈ રહ્યા છે. રાઇસ મિલોના મશીન ચાલુ છે પણ ડાંગર મહારાષ્ટ્રથી શોધીને લાવવું પડે છે. રાઇસ મિલમાં આજે પણ ડાંગર ભરડવાના પૈસા લેવાતા નથી. એના બદલામાં ડાંગરની મેદા કુસ્કિ ગ્રાહક પાસેથી લેવામાં આવે છે. મિલની વેદના એટલે ખેતીની વેદના છે આ રાઇસ મિલની વેદના એટલે ખેતીની વેદના છે, આ વેદનાને સમજવાની જરૂર છે, ઉદ્યોગોની આંધળી દોટમાં સરકારે ખેતીને પણ બચાવવાની જરૂર છે.જે માટે વિવિધ યોજના હેઠળ ખેડૂતો તથા ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોને લાભ આપે તે જરૂરી બન્યું છે.> શાંતિલાલભાઈ રાઇસ મિલ, ખતલવાડા, ઉમરગામ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:57 am

સિવિલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ:વલસાડ સિવિલના NICUમાંથી માતા પોતાના નવજાત પુત્રને લઇ ગાયબ થતા તંત્ર દોડતુ થયું

કાપરડાના કેતકીની મહિલાની વલસાડ સિવિલ હોસ્પિટલમાં સીઝેરિયન પ્રસુતિમાં બાળકીનો જન્મ થયો હતો. જે નાજૂક હોવાથી એનઆઇસીયુમાં દાખલ હતી. દરમિયાન ગુરૂવારે તેણી સવારે સિવિલ હોસ્પિટલમાંથી આશરે સાત દિવસ પછી કોઈને કહ્યા વિના અણસમજને લઇ સ્ટાફની નજર ચૂકવી ચૂપચાપ બાળકીને લઈ ભાગી ગઈ હતી. ધરમપુર ચોકડી આવી કોઈ પાસે પૈસા માંગી ધરમપુર જતી એસટી બસમાં બેઠી હતી.જેની જાણકારી ધરમપુર એસટી ડેપોને વલસાડ ડેપો દ્વારા જાણ કરાતાં શોધખોળકરતા મહિલાનો ભાઇ તથા સિલધા પીએચસીની FHW પરમેશ્વરીબેન પટેલ અને અસ્ટોલ સબ સેન્ટરની FHW નેહાબેન પટેલ પણ એસટી ડેપો ધરમપુર આવી ગયા હતા.મહિલા બસમાથી ઉતરતાં જ પોલીસ તથા આરોગ્ય કર્મીઓએ મળી મહિલાને સમજાવી હોસ્પિટલ લઇ આવ્યા હતાં. મહિલા સંવેદનશીલ હતી, પુત્રની સુરક્ષાને લઇ ડર હતોસીઝેરીન પ્રસુતિ થયા બાદ આશરે સાત દિવસથી બાળાને બોટલ સહિતની સારવાર અપાઇ રહી હતી. બાળકીને એનઆઇસીસીમાં દાખલ કરી હતી.પરંતું આ મહિલાને પોતાની બાળકીને જોઇને તેને કંઇ થઇ જશે તો તેવી બીક લાગી હતી.આ ડરને લઇ ચિંતાતૂર માતા અત્યંત પ્રોટેક્ટિવ બની ગઇ હતી.તેની ચિંતામાં પોતે બાળાને લઇને સિવિલમાંથી નિકળી હોવાનું ધરમપુર ડેપો પર આવેલી પોલીસ સમક્ષ ઉક્ત કેફીયત વર્ણવી હતી. આ રીતે મહિલા મળી આવી‎વલસાડ સિવિલમાંથી નિકળી આવેલી મહિલાનો ભાઇ‎પોતાની બહેન અને ભાણીને શોધવા એસટી ડેપોની કન્ટ્રોલ‎‎કેબિને આવી‎‎પોતાની બહેન‎સિવિલમાંથી શિશુને લઇને નિકળી ગઇ છે તેવું જણાવી‎તપાસ કરવા કહ્યું હતું.જો કે તેને સમજ આપી પોલીસને‎જાણ કરવા જણાવ્યું હતું.પરંતું આ વાતચીત બાજૂમાં ઉભેલો‎અમારો એક કંડકટર સાંભળી રહ્યો હતો.જે બસની નોંધ‎કરાવી એસટી ડેપો પરથી ધરમપુરની બસ લઇને ઉપડી ગયો‎હતો. દરમિયાન આ કન્ડટકર બસમાં મુસાફરોની ટિકિટ‎બુકિંગ કરી રહ્યો હતો ત્યારે દાદરી બસ સ્ટેન્ડ પાસે આવતાં‎તેણે બસમાં આ મહિલાને નવજાત બાળક સાથે જોતાં‎તાત્કાલિક વલસાડ એસટી કન્ટ્રોલમાં ફોન કરી કહ્યું કે,તમે જ‎મહિલાની વાતકરતા હતા તે ધરમપુર બસમાં બેઠી છે.બસ‎આ કડી મળી હતી.> દિનેશ રાઠોડ,એસટી ડેપો કન્ટ્રોલ‎

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:54 am

પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરાયું‎:મોગરાવાડી પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા ટ્રેડ ફેર શરૂ

સિલ્વાસા સ્થિત શાખા MSME ડેવલપમેન્ટ એન્ડ ફેસિલિટેશન ઓફિસ, MSME મંત્રાલય, ભારત સરકાર દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) વલસાડના સહયોગથી તા. 29 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન તાલીમ ભવન, પોલીસ હેડક્વાર્ટર, મોગરાવાડી, વલસાડ ખાતે ત્રણ દિવસીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા ટ્રેડ ફેર/એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનના ઉદઘાટન પ્રસંગે વલસાડ પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જે. જાડેજા મુખ્ય મહેમાન અને જનરલ મેનેજર તથા સહાયક ઉદ્યોગ કમિશનર વાય.ટી. પાવગઢી, શાખા MSME DFO સેલવાસના સહાયક નિયામક પ્રવીણ દોઇફોડે તેમજ ડીઆઈસી વલસાડના સહાયક કમિશનર એન.સી. ગાવિત ઉપસ્થિત હતા. આ ઉપરાંત શક્તિ સિંહ (SSO), બિંદુ એમ., શાખા MSME DFO સેલવાસના સહાયક નિયામક રામદેવ સુતાર (OS) તથા ભાવિક પટેલ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), વલસાડે આ કાર્યક્રમના આયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ ટ્રેડ ફેરનો મુખ્ય હેતુ પરંપરાગત કારીગરોને તેમના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી વેચવાની તક પૂરી પાડવાનો, અને આર્થિક આત્મનિર્ભરતા મજબૂત બનાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:47 am

ગંભીર અકસ્માત સર્જાયો:મોરબી પાસે ડમ્પરચાલકે ઠોકરે લેતાં રસ્તો ક્રોસ કરતા આધેડને મોત મળ્યું

મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ હોટલની સામેના ભાગમાંથી આધેડ જમવા માટે થઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લેતા તે રસ્તા ઉપર નીચે પડી ગયા બાદ અે જ ડમ્પરના ટાયર તેમના ઉપર ફરી વળતા ગંભીર ઈજા થવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રોયલ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાન પોતાના ઘરની આગાશી પર હોય ત્યારે અચાનક તેને ચક્કર આવવાના કારણે તે અગાસી ઉપરથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ત્રીજા બનાવમાં મોરબીના સોખડા ગામ નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો શ્રમિક કારખાનામાં દિવાલ ઉપર કામ કરતો હોય ત્યારે દીવાલ પરથી નીચે પટકાતા તેને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચિયા એ અજાણ્યા ડમ્પરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રીઝન્ટા હોટલ સામેથી તેઓના મોટા બાપુ જે ટ્રક ડ્રાઇવર હોય તે મહેશભાઈ દેશુરભાઈ બરબચિયા (ઉ.વ.54) રોડ ક્રોસ કરીને જમવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે તેઓને હડફેટે લેતાં તેઓ રસ્તા પર પડ્યા હતા અને એ જ ડમ્પરના ટાયર તેમના પર ફરી વળતાં તેમના મોટા બાપુનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલા રોયલ પાર્કમાં રહેતા તરુણભાઈ વાસુદેવભાઈ પંડ્યા (ઉ.વ.43) નામનો યુવાન પોતાના ઘરે અગાસી ઉપર હતો. ત્યારે તેને ચક્કર આવવાના કારણે તે ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને શરીરે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલ મેટકસ મિનરલ એલએલપી નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સ્વરૂપભાઈ નાયક (ઉ.વ.25) નામનો યુવાન કારખાનામાં કામ કરતી વખતે દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:39 am

મચ્છુ નદીને લાગ્યું ગાંડીવેલનું ગ્રહણ:મોરબીની મચ્છુ નદી પર ગાંડી વેલનો કબજો‎

મોરબી શહેરની મધ્યે નીકળતી અને લોકમાતા તરીકે પૂજાતી મચ્છુ નદીમાં લાંબા સમયથી ગાંડીવેલનું એટલી હદે ગ્રહણ લાગ્યું છે કે આવડી મોટી નદીમાં ક્યાંક જલ દર્શન થાય છે. જો કે આ લીલીવેલના મૂળિયા ઊંડા હોય પાણીને કારણે સુકાતી ન હોય ઉપરથી વધુને વધુ ફેલાતી હોવાથી લોકો તેને ગાંડીવેલ તરીકે જ ઓળખે છે. પણ દુઃખની વાત એ છે કે, નગરપાલિકા વખતથી જ મચ્છુ નદીમાં આ ગંભીર સમસ્યા છવાયેલી છે. એટલે નગરપાલિકા તો મચ્છુ નદીમાંથી આ લીલીવેલ દૂર કરવામાં નિષ્ફળ નીવડી હતી, પરંતુ હવે નગરપાલિકાંની બેદરકારીના નકશે કદમ ઉપર ચાલીને મનપા પણ આ નદીમાંથી લીલીવેલ દૂર કરી શક્યું નથી. લોકમાતા મચ્છુમાં હાલની સ્થિતિએ પાણીના દર્શન ઓછા અને વેલ વધુ નજરે પડી રહી છે. મનપાએ શરૂઆતમાં જોર બતાવ્યું, હવે ખુદ પાણીમાં !‎જો કે મનપાએ એક વર્ષ પહેલાં નદીના પટ્ટમાંથી દબાણ દૂર કરવાની કામગીરી અહીંથી જ શરૂ કર્યા બાદ પાણીમાં બેસી ગયું છે. આ નદીમાં મોટા પ્રમાણમાં વેલ ઊગી નીકળી હોય ઉપરથી અહીંયા શહેરની ગટરનું દૂષિત પાણી નીકળીને નદીમાં ભળતું હોય તેમજ મૃત પશુઓને નદીમાં ફેંકવામાં આવતા આ લોકમાતા દૂષિત બની જવાથી પર્યાવરણ અને જનારોગ્યને નુકસાન થઈ રહ્યું છે. જો કે સૌથી વધુ તો નદીમાં જો કોઇ પડે તો રેસ્ક્યુ કરવામાં આ વેલ મોટી અવરોધરૂપ બને છે. ફાયર બીગ્રેડ તો સાધન સરંજામ લઈને તરત જ પહોંચી જાય છે. પણ વેલને કારણે ડૂબતા વ્યક્તિને બચાવી શકાતા નથી. આવી જ રીતે થોડા સમય અગાઉ બે વ્યક્તિ પુલ ઉપર નદીમાં ઝંપલાવ્યું હતું. પણ વેલને કારણે એ બન્ને વ્યક્તિ જીવિત હાલતમાં તો શોધી શકાયા ન હતા. તેમજ તેમના મૃતદેહ શોધવામાં પણ દોઢ દિવસની વાર લાગી હતી. આથી સામાજિક કાર્યકરો રાજુ દવે, દેવેશ રાણેવડીયા, જગદીશ બાભણીયા, ગિરીશ કોટેચાએ કલેકટર અને કમિશનરને રજૂઆત કરીને યુદ્ધના ધોરણે મચ્છુ નદીને ગાંડીવેલના કબજામાંથી મુક્તિ અપાવવા માગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:38 am

શાળા સલામતી સપ્તાહની ‎‎ઊજવણી કરાઈ:આગ લાગે ત્યારે શું કરવું, પાણીમાં બચાવ કઇ રીતે થાય: વિદ્યાર્થીઓને સમજ અપાઇ

મોરબી જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઊજવણી PM SHRI માધાપરવાળી શાળામાં કરવામાં આવી હતી. જેમાં મોરબી કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા જિલ્લા કક્ષાના શાળા સલામતી સપ્તાહની ઉજવણીની શરૂઆતમાં રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આપત્તિ વ્યવસ્થાપન વિશે ઓનલાઈન સંબોધન કર્યું હતું. બાદમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશભાઈ ગાંભવા તેમજ અન્ય અધિકારીઓનું પુસ્તક થકી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ફાયર ઓફિસરે આગ કેવી રીતે લાગે છે ? આગ લાગે ત્યારે આગ ઓલવવા શું કરવું જોઈએ? પાણીમાં કેવી રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે? એની વિસ્તૃત સમજ આપી હતી. લાઈફ જેકેટ, લોખંડની બિલાડી, પાણીમાં તરવા માટેનું લાઈફ વિલ, વગેરેની વિસ્તૃત સમજ આપી હતી.108ના ડોકટરે જણાવ્યું હતું કે 108 નો કોલ વધીને ત્રણ સેકન્ડમાં લાગી જાય છે અને અમે ઇમરજન્સીમાં અકસ્માત સ્થળે પહોંચીને પેશન્ટનું રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ. ત્યારબાદ આપદા મિત્રે પોતાની કામગીરી વિસ્તૃત રીતે સમજાવી હતી, મૌખિક સમજ બાદ પ્રેકટિકલ સમજ માટે આગ ચાલુ કરી ફાયર એસ્ટીગ્યુંસરના ઉપયોગથી કેવી રીતે આગ ઓલવી શકાય એનું પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હાથે કરાવ્યું હતું. 108 ની ટીમે મેડિકલના સાધનો બતાવી ઉપયોગીતાની સમજ આપી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:36 am

મોરબીમાં નિદર્શન પરેડ યોજાઈ:કાયદો - વ્યવસ્થા કથળે તો પોલીસની સજ્જતા કેટલી?

રાજકોટ રેન્જ આઈ જી અશોક કુમાર યાદવ મોરબી જિલ્લા પોલીસની એક વર્ષની કામગીરીના વાર્ષિક ઇન્સ્પેકશન માટે મોરબીના મકનસર ખાતે આવેલા મોરબી જિલ્લા પોલીસના હેડ ક્વાર્ટર ખાતે આવી પહોંચ્યા હતા. તેમની અધ્યક્ષતામાં હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસના વિવિધ પોલીસ જવાનો અને અધિકારીની પરેડ યોજાઈ હતી. બાદમાં જિલ્લા પોલીસના વિવિધ વિભાગની કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત રમખાણ કે ટોળાંઓ દ્વારા કોઈ પણ બાબતે જો લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો પોલીસ કેટલી સજ્જ છે તેનું પણ નિદર્શન હેડ ક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:31 am

વેધર રિપોર્ટ:મોરબી જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જતાં લોકો થરથર્યા

છેલ્લા બે દિવસથી મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ઠંડીની આગોશમાં લપેટાયું છે. કડકડતી ઠંડીએ એટલી હદે બોકાસો બોલાવી દીધો છે કે, જનજીવન ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં ઠંડીથી ઠીગરાઈ ગયું છે. લઘુતમ તાપમાન 10 ડીગ્રી કરતા પણ નીચે ઉતરી જતાં તેની અસર જનજીવન પર દેખાઇ રહી છે. રાત્રીના 10 પછી શહેરના મુખ્યમાર્ગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં સ્વયંભુ સંચારબંધી જેવો માહોલ સર્જાઇ જાય છે. ઠંડીમા વધઘટને કારણે વાયરલ બીમારીમાં પણ વધઘટ થઈ રહી છે. શરૂઆતના બે માસના બેવડી ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ જેવી વાયરલ બીમારી 70 ટકા વધી હતી. પોષ મહિનો શરૂ થતાં હાડ થિજાવતી ટાઢ પડતા 24 કલાક એકસરખુ વાતાવરણ રહેવાથી આ વાયરલ બીમારીઓ ધીરે ધીરે ઘટવા લાગી હતી.પણ ત્યાંજ વાતાવરણ ફરી બદલતા હમણાથી 50થી 60 ટકા વાયરલ બીમારી વધી છે. તેમજ હાલ લગ્નની સીઝનમાં ખાણીપીણીમાં હેલ્ધી આહાર ન હોય અને દૂષિત પાણીને કારણે ઝાડા ઉલટીના કેસમાં 20 થી 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:30 am

મોરબી પોલીસની કામગીરીના લેખાંજોખાં:મોરબી જિલ્લા પોલીસનો ગંભીર ગુના ઉકેલ્યા હોવાનો દાવો

મોરબી જિલ્લા પોલીસે એક વર્ષ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કરવામાં આવેલી કામગીરીનું રેન્જ આઈ જી અશોકકુમાર યાદવે ઇન્સ્પેક્શન કર્યું હતું અને આ ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરીના લેખા જોખા રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે દાવો કર્યો હતો કે જિલ્લામાં ગંભીર ગુનાઓ કે ચોરી જેવી ઘટનાઓ ઉકેલવામાં મોટા પ્રમાણમાં સફળતા મળી છે. ચાલુ વર્ષમાં લૂંટની ઘટનામાં 83%, ધાડના 100 ટકા, ઘરફોડીના 71% જ્યારે વાહન કે અન્ય ચોરીના 74% ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી હોવાના દાવા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શરીર સંબંધી હત્યા, હત્યાની કોશિશ કે મહાવ્યથા જેવા ગુનાઓમાં પણ આરોપીઓની ઝડપથી અટકાયત કરી કડક કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં રાખવા માટે વર્ષ દરમિયાન 38 જેટલા ફરાર આરોપીને પકડી લેવાયો હોવાનો જિલ્લા પોલીસે દાવો કર્યો છે. 5064 વાહન ડિટેન, 56,049 NC કેસ‎મોરબી શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમન ની કામગીરી માટે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ અલગ અલગ પોલીસ મથકની ટીમ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ તેમજ રૂટિન કામગીરી દરમિયાન કુલ 564 જેટલા વાહન ડિટેઇન કરવામાં આવ્યા હોવાનું જ્યારે સામાન્ય નિયંત્રણ બદલ 56049 કેસ કરી 2,56,31,700 નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે આ ઉપરાંત રોડ એક્સિડન્ટ નિવારણ માટે જોખમી ડ્રાઇવિંગ માટે 3 330 જેટલા કલમો હેઠળ ગુના ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 663 જેટલા કેસ કરાયા નો દાવો કરાયો છે. સાયબર ફ્રોડના ગુનામાં પણ 90 લાખની રકમ રિકવર‎ટેકનોલોજીના ઉપયોગ ની સાથે સાથે સાઇબર ક્રાઇમના ગુનામાં પણ ઝડપથી ઉછાળો આવ્યો છે. અલગ અલગ પ્રકારની સ્કીમ કે લાલચ આપીને લોકો પાસેથી કરવામાં આવેલી ઓનલાઇન ઠગાઈના ગુન્હા ડિટેક્ટ કરી 90,35,010 જેટલી રકમ રિકવર કરી હોવાનો પણ આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસે દાવો કર્યો હતો

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:29 am

મોરબીમાં બોર્ડના 23098 પરીક્ષાર્થી:આ વર્ષે ધો.10માં 413 વધ્યા, જ્યારે 12માં 377 વિદ્યાર્થીનો ઘટાડો

આગામી 26 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ શરુ થઇ રહી છે જે 18 માર્ચ સુધી ચાલશે 22 દિવસ સુધી ચાલનાર આ પરીક્ષાને લઇ એક તરફ વિદ્યાર્થીઓ તેમની તૈયારીમાં વ્યસ્ત છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની અડચણ વિના પરીક્ષા યોજવા કમર કસી છે મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 23 098 વિદ્યાર્થી પરીક્ષામાં ભાગ લેશે. ધોરણ મુજબ જોઈએ તો ધોરણ 10માં 14242 વિદ્યાર્થી જયારે ધોરણ 12માં કુલ 8856 વિદ્યાર્થી નોંધાયા છે. ધોરણ 12 માં સામાન્ય પ્રવાહમાં 6968 અને વિજ્ઞાન પ્રવાહમાં 1888 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગત વર્ષની સરખામણીએ પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીની સંખ્યાની સ્થિતિ જોઈએ તો ધોરણ 10માં 413 છાત્રો વધ્યા છે જેની સામે ધોરણ 12માં 377 છાત્રો નો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં ધોરણ 10ના 13,829 વિદ્યાર્થી અને ધોરણ 12માં 9015 વિદ્યાર્થી નોંધાયા હતા. મોરબી જિલ્લામાં ધોરણ 10 માટે 10 પેટા કેન્દ્રના 58 બિલ્ડીંગમાં 573 બ્લોકની ફાળવણી કરવામાં આવી છે તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4 પેટા કેન્દ્રમાં કુલ 26 બિલ્ડિંગમાં 230 બ્લોકની વ્યવસ્થા કરાઇ છે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 3 પેટા કેન્દ્રની 10 બિલ્ડિંગમાં 98 બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓ મનોવૈજ્ઞાનિકની પણ મદદ લઈ શકશે‎મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ નો અનુભવ ન થાય અને આ સમયગાળા દરમિયાન તેઓની મૂંઝવતા પ્રશ્નોના જવાબો મેળવી શકે, તેમજ જો કોઈ મુશ્કેલી જેવું લાગે તો તાત્કાલિક સમાધાન મેળવી શકે તે માટે પ્રથમ વખત મનોવૈજ્ઞાનિકની પણ મદદ લઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓ ફોન નંબર 99 79574151 પર સંપર્ક કરી શકશે અને ત્વરિત સમાધાન મેળવી શકશે. વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પ લાઇન શરૂ‎બોર્ડની પરીક્ષા ને લઇ વિદ્યાર્થીઓ કે વાલીઓની મદદ માટે ખાસ હેલ્પ લાઈન નંબર શરુ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 10 અને 12 ના વહીવટી લગતી કામગીરી માટે અને માનસિક તૈયારી માટે મનોવૈજ્ઞાનિકનો નંબર પણ જાહેર કર્યો છે, જેમાં ધોરણ 12 ના વહીવટી બાબતની મદદ માટે બી એલ ભાલોડીયાનો 94282 63 340 જયારે ધોરણ 10 માટે એસ જે મેરજા નો 9913052124 પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત તાલુકા કક્ષાના સેન્ટર પણ શરુ કરવામાં આવ્યા છે આ તમામ હેલ્પલાઇન નંબર પરીક્ષા પૂર્ણ થશે ત્યાં સુધી સવારે 10થી 1 અને સાંજે 4થી 7 દરમિયાન ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:27 am

ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી:2 મશીન અને 5 ડમ્પર સહિત રૂ. 3 કરોડનો મુદ્દામાલઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના જસાપર ગામની ઉગમણી સીમમાં મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરી થતી હોવાની સચોટ બાતમી સુરેન્દ્રનગર એસઓજી ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્રાટકીને ખનીજ માફિયાઓના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. એસઓજીની ટીમ જ્યારે જસાપરની સીમમાં પહોંચી ત્યારે ત્યાં મોટાપાયે મશીનરી દ્વારા ખનીજનું ખોદકામ ચાલી રહ્યું હતું. પોલીસે તાત્કાલિક ખાણ-ખનીજ વિભાગને જાણ કરી સ્થળ પર બોલાવ્યા હતા. તપાસ દરમિયાન ખોદકામ માટે વપરાતા 2 હિટાચી મશીન અને ખનીજ ભરીને લઈ જવા માટે તૈયાર ઉભેલા 5 ડમ્પર મળી આવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ વાહનો અને મશીનરી મળી અંદાજિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે. ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધી કેટલુ ખોદકામ થયું છે તેની માપણી કરવામાં આવી રહી છે. જેના આધારે જવાબદાર શખ્સો સામે લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:17 am

‘ફાઈબ્રોસ્કેન’ મફત કરી અપાયું:સુરેન્દ્રનગરમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ દ્વારા પેટના રોગોનો નિઃશુલ્ક કેમ્પ: 136 દર્દીઓની સફળ સારવાર

ગુરૂદેવ રાકેશજીની પ્રેરણાથી કાર્યરત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે પેટ, આંતરડા અને લીવરને લગતા રોગોનો ભવ્ય નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. હોસ્પિટલ જિલ્લાની એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં ફૂલ-ટાઈમ ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટની સેવા ઉપલબ્ધ છે. પૂજ્ય ગુરૂદેવ રાકેશજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર શહેરની એક માત્ર હોસ્પિટલ છે જ્યાં ફૂલ-ટાઈમ ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ પેટના ડૉક્ટર ઉપલબ્ધ છે. સંસ્થાના નિષ્ણાત અને અનુભવી ગેસ્ટ્રો. ડૉ. ચિંતન ટેલરે મુંબઈની પ્રખ્યાત લોકમાન્ય તિલક મેડિકલ કોલેજમાંથી ડી.એમ.ની ડિગ્રી મેળવી છે અને જાપાનથી ફેલોશિપ પુર્ણ કરી છે. તેમના સફળ નેતૃત્વ હેઠળ પેટના રોગો જેમ કે પેટ, આંતરડા, લીવર, પેન્ક્રિયાસ, પિત્તાશય, અન્નનળીને લગતા રોગોના સેવા યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં 136 દર્દી લાભાન્વિત થયા હતા. આ કેમ્પમાં જોડાયેલ તમામ દર્દીને ડૉક્ટરની સલાહ, લોહીની રૂટિન તપાસ ઉપરાંત જરૂરિયાતવાળા દર્દીઓને આશરે 6000 ના ખર્ચે થતો ફાઈબ્રોસ્કેન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યો હતો. આ રીતે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર નિષ્ણાત તબીબો, અત્યાધુનિક સાધનો અને શિસ્તબદ્ધ સપોર્ટિંગ સ્ટાફ દ્વારા આરોગ્ય ક્ષેત્રે સતત ઉચ્ચ કક્ષાની સારવાર પૂરી પાડવા કટિબદ્ધ છે. ડાયલેશન અને એન્ડોસ્કોપી કરાઇ કેમ્પમાં ઉપસ્થિત એક 45 વર્ષીય દર્દીને છેલ્લા બે મહિનાથી ખોરાક ગળવામાં તકલીફ હતી. એન્ડોસ્કોપી તપાસ દરમિયાન અન્નનળીમાં સંકોચન હોવાનું નિદાન થતા તાત્કાલિક ડાયલેશન કરવામાં આવ્યું હતું. તેમજ એક 65 વર્ષીય દર્દીમાં અન્નનળીની નસો ફૂલેલી હોવાનું જણાતા એન્ડોસ્કોપી દ્વારા તરત જ નસો પર બેન્ડિંગની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેથી બ્લીડિંગ અટકાવી શકાય. ફાઈબ્રોસ્કેનએ લિવર (યકૃત)ની તપાસ કરવા માટેની એક અત્યાધુનિક અને બિન-આક્રમક ટેસ્ટ છે. આ લિવર માટેની એક ખાસ પ્રકારની સ્કેનિંગ પદ્ધતિ છે. આ ટેસ્ટ મુખ્યત્વે બે મહત્વની બાબતો જાણવા માટે કરાય છે. લિવર ફાઈબ્રોસિસ (લીવરની કઠિનતા) લિવર કેટલું કઠણ થયું છે તે માપવા માટે. તંદુરસ્ત લિવર નરમ હોય છે, પરંતુ બીમારીને કારણે તેમાં સોજો આવે અથવા તે કઠણ થવા લાગે તો તેને ફાઈબ્રોસિસ કહેવાય. સ્ટીઆટોસિસ લિવરમાં ચરબી લિવરમાં ચરબીનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે કરાય છે. ડાયલેશન અને એન્ડોસ્કોપી કરાઇ‎કેમ્પમાં ઉપસ્થિત એક 45 વર્ષીય દર્દીને છેલ્લા બે મહિનાથી ખોરાક‎ગળવામાં તકલીફ હતી. એન્ડોસ્કોપી તપાસ દરમિયાન અન્નનળીમાં‎સંકોચન હોવાનું નિદાન થતા તાત્કાલિક ડાયલેશન કરવામાં આવ્યું હતું.‎તેમજ એક 65 વર્ષીય દર્દીમાં અન્નનળીની નસો ફૂલેલી હોવાનું જણાતા‎એન્ડોસ્કોપી દ્વારા તરત જ નસો પર બેન્ડિંગની પ્રક્રિયા કરવામાં આવી‎હતી, જેથી બ્લીડિંગ અટકાવી શકાય.‎

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:10 am

શિક્ષણ વિભાગની વિશેષ પહેલ:પરીક્ષાના તણાવ, ડરને દૂર કરવા તાલુકા દીઠ ૨ નિષ્ણાંત માર્ગદર્શકોની નિમણૂંક

ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થાય છે. જેમાં વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય કે મૂંઝવણ વગર પરીક્ષા આપી શકે તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શનની વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે તણાવ હોય તો તેના નિરાકરણ, પરીક્ષાના તણાવ અને ડરને દૂર કરવા દરેક તાલુકા દીઠ ૨ નિષ્ણાંત માર્ગદર્શકોની નિમણૂક કરાઈ છે. પરીક્ષા પૂર્વે અને પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ આ નિષ્ણાંતોનો મોબાઈલના માધ્યમથી સંપર્ક કરી શકશે અને જરૂરી શૈક્ષણિક તથા માનસિક માર્ગદર્શન મેળવી શકશે તેવું જિલ્લા શિક્ષણાધિકાર અરવિંદભાઇ ઓઝાએ જણાવ્યુ છે. તાલુકાદીઠ નિમાયેલા માર્ગદર્શકો

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:08 am

ઠંડીનો ચમકારો યથાવત:: જિલ્લો રાજ્યમાં 8મા ક્રમે, લઘુત્તમ 12.6 ડિગ્રી

સુરેન્દ્રનગર જિલ્લામાં 2 દિવસથી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જેમાં રાજ્યમાં ટોપ 10માં સુરેન્દ્રનગ જિલ્લો 8મા ક્રમે પહોંચી ગયો છે. જિલ્લામાં ગુરૂવારે પણ ઠંડી અનુભવવા સાથે લઘુતમ તાપમાન 12.6 અને મહત્તમ 27.5 ડિગ્રી રહ્યું હતું. જિલ્લામાં આ વર્ષ શિયાળાની સિઝનમાં ઠંડીનો ચમકારો ઓછો જોવા મળ્યો છે. હાલ જાન્યુઆરી માસ પૂરો થવામાં છે જેમાં છેલ્લા સપ્તાહમાં તાપમાનની ભારે ઉઠાપટક રહી છે. જેમાં 2 દિવસથી ફરી ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જેમાં ગુરૂવારે સવારથી ઠંડકભર્યા માહોલ સાથે દિવસની શરૂઆત થઇ હતી. જેમાં સાંજ સુધીમાં લઘુતમ તાપમાન 12.6 અને મહત્તમ 27.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવાની ગતિ 10 કિમી ભેજ 43 ટકા રહ્યો હતો. લોકોએ સવારથી સાંજ સુધીમાં 14.9 ડિગ્રી ફેરફાર અનુભવાયો હતો. આ સાથે જિલ્લો રાજ્યમાં તાપમાનની દ્વષ્ટીએ ટોપ 10માં 8મા ક્રમે રહ્યો હતો. આજે વાદળછાયા વાતારવરણ સાથે તાપમાન આંશિક વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:04 am

ભાસ્કર વિશેષ:સોના-ચાંદી બાદ હવે રોકાણકારોમાં કોપર બિસ્કિટનો ક્રેઝ વધ્યો‎

દેશ અને દુનિયાના બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં લાગેલી આગને કારણે રોકાણનું ચિત્ર બદલાયું છે. સોનાના ભાવ 10 ગ્રામના 1.65 લાખ અને ચાંદીના ભાવ પ્રતિ કિલો 3.80 લાખ જેવી રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ગયા છે. આ સ્થિતિમાં નાના અને મધ્યમ રોકાણકારો સોના-ચાંદીમાં રોકાણ કરતા ગભરાઈ રહ્યા છે અને તેના વિકલ્પ તરીકે હવે કોપર (તાંબું) પસંદ કરી રહ્યા છે. ધ્રાંગધ્રા સહિતના બજારોમાં હાલમાં એક કિલોના કોપર બિસ્કિટની ભારે માંગ જોવા મળી રહી છે. હાલમાં 1 કિલો કોપર બિસ્કિટનો ભાવ 1700ની આસપાસ ચાલી રહ્યો છે. રોકાણકારો માની રહ્યા છે કે જે રીતે સોના-ચાંદીમાં તેજી આવી છે, તેવી જ તેજી આગામી દિવસોમાં કોપરમાં પણ જોવા મળી શકે છે. આથી, ભવિષ્યમાં સારા વળતરની આશાએ લોકો કોપરની લગડીઓ સંગ્રહી રહ્યા છે. રોકાણનું એક નવું અને સસ્તું માધ્યમહાલ સોના-ચાંદીના ભાવ વધવાને કારણે લોકો હવે કોપર તરફ વળ્યા છે. માત્ર કોપરના વાસણો જ નહીં પણ હવે કોપરની લગડી (બિસ્કિટ)ની માંગમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. જેમાં લોકો તાંબાને રોકાણનું એક નવું અને સસ્તું માધ્યમ માની રહ્યા છે.{ રાજુભાઈ કંસારા, સ્થાનિક વેપારી છેલ્લાં 1 વર્ષમાં કોપરમાં રૂ. 400 વધ્યા એક વર્ષમાં કોપરના ભાવમા પણ કિલોએ રૂ. 400થી વધુનો વધારો સામે આવ્યો છે. ત્યારે અન્ય ધાતુઓની જેમ કોપમાં પણ હજી વધારો આવવાની શક્યતા છે. - સંજયભાઈ પટેલ, કોમોડિટીના સંચાલક

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:02 am

પ્રહલાદનગર બાદ હવે AMC રિવરફ્રન્ટનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢશે?:7 માળનું બિલ્ડિંગ ખાલીખમ, કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટ રદ કરવા અરજી; પ્રજાના 60 કરોડનો ધૂમાડો

રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોના અણઘડ આયોજનના કારણે પ્રજાના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ અને દુકાનો તેમજ ઓફિસો ચાલી રહી નથી, ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજીત 60 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ પણ વેચવું પડે તેવી સ્થિતિ જોવા મળી છે. રિવરફ્રન્ટ મલ્ટીલેવલ પાર્કિંગમાં લોકો ગાડીઓ કે ટુ-વ્હીલર પાર્ક કરવા આવતા નથી. જેથી પાર્કિંગ ચલાવનાર કોન્ટ્રાક્ટરે પણ પોતાનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે રિવરફ્રન્ટ ઓથોરિટી પાસે માંગણી કરી છે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃત ઔરંગાબાદકર સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. AMCએ પ્રહલાદ નગરનું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યુંAMC દ્વારા તાજેતરમાં જ શહેરના પ્રહલાદ નગર વિસ્તારમાં બનાવવામાં આવેલું મલ્ટીલેવલ પાર્કિંગ કમ કોમ્પ્લેક્સ જમીન અને બાંધકામ સહિતની કિંમત કુલ રૂ. 350 કરોડમાં વેચવા કાઢ્યું છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં આવેલી દુકાનો અને ઓફિસો વેચાતી નથી અને પાર્કિંગ પણ ચાલતું નથી. જેથી હવે તેને એક સાથે વેચવા કાઢવામાં આવ્યું છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા સપ્ટેમ્બર 2023માં 60 કરોડના ખર્ચે સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લુ મુકવામાં આવેલા મલ્ટીલેવલ પાર્કિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટ પર સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ ખાલી ખમસાબરમતી રિવરફ્રન્ટ પર આવનારા લોકોને પાર્કિંગની સુવિધા મળી રહે તેના માટે સાત માળનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. જોકે, આ પાર્કિંગ ખાલી ખમ જોવા મળે છે. જે ગાડીઓ પાર્ક કરવામાં આવી છે તે પણ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ લેનાર કોન્ટ્રાક્ટરના સંબંધી અને તેમની જ પાર્ક થયેલી છે. પાંચથી સાત ગાડીઓ જ રોજની પાર્ક થતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે. 80 ગાડીઓની પાર્કિંગની જગ્યામાં માત્ર 10 ગાડીઓ પાર્કગ્રાઉન્ડ ફ્લોરથી લઈ સાત માળના મલ્ટી લેવલ પાર્કિંગ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી તો પ્રથમ માળ ઉપર આખું પાર્કિંગ ખાલી જોવા મળ્યું હતું. માત્ર 10 જેટલી ગાડીઓ ત્યાં પાર્ક થયેલી જોવા મળી હતી. એક ફ્લોર ઉપર અંદાજિત 70થી 80 ગાડીઓ પાર્ક થતી હોય છે, પરંતુ મોટાભાગે પાર્કિંગનો ભાગ ખાલી જોવા મળ્યો હતો. બીજા માળે કોન્ટ્રાક્ટરના સંબંધીઓની અને તેમની જ ગાડીઓ પાર્કબીજા માળ ઉપર ગાડીઓ પાર્ક કરેલી હતી. જોકે જે ગાડીઓ પાર્ક કરેલી હતી તેમાં પાર્કિંગના કોન્ટ્રાક્ટરના સંબંધીઓની અને તેમની જ ગાડીઓ પાર્ક કરેલી હોય તેવું જાણવા મળ્યું હતું. જ્યારે ત્રીજા માળ ઉપર તપાસ કરવામાં આવી તો ત્યાં પણ એકાદ બે ગાડી સિવાય કોઈ વાહન પાર્ક કરેલું જોવા મળ્યું નહોતું. સાત માળની બિલ્ડિંગમાં ઉપરના ચાર માળમાં કોઈ ફરકતું જ નથીચોથાથી લઇને સાતમા માળ સુધી એક પણ જગ્યાએ ગાડીઓનું પાર્કિંગ કરેલું જોવા મળેલું નહોતું. ચાર માળ આખા ખાલી જોવા મળ્યા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર બનાવવામાં આવેલા ઇવેન્ટ સેન્ટર જ્યાં ફ્લાવર શો સહિત અલગ અલગ ઇવેન્ટો પણ યોજાતી હોય છે. અટલ બ્રિજ પણ નજીક આવેલો છે જેમાં મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરીને સીધા અટલબ્રિજમાં જઈ શકાય છે, પરંતુ લોકો ત્યાં વાહન પાર્ક કરવા આવતા નથી. કોન્ટ્રાક્ટરે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રદ કરવા અરજી કરીસૂત્રોના જણાવ્યા મુજબ પાર્કિંગ લેનાર કોન્ટ્રાક્ટર દ્વારા પણ પાર્કિંગનો કોન્ટ્રાક્ટર રદ કરવા માટે અરજી કરી દેવામાં આવી છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં માત્ર રવિવારે જ પાર્કિંગનો વધારે ઉપયોગ થાય છે. કારણ કે મુલાકાતિઓની સંખ્યા આ દિવસે વધારે જોવા મળતી હોય છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં વાહનોના પાર્કિંગની રોજના માત્ર બે હજારની પણ માંડ આવક થાય છે. રવિવારે વધારે લોકો આવતા હોવાના કારણે 5,000 સુધી પહોંચે છે, પરંતુ રોજની આવક ખૂબ ઓછી હોય છે જેથી મહિને એક લાખની અંદાજિત આવક માંડ થાય છે. મલ્ટીલેવલ પાર્કિંગમાં ધૂળ ખાતા ટેકનોલોજીના સાધનોમલ્ટીલેવલ પાર્કિંગમાં સ્માર્ટ સુવિધાઓ જેમાં કયા સમયે ફ્લોર ઉપર કેટલી ગાડીઓ પાર્ક કરેલી છે અને બૂમ બેરિયર લગાવવામાં આવેલા છે જેનાથી લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પાર્કિંગ કરી શકશે, પરંતુ આ બધી ટેકનોલોજી હવે ધૂળ ખાય તેવી સ્થિતિમાં જોવા મળી છે. મલ્ટીલેવલ પાર્કિંગની બહારના ભાગે જે ગાડીઓ કયા ફ્લોર ઉપર કેટલી ખાલી છે તે અંગેની માહિતી આપતું એલઇડી બોર્ડ બંધ હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરાના પાર્કિંગમાં ઓછી સંખ્યામાં વાહનો પાર્કનવરંગપુરા વિસ્તારમાં આવેલું મલ્ટીલેવલ પાર્કિંગ પણ ખૂબ વિવાદમાં આવ્યું છે. આ પાર્કિંગ પણ ચાર માળ સુધી પાર્કિંગ માટે ફાળવવામાં આવેલું છે. બાકીના માળમાં ઓફિસો અને દુકાન આવેલી છે. જે ઓફિસ તેમજ દુકાન મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગની ઓફિસ બનાવી દેવામાં આવી છે. આ મલ્ટી લેવલ પાર્કિંગમાં ખૂબ ઓછી સંખ્યામાં લોકો વાહન પાર્કિંગ માટે આવે છે. વાત કરીને સીજી રોડ ઉપર પાર્કિંગ માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું હતું. જોકે જગ્યાથી દૂર હોવાના કારણે ત્યાં પણ પાર્કિંગ થતું નથી. રીલીફ રોડ અને કાંકરિયાના પાર્કિંગમાં મોટી સંખ્યામાં વાહનો પાર્કશહેરના કોટ વિસ્તારમાં રીલીફ રોડ પર આવેલું મકરંદ દેસાઈ પાર્કિંગ આખું ભરેલું રહે છે. જ્યારે રાયપુર વિસ્તારમાં પણ સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતું મલ્ટીલેવલ પાર્કિંગ ફરીથી શરૂ કરવામાં આવતા ત્યાં લોકો વાહન પાર્કિંગ કરે છે. આ પાર્કિંગમાં પણ આસપાસની પોળના લોકો પોતાના વાહન ગાડીઓ મૂકી જતા હોય છે. જ્યારે કાંકરિયા વિસ્તારમાં પણ મલ્ટીલેવલ પાર્કિંગનો ઉપયોગ સારી રીતે થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. સિંધુ ભવન રોડ ઉપર પણ હવે ધીમે ધીમે પાર્કિંગમાં સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:00 am

UGCના જાતિગત ભેદભાવના નિયમ મામલે અમદાવાદીઓ સામ સામે, VIDEO:'આ નિયમ બેહદ જરૂરી છે, ખોટી ફરિયાદ થશે તો અમે ક્યાં જઈશું'

UGCના નવા નિયમોનો બે અઠવાડિયાથી સવર્ણો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જો કે ગુરુવારે સુપ્રીમ કોર્ટે નવા નિયમો પર સ્થગિત કરતા સરકારને ફરીથી ડ્રાફ્ટ તૈયાર કરવા કહ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે કહ્યું કે UGCના નવા નિયમો સ્પષ્ટ નથી અને તેના દુરુપયોગનો ખતરો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 માર્ચે થશે. આ વિવાદને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓના પ્રતિભાવ જાણવા પ્રયાસો કર્યા હતા. જેમાં તેઓ સામ સામે આવી ગયા હતા. આ પ્રતિક્રિયાઓ જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 7:00 am

ટીનએજર્સમાં ડિજિટલ એડિક્શન ભયાનક સ્તરે વધી રહ્યું છે

- ડિજિટલ એડિક્શનને પગલે ટીનએજર્સ અને યુવાનો ભયાનક રીતે ડિપ્રેશન, એન્ગ્ઝાઈટી, વાયોલન્સ અને સાઈબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે - ભારતમાં કરાયેલા અને વૈશ્વિક સ્તરે થયેલા અનેક સર્વે જણાવે છે કે, 12 થી 24 વર્ષના કિશોરો અને યુવાનોમાં ડિજિટલ માધ્યમોનું વળગણ સતત વધી રહ્યું છે. તેના પગલે ઉશ્કેરાટ, ગુસ્સો, ડિપ્રેશન, આત્મવિશ્વાસનો અભાવ, સાઈબર બુલિંગ અને સાઈબર ક્રાઈમ જેવી બાબતો વધી રહી છે : યુવાનોમાં કમ્પલ્સિવ સ્ક્રોલિંગ, સોશિયલ મીડિયા કમ્પેરિઝન અને ગેમિંગ ડિસઓર્ડર જેવી માનસિક બિમારીઓ પણ વધી રહી છે. તેના પગલે કિશોરો અને યુવાનોમાં ઉંઘ ઓછી થઈ ગઈ છે, ગુસ્સો અને ઉશ્કેરાટ વધી ગયા છે, સામાજિક જોડાણનો અભાવ જણાય છે, ડિપ્રેશન આવતું જાય છે: ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા કંપનીઓને બાળકોને રોકવા માટે 'યોગ્ય પગલાં' લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જો 16 વર્ષથી નીચેના બાળકો સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરતા જણાશે તો કંપનીઓને 49.5 મિલિયન ડોલર (આશરે રૂ.

ગુજરાત સમાચાર 30 Jan 2026 7:00 am

પાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર એક્શનમાં:મુખ્યમંત્રી સમક્ષ 8 મનપાનું બજેટ રજૂ, સાંસદ-ધારાસભ્યોને સંકલનથી પ્રજાલક્ષી બજેટ બનાવવાની હર્ષ સંઘવીની તાકીદ

રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણીને પગલે આ વર્ષના બજેટમાં પ્રજાલક્ષી કામો લેવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ સૂચના આપી છે. બજેટમાં સાંસદ ધારાસભ્યો અને પદાધિકારીઓએ સંકલન કરી સૂચનો મુકવા તાકીદ કરી છે. હર્ષ સંઘવી સાથેની બેઠકમાં રાજ્યની તમામ મહાનગર પાલિકાઓના મ્યુનિ. કમિશનરે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. રાજ્યમાં મહા નગરપાલિકાઓની ચૂંટણી યોજવાની છે તે પૂર્વે વર્ષ 2026-27નું બજેટ મૂકવાની તૈયારી ચાલી રહી છે. ગુરુવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ મહાનગરપાલિકાઓના મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને મ્યુનિ. કમિશનરને ગાંધીનગર બોલાવ્યા હતા. વડોદરાથી પણ ત્રણ પદાધિકારી મ્યુનિ કમિશનર ગાંધીનગર પહોંચ્યા હતા. આધારભૂત સૂત્રો મુજબ નાયબ મુખ્યમંત્રી સમક્ષ 8 મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનરે બજેટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જે પ્રેઝન્ટેશન જોયા બાદ હર્ષ સંઘવીએ સાંસદ ધારાસભ્ય અને પદાધિકારી સાથે સંકલન કરી ઉમેરો કરવા આપી હતી. જેના પગલે શુક્રવારે પાલિકાના કોન્ફરન્સ રૂમમાં સાંસદ, પાંચ ધારાસભ્યો પાંચ પદાધિકારીઓ સાથે વહીવટી તંત્ર બેઠક કરશે. જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રજાને સ્પર્શતા કામો અંગેની ચર્ચા કરી તેને બજેટમાં સમાવવા અંગે નિર્ણય લેવાશે. બજેટ રજૂ થયા બાદ સ્થાયી સમિતિમાં તમામના સૂચનો લેવામાં આવતાં હતાં, આ વર્ષે બજેટ પહેલાં બેઠક મળશેદર વર્ષે મ્યુનિ. કમિશનર સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરે અને ચેરમેન અને સભ્યો બજેટ પર ચર્ચા કરતા હતા. જેમાં સુધારા કર્યા બાદ ભાજપ કાર્યાલય ખાતે સાંસદ, ધારાસભ્યો, શહેર પ્રમુખ અને મહામંત્રીઓની હાજરીમાં સંકલનની બેઠક મળતી. જેમાં સ્થાયી સમિતિએ કરેલા નિર્ણય અંગે ચર્ચા કરાતી હતી તેમ જ નવા સુચનો મુકાતા હતા. જોકે આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટ પૂર્વે સાંસદ અને ધારાસભ્યો સાથે પદાધિકારીઓ વહીવટી તંત્ર સાથે બેઠક કરી સૂચનો આપશે. ગાંધીનગરથી પાલિકાઓને આ આદેશો છૂટ્યા

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:57 am

અદ્ભુત કલાકારી:ટ્રાવેલિંગ ટિકિટના કંપોઝિશનથી કોલાજ વર્ક, હેરિટેજ ફોટોગ્રાફી, રાકુ આર્ટ પ્રદર્શનમાં છવાયા

બસ, ટ્રેન અને વિમાનની ફિઝિકલ ટ્રાવેલ ટિકિટો ભૂતકાળ બની રહી છે. ત્યારે આર્ટિસ્ટ સંદીપ સુનેરિયાએ આવી સંખ્યાબંધ ટિકિટોના કંપોઝિશન કરીને તેના આર્ટવર્ક તૈયાર કર્યા છે. શહેરની આર્ટ એકો ગેલેરી ખાતે યોજાયેલા આર્ટ એક્ઝિબિશનમાં આ આર્ટ ઉપરાંત ફોટોગ્રાફી, સ્કલ્પચર અને મ્યુરલ અને પેન્ટિંગ આર્ટ મૂકાઇ છે. આ ગેલેરીના સંચાલિકા કાનન આશરે જણાવ્યું કે, વડોદરા ઉપરાંત ગુજરાતના સિનિયર અને યુવા બંને પ્રતિભાવાન આર્ટિસ્ટને એક પ્લેટફોર્મ મળે તે હેતુથી આ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં સિરામિક, ટેરાકોટા અને ફોટોગ્રાફસ પણ પ્રદર્શિત કરાયા છે. અહીં અજય શર્મા, અમી ગાંધી, બિપાશા સેન ગુપતા, જાગૃતિ દત્તા, સંદીપ સુનેરિયા, રુશિન પટેલ અને વ્યોમા સોનીના આર્ટવર્ક મૂકાયા છે. વડોદરાના ફોટોગ્રાફર રુશિન પટેલે વારાણસીના ગંગા નદીના કિનારે એક કિશોર ડૂબકી લગાવી રહ્યો હતો ત્યારે એક ક્ષણને કેમ્પચર કરી છે. તેમણે જણાવ્યું કે, આ ફોટોગ્રાફને મેં ફ્રિડમ એવું કેપ્શન આપ્યું છે. બપોરના સમયે કિનારે બેઠો હતો ત્યારે આ તસવીર ક્લિક કરી હતી. ઓનલાઇન સ્પર્ધા બાદ જ્યુરીએ ચૂંટેલી 23 કૃતિઓ મૂકાઇએક્ઝિબિશન અગાઉ ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી. વડોદરાના આર્ટિસ્ટ હીરલ ત્રિવેદી, નેહલ રાછ અને શાંતા સરવૈયાને મૂલ્યાંકન માટે કૃતિઓ આપ્યા બાદ આર્ટવર્ક મૂકવામાં આવ્યા છે. આ એક્ઝિબિશન યોજ્યા અગાઉ ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી. ત્યારબાદ વડોદરાના જાણીતા આર્ટિસ્ટ હીરલ ત્રિવેદી, નેહલ રાછ અને શાંતા સરવૈયાને મૂલ્યાંકન માટે કૃતિઓ આપ્યા બાદ આ આર્ટવર્ક મૂકાયા છે. કેન્સરને હંફાવી આર્ટવર્કસ તૈયાર કર્યાઆ એક્ઝિબિશનમાં આર્ટિસ્ટ જાગૃતિ દત્તાના પણ આર્ટવર્ક મૂકાયા છે. તેઓ 7 વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યાં છે. કેન્સરને હંફાવવાની સાથે તેઓ શિલ્પમાં રાકુ સિરામિક્સ આર્ટ તૈયાર કરે છે. આ ઓનલાઇન સ્પર્ધામાં તેમના આર્ટવર્ક પસંદ થયા બાદ તેમના વર્ક પણ પ્રદર્શિત થયા છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:55 am

સેલેબ્સ આવ્યા વડોદરાની મુલાકાતે:2025નું વર્ષ ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ વર્ષ રહ્યું - મલ્હાર ઠાકર

આગામી 6ઠ્ઠી ફેબ્રુઆરીએ ગુજરાતી ફિલ્મ લગન લાગી રે.. મલ્ટીપ્લેક્સમાં રિલિઝ થશે. ગુરુવારે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ મલ્હાર ઠાકર, તત્સત મુનશી અને આરોહી પટેલે દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ત્રણેયે ગુજરાતી ફિલ્મોની આજ અને આગામી સમયની સ્થિતિ વિશે નિખાલસ વાતો કરી હતી. ઓમ મંગલમ સિંગલમ અને લવની ભવાઇ ફેઇમ ડિરેક્ટર સંદીપ પટેલ લગન લાગી રે..ના ડિરેક્ટર છે. મલ્હાર ઠાકરે આ મુલાકાત દરમિયાન કહ્યું કે, 2025નું વર્ષ ગુજરાતી ફિલ્મો માટે સુવર્ણ વર્ષ જેવું રહ્યું છે. આ વર્ષે રિલિઝ થયેલી હીટ બોલિવૂડ ફિલ્મો આપણને ઝડપથી યાદ નહીં આવે પણ ગુજરાતી ફિલ્મો વધુ યાદ આવશે. મારે એક ક્રાઇમ મૂવીમાં પણ અભિનય કરવો છે તેમ જણાવતા કહ્યું હતું કે, મેં 2021માં રાજુ રિસાલદારની વાર્તા પણ વાંચી હતી. પણ એ વધુ મર્ડર અને ક્રાઇમ ઝોનમાં જતાં પડતી મૂકી હતી. સ્ટાર કાસ્ટે વડોદરાની કેટલીક કોલેજ-યુનિવર્સિટીની મુલાકાત પણ લીધી હતી. લગન લાગી રે.. ફન ફિલ્મ છે - મલ્હાર ઠાકરસવાલ - લગન લાગી રે યંગસ્ટર્સના સપના અને લાગણીને જોડવાનો સફળ પ્રયાસ વિશે શું કહેશો.આ ફિલ્મ ફેમિલી ફિલ્મ છે. ફન ફિલ્મ છે. જેમાં કોમેડી પણ છે, સાથે અલગાવ તથા સેક્રિફાઇસની વાત છે. જે આજના લોકોને ચોક્કસ ગમે તેવી છે. આ ફિલ્મ કરવાની મજા એટલા માટે આવી કે ટીમમાં પરિવારના સભ્યો જેવા જ મિત્રો હતા. સવાલ - વડોદરાની કઇ બાબત ગમે છે ?- વડોદરાની પ્રમાણિકતા ગમે છે. બહુ ચિંતા નહીં કરવાની જેવું માને છે. વડોદરાની તાસીર બદલાઇ નથી.આ મૂવી મિલેનિયલ અને ઝેન-ઝીને જોડે છે - તત્સત મુનશી સવાલ - ફિલ્મમાં તારો રોલ શું છે ?જવાબ - આ જવાબ સહેજ સિક્રેટ છે. પણ ફિલ્મમાં હું સાહિલ છું. કાર્તિક અને કાવ્યા મારા મિત્રો છે. આજકાલ લગ્નો વિશેની ફિલ્મો હીટ જાય છે તે વાત સાથે હું અસહમત છું. આ મૂવી મિલેનિયલ અને ઝેન-ઝીને જોડે છે. જેથી ફિલ્મ સાથે સીધુ જોડાણ થશે. આગામી સમયમાં વીએફએક્સ ગુજરાતી ફિલ્મોમાં આવશે ત્યારે પણ એક નવો રસ્તો ખુલશે. જે ગુજરાતી ફિલ્મો માટે નવો અધ્યાય શરૂ થશે. સવાલ - ફિલ્મો અને થિયેટરમાં કામ કરતા કયો ફરક અનુભવાયો ?થિયેટરમાં લાંબો સમય રિહર્સલ થાય છે. ટીમ સાથે જમવા પાથરણુ પાથરીને બેસવાની મજા હોય છે. મને ફિલ્મો ગમે છે પણ થિયેટર યાદ આવે છે. બ્રેક અપનો નિર્ણય એકનો કેવી રીતે હોઇ શકે. તે ફિલ્મનો સૌથી ગમતો સંવાદ છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:53 am

રક્તદાન શિબિરનું આયોજન:સંતકવર વેપારી એસોસિયેશન દ્વારા રક્તદાન શિબિર યોજાઇ, 372 યુનિટ રક્ત એકત્ર થયું

વડોદરા વારસિયા ખાતે આવેલા સંતરામદાસ ખાતે સંતકંવર નગર સિંધ કો.ઓ.સોસાયટી દ્વારા મેગા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 372 યુનિટ રક્ત એકત્ર થયું હતું. શિબિરનું આયોજન મહેશ છુટ્ટાની અને રાજેશ બલવાની દ્વારા કરાયું હતું. કેમ્પમાં સંત મુકેશ સાંઇ દ્વારા દીપ પ્રાગટ્્ય કરવામાં આવ્યું હતું. રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:49 am

કાલે વિશ્વકર્મા જયંતી રંગેચંગે ઊજવાશે:ભગવાન વિશ્વકર્માની 14 ફૂટની પ્રતિમા સાથે શોભાયાત્રા યોજાશે, ન્યાયમંદિર પાસે ભક્તો દ્વારા મહાઆરતી કરાશે

શહેરમાં મહા સુદ તેરસ ને 31 જાન્યુઆરીએ વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરવામાં આવશે. દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માની જયંતી નિમિત્તે નિર્માણ ક્ષેત્રે કાર્યરત લોકો દ્વારા ભગવાન વિશ્વકર્માનું પૂજન અને પોતાનાં સાધનોની પણ પૂજા કરવામાં આવતી હોય છે. શહેરમાં ભગવાન વિશ્વકર્માની 14 ફૂટ ઊંચી પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવશે. આ પ્રતિમા સુથાર જ્ઞાતિના મૂર્તિકાર દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી તૈયાર કરવામાં આવી છે. ડભોઇ નજીક રતનપુર પાસે વર્કશોપમાં તૈયાર કરીને આ પ્રતિમાને શુક્રવારે વડોદરા લવાશે. ત્યારબાદ શનિવારે શહેરના વાડી વિસ્તારમાંથી શોભાયાત્રાનો પ્રારંભ થશે, જે વિવિધ વિસ્તારમાં ફરી રાત્રે ન્યાયમંદિર પાસે સમાપ્ત થશે. જ્યાં મહાઆરતી કર્યા બાદ 5 નદીઓના જળથી પ્રતીકાત્મક રીતે પ્રતિમાનું વિસર્જન કરાશે. ત્યારબાદ નજીક કાલુપુરા પાસે કુંડમાં વિસર્જન કરાશે. મૂર્તિકાર અંકિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, 25 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. પંચાલ જનજાગૃતિ સંગઠનના 1500 લોકો દ્વારા પૂજન થશેસુભાનપુરા જલારામ મંદિરમાં શનિવારે જ્ઞાતિના 1500 લોકો પૂજા-ભગવાન વિશ્વકર્માની કથાનું પઠન કરશે. પંચાલ જનજાગૃતિ સંગઠનના પ્રમુખ જીગ્નેશ પંચાલે કહ્યું કે, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. કાર્યક્રમની રૂપરેખા

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:48 am

નિમણૂક:કોમર્સ ફેકલ્ટીના ડીન પદે 5 વર્ષ માટે પ્રો.પ્રજ્ઞેશ શાહની નિમણૂક

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના ડીન પદે 5 વર્ષ માટે પ્રો.પ્રજ્ઞેશ શાહની નિમણૂક વીસી દ્વારા કરાઇ છે. એકાઉન્ટ વિભાગના વડા પ્રો.પ્રજ્ઞેશ શાહ સૌથી સિનીયર હોવાથી પસંદગી કરાઇ છે. યુનિવર્સિટીમાં નવા આવેલા વીસી વિવિધ ફેકલ્ટીના વિભાગોના વડા અને ડીનની કાયમી નિમણૂકને મંજૂરી આપી રહ્યા છે. સિનિયોરિટીના આધારે ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કોમર્સ ફેકલ્ટીના ડીન પદે ઇન્ચાર્જ ડીન જે.કે.પંડયાના સ્થાને કાયમી ડીન પદે એકાઉન્ટ વિભાગના પ્રો.પ્રજ્ઞેશ શાહની નિમણૂક કરાઇ છે. 5 વર્ષ માટે તેમને કોમર્સ ફેકલ્ટીના ડીન બનાવાયા છે. ગુરુવારે રજિસ્ટ્રારે નિમણૂક પત્ર આપીને તેમને તાત્કાલીક અસરથી ડીન પદ સંભાળવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિવિધ ફેકલ્ટીના વડાની નિમણૂક કરવામાં આવી હતી હવે ડીનની નિમણૂકો કરવામાં આવી રહી છે. અગામી સમયમાં મ.સ.યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:46 am

પારુલ યુનિ.ના લિટરેચર ફેસ્ટમાં મહાનુભાવોએ આપ્યા વક્તવ્ય:યુજીસીના વિવાદ કરતાં બેરોજગારી મોટી સમસ્યા, જેની ચર્ચા નથીઃ અનિલ સ્વરૂપ

યુજીસીના વિવાદથી મોટી સમસ્યા બેરોજગારી છે. જેની ઉપર કોઇ ચર્ચા થતી નથી. 10 વર્ષમાં સ્થિતિ વધુ બગડશે. કોમવાદ, જાતીવાદથી આગળ નીકળીને વિચારવું પડશે. શિક્ષા પર પણ ચર્ચા થઇ રહી નથી. શિક્ષા પર ધ્યાન નહિ આપવામાં આવે તો 10 વર્ષ પછી તેની અસર દેખાશે. વર્તમાન સામાજીક, રાજકીયનિતીઓ વ્યવહારીક સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઇએ. લઘુ ઉદ્યોગો શરૂ કરવો હોય તો સંખ્યાબંધ ધક્કા ખાવા પડે છે. ટેકનોલોજીનો સમય છે ત્યારે અધિકારીનો રૂબરૂ મળવાની જગ્યાએ એવી સીસ્ટમ વિકસાવવી જોઇએ જેનાથી ઓનલાઇન તમામ પ્રક્રિયાઓ પૂરી થઇ શકે. અધિકારીઓને મળવાના કિસ્સામાં જ ધનરાશીનું આદાનપ્રદાનની પ્રક્રિયા થાય છે. મેક ઇન ઇન્ડીયાનો સિંહ કાગળ પર જ દોડયો છે. તેમ પારૂલ યુનિવર્સિટીના લિટરેચર ફેસ્ટમાં ત્રીજા દિવસે કેન્દ્ર સરકારના પૂર્વ શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે જણાવ્યું હતું. નિંદા કરે તેને દેશ વિરોધી જાહેર કરવો યોગ્ય નથીપૂર્વ શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે કહ્યું હતું કે, સરકારી યોજનાઓ સારી છે, પંરતુ તેનો અમલ કેવી રીતે કરવો તેના પર કોઇ કામ થતું નથી. કોઇ પણ વ્યક્તિ સરકાર કે તેમના નિર્ણયની નિંદા કરે તો તેને દેશ વિરોધી જાહેર કરવો તે યોગ્ય નથી. પ્રજાતંત્રમાં મતભેદો હોય શકે છે. આર્થિક વ્યવસ્થામાં સુધારો કરવો તે ચેલેન્જ છે. મહત્વાકાંક્ષાની કોઈ જાતિ નથી હોતીઃ શોભા ડેજાણીતા લેખિકા શોભા ડેએ જણાવ્યું કે, મહત્વાકાંક્ષાની જાતિ નથી હોતી. મહત્વાકાંક્ષા એ મહત્વાકાંક્ષી છે. તમારે એ પુસ્તક લખવાનું છે જે તમારી અંદર છે. એ નહીં જે બજારમાં ચાલે છે. તમારું પુસ્તક એ તમારું પુસ્તક છે. તમારું સત્ય એ તમારું સત્ય છે. જો તમારા અવાજમાં લખો તો વધુને વધુ વાચકો મળશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:46 am

પરીક્ષાનો ડર દૂર કરવા હેલ્પલાઈનના શ્રીગણેશ:ધો.10-12 બોર્ડ પરીક્ષાની હેલ્પ લાઇન આખરે શરૂ, કાઉન્સેલરોના નંબરોની જાહેરાત કરાઇ

આખરે ડીઇઓ કચેરીએ ધો.10-12 બોર્ડ પરીક્ષા માટે વિદ્યાર્થીઓના કાઉન્સીલરોના નંબરો જાહેર કર્યા છે. ફેબ્રુ.-માર્ચમાં પરીક્ષા યોજાશે. ત્યારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા, મનોબળ મક્કમ કરવા જિલ્લા કક્ષાએ પણ કાઉન્સીલીંગ ટીમ તૈયાર કરાઇ છે. ડીઈઓ કચેરી દ્વારા 11 કાઉન્સિલરોની ટીમ બનાવાઇ છે. જેમાં 8 આચાર્યો, એક શિક્ષક, બે સાયકોલોજિસ્ટ તથા કાઉન્સિલરો છે. બોર્ડની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાંથી તણાવ કે ગભરાટ હોય કે તેમને પરીક્ષાની પેપર સ્ટાઈલ, પ્રશ્નો, પરીક્ષાની તૈયારી જેવા વિવિધ મુદ્દાઓને મૂંઝવણ હોય ત્યારે કાઉન્સિલરો દ્વારા તેને દૂર કરવામાં આવશે. કાઉન્સેલિંગ નિષ્ણાતનું નામ હોદ્દો મોબાઇલ નંબર

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:43 am

પોલીસ ફરિયાદ નોંધાઈ:ખાનગી યુનિ.ની તબીબી વિદ્યાર્થિનીના એક તરફી પ્રેમમાં સહપાઠી ઘરે પહોંચી જતાં ફરિયાદ નોંધાવી

શહેર નજીકની ખાનગી યુનિ.ની તબીબી વિદ્યાર્થિની સાથે ભણતો યુવક સંબંધ રાખવા દબાણ કરતો હતો. ગભરાયેલી યુવતીએ કપુરાઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હૈદરાબાદના યુવકની શોધખોળ હાથ ધરી છે. આ સાથે અભ્યાસ દરમ્યાન યુવતીનો યુવક સાથે સંપર્ક થયો હતો. પરંતુ યુવક નિકટતા વધારવા અને મિત્રતા રાખવા દબાણ કરતો હતો. યુવતીએ ઇનકાર કરવા છતાં યુવક તેનો પીછો કરતો હતો. મૂળ રાજકોટની અને હાલ બાપોદ રહેતી 23 વર્ષની વિદ્યાર્થિનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 2024ની નવરાત્રીમાં વમશીરામ પાંડુગા (રહે. હૈદરાબાદ) સાથે તેની મિત્રતા બંધાઈ હતી. થોડા સમય બાદ યુવકનું વર્તન વિચિત્ર થતાં વિદ્યાર્થિનીએ મિત્રતા તોડી હતી. યુવક મિત્રતા માટે દબાણ કરી કોલ-મેસેજ કરતો હતો. વિદ્યાર્થીનીએ નંબર બ્લોક કરતાં યુવક પીછો કરતો હતો. ગત 18 ડિસેમ્બરે રાત્રે યુવક વિદ્યાર્થીની સાથે વાત કરવા તેના ઘરે પહોંચી જતાં યુવતીએ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. ભાસ્કર ઇનસાઇડયુવતીના પરિવારજનોને બીભત્સ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતુંયુવતી તાબે ન થતાં યુવકે તેના પરિવાર અને મિત્રોને બીભત્સ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતું. અઠવાડિયાથી વિદ્યાર્થિનીના કુટુંબીજનો તથા મિત્રોને બંને વચ્ચેના ચેટિંગના સ્ક્રીનશોટ તેમજ બીભત્સ મેસેજો મોકલી પજવણી શરૂ કરી હતી. યુવક ઉશ્કેરાઈ મોટું પગલું ભરે એવી શંકાએ યુવતીએ પોલીસની મદદ મેળવવાનું નક્કી કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:40 am

અપહરણનો મામલો આવ્યો સામે:પત્નીને શોધતો પતિ રેલવે સ્ટેશને સૂઈ ગયો, પાંચ વર્ષના દીકરાનું અપહરણ

નારાજ પત્નિને શોધવા 5 વર્ષના દિકરા સાથે વડોદરા રેલ્વે સ્ટેશને ગયેલો પિતા થાકીને સુઈ જતાં અજાણ્યો વ્યક્તિ બાળકનું અપહરણ કરી જતાં રેલ્વે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સીસીટીવીમાં એક વ્યક્તિ બાળકને લઈ જતો દેખાઈ રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખોડિયારનગર રહેતા અનિલે 2005માં ભાવનગરમાં રહેતી પુનમ સાથે બીજા લગ્ન કર્યાં હતાં. બંનેને 5 વર્ષનો પુત્ર યુવરાજ છે. પતિ-પત્નિ વચ્ચે ખટરાગ હતો. 20 જાન્યુઆરીએ પત્ની કોઈ અજાણ્યા સાથે વાત કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. 6 દિવસ બાદ ઘરે જમવાનું ન બનાવતાં ઝઘડો થતાં પત્ની રાતે સાડા નવ વાગે ઘરેથી નિકળી ગઈ હતી. બે દિવસ પરત ન આવતાં પતિએ તેને ફોન કર્યાં હતાં. દરમિયાન અજાણ્યા નંબર પરથી પત્નીએ ફોન કરી દિકરા યુવરાજને આપવા જણાવ્યું હતું. અનિલે ના પાડતાં ફોન મુકી દીધો હતો. ફરી પત્નિનો સંપર્ક થતા તે વડોદરા રેલ્વે સ્ટેશન હોવાનું જણાવ્યું હતું. અનિલ પત્નીને શોધવા યુવરાજ સાથે રેલ્વે સ્ટેશન ગયો હતો. પત્ની ન મળતા અનીલ પ્લેટફોર્મ નં-1 પર સુઈ ગયો હતો. તે જાગતાં જ 5 વર્ષનો દિકરો ગાયબ હતો. અનિલે પત્નીનો સંપર્ક કરતા તેની પાસે પણ યુવરાજ ન હોવાનું જણાવતા આખરે વડોદરા રેલ્વે પોલીસે બાળકના અપહરણનો ગુનો દાખલ કર્યો છે. સીસીટીવીમાં એક વ્યક્તિ બાળકને લઈ જતો દેખાયોરેલ્વે પોલીસે એક ટીમ બનાવીને યુવરાજની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પ્રથમ પ્લેટફોર્મ નંબર 1ના સીસીટીવી ફુટેજ જોતાં તેમાં એક અજાણ્યો વ્યક્તિ યુવરાજને લઈ જતો નજરે ચઢી રહ્યો છે. પોલીસે આ વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:38 am

જીવલેણ અકસ્માત સર્જાયો:નંદેસરીમાં ટ્રેલરે ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડ પર ઓરડીની દીવાલ તોડી, સૂતેલો યુવક દબાઈ ગયો

નંદેસરીમાં આવેલા દુર્ગા એસ્ટેટની બાજૂની ઓરડીમાં ગુરુવારે વહેલી સવારે રોંગ સાઈડ આવેલુ ટ્રેલર ઘૂસી જતાં ઓરડીની દિવાલ તૂટી ગઈ હતી. જેને પગલે ઓરડીમાં સુતેલા 7 પૈકી એક યુવક દિવાલ નીચે દબાઈ જતા પેટના નીચેના ભાગથી ગંભીર રીતે ઘવાયો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન કરાયું હતું, જેની હાલત ગંભીર છે, અને વધુ એક સર્જરી થશે. તબીબોએ તેને 48 કલાક નિગરાની હેઠળ રાખ્યો છે. યુવકના કાકાએ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મૂળ ઉત્તરપ્રદેશનો અમીત રામ તેના કાકા અને અન્ય મિત્રો સાથે નંદેસરી ખાતે દુર્ગા એસ્ટેટમાં નોકરી કરે છે, બાજૂમાં જ એક ઓરડીમાં રહે છે. તેમની સાથે અન્ય 5 લોકો પર ઓરડીમાં રહે છે. ગુરુવારે સવારે 5 વાગ્યે એક ટ્રેલર પૂર ઝડપે વાસદ તરફથી આવ્યું હતું અને ઓરડીમાં ઘુસી ગયું હતું. જેના કારણે ઓરડીની દિવાલ તૂટી ગઈ હતી. જેની નીચે અમીત દબાઈ ગયો હતો અને ટ્રેલરના કેબિનનો પણ કૂચડો વળી ગયો હતો. ઓરડીમાં સુતેલા લોકોએ ફાયર બ્રિગેડ-108ને જાણ કરી હતી. લાશ્કરોએ કાટમાળ નીચેથી અમીત અને કેબિનમાંથી ડ્રાઈવરને કાઢી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અમીતને પેટના નીચેના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. જે સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 50ની સ્પીડે ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત થયોનંદેસરી ખાતે થયેલા અકસ્માતમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, મસમોટું ટ્રેલર વાસદ તરફથી આવી રહ્યું હતું. મોડી રાત્રે આવી રહેલા ટ્રેલરના ચાલકને અચાનક ઝોકું આવી ગયું હતું. જેને કારણે ટ્રેલર બેકાબૂ થયું હતું અને તે ડિવાઈડર તોડીને રોડની બીજી બાજૂ ઉપર આવી ગયુ હતું. ત્યારબાદ આ ઓરડીમાં ધૂસી ગયું હતું. તે સમયે ટ્રેલરમાં ભારે સામાન હોવાથી તેની સ્પીડ 50ની હોઈ શકે છે. છતાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો. તેને દીવાલ તરફ સૂવાની ના પાડી છતાં ત્યાં જ સૂતોરોજ દરેક ઓરડીની અલગ-અલગ જગ્યાએ સુવે છે, બુધવારે અમે બધા એક તરફ સુતા હતા. જોકે અમીત હાઈવે તરફની દિવાલ પાસે સુતો હતો. અમે તેને તે તરફ સુવાની ના પાડી હતી છતાં તે ત્યાં જ સુતો હતો. અગાઉ તે ક્યારે પણ તે દિવાલ તરફ નથી સુતો. ધડાકાભેર અવાજ આવતા અમે ઉઠી ગયા હતા, તે પહેલા દિવાલ અમીત પર પડી ગઈ હતી. હાલમાં અમીતની હાલત ગંભીર છે. > અનુરાગ મિશ્રા, અમિત સાથે રહેતો મિત્ર

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:35 am

ટ્રાવેલ્સ સંચાલકોમાં નારાજગી ફેલાઇ:સ્લીપર બસમાં 2X2ને બદલે 2X1 સીટના હુકમ સામે આવેદન અપાયું

જેસલમેરમાં સ્લીપર કોચને આગ લાગવાની ઘટના બાદ કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાલયે ટુ બાય ટુ સ્લીપર કોચને એક સપ્ટેમ્બર 2025થી ટુ બાય વનમાં પરિવર્તીત કરવા માટે આદેશો કર્યા હતા. જેને પગલે ટ્રાવેલ સંચાલકોને એક બસમાં રૂ.10 લાખનો ખર્ચ થઈ રહ્યો છે. અન્ય ટેકનીકલ વિષયોને કારણે બસને રીનોવેટ કરાવવામાં 9 મહિના લાગી શકે. જેને પગલે મુસાફરી મોંઘી થશે નવી બસોની જરૂરિયાત પણ ઊભી થશે. આ બંને વિષયથી ટ્રાવેલ્સ સંચાલકોમાં નારાજગી ફેલાઇ છે. શહેરના ટુરિસ્ટ સ્લીપર બસ એસોસિએશન દ્વારા વડોદરા કલેકટરને ગુરુવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે હાલની સ્લીપર બસને માન્ય રાખવામાં આવે અને નવી બસ નવા નિયમ મુજબ બનાવવા માટે મંજૂરી આપવા માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 7 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને આરટીઓમાં બદલાયેલી બસો બતાવી મંજૂરી મેળવી લેવા જણાવ્યું છે. જેને પગલે ટ્રાવેલ સંચાલકોનો ધંધો ચોપટ થાય તેવી સ્થિતિ સર્જાઇ છે. પાસ થયેલી બસ કેન્સલ થતાં વડોદરામાં દોડધામટૂર ઓપરેટર દ્વારા ગુજરાતમાં વધારે ટેક્સ દર મહિને ભરવો પડે છે. અન્ય રાજ્યમાં માત્ર 9થી 11 હજાર રૂપિયા ટેક્સ છે. જેથી મધ્યપ્રદેશ કે રાજસ્થાનમાં તેઓ બસ પાસ કરાવતા હોય છે. તાજેતરમાં જ એમપીમાં બસની આરસી બુક કેન્સલ કરવાનું શરૂ થતાં વડોદરાના ઓપરેટરોની આરસી બુક પણ કેન્સલ થયાની ચર્ચાને પગલે વડોદરામાં દોડધામ મચી છે. 18 સીટો ઓછી થઇ જાય છેગુજરાતમાં 8થી 10 હજાર બસ તેમજ વડોદરામાં 150 સ્લીપર કોચ છે. રાજસ્થાન-પંજાબમાં ક્યારનું આંદોલન શરૂ થયું છે. 48 સીટમાંથી ટુ બાય વન થાય તો 18 સીટ ઓછી થાય, જેને પગલે ઓપરેટરનો ખર્ચો વધે, મુસાફરી મોંઘી થાય તો ધંધો પણ ચોપટ થાય. જેથી કલેકટરને રજૂઆત કરી છે. આરટીઓ દ્વારા પણ મેસેજ મોકલી બસ તાત્કાલિક બતાવવાનું જણાવવામાં આવ્યું છે.> ચિરાગ પટેલ, ટુર એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન ભાસ્કર ઇનસાઇડક્યાં ફરે છે આ બસોટૂર ઓપરેટરો મુજબ હિન્દુ તીર્થ સ્થળો જેવા કે, અયોધ્યા, ગંગા સાગર જગન્નાથપુરી સહિતના ધર્મ ક્ષેત્ર ખાતે ગરીબો, સામાન્ય-મધ્યમ વર્ગના લોકોને આ બસ દ્વારા સસ્તી મુસાફરી કરાવી શકાય છે. એક હજાર રૂપિયામાં થતી મુસાફરી હવે ડબલ ભાવે કરાવવી પડશે તેવી સ્થિતિ સર્જાઇ છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:34 am

BCAની ચૂંટણી પૂર્વે નવો વિવાદ:રિવાઇવલના ઉમેદવારની જગ્યામાં BCAની ચૂંટણી યોજવા મુદ્દે વિવાદ

બીસીએની ચૂંટણીને પૂર્વે વિવાદો યથાવત્ છે. ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપના ઉમેદવારની જગ્યા અને કર્મચારીઓના ઉપયોગ સામે રજૂઆત કરાઈ હતી. સત્યમેવ જયતે-રોયલ ગ્રૂપ બીસીએ ખાતે પહોંચ્યું હતું, પણ કોઇ મળ્યું નહતું. સત્યમેવ જયતે-રોયલ ગ્રૂપે બીસીએ ઓફિસે પહોંચી આવેદન આપ્યું હતું. ડો.દર્શન બેંકરે જણાવ્યું કે, ચૂંટણી જ્યાં યોજાવાની છે તે રામબાગ સામે વાંધો છે. રિવાઇવલ ગ્રૂપના ઉમેદવારની જગ્યા પર કેવી રીતે ચૂંટણી યોજાઇ શકે. ચૂંટણી પ્રક્રિયામાં જે વોલન્ટિયર્સ છે તે પણ તેમની કંપનીના છે તે કેવી રીતે ચાલે. ગુરુવારે બીસીએની ઓફિસમાં આવેદન આપવા ગયા ત્યારે સીઇઓ, ચૂંટણી અધિકારી હાજર નહતા. તેમણે કહ્યું કે, યાદીમાં 200થી વધુ એવાં નામોનો સમાવેશ કરાયો છે જે મૃત્યુ પામ્યાં છે. જેમને બીસીએના મતદાર તરીકે ચાલુ રખાયા છે. જગ્યા નક્કી થઇ ત્યારે કોઇએ કેમ વાંધો ન ઉઠાવ્યો : રિવાઇવલ ગ્રૂપરિવાઇવલ ગ્રૂપે જણાવ્યું કે, ચૂંટણીની જગ્યા નક્કી થઇ તે તમામને ખબર હતી, તે સમયે કેમ વાંધો ન ઉઠાવ્યો. આ ઉપરાંત છાપામાં આપેલી જાહેરાતમાં પણ ચૂંટણીની જગ્યાનો ઉલ્લેખ હતો તથા ઘરે મોકલેલી નોટિસમાં પણ લખવામાં આવ્યું હતું. તો આટલો સમય સુધી કેમ કોઇ વાંધો ન ઉઠાવ્યો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:19 am

હોબાળો મચ્યો:બાપોદમાં બીજા દિવસે હોબાળો, લોકોને 1 કલાક સુધી ટોકન ન અપાતાં બોલાચાલી

એસઆઈઆર હેઠળ અપાયેલી નોટિસ અંતર્ગત દસ્તાવેજો આપવા પહોંચેલા લોકોએ સતત બીજા દિવસે બાપોદ સરકારી સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. 3 વાગ્યાથી લાઈનમાં ઊભેલા લોકોને 1 કલાક સુધી ટોકન ન મળતાં સ્ટાફ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને એક સમયે કર્મીઓને ધક્કે ચઢાવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું હતું કે, સરકારી સ્કૂલ બહાર 500 મીટર સુધી લાઈન લાગી હતી છતાં ટોકન અપાયો નહોતો. જ્યારે વિરોધ કર્યો તો માંડ કામ શરૂ થયું, પણ 80 ટકા લોકોને પરત ફરવું પડ્યું હતું. બુધવારે પણ બાપોદ સરકારી સ્કૂલમાં અવ્યવસ્થા અને ટોકનની વહેંચણી મુદ્દે હોબાળો થયો હતો. બીજી તરફ પોતાની સામે વાંધા લેવાયા હોવાની ફરિયાદો સાથે મતદારો કલેક્ટર કચેરીએ વિરોધ કરવા પહોંચી રહ્યા છે. જેમાં મતદારો રહેઠાણ સ્થળે હાજર હોવા છતાં વાંધામાં તેઓ સ્થળે હાજર નથી કે મૃત છે, તેવાં કારણો સાથે વાંધા લેવાયા હોવાનાં ફોર્મ 7 ભરાઈ ચૂક્યાં છે. સૌથી વધુ વાંધા અકોટામાં 13 હજાર અને રાવપુરામાંથી 19 હજાર લેવાયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે મન્સુરી કબ્રસ્તાનમાં રહેતા ફારૂક વ્હોરાના નામ અને ચૂંટણી કાર્ડ નંબરનો ઉપયોગ કરી 60થી વધુ લોકો સામે વાંધા લેવાયા હતા. જેની જાણ થતાં ફારૂક વ્હોરાએ કલેક્ટરને આવેદન આપી જેણે પણ તેમના નામનો ઉપયોગ કરી વાંધો આપ્યો છે તેની સામે કડક પગલાં ભરવા માગ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:18 am

મેરેથોન દોડનું આયોજન કરાયું:મેરેથોનમાં 1.20 લાખ લોકો દોડશે, 400 ટ્રાન્સજેન્ડર્સ પહેલીવાર જોડાશે

શહેરમાં રવિવારે યોજાનારી વડોદરા મેરેથોનની તડામાર તૈયારી છેલ્લા તબક્કામાં છે. ગુરુવારે સાંજ સુધીમાં રજિસ્ટ્રેશનનો આંક 1.20 લાખ થયો છે. મેરેથોનમાં પહેલીવાર 400 જેટલા ટ્રાન્સજેન્ડર્સ ગજરા રન અંતર્ગત દોડશે. જ્યારે પહેલીવાર વિદેશી રનર્સ સહિત ઇંડાં નહીં અપાય. એક સપ્તાહથી વિશેષ ટીમો દ્વારા આખો દિવસ મેરેથોનની કિટ વહેંચાઈ રહી છે. જ્યારે મેરેથોન માટે નવલખીમાં તૈયારી શરૂ થઇ છે. 1 હજાર વોલન્ટિયર્સ મેરેથોનને સાર્થક બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. જેમાંથી 150 લોકો મેરેથોનની આગલી રાતે 11થી સવારના 11 સુધી નવલખીમાં ખડેપગે રહેશે. રૂટ મેનેજમેન્ટ : શનિવારે રાતે બેરિકેડ, સાઇનેજ મૂકાશે મેડિકલ : સ્ટાર્ટ-એન્ડ પોઇન્ટ પર 100 બેડની સુવિધા આ વર્ષે મેરેથોનમાં નશામુક્તિના શપથનો વર્લ્ડ રેકોર્ડ કરાશેમેરથોન આરોગ્યનો પણ સંદેશો આપે છે. આ વર્ષે નશામુક્તિ માટેની શપથ બે તબક્કામાં લેવડાવવામાં આવશે. આ શપથ એક સાથે 1 લાખથી વધુ લોકો લઇને વર્લ્ડ રેકોર્ડ કરીને રેકોર્ડબુકમાં નામ નોંધાવશે. > તેજલ અમીન, ચેરપર્સન, વડોદરા મેરેથોન પાર્કિંગ : 3 હજાર જેટલાં વાહનોના પાર્કિંગની વ્યવસ્થાસોલાર પેનલ એન્ટ્રન્સ પાસે 500 કાર, 2500 ટુ વ્હીલર્સનું પાર્કિંગ રહેશે. અહીં 70 વોલેન્ટિયર્સ હશે. મેઇન ગેટની બંને બાજુ ટુ વ્હીલર્સ પાર્કિંગ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:17 am

સિટી એન્કર:પ્રેમલગ્ન બાદ પતિના લગ્નેતર સંબંધથી ત્રાસી પત્ની પિયર જતી રહી પોલીસની પરીક્ષા માટે દસ્તાવેજો લેવા જતાં પતિએ ફટકારી કાઢી મૂકી

શહેરના હરણી વિસ્તારમાં રહેતા દંપતી વચ્ચે વિખવાદ ચાલતો હોવાથી કારણે પરિણીતા પિયરમાં રહે છે. જોકે તેની પોલીસ રનિંગની પરીક્ષા હોવાને કારણે તે પોતાના દસ્તાવેજો લેવા ઘરે ગઈ ત્યારે પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી અને દસ્તાવેજો આપ્યા નહોતા. જેથી મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમે મહિલાને દસ્તાવેજો અપાવ્યા હતા અને દંપતી વચ્ચે સમાધાન પણ કરાવ્યું હતું. ગોધરાની મહિલાએ 5 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા અને 2 વર્ષ પહેલાં દંપતી નોકરીની શોધમાં વડોદરા આવ્યું હતું. હાલમાં પરિણીતા નર્સ તરીકે નોકરી કરે છે અને તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 6 મહિના પહેલાં પતિના લગ્નેતર સંબંધને કારણે દંપતી વચ્ચે ઝઘડા થયા હતા. પત્નીએ સમજાવવા છતાં પતિ ન માનતાં છેવટે તે પિયર જતી રહી હતી. જોકે સમાજે મધ્યસ્થી કરતાં તેઓ ફરી સાથે રહેવા લાગ્યાં હતાં. તે બાદ પણ પતિએ પત્ની સાથે મારઝૂડ કરતાં તે ફરી વખત પોતાના પિયર જતી રહી હતી. પરિણીતા પોલીસની પરીક્ષાની તૈયારી કરી રહી છે, જેના રનિંગના ટેસ્ટ માટે દસ્તાવેજોની જરૂર પડતાં તે ઘરે ગઈ હતી. જોકે પતિએ દસ્તાવેજો આપવાનો ઈનકાર કરી મારઝૂડ કરીને તેને કાઢી મૂકી હતી. જેથી મહિલાએ અભયમ અને માતા-પિતાને બોલાવીને છૂટાછેડા લેવાની વાત કરી હતી. અભયમની ટીમે તેના પતિને સમજાવ્યો હતો કે, પત્ની પર હાથ ન ઉપાડવો જોઈએ, દસ્તાવેજો આપવા જોઈએ. તેને પરેશાન કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે. ત્યારબાદ પતિએ અભયમની ટીમને બાંહેધરી આવી હતી કે, તે પત્નીને પરેશાન નહીં કરે. જ્યારે પત્નીને સમજાવ્યું હતું કે, આવેશમાં છૂટાછેડાનો નિર્યણ ન લેવો જોઈએ, બાળકનું વિચારવું જોઈએ. જેથી દંપતીએ સમાધાન કર્યું હતું. મારો પતિ શારીરિક સંબંધ રાખતો નથી અને કાઢી મૂકવાની ધમકી આપે છેપરિણીતાએ અભયમને જણાવ્યું હતું કે, મારા પતિના લગ્નેતર સંબંધ છે, જેને કારણે તે મારી સાથે શારીરિક સંબધ રાખતો નથી. ઉપરાંત તે મને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકીઓ પણ આપતો હતો. મારો દોઢ વર્ષનો દીકરો છે, તેના પર મારો પતિ ધ્યાન આપતો નથી

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:14 am

હવે અમદાવાદથી ભાવનગર માત્ર 3 કલાકમાં!:ધોલેરા એક્સપ્રેસ-વેનો ક્યાકેય ના જોયો હોય એવો ડ્રોન VIDEO; જુઓ, આવતીકાલે સવારે 6 વાગ્યે

ભાવનગરને અમદાવાદ સાથે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે વાહનચાલકો માટે બનીને તૈયાર છે. ભારત માલા યોજનાનો મહત્ત્વપૂર્ણ ભાગ એવો અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વેનો ડ્રોન નજારો જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને જુઓ VIDEO

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:00 am

73 વર્ષના વૃદ્ધે 3 કલાકમાં સવા કરોડ ભેગા કર્યા:શિવરાજે 13 તારીખે ખાતું ખોલાવ્યું અને 14મીએ ખાતામાં સવા કરોડ આવ્યા, કેસ સોલ્વ થતાં મોટો ઘટસ્ફોટ થયો

₹1.15 કરોડનો સાયબર ફ્રોડઅમદાવાદબનાવનો સમય 14 નવેમ્બર 2024 અમદાવાદમાં રહેતા 73 વર્ષના શાંતિલાલ નિવૃત્તિનું જીવન જીવે છે અને પત્ની સાથે એકલા રહે છે. તેમની બે દીકરીઓ અમેરિકામાં તેમના પરિવાર સાથે રહે છે. તારીખ 14 નવેમ્બર 2024 ના રોજ શાંતિલાલના મોબાઇલ પર એક વ્હોટ્સએપ કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપતાં કહ્યું કે, ‘દિલ્હી પોલીસ સે અમિતકુમાર બાત કર રહા હું. ચાર દિન પહલે આપને જો પાર્સલ ભેજા થા ઉસે કસ્ટમ ડિપાર્ટમેન્ટ ને પકડા હૈ, ઇસ પાર્સલ કો ભેજને કે લિયે આપકે આધાર કાર્ડ કા ઇસ્તમાલ હુઆ હૈ. ઇસ પાર્સલ મેં 16 પાસપોર્ટ, 58 એટીએમ કાર્ડ ઔર 140 ગ્રામ MD ડ્રગ્સ મિલા હૈ…’ ‘તમારા પાર્સલમાંથી MDMA ડ્રગ્સ મળ્યું છે’સામે શાંતિલાલે જવાબ આપતાં કહ્યું કે આ પાર્સલ મેં નથી મોકલ્યું. આ મારું પાર્સલ છે જ નહીં. જવાબમાં દિલ્હી પોલીસના અધિકારીએ કહ્યું કે જો તમે આ પાર્સલ ન મોકલ્યું હોય તો તમે અમારા સાહેબ સાથે વાત કરીને કહી દો કે આ પાર્સલ તમારું નથી. થોડીવાર રહીને શાંતિલાલના વ્હોટ્સએપ પર એક વીડિયો કોલ આવ્યો. તે વીડિયો કોલ માં પોલીસની વરદી પહેરેલા એક અધિકારી બેઠા હતા. તેમણે શાંતિલાલને પૂછ્યું, ‘શું તમને MDMA વિશે ખબર છે?’ શાંતિલાલે ના પાડી અને કહ્યું કે મને આવી કંઈ જ ખબર નથી. બાદમાં તે પોલીસ અધિકારીએ કહ્યું કે MDMA એ એક પ્રકારનું ડ્રગ્સ છે, જે ભારત દેશમાં સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આ ડ્રગ મોકલવા બદલ બહુ મોટી સજા થઈ શકે તેમ છે. આવું સાંભળીને શાંતિલાલ ગભરાઈ ગયા અને કહ્યું કે મેં આવું કોઈ જ પાર્સલ મોકલ્યું નથી. હું તમને પોલીસ તપાસમાં સંપૂર્ણ મદદ કરીશ. આવું કહેતાં જ સામે વીડિયો કૉલમાં રહેલા અધિકારીએ કહ્યું કે હવે વધુ માહિતી માટે અમે અમારા ઉપરના સાહેબને કોલ ટ્રાન્સફર કરીએ છીએ. થોડીવાર રહીને ફરી વીડિયો કોલ આવ્યો. આ વખતે વીડિયો કોલ ઉપાડતાં સામેવાળી વ્યક્તિનો ચહેરો શાંતિલાલને દેખાતો ન હતો, પરંતુ શાંતિલાલનો ચહેરો તેઓ જોઈ શકતા હતા. તે વ્યક્તિએ શાંતિલાલ ને કહ્યું કે તમે સાચા હો તેવું લાગે છે. થોડીવારમાં અમે અમારા મોટા સાહેબ સાથે તમારી વાત કરાવી આપીશું. જજની સહી અને સિક્કાવાળો મિલકત જપ્ત કરવાનો લેટર થોડીવાર રહીને શાંતિલાલના વ્હોટ્સએપ પર એક ફોટો આવ્યો. આ ફોટો અંગ્રેજીમાં ‘સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’ એટલે કે CBIના સિમ્બોલવાળો હતો. તેમાં શાંતિલાલનું નામ અને આધાર નંબર બધું લખેલું હતું. આ લેટર જોઈને શાંતિલાલ ગભરાઈ ગયા. તેમને એવો વિશ્વાસ થઈ ગયો કે ખરેખર તેમના આધાર કાર્ડનો કોઈએ દૂરુપયોગ કરીને પાર્સલ મોકલ્યું હોઈ શકે તેમ છે. તુરંત બીજા બે ફોટા આવ્યા બીજા ફોટામાં અશોક સ્તંભના ચિહ્નવાળું દિલ્હી કોર્ટનો અરેસ્ટ વોરંટનો કાગળ હતો. આ અરેસ્ટ વોરંટમાં શાંતિલાલની મિલકત સીઝ (જપ્ત) કરવાનું લખાણ લખેલું હતું. સાથે જ નીચે જજની સહી અને સિક્કો પણ મારેલો હતો. આ બધું જોઈને શાંતિલાલને ખાતરી થઈ ગઈ કે તેમના આધાર કાર્ડનો ખરેખર કોઈએ દૂરુપયોગ કર્યો છે. વૃદ્ધ શાંતિલાલના પગ તળેથી જમીન સરકી ગઈ. થોડીવાર રહીને શાંતિલાલને વ્હોટ્સએપ પર ફરીવાર કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે આ બધા તમારી સામેના પુરાવા છે. જો તમે તપાસમાં સહકાર નહીં આપો તો અમે પોલીસ મોકલીને તમારી ધરપકડ કરાવી દઈશું. ગભરાયેલા શાંતિલાલે તરત કહ્યું કે, ‘હું તમામ પ્રકારની મદદ કરવા તૈયાર છું.’ તો સામે અધિકારી બનેલી વ્યક્તિએ કહ્યું કે, ‘તમારે આ વાત કોઈને કરવાની નથી. આ એક કોન્ફિડેન્શિયલ (સિક્રેટ) મેટર છે. જો તમે આ વાત કોઈ સાથે શેર કરશો તો તમારી વિરુદ્ધમાં દેશવિરોધી કૃત્ય કરવાનો ગુનો દાખલ થશે. જો તમારે દિલ્હી આવવું ન હોય તો તમે તમારું સ્ટેટમેન્ટ વ્હોટ્સએપ કોલ પર લખાવી દો...’ આવું સાંભળીને શાંતિલાલ વ્હોટ્સએપ પર નિવેદન લખાવવા તરત જ તૈયાર થઈ ગયા. પછી શાંતિલાલની પૂછપરછ શરૂ થઈ. શાંતિલાલે 3 કલાકમાં સવા કરોડ ભેગા કરી દીધા!શાંતિલાલને સૌપ્રથમ તેમના ફેમિલી વિશે પૂછવામાં આવ્યું. બાદમાં પૂછ્યું કે, ‘તમારાં કઈ કઈ બેંકમાં ખાતાં છે અને તેમાં કેટલું બેલેન્સ છે?’ શાંતિલાલે તેમનાં તમામ બેંક ખાતાંની અને પત્નીનાં ખાતાંની તમામ માહિતી આ લોકોને આપી દીધી. તેમનાં તમામ ખાતાંમાં પડેલી રકમનો સરવાળો એક કરોડ રૂપિયા કરતાં પણ વધુ થતો હતો. 1 કરોડ રૂપિયા જેટલી રકમ સાંભળીને સામે વીડિયો કૉલમાં રહેલા અધિકારીએ શાંતિલાલને કહ્યું, તમારાં ખાતાંમાં બહુ મોટી રકમ પડી છે. આ એક બહુ મોટો ફ્રોડ હોવાનું લાગી રહ્યું છે.’ શાંતિલાલે જવાબ આપ્યો કે, ‘આ તમામ રૂપિયા મારા જ છે અને મારી મહેનતની કમાણીના છે.’ જવાબમાં અધિકારીએ કહ્યું, ‘જો આ પૈસા ખરેખર તમારા જ હોય તો તે સાબિત કરવા માટે RBI બેંક મારફતે ફંડ લીગલાઈઝેશનની કાર્યવાહી કરવી પડશે. જેના માટે તમારાં અને તમારી પત્નીનાં અલગ અલગ ખાતાંમાં પડેલા બધા રૂપિયા કોઈ એક બેંક ખાતામાં ભેગા કરવા પડશે. આ પ્રોસેસ કરવા માટે તમારા પાસે ફક્ત ત્રણ કલાકનો સમય છે. જો તમે ત્રણ કલાકમાં આ કામગીરી નહીં કરો તો તમારી ધરપકડ કરી લેવામાં આવશે.’ આ પ્રકારની ધાકધમકી આપીને શાંતિલાલને તાત્કાલિક બેંકમાં દોડાવ્યા. શાંતિલાલે તરત તેમની અલગ અલગ બેંકોમાં જઈને એક બેંકમાં પડેલા પોતાની જીવનભરની કમાણીના 1.15 કરોડ રૂપિયા ભેગા કરી દીધા. આ દરમિયાન તે અધિકારીનો ફોન સતત શાંતિલાલ પર ચાલુ હતો. શાંતિલાલ પણ તમામ અપડેટ તે અધિકારીને ફોન પર આપી રહ્યા હતા અને એ અધિકારીના કહ્યા મુજબ શાંતિલાલ તેમનાં અલગ અલગ ખાતાંમાં પડેલા રૂપિયા બેંકમાં જઈને એક કરાવી દીધા. જેનો ટોટલ સરવાળો સવા કરોડથી પણ વધુ હતો! શાંતિલાલે ₹1 કરોડ 15 લાખ RTGSથી મોકલી દીધા!શાંતિલાલે તેમના તમામ રૂપિયા એક ખાતામાં ભેગા કર્યા તેની માહિતી અધિકારીને આપી દીધી. બાદમાં અધિકારીએ તેમને વ્હોટ્સએપ પર એક લેટર મોકલી આપ્યો એ લેટર પર ‘YES બેંક’ના એકાઉન્ટની તમામ માહિતી લખેલી હતી. ફોન પર તે અધિકારીએ કહ્યું કે, ‘તમારા પૈસાના ફંડ લીગલાઈઝેશનની પ્રક્રિયા કરવા માટે તમારા આ રૂપિયા લેટરમાં જણાવેલા ખાતામાં નાખવા પડશે. ફંડ લીગલાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારા રૂપિયા તમને તમારા ખાતામાં પરત મળી જશે.’ શાંતિલાલે RBIના સિક્કાવાળો લેટર અને અન્ય કાગળો વ્હોટ્સએપ પર જોતાં તેમને વિશ્વાસ આવી ગયો હતો કે આ તમામ કાગળો ઓરિજિનલ છે. શાંતિલાલ બેંકમાં જ ઊભા હતા અને અધિકારીના કહ્યા મુજબ 1 કરોડ 15 લાખ રૂપિયા યસ બેન્કમાં આરટીજીએસ દ્વારા મોકલી આપ્યા. 73 વર્ષના નિવૃત્તનું જીવન જીવતા શાંતિલાલ ભાંગી પડ્યાએકવાર તમામ પૈસા ટ્રાન્સફર કર્યા પછી સ્વાભાવિક રીતે જ વ્હોટ્સએપ કૉલમાં ધરપકડ કરવાની દમદાટી દેતા કહેવાતા અધિકારીઓ ચૂપ થઈ ગયા. આ બાજુ શાંતિલાલ સામેથી તેમને વ્હોટ્સએપ કોલ કરીને પૂછતા હતા કે અમારા રૂપિયાનું વેરિફિકેશન ક્યારે થશે? સામે અધિકારીએ કહ્યું કે, ‘તમારા રૂપિયાના વેરિફિકેશનની પ્રોસેસ ચાલુ છે, જેમાં થોડો સમય લાગે તેમ છે. શાંતિલાલને વિશ્વાસ અપાવવા તેમને વ્હોટ્સએપ પર અલગ અલગ લેટરવાળા ફોટા પણ મોકલી આપ્યા અને કહ્યું કે તમારા રૂપિયાના ઇન્સ્પેક્શનની પ્રોસેસ ચાલુ છે. બે દિવસ બાદ 16 નવેમ્બર 2024 ના રોજ શાંતિલાલ તે નંબર પર ફોન કરતા હતા પરંતુ લાગતો ન હતો. આ દરમિયાન ન્યુઝ પેપર વાંચતાં આ જ પ્રકારનો એક સાઇબર ફ્રોડનો કિસ્સો તેમના ધ્યાનમાં આવ્યો, ત્યારે શાંતિલાલને એહસાસ થયો કે તેમની સાથે 1 કરોડ 15 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ થયો છે! 73 વર્ષના અને નિવૃત્તિનું શાંત જીવન જીવતા શાંતિલાલ ભાંગી પડ્યા. આખરે તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા ગયા અને સાઇબર ક્રાઇમે પણ આ તમામ હકીકત જાણીને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. સાયબર ક્રાઈમે કેસ સોલ્વ કર્યો, જેમાં મોટો ઘટસ્ફોટ થયોશાંતિલાલે જે યસ બેંકના ખાતામાં રુપિયા જમા કરાવ્યા હતા તે એકાઉન્ટ રાજસ્થાનના શિવરાજ જાટના નામે હતું, જે બનાસકાંઠાની ડીસાની બ્રાન્ચમાં હતું. શિવરાજ રાજસ્થાનનો હતો. સાયબર ક્રાઈમે રાજસ્થાનથી શિવરાજ જાટ, તેના બે સાગરીત નથુરામ જાટ અને કુલદીપ બિશ્નોઈની ધરપકડ કરી લીધી. પોલીસે આ લોકો પાસેથી 11 લાખ રુપિયા રોકડા કબજે કર્યા. તપાસમાં જાણવા મળ્યું કે, આ એકાઉન્ટ 13 નવેમ્બરે ખોલવામાં આવ્યું અને બીજા દિવસે 14 નવેમ્બરે આ ખાતામાં 1.15 કરોડ રૂપિયા જમા થયા હતા. આ ગેંગ દ્વારા એવું ગોઠવવામાં આવ્યું હતું કે જે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય એના 10 ટકા લેવાના. જોકે આ પ્રકરણમાં બેંકમાંથી 25 લાખ ઉપાડવાની લિમિટ હોવાથી 25 લાખ ઉપાડી લીધા હતા અને બાકીના ડીસાના જિગર જોશી નામના યુવકના ખાતામાં જમા કરાવાયા હતા. તેને આ વહીવટ પેટે 50 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 1.15 કરોડ રૂપિયા યસ બેન્કની ડીસા બ્રાન્ચમાં પોતાના બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી પોલીસે યસ બેંકમાં જઈને તપાસ કરતાં કોઈપણ પુરાવા વગર શિવરાજ જાટનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. આ રૂપિયામાંથી 75 લાખ રૂપિયા ડીસાના જીગર જોશીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. બેંકના અધિકારીઓ પણ ફ્રોડમાં સામેલ નીકળ્યા! આ માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે જીગર જોશીની ધરપકડ કરી. જીગરની પૂછપરછમાં સામે આવ્યું કે, યસ બેન્કની ડીસા બ્રાન્ચના ડેપ્યુટી મેનેજર માવજી પટેલ અને બેંકના પર્સનલ બેંકર જતીન ચોખાવાલા અને દીપક સોનીએ તેનું એકાઉન્ટ ભાડે રાખ્યું હતું. આ લોકોએ તેને કહ્યું હતું કે તારા ખાતામાં જે પણ ટ્રાન્જેક્શન થશે તેના ઉપર તેને 50,000 રૂપિયા મળશે આવું કહેતા જીગરે તેમને HDFC બેન્કનું એકાઉન્ટ આપ્યું હતું. આ માહિતીના આધારે સાયબર ક્રાઇમની ટીમે માવજી પટેલ જતીન ચોખાવાલા અને દીપક સોનીની ધરપકડ કરી. શિવરાજ જાટની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, તેણે બેન્કના અધિકારીની મદદથી ડીસાની બેંકમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ માટે બેન્કના અધિકારીને મોટું કમિશન મળવાનું હતું. સાયબર ક્રાઈમે ડીસાથી યસ બેન્કના ડેપ્યુટી મેનેજર માવજી પટેલ, બેંકના 2 પર્સનલ બેંકર જતીન ચોખાવાલા, અનિલ મંડ અને એક ખાનગી માણસ જીગર જોશીની ધરપકડ કરી. બેન્કના અધિકારીઓએ ફક્ત કમિશનની લાલચમાં ડીસાની બ્રાન્ચમાં ખાતું ખોલી આપ્યું હતું. સમગ્ર પ્રકરણ પાછળ ચાઈનીઝ ગેંગનો હાથઆ સમગ્ર કેસમાં મોટો ઘટસ્ફોટ તો હજી બાકી હતો. જે વૃદ્ધ દંપતી સાથે જેણે ફ્રોડ કર્યો તેની માસ્ટર માઈન્ડ આખી એક ચાઈનીઝ ગેંગ હતી. જે વિદેશમાં રહીને ભારતના લોકોને આ રીતના શિકાર બનાવતી હતી. શિવરાજ અને બેન્કના અધિકારીઓ તો ફક્ત કમિશનની લાલચવાળા વ્યક્તિ હતા. ખાતામાં પૈસા જોઈને શિવરાજની દાઢ સળકી ચાઈનીઝ ગેંગના માણસોએ એક વ્યક્તિ દ્વારા એકાઉન્ટ હોલ્ડર શિવરાજનો સંપર્ક કર્યો હતો અને કમિશન આપવાની વાત કરી હતી. પરંતુ શિવરાજને જેવી ખબર પડી કે તેના ખાતામાં 1.15 કરોડ રૂપિયા આવ્યા છે એટલે તેનું મન લલચાયું અને ચાઈનીઝ ગેંગને રુપિયા આપવાના બદલે પોતાની પાસે જ રાખી લીધા. બસ, આ જ લાલચમાં તે પકડાઈ ગયો. 1.15 કરોડ રૂપિયાના જંગી ડિજિટલ અરેસ્ટના આ કેસમાં કુલ 75 લાખ રુપિયા રિકવર થયા જ્યારે બાકીના રુપિયા ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશમાં ચાઈનીઝ ગેંગ પાસે જતા રહ્યા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:00 am

જયરાજની ધરપકડ પછી બાલધીયા એકલા પડ્યા!:કોળી સંમેલનથી હીરા સોલંકી અજાણ; નવનીતે કહ્યું, સમય હશે એ આવશે, માયાભાઈએ કર્યા હતા સમાધાનના પ્રયાસ

બગદાણાના સરપંચ નવનીત બાલધીયાને માર મારવાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઇ આહિરના પુત્ર જયરાજની ભલે ધરપકડ થઇ ગઇ હોય પણ 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજનું સંમેલન યોજાવાનું છે. જો કે આ કેસમાં આગેવાની લઇને કોળી સમાજને એક કરનારા ધારાસભ્ય હીરા સોલંકીએ સંમેલનથી હાથ અદ્ધર કરી દીધા છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ અગાઉ કહી ચૂક્યા છે કે કોઇ એક વ્યક્તિના કહેવાથી સમાજ ન જોડાઇ શકે, સંમેલનનો હેતુ સ્પષ્ટ નથી. ભાજપના કોળી નેતાઓ હાજર રહેશે?સંમેલન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મતવિસ્તારમાં મળવાનું છે. જેમાં રાજકારણ ન પ્રવેશે તેનું સાવચેતી રખાઇ રહી છે. જયરાજ આહિરની ધરપકડ થવાથી કોળી સમાજને ન્યાય મળ્યાનો સંતોષ છે તેમ છતાં સંમેલન યથાવત્ રખાયું છે. જેથી હવે આ સંમેલનને આભારવિધિમાં ડાયવર્ટ કરી દેવામાં આવશે. શક્યતા તો એવી છે કે ભાજપમાં રહેલા કોળી સમાજના નેતાઓ તેમાં હાજર પણ ન રહે. ફક્ત નવનીત બાલધીયા સરકાર સહિત તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરશે તેવું જાણવા મળી રહ્યું છે. સંમેલન અંગે હીરા સોલંકી અજાણ!નવનીત બાલધીયાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે સાચા આરોપીઓને છાવર્યા હતા પણ હીરા સોલંકીએ આ મુદ્દે મૌન સેવ્યું હતું અને તેનાથી પણ વધુ આંચકાજનક બાબત એ છે કે રવિવારે ભાવનગરમાં યોજાનારા કોળી સમાજના સંમેલન અંગે હીરા સોલંકીને કશી ખબર જ નથી. દિવ્ય ભાસ્કરે જ્યારે ટેલિફોનિક વાતચીતમાં હીરા સોલંકીને સંમેલન બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે કયુ સંમેલન? ક્યાં મળવાનું છે? મને ખબર નથી. તેમણે પોલીસ વિશે કશું બોલવાનું પણ ટાળ્યું હતું. જેને સમય મળશે એ આવશેઃ નવનીત બાલધીયાબીજીતરફ નવનીત બાલધીયાએ ભવિષ્યમાં બગદાણામાં કોળી સમાજનું મહાસંમેલન યોજવાનો ધડાકો દિવ્ય ભાસ્કર સમક્ષ કર્યો છે. બાલધીયાએ ભાવનગરમાં મળનારા સંમેલનને સન્માન સભા તરીકે ઓળખાવી છે. તેણે કહ્યું હતું કે, અમારા આગેવાનોના સ્વાગત અને આભારવિધિ માટે આ સંમેલન યોજાવાનું છે. જે લોકો મારા સપોર્ટમાં આવ્યા હતા તેની આભારવિધિ મારે કરવાની છે. સંમેલન અંગે જાહેરાત કરી છે. જેને સમય મળશે તે આવશે. સમાજના લેવલે એ વિસ્તારના આગેવાનોએ સંમેલન રાખ્યું છે. સમાજના જ લોકો આયોજક છે, કોઇ મુખ્ય આયોજક નથી. આ માટે વ્યક્તિગત કોઇને આમંત્રણ નથી આપ્યું. માયાભાઇના પક્ષ તરફથી સમાધાનના પ્રયાસો થયા હતાજયરાજની ધરપકડ થયા પહેલાં માયાભાઇના પક્ષ તરફથી સમાધાન માટેના પ્રયાસો થયા હતા તેવો દાવો પણ નવનીત બાલધીયાએ કર્યો. તેમણે કહ્યું કે, જયરાજની ધરપકડ પહેલાં સમાધાન માટે માયાભાઇના પક્ષ તરફથી આડકતરી રીતે પ્રયાસો થયા હતા, ધરપકડ બાદ આવા કોઇ પ્રયાસ થયા નથી. સમાજના નામે મારી સાથે કોઇ રાજકારણ નથી થયું. બધા પોતપોતાના પક્ષ છોડીને સમાજના કારણે મારી સાથે રહ્યાં છે. હવે જ્યારે પણ મહાસંમેલન કરવાનું થશે ત્યારે તે બગદાણામાં કરીશું. કોની અધ્યક્ષતામાં આ મહાસંમેલન યોજાશે તેની અમે જાહેરાત કરીશું. બાલધીયાએ DySP અને 2 PI પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે DySP અને PI નો સીધો રોલ જ છે. જો SITની જેમ તટસ્થ તપાસ થશે તો પોલીસની મિલીભગત અને બેદરકારી જરૂર ખૂલશે. પોલીસે તપાસમાં કોઇ તટસ્થતા રાખી નહોતી. બાલધીયાએ સ્થાનિક પોલીસની કામગારી સામે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે, મેં પુરાવા આપેલા હોવા છતાં પણ પહેલાં મારી ફરિયાદ લીધી નહોતી. સાચા આરોપીને છાવર્યા અને ખોટા આરોપીઓને રજૂ કર્યા હતા. સ્થાનિક પોલીસ જે જૂના આરોપી હતા તેને લાવી નહીં. SITની તપાસ બાદ સાચા આરોપીને લાવ્યા હતા તો પહેલાં કેમ આ આરોપીઓને લવાયા નહોતા? પોલીસની માયાભાઇ સાથે મિલીભગતનો આરોપનવનીત બાલધીયાનો આરોપ છે કે DySP અને PI માયાભાઇ આહિર તેમજ જયરાજના સતત સંપર્કમાં હતા. જો તેમની કોલ ડિટેલ ચેક થાય તો બધું સામે આવી જશે. PI પહેલેથી જ કેસને ઊંધા રસ્તે લઇ જવાનો પ્રયાસ કરતા હતા. PIએ પહેલાં કહી દીધું હતું કે નવનીત બાલધીયાને બુટલેગર સાથે ઝઘડા થતાં રહેતા હોય છે જેથી બુટલેગરોએ હુમલો કર્યો છે. જો કે SITની તપાસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે સ્થાનિક પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઇ હતી ત્યારે પોલીસ વાહનને બદલે માયાભાઇ આહિરના જૂથની કાળા કલરની કારનો ઉપયોગ કર્યો હતો. જો CCTV ચેક કરવામાં આવે તો હકીકત બહાર આવશે. નવનીત બાલધીયાએ પુરાવારૂપે જે ઓડિયો ક્લીપ રજૂ કરી હતી તે ઓડિયો ક્લીપ દિવ્ય ભાસ્કરને પણ આપી છે. બાલધીયાના કહેવા પ્રમાણે આ ઓડિયો ક્લીપમાં એક આરોપીની માતા એવું કહે છે કે મારો દીકરો માર મારવામાં હતો જ નહીં. છતાં પીઆઇ કાળા કલરની કાર લઇને મારા દીકરાને લેવા આવ્યા હતા અને દ્વારકા ધજા ચડાવવા જવાનું છે, 2 દિવસમાં દીકરાને પાછો મોકલી દઇશું તેવું કહીને 10 હજાર રૂપિયા પણ આપ્યા હતા. પોલીસ સામે પગલાંની માગજો પોલીસ સામે યોગ્ય પગલાં નહીં લેવાય તો નવનીત બાલધીયા ફરીથી આગેવાનો પાસે જશે. તેમણે કહ્યું કે, પોલીસે જે કંઇ બેદરકારી દાખવી હોય તેની વિરૂદ્ધ જે પગલાં લેવાના હોય તે લેવાવા જોઇએ તેવી માગ અમે ભાવનગરમાં સ્ટેજ પરથી કરવાના છીએ. જો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે યોગ્ય દિશામાં તપાસ નહીં થાય તો હું ફરીથી અમારા સમાજના આગેવાનો સાથે વાત કરીશ. દિવ્ય ભાસ્કરે જ્યારે પોલીસ અધિકારીઓ સામેની તપાસ અંગે ભાવનગરના SP નિતેશ પાંડેયને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, આ તપાસનો વિષય છે. હજુ તપાસ ચાલે છે. અમારી ખાતાકીય કાર્યવાહી છે. તપાસના અંતે જે હશે એ જાહેર થશે. માયાભાઇએ કહ્યું હતું જે થયું એ બરાબર થયું, જે થશે એ બરાબર જ થશેનવનીત બાલધીયાને માર મારવાથી માંડીને જયરાજ આહિર જેલ હવાલે થયો ત્યાં સુધી માયાભાઇ આહિરની કોઇ પ્રતિક્રિયા સામે આવી નહોતી પણ હવે તેમનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં માયાભાઇ આડકતરી રીતે આ મામલે પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યાં છે. વીડિયોમાં માયાભાઇ એવું બોલતા નજરે પડે છે કે, જુઓ છો ને હું ફ્રેશ છું એ? કારણ કે હું ગીતાને માનું છું, હું ભગવાનને માનું છું. અર્જુન, જે થઇ રહ્યું છે એ બરાબર થઇ રહ્યું છે, જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર જ થશે. આ દ્વારકાધીશ કહે છે હું નહીં. હીરા સોલંકીનો વળતો જવાબમાયાભાઇના વાઇરલ વીડિયો બાદ હીરા સોલંકીએ પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે માયાભાઇની સ્ટાઇલમાં જ કહ્યું હતું કે, જે થયું એ બરોબર થયું અને જે થશે એ બરોબર જ થશે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:00 am

મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો સમય કેમ થંભી ગયો?:8 દાયકા સુધી જેનો એક્કો હતો તે આજે ખતમ થવાને આરે, વેપારીઓએ કહ્યું, હવે પીક ટાઇમ પૂરો થઇ ગયો

સિરામિક ઉદ્યોગના કારણે આજે વિશ્વભરમાં જાણીતું મોરબી પોતાની અસલી ઓળખ જ ગુમાવી ચૂક્યું છે. એક સમયે ક્લોક કેપિટલ તરીકે ઓળખાતા આ શહેરના ઘડિયાળ ઉદ્યોગ અસ્તિત્વ ગુમાવવાના આરે છે. ભૂતકાળમાં અહીંથી 50થી વધુ દેશોને ઘડિયાળ એક્સપોર્ટ પણ થતી પરંતુ હવે મોરબીની ઘડિયાળના કાંટામાં જાણે કાટ લાગી ગયો છે, તે રોકાઇ ગયા છે ને સમય થંભી ગયો છે. મોરબીમાં ઘડિયાળનો ઉદ્યોગ 1945 આસપાસમાં શરૂ થયો એટલે મોરબીમાં છેલ્લા 80થી વધુ વર્ષથી ઘડિયાળ બની રહી છે. સૌથી પહેલા મોરબીમાં ઘડિયાળનું કામ લાવનાર કંપનીનું નામ સાઈન્ટિફિક હતું. આ બ્રાન્ડ વર્ષો સુધી પહેલા નંબરે ચાલી હજુ પણ ચાલી રહી છે. આ પછી એક બાદ એક મોરબીમાં અનેક કંપનીઓ આવી. પહેલા સ્ટ્રાઈકિંગ ક્લોક બનતી ત્યાર બાદ ક્વાર્ટઝ ટેકનોલોજી આવી. મોરબીની ક્લોક ઈન્ડસ્ટ્રી 18 હજાર કર્મચારીઓને રોજગારી આપે છે જેમાંથી 15,000 મહિલાઓ છે. અજંટા ગ્રુપે મહિલા રોજગારની શરૂઆત કરી હતી. મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ કેમ ઠપ થઇ રહ્યો છે?. તેની પાછળના કારણો શું છે?. ઘડિયાળ ઉદ્યોગકારોની સરકાર પાસે શું અપેક્ષા છે? સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા દિવ્ય ભાસ્કર મોરબી પહોંચ્યું અને ઉદ્યોગકારો સાથે વાત કરી. ઘડિયાળ બનાવતી જાણીતી કંપનીઓમાંની એક રિકોન ક્વાર્ટઝના માલિક દીપક મહેતા સાથે અમે વાત કરી. જેઓ વર્ષ 1985થી ઘડિયાળ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. સમય સાથે આવતા પરિવર્તન અંગે તેઓ કહે છે કે પહેલા ચાવીવાળી ઘડિયાળ બનતી પરંતુ તે બહુ મોટી હતી અને તેનું મેટલનું મશીન હતુ. જેમાં અનેક લોકોને રોજગારી મળતી. લાકડાનું પણ કામ હતું. તે સમયે પ્રોડક્શન ઓછું થતું હતું તેમાં બ્રાસના મશીન બનતા હતા. ‘આજની પેઢીએ તો કદાચ આ પ્રકારની ઘડિયાળ જોઈ પણ નહીં હોય. આ પછી ટ્રાન્ઝિસ્ટર ક્લોક આવી. આ ટેકનોલોજીની ઘડિયાળ પાંચ વર્ષ ચાલી હશે. આ પછી ક્વાર્ટઝ ટેકનોલોજી આવી. આ ટેકનોલોજી આવતા પ્રોડક્શન ખૂબ વધી ગયું. કારણ કે, પછી મશીન સહિત રો-મટિરિયલ ખૂબ સસ્તુ થઇ ગયું. એ પછી મોરબીમાં આ ટેકનોલોજીથી ખૂબ ઉદ્યોગ ચાલ્યા. સમય સાથે તેમાં મ્યુઝિકલ ક્લોક આવી અને હવે ગિયર ક્લોક આવી ગયી છે. આવી રીતે ઘણુ ડેવલપમેન્ટ આવ્યું છે.’ તેમનું કહેવું છે કે અત્યારે પણ મોરબીમાં ક્વાર્ટઝ ક્લોક જ સૌથી વધારે ચાલી રહી છે. તેમાં સ્વિપ મશીનવાળી ક્લોક અને છેલ્લા બે વર્ષથી ગિયરવાળી ક્લોક ખૂબ ડિમાન્ડમાં છે. આ લેટેસ્ટ ઈનોવેશન છે. જ્યારે સ્ટ્રાઈક્લિંગ ક્લોક બનતી ત્યારે વિશ્વ પાસે મોરબી સિવાય કોઈ ઓપ્શન નહોતો. એ ઘડિયાળ માત્રને માત્ર મોરબીમાં જ બનતી હતી. પરંતુ જ્યારે ક્વાર્ટઝ ટેકનોલોજી આવી અને બધું પ્લાસ્ટિક પર જતું રહ્યું એ પછી દિલ્હીમાં એક માર્કેટ બન્યું. હવે ધીરે ધીરે ઉત્તરપ્રદેશમાં માર્કેટ બની રહ્યું છે. ઇતિહાસ અને સમયની સાથે બદલાતા પરિવર્તનોની સાથે સાથે વર્તમાનની સ્થિતિ અને શું-શુ ચેલેન્જ આવી રહ્યાં છે તે અંગે દીપક મહેતા કહે છે કે, અત્યારે મોરબીના ઘડિયાળ ઉદ્યોગનો પીક ટાઈમ પૂરો થઈ ગયો હોય તેવું લાગે છે. દરેક ઉદ્યોગ સિચ્યુએશન પોઈન્ટ પર ચાલી રહ્યા હોય તેવું લાગે છે.કારણ કે, પ્રમાણમાં ફેક્ટરી ખૂબ વધી ગઈ છે. એટલે અત્યારે સમય સાથે ઓફ સિઝન પણ ચાલી રહી છે. સાથે જ કોમ્પિટિશન પણ વધી ગઈ છે. ‘એક્સપોર્ટ પણ સમય સાથે ઓછું થયું છે. વિશ્વના અનેક ખૂણામાં યુદ્ધની પરિસ્થિતિ હોવાને કારણે પણ એક્સપોર્ટમાં ઘટાડો આવ્યો છે. એક્સપોર્ટ ઓછું થવામાં એક મહત્વનું કારણ ચીન પણ છે. ચીન અત્યારે માર્કેટમાં હેવી ડમ્પિંગ કરી રહ્યું છે જેથી ભારતને ફટકો પડી રહ્યો છે.આ સાથે ડોલરના ભાવ અને ઈન્ડિયાની પોલિસી પણ એક કારણ હોઈ શકે છે.’ આ ઉપરાંત તેઓ લેબરને લઈને એક નિયમમાં પણ છૂટછાટ આપવાની ભલામણ અંગે વાત કરતા કહે છે કે, અત્યારે મહિલા કામદારોને લઈને 18 વર્ષની વય મર્યાદા છે તે ઘડિયાળ ઉદ્યોગ માટે 16 વર્ષ કરવાની જરૂર છે. કારણ કે, ઘડિયાળ ઉદ્યોગ હેઝાર્ડલેસ ઈન્ડસ્ટ્રી છે. આ પ્રકારના ઉદ્યોગમાં ઉંમર મર્યાદા ઓછી થઈ શકે તો દરેકને ફાયદો થઈ શકે તેમ છે. તેમના જણાવ્યા મુજબ અત્યારે મહિલા કામદારો ઓછા મળી રહ્યા છે. જો આ નિયમ બદલાય તો કામદારોની ઉણપ દૂર થઈ શકે તેમ છે. મોટાભાગના ઘડિયાળના કારખાનાઓમાં મહિલા કામદારોનું પ્રમાણ કુલ કામદારના 75% જેટલું હોય છે. આસપાસના ગામોમાંથી બસ મોકલી મહિલાઓને લાવવામાં આવે છે. અહીં તેમને તમામ સુવિધા મળે છે અને તેમને સાંજે સલામત રીતે મોકલાય છે. આ ઈન્ડસ્ટ્રી મહિલાઓને સ્યુટેબલ છે. એટલે જો ઘડિયાળની ઈન્ડસ્ટ્રીનો વિકાસ થશે તો આસપાસના ગામોમાં મહિલા રોજગારીનું પ્રમાણ પણ વધશે. દિવ્ય ભાસ્કરે ઘડિયાળ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ સાથે પણ વાત કરી અને તેમને કેવી-કેવી સુવિધાઓ મળે છે તે જાણ્યું. મોરબી પાસેના પીઠડ ગામમાં રહેતી પૂનમ કહે છે કે, હું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ક્વૉલિટી ચેક કરવાનું કામ કરું છું.આ ક્ષેત્રમાં મહિલાઓને કામ કરવાની સારી તક મળે છે પગાર પણ મળે છે એટલે મારા ગામ સહિત આસપાસના વિસ્તારની અનેક દીકરીઓ કામે આવે છે અનેક દીકરીઓ કામે આવવા પણ માંગે છે. આ પૈસાથી જે-તે દીકરીના પરિવારને પણ આર્થિક ટેકો મળે છે. તો દીકરી સારી રીતે ભણી પણ શકે છે. મોરબી વોચ એસોસિએશનના પૂર્વ પ્રમુખ શશાંક ડાંગી ઠપ પડી ગયેલા ઉદ્યોગ અંગે જણાવે છે કે મોરબીના ક્લોક ઈન્ડસ્ટ્રીએ સતત ગ્રોથ કર્યો છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટેકનોલોજીની સાથે વૈશ્વિક અને ભારતની પરિસ્થિતિ બદલાતા ગ્રોથને બ્રેક લાગી છે. ભારતના કેટલાક વિસ્તારોમાં પણ હવે ઘડિયાળનું પ્રોડક્શન શરૂ થયું છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા અંગે તેઓ કહે છે કે, અમે નવા નવા પ્રયોગો કરી રહ્યા છીએ. નવી ક્રિએટિવ પ્રોડક્ટ બહાર લાવી રહ્યા છીએ. જેથી અમારો ગ્રોથ ચાલુ રહે. અમારે ડેવલપ થવાની જરૂર છે. અમારે ક્વોલિટી સુધારવી પડશે અને નવી ડિઝાઈન તૈયાર કરવી પડશે. જો કે, ટેકનોલોજીના લીધે અમે જે નવી પ્રોડક્ટ શરૂ કરીએ તે 6-12 મહિનામાં તે લોકો પાસે પણ આવી જાય છે. શંશાકભાઈ કહે છે કે, ક્રિએટિવિટીમાં તો અમે અત્યારે પણ આગળ છીએ. એવું કંઈ નથી જે મોરબી નથી કરી શકતું અને એ લોકો કરે છે. પરંતુ અમે જે કંઈ કરીએ તેવું તે લોકો પણ કરવા લાગે છે. અને વાત કરીએ પ્રોડક્શન કોસ્ટની તો એક હદથી વધારે પ્રોડક્શન કોસ્ટ નીચે આવી શકે તેમ છે જ નહીં. કારણ કે, રો મટિરિયલના ભાવ તો બધાને સરખા લાગું પડે છે. અને લેબર કોસ્ટ પણ હવે ઘટાડી શકાય તેમ નથી. ‘અમે સમય સાથે અમારો પ્રોફિટ પણ ઓછો કરતા આવ્યા છીએ.આમ પણ વર્ષમાં ચાર મહિના સીઝન હોય છે. બાકીના મહિનાઓમાં મંદી હોય છે. પરંતુ સમય સાથે મંદીનો સમય હવે વધતો જાય છે. એવુ નથી કે બજારમાં ઘડીયાળ નથી વેચાતી. બજારમાં સેલિંગ તો એટલું જ છે પરંતુ તે માંગ બીજેથી પૂરી થવા લાગી છે.’(સ્ટોરી ઇનપુટઃ હિમાંશુ ભટ્ટ)

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 6:00 am

હુમલાની ઘટના:હિંમતનગરના મહેતાપુરામાં જૂની અદાવતમાં ચાર યુવકો પર હુમલો

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં જૂની અદાવત રાખીને બે શખ્સો સહિત 7 જણાના ટોળાએ ચાર યુવકો પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં હિંમતનગર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મહેતાપુરા વિસ્તારમાં હર્ષકુમાર અને સિદ્ધાર્થકુમાર વચ્ચે ચાર મહિના પહેલા ઇડરમાં બોલાચાલી થઈ હતી. આ જૂની અદાવત મનમાં રાખી હર્ષકુમાર તેમના ભાઈ અને પિતરાઈ ભાઈઓ સાથે મહેતાપુરા જકાતનાકા પાસે પાન પાર્લર નજીક પાણીની બોટલ લેવા ગયા હતા. ​તે સમયે આરોપી સિદ્ધાર્થકુમાર જગદીશભાઇ વણઝારા અને પ્રકાશ મોહનભાઇ વણઝારા (બંને રહે. મોતીપુરા) અન્ય પાંચ અજાણ્યા માણસો સાથે ત્યાં ધસી આવ્યા હતા. આ ટોળાએ ફરિયાદી અને તેમના ભાઈઓને ગડદાપાટુનો માર માર્યો હતો. આરોપીઓએ હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી બિભત્સ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ​ઝઘડા બાદ સામાવાળા પક્ષે સમાધાનના પ્રયાસો કર્યા હતા, પરંતુ ન થતાં હર્ષકુમાર ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:56 am

ગંભીર અકસ્માત સર્જાયો:હિંમતનગરમાં કારે રોડ ઓળંગતા ત્રણ બાળકોને ફંગોળતાં 1 ગંભીર

હિંમતનગરમાં હાઈવે કારે રોડ ક્રોસ કરી રહેલા ત્રણ બાળકોને ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ભોલાભાઇ સરણીયા ગત શનિવારે કુંજલબેન (16) પોતાના ભાઈ જોગેશ ( 8) અને પિતરાઈ ભાઈ પિયુષ (9)ને શાળાએ મૂકવા ચાલતા જઈ રહ્યા હતા. સ્ટાર સિટી બ્રિજના છેડા પાસે જ્યારે તેઓ હાઈવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અમદાવાદ તરફથી આવતી કાર નં. MH-04-LT-7737 ના ચાલકે ત્રણેય બાળકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય બાળકોને ગંભીર ઇજાઓ થઇ હતી. ​અકસ્માત એટલો જોરદાર હતો કે ત્રણેય બાળકો રોડ પર પટકાયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં ​કુંજલબેનને કપાળ અને માથાના ભાગે, ​જોગેશને હોઠ અને કપાળના ભાગે ઈજા હતી. જોગેશને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ રિફર કરાયો હતો. જ્યારે ​પિયુષને કમરના ભાગે ગંભીર ઈજા થઇ છે. ​બાળકોના પિતાએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:56 am

સુલભ શૌચાલય ખંડેરમાં ફેરવાયું:મોડાસાના રેલવે ગ્રાઉન્ડ પાસે 7 લાખના ખર્ચે બનાવેલ સુલભ શૌચાલય બંધ

મોડાસા શહેરના આઇકોનિક રોડ ઉપર રેલવે ગ્રાઉન્ડ પાસે 7 લાખના ખર્ચે પ્રજાની સુખાકારી માટે બનાવેલ સુલભ શૌચાલય યોગ્ય જાળવણીના અભાવે બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. શૌચાલય કાર્યરત ન હોવાને કારણે રોજિંદા રાહદારીઓ તેમજ આજુબાજુ રહેતા ગરીબ અને મજૂર વર્ગના લોકો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત શહેરમાં આ પે એન્ડ યુઝ શૌચાલય જુદા જુદા વિસ્તારોમાં બનાવાયા હતા. યોજના પાછળનો હેતુ સ્વચ્છતા, સુવિધા અને ગંદકી અટકાવવાનો હતો, પરંતુ યોગ્ય જાળવણીના અને મેનેજમેન્ટના અભાવે આ જ શૌચાલય લોકો માટે નહીં પરંતુ પશુઓ માટે પડાવ અને કચરાના ઢગલા બની ગયું છે. સ્થાનિકોનું કહેવું છે કે નગરપાલિકા દ્વારા સમયાંતરે સંચાલન સફાઈ અને દેખરેખ રાખવામાં આવી હોત તો આ શૌચાલય શહેરની જનતા અને રાહદારીઓ માટે સુખાકારી સાથે ઉપયોગી સાબિત થયું હોત . માલપુર રોડ ઉપર પ્રજાની સુખાકારી માટે અન્ય અદ્યતન સુલભ શૌચાલય બનાવવા જગ્યા માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી હોવાનું નગર પાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:55 am

ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાનમાં પણ સ્વીકાર્ય!:MLAને બાથરૂમ ના જવા દીધા તો હોટેલ માથે લીધી; કલેક્ટર મેડમે દેશભક્તિનું ગીત ગાયું, રીલથી ચર્ચામાં આવ્યા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:55 am

BLOની મોત:મહેસાણા જિલ્લામાં વધુ એક બી.એલ.ઓ‎ શિક્ષિકાનું હૃદયરોગના હુમલાના કારણે મોત‎

મહેસાણા જિલ્લાના વધુ એક બીએલઓ શિક્ષિકાનું હ્યદયરોગના હુમલાના કારણે મોત થયુ છે. મહેસાણાના નાગલપુર ગોકુલ વિહાર બંગ્લોઝમાં રહેતા અને મહેસાણા તાલુકાના ભેસાણા ગામની શાળામાં છેલ્લા 26 વર્ષથી શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં રીંપલબેન હર્ષદભાઇ ઓઝાને બુધવારે મોડી રાત્રે હાલ પાલનપુરના નિવાસે આકસ્મિક છાતીમાં દુખાવો ઉપડતા તેમના પતિ અને દિકરો ઇમરજન્સી વાહનમાં લઇને સિવીલ હોસ્પિટલ ગયા હતા.જોકે આકસ્મિક શિક્ષિકાનું અવસાન થયુ હતું. હાલ રીપલબેન બીએલઓ તરીકેની કામગીરીનો સતત દિવસ,રાત વર્કલોડ રહેતો હતો.આ દરમિયાન ગામમાં શિક્ષિકાના અવસાન ના મેસેજ મળતાં ગુરુવારે સમસ્ત ગ્રામજનોએ બંધ પાડ્યો હતો. હર્ષદભાઈ એ કહ્યુ,બીએલઓ ની કામગીરી સતત ચાલુ હતી અને વોટ્સએપમાં સમય મર્યાદાના મેસેજ શરૂઆતથી આવતા હતા. મતદારોના સતત ફોન કોલ, તેમના ડોક્યુમેન્ટની કોપી ઓ વગેરે કામગીરી દિવસ અને રાતે પણ કરતા.આ દરમિયાન મોડી રાત્રે કંઇ ખબર નહી, સૂતા હતા ત્યાં આકસ્મિક દુખાવો થયો હતો. પુત્ર ઓમ એ ભારે હૈયે જેઇઇ ની પરીક્ષા આપી‎ધોરણ 10માં મહેસાણમાં ત્રીજા ક્રમે આવેલા હોશિયાર ઓમ ઓઝા હાલ ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં છે. આ દરમિયાન બુધવારે રાત્રે માતા રીંપલબેનનું આકસ્મિક અવસાન થયુ હતું.પરિવારજનોએ હિંમત આપી અને ગુરુવારે ઓમ ને જેઇઇ ની પરીક્ષા હોઇ ભારે હૈયે પરીક્ષા આપી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:50 am

શાળા સલામતી ‎‎સપ્તાહનો શુભારંભ કરાયો:અરવલ્લીમાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત 60 પ્રાથ.શાળામાં મેગા ઇવેન્ટ્સનું આયોજન

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટી GSDMA ગાંધીનગર દ્વારા તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી સપ્તાહનો શુભારંભ કરાયો છે. જેના ભાગરૂપે મોડાસા તાલુકાની ઝાલોદર પ્રાથમિક શાળામાં કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. જિલ્લાની 60 શાળાઓમાં સપ્તાહમાં મેગા ઇવેન્ટસનું આયોજન કરાયું છે. જિલ્લામાં પાંચ દિવસ ચાલનારા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ તેમજ માનવસર્જિત આપત્તિઓ વિશે વિસ્તૃત માહિતી અપાશે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ પહેલાની તૈયારીઓ, સાવચેતીના પગલાં, આપત્તિ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વિગતવાર સમજ અપાશે. આ ઉજવણીના ભાગરૂપે મોકડ્રીલ, તાલીમ, ડેમોન્સ્ટ્રેશન, એક્ઝિબિશન, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન1930 મહિલા હેલ્પલાઈન 181 ચાઈલ્ડ હેલ્પલાઈન 1098 અથવા 1930 આપદા મિત્રો, આઈસીઈ પ્રવૃત્તિઓ, રોડ સેફ્ટી જનજાગૃતિ તેમજ ડિઝાસ્ટર શાખા દ્વારા ફાયર ફાઈટિંગનું જીવંત પ્રદર્શનનું આયોજન કરાયું છે

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:48 am

સંકલિત ડેરી વિકાસ યોજનાએ સર્જી શ્વેત ક્રાંતિ:સાબરકાંઠામાં છેલ્લા ત્રણ વર્ષમાં 2.31 કરોડના ખર્ચે 604 પશુપાલકોને દૂધાળા પશુઓની સહાય

કેન્દ્ર અને રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવીના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં 2.31 કરોડના ખર્ચે 604 લાભાર્થીઓને દૂધાળા પશુઓની સહાય કરાઇ હતી. ​ખેડબ્રહ્માના અંબોરાના લીલાબેન સદીકભાઈ પરમારના પતિ કોરોના કાળમાં અવસાન બાદ તેમના પર પરિવારના ભરણપોષણની મોટી જવાબદારી આવી પડી હતી. કપરા સમયમાં સરકાર દ્વારા તેમને 90હજારની દૂધાળી ભેંસ સહાય પેટે અપાઇ હતી. લીલાબેન જણાવે છે કે, આ સહાયથી મારા બાળકોને પૌષ્ટિક દૂધ મળે છે અને વધારાનું દૂધ ડેરીમાં ભરાવીને હું રોજગારી મેળવી રહી છું. ​જિલ્લામાં પશુપાલનને વેગ આપવા માટે પોશીના તાલુકામાં સ્પેશિયલ પોશીના પ્રોજેક્ટ કાર્યરત છે. જેનો મુખ્ય લક્ષ્યાંક ​2500 દૂધાળા પશુઓ પૂરા પાડવા અને ​40 નવીન દૂધ મંડળીઓનું નિર્માણ કરવું છે. આ વિસ્તારમાં ​બલ્ક મિલ્ક ચિલિંગ યુનિટ, મિલ્ક ટેસ્ટર અને ડેટા પ્રોસેસિંગ સોફ્ટવેર જેવી આધુનિક સુવિધાઓ માટે 1432.38 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે. ​પશુપાલકોની સુવિધા માટે ખેડબ્રહ્મા તાલુકામાં વર્ષ 2018-19થી મોબાઇલ પશુ દવાખાના યોજના અમલમાં છે. કેન્દ્ર સરકારની 22 લાખની ગ્રાન્ટ સાથે શરૂ થયેલી આ સેવા પશુઓના આરોગ્યની ચિંતા દૂર કરી રહી છે. પશુ ખરીદીથી લઈને તેના આરોગ્ય અને દૂધના વેચાણ સુધી આદિવાસી વિસ્તારોમાં શ્વેત ક્રાંતિ સર્જી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:48 am

‎‎એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરાયું:મોડાસાના સાકરીયા ગામે ચોપડીથી AI સુધી એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ

અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે 11મા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું આયોજન કરાયું છે. મોડાસાના સાકરીયામાં બે દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે.આ ફેસ્ટીવલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક તથા પ્રશિક્ષણ સંસ્થાઓમાં કાર્યરત શિક્ષકો દ્વારા બાળકો અને વિદ્યાર્થીઓના બહુવિધ વિકાસ માટે કરવામાં આવેલા શૈક્ષણિક નવાચાર (Educational Innovation) ના પ્રદર્શન તેમજ તેના પ્રચાર-પ્રસારને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમમાં કુલ 41 પ્રકારના ઇનોવેટીવ પ્રોજેક્ટનું પ્રદર્શન કરાયુું હતું. પ્રદર્શનમાં વિવિધ વિષયો પર આકર્ષક સ્ટોલ્સ ગોઠવાયા હતા. જેમાં સરળ ગણિત, AI નું મહત્વ, ડિજિટલ સેવાઓ, રમતા રમતા શીખો, જીવનમાં ભગવદ્ગીતાનું મહત્વ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, મેન્સ્ટ્રુઅલ હાઇજિન, દેશી રમતોનો વારસો અને શિક્ષણ તથા આંગણવાડીની યોજનાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટોલ્સ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને શિક્ષણમાં નવીન અભિગમોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ગણવામાં આવી રહી છે. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લામાં શિક્ષણના ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન આપવા અને શિક્ષકોના સર્જનાત્મક પ્રયાસોને માન આપવાનું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ગણાઇ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:45 am

‎હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે‎ સેક્શન હવે નવા અવતારમાં ‎સજ્જ થયું:હિંમતનગર– ખેડબ્રહ્મા રૂટનું બ્રોડગેજ-ઇલેક્ટ્રિફિકેશન પૂર્ણ

સાબરકાંઠા જિલ્લાના લોકો માટે વર્ષ 2026ની શરૂઆત અનેરી ભેટ લઈને આવી છે. છેલ્લા એક દાયકાથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી, તે હિંમતનગર–ખેડબ્રહ્મા રેલવે સેક્શન હવે નવા અવતારમાં સજ્જ થઈ ગયું છે. 55.672 કિમી લાંબા આ નવનિર્મિત બ્રોડગેજ રેલખંડ પર 25 કિલો વોટ એસી વિદ્યુતીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. હવે આ ટ્રેક પર ઇલેક્ટ્રિક એન્જિન સાથેની ટ્રેનો દોડાવવા પરીક્ષણને અંતે મંજૂરી મળી ગઈ છે અને હવે ગમે ત્યારે ખેડબ્રહ્મા રેલસેવાનો પ્રારંભ થનાર છે. વેસ્ટર્ન રેલવેના ફુલચંદ જારવાલે જણાવ્યું કે તાજેતરમાં ​પશ્ચિમ રેલવેના ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (PCEE) રજનીશકુમાર ગોયલ દ્વારા 8 જાન્યુઆરીના રોજ આ સેક્શનનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તેમણે આ રેલ ખંડ પર પેસેન્જર અને માલગાડીઓ ચલાવવા સત્તાવાર મંજૂરી આપી દીધી છે. 8 જાન્યુઆરી 2026ના રોજ આ ટ્રેક પર ઇલેક્ટ્રિક લોકોમોટિવનું સફળ ટ્રાયલ કરાયું હતું. જેમાં ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE), સિગ્નલિંગ અને સુરક્ષા વ્યવસ્થા એકદમ સચોટ માલૂમ પડી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:44 am

યાત્રાળુઓ માટે ખાસ સુવિધા:સાબરકાંઠામાંથી શક્તિપીઠ પરિક્રમા માટે ત્રણ દિવસ રોજ 65 બસો જશે

અંબાજીમાં આજથી શરૂ થતાં 51 શક્તિપીઠ પરિક્રમ માટે સાબરકાંઠા જિલ્લામાંથી કુલ 195 બસો મૂકાઇ છે. જેમાં દરરોજ 65 બસો જિલ્લાના વિવિધ સ્થળેથી ઉપડશે તથા તે સ્થળે પરત યાત્રાળુઓને તે જ સ્થળે ઉતારશે. તા.30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ મા અંબાના દર્શન અને શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માટે નિઃશુલ્ક યાત્રાનો સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને બસમાં નિ:શુલ્ક લઈ જવા ઉપરાંત પરિક્રમા અને દર્શન બાદ તેમને પરત લાવવાથી માંડીની વ્યવસ્થા કરાશે. સાબરકાંઠામાં તાલુકા અને તારીખ વાઈઝ બસોની વિગત ૧. તા. 30 જાન્યુઆરી: પોશીના: 3 બસો (કાલીકાંકર, લાંબડીયા અને ટાઢીવેડી). વિજયનગર: 4 બસો (કણાદર, ચામઠણ, દંતોડ અને ચિતરીયા). ખેડબ્રહ્મા: 8 બસો (આગીયા, ચીખલા, વાલરણ, હિંગટીયા, તુવેર, અંબાઇગઢા) અને ખેડબ્રહ્મા પાલિકાથી 2 બસો. વડાલી: 8 બસો (જુનાચામું, મેઘ, વડગામડા, કેશરગંજ, ભજપુરા, નાદરી) અને વડાલીમાંથી 2 બસો. ઇડર: 14 બસો (અરોડા, આરસોડીયા, દરામલી, જાદર, જશવંતગઢ, કેશરપુરા, ઉમેદગઢ, એકલારા, માઢવા, કપોડા, નાના કોટડા) અને ઇડર પાલિકાથી 3 બસો. હિંમતનગર: 19 બસો (દેરોલ, હાપા, પોલાજપુર, વાંટડા, ગામડી, અંબાવાડા, ચાંદરણી, આગીયોલ, જવાનપુરા, બાંખોર, હુંજ, માથાસુલિયા, બોરીયાખુરાદ, નવલપુર(ભા), પેઢમાલા, રૂપાલ, ભાવપુર, ગાંભોઈ, વાવડી). પ્રાંતિજ: 4 બસો (નગરપાલિકાથી 2, ઘડી, સલાલ). તલોદ: 5 બસો (મોરાલી, દોલતાબાદ, રૂપાલ) અને તલોદ પાલિકાથી 2 બસો. ૨. તા. 31 જાન્યુઆરી: પોશીના: 3 બસો (અંબા મહુડા, દેલવાડા છો, સેબલિયા પો.). વિજયનગર: 4 બસો (બાલેટા, લીમડા, કેલાવા, ખેરવાડા). ખેડબ્રહ્મા: 8 બસો (પીપોદરા, ગઢડા શામળાજી, લક્ષ્મીપુરા, દેરોલ/રોધરા/પરોયા, નીચી ધનાલ, મોટાબાવળ) અને નગરપાલિકાની 2 બસ. વડાલી: 8 બસો (ડોભાડા, હાથરવા, વાસણ, રહેડા, વડગામડા, બડોલ) અને વડાલીની 2 બસ. ઇડર: 14 બસો (જાદર, રેવવાસ, નેત્રામલી, દેશોત્તર, મસાણી, કાનપુર, ભદ્રેસર), નગરપાલિકાની 3 બસ, બડોલીની 2 બસ અને સાબલીની 2 બસ. હિંમતનગર: 10 બસો (ગઢોડા, દેરોલ, રાયગઢ, હાથરોલ, કાંકણોલ, દેસાસણ) અને નગરપાલિકાની 4 બસ. પ્રાંતિજ: 7 બસો (સલાલ, પલ્લાચર, તાજપુર, પોગલુ, ઓરણ) અને નગરપાલિકાની 2 બસ. તલોદ: 4 બસો (હરસોલ, અણીયોર) અને નગરપાલિકાની 2 બસ. ૩. તા. 1 ફેબ્રુઆરી: પોશીના: 3 રૂટ (પોશીના, દેમતી, નાડા). વિજયનગર: 4 રૂટ (અભાપુર, મોધરી, નવાભગા, પરોસડા). ખેડબ્રહ્મા: 8 રૂટ (સેબલીયા, રતનપુર, દિધિયા, ગોતા, ખેડવા, નાકા) અને ખેડબ્રહ્મા શહેરની 2 બસ. વડાલી: 8 રૂટ (મહોર, બાબસર, વરતોલ, હિંમતપુર, અસાઈ, વાસણા) અને વડાલી શહેરની 2 બસ. ઇડર: 14 રૂટ (ગોલવાડા, કાવા, કુકડીયા, ચિત્રોડા, સાબલવાડ, બડોલી, ભદ્રેસર, રેવંતિયા, દરામલી, જાવાવાસ) અને ઇડર શહેરની 3 બસ. હિંમતનગર: 12 રૂટ (હાપા, રાયગઢ, દેરોલ, નિકોડા, સાવગઢ, હડિયોલ, સુરપુર, કાંકણોલ) અને હિંમતનગર શહેરની 4 બસ. તલોદ: 10 રૂટ (હરસોલ, રણાસણ, તાજપુર, મુડેટી, પુંસરી, ગઢવાડ, અણિયોદ, મહાદેવપુરા) અને તલોદ શહેરની 2 બસ. પ્રાંતિજ: 12 રૂટ (સોનાસણ, સલાલ, ઓરાણ, ઝીંઝવા, પોગલુ, ગલતેશ્વર, મજુમ, પલ્લાચર, નાનપુર) અને પ્રાંતિજ શહેરની 3 બસ.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:42 am

મુસાફરોમાં પ્રસરી રાહત:મોડાસાના આઇકોનિક બસ સ્ટેશનમાં લગેજ ટ્રોલી, વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ

મોડાસા શહેરમાં કરોડોના ખર્ચે બનાવેલ નવીન આઈકોનિક બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને સિનિયર સિટીઝનો તેમજ વિકલાંગ મુસાફરો બસ સ્ટેશનના મેઈન ગેટથી પ્લેટફોર્મ સુધી પહોંચવામાં છેલ્લા કેટલાય સમયથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નવા બસ સ્ટેશનમાં મુસાફરોની સુખાકારી માટેની માગણી ગ્રાહ્ય રાખીને એસટી વિભાગે ડેપો શરૂ થયાના 10 માસ બાદ લગેજ ટ્રોલી અને વ્હીલચેરની ફાળવતાં મુસાફર જનતામાં રાહત થઈ છે. મોડાસા નવા આઇકોનિક બસ સ્ટેન્ડ ચાલુ થઈએ દસ મહિના થવા આવ્યા હોવા છતાં મુસાફરોને પ્રાથમિક સગવડ મળતી ન હોવાની ફરિયાદ ઉઠી છે બસ સ્ટેશનમાં આવતા ઉંમરલાયક મુસાફરોને મેઈન ગેટ થી પ્લેટફોર્મ સુધી ભારે સામાન લઈને પહોંચવામાં તકલીફ પડતી હતી અને અશક્ત મુસાફરોને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ચાલવામાં પણ તકલીફ પડતી હતી. આ અંગે શહેરના સિનિયર સિટીઝનો અને મુસાફરોએ રજૂઆત કરતાં મુસાફરોની માગણીને ધ્યાનમાં રાખીને મોડાસાના અગ્રણી અને સામાજિક કાર્યકર જયેશભાઈ શાહ કામરાજે એસ.ટી.ના વિભાગીય નિયામક કેસી બારોટને રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક ધોરણે મોડાસા શહેરના નવા આઇકોનિક બસ સ્ટેશનમાં લગેજ ટ્રોલી અને વ્હીલચેર વ્યવસ્થા કરીને મુસાફરો ની સુખાકારી માટે માટે બંને સાધનો ફાળવતા મુસાફરોને રાહત થવા અને આશા વ્યક્ત કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:38 am

SOGની કાર્યવાહી:મોડાસાના બામણવાડથી‎ બોગસ ડોક્ટર ઝડપાયો‎

અરવલ્લી એસઓજીએ મોડાસાના બામણવાડમાંથી બોગસ તબીબને એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો કુલ 10,390 ના મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. બામણવાડમાં શખ્સ મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદે રીતે દવા રાખી દર્દીઓની સારવાર કરતો હોવાની હકીકતના આધારે બામણવાડમાં બાતમીવાળી જગ્યાએ કાર્યવાહી કરી હતી. અનિલભાઈ નવઘણભાઈ સરાણિયા (32) રહે.જીવણપુર તા.મોડાસા કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા સાથે ઇન્જેક્શન આપી બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહીં હોવા છતાં દર્દીઓને તપાસી છેતરપિંડી કરતાં પોલીસે એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો મળી કુલ 10390ના મુદ્દામાલ જપ્ત કરી ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. પકડાયેલ બોગસ ડોક્ટર છેલ્લા કેટલાક વર્ષોથી જીવણપુર ખાનગી ક્લિનિક પર કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:37 am

બાળ તસ્કરીનો થયો પર્દાફાશ:હિંમતનગર થઈ હૈદરાબાદ જતી બાળ તસ્કરી કરતી ગેંગ ઝડપાઇ

સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાંથી નવજાત બાળકોને ખરીદી હિંમતનગરના રસ્તે હૈદરાબાદ પહોંચાડવા સક્રિય ગેંગના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા બાદ સાબરકાંઠા- બનાસકાંઠા જિલ્લાની હદમાં સક્રિય યુનુસ નામના શખ્સને પકડવા તજવીજ હાથ ધરાઇ છે. યુનુસે 60 હજારમાં 15 દિવસના બાળકને ખરીદી રૂ.3.60 લાખમાં વેચ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 15 દિવસના બાળકનું રેસ્ક્યુ કરી ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપાયું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે બાળ તસ્કરી સાથે સંકળાયેલ ગેંગ બાળકને લઈ હિંમતનગર તરફથી આવી બહારના રાજ્યમાં જઈ રહી હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસના સંયુક્ત ઓપરેશનમાં એરપોર્ટ નજીકથી એક મહિલા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી બાળ તસ્કરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. ત્રણ આરોપી રોશન અગ્રવાલ (રહે. હૈદ્રાબાદ મૂળ યુપી) વંદના જીગર અશોક પંચાલ (રહે. ઓઢવ અમદાવાદ મૂળ રહે. ઉત્તર પ્રદેશ અને સુમિત યાદવ (રહે. વટવા મૂળ રહે. તા. સુલતાનપુર ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં સાબરકાંઠા બનાસકાંઠાની સીમા પર દાંતા તરફ જતાં માર્ગ ઉપરથી યુનુસ નામના શખ્સ પાસેથી પંદર દિવસનું બાળક 3.60 લાખમાં ખરીદ્યું હતું. યુનુસે રૂ.60હજારમાં બાળક ખરીદ્યું હતું અને હૈદરાબાદમાં રહેતા નટરાજ નામના શખ્સને વેચવા જઈ રહ્યાની પ્રારંભિક પૂછપરછમાં કબુલાત કરી હતી. સાબરકાંઠા એલસીબી પીઆઇ ધવલ સાકરીયાએ જણાવ્યું કે હજુ સુધી સ્થળ, ચોક્કસ વ્યક્તિ વગેરેની આધિકારીક સૂચના મળી નથી પરંતુ યુનુસ નામના વ્યક્તિનું નામ બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછ બાદ જેવી વિગતો બહાર આવશે તે મુજબ તપાસ હાથ ધરાશે. જામીન પર છૂટ્યા બાદ ફરીથી બાળ તસ્કરી‎પકડાયેલ ત્રણ આરોપીઓ પૈકી વંદના પંચાલ અને રોશન અગ્રવાલ અગાઉ 2025માં હૈદરાબાદમાં બાળ તસ્કરીના ગુનામાં પકડાયા હતા અને જેલમાં રહેવા દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યા બાદ જામીન પર છૂટ્યા બાદ ફરીથી બાળ તસ્કરી ચાલુ કરી દીધી હતી. મેટરનિટી હોમ અને હોસ્ટેલના સેવાના ઓથા હેઠળ નવજાત શિશુઓને વેચવાનું નેટવર્ક‎કુમારિકાઓએ અજાણતામાં કરેલ ભૂલ બાદ ગર્ભપાત શક્ય ન હોય અને બાળકને જન્મ આપવો પડે તેવી સ્થિતિમાં કેટલાક લોકો દ્વારા હોસ્ટેલ અને મેટરનિટી હોમ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં કેટલાક તબીબ પણ ભોગ બનનાર સાથે સોફ્ટ કોર્નર રાખી સેવામાં સામેલ હોય છે. બાળકનો જન્મ થયા બાદ બાળક આવા સેવા કર્મીઓના કબજામાં જતું રહે છે અને યુનુસ જેવા વચેટીયાઓ નિઃસંતાન દંપતીઓ શોધી કાઢી નવજાતને તેમના સુધી પહોંચાડે છે. આખી પ્રક્રિયામાં ભોગ બનનાર અને તેના પરિવારને સામાજિક લાંછનની સંભાવનામાંથી બચાવી લેવાનો આશય હોવાનું જણાવાય છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:33 am

ગૌમાંસનો વેપલો કરતાં કસાઈ ઝડપાયા:મોડાસાના કસ્બા મોગલવાડામાંથી 250 કિલો ગૌમાંસ સાથે ચાર કસાઈ ઝડપાયા

મોડાસાના કસ્બા મોગલવાડા વિસ્તારમાં ટાઉન પોલીસે ખાનગી માહિતીના આધારે આરીફ બેલીમના ઘરે રેડ કરીને 250 કિલોગ્રામ ગૌમાંસના જથ્થા સાથે ચાર આરોપીઓને 12 ગૌવંસને કતલ કરવાના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘરની તલાસી દરમિયાન કતલ કરવાના ઇરાદે ઘરમાં ગોંધી રાખવામાં આવેલા અને ડાલામાં રાખવામાં આવેલા 12 ગૌવંશને બચાવી લીધા હતા. પોલીસે બે ડાલા કબજે કરી ઝડપેલા ચાર આરોપીઓ અને વોન્ટેડ 7 આરોપીઓ સહિત કુલ 11 આરોપીઓ વિરુદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુુક્રૂરતા હેઠળ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મુખ્ય આરોપી આરીફ બેલીમને પોલીસે ઝડપવા કવાયત હાથ ધરી છે. મોડાસા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના કસ્બામાં આવેલા મોગલવાડામાં રહેતો આરીફ બેલીમ તેના માણસો મારફતે ડાલામાં ગાયો વાછરડા લાવી તેના ઘરે ઉતારી ઘરમાં બાંધી રાખીને માણસો ભાડે રાખી પોતાના ઘરમાં ગૌવંશનું કતલ કરી ગૌમાંસ વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે રેડ કરતાં આરીફ બેલીમ ના ઘરેથી250 કિલો ગૌમાંસ સાથે 4 આરોપી ઝડપ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ વોન્ટેડ આરોપીઓઆરીફ બેલીમ રહેફ કસ્બા મોગલવાડા મોડાસા તથા અન્ય છ આરોપીઓ

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:30 am

આગ લાગી:પાલનપુર માં કચરાની આગ વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રસરી

પાલનપુર સંજય ચોક નજીક બાવળોની ઝાડીમાં ગુરૂવારે બપોરના સુમારે અગમ્યકારણોસર આગ લાગી હતી. જે બાજુમાં પડેલા વીજ ટ્રાન્સફોર્મરમાં પ્રસરી હતી. દરમિયાન કોલ મળતાં પાલનપુર નગરપાલિકાના ફાયરવિભાગની ટીમ દોડી આવી હતી. અને 7000 લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગથી કોઇ નુકશાન કે જાનહાની થઇ ન હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:24 am

ડાયાલીસ વોર્ડમાં હંગામો મચ્યો:પાલનપુરની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતાં દર્દીએ ડાયાલીસ મશીનની તોડફોડ કરી

પાલનપુર શહેરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલના ડાયાલીસ વોર્ડમાં સોમવારે સ્ટાફે પત્નીને બહાર બેસાડતાં ઉશ્કેરાયેલા દર્દીએ ભારે હંગામો મચાવ્યો હતો. તેને ડાયાલીસ મશીન તોડી નુકશાન કરી હોસ્પિટલના સ્ટાફને અપશબ્દો બોલતાં આ મામલે શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના ભુતેડી ગામના રોહિત ડાહ્યાભાઈ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત ડાયાલીસ માટે પાલનપુર માનસરોવર રોડ પરની માવજત હોસ્પિટલ આવતા હતા. સોમવારે બપોરના સમયે તેઓ પત્ની સંજનાબેન સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા.ડાયાલીસ શરૂ થયા બાદ દર્દીની સલામતીને ધ્યાનમાં રાખી સ્ટાફે સંજનાબેનને વોર્ડની બહાર બેસવા વિનંતી કરી હતી. આ બાબતને લઇ રોહિત પટેલ ઉશ્કેરાઈ ગયા હતા અને હાજર સ્ટાફને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સ્ટાફે દર્દી હોવાને કારણે શાંતિથી સમજાવી ફરી પથારીમાં સુવડાવ્યા હતા અને સાંજના સમયે ડાયાલીસ પૂર્ણ થતાં તેમને ઘરે જવા જણાવાયું હતું. પરંતુ થોડા સમય બાદ રોહિત પટેલ ફરી ડાયાલીસ વોર્ડમાં આવ્યા હતા અને પત્નીને બહાર કાઢવાના મુદ્દે ઉગ્ર બન્યા હતા. આ દરમિયાન તેમણે નિપ્રો કંપનીના ડાયાલીસ મશીનની તોડફોડ કરી હતી. જેના કારણે નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઘટનાને લઈ હોસ્પિટલમાં ડાયાલીસ ટેકનિશિ યન તરીકે ફરજ બજાવતાં જનક મગનભાઈ રાજગોરે દર્દી રોહિત પટેલ વિરુદ્ધ શહેર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:16 am

તંત્રની મંથર ગતિથી વાહનચાલકોને હાલાકી:જગાણાને જોડતા ગોબરી માર્ગના રિનોવેશનમાં તંત્રની ‘ગોકળગતિ’

પાલનપુરથી જગાણાને જોડતા ગોબરી માર્ગના રિનોવેશનમાં જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા ગોકળગતિથી કામ થતા વાહનચાલકો પરેશાન થયા છે. જિલ્લા પંચાયત બાંધકામ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અહીં પાઇપલાઇનની કામગીરી ચાલી રહી છે. જે પૂર્ણ થયા બાદ જ રોડનું કામ આગળ વધશે. બીજી તરફ રોડ ખોદીને પડતો મુકાતા હાલ જગાણા સહિત જુદા જુદા વિસ્તારના લોકો અહીંથી પસાર થતા વાહનો પટકાવવાની ઘટનાઓ બની રહી છે. એમાં પણ એક સ્થળે જ્યાં પાણીની ઓવરહેડ ટાંકી આવેલી છે ત્યાં રોડ ન બનાવવા વધારે પડતું ખોદી દેવાતા વાહનો પટકાય રહ્યા છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગોબરી માર્ગના રિનોવેશનની કામગીરી હાલમાં મંથર ગતિએ ચાલી રહી છે. જે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:15 am

કોંગ્રેસે કલેકટર કચેરી ગજવી‎:કોંગ્રેસનો આક્ષેપ, દાંતીવાડાના ડાંગીયામાં 400, પાંથાવાડામાં 172 લોકોના ફોર્મ 7 ભરી દેવાયાં

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સરની પ્રક્રિયા સામે વિરોધ નોંધાવ્યો હતું. કોંગ્રેસના આગેવાનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરીએ એસઆઇઆર ની કામગીરીમાં ગંભીર ક્ષતિઓ અંગેના સૂત્રો પોકારી કલેક્ટર કચેરીને ગજવી હતી.જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દાંતીવાડાના ડાંગીયામાં 400,પાંથાવડામાં 172 લોકોના ફોર્મ સાત ભરી દેવાયું છે. ડાંગીયામાં જેણે વાંધા એક સાથે રજૂ કર્યા એને પૂછ્યું તો કહ્યું મને ખબર જ નથી, આ ઉપરાંત પાલનપુર તાલુકાના માલણ ગામમાં 11 લોકો એવા છે જે હયાત છે છતાં તેમને મૃત દર્શાવીને ફોર્મ 7 ભરી દેવામાં આવ્યું હતું. પાંથાવાડા ગામના અગ્રણીએ જણાવ્યું કે અમારા ગામમાં 172 વાંધા રજૂ થયા. કોંગ્રેસે આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે SIR પ્રક્રિયાના નામે સાચા અને પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને નમૂના 7ના ફોર્મનો મોટા પાયે દુરુપયોગ કરીને નાગરિકોના મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રક્રિયા લોકશાહી પર સીધો પ્રહાર છે. મતદાર યાદીમાંથી નામ કાપવાની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવામાં આવે તેમજ જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે તે ફરીથી યાદીમાં સામેલ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. રજુઆત દરમિયાન કોંગ્રેસે ચેતવણી પણ આપી હતી કે જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાંથાવાડના તારા બહેન નામની જે મહિલાના નામે વાંધાઓ રજૂ થયા તે મહિલાએ કહ્યું હું તો શ્રમિક છું મેં કશું કર્યું નથી, આમ જુદા જુદા રજૂઆતો બાદ કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી કે જેમણે ખોટું કર્યું એમની સામે ફરિયાદ નોંધાવો. નિયમ પ્રમાણે કાર્યવાહી થશે: કલેકટર કોંગ્રેસના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોના પ્રત્યુતરમાં બનાસકાંઠા કલેક્ટર એ જણાવ્યું કે તમામ પ્રક્રિયામાં રાજકીય પક્ષોને સામેલ રાખેલા છે, 30 ડિસેમ્બર સુધી કેટલા વાંધા આવ્યા તે બધા જાણીને નિયમ પ્રમાણે કાર્યવાહી થશે. :મિહિર પટેલ કલેક્ટર બનાસકાંઠા.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:11 am

વૈકલ્પિક માર્ગો પર ભાર વધ્યો:પાલનપુરમાં વડલીવાળા પરાનો માર્ગ બંધ થતાં શેરીમાં ટ્રાફિક ભારણ વધ્યું

પાલનપુરમાં વડલી વાળા પરાનો માર્ગ બંધ થતા નાના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. અહીંથી રોજિંદી અવરજવર કરતા 2 હજારથી વધુ વાહનો અટવાયા છે. ઉપરાંત વૈકલ્પિક માર્ગો પર ભાર વધ્યો છે. શોર્ટકટ માટે વાહનચાલકો સાંકડી ગલીઓમાં ઘૂસતા રહેણાંક વિસ્તારોમાં ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. જે લોકો અજાણતાથી માલણ દરવાજાથી શહેરમાં પ્રવેશે છે તેવા લોકોને હવે કંથેરિયા હનુમાન અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ થઈને રૂટ કાપવો પડે છે. જોકે નાની સાંકડી ગલી જેવો રોડ હોવાથી સામ સામે વાહનો આવી જતા ટ્રાફિક જામના રોજે રોજ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. માત્ર 110 મીટરના ભાગમાં હાલ આરસીસી બ્લોક નાખવાની કામગીરી અડધી પહોંચી છે. તેવામાં હજુ રોડ સપ્તાહ સુધી બંધ રહે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. બીજીતરફ મોટા ભાગનો કેટલોક ટ્રાફિક કમાલપુરા અને બારડપુરાની નાની ગલીઓમાં ડાયવર્ટ થયો છે. જેના લીધે મસ્જિદ પાસે, બારડપુરા ચોક અને દિલ્હીગેટ સર્કલ સુધી વાહનોની લાંબી કતારો સર્જાય છે. માર્ગ પર બ્લોક પાથરવાની કામગીરી કરવાના લીધે રસ્તો બંધ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:09 am

રેશનકાર્ડ ધારકો થયા પરેશાન:બે વાર રેશનકાર્ડ બંધ થયા બાદ ફરી ચાલુ ના થતા અરજદારને હાલાકી

પાટણ જિલ્લામાં રેશનકાર્ડ ધારકો અત્યારે વિચિત્ર ટેકનિકલ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.જે પરિવારોના રેશનકાર્ડ અગાઉ બે વખત બંધ થયા હોય તેઓ જ્યારે ફરીથી રાશન મેળવવા માટે કાર્ડ ચાલુ કરાવવા જાય છે.ત્યારે ઓનલાઈન સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવે છે. આ બાબતે પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન નરેશભાઈ પરમારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ કલેક્ટરને પત્ર લખી નિરાકરણ લાવવા માંગ કરી છે.​ જ્યારે કોઈ કાર્ડધારક મામલતદાર કચેરીમાં કાર્ડ પુનઃ શરૂ કરાવવા અરજી કરે છે.ત્યારે પોર્ટલ પર This card inclusion Stopped By Department એવું લખાણ આવે છે. આ ટેકનિકલ એરરને કારણે સ્થાનિક તંત્ર પણ લાચાર બન્યું છે અને રેશનકાર્ડ શરૂ કરી શકાતું નથી,પરિણામે અનેક જરૂરિયાતમંદ પરિવારો સરકારની સસ્તા અનાજની યોજનાથી વંચિત રહી ગયા છે. નરેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, રેશનકાર્ડ ગરીબ માણસના ઘરનો ચૂલો સળગાવવાનું સાધન છે. જો ટેકનિકલ ખામીને કારણે મહિનાઓ સુધી રાશન ન મળે તો આ પરિવારોની હાલત કફોડી થઈ જાય છે.તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરેથી આ સોફ્ટવેર એરર દૂર કરવામાં આવે અને ગરીબોને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. બંધ થયેલા રેશનકાર્ડ ત્રીજીવાર ચાલુ થશે નહીં પાટણ પુરવઠા નાયબ મામલતદાર હર્ષદ પટેલ જણાવ્યું હતું કે બંધ થઈ ગયેલા રેશનકાર્ડ બીજીવાર ચાલુ થાય છે.અને કોઈ કારણસર જો રેશનકાર્ડ બંધ થઈ જાય તો એ પછી ત્રીજીવાર રેશનકાર્ડ ચાલુ થતા નથી. આ ટેક્નિકલ સમસ્યાનો હાલમાં કોઈ ઉકેલ નથી ઉચ્ચકક્ષાએથી જો સમસ્યા હલ કરવામાં આવે તો જ સમસ્યા હલ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:07 am

ચોરીનો મામલો:પાટણમાં ગેસ્ટહાઉસનાં પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

પાટણ શહેરમાં નવજીવન ચાર રસ્તા પાસે આવેલા તિરુપતિ કોમ્પલેક્ષમાંથી બાઈકની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. માધવ ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા અક્તરભાઇ કોટવાલે પાટણ સીટી બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.24 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે અક્તરભાઇએ પોતાનું લાલ પટ્ટાવાળું બજાજ પલ્સર બાઈક ગેસ્ટ હાઉસના નીચેના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. જ્યાં અજાણ્યો તસ્કર આશરે 30 હજારની કિંમતના બાઈકની ઉઠાંતરી કરી રફુચક્કર થઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:02 am

પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે કર્યા ધનના ઢગલાં:ચાબખાના ખેડૂતે ગાય આધારિત ખેતીથી ખર્ચ ઘટ્યો,જમીન સુધરી અને આવક વધી

હારિજ તાલુકાના ચાબખા ગામના ખેડૂત જયંતિભાઈ પ્રજાપતિ છેલ્લા 7 વર્ષથી રાસાયણિક ખાતર અને ઝેરી જંતુનાશકોને તિલાંજલિ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જેના થકી તેઓએ વાર્ષિક 7 લાખની માતબર આવક મેળવી રહ્યા છે. જયંતિભાઈએ પોતાના ખેતરમાં ચણા, ઘઉં,અડદ અને તુવેર જેવા કઠોળની સાથે આંબા,જામફળ અને લીંબુ જેવા બાગાયતી પાકોનું મબલખ ઉત્પાદન લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની ગાય સહાય યોજનાના ટેકાથી જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ શરૂ કર્યો હતો.પરિણામે મોંઘા ખાતરનો ખર્ચ શૂન્ય થઈ ગયો અને જમીન વધુ ફળદ્રુપ બની છે. રાસાયણિક ખેતીથી વધતા રોગો વચ્ચે જયંતિભાઈ અન્ય ખેડૂતો માટે પથદર્શક બન્યા છે. શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાકને કારણે તેમને બજારમાં પણ ઊંચા ભાવ મળે છે. તેમણે ખેડૂત આલમને આહવાન કર્યું છે કે જો આવનારી પેઢીને સ્વસ્થ રાખવી હોય અને ખેતીને નફાકારક બનાવવી હોય તો પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:01 am

રમતગમત:પાટણમાં સંઘ દ્વારા વલય દંડ સ્પર્ધામાં 24 ટીમોના 180 ખેલાડીઓએ ભાગ લીધો

ભારત વિકાસ પરિષદ (BVP) પાટણ શાખા દ્વારા રવિવારે પ્રગતિ મેદાન ખાતે સૌ પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો માટે વલય દંડ રમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શિસ્ત અને ખેલદિલીના સંગમ સમાન આ સ્પર્ધામાં નગરની વિવિધ શાખાઓની 24 ટીમોના આશરે 180 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ત્રણ અલગ-અલગ વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં રસાકસી જોવા મળી હતી. જેમાં બાલ્ય કેટેગરીમાં વીર અભિમન્યુ શાખા, 16થી 40 વર્ષના ગ્રુપમાં પાર્થ શાખા અને 40 વર્ષથી ઉપરના વયજૂથમાં શિવમ શાખા વિજેતા બની હતી. નગર સંઘચાલક નિરંજનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિજેતાઓને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અશ્વિનભાઈ પારેખ, પારસભાઈ ખમાર સહિત પરિષદના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અજિત પવારના પત્ની ડેપ્યુટી-CM બની શકે; UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે; કચ્છમાં ફરી 2001 જેવો ભૂંકપ આવી શકે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અંતિમ સંસ્કાર હતા. તેમના બે પુત્રો, પાર્થ અને જય પવારે મુખાગ્નિ આપી. બીજા મોટા સમાચાર નવા UGC નિયમોને લઈને રહ્યા⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ મામલે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. 2. મહાત્મા ગાંધીની 79મી પુણ્યતિથિ પર PM મોદી સહિત અનેક નેતાઓ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપશે. કાલના મોટા સમાચારો 1. અજિત પવારની ખાલી જગ્યા પત્ની સુનેત્રા ભરશે? કદાવર નેતાઓ સાથેની મુલાકાતથી ડેપ્યુટી-CM બનવાની ચર્ચાઓ તેજ, પ્રફુલ પટેલના હાથમાં NCPની કમાન આવી શકે અજિત પવારના નિધન બાદ તેમની પત્ની સુનેત્રા પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર, પ્રફુલ પટેલ, છગન ભુજબળ, ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ સુનેત્રા સાથે મુલાકાત કરી છે. સુનેત્રા હાલમાં રાજ્યસભા સાંસદ છે, તેઓ હવે અજિત પવારની બારામતી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત, પ્રફુલ પટેલના NCPના અધ્યક્ષ બનવાની પણ ચર્ચા છે. આ પ્રસ્તાવ પર NCPના નેતાઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. બીજી તરફ, NCP પાર્ટીનું શરદ જૂથ સાથે પણ વિલિનીકરણ થઈ શકે છે. અજિત પવારનું બુધવારે બારામતી એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં નિધન થયું હતું. તેઓ 66 વર્ષના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. નવા UGC નિયમો સુપ્રીમ કોર્ટે સ્થગિત કર્યા:કહ્યું, આનો દુરુપયોગ થઈ શકે છે, સરકારને નવો ડ્રાફ્ટ તૈયાર કરવાનો આદેશ આપ્યો સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર આગામી આદેશ સુધી સ્થગિત કર્યા છે. CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યાની બેન્ચે કહ્યું હતું કે આની જોગવાઈઓ અસ્પષ્ટ છે અને એનો દુરુપયોગ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિયમોનો ડ્રાફ્ટ ફરીથી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. CJI સૂર્યકાંતે કેન્દ્રને પૂછ્યું, “આપણે જાતિવિહીન સમાજની દિશામાં કેટલું હાંસલ કર્યું છે? શું હવે આપણે ઊલટી દિશામાં ચાલી રહ્યા છીએ?” કોર્ટે કહ્યું, “અમને જનરલ કેટેગરીની ફરિયાદોથી કોઈ ફેર પડતો નથી. મુદ્દો એ છે કે જે ખરેખર જરૂરિયાતવાળા ને પીડિત છે તેને ન્યાય મળવો જોઈએ. અમારી ચિંતા એ છે કે જે લોકો અનામતમાં આવે છે તેમના માટે નિવારણ પ્રથા યથાવત્ રહેવી જોઈએ.” વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોના-ચાંદીના ભાવે તમામ રેકોર્ડ તોડી દીધા:ચાંદી 4 લાખને પાર, સોનામાં પણ એક જ દિવસમાં 16 હજારનો ઉછાળો; જાણો રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લેતી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. એક તરફ, શેરબજારમાં ઘટાડો અટકતો નથી અને બીજી તરફ, સોના-ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યારસુધી સોનું માત્ર 3 હજારથી 5,000 રૂપિયા વધતું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20 હજાર રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનો સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બ્રિટિશ PM 8 વર્ષ પછી ચીન પહોંચ્યા:કોરોનાકાળમાં ચીની કંપની હુઆવેને કાઢી મુકી હતી, હવે કહ્યું- અમેરિકા તેની જગ્યાએ, પરંતુ ચીન જરૂરી બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મર બુધવારે 8 વર્ષ પછી ત્રણ દિવસની મુલાકાતે ચીન પહોંચ્યા છે. આ પહેલા 2018માં તત્કાલીન બ્રિટિશ પીએમ થેરેસા મે ચીન ગયા હતા. છેલ્લા 8 વર્ષમાં વૈશ્વિક રાજનીતિ ઘણી બદલાઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આક્રમક નીતિઓ અને નિવેદનોને કારણે યુરોપિયન દેશો નવા ભાગીદારો શોધી રહ્યા છે, આવી સ્થિતિમાં ચીન તેમને એક મજબૂત વિકલ્પ દેખાઈ રહ્યું છે. ચીન રવાના થતા પહેલા સ્ટાર્મરે મીડિયાને કહ્યું હતું કે બ્રિટનને અમેરિકા અને ચીનમાંથી કોઈ એકને પસંદ કરવાની જરૂર નથી. અમેરિકા સાથેના સંબંધો જળવાઈ રહેશે, પરંતુ ચીનને અવગણવું યોગ્ય રહેશે નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પ્રયાગરાજ પ્રશાસન શંકરાચાર્યની માફી માંગશે:અવિમુક્તેશ્વરાનંદે 2 શરતો મૂકી; લખનૌના 2 મોટા અધિકારીઓ સંગમ સ્નાન કરાવશે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીથી પ્રયાગરાજ પ્રશાસન માફી માંગવા તૈયાર થઈ ગયું છે. શંકરાચાર્યના મીડિયા પ્રભારી યોગીરાજ સરકારે પોતે આની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું- શંકરાચાર્ય અચાનક માઘ મેળો છોડીને વારાણસી જતા રહેશે, પ્રયાગરાજના અધિકારીઓને આ આશા નહોતી. તેઓ વિચારી રહ્યા હતા કે માઘ પૂર્ણિમા એટલે કે એક ફેબ્રુઆરીના સ્નાન પછી શંકરાચાર્ય જશે, ત્યાં સુધીમાં તેમને મનાવી લેશે. 28 જાન્યુઆરીએ શંકરાચાર્યના વારાણસી આવ્યા પછી લખનૌના બે મોટા અધિકારીઓએ મહારાજજીનો સંપર્ક કર્યો અને પૂર્ણિમા પર માઘ મેળામાં સન્માનભેર સ્નાન કરાવવાની વાત કરી. આના પર મહારાજજીએ બે શરત મૂકી છે. પહેલી- જવાબદાર માફી માંગે, લેખિત માફીનામું આપે. બીજી- ચારેય શંકરાચાર્યનો પ્રોટોકોલ સ્નાન માટે લાગુ કરવામાં આવે. યોગીરાજ સરકારે જણાવ્યું- શાસનના કેટલાક અધિકારીઓ વારાણસી આવશે. શંકરાચાર્યને લઈને પ્રયાગરાજ લઈ જશે. તેમને માઘી પૂર્ણિમા પર સંગમ સ્નાન કરાવશે.. સંપૂર્ણ સમાચાર વાંચો 6. હિંમતનગરથી હૈદરાબાદ સુધીનો બાળ તસ્કરીનો ખતરનાક ખેલ:બાળક 3.60 લાખમાં ખરીદી અમદાવાદ એરપોર્ટ પાસે પહોંચતાં જ ક્રાઇમ બ્રાન્ચ-ATSએ ઝડપ્યા, આંતર રાજ્ય રેકેટનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી આંતરરાજ્ય બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી એક કારમાંથી 15 દિવસના બાળકનું રેસ્ક્યૂ કર્યું હતું. આ બાળકને એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ હિંમતનગરથી 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા. આ ટોળકી બાળકોની તસ્કરી કરીને તેમને ગુજરાત, તેલંગાણા અને યુપીના રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'કચ્છમાં ફરી 2001 જેવો ભૂંકપ આવી શકે છે':લાંબા સમય સુધી આફ્ટર શોક્સ પણ ચાલુ રહેશે, દેશ-વિદેશના 135 વૈજ્ઞાનિકનાં રિસર્ચમાં ઘટસ્ફોટ વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપને તાજેતરમાં જ 25 વર્ષ પૂર્ણ થયાં છે. 26મી જાન્યુઆરી 2001ના ભૂકંપની યાદને કચ્છીઓ અને ગુજરાતીઓ ક્યારે ભૂલી શકે એમ નથી. કચ્છનો વિસ્તાર ઝોન-5માં આવતો હોઈ, નિયમિતપણે આ વિસ્તારમાં ભૂકંપીય પ્રવૃત્તિ જોવા મળતી હોય છે. તાજેતરમાં જ 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ગાંધીનગરના ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) ખાતે ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ 'ઇન્ટ્રાપ્લેટ અને હિમાલયન સિસ્મોલોજી' યોજાઈ હતી. છેલ્લાં 25 વર્ષ દરમિયાન ઈન્ટ્રાપ્લેટ અને હિમાલય રીજન અંગે નોંધપાત્ર સંશોધન થયું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લોકસભામાં આર્થિક સર્વે રજૂ કરાયો:PMએ કહ્યું, સરકારની ઓળખ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, યુરોપિયન બજાર ખૂલવાથી મેન્યુફેક્ચરર માટે તકો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : અમેરિકાના ટેક્સાસમાં નવા H-1B વિઝા જારી નહીં થાય:ગવર્નરે આવતા વર્ષે મે મહિના સુધી રોક લગાવી; 15 હજાર ભારતીયો પર અસર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : SIR વિરુદ્ધ સુનાવણી, સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો:અરજદારોએ કહ્યું- ECI મનમાની કરી શકે નહીં, ચૂંટણી અધિકારીઓ અદાલત નથી કે જે નાગરિકતા નક્કી કરશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મેલાનિયા ટ્રમ્પની ડોક્યુમેન્ટરી બ્રિટનમાં ફ્લોપ:લંડન પ્રીમિયરમાં માત્ર 1 ટિકિટ વેચાઈ, એમેઝોને ₹340 કરોડમાં રાઇટ્સ ખરીદ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : દેશનું 'આર્થિક રિપોર્ટ કાર્ડ' સંસદમાં રજૂ:2026-27માં GDP ગ્રોથ 6.8%થી 7.2% રહેવાનો અંદાજ; બજેટમાં ત્રણ સેક્ટર પર વધારે ફોકસ રહેશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : દાવો- પાકિસ્તાન હવે T20 વર્લ્ડકપનો બહિષ્કાર નહીં કરે:ટીમ 2 ફેબ્રુઆરીએ કોલંબો પહોંચશે; બાંગ્લાદેશના સમર્થનમાં ટુર્નામેન્ટમાંથી હટી જવાની ધમકી આપી હતી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : અદ્રશ્ય છાયા ગ્રહ રાહુની અજીબ માયા!:'શતભિષા' નક્ષત્રનો અદ્ભુત સંયોગ, ભગવાન શિવે પોતે કહી છે ધનવાન બનવાની રીત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ રોડના કિનારે સોનું લૂંટવાની હોડ મધ્યપ્રદેશના ખજુરાહોમાં રાજગઢ પેલેસમાં નિર્માણ કાર્ય દરમિયાન 500 વર્ષ જૂના સોનાના સિક્કા મળ્યા. ખજાનાના સમાચાર મળતા જ અનેક લોકોએ રોડના કિનારે ખોદકામ શરૂ કરી દીધું. જોકે, વહીવટીતંત્રને હજુ સુધી કોઈ સિક્કા મળ્યા નથી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: UGCના જાતીય ભેદભાવવાળા રેગ્યુલેશન પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવ્યો; કહ્યું- આનો દુરુપયોગ થઈ શકે છે, શું હવે સરકાર ઝુકશે? 2. એક્સક્લૂસિવ : લગ્નમાં બગી, ફટાકડા અને નોટો ઉડાડવા પર પ્રતિબંધ: મહેમાન પણ નિયમ તોડે તો ઘરધણીને દોઢ લાખનો દંડ; સગાઈ, મામેરા, મરણપ્રસંગ માટે ભરવાડ સમાજનું 'બંધારણ’ 3. ડિજિટલ ડાકુ-4 : ડિજિટલ અરેસ્ટની ઇનસાઇડ વિગતો પહેલી જ વાર: વીડિયો કૉલમાં એવું તે શું થયું કે ONGCનાં મહિલા અધિકારીએ ₹1.36 કરોડ આપી દીધા? 4. VIDEOમાં જુઓ અજિત પવારના પ્લેન ક્રેશની છેલ્લી 35 મિનિટની કહાની: 100 ફૂટ ઉપરથી જ પ્લેન ત્રાંસું થઈ ગયું, છેલ્લા શબ્દો હતા- Ohh Shit... Ohh Shit... 5. બ્લેકબોર્ડ: કિડનેપ કરી 10 દિવસ સુધી મારો રેપ કર્યો: ભાનમાં આવી તો હાથ-પગ બાંધેલા હતા, ચાદર લોહીથી ખરડાયેલી હતી, સંબંધીએ એક લાખમાં વેચી 6. ભાસ્કર એક્સક્લૂસિવ : એરસ્ટ્રિપ ન દેખાઈ, કેમ લેન્ડ થયું અજિત પવારનું પ્લેન?: 5Kmનો નિયમ, બારામતીની 3Km વિઝિબિલિટીમાં કોણે આપી લેન્ડિંગ પરમિશન? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મેષ-વૃષભ રાશિના જાતકો માટે લગ્નનો પ્રબળ યોગ, કન્યા રાશિના લોકોએ કરિયરમાં તક ઝડપવી (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 30 Jan 2026 5:00 am