વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ સુધીમાં બે વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં રોકાણકારોએ અભૂતપૂર્વ ઉત્સાહ બતાવ્યા બાદ આગામી દિવસોમાં હવે નવો પબ્લિક ઈશ્યુ બહાર પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લ્યુ બોન્ડનો આ પબ્લિક ઈશ્યુ 200 કરોડનો હશે, જેમાં નાના રોકાણકારો પણ ભાગ લઈ શકે તેવું આયોજન છે. શું છે મ્યુનિસિપલ બોન્ડ અને તેનો ઉપયોગ?મ્યુનિસિપલ બોન્ડ એક પ્રકારનું એવું સાધન છે જે સ્થાનિક સરકારી સંસ્થાઓ, જેમ કે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અથવા અન્ય સ્થાનિક સત્તાવાળાઓ, દ્વારા જાહેર જનતા પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે બહાર પાડવામાં આવે છે. આ બોન્ડ ઇશ્યુ કરીને, મહાનગરપાલિકા રોકાણકારો પાસેથી પૈસા ઉધાર લે છે અને તેના બદલામાં રોકાણકારોને નિશ્ચિત વ્યાજ દરે સમયાંતરે વ્યાજ ચૂકવવાનું વચન આપે છે. બોન્ડની પાકતી મુદત પૂરી થતા, મહાનગરપાલિકા રોકાણકારોને મૂળ રકમ પાછી ચૂકવે છે. આ બોન્ડનો ઉપયોગ સામાન્ય રીતે શહેરના વિકાસ પ્રોજેક્ટ્સ જેમ કે રસ્તાઓનું નિર્માણ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા સુધારવી, પૂલ બાંધવા, જાહેર પરિવહન સુવિધાઓ વિકસાવવી, બગીચાઓ બનાવવું અથવા અન્ય માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે ભંડોળ પૂરું પાડવા માટે થાય છે. એજન્સીની નિમણૂકને સ્ટેન્ડિગમાં મંજૂરી વડોદરા મહાનગરપાલિકાએ અગાઉ બે બોન્ડ બહાર પાડયા હતા. હવે બ્લુ બોન્ડ ના પબ્લિક ઈશ્યુ બહાર પાડવા માટેનો તખ્તો તૈયાર થઇ ચુક્યો છે. આ બ્લુ બોન્ડ થકી જનભાગીદારીથી શહેરની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે. બજેટમાં બ્લુ બોન્ડ ઈશ્યુ જાહેર કરવા માટેની જાહેરાત બાદ સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ અંગે એજન્સીની નિમણૂક સહિતના કામો મંજૂર કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી હતી, જેને મંજૂરી આપી દેવામાં આવી છે અને તે અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી છે. બોન્ડથી રોકાણકારોને શું ફાયદો?કેટલાક રોકાણકારો સલામત રોકાણ કરવા ઉપર ભાર મુકતા હોય છે. કોર્પોરેશને બહાર પાડેલા બોન્ડમાં ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને તેઓને મળી જાય છે. જ્યારે મુદત પાકે ત્યારે તેઓએ રોકાણ કરેલી રકમ પરત મળી જાય છે. રોકાણકારોને બોન્ડમાં રોકાણ કરવામાં સલામતી એટલા માટે અનુભવાય છે, કારણ કે સરકારી સંસ્થા ક્યારેય ડૂબવાની નથી. આ ઉપરાંત અન્યત્ર ઈન્વેસ્ટ કરવા કરતા સારું અને સલામત વળતર મળે છે. બોન્ડથી કોર્પોરેશનને શું ફાયદો?બોન્ડથી પાલિકાને શું ફાયદો થયો તે અંગે વડોદરા મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન જો વિકાસના કામો માટે કોઈ બેન્ક પાસે લોન મેળવવા માટે જાય તો પાલિકાએ તેની સામે બમણી સિક્યુરિટી આપવી પડે છે. જ્યારે સામે બોન્ડના કારણે તે વ્યાજદર પણ ઓછું થાય છે. આ ઉપરાંત વડોદરા મહાનગર પાલિકાએ સફળતા પૂર્વક બોન્ડ પાર પાડ્યા, જેના કારણે ભારત સરકારે પાલિકાને રૂ.13 કરોડ ઈન્સેન્ટિવ આપ્યું, જેથી આ વ્યાજમાં પણ બે ટકા ઘટાડો થઇ ગયો. સરળ ભાષામાં સમજીએ તો પાલિકાએ પ્રથમ બોન્ડ 7.15 ટકાએ બહાર પાડ્યો હતો, જેની સામે ભારત સરકારે 13 કરોડ આપ્યા હતાં, જેથી પાલિકાને વ્યાજમાં બે ટકા ઘટાડો થઇ ગયો. આ ઉપરાંત કોર્પોરેશન દર મહિને પાલિકા દ્વારા વ્યાજદરની રકમ અને મુદ્દલની રકમ સાઈડમાં મુકવામાં આવી હતી. વ્યાજ દર છ મહિને ચુકવવામાં આવે છે તે રકમ સિવાયની રકમ ફિક્સ ડિપોઝિટમાં મુકવામાં આવે છે, જેથી પાંચ વર્ષને અંતે તેઓએ મેળવેલા બોન્ડ પેટે તેઓને માત્ર 2થી 2.5 ટકા જ રકમ વ્યાજ ચૂકવવું પડે છે. જે બેંક લોન કરતા ખુબ ઓછું હોય છે. વીએમસી પ્રથમ કોર્પોરેશન જેને ગ્રીન બોન્ડ અંગે ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું કોર્પોરેશને અગાઉ ગ્રીન બોન્ડ બહાર પાડયા હતા. આ બોન્ડ થકી જે પ્રોજેક્ટ ઉભા કરાયા તેના આધારે પ્રદુષણમાં નિયંત્રણ કરવાનો પ્રયાસ કરાયો. અગાઉ ઉંડેરા અને શેરખી એસટીપી બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ ડ્રેનેજ માટે હતો. જો આ પ્રોજેક્ટ ન થાય તો પ્રદુષણ કેટલું થશે તે અંગેનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના ઉપર ઇન્ટરનેશનલ એજન્સીના માન્ય ઓડિટરોએ ચકાસ્યું અને પેરામીટરમાં બેઠા બાદ વીએમસીને પ્રથમ ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ મળ્યું હતું. જે એશિયામાં પ્રથમ મહાનગરપાલિકા છે. વડોદરાના નાગરિકો પણ બોન્ડ ખરીદી શકશે વડોદરાના સામાન્ય નાગરિકો પણ આગામી સમયમાં પાડનાર ઈશ્યુ ખરીદી શકશે. પાલિકા અંદાજે 10,000ના ગુણાંકમાં રોકાણ કરી શકશે. જેનું ફિક્સ વ્યાજ નક્કી કરવામાં આવશે અને તે બાદ ઈશ્યુ જાહેર કરવામાં આવશે. વડોદરાના નાગરિકો પણ કોર્પોરેશન સાથે એટેચ થાય અને તેની કામગીરીમાં પોતાની જનભાગીદારી છે તેવું સમાજે તેવો આની પાછળ આશય છે. VMCનો બોન્ડ થોડા સમયમાં જ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો 1 માર્ચ, 2024ના રોજ જ્યારે બોન્ડ ઇસ્યુ માટે બીએસઇના ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન થયું ત્યારે માત્ર થોડા સમયમાં જ બોન્ડ 14.6 ગણો ઓવર-સબસ્ક્રાઈબ થયો હતો. કુલ 44 બિડરો દ્વારા રૂ.1460 કરોડની બીડ મેળવી, જે ભારતના મ્યુનિસિપલ બોન્ડ ઇતિહાસમાં સૌથી વધુ સબ્સ્ક્રિપ્શન ધરાવતું ઇસ્યુ બની રહ્યું છે, જે વડોદરા કોર્પોરેશન પ્રત્યે રોકાણકારોના પ્રચંડ વિશ્વાસને દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા જૂની સિદ્ધિ ટકાવી રાખવા માટે ગત વર્ષે પણ રૂપિયા 100 કરોડના બોન્ડ દ્વારા નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા. બોન્ડથી થતા ફાયદા
ભરૂચ મહિલા પોલીસે એક વર્ષના બાળકને માતાને પરત અપાવ્યું:સંવેદનશીલ કામગીરીથી માતા-બાળકનો મિલાપ કરાવ્યો
ભરૂચ મહિલા પોલીસે સંવેદનશીલ કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસે એક વર્ષના બાળકને તેની માતાને સુરક્ષિત રીતે પરત અપાવવામાં સફળતા મેળવી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ, ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.એ. આહિર અને તેમની ટીમ મહિલા સંબંધિત પ્રશ્નોમાં મદદરૂપ થવા સતત કાર્યરત છે. આ કેસમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં એક અરજદાર મહિલાને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. મહિલાએ રજૂઆત કરી હતી કે તેના પતિ અને સાસુ તેમના એક વર્ષના બાળકને પોતાની સાથે લઈ ગયા હતા અને તેને પરત આપવાનો ઇનકાર કરતા હતા. ન્યાય મેળવવા માટે તેણીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે, પીએસઆઈ વૈશાલી આહિરે હેડ કોન્સ્ટેબલ શીતલબેનની મદદથી સામા પક્ષને બોલાવી કાઉન્સેલિંગ કર્યું હતું. સમજાવટ અને માર્ગદર્શન બાદ, સામા પક્ષ બાળકને તેની માતાને પરત આપવા સંમત થયો હતો. ત્યારબાદ, બાળકને તેની માતાને સુપરત કરવામાં આવ્યું હતું, જેનાથી માતા-બાળકનો મિલાપ થયો હતો.
DRI તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ SVPI એરપોર્ટ, અમદાવાદથી ફ્લાઇટ SG-15 દ્વારા દુબઈ જઈ રહેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો મળીમુસાફરના સામાનની તપાસ અને વ્યક્તિગત તલાશી લેતા તેની ટ્રોલી બેગ, કેરી બેગ અને તેણે પહેરેલા ટ્રાઉઝરના ખિસ્સામાંથી 100 USD મૂલ્યની કુલ 288 ચલણી નોટો, જે દરેકની કિંમત 28,800 USD હતી તે મળી આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારીઓની મુસાફરો પર બાજનજરઅમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હમણાંથી હેરાફેરીની ઘટનાઓ વધતી જાય છે. તેને ધ્યાનમાં લઈને કસ્ટમ વિભાગના અધિકારીઓ મુસાફરો પર બાજનજર રાખી રહ્યાં છે. ₹25,81,920ના મૂલ્યનું વિદેશી ચલણ જપ્તતાજેતરમાં કસ્ટમ વિભાગે ગાંજાનો જથ્થા સહિત સોનાની લગડી વગેરે કબજે કર્યા હતા. ત્યાં વળી ડી. આર.આઈ. તરફથી મળેલી માહિતીના આધારે મુસાફરને રોકીને તપાસ કરતા વિદેશી ચલણ- 28,800 USD મળી આવ્યા હતા. જે કસ્ટમ્સ એક્ટ, 1962ની સંબંધિત જોગવાઈઓ હેઠળ ₹25,81,920/- મૂલ્યની વિદેશી ચલણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ. 24) ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹55,000 નો દંડ ફટકાર્યો છે. દંડ ન ભરે તો વધુ ત્રણથી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને ₹5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી છે. આ કેસની વિગત એવી છે કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ હતી. તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા હતા. તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આરોપી અને સગીરા પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું. સગીરાએ એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો હતો. જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી હતી.
શહેરની જૈન સ્મશાન ભૂમિમાં અભ્યાસ કરતા 95 જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમની સ્વર્ગસ્થ માતાની સ્મૃતિમાં આ સેવાકીય કાર્ય કરાયું હતું. બાળકોને નોટબુક, પેન્સિલ અને કંપાસ બોક્સ જેવી વસ્તુઓ આપવામાં આવી હતી. જૈન સ્મશાન ભૂમિમાં શોભનાબેન યાદવ સિનિયર કેજીથી ધોરણ 12 સુધીના અંદાજે 95 છોકરા-છોકરીઓને ટ્યુશન આપી ભણાવે છે. આ બાળકો ખુલ્લા વાતાવરણમાં ચાદરા પાથરીને અભ્યાસ કરે છે. દસ દિવસ પહેલા ધર્મેશ પટવાના માતાનું અવસાન થતા તેમના અંતિમ સંસ્કાર માટે પરિવાર અહીં આવ્યો હતો. તે સમયે તેમણે આ બાળકોને ભણતા જોયા અને તેમની અભ્યાસ પ્રત્યેની રુચિથી પ્રભાવિત થયા. આ દ્રશ્ય જોઈને ધર્મેશ પટવાએ શિક્ષિકા શોભનાબેન યાદવની મુલાકાત લીધી હતી. શિક્ષિકાએ બાળકો માટે ચોપડા, નોટબુક, પેન્સિલ, કંપાસ અને પાઉચ જેવી શૈક્ષણિક વસ્તુઓની જરૂરિયાત જણાવી હતી. ધર્મેશ પટવાએ જરૂરી તમામ સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી હતી. આજે ધર્મેશ પટવાના જન્મદિવસ નિમિત્તે તેમણે આપેલું વચન પૂર્ણ કરવામાં આવ્યું. તમામ 95 બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મેશ પટવા, પ્રિયાબેન, એક્ટિવ દિલીપ પટેલ, ગ્રુપના સભ્યો, કોર્પોરેટર મનોજભાઈ અને વિષ્ણુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સ્મશાન જેવી જગ્યાએ શિક્ષણ મેળવતા બાળકોને જરૂરી સાધનો મળતા તેમના અભ્યાસમાં સરળતા રહેશે.
37 મામલતદારની બદલી:165 નાયબ મામલતદારને મામલતદાર તરીકેનું પ્રમોશન, જુઓ લિસ્ટ
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફારો કરતાં રાજ્યભરમાં 37 મામલતદારોની બદલીના આદેશ જાહેર કર્યા છે. સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. આ અંગે સચિવાલય, ગાંધીનગરથી સત્તાવાર આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 37 મામલતદારોની બદલીમાહિતી અનુસાર, બદલાતા વહીવટી જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને જિલ્લાઓમાં કામગીરી વધુ અસરકારક બને તે હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા મામલતદારોને અન્ય તાલુકા તથા જિલ્લામાં બદલી આપવામાં આવી છે. ખાસ કરીને વહીવટી કામગીરી, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી શાખા અને અર્બન ડેવલપમેન્ટ સંબંધિત કચેરીઓમાં પણ નિયુક્તિઓ કરવામાં આવી છે. 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતીઆ સાથે જ 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ખાલી પડેલ જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. બઢતી બાદ સંબંધિત અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા સૂચના આપવામાં આવી છે. કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો હેતુસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરના વહીવટી ફેરફારોનો હેતુ કામકાજમાં ઝડપ અને પારદર્શિતા લાવવાનો છે. જિલ્લા સ્તરે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, ચૂંટણી તથા અન્ય શાખાઓમાં કાર્યક્ષમતા વધારવા આ પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, મામલતદાર અને નાયબ મામલતદાર સ્તરે થયેલા આ મોટા ફેરફારોને કારણે રાજ્યના વહીવટી તંત્રમાં નવી ગતિ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
માળીયા પાસે 1.38 કરોડથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ 19,068 બોટલ ભરેલા ટ્રક સાથે 2 પકડ્યા, 9 સામે ગુનો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાની ભીમાસર ચોકડી પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્વાગત પેટ્રોલિયમના પાર્કિંગમાં ઉભેલા એક ટ્રકમાંથી દારૂ અને બિયરની કુલ 19,068 બોટલો મળી આવી હતી. આ જથ્થાની બજાર કિંમત 1.38 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 1.63 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય સપ્લાયર સહિત કુલ નવ શખ્સો સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. SMCના પી.એસ.આઇ. વી.એન. જાડેજા અને તેમની ટીમે અમદાવાદ-કચ્છ હાઈવે પર ભીમાસર ચોકડી પાસે ટ્રક નંબર RJ 7 JD 2852ને રોકીને તપાસ કરી હતી. આ ટ્રકમાંથી 1,38,04,080 રૂપિયાની કિંમતની 19,068 દારૂ-બિયરની બોટલો મળી હતી. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના વિક્રમસિંહ નારણસિંહ ચૌહાણ અને કમલકિશોર પ્રેમરામ મારુનો સમાવેશ થાય છે. દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 25 લાખ રૂપિયાનો ટ્રક, 10,000 રૂપિયાના બે મોબાઈલ ફોન અને 23,580 રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. આમ, કુલ 1,63,51,160 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા બે આરોપીઓ ઉપરાંત, મુખ્ય સપ્લાયર રમેશ લખમરામ જાટ (ચંડી રામસર, બાડમેર), બલવીર સોહનદાસ જાટ (લોહર ગામ, હનુમાનગઢ), જબ્બર બીશ્નોઈ (સાચોર, રાજસ્થાન) સામે પણ ગુનો નોંધાયો છે. સામખિયાળી ખાતે દારૂનો જથ્થો મેળવનાર અજાણ્યો શખ્સ, પંજાબના ભટિંડા ખાતે ટ્રક છીનવી લેનાર અજાણ્યો શખ્સ, દારૂનો જથ્થો લોડ કરીને વાહન આપી ગયેલ અજાણ્યો શખ્સ અને ટ્રકના માલિકનો પણ આ ગુનામાં સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ જથ્થો પંજાબથી રાજસ્થાન થઈને ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. પોલીસે આ દિશામાં વધુ તપાસ શરૂ કરી છે અને ગુનામાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર સહિતના તમામ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે.
મહિલા થારચાલકે યુવકને ઉડાવ્યો, સ્થળે જ મોત:અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જતાં રસ્તે અકસ્માત
સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત છે. ગત મોડી રાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેફામ ગતિએ આવતી થાર જીપની ચાલક મહિલાએ યુવકને અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. મોડી રાત્રે અભિષેક મોરે નામનો યુવક પોતાના રસ્તે જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકાબેન સરનાની નામની મહિલા પોતાની થાર ગાડી લઈને પૂરપાટ ઝડપે આવી રહી હતી. મહિલાએ ગાડી પરનો કાબૂ ગુમાવતા અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ અટલાદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થાર ચાલક મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી મહિલા ઋષિકાબેન સરનાનીની અટકાયત કરી છે અને અકસ્માત સમયે મહિલા નશામાં હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. પરિવારમાં શોકનું મોજુંજુવાનજોધ દીકરાના અચાનક મોતના સમાચાર મળતા જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલી PM શ્રી મોડેલ સ્કૂલમાં ભગ્યોદય મેડિકલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કિશોરી સ્વાસ્થ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 12 અને 13 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાયો હતો. બે દિવસ ચાલેલા આ કેમ્પમાં કુલ 709 બાળકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા વિદ્યાર્થીનીઓને વ્યાપક આરોગ્ય તપાસ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં સ્ત્રીરોગ નિષ્ણાત, જનરલ મેડિસિન, આંખના નિષ્ણાત અને ચર્મરોગ નિષ્ણાત દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, NCD સ્ક્રીનિંગ, સિકલ સેલ અને એનિમિયા ટેસ્ટિંગ જેવી મહત્વપૂર્ણ તપાસ પણ કરવામાં આવી હતી. કિશોરીઓને આરોગ્ય માર્ગદર્શન અને સિકલ સેલ કાઉન્સેલિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. કેમ્પમાં ભાગ લેનાર તમામ લાભાર્થીઓને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંખની તકલીફ ધરાવતા 45 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને નંબરના ચશ્મા પણ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પ્રકારના આરોગ્ય કેન્દ્રીય કાર્યક્રમો કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા, સમયસર રોગોનું નિદાન કરવા અને તેમના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વલસાડ હાઈવે પર SMCનો સપાટો:19.19 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 6 વોન્ટેડ
સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નં. 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ રૂ. 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે છ અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે શુક્રવારે વહેલી સવારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણ તરફથી આવતી ઇનોવા કાર (GJ-18-ED-4949) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ચિરાગકુમાર નાનુભાઈ પટેલ (રહે. નાની દમણ), જે કારનો ડ્રાઈવર હતો, અને જીગ્નેશભાઈ નારણભાઈ પટેલ (રહે. નાની દમણ), જે હેલ્પર હતો, તેમનો સમાવેશ થાય છે. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય છ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં દારૂ મોકલનાર ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડા (રહે. નાની દમણ), પાયલોટિંગ કરનાર કિરણ ઉર્ફે છનીયો અને નિલેશ ઉર્ફે નિલીયો ઘોડો, તેમજ દારૂનો જથ્થો મંગાવનાર સુરતના સની ઉર્ફે સોહન સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે. તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 9,08,456/- ની કિંમતની 3208 બોટલ વિદેશી દારૂ, રૂ. 10,00,000/- ની ઇનોવા કાર, રૂ. 10,000/- ના બે મોબાઈલ ફોન અને રૂ. 830/- રોકડ રકમ તથા ફાસ્ટેગનો સમાવેશ થાય છે. કુલ રૂ. 19,19,286/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, દમણથી ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે હાઈવે પર સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન વધુ કડક બનાવવામાં આવશે.
અમેરિકાની કોર્ટમાં ખાલિસ્તાની નેતા પન્નુની હત્યાનું કાવતરું રચ્યાનો આરોપ નિખિલ ગુપ્તાએ સ્વીકાર્યો
Khalistani Pannu News : ખાલિસ્તાની અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની અદાલતમાં પોતાના ગુનાની કબૂલાત કરી લીધી છે. 13 ફેબ્રુઆરી, 2026ના રોજ મેનહટનની ફેડરલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ગુપ્તાએ હત્યાનું કાવતરું ઘડવા અને મની લોન્ડરિંગના આરોપોમાં પોતે દોષિત હોવાનું સ્વીકાર્યું હતું. અગાઉ જૂન 2024માં તેણે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ હવે અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સમક્ષ અરજી દાખલ કરીને પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ આરોપો સાબિત થવા પર તેને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સમગ્ર કાવતરું વર્ષ 2023માં ત્યારે પ્રકાશમાં આવ્યું હતું જ્યારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પનું ઇરાનને છેલ્લું અલ્ટીમેટમ : એક મહિનામાં પરમાણુ કરાર ન કર્યો તો હુમલો થશે
Donald Trump Threat Iran : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ઇરાનને એક મહિનાની અંદર જ પરમાણુ સમજૂતી કરવાની ચેતવણી આપી છે અને જો એક મહિનામાં સમજૂતી ન થઈ તો અમેરિકાનો હુમલો સહન કરવા તૈયાર રહેવાની ધમકી આપી છે. આ હુમલો ફેઝ-2 હશે અને તે અગાઉ કરવામાં આવેલા હુમલા કરતાં પણ ઘણો ખતરનાક હશે એમ તેમણે જણાવ્યું હતું. ટ્રમ્પે ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ સાથે મુલાકાત કરી આમ જણાવ્યું હતું. ટ્રમ્પે કેરેબિયન જળમાં રહેલા નૌકા કાફલાના એક ભાગને બીજાં પ્રબળ વિમાનવાહક જહાજ યુએસએ ગેરાલ્ડ આર ફોર્ડનાં નેતૃત્વ નીચે મધ્ય એશિયા તરફ રવાના કરી દીધો છે.
રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરી આડે મોટું વિઘ્ન સામે આવ્યું છે. આ કામગીરી માટે મનપા તંત્રને 5,000 કર્મચારીઓની જરૂરિયાત છે. જેની સામે મનપા તેમજ મનપા સંચાલિત સરકારી શાળાઓ મળી માત્ર 2,500નો સ્ટાફ હાલ ઉપલબ્ધ છે. એટલે જરૂરિયાત કરતા અડધો જ સ્ટાફ ઉપલબ્ધ હોવાથી અધિકારીઓ મૂંઝવણમાં મુકાયા છે. ખાસ કરીને વર્ષ 2011 પછી લાંબા સમયના અંતરાલ બાદ 20 એપ્રિલ-2026થી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાથી તેમાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વખતે રાજકોટના ભૌગોલિક નકશામાં થયેલા મોટા ફેરફારો અને નવા ભળેલા વિસ્તારોને કારણે કામગીરીનું ભારણ વધ્યું છે. જેની સામે સૌથી મોટો પ્રશ્ન સ્ટાફની અછતનો ઉભો થયો છે. જેને લઈ ખાનગી શાળાઓના સ્ટાફની મદદ લેવા સહિતના અન્ય પાસાઓ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં વસ્તી ગણતરી ને ડિજિટલ માધ્યમથી ડેટા કલેક્શનરાજકોટ મનપાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા મુજબ, આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં વિભાજિત કરાઈ છે. આ વખતે ગણતરીની પદ્ધતિમાં પેપરવર્કને બદલે સંપૂર્ણ પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં માત્ર હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. આ પછી ફેબ્રુઆરી 2027માં વાસ્તવિક વસ્તી ગણતરી કરવામાં આવશે. જેમાં દરેક વ્યક્તિની વિગતવાર માહિતી જેવી કે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અન્ય જાણકારી એકત્ર કરવામાં આવશે. ત્યારબાદ વસ્તી ગણતરીનું સાચું પરિણામ સામે આવશે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગ મુજબ, જેમાં મહાનગરપાલિકાનો પોતાનો સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકો અને આચાર્યોનો સમાવેશ થાય છે. એક કર્મચારી પર કામનું ભારણ વધી શકેઆમ, જરૂરિયાત કરતા 50 ટકા સ્ટાફ ઓછો હોવાને કારણે કામગીરી સમયસર પૂર્ણ થશે કે કેમ તે બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વસ્તી ગણતરી એ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાની પ્રક્રિયા છે, જો સ્ટાફ ઓછો હોય તો એક કર્મચારી પર કામનું ભારણ વધે છે અને ડેટાની ચોકસાઈ પર પણ તેની અસર પડી શકે છે. આ સ્ટાફની ઘટ પૂરી કરવા માટે હવે મનપા તંત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. ખાનગી શાળાના સ્ટાફને તાલીમ આપીને મેદાનમાં ઉતારી શકેમનપાનાં ચૂંટણી અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, ઘટતા 2,500 કર્મચારીઓની વ્યવસ્થા કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં શહેરમાં આવેલી ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક સ્ટાફને આ સરકારી કામગીરીમાં જોડવા માટે મંજૂરી મેળવવા પ્રક્રિયા ચાલી રહી છે. જો સરકાર તરફથી મંજૂરી મળશે, તો ખાનગી શાળાના સ્ટાફને જરૂરી તાલીમ આપીને મેદાનમાં ઉતારવામાં આવશે. આ સિવાય વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના કર્મચારીઓની સેવાઓ લેવા માટે કલેક્ટર મારફત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કર્મચારીઓને પણ કામગીરીમાં સામેલ કરવા અંગે વિચારણા ચાલી રહી છે. તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત હાલ વસ્તી ગણતરી માટે ઘટતા સ્ટાફની પૂર્તિ કરવા માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવી તમામ મહાનગરપાલિકાઓમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીઓ અને CGST જેવી સંસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. જો આ તમામ પ્રયાસો બાદ પણ સ્ટાફની અછત રહેશે, તો સેન્સસ એક્ટની જોગવાઈ મુજબ ખાનગી શાળાઓના શિક્ષકો અને ક્લાર્કની સેવાઓ લેવા અંગે પણ વિચારણા કરવામાં આવશે. હાલ પૂરતી પ્રાથમિકતા સરકારી સ્ટાફને જ આપવામાં આવી રહી છે, પરંતુ જરૂર પડ્યે ખાનગી સ્ટાફની મદદ લેવા માટે ઉપરથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશેવધુમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલથી 19મે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો રહેશે. જેમાં કર્મચારીઓ તમામ લોકોના ઘરે જશે. આ વખતે વસ્તી ગણતરી દરમિયાન ગણતરીદારો જ્યારે લોકોના ઘરે જશે, ત્યારે તેમને અંદાજે 30થી 33 જેટલા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવશે. જેમાં પરિવારની સુખ-સુવિધાઓ, વાહનો, શૌચાલયની સુવિધા, પીવાનું પાણી અને ડિજિટલ સાધનોના વપરાશ અંગેની માહિતીનો સમાવેશ થશે. આ તમામ ડેટા સીધો મોબાઈલ એપ કે ડિજિટલ ટેબ્લેટમાં એન્ટર કરવામાં આવશે, જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે. રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશેરાજકોટની વસ્તીના ઇતિહાસ પર નજર કરીએ તો વર્ષ 1981માં શહેરની વસ્તી 4.44 લાખ હતી. 1991માં તે વધીને 5.50 લાખ થઈ. 2001માં આ આંકડો 10.00 લાખ પર પહોંચ્યો. 2011માં છેલ્લી સત્તાવાર ગણતરી મુજબ વસ્તી 13.46 લાખ હતી. જોકે છેલ્લા 15 વર્ષમાં રાજકોટમાં માધાપર, મુંજકા, મોટામૌવા, ઘંટેશ્વર જેવા અનેક નવા વિસ્તારો ભળ્યા છે. શહેરનો વિસ્તાર જે 2011માં મર્યાદિત હતો તે હવે વધીને 161.86 ચોરસ કિલોમીટર થયો છે. આ ભૌગોલિક વિસ્તારના વધારા અને શહેરીકરણની ઝડપને જોતા, તંત્રનો અંદાજ છે કે આ વખતે રાજકોટની વસ્તી 20 લાખની સપાટીને આસાનીથી વટાવી જશે. તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ અને તાલીમસ્ટાફની અછત હોવા છતાં, મનપા તંત્ર દ્વારા હાલમાં ઉપલબ્ધ 2,500 કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ ડિજિટલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો, લોકો સાથે કેવી રીતે વાતચીત કરવી અને માહિતીની ગોપનીયતા કેવી રીતે જાળવવી તે અંગે તમામને માર્ગદર્શન આપવામાં આવશે. વસ્તી ગણતરી એ માત્ર માથાની ગણતરી નથી, પરંતુ આગામી 10 વર્ષ માટેની સરકારી યોજનાઓ અને શહેરના વિકાસના રોડમેપ તૈયાર કરવા માટેનો પાયાનો ડેટા છે. તેથી, મનપાએ યુદ્ધના ધોરણે બાકીના 2,500 વ્યક્તિના સ્ટાફની વ્યવસ્થા કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. અમદાવાદથી 100 કિમી અને ધોલેરા સ્માર્ટ સિટીથી માત્ર 20 કિમીનાં અંતરે નવગામ ખાતે આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. આ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ હશે. અહીં એક નહીં ચાર-ચાર રનવે હશે. અત્યારે અહીં 3 કિમી લાબો એક રનવે બનીને તૈયાર થઈ ગયો છે. ભાસ્કરની ખાસ સિરીઝ 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં જુઓ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનો તમે ક્યારેય ના જોયેલો ડ્રોન વ્યૂ. આ વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
BJPના અધિરા નેતાઓએ સોશિયલ મીડિયા ગજવ્યું:ચિરાગ ગોટી કોનો ભાણો?, સોશિયલ મીડિયા પર જબરી ચર્ચાઓ ઉપડી
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે. એમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને કારણે મુસાફરો અટવાઇ જવાના ઘણા કિસ્સા બને છે. થોડા દિવસો પહેલાં આ રેલવે સ્ટેશનેથી એક યુવતી મળી આવી. ન તો તે બોલી શકતી, ન સાંભળી શકતી. જેના કારણે તેની સુરક્ષા અને ઓળખને લઇને એક મોટો પ્રશ્ન હતો. પરંતુ કોઇ વાર્તાની માફક આ કિસ્સામાં એક એવો વળાંક આવ્યો જેની કોઇએ કલ્પના પણ નહોતી કરી. યુવતી પોતાના નામ, શહેર કે અન્ય કોઇ માહિતી આપવા માસે સક્ષમ નહોતી. તેની સાથે કોઇ અનિચ્છનીય ઘટના ન બની જાય તે માટે પોલીસે ગંભીરતા દાખવી તેને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો. યુવતી ગર્ભવતી અને માનસિક બીમાર હોવાનું ખૂલ્યુંઆ સેન્ટર ટૂંકા ગાળાના રોકાણ માટે બનાવવામાં આવ્યું છે. એટલે જ થોડા દિવસ પછી યુવતીને પાલડી વિકાસ ગૃહ અને ત્યારબાદ તેની માનસિક સ્થિતિને જોતા દિલ્હી દરવાજા સ્થિત માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. ત્યાંથી આ યુવતી ગર્ભવતી તેમજ માનસિક બીમાર હોવાનું તબીબી રીતે જાણવા મળ્યું. એટલે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. આથી, તેને લાંબા ગાળાના આશ્રય અને સંભાળ માટે ઓઢવમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી. આ અંગે અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સખી વન સ્ટોપ સેન્ટરમાં રેલવે પોલીસ દ્વારા એક કેસ આવ્યો હતો. એ દીકરી માનસિક રીતે દિવ્યાંગ હતી. જેથી તેને સારવાર આપીને રાજ્યના નારી સંરક્ષણ ગૃહ (માનસિક દિવ્યાંગ ગૃહ)માં મોકલાઇ હતી. કોઇ આવે તો યુવતી તેની સાથે જવા તૈયાર થઇ જતીફાલ્ગુની સોલંકી અમદાવાદ અમદાવાદ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું દીકરી અમારે ત્યાં આવી ત્યારે ઘરે જવા માટે બહુ જીદ કરતી હતી. તે દીકરી પોતાનો કપડાંનો થેલો હંમેશા સાથે જ રાખતી હતી. કોઇપણ વ્યક્તિ આવે એટલે મારે તેની સાથે જવું છે તેવું ઇશારાથી જણાવતી, ધમપછાડા કરતી. લખાણ પણ ન ઉકલી શક્યુંઘણા દિવસો વીતી ગયા પણ યુવતીની ઓળખ નહોતી થઇ શકી. યુવતી મુકબધિર હોવાથી તેની સાથે કાઉન્સેલિંગ કરવું ઘણું જ મુશ્કેલીભર્યું હતું. એટલે જ મહિલા અને બાળ વિકાસ વિભાગ, અમદાવાદના ફિલ્ડ ઓફિસર ફાલ્ગુની સોલંકીએ એક આશા સાથે તેની પાસે થોડું લખાણ લખાવ્યું. આ લખાણ વસ્ત્રાપુર ખાતે આવેલી મુકબધિર શાળામાં બતાવ્યું હતું પરંતુ તેઓ પણ તે લખાણ ઉકેલી શક્યા ન હતા. પરંતુ તેના શરીરના બાંધા પરથી તે યુવતી મધ્યપ્રદેશની હોવાનું જણાવ્યું હતું. સ્ટાફે અનામિકા નામ આપ્યુંસરકારી કાગળોમાં તેની કોઇ ઓળખ ન હોવાથી પત્ર વ્યવહાર કરવામાં પણ તકલીફ પડતી હતી. અજાણી યુવતી હોવાથી અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીએ તે યુવતીનું નામ અનામિકા આપ્યું. આ નામ કચેરીના અધિકારીએ આપ્યું હોવાથી કચેરીના સ્ટાફ માટે યુવતીની ઓળખ થઇ ગઇ હતી પણ તેની અસલ ઓળખ હજુ બાકી હતી. ફાલ્ગુનીબેને જણાવ્યું કે, અમે રેલવે પોલીસને કહ્યું હતું કે આ દીકરી કયા પ્લેટફોર્મ પરથી અને કઇ ટ્રેનમાંથી કેટલા વાગ્યે ઉતરી હતી તે CCTV ચેક કરીને જણાવો. અમે તે દીકરી પાસે લખાણ લખાવડાવ્યું હતું. તે હિન્દી જેવી ભાષામાં લખતી હતી અને વારંવાર શબ્દ રિપીટ કરતી હતી. જેથી ખ્યાલ આવે તેમ નહોતો. આધાર કાર્ડ કઢાવવા ગયા ત્યારે નવો વળાંક આવ્યોછેવટે ફાલ્ગુનીબેને અમદાવાદ મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણીની મંજૂરીથી યુવતીની ઓળખ માટે તેનું નવું આધાર કાર્ડ કઢાવવા કલેકટર કચેરીમાં કાર્યવાહી કરી ત્યારે સિસ્ટમે ડુપ્લિકેટ આધાર કાર્ડની એરર બતાવી. આ એક મોટો વળાંક હતો કારણ કે તેનો અર્થ એ હતો કે તેનું આધાર કાર્ડ અગાઉ ક્યાંક બનેલું હતું. આધાર કાર્ડ કઢાવવાની જરૂર કેમ પડી તે અંગે ફાલ્ગુનીબેને કહ્યું કે, દીકરી પ્રેગનન્ટ હતી એટલે તેનું મમતા કાર્ડ કઢાવવું જરૂરી હતું. 5 અઠવાડિયા થઇ ગયા હતા એટલે આગળની રસી અપાવવાની ઉપરાંત તેમને આયર્નની દવા પણ અપાવવાની હતી. મમતા કાર્ડ કઢાવવા માટે અમારે આધાર કાર્ડ કઢાવવું જરૂરી હતું. કોમ્પ્યુટર સ્ક્રીન પર પરિવારના સભ્યોની વિગત મળીડુપ્લિકેટ આધાર કાર્ડની એરર આવતા નવરંગપુરામાં આવેલી UIDAIની સ્ટેટ ઓફિસેથી જ આગળની જાણકારી મળી શકે એમ હતી. એટલે જ યુવતીને આ ઓફિસે લઇ જવામાં આવી. જ્યાં આંખો તથા અગૂંઠાની છાપ લઇને આધાર કાર્ડ કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ દરમિયાન બાયોમેટ્રિક પદ્ધતિના કારણે યુવતીના જૂના આધાર કાર્ડની વિગતો કોમ્પ્યુટર સિસ્ટમ પર જોવા મળી. એટલું જ નહીં યુવતીના પરિવારના સભ્યો જેવા કે તેના માતા-પિતા તેમજ ભાઇ-બહેનની વિગતો સ્ક્રીન પર દેખાઇ હતી. તેને જોતાં જ યુવતીના ચહેરા પરના હાવભાવ બદલાઇ ગયા હતા. તેઓ રૂબરૂ મળી ગયા હોય એમ યુવતીના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. મધ્યપ્રદેશ પોલીસમાં ફરિયાદ થઇ હતીહવે આગળનું કામ યુવતીના પરિવાર સાથે સંપર્ક સાધવાનું હતું. UIDAIની સ્ટેટ ઓફિસેથી યુવતીના પરિવારના સભ્યોના નામ, સરનામા તેમજ મોબાઇલ નંબર જેવી વિગતો મળી ગઇ હતી. આ માહિતી પરથી ફાલ્ગુનીબેને યુવતીના પરિવારને વીડિયો કોલ કર્યો. સામેની તરફ આ યુવતીની માતા હતી. સ્ક્રીન પર એકબીજાને જોતા જ માતા-પુત્રીની આંખો છલકાઇ ગઇ. માતાએ જણાવ્યું કે તેની દીકરી ત્રણ મહિનાથી ગુમ હતી અને તેમણે મધ્યપ્રદેશમાં પોલીસ ફરિયાદ પણ કરી હતી. ફાલ્ગુનીબેને ઉમેર્યું કે, દીકરીના પિતા-ભાઇ અને બહેનો મધ્યપ્રદેશ રહે છે. જ્યારે તેની માતા અન્ય એક દીકરી સાથે કંડલા પોર્ટ પર મજૂરી કરે છે અને ત્યાં જ રહે છે. દીકરીના સાસરિયામાં ડિસ્પ્યૂટ ચાલતા હતા. જેથી તે માનસિક રીતે ડિસ્ટર્બ થઇ ગઇ હશે. જેથી તે ત્યાંથી સીધી માતા પાસે જવા ટ્રેનમાં બેસી ગઇ હતી. તે કાલુપુર ઉતરી હતી ત્યાંથી રેલવે પોલીસ તેને પકડીને મૂકી ગઇ હતી. દીકરી ગુમ થઇ ગઇ હોવાથી તેના પરિવારે મધ્યપ્રદેશ પોલીસમાં FIR નોંધાવી હતી. અમે લોકોએ તેના પરિવારને એ FIR સાથે લઇ આવવા જણાવ્યું હતું. જેથી અમે જાણી શકીએ કે તેમણે દિકરીને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા. 3 મહિના બાદ પરિવારને સોંપાઇથોડા જ દિવસોમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે યુવતીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો. તમામ કાયદાકીય પ્રક્રિયા અને ચકાસણી બાદ ત્રણ મહિનાના લાંબા સમયગાળા પછી અનામિકાને તેના પરિવારને સોંપવામાં આવી. બાયોમેટ્રિક પદ્ધતિ આશાનું કિરણફાલ્ગુનીબેને જણાવ્યું, અત્યારસુધીમાં અમારા નારી સંરક્ષણ ગૃહ, ઓઢવમાં બાયોમેટ્રિક પદ્ધતિથી ઓળખનો આ પ્રથમ કેસ છે. હાલ અમારી પાસે માનસિક રીતે દિવ્યાંગ હોય તેવી 49 બહેનો છે. જેમાં અત્યારે અમે પ્રોસેસ કરી રહ્યાં છીએ કે તેમાંથી કેટલાંના આધાર કાર્ડ નીકળેલાં છે અથવા તો નવા આધાર કાર્ડ નીકળે કે પછી ડુપ્લીકેટ તે અમે જાણીશું. જેથી અમે તેના ઘર સુધી પહોંચી શકીએ. બાયોમેટ્રિક પદ્ધતિથી અમે દરેકના ઘર-પરિવારને શોધવાની કોશિષ કરીશું.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રાજસ્થાનમાં કથાવાચક ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપ લાગવા સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર PM મોદીની ઓફિસનું સરનામું બદલાવાને લઈને રહ્યા હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી અસમમાં ₹5000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લાગ્યા:વિપક્ષનો હોબાળો, 9 માર્ચ સુધી સ્થગિત; ભાજપના આરોપ- રાહુલ સત્તા મેળવવા માટે દેશના ભાગલા પાડવા માગતા હતા બજેટ સત્રના 13મા દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર 10 મિનિટ ચાલી. શુક્રવારે કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષના સાંસદોએ 'હરદીપ પુરી રાજીનામું આપો'ના નારા લગાવ્યા. પાંચ મિનિટ પછી ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ. આ વખતે હોબાળા વચ્ચે શિક્ષણ અને કાયદા મંત્રાલયને લગતાં કેટલાંક બિલ રજૂ કરવામાં આવ્યાં. આ પછી અધ્યક્ષ સંધ્યા રાયે લોકસભા 9 માર્ચ સુધી સ્થગિત કરી દીધી. સંસદનું બજેટસત્ર બે તબક્કામાં યોજાવાનું છે. 23 દિવસના વિરામ પછી સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થશે અને 2 એપ્રિલ સુધી ચાલુ રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. વડાપ્રધાન કાર્યાલય ‘સેવા તીર્થ’ ભવનનું ઉદ્ઘાટન:PM બોલ્યા- નોર્થ-સાઉથ બ્લોક બ્રિટિશ શાસનનું પ્રતીક; ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી વડાપ્રધાન કાર્યાલયનું સરનામું આજથી બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી PM ઓફિસ સેવા તીર્થ અને કર્તવ્ય ભવન 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું. PM ઓફિસ અત્યાર સુધી સાઉથ બ્લોકમાં હતું. PM મોદીએ કહ્યું કે નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકની ઇમારતો બ્રિટિશ શાસનની હુકુમતનું પ્રતીક હતી. આ ભવનો બ્રિટનના મહારાજની વિચારસરણીને ગુલામ ભારતના જમીન પર ઉતારવાનું માધ્યમ હતું. આપણે ગુલામીની આ માનસિકતામાંથી બહાર નીકળવું જરૂરી હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સોના-ચાંદીના ભાવ ફરી તૂટ્યા:એક કિલો ચાંદી ₹2.42 લાખ પર આવી, 10 ગ્રામ સોનાનો ભાવ દોઢ લાખ થયો; જાણો ખરીદતી વખતે શું ધ્યાન રાખશો? 13 ફેબ્રુઆરીએ સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 17,188 રૂપિયા ઘટીને 2,41,945 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે તે 2,59,133 રૂપિયા પ્રતિ કિલો હતી, જ્યારે 2 દિવસમાં એની કિંમત 24 હજાર રૂપિયા ઘટી ગઈ છે. 11 ફેબ્રુઆરીએ ચાંદી 2,66,449 રૂપિયા પ્રતિ કિલો હતી. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 2,899 રૂપિયા ઘટીને 1,52,751 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગુરુવારે એ 1,55,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ઝવેરીબજારમાં 29 જાન્યુઆરીએ સોનાએ 1,76,121 રૂપિયા અને ચાંદીએ 3,85,933 રૂપિયાનો ઓલટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મહામંડલેશ્વર ઉત્તમ સ્વામી પર બળાત્કારના આરોપો:રાજસ્થાનની યુવતીએ દિલ્હી પોલીસને મેઇલ કર્યો; લખ્યું- સમજૂતી માટે ધમકીઓ મળે છે શ્રી પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને કથાવાચક ઉત્તમ સ્વામી પર રાજસ્થાન નિવાસી એક યુવતીએ દુષ્કર્મ આચરવાનો આરોપ લગાવ્યો છે. યુવતીએ 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસ કમિશનરને ઈ-મેલ મોકલીને સુરક્ષાની માગ પણ કરી છે. પીડિતાનું કહેવું છે કે FIR નોંધાવવાની જાણ થતાં જ તેને ધમકીઓ મળવા લાગી છે. ઉત્તમ સ્વામી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના નજીકના લોકો સમાધાન માટે દબાણ કરી રહ્યા છે. યુવતીએ મેઇલમાં લખ્યું છે કે તેના અને તેના પરિવાર વિશે અત્યંત ખાનગી માહિતી રાખવામાં આવી રહી છે. તેને નુકસાન પહોંચાડવાની આશંકા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો અપસેટ સર્જાયો:ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું, કાંગારુઓને પછાડીને ZIM ટૉપ-2માં પહોંચ્યું; મુઝરબાનીએ 4 વિકેટ ઝડપી T20 વર્લ્ડ કપમાં પહેલો અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રનના માર્જિનથી હરાવ્યું. આ બીજી વખત છે જ્યારે ટીમે T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. તેણે 19 વર્ષ પહેલા 2007માં લીગ રાઉન્ડમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા. જવાબમાં, ઓસ્ટ્રેલિયા 19.3 ઓવર પછી 146 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બ્લેસિંગ મુઝારાબાનીએ 4 વિકેટ લીધી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 6. માયાભાઈના પુત્રનું વધુ એક કારસ્તાન, બસ લઈ ભવનાથ તળેટીમાં પહોંચ્યો:જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ બસ લઈને આવ્યો, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ ગિરનારની ગોદમાં ચાલી રહેલા શિવરાત્રીના મીની કુંભ મેળામાં વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે VVIP કલ્ચરને દેશવટો આપવાના કડક દાવા કરવામાં આવ્યા હતાં. જોકે, જાણીતા લોક સાહિત્યકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિરે આ તમામ નિયમોના લીરેલીરા ઉડાડ્યા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. જ્યાં મંત્રી-IAS ચાલીને જાય છે ત્યાં જેલમાંથી છૂટેલો જયરાજ પ્રાઈવેટ લકઝુરિયસ બસ લઈને આવે છે. લાખો ભાવિકો જ્યારે કિલોમીટરો સુધી પગપાળા ચાલીને મહાદેવના શરણમાં જઈ રહ્યા છે, ત્યારે જયરાજ આહિર પોતાના મિત્રો સાથે ખાનગી બસમાં સવાર થઈને છેક ભવનાથ તળેટીમાં મોડી રાતે પહોંચતા ભારે વિવાદ સર્જાયો છે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયાએે તપાસના આદેશ આપ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરતના ખ્યાતનામ બિલ્ડર તુષાર ઘેલાણીના મોત કેસમાં સનસનીખેજ દાવાઓ:પરિવારજનોએ કહ્યું, મહિલા બ્લેકમેલ કરતી, મહિલાએ કહ્યું- આત્મહત્યા નહીં, પણ મર્ડર છે સુરતના ખ્યાતનામ બિલ્ડર અને બિઝનેસમેન તુષાર ઘેલાણીના મોતના 9 દિવસ બાદ સનસનીખેજ દાવાઓ સામે આવ્યા છે. તુષાર ઘેલાણીની 'અંગત મહિલા મિત્ર'એ પોલીસમાં અરજી આપી દાવો કર્યો છે કે બિઝનેસમેને આત્મહત્યા નથી કરી પણ તેમનું મર્ડર થયું છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તુષારભાઈનો પરિવાર તેમનો એટીએમ મશીન તરીકે પૈસા માટે ઉપયોગ કરતો. પરિવાર તેમની કાળજી નહોતો રાખતો તથા માન-સન્માન પણ નહોતા આપતા. 'અંગત મહિલા મિત્ર'એ એવો પણ દાવો કર્યો છે કે દીકરીના લગ્ન માટે તુષારભાઈ ઘેલાણી તેની માતા પાસેથી 20 દિવસ પહેલાં 25 લાખ રૂપિયા ઉછીના લઈ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલ ગાંધીએ ખેડૂત સંગઠનોના નેતાઓ સાથે મુલાકાત કરી:કહ્યું- ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ વિરુદ્ધ આંદોલન પર વાતચીત થઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત:તારિક રહેમાન PM બનશે, દેશને 35 વર્ષ પછી મળશે પુરુષ વડાપ્રધાન; PM મોદી-અમેરિકાએ અભિનંદન પાઠવ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાની ડોન અને લોરેન્સ ગેંગ આમને- સામને:શહઝાદ ભટ્ટીએ કહ્યું- લોરેન્સ સાબરમતી જેલમાંથી બહાર આવે એટલે ખેલ ખતમ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલી PM ને મળતા જ ટ્રમ્પે ઇરાનને ધમકાવ્યું:એક મહિનાની મુદત આપી, મધ્ય પૂર્વમાં વધુ એક બીજું એરક્રાફ્ટ કેરિયર પણ મોકલ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 લાખના રોકાણ પર ₹12,000 સુધીની વાર્ષિક કમાણી:ICL ફિનકોર્પનો NCD ઈશ્યૂ 1.74 ગણો ભરાયો, ₹10 હજારથી ઈન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકાય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : માહિકાની રિટર્ન ગિફ્ટની રાહ જોતો હાર્દિક પંડ્યા:રેડ રોઝનો બુકે આપ્યો; ગર્લફ્રેન્ડના 'M' અક્ષરનું ટેટૂ કરાવ્યું, માહિકાએ લખ્યું- મેન ઓફ ધ મેચ માય લાઈફ! વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ:પતિ-પત્નીએ એકસાથે શિવ-પાર્વતીની પૂજા કરવી જોઈએ, લાલ સાડી અને સુહાગની વસ્તુઓનું દાન કરવું જોઈએ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹300 માં ખરીદેલું ડોમેન ₹634 કરોડમાં વેચાયું મલેશિયાના ટેક ઉદ્યોગપતિ ઇસ્માઇલે 1993માં માત્ર ₹300 માં 'AI.com' નામનું ડોમેન ખરીદ્યું હતું, જેને તેમણે તાજેતરમાં ₹634 કરોડમાં વેચી દીધું છે. આ અત્યાર સુધીનું સૌથી મોંઘું ડોમેન વેચાણ માનવામાં આવે છે. આ ડોમેનને Crypto.com ના CEO ક્રિસ માર્શઝાલેકે ખરીદ્યું છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 13 વર્ષ ઉંમર, ઘોડેસવારી-ફેશનની શોખીન કિમ જોંગની દીકરી; શું છે કિમ જુ એની નોર્થ કોરિયાની આગામી તાનાશાહ બનવાની કહાની 2. ફિલ્મી ફેમિલી : સલમાન ખાનને જાહેરમાં મોં પર ચોપડાવી દીધું!: અરિજિત સિંહના પહેલા લગ્ન વર્ષ પણ ન ટક્યા, 400 કરોડથી વધુની સંપત્તિ છતાં સ્લીપર પહેરીને સ્કૂટર પર ફરે 3. ભાસ્કર એક્સપ્લેનર : બાંગ્લાદેશમાં તારિક રહેમાનનું PM બનવું નક્કી: શું આ PAK-ચીન માટે આંચકો અને ભારત માટે સારું રહેશે; જાણો 6 જરૂરી સવાલોના જવાબ 4. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : પ્રોપર્ટી, પ્લાસ્ટિક સર્જરી, પ્રોડ્યુસરની હત્યા!: અરુણ ટિક્કુ કેસની તપાસે ખોલી નવી ડાયરી, 10 વર્ષનું નેક્સસ, 4 હત્યા; પૈસા માટે હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ 5. બાંગ્લાદેશથી ભાસ્કર : હિંદુ-અવામી લીગના મત BNPને મળ્યા, જમાતને હરાવી: હસીનાની સરકાર પાડનારા હાર્યા, હિંદુ વસતિવાળા જિલ્લાઓમાં BNPની એકતરફી જીત 6. Editor's View: એકઝાટકે પાકિસ્તાન ઘૂંટણિયે: ક્રિકેટમાં કાવાદાવા કરવા જતાં કાંડ થઈ ગયો, ICCના માસ્ટર સ્ટ્રોકથી પલટી મારી, જાણો બોયકોટ ડ્રામાની ઇનસાઇડ સ્ટોરી કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: ગ્રહોની અનુકૂળ સ્થિતિ મેષ રાશિ માટે નવી સિદ્ધિઓનું સર્જન કરશે, વૃષભ અને કન્યા જાતકોના પ્રેમ સંબંધો મધુર રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ
કાર્યવાહી:પોરબંદર જિલ્લામાં ગત માસે માત્ર65 ચાલક વિરૂધ્ધ ગુના નોંધાયા
પોરબંદર જિલ્લામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકો, અડચણ રૂપ વાહન રાખનાર ચાલકો અને નશો કરી વાહન ચલાવનાર કુલ 65 ચાલક સામે પોલીસે ગત જાન્યુઆરી માસે કાર્યવાહી કરી, દંડ નહીં પરંતુ ગુન્હા નોંધવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરમા પુર ઝડપે વાહન ચલાવી ચાલકો અન્ય નિર્દોષ લોકોને અને પશુને હડફેટે લેતા હોય છે. જેને કારણે લોકોને ઈજાઓ પહોંચે છે. ગત જાન્યુઆરી મહિનામાં વધુ સ્પીડથી વાહન ચલાવનાર 15 ચાલકને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, વધુ સ્પીડથી વાહન ચલાવનાર ચાલકની પાછળ પોલીસ પીછો કરી તેઓને ઝડપી લેવામાં આવે છે. આવા ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં કેટલાક ચાલકો નડતર રૂપ વાહનો પાર્ક કરતા હોય છે. આવા વાહનોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત થવાની ભીતી રહે છે ત્યારે ગત માસે અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 11 વાહન ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યા હતા, જ્યારે જિલ્લામાં કેટલાક તત્વો નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા હોય છે. આવા ચાલકો અન્ય તથા પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ગત માસે નશો કરેલ હાલતમાં વાહન ચલાવતા 39 શખ્સ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. આવા ચાલકોને દંડ નહિ પરંતુ ગુન્હા નોંધી કોર્ટ કેસ કરવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં 119 ગુના નોંધાયા હતા ગત ડિસેમ્બર મહિનામાં અડચણ રૂપ વાહનો પાર્ક કરનાર 6વાહન ચાલકો સામે ગુન્હા નોંધાયા હતા જ્યારે નશો કરી વાહન ચલાવનાર 92 શખ્સ સામે ગુન્હા નોંધાયા હતા અને વધુ સ્પીડમાં વાહન ચલાવતા 21 ચાલક સામે ગુન્હા નોંધવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસમાં ગુનાના કેસની સંખ્યા ઘટી છે.
બેઠક:બોર્ડની પરીક્ષાની તૈયારીઓ વેગવંતી બનાવી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આગામી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી પરીક્ષા સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમારએ પરીક્ષાના અંગે જણાવ્યું કે તમામ વિભાગોને જરૂરી સહકાર માટે પત્ર પાઠવવામાં આવ્યા છે. કેન્દ્ર સંચાલકો સાથે બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને માર્ગદર્શિકા મુજબ માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવી છે. કલેક્ટરે સમીક્ષા દરમિયાન જણાવ્યું કે પરીક્ષા સંપૂર્ણ માર્ગદર્શિકા મુજબ યોજાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન કરવું, જરૂર પડે ત્યાં વર્ગ-2 અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવશે, જેથી ગેરરીતિ અટકાવી શકાય. વિદ્યાર્થીઓ નિર્ભય અને સલામત રીતે પરીક્ષા આપી શકે તે માટે તમામ તંત્ર સાથે મળીને કામગીરી કરશે. રાજ્ય કક્ષાની પરીક્ષા સંદર્ભે અગાઉ યોજાયેલી વિડિયો બેઠકમાં શિક્ષણ મંત્રી તથા ઉચ્ચ અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું અને જિલ્લાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં પોલીસ વિભાગ, પશ્ચિમ ગુજરાત વિજ કંપની, રાજ્ય પરિવહન નિગમ, આરોગ્ય વિભાગ, શિક્ષણ સંઘના પ્રતિનિધિઓ, મનોવૈજ્ઞાનિક ટીમ અને અન્ય વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણ તંત્ર, ઈ.આઈ. નમ્રતાબા વાઘેલા તથા પરીક્ષા સમિતિના સભ્યો દ્વારા જરૂરી આયોજન અને સંકલન કરવામાં આવ્યું હતું.
ચેકિંગ:જાહેરમાં પેમ્પ્લેટ ફેંકતાં વ્યક્તિ સામે મનપા તંત્રએ કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો
પોરબંદરમાં રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર માટે જાહેરાતની પત્રિકા જ્યાં ત્યાં ફેંકવામાં આવતી હોવાથી મનપા દ્વારા ચાલક સામે કાર્યવાહી કરી રૂ.5 હજારનો દંડ ફટકાર્યો હતો. પોરબંદર મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવા સતત કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ તથા સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીની હાજરીમાં વોર્ડ નં. 7 વિસ્તારમાં ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ આર્ટ એન્ડ ક્રાફટ શોપિંગ સેલ્સ દ્વારા રિક્ષા મારફતે પ્રચાર કરતી વખતે જાહેર માર્ગ પર પેમ્પ્લેટ અને લીફલેટ ફેંકાતા હોવાનું સામે આવતા, આ બાબતે વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટર દિનેશ સાદીયા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી પેમ્પ્લેટ ફેંકવાની પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી હતી અને જાહેરમાં કચરો ફેંકવાના ગુનામાં રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.પોરબંદર મનપા દ્વારા તમામ પ્રચાર એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે કે ભવિષ્યમાં જાહેરમાં પેમ્પ્લેટ અથવા લીફલેટ ફેંકવામાં આવશે તો નિયમ મુજબ રૂ. 5 હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે. ઉપનિયમો મુજબ જાહેરમાં કચરો ફેંકવાના કિસ્સામાં રૂ. 100થી રૂ. 5 હજાર સુધીનો દંડ લાગુ પડશે.
જીવામૃત:છાણ, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ, અને માટી દ્વારા તૈયાર કરો ખેતી માટેનું અમૃત
પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતીશીલ ખેડુતો માટે ગુજરાત રાજ્યમાં પ્રાકૃતિક કૃષિના પ્રણેતા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના પુસ્તક “પ્રાકૃતિક કૃષિ”માં જીવામૃત બનાવવાની સંપુર્ણ પદ્ધતી સરળ રીતે સમજાવવામાં આવી છે. પુસ્તકમાં જણાવાયુ છે કે, વારંવાર પ્રયોગ કર્યા પછી પરિણામ નીકળ્યુ કે એક એકર જમીન માટે 10 કિ.ગ્રા. છાણની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ બધુ ભેળવીને ઉપયોગમાં લેવાથી ચમત્કારીક પરિણામ મળે છે. આખરે એક ફોર્મુલા તૈયાર કરવામાં આવી તેનું નામ રાખવામાં આવ્યુ જીવામૃત.જેમાં 10 કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, 1.5-2 કિ.ગ્રા. ચણાનો લોટ, 8-10 લીટર દેશી ગાયનું મૂત્ર, 180 લીટર પાણી, 1.5-2 કિ.ગ્રા. ગોળ અને 500 ગ્રામ ઝાડની નીચેની માટી સહિત તમામ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરવું અને આ મિશ્રણને બે થી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવુ અને દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવવું અને જીવામૃતને કોથળાથી ઢાકી દેવું. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાઈઓક્સાઈડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે. ઉનાળામાં જીવામૃત બન્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઈ લેવું જોઈએ અને શિયાળામાં 8 થી 15 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ જોવા મળ્યાડિસેમ્બર મહિનામાં ગુરુકુલમાં તૈયાર કરવામાં આવેલ જીવામૃત ઉપર એક વૈજ્ઞાનિક સંશોધન કરેલ જેમાં જીવામૃત તૈયાર કર્યાના 14 દિવસ પછી વધુમાં વધુ 7400 કરોડ જીવાણુંઓ (બેક્ટેરિયા) જોવા મળ્યા હતાં. તે પછી તેની સંખ્યા ઘટવી શરૂ થઈ. ગોળ અને ચણાનો લોટ બંનેએ જીવાણુંઓને વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી. છાણ, ગૌમૂત્ર અને માટીને ભેળવવાથી જીવાણુંઓની સંખ્યા ફક્ત ત્રણ લાખ જોવા મળેલ. જયારે તેમાં ચણાનો લોટ ભેળવ્યો તો તેની સંખ્યા વધીને 25 કરોડ થઈ ગઈ અને જયારે આ ત્રણમાં ચણાના લોટની જગ્યાએ ગોળ ભેળવવામાં આવ્યો છે.
પોરબંદર શહેરના દર શિયાળે વિવિધ જળાશયોમાં અન્ય રાજ્ય અને વિદેશથી આવતા પક્ષીઓ મહેમાન બને છે. પોર બંદરના જળાશયોમાં ખારા અને મીઠા પાણી મેળવવા આવતા ફ્લેમિંગો અને કુંજ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.આ વર્ષે દિવાળી સમયે ધોધમાર કમોસમી વરસાદ વરસતા કચ્છના રણમાં શિયાળે પણ પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે જેથી આ પક્ષીઓ પોરબદરને બદલે કચ્છના રણમાં જ રોકાઈ ગયા છે.પોરબંદરમાં તાજેતરમાં યોજાયેલ પક્ષી ગણતરીમાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 46574 ફ્લેમિંગો અને 95724 કુંજ પક્ષીઓ ઘટયા છે તો ખાસ પ્રજાતિના 23 પક્ષીઓ વધુ જોવા મળ્યા છે. 2024 -25માં નોંધાયેલા પક્ષીની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વર્ષ 2014માં સૌથી વધુ 959358 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી જ્યારે વર્ષ 2025ની પક્ષી ગણતરીમાં 226 પ્રજાતિના પક્ષીઓ નોંધાયા હતા. 2025માં કુલ 376937 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2026ની પક્ષી ગણતરી : પક્ષીઓના નામ અને તેની સંખ્યા પક્ષી ગણતરી દરમ્યાન વિવિધ વેટલેન્ડ ખાતે નોંધાયેલ મહત્વના પક્ષીઓની સંખ્યામાં કાજિયા પક્ષી 6726, કુંજ પક્ષી 49846, બતક અને હંસ 149418, હંજ 17968, ડૂબકી 2205, ધોમડા અને વા બગલી 27545, બગલા 3200, કાંકણસાર અને ચમચા પક્ષી 1332, જલ માંજર 42 પક્ષી, કલકલિયા 206, અન્ય પક્ષી 82803, પેણ પક્ષી 2455, ભગતડા અને સંતાકુકડી 41443, શિકારી પક્ષીઓ 245, ઢોંક 484, કીચડિયા પક્ષી 18520 અને ખંજન અને ધાનચીડી 1264 પક્ષીની સંખ્યા નોંધાઈ હતી. 2025માં નોંધાયેલા પક્ષીઓ ફ્લેમિંગો:- 64542(2025) કુંજ:- 1,4 5,570(2025) બતક અને હંસ:- 6 7,152(2025) ઘોમડાં અને વા બગલી:-237 96 કિચડિયા:- 11271(2025) અન્ય:- 3 27 03(2025) કુલ:- 3 ,76,937(2025) ખાસપ્રજાતી :-226(2025) પક્ષીઓ રણમાં ઇંડા મૂકી ત્યાં જ રોકાઇ ગયા દર વર્ષે પોરબંદરના વિવિધ જળાશયોમાં જોવા મળતા કુંજ,ફ્લેમિંગો સહિતના પક્ષીઓ આ વર્ષે કચ્છમાં જ રોકાઈ ગયા.આ વર્ષે કમોસમી વરસાદને લીધે કચ્છના રણમાં પાણી ભરાયેલ હોવાથી આ પક્ષીઓ ઈંડા મૂકી ત્યાં જ રોકાઈ ગયા છે. > ઉદયભાઈ વોરા,પક્ષીવિદ
આદિપુર સ્થિત તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ ખાતે IQAC હેઠળ આયોજિત આંતરરાષ્ટ્રીય પરિસંવાદ રોલ ઓફ લાઇફ સાયન્સિઝ ઇન વિઝન ઇન્ડીયા 2047માં પોરબંદરની મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. ભુપેન્દ્રસિંહ જાડેજાએ 2047ના ટકાઉ ભારતના આર્કિટેક્ટ તરીકે વનસ્પતિઓ વિષય પર ઊંડાણપૂર્વકનું વ્યાખ્યાન આપ્યું હતું. આ પરિસંવાદમાં 670થી વધુ પ્રોફેસરો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે પોરબંદરના ડૉ. ભુપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, ભારતને 2047 સુધી આત્મનિર્ભર અને ટકાઉ દેશ બનાવવો હોય તો વિકાસમાં વનસ્પતિ કેન્દ્રિત વિચારસરણી અનિવાર્ય છે. વનસ્પતિઓ પર્યાવરણ, અર્થતંત્ર અને સામાજિક સુખાકારીના આધારસ્તંભ છે.જંગલો અને મેન્ગ્રોવ હવામાન પરિવર્તન સામે ઢાલ બની કાર્બન સંગ્રહ કરે છે, દરિયાકાંઠાને કુદરતી આપત્તિથી બચાવે છે અને જૈવવિવિધતા જાળવે છે. ક્ષાર સહનશીલ અને હેલોફાઇટિક વનસ્પતિઓ જમીનની ગુણવત્તા જાળવી રાખી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.ખાદ્ય અને પોષણ સુરક્ષા અંગે તેમણે એકપાકીય ખેતી છોડીને વૈવિધ્યસભર અને સ્થાનિક પાક પ્રણાલી અપનાવવાની જરૂરિયાત જણાવી હતી. ઔષધીય અને સુગંધિત વનસ્પતિઓનું વૈજ્ઞાનિક સંવર્ધન ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવે છે અને ગ્રીન ઇનોવેશન માટે પરંપરાગત જ્ઞાન સાથે બાયોટેકનોલોજીનું સંકલન જરૂરી ગણાવ્યું હતું. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે શહેરીકરણ વચ્ચે હરિયાળીનું મહત્વ સમજાવતા ડો. જાડેજાએ કહ્યું હતુંકે વૃક્ષો અને બગીચા પ્રદૂષણ ઘટાડે છે, તાપમાન નિયંત્રિત કરે છે અને માનસિક આરોગ્યમાં સુધારો લાવે છે. પ્રકૃતિ સાથે સુમેળ રાખતો વિકાસ જ સાચો વિકાસ છે તેવું જણાવ્યું હતું.આ પરિસંવાદે જીવન વિજ્ઞાન ક્ષેત્રે ટકાઉ ભારત નિર્માણ માટે નવી દિશા અને દ્રષ્ટિ પ્રદાન કરી હોવાનું પ્રતિભાવો વ્યક્ત થયા હતા.
ઠગાઈ:યુપીની પેઢી પાસેથી ચોખા ખરીદ કરી રૂ.47.35 લાખની છેતરપિંડી
પોરબંદરની એક પેઢીના આરોપીએ યુપીની પેઢી પાસેથી 43 ટન ચોખા મંગાવ્યા હતા અને તે પૈકી રૂ.47.35 લાખ પેમેન્ટ ન ચુકવી અને બહાના બનાવી રકમ અટકાવી રાખી છેતરપિંડી આચરતા આ અંગે ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના નોઘણ રામભાઈ ઓડેદરા નામના આરોપીએ પોતાની ઇન્ફિનિટી કોર્પોરેશન નામની પેઢી મારફત ઉતરપ્રદેશના વિપીનભાઇ ચૈલબિહારી ભટનાગરની એસ.એ.ઓવરસીસ નામની પેઢી પાસેથી તા.20/7/2024 ના રોજ 43 ટન ચોખાની ખરીદી કરેલ જેની બીલ મુજબ કિ.રૂ.49.85 લાખ થતી હતી. તે પૈકી રૂ. 2.50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી અને બાકી રહેતી રકમ રૂ.47,35,000 આજદિન સુધી ચૂકવ્યા ન હતા. પૂર્વનિયોજિત રીતે શરૂઆતથી જ છેતરપીંડીની મન્સા રાખી માલ મંગાવી પેમેન્ટ ચૂકવ્યું ન હોય અને ખોટા પેમેન્ટ ટ્રાન્સફરના સ્ક્રીનશોટ મોકલી, તારીખ વગરના ચેક આપી અને અલગ-અલગ બહાના બનાવી રકમ અટકાવી રાખી હોવાથી છેતરપીંડી વિશ્વાસધાત કર્યા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે નોઘણ રામ ઓડેદરા સામે ગુન્હો નોંધી આગળની તપાસ એલસીબી પીઆઈ આર.કે. કાંબરિયા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે, આરોપીની ઓફિસ દેગામ ગામે હોવાથી ફરિયાદ બગવદર પોલીસ મથકે નોંધાઈ છે.
કડક કાર્યવાહી કરવા રજૂઆત:ડોળાસા ગામના વેપારી પરનાં હુમલાના બનાવના વિરોધમાં વિશાળ રેલી યોજાઈ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામના એક નિર્દોષ વેપારી ઉપર ઊનાના ચાર માથાભારે શખ્સોએ જીવલેણ હુમલો કરતા તેના ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. આજે આ ઘટનાના વિરોધમાં એક વિશાળ રેલી ડોળાસાથી કોડીનાર સુધી યોજાય હતી. ગત 11 ફેબ્રુઆરીની રાત્રીના 12:30 વાગ્યે ડોળાસાના વેપારી દેવાંગ હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી ઉપર ઊનાના 4 માથાભારે ઈસમોએ તેમની વાડી નજીક જીવલેણ હુમલો કર્યો હતો. અને લોહી લુહાણ હાલતમાં કોડીનાર દવાખાને સારવારમાં ખસેડાયા હતા. જે સમગ્ર ઘટનાના આજે ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. બનાવના વિરોધમાં આજે ડોળાસાના તમામ વેપારીઓએ સજ્જડ બંધ પાળી ગુન્હેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે યોજાયેલ રેલીમાં જોડાયા હતા. આજે યોજાયેલી વિશાળ રેલી સવારે 11 વાગ્યે ડોળાસાથી કોડીનાર પહોંચી હતી. જ્યાં પ્રથમ મામલતદાર કચેરીએ મામલતદારને આવેદન પાઠવી ઊના શહેરના આ માથાભારે ઈસમો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. બાદ આ રેલી કોડીનાર પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પીએસઆઈ એસ.જી. કાછડને રજૂઆત કરી ગુન્હાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ગંભીર કલમોનો ઉમેરો કરવાની માંગ કરવામાં આવી હતી. પીએસઆઈ કાછડ દ્વારા જણાવાયું છે કે આ ઘટનાના મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઇ વાળાને કોડીનાર પોલીસે ઝડપી લીધી છે. અને ગુન્હામાં વપરાયેલી સફેદ સ્કોર્પિયો કાર અને હુમલામાં ઉપયોગ કરેલા હથિયારો પણ કબ્જે કર્યા છે. અને નિલય ઉર્ફે ભૂરા સામે પોતાની કારમાં ગુજરાત એમએલએનું બોર્ડ લગાવી રોફ જમાવતો હતો. તેની અલગ ફરિયાદ નોંધી છે. અને બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરાશે તેમ જણાવ્યું છે. વેપારી વર્ગમાં હાલ ડરનો માહોલ છે. કોડીનાર પોલીસ આ તમામ આરોપીઓનું સરઘસ કાઢી લોકોનો ડર દૂર કરાવશે તેવી માંગ ઉઠી છે. રેલી યોજી કોડીનાર મામલતદારને રજૂઆત.
આત્મહત્યા:ઘર કંકાસથી પત્ની જતી રહેતા માણાવદરના યુવકે ગળાફાંસો ખાધો
ઘર કંકાસથી પત્ની જતી રહેતા માણાવદરના યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવારજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી. માણાવદરના રાવલપરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય વનરાજભાઈ બાલુભાઈ ચૌહાણ નામના યુવકે બીજા લગ્ન કર્યા હતા. પરંતુ બીજી પત્ની સાથે અવાર નવાર ઘર કંકાસ થતો હતો. જેથી બીજી પત્ની ઘર છોડીને જતી રહી હતી. જેનું લાગી આવતા ગુરુવારે સવારે વનરાજભાઈ એ પોતાના ઘરે ચુંદડી વડે ગળાફાંસો ખાઇને મોતને મીઠું કરી લીધું હતું. યુવકના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું હતું. ઘટનાની જાણ મૃતકના પિતા બાલુભાઇ હાજાભાઇ ચૌહાણએ કરતા પોલીસે યુવાનના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં માળીયાહાટીના તાલુકાના જુથળ ગામના 61 વર્ષીય લાખુબેન જીવાભાઇ કાગડાનું ગુરુવારે સવારે કૂવામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. મૃતક વૃધ્ધા માનસિક અસ્થિર હતા અને ઘરે નીકળી જઇ ગામના દળ નામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં વાડીના કુવામાં પડી જતા તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતકના પુત્ર રમેશભાઈનું નિવેદન આગળની કાર્યવાહી કરી હતી.
ફરિયાદ:પ્રેમીની પત્નીનો યુવતી પર છરી વડે હુમલો, વાળ કાપી નાંખ્યાં
શહેરના મધુરમ વિસ્તારમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી એક 23 વર્ષીય યુવતી પર તેના પ્રેમીની પત્ની અને સાસુ સહિતએ છરી વડે હુમલો કરી વાળ કાપી નાંખ્યાં હતા. ઘટના અંગે યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર છેલ્લા ચાર મહિનાથી અસલમ હુસેનભાઈ સમા નામના પરિણીત શખ્સ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. ગુરુવારે યુવતી બપોરના સમયે પોતાના ઘરે હતી. ત્યારે અસલમની પત્ની ઝરીનાબેન, સાસુ ગુડીબેન અને ઝરીનાની પિતરાઈ સુફીયા અમીનભાઈએ યુવતીના ઘરે આવી બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. ઝરીનાને શંકા હતી કે, યુવતીએ અસલમને તેના ચારિત્ર્ય અંગે ખોટી વાતો કરી હતી. સુફીયા તથા ગુડીબેને પકડી રાખતા ઝરીનાએ છરી વડે યુવતીના વાળ કાપી હુમલો કરી માથા, નાકના ભાગે ઇજા પહોંચાડી હતી. તેમજ ગળું દબાવી નાકમાં બચકું ભરી લીધું હતું. બાદમાં ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી જતી રહી હતી. ઘટનાની જાણ યુવતીની મિત્રએ અસલમને કરતા તેને ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ દરમિયાન યુવતીનો સોનાનો ચેઈન અને મોબાઈલ પણ પડી ગયા હતા.
ધરપકડ:મેળામાં પોલીસ સ્ટેશન સામેથી મેંદરડાનો યુવક છરી સાથે પકડાયો
ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે બુધવારથી શરૂ થયેલો મહાશિવરાત્રી મીની કુંભ મેળો તેના સમાપન તરફ સફળતાપૂર્વક આગળ ધપી રહ્યો છે. તળેટી વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે દરમ્યાન મેળામાં પોલીસ સ્ટેશન સામેથી પોલીસે મેંદરડા યુવાનને છરી સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ શિવરાત્રી મેળા સબબ ગુરુવારની રાત્રે ભવનાથ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે વખતે ભવનાથ પોલીસ સ્ટેશન સામેથી મેંદરડાના સાતવડલા વિસ્તારમાં રહેતો મયુર ભીખુભાઈ ધમ્મર નામનો શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી ચેક કરતા પેન્ટના નેફામાંથી પ્લાસ્ટિકના હાથાવાળી 7 ઇંચ લંબાઈની છરી મળી આવતા તેની અટક કરી તેના વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. મેળા દરમિયાન શખ્સ ધારદાર છરી સાથે પકડાતા ભાવિકોમાં સનસનાટી મચી ગઈ હતી.
ફરિયાદ:મેળો કરવા આવેલા સગીરને કાર ચાલકે ઉલાળતા પગ ભાંગી ગયો
ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રીનો મેળો કરવા આવેલા મેખાટીંબી ગામના મેળો કરવા આવેલા સગીરને ભરડાવાવ પાસે કાર ચાલકે ઉલાળતા પગ ભાંગી ગયો હતો. અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના 24 વર્ષીય ભાવેશ મથુરભાઈ ડોલેરા, તેનો પિતરાઈ 17 પાર્થ દેવશીભાઈ અને ચાર મિત્રો ગુરુવારે બપોરના 12 વાગ્યે ઉપલેટા થી ભવનાથ ખાતે શિવરાત્રી મેળો કરવા માટે આવ્યા હતા. મજેવડી દરવાજે બસમાંથી ઉતરીને તમામ ચાલીને ભવનાથ તરફ જતા હતા ત્યારે મજેવડી દરવાજા ભરડાવાવની વચ્ચે પુરઝડપે આવી રહેલી કાળા કલરની જીજે 10 ઇએચ 1605 નંબરની કારના ચાલકે પાર્થને પાર્થને પાછળથી ઠોકર મારી ઉછાળી રોડ ઉપર પછાડી દીધો હતો. કારની જોરદાર ટક્કરથી પાર્થનો જમણો પગ ગોઠણથી નીચે ભાંગી ગયો હતો. અકસ્માતના પગલે પોલીસની બોલેરો ગાડી આવતા તેમાં સગીરને બેસાડી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવ અંગે ભાવેશ ડોલેરાની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે કારના ચાલક વિરુદ્ધ મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
તપાસ:દોલતપરા ચોકી સામે પોલીસને જોઈ શખ્સ મોબાઈલ ફેંકી ભાગી ગયો
ભવનાથ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા મેળાને લઈને શ્રદ્ધાળુઓની સુરક્ષા, ટ્રાફિક નિયમન વગેરેને લઈને 5 ઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ દરમિયાન દોલતપરા ચોકી સામે પોલીસને જોઈ એક શખ્સ મોબાઈલ ફેંકી ભાગી ગયો હતો. પોલીસે મોબાઈલ કબજે લઈ તપાસ કરતા ફોન ચોરીનો હોવાનું ખુલ્યું હતું. શહેર ઝોન 5 પોઇન્ટ નંબર 46 દોલતપરા પોલીસ ચોકી સામે રોડ પર ભાવનગર જિલ્લાના હેડ કોન્સ્ટેબલ પ્રદિપભાઈ વાજા, જૂનાગઢ હોમગાર્ડ યુનિટના જવાન સામતભાઈ ખાંભલા તથા હરદાસભાઈ ઓડેદરા બંદોબસ્ત ફરજ પર હતા. દરમિયાન ગઈ તા. 10ના રોજ સાંજે એક શકમંદ શખ્સ જણાતા તેને પૂછપરછ માટે બોલાવતા તે પોતાના હાથમાં રહેલ મોબાઈલ ફોન ઘા કરીને ભાગી ગયો હતો. જેથી મોબાઈલ ફોન મેળવી લઈ ચાલુ કરતા તેમાં ’ઘર’ લખેલ નામે સેવ કરેલ મોબાઈલ નંબરમાંથી ફોન આવતા તેના પર વાતચીત કરતા તેણે જણાવેલ કે ’મારો ફોન સી.ડિવિઝન પાસે બે માળિયા હાઉસિંગ પાસેથી ચોરી થઈ ગયો હતો’ બાદમાં પોલીસે ખરાઈ કરી મોબાઈલ ફોનના માલિક શહેરમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતા ધવલભાઈ રમેશભાઈ મેઘનાથીને દોલતપરા પોલીસ ચોકીએ બોલાવી તેને સોંપી આપ્યો હતો.
નિરાકરણ:જામનગરના SSC, HSCના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાનારી SSC અને HSCની પરીક્ષાઓ આગામી તા. 26/02/2026 થી 18/03/2026 દરમિયાન યોજાનાર છે. પરીક્ષાના આ સમયગાળા દરમિયાન જામનગર શહેર તથા જિલ્લાના તમામ તાલુકા મથકોના વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન અને સચોટ ઉકેલ મળી રહે તેવા શુભ હેતુથી તાલુકા વાર વિવિધ હેલ્પલાઇન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સહાય માટે જામનગર જિલ્લાના શ્રેષ્ઠ અને અનુભવી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ માર્ગદર્શન માટે એમ.ટી. વ્યાસ (98245 18199), જયસુખભાઈ ચાવડા (98242 06264) અને શ્રીમતી સુરભીબેન પંડ્યા (97267 11865) સતત કાર્યરત રહેશે. જામનગર તાલુકાના વિદ્યાર્થીઓ કેશુભાઈ ઘેટિયા (94277 74173) અને કમલેશભાઈ શુક્લ (99137 01771) નો સંપર્ક કરી શકશે. જ્યારે લાલપુર તાલુકા માટે ડો.કમલેશભાઈ વિસાણી (76980 94142) અને શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી (82005 34077) સેવા આપશે. કાલાવડ તાલુકાના વિદ્યાર્થીઓ માટે જ્યોતિબેન વાળા (94282 16788) તથા જ્યોત્સનાબેન દવે (94291 41391) માર્ગદર્શન પૂરું પાડશે. ધ્રોલ અને જોડિયા તાલુકા માટે મુકેશભાઈ જોશી (94272 33144) અને શ્રીમતી માલાબેન ઠાકર (94272 07503) ની નિમણૂક કરવામાં આવી છે. જામજોધપુર તાલુકાના વિદ્યાર્થીઓ શ્રીમતી બિંદુબેન ભટ્ટ (94279 44855) અને એચ. આર. માલવિયા (99258 59158) નો સંપર્ક કરી મૂંઝવણ દૂર કરી શકશે. સ્થાનિક સેવાઓ ઉપરાંત, રાજ્ય કક્ષાએ મદદ મેળવવા માટે ટોલ ફ્રી નંબર 1800-233-5500 (સવારે 10 થી સાંજે 6) ઉપલબ્ધ છે. પરીક્ષાની ચિંતા કે માનસિક તણાવને દૂર કરવા માટે 24 કલાક સેવારત જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 1800-233-3330 પર સંપર્ક કરી શકાશે. વધુમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં સ્ટેટ કન્ટ્રોલ નંબર 99090 38768 અને 079-23220538 પર પણ સંપર્ક કરી સુવિધા મેળવી શકશે. જામનગરમાં ધો-10માં 17,343 વિધાર્થીઓ, ધો-12 સાયન્સમાં 1905 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં 9,169 વિદ્યાર્થીઓ મળીને કુલ 28,417 પરીક્ષાર્થીઓ નોંધાયા છે. જેમાં ધો-10ના વિદ્યાર્થીઓ નવ પરીક્ષા કેન્દ્રો ઉપર 59 બિલ્ડીંગોમાં 575 બ્લોકમાં તેમજ ધો-12 વિ.પ્ર.માં બે કેન્દ્રો પર 10 બિલ્ડીંગમાં 95 બ્લોકમાં તેમજ સા.પ્ર.ના પાંચ કેન્દ્રોમાં 31 બિલ્ડીંગના 301 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમામ બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ રખાયા છે.
ધમાચકડી:બોર્ડની પરીક્ષા નજીકમાં હોય ત્યારે જ રેલવેની 289 દબાણકર્તાઓને નોટિસ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-6ના જુદા જુદા વિસ્તારોના 289 ગેરકાયદે દબાણો હટાવવા રેલવે તંત્રએ આપેલી નોટિસથી લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. મ્યુ.તંત્રની બિલ્ડીંગે લોકોનું ટોળું ગતરાત્રિના ધસી આવ્યા બાદ શુક્રવારે સવારે મચાવેલા હલ્લાબોલથી પોલીસે 17ની અટકાયત કરી છે. બોર્ડની પરીક્ષા નજીકમાં હોવાથી 7 દિવસના બદલે 90 દિવસનો સમય આપવા માટે મૌખિક રજુઆત કરવામાં આવી હતી. જામનગર-કાનાલુસ ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે. જેથી વોર્ડનં-6માં આવતા દિગ્જામ સર્કલ, હનુમાન ટેકરી, બાવરીવાસ સહિતના વિસ્તારના રેલ્વેલાઈન પાસે કાચા-પાકા મકાન, ઝુંપડા બાંધીને દબાણ કરીને વસવાટ કરે છે. જેથી રેલ્વેની ડબલ ટ્રેકની કામગીરીને લઈને તે વિસ્તારમાં 289 દબાણ કર્તાઓને 7 દિવસમાં જગ્યા ખાલી કરવા નોટીસ આપતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. જેના પગલે ગુરૂવારે રાત્રિના દશેક વાગ્યે મહાનગરપાલિકાની બિલ્ડીંગે લોકોનું ટોળુ ધસી આવ્યું હતું અને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ પહોંચી ગઈ હતી અને સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો હતો. જે બાદ આજે સવારે વિપક્ષના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાનીમાં 200 જેટલા લોકોનું ટોળુ રેલી સ્વરૂપે મ્યુ.તંત્ર ખાતે પહોંચ્યું હતું. હલ્લાબોલ કરવામાં આવતા પોલીસના ધાડા ઉતરી ગયા હતા. એલસીબી પીઆઈ વી.એમ.લગારીયા, સીટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતના પહોંચી ગયા હતા. મામલો ઉગ્ર બનતા કોર્પોરેટ સહિત 17 જેટલાની અટકાયત કરવામાં આવી હતી. તેમ છતાં લોકોમાં અસંતોષ ફેલાયો હોવાથી પોલીસ ગાડીમાં બેસાડીને મ્યુ.તંત્રની ઓફીસે લાવી હતી. મ્યુ.તંત્રએ લોકોને સાંભળ્યા હતા. જેમાં ધો-10 અને 12ની પરીક્ષા નજીકમાં જ છે, ત્યારે જે મકાનો હટાવવા આપેલા નોટિસ પાઠવી છે તેમાંથી અનેક પરિવારના બાળકો ધો-10 અને 12માં અભ્યાસ કરે છે. મારો એક પુત્ર ધો. 10 અને બીજો પુત્ર ધો. 12માં અભ્યાસ કરે છે... રેલ્વે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં 7 દિવસમાં જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે. જેમાં બાવરીવાસમાં રહેતા એક પરિવારના બે પુત્રો છે અને એક પુત્ર ધો-10 અને એક પુત્ર ધો-12 બોર્ડની પરીક્ષા આપવાના છે. ત્યારે જ મકાન ખાલી કરવાની નોટિસ આપી છે, હવે અમારે ક્યાં જવું. { સવિતાબેન, વાલી
આરોગ્ય તંત્રમાં દોડધામ:જામનગરમાં કોલેરાના વધુ બે કેસ, કુલ આંક 22 થયો
જામનગર શહેરના ધરારનગર-1ને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ઘરોનો સર્વે કરવામાં આવતા વધુ એક કેસ પોઝિટીવ આવતા શહેરમાં 22 કેસ કોલેરાના પોઝિટીવ આવ્યા છે. તો એક કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયો છે. શહેરના વોર્ડ નં-1ના ધરારનગર-1માં ગટરનું પાણી મિશ્રિત પીવાનું પાણી વિતરણ થતાં ઝાડા-ઉલટીના કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામ્યો છે. તે વિસ્તારમાં 4 ઓપીડી સેન્ટરો શરૂ કરીને લોકોને ચેક કરીને સારવાર આપવામાં આવી રહી છે. જેમાં ઝાડા-ઉલટીના 105 કેસ નોંધાયા છે. તેમાં સેમ્પલો લઈને પૃથ્થકરણ માટે મોકલતા 20 કોલેરાના કેસ નોંધાયા હતા. બાદમાં આજે વધુ એક ધરારનગરમાં કોલેરાનો પોઝિટીવ કેસ આવતા શહેરમાં કુલ આંક 21નો થયો છે. આ ઉપરાંત નાઘેડી વિસ્તારના એક દર્દીનો રિપોર્ટ પણ પોઝિટીવ મળ્યો છે. જેની સઘન સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીવાના પાણીની પાઈપ લાઈન ચેક કરવામાં આવતા 3 સ્થળોએ અને બે વાલ્વ લીકેજ મળી આવતા તંત્રએ તાત્કાલિક અસરથી રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.
તેરા તુજકો અર્પણ:ચોરીના રોકડ રૂા.6.50 લાખ, દાગીના સહિત 15.67 લાખનો મુદામાલ વેપારીને પરત સોંપાયો
તેરા તુજકો અર્પણ અંતર્ગત જામનગર પોલીસે ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ.6.50 લાખ મળીને કુલ રૂ.15.67 લાખનો મુદામાલ કબજે કરાયો હતો. તે મુળ માલિક વેપારીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને સીટી ડીવાયએસપી, પીઆઈ સહિતની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો. શહેરના રણજીતસાગર રોડ ઉપર પટેલ પાર્ક પાછળ, વૃંદાવન સોસાયટી શેરીનં-1માં રહેતા તરૂણભાઈ મોહનભાઈ રાયઠઠ્ઠાના મકાનમાંથી ગત તા.16 ઓક્ટોમ્બર 2025ના રાત્રિના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકીને રોકડ તેમજ રૂ.9,02,000ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેમાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડીને ચોરીનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે મુદામાલ પરત મૂળ માલિક વેપારીને સોંપવા માટે કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં વેપારીને પરિવાર સાથે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તેમજ પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને વેપારીને સોનાનું મંગળસુત્ર, ચેન, બુટી 3 જોડી, લેડીઝ વીટી 3, ગાભા (કોપર) કડલી એક જોડી રૂ.90 હજારની કિંમતની તેમજ રોકડ રૂ.6.50 લાખ મળીને કુલ રૂ.15,67,800નો મુદામાલ તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત વેપારીને સોંપવામાં આવ્યો હતો. મુદામાલ મૂળ માલિકને પરત સોંપવાની કાર્યવાહી ચોરીમાં ગુમાવેલ મુદામાલ મૂળ માલિકને પરત સોંપવા માટે કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવે છે, કોર્ટની મંજુરી બાદ તમામ દાગીનાઓની ખરાઈ કરવામાં આવે છે, કે તે ફરિયાદીની માલિકીનો છે ને, તે માટે બીલ તેમજ દાગીના હોય તો તેમણે પહેરેલા હોય તેવા ફોટાઓ જોઈને ખરાઈ કરાય છે. જે બાદ મૂળ માલિકને તેરા તુજકો અર્પણ અંતર્ગત મુદામાલ સોંપવામાં આવે છે.
વિરોધ પ્રદર્શન:વીજ કંપનીના ખાનગીકરણના વિરોધમાં વીજ કર્મચારીઓના કચેરીએ સૂત્રોચ્ચાર
વીજ કંપનીઓના ખાનગીકરણ ન કરવા દેશભરમાં વીજકર્મીઓ દ્વારા ઉઠેલા વિરોધના સમર્થનમાં જામનગર ખાતે PGVCL અને GETCO ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા શહેરના લાલ બંગલો ઓફીસ અને સાત રસ્તા ઓફીસ ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં વીજ કંપનીના અધિકારીગણ અને કર્મચારીગણ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓના ખાનગીકરણ તથા આઉટ સોર્સિંગની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતિએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાથી જનહિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા, દરની નીતિ, રોજગારીની સુરક્ષા અને સેવા ગુણવત્તા જેવા મુદ્દાઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સમિતિએ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ વિરોધ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મર્યાદિત સમયગાળાનો હતો અને આ હડતાલ/વિરોધના કારણે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠા અથવા સેવાઓમાં કોઈ અવરોધ કે અસર થવા દેવામાં આવી ન હતી.
નક્કર કામગીરી:સાવરકુંડલાના આઝાદ ચોકમાં અકસ્માતનો ભય છતાં પણ તંત્ર સ્પીડબ્રેકર લગાવતું નથી
સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 7માં આવેલા આઝાદ ચોક વિસ્તારમાં હાલ અકસ્માતનો ગંભીર ભય સેવાઈ રહ્યો છે. આ ચોક એક મુખ્ય જંકશન છે જ્યાં પાંચ રસ્તાઓ એકસાથે મળે છે. આ વ્યસ્ત વિસ્તારમાં પ્રાથમિક શાળા, મસ્જીદ અને જમાતખાનું જેવા જાહેર અને ધાર્મિક સ્થળો આવેલા હોવાથી બાળકો, વિદ્યાર્થીઓ અને વડીલોની સતત અવરજવર રહે છે. આઝાદ ચોક અને વોર્ડ નંબર સાતના સ્થાનિક નાગરિક સોહીલભાઈ શેખના જણાવ્યા અનુસાર આ પાંચ રસ્તાઓ ભેગા થતા હોવાથી વાહન ચાલકો અસમંજમાં રહે છે અને પૂરઝડપે આવતા વાહનોને કારણે અહીં અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. આ ગંભીર સમસ્યા અંગે સોહીલભાઈ દ્વારા નગરપાલિકા કચેરીમાં અનેકવાર મૌખિક તેમજ ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી છે. આ પ્રશ્ન બાબતે સોહીલભાઈ શેખ દ્વારા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ ધારાસભ્યને પણ વ્યક્તિગત રીતે ટેલિફોનિક જાણ કરી તાત્કાલિક સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી કરવામાં આવી છે. તેમ છતાં, પાલિકા તંત્ર અને સત્તાધીશો દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને કારણે સ્થાનિક રહીશોમાં તંત્રની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર કોઈ મોટી હોનારત કે જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે.? જો વહેલી તકે આઝાદ ચોકના પાંચેય માર્ગો પર વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર મૂકવામાં નહીં આવેતો આગામી સમયમાં રહીશોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
પાણીનો બગાડ:મુંજીયાસર ડેમની કેનાલ તૂટતા રવિ પાક માટે છોડાયેલું લાખો લિટર પાણી વેડફાયું
એક તરફ અમરેલી જિલ્લામાં સિંચાઈની અપૂરતી સુવિધા છે અને જે પણ જળાશયો છે તે પ્રમાણમાં નાના છે તેવી સ્થિતિ વચ્ચે આજે બગસરાના મુંજીયાસર ડેમની કેનાલમાં રવિ પાક માટે પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું હોય લાખો લેટર પાણી વેડફાયું હતું. અમરેલી જિલ્લામાં ધાતરવડી અને ખોડીયાર ડેમની જેમ જ મુંજીયાસર ડેમમાંથી પણ ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. આ માટે કેનાલનું નેટવર્ક પણ ગોઠવાયેલું છે. આજે રવિ પાક માટે મુંજીયાસર ડેમની કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. એક તો આ ડેમ પ્રમાણમાં નાનો છે અને તેની પાણી સંગ્રહ ક્ષમતા ઓછી છે. જેને પગલે બહુ ઓછા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી આપી શકાય છે. તેવી સ્થિતિ વચ્ચે આજે કેનાલમાં પાણી છોડાયું ત્યારે એક સ્થળે કેનાલમાં ગાબડું પડ્યું હતું. બગસરાના ખારી તરફ જવાના પુત્રેશ્વર મહાદેવ મંદિરના રોડ નજીક આ કેનાલ તુટતા તેનું પાણી વેડફાઈને રસ્તા પર રહેવા લાગ્યું હતું. રવિ પાક માટે ખૂબ જ ઉપયોગી પાણી ખેડૂતો સુધી પહોંચ્યું ન હતું, પરંતુ બિનજરૂરી રીતે રસ્તા પર વહેતું થયું હતું. જેના કારણે વાહન ચાલકોને પણ તકલીફ વેઠવી પડી હતી. પાણીના બિનજરૂરી વેડફાટને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા કેનાલની યોગ્ય સમયે મરામત અને દેખરેખ રાખવામાં આવતી ન હોય આ ઘટના બની હતી. ખારી રોડ પર જાણે નદી વહેતી હોય તેમ કેનાલનું પાણી વહ્યું હતું અને આ દ્રશ્યો જોઈ ખેડૂતોમાં ભારે કચવાટ જોવા મળ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા જ્યારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરાય તે પહેલા કેનાલની સ્થિતિ બરોબર છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ. જેથી આ વિસ્તાર માટે અમૂલ્ય પાણી બચાવી શકાય. મુંજીયાસર ડેમની કેનાલની યોગ્ય સાર સંભાળના અભાવે આ ઘટના બની હતી. ખોડીયાર અને ધાતરવડી ડેમમાંથી પણ સિંચાઈ માટે અપાય છે પાણી અમરેલી જિલ્લાને નર્મદાની કેનાલનો લાભ મળતો નથી. અહીંના સ્થાનિક ખોડીયાર ડેમ અને ધાતરવડી ડેમમાંથી હેઠવાસના વિસ્તારના ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. આવી જ રીતે મુંજીયાસર ડેમમાંથી પણ થોડા વિસ્તાર માટે પાણી છોડાય છે.
આત્મહત્યા:મોટી કુંકાવાવમાં મોબાઈલ તૂટી જતા એક યુવકે ગળાફાંસો ખાઈ લેતા મોત
મોટી કુંકાવાવમાં યુવક અને દામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. મોટુ કુંકાવાવમાં રામપરા ચોકમાં રહેતા ચીમનભાઇ બાવચંદભાઇ રાંક (ઉ.વ.45)એ વડીયા પોલીસને જણાવ્યું હતું કે તેના દિકરા આર્યનભાઇ રાંક (ઉ.વ.20)થી મોબાઇલ તુટી ગયો હતો. આર્યને પિતા ખીજાશે અને ઠપકો આપશે તેવુ મનમાં લાગી આવતા 12 ફેબ્રુઆરીના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સુમારે ઘરે જ ગળાફાંસો ખાઇ લીધો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. આ અંગે વડીયા પોલીસ મથકના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજી તરફ દામનગરના નારાયણનગરમાં રહેતા કનુભાઇ ઉકાભાઇ રાઠોડ (ઉ વ.51)એ પોલીસને જણાવ્યું હતું કે ઉજીબેન ઉકાભાઇ રાઠોડ (ઉ.વ.80)ને કમર તથા પગનાં ગોઠણનો દુઃખાવો રહેતો હતો. આ દુઃખાવાથી કંટાળી જઇ ઉજીબેને 12 ફેબ્રુઆરીના રોજ સવારના સમયે ઘરે જ જાતે ગળાફાંસો ખાઇ જતા મોત થયું હતું. આ અંગે દામનગર પોલીસના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
આયોજન:બાઢડા ગામે હાઈસ્કૂલમાં પરીક્ષા એક પર્વ
ભાસ્કર ન્યુઝ.સાવરકુંડલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ ખાતે આવેલ બાઢડા કેળવણી મંડળ સંચાલિત એચ.એન. વિરાણી હાઈસ્કૂલ ખાતે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે પરીક્ષા એક પર્વ વિષય પર એક દિવસીય ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં પરીક્ષા પ્રત્યેનો ડર દૂર કરી તેમને આત્મ વિશ્વાસ સાથે સફળતા તરફ દોરવાનો હતો. સ્વાગત વિધિ કાર્યક્રમની શરૂઆત મંગલમય દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ અને સાવરકુંડલા, લીલીયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરી સેમિનારને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય ડોકટર મધુકરભાઈ બગડાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી શિક્ષણ ક્ષેત્રે સંસ્થાની કામગીરીની ઝલક આપી હતી. આ તકે ગત વર્ષે ધોરણ 10 અને 12માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ તેમજ વર્ષ દરમિયાન રાજ્ય અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવનાર રત્નોને શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા. સેમિનારના મુખ્ય વક્તા અને જાણીતા મોટીવેશનલ સ્પીકર અશોક ગુર્જરે પોતાની આગવી શૈલીમાં સતત બે કલાક સુધી વિદ્યાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. બાઢડા હાઈસ્કૂલના વિધાર્થીઓ પરીક્ષાની પૂર્વતૈયારી કેવી રીતે વાંચનમાં મન કેમ પરોવવું.? યાદશક્તિ વધારવાના નુસ્ખાઓ અને ઉત્તમ દેખાવ કરવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ દ્રષ્ટાંતો અને ડોક્યુમેન્ટરી દ્વારા બાળકોને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કર્યા હતા. સેમિનારમાં સાવરકુંડલા તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો તેમજ વિવિધ ગામોમાંથી આવેલા વાલીઓ અને વિધાર્થી મળીને 1200 જેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રજૂઆત:પોલીસ ભરતીમાં રનીંગના નિયમોમાં માનવીય અને વૈજ્ઞાનિક સુધારા કરો
સાવરકુંડલા યુવા એડવોકેટ દેવર્ષી બોરીસાગરે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને પત્ર પાઠવી હાલમાં ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં રનીંગના નિયમોમાં માનવીય અને વૈજ્ઞાનિક સુધારા કરવા લેખિત રજુઆત કરી હતી. તેમણે લેખિત રજુઆતમાં હાલ ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા દરમિયાન પુરુષ ઉમેદવારો માટે 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની શારીરિક કસોટી ફરજીયાત રાખવામાં આવી છે. આ દોડ પરીક્ષા દરમિયાન છેલ્લા સમયગાળામાં અનેક દુર્ભાગ્યપૂર્ણ બનાવો નોંધાયા છે, જેમાં ઉમેદવારોને દોડ દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ બાબત સમગ્ર સમાજ અને ઉમેદવારોના પરિવારજનો માટે અત્યંત ચિંતાજનક અને દુઃખદ છે. પોલીસ સેવામાં શારીરિક તંદુરસ્તી જરૂરી છે પરંતુ માનવીના જીવનથી વધુ કોઈ ભરતી કે પરીક્ષા મહત્ત્વની નથી. ઘણા ઉમેદવારો ગ્રામ્ય વિસ્તારના તથા ગરીબ પરિવારોમાંથી આવતા હોય છે અને પૂરતી તબીબી તપાસ વિના કઠિન દોડ પરીક્ષામાં ભાગ લેતા તેઓના જીવનને ગંભીર જોખમ થાય છે. આવનારી ગુજરાત પોલીસ ભરતીમાં રનીંગના નિયમોમાં માનવીય તથા વૈજ્ઞાનિક આધારિત ફેરફાર કરવામાં આવે. ખાસ કરીને 5 કિલોમીટરની દોડના બદલે ઓછું અંતર નક્કી કરવામાં આવે અથવા સમયમર્યાદામાં યોગ્ય છૂટછાટ આપવામાં આવે ઉપરાંત તમામ ઉમેદવારો માટે પૂર્વ તબીબી ચેકઅપ ફરજીયાત કરવામાં આવે જેથી કોઈ પણ ઉમેદવારના જીવનને જોખમ ન થાય.
સાવરકુંડલા તાલુકાના બાઢડા, ઘાંડલા, મેરીયાણા, શેલણા ગામોની નદીપર ચેકડેમ, ઉડી ઉતારવાનું કામ કરી પુનર્જીવન સાથે તેમજ ફલડ પ્રોટેક્શનનું કામ 1.05 કરોડના ખર્ચે કરાશે. આ કામને સૈધાંતિક મંજૂરી મળી છે. સાવરકુંડલા તાલુકાના સર્વાંગી વિકાસ અને ખેડૂતોની સમૃદ્ધિ માટેના પ્રયત્નોને મોટી સફળતા મળી છે. તાલુકાની ''જીવનદોરી’ સમાન નદીઓ અને ડેમોની જળ સંગ્રહ ક્ષમતા વધારવા માટે સરકાર દ્વારા આ કામ અંતગત બાઢડા નદી ઊંડી ઉતારવાનું કામ ₹37.92 લાખ, શેલણા, નદી પર નવો ચેકડેમ બનાવવો ₹28.07 લાખ, ઘાંડલા ફલડ પ્રોટેક્શન (પૂર સંરક્ષણ) દીવાલ ₹22.78 લાખ, મેરીયાણા ફલડ પ્રોટેક્શન (પૂર સંરક્ષણ) દીવાલ ₹17.12 લાખ કુલ ₹1.05 કરોડના વિકાસકાર્યોને સેધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને ચોમાસા દરમિયાન પૂરના જોખમમાં ઘટાડો થશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ અંગે ખુશી વ્યક્ત ક૨તા જણાવ્યું હતું કે આ વિકાસકાર્યો સાવરકુંડલા તાલુકા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. નદીઓ ઊંડી થવાથી અને નવા ચેકડેમ બનવાથી પાણીનો સંગ્રહ વધશે, જેનો સીધો લાભ ખેતી અને પશુપાલનને મળશે. સાથે જ ફલડ પ્રોટેક્શન વોલના નિર્માણથી ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પૂરથી થતું નુકસાન અટકશે.ભૂગર્ભ જળ: જળ સંગ્રહ વધતા આસપાસના કુવા અને બો૨ના તળ ઊંચા આવશે.પર્યાવ૨ણ: નદીઓના પુનર્જીવનથી સ્થાનિક પર્યાવરણમાં સુધારો થશે.
ફરિયાદ:વડિયાના લુણીધારમાં પરિણીતાને સાસરીયાએ દુ:ખ ત્રાસ આપ્યો
વડીયાના લુણીધારમાં પરણિતાને સાસરીયાએ શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ ફોનમાં ધીમે બોલવા મુદ્દે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો. દયાબેન ચાવડા એ સાસુ કંચનબેન ચાવડા, સસરા ભરત ચાવડા, દીયર જયસુખ ચાવડા, દેરાણી ચેતનાબેન ચાવડા, કાકાજી સસરા અરવિંદ ચાવડા અને દીયર કમલેશ ચાવડા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કંચનબેને દયાબેનને ફોનમાં શુ વાત કરે છે અને ધીમે બોલ અહીં બધા રહે છે. ત્યારે દયાબેને તેને તમારા દીકરા સાથે ફોનમાં વાત કરૂ છુ તેમ કહેતા કંચનબેન ચાવડા અને ભરત ચાવડાએ તેમની સાથે ઝગડો કર્યો હતો. ત્યારબાદ છએય શખ્સોએ ઝગડો કર્યો હતો. જે બાદ દયાબેને તેમના ભાઇ અમરેલીના દીનેશભાઇ જેઠાભાઇ મેરીયાને ફોન કરી બોલાવતા અરવિંદ ચાવતા અને કમલેશ ચાવડાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. સાસરીયાએ પરણિતાને શારિરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.
લોકાર્પણ:રંગપુર મુકામે અંદાજે 1.25 કરોડના ખર્ચે સીસી રોડ સુવિધાપથનું નિર્માણ
અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. રંગપુર મુકામે સીસીરોડ-સુવિધાપથનું નિર્માણ થતા ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યા ભૂતકાળ બની છે. કુલ 1.25 કરોડના ખર્ચે સુવિધાપથ બનાવાયો છે. વડેરા મુકામે ગ્રામજનો ચોમાસા દરમિયાન પૂરની સ્થિતિનો સામનો કરતા હતા. અહીં પૂર સંરક્ષણ દિવાલ બની જતા હવે આ સમસ્યા ભૂતકાળ બનશે. કુલ રૂ. 29 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ અને 31.80 લાખના ખર્ચે નવનિર્મિત ચેકડેમનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. નવા ચેકડેમમાં કુલ 1 કરોડ લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે, આસપાસની 30 એકર જમીનને લાભ મળશે. અમરેલીના રંગપુર અને વડેરા મુકામે વિવિધ વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચ, પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમરેલીના રંગપુર અને વડેરા મુકામે ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
આયોજન:લાઠીના વીરપુર ગામે નવા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
લાઠી તાલુકાના વીરપુર ગામે પંચાયત ભવનના નવ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સ્થાનિક ઘારાસભ્ય જનક તળાવીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત મંગલાચાર અને પૂજનવિધિ સાથે કરવામાં આવી હતી. પંચાયત ભવન ગામના શાસકીય તથા વિકાસલક્ષી કાર્યો માટે એક કેન્દ્રસ્થાન તરીકે કાર્ય કરશે. નવા ભવનમાં ગ્રામજનોને વિવિધ શાસકીય યોજનાઓની માહિતી, અરજીઓની પ્રક્રિયા, બેઠકઓ તેમજ સામાજિક કાર્યક્રમો માટે સુવિધાસભર માહોલ ઉપલબ્ધ થશે. આ અવસરે ઘારાસભ્ય જનક તળાવીયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વીરપુર ગામે પંચાયત ભવનનું નવું નિર્માણ ગામના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે ગ્રામ વિકાસ, માર્ગ વ્યવસ્થા, પાણી પુરવઠો, સ્વચ્છતા અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જૂનું પંચાયત ભવન જગ્યાની અછત અને અપૂરતી સુવિધાઓને કારણે ગ્રામજનો માટે અનુકૂળ ન હતું, જેથી નવું આધુનિક ભવન ગામ માટે આશીર્વાદરૂપ બનશે. આ પ્રસંગે જીતુભાઇ ડેર, તાલુકા ભાજપ પ્રમુખ, સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, ગામના આગેવાનો તેમજ સ્થાનીક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહયા હતાં.
કામગીરી:અમરેલી જિલ્લાભરમાં 4533 તીવ્ર દિવ્યાંગોને 4.42 કરોડની રોજગારલક્ષી સહાયનું વિતરણ
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગો અને નિરાધાર બાળકો માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કાર્યરત સમાજ સુરક્ષા કચેરી દ્વારા વર્ષ 2025 દરમિયાન વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવામાં આવ્યો છે. દિવ્યાંગોને લાંબા અંતરની મુસાફરીની સરળતા સાથે સગવડતા મળે તે માટે કુલ 1101 દિવ્યાંગોને એસ.ટી બસ નિ:શુલ્ક મુસાફરી પાસનું વિતરણ કરવામાં આવ્યુ છે. સાથે 154 દિવ્યાંગોને દિવ્યાંગતામાં મદદરૂપ થવા વિવિધ પ્રકારના સાધનોના મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા છે. કુલ 4533 તીવ્ર દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોનનું આર્થિક સશક્તિકરણ ઝડપથી થાય તે માટે રોજગારલક્ષી સહાય માટે રૂ. 4.42 કરોડથી વધુની રકમની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા સામાજિક સશક્તિકરણના ભાગરૂપે અનેકવિધ પહેલો શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લાના કુલ 37 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ. 18.5 લાખથી વધુની રકમની દિવ્યાંગ લગ્ન સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ઉપરાંત 174 દિવ્યાંગ વિદ્યાર્થીઓને રૂ. 1.74 લાખની શિષ્યવૃત્તિ સહાયનું વિતરણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષાથી લઈને લગ્ન સુધી દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે ઉપરાંત તેમનું સશક્તિકરણ થાય તે પ્રકારે છેવાડાના લાભાર્થી સુધી લાભનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દરેક નિરાધાર બાળકને પાલકનો સાથ મળે અને સન્માન સાથે જીવન જીવી શકે તે પ્રકારના ઉમદા ઉદ્દેશ સાથે પાલક માતા-પિતા યોજના અમલી છે. આ યોજના હેઠળ જિલ્લામાં કુલ 373 નિરાધાર બાળકોને રૂ. 1.36 કરોડથી વધુની રકમની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. અત્રે એ સરકાર સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિવિધ સહાયનું વિતરણ કરે છે.
વલસાડના ભાગડાવડા ગ્રીનપાર્કમાં રખડતાં કૂતરાંનો નાના બાળકો પર ચારથી પાંચ ઘટના બાદ હવે પારડીસાંઢપોર કૈલાસ રોડ વિસ્તારમાં કૂતરાંએ 13 વ્યક્તિઓને બચકાં ભરાતાં ભારે દહેશત ફેલાઇ ગઇ હતી. વલસાડના કૈલાસ રોડ વિસ્તારના રહેણાંક એરિયામાં ઘણાં સમયથી રખડતા કૂતરાંઓના ભયથી રહીશો ખુબ સાવધાની વર્તી પોતાને તથા પરિવારજનોને સુરક્ષિત રાખવાની ચિંતામાં પડ્યા છે. દરમિયાન ગુરૂવારે રાત્રિ દરમિયાન એક કૂતરો ખુબ હિંસક સ્વરૂપે દેખાતાં આડેધડ દોડવા માડ્યો હતો.જેમાં વાહનચાલકો રાહદારીઓને બચકાં મારવા માંડ્યો હતો.જે આવ્યો તે લપેટમાં આવી ગયો તેવી દહેશતભરી સ્થિતિ નિર્માણ પામી હતી. કેટલાક રમતાં બાળકો અને બાઇક સવારના પગમાં તો કોઇને હાથમાં બચકાં ભર્યા હતા.લગભગ 13 જેટલા લોકો કૂતરાંના હુમલાનો ભોગ બનતાં રહીશોમાં ભારે આક્રોશ ફેલાઇ ગયો હતો.કૂંતરાંઓનો અહિંથી નિકાલ કરવાની રજૂઆતોની તંત્ર પર કોઇ અસર થતી ન હોવાની રાવ ઉઠી છે.ઇજાગ્રસ્તોને વલસાડ સિવિલમાં સારવાર દરમિયાન હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી. પાલિકાએ ટેન્ડર તો કર્યુ પણ અધ્ધરકૂતરાંઓનો આંતક વધી ગયો છતાં નગરપાલિકા સહિતની સંસ્થાઓ કૂતરાંઓ પકડવાની કોઇ કામગીરી કરતી નથી.ભલેને લોકો રખડતાં કે હડકાયા કૂતરાંનો ભોગ બને તો પણ કોઇને કંઇ પડી નથી.પાલિકાના કાઉન્સિલરો સામાન્ય સભાઓમાં ચિચિયારીઓ,કાગારોળ મચાવતા હોય પણ રખડતા કૂતરાં,ભૂંડ,રખડતી ગાયો માટે કોઇને કંઇ લાગતું વળગતું ન હોય તેવી લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે. અગાઉ પાલિકાએ ખસીકરણ કરવા ટેન્ડર કર્યુ હતુ પણ તે પણ હવામાં જ રહ્યુ છે. ગ્રીનપાર્કમાં 5 બાળકો પર હુમલોવલસાડના ભાગડાવડાની ગ્રીનપાર્ક સોસાયટીમાં છેલ્લા સાતેક માસ દરમિયાન કૂતરાંના હુમલાની પાંચેક ઘટના સામે આવી ચૂકી છે.જમાં 3થી પાંચ વર્ષના બાળક,બાળકીઓ પર હિંસક કૂતરાંઓએ હુમલા કરી હાથ,પગમાં બચકાં ભર્યા હતા.તેમ છતાં કોઇ તંત્ર દ્વારા રખડતા કૂંતરાને પકડીને નિકાલ કરવાની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
મહાશિવરાત્રીના પર્વ પર ભક્તો દેવાધિદેવ મહાદેવને રીઝવવા વિવિધ પુષ્પો અને અભિષેક કરતા હોય છે, પરંતુ નવસારીના સદલાવ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની અનોખી કલા દ્વારા શિવભક્તિની અનોખી સરવાણી વહેવડાવી છે. 12મું પાસ અને પ્રાકૃતિક ખેતી કરતા હેમંત પટેલે આ વર્ષે શિવજીની પ્રતિકૃતિ, શિવલિંગ અને ઘીના કમળ બનાવીને ભક્તોમાં આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા 42 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હેમંતભાઈની વિશેષતા એ છે કે તેઓ માત્ર ઘીના જ પૈસા લે છે. પોતાની કલા કે કલાકોની મહેનતનો તેઓ એક પણ રૂપિયો ચાર્જ લેતા નથી. અત્યાર સુધીમાં તેઓ 1500થી વધુ પ્રતિકૃતિઓ બનાવી ચૂક્યા છે. આ વર્ષે તેમણે 270 ઘીના કમળ, 17 શિવલિંગ અને 21 જેટલી ભગવાન શંકર અને શિવપરિવારની પ્રતિકૃતિ બનાવી છે. ઘી ઓગળી ન જાય તેના માટે ઘણા લોકો તેમાં મીણ પણ નાખતા હોય છે પણ હેમંતભાઇ કોઇપણ પ્રકારનો પદાર્થ મિશ્રિત કર્યા વગર ઘી માંથી દરેક વસ્તુ બનાવે છે. આ સાથે મૂર્તિને રંગ કરવા માટે ફૂડ કલર તથા જાસ્મિન ફ્લેવરના કોકોનેટ તેલનો ઉપયોગ કરે છે. પોતાની 14 વર્ષની ઉંમરથી શરૂ કરેલ સેવાકાર્ય આજે તેમના 55માં વર્ષે પણ અવિરત ચાલી રહી છે. તેમના સદલાવ ગામમાં આવેલ ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર માટે 100થી વધુ કિલોની શંકરભગવાનની ઘી માંથી બનાવેલ પ્રતિકૃતિ બનાવી છે. આ 308 પ્રતિકૃતિ બનાવવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગ્યો છે અને એક ટન જેટલુ ઘીનો વપરાશ કરાયો છે. હેમંતભાઇની બનાવેલ પ્રતિકૃતિ ફક્ત નવસારી જિલ્લા સુધી નહીં પણ રાજ્યના વિવિધ જિલ્લા સુધી વિસ્તરી છે. જેના કારણે ફક્ત નવસારી નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ તેમની કલાના વખાણ થઇ રહ્યા છે. ઘીનો પવિત્ર રીતે નિકાલ શિવરાત્રીના પર્વ બાદ આ ઘીનો દુરુપયોગ કરવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત અને પર્યાવરણને અનુકૂળ રીતે તેનો નિકાલ કરવામાં આવે છે. આ ઘીને ગાયના ખોરાકમાં ભેળવવામાં આવે છે અથવા મંદિરમાં દીવા માટે વપરાય છે. આ ઉપરાંત નદી કે તળાવમાં પધરાવીને જળચર જીવોના આહાર તરીકે તેનો સદુપયોગ કરવામાં આવે છે.> હેમંતભાઇ પટેલ, પ્રતિકૃતિ બનાવનાર
નવસારી શહેરના હજારો નાગરિકોની તરસ છિપાવતા ઐતિહાસિક દુધિયા તળાવની હાલત અત્યંત ચિંતાજનક સ્તરે પહોંચી છે. પીવાના પાણીના શુદ્ધિકરણની મોટી-મોટી વાતો કરતા વહીવટી તંત્રની પોલ ખોલતી તસવીરો સામે આવી છે. જે સ્થળેથી સમગ્ર શહેરને પાણી પૂરું પાડવામાં આવે છે, ત્યાં જ સુરક્ષા અને સ્વચ્છતાના ધજાગરા ઊડતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ, તળાવના કાંઠે જ્યાં પાણીનો સંગ્રહ થાય છે, ત્યાં રખડતા કૂતરાઓ અને પશુઓ બિન્દાસ ફરી રહ્યા છે. તળાવના કિનારે પ્લાસ્ટિકની બોટલો, કચરો અને ગંદકીના ગંજ જમા થયા છે. આ ગંદકી અને પ્રાણીઓના મળ-મૂત્ર સીધા પાણીમાં ભળી રહ્યા છે, જે જળજન્ય રોગચાળાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. પીવાના પાણીના સ્ત્રોત પાસે સામાન્ય રીતે પ્રતિબંધિત અવરજવર હોવી જોઈએ, પરંતુ અહીં કોઈ પણ રોકટોક વગર પ્રાણીઓ પહોંચી જાય છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો દૂષિત પાણીને કારણે શહેરમાં ટાઈફોઈડ, કોલેરા અને કમળા જેવી ગંભીર બીમારીઓ ફાટી નીકળવાની પૂરેપૂરી ભીતિ છે. સફાઈ કરવામા આળસસફાઈ કરવામાં આળસ કિનારા પર જામેલો કચરો સૂચવે છે કે લાંબા સમયથી અહીં યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. આ દ્રશ્યો જોઈને નવસારીના નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું અમે આવું પ્રદૂષિત પાણી પીવા માટે મજબૂર છીએ?
ભાસ્કર ઈનસાઈડ:નવસારીમાં ભાજપના વધુ 12 હોદ્દેદારોના રાજીનામા ધરી દીધા, સ્થિતિ કંટ્રોલ બહાર
નવસારી જિલ્લા ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત થતાની સાથે જ પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં કાર્યકરોની અવગણના થઈ હોવાના આક્ષેપ સાથે રાજીનામાનો દોર શરૂ થયો છે. બે દિવસ અગાઉ 7 સભ્યોના રાજીનામા બાદ, આજે વધુ 12 હોદ્દેદારોએ સાગમટે રાજીનામા ધરી દેતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ વિવાદનું મુખ્ય કેન્દ્ર જલાલપોર તાલુકાને જિલ્લા સંગઠનમાં મળેલું પ્રતિનિધિત્વ છે. કાર્યકરોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના હોદ્દાઓ પર જલાલપોરના એક પણ કાર્યકરને સ્થાન આપવામાં આવ્યું નથી. અશોક ભગુભાઈ પટેલ, જેમને મહામંત્રી પદની અપેક્ષા હતી, તેમને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા છે. કોળી સમાજ અને પક્ષ માટે વર્ષોથી લોહી રેડનાર પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે છેલ્લા લાંબા સમયથી જિલ્લા સંગઠન અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી. આ જૂથવાદ હવે રાજીનામાના સ્વરૂપે ખુલ્લેઆમ બહાર આવ્યો છે. આગામી સમયમાં જિલ્લા-તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ આંતરિક કલહ ભાજપ માટે કપરી સ્થિતિ સર્જી શકે છે. જો વહેલી તકે આ ડેમેજ કંટ્રોલ નહીં થાય તો ભાજપમાં આંતરીક જૂથવાદ વધુ વકરશે અને તેની સીધી અસર સંગઠનો પર પણ પડી શકે છે. પ્રમુખની ગેરહાજરીમાં રાજીનામાનારાજ હોદ્દેદારોએ પાંચ દિવસ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે, કોઈ નક્કર પરિણામ ન આવતા આજે મોટી સંખ્યામાં કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ પર પહોંચ્યા હતા અને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામા મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજીનામું આપનાર મુખ્ય હોદ્દેદારોની યાદી જલાલપોર તાલુકા ભાજપના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, ઉપપ્રમુખ અજયકુમાર પટેલ, ફતેહસિંહ ઠાકુર, વિજય ટંડેલ જલાલપોર તાલુકા ભાજપના કાર્યાલય મંત્રી પ્રકાશ દેસાઈ, જલાલપોર તાલુકા ભાજપના મંત્રી ભાવેશભાઈ પટેલ, નિલેશભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, રાકેશકુમાર ભીખુભાઈ પટેલ, હર્ષા એમ. પટેલ, ભવિષા રાઠોડ, ઝંખના પટેલ, વીણા પટેલે રાજીનામા આપ્યા હતા.
ભાસ્કર એક્સક્લૂસિવ:નુડામાં 70 થી વધુ ગામ સમાવવા સરકારમાં દરખાસ્ત કરાઇ છતાં 1 વર્ષથી નિર્ણય નહીં
નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તાર અંગે લગભગ 1 વર્ષથી કોઈ નિર્ણય નહી લેવાતા અવઢવ તો સર્જાઇ છે. આ સાથે પંથકના વિકાસ ઉપર અનિશ્ચિતતા સર્જાઇ છે. નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નુડામાં લગભગ એક વર્ષ અગાઉ નવસારી શહેર ઉપરાંત નજીકના ગામો હતા.જોકે સરકારે નવસારીને મહાપાલિકા જાહેર કર્યાના થોડા દિવસો બાદ મનપા વિસ્તાર નુડામાંથી નીકળી ગયો હતો અને માત્ર 3 ગામો નસીલપોર, ભટ્ટાઈ અને ગણેશ સિસોદ્રા જ રહ્યાં છે. માત્ર 3 ગામના નાના વિસ્તારને લઈ ઓથોરિટી પાસે ખૂબ ઓછું કામ છે. જોકે અર્બન ઓથોરિટીના વિસ્તાર માટે તજવીજ થઇ નથી એવું પણ નથી. આશરે 1 વર્ષ અગાઉ સ્થાનિક લેવલથી સરકારમાં 70થી વધુ ગામો સમાવવા સરકારમાં દરખાસ્ત કરી હતી,જેમાં નવસારી અને જલાલપોર તાલુકાના વધુ ગામો છે. આજે દરખાસ્ત ગયાને ઘણો સમય થયો પણ ઓથોરિટીનો વિસ્તાર કરી વધુ ગામો લેવા બાબતે નિર્ણય લેવાયો નથી. વિલંબની અસર સ્થાનિક વિકાસ ઉપર પડી છે, ખાસ કરીને સરકાર કેટલો વિસ્તાર કરશે, ક્યારે કરશે, કયા ગામો લેશે તે અનિશ્ચિતતા રહેતા સ્થાનિક લોકો, ડેવલપરો વગેરેમાં અવઢવ જારી રહી છે. સરકાર જલ્દી અનિશ્ચિતતા દૂર કરે એવી લાગણી છે. નુડામાં સમાવવા મુદ્દે ખેડૂતોનો વિરોધનવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તાર કરવા સરકારમાં દરખાસ્ત ગઇ છે અને પંથકમાં ઘણા ગામો લેવાની વાત બહાર આવતા ખેડૂતોમાં વિરોધ થયો છે. નવસારીમાં થોડા મહિના અગાઉ મળેલ ખેડૂતોની વિવિધ મુદ્દે મળેલ સભામાં નુડામાં સમાવાનો વિરોધ થયો અને નારાજગી વ્યક્ત થઈ હતી. ખેતી અને પર્યાવરણને નુકસાન થવાનું પણ કારણ જણાવાયું હતું. આ વિરોધના પગલે પણ વધુ ગામો ઓથોરિટીમાં લેવા મુદ્દે અવઢવ હોવાની વાત ચર્ચાય છે. હયાત 3 ગામો પણ ટીપી વિનાનાઅર્બન ઓથોરિટીમાં સામેલ ઇટાળવા, તિઘરા ગામો માટે અગાઉ ઓથોરિટી દ્વારા ટીપી સ્કિમ બનાવવાની કામગીરી શરૂ કરી હતી,જે હવે મનપા વિસ્તારમાં છે. જોકે હવે જે ત્રણ ગામો રહ્યાં છે તેમાં ટાઉન પ્લાનિંગ સ્કિમ બનાવાઈ નથી. જલદી નિર્ણય લેવો જોઈએઅર્બન ઓથોરિટીના વિસ્તાર, વધુ ગામો સમાવવા મુદ્દે સરકારે જલ્દી નિર્ણય લેવો જોઈએ. નિર્ણયમાં વિલંબથી વિકાસ ઉપર અસર પડે છે. બીજું કે ટીપી સ્કિમમાં કપાત દ્વારા રોડ વગેરે સુવિધા લોકોએ વધારવી જોઈએ.> ભરત સુખડિયા, અગ્રણી, ક્રેડાઇ 10 વર્ષમાં 97 ગામ અને 2 શહેરથી ઘટી 3 ગામની મજલનવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની સ્થાપના ડિસેમ્બર-2015માં કરવામાં આવી ત્યારે તેમાં તે સમયના બે શહેરી વિસ્તારો નવસારી અને વિજલપોરને સમાવવામાં આવ્યા હતા ત્યારબાદ ભારે વિરોધ થતા ઘણા ગામો કાઢી 2 શહેર અને 26 ગામો કરી દેવાયા. ત્યારબાદ વળી વધુ 9 ગામોમાં વિરોધ થતા તે કાઢી 17 ગામો જ રાખવામાં આવ્યાં. ઘણો સમય આ વિસ્તાર રહ્યો અને ટીપી પણ બની. જોકે મનપા એક વર્ષ અગાઉ બનતા સમગ્ર મનપા વિસ્તાર ઓથોરિટીના કાર્યક્ષેત્રમાંથી નીકળી ગયો અને માત્ર 3 ગામો જ કાર્યક્ષેત્રમાં રહ્યાં છે, જેની પણ ટીપી સ્કિમ નથી તથા આ નાના વિસ્તારને 1 વર્ષ થવા આવ્યું છે પણ ઓથોરિટીના વિસ્તાર અંગે નિર્ણય લેવાયો નથી.
બે દિવસીય તાલીમનું આયોજન:123 શિક્ષકોને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં નવી પદ્ધતિ અંગે જાણકારી અપાઇ
ભરૂચની શાળાઓમાં એઆઇની મદદથી શિક્ષણકાર્યને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે કરવો તેની તાલીમ 132 શિક્ષકોને આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં વર્ગખંડ શિક્ષણમાં એઆઈ ના ઉપયોગ અંગે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનું આયોજન ડાયટ ભરૂચ ના વ્યાખ્યાતા ડૉ. જતીન એચ. મોદીના માર્ગદર્શન કરાયું હતું. તાલીમમાં શિક્ષકોને આર્ટ ઓફ પ્રમોટિંગ એન્ડ બેટર ટીચિંગ વિથ એઆઈ, એઆઈનો જવાબદારી પૂર્વક ઉપયોગ, ચાર્ટ, પોસ્ટર, વિડીયો બનાવવો નોટબુક ટીએલએમ, ગામા, ચેટ જીટીપી, એઆઈ ઈન એજ્યુકેશન, ટેસ્ટ જનરેશન, પાઠ આયોજન અને અધ્યયન નિષ્પતિ, સ્લાઇડ જીપીટી, માઈક્રોસોફ્ટની મદદથી એઆઈ વગેરે બાબતોની સમજ અને પ્રાયોગિક કાર્ય ઉદાહરણ સાથે સમજ આપવામાં આવી હતી. તાલીમથી શિક્ષકોના વ્યવસાયિક કૌશલ્યને વધુ સમૃદ્ધ બનશે. વિદ્યાર્થીઓના અધ્યયનમાં રસ અને સમજ વધે તે માટે આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવાનો તેમજ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડાયટ ભરૂચના બંને વર્ષના બી.એડ. ના 100 જેટલા પ્રશિક્ષણાર્થીઓ તેમજ ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓના કુલ 132 પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લીધો હતો.
2ની ધરપકડ:જૂની બાઇકોની આરસી બુકથી ચોરીનીબાઇકો વેચવાનું કૌભાંડ
ભરૂચ પોલીસે ભંગારમાંથી ખરીદેલી બાઇકોની આરસી બુક તથા નકલી નંબર પ્લેટ બનાવી ચોરીની બાઇકો વેચતી ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડયાં છે. તેમની પાસેથી ચોરીની 10 બાઇક કબજે લેવામાં આવી છે. ભરૂચ એલસીબીની ટીમે 29મી જાન્યુઆરીના રોજ આમોદના કુરચણ ગામના રહેવાસી અબ્દુલ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી પાડયો હતો. આરોપીને એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવતાં વધુ તપાસ હાથ ધરી તેના રીમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં. જેમાં જપ્ત કરાયેલી બાઇકોના એન્જિન અને ચેસીસ નંબરમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ 10 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તે જૂની અને ઉપયોગમાં લેવાતી બાઇકો ભંગારના ભાવે ખરીદી તેની આરસી બુક મેળવી લેતો હતો. બાદમાં તે જ મોડલની બાઇકની ચોરી કરતો હતો. ભંગારની બાઇકની આરસી બુક ચોરીની બાઇકમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. ચોરી કરેલી બાઇકોમાં તે જૂના બાઇકોના ચેસીસ અને એન્જિન નંબર છપાવવા માટે પાલેજના જહીરશા મહેબુબ દિવાનની મદદ લેતો હતો. જહીરશા ટ્રોલી બનાવવાનું કામ કરતો હતો. નંબર પ્લેટ બદલીને આ ચોરાયેલી બાઇકો ઊંચી કિંમતે વેચવામાં આવતી હતી. પોલીસે અબ્દુલ મહંમદ પટેલ અને જહીરશા મહેબુબભાઈ દિવાન બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ 10 ચોરાયેલી બાઇકો જપ્ત કરી છે. આરોપીઓએ આ બાઇકો ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી જેવા વિસ્તારોમાં વેચી હોવાની કબૂલાત કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:ભાગીદારને સાડા નવ લાખ અને મેનેજરનેપગાર નહિ ચૂકવતા સ્પા સંચાલકની હત્યા
ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલાં શ્વાસ દી સ્પાના સંચાલક યુવાનની હત્યા તેના ભાગીદાર મિત્ર અને સ્પાના મેનેજરે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યાકાંડમાં સંડોવાયેલાં બંને આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. મૃતક પાસેથી ભાગીદારને સાડા નવ લાખ રૂપિયા અને મેનેજરને પગાર લેવાનો બાકી હતી. મૃતક કૃણાલ પટેલ પૈસા ચૂકવી શકે તેમ ન હોવાથી મેનેજરે હત્યાનું કાવતરૂ ઘડી નાખ્યું હતું. સ્પાના સંચાલક અને ભરૂચની જયોતિનગર સોસાયટીમાં રહેતાં કૃણાલ પટેલનો મૃતદેહ વાગરા નજીકથી હાથપગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની હત્યામાં તેના ભાગીદાર અને મિત્ર મુન્તઝીર પટેલ અને સ્પામાં મેનેજર તરીકે કામ કરતાં મહમંદ સૌયેબ ભાદરકાની ધરપકડ કરવામાં આવી છે. મુન્તઝીર પટેલને મૃતક કૃણાલ પટેલ પાસેથી સાડા નવ લાખ રૂપિયા લેવાના નીકળતાં હતાં જયારે મહંમદ ભાદરકાને કૃણાલે પગાર આપ્યો ન હતો. કૃણાલ પૈસા પરત આપી શકે તેમ ન હોવાથી મેનેજર મહંમદ ભાદરકાએ મુન્તઝીરને ફોન કરી કૃણાલની હત્યાનું કાવતરૂ ઘડી કાઢવામાં આવ્યું હતું. 10મી તારીખે મુન્તઝીર અને મહંમદ ભાદરકાએ કૃણાલને 6 લાખ રૂપિયા આપવાના તથા મુન્તઝીરની પત્નીને દવાખાને લઇ જવાનું હોવાનું કહીને જયોતિનગર રોડ પરથી કારમાં બેસાડીને લઇ ગયાં હતાં અને હત્યા કરી નાંખી હતી. ઝડપાયેલા આરોપીઓમુન્તજીર મુબારક દાઉદ પટેલ ઉ.વ.29 રહે, વોરા સમની મહમંદ સૌયેબ ઈબ્રાહીમનુર ભાદરકા ઉ.વ. ૩૨ રહે,દોશીયમ કાઝી, સરકારી સ્કૂલ પાસે પ્રભાસપાટણ મેનેજર મહિલાના વેશમાં કારમાં હતો10મીના રોજ મુન્તઝીરે કૃણાલને છ લાખ રૂપિયા આપવાનું તથા પત્નીની તબીયત સારી નથી જેથી સાથે આવવા માટેે જણાવ્યું હતું. કૃણાલને શંકા ન જાય તે માટે કારમાં મેનેજર મહંમદ મુસ્લિમ મહિલાનો વેશ ધારણ કરીને બેઠો હતો. તેઓ ભરૂચથી વોરસમની તરફ ગયા હતાં અને ગામની બહાર નીકળતાં જ પાછળની સીટ પર મહિલાના વેશમાં બેઠેલા મહંમદે ચાલુ કારમાં પાછળથી કૃણાલનું ગળુ દોરીથી દબાવી દીધું હતું 9મીના રોજ કૃણાલની હત્યા કરવાનાહતાં પણ તે કોસંબા જતો રહ્યો હતોઆરોપી મુન્તઝીર પટેલ વોરાસમની ગામનો રહેવાસી છે.તે અગાઉ વિદેશમાં નોકરી કરતો હતો અને 2019માં ભારત આવી ગયો હતો. તેનો પરિચય કૃણાલ પટેલ સાથે થયો હતો અને બંને મિત્રો બની ગયાં હતાં.તેમણે ભાગીદારીમાં ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં સ્પા શરૂ કર્યું હતું પણ ધંધામાં ખોટ જતાં બંધ કરી દીધું હતું. આઠ મહિના પહેલાં તેમણે ફરીથી ઝાડેશ્વર રોડ પર સ્પાની શરૂઆત કરી હતી.જેમાં મેનેજર તરીકે મહમંદ સૌયેબ ભાદરકાને રાખવામાં આવ્યો હતો . મુન્તઝીરને કૃણાલ પાસેથી સાડા નવ લાખ રૂપિયા લેવાના નીકળતાં હતાં જયારે મહંમદ ભાદરકાને પગાર ચુકવાયો ન હતો.મહમંદ સૌયેબે વતનમાંથી સ્પા પાર્ટનર મુન્તજીર પટેલને ફોન કરી કૃણાલની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. મેનેજર ટ્રેનમાં બેસી ગીરસોમનાથથી ભરૂચ આવ્યો હતો અને મુન્તઝીરને મળ્યો હતો. તેઓ બંનેએ 9 તારીખે કૃણાલની હત્યાનું કાવતરૂ ઘડયું હતું પણ તે કોસંબા જતો રહયો હોવાથી તેની હત્યા શકય બની ન હતી. આખરે 10મીએ તેને કારમાં લઇ જઇને હત્યા કરી નાખવામાં આવી હતી. .
કાર્યવાહી:હેલિપેડ ડોમ પાસેથી રૂ. 25 લાખનો પ્રોપર્ટી ટેક્સ વસૂલાયો
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મોટા બાકીદારો સામે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે હેલિપેડ ડોમ પર એક્ઝિબિશન સેન્ટરના સંચાલક પાસેથી વેરા વસૂલાત માટે કાર્યવાહી કરવામાં આવતાં આખરે 25 લાખનો વેરો વસૂલવામાં આવ્યો છે. એક્ઝિબિશન સેન્ટરનો અંદાજે 5 કરોડનો વેરો બાકી છે. જેને નોટીસ આપીને કાર્યવાહી કરવામાં આવતાં આખરે 25 લાખનો વેરો ભરપાઇ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા મોટી રકમના બાકીદારો સામે સીલીંગ અને મિલકત જપ્તી સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે એક્ઝિબિશન સેન્ટર પાસેથી કડક વસૂલાત કરવામાં આવી છે. મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા 1.29 લાખ મિલકતધારકો પાસેથી 71.37 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. જેમાં 72570 લોકોએ 33.15 કરોડનો વેરો ડિજીટલ માધ્યમથી એટલે કે ઓનલાઇન ભરપાઇ કર્યો છે. જ્યારે 56952 લોકોએ 38.52 કરોડ રૂપિયાનો વેરો ઓફલાઇન એટલે કે મહાનગરપાલિકાની કચેરીમાં રૂબરૂ જઇને રોકડ અથવા ચેકથી જમા કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં મિલકતધારકો દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવામાં ન આવતા મહાપાલિકા દ્વારા પહેલા નોટિસ આપવામાં આવી હતી. બાદ તેઓની મિલકત સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા હતા. તેમ છતાં કેટલાક મોટા બાકીદારો સામે મહાપાલિકાએ પોતાની ટેક્સ વસૂલાતની ઝૂંબેશ હવે તેજ બનાવી છે.
કામગીરી:સરગાસણ સર્વિસ રોડ પરનું ધાર્મિક દબાણ તોડવા કાર્યવાહી
શહેરના સરગાસણ વિસ્તારમાં એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર આવેલા ચર્ચનું વધારાનું અને રસ્તા પર નડતરરૂપ દબાણ તોડવા મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ તબક્કે ચર્ચની બહાર કરવામાં આવેલા શેડ અને ફેન્સીંગ સહિતનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીન પર અને માર્ગોને નડતરરૂપ હોય તેવા દબાણો દૂર કરવા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ધાર્મિક દબાણોનો પણ સમાવેશ થાય છે. સરગાસણ ટીપી-9 વિસ્તારમાં એસજી હાઇવેને સમાંતર સર્વિસ રોડ પર આવેલા ચર્ચને વધારાનું બાંધકામ દૂર કરવા નોટીસ અપાઇ હતી. તેમછતાં દબાણ દૂર નહીં કરતા આખરે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ચર્ચની બહારનો વધારાનો શેડ અને ફેન્સીંગ દૂર કરાયા છે જ્યારે અન્ય વધારાનું બાંધકામ જાતે તોડી પાડવા સૂચના આપવામાં આવી છે. મહાપાલિકાની ટીમ દ્વારા હવે હાઇવે પરના દબાણ દૂર કરાઇ રહ્યા છે.
સુવિધા:RTOમાં ટેસ્ટ ટ્રેક પાસે નડતરરૂપ વાહનો હટાવી દેવાયાં
શહેરના આરટીઓ કચેરી પરિસરમાં વર્ષોથી ઉભા રહેલા જપ્ત વાહનોને શુક્રવારે હટાવવામાં આવ્યા હતા. ટેસ્ટિંગ ટ્રેક નજીક પડેલા આ વાહનોને દૂર કરીને પાર્કિંગ સુવિધા ઉભી કરવામાં આવી છે, જેથી કચેરીના કર્મચારીઓ તેમજ કામકાજ માટે આવનારા નાગરિકોને સરળતા રહે. માહિતી મુજબ, આ વાહનો ટ્રાફિક નિયમો અને મોટર વાહન અધિનિયમના ભંગ બદલ જપ્ત કરવામાં આવ્યા હતા. કેટલાક વાહનો દસ વર્ષથી વધુ જૂના હતા અને બગડેલી હાલતમાં પડ્યા હતા. સમય જતાં તેઓ જર્જરિત બની જતા પરિસરની સફાઈ અને વ્યવસ્થામાં અવરોધ ઉભો કરી રહ્યા હતા. નાગરિકોમાંથી ઘણા લોકોએ પાર્કિંગની અછત અંગે વારંવાર રજૂઆત કરી હતી. ખાસ કરીને લાયસન્સ, વાહન નોંધણી અને ટેસ્ટિંગ માટે આવનારા લોકોને વાહન પાર્ક કરવા મુશ્કેલી પડતી હતી. હવે વાહનો હટાવાતા જગ્યા ખુલ્લી થઈ છે અને પાર્કિંગ વ્યવસ્થા સુધરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પગલાંથી આરટીઓ પરિસરમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતતા વધશે અને ગાંધીનગરના નાગરિકોને રોજિંદા કામકાજમાં વધુ સુવિધા મળશે. આરટીઓ કચેરીમાંં વર્ષોથી જપ્ત કરેલા વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે ટેસ્ટ માટે આવતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી.
ખેરોજ ચોરી કેસમાં રાજસ્થાનના આરોપીઓની ધરપકડ:વડાલીના ધરોઇ ત્રણ રસ્તાથી 4 વર્ષથી ફરાર આરોપીઓ ઝબ્બે
ખેરોજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજસ્થાનના બે આરોપીઓને વડાલી પોલીસે ધરોઈ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા છે. વડાલી પી.આઈ. ડી.આર. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એલ. જાડેજા અને તેમની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈને બાતમી મળી હતી કે, ખેરોજ પોલીસ સ્ટેશનના ગુનાના વોન્ટેડ આરોપીઓ ધરોઈ ત્રણ રસ્તા પાસે ઉભા છે. બાતમીના આધારે પોલીસે ધરોઈ ત્રણ રસ્તા પાસેથી માલાભાઈ ચુનીયાભાઈ ખોખરીયા (27,રહે. જોગીવડ, તા. કોટડા, જિ. ઉદયપુર) અને રણાઈભાઈ છગનાભાઈ ગમાર (26, રહે. જોગીવડ, તા. કોટડા) ને પકડી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ ચાર વર્ષ પૂર્વે ખેરોજ વિસ્તારમાં કરેલી ચોરીની કબૂલાત કરી છે.
શહેર નજીક આવેલા અણખોલ સીમમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતા પ્રોજેક્ટ મેનેજર અને તેનો લાઈનમેન ગટર લાઈનની તપાસ કરી રહ્યા હતા. કામકાજ દરમિયાન ચેમ્બરમાં લાઈનમેન બેભાન થઈ જતાં પ્રોજેક્ટ મેનેજર તેને બચાવવા માટે ચેમ્બરમાં ઉતર્યો હતો. જોકે બંને બેભાન થઈ જતાં કર્મચારીને ખાનગી અને કોન્ટ્રાક્ટરને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શહેરની નજીક આવેલા અણખોલ ગામની સીમમાં વુડાની ગટર લાઈનનું કામ કરતા લાઈનમેન અને પ્રોજેક્ટ મેનેજરનું મોત થયું હતું. અમદાવાદના નિકોલમાં રહેતા 45 વર્ષીય વિપુલભાઈ માંગરોલીયા પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરે છે. શુક્રવારે વિપુલભાઈ તેમના અન્ય કર્મચારીઓ સાથે અણખોલ ગામની સીમમાં ખાતે ગટર લાઈનનું કામ કરવા માટે આવ્યા હતા. ગટર લાઈન ચોકઅપ થઈ ગઈ હોવાથી વિપુલભાઈ માંગરોલીયા અને અક્ષય ભાભોર લાઈન તપાસતા-તપાસતા હાઈવે નજીક આવેલા આણખોલ પાસેના હિમાલયા પાર્ટી પ્લોટ નજીકમાં આવેલી ગટરના ચેમ્બર પાસે પહોંચ્યા હતા. સફાઈ માટે પહેલા અક્ષય ભાભોર ગટરની ચેમ્બરમાં ઉતર્યો હતો. જે થોડા સમયમાં ગટરની ચેમ્બરમાંજ બેભાન થઈ જતાં તેને બચાવવા માટે વિપુલભાઈ પણ ચેમ્બરમાં ઉતર્યા હતા. જે બાદ બંને બેભાન થઈ જતા તેઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. વુડાએ 4 વર્ષ પહેલાં 18 કિમી ડ્રેનેજ નેટવર્કનું કામ આપ્યું, હજી અધૂરુંચાર વર્ષ પહેલા વુડાએ રૂ. 15.40 કરોડના ખર્ચે અણખોલ ગામથી ખટંબા થઈ કપુરાઇ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ સુધીના 18 કિમીના ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ કોન્ટ્રાક્ટર જેન્તી સુપર કન્સ્ટ્રક્શન સોંપાયું હતું. વુડાના આધારભૂત સૂત્રો મુજબ ગુરુવારે પુશિંગની કામગીરી પૂર્ણ થઈ છે. કોન્ટ્રાક્ટરના બે કર્મચારીઓએ હિમાલયા પાર્ટી પ્લોટની બહાર વાહન પાર્કિગની જગ્યામાં આવેલી ડ્રેનેજની ચેમ્બરમાં ચેકિંગ દરમિયાન પડી ગયા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે, વુડાએ આ કામ 4 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટરને સોપ્યું હતું, કોન્ટ્રાક્ટરે ગોકળગતિએ કામ કરતા માત્ર 90 ટકા જ પૂર્ણ થઈ છે. વિપુલભાઈનું વજન 90 કિલોથી વધારે હોવાથી બહાર કાઢતાં સમય લાગ્યોસયાજી હૉસ્પિટલમાંથી મળતી માહિતી અનુંસાર વિપુલભાઈનું વજન 90 કિલોથી વધારે હોવાથી તેઓને ચેમ્બરમાંથી બહાર કાઢતા ઘણો 1 થી 2 કલાક લાગ્યા હતા. જે બાદ તેઓને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમને મૃત જાહેર કરાયા હતા. અન્ય કર્મીઓ જમવા માટે શોધવા નીકળ્યા ત્યારે બંને બેભાન મળ્યાવિપુલભાઈ સાથે કામ કરતા અન્ય લાઈનમેન બીજી જગ્યાએ કામ કરતા હતા. બપોરે 1 વાગ્યાની આસપાસ જમવાનો સમય થતાં કર્મીઓ વિપુલભાઈ, અક્ષયને શોધવા નિકળ્યા હતા. પાર્ટી પ્લોટના પાર્કિંગમાં ગટર લાઈનની ચેમ્બરમાં બંને બેભાન હાલતમાં મળ્યા હતા.
યાજ્ઞિક પરીખ 20 ડિસેમ્બર 2022ના રોજ 15મી ગુજરાત વિધાનસભાની પ્રથમ બેઠક મળી હતી. ત્યારથી હાલ સુધી 1151 દિવસમાં માત્ર 80 દિવસ વિધાનસભા ચાલી છે. આ દરમિયાન કુલ 91 બેઠકનું આયોજન થયું છે, તેમાં એક બેઠકનો સરેરાશ સમય 4 કલાક 10 મિનિટ રહ્યો છે. કેન્દ્ર સરકારના ટાઇમ યુઝ સરવે મુજબ, ગુજરાતમાં એક મહિલા રોજ સરેરાશ 7 કલાકથી વધુ સમય ઘરકામ અને પરિવારના સભ્યોની સાર-સંભાળમાં વિતાવે છે. એક નોકરિયાત 7-30 કલાક ઓફિસમાં કામ કરે છે. જ્યારે ધો.9-12માં એક વિદ્યાર્થી સ્કૂલમાં 5 કલાક ભણતરમાં ગાળે છે. પરંતુ એક ધારાસભ્ય વિધાનસભામાં માત્ર 4 કલાક વીતાવે છે. 46 ધારાસભ્ય 15થી 76 દિવસ ગેરહાજર રહ્યા છે. 3805 સવાલ સૂચના મળી હોવા છતાં દાખલ થઇ શક્યા નથી. 200 સવાલ મંત્રીઓની ભલામણ પર રદ કરાયા છે. વિધાનસભાના કુલ સમયમાંથી માત્ર 21% સમય પ્રશ્નોમાં વીત્યો છે. ગેરહાજરી સમિતિ હાજરી મંજૂર કરે છે... વિધાનસભામાં ધારાસભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ હોય છે. તે પ્રસ્તાવ રજૂ કરે છે કે ‘આ સભાગૃહ, સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિના અહેવાલ સાથે સંમત થાય.’ બાદમાં સર્વાનુમતે પસાર પણ કરી દેવાય છે. તેમાં સામાજિક, ધાર્મિક કારણ મુખ્ય હોય છે. મંત્રીઓને હાજરીમાં છૂટછાટપંદરમી વિધાનસભામાં એક પણ દિવસ એવો નથી, જ્યારે 182 ધારાસભ્યો એકસાથે વિધાનસભામાં હાજર રહ્યા હોય. સૌથી વધુ હાજરી વખતે 154 અને સૌથી ઓછી વખતે 105 ધારાસભ્ય હાજર રહ્યા હતા. મંત્રી, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, દંડક સહિત 24 ધારાસભ્યને હાજરી પત્રકમાં સહી કરવાની હોતી નથી. કારણ કે તેમને પગાર-ભથ્થા વિશેષ કાયદા હેઠળ મળે છે. જ્યારે સામાન્ય ધારાસભ્યને દૈનિક ભથ્થા મેળવવા સહી કરવી પડે છે. ...દેશમાં ગુજરાત વિધાનસભા 12મી દેશની વિધાનસભાઓમાં વાર્ષિક કામકાજના 28 દિવસ સાથે ગુજરાત 12મા ક્રમે છે. કેરળ 51 દિવસ સાથે પ્રથમ છે. ઓડિશા વિધાનસભા વર્ષમાં 45, કર્ણાટક-પ.બંગાળ 40, મહારાષ્ટ્ર-તમિલનાડુ 35દિવસ ચાલે છે. ડિસેમ્બર 2022થી અત્યાર સુધી સુધારા અને બજેટ વખતેના નાણા બિલ સહિત 45 વિધેયકો પસાર કરાયા છે. તેમાં જીએસટી સુધારા બિલ, કારખાનામાં કામના કલાક અંગેનું બિલ વગેરે સામેલ છે.
ગુજરાત પોલીસમાં વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ ભરતી:1328 અરજીઓ રદ્દ, 878 ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યાં!
રાજ્ય પોલીસ ભરતી પ્રક્રિયામાં ફરી એક વખત સખતાઈ જોવા મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વિવિધ પોસ્ટ માટે આવેલી કુલ 1328 અરજીઓ રદ્દ કરવામાં આવી છે. તેમાં ફી ન ભરવાના અને એકથી વધુ અરજી કરવાના કેસો મુખ્ય કારણ તરીકે સામે આવ્યા છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ 450 અરજીઓ ફી ન ભરવાના કારણે રદ્દ કરવામાં આવી છે, જ્યારે 878 અરજીઓ એકથી વધુ ફોર્મ ભરવાના કારણે નામંજૂર કરવામાં આવી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનુસાર કામગીરી જળવાઈ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફી ભર્યા વગરની અરજીઓનું વર્ગીકરણ: ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેક્નિકલ ઓપરેટર માટે સૌથી વધુ અરજીઓ રદ્દ થઈ છે, જે દર્શાવે છે કે ઉમેદવારોમાં આ પોસ્ટ માટે ભારે સ્પર્ધા છે. ભરતી બોર્ડે ઉમેદવારોને સૂચના આપી છે કે, તેઓ અરજી કરતા પહેલા તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચે અને નિયમોનું પાલન કરે. આગામી તબક્કાની પરીક્ષા માટે માન્ય અરજીઓ જ સ્વીકારવામાં આવશે.
આગામી વેલેન્ટાઈન ડેને લઈને યુવાનોમાં ભરપૂર ઉત્સાહ છે, હાલમાં એક પછી એક ડે ચાલી રહ્યા છે ત્યારે યુવાધન આ દિવસોને ઉત્સવની જેમ ઊજવી રહ્યું છે અને પોતાના મનગમતા પાત્રને પોતાની લાગણીઓ જણાવીને તેને જીવનસાથી બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવે છે. જોકે, આ દિવસો અજાણતા જ યુવાનોને એક એવી માનસિક બીમારીનો શિકાર બનાવી દે છે કે, જેનાથી અમુક દર્દીઓ તો અજાણ હોય છે. જો આ બીમારીના લક્ષણોને ઓળખીને તેનો તાત્કાલિક ઈલાજ ન કરવામાં આવે તો તે તમારો વેલેન્ટાઈન ડે બગાડી શકે છે. વડોદરાની SSG હોસ્પિટલમાં આવેલી મેડિકલ કોલેજના માનસિક રોગ વિભાગના એસો.પ્રોફેસર તરીકે ડૉ. ચિરાગ બારોટે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી વેલેન્ટાઈન વીકમાં યુવાઓમાં જોવા મળતી એક માનસિક બીમારી વિશે જણાવ્યું. આ બીમારીનું નામ છે સોશિયલ ફોબિયા. એકાએક બેચેની અને તણાવનો અનુભવ થવા લાગે છેડૉક્ટરે આ બીમારીની ગંભીરતા સમજાવતા કહ્યું કે, જે કોઈ યુવક-યુવતી આ બીમારીથી પીડિત હોય તે પોતાની વાત અન્ય કોઈ વ્યક્તિની સામે કહી શકતો નથી. એકાએક તેને બેચેની અને તણાવનો અનુભવ થવા લાગે છે, જેના કારણે તેને પરસેવો વળી જાય છે. પોતાની વાત કહેવા માટે તે અંદર ન અંદર ઘૂંટાયા રાખે છે અને પરિણામે તણાવમાં અણધાર્યું પગલું લેવા માટે પણ પ્રેરાય છે. બે-ત્રણ વ્યક્તિ સાથે બેઠેલા હોય ત્યારે મારી જીભ સીવાય જાય છેઆ બીમારીને વધુ સારી રીતે સમજાવવા માટે તે પોતાની હોસ્પિટલમાં આવેલા એક દર્દીનો કિસ્સો શેર કરતાં જણાવે છે કે, અમારા વિભાગમાં હાલ થોડા દિવસો પહેલા એક યુવક દર્દી આવ્યો. તેણે આવીને મને કહ્યું કે, મને સોશિયલ એન્કઝાઇટી રહે છે એટલે કે બે-ત્રણ વ્યક્તિ સાથે બેઠેલા હોય ત્યારે કંઈ પણ વાત કરવી તેના માટે મુશ્કેલ બની જાય છે. મારી જીભ સીવાય જાય છે, હું જે કહેવા માગુ છુ તે કહી નથી શકતો. કોઈ એવું ડ્રગ આપો ને કે હું નીડરતાથી મારી વાત શેર કરી શકુ. મારી જાતને એક્સપ્રેસ કરી શકુ. મારા મનમાં જે છે એ હું કહી શકુ. સામેની વ્યક્તિને સમજી શકુ. સોશિયલ એન્કઝાઇટી વેલેન્ટાઈન ડે માટે વિઘ્નડૉક્ટરે કહ્યું- તેની વાતો થોડીવાર સાંભળ્યા બાદ એવું અનુમાન નીકળ્યું કે, તે તેની કોઈ મિત્રને આ વેલેન્ટાઈન ડે પર પ્રપોઝ કરવા માગે છે પણ તે વાત કરવા માટે ખૂબ જ ગભરાય છે. સોશિયલ એન્કઝાઇટીના કારણે તે પોતાની ફિલિંગ્સ શેર ન કરી શકે, આ બીમારી તેની લાગણીઓને વ્યક્ત કરવામાં નડતરરુપ બની શકે છે. આ કારણોસર તે પોતાની આ બીમારી સામે લડવા માટે અને તેને દૂર કરવા માટે તે મારી મદદ માટે હોસ્પિટલ આવ્યો હતો. સોશિયલ ફોબિયાના અઠવાડિયામાં પાંચ-છ દર્દીઓ લે છે હોસ્પિટલની મુલાકાતઆગામી દિવસોમાં વેલેન્ટાઈન આવે છે ત્યારે આવા સમયે યુવાઓમાં સોશિયલ એંગ્ઝાઇટીનું હાવી થવું સામાન્ય છે. આ એક કોમન બીમારી છે તેને આપણે સોશિયલ ફોબિયા પણ કહીએ છીએ. આવા કિસ્સામાં યુવકો અહીંયા આવે તે પહેલા ક્યારેક અંદર-અંદર આ બાબતનું નિરાકરણ સાહજિકતાથી લાવી દેતા હોય છે. આવા ઘણા દર્દીઓ અમારી પાસે આવતા હોય છે. જેમાં રોજિંદા જીવનમાં લોકો સાથે કામ કરવાનું હોય, લેક્ચર આપવાનું હોય,પ્રેઝન્ટેશન અને ખાસ કરીને અઠવાડિયાના પાંચ-છ દર્દીઓ એવરેજ માટે ત્યાં આવતા હોય છે. 'તું તારા પેરેન્ટ્સને બોલાવીને આવ'પોતાની વાતને આગળ વધારતાં ડૉક્ટરે કહ્યું કે, જ્યારે પણ આવો કોઈ એકલો યુવક કે યુવતી આવે ત્યારે અમારી પ્રાથમિકતા એ જ હોય છે કે, તું તારા પેરેન્ટ્સને બોલાવીને આવ કારણ કે, માતા-પિતાને પણ ખબર હોવી જોઈએ કે, મારા દીકરા કે દીકરીને આ પ્રકારની સમસ્યા છે. તો એ લોકો પણ ઘરે એ સમસ્યા પર કામ કરી શકે એટલે સૌથી પ્રથમ અમે એ જ કહેતા હોઈએ છીએ કે, તું તારા ઘરમાં જેની જોડે રહેતો હોય તેઓને લઈને આવ જેથી અમને વધારે ખબર પડે અને અમે પણ એમને જણાવી શકીએ કે તમારા દીકરા કે દીકરીને આ પ્રકારની તકલીફ છે, તો એ આગળ જતાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. બધા મિત્રો એકબીજાને ગિફ્ટ આપશે અને તેનું શું થશે?આ સાથે જ અન્ય એક કિસ્સો શેર કરતા ડૉ. ચિરાગે જણાવ્યું કે, લગભગ 10 દિવસ પહેલાં એક યુવતી તેમની પાસે આવી હતી. વેલેન્ટાઈન વીક શરૂ થવાની શરૂઆતમાં તે ખૂબ જ બેચેન હતી. તેના ગાલ પર પિંપલ્સની સમસ્યા વધુ હોવાને કારણે તેને લાગતું હતું કે, તે સારી દેખાતી નથી અને અન્ય છોકરીઓની તુલનામાં તે ઓછી આકર્ષક લાગે છે. તેણે ચિંતા વ્યક્ત કરી હતી કે, મારા મિત્ર મારી સાથે વાત જ નહીં કરે. આ સ્થિતિમાં તેને ડિપ્રેશન, વારંવાર નકારાત્મક વિચારો અને ભારે એંગ્ઝાઇટીનો અનુભવ થતો હતો. વેલેન્ટાઈન ડે નજીક આવતાં તેને એવું લાગતું હતું કે, બધા મિત્રો એકબીજાને ગિફ્ટ આપશે અને તેનું શું થશે તે વિચારે તે બેચેન રહેતી હતી. આ બધાને કારણે તેનું ભણવામાં ધ્યાન જતું ન હતું, માતા-પિતા પર અવારનવાર ગુસ્સો કરતી હતી અને ભૂખ પણ ઓછી લાગતી હતી. આવી સ્થિતિમાં તેને કાઉન્સેલિંગ કરીને યોગ્ય દવાઓ આપવામાં આવી છે. ભારતમાં 65 લાખથી વધુ લોકો સોશિયલ એંગ્ઝાઇટી ડિસઓર્ડર થી પીડાય છેરાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સર્વે (NMHS), 2016 મુજબ, ભારતમાં 65 લાખથી વધુ લોકો સોશિયલ એંગ્ઝાઇટી ડિસઓર્ડર (SAD) થી પીડાય છે. રિપોર્ટ અનુસાર, મહિલાઓ કરતાં પુરુષોમાં આ જોખમ વધુ છે. જોકે, ભારતમાં આ અંગે હજુ વધુ અભ્યાસની જરૂર છે. આ ઉત્સવનો માહોલ અમુક યુવાઓ માટે પ્રેમ વ્યક્ત કરવાની તકને બદલે ભય અને બેચેનીનું કારણ પણ બની રહ્યો છે ત્યારે જો તમે પણ જો સોશિયલ ફોબિયાથી પીડાઈ રહ્યા હો તો તાત્કાલિક તમારા માતા-પિતા, મિત્રો કે ડૉક્ટરનો સંપર્ક કરો અને યોગ્ય ઈલાજ કરાવો. સોશિયલ એંગ્ઝાઇટીની સારવારસોશિયલ એંગ્ઝાઇટી ઘણીવાર ખૂબ જ સામાન્ય સ્થિતિ માનવામાં આવે છે, પરંતુ તે પડકારજનક હોઈ શકે છે. જોકે, યોગ્ય સારવાર, સકારાત્મક વિચારસરણી અને નિયમિત કસરત દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. આ માટે, તમારામાં વિશ્વાસ રાખો અને યાદ રાખો કે દરેક નાની સફળતા એક મોટી જીત છે. જો તમને લાગે કે તમે તેને જાતે મેનેજ કરી શકતા નથી, તો તમે પ્રોફેશનલની મદદ પણ લઈ શકો છો. પ્રોફેશનલ્સ આ માટે કેટલીક ઉપચાર પદ્ધતિઓ તમને જણાવી શકે છે. તે સોશિયલ એંગ્ઝાઇટીનાં લક્ષણો ઘટાડી શકે છે. નીચેના મુદ્દાઓથી આ બાબત સમજો- કોગ્નિટિવ બિહેવિયરલ થેરેપી (CBT)આ ઉપચાર વ્યક્તિને નકારાત્મક માન્યતાઓને ઓળખવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે. આ મેન્ટલ હેલ્થ પ્રોફેશન્લ્સ દ્વારા આપવામાં આવતી ટોક થેરાપી છે. આમાં, વ્યક્તિને સકારાત્મક રહેવાનું શીખવવામાં આવે છે. એક્સપોઝર થેરાપીઆ એક મનોવૈજ્ઞાનિક ઉપચાર પણ છે. આમાં, વ્યક્તિને ધીમે ધીમે તે સામાજિક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેનો તે ડર રાખે છે. આ થેરેપી ભય ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. રેલેક્સેશન થેરાપીતમે આ ઉપચાર જાતે પણ લઈ શકો છો. આમાં, જ્યારે કોઈ વ્યક્તિ સામાજિક ચિંતાની પરિસ્થિતિમાં નર્વસ અનુભવે છે ત્યારે ઊંડા અથવા લાંબા શ્વાસ લેવા પડે છે. ઊંડા શ્વાસ લેવાથી મન શાંત થાય છે. આ ચિંતા ઘટાડે છે. મેડિસિનલ થેરાપીઆમાં, મનોચિકિત્સક દર્દીની સ્થિતિના આધારે કેટલીક દવાઓ આપે છે. આ દવાઓ સોશિયલ એંગ્ઝાઇટી લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત, સોશિયલ એંગ્ઝાઇટીનાં લક્ષણો ઘટાડવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો પણ જરૂરી છે. જેમ કે-
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી પરીણિતાને તેમની દીકરીને કેનેડો ખાતે ભણાવવાની લાલચ આપીને તેની દુષ્કર્મ આચર્યું હતું. જેમાં અન્ય આરોપીઓ તેનો વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ બ્લેક મેલ કરીને ફરી દુષ્કર્મ ગુજારવા સાથે તેમની દીકરી સાથે શારીરિક અડપલા કરાયાં હતા હોવાના આક્ષેપ કરાયાં છે. જો કરેલા કોર્ટ કેસ પાછા નહી ખેંચે તો વીડિયો વાઇરલ કરી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ પૈકી એકની ધરપકડ કરી અન્યની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આર વી દેસાઇ રોડ પર પરીણીતાને જ્યોત્સના બાહુબલ શાહ, મેહુલ શાહ, કાજલ જલ્પેશ શાહ, ચૈતાલી મેહુલ શાહ, હિમેશ કહાર ઘર જેવા સંબંધ હતા. જેથી તેઓ એકબીજાના ઘરે અવર જવર કરતા હતા. જેના કારણે તેમના સંબંધ ઘણા ઘાઢ થઇ ગયાં હતા. દરમિયાન જ્યોત્સના શાહ યુવતીને પોતાના દીકરાની વહુ બનાવવા માટે માંગતી હતી. જેથી વારંવાર આ બાબતે યુવતીને કહ્યું હતું. ત્યારબાદ યુવતીની દીકરીને કેનેડા ખાતે ભણાવવા માટેની લાલચ આપીને મહુલ શાહે પ્રથમવાર વર્ષ 2022માં યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યાં હતા. જ્યારે અન્ય આરોપીઓ દ્વારા છુપા કેમેરાથી તેમનો વીડિયો ઉતારી લીધી હતો. ત્યારબાદ આરોપીઓએ યુવતીને બ્લેક મેલ કરવાની શરૂઆત કરી હતી. જેમાં આરોપીઓ પૈકીના જલ્પેશ શાહ વર્ષ 2025માં યુવતીને તેના ઘરે લઇને જઇને બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું અને યુવતીને દીકરી સાથે પણ શારીરિક અપડલા કર્યાનો ભોગ બનનારે આક્ષેપ કર્યો છે. આરોપીઓ રૂપિયા લેતીદેતી મામલે જે કોર્ટમાં ચાલતા કેસો પાછા લેવા માટે ધમકી આપી હતી. જો કેસ પાછા નહી ખેચી લે તો તારો વીડિયો વાઇરલ કરી નાખશે તેવી ધમકી પણ આપવામાં આવી છે. જેથી યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં જ્યોત્સના બાહુબલ શાહ, મેહુલ શાહ, કાજલ જલ્પેશ શાહ, ચૈતાલી મેહુલ શાહ, હિમેશ કહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓ પૈકીના હિમેશ કહારની ધરપકડ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યના જુદા-જુદા વર્તમાનપત્રો/ડિજિટલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રસિદ્ધ થયેલ “સરકાર હવે શિક્ષક પાસે રખડતા કૂતરા પણ ગણાવશે” શીર્ષકવાળા સમાચાર અંગે શિક્ષણ વિભાગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશના પરિપ્રેક્ષ્યમાં માત્ર વિદ્યાર્થીઓ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાની સૂચના આપવામાં આવી છે, કૂતરાઓને ‘ગણવા’ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા સંસ્થાકીય વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, રમતગમત સંકુલો, બસ સ્ટેન્ડ/ડેપો અને રેલવે સ્ટેશનોમાં કૂતરાના હુમલાના વધતા બનાવોને ધ્યાનમાં લઈ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં પરિસરમાં ફેન્સિંગ, બાઉન્ડરી વોલ, ગેટ્સ જેવી સુવિધાઓ ઊભી કરી રખડતા કૂતરાઓના પ્રવેશને અટકાવવા અને એક નોડલ અધિકારી નિયુક્ત કરવાની બાબતનો સમાવેશ થાય છે. Animal Welfare Board of India ને પણ બે અઠવાડિયામાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેથી સમગ્ર દેશમાં એકસરખી માર્ગદર્શિકા અમલમાં આવે. શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોર્ટના આદેશ મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને તે માટે માળખાકીય તેમજ વહીવટી પગલાં લેવામાં આવશે. ભ્રામક અર્થઘટનથી ગેરસમજ ફેલાય નહીં તે માટે વિભાગે અપીલ કરી છે.
વડોદરા જિલ્લાના સાવલી ખાતે નવનિર્મિત એસ.ટી. ડેપોનું લોકાર્પણ આજે રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કેતન ઇનામદારે જાહેર મંચ પરથી પોતાની રજૂઆતની શૈલી અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મારા મતદારો માટે મારી માંગણીની શૈલી અલગ હોઈ શકે છે, પરંતુ મારો ઈરાદો ક્યારેય ખરાબ નહોતો. તેમણે વિકાસના કાર્યો અને સરકારની કામગીરી પર ભાર મૂકતાં જણાવ્યું કે, સ્વામીજીની અસીમ કૃપા અને વિસ્તારના નાગરિકોના સતત આશીર્વાદને કારણે જ સાવલીમાં પાયાની સુવિધાઓ અને વિકાસના કામો શક્ય બન્યા છે. મારી પ્રજાના હિત માટે હું ક્યારેય સમાધાન કરી શકતો નથીકાર્યક્રમમાં ધારાસભ્ય કેતન ઇનામદારે છેલ્લા 13 વર્ષના શાસનકાળ દરમિયાન સાવલી બેઠક પર થયેલા પરિવર્તનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર સાડા છ કરોડ જનતાની ચિંતા કરતી સરકાર છે અને તે જ ભાવના સાથે અહીંના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમણે ભાજપ સરકારનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું કે, જ્યારે વિસ્તારના વિકાસની વાત આવે ત્યારે સમાધાનને કોઈ સ્થાન નથી. મારી પ્રજાના હિત માટે હું ક્યારેય સમાધાન કરી શકતો નથી અને કદાચ એ જ મારો વીક પોઈન્ટ છે. સાવલીના વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશેનવનિર્મિત એસ.ટી. ડેપોના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યએ સાવલીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ખાતરી આપી હતી કે, આવનારા સમયમાં પણ સાવલીના વિકાસ માટે તેઓ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો અને પદાધિકારીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ નવા ડેપોના નિર્માણથી સાવલી અને આસપાસના વિસ્તારોમાં એસ.ટી. સેવાઓ વધુ સુગમ અને વ્યવસ્થિત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈસ્કૂલની અંડર-17 (U-17) બહેનોની ટીમે ખેલ મહાકુંભ 2025ની રાજ્યકક્ષાની સેપક ટકરાવ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને ચેમ્પિયનશિપ મેળવી છે. આ સ્પર્ધા 8 અને 9 ફેબ્રુઆરીના રોજ મહેસાણાના પાંચોટ ખાતે યોજાઈ હતી. મહેસાણાના સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ (ઇન્ડોર હોલ) ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં, બી.એમ. કોમર્સ હાઈસ્કૂલની ટીમે સેપક ટકરાવ (રેગુ) અને સેપક ટકરાવ (ક્વોર્ડ) બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સેપક ટકરાવ (રેગુ) સ્પર્ધામાં સોલંકી દિયા, ચૌહાણ સુહાની અને દિહોરા શ્રદ્ધાએ ભાગ લીધો હતો. જ્યારે સેપક ટકરાવ (ક્વોર્ડ) સ્પર્ધામાં સોલંકી ઋત્વા, રાઠોડ માહી, શિયાળ તેજસ્વી અને ગોહિલ આરુષિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટી જયભાઈ મોદી, પ્રમુખ જાનકીબેન મોદી, આચાર્ય અરવિંદભાઈ સોલંકી અને કોચ ધર્મવીર સિંહ જાડેજાએ વિજેતા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
કચ્છમાં રમતગમતનો મેગા પ્રોજેક્ટ:અદાણી ગ્રુપ કોટેશ્વરમાં ઊભી કરશે સ્પોર્ટ્સ યુનિવર્સિટી
ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે મોટું રોકાણ થવા જઈ રહ્યું છે. Adani Group દ્વારા કચ્છ જિલ્લાના કોટેશ્વર ખાતે વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ યુનિવર્સિટી સ્થાપવાની યોજના પર કામ શરૂ કરાયું છે. આ સંદર્ભે રાજેશ અદાણી એ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે માટેના આયોજન પર વિચારણાઆ બેઠકમાં રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. પ્રાથમિક ચર્ચામાં યુનિવર્સિટી માટે જરૂરી જમીન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ સુવિધાઓ અને રમતવીરોને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળે તે માટેના આયોજન પર વિચારણા કરવામાં આવી. ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સશક્ત પ્લેટફોર્મ મળશેમળતી માહિતી મુજબ, પ્રસ્તાવિત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં વિવિધ રમતો માટે ખાસ અકાદમી, હાઇ-પરફોર્મન્સ સેન્ટર, સ્પોર્ટ્સ સાયન્સ અને રિસર્ચ સુવિધા, તેમજ ખેલાડીઓ માટે રહેઠાણ અને ટ્રેનિંગ કેમ્પસ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સશક્ત પ્લેટફોર્મ મળશે. રાજ્ય સરકાર અને અદાણી ગ્રુપ વચ્ચેની આ પહેલને કારણે કચ્છમાં રોજગારીની નવી તકો ઊભી થવાની સાથે રમતગમત ક્ષેત્રે ગુજરાતની ઓળખ વધુ મજબૂત બનશે.
સુરતના કુખ્યાત લેન્ડગ્રેબર વિનુ માલવિયા ફરી એકવાર કાયદાના સકંજામાં આવ્યો છે. વેસુ વિસ્તારની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવાના હીન કાવતરા બદલ સ્પેશિયલ ઇકોનોમિક સેલે તેની ધરપકડ કરી છે. વિનુ માલવિયા કોઈ સામાન્ય ગુનેગાર નથી, તેની વિરુદ્ધ અગાઉ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં જમીન પચાવી પાડવા અને બોગસ દસ્તાવેજો ઉભા કરવાના કુલ 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર જેલની હવા ખાધા હોવા છતાં તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલુ રહેતા પોલીસે આ વખતે વેસુની જમીન મામલે કડક હાથે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે. વેસુની કિંમતી જમીન હડપવાનું કાવતરું કર્યુંવેસુ ગામના બ્લોક/સર્વે નંબર 311/2 વાળી અંદાજે 16,200 ચોરસ મીટર જમીન, જે હાલ 'શ્રી સોમ રિયાલિટી' નામે ભાગીદારી પેઢીની માલિકીની છે, તેને પચાવી પાડવા માટે આરોપી વિનુ માલવિયા અને પ્રતુલ પટેલે મોટું ષડયંત્ર રચ્યું હતું. ફરિયાદી રાજેશકુમાર પટેલના જણાવ્યા અનુસાર, આરોપીઓએ સરકારી રેકોર્ડ અને ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ કરી જમીન પચાવવા માટે અનેક બનાવટી પુરાવાઓ તૈયાર કર્યા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવીને બોગસ લખાણો કર્યા હતાઆ વિવાદિત જમીન મૂળ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીનના અધિનિયમની કલમ 43 હેઠળ નવી શરતની હતી. કાયદેસર રીતે આવી જમીનના કોઈપણ સાટાખત કે વેચાણ કલેક્ટરની મંજૂરી વિના થઈ શકતા નથી. તેમ છતાં, આરોપી પ્રતુલ પટેલ અને વિનુ માલવિયાએ વર્ષ 2001ની જૂની તારીખના સ્ટેમ્પ પેપર મેળવી તેના પર બોગસ લખાણો કર્યા હતા. ફરિયાદીએ આ જમીન સરકારમાં પ્રીમિયમ ભરીને જૂની શરતમાં ફેરવી હોવા છતાં, આરોપીઓએ જમીન હડપવા માટે ખોટા સાટાખતોનો સહારો લીધો હતો. મૂળ જમીન માલિકોની બોગસ સહીઓ કરીઆરોપીઓએ સ્ટેમ્પ વેન્ડર પાસેથી મેળવેલા સ્ટેમ્પ નંબર 5062 વાળા એક જ સ્ટેમ્પ પેપર પર બે અલગ-અલગ તારીખના (16/08/2001 અને 26/05/2001) સાટાખત બનાવીને પોલીસ અને કોર્ટને ગેરમાર્ગે દોર્યા હતા. આ દસ્તાવેજોમાં મૂળ જમીન માલિકોની બોગસ સહીઓ કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક પક્ષકારોની સહીઓ કોરા કાગળ પર મેળવી તેના પર પાછળથી લખાણ પ્રિન્ટ કરવામાં આવ્યું હતું. વિનુ માલવિયાની આ મોડસ ઓપરેન્ડી અનેક જૂના કેસોમાં પણ જોવા મળી છે. સિવિલ કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કર્યાઆરોપીઓએ માત્ર બનાવટી દસ્તાવેજો જ નહોતા બનાવ્યા, પરંતુ સિવિલ કોર્ટમાં ચાલી રહેલા કેસોમાં પણ ખોટા સોગંદનામા અને પુરાવા રજૂ કર્યા હતા. જમીન પચાવવાના હેતુથી આરોપીઓએ કોર્ટમાં પક્ષકારોની ગેરહાજરીમાં બોગસ સમાધાન પુરસીસ રજૂ કરી હુકમનામું મેળવવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટ સાથે કરેલી આ ગંભીર છેતરપિંડી અને છેતરપીંડીના પુરાવાઓ ફરિયાદીએ રજૂ કરતા વિનુ માલવિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ મામલે સ્પેશિયલ સેલ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. સોમ રિયાલિટીની કાયદેસરની માલિકી અને અવેજફરિયાદીની પેઢી 'શ્રી સોમ રિયાલિટી' એ આ જમીન મૂળ માલિકો પાસેથી અંદાજે 33.66 કરોડ રૂપિયા ચૂકવીને કાયદેસરના રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીનનો પ્રત્યક્ષ કબજો પણ પેઢી પાસે જ છે. આમ છતાં, વિનુ માલવિયાએ માત્ર 6 લાખ રૂપિયાના નજીવા અવેજવાળા અને નોટરી વગરના સાટાખત ઉભા કરીને કરોડોની આ જમીન પર દાવો માંડ્યો હતો. આરોપીઓએ રમેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી જૂનો સ્ટેમ્પ મેળવીને વધુ એક બોગસ દસ્તાવેજ ઉભો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના લેન્ડગ્રેબર વિનુ માલવિયાની ધરપકડવિનુ માલવિયાની છાપ સુરત શહેરમાં એક માથાભારે લેન્ડગ્રેબર તરીકેની છે. જમીન પચાવી પાડવા માટે કોઈપણ હદ સુધી જવાની તેની વૃત્તિને કારણે શહેરના જમીન કારોબારીઓમાં તેનો ફફડાટ જોવા મળતો હતો. 12 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવા છતાં તે છટકબારીઓ શોધવામાં માહેર હતો, પરંતુ વેસુ જમીન કૌભાંડમાં મજબૂત પુરાવાઓ મળતા પોલીસે તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કાર્યવાહીથી જમીન માફિયાઓમાં સ્પષ્ટ સંદેશ ગયો છે. સ્પેશિયલ ઇકોનોમિક સેલ આગામી તપાસ કરશેહાલમાં વિનુ માલવિયાની ધરપકડ બાદ પોલીસ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી રહી છે. તપાસ દરમિયાન આ કૌભાંડમાં કયા કયા સફેદ કોલર લોકો સામેલ છે તેની વિગતો પણ બહાર આવી શકે છે. સ્ટેમ્પ વેન્ડર અને નોટરીની ભૂમિકાની પણ ઝીણવટભરી તપાસ થઈ રહી છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ જમીન માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે, જેના ભાગરૂપે આગામી દિવસોમાં વધુ ધરપકડો થવાની પણ શક્યતા છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે 66 જેટલા નવા ગાર્ડન બનાવવામાં આવશે. આગામી બે વર્ષમાં નવા ગાર્ડન બનીને તૈયાર થઈ જશે જેના માટેનું આયોજન અત્યારથી કરી દેવામાં આવ્યું છે. 23 ગાર્ડનોની મંજૂરી મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપી દેવામાં આવી છે. જેમાં 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. શહેરના પર્યાવરણને સુધારવા અને નાગરિકોને મનોરંજનના સ્થળો પૂરા પાડવા માટે એક મહત્વાકાંક્ષી આયોજન હાથધરાયું છે. 66.16 કરોડના ખર્ચે 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા રિક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, શહેરમાં નવા ગાર્ડન બનાવવામાં આવી રહ્યા છે. કુલ 471407 ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ગ્રીન કવર વધારવા ગાર્ડન વિભાગે પ્રાથમિક તબક્કે રૂપિયા 66.16 કરોડના ખર્ચે તૈયાર થનારા 15 ગાર્ડન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં વસ્ત્રાલમાં અને નિકોલમાં 'વીર શહીદ ઋષિકેશ રામાણી ગાર્ડન મુખ્ય આકર્ષણ બનશે. આ ઉપરાંત ચાંદલોડિયા, બાપુનગર, બોડકદેવ, ઘાટલોડિયા, ઈસનપુર, અસારવા અને ખાડિયા જેવા વિસ્તારોમાં પણ અદ્યતન સુવિધાઓ ધરાવતા ગાર્ડન બનશે. 32 રસ્તાઓ 'થીમેટિક રોડ' તરીકે વિકસાવાશેઆ ઉપરાંત શહેરમાં 32 રસ્તાઓને 'થીમેટિક રોડ' તરીકે વિકસાવાશે. સિંધુ ભવન રોડ, સાયન્સ સિટી રોડ અને એસ.જી. હાઈવે જેવા રસ્તાઓ પર ખાસ પ્રકારના ફુલ-છોડ અને વૃક્ષો જેમ કે ટેબુબિયા રોઝા અને ગુલમોહર લગાવીને તેને સુંદર બનાવવામાં આવશે. વધુમાં, શહેરના 27 તળાવોને પણ લેક ફ્રન્ટ તરીકે વિકસાવી ત્યાં ગાર્ડન વિભાગ દ્વારા પ્લાન્ટેશન કરવામાં આવશે. મેટ્રો રેલના પિલર નીચે પણ હરિયાળી જળવાઈ રહે તે માટે સ્પાઈડરલીલી, પાન્ડાંનસ અને સ્નેક પ્લાન્ટ જેવા વિવિધ છોડ લગાવવાની કામગીરીના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી છે. વૃક્ષો વાવવાની જાહેરાત અને કરોડો રૂપિયાનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ગ્રીન કવર વધારવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાની જાહેરાત અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જોકે શહેરમાં ફૂટપાથ બનાવવામાં ઇજનેર વિભાગ હયાત વૃક્ષોને જ સીમેન્ટ કોંક્રીટમાં ચણી લઇ તેને નુકસાન થાય તેવી સ્થિતિ નિર્માણ હોવા અંગેની રજૂઆત રીક્રિએશનલ કમિટીમાં કરવામાં આવી હતી. ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ મામલે સબંધીત ઝોનના અધિકારીઓને પણ સુચના આપવા આવી છે. 'ઝાડના થડને સીમેન્ટ કોંક્રીટથી જડી દેવાતાં વિકાસ અટકી જાય'ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છે. કેટલીક જગ્યાએ ફુટપાથમાં નીચે સીમેન્ટ કોંક્રીટ પાથરવામાં આવે છે. જેને કારણે ઝાડના થડને પણ સજ્જડ રીતે આ સીમેન્ટ કોંક્રીટથી જડી દેવામાં આવે છે. જેને કારણે ઝાડનો વિકાસ અટકી જાય છે. આ સ્થિતિ નિરાકરણ માટે તેમજ ફુટપાથ બનાવતા કોઇપણ ઝાડની આસપાસ ચોક્કસ ગોળાકારમાં જગ્યા રાખવા માટે સુચના આપવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ (STP)ના કામોમાં 'મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટ' (MTD) ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ આદેશના પગલે સુરત મહાનગરપાલિકાએ ત્વરિત નિર્ણય લેતા સરથાણા અને કનકપુર-કનસાડ વિસ્તારના અંદાજે ₹520 કરોડના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટના ટેન્ડરો દફતરે ( રદ) કર્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે આ બંને પ્રોજેક્ટ માટે સરકારના નવા નિર્ધારિત માળખા મુજબ નવેસરથી ટેન્ડર મંગાવવામાં આવશે, જેનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયામાં વધુ સ્પષ્ટતા લાવવાનો છે. શું છે 'મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટ' અને તેની વિશેષતા?ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મોડેલ ટેન્ડર ડોક્યુમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરની માર્ગદર્શિકા અને અન્ય પ્રગતિશીલ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓનો સમન્વય કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) અને DBO (ડિઝાઇન, બિલ્ડ એન્ડ ઓપરેટ) મોડેલ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ નવી પદ્ધતિ 'ઓપન ટેકનોલોજી' પર આધારિત છે, જેનાથી ટેન્ડર પ્રક્રિયામાં માત્ર સ્થાનિક નહીં પણ રાષ્ટ્રીય સ્તરની એજન્સીઓ વચ્ચે સ્પર્ધા વધશે અને પ્રોજેક્ટની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. એકરૂપતા અને પારદર્શિતા લાવવાનો મુખ્ય ઉદ્દેશ્યઅત્યાર સુધી અલગ-અલગ શહેરોમાં STP પ્રોજેક્ટ માટે ટેન્ડરની શરતો અને ટેકનિકલ માપદંડો અલગ-અલગ રહેતા હતા, જેના કારણે ઘણીવાર વિવાદો અને વિલંબ થતો હતો. સરકારના આ નવા અભિગમથી સમગ્ર રાજ્યમાં STP પ્રોજેક્ટ્સની કામગીરીમાં એકરૂપતા આવશે. આ સમાન ટેન્ડર પ્રક્રિયાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે અને પ્રોજેક્ટના અમલીકરણમાં પારદર્શિતા આવશે. જો કોઈ સ્થાનિક સંસ્થાએ વિશેષ જરૂરિયાત મુજબ કોઈ શરત ઉમેરવી હોય, તો તેના માટે હવે ટેકનિકલ સમિતિની ચકાસણી અને ઉચ્ચ સત્તાધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે. શહેરી વિકાસને મળશે નવી ગતિનવા મોડેલ મુજબ ટેન્ડર પ્રક્રિયા થવાથી પ્રોજેક્ટના ખર્ચમાં કાર્યક્ષમતા આવશે અને મૂલ્ય આધારિત પરિણામો મળશે. સુરતના સરથાણા અને કનકપુર-કનસાડ જેવા વિસ્તારો માટે આ STP પ્લાન્ટ અત્યંત મહત્વના છે, કારણ કે તે વધતી જતી વસ્તીની ગટર વ્યવસ્થાના વ્યવસ્થાપનમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સરકારના આ નિર્ણયથી ભવિષ્યમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં સુએજ ટ્રીટમેન્ટની કામગીરી ઝડપી બનશે અને પર્યાવરણીય સુરક્ષા સાથે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે.
જૂનાગઢ શહેરની મધ્યમાં નવનિર્મિત અને ભવ્ય શ્રી નરસિંહ મહેતા સરોવરનું તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સરોવરને પ્રવાસીઓ અને શહેરની જનતા માટે આધુનિક સુવિધાઓ સાથે ખુલ્લું મૂક્યા બાદ, તેની જાળવણી અને સુરક્ષા માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પ્રવેશ ફી, સમય પત્રક અને દંડની નવી જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે. દર સોમવારે મેઈન્ટેનન્સ માટે સરોવર પ્રવાસીઓ માટે બંધ રહેશેસરોવરની મુલાકાત માટે તંત્ર દ્વારા બે શિફ્ટ નક્કી કરવામાં આવી છે. પ્રથમ શિફ્ટ સવારે 06:00થી બપોરે 12:00 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 03:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી રહેશે. દર સોમવારે મેઈન્ટેનન્સ માટે સરોવર પ્રવાસીઓ માટે બંધ રહેશે પરંતુ, સવારના વોકર્સ માટે સવારે 06:00થી 08:00ના સમયમાં પ્રવેશની છૂટ આપવામાં આવી છે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગો માટે મફત એન્ટ્રીપ્રવેશ ફીના નવા દરો મુજબ 12 વર્ષથી વધુ ઉંમરના તમામ મુલાકાતીઓ માટે ₹20/- (GST અલગથી) ટિકિટ નક્કી કરવામાં આવી છે. 5 વર્ષ સુધીના બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, વહેલી સવારે 06:00થી 08:00 દરમિયાન મોર્નિંગ વોક માટે આવતા તમામ નાગરિકો મફતમાં પ્રવેશ મેળવી શકશે. ગંદકી કરનારાઓ પાસેથી 5 હજાર સુધીનો દંડ વસૂલાશેસરોવરની સુંદરતા અને શિસ્ત જાળવવા માટે મહાનગરપાલિકાએ દંડની કડક જોગવાઈ કરી છે. જો કોઈ મુલાકાતી હથિયાર કે છરી જેવી પ્રતિબંધિત વસ્તુઓ સાથે પકડાશે, તો તેને ₹5000નો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા, ગંદકી ફેલાવવા, પાન-માવા ખાઈને થૂંકવા કે ધૂમ્રપાન કરવા બદલ ₹1000ના દંડની વસૂલાત કરવામાં આવશે. દંડ ઉપરાંત પોલીસ કાર્યવાહી પણ હાથ ધરાશેતંત્ર દ્વારા સરોવરની ઇકોસિસ્ટમ અને મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. બગીચાના છોડ, લાઈટિંગ કે અન્ય સાધનોને નુકસાન કરવા પર તેમજ પરવાનગી વગર તળાવના પાણીમાં ઉતરવા બદલ ₹1000નો દંડ નક્કી કરાયો છે. નશાકારક પદાર્થોનું સેવન કરનાર સામે દંડ ઉપરાંત કાયદેસરની પોલીસ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાના પબ્લિક રિલેશન ઓફિસર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, શહેરના આ નજરાણા સમાન સરોવરને સ્વચ્છ રાખવામાં સહકાર આપે. આ નિયમોનું પાલન કરીને જનતા સરોવરની સુંદરતા લાંબા સમય સુધી જાળવી શકશે.
સુરતના કતારગામ વિસ્તારમાં નવનિર્મિત અને અત્યાધુનિક ભારત રત્ન અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમના વપરાશ માટેના ભાડાના દરો પર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ અંતિમ મહોર મારી દીધી છે. 876 બેઠકોની વિશાળ ક્ષમતા ધરાવતા આ ઓડિટોરિયમ માટે શહેરના નાગરિકો અને વ્યાવસાયિક એકમોની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અલગ-અલગ કેટેગરીમાં ભાડાના માળખાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે સ્થાનિક સ્તરે મોટા સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે આધુનિક પ્લેટફોર્મ ઉપલબ્ધ થશે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટેના રાહતદરોસ્થાયી સમિતિ દ્વારા નક્કી કરાયેલા દર મુજબ, સુરત પાલિકાની હદમાં વસતા રહીશો માટે ટિકિટ વગરની ધાર્મિક સભા, મીટિંગ કે પ્રવચન માટે કુલ ₹60,800 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જો કોઈ આયોજક નાટક, ભજન, લોક ડાયરો કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા માંગતા હોય, તો તેમના માટે આ ખર્ચ અંદાજે ₹69,400 રહેશે. જોકે, પાલિકાની હદ બહારના આયોજકો માટે આ દરો થોડા વધુ એટલે કે ₹71,450થી ₹86,900 સુધી રાખવામાં આવ્યા છે. કોમર્શિયલ ઈવેન્ટ્સ અને સેમિનાર માટે પ્રીમિયમ ચાર્જવ્યાવસાયિક હેતુસર યોજાતા કાર્યક્રમો જેમ કે સેમિનાર, બિઝનેસ મીટિંગ્સ, શેરહોલ્ડર મીટિંગ કે ઓર્કેસ્ટ્રાના આયોજન માટે ₹86,900 નો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ જ કેટેગરીમાં પાલિકા હદ બહારના આયોજકોએ ₹1,07,900 ચૂકવવા પડશે. આ તમામ દરોમાં મૂળ ભાડું, એસી ચાર્જ અને ડિપોઝિટનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વીજળીનો વપરાશ મીટર રીડિંગ મુજબ અલગથી ચૂકવવાનો રહેશે અને નિયત સમય મર્યાદા બાદ વધારાના કલાકો માટે પ્રતિ કલાક ₹4,000 નો ચાર્જ વસૂલાશે. અત્યાધુનિક ટેકનોલોજી અને હાઈ-ટેક સુવિધાઓઆ ઓડિટોરિયમ માત્ર બેઠક વ્યવસ્થામાં જ નહીં પરંતુ ટેકનોલોજીમાં પણ હાઈ-ટેક છે. સ્ટેજ પર 13x30 ફૂટની વિશાળ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે, જેનો ઉપયોગ આયોજકો 3.5 કલાક માટે ₹15,000 ના ભાડે કરી શકશે. આ ઉપરાંત નાના ગ્રુપ મીટિંગ્સ માટે બે કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા પણ છે, જેનું ભાડું ₹4,000થી ₹5,000 ની વચ્ચે રાખવામાં આવ્યું છે. વાયર માઈક અને પોડિયમ જેવી પ્રાથમિક સુવિધાઓ નિઃશુલ્ક રહેશે, પરંતુ કોર્ડલેસ કે લેપલ માઈક માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. એડવાન્સ બુકિંગ માટે પ્રીમિયમ પોલિસીમોટા કાર્યક્રમોના આયોજકોને ધ્યાનમાં રાખીને પાલિકાએ એડવાન્સ બુકિંગની પોલિસી પણ જાહેર કરી છે. જો કોઈ આયોજક 3થી 4 મહિના અગાઉથી હોલ બુક કરાવવા માંગતા હોય, તો તેમણે નિયત ભાડા પર 25થી 50 ટકા સુધીનો વધારાનો પ્રીમિયમ ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમથી લોકપ્રિય તારીખો પર કાર્યક્રમોનું આયોજન કરવા માંગતા લોકો માટે અગાઉથી વ્યવસ્થા કરવાની સુવિધા મળશે. કતારગામ વિસ્તારના આ નજરાણા સમાન ઓડિટોરિયમથી શહેરની કલા-સાહિત્યિક પ્રવૃત્તિઓને નવું બળ મળશે.
સુરતની સેશન્સ કોર્ટે સમાજમાં સગીર બાળકીઓની સુરક્ષા અને વધતી જતી લૂંટફાટની ઘટનાઓ સામે લાલ આંખ કરી છે. શહેરમાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓ જેમાં એક તરફ રાંદેરમાં સગીર બાળકીઓ સાથે ઘરમાં ઘૂસીને થયેલી છેડછાડ અને બીજી તરફ કીમ વિસ્તારમાં થયેલી મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી હતી. બંને કેસમાં આરોપીઓની ગંભીરતા અને પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારીને ગુનેગારોમાં કાયદાનો ફફડાટ ફેલાવી દીધો છે. આરોપીએ સૂઈ રહેલી બાળકી સાથે અડપલાં કર્યા હતાપ્રથમ કિસ્સામાં, રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આલુપુરીનો ધંધો કરતી એક માતા પોતાની ત્રણ દીકરીઓને ઘરે મૂકીને કામ પર ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી રાફે ઉર્ફે સમીર સાહિદ સૈયદ ઘરમાં ઘૂસી ગયો હતો અને સૂઈ રહેલી બાળકીઓ સાથે અડપલાં કર્યા હતા. બાળકીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને આરોપી ઝડપાઈ ગયો હતો. કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા જણાવ્યું હતું કે, આવી ઘટનાઓ દર્શાવે છે કે હવે માસૂમ બાળકીઓ પોતાના ઘરમાં પણ અસુરક્ષિત અનુભવે છે, જેની તેમના માનસ પર ખૂબ જ ઊંડી અને નકારાત્મક અસર પડે છે. 'કોઈ માતા બદલો લેવા દીકરીની આબરૂ દાવ પર ન લગાડે'બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે અગાઉની દુશ્મનાવટના કારણે આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જોકે, કોર્ટે આ દલીલને ફગાવતા અત્યંત ભાવનાત્મક ટિપ્પણી કરી હતી કે, ભલે કોઈ પણ વ્યક્તિ વચ્ચે ગમે તેવી અદાવત હોય, પરંતુ કોઈ પણ માતા પોતાની દીકરીની આબરૂનો ઉપયોગ બદલો લેવા માટે ન કરે. પોતાની સંતાનને પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવા પડે તેવી ખોટી ફરિયાદ કોઈ માતા ક્યારેય ન કરે, તેમ કહીને કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. બીજો બનાવરાહદારીના હાથમાંથી 13 હજારનો મોબાઈલ ઝૂંટવી લીધો હતોબીજી તરફ, ત્રણ વર્ષ અગાઉ કીમ વિસ્તારમાં બનેલી મોબાઈલ સ્નેચિંગની ઘટનામાં પણ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આરોપી આશિફ શેખે એક રાહદારીના હાથમાંથી 13 હજારનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો. આ કેસમાં મહત્વની વાત એ હતી કે ફરિયાદી પોતે કોર્ટમાં આરોપીને ઓળખી શક્યો ન હતો, પરંતુ એક સાક્ષીએ (સાહેદ) આરોપીને મક્કમતાથી ઓળખી બતાવ્યો હતો. આરોપી પાસેથી ચોરીના અન્ય પાંચ મોબાઈલ પણ મળી આવ્યા હતા, જે તેના ગુનાહિત ઈતિહાસની સાક્ષી પૂરતા હતા. બંને કેસમાં આરોપીઓને સાત-સાત વર્ષની સજા અને દંડ ફટકાર્યોઅંતે, નામદાર કોર્ટે બંને કેસમાં સાક્ષીઓ અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને આરોપીઓને સાત-સાત વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. સ્નેચિંગના કેસમાં ભલે ફરિયાદ મોડી થઈ હતી, પરંતુ સાક્ષીની ઓળખ પર ભરોસો મૂકી ન્યાય તોળવામાં આવ્યો છે. આ ચુકાદાઓ દ્વારા સુરત કોર્ટે સમાજને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સગીરા વિરુદ્ધના અપરાધ હોય કે શેરી ગુનાખોરી, કાયદો કોઈને પણ છોડશે નહીં.
હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તેને લઈને મુસાફરોની મુસાફરીમાં પણ વધારો જોવા મળ્યો છે. આ તહેવાર દરમિયાન મુસાફરોની વધતી ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અસારવા અને આગ્રા કૅન્ટ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન ખાસ ભાડા સાથે ચલાવવામાં આવશે. ટ્રેન નંબર 01920 / 01919 અસારવા આગ્રા કૅન્ટ અસારોવા સ્પેશિયલ (કુલ 18 ટ્રિપ) ટ્રેન નંબર 01920 (અસારવાથી આગ્રા કૅન્ટ): આ ટ્રેન 19 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી દોડશે. (મંગળવાર અને બુધવાર સિવાય) ટ્રેન અસારવા સ્ટેશનથી બપોરે 2:50 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સવારે 7:45 વાગ્યે આગ્રા કૅન્ટ પહોંચશે. ટ્રેન નંબર 01919 (આગ્રા કૅન્ટથી અસારવા): આ ટ્રેન 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 સુધી દોડશે. (સોમવાર અને મંગળવાર સિવાય) ટ્રેન આગ્રા કૅન્ટથી સાંજે 6:10 વાગ્યે નીકળશે અને બીજા દિવસે સવારે 11:10 વાગ્યે અસારવા પહોંચશે. બંને દિશામાં ટ્રેન હિમ્મતનગર, શામળાજી રોડ, ડૂંગરપુર, સેમારી, જાવર, ઉદયપુર સિટી, રાણા પ્રતિાપ નગર, માવલી, ચંદેરિયા, માંડલગઢ, બુંદી, કેશોરાય પાટણ, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, રૂપબાસ અને ફતેહપુર સીકરી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને જનરલ કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 01920 માટે ટિકિટ બુકિંગ 14 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે.
ED અમદાવાદ દ્વારા બેંક ઓફ બરોડા સાથે થયેલ 28.54 કરોડ રૂપિયાની છેતરપિંડીના મની લોન્ડરિંગ કેસમાં મેસર્સ હેલિયસ ટ્યુબ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ કેસની વિગતો જોતા ED દ્વારા આ તપાસ CBI-ACB, ગાંધીનગર દ્વારા નોંધવામાં આવેલી FIRના આધારે શરૂ કરવામાં આવી હતી. આ FIR મેસર્સ હેલિયસ ટ્યુબ એલોયસ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધાઈ હતી. બેંકના નાણાં ડાયવર્ટ કરીને 28.54 કરોડની છેતરપિંડી કરીEDની તપાસમાં ખુલાસા થયા હતા કે, કંપની અને તેના ડિરેક્ટરોએ કોઈપણ વાસ્તવિક વ્યવસાયિક લેણદેણ વગર બેંકના નાણાં તેમની સંલગ્ન કંપનીઓમાં ડાયવર્ટ કરીને 28.54 કરોડની છેતરપિંડી કરી હતી. કંપનીએ લોન મેળવવા માટે બેંકોને બોગસ લેટર ઓફ ક્રેડિટ જારી કર્યા હતા. બેંક ઓફ બરોડાને ખોટું આર્થિક નુકસાન પહોંચાડવાના ઈરાદાથી ડિરેક્ટરોએ જાણીજોઈને ખોટા સ્ટોક સ્ટેટમેન્ટ્સ અને કંપનીના હિસાબી ચોપડા રજૂ કર્યા હતા. EDએ 19.37 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. આ તપાસના આધારે, EDએ એક કામચલાઉ જપ્તી આદેશ બહાર પાડીને 19.37 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
SP યુનિવર્સિટીમાં 'મોક બજેટ' સ્પર્ધા યોજાઈ:વિદ્યાર્થીઓએ સંસદ જેવું વાતાવરણ સર્જી બજેટ પર ચર્ચા કરી
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા 'મોક બજેટ પ્રેઝન્ટેશન સ્પર્ધા-2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 વર્ષથી યોજાતી આ પરંપરાગત સ્પર્ધામાં એમ.એ. સેમેસ્ટર-4ના 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં સંસદ જેવો માહોલ સર્જ્યો હતો. ખુશી હડીયલે નાણામંત્રી તરીકે બજેટ રજૂ કર્યું હતું, જ્યારે ભાવિન શર્માએ પ્રધાનમંત્રી, હાર્દિક પરમારે વિરોધ પક્ષના નેતા અને જાનવી પરમારે સ્પીકરની ભૂમિકા ભજવી હતી. અન્ય વિદ્યાર્થીઓએ સાંસદ સભ્યો તરીકે જોડાઈને બજેટના વિવિધ પાસાઓ પર તાર્કિક ચર્ચાઓ કરી હતી. નાણામંત્રી દ્વારા રજૂ કરાયેલા બજેટ પર શાસક પક્ષના સાંસદોએ ખેડૂતલક્ષી યોજનાઓ, સ્ત્રી સશક્તિકરણ અને યુવા વિકાસ જેવા મુદ્દાઓ પર છણાવટ કરી હતી. તેની સામે વિપક્ષી સાંસદોએ ભાવવધારો અને કર સુધારા જેવા મુદ્દે સરકારને ઘેરીને તીખી પ્રતિક્રિયા આપી હતી. વિદ્યાર્થીઓની આ બૌદ્ધિક ચર્ચાના અંતે નિર્ણાયક તરીકે ઉપસ્થિત MBA વિભાગના પ્રોફેસર રાજુ રાઠોડ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર સોનલબેન ભટ્ટે વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગના અધ્યક્ષ પ્રો. કિંજલ અહીર સહિતના ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને દેશની સંસદીય કાર્યપ્રણાલી અને આર્થિક નીતિઓ સમજવાની ઉત્તમ તક મળી હતી. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ખુશી હડીયલે પ્રથમ ક્રમ, હીના રોહિતે દ્વિતીય ક્રમ અને રોનક ચૌહાણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર સ્પર્ધાનું સફળ આયોજન અને સંચાલન વિભાગના અધ્યાપકો પ્રો. સોનલ ભટ્ટ અને ડૉ. આશિષ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક 2 દિવસનું નવજાત બાળક મળી આવ્યું છે. નવી બની રહેલી હોસ્પિટલની બિલ્ડિંગના પરિસરમાંથી એક અજાણ્યું નવજાત બાળક મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ખુલ્લી જગ્યામાં એક બાળકનો મૃતદેહ પડ્યોસોલા સિવિલ હોસ્પિટલની નવી બની રહેલી સાઇટ પર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા રાજકુમાર અરવિંદ શર્માએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત 11 ફેબ્રુઆરી 2026 ના રોજ રાત્રે આશરે નવ વાગ્યાની આસપાસ સાઇટ પર ફરજ બજાવતા સિક્યુરીટી ગાર્ડ દિપક રાઠોડે સુપરવાઇઝરને જાણ કરી હતી કે ખુલ્લી જગ્યામાં એક બાળકનો મૃતદેહ પડ્યો છે. બાળક આશરે 2 દિવસનું નવજાત હોવાનું સામે આવ્યુંમૃત મળી આવેલું બાળક આશરે 2 દિવસનું નવજાત હોવાનું જણાયુ છે. મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે કોઈ અજાણી મહિલાએ પોતાના પાપ અથવા જન્મ છુપાવવાના ઇરાદે નવજાત બાળકને આ રીતે ત્યજી દીધું હતું. બાળકને ત્યજી જનાર અજાણી મહિલાનો પત્તો લગાવવા તપાસ શરૂસોલા હાઈકોર્ટ પોલીસ મથકે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની કલમ 94 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની અને હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી બાળકને ત્યજી જનાર અજાણી મહિલાનો પત્તો લગાવી શકાય.
સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરિયમ ખાતે યુનિયન બજેટ 2026-27 વિષય પર બજેટ ટોક @ કેમ્પસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણીએ 500થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીતથી થયો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રોફ. નિરંજન પટેલ, રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલ, સરકારના પ્રતિનિધિ જગતભાઈ પટેલ અને નોડલ ઓફિસર પ્રોફ. કિન્જલ અહીરનું સ્મૃતિચિહ્ન અને સરદાર પટેલની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા પ્રોફ. શિરીષ કુલકર્ણીએ પોતાના સંબોધનમાં વિકસિત ભારત 2047 ના વિઝન પર ભાર મૂક્યો હતો. તેમણે દેશની વર્તમાન આર્થિક સ્થિતિ અને બજેટની દિશા અંગે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. પ્રોફ. કુલકર્ણીએ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ફાળવવામાં આવેલી રકમ તેમજ નાણાકીય શિસ્ત જેવા મહત્વના મુદ્દાઓનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે બજેટનો મુખ્ય હેતુ રોજગારી વધારવાનો અને ખાનગી ક્ષેત્રના રોકાણને વેગ આપવાનો છે. કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીઓએ બજેટ અંગે વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેના વક્તાએ સંતોષકારક જવાબો આપ્યા હતા. આ સત્ર સંવાદાત્મક બન્યું હતું. અંતે, નોડલ ઓફિસર ડૉ. કિન્જલ અહીર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સફળ સમાપન થયું હતું.
આણંદ જિલ્લાના સામરખા ગામેથી કન્ટેનરમાં 19 જેટલા પશુઓ ભરીને મહારાષ્ટ્રના માલેગાંવ ખાતેના કતલખાને લઈ જવામાં આવતા હતા. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઈવે ઉપરથી જીવદયા પ્રેમીઓએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું હતું. પશુઓને બચાવીને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા હતા. ભાદરવા પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લાના સામરખા ગામેથી 19 જેટલા પશુઓ ભરેલું કન્ટેનર મહારાષ્ટ્રના માલેગાવ માં આવેલા કતલખાને જવાનું છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલી રાયકા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થવાનું છે તેવી બાતમી મળી હતી. જેના આધારે રાયકા ગામ પાસે જીવદયા પ્રેમી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમીયાન રાયકા ગામ પાસે એક્સપ્રેસ હાઇવે પરથી આ કન્ટેનર પસાર થતા જીવ દયા પ્રેમીના કાર્યકર જતીન વ્યાસ અને હરીશ સરાણીયા સહિતની ટીમે પશુઓ ભરેલું કન્ટેનર ને ઝડપી પડવામાં આવ્યું હતું. કન્ટેનર પર બાંધેલી તાડપત્રી હટાવી જોતા તેમાં ખીચો ખીચ રીતે બાંધેલા 19 જેટલા પશુઓ બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઘટના બાબતે ભાદરવા પોલીસને જાણ કરતા કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારે જીવદયા પ્રેમીઓએ કન્ટેનરનો ડ્રાઈવર તેમજ પશુ ભરેલૂ કન્ટેનર ભાદરવા પોલીસને સોપવામાં આવ્યું હતું અને ભાદરવા પોલીસે આરોપી ફારુકમિયા મલેક અને ઇલિયાસમિયા મલેક સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રની હત્યા કરી લાશ ફેંકી:ઉમરગામના આરોપીના જામીન વાપી કોર્ટે નામંજૂર કર્યાં
વલસાડ જિલ્લાના ઉમરગામમાં મિત્રની હત્યા કરી લાશ ખેતરમાં ફેંકી દેવાના ચકચારી કેસમાં આરોપી ધ્રુવલ ઉર્ફે ઋતિક કૈલાશભાઈ કોળી પટેલની જામીન અરજી વાપીની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે સરકારી વકીલની દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આ ચુકાદો આપ્યો હતો. આ ઘટના ગત વર્ષે માર્ચ મહિનામાં ઉમરગામ મરીન પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. આરોપી ધ્રુવલ ઉર્ફે ઋતિકે તેના એક સાથીદાર સાથે મળીને મૃતક તરલભાઈને નારગોલ નવા તળાવ પાસે ખુલ્લા ખેતરમાં દારૂની પાર્ટી કરવાના બહાને બોલાવ્યા હતા. આરોપીઓની મુખ્ય દાનત તરલભાઈના બેંક એકાઉન્ટમાં રહેલા પૈસા પડાવવાની હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓએ તરલભાઈને દારૂનો નશો કરાવી, ગળે ટૂંપો દઈને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતકનો મોબાઈલ ફોન લઈ, 'હેપ્પી એસ કેસિનો' નામની ગેમમાં પૈસા રોકવાના બહાને મૃતકના ગૂગલ પે અને ફોન-પેના પાસવર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ ટુકડે-ટુકડે કુલ રૂપિયા 2,87,189/- પોતાના આઈડીમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ મૃતકનું સીમકાર્ડ પણ સળગાવી નાખ્યું હતું. આ કેસમાં સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીએ ઠંડા કલેજે પૂર્વ આયોજિત કાવતરું રચીને હત્યા કરી છે. તેમણે ઉમેર્યું હતું કે આરોપી ગુનાહિત માનસ ધરાવે છે અને જો તેને જામીન આપવામાં આવે તો સાક્ષીઓને ધમકાવવાની કે પુરાવા સાથે છેડછાડ કરવાની પૂરી શક્યતા છે. વધુમાં, આરોપીએ અગાઉ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજીઓ પરત ખેંચી છે, જે તેની ગુનામાં સંડોવણી સ્પષ્ટ કરે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે નોંધ્યું હતું કે આરોપી સામે આઈપીસી કલમ 302 (હત્યા), 328, 201, 34 અને આઈ.ટી. એક્ટ મુજબ ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. ગુનાની ગંભીરતા અને ક્રૂરતાને જોતા આરોપી ધ્રુવલ પટેલને જેલમુક્ત કરવો ન્યાયના હિતમાં નથી. પરિણામે, કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક જીવવિજ્ઞાન વિભાગ દ્વારા આજે 'કેમ્પસ બર્ડ કાઉન્ટ-2026'નો પ્રારંભ થયો છે. 'ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ' (GBBC) ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે આ ચાર દિવસીય કાર્યક્રમ 13 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. આ આયોજનમાં વી.પી. અને આર.પી.ટી.પી. સાયન્સ કોલેજ તેમજ સી.સી. પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનો સહયોગ મળ્યો છે. આ અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસના વિવિધ વિસ્તારોમાં વસતા પક્ષીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવશે. તેમની સંખ્યા અને પ્રજાતિઓની વિગતો એકત્રિત કરાશે. આ ડેટા વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત 'eBird' પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, જે સંશોધન અને સંરક્ષણના હેતુ માટે ઉપલબ્ધ રહેશે. પક્ષી ગણતરીની આ પ્રક્રિયા દરરોજ સવારે 7:00 થી 10:00 કલાક દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. પ્રથમ દિવસે બાયોસાયન્સ વિભાગ અને તેની આસપાસના વિસ્તારમાં પક્ષી નિરીક્ષણ કરાયું હતું. આગામી દિવસોમાં બોટનિકલ ગાર્ડન, સ્ટાફ કોલોની, યુનિવર્સિટી પ્રિમાઈસીસ, શાસ્ત્રી મેદાન અને કોમ્પ્યુટર સાયન્સ વિભાગ સહિતના વિસ્તારોને આવરી લેવામાં આવશે. આ વિશેષ અભિયાનનો મુખ્ય હેતુ કેમ્પસની જૈવવિવિધતાને સમજવાનો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. પક્ષી પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે.
અમદાવાદથી આવેલી જડતી સ્કવોડે મોરબી સબ જેલમાંથી બે કીપેડ મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. શુક્રવારે સવારે જેલર દેવશીભાઈ રમણભાઈ કરંગીયાની ટીમે આ કાર્યવાહી કરી હતી. ટીમે જેલના સર્કલ નંબર 202 પાસે બેરેક નંબર 3 અને 4 વચ્ચે આવેલા જનરલ સંડાસ-બાથરૂમમાં તપાસ કરી હતી. બેરેક નંબર 4 બાજુથી 6 નંબરના બાથરૂમમાં પાણી જવાના બકોરામાંથી કાળા કલરના ઝભલામાં વીંટાળેલી વસ્તુ મળી આવી હતી. જડતી સ્કવોડની હાજરીમાં સુબેદાર વિક્રમસિંહ ઠાકોરે ઝભલું ખોલતા તેમાંથી સીમકાર્ડ વગરના બે કીપેડ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ અજાણ્યા કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા અને વધુ તપાસ હાથ ધરી છે. જડતી દરમિયાન બેરેક નંબર 404ના 34 અને બેરેક નંબર 303ના 30, એમ કુલ 64 કાચા કામના આરોપીઓની મોબાઈલ ફોન કોના છે તે બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, કોઈએ મોબાઈલ ફોન અંગે કબૂલાત આપી ન હતી. આ મોબાઈલ ફોનનો ઉપયોગ કોણ કરતું હતું, ગુનાહિત પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થયો હતો કે કેમ, અને જેલમાં આ પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચી તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં વધુ કેદીઓ કે જેલ કર્મચારીઓની સંડોવણી ખુલી શકે છે. પોલીસ વર્તુળો પાસેથી મળતી વિગત પ્રમાણે સામાન્ય રીતે દર રવિવારે મોરબી જેલની અંદર એક અધિકારીની હાજરીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા જડતી લેવામાં આવતી હોય છે જોકે, છેલ્લે મોરબીની જેલમાં રાખવામા આવેલા પાકિસ્તાની કેદી સાથેનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે પોલીસ અધિકારીઓનાં કાફલા સાથે જેલની જડતી લેવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં સ્થાનિક પોલીસે લીધેલ જડતીમાં કયારે પણ મોરબીની સબજેલમાંથી કશું જ મળ્યું હોય તેવું સામે આવ્યું નથી જોકે, અમદાવાદથી જડતી સ્કવોર્ડના જેલરની ટીમે બે મોબાઇલ ફોન શોધી કાઢ્યા છે. જો આવી જ રીતે મોરબીની સબ જેલમાં બહારની ટીમો દ્વારા જડતી લેવામાં આવે તો હજુ પણ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતા છે.
રાજકોટ શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગો અને સર્કલો ઉપર પગપાળા જતાં લોકો માટે ફૂટબ્રીજ બનાવવાનો નિર્ણય લઈ ગઈકાલે બીગબઝાર સર્કલ અને અમિન માર્ગ રોડ કોર્નર પર બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને હવે શહેરના મુખ્યનાકા ગોંડલ ચોકડી પર પણ ફૂટ ઓવરબ્રીજ બનાવવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રૂ. 5 કરોડના ખર્ચે ગોંડલ રોડ ચોકડીએ ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેનો હજારો મુસાફરોને લાભ મળશે. ગોંડલ ચોકડીએ રોજ સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી હજારો પ્રવાસીઓ ટ્રાવેલીંગ કરી ઉતરતા હોય છે. આ સ્થળ હવે ટ્રાવેલ્સ અને એસટી સહિતના વાહનો માટે પીકઅપ પોઈન્ટ થઈ ગયું હોવાથી વહેલી સવારથી મોડી રાત્રી સુધી સતત મુસાફરોની અવરજવર રહેતી હોય છે. આ બન્ને સાઈડ બસમાંથી ઉતર્યા બાદ મુસાફરોએ રોડ ક્રોસ કરવો પડે છે. જેના લીધે સતત ટ્રાફિક હોવાથી અવારનવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેના નિવારણ માટે સર્વે કર્યા બાદ કોર્પોરેશનને આ સ્થળે ફૂટ ઓવરબ્રીજની જરૂરિયાત લાગતા હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં ત્રિકોણબાગ સર્કલ સહિતના સતત ટ્રાફિકથી ધમધમતા સર્કલો પર પણ ફૂટ ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી શક્યતા છે. મહાશિવરાત્રીના પર્વે ભવ્ય શિવ શોભાયાત્રા યોજાશે, ઉજ્જૈનની અઘોરી ટીમ આકર્ષણનું કેન્દ્ર બનશે રાજકોટમાં મહાશિવરાત્રીના પર્વને ભક્તિમય બનાવવા માટે દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે મહાશિવરાત્રી નિમિતે ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા બપોરે 1:30 કલાકે રાજકોટના રાજા સ્વયંભૂ ગણાતા રામનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે. આ વર્ષની યાત્રામાં મુખ્ય આકર્ષણ તરીકે સોમનાથ મહાદેવનો 17 ફૂટ ઊંચાઈ ધરાવતો થ્રીડી ફ્લોટ અને 11 જ્યોતિર્લિંગના ફ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિરના આ ખાસ આકર્ષક ફ્લોટનું નિર્માણ આર્ટિસ્ટ અશ્વિનભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણ તરીકે ઉજ્જૈનથી 22 વ્યક્તિઓની શિવ અઘોરી ટીમ આવશે, જે સમગ્ર રૂટ દરમિયાન શિવ તાંડવ નૃત્ય રજૂ કરી શિવ મહિમાની ભવ્ય પ્રસ્તુતિ કરશે. શોભાયાત્રા રામનાથપરા, ભાવનગર રોડ અને સંતકબીર રોડ જેવા વિવિધ વિસ્તારોમાં ફરીને કુવાડવા રોડ પર 80 ફૂટ રોડ પાસે પૂર્ણ થશે. ભક્તો માટે 25,000 ભાંગની બોટલના પ્રસાદની સાથે ભાગ્યશાળી ભક્તોને ચાંદીનો મઢેલો રુદ્રાક્ષ અને ચાંદીનું બીલીપત્ર પણ આપવામાં આવશે. યાત્રાના રૂટ પર ઠંડા પીણા અને સ્વાગત કાર્યક્રમો પણ યોજાશે. રાત્રે 8 વાગ્યે મહાઆરતી બાદ તમામ ભક્તો માટે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના બામણબોર અને સણોસરા ખાતે 'ક્લસ્ટર લીગલ એઈડ ક્લિનિક'નો ઐતિહાસિક પ્રારંભ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં કાનૂની જાગૃતિ લાવવા અને ગરીબ તથા શોષિત નાગરિકોને ઘર આંગણે ન્યાય અપાવવા માટે એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટીની 'નાલ્સા (જાગ્રિતી) યોજના 2025' હેઠળ રાજકોટ તાલુકાના બામણબોર અને સણોસરામાં 2 'ક્લસ્ટર લીગલ એઈડ ક્લિનિક'નો 13/02/2026 ના રોજ ઐતિહાસિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ક્લસ્ટર મોડેલ અંતર્ગત આસપાસના 10 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જે 3 થી 5 કિમીનાં વિસ્તારમાં વસતા લોકોને અસરકારક ન્યાયિક સેવાઓ પૂરી પાડશે. આ ક્લિનિક્સ માત્ર કચેરી ન બની રહેતા જીવંત સેવા કેન્દ્રો તરીકે કાર્ય કરશે, જ્યાં તાલીમબદ્ધ પેરા લીગલ વોલન્ટીયર્સ દ્વારા જરૂરિયાતમંદોને મફત કાનૂની સલાહ, સહાય અને સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ એચ. વી. જોટાણીયા દ્વારા ગ્રામ પંચાયત ખાતે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે ન્યાય મેળવવો એ દરેક નાગરિકનો અધિકાર છે અને છેવાડાના લોકો આ અધિકારથી વંચિત ન રહે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. દેશભરના 12 જ્યોતિર્લિંગ ખાતે એકસાથે 108 કુંડી યજ્ઞમાળાનું ભવ્ય આયોજન સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન-ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રના તમામ 12 જ્યોતિર્લિંગોમાં એકસાથે 108 કુંડી યજ્ઞમાળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવનું કેન્દ્રસ્થાન દેવભૂમિ દ્વારકાનું નાગેશ્વર જ્યોતિર્લિંગ રહેશે. આ યજ્ઞમાળા 19 ફેબ્રુઆરી 2026 થી 27 ફેબ્રુઆરી 2026 સુધી સતત 9 દિવસ ચાલશે, જેનું જીવંત પ્રસારણ યુ-ટ્યુબ પર સવારે 9 થી 1 અને બપોરે 3 થી 7 કલાકે કરવામાં આવશે. નાગેશ્વર ખાતે સાંસદ પૂનમબેન માડમ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરાવશે, જેમાં શિક્ષણમંત્રી રિવાબા જાડેજા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. અન્ય જ્યોતિર્લિંગો પૈકી ત્ર્યંબકેશ્વર ખાતે ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ અને રામેશ્વર ખાતે આર.સી.ફળદુ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરાવશે. આ બંને મહાનુભાવો 9 દિવસ દરમિયાન વિવિધ જ્યોતિર્લિંગોની મુલાકાત લઈ અંતિમ દિવસે નાગેશ્વર ખાતે પૂર્ણાહુતિમાં જોડાશે. આ આયોજનમાં પૂર્વ પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ દ્વારા એક જ સમયે આહૂતિઓ આપવામાં આવશે. દેશની સુખાકારી માટે આયોજિત આ મહાયાગમાં વિવિધ સંતો-મહંતો અને જ્યોતિર્લિંગના પૂજારીઓ પણ સહભાગી બનશે. રાજકોટમાં દાયકા બાદ થશે વૃક્ષોની ગણતરી, મનપાએ એજન્સી રોકવા ફરી ટેન્ડર પ્રસિધ્ધ કર્યું રાજકોટ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ નિયંત્રણ માટે મહાનગરપાલિકા દ્વારા 10 વર્ષ બાદ ફરી વૃક્ષોની ગણતરી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા ગણતરી મુજબ શહેરમાં અંદાજે 3,00,000 વૃક્ષો નોંધાયા હતા. આ વખતે ગાર્ડન શાખા દ્વારા વસ્તી ગણતરીની જેમ શહેરની દરેક શેરીઓ અને વિસ્તારોમાં ડોર ટુ ડોર જઈને ડેટા બેઝ તૈયાર કરવામાં આવશે. જેમાં મિયાવાકી ગાર્ડન અને અર્બન ફોરેસ્ટ જેવી ગ્રીન સ્પેસનો પણ સમાવેશ કરાશે. આ કામગીરી માટે મનપા પાસે પૂરતો સ્ટાફ ન હોવાથી ખાનગી એજન્સીની મદદ લેવાનું નક્કી કરાયું છે. અગાઉ બહાર પાડેલા ટેન્ડરમાં કોઈ એજન્સીએ રસ ન દાખવતા, હાલ બીજી વખત ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. પસંદ થયેલી એજન્સીએ 1 વર્ષમાં વૃક્ષોની સંખ્યા, તેના પ્રકાર, આયુષ્ય અને વર્તમાન સ્થિતિ જેવી વિગતો સોંપવાની રહેશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્વરિત ગણતરી શરૂ કરવામાં આવશે.
વલસાડના એક યુવકે પંજાબમાં એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ગુના બદલ પંજાબ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વલસાડમાંથી આરોપીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના મોગરાવાડી, તારાબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ સ્કૂલ પાસે રહેતા સેજવન સિંગ નામના યુવકે પંજાબના અન્ય એક યુવક સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીઓએ પીડિત યુવતીનો અશ્લીલ વીડિયો વલસાડ, વાપી અને પંજાબના ગુરુદ્વારાના મહિલાઓના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કર્યો હતો. આ કૃત્ય દ્વારા યુવતીને સામાજિક રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર યુવતીના પરિવારે પંજાબના ઝીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પંજાબ પોલીસની ટેકનિકલ ટીમે તપાસ હાથ ધરતા એક આરોપી પંજાબમાંથી ઝડપાઈ ગયો હતો, જ્યારે તેજવંત સિંગ વલસાડમાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પંજાબ પોલીસની ટીમે વલસાડમાં તેજવંત સિંગના ઘરે ઓચિંતો છાપો મારી તેની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલ્યો હતો. પંજાબ પોલીસે તેને વલસાડ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ માટે પંજાબ લઈ જવામાં આવ્યો છે.
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન તબિયત બગડી હતીશિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાંજે 5.30 વાગ્યા સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું ભવન સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને દુઃખાવો ઉપડતા તબિયત થોડી બગડી હતી. હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થઈજેથી તેઓને અસારવા ખાતે આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થઈ હતી જેથી તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી હાલ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે અને તબિયત સ્થિર હોવાનુ જાણવા મળ્યું છે. એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું, હાલ તબિયત સ્થિરઆજે 13 ફેબ્રુઆરીના રોજ સાંજે તેમનું જીવન રહેતા હોસ્પિટલ ખાતે પણ જવાનું હતું. જેથી તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી અને સીધા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. પ્રદ્યુમન વાજાની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું જેથી એક સ્ટેન્ડ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઓક્ટોબર 2025માં ડો. પ્રદ્યુમન વાજા કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બન્યા છેડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં, 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે, અને તેમના પત્ની પણ ડોક્ટર છે. 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. તેમણે કુલ 77,794 મત પ્રાપ્ત કર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ મહેશ મકવાણાને 19,386 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ઓક્ટોબર 2025માં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બનાવાયા છે. પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખની જવાબદારી સંભાળીડો.પ્રદ્યુમન વાજા શૈક્ષણિક અને વ્યાવસાયિક પૃષ્ઠભૂમિ, શિક્ષણની દ્રષ્ટિએ બહુમુખી પ્રતિભા ધરાવે છે. રાજકીય કારકિર્દી અંગે વાત કરીએ તો તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ પ્રદેશ ભાજપ SC મોર્ચાના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.આ ચૂંટણીમાં તેઓ ભાજપનું પ્રતિનિધિત્વ કરી કોડીનારથી જીત્યા હતા. ડો.પ્રદ્યુમન વાજા ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર વિધાનસભા (Kodinar Assembly) મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે, જે અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત છે. પ્રદ્યુમન વાજા ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્રનાં જાણીતા અનુસૂચિત જાતિ (SC) ચહેરા છે. નવા મંત્રીમંડળમાં પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારિતા ખાતું મળ્યું છે.
સરદાર પટેલ યુનિવર્સિટીએ રાજ્યના 'વાંચે ગુજરાત 2.0' અભિયાનને વેગ આપવા અને વિદ્યાર્થીઓમાં વાંચન-સંસ્કૃતિ મજબૂત કરવાના હેતુથી 'The Book Talk Club' સાથે સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ કરાર કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલની અધ્યક્ષતામાં સંપન્ન થયા હતા. કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલના હસ્તે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના ડેપ્યુટી રજીસ્ટ્રાર ડૉ. બિરજ પટેલ, શિક્ષણ વિભાગના પ્રોફેસર ડૉ. અલ્કા મેકવાન અને ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રાજેશ્વરી પટેલ કો-ઓર્ડિનેટર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ યુનિવર્સિટી કેમ્પસમાં વાંચનની આદત, અભિરુચિ અને વિદ્યાર્થીઓની સ્વતંત્ર વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનો છે. બંને સંસ્થાઓ વચ્ચે આત્મીય સહકાર સાધીને આ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ પહેલના ભાગરૂપે, આગામી મહિનાથી યુનિવર્સિટી દ્વારા “અનુભૂતિ” નામનું એક અનોખું રીડર-એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ પર વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને પુસ્તકપ્રેમીઓ એકત્રિત થઈ પોતાના વાંચન અનુભવો અને પ્રતિભાવોની આપ-લે કરી શકશે. “અનુભૂતિ” પ્લેટફોર્મ દ્વારા જ્ઞાનની વહેંચણી અને અર્થપૂર્ણ વાર્તાલાપ ધરાવતા વિચારશીલ સમુદાયની રચના કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. MoU પર હસ્તાક્ષર વખતે The Book Talk Clubના સ્થાપક હર્ષભાઈ બારોટ, ઉપપ્રમુખ કેતન પ્રજાપતિ અને સંસ્થાકીય સચિવ હેતવી રાવલ તથા હિરલ પટેલ સહિતની ટીમ હાજર રહી હતી. આ સહયોગથી વિવિધ સાહિત્યિક કાર્યક્રમો અને ચર્ચાઓનું આયોજન થશે,
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આગામી તા. 20થી 22 ફેબ્રુઆરી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. રાજ્યમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમના આગમનને લઈને રાજ્ય ભાજપ સંગઠન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંગઠન સાથે મહત્વની બેઠકપ્રવાસ દરમિયાન નીતિન નવીન રાજ્યના જન પ્રતિનિધિઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજશે. સંગઠનાત્મક માળખાને વધુ સશક્ત બનાવવું, આવનારી રાજકીય વ્યૂહરચના અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા ફેલાવાનો મુખ્ય એજન્ડા રહેશે. અમદાવાદમાં જનસભા યોજાશેઅમદાવાદમાં તેમના સ્વાગત માટે ભવ્ય જનસભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો હાજરી આપશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે. ભાજપના સૂત્રો મુજબ, આ ત્રિદિવસીય પ્રવાસ રાજ્ય સંગઠન માટે દિશાનિર્ધારક સાબિત થઈ શકે છે અને કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકશે.
ગોધરા તાલુકાના છાવડા ગામે ઉદવહન સિંચાઈ યોજનાના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ગામના આગેવાનો અને પંચાયતના સભ્યોને આંતરિક વિખવાદો ટાળીને વિકાસના કામોમાં સહયોગ આપવા ટકોર કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે અંદરોઅંદરના ઝઘડાઓને કારણે અનેક યોજનાઓ અટકી પડી છે. રાઉલજીએ વિકાસના કામોમાં અવરોધરૂપ બનતા આંતરિક વિખવાદો મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી ગામમાં સંપ અને એકતા નહીં હોય, ત્યાં સુધી વિકાસના કામોને વેગ મળવો મુશ્કેલ છે. ધારાસભ્યએ કહ્યું કે, સરપંચનું આયુષ્ય તો માત્ર પાંચ વર્ષનું હોય છે, પરંતુ સરકારી યોજનાઓ અને તેનાથી થતો વિકાસ કાયમી હોય છે. તેમણે ગામના આગેવાનોને વ્યક્તિગત કે રાજકીય મતભેદો બાજુ પર મૂકીને ગામના સર્વાંગી વિકાસ માટે એકતા સાથે કામ કરવા નસીહત આપી. તેમણે ભૂતકાળના ઉદાહરણો ટાંકતા જણાવ્યું કે અંદરોઅંદરના ઝઘડાઓને કારણે ઘણી મહત્વપૂર્ણ યોજનાઓ બંધ થઈ ગઈ છે. આનાથી છેવટે ગામના સામાન્ય નાગરિકોને જ નુકસાન ભોગવવું પડે છે. સી.કે. રાઉલજીએ અંતમાં ઉમેર્યું કે, જો આપણે સાથે મળીને કામ નહીં કરીએ, તો નુકસાન છેવટે ગામના સામાન્ય નાગરિકોને જ ભોગવવું પડશે. તેમણે સૌને ગામના હિતમાં એક થઈને કામ કરવા અપીલ કરી.
ગોધરા-લુણાવાડા હાઈવે પર ટ્રેક્ટર પલટ્યું:સળિયા ભરેલા ટ્રેક્ટરના અકસ્માતમાં ત્રણનો આબાદ બચાવ
ગોધરા-લુણાવાડા હાઈવે પર નાડા ગામ નજીક લોખંડના સળિયા ભરેલા એક ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેક્ટર લોખંડના સળિયા ભરીને ગોધરા તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રેક્ટર રોડની બાજુમાં પલટી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેક્ટર ચાલક અને તેની સાથે સવાર અન્ય બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ સાથે બચાવી લેવાયા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ આજે શહેરના ભવિષ્યનો રોડમેપ સમાન વર્ષ 2026-27નું સુધારેલું બજેટ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનરના મૂળ ડ્રાફ્ટમાં 15.27 કરોડનો વધારો કરી સ્ટેન્ડિંગ કમિટીએ 1,918.35 કરોડના લક્ષ્યાંક સાથે હાઈટેક સુવિધાઓ પર મહોર મારી છે. આ બજેટમાં વહીવટી પારદર્શિતાથી લઈને ટ્રાફિક મેનેજમેન્ટ સુધીના તમામ સ્તરે AI ટેકનોલોજીને હથિયાર બનાવવામાં આવી છે. 1918 કરોડના બજેટને મંજૂરીની મહોર ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ દ્વારા વર્ષ 2026-27ના વાર્ષિક બજેટને મંજૂરીની મહોર મારવામાં આવી છે જેમાં ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પર ભાર મૂકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ બજેટમાં સ્થાયી સમિતિએ 15.27 કરોડનો વધારો સૂચવતા હવે બજેટનું કદ વધીને 1,918.35 કરોડ રૂપિયા થઈ ગયું છે. AI ટેકનોલોજીના સથવારે ગાંધીનગરનો કાયાકલ્પઆ વખતના બજેટમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્રોજેક્ટ્સ રહ્યા છે જેના માધ્યમથી શહેરની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને વહીવટી પારદર્શિતાને એક નવા સ્તરે લઈ જવાનું આયોજન છે. ખાસ કરીને શહેરના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને એઆઈ એક્સપિરિયન્સ સેન્ટરમાં રૂપાંતરિત કરવામાં આવશે જેથી આખું શહેર સેન્સર અને સ્માર્ટ કેમેરાની સીધી દેખરેખ હેઠળ રહેશે. ટ્રાફિકની સ્થિતિથી આપોઆપ રેડ અને ગ્રીન સિગ્નલના ટાઇમીંગ નક્કી થશેશહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જે કેમેરાની મદદથી વાહનોની ગીચતા માપીને સિગ્નલનો સમય આપોઆપ નક્કી કરશે. ગાંધીનગર શહેરમાં પ્રથમ તબક્કે કુલ 5 ટ્રાફિક જંક્શન પર આ પ્રકારની સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ સિસ્ટમ ટ્રાફિકની સ્થિતિ જોઇને આપોઆપ રેડ અને ગ્રીન સિગ્નલના ટાઇમીંગ નક્કી કરશે. તો પર્યાવરણની જાળવણી માટે હવે મોંઘા સાધનોને બદલે લો-કોસ્ટ સેન્સર લગાવીને હવાની શુદ્ધતાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવશે અને તેના આંકડા નાગરિકો ડિજિટલ બોર્ડ પર લાઈવ જોઈ શકશે. ડ્રેનેજ લાઇન અને ચેમ્બરોમાં સેન્સર લાગશેજ્યારે પ્રજાની ફરિયાદોના ઝડપી નિકાલ માટે એઆઈ આધારિત ક્વીક રિસ્પોન્સ વ્હીકલની સુવિધા શરૂ કરાશે. જે 108 ની માફક ખાડા, સ્ટ્રીટ લાઈટ કે લીકેજ જેવી સમસ્યાઓ પર ત્વરિત એક્શન લેશે. એનાલિટીક સર્વેલન્સ સિસ્ટમ હેઠળ પાણીમાં સ્કાડા સિસ્ટમ લગાશે તે પ્રમાણે ડ્રેનેજ લાઇન અને ચેમ્બરોમાં સેન્સર લાગશે. ગટર ઉભરાવાની સ્થિતિમાં આ સિસ્ટમ તરત જ કંટ્રોલ રૂમમાં મેસેજ મોકલશે. જેથી ક્યા સ્થળે ગટર ઉભરાઇ છે તેની ચોક્કસ માહિતી કંટ્રોલ રૂમ મારફતે સંબંધિત કર્મચારીને પહોંચશે. જેના પગલે ત્વરિત કાર્યવાહી થઇ શકશે. પ્રોજેક્ટ સાઈટ પર ડિસ્પ્લેઆ સાથે જ સરકારી કામોમાં પારદર્શિતા લાવવા માટે ઇ પ્રગતિ એપ્લિકેશન હેઠળ જેતે પ્રોજેક્ટ સાઈટ પર ડિસ્પ્લે મૂકવામાં આવશે જેમાં કામની પ્રગતિના ફોટા અને વીડિયો મનપા અધિકારી,પદાધિકારી અને ખાસ કરીને નગરજનો પણ જોઈ શકશે. રોડ બનાવતી વખતે મિલિંગ ટેકનોલોજીનો ઉપયોગએજ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ગાંધીનગરના જૂના અને નવા સેક્ટરોમાં માર્ગોના નવીનીકરણ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. હવે રોડ બનાવતી વખતે ગ્રાઉન્ડ લેવલ ઊંચું ન આવે તે માટે આધુનિક મિલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે .જે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત આપશે. તો રાયસણ, કોલવડા અને વાવોલ જેવા વિસ્તારોમાં આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ વિકસાવવામાં આવશે. 14 નવા તળાવોનું ડેવલપમેન્ટ ને ઐતિહાસિક મીના બજારનું આધુનિકીકરણઆ ઉપરાંત 3,500 નવા આવાસ યોજનાની ભેટ સાથે મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર આપવાનો સંકલ્પ કરાયો છે. શહેરની સુંદરતામાં વધારો કરવા માટે 14 નવા તળાવોનું ડેવલપમેન્ટ અને ઐતિહાસિક મીના બજારના આધુનિકીકરણની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે. આગામી ગુરુવારે મળનારી સામાન્ય સભામાં આ બજેટને આખરી ઓપ આપીને અમલી બનાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનારી બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીને લઈને સૌ કોઈની નજર તેના પર જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થશે. વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી રહ્યા છે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે, ત્યારે બંને ગ્રુપ દ્વારા અલગ અલગ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આક્ષેપબાજી કરી હતી. રીવાઇવલ ગ્રુપના પ્રણવ અમીને રોયલ સત્યમેવ જયતે ગ્રુપના આક્ષેપોના જવાબ આપ્યા હતા. તેમણે કરેલી કામગીરી જાહેર કરી હતી. આ સાથે જ રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા તેમનો ચૂંટણી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કિરણ મોરે સહિતના 4 ઉમેદવારોની ઉમેદવારી ખોટી હોવાને લઈને ચૂંટણી પર રોક લગાવવાની પીટીશન અંગે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી યોજીને પરિણામ જાહેર ન કરવાની સૂચના આપી છે. જેથી BCAની ચૂંટણીનું પરિણામ જાહેર નહીં થાય. રિવાઈવલ ગ્રૂપના અગ્રણી પ્રણવ અમીને જણાવ્યું હતું કે, વિરોધ પક્ષ દ્વારા સ્ટેડિયમ અને અન્ય પ્રોજેક્ટ્સમાં દરેક તબક્કે અવરોધ ઊભા કરવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને સ્ટેડિયમ માટે, તેઓએ દરેક AGM (વાર્ષિક સામાન્ય સભા) ને રોકવા અને તેમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી છે. આટલું જ નહીં, તેઓએ BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) ને પત્ર લખીને વિનંતી કરી હતી કે BCA ને ફંડ ન આપવામાં આવે. તેઓએ તો ત્યાં સુધી પ્રયાસ કર્યો હતો કે BCA ના પ્રતિનિધિ AGMમાં ન જઈ શકે અને ભારત-ન્યુઝીલેન્ડ વન-ડે મેચ રદ કરવામાં આવે. હવે તમે જ વિચારો, આ માનસિકતા 'પોઝિટિવ' કહેવાય કે 'નેગેટિવ'? આનાથી બરોડાના ક્રિકેટને જ નુકસાન થાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચારના આરોપો લગાવવા ખૂબ સરળ છે, પણ શું તેમની પાસે કોઈ પુરાવા છે? બસ હવામાં વાતો કરવાથી કંઈ સાબિત થતું નથી. આ ઉપરાંત કિરણ મોરે જેવી વ્યક્તિ પર સવાલો ઉઠાવવા તે યોગ્ય નથી. સ્ટેડિયમને લઈને રોયલ સત્યમેવ જયતે ગ્રુપના આક્ષેપો મેં પહેલા પણ કહ્યું છે કે અત્યારે જે લોકો ટીકા કરી રહ્યા છે, તેમને કદાચ એ વાતનું પેટમાં દુખે છે કે, આ સ્ટેડિયમનું કામ પૂર્ણ થઈ ગયું અને જ્યારે આ બધું આયોજન થયું ત્યારે તેઓ સત્તામાં નહોતા. એટલે સ્વાભાવિક છે કે તેઓએ કોઈને કોઈ ફરિયાદ તો કરવી જ પડે.પરંતુ સત્ય કંઈક અલગ છે. તમે સાચા છો, બધા જ ખેલાડીઓ અહીંની સુવિધાઓથી ખૂબ ખુશ છે. તેઓએ કહ્યું કે, જ્યારે હું રોહિત શર્માને મળ્યો, ત્યારે તેણે પોતે કહ્યું હતું કે અહીંનું 'આઉટફિલ્ડ' અદભૂત છે. રવિ શાસ્ત્રી હોય કે વિરાટ કોહલી, બધાએ અહીંની ફેસિલિટીઝના ખૂબ વખાણ કર્યા છે. વિરાટ તો અહીં ઘણા દિવસો રોકાયો હતો અને કોટંબી ખાતે આવેલા સ્ટેડિયમમાં તેણે કલાકો સુધી પ્રેક્ટિસ કરી હતી. તેણે ત્યાંના જીમ અને અન્ય સુવિધાઓનો ભરપૂર ઉપયોગ કર્યો હતો અને તે ખૂબ જ સંતુષ્ટ હતો. રિવાઈવલ ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય એજન્ડા તો ચૂંટણી જીતવાનો જ છે. અમે જે વાતો કરી છે, ખાસ કરીને અમારા જે 70 વર્ષથી ઉપરના ભૂતપૂર્વ ક્રિકેટરો છે, તેમના માટે અમે પેન્શન સ્કીમ શરૂ કરવાના છીએ. આ ઉપરાંત, સ્કોરર અને અમ્પાયર જેઓ રાત-દિવસ આપણી લોકલ ટુર્નામેન્ટમાં સખત મહેનત કરે છે, તેમના માટે પણ અમે સ્કીમ લાવવા જઈ રહ્યા છીએ. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ક્રિકેટના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. અમે અત્યાધુનિક ફેસિલિટીઝ ઊભી કરી છે અને દરેક વયજૂથમાં (પુરુષ અને મહિલા બંને માટે) અનેક ટુર્નામેન્ટ્સનું આયોજન કરી રહ્યા છીએ. આપણું સ્ટેડિયમ પણ ખૂબ સરસ બન્યું છે, જ્યાં લોકો આવીને મેચનો આનંદ માણી રહ્યા છે. હજુ ઘણું ડેવલપમેન્ટ બાકી છે, ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ લેવલ પર અમારું પૂરતું ફોકસ છે. બધું કામ એકસાથે શક્ય નથી, એટલે અમે તબક્કાવાર આગળ વધી રહ્યા છીએ. પ્રણવભાઈના માર્ગદર્શન હેઠળ અમારી ટીમે અત્યાર સુધી ખૂબ જ સકારાત્મક અને જબરદસ્ત કામ કર્યું છે, અને અમે એ જ દિશામાં આગળ વધવા માંગીએ છીએ.રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ દર્શન બેંકર એ જણાવ્યું હતું કે, સૌથી પહેલા તો હું મારા તમામ વોટર મિત્રોને BCAના ઇલેક્શન માટે વોટ કરવા આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું. તમે સૌ જરૂરથી આવજો, કારણ કે હવે પરિવર્તનની આંધી ફૂંકાઈ ગઈ છે. પરિવર્તન આવી રહ્યું છે અને એ થઈને જ રહેશે. ‘રોયલ સત્યમેવ જયતે’ની ટીમ ચોક્કસ જીતી જશે. હાઈકોર્ટે જે ફટકાર આપી છે, તેનો જવાબ આપણે વધુમાં વધુ મતદાન કરીને આપીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ઇલેક્ટોરલ ઓફિસરને વિનંતી કરીએ છીએ કે તમામ બેલેટ બોક્સને કલેક્ટરના સેફ બોક્સમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવે. જો આ પ્રક્રિયામાં ગેરરીતિ નહીં થાય, તો ‘રોયલ સત્યમેવ જયતે’ ટીમનો જ્વલંત વિજય નિશ્ચિત છે, એમાં કોઈ શંકા નથી. તેઓએ ઉમેર્યું હતું કે, અમે સકારાત્મક અભિગમ સાથે આગળ વધવા માંગીએ છીએ. અમે કોઈ ચોક્કસ ગ્રુપ સાથે નહીં, પણ આખા BCA માટે કામ કરવા માંગીએ છીએ. જે પણ સક્ષમ અને સારા લોકો છે, તે બધાને સાથે લઈને ચાલીશું. ક્રિકેટના વિકાસ માટે જરૂર પડશે તો અમે કિરણ મોરેનો પણ સાથ લઈશું. પરંતુ વહીવટ સુધારવા માટે અમારે ટીમ બદલવાની જરૂર છે અને તેના માટે જ અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી અને BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2012 -13 માં જમીન ખરીદવામાં આવી હતી. પરંતુ વર્ષ 2020 સુધી ત્યાં તેઓએ કંઈ પણ કર્યું નહોતું. તેઓએ સ્ટેડિયમના હિસાબો પણ જાહેર કર્યા નથી. એટલે તેઓએ હિસાબો BCAની વેબસાઇટ પર ન મૂકીને સ્ટેડિયમમાં ભ્રષ્ટાચાર કર્યો છે, તે સાબિત કરી દીધું છે.

27 C