SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

'હવે તો સમજો, લઈ આવો પંજો', ભાજપને ઘેરવા AI હથિયાર:ભ્રષ્ટાચારની પાણીની ટાંકી-બ્રિજથી લઈ હરણી બોટકાંડ સુધીના વીડિયો બનાવી સત્તાપક્ષ પર એટેક

અસહ્ય ગરમીમાં રેલી અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા અઘરું થઈ જતાં હવે ઉમેદવારોની વાત મતદારો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. મતદારોની સમસ્યાઓની રીલ બનાવી ભાજપ પર આકરા પ્રહાર કરી નાગરિકોને રિઝવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમાં પણ AIનો ટ્રેન્ડ ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. હવે તો સમજો, લઈ આવો પંજોના નારા સાથે AIનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં સત્તાપક્ષ પર કટાક્ષ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પાયાની સુવિધા સાથે ભ્રષ્ટાચારને મુદ્દો બનોવ્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોડ-રસ્તા, પીવાના પાણી સહિતના મુદ્દો સૌથી મહત્વના હોય છે. જો કે કોંગ્રેસે તેની સાથે-સાથે ભ્રષ્ટાચારના મુદ્દાને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બનાવી દીધી છે. કમલમ, કટકી અને કૌભાંડના સ્લોગન સાથે ભાજપને ઘેરવાનો અને મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કરવાના આવી રહ્યો છે. કોંગ્રસ આ બધા મુદ્દાઓને લઈને AI આધારિત વીડિયો બનાવી નાગરિકોના મત મેળવવા માટે સોશિયલ મીડિયા માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી નિશાનગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થીમસોંગ પણ બનાવ્યું છે, જેમાં હવે તો સમજો લઈ આવો પંજોના નારા સાથે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે સત્તાપક્ષ સામે માર્મિક ટકોર કરતી AI આધારિત અનેક વીડિયો અને મીમ્સ પણ બનાવ્યા છે. ખાડા, વરસાદી પાણી, નકલી પનીર, જર્જરિત બ્રિજ સહિત અનેક મુદ્દા પર AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવવામાં આવ્યા છે. જેમાં રસ્તાઓ પર ખાડાના વર્ષો થયા, નળમાંથી ગંદા પાણીના વર્ષો થયા, ભ્રષ્ટાચારના વર્ષો થયા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરણી બોટકાંડ સહિતની ઘટનાનો ઉલ્લેખતેમજ રાજ્યમાં બનેલી તમામ મોટી દુર્ઘટનાને પણ કોંગ્રેસે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. હરણી બોટ દુર્ઘટના સહિત અનેક મોટી દુર્ઘટનાનો સમાવેશ કરી AI આધારિત વીડિયો બનાવ્યો છે. હરણીમાં ભાજપે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને એમના ભ્રષ્ટાચારે આપણા સંતાનોનો ભોગ લીધો હોવાનો કોંગ્રેસ દ્વારા AI આધારિત વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ દ્વારા રેલી અને સભામાં બદલે AI આધારિત વીડિયો બનાવી સત્તાપક્ષ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જો કે હવે AI આધારિત વીડિયોથી કોંગ્રેસને ચૂંટણીમાં કેટલો ફાયદો થાય તે જોવાનું રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:26 pm

પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર, પોરબંદર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પોરબંદર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:23 pm

જિલ્લા ચૂંટણી અધિકારીએ EVM, ગરમી માટે માર્ગદર્શિકા જાહેર કરી:નગરપાલિકા, પંચાયત ચૂંટણી માટે EVM ઉપયોગ, ગરમીથી બચવા સૂચનાઓ

આગામી નગરપાલિકા તેમજ તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે. મતદાન કરવા માટે સ્થાનિક સંસ્થાની મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે. ઓળખના પુરાવા તરીકે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ (EPIC) અથવા માન્ય કરેલા અન્ય વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈ પણ એક સાથે રાખવાનું રહેશે. નગરપાલિકાની ચૂંટણીમાં EVMના ઉપયોગ અંગે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વની સ્પષ્ટતા કરી છે. મતદારે પોતાની પસંદગીના વધુમાં વધુ ચાર ઉમેદવારો સામેનું વાદળી બટન દબાવ્યા બાદ, મશીનમાં સૌથી નીચે આપેલું 'રજીસ્ટર' બટન ફરજિયાતપણે દબાવવું પડશે. 'રજીસ્ટર' બટન દબાવ્યા બાદ 'બીપ' સંભળાશે, જે મત નોંધાયાની ખાતરી આપશે. જો મતદાર આ બટન દબાવવાનું ભૂલી જશે તો તેમનો મત નોંધાશે નહીં. જો ભૂલથી કોઈ અન્ય ઉમેદવારનું બટન દબાઈ ગયું હોય, તો રજીસ્ટર બટન દબાવતા પહેલાં તે જ ઉમેદવારનું બટન ફરીથી દબાવવાથી તે રદ થઈ જશે. ત્યારબાદ સાચા ઉમેદવારનું બટન દબાવીને છેલ્લે રજીસ્ટર બટન દબાવી મતદાન પૂર્ણ કરી શકાશે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા માટે પણ વિશેષ આયોજન કરાયું છે. એક જ મતદાન મથકમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે અલગ-અલગ મતકુટિરમાં અલગ મતદાન એકમ (BU) રાખવામાં આવશે. તાલુકા પંચાયતના એકમ પર ગુલાબી રંગનું અને જિલ્લા પંચાયતના એકમ પર સફેદ રંગનું મતપત્ર લગાવેલું હશે. અહીં મતદારે પોતાની પસંદગીના એક ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે, જેનાથી લાલ લાઈટ થશે અને 'બીપ' સંભળાશે, જે મત નોંધાઈ ગયાની પુષ્ટિ કરશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ માર્ગદર્શિકાનું પાલન કરી વહેલી સવારે ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:23 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ-કોગ્રેસ-આપના ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:21 pm

ગોધરા પરવડી ચોકડી પાસે કાર અકસ્માત:ટાયર ફાટતા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત, વડોદરા રિફર કરાયા

ગોધરાના પરવડી ચોકડી નજીક ગઈકાલ રાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાને કારણે કાર પલટી ખાઈ જતાં સંજેલીના ફારૂખભાઈ નામના ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફારૂખભાઈ, જે સ્પેરપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ પોતાની કારમાં સામાન ભરીને પરત ફરી રહ્યા હતા. તે સમયે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ફારૂખભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:19 pm

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ, જુઓ ઉમેદવારોના નામનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જામનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ જામનગર મનપાના ઉમેદવારોની યાદી હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોની યાદી હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:18 pm

ચંદ્રુમાણા ગામે સંકટમોચન હનુમાનજી દાદાનો પાટોત્સવ ઉજવાયો:નૂતન ધજા આરોહણ સાથે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી સંકટમોચન હનુમાનજી દાદાનો પાટોત્સવ વૈશાખ સુદ છઠ્ઠના રોજ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે નૂતન ધજા આરોહણ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે દિવસે મેહુલભાઈ અને જીગરભાઈ કાંતિભાઈ વ્યાસ પરિવાર તરફથી શ્રી હનુમાનજી દાદાના મંદિર પર નૂતન ધજા ચડાવવામાં આવી હતી. રાત્રિના સમયે રાવલ ભરતકુમાર દેવશંકર પરિવાર દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જેમાં જનકભાઈ રાવલ અને હર્નિષ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગામગોર નીતિનભાઈ ઠાકર દ્વારા ગણેશજી, કુળદેવી, દેવી-દેવતા અને ભગવાન સત્યનારાયણનું આવાહન, પૂજન અને કથાનું વાંચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હનુમાનજી મંદિરના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, વિહીપના નીતિનભાઈ વ્યાસ, કનુભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નવીનભાઈ વ્યાસ, વિઠાભાઈ પટેલ, વિહાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદની વ્યવસ્થા જીતુભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, જયંતીભાઈ પટેલ, ઈચુપુરી મહારાજ અને દિપકભાઈ પંચાલ સહિતના કાર્યકરો દ્વારા સંભાળવામાં આવી હતી. આગામી વર્ષ માટે સત્યનારાયણ કથાના યજમાન તરીકે કનુભાઈ નટવરલાલ વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:17 pm

રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ:ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખીયો જંગ જોવા મળશે, જુઓ તમામ બેઠકોના ઉમેદવારનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાતરાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયાજિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપીરાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતુંવર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના નામ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:15 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:ડાંગ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ડાંગ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:12 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:નવસારી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર, જુઓ ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. નવસારી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નવસારી મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:10 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:વલસાડ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં; જુઓ ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વલસાડ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:08 pm

ગોધરામાં ઉમ્મીદ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ લગ્ન:14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, ઘરવખરી ભેટ અપાઈ

ગોધરાની સેવાભાવી સંસ્થા ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧મા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા તમામ નવદંપતીઓને સખી દાતાઓના સહયોગથી જીવનજરૂરી ઘરવખરીનો સામાન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને મદદરૂપ થવાનો અને સામાજિક કુરિવાજોને દૂર કરવાનો રહ્યો છે. આ કાર્યક્રમમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવોએ ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટના આ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો અને નવદંપતીઓને સુખમય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:07 pm

મૈત્રી કરારની અદાવતમાં યુવક પરજીવલેણ હુમલો.:જૂનાગઢના કેશોદમાં મૈત્રી કરારનો ખાર રાખી યુવક પર પાઈપ-છરી વડે હુમલો; લૂંટ ચલાવી મોબાઈલ-ગાડીની તોડફોડ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ.

જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક હિંસક ઘટના સામે આવી છે. શહેરના પિપલિયાનગર વિસ્તારમાં એક યુવક પર બે શખ્સોએ જાહેરમાં જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવક જ્યારે પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાને સોડા પીવા ગયો હતો, ત્યારે અચાનક પાછળથી આવેલા હુમલાખોરોએ તેના પર હિંસક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર લોહીયાળ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઇજાગ્રસ્ત યુવક સાગર નિતિનભાઈ દેત્રોજાએ હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આ હુમલા પાછળ 'મૈત્રી કરાર' જવાબદાર છે. સાગરના જણાવ્યા અનુસાર, તેણે હુમલાખોરની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતનો લાંબા સમયથી ખાર રાખીને રવિ કુશવાહા અને રમેશ કુશવાહા નામના બે શખ્સોએ તેને જાનથી મારી નાખવાના ઇરાદે આ હુમલો કર્યો હતો. અગાઉની આ અદાવતનું પરિણામ આજે હિંસક હુમલામાં પરિણમ્યું છે. સાગર દેત્રોજા પાનના ગલ્લા પર ઉભો હતો ત્યારે રવિ અને રમેશ કુશવાહા પાઈપ અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. સાગરે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેને રસ્તા પર જ પકડી લીધો હતો અને નીચે પાડી દઈ બેફામ માર માર્યો હતો. હુમલાખોરોએ સાગરના માથાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા અને પાઈપ વડે હાથ-પગ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, હુમલાખોરોએ સાગર પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને તેના મોબાઈલ ફોન તેમજ ગાડીની પણ તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાગરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધોળા દિવસે થયેલા આ હુમલાને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે કેશોદ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ રવિ કુશવાહા અને રમેશ કુશવાહા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનારના નિવેદન અને ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસ આ હુમલા પાછળના અન્ય કોઈ પાસાઓ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર કેશોદ પંથકમાં આ હિંસક હુમલાની ઘટના ચર્ચાનો વિષય બની છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:06 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:તાપી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. તાપી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:05 pm

સુરત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:સુરત જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરત જિલ્લા પંચાયત અને કડોદરા, તરસાડી નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સુરત જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 12:00 pm

નર્મદા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:56 am

ભરુચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભરુચ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે થશે ટક્કર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભરુચ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભરૂચ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:53 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:છોટા ઉદેપુરની જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. છોટા ઉદેપુર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:51 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:વડોદરા જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે થશે ટક્કર, તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વડોદરા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:49 am

પંચમહાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:પંચમહાલ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠક પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પંચમહાલ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પંચમહાલ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:47 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:દાહોદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. દાહોદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:45 am

મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને AAP વચ્ચે ટક્કર, જુઓ તમામ બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહિસાગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:39 am

હિંમતનગરમાં ભાજપ પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે સભા સંબોધી:પેનલ તૂટવા પર હોદ્દો નહીં મળે, બમ્પર મતદાનની અપીલ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. ગત રાત્રિએ વોર્ડ નંબર 2, 5 અને 10માં ચૂંટણી સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપિન ઓઝ, પ્રેમલ દેસાઈ, પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5, 6, 7, 8, 9, 2 અને 10ની ચૂંટણી સભાઓમાં મહામંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ તેમના દ્વારા કરાયેલા અને આગામી સમયમાં થનારા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત મતદારો સમક્ષ ઉમેદવારોની ઓળખ કરાવી હતી અને તેમને બમ્પર મતદાન કરીને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મતદારોને સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ચિન્હ 'પંજા' પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પંજો હિંમતનગર, ગુજરાત અને દેશને પસંદ નથી. તેમણે વિરોધ પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યાં તેમને ઉમેદવાર મળતા નથી, ત્યાં બહારથી ઉમેદવારો લાવીને ઊભા રાખે છે અને પછી પૈસાથી ખરીદવાના કે ધાકધમકી આપવાના આરોપો લગાવે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પરિણામો પછી ઈવીએમ પર દોષારોપણ કરવાની પણ તેમની તૈયારી હોય છે. વધુમાં, પ્રદેશ મહામંત્રીએ તમામ વોર્ડના ઉમેદવારોને મતદારો સમક્ષ જ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, જીત્યા પછી આ જ વોર્ડના લોકોને જમાડજો અને પાંચ વર્ષ સુધી લોકોના કામ માટે ચારેય ઉમેદવારોનું સંયુક્ત જન સેવકનું જન સંપર્ક કાર્યાલય ખોલજો, જેના ઉદ્ઘાટનમાં અમે બધા આવીશું. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ ઉમેદવારે વિરોધ પક્ષ સાથે અંદરખાને સેટિંગ કર્યું અને ચારમાંથી ત્રણ જીત્યા, એટલે કે પેનલ તૂટી, તો જીતેલા એક પણ ઉમેદવારને પાંચ વર્ષ સુધી કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શિસ્તની ચૂંટણી છે અને ભાજપ પ્રદેશ અશિસ્ત ક્યારેય ચલાવી લેશે નહીં.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:34 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; એક ક્લિકમાં જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ મહાનગર પાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:32 am

સ્થાનિક રાજકારણની બદલાતી તાસીર:વડોદરામાં ગાયકવાડી શાસન જેવી સુવિધાઓ આપવી સૌથી મોટો પડકાર: પોલિટિકલ એક્સપર્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. વડોદરા ગાયકવાડી નગરી છે અને એટલે જ વર્તમાન શાસકોના કામની સરખામણી ગાયકવાડી શાસન સાથે થાય તે સ્વાભાવિક છે. જો કે જયારે પણ આ વાત થાય ત્યારે સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના વિઝનને સહુ કોઈ નતમસ્તક પ્રણામ કરે છે. વડોદરાની રાજનીતિની બદલાતી તાસીર અંગે દિવ્યભાસ્કરે વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. અમિત ધોળકિયા સાથે ખાસ વાતચીત કરી. પ્રોફેસર અમિત ધોળકિયાએ વડોદરાના રાજકારણ અને તેના બદલાતા મિજાજ વિષે જણાવ્યું કે, સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના લાંબા શાસનના કારણે વડોદરાનો શહેરી વિકાસ અને સુવિધાઓનું માળખું અન્ય શહેરો કરતા અલગ પડે છે. તેના કારણે વડોદરામાં જ્યારથી મ્યુનિસિપલ ઓથોરિટીની સ્થાપના થઇ તે સમયે અને ત્યાર બાદ સત્તાધીશો માટે વડોદરા ઉપર શાસન કરવું એક પડકારરૂપ જ રહ્યું છે. શાસકો માટે ગાયકવાડ જેવી સુવિધાઓ કેવી રીતે આપવી અને તેના ઉપર કેવી રીતે કામ કરી શકાય તે મોટો પડકાર છે. આઝાદી બાદ 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યુંઅમિત ધોળકિયાએ જણાવ્યું કે, આઝાદી બાદ વડોદરામાં એકાદ અપવાદને બાદ કરતા 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. તે સમયમાં અનેક મોટા નેતાઓએ પોતાની આગવી છાપ છોડી હતી. વચ્ચે અપવાદરૂપ એક અન્ય પાર્ટીનું પણ શાસન આવ્યું હતું. જો કે ત્યાર બાદ પુનઃ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. શરૂઆતમાં ગાયકવાડી શાસન દરમિયાન જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેનો જ ઉપયોગ કરાતો હતો. જો કે જેમ જેમ સમય બદલાયો તેમ તેમ લોકોનો મિજાજ અને શાસન પણ બદલાયું વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર મેયર બન્યાઅમિત ધોળકિયાએ જણાવ્યું કે, વડોદરામાં આમ તો 1990 સુધી કોંગ્રેસનું શાસન હતું જો કે વચ્ચે વડોદરામાં પોલીસ કમિશનર રહી ચૂકેલા જશપાલસિંહે નિવૃત્તિ બાદ પોતાની પાર્ટી બનાવી. આ પાર્ટીનું નામ હતું, સાવધાન પાર્ટી. જશપાલસિંહ મૂળ વડોદરાના ન હતા પરંતુ તેઓની લોકોમાં એટલી લોકપ્રિયતા હતી કે તેઓ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા અને શાસન પણ કર્યું. જો કે કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન માટે આ અપવાદરૂપ કિસ્સો હતો. રાષ્ટ્રીય સ્તરના સંવેદનશીલ મુદ્દાઓ હાવી થયાઅમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રતિનિધિ કેવો છે, સ્થાનિક મુદ્દાઓ શું છે તેના ઉપર ચૂંટણી લડાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દાઓ ઉપર લડાય છે.જો કે, હાલમાં રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ ઉપર હાવી થઇ ગયા છે. મતદારો સ્થાનિક મુદ્દાઓના બદલે રાષ્ટ્રીય સંવેદનશીલ મુદ્દાઓ જોઈને મત આપે છે. જો કે તેઓએ એ સમજવું જોઈએ કે, લોકસભા કે વિધાનસભામાં સ્થાનિક રોડ રસ્તાના મુદ્દાઓ નહીં ચર્ચાય, એ તો કોર્પોરેશનની સામાન્ય સભામાં જ ચર્ચાશે અને ઉકેલ પણ ત્યાંથી જ આવશે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:31 am

વેરાવળમાં ધર્મસ્થળો ડીમોલેશન મુદ્દે ગરમાયું રાજકારણ:કોંગ્રેસની જાહેરસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યાં સવાલો

ગીરસોમનાથના વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દાઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ધાર્મિક લાગણીઓ અને ભૂતકાળની ઘટનાઓને કેન્દ્રમાં રાખી રાજકીય લડાઈ વધુ આક્રમક બની છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેરસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવેલો એક સવાલ સમગ્ર રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે — “જેણે મસ્જિદ, દરગાહ અને મંદિર તોડ્યા, શું એવા લોકોને આપણે મત આપવો જોઈએ?” આ નિવેદન માત્ર એક રાજકીય ટિપ્પણી નથી, પરંતુ મતદારોની ભાવનાઓને સીધો સ્પર્શ કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. જાહેરસભામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે આ મુદ્દાએ ભારે પ્રતિસાદ ઉભો કર્યો હતો. ચુડાસમાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સત્તાના દમ પર થયેલી ધાર્મિક સ્થળોને લગતી ઘટનાઓને ભૂલવી ન જોઈએ અને મતદાન સમયે તેને યાદ રાખવી જોઈએ. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે આવી સંવેદનશીલ ઘટનાઓ બની રહી હતી ત્યારે અન્ય કોઈ નેતાઓ દેખાયા નહોતા, જ્યારે તેઓ પોતે અડધી રાત્રે સ્થળ પર પહોંચી લોકો સાથે ઉભા રહ્યા હતા. આ વાત દ્વારા તેમણે પોતાને લોકોના “સંકટકાળના સાથી” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રકારની આક્રમક ભાષા અને ધાર્મિક મુદ્દાઓને આગળ ધપાવવાની રણનીતિ મતદારોને ધ્રુવીકરણ તરફ દોરી શકે છે. વેરાવળ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવા નિવેદનો ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. ચુડાસમાએ વધુમાં મતદારોને ચેતવણી આપતા કહ્યું કે ભાજપ પોતાની સીધી લડાઈ ન આપી શકતા અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોને “બી ટીમ” તરીકે મેદાનમાં ઉતારી રહી છે. તેમણે મતદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે મત વિખેરાય નહીં અને કોંગ્રેસને જ સમર્થન આપવું. સભાના અંતે તેમણે દાવો કર્યો કે 44 બેઠકોમાંથી 25થી વધુ બેઠકો પર કોંગ્રેસ વિજય મેળવે તે નિશ્ચિત છે. “આ વખતની ચૂંટણી માત્ર સત્તા માટે નહીં, પરંતુ સ્વાભિમાન અને ન્યાય માટે છે,” એમ કહી તેમણે પોતાના ભાષણને વધુ ભાવનાત્મક વળાંક આપ્યો. પ્રદેશ ભાજપ પ્રમુખ પર નિશાન સાધતા ચુડાસમાએ આત્મવિશ્વાસભેર કહ્યું કે ભાજપને એક બેઠક માટે બહારથી નેતાઓ બોલાવવા પડે છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક સ્તરે જ મજબૂત છે. “અહીં માટે હું એકલો જ પૂરતો છું,” એમ કહી તેમણે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો. વેરાવળમાં ચૂંટણી હવે માત્ર રાજકીય સ્પર્ધા નહીં, પરંતુ ભાવનાઓ, આક્ષેપો અને પ્રતિક્રિયાઓની લડાઈ બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે મતદારો આ આક્રમક અભિયાન વચ્ચે કઈ દિશામાં પોતાનો નિર્ણય આપે છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:30 am

મોરબી યુવાનની છરીના ઘા મારી હત્યા:શિવમ રબારી સહિત 6 આરોપીની કલાકોમાં ધરપકડ

મોરબીના યુવાન અનિલ કંડિયાની માળીયા (મી) હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતીદેતીના મામલે આ ઘટના બની હતી. પોલીસે ગણતરીની કલાકોમાં શિવમ રબારી સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીના આલાપ પાર્ક સોસાયટીના વિવેક વિનોદભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં શિવમ રબારી, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ (તમામ મોરબી નિવાસી)ના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, મૃતક અનિલ કંડિયા અને ફરિયાદી સહિતના ગૌરક્ષકો અણીયારી ટોલનાકા પાસે વોચ રાખી રહ્યા હતા. રાત્રે તેઓ ધૈર્ય હોટેલે નાસ્તો કરવા ગયા ત્યારે એક ઇકો ગાડી આવી હતી, જેમાંથી ઉપરોક્ત પાંચ આરોપીઓ છરીઓ સાથે ઉતર્યા હતા. આરોપીઓએ અનિલ કંડિયા પાસે જઈને જણાવ્યું હતું કે, અમને હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીએ મોકલ્યા છે, તું શિવમભાઈના પૈસા કેમ આપતો નથી? આ પછી ઝઘડો થયો હતો. કિશન ચૌહાણ અને રમેશ રબારીએ અનિલભાઈને મારી નાખવાના ઈરાદે છરીના ઘા માર્યા હતા. અનિલને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદીને પૃથ્વીરાજસિંહે છરીનો ઘા માર્યો હતો. હોટેલના સ્ટાફ અને અનિલના સાથીદારો વચ્ચે પડતા પાંચેય શખ્સો ઇકો ગાડીમાં નાસી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અનિલ કંડિયાનું મોત નીપજ્યું હતું. મૃતક અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સના શિવમ રબારી પાસેથી પૈસા લીધા હતા. આ લેતીદેતીના મામલે શિવમ રબારીએ કાવતરું ઘડીને તેના પાંચ માણસોને છરી જેવા હથિયારો સાથે અનિલ પાસે મોકલ્યા હતા, જેના પરિણામે યુવાનની હત્યા થઈ હતી. પોલીસે આ ગુનામાં મોહન ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા, રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી, પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (તમામ મોરબી નિવાસી)ની ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલી ઇકો ગાડી નંબર GJ 36 B 3749 પણ પોલીસે કબજે કરી છે. મોરબી એલસીબી અને માળીયા (મી) તાલુકાના પીઆઈની સૂચના મુજબ સ્ટાફે આ કાર્યવાહી કરી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:27 am

અમદાવાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ, જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:24 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:ગાંધીનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ગાંધીનગર જિલ્લા-તાલુકા પંચાયતના તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:19 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:14 am

ભાજપ સભાની પત્રિકામાં કોંગ્રેસ ઉમેદવારનું નામ છપાયું:પાટણ વોર્ડ 11ના કોંગ્રેસ ઉમેદવાર ભવાનજી ઠાકોરનું નામ પૂર્વ કોર્પોરેટર યાદીમાં

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5, 4 અને 11ના સમર્થનમાં ભાજપ દ્વારા આયોજિત જાહેર સભાની નિમંત્રણ પત્રિકા વિવાદમાં સપડાઈ છે. આ પત્રિકામાં પૂર્વ કોર્પોરેટરોની યાદીમાં કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર ભવાનજી ઠાકોરનું નામ છપાયું છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભવાનજી ઠાકોર હાલમાં વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાનું નામ પક્ષની સત્તાવાર પત્રિકામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે કે ભાજપ દ્વારા આ નામ ભૂલથી છપાયું છે કે પછી જાણીજોઈને. આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય આલમમાં આશ્ચર્ય ફેલાયું છે. 23 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ સભાની પત્રિકામાં રજનીભાઈ પટેલ, હિતુ કનોડિયા અને કે.સી પટેલ જેવા વરિષ્ઠ ભાજપ નેતાઓના નામ પણ સામેલ છે. વિરોધ પક્ષના ઉમેદવારનું નામ સત્તાધારી પક્ષની પ્રચાર સામગ્રીમાં જોવા મળતા ભાજપની શિસ્ત અને સંકલન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.જોકે બાદ માં નવી પત્રિકા તેમનું નામ કમી કરી દેવમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 11:06 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ:બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, તમામ બેઠકોના ઉમેદવારો ફાઈનલ, જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 10:54 am

પાટણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026:જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર, તમામ બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ; જુઓ લિસ્ટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પાટણ જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 10:43 am

કાલથી ગરમીના થર્ડ ડિગ્રીના ટોર્ચર માટે તૈયાર રહેજો:પારો 2થી 3 ડિગ્રી વધી શકે, અમદાવાદ, ગાંધીનગર સહિત 6 શહેરમાં તાપમાન 40°Cને પાર

ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.કાલથી આકરા તાપનું ટોર્ચર શરૂ થશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, આજથી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આ અઠવાડિયાના અંતમાં મહતમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મતદાનના દિવસે 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકેઆગામી 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે. 22 એપ્રિલે રાજ્યમાં સૌથી ગરમ અમદાવાદરાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવુંરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.આ પણ વાંચો:ઓડિશામાં 44.6C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક, યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે; દિલ્હીની શાળાઓમાં પાણી પીવા માટે વાગશે ઘંટડી દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન 40C થી 45C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ તરફ, દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય અને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.સંપૂર્ણ સમાચાર વાંચો

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 10:32 am

ગેસ લીકેજથી થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં 3નાં મોત:ઘરમાલિક-પાડોશી મહિલા-માસૂમે જીવ ગુમાવ્યો; રસોઈ બાદ ગેસ બંધ કરવાનું ભૂલી ગયા, વેન્ટિલેશનના અભાવે 'ગેસ ચેમ્બર' સર્જાયો

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગત 17 તારીખે ગેસ લીકેજને કારણે થયેલા ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 6 લોકો પૈકી 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઘરમાલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડે આપવામાં આવતાં મકાનોમાં સુરક્ષા અને વેન્ટિલેશનના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું હતી સમગ્ર ઘટના? ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા (ઉ.વ. 40) ગત 17 તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદ ભૂલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે બંધ ઘર 'ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું હતું. સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતી દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાને બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટમાં કોણે જીવ ગુમાવ્યો? આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન નીચે મુજબના 3 લોકોના મોત નિપજ્યાં છે: વેન્ટિલેશનનો અભાવ અને સુરક્ષાના સવાલો સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર, આ એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં વેન્ટિલેશન (હવા-ઉજાસ)ની કોઈ જ વ્યવસ્થા ન હતી. રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો. ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન માલિકો દ્વારા વધુ ભાડું મેળવવાની લાલચમાં સુરક્ષાના તમામ માપદંડોને નેવે મૂકીને બનાવેલા આવા રૂમો શ્રમિકો માટે મોતનું કારણ બની રહ્યા છે. આ ઘટનાએ પૂરતા વેન્ટિલેશન અને ગેસ સુરક્ષા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર લાલબત્તી ધરી છે. ---- આ પણ વાંચો એકસાથે 9 જિંદગીઓ જીવતી ભડથું થઈ! યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલું ટ્રેલર બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું હતું. ટ્રેલરે પહેલા સ્વિફ્ટ કારને ટક્કર મારી, પછી એક ટ્રક સાથે અથડાયું. કાર બંને ટ્રકોની વચ્ચે ફસાઈ ગઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલી બોલેરો ટ્રોલામાં ઘૂસી ગઈ. સંપૂર્ણ અહેવાલ વાંચો… લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત 17 એપ્રિલે મોડી રાત્રે લાગેલી ભયાનક આગમાં એક સુખી સંપન્ન દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તંત્રની ભારે બેદરકારી અને લીંબડી નગરપાલિકાની ફાયર સેવાની પોલ ખુલી ગઈ હતી. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, જો ફાયરની ટીમ સમયસર પહોંચી હોત તો દંપતીનો જીવ બચાવી શકાયો હોત. સંપૂર્ણ અહેવાલ વાંચો…

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 10:09 am

પાળીયાદ પાંજરાપોળને દોશી પરિવારે ₹1.11 લાખનું દાન આપ્યું:અબોલ પશુઓના ઘાસચારા માટે મુંબઈથી સહાય મળી

પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને મુંબઈ સ્થિત નયનાબેન રાજેશભાઈ દોશી પરિવારે ₹1,11,000નું અનુદાન આપ્યું છે. આ દાન અબોલ પશુઓના ઘાસચારાની વ્યવસ્થા માટે ઉનાળાની ઋતુમાં પ્રાપ્ત થયું છે. નયનાબેન રાજેશભાઈ દોશી પરિવાર સ્વ. દલીચંદભાઈ જેઠાભાઈ ઝોબાળિયા (પાળીયાદવાળા)ના સુપુત્રી છે. આ આર્થિક સહાય ખાસ કરીને ઉનાળામાં પશુઓ માટે ઘાસચારાની અછત નિવારવામાં મદદરૂપ થશે. પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટે જીવદયાના આ કાર્ય બદલ તેમની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 9:46 am

પતિએ પત્ની પાસેથી બાળક ઝૂંટવ્યું:181 અભયમ અને 112 ટીમે માતાને પરત અપાવ્યું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઘરેલું વિવાદના એક કિસ્સામાં, પતિએ પત્ની પાસેથી ત્રણ માસના બાળકને ઝૂંટવી લીધું હતું. આ મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને માતાને પરત સોંપ્યું હતું. પીડિત મહિલાએ 181 અભયમ અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ બપોરની કાળઝાળ ગરમીમાં ત્રણ માસના બાળકને તેના હાથમાંથી બળજબરીપૂર્વક ખેંચીને ગામમાં ભાગી રહ્યો છે અને તેને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન બારૈયા અને પાયલોટ હિતેશભાઈ સોલંકી 112 જનરક્ષક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને ટીમે પતિને શોધી કાઢ્યો હતો. બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ટીમે પતિ પાસેથી બાળકને છોડાવીને હેમખેમ તેની માતાના ખોળામાં પરત સોંપ્યું હતું. 181 ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને ત્રણ બાળકો છે. પતિ છેલ્લા સાત વર્ષથી પત્નીના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરતો હતો. તેણે ઘરમાં સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવ્યા હતા જેથી પત્નીની દિનચર્યા પર નજર રાખી શકાય. પતિ નાની નાની બાબતોમાં ટોકીને પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. શંકાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પતિના આ વર્તનથી ત્રસ્ત થઈને અને આત્મસન્માનને ઠેસ પહોંચતા મહિલાએ તેના પિયર જવાનો નિર્ણય લીધો હતો. આ વાતની જાણ થતા જ પતિ કાળઝાળ ગરમીમાં બાળકને લઈને ગામમાં દોડધામ કરવા લાગ્યો હતો. 181 અને 112 ટીમે મહિલાના પતિને ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગે સમજાવ્યો હતો. પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવા ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં PBSC ના કાઉન્સેલર ક્રિષ્નાબેન બધેકાએ આગળની કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 9:34 am

ચૂંટણીને લઈ પરવાનેદાર 658 હથિયાર પોલીસ મથકમાં જમા:22 દિવસમાં 1.54 કરોડનો દારૂ ઝડપાયો, વડોદરામાં 4,261 શખસો સામે અટકાયતી પગલાં

આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ 1 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 658 હથિયારો પોલીસ મથકે જમા થયાચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્યમાં કુલ 718 પરવાનેદાર હથિયારો છે. જેમાંથી 658 હથિયારો પોલીસ મથકે જમા લેવાયા છે. બાકીના હથિયારો સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સિક્યુરિટી વગેરે) અને રમતવીરોને નિયમ મુજબ મુક્તિ આપવામાં આવી છે. 1.54 કરોડના દારૂનો જથ્થો ઝડપાયોઆ સાથે પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો હતો. ગ્રામ્ય પોલીસે કુલ 595 કેસો નોધ્યા છે. જેમાં દેશી દારૂ 2248 લિટર, વિદેશી દારૂની 18043 બોટલ (કિંમત 88.16 લાખ ) મળી કુલ 1.54 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 4261 શખસો સામે અટકાયતી પગલાંઆ સાથે ગ્રામ્ય પોલીસે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વિવિધ ધારા હેઠળ 4261 શખસો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. આ સાથે 565 ઈસમો પાસે સારી વર્તણૂક અંગેના જામીન લેવડાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 434 (Non-Bailable) વોરંટની બજવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 15 ચેકપોસ્ટ પર સઘન વ્હીકલ ચેકિંગ હાથ ધરી 19409 વાહનોની તપાસ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 25 કેસ અને 43 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 9:29 am

અમદાવાદમાં ઇન્સ્ટા પર સ્ટોરી મૂકવા બાબતે યુવકની હત્યા:આયશા મસ્જિદ પાસે 3 આરોપીએ બે મિત્રો પર છરી-પથ્થરથી હુમલો કર્યો, 24 કલાકમાં બીજું મર્ડર

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે. 22 એપ્રિલની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદની પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે થયેલી બબાલની અદાવતમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના?જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. મિત્ર બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ છરી મારીમોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી સહિત 3ને દબોચ્યાગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે. વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 8:33 am

સેવતીલાલ પટેલે કોંગ્રેસના આક્ષેપો પર વળતો પ્રહાર કર્યો:'ભાજપ મુસ્લિમ વિરોધી નહીં, માત્ર દેશદ્રોહીઓના વિરોધી છે'

ડો. સેવતી લાલ પટેલે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા તેમના ભાષણના ખોટા અર્થઘટન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પટેલે અગાઉ કહ્યું હતું કે સનાતન ધર્મના હિન્દુઓ ત્યાં સુધી જાગૃત ગણાશે નહીં જ્યાં સુધી કોંગ્રેસને દેશમાં કોઈ હિન્દુ ઉમેદવાર ન મળે અને તેણે માત્ર અબ્દુલ, ઇસ્માઈલ કે ઇકબાલ જેવા નામો પર નિર્ભર રહેવું પડે. આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા તેમને મુસ્લિમ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. આક્ષેપોને ફગાવતા સેવતી લાલ પટેલે સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વિરોધી નથી, પરંતુ માત્ર દેશદ્રોહી તત્વોની વિરોધી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો ભાજપ મુસ્લિમ વિરોધી હોત તો અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિને રાષ્ટ્રપતિ ન બનાવ્યા હોત. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હિન્દુઓને આતંકવાદી અને હિંસક કહીને બદનામ કરવાનું તેમજ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું કામ કરે છે. ભાજપની નીતિ 'સબકા સાથ, સબકા વિકાસ' ની છે અને પક્ષ કોઈની ચાપલૂસી કે અવગણનામાં માનતો નથી. કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ડોક્ટર સાથેની વ્યાપારી ભાગીદારી અંગે થયેલા આક્ષેપો પર પટેલે ડો. હમીદ મન્સૂરીના સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડો. મન્સૂરીએ શિશુમંદિરમાં 2.5 લાખ રૂપિયા અને અયોધ્યા રામમંદિર નિર્માણ માટે RSS ના ફાળામાં પણ 2.5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત, ડો. મન્સૂરીએ ગૌશાળામાં 1 લાખ રૂપિયા અને મૃતદેહોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા માટે મા-પરિવાર સંસ્થાને 10 લાખ રૂપિયાનું દાન આપેલું છે. ડો. મન્સૂરી રાષ્ટ્રવાદી મુસલમાન હોવાથી તેમની સાથે મિત્રતા અને ભાગીદારી હોવાનું પટેલે સ્પષ્ટ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 8:09 am

'એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની કોઈ હદ નથી':' ગટર, રોડ, પાણીની કોઈ સુવિધા નથી, માત્ર વોટ લેવાના ટાઈમે નેતાઓ દેખાય છે'; પાલનપુરના વોર્ડ નં.2ના મતદારોમાં રોષ

પાલનપુર નગરપાલિકા વિસ્તારનો વોર્ડ નંબર-2 મહત્વનો વોર્ડ ગણાય છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે કુલ 6810 મતદારો ધરાવતા આ વોર્ડના મતદારોનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ આ વોર્ડમાં પહોંચી હતી. જ્યા મતદારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વોર્ડ નંબર 2ના લક્ષ્મી નગર, આસોપાલવ સોસાયટી સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આ વોર્ડમાં આવેલું પાલનપુરનું આન બાન સમાન માન સરોવરની કાયાપલટ થયેલી જોવા મળી છે. કેટલાક વિસ્તારમાં વિકાસના સારા એવા કામો થયા છે જેથી મતદારોમાં ખુશી જોવા મળી હતી. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. ‘ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય છે’સુરેખાબેન ઠાકરે જણાવ્યું કે, કચરાના ઢગલા થાય તો પણ કોઈ કચરો લેવા આવતા નથી. કચરો પડ્યો હોય, જેથી ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય. ગટરની પાણીની પાઇપલાઇનો તૂટી જાય તો પણ સરખી કરવા આવતા નથી. અમારી ભાગ્યોદય સોસાયટી આગળ રોડને ખોડી નાખ્યો છે. સવારમાં પાણી પણ ચાલ્યું જાય છે, તો તકલીફ કેટલી? અમારી સોસાયટીમાં કોઈએ વોટ માટે આવવું નહીં. ‘લાઈટ-પાણીની કોઈ સુવિધા નથી’સ્થાનિક ગણેશ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટરો અમારો કોઈ ફોન ઉપાડતા નથી. ગટરની કોઈ સુવિધા નથી, લાઈટ-પાણીની સુવિધા નથી. જ્યારે પણ અમે કોઈ પણ કામનું કહીએ છીએ ત્યારે બસ 'માણસ મોકલીએ છીએ' એમ જ કહે છે. છેલ્લા 10 વર્ષમાં ત્રણ-ત્રણ વાર રોડ બન્યો છે, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની કોઈ હદ નથી. જે માણસોને ટિકિટો આપવાની હોય એવાને નથી આપતા, ગુંડા તત્વોને ટિકિટો આપે છે અને પાછલા બારણેથી પૈસા લઈને ટિકિટો આપે છે આ ભાજપનો મોટો ભ્રષ્ટાચાર છે. ‘વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ કામ થયું નથી’સ્થાનિક હેમંતભાઈએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. આજે રસ્તાઓની હાલત જુઓ. અમે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે છતાં કોઈ જ કામ થયું નથી. મનીષ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કાર્ય જોવા મળ્યા નથી, જેવા કે સાધારણ કામ પણ જોવા મળ્યા નથી કે જે બધાથી પ્રસન્ન થઈ જાય. તો આ બોર્ડ મારવાની જરૂર ના પડે અને ચૂંટણીનો વિરોધ કરવાની જરૂર ના પડે. ઉમેદવારો પાસે અમે જવાબ માગીશું કે, રોડનું કામ, કચરાનું કામ પાણીની સમસ્યા એ તમામનું સોલ્યુશન કેમ નથી લાવ્યા તમે? હિરેન પ્રજાપતિએ જણાવ્યું કે, વોટ લેવાના ટાઈમે નેતાઓ દેખાય છે, એના પછી કોઈ દેખાતા નથી. રોડ આખો ખોદી નાખ્યો છે. રોડ પર ખાડાઓ છે જેથી વૃદ્ધો ચાલતા ચાલતા પડી જાય છે. એક્ટિવા લઈને જતી લેડીઝો પડી જાય છે. આ વખતે સોસાયટીએ નક્કી કર્યું છે કે કોઈને વોટ આપવો નથી, ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 8:05 am

વોર્ડ નં.3માં ક્યાંક વિકાસની ચમક તો ક્યાંક પાયાની સુવિધાનો અભાવ:'મેઈન રોડ પર ઉડતી ધૂળથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં'; બાળકો માટે લાઈબ્રેરી, યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની મતદારોની અપેક્ષા

રાજ્યમાં નવી બનેલી 15 મહાનગરપાલિકાઓમાં અત્યારે સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 3માં પહોંચી હતી. જ્યાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 15 હજારથી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ક્યાંક વિકાસની ચમક જોવા મળી છે તો ક્યાંક પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. આ વોર્ડ નં 3માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે, ત્યારે આ વિસ્તારના મતદારોએ બાળકો માટે લાઈબ્રેરી, યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની તેમજ આરોગ્ય ભવન અને ઓડિટરિયમની મહાનગર પાલિકા પાસે અપેક્ષા રાખી છે. ‘પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી’સ્થાનિક સુનિલ ભટ્ટે જણાવ્યું હતું કે, હું આ ત્રણ નંબર વોર્ડમાં છેલ્લા 35 વર્ષથી રહુ છું. આ 35 વર્ષની અંદર આ વોર્ડમાં પાયાની માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળે છે. પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી, સવારમાં સાડા છએ પણ આવે અને રાત્રે 11 વાગ્યે પણ આવે. ‘ઘણી ફરિયાદો કરી પણ કોઈ દિવસ નિકાલ થયો નથી’વધુમાં જણાવ્યું કે, મેઈન રોડ ઉપર મોટી હોસ્પિટલ છે, અહીં સ્કૂલ પણ આવેલી છે. એ રોડ ઉપરથી પસાર થાય તો ધૂળો અને રજકણો ઉડે છે, એનાથી માણસોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થયા છે. ઘરે જઈને નહાવું પડે છે. વર્ષોથી કેટલી બધી ગ્રાન્ટો આવે છે, પણ કોઈ ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે વપરાતી હોય અને એના આવા બધા પ્રશ્નો રોડ, લાઈટ, રસ્તા અને ગટરના પ્રશ્નો હલ થયા હોય એવુ મેં જોયું નથી. અમે યોગ્ય જગ્યાએ ઘણી બધી ફરિયાદો કરી પણ એ ફરિયાદોના કોઈ દિવસ ક્યારેય નિકાલ થતા હોતા નથી. ‘ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવામાં આવે’આ અંગે વોર્ડ નં -3ના ધર્મેન્દ્રસિંહ જાલિમસિંહ ટાંકે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી રહુ છું, અમારી માંગણી છે કે, આ ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવાનો બાકી રહી ગયો છે, જે અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કામ થયું નથી. વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વોર્ડમાં પીવાનું પાણી રેગ્યુલર આવવું જોઈએ. ‘અમારા વોર્ડમાં વિકાસના ઘણા કામો થયા છે’અશોક મગારાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જે પૂર્વ કોર્પોરેટર હતા, એમણે ઘણા બધા વિકાસના કાર્યો કરેલા જ છે. હાલ અમારી માંગ એવી છે કે, યુવા વર્ગ આ વોર્ડમાં રહે છે, તો એમના માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બને. અમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ નથી, એની પણ અમારી મહાનગરપાલિકા પાસે માંગણી છે. રોડ, રસ્તા, ગટર, પાણી અને સાફસફાઈમાં પૂરતું ધ્યાન આપે એવી અમારા વોર્ડ વતી વિનંતી કરું છું. મુકેશ બારોટે જણાવ્યું હતું કે, હું સુરેન્દ્રનગર વોર્ડ નં -3માં છેલ્લા 15 વર્ષથી રહુ છું. આ 15 વર્ષની અંદર અગાઉ જયારે મહાનગરપાલિકા નહોતી બની ત્યારે નગરપાલિકા હતી, ત્યારથી અમારો જે રસ્તાનો પ્રોબ્લેમ હતો, એ અત્યારે દૂર થઇ ગયો છે. અમારા નવા જંક્શન રોડ ઉપર જનયુગ પાસે સહયોગ પાર્કની અંદર બગીચો પણ છે. અત્યારે વોર્ડ નં 3ની અંદર લાઈબ્રેરી તેમજ આરોગ્ય ભવન નથી, તે માટેની અમારા વોર્ડ નં 3ના તમામ નાગરિકોની માંગ છે. અમારા બાળકોને વાંચવા માટે લાઈબ્રેરી અહીંયાથી ખુબ દૂર જવું પડે છે. શૈલેષ ઘોપાળે જણાવ્યું હતું કે, અમારા ત્રણ નંબર વોર્ડમાં પાલિકાએ ગાર્ડન બનાવ્યો છે, રોડ અને રસ્તા પણ ખુબ સારા છે. અમારા વિસ્તારમાં જે જંક્શન રોડ છે, એ રોડને પણ આઇકોનીક બનાવવામાં આવી રહ્યો છે, આમ તો એકંદરે ખુબ જ સારી વ્યવસ્થા છે. ‘અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાતો લે’વોર્ડ નં-3ના હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, આજુબાજુમા નાના નાના કોમન પ્લોટ હોય ત્યાં બગીચા થાય, ઓડિટરિયમ બનાવવામાં આવે, જેથી નાના છોકરાઓને રમવા માટે અને મોટા વડીલોને ચાલવા માટેની વ્યવસ્થા થાય. આ ઉપરાંત નિયમિત રીતે લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. સામાન્ય રીતે અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાત લે એ વધારે સારામાં સારુ છે. રાજકીય સ્થિતિ: ભાજપના ગઢમાં 'આપ'ની એન્ટ્રીસુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ભાજપનું એકહથ્થુ શાસન છે. સાંસદ, 5 વિધાનસભા, જિલ્લા-તાલુકા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભગવો લહેરાઈ રહ્યો છે. અગાઉ અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. મતદારોનું ગણિત: નવા મતદારો કિંગમેકર બનશેજિલ્લાની સ્થિતિ: કુલ 13,66,275 મતદારોમાંથી 21,415 મતદારો ઘટ્યા છે, જેની સામે 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપ માટે આ નવા મતદારોને રીઝવવા મોટો પડકાર છે.વોર્ડ નં. 3 ની સ્થિતિ: 2021માં અહીં 18,093 મતદારો હતા, જે ઘટીને હવે 15,069 થયા છે (3,024 મતોનો ઘટાડો). વોર્ડ નં. 3: જ્ઞાતિગત સમીકરણ અને અનામતકુલ વસ્તી:21,382જ્ઞાતિ મુજબ વસ્તીOBC-8,266SC-177ST-54બેઠકોનું માળખું:બેઠક-1: OBC સ્ત્રી અનામતબેઠક-2: સ્ત્રી અનામતબેઠક-3: સામાન્ય વર્ગબેઠક-4: સામાન્ય વર્ગ જનતાના મુખ્ય પ્રશ્નો અને માંગણીપાણીની સમસ્યા:પીવાના પાણીનો કોઈ ચોક્કસ સમય નથી, અનિયમિતતાથી રહીશો પરેશાન.રોડ-રસ્તા:ટીબી હોસ્પિટલથી કરમણપરાનો રસ્તો અધૂરો, ઉડતી ધૂળને કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો.નવી સુવિધાઓ: વોર્ડમાં લાઈબ્રેરી, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કોમ્યુનિટી હોલ અને આરોગ્ય ભવનની તાતી જરૂરિયાત.વિકાસની મિશ્ર અસર:કેટલાક વિસ્તારોમાં નવા બગીચા અને આઈકોનિક રોડ બનતા લોકોમાં સંતોષ પણ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 8:05 am

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ સંમેલન યોજાયું:2047 સુધીના 'વિકસિત ગુજરાત'નો રોડમેપ રજૂ કર્યો, વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સેમીકન્ડક્ટરથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી ગ્લોબલ હબ બનશે - મુખ્યમંત્રી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે ભાવનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન અને વિકાસ ગાથાનું વર્ણન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા, પ્રબુદ્ધ સંમેલનમાં 2047 સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો, બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર ખાતે યોજાયેલા પ્રબુદ્ધ સંમેલનમાં હાજરી આપી હતી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલી આ સભામાં રાજ્યના વિકાસને લઈને મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વિવિધ વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ યોજાયું હતું, આ સાથે મોટી સંખ્યામાં વેપારીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા, લોકશાહીના પાવન પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્યભરમાં યોજાઈ રહી છે, ત્યારે વિચારોના સકારાત્મક આદાનપ્રદાન અને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માટે આજે આ પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું, આ પ્રસંગે ભાજપને એક સતત કાર્યશીલ અને વિકાસમુખી પાર્ટી તરીકે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં પાણી, વીજળી અને માર્ગ વ્યવસ્થા જેવા મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા હોવાનું જણાવી કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનથી રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કર્યું છે, જેના પરિણામે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે આગામી 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત અગ્રણિય ભૂમિકા ભજવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. વિકસિત ગુજરાત માટેનો માર્ગ-નકશો તૈયાર થઈ ગયો છે અને રાજ્યના વિવિધ ઝોનમાં તેનું અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં “વિકસિત ભારત” સાથે “વિકસિત ગુજરાત” માટે 2047 સુધીનો રોડમૅપ તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ રોડમૅપને 6 મહત્વપૂર્ણ સેક્ટરમાં વહેંચી રાજ્યના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે ગુજરાત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાય ચૂંટણી દરમિયાન રાજ્યમાં વિકાસ કાર્યો સ્પષ્ટ રીતે જોવા મળ્યા છે, ખાસ કરીને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ પર મૂકાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું, ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાને કારણે મુખ્યમંત્રીએ રાત્રે 10 વાગ્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લા ત્રણ દાયકામાં જનતાએ ભાજપ પર મુકેલો વિશ્વાસ વિકાસના કાર્યો દ્વારા સાબિત થયો છે, અને રાજ્યમાં નવા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા સમૃદ્ધિનો માર્ગ વધુ મજબૂત બન્યો છે, આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 7:38 am

જીવલેણ હુમલો:તલોદના તાજપુરની સીમમાં એસટીના મિકેનિકલ હેલ્પર પર જીવલેણ હુમલો

તલોદના તાજપુરની સીમમાં જૂની અદાવતને લીધે નોકરી પરથી પરત ફરી રહેલા એસટીના મિકેનિકલ હેલ્પર પર બે શખ્સોએ લોખંડના કડા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. તલોદના આંત્રોલી દોલજી વાસમાં રહેતા 21 વર્ષીય યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ એસટી વર્કશોપમાં મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ગત 21 એપ્રિલના રોજ મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે સાથી કર્મચારી પવન સોલંકી સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તાજપુર ગામની સીમમાં જીઓ પેટ્રોલપંપ સામે આવેલી એક ચાની હોટલ પર રોકાયા હતા. યુવરાજસિંહ ચા પીવા ઉભા હતા ત્યારે પાછળથી આંત્રોલી પુંજાજી વાસનો શૈલેષસિંહ બાપુસિંહ પરમાર અને તલોદનો જયેશ ઝાલા ત્યાં ધસી આવ્યા હતા. અગાઉ થયેલા મનદુઃખની વેરભાવના રાખીને આ બંને શખ્સોએ યુવરાજસિંહ પર હુમલો કર્યો હતો. શૈલેષસિંહ પરમારે પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે યુવરાજસિંહના માથાના પાછળના ભાગે, કપાળ પર અને જમણા હાથની આંગળી પર ફટકા માર્યા હતા. હુમલાને કારણે યુવરાજસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝપાઝપી દરમિયાન યુવકની સોનાની ચેઈન અને રોકડ ભરેલું પાકીટ પણ સ્થળ પર પડી ગયું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:56 am

સાબરકાંઠા તા.પં. ચૂંટણી:વડાલીના બડોલમાં સૌથી ઓછા મતદારો, ઝહીરાબાદમાં સૌથી વધુ

સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીના જંગમાં સ્ત્રી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે. જિલ્લાના કુલ 170 વોર્ડમાં 444826 મહિલા મતદારો નોંધાયા છે. વડાલીના બડોલમાં સૌથી ઓછી મહિલા મતદારો નોંધાઈ છે. હિંમતનગર તાલુકાની 28-ઝહીરાબાદ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી મોટી બેઠક છે. અહીં કુલ 10184 મતદારો છે. આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં મતદારોનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. તો વડાલી તાલુકાની 2-બડોલ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી નાની બેઠક છે. અહીં કુલ માત્ર 2772 મતદારો છે. એટલે કે, ઝહીરાબાદ અને બડોલ વચ્ચે આશરે 7400 મતદારોનો તફાવત છે. ઝહીરાબાદ બેઠકમાં સૌથી વધુ 5036 મહિલા મતદારો છે. ત્યારબાદ ઈડરના ગોરલમાં 3660 અને હિંમતનગરના બેરણામાં 3638 બેઠક આવે છે. વડાલીની બડોલ બેઠક પર જિલ્લામાં સૌથી ઓછી 1344 મહિલા મતદારો છે. આ ઉપરાંત પોશીના તાલુકાની દેમતી-1 બેઠકમાં માત્ર 1350 મહિલા મતદારો નોંધાવા પામ્યા હતા. તાલુકા વાઇઝ બેઠકોની વિગત હિંમતનગર (28 બેઠક) ઇડર (28 બેઠક) ખેડબ્રહ્મા (20 બેઠક) પોશીના (20 બેઠક) પ્રાંતિજ (20 બેઠક) તલોદ (20 બેઠક) વિજયનગર (18 બેઠક) વડાલી (16 બેઠક)

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:55 am

LCBની કાર્યવાહી:મકાઈના વેપારી સાથે 10 લાખની ઠગાઈ‎કરનારા ચાર શખ્સ પાલનપુરથી ઝડપાયા‎

પાલનપુર-ડીસા હાઈવે પરથી એલસીબીએ મધ્યપ્રદેશના વેપારી સાથે છેતરપિંડી કરનારા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પહેલા વેપારીઓનો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પહેલા વેપારીને વિશ્વાસ જીતવા સમયસર નાણાં ચૂકવતા અને બાદમાં મોટા જથ્થામાં અનાજ-ચોખાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા હતા. બનાસકાંઠા એલસીબીના પીઆઈ ડી.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ હોટલ પ્રાઈમ નજીક વોચ ગોઠવી મધ્યપ્રદેશના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના કુરાવર (કોટરા)ના વેપારી રાધેશ્યામ અગ્રવાલ પાસેથી લિમરા ઇન્ટરપ્રાઇઝ ફર્મના સંચાલકોએ વિશ્વાસ કેળવી 56.24 લાખ રૂપિયાની મકાઈ ખરીદી હતી. જેની સામે માત્ર 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના 10 લાખથી વધુની રકમ ન ચૂકવી છેતરપિંડી આચરાઈ હતી. આ મામલે ગુનો નોંધાયો હતો. ઝડપાયેલા આરોપીઓ1.ફૈઝાન અબ્દુલહક અબ્દુલ્લા મુખી (રહે.,ભાગળ-જ, તા. પાલનપુર) 2.શાહબુદ્દીન કિફાયતુલ્લા શરીફભાઈ દુક્કા (રહે.સઈદપુરા, કાલેડા,વડગામ) 3.અહેમદખાન ખિતાબુલ્લા ભુલઈ ચૌધરી(હાલ રહે.વસઈ રોડ, મુંબઈ) 4.જમાલ ઉર્ફે દાનિશ મુકીન અંસારી(હાલ રહે.મુંબઈ, મૂળ રહે.ઉત્તરપ્રદેશ)

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:52 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સાબરકાંઠા: 48 અપક્ષો વચ્ચે 21 ચૂંટણી ચિહ્નોની ફાળવણી

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ થતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારો સામે મેદાનમાં ઉતરેલા 48 જેટલા અપક્ષ ઉમેદવારોએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આ અપક્ષોને કુલ 21 જેટલા વિવિધ રોજીંદા વપરાશના ચિહ્નો ફાળવવામાં આવ્યા છે, જેમાં ટેબલ અને કાચનો ગ્લાસ ઉમેદવારોની પસંદ બન્યા હોય તેમ જણાય છે. જિલ્લામાં ચૂંટણી લડી રહેલા અપક્ષોમાં ટેબલ ચિહ્ન સૌથી વધુ લોકપ્રિય સાબિત થયું છે. કુલ 7 ઉમેદવારોને ટેબલનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. જ્યારે 6 ઉમેદવારો કાચના ગ્લાસના નિશાન સાથે અને 5 ઉમેદવારો કડાઈના નિશાન સાથે મતદારો પાસે જશે. આ સિવાય અન્ય ઉમેદવારોને ટીલર, દૂરબીન, પેટ્રોલપંપ, સીતાર, અલમારી, માઇક, ઝૂલો, ડીશ એન્ટેના,મીકસી, એરકંડીશનર, પટ્ટો, રોબટ, ઇસ્ત્રી, ભીંડા, દ્વાક્ષ, માચીસ બોકસ, પાણીની ટાંકી, ક્રેન જેવા ચિહ્નો ફાળવવામાં આવ્યા છે. ઇડર પાલિકામાં સૌથી વધુ 21 અપક્ષસાબરકાંઠાના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આટલી મોટી સંખ્યામાં અપક્ષો મેદાનમાં હોવાથી મુખ્ય પક્ષોના મતોમાં ગાબડું પડી શકે છે. જિલ્લા પંચાયતમાં 04, આઠ તાલુકા પંચાયતમાં 20, ઇડર પાલિકામાં સૌથી વધુ 21 હિંમતનગર પાલિકામાં 2 અને વડાલી પાલિકામાં 1 મળી કુલ 48 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે ખાસ કરીને ઇડર અને પ્રાંતિજમાં અપક્ષોનું જોર વધુ જોવા મળી રહ્યું છે. પક્ષના મેન્ડેટ ન મળતાં નારાજ થયેલા ભાજપના10 કાર્યકરોએ બળવો કરીને અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:45 am

હિંમતનગર નેશલ હાઈવે પર અકસ્માત‎:બાઇક પાછળ બાઈક અથડાતાં વકીલનું મોત

હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતાં બાઇક ચાલકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વકીલાતનો વ્યવસાય કરતાં 58 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી પોલીસને જાણ કર્યા વગર નાસી છૂટ્યો હતો, જેની સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેસાસણના વતની અને વ્યવસાયે વકીલ એવા પ્રકાશકુમાર સોમાભાઈ પટેલ ગત તા.19-04-2026ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની બાઈક નં જીજે-09-સીજી-8459 લઈને હિંમતનગર ઓફિસે આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નેશનલ હાઈવે પર મેડિસ્ટાર હોસ્પિટલથી આગળ ધનલક્ષ્મી સીડ્સ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતાં બાઈક નં આરજે-12-પીએસ-6662ના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રકાશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સ્વપ્નીલભાઈ પટેલે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:43 am

કેરીની મીઠાશ મોંઘી બની:કમોસમી વરસાદથી કેરીમાં બગાડ થતા 75% આવક ઘટતાં ભાવમાં 20 રૂ.નો ઉછાળો, કિલોના ભાવ 100

ઉનાળાની જમાવટ વચ્ચે પાટણના ફ્રૂટ માર્કેટમાં આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી બની છે.કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર પડી છે.જેના પગલે પાટણના બજારમાં કેરીની આવકમાં 75 ટકા ઘટાડો થતા કેરીના ભાવમાં કિલોએ 20 રૂપિયા વધારો આવ્યો છે. ​પાટણના વેપારી દીપેશ રાવળે જણાવ્યુ હતું કે અગાઉ આ સમયે બજારમાં દૈનિક 4 ગાડી કેરીની આવક થતી હતી, જે હવે ઘટીને માત્ર 1 ગાડીએ પહોંચી ગઈ છે.એક તરફ લગ્નગાળો હોવાથી લગ્નપ્રસંગોમાં રસની માંગ વધુ છે.પરંતુ બીજી તરફ બજારમાં માલનો પુરવઠો પૂરતો ન હોવાથી અછત સર્જાઈ છે. વરસાદી ઝાપટાંના કારણે આંબા પરથી મોર ખરી પડતા ઉત્પાદનને મોટું નુકસાન થયું છે.ખાસ કરીને ઝાપટાના કારણે આંબા ઉપરની નાની કાચી કેરી પુષ્કળ પ્રમાણમાં પડી ગઈ હતી.પુરવઠો ઘટતા કેરીના ભાવમાં સરેરાશ 20 જેટલો વધારો જોવા મળી રહ્યો છે.​ જોકે ગુણવત્તાની દ્રષ્ટિએ કેરી ખાવામાં સારી છે.પરંતુ ઓછી આવકના કારણે સામાન્ય ગ્રાહકો માટે કેરીનો રાજા અત્યારે મોંઘો સાબિત થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જો આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:40 am

ઘેટા-બકરાંનાં મોત:સમીના સિંગોતરીયામાં એરંડાના પાન ખાતાં 35 ઘેટા-બકરાંનાં મોત નીપજ્યાં

સમી તાલુકાના સિંગોતરીયા ગામના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં ચરવા ગયેલા રબારી સમાજના પશુપાલકના 35 જેટલા ઘેટા-બકરાના એકસાથે મોત થયા હતા. સમી તાલુકાના સિંગોતરીયા ગામના ઠાકોર મહાદેવભાઇ ચુડાભાઇના ખેતરમાંથી એરંડાનો પાક લઈ લીધા બાદ, તેમણે માલધારી અમરાભાઇ રૂગનાથભાઈને પરવાનગી આપી હતી. બુધવારે સવારે અમરાભાઇ અંદાજે 250 જેટલા ઘેટા-બકરા લઈ ચરાવવા માટે ગયા હતા. ખેતરમાં એરંડાના કુણા પાન ફૂટેલા હોય, ઘેટાઓએ વધુ પ્રમાણમાં આ પાન ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી. 50થી વધુ પશુઓ બીમાર ઘટનામાં 35 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 50થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા હતા. અચાનક પશુઓના મોતથી હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી અન્ય બીમાર પશુઓની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગામના તલાટી સહિતના સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:39 am

ભાસ્કર એનાલિસિસ:સિદ્ધપુર પાલિકાની ચૂંટણી: અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે

સિદ્ધપુર નગરપાલિકાની 36 બેઠકોના જંગમાં ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક સરસાઈ મેળવી લીધી છે. જોકે, બાકીની 33 બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. ચૂંટણીમાં અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે. આ વખતે નવાઈની વાત એ છે કે કોંગ્રેસ (14 ઉમેદવાર) કરતાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા (34) વધુ છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે. વોર્ડ નંબર 3, 6 અને 9 માં પરંપરાગત ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, જ્યારે બાકીના 6 વોર્ડમાં અપક્ષોએ પોતાની તાકાત બતાવી ચૂંટણીને પ્રવાહી બનાવી દીધી છે. જેમાં મુખ્યત્વે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે સામાન્ય મહિલાઓ કદાવર નેતાના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હોય મોટા માથાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગતા અહીં રસાકસી ચરમસીમાએ પહોચતા જંગ જામ્યો છે. પાલિકાની ચૂંટણી રસાકસી ભરી બની છે. એક મહિલા બે વોર્ડમાં અપક્ષ લડી રહી છેસિધ્ધપુરમાં અપક્ષ મહિલા ઉમેદવાર ડિમ્પલબેન હિતેશકુમાર હરવાણી એ બે વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ તેમજ વોર્ડ નંબર ચારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. બંને બોર્ડમાં સામાન્ય સ્ત્રી બેઠક ઉપરથી ઉમેદવારી કરી છે. ભાજપ મજબૂત, પણ ‘આંતરિક અસંતોષ’ અને ‘અપક્ષો’ પેનલ તોડે તેવી પૂરી શક્યતા વિશ્લેષકના મતે ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં હોય 3 બિનહરીફ બેઠકોના કારણે સરસાઈમાં છે. પરંતુ ટિકિટ વહેચણીમાં ઊભો થયેલો ક્યાંક આંતરિક અસંતોષ અને ક્યાંક શક્તિશાળી અપક્ષો તેની પેનલ તોડી શકે છે. સામે કોંગ્રેસ માત્ર મર્યાદિત ગઢ (વોર્ડ 6, 9) સાચવવા મથશે. જ્યારે અપક્ષના નવા ચહેરાઓ દ્વારા પરિવર્તન ઈચ્છતા મતો ખેંચી નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આમ પાલિકામાં 36 બેઠકોના પરિણામમાં મિક્સ પ્રતિનિધિ મંડળની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ બહુમતી બેઠકો ભાજપની આવી શકે છે. એવા હાલના સમીકરણો જોતા લાગે છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:38 am

ખેડૂતોને અપાયું માર્ગદર્શન:સિદ્ધપુરના ખળી ગામમાં ખાતરના સંતુલિત ઉપયોગ અંગે 39 ખેડૂતોને માર્ગદર્શન અપાયું

ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરોનો ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા સિદ્ધપુર તાલુકાના ખળી ગામે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખાતરના સંતુલિત ઉપયોગ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના 39 જેટલા જાગૃત ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ઉપેશકુમારે ખેડૂતોને પાકની જરૂરિયાત અને હવામાન મુજબ યોગ્ય માત્રામાં ખાતર આપવાની સલાહ આપી હતી. તેમણે ખાસ કરીને મેક્રો અને માઇક્રો પોષક તત્વોના સંતુલન પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે વિષય નિષ્ણાત એસ.એસ. દરજીએ વિગતે જણાવ્યું હતું કે, સંતુલિત ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. તાલીમ દરમિયાન ભારત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના, નીમ-કોટેડ યુરિયા અને આધુનિક ટેકનોલોજી સમાન નેનો ખાતરના ઉપયોગ અંગે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી બાદ ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી તાલીમનું સફળ સમાપન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:36 am

ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરથી પતિનું મોત પત્નીને ઈજા પહોંચી

પાટણ તાલુકાના કુણઘેરથી સબોસણ તરફના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર આધેડનું મોત નિપજ્યું છે. પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટીવા લઈને કુણઘેર-સબોસણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતી રોડની સાઈડમાં ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેમાં પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ શરીરના ભાગે વધતી-ઓછી ઈજાઓ થઈ હતી. બંનેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ પટણીએ દમ તોડ્યો હતો. બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:35 am

ધૂરંધર-બોલિવૂડના આદિત્ય ધરનો હોલિવૂડના ક્વિન્ટન ટેરેન્ટિનોને જવાબ:આખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર

અત્યારે બોલિવૂડની ફિલ્મ ધૂરંધર ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. રોજે રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મ વિશે, એના કલાકારો વિશે, સંગીત વિશે, ફિલ્મની વાર્તા વિશે અને ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર વિશે નવી નવી વાતો અને રમૂજો બહાર આવે છે. આદિત્ય ધર ફક્ત એક મૂવીના 2 ભાગ બનાવી રાતોરાત બોલિવૂડના ખેરખાંઓને હડસેલીને સ્ટાર ડિરેક્ટરની હરોળમાં પ્રથમ નંબર પર આવી ગયા છે. ખાસ કરીને ઇન્ડિયામાં ઘટેલી વાસ્તવિક ઘટનામાં કલ્પનાના રંગો પૂરીને જે મનોરંજનની ધમાલ એમણે મચાવી છે એને કારણે એમને એવોર્ડ્સ તો ઘણા બધા મળશે જ મળશે પણ જીનિયસ, ઓરિજિનલ વાર્તાકાર-ડિરેક્ટર વગેરે જેવા વિશેષણથી નવાજવામાં આવી રહ્યા છે. જે એમણે અને આખી ટીમે કરેલી મહેનત માટે યોગ્ય જ છે. ફિલ્મ મેકિંગની નવી વ્યાખ્યા બનીઆખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર પછી એને પ્રોપેગન્ડા, હાયપર નેશનાલિસ્ટ ફિલ્મ વગેરે કહેવાવાળા ટીકા ટિપ્પણી કર્યા કરે. કલ્ટ ફિલ્મની કેટેગરીમાં આવી ગયેલી ધૂરંધર બોલિવૂડ માટે ફિલ્મ મેકિંગની એક નવી વ્યાખ્યા સફળતાપૂર્વક લઇને આવી છે એ વાતનો ઇન્કાર કોઇ કરી શકે એમ નથી! અને આવી કલ્ટ મૂવી બોલિવૂડ અને વિશ્વને આપનાર આદિત્ય ધરની આ ફિલ્મ ધૂરંધર ઘણાને ઓરિજિનલ લાગી પણ વૈશ્વિક સિનેમા જોવાના રસિયાઓએ પકડી પાડ્યું હશે કે આ એક અંગ્રેજીમાં નોન લીનિયર સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખાતી વાર્તા કહેવાની રીતથી પ્રભાવિત ફિલ્મ છે. આ નોન લિનીઅર સ્ટોરી ટેલિંગના માસ્ટર છે જીવતે જીવ દંતકથા સમાન બનેલા જીનિયસ હોલિવૂડ દિગ્દર્શક, સર્જક ક્વિન્ટન ટેરેન્ટિનો. ક્વિન્ટન ટેરેન્ટિનોએ નવો જ ચીલો ચાતર્યોક્વિન્ટન ટેરેન્ટિનો જે બધા વિશેષણો પ્રતિભાશાળી લોકો માટે વપરાય છે એનાથી પર છે અને એમના વિશે વાત કરવા એક લેખ નહીં પણ લેખની સિરીઝ જોઇએ પણ આજે એમની નોન લિનીઅર સ્ટોરી ટેલિંગની વ્યાખ્યા આપનાર, વિશ્વભરની ફિલ્મ મેકિંગમાં નવો ચીલો ચાતરનાર, ફિલ્મો જેવી કે રિઝર્વાર ડોગ, પલ્પ ફિક્શન, કિલ બિલ, ઇન્ગ્લોરિયાસ બાસ્ટર્ડ અને જાંગો અનચેઇન્ડ જેવી ફિલ્મોની વાત કરવી છે. વાતને અસરકારક રીતે રજૂ કરવા જુદી-જુદી પદ્ધતિઆગળ ઉલ્લેખ કર્યો એમ ટેરેન્ટિનોની ફિલ્મોમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા નોન લીનિયર સ્ટોરી ટેલિંગ છે. સાદી સરળ ભાષામાં આનો અર્થ થાય છે કે તેઓ વાર્તા સીધી શરૂઆતથી અંત સુધી નહીં પરંતુ તૂટેલા સમય ક્રમમાં રજૂ કરે છે અને આ વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા સર્જકો ફ્લેશબેક, ફ્લેશ-ફોરવર્ડ અને ડ્રિમ સિક્વન્સનો ઉપયોગ કરે છે. ટેરેન્ટિનોની પલ્પ ફિક્શન આ શૈલી સમજવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમાં અનેક અલગ-અલગ કથાઓ એકબીજા સાથે જોડાયેલી છે. માટે જ ફિલ્મને ફક્ત મનોરંજન અને ટાઇમ પાસ માટે જોતાં સિનેમાના ચાહકોને આ રીત અપીલ ના કરી શકે. કારણ કે આ રીતથી કહેવાતી કથા સમજવા માટે ધ્યાનપૂર્વક ફિલ્મ જોવી પડે છે. કલ્પના સૃષ્ટિની કમાલપહેલી જ ફિલ્મ રિઝર્વાર ડોગથી ફિલ્મ રસિયાઓ, સર્જકો, કલાકારોનું ધ્યાન ખેંચનાર ટેરેન્ટિનો આ મૂવી માટે પાછા કોઇ ઠહેરાવ વિના આવતા લાંબા લાંબા ડાયલોગ્સ, જે હાસ્ય, તણાવ, કરુણા અને જીવન વિશે ફિલોસોફી એક સાથે રજૂ કરે છે. ઉપરાંત ટેરેન્ટિનો ફક્ત વાર્તા નહીં પણ એ વાર્તા જેના દ્વારા કહેવામાં આવે એ અલગ અલગ પાત્રો સર્જવામાં પણ કમાલ કરી જાણે છે. ફિલ્મને ફક્ત અને ફક્ત મનોરંજનના માધ્યમ તરીકે જોનાર આથી જ જેટલી સરળતાથી કથા માટે નાયકનું પાત્ર રચી જાણે છે એટલી જ ખૂબીથી પ્રતિનાયક(વિલન) પણ સર્જી શકે છે. વળી ક્યારેક Django Unchained ફિલ્મમાં અમીટ છાપ છોડી જનાર એન્ટિ હીરો પણ એમની કલ્પના સૃષ્ટિમાંથી ફિલ્મના પડદે આવી ચડે છે. કિલ બિલઃ એક રિવેન્જ સ્ટોરીટેરેન્ટિનો જેને એમની સર્જન માટે પ્રેરણામૂર્તિ માને છે એવી ભારતીય નામ ધરાવતી હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઉમા થર્મન અભિનીત Kill Bill: Volume 1-2. વિશ્વભરના દર્શકો જે સિનેમા અને એની સ્ટાઇલ જોઇને ગાંડા થઇ ગયા હતા એ કિલ બિલ આમ તો એક રિવેન્જ સ્ટોરી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ઉમા થર્મન તેના પર થયેલા અન્યાયનો બદલો લેવા એક પછી એક દુશ્મનોને જે અંદાજમાં શોધે છે એ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ, રંગોનો ઉપયોગ, કેમેરા એંગલ, બેકગ્રાઉન્ડ સંગીત, લડાઇના સ્ટાઇલિશ અને એક એક લડાઇના દ્રશ્યો પર થિસીસ લખી શકાય એવી અદભૂત રીતે રચાય છે. આ ફિલ્મ દ્વારા ફક્ત ઉમા થર્મન જ નહીં પણ બધા પાત્રો, ઘટનાઓ, વાર્તા, વાર્તા કહેવાની ટેરેન્ટિનોની અનન્ય રીત ફક્ત કલ્ટ નહીં પણ ના ભૂતો ના ભવિષ્યતિ બની ગયા છે. ટેરેન્ટિનો પોતાની ફિલ્મમાં જૂના એમને પોતાને પ્રિય એવા ગીતો બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે ઉપયોગ કરી ને સ્પેગેટી વેસ્ટર્ન, સામુરાઇ ફિલ્મો અને 70ના દાયકાની ફિલ્મોથી પ્રેરણા લઇને જે કલ્પના અને વાસ્તવિકતાનું વિશ્વ રચે છે એ એમના માટે એક જાતનું એ જે માધ્યમને દિલોજાનથી ચાહે છે એને આપેલું તર્પણ, શ્રદ્ધાંજલિ છે. જેમની ફિલ્મનો હેતુ તેમના દર્શકોને પોતાની નૈતિકતા અને જાત વિશે પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે પછી ભલેને વિવેચકો અને સિનેમા રસિયાઓએ વિભાજીત થઇને એના વિશે ચર્ચા કર્યા કરે! પોતાની કલા દ્વારા ચર્ચા ઊભી કરવામાં માહેર અને આપણા આદિત્ય ધર, રામ ગોપાલ વર્મા જેવાને પ્રેરણા આપનાર ધ ક્વિન્ટન ટેરેન્ટિનો પોતે એક કલ્ટ બની ગયા છે!

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:35 am

14 કોર્ટોમાં દરરોજ 200થી વધુ કેસોને અસર‎:પાલનપુરના વકીલો 7 દિવસથી હડતાળ ઉપર

પાલનપુરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવા મુદ્દે 17 એપ્રિલથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સતત પાંચ દિવસથી જારી છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલ હાલમાં વકીલાત કર્યા વગર ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટ થી જુદા જુદા સિનિયર એડવોકેટ આવીને આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે. અગાઉ જે જિલ્લામાં કોર્ટ બદલાવાથી મુશ્કેલીઓ ઊભી થઈ તેવી મુશ્કેલી પાલનપુરમાં ન થાય તેનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે. પાલનપુર બાર એસોસિએશનના પ્રકાશભાઈ એ જણાવ્યું કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં જુદી જુદી 14થી વધુ કોર્ટ આવેલી છે. જેમાં હાલ વકીલોની ગેરહાજરીમાં કેસો ન ચાલવાના લીધે પ્રતિ દિન 200થી વધુ કેસોને અસર થઈ રહી છે અને તારીખો પડી રહી છે. અમે આ મુદ્દાને લઇ હાઇકોર્ટમાં પણ ધ્યાન દોર્યું છે. એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે આ સમગ્ર પાલનપુર શહેરનો મુદ્દો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:30 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી, આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા

પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી અને આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા છે. પાલિકાના કુલ 11 વોર્ડની 40 બેઠકો માટે હવે 105 ઉમેદવારો વચ્ચે જંગ અંતિમ તબક્કામાં છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ મોટાભાગની બેઠકો પર આમને-સામને છે, જ્યારે વોર્ડ 2, 4, 5, 6 10માં અપક્ષોની સંખ્યાએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી અધિકારી દ્વારા અપક્ષોને ફાળવવામાં આવેલા નિશાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં મહિલા ઉમેદવારને માચીસ બોક્ષ, કેટલાક યુવા ઉમેદવારોને મોર ગ્લાસ તરબૂચનું નિશાન મળ્યું છે. વોર્ડ 6 માં મહિલા ઉમેદવારને આઈસ્ક્રીમ, જ્યારે બીજાને એરકંડીશનર ફાળવાયું છે. વોર્ડ 11 ના એક ઉમેદવારને માઈકનું પ્રતીક મળ્યું છે. પાલિકાના જંગમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ ચાર મહિલાઓએ પણ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. વોર્ડ 2 માં વોર્ડ 6 માં 2 મહિલા ઉમેદવારો જ્યારે વોર્ડ 10 માં પણ અપક્ષ મહિલા ચૂંટણી લડી રહ્યા છે. લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 4 અને 5 માં AIMIM ના ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ગાબડું પાડી શકે છે. સમગ્ર ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર છે, જેમાં વોર્ડ નંબર 6 માં તો પુરુષો કરતા મહિલા ઉમેદવારો વધુ છે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 14 અને વોર્ડ 4 માં 16 ઉમેદવારો હોવાથી ત્યાં મતદારોને પસંદગી માટે મોટી યાદી મળશે. બીજી તરફ, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 10 માં માત્ર 4-4 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે, જેના કારણે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. અપક્ષોની ભૂમિકા આ વખતે ઘણી નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં ઠાકોર જ્ઞાતિના ત્રણ અપક્ષ ઉમેદવારો ઉભા રહેતા મુખ્ય પક્ષોના જ્ઞાતિ સમીકરણો ખોરવાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:29 am

આકર્ષક રિટર્નની લાલચે ઠગાઈ કરનાર ઝડપાયો:બસુના વેપારીના 87.47 લાખ ઠગનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગનો સભ્ય ઝબ્બે

પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા કિસ્સાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ એક વેપારી સહિત દેશના 11 રાજ્યોમાં 20 લોકોને આકર્ષક રિટર્નની લાલચ આપીને રૂ.6.60 કરોડની ઓનલાઈન ઠગાઈ કરનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગના એક સાગરીત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અવું દિગ્વિજયસિંહ પઢીયાર, પીઆઈ, સાયબર ક્રાઇમે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એક વેપારીને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરીને ગેંગના સભ્યોએ શેર બજારમાં રોકાણ કરવાથી નિશ્ચિત વળતર અને આકર્ષક નફાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં ઓછી રકમના રોકાણ પર બમણું અને ત્રણ ગણું રિટર્ન આપીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. આ રીતે વિશ્વાસ ઉભો થયા બાદ વેપારીએ વધુ નફાની લાલચે રૂ.87.47 લાખનું મોટું રોકાણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ગેંગના સભ્યોએ સંપર્ક તોડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા, જેના કારણે વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થઈ હતી. આ મામલે પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ હાથ ધરી હતી. તેના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન નંબર પરથી અને ચેટની ડિટેલથી અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે. જેમના સુધી પહોચીશું. તપાસ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ખુલ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંબોડિયા-ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ છે. આ ગેંગ દ્વારા દેશના 11 રાજ્યોમાં 20 વ્યક્તિઓને આ જ રીતથી ટાર્ગેટ બનાવી કુલ રૂ.6.60 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય બે સાગરીતોના નામ મેળવી તેમની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:27 am

ભાસ્કર એનાલિસિસ:GST દર ઘટ્યા છતાં ખરીદી-વેપાર વધતાં આવક 8% વધી

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જીએસટી દર ઘટ્યા હોવા છતાં ઓટોમોબાઇલ, ઓટોપાર્ટ્સ એસેસરીઝ, ખેતી સહિતના ક્ષેત્રોમાં ખરીદી અને વેપારમાં વધારો થતાં જીએસટીની આવકમાં 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ₹રૂ.2576.70 કરોડની આવક નોંધાઈ છે. જે ગત વર્ષે ₹2387.19 કરોડ હતી. સૌથી વધુ GST આ વક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹286 કરોડ, ઓટોપાર્ટ્સ એસેસરીઝમાં ₹251 કરોડ અને વર્ક્સ કોન્ટ્રાક્ટમાં ₹અંદાજે રૂ.250 કરોડની આ વક થઇ છે. મહેસાણા ડિવિઝનના નવ ઘટક મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, વિસનગર, કડી, ઊંઝા, ડીસા અને સિદ્ધપુર વિસ્તારમાં ઓટો સ્પેરપાર્ટ્સ, રોડ એન્ડ બિલ્ડિંગ (વર્ક્સ કોન્ટ્રાક્ટ), મેનપાવર સપ્લાય, તમાકુ, ઓટોમોબાઇલ, ખેતી, સિરામિક, એરકન્ડીશનિંગ અને રેફ્રિજરેશન તેમજ ડેરી પ્રોડક્ટ્સનો વ્યાપ વધારે છે. જીએસટી મહેસાણા ડિવિઝન કમિશનર મિતેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, માર્કેટમાં કન્ઝપ્શન વધતાં જીએસટી આવકમાં વધારો થયો છે. બજારમાં ખરીદી વધે એટલે વેપાર વધે. જેથી જીએસટીની આવક વધતી હોય છે. ઊંઝા, ડીસાથી એક્સપોર્ટ વધતાં સ્થાનિક આવક ઘટીમહેસાણા ડિવિઝનના ઊંઝા અને ડીસા ઘટકોમાં આ વર્ષે GST આવક ઘટી છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ વિસ્તારોમાંથી આંતરરાજ્ય વેપાર અને એક્સપોર્ટ વધારે થાય છે. પરિણામે, GST સેટલમેન્ટ અન્ય રાજ્યોમાં થતું હોવાથી સ્થાનિક સ્તરે આવક ઓછી દેખાય છે. જે રાજ્યમાં માલ સપ્લાય થયો ત્યાં જીએસટી કલેકશન થાય. હકીકતમાં આવક દેશમાં જ થાય છે. મહેસાણા રૂ.₹845 કરોડની આવક સાથે અગ્રેસરજીએસટી આ વકમાં સૌથી વધુ વૃદ્ધિ પાલનપુર (20%), વિજાપુર (19%) અને વિસનગર (17%) જ્યારે ઘટાડો ઊંઝામાં (28%) અને ડીસામાં (6%) થઇ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર રૂ.₹845 કરોડની આ વક સાથે ટોપ પર છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:22 am

ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:10 મતદાન મથકો વચ્ચે પોલીસની એક મોબાઇલ ટીમ પેટ્રોલિંગ કરશે

મહેસાણા જિલ્લામાં 26 એપ્રિલને રવિવારના રોજ યોજાનારી મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત માટે એક્શન પ્લાન ઘડાયો છે. ચૂંટણીના દિવસે 4 ડીવાયએસપી, 27 પીઆઇ, 75 પીએસઆઇ, 1398 પોલીસ, 80 સભ્યોની એક એસઆરપી કંપની, 2021 હોમગાર્ડ અને 153 તાલીમી એલઆરડી સહિત કુલ 3758 પોલીસ જવાનો ફરજ બજાવશે. બંદોબસ્ત વ્યવસ્થા મુજબ, જિલ્લામાં 994 મતદાન મથકોના 1723 બુથ ઉપર જ્યાં મતદાન થવાનું છે ત્યાં દરેક બુથ ઉપર 1 પોલીસ, 1 હોમગાર્ડ અને 1 જીઆરડી તેમજ મતદાન મથકના 100 અને 200 મીટરના અંતરે પણ પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડી તૈનાત કરાશે. આ સિવાય 10 મતદાન મથકો વચ્ચે એક પીએસઆઇ અને અન્ય પોલીસ સાથેની 125 સેક્ટર મોબાઈલવાન સતત પેટ્રોલિંગ કરતી રહેશે. ઉપરાંત, સ્થાનિક પોલીસ મથકની પીસીઆર અને મોબાઇલ વાનનું પણ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રહેશે. જિલ્લામાં એક સાથે યોજાઇ રહેલી ત્રણ ચૂંટણીઓમાં આ વખતે નવીન તાલીમ લઈ રહેલા 153 એલઆરડી પણ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર અન્ય મતદાન મથકની સાપેક્ષમાં વધારે પોલીસ ફોર્સ ગોઠવાશે. 1130 લાયસન્સ વાળાં હથિયાર જમા લીધાજિલ્લામાં યોજાઇ રહેલી ચૂંટણીને લઇ પોલીસ દ્વારા અત્યાર સુધી 1130 જેટલા હથિયાર જમા લેવાયા છે. 23 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાયા છે. તેમજ 2780 સામે અટકાયતી પગલાં ઉપરાંત 11,301 વાહનોનું ચેકિંગ અને 1 પાસાનો પણ હુકમ કરાયો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:20 am

મહેસાણાની મહિલાને કોમેન્ટ કરવી ભારે પડી:ઇન્સ્ટાગ્રામ પર કરેલી કોમેન્ટથી બે મહિલા વચ્ચે ગાળાગાળી મહેસાણા આવે તો ગોળી મારી દઉં'ની ધમકી આપતાં ફરિયાદ

સોશિયલ મીડિયા પર એક સામાન્ય કોમેન્ટ ક્યારેક કેટલો મોટો વિવાદ ઉભો કરી શકે છે તેનું તાજું ઉદાહરણ મહેસાણામાં સામે આવ્યું છે. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી 51 વર્ષની આધેડ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક કોમેન્ટ ભારે પડી ગઈ છે અને હવે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. મહિલાએ હરિયાણાના એક યુવક દ્વારા તેના પેરાલિસિસથી પીડિત પિતાની સંભાળ લેતા વીડિયો પોસ્ટ પર “છોકરાઓ આવાં જ હોવા જોઈએ” જેવી સામાન્ય કોમેન્ટ કરી હતી. પરંતુ, આ કોમેન્ટથી યુવકની એક મિત્ર યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે મહિલાને ગાળો લખીને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જ ગાળાગાળી અને વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મામલો વધુ ગંભીર બનતાં મહિલાએ પણ સામેવાળી યુવતીને ગાળો આપતાં અને તું મહેસાણા આવે તો તને ખબર પાડું અને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી કોમેન્ટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ બાદ યુવતીએ ગુડગાંવ પોલીસ મથકે મહેસાણાની મહિલા સામે પોતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આઇપી એડ્રેસ અને મોબાઇલ નંબરના આધારે ગુડગાંવ પોલીસ મંગળવારે મહેસાણા એ ડિવિઝન પોલીસ સાથે તપાસ માટે‎પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મહિલાને પોલીસ મથકે‎બોલાવતાં તેણીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ કે, તેને પણ‎સામેવાળી યુવતીએ બેફામ ગાળો લખી હતી અને સમગ્ર વિવાદમાં‎તે પહેલેથી ઉશ્કેરાઈ હતી. હાલ ગુડગાંવ પોલીસે મહિલાનું નિવેદન‎લઈ સાથે મહિલા પોલીસ ન હોવાથી નોટિસ આપી છે અને સમય‎મર્યાદામાં ગુડગાંવ હાજર થવા સૂચના આપી છે. સાથે જ મહિલાને‎મહેસાણા સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવા સલાહ‎આપવામાં આવી છે.‎ મને ગાળો લખનાર યુવતી સામે હું પણ ફરિયાદ કરીશ મારા કરતાં તો સામેવાળી યુવતીએ મને બેફામ ગાળો લખી છે. જે યુવકની પોસ્ટ પર મેં કોમેન્ટ લખી હતી તે યુવકને પણ મેં વાત કરતાં તેણે પણ તે યુવતી સાઇકી હોવાની વાત કરતાં હવે હું પણ મહેસાણામાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાવીશનું પોલીસની હાજરીમાં મહિલાએ કહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:18 am

મનપાની ચૂંટણીમાં રાત ઓછી વેશ ઝાઝા:ઉમેદવારો હવે 7-8 કલાક અને 10 10 સોસાયટીમાં મત માગવા ફરે છે

મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉમેદવારોએ સમર્થકો સાથે સોસાયટીઓમાં ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે મતદારોનો સંપર્ક વધારી દીધો છે. છેલ્લા દિવસોમાં દરેક મતદાર સુધી પહોંચી શકાય તે માટે સાત થી આઠ કલાક ફરી રહ્યા છે. મુલાકાત દરમિયાન વડીલોને પગે લાગે છે, મહિલાઓને બે હાથ જોડી નમન કરે છે તો યુવાનો સાથે હાથ મિલાવે છે. સાથે પોતાની પેનલના ચારેય ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યા છે. એક ઉમેદવાર રોજ 10 થી વધુ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે ફરતા હોઇ કસરત એટલી હદે વધી છે કે કમરના દુ:ખાવા પણ કેટલાકને શરૂ થયા છે. શહેરના વોર્ડ નં.4માં વિસનગર રોડ પર એન.જી. સ્કૂલ સામે કૃણાલ હોપટાઉન અને સોમેશ્વર યુએન હોમ્સમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરતા ઉમેદવારો ઘરમાંથી વડીલ બહાર આવે કે તરત પગે લાગી આશીર્વાદ મેળવતા, માસી જોજો હો, મત રહી ન જાય, તો સામે માસી પણ અરે કહેવું ના પડે, બધુ બરોબર છે તેવા સંવાદ સંભળાય છે. બાજુમાં એક કાર્યકર પેમ્ફલેટ આપી આ ક્રમ સામે બટન દબાવી રજીસ્ટ્રેશન છેલ્લે કરી લેવા સમજાવે છે. આ બંને સોસાયટીમાં સ્થાનિક લોકોને પૂછ્યું કે, અહીં કેટલા મતદારો છે. તો જવાબ મળ્યો કે, ઘણા વતનમાં રહે છે. એટલે મકાન 250 છે પણ મત 130 જેટલા હશે. ચૂંટણીનો માહોલ કેવો છે, શું લાગે છે એવું પૂછતાં એક યુવાને કહ્યું, તમે ભાજપમાં કે કોંગ્રેસમાં છો?. એટલે મતદારો પણ સામે કયા પક્ષ માં માનવાવા ળા છે તે જા ણીને જવાબ આપે છે. એક વડીલે કહ્યું જે ઉમેદવારો આવે તેમને બધાને આવકારવાના. મત તો જેને આપવાનો હોય તેને જ મતદારો આપશે ને? ઉમેદવારો સાલ અને ‎હાર સાથે જ રાખે છે‎પ્રચાર દરમિયાન કેટલાક ઘર‎માલિકને સામેથી સાલ, હાર‎આપી અને તેમના હસ્તે‎ઉમેદવારોનું સ્વાગત કરતા‎ફોટોની જમાવટ પણ જોવા મળી‎રહી છે. ટાબરિયાઓને પાર્ટીની‎ટોપી મળી જતાં સાયકલીગ મોજ‎કરવા લાગ્યા. ત્યાં ત્રીજી‎લાઇનના એક ઘરના ઝાંપે આ‎પ્રચાર ટીમ પહોચી તો એક યુવાન‎મોબાઇલ લઇને તરત રીલ‎ઉતારવા લાગ્યો અને ઉમેદવારને‎આગળ ધરી મત અપીલ મેળવી‎લીધી હવે ઇન્ટાગ્રામમાં ચઢાવી‎દઇશુ તેવું કહ્યું.‎

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:17 am

પીએમ કિસાન સન્માન નહીં ‘પરેશાની યોજના’:ઈ-કેવાયસી સહિત પોર્ટલમાં 7 ખામી,હપ્તા બંધ થતાં ખેડૂતો ધક્કે ચડ્યા

કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલમાં છેલ્લા કેટલાક સમયથી ઉભી થયેલી અનેક ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતો ધક્કે ચડ્યા છે. અડધો ડઝનથી વધુ ખામીઓના કારણે ખેડૂતો ગામડાથી તાલુકા પંચાયત અને જિલ્લા ખેતીવાડી કચેરીના છેલ્લા કેટલાક સમયથી ચક્કર લગાવી રહ્યા છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હવે ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણ સહિત 16 ગામોના ખેડૂતોએ સામૂહિક રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અત્યારે ખેડૂતો માટે સન્માનને બદલે પરેશાનીનું કારણ બની રહી છે. પીએમ કિસાન પોર્ટલમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી અડધો ડઝનથી વધુ ટેકનિકલ ખામીઓને કારણે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જેને લઇ સીએસસી સેન્ટરથી લઈને જિલ્લા ખેતીવાડી કચેરી સુધી ધક્કા ખાવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આખરે ખેડૂતો અકળાઇ ગયા છે. મહેસાણા તાલુકાના આંબલિયાસણ સહિતના 16 ગામના ખેડૂતોએ રજૂઆત કરી છે. ખેડૂતોએ મામલતદાર, ટીડીઓ અને જિલ્લા ખેતીવાડી કચેરીને લેખિતમાં રજૂઆત કરી ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં પોર્ટલ પર આવતી ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે, જે ખેડૂતોના હપ્તા બંધ થયા છે, તેમનું વેરિફિકેશન ઝડપથી કરી નાણાં જમા કરવામાં આવે અને ખેડૂતોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા ગ્રામ્ય કક્ષાએ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેની માંગણી છે. ફોર્મ ભર્યે 12 મહિના થયા પણ હજુ લાભ નથી મળ્યો યોજનાનો લાભ લેવા 12 મહિના પહેલા ફોર્મ ભર્યું હતું. પરંતુ આજ દિન સુધી લાભ નથી મળ્યો. કયા કારણથી લાભ નથી મળી રહ્યો એ કારણ પણ જાણવા મળતું નથી. > છનાજી ઠાકોર, ખેડૂત પોર્ટલની 7 મોટી ખામી

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:16 am

ખાડી યુદ્ધની કચ્છના દરિયાઈ વેપાર પર અસર:મુન્દ્રા આવતા લાઈબેરિયાના જહાજને હોર્મુઝમાં ઈરાને કબજામાં લઇ લીધું

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર હવે કચ્છના દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત, અને ખાસ કરીને કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહેલા એક વિશાળ કન્ટેનર શિપ ‘એપામિનોડેસ’ને રોકીને કબજે કરવામાં આવ્યું છે. લાઈબેરિયાના ફ્લેગ ધરાવતું આ જહાજ મુન્દ્રા પોર્ટ પર માલસામાન ઉતારવા માટે નિર્ધારિત હતું, પરંતુ ઈરાની નૌકાદળે તેને અધવચ્ચેથી ઈન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લીધું છે. ઈરાની નૌકાદળના સત્તાવાર નિવેદન અનુસાર, આ જહાજ પરવાનગી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે. આ કાર્યવાહી દરમિયાન ઈરાને માત્ર ‘એપામિનોડેસ’ જ નહીં, પરંતુ ઈઝરાયલ સાથે કનેક્શન ધરાવતા ‘ફ્રાન્સેસ્કા’ નામના જહાજને પણ જપ્ત કર્યું છે, જ્યારે ‘યૂફોરિયા’ નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મુન્દ્રાએ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને અહીંથી હજારો ટન માલસામાનનું પરિવહન થાય છે. આ જહાજમાં રહેલો કન્ટેનર કાર્ગો મુન્દ્રાના વિવિધ એજન્ટો અને ઉદ્યોગો સાથે જોડાયેલો હતો. આ અગાઉ ઓમાનના તટ પાસે પણ જહાજો પર હુમલાની ઘટનાઓ બની હતી, જે દર્શાવે છે કે આ રૂટ પર જોખમ વધી રહ્યું છે. જહાજ જપ્ત થતા થશે મોટી અસર

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:07 am

કચ્છમાં ફરી ડીઝલનો દુકાળ?:ખાનગી પંપોએ ભાવ વધારતા સરકારી પંપો ખાલી

કચ્છ જિલ્લામાં એક માસના વિરામ બાદ ફરી એકવાર ડીઝલની ગંભીર અછત ર્સજાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં ડીઝલની સાથે અનેક જગ્યાએ પેટ્રોલ પણ પુરતું મળતું નથી. નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓએ ડીઝલના ભાવમાં લિટર દીઠ 5 થી 7 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેતા ગ્રાહકો સરકારી પેટ્રોલ પંપ (HPCL, IOCL, BPCL) તરફ વળ્યા છે. સરકારી પંપો પર અચાનક ઘસારો વધતા સ્ટોક રાતોરાત ખાલી થઈ રહ્યો છે. હાલત એવી છે કે અનેક પંપો પર રાત્રિના સમયે વાહનચાલકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ડીઝલની અછત પાછળ કંપનીઓની નવી નીતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીના જણાવ્યા અનુસાર, કંપનીઓએ દરેક પંપ માટે સપ્લાયનો ‘કોટા’ નક્કી કરી દીધો છે. સરેરાસ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવતો હોવાથી, જ્યારે માંગ વધે ત્યારે પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા ઝૂલી જાય છે. પંપ સંચાલકોના મતે કંપનીઓ જરૂરિયાત મુજબ સપ્લાય આપી રહી નથી. કચ્છની અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફરી એકવાર મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજારો ટ્રક ચાલકો ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. પૂરતો જથ્થો ન મળતા ડિલિવરી મોડી પડી રહી છે, જેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પડવાની ભીતિ છે. ઇંધણની અછત અને કારણો

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:04 am

ભાસ્કર એક્સક્લુસિવ:રાજસ્થાન રિફાઇનરીમાં આગથી મુન્દ્રાથી પમ્પ થતું 1.5 થી 2 મિલિયન બેરલ ક્રૂડ અટવાયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના પચપદરા ખાતે 79,450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી HPCL રાજસ્થાન રિફાઇનરી (HRRL) ના નિર્ધારિત ઉદ્ઘાટનના બરાબર એક દિવસ પહેલા જ, તેના હાર્દ સમાન ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં લાગેલી આગે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ ઘટના માત્ર ટેકનિકલ ખામી હતી કે કોઈ મોટું ષડયંત્ર તેની તપાસ માટે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને કેન્દ્રીય એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે. પણ આ આગના લીધે કચ્છના બંદરો પર આર્થિક સંકટ આવી શકે છે. આ આગ રાજસ્થાનમાં લાગી હોય, પરંતુ તેનો આર્થિક અને લોજિસ્ટિકલ ભૂકંપ 487 કિલોમીટર દૂર ગુજરાતના કચ્છ (મુન્દ્રા અને કંડલા) ખાતે અનુભવાઈ રહ્યો છે. રિફાઇનરી પ્રોજેક્ટ અનિશ્ચિત સમય માટે અટકતા મુન્દ્રા પોર્ટ અને કંડલાના ઉદ્યોગો પર તેની ગંભીર આર્થિક અસરો શરૂ થઈ ગઈ છે. ગત 17 એપ્રિલના રોજ જ મુન્દ્રાના ક્રૂડ ઓઇલ ટર્મિનલ (COT) થી પચપદરા સુધીની 487 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું સફળ ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પાઇપલાઇનમાં આશરે 1.5 થી 2 મિલિયન બેરલ આયાતી ‘આરબ મિક્સ ક્રૂડ’ રિફાઇનરી તરફ પમ્પ કરી દેવાયું હતું. પરંતુ CDU માં વિસ્ફોટ અને આગના કારણે આખું યુનિટ બંધ પડી ગયું છે. નિષ્ણાતોના મતે નુકસાન મોટું હશે તો રિફાઇનરી શરૂ થવામાં એક વર્ષનો વિલંબ થઈ શકે છે. આ સંજોગોમાં મુન્દ્રાની કરોડો રૂપિયાની સપ્લાય ચેઇનને અચાનક બ્રેક વાગી ગઈ છે. કચ્છના ઉદ્યોગોને લાખોનો ફટકો પડશે મુન્દ્રા-રાજસ્થાન ક્રૂડ પ્રોજેક્ટ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:03 am

સુરતમાં પાટીદાર ગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલી:રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શો, અમદાવાદમાં ઓવૈસીના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલીજ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે. સાંજે 5 વાગ્યે જુના રાજકોટ વિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શોતેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ પણ કરશે. રાજકોટના ત્રિકોણબાગથી શરૂ કરી ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને પરત ત્રિકોણબાગ ખાતે રોડ શો પૂર્ણ કરવામાં આવશે. 'અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે'ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલની જરૂર છે. અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે. કુરેશી સમાજના લોકો જ્યારે પશુઓ લઈને આવે છે ત્યારે ગૌરક્ષક અને RSS રોકે છે. 'બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા'ભારતમાં મુસ્લિમની નેતાગીરી હોવી જોઈએ. માત્ર જો વોટર બનશો તો તમારી તકલીફો દૂર નહીં થાય. લોકો મારા પર આરોપ લગાવે છે કે, હું ચૂંટણી લડું છું. પશ્ચિમ બંગાળમાં અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે, પરંતુ માત્ર મારા પર ભાજપને જીતાડવાનો આરોપ લગાડવામાં આવે છે. જે વધુ સીટ પર લડે છે એમને કોઈ પૂછવા આવતું નથી. જ્યારે મુસ્લિમની નેતાગીરી હશે અને તેમને રોકશે નહીં. હું તમામને કહું છું કે, તમે આરોપ લગાવી દો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી લડીશ. હું ગુજરાતમાં પાંચ ધારાસભ્ય લડાવીશ અને જીતીશું. બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે. 2002ના તોફાનો કઈ જ નથી એના પહેલા કોંગ્રેસની સરકારમાં બહુ તોફાનો થયા છે. 'તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી'AIMIM પાર્ટીના નેતા બનાવવા માટે આવ્યો છું. તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી. તમારા વોટથી પાર્ટીને સફળ બનાવવાની છે. તમારી નેતાગીરીને મજબૂત કરવાની છે. ભારતના કરોડો મુસ્લિમોનો અવાજ બનીશું. તમારો વોટ કોઈને સફળ બનાવવા માટે હશે. 'UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું'તમારો મત ભાજપ વિરુદ્ધ હોવો જોઈએ. ગુજરાતના ભાજપ અને RSS નેતાઓને કહેવા માગું છું કે, તમે મુસ્લિમ વિરુદ્ધ UCC બિલ લાવ્યા છો. UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું. આ બિલ વિરુદ્ધમાં તમારે મત આપવાનો છે. કોંગ્રેસે અશાંતધારો બનાવ્યો છે. અશાંતધારો અને UAPA કોંગ્રેસે બનાવ્યો છે અને ભાજપે તેને વધારે ખરાબ કરી નાખ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો તો કેમ અશાંતધારો લાગુ કર્યો છે? અશાંતધારો લાગુ કર્યો છે. હું જવાબદારી સાથે કહું છું કે આ ચૂંટણી પૂરી થયા બાદ 3 મહિનામાં અમારા નેતા ગુજરાત આવશે અને કોર્પોરેટરને મળશે અને બધાને સુધારશે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:00 am

હાર્દિક પટેલનું ગામમાં ચાલ્યું પણ ઘરમાં ના ચાલ્યું!:વિરમગામમાં મામાજી V/s માસાજી; સુરતમાં પ્રસંગમાં AAPનું ગીત વાગ્યું, ટોપી-ખેસ પહેરી મહેમાનોએ ધબધબાટી બોલાવી

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:00 am

અમદાવાદ મનપાની બેવડી સદી VIDEO:આધુનિક અમદાવાદના પિતા ગટરમાં કેમ ઉતર્યા? ગ્લોબલ ઈમેજ છતાં માથે 7 સમસ્યાઓ, જાણો જાજરમાન ઈતિહાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 200 વર્ષની સફર એટલે ભદ્રથી સ્માર્ટ સિટીનો પ્રવાસ. રણછોડલાલ છોટાલાલ અને સરદાર પટેલ જેવા નેતાઓએ ઘડેલું આ શહેર આજે રિવરફ્રન્ટથી ગ્લોબલ મેપ પર છે. વિકાસ અને પડકારો વચ્ચે, 26 એપ્રિલનું મતદાન અમદાવાદનું ભાવિ નક્કી કરશે. જુઓ આઝાદીથી અત્યાર સુધીની AMCની આ ખાસ ગાથા પણ મનપા સામે આખલાની જેમ 7 સમસ્યાઓ હજુ પણ ઉભી છે. વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:00 am

કોંગ્રેસી નેતાઓએ પોતાના પક્ષનો ખેલ પાડ્યો, ભાજપને સત્તા મળી ગઈ:છેલ્લી ઘડી સુધી ઉમેદવારોને મેન્ડેટ ન આપ્યા, ખિસ્સામાં મૂકી રાખ્યા, ગણદેવીમાં ડર્ટી પોલિટિક્સનો મોટો ઘટસ્ફોટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આ વખતની ચૂંટણી એક અલગ જ કારણે ચર્ચામાં છે. કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો એમણે પાછા ખેંચી લીધા. પરિણામે ભાજપે 700થી વધુ બેઠકો બિનહરિફ જીતી લીધી. એમાં પણ કડી અને ગણદેવી તો એવી નગરપાલિકા છે, જ્યાં મતદાન થયા વગર જ ભાજપને સત્તા મળી ગઈ. આવા ગજબનાક ઘટનાક્રમને સમજવા માટે અમે ગણદેવીમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. તો કોંગ્રેસી નેતાઓની એવી દાનત ખુલ્લી પડી, જેનાથી જનતા જ નહીં મોટા નેતાઓ પણ કદાચ અજાણ હશે. સત્તાની સજાવેલી થાળી ભાજપને ભેટમાં મળવાની ઘટના શું છે?આ પ્રકરણની શરૂઆત થઈ 11 એપ્રિલથી. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ગણદેવી નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે. જ્યાં ગયા વખતે તમામ બેઠકો ભાજપ જીતી ગયું હતું. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી ગયા. જેમ તેમ કરીને 18 બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા. એટલે કે ઉમેદવારી માટે કોંગ્રેસમાં આંતરિક રીતે કોઈ ખેંચતાણ ન હતી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એક સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયાચૂંટણી કેલેન્ડર પ્રમાણે 11 એપ્રિલે બપોરના 3 વાગતા સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાય એમ હતું. કોંગ્રેસના નેતાઓ 18 ઉમેદવારો ફોર્મ લઈને દોઢ વાગ્યે પહોંચ્યા પરંતુ મેન્ડેટ 3 વાગતા સુધીમાં ન પહોંચી શક્યા. એટલે ચૂંટણી અધિકારી મિતેશ પટેલે કહી દીધું કે ‘હવે મેન્ડેટ સ્વીકારવામાં આવશે નહીં.’ 13 એપ્રિલે ફોર્મ ચકાસણી થઈ, મેન્ડેટ ન હોવાથી કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ રદ થયા અને ભાજપના નેતાઓ આ બેઠકો પર બિનહરિફ વિજેતા જાહેર થયા. પણ…પણ…પણ.. આ ઘટનાક્રમ દેખાય છે એટલો ચોખ્ખો નથી. એક સાથે 18 ઉમેદવારોના મેન્ડેટ ન પહોંચવા એ અસામાન્ય ઘટના હતી. આ સમાચાર આવતા જ પહેલી નજરે લાગ્યું કે દાળમાં કંઈક કાળુ છે. એટલે વિગતવાર આખો ઘટનાક્રમ સમજવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર ત્રણ દિવસ ગણદેવી, ચિખલી અને નવસારીમાં રહ્યા અને ઇન્વેસ્ટિગેશન કર્યું. અમે કોંગ્રેસી નેતાઓને મળ્યા, જરૂર લાગી ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને સત્તાવાર ઇન્ટરવ્યૂ પણ લીધા. જેમાં અમે જાણ્યું તે અમદાવાદના પ્રદેશ કાર્યાલયથી મેન્ડેટ કોણ લઈને નીકળ્યું? ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યારે મેન્ડેટ ક્યાં હતા? મેન્ડેટ મોડા પહોંચવા પાછળનું કારણ ખરેખરમાં શું છે? એ જાણવા માટે અમે વિવિધ નેતાઓને મળીને આખો ઘટનાક્રમ સમય પ્રમાણે ગોઠવ્યો. જેમાં ખરેખર કોની “ભૂલ” હતી એ ખબર પડી ગઈ. સૌથી પહેલાં આ કોષ્ટકમાં આપેલી માહિતી જુઓ. કોંગ્રેસના નેતાઓ સવા 1 વાગ્યાની આસપાસ ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે ચિખલી પહોંચી ગયા હતા. ડિપોઝિટ જમા કરાવ્યાની રસિદમાં લખેલા સમય પ્રમાણે તેમણે પહેલું ફોર્મ વોર્ડ નંબર 2ના ઉમેદવાદ અમીના બેનનું 2 વાગીને 37 મિનિટે જમા કરાવ્યું હતું. જ્યારે છેલ્લું ફોર્મ પણ અમીના બેનનું વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે 2 વાગીને 55 મિનિટે જમા કરાવ્યું હતું. ફોર્મ જમા કરાવવાનો સમય 3 વાગ્યા સુધીનો હતો. એટલે જો 5 મિનિટ પહેલાં જ ફોર્મ જમા કરાવી દીધા હોય તો સમયસીમા પૂરી થતાં પહેલાં ઉમેદવાર કે અધિકારીઓને મેન્ડેટ યાદ આવ્યા હતા કે નહીં? કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા પછી 13મી એપ્રિલે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની સૌથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરીને હાઇકોર્ટ જવા સુધીની તૈયારી દર્શાવી હતી. પણ પછી જાણે કાંઈ થયું જ ન હોય એમ ન તો શૈલેષ પટેલ આ બાબતે આગળ વધ્યા, ન તો પ્રદેશ કક્ષાએથી હલચલ જોવા મળી. એટલે અમે સૌથી પહેલાં શૈલેષ પટેલને મળવાનું નક્કી કર્યું. શૈલેષ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થયા પછી તેમણે 16 એપ્રિલે બપોરે 1 વાગ્યે રૂબરૂ મળવા માટેની તૈયારી દર્શાવી. જો કે 1 વાગ્યાનો વાયદો કર્યા બાદ પણ શૈલેષ પટેલ 3 વાગ્યે પહોંચ્યા. તેમણે ઓનરેકોર્ડ ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો. એટલે નાછૂટકે અમારે સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું. રૂબરુ મુલાકાત દરમિયાન અમે સૌથી પહેલાં ફોર્મ ભરાયા એ દિવસના ઘટનાક્રમ અંગે સવાલ કર્યા. જેના જવાબમાં શૈલેષ પટેલે કહ્યું, મેન્ડેટ તો અમે જ અમદાવાદથી લાવીએ છીએ. અમે સવારમાં લખીને આપી દીધા હતા. કુલ 18 લોકોના મેન્ડેટ લખ્યા હતા. પણ અધિકારી રાજરમત રમી ગયા. તેમણે આગળ કહ્યું, કુલ 18 ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા. એમના ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા 3 વાગતા સુધીમાં પતી ગઈ. તમામ લોકો સંકુલમાં જ હતા. પણ ફોર્મમાં જે તે વસ્તુ ખુટે છે એમ કહેતા સમયમર્યાદા કરતા 7 મિનિટ વધુ થઈ ગઈ. પછી અમારા લોકો મેન્ડેટ આપવા ગયા એટલે ચૂંટણી અધિકારીએ ના પાડી દીધી. “અમારા આગેવાનોએ મને ફોન કર્યો. હું હાઇવે પર જ હતો. એટલે પાંચ મિનિટમાં પહોંચી ગયો. ત્યારે ચૂંટણી અધિકારી મિતેષ પટેલે મને પણ કહ્યું કે ‘સાત મિનિટ વધારે થઈ ગઈ છે.’ મેં કહ્યું, ‘ફી ભરી દીધી છે, તેની રસિદ પણ છે. એ લોકોએ ફોર્મમાં સુધારા તમારા અધિકારીની દેખરેખમાં કરતા હતા તો પછી વાંધો શું છે?’ મને 50 લાખની ઓફર હતી- શૈલેષ પટેલવાતવાતમાં શૈલેષ પટેલે એક ચોંકાવનારો દાવો કર્યો કે, ભાજપના કાર્યકરોએ મને પણ પ્રલોભન આપ્યા હતા. એ લોકો ચહેરા અને હોદ્દા જોઈને ઓફર કરે છે. મને નબળા ઉમેદવાર ઉભા રાખવા માટે 50 લાખ રૂપિયાની ઓફર હતી. જિલ્લા પંચાયતની જે પણ સીટ પર એ લોકો હારતા હોય ત્યાં મારે નબળા ઉમેદવાર મૂકવાના. એટલે એ લોકો જીતી જાય. મારે એવી 10 સીટ સેટ કરવાની હતી. એમાં 50 લાખ રૂપિયાની ઓફર હતી. પરંતુ અમે ઉમેદવાર મજબૂત મૂક્યા એટલે અમારા ઉમેદવાર ખરીદવા પડ્યા. એ લોકોએ ખરીદીને, ધમકાવીને ઉમેદવાર પાડી દીધા. પોલીસવાળા મને કહે છે કે ચૂંટણી વખતે સરખા રહેજો નહીં તો તમારા પર કેસ થશે. અમારી પાસે ઓફર તો ઘણા પ્રકારની આવે. પણ મારી પાસે એ લોકો નથી કરી શકતા. શૈલેષ પટેલ બોલ્યા, મારે કહેવું ન જોઈએ પણ મારા કાર્યકારી પ્રમુખને તો એ લોકોએ ખરીદી લીધો. એક રેગ્યુલર પ્રમુખ સાથે પણ સેટિંગ કરી લીધું. અમે વેરો ભર્યો, જેમ તેમ કરીને ઉમેદવારો તૈયાર કર્યા હતા- શૈલેષ પટેલશૈલેષ પટેલે અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું, અત્યારે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ એવી છે કે એ લોકોનો ઘર વેરો પણ અમારે ભરવો પડ્યો. એ લોકોની ડિપોઝિટ પણ આપવાની અને જેમ તેમ કરીને ચૂંટણી લડાવવા માટે લાવવાના. એવી પરિસ્થિતિમાં 18 ઉમેદવાર તૈયાર કર્યા હતા. શૈલેષ પટેલ સાથેની મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસના એક નેતા પાસે મેન્ડેટ હતા અને આ નેતા પ્રાંત અધિકારીની ઓફિસે જ હાજર હતા. પરંતુ આવી હકીકત સામે આવતા જ કેટલાક ગંભીર સવાલો પણ ઉઠ્યા. મેન્ડેટ વગર ફોર્મ ભર્યા એટલે ઉમેદવારી રદ થવી નક્કી હતી. વાજતેગાજતે ઉમેદવારી નોંધાવવા માટે ગયેલા કોંગ્રેસના નેતાઓ વીલા મોઢે એ દિવસે ઘરે પરત ફર્યા હતા. આ જ ઉમેદવારો સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. એટલે સચોટ સત્ય જાણવા માટે અમે એવા નેતાને મળ્યા, જેનું ફોર્મ મેન્ડેટ ન હોવાના કારણે રદ થયું. અમારી મુલાકાત મયુર શાંતિલાલ મિસ્ત્રી સાથે થઈ. જેઓ ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને તેમણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. વાંચો… મયુર મિસ્ત્રી સાથેના સવાલ-જવાબ. જેનાથી ઘણુ ખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. પહેલાં શૈલેષ પટેલ અને ત્યાર બાદ મયુર મિસ્ત્રી સાથેની વાતચીતથી ખ્યાલ આવી ગયો કે મેન્ડેટ તો સમયસર મળી જ ગયા હતા. પરંતુ એ યોગ્ય સમયે રજૂ કેમ ન કર્યા? આ વાતનો જવાબ એક જ વ્યક્તિ પાસે મળે એમ હતો. આ વ્યક્તિ એટલે નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ. તેમણે મળવા અમે શહેર કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા. કોંગ્રેસી નેતાએ કહ્યું, પ્રદેશ કક્ષાએથી કોઈ મદદ ન મળીગણદેવી શહેરમાં એક કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ ફ્લોર પર કોંગ્રેસની ઓફિસ આવેલી છે. ઓફિસમાં ગાદલા પાથરીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ચૂંટણી જ ન હોવાના કારણે કાર્યાલય પર સન્નાટો હતો. અમે ત્યાં પહોંચ્યા તો ત્રણેક લોકો જ હાજર હતા. એક પીઢ કોંગ્રેસી કાર્યકરે કહ્યું, અહીંયાં કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળતા, માંડ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અમુક ઉમેદવારોનો વેરા પણ અમે અમારા ખિસ્સાના રૂપિયા કાઢીને ભર્યો હતો. અમને પ્રદેશ કોંગ્રેસે મદદ નથી કરી, કોઈ ફંડ નથી આપ્યું. ઝેરોક્ષ કરાવવાના રૂપિયા પણ અમારે ચૂકવવા પડે છે એવી હાલત છે. થોડા જ સમયમાં અમારી મુલાકાત નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ સાથે થઈ. મેન્ડેટ એમની પાસે હોવાનું અગાઉ બે લોકો કહી ચૂક્યા હતા. એટલે અમે સત્ય જાણવા માટે ટૂ ધી પોઈન્ટ અને આકરા સવાલો પૂછ્યા. દિવ્ય ભાસ્કર- તમે ફોર્મ ભરવા માટે કેટલા વાગ્યે નીકળ્યા હતા?મિનેશ પટેલ- અમે ચિખલીની કોંગ્રેસ ઓફિસથી ગણદેવી SDM કચેરીએ ફોર્મ ભરવા માટે એક-સવા એક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. અમે દોઢ વાગતા સુધીમાં કચેરીએ પહોંચી ગયા હતા. અમને એવી માહિતી આપવામાં આવી તે તમારા બધા ઉમેદવારોના ફોર્મ ઓબ્ઝર્વેશન રૂમમાં ચેક કરાવી લો. અમે ત્યાં ગયા અને ઉમેદવારોના ફોર્મ ચેક કરાવ્યા. એમણે (અધિકારીઓએ) અમને “ઓકે” લખીને આપ્યું અને કહ્યું, ‘તમે પ્રાંત અધિકારીની કચેરીમાં આ ફોર્મ જવા કરાવી દો અને ફી ભરી દો.’ એટલે અમે પ્રાંત અધિકારીની ઓફિસમાં ગયા અને બધાના ફોર્મ રજૂ કર્યા. એમણે ફોર્મ ચેક કરીને ફરીથી “ઓકે” લખ્યું. ત્યાર પછી બધાની ડિપોઝિટની રસીદ પણ ફડાવી આપી. ‘પછી ત્રણ વાગવામાં એક-બે મિનિટ બાકી હતી ત્યારે અમારા ગણદેવીના શહેર પ્રમુખ મયુર મિસ્ત્રીને પૂછ્યું કે તમારા મેન્ડેટ ક્યાં છે?’ ‘ત્યારે મયુર મિસ્ત્રી જવાબ આપ્યો, મેન્ડેટ બહાર જ છે. અમે તમને લાવીને આપીએ છીએ. આ રીતે વાત કરી તો તરત જ પ્રાંત અધિકારીએ કહ્યું, હવે સમય પૂરો થઈ ગયો છે, તમે મેન્ડેટ નહીં આપી શકો.’ દિવ્ય ભાસ્કર- તમને કોઈ લોભલાલચ આપવામાં આવી હતી?મિનેશ પટેલ- ના.. એવું કાંઈ નથી. પરંતુ ભાજપના મંત્રી દ્વારા જ પ્રાંત અધિકારીને દબાણ હોય કે કોંગ્રેસના ફોર્મ રદ કરવા, એવું થયું હોય એમ અમને લાગે છે. કારણ કે અમારી વાત જરાય સાંભળવામાં નથી આવી. ગણદેવીના અત્યાર સુધીના ઇતિહાસમાં ગણદેવી મામલતદાર ઓફિસ કે નગરપાલિકામાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. આ વખતે પહેલીવાર એવું થયું કે ચિખલીમાં પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા જવાનું થયું. આ ફેરફાર કેમ આવ્યો તેનો ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- તમે પ્રદેશ કક્ષાએ આ મુદ્દે કોઈ વાત કરી? ચૂંટણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ તમે કોર્ટમાં જવાના હતા એનું શું થયું?મિનેશ પટેલ- શૈલેષ પટેલ સાથે વાત થઈ છે અને પ્રદેશકક્ષાએ પણ વાત થઈ છે. એમણે કહ્યું છે કે હાઇકોર્ટમાં અરજી કરવી પડશે. પ્રદેશમાં કોઈક વકીલ સાથે વાત થઈ છે. પ્રદેશ કક્ષાએથી કોઈક વકીલે કહ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ ચૂંટણી પતે એના 15 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. મિનેશ પટેલે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન છે કે જો આવી પરિસ્થિતિમાં એક-બે મિનિટ આમતેમ થાય તો લોકશાહીના હિતમાં મેન્ડેટ સ્વીકારવા જોઈએ. પરંતુ કોઈ જાતની વાત માનવામાં નથી આવી. પ્રાંત અધિકારીએ ભાજપના કોઈ મંત્રીના દબાણમાં આવીને કામ કર્યું હોય એવું લાગે છે. ચૂંટણી અધિકારીએ મેન્ડેટ પ્રકરણ પર કહ્યું, અમારી પાસે વીડિયો પુરાવા છેપરિસ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ હેતુથી અમે ચિખલીના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને મળવાનું નક્કી કર્યું. જ્યારે અમે તેમને પ્રશ્ન કર્યો કે, ઉમેદવારો પાસે મેન્ડેટ હોવા છતાં માત્ર પાંચ-દસ મિનિટના વિલંબને કારણે લોકશાહીના હિતમાં ફોર્મ કેમ સ્વીકારવામાં ન આવ્યું? ત્યારે તેઓ ઓન-કેમેરા બોલવા તૈયાર નહોતા. જોકે, ઓફ-કેમેરા તેમણે આખી ઘટનાની વિગતો સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા આવે છે, ત્યારે વહીવટી તંત્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને અમે નિષ્પક્ષ રીતે જ કામ કરીએ છીએ. કોઈપણ રાષ્ટ્રીય પક્ષ વતી ઉમેદવારી નોંધાવતી વખતે પક્ષનું મેન્ડેટ જમા કરાવવું ફરજિયાત છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ કે તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જો કોઈ ઉમેદવારને તકલીફ પડે તો અમે મદદ પણ કરીએ છીએ. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા તે બાબતે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, અમારી ઓફિસના કેમેરા સતત કાર્યરત હોય છે. ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય હતો. અમારા કર્મચારીઓ દ્વારા વારંવાર બૂમો પાડીને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે તમામ બાબતો કેમેરામાં કેદ થયેલી છે. આમ છતાં, કોંગ્રેસના ઉમેદવારો સમયસર મેન્ડેટ રજૂ કરી શક્યા નહોતા. નિયમ મુજબ, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અમે કશું કરી શકતા નથી. આ મુદ્દે અમે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીને સવાલો કર્યો તેમણે કહ્યું, પક્ષ તરફથી ક્યાંય ભૂલ થઈ હશે, પક્ષના કોઈ આગેવાને કરી હશે, પક્ષના કોઈ સ્થાનિક પદાધિકારીએ કરી હશે તો તેને કોઈ પદ પર રાખવામાં નહીં આવે. કારણ કે હજારો કાર્યકરોની મહેનત લાગી હોય, હજારો મતદારો મતાધિકાર ગુમાવી દેતા હોય એવા સંજોગોમાં કોંગ્રેસની જવાબદારી બને છે કે આવું ખોટું થયું હોય તો ચલાવી લેવાય નહીં. જો કે હાઇકોર્ટ જવાનો દાવો કરતી કોંગ્રેસ અરજી ક્યારે કરશે એ મોટો સવાલ છે. કારણ કે બિનહરિફ ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ સર્ટિફિકેટ આપી દીધા છે અને ભાજપ ગણદેવી પાલિકા પર સત્તા મેળવી ચૂક્યું છે. અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં એવું બની ચૂક્યું હતું કે કોંગ્રેસ ગેરરીતિના આરોપ લગાવીને ગણતરીના કલાકોમાં જ કોર્ટ તેમજ ચૂંટણીપંચ સુધી પહોંચી ગઈ હોય.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 6:00 am

ભાસ્કર વિશેષ:ખરવા મોવાસા રસીકરણમાં રાજ્યમાં કચ્છ પ્રથમ

કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશની શરૂઆત 1 માર્ચથી કરવામાં આવી હતી છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસી આપવાનું આયોજન છે. . આ ખાસ ઝુંબેશ 1લી માર્ચથી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિનો ચાલવાની હતી, પરંતુ આ ડેડ લાઈનમાં કેન્ચાદ્લર સરકાર દ્શેવારા 15 દિવસનો વધારો કરીને હવે 30 એપ્રિલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કચ્છના 7 લાખ 33 હજાર 225 ગાય અને ભેંસને રસીકરણ સાથે રાજ્યમાં 75 ટકા કામગીરી સાથે પ્રથમ ક્રમે છે. જેમાં 6 મહિનાથી ઉપરની વયના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. પશુપાલકોની સગવડતા માટે સરકારી પશુ દવાખાનાઓ ઉપરાંત ગામે-ગામ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 23 પશુ ચિકિત્સા અધિકારીઓ, 45 પશુધન નિરીક્ષકો અને 150 પેરાવેટ્સની ટીમ કાર્યરત કરવામાં આવી છે.રસીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે તાલુકા કક્ષાએ કોલ્ડ ચેઈન જાળવવામાં આવી છે અને કોઈ પણ કટોકટી માટે વધારાનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. વિજયભાઈ દેસાઈએ જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના પશુધનને આ રસી અપાવી ખરવા મોવાસા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવે. જો કોઈ પશુ બીમારી કે અન્ય કારણોસર રસીથી વંચિત રહી જાય, તો તેનો રેકોર્ડ રાખીને પાછળથી અચૂક રસીકરણ કરવામાં આવશે. પશુઓ માટે કેમ જરૂરી છે ખરવા-મોવાસાની વેક્સિનપશુઓમાં જોવા મળતો ખરવા-મોવાસાએ એક અત્યંત ચેપી વિષાણુજન્ય રોગ છે, જે પશુધનને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાની સાથે પશુપાલકોને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. આ રોગ સામે સમયસર રસીકરણ કરાવવાથી પશુઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે, જે તેમને જીવલેણ સંક્રમણથી સુરક્ષિત રાખે છે. રસીકરણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખે છે, કારણ કે આ રોગના પ્રકોપથી દૂધમાં 5% થી 50% સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, રસીકરણથી પશુઓમાં ગર્ભપાત અને વંધ્યત્વ જેવી પ્રજનન સમસ્યાઓ અટકે છે અને બીમાર પશુઓના મોંઘા નિદાન તેમજ સારવારના ખર્ચમાં પણ મોટી બચત થાય છે. જો ગામના તમામ પશુઓને રસી અપાયેલી હોય, તો આખા વિસ્તારમાં રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે. આથી, પશુપાલકોએ આર્થિક સ્થિરતા અને પશુધનની તંદુરસ્તી માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા મફત અભિયાનનો લાભ લઈ દર છ મહિને આ રસી અચૂક અપાવવી જોઈએ. ખરવા-મોવાસા એટલે શું

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:47 am

કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી

ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પહેલા કચ્છમાં ભારતીય સેનાએ પોતાની શક્તિ, તૈયારીઓ અને આધુનિક યુદ્ધક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરીને વિશ્વપટલ પર સંદેશ મૂક્યો છે કે દેશની સુરક્ષા માટે તે સર્વદિશામાં સજ્જ છે. એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા L70 એર ડિફેન્સ ગન અને ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શન સાથે દુશ્મનના સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ રજૂ કરાઈ હતી. ડ્રોન ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે સેનાએ દેખરેખ, લક્ષ્ય ઓળખ અને જેતે સમયની ગુપ્ત માહિતી એકતરીત કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી. સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ્સના ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પણ સામે આવી હતી. કવાયતથી જમીન અને જળ બંને મોરચે સૈન્ય વ્યૂહરચનાઓનું પ્રદર્શન કરાયું, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ખાડી વિસ્તારમાં જમીન અને પાણી બંને પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:42 am

આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી

દયાપરથી એકાદ કિલોમીટરના અંતરે દોલતપર તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. હાઈવે માર્ગ પર આવેલા પોલીસ મથક નજીક બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામા બનાવ બન્યો હતો. ચિનાઈ માટીના પાઇપ ભરેલ ટ્રકમાં આગના બનાવને લઈને જીએમડીસી પાનધ્રો તેમજ ઉંમરસરમાં જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. અને સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાઇવે માર્ગ પર બનેલા બનાવને લઈને રસ્તાની બંને તરફ વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. બનાવને પગલે દયાપર પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. આગનો બનાવ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બંને હોવાનું લોકોએ જણાવ્યું હતું. ટ્રકના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:41 am

મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા

કચ્છમાં વેકેશન અને ધાર્મિક ઉત્સવોની મોસમ શરૂ થતા જ બહારગામથી આવતા પ્રવાસીઓની ભીડનો લાભ લેવા ખિસ્સાકાતરૂ ટોળકી સક્રિય બની છે. ખાસ કરીને ભુજથી નલિયા જતી એસટી બસોમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મોબાઈલની ચોરી થતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં મુસાફરોને સાવચેત રહેવા અને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સ્થિત કચ્છી માડુઓ વેકેશન અને સામાજિક પ્રસંગો માટે વતન આવી રહ્યા છે. મુંબઈથી ટ્રેન દ્વારા વહેલી સવારે ભુજ રેલવે સ્ટેશન ઉતર્યા બાદ મુસાફરો અબડાસા જવા માટે એસટી બસ સ્ટેશન પહોંચે છે. લાંબી મુસાફરીના થાકને કારણે મુસાફરો અસાવધ હોય છે, જેનો લાભ ખિસ્સાકાતરૂઓ ઉઠાવે છે. બસોની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડનો લાભ લઈ ગઠિયાઓ નજર ચૂકવી મોબાઈલ અને કિંમતી સામાન સેરવી લે છે. ચોરીનો ભોગ બનનારા મોટાભાગના મુસાફરો બહારગામના હોવાથી પોલીસ સ્ટેશનના ધક્કા અને કાયદાકીય ગૂંચવણથી બચવા ફરિયાદ કરવાનું ટાળે છે. મુસાફરોને કયા પોલીસ મથકે જવું તેની જાણકારી હોતી નથી, પરિણામે ગઠિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. વાયરલ ઓડિયોમાં પણ ઉલ્લેખ છે કે અનેક ઘટનાઓ છતાં હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.જો એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે બસ સ્ટેશન પર ચેકિંગ વધારવામાં નહીં આવે, તો વતનમાં આવતા પ્રવાસીઓમાં કચ્છની સુરક્ષા અંગે ખરાબ છાપ ઊભી થશે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સાવચેતીની અપીલ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:40 am

વિશ્વાસઘાત:ભાડાના બહાને સેન્ટરિંગનો સામાન મેળવી વેપારી સાથે વિશ્વાસઘાત કરાયો

સેન્ટ્રીંગનો સામાન ભાડે રાખવાના બહાને છેતરપીંડી કરવામાં આવી છે. ગણેશનગર વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રીંગના વ્યવસાય સાથે સંકળાયેલા મુળજીભાઈ વેલજીભાઈ વેકરીયાએ આ મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેઓ કાન્તાબેન ગોરસિયાના પાવરનામું ધરાવીને સેન્ટ્રીંગનો વ્યવસાય સંભાળે છે અને મિરઝાપર હાઈવે પર આવેલી તેમની ઓફિસથી સામાન ભાડે આપવાનું કામ કરે છે. કોટડા ચકાર ગામનો રહેવાસી કાનજીભાઈ ખીમજીભાઈ મહેશ્વરી છેલ્લા ચાર વર્ષથી ફરિયાદી પાસેથી સેન્ટ્રીંગનો સામાન ભાડે લઈ જતો હતો. ગત ઓગસ્ટ 2025માં આરોપીએ અંજાર, ચકાર અને શેખપીર જેવા સ્થળોએ બાંધકામ ચાલતું હોવાનું જણાવી લોખંડની પ્લેટો સહિતનો અંદાજે રૂપિયા 3.50 લાખની કિંમતનો સામાન ભાડે લીધો હતો. આ સામાન ઓક્ટોબર 2025 સુધીમાં પરત કરવાનો હતો, પરંતુ આરોપીએ સામાન પરત કરવાને બદલે ગલ્લાતલ્લાં શરૂ કર્યા હતા. ભાડા પેટે લીધેલો સામાન પરત ન કરી અને ભાડાની રકમ પણ ન ચૂકવી આરોપીએ વેપારી સાથે પૂર્વયોજિત કાવતરું રચી 3.50 લાખનો સામાન અને 35 હજાર ભાડું મળી 3.85 લાખની છેતરપિંડી આચરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉઘરાણી માટે ફોન કર્યા તો ફોન ઉપાડવાનું બંધ કરાયુંફરિયાદીના કર્મચારીઓએ જ્યારે સામાનની ઉઘરાણી માટે ફોન કર્યા ત્યારે આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. શંકા જતાં વેપારીના માણસોએ તપાસ હાથ ધરી તો ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આરોપી કાનજી મહેશ્વરીએ આ ભાડાનો સામાન પરત કરવાને બદલે અન્ય વ્યક્તિઓને બારોબાર વેચી માર્યો હતો અથવા પધરાવી દીધો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલોક સામાન શીણાઈ પાસેની એક સંસ્થામાં પડ્યો હતો, જ્યારે અન્ય સામાન અન્ય શખ્સોને વેચી દેવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:39 am

કરુણાંતિકા:પશ્ચિમ કચ્છમાં આપઘાત-અપમૃત્યુની ઘટનાઓમાં 4 વ્યક્તિના કરૂણ મોત

પશ્ચિમ કચ્છ જિલ્લામાં અકસ્માત મોતના ચાર અલગ-અલગ બનાવો નોંધાયા છે, જેમાં વીજ કરંટ અને ફાંસો ખાવાને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગ્રેચા ગામની સીમમાં એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. 60 વર્ષીય કાદર હાસમ માંજોઠી બકરા ચરાવવા માટે સીમમાં ગયા હતા. બકરાના ચારા માટે લીમડાના ઝાડ પર ચઢી ડાળીઓ કાપી રહ્યા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઇન સાથે સંપર્ક થતાં જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. તેમને સારવાર માટે ગઢશીશા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઢશીશા પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ તરફ મુંદરા પોલીસની હદમાં આવતા મોટા કાંડાગરા પાસેની અદાણી કોલોનીમાં રહેતા 23 વર્ષીય મોહમ્મદ સલામ (મૂળ રહે. બિહાર) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ જ કોલોનીમાં રહેતા 40 વર્ષીય સંજીત બાદલ ઘોષ (મૂળ રહે. પશ્ચિમ બંગાળ) એ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. મુન્દ્રા પોલીસે બંને બનાવોમાં એડી દાખલ કરી છે. દરમિયાન ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ, જૂની રાવલવાડી વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યોગેશ રવજી સોલંકી નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રાત્રિના સમયે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. બનાવ અંગે પોલીસે એડી દાખલ કરીને મોતના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:38 am

સિટી એન્કર:કોણ કહે છે કે ગુજરાતીઓ વાંચતા નથી મોબાઈલ સ્ક્રીન ટાઈમના યુગમાં સંસ્થાએ વર્ષમાં રૂ.1.44 કરોડના જ્ઞાનવર્ધક પુસ્તકો વેચ્યા

આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકોમાં મોબાઈલ સ્ક્રીનનો સમય વધતો જાય છે. જેને લઈને છેલ્લા 5 વર્ષોમાં વાંચનનો ગ્રાફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તે વચ્ચે ભુજની સંસ્થા મોટા પબ્લિકેશન્સ પાસેથી ડિસ્કાઉન્ટમાં પુસ્તકો મેળવીને તે જ ભાવે વાચકો સુધી પહોંચાડે છે. તેમણે ગત વર્ષમાં રૂ.1.44 કરોડના પુસ્તકોનું વેંચાણ કરીણે વાંચન સંસ્કૃતિને જીવંત રાખવાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભુજ મીરજાપર રોડ પર આવેલી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત બુકસ્ટોલ જ્યાં દરેક વયના વાંચકો માટે પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં દેશ દુનિયાના લેખકો, સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો,બાળકો માટે મેગેઝીન સહિતના પુસ્તકો, મેગેઝીન, ડિક્શનરીઓનો સમાવેશ થાય છે. સંસ્થા, માત્ર કચ્છ નહીં પણ સમગ્ર ગુજરાતમાં, મુંબઈ, દિલ્લી સુધી પુસ્તકો કુરિયર કરી મોકલાવે છે. તેમજ રાજ્યની ઘણી શાળાઓની લાઇબ્રેરી સુધી પણ સંસ્થાના પુસ્તકો પહોંચે છે. સંસ્થામાં કાર્યરત પ્રદીપભાઈ જણાવે છે કે, અહીં નૉમિનલ ફી ડિપોઝિટ પર લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેથી વાંચકોને પુસ્તકો અહી જ વાંચી શકે છે. આધુનિક સમયમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાને લીધે છેલ્લા પાંચક વર્ષમાં વાંચનનો ગ્રાફ નોંધપાત્ર રીતે નીચે આવ્યો છે. સામે, ખાસ કરીને યુવાનોમાં સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને પુસ્તકોનો વપરાશમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સંસ્થાએ વર્ષ 2024-25માં રૂ.1.44 કરોડના પુસ્તકોનું વેચાણ કર્યું છે. જેના પરથી એ સાબિત થાય છેકે, લોકો હવે વાંચતા નથી, એવી વાત ઘણી જગ્યાએ સાંભળવામાં આવે છે.ખાસ કરીને મોબાઈલના વધતા ઉપયોગને કારણે, પરંતુ આ માન્યતા સંપૂર્ણ સત્ય નથી. ઘણી વખત લોકો કોઈ ચોક્કસ માહિતી વગર જ આ વાત માની લે છે, જ્યારે હકીકતમાં ઉપલબ્ધ આંકડાઓ તેનો વિરોધ કરે છે. ભારતમાં અંદાજે 1 લાખ કરોડનો પુસ્તક બજાર, વિશ્વમાં 10મું સ્થાનયુનેસ્કો 1995થી આજના દી’એ વર્લ્ડ બુક ડે ઉજવે છે. ઈન્ડિયન બુક્સ માર્કેટ સાઇઝ એન્ડ આઉટલુક રિપોર્ટ મુજબ 2025 દરમિયાન દેશમાં અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનાં પુસ્તકો છપાયા અને વેચાણા છે. વર્ષ 2025 દરમિયાન ભારતમાં લગભગ 90 હજાર નવા પુસ્તકો પ્રકાશિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:37 am

જનસભામાં સાંસદ દ્વારા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સામે આક્ષેપો:વોર્ડ-16માં 30 વર્ષથી પાણીનું પોલિટિક્સ, વોર્ડ ઓફિસર સાથે સેટિંગ: ડો.હેમાંગ જોશી

વોર્ડ નંબર 16માં જનસભામાં સાંસદ ડો.હેમાંગ જોશીએ વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ સામે આક્ષેપો કર્યા હતા. જેમાં વોર્ડ નંબર 16ની અંદર છેલ્લા 30 વર્ષથી વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે સેટિંગ કરીને યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવતો ના હોવાનું જણાવ્યું હતું. વોર્ડ નંબર 16ની અંદર છેલ્લા 30 વર્ષથી વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે સેટિંગ કરીને યોજનાબદ્ધ રીતે વિકાસ કરવામાં આવતો નથી. 5 વર્ષ પછી એજ મુદ્દાને ઉછાળીને એક સિનિયર કોર્પોરેટર સત્તા પર આવી જાય છે. પાણી પોલિટિકસ ચાલે છે. પહેલા પાણીની વાલ્વ બંધ કરીને ચાવી ખોઈ નાખવાની. ભાજપના કોર્પોરેટર અધિકારી ફોન કરે તો અધિકારી મળતા નથી. પછી અચાનક કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર આવી જાય એટલે ચાવી પણ મળી જાય અને પાણી પણ આવી જાય. તેમજે લોકોની અંદર એવું આભાસી ચિત્ર ઉભું કરાવવામાં આવે કે ભથ્થુભાઇ આવ્યા એટલે જ પાણી આવ્યું. આવા હથ્થકડ્ડા કરીને વોર્ડ નંબર 16માં તેઓ અત્યાર સુધી શાસનમાં આવી રહ્યા છે. આ જ પ્રકારનો અનુભવ ત્યારે બંગાળમાં ત્યારે મમતા બેનર્જીનો જોયો છે. પાણી પોલિટિકસ ચાલી છે. વોર્ડ ઓફિસર અને તેનાથી નીચેના અધિકારીઓ સાથે ભથ્થુંનું સેટિંગ છે. બંગાળની ચૂંટણી સાથે સાંસદે વડોદરાની ચૂંટણીને પણ જોડીસાંસદ ડો.હેમાંગ જોશીએ ભથ્થુભાઇ આવ્યા એટલે કામ થઇ રહ્યું છે તેવું આભાસી ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારનો અનુભવ મે બંગાળમાં ત્યારે મમતા બેનર્જીનો જોયો છે. આ પ્રોપોગેન્ડાનું રાજકારણ કરવામાં આવે છે. તમને અહી મત મળી જશે તો ઉપર ભગવાન માફ નહીં કરે. જનતાનો વિકાસ કેવી રીતે અટકી જાય તેવું કામ કરે છે. જનતાની હાય લાગશે. સાંસદની અધિકારીઓને ચીમકી, ચૂંટણી પછી જોઇ લઇશવોર્ડ નંબર 16ના વોર્ડ ઓફિસર અને અધિકારીઓને સાંસદે જાહેર મંચ પરથી ચીમકી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે વોર્ડ નંબર 16ના જે અધિકારીઓને ભથ્થુભાઇ સાથે સેટિંગ છે તે તમામને ચૂંટણી પછી તમને જોઇ લઇશું.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:31 am

બીસીએની ચૂંટણીનો વિવાદ જટિલ બન્યો:કિરણ મોરે સહિત 4ના ગેરલાયક ઠરવાના મુદ્દે સુપ્રીમના 2022ના ચૂકાદાનું અર્થઘટન મગાશે

બીસીએની ચૂંટણીનો વિવાદ જટિલ બન્યો છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેંચ સમક્ષ સુનાવણીમાં નવો વળાંક આવ્યો છે. ઉમેદવારોએ સુપ્રીમ કોર્ટના 2022ના આદેશો બાબતે કાયદાકીય સ્પષ્ટતાઓ મેળવવા સુપ્રિમમાં અરજી કરવાની પરવાનગી માગી હતી. ચીફ જસ્ટિસની કોર્ટે તેને સ્વીકારી હવે વધુ સુનાવણી 9 જૂન પર રાખી છે. તે પહેલાં સુપ્રિમ કોર્ટમાંથી અભિપ્રાય આવે તો સુનાવણીની માટે તારીખ માગી શકાશે. સુપ્રિમ કોર્ટે 2022માં સ્પોર્ટ્સ એસો.હોદ્દેદારોની યોગ્યતા મુદ્દે ચૂકાદો આપ્યો હતો. તે કેસનું અર્થઘટન કરવા સુપ્રિમ કોર્ટમાં અરજી કરાશે. ત્યારબાદ કેસમાં મહત્ત્વનો વળાંક આવશે. આગામી સુનાવણી સુધી કોર્ટે વચગાળાની વ્યવસ્થા યથાવત રાખવાનો આદેશ આપ્યો છે. એટલે કે વર્તમાન કમિટીની સત્તાઓ મર્યાદિત રહેશે અને તેઓ માત્ર રોજિંદા વહીવટી કામો જ કરી શકશે. કોઈપણ મોટા નીતિવિષયક નિર્ણયો લેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે અને ચૂંટણીનું પરિણામ પણ અત્યારે જાહેર કરી શકાશે નહીં. આ મામલો પૂર્વ ક્રિકેટર કિરણ મોરે સહિત 4 સભ્યોની ઉમેદવારીની લાયકાતનો છે. સિંગલ જજે તેમને ચૂંટણી લડવા અયોગ્ય ઠેરવ્યા હતા, ઉમેદવારોએ ચીફ જસ્ટિસની બેંચમાં અપીલ કરી છે. તેમની દલીલ છે કે સુપ્રીમના નિયમ મુજબ સમય મર્યાદા બાદ હોદ્દા પર રહેનાર ફરી ચૂંટણી લડી શકે નહીં. ચીફ જસ્ટિસની કોર્ટે પણ નોંધ્યું છે કે, ચૂંટણી અધિકારીએ સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે. સુપ્રિમ કોર્ટના આ ચુકાદાના અર્થઘટન માટે અરજી કરાશે કોઈ મોટા નિર્ણય લઈ કોર્ટનું કન્ટેમ્પ્ટ કરે તો હાઈકોર્ટમાં જઈશુંહાલની એપેક્ષ બોડી કોઈ મહત્ત્વના નિર્ણય લઈને કોર્ટનું કન્ટેમ્પ્ટ કરે તો અમે હાઈકોર્ટ જઈશું. તમામ કામો પર અમે નજર રાખી રહ્યા છે. > ડૉ.દર્શન બેંકર, પ્રમુખપદના ઉમેદવાર, બીસીએ

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

અનોખો રાજકીય ઇતિહાસ:29 વર્ષથી પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપનો‎અજય ગઢ, કોંગ્રેસ માત્ર વિરોધપક્ષમાં જ રહી‎

પોરબંદર જિલ્લા પંચાયતના અનોખો રાજકીય ઇતિહાસ જોવા મળ્યો છે.પોરબંદર જિલ્લા પંચાયત અસ્તિત્વથી અત્યાર સુધી ભાજપનું જ શાસન જોવા મળ્યું છે તો કૉંગ્રેસ તેમજ અન્ય પક્ષ માત્ર વિરોધ પક્ષમાં જ રહ્યો છે.ત્યારે હાલની ચૂંટણીમાં જિલ્લા પંચાયતનો ઇતિહાસ બદલશે કે કેમ તે જોવાનું રહ્યું છે. પોરબંદર જિલ્લાનો વિસ્તાર અગાઉ જૂનાગઢ જિલ્લામાં સમાવેશ થતો હતો ત્યારે 2 ઓક્ટોબર 1997માં પોરબંદર જિલ્લાની જાહેરાત કરી અને અસ્તિત્વમાં આવ્યો હતો ત્યારે પોરબંદર જિલ્લાના અસ્તિત્વ સાથે સાથે પોરબંદર જિલ્લા પંચાયતનું પણ અસ્તિત્વમા આવી હતી ત્યારે આ જિલ્લા પંચાયતમાં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.પરંતુ પોરબંદર જિલ્લા પંચાયતના અસ્તિત્વથી અત્યારસુધીમાં અનોખો રાજકીય ઇતિહાસ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયતના 29 વર્ષથી ભાજપનું અજય ગઢ જોવા મળી રહ્યો છે.અને કૉંગ્રેસ માત્ર વિરોધપક્ષમાં રહી છે.જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દર વખતે કૉંગ્રેસના માત્ર 2 થી 5 જેટલા સભ્યોની જ જીત થતી હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતમાં કોનું શાસન રહેશે તે જોવાનું રહ્યું છે. 29 વર્ષ પૂર્વે જિલ્લા પંચાયતમાં 149 ગ્રામ પંચાયતો કાર્યરત હતીપોરબંદર જિલ્લા પંચાયતનું અસ્થિત્વમાં આવી ત્યારે પોરબંદર જિલ્લા પંચાયત હેઠળ હાલમાં 3 તાલુકા પંચાયતો અને 149 ગ્રામ પંચાયતો કાર્યરત હતી.જેમાં પોરબંદર તાલુકા પંચાયતમાં 74 ગ્રામ પંચાયતો,કુતિયાણા તાલુકા પંચાયતમાં 46 ગ્રામ પંચાયતો અને રાણાવાવ તાલુકા પંચાયતમાં 29 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરાયો હતો જોકે હાલ અમુક ગ્રામ પંચાયત મનપામાં સમાવેશ થયો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ઉનાળે મિજાજ બદલ્યો:બપોરે તાપ, રાત્રે ભેજ સાથે ઠંડક પ્રસરી; મહતમ 36, લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું

પોરબંદરમાં મહતમ તાપમાન 36 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 21.5 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 41 ટકા યથાવત રહ્યું છે, ત્યારે સવાર થી સાંજ ગરમી અને રાત્રે ભેજ વાળું વાતાવરણ રહે છે. પોરબંદરમાં ઉનાળાએ હવે પોતાનું અસલી સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. બુધવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુતમ 21.5 ડિગ્રી નોંધાતા દિવસ-રાતના માહોલમાં ફેરફાર જોવા મળ્યો હતો.બપોરના સમયે કાળઝાળ ગરમી અને તાપના કારણે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. આકરા તાપનો કારણે લોકો પસીને રેબઝેબ થતા નજરે ચડ્યા હતા અને લોકો છાંયો અને ઠંડક શોધતા નજરે પડ્યા હતા. વાતાવરણમાં 41 ટકા ભેજના પ્રમાણને કારણે ગરમી સાથે ઉકળાટનો અનુભવ પણ થયો હતો, જોકે, સાંજ બાદ હળવા પવન સાથે થોડી રાહત મળી હતી અને રાત્રે ભેજભરી ઠંડક ભર્યું વાતાવરણ અનુભવાયું હતું, શહેરમાં હાલ ગરમી-રાહતનો મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ચૂંટણી પૂર્વે જાગૃતિનો મુદ્દો ગરમાયો:વોર્ડ ક્યાંથી શરૂ, ક્યાં પૂરો? પોરબંદરમાં ગૂંચવણ વચ્ચે જાહેર બોર્ડની માંગ ઉઠી

પોરબંદર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1 થી 13 ની ચૂંટણી તા. 26 એપ્રિલના રોજ યોજાવાની છે, ત્યારે શહેરમાં એક મહત્વનો નાગરિક મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વોર્ડની સીમા દર્શાવતા જાહેર બોર્ડ હાલ જોવા મળતા નથી, જેના કારણે નાગરિકોમાં ગૂંચવણ ઊભી થઈ રહી છે. પોરબંદરમાં સામાજિક કાર્યકર અતુલ વી. પોરિયાએ આ મુદ્દે મહાનગરપાલિકાને રજૂઆત કરી છે કે, અગાઉ દરેક વોર્ડના પ્રારંભ અને અંત દર્શાવતા બોર્ડ મૂકવામાં આવતા હતા, પરંતુ હાલમાં આ વ્યવસ્થા ગાયબ થઈ ગઈ છે. પરિણામે, સામાન્ય નાગરિકોને પોતાનું ઘર કે દુકાન કયા વોર્ડમાં આવે છે તેની સ્પષ્ટ માહિતી તરત મળતી નથી. આવા બોર્ડ માત્ર ઓળખ માટે જ નહીં પરંતુ ચૂંટણી સમયે મતદારો માટે માર્ગદર્શનરૂપ સાબિત થાય છે. વોર્ડની ચોક્કસ સીમા જાણવાથી લોકો પોતાનો મત વિસ્તાર સરળતાથી સમજી શકે છે અને જરૂરી શાસકીય સેવાઓ મેળવવામાં પણ સહાય મળે છે. આથી પબ્લિક હિતને ધ્યાનમાં રાખીને વોર્ડ નંબર 1 થી 13 સુધી તમામ સીમા પર નિયમ મુજબ તાત્કાલિક જાહેર બોર્ડ મુકવામાં આવે તેવી માંગ કરી છે. ચૂંટણીના આ તબક્કે આવી વ્યવસ્થા અમલમાં આવે તો તે નાગરિક સુવિધા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવું પણ જણાવ્યું હતું. મનપા દ્વારા નવા સીમાંકન બાદ બોર્ડ ન મુકાયામનપા બન્યા બાદ નવા 4 ગામનો સમાવેશ થયો છે અને નવું સીમાંકન બનાવવામાં આવ્યું છે. સીમાંકન તૈયાર થયા બાદ વોર્ડની બોર્ડર પર બોર્ડ મારવા જોઈએ પરંતુ ચૂંટણી નજીક હોવા છતા જાણકારી માટે બોર્ડ મારવામાં આવ્યા નથી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ફરિયાદ:કાર વેચાણ સોદો રદ કરતા 3 શખ્સે ઘરે જઈ આધેડને ધમકી આપી

શહેરમાં કાર વેચાણ સોદો રદ થતા 3 શખ્સે આધેડના ઘરે જઈ ધમકી આપી હતી. શહેરમાં મીરાનગર પાછળ આવેલ યશોદા પાર્કમાં રહેતા 52 વર્ષીય ગીરીશભાઈ નરોત્તમભાઈ વાઘેલાએ પોતાની જીજે 03 એલબી 5685 નંબરની કાર ખલીલપુર રોડ વિસ્તારમાં રહેતા બ્રીજેશ વિજયભાઈ યાદવને રૂ. 5,17,000માં વેચવાનું નક્કી કર્યું હતું. જોકે, બ્રીજેશે માત્ર રૂ. 87,000 ચૂકવ્યા હતા અને બાકીની રકમ લાંબા સમય સુધી ન ચૂકવતા સોદો પૂર્ણ થયો ન હતો. આ દરમિયાન કાર હજુ પણ ગીરીશભાઈના નામે જ હોવાથી અને અન્ય લોકો તે ફેરવતા હોવાનું જણાતા, તેઓએ પોતાની કાર પરત મેળવી લીધી હતી. ​આ બાબતનો ખાર રાખીને ગત તા. 16 એપ્રિલના રોજ વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં બ્રીજેશ યાદવ, દોલતપરામાં રહેતા રામભાઈ રામદેભાઈ ઓડેદરા અને સલીમભાઈ નામના ત્રણ શખ્સો આધેડના ઘરે પહોંચ્યા હતા. શખ્સોએ ઘરનો દરવાજો જોરજોરથી ખખડાવી ગાળાગાળી કરી હતી. ગીરીશભાઈ બહાર આવતા જ શખ્સોએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, 'તમે સોદો કેન્સલ કરી મોટી ભૂલ કરી છે, હવે ઘરની બહાર નીકળશો તો જીવતા નહીં મૂકીએ.’ એવી ધમકી આપતા ગીરીશભાઈએ તુરંત 112 પર પોલીસને જાણ કરતા ત્રણેય શખ્સ નાસી છૂટ્યા હતા. સી ડિવિઝન પોલીસે આધેડની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ધરપકડ:સગીરાનાં અપહરણનો આરોપી 4 વર્ષે ઝડપાયો

બાંટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા-ફરતા આરોપીને ઝડપી જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને પૅરોલ ફર્લો સ્ક્વોડે ગાંધીનગરથી ભોગ બનનાર સાથે દબોચી લઈ આગળની કાર્યવાહી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને રાખીને, લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમને તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે વર્ષ 2022ના બાંટવા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનાનો આરોપી માણાવદર તાલુકાના બુરી ગામનો રાજકુમાર ભાણજીભાઈ પારધી ઉં.વ. 25 હાલ ગાંધીનગર જિલ્લાના દહેગામ પાસે કડાદરા જીઆઈડીસીમાં આવેલ 'વીર સાઈન બોર્ડ' નામના કારખાને છુપાયો છે. ​બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્ક્વોડે દરોડો પાડી આરોપી રાજકુમાર પારધીને દબોચી લીધો હતો. તેની સાથે ગુનામાં ભોગ બનનાર વ્યક્તિ પણ મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. આ કેસમાં વધુ તપાસ માનવ તસ્કરી વિરોધી એકમ ચલાવતી હોવાથી, પકડાયેલા આરોપીને આગળની કાર્યવાહી માટે તેને સોંપી દેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

કાર્યવાહી:જોડીયાના ચાર શખસની PIT NDPS એકટ હેઠળ અટકાયત

જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપ દ્વારા પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જોડીયાના ચાર શખસોની અટકાયત કરી અમદાવાદ, વડોદરા, સુરત અને ભુજ જેલ હવાલે કરવામાં આવ્યા છે.રાજયના સીઆઇડી ક્રાઇમના વડાએ દરખાસ્તને મંજુર કરતા પોલીસે ચારેયને સંકજામાં લીઘા હતા. રાજયને નશામુકત કરવા ખાસ અભિયાનના અનુસંધાને જિલ્લામાં માદક પદાર્થના વેચાણ અને વહન અંગે કેસો કરવા સાથે આવા ઇસમોને ઝડપી પાડવા તદુપરાંત વારંવાર ગુનાઓ કરતા તત્વો વિરૂધ્ધ પીઆઇટી એનડીપીએસ એકટ મુજબની દરખાસ્ત તૈયાર કરવા જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા ટીમ દ્વારા એનડીપીએસ એકટ હેઠળના ગુનામાં સંડોવાયેલા જોડીયાના ચાર શખસો વિરૂધ્ધ પુરતા પુરાવા મેળવી દરખાસ્ત તૈયાર કરી પોલીસ વડા મારફતે પોલીસ મહાનિદર્શેક, સીઆઇડી ક્રાઇમ,ગુજરાત સમક્ષ મોકલવામાં આવી હતી. જે દરખાસ્તને મ઼જુરીની મ્હોર મળતા એસઓજી પોલીસે જોડીયાના મોટા વાસ વિસ્તારમાં રહેતા ફરીદ બસીરભાઇ ખોડ, અજીજ મામદભાઇ ગાધ, અસગર ગનીભાઇ પલેજા, નુરમામદ ઉર્ફે નૂરો સિદીકભાઇ છરૈયાને સકંજામાં લીઘા હતા. પોલીસે ચારેય શખસોને અટકાયત લઇ અમદાવાદ, વડોદરા, સુરત અને ભુજ મધ્યસ્થ જેલ હવાલે કરવા માટે તજવિજ હાથ ધરી છે. PIT NDPS અધિનિયમ હેઠળ કેવી રીતે કાર્યવાહી... પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પીઆઇટી એનડીપીએસ અધિનિયમ હેઠળ આવા વ્યકિતઓને પુર્વગામી અટકાયત હેઠળ રાખી શકાય છે,જેથી તેઓ નશીલા પદાર્થના વેચાણ, ખરીદી,વહન અથવા સંગ્રહ જેવી પ્રવૃતિઓમાં જોડાય નહી,જેલમુકત થયા બાદ આવા લોકો ફરીવાર નશીલા પદાર્થની પ્રવૃતિઓમાં સક્રિય થઇ શકે તેમ છે તેવુ જણાય તેવા સમયે કાર્યવાહી કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

મુલાકાત:જામ્યુકોના 16 વોર્ડની મત ગણતરી હરીયા કોલેજમાં થશે, કલેકટરે સ્થળ નિરીક્ષણ કર્યુ

જામનગર મહાનગર પાલિકા વિસ્તારના મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે જિલ્લા ચુંટણી અધિકારીએ મુલાકાત લઇ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ હોલ સહીત અન્ય તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. સંબંધિત અધિકારીઓ અને જે તે વોર્ડના ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જીલ્લા કલેકટરે સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વોર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા મતગણતરી હોલની મુલાકાત કરી તેઓએ ટેબલોની ગોઠવણી, ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટર, ઓબ્ઝર્વર રૂમમાં પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મત ગણતરી સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ જેમ કે, પીવાનું પાણી, વીજળી મેડિકલ ટીમ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહીતની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી તા.26 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. તેમજ તા.28 એપ્રિલના રોજ સવારે નવ કલાકથી મતગણતરી શરુ થશે. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.1થી 16ની મત ગણતરી હરિયા કોલેજ ખાતે યોજાશે. જિ.પં.-તાંં.પંચાયતો માટે મતગણતરી કેન્દ્રોસિક્કા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી ડીસીસી ટેકનીકલ હાઈસ્કુલ, જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં મતગણતરી સ્થળ જેમાં જામનગર ગ્રામ્યમાં ઓશવાળ ઈંગ્લીશ એકેડમી ખાતે, કાલાવડ તાલુકામાં મ્યુનીસીપલ હાઈસ્કુલ ખાતે, જામજોધપુર તાલુકામાં ઇવીડીએસ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, ધ્રોલ અને જોડિયામાં મતગણતરી હરધ્રોળ હાઈસ્કુલ ખાતે, લાલપુર તાલુકામાં સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતગણતરી યોજવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

વાતાવરણ:જામનગરમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે મહતમ પારો 35.5 ડિગ્રી

જામનગર શહેરમાં મહતમ તાપમાનમાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 35.5 ડિગ્રી પર સ્થિર થયો હતો.આંશિક રાહત વચ્ચે બપોરે સુ્ર્યનારાયણનો પ્રકોપ મહદઅંશે યથાવત રહયો હતો.જે સાથે પવનનુ જોર પણ વધતા બપોરે માર્ગો પર આવા ગમન કરતા વાહનચાલકોએ લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો.જે સાથે બફારા અને ઉકળાટનો માહોલ પણ મોટા ભાગે યથાવત રહયો હતો. જામનગરમાં બુધવારે સવારે પુરા થતા 24 કલાક દરમિ્યાન મહતમ તાપમાન એક ડિગ્રી ઘટી 35.5 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જયારે લઘુતમ તાપમાન પણ આંશિક વધારા સાથે 24 ડિગ્રીએ પહોચ્યુ હતુ. મહતમ તાપમાનમાં ઘટાડા છતા સુર્યનારાયણનો પ્રકોપ મહદઅંશે યથાવત રહયો હોવાનો અહેસાસ જનજીવને કર્યો હતો.બીજી બાજુ મંગળવારની સરખામણીએ બુધવારે પવનનુ જોર વધ્યુ હતુ.જેના કારણે શહેરના માર્ગો સહિત ધોરીમાર્ગો પર આવા ગમન કરતા વાહનચાલકોએ બપોરના સુમારે લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો.આગામી દિવસોમાં ગરમીનુ જોર વધવાની સંભાવના પણ હવામાન નિષ્ણાંતો દ્વારા દર્શવાઇ રહી છે.ખાસ કરી દિવસના સુમારે ભેજના ઉંચા પ્રમાણના કારણે ઉકળાટ અને બફારાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.બીજી બાજુ લઘુતમ તાપમાન પણ ક્રમશ: ઉંચકાતા ઉનાળાના આગવા મિજાજનો અહેસાસ લોકોને થઇ રહયો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ફરિયાદ:જામનગરમાં બ્રાસપાર્ટના વેપારીને રૂા. 95 લાખની ઉઘરાણી મામલે 8 શખ્સોનો ત્રાસ

જામનગરમાં વેપારીને 95 લાખની ઉઘરાણી મામલે મારકૂટ કરી તેની પત્નીના 22 કોરા ચેક લખાવી લીધાની પોલીસ ફરિયાદ થતા પોલીસે 8 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જામનગરના કૈલાશનગર શેરી નં.5, હરીયા કોલોજ ની બાજુમાં રહેતા નરેશભાઈ વીરજીભાઈ મેંદપરા નામના ઉ.વ.43 વર્ષીય વેપારીએ આરોપી વિશાલ લગારીયા, નીલેશ ડાંગર, સુભાષ રાવલીયા, સાગર કંડોરીયા, ચેતન રાવલીયા, જયદીપ લગારીયા, દીવુભા અને સાગર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા અનુસાર શંકરટેકરીમાં ફરિયાદી પોતાના ભત્રિજા હાર્દિકભાઈ ભાણજીભાઇ મેંદપરાની કારખાનામાં બેસી અને ત્યાથી બ્રાસપાર્ટના માલનો ભંગારનો કમીશન પેટે વેપાર કરતો હતો. આ દરમિયાન ફરીયાદી વેપારીએ વિશાલ લગારીયા, નીલેશ ડાંગર તથા સુભાષ રાવલીયા પાસેથી રૂ.65 લાખ ભંગારનો માલ લીધેલ તેમજ રૂ.30લાખનો ચેતનભાઇ રાવલીયા તથા સાગરભાઇ કંડોરીયા પાસેથી ભંગારનો માલ લીધો હતો. જે રૂપીયા પૈકી કુલ રૂ.10 લાખ વીશાલભાઇ તથા જયદીપભાઇને આપેલ હોય તેમ છતા વીશાલ, નીલેશ ડાંગર , ચેતન રાવલીયા, સુભાષ રાવલીયા અને જયદીપ લગારીયા , દીવુભા તથા અન્ય સાગરભાઇ બધાય ભેગા મળી ફરીયાદી પાસેથી અવાર નવાર રૂપીયાની ઉધારણી કરી ફરીયાદીને ઢીકાપાટુનો ઢોર માર મારી તેમની પાસેથી કુલ-22 કોરા ચેકો તેમના તેમજ ફરીયાદીની પત્નીના સહી વાળા બળજબરી પુર્વક ભયમાં ભુકી તેમની પાસેથી લઇ ગયા હતા. તેમજ જો રૂપીયા ન આપે તો છોકરાઓને ઉપાડી જવાની ધાક ધમકીઓ આપી સુભાષએ સી.સી.ટીવી કેમેરો તોડી નુકશાની કરી હતી. જેથી નરેશભાઈ મેદપરા દ્વારા આ મામલાને સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને પોલીસે તમામ આઠ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

મહાપાલિકા માટે 474 ઈવીએમ ફાળવાયા:આગામી રવિવારે યોજાનાર મતદાન માટે‎ 2137 ઇવીએમ કાર્યરત કરવાની પ્રક્રિયા સંપન્ન

જામનગર મહાનગર પાલિકા, સિક્કા નગરપાલિકા, જામનગર જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-2026 અન્વયે કુલ 23 ચૂંટણી અધિકારીઓને 2137 ઈ.વી.એમ. ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં કુલ 474 ઈવીએમ પૈકી વોર્ડ નં.1 થી 4માં 112 ઈવીએમ, વોર્ડ નં.5 થી 8માં 115 ઈવીએમ, વોર્ડ નં.9 થી 12માં 126 ઈવીએમ, વોર્ડ નં.13થી 16માં 121 ઈવીએમ ફાળવવામાં આવ્યા છે. જેના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. સિક્કા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં.1થી7માં 31 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. જામનગર જિલ્લા પંચાયત માટે 808 અને તાલુકા પંચાયતો માટે ફાળવવામાં આવેલ 824 ઈવીએમના કમિશનિંગની પ્રક્રિયા 100% પૂર્ણ થઇ છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રવિવારે યોજાનારા મતદાન માટે વહીવટી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

ઝુંબેશ:નિબંધ, કિવઝ, રેલી સહિત વિવિધ કાર્યક્રમો થકી છાત્રોએ મતદાન કરવા મતદારોને જાગૃત કર્યા

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અંર્તગત આગામી 26મી એપ્રિલને રવિવારે મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં સ્વીપ એક્ટિવિટી હેઠળ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટીના ભાગરૂપે લોકો માટે લોકશાહી મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનનું મહત્વ સમજાવવા માટે વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓ જેમાં ખંઢેરા તાલુકા શાળા, ડીએચકે મુંગરા કન્યા વિદ્યાલય ધ્રોલ, યુપીવી કન્યા વિદ્યાલય જોડિયા, સતાપર કન્યા શાળા, નિકાવા તાલુકા શાળામાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, શપથ વિધિ તેમજ જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજાયા હતાં. શપથ વિધિ દરમિયાન છાત્રોએ પોતાના પરિવારને મતદાન કરાવવા અંગે તથા શિક્ષકોએ નિષ્પક્ષ, નિર્ભય અને જવાબદારીપૂર્વક મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. છાત્રો દ્વારા જાગૃતિ રેલીમાં સૂત્રોચારો કરાયા હતાં. શહેરના આણદાબાવા વૃદ્ધાશ્રમમાં મહિલાઓએ મતદાનના શપથ લીધા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના અનુસંધાને જામનગરમાં 26મી એપ્રિલે મતદાન યોજાશે.વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે ઝુંબેશ ચલાવાઇ રહી છે. ત્યારે આણદાબાવા મહિલા વૃદ્ધાશ્રમ ખાતે મહિલાઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.જેમાં વૃદ્ધાશ્રમના મહિલાઓને મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ઉપરાંત મતદાન કઈ રીતે કરવું તે અંગે માર્ગદર્શન આપી મતદાનનું મહત્વ સમજાવાયુ હતુ.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am

આદેશ:26 એપ્રિલે મતદાન માટે કર્મીઓને‎સવેતન રજા આપો: જિલ્લા કલેક્ટર‎

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 26 એપ્રિલ, રવિવારના રોજ યોજાનાર મતદાન દરમિયાન કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવા જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીએ આદેશ કર્યો છે. અમરેલી જિલ્લામાં જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત તેમજ અમરેલી, સાવરકુંડલા, બગસરા, બાબરા, દામનગર અને ધારી સહિત કુલ 6 નગરપાલિકા માટે મતદાન યોજાવાનું છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિસ્તારમાં કાર્યરત વિવિધ સંસ્થાઓને કર્મચારીઓને મતદાન માટે ચૂંટણી વિસ્તારમાં આવેલી દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ તેમજ હોસ્પિટલોમાં કાર્યરત કર્મચારીઓ અને કામદારોને મતદાન માટે પૂરતો સમય આપવા જિલ્લા કલેકટરે હુકમ કર્યો છે. મતદાનના દિવસે કર્મચારીઓને સવેતન રજા આપવા અથવા નોકરીના સ્થળે મોડા આવવા તેમજ વહેલા જવાની મંજૂરી આપવી પડશે, જેથી દરેક મતદાર સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ સંસ્થાઓને આ સૂચનાનું પાલન કરવાની તેમજ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Apr 2026 5:30 am