SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ભાજપના 'ચાણક્ય' ચૂંટણી મેદાને:નવસારી વોર્ડ-2માંથી અશોક ધોરાજીયાને ટિકિટ, ચાર દાયકાથી વધુ સમયથી સંગઠનમાં સક્રિય છતાં પ્રથમવાર ચૂંટણી લડશે

નવસારી ભાજપે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે વોર્ડ નંબર-2 માંથી અશોક ધોરાજીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી પક્ષના સંગઠનમાં સક્રિય છે અને દક્ષિણ ગુજરાત ભાજપના 'ચાણક્ય' તરીકે ઓળખાય છે. ચાર દાયકાથી વધુ સમયથી ભાજપના સંગઠનમાં સક્રિય હોવા છતાં, અશોક ધોરાજીયા પોતાના જીવનમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અનેક ચૂંટણીઓમાં પક્ષને વિજય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નવસારીમાં વસતા સૌરાષ્ટ્ર સમાજમાં અશોક ધોરાજીયાનું મોટું વર્ચસ્વ છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમની મજબૂત પકડને કારણે પક્ષે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. તેમની ઉમેદવારીથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકીય વિશ્લેષકોમાં એવી ચર્ચા છે કે, જો ભાજપ નવસારીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે, તો મેયર પદ માટે અશોક ધોરાજીયા પ્રબળ દાવેદાર બની શકે છે. તેમની વહીવટી કુશળતા અને સંગઠન શક્તિને ધ્યાનમાં રાખીને તેમને આ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:55 pm

PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત!:PSIની ફિઝિકલ ટેસ્ટ અને સોલા સિવિલના ઊંચાઈના ટેસ્ટમાં ફેઈલ, હાઈકોર્ટે કહ્યું, ફરીવાર નિષ્ફળ જશો તો નોકરી પણ જશે

પોલીસ કોન્સ્ટેબલ બોનીકુમાર કાપડિયાએ PSIની ફિઝિકલ ટેસ્ટ આપી હતી. જેમાં તે ઊંચાઈના માપદંડથી ફેઈલ થયા હતાં. જેની તેને અમદાવાદથી હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેને ફરીથી હાઈકોર્ટે સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ આપ્યા હતાં. જેમાં પણ તેઓ ફેઈલ થયા હતા. ત્યારબાદ ફરી કોન્સ્ટેબલે કોર્ટમાં ઊંચાઈની ફેર-માપણીની માંગ કરી હતી, પરંતુ કોર્ટે એવી ચેતવણી આપી કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે, પરિણામે કોન્સ્ટેબલે પીછેહઠ કરી અરજી પાછી ખેંચી લીધી હતી. PSI શારિરીક કસોટીમાં ઊંચાઈમાં અયોગ્ય જાહેર ગુજરાત પોલીસમાં બોનીકુમાર કાપડિયા કોન્સ્ટેબલ તરીકે 2019માં જોડાયા હતાં. તે સમયે તેમની ઊંચાઈ 165 સેમી અને 5 કિમીની દોડ નિર્ધારિત સમયમાં પૂર્ણ કરી હોવાનું સ્વીકારાયું હતું. 6 વર્ષ પછી જ્યારે તેમણે PSI બનવા માટે અરજી કરી, ત્યારે શારીરિક કસોટીમાં તેમની ઊંચાઈ 165 સેમી કરતાં ઓછી માલૂમ પડી, જેના કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતાં. હાઈકોર્ટમાં અરજી, સોલા સિવિલમાં ઊંચાઈ મપાઈઆ મામલે બોનિકુમારે અમદાવાદથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વિડિયોગ્રાફી હેઠળ ફરીથી માપણી કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં ફેબ્રુઆરી મહિનામાં હાઇકોર્ટમાં 10 હજાર ડિપોઝિટ ભરીને 24 ફેબ્રુઆરીએ સોલા સિવિલમાં ઊંચાઈ માપવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેઓ નિર્ધારિત ઊંચાઈમાં નિષ્ફળ રહ્યાં હતાં. 'કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી તેવો અર્થ થશે'જ્યારે કાપડિયાએ ફરીથી માપણીની માંગ કરી, ત્યારે હાઇકોર્ટે સવાલ કર્યો કે, શું વ્યક્તિની ઊંચાઈ ઘટવા લાગે છે? કોર્ટે ચેતવણી આપી હતી કે જો ત્રીજી વખતની માપણીમાં પણ તેઓ નિષ્ફળ જશે, તો તેનો અર્થ એ થશે કે તેમણે 2019માં કોન્સ્ટેબલની નોકરી છેતરપિંડીથી મેળવી હતી. કાપડિયાએ અરજી પાછી ખેંચી લીધી જો અરજદાર ત્રીજી વાર નિષ્ફળ જાય તો PSI બનવાનું તો દૂર, પણ હાલની કોન્સ્ટેબલની નોકરી પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. આ જોખમ જોતા કાપડિયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:47 pm

મોરબી મહાનગરપાલિકાની ઉમેદવારીનો અંતિમ દિવસ:ભાજપ અને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો ઉપરાંત અપક્ષ ઉમેદવારોએ પણ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ પ્રસંગે ગુજરાતના મંત્રી કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં વ્યક્તિ ગૌણ છે, કમળ જીતવું જોઈએ. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી કલેક્ટર કચેરી અને પ્રાંત કચેરી સહિત કુલ ત્રણ સ્થળોએ ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ તેમજ નારાજ થઈને અપક્ષમાં ઉમેદવારી કરનારા આગેવાનોએ પણ પોતાના ટેકેદારો સાથે ઉત્સાહપૂર્વક ફોર્મ ભર્યા હતા. ગઈકાલે મોડી રાત્રે ભાજપે તેના 52 ઉમેદવારોના સત્તાવાર નામ જાહેર કર્યા હતા. મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, નાના-મોટા મનદુઃખ ભૂલીને દૂધમાં સાકર ભળે તે રીતે કમળ જીતે તે માટે કામે લાગી જવું જોઈએ. તેમણે ભાજપના ઉમેદવારોનો વિજય નિશ્ચિત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ભાજપમાંથી ટિકિટ ન મળવાના કારણે કેટલાક આગેવાનો દ્વારા અપક્ષમાં ઉમેદવારી કરવામાં આવી રહી હોવા અંગે પૂછવામાં આવતા મંત્રી અમૃતિયાએ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, મોરબી મહાપાલિકામાંથી ચૂંટણી લડવા માટે 400થી વધુ આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ માત્ર 52 વ્યક્તિઓને જ ટિકિટ આપી શકાય. મંત્રીએ ઉમેર્યું કે, તેમનાથી સિનિયર હોય તેવા આગેવાનોને પણ ટિકિટ ન મળી હોય તેવું બન્યું છે, જેના માટે તેઓ ક્ષમા માંગે છે. તેમણે ફરીથી ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિ ગૌણ છે અને કમળ વિજેતા બનવું જોઈએ, આ લક્ષ્ય સાથે સૌ કાર્યકર્તાઓએ સાથે મળીને કામ કરવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:44 pm

નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો વિરોધ:મચ્છરદાની પહેરી દૂષિત પાણીની બોટલ સાથે ફોર્મ ભર્યું

નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. તેઓ માથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ લઈને પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શન નવસારી શહેરમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી મચ્છરની સમસ્યા અને દૂષિત પાણીના પ્રશ્નોના ઉકેલ ન આવવાને કારણે કરવામાં આવ્યું હતું. શહેરીજનો આ સમસ્યાઓથી પરેશાન હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, તેવો તેમનો આક્ષેપ હતો. પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું કે, પાલિકાના અધિકારીઓ અને શાસક પક્ષ 'જાડી ચામડી'ના બની ગયા છે અને જનતાની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર છે. આ પ્રતીકાત્મક વિરોધ દ્વારા તેમણે સરકારી અધિકારીઓનું ધ્યાન દોરવાનો અને જનતાનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી જિલ્લા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે ઉમેદવારો અને તેમના સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૂંટણી પંચની સૂચના મુજબ, બપોરે 3 વાગ્યા સુધી જ ફોર્મ સ્વીકારવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:42 pm

ચંદ્રુમાણા ગામે ખોડીયાર માતાની રમેલ યોજાઈ:મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા હાજર

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે લીમડી ચોક માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું આયોજન શુક્રવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી હતી અને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. ગામના વાળંદ પરિવારના બાબુભાઈ કાંતિભાઈ નાયીના યજમાન પદે આ માતાજીની રમેલ યોજાઈ હતી. નાયી સમાજના બચુભાઈ અમથાભાઈ, ગોવિંદભાઈ મોહનભાઈ, કુલદીપભાઈ જયંતીભાઈ ઉપરાંત ગામના વિહત માતાના ઉપાસક દિનેશભાઈ ખટાણા, નાથબાઈ માતાના ઉપાસક ભોગીલાલ પ્રજાપતિ, કાંતિભાઈ દરજી, જયંતીજી ઠાકોર તેમજ બહાર ગામથી પધારેલા શક્તિ ઉપાસકોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સમીના તારોરાથી પધારેલા એક શક્તિ ઉપાસકે ઉપસ્થિત ભક્તોને હૃદયમાં રામ રાજી રાખીને કોઈનું પણ ખરાબ ન થાય તે રીતે જીવન જીવવા અને ખોટા માર્ગે ન જવા માટે બોધ આપ્યો હતો. આ સંદેશ ભક્તોમાં ખૂબ પ્રેરણાદાયક રહ્યો હતો. કાર્યક્રમના અંતે, તમામ શક્તિ ઉપાસકોને કામળી ઓઢાડી અને ભેટ સોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:41 pm

LCB એ ભોપલકા ગામેથી 220 બોટલ દારૂ ઝડપ્યો:ચૂંટણી પહેલાં ₹44,590ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત, LCB ટીમે કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે દરોડો પાડી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે, PSI બી.એમ. દેવમુરારી અને તેમની ટીમે ભોપલકા ગામે વિજયસિંહ હરીસિંહ જાડેજા (ઉંમર 36)ના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, તેના કબજામાંથી 180 MLની 220 બોટલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ₹34,590ની કિંમતનો દારૂ અને ₹10,000નો મોબાઇલ ફોન મળી કુલ ₹44,590નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 2:34 pm

ડુગરવાડા કબીર કુટીરમાં ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ:પંથાચાર્ય ઉદિત મુનિના હસ્તે ધ્વજા પૂજા, ભવિષ્યમાં 'ધ્વજા બેઠક' તરીકે પૂજાશે

ડુગરવાડા સ્થિત કબીર કુટીર ખાતે કબીર પંથના સોળમા પંથાચાર્ય પરમ પૂજ્ય હજુર શ્રી ઉદિત મુનિ નામ સાહેબના હસ્તે એક વર્ષ પૂર્વે કરવામાં આવેલ ધ્વજારોહણને એક વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે ધ્વજા નિશાન પૂજા અને ધ્વજારોહણ વિધિ ભવ્ય રીતે યોજાઈ હતી. આ પવિત્ર વિધિ પૂજ્ય મહંત વિષ્ણુપ્રસાદ મહારાજ અને મહંતપ્રેમદાસ સાહેબના હસ્તે સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે નિલેશભાઈ જોષી, અમિતભાઈ કવિ, દિગ્વિજય સિંહ, નરસિંહભાઈ રાજવી સહિત ડુગરવાડા ગામના મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. નિલેશભાઈ જોષીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ ધ્વજાને ધ્વજા બેઠક તરીકે પૂજવામાં આવશે. મહંતશ્રી વિષ્ણુપ્રસાદ મહારાજે ઉમેર્યું હતું કે કબીર પંથની આ ધ્વજા પંથકમાં ધર્મપ્રેરણા ફેલાવતી રહેશે. આ પ્રસંગે મહંતઓ અને આગેવાનો દ્વારા ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ગુરુગાદી વતી ઉપસ્થિત મહંતો અને આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:57 pm

ચંદ્રુમાણામાં રાવળ પરિવારના કુળદેવી ચેહરમાતાની રમેલ યોજાઈ:ઉપાસકોએ ભક્તોને સાચા માર્ગે જીવન જીવવા આશીર્વાદ આપ્યા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના જૂની ડેરીવાસમાં આવેલા રાવળ પરિવારના કુળદેવી શ્રી ચેહર માતાના મંદિરે શુક્રવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ અને બહારગામથી મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકો અને ભક્તો ઉમટી પડ્યા હતા. ઉપાસકોએ વિવિધ દેવીઓનું આહવાન કરીને ગાદી પરથી ભક્તોને જીવનમાં શ્રદ્ધા જાળવી રાખવા અને સાચા માર્ગે જીવન જીવવા માટે આશીર્વાદ આપ્યા હતા. આ રમેલ મહોત્સવ રાવળ સમાજના અમથીબેન ગાંડાભાઈની દીકરી ટીનીબેન કડવાભાઈ અંબાલાલના યજમાન પદે યોજાયો હતો. જેમાં ભગાભાઈ, રમેશભાઈ, છનાભાઈ, પીન્ટુભાઇ, રાહુલભાઈ સહિતના માતાજીના ઉપાસકો અને અન્ય ભુવાજીઓ માતાજીનું આહવાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ ઉપાસકોનું શાલ ઓઢાડીને અને પુષ્પવર્ષા કરીને સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ચાણસ્માના કલાકાર અજયભાઈએ રમેલની ગાથાનું ગાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:56 pm

પાલનપુરમાં પોલીસનું સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ:ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ

પાલનપુર પોલીસે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારોમાં નિર્ભય વાતાવરણ ઊભું કરવા માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ અંતર્ગત, વિવિધ વિસ્તારોમાં પોલીસ ટીમો દ્વારા સઘન ચકાસણી અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આ ઉપરાંત, સ્થાનિક લોકોને શાંતિપૂર્ણ રીતે મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ કામગીરીથી લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે અને શાંતિપૂર્ણ ચૂંટણી યોજાય તે માટે સકારાત્મક માહોલ સર્જાયો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:51 pm

ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું:સુરત કલેક્ટર કચેરી ‘રણમેદાન’ બની; ઇટાલિયા સામે ભાજપ કાર્યકરોના મોદી-મોદી નારા; પોલીસે મામલે થાળે પાડ્યો

સુરત શહેરના રાજકારણમાં આજે ત્યારે ગરમાવો આવી ગયો જ્યારે વોર્ડ નંબર 14 (માતાવાડી-કરંજ) ના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અન્ય પક્ષોના ઉમેદવારો જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઈલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે હાજર સુરક્ષાકર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ તેમની સ્થિતિ અંગે તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ટેકનિકલ સમસ્યા અને નિયમોના ગૂંચવાડાને ગણાવ્યું કારણઆત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ જણાવતા ગૌશાલીબેને આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પાર્ટીએ મને મેન્ડેડ આપ્યું છે અને કોઈ કચાસ રાખી નથી, પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ ડેટામાં સુધારા કરી શકાય છે, જેના કારણે મારી ઉમેદવારી અટવાઈ પડી છે. ફોર્મમાં થયેલી ભૂલ અને ટેકનિકલ અવરોધથી હતાશ થઈને તેમણે આ અંતિમ ડગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં ભાજપની નારેબાજી, માહોલ ગરમાયોફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત કલેક્ટર કચેરી ખાતે હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામસામે આવી જતા કલેક્ટર કચેરી જાણે રાજકીય જંગનું મેદાન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા મનોજ સોરઠીયા પોતાનું નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમની સાથે આપના દિગ્ગજ નેતા ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા. જોકે, આ જ સમયે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં પોતાના ઉમેદવારો સાથે ત્યાં ઉપસ્થિત હતા. ગોપાલ ઈટાલિયાને જોતા જ ભાજપના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને જોરશોરથી 'મોદી-મોદી' ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ભાજપના કાર્યકરોએ 'કેજરીવાલ ચોર છે' અને 'દેશ કે ગદ્દારો કો ગોલી મારો' જેવા વિવાદિત સૂત્રોચ્ચાર કરતા વાતાવરણમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. સૂત્રોચ્ચાર વચ્ચે પોલીસ દોડતી થઈ, ઘર્ષણ ટળ્યુંભાજપના નારા સામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ મોરચો સંભાળ્યો હતો. 'આપ' ના કાર્યકરોએ હાથમાં ઝાડુ લઈ 'ઝાડુ-ઝાડુ' અને 'પરિવર્તન' ના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું. બંને પક્ષના કાર્યકરો એકબીજાની એટલા નજીક આવી ગયા હતા કે ગમે ત્યારે શારીરિક સંઘર્ષ થાય તેવી ભીતિ સેવાઈ રહી હતી. સ્થળ પર હાજર પોલીસ કાફલો તરત જ હરકતમાં આવ્યો હતો અને બંને જૂથો વચ્ચે માનવ સાંકળ બનાવી પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બંને તરફથી ચાલતા શાબ્દિક પ્રહારોને કારણે અફરાતફરીનો માહોલ લાંબો સમય ચાલ્યો હતો. નેતાઓએ કાર્યકરોને સંભાળ્યા, શાંતિપૂર્ણ ફોર્મ વિધિ સંપન્નજ્યારે મામોલ વધુ બિચકાયો ત્યારે બંને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ દરમિયાનગીરી કરી હતી. મોટી દુર્ઘટના ન ઘટે તે માટે નેતાઓએ પોતપોતાના કાર્યકરોને શાંત પાડ્યા હતા અને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં શિસ્ત જાળવવા અપીલ કરી હતી. પોલીસની કડક સુરક્ષા વચ્ચે અંતે મનોજ સોરઠીયા સહિતના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. સુરતની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ અને 'આપ' વચ્ચે સીધો જંગ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જેની ઝલક આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેક્ટર કચેરીમાં જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:49 pm

દ્વારકા જિલ્લા પંચાયત ભાજપ મેન્ડેટ જાહેર:ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા નામો રજૂ કરાયા

દ્વારકા જિલ્લા પંચાયત માટે ભાજપના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા ઉપપ્રમુખ ખેરાજભાઈ કેર દ્વારા આ નામોની રજૂઆત કરવામાં આવી હતી, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જાહેર કરાયેલા મેન્ડેટ મુજબ, મીઠાપુર જિલ્લા પંચાયત બેઠક પર ઉદયસિંહ વનરાજભાને ટિકિટ આપવામાં આવી છે. વડવાળા બેઠક પર નયાણી રૂપાબેન લખનભાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બરડીયા બેઠક પર હાથિયા ગોરીબેન જેઠાભાઇને મેન્ડેટ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:46 pm

અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી પૂરી પેનલ સાથે ‘આપ’માં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે. આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:39 pm

ઉમેદવારીના છેલ્લા દિવસે સુરેન્દ્રનગરના ઉમેદવારો ધારાસભ્યને મળ્યા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરતા પહેલા શુભેચ્છા મુલાકાત લીધી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા, વઢવાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોના ઉમેદવારોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ કરી. ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા, આ તમામ ઉમેદવારો ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વિધાનસભા કાર્યાલય કર્તવ્યમ્ ખાતે સૌજન્ય મુલાકાતે પહોંચ્યા હતા. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ તમામ ઉમેદવારોને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉમેદવારોને શિસ્તબદ્ધ રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પણ તાકીદ કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:28 pm

પટ્ટાવાળાએ વોર્ડ-13ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી ફોર્મ ભર્યું:છેલ્લા 28 વર્ષથી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ફરજ બજાવતા હતા, પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણથી લોટરી લાગી

મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. આજે 11 એપ્રિલે મહાનગરપાલિકા, પાંચ નગરપાલિકાઓ, જિલ્લા પંચાયત અને 10 તાલુકા પંચાયત માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેદવારો અને સમર્થકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે સૌથી વધુ ચર્ચા વોર્ડ નંબર 13ના ઉમેદવાર રમેશભાઈ ભીલની થઈ રહી છે. જેઓ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હતા તમેને ભાજપે ટિકિટ આપી સૌને ચોકાવ્યા છે. 52 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યાંમહેસાણા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતેથી મહાનગરપાલિકાના 52 ઉમેદવારો ઢોલ-નગારાના ગડગડાટ અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે વિજયના વિશ્વાસ સાથે નામાંકન પત્ર દાખલ કર્યા હતા. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ્યક્તિગત રીતે અથવા જૂજ સમર્થકો સાથે ફોર્મ ભરતા જોવા મળ્યા હતા. જિલ્લા કાર્યાલયના પટ્ટાવાળાને ભાજપની ટિકિટમહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં એક એવા નામની પસંદગી કરવામાં આવી છે જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.પક્ષે કોઈ મોટા ગજાના નેતાને બદલે છેલ્લા 28 વર્ષથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટ્ટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલ પર વિશ્વાસ મૂકીને તેમને વોર્ડ નંબર 13માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. માત્ર 25 વર્ષની ઉંમરે ભાજપમાં જોડાયા હતારમેશભાઈની આ સફર અત્યંત સંઘર્ષમય રહી છે. માત્ર 25 વર્ષની ઉંમરે જ્યારે તેઓ ભાજપ કાર્યાલયમાં જોડાયા ત્યારે તેમનો માસિક પગાર માત્ર 500 રૂપિયા હતો. આજે 50 વર્ષની વયે પહોંચેલા રમેશભાઈ માત્ર 10 પાસ છે. પરંતુ તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને સમર્પણ કોઈપણ ડિગ્રી કરતા ઊંચું સાબિત થયું છે. તેઓ હાલમાં સોમનાથ રોડ પર આવેલા વાલ્મિકી નગરમાં પોતાના પિતા અને પત્ની સાથે સાદગીપૂર્ણ જીવન જીવે છે. શિક્ષિત પરિવાર અને સાદું જીવનરમેશભાઈના પત્ની આશાબેન ભીલ મહેસાણાની કર્વે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ દંપતીને સંતાન નથી, પરંતુ સેવાભાવ તેમના જીવનનો મુખ્ય મંત્ર રહ્યો છે. નાની ઉંમરે આર્થિક તંગી અને અનેક કપરા દિવસો જોયા હોવા છતાં, રમેશભાઈએ ક્યારેય પોતાની ફરજમાં કચાસ રાખી નહોતી. નાના કાર્યકરોને પ્રાત્સાહન મળશેપોતાના નામની જાહેરાત થતા જ રમેશભાઈ ભાવુક થઈ ગયા હતા. તેમણે આ તકે પક્ષના મોવડીમંડળનો આભાર માનતા જણાવ્યું હતું કે, ભાજપે મારા જેવા સામાન્ય કાર્યકર અને પટાવાળાની કદર કરી છે તે બદલ હું ખૂબ જ ઋણી છું. ભાજપના આ નિર્ણયની સ્થાનિક સ્તરે ખૂબ પ્રશંસા થઈ રહી છે. કારણ કે તે સાબિત કરે છે કે રાજકારણમાં માત્ર હોદ્દો નહીં પણ વર્ષોની સેવા અને વફાદારી પણ મહત્વ રાખે છે. રમેશ ભીલની આ ટિકિટ અન્ય નાના કાર્યકરો માટે પ્રોત્સાહનનું પ્રતીક બની રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 1:22 pm

ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલો:માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે, 9 કલાકની પૂછપરછમાં પિતાનું ખીરુ ખરાબ હોવાનું એક જ રટણ

અમદાવાદના ચાંદખેડામાં ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલવા માટે લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે. બાળકીના માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. ગઈકાલે પોલીસે બાળકીના પિતાની 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. પરંતુ પિતાનું ખીરુ ખરાબ હોવાનું જ રટણ રહ્યું હતું. બાળકીના એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરીથી લાઈ ડિટેકશન ટેસ્ટ કરવામાં આવશે. શું છે સમગ્ર ઘટના? ચાંદખેડામાં મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ ધનશ્યામ ડેરીમાંથી ખીરું લાવ્યા હતા. તેમાંથી ઢોસા બનાવી ખાધા બાદ પરિવારની તબિયત લથડી હતી. જેમાં 3 મહિનાની રાહા અને 4 વર્ષની મીશ્રી નામની બાળકીના મોત નિપજ્યાં હતા. ઘટના બાદ ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુના દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને ખીરાની ક્વોલિટી જાણવા ઘનશ્યામ ડેરી પર FSLની ટીમે સેમ્પલ લીધા હતા.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ત્રણ માસની દીકરીનો 4 દિવસે મૃતદેહ બહાર કાઢ્યો હતો ગત 7 એપ્રિલના રોજ FSLની હાજરીમાં ત્રણ માસની બાળકી રાહાનો ચાર દિવસે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પરિવારે 4 એપ્રિલે બાળકીના મોત બાદ મૃતદેહની અંતિમવિધિ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પત્નીની ડાયરીના પાનાઓમાં ડેથ સિક્રેટ્સપોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ શિવ મંદિરની માનતા રાખી હતી. તેને મિશ્રી નામની એક પુત્રી હતી અને બીજી દીકરીનો પણ જન્મ થયો એ પહેલાની આ ડાયરી છે.આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. બપોર બાદ બાળકીઓના પિતા વિમલ પ્રજાપતિને કે.ડી હોસ્પિટલમાંથી રજા આપતા પૂછપરછ માટે ચાંદખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ઘરમાંથી ચાદર, બાળકોની દવા અને વાસણ સહિતની વસ્તુઓ કબ્જે લેવાઈ ત્યાર બાદ મૃતક બાળકીઓના ઘરમાં પણ FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વિમલ ખીરું લઈ ક્યાંથી ક્યાં ગયો તેની તપાસ વિમલ પ્રજાપતિ જે સમયે દુકાનમાંથી ઢોંસાનુ ખીરૂ લીધુ ત્યારે લઈને તે કેટલા વાગે ઘરે પહોંચે છે. તેના માટે પોલીસે CCTV ફૂટેજ તપાસવાના શરૂ કર્યાં છે. પોલીસ મિનિટ ટુ મિનિટનું મોનીટરીંગ કરશે. ઢોંસાનું ખીરૂ લઈને વિમલ સીધો ઘરે જ ગયો હતો કે પછી ક્યાંય રોકાયો હતો, તેની ઉંડાણ પુર્વક તપાસ થશે. આ સિવાય ડેરીથી લઈને વિમલના ઘર સુધી જેટલા પણ CCTV કેમેરા છે, તેના તમામ ફુટેજ ચેક કરાશે. પોલીસનું માનવુ છે કે જો ડેરીના ખીરામાં પ્રોબ્લેમ હોય તો અન્ય ગ્રાહકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર થવી જોઈએ, પરંતુ તેવું નહી થતા અંતે કંઈક અજુગતુ બન્યુ હોય તેવી પોલીસને શંકા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:40 pm

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા દ્વારકામાં માંગ:ઓખામંડળના ટ્રસ્ટીઓ 7 મેના રોજ સરકારને રજૂઆત કરશે

દ્વારકામાં ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ ઉગ્ર બની છે. આ મુદ્દે ઓખામંડળની ગૌશાળાઓના ટ્રસ્ટીઓ અને ગૌભક્તોએ દ્વારકા સ્થિત દ્વારકાધીશ ગૌ હોસ્પિટલ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આ વર્ષો જૂની માંગને લોકચળવળનું સ્વરૂપ આપવાનો નિર્ણય લેવાયો. આ ચળવળને વેગ આપવા માટે આગામી 7 મેના રોજ ઓખામંડળના ગૌસેવકો અને ટ્રસ્ટીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પ્રાંત અધિકારીની કચેરીએ જશે. ત્યાં તેઓ સરકાર સમક્ષ ગૌભક્તોની લાગણીઓ પહોંચાડવા માટે સત્તાવાર આવેદનપત્ર સુપરત કરશે. બેઠકમાં ઉપસ્થિત ગૌભક્તોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગાય માતાનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે. ગૌસેવકોને આશા છે કે દ્વારકાની પવિત્ર ભૂમિ પરથી ઉઠેલો આ અવાજ સમગ્ર દેશમાં ગૌ-રક્ષા અને ગૌ-સન્માન માટે નવો માર્ગ પ્રશસ્ત કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:38 pm

ગોધરામાં ભાજપના 28 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી:મેહંદી બંગલોઝથી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કર્યું

ગોધરા નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એકસાથે 28 ઉમેદવારોના ફોર્મ ભરવા માટે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો પ્રારંભ શહેરના મેહંદી બંગલોઝ ખાતેથી કરવામાં આવ્યો હતો. સવારથી જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને સમર્થકો કેસરીયા માહોલમાં ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જય અને પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. 28 ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફૂલહાર પહેરી રેલીમાં જોડાયા હતા. આ રેલી મેહંદી બંગલોઝથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જ્યાં ઠેર-ઠેર વેપારીઓ અને રહીશો દ્વારા પુષ્પવર્ષા કરીને ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓની આગેવાનીમાં રેલી શિસ્તબદ્ધ રીતે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી. રેલીના અંતે, નિર્ધારિત મુહૂર્તમાં તમામ 28 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ભાજપના સ્થાનિક નેતાઓએ આ તકે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિકાસના મુદ્દે ગોધરાની જનતા ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:13 pm

પોરબંદરમાં અરભમભાઈ કારાવદરાએ ભાજપ છોડ્યું:14 વર્ષનો સાથ છોડી આખી પેનલ સાથે ‘આપ’માં જોડાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વોર્ડ નંબર ૩ ના કદાવર ભાજપ અગ્રણી અરભમભાઈ કારાવદરાએ ભાજપ સાથેના ૧૪ વર્ષ જૂના સંબંધોનો અંત લાવ્યો છે. તેઓ પોતાની પૂરી ટીમ અને પેનલ સાથે વિધિવત રીતે આમ આદમી પાર્ટી (AAP) માં જોડાઈ ગયા છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરભમભાઈ છેલ્લા ૧૪ વર્ષથી ભાજપમાં સક્રિય રહી પાયાનું કામ કરી રહ્યા હતા. જોકે, આગામી ચૂંટણીમાં પક્ષ દ્વારા તેમની અવગણના કરવામાં આવતા અને ટિકિટ ન ફાળવવામાં આવતા તેઓ નારાજ હતા. પક્ષ પ્રત્યેની નિષ્ઠાના બદલામાં અવગણના થતા તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો. અરભમભાઈ કારાવદરાનું વર્ચસ્વ વોર્ડ નંબર ૩ માં મજબૂત માનવામાં આવે છે. તેમની સાથે તેમની આખી પેનલ અને ટેકેદારો પણ આમ આદમી પાર્ટીમાં સામેલ થતા ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પક્ષાંતરથી હવે વોર્ડ નંબર ૩ માં ત્રિપાંખિયો જંગ વધુ રોચક બનશે. આ પક્ષાંતર બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આગામી ચૂંટણીમાં અરભમભાઈના આ પગલાથી ભાજપને કેટલું નુકસાન વેઠવું પડે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 12:10 pm

સરદારકૃષિનગરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો:ડૉ. આદિત્ય અગ્રવાલે તણાવ મુક્તિ માટે માર્ગદર્શન આપ્યું

કામધેનુ યુનિવર્સિટી હસ્તકની પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, સરદારકૃષિનગરના 'સ્ટુડન્ટ્સ કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલ' દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે માનસિક આરોગ્ય માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. UGC ગાઈડલાઈન મુજબ યોજાયેલા આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને 'સ્વસ્થ મન – ઉજ્જવળ ભવિષ્ય' ના મંત્રને સાર્થક કરવાનો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે એમ.ડી. સાયકિયાટ્રિસ્ટ ડૉ. આદિત્ય આર. અગ્રવાલે આજના સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને વહેલી તકે ઓળખી યોગ્ય તબીબી સલાહ લેવા અનુરોધ કર્યો હતો. ડૉ. અગ્રવાલે શૈક્ષણિક ભારણ વચ્ચે માનસિક શાંતિ જાળવી રાખવા માટે ધ્યાન (મેડિટેશન), સકારાત્મક અભિગમ અને અસરકારક સમય વ્યવસ્થાપન જેવા પ્રાયોગિક નુસખાઓ પણ સમજાવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ ડૉ. એચ. સી. ચૌહાણે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સર્વાંગી વિકાસ માટે માત્ર શૈક્ષણિક ગુણવત્તા જ નહીં, પરંતુ મજબૂત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સેમિનારના અંતિમ ચરણમાં પ્રશ્નોત્તરી સત્ર યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની મૂંઝવણો રજૂ કરી નિષ્ણાત પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન ડૉ. ચિરાગ એમ. મોદી, ડૉ. અજય એસ. પટેલ, ડૉ. રિંકેશ મકવાણા અને ડૉ. જે. આર. પટેલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ હાજર રહીને ઉપયોગી માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:58 am

પાટણ નગરપાલિકા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભારે ધસારો:ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષોએ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે

પાટણ નગરપાલિકાની 44 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે પાટણ પ્રાંત કચેરી ખાતે ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો અને તેમના ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે કચેરી પરિસર છલકાઈ ગયું હતું. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો ઢોલ-નગારા અને વાજતે-ગાજતે વિજય વિશ્વાસ સાથે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો અને સમર્થકોના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, અને ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. બીજી તરફ, કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારોના નામની કોઈ સત્તાવાર યાદી જાહેર કરી નથી. તેમ છતાં, પક્ષના આદેશ મુજબ કોંગ્રેસના ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે પ્રાંત કચેરી પહોંચ્યા હતા અને ઉમેદવારી ભરી રહ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) અને અપક્ષ ઉમેદવારોએ પણ પોતાના સમર્થકો સાથે પ્રાંત કચેરી ખાતે હાજરી આપી ફોર્મ ભરવાની કામગીરી કરી રહ્યા છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તમામ પક્ષના કાર્યકરો અને ટેકેદારોની ભારે ભીડ જામી હતી, જેને પગલે વહીવટી તંત્ર અને પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી વ્યવસ્થા જાળવી હતી. 44 બેઠકો માટે મોટી સંખ્યામાં ફોર્મ ભરાશે,.હવે આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:55 am

ભરૂચમાં જ્યોતિરાવ ફૂલેની જયંતી ઉજવાઈ:સમાજ સુધારક કાર્યો અને વિચારોને યાદ કરાયા

ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન બામસેફ-ઇન્સાફ-BMG સંગઠન દ્વારા કરાયું હતું. જેમાં વિવિધ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં બામસેફના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ, બામસેફ ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ, બામસેફ ભરૂચ પ્રમુખ મનિષ પરમાર, ઇન્સાફ સંગઠનના રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર અને ઇન્સાફ ભરૂચના પ્રમુખ અશોક મકવાણાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત સૌએ જ્યોતિરાવ ફૂલેની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સમાજ સુધારક કાર્યોને યાદ કર્યા હતા. કાર્યક્રમમાં તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન અને સમાનતાના સંદેશને વિશેષ રૂપે ઉજાગર કરાયો હતો. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ફૂલેના વિચારોને વર્તમાન સમયમાં અમલમાં મૂકવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. સમાજમાં સમાનતા અને શિક્ષણના પ્રસાર માટે સૌને આગળ આવવા અપીલ પણ કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:50 am

મોરબી મહાપાલિકા: સુપરસિડ બોડીના 7 સભ્યો રિપીટ:પૂર્વ પ્રમુખો, ઉદ્યોગકારો સહિત અનેકના પત્તા કપાયા

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપે ગઈકાલે મોડી રાત્રે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં નગરપાલિકાની સુપરસિડ થયેલી છેલ્લી બોડીના સાત સભ્યોને ફરીથી ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાંચ પૂર્વ પ્રમુખો, બ્રહ્મ સમાજ અને રાજપૂત સમાજના પ્રમુખો, અનેક ચેરમેનો તથા માજી સભ્યો સહિત અનેકના પત્તા કપાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મોડી સાંજે આ યાદી જાહેર કરાઈ હતી. ભાજપ દ્વારા 'નો રિપીટ થિયરી'ની વાતો કરવામાં આવતી હતી, પરંતુ જાહેર કરાયેલા નામોમાં સાત ઉમેદવારો રિપીટ થયા છે. આ રિપીટ થયેલા ઉમેદવારોમાં અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, જશવંતીબેન પ્રવીણભાઈ સોનગરા, મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર, કુંદનબેન શૈલેષભાઈ માકાસણા, મેઘાબેન દીપકભાઈ પોપટ, બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડીયા અને ભાવિકભાઈ ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાંચ ઉમેદવારો એવા છે જેમના પરિવારના સભ્યો ગત નગરપાલિકાની બોડીમાં હતા. આ વખતે ચહેરો બદલીને પૂર્વ સદસ્યના પરિવારજનને ટિકિટ અપાઈ છે. તેમાં વીણાબેન માવજીભાઈ કંઝારિયા, ભારતીબેન ચુનીલાલ પરમાર, મનસુખભાઈ મૂળજીભાઈ સારેસા, ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને હિરેન પરબતભાઈ કરોતરાનો સમાવેશ થાય છે. સનાળા ગામના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાને પણ ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ટિકિટ આપવામાં આવી છે. મોરબી મહાપાલિકાની પ્રથમ ચૂંટણી માટે ભાજપમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટની માંગણી કરી હતી. તેમાંથી 52 આગેવાનોને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે. જોકે, અનેક મોટા નામોના પત્તા કપાયા છે. પત્તા કપાયેલા નેતાઓમાં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખો દેવાભાઈ પરબતભાઈ અવાડીયા, કેતનભાઇ અમૃતલાલ વિલપરા, લલિતભાઇ જેરાજભાઈ કામરીયા, અનુપસિંહ સજુભા જાડેજા અને દીનાબા જયવંતસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માજી ઉપપ્રમુખ જયરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, માજી ચેરમેનો પ્રકાશભાઈ વાલાભાઈ ચબાડ, ઇદ્રીશભાઈ મેપાભાઇ જેડા, હર્ષદભાઈ મોતીભાઈ કંઝારિયા, રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઉદેસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ અનિલભાઈ પ્રભુલાલ મહેતા, મોરબી જિલ્લા યુવા ભાજપના માજી મહામંત્રી જયદીપભાઇ કનુભાઈ, શનાળા ગામના માજી ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ કરણુભા ઝાલાનો પણ સમાવેશ થાય છે. મોરબીના ઉદ્યોગકારોમાં હરેશભાઈ રામજીભાઈ બોપલિયા, અનિલભાઈ લાલજીભાઈ વરમોરા અને બળદેવભાઈ દેવજીભાઈ નાયક પરા તેમજ અનેક માજી સભ્યોના પત્તા પણ કપાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:48 am

અનંત અંબાણીના જન્મદિવસ પર વિશ્વની પ્રથમ વનતારા યુનિવર્સિટીનું લોન્ચિંગ:ભારતને વન્યજીવ-પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. અનંત અંબાણીએ જણાવ્યું કે, વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃધ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતિક સ્વરૂપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃધ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઊચ્ચ પ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાની જમીન પરના કાર્યની નિપૂણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે. કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને, આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. તેમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા એ જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા, કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:36 am

વેરાવળ ભાજપમાં ઉમેદવાર પસંદગી મુદ્દે ઘમાસાણ:અંતિમ દિવસે પણ યાદી જાહેર ન થઈ, સીધા મેન્ડેડની ચર્ચા

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવાર પસંદગીને લઈને આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે, ખાસ કરીને વેરાવળ નગરપાલિકામાં સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. વેરાવળ નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી સવાર સુધી પણ અંતિમ સ્વરૂપ લઈ શકી નથી. આ કારણે પાર્ટીના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ગૂંચવણ અને નારાજગી જોવા મળી રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલાં મોડી રાત્રે ભાજપે કેટલાક ઉમેદવારો જાહેર કર્યા હોવા છતાં, વેરાવળની યાદી હજુ પણ વિવાદમાં અટવાયેલી છે. જિલ્લા પંચાયતની લોઢવા બેઠક પર પણ મતભેદોને કારણે નિર્ણય અટકાવી દેવાયો છે. જોકે, ભાજપે જિલ્લા પંચાયતની કુલ 27 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. આ ઉપરાંત, સુત્રાપાડા, તાલાલા અને ઉના નગરપાલિકાઓ તેમજ 6 તાલુકા પંચાયતોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ, કોંગ્રેસ પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં પાછળ રહી છે. કોંગ્રેસ દ્વારા હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે બંને પક્ષોમાં અંતિમ ઘડીએ મોટા ફેરફારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ પરિસ્થિતિએ ચૂંટણી પૂર્વે જ રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી કલાકોમાં બંને પક્ષો દ્વારા લેવાયેલા નિર્ણયો ચૂંટણીની દિશા નક્કી કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:17 am

રાજકોટ ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન:જાહેર સભા સંબોધન બાદ 72 ઉમેદવારો એક સાથે પોતાની ઉમેદવારી નોંધાવશે, નારાજ આગેવાનો અને કાર્યકર્તાની ગેરહાજરી

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના 72 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્રક રજૂ કરવા જઈ રહ્યા છે. આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં નેતાઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પરંતુ આ વિજય વિશ્વાસ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાની ગેરહાજરી જરૂર જોવા મળી રહી છે. દરેક કાર્યકર્તાઓ બૂથ સુધી પહોંચશે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે અમારા 72 ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. ઉમેદવારોની જાહેરાત થતાની સાથે આખી રાત કાર્યાલય ખાતે ભાજપ લીગલ સેલની મદદથી ઉમેદવારોના ફોર્મ ભરવા પ્રક્રિયા કરવામાં આવી છે. આજે અમારું વિજય વિશ્વાસ સંમેલન છે જે પૂર્ણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે. આજે સાંજથી જ બધા કાર્યકર્તાઓ દરેક બુથ સુધી પહોંચી પ્રચારમાં જોડાઈ જશે. 72 બેઠક ઉપર કમળ ખીલશે:ડો. માધવ દવેડો. માધવ દવેએ વધુમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં પણ આ વખતે અમે ખાસ રણનીતિ બનાવી છે. તમામ 72 બેઠક ઉપર કમળ ખીલાવી તમામ 72 બેઠક પર જીત મેળવીશું. દેશમાં મોદી સાહેબ અને રાજ્યમાં ભુપેન્દ્ર પટેલની સરકાર જે રીતે વિકાસના કામ કરે છે. એટલે રાજકોટમાં પણ આ વખતે લોકો વિકાસને ધ્યાનમાં રાખી તમામ બેઠક પર ભાજપને જીત અપાવશે તેવો મને વિશ્વાસ છે. કાર્યકર્તા કોઈ નારાજ થાય તો તેને સાંભળવાની મારી જવાબદારી છે. મેં દરેકને સાંભળી તેમને યોગ્ય આશ્વાસન આપ્યું છે હવે કોઈ નારાજગી નથી બધા એક થઇ આજથી ચૂંટણી પ્રચારમાં જોડાઈ જશે. પોલીસ બોલાવવી પડી એવી સ્થિતિ હતીગઈકાલે સાંજે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી બાદ ટિકિટ ન મળતા કેટલાક નેતાઓમાં નારાજગી જરૂર જોવા મળી હતી. શહેરના વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 14, અને વોર્ડ નંબર 18માં ટિકિટ ઇચ્છતા નેતાઓ અને તેના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ પૈકી વોર્ડ નંબર 3, 13, અને 14ના કાર્યકર્તા ટોળા સાથે કમલમ કાર્યાલય આવી પહોંચતા મોડી રાત સુધી અહીં પોલીસ બંદોબસ્ત મુકવાની પણ ફરજ પડી હતી. જો કે આવું કદાચ પ્રથમ વખત બન્યું હશે કે ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બોલાવી પડી હોય. ભાજપ શિસ્ત બધ્ધ પાર્ટી છે અને આ શિસ્ત બધ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ કદાચ ગઈકાલે પોતાની પાર્ટીની શિસ્તતા ભૂલી ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું હતું. પૂર્વ મેયર, પૂર્વ દંડક સહિતના પત્તા કપાયા મહાનગર પાલિકાના 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે જયારે 50 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે નેતાઓની ટિકિટ કપાઈ છે તેમાં મુખ્યત્વે ગત 5 વર્ષની ટર્મના મુખ્ય 10 પદાધિકારીઓ પૈકી માત્ર 2 જ પદાધિકારીને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ અને પૂર્વ ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. જયારે રાજકોટ મનપાના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઈ ઘવા, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરાની બાદબાકી કરી પક્ષ દ્વારા તેમને કાપી નવા ચહેરાને તક આપવામાં આવી છે. મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં છેલ્લે સુધી ભારે ખેંચતાણ જોવા મળી હતી. ગાંધીનગર કમલમમાં પણ મોટા નેતાઓ વચ્ચે પોતાના માણસો સાચવવામાં તુ-તું મેં-મેં થઇ હોવાની પણ ચર્ચા મોડી રાત સુધી રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ઉપસ્થિત કાર્યકરોમાં ચર્ચાતી જોવા મળી હતી. શહેરના ચાર ધારાસભ્યો પૈકી બે ધારાસભ્યો વચ્ચે ઉમેદવારોની પસંદગી માટે ખેંચતાણ ચાલી હતી અને ઉમેદવારોની જાહેરાતના અંતે 72 ઉમેદવારોની પસંદગી અને ટિકિટ ફાળવણીમાં મહિલા ધારાસભ્યનું પલડું ભારે રહ્યું હોવાનો પણ ગણગણાટ થતો સંભળાયો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:16 am

મનપાની ટિકિટ ફાળવણીથી ભાજપમાં કહી ખુશી કહી ગમ!:અનેકના પત્તા કપાતા કાર્યકરોમાં ભારે રોષ, પરિવારવાદ અને ધારાસભ્યના લોબિંગથી જાણો કેટલાને લોટરી લાગી!

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભારે ખેંચતાણ બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા 10 એપ્રિલે મોડી રાત્રે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવ્યા બાદ અનેક વોર્ડમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા અનેક સિનિયર અને અનુભવી કોર્પોરેટરોની ટિકિટ કાપી નાખવામાં આવી હતી. ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારોના હઠાગ્રહના કારણે અનેક લોકોના પત્તા કપાયા હતા. ત્યારે હવે ભાજપમાં ખૂબ જ આંતરિક ભડકો ઉભો થયો છે. ભાજપ દ્વારા પરિવાર વાદ પણ ચલાવવામાં આવ્યો છે. મહાનગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટરોના દીકરા, દીકરી અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. કહી ખુશી કહી ગમ!નરોડા વિધાનસભામાં આવતા સરદારનગર અને નરોડા વોર્ડ માટે પ્રદેશ પાર્લામેન્ટ્રીમાં ખૂબ ચર્ચા થઈ હતી. નરોડા વોર્ડમાંથી ભાજપમાંથી કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ આપવાની જગ્યાએ ગાડીઓ લઈને ફરવા વાળા લોકોને ટિકિટ આપવામાં આવતા સોશિયલ મીડિયામાં બળાપો કાઢવામાં આવ્યો છે. ભાજપના ધારાસભ્યએ પોતાનું લોબીંગ કરીને માણસોને ટિકિટ અપાવી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને કેટલાક લોકોએ રાજીનામાં પણ આપી દીધા છે. પાલડીમાં પ્રતિશ મહેતાની ટિકિટ કપાઈAMCમાં ખૂબ જ અનુભવી અને સિનિયર ગણાતા એવા પાલડી વોર્ડમાંથી પ્રતિશ મહેતાને ટિકિટ મળી નથી. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રીતિશ મહેતાએ લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં રહેલા દબાણને દૂર કરવા માટે ખૂબ જ મહેનત કરી અને છેલ્લે સુધી લડત આપી ભદ્ર પરિસરને દબાણ મુક્ત કર્યુ હતું. જો કે તેમની મહેનત હોવા છતાં પણ છેવટે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. પાલડીમાંથી જૈનને ટિકિટ આપવાની હોવાને લઈને પ્રીતિશ મહેતાને કાપી પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની ભત્રીજી ક્રિમિ ગાંધીને ટિકિટ આપવામાં આવી છે. પ્રકાશ ગુર્જરના સ્થાને નવા ચહેરાને તકબાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની ટિકિટ પણ કાપી નાખવામાં આવતા ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ગત ટર્મમાં લીગલ કમિટી ખૂબ જ નબળી રહી હતી જેને ફરીથી જાગૃત કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી બાકી રહેલા પેન્ડિંગ કેસો અને લીગલ વિષયોને ફરીથી ઉપાડીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લીગલ કેસોમાં સફળતા અપાવી હતી પરંતુ લીગલ કમિટીના ચેરમેન તરીકે તેમની કામગીરી અને બાપુનગરમાં સેવાકીય સંસ્થા દ્વારા પોતાની કામગીરી સારી હોવા છતાં તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. વિરોધ વચ્ચે યુવા આગેવાન વિરલ વ્યાસને ટિકિટ ન મળીરાણીપ વોર્ડમાં સૌથી સક્રિય, યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરલ વ્યાસની પણ ટિકિટ કાપી નાખવામાં આવી છે. સાબરમતીના ધારાસભ્ય દ્વારા વિરલ વ્યાસનું નામ મુકવામાં આવ્યું હતું. સૂત્રો મુજબ પૂર્વ ધારાસભ્ય અને કેટલાક હોદ્દેદારોના વિરલ વ્યાસને ટિકિટ આપવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તેને ટિકિટના આપવા રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં પણ રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને બે ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે અને બે ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી બંનેની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અને તેમના સ્થાને માત્ર એક જ મહિલા ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યા છે. સિનિયર બંને કોર્પોરેટર હોવા છતાં પણ નવા કોર્પોરેટરોને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ મહિલા કોર્પોરેટરે કામ કર્યું છતાં અવગણનાઅમરાઈવાડી વોર્ડમાં સૌથી યુવા કોર્પોરેટર રહી ચૂકેલા પ્રતિભા દુબેને પણ ટિકિટ આપવામાં આવી નથી. અમરાઈવાડીમાં સૌથી સક્રિય કોર્પોરેટર તરીકે સ્લમ વિસ્તારમાં સ્થાનિક લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે કામગીરી કરવામાં આવતી હતી. મહિલા કોર્પોરેટર તરીકે સક્રિય બની કામગીરી કરતા હતા. જો કે ભાજપના જ કેટલાક લોકો દ્વારા તેમની કામગીરીને લઈને હેરાનગતિ કરવામાં આવતી હોવા અંગેની ફરિયાદ પણ મહિલા કોર્પોરેટરને કરવી પડી હતી. સક્રિય મહિલા કોર્પોરેટર હોવા છતાં પણ તેમની ટિકિટ ધારાસભ્યના કારણે કાપવામાં આવ્યું હોવાની ચર્ચા છે. વસ્ત્રાલમાં પાટીદાર ફેક્ટરના આધારે ટિકિટરેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા અનિરુદ્ધસિંહ ઝાલાની પણ વસ્ત્રાલમાંથી ટિકિટ કાપી નાખવામાં આવી છે. અનુભવી અને જૈનિક વકીલ દ્વારા રેવન્યુ કમિટીને ફરીથી જાગૃત કરવામાં આવી હતી અને તેને વધારે સારી રીતે ચલાવી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઐતિહાસિક ટેક્સની આવક લાવવા માટે અનેક નિર્ણયો લીધા હતા. જો કે અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કાપી અને હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. પાટીદાર ફેક્ટર હોવાથી તેમને ટિકિટ આપી દેવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો માટે ધારાસભ્યોનું લોબિંગ સૌથી વધારે ફળી ગયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માટે ધારાસભ્યોએ પોતાના માણસોને ટિકિટ અપાવવા માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં ખૂબ જ રજૂઆતો કરી હતી અને પ્રદેશના નેતાઓએ તેમની રજૂઆતો સાંભળી હતી. ક્યાંકને ક્યાંક ટિકિટ ન આપવા માટે અને પોતાના માણસોને સેટ કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રદેશના નેતાઓએ છેવટે ધારાસભ્યોના માણસોને ટિકિટ આપી છે. જો કે કેટલાક લોકોએ ધારાસભ્યોના માણસોને ટિકિટ ન આપવા રજૂઆત કરી હતી. જેમાં પણ કેટલીક જગ્યાએ ધારાસભ્યોના માણસોને કાપવાની જગ્યાએ શહેરના હોદ્દેદારોને ગોઠવી દીધા છે. શહેર સંગઠનમાં સ્થાન મેળવેલા લોકોને ટિકિટ આપી દેવામાં આવી છે. વિરોધ વચ્ચે પણ સન્ની ખાનચંદાણી રિપીટનરોડા વિધાનસભામાં સન્ની ખાનચંદાણીનો ખૂબ મોટો વિરોધ હતો. તેમ છતા વિરોધની વચ્ચે તેમને ફરીથી રિપીટ કરી દેવામાં આવ્યા છે. પરંતુ તેમની સાથે ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં આવતા ડિમ્પલ વરીનદાનીની ટિકિટ કાપવામાં આવી છે. અસારવા વોર્ડમાં પણ ધારાસભ્યના ખૂબ જ નજીક ગણવામાં શાહીબાગ વોર્ડના પ્રમુખ ગિરીશ વણઝારા, કોર્પોરેટર સુમન રાજપુત અને ઉપ-પ્રમુખ અનસુયાબેન પટેલને ટિકિટ આપી દેવામાં આવી છે. મણીનગર વિધાનસભામાં પણ એનલ પટેલના પત્ની પલક પટેલને ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરોના દીકરા-દીકરીઓ ફાવી ગયા!અમદાવાદ મહાનગરપાલિકામાં સિનિયર પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને બાજુમાં મૂકી અને ગત ટર્મના પૂર્વ કોર્પોરેટરોને ફરીથી રિપિટ કરવાની જગ્યાએ તેમના દીકરા-દીકરીઓ અને પત્નીને ટિકિટ આપવામાં આવી છે. જેને લઈને પણ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો છે. ખાડિયા વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર ઉમંગ નાયકના પત્ની હેતલબેન નાયક ને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે થલતેજ વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર સમીર પટેલના પત્ની દેવળબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:05 am

વેરાવળ: સિંધી સમાજની ટિકિટ ફાળવણી સામે નારાજગી:વોર્ડ 1 નહીં તો મતદાન નહીં કરવાની ચીમકી, ભાજપની ચિંતા વધી

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ટીકીટ ફાળવણીને લઈને સિંધી સમાજમાં નારાજગી પ્રવર્તી રહી છે, જે હવે ખુલ્લેઆમ વિરોધમાં પરિણમી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સિંધી સમાજના એક દાવેદાર ઉમેદવારને પરંપરાગત રીતે મજબૂત ગણાતા વોર્ડ નંબર 1ને બદલે વોર્ડ નંબર 8માંથી ટીકીટ ફાળવવામાં આવી છે. આ નિર્ણયથી સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. સમાજના આગેવાનો આને અન્યાય અને અવગણના ગણાવી રહ્યા છે, કારણ કે વોર્ડ નંબર 1માં સિંધી સમાજનો નોંધપાત્ર પ્રભાવ છે. આ નિર્ણયના વિરોધમાં સિંધી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે પક્ષના નેતૃત્વ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કાર્યાલય બહાર થોડા સમય માટે તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વોર્ડ નંબર 1માંથી ટીકીટ ફાળવવાની તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો સિંધી સમાજ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરી શકે છે. આ ચીમકી ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે સ્થાનિક સ્તરે સિંધી સમાજનો મતબેંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. વોટ્સએપ ગ્રુપ્સ અને ફેસબુક પર સમાજના સભ્યો દ્વારા વિરોધ દર્શાવતા સંદેશાઓ અને અપીલો વાયરલ થઈ રહી છે, જેના કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ માટે આ આંતરિક વિખવાદ એક મોટો પડકાર બની શકે છે. વિરોધ પક્ષો આ મુદ્દાને રાજકીય હથિયાર તરીકે ઉપયોગમાં લેવાની તૈયારીમાં છે, જ્યારે ભાજપ નેતૃત્વ માટે આ અસંતોષને શાંત કરવો અને સમાજને મનાવવો અનિવાર્ય બન્યું છે. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમારે જણાવ્યું હતું કે, સિંધી સમાજ સાથે વાટાઘાટો ચાલી રહી છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો કે સમજાવટ દ્વારા આ મામલો થાળે પડી જશે. હવે જોવું રહ્યું કે પક્ષનું હાઈકમાન્ડ સમયસર હસ્તક્ષેપ કરીને આ વિવાદને શાંત પાડે છે કે કેમ, અથવા સિંધી સમાજની નારાજગી ચૂંટણીના પરિણામો પર અસર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 11:03 am

ભાજપે નવસારી માટે 52 ઉમેદવારો જાહેર કર્યા:44 નવા ચહેરા, માત્ર 8 જૂના જોગીઓને રિપીટ કરાયા

નવસારી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે 'નો-રિપીટ' થિયરી અપનાવીને 44 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે માત્ર 8 પૂર્વ કોર્પોરેટરોને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. પક્ષે કુલ 52 બેઠકોમાંથી મોટાભાગની બેઠકો પર ફેરફાર કર્યો છે. આ નિર્ણય આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો, કુલ 26 મહિલા ઉમેદવારોમાંથી 23 નવી મહિલાઓને તક મળી છે, જ્યારે 3 મહિલાઓને રિપીટ કરવામાં આવી છે. તેવી જ રીતે, કુલ 26 પુરુષ ઉમેદવારોમાંથી 21 નવા ચહેરાઓ છે, જ્યારે 5 પુરુષોને ફરીથી ઉમેદવારી આપવામાં આવી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા મુખ્ય ઉમેદવારોના નામમાં વોર્ડ નં. 1માંથી કેયુરી જયદીપભાઈ દેસાઈ, વોર્ડ નં. 2માંથી કૃતિકાબેન અક્ષયભાઈ પાટીલ, વોર્ડ નં. 5માંથી મુકેશ સુરેશચંદ્ર અગ્રવાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વોર્ડ નં. 8માંથી નીતુબેન રવિકુમાર શાહ અને નરેશકુમાર ખેંગારજી પુરોહિત, વોર્ડ નં. 10માંથી સુનિલ રઘુનાથ પાટીલ, વોર્ડ નં. 11માંથી પરેશભાઈ દિનેશભાઈ ભારતીય અને વોર્ડ નં. 13માંથી વિજયભાઈ મંગુભાઈ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના આ નિર્ણયથી પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ શહેરના વિકાસ માટે નવા વિઝન ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:58 am

વલસાડમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: ઉમરગામ નગરપાલિકામાં માત્ર 3 ફોર્મ:જિલ્લા-તાલુકા પંચાયતની 186 બેઠકો પર 456 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના પાંચમા દિવસના અંતે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો પર 89 અને તાલુકા પંચાયતની 150 બેઠકો પર 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જોકે, ઉમરગામ નગરપાલિકામાં અત્યાર સુધી માત્ર 3 જ ફોર્મ ભરાયા છે, જે આશ્ચર્યજનક સ્થિતિ દર્શાવે છે. ભાજપે શુક્રવારે તેના સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરતા કાર્યકરો અને દાવેદારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ જાહેરાત બાદ ઉમેદવારી પત્રો ભરવામાં વધુ તેજી જોવા મળી હતી. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો માટે અત્યાર સુધીમાં 89 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. જિલ્લાની 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો માટે અત્યાર સુધીમાં 367 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ધરમપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી લડવા માટે સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. તાલુકા પંચાયત મુજબ ફોર્મની વિગત નીચે મુજબ છે: ધરમપુરમાં 24 બેઠકો પર 86 ઉમેદવારો, કપરાડામાં 22 બેઠકો પર 71 ઉમેદવારો, નાનાપોંઢામાં 20 બેઠકો પર 66 ઉમેદવારો, પારડીમાં 22 બેઠકો પર 65 ઉમેદવારો, ઉમરગામમાં 30 બેઠકો પર 63 ઉમેદવારો અને વલસાડમાં 32 બેઠકો પર સૌથી ઓછા 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ઉમરગામ નગરપાલિકામાં ચિત્ર તદ્દન અલગ છે. અહીં 7 વોર્ડની 28 બેઠકો હોવા છતાં પાંચમા દિવસ સુધી માત્ર વોર્ડ નં. 7 માંથી જ 3 ફોર્મ ભરાયા છે. બાકીના એક પણ વોર્ડમાં હજુ સુધી કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ અહીંની કેટલીક બેઠકો બિનહરીફ કરવા માટે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપના 28 ઉમેદવારો એકસાથે શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરશે તેવી અપેક્ષા છે. બીજી તરફ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) પણ પોતાના ઉમેદવારો જાહેર કરશે. આ સાથે જ સાંજ સુધીમાં ચૂંટણી જંગનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:54 am

બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી:સુરત AAPના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે ચૂંટણી ટાળે જ રેપની FIR; પરિણીતાને લગ્નની લાલચ આપી હોટેલોમાં શરીર સંબંધ બાંધ્યા

સુરતના લસકાણા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. અંતે લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સોશિયલ મીડિયા પર જાળ બિછાવી મિત્રતા કરીલસકાણા વિસ્તારમાં રહેતી પીડિત મહિલાનો સંપર્ક કાળુ ચતુરભાઈ વઘાસિયાએ ડિસેમ્બર, 2024માં સોશિયલ મીડિયાના માધ્યમથી કર્યો હતો. શરૂઆતમાં સામાન્ય હાય-હેલોથી શરૂ થયેલી વાતચીત બાદ કાળુએ મહિલા સાથે નિકટતા કેળવી હતી. રાજકીય વગ ધરાવતા કાળુએ પોતાની મીઠી વાતોમાં મહિલાને વિશ્વાસમાં લીધી હતી. 'પત્ની સાથે બનતું નથી' કહી લગ્નની લાલચ આપીકાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત જીવનનું દુઃખ રડ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયરમાં રહે છે. હું ટૂંક સમયમાં પત્નીને છૂટાછેડા આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી તને પત્ની તરીકે સ્વીકારીશ તેવી લાલચ આપી મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. ઘરે અને હોટેલોમાં અવારનવાર દુષ્કર્મ આચર્યુંલગ્નના વાયદા પર વિશ્વાસ કરીને મહિલા કાળુ સાથે સંબંધમાં રહી હતી. આરોપી કાળુ મહિલાને તેના ઘરે તેમજ શહેરની અલગ-અલગ હોટેલોમાં લઈ ગયો હતો. ત્યાં લગ્નની લાલચ આપી અવારનવાર મહિલાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. લાંબો સમય શોષણ કર્યા બાદ જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ પોતાના અસલી તેવર બતાવ્યા હતા. ગાળો આપી ધમકી, ‘તને અને તારા દીકરાને જીવવા નહીં દઉં’મહિલાએ લગ્ન કરવાનું કહેતા જ કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપી લગ્ન કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. આરોપીએ મહિલાને ડરાવવા માટે ધમકી આપતા કહ્યું હતું કે, જો તું પોલીસમાં ફરિયાદ કરીશ તો હું તુષાર ઘેલાણીની જેમ મરી જઈશ અને તને તથા તારા દીકરાને જીવવું અઘરું પાડી દઈશ. લસકાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઆખરે કાળુના ત્રાસ અને ધમકીથી કંટાળીને મહિલાએ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આમ આદમી પાર્ટીના પ્રવક્તા વિરુદ્ધ રેપ અને જાનથી મારી નાખવાની ધમકી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિ સામે ગંભીર આક્ષેપો થતા લસકાણા પોલીસ અત્યારે પૂરાવાઓ એકત્રિત કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:50 am

જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન જામનગર મહાનગરપાલિકાના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તે પૂર્વે જ પક્ષમાં ભંગાણ સર્જાયું છે. વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે ભાજપ સાથે છેડો ફાડી વિધિવત રીતે બહુજન સમાજ પાર્ટી (BSP)નો ખેસ ધારણ કરી લીધો છે. કેશુભાઈ માડમ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4માં ભાજપના સૌથી સક્ષમ અને મજબૂત ચહેરા તરીકે જાણીતા હતા. તેઓ સતત છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવતા હતા, જે તેમની વિસ્તાર પરની મજબૂત પકડ અને લોકપ્રિયતા દર્શાવે છે. ભાજપના આ ગઢ ગણાતા વિસ્તારમાં કેશુભાઈનું પક્ષ છોડવું એ આગામી ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ વિતરણ પૂર્વે આંતરિક અસંતોષ અથવા નવા રાજકીય સમીકરણોને પગલે કેશુભાઈએ આ નિર્ણય લીધો હોવાનું મનાય છે. તેમના BSPમાં જોડાવાથી હવે વોર્ડ નંબર 4ની બેઠક પર રસાકસી જામશે. કેશુભાઈ માડમના BSPમાં પ્રવેશ સાથે જ જામનગરના વોર્ડ નંબર 4માં ચૂંટણી જંગ હવે વધુ રોમાંચક બન્યો છે. અત્યાર સુધી મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ જોવા મળતી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. હવે ભાજપ પોતાનો ગઢ સાચવવા માટે નવા ચહેરા પર દાવ લગાવી શકે છે. કોંગ્રેસ ભાજપના આંતરિક વિખવાદનો લાભ લેવા પ્રયત્ન કરશે. આમ આદમી પાર્ટી (AAP) ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં છે, જ્યારે BSP કેશુભાઈ જેવા અનુભવી ચહેરા સાથે મજબૂત પદાર્પણ કરવા સજ્જ છે. જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે. ત્યારે કેશુભાઈનું ભાજપ છોડવું એ માત્ર એક વ્યક્તિનો પક્ષ પલટો નથી, પરંતુ વોર્ડ નંબર 4ના મતોના ગણિતમાં મોટો ઉલટફેર લાવી શકે છે. આગામી દિવસોમાં આ પક્ષ પલટાની અસર અન્ય વોર્ડ પર કેવી પડે છે તે જોવું રસપ્રદ રહેશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:43 am

વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

વાપી શહેરમાં સાયબર ગુનાઓ સામે વાપી ટાઉન પોલીસે એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વડોદરાના મુખ્ય આરોપી કરણ રામકનૈયાલાલ ભાષાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે તેની બે અલગ-અલગ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. કોર્ટે નોંધ્યું કે જો આરોપી બહાર રહેશે તો તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખીને, એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ મહત્વનો હુકમ સંભળાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરણ ભાષાણી, સહ-આરોપી ફરહાન સલીમ ઘાંચી અને ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખ સાથે મળીને સાયબર ઠગાઈનું એક ગોઠવણબદ્ધ રેકેટ ચલાવતા હતા. આરોપીઓ ફ્રોડથી મળેલા નાણાંને સગેવગે કરવા માટે 'મ્યુલ બેંક એકાઉન્ટ'નો ઉપયોગ કરતા હતા. આ માટે, તેઓ અન્ય લોકોને તેમના બેંક ખાતા ભાડે આપવા માટે 1 થી 3 ટકા સુધીના કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલા પૈસા જમા કરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરણ ભાષાણીએ સહ-આરોપીના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં કુલ રૂ. 5.15 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ રોકડમાં ઉપાડીને વાપીની એક આંગડિયા પેઢી મારફતે વડોદરા મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન કોલ ડિટેલ રેકોર્ડ (CDR)માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અને સહ-આરોપી વચ્ચે 500થી વધુ વાર ફોન પર વાતચીત થયેલી હોવાનું બહાર આવ્યું છે, જે તેમની સંડોવણીને વધુ મજબૂત બનાવે છે. સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તથા આઈટી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જો જામીન આપવામાં આવશે તો આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે અથવા ફરાર થઈ શકે તેવી શક્યતા છે. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને જણાવ્યું કે સાયબર ક્રાઈમ સમાજ અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો છે. તેથી, તપાસના હિતમાં આરોપીને આગોતરા જામીન આપવું યોગ્ય નથી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:40 am

અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે. આ યુનિવર્સિટી ભારતને વન્યજીવ અને પ્રાણીચિકિત્સા શિક્ષણ માટેના ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. અનંત અંબાણીએ જણાવ્યું હતું કે,વન્યજીવ સંરક્ષણનું ભવિષ્ય એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ.તેમણે ઉમેર્યું કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની તેમની વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળમાં વધુ ક્ષમતાની જરૂરિયાતની સમજથી વનતારા યુનિવર્સિટીને આકાર મળ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: (બધી દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ) શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા સંકલ્પબદ્ધ છે. આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં બે બિજોલિયા રેતશીલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વર્તમાનમાં બિહારમાં આવેલી પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં શ્રી અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ, જેમાં ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃદ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલૅન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઉચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધિ ભારતની ઇકોલોજીકલ સમૃદ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનનું પ્રતીક હતું. વનતારા યુનિવર્સિટી એક જ શૈક્ષણિક ઇકોસિસ્ટમમાં અનેક અલગ-અલગ વિદ્યાશાખાઓને એકજૂટ કરશે, જે વાસ્તવિક સંરક્ષણ પ્રણાલિઓ સાથે સંકળાયેલી હશે. વનતારાના જમીન પરના કાર્યની નિપુણતાનો ઉપયોગ કરીને, આ યુનિવર્સિટી ફિલ્ડ પરના જ્ઞાનને શૈક્ષણિક કાર્યક્રમો, વ્યાવસાયિક તાલીમ અને વૈશ્વિકરીતે સુસંગત માળખામાં તબદિલ કરશે, કરુણા, વિજ્ઞાન અને સંરક્ષણનું એક અનોખું મિશ્રણ કરીને. આ યુનિવર્સિટી વ્યાવસાયિકોને વન્યજીવ અને ઇકોસિસ્ટમની સુખાકારીમાં આવતા જટિલ અને સતત બદલાતા પડકારોનો સામનો કરવા માટે સુસજ્જ બનાવશે. આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે. તે પ્રાણી કલ્યાણ અને અદ્યતન સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવવા માટે કાર્યલક્ષી સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું શૈક્ષણિક મોડેલ ઇન-સિટુ અને એક્સ-સિટુ સંવર્ધનનું સંકલન કરશે, કુદરતી આવાસોને વૈજ્ઞાનિક સંભાળ અને લાંબાગાળાના વન્યજીવ કલ્યાણ તથા વ્યવસ્થાપન સાથે જોડશે. પ્રાણી સંવર્ધનના ભવિષ્યનું ઘડતર વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને માનવીના અંતરાત્મા તેમજ જંગલોમાં જ થશે તે બાબતને સારી રીતે અનુભવીને આ યુનિવર્સિટી વન્યજીવ પશુચિકિત્સા વિજ્ઞાન અને સંવર્ધન શિક્ષણને આગળ ધપાવવાનો ઉદ્દેશ ધરાવે છે. તે એક સાથે વન્યજીવ આરોગ્ય, પ્રાણી સંભાળ પર્યાવરણ ડિઝાઇન અને સંરક્ષણમાં જ્ઞાન સંસાધનો વિકસાવશે, જે શિક્ષણ, સંશોધન અને નવીનતા માટે લાંબાગાળાના પ્લેટફોર્મ તરીકે સેવા આપશે. આ શિલાન્યાસ સમારોહની સાથે જ કરુણાસભર સંવર્ધન શિક્ષણને આગળ વધારવા માટેના વ્યાપક રાષ્ટ્રીય પ્રયાસનો પણ શુભારંભ થયો હતો. આમાં 'વનતારા યુનિવર્સિટીના સ્થાપક ફેલો' અને 'એવરી લાઇફ મેટર્સ' શિષ્યવૃત્તિની જાહેરાતનો સમાવેશ થાય છે, જેની સાથે જ જ્ઞાનનો ઉપયોગ માત્ર પ્રગતિ માટે જ નહીં, પરંતુ રક્ષણ માટે પણ કરવાનું આહ્વાન કરાયું છે. વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે. વનતારા વિશે:વનતારા એ ભારતના ગુજરાતમાં જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા (veterinary medicine), કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન (applied science) અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન (conservation breeding), પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુનઃસ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:38 am

આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ:ભાજપ-કોંગ્રેસના મોટાભાગના ઉમેદવાર જાહેર, ફોર્મ ભરવામાં કતારો લાગશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંતિમ દિવસ સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. ગતરોજ યાદી જાહેર થયા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો ઉમેદવારીપત્ર ભરશે. ઉમેદવારી ભરવા કેટલાક શક્તિ પ્રદર્શન કરીને જશેમહાનગરપાલિકાની ચૂંટણીમાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે અને 53 નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. ભાજપના કેટલાક ઉમેદવારો આજે પોતપોતાના વોર્ડમાંથી રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચશે. કેટલાક ઉમેદવાર શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી નોંધાવશે. ભાજપમાં ટિકિટની ફાળવણી બાદ અનેક વોર્ડમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની સાથે સાથે ભાજપે અનેક વોર્ડમાં ડેમેજ કંટ્રોલ પણ કરવું પડશે. કોંગ્રેસે મધ્ય રાતે યાદી જાહેર કરીકેટલાક વોર્ડમાં બળવો થવાની શક્યતાઓ જોઈ બેઠેલા કોંગ્રેસે કાલે સાંજથી કેટલાકને ફોન કરીને માહિતી આપી હતી. જો કે મોડી રાત સુધી યાદી જાહેર કરવામાં આવી ન હતી. કોંગ્રેસે મધરાતે યાદી જાહેર કરી હતી. વડોદરા મહાનગરમાં ગત ટર્મમાં વોર્ડ 1માં જીતેલા ઉમેદવાર હરીશ પટેલને કાપવામાં આવ્યા છે. તો જહાં ભરવાડના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ 1માં બંને મહિલા ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. હાલ સુધીમાં 293 ફોર્મ ભરાયાવડોદરા જિલ્લામાં મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાઓની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગતરોજ સુધીમાં 293 ઉમેદવારીપત્રો ભરાયા છે, જેમાં મહાનગરપાલિકામાં 64, નગરપાલિકાઓમાં 55, જિલ્લા પંચાયતમાં 37 અને તાલુકા પંચાયતમાં 137 ઉમેદવારી પત્રો ભરાયા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:34 am

SOG એ ઓખામાં ગેરકાયદેસર માછીમારી પર કાર્યવાહી કરી:ઓનલાઈન ટોકન વિના બોટ જપ્ત, માછીમારની ધરપકડ

દેવભૂમિ દ્વારકાના ઓખા દરિયાઈ પટ્ટામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા ગેરકાયદેસર માછીમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. SOG ટીમે ઓનલાઈન ટોકન અને રજીસ્ટ્રેશન કાગળો વિના દરિયો ખેડતી એક બોટ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન, માછીમાર લતીફ બંદરીની બોટને દામજીભાઈ જેટી પાસે રોકવામાં આવી હતી. તપાસમાં બોટ પાસે કોઈ જરૂરી કાગળો કે સરકાર માન્ય ઓનલાઈન ટોકન મળી આવ્યું ન હતું. ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ લતીફ બંદરીની ધરપકડ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ પ્રકારની બેદરકારી અને ગેરકાયદેસર માછીમારીને સમુદ્રી સુરક્ષા માટે જોખમી ગણવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા SOG દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અન્ય ગેરકાયદેસર માછીમારી કરતા તત્વો માટે એક મોટી ચેતવણીરૂપ સંદેશ છે. તંત્ર દરિયાઈ સીમા પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને આવી પ્રવૃત્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા દાખવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:24 am

મોડાસા પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા:નગરપાલિકા સામે સુવિધાઓના અભાવે મતદારોનો રોષ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મોડાસા નગરપાલિકા વિસ્તારમાં આવેલી પાવન સિટી કો-ઓપરેટિવ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીમાં ચૂંટણી બહિષ્કાર અને કોઈપણ રાજકીય પક્ષે ચૂંટણી પ્રચાર માટે પાવન સિટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા 100 ટકા ટેક્સ વસૂલવામાં આવે છે, પરંતુ તેની સામે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહી છે. આ બેનરો નગરપાલિકા પ્રત્યેના તેમના ઊંડા અસંતોષને દર્શાવે છે. સોસાયટીમાં 564 જેટલા ફ્લેટ હોવા છતાં, સ્ટ્રીટ લાઇટનો અભાવ, પાણીની સમસ્યા, શેરી સફાઈનો અભાવ અને રખડતા ઢોરની સમસ્યાઓ યથાવત છે. આ સમસ્યાઓથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રહીશોનું કહેવું છે કે તેઓ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરે છે, પરંતુ તેમને માત્ર ખાતરીઓ જ મળે છે અને કોઈ નક્કર કામગીરી થતી નથી. વધુમાં, રહીશોનો આક્ષેપ છે કે વોર્ડના સભ્યો કે નેતાઓ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પછી પાંચ વર્ષ સુધી ગાયબ થઈ જાય છે. આ પરિસ્થિતિથી કંટાળીને પાવન સિટી સોસાયટીના રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે. સોસાયટીના રહીશોએ સુવિધા નહીં તો વોટ પણ નહીં ના સૂત્રોચ્ચાર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જો સમયસર તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો આ રોષ મતપેટી દ્વારા વ્યક્ત થશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:22 am

બોટાદમાં સમરસતા યાત્રાનું સ્વાગત:વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની યાત્રાનું આયોજન

તારીખ 10 એપ્રિલ, 2026 ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ગોકુળીયાનાથ જગ્યાના મહંત દિનેશબાપુ, સ્વામી માધવસ્વરૂપજી, સ્વામી આત્માનંદ સરસ્વતીજી અને અન્ય ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગોકુળીયાનાથની જગ્યાએથી કરવામાં આવ્યું હતું. આ યાત્રા ખુશ્બુ રેસિડેન્સી, ખસ રોડ, બોટાદ ખાતે નવનિર્માણ પામી રહેલા સમતા બુદ્ધ વિહાર ખાતે સવારે અગિયાર કલાકે પહોંચી હતી. ત્યાં ભગવાન બુદ્ધ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમતા બુદ્ધ વિહારના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ દ્વારા ત્રિશરણ પંચશીલ પાઠ કરાવવામાં આવ્યો હતો. સમરસતા યાત્રાના પદાધિકારીઓને બોધિરાજ બૌદ્ધ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ તિરંગો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રામાં જોડાયેલા તમામ મહેમાનોને માનવતાના પ્રતીક સમા ભગવાન બુદ્ધના પંચશીલના પ્રતીક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બુદ્ધ વિહારમાં ચા-નાસ્તાની વ્યવસ્થા રાહુલભાઈ વાજા દ્વારા કરાઈ હતી. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ દેવજીભાઈ રાવત, રસેશભાઈ રાવલ, મોન્ટુભાઈ માળી, ભરતભાઈ પરમાર, રસિકભાઈ કણજરીયા, મહેશભાઈ કણજરીયા, ભુપતભાઈ ચૌહાણ, બિજલભાઈ પરમાર, વિશાલભાઈ ખખ્ખર, દેવજીભાઈ મ્યાત્રા સહિત સંગઠનના આગેવાનો જોડાયા હતા. તેમજ સામાજિક આગેવાનો અમૃતભાઈ કલીવડા, રાજુભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 10:11 am

જોરાવરનગર શાળાના બાળકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાયા:શહેરી વિસ્તારોમાં ચિત્ર સ્પર્ધા અને રેલીનું આયોજન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા અને વધુમાં વધુ લોકો મતદાન કરે તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે, જોરાવરનગર પ્રાથમિક શાળા નંબર 7 દ્વારા ખાસ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા, 'ચૂનાવ પાઠશાળા' અને એક રેલીનો સમાવેશ થાય છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહેરી વિસ્તારના મુખ્ય માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. આ રેલી દરમિયાન, શહેરીજનોને મતદાનના મહત્વ વિશે જાગૃત કરવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ અભિયાનને સફળ બનાવવા માટે ધોરણ 6 અને 7 ના આશરે 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના નારાયણભાઈ અને અન્ય સ્ટાફ સભ્યોએ આ કાર્યક્રમ માટે સઘન પ્રયાસો કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:32 am

દીયોદરથી ભાગેલા સગીર પ્રેમીપંખીડા ઝડપાયા:સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી પોલીસે કબજો સંભાળ્યો

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન એક સગીર પ્રેમીપંખીડાને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને આવ્યા હતા. સુરેન્દ્રનગર રેલવે પોલીસે દિયોદર પોલીસને જાણ કરતા, દિયોદર પોલીસે આવી બંનેનો કબજો સંભાળ્યો હતો. સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકના પીઆઈ એચ.કે. શ્રીમાળીની સૂચનાથી પીએસઆઈ સી.પી. બાવળીયા, દીગપાલસિંહ, રસિકભાઈ અને શક્તિસિંહ સહિતનો સ્ટાફ રેલવે સ્ટેશન પર રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન રેલવે સ્ટેશન પરથી એક સગીર અને એક સગીરા મળી આવ્યા હતા. પોલીસ મથકે લાવી બંનેની પૂછપરછ કરતા, તેઓએ જણાવ્યું કે તેઓ વાવ-થરાદ જિલ્લાના એક ગામમાંથી ઘરેથી ભાગીને નીકળી ગયા હતા. રેલવે પોલીસે દિયોદર પોલીસનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે સગીરાના પરિવારજનોએ આ અંગે પોક્સોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આથી, દિયોદર પોલીસ સુરેન્દ્રનગર આવી હતી અને ભોગ બનનાર સગીરા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપીનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:25 am

વડોદરા વોર્ડ 5માં AAP ઉમેદવારોએ ફોર્મ ભર્યા:શહેર ઉપ-પ્રમુખ ભાવેશ આર્ય સહિત 4 ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

વડોદરા શહેરના વોર્ડ નંબર ૫માં આમ આદમી પાર્ટીની ચૂંટણી સક્રિયતા તેજ બની છે. શહેર ઉપ-પ્રમુખ અને વાડી શહેર વિધાનસભા પ્રભારી ભાવેશ આર્ય સહિત ચાર ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાવેશ આર્ય ઉપરાંત, જીગ્નેશ મોચી, પદમાબેન રાઠોડ અને કૈલાશબેન બારોટે પણ વોર્ડ નંબર ૫માંથી ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે વોર્ડ નંબર પાંચના વોર્ડ પ્રભારી પ્રકાશ બારોટ, વોર્ડ નંબર ચારના ઉમેદવાર રજનીકાંત પરમાર, એડવોકેટ સંજય શર્મા, વોર્ડ નંબર છના ઉમેદવાર અનુપ ચતુર્વેદી અને હુસેન મુલતાની સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભાવેશ આર્યએ જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા મળેલા મેન્ડેટ પર ખરા ઉતરવા તેઓ પ્રતિબદ્ધ છે. તેમણે ડોર-ટુ-ડોર પ્રચાર અભિયાન દરમિયાન ગટર વ્યવસ્થા, કચરાની સમસ્યા અને ખરાબ રસ્તાઓ જેવી અનેક મૂળભૂત સમસ્યાઓ સામે આવી હોવાનું જણાવ્યું. પાણીની સમસ્યા અંગે તેમણે કહ્યું કે વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી અને જરૂરિયાત મુજબ પૂરતું પાણી પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત, વરસાદી સમયમાં ગટર અને ડ્રેનેજની સમસ્યાને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે. આર્યએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જીત મળ્યા બાદ વોર્ડ નંબર ૫માં મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરી પ્રજાલક્ષી વિકાસ કાર્યો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 9:14 am

નવસારીમાં GSTના દરોડા, કાસા ડે વિદા પ્રોજેક્ટ પર તપાસ:મોટાપાયે કરચોરીની આશંકા, બિલ્ડર લોબીમાં ખળભળાટ

નવસારીમાં જીએસટી વિભાગે ટેક્સ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જાણીતા કાસા ડે વિદા (Casa De Vida) પ્રોજેક્ટ પર જીએસટી વિભાગ દ્વારા ઓચિંતા દરોડા પાડવામાં આવ્યા છે. આ તપાસ શરૂ થતા શહેરની બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, નવસારીના કાસા ડે વિદા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા વ્યવહારોમાં મોટાપાયે જીએસટીની ચોરી થઈ હોવાની ગુપ્ત બાતમીના આધારે વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જીએસટીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રોજેક્ટના સ્થળ અને તેની સાથે સંકળાયેલી કચેરીઓ પર પહોંચ્યો હતો. અધિકારીઓએ હિસાબી દસ્તાવેજો અને નાણાકીય લેવડ-દેવડની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ દરોડામાં ટેક્સ ચોરી સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હાલમાં તપાસ પ્રાથમિક તબક્કે છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર દસ્તાવેજોની ચકાસણી બાદ ટેક્સ ચોરીના મોટા આંકડાઓ સામે આવવાની પ્રબળ શક્યતા છે. દરોડા દરમિયાન કેટલાંક વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું મનાય છે. આગામી દિવસોમાં તપાસના અંતે જીએસટી વિભાગ દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવશે. નવસારી જેવા શહેરમાં બિલ્ડર પ્રોજેક્ટ પર જીએસટીના દરોડા પડતા રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં પણ આ તપાસને કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સરકાર દ્વારા ટેક્સ ચોરી રોકવા માટે ડિજિટલ ટ્રેકિંગ અને ડેટા એનાલિસિસના આધારે આવી કડક કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:30 am

વલસાડ સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી પટકાયા મુસાફર:ચા લેવા ઉતર્યા બાદ ચઢતી વખતે અકસ્માત, સુરત રિફર કરાયા

વલસાડ રેલવે સ્ટેશન પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી બિકાનેર જઈ રહેલા 52 વર્ષીય મુસાફર રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે પટકાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર કુમાર શેષમલજી જૈન પોતાના પરિવાર સાથે મુંબઈથી બિકાનેર દર્શન કરવા જઈ રહ્યા હતા. આ પ્રવાસ દરમિયાન ટ્રેન વલસાડ રેલવે સ્ટેશન પર રોકાઈ હતી. રાજેન્દ્રભાઈ પ્લેટફોર્મ પર ચા લેવા માટે નીચે ઉતર્યા હતા. રાજેન્દ્રભાઈ ચા લઈને પાછા ફરે તે પહેલા જ ટ્રેન ઉપડી ગઈ હતી. પોતાની ટ્રેન છૂટી જવાની ઉતાવળમાં તેમણે દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેમનો પગ લપસી જતાં તેઓ સીધા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે આવી ગયા અને ટ્રેન નીચે પટકાયા. આ ઘટનાની જાણ થતા જ વલસાડ સ્ટેશન માસ્તર, GRP (રેલવે પોલીસ) અને RPFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્ત રાજેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, તેમની હાલત ગંભીર જણાતા અને વધુ સારવારની જરૂરિયાત હોવાથી પરિવારજનો તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા છે. રેલવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 8:28 am

આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ:ભાજપે ભરૂચ ન.પા. અને સુરત મ.ન.પા.ની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે છેલ્લા દિવસે પણ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચાર ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાડી જાહેર કરી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 7:58 am

ઈઝરાયેલ ચાર દાયકાથી લેબનોનમાં હિઝબુલ્લાહને હરાવી શક્યું નથી

- 1982માં શિયા મુસ્લિમોના જૂથને ઈઝરાયેલે હરાવ્યા બાદ ઈરાનની મદદથી ત્યાં હિઝબુલ્લાહનું નેટવર્ક તૈયાર કરાયું જે આજેપણ ઈઝરાયેલની સેનાને હંફાવે છે - હિઝબુલ્લાહ વિશે સમજવા જેવી વાત એ છે કે, આ કોઈ સેના નથી. આ એક હથિયારબંધ જુથ છે. તેઓ શિયા સમુદાયનું એક હિઝબુલ્લાહ નામનું સામાજિક સંગઠન છે. તેઓ હોસ્પિટલો ચલાવે છે, સ્કૂલો ચલાવે છે અને શહેરની નગરપાલિકાઓમાં પણ દખલ દઈને લોકોના કામ કરાવે છે. લેબેનોનની સંસદમાં પણ હિઝબુલ્લાહના સાંસદો છે : વર્ષ 2000માં હિઝબુલ્લાહએ પોતાની પહેલી જીત મેળવી હતી.

ગુજરાત સમાચાર 11 Apr 2026 7:00 am

ટિકિટના નામે ઠગાઈ:ભાદ્રોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપીને મહિલા સાથે ઠગાઇ આચરાઇ

સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં મહુવામાં આપના બે નેતાએ એક દલીત સમાજની મહિલાને ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ ન મળતા આપના બે નેતા સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહુવાના ભાદ્રોડ ગામે રહેતા આશાબેન નિખીલભાઇ વાઘએ પોલીસ ફરિયાદમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ વિરૂદ્ધ બળાપો કાઢ્યો છે આશાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઇ બારૈયાએ તેમને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા અને રાજેન્દ્ર બારૈયા અને દિલ્લી ખાતેના બ્રિજરાજસિંહ બંન્નેએ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં ભાદ્રોડ તાલુકા પંચાયતની ટીકીટ આપવાનું વચન આપેલ હતું. જે દરમિયાન બંન્ને નેતાઓએ ચુંટણીનો વીસ હજાર રૂપિયાનો આશાબેન પાસે ખર્ચ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામમાં ચુંટણી પ્રચાર પણ કરાવ્યો હતો. જે બાદ ગત તા. 3-4-2026 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની નામાવલી જાહેર કરવામાં આવી હતી. પરંતુ એ નામાવલીમાં આશાબેનના નામને બદલે ભાદ્રોડ ગામના અને તેના જ સમાજના મહિલા હંસાબેન અશોકભાઇ કાતરીયાને ટીકીટ માટે પસંદગી કરવામાં આવી હતી. જે મામલે આશાબેને નામાવલીમાં નામ નહીં આવવાથી રાજેન્દ્ર બારૈયાને વાત કરતા રાજેન્દ્ર બારૈયાએ આશાબેન તેમજ તેમના પતિ સાથે બોલાચાલી કરી, ઝઘડો કર્યો હતો અને જ્ઞાતીથી અપમાનીત કરાયા હતા. તેમજ રાજેન્દ્ર બારૈયા અને બ્રિજરાજસિંહે પાંચ લાખ રૂપિયા લઇ હંસાબેનને ટીકીટ આપ્યાનો આક્ષેપ કરાયો હતો જે મામલે આશાબેન વાઘએ મહુવા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર બારૈયા (રહે. ડુંડાશ, મહુવા), બ્રિજરાજસિંહ, ટીકીટ મેળવનાર હંસાબેન કાતરીયા તેમના પતિ અશોક કાતરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અમરેલીની સભામાં આશાબેનને લઇ જવાયા હતાઆપના બન્ને નેતાએ દલીત સમાજના આશાબેનને ટીકીટની લોભામણી લાલચ આપી હતી. જેને લઇને વીસ હજાર રૂપિયાનો ખર્ચ પણ કરાવ્યો હતો અને ભાદ્રોડ ગામે ચુંટણી પ્રચાર કરાવ્યો હતો. તેમજ અમરેલી ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભા ખાતે વીસેક માણસો પણ બોલેરો પીકઅપ બંધાવીને લઇ ગયા હતા પણ ટીકટ ન આપી, છેતરપિંડી આચરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:05 am

નિમણૂંક:ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા 72 તબીબોની નિમણૂંક કરાઇ

ગુજરાતના રાજ્યપાલના હુકમથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સહિત રાજ્યની વિવિધ મેડિકલ કોલેજમાં ગુજરાત જાહેર સેવા આયોગની સીધી ભરતીમાં પસંદગી થયેલા 72 તબીબોની કરી નિમણુંક કરી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે મેડિસિન વિભાગમાં 43 અને સર્જરી વિભાગમાં 29 તબીબોના ઓર્ડર જારી કર્યા હતા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર, મેડિકલ કોલેજ વડોદરા, પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ, બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ અને સરકારી મેડિકલ કોલેજ સુરતમાં મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે પે-મેટ્રિક્સ લેવલ-11 એન્ટ્રી પે રૂ.68,900ના પગાર ધોરણ સાથે બે વર્ષના અજમાયશી સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણુંક કરાઈ છે. મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1 તરીકે મેડિસિનના 43 અને સર્જરીના 29 તબીબોના થયેલા ઓર્ડરમાં સ્થાનિક ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સર્જરી વિભાગમાં ડો.અભિજીત યાદવ, ડો.તેજસકુમાર પટેલ અને ડો.શૈવા પટેલના ઓર્ડર નીકળ્યા છે. તેમજ ભાવનગર સરકારી મેડિકલ કોલેજના મેડિસિન વિભાગમાં ડો.ભિષ્મ માંડલિયા અને ડો.હર્ષરાજસિંહ બારડના ઓર્ડર નીકળ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:03 am

મારમાર્યો:યુવકે પ્રેમ લગ્ન કરી મિલકતનો ભાગ માંગતા પિતા અને ભાઈએ મારમાર્યો

સિહોર તાલુકાના નવાગામ (મોટા) ગામમાં પરિવારિક વિવાદ હિંસક સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યાં એક યુવકે પોતાના પિતા અને ભાઈ સામે જ હુમલાની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. બનાવનું મૂળ કારણ યુવકે પોતાની જ્ઞાતિની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા જે બાદ મિલકતમાં ભાગ માગ્યો હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પરિવારજનો વચ્ચે તણાવ ઊભો થયો હતો. આ અંગે સિહોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, નવાગામ (મોટા)ના રહેવાસી પંકજભાઈ લાખાભાઈ પરમારે જણાવ્યું હતું કે તેઓ પોતાની પત્ની સાથે પરિવારથી અલગ રહેતા હતા. એક દિવસ તેઓ કામેથી ઘરે પરત ફર્યા ત્યારે પત્નીએ જણાવ્યું કે તેમના માતા ઘરે આવી ઘરવખરીની વસ્તુઓ પૂછ્યા વગર લઈ ગયા હતા. આ મુદ્દે પંકજભાઈએ પોતાની માતાને જે જોતું હોય તે લઈ જજો કહી દેતા મનદુઃખ પેદા થયું હતું. ત્યારબાદ તેમના પિતા લાખાભાઈ પરમાર અને ભાઈ જયપાલભાઈ પરમાર ઉશ્કેરાઈ જઈ ઘરની બહાર આવી મોટે મોટેથી પંકજભાઈ અને તેની પત્નીને ગાળો આપતા થયા, જેથી પંકજભાઈ તેઓને ગાળો આપવાની ના પાડી અને મિલકતમાં ભાગની માંગણી કરી હતી. તે વાતને લાખા પરમાર અને જયપાલ પરમારએ લોખંડના પાઈપ તથા ઢીકાપાટાથી પંકજભાઈ અને તેમની પત્ની પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પંકજભાઈને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાંથી તેઓએ પોતાના પિતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am

ડહોળા કાળા કલરના પાણીથી છાણી, નવાયાર્ડ અને નિઝામપુરાના સ્થાનિકો ત્રસ્ત:સ્થાનિક ભુપેન્દ્ર પટેલે કહ્યું, વિશ્વામિત્રીમાં કંઈ કામ થયું નથી; 'પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમા પાણી ભરાય છે'

વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વડોદરાના વોર્ડ નં. 1ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 1નો ચિતાર મેળવવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ પહોંચી હતી અને વોર્ડના રહિશો સાથે વિસ્તારની સમસ્યાઓ જાણી હતી. પાણી ડહોળું અને કાળા કલરથી સ્થાનિકોમાં ત્રસ્તવોર્ડ નં. 1 એ વડોદરાનું પ્રવેશદ્વાર ગણવામાં આવે છે. આ વોર્ડમાં ગત ટર્મમાં ચારેય કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતાં. આ વોર્ડમાં છાણી ગામ, નવાયાર્ડ અને નિઝામપુરાનો મોટા ભાગનો વિસ્તાર આવે છે. આ વોર્ડમાં મુખ્યત્વે પીવાના પાણીની સમસ્યા છે. મહીસાગર નદીમાંથી જીએસએફસી થઈને પાણી અહીંથી જ શહેરમાં પ્રવેશે છે, છતાં લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળતું નથી. આ વોર્ડમાં દુષિત પાણીની સમસ્યા એ મોટો પ્રશ્ન છે. અવારનવાર લોકો દ્વારા દુષિત પાણીના મુદ્દે રજૂઆત કરવામાં આવે છે. કેટલાય વિસ્તારમાં પાણી ડહોળું અને કાળા કલરનું આવે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે,પાર્કિંગની વ્યવસ્થા નથી, ઘૂંટણસમા પાણી ભરાય છે અને અનેક રજૂઆત કરવા છતાં પણ સમસ્યાઓનું કંઈ પણ નિરાકરણ આવ્યું નથી. 'વિશ્વામિત્રીમાં કંઈ કામ થયું હોય તેમ દેખાતું નથી'અન્ય એક રહીશ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે ચોમાસામાં ભૂખી કાંસના કારણે પાણી ભરાઈ ગયા હતા. વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે સરકારે 1200 કરોડ ફાળવ્યા છે. પરંતુ તેમાંથી 120 કરોડ વપરાયા છે. જો કે કંઈ કામ થયું હોય તેમ દેખાતું નથી. અને સમસ્યા ઠેરની ઠેર રહે તેમ લાગે છે. આ લોકલ ઈલેક્શન છે એટલે જે લોકો સ્થાનિક કક્ષાએ કામ કરશે તેને જ મત આપીશું. આમ કોઈ પાર્ટી મહત્વની નથી. 'ચોમાસામાં અનેક સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાય છે'સ્થાનિક વિષ્ણુ પટેલે જણાવ્યું હતું કે, આ વોર્ડ જુના વોર્ડ 7માં સમાવિષ્ટ હતો. તેમાં 1989થી ઓરમાયું વર્તન થઇ રહ્યું છે. હાલમાં ચોમાસામાં અનેક સ્થળોએ પાણીનો ભરાવો થઈ જાય છે. ગત વર્ષે જે પૂર આવ્યું ત્યારે મોટાભાગના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી હતાં. આ અંગે વારંવારની રજૂઆત થઇ છે છતાં કોઈ નિરાકરણ નથી. 'મુખ્ય માર્ગ પર પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી'સ્થાનિક અનિલ શાહે જણાવ્યું હતું કે, આ વોર્ડમાં મુખ્ય માર્ગ આવેલો છે. પરંતુ પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. આડેધડ પાર્કિંગ થવાના કારણે રસ્તા ઉપર ચાલવું અઘરું બની જાય છે. સિનિયર સીટીઝન માટે તો પીક અવર્સમાં ક્યાં ચાલવું તે સમસ્યા છે. અહીં લારીઓ પણ ગમે ત્યાં મૂકી દેવામાં આવે છે. કોર્પોરેશને તેના માટે અલગ જગ્યા ફાળવવી જોઈએ. 'પાણીની મોટામાં મોટી સમસ્યા છે'સ્થાનિક રહીશ ભરત અમીને જણાવ્યું હતું કે, અહીં પાણીની મોટામાં મોટી સમસ્યા છે. હું અહીં આ વિસ્તારમાં રહેવા આવ્યો ત્યારે ત્રીજા માળે પણ મોટર ચલાવ્યા વગર પાણી ચઢતું હતું. ત્યાર બાદ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પાણી આવતું થયું અને હવે તો એવી હાલત છે કે અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પણ પાણી પડતું નથી. 'આ વિસ્તારમાં ભૂખી કાંસ માટેની વર્ષો જૂની સમસ્યા'આ વોર્ડમાં ગત ટર્મમાં જીતેલા કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભૂખી કાંસ માટેની વર્ષો જૂની સમસ્યા છે. ભાજપના સત્તાધીશોએ તેઓના લાગતા વળગતાઓને ફાયદો કરાવવા માટેના પ્રયાસ કર્યા છે. સ્થાનિકો ક્યાં ઉમેદવારોની પસંદગી કરશે તે જોવું રહ્યુંસ્થાનિક રહીશોની સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરો કે જેઓ વિપક્ષમાં છે તેઓ દ્વારા પણ અવારનવાર અવાજ ઉઠાવવામાં આવે છે. પરંતુ આ સમસ્યાનું હાલ તો કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે આગામી સમયમાં આ વોર્ડના લોકોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ તે જોવું રહ્યું. ઉપરાંત પ્રજા પણ આ વખતે પોતાના સ્થાનિક ઉમેદવારોને કયા મુદ્દાઓને ધ્યાને લઈને પસંદગી કરશે તેના પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am

પક્ષપલટુઓને લોલીપોપ, BJPમાં ડખા ચાલુ:EX મેયરને ધક્કા મારી કમલમમાંથી કાઢ્યા; પીઢ નેતાએ ચાવી ભરી ને કાર્યકરોએ ઉપાડો લીધો, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 6:00 am

ભાજપે જેને જિ.પં.ની ટિકિટ આપી એ ઇન્સ્ટા સ્ટાર કોણ છે?:10 લાખથી વધુ ફોલોઅર્સ અને મોડલિંગની મળી ચૂકી છે ઓફર, પોતાના જિમમાં પરસેવો પાડી રહે છે ફિટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેર કરી છે, ત્યારે વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા(ઈન્સ્ટાગ્રામ) સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે. જેને લઈને પણ વિવાદ થયો છે, તેની સામે ભાજપના જ નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે. આ વિવાદ વચ્ચે દિવ્ય ભાસ્કરે અંકિતા પરમાર સાથે વાત કરી અને તેમની જિંદગી અને રાજકીય સફર અંગે વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 5 વર્ષ પહેલા યોજાયેલી વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંકિતા પરમાર સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જેમાં અઢી વર્ષ માટે પ્રમુખ પદની જવાબદારી સંભાળી હતી. ઈન્સ્ટાગ્રામ પર તેમના એક મિલિયનથી વધુ ફોલોઅર છે. તેમણે રાયપુર કલિંગા યુનિવર્સિટીમાંથી બી.કોમ.સુધીનો અભ્યાસ કરેલો છે. જિલ્લા પંચાયતની ટિકિટ મળવા અંગે અંકિતા પરમારે જણાવ્યું કે, સૌપ્રથમ હું પાર્ટી, ધારાસભ્યો, સંગઠન પ્રમુખ અને જનતાનો આભાર વ્યક્ત કરું છું. તાલુકા પંચાયતમાં જવાબદારી મળ્યા બાદ હવે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળી છે, ત્યારે પ્રયત્ન કરીશ કે તાલુકા પંચાયતમાં જે ફરજ બજાવી, તેના કરતાં બમણી તૈયારી કરીને વધુ વિકાસના કામો થાય તેવા પ્રયાસ કરીશ. દાવેદાર નયના પરમારના પતિએ ટિકિટ આપવાના કરેલા વિરોધ અંગે કહે છે કે, નયનાબેન મારા બેન સમાન છે.એ પણ ભાજપના સંનિષ્ઠ કાર્યકર છે. મારો પૂરો પ્રયાસ રહેશે કે, બેનને મનાવી લઈશ અને અમે સાથે મળીને વિકાસના કામો કરીશું. લોકશાહીનો જ્યારે પર્વ ચાલી રહ્યો હોય, ત્યારે પાર્ટી મેન્ડેટ આપતી હોય છે, ચૂંટણી લડવાની બધાની ઈચ્છા હોય છે, પણ પાર્ટી એકને જ મેન્ડેટ આપી શકે છે. એ તક મને મળી છે. નયનાબેન સર્વશ્રેષ્ઠ છે. હું એમ માનું છું કે, મને ટિકિટ મળી એટલે એમ નથી કે હું જ સર્વશ્રેષ્ઠ છું. હું એમને કાયમ સાથે લઈને જ ચાલવાની છું. રીલ્સ બનાવવા અંગે પાર્ટીમાંથી કોઈ ઠપકો કે સૂચન મળ્યું છે કે, કેમ? તે અંગે કહે છે, સ્વાભાવિક છે કે, હું પહેલા રીલ બનાવતી. જ્યારથી પાર્ટીમાં જોડાઈ છું, ત્યારથી પાર્ટીમાં જ કામ કરું છું અને પાર્ટીની રીલ્સ અપલોડ કરું છું અને એ મારો પર્સનલ વિષય છે. ‘પહેલાં મોડલિંગ ઓફર મળી ચૂકી છે’ફિલ્મ કે મોડલિંગની ઓફર આવવા અંગે કહ્યું કે, હાલ પૂરતી કોઈ ઓફર નથી, અગાઉ ઓફર મળી હતી, પણ હું એ ઓફરને અસ્વીકાર્ય કરું છું. મારું સંપૂર્ણ ધ્યાન પોલિટિક્સ પર છે અને લોકોની સેવા કરવા પર છે. PM મોદીને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, ક્યારેક મળવાની તક મળે. મોદીજી મળે તો મહિલાઓ અને દીકરીઓ માટે એમણે જે વિચાર્યું છે. મહિલાઓ સ્વતંત્ર થઈ છે. તેના માટે આભાર વ્યક્ત કરીશ. ‘આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે’ટ્રોલિંગ અંગે કહે છે, સોશિયલ મીડિયા પર નેગેટીવ અને પોઝિટિવ વાતો થાય છે. આપણે કઈ વાતો ધ્યાનમાં લેવી એ આપણા ઉપર છે. હું હંમેશા સોશિયલ મીડિયા પરથી સારી વાતો જ લઉં છું. ‘મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે’પરિવાર અને એજ્યુકેશન અંગે કહ્યું-હું પોર ગામની વતની છું અને મારો જન્મ વડોદરામાં થયો છે અને તે મારું પિયર છે. મને સાસરીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો છે.ત્યારબાદ હું પણ ભાજપમાં જોડાઈ. મેં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. ‘સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી’સંઘર્ષ અંગે કહ્યું કે, સંઘર્ષ વિના ક્યારેય સફળતા મળતી નથી. કોઈપણ વસ્તુ મેળવવા માટે કંઈક ગુમાવવું પડતું હોય છે. મારો જન્મ વડોદરામાં થયો અને લગ્ન પછી હું પોર ગામમાં રહેવા આવી. સાસરીમાં હું દીકરી તરીકે રહી છું. પોતાના ડ્રીમ અંગે કહ્યું કે, મારું ડ્રીમ વધુને વધુ મહિલાઓને ઇન્ડિપેડેન્ટ બનાવવાનું છે. ભારત આમ તો પુરુષ પ્રધાન દેશ છે. પરંતુ મારી એવી ઈચ્છા છે કે, ભારત મહિલા પ્રધાન દેશ તરીકે ઓળખાય.'હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું'સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે ભાજપ નેતામાંથી કઈ ઓળખ વધુ પસંદ છે, તેના અંગે કહ્યું કે, મારી ઈમેજ બનાવવાની સાથે સાથે હું કરોડો મહિલાઓની ઈમેજ બનાવવા માંગુ છું. કોઈ એવું કામ નથી કે જે મહિલા કે દીકરી ન કરી શકે. હાલ હું પ્રજાલક્ષી કામો કરવા પર ફોકસ કરી રહી છું, પાર્ટી આગળ જે જવાબદારી આપશે તે હું નિભાવતી રહીશ.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:59 am

ભરતી:GSSSBમાં 90 સ્ટાફ નર્સની ભરતી કરવાનો નિર્ણય

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 90 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરાઈ છે. આ માટે 13 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો https;/ojas.gujarat. gov.in પર જઈ અરજી કરી શકાશે. મંડળની વેબસાઈટ www.gsssb.guj.gov.in પર આ પોસ્ટની ભરતીની વિગતો મૂકવામાં આવી છે. જેના માટે નિર્ધારિત કરેલી ડિપ્લોમા ઈન આયુર્વેદિક નર્સીંગની શૈક્ષણિક લાયકાત આવશ્યક છે. આ ઉપરાંત કમ્પ્યુટર નોલેજની જાણકારી પણ આવશ્યક છે. આ ઉપરાંત ગુજરાતી, હિન્દીની ભાષાની જાણકારી પણ જરુરી છે. 18થી 45 વર્ષની વયજૂથના ઉમેદવારો અરજી કરી શકશે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા એપ્લિકેશન ફી રાખવામાં આવી છે, જ્યારે રીઝર્વ કેટેગરીના ઉમેદવારોને માટે 400 રૂપિયા એપ્લિકેશન ફી નિર્ધારિત કરાઈ છે. સ્ટાફ નર્સ (આયુર્વેદ)ની પોસ્ટ માટે પાંચ વર્ષ માટે 40,800નો ફિક્સ પગાર નક્કી કરાયો છે. 90 સ્ટાફ નર્સની ભરતી માટે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે .

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:57 am

GSEB:ગુજકેટમાં રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને 2 માર્ક અગાઉથી મળી ગયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ લેવાયેલી ગુજકેટની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે જે મુજબ એકમાત્ર રસાયણ વિજ્ઞાનમાં જવાબમાં સુધારો થતા પ્રોવિઝનલ આન્સર કીમાં થયેલા ફેરફાર સાથે માત્ર રસાયણ વિજ્ઞાનની ફાઈનલ આન્સર કી મુજબ હવે પરીક્ષાર્થીઓને બે માર્ક અગાઉથી મળી ગયા છે અને એક પ્રશ્નમાં બે પૈકી એક વિકલ્પ સાચો ગણાશે. પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની જાહેર કરવામાં આવી હતી અને 8 એપ્રિલ સુધી પ્રોવિઝનલ આન્સર કી અંગેની રજૂઆતો ઈ-મેલ મારફત સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ વિષયના નિષ્ણાતો દ્વારા તેની ચકાસણી કરાયા બાદ એક માત્ર રસાયણ વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં એક જ પ્રશ્નના જવાબમાં સુધારો થતા આ ફેરફાર કરાયો છે અને હવે રસાયણ વિજ્ઞાનમાં ફાઇનલ આન્સર કી મુજબ બે પ્રશ્નોમાં એક એક ગુણ તમામ વિદ્યાર્થીઓને મળી ગયો છે જ્યારે એક પ્રશ્નમાં બે વિકલ્પ છે તે પૈકી કોઈપણ એક વિકલ્પ સાચો ગણાશે. ગણિત, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ની આન્સર કીમાં કોઈ પણ ફેરફાર થતો નથી તેથી તે વિષયોની પ્રોવિઝનલ આન્સર કી જ ફાઈનલ આન્સર કી રહેશે તેની ગુજકેટના વિદ્યાર્થીઓને નોંધ લેવા ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:57 am

પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર:આ વર્ષે ગુજરાતભરમાં ધોરણ 1 અને 2માં વાર્ષિક પરિણામપત્રકને બદલે છાત્રોને પ્રોગ્રેસ કાર્ડ અપાશે

સમગ્ર ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં આ વર્ષે ધોરણ 1 થી 8 માં પરિણામ પત્રક આપવાની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ બાલવાટિકા તેમજ ધોરણ એક બે માં પરિણામ પત્રકને બદલે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ શાળા કક્ષાએ અપાશે. જ્યારે ધોરણ ત્રણથી આઠમાં પરિણામ પત્રક અપાશે. પણ તે શાળા કક્ષાને બદલે શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર કરીને અપાશે અને જે તે શાળા તેને ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને પરિણામ પત્રક તરીકે વિતરિત કરશે. આ વર્ષે ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ 3થી 8માં શાળા મુજબ પરિણામ પત્ર તૈયાર કરીને આપવાને બદલે અત્યારે જ્યારે વાર્ષિક પરીક્ષા શરૂ છે ત્યારે જ જેમ જેમ જે તે વિષયના પેપર પૂર્ણ થતા જાય તે મુજબ તે વિષયના વિદ્યાર્થીઓના ઓનલાઇન માર્ક અપલોડ કરી દેવામાં આવે છે અને શિક્ષણ વિભાગ દ્વારા તમામ વિદ્યાર્થીઓના પરિણામ પત્ર રાજ્ય કક્ષાએ જાહેર કરવામાં આવશે. બાદમાં જે તે શાળાઓ પોતાના વિદ્યાર્થીઓના પરિણામ પત્ર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે તેવું આયોજન છે. અત્યારે ધારો કે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર સમાપ્ત થયું તો તેની ચકાસણી કરીને માર્ક ઓનલાઇન મૂકી દેવામાં આવે છે જેથી રાજ્યકક્ષાએ પરિણામ તૈયાર થતું થાય અને આ તમામ વિષયનું પરિણામ એપ્રિલ માસના અંત સુધીમાં આપી દેવાનું આયોજન ઘડવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2માં પોલિસ્ટિક કોંગ્રેસ કાર્ડ ફાઉન્ડેશનલ સ્ટેજનો અમલ કરવાનો નિર્ણય પ્રાથમિક નિયામક શિક્ષણની કચેરી અને જીસીઈઆરટી દ્વારા કરવામાં આવ્યો છે. નથી સમગ્ર શિક્ષા મારફત તમામ શાળાના બાળક દીઠ પોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ પહોંચાડવામાં આવેલ છે અને આ બાબતે ઓન એર તાલીમ પણ આપવામાં આવી છે હવે બાળકોને 2025-26 માટે વાર્ષિક પરીક્ષાના પરિણામ પત્રને બદલે ધોરણ 1 અને ધોરણ 2 તેમજ બાલવાટિકામાં હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ફાઉન્ડેશન સ્ટેજ આપવામાં આવશે. નોલેજ : શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ ?રાષ્ટ્રીય કક્ષાએ 360 ડિગ્રી મૂલ્યાંકનને અમલમાં મૂકવા માટે ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બનાવાયેલ એક સંસ્થા PARAKH દ્વારા નવું મૂલ્યાંકન માળખું અને સર્વાંગી પ્રગતિ પત્રક (HPC) તૈયાર કરાયા બાદ હવે સમિતિએ ગુજરાત માટેનું સર્વાંગી વિકાસ પત્રક તૈયાર કર્યું છે. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામિક વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થી પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીની શક્તિઓ અને સુધારણાના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યોને પ્રોત્સાહન આપશે. આ અભિગમથી બાળકોમાં આત્મવિશ્વાસ, જવાબદારી અને સતત પ્રગતિની ભાવના વિકસશે, જે ભવિષ્ય માટે મજબૂત પાયો પુરો પાડશે. આ પરિવર્તનથી શિક્ષણ પ્રણાલી વધુ સમાવેશી અને વ્યાપક બનશે, જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો માટે તૈયાર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:56 am

ચૂંટણીને લઇને ભાવનગર LCB એક્શન મોડમાં:24 કલાકમાં 2700 કિ.મી.નું અંતર કાપી ફરાર થયેલા 4 આરોપીને દબોચી લેવાયા

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીને લઇને ભાવનગર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે ગાળિયો કસ્યો છે. ભાવનગર એલ.સી.બી.એ છેલ્લા ચોવીસ કલાકમાં 2700 કિ.મી. જેટલું અંતર કાપીને સત્તરથી વધુ વર્ષથી ફરાર થયેલા જુદા જુદા ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીને ભાવનગર પોલીસે દબોચી લીધા છે. ભાવનગર પોલીસના ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદથી આરોપી સુધી પહોંચવા સફળતા મળી છે. ભાવનગરના જુદા જુદા પોલીસ મથકમાં પ્રોહીબીશન, સગીરાનું અપહરણ તેમજ સાયબર ફ્રોડ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને અનેક વર્ષોથી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે થઇને ભાવનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેને લઇને ભાવનગર એલ.સી.બી. પોલીસે ફરાર થઇ ગયેલા ચાર આરોપીઓને પકડવા માટે જુદી જુદી ચાર ટીમો બનાવી વીસેક જેટલા પોલીસ કર્મચારીઓ મહારાષ્ટ્રના નાસીક, મધ્યપ્રદેશ, ચીખલી અને ગઢડા ખાતે જઇને ચાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. જેમાં સાયબર ફ્રોડના ગુનામાં ફરાર થયેલ હેમલ કાંતિલાલ ભટ્ટ (રહે. ચમારડી, તા. વલ્લભીપુર, જી. ભાવનગર) ને મહારાષ્ટ્રના નાસીક ખાતેથી તેમજ પ્રોહીબીશનના ગુનામાં સત્તર વર્ષથી ફરાર નાનાજી ઉર્ફે તાનાજી ભદુરભાઇ રોઝ (રહે. રૂપાખેડા ગામ, માળી ફળિયું, કંજવાણી આઉટ પોસ્ટ, રાણપુર)ને મધ્યપ્રેદશ ખાતેથી અને દુદારામ ઉર્ફે મહાવિર મારવાડી (રહે.રાધેકૃષ્ણ મંદિર પાસે, તા.વાલોદ, જી.તાપી)ને નવસારીના ચીખલી ખાતેથી ઝડપી લીધો હતો. તદ્દઉપરાંત સગીરાના અપહરણ કેસમાં વિક્રમભાઇ સોમાભાઇ નાયક (રહે.અભરામ પટેલના મુવાડા તા.જી.ગોધરા) ને ઝડપી લીધા હતા. વેશપલ્ટો અને ફિલ્મી ઢબે પોલીસે આરોપીને ઝડપી લીધાભાવનગર પોલીસે મધ્યપ્રેદશના આરોપીને પકડી પાડવા માટે થઇને વેશપલ્ટો ધારણ કર્યો હતો જેમાં પોલીસે સાયકલ ચલાવી મજુરનો વેશ ધારણ કર્યો હતો તેમજ મહારાષ્ટ્રના નાસીક ખાતેથી આરોપીને પકડવા માટે થઇને ફિલ્મી સ્ટાઇલે ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:55 am

સંકટ ચતુર્થીની ઉજવણી:નવા વર્ષની પ્રથમ સંકટ ચતુર્થીએ ભકતોએ સંકટોના નાશ કરવા બાપાને શિશ નમાવ્યા

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે વર્ષની પ્રથમ અને ચૈત્ર માસની સંકટ ચતુર્થીની ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા. ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ્ટવિનાયક સિધ્ધિ વિનાયક મંદિર આવેલુ છે. જીવનના તમામ સંકટોના નાશ કરવા માટે અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે ગણપતી દાદાને લાડુ ધરવામાં આવે છે, પુષ્પના હાર ચડાવવા, બહેનોનો સત્સંગ અને સમુહ ગણપતિ પાઠ કરવા. 108 દિવાની દિપ માળા સાથે ઉત્સવ આરતી કરીને ઉજવણી કરવામાં આવે છે. સંકટ ચર્તુથીના દિવસે જે લોકોને જીવનમાં સંકટ આવતા હોય તે લોકોએ મંદિરએ આવીને મુશક દેવના કાનમાં મનોકામના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કરી માનતા રાખી હતી. શ્રધ્ધા સાથે ભાવનગર સહિત આજુ-બાજુના શહેરમાંથી પણ ભકતોએ આવીને મનોકામના કરી હતી. હજારો ભાવિકો ભકિત સાથે વ્રત રાખી પૂજન અર્ચન કર્યુ હતુ. વિધ્ન દૂર કરવા વ્રત કરાયા> બાળકોએ અભ્યાસ સિધ્ધિ માટે ચોથ રાખી.> સૌભાગ્યવતી સ્ત્રીઓએ પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના સાથે વ્રત કર્યુ હતુ.> ધંધામાં રૂકાવટ અને વિધ્નને દૂર કરવા ભાઇઓએ પુજા પાઠ કર્યા> આ દિવસે લોકો સંકટ ચોથમાં. આખો દિવસ ફળ, જયુસ અને લીકવીડ પર રહ્યા બાદ રાત્રે ચંદ્રના દર્શન કરી ગણપતિ દાદાની ગોળ, ભાખરીનો લાડુ ધરી લાડુની પ્રસાદી લઇ ચોથની પૂર્ણાહુતી કરી આ ચોથ કરવાથી સંકટોનો નાશ થાય છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:51 am

પંજાબ નેશનલ બેંક દ્વારા વિતરણ:દિવ્યાંગ બહેનોને વિનામૂલ્યે સિલાઈ મશીન વિતરણ કરાયું

પાર્થ યુવા મંડળ દ્વારા ભાવનગર રૂરલના દિવ્યાંગ બહેનો પોતાની રીતે પગભર બની શકે અને ઘરની જવાબદારીમાં મદદરૂપ થાય તેવા હેતુસર રોજગારી માટે સિલાઈ મશીન વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સિલાઈ મશીન પંજાબ નેશનલ બેંક સીએસઆર ફંડ અંતગર્ત દિવ્યાંગ બેહનોને આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં પંજાબ નેશનલ બેંક રામવાડી ભાવનગરના ચીફ મેનેજર ક્રિતેષભાઈ ભટનાગરનું સન્માન દિપકભાઇ ભડીયાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાભાર્થી બારડ કોમલબેન, ડાભી પારૂલબેનને સિલાઈ મશીન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અપાયા.આભારવિધિ પાર્થ યુવા મંડળ જિલ્લા મહિલા પ્રતિનિધિ પાયલબેન કાનજીભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:50 am

ઉમદા સંકલ્પ:પૂજ્ય વ્રજરાજકુમારની પ્રેરણાથી થેલેસેમિયા મુક્ત ભારત માટે VYOનો મહાસેવાયજ્ઞ

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા સમગ્ર વિશ્વમાં એક કરોડ નિ:શુલ્ક થેલેસેમિયા ટેસ્ટ કરવાના સંકલ્પ સાથે સેવાનો મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભાવનગરમાં એક જ દિવસમાં 500 થી વધુ વિદ્યાર્થીઓનાં ટેસ્ટ કરી એક નવો કીર્તિમાન સ્થાપિત કરવામાં આવશે. ખાનગી લેબમાં જે ટેસ્ટનો ખર્ચ 500 થી 900 થાય છે, તે ટેસ્ટ VYO દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી તદ્દન મફત કરવામાં આવશે. આ અભિયાનમાં અત્યાધુનિક HPLC ટેક્નોલોજી દ્વારા સચોટ સ્ક્રીનિંગ કરવામાં આવશે. ભારતમાં દર વર્ષે 10000 થી 15000 બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. આ આનુવંશિક બીમારીને અટકાવવા માટે યુવાધનમાં જાગૃતિ લાવવી અનિવાર્ય છે. તા.13-4નાં મહાપ્રભુ વલ્લભાચાર્યજીના પ્રાગટય દિવસે ભાવનગર જિલ્લાનાં ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોરની કોલેજ ખાતે 500થી ટેસ્ટ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરમાં આનંદ વાટીકા ભગીની મંડળ ખાતે ઈન્ડીયન રેડક્રોસનાં સહયોગથી સવારે 10 થી 1 દરમિયાન ટેસ્ટ કરવામાં આવશે તો શહેરનાં લોકો બહોળી સંખ્યામાં આ સેવાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ સેવાનો મહાયજ્ઞ એક શુભ દિવસે શરૂ થવા જઈ રહ્યો છે. શ્રી વલ્લભકુળભૂષણ વૈશ્વનવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયની પ્રેરણાથી VYO સંસ્થા 10 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય, કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે. VYOના મેનેજિંગ ટ્રસ્ટી અશોક શાહ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થેલેસેમિયા મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે કોલેજો શાળાના વિદ્યાર્થીઓનો સહકાર મહત્વનો છે. ભાવનગરનાં યુવાનો આ સેવાયજ્ઞમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવી સંસ્થા દ્વારા અપીલ કરી છે. ભારતના 46 શહેરોમાં કરાઇ છે માનવતાલક્ષી કાર્યોVYO સંસ્થા 15 વર્ષોથી 15 દેશો અને ભારતના 46 શહેરોમાં માનવતાલક્ષી કાર્યો કરી રહી છે. સંસ્થા દ્વારા અગાઉ શિક્ષણ સહાય, આરોગ્ય સહાય અને કોવિડ કેર ડ્રાઇવ જેવા અનેક જનકલ્યાણના કાર્યો કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:49 am

'કાર્યકર દિન'ની ભવ્ય ઉજવણી કરાઈ:આદર્શ કાર્યકરના ગુણો ધર્મ, નિયમ, ઉપાસના આજ્ઞા અને સત્સંગની દૃઢતા છે : મહંત સ્વામી

ભાવનગર મંદિર દ્વિદશાબ્દિ મહોત્સવ અને અક્ષર બ્રહ્મના ઓવારણાં શ્રેણી હેઠળ ચાલી રહેલી કથા શૃંખલા માં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા દરમિયાન વિદ્વાન વક્તા પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ કથા દરમિયાન કહ્યું હતું કે કોઈપણ સંસ્થાનો કાર્યકર એ સંસ્થાનો મજબૂત પાયો છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આદર્શ કાર્યકર કેવો હોવો જોઈએ તેની પ્રેરણા આપતા કહ્યું હતું આદર્શ કાર્યકર ના ગુણો ધર્મ, નિયમ, આજ્ઞા,ઉપાસના અને સત્સંગ ની દૃઢતા વિશે વિસ્તૃતમાં જણાવ્યું હતું. આજે કાર્યકરદિનની નિમિત્તે સવારની પ્રાત:પૂજામાં બાળકો દ્વારા મુખપાઠ અને સાંજની વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ધરાવતી સભામાં ભાવનગરની ભાવિક જનતાની હાજરી જોવા મળી હતી. સાંજની સભામાં સંસ્થાના સદગુરુ વર્ય સંત પૂજ્ય વિવેકસાગર સ્વામી અને અક્ષરવાડીના વરિષ્ઠ સંત પૂજ્ય સોમ પ્રકાશ સ્વામીની કથા વાર્તા દરમિયાન ભાવનગરના સત્સંગ મંડળ ના વિકાસની ગાથા, કાર્યકરોની સેવા ભક્તિ સમર્પણ નિષ્ઠા વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક જણાવ્યું હતું હજુ પણ આગામી બે દિવસ સુધી મહંત સ્વામી મહારાજની પ્રાતઃ પૂજા અને સાંજની સભા નો લાભ ભાવનગરની ભાવિક જનતાને મળી રહેવાનો છે . તા.11.4.26 ના રોજ બાળ દીનની ઉજવણી થશેઅને તારીખ 12 એપ્રિલના રવિવારના રોજ ભાવનગર મંદિરને 20 વર્ષ પૂર્ણ થતા હોય ભાવનગર મંદિર દ્વિ દશાબ્દી મહોત્સવ પણ ઉજવાશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:47 am

રૂ.50,000 નહીં આપતા મામલો બિચક્યો:નિવૃત્તિના પૈસાની વહેંચણીમાં ઝઘડો, વૃદ્ધાને કુટુંબીઓએ માર્યા

શહેરના ભાંગના કારખાના પાસે આવેલ વાલ્મિકીવાસ માં રહેતા અને મહાનગરપાલિક મા સફાઈ કર્મચારી તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલ મહિલા કર્મચારી હંસાબેન લક્ષ્મણભાઈ સરધારા એ પોતાની નિવૃત્તિના આવેલા પૈસા માંથી તેની ચાર દીકરીઓે તથા તેના દીકરાની દીકરી સહિત પાંચેયને રૂપિયા પચીસ પચીસ હજાર આપવાનું નક્કી કરેલ. પરંતુ તેના દીકરાની દીકરી કિંજલ ને આ પૈસા ઓછા પડતા તેણે ₹25, 000 નહીં પરંતુ પચાસ હજાર રૂપિયાની માગણી કરેલ. જે બાબતે હંસાબેન એ ના પાડતા હંસાબેન ના પુત્રવધુ ભાવનાબેન તથા તેના પૌત્ર સોહિલ રજનીભાઈ સરધારા અને તેના પત્ની આનંદી સોહિલભાઈ સરધારા ત્રણે એ તેણીની સાથે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ તેને ગાળો આપી ભાવનાબેન તથા આનંદી એ હંસાબેન ના વાળ પકડી તેને પછાડી દઈ તેના પૌત્ર સોહીલે તેની પીઠના ભાગે ક્રિકેટ રમવાના બેટ થી મુંઢ માર મારી ખાટલા પર પછાડી દઈ ઇજા પહોંચાડ્યાની તથા મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઇ હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:44 am

ગરમીમાં વધઘટ યથાવત:બપોરે તાપમાન 4.8 ડિગ્રી સેન્ટિગ્રેડ વધ્યું

ભાવનગર શહેરમાં આજે બપોર મહત્તમ તાપમાનનો પારો વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો અને ભાવનગરમાં દરરોજ તાપમાનમાં નોંધપાત્ર વધઘટનો સિલસિલો યથાવત રહ્યો હતો. એક જ દિવસમાં શહેરમાં મહત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ, હતુ. સાંજે પવનની ઝડપ પણ ઘટીને 8 કિલોમીટર નોંધાઇ હતી. આમ, ગરમીનો પ્રભાવ વધ્યો છે. પવનની ધીમી ગતિને કારણે ભેજનું પ્રમાણ વધતાં બફારો પણ વધ્યો હતો. ભાવનગર શહેરમાં ગરમી વધી છે. ગઇ કાલે મહત્તમ તાપમાન ઘટીને 32.4 ડિગ્રી થઇ ગયુ હતુ પણ આજે બપોર તાપમાન 4.8 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ઉનાળો હવે આક્રમક બની રહ્યો છે. આગામી દિવસોમાં સૂર્ય નારાયણ પોતાનું અસલ સ્વરૂપ દર્શાવશે અને લોકો ગરમીથી પરેશાન થશે. આજે શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન પણ વધીને 24.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે આજે સાંજે ઘટીને 8 કિલોમીટર થઇ ગઇ હતી. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા હતુ તે આજે સાંજે ઘટીને 31 ટકા થઇ ગયું હતુ. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી શકે છે,

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:43 am

ભાવનગરના મુસાફરોને લાભ:વેકેશનના બે મહિના દર રવિવારે ભાવનગર-હરિદ્વાર ટ્રેન ફાળવાઇ

ઉનાળાના વેકેશનની રજાઓ દરમિયાન મુસાફરો માટે સુવિધા પુરી પાડવા માટે પશ્ચિમ રેલવે કાર્યરત છે, અને આ શ્રેણીમાં ટ્રેન ઓન ડિમાન્ડ યોજના તળે વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026થી મે 2026 દરમ્યાન બંને દિશામાં કુલ 8-8 ફેરા સાથે સંચાલિત કરવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી અનુસાર, ટ્રેન નં. 09271 ભાવનગર ટર્મિનસ – હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ 12 એપ્રિલ, 2026 થી 31 મે, 2026 સુધી ચાલશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરેક રવિવારે સવારે 04:25 વાગ્યે પ્રસ્થાન કરીને સોમવારે બપોરે 15:00 વાગ્યે હરિદ્વાર પહોંચશે. તે જ રીતે પરત ફરતી ટ્રેન નં. 09272 હરિદ્વાર – ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ, 2026 થી 01 જૂન, 2026 સુધી ચાલશે. આ ટ્રેન હરિદ્વારથી દરેક સોમવારે સાંજે 16:25 વાગ્યે પ્રસ્થાન કરીને બુધવારે સવારે 04:35 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનને ક્યા સ્ટોપેજ અપાયા?સમર સ્પે. હરિદ્વાર ટ્રેનને બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્‍દ્રનગર ગેટ, વિરમગામ, આંબલી રોડ, ગાંધીનગર કેપિટલ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જં., પાળી મારવાડ, લૂની જં., જોધપુર જં., ગોટન, મેડતા રોડ જં., ડેગાના જં., છોટી ખાટૂ, ડીડવાના, લાડનૂં, સુજાનગઢ, રતનગઢ જં., ચૂરૂ, સાદુલપુર જં., સિવાની, હિસાર જં., ભિવાની જં., કલાનૌર કલાં, રોહતક જં., પાનીપત જં., અંબાલા કેન્ટ જં., સહારનપુર જં. તથા રૂડકી સ્ટેશનો પર ઉભી રહેશે. સમયસર સમર સ્પેશિયલ ટ્રેનો ઘોષિત થતી નથીભાવનગર ટર્મિનસ અને હરિદ્વાર વચ્ચે સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન એપ્રિલ અને મે મહિનામાં દોડાવવાની ઘોષણા રેલવે તંત્ર દ્વારા શુક્રવારે બપોરે કરવામાં આવી હતી અને તેનું બુકિંગ શુક્રવારે જ સાંજે 5 કલાકથી શરૂ કરી દેવામાં આવી છે. સમર સ્પેશિયલ ટ્રેનોની ઘોષણા જો માર્ચ માસ દરમિયાન તંત્ર દ્વારા કરી દેવામાં આવે તો વેકેશન માટે પ્લાનિંગ કરવામાં મુસાફરોને અનુકુળતા મળી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:42 am

આજે પાર્કિન્સન્સ દિવસ:કંપવાના દર્દીને સહકાર, સમજ અને સહાનુભૂતિ અસરકારક

તા. 11 એપ્રિલના દિવસને વિશ્વભરમાં વિશ્વ પાર્કિન્સન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાર્કિન્સન્સ એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ (મગજને લગતો) રોગ છે, જેમાં મગજના કોષો ધીમે ધીમે અસરગ્રસ્ત થવા લાગે છે. પરિણામે, શરીરના હલનચલનમાં ફેરફાર થાય છે. સામાન્ય રીતે હાથ કે પગમાં ધ્રુજારી, ચાલવામાં મુશ્કેલી, જકડન, ક્રિયાઓ ધીમી પડી જવી, સંતુલન ગુમાવવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ પાર્કિન્સન્સ માત્ર હલન-ચલનનો જ રોગ નથી — તેમાં નોન-મોટર લક્ષણો પણ એટલા જ મહત્વપૂર્ણ છે, જેમ કે ઉદાસીનતા, ઊંઘમાં ખલેલ, થાક, યાદશક્તિમાં ઘટાડો અને ચિંતાની સમસ્યાઓ જોવા મળે છે. સહકાર, સમજણ અને સહાનુભૂતિ — આ ત્રણ બાબતો કોઈપણ દવા કરતાં વધારે અસરકારક બની શકે છે. 92 વર્ષે પણ પીએનઆર સોસાયટીમાં સેવારત બાબાભાઈ શાહ જણાવે છે કે, આજના સમયમાં અનેક પાર્કિન્સન્સ દર્દીઓ સુધી યોગ્ય સારવાર, માર્ગદર્શન અને સહાય પહોંચતી નથી. આ અંતરને ઘટાડવું — એ આજની સૌથી મોટી જરૂરિયાત છે. અમારી સંસ્થા આ માટે કામ કરી રહી છે. ભાવનગરમાં BKPPDMDS અને PNR Societyના સંયુક્ત ઉપક્રમે ચાલતા પાર્કિન્સન્સના સેન્ટરના ભાવીન માંડવીયા જણાવે છે, ભાવનગરમાં પાર્કિન્સન્સના દર્દીઓ આ સેવાનો છેલ્લા 13 વર્ષ થી લાભ લઇ રહ્યાં છે. આ માટે દર રવિવારે સવારે 10.30 કલાકે, અંધ ઉદ્યોગ શાળા, PNR SOCIETY ખાતે સેશન લેવામાં આવે છે તેમ જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ જણાવ્યું હતું. આપણે નાના પ્રયત્નોથી મોટા ફેરફાર લાવી શકીયે સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ ઉપયોગી સાબિતકંપવા નામથી જાણીતા આ પાર્કિન્સન્સ રોગના દર્દીઓ માટે ગુજરાત અને પુણેમાં કાર્યરત બી. કે. પારેખ પાર્કિન્સન્સ ડિસીઝ એન્ડ મૂવમેન્ટ ડિસઓર્ડર સોસાયટી (BKP-PDMDS) છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે. રાજ્યના વિવિધ શહેરોમાં સપોર્ટ ગ્રુપ થેરાપી સેશન્સ દ્વારા ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, કાઉન્સેલિંગ, આર્ટ-ડાન્સ થેરાપી અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા દર્દીઓ અને તેમના પરિવારજનોને સશક્ત બનાવવાનું કામ કરે છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:41 am

ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ:સરગમ ક્લબમાં 11000થી વધુ સભ્યો નોંધાયા: નવી નોંધણી બંધ

રાજકોટની સેવાભાવી સંસ્થા સરગમ ક્લબ દ્વારા નવા વર્ષ માટેના સભ્યોની નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, આ વર્ષે રાજકોટવાસીઓએ સભ્ય બનવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. સરગમ જેન્ટ્સ ક્લબ, લેડીઝ ક્લબ, સીનીયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ, ચિલ્ડ્રન ક્લબ અને ઇવનિંગ પોસ્ટમાં થઈને કુલ 11 હજારથી વધુ સભ્યોની નોંધણી થતા, હવે વ્યવસ્થાના ભાગરૂપે નવી નોંધણી બંધ કરવામાં આવી છે. નવા નોંધાયેલા સભ્યો માટે સંસ્થા દ્વારા વિવિધ મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એપ્રિલ માસના છેલ્લા અઠવાડિયામાં સભ્યો માટે મુંબઈના પ્રખ્યાત નાટક ‘હરખ પદુડી હંસા’ના શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પ્રોડ્યુસર આસિફ પટેલ અને દિગ્દર્શક જયદીપ શાહ છે. આ ઉપરાંત, સરગમ ચિલ્ડ્રન ક્લબના બાળકો માટે ખાસ ‘ત્રિપલ બોનાન્ઝા’ ભેટ રાખવામાં આવી છે, જેમાં બાળકો માટે ક્રિશ્ના વોટર પાર્કની મુલાકાત, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પિકનિકનો સમાવેશ થાય છે. રાજકોટની બહેનોને આત્મનિર્ભર અને પગભર કરવાના હેતુથી સરગમ લેડીઝ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સમર ટ્રેઈનીંગ ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસ આગામી તા.5 મેથી ત.15 મે દરમિયાન દરરોજ બપોરે 5થી 7 વાગ્યા સુધી રૈયા રોડ પર આવેલી સરગમ સંચાલિત અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે યોજાશે. આ તાલીમ વર્ગોમાં પેઈન્ટિંગ, ડાન્સ, સ્પોકન ઈંગ્લીશ અને ફોક ડાન્સ જેવા 16 જેટલા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:33 am

રાજકોટ ચેમ્બરની મનપા કમિશ્નરને રજૂઆત:શહેરના હજારો વેપારીઓને પડ્યા પર પાટુ ‘ભાડે દુકાન રાખી તો ટેક્સ બમણો કેમ?’

રાજકોટના વેપાર જગત માટે અત્યારે ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ ઓનલાઇન માર્કેટને કારણે સ્થાનિક વેપાર 50% ઘટી ગયો છે, તો બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ભાડાની કોમર્શિયલ પ્રોપર્ટી પર વસૂલવામાં આવતો બમણો ટેક્સ વેપારીઓની કમર તોડી રહ્યો છે. આ અન્યાયી ટેક્સ માળખાને નાબૂદ કરવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને ઉગ્ર રજૂઆત કરી છે. તર્ક શું છે? : માલિક વાપરે તો સિંગલ, ભાડૂઆત વાપરે તો ડબલ!ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવે રજૂઆતમાં જણાવ્યું હતું કે, જો કોઈ દુકાન કે ઓફિસનો ઉપયોગ તેનો માલિક પોતે કરે તો મનપા સિંગલ ટેક્સ વસૂલે છે, પરંતુ જો એ જ મિલકત કોઈ વેપારીને ભાડે આપવામાં આવે તો ટેક્સ સીધો બમણો કરી દેવાય છે. જો મનપા આ માંગણી સ્વીકારે તો રાજકોટના હજારો નાના-મોટા વેપારીઓને સીધો આર્થિક ફાયદો થશે. રાજકોટના સર્વાંગી વિકાસ માટે ડબલ ટેક્સ હટાવોતાત્કાલિક અસરથી ડબલ ટેક્સ નાબૂદ કરી ‘સિંગલ ટેક્સ’ અમલી બનાવવો જોઈએ. જો વેપારીઓને રાહત મળશે તો જ રાજકોટનો સર્વાંગી વિકાસ શક્ય બનશે અને નવી કંપનીઓ અહીં આવશે.- વી.પી. વૈષ્ણવ, પ્રમુખ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કેમ ટેક્સ નાબૂદ કરવો જરૂરી છે? (મુખ્ય કારણો)

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:33 am

પરિક્ષામાં ગેરરીતિ:નિરિક્ષકને ન દેખાયા, પણ ‘CCTV’એ પકડી પડ્યાધોરણ 10-12ના 95 વિદ્યાર્થીનો બોર્ડમાં રીપોર્ટ કરાયો

પરીક્ષાખંડમાં સુપરવાઈઝરની હાજરી હોવા છતાં ‘ચૂપકે-ચૂપકે’ વાતો કરવી કે આજુબાજુમાં પૂછીને પેપર લખવું હવે ભૂતકાળ બની ગયું છે. રાજકોટ જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન જે વિદ્યાર્થીઓ સુપરવાઈઝરની નજર બચાવીને ગેરરીતિ કરતા હતા, તેમને CCTV કેમેરાએ ઝડપી પાડ્યા છે. સીસીટીવી ફૂટેજ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ જણાયેલા 95 વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોપી કેસ નોંધી તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડને મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સીસીટીવી ફૂટેજની ડીવીડી તપાસવામાં આવી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અનેક પરીક્ષાર્થીઓ સુપરવાઈઝર જ્યારે બીજી તરફ હોય ત્યારે અંદરોઅંદર વાતચીત કરતા, ઇશારા કરતા અને પાછળના વિદ્યાર્થીના પેપરમાં ડોકિયું કરતા કેમેરામાં કેદ થયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આટલી હરકતો છતાં ક્લાસમાં હાજર સુપરવાઈઝરને આ બાબત ધ્યાને આવી નહોતી. હવે શું થશે - બોર્ડની સમિતિ ફેંસલો કરશેશિક્ષણાધિકારીની ટીમ દ્વારા આ તમામ 95 વિદ્યાર્થીઓનો અહેવાલ ગાંધીનગર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સોંપવામાં આવ્યા છે. ગાંધીનગર બોર્ડની શિસ્ત સમિતિ હવે નક્કી કરશે કે આ વિદ્યાર્થીઓને કેટલી સજા કરવી. શંકાસ્પદ ‘કોપીબાજ’ 500થી વધુ CDનું સ્કેનિંગ, શિક્ષકોની ટીમે એક-એક સેકન્ડના ફૂટેજ ફંફોસ્યાબોર્ડની પરીક્ષામાં ગેરરીતિ પકડવા માટે રાજકોટ શિક્ષણ વિભાગે આ વખતે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. ન્યુ એરા સ્કૂલ અને ધોળકિયા સ્કૂલની હાઈટેક કોમ્પ્યુટર લેબને તપાસ કેન્દ્ર (વોર રૂમ)માં ફેરવી દેવામાં આવી હતી. શિક્ષકોની આ ‘ડિજિટલ ડિટેક્ટિવ’ જેવી કામગીરીને કારણે જ સુપરવાઈઝરો જે ભૂલ નહોતા પકડી શક્યા, તે હવે બોર્ડ સમક્ષ પુરાવા સાથે રજૂ કરવામાં આવી છે. શિક્ષકો અને ટેકનિકલ નિષ્ણાતોના કાફલાએ રાજકોટ શહેર અને જિલ્લાના કેન્દ્રો પરથી આવેલી 500થી વધુ સીડી (CD) નું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ક્લાસરૂમમાં સુપરવાઈઝરની નજર ચૂકવીને વિદ્યાર્થીએ ક્યારે ડોકિયું કર્યું કે ક્યારે ઈશારો કર્યો, તેની એક-એક સેકન્ડની હિલચાલને શિક્ષકોએ રીવાઈન્ડ કરી કરીને તપાસી હતી. સતત દિવસ-રાત ચાલેલી આ કવાયત બાદ અંતે 95 એવા વિદ્યાર્થીઓ મળી આવ્યા જેમના પુરાવા કેમેરામાં કેદ હતા.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:31 am

વેધર રિપોર્ટ:મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું, બપોરે ગરમી, રાત્રે ઠંડી ની અનુભૂતી

પોરબંદરમાં મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે, જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે ત્યારે સવાર થી સાંજ સુધી ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. પોરબંદરમાં સવારે ગરમી અને બપોરે વધુ ગરમીનો અનુભવ થાય છે જ્યારે સાંજે ઠંડક પ્રસરે છે અને મોડી રાત્રે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉનાળા દરમ્યાન શહેરીજનો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે ત્યારે પોરબંદરમાં ગઈકાલે ગુરુવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુતમ તાપમાન 21 ડિગ્રી નોંધાયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા રહ્યું હતું જેની સામે શુક્રવારે મહતમ તાપમાન 33.8 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા યથાવત રહ્યું છે પરંતુ પોરબંદરમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 23 ડિગ્રી નોંધાયું છે.જેને પગલે ઠંડી અનુભવાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ:પોરબંદર તાલુકા પંચાયતમાં 16,રાણાવાવમાં 10 અને કુતિયાણામાં 12 નવા ચહેરાઓને ભાજપે ટિકીટ આપી

પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા માં 40 ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોરબંદર જિલ્લા પંચાયત, પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ તાલુકા પંચાયત અને કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી,કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે પોરબંદર જિલ્લામાં ભાજપ દ્વારા શુકવારે આખો દિવસ ઉમેદવારોની યાદી જાહેર કરવાને બદલે રાતે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર મહાનગરપાલિકામાં જેમાં મહાનગરપાલિકામાં મોટાભાગના ઘુરઘરોની ટિકિટ કપાતા અસંતોષનો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા જાહેર કરેલ મનપાના ઉમેદવારોમાંથી 40 નવા ઉમેદવારો, જિલ્લા પંચાયતમાં 14 નવા ઉમેદવારો, પોરબંદર તાલુકા પંચાયતમાં 16 નવા ઉમેદવારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં 10 નવા ઉમેદવારો અને કુતિયાણા તાલુકા પંચાયતમાં 12 નવા ઉમેદવારોને ભાજપે ટીકીટ આપી છે. તો ભાજપ દ્વારા શુકવારે રાત સુધી પોરબંદર જિલ્લા પંચાયતની એક,પોરબંદર તાલુકા પંચાયતની ત્રણ અને કુતિયાણા તાલુકા પંચાયતની 2 બેઠકોના ઉમેદવારો નામો જાહેર કરાયા નથી. જુના સદસ્યોએ એડીચોટીનું જોર લગાવ્યું પોરબંદર મહાનગરપાલિકાની ટીકીટ જાહેરાત સમયે અનેક જુના સદસ્યોને ટીકીટ કપાવાની ગંધ આવી જતા કપાયેલા જુના જોગીઓ ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અનેક રાજકીય નેતાને ફોન ઘુમાવ્યા હતા. મોટાનેતાના નજીકના સદસ્યને ટિકીટ‎અપાવવા સાંજ સુધી લિસ્ટ જાહેર ન થયું‎પોરબંદર મહાનગરપાલિકાના એક વિસ્તારના પૂર્વે સદસ્યની ટીકીટ કપાઈ છે ત્યારે આ સદસ્ય એક મોટા નેતાના નજીક હોવાથી સાવરથી સાંજ સુધી જોર લગાવ્યું હતું જેને લઈને મનપાના ઉમેદવારનું લિસ્ટ સાંજ સુધી જાહેર થયું ન હતું. પાલિકાના પૂર્વ પ્રમુખની ટિકીટ કપાઈ ભાજપ દ્વારા પોરબંદર મહાનગરપાલિકા ઉમેદવારો જાહેર કરેલ લિસ્ટમાં 40 જેટલા ધુરધરોના નામ કાપી નાખવામાં આવ્યા છે જેમાં પોરબંદર નગરપાલિકા પૂર્વે પ્રમુખ સરજુ કારીયા,પંકજ મજીઠિયા, અશોક ભદ્રેચા સહિતના ટીકીટ કપાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

પેપર ચકાસણી:પોરબંદર જિલ્લામાં ચાર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં બોર્ડની પરીક્ષાના 39,050 પેપેરની ચકાસણી પૂર્ણ

બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા બાદ પેપર ચકાસણી અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી રહી હતી.પોરબંદર જિલ્લામાં પણ 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી.જેમાં અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકો દ્વારા 39,050 પેપરની ચકાસણી કરવામાં આવી છે. તાજેતરમાં માર્ચ માસના પ્રારંભે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમગ્ર રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ થઈ છે.ત્યારે આ પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણીની કામગીરી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓના પેપરની ચકાસણી માટે અલગ અલગ જિલ્લામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની પણ ફાળવણી કરવામાં આવી હતી.જેમાં પોરબંદર જિલ્લામાં પણ માધવપુર ખાતે તેમજ પોરબંદર શહેરના નવયુગ સ્કૂલ,બાલુબા સ્કૂલ અને એમ.ઇ.એમ સ્કૂલ ખાતે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રની ફાળવણી કરવામાં આવી હતી. આ કેન્દ્રમાં આવતા પેપરની ચકાસણી માટે પોરબંદર જિલ્લામાંથી અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી હતી.આ કેન્દ્રમાં 4 શિક્ષકોની ટીમ વચ્ચે 144 પેપર ચકાસણી માટે આપવામાં આવે છે.આ શિક્ષકો દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,050 પેપરોની ચકાસણી કરવામાં આવી છે. ક્યાં વિષયના પેપરની ચકાસણી થાય છે પોરબંદર જિલ્લામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં ધોરણ 12ના ગુજરાતી,અંગ્રેજી,મનો વિજ્ઞાન, તત્વજ્ઞાન, સંસ્કૃત, ભૂગોળ, સમાજશાસ્ત્ર, એચ.પી.સી.સી, વાણિજ્ય, આંકડાશસ્ત્ર, નામું અને ધોરણ 10ના વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, ગણિત વિષયના પેપરની ચકાસણી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

13 વોર્ડમાં 191 મતદાન મથકોમાં મતદાન યોજાશે:મનપાના 13 વોર્ડમાં 1 નંબરમાં સૌથી વધુ અને 10 નંબરમાં સૌથી ઓછા મતદારો

પોરબંદર મનપાની ચૂંટણી જાહેર થતા વોર્ડ દીઠ મતદારો અને મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. પોરબંદરમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદાન યોજાશે. તંત્ર દ્વારા દરેક વોર્ડ દીઠ મતદારોની સંખ્યા અને મતદાન મથકોની સંખ્યા જાહેર કરવામાં આવી છે ત્યારે પોરબંદરમાં વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15473 મતદારો નોંધાયેલ છે જ્યારે સૌથી ઓછા મતદારોની સંખ્યા વર્ડ નંબર 10માં 9528 મતદાર નોંધાયેલ છે. 13 વોર્ડમાં કુલ 191 મતદાન મથકો જાહેર કર્યા છે. મતદાન મથકોની સંખ્યા વોર્ડ વાઈઝમહાનગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં 17 મતદાન મથક, વોર્ડ નંબર 2માં 16 મતદાન મથક, વોર્ડ નંબર 3માં 18, વોર્ડ નંબર 4માં 14, વોર્ડ નંબર 5માં 13, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 14, વોર્ડ નંબર 8માં 15, વોર્ડ નંબર 9માં 14, વોર્ડ નંબર 10માં 11, વોર્ડ નંબર 11માં 12 અને વોર્ડ નંબર 12માં 14 મતદાન મથક અને વોર્ડ નંબર 13માં 15 મતદાન મથક જાહેર કર્યા છે. વોર્ડ વાઇઝ કુલમતદારોની સંખ્યા‎મનપાની ચૂંટણીમાં 13 વોર્ડમાં મતદારોની સંખ્યામાં વોર્ડ નંબર 1માં‎15473, વોર્ડ નંબર 2માં 14858, વોર્ડ નંબર 3માં 15405, વોર્ડ નંબર‎4માં 12046, વોર્ડ નંબર 5માં 10844, વોર્ડ નંબર 6માં 14115, વોર્ડ‎નંબર 7માં 12116, વર્ડ નંબર 8માં 13980, વોર્ડ નંબર 9માં 11424,‎વોર્ડ નંબર 10માં 9528, વોર્ડ નંબર 11માં 11529, વોર્ડ નંબર 12માં‎12114 અને વોર્ડ નંબર 13માં 13324 મતદારો નોંધાયેલ છે.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

છેતરપિંડી:માંડવા ગામના પ્રૌઢ સાથે પોરબંદરના શખ્સે રૂ.37 લાખની છેતરપિંડી આચરી

કુતિયાણાના માંડવા ગામે રહેતા પ્રૌઢને પોરબંદરના આરોપીએ પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી પ્રૌઢની દિકરી અને ભત્રીજા સહિત કુલ 4 વિધાર્થીના રૂ.40 લાખ ખર્ચે થશે તેમ જણાવી રકમ મેળવી લીધી હતી અને નોકરી ન અપાવી છેતરપિંડી આચરી હતી જે અંગે ફરિયાદ નોંધાઈ છે. કુતિયાણાના માંડવા ગામે રહેતા જગમાલભાઈ કાનાભાઈ વરૂ નામના પ્રૌઢને પોરબંદરના બોખીરામાં રહેતો મૌલિક હરીશ મોઢા નામના શખ્સે પોતે સરકારી ભરતી બોર્ડના અધિકારી સાથે ઓળખાણ ધરાવતા હોવાની ખોટી માહિતી આપી હતી. પ્રૌઢની દીકરી તથા તેના ભત્રીજા મળીને 4 વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવી, એક વિદ્યાર્થીના રૂ.10 લાખ એમ 4 વિદ્યાર્થીનો રૂ. 40 લાખ ખર્ચ થશે તેમ જણાવી રૂ.40 લાખ માંગ્યા હતા. પ્રૌઢે આરોપીના વિશ્વાસમાં આવીને તા.19/2/2022માં બેંક આરટીજીએસ મારફત, આંગણીયા મારફત કુલ 40 લાખ આપ્યા હતા. તેમાંથી આરોપીએ માટે રૂ.3 લાખ પરત આપેલ હતા બાકીની રકમ અત્યાર સુધી પરત આપી ન હતી. આરોપીએ ચારેય વિદ્યાર્થી માંથી એકપણ વિદ્યાર્થીને સરકારી નોકરીનો ઓર્ડર અપાવ્યો ન હતો. આમ આરોપીએ પ્રોઢ અને વિદ્યાર્થીઓને ખોટો વિશ્વાસ અપાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મૌલિક હરીશ મોઢા સામે ગુન્હો નોંધી આગળની તપાસ કુતિયાણા પોલીસ ચલાવી રહી છે.જગમાલભાઈ કાનાભાઈ વરૂએ 23 વર્ષ સુધી માંડવા ગામે સરપંચ તરીકે સેવા આપેલ છે. 2021માં ભાદર નદીના કાંઠે આવેલ જમીનમાં વીજ પોલ નાખવાના વળતર બાબતે ખેડૂતો દ્વારા પ્રાંત કચેરી કુતિયાણા ખાતે પ્રોઢ હાજર હતા

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

63,000નો મુદ્દામાલ જપ્ત કરાયો:પંચેશ્વર મંદિર પાછળ દેશી દારૂની ફેક્ટરી ઉપર દરોડો

હવે દારૂની પ્રવૃત્તિને ડામવા પેરોલ ફર્લો સ્ક્વોડે પણ મેદાને આવી શહેરના પંચેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા કાળવા વોકળામાં ચાલી રહેલી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી 63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી નાસી છૂટ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી કે, પંચેશ્વરમાં રહેતો દેવા મોરી નામનો શખ્સ કાળવા વોકળામાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ કરી રહ્યો છે. વોકળાના કાંઠે દરોડો પાડતા ચાર મોટા પતરાના બોઈલર બેરલ મળી આવ્યા હતા, જેમાં દારૂ બનાવવાનો ગરમ આથો ઉકળી રહ્યો હતો. ​ પોલીસે સ્થળ પર તપાસ કરતા જમીનમાં દાટેલા અને બહાર રાખેલા કુલ 8 બેરલ હાથ લાગ્યા હતા, જેમાં દેશી દારૂ બનાવવાનો રૂપિયા 50,2000 લિટર આથો ભરેલો હતો. પોલીસે 14,000નો 70 લિટર તૈયાર દેશી દારૂ અને 3,000ની કિંમતના ભઠ્ઠીના સાધનો સહિત 67 હજારનો મુદ્દામાલ કબ્જે કરી દેવા લખમણ મોરીને પકડવા વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

નવોઢાએ જીવન ટૂંકાવ્યું:લગ્નના બીજા દિવસે પ્લાસવા ગામના નવોઢાએ ફાંસો ખાધો

જૂનાગઢ તાલુકાના પ્લાસવા ગામની સીમ વાડી વિસ્તારમાં રહેતા અંકિતાબેન દેવાભાઈ કોડીયાતર ઉ. વ. 22 નામના પરિણીતાએ ગુરુવારે સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાના લગ્નના બીજા દિવસે મકાનની છતમાં પંખા સાથે લટકી જઈને ગળાફાંસો ખાઈ મોતને મીઠું કરી લીધું હતું. જેની જાણ થતા તાલુકા પોલીસે દોડી જઈને પરિણીતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઘટના અંગે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બોડીદર ગામે રહેતા મૃતકના પિતા કરસનભાઈ રામભાઈ મકવાણાના નિવેદન અનુસાર તેની દીકરી 22 વર્ષીય અંકિતાના લગ્ન તારીખ 8 એપ્રિલ બુધવારના રોજ પ્લાસવા ગામના દેવાભાઈ જેઠાભાઈ કોડીયાતર સાથે કરવામાં આવ્યા હતા. કુટુંબ પ્લાસવામાં જ રહેતું હોવાથી ગામમાં જ દીકરીને સાસરે વળાવી ભાઈને ત્યાં રોકાયા બાદ ગુરુવારે બોડીદર ગામ જઈ રહ્યા હતા ત્યારે અંકિતાએ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ રસ્તામાં થતા પરત પ્લાસવા ગામે આવ્યા હતા. દરમિયાન વધુ તપાસ પીએસઆઇ એચ. કે. સોનરત ચલાવી રહ્યા છે. લગ્નના બીજા દિવસે જ સાસરિયામાં નવોઢાએ ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર ગામમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

પોલીસ કાર્યવાહી:દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટનો આરોપી મજેવડી દરવાજેથી ઝડપાયો

15 બોટલ દારૂ કેસમાં 2 વર્ષથી ફરાર રાજકોટના આરોપીને પોલીસે મજેવડી દરવાજેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી. શહેરમાં નહેરુ પર સોસાયટીમાં આવેલ ચાણક્ય એ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 707માં રહેતા વિપુલ કિરીટભાઈ ઝાંઝમેરીયાને તેના વિસ્તારમાંથી ગત તા. 26 જૂન 2024ના રોજ ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 6000 ની કિંમતના ઇંગ્લિશ દારૂની 15 બોટલ સાથે પકડી પાડી રૂપિયા 6500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછમાં સુરેશ સિંધી પાસેથી દારૂ વેચાણ અર્થે લીધો હોવાનું જણાવતા બી ડિવિઝનમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી સુરેશ છેલ્લા બે વર્ષથી નાસતો કરતો હતો. દરમિયાન હાલ રાજકોટમાં આરકે પાર્ક રેલનગરમાં રહેતો 43 વર્ષીય આરોપી સુરેશ પ્રહલાદ અમરાણી શહેરમાં મજેવડી દરવાજા પાસે હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કુણાલ પટેલની ટીમે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

માંગરોળના મેખડીની ઘટના:માતાએ પૈસા નહિ આપતા પુત્રએ પાવડાના હાથા વડે ધોકાવી નાંખ્યો

માંગરોળ તાલુકાના મેખડી ગામે એક કલિયુગી પુત્રએ પોતાની સગી જનેતા પાસે પૈસાની માંગણી કરી, તે ન મળતા પાવડાના લાકડાના હાથા હુમલો કર્યો હતો. મેખડી ગામે શીતળા માતાના મંદિરની બાજુમાં રહેતા 47 વર્ષીય રેખાબેન જુગાભાઈ દાસા ગુરુવારે સવારે પોતાના ઘરે હતા, ત્યારે તેનો પુત્ર નગાજણ ત્યાં આવ્યો હતો અને રૂપિયા 1,500ની માંગણી કરી હતી. જોકે, રેખાબેને 'તારે કેવા માટે રૂપિયા જોઈએ છે' તેમ કહેતા ઉશ્કેરાયેલા પુત્રએ 'જો તું પૈસા નહીં આપે તો તને ઘરની બહાર કાઢી મૂકીશ અને જાનથી મારી નાખીશ.' તેમ કહી પુત્રએ ઘરમાં રહેલો પાવડાનો લાકડાનો ધોકો લઈ માતાના ડાબા પગ અને ડાબા હાથ પર આડેધડ ફટકા માર્યા હતા. દીકરાના મારના કારણે બૂમાબૂમ કરતા તેમની પુત્રી આરતીએ દોડી આવી છોડાવ્યા હતા. હુમલાથી ઇજાગ્રસ્ત રેખાબેનને સારવાર માટે 108 મારફત માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ​ઘટના અંગે શીલ પોલીસે રેખાબેનની ફરિયાદના આધારે આરોપી પુત્ર વિરુદ્ધ જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

હુમલો:ભાગ મુદે નણંદોયા, ભાણેજનો મહિલા પર હુમલો, ટ્રેક્ટર કુવામાં નાંખી દીધું

કેશોદ તાલુકાના ડેરવાણ ગામના કમળાબેન કાનાભાઈ બકોત્રા (ઉ.વ. 57) નામના મહિલા પોતાના ખેતરમાં શુક્રવારે સવારે વાવેતર કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેના વંથલી તાલુકાના લુશાળા ગામે રહેતા નણંદોયા પરબતભાઈ ડાંગર અને તેનો પુત્ર અનિરૂદ્ધ ત્યાં ધસી આવ્યા હતા. બંનેએ 'આ જમીનમાં અમારો ભાગ છે' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ​ જ્યારે કમળાબેનના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા તેના પિતરાઈ પ્રવીણભાઈ નાથાભાઈ છૈયાને તું કોને પૂછીને ટ્રેક્ટર હાંકવા આવેલ છે તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા, પિતા, પુત્રએ ખેતરમાં રહેલું ટ્રેક્ટર ધક્કો મારીને પાસેના કૂવામાં નાંખી દીધું હતું. જતા-જતા ધમકી આપી હતી કે જો હવે પછી આ ખેતરમાં દેખાશો તો જાનથી મારી નાખીશું.​આ મામલે કમળાબેને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

આંબેચા ગામની સીમમાંથી ફરાર આરોપી ઝડપાયો:57,450ના ડ્રગ્સ કેસમાં 9 દિવસથી ફરાર લાઠોદ્રાનો આરોપી ઝડપાયો

રૂપિયા 57,450ના ડ્રગ્સ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ફરાર લાઠોદ્રાના આરોપીને સીમ વિસ્તારમાંથી ઝડપી લઇ માળીયા પોલીસને સોંપી આપ્યો હતો. જૂનાગઢ એસઓજીએ ગત તા. 1લી એપ્રિલે માળીયાહાટીના તાલુકાના લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારમાં રહેતો નરવીરસિંહ બાલુભાઈ લાખાણીને લાઠોદ્રા ગામથી પાણીધ્રા પાટીયા તરફના રોડ પર આવેલ જેટકો 66 કેવી સબ સ્ટેશન સામે રોડ પર એમડી ડ્રગ્સને હેરાફેરી કરતો પકડી પાડ્યો હતો. શખ્સ પાસેથી રૂપિયા 57,450ની કિંમતનું 19.15 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ રૂપિયા 97,450નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. શખ્સે પૂછપરછમાં લાઠોદ્રા ગામના ભૂતવડ વાડી વિસ્તારના અજય માણસુરભાઈ લાખાણી પાસેથી ડ્રગ્સ લીધું હોવાનું જણાવતા એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આરોપી અજય માણસુર આંબેચા ગામની સીમમાં આવેલ લખુ જશાભાઇ સિસોદિયાના ઘરે હોવાની માહિતી મળતા શુક્રવારે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ કે. એમ. પટેલની ટીમે ઝડપી લઇ વધુ તપાસ માટે માળીયા પોલીસના હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

જિલ્લા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ:જિલ્લા પંચાયતના 62, તા.પં.ના 303, પાલિકામાં 13 ઉમેદવારી પત્રો રજૂ થયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને જીલ્લામાં ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને અત્યાર સુધીમાં જૂનાગઢ જીલ્લા પંચાયતમાં 62, તાલુકા પંચાયતમાં 303 અને નગરપાલિકા માટે 13 ઉમેદવારી પત્રો રજૂ થયાં છે. આજે ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લો દિવસ છે. જૂનાગઢ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકાની ચૂંટણી માટે આગામી તા.26 એપ્રિલના મતદાન થવાનું છે. જેને લઇને તમામ પક્ષોએ તો પોતાના ઉમેદવારો પસંદગીને લઇને ગતિવિધિઅો ચાલુ કરી દીધી છે. ત્યારે આ ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ જરૂરી તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને વિસાવદર ખાતેની નગર પંચાયત હાઈસ્કુલ ખાતે પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. જેમાં 498 પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસરે ચૂંટણીલક્ષી બાબતો સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં અધિકારી અને કર્મચારીઓને મતદાન મથક પર કરવાની થતી મતદાન પ્રક્રિયા તેમજ ઈવીએમને લગતી જુદી-જુદી પ્રેક્ટીકલ બાબતોનું માસ્ટર ટ્રેનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ દ્વારા તમામ ચૂંટણી સ્ટાફને મતદાન માટે સજ્જ કરવામાં આવ્યો હતો. આ તકે ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયાએ તાલીમનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

કોર્પોરેટર જયેશ‎ બોઘરાએ તંત્રની પોલ ખોલી:ગાયોના નામે મત લઈ લીધા, હવે મૃતદેહ કચરામાં ફેંકવા મામલે મહિના પછી વધુ એક માસની મુદ્દત

જૂનાગઢ મનપાની સામાન્ય સભામાં શાસક પક્ષના જ કોર્પોરેટર જયેશ બોઘરાએ તંત્રની પોલ ખોલી નાખી હતી. ગત મહિને અનેક ગાયોના મોત બાદ તેમના મૃતદેહોને અત્યંત અમાનવીય રીતે કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આ ઘટનાથી ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સભામાં આ મુદ્દો ઉઠાવીને બોઘરાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ગંભીર બેદરકારી સામે અગાઉ જવાબદારોને સસ્પેન્ડ કરવા માટે માત્ર ચાર દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, આજે એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જે દર્શાવે છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ગંભીર નથી. જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારને સવાલ કરવામાં આવ્યો, ત્યારે તેમણે માત્ર 'ટૂંક સમયમાં કાર્યવાહી થશે' તેવું રટણ ચાલુ રાખ્યું હતું. કમિશનરના આ વલણથી એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે તેઓ પોતાના કર્મચારીઓનો બચાવ કરી રહ્યા છે અને ગાયોના અપમાનના મુદ્દાને હળવાશથી લઈ રહ્યા છે. કમિશનરે એજન્સીની જવાબદારી લીધી‎આખી મનપાનું ઓનલાઇન કામ ખાનગી એજન્સીને પડતી મૂકીને સરકારી કંપનીને સોંપવામાં આવ્યું છે. આ ગેરકાયદે પ્રક્રિયા હોવા છતાં કમિશનર પોતે 'સંપૂર્ણ જવાબદારી' લેવાની વાત કરે છે. એજન્સીને ફાયદો કરાવવા માટે કમિશનરનું આ વલણ અત્યંત આશ્ચર્યજનક છે. મેયર ધર્મેશ પોશીયાના બદલે નગરસેવક વાઘેલાનો જવાબસાતેશ્વર રોડના પ્રશ્ને વિપક્ષી નેતા લલિત પરસાણા અને ભાજપના પ્રવીણ વાઘેલા વચ્ચે ઉગ્ર 'તું-તું મેં-મેં' થઈ હતી. મેયર કે કમિશનરે જવાબ આપવાના બદલે શાસક પક્ષના નગરસેવકે બિનઅધિકૃત રીતે જવાબ આપતા સભાની ગરિમા લજવાઈ હતી અને પાલિકામાં શિસ્તનો અભાવ છતો થયો હતો. જવાહર રોડ ગટર કામમાં ગંભીર બેદરકારી અધિકારીએ કબૂલ્યુંજવાહર રોડ પર નવી ગટર લાઇન નિયમ મુજબ 15 ફૂટ ઊંડી હોવી જોઈએ, જે રોડની બિલકુલ નજીક નંખાઈ રહી છે. કેબલ નડતરનું બહાનું કાઢીને નવાબકાળની જૂની લાઈનમાં જોડાણ આપી સંતોષ મનાઈ રહ્યો છે. આ કામગીરી ભવિષ્યમાં રોડ બેસી જવાની કે ગટર ઉભરાવાની મોટી મુસીબત નોતરશે. દુકાનો તૈયાર, છતાં 2 માસ લાગશે‎જોષીપરા શોપિંગ સેન્ટરમાં વર્ષોથી તૈયાર પડેલી દુકાનો‎ફાળવવામાં પાલિકા સદંતર નિષ્ફળ રહી છે. ભાડું નક્કી થઈ ગયું‎હોવા છતાં, શાસકો હવે વધુ બે મહિનાનો સમય માંગી રહ્યા છે.‎તૈયાર માળખાનો ઉપયોગ ન થવો તે મનપાની અણઆવડત‎અને વેપારીઓ પ્રત્યેની ઉદાસીનતા સાબિત કરે છે.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

RTE પ્રવેશ પ્રક્રિયા:જિલ્લામાં RTEમાં 2974 અરજીમાંથી 352 કેન્સલ

ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે ધોરણ 1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે બાળકોએ 1 જૂન- 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય તેને અગ્રતા આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મળતી વિગત મુજબ, સરકાર દ્વારા રાઇટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ટ કંપલ્સરી એજ્યુકેશન એક્ટ મુજબ દર વર્ષે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળાઓમાં નિ:શુલ્ક ભણી શકે તે માટે ધોરણ 1 માં પ્રવેશ અપાય છે. જિલ્લામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં બાળકો આનો લાભ લે છે. આ વર્ષના પ્રવેશ માટે તારીખ 4 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂ થઇ છે. જે આગામી તારીખ 17 એપ્રિલ સુધી ચાલનાર છે. જેમાં તારીખ 10 એપ્રિલને શુક્રવાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાંથી કુલ 2974 અરજી થઇ હતી. જેમાંથી 1609 મંજૂર, 709 પેન્ડીંગ, 304 રિજેક્ટ અને 352 કેન્સલ કરવામાં આવી છે. હજુ આ અરજીમાં વધારો થશે એમ જણાવ્યુ છે. આધારકાર્ડ, આવકના દાખલા સહિતના કાગળોમાં ભૂલથી અરજી રિજેક્ટ થાય આરટીઇમાં અરજી રિજેક્ટ થવાના કારણમાં વધારે આધારકાર્ડમાં નામ પુરુ ન હોય, કોઇપણ નામમાં ભૂલ હોય ઉપરાંત સરનામુ બદલી ગયુ હોય પણ કાગળોમાં જૂનૂ જ સરનામુ લખેલુ હોય તેને કારણે અને ખાસ આવકના દાખલમાં ક્ષતી સહિતની બાબત આરટીઇની અરજી રિજેક્ટ થવા પાછળ જવાબદાર રહે છે. > અશોક વાણવી, નાયબ શિક્ષણાધિકારી-જૂનાગઢ

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ભાસ્કર એનાલિસિસ:મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટમાં પાર્સલે 100ના રૂપિયા 120 થઈ ગયા

ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર ટ્રાન્સપોર્ટ તેમજ ઘર બનાવટમાં વપરાતી સીરામિની વસ્તુઓ પર પડી છે. હાલ મોંઘી મજૂરી, ટોલટેક્સના ભાવ વધારા, ડિઝલના ભાવ વધવાની સંભાવના વચ્ચે પાર્સલે રૂપિયા 20નો વધારો થયો છે. ઉપરાંત યુદ્ધ શરૂ થયાને થોડા દિવસમાં ગેસની અછતને કારણે મોરબીમાં સીરામીક ઉદ્યોગ બંધ થઇ ગયો હતો. જેને કારણે હાલ સીરામિકની વસ્તુઓમાં પણ ભાવ વધારો થયો છે. જેને કારણે ઘર બનાવવામાં ઉપયોગી ગેંડી, ટોઇલેટ બ્લોક, ટાઇલ્સ સહિતની તમામ વસ્તુઓમાં 20 ટકા જેટલો વધારો થયો છે. આમ, યુદ્ધની અસરથી તમામ વસ્તુઓમાં મોંઘવારી વધતી જોવા મળી રહી છે. સિરામીકમાં 20 ટકા ભાવ વધ્યામોરબીમાંથી સીરામીકના માલની આવક બંધ થઇ ગઇ છે. ટોયલેટ બ્લોક, ટાઇલ્સ, ગેન્ડી સહિતની સીરામીકની તમામ વસ્તુઓના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થયો છે. પહેલા જે ટાઇલ્સ રૂપિયા 1000માં આવતી તે હવે 1100 થી 1500એ પહોંચી છે. > દિપ નાદપરા, વેપારી કારખાના બંધ હોવાથી માલ મળવો મુશ્કેલયુદ્ધ શરૂ થયાને થોડા દિવસમાં જ ગેસની સમસ્યાને કારણે મોરબીમાં સિરામીક ઉદ્યોગો બંધ થયા હતા. થોડા જ ઉદ્યોગ શરૂ હોવાથી હાલ સીરામીકનો માલ મળવો મુશ્કેલ બન્યો છે. ઓર્ડર બાદ જે માલ 3 થી 5 દિવસમાં મળી જતો તે હાલ મળવો મુશ્કેલ બન્યો હોવાથી ભાવ વધ્યા છે.> વાસુભાઇ પટેલ, વેપારી ડિઝલના ભાવ વધવાની સંભાવના છે‎યુદ્ધને કારણે ડિઝલના ભાવ વધવાની સંભાવના વ્યકત થઇ રહી છે. ઉપરાંત‎માલની હેરફેર માટે મજૂરો પણ મળવા મુશ્કેલ બન્યા છે સામે મજૂરી મોંધી બની‎છે. ઉપરાંત ટોલટેક્સના ભાવમાં પણ વધારો થયો છે. જેને કારણે ટ્રાન્સપોર્ટના‎ભાવ વધ્યા છે. જે પાર્સલ 100 રૂપિયામાં જતુ તેના ભાવ હાલ 110 થી 120 થયા‎છે.> અબીબભાઇ, ટ્રાન્સપોર્ટવાળા‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ભાસ્કર વિશેષ:ઊનાળામાં શરીરમાં લાલ કુંડાળા- નાની ફોડકી અને ધાધર સહિત ચામડીનાં કેસો વધી ગયા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ગરમીનુ પ્રમાણ સતત વધેલુ જોવા મળી રહ્યુ છે. જેમાં સવારે 11 થી બપોરના 5 કલાક સુધી 35 થી 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાય રહ્યુ છે. આ ગરમીને લીધે ચામડીના રોગમાં પણ વધારો થયો છે. સિવિલમાં રોજની 150થી વધારે ઓપીડી ચામડી વિભાગમાં નોંધાય રહી છે. ચામડી વિભાગના તબીબ ડો. જયદિપ ટાંકે જણાવ્યુ કે, ગરમીને કારણે ચામડીના રોગમાં વધારો થાય છે. જેમાં હાલ ધાધર, શરીરમાં લાલ કુંડાળા તેમજ નાની-નાની ફોડકીઓ નિકળતી હોય તેવા કેસો સામે આવ્યા છે. હાલ જૂનાગઢ સિવિલમાં ચામડી વિભાગમાં જે રોજની 150થી વધારેની ઓપીડી હોય છે તેમાં અડધો અડધ દર્દી ધાધરના, 30 ટકા લાલ કુંડાળા તેમજ 20 ટકા નાની-નાની ફોડકીઓ(અરાયુ) નિકળી હોય તેવા દર્દીઓ નોંધાય રહ્યા છે. બાળકોથી માંડીને સિનિયર સિટીઝન સુધીનામાં આ અસર દેખાય રહી છે. ગરમી વધવાની સાથે આ કેસોમાં પણ સતત વધારો થશે એમ તબીબે જણાવ્યુ હતુ. ગરમીમાં લોકોએ આ સાવચેતી રાખવી હિતાવહ‎ - સુતરાઉ અને ઢીલા કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.‎- દિવસમાં બે કે તેથી વધુ વાર સ્નાન કરવાનુ રાખવુ.‎- બપોરે 12 થી 4 કલાક જરૂરીયાત વગર બહાર ન નિકળવું.‎- ટુવાલ, નેપકીન સહિતની વસ્તુઓ અલગ-અલગ રાખવી‎- પાણી, લીંબુ પાણી સહિતના લીકવીડનુ સેવન વધારે કરવુ.‎- તીખા-તળેલા ખોરાકનુ સેવન ટાળી હળવો ખોરાક લેવો.‎

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

વેધર રીપોર્ટ:ગરમી વધી, મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 નોંધાયું

શુક્રવારે જૂનાગઢ સહિત સોરઠમાં 24 કલાકમાં મહતમ તાપમાન 2.5 ડિગ્રી વધીને 38 ડિગ્રીએ પહોંચી જતા ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. છેલ્લા 5 દિવસથી સવારે અને દિવસ દરમિયાન પણ એકંદરે ઠંડક રહ્યા બાદ શુક્રવારે સવારથી વાતાવરણ સુકુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન 20 ડિગ્રી આસપાસ રહ્યું હતું જેની સાથે સવારના વાતાવરણમાં ભેજ પણ ઘટતા સવારથી જ ગરમીની શરૂઆત થઈ હતી અને ગુરુવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી રહ્યા બાદ 24 કલાકમાં શુક્રવારની બપોરે પારો 2.5 ડિગ્રી ઉપર ચડીને 38 ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે ગરમીનું મોજુ ફરી વળ્યું હતું. ઓચિંતા સૂર્યનારાયણ કોપાયમાન થતા લોકો ત્રાહિમામ થઇ ગયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને રવિવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રી ઉપર જઈ શકે. જેથી આગામી સમયમાં લોકો અકળાઈ જશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ગ્લોબલ હબ:વનતારાએ વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા વિજ્ઞાન માટે વિશ્વની સૌપ્રથમ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રારંભ કર્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે. વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત: શ્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે, એમ અનંત અંબાણીએ જણાવ્યું હતું. પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે. હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિદ્યા શાખામાં યુજી, પીજી, વિશિષ્ટ અભ્યાસક્રમો આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:મહીસાગરના 150 તબીબી વિદ્યાર્થીઓનું ભાવિ સાથે ચેડા

જામનગર શહેરમાં આવેલી આયુર્વેદ યુનિવર્સિટી હસ્તકની મહિસાગર જિલ્લાના કોયડમ ખાતે ધન્વંતરી આયુર્વેદ કોલેજ આવેલી છે. જેમાં 150 જેટલા આયુર્વેદના તબીબી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે કોલેજના 25 થી 30 જેટલા વિદ્યાર્થીઓએ વી.સી.ને લેખિતમાં રજુઆત સાથે માંગણી પણ કરી છે. જેમાં કોલેજમાં લાંબા સમયથી પુરતો સ્ટાફ ઉપલબ્ધ નથી, તેમજ કોલેજમાં પુર્ણ સમયના પ્રિન્સિપાલ તથા ફેકલ્ટી સભ્યોની અછત છે. પરિણામે નિયમિત વર્ગો લેવાતા નથી. તેમજ પ્રેક્ટિકલ શિક્ષણ પણ અપાતું નથી. જેથી અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે. આ ઉપરાંત કોલેજ મેનેજમેન્ટ લીધેલ લોનની ચુકવણી કરવામાં આવી ન હોવાથી બેંકના અધિકારીઓ દ્વારા કોલેજને સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા 6 માસથી કોલેજ બંધ છે. જેથી છેલ્લા 6 માસથી અમે નવા સિલેબસ (NC15m મુજબ)થી અભ્યાસ કરી રહ્યા છીએ, અમને કોઈ માર્ગદર્શન મળ્યું નથી. જેનાથી અમારા અભ્યાસમાં ગંભીર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. તેમજ શિક્ષણ ફી પણ ભરવામાં આવી છે. તેમ છતાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ભાવી આયુર્વેદિક તબીબો સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

જન્મ દિવસની ઉજવણી:અનંતના જન્મ દિવસે ભોજન સમારંભમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર-મહિલાઓએ દુખણા લીધા

જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દાન, પુણ્યની સાથે-સાથે ભોજન તેમજ લોકડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને જન્મ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના આવેલા ગામડાઓમાં ગત તા.9ના રોજ અનંત અંબાણીના જન્મ દિવસે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વૃધ્ધો તેમજ તમામ જ્ઞાતિજનોએ ભોજન કર્યુ હતું. ત્યારે જોગવડ ગામમાં કરાયેલા ભવ્ય ભોજન સમારંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તો ત્યાં આવેલી મહિલાઓને સાડી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન બ્રાહ્મણો પણ હાજર હોય અને તેઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશિર્વાદ આપ્યા હતા. તો અમુક વિસ્તારો તેમજ શહેરમાં પછાત વિસ્તારોમાં બાળકોને બોટલ સહિતની કીટ પણ આપવામાં આવી હતી. આ સાથે જોગવડ ગામ ખાતે ગુરૂવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરમાં રાજભા ગઢવી, સાંઈરામ દવે તેમજ દેવાંગી પટેલ વિપ્રય મહેતા સહિતના કલાકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. તો મોટી સંખ્યામાં લોકોએ આ લોકડાયરાનો લાભ લીધો હતો અને આખી રાત ડાયરામાં બેઠા રહ્યા હતા. ભોજન સમારંભ સમયે લગાડવામાં આવેલા બેનરમાં અનંત અંબાણીને મહિલાઓએ દુ:ખણા લઈને જન્મદિવસના આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે મંદીરોમાં દાન તેમજ ગાયો સહિતના પશુઓને લાડુ સહિતનો ખોરાક આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:તું અમારા સામુ કેમ જોશ તેમ કહી યુવર પર હુમલો

કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને એક મહિલા સહિત ત્રણ શખસોએ યુવક ઉપર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.38) નામના યુવક ગત તા.9ના રોજ પોતાની દિકરીને નાની ભગેડી ગામે સ્કુલે મુકવા માટે આવ્યા હતા. આ દરમિયાન આરોપી સુરેશ વાલાભાઈ મકવાણા અને હંસાબેન સુરેશભાઈ મકવાણાએ કહેલ કે, તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને યુવક સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અપશબ્દો બોલીને સુરેશ મકવાણા, હંસાબેન મકવાણા અને નાનજી દેવશીભાઈ મકવાણાએ લાકડાના ધોકા વડે હુમલો કરીને માથાના જમણા પગમાં ગોઠણથી નીચે તથા જમણા હાથમાં અને માથામાં લોહી કાઢીને તેમજ પગમાં ફેક્ચરની ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી વાર અમારી વચ્ચે આવીશ તો સારાવાટ નહી રહે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

અજાણ્યા શખ્સે રૂા. 15,000નો મુદ્દામાલ ચોર્યો:અમરેલીમાં કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી પંખા, કુલરની ચોરી

અમરેલીના કુંકાવાવ રોડ પર ફાર્મ હાઉસમાંથી અજાણ્યા શખ્સ પંખા અને કુલરની ચોરી કરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. અમરેલીના કુંકાવાવ રોડ વિસ્તારમાં આવેલા વિ.કે. પટેલના ફાર્મ ખાતે ચોરીની ઘટના સામે આવી છે. જયંતીભાઈ બાબુભાઈ ઠુમ્મર (ઉ.વ. 56)એ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફાર્મમાં બેસવા માટે બનાવવામાં આવેલી બે માળની ખુલ્લી ઝૂંપડીમાં અજાણ્યો ચોર ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ્યો હતો. આ શખ્સ રૂપિયા 8,000ની કિંમતના ઝૂંપડીમાં ફિટ કરેલા ચાર પંખા તથા ત્યાં રાખેલ રૂપિયા 7,000ની કિંમતનું કુલર મળી કુલ રૂપિયા 15,000નો મુદ્દામાલ ચોરી કરી ફરાર થયો હતો. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે અજાણ્યા આરોપીની શોધખોળ હાથ ધરી છે. આમ, અમરેલી જિલ્લામાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં હોય સઘન પેટ્રોલીંગની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ચોરીના કિસ્સામાં ફરાર આરોપી ઝડપાયો:અમરેલી એલસીબીનું મધ્યપ્રદેશમાં ઓપરેશન 7 ચોરીમાં ફરાર શખ્સ અલીરાજપુરથી ઝડપાયો

નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા શરૂ કરાયેલ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી એલસીબી ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. અમરેલી, રાજકોટ , જુનાગઢ તેમજ મધ્યપ્રદેશના ઇન્દોર સહિત શહેરોમાં મળી કુલ 7 ચોરીના ગુનામાં સંડોવાયેલ નાસતો આરોપીને મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બડી કદવાલ ગામનો રહેવાસી બળવંત ગુલાબસિંહ બધેલ (ઉ.વ.35) સાવરકુંડલા રૂરલ, રાજકોટ શહેરના આજીડેમ અને બી ડિવિઝન, જુનાગઢના વંથલી તેમજ ઇન્દોરના કનાડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 7 ગુનાઓમાં નાસતો ફરતો હતો. આ શખ્સ પહેલા મોટરસાયકલ ચોરી કરીને રાત્રિના સમયે શહેરો અને ગામોની સોસાયટીઓમાં ફરી બંધ મકાનોની રેકી કરતો હતો. બાદમાં લોખંડના કટર જેવા સાધનો વડે તાળા તોડી ઘરફોડ ચોરી કરીને દિવસ દરમિયાન નજીકના વાડી વિસ્તારમાં છુપાઈ રહેતો હતો. તપાસ દરમિયાન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડી કદવાલ ગામેથી બળવંત ગુલાબસિંહ બધેલને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

RTO દ્વારા રોડ સેફ્ટીની પ્રવૃતિ યોજાઈ:અમરેલીના માર્કેટિંગ યાર્ડમાં 200 ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવાયા

અમરેલી જિલ્લામાં આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. જેમાં અમરેલીના માર્કેટિંગ યાર્ડ ખાતે 200 ટ્રેક્ટર સહિતના વાહનોને રેડિયમ પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના તમામ એપીએમસી ખાતે રેડિયમ પટ્ટા લગાવવા અર્થે કેમ્પનું આયોજન કરાયું છે. અમરેલીના એપીએમસી ખાતે 200 ઉપરાંત જેટલા વાહનો જેમ કે ટ્રેકટર, ટ્રેલર, છકડા સહિતના વાહનોને વિનામૂલ્યે સાઈડમાં પીળા તેમજ લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે. ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને ટ્રેલર, છકડો, સનેડામાં પાછળની બાજુએ લાઈટ આવેલ ન હોય પાછળથી વધુ ઝડપથી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. અકસ્માત અટકાવવા માટે આ કામગીરી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am

ફરિયાદ:દ્વારકામાં પરિવાર પર પાઈપ, ધોકા વડે હુમલો

યાત્રાધામ દ્વારકા શહેરના નારસંગ ટેકરી વિસ્તારમાં બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પરીવાર પર પાઇપ અને ઘોકા વડે હુમલો કરી ઇજા પહોચાડયાની ફરીયાદ છ શખસો સામે નોંધાઇ છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.પોલીસે ફરીયાદના આધારે ગુનો નોંધી હુમલાખોરને પકડી પાડવા તપાસ શરૂ કરી છે. મળતી વિગત અનુસાર દ્વારકામાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા જુમાભાઈ અલાનાભાઈ ઈસબાણી અને તેમના પરિવારજનો સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની હતી. આ બોલાચાલી દરમ્યાન વસીમ મામદ સમા, દિલાવર ઈબ્રાહીમ સમા, જુમા ઈબ્રાહીમ સમા, સોહીલ રજાક ઈસબાણી, મામદ અલી સમા અને આસિફ મામદ સમા સહિતના છ શખ્સોએ ગાળો ભાંડી હતી જે બાદ આરોપીઓએ લોખંડના પાઈપ તથા લાકડાનાધોકા વડે હુમલો કરી બેફામ મારપીટ કરી, જેના કારણે પીડિતોને ઇજાઓ પહોંચ્યાનો બનાવ બહાર આવ્યો છે. આ બનાવ અંગે ઇજાગ્રસ્તની ફરીયાદના આધારે દ્વારકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.આ સમગ્ર મામલે પી.એસ.આઈ. આર.એલ. ચોપડા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 11 Apr 2026 5:30 am