SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
...

મિલ્ક પનીરના નામે 'એનાલોગ પનીર' ધાબડવાનો ખેલ:તમે જે ખાવ છો તે મિલ્ક પનીર કે વનસ્પતિ ઘીમાંથી બનેલું પનીર?, ઘરબેઠા આ રીતે જ ચેક કરો

અમદાવાદની 10 હોટલમાંથી 'એનાલોગ પનીર' (વનસ્પતિ તેલમાંથી બનેલું પનીર) મળી આવતા ફરી એકવાર પનીરના નામે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે. હોટલ-રેસ્ટોરન્ટ દ્વારા એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોવાની જાણ કર્યા વગર જ મિલ્ક પનીરના નામે ગ્રાહકોને ધાબડી દેતા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સમજ એવી છે કે, પનીર મિલ્કમાંથી જ બને છે અને તમે જે હોંશે હોંશે પ્રોટીનના સોર્સ તરીકે આરોગો છો તે પનીર પણ મિલ્કમાંથી જ બનેલું છે તે મોટી ભૂલ હોય શકે. કારણ કે, મિલ્ક પનીરના વિકલ્પમાં બજારમાં એનાલોગ પનીર ધૂમ વેચાઈ રહ્યું છે. જે વનસ્પતિ તેલ, પામ ઓઈલ અને મિલ્ક સોલિડથી બનાવવામાં આવે છે. અમદાવાદની 10 હોટલમાં ગ્રાહકોને પનીર બાબતે સ્પષ્ટતા કર્યા વગર જ એનાલોગ પનીર પીરસવામાં આવતું હોવાનું ખૂલતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જો તમે ઘરબેઠા જ તમે જે પનીર ખરીદો છો તે મિલ્ક પનીર છે કે એનાલોગ પનીર તેનો ટેસ્ટ કરવા ઈચ્છો તો કરી શકો છો. અમદાવાદની 10 હોટલ રેસ્ટોરન્ટમાંથી લેવાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેરઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી પનીરના નમુના લીધાં હતા. 10 જેટલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં વેજીટેબલ અને પામ ઓઇલમાંથી બનેલા પનીરનો ઉપયોગ થતો હતો તેમજ ઓછા મિલ્ક ફેટના પનીરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ફૂડ વિભાગ દ્વારા 10 હોટલ એન્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો છે. સબ સ્ટાન્ડર્ડ આવેલા પનીર અમદાવાદની ત્રણ જગ્યાએથી ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવતા ફૂડ વિભાગ દ્વારા ત્રણેય જગ્યાએ દરોડા પાડીને પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના નિકોલ, ઠક્કરબાપાનગર, નવરંગપુરા, સેટેલાઈટ નારણપુરા અને આનંદનગર સહિત અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોટલ એન્ડ રેસ્ટોરન્ટમાં તપાસ કરી પનીરના નમૂના લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. 10 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં કેટલાક પનીરનું મિલ્ક ફેટ ઓછું હતું એટલે કે જે પ્રમાણ હોય છે તે ઓછું જોવા મળ્યું હતું જ્યારે કેટલાકમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું હતું એટલે કે વેજીટેબલ તેલનો ઉપયોગ કરીને એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાપુનગર કાકડીયા હોસ્પિટલ પાસે 'ધ લિયો પિઝા'માંથી લેવાયેલું પનીર નરોડા જીઆઇડીસીની ક્રિષ્ના ડેરીમાંથી, નવરંગપુરા ક્રિષ્ના આલુ પરોઠામાં વપરાયેલું પનીર સોલા આર.કે. ડેરી પ્રોડક્ટસ અને સેટેલાઈટ 'મા કી રસોઈ'માં ઉપયોગમાં લેવાયેલું પનીર વેજલપુર વિજય ડેરીમાંથી લેવાયું હતું. ફૂડ વિભાગની ટીમ દ્વારા આ ત્રણે જગ્યાઓ ઉપર દરોડા પાડી 173 કિલો જેટલું પનીર જપ્ત કર્યું હતું. બાકીના સાત જેટલી હોટલ અને રેસ્ટોરન્ટમાં અમદાવાદ શહેરના બહારના વિસ્તારમાંથી પનીર લાવવામાં આવ્યું હતું જેથી જે તે જિલ્લાના ફૂડ અધિકારીને પત્ર લખી આ બાબતે જાણ કરવામાં આવી છે. દરેક હોટલ અને રેસ્ટોરન્ટને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં દૂધ- દૂધની બનાવટ, બેકરી, નમકીન, મીઠાઈ, ખાદ્ય તેલ સહિતના અલગ અલગ 495 જેટલા નમુના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. 1083 જગ્યા ઉપર તપાસ કરી 492 નોટિસ આપવામાં આવી છે. 823 કિલો અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. 6.72 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલાયો છે. મિલ્ક પનીર અને એનાલોગ પનીરની ઓળખ કઈ રીતે કરશો?મિલ્ક પનીર અને એનાલોગ પનીર ઓળખવાની રીતમાં જે પનીર પેકેટમાં ઉપલબ્ધ હોય તો પેકેટ ઉપર Milk Paneer: Made from milk, Full cream milk, Cow/Buffalo milk લખેલું હોય છે. જ્યારે એનાલોગ પનીરમાં Vegetable oil, Palm oil, Milk solids, Starch જેવા શબ્દો લખેલા હોય છે. જો ખુલ્લું પનીર હોય તો હાથથી દબાવીને પણ ખબર પડે છે. દૂધથી બનાવેલું પનીર નરમ અને પાણી છોડે છે જ્યારે એનાલોગ પનીર વધુ રબર જેવું, દબાવો તો પાછું શેપમાં આવી જાય છે. એનાલોગ પનીરની ઓળખ કઈ રીતે કરશો?પનીરના ટુકડાને હાથથી દબાવો. જો પનીર નરમ હોય અને પાણી છોડે તો સમજવું દૂધમાંથી બનેલું છે. જ્યારે રબર જેવું લાગે અને દબાવ્યા બાદ પાછું શેપમાં આવી જાય તો એ એનાલોગ પનીર માન્ય પણ ગ્રાહકને તેની જાણ કરવી અનિવાર્યમ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે શહેરમાં ઘણી હોટલ અને રેસ્ટોરન્ટ તેમજ ખાદ્ય પદાર્થના એકમો એનાલોગ પનીરનો પનીર તરીકે ઉપયોગ કરે છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયે એનાલોગ પનીર માન્ય છે. પરંતુ તેનો પનીર તરીકે ઉપયોગ કરવો કે બતાવવું તે ગ્રાહક સાથે છેતરપિંડી કરવા સમાન છે. જે યુનિટો એનાલોગ પનીરનો ઉપયોગ કરતા હોય તેમને મેનુમાં એનાલોગ પનીરનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે. જે બાબતનું ઉલ્લઘન કરશે તેમની વિરુધ્ધ FSSAI અને GPMC એક્ટ અંતર્ગત સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પનીર મામલે કરવામાં આવેલી કામગીરી

દિવ્ય ભાસ્કર 24 Feb 2026 12:05 am

ગાંધીનગરમાં કન્સ્ટ્રકશન સાઈટની લિફ્ટના ડકમાંથી મળી શ્રમજીવીની લાશ:પાણી પીને આવું કહી ત્રણ દિવસથી હતો ગુમ, લિફ્ટના ખાડામાં ભરેલા પાણીમાં મૃતદેહ ફૂલીને ઉપર આવતા સાથી કર્મીઓ ચોંક્યા

ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપની પાછળ BAPS સ્કૂલની સામેની બાજુ આવેલી અક્ષરધામ આઇકોનિક નામની ફ્લેટ અને શૉ-રૂમની નિર્માણાધrન સાઇટ પર ગત શુક્રવારથી ગુમ થયેલા દાહોદના 29 વર્ષીય શ્રમજીવી શૈલેષ સબૂરભાઈ મિનામાની લાશ આજે સવારે લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મૃતક યુવાન આઠમાં કે છઠ્ઠા માળેથી લિફ્ટના ડકમાં પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. શ્રમજીવી 20 તારીખથી કન્સ્ટ્રકશન સાઇટ પરથી ગુમ થઈ ગયો હતોરાયસણ પેટ્રોલ પંપની પાછળ BAPS સ્કૂલની સામેની બાજુ આવેલી અક્ષરધામ કન્સ્ટ્રકશન સાઇટની લિફ્ટની ડકમાંથી 29 વર્ષીય દાહોદના શ્રમજીવીની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, શ્રમજીવી 20 તારીખથી કન્સ્ટ્રકશન સાઇટ પરથી ગુમ થઈ ગયો હતો. જે મામલે તેના ભાઈએ ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પણ શ્રમજીવીને શોધી રહી હતી. એવામાં આજે શ્રમજીવીની લાશ લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અઠવાડિયા અગાઉ જ પરિવારને લઈને ભાઈના ઘરે રહેવા આવ્યો હતોપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સેકટર-28 ગાર્ડન પાસેના કાચા છાપરામાં મૂળ દાહોદનો રાજેશ મિનામા તેના પરિવાર સાથે રહી રાયસણની અક્ષરધામ નામની કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરીકામ કરે છે. જેનો નાનો ભાઈ શૈલેષ સબૂરભાઈ મિનામાના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે. અઠવાડિયા અગાઉ શૈલેષ પરિવારને લઈને મજૂરી કામ અર્થે પોતાના ભાઈ પાસે રહેવા આવ્યો હતો.જેથી બન્ને ભાઈઓ ઉક્ત કન્સ્ટ્રકશન સાઇટ પર સાથે કામ કરતા હતા. ગત તા.20 ફેબ્રુઆરીના રોજ શૈલેષ આઠમાં માળે સાથી મજૂરો સાથે કામકાજ કરી રહ્યો હતો. પાણી પીવાનું કહીને નીકળ્યા પછી ગુમ થયોઆ દરમિયાન અન્ય મજૂરોને પાણી પીને આવું કહીને તે નીચે તરફ જવા નીકળ્યો હતો. જોકે, એક કલાકથી વધુ સમય થવા છતાં શૈલેષ પરત નહીં ફરતા સાથે મજૂરોએ તેની શોધખોળ આદરી હતી પરંતુ, મોડે સુધી તેનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. આથી તેના ભાઈ રાજેશે ઇન્ફોસિટી પોલીસ મથકે ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવીઆથી પોલીસે પણ શૈલેષની તલાશ શરૂ કરી દીધી હતી. એવામાં આજે સવારે કન્સ્ટ્રકશન સાઇટની ગ્રાઉંડ ફ્લોર પર લિફ્ટના પાણી ભરેલા ડકમાંથી શૈલેષની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. જેના પગલે મજૂરોમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતા ઇન્ફોસિટી પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. એ સમયે મૃતકના ભાઈ અને પરિવારે લાશ સ્વીકારવાનો ઈનકાર કરી દેવાયો હતો. જેના પગલે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે, પોલીસે સમજાવટ બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. લિફ્ટમાં પડવાથી ઇજાઓ થવાથી તેનું મોત થયું હોવાનું અનુમાનઆ અંગે હેડ કોન્સ્ટેબલ અનુપસિંહે કહ્યું કે,અક્ષરધામ કન્સ્ટ્રકશન સાઇટની લિફ્ટની પાણી ભરેલા ડકમાંથી શૈલેષની લાશ મળી આવી છે. 20મી ફેબ્રુઆરીએ આઠમાં માળે કામ કરતી વેળાએ શૈલેષ પાણી પીવાનું કહીને નીચે તરફ ગયો હતો. આ દરમ્યાન કોઈ રીતે શૈલેષ ઉપરના માળેથી લિફ્ટમાં નીચે પટકાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. લિફ્ટમાં પડવાથી ઇજાઓ થવાથી તેનું મોત થયું હોવું જોઈએ. લિફ્ટના ખાડામાં પાણી હોવાથી અગાઉ શોધખોળમાં લાશ દેખાઈ ન હતી પરંતુ આટલા દિવસો બાદ મૃતદેહ ફૂલીને ઉપર આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.આટલા દિવસ લાશ પાણીમાં રહેવાથી આજે ઉપર આવી ગઈ હતી. આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી ચાલી રહી છે. પીએમ રીપોર્ટ પછી મોતનું ચોક્ક્સ કારણ જાણવા મળશે.

દિવ્ય ભાસ્કર 24 Feb 2026 12:05 am

અડાલજ ત્રિમંદિર પાસે પશુઓ ભરેલું ડાલું પલટ્યું:ક્રૂરતાપૂર્વક ભરેલા 27 પૈકી 6 પશુના કમકમાટીભર્યા મોત, ગૌરક્ષકો અને ચાલક વચ્ચે ઘર્ષણ થતા પોલીસ કાફલો દોડ્યો

ગાંધીનગર મહેસાણા હાઈવે પર અડાલજ ત્રિમંદિર પાસે ગત રાત્રે પશુઓની હેરાફેરી કરી રહેલું એક પિકઅપ ડાલું પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ડાલામાં લાકડાના પાટિયા વડે બે માળ બનાવી 27 જેટલા પાડા-પાડીઓને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા. જે પૈકી 6 પશુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં ગૌરક્ષકો અને ચાલક વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. ચાલકે કાબુ ગુમાવી દેતા ડાલુ પલટી ગયું હતુંગાંધીનગરના અડાલજ મહેસાણા હાઇવે રોડ ઉપર ગઈકાલે મોડી રાતે એક એક પીકઅપ ડાલામાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ પશુઓને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર પિકઅપ ડાલાના ચાલકે કાબુ ગુમાવી દેતા ડાલુ પલટી ગયું હતું. આ અકસ્માતમાં છ પશુઓના ઘટના સ્થળે મોત નીચે હતા. બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતીઆ દરમિયાન ગૌરક્ષકો સ્કોડા ગાડી લઈને સ્થળ ઉપર પહોંચી ગયા હતા. બાદમાં ગૌરક્ષકો અને પીકઅપ ડાલાના ચાલક ક્લીનર વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોત જોતામાં મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. જેની જાણ થતાં જ અડાલજ પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી જઈ મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત ચાલક અને ક્લીનરને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જીજે-08-એડબ્લ્યુ-5022 નંબરના પિકઅપ ડાલામાં ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા વગર પશુઓને ગીચોગીચ હાલતમાં ભરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પશુઓના પગ અને ગરદન દોરડાથી ટૂંકા બાંધી દેવાયા હતા. જેથી, તેઓ હલનચલન પણ ન કરી શકે. આ બ્રિજ પાસે ડાલું પલટી જતાં પશુઓ રોડ પર વેરવિખેર થઈ ગયા હતા. ડાલાના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીઆ ઘટનામાં છ પશુઓના ઘટના સ્થળે મોતની ગયા હતા જ્યારે 21 પશુઓને પોલીસે કલોલ અને ખેરપુરની પાંજરાપોળમાં આશ્રય માટે મોકલી આપ્યા હતા. જ્યારે પિકઅપ ડાલાના ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Feb 2026 12:05 am

એડિશનલ એડવોકેટ જનરલ મિતેશ અમીનનું રાજીનામુ:ડિસેમ્બર-2023માં એડિશનલ એડવોકેટ જનરલ બન્યા હતા, ખાનગી ક્ષેત્રે વકીલાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે ડિસેમ્બર, 2023માં મિતેષ અમીનની નિમણુક કરવામાં આવી હતી. જે પદેથી તેમને રાજીનામું આપ્યું છે. તેઓએ વર્ષ 2015માં પોતાની પબ્લિક પ્રોસીક્યુટર અને ત્યારબાદ વર્ષ 2023માં એડિશનલ એડવોકેટ જનરલની નિમણૂક બદલ સરકારનો આભાર વ્યકત કર્યો હતો. 2023માં મિતેષ અમીનની નિમણુક કરવામાં આવી હતીતેઓએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ અધિકારીઓ વગેરેના કાનૂની પ્રક્રિયાઓમાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ હવે સરકારી વકીલ તરીકે લાંબી સેવા આપ્યા બાદ, ખાનગી ક્ષેત્રે વકીલાત કરવાની રજૂઆત કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્રમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તેઓ અમદાવાદ વર્ષ 2008 બોમ્બ બ્લાસ્ટના ક્રિમીનલ કન્ફર્મેશનના કેસોમાં સ્પેશ્યલ પ્રોસીક્યુટર તરીકે રહેલ છે, જે ચાલુ રહેશે. કુલ 40 વર્ષનો વકીલાતનો અનુભવ છેમિતેષ અમીનનો જન્મ 1961માં થયો હતો. તેમને બી.કોમ અને LLBનો અભ્યાસ કરેલ છે. 1984માં તેમને સિવિલ કોર્ટથી વકીલાતની શરૂઆત કરી હતી. 1990થી તેમને સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. જ્યારે હાઇકોર્ટમાં તેઓ 2001માં આવ્યા. તેમને કુલ 40 વર્ષનો વકીલાતનો અનુભવ છે. તેઓ ક્રિમીનલ કેસોમાં વિશેષતા ધરાવે છે. તેઓએ માણેકલાલ નાણાવટી લો કોલેજ અમદાવાદમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે પણ સેવાઓ આપેલી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 10:47 pm

ગુજસીટોકમાં કુખ્યાત સજ્જુ કોઠારીના જામીન રદ:પ્રતિબંધ હોવા છતાં શહેરમાં ઘૂસીને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

સુરત શહેરના નાનપુરા વિસ્તારના કુખ્યાત આરોપી સજ્જુ કોઠારીની મુશ્કેલીઓમાં ફરી એકવાર મોટો વધારો થયો છે. ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં જામીન પર મુક્ત થયેલા સજ્જુ કોઠારીએ જામીનની શરતોનો સરેઆમ ભંગ કરતા સુરત સેશન્સ કોર્ટે તેના જામીન રદ કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં સુરતમાં આવી વ્યાજના નાણાં ઉઘરાવવા અને ધમકી આપવાના મામલે કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. જામીન સમયે મૂકવામાં આવી હતી કડક શરતોસજ્જુ કોઠારી વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ, 20 નવેમ્બર 2024ના રોજ કોર્ટે તેને અમુક કડક શરતો સાથે જામીન મુક્ત કર્યો હતો. આ શરતો મુજબ, જ્યાં સુધી કેસની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીએ દક્ષિણ ગુજરાતની હદમાં પ્રવેશ કરવાનો નહોતો. કોર્ટે આ શરત એટલા માટે મૂકી હતી કે આરોપી બહાર રહીને સાક્ષીઓને ડરાવી ન શકે અથવા ફરીથી ગુનાહિત પ્રવૃત્તિ ન આચરે. પ્રતિબંધ હોવા છતાં સુરતમાં એન્ટ્રી અને ધમકીજોકે, ગુનાહિત માનસ ધરાવતા સજ્જુએ કોર્ટના આ આદેશને ગંભીરતાથી લીધો નહોતો. ગત 17 જૂન 2025ના રોજ તે પ્રતિબંધ હોવા છતાં છૂપી રીતે સુરતમાં પ્રવેશ્યો હતો. આટલું જ નહીં, તેણે સુરતના નિશાર શેખ નામના વ્યક્તિના ઘરમાં ઘૂસીને આતંક મચાવ્યો હતો. આ ઘટનાએ સાબિત કર્યું કે આરોપીને કાયદાનો કોઈ ડર નથી અને તે જામીન પર હોવા છતાં પોતાની જૂની પદ્ધતિઓ છોડવા તૈયાર નથી. 1.25 કરોડના વ્યાજ માટે આચર્યો ગુનોફરિયાદની વિગતો મુજબ, સજ્જુ કોઠારીએ નિશાર શેખ પાસે અગાઉ વ્યાજે આપેલા રૂપિયા 1.25 કરોડની વસૂલાત માટે દબાણ કર્યું હતું. આટલી મોટી રકમ માંગવા ઉપરાંત તેણે વધારાના 2 કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. જ્યારે નિશારે આ રકમ આપવા અસમર્થતા દર્શાવી ત્યારે સજ્જુએ તેને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી. આ મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં સજ્જુ સામે તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાની ધારદાર દલીલોઆ કેસમાં સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં જામીન રદ કરવા માટે મજબૂત દલીલો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આરોપીએ કોર્ટ દ્વારા નિર્ધારિત કરાયેલી જામીનની તમામ પ્રાથમિક શરતોનો ભંગ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં પ્રવેશબંધી હોવા છતાં તે શહેરમાં રહીને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યો છે, જે ન્યાયતંત્ર માટે પડકારરૂપ બાબત છે. રહેઠાણનું સરનામું છુપાવી પોલીસને પણ છેતરીએડવોકેટ નયન સુખડવાલાએ વધુમાં દલીલ કરી હતી કે આરોપી સજ્જુએ પોતાનું વર્તમાન રહેઠાણનું સરનામું પણ જાહેર કર્યું નથી. શરત મુજબ તેણે ક્યાં રહે છે તેની જાણકારી આપવાની હતી, પરંતુ તેણે તે છુપાવી રાખી છે. આ કારણોસર તે કયા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવે છે કે કેમ તેની ખરાઈ પણ થઈ શકી નથી. આરોપીએ જાણીજોઈને તપાસ એજન્સી અને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કોર્ટનો આદેશ અને ધરપકડની તૈયારીબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત સેશન્સ કોર્ટે નોંધ્યું હતું કે, સજ્જુ કોઠારીએ જામીન પર બહાર આવીને ફરીથી ગુનો આચર્યો છે અને શરતોનો ભંગ કર્યો છે. આથી કોર્ટે આરોપીના જામીન તાત્કાલિક અસરથી રદ કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ સાથે જ હવે સુરત પોલીસ દ્વારા સજ્જુ કોઠારીની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 10:43 pm

ગોગો પેપર પર પ્રતિબંધને લઈને થયેલી FIR પર હાઇકોર્ટનો સ્ટે:હાઇકોર્ટમાં આવેલ અરજદારને જપ્ત કરાયેલો મુદ્દામાલ 20 હજારના બોન્ડ પર પરત આપવા આદેશ

16 ડિસેમ્બર, 2025ના રોજ ગુજરાત સરકારે જાહેરનામું બહાર પાડીને રોલિંગ પેપર જે માર્કેટમાં ગોગો પેપરના નામે ઓળખાય છે. તેની પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં જણાવ્યું હતું કે સગીર અને યુવાનો ગોગો પેપરનો ઉપયોગ ગાંજો અને ચરસ જેવા નશાકારક પદાર્થોના ઉપયોગ માટે કરે છે. જેથી તેને રોકવા તેના વેચાણ, ઉત્પાદન, સ્ટોક અને ખરીદ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મુદ્દામાલ 20 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ ઉપર પરત કરવા હુકમ કર્યોઉપરોક્ત જાહેરનામાને ગાંધીનગરની એલિટી પેપર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવેલ હતું. જેનું કહેવું હતું કે, રાજ્ય સરકાર પાસે આવો પ્રતિબંધ મૂકવાની સત્તા નથી. જાહેરનામું DM બહાર પાડી શકે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને તેનો જવાબ માંગ્યો હતો. આજે ગુજરાત હાઇકોર્ટે સેક્રેટરીના જાહેરનામાના આધારે થયેલી પોલીસ ફરિયાદો પર સ્ટે આપ્યો છે. વળી અરજદાર એલિટી પેપર્સનો જમા લેવાયેલો મુદ્દામાલ 20 હજાર રૂપિયાના પર્સનલ બોન્ડ ઉપર પરત કરવા હુકમ કર્યો છે. આ સંદર્ભે વધુ કોર્ટ કાર્યવાહી આગામી સમયમાં યોજાશે. ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને 16 ડિસેમ્બરના જાહેરનામાના અનુસંધાને જાહેરનામું બહાર પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા ગત સુનવણીમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 7 ફેબ્રુઆરી, 2026ના રોજ દરેક જિલ્લાના ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટને 16 ડિસેમ્બરના જાહેરનામાના અનુસંધાને જાહેરનામું બહાર પાડવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. જોકે, હજી સુધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા આ સંદર્ભે કોઈ નવા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા નથી. ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને કહેવાયું છે કે, સગીર અને યુવાનો દ્વારા ચરસ અને ગાંજો જેવા પદાર્થોના સેવન માટે રોલિંગ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી, તેમના જિલ્લામાં છેલ્લા 5 વર્ષના થયેલા ડ્રગ્સના કેસ ધ્યાને લઈને તેઓ તેની પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડે અને આવા પેપરનું વેચાણ અને ડ્રગ્સનું સેવન થતું હોય તો પગલા ભરે. 16 ડિસેમ્બરનું જાહેરનામું, સરકારના 7 ફેબ્રુઆરીના ઠરાવથી હવે બિનઅસરકારક બન્યુંરાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ સરકારનું પોલિસી ડિસીઝન છે. 16 ડિસેમ્બરનું જાહેરનામું, સરકારના 7 ફેબ્રુઆરીના ઠરાવથી હવે બિનઅસરકારક બન્યું છે. જોકે, અરજદારે કહ્યું હતું કે લોકો સામે કાનૂની પગલાં લેવાયા છે અને હજુ પણ લેવાઈ રહ્યા છે. જ્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે પેપરના ખરીદ વેચાણ ઉત્પાદન અને સંગ્રહ બાબતે તપાસ કરાઈ રહી છે, પગલા લેવાઇ રહ્યા નથી. સામે અરજદારે જણાવ્યું હતું કે, તેમની સામે 2 પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે વિષય જ સરકારના કાનૂની ક્ષેત્ર બહારનો છે. હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો કે, એડિશનલ એડવોકેટ જનરલના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના નવા ઠરાવથી 16 ડિસેમ્બરનો ઠરાવ બિન અસરકારક થાય છે. જેથી સરકાર આ સંદર્ભે વિગતવાર જવાબ રજૂ કરે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 10:41 pm

ઉપલેટામાં દુષ્કર્મની ઘટના બાદ રાજકોટ ફરી શર્મસાર:જેતપુર પંથકમાં 35 વર્ષના હવસખોર પાડોશીએ 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ધરપકડ કરી

રાજકોટ જિલ્લામાં જસદણ, વીંછીયા અને ઉપલેટા બાદ હવે જેતપુર પંથકમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બનતા રાજકોટ ફરી શર્મસાર થયું છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે પાંચ વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું. જેને લઈ જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપીએ પોતાના ઘરમાં જ બાળકી પર દુષ્કર્મ આચર્યું પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુરમાં 5 વર્ષીય બાળકી પાડોશમાં રહેતા જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી. જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ, ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી. આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલાં કર્યાં હતા અને દુષ્કર્મ આચર્યું હતું. બનાવ બાદ બાળકી ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા. માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી. પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણીત છે. પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા DySP રોહિત ડોડીયાએ જણાવ્યું હતું કે બાળકી સાથે શારીરિક અડપલા કરી અને રેપ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપી જીતુ દેવજી ભોજાણી કે જે પીડિતાના પાડોશમાં રહે છે. અને અવારનવાર એમના ઘરે જતો અને પીડિતાને પણ રમવા બોલાવતો હોય છે. આરોપી શારીરિક અડપલા કરતો હોય, જેની જાણ પીડિતાની માતાને થઈ હતી. જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી. જે બાદ કોર્ટમાં રજૂ કરાતા આરોપીના બે દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે. જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય. બાળકી સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : જસદણના આટકોટમાં નિર્ભયા જેવી ઘટના:6 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, 3 સંતાનના પિતા આરોપીની ધરપકડ આ પણ વાંચો : જસદણ દુષ્કર્મની ઘટના બાદ રાજકોટ ફરી શર્મસાર:હવે વીંછિયામાં 50 વર્ષના સ્કૂલબસ ડ્રાઈવરે 5 વર્ષની બાળકી પર બેવાર દુષ્કર્મ આચર્યું આ પણ વાંચો : 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ:ઉપલેટામાં માતા કેન્સરથી પથારીવશ થતાં દિવ્યાંગ પિતાએ બળજબરી કરી, 17 વર્ષની ભત્રીજીનું પણ 7 વર્ષથી શોષણ કર્યાનો ઘટસ્ફોટ

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 10:03 pm

PSI ભરતીની હંગામી પસંદગી યાદી જાહેર:472 ઉમેદવારોના નામનો સમાવેશ, 95 વેઈટીંગ લિસ્ટમાં; 1 લાખથી વધુએ લેખિત પરીક્ષા આપી હતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) ની ભરતી પ્રક્રિયા અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરનામું ક્રમાંક GPRB/202324/1 હેઠળ કુલ 472 જગ્યાઓ માટે ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં 4.60 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. તેમાં સફળ થયેલા એક લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા 13 એપ્રિલ 2025ના રોજ લેવામાં આવી હતી. દસ્તાવેજોની ચકાસણી બાદ 472 ઉમેદવારોની કામચલાઉ યાદી જાહેરપરીક્ષા નિયમો મુજબ કુલ 1023 ઉમેદવારોના દસ્તાવેજ ચકાસણીની કામગીરી 5 ફેબ્રુઆરી 2026થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. દસ્તાવેજ ચકાસણી બાદ 472 ઉમેદવારોની હંગામી પસંદગી યાદી (Provisional Selection List) તથા 95 ઉમેદવારોની હંગામી પ્રતિક્ષા યાદી (Provisional Waiting List) ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે કે પસંદ થયેલા ઉમેદવારોને આગળની પ્રક્રિયા અંગે અલગથી જાણ કરવામાં આવશે. ઉમેદવારોને પોતાની વિગતો માટે સત્તાવાર વેબસાઈટ તપાસવાની સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:47 pm

હિલ્લોક સામેના બંધ કરેલા કટનો વિરોધ કરનારા લોકટોળા સામે ફરિયાદ:100થી 150 માણસોનું ટોળુ બેનરો સાથે રોડ પર બેસી ગયુ હતું, 26 સોસાયટીના મેમ્બરોનું વ્હોટ્સએપ ગ્રુપ બન્યું હતું; પોલીસે 7ની ઓળખ કરી

વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ સર્કલને જોડતા રિંગ રોડ પર આવેલી હોટલ હિલ્લોક સામેનો કટ છેલ્લા કેટલાક સમયથી બંધ કરી દેવાયો છે. બંધ કરેલો કટ ખોલવા સ્થાનિકોએ અનેક વાર રજુઆત કરી છે છતાં કટ ખોલવામાં ન આવતા રહીશોએ કંટાળીને ભેગા થઇને રોડ બ્લોક કરી દીધો હતો. પોલીસની પેટ્રોલિંગની ગાડી સ્થળ પર હોવા છતાંય વિરોધ કરનારાઓની સંખ્યા વધુ હોવાથી ચાંદખેડા પોલીસની સાથે ટ્રાફિકની પોલીસ બોલાવવી પડી હતી. 100થી 150 માણસોનું ટોળુ બેનરો સાથે વૈષ્ણોદેવી સર્કલથી ઝુંડાલ તરફ જતા રોડ પર બેસી ગયુ હતું.આ ટોળુ હોટલ હિલ્લોક કટ ચાલુ કરાવવા વિરોધ કરી રહ્યું હતું જે પૈકી કેટલાક વાહનોને રોકીને ટ્રાફિકજામ કરી રહ્યા હતા. પોલીસે વિરોધ કરનારની ઓળખ કરવાનું શરૂ કર્યું હતુંપોલીસે જરૂરી બળપ્રયોગ વાપરીને લોકોને સમજાવીને રોડ ખાલી કરવા સમજાવ્યા હતા ત્યારે હાજર લોકોએ જ્યાં સુધી આ કટ ચાલુ નહિ કરાય ત્યાં સુધી જવાના નથી કે વાહનોને પસાર નહિ થવા દઇએ તેમ કહીને રોડ બ્લોક કર્યો હતો. 7 ફેબ્રુઆરીએ પણ ટોળાએ આ જ પ્રકારે વિરોધ કરીને સરકારી બેરીકેડ તોડીને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ ગત 21 ફેબ્રુઆરીએ પણ આ રીતે વિરોધ કર્યો હતો.સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા પોલીસે વિરોધ કરનારની ઓળખ કરવાનું શરૂ કર્યું હતું.આ દરમિયાનમાં આનંદ આઇ લાઇફ સોસાયટીમાં રહેતા રહીશની પોલીસે પૂછપરછ કરતા તેણે 26 સોસાયટીના મેમ્બરોનું નેબર્સ ન્યૂ ત્રાગડ ગ્રૂપ હોવાની કબૂલાત કરી હતી. 7 આરોપીઓની ઓળખ થઈપોલીસે તપાસ કરતા આ ગ્રૂપમાં રહેલા લોકોએ કટ ખોલવા અંગે વિરોધ કરીને ગેરકાયદે મંડળી રચીને રોડ બ્લોક કરીને વાહનો રોકાવીને અવરોધ ઉભો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યુ હતું. જેથી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આ ટોળા પૈકી જીગર ગજ્જર, વિરાજ મેવાડા, ગુંજન, કિશન કંસાગરા, ચિંતન જોષી, રાહુલ પટેલ, મોહબત ગઢવીની ઓળખ કરી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:44 pm

ILSSASS કેમ્પસમાં ફેશન અને ક્રિએટિવિટીનો ઉત્સાહ:પાંચ દિવસીય ‘ડ્રેસ અપ વીક’માં ટ્રેડિશનલથી રેટ્રો લુકનો જલવો

CVM યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ (ILSSASS) ખાતે 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન “ડ્રેસ અપ વીક 2026”ની ઉજવણી કરવામાં આવી હતી. “ડ્રેસ અપ, શો અપ, શાઇન” થીમ હેઠળ આયોજિત આ સપ્તાહમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ વિવિધ પહેરવેશ દ્વારા પોતાની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. આ પાંચ દિવસ દરમિયાન કેમ્પસમાં ભારે ઉત્સાહ અને સાંસ્કૃતિક વિવિધતા જોવા મળી હતી. સપ્તાહની શરૂઆત ટ્રેડિશનલ ડેથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને આવ્યા હતા. ત્યારબાદ સિનેમા ડે પર વિદ્યાર્થીઓએ લોકપ્રિય ફિલ્મી પાત્રોના ગેટઅપ ધારણ કરીને કેમ્પસમાં આકર્ષણ જમાવ્યું હતું. રેટ્રો ડે નિમિત્તે જૂના દાયકાની ફેશનને પુનર્જીવિત કરવામાં આવી હતી, જ્યારે ટ્વિન ડે પર મિત્રોએ એકસમાન વેશભૂષા પહેરી એકતાનો સંદેશ આપ્યો હતો.સપ્તાહના અંતિમ દિવસે સિગ્નેચર ડે પર વિદ્યાર્થીઓએ એકબીજાના વસ્ત્રો પર યાદગાર સંદેશાઓ અને સહીઓ કરીને મૈત્રીપૂર્ણ ક્ષણોને કાયમી બનાવી હતી. આ પ્રસંગે કોલેજ પ્રિન્સિપાલ ડૉ. અર્ચના નારાહરીએ જણાવ્યું હતું કે, ડ્રેસ અપ વીક માત્ર ફેશન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને સર્જનાત્મકતા ખીલવવાનું એક માધ્યમ છે. તેમણે ઉમેર્યું કે આવા કાર્યક્રમોથી કેમ્પસમાં સકારાત્મક સંસ્કૃતિ અને વિદ્યાર્થીઓ વચ્ચે જોડાણ વધે છે. વિદ્યાર્થી પરિષદના પ્રમુખ ડૉ. નવોદિતા ભટ્ટ અને મીડિયા પ્રવક્તા ડૉ. કૃષ્ણા ત્રિવેદીએ પણ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવતા જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનો શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:29 pm

એસટી બસના મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગ ઝડપાઈ:સબંધીના માઠા પ્રસંગમાં જતા, જેલમાંથી દીકરાને છોડાવવા જઈ રહેલા પ્રૌઢને ટાર્ગેટ બનાવ્યા, 5 શખ્સો જેલહવાલે

એસટી બસમાં મુસાફરી કરતાં મુસાફરોના ખિસ્સા હળવા કરતી ગેંગને એ ડિવિઝન પોલીસે પકડી પાડી 5 શખ્સોની ધરપકડ કરી છે. એસટી બસપોર્ટ અને માધાપર ચોકડી પરથી બસમાં ચડતા લોકોના ખિસ્સા હળવા કરતી ગેંગે રૂ.1.16 લાખની રોકડ સેરવી લીધી હોવાનું સામે આવ્યુ છે. જે તમામ રોકડ પોલીસે કબ્જે કરી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 112 હેઠળ સંગઠિત ટોળકીએ ઘટનાને અંજામ આપ્યાનો ગૂનો નોંધ્યો છે. 5 આરોપીને બસ સ્ટેશન ખાતે રિ કન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલહવાલે કરાયા છે. બનાવ અંગે વાણીયાવાડી 3/6 ના ખુણે રહેતાં મનોજભાઇ તુલસીદાસ જાદવ (ઉ.વ.57) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ લાખાજીરાજ રોડ પર ધ રેમન્ડ શો રૂમમા નોકરી કરે છે. ગત તા.18 ના રોજ બપોરના 1.30 વાગ્યાની આસપાસ તેઓ નોકરી પર ગયા હતા ત્યારે મોટાભાઈ ભરતભાઈનો ફોન આવ્યો હતો કે, મોરબી રહેતા સંબંધીનો દિકરો અવસાન પામ્યો છે. તેની સ્મશાન યાત્રા બાકી હોય રાજકોટથી મોરબી ખાતે જવા માટે બસ સ્ટેન્ડ ખાતે ગયા હતા અને બસ સ્ટેન્ડ પર પ્લેટફોર્મ નં.06 અને 07 ની વચ્ચે મોરબી બસની રાહ જોઇને ઉભો ઊભા ત્યારે મોરબી-રાજકોટ ઈન્ટરસીટી બસ આવતા તે બસમા ચડી ગયા અને સીટમા બેસવા જતા પેન્ટના પાછળના ખીસ્સામાં હાથ નાખીને પર્સ ચેક કરતા પર્સ જેમા રૂ. 11 હજાર રોકડા, પાનકાર્ડ, આધારકાર્ડ રાખેલ હતા. તે મળી ન આવતા પર્સ ચોરાયાની શંકા જતા તુરંતજ બસમાંથી નીચે ઉતરી પ્લેટફોર્મ પર તપાસ કરતા પર્સ મળી આવેલ નહી. બીજા બનાવમાં રૈયાધારમાં સ્લમ કવાર્ટર શાંતિનગર ગેટની સામે પ્લોટ નં 20 પાણીના ટાંકાની સામે રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા (ઉવ.53) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોટો દીકરો મહેશ જેન્તીભાઈ મુછડીયા (ઉવ.35) છે. તેમની પત્ની જયાબેન છેલ્લા ચાર વર્ષથી રીસામણે છે અને તેણીએ દિકરા ઉપર ખાધાખોરાકીનો કેસ મોરબી ફેમિલી કોર્ટમાં કર્યો છે. દીકરો જેલમા હોય તેને છોડાવવા અને ખાધાખોરાકીના રુપિયા ભરવા માટે ગત તા. 11 ના સવારના સમયે તેઓ ઘરેથી 1.10 લાખ રોકડા રુપિયા લઈ મોરબી જવા માટે નીકળ્યા હતા. જેમાંથી રૂ.60 હજાર પોતાની પાસે અને રૂ.50 હજાર ભાભી પાસે હતા. જે બાદ માધાપર ચોકડી પર બસની રાહ જોઈને ઉભા હતા. જે દરમિયાન રાજકોટથી હળવદ જતી બસ આવતા તેઓ બંન્ને આ બસમા ચડ્યા હતા. જોકે ટીકિટ લેવા માટે રુપિયા ચેક કરતા ખિસ્સામાં રાખેલ રુપિયા જોવા મળેલ નહીં. આ જ પ્રકારે અન્ય એક મુસાફરનું ખિસ્સુ હળવું થયાનો કિસ્સો સામે આવ્યો હતો. આ દરમિયાન મુસાફરોના ખિસ્સા હળવા કરતા શખ્સો એસટી બસ સ્ટેશન ખાતે હાજર હોવાની બાતમીના આધારે પોલીસે આ બંને ગુનાને અંજામ આપનાર અમીન નાગરિયા (રહે.રાજકોટ), અમીન તરૈયા (રહે.જામનગર), મુકેશ વાળા (રહે.જામનગર), સંજય દેત્રોજા (રહે.રાજકોટ) અને સ્વસ્તિક ઉપાધ્યાય (રહે. મૂળ નાગપુર, હાલ રાજકોટ) ને ઝડપી પાડ્યા હતા. જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના 2 અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો એક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જૂના ઝઘડાનો ખાર રાખી પડોશીઓ બાખડયા, મહિલા સહિત 3 ઈજાગ્રસ્ત નવલનગરમાં જુના ઝઘડાનો ખાર રાખી પાડોશીઓ બાખડ્યા હતા. જેમાં મહિલા સહિત 3ને ઈજા થઈ થતા તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની વિગત અનુસાર, અર્જુન રણજીતભાઈ ચૌહાણ (ઉં.વ.28, નવલનગર શેરી નં.9) 22 ફેબ્રુઆરીએ રાત્રે 12 વાગ્યા આસપાસ પોતાના ઘર પાસે હતો ત્યારે ધવલ, મિલન અને દેવાએ ઝઘડો કરી છરી અને ધોકા વડે માર મારતા ઈજા થઈ હતી. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અર્જુને જણાવ્યું કે, તે કારખાનામાં કામ કરે છે. તે 2 ભાઈ અને 2 બહેનમાં નાનો છે.સામાવાળા તેના પાડોશી છે. અગાઉના ઝઘડાનો ખાર રાખી તેની ઉપર હુમલો કરાયો હતો. સામાપક્ષે સરોજબેન બટુકભાઈ ભુંડીયા (ઉ.વ.52, રહે. નવલનગર શેરી નં.03/09 ના ખુણા પર, રાજકોટ)એ માલવિયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મારે સંતાનમાં બે દીકરા તથા બે દીકરી છે. આશરે 5 વર્ષ પહેલા આ મારા બંને દિકરાને અર્જુન ચૌહાણ સાથે સામાન્ય બાબતે માથાકુટ થઈ હતી.તા.22/02/2026 ના સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ મારો મોટો દિકરો મિલન ગુરૂપ્રસાદ ચોક ખાતે હતો ત્યારે આ અર્જુન ત્યાં ગયો અને મારા દિકરા મિલનને અગાઉની બાબતનો ખાર રાખીને ગાળો આપવા લાગ્યો હતો જેથી મારા દિકરાએ ગાળો બોલવાની ના પાડતા અર્જુને છરી કાઢતા મારો દિકરો ત્યાથી નીકળી ગયો અને ઘરે આવી ગયો. જે બાદ અર્જુન તથા એક અજાણ્યો ઇસમ અમારા ઘરે આવ્યા અને ઘરની બહાર ઉભા રહીને ગાળો બોલવા લાગતા મારો નાનો દિકરો ધવલ તેને સમજાવવા જતા તેને ડાબા હાથમાં છરી મારી દીધી. જ્યારે મને કપાળના ભાગે છરી મારી દીધી. મને તથા મારા દીકરા ધવલને લોહી નીકળવા લાગતા અર્જુન અને તેની સાથે રહેલો અજાણ્યો શખ્સ ત્યાથી ભાગી ગયો હતો. ભોમેશ્વરમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતે વેપારી બંધુઓ પર 4 શખ્સોનો હૂમલો ભોમેશ્વર મંદિર પાસે વાહન અથડાવા જેવી નજીવી બાબતે બંગળી બજારના વેપારી બંધુઓ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. વેપારી બંધુ રાજ ચગ અને હિતેષ ચગને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. રિક્ષામાં આવેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. રાજભાઇ ચગ (ઉં.વ. 30) અને તેના મોટા ભાઈ હર્ષભાઈ ચગ (ઉં.વ. 33) ને બંગડી બજારમાં કટલેરીની દુકાન છે. આજે બપોરે 2 વાગ્યાં આસપાસ રાજભાઈ પોતાના ઘરેથી એક્ટિવા લઈ દુકાને જતા હતા ત્યારે ભુવનેશ્વર મંદિર પાસે સ્પીડમાં આવેલી રિક્ષા તેના એકટીવા સાથે અથડાઈ હતી. નજીવી ટક્કર હોવાના કારણે એકટીવા ઉપરથી પડતા પડતા રહી ગયા હતા. જેથી તેમને રીક્ષા ચાલકને જોઈને ચલાવવાનું કહ્યું હતુ. જોકે તે બાદ રિક્ષામાંથી 4 શખ્સ ઉતર્યા હતા અને રાજભાઈને અપશબ્દો કહીને ઝઘડો કર્યો હતો. જેથી તેમણે પોતાના મોટાભાઈ હર્ષભાઈને ફોન કરીને સ્થળ ઉપર બોલાવ્યા હતા. રિક્ષામાં આવેલા ચારેય લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ચારેય શખ્સ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને ભાઈઓને માર માર્યો હતો. પોલીસે આ અંગે બંને ભાઈઓના નિવેદન લઈને આગળની તપાસ તજવીજ હાથ ધરી હતી. આર્થિક સંકળામણથી કંટાળીને પ્રૌઢે જીવન ટૂંકાવ્યુ શહેરના જુના માર્કેટિંગ યાર્ડની પાછળ મંછાનગર શેરી નંબર 9માં રહેતા હિતેશભાઈ હીરાભાઈ સીતાપરા (ઉં.વ 52)એ આજે 23 ફેબ્રુઆરીના સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. જે બાદ મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હિતેશભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા તેમને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તે પોતે ત્રણ ભાઈમાં મોટા હતા. થોડા સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળે છે. માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત શહેરના કોઠારીયા રોડ પર, આનંદનગર સીંગલ માળીયા ક્વાર્ટરનાં બી-3, ક્વાર્ટર નં.23 ખાતે રહેતા હરીભાઈ બિપીનભાઈ વ્યાસ (ઉ.વ.35)એ 22 ફેબ્રુઆરીએ સાંજે 7.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.બનાવના પગલે ભક્તિનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પી.એમ. માટે ખસેડ્યો હતો. પરિવારની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે હરિભાઈના પિતા હયાત નથી તે પોતાના માતા સાથે રહેતા હતા. તેમની માનસિક સ્થિતિ સારી નહોતી. ગઈકાલે તેમના માતા ઘરે નહોતા ત્યારે પગલુ ભરી લીધું હતું. માતા જ્યારે ઘરે આવીને જોયું તો પુત્ર ગળાફાંસો ખાધેલી હાલતમા હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:23 pm

પાદરાના સ્વામિનારાયણ મંદિરે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ:લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા આયોજન

પાદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર (બહેનોનું) ખાતે 22 ફેબ્રુઆરી, 2026ના રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ભગવાન સ્વામિનારાયણ દ્વારા ધોલેરા ખાતે મદનમોહનજી મહારાજની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન ઉપલક્ષમાં યોજાયો હતો. સવારે 7:30 કલાકથી શરૂ થયેલા આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય માનવસેવા અને સામાજિક જાગૃતિનો હતો. પ.પૂ.સ.ધ.ધુ. 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી દેશ-વિદેશમાં વસતા ભક્તો દ્વારા આવા અનેક ધાર્મિક અનુષ્ઠાનો અને માનવસેવાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહારક્તદાન કેમ્પ ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ મુંબઈ અને પૂના શહેરોમાં એક જ તારીખે અને એક જ સમયે યોજાયો હતો, જે તેની વ્યાપકતા દર્શાવે છે. આ રક્તદાન શિબિરનો પ્રારંભ ધાર્મિક પરંપરા અનુસાર દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. સંતરામ મંદિર પાદરાના મહંતશ્રી મોહનદાસજી મહારાજના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું. આ પ્રસંગે મહંતે રક્તદાન એ મહાદાન છે તેમ જણાવી દરેક વ્યક્તિને નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પાદરાના કોર્પોરેટર સંતોષભાઈ પટેલ અને સંકેતભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને માનવસેવાના આ પવિત્ર કાર્ય માટે આયોજકો તથા રક્તદાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર આયોજન પાદરાના લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ અને લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ દ્વારા, સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ આયોજનમાં સેવાભાવી કાર્યકરો અને હરિભક્તોએ નિષ્ઠાપૂર્વક મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:20 pm

પાટણમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું:છત્રપતિ શિવાજી સમિતિ દ્વારા એકતાનો સંદેશ અપાયો

પાટણ શહેરના રામચોક, ખોખરવાડો ખાતે શનિવારે છત્રપતિ શિવાજી સમિતિ દ્વારા વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.સંમેલનમાં દુર્ગાવાહિનીની બહેનો દ્વારા સાહસિક તલવાર કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત દર્શકોએ આ પ્રદર્શનને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. કાર્યક્રમમાં પરમ પૂજ્ય આભાદીદીએ અધ્યાત્મિકતા, હિન્દુ એકતા અને સમરસતા જેવા વિષયો પર પ્રેરણાદાયી આશીર્વચન આપ્યા હતા. મુખ્ય વક્તા રૂપકભાઈ રાવલે પંચ પરિવર્તન અને હિન્દુ ગૌરવ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મહિલા વક્તા મમતાબેન ખમારે કુટુંબ પ્રબોધન વિષય પર અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુવા વક્તા વિપુલભાઈ પરમારે પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો હતો.આ સમગ્ર કાર્યક્રમ સંયોજક ઉત્કર્ષભાઈ અને વાલી પારસભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સંમેલનના અંતે યોજાયેલા સંગીત જલસામાં ઉપસ્થિત સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:11 pm

વડોદરા રેલવે લાઈન પર વિસ્ફોટક પ્લાન્ટ કરવાનો કેસ:જમ્મુ કાશ્મીરનો નિવૃત આર્મીમેન મુસ્તાક 7 દિવસ રિમાન્ડ પર, મોબાઈલ તપાસ માટે FSLમાં મોકલાયો, અન્ય કોઇની સંડોવણી છે કેમ તે બાબતે પૂછપરછ કરાશે

વડોદરા શહેર નજીક અનગઢ ગામના નવાપુરા વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન ઉપર વિસ્ફોટક પદાર્થ મળ્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં બોમ્બની ફરિયાદ આપનાર રેલવે પોલીસનો કોન્ટ્રાક્ટનો કર્મચારી મુખ્ય આરોપી નીળ્યો હતો. ત્યારે પોલીસે રાષ્ટ્રની સુરક્ષાના ભાગરૂપે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. તાજેતરમાં અનગઢ ગામ નવાપુરા રેલવે લાઇન પરથી શંકાસ્પદ બોમ્બ જેવો સંદિગ્ધ વિસ્ફોટક પદાર્થ મુકવામાં આવ્યો હોવાની ફરિયાદ રેલવેમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા અને નિવૃત્ત આર્મી કર્મચારી 47 વર્ષીય મુસ્તાક અહમદ મોહમદ શેખ (મૂળ કાશ્મીર)એ પોતાના કોન્ટ્રાક્ટને એક્સટેન્શન મેળવવા માટે ષડયંત્ર રચ્યું હતું. મુસ્તાકે લગ્ન પ્રસંગોમાં વપરાતા ‘કોલ્ડ પાયરો’ નામના પદાર્થને બોમ્બ સમાન દેખાતો રેલવે ટ્રેક પર મૂકી બોમ્બ જેવો પદાર્થ મુકાયો હોવાની પોતે જ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની તપાસ કરાઇ હતી. જેમાં તપાસ દરમિયાન ફરિયાદી મુસ્તાક શેખની ગતિવિધિઓ શંકાસ્પદ લાગી આવી હતી. પોલીસે તેની કડકાઇથી પૂછપરછ કરતા તેણે પોતે જ રેલવે ટ્રેક પર કોલ્ડ પાયરો પ્લાન્ટ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જેથી આજે પોલીસે આરોપીની કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટ દ્વારા આરોપીને 2 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અન્ય કોઇની સંડોવણી બહાર આવી નથી. પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કરીને સીડીઆર માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. આરોપી સામે તેમના ડીપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. અનગઢ ગામ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળ્યો હોવાની જાણ પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે પોલીસને જાણ કરનાર નિવૃત્ત આર્મી જવાને પોતે જ પ્રમોશન-ઈનામ મેળવવા ફુટેલા ફટાકડા ડિટોનેટરની જેમ બાંધી તરકટ રચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ફરિયાદ કરનાર નિવૃત્ત ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જમ્મુ અનંતનાગ અને હાલ શેરખી રહેતો મુસ્તાક અહમદ મહમદ યુસુફ શેખ 2019માં આર્મીમાંથી નિવૃત્ત થયો હતો. ત્યારબાદ 2023થી નિવૃત્ત કર્નલ ઉત્તમ પાટીલની યુનિસન ગ્લોબલ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીમાં ગાર્ડ તરીકે જોડાયો હતો જેનો રેલવેમાં કોન્ટ્રેક્ટ છે. મુસ્તાક અહમદનું કામ અમદાવાદ-મુંબઈ ગુડ્ઝ રેલવે લાઈન પર પેટ્રોલિંગ કરવાનું કરવાનું છે હતું. શનિવારે મુસ્તાકે સવારે 8 વાગે અનગઢની નવાપૂરા રેલવે લાઇન પર ફૂટી ગયેલા લગ્નના ફટાકડા મુકીને તે ડિટોનેટર અથવા બોમ્બ તો નથીને તેનું તરકટ કરીને પોલીસને જાણ કરી હતી. જોકે મામલાની ગંભીરતાને જોઈ પોલીસ એકશનમાં આવી હતી. સાથે જ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે મુસ્તાકની જ સઘન પૂછપરછ કરતા તેને વટાણા વેરી દીધા હતા અને ગુનાની કબુલાત કરી હતી. મુસ્તાક અહેમદ અન્ય કર્મચારીઓ સાથે શેરખી બ્રિજ પાસે નોકરીના ચાર્જની આપ-લે કરતો હતો. શનિવારે શેરખી બ્રિજ પાસે મુસ્તાક અહમદ અને તેના એક સાથી કર્મચારીની નોકરી હતી. પરંતુ સહકર્મી રજા પર હોવાથી મુસ્તાક અહેમદે તેનો લાભ ઉઠાવ્યો હતો અને એકલો પેટ્રોલિંગ પર નીકળી શનિવારે જ તરકટ કરવાનું આયોજન કર્યું હતું. રેલવે ટ્રેક પર જ્યાંથી ફુટી ગયેલી હાલતમાં ફટાકડા મળ્યા હતા. તે સ્થળથી લગભગ 400 મિટર દુર જ એક લગ્નનું આયોજન થયું હતું. મુસ્તાક અહમદ બે દિવસ પૂર્વે જ ત્યાંથી ફુટી ગયેલા ફટાકડા લઈ આવ્યો હતો અને તરકટ કરવાનું આયોજન કર્યું હતું. તે વાયરવાળા ફટાકડા સાથે અન્ય પણ કેટલાક ફટાકડા લઈ આવ્યો હતો. મુસ્તાક અહમદ પહેલાંથી જ ફુટી ગયેલા ફટાકડા લઈને આવ્યો હતો. તે રેલવે ટ્રેક પર આવ્યો હતો અને ત્યાં પહેલાં એક ફટાકડો મુકીને તેનો ફોટો પાડયો હતો. જોકે તે દૃશ્ય વધુ ગંભીર ન લાગતાં મુસ્તાકે 5-6 ફટાકડા એક સાથે બાંધીને તેના વાયર જોડી દીધા હતા. ત્યારબાદ ફરી ફોટા પાડયા હતા. પોલીસ મુસ્તાક અહેમદની પૂછપરછ કરતી હતી ત્યારે તે ગોળ-ગોળ જવાબ આપતો હતો. પોલીસે તેનો ફોન ચેક કરતા ચોંકી ઉઠી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:10 pm

'મારી 43 ટકા ભાગીદારી હડપવા 15 બોગસ સહીઓ કરી':ગજેરા બંધુઓએ 6 કરોડની દુકાનોને દસ્તાવેજમાં 37 લાખમાં બતાવી, હવાલાથી બ્લેકમની વ્હાઈટ કર્યા; પ્રવીણ અગ્રવાલે ખોલી પોલ

ટેક્સટાઈલ સિટી સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા બંધુઓ વિરુદ્ધ 1928 કરોડની છેતરપિંડીની ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે આક્ષેપ કર્યો છે કે, શાંતિ રેસિડેન્સી પ્રા. લિ.માં તેમનો અને તેમના પરિવારનો 43% હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા બંધુઓએ તેમની, તેમની પત્ની અને પિતાની 15 જેટલી બોગસ સહીઓ કરી હતી. આ કાવતરા દ્વારા તેમનો હિસ્સો 43%થી ઘટાડીને માત્ર 4% કરી દેવામાં આવ્યો હતો. ફક્ત એટલું જ નહીં, મિલેનિયમ માર્કેટમાં જે દુકાનોની બજાર કિંમત 5થી 6 કરોડ છે, તેના દસ્તાવેજ સરકારને ચૂનો લગાવવા માટે માત્ર 37 લાખમાં કરવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. 2009થી શરૂ થયેલી ભાગીદારીમાં વિશ્વાસઘાતનો ખેલપ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2009થી વસંત ગજેરા અને તેમના પરિવાર સાથે 'શાંતિ રેસિડેન્સી પ્રાઈવેટ લિમિટેડ'માં ભાગીદાર હતા. આ કંપનીમાં પ્રવીણભાઈ, તેમના પિતા દેવકીનંદન અને પત્ની શીતલ અગ્રવાલ મળીને કુલ 43% શેરહોલ્ડિંગ ધરાવતા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું અને મિલેનિયમ-2, 3 અને 4ના પ્રોજેક્ટ્સ માટે જમીનો ખરીદી માર્કેટનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કેશમાં વ્યવહાર કરવાનો વિરોધ કરતા વિવાદ વકર્યોમિલેનિયમ માર્કેટની દુકાનોના બુકિંગ વખતે ગજેરા બંધુઓએ ગ્રાહકો પાસેથી મોટા પાયે રોકડ (કેશ) સ્વીકારવાનું શરૂ કર્યું હતું. પ્રવીણ અગ્રવાલે આ બાબતે સખત વિરોધ નોંધાવ્યો હતો અને તમામ વ્યવહારો ચેકથી પારદર્શક રીતે કરવા આગ્રહ રાખ્યો હતો. આ વિરોધને કારણે ગજેરા બંધુઓએ તેમને રસ્તામાંથી હટાવવાનું કાવતરું ઘડ્યું અને ધીરે-ધીરે કંપનીના સંચાલનથી દૂર કરી દીધા. 15 બોગસ સહીઓ દ્વારા 43% હિસ્સો 4% કરી દીધોસૌથી મોટો ધડાકો કરતા પ્રવીણ અગ્રવાલે જણાવ્યું કે, તેમને ડાયરેક્ટર પદેથી હટાવવા અને તેમનો હિસ્સો પચાવી પાડવા માટે ગજેરા એન્ડ ટોળકીએ કૂટનીતિ અપનાવી. આરોપીઓએ પ્રવીણભાઈ, તેમની પત્ની અને પિતાની કુલ 15 જેટલી બોગસ સહીઓ કરી 'રિન્યુનસિએશન ફોર્મ' ઊભા કર્યા હતા. આ છેતરપિંડીને કારણે તેમનો 43% નો મસમોટો હિસ્સો ઘટીને રાતોરાત માત્ર 4.02% થઈ ગયો હતો. હવાલા મારફતે હોંગકોંગ પૈસા મોકલી ફરી વ્હાઈટ કર્યાપ્રવીણ અગ્રવાલે જણાવ્યું હતું કે, આરોપીઓએ માત્ર સહીઓ જ ખોટી નથી કરી, પરંતુ મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પણ ચલાવ્યું હોવાનો આક્ષેપ છે. બુકિંગમાં મળેલી કરોડોની રોકડ રકમ હવાલા મારફતે હોંગકોંગ મોકલવામાં આવતી હતી. ત્યાં ગજેરાના ભત્રીજા રાકેશ ગજેરાને નવા શેરહોલ્ડર બનાવી, તે જ પૈસા બેંકિંગ ચેનલ દ્વારા પરત મંગાવીને ગેરકાયદે સંપત્તિને કાયદેસર (વ્હાઈટ) બનાવવાનો ખેલ ખેલાયો હતો. 6 કરોડની મિલકતના દસ્તાવેજ માત્ર 37 લાખમાંસરકારી તિજોરીને કરોડોનો ફટકો મારવા માટે ગજેરા બંધુઓએ દસ્તાવેજોમાં મોટી હેરાફેરી કરી છે. હાલમાં મિલેનિયમ માર્કેટની એક દુકાનની કિંમત 5થી 7 કરોડની આસપાસ છે પરંતુ, તેના દસ્તાવેજ માત્ર 35થી 37 લાખમાં જ બતાવવામાં આવ્યા હતા. આ રીતે કરોડોની બ્લેક મની જનરેટ કરી નવી જમીનો ખરીદવામાં આવી હોવાનો ફરિયાદીએ દાવો કર્યો છે. ખેડૂતો સાથે પણ ખોટી સહીઓ કરી જમીનો પચાવી હોવાનો આક્ષેપપ્રવીણ અગ્રવાલે જણાવ્યું કે, ખોટી સહીઓ કરવી એ ગજેરા બંધુઓ માટે સામાન્ય વાત છે. અનેક ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે, પ્લાન પાસ કરાવવા કે બિનખેતી (NA) ની પ્રક્રિયામાં પણ તેમણે અનેકવાર બોગસ સહીઓનો સહારો લીધો છે. અનેક ખેડૂતો આજે પણ તેમની સામે કાયદાકીય લડત લડી રહ્યા છે. PMO સુધી રજૂઆત બાદ હાઈકોર્ટના આદેશથી FIRપ્રવીણ અગ્રવાલે ન્યાય માટે લાંબી લડત આપી છે. તેમણે આ મામલે બે-ત્રણ વાર વડાપ્રધાન કાર્યાલય (PMO) માં લેખિત રજૂઆત કરી હતી. PMO દ્વારા થયેલી તપાસ અને ગુજરાત હાઈકોર્ટના કડક વલણ બાદ આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચે રવિવારે આ મામલે ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ ભારતીય ન્યાયતંત્ર અને સરકાર પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વસંત ગજેરા સહિત પરિવારના સભ્યો સામે ગુનો દાખલક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં વસંત હરિ ગજેરા, ચુની ગજેરા, અશોક ગજેરા, બકુલ ગજેરા અને રાકેશ ગિરીધરલાલ ગજેરા સહિત અનેક લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત n-code સોલ્યુશનના ડીલર ગૌતમ પ્રજાપતિ અને તત્કાલીન CAને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કુલ 1928 કરોડની ફોર્જરીનો આ મામલો સુરતના ઇતિહાસનો સૌથી મોટો છેતરપિંડીનો કેસ મનાય રહ્યો છે. મેહુલ ચોક્સી કનેક્શન અને જૂના ગુનાઓનો ઈતિહાસનોંધનીય છે કે, આરોપી રાકેશ ગજેરા અગાઉ પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીનો પણ ભાગીદાર રહી ચૂક્યો છે. ગજેરા બંધુઓ વિરુદ્ધ વર્ષ 2003થી અત્યાર સુધીમાં સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં સાત જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. 2018માં ઇડી (ED) મુંબઈ દ્વારા પણ તેમની સામે મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાતા જ ગજેરા એન્ડ ટોળકી અંડરગ્રાઉન્ડક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયાના સમાચાર મળતા જ વસંત ગજેરા અને તેમની આખી ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. શહેરમાં ચર્ચા છે કે, રાજકીય વગ ધરાવતા ગજેરા બંધુઓને ધરપકડથી બચવા માટે પહેલેથી જ સંકેત મળી ગયા હતા કે કેમ? હાલ પોલીસની અલગ-અલગ ટીમો આર્થિક ગુના નિવારણ શાખા સાથે મળીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 9:02 pm

ગોધરાના આમલી ફળિયા પાણીની લાઇન લીકેજની સમસ્યા:સમારકામ જલ્દી પૂર્ણ કરી ખાડા પૂરવાની સ્થાનિકોની માંગ

ગોધરાના આમલી ફળિયા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજની સમસ્યા યથાવત છે. નગરપાલિકા દ્વારા સમારકામ કરાયા બાદ પણ લીકેજ બંધ થયું નથી, જેના કારણે મુખ્ય રસ્તા પર ખોદકામ અને ખાડા પડી ગયા છે અને ફરી સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિથી સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અને પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આમલી ફળિયા વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવાથી સ્થાનિકોને મુશ્કેલી પડી રહી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ નગરપાલિકા દ્વારા લીકેજ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી છતાં લીકેજ બંધ થયું નથી. હાલમાં સોસાયટીના મુખ્ય રોડ પર સમારકામના ખોદકામને કારણે મોટા ખાડા પડી ગયા છે. આ ખાડાઓને લીધે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી. સ્થાનિક રહીશ હસનૈન ખોખાવાલાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જવાને કારણે ભૂગર્ભ ગટરનું ચેમ્બર પણ ક્ષતિગ્રસ્ત થયું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકા આ મામલે ગંભીરતા દાખવી રહી નથી અને ખોદકામ તમે જાતે પૂરી દો તેવા ઉડાઉ જવાબો આપી રહી છે. સોસાયટીના રહીશોની માંગ છે કે નગરપાલિકા વહેલી તકે આ ખાડાનું પુરાણ કરે અને તૂટી ગયેલા RCC રોડનું સમારકામ હાથ ધરે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સ્થાનિકોને રોજિંદી અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 8:54 pm

સાદાઈના નામે સમાજને નિયમોમાં બાંધી ગેનીબેન સહિતના VIP રિસેપ્શનમાં:પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખના પુત્રના લગ્નમાં ઝકામઝોળ, અર્જૂન ઠાકોરની પોસ્ટ- બંધારણ બાંધવાવાળાને નિયમ નડતા જ નથી!

હારીજમાં પાટણ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્રના લગ્નના રિસેપ્શન પ્રસંગે ઠાકોર સમાજના સામાજિક બંધારણના નિયમોનું સરેખામ ઉલ્લંઘન થયું હતું. જે મામલે વિવાદ સર્જાયો છે. સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરી હોવા છતાં VIP રિસેપ્શન અને પ્રતિબંધિત રસમો યોજાઈ હતી, જેને કારણે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અર્જૂન ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે કે, બંધારણ બાંધવાવાળાને નિયમ નડતા જ નથી!. લગ્નમાં VIP રિસેપ્શન, VIP ભોજન અને ખાસ VIP કંકોત્રીહારીજમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ ઠાકોરના પુત્રના 20 તારીખે લગ્ન હતા. જ્યારે 21 તારીખે શનિવારે રિસેપ્શન હતું. જેમાં ઠાકોર સમાજના સામાજિક બંધારણના નિયમોનો સરેઆમ ભંગ થયો હતો. સમાજ સુધારણા માટે બનાવેલા આ બંધારણ મુજબ લગ્નમાં માત્ર એક જ મીઠાઈ પીરસવી, હલ્દી રસમ ન કરવી, ભવ્ય એન્ટ્રી ન કરવી અને VIP પ્રથાઓ પર પ્રતિબંધ છે. જોકે, આ લગ્નમાં VIP રિસેપ્શન, VIP ભોજન અને ખાસ VIP કંકોત્રી છપાવીને નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું. બંધારણના ઘડવૈયાની હાજરીમાં જ નિયમોનો ભંગઆ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર હતા. બંધારણના ઘડવૈયા ગણાતા સાંસદની હાજરીમાં જ નિયમોનો ભંગ થતાં સમાજના લોકોમાં આશ્ચર્ય અને નારાજગી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર ભારે વિરોધ આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઠાકોર સમાજના યુવાનો અને સામાન્ય લોકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, શું સામાજિક બંધારણના કડક નિયમો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જ છે? આગેવાનો દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન થતાં બંધારણની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. અર્જુન ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરી કટાક્ષ કર્યોગબ્બર ઠાકોરના ભાઈ અર્જુન ઠાકોરે ફેસબુક પર પોસ્ટ કરીને કટાક્ષ કર્યો હતો કે, શું આ બંધારણ માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા સામાન્ય લોકો માટે જ બનાવવામાં આવ્યું છે? સમાજના આગેવાનો દ્વારા નિયમોના ભંગને કારણે સામાન્ય જનતામાં 'આગેવાનો માટે અલગ અને જનતા માટે અલગ' તેવા બેવડા ધોરણો સામે રોષ જોવા મળી રહ્યો છે. હારીજના આ કિસ્સાએ સમગ્ર જિલ્લાના સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે. બીજી તરફ આ મામલે દિવ્ય ભાસ્કરે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરનો ટેલીફોનીક સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે વાત થઈ શકી ન હતી. સમાજે 16 મુદ્દાનું બંધારણ બનાવ્યું હતુંવાવ-થરાદ જિલ્લના ઓગડનાથના થળી મુકામે બંધારણ મુદ્દે ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન અને ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં ઠાકોર સમાજના લગ્ન-મરણ પ્રસંગમાં થતાં બિનજરૂરી ખર્ચને અટકાવવા 16 મુદ્દાનું બંધારણ બનાવવામાં આવ્યું હતું. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરોકલાકાર બંધુઓએ ડીજે વગાડી ગામ ગજવ્યું આ બંધારણના 16 મુદ્દામાં એક મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે કોઇને જાનમાં ડિજે વગાડવું નહીં. આ તમામ મુદ્દાનું બંધારણ પાકિસ્તાના થરપારકર જિલ્લાના ઠાકોર સમાજે પણ અપનાવ્યું હતું. જેનો વીડિયો પણ થોડા દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, જૂના ડીસાના કલાકાર બંધુ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરે પિતરાઇ ભાઇના લગ્માં ડી.જે વગાડીને બંધારણ તોડ્યું હતું. કલાકાર ગબ્બર-અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર કરાયા ડીસામાં જ કલાકાર બંધુઓ દ્વારા સમાજના બંધારણનું ઉલ્લઘન થતાં ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો. કલાકાર બંધુઓના પિતરાઇ ભાઇના લગ્ન પ્રસંગે આ બંને ભાઇઓએ ગામમાં ડીજે વગાડીને બંધારણ તોડતા સોશિયલ મીડિયામાં કલાકાર બંધુઓ સામે કડક પગલા ભગવાની ઠાકોર સમાજના યુવાનો માંગ કરી રહ્યા હતા. જેને લઇને તેમના જ ગામ ઝાબડિયામાં ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં બંને ભાઇઓને એક વર્ષ માટે ઠાકોર સમાજની બહાર કરવામાં આવ્યા છે. દોષિતોને સહકાર આપનારને પણ દોષિત ગણવામાં આવશે એવો ઠાકોર સમાજે નિર્ણય કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) આ પણ વાંચો-વાવ-થરાદના ઠાકોર સમાજનું બંધારણ પાકિસ્તાન પહોંચ્યું

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 8:29 pm

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર દ્વારા જામીન અરજી પરત ખેંચાઈ:ED એ પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરતા તમામ પેપર્સ જોઈ ફરી અરજી કરવાનો હક્ક ખુલ્લો રાખ્યો

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેકટર સહિતના સરકારી અધિકારીઓ પર આક્ષેપ છે કે, તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેકટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. નવી જામીન અરજી દાખલ કરવાનો હક ખુલ્લો રાખવામાં આવ્યોજોકે, આ દરમિયાન ED એ PMLA પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત પ્રોસિકયુશન ફરિયાદ દાખલ કરતા આ અરજી પરત ખેંચવામાં આવી છે. ફરિયાદના પેપર્સ જોયા બાદ ફરીથી નવી જામીન અરજી દાખલ કરવાનો હક ખુલ્લો રાખવામાં આવ્યો છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈઅગાઉ ED વતી રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે, જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો. સરકારી વેબસાઇટ પર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો.આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. ચેતન કણજારીયાએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યુંઆરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેકટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 8:09 pm

સેટેલાઈટ પોલીસે કાર્યવાહી ન કરતા વિશેષ શાખાએ સૂચના આપી:ઊંચા અવાજે ડીજે વગાડી જાન નીકળતા મ્યુઝિક વગાડનાર સામે કચેરીના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરના માણેકબાગમાં સોસાયટી પાસેથી ડીજે સાથે જાન નીકળી હતી. એક જાગૃત નાગરિકે બાબતે પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને ડીજે બંધ કરાવ્યું હતું. જોકે, જાગૃત નાગરિકે વિશેષ શાખાને ફોટો અને વિગત ઈ-મેલ કરતાં વિશેષ શાખાએ સેટેલાઈટ પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપતા સેટેલાઈટ પોલીસે ડીજેવાળા સામે ગુનો નોંધ્યો છે. ઊંચા આવજે ડીજે વગાડીને પોલીસ જાહેરનામાનો ભંગ કર્યોઅમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સ્પીકર કે ઊંચા આવજે ડીજે વગાડવા પર મનાઈ છે. સેટેલાઈટ પોલીસે ફરિયાદ આવી હોવા છતાં એક ડીજેવાળા સામે કાર્યવાહી કરી નહોતી.શ્યામલ રોડ પરની માણેકબાગ સોસાયટી શ્રેયસ ટેકરા પાસેથી ડીજે સાથે જાનૈયાઓ જઈ રહ્યા હતા ત્યારે ખૂબ જ અવાજથી ડીજે વાગી રહ્યું હતું. આ દરમિયાન એક નાગરિકે કંટ્રોલરૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. કંટ્રોલરૂમ દ્વારા સેટેલાઈટ પોલીસને જાણ કરવામાં આવી ત્યારે સેટેલાઈટ પોલીસની એક ગાડી ત્યાં પહોંચી હતી પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની જગ્યાએ ફક્ત ડીજે બંધ કરાવ્યું હતું. મ્યુઝિક વગાડનાર સામે ફરિયાદ નોંધાઈપોલીસની આ કાર્યવાહીથી અસંતુષ્ટ જાગૃત નાગરિકે પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બાબતે ફોટો સહિતની માહિતી વિશેષ શાખાને મોકલી આપી હતી.જેથી વિશેષ શાખા દ્વારા સેટેલાઈટ પોલીસને સૂચના આપવામાં આવી હતી.સેટેલાઈટ પોલીસે હંસરાજ ડીજે નામની ગાડી લઈને આવેલા અને મ્યુઝિક વગાડનાર સામે ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 8:05 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા:હારિત શુક્લાની જગ્યાએ સંદીપ સાંગલેની નિયુક્તિ કરવામાં આવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભારત ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (Chief Electoral Officer) પદ પર ફેરફાર કરવામાં આવ્યો છે. 2007 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી સંદીપ સાંગલેને નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ Representation of the People Act, 1950 ની કલમ 13A હેઠળ કરવામાં આવી છે. હારિત શુક્લાની જગ્યા સંભાળશે સંદીપ સાંગલેહાલ સુધી આ પદ પર કાર્યરત હરીત શુક્લાની જગ્યાએ હવે સાંગલે કાર્યભાર સંભાળશે. સત્તાવાર નોટિફિકેશન જાહેર થતા જ તેઓ ફરજ સંભાળશે અને રાજ્યમાં મતદાર યાદી સુધારણા, ચૂંટણી આયોજન અને સંકલન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ફેરબદલ કરાયોઆ નિયુક્તિ આવતા સમયમાં રાજ્યમાં યોજાનારી વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૂંટણી તંત્રમાં વહીવટી ગતિ અને પારદર્શિતા જાળવવા માટે આ બદલાવને નોંધપાત્ર માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:59 pm

ખેરાલુના મંદ્વોપુર પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત:બાઈક સવાર યુવક ગંભીર રીતે ઘાયલ, ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યાં

ખેરાલુ તાલુકાના મંદ્વોપુર ગામથી હાઈવે ચોકડી વચ્ચેના માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલી અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં બાઈક સવાર યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા મળતી માહિતી પ્રમાણે કોદરામ ગામનો યુવક પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મંદ્વોપુર ગામ અને હાઈ-વે ચોકડીની વચ્ચે ટ્રેક્ટર ટ્રોલી સાથે તેની બાઈક અથડાઈ હતી.અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકચાલક કિશનને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરીઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સૌપ્રથમ ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, યુવકની હાલત વધુ ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂર હોવાથી તેને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:59 pm

Editor's View: ટ્રમ્પને ઊંધા હાથનો તમાચો:વકીલ અને વેપારીની જોડીએ ટેરિફ ગેમનું ફિંડલું વાળી દીધું, ભારતીય મૂળના કાત્યાલ ભારે પડ્યા, અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ માની ગઇ

દુનિયાના સૌથી શક્તિશાળી માણસ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે એક નાનો વાઈન વેપારી અને પંજાબી મૂળના વકીલ અમેરિકાની જ સુપ્રીમ કોર્ટમાં પછાડે, ત્યારે સમજવું કે લોકશાહી હજુ જીવે છે. બંનેએ મળીને સાબિત કરી દીધું કે ઝુકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહીએ. 20 ફેબ્રુઆરી, 2026ના અમેરિકન સુપ્રીમ કોર્ટના ટેરિફ સામેના ઐતિહાસિક ચુકાદાએ સાબિત કર્યું કે વ્હાઈટ હાઉસના એટલે કે ટ્રમ્પના બેફામ તરંગી નિર્ણયો બંધારણથી ઉપર નથી. સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરબંધારણીય કહી અમેરિકાના સંસદની શક્તિ ટ્રમ્પને બરાબરની દેખાડી દીધી છે. પણ, ટ્રમ્પે હાર માનવાને બદલે 1974ના કાયદાની છટકબારી શોધી ફરી દુનિયા પર ટેરિફ લગાવી દીધો છે. આપણને થાય કે આ તો અમેરિકાની અંદરની વાત છે આપણે શું? તો એવું નથી... આ કાયદાકીય ચેસની રમત માત્ર અમેરિકા પૂરતી નથી; સુરતના હીરાના કારખાનાથી અમદાવાદના કાપડ ઉદ્યોગ સુધી, દરેકના રસોડા અને ભવિષ્ય પર ટ્રમ્પ ટ્રેડ ટેરીફની સીધી અસર થાય છે. ભારત અમેરિકા ટેરિફવાળી 18%ની ડિલ પણ મોટી અસર પડી શકે છે.. શું આ છટકબારી ભારત માટે મોટું આર્થિક જોખમ બનશે? આવો સમજીએ સત્તા, કાયદો અને સામાન્ય માણસના સંઘર્ષની આ આખી ગૂંચવણ. નમસ્કાર... અમેરિકાની લોકશાહીમાં ગઈકાલનો દિવસ એવો હતો જે ભવિષ્યમાં સત્તા અને કાયદા વચ્ચે બેલેન્સ બનાવી રાખશે. વ્હાઈટ હાઉસમાં બેસીને આખી દુનિયાની ઈકોનોમીને ટેરિફના જોરે પોતાના ટેરવા પર રમાડવાની ઈચ્છા રાખનાર ટ્રમ્પને અમેરિકાની સુપ્રીમ કોર્ટે જ અરીસો બતાવી દીધો છે કે કોણ વધુ પાવરફુલ છે. ફરી સાબિત થયું છે કે નેતા કરતાં બંધારણ સૌથી સર્વોપરી છે. 6-3 ચુકાદાથી ટ્રમ્પને ઝટકોઅમેરિકન સુપ્રીમ કોર્ટનો 6-3ની બહુમતીથી આવેલો આ ચુકાદો ટ્રમ્પની આર્થિક નીતિઓ પર મોટો આઘાત છે. ટ્રમ્પે 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટ એટલે કે IEEPAનો ઉપયોગ કરીને જે રીતે દુનિયા પર બેફામ ટેરિફ લગાવ્યા હતા, તેને અમેરિકન સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય કહી દીધા છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કહી દીધું છે કે ટેરિફ સત્તા કોંગ્રેસ પાસે“ટેરિફ લગાવવો એ હકિકતમાં કર એટલે કે ટેક્સ લગાવવાની શક્તિ છે અને અમેરિકન બંધારણના આર્ટિકલ 1 મુજબ આ સત્તા માત્ર અમેરિકન કોંગ્રેસ એટલે કે સંસદ પાસે જ છે. રાષ્ટ્રપતિ કાયદાના અમલદાર છે, અમેરિકન કાયદાના બનાવનાર કે અમેરિકાની તિજોરીના માલિક નથી.” - અમેરિકન સુપ્રીમ કોર્ટ કોર્ટના બંધારણીય તારણોઆ કેસ વિશે અમેરિકન સુપ્રિમ કોર્ટના વધુ તારણની વાત કરીએ તો... ન્યાયાધીશોએ બતાવી બંધારણ પ્રત્યે વફાદારીઆ વાતમાં સૌથી ચોંકાવનારી વાત જસ્ટિસ્ટના નિર્ણયો રહ્યા. ટ્રમ્પને આશા અપેક્ષા હતી કે તેમના બેસાડેલા રૂઢિચુસ્ત જજ તેમની વફાદારી કરશે. પણ જસ્ટિસ્ટ નીલ ગોર્સચ અને એમી કોની બેરેટ જેવા જજીસે એ સાબિત કરી દીધું કે ન્યાયાધિશોની વફાદારી કોઈ નેતાના હિતમાં નહીં પણ બંધારણની આત્મામાં છે. તેમણે કહી દીધું કે અમેરિકાના રાષ્ટ્રપતિ કટોકટી એટલે કે ઈમર્જન્સીના નામે ગમે ત્યારે ગમે તેટલો ટેક્સ નાખવાની છૂટ નથી આપતો. જો આવું થાય તો બંધારણની સંસદનું નામોનિશાન જ નહીં રહે. આ અમેરિકાના બંધારણના મેજર ક્વેશ્ચન્સ ડોક્ટ્રિનની જીત હતી. જે કહે છે કે જો કોઈ નિર્ણય દેશની અર્થવ્યવસ્થા પર મોટી અસર કરતો હોય તો તેના માટે સંસદની મંજૂરી લેવી જરૂરી છે. વેપારી અને વકીલની હિંમતતેનાથી પણ ઈન્ટ્રેસ્ટિંગ પાસાની હવે વાત કરીએ. જ્યારે સત્તાનો પારો સાતમા આસમાને હોય ત્યારે તેની સામે અવાજ ઉઠાવવા માટે અપાર હિંમત જોઈએ. જે ટ્રમ્પ સામે શિંગડા ભરાવીને સામાન્ય વેપારી અને વકીલે કરી બતાવ્યું છે. જે છે ન્યૂયોર્કના નાના એવા વાઈન વેપારી વિક્ટર શ્વાર્ટ્ઝ અને ભારતીય મૂળના દિગ્ગજ વકીલ નીલ કત્યાલ. કાત્યાલની કાયદાકીય કારીગરીનીલ કત્યાલે અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં સેપરેશન ઓફ પાવરના પ્રિન્સિપલને એવી રીતે જજીસ સામે રાખ્યો કે ટ્રમ્પના સમર્થક જજ પણ માની ગયા કે બંધારણીય રીતે ટ્રમ્પ ખોટા છે અને કત્યાલ સાચા છે. તેમની જૂની સફળ દલીલો અને કેસિઝને જોઈએ તો… કોમન મેનથી ટ્રમ્પ હાર્યાબીજી બાજુ વિક્ટર શ્વાટ્ઝ કોમન મેનના પાવરનું પ્રતિક બની ગયા. જ્યારે દુનિયાના શક્તિશાળી નેતાઓ ટ્રમ્પથી ડરતા રહ્યા, અમેરિકા સહિત વિશ્વની મોટી કંપની પણ કંઈ ન કરી શકી ત્યારે નાના એવા વાઈન વેપારીએ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની મદદથી ઘૂંટણીએ લાવી દીધા. ટ્રમ્પની કાયદાકીય છટકબારીપણ ટ્રમ્પ કંઈ ઓછા નથી. પોતાના બિલ્ડર પિતાની જેમ તેણે પણ આસાનીથી હાર ન માની. જેવો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને ઝટકો આપ્યો કે 24 કલાકની અંદર જ ટ્રમ્પે પોતાનો હુકુમનો એક્કો ફેંક્યો અને કાયદાકીય લૂપહોલનો ઉપયોગ કરીને ફરી નવા પણ નબળા નિયમથી દુનિયા પર ફરી 10 ટકાનો વધારાનો ટેરિફ લગાવી દીધો. ટેરિફ માટે ત્રણ કાયદાનો સહારોહવે જાણીએ કે ટ્રમ્પે અત્યાર સુધી કેવી રીતે દુનિયા પર ગેરકાયદેસર રીતે ટેરિફ નાખ્યો અને સુપ્રીમ કોર્ટની લપડાક બાદ પણ કેમ ફરી ટેરિફ લગાવ્યો? વાત જાણે એમ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ મનફાવે તેમ ટેરિફ ન લગાવી શકે. દુનિયા પર ટેરિફ લગાવવા ટ્રમ્પે 3 કાયદાનો સહારો લીધો 1) 1977નો IEEPA નિયમઆનાથી અમેરિકાના દુશ્મન દેશોની મિલકત જપ્ત કરી શકાય છે અને રૂપિયાની લેણદેણ અટકાવી શકાય છે. ટ્રમ્પે ચીન, મેક્સિકો સહિત દુનિયાના મોટા દેશો પર આ કાયદાનો ઉપયોગ કર્યો અને વેપારી સ્પર્ધાને નેશનલ ઈમરજન્સી (યુદ્ધ કે આતંકવાદી હુમલો) ગણાવી ટેરિફ નાખ્યો. અત્યાર સુધીનો ટેરિફ આ નિયમથી લાગ્યો છે. 2) 1974ના ટ્રેડ એક્ટનો સેક્શન 112આ કાયદો રાષ્ટ્રપતિને સત્તા આપે છે કે જ્યારે અમેરિકામાં આવતો ડોલર બહાર જતા ડોલર કરતા વધી જાય છે ત્યારે ટેરિફ લગાવી શકાય છે. આ કાયદાથી 15 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય છે, જેનો ઉપયોગ ટ્રમ્પે હવે કર્યો છે અને દુનિયા પર 10 ટકાના વધારાના ટેરિફની જાહેરાત કરી છે. પણ આ ટેરિફ કાયમી નથી, ખાલી 150 દિવસ જ લાગુ રહે છે. તેનાથી વધુ દિવસ લાગુ કરવો હોય તો US સંસદની મંજૂરી લેવી પડે. નવા ટ્રેડનું 5 મહિનામાં સૂરસૂરિયુંટૂંકમાં ટ્રમ્પનો હાલનો ટેરિફ ટૂંકાગાળા માટે છે. જો તેમને 150 દિવસથી વધુ સમય માટે આ નિયમ નીચે ટેરિફ લગાવવો હોય તો સંસદ પાસે જવું પડશે. પણ મોટા ભાગના દેશો સાથે હવે આ 150 દિવસવાળો અખતરો કરશે તો માંડ સ્ટેબલ થઈ રહેલી દુનિયા ફરી ટ્રમ્પના કારણે હિલોળે ચડી જશે. ટ્રમ્પે સુપ્રિમ કોર્ટના તમાચા બાદ એક કાંકરે બે નિશાન જેવી ગેમ રમી છે. ભવિષ્યમાં નવા કાયદાકીય પડકારહવે સુપ્રીમ કોર્ટના ઝટકા બાદ પણ ટ્રમ્પ તેના નિર્ણયોને આવી છટકબારીથી પડકારે તો ભવિષ્યમાં બની શકે કે ટ્રેડ એક્ટ 1974ને પણ IEEPA જેમ કાયદાકીય પડકાર મળી શકે. વાત આપણી પણ કરીએ. ટ્રમ્પે હાલ ભારત પર 18 ટકા જેટલો ટેરિફ લગાવ્યો છે. જો ટ્રમ્પની છટકબારીને પણ સુપ્રીમ કોર્ટ પડકાર આપે અને ટેરિફ મામલે ટ્રમ્પને ફરી ખોટા પાડે તો ભારત પરનો ટેરિફ બની શકે કે ખૂબ જ ઓછો થઈ જાય. જો આવું થાય તો હજારો ભારતીય વેપારીઓ અને ઈન્ડસ્ટ્રિયાલિસ્ટને મોટો ફાયદો થઈ શકે તેમ છે. નવા ટેરિફ માટે ટ્રમ્પનો ટુટકો ટ્રમ્પે અત્યાર સુધી જે કાયદાઓનો દુરુપયોગ કરીને દુનિયાને ટેરિફના ડુંગર નીચે દબાવી તે હકિકતમાં ત્યારે જ વાપરી શકાય જ્યારે અમેરિકા ખરેખર કોઈ રાષ્ટ્રીય કટોકટી કે યુદ્ધમાં હોય. આવું કરીને ટ્રમ્પે સુપ્રીમ કોર્ટનું માન રાખી લીધું છે બસ એક કાયદાનું પાનું ઉથલાવીને ફરી ટેરિફ લગાવી લઈએ. ટેરિફ અને કાયદાની રેખાકાયદાનું પાલન કરવું અને કાયદાના ડરે ઉઘરાણી કરાવવી આ બંને વચ્ચે પાતળી નહીં પણ જમીન આસમાન જેટલી રેખા છે. પણ સુપ્રિમ કોર્ટના નિર્ણયે એક વાત ટ્રમ્પ સામે રાખી દીધી છે કે અમેરિકામાં માત્ર રાષ્ટ્રપતિ જ સુપર પાવરવાળા નથી, તેને પોતાની શક્તિ સંસદ પાસેથી મળે છે. જો સંસદની શક્તિને જ ટ્રમ્પ બાયપાસ કરી દે તો જે તે સમયે અમેરિકાનું બંધારણ ઘડનાર ખેડૂતોના સપનાનું અપમાન થઈ જાય. ટ્રમ્પ ટેરિફ માટે સંસદ સામે નમશે?અત્યાર સુધી ટ્રમ્પ જે કાયદાનો એટલે કે IEEPAનો ઉપયોગ કરીને ટેરિફ લગાવતા હતા તે મિલકતો જપ્ત કરવા માટેનો હતો, તેનો દુરુપયોગ કાયદાની આત્માની હત્યા કરવા સમાન છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે તેના રાષ્ટ્રપતિને આડકતરી રીતે લિમિટમાં રહેવા કહી દીધું છે. માટે હવે ટ્રમ્પ 150 દિવસ સંસદને બાયપાસ કરીને પોતાના મનફાવ્યા નિર્ણયો લઈ શકશે, કાયમી નિર્ણયો માટે તો તેમને સંસદ સામે જ ઘૂંટણીએ આવવું પડશે. કોર્ટ બાદની લડાઈ બાકીઆ સિવાય સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર તો ઠેરવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં અમેરિકન તિજોરીમાં જમા થયેલા સેંકડો કરોડ રૂપિયા ભારત સહિતના દેશોને પરત મળશે કે કેમ, તે અંગેનો નિર્ણય હવે નીચલી અદાલત પર છોડવામાં આવ્યો છે. આ હવે પછીની સૌથી મોટી કાયદાકીય લડાઈ હશે હવે વાત કરીએ બંને કાયદા વચ્ચે અંતર શું છે? IEEPAની શરત રાષ્ટ્રીય સુરક્ષા અને કટોકટી છે, જ્યારે Section 122ની વેપાર ખાધ ઘટાડવી. IEEPAની મર્યાદા ગમે તેટલો ટેરિફ લગાવવાની છે, જ્યારે Section 122 વધુમાં વધુ 15 ટકા ટેરિફ લગાવી શકે. IEEPA રાષ્ટ્રપતિની મરજી મુજબ ગમે તેટલો સમય લગાવી શકાય, Section 122 નીચે ટેરિફ 150 દિવસ જ લગાવી શકાય. ભારતની ટ્રેડ ડિલ પર અસરહવે વાત કરીએ આપણા ફાયદાની. આપણે યુરોપ સાથે મધર ઓફ ઓલ ડિલ્સ કરી તેના પછી અમેરિકા સાથે પણ વેપાર ડિલ કરી હતી. જેના કારણે ટેરિફના રેટ ઘટીને 18 ટકા પહોંચ્યા હતા. હાલની તારીખે પણ આ ડિલ માટે વાતચીતનો દોર ચાલી રહ્યો છે. જે ટ્રમ્પના કારણે ફરી બંધ પણ થઈ શકે તેમ છે. આગળના સમયમાં જોવાનું રહેશે કે ટ્રમ્પે લગાવેલા ટેરિફથી હાલની ડિલ પર કેવી અસર થશે. જો કે વર્લ્ડ પોલિટિક્સમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે ટ્રમ્પ સરકાર બંધારણના કાયદા 301 હેઠળ નવા કાયમી ટેરિફ માટેની તૈયારી કરવા ટીમ બેસાડી દીધી છે. ફરી મૂળ મુદ્દાને વધુ સારી અને ઉંડાણ સાથે સમજીએ તો કૂલ 9 જજીસમાંથી 6 ટ્રમ્પના વિરોધમાં હતા પણ 3 ટ્રમ્પના ટેરિફ સાથે હતા. કયા જજ ટ્રમ્પ તરફી?બહુમતિવાળા ચીફ જસ્ટિસ્ટ જોન રોબર્ટ્સ, નીલ ગોસર્ચ, એમી કોની બેરેટ કન્ઝર્વેટિવ છે જ્યારે જજ એલેના કાગન, સોનિયા સોટોમેયર અને કેતંજી બ્રાઉન જેક્સન લિબરલ જજ છે. સામેની બાજુ લઘુમતિવાળા ટ્રમ્પના સપોર્ટમાં આવેલા જજ જસ્ટિસ ક્લેરેન્સ થોમસ, સેમ્યુઅલ અલીટો અને બ્રેટ કેવેનો છે. આ જજીસનું માનવું છે કે વિદેશ નીતિ અને નેશનલ સિક્યોરિટીમાં રાષ્ટ્રપતિ જ સર્વેસર્વા હોવા જોઈએ. જો સુપ્રિમ કોર્ટ દરેક વેપારી નિર્ણયોમાં હસ્તક્ષેપ કરશે તો રાષ્ટ્રપતિ વિદેશી દેશો સાથે મજબૂતીથી સોદાબાજી નહીં કરી શકે. પણ 9માંથી માત્ર 3 જ જજનું આવું કહેવું છે. બહુમતીનો લોકશાહી સંદેશસામેના બહુમતિવાળા 6 જજીસે ટ્રમ્પના ટેરિફને ફગાવીને લોકશાહીના પાયાને મજબૂત કર્યો છે. અમેરિકાની સુપ્રિમ કોર્ટના નિર્ણયે ચોખ્ખું કહ્યું છે કે નેશનલ સિક્યોરિટી કોઈ જાદુઈ શબ્દ નથી જેનાથી બંધારણને દબાવી શકાય. ટેરિફ લગાવવાની સત્તા સંસદ પાસે જ છે અને સંસદ પાસે જ રહેવી જોઈએ. આ નિર્ણય કોઈ પણ એટલે કે ડેમોક્રેટ કે રિપબ્લિકન રાષ્ટ્રપતિને લાગુ થશે. અને છેલ્લે... ભારતીય મૂળના વકીલ નીલ કત્યાલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરતી વખતે પોતાના પિતાના કડાને પોતાની સાથે રાખ્યું હતું, જે તેમના મૂળ અને સંઘર્ષની યાદ અપાવતું હતું. તેમણે ચુકાદા બાદ કહ્યું હતું કે, પ્રેસિડેન્ટ શક્તિશાળી હોઈ શકે છે, પણ બંધારણ સૌથી વધુ શક્તિશાળી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:58 pm

પિતાએ બમ્પ કૂદાવતા ટ્રેકટરમાંથી પડી ગયેલી દીકરીનું મોત:માતાની નજર સામે જ ટાયર ફરી વળ્યું, ગાંધીનગરના સેક્ટર-24ની ઘટના

ગાંધીનગરમાં આજે સવારે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે. સેક્ટર-24 સાઈબાબા ચાર રસ્તા પાસે ટ્રેક્ટર ચલાવતા પિતાએ ગફલતભરી રીતે બમ્પ કુદાવતા 6 વર્ષની દીકરી ઉછળીને રોડ પર પટકાઈ હતી. એજ ઘડીએ માતાની નજર સામે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા દીકરીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પિતા સાથે ટ્રેકટરમાં માતા અને ચાર સંતાનો સવાર હતાપ્રાપ્ત વિગતો મુજબ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રામપુરી ગામનો વતની અને હાલ ગાંધીનગરમાં બોરિંગ ટ્રેક્ટર ચલાવતો પરિવાર વહેલી પરોઢિયે સેક્ટર-27 તરફ જઈ રહ્યો હતો. એ વખતે ટ્રેક્ટર બાલુ પુનીયા ચારેલ હંકારી રહ્યા હતા. જ્યારે તેમની પત્ની સોમીલાબેન અને ચાર બાળકો ટ્રેક્ટર પર બેઠા હતા. બમ્પ કૂદાવતા ટ્રેકટરમાંથી પડી ગયેલી 6 વર્ષીય દીકરી પર વ્હીલ ફરી વળ્યુંઆ દરમિયાન સેક્ટર-24 સાઈ બાબા મંદિર પાસે આવેલા બમ્પ પરથી પિતાએ ટ્રેક્ટર પૂરઝડપે કુદાવતા બાજુમાં બેઠેલી 6 વર્ષની દીકરી કલ્પા રોડ પર નીચે પટકાઈ હતી. જોકે પિતા ટ્રેક્ટર ઉભું રાખે તે પહેલા જ પાછળનું ટાયર માસૂમ દીકરીના માથા પરથી ફરી વળ્યું હતું. આ દ્રશ્ય જોઈ માતાએ હૈયાફાટ રૂદન કરી મૂક્યું હતું. બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ મોતજેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે દીકરીને ગુમાવનાર સોમીલાબેને પતિની બેદરકારી અને ગફલતભરી ડ્રાઈવિંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:47 pm

ઉ.ગુજરાત યુનિવર્સિટીમાં 70 વિદ્યાર્થીઓએ બિઝનેસ અને ફૂડ ફેસ્ટ યોજ્યો:ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા 15 સ્ટોલ ગોઠવાયા, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંકુલ ખાતે આવેલ એસ.કે. કોલેજ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ બિઝનેસ અને ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વાણિજ્ય અને સંચાલનનું પ્રાયોગિક જ્ઞાન તેમજ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાના કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. ફેસ્ટમાં વિભાગના ૭૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 'સ્વદેશી (ભારતીય)' થીમ હેઠળ લગભગ ૧૫ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ સ્ટોલ્સમાં વિવિધ પ્રકારની ૧૭ ખાણી-પીણીની વાનગીઓ, ચાર ગેમ સ્ટોલ અને એક હેન્ડીક્રાફ્ટ વસ્તુનો સ્ટોલ શામેલ હતો. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે દરેક સ્ટોલ પર ક્યુઆર સ્કેનરની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસના કર્મચારીઓએ આ ફેસ્ટની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીબીએ, બીકોમ અને એમકોમ વિભાગના અધ્યક્ષ ડો. અશ્વિનભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અધ્યાપક ચિરાગભાઈ પટેલે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:42 pm

અમદાવાદમાં કોમનવેલ્થ કનેક્ટ ફોરમનું આયોજન:2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે યુકેના પ્રતિનિધિમંડળ સાથે યોજાયું મહામંચ ‘કોમનવેલ્થ કનેક્ટ’

ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ હવે વૈશ્વિક રમતગમતના નકશા પર પોતાની મજબૂત પકડ જમાવી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ફોરમમાં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), યુનાઇટેડ કિંગડમ અને આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળીને 2030ના કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે ગહન ચર્ચા કરી હતી. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની સજ્જતા કાર્યક્રમને સંબોધતા મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે, 2030ના કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવી રહ્યું છે. નવેમ્બર 2025માં ગ્લાસ્ગોમાં યોજાયેલી જનરલ અસેમ્બલી બાદ અમદાવાદની પસંદગી થવી એ શહેર માટે ગૌરવની બાબત છે. યુનાઇટેડ કિંગડમના વેસ્ટ મિડલેન્ડ્સ ક્ષેત્રના મેયર રિચર્ડ પાર્કરના નેતૃત્વ હેઠળ આવેલા પ્રતિનિધિમંડળનું શહેરે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ આજે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં હરણફાળ ભરી રહ્યું છે. વૈશ્વિક કક્ષાની સુવિધાઓ અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અમદાવાદે 2023ના ICC Cricket World Cup ફાઈનલના સફળ આયોજન દ્વારા પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી અત્યાધુનિક સુવિધાઓ શહેર પાસે ઉપલબ્ધ છે. મેયરના જણાવ્યા મુજબ, વધુ ઇલેક્ટ્રિક બસો, મેટ્રો રેલ અને મજબૂત એરપોર્ટ કનેક્ટિવિટી સાથે શહેર હવે ઓલિમ્પિક સ્તરના આયોજન માટે તૈયાર થઈ રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ માત્ર રમત નથી, પણ વિશ્વના દેશોને જોડતો એક સેતુ છે. ઐતિહાસિક વારસો અને આધુનિક વિકાસનું સંગમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ “અતિથિ દેવો ભવ”ની પરંપરા સાથે મહેમાનોને આવકાર્યા હતા. તેમણે ઉલ્લેખ કર્યો કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ભૂમિ આજે દેશનું સૌથી સ્વચ્છ શહેર (સ્વચ્છ સર્વેક્ષણ-2025) અને મહિલાઓ માટે સુરક્ષિત શહેર તરીકે ઉભરી આવ્યું છે. અમદાવાદ પાસે ક્લાઈમેટ રિઝિલિયન્ટ સિટી એક્શન પ્લાન છે, જેમાં AMCના બજેટનો 84% હિસ્સો પર્યાવરણ લક્ષી પહેલો માટે ફાળવવામાં આવ્યો છે. 1925થી અમલી ટાઉન પ્લાનિંગ પદ્ધતિને કારણે આજે શહેરનો 100% વિસ્તાર આયોજનબદ્ધ રીતે વિકસિત છે. સ્પોર્ટ્સ ડિપ્લોમેસી અને આર્થિક વિકાસના નવા દ્વાર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું કે 2030ના ગેમ્સ સ્માર્ટ મોબિલિટી, સ્ટેડિયમ ટેક્નોલોજી અને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે ભારત-યુકેના સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જશે. ગુજરાતની 80% શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદમાં હોવાથી શૈક્ષણિક આદાન-પ્રદાનની પણ મોટી તકો છે. GIFT City અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના વિકાસ સાથે આ ફોરમ લાંબા ગાળાના આર્થિક સહકાર માટે પાયાનો પથ્થર સાબિત થશે. બર્મિંગહામનો અનુભવ અને અમદાવાદનું ભવિષ્ય વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચર્ડ પાર્કરે 2022ના બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, તે આયોજને યુકેની અર્થવ્યવસ્થામાં 1.2 અબજ પાઉન્ડનું યોગદાન આપ્યું હતું અને 22,000થી વધુ રોજગારીની તકો ઊભી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદમાં 2030માં યોજાનારા ગેમ્સ કોમનવેલ્થના 100 વર્ષની ઉજવણીનું ઐતિહાસિક સંસ્કરણ બનશે. વેસ્ટ મિડલેન્ડ્સનું પ્રતિનિધિમંડળ અમદાવાદને ટેકનિકલ અને વ્યાવસાયિક મદદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. ભવિષ્યનું પુનઃનિર્માણ: ઇન્ડિયા ગ્લોબલ ફોરમનો અભિગમ ઈન્ડિયન ગ્લોબલ ફોરમના ચેરમેન અને સીઇઓ મનોજ લાડવાએ ભારપૂર્વક કહ્યું કે ગુજરાત માત્ર તૈયારી નથી કરી રહ્યું, પણ “ભવિષ્યનું પુનઃનિર્માણ” કરી રહ્યું છે. રમતગમત હવે મનોરંજન નહીં પણ રાષ્ટ્રીય વ્યૂહરચના છે. ગુજરાત ભારતની વસ્તીના માત્ર 5% ધરાવે છે, છતાં દેશના GDPમાં 8% અને નિકાસમાં 20% ફાળો આપે છે. તેમણે સૂચન કર્યું કે આ ગેમ્સને “ડાયલોગથી ડિલિવરી” સુધી લઈ જવી જોઈએ, જેથી માનવીય મૂડી અને કૌશલ્ય વિકાસના લાંબા ગાળાના લાભો મળી શકે. વિવિધ સત્રોમાં નિષ્ણાતોનું મંથન રિચર્ડ પાર્કર, ગગન નારંગ અને નીલ રામીએ આર્થિક-સામાજિક પ્રભાવ પર ચર્ચા કરીશિવાંગી અંબાણી, બંછાનિધિ પાની અને ડેવિડ એમ્બાએ રમતગમતને 'સોફ્ટ પાવર' તરીકે ઓળખાવ્યું. અશ્વિનીકુમાર, સમિર સિન્હા અને શેખરભાઈ પટેલે ગ્રીન એનર્જી અને સ્ટેડિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત સમજાવી. અરવિંદર સિંહ અને એડ શેડે નવી લીગ આધારિત મોડેલ પર ભાર મૂક્યો. પ્રશાંથ શાંથકુમારન અને ચાર્લી કાઉડ્રીએ ખાનગી રોકાણ, જ્યારે પેરા-બેડમિન્ટન ચેમ્પિયન માનસી જોશીએ ખેલાડીઓ માટેની સુવિધાઓ વિશે વાત કરી. આ કાર્યક્રમના અંતે ભારત અને યુકે વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની નેમ સાથે સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બિઝનેસ લીડર્સ, AMCના ઉચ્ચ અધિકારીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:39 pm

ખેરાલુમાં 'લવ જેહાદ'ના કિસ્સામાં ગેસ્ટ હાઉસના સંચાલક સામે પણ ફરિયાદ:સરકારી જાહેરનામાનો કર્યો ભંગ, નિયમ મુજબ રજિસ્ટરમાં અંગૂઠાના નિશાન લીધા વગર જ આરોપીને રુમ આપ્યો

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે જો કોઈ 'સલીમ સુરેશ બનીને' દીકરીઓને ફસાવશે તો કડક કાર્યવાહી થશે.આ વિધાનને સાબિત કરતી એક ચોંકાવનારી ઘટના ખેરાલુમાં સામે આવી છે.અહીં મોહમદ જાવેદ નામના યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ નામ ધારણ કરી 20 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ત્યારબાદ આ કેસમાં હવે જે હોટેલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું એ હોટેલ સંચાલક સામે પણ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ આદરી છે. ગેસ્ટ હાઉસમાં લઈ જઈ યુવતીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો ખેરાલુના મલેકપુરની 20 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી મોહમ્મદ જાવેદ નુરમહમ્મદ સિંધીએ પોતાનું નામ 'રાહુલ પટેલ' હોવાનું જણાવી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવતીના અગાઉ પાડેલા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લૅકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. ગત 21 ફેબ્રુઆરીના રોજ સવારે 10થી 11 વાગ્યાના અરસામાં આરોપી યુવતીને વડનગર રોડ પર આવેલા 'રાધે ગેસ્ટ હાઉસ'માં લઈ ગયો હતો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો નિયમ મુજબ રજિસ્ટરમાં બંને વ્યક્તિઓના અંગૂઠાના નિશાન લીધા નહોતાઆ કેસની તપાસ દરમિયાન ગેસ્ટ હાઉસના સંચાલકોની પણ મોટી બેદરકારી સામે આવી છે.પોલીસ તપાસમાં ખુલ્યું છે કે 21 ફેબ્રુઆરીએ સવારે 9.30 વાગ્યે રૂમ નંબર 109 ફાળવતી વખતે ગેસ્ટ હાઉસના મેનેજર-માલિક રાકેશકુમાર ભોળાભાઈ પ્રજાપતિએ ઓળખ કાર્ડ તરીકે આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવ્યા હતા પરંતુ, સરકારી જાહેરનામાના નિયમ મુજબ રજિસ્ટરમાં બંને વ્યક્તિઓના અંગૂઠાના નિશાન લીધા નહોતા. મુખ્ય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરીઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણાના જાહેરનામાની શરતોનું પાલન ન કરવા બદલ ખેરાલુ પોલીસે ગેસ્ટ હાઉસના માલિક રાકેશકુમાર પ્રજાપતિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 હેઠળ કાયદેસરની ફરિયાદ નોંધી છે. મુખ્ય આરોપી મોહમ્મદ જાવેદ વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:31 pm

તેરા તુજકો અર્પણ,:નેત્રમ શાખાએ ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ  હેઠળ CCTVની મદદથી 4 લાખનો કેમેરા અને iPhone સહિત 6.14 લાખની કિંમતી વસ્તુઓ શોધી માલિકોને પરત કરી

જૂનાગઢ પોલીસ દ્વારા ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્રને સાર્થક કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરની નેત્રમ શાખા (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાના નેટવર્કનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને અલગ-અલગ 07 અરજદારોનો ખોવાયેલો કુલ રૂ. 6,14,000/-નો કિંમતી સામાન શોધી કાઢવામાં આવ્યો છે. આ સામાનમાં મોંઘાદાટ કેમેરા, આઈફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો સમાવેશ થાય છે, જે મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરવા અને મદદ માટે આવતા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા ખાસ સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના પાલન રૂપે, ડી.વાય.એસ.પી. મુખ્ય મથક એ.એસ. પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પ્રતિક મશરૂ અને પી.એસ.આઇ. એચ.પી. મકવાણાની ટીમે આ સફળ કામગીરી પાર પાડી છે. શહેરના રાયજીબાગ વિસ્તારમાં એક અજાણ્યા વ્યક્તિ અર્જુનભાઈ રાઠોડને રૂ. 1,49,000ની કિંમતનો Apple કંપનીનો iPhone 17 Pro Max મળી આવ્યો હતો, જે તેમણે નેત્રમ શાખામાં જમા કરાવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજ તપાસતા જાણવા મળ્યું કે પસાર થતી વખતે આનંદભાઈ ભટ્ટના ખિસ્સામાંથી આ ફોન પડી ગયો હતો. પોલીસે તેમનો રૂટ ટ્રેક કરી, સામેથી સંપર્ક કરીને તેમને બોલાવ્યા અને ફોન પરત કર્યો હતો. સુરતના વતની હાર્દિકભાઈ હિરપરા ભવનાથથી રિક્ષામાં બેસી પાંજરાપોળ જતા હતા ત્યારે તેમનો રૂ. 4,00,000ની કિંમતનો Canon કેમેરા રિક્ષામાં રહી ગયો હતો. નેત્રમ શાખાએ CCTVની મદદથી રિક્ષાનો નંબર (GJ-23-Y-0967) શોધી કાઢ્યો હતો અને રિક્ષા ચાલકનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં કિંમતી કેમેરા મેળવી હાર્દિકભાઈને સોંપ્યો હતો. આ ઉપરાંત અન્ય કિસ્સાઓમાં, ઓમ સોલંકીનો રૂ. 30,000નો Vivo ફોન, સચિનભાઈ પાલાનો રિક્ષામાં ભુલાયેલો રૂ. 15,000નો મોબાઈલ અને અમદાવાદના ઈશ્વરભાઈ સોલંકીનું ટ્રાવેલ્સમાં રહી ગયેલું રૂ. 15,000ની કિંમતનું ઘડિયાળનું પાર્સલ પણ CCTVની મદદથી રિકવર કરવામાં આવ્યું છે. તેમજ પ્રિન્સભાઈ ચુડાસમાનું વનપ્લસ ચાર્જર અને પરેશભાઈ ડાભેચરાનો સામાનનો થેલો પણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરત અપાવ્યો છે. પોતાનો કિંમતી સામાન પરત મળશે તેવી આશા છોડી ચૂકેલા તમામ 07 અરજદારોએ જૂનાગઢ પોલીસની આધુનિક ટેકનોલોજી અને સંવેદનશીલ અભિગમની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ આ સફળ કામગીરી કરનાર નેત્રમ શાખાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કામગીરીમાં ટેક્નિકલ ઓપરેટર પ્રતિકભાઈ કરંગીયા, પાર્થભાઈ ચૌહાણ સહિતના સ્ટાફ મિત્રોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ​

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:25 pm

સુરેન્દ્રનગર ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાનું અભિવાદન:મંગલ ભુવન ખાતે યોજાયો સમારોહ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા

સુરેન્દ્રનગરના મંગલ ભુવન ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ હાર્દિક ટમાલિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ દ્વારા સંગઠન ક્ષેત્રે મજબૂત પકડ ધરાવતા યુવા નેતા હાર્દિક ટમાલિયાની નવા જિલ્લા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. તેમની આ વરણીથી કાર્યકર્તાઓમાં સંતોષ જોવા મળ્યો હતો. આ અભિનંદન સમારોહમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પાર્ટી નાનામાં નાના કાર્યકર્તાને તેની મહેનત અને લગનને કારણે જિલ્લાની જવાબદારી સોંપે છે. તેમણે કાર્યકર્તાઓને પાર્ટીમાં રહીને પોતાનું કામ કરવા અને આગામી ચૂંટણીઓમાં અત્યારથી જ કામે લાગી જવા હાકલ કરી હતી. નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિક ટમાલિયાએ જણાવ્યું હતું કે, તેઓ પાર્ટી દ્વારા તેમના પર મુકવામાં આવેલા વિશ્વાસને સાર્થક કરશે અને પાર્ટીને મજબૂત બનાવશે. તેમણે આગામી સમયમાં યોજાનારી તમામ ચૂંટણીઓમાં ભાજપને સફળતા અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે તેમણે પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા, સાંસદ ચંદુભાઈ સિહોરા, વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા અને લીંબડીના ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓએ નવા પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર પ્રમુખ દેવાંગ રાવલ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:24 pm

ખુશી સંઘવીની ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેસ માટે પસંદગી:જામનગરની દીકરી જયપુરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે

જામનગરની ખુશી સંઘવીની પ્રતિષ્ઠિત ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ માટે પસંદગી કરવામાં આવી છે. ખુશી હવે રાજસ્થાનના જયપુર ખાતે યોજાનારી આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં જામનગર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. ભવન્સ કોલેજમાં અભ્યાસ કરતી ખુશીએ તાજેતરમાં વેસ્ટઝોન ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનના આધારે તેની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પસંદ કરાયેલી ટીમમાં સ્થાન મળ્યું છે, જે તેની બૌદ્ધિક કુશળતા અને એકાગ્રતા દર્શાવે છે. આગામી સ્પર્ધામાં દેશભરની વિવિધ યુનિવર્સિટીના શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લેશે. ખુશી સંઘવી આ સ્પર્ધામાં પોતાની શતરંજ કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે સજ્જ છે. આ સિદ્ધિ બદલ જામનગરના રમતપ્રેમીઓ અને ખુશીના પરિવારજનોમાં આનંદનો માહોલ છે. ખુશીની આ પસંદગી જામનગરની યુવા પ્રતિભાઓ માટે પ્રેરણાદાયક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:20 pm

ભાદરવા સ્વામિનારાયણ મંદિરનો 22મો પાટોત્સવ:આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ધામધૂમપૂર્વક ઉજવાશે

ભાદરવા ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનો ૨૨મો પાટોત્સવ ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મંગળવારે સવારે ઉજવાશે. શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે આચાર્ય નુગેન્દ્રપ્રસાદજી મહારાજની શોભાયાત્રા ભાદરવા ગામના પાદરેથી પ્રસ્થાન કરી મંદિર પહોંચશે. શોભાયાત્રા બાદ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં સંતોના આશીર્વચન અને લાલજી મહારાજની અમૃતવાણીનો લાભ ભક્તોને મળશે. આ પ્રસંગે બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ ભાદરવા દ્વારા સર્વે હરિભક્તો અને ગ્રામજનોને આ પાટોત્સવ પ્રસંગે હાજરી આપી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:19 pm

નવસારી LCBએ 2 વર્ષથી ફરાર પ્રોહિબિશન આરોપીને ઝડપ્યો:સુરતના ગંગાધરાથી ધરપકડ, ખાસ ઝુંબેશ હેઠળ કાર્યવાહી

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ભીક્કન ઉર્ફે ભીખન આનંદાભાઈ સાલુંકેને સુરતના ગંગાધરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષકની સૂચનાથી ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલ (IPS) દ્વારા જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે 13 ફેબ્રુઆરી 2026 થી 22 ફેબ્રુઆરી 2026 સુધી એક વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ હેઠળ LCB ના સીનીયર પી.આઈ. વી.જે. જાડેજાને મહત્વની જવાબદારી સોંપાઈ હતી. ઝુંબેશ દરમિયાન, LCB ટીમના હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ નારાયણસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ અર્જુનકુમાર હર્ષદભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના 2024 ના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીક્કન ઉર્ફે ભીખન આનંદાભાઈ સાલુંકેને સુરતના કારેલી, ગંગાધરા સ્થિત રુદ્રાક્ષ રેસીડેન્સી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી ભીક્કન ઉર્ફે ભીખન આનંદાભાઈ સાલુંકે હાલ 182, રુદ્રાક્ષ રેસીડેન્સી, કારેલી, ગંગાધરા (સુરત) ખાતે રહેતો હતો. તે મૂળ મહારાષ્ટ્રના જળગાવ જિલ્લાના ચોપડા તાલુકાના ચીચાળે ગામનો વતની છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ હતો. LCB એ આરોપીનો કબજો મેળવીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે તેને નવસારી રૂરલ પોલીસને સુપરત કર્યો છે. આ સફળ કામગીરીમાં સીનીયર પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એસ.વી. આહીર, પી.એસ.આઈ. વાય.જી. ગઢવી, પી.એસ.આઈ. એમ.બી. ગામીત તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ નિલેશભાઈ અને અર્જુનકુમાર સહિતના સ્ટાફે પ્રશંસનીય યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:15 pm

સરગાસણની દેવાલય સોસાયટીમાં બાળકોના ઝઘડામાં પિતા પર પાઈપ-તલવારથી હુમલો:ફાર્મા વેપારીને માથામાં ટાંકા અને પગમાં ફ્રેક્ચર આવ્યું

ગાંધીનગરના સરગાસણમાં આવેલી દેવાલય હાઉસિંગ સોસાયટીમાં ગઈકાલે બપોરે બાળકોના સામાન્ય ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ સોસાયટીમાં રહેતા અને ફાર્માસ્યુટિકલનો વ્યવસાય કરતા વેપારી પાડોશમાં રહેતા દંપતી લોખંડની પાઈપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે તેમના પુત્રએ તલવાર કાઢતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. છોકરાઓની મારામારી બાબતે સમજાવવા ગયા તો બીભત્સ ગાળો આપીમૂળ ભાવનગરના અને હાલ સરગાસણમાં રહેતા ગંભીરસિંહ ચુડાસમા ગઈકાલે બપોરે સોસાયટીની લાઈબ્રેરીમાં કમિટી મીટીંગમાં હતા. તે દરમિયાન તેમનો 5 વર્ષનો પુત્ર રડતો-રડતો આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અંકિતભાઈના છોકરાએ તેને કાન પર ઝાપટ મારી છે. જેના પગલે ગંભીરસિંહ આ બાબતે સમજાવટ માટે અંકિત સોનીના ઘરે (D-701) ગયા હતા અને કહ્યું કે, તમારો પુત્ર મોટો છે તેને સમજાવો કે આવી રીતે મારામારી ન કરે. આ વાતે અંકિત સોની ઉશ્કેરાઈ ગયો હતો અને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. સામેવાળાએ તેમના પર તલવારનો છુટ્ટો ઘા કર્યો હતોબાદમાં મામલો બિચકતા અંકિત સોની ઘરમાંથી લોખંડની પાઈપ લઈ આવ્યો હતો અને ગંભીરસિંહના માથામાં ફટકારી દીધી હતી. આ હુમલા દરમિયાન અંકિતની પત્ની સુવર્ણાબેને પણ પાઈપ વડે ગંભીરસિંહના જમણા પગે ઘૂંટણ નીચે ફટકા માર્યા હતા ત્યારે ઉશ્કેરાયેલા દંપતીનો પુત્ર પણ ઘરમાંથી તલવાર લઈ આવ્યો હતો અને નાના બાળક પર હુમલો કરવા જતાં ગંભીરસિંહ વચ્ચે પડ્યા હતા. જ્યારે ગંભીરસિંહ જીવ બચાવવા નીચે ઉતરતા હતા ત્યારે અંકિત સોનીએ તેમના પર તલવારનો છુટ્ટો ઘા કર્યો હતો. જે સદનસીબે ફાયર સેફ્ટીના સાધનો સાથે અથડાતા મોટી જાનહાનિ ટળી હતી. માથામાં ત્રણ ટાંકા અને જમણા પગે ફ્રેક્ચર આવ્યુંબાદમાં ઈજાગ્રસ્ત ગંભીરસિંહને લોહીલુહાણ હાલતમાં પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ SMVS હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમના માથામાં ત્રણ ટાંકા અને જમણા પગે ફ્રેક્ચર ઉપરાંત ડાબા હાથની ટચલી આંગળીમાં ગંભીર ઈજાને કારણે કાયમી ખોડ રહી જવાની શક્યતા છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:13 pm

મોટીબાંડીબાર PM શ્રી આશ્રમશાળામાં વાર્ષિકોત્સવ, વિદાય સમારોહ યોજાયો:ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પ્રવેશિકા અપાઈ; સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામમાં આવેલી PM શ્રી આદિવાસી આશ્રમશાળામાં ગત રોજ વાર્ષિકોત્સવ અને બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાની પ્રવેશિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતી કેળવણી મંડળ દ્વારા આયોજિત આ પ્રસંગે શિક્ષણ, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી થયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા, પંચમહાલ જિલ્લા બારીઆ સમાજ પ્રમુખ સમરસિંહ પટેલ, રમતગમત અધિકારી પસાયા, તાલુકા પાર્ટી પ્રમુખ સામા કટારા અને જિલ્લા ભાજપ મંત્રી રાહુલ રાવત સહિતના મહાનુભાવો મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવના ભાગરૂપે, ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ, આદિવાસી સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિને લગતા નૃત્ય-નાટિકા અને ગીતો રજૂ કર્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌનું મન મોહી લીધું હતું. સંસ્થાના પ્રમુખ મુન્ના લબાનાએ પ્રાસંગિક પ્રવચનમાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવાના સંસ્થાના સંકલ્પ પર ભાર મૂક્યો હતો. મંત્રી મેહુલ લબાના અને આચાર્યમંડળના સંકલનથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે, ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓને મહાનુભાવોના હસ્તે પરીક્ષાની પ્રવેશિકા એનાયત કરવામાં આવી હતી. મહેમાનોએ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાનો સામનો કરવા, નિયમિત અભ્યાસ કરવા અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્યો સી.કે. મેડા, ટી.કે. બારીયા, સરતન મેડા, સરતન ચૌહાણ, તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ, તાલુકા પંચાયત ચેરમેન દિનેશ ડામોર, સરપંચ મિતલબેન લબાના સહિતના વિવિધ હોદ્દેદારો, પત્રકારો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:13 pm

જામનગરમાં NSGની મોકડ્રીલ યોજાશે:પ્રથમ કાઉન્ટર ટેરર એક્સરસાઇઝ 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન આયોજન, તૈયારીઓ અંગે બેઠક

જામનગર જિલ્લામાં 23 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ (NSG) દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એક્સરસાઇઝ યોજાશે. આ સંદર્ભે, કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને જરૂરી તૈયારીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, NSGના અધિકારીઓએ મોકડ્રીલના ઉદ્દેશ્યો, પ્રક્રિયા અને સલામતી સંબંધિત માર્ગદર્શિકા વિશે વિગતવાર માહિતી આપી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ કે આતંકવાદી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રીલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિમાં ત્વરિત રિસ્પોન્સ, બચાવ અને રાહત કામગીરીનું પ્રાયોગિક મૂલ્યાંકન કરવામાં આવશે. તેનો હેતુ વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, સંચાર વ્યવસ્થા અને આપાતકાલીન પ્રતિસાદ ક્ષમતા વધારવાનો છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, આ પ્રકારની મોકડ્રીલોથી જિલ્લાની સુરક્ષા વધુ સતર્ક અને સજ્જ બને છે, જેનાથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં અસરકારક કામગીરી શક્ય બનશે. મોકડ્રીલ દરમિયાન પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંબંધિત વિભાગો વચ્ચે સંકલન જાળવી સમયસર કાર્યવાહી કરવી અત્યંત આવશ્યક છે. આ માટે તમામ વિભાગોને તેમની ફરજો અને જવાબદારીઓ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લો સેનાની ત્રણેય પાંખો, ઓઇલ રિફાઇનરીઓ, ઔદ્યોગિક એકમો અને દરિયાકિનારો ધરાવતો હોવાથી રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. અગાઉ પણ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ યોજવામાં આવી હતી. કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમયાંતરે આવી મોકડ્રીલોનું આયોજન કરવામાં આવે છે, જેથી સુરક્ષા અને વહીવટીતંત્રની સતર્કતા મજબૂત બને અને ઉપલબ્ધ સાધનો, સંચાર વ્યવસ્થા તથા માનવબળની કાર્યક્ષમતાની પ્રાયોગિક તપાસ થઈ શકે. પરિણામે, જામનગર જિલ્લો કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે. જિલ્લા પ્રશાસન દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે મોકડ્રીલ દરમિયાન શાંતિ જાળવી પ્રશાસનને સહકાર આપે અને કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. આ અભ્યાસ સંપૂર્ણપણે સુરક્ષા તૈયારીઓનો એક ભાગ છે. આવી મોકડ્રીલો સમયાંતરે યોજાતા રહેવાના કારણે જામનગર જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ સજ્જ અને સક્રિય રહે છે. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, પ્રાંત અધિકારીઓ તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:12 pm

બોટાદનો ભક્ત આંખે પાટા બાંધી દ્વારકાની યાત્રાએ:માનતા પૂરી કરવા 330 કિમીની અનોખી પદયાત્રા પૂર્ણ કરી દ્વારકાધીશના દર્શન કરશે

બોટાદના સંજયભાઈ રમેશભાઈ પળાલીયા નામના યુવાને પોતાની માનતા પૂરી કરવા માટે આંખે પાટા બાંધીને દ્વારકાની પગપાળા યાત્રા શરૂ કરી છે. તેઓ 330 કિલોમીટરથી વધુનું અંતર કાપીને દ્વારકાધીશના દર્શન કરશે. હાલ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધૂળેટીના પર્વે આયોજિત 'ફુલડોલ ઉત્સવ' માં ભાગ લેવા માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પદયાત્રીઓના પ્રવાહમાં સંજયભાઈની આ યાત્રા ખાસ ધ્યાન ખેંચી રહી છે. સંજયભાઈએ અગાઉ આર્થિક અને સામાજિક રીતે અત્યંત કષ્ટમય જીવન પસાર કર્યું હતું. આ કપરા સમયમાં તેમણે દ્વારકાધીશના જગત મંદિરની માનતા માની હતી.તેમણે માનતા રાખી હતી કે, જો તેમનું જીવન ફરી સુખમય બનશે અને મુશ્કેલીઓ દૂર થશે, તો તેઓ આંખે પાટા બાંધીને પગપાળા દ્વારકા દર્શનાર્થે આવશે. કાળિયા ઠાકોરની કૃપાથી પરિસ્થિતિ સુધરતા, સંજયભાઈ પોતાની આ અઘરી માનતા પૂર્ણ કરવા માટે રવાના થયા છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:09 pm

દમણ સાંસદ ઉમેશ પટેલ CPCB ચેરમેનને મળ્યા:વાપી-દમણમાં પ્રદૂષણ મુદ્દે કડક કાર્યવાહીની માંગ કરી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના લોકસભા સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલે આજે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના ચેરમેન વીર વિક્રમ યાદવ સાથે મહત્વની મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સાંસદે વાપી અને તેની આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણ અંગે વિસ્તૃત ટેકનિકલ અને તથ્યાત્મક આવેદનપત્ર સુપરત કર્યું હતું. સાંસદે ધ્યાન દોર્યું હતું કે, વાપી-દમણ ઔદ્યોગિક કોરિડોર લાંબા સમયથી દેશના સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારોમાં સામેલ છે. વર્ષોથી અનેક નિરીક્ષણ અહેવાલોમાં ઉલ્લંઘન નોંધાયા હોવા છતાં, અસરકારક અમલીકરણનો અભાવ ચિંતાનો વિષય છે. તેમણે જણાવ્યું કે, સતત 14 સંયુક્ત નિરીક્ષણ અહેવાલોમાં કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) ની નિષ્ફળતા નોંધાઈ હોવા છતાં કોઈ નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા નથી. આ પ્રદૂષણને કારણે પર્યાવરણ, જનસ્વાસ્થ્ય અને ઔદ્યોગિક શ્રમિકોના જીવન પર ગંભીર સંકટ ઊભું થયું છે. સાંસદ ઉમેશ પટેલે રીયલ-ટાઇમ પ્રદૂષણ મોનિટરિંગ અને PM2.5 તથા VOC જેવા ખતરનાક પ્રદૂષકોની વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે વાપી-દમણ ક્ષેત્રમાં CEPI (Comprehensive Environmental Pollution Index) નું તાત્કાલિક પુનઃમૂલ્યાંકન કરવાની પણ અપીલ કરી હતી. આ ઉપરાંત, સાંસદે દોષિત જણાય તેવા ઔદ્યોગિક એકમો સામે વિલંબ કર્યા વગર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને જનસ્વાસ્થ્ય પર થતી અસરોનો અભ્યાસ કરવાની પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. ઉમેશ પટેલે જણાવ્યું કે, આ પહેલ કોઈ ઉદ્યોગની વિરુદ્ધ નથી, પરંતુ બંધારણ દ્વારા આપવામાં આવેલા પર્યાવરણ સંરક્ષણ અને સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય તેમજ જીવન જીવવાના અધિકારની રક્ષા માટે છે. નોંધનીય છે કે દમણને પ્રદૂષણ મુક્ત કરવા માટે સાંસદ સતત પ્રયત્નશીલ છે. આ અગાઉ પણ તેમણે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના રાજ્ય મંત્રી (MoS) સાથે મુલાકાત કરી આ ગંભીર પ્રશ્નને ઉઠાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:08 pm

બેફામ બનેલા ટ્રકોએ લોકોના જીવ લીધાં:અસલાલી પાસે યુવક અને વસ્ત્રાલમાં એક્સેસ પર જતી મહિલાને ટ્રકે ટક્કર મારતાં મોત, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રકે મહિલાના વાહનને ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યુ હતુ. અસલાલી-નારોલ રોડ પર રોડ ક્રોસ કરી રહેલા એક યુવકને ટેન્કરચાલકે અડફેટે લેતા તેનું મોત થયુ હતુ. આ બંને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ઓવરસ્પીડમાં અસલાલી તરફથી આવતા ટેન્કરના ચાલકે ટક્કર મારીઅસલાલીથી નારોલ તરફ જતાં દિપસિંહ ઢાબા સામે અકસ્માત થયો હોવાનો મેસેજ કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ધર્મવિજયરાજસિંહને પોલીસ કંટ્રોલથી વર્ધી મળી હતી. જેથી, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, એક 30 વર્ષની ઉંમરનો અજાણ્યો પુરુષ રોડ ક્રોસ કરી રહ્યો હતો, તે સમયે ઓવરસ્પીડમાં અસલાલી તરફથી આવતા એક ટેન્કરના ચાલકે તેને ટક્કર મારી હતી. જેથી, હવામાં ફંગોળાઈને જમીને પટકાઈ પડેલા યુવકનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માત બાદ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ટેન્કર ટ્રકના ચાલક ધૃવરાજ યાદવ સામે ગુનો નોધીને ધરપકડ કરી છે. ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરીશહેરના નિકોલ રીંગરોડ પાસે રહેતા પાયલબેન ગજ્જર સોમવારે બપોરના સમયે વસ્ત્રાલ રીંગ રોડ પર હેલ્થ વન હોસ્પિટલ સામેના કટ પાસેથી એક્સેસ લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલા ટ્રક ચાલકે પાયલબેનના એકસેસને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. પાયલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળ પર મોત નીપજ્યુ હતું. આ ઘટનાના પગલે રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:06 pm

AI સમિટ પર કોંગ્રેસના નિવેદનોનો ભાજપે કર્યો વિરોધ:હિંમતનગર ટાવરચોક ખાતે રાહુલ ગાંધીના ફોટા સળગાવી સૂત્રોચ્ચાર કરાયા

દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં કોંગ્રેસના નિવેદનો સામે ભાજપે સોમવારે હિંમતનગર ટાવરચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમના ફોટા સળગાવવામાં આવ્યા હતા. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દિલ્હીના ભારત મંડપમ ખાતે AI સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં અનેક દેશોના રાષ્ટ્રપતિઓ, વડાપ્રધાનો અને પ્રતિનિધિ મંડળો ઉપસ્થિત રહ્યા હતા. ભારતે રજૂ કરેલા ઠરાવો પર ઉપસ્થિત દેશોના વડાઓએ હસ્તાક્ષર કરીને ભારતની વિચારસરણીને બિરદાવી હતી. આ સમિટ દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓએ કેટલાક નિવેદનો કર્યા હતા, જેને ભાજપે ટીકાપાત્ર ગણાવ્યા હતા. આ નિવેદનોને કારણે કોંગ્રેસની ટીકા થઈ રહી છે, જેના વિરોધમાં ભાજપે આ પ્રદર્શન યોજ્યું હતું. સાબરકાંઠા ભાજપ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં સાંસદ શોભનાબેન બારેયા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, મહિલા મોરચાના પ્રમુખ, ઉપપ્રમુખ જયેશ પટેલ, નિર્મલાબેન પંચાલ, યતિનીબેન મોદી, રેખાબા ઝાલા અને સોનલબેન સોલંકી સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના ફોટા સળગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 7:04 pm

વડોદરામાં કબડ્ડીનો મહાકુંભ:24 ફેબ્રુઆરીથી 72મી સિનિયર નેશનલ મેન્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ!

24થી 27 ફેબ્રુઆરી દરમિયાન 72મી સિનિયર નેશન્સ મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 વડોદરાના સમા ઈન્ડોર કોમ્પ્લેક્સમાં યોજાવાની છે. ચેમ્પિયનશિપમાં દેશભરમાંથી 31 ટીમો ભાગ લેશે, જેમાં લગભગ 400 ખેલાડીઓ ટાઈટલ જીતવા માટે તીવ્ર સ્પર્ધા કરશે. એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (AKFI) હેઠળ આયોજિત આ ટુર્નામેન્ટમાં અનુભવી ખેલાડીઓની સાથે ઉભરતા ખેલાડીઓ પણ ભાગ લેશે. પ્રો કબડ્ડી લીગ (PKL) સીઝન 12માં શાનદાર પરફોર્મ કરનારા ખેલાડીઓ પણ એક્શનમાં જોવા મળશે. PKL સીઝન 12ના ટોચના ત્રણ રેઈડર અયાન લોહચાબ (હરિયાણા), દેવાંક દલાલ અને ભરત હુડા પણ મુખ્ય નામોમાં શામેલ છે. ગઈ સીઝનમાં દબંગ દિલ્હીને ટાઈટલ અપાવનાર આશુ મલિક રેલવેનું પ્રતિનિધિત્વ કરશે, જ્યારે અર્જુન દેશવાલ ફરી એકવાર નેતૃત્વની જવાબદારી સંભાળશે અને ઉત્તર પ્રદેશનું નેતૃત્વ કરશે. ટુર્નામેન્ટમાં દીપક શંકર (તમિલનાડુ) જેવી ઉભરતી પ્રતિભાઓને પણ પ્રકાશિત કરવામાં આવશે, જેમણે બેંગલુરુ બુલ્સ માટે 64 ટેકલ પોઈન્ટ્સ બનાવ્યા હતા અને PKL 12માં ન્યૂ યંગ પ્લેયર ઓફ ધ સીઝન તરીકે નામ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ પુનેરી પલટનના રેઈડર આદિત્ય શિંદે કરશે, જેમણે પાંચ સુપર રેઈડ સહિત 159 રેઈડ પોઈન્ટ્સ બનાવ્યા હતા. 65 ટેકલ પોઈન્ટ્સ અને પાંચ હાઈ 5s સાથે હરિયાણાના ડિફેન્ડર નિતેશ કુમાર પણ આ ચેમ્પિયનશિપનો ભાગ બનશે, જેમાં આશાસ્પદ ખેલાડીઓ અનિલ (હિમાચલ પ્રદેશ) અને ઉદય પાર્ટે (મધ્ય પ્રદેશ) પણ સામેલ થશે. દેવાંક દલાલ, નવીન કુમાર, ભરત હુડા, અંકિત જગલાન અને જયદીપ દહિયા જેવા સ્ટાર ખેલાડીઓ ધરાવતી ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્વિસીસ, પોતાનું ટાઈટલ જાળવી રાખવાના લક્ષ્ય સાથે ટૂર્નામેન્ટમાં પ્રવેશ કરશે. રેલવે, હરિયાણા અને મહારાષ્ટ્ર, જેમની ટીમો સમાન રીતે મજબૂત છે, તેમની સામે કઠિન પડકાર ઊભો થવાની અપેક્ષા છે, જેના કારણે ચેમ્પિયનશિપ ખૂબ જ સ્પર્ધાત્મક બનશે. આ ટુર્નામેન્ટ સર્વોત્તમ અને ઉભરતા ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે, જ્યાં સતત પરફોર્મન્સ ઘણીવાર નેશનલ કેમ્પ્સ, ભારતીય ટીમ અને પ્રોફેશનલ લીગ્સમાં પસંદગી તરફ દોરી જાય છે. સિનિયર નેશનલ્સનું આયોજન ગુજરાત કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. AKFI સાથે નજીકથી કામ કરીને, એસોસિએશને રમતવીરો, અધિકારીઓ અને ટીમો માટે સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે, જે મુખ્ય રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવાના કેન્દ્ર તરીકે ગુજરાતની વધતી જતી પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:56 pm

મોરવા હડફના સાલિયામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું:ખાણ ખનિજ વિભાગે દરોડો પાડી ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ગામ નજીક ખાણ ખનિજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને તેની હેરાફેરી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં એક ટ્રક સહિત આશરે ₹10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગને સાલિયા ગામની સીમમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન અને વહન થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખનીજ અધિકારીઓની ટીમે આકસ્મિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સાલિયા ગામ નજીક ગેરકાયદેસર રીતે રેતી ભરીને જઈ રહેલા એક ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. વિભાગે ટ્રક અને તેમાં ભરેલી રેતી સહિત કુલ ₹10 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ખાણ ખનિજ વિભાગ, ગોધરાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કમલેશ આલ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:54 pm

બાલાસિનોર પોલીસે ત્રણ વર્ષથી ગુમ બાળકને પરિવાર સાથે મિલાવ્યો:નેપાળથી વિખૂટો પડેલો બાળક છઠ્ઠ પૂજા દરમિયાન ગુમ થયો હતો

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. પરમાર અને તેમની ટીમ 20 ફેબ્રુઆરી, 2026ના રોજ નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાલાસિનોર બસ સ્ટેન્ડ નજીક આશરે ૧૭ વર્ષનો એક બાળક એકલો ફરતો જોવા મળ્યો. બાળક મૈથિલી ભાષામાં વાત કરતો હતો અને તેની માનસિક સ્થિતિ અસ્થિર જણાતી હતી. પ્રાથમિક પૂછપરછમાં બાળક પોતાનું નામ કે સરનામું સ્પષ્ટ રીતે જણાવી શક્યો ન હતો. આથી પોલીસને શંકા ગઈ કે બાળક રસ્તો ભૂલી ગયો છે અથવા પરિવારથી વિખૂટો પડી ગયો છે. પોલીસે બાળકને સુરક્ષિત રીતે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લઈ આવી તેની દેખભાળ રાખી. પીઆઈ એ.એન. નિનામા, એ.એસ.આઈ. વિનોદભાઈ અને સમગ્ર પોલીસ ટીમે બાળક સાથે સહાનુભૂતિપૂર્વક વાતચીત અને કાઉન્સેલિંગ શરૂ કર્યું. ધીમે ધીમે વિશ્વાસમાં લેતા બાળકએ પોતાનું નામ જણાવ્યું અને તે નેપાળ દેશના સિરાહા જિલ્લાના ગહૈયા ગામ, બિસનપુર ચોકનો રહેવાસી હોવાનું સંકેત આપ્યો. ભાષા સંબંધિત અડચણોને ધ્યાનમાં રાખી પોલીસે ગુજરાતમાં વસવાટ કરતા નેપાળી અને બિહારી નાગરિકોનો સંપર્ક કર્યો. તેમને પોલીસ સ્ટેશન બોલાવી બાળક સાથે વાતચીત કરાવી. ત્યારબાદ મળેલી માહિતીના આધારે, પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટ સંકેતભાઈ પટેલની મદદથી નેપાળના સિરાહા જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવામાં આવ્યો. નેપાળ પોલીસની સહાયથી બાળકના પરિવારજનો સુધી પહોંચવામાં સફળતા મળી અને તેના પિતાનો મોબાઇલ નંબર પ્રાપ્ત થયો. બાદમાં વીડિયો કોલ મારફતે બાળકની માતા સાથે વાતચીત કરાવવામાં આવી. માતાએ પોતાના દીકરાની ઓળખ કરી અને પુષ્ટિ કરી કે બાળક છેલ્લા ત્રણ વર્ષથી ગુમ હતો. પરિવારજનો મુજબ, છઠ્ઠ પૂજા દરમિયાન બાળક ગામેથી અચાનક ગાયબ થઈ ગયો હતો. તેની લાંબા સમયથી શોધખોળ ચાલી રહી હતી, છતાં કોઈ ભાળ મળી ન હતી. માહિતી મળતા જ બાળકના પિતા જરૂરી દસ્તાવેજો સહિત બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા. જન્મ પ્રમાણપત્ર અને અન્ય પુરાવાઓના આધારે બાળકની ઓળખની ખાતરી કરવામાં આવી. ત્યારબાદ બાલાસિનોર પોલીસે પિતા-પુત્રનો ભાવુક મિલાપ કરાવ્યો. ત્રણ વર્ષ બાદ પોતાના પુત્રને મળતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. પરિવારજનોએ પોલીસની માનવતાભરી કામગીરી બદલ ગુજરાત પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:50 pm

આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનો વિરોધ:ઓનલાઈન કામગીરી સામે હડતાળનો નિર્ણય, મોબાઈલ વગર દબાણ અને ત્રાસનો આરોપ

અમીરગઢ તાલુકાની આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોએ ઓનલાઈન કામગીરીના દબાણ સામે વિરોધ નોંધાવ્યો છે. સરકારી મોબાઈલ ન મળવા છતાં ઓનલાઈન કામગીરી કરાવવાના દબાણ અને માનસિક ત્રાસના કારણે તેમણે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ અંગે તેમણે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. બહેનોએ પોતાની લેખિત રજૂઆતમાં જણાવ્યું કે, તેમને પોતાના અંગત મોબાઈલમાં કામગીરી કરવા માટે માનસિક ત્રાસ આપવામાં આવે છે. નેટવર્કની સમસ્યાઓ હોવા છતાં, તેમને નોટિસ આપવાની અને કામ પૂરું કરવાની ધમકીઓ મળે છે. આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે, ઓછા માનદ વેતનમાં આટલું વધારાનું કામ કરવું મુશ્કેલ છે. આના કારણે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં પણ અવરોધ ઊભો થાય છે. આંગણવાડીના સમય પછી પણ ફોન આવતા હોવાથી તેઓ પરિવાર સાથે શાંતિથી સમય વિતાવી શકતી નથી. તેમણે બજેટમાં તેમના માટે શું જોગવાઈ છે તેની સ્પષ્ટતા ન હોવાનો પણ મુદ્દો ઉઠાવ્યો હતો. આ તમામ કારણોસર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હડતાળ કરવા મજબૂર બની છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:49 pm

વેરાવળ બાયપાસ પરથી સરકારી અનાજ ભરેલી છકડો રીક્ષા ઝડપાઈ:પુરવઠા વિભાગે બાતમી આધારે કાર્યવાહી કરી, ₹42,851નો મુદ્દામાલ જપ્ત

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ગરીબોના અનાજની ગેરકાયદેસર કાળાબજારીનો પર્દાફાશ થયો છે. વેરાવળ બાયપાસ પરથી પુરવઠા વિભાગની ટીમે બાતમીના આધારે GJ 03 BU 1767 નંબરની એક છકડો રીક્ષા ઝડપી પાડી હતી, જેમાં સરકારી રેશનિંગનું અનાજ ભરેલું હતું. પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન રીક્ષામાંથી 393 કિલો ચોખા અને 80 કિલો ઘઉં મળી આવ્યા હતા. રીક્ષા સહિત કુલ ₹42,851નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાંથી સરકારી અનાજ એકઠું કરીને સુનિયોજિત રીતે બારોબાર વેચવામાં આવતું હતું. અધિકારીઓ માની રહ્યા છે કે આ માત્ર એક રીક્ષા નથી, પરંતુ અનાજ માફિયાઓના મોટા નેટવર્કનો એક ભાગ છે. સ્થાનિક સૂત્રો અનુસાર, વેરાવળ-જૂનાગઢ રોડ પર આવેલા વેબ્રિજ વિસ્તારમાં દિવસભર આવી શંકાસ્પદ રીક્ષાઓની અવરજવર જોવા મળે છે. એવી પણ આશંકા છે કે અનાજ માફિયાઓ બોલેરો પિકઅપ વાન મારફતે મોટા જથ્થામાં અનાજ આગળ ખસેડે છે. વેરાવળ પુરવઠા વિભાગે આ મામલે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને સંડોવાયેલા અન્ય તત્વોની શોધખોળ ચાલી રહી છે. લોકોમાં એવી માંગ ઉઠી છે કે માત્ર રીક્ષા ચાલક જ નહીં, પરંતુ આ સમગ્ર કૌભાંડ પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચીને કડક કાયદેસર પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:48 pm

રાજકોટ ડિવિઝનના ટ્રેન મેનેજરનું સન્માન:જગદીશ પ્રસાદ બૈરવાને પશ્ચિમ રેલવે દ્વારા 'મેન ઓફ ધ મંથ' સુરક્ષા એવોર્ડ એનાયત, સતર્કતાને લીધે ટ્રેન દુર્ઘટના ટળી

રાજકોટ ડિવિઝનના એક નિષ્ઠાવાન કર્મચારીની સમયસૂચકતા અને સતર્કતાને કારણે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઈ છે. આ પ્રશંસનીય કામગીરી બદલ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક (પ્રભારી) પ્રદીપ કુમારે મુંબઈ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ પેસેન્જર ટ્રેન મેનેજર જગદીશ પ્રસાદ બૈરવાને ‘મેન ઓફ ધ મંથ’ (જાન્યુઆરી-2025) સુરક્ષા પુરસ્કાર આપી સન્માનિત કર્યા છે. ચાલુ ટ્રેને અનુભવાયો જોરદાર ઝટકો આ ઘટના 15 જાન્યુઆરી 2026 ના રોજ બની હતી. જગદીશ પ્રસાદ બૈરવા ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ટ્રેન જ્યારે ભાટેલ અને ખંભાળિયા સ્ટેશનો વચ્ચે પસાર થઈ રહી હતી, ત્યારે તેમને અચાનક એક અસામાન્ય ઝટકો અનુભવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતા પારખીને તેમણે તત્કાલ તે સ્થળને માર્ક કર્યું હતું. વેલ્ડ ફ્રેક્ચરની સમયસર જાણ ઝટકો અનુભવાતા જ બૈરવાએ લોકો પાઈલટનો સંપર્ક કરી પુષ્ટિ કરી હતી અને તુરંત જ ખંભાળિયા સ્ટેશન માસ્ટરને આ અંગે લેખિતમાં જાણ કરી હતી. આ માહિતી મળતા જ એન્જિનિયરિંગ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક પર 'વેલ્ડ ફ્રેક્ચર' જોવા મળ્યું હતું. જો આ બાબત ધ્યાને ન આવી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. તકેદારીના ભાગરૂપે તે સેક્શન પર તાત્કાલિક 20 કિમી પ્રતિ કલાકનો સાવચેતી આદેશ (Speed Restriction) લાગુ કરી ટ્રેકનું સમારકામ કરવામાં આવ્યું હતું. કર્મચારીઓની સુરક્ષા નિષ્ઠાનું ઉદાહરણ રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ બૈરવાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તેમની સજાગતા અને ત્વરિત નિર્ણયશક્તિ રેલવે કર્મચારીઓ માટે પ્રેરણાદાયક છે. આ સતર્કતાને કારણે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે અને રેલવે મિલકતને થનારું સંભવિત નુકસાન અટક્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:43 pm

ભરૂચમાં ક્રાઇસિસ ગ્રુપની બેઠક યોજાઈ:કેમિકલ આપત્તિ પ્રતિસાદ મજબૂત બનાવવા ચર્ચા

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં આપત્તિઓ અને કેમિકલ અકસ્માતો જેવી તાત્કાલિક પરિસ્થિતિઓમાં અસરકારક અને સમયબદ્ધ પ્રતિસાદ સુનિશ્ચિત કરવા માટેની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સભ્યોને Chemical Accidents (Emergency Planning, Preparedness and Response) Rules –1996 અંગે માર્ગદર્શન અપાયું હતું. જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સભ્ય સચિવએ ગ્રુપની રચના, તેની જવાબદારીઓ અને કાર્યપદ્ધતિ વિશે વિગતવાર માહિતી રજૂ કરી. તેમણે ભરૂચ જિલ્લામાં આવેલી મેજર એક્સિડેન્ટ હેઝાર્ડ (MAH) યુનિટ્સ વિશે માહિતી આપી, સંભવિત જોખમોથી સભ્યોને વાકેફ કર્યા હતા. MAH યુનિટ્સમાંથી ઉદ્ભવી શકે તેવા જોખમો, આસપાસના વિસ્તારો પર તેની અસરો, તેમજ ઓન-સાઇટ અને ઓફ-સાઇટ ઇમરજન્સી પ્લાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. સંકટની સ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે સંકલન, ઉપલબ્ધ સાધન-સામગ્રીનો યોગ્ય ઉપયોગ અને અસરકારક પ્રતિસાદ માટેની કાર્યવાહી યોજના અંગે પણ ચર્ચા થઈ. જિલ્લા કલેક્ટરે સમયસર સંકલન, નિયમિત મોક ડ્રિલ યોજવા અને સુરક્ષા નિયમોના કડક પાલન પર વિશેષ ભાર મૂક્યો. બેઠકના અંતે, જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા, જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિ માટે સજ્જ રહેવાની સંયુક્ત પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:39 pm

હંજરાપર નજીક કારે હડફેટે લેતા મહિલા પદયાત્રીનું મોત:રાજકોટથી દ્વારકા જતી મહિલાને કારે હડફેટે લીધી, ચાલક ફરાર

દ્વારકા-ખંભાળિયા હાઈવે પર હંજરાપરના પાટિયા નજીક આજે (23 ફેબ્રુઆરી) હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટથી પગપાળા દ્વારકા જઈ રહેલી એક મહિલા પદયાત્રીને કાર ચાલકે હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત સર્જી કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ગઈકાલે જ સોશિયલ મીડિયા દ્વારા વાહન ચાલકો અને પગપાળા યાત્રીઓ બંને માટે સલામતી અંગેની સૂચનાઓ બહાર પાડી હતી. આ ઘટના પોલીસની સૂચનાઓ બાદ તરત જ બની છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:38 pm

પાલનપુરમાં શેરી નાટકથી સામાજિક જાગૃતિ:ત્રણ ગામોમાં કલ્યાણકારી યોજનાઓની માહિતી અપાઈ

પાલનપુર તાલુકાના વેડંચા, કુંભાસણ અને ગઢ ગામોમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા શેરી નાટકોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો અને સામાજિક જાગૃતિ લાવવાનો હતો. નાગરિકોને મનોરંજન સાથે સરકારી યોજનાઓ વિશે સમજ આપવામાં આવી. ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગના નિયામક દ્વારા આ વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. વેડંચા અને કુંભાસણની હાઈસ્કૂલ પરિસરમાં તેમજ ગઢ ગામના બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ લોકશિક્ષણના કાર્યક્રમો રજૂ કરાયા હતા. ગુજરાતી ફિલ્મના કલાકારો ફારૂકભાઈ રીછડીવાળા, ઠાકોરભાઈ મકવાણા, પ્રશાંતભાઈ રાવલ, સવજીભાઈ મેવાડા, દેવરાજ પવાર અને રાહુલ પટેલે સરળ શૈલીમાં યોજનાઓની માહિતી આપી હતી. સાંઈ અંજલી સંસ્થાના પ્રમુખ રાજેશ પવારના આયોજન હેઠળ, આ કાર્યક્રમમાં દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓ જેવી કે દિવ્યાંગ ઓળખકાર્ડ, સાધન સહાય, અને લગ્ન સહાય યોજના (દિવ્યાંગ-દિવ્યાંગ તથા દિવ્યાંગ-સામાન્ય વ્યક્તિ) વિશે વિગતવાર સમજ આપવામાં આવી. આ ઉપરાંત, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને સંત સુરદાસ યોજનાની પણ માહિતી અપાઈ હતી. કાર્યક્રમમાં મનોદિવ્યાંગ વ્યક્તિઓ માટેની આર્થિક સહાય, ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવા માટેની યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય, તેમજ બાળ કલ્યાણ ક્ષેત્રે ચાલતી 'પાલક માતા-પિતા યોજના' અને સ્પોન્સરશિપ યોજના વિશે પણ જાણકારી અપાઈ. ગ્રામજનોને બાળ અધિકારો અને બાળ સંરક્ષણ ગૃહોની સુવિધાઓથી વાકેફ કરીને, જરૂર પડ્યે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવા વિનંતી કરાઈ હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત નાગરિકોએ 'બાળલગ્ન મુક્ત ભારત' અને 'નશા મુક્ત ભારત' અભિયાન અંતર્ગત સામાજિક દુષણો દૂર કરવાની પ્રતિજ્ઞા લીધી. આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હિતેશભાઈ પટેલ, બાળ ગૃહના કર્મચારીઓ વિપુલભાઈ વોરા અને જીજ્ઞાશાબેન ગોઠી, સ્થાનિક સરપંચો, ગ્રામ અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:35 pm

આગમાં આસારામને ઇજા પહોંચી પણ મોટી દુર્ઘટના ટાળી:સુરતના ઉધનામાં મકાનમાં આગ લાગતા અફરાતફરી, ઘરમાંથી બે ગેસની બોટલ નીકળી, ફાયર વિભાગે ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં આજે બપોર બાદ અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉધનાના વિજયનગરમાં આવેલા એક મકાનમાં લાગેલી આ આગમાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, ગેસના સિલિન્ડર સમયસર બહાર કાઢી લેવાતા એક મોટી હોનારત ટળી હતી. આ દરમિયાન સિલિન્ડર બહાર કાઢતા આસારામ નામના વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બપોર બાદ સર્જાઈ આગની ઘટના ઘટનાની વિગત મુજબ, ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગર સોસાયટીના ઘર નંબર 84માં બપોર બાદ અંદાજે 3:25 વાગ્યે અચાનક આગ લાગી હતી. રહેણાંક વિસ્તાર હોવાથી આસપાસના લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ઉધના ફાયર સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ઓફિસરનું નિવેદન ઉધના ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર નરોત્તમ કે. ખલાસીએ જણાવ્યું હતું કે, અમને 3:25 કલાકે આગનો કોલ મળ્યો હતો. સોસાયટીના સાંકડા રસ્તાઓને કારણે ફાયરની ગાડી અંદર જઈ શકે તેમ નહોતી, તેથી ગાડી બહાર ઊભી રાખી પાણીની લાંબી પાઇપ લંબાવીને કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘરમાં ધુમાડો એટલો પ્રચંડ હતો કે અમારા જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. બહાદુરી બતાવતા આસારામભાઈ ઈજાગ્રસ્ત થયા આગ લાગી ત્યારે ઘરમાં ગેસના બે સિલિન્ડર હોવાથી બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા હતી. આ દરમિયાન આસારામભાઈ નામના વ્યક્તિએ જીવના જોખમે ગેસના બોટલ બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ગેસ સિલિન્ડર સુરક્ષિત બહાર કાઢતી વખતે તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જો આ સિલિન્ડર સમયસર બહાર ન નીકળ્યા હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ફાયર વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આ આગ મકાનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય રહ્યું છે. આગને કારણે ઘરમાં રહેલી ઘરવખરી અને કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની સતર્કતાને કારણે આગ વધુ ફેલાતા અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:33 pm

'ફૂલે દંપતીને ભારત રત્ન આપો':અરવલ્લી કલેક્ટરને માળી સમાજનું આવેદનપત્ર

જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત, અરવલ્લી જિલ્લા માળી સમાજ અને મોડાસા માળી સમાજ દ્વારા આ રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફૂલે દંપતીએ પોતાનું જીવન પછાત, દબાયેલા અને શોષિત વર્ગને શિક્ષણ અને ન્યાય અપાવવા માટે સમર્પિત કર્યું હતું. બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના પ્રેરણાસ્ત્રોત અને ગુરુ ગણાવ્યા હતા. જ્યોતિરાવ ફૂલેએ પોતાની પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત કરીને દેશમાં મહિલા શિક્ષણની ક્રાંતિનો પ્રારંભ કર્યો હતો. સાવિત્રીબાઈ ફૂલે ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા અને પ્રથમ મહિલા શાળા શરૂ કરી. તેમણે બાદમાં વધુ 17 શાળાઓ સ્થાપીને સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ દંપતીએ મહિલાઓના અધિકારો, માન-સન્માન અને સમાનતાની લડતમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી હતી. ગુજરાત સમસ્ત માળી સમાજ દ્વારા રાજ્યના તમામ જિલ્લા મથકો પર જિલ્લા કલેક્ટરને આવેદન આપી ફૂલે દંપતીને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. અરવલ્લીમાં પણ આ માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. મોડાસા રામી માળી સમાજના ચેરમેન અંજનાબેન રામીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર જ્યારે ભારત રત્ન અંગેનો નિર્ણય જાહેર કરશે, ત્યારે દેશના અતિ પછાત અને દબાયેલા વર્ગો સહિત માળી સમાજને સાચો ન્યાય મળ્યો ગણાશે. આ આવેદનપત્ર સુપરત કરતી વખતે ગુજરાત રામી સમાજના ટ્રસ્ટી ડૉ. વાસુદેવભાઈ રામી, રોહિતભાઈ રામી, સુરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, ઉપેન્દ્રભાઈ, ચંદ્રકાંતભાઈ, દેવાંગભાઈ, પ્રકાશભાઈ, આલોકભાઈ, ડૉ. કૃણાલ રામી સહિત સમાજના આગેવાનો, વડીલો અને મોડાસા માળી સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:33 pm

બિલ્ડર અનંત પટેલ હત્યા કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદ:કડીના ચકચારી હત્યા કેસમાં 11 વર્ષે ચુકાદો, 45 લાખની લેતીદેતીમાં 2015માં મિત્રએ જ હત્યા કરી હતી

કડીમાં વર્ષ 2015માં થયેલી બિલ્ડર અનંતકુમાર પટેલની ઘાતકી હત્યાના કેસમાં મહેસાણાની અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. મહેસાણાના 5મા એડિશનલ સેશન્સ જજ આર.બી. ઈટાલિયાએ મુખ્ય આરોપી ભરતકુમાર ઉર્ફે ભાટી પટેલને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.આ કેસમાં સરકારી વકીલ અશોકભાઈ એસ. મકવાણાની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. રૂ. 45 લાખની લેતીદેતીમાં મિત્ર જ બન્યો હત્યારોકડીમાં કન્સ્ટ્રક્શનના કામના 45 લાખ રૂપિયાની લેવડદેવડ મામલે ચાલી રહેલા વિવાદમાં આરોપી ભરત પટેલે, અનંત પટેલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આરોપીએ અનંત પટેલના માથામાં પિસ્તોલથી ગોળી મારી તેમની હત્યા કરી નાખી હતી. આટલેથી ન અટકતા હત્યાને અકસ્માતમાં ખપાવવા અને પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ મૃતદેહને ગાડીની ડેકીમાં મૂકી પેટ્રોલ છાંટી આખી કાર સળગાવી દીધી હતી. હત્યા બાદ આરોપી ભરત પટેલે ઘટનાસ્થળે પોલીસને ગેરમાર્ગે દોરવાના અનેક નાટકો કર્યા હતા. જોકે પોલીસની નજરે આરોપીની પાંપણ અને હાથની રૂંવાટી બળેલી જોઈ હતી.લાશ સળગાવતી વખતે લાગેલી આ સામાન્ય દાઝ પોલીસ માટે મહત્વની કડી સાબિત થઈ અને તેની ધરપકડ કરવામાં આવી હતી. 11 વર્ષના લાંબા કાનૂની જંગ બાદ કોર્ટનો ચુકાદોબંને પક્ષોની સુનાવણી બાદ કોર્ટે મુખ્ય આરોપી ભરત પટેલ ને કલમ-302 હેઠળ આજીવન કેદ અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.તેમજ લાશ સળગાવવા બદલ વધુ 3 વર્ષની કેદ અને 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો તેમજ આ કેસના બીજા આરોપી રોહિતસિંહ ઝાલાને પુરાવાના અભાવે કોર્ટે મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.11 વર્ષના લાંબા કાનૂની જંગ બાદ બિલ્ડર અનંત પટેલના પરિવારને ન્યાય મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:33 pm

ગોવિંદ ગુરુ લીમડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગીએ રાજીનામું આપ્યું:આદિવાસી જમીન સંપાદન મુદ્દે પક્ષની નિષ્ક્રિયતાથી નારાજગી

દાહોદ જિલ્લામાં આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગોવિંદ ગુરુ લીમડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ એસ. ડાંગીએ પોતાના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાને સુપરત કર્યું છે. આ નિર્ણયથી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં ચર્ચા વ્યાપી છે. મુકેશ ડાંગી વર્ષોથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હતા અને પાયાના નેતા તરીકે ઓળખાતા હતા. છેલ્લા આઠ વર્ષથી તેઓ ખાસ કરીને આદિવાસી સમાજના હક અને અધિકારો માટે સક્રિય હતા. તાલુકા સ્તરે સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજના પ્રશ્નોને પક્ષ સુધી પહોંચાડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ આદિવાસી સમાજની જમીન સંપાદનનો મુદ્દો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ઝાલોદ વિસ્તારના 68 ગામોમાં દિલ્હી-મુંબઈ કોરિડોર અને GIDC જેવા પ્રોજેક્ટ્સ અંતર્ગત આદિવાસીઓની જમીનો સંપાદિત કરવામાં આવી રહી છે. પક્ષમાં રહીને આ મુદ્દે મર્યાદિત રીતે જ અવાજ ઉઠાવી શકાતો હોવાથી, સમાજના હિત માટે પદનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ગોવિંદ ગુરુ લીમડી વિસ્તારના આ પ્રભાવશાળી નેતાના રાજીનામાથી કોંગ્રેસના રાજકીય સમીકરણો પર અસર પડી શકે છે. તેમના સમર્થકોમાં પણ આ નિર્ણયને લઈને ચર્ચા જોવા મળી રહી છે. મુકેશ ડાંગીએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ હાલ કોઈ અન્ય રાજકીય પક્ષમાં જોડાશે નહીં. તેમણે જણાવ્યું કે, તેમનો સમાજ જે દિશા નક્કી કરશે, તે જ દિશામાં તેઓ આગળ વધશે. તેઓ હવે પક્ષના બંધનોથી મુક્ત રહી અપક્ષ રીતે આદિવાસી સમાજના હકો માટે લડત ચાલુ રાખશે. ચૂંટણી પહેલાના આ રાજીનામાથી જિલ્લા કોંગ્રેસ માટે એક પડકાર ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:31 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:વસ્ત્રાલ રીંગ રોડ પર ટ્રક ચાલકે મહિલાને કચડી નાંખી, શહેર પોલીસબેડામાં ધરખમ ફેરફાર

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:28 pm

નવસારી મનપાએ વેરા બાકીદારો સામે કાર્યવાહી કરી:48 કલાકમાં 12 મિલકતો સીલ, ભલામણો સ્વીકારાશે નહીં

નવસારી મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ ટેક્સની વસૂલાત માટે કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા 48 કલાકમાં વેરા વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં 12 કોમર્શિયલ અને રહેણાંક મિલકતોને સીલ કરી દીધી છે. વારંવાર નોટિસ આપવા છતાં વેરો ન ભરનારા મિલકતધારકો સામે આ પગલું લેવાયું છે. મનપાના વેરા વિભાગે બાકી વેરાની વસૂલાત માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત છેલ્લા બે દિવસમાં વોર્ડ નંબર 7, 9 અને 13માં સઘન તપાસ કરવામાં આવી હતી. અગાઉ અનેકવાર નોટિસ આપવા છતાં વેરો ન ભરનાર 12 કોમર્શિયલ અને રહેણાંક મિલકતો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને સીલ કરવામાં આવી છે. મનપાની આ કડક કાર્યવાહીના પરિણામે, કેટલાક મિલકતધારકોએ તાત્કાલિક બાકી વેરો ભરવાની તૈયારી દર્શાવી હતી. સીલિંગની કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ અંદાજે રૂ. 3,00,000/- (ત્રણ લાખ રૂપિયા) જેટલી રકમની વસૂલાત કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. મનપાએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની રાજકીય કે સામાજિક ભલામણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. સીલ કરાયેલી મિલકતોના માલિકોએ તાત્કાલિક બાકી વેરો ભરીને મિલકત અનસીલ કરાવી લેવી પડશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરો ભરવામાં નહીં આવે, તો મિલકત જપ્તી સહિતની વધુ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે કે શહેરના વિકાસકાર્યોમાં સહભાગી બનવા માટે સમયસર વેરો ભરપાઈ કરીને જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:27 pm

દિયોદરમાં 23 લાખના 9 કિલો ચાંદીની ચોરીનો મામલો:ફરિયાદી મહેસાણાનો સોની વેપારી જ આરોપી નીકળ્યો, ડ્રાઈવર સાથે મળી પરિચિત યુવક પાસે ચોરી કરાવી

દિયોદર પોલીસે ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે, ચાંદીનો વેપારી અને ફરિયાદી પોતે જ ચોરીનો માસ્ટરમાઇન્ડ નીકળ્યો હતો. દિયોદર પોલીસે આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ આ ઘટના બનાસકાંઠાના થરા ખાતે ગત 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ બની હતી. દિયોદર પોલીસ સ્ટેશનમાં 9.5 કિલો ચાંદીના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી, જેની કિંમત આશરે ₹23,00,000/- હતી. પોલીસે ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ફરિયાદી અને તેની સાથેના વ્યક્તિઓની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરી હતી, જેના આધારે સમગ્ર ભેદ ઉકેલાયો. મહેસાણાના ચાંદીના વેપારી અલ્પેશ સોનીએ તેના ડ્રાઈવર અને અન્ય એક સાગરીત સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તેણે જાણીજોઈને પોતાની હોન્ડા અમેઝ ગાડીના ડેશબોર્ડમાં ચાંદીના દાગીના ભરેલો કાળા કલરનો થેલો રાખ્યો હતો. અગાઉથી નક્કી કરેલી જગ્યાએ ગાડી પાર્ક કરીને દરવાજો ખુલ્લો રાખી, પોતાના સાગરીત મારફતે દાગીનાનો થેલો ચોરી કરાવ્યો હતો. આ રીતે તેણે ચોરીનો ખોટો બનાવ ઉભો કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરી થયેલો મુદ્દામાલ રિકવર કરીને પકડાયેલા ઇસમો વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:26 pm

સુરત યુવક કોંગ્રેસનો ભાજપ કાર્યાલય સામે વિરોધ:AI સમિટમાં જનતાની આંખમાં ધૂળ નાખવાનો આક્ષેપ, પોલીસ દ્વારા કૉંગ્રેસ કાર્યકરોની અટકાયત

દેશમાં એકતરફ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ટેકનોલોજીના નામે જનતાની આંખમાં ધૂળ નાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આજે એક આશ્ચર્યજનક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. યુવક કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તાજેતરમાં યોજાયેલી એઆઈ સમિટમાં રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ અસલમાં ચાઇનાથી મંગાવવામાં આવ્યા છે અને તેને પોતાના બતાવીને દેશની જનતાને છેતરવામાં આવી રહી છે. યુવક કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન દરમિયાન સૂત્રોચ્ચાર કરતા જણાવ્યું હતું કે, જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે એપસ્ટીન ફાઇલમાં દેશના વડાપ્રધાન કે કેન્દ્રીય મંત્રીઓના નામ ઉછળે છે ત્યારે તેને દેશનું અપમાન ગણવામાં આવતું નથી, પરંતુ જ્યારે સ્થાનિક સ્તરે સરકારના ખોખલા દાવાઓનો પર્દાફાશ કરવામાં આવે ત્યારે તેને નકારાત્મકતા ગણાવવામાં આવે છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે AI સમિટના નામે માત્ર મોટી વાતો કરવામાં આવી છે વાસ્તવમાં ટેકનોલોજીના મૂળ ચાઇનામાં રહેલા છે. વિરોધ પ્રદર્શનમાં હાજર આગેવાનોએ જણાવ્યું કે, “સરકાર એઆઈના નામે જે પ્રોજેક્ટ્સ રજૂ કરી રહી છે તેની તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. ચાઇનાથી તૈયાર પ્રોજેક્ટ્સ મંગાવીને તેના પર પોતાની મહોર મારી દેવી એ દેશની પ્રતિભાનું અપમાન છે. આ રીતે જનતાની આંખમાં ધૂળ નાંખીને વાહવાહી મેળવવી એ લાંબો સમય ચાલશે નહીં.” સુરતના ભાજપ કાર્યાલય સામે યોજાયેલા આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસે પ્રતીકાત્મક રીતે 'મેડ ઇન ચાઇના' અને 'મેક ઇન ઇન્ડિયા' વચ્ચેના તફાવતને રજૂ કરતા બેનરો દર્શાવ્યા હતા. આ આશ્ચર્યજનક કાર્યક્રમને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવક કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ મામલે સ્પષ્ટતા નહીં કરે નહીં કરે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. આ વિરોધ પ્રદર્શન ભાજપ કાર્યાલય સામે જ કરવામાં આવ્યું હતું તેમાં હાય રે…ભાજપ હાય…હાય અને નરેન્દ્ર મોદી વિરોધના સૂત્રોચાર કરવામાં આવ્યા હતા જોકે ભાજપ કાર્યાલય પાસે કોંગ્રેસના કાર્યકરો પહોંચે તે પહેલા જ પોલીસના કાફલાએ તરત જ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી અને બે ગાડીમાં બધા જ કાર્યકરોને ભરીને લઈ જવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામે ભાજપના કાર્યકરો દ્વારા પણ કોંગ્રેસ હાય હાય અને દેશના ગદ્દારોને જુત્તા મારો સાલોને જેવા સૂત્રો દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો હતો ભાજપના એક કાર્ય કરે જણાવ્યું હતું કે કોઈ ધરણા આપે ધમાલ કરે તો અમારા કાર્ય કરો શાંત થોડા બેસવાના છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:22 pm

ગિફ્ટ સિટીમાં ભારત-યુકેની ઐતિહાસિક ભાગીદારી:મેયર રિચાર્ડ પાર્કરના નેતૃત્વમાં વેસ્ટ મિડલેન્ડ્સના પ્રતિનિધિમંડળે નાણાંકીય અને શૈક્ષણિક ક્ષેત્રે જોડાણ સાધ્યું

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) હવે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આર્થિક અને શૈક્ષણિક સંબંધોનું નવું કેન્દ્ર બની રહ્યું છે. 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ગિફ્ટ સિટીએ યુકેના વેસ્ટ મિડલેન્ડ્સ કમ્બાઈન્ડ ઓથોરિટીના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની યજમાની કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાંકીય સેવાઓ અને નવીનતાના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાનો છે. પ્રતિનિધિમંડળમાં દિગ્ગજ સંસ્થાઓનો સમાવેશ વેસ્ટ મિડલેન્ડ્સના મેયર રિચાર્ડ પાર્કરના નેતૃત્વમાં આવેલા આ પ્રતિનિધિમંડળમાં યુકેની ટોચની યુનિવર્સિટીઓ જેવી કે વારવિક, બર્મિંગહામ, બર્મિંગહામ સિટી, એસ્ટન અને કોવેન્ટ્રી યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સામેલ હતા. નોંધનીય છે કે આ સંસ્થાઓએ ગિફ્ટ સિટીમાં પોતાના ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ સ્થાપ્યા છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીઝના ઉદ્યોગ અગ્રણીઓએ પણ આ મુલાકાતમાં ભાગ લીધો હતો. ભવિષ્યના રોકાણ અને તકો પર મંથન આ બેઠક દરમિયાન ડિજિટલ ફાઇનાન્સ, ટકાઉ ફાઇનાન્સ (Sustainable Finance) અને શૈક્ષણિક સંશોધન જેવા વિષયો પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ગિફ્ટ સિટીના અધિકારીઓએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (IFSC) ની પ્રગતિ અને બેંકિંગ, કેપિટલ માર્કેટ્સ તેમજ ફિનટેક ક્ષેત્રે ઉપલબ્ધ તકોની રજૂઆત કરી હતી. વૈશ્વિક સંસ્થાઓ માટે પ્રવેશદ્વાર ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ CEO સંજય કૌલે જણાવ્યું હતું કે, આ ભાગીદારી ભારત-યુકેના ગાઢ બનતા સંબંધોનું પ્રતીક છે. ગિફ્ટ સિટી વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ રોકાણ કરી શકે છે અને પોતાની કામગીરીનો વિસ્તાર કરી શકે છે. આ મુલાકાતથી આગામી સમયમાં વિદેશી મૂડી પ્રવાહ વધવાની અને નવીનતા-આધારિત વૃદ્ધિને વેગ મળવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:21 pm

'જરૂરિયાત છે' અથવા 'ઈમરજન્સી છે'ના મેસેજથી સાવધાન!:સુરતના જાણીતા સરકારી વકીલ નયન સુખડવાલાનું FB એકાઉન્ટ હેક, મિત્રો અને સગા-સંબંધીઓને ટાર્ગેટ કરી સાયબર ઠગે પૈસા માંગ્યા

સાયબર માફિયાઓ હવે કાયદાના રક્ષકોને પણ નિશાન બનાવી રહ્યા છે. સુરતના જાણીતા અને સરકારી વકીલ નયન સુખડવાલાનું ઓરિજિનલ ફેસબુક એકાઉન્ટ હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ હેકર્સે નયનભાઈના એકાઉન્ટનો કબજો મેળવી તેમના મિત્ર વર્તુળ અને વકીલ આલમમાં મેસેજ કરીને પૈસાની માંગણી શરૂ કરી છે. આ ગંભીર મામલે નયન સુખડવાલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. હેકર્સે મેસેન્જર પર જાળ બિછાવી પૈસા માંગ્યામળતી માહિતી મુજબ નયન સુખડવાલાનું ફેસબુક આઈડી હેક કર્યા બાદ હેકર્સ તેમના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા મિત્રો અને સગા-સંબંધીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હેકર્સ મેસેન્જર દ્વારા 'ખૂબ જ જરૂરિયાત છે' અથવા 'ઈમરજન્સી છે' તેવા બહાના હેઠળ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની માંગણી કરી રહ્યા છે. ઘણા મિત્રોને વકીલના નામે મેસેજ આવતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા. નયન સુખડવાલાની જાહેર અપીલ- પૈસાનો વ્યવહાર કરશો નહીંપોતાનું એકાઉન્ટ હેક થયું હોવાની જાણ થતા જ નયન સુખડવાલાએ અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આથી મારા તમામ મિત્રોને જણાવવાનું કે, કોઈ અજાણી વ્યક્તિએ મારું ફેસબુક આઈડી હેક કર્યું છે. તે વ્યક્તિ મારા એકાઉન્ટનો ઉપયોગ કરીને ઘણા લોકોને મેસેજ કરી પૈસાની માંગણી કરી રહી છે. તેથી તમામ મિત્રોને વિનંતી છે કે કોઈ પણ આ ગુનેગારોની ચુંગાલમાં ફસાય નહીં. મહેરબાની કરીને કોઈને પણ પૈસા આપવા નહીં કે નાણાકીય વ્યવહાર કરવો નહીં. સાયબર સેલમાં ફરિયાદ, તપાસનો ધમધમાટઆ પ્રકારના સાયબર એટેકથી સુરતના વકીલ આલમમાં ફાળ પડી છે. નયન સુખડવાલાએ આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પ્રોફેશનલ સાયબર ગેંગનું કામ હોવાનું જણાય છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સોશિયલ મીડિયા હેક કરીને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:19 pm

જળ સંચયના મહાઅભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાટ ગામેથી શરૂ કરાવી, આગામી 31 મે સુધી ચાલશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેચ ધ રેઈન આહવાનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં 'સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.0' નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. ગાંધીનગર જિલ્લાના ભાટ ગામના તળાવને ઊંડું કરવાની કામગીરી સાથે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિહ પટેલ સહિત અનેક મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરાશે આગામી 31 મે 2026 સુધી ચાલનારા આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના દરેક તાલુકામાં 10 તળાવો ઊંડા કરવાની નેમ રાખવામાં આવી છે. આ અભિયાનમાં રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ અને શહેરી વિકાસ જેવા 6 મહત્વના વિભાગો લોકભાગીદારી સાથે જોડાશે. જેના દ્વારા ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા અને વરસાદી પાણીના સંગ્રહ માટે સઘન કામગીરી કરવામાં આવશે. વિવિધ જળ સંચય કામોનું આયોજન અભિયાન અંતર્ગત હયાત તળાવો અને ચેકડેમોનું ડીસીલ્ટીંગ, નદીઓના પ્રવાહને અવરોધતા ઝાડ-પાંખરા દૂર કરવા, નહેરોની મરામત, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ખેત તલાવડી જેવા કામો હાથ ધરાશે. ભાટ ગામનું તળાવ ઊંડું થવાથી ભવિષ્યમાં તેની સંગ્રહ ક્ષમતા 2.01 લાખ ઘન ફૂટ થશે, જે સ્થાનિક જળ સ્તર માટે આશીર્વાદરૂપ બનશે. 8 વર્ષની ભવ્ય સફળતા વર્ષ 2018 થી 2025 દરમિયાન આ અભિયાન દ્વારા રાજ્યમાં કુલ 1,22,299 જેટલા કામો પૂર્ણ થયા છે. જેમાં 39,542 તળાવો અને 26,544 ચેકડેમોનું કામ તેમજ 82,240 કિલોમીટર લાંબી નહેરોની સફાઈ કરવામાં આવી છે. આ પ્રયાસોથી રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 1,39,959 લાખ ઘન ફૂટનો વધારો થયો છે અને અંદાજે 210 લાખ માનવદિન રોજગારીનું સર્જન થયું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:18 pm

'નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ'નું આયોજન:નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આવતીકાલે આયોજન

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા લોકશાહીના પર્વને વધુ સુદ્રઢ બનાવવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 'નેશનલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ'નું આયોજન થશે. વર્ષ ૧૯૯૯ પછી, એટલે કે ૨૭ વર્ષના લાંબા વિરામ બાદ ઈસીઆઈ અને રાજ્ય ચૂંટણી કમિશનરો (SECs) એક મંચ પર એકઠા થશે. ઉચ્ચ સ્તરીય નેતૃત્વ અને સહભાગીદારી આ મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર કરશે. તેમની સાથે ચૂંટણી કમિશનરો ડૉ. સુખબીર સિંહ સંધુ અને ડૉ. વિવેક જોશી પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ગુજરાત સહિત દેશના તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય નિર્વાચન અધિકારીઓ (CEOs) તેમજ ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે. ટેકનોલોજી અને પારદર્શિતા પર ભાર કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા ચૂંટણી પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવાનો છે. જેમાં ખાસ કરીનેનવા લોન્ચ થયેલા ડિજિટલ પ્લેટફોર્મ 'ECINET' અંગે વિશેષ પ્રેઝન્ટેશન આપવામાં આવશે.ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની સુરક્ષા અને પારદર્શિતા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થશે.મતદાર યાદી (Electoral Rolls) ને વધુ સચોટ બનાવવા માટેની નવી પદ્ધતિઓ પર વિચાર-વિમર્શ કરવામાં આવશે. સહકારી સંઘવાદ અને બંધારણીય જોગવાઈઓ બેઠકનો હેતુ કેન્દ્રીય અને રાજ્ય ચૂંટણી પંચો વચ્ચે લોજિસ્ટિક્સ અને સંકલન સુધારી 'સહકારી સંઘવાદ'ની ભાવનાને મજબૂત કરવાનો છે. બંધારણના અનુચ્છેદ ૨૪૩K અને ૨૪૩ZA હેઠળ પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીનું સંચાલન કરતા રાજ્ય ચૂંટણી પંચો સાથેના સંબંધોને આ કોન્ફરન્સ નવી ઊંચાઈએ લઈ જશે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ના સંદર્ભમાં વિવિધ રાજ્યોમાં મતદારોની લાયકાત અંગેનું તુલનાત્મક વિશ્લેષણ પણ રજૂ કરવામાં આવશે. આ કોન્ફરન્સથી દેશની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વધુ આધુનિક, સુગમ અને પારદર્શક બનશે તેવી અપેક્ષા છે

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:16 pm

વાપીના ભાજપ નેતાની હત્યા કરનાર શાર્પશૂટરના જામીન નામંજૂર:LCBએ ચાર્જશીટ દાખલ કર્યા બાદ વૈભવ યાદવે જામીન અરજી કરી હતી, શૈલેષ પટેલની 16 લાખની સોપારીની લીધી હતી

વાપી ભાજપના નેતા શૈલેષ પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા શાર્પ શૂટર વૈભવ ઉર્ફે રાહુલ સિંગ હરીરામ યાદવની જામીન અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે સરકારી વકીલ ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખી આ નિર્ણય લીધો. વલસાડ એલસીબી દ્વારા ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી વૈભવ યાદવે જામીન માટે અરજી કરી હતી. જોકે, ગુનાની ગંભીરતા અને ઉપલબ્ધ મજબૂત પુરાવાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને રાહત આપવાનો ઇનકાર કર્યો. આ ઘટના મે 2023માં બની હતી. વાપીના રાતા ખાડી વિસ્તારમાં આવેલા શિવ મંદિર પાસેથી શૈલેષ પટેલ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા શાર્પ શૂટરોએ તેમના પર ફાયરિંગ કરીને હત્યા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વર્ષ 2013-14ની જૂની અદાવતનો બદલો લેવા માટે વિપુલ પટેલ સહિતના આરોપીઓએ આશરે રૂ. 16 લાખની સોપારી આપી હતી. આ સોપારી યુપીના શાર્પ શૂટરો મારફતે શૈલેષ પટેલની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જામીન અરજીની સુનાવણી દરમિયાન, સરકારી વકીલ ડીજીપી અનિલ ત્રિપાઠીએ આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કર્યો. તેમણે દલીલ કરી કે આરોપી એક પ્રોફેશનલ શાર્પ શૂટર છે અને તેણે પૂર્વનિયોજિત ષડયંત્રના ભાગરૂપે હત્યા કરી છે. ડીજીપી ત્રિપાઠીએ કોર્ટને જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ સીસીટીવી ફૂટેજ, મોબાઇલ લોકેશન અને ઓળખ પરેડ જેવા મજબૂત પુરાવા ઉપલબ્ધ છે. તેમણે એવી પણ શક્યતા વ્યક્ત કરી કે જો આરોપીને જામીન મળે તો તે સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તપાસ દરમિયાન પોલીસને મળેલા પુરાવા મુજબ, હત્યા બાદ આરોપીઓ જે હોટલમાં રોકાયા હતા ત્યાં વૈભવ યાદવે પોતાનું આધાર કાર્ડ આપ્યું હતું. ઉપરાંત, બાઇક પર ફરાર થતી તેમની હલચલ સીસીટીવીમાં કેદ થઈ હતી. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આરોપીની જામીન અરજી ફગાવવાનો આદેશ આપ્યો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 6:09 pm

VIDEO: ઉત્તર પ્રદેશના લખનઉમાં સ્લીપર બસ પલટતા મોટી દુર્ઘટના, 7 મોત, 40 ઈજાગ્રસ્ત

Lucknow Bus Accident : ઉત્તર પ્રદેશના લખનૌના ગોસાઈગંજમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં લુધિયાણાથી દરભંગા જઈ રહેલી એક સ્લીપર બસ પલટી જતાં 7 મુસાફરોનાં કમકમાટીભર્યા મોત થયા છે અને 40 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. ડ્રાઈવરની બેદરકારી, પૂરઝડપે બસ દોડાવી સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે જૌખંડી ગામ પાસે પૂરઝડપે આવી રહેલી બસ અચાનક અનિયંત્રિત થઈને પલટી ગઈ હતી. અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ ગોસાઈગંજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

ગુજરાત સમાચાર 23 Feb 2026 6:03 pm

આતંકવાદ સામે ભારતનો 'પ્રહાર': સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં

India’s New Anti-Terror Doctrine to Counter Cross-Border Terrorism: ભારત સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને સરહદ પારથી ફેલાવવામાં આવતા આતંકવાદને જડબાતોડ જવાબ આપવા માટે સોમવારે 'પ્રહાર' (PRAHAAR) નામની પ્રથમ વ્યાપક આતંકવાદ વિરોધી નીતિ (Anti-Terror Doctrine) જાહેર કરી છે. આ નવી નીતિ અંતર્ગત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સહયોગ વધારીને ટ્રાન્સનેશનલ ટેરરિઝમ (વિદેશની ધરતી પરથી ફેલાવાતા)નો ખાત્મો કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શું છે 'પ્રહાર' નીતિ અને કેમ પડી જરૂર? કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલા દસ્તાવેજો મુજબ, આધુનિક સમયમાં આતંકવાદી સંગઠનો સ્થાનિક નેટવર્ક, લોજિસ્ટિક્સ અને ભૌગોલિક જાણકારીનો ઉપયોગ કરીને હુમલા કરી રહ્યા છે. પાડોશી દેશોમાં અવારનવાર સર્જાતી અસ્થિરતાનો લાભ ઉઠાવીને આતંકવાદીઓ સુરક્ષિત આશ્રય સ્થાનો બનાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર 23 Feb 2026 6:02 pm

17 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી:મીડિયાને જોઈ કીર્તિએ ભેંકડો તાણ્યો, અરુણાચલ પ્રદેશના રિસોર્ટમાં ગુજરાતી પટેલે બખેડો કર્યો

જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલીશન રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટું ડિમોલીશન હાથ ધરાયું. આશિયાનો છીનવાઈ જતા મહિલાઓ હતાશ થઈ ગઈ. લોકો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 17 જિલ્લાામાં ભારે પવન સાથે વરસાદની આગાહી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો.. વહેલી સવારે ભરૂચના અંકલેશ્વર અને ભરુચમાં વરસાદ પડ્યો. અમદાવાદ અને ગાંધીનગરના પણ ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા. હવામાન વિભાગે 17 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગરમાં ખનીજ માફિયાઓએ અધિકારીની ડરાવ્યા ગાંધીનગરમાં ખનીજ માફિયાઓએ અધિકારીને ડરાવ્યા. કાળા કાચ, નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો સહિત 4 એસયુવી કારથી ભૂસ્તર શાસ્ત્રી-મહિલા અધિકારીને ઘેરી લઈ ફિલ્મી સીન ક્રિએટ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષની અનાથ સગીરા પર 6 યુવકોએ દુષ્કર્મ કર્યું વડોદરામાં 16 વર્ષની અનાથ સગીરા પર 6 લોકોએ દુષ્કર્મ આચર્યું. સગીરા ગર્ભવતી છે. .સૌથી પહેલા એક યુવકે લગ્નની લાલચે સગીરાને હવસનો શિકાર બનાવી,બાદમાં અન્ય પાંચે પણ બ્લેકમેઈલ કરી કુકર્મ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એકસાથે 27 PIની બદલી કરવામાં આવી અમદાવાદમાં એકસાથે 27 પીઆઈની બદલી કરવામાં આવી છે.કૃષ્ણનગર, ચાંદખેડા સહિતના ઈન્ચાર્જથી ચાલતા પોલીસ સ્ટેશનને હવે પીઆઈ મળી ગયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાન મામલે આજે નિર્ણય મૃગીકુંડમાં છળકપટથી સ્નાન કરનાર કીર્તિ પટેલને કોર્ટમાં રજુ કરાઈ. પોલીસની ગાડીમાંથી ઉતરતાં જ કીર્તિ રડી પડી અને મિડીયાને વિનંતી કરવા લાગી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા વડોદરા -હાલોલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું.. મૃતકની પત્ની ગર્ભવતી હતી. પરિવારના આક્રંદે વાતાવરણ ભારે થયું.. તો ઉનામાં પૂર ઝડપે આવતા ટ્રકે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકના બે ટુકડા થઈ ગયા. પાવડાની મદદથી મૃતદેહના અવશેષો ભેગા કરવા પડ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિંહોરમાંથી ઝડપાયું ગાંજા અને અફીણનું વાવેતર સિંહોરમાંથી ઝડપાયું ગાંજા અને અફીણનું વાવેતર..“મરબી ઢોરાવાળી” વાડીમાંથી 1087 કિલો અફીણ, 26 કિલો સુકા પોશ ડોડા તેમજ 19 કિલો લીલો ગાંજો મળી આવ્યો.. જેની કિંમત 10 કરોડથી વધુની થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોળી-ધૂળેટી માટે માદરે વતન જવા ભીડ સુરતમાં હોળી-ધૂળેટી પર વતન જવા મુસાફરોની ભીડ ઉમટી. ઉધના રેલવે સ્ટેશન પર કીડિયારું ઉભરાયું. .સ્ટેશન પર મંડપ, પાણી, અને ચાર્જિંગ સહિત વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અરુણાચલ પ્રદેશમાં પટેલ પરિવારે કરી બબાલ અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીમાં ગુજરાતી પરિવારે રિસોર્ટ સ્ટાફ સાથે બોલાચાલી કરી, હુમલાનો પ્રયાસ કર્યો.. સ્ટાફે બહારથી દારુ લાવવાની મનાઈ કરતા પટેલ પરિવાર ઉશ્કેરાઈ ગયો અને પોતે વગદાર હોવાનું કહી ધાકધમકી આપવા લાગ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:59 pm

મોરબીમાં યુવાનની હત્યા મામલે જામનગરમાં સોની બજાર બંધ:જતિનને ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે સોની સમાજે આવેદન પત્ર પાઠવ્યું, આરોપીઓને કડક સજા થાય તેવી માંગ

મોરબીના 36 વર્ષીય યુવાન જતિન આડેસરાની હત્યાના વિરોધમાં જામનગરમાં સોની બજારમાં અડધો દિવસ બંધ પાળવામાં આવ્યું હતું. સોની સમાજે આરોપીઓને કડક સજા અને ઝડપી ન્યાયની માંગ સાથે વહીવટી તંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ ઘટના ગત ગુરુવારે રાત્રે બની હતી, જ્યારે જતિન આડેસરા પોતાના પરિવાર સાથે કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. સ્કૂટર ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે તેમને છરીના ત્રણ ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાના પગલે જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં વ્યાપક રોષ જોવા મળ્યો હતો. જામનગરમાં સોની સમાજે 'જતિન સોનીને ન્યાય આપો... ગુનેગારને ફાંસી આપો...' જેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરીને બુલંદ સૂત્રોચ્ચાર કર્યા હતા. સમાજે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કડકમાં કડક સજા કરવાની માંગ કરી હતી. આ મામલે ભારત સુવર્ણકાર સેતુ જામનગર એસોસિએશનના પ્રમુખ સુભાષભાઈ પાલાએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. સુભાષ પાલાએ જણાવ્યું હતું કે, જતીનભાઈ પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમની પર જીવલેણ હુમલો કરીને હત્યા કરવામાં આવી છે. આ અત્યંત ગંભીર ઘટના છે અને સમાજ ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યો છે. તેમણે વધતા જતા ગુનાખોરીના બનાવોને ટાંકીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, તેમણે જામનગરમાં બનેલા અન્ય એક બનાવનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક સોની વેપારી પાસેથી રસ્તામાં આંતરીને રૂ. 10,000 પડાવી લેવામાં આવ્યા હતા. જોકે, તે કિસ્સામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વેપારીને મદદ કરી હતી. આ હત્યાકાંડના વિરોધમાં આજે જામનગરના સોની બજારો બંધ રહ્યા હતા. સમાજના અગ્રણીઓ અને સભ્યોએ એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. તેમણે મુખ્યમંત્રી સુધી આ અવાજ પહોંચે અને ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:58 pm

DGPની કચ્છની બે દિવસીય મુલાકાત:સરહદી સુરક્ષા અને એજન્સીઓના સંકલન પર ભાર

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવનો કચ્છ જિલ્લાનો 2 દિવસીય વ્યૂહાત્મક પ્રવાસ તાજેતરમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. 21-22 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી અને દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવાનો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે સુરક્ષા એજન્સીઓ સાથે હાઈ-લેવલ બેઠકો યોજી રણનીતિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ અને એજન્સીઓનું સંકલન ભુજ ખાતે આયોજિત ક્રાઈમ કોન્ફરન્સમાં ડૉ. કે.એલ.એન. રાવે સરહદી ક્ષેત્રમાં ગુનાખોરીની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે BSF, ભારતીય વાયુસેના, કોસ્ટ ગાર્ડ, IB અને NTRO જેવી મહત્વની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી ઈન્ટેલિજન્સ શેરિંગ પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી, ઘૂસણખોરી રોકવા અને માછીમારોના પ્રશ્નોના નિરાકરણ માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સ્થાપિત કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત NCORD ની પ્રગતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નલિયા પોલીસ સ્ટેશન દત્તક અને જવાનોનું મનોબળ પોલીસ વડાએ નલિયા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તેને દત્તક લેવાની મહત્વની જાહેરાત કરી હતી. આધુનિકીકરણ અને સુવિધાઓ વધારવા માટે તેમણે 5 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. પોલીસ જવાનો અને સ્થાનિક નાગરિકો સાથે 'બડા ખાના' યોજીને તેમણે સંવાદ કર્યો હતો અને જનતાની સમસ્યાઓ સાંભળી સુરક્ષા દળોનું મનોબળ વધાર્યું હતું. જખૌમાં ધ્વજવંદન અને સંયુક્ત પેટ્રોલિંગ દરિયાઈ સુરક્ષાની સજ્જતા ચકાસવા માટે ડૉ. કે.એલ.એન. રાવે જખૌ દરિયાકાંઠે ધ્વજવંદન કર્યું હતું. તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડ, BSF અને ગુજરાત પોલીસ સાથે દરિયામાં સંયુક્ત પેટ્રોલિંગ કરીને સુરક્ષા કવચનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાતના અંતે તેમણે પિંગલેશ્વર આઉટપોસ્ટની મુલાકાત લઈ સંવેદનશીલ પટ્ટી પર ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:45 pm

ગુજરાતમાં IAS કેડરની નવી 15 જગ્યાનો ઉમેરો:હવે 313થી વધીને 328 જગ્યા, નવી જગ્યાના કારણે પૂર્ણ સમયના અધિકારીઓ મળશે

રાજ્યની વહીવટી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રના Department of Personnel and Training (DoPT) દ્વારા બહાર પાડવામાં આવેલી ગેઝેટ સૂચના મુજબ ગુજરાતના IAS કેડરની સંખ્યા 313થી વધારીને 328 કરવામાં આવી છે. એટલે કે કુલ 15 નવી જગ્યાઓનો ઉમેરો થયો છે. સિનિયર ડ્યુટી પોસ્ટની સંખ્યા 161 થી વધીને 169 થઈઆ વધારાથી રાજ્યમાં સિનિયર ડ્યુટી પોસ્ટ્સની સંખ્યા પણ 161થી વધીને 169 થઈ ગઈ છે. નવી રચાયેલી જગ્યાઓમાં સીધી ભરતી દ્વારા આવનારા અધિકારીઓ તેમજ રાજ્ય સેવા પરથી બઢતી પામનારા અધિકારીઓનો સમાવેશ થશે. વહીવટી વર્તુળોમાં માનવામાં આવે છે કે ગુજરાતમાં વધતા શહેરીકરણ, મોટા પાયે ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને નવી નીતિઓના અસરકારક અમલ માટે અનુભવી અધિકારીઓની જરૂરિયાત વધી રહી હતી. આવી પરિસ્થિતિમાં કેડર રિવ્યૂ હેઠળ લેવામાં આવેલો આ નિર્ણય રાજ્યની ગવર્નન્સ ક્ષમતા વધારશે. ઉલ્લેખનીય છે કે, IAS કેડરની સંખ્યા સમયાંતરે સમીક્ષા આધારે નક્કી કરવામાં આવે છે, જેથી રાજ્યની વસ્તી, વિકાસગતિ અને વહીવટી ભાર મુજબ માનવસંસાધન ઉપલબ્ધ રહે. નવો વધારો અમલમાં આવતા આગામી સમયમાં વિભાગીય કામગીરી વધુ ઝડપી અને સુવ્યવસ્થિત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. 15 નવી જગ્યા ઉમેરાતા પૂર્ણ સમયના અધિકારીઓ મળશેરાજ્યમાં લાંબા સમયથી અનેક વિભાગો ઇન-ચાર્જ આધારે સંચાલિત થતાં હોવાથી એક જ અધિકારી પર વધારાનો ભાર આવતો હતો, જેના કારણે નિર્ણય પ્રક્રિયા અને ફાઈલ નિકાલની ગતિ પ્રભાવિત થતી હતી. હવે IAS કેડરની સંખ્યા 313થી વધારીને 328 કરવામાં આવતા પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે. વધારાની 15 જગ્યાઓથી વિભાગોને પૂર્ણ સમયના અધિકારીઓ મળી શકશે, જવાબદારીઓનું વધુ સંતુલિત વહેંચાણ થશે અને નીતિઓના અમલીકરણમાં ઝડપ આવશે. ખાસ કરીને વધતા શહેરીકરણ, મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને કલ્યાણકારી યોજનાઓની અસરકારક દેખરેખ માટે આ વધારો ઉપયોગી સાબિત થઈ શકે છે. પરિણામે વહીવટી તંત્ર વધુ કાર્યક્ષમ, જવાબદાર અને પ્રતિસાદક્ષમ બનવાની દિશામાં આગળ વધી શકે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:44 pm

સિંગવડમાં રખડતા શ્વાને બાળક પર હુમલો કર્યો:5 વર્ષના બાળકને માથા-હાથ પર ગંભીર ઈજા, હોસ્પિટલમાં દાખલ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ ગામમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેને પગલે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પહાડ ગામના ગિરીશભાઈ મકવાણાનો 5 વર્ષીય પુત્ર વનરાજ પોતાના ઘરની બહાર રમી રહ્યો હતો. તે સમયે અચાનક એક રખડતું શ્વાન ત્યાં આવી ચઢ્યું હતું અને બાળકે કંઈ સમજે તે પહેલા જ તેના પર હિંસક હુમલો કર્યો હતો. શ્વાને વનરાજના હાથ અને માથાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળક લોહીલુહાણ થઈ ગયો હતો. બાળકની ચીસો સાંભળી આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બાળકને શ્વાનના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વનરાજને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબો દ્વારા તેની સઘન સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ પહાડ ગામ સહિત સમગ્ર તાલુકામાં રખડતા શ્વાનોના ત્રાસ અંગે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોના મતે, અગાઉ પણ આવા અનેક હુમલાઓ બન્યા છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વાલીઓમાં બાળકોને બહાર રમવા મોકલવા અંગે સાવચેતી વધી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:43 pm

'વિરાટ કોહલી પણ 'કોળી' સમાજનો જ છે!':ભાવનગરમાં કોળી સમાજના સામૂહિક લગ્નમાં અરવિંદ કેજરીવાલનું નિવેદન, સમાજની પ્રતિભા અને દેશભક્તિની વાતો કરી

ભાવનગરમાં વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત 12મા સામૂહિક લગ્ન સમારોહમાં AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે કેજરીવાલે કોળી સમાજની પ્રતિભા, મહેનત અને દેશભક્તિની વાત કરતાં કહ્યું કે, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ 'કોળી' સમાજનો જ છે અને તેઓ પોતાની પ્રતિભાથી દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. સમારોહમાં AAPના અરવિંદ કેજરીવાલનુ નિવેદન હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગુજરાતના વિકાસમાં કોળી સમાજનું ખૂબ મોટુ યોગદાનગતરોજ ભાવનગરમાં વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત 12મા સામૂહિક લગ્ન કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના CM ભગવંત માન સાથે હાજરી આપી હતી અને લગ્નનાં તાંતણે બંધાતા 151 યુગલ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના વિકાસમાં કોળી સમાજના યોગદાનની પણ વાત કરતા તેમણે કહ્યું કે, કોળી સમાજ ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ રહે છે. 'ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ કોળી સમાજના છે'વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા કોળી સમાજના લોકો ખૂબ જ મહેનતુ છે, પ્રતિભાશાળી છે અને દેશભક્ત પણ છે. જો અમારા આ બાળકોને યોગ્ય અવસર આપવામાં આવે, યોગ્ય શિક્ષા મળે, તેમની સ્કીલ્સને ડેવલોપ કરવા માટે પૂરતા સંસાધનો અને તક આપવામાં આવે તો કોળી સમાજના બાળકો પણ સમાજ માટે ઘણુ બધુ કરી શકે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ કોળી સમાજના છે, તેની જેમ પૂરા વિશ્વની અંદર કોળી સમાજ દેશનું નામ રોશન કરી રહ્યા છે. રાજુભાઈએ 2000થી વધુ જોડીઓના લગ્ન કરાવી પુણ્યનું કાર્ય કર્યુંસાથે-સાથે વીર માંધાતા સંગઠનને પણ અભિનંદન પાઠવું છું. રાજુભાઈએ છેલ્લા 12 વર્ષમાં 2000થી વધુ જોડીઓના લગ્ન કરાવીને આ પુણ્ય કાર્ય કર્યું છે. હું તમામ નવદંપતિઓને પણ અભિનંદન પાઠવું છું, જે પોતાના જીવનમાં નવી દિશામાં આગળ વધી રહ્યા છે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે, તેઓ તમને ખૂબ ખુશીઓ આપે અને તમે સૌ ખૂબ પ્રગતિ કરો. લોકોની ભલાઈ થાય એવા સામાજિક કાર્યક્રમો થવા જોઈએઆ પ્રસંગે પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન જણાવ્યું કે, વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આજે 12મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો છે. આજે તેમાં 151 જોડીઓના લગ્ન થયા છે અને અમે તેમને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા છીએ. આ અવસરે હું વીર માંધાતા કોળી સમાજ તેમજ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને અભિનંદન પાઠવું છું. જેમણે આ પુણ્ય કાર્ય કર્યું અને આ પ્રસંગે અમને પણ યાદ કર્યા, લોકોની ભલાઈ થાય તેવા સામાજિક કાર્યક્રમો થવા જોઈએ. આવનારા સમયમાં ગુજરાતમાં એવો કોઈપણ કાર્યક્રમ હશે જેમાં સમાજ અને લોકોની ભલાઈ થાય, તે રાજકીય હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, એવા કાર્યક્રમોમાં અમે ચોક્કસ હાજરી આપીશું. સામૂહિક લગ્ન કાર્યક્રમમાં AAPના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાવીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું, આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:42 pm

મહાત્મા જ્યોતિરાવ-સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માગ:સુરેન્દ્રનગર માળી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે માળી સમાજના આગેવાનોએ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને મરણોત્તર 'ભારત રત્ન' આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું.સમાજ સુધારાના પ્રણેતા અને પછાત વર્ગના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહાનુભાવોને દેશનું સર્વોચ્ચ સન્માન આપવા માટે હવે માંગ પ્રબળ બની છે.બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માનતા હતા. સાવિત્રીબાઈ ફૂલેને મહિલાઓ 'વિદ્યાની દેવી' માને છે. તેઓ અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા, જેમણે મહિલાઓ માટે પ્રથમ શાળા ખોલી અને ત્યારબાદ વધુ ૧૭ શાળાઓ શરૂ કરીને શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરી. સમસ્ત માળી મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લાના માળી સમાજના આગેવાનોએ આ રજૂઆત કરી હતી. વઢવાણના સમસ્ત રામી માળી જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના હોદ્દેદારો રાજેશભાઈ હળવદીયાની આગેવાનીમાં જગદીશભાઈ ટાકોલીયા, અશોકભાઈ રામી અને સંજયભાઈ હળવદીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:40 pm

ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ:વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ, ચણા, જીરું, ઘઉં સહિતના પાકમાં નુકસાનની ભીતિ

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા વાતાવરણ બાદ આજે બપોર પછી ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ખાંભા તાલુકાના ઇંગોરાળા, નાની ધારી અને નાના વિસાવદર સહિતના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટાં વરસ્યા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. હાલમાં ખેતરોમાં તૈયાર અવસ્થામાં આવેલા શિયાળુ પાક જેવા કે ચણા, જીરું, ઘઉં અને ધાણી પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. જો વાતાવરણ આવું જ રહેશે તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર પ્રતિકૂળ અસર પડી શકે છે. ખેડૂતો દ્વારા તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા અંગે ચર્ચાઓ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાન કઈ દિશામાં વળે છે તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:37 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મોડલ અને પૂર્વ પ્રેમિકાના બીભત્સ ફોટો વાઈરલ કરતા યુવક સામે FIR, રાજીનામા બાદ મહિલા ડે.કમિ.નો યુ-ટર્ન

દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:30 pm

ગોધરા નગરપાલિકાનો ડ્રેનેજ ક્લિનીંગ રોબોટ 6 મહિનાથી બંધ:અહેવાલ બાદ પાલિકાએ એક કરોડનો રોબોટ રિપેરિંગ માટે મોકલ્યો

ગોધરા નગરપાલિકાને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDC) દ્વારા ફાળવવામાં આવેલો ₹1 કરોડનો 'બેન્ડિકૂટ' રોબોટ છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં હતો. 22 જાન્યુઆરીના રોજ આ અંગે અહેવાલ પ્રસારિત થયા બાદ, નગરપાલિકાએ રોબોટને રિપેરિંગ માટે દાહોદ મોકલ્યો છે.. અહેવાલ પ્રસારિત થયા પછી, પાલિકાએ રોબોટને ફરીથી કાર્યરત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ચાલુ થયો નહોતો. રોબોટ ચાલુ ન થતાં, તેને ખરીદ કરનાર એજન્સીના ટેકનિશિયનો ગોધરા પહોંચ્યા હતા અને તેને સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં રોબોટ કાર્યરત ન થતાં, આખરે તેને સમારકામ માટે દાહોદ મોકલવામાં આવ્યો છે. આ આધુનિક 'મેનહોલ ક્લીનિંગ રોબોટ'નો મુખ્ય ઉદ્દેશ્ય સફાઈ કામદારોને ગટરના જોખમી કામમાંથી મુક્તિ અપાવવાનો છે. જોકે, એક કરોડના ખર્ચે ફાળવવામાં આવેલો આ રોબોટ એક દિવસ પણ ચાલ્યો ન હોવાથી GUDC દ્વારા કરાયેલી આ ખરીદીની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઉભા થયા છે. આ રોબોટ મશીન આધુનિક ઉપકરણોથી સજ્જ છે. તેમાં માણસના હાથ જેવો રોબોટિક હાથ છે, જે ગટરમાં ઉતરીને કચરો અને ગંદકી બહાર કાઢે છે. આ ઉપરાંત, રોબોટમાં લાગેલા કેમેરા દ્વારા ઓપરેટર બહાર બેઠા ગટરની અંદરની સ્થિતિનું નિરીક્ષણ પણ કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:27 pm

અમદાવાદમાં રહેતી પત્નીએ પતિ પાસે માસિક 10 લાખનું ભરણપોષણ માંગ્યું:નાની દીકરીનો જન્મદિવસ કોર્ટમાં ઉજવાયો, પતિએ કહ્યું- પત્ની દ્વારા મિલકત બાબતે 45 સિવલ કેસ કરાયા

અમદાવાદના સાયન્સ સિટીમાં રહેતી એક પરિણીતા દ્વારા તેના પતિ પાસેથી માસિક 10 લાખ રૂપિયાના ભરણપોષણની માગ કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટ દ્વારા 6000 રૂપિયાનું ભરણપોષણ મંજૂર કરતા પત્ની દ્વારા ભરણપોષણ વધારીને માસિક 10 લાખ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ટ્રાયલ કોર્ટ સમક્ષ પતિએ ડિવોર્સ અરજી ફાઇલ કરી છે. જો કે ટ્રાયલ કોર્ટ સમક્ષ બંને પાર્ટી એકબીજાના આવક દર્શાવતા કાગળિયા રજૂ કરી શકી નથી. બંનેએ પોતાના મિલકત અને દેવાઓ સંદર્ભે એફિડેવિટ ફાઇલ કરી છે. પત્નીએ માસિક 10 લાખ ભરણપોષણ મેળવવા હાઈકોર્ટમાં અરજી કરીભરણપોષણના કેસને લઈ પતિનું વર્ષ 2021 થી વર્ષ 2023 સુધીની IT રિટર્ન કોર્ટ સમક્ષ મુકાયું હતું. ટ્રાયલ કોર્ટે વચગાળાના ભરણપોષણ તરીકે પત્ની અને સગીર પુત્રી માટે માસિક કુલ 06 હજાર રૂપિયા ચૂકવવા હુકમ કર્યો છે. જ્યારે પત્નીનું કહેવું છે કે એફિડેવિટ ઉપર પતિએ પોતાનો માસિક ખર્ચ 75 હજાર અને આશ્રિતોનો ખર્ચ 01 લાખ રૂપિયા બતાવ્યો છે. વળી આશ્રિતોમાં પત્ની અને પુત્રીનો સમાવેશ થતો નથી. પતિએ વેચાણ કરેલી પૂર્વજોની મિલકતના દસ્તાવેજનું વેલ્યુએશન 150 કરોડ હોવાની રજૂઆતવર્ષ 2022- 23 માં આવક પતિની આવક 3.42 કરોડ છે, પતિએ પૂર્વજોની એક મિલકત વેચી છે,જેના દસ્તાવેજોનું વેલ્યુએશન 150 કરોડનું છે. વર્ષ 2022- 23 નો ઇન્કમટેક્સ 2.68 લાખ રૂપિયા દર્શાવ્યો છે. પતિ મિલકતોના બ્રોકર તરીકે કામ કરે છે. પતિએ કહ્યું હતું કે તેં વારસામાં પાર્ટી પ્લોટ ધરાવે છે, પરંતુ તેન 13 ભાગ છે, તે પૂર્વજોની પ્રોપર્ટી છે. જે મિલકતને લઈને પત્ની દ્વારા બે સિવિલ કેસ દાખલ કરાયેલા છે. પત્નીને પણ પાર્ટી પ્લોટના ભાડા પેટે રોજના 10 થી 15 હજારની આવક થાય છે. દર મહિને તેના એકાઉન્ટમાં રકમ જમા થાય છે. જો કે પત્ની તરફથી કહેવાયું હતું કે તે પાર્ટી પ્લોટ તેના પિતાનો છે. આમ આવક પણ તેના પિતાની થઈ. પતિએ કહ્યું હતું કે પત્ની બ્યુટી પાર્લર અને ફ્રી લાન્સરનું કામ કરે છે. પત્નીના પિતા સેટલમેન્ટ માટે ના પાડે છે. ટ્રાયલ કોર્ટની કાર્યવાહીમાં પત્ની હાજર રહેતી નહોતો અને નાની પુત્રીને પણ લાવતી નહોતી. પત્નીએ ભરણ પોષણ માટે માસિક 7.50 લાખ ખર્ચ પોતાનો અને પુત્રીનો 2.50 લાખ રૂપિયા ખર્ચ બતાવ્યો છે. આમ દર મહિને પત્નીએ પતિ પાસેથી 10 લાખ રૂપિયાનું ભરણપોષણ માંગ્યું છે. પત્ની સાયન્સ સિટીની રહેવાસી છે. જેના 3 બેંક ખાતાની વિગત કોર્ટ સમક્ષ મુકાઈ હતી. બે ખાતાને બાદ કરતા એક બેંક એકાઉન્ટમાં હજારો અને લાખોમાં રૂપિયા જમા મહિને જમા થતા હતા. જો કે પત્નીનું કહેવું હતું કે તેના પિતા તેની સંભાળ માટે રૂપિયા તેના ખાતામાં નાખતા હતા. કોર્ટે કહ્યું હતું કે માસિક 6 હજારના ભરણપોષણથી કામ નહીં ચાલે ! પત્નીએ મિલકત બાબતે 45 સિવિલ કેસ દાખલ કર્યા- પતિપતિએ કહ્યું હતું કે તેની પત્ની દ્વારા તેની મિલકત બાબતે 45 સિવિલ કેસ ફાઇલ થયા છે. જ્યારે પત્નીએ કહ્યું હતું કે પતિએ હાથે કરીને બાળકના જન્મ પહેલા પ્લોટ વહેંચ્યો હતો. જેની ઉપર ફ્લેટ બનતા, દરેક ફ્લેટ દીઠ એક લીગલ દાવો કરાયો છે. પતિએ કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ દ્વારા દીકરીને મળવા દેવાના નિર્દેશ છત્તા પિતાને દીકરી સાથે મળવા દેવાતી નથી. નાની દીકરીનો જન્મદિવસ કોર્ટમાં ઉજવાયોજો કે પત્નીએ કહ્યું હતું કે છેલ્લે 13 નવેમ્બરે પતિ અને દીકરી મળ્યા હતા. ટ્રાયલ કોર્ટમાં દીકરીનો જન્મદિવસ ઉજવાયો હતો. બાળકીના જન્મ પહેલા જે પ્લોટ વહેંચ્યો તેની દસ્તાવેજી કિંમત 150 કરોડ જેટલી છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે જમીન દલાલ દ્વારા માસિક 06 હજાર રૂપિયા ભરણ પોષણ ઓછું છે. પતિ પત્નીને દીકરી સાથે કોર્ટ સમક્ષ 05 માર્ચે હાજર રહેવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:16 pm

ડેમોસા કેમિકલના કામદારોનું કલેક્ટર કચેરીએ ન્યાય માટે આવેદન:ગુંદલાવ GIDC સ્થિત કંપનીના કામદાર 59 દિવસથી આંદોલન પર, ભોપાલ ગેસ કાંડ જેવી હોનારતની ભીતિ વ્યક્ત કરી

વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કેમિકલ કંપનીના આશરે 600 કામદારોએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા 59 દિવસથી પોતાની વિવિધ માંગણીઓ સાથે આ કામદારો આંદોલન કરી રહ્યા છે. તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી. કામદારોના પ્રતિનિધિ બળવંત ઠાકોરે જણાવ્યું હતું કે તેમની 16 જેટલી પડતર માંગણીઓ છે. મુખ્ય મુદ્દાઓમાં પગારમાં થતો અન્યાય સામેલ છે. કંપનીમાં 25 વર્ષથી કામ કરતા અનુભવી કામદારોને પણ દૈનિક માત્ર ₹500 જ પગાર ચૂકવાય છે, જે નવા જોડાયેલા કામદારોના પગાર જેટલો જ છે. કામદારોનો આરોપ છે કે કંપની અનુભવી સ્થાનિક કામદારોને બદલે બહારના રાજ્યોમાંથી બિન-અનુભવી લોકોને કામે લગાડી રહી છે. આનાથી સુરક્ષાનો ગંભીર ખતરો ઊભો થયો છે. તેમણે ભીતિ વ્યક્ત કરી હતી કે અત્યંત સંવેદનશીલ કેમિકલનું ઉત્પાદન કરતી આ કંપનીમાં બિન-અનુભવી લોકો દ્વારા કોઈ ભૂલ થાય તો ભોપાલ ગેસ દુર્ઘટના જેવી મોટી હોનારત સર્જાઈ શકે છે. આ લડતમાં ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજેશ પટેલ ઉર્ફે રાજુ મરચા સહિત અન્ય આગેવાનોએ પણ કામદારોને ટેકો આપ્યો છે. કલેક્ટર સમક્ષ રજૂઆત કરતી વખતે કામદારોએ જણાવ્યું કે તેમને અત્યાર સુધી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો તેઓ આમરણાંત ઉપવાસ અને જરૂર પડ્યે આત્મવિલોપન જેવા ઉગ્ર પગલાં ભરવામાં પણ અચકાશે નહીં. 59 દિવસના આંદોલનનો અંત આવશે: કિશન પટેલવલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા કટિબદ્ધ છે. કામદારોની રજૂઆત બાદ અમે તાત્કાલિક કલેક્ટર અને મજૂર કમિશનર સાથે વાતચીત કરી છે. ફેક્ટરી માલિક પણ આગામી સપ્તાહે આવનાર છે, ત્યારે અમે સાથે રહીને આ 59 દિવસ લાંબી હડતાળનો સુખદ અંત લાવવા પ્રયત્નશીલ છીએ. કામદારોને અમારી વિનંતી છે કે તેઓ આવતા અઠવાડિયા સુધી ધીરજ રાખે, ચોક્કસપણે તેમનો પ્રશ્ન ફેક્ટરી સ્તરે જ ઉકેલાશે. હવે જોવું રહ્યું કે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને કંપનીનું મેનેજમેન્ટ આ ગંભીર મુદ્દાનો શું ઉકેલ લાવે છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:05 pm

હોળી પર્વને લઈ એસટી વિભાગ સજ્જ:વડોદરા ST નિગમ દ્વારા હોળીના તહેવારને લઈ વડોદરાથી વધારાની 325 એક્સ્ટ્રા બસો દોડાવાશે

આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવાર દરમિયાન વતન જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશનથી તા.27/02/2026 થી તા. 03/03/2026 દરમિયાન કુલ 325 વધારાની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખી વડોદરા એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે વડોદરા મધ્ય ઝોનમાં હોવાથી આખા ગુજરાતમાં અહીંયાથી લોકો મુસાફરી કરી જતા હોય છે. ત્યારે ખાસ કરીને દાહોદ, ઝાલોદ, ડાકોર, છોટાઉદેપુર, બારીયા અને ગોધરા તરફ જતા મુસાફરોની સંખ્યાને ધ્યાને રાખીને આ વધારાની ટ્રિપ્સનું આયોજન કરાયું છે. વિભાગીય નિયામક એસ.ટી. વડોદરાના જણાવ્યા અનુસાર, મુસાફરોને કોઈ અગવડતા ન પડે અને તેઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે આ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. કયા દિવસે કેટલી બસો દોડશે

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:02 pm

સુરતમાં ટાયર વર્ક્સ એસોસિએશનનું સ્નેહમિલન:48 લોકોએ રક્તદાન કર્યું અને પરિવાર ભાવનાનો અનોખો સંગમ રચ્યો

સુરતના ટાયર વર્ક્સ વેલફેર એસોસિએશન દ્વારા છઠ્ઠી વાર્ષિક સામાન્ય સભા અને પરિવાર સ્નેહમિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કામરેજના કોસમાડી સ્થિત હેવન વિલા રિસોર્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એસોસિએશનના સભ્યો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. સ્નેહમિલનના આ અવસરે મનોરંજનની સાથે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મિલનનો મુખ્ય આકર્ષણ રક્તદાન કેમ્પ રહ્યો હતો, જેમાં 48 ઉત્સાહી યુવાનોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી. આ એકત્રિત થયેલું રક્ત રેડ ક્રોસ બ્લડ સેન્ટરને અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પુણા ગામના મનીષભાઈ પટેલ દ્વારા એસોસિએશનના પ્રમુખ ગિરીશ કુમાર બીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, દરેક રક્તદાતાને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પરિવાર સ્નેહમિલનમાં સભ્યો અને બાળકો માટે વિવિધ રમતગમત તેમજ સાંસ્કૃતિક કલા પ્રસ્તુતિના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સૌએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સચિવ બેબી ચક્રપાણી, ખજાનચી સજીથ પી.એસ., ઉપપ્રમુખ અશોક કુમાર ટી., સંયુક્ત સચિવ સુનીલ કુમાર અને સંયુક્ત ખજાનચી જયલાલ પ્રભા સુધન સહિત તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 5:00 pm

ભરૂચમાં નકલી પોલીસ બની ઉઘરાણી:બે સામે વધુ ગુનો, લોન સેટલમેન્ટના નામે છેતરપિંડી

ભરૂચ શહેરમાં નકલી પોલીસ બની લોન સેટલમેન્ટના નામે ઉઘરાણી કરતા બે આરોપી સામે વધુ એક ગુનો નોંધાયો છે. એ ડિવિઝન પોલીસે અગાઉ ઝડપી પાડેલા ચાર આરોપીઓમાંથી યોગેશ બેલેરાવ અને સંજય વસાવા વિરુદ્ધ આ નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શહેર એ ડિવિઝન પોલીસે અગાઉ ફાયનાન્સ કંપનીમાં ‘સીઝર’ અને નકલી પોલીસ તરીકે ઓળખ આપી ધાકધમકીથી ઉઘરાણી કરતા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તપાસ દરમિયાન જ યોગેશ બેલેરાવ અને સંજય વસાવા સામે વધુ એક ગુનાનો ભેદ ખુલ્યો હતો. ફરિયાદ મુજબ, ભરૂચના નંદેલાવ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક શરીફખાન મહેબુબખાન પઠાણ ગત તા. 14 નવેમ્બર 2025ના રોજ પોતાની રિક્ષા લઈને ભૃગુઋષિ બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી યોગેશ બેલેરાવ અને સંજય વસાવાએ તેમને અટકાવી લોનના હપ્તા બાકી હોવાનું કહી રૂ. 12 હજારની માંગણી કરી હતી. રકમ ન ચૂકવવા પર રિક્ષા જપ્ત કરવાની ધમકી પણ આપી હતી. આ ધમકીથી ગભરાયેલા શરીફખાને વાટાઘાટો બાદ રૂ. 5 હજાર સેટલમેન્ટ તરીકે ચૂકવવા સંમતિ આપી હતી. તેમણે આ રકમ યોગેશ બેલેરાવના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી. જોકે, રસીદ માગતા આરોપીઓએ “આ સેટલમેન્ટની રકમ છે, પૂર્ણ લોન ભર્યા બાદ જ રસીદ મળશે” તેમ કહી ત્યાંથી નીકળી ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આવી જ રીતે અન્ય લોકોને પણ ધમકાવી રૂપિયા પડાવ્યા હતા. જેમાં લાલબજારના સમીરાબાનુ મોહમ્મદ મલેક પાસેથી રૂ. 3 હજાર, ભોલાવના રાજેશ ચંદુભાઈ તંતી પાસેથી રૂ. 10 હજાર તેમજ શેરપુરાના સૈફઅલી સૈયદ પાસેથી રૂ. 500 સેટલમેન્ટના નામે ઉઘરાવ્યા હોવાનું જણાયું હતું. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસે યોગેશ બેલેરાવ અને સંજય વસાવા સામે વધુ એક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં નકલી પોલીસ બની ઉઘરાણી કરતી આ ટોળકી ઝડપાતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:58 pm

રીક્ષા-બાઈક વચ્ચે જોરદાર ટક્કર, 4 લોકો ઘાયલ:ધાંગધ્રાના કુડા રોડ પર અકસ્માત, ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

ધાંગધ્રાના કુડા રોડ પર રીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, રીક્ષાએ મોટરસાયકલને ટક્કર મારતા આ અકસ્માત થયો હતો. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. ધાંગધ્રા તાલુકા પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ધાંગધ્રા સરકારી હોસ્પિટલના તબીબોએ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ધાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં સર્જન કે ઓર્થોપેડિક ડોક્ટર ઉપલબ્ધ ન હોવાથી અકસ્માતના મોટાભાગના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરવા પડે છે. આ સ્થિતિને કારણે સ્થાનિક લોકો દ્વારા સરકારી હોસ્પિટલમાં નિષ્ણાત ડોકટરોની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:55 pm

વડોદરામાં વ્રજરાજકુમારજીની નિશ્રામાં ભવ્ય ફાગોત્સવ:માંજલપુરમાં સુરતના કલાકારોના હોલી રસિયા પર વૈષ્ણવ ભક્તો ભક્તિના રંગે રંગાયા

વડોદરાના માંજલપુર વિસ્તારમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા હોળીના પર્વ નિમિત્તે 'હોલી રસિયા કૂલ ફાગ ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો, યુવાનો અને બાળકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 40 દિવસની વ્રજ પરંપરાની ઝલક વૈષ્ણવ પરંપરા અનુસાર, વ્રજમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીએ 40 દિવસ સુધી હોળી ખેલી હતી. આ દિવ્ય પરંપરાને જીવંત રાખતા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ વડોદરામાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સુરતના પ્રસિદ્ધ કલાકાર કુમનદાસ અને તેમના વૃંદ દ્વારા મનમોહક હોલી રસિયાઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. પુષ્પ વર્ષાથી ભક્તો ભાવવિભોર ઉત્સવના મુખ્ય આકર્ષણ તરીકે વ્રજરાજકુમારજીએ ઉપસ્થિત મેદની પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ પાઠવ્યા હતા. ભક્તોએ પરંપરાગત રીતે અબિલ-ગુલાલ અને ફૂલો સાથે હોળી રમી ભક્તિનો આનંદ માણ્યો હતો. આ આયોજન દ્વારા નવી પેઢીમાં વૈષ્ણવ સંસ્કૃતિ અને તહેવારોના મહત્વનું સિંચન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:47 pm

16 વર્ષીય સગીરાની છેડતીના આરોપીએ બહેનપણીને પણ ફસાવી:અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપી 15000 પડાવ્યા, 4 મહિનાથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ કુકર્મ કરતા પોલીસે દબોચ્યો

સુરતના કાપોદ્રા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાની છેડતીના ગુનામાં ધરપકડ બાદ તેની જ 15 વર્ષીય સગીર બહેનપણીને મોહજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે જ અશ્લીલ ફોટો વાયરલ કરવાનું કહી 15 હજાર પડાવી લીધાની ઘટનાં કાપોદ્રામાં પ્રકાશમાં આવી હતી. જેના આધારે કાપોદ્રા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. માતાએ પૂછપરછ કરતાં સગીરાએ હકીકત જણાવીકાપોદ્રા વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ગત 20મીની સાંજે સોસાયટીનાં નાકે નાસ્તો લેવા ગયા બાદ કલાકો બાદ ઘરે આવતાં ચિંતિંત માતાએ પૂછપરછ કરતાં તેને કાપોદ્રા રામકૃપા સોસાયટીમાં રહેતો ચેતન ઉર્ફે કાનો રમેશ હેડતરા (ઉ.વ. 19) બાઇક પર બેસાડી તેના મિત્રને ઘરે લઇ ગયો હતો અને ત્યાં દુષ્કર્મ આચર્યાનું જણાવતાં મામલો ગંભીર બન્યો હતો. 4 મહિનાથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ કુકર્મ કરતોતરૂણીએ માતાને વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લાં કેટલાંક સમયથી તેને ઓળખતી હતી. છેલ્લાં ચાર મહિનાથી તે અલગ-અલગ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો. તેણે અશ્લીલ ફોટો પણ પાડી લીધા હતા અને તે વાયરલ કરવાની ધમકી આપી પૈસા પણ પડાવતો હતો. અત્યાર સુધી તેની પાસેથી 15 હજાર રૂપિયા પણ લઈ ચૂક્યો હતો. મામલો કાપોદ્રા પોલીસે મથકે પહોંચતાં ચેતન ઉર્ફે કાનાની ધરપકડ કરાઈ હતી. અગાઉ 16 વર્ષીય સગીરાને પણ તેણે મોહજાળમાં ફસાવી હતીપોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચેતન ઉર્ફે કાના વિરૂદ્ધ ગત ઓક્ટોબર મહિનામાં છેડતીનો ગુનો નોંધાયો હતો. આ સગીરાની જ 16 વર્ષીય બહેનપણીને તેણે મોહજાળમાં ફસાવી હતી, પરંતુ તે સગીરાની માતાએ તેનો વિરોધ કરતાં તેણે સંબંધ તોડી નાંખતાં અપહરણ કરી ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કરતાં ધરપકડ થઇ હતી. જેલમુક્ત થયા બાદ આ સગીરાની બહેનપણીને જ ફસાવી વાસનાનો શિકાર બનાવી હતી. આ પણ વાંચો પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવી:સુરતમાં 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી ગોપીતળાવ ખાતે ફરવા લઈ જઈ દુષ્કર્મ આચર્યું, બ્લેકમેઇલ કરી ભગાડી જનાર ઝડપાયો સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી અને ઉધનામાં ધાગા કટીંગનું કામ કરવા જતી 17 વર્ષની તરુણીને ત્યાં જ રહેતા અન્ય ધર્મના યુવાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. નવ દિવસ અગાઉ તે તરુણીને બેલ્કમેઇલ કરી ઉત્તરપ્રદેશ ભગાડી ગયો..(વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો સુરતમાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ:પાડોશી યુવકે માસુમના બંને હાથ બાંધી કુકર્મ આચર્યું, ત્રણ દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો; પીડિતા હોસ્પિટલમાં દાખલ સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક 6 વર્ષીય નિર્દોષ બાળકી પર તેના જ પાડોશી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. હાલ બાળકી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે આરોપી ફરાર થઈ ગયો છે. ઇચ્છાપોર પોલીસ દ્વારા આરોપી જય મંગળને ઝડપી પાડવા પાંચ અલગ અલગ ટીમો બનાવી છે તથા 50થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા..(વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો સુરતમાં વધુ એક લૂંટ વિથ ગેંગરેપ:પાલીતાણાથી ટ્રેનમાં મહારાષ્ટ્ર જતી મહિલા પર સુરતમાં બાળક સામે દુષ્કર્મ, નિર્વસ્ત્ર હાલતમાં મળી; બે આરોપીની અટકાયત સુરતના ઉત્રાણ વિસ્તારમાં વધુ એક ગેંગરેપ વિથ લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલા તેના 3.5 વર્ષના બાળક સાથે પાલીતાણાથી મહારાષ્ટ્ર ટ્રેનમાં જઈ રહી હતી. તે દરમિયાન અમદાવાદથી એક યુવક પરિવાર સાથે તેના પતિને જાણતો હોવાનું કહીને તેની સાથે જ આવી રહ્યો હતો..(વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:40 pm

આણંદ ICAI શાખાના નવા હોદ્દેદારોની વરણી:હર્ષિત દેસાઈ ચેરમેન, જાગૃત શાહ વાઇસ ચેરમેન તરીકે ચૂંટાયા

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI) ની આણંદ શાખાના વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. CA હર્ષિત દેસાઈને ચેરમેન અને CA જાગૃત શાહને વાઇસ ચેરમેન તેમજ સીએ સ્ટુડન્ટ શાખા (WICASA) ના ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, CA પાર્થ પટેલ સચિવ તરીકે, CA જય શાહ ખજાનચી તરીકે અને CA રોનક ગોયલ તથા CA રાજન આનંદપરા કમિટી સભ્ય તરીકે ચૂંટાયા છે. નવનિયુક્ત ચેરમેન હર્ષિત દેસાઈએ આ જવાબદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આણંદ શાખા તેના 400થી વધુ સભ્યો અને 900 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. શાખા સમાજ અને દેશ હિતના કાર્યોને પણ વેગ આપશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1986 થી કાર્યરત આ શાખાને અત્યાર સુધીમાં રાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્તરે અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. પદગ્રહણ બાદ સભ્યો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાત CA રિકિન પટેલે “ICAI કોડ ઓફ એથિક્સ (2025)” ના સુધારેલા ફેરફારો વિશે માર્ગદર્શન આપ્યું. CA બિશન શાહે “GSTના તાજેતરના વિકાસ” વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે સચિવ CA પાર્થ પટેલે આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:39 pm

મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ:ખાનપુર તાલુકામાં ગાજવીજ સાથે ઝાપટું, પાકમાં નુકસાનની ભીતિ, ખેડૂતો ચિંતિત

મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે. બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાના ખાનપુર તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. થોડી જ મિનિટોના વરસાદથી રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં પાક તૈયાર થવાની આરે છે, ત્યારે આવા સમયે વરસાદ વરસવાથી પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. ખેડૂતોને તેમની મહેનત પર પાણી ફરી વળવાની ભીતિ છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:39 pm

આણંદમાં જમીન રેકોર્ડની કાયાપલટ થશે:‘નકશા’ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ શહેરી મિલકતોનું આધુનિક ટેકનોલોજીથી સર્વે કરાશે

આણંદ જિલ્લામાં ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) હેઠળ ‘NAKSHA’ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરી વિસ્તારોમાં જમીન સંબંધિત રેકોર્ડને વધુ પારદર્શક અને સચોટ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેનો મુખ્ય હેતુ અદ્યતન જીઓસ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલકતોની સીમાઓ અને હકદારીનું સચોટ સર્વેક્ષણ કરવાનો છે. બેઠકમાં કલેક્ટરે પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે, આ આધુનિકીકરણથી જમીન નકશા અને રેકોર્ડ વચ્ચેની અસંગતતાઓ દૂર થશે. પરિણામે, એક અપડેટેડ અને સચોટ ડેટાબેઝ તૈયાર કરી શકાશે. સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ અધિકારીએ વધુ વિગતો આપતા કહ્યું કે, આ પ્રક્રિયાથી મિલકતની સીમાઓ અંગેની માહિતી વધુ ચોક્કસ બનશે. આનાથી જમીન ખરીદ-વેચાણ અને વારસાઈની પ્રક્રિયામાં પારદર્શકતા વધશે અને ભવિષ્યમાં જમીન વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ પાયલોટ પ્રોગ્રામની સફળતાના આધારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ટેકનોલોજીનો વિસ્તાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નાગરિકોને મિલકત સંબંધિત દસ્તાવેજો મેળવવામાં સરળતા રહેશે અને શહેરી આયોજનને નવી ગતિ મળશે. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, મહાનગરપાલિકાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા સહિત લેન્ડ રેકોર્ડ કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ડિજિટલ ગવર્નન્સની દિશામાં આણંદ જિલ્લો આ પ્રોજેક્ટ દ્વારા એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરશે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:37 pm

વેરાવળમાં શેલ્ટર હોમ, અટલ ગાર્ડનનું ખાતમુહૂર્ત-લોકાર્પણ:શેલ્ટર હોમમાં 75 લોકો રહી શકે તેવી સુવિધા, રૂ. 2 કરોડના ખર્ચે એક વર્ષમાં તૈયાર થશે

વેરાવળમાં ભિક્ષુકો અને ઘરવિહોણા લોકો માટે શેલ્ટર હોમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાથે ભીડીયા વિસ્તારમાં તૈયાર કરાયેલા અટલ ગાર્ડનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ બંને પ્રોજેક્ટથી જરૂરિયાતમંદ લોકો, વૃદ્ધો અને બાળકોને નવી સુવિધાઓનો લાભ મળશે. આ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો સાંસદ રાજેશ ચુડાસમા, પાલિકા પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની, બાંધકામ સમિતિના ચેરમેન દિક્ષીતાબેન અંકુરભાઈ અઢીયા સહિતના અગ્રણીઓના હસ્તે યોજાયા હતા. પાલિકાના શાસકો, નગરસેવકો અને અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારની સૂચનાથી DAY-NULM ના SUH ઘટક અંતર્ગત ફાળવેલી ગ્રાન્ટમાંથી વેરાવળમાં શેલ્ટર હોમ બનાવવામાં આવી રહ્યું છે. શહેરના હુડકો સોસાયટી વિસ્તારમાં હોસ્ટેલ પાસે 500 ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ શેલ્ટર હોમ બનશે. તેમાં 75 લોકો રહી શકે તેવી સુવિધા હશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 2 કરોડનો ખર્ચ થશે અને આગામી એક વર્ષમાં તે તૈયાર થઈ જશે. આ ઉપરાંત, ભીડીયા વિસ્તારમાં અમૃત યોજના હેઠળ તૈયાર થયેલા અટલ ગાર્ડનનું પણ લોકાર્પણ કરાયું છે. આ બંને કામોનો કુલ ખર્ચ અંદાજે રૂ. 2.5 કરોડથી વધુ છે. આ સુવિધાઓ બાળકો, વૃદ્ધો અને ઘરવિહોણા લોકો માટે લાભદાયી બનશે. આ અંગેની માહિતી ચેરમેન દિક્ષીતાબેન અંકુરભાઈ અઢીયા, ચીફ ઓફિસર દેવીબેન ચાવડા અને મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથસિંહ પઢીયાર દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:35 pm

આણંદમાં 200 વૈજ્ઞાનિકોનું મંથન:ડિજિટલ એક્સ્ટેન્શનથી ખેડૂતોના સશક્તિકરણ પર ભાર, 2047 વિકસિત ભારત લક્ષ્ય

આણંદ કૃષિ યુનિવર્સિટી અને સોસાયટી ઓફ એક્સ્ટેંશન એજ્યુકેશન ગુજરાત (SEEG) ના સંયુક્ત ઉપક્રમે ‘ડિજિટલ એક્સ્ટેન્શન અને ખેડૂત સશક્તિકરણ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં દેશભરની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના 200થી વધુ વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાના અધ્યક્ષસ્થાને સેમિનારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી. પી. ચોવટીયા મુખ્ય અતિથિ તરીકે અને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. તિમુર આહલાવત વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સેમિનાર દરમિયાન ‘નેશનલ સેમિનાર – સ્મરણિકા 2026’ (Souvenir 2026) નું વિમોચન કરવામાં આવ્યું હતું. ટેક્નિકલ સત્રોમાં રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોએ પોતાની સફળતાગાથાઓ રજૂ કરી હતી. આ ઉપરાંત, આઠ અલગ-અલગ સ્થળોએ મૌખિક સંશોધન અને પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર મહાનુભાવોનું સન્માન કરી વિવિધ કેટેગરીમાં એવોર્ડ અને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા. SEEG ના પ્રમુખ ડૉ. જે. કે. પટેલે સ્વાગત પ્રવચન દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સમાપન સંબોધનમાં કુલપતિ ડૉ. કે. બી. કથીરીયાએ જણાવ્યું હતું કે, ડિજિટલ માધ્યમો દ્વારા ખેતીની નવીનતમ માહિતી છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી તેમને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો આ સેમિનારનો મુખ્ય હેતુ છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સિદ્ધ કરવામાં કૃષિ ક્ષેત્ર પાયાની ભૂમિકા ભજવશે. સેમિનારના અંતે સહભાગી વૈજ્ઞાનિકોએ અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. સમગ્ર આયોજનની આભારવિધિ ડૉ. કે. ડી. ગુલકરીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:33 pm

લગ્નની લાલચ આપીને સગીરા પર દુષ્કર્મ:વડોદરામાં 19 વર્ષીય યુવકે 17 વર્ષની સગીરાને હોટલમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં POCSO એક્ટ હેઠળ એક ગંભીર કેસ નોંધાયો છે. આ કેસમાં 19 વર્ષીય યુવકે લગ્નની લાલચ આપીને 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. આરોપી મુકેશ યાદવ છેલ્લા છ મહિનાથી પીડિતા યુવતીને લગ્ન કરવાના સપના બતાવીને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બંને વચ્ચે છેલ્લા છ મહિનામાં રિલેક્સ ઇન નામની હોટલમાં ત્રણ-ચાર વખત મુલાકાત થઈ હતી અને ત્યાં શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે લગ્નની વાત આગળ વધી ત્યારે બંને વચ્ચે મતભેદ થતાં યુવતીએ તેના પરિવારની સલાહથી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે POCSO એક્ટની સંબંધિત કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતાની અન્ય કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આરોપી મુકેશ યાદવ મૂળ ઉત્તર પ્રદેશનો છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં જ રહે છે. તે કરચિયા ગામ પાસેના વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. પીડિતા યુવતી વડોદરા શહેરની જ છે. પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેની કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી છે. પોલીસ આ કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તેમજ અન્ય કોઈ સંડોવણી કે વધુ પુરાવા શોધવાનું કામ ચાલુ રાખ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:29 pm

રોહિત મજગુલે રચ્યો ઈતિહાસ:ગિરના સિદ્દી યુવાને ટ્રાયલ્સમાં હરિયાણાના ખેલાડીને હરાવી એશિયન-કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન નિશ્ચિત કર્યું

ગુજરાતના ઉદયમાન જુડોકા રોહિત મજગુલે નવી દિલ્હીમાં યોજાયેલી સિલેક્શન ટ્રાયલ્સમાં શાનદાર પ્રદર્શન કરી રમતજગતનું ધ્યાન ખેંચ્યું છે. વિજયી ભારત ફાઉન્ડેશન (VBF)માં તાલીમ મેળવતા રોહિતે 22 ફેબ્રુઆરીના રોજ કોમનવેલ્થ ગેમ્સ 2026 અને એશિયન ગેમ્સ 2026 એમ બંને પ્રતિષ્ઠિત ઈવેન્ટ માટે ક્વોલિફાય થઈને રેકોર્ડ સર્જ્યો છે. સંઘર્ષપૂર્ણ ફાઈનલ અને ટેકનિકલ વિજય -66kg કેટેગરીમાં રમેલા રોહિતનો સામનો હરિયાણાના ગર્વિત સામે થયો હતો. બેસ્ટ-ઓફ-થ્રી ફાઈનલનો આ મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. મેચ ગોલ્ડન સ્કોર સુધી ખેંચાઈ હતી, જ્યાં રોહિતે પોતાની કુશળ 'ઓ-ગોશી' ટેકનિકથી વઝારી મેળવી વિજય હાંસલ કર્યો હતો. છેલ્લા બે સિનિયર નેશનલ્સથી અપરાજિત રહેલા રોહિતે પોતાની આ સાતત્યપૂર્ણ સફળતા જાળવી રાખી છે. સિદ્દી સમુદાય અને ગુજરાતનું ગૌરવ ગિર સોમનાથ જિલ્લાના તલાલા ગામના વતની અને સિદ્દી સમુદાયમાંથી આવતા રોહિતની આ સિદ્ધિ રાજ્યના આદિવાસી અને રમતગમત સમુદાય માટે ગૌરવ સમાન છે. જુલાઈ 2026માં ગ્લાસગો (સ્કોટલેન્ડ) ખાતે કોમનવેલ્થ ગેમ્સ અને સપ્ટેમ્બર 2026માં આઇચી-નાગોયા (જાપાન) ખાતે એશિયન ગેમ્સ યોજાવાની છે, જેમાં હવે રોહિત ભારતનું પ્રતિનિધિત્વ કરશે. VBFના તાલીમ માળખા અને કોચિંગ સ્ટાફે આ સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 4:09 pm

6 યુવકોએ અનાથ સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી:વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી રેપ કર્યો, અન્ય પાંચે બ્લેકમેઈલ કરી અલગ અલગ સમયે કુકર્મ આચર્યું

વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખસોએ અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય જે પાંચ યુવકો છે તેને પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે 6 યુવકો સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા કરજણ ડિવિઝનના ડીવાયએસપી પી.એન. પટેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યુંવડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા યુવક રોહિત રાઠોડિયાને વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે પરિચય થયો હતો. એક વર્ષ પહેલા રોહિત સગીરાને વારંવાર મળતો અને લગ્નની લાલચ આપી હતી અને ફોસલાવી પટાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે યુવકે તેની સાથે લગ્ન કર્યા નહોતા. યુવકે સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. રોહિત અને સગીરાના સંબંધ જાહેર કરવાની ધમકી આપી અન્ય પાંચ યુવકોએ કુકર્મ આચર્યુંરોહિત અને સગીરા વચ્ચેના સંબંધોની જાણ થતા પ્રેમ પરમાર, શૈલેષ ઉર્ફે અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ અને સાહિલ ઘાંચીએ સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા. મુખ્ય આરોપી રોહિત સાથેના સંબંધની બીજા 5 છોકરાઓને ખબર પડી ગઈ હતી. તેમણે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેમની સાથે સંબંધ નહીં રાખે તો તેઓ આ વાત જાહેર કરી દેશે અથવા તેને જાનથી મારી નાખશે. આવી ધમકીઓ આપીને અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરી 2025થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા 6 આરોપીઓનો ભાંડો ફૂટ્યોઆરોપીઓ અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે સગીરાને લઈ જતા હતા સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. સગીરાને હાલ પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. જેની જાણ સગીરાએ પરિવારને કરતા આખરે મામલો વરણામા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ મામલે 6 આરોપી યુવકો સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના માતા-પિતાનું થઈ ચૂક્યું છે અવસાનસગીરાના માતા-પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે, જેથી તે તેના સંબંધી સાથે રહે છે. તેણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ભણતી નથી. સગીરા અનુસૂચિત જાતિની છે. જેથી આ મામલે વરણામા પોલીસે દુષ્કર્મ અને પોકસો સિવાય એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કર્યો છે. પોલીસે સગીરાના મેડિકલ કરાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે કરજણ ડિવિઝનના Dysp પી. એન. પટેલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે અને ટીમો બનાવીને 6 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 3:56 pm

નવસારીમાં કમોસમી વરસાદથી કેરી, શિયાળુ પાકને મોટું નુકસાન:બદલાતા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી, ઉત્પાદન ઘટવાનો ભય

છેલ્લા એક દાયકાથી ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં આવેલા મોટા ફેરફારોની સીધી અસર હવે દક્ષિણ ગુજરાતની ખેતી પર જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા બે મહિનાથી અનુભવાઈ રહેલા અસહ્ય તાપમાન અને કાતિલ ઠંડીના મિશ્ર વાતાવરણ વચ્ચે હવે કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખાસ કરીને જિલ્લાના મુખ્ય ફળ પાક ગણાતી કેરી અને શિયાળુ શાકભાજી પર જોખમ તોળાઈ રહ્યું છે. કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિનવસારી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પિનાકીનભાઈના જણાવ્યા અનુસાર, હાલમાં કેરીના ઝાડ પર રાય કે મગના દાણા જેવડી નાની કેરીઓ બેસવાની શરૂઆત થઈ ગઈ છે. આવા નાજુક સમયે છેલ્લા ત્રણ દિવસથી બગડેલા વાતાવરણ અને વરસાદી ઝાપટાંને કારણે આ પાક નષ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. વિપરીત હવામાનને કારણે કેરીના ફલીનીકરણમાં અવરોધ ઊભો થયો છે, જે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે ચિંતાનો વિષય છે. ચાલુ વર્ષે કેરીની સીઝન મોંઘી અને ઓછી ઉપજવાળી રહે તેવા સંકેતો મળી રહ્યા છે. શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો અને ખર્ચમાં વધારોમાત્ર ફળ પાક જ નહીં, પરંતુ શિયાળુ શાકભાજીને પણ કુદરતી આફતનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે શાકભાજીના ફૂલો ખરી પડવાની (ફૂલ ખરણ) સમસ્યા સર્જાઈ છે, જેનાથી સીધી અસર આવક પર પડશે. ખેડૂતોએ પાક બચાવવા માટે વારંવાર ફૂગનાશક દવાઓ અને મોંઘી પેસ્ટીસાઈડ્સનો છંટકાવ કરવો પડી રહ્યો છે, જેનાથી ખેતીનો નિભાવ ખર્ચ અનેકગણો વધી ગયો છે. ખેડૂતો માટે 'પડતા પર પાટું' જેવી સ્થિતિવૈશ્વિક સ્તરે બદલાતા ક્લાઈમેટ ચેન્જની અસરો વિશે વાત કરતા ખેડૂત અગ્રણીએ જણાવ્યું કે, ચોમાસા બાદનું અનિશ્ચિત વાતાવરણ ખેતી માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. એક તરફ ઉત્પાદન ઘટી રહ્યું છે અને બીજી તરફ ખર્ચ વધી રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેશે, તો જિલ્લાનો કૃષિ વ્યવસાય આર્થિક સંકટમાં મુકાઈ શકે છે.સમગ્ર ગુજરાતના વાતાવરણમાં પલટો નવસારી કૃષિ યુનિવર્સિટીના KVKના વૈજ્ઞાનિક કે.એ શાહ જણાવે છે કે છેલ્લા 2 દિવસથી આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થયો છે, જ્યારે ગઈકાલે સુરત અને દક્ષિણ ગુજરાતમાં અમુક અમુક જગ્યાએ માવઠું જોવા મળ્યું છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ સંજોગોમાં આપણા દક્ષિણ ગુજરાતના મુખ્ય પાકો, ખાસ કરીને આંબા જેવા પાકોમાં આ માવઠાને લીધે આપણને માઠી અસર જોવા મળી શકે છે. આંબાની વાત કરીએ તો અત્યારે ઘણી જગ્યાએ ફૂલ આવી ગયા છે અથવા તો નાની નાની કણી બેસી ગઈ છે. એવા સંજોગોમાં આ ફૂલ કાળા પડવાની અથવા તો એમાં ઈયળ લાગવાની શક્યતા રહેલી છે, સાથે સાથે એમાં કાલવર્ણ જેવો રોગ લાગવાની પણ શક્યતા રહેલી છે. આ માવઠાને લીધે જોવા જઈએ તો એમાં ભૂકી છારાનો રોગ પણ આવવાની શક્યતાઓ રહેલી છે.તો એવા સંજોગોમાં આ આંબો જ્યારે આ દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક હોય, તો એમાં આવતા આવા રોગ અને જીવાતના નિયંત્રણ માટે યુનિવર્સિટી દ્વારા જે કંઈ પણ ભલામણ કરવામાં આવેલી છે તેવી શોષક પ્રકારની દવાઓ અથવા તો જે કંઈ ફૂગ આવે તો એના માટે ભલામણ કરવામાં આવેલી ફૂગનાશક દવાનો છંટકાવ કરવો ખેડૂતો માટે હિતાવહ છે. સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ઘણા બધા વિસ્તારમાં શાકભાજીના પાકોનું પણ વાવેતર કરવામાં આવે છે. તો આ શાકભાજીના પાકોમાં જોવા જઈએ તો રીંગણ છે, મરચી છે, ટામેટી છે અને અન્ય વેલાવાળા શાકભાજી જેવા પાકો છે. તો આ પાકોમાં ખાસ ચુસિયા પ્રકારની જીવાતો અથવા તો આવા જે શાકભાજી પાકોમાં ફળ લાગેલા હોય તો એમાં ફળ અથવા તો ડૂખ કોરી ખાનારી ઈયળોનો પણ ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. તો એવા સંજોગોમાં આ જીવાતોના નિયંત્રણ માટે જે કંઈ પણ યુનિવર્સિટી દ્વારા સમયાંતરે ભલામણ કરવામાં આવેલી છે એવી શોષક પ્રકારની દવાઓનો છંટકાવ કરવો. સાથે સાથે ખેડૂત મિત્રો, તો આપ નજીકના કોઈ કૃષિ સંશોધન કેન્દ્રો અથવા યુનિવર્સિટી અથવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પાસેથી માહિતી મેળવી શકો છો.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 3:46 pm

વિધાનસભા પરિસરમાં હસ્તકલા કૌશલ્યનું પ્રદર્શન:28 ફેબ્રુઆરી સુધી સ્વદેશી ચીજવસ્તુઓના 10 સ્ટોલ્સ પર આત્મનિર્ભર બહેનોની કળા જોવા મળશે

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં આજે ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન હેઠળ ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો ભવ્ય પ્રારંભ થયો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ પ્રદર્શનનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી હસ્તકલા હવે વૈશ્વિક બ્રાન્ડ ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતની મહિલાઓએ પોતાના પરિશ્રમ અને કૌશલ્યથી ભરતકામ જેવી પરંપરાગત કળાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. આજે ગુજરાતની હસ્તકલા વિશ્વભરમાં એક પ્રતિષ્ઠિત 'બ્રાન્ડ' તરીકે ઉભરી આવી છે. તેમણે આ પહેલને બિરદાવતા કહ્યું કે, લોકશાહીના મંદિર સમાન વિધાનસભા સંકુલમાં આ પ્રકારનું આયોજન રાજ્યની મહિલા કારીગરો માટે પ્રોત્સાહનનું નવું કિરણ સાબિત થશે. ધારાસભ્યોના માધ્યમથી કળાનો વ્યાપ વધારવા સૂચન અધ્યક્ષે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલને આ સુંદર આયોજન બદલ અભિનંદન આપતા એક મહત્વનું સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્યોના માધ્યમથી આ કળા અને ઉત્પાદનોનો પ્રચાર રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી થાય તે માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે આ સ્ટોલ્સ માત્ર ખરીદીનું કેન્દ્ર નથી, પણ મહિલાઓના સ્વાભિમાન અને 'આત્મનિર્ભર ભારત'ના સપનાનું પ્રતીક છે. 28 ફેબ્રુઆરી સુધી ચાલશે પ્રદર્શન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા આયોજિત આ પ્રદર્શન-સહ-વેચાણ આગામી 28 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. વિધાનસભાના પ્રાંગણમાં કુલ 10 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. સામાન્ય નાગરિકો સવારે 9:30 થી સાંજે 6:30 કલાક દરમિયાન આ પ્રદર્શનની મુલાકાત લઈ શકશે. આ કાર્યક્રમમાં વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Feb 2026 3:41 pm