AAP ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.આજે રાત્રે કેજરીવાલ ગુજરાત આવશે.અને કાલે ગાંધીનગરમાં સભાને સંબોધિત કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્દ્રનીલ રાજ્યગુરુની રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રાજ્યગુરુની આ જાહેરાત પાછળ પક્ષમાં તેમની ઉપેક્ષા જવાબદાર હોવાનું મનાય છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો IND Vs NZ મેચની ટિકિટનું બ્લેકમાં ધૂમ વેચાણ ભારત અને ન્યુઝીલેન્ડ મેચની ટિકિટોની કાળાબજારી શરૂ થઈ ગઈ છે.એજન્ટો 2 હજારમાં મળતી ટિકિટનું 15 હજારથી 1.50 લાખમાં વેચાણ કરી રહ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળ્યા.વિદ્યાર્થિનીએ ChatGPT પર આત્મહત્યા કેવી રીતે કરવી સર્ચ કર્યું હતું. બાથરૂમમાંથી ઇન્જેક્શન અને દવાની બોટલો પણ મળી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વડોદરામાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના વડોદરામાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના બની.આરોપીએ વોશિંગ મશીનમાં કપડા ધોવાના બહાને યુવતીને રૂમ પર બોલાવી અને બાદમાં તેને બંધક બનાવી મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીનો આપઘાત ગાંધીનગરમાં વ્યાજખોર નિવૃત્ત PSIના ત્રાસથી ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીએ આપઘાત કર્યો. 10 લાખની સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ આરોપી દોઢ કરોડની ઉઘરાણી કરતો હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ધારાસભ્ય અને સાંસદ વચ્ચે 'પોસ્ટર વોર' છેડાયું. અનંત પટેલ 'મુંગેરીલાલ' તો ધવલ પટેલ 'જુઠ્ઠાલાલ' તરીકે વાઈરલ થયા બાદ બંને નેતાઓ હવે સામ સામે આવી ગયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો જૂનાગઢઃ અફવાને કારણે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો સોશિયલ મીડિયામાં 'ડીઝલની તંગી'ની અફવાને કારણે જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી.અને જોતજોતામાં પેટ્રોલ પંપ પર એક કિલોમીટર લાંબી વાહનોની લાઈ લાગી ગઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સુરતઃ કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત સુરતના પાંડેસરામાં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકીમાં શ્વાસ રૂંધાઈ જતા ત્રણ શ્રમિકોના મોત થયા. મિલ પ્રશાસને કોઈપણ સુરક્ષા સાધનો આપ્યા વગર શ્રમિકોને ઝેરી ટાંકીમાં ઉતાર્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી હવામાન વિભાગે આગામી 4 દિવસ રાજ્યમાં હીટવેવની આગાહી આપી છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાતને ઉન્નત ઉત્પાદન (Advanced Manufacturing) ક્ષેત્રે વૈશ્વિક નકશા પર અંકિત કરવાના લક્ષ્ય સાથે વડોદરા ખાતે એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય ટ્રાન્સફોર્મેશન ઇન્સ્ટિટ્યૂશન (GRIT) અને ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ઔદ્યોગિક ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો. GRIT ના સી.ઇ.ઓ. એસ. અપર્ણાએ જણાવ્યું હતું કે, વિકસિત ગુજરાત @2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે પરંપરાગત ઉત્પાદન પદ્ધતિઓ છોડીને ઉચ્ચ-મૂલ્ય ધરાવતા અને ટેકનોલોજી આધારિત ઉત્પાદનો તરફ વળવું પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્ય સરકાર ભવિષ્ય માટે તૈયાર (Future-ready) ઇકોસિસ્ટમ બનાવવા કટિબદ્ધ છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ઇન્ડસ્ટ્રી 4.0 નું એકીકરણ હવે સમયની માંગ છે. રોકાણકારો માટે 'ગેમ-ચેન્જર' ગેટવેવડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરની ભૌગોલિક અને વ્યૂહાત્મક સ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, વડોદરા તેના મજબૂત ઔદ્યોગિક માળખાને કારણે હંમેશા રોકાણકારોની પ્રથમ પસંદ રહ્યું છે. ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ વડોદરાના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે આ સેમિનારને આગામી 'રીજનલ વાઈબ્રન્ટ સમિટ'ના પૂર્વ સંકેત તરીકે ઓળખાવ્યો હતો. AI અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનથી વધશે કાર્યક્ષમતાટેકનોલોજીના આ યુગમાં KPMG ના ભાગીદાર અભિષેક ગુપ્તાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, IoT અને ડિજિટલ ટ્વિન્સ જેવી આધુનિક ટેકનોલોજીના મહત્વ વિશે સમજ આપી હતી. આ ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને ગુણવત્તામાં ધરખમ સુધારો કરી શકાય છે, જે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા માટે અનિવાર્ય છે. વૈશ્વિક પ્રવાહો અને માનવ મૂડી પર મંથનસેમિનાર દરમિયાન યોજાયેલી પેનલ ચર્ચાઓમાં GE એરોસ્પેસના ઉમા મહેશ્વર ડી., LT ના દિવ્યા ભટ્ટ, MG ઇન્ડિયાના નેહા જૈન અને હનીવેલના ડૉ. બુબથી મુરુગનાથમે ગ્લોબલ ટ્રેન્ડ્સ અને માનવ સંસાધન વિકાસ પર ભાર મૂક્યો હતો. અન્ય નિષ્ણાતોએ પણ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન દ્વારા પ્રાદેશિક શક્તિઓને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવી તેનો રોડમેપ રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે MNRE ના સચિવ સંતોષ કુમાર સારંગીએ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓની રજૂઆતો સાંભળી મંત્રાલય સ્તરે યોગ્ય વિચારણા કરવાની ખાતરી આપી હતી. આ અવસરે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા, GIDC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ભરત જોશી સહિત અનેક મહાનુભાવો અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરાના ઓરવાડા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત:એક યુવક ગંભીરરીતે ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો
ગોધરા તાલુકાના ઓરવાડા નજીક આજે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઘોઘંબા તાલુકાના વાંગડવા ગામના રહેવાસી મનહર પગી પોતાની બાઇક પર વાઘજીપુર ખાતે એક પ્રસંગમાં જઈ રહ્યા હતા. ઓરવાડા નજીક પહોંચતા તેમની બાઇક અને અન્ય એક બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં મનહરને મોઢાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયા હતા. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના જનપ્રતિનિધિઓનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા નવી અધિસૂચના બહાર પાડી અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના શહેરોમાં હાલ માટે વહીવટી તંત્ર દ્વારા સંચાલન કરવા IAS અધિકારીઓને વહિવટદારો તરીકે નિમણૂક કરવામાં આવી છે. 6 મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થતા વહીવટદારનું શાસનસરકારના આદેશ મુજબ અમદાવાદ શહેરમાં હવે શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટ સોંપવામાં આવ્યો છે. વડોદરામાં GUVNLના મેનેજિંગ ડિરેક્ટર શાલિની અગ્રવાલને જવાબદારી સોંપવામાં આવી છે. સુરત શહેરમાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેને અને ભાવનગરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સચિવ હર્ષદ પટેલને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર અને રાજકોટ શહેરોમાં પણ રાજ્ય સરકારે વહીવટદારોની નિમણૂક કરી છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ તમામ IAS અધિકારીઓ અગાઉ સંબંધિત શહેરોમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જેના કારણે શહેરના વહીવટનો અનુભવ તેમને પહેલેથી જ છે. કઈ મનપામાં વહીવટદાર તરીકે કોની નિમણૂક SIRની કામગીરીના કારણે સમયસર ચૂંટણી યોજાઈ શકી નથીરાજ્યમાં SIR પ્રક્રિયા ચાલી રહી હોવાને કારણે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજાઈ શકી નથી. પરિણામે, નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી શહેરોના વહીવટ માટે રાજ્ય સરકારે આ વહીવટી વ્યવસ્થા અમલમાં મૂકી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોમાં ધમધમાટ રાજયમાં આગામી એપ્રિલ-મેં મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાવાની શક્યતા છે. જેના પગલે રાજકીય પક્ષોમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તો તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અલગ અલગ સાત કમિટીની રચના કરી બેઠકોનો દૌર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવા કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ તાલુકાઓમાં પ્રભારીઓની હાજરીમાં આ પ્રક્રિયા યોજાઈ હતી. શનિવારે, હિંમતનગર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પ્રભારીઓની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ. આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યપદ માટે ચૂંટણી લડવા ઈચ્છુક મોટી સંખ્યામાં દાવેદારો તેમના ટેકેદારો સાથે પહોંચ્યા હતા. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાબરકાંઠા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં તબક્કાવાર આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપ્યું હતું કે, કેટલીક નગરપાલિકાઓમાં ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર હોવા છતાં, શાસક પક્ષ દ્વારા તેમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આગામી દિવસોમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે તૈયાર છે. આ બેઠક સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકી, જિલ્લા પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર, તેમજ વિધાનસભા પ્રભારી વિષ્ણુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ અને જિલ્લાના અન્ય પ્રભારીઓ પણ હાજર રહ્યા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી ડૉ. જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગમાં વર્ષ 2026ની ત્રીજી બેચના વિદ્યાર્થીઓ માટે દીપ પ્રાગટ્ય અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજી માનવસેવાના સંકલ્પ સાથે નર્સિંગ કારકિર્દીમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યક્રમને 'લેમ્પ લાઇટ ઓથ સેરેમની' તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. 1800માં યુદ્ધમાં ઘાયલ સૈનિકોની ફ્લોરેન્સ નાઇટિંગેલે ફાનસના અજવાળે સારવાર કરીને નવજીવન આપ્યું હતું, ત્યારથી નર્સિંગની આ કારકિર્દી શરૂ થઈ હતી. આ પરંપરા અનુસાર, નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા વિદ્યાર્થીઓ દીપ પ્રજ્વલિત કરીને શપથ લે છે. મોડાસાની ડૉ. જશવંતલાલ દામોદરદાસ તલાટી સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગ ખાતે યોજાયેલી શપથવિધિ દરમિયાન વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની નૈતિકતા, સેવા અને માનવતાના મૂલ્યોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજીને આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બી.એડ કોલેજ મોડાસાના પ્રિન્સિપાલ ડૉ. બિપીનભાઈ ડી. પટેલ, પાટણ યુનિવર્સિટી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના ડીન અને અમદાવાદથી કેન્સર રોગના જાગૃતિ એક્ટિવિસ્ટ દર્શનાબેન બૂટાલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટના ચેરમેન જીગીશભાઈ મહેતા, સંસ્થાના માનદમંત્રી પુનમભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ, મોડાસા સાર્વજનિક હોસ્પિટલના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ રાકેશભાઈ પટેલ, ડોક્ટરો, વહીવટી ટીમ, સાર્વજનિક કોલેજ ઓફ નર્સિંગના સેક્રેટરી મયુરભાઈ બૂટાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ નર્સિંગ વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં, પરંતુ માનવતાની સેવા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક ગણાવ્યો હતો. તેમણે સમાજમાં એક આદર્શ નર્સની ભૂમિકા કઈ રીતે ભજવવી તેના પર ભાર મૂકી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સેવાસંઘ સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ મોડાસાના ચેરમેન જીગીશભાઈ મહેતા દ્વારા શપથ લેનાર વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જી.એન.એમ. અને બી.એસ.સી. નર્સિંગમાં ઉત્તમ પરિણામ મેળવનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હર્ષિત રાવલ, વાઈસ પ્રિન્સિપાલ ડૉ. ઉર્વિ પ્રજાપતિ અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના સેક્રેટરી મયુરભાઈ બૂટાલા દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આંબેડકર ચેર દ્વારા 'વિકસિત ભારત 2047માં ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો' વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો.યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કે. સી.પોરીયા અને કુલસચિવ ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં નિષ્ણાત વક્તાઓએ દેશના વિકાસમાં આંબેડકરના પ્રદાન અને આગામી 25 વર્ષના રોડમેપ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સેમિનારના મુખ્ય વક્તા વિજય ઝાલાએ જણાવ્યું હતું કે દેશના વિકાસમાં સંતો, મહંતો અને સમાજ સુધારકોનું યોગદાન મહત્વનું રહ્યું છે.તેમણે રામાનુજાચાર્યથી માંડીને સ્વામી વિવેકાનંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.ઝાલાએ ઉમેર્યું હતું કે સામાન્ય રીતે મહાન વિભૂતિઓ સમય જતાં વિસરાઈ જાય છે,પરંતુ વિવેકાનંદ, ડો. બાબાસાહેબ આંબેડકર અને ડો. હેડગવારનું પ્રદાન આજે પણ અવિસ્મરણીય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યુનિવર્સિટીના શિક્ષણવિદોએ પહેલ કરવી પડશે અને પ્રત્યેક નાગરિકે ઝડપથી કામ કરવું પડશે.બાબાસાહેબ આંબેડકરે આઝાદી પહેલા જ વિકસિત ભારત માટે ચાર મુખ્ય પિલર સૂચવ્યા હતા, જેમાં યુવા વિકાસ, શોષિત અને પીડિત સમાજનો વિકાસ, મહિલા વિકાસ તથા ખેડૂતોના વિકાસનો સમાવેશ થાય છે. ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે બાબાસાહેબે માત્ર દલિતો માટે જ નહીં,પરંતુ સમગ્ર સમાજ માટે કામ કર્યું છે.તેમણે હિન્દુ કોડ બિલ માટે કાયદા મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને મહિલાઓ માટે પ્રેગ્નન્સી એક્ટ લાગુ કરાવ્યો હતો. આ ઉપરાંત,ખેતી, પર્યાવરણ અને જળસંચય જેવા વિષયો પર પણ તેમનું ચિંતન પાયાનું રહ્યું છે. સેમિનારના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ કે. સી. પોરીયાએ બાબાસાહેબને સામાજિક ચિંતક ગણાવતા સમાનતા, ન્યાય અને માનવ ગૌરવ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પ્રત્યેક વ્યક્તિને વિકાસની તક મળશે, ત્યારે જ દેશનો સર્વાંગી વિકાસ શક્ય બનશે. તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ભારતીય સંસ્કૃતિના પ્રકૃતિ સાથેના જોડાણ અંગે વાત કરી યુવાનોને ટેકનોલોજીનો દુરુપયોગ ન કરવા ટકોર કરી હતી. કુલસચિવ રોહિત દેસાઈએ શિક્ષણ અને લોકશાહીના મૂલ્યો વિશે વિસ્તૃત છણાવટ કરી હતી. અન્ય વક્તા યોગેશ પારેખે નાગરિક કર્તવ્ય અને ફરજો પર ભાર મુકતા જણાવ્યું હતું કે બંધારણ સ્વતંત્રતા આપે છે, સ્વચ્છંદતા નહીં. આ કાર્યક્રમમાં શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ, નિરંજન પટેલ, પાલિકા પ્રમુખ હીરલબેન, ચિરાગ પટેલ સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન આંબેડકર ચેરના કો-ઓર્ડિનેટર ડો. જય ત્રિવેદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રિપેશ બારોટે કર્યું હતું અને આભાર વિધિ ડો. રોશન અગ્રવાલ દ્વારા કરવામાં આવી હતી.
સુરત શહેરને ટ્રાફિકમુક્ત અને સુવ્યવસ્થિત બનાવવાના અભિયાન હેઠળ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યાથી ઝઝૂમતા વરાછાના મુખ્ય માર્ગો અને ફૂટપાથ પર ખડકાયેલા ગેરકાયદે લારી-ગલ્લા અને શેડ પર મનપાના બુલડોઝર ફરી વળ્યા હતા. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરત પોલીસના 'ડિસ્ટાફ' ના કર્મીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તૈનાત રહ્યો હતો. ટ્રાફિકની સમસ્યા હલ કરવા આકરા પગલાંવરાછા વિસ્તાર સુરતનો સૌથી ગીચ અને વ્યસ્ત રહેણાંક તેમજ વ્યાપારી વિસ્તાર ગણાય છે. અહીંના મુખ્ય રસ્તાઓ પર લારી-ગલ્લા અને પથારાવાળાઓના કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિક રહીશોની વારંવારની ફરિયાદો અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, વરાછા ઝોનની દબાણ હટાવો શાખા દ્વારા વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મનપાની ટીમે ટ્રકો સાથે વરાછાના અનેક વિસ્તારોમાં સપાટો બોલાવ્યો હતો. ફૂટપાથ રોકીને ઉભા રહેતા ખાણી-પીણીના લારી-ગલ્લા, શાકભાજીના પથારા અને દુકાનદારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર ઓટલા કે શેડને તોડી પાડવામાં આવ્યા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્તદબાણ હટાવવાની કામગીરી વખતે લારીધારકો અને તંત્ર વચ્ચે ઘર્ષણ થતું હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સુરત પોલીસ વિભાગ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી હતી. વરાછા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મીઓ અને અન્ય પોલીસ જવાનોએ સમગ્ર વિસ્તારમાં લોખંડી બંદોબસ્ત જાળવ્યો હતો. પોલીસની હાજરીના કારણે વિરોધ કરી રહેલા તત્વો નરમ પડ્યા હતા અને મનપાની ટીમે નિર્ધારિત લક્ષ્યાંક મુજબ દબાણો દૂર કર્યા હતા. રસ્તા પર બિનવારસી હાલતમાં પડેલી ચીજવસ્તુઓ અને માલ-સામાનને મનપા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યની સરકારી સાહસિક સંસ્થાઓ (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં વધુ પારદર્શિતા લાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હવે આવી કંપનીઓની બોર્ડ મીટિંગમાં ચર્ચા થનારા મુદ્દાઓનો એજન્ડા અધિકારીઓ અને સભ્યોને બેઠક પહેલાં ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ આપવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. આ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ મોકલવામાં આવી છે. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેહાલ સુધી ઘણી સંસ્થાઓમાં બોર્ડ મીટિંગનો એજન્ડા છેલ્લી ઘડીએ અથવા મીટિંગના દિવસે જ રજૂ થતો હતો. પરિણામે સભ્યોને મુદ્દાઓનો પૂરતો અભ્યાસ કરવા સમય મળતો ન હતો અને ઘણી વખત ચર્ચા વિના જ મહત્વના નિર્ણયો લેવામાં આવતાં હતા. સરકારના ધ્યાનમાં આવી બાબતો આવતા હવે આ પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશેનવા માર્ગદર્શનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, બોર્ડ મીટિંગના તમામ મુદ્દાઓ સમયસર શેર કરવાના રહેશે. જેથી, સભ્યો તૈયારી સાથે બેઠકમાં ભાગ લઈ શકે. માત્ર તાત્કાલિક અને અત્યંત જરૂરી પરિસ્થિતિમાં જ છેલ્લી ક્ષણે એજન્ડા રજૂ કરવાની છૂટ આપવામાં આવશે. અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી બોર્ડ મીટિંગમાં ચર્ચાની ગુણવત્તા વધશે, નિર્ણયો વધુ વિચારપૂર્વક લેવામાં આવશે અને સંસ્થાઓના વહીવટમાં પારદર્શિતા મજબૂત બનશે. સાથે સાથે અધિકારીઓની મનમાની પર પણ અસરકારક નિયંત્રણ આવશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન છેલ્લા 12 વર્ષથી રાજ્યની નારીશક્તિ માટે સુરક્ષા, સન્માન અને સશક્તિકરણનું પર્યાય બની છે. ઘરેલુ હિંસા હોય કે માનસિક ત્રાસ, છેડતી હોય કે પારિવારિક વિવાદ, મુશ્કેલીમાં મુકાયેલી કોઈપણ મહિલા માટે '181' નંબર આજે આશાનું કિરણ સાબિત થઈ રહ્યો છે. આ 24 કલાક કાર્યરત સેવા માત્ર કાયદાકીય મદદ જ નહીં, પરંતુ પીડિત મહિલાઓને માનસિક હૂંફ અને સુરક્ષિત વાતાવરણ પણ પૂરું પાડે છે. સુરેન્દ્રનગર જિલ્લાની ઉમદા કામગીરી: 38,128 કેસોમાં ઉકેલ ઝાલાવાડ પંથકમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન અભયમ ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. આ સમયગાળામાં કુલ 38,128થી વધુ કેસોમાં મહિલાઓને માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને બચાવ કામગીરી દ્વારા રાહત અપાવી છે. ખાસ કરીને તાત્કાલિક જોખમની સ્થિતિમાં રેસ્ક્યુ વાન સાથે ઘટનાસ્થળે પહોંચીને અત્યાર સુધીમાં 6,701 જેટલી મહિલાઓને સ્થળ પર જ સહાય પૂરી પાડવામાં આવી છે. છેલ્લા એક વર્ષના આંકડા જોઈએ તો, 675 કિસ્સાઓમાં ટીમે ત્વરિત પ્રતિસાદ આપી મહિલાઓની વહારે આવી છે. તૂટતા સંબંધોને જોડતું સંવેદનશીલ કાઉન્સેલિંગ અભયમ ટીમ માત્ર કાયદાકીય કાર્યવાહી સુધી સીમિત નથી, પરંતુ કુશળ કાઉન્સેલિંગ દ્વારા તૂટતા પરિવારોને બચાવવાનું માનવીય કાર્ય પણ કરે છે. ચોટીલા તાલુકાના એક કિસ્સામાં, પતિના અવસાન બાદ સામાજિક દબાણ હેઠળ દિયરવટા કરનાર મહિલા પાસેથી તેનો 7 વર્ષનો પુત્ર છીનવી લેવાયો હતો. અભયમ ટીમે સાસુ અને દિયરને કાયદાકીય અને માનવીય સમજ આપીને માતાને તેનો પુત્ર પરત અપાવ્યો હતો. તેવી જ રીતે, પ્રેમલગ્ન કરનાર ગર્ભવતી મહિલાને પિયર પક્ષ દ્વારા ગર્ભપાત માટે કરાતા દબાણ સામે ટીમે રક્ષણ આપી બે જીવ બચાવ્યા હતા. આત્મહત્યાના મોઢામાંથી જીવન તરફ પાછી લાવી ટીમ ઘણીવાર ઘરેલુ હિંસાથી કંટાળીને મહિલાઓ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરવા પ્રેરાય છે. વઢવાણ અને સુરેન્દ્રનગર રેલવે જંકશન જેવા સ્થળોએ મોતને વહાલું કરવા જતી મહિલાઓને અભયમ ટીમે સમયસર બચાવી, તેમને ભાવનાત્મક ટેકો આપીને નવું જીવન જીવવાની પ્રેરણા આપી છે. આ ઉપરાંત, લીંબડી તાલુકામાં મહિલાનો અયોગ્ય વીડિયો ઉતારનાર શખ્સ સામે કડક કાર્યવાહી કરાવી પીડિતાની ગોપનીયતા અને ગરિમાનું રક્ષણ પણ ટીમે કર્યું છે. સંપૂર્ણ સુરક્ષા કવચ: મૌન તોડો, 181 જોડો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. અભયમ હેલ્પલાઇન જરૂર જણાય ત્યારે પીડિત મહિલાઓને પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ કે આશ્રયગૃહ સુધી પહોંચાડીને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડે છે. અન્યાય સામે મૌન રહેવાને બદલે 181 પર એક કોલ કરીને મહિલાઓ પોતાના સન્માનની લડાઈ જીતી શકે છે.
બરોડા ડેરીની ચૂંટણી સમયે રાજકારણ અગાઉથી જ ગરમાયું છે ત્યારે આજે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે ચાર ઝોનમાં ચૂંટણી યોજશે જ્યારે 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 17 ફોર્મ બાકી રહ્યાબરોડા ડેરી માટેના ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેએ જણાવ્યું હતું કે, આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં હવે કુલ 17 ફોર્મ રહ્યા છે. જેમાં 9 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ચાર ઝોનમાં ચૂંટણી યોજવામાં આવશે. આ ચાર ઝોનમાં બે-બે ઉમેદવારો એટલે કે 8 ઉમેદવારો સામસામે છે. ચાર ઝોનમાં ઉમેદવારો સામસામેચાર ઝોનમાં ચૂંટણી યોજશે જેમ હરીફ ઉમેદવારમાં ઝોન 4માં હિતેશભાઈ મફતભાઈ પટેલ, પાર્થિવ શૈલેષભાઈ પટેલ, ઝોન-6માં કુલદીપસિંહ ઉદયસિંહ રાહુલજી અને સુરપાલસિંહ ચિમનસિંહ પરમાર, ઝોન-8માં દીક્ષિતભાઈ ભીખાભાઈ પટેલ અને પ્રહલાદભાઈ મંગળદાસ પટેલ તેમજ ઝોન-12માં રણજીતસિંહ મોહનસિંહ રાઠવા અને રાઠવા ગેમલભાઈ વિઠ્ઠલભાઈ સામ સામે છે. કુલ ચાર ઝોનમાં માં બે-બે ફોર્મ્સ બાકી રહ્યા છે. ડેસર બેઠક પર ખરાખરી જોવા મળશેબરોડા ડેરીની ચૂંટણીમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર વધુ રસ લે છે ત્યારે આ બેઠક પર કુલદીપસિંહ અને સૂરપાલસિંહ બંને ભાજપના જ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે સૂરપાળસિંહને મૌખિક મેન્ડેડ આપ્યું હતું ત્યારે એમ હતું કે, કુલદીપસિંહ ફોર્મ પરત ખેંચશે પરંતુ, તેઓએ ફોર્મ પરત ખેંચ્યું ન હતું. અગાઉના વર્ષોમાં કુલદીપસિંહ એ કેતન ઇનામદાર સામે ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે તેઓ ડેરીમાં ડિરેક્ટર ન બને તેવા પણ પ્રયાસો કરાયા હતા. ત્યારે હવે આ બેઠક ઉપર ખરાખરીનો જંગ જોવા મળશે. 18 માર્ચે મતદાન યોજાશેસોમવારના રોજ સત્તાવાર રીતે હરીફ અને બિનહરીફ ઉમેદવારોની યાદી પબ્લિશ કરાશે અને એના પછી 18 તારીખે બપોરે 3 વાગ્યા સુધી વોટિંગ થશે અને 3 વાગ્યા પછી કાઉન્ટિંગ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદમાંથી એક પતિ દ્વારા ફેમિલી કોર્ટના વર્ષ 2019ના ચુકાદા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી. ફેમિલી કોર્ટમાં વર્ષ 2018માં તેની પત્ની દ્વારા દાંપત્ય હક્કોની પુનઃ સ્થાપના અંગે અરજી કરવામાં આવી હતી. જેને મંજૂર કરતા કોર્ટે પતિને તેની દાંપત્ય ફરજોનું વહન કરવા હુકમ કર્યો હતો. પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશેજોકે, ગુજરાત હાઇકોર્ટમાં ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ વર્ષ 2019માં દાખલ થયેલી અપીલમાં પતિ-પત્ની વચ્ચે સમાધાન થયું હતું. પત્નીની મુખ્ય ચિંતા હતી કે, તેને દીકરી 18 વર્ષની થઈ ચૂકી છે. તેના લગ્ન સમયે તેનો પતિ દીકરીના પિતા તરીકે હાજર રહે અને એક પિતા તરીકેની ફરજો નિભાવી, ધાર્મિક વિધિ તેમજ સામાજિક રિવાજો પૂર્ણ કરે. આખરે બંને વચ્ચે એક સેટલમેન્ટ ડીડ થઈ હતી. જે મુજબ બંને પતિ-પત્ની સહમતિથી છૂટાછેડા લેશે અને પત્ની છૂટાછેડાની અરજીમાં સહયોગ આપશે. દીકરી અને પત્નીના નામે પતિ એક રકમ આપશે. પતિ પોતાની દીકરી પ્રત્યે પિતાને દરેક જવાબદારી નિભાવશે. તેના લગ્ન સમયે હાજર રહીને પિતાની ફરજો, સામાજિક રિવાજો ઉપરાંત ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કરશે. બે મહિનાની અંદર પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખનો ડીડી આપશેબંને વચ્ચે સેટલમેન્ટ ડીડ થતા પત્નીની સહમતિથી આ અપીલ મંજૂર કરવામાં આવી છે. હાઇકોર્ટે હુકમ કર્યો છે કે, બે મહિનાની અંદર પતિ પત્ની અને તેની દીકરીના નામે કુલ 5 લાખ રૂપિયાનો ડીડી આપશે. જેને તેમની પસંદગીની નેશનલાઈઝ બેન્કમાં ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવામાં આવશે. બંને ફેમિલી કોર્ટમાં તેમની અનુકૂળતાએ છૂટાછેડાની અરજી કરશે. ફેમિલી કોર્ટ હાઇકોર્ટના આ ચુકાદામાં કરાયેલા અવલોકનોને ધ્યાને લીધા વગર અરજી ઉપર સ્વતંત્ર પણે નિર્ણય કરશે.
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ટાઉનહોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા શક્તિને વંદન અને આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ યોગદાન આપતી 32 આશા બહેનોનું આરોગ્ય શાખા અને જાયન્ટ્સ સહિયર ગ્રુપ, હિંમતનગર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, હિંમતનગર GMERS જનરલ હોસ્પિટલ બ્લડ બેંક અને પેથોલોજી વિભાગના સહયોગથી 75 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ચિલ્ડ્રન યુનિવર્સિટી, ગાંધીનગરના ડો. રાકેશ પટેલ અને તેમની ટીમે સગર્ભા માતાઓને ગર્ભ સંસ્કાર દ્વારા બાળકના શારીરિક અને માનસિક વિકાસના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે બાળપણ દરમિયાન બાળ વિકાસના વિવિધ તબક્કે કઈ કાળજી રાખવી તે અંગે પણ વિશેષ જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે ઉપસ્થિત આશા કાર્યકરોએ તેમના પરિવારમાં ગર્ભ સંસ્કાર વિધિ અંગેના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણનું મહત્વ અને તેના ફાયદાઓ અંગે પણ ઉપસ્થિત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે ફાઈનલ મેચની ટિકિટ ખરીદવા ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ફાઈનલ મેચની ટિકિટ ખરીદવા મોદી સ્ટેડિયમ પહોંચેલા ક્રિકેટ ફેન્સ પાસે દિવ્ય ભાસ્કર પહોંચ્યું હતું. ક્રિકેટ ફેન્સને જ્યારે પૂછ્યું ટિકિટ મળી કે નહીં ત્યારે ચાહકોએ જણાવ્યું હતું કે, આ T20 ફાઈનલની ટિકિટ ખિસ્સા ખાલી કરાવી નાખે એવા ભાવ થઈ ગયા છે. લોકોએ એફડી કે ગોલ્ડ વેચીને ટિકિટ ખરીદવી પડશે. તો કોઈએ કહ્યું અમે દૂરથી આવ્યા છીએ અમને તો ટ્રેન અને બસ ભાડું પણ માથે પડ્યું અને કલાકોથી અહીં ઉભા છીએ પણ ટિકિટ મળી નથી રહી.
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સામે ગંભીર આક્ષેપો બાદ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. નામદાર કોર્ટે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ FIR નોંધી કાયદેસરની તપાસ કરવાના આદેશ જારી કરતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. ACPની રેડ કરાવશો તો જાનથી મારી નાખીશઆ કેસની વિગત મુજબ ફરિયાદી જનકભાઈ બાલુભાઈ માલાણીએ આક્ષેપ કર્યો છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ બી.જી. ઉર્ફે ભરતભાઈ (સલાબતપુરા પો.સ્ટે.) એ તેમને ફોન કરી ડરાવ્યા હતા. આરોપીએ ફોન પર એવી ધમકી આપી હતી કે, મેં સલાબતપુરા પોલીસ સ્ટેશનનો વહીવટ લીધેલો છે, જો હવે તું સલાબતપુરામાં ACPની રેડ કરાવીશ તો તને પતાવી દઈશ, તું ધ્યાન રાખજે. આ ધમકી બાદ ફરિયાદીએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ઉચ્ચ અધિકારીઓએ રજૂઆત ન સાંભળતા ફરિયાદી કોર્ટના શરણેફરિયાદી જનકભાઈએ આ મામલે અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર કચેરીમાં પણ લેખિત રજૂઆત કરી હતી. જોકે, પોલીસ વિભાગ દ્વારા પોતાના જ કર્મચારી વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા અથવા FIR ન નોંધાતા ફરિયાદીએ આખરે એડવોકેટ આર.બી. કૈદુરા અને અશ્વિન રાખેલિયા મારફતે સુરતની નામદાર કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે તપાસમાં પારદર્શિતા માટે PI ને આપ્યા આદેશનામદાર કોર્ટે આ મામલાની ગંભીરતા જોઈને મહત્વનો નિર્ણય લીધો છે. કોર્ટે અવલોકન કર્યું કે જે-તે પોલીસ સ્ટેશનના કર્મચારી સામે તપાસ તે જ સ્ટેશનના અધિકારી કરે તો નિષ્પક્ષતા જળવાય નહીં. આથી, નામદાર કોર્ટે ઉતરાણ પોલીસ સ્ટેશનના પી.આઈ. ને આ કેસની તપાસ સોંપી છે અને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી છે. પોલીસ અધિકારી સામે ગુનો નોંધવા નામદાર કોર્ટનો આખરી હુકમસમગ્ર દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખીને કોર્ટે સ્પષ્ટ હુકમ કર્યો છે કે આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે. કોર્ટે જણાવ્યું કે, કાયદો દરેક માટે સમાન છે અને પોલીસ અધિકારી પણ જો ગુનાહિત કૃત્ય કરે તો તેની સામે કાર્યવાહી થવી અનિવાર્ય છે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સી.વી.એમ. યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 7 માર્ચ, 2026 ના રોજ યુનિવર્સિટીના 400 થી વધુ મહિલા અધ્યાપકો અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ હેડ એના વિનોચાએ કર્યું હતું. મહિલાઓ સમાજ અને સંસ્થાનું મજબૂત પાસું છે તે સ્વીકારીને, તેમને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ હતો. ઉજવણીના ભાગરૂપે, દરેક મહિલા કર્મચારીને ફૂલ, ચોકલેટ, એક શુભેચ્છા પત્ર અને એક ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ ભેટો મહિલા કર્મચારીઓ ઓફિસ પહોંચે તે પહેલાં તેમના ટેબલ પર મૂકવામાં આવી હતી. આ અચાનક મળેલી ભેટથી તમામ મહિલા કર્મચારીઓ આનંદિત થયા હતા અને તેમણે સંસ્થા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. યુનિવર્સિટીનો આ નાનકડો પ્રયાસ મહિલા શક્તિને તેમની સશક્તતા અને કાર્યક્ષમતાનો અનુભવ કરાવવાનો હતો. સી.વી.એમ. યુનિવર્સિટીની બ્રાન્ડિંગ ટીમની આ પહેલને શૈક્ષણિક જગતમાં પણ સરાહના મળી રહી છે.
પાટનગર ગાંધીનગરમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-ખેલતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગૃહ વિભાગના નિવૃત સેક્શન ઓફિસર પ્રકાશભાઈ નાયકે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં નિવૃત પોલીસ સબ ઈન્સ્પેક્ટર શૈલેષ બચુભાઈ નાયક સામે મરવા મજબૂર કરવાનો અને વ્યાજખોરીનો ગંભીર ગુનો સાંતેજ પોલીસ મથકે નોંધાયો છે. મૃતક પાસેથી મળી આવેલી બે પેજની સુસાઇડ નોટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે, માત્ર 10 લાખ રૂપિયાના ધિરાણ સામે 90 લાખ વસૂલ્યા બાદ પણ વ્યાજખોર નિવૃત PSI દ્વારા વધુ દોઢ કરોડની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. આટલું જ નહીં, વ્યાજખોર નિવૃત્ત પોલીસ અધિકારીએ ગૃહવિભાગના પૂર્વ સેક્શન અધિકારીના પુત્રનું અપહરણ કર્યું હતું અને ધાકધમકી આપી તેમની મિલકત પણ પચાવી પાડી હતી. નિવૃત સેક્શન ઓફિસરે અડાલજ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરીગાંધીનગરના સરગાસણની મેઘ મલ્હાર સોસાયટીમાં રહેતો 32 વર્ષીય જ્વાલિન પ્રકાશભાઈ નાયક સાબરમતી ગેસ લીમીટેડ ખાતે નોકરી કરે છે. જેના પિતા પ્રકાશભાઇ ભગવાનદાસ નાયક આશરે પાંચેક વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના ગૃહવિભાગમાં સેક્શન ઓફિસર તરીકે વી.આર.એસ. લઇ નિવૃત થયા હતાં. જેઓએ સેકટર 4સી પ્લોટ નંબર 779/1 માં પત્ની રચનાબેન સાથે રહેતા હતા. 10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાંજ્યારે જ્વાલિન તેની પત્ની બોસ્કી સાથે સરગાસણ રહે છે. જે હાલ CAની પ્રેક્ટીશ કરે છે. આજથી એકાદ વર્ષ શેરબજારમાં રોકાણ કરવા રૂપિયાની જરૂરીયાત હોવાથી જ્વાલિને સમાજના રીટાયર્ડ PSI શૈલેષભાઈ બચુભાઈ નાયક (રહે. પ્લોટ નંબર 576/2, સેક્ટર 5/બી, ગાંધીનગર) પાસેથી રૂ.10 લાખ માસિક 10 ટકા વ્યાજે લીધા હતાં. દોઢ કરોડની પઠાણી ઉઘરાણીજોકે રુપિયા આપ્યાના વીસેક દિવસમાં જ નિવૃત PSI નાયકે વ્યાજ અને પેનલ્ટીના બહાને પૈસાની કડક ઉધરાણી શરૂ કરી હતી. જે પેટે આજદીન સુધી જ્વાલિને નિવૃત PSIને ટુકડે ટુકડે 90 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં નિવૃત પીએસઆઈએ હજુ દોઢ કરોડ બાકી નીકળે છે તેમ કહી ધમકાવવાનું શરૂ કરી જ્વાલિનનો પાસપોર્ટ પણ પડાવી લીધો હતો. પુત્રનું અપહરણ કરીને મિલકત પચાવી પાડીઆટલું ઓછું હોય એમ નિવૃત પીએસઆઈ નાયકે જ્વાલિનને ગાડીમાં બેસાડીને સેકટર 4માં નોટરી પાસે લઈ જઇ સરગાસણના ફ્લેટનો કબ્જા સાથેના બાનાખત કરાવી લીધો હતો. જેમાં પત્નીની સહી પણ જ્વાલિન પાસે કરાવી હતી. આટલેથી નહીં અટકેલા શૈલેષ નાયકે 28 જાન્યુઆરી 2026 ના રોજ 90 લાખનો ચેક બેંકમાં ભરીને નોટિસ મોકલી આપી હતી. પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી આખરે દિન પ્રતિદિન નિવૃત પીએસઆઇ નાયકનો ત્રાસ વધી જતા જ્વાલીને સઘળી હકીકત પોતાના પિતા પ્રકાશભાઈને કરી હતી. ત્યારે 19 ફેબ્રુઆરીએ શૈલેષ નાયક પ્રકાશભાઈને પોતાની સાથે સેકટર 4 ખાતે લઈ ગયો હતો. અને પૈસા બાબતે ગર્ભિત ધમકીઓ આપી હતી. જેના ચારેક દિવસ પછી 23 ફેબ્રુઆરીએ જ્વાલિન પાટણ ગયો હતો . એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યુંએ વખતે સાડા ચારેક વાગે તેની પત્નીએ ફોન કરી જાણ કરેલી કે , પપ્પાનું એક્ટીવા અડાલજ કેનાલ પાસેથી મળ્યું છે પણ તેઓ ફોન ઉપાડતા નથી. જેના પગલે જ્વાલિન પરત ગાંધીનગર આવી ગયો હતો. અને તેને જાણવા મળેલું કે, તેના પિતા તેની માતાને સરગાસણ ઉતારીને આવું છું કહી ઘરેથી નીકળી ગયા હતા. પહેલાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજમાં નોંધાઈબાદમાં તેમણે જ્વાલિનના પિતરાઈ ભાઈ જલદીપને લોકેશન મુકી મેસેજ કરેલો કે 'પ્લીઝ કમ'. આથી બધા લોકેશન વાળી જગ્યાએ પહોંચતા બિનવારસી હાલતમાં એક્ટિવા અને ફોન મળી આવ્યો હતો. એ વખતે ફાયર ટીમોએ કેનાલમાં પ્રકાશભાઈની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો. જેથી કરીને ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ અડાલજ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. સુસાઈડ નોટ મળી ને નિવૃત્ત PSI સામે ગુનો નોંધાયોદરમિયાન 26 ફેબ્રુઆરીએ પ્રકાશભાઈની લાશ ગણપતપુરા કેનાલના સાયફનમાંથી મળી આવી હતી. જે બાબતે સાંતેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં મૃતક પ્રકાશભાઈના ફોનમાંથી 20 ફેબ્રુઆરીના રોજ લખેલી સુસાઈડ નોટના ફોટા હતાં. જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મારા પુત્ર જ્વાલીનને શૈલેષભાઈ નાયકે 10 લાખ વ્યાજે આપ્યા હતા, જેની સામે 90 લાખ ચૂકવ્યા હોવા છતાં શૈલેષભાઈ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાથી હું સખત આઘાતમાં છું અને આત્મહત્યા કરું છું. જેના પગલે સાંતેજ પોલીસે આઇબી વિભાગમાંથી નિવૃત્ત થયેલા PSI શૈલેષ નાયક વિરુદ્ધ દુષ્પ્રેરણા સહિતના કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત મહાનગરપાલિકા ખાતે આજે યોજાયેલી આ સંકલનસભા શહેરના વિકાસના કાર્યો અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકોમાં કમિશનર, શહેરના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થયો હતો જેમાં શહેરના અનેક પ્રશ્નો અને વિકાસના કાર્યોની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં કુમાર કાનાણી દ્વારા પોતાના વિસ્તારની ઉગ્ર રજૂઆતો કરતા અધિકારીઓ પર લાલ ઘૂમ થયા હતા. ઇન્ડસ્ટ્રિયલ જે રેસિડેન્શિયલ ઝોનમાં બની જાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, સૌ પહેલાં તો મારી જે આજે રજૂઆત થઈ છે કમિશનરની સંકલનની અંદર, એ ઇન્ડસ્ટ્રિયલ જે રેસિડેન્શિયલ ઝોનમાં બની જાય છે. રેસિડેન્ટમાં લોકો રહે છે, લોકો સોસાયટીમાં રહે છે અને એની અંદર ઇન્ડસ્ટ્રીયલ આવે છે, ગોડાઉનો આવે છે અને જે થાય છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ, આ મુખ્ય મુદ્દો મારો હતો. દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા ભયાનક બની છેબીજો મુદ્દો એ છે કે, ઘણા સમય પહેલાં પોલીસ કમિશનર અને મેયરે વરાછા રોડની વિઝિટ કરી હતી. મારી પહેલાં પણ રજૂઆત હતી કે, બ્રિજની નીચે જે દબાણો થાય છે, જે ગેરકાયદેસર લોકો રહે છે વરાછા રોડ પર અને મુખ્ય રોડ પર, વરાછા વિસ્તારની અંદર જે લારી-ગલ્લાના જે દબાણો છે, એ દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી ભયંકર બની છે તો એના રજૂઆતના આધાર પર પોલીસ કમિશનર અને મેયરે વિઝિટ કરી અને ખૂબ સારી કામગીરી, ઓપરેશન કર્યું હતું. કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય એવી મારી માંગ છે.એ 15 દિવસ જે કામગીરી ચાલી, ફરીવાર વરાછા રોડની પરિસ્થિતિ એની એ જ બની ગઈ છે અને એટલા માટે એ પરિસ્થિતિની અંદર ફરીવાર પહેલાં જે કામગીરી થઈ હતી, એવું તાત્કાલિક ધોરણે તમામ પ્રકારના દબાણો દૂર થાય, બ્રિજની નીચેથી જે ગેરકાયદેસર લોકો રહે છે એને પણ દૂર કરવામાં આવે અને આ કામગીરી કાયમી ધોરણે રહે એ વાત આજે મે મ્યુનિસિપલ કમિશનરને કરી છે અને કાલની સંકલનની અંદર પણ પોલીસ કમિશનરને પણ આ વાત કરી છે અને કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થાય એવી મારી માંગ છે. પાણીની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક લાવોધારાસભ્ય મનુ પટેલે જણાવ્યું હતું કે, સુરતની અંદર ઉધના વિસ્તાર, એટલે ઉધના વિસ્તારમાં શ્રમજીવીઓનો વિસ્તાર, નાના-નાના માણસોનો વિસ્તાર છે. જે વર્ષો પહેલા 1985 પહેલા જ્યાં જ્યાં સોસાયટીઓ બની ગયેલી છે, એ સોસાયટીઓની ગટરો જૂની થઈ છે. યા તો એ પાણીનું જે વિતરણ થવું જોઈએ, એની એક મર્યાદા કરતા ગટરો સાંકડી છે. એને નવી ગટરો બનાવવાનું કામ, એની ઉપર પાણીની વ્યવસ્થા, પાણીની લાઈનો એના ઉપર આપીને સારું એક નવી પાણીની લાઈનો આપવાનું કામ અને એના પછી એને RCCના રોડ બનાવવાનું કામ આ બધી જ વ્યવસ્થાઓને સાંકળી લીધી છે. અને આ જટિલ જે પ્રશ્ન હતો, ઉધના વિસ્તારના દરેક રહીશો માટે પાણી મિક્સ ક્યાંક ક્યાંક આવતું હોય યા તો પાણીનો ફોર્સ ઓછો આવતો હોય, આ બધી જ સમસ્યાઓનું નિરાકરણ આ પ્રશ્નોથી થઈ જાય છે અને કમિશનરે અમને હૈયાધારણ આપી છે કે દરેક સોસાયટીની અંદર સારા પાણી માટે નળની વ્યવસ્થા સારી રીતે, ફોર્સફુલી પાણી આવે અને ગટરની વ્યવસ્થા, ઉપર RCCના રોડ એ કમ્પલસરી કરવાના છે અને સારી રીતે કરવાના છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મેઈન રોડ પર જે મેઈન રોડ છે મોટા, એની અંદર જે મેઈન ગટરોની લાઈનો છે એ પણ ઘણા વર્ષોની જૂની છે તો એને પણ રિ-ડેવલોપ કરી અને મોટી એને મોરિયો મોટી કરી અને સારી રીતે કરીને એનું ડેવલોપમેન્ટ કરી અને એમાં પણ પાણીની અવરજવરની વ્યવસ્થા ગટરવાળા પાણીનો નિકાલ થઈ શકે એ માટેનું કરેલું છે. રહી વાત બીજી કે અમારે ઉધના ઉધના-મગદલ્લા રોડથી નવસારીના મેઈન રોડ ઉપર, જેનો ટ્રાફિકનો પ્રશ્ન છે. ટ્રાફિકના પ્રશ્ને મેઈન રોડની બે બાજુ જે સર્વિસ રોડ છે, એ સર્વિસ રોડ ક્યાંક ને ક્યાંક એની એલાઈનમેન્ટની બહાર છે, તો એલાઈનમેન્ટ એમાં પૂરું નથી થયું. તો એ એલાઈનમેન્ટના મુદ્દે એલાઈનમેન્ટની એ જોઈને એની માપણી જોઈને એલાઈનમેન્ટ થઈ શકે અને એલાઈનમેન્ટ કર્યા પછી એ રોડ પહોળા રહે અને પહોળા જે ટ્રાફિક છે, એની ઉપર જે દબાણો છે એ દબાણો જો દૂર થાય તો ઉધનાથી નવસારી રોડ પર આવતી જતી આપણા જે રહીશો છે, આપણા મતદારો છે, આપણા પરિવારો છે, એ લોકોને પોતપોતાની સોસાયટીમાં જવા માટે કોઈ ટ્રાફિકની અગવડ ન પડે એ માટેની એક વ્યવસ્થા છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા અને સુવ્યવસ્થિત આયોજન કરવા માટે કોંગ્રેસ દ્વારા કુલ 7 જેટલી મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની કામગીરી, જવાબદારીઓ અને ચૂંટણી માટેની રણનીતિ નક્કી કરવા માટે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી, જેમાં આગામી રણનીતિને લઈને ચર્ચા કરવામાં આવી છે. આગામી ચૂંટણીને લઈ રણનીતિ ઘડાઈબેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક તેમજ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત સમિતિઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાર્ટી કેવી રીતે સક્રિય રીતે મેદાનમાં ઉતરશે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દરેક સમિતિની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી. પાર્ટીના સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવા અને કાર્યકરો સાથે સતત સંવાદ રાખવા તેમજ સ્થાનિક મુદ્દાઓને લઈને લોકો સુધી પહોંચવા સૂચના આપવામાં આવી છે. જનતાના મુદ્દાઓ અને કૌભાંડ મામલે લડતના એંધાણતેમજ બેઠકમાં ચૂંટણી માટે વિશેષ ચૂંટણીલક્ષી પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન મતદારો સુધી પહોંચવા માટે પ્રચારની રણનીતિ, સ્થાનિક સમસ્યાઓને મુદ્દો બનાવવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં ચાલતા કૌભાંડ મુદ્દે વિરોધ કરી જનતાને પોતાની તરફ આકર્ષવા માટેના પણ કોંગ્રેસ પ્રયાસ કરવાની છે. જનતાની સમસ્યા તેના સાથે ઊભા રહી તેમના મુદ્દાઓની ચર્ચા કરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ જનતાનો મત ખેંચવા માટેની તૈયારી કરી રહી છે. જનતાના મુદ્દો પર લડત લડીને તેમને કોંગ્રેસ તરફ લાવવા માટે બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. તેમજ દરેક સમિતિઓ આગામી સમયમાં જિલ્લા અને તાલુકા સ્તર પર અલગ કાર્યકમ પણ કરશે. ઉમેદવારની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છેઃ મુકુલ વાસનિકગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ કેટલીક સમિતિઓની રચના કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આગામી ચૂંટણીમાં કેવી રીતે તૈયારી કરવી તેને લઈને વાતચીત કરવામાં આવશે. તેમજ ચૂંટણી માટેની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ ઉમેદવારની યાદી પણ જાહેર કરવામાં આવશે. અત્યારે તેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચાઃ મનીષ દોશી ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુજરાતની જનતાને જે પ્રમાણે વિશ્વાસ છે તેને ધ્યાનમાં રાખીને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેની આજે બેઠક મળી હતી. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. તમામ કમિટી એકબીજા સાથે સંકળાયેલી છે. યુવાનોને તક આપવાનો અને જવાબદારી નક્કી કરવા મુદ્દે ચર્ચા થઈ છે. ચૂંટણી દરમિયાન સમિતિઓને અલગ અલગ કાર્યક્રમ નક્કી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. સમિતિઓ પોતાની અલગ-અલગ બેઠક કરીને રણનીતિ તૈયાર કરશે. ‘મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો’વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા કોંગ્રેસ પર આશા રાખી રહી છે. દરેક કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બેઠક કરવામાં આવી હતી. મેનિફેસ્ટો ચાર દીવાલ વચ્ચે પણ બની શકતો હતો, પરંતુ અમે જનતા શું અપેક્ષા રાખે છે? અને તે લોકોની શું સમસ્યા છે? તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે. તમામ સમાજના લોકોને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. કમલમ, કમિશનનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેમાં ગુજરાતની જનતાને કઈ રીતે ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષ આગળ વધશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), મુંબઈ દ્વારા સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના કેમ્પસ ખાતે નારી ગૌરવ – હરિત ઉપહાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના સમર્પણ, પ્રેરણાદાયી કાર્ય અને સમાજ તેમજ શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાનો હતો. આ પ્રસંગે NGES કેમ્પસ પરિવાર સાથે જોડાયેલી 200થી વધુ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ પરિવાર અને સામાજિક જવાબદારીઓનું સંતુલન જાળવી રાખીને સંસ્થાના વિકાસ અને પ્રગતિમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપી રહી છે. સન્માનના પ્રતીક રૂપે દરેક મહિલાને એક છોડ ભેટ આપવામાં આવ્યો હતો. આ ઉપહાર માત્ર સન્માન જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણ માટેના સંકલ્પને પણ દર્શાવે છે. એક નારી – એક છોડના સંદેશ સાથે, આ અભિયાન દ્વારા મહિલાઓની પ્રેરણાથી આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ સર્જવાનો સંદેશ આપવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, મહિલાઓ માત્ર પરિવારની જ નહીં, પરંતુ સમગ્ર સમાજ અને રાષ્ટ્રના વિકાસની શક્તિશાળી આધારશિલા છે. શિક્ષણ, સંસ્કાર અને સમાજ નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહી છે. આ કાર્યક્રમમાં NGES કેમ્પસના સંચાલક ડૉ. જય ધ્રુવ અને કેમ્પસની તમામ સંસ્થાઓના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડૉ. ઝેડ. એન. સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું.
યુદ્ધની અસર ગુજરાતના ડેરી ઉદ્યોગ પર:ગેસ સપ્લાયમાં 40% કાપ, પ્રોડક્શન પર અસર પડવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર પણ દેખાવા લાગી છે. સરકાર દ્વારા ડેરી ઉદ્યોગને આપવામાં આવતા ગેસ સપ્લાયમાં 40 ટકા સુધી કાપ મૂકવાની મૌખિક સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયને કારણે ડેરી ઉદ્યોગના ઉત્પાદન પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશેમળતી માહિતી મુજબ અત્યાર સુધી ડેરી ઉદ્યોગોને તેમની જરૂરિયાત મુજબ 100 ટકા ગેસ સપ્લાય આપવામાં આવતો હતો પરંતુ, નવા નિર્ણય મુજબ હવે માત્ર 60 ટકા ગેસ જ નિશ્ચિત ભાવ પર આપવામાં આવશે. બાકી રહેલા 40 ટકા ગેસ માટે ડેરી સંસ્થાઓને નવા અને ઊંચા ભાવ ચૂકવવા પડશે. ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતાડેરી ઉદ્યોગનું મોટાભાગનું પ્રોડક્શન સંપૂર્ણપણે ગેસ આધારિત હોવાથી ગેસ સપ્લાયમાં કાપ અને વધારાના ખર્ચના કારણે ઉત્પાદન ખર્ચ વધવાની શક્યતા છે. પરિણામે દૂધ તથા દૂધજન્ય ઉત્પાદનોના ઉત્પાદન પર અસર થવાની ચિંતા ઉદ્યોગ સાથે જોડાયેલા વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે. સરકારે ગેસ સપ્લાયમાં કરાયેલા આ ફેરફાર અંગે હાલ મૌખિક સૂચના આપી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ સપ્લાયમાં ઘટાડો યથાવત્ રહેશે તો તેની સીધી અસર ડેરી ઉદ્યોગના પ્રોડક્શન અને ખર્ચ પર પડશે.
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા. સરકારના જવાબ અનુસાર રાજ્યમાં 0થી 6 વર્ષના 5.70 લાખથી વધુ બાળકો કુપોષણનો ભોગ બની રહ્યા છે. તેમાં લગભગ 4.38 લાખ બાળકો ઓછા વજનવાળા (Underweight) જ્યારે 1.31 લાખ બાળકો ગંભીર રીતે ઓછા વજનવાળા (Severely Underweight) તરીકે નોંધાયા છે. 24 કરોડના ખર્ચે AI મોનિટરિંગ સિસ્ટમ આવશેઆંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા આ આંકડાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે હવે ટેક્નોલોજી આધારિત પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આશરે ₹24 કરોડના ખર્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત હાઈટેક મોનિટરિંગ સેન્ટર સ્થાપિત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ગેરરીતિઓને અટકાવવા માટે ડિજિટલ મોનિટરિંગ મહત્વપૂર્ણ સાબિત થશેઆ નવી સિસ્ટમ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતો પોષણ આહાર, બાળકો અને ગર્ભવતી તેમજ ધાત્રી માતાઓને મળતી સેવાઓ તથા પોષણ યોજનાઓના અમલીકરણ પર રિયલ ટાઈમ નજર રાખી શકાશે. અત્યાર સુધી માહિતી એકત્રિત કરવામાં વિલંબ અને માનવીય ભૂલોના કારણે થતી ગેરરીતિઓને અટકાવવા માટે ડિજિટલ મોનિટરિંગ મહત્વપૂર્ણ સાબિત થશે. કુપોષણ ઘટાડવાના પ્રયાસોને વધુ ગતિ મળશેસરકાર ટેક-હોમ રેશન (THR)ના વિતરણમાં પણ પારદર્શિતા લાવવા માટે QR કોડ આધારિત ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ અમલમાં લાવવા જઈ રહી છે. આ વ્યવસ્થાથી રેશન આંગણવાડી સુધી પહોંચ્યું કે નહીં અને લાભાર્થી સુધી યોગ્ય રીતે વિતરણ થયું કે નહીં તે સરળતાથી ટ્રેક કરી શકાશે. રાજ્ય સરકારના મતે, ટેક્નોલોજી આધારિત મોનિટરિંગથી પોષણ કાર્યક્રમોની અસરકારકતા વધશે અને કુપોષણ ઘટાડવાના પ્રયાસોને વધુ ગતિ મળશે. સાથે સાથે લાભાર્થી બાળકો અને માતાઓ સુધી ગુણવત્તાયુક્ત પોષણ આહાર પહોંચે તેની ખાતરી પણ કરવામાં આવશે.
સુરતના લિંબાયત વિસ્તારમાંથી સંબંધોને શર્મસાર કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. 8 વર્ષના લગ્નજીવન બાદ અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે ડિવોર્સનો મુદ્દો એટલો વણસ્યો કે પત્નીએ પોતાના મિત્ર સાથે મળીને પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. ધૂળેટીના તહેવારના દિવસે જ બનેલી આ ઘટનામાં પતિને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ હોસ્પિટલમાં તેની સર્જરી કરાવવાની નોબત આવી છે. 8 વર્ષનું લગ્નજીવન અને 8 મહિનાનો વિરહલિંબાયતના આસપાસનગર વિસ્તારમાં રહેતા 33 વર્ષીય અમોલ શંભાજી પાટીલ માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમોલના લગ્ન આઠ વર્ષ પહેલા મમતા ઉર્ફે કાજલ સાથે થયા હતા. શરૂઆતના વર્ષોમાં સંસાર સારો ચાલ્યો અને તેમને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસ વધતા બંને વચ્ચે અણબનાવ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે, છેલ્લા આઠ મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતા અને તેમનો પુત્ર પિતા અમોલ સાથે જ રહેતો હતો. ધુળેટીના રંગમાં ભળ્યો લોહીનો રંગઆ ઘટનાની વિગત મુજબ ગત 4 માર્ચના રોજ ધૂળેટીના દિવસે અમોલ પાટીલ તહેવાર મનાવીને પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન લિંબાયત નં.1 પ્લોટ નં.224 પાસે તેની પત્ની મમતાએ તેને અચાનક અટકાવ્યો હતો. પત્નીએ વાતચીત કરવાના બહાને અમોલને રોક્યો અને જોતજોતામાં ડિવોર્સ બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન મમતાનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલો પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને અમોલ પર હુમલો કરી દીધો હતો. 'ડિવોર્સ કેમ નથી આપતો?' કહી ચપ્પુના ઘા ઝીંક્યાતપાસમાં સામે આવ્યું છે કે, મમતાનો મિત્ર સતિલાલ અમોલ પર સતત દબાણ કરી રહ્યો હતો. આ હુમલા દરમિયાન સતિલાલે બૂમ પાડી હતી કે, તું મમતા કો ક્યુ ડિવોર્સ નહીં દેતા? આટલું કહી તેણે અમોલને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર મારવાનું શરૂ કર્યું હતું. આવેશમાં આવી ગયેલા સતિલાલે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે અમોલ પર હુમલો કર્યો હતો. અમોલના ડાબા પગના ભાગે અને માથામાં ચપ્પુના ગંભીર ઘા વાગતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં સર્જરીની તૈયારી, પોલીસ એક્શનમાંહુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અમોલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર ઈજાઓ ખૂબ જ ઊંડી હોવાથી તેની તાત્કાલિક સર્જરી કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. બીજી તરફ લિંબાયત પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભોગ બનનારની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લિંબાયત પોલીસમાં પત્ની અને મિત્ર વિરુદ્ધ ફરિયાદલિંબાયત પોલીસે આ મામલે સતિલાલ ઉર્ફે બુમલા અને પત્ની મમતા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ હુમલો ડિવોર્સ માટે દબાણ કરવાના ઈરાદે જ કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું છે. હાલ પોલીસ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં ધરપકડની ખાતરી આપી છે.
હાલમાં ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. આ કાળઝાળ ગરમીની સીધી અસર માત્ર મનુષ્યો પર જ નહીં, પરંતુ પ્રકૃતિના ખોળે વસતા અબોલ જીવો પર પણ જોવા મળે છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ જીલ્લામાં ગીર વિસ્તાર અને ગિરનાર જંગલમાં સિંહનો વસવાટ છે.ત્યારે ગિરનાર જંગલમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ અને અન્ય સૂક્ષ્મ જીવોને આ આકરી ગરમીમાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા અત્યારથી જ યુદ્ધના ધોરણે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. ગિરનારના પથરાળ અને કપરા ચઢાણ વાળા વિસ્તારોમાં વન્યપ્રાણીઓને પાણીની શોધમાં ભટકવું ન પડે અને માનવ વસાહત તરફ આવવું ન પડે તે હેતુથી વન વિભાગે એક સુવ્યવસ્થિત માળખું ઊભું કર્યું છે. ગિરનાર અભયારણ્યની ભૌગોલિક સ્થિતિ અને વન્યજીવોની વિવિધતા વિશે વાત કરતા એસીએફ સુનિલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગિરનારની આસપાસનો જંગલ વિસ્તાર વર્ષ 2008માં ભારત સરકાર દ્વારા સત્તાવાર રીતે 'અભયારણ્ય' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિશાળ વનરાજીમાં ચિત્તલ, સાબર, જંગલી ભૂંડ અને નીલગાય જેવા અનેક શાકાહારી પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ શાકાહારી પ્રાણીઓની હાજરીને કારણે અહીં ઇકોસિસ્ટમ જળવાયેલી રહે છે, પરિણામે ડાલામથ્થા સિંહ અને ચપળ દીપડા જેવા માંસાહારી વન્યજીવોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. આ તમામ જીવો માટે ઉનાળાના આકરા દિવસોમાં પાણી એ જીવન ટકાવી રાખવા માટેનો સૌથી મહત્વનો સ્ત્રોત બની જાય છે. ગિરનારના જંગલમાં કુદરતી વહેણા અને નાળાઓ ચોમાસા દરમિયાન સક્રિય હોય છે, પરંતુ મે અને જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં આ કુદરતી સ્ત્રોતો તળિયાઝાટક થઈ જતા હોય છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાને રાખીને જૂનાગઢ વન વિભાગ દ્વારા સમગ્ર અભયારણ્ય વિસ્તારમાં કુલ 56 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ્સ એટલે કે પાણીના કુંડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ વ્યવસ્થા માત્ર નામ પૂરતી નથી, પરંતુ તેને આધુનિક ટેકનોલોજી સાથે પણ સાંકળવામાં આવી છે. કુલ 56 પોઈન્ટ્સમાંથી 20 જેટલા વોટર પોઈન્ટ્સ સોલાર એનર્જી પંપથી સજ્જ છે, જે સૂર્યપ્રકાશની મદદથી આપમેળે પાણી ખેંચીને કુંડા ભરે છે. આ ઉપરાંત 8 પોઈન્ટ્સમાં પવનચક્કી દ્વારા પવનની ગતિનો ઉપયોગ કરીને પાણી પુરવઠો જાળવવામાં આવે છે. જ્યાં આ બંને સુવિધાઓ પહોંચી શકે તેમ નથી, તેવા દુર્ગમ વિસ્તારોમાં વન વિભાગના ટેન્કરો દ્વારા નિયમિતપણે પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. માત્ર પાણી પૂરું પાડવું જ પૂરતું નથી, પરંતુ તે પાણી સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. આ માટે વન વિભાગે દરેક રાઉન્ડ દીઠ બે-બે સમર્પિત રોજમદારોની નિમણૂક કરી છે. આ કર્મચારીઓ દરરોજ દરેક વોટર પોઈન્ટની મુલાકાત લે છે, કુંડામાં રહેલો કચરો કે જૂનું પાણી ખાલી કરી, તેને વ્યવસ્થિત રીતે ઘસીને સાફ કરે છે અને ત્યારબાદ જ તેમાં તાજું પાણી ભરવામાં આવે છે. આ સતત મોનિટરિંગને કારણે વન્યજીવોને કોઈ પણ પ્રકારના રોગચાળાનો ભય રહેતો નથી અને તેમને 24 કલાક પીવા માટે ઠંડુ અને શુદ્ધ પાણી ઉપલબ્ધ રહે છે. ઉનાળાના મધ્યાહને જ્યારે તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે, ત્યારે વન્યપ્રાણીઓના શરીરમાં ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા એક નવીન પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં જરૂરિયાત મુજબ પાણીમાં ઓ.આર.એસ (ORS) પાઉડર ભેળવવામાં આવે છે. આ દ્રાવણ પ્રાણીઓના શરીરમાં પાણી અને આવશ્યક ક્ષારોનું સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, જેથી તેઓ હીટવેવ સામે લડી શકે. વન વિભાગની સંવેદનશીલતા માત્ર મોટા પ્રાણીઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ મધમાખી અને પતંગિયા જેવા નાના કીટકો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. વોટર પોઈન્ટની દિવાલો પર જ શણના કોથળા રાખવામાં આવે છે જેમને સતત પાણીથી ભીના રાખવામાં આવે છે. મધમાખીઓ આ ભીના કોથળા પર બેસીને સુરક્ષિત રીતે ભેજ અને પાણી મેળવી શકે છે, જે ઇકોસિસ્ટમના સંવર્ધન માટે અત્યંત જરૂરી છે. આ સમગ્ર જહેમત પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વન્યજીવોનું રક્ષણ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષને ન્યૂનતમ કરવાનો છે. અનુભવ પરથી જાણવા મળ્યું છે કે જ્યારે જંગલના અંદરના ભાગમાં પાણી ખૂટી જાય છે ત્યારે તરસ્યા વન્યજીવો પાણીની શોધમાં જંગલની સરહદ વટાવીને ગામડાઓ કે રહેણાંક વિસ્તારો તરફ વળે છે, જે ઘણીવાર સંઘર્ષની સ્થિતિ પેદા કરે છે. જોકે, ગિરનારના પહાડોમાં જ પૂરતા પ્રમાણમાં અને આધુનિક પદ્ધતિથી પાણીની સુવિધા ઊભી કરવામાં આવી હોવાથી, વન્યજીવો જંગલની શાંતિમાં રહીને પોતાની તરસ છિપાવી શકે છે. આમ, જૂનાગઢ વન વિભાગની આ વ્યવસ્થા વન્યજીવ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જેમાં પ્રકૃતિના નાનામાં નાના જીવની કાળજી લેવામાં આવી છે.
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં મહેશ્વરી એસ્ટેટમાં આવેલી નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાની ઘટનામાં દાઝી જવાના કારણે ચાર કારીગરોના મૃત્યુ થયા છે. આગ લાગી ત્યારે ચારેય કારીગરો બાજુના ધાબા ઉપર પરથી નીચે ઉતરી ગયા હતા. જોકે આગ બુજાવવા જતા તેઓએ દુકાનનું શટર ખોલી નાખ્યું અને અચાનક જ સામે આગની જાળ લાગતા દાઝી ગયા હતા અને સારવાર દરમિયાન ચારેયનું મૃત્યુ થયું હતું. ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. માધુપુરાની આવકાર ફૂડ્સનો બનાવમળતી માહિતી મુજબ શહેરના માધુપુરા વિસ્તારમાં હનુમાનપુરા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મહેશ્વરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવકાર ફૂડસ નામની નમકીન બનાવવાની ફેક્ટરી આવેલી છે. ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના રહેવાસી એવા ચાર કારીગરો રહેતા હતા અને કામ કરતા હતા.3 માર્ચે મોડી રાતે આગ લાગવાની ઘટના બની હતી જેમાં ચારે કારીગરો ઉપર સૂતા હતા આગ લાગી અને ધુમાડો પ્રસરતા ચારેય જાગી ગયા હતા. નીચે આગ લાગેલી હતી જેથી નીચે જવાય નહીં તેના માટે તેઓ ઉપરની બાજુની ફેક્ટરીમાં થઈ અને ઝાડ પરથી સીધા નીચે ઉતર્યા હતા. ચારેયના સારવાર દરમિયાન મોતનીચે ઉતરી ગયા બાદ દુકાનમાં લાગેલી આગ અને બુજાવવા માટે દુકાનમાં મૂકવામાં આવેલા ફાયર બ્રિગેડના બાટલા લઈને આગ બુજાવવાનો પ્રયત્ન કરવા શટર ખોલવાનો પ્રયત્ન કરતો અને જેવું શટલ ખુલ્યું કે તરત જ આગની જાળ લાગી ગઈ હતી અને શટર પણ તૂટી ગયું હતું. જેથી તારે ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે તેમને સારવાર આપવામાં આવી હતી જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. માધુપુરા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોના નામઅરવિંદ પરમાર (ઉ. વ. 18)કુલદીપસિંહ રાજપુત (ઉ. વ. 18)સુભાષ પરમાર (ઉ. વ. 26)કૈલાશ વણઝારા (ઉ. વ. 34)
વડોદરાના બિલ-કલાલી રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં સફાઈ કામ કરવા આવેલા મજૂરો દ્વારા લોકરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 2.75 લાખની ચોરી કરાઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મકાન માલિકે આ મામલે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઘરની સફાઈ માટે ચામુંડા હોમ ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતોબિલ-કલાલી રોડ પર પુષ્પક હોમ સોસાયટી સામે રોયલ હેરીટેજ વિલામાં રહેતા અલ્પેશકુમાર બદરીલાલ જૈન (ઉ.વ.41) બિરલા ઓપસ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ નોંધાવેલી ફરિયાદ મુજબ પત્ની શેફાલીએ ઘરની સફાઈ માટે અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ચામુંડા હોમ ક્લીનિંગ સર્વિસનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી આ કામ ક્રિષ્ણા ક્લીનિંગ સર્વિસ મારફતે સાવરિયા દીપ ક્લીનિંગ સર્વિસને સોંપાયું હતું. ત્રણ મજૂરો દ્વારા ઘરની સફાઈ ચાલતી હતીતા.24 ફેબ્રુઆરીના રોજ અલ્પેશ જૈન કંપનીના કામસર મુંબઈ ગયા હતા. ત્યારબાદ તા.1 માર્ચે સાંજે લગભગ સવા 5 વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્ની અને દીકરી ઘરે હાજર હતા તથા ત્રણ મજૂરો દ્વારા ઘરની સફાઈ ચાલતી હતી. આ મજૂરોમાં હીરા કીર, બાબુ કીર અને પ્રકાશ કીર નામના વ્યક્તિઓ હતા અને તેઓ રાજસ્થાનના વતની હોવાનું જણાવ્યું હતું. સફાઈકામની 5 હજાર મજૂરી લઈને મજૂરો નીકળી ગયાસફાઈ કામ પૂર્ણ થયા બાદ હીરા કીરે મજૂરીના 5000 માંગ્યા હતા. અલ્પેશ જૈને ઓનલાઈન ચુકવણી કરવાની વાત કરતા હીરાએ પોતાના ફોનમાં ટ્રાન્ઝેક્શન ન થતું હોવાનું કહી સાવરિયા ક્લીનિંગના લાલાભાઈ કીર પાસેથી વોટ્સએપ મારફતે સ્કેનર મંગાવી દીધું હતું. ત્યારબાદ અલ્પેશ જૈને સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ઓનલાઈન 5000 ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ત્રણેય મજૂરો એક બાઈક લઈને ત્યાંથી નીકળી ગયા હતા. રાતે લોકરની તપાસ કરી તો 2.75 લાખનો સામાન ગાયબ હતોરાત્રે લગભગ 11 વાગ્યે અલ્પેશ જૈન અને તેમની પત્નીએ મકાનના પ્રથમ માળે આવેલા કબાટમાં રાખેલા લોકરની તપાસ કરતાં તેમાં મુકેલા સોનાની પાયલ, બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની મૂર્તિઓ તથા રૂ.25 હજાર રોકડ મળી કુલ અંદાજે 2.75 લાખનો સામાન ગાયબ જોવા મળ્યો હતો. પત્નીએ જણાવ્યું કે બપોરે કબાટ ખુલ્લું હતું અને લોકરની ચાવી ઉપર જ મૂકી હતી. તે સમયે ચા બનાવવા માટે નીચે ગયેલી વચ્ચે મજૂરો દ્વારા લોકર ખોલીને ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે બીજા દિવસે મજૂરોનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતાં તેમના મોબાઈલ ફોન બંધ આવતા અલ્પેશ જૈનની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG દ્વારા 5 માર્ચના રોજ પાડવામાં આવેલા દરોડામાં પનીરના નામે પીરસાઈ રહેલા ધીમા ઝેરનો પર્દાફાશ થયો હતો. હાલ SOGની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ ફેક્ટરીમાં પનીર બનાવવા જે એસિટિક એસિડનો ઉપયોગ થતો હતો, તે ખાદ્ય પદાર્થો માટેનું (Food Grade) નહીં, પરંતુ કારખાનાઓમાં વપરાતું 'ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ' એસિડ હતું. આ પનીર સુરતની અનેક ડેરીઓમાં સપ્લાય થતું હતું. આ ઉપરાંત SOGની તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મુંબઈના એડ્રેસ પર FSSAI લાયસન્સ લઈ સુરતમાં ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOGએ 1400 કિલો પનીરનો જથ્થો તો જપ્ત કર્યું પણ આ ઝેર અનેક લોકો આરોગી ગયા હશે તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા ઉભી થઈ છે. ઇન્ડસ્ટ્રીયલ એસિટિક એસિડથી પાચનતંત્ર -કિડનીને ગંભીર નુકસાન સામાન્ય રીતે પનીર બનાવતી વખતે દૂધ ફાડવા માટે લિમિટેડ માત્રામાં ફૂડ ગ્રેડ એસિટિક એસિડ અથવા સાઇટ્રિક એસિડનો ઉપયોગ થાય છે. પરંતુ પકડાયેલા આરોપી મહેશ શર્માના કારખાનામાં SOG એ તપાસ કરતા જાણવા મળ્યું કે, તે ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગમાં લેવાતું એસિટિક એસિડ વાપરતો હતો. આ એસિડ માનવ શરીર માટે અત્યંત જોખમી છે અને તેનાથી પાચનતંત્ર તેમજ કિડનીને ગંભીર નુકસાન થઈ શકે છે. જે રીતે ફૂડ કલરના બદલે ડાઈંગના કલર વાપરવા ગુનો છે, તે જ રીતે આ એસિડનો ઉપયોગ લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં સમાન છે. લાયસન્સ મહારાષ્ટ્રનું અને કાળો કારોબાર સુરતમાંતપાસમાં સૌથી મોટો વળાંક લાયસન્સ મામલે આવ્યો છે. આરોપી મહેશ શર્મા પાસે FSSAIનું લાયસન્સ તો હતું, પરંતુ તે સુરતનું નહીં પણ મહારાષ્ટ્રના વસઈના એડ્રેસ પર નોંધાયેલું હતું. આરોપી આ મહારાષ્ટ્રના લાયસન્સના આધારે સુરતમાં ગેરકાયદેસર ફેક્ટરી ધમધમાવતો હતો. જ્યારે પણ કોઈ SOG ટીમ તપાસ માટે પહોંચતી, ત્યારે તે વસઈનું લાયસન્સ બતાવીને પોતે કાયદેસર હોવાનો ઢોંગ કરતો હતો. વાસ્તવમાં, જે જગ્યાએ ઉત્પાદન થતું હોય ત્યાંનું જ લાયસન્સ હોવું અનિવાર્ય છે. પામોલીન તેલ અને મિલ્ક સોલિડના મિશ્રણથી 'એનાલોગ પનીર' તૈયાર થતુંઆ પનીર શુદ્ધ દૂધમાંથી નહીં, પરંતુ અત્યંત સસ્તા મટીરિયલમાંથી બનાવવામાં આવતું હતું. SOGની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે, તે પામોલીન તેલ, થોડું દૂધ અને બાકીના મિલ્ક સોલિડનો ઉપયોગ કરીને 'એનાલોગ પનીર' તૈયાર કરતો હતો. આ મિશ્રણને જમાવીને તેને પનીર જેવો આકાર આપી દેવામાં આવતો હતો. આ પનીર દેખાવમાં અસલ જેવું જ લાગતું હોવાથી ગ્રાહકો છેતરાઈ રહ્યા હતા. 220 રૂપિયામાં વેચાતું હતુ નકલી પનીરકિંમતનું ગણિત જોવામાં આવે તો આ કૌભાંડ સ્પષ્ટ થાય છે. જો દૂધનો ભાવ 57 રૂપિયે લીટર ગણીએ, તો 100 કિલો દૂધમાંથી માત્ર 15 કિલો પનીર બને. આ હિસાબે અસલી પનીર બનાવવાની પડતર કિંમત જ 380થી 390 રૂપિયાની આસપાસ થાય. તેની સામે આ ટોળકી માત્ર 180થી 220 રૂપિયામાં પનીર વેચતી હતી. SOGના જણાવ્યા મુજબ, જે પનીર 400 રૂપિયાથી ઓછી કિંમતે બજારમાં મળે, તેની ગુણવત્તા પર શંકા કરવી લાઝમી છે. 2 વર્ષથી ચાલતું હતું નેટવર્ક, રોજનું 400 કિલોનું ઉત્પાદનડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે,SOGની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મહેશ શર્મા છેલ્લા 2 વર્ષથી સુરતમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યો હતો. અગાઉ તે ગણેશનગરમાં પનીર બનાવતો હતો અને છેલ્લા 2 મહિનાથી વીર પંચવટી સોસાયટીમાં નવો પ્લાન્ટ શરૂ કર્યો હતો. દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીરનું ઉત્પાદન કરીને તે સુરતની નાની-મોટી ડેરીઓમાં સપ્લાય કરતો હતો. એટલે કે, અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓના પેટમાં ગયું છે. SOG અને ફૂડ વિભાગનો સંયુક્ત સપાટોSOGને બાતમી મળી હતી કે, પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં નકલી પનીર બની રહ્યું છે. ગત 3 માર્ચ, 2026ના રોજ સાંજે 6થી 9 વાગ્યા દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને સાથે રાખીને SOGએ રેડ કરી હતી. આ ઓપરેશનમાં મોટા પાયે મુદ્દામાલ ઝડપાયો હતો અને તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો હતો. 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત• 1401 કિલો શંકાસ્પદ લુઝ પનીર (કિં.રૂ. 3,08,220)• રૂ. 25,00,000ની કિંમતની પનીર બનાવવાની મશીનરી• પામોલીન તેલના ડબ્બા અને એસિટિક એસિડના કેન• “Non Brand Loose Analogue Paneer” લખેલા સ્ટીકરો અને પેકિંગ મટિરિયલ SOGની કાર્યવાહી અને ગ્રાહકોને ચેતવણીSOGએ 40 વર્ષીય મહેશકુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી હતી. ફૂડ વિભાગે પનીરના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. SOG દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકોએ ખૂબ જ સસ્તું પનીર ખરીદવાનું ટાળવું જોઈએ અને હંમેશા વિશ્વાસપાત્ર ડેરી પરથી જ ખરીદી કરવી જોઈએ. લાયસન્સ વગર કે બીજા રાજ્યના લાયસન્સ પર ચાલતા આવા એકમો સામે SOG આગામી દિવસોમાં ઝુંબેશ તેજ કરશે.
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરના સરથાણા વિસ્તારમાં જાહેર રસ્તા પર બે જૂથો વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સોસાયટીના રહીશો અને બહારના ફેરિયાઓ વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષે સામસામે લાકડાના ફટકા અને ધોકા ઉછળ્યા હતા. ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મુખ્ય ગેઈટ પાસે ઉભા રહેતા ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. રહીશોનો આરોપ હતો કે, ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે છે એટલે સોસાયટીમાં ઘોંઘાટની સમસ્યા રહેશે. બીજી તરફ ફેરિયાઓ પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોવાનું જણાવી ત્યાંથી હટવા તૈયાર નહોતા. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી તકરારમાં ફેરિયાઓએ પોતાના સાથીદારોને બોલાવી લીધા હતા તો સામે પક્ષે સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોતજોતામાં શાંત ગણાતો આ વિસ્તાર રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. મહિલાઓએ પણ ધોકાવાળી કરીઆ ઘટનાનું સૌથી ચોંકાવનાર પાસું એ હતું કે, પુરુષોની સાથે-સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કેટલીક મહિલાઓ હાથમાં લાકડાના ફટકા અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરી રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બે જૂથો એકબીજાને બેફામ ગાળો આપી રહ્યા છે અને લાકડાના ફટકાથી હુમલો કરી રહ્યા છે. બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતુંસરથાણા પી.આઈ. બી.બી કરપડાએ જણાવ્યું હતું કે, આ વીડિયો વાયરલ થયા બાદ બંને પક્ષને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને હવે પોલીસ સમક્ષ સમાધાન કરી આવવાનું પણ દાવો કરવામાં આવ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની ચાલુ ટર્મની છેલ્લી બેઠક આજરોજ મળી હતી, આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે આશરે રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે આ બેઠકમાં કુલ 87 તુમારો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રૂપિયા 114 કરોડના કામોની ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી વધારાના 27 વિકાસકામો માટે રૂપિયા 8.94 કરોડ મંજૂર કરાયા હતા આમ, કુલ રૂપિયા 123.14 કરોડના ખર્ચે વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી, શહેરની સેવાઓમાં વધારો કરવા માટે કમિટીએ પ્રભુદાસ તળાવ બાદ હવે તરસમીયા વિસ્તારમાં નવું અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવામાં આવશે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ધ્યાનમાં રાખીને ચિત્રા-ફુલસર વિસ્તારમાં બે નવા નાના અને મોટા પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે, શહેરની પેરીફેરીમાં નવા રોડ ખોલવા માટે મેટલ ગ્રાઉટિંગના કામો અને નવા ભળેલા વિસ્તારોમાં રોડ નેટવર્ક મજબૂત કરાશે, અધેવાડા જેવા નવા ભળેલા વિસ્તારોમાં DI લાઈનનું નેટવર્ક નાખવા અને પાંચ ગામોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જેમાં બેઠકમાં સૌથી મોટો પ્રોજેક્ટ દક્ષિણ સરદારનગર-અધેવાડા અને ઉત્તર સરદારનગર-તરસમિયા વોર્ડમાં મંત્રેશ કોમ્પ્લેક્સથી ટોપ-શ્રી સર્કલ સુધી રૂ.29.28 કરોડના ખર્ચે બનનારો આઇકોનિક રોડ છે, આ ઉપરાંત, તરસમિયા વિસ્તારમાં રૂ.15.95 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથેનું નવું ફાયર સ્ટેશન બનાવવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવશે, તેમજ વોર્ડ વાઈઝ વિકાસ કામોઓમાં કાળીયાબીડ-સીદસર-અધેવાડા વોર્ડ આ વિસ્તારમાં સૌથી વધુ કામો હાથ ધરાશે, જેમાં સીદસર-અધેવાડા સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે RCC બોક્સ ડ્રેઇન રૂ.6.04 કરોડ, વિવિધ સોસાયટીઓમાં પેવર રોડ અને RCC રોડ રૂ.5.90 કરોડ અને રૂ.5.90, તેમજ હિલપાર્કથી ટબુડી તળાવ સુધી બિટૂમીન રોડના કામોનો સમાવેશ થાય છે, સરદારનગર-તરસમીયા વોર્ડ ટોપ-શ્રી સર્કલથી ડી-માર્ટ સુધીના રોડને 6-લેન વાઈડનીંગ રૂ.3.74 કરોડ, વિવિધ આંતરિક રસ્તાઓ પર મેટલ ગ્રાઉટીંગ અને પેવિંગ બ્લોકના કામો હાથ ધરાશે, ફુલસર અને હેમુ કાલાણી સર્કલ પાસે અંદાજે રૂ.9 કરોડથી વધુના ખર્ચે બે નવી લાઇબ્રેરી (રીડીંગ રૂમ) બનાવવામાં આવશે, ફુલસર ખાતે રૂ.6.07 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટનું નિર્માણ થશે, ઘોઘાસર્કલ-અકવાડા વોર્ડમાં માલેશ્રી નદી પર બોક્સ કલવર્ટ રૂ.3.21 કરોડ, કુંભારવાડામાં રેલવે લાઈન પાસે RCC રોડ, અને ભરતનગર તથા કાળીયાબીડ વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાના સહિતના કામો ને બહાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઇ રાબડીયા એ જણાવ્યું હતું કે, ભાવનગરને સુંદર બનાવવા માટે ગાર્ડન અને ડિવાઈડરના ડેવલપમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે આ પ્રક્રિયામાં સહભાગી થનારા દાતાઓને પ્રોત્સાહિત કરી વિવિધ સ્થળો દત્તક આપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી, આ મારી ટર્મની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ હતી, ભાવનગર મેગા સિટી તરફ આગળ વધે તે માટે અમે પાયાની સુવિધાઓ અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન આપ્યું છે શહેરના વિકાસમાં સહયોગ આપનાર તમામ દાતાઓ અને નગરજનોનો હું આભાર માનું છું, આ બેઠકના અંતે આગામી દિવસોમાં ભાવનગર એક સુવ્યવસ્થિત મહાનગર તરીકે ઉભરી આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2023માં બનેલી એક ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત સેસન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. માત્ર જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં પોતાના પિતાના મિત્ર પર હથોડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપી ચેતન ઉર્ફે ચેતલા મુલચંદ ગુપ્તાને અદાલતે આજીવન કેદની સખત સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે, આરોપીએ નજીવી બાબતે આવેશમાં આવી ઘાતક હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો. પિતાના મિત્ર ઘરમાં જ રહેતા હતા, કામ ન કરતા હોવાથી આરોપી નારાજ હતો. અવારનવાર બંને વચ્ચે ખટરાગ ને હત્યાઘટનાની વિગતો મુજબ, મરણજનાર શબ્બીર ઉર્ફે પપ્પુ ખાન આરોપી ચેતનના પિતા મુલચંદ ગુપ્તાના પાકા મિત્ર હતા. મિત્રતાના દાવે શબ્બીર છેલ્લા ઘણા સમયથી મુલચંદભાઈના ઘરે જ રહેતા હતા. જોકે, આરોપી ચેતનને તે પસંદ નહોતું. શબ્બીર ઘરકામમાં કોઈ મદદ કરતા ન હોવાથી ચેતન તેમનાથી સતત નારાજ રહેતો હતો અને અવારનવાર બંને વચ્ચે ખટરાગ થતો રહેતો હતો. આ નારાજગી જ અંતે લોહિયાળ હત્યામાં પરિણમી હતી. 'જમવાનું કેમ નથી બનાવ્યું?' કહી હથોડીના ઘા ઝીંકી દીધા31 જાન્યુઆરી 2023ના રોજ સાંજે આ વિવાદ વકર્યો હતો. આરોપી ચેતન ગુપ્તાએ શબ્બીરને જમવાનું બનાવવા માટે કહ્યું હતું, પરંતુ શબ્બીરે જમવાનું બનાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સાંભળી ચેતનનો પિત્તો ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ચેતને પહેલા શબ્બીરને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો અને ત્યારબાદ ઘરમાં રહેલી લોખંડની હથોડી વડે તેમના માથા અને કાનના ભાગે એક પછી એક ઘાતક પ્રહાર કર્યા હતા. ઈજાગ્રસ્ત શબ્બીરે 8 દિવસ સુધી ફરિયાદ ન કરીઆ કેસમાં સૌથી આશ્ચર્યજનક પાસું એ રહ્યું કે, ગંભીર રીતે ઘવાયેલા શબ્બીરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. તેઓ 8 ફેબ્રુઆરી સુધી ભાનમાં હતાં, પરંતુ હુમલો કરનાર વ્યક્તિ તેમના પરમ મિત્રનો દીકરો હોવાથી તેમણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. મિત્રના પુત્રનું ભવિષ્ય ન બગડે તે માટે તેમણે મૌન સેવ્યું હતું. જોકે, સારવાર દરમિયાન જખમ ઊંડા હોવાથી તેમનું મોત થયું હતું, જેના પગલે લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચેતનની ધરપકડ કરી હતી. સરકારી વકીલની ધારદાર દલીલો અને કોર્ટનો ચુકાદોકેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ વિશાલ ફળદૂએ દલીલો રજૂ કરી હતી. તેમણે મેડિકલ પુરાવા અને પંચોની જુબાની રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપીએ જાણીજોઈને શરીરના નાજુક ભાગો પર હથોડી જેવા જીવલેણ હથિયારથી હુમલો કર્યો હતો. દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી અદાલતે આ દલીલો ગ્રાહ્ય રાખી હતી અને નોંધ્યું હતું કે સમાજમાં આવા ગુનાઓ વધતા અટકાવવા કડક સજા જરૂરી છે. પરિણામે, સેસન્સ કોર્ટે આરોપી ચેતન ગુપ્તાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. AAP તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે. 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ: મનોજ સોરઠીયાપાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, AAP તમામ સીટો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની તૈયારીમાં છે અને 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 10 માર્ચથી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે ઉમેદવારોની પસંગદી માટે સ્ક્રૂટીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યાર બાદ 16થી 18 માર્ચ દરમિયાન પ્રદેશ સ્તરે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. '20 માર્ચ બાદ તમામ સીટો પર મજબૂત દાવેદારો ઉતારશે'મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ તેમજ સમર્થકોને પણ ભાગ લેવાની તક આપવામાં આવશે. જે લોકો ઉમેદવારી કરવા માગતા હોય તેમને જિલ્લા સ્તરે યોજાનારી સ્ક્રૂટીની પ્રક્રિયામાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને AAP રાજ્યમાં એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. 20 માર્ચ બાદ તમામ સીટો પર પાર્ટી પોતાના મજબૂત દાવેદારો ઉતારશે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાત પ્રવાસેતો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે રાત્રે લગભગ 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. બે દિવસના ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે યોજાનારી 'પરિવર્તન લાવો, ખેડૂત બચાવો' યાત્રાના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધિત કરશે અને ખેડૂતોના મુદ્દે અવાજ ઉઠાવશે. 9 માર્ચે સુરતમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાને ગામે ગામથી ખેડૂતોનું સમર્થન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ જનસભામાં ગુજરાતભરના ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપશે તેવી શક્યતા છે. આ ઉપરાંત 9 માર્ચે સુરત ખાતે કેજરીવાલની હાજરીમાં ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન પણ યોજાશે, જેમાં અંદાજે 20થી 25 હજાર જેટલા બૂથ લેવલના કાર્યકર્તાઓ ભાગ લેશે.
પોરબંદરમાં જુગાર પર પોલીસના 8 દરોડા:42 શખસ ઝડપાયા, ₹1.53 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર જિલ્લામાં પોલીસે ગેરકાયદે જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 8 જુદા જુદા સ્થળોએ દરોડા પાડી કુલ 42 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં એલ.સી.બી., બગવદર અને રાણાવાવ પોલીસનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન પોલીસે ₹1,53,600/- થી વધુનો રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સોમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. એલ.સી.બી. દ્વારા બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલખડા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી નાથા શીંગરખીયા, જયેશનાથ ગૌસ્વામી, કરશન શીંગરખીયા, માલદે પાંડાવદરા, ગોવિંદ સાદીયા અને રાજશી કરગઠીયા સહિત છ લોકોને ₹41,950/- ની રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોરબંદરના ખાપટ નજીક મારુતિ મીલ પાસે જાહેરમાં જુગાર રમતા 4 પુરુષો અને ગીતાબેન, રીટાબેન, મયુરીબેન સહિત 5 મહિલાઓ મળી કુલ 9 વ્યક્તિઓ ₹23,750/- ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. અન્ય કાર્યવાહીમાં, સાતવાવ વાડી વિસ્તારમાં ઝાડ નીચે લાઈટના અજવાળે જુગાર રમતા રમેશ ગોઢાણીયા, રામા ઓડેદરા અને ભરત ઓડેદરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. કુણવદર ગામમાં ભોજેશ્વર તળાવ પાસે બાવળની કાંટમાં જુગાર રમતા રણમલ કારાવદરા સહિત 5 શખ્સો પણ ઝડપાયા હતા. અમરદળ ગામમાં ચામુંડા માતાજીના મંદિર પાસે હિતેશ ગોહેલ અને ખોડા મકવાણા સહિત 5 શખ્સોને ₹16,350/- ની રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. રાણા ખીરસરા, આદિતપરા અને આદિત્યાણા જેવા અન્ય સ્થળોએ પણ પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે આ તમામ કિસ્સાઓમાં જુગારધારાની કલમ 12 હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમેરિકા-ઈઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે. ભારત સીધી રીતે ભલે યુદ્ધમાં સામેલ નથી, પરંતુ દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે. આજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 60નો વધારો થયા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ભાવ વધારાને લઈ ગૃહિણીઓ કહી રહી છે કે, જો યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો લોઅર-મિડલ ક્લાસને તેની ખૂબ ગંભીર અસર પડશે. ગૃહિણીઓનું માનવું છે કે, હાલમાં માત્ર ગેસ સિલિન્ડરોના ભાવ વધ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધશે તો તમામ ચીજ-વસ્તુઓ મોંઘી થશે. ગેસના ભાવ વધતા તેઓના આ મહિનાનું બજેટ ખોરવાઈ જશે અને બાળકોની જમવાથી લઈને અન્ય ખુશીઓ મારવી પડશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:મહિલાઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું
હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નારી શક્તિની ઉજવણીની સાથે કેડી હોસ્પિટલ સિટી સેન્ટરના સહયોગથી મહિલાઓને આરોગ્ય વિષયક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, ડૉ. શ્રુતિબેન દ્વારા મહિલાઓને સર્વાઇકલ કેન્સર, સ્તન સંબંધિત રોગો, મેનોપોઝ, હાઈ બ્લડ પ્રેશર અને અન્ય સ્ત્રી આરોગ્ય સંબંધિત મુદ્દાઓ પર મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમમાં આશરે 30 થી 35 મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે, હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન પરીખનું ડૉ. શ્રુતિબેન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, મેમનગર સિનિયર સિટીઝન ગ્રુપના ભાવનાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ મહિલાઓએ સાથે મળીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી અને નારી શક્તિના મહત્વને વધુ ઉજાગર કર્યું.
રાજકોટની હરિવંદના કોલેજ દ્વારા અનોખો મિલેટસ ફૂડ કાર્નિવલ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ છે કે નહીં તે ઘરે બેઠા કઈ રીતે જાણી શકાય તે માટેનો ફૂડ એડલ્ટ્રેશન ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિદ્યાર્થીઓએ મિલેટમાંથી નિર્મિત 50 વાનગીઓ બનાવી હતી તો દૂધ, બટર, પનીર, ટોમેટો કેચઅપ, મરી મસાલા અને ઇન્સ્ટન્ટ રીફ્રેશમેન્ટ ડ્રીંક જેવી રોજબરોજના ઉપયોગમાં આવતી 25 વાનગીઓમાં કઈ રીતે ભેળસેળ થાય છે તે વૈજ્ઞાનીક પ્રયોગો થકી ચકાસી બતાવવામાં આવ્યુ હતુ. લોકો ઘરે બેઠા પણ આ ચકાસણી કરી શકે છે ત્યારે ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રાજકોટ લોકસભા સાંસદ રૂપાલાએ મિલેટસ ફૂડ કાર્નિવલ સૌ માતાઓ અને બહેનો સહિતના મુલાકાત લે તેવી અપીલ કરવામાં આવી હતી. રાજકોટ લોકસભાના સાંસદ પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, શહેરની હરિવંદના કોલેજમાં મિલેટ્સ 2026 નો પ્રારંભ થયો છે. અહીં મિલેટ્સની તમામ વસ્તુઓ હોમ મેઇડ છે. અહીં 50 થી વધુ વાનગીઓ રાખવામાં આવી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને ઘરેલુ નુસખાથી કઈ રીતે ઓળખી શકાય તેનો ડેમો પણ બતાવવામાં આવેલો છે. વિદ્યાર્થી બહેનો દ્વારા કયા પદાર્થમાં ભેળસેળ છે કે નહીં ? તે ખૂબ જ સરળ ભાષામાં બતાવવામાં આવી રહ્યું છે. જેથી રસોડા સાથે કામ કરતી માતા અને બહેનોએ આ મેળાની મુલાકાત અચૂક લેવી જોઈએ. હરીવંદના કોલેજનું જનરલ મેનેજમેન્ટ સંભાળતા સાગર પટેલે જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા મિલેટ કાર્નિવલ 2026 માં વિદ્યાર્થીઓ દ્વારા 50થી વધુ વાનગીઓ મિલેટમાંથી બનાવેલી છે. જેમાં જુવાર, બાજરી અને મોરૈયોમાંથી પાણીપુરી, સેન્ડવિચ, બ્રાઉની, ફ્રેન્કી અને નૂડલ્સ બનાવવામાં આવ્યા છે. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ વાનગીઓ માત્ર રૂ.5 ના ટોકનદરે લોકોને ટેસ્ટ કરાવવામાં આવી રહી છે. માઇક્રોબાયોલોજીના અધ્યાપક ડૉ. કલ્પના રાખોલીયાએ જણાવ્યું હતું કે, મીલેટમાં ન્યુટ્રીશન અને ફાઇબર હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. ફૂડમાં ભેળસેળ છે કે નહીં તે લોકો ઘરે બેઠા કઈ રીતે તપાસી શકે તે માટે અહીં ડેમો રાખવામાં આવેલો છે. 25 વસ્તુઓ રાખેલી છે અને 5 પ્રેક્ટિકલ ડેમો રાખવામાં આવેલો છે. જેનાથી પબ્લિકમાં જાગૃતિ આવે છે. જેમાં ઘી, દૂધ, તેલ, માખણ, પનીર, જીરું અને હળદરમાં ભેળસેળ છે કે નહીં તે લોકો ચકાસી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાકભાજી લીલુંછમ દેખાય તે માટે મેલેચાટ ગ્રીન, રોડામાન ડાઈનો છંટકાવ કરે છે. જેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો કેન્સર જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે. આ ઉપરાંત બ્રેડ, મેગી અને મેયોનિઝ ન આરોગવું જોઈએ કારણકે તે પેટમાં પચવા માટે ખૂબ જ મૂશ્કેલ હોય છે. જેથી રાજકોટ સહિત ગુજરાતના લોકોએ આ ડેમો નિહાળવો જોઈએ. આ ઉપરાંત અહીં સાયન્સની તમામ વિદ્યાર્થિનીઓ દ્વારા અહીં અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ છે કે નહીં તેનો ડેમો બતાવવામાં આવી રહ્યો છે. આ રીતે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે વિદ્યાર્થિની તુલસી આડતિયાએ જણાવ્યું હતું કે, મિલેટસથી બનાવવામાં આવેલ તમામ વાનગીઓ રાખવામાં આવી છે જેમાં કેક, રોટલા અને પાણીપુરી ચીજ વસ્તુઓ જે મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી છે તે અહીં રાખવામાં આવેલી છે. આ ઉપરાંત મરી મસાલા, તેલ, મેયોનિઝ, ટામેટા કેચઅપ સહિતમાં કઈ રીતે ભેળસેળ થાય છે તે અહીં બતાવવામાં આવે છે.
સુરતમાં સત્સંગ સભાનું આયોજન:ટેન્શનમુક્તિ માટે મેડિટેશન જરૂરી, મેડિસિન નહીં: પ્રેમવત્સલદાસજી
6માર્ચના રોજ સુરતના કતારગામ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર, અમદાવાદના સંતો દ્વારા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અને કીર્તન ભક્તિ કરવામાં આવી હતી. સત્સંગસભામાં પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રેરક પ્રવચન આપ્યા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં ટેન્શનથી મુક્ત થવા માટે મેડિસિન નહીં, પરંતુ મેડિટેશન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે ઘણા લોકો દુઃખ અને ટેન્શનને ભૂલવા માટે ઊંઘની ગોળીઓ લે છે, છતાં તેમને ઊંઘ આવતી નથી. પરંતુ દુઃખમાંથી મુક્ત થવા માટે ગોળીઓની નહીં, ભગવાનનું ધ્યાન કરવાની જરૂર છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે મેડિસિન નહીં, મેડિટેશન આવશ્યક છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું કે, સૌ કોઈએ ભગવાનનું ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણા ઋષિમુનિઓ અને સંતોએ ધ્યાન દ્વારા જ શાશ્વત સુખ પ્રાપ્ત કર્યું છે. ટેન્શનમાંથી મુક્ત થવા માટે નિત્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ અને દરેક ક્રિયામાં ભગવાનને કર્તા બનાવવા જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, સફળતા અને સંપત્તિ મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે, પરંતુ ક્રિયા કર્યા પછી તેની ચિંતા ભગવાનને સોંપી દેવી જોઈએ. ભગવાન જે ફળ આપે તેને સ્વીકારી લેવાથી કોઈ પ્રકારનું ટેન્શન કે ચિંતા રહેતી નથી. શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી પણ રાત્રે મોડે સુધી ધ્યાન કરતા હતા, તેમના જીવનમાંથી પ્રેરણા લઈને નિત્ય ધ્યાન કરવાની ટેવ પાડવી જોઈએ.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોહના ગામ નજીક શનિવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કાવચાલી ભવઠાણ ફળીયા રોડ પર એક પીકઅપ ટેમ્પો આશરે 100 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. આ ઘટનામાં ટેમ્પોના ચાલક અને ક્લીનરનો બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, GJ-15-AV-1801 નંબરનો પીકઅપ ટેમ્પો મોહના તરફથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે ટેમ્પો રોડ પરથી નીચે ખીણમાં પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી વાહનમાં ફસાયેલા ચાલક અને ક્લીનરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં બંનેને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ધરમપુર પોલીસ મથકે આ અકસ્માત અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નોંધ કરવામાં આવી નથી. હવે જુઓ અકસ્માતની તસવીરો…
મહેસાણાના કુકસ રૂપાલ મુકામે આવેલી મજૂર અદાલતમાં છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. અદાલતના પાણીના બોરની મોટર અત્યંત જૂની હોવાથી વારંવાર બંધ થઈ જતી હતી, જે હવે સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા અરજદારો, વકીલો અને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોર્ટ સંકુલમાં પાણી માટે હાહાકાર, મોટર બિલકુલ બંધ હાલતમાં મજૂર અદાલતના જજ એમ.એમ. અગ્રવાલ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી. તારીખ 4 નવેમ્બર 2024ના રોજ જજ દ્વારા લેખિતમાં પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં તંત્ર દ્વારા માત્ર ટેમ્પરરી રિપેરિંગ અથવા મહિનામાં એકાદ પાણીનું ટેન્કર મોકલીને સંતોષ માની લેવામાં આવે છે. 2025ની દિવાળીથી અત્યાર સુધી મોટર બિલકુલ બંધ હાલતમાં છે. જેના કારણે કોર્ટ સંકુલમાં પાણી માટે હાહાકાર મચ્યો છે. વૃક્ષો સુકાયા અને પશુ-પક્ષીઓ તરસ્યાપાણીના અભાવે માત્ર માણસો જ નહીં. પરંતુ કોર્ટ સંકુલમાં ઉગાડવામાં આવેલા અનેક ઘટાદાર વૃક્ષો પણ સુકાવા લાગ્યા છે. મજૂર અદાલત અને ઉપર આવેલી ટ્રિબ્યુનલના અંદાજે 20થી વધુ કર્મચારીઓ તેમજ અહીં ન્યાયની આશાએ આવતા ગરીબ મજૂરો અને પક્ષકારોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડે છે. શૌચાલય અને અન્ય જીવનજરૂરી કામો માટે પણ પાણી ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ અત્યંત દયનીય બની છે. ‘છેલ્લા 6-8 મહિનાથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છે’આ બાબતે એડવોકેટ વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં મજૂરો અને કંપની માલિકો ન્યાય માટે આવે છે. પરંતુ પાયાની સુવિધા ગણાતા પાણી માટે પણ વલખાં મારવા પડે છે. અમે છેલ્લા 6-8 મહિનાથી રજૂઆતો કરી રહ્યા છીએ. PWD વિભાગને વારંવાર લખવા છતાં પરિણામ શૂન્ય છે. જો ન્યાયતંત્રના પત્રની પણ તંત્ર અવગણના કરતું હોય તો સામાન્ય જનતાની હાલત શું હશે તે વિચારી શકાય છે.સ્થાનિકો અને વકીલ મંડળની માંગ છે કે સરકાર આ મામલે તાત્કાલિક દખલગીરી કરી માર્ગ અને મકાન વિભાગ સામે કડક કાર્યવાહી કરે અને નવી મોટર નાખીને કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા પૂરી પાડે.
રાહી ફાઉન્ડેશન દ્વારા રાજપુર-ગોમતીપુરની હીરાલાલની ચાલી ખાતે 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ ફાઉન્ડેશનનો 217મો ખીચડી વિતરણ પ્રોજેક્ટ હતો. આ કાર્યક્રમમાં બાળકો અને મહિલાઓ સહિત 800થી વધુ શ્રમજીવી પરિવારોએ ભોજનનો લાભ લીધો હતો. વિતરણ મહાકાળી મંદિર નજીક, હીરાલાલની ચાલી, રાજપુર-ગોમતીપુર વિસ્તારમાં યોજાયું હતું. આ કાર્યક્રમના આયોજનમાં રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશને તેમના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન રાહી ફાઉન્ડેશનના સભ્યો જયેશ પરીખ, સ્નેહા શાહ, મહેન્દ્ર પટેલ, ભદ્રેશ પટેલ, જગદીશ પીલુચિયા, વિજય દલાલ, સૌમ્ય દલાલ, કિરીટભાઈ, કુબેરભાઈ અને વિક્રમભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
પંચમહાલ: પુત્રને બચાવતા પિતાની હત્યા:આડા સંબંધની શંકાએ થયેલા ઝઘડામાં 3 આરોપી ઝડપાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયાવી ગામે આડા સંબંધની શંકાને કારણે થયેલા ઝઘડામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં શહેરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગત 1 માર્ચના રોજ પાડોશીઓ વચ્ચે આડા સંબંધની શંકાને લઈ વિવાદ થયો હતો. આ વિવાદ ઉગ્ર બનતાં મારામારીમાં પરિણમ્યો, જેમાં 63 વર્ષીય અમરસિંહ રતનભાઈ ડાભીનું મોત થયું હતું. આરોપીઓ પુત્ર પર હુમલો કરી રહ્યા હતા ત્યારે અમરસિંહ ડાભી તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ સમયે હુમલાખોરોએ અમરસિંહના માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ઢળી પડ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા અમરસિંહને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને વડોદરા લઈ જવાયા, જ્યાં ટૂંકી સારવાર બાદ 5 માર્ચે તેમનું નિધન થયું. અમરસિંહના મોત બાદ શહેરા પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા નટુ વજાભાઈ ડાભી, હિંમત ડાભી અને વિનોદ ડાભી એમ ત્રણ આરોપીઓની આજરોજ અટકાયત કરી છે. પોલીસે ત્રણેય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા તેના સ્થાપક સ્વ. સૂર્યકાન્ત શાહની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમાર્થ એ જ સાચી ભક્તિ ના તેમના જીવનમંત્રને અનુસરીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત અંબે ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અનેક સામાજિક અને માનવતાવાદી કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. આ કાર્યો દ્વારા સ્વ. સૂર્યકાન્ત શાહને સાચા અર્થમાં કાર્યાંજલિ આપવામાં આવી હતી. અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (CBSE) હરણી ખાતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આમંત્રિત કરી શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સહભાગી કરાયા હતા. તેમને પ્રોત્સાહિત કરવા માટે શૈક્ષણિક વાર્તાની કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. શ્રી અંબે વિદ્યાલય (વાઘોડિયા રોડ) ની ટીમે 'શ્રી જલારામ પ્રજ્ઞાચક્ષુ પ્રગતિ મંડળ' (SJPPM) ની મુલાકાત લીધી હતી. ત્યાં વરિષ્ઠ નાગરિકોને સન્માનપૂર્વક ભોજન પીરસી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, અંબે સ્કૂલ (માંજલપુર) ના GSEB અને CBSE વિભાગ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલ (S.S.G.) ખાતે દર્દીઓ અને તેમના પરિજનોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર ગ્રુપની વિવિધ શાળાઓ દ્વારા કુલ ૨૦૦૦ થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને અન્નદાન કરવામાં આવ્યું હતું. નાના બાળકોના વિકાસ માટે ડ્રોઈંગ કીટ અને ફ્લેવર્ડ મિલ્કનું વિતરણ પણ કરાયું હતું. એક્શનશીટ કાર્ડ મેકિંગ અને ક્રાફ્ટ મેકિંગ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વ. સૂર્યકાન્ત શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના સહ-સ્થાપક ભારતીબહેન શાહ, ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશા શાહ, મિત્તલબહેન શાહ તેમજ વિવિધ શાળાઓના આચાર્યઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સ્વ. સૂર્યકાન્ત શાહને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમના શિક્ષણ તથા સમાજ સેવાના વારસાને આગળ ધપાવવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. આ સેવાકીય કાર્યક્રમો દ્વારા નવી પેઢીના વિદ્યાર્થીઓમાં કરુણા, સેવા અને માનવતાના સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું હતું.
નરોડા સ્થિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ એન્ડ સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ અને ગુજરાત ગવર્નમેન્ટ હાયર એજ્યુકેશન (KCG) ના સંયુક્ત ઉપક્રમે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 49 વિદ્યાર્થીઓએ તાલીમ પૂર્ણ કરી હતી. આ તાલીમ વર્ગ 11 ફેબ્રુઆરી, 2026 થી 07 માર્ચ, 2026 દરમિયાન કાર્યરત હતો. એચ. કુમાર ઇન્સ્ટિટ્યૂટના નીના જૈન અને જીનલ પટેલે વિદ્યાર્થીઓને 20 દિવસ સુધી સોફ્ટ સ્કીલ અને ફાઉન્ડેશન કોર્સની તાલીમ આપી હતી. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં કોર્પોરેટ સેક્ટરમાં જરૂરી એવી કોમ્યુનિકેશન સ્કીલ, પ્રેઝન્ટેશન સ્કીલ, સોફ્ટ સ્કીલ અને મેનેજમેન્ટ સ્કીલ જેવી કુશળતા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની કાર્યક્ષમતામાં વધારો કરી તેમને સરળતાથી રોજગારી મેળવવામાં મદદ કરવાનો હતો. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન પ્રો. આર.જી. નિરસતા અને ભાવનાબેન પ્રજાપતિએ કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. મુકેશભાઈ પ્રજાપતિએ હાજર રહી વિદ્યાર્થીઓને તાલીમના મહત્વ વિશે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે અન્ય અધ્યાપકગણ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મહુવા તાલુકાની કુંભણ કન્યા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ સર સી.વી. રામન દ્વારા 'રામન ઈફેક્ટ'ની શોધને બિરદાવવા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાના હેતુથી યોજાયો હતો. આ વર્ષે કાર્યક્રમનો વિષય (Theme) 'Science Meets Society' (વિજ્ઞાન અને સમાજનો સમન્વય) રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા થઈ હતી અને તેનું ઉદ્ઘાટન આચાર્ય રેખાબેન મકવાણાએ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક વિષયો પર ૫૦ થી વધુ મોડેલ્સ અને જીવંત પ્રયોગો રજૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં અનેક પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાર્થીઓએ સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો પર પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા, જેમાં ગામની પાણીની અછત, અનાજ વિતરણ એટીએમ, ટપક સિંચાઈ પદ્ધતિ, વોટર ફિલ્ટરેશન અને ટોલગેટ મોડેલનો સમાવેશ થાય છે. કૃષિ અને પર્યાવરણ વિભાગમાં વનસ્પતિના વિકાસ પર સંગીતની અસર, પવનચક્કી, પ્રદૂષણની અસરો અને ઔષધીય વનસ્પતિઓનું મહત્વ દર્શાવવામાં આવ્યું હતું. ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં રૉકેટ લોન્ચિંગ, ચંદ્રયાન-૩, ભૂકંપ એલાર્મ, ઇલેક્ટ્રિક સીડી, અને પ્લાસ્ટિક તથા લાકડા કટર ગ્રાઈન્ડર મશીન જેવા મોડેલ્સ રજૂ કરાયા હતા. આરોગ્ય અને જીવવિજ્ઞાનમાં માનવ મગજની સંરચના, કૃત્રિમ લોહી, મચ્છરોના પ્રકાર અને તેનાથી થતા રોગો, વનસ્પતિ અને પ્રાણી કોષ, તેમજ રસોડાના મસાલાનું સ્વાસ્થ્યમાં મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સૂક્ષ્મજીવ વિજ્ઞાનમાં ગંગા નદીના જળમાં જોવા મળતા 'બેક્ટેરિયોફેજ' વાયરસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. રસાયણ વિજ્ઞાનમાં એસિડ-બેઇઝ ઇન્ડિકેટર્સ દ્વારા પદાર્થની પરખ અને વિવિધ મિશ્રણોના અલગીકરણની પદ્ધતિઓનું નિદર્શન કરાયું હતું. ભૌતિક વિજ્ઞાનમાં પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું સાત રંગોમાં વિભાજન, હોલોગ્રામ અને ડેડ સી પાછળનું વિજ્ઞાન દર્શાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ અવકાશ વિજ્ઞાન સંબંધિત પ્રયોગોનું પણ સચોટ માર્ગદર્શન અને જીવંત નિદર્શન આપ્યું હતું. શાળાના વિજ્ઞાન શિક્ષક જયભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ અને જાણીતા વકીલ નલિનભાઈ ડી. પટેલનું અવસાન થતા વકીલ આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનું નિધન થયું હતું. ગુજરાત બાર કાઉન્સિલમાં પણ ઉમેદવારી કરી હતીએડવોકેટ નલિન પટેલ વડોદરા બાર કાઉન્સિલના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ ગતરોજ યોજાયેલી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સભ્ય પદ માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા, જોકે આ ચૂંટણીની મતગણતરી હજુ બાકી છે. તેઓના અચાનક નિધનના પગલે વડોદરાના ધારાશાસ્ત્રીઓ ઘેરા શોકમાં ગરક થઈ ગયા છે. લાંબા સમયથી બીમાર હતાનલિનભાઈ ડી. પટેલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. વડોદરા વકીલ મંડળના પૂર્વ પ્રમુખ તરીકે તેમણે કાનૂની ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. નલિનભાઈ પટેલના અવસાનથી કાનૂની જગતમાં એક ખોટ પડી હોવાનું વકીલ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે. ધારાશાસ્ત્રીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીનલિન પટેલના અવસાનના સમાચાર મળતા જ વકીલ વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક વકીલો અને કાનૂની ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.
ગુજરાત ATSએ નશાકારક દવાઓની હેરફેર કરતા એક આરોપીની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી એર કાર્ગો મારફતે નશાકારક દવાઓ વિદેશ મોકલતો હતો. ખાસ કરીને થાઇલેન્ડ અને મલેશિયા જેવા દેશોમાં આ દવાઓની સપ્લાય કરવામાં આવતી હતી. ATSની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપી દવાના જથ્થા અંગે ખોટી માહિતી દર્શાવીને પાર્સલ મોકલતો હતો. બિલમાં અન્ય સામાન તરીકે માહિતી દર્શાવવામાં આવતી હતી. જેથી તપાસ એજન્સીઓને ગેરમાર્ગે દોરી શકાય. એર કાર્ગો દ્વારા મોકલાતા પાર્સલમાં નશાકારક દવાઓ છુપાવીને વિદેશ મોકલવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ATSને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ હાથ કરતા સમગ્ર કૌભાડ સામે આવ્યું છે. હાલમાં આરોપીની પૂછપરછ ચાલુ છે અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ પણ ATS દ્વારા કરવામાં આવી રહી છે.
8 માર્ચ, 2026એ દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ICC T20 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ત્યારે અમદાવાદમાં જબરદસ્ત ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે અને અમદાવાદ ‘ભારત’ બનવા તૈયાર છે. ફાઇનલ પહેલાં ભારત અને ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમો અમદાવાદ પહોંચી ગઈ છે. હોટલમાં ટીમોનું જોરદાર સ્વાગત કરાયું છે તો કેટલાક ક્રિકેટરો રાત્રે કેફેમાં જઈ અમદાવાદી ફીલ લઈ રંગમાં આવી ગયા છે. આફતને અવસરમાં ફેરવવા માટે જાણીતા ગુજરાતીઓ પોતાના ઘરઆંગણે આવેલા આ અવસરને કેવી રીતે ચૂકી જાય. ત્યારે ગુજ્જુઓએ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં ક્રિકેટ ફીવરની સાથે કમાણીનું ગજબનું માઇન્ડ ચલાવ્યું છે. મોદી સ્ટેડિયમ બહાર ટી-શર્ટ, ટોપી વેચાઈ રહી છે, તો આસપાસના કોમ્પ્લેક્સોની દુકાનોમાં નાના-નાના લોકર રૂમ ખુલી ગયા છે, જ્યાં સ્ટેડિયમની પ્રતિબંધિત ચીજ વસ્તુઓને સાચવી કમાણી થઈ રહી છે. તો આસપાસના ઘરોમાં પણ લોકર રૂમ અને રહેવાની વ્યવસ્થા કરાઈ કમાણી કરાઈ રહી છે. બહાર ટીશર્ટ-ટોપીનું ધૂમ વેચાણસ્ટેડિયમની બહાર હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી તેમ જ રોહિત શર્મા વગેરેની નંબરવાળી ટીશર્ટો વેચાઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે પણ મેચ હોય છે ત્યારે ભારત અથવા તો અન્ય ટીમની ટીશર્ટો અને ટોપીનું ખૂબ મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ટીશર્ટનો ભાવ 200થી 300 રૂપિયા સુધીનો છે જ્યારે ટોપીનો ભાવ 100થી 150 રૂપિયા છે. ભારતીય ટીમની ટીશર્ટ અને ટોપીનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે બહારના રાજ્યોમાંથી કેટલાક લોકો આવી અને ટોપી અને ટીશર્ટનું વેચાણ કરી રહ્યા છે. ‘આસપાસના લોકો સામાન મુકવાના પૈસા લે છે’મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેગ, પાણીની બોટલ, ખાવાની ચીજવસ્તુઓ, પાવર બેંક, ચાર્જર અને ઇલેક્ટ્રોનિક આઈટમ સહિતની કેટલીક ચીજ વસ્તુઓ લઈ જવા ઉપર પ્રતિબંધ હોય છે ત્યારે લોકો પોતાની સાથે બેગ અને કેટલીક ચીજવસ્તુઓ લઈને આવતા હોય છે જે બહાર સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ દ્વારા મુકાવી દેવામાં આવે છે. જેના કારણે આસપાસના લોકો પોતાના ઘરમાં બેગ મુકવા માટે 50થી 100 રૂપિયા સુધીનો ચાર્જ લે છે. આસપાસના કોમ્પલેક્સમાં દુકાનો લોકર રૂમમાં પરિવર્તિતસ્થાનિક વિસ્તારમાં કિર્તીધામ વસાહત, ચામુંડાનગરના ઘરો અને સ્ટેડિયમની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનોમાં લોકો પોતાની વસ્તુઓ મૂકતા હોય છે. મેચ દરમિયાન પ્રતિબંધિત ચીજ વસ્તુઓ જે લોકો લઈને આવતા હોય છે તે લોકોને આ જગ્યા ઉપર પોતાની વસ્તુઓ મુકતા હોવાના કારણે સ્થાનિક લોકોને પણ ખૂબ મોટી આવક થાય છે. અંદાજિત 50થી 100 જેટલી બેગો લોકો મૂકીને જતા હોય છે જેના કારણે તેમને પણ દિવસમાં ખૂબ મોટી આવક થઈ જતી હોય છે. વહેલી સવારથી જ ટિકિટ લેવા લોકો પહોંચ્યાભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલે ફાઇનલ છે, પણ મોદી સ્ટેડિયમની બહાર માહોલ આજથી જ જામી ગયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા લોકો વહેલી સવારથી જ પહોંચી ગયા છે. બુકમાય શો પરથી ઓનલાઇન ટિકિટ મળી રહી નથી. છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન ટિકિટ બંધ હોવાના કારણે અનેક ક્રિકેટ રસીકોમાં રોષ અને નિરાશા જોવા મળી રહી છે. મેચ જોવા માટે ક્રિકેટ રસીકો ખૂબ જ ઉત્સાહમાં છે અને આજે 7 માર્ચથી સવારથી જ સ્ટેડિયમ પર ટિકિટ લેવા માટે લોકો પહોંચ્યા છે, પરંતુ ટિકિટ મળી રહી નથી. ‘ફાઇનલ જોવાની ઈચ્છા બહુ જ છે, પણ ટિકિટ મળતી નથી’નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ટિકિટ લેવા માટે આવેલા પ્રણવ શર્મા નામના ક્રિકેટ રસીકે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ T20ની ફાઇનલ ભારતમાં અને એમાં પણ અમદાવાદમાં યોજવાની છે ત્યારે મેચ જોવા માટેનો ખૂબ જ ઉત્સાહ છે. ક્યારે વર્લ્ડ કપની ફાઇનલ જોવા મળશે એ ખબર નહીં, પરંતુ આ ફાઇનલ મેચ જોવા માટે ખૂબ જ ઉત્સાહ છે. જેની ટિકિટ લેવા માટે તેઓ છેલ્લા ત્રણ દિવસથી ઓનલાઇન બુકમાય શોમાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ઓનલાઇન મળી રહી નથી માત્ર coming soon આવી રહ્યું છે. અન્ય રાજ્યમાંથી મેચ જોવા આવેલા લોકો મેચ જોવા ઉત્સુકરાજસ્થાનના બાડમેરથી મેચ જોવા માટે આવેલા હરપાલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે મેં વર્લ્ડ કપ ફાઇનલની ટિકિટ સૌથી પહેલા બુક કરાવી લીધી હતી. જેથી ટિકિટ બુક થઈ ગઈ અને ભારત ફાઇનલમાં પહોંચ્યું છે જેથી મેચ જોવા માટેનો ખૂબ જ ઉત્સાહ છે. રાંચીથી પરિવાર આવ્યો પણ ટિકિટ મળી નહીંમહેન્દ્રસિંહ ધોનીના ઝારખંડના રાંચીથી પરિવાર અમદાવાદ ફરવા આવ્યો હતો અને તેમણેે આવતીકાલે મેચ જોવી છે જેથી ટિકિટ લેવા માટે અને સ્ટેડિયમ જોવા આવ્યા હતા. જોકે તેમને ટિકિટ મળી નથી, પરંતુ તેઓ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. રાચીના શ્રેયાંસે જણાવ્યું હતું કે મેચ જોવા માટે ઉત્સાહિત છું. અભિષેક શર્મા ખૂબ જ સારું રમી શકે છે, અત્યાર સુધી સારું નથી રમ્યા પણ ફાઇનલ મેચમાં રમશે એવી આશા છે. ગઇકાલે ભારતીય ટીમ અમદાવાદ પહોંચીT20 વર્લ્ડ કપની ફાઈનલ રમવા બંને ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. જેમાં ભારતની ટીમ ગઇકાલે સાંજે અમદાવાદ પહોંચી હતી. 6 માર્ચે અમદાવાદ એરપોર્ટ પર ટીમના તમામ ખેલાડીઓ અને સ્ટાફનું ઉત્સાહી ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પરથી ટીમ સીધી હોટેલમાં રવાના થઈ હતી. ભારતીય ખેલાડીઓને બાંઘણીનો દુપટ્ટો અપાયોસિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટેલમાં ભારતીય ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ઢોલ-નગારા અને ગરબા સાથે ટીમને આવકારમાં આવી હતી. તમામ ભારતીય ખેલાડીઓને બાંઘણીનો દુપટ્ટો અને તિલક કરાયું હતું. ખેલાડીઓના રૂમમાં હોટેલ દ્વારા ફ્રુટ્સ અને મીઠાઈ સાથે ખાસ પ્રકારનો મેસેજ લખીને લેટર મુકવામાં આવ્યો હતો. અભિષેક, અર્શદીપ અને ઈશાન કેફેમાં જોવા મળ્યાઈન્ડિયન ટીમના અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ, ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા કોમો બાય કેફેમાં મોડી રાતે જોવા મળ્યા હતાં. આમ અમદાવાદમાં આજથી જ જબરદસ્ત ક્રિકેટ ફીવર જામ્યો છે.
હિંમતનગરના સર્કિટ હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુજલામ શક્તિ દિવસ નિમિત્તે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના અંતર્ગત મહિલાઓને ચેક વિતરણ કરવા માટે હતો. સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભાનાબેન બારૈયા આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શોભાનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'નલ સે જલ' અભિયાનને સફળ બનાવવાનો શ્રેય ગ્રામીણ માતા-બહેનોને જાય છે. તેમણે ઉમેર્યું કે પાણી સમિતિ દ્વારા ગામના જળ વ્યવસ્થાપનની જવાબદારી ઉપાડીને મહિલાઓએ સાબિત કર્યું છે કે તેઓ ગામના વિકાસના પાયાના પ્રશ્નો ઉકેલવામાં સક્ષમ છે. જળ સંચય એ આવતીકાલની સુરક્ષા છે, અને આ ક્ષેત્રે મહિલાઓનું નેતૃત્વ પ્રશંસનીય છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગામોની મહિલા પાણી સમિતિઓને તેમની કામગીરીના પ્રોત્સાહન રૂપે મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાની કુલ 19 ગામોની પાણી સમિતિઓને રૂ. 9,50,000 ના ચેક આપવામાં આવ્યા હતા. દરેક ગામની પાણી સમિતિને રૂ. 50,000નો ચેક મળ્યો હતો. આ પ્રસંગે મહિલા પાણી સમિતિના સભ્યોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. સુજલામ શક્તિ દિવસ અંતર્ગત 'જળ મહોત્સવ અભિયાન - ગાવ કા ઉત્સવ - દેશ કા મહોત્સવ' નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા જળ અને સ્વચ્છતા એકમો (WASMO) ના યુનિટ મેનેજર તૃષાબેન પટેલ, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર શિરીનબેન વિજાપુરા, WASMO ના કર્મચારીગણ અને વિવિધ ગામોની મહિલા પાણી સમિતિના સભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત શહેરના જાહેર આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત સકારાત્મક અને મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળી છે. સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) હોસ્પિટલમાં લાંબા સમયના અંતરાલ બાદ ઓડિયોલોજી (શ્રવણ શક્તિની તપાસ) સેવાઓ ફરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા કાર્યરત થતા સાંભળવાની તકલીફ ધરાવતા હજારો દર્દીઓને હવે ઘરઆંગણે નિષ્ણાત માર્ગદર્શન મળી રહેશે. દર્દીઓની લાંબા સમયની પ્રતિક્ષાનો આવ્યો અંતવર્ષોથી સુરતની મુખ્ય સરકારી હોસ્પિટલો જેવી કે સિવિલ અને સ્મીમેરમાં સુવ્યવસ્થિત ઓડિયોલોજી વિભાગનો અભાવ હતો. આ કારણે આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓને સાંભળવાની તપાસ કે હિયરિંગ એડ માટે ખાનગી સેન્ટરો પર નિર્ભર રહેવું પડતું હતું. જોકે, હવે આ સેવા શરૂ થવાથી ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોને મોટી રાહત મળી છે. 02 માર્ચથી ક્લિનિકલ ટ્રાયલ શરૂ02 માર્ચ 2026 થી SMIMER હોસ્પિટલમાં ક્લિનિકલ સેવાઓ અને પ્રારંભિક ટ્રાયલ તબક્કો સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યો છે. આ વિભાગમાં ક્વોલિફાઇડ ઓડિયોલોજી નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવશે. હાલમાં અહીં સાંભળવાની ક્ષમતાની તપાસ, પ્રોફેશનલ કન્સલ્ટેશન અને યોગ્ય માર્ગદર્શનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કયા કયા દર્દીઓને થશે સીધો ફાયદો?આ સેવાનો લાભ જેમને સાંભળવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓ, કાન સંબંધિત ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકો, દિવ્યાંગતા ઓળખ માટે 'હિયરિંગ ડિસેબિલિટી સર્ટિફિકેટ' મેળવવા ઈચ્છતા નાગરિકો, નવજાત શિશુઓ કે બાળકોમાં શ્રવણ શક્તિની ચકાસણી માટેના દર્દીઓ લઈ શકશે સેવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્યઆ પહેલ સંપૂર્ણપણે સમાજ કેન્દ્રિત અને સ્વૈચ્છિક સેવાના ભાવથી શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય હેતુ સરકારી આરોગ્ય તંત્ર પર નિર્ભર સામાન્ય નાગરિકોને કોઈપણ અડચણ વગર આધુનિક હિયરિંગ હેલ્થકેર પૂરી પાડવાનો છે. સુરત શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ માટે પણ આ કેન્દ્ર આશીર્વાદરૂપ સાબિત થશે.
જૂનાગઢના કેશોદ તાલુકાના અજાબ ગામમાં આજે વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતાં. સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી 'ડીઝલની તંગી'ની અફવાને કારણે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જેના પરિણામે અજાબના પેટ્રોલ પંપ પર લગભગ એક કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો લાગી હતી. જેમાં ખાસ કરીને ટ્રેક્ટર, રિક્ષા અને અન્ય ખેતીવાડીના વાહનોની સંખ્યા વધુ જોવા મળી હતી. અફવાથી અરાજકતા, ખેડૂતોએ બેરલ લઈને ડિઝલ લેવા લાઈન લગાવીસ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાછલા કેટલાક કલાકોથી એવી વાતો વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે અથવા તેના ભાવમાં તોતિંગ વધારો થશે. આ અફવાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને લોકો પોતપોતાના વાહનો લઈને પંપ પર દોડી આવ્યા હતા. ઘણા ખેડૂતો તો પીપડા (બેરલ) લઈને પણ ડીઝલનો સંગ્રહ કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા હતા, જેના કારણે સામાન્ય વ્યવહાર ખોરવાયો હતો. સરપંચ અને પેટ્રોલ પંપ માલિકની જનજાગૃતિ અપીલપરિસ્થિતિની ગંભીરતાને જોતા અજાબ ગામના સરપંચ મગનભાઈ અધેરા અને 'રામ પેટ્રોલિયમ'ના માલિક ખીમભાઈ કરશનભાઈ રામ તાત્કાલિક હરકતમાં આવ્યા હતાં. તેમણે લોકોને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા નમ્ર વિનંતી કરી છે. 'અમારી પાસે પૂરતો સ્ટોક છે અને પુરવઠો ચાલુ રહેશે'પેટ્રોલ પંપ માલિક ખીમભાઈ રામે જણાવ્યું હતું કે, અત્યારે મીડિયા અને સોશિયલ મીડિયામાં જે વાતો વહેતી થઈ છે કે ડીઝલ મળશે નહીં, તે માત્ર અફવા છે. અમારી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો સતત ચાલુ રહેવાનો છે. મોટા પ્રમાણમાં ડીઝલ કે પેટ્રોલનો સંગ્રહ કરવો અત્યંત જોખમીસરપંચ મગનભાઈએ કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પર્યાપ્ત છે. પેનિક બાયિંગ સમસ્યાનો ઉકેલ નથીહાલમાં ખેતીની મોસમ ચાલતી હોવાથી ખેડૂતોમાં ડીઝલને લઈને ચિંતા હોવી સ્વાભાવિક છે, પરંતુ પેનિક બાયિંગ (ગભરાટમાં આવીને ખરીદી કરવી) એ સમસ્યાનો ઉકેલ નથી, બલ્કે તે નવી સમસ્યાઓ ઉભી કરે છે. જ્યારે દરેક વ્યક્તિ જરૂરિયાત કરતા વધુ સંગ્રહ કરવા લાગે છે ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. 'માત્ર જરૂર પૂરતું જ ડીઝલ ખરીદો, અફવાથી દૂર રહો'જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસર સાથે વાત કરતા તેને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હાલ જુનાગઢ જિલ્લામાં પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે કોઈએ ખોટી રીતે સંગ્રહ ન કરવો. સરકાર અને કંપનીઓ પાસે ઈંધણનો પૂરતો સ્ટોક છે. વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર આવતા બિનસત્તાવાર મેસેજ પર વિશ્વાસ ના કરો. પેટ્રોલિયમ પદાર્થો જ્વલનશીલ હોવાથી તેનો ગેરકાયદે સંગ્રહ કરવો ગુનો અને જોખમ બંને છે. બીજા ગ્રાહકોને તકલીફ ન પડે તે રીતે માત્ર જરૂર પૂરતું જ ડીઝલ ખરીદો. પેટ્રોલિયમ પેદાશોનો સપ્લાય યથાવતઅત્યારે અજાબના પેટ્રોલ પંપ પર પોલીસ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી, પેટ્રોલિયમ પેદાશોનો સપ્લાય યથાવત છે અને રહેશે.
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ (દિશા) કમિટીની સમીક્ષા બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ ચકાસવાનો અને વિકાસકાર્યોની ગતિની સમીક્ષા કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, તમામ યોજનાઓનો વાસ્તવિક લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરળતાથી પહોંચવો જોઈએ. ગુણવત્તા અને સમયમર્યાદા બાબતે કડક વલણકેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ઝીણવટભરી વિગતો મેળવી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે, પ્રગતિ હેઠળના તમામ કામો ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવા જોઈએ અને તે નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ થવા જોઈએ. આ બાબતે તેમણે કડક સૂચના આપતા જણાવ્યું હતું કે, જે એજન્સીઓ કામ પૂરું કરવામાં નિષ્ફળ જશે અથવા વિલંબ કરશે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીના સ્તરને વધુ મજબૂત બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. વિવિધ વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા બેઠક દરમિયાન ગ્રામિણ અને શહેરી વિકાસને સ્પર્શતી અનેક યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ગ્રામિણ રોજગાર યોજના અને દીનદયાલ અંત્યોદય યોજના (NRLM), રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અને દીનદયાલ ઉપાધ્યાય ગ્રામિણ કૌશલ્ય યોજના (DDU-GKY), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, રેલવે વિભાગ અને BSNL ની સેવાઓનો સમાવેશ થાય છે. મંત્રીએ આ તમામ વિભાગોના અધિકારીઓ સાથે સીધો સંવાદ કરી પડતર પ્રશ્નોના નિકાલ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને રચનાત્મક સૂચનોઆ મહત્વપૂર્ણ બેઠકમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, અગ્રણી દિગ્વિજયસિંહ ગોહિલ, કુમારભાઈ શાહ તેમજ સિહોર નગરપાલિકાના પ્રમુખ જાગૃતિબેન ઉપસ્થિત રહ્યા હતા. આ લોકપ્રતિનિધિઓએ જિલ્લાના વિકાસને વેગ આપવા માટે અને પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ માટે અનેક રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી.ગોવાણી, ડેપ્યુટી કમિશનર જે.કે.રાવલ અને ઈ.ચા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અક્ષરભાઈ વ્યાસ સહિતના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે મુસાફરી કરતા લોકો માટે રાહતના સમાચાર છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સતત વધતી માંગ અને સુવિધાને પ્રાધાન્ય આપીને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22961/22962 માં હવે મુસાફરોને બેઠક વ્યવસ્થા માટે વધુ જગ્યા મળી રહેશે. 16 ના બદલે 20 કોચ સાથે દોડશે ટ્રેનસામાન્ય રીતે 16 કોચ સાથે દોડતી આ હાઈ-સ્પીડ ટ્રેનમાં રેલવે તંત્ર દ્વારા 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 9 માર્ચ થી 31 માર્ચ 2026 સુધી આ ટ્રેન હવે 20 કોચના રેક સાથે પાટા પર દોડતી જોવા મળશે. હોળી અને વેકેશનના માહોલને જોતા આ નિર્ણયથી વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થશે અને વધુ લોકો આ પ્રીમિયમ ટ્રેનનો લાભ લઈ શકશે. ઓનલાઇન વિગતો ઉપલબ્ધપશ્ચિમ રેલવેએ સ્પષ્ટતા કરી છે કે આ સુધારો હંગામી ધોરણે મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે કરવામાં આવ્યો છે. ટ્રેનના સ્ટોપેજ, સમયપત્રક અને કોચની આંતરિક રચના વિશે વધુ માહિતી મેળવવા માંગતા મુસાફરો ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. આ વધારાના કોચ લાગુ થવાથી બિઝનેસ ક્લાસ અને ચેર કાર બંને શ્રેણીના મુસાફરોને ફાયદો થશે.
પર્યાવરણ જતનના ક્ષેત્રમાં ગુજરાત હવે એક ડગલું આગળ વધી રહ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ડાવસ ગામમાં એક ઐતિહાસિક પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આશરે 13 એકર જેટલા વિશાળ વિસ્તારમાં 3.5 કરોડના ખર્ચે રાજ્યની પ્રથમ અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરવામાં આવશે. આ નર્સરી માત્ર રોપા ઉછેરનું કેન્દ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે પર્યાવરણ સંરક્ષણનું એક પ્રેરણાદાયી મોડેલ સાબિત થશે. વાર્ષિક 10 લાખ રોપાઓનું થશે ઉત્પાદનઆ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યાધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા, રોગમુક્ત અને મજબૂત છોડ તૈયાર કરવાનો છે. આ હાઇટેક નર્સરીની ક્ષમતા વાર્ષિક 10 લાખથી વધુ રોપાઓ ઉત્પન્ન કરવાની રહેશે. પ્રતિકૂળ આબોહવામાં પણ છોડનો સુરક્ષિત વિકાસ થઈ શકે તે માટે અહીં મીસ્ટ ચેમ્બર, જર્મિનેશન ચેમ્બર, પોલી હાઉસ અને નેટ હાઉસ જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. લુપ્ત થતી વનસ્પતિઓનું સંવર્ધન અને ‘સોઇલ-લેસ’ ટેકનોલોજીગુજરાતની એવી વનસ્પતિ પ્રજાતિઓ જે લુપ્ત થવાના આરે છે, તેમના સંરક્ષણ માટે આ નર્સરી આશીર્વાદરૂપ બનશે. અહીં ‘સોઇલ-લેસ મીડિયા’ એટલે કે માટી વગરના આધુનિક માધ્યમનો ઉપયોગ કરીને છોડ ઉછેરવામાં આવશે. આ ટેકનિકથી છોડનો વિકાસ અત્યંત ઝડપી અને સ્વાસ્થ્યપ્રદ બને છે, જે વનીકરણના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. સીડ બેંક અને સીડ પ્રોસેસિંગ યુનિટઆ પ્રોજેક્ટની સૌથી મહત્વની કડી તેની સીડ બેંક છે. દુર્લભ અને મૂલ્યવાન બીજને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી સજ્જ સીડ બેંક અને પ્રોસેસિંગ એરિયા વિકસાવવામાં આવશે. આ ઉપરાંત, નર્સરીમાં જ વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે, જે છોડના કુદરતી વિકાસમાં પૂરક બનશે. વનીકરણને વધુ અસરકારક બનાવવા માટે અહીં ‘ઊંચી હાઇટ વાળા વૃક્ષો’ તૈયાર કરવાની ખાસ પદ્ધતિ પર ભાર મૂકવામાં આવશે. ખેડૂતો અને વિદ્યાર્થીઓ માટે ઇન્ફોર્મેશન સેન્ટરમાત્ર વનસ્પતિ ઉછેર જ નહીં, પરંતુ જનજાગૃતિ માટે પણ આ કેન્દ્ર મહત્વની ભૂમિકા ભજવશે. અહીં એક ‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’ કાર્યરત કરવામાં આવશે. આ સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને આધુનિક કૃષિ ટેકનોલોજી, વનીકરણ અને કુદરતી સંરક્ષણ અંગે જરૂરી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવામાં આવશે. ગુજરાત રાજ્ય વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગ બનાસકાંઠા દ્વારા નિર્મિત આ હાઇટેક નર્સરી ભવિષ્યમાં રાજ્યના ગ્રીન કવરને વધારવા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં પાયાનો પથ્થર સાબિત થશે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શાળાઓ આસપાસ તમાકુનું વેચાણ બંધ કરાવવાને લઈ એક પરિપત્ર કરાતા વિવાદ સર્જાયો છે. શાળા આસપાસ તમાકું વેચાણ ઝડપાશે તો આચાર્યની જવાબદારી નક્કી કરતા શિક્ષકોમાં રોષ ફેલાયો છે. જો પરિપત્ર રદ ન કરાય તો 4000 શિક્ષકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. DDOએ પરિપત્ર કરી શાળાના આચાર્ય અને સરપંચની જવાબદારી નક્કી કરીરાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા કેમ્પસની આજુબાજુની દુકાનોમાં જ્યારે સિગારેટ કે તમાકુની બનાવટનું વેચાણ થતુ હોય ત્યારે આવી દુકાનો ઉપર ગ્રામજનો, યુવાનો અને વયસ્કો ધુમ્રપાન અને તમાકુનું સેવન કરતા હોય છે. જેથી વિદ્યાર્થીઓને આવા દ્રશ્યો ખૂબ સરળતાથી જોવા મળે છે તેમજ ક્યારેક ક્યારેક વિદ્યાર્થીઓના વડીલો દ્વારા પણ તમાકુ ઉત્પાદનો ખરીદવા માટે વિદ્યાર્થીઓને કહેવામાં આવતું હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓના માનસ ઉપર તેની નકારત્મક અસર થાય છે અને નાની ઉંમરના વિદ્યાર્થીઓને તમાકુના ઉત્પાદનનું સેવન કરવા માટે દુત્પ્રેરણા મળે છે જે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાથ્ય ઉપર પણ નકારત્મક અસર આપે છે. વિદ્યાર્થીઓમાં થતી આ પ્રકારની નકારાત્મક અસરો નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા COTPA-2003નું અમલીકરણ કરવામાં આવે છે. COTPA-2003 (CIGARETTES AND OTHER TOBACCO PRODUCTS ACT) ની કલમ 6 (એ) અંતર્ગત 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુના વેચાણ તેમજ ખરીદ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમજ આ અધિનિયમની કલમ-6 (બી) મુજબની કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ પ્રકારના તમાકુની બનાવટનું વેચાણ કરવુ કાનૂની ગુન્હો બને છે. આ અધિનિયમની કલમ-4 અન્વયે અધિનિયમના ઉલ્લંઘન સામે દંડ લાદવા અને દંડને એકત્રીત કરવા માટે શાળાના આચાર્યો તથા શિક્ષકોને અધિકૃત કરવામાં આવેલ છે. આ અધિનિયમ અન્વયે રાજકોટ જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત આવતી તમામ શાળાઓના આચાર્યોએ શાળાની 100 મિટરની ત્રિજ્યામાં તમાકુ વેચાણ પ્રતિબંધિત કરવા COTPA-2003 અંતર્ગત કાર્યવાહી કરવાની રહેશે તથા વેચાણકર્તા સામે આ અધિનિયમની જોગવાઈ અન્વયે દંડાત્મક કાર્યવાહી કરવાની રહેશે.વધુમાં તમામ ગ્રામ પંચાયતો અંતર્ગત આવતી તમામ શાળાઓની આસપાસ તમાકુના ઉત્પાદનો વેચતી દુકાનો કાર્યરત ન રહે તે આચર્યો અને સરપંચો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. આ બાબતે શાળાઓની આકસ્મિક મુલાકાત દરમિયાન આવી કોઈ બાબત ધ્યાને આવશે તો જે તે શાળાના મુખ્ય શિક્ષક/આચાર્ય તેમજ સરપંચ સામે કાર્યવાહી કરવામાં આવશે. શાળાની 100 મીટરની ત્રિજયામાં તમાકુનું વેચાણથતું હશે તો આચાર્ય જવાબદારરાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કિરીટસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે શાળાની આસપાસની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો તેના માટે જવાબદાર આચાર્ય રહેશે. જેથી અમારો સવાલ એ છે કે અમારે બાળકોને ભણાવવાના કે દંડ ઉઘરાવવાનો?. પોલીસનું કામ અમારે કરવાનું. જેને લીધે ગ્રામજનો સાથે સંઘર્ષ ઉભો થયો છે. જેથી અમારી જિલ્લા વિકાસ અધિકારીને વિનંતી છે કે અમને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. પંચાયત વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે તેવી માંગણી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, SIRની કામગીરી ખૂબ જ જટિલ હતી તેમ છતાં પણ શિક્ષકોએ ખંતથી આ કામગીરી કરી. આ અગાઉ શ્વાન ગણવાની કામગીરી પણ સોંપવામાં આવી હતી આ રીતે નવા નવા પરિપત્રો કરીને શિક્ષકોને હેરાન કરવામાં આવે છે. જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવતો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું યુનિયન જે આદેશ કરશે તે પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. 4000 શિક્ષકો આ યુનિયન સાથે જોડાયેલા છે. હવે વસ્તી ગણતરી અને ચૂંટણીની કામગીરી આવશે તો નવી નવી કામગીરીઓ સોંપી અને શિક્ષકોને હેરાન કરવામાં આવે છે અને તેની અસર વિદ્યાર્થીઓ ઉપર પડે છે. એક મહિના પહેલા શ્વાનની ગણતરીનો પરિપત્ર કરાતા વિવાદ થયો હતો એક મહિના પહેલા શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી માટે આદેશ કરાતા વિવાદ થયો છે. શિક્ષણ નિયામકે પરિપત્ર કરી શિક્ષકોને કૂતરા ગણવાની જવાબદારી સોંપાતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો. ગુજરાતમાં શિક્ષકોને શિક્ષણ સિવાયની સોંપાતી કામગીરીના કારણે શિક્ષણ પર અસર થતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે. તેની વચ્ચે જ હવે રખડતા કૂતરાની ગણતરીના થયેલા આદેશથી નવો વિવાદ છેડાયો હતો.વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી.
મોરબી તાલુકાના આંદરણા ગામની સરકારી શાળામાં એક શિક્ષક વિદ્યાર્થીઓને નશાની હાલતમાં ભણાવતો ઝડપાયો છે. આ ઘટનામાં ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી. મોરબી તાલુકા પોલીસે શિક્ષક રાજુભાઈ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના મોરબી-હળવદ હાઈવે પર આવેલા આંદરણા ગામની સરકારી શાળામાં બની હતી. શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેઓ નશાની હાલતમાં હોવાની જાણ ગામના નિવૃત્ત આર્મીમેન અનિલભાઈ અને મહિલા સરપંચના પતિ નીતેશભાઈ ચાવડાને થઈ હતી. માહિતી મળતા જ અનિલભાઈ અને નીતેશભાઈ તાત્કાલિક શાળાએ પહોંચ્યા હતા. તપાસ દરમિયાન, શિક્ષક રાજુભાઈ પરમાર ક્લાસરૂમમાં હાજર ન હતા, પરંતુ ક્લાસરૂમમાંથી એક પ્લાસ્ટિક બેગમાંથી દારૂની અડધી ભરેલી બોટલ અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરેલું મળી આવ્યું હતું. ત્યારબાદ અનિલભાઈ અને નીતેશભાઈએ શાળાના જુદા જુદા રૂમમાં રાજુભાઈ પરમારને શોધ્યા, જ્યાં તેઓ ઓફિસમાંથી નશાની હાલતમાં મળી આવ્યા હતા. આ ગંભીર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે રાજુભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
દક્ષિણ ગુજરાતના રાજકારણમાં પોસ્ટર યુદ્ધ તેજ બન્યું છે. નવસારીના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના વ્યંગાત્મક કાર્ટૂન વાયરલ થયાના બે દિવસ બાદ હવે વલસાડ-ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલ વિરુદ્ધ પણ 'જુઠ્ઠલાલ' તરીકેના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઘટનાથી રાજકીય ગરમાવો આવ્યો છે અને ભાજપ-કોંગ્રેસના સમર્થકો સામસામે આક્રમક બન્યા છે. સાંસદ પર ત્રણ મુદ્દે આક્ષેપ કરાયાસાંસદ ધવલ પટેલ પર મુખ્યત્વે ત્રણ મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે. વાંસદામાં સાયન્સ કોલેજ લાવવાનો ખોટો શ્રેય લેવા, વલસાડમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટનામાં મૌન રહેવા અને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ પોતે અટકાવ્યો હોવાની ભ્રામક માહિતી આપવા બદલ તેમને નિશાન બનાવવામાં આવ્યા છે. પોસ્ટરોમાં ખાસ કરીને પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ અંગે સાંસદ ખોટી માહિતી આપી રહ્યા હોવાનો ઉલ્લેખ છે, જેના કારણે તેમને 'જુઠ્ઠલાલ' તરીકે સંબોધવામાં આવ્યા છે. આ મુદ્દો સૌથી વધુ વિવાદનું કેન્દ્ર બન્યો છે. બે દિવસ અગાઉ અનંત પટેલના કાર્ટૂન વાયરલ થયા હતાનોંધનીય છે કે, બે દિવસ અગાઉ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પણ કાર્ટૂન વાયરલ થયા હતા. આ કાર્ટૂન્સમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાઓ પર કટાક્ષ કરતા તેમને 'મુંગેરીલાલ' તરીકે દર્શાવવામાં આવ્યા હતા. તેમાં તેમની સફર વલસાડના સાંસદથી શરૂ કરી અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીની બતાવી વ્યંગ કરવામાં આવ્યો હતો. 'ડિજિટલ વોર' ઉગ્ર બનવાની શક્યતાદક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતૃત્વને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો સક્રિય છે. એકબીજાના નેતાઓને નીચા બતાવવા માટે શરૂ થયેલું આ 'ડિજિટલ વોર' આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે, અને હાલમાં આ મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખુલ્લા ખાદ્યપદાર્થમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. પરંતુ, હવે તો વડોદરામાં મેંગો જ્યુસના નાના ટેટ્રાપેકમાંથી જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. 3 વર્ષીય બાળકે જ્યુસ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પિતાએ હોસ્પિટલમાં જ ટેટ્રાપેક ખોલીને ચેક કરતા અડધા ઈંચ કરતા મોટું જીવડું મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાળકના પિતા દ્વારા આ મામલે કાર્યવાહીની માગ કરી છે. ટેટ્રાપેક પીધા બાદ 3 વર્ષીય બાળકની તબિયત લથડીબાળકના પિતા અરવિંદ પરમારે જણાવ્યું કે, ગઈકાલે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાની આસપાસ ટેટ્રાપેક લીધું હતું. જેની એક્સપાયરી તારીખ મે મહિનાની હતી. બાળકે થોડી પીધા તેણે ગ્લાસમાં કાઢવાનું કહ્યું હતું. બાદમાં ગ્લાસમાં કાઢતાં કાળા રંગનું પ્રવાહી અને બદબૂ આવી હતી. બાદમાં શંકા થતાં પરિવાર તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલમાં ટ્રેટાપેક ખોલતા મરેલું જીવડું નીકળ્યુંડોક્ટરોએ પેકિંગ તપાસવા કહ્યું તો તેમાં મોટું જીવડું મળી આવતા ડોક્ટર અને માતા પિતા ચોંકી ઊઠ્યા હતા. બાળકને કોઈ ઝેરીની અસરના ભયથી તાત્કાલિક આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ડોક્ટરોએ 48થી 72 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવાનું કહ્યું છે. બાળકે આખી બોટલ પી લીધી હોત તો પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હોત. આજે મારો દીકરો આ પરિસ્થિતિનો ભોગ બન્યો છે. બાળકને ઠંડુપીણું આપતી સમયે પારદર્શક બોટલ જ ખરીદો- પિતાબાળકના પિતાએ દિવ્ય ભાસ્કરના માધ્યમથી અન્ય વાલીઓને અપીલ કરી કે, બાળકોને ઠંડું પીણું આપતી વખતે બંધ બોટલને બદલે પારદર્શક બોટલ કે ગ્લાસમાં જ પીવડાવો જેથી અંદરનું સ્પષ્ટ દેખાય. જે આ વસ્તુ બનાવે છે તે કંપનીઓને પણ અપીલ કરી કે, એવા પીણાં પારદર્શક બનાવો કે અંદરથી આરપાર દેખાય અને એક્સપાયરી તારીખ ઓછામાં ઓછી રાખો – જેમ કે દૂધની 2-3 દિવસની હોય છે તેવી રીતે હોવું જોઈએ. આ બાબતે અરવિંદ પરમારે ગઈકાલે જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નિવેદન લીધું છે અને પેકેટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં મોકલવાનું કહ્યું છે.
હિંમતનગરમાં આજે શોભાયાત્રા નીકળી:અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવ પ્રારંભ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા શ્રી અંબિકા માતાજી મંદિરનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર મહોત્સવનો પ્રારંભ થયો છે. અંબિકા માઈ મંડળ દ્વારા સંચાલિત આ મહોત્સવના પ્રથમ દિવસે પૂજન-અર્ચન અને વિધિ-વિધાન સાથે ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા હતા. આ પ્રસંગે મંદિરેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે અને કળશ સાથે નીકળેલી આ શોભાયાત્રામાં ભગવાનની મૂર્તિઓને પૂજન-અર્ચન બાદ સામેલ કરવામાં આવી હતી. શોભાયાત્રા પોલીસ હેડક્વાર્ટરના વિવિધ વિસ્તારોમાં ફરીને પરત મંદિરે પહોંચી હતી, જેમાં સ્થાનિકો અને પોલીસકર્મીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બીજી તરફ, મંદિરમાં સ્નપન વિધિ માટે ઔષધીય પાણી ભરેલા ઘડાઓને રંગોળીમાં ગોઠવવામાં આવ્યા હતા. ભગવાનની મૂર્તિઓને આસોપાલવ પર બિરાજમાન કર્યા બાદ મંત્રોચ્ચાર સાથે ઔષધીય અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ, મૂર્તિઓને યજ્ઞમંડપમાં પ્રવેશ કરાવીને વિવિધ ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો હતો. આ મહોત્સવ અંતર્ગત શનિવારે સ્નપનપ્રયોગ અને સાંય પૂજન-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાવનકારી ત્રીજા દિવસે, એટલે કે રવિવારે, પ્રાતઃપૂજન, પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ અને મહાઆરતી થશે. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
ચુડા લેન્ડ ગ્રેબિંગ કેસનો ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગર SOGએ મોરબીમાંથી પકડી પાડ્યો
સુરેન્દ્રનગર SOGએ ચુડા પોલીસ સ્ટેશનના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી અરવિંદભાઈ મઘાભાઈ ધરજીયાને મોરબીમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘણા સમયથી ફરાર હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં શરીર સંબંધિત, મિલકત સંબંધિત અને અન્ય ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સૂચનાના અનુસંધાને, SOG સ્ટાફના PC ફુલદીપસિંહ સામતસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, ચુડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. 0292/2025 લેન્ડ ગ્રેબિંગ કલમ 4(1), 4(2), 4(3), 5(સી), 5(ઇ) મુજબના ગુનાનો પકડવાનો બાકી આરોપી અરવિંદભાઈ મઘાભાઈ ધરજીયા હાલ મોરબી તાલુકાના લાલપર ગામે એક મકાનમાં ભાડેથી રહે છે. આ ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી હાજર મળી આવ્યો હતો. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અરવિંદભાઈ મઘાભાઈ ધરજીયા, ઉંમર 25 વર્ષ, ધંધો પ્રા. નોકરી, રહે. વેજળકા તા. ચુડા જી. સુરેન્દ્રનગર અને હાલ રહે. લાલપર ગામે શંતકૃપા હોટલ પાસે (અનિલભાઈ અધારાના મકાનમાં ભાડેથી) તા. જી. મોરબી જણાવ્યું હતું. મજકુર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ અર્થે ચુડા પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, HC અમરભા કનુભા, PC કુલદીપસિંહ સામંતસિંહ ગોહિલ અને PC અશ્વિનભાઈ કરશનભાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
પોરબંદરમાં લંડન વિઝા અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે રૂ. 30.75 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે કમલાબાગ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના શહેરના છાયા હનુમાન મંદિર નજીક બની હતી. પોલીસ ફરિયાદ અનુસાર, દીપક લખમણભાઈ ઓડેદરાને આરોપી સોમિલ અશ્વિનભાઈ સોની અને પાર્થ સોનીએ 'પી.એસ. કન્સલ્ટન્ટ' નામની કંપની મારફતે લંડનનું વિઝા કરાવી આપવાની ખાતરી આપી હતી. આ માટે આરોપીઓએ જુદી જુદી તારીખે પૈસાની માંગણી કરી હતી. દીપકભાઈએ આરોપીઓના વિશ્વાસમાં આવીને કુલ રૂ. 30,75,500 ચૂકવ્યા હતા. આ રકમ રોનીત અશ્વિનભાઈ સોનીના ગુગલ પે એકાઉન્ટમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા, સાહેદ ભાવેશભાઈ બાપોદરાના હવાલા મારફતે અને અશ્વિનભાઈ સોનીને રોકડમાં આપવામાં આવી હતી. લાંબા સમય સુધી વિઝા ન મળતા દીપકભાઈએ આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે તેમને વિવિધ બહાના બતાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ વોટ્સએપ મેસેજ દ્વારા ગાળો આપી ધમકીઓ આપવાનું શરૂ કર્યું. ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપી અશ્વિનભાઈ સોનીએ ફોન પર દીપકભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનામાં આરોપીઓએ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચી લંડન વિઝા અપાવવાની ખોટી ખાતરી આપી મોટી રકમ પડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. કમલાબાગ પોલીસે સોમિલ અશ્વિનભાઈ સોની, પાર્થ સોની, અશ્વિનભાઈ સોની અને રોનીત અશ્વિનભાઈ સોની સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી આપવાના ગુનાઓ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આર્થિક લેવડદેવડ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શન અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટનાએ વિદેશ વિઝાના નામે થતી છેતરપિંડી અંગે લોકોમાં ચિંતા વધારી છે.
ભાવનગરના ઐતિહાસિક બોરતળાવમાં મનોરંજનના નામે શરૂ કરાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન છેલ્લા દોઠ-બે વર્ષ થી બંધ હાલતમાં છે. જેમાં આજથી બે વર્ષ પહેલાં ભાવનગરમાં પ્રવાસનને વેગ આપવા માટે કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના પ્રયાસોથી મંજૂર થયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઉદાસીનતાના કારણે કરોડોના ખર્ચે બનેલો આ ફુવારો છેલ્લા દોઢ-બે વર્ષથી બિનવારસી હાલતમાં સડી હોવાના ગંભીર આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. બે વર્ષ વિત્યા છતાં પ્રોજેક્ટ શરૂ ન થતા લોકોમાં રોષ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક બોરતળાવમાં ભાવનગરવાસીઓને મનોરંજન પૂરું પાડવાના હેતુથી કરોડોના ખર્ચે મુકાયેલો મ્યુઝિકલ ફાઉન્ટેન આજે તંત્રની ઘોર બેદરકારીનું પ્રતીક બની ગયો છે, બે વર્ષ વીતી જવા છતાં આ પ્રોજેક્ટ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ફુવારો હવે તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યો છેધારાસભ્ય અને પર્યટન વિભાગના મોટા દાવાઓ વચ્ચે રૂપિયા 1.91 કરોડનો આ ફુવારો હવે તળાવમાં બિનવારસી હાલતમાં સડી રહ્યો છે, ભાવનગરના કેબિનેટ કૃષિમંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણીના પ્રયાસોથી પર્યટન વિભાગ દ્વારા આ મ્યુઝિકલ ફાઉન્ટેન મંજૂર કરવામાં આવ્યો હતો. 26 પ્રકારના સંગીતના સૂર, રંગબેરંગી લાઈટ્સઆ ફુવારો આશરે 26 પ્રકારના સંગીતના સૂર, રંગબેરંગી લાઈટ્સ અને સંગીતના તાલે પાણીના નૃત્ય જેવો નજારો જોવા મળે તેમ ગોઠવવામાં આવ્યો હતો. આ ફુવારાથી બોરતળાવ ખાતે પ્રવાસનને વેગ મળે તેમજ મોટી સંખ્યામાં ફરવા આવતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને તે માટે કાર્યરત કરાયો હતો. ‘અમે નથી બનાવ્યો, ચાલુ કરીને આપો તો સંભાળશું’આ અંગે ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં મહાનગરપાલિકા હસ્તકનું બોરતળાવ છે જેમાં વર્ષો પહેલાના ફાઉન્ટેન નાખવામાં આવેલા છે એ ખરેખર ભાવનગર મહાનગરપાલિકાએ કામ કર્યું નથી. એ સંભાળવા માટે થઈને અમને લેટર આવ્યો છે અમે લેટરના જવાબમાં લખ્યું છે કે, ભાઈ આ ભાવનગર મહાનગરપાલિકાએ કામ કરેલું ન હોય તો એને રન કરીને અમને આપો તો મહાનગરપાલિકા આગામી દિવસોની અંદર ચલાવવા માટે થઈને એક વખત ચકાસણી કરશે અને ત્યાર પછી સંભાળવા માટેનો કદાચ યોગ્ય લાગશે તો નિર્ણય કરશું. જે તે વિભાગે જે તે વખતે નાખેલા છે એ વિભાગ દ્વારા જ આની સંપૂર્ણપણે માહિતી અને હકીકત આપી શકે, ભાવનગર મહાનગરપાલિકા હસ્તકનું બોરતળાવ છે. એની અંદર ફાઉન્ટેન જે છે એ ભાવનગર મહાનગરપાલિકાએ ઉભા નથી કરેલા. ‘બેંગ્લોર જેવા ફુવારાના નામે ગંદકી અને કાટ સિવાય કંઈ નથી’પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની અણઘડ નીતિ તો આખા ભાવનગરને ખબર છે, પણ એમાં ગુજરાત પ્રવાસન નિગમ ઉમેરાણું, મોટા-મોટા તાયફા કરી અને બોરતળાવની અંદર એક ફાઉન્ટેન કર્યો હતો અને એમ કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર જેવા અહીંયા ફુવારા થશે, લોકો જોવા આવશે, લોકો સંગીત સાંભળવા આવશે, પણ એ કે દી? એ નક્કી નહીં....? દોઢ વર્ષથી બોરતળાવની અંદર દોઢ કરોડના ખર્ચે ફાઉન્ટેન જે મેકાણો છે, એ ક્યારેક ચાલુ કરે, ટેસ્ટિંગ કરે, ગીત વાગે નહીં, સંગીત વાગે નહીં અને બંધ છે. તેને વધુમાં કહ્યું કે, ખરેખર ભાવનગરમાં જે ફરવાલાયક સ્થળ બોરતળાવ છે એને અત્યારે આ ફુવારો એ પાણી ગંદુ કરી રહ્યો હોય એવો મારો ચોક્કસ આક્ષેપ છે. ત્યાં તમે જોવો તો પક્ષીઓ ખૂબ ટહેલતા હોય તો એને પણ અડચણરૂપ છે, પાઈપ સડી ગયા છે. આજની તારીખે ફુવારો ચાલુ નથી, જો આ રીતે જ પ્રજા જે ટેક્સ આપે છે, એ ટેક્સના પૈસાનો છે, આ કઈ મામાના ઘરે તો આવતા નથી, ખરેખર પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ છે, વહેલી તકે ફુવારો ચાલુ કરો અથવા કમિશનરને હમણાં ટપાલ પણ લખી છે, આ બોરતળાવનું પાણી દૂષિત કરે છે, આ ફુવારો ત્યાંથી હટાવી દયો.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાર્ટી દ્વારા હાલ ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની વચ્ચે જ રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકીય નિવૃતિની જાહેરાત કરતા આશ્ચર્ય સર્જાયું છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડી આપમાં ગયા હતા અને ફરી ત્યાંથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતા. રાજકીય નિવૃતિ પાછળ કોઈ ચોક્કસ કારણ ન આપ્યુંઈન્દ્રનીલ રાજ્યગુરુએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાજિક પ્રસંગોમાં પણ નહિ અને રાજકીય પ્રસંગોમાં પણ હાજરી નહિ આપે. કોંગ્રેસ પક્ષને માનસિક કે આર્થિક મદદ જરૂર હશે ગમે ત્યારે તો કરીશ પરંતુ કોઈ જગ્યાએ મારી હાજરી કાર્યક્રમોમાં જોવા નહિ મળે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે રચેલી સાત કમિટીમાં સ્થાન ન અપાયુંઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા ગણાય છે. તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અલગ અલગ સાત કમિટીઓની રચના કરી હતી. જેમાં એક પણ કમિટીમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાન અપાયું નહોતું.
ITRA જામનગરમાં બે દિવસીય આયુર્વેદ ફૂડ એક્સપો શરૂ:૫૨ સ્ટોલ પર 150 વાનગીઓ, WHO GTMC ગેલેરી પણ
ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જામનગરની આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થા (ITRA) દ્વારા જામનગરની જનતા માટે “આયુરસવાદોત્સવ 2026” નામનો બે દિવસીય આયુર્વેદ આહાર-વાનગીને લગતો એક્સપો શરૂ કરવામાં આવ્યો છે. આજે ધન્વંતરિ મેદાન ખાતે ITRA સવાદોત્સવ એક્સપોનું ઉદ્ઘાટન પ્રણામી ધર્મની આચાર્ય પીઠ નવતનપુરી ધામના કૃષ્ણમણીજી મહારાજના વરદ્દ હસ્તે થયું હતું. આ પ્રસંગે ભારત સરકારના ચીફ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ, આરોગ્ય પરિવાર કલ્યાણના જસપાલ કૌર, ડૉ. જોગીન જોશી, ગુલાબકુંવરબા સોસાયટીના કીર્તિભાઈ ફોફરીયા અને WHO GTMC ના ટેકનિકલ ઑફિસર ડૉ. વિનયકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે ITRA ફાર્મસી શિક્ષણ વિભાગને 25 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદના સિધ્ધાંતોને આધારે વિવિધ પ્રકારના ખાનપાનના વ્યંજનોનો લાભ મેળવી શકાશે. સાથે જ ફાર્મસીના હાલના અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયુર્વેદ આધારિત ઉત્પાદિત હર્બલ અને કોસ્મેટિક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ પણ ઉપલબ્ધ છે. 30 હજાર ફૂટ જગ્યામાં વિશાળ એ.સી. ડોમ અને ૩૨ પેગોડા (તંબુ)માં યોજાનાર આ આયુર્વેદ એક્સપોમાં ૫૨ જેટલા સ્ટોલ છે. અહીં 150 પ્રકારની વિવિધ વાનગીઓ લોકોને સ્વાદ અને સ્વાસ્થ્યની દિવાનગી જગાવી રહી છે. લાઈવ ફૂડ આઈટમ, પેકેજ ફૂડ આઈટમ, સૂપ, સ્ટાર્ટર, આરોગ્યપ્રદ પીણાં, આયુર્વેદ રેસીપી, કોસ્મેટીક અને હેલ્થ પ્રોડક્ટ્સનો પણ એક અલગ વિભાગ છે, જેમાં ITRAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની ચીજવસ્તુઓનું વેચાણ પણ ઉપલબ્ધ છે. આ એક્સપો ભારત સરકારના વિવિધ પ્રકલ્પો જેવા કે વોકલ ફોર લોકલ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા, વિકાસ ભી વિરાસત ભી, હર ઘર સ્વદેશી અને સ્કીલ ઇન્ડિયાને અનુમોદન અને પીઠબળ સમાન સાબિત થશે. આ એક્સપોની મુલાકાત લેનાર સૌ કોઈને આયુર્વેદ આહાર વિહાર, ખાનપાન, સ્વસ્થ જીવનશૈલી, પ્રકૃતિ પરીક્ષણ અને શ્રમ પરીક્ષણ કરી આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન WHO GTMCની એક પ્રદર્શન ગેલેરી પણ તૈયાર કરવામાં આવી છે, જ્યાં મુલાકાતીઓને વૈશ્વિક કક્ષાએ પરંપરાગત ચિકિત્સાઓની માહિતી અને રોચક બાબતો વિશે WHO GTMC દ્વારા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. આ એક્સપોના સંયોજક તરીકે પ્રો. જોબન મોઢા જવાબદારી નિભાવી રહ્યા છે.
અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગાંધીનગર સ્ટેટ મોનિટિંગ સેલની ટીમ દ્વારા ડીઝલ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેના પડઘા પડતા પીઆઇની કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી છે, ત્યારે નવા આવેલા દાણીલીમડા પીઆઇ દ્વારા વિસ્તારમાંથી ડીઝલ ચોરી કરનાર એક આરોપીની ધરપકડ કરી છે. પાર્ક કરેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરી વેચવા જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને ચોરાયેલું ડીઝલ પણ કબજે કરવામાં આવ્યું છે. કન્ટેનર પાર્ક કરી સૂઈ ગયો ને તસ્કર ત્રાટક્યોમૂળ હરિયાણાના રહેવાસી અને ટ્રક ડ્રાઇવિંગનો ધંધો કરનાર ઇમરાન પઠાણ રાજસ્થાનના જયપુરના રહેવાસી આશિષભાઈનું ટાટા કંપનીનું કન્ટેનર વાહન ચલાવે છે. ત્રણ માર્ચના રોજ હરિયાણાથી ગાડી ભરી અને રાજસ્થાનના ભીલવાડા ખાતે ખાલી કરી હતી. જે બાદ ભીલવાડાથી અમદાવાદનું તેમને ભાડું મળતા તેઓ છ માર્ચના રોજ મોડી રાત્રે અમદાવાદના બહેરામપુરા પાસે આવ્યા હતાં. જ્યાં ક્રિશ્ચિયન કબ્રસ્તાન પાસે તેમનું કન્ટેનર પાર્ક કરવામાં આવ્યું હતું. કન્ટેનર પાર્ક કરી અને તેઓ રાત્રે કેબિનમાં જ સુઈ ગયા હતા. સવારે જોયું તો અડધી ટાંકી ખાલીવહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ તેઓ જાગ્યા હતા અને ગાડીની નીચે ઉતરીને જોતા બે ડીઝલની ટાંકી પૈકી એક ટાંકી જે ફૂલ ભરેલી હતી. તેનું લોક તૂટેલું હતું. જ્યારે તેમાં તપાસ કરતા અડધી ટાંકી ખાલી થયેલી જોવા મળી હતી. જેથી રાત્રિના સમયે કોઈ વ્યક્તિ દ્વારા ડીઝલની ચોરી કરી હતી. જેને લઈને તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચોરી કરેલું ડીઝલ વેચવા ગયો ને ઝડપાયોદાણીલીમડા પોલીસને બાતમી મળી હતી કે, ચોરી કરનાર આરોપી દાણીલીમડા વિસ્તારમાં જ રહે છે અને ચોરી કરેલું ડીઝલ ત્યાંથી લઈને વેચવા જઈ રહ્યો છે. જે બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાં ફૈસલપાર્કમાં રહેતો શોએબ પઠાણ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. 170 લીટર ડીઝલ જપ્તઆરોપી ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે અને તેણે આ ડીઝલ ચોરી લીધું હતું. ડીઝલ ચોરી કરવા જતો હતો તે દરમિયાનમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. હાલ દાણીલીમડા પોલીસે 170 લીટર ડીઝલ સાથે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર SOGએ ગેરકાયદેસર બંદૂક સાથે એક ઝડપ્યો:રાતીયાનેસ સીમમાંથી આરોપીની ધરપકડ, વધુ તપાસ ચાલુ
પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, આરોપી પાસેથી પાસ-પરમિટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે આ બંદૂક કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પકડાયેલ આરોપીની ઓળખ ફિરોઝ ઉર્ફે ગફાર કાળુભાઈ મોરી ડફેર (ઉ.વ. 38), રહે. જામટીબડી, તા. ઉપલેટા, જી. રાજકોટ અને હાલ રાતીયાસીમ, તા. જી. પોરબંદર તરીકે થઈ છે. માધવપુર પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી હાઇવે પર ચાલતી કારમાં આગ:ટીંબડી પાટિયા પાસે સ્વીફ્ટ કાર બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં
મોરબી-માળિયા હાઇવે પર ટીંબડી ગામના પાટિયા નજીક વહેલી સવારે એક સ્વીફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગના અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના વહેલી સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. GJ 36 AJ 2116 નંબરની સ્વીફ્ટ કાર મોરબી-માળિયા હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર તેમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓએ આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર ટીમ પહોંચે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારમાં આગ લાગતાની સાથે જ ચાલક નીચે ઉતરી ગયો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ફેસબુક પર કાર વેચાણના બહાને છેતરપિંડી:ભાવનગરનો આરોપી ઝડપાયો, ફરિયાદીના 81,854 પરત મળ્યા
તાપી જિલ્લા પોલીસે ઓનલાઈન છેતરપિંડી આચરતી ટોળકીઓ સામે કાર્યવાહી કરી છે. ઉચ્છલ પોલીસે ફેસબુક પર સસ્તી કાર વેચવાની લાલચ આપી રૂ. 81,854ની ઠગાઈ કરનાર ભાવનગરના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ફરિયાદીના પૂરેપૂરા નાણાં પરત મેળવવામાં સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, આરોપી ધર્મેશ સુરેશભાઈ ચુડાસમા (રહે. વાસીતળાવ, મહુવા, જિ. ભાવનગર) એ પોતાના ફેસબુક આઈડી 'dharmesh chudasama' પર અર્ટિગા કાર વેચાણ અંગેની જાહેરાત મૂકી હતી. ઉચ્છલના એક ફરિયાદીએ આ જાહેરાત જોઈને તેનો સંપર્ક કર્યો હતો. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગાડીના અવેજ પેટે અલગ-અલગ તબક્કે કુલ રૂ. 81,854/- ભરાવડાવ્યા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ ન તો ગાડી આપી કે ન તો રૂપિયા પરત કર્યા, અને છેતરપિંડી આચરી હતી. આ અંગે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4), 3(5) તથા આઈ.ટી. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ તપાસના આધારે આરોપી ધર્મેશ ચુડાસમાને ઝડપી પાડ્યો. પોલીસની કડક કાર્યવાહીના પરિણામે ફરિયાદીના છેતરપિંડીમાં ગયેલા તમામ રૂ. 81,854/- કબ્જે કરી પરત મેળવવામાં આવ્યા છે. તાપી પોલીસે નાગરિકોને સોશિયલ મીડિયા પર આવતી અજાણી જાહેરાતોથી સાવધ રહેવા અને કોઈ પણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરવા અપીલ કરી છે.
તાપી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો છે. વ્યારા અને ઉકાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં તે લાંબા સમયથી ફરાર હતો. પોલીસે તેને વ્યારાના નવા બસ સ્ટેન્ડ પાસેથી બાતમીના આધારે પકડ્યો હતો. પેરોલ ફર્લો સ્ક્વોડના PSI એન.એસ. વસાવા અને LCB તાપીની ટીમ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ASI આનંદભાઈ, ASI જયેશભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ભુરીવેલ ગામના (નાનુ ફળીયુ, તા. ઉકાઈ) 29 વર્ષીય અજય વિનોદભાઈ ગામીતને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ આરોપી અજય ગામીત નીચે મુજબના પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતો: 1. વ્યારા પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65E, 81, 98(2) મુજબનો ગુનો. 2. ઉકાઈ પોલીસ સ્ટેશન પાર્ટ C: પ્રોહિબિશન એક્ટ કલમ 65AE, 81, 83, 116(2) મુજબનો ગુનો. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1) મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપીને વધુ તપાસ માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી LCB PI ડી.એસ. ગોહિલ, PI એન.જી. પાંચાણી અને પેરોલ ફર્લો સ્ક્વોડના PI જે.બી. આહિરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તેમાં PSI એન.એસ. વસાવા સહિત ASI જગદીશભાઈ, આનંદભાઈ, જયેશભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ, રવિન્દ્રભાઈ અને રાહુલભાઈ જોડાયા હતા.
ગીર સોમનાથ જિલ્લાના આજોઠા ગામની શ્રી આજોઠા કન્યા પે સેન્ટર શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. વેરાવળના BRC કોર્ડિનેટર જયેશભાઈ સોલંકીના હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ધોરણ 6 થી 8 ના કુલ 105 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષયની 200 થી વધુ સર્જનાત્મક કૃતિઓ રજૂ કરી હતી. આ કૃતિઓમાં વૈજ્ઞાનિક વિચારશક્તિ, નવીનતા અને પ્રયોગાત્મક અભિગમ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમણે બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રદર્શનના અંતે, શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુરસ્કૃત કરાયા હતા. વિજ્ઞાન વિષયમાં પ્રિયાંશી શૈલેષભાઈ સોલંકી અને અનન્યા મનીષભાઈ ચાંડેગરાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. મૃદુલા મેણસીભાઈ સોલંકી દ્વિતીય અને હેત્વી રામભાઈ પંપાણિયા તૃતિય સ્થાને રહ્યા હતા. ગણિત વિષયમાં કાવ્યા જયેશભાઈ સોલંકી પ્રથમ, મહેક વિપુલભાઈ મેસવાણિયા દ્વિતીય અને શ્રદ્ધા મનસુખભાઈ ભજગોતર તૃતિય સ્થાને વિજેતા બન્યા હતા. સમગ્ર શાળા પરિવારે SMC સભ્યો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામ નજીક 11 KVનો વીજ વાયર તૂટી પડતા બે યુવાનોના મોત થયા છે. વહેલી સવારે બાઇક લઇને વાડીએ જતા પિતા-પુત્ર અને એક અન્ય યુવક પર પર વીજ વાયર પડતાં પિતાની નજર સામે જ પુત્ર અને અન્ય યુવકનું મોત થયું છે. બાઇક પર 11 KVનો વીજ વાયર પડ્યોમળતી માહિતી મુજબ, ઘાટવડ ગામના દાનસિંગભાઈ ઝાલા પોતાના પુત્ર લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમા સાથે બાઈક પર વાડી તરફ જઈ રહ્યા હતા. જામવાળા રોડ પર સવારે આશરે 9:30 વાગ્યે અચાનક 11 KVનો વીજ વાયર તૂટી પડ્યો અને સીધો બાઈક પર જ આવી પડ્યો હતો. વીજ પ્રવાહ લાગતા બંને યુવાનો ગંભીર રીતે દાઝી ગયા જ્યારે દાનસિંગભાઈ ઝાલા પણ ઇજાગ્રસ્ત બન્યા હતા. ગંભીરરીતે દાઝેલા યુવકોનો જીવ ન બચ્યોસ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કોડીનારની રાનાવાલા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે લાલાભાઈ દાનસિંગ ઝાલા અને રવિભાઈ ગોવિંદભાઈ ચુડાસમાને મૃત જાહેર કર્યા હતા. PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યાઘટનાની જાણ થતાં પોલીસ અને PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગામલોકો દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા અને મૃતકોના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી રહી છે. PGVCL સામે સ્થાનિકોમાં ભારે રોષઆ દુર્ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે PGVCL દ્વારા વીજ લાઈનોની જાળવણીમાં બેદરકારી રાખવામાં આવે છે. લાંબા સમયથી ઢીલા પડેલા કે જોખમી વાયર અંગે રજૂઆતો છતાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 'ઝુલતા વાયરોને હાથ અડાડો તો પણ અડી જાય'આ અંગે મુસ્લિમ અગ્રણી અબ્દુલ ચૌહાણે જણાવ્યું કે, કોઇ બાબતે સેફ્ટી જ નથી, ઘણીવાર વાયરમાં ધકાડા થતા હોય છે. આ ઘટનામાં બે લોકોના મોત થઇ ગયા છે અને એક ભાઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમારા વિસ્તારમાં સિંહ-દીપડા પણ માણસને ખાઇ જાય છે, અધિકારીઓ ઘડી-બે ઘડી આવીને આશ્વાસન આપીને જતા રહે છે. અમારા વિસ્તારમાં એટલા ઝુલતા વાયર છે કે હાથ અડાડો તો પણ અડી જાય.
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી વેરો ન ભરનારા મિલકતદારો માટે રાહતના સમાચાર આવ્યા છે. પાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત ઝડપી બનાવવા અને નાગરિકોને આર્થિક બોજમાંથી મુક્તિ આપવા માટે ખાસ વ્યાજ-પેનલ્ટી માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના આગામી 25 દિવસ સુધી એટલે કે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. અંદાજે રૂ. 32.35 કરોડનો માતબર વેરો બાકી મહેસાણા શહેરમાં રહેણાંક અને કોમર્શિયલ મળીને કુલ 16,715 મિલકતદારોનો અંદાજે રૂ. 32.35 કરોડ જેટલો માતબર વેરો બાકી છે. જેમાં 11,872 રહેણાંક મિલકતદારોના રૂ. 15.62 કરોડ અને 4,843 કોમર્શિયલ મિલકતદારોના રૂ. 16.73 કરોડનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે બિલ મળ્યાના 90 દિવસ બાદ વેરો ન ભરનાર મિલકતદારો પર 18 ટકા જેટલું ઊંચું વ્યાજ વસૂલવામાં આવતું હોય છે, જે વર્ષો જતાં એક મોટી રકમ બની જતી હોય છે. 31 માર્ચ સુધી વેરો ભરનારને વ્યાજ- પેનલ્ટી નહિ ભરવી પડેઆ નવી યોજના હેઠળ જો રહેણાંક મિલકતદારો 31 માર્ચ સુધીમાં પોતાનો તમામ બાકી વેરો ભરપાઈ કરે છે તો તેમને વ્યાજ અને પેનલ્ટીમાં 100 ટકા માફી આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ મિલકતદારો અને અંદાજે 10,500 જેટલા વ્યવસાય વેરો પ્રોફેશનલ ટેક્સ બાકી રાખનાર વેપારીઓને વ્યાજ-પેનલ્ટીમાં 50 ટકા સુધીની રાહત મળશે. આ યોજનાથી પાલિકાની આવક વધશેનોંધનીય છે કે, પાલિકા દ્વારા સમયસર વેરો ભરનારાઓને 10 ટકા રિબેટ આપવામાં આવે છે, પરંતુ જે મિલકતદારો મોટી રકમના વ્યાજને કારણે વેરો ભરી શકતા ન હતા તેમના માટે આ 25 દિવસની સુવર્ણ તક સાબિત થશે. મનપાની આ પહેલથી પાલિકાની તિજોરીમાં આવક વધશે અને શહેરીજનોને વ્યાજના ચક્રવૃદ્ધિ બોજમાંથી મુક્તિ મળશે.
અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત 2 હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા 15 હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે. જ્યારે લક્ઝુરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો 1.50 લાખ રૂપિયા જેવી અધધ કિંમતે બોલાઈ રહ્યાં છે. મેચના કલાકો જેમ નજીક આવશે તેમ આ ભાવમાં હજુ પણ તોતિંગ વધારો થવાની શક્યતા છે, જેના કારણે સામાન્ય ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, છતાં મેચ જોવાની ઘેલછામાં અનેક લોકો ઊંચા ભાવે પણ ટિકિટ ખરીદવા મજબૂર બન્યા છે. સંગ્રહ કરેલી ટિકિટના વેચાણ માટે કાળા બજારિયાઓ સક્રિયઅમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8 માર્ચે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ યોજાવવાની છે. અત્યારે ટિકિટ મળી રહી નથી, જેના કારણે કાળા બજારિયાઓ સક્રિય થયા છે. અગાઉથી સંગ્રહ કરીને મેળવેલી ટિકિટ અત્યારે બ્લેકમાં બજારમાં વેચવાની શરૂ થઈ ગઈ છે. એજન્ટનું કહેવું છે કે, જેમ-જેમ સમય નજીક આવશે, તેમ હજુ ભાવ વધશે. સોશિયલ મીડિયામાં બ્લેકમાં ટિકિટ વેચાય છેસ્ટેડિયમમાં જ્યારે-જ્યારે ફાઇનલની મેચ યોજાય છે, ત્યારે ક્રિકેટપ્રેમીઓ મેચ જોવા માટે અનેક પ્રયત્ન કરે છે, પરંતુ ટિકિટ મળતી નથી. કારણકે કાળા બજારિયાઓ પહેલેથી જ ટિકિટનો સંગ્રહ કરીને રાખે છે. રસપ્રદ મેચ હોય તેના 2-3 દિવસ અગાઉથી ટિકિટ વેચવાનું શરૂ કરી દે છે. મોટાભાગે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બ્લેકમાં ટિકિટ વેચાય છે. મૂળ ભાવના 6થી 10 ગણાદિવ્યભાસ્કરે બ્લેકમાં ટિકિટ વેચતા એજન્ટ સાથે વાતચીત કરી હતી, જેમાં ટિકિટના મૂળ ભાવના 6થી 10 ગણા વધારીને એજન્ટ કહ્યાં હતાં. રિપોર્ટર: HI, ટિકિટ મળશેરિપોર્ટર : કાલની મેચની ટિકિટ છે?એજન્ટ: હા છે રિપોર્ટર: કેટલા રૂપિયામાં અને કેટલી છે?એજન્ટ: લોવર - 18 હજારઅપર - 12 હજારસાઉથ પ્રીમિયમ - 36 હજારપ્રેસિડેન્ટ ગેલેરી - 1.50 લાખ રિપોર્ટર: ઓરિજિનલ ભાવ કેટલો અને તમે કેટલામાં આપશો?એજન્ટ: અપરના 12 હજાર અને લોવરના 18 હજાર રિપોર્ટર: ફોટો મોકલો એજન્ટે: 8 ટિકિટનો ફોટો મોકલ્યો રિપોર્ટર : 2 હજારની 12 હજારમાં?એજન્ટ: જે ભાવ છે એ ભાવ કહું છું,હું પણ બીજા પાસેથી લાવ્યો છું અન્ય કિસ્સોરિપોર્ટર: ટિકિટ કેટલામાં મળશે?એજન્ટ: કઈ?રિપોર્ટર: K બ્લોકમાં અપર એજન્ટ: અપરની 15 હજાર વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું વેચાણએજન્ટો પોતાના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર ટિકિટનું ઓનલાઇન વેચાણ કરે છે જેમાં શરૂઆતમાં માત્ર ફોટો મૂકીને 'ટિકિટ મળશે' તેવું લખે છે. જે બાદ લોકો જ્યારે ભાવ પૂછે ત્યારે ભાવ કહે છે. મોટાભાગના કેસમાં એજન્ટ ટિકિટ માટે એડવાન્સ અથવા તો ટોકન લઈ લે છે જે બાદ કોઈ જગ્યાએ મળીને ટિકિટ આપી દે છે. બોક્ષ ઓફિસના જ કેટલાક કર્મચારીઓની સંડોવણી?એક એજન્ટે તો એવું પણ કહ્યું કે, બોક્ષ ઓફિસના જ કેટલાક કર્મચારીઓ ટિકિટ ખૂલ્યા પહેલા પોતાની કાઢીને બહાર એજન્ટને બ્લેકમાં વેચવા આપી દે છે, તો કેટલાક કર્મચારીઓ સ્લોટ ખૂલતા જ પોતે ટિકિટ બુક કરી લઈ લે છે. ક્રિકેટ પ્રેમીઓ ગમે તેટલા ભાવ ચૂકવીને ટિકિટ લેવા મજબૂરટિકિટની કાળા બજારીનું માર્કેટ ખૂબ મોટું છે. અત્યારે દરેક જગ્યાએ એજન્ટ સક્રિય થયા છે. મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓ પણ ટિકિટ ન મળતા બ્લેકમાં ટિકિટ લેવા મજબૂર બન્યા છે. જેનો કાળા બજારિયાઓ ફાયદો ઉઠાવી ટિકિટના 6થી 10 ગણા પૈસા વસૂલે છે. અમુક એજન્ટ તો નકલી ટિકિટ પધરાવતાં હોય છેકેટલાક કિસ્સામાં લોકો એડવાન્સ કે ટોકન પેમેન્ટ આપી પણ છેતરાય છે. કારણ કે ફ્રોડ હોય તે ઑનલાઇન ટિકિટ બતાવી એડવાન્સ પેમેન્ટ મેળવીને આઇડી અને નંબર બ્લોક કરી દે છે તો કેટલાક ફ્રોડ ઓરિજનલ ટિકિટની કલર ઝેરોક્ષ કઢાવી હજારો રૂપિયામાં વેચે જે લોકો ખરીદીને મેચ જોવા જાય છે અને જ્યારે ટિકિટ સ્કેન થાય ત્યારે ટિકિટ નકલી હોવાનું જણાય છે.
ઉમરાળાના જાળીયા પાસે ગમખ્વાર અકસ્માત:બુલેટ ડિવાઈડર સાથે ભટકાતા બે મિત્રોના મોત, એક ગંભીર
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ પાસે ગત મોડીરાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો જેમાં પુરઝડપે જતું બુલેટ રોડ પરના ડિવાઈડર સાથે ભટકાતા બે યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે અમરેલી ખસેડવામાં આવ્યો છે, આ બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર જાળીયા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રવિ જીવરાજભાઈ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ કમલેશ ડાભી ઉ.વ. 24 તેના મિત્રો સદામખાન દોલતખાન પઠાણ અને સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી સાથે બુલેટ નંબર GJ-01-MV-1775 પર સવાર થઈ લીમડા તરફ ગયા હતા, રાત્રિના આશરે સવા અગિયાર વાગ્યાની આસપાસ, જ્યારે તેઓ લીમડાથી પરત જાળીયા તરફ આવી રહ્યા હતા, ત્યારે શ્રીજી વોટર પાર્ક પાસે બુલેટ ચાલક સદામખાન પઠાણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બુલેટ રોડની વચ્ચે આવેલ ડિવાઈડર સાથે જોરભેર ભટકાતા ત્રણેય મિત્રો ફંગોળાયા હતા, અકસ્માતની જાણ થતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા,ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઢસા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ કમલેશ જીવરાજભાઈ ડાભી અને સદામખાન દોલતખાન પઠાણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજા મિત્ર સંજય સોલંકીની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં હતા, જેમાં બે આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે નાના એવા ગામ જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ભરૂચ જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા તાજેતરમાં અવસાન પામેલા ટેકનિકલ કર્મચારી સ્વ. દીપક પી. મકવાણાના પરિવારને ₹ 5 લાખનો વીમા ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ સહાય સભાસદોના કલ્યાણ માટે ચલાવવામાં આવતી વીમા યોજના અંતર્ગત આપવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ ચિરાગ શાહ, ઉપપ્રમુખ મુસ્તાક બાપુ અને મંત્રી ભાવેશ આગ્નેજીયાએ દિવંગત સભાસદના નિવાસસ્થાને જઈ પરિવારને ચેક સુપરત કર્યો હતો. આ પ્રસંગે સોસાયટીએ 'જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી' ના સૂત્ર સાથે સભાસદોના પરિવારને આર્થિક સહારો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સ્વ. દીપક મકવાણાના પરિવારજનોએ આર્થિક સહાય બદલ સોસાયટીના હોદ્દેદારોનો આભાર માન્યો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે ગઈકાલે (6 માર્ચ) સમગ્ર ગુજરાતમાં મતદાન થયું હતુ. જેમાં રાજકોટ કોર્ટ બિલ્ડિંગ ખાતે પણ 55% મતદારોએ મતદાન કર્યું હતું. જો કે, આ મતદાન દરમિયાન મતદાન મથકથી 100 મીટર અંદર રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલે ખોટી રીતે ચૂંટણી પ્રચાર કરી પોતાના ફોટા સાથેની રીસિપ્ટ આપી હોવાના વીડિયો સાથે લેખિત રજૂઆત ચૂંટણી અધિકારી સમક્ષ રાજકોટના વકીલ રક્ષિત કલોલા દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદમાં તેઓએ દિલીપ પટેલ વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરી ઉમેદવારી રદ કરવા માગ કરી છે. ઉમેદવાર દિલીપ પટેલે ફોટા સાથેની રીસિપ્ટ આપતા વિવાદરાજકોટના એડવોકેટ રક્ષિત કલોલાએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી તેમની ઉમેદવારી રદ કરવા માટે લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં તેમને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ ચૂંટણી દરમિયાન મતદાન મથકથી 100 મીટર વિસ્તારમાં ચૂંટણીને લગતો કોઈ પ્રચાર કરી શકે નહિ. આમ છતાં રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલે પોતાના ફોટા સાથેની રીસિપ્ટ બધાને આપી છે, જે ચૂંટણીના નિયમ મુજબ ગેરવ્યાજબી અને ગેરલાયક કરવા પાત્ર છે. વીડિયો રેકોર્ડિંગ રાજકોટના ચૂંટણી અધિકારીને મોકલાયુંઆ અંગે વીડિયો રેકોર્ડિંગ પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મતદાન મથક એટલે કે જે રૂમમાં મતદાન થતું હતું તે રૂમની બહાર જ ઉમેદવાર દિલીપ પટેલના ફોટા સાથેની અનેક રીસિપ્ટ જોવા મળી છે. આ વીડિયો રેકોર્ડિંગ રાજકોટના ચૂંટણી અધિકારીને પણ મોકલી આપેલ છે, જેથી અમારી માગ છે કે રાજકોટના ઉમેદવાર દિલીપ પટેલ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી અમારી માગ છે.
ગાંધીનગર એસ. જી. હાઇવે પર બાર દિવસ અગાઉ બટરફ્લાય સર્કલ પાસે એક્ટિવા ખાડામાં પડતા ગંભીર ઈજાગ્રસ્ત કલોલના યુવકનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં યુવકને માથામાં ગંભીર ઈજા પહોંચી હતીપ્રાપ્ત વિગતો અનુસાર, કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં રહેતા શંકરભાઈ ચૌહાણનો નાનો દીકરો ગોવિંદ ગત 23 ફેબ્રુઆરીના રોજ રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં એક્ટિવા લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન એસ.જી. હાઈવેથી બટરફ્લાય ઉતરી મહેસાણા હાઈવે તરફ આવતા સમયે સર્કલ પાસે અચાનક ખાડો આવતા એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. આ અકસ્માતમાં ગોવિંદને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. 12 દિવસ બાદ હોસ્પિટલમાં દમ તોડ્યોઅકસ્માત બાદ અજાણ્યા વ્યક્તિએ ગોવિંદના મોબાઈલ પરથી તેના પિતાને જાણ કરી હતી અને ગંભીર હાલતમાં યુવકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સીટી સ્કેન કરાવતા ઈજા ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા 12 દિવસથી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ 6 માર્ચે ગોવિંદનુ મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ શરૂ કરીઆ અંગે મૃતકના પિતા શંકરભાઇએ પોતાના પુત્રએ વાહન ગફલતભરી રીતે ચલાવી ખાડામાં પાડી અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હોવાની ફરિયાદ આપતા અડાલજ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાપી-સેલવાસ રોડ પર જોખમી સ્ટંટ:કારના રૂફ પર બાળકોને બેસાડી સવારી, વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ
વલસાડ જિલ્લાના વાપી-સેલવાસ મુખ્ય માર્ગ પર કારના રૂફ ટોપ અને બારીઓ પર બાળકોને બેસાડી જોખમી સ્ટંટ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ વાપી પોલીસે વીડિયોમાં દેખાતી કારના ચાલક સામે તપાસ શરૂ કરી છે. વાયરલ થયેલા વીડિયોમાં એક કાર ચાલક પોતાની કારના રૂફ ટોપ પર બેઠેલો અને ચારથી પાંચ નાના બાળકોને કારની વિન્ડો પર બેસાડીને સવારી કરાવતો જોવા મળે છે. આ દૃશ્ય અત્યંત જોખમી હોવાનું જણાઈ રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટના વાપી-સેલવાસ રોડ પર આવેલા ગુરુદ્વારા નજીકની છે. પાછળથી આવી રહેલા એક અન્ય કાર ચાલકે આ દૃશ્ય પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું, જે બાદમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ બાળકને ઈજા પહોંચી નથી, પરંતુ આવા સ્ટંટ કોઈપણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. બાળકોના જીવ સાથે આ પ્રકારની બેદરકારી ગંભીર ગુનો ગણાય છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા દાવા મુજબ, આ ઘટના ધુળેટીના દિવસે બની હોવાનું કહેવાઈ રહ્યું છે. તહેવારની મોજમાં કેટલાક લોકો દ્વારા આવા જોખમી સ્ટંટ કરવામાં આવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને વાપી પોલીસ સક્રિય થઈ છે. વાયરલ વીડિયોમાં દેખાતી કારના નંબરના આધારે કાર ચાલકની ઓળખ મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. કાર ચાલકે બાળકોને આ રીતે સવારી કરાવવાનું કારણ શું હતું તે પણ તપાસવામાં આવશે. આ અંગે વાપી DySP બી.એન. દવેએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલા વીડિયોની પોલીસ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. વીડિયોમાં દેખાતી કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ ચાલી રહી છે. તપાસ બાદ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે લોકોને પણ અપીલ કરી છે કે જાહેર માર્ગ પર આવી જોખમી હરકતો ન કરે અને બાળકોના જીવને જોખમમાં મુકતા કૃત્યોમાંથી દૂર રહે.
ડાંગમાં ડબલ રૂપિયાની લાલચે 15.40 લાખની છેતરપિંડી:વલસાડથી એજન્ટ ઝડપાયો, વધુ તપાસ ચાલુ
ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણના નામે લોકોને ડબલ રૂપિયા આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર એક એજન્ટને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વલસાડમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ કુલ 18.40 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું, જેમાંથી 15.40 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આહવા ખાતે રહેતા કેટલાક લોકોને માર્કેટિંગ કંપનીમાં રોકાણ કરાવવાની વાત કહી આરોપીએ આકર્ષક સ્કીમ બતાવી હતી. તેણે રોકાણ કરનારને જણાવ્યું હતું કે, રોકાણની રકમ છ મહિનામાં મુદ્દલ સાથે પરત મળશે અને વધુ સાત મહિનામાં રકમ બમણી થઈ જશે. આ લાલચમાં આવી લોકોએ કુલ 18,40,000 રૂપિયાનું રોકાણ કર્યું હતું. શરૂઆતમાં, આરોપીએ વિશ્વાસ જીતવા માટે છૂટક છૂટક મળી કુલ 3,00,000 રૂપિયા પરત આપ્યા હતા. જોકે, બાદમાં તેણે બાકીના 15,40,000 રૂપિયા પરત કર્યા વિના છેતરપિંડી આચરી હતી અને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ (IPS) ના માર્ગદર્શન હેઠળ તથા ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયાના સૂચનાનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ અને તેમની ટીમને હ્યુમન તથા ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, આ કેસમાં સંડોવાયેલ એજન્ટ સંજય ધીરુભાઈ રાઠોડ (ઉંમર 42, રહે. હેમંતબાગ, મોગરાવાડી, જી. વલસાડ) બલવાડા ગામે એક લગ્ન પ્રસંગે આવવાનો હતો. આ બાતમીના આધારે, LCB ની ટીમે બલવાડા ગામે વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ માટે આહવા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દીધો હતો. આ સમગ્ર કામગીરીમાં PSI જે.જી. અનડકટ, ASI પ્રમોદભાઈ નીવર, ASI રમેશભાઈ પવાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ગાંગુડા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ગામીત, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ પટેલ, ચંદુભાઈ ગાવીત, દિનેશભાઈ વાધેરા, હિનયભાઈ ગાઈન અને ASI રામદાસભાઈ પાડવી સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આ છેતરપિંડીના કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ આગળ વધારી છે.
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતની દરિયાઈ સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જામનગર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સરહદ પર સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ પગલું ભવિષ્યના સંકટોને ટાળવા માટે શાંતિ કાળમાં તકેદારી રાખવાના ઉદ્દેશ્ય સાથે લેવાયું છે. મરીન ટાસ્ક ફોર્સની વિવિધ ટીમો દ્વારા જામનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને બોટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. આમાં નવા-જૂના બેડી બંદર, રોજી બંદર, માધાપર-જોડિયા ભૂંગા વિસ્તાર, ખારા બેરાજા, એરફોર્સ ફાયરિંગ રેન્જ દરિયાઈ વિસ્તાર, તેમજ તમામ સંભવિત લેન્ડિંગ પોઈન્ટ્સ અને ફિશિંગ સેન્ટરોનો સમાવેશ થાય છે. આ ઓપરેશન દરમિયાન, મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોએ દરિયાકાંઠાની અવાવરું જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. ઉપરાંત, દરિયામાં રહેલી શંકાસ્પદ બોટ અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ તથા તપાસ હાથ ધરીને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી. આ સમગ્ર સુરક્ષા કવાયત ATS અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના આઈ.જી. પી. એલ. માલ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના એસ.પી. એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. આર. યાદવ અને તમામ મરીન કમાન્ડોએ આ ઓપરેશનને સફળ બનાવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, કોઈપણ કટોકટીપૂર્ણ સમયગાળામાંથી પસાર ન થવું પડે તે માટે સામાન્ય પરિસ્થિતિ દરમિયાન રાખવામાં આવતી તકેદારી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. આ નિવેદન શાંતિ કાળમાં સુરક્ષાના મહત્વ પર ભાર મૂકે છે.
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના કચોલીયા ગામે એક અત્યંત કરુણ અને ભયાનક દુર્ઘટના ઘટી છે, જેમાં કપડાં ધોઈ રહેલી મહિલા પર ઘાટની દીવાલ ધરાશાયી થતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ, ગામના ઘાટ પાસે જ્યારે ત્રણ મહિલા કપડાં ધોઈ રહી હતી, ત્યારે અચાનક દીવાલ ધસી પડતાં એક મહિલા નીચે દટાઈ ગઈ હતી, જ્યારે તેની સાથે રહેલી અન્ય બે મહિલાનો આબાદ બચાવ થયો હતો. આ ગોઝારી ઘટનાને પગલે ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છે….
વડોદરામાં આઇસરની અડફેટે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે. આજવા ચોકડી પાસે સસરા બાઇક પર પુત્રવધૂને નોકરી માટે મુકવા જતા હતા તે દરમિયાન ઘટના બની છે. 31 વર્ષીય પ્રિન્સા પરમારનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે. મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મૃતદેહ સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ ખાતે પહોંચતા જ પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
નવસારીમાં શુક્રવારે આત્મહત્યાના ત્રણ બનાવ:વૃદ્ધાએ ફિનાઈલ પીધું, યુવાન સહિત બેએ ફાંસો ખાધો
નવસારી જિલ્લામાં ગત શુક્રવારે આત્મહત્યાના ત્રણ અલગ-અલગ બનાવો નોંધાયા છે. નવસારી ટાઉન અને ચીખલી પોલીસ મથકની હદમાં બનેલી આ ઘટનાઓમાં એક વૃદ્ધા, એક આધેડ અને એક 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આ ત્રણેય મામલે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ બનાવ નવસારી ટાઉન પોલીસ મથકની હદમાં આવેલા મરિયમપુરા વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતા 77 વર્ષીય સુમતીબેન બચુભાઇ રાણાએ શુક્રવારે સાંજે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લીધું હતું. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ રાત્રે 8:00 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રકાશભાઈ કાનાણીની જાણના આધારે ટાઉન પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી ઘટના ચીખલી તાલુકાના ગોડથલ ગામે સામે આવી છે. ઝાડી ફળિયામાં રહેતા 22 વર્ષીય કાર્તિકભાઈ પ્રવિણભાઇ પટેલે ગામમાં આવેલ શીલાબેન પટેલના ખેતરમાં આંબાના ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. મૃતકના પિતા પ્રવિણભાઇએ પોલીસને જણાવ્યું કે તેમને પુત્રના મોત અંગે કોઈ શંકા નથી. ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રીજા બનાવ મુજબ, ચીખલી કસ્બામાં સાઈબાબા મંદિરની સામે રહેતા 65 વર્ષીય રાજુભાઇ છનાભાઇ રાઠોડે શુક્રવારે બપોરે પોતાના જ ઘરમાં લોખંડની ચેનલ સાથે ઓઢણી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને બેભાન હાલતમાં ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા આલીપોર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર જીગ્નેશભાઈ રાઠોડે આ અંગે ચીખલી પોલીસને જાણ કરી હતી. નવસારી ટાઉન અને ચીખલી પોલીસે ત્રણેય કિસ્સામાં BNSS - 2023 ની કલમ 194 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ત્રણેય કિસ્સામાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા ઝુંબેશ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે જેના ભાગરૂપે ફેબ્રુઆરી મહિનામાં માત્ર 25 દિવસમાં જ પાલિકાએ 28.43 લાખ જેટલો દંડ વસુલ્યો છે. એટલે કે રોજનો સરેરાશ 1.13 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા વિવિધ નિયમોના ઉલ્લંઘન સામે સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તારીખ 01 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026 સુધીના ટૂંકા ગાળામાં શહેરના તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને ખાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન બાંધકામનો કચરો, જાહેર સ્થળોએ ફેલાવવામાં આવતી ગંદકી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને અન્ય મ્યુનિસિપલ નિયમોના ભંગ બદલ કુલ રૂ. 28,43,500 જેટલી માતબર રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે. જાહેરમાં ગંદકી ફેલાવનાર પાસે 14.39 લાખનો દંડમહાનગરપાલિકાએ હાથ ધારેલી ઝુંબેશમાં Construction Demolition Waste સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,02,600નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. ઉપરાંત શહે૨ના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી નાઈટ ડ્રાઈવ દરમિયાન રૂ. 4,22,500નો દંડ ક૨વામાં આવ્યો હતો. જાહે૨ સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરીને રૂ. 14,39,700નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,34,700નો દંડ લેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનીટરીંગશહેરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ ક૨વામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન ગંદકી ફેલાવનારાઓ તથા જાહેર સ્થળે કચરો ફેંકનારાઓને ઓળખી કાર્યવાહી હાથ ધ૨વામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 24 લોકોને ઓળખી તેમની સામે રૂ. 12,200નો દંડ ક૨વામાં આવ્યો હતો. નાગરિકોને સ્વચ્છતામાં સહકાર આપવા અપીલવડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત રીતે નાઈટ ડ્રાઇવ, ચેકિંગ અભિયાન તથા દંડની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મહાનગ૨પાલિકા દ્વારા નાગરિકોને શહે૨ની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ ક૨વામાં આવી છે તેમજ જાહે૨ સ્થળે ગંદકી ન ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને મહાનગ૨પાલિકાના નિયમોનું પાલન ક૨વા વિનંતી ક૨વામાં આવી છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે વડીલોપાર્જીત જમીન બિનખેતી (NA) કરાવવાના બહાને એક નિવૃત્ત વૃદ્ધ સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. સગા ભત્રીજા અને પિતરાઈ ભાઈએ વૃદ્ધની જાણ બહાર ખોટી સહી અને ફોટાનો ઉપયોગ કરી જમીન NA કરાવી લીધી હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમલસાડની રંગસાધના સોસાયટીમાં રહેતા 66 વર્ષીય રમેશભાઈ ભાણાભાઈ પટેલની ફરિયાદ મુજબ, તેમની અમલસાડમાં સર્વે નંબર 597 વાળી સંયુક્ત માલિકીની વડીલોપાર્જીત જમીન આવેલી છે. આ જમીનમાં રમેશભાઈ સહિત અન્ય વારસદારોના નામ પણ ચાલતા આવે છે. ગત 11 ઓગસ્ટ 2024ના રોજ તેમના પિતરાઈ ભાઈ ગોવિંદભાઈ બુધાભાઈ પટેલ અને ભત્રીજો નવીનભાઈ સુમનભાઈ પટેલ તેમના ઘરે આવ્યા હતા. તેઓએ રમેશભાઈને આ જમીન NA કરાવીને વેચવી હોવાનું જણાવી અરજીમાં સહી કરવા દબાણ કર્યું હતું. રમેશભાઈએ તે સમયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અમારે અમારા ભાગની જમીન વેચવી નથી, પહેલા અમારો ભાગ અલગ કરી આપો, પછી તમારે જે કરવું હોય તે કરજો. આમ કહી રમેશભાઈએ સંયુક્ત ખાતાની જમીનમાં સહી આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, થોડા સમય બાદ રમેશભાઈને જાણવા મળ્યું કે તેમની જાણ બહાર આ જમીન NA થઈ ગઈ છે. જમીન કેવી રીતે NA થઈ તે જાણવા માટે રમેશભાઈએ કલેક્ટર કચેરીમાં RTI (માહિતી અધિકાર) હેઠળ અરજી કરી કાગળો મંગાવ્યા હતા. દસ્તાવેજો જોતા તેઓ ચોંકી ગયા હતા. જિલ્લા કલેક્ટરને કરાયેલી અરજી (પરિશિષ્ટ 1 અને 2) માં રમેશભાઈના નામે ગુજરાતીમાં ખોટી સહી કરવામાં આવી હતી, જ્યારે તેઓ હંમેશા અંગ્રેજીમાં સહી કરે છે. આ ઉપરાંત, તેમની જાણ બહાર તેમનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને ચૂંટણી કાર્ડ પણ અરજી સાથે જોડવામાં આવ્યું હતું. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી, ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી તારીખ 15/10/2024 ના રોજ કલેક્ટર કચેરીમાંથી NAનો હુકમ (નંબર 1270/024/03/027/2024) મેળવી લીધો હતો. આ છેતરપિંડી બદલ રમેશભાઈએ ગોવિંદભાઈ બુધાભાઈ પટેલ (રહે. ગણદેવી) અને નવીનભાઈ સુમનભાઈ પટેલ (રહે. અમલસાડ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા બ્રેકિંગ વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટના ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરે કપડા ધોવા બોલાવી રાત્રે ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું વિદ્યાર્થિનીની મરજી વિરુદ્ધ અવાર નવાર રૂમમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યા શરૂઆતમાં શારીરિક અડપલા બાદ વિદ્યાર્થિનીને ગોંધી રાખી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું આકાશસિંઘ નામના યુવકે આચર્યું દુષ્કર્મ બાપોદ પોલીસે આરોપીની અટકાયત કરી
ભરૂચ જેલમાં માર્ગ અકસ્માત નિવારણ કાર્યક્રમ:બંદીવાનોને ટ્રાફિક સલામતી અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાનો માટે માર્ગ અકસ્માત નિવારણ અને ટ્રાફિક સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ‘પ્રયાસ’ સંસ્થાના સંકલનથી આર.ટી.ઓ. કચેરી, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આર.ટી.ઓ. ભરૂચના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર એન.જી. સેંજણીયાએ આર.ટી.ઓ.ના નિયમો અને ટ્રાફિક સંબંધિત કાયદાકીય પાસાં વિશે માહિતી આપી હતી. રોડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર તેજસ પ્રજાપતિએ માર્ગ અકસ્માત ટાળવા માટે રસ્તા પરની શિસ્ત સમજાવી હતી, જ્યારે રોડ સેફ્ટી ટ્રેનર વર્ષા પરમારે સુરક્ષિત ડ્રાઇવિંગ પદ્ધતિઓ અને સલામતી સાધનોના મહત્વ પર ભાર મૂક્યો હતો. બંદીવાનોને ટ્રાફિક નિયમો, માર્ગ અકસ્માત સમયે લેવાના સાવચેતીના પગલાં અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર વિગતવાર જાણકારી અપાઈ હતી.આ કાર્યક્રમ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. પ્રયાસ સંસ્થા, ભરૂચના પ્રતિનિધિઓ આશિષ બારોટ, અનિલ વસાવા અને નીતા ગજ્જર પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં બંદીવાનોએ જેલમુક્ત થયા બાદ જવાબદાર નાગરિક બની ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને પોતાનું તેમજ અન્યનું જીવન સુરક્ષિત રાખવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તમામ બંદીવાનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રિએ એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમે કલાકોના સર્ચ ઓપરેશન બાદ ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે. મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં પડતા પહેલા બંનેએ પોતપોતાના પરિજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઝુંડાલ કેનાલમાંથી બંને યુવતીના મૃતદેહ મળ્યાબનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી, જેમના મૃતદેહ છેક ઝુંડાલ કેનાલ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. બંને યુવતીઓ મિત્ર હતી અને સાથે GMCમાં નોકરી કરતી હતીબંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, બંનેએ આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નોકરીનું ભારણ, અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પરિવારજનોમાં શોકનો માહોલGMCના કર્મચારી વર્ગમાં પણ આ ઘટનાને લઈને ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. એકસાથે બે આશાસ્પદ યુવતીઓના મોતથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. હાલમાં અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બજારમાં ઠંડા-પીણાનું ધૂમ વેચાણ થતું હોય છે. જોકે કેટલાકને ભાગુ તત્વો દ્વારા અસલીની જગ્યાએ નકલી વસ્તુઓનો વેચાણ કરતા હોય છે. વટવા વિસ્તારમાંથી લાજવાબ મેંગો પેપ્સીનું નકલી કારખાનું ઝડપાયું છે. લાજવાબ નામે મેંગો પેપ્સીનું ઉત્પાદન કરતી કંપનીના કર્મચારીને બાદમે મળી હતી કે, વટવા વિસ્તારમાં ગોડાઉનમાં એક વ્યક્તિ લાજવાબ કંપનીના નામે જ મેંગો પેપ્સીના પાઉચ બનાવીને વેચાણ કરી રહ્યો છે જેના આધારે તેમણે વટવા પોલીસ સાથે રાખી દરોડો પાડ્યો હતો. બે વર્ષ સુધી કોઈના ધ્યાને ન આવ્યુંવટવા પોલીસને ડુપ્લીકેટ પેપ્સીના કારખાનામાંથી 15,000થી વધુ શરબતના પાઉચ અને મશીનરી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી ગોડાઉનમાં નકલી શરબતના પાઉચ બનાવીને વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે. કંપનીના કર્મચારીએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મુળ માલિકને સાથે રાખી પોલીસે રેડ કરીમળતી માહિતી મુજબ, પાલનપુરમાં રહેતા સીરાજભાઇ અડવાણી 2005થી લાજવાબ નામથી પેપ્સી શરબતના નાના પાઉચમાં કોલ્ડ્રીંગ બનાવવાની કંપની ધરાવે છે. તેમના ધ્યાને આવ્યુ હતુ કે, તેમની કંપનીની કોપીરાઇટ કરીને અમદાવાદના વટવા વિસ્તારમાં એક શખ્સ ડુપ્લીકેટ પેપ્સીનું વેચાણ કરી રહ્યો છે, જેથી તેમને વટવા પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસને સાથે રાખીને તેમને વટવાના નવાપુરા મેદાન પાસે આવેલી ગલીમાં ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારીને ઝડપી પાડ્યોજ્યારે ગોડાઉનમાં તપાસ કરવામાં આવી તો ડુપ્લીકેટ પેપ્સી શરબત બનાવતું કારખાનું હતુ. પોલીસે કારખાનામાંથી મેંગો પેપ્સીના 15450 પાઉચ, 1.80 લાખના ફિલિંગ મશીનો સહિત કુલ રૂ. 2.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કારખાનું ચલાવનાર મુમતાજ અહેમદ અંસારી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા પોતે છેલ્લા બે વર્ષથી કારખાનું ચલાવતો હતો. લાજવાબ મેંગો પેપ્સીના નામે નાના મોટા પાઉચ બનાવીને લાજવાબના નામે નકલી પેપ્સી શરબત બનાવી બજારમાં વેચાણ કરતો હતો. પેપ્સી શરબતના નમુના તપાસ માટે મોકલાયાએસીપી એન. કે. વ્યાસે જણાવ્યું હતું કે, લાજવાબ કંપનીના સિરાજભાઈને પોતાની કંપનીની ક્વોલિટી બરાબર નથી આવતી એવી ફરિયાદ મળતી હતી, જેના આધારે તપાસ કરતા વટવા વિસ્તારમાં તેમની કંપનીના નામે ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવતા વટવા પોલીસની મદદ લઈ મુમતાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે કોપી રાઇટનો ગુનો નોધીને ધરપકડ કરી છે. કારખાનામાંથી મળી આવેલો પેપ્સી શરબત પીવા લાયક છે કે નહીં? તેના માટે ફૂડ સેફટી વિભાગને અને એફએસએલને પણ જાણ કરવામાં આવી છે. જો તેમાં કોઈ બેદરકારી છતી થશે તો તે મુજબની કડક કાર્યવાહી આગામી સમયમાં કરવામાં આવશે.
મધ્ય પૂર્વમાં વણસેલી યુદ્ધની સ્થિતિ અને હવાઈ માર્ગો બંધ થવાને કારણે દુબઈમાં અટવાયેલા ઉત્તર ગુજરાતના ત્રણ વેપારીઓએ ભારે જહેમત બાદ વતન પરત ફરવામાં સફળતા મેળવી છે. મહેસાણા અને પાટણના આ વેપારીઓએ અનિશ્ચિતતા અને ડરના માહોલ વચ્ચે ઓમાન થઈને ભારત આવવાનો ખર્ચાળ અને લાંબો રસ્તો પસંદ કર્યો હતો. આ સાહસિક સફરમાં તેમણે પોતાની મૂળ ટિકિટના ખર્ચ કરતા પાંચ ગણાથી વધુ નાણાં ખર્ચવા પડ્યા છે. વેપારીઓ UEA મિંટિગ કરવા ગયા હતામહેસાણાના અલ્પેશકુમાર પટેલ અને તેમના સંબંધીઓ યોગેશકુમાર પટેલ, તથા પાર્થકુમાર પટેલ ગત 25 ફેબ્રુઆરીએ વ્યાપાર અર્થે સંયુક્ત આરબ અમિરાત UAE ગયા હતા. તેલ, ગેસ અને સ્ક્રેપના વ્યવસાય સાથે સંકળાયેલા આ વેપારીઓ 1થી 10 માર્ચ દરમિયાન શારજાહ અને અબુધાબીમાં મહત્વની બેઠકો કરવાના હતાં. જોકે 28 ફેબ્રુઆરીએ ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે શરૂ થયેલા સંઘર્ષને કારણે સમગ્ર અખાતી દેશોમાં વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જેના કારણે તેઓ દુબઈની એક હોટલમાં કેદ થઈ ગયા હતાં. મિત્રની સલાહ પર ઓમાનના રસ્તે ભારત આવ્યાયુદ્ધના વધતા જતા તણાવ અને પરિવારની ચિંતાને કારણે તેમણે 10 માર્ચની તેમની મૂળ ટિકિટો રદ કરી વહેલા પરત ફરવાનું નક્કી કર્યું. વિમાની ટિકિટો ન મળતા આખરે તેમણે એક મિત્રની સલાહ પર ઓમાનના રસ્તે ભારત આવવાનું આયોજન કર્યું. ટેક્સી દ્વારા દુબઈ બોર્ડર પાર કરી મસ્કત એરપોર્ટ પહોંચ્યા એજન્ટ મારફતે તાત્કાલિક 10 દિવસના ઓમાન વિઝા મેળવી તેઓ ટેક્સી દ્વારા દુબઈ બોર્ડર પાર કરી મસ્કત એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યાંથી એર ઈન્ડિયા એક્સપ્રેસ મારફતે મુંબઈ અને ત્યારબાદ લાંબા સમય બાદ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર સલામત ઉતર્યા હતા. 65,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયોઆ મુસાફરી આર્થિક રીતે પણ ખૂબ મોંઘી સાબિત થઈ હતી. સામાન્ય રીતે 28,000 રૂપિયામાં મળતી રાઉન્ડ ટ્રિપ ટિકિટની સરખામણીએ, વતન આવવા માટેની આ એકતરફી સફરમાં વિઝા, ટેક્સી અને નવી ફ્લાઈટ્સ મળીને માથાદીઠ 65,000 રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. ભારતીય ધરતી પર પગ મૂકતા જ હાશકારો અનુભવ્યોઅમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ અલ્પેશકુમારે હાશકારો અનુભવતા જણાવ્યું હતું કે દુબઈમાં યુદ્ધના ભય વચ્ચે સતત ફાળ પડતી હતી, પરંતુ ભારતીય ધરતી પર પગ મૂકતા જ તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ છે.
બોડેલી-જબુગામ વચ્ચે મેરિયા નદીના પુલ પાસે ગત મોડી રાત્રે વિદેશી દારૂ ભરેલી એક સ્કોર્પિયો કાર ખાડામાં ખાબકી હતી. અકસ્માત સર્જાતા સ્કોર્પિયો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો અવારનવાર થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. ઘણીવાર પોલીસ ફિલ્મી ઢબે પીછો કરીને આવા તસ્કરોને ઝડપી પાડે છે. આવી જ એક ઘટનામાં, મધ્યપ્રદેશ તરફથી વિદેશી દારૂ ભરીને એક સ્કોર્પિયો ગાડી આવતી હોવાની બાતમી જિલ્લા પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ગત રાત્રે આ ગાડીનો પીછો કર્યો હતો. પોલીસને જોઈને સ્કોર્પિયો ચાલકે ગાડીને પૂરઝડપે ભગાવી હતી. ઝડપના કારણે સ્કોર્પિયો ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે, ગાડી બોડેલી-જબુગામ વચ્ચેના મેરિયા નદીના પુલ પાસે એક ખાડામાં ખાબકી હતી. અકસ્માત બાદ ચાલક ગાડીમાંથી નીકળીને ભાગી ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. બોડેલી પોલીસે ક્રેનની મદદથી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

32 C