SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:સરગાસણમાં ACBની સફળ ટ્રેપ, પોલીસ પ્રોટેક્શનના રીન્યુઅલ માટે લાંચ માગી હતી

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝીટીવ અભિપ્રાય આપવાના બદલામાં 80 હજાર રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને દબોચી લીધો છે. પોલીસ પ્રોટેકશનની અરજી બાબતે સકારાત્મક અભિપ્રાય આપવા બદલ લાંચ માગીઆ કેસની વિગત એવી છે કે, ફરિયાદીને અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન મળેલું હતું. આ પ્રોટેક્શનની મુદ્દત વધારવા એટલે કે રીન્યુ કરાવવા માટે ફરિયાદીએ વિધિવત અરજી કરી હતી. આ સરકારી પ્રક્રિયાના ભાગરૂપે આરોપી કેતન દવેએ આ અરજી પર સકારાત્મક અભિપ્રાય મોકલી આપવા માટે ફરિયાદી પાસે નાણાંની માંગ કરાઈ હતી. તેણે પોઝીટીવ અભિપ્રાય આપવા ફરિયાદી પાસે 80,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જોકે જાગૃત નાગરિકે આ લાંચ આપવાને બદલે ગાંધીનગર એસીબી એકમનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. 80 હજારની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યોઆ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા.ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80 હજારની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો. આ સમગ્ર ટ્રેપની કામગીરી ગાંધીનગર એસીબી એકમના ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં મદદનીશ નિયામક એ.કે. પરમારના સુપરવિઝન હેઠળ અને અમદાવાદના નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબીએ હવે આ મામલે આરોપીની વધુ પૂછપરછ અને અન્ય મિલકતોની તપાસ માટેની તજવીજ તેજ કરી છે. કેતન દવે હાલ સાણંદ સેન્ટર ખાતે કાર્યરતઆ અંગે સૂત્રોએ જણાવ્યું કે , ફરિયાદી એક રાજકીય વ્યક્તિ છે. જેમના પોલીસ પ્રોટેક્શન માટેની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. જે અરજીના પોઝિટિવ અભિપ્રાય માટે દવે કેતને લાંચ માંગી હતી. વર્ષ 2010માં કેતન પોલીસ ખાતામાં પીએસઆઇ તરીકે જોડાયો હતો. બાદમાં પ્રમોશન મેળવીને પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હતો. જે હાલમાં અમદાવાદ રિજિયન સાણંદ સેન્ટર ખાતે એક ઇન્ટેલિજન્સ બ્યુરોમાં સિનિયર ઈન્ટેલિજન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:47 pm

એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ:કેબીનના સ્ટ્રકચરમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા, કારણ અકબંધ

અમદાવાદ એરપોર્ટ એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો ટર્મિનલ વિસ્તારમાં આવેલી એક ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા ધુમાડા આકાશમાં જોવા મળ્યા હતા. જેના પગલે તાત્કાલિક એરપોર્ટ ફાયરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ એર કાર્ગો વિસ્તારમાં બનેલી ઘટનાને લઈને એરપોર્ટ તંત્ર સાવચેત થઈ ગયું હતું. એર કાર્ગો નજીક ટેમ્પરરી કેબીન સ્ટ્રકચરમાં આગમળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટના એરક્રાફ્ટ મૂવમેન્ટ એરિયા બહાર આગ લાગવાની ઘટના બની હોવાને લઈને દોડધામ મચી ગઈ હતી. એરપોર્ટની જૂની ગુજસેલ બિલ્ડિંગ પાસે આગ લાગવાની ઘટના બની હતી. એર કાર્ગો નજીકના ટેમ્પરરી કેબિન સ્ટ્રક્ચરમાં આગ લાગી હતી ત્યારે હાજર CISF જવાનો અને સ્ટાફ દ્વારા તરત જ એરપોર્ટ ફાયરને જાણ કરવામાં આવી હતી. એરોડ્રોમ રેસ્ક્યુ અને ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ઘટનામાં પણ કોઈ જાનહાનિ થઈ નથી આગ લાગવા અંગે હાલ એરપોર્ટ સ્ટાફ ઓથોરિટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:16 pm

પાટણ રોટરી ક્લબ દ્વારા થેલેસેમિયા સેન્ટરનું લોકાર્પણ:52મા ચાર્ટર ડે નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતમાં શુભારંભ

પાટણ રોટરી ક્લબ દ્વારા તેના 52મા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે કાયમી થેલેસેમિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોટરી ઇન્ટરનેશનલ વિશ્વભરમાં સેવા પ્રોજેક્ટ્સ દ્વારા કાર્ય કરતી સૌથી મોટી અને પ્રાચીન સંસ્થાઓમાંની એક છે. રોટરી ક્લબ ઓફ પાટણને રોટરી ક્લબ ઓફ અમદાવાદ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા બાદ 15 માર્ચ 1974ના રોજ ચાર્ટર પ્રાપ્ત થયું હતું. ક્લબની 52 વર્ષની આ યાત્રા નિમિત્તે શરૂ કરાયેલું આ થેલેસેમિયા સેન્ટર, આગામી સમયમાં થેલેસેમિયા પીડિત બાળકો અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ સહાયક બનશે. આ પ્રસંગે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રોટરી પ્રમુખ પરિમલ જાની અને શંકુઝ હોસ્પિટલના સી.ઈ.ઓ. ડો. ગ્રિશ્મા દ્વારા વિધિવત રીતે એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરીને આ પ્રોજેક્ટને ખુલ્લો મુકાયો હતો. આ નવું સેન્ટર રોટરી ક્લબ પાટણ દ્વારા ચાલતા અન્ય પ્રોજેક્ટ્સ જેવા કે બ્લડ બેંક, ચક્ષુ બેંક, રોટરી વિસામો, સહસ્ત્ર તરુવન, રોટરી–રોટરેક્ટ ગાર્ડન અને ઓક્સિજન બેંકની યાદીમાં એક નવું સોપાન છે. ક્લબ દ્વારા વર્ષોથી કાર્યરત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં આ થેલેસેમિયા સેન્ટરનો ઉમેરો થવાથી દર્દીઓને વધુ રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:15 pm

દ્વારકામાં દર્શનાર્થીઓને 'ધતુરા'નું પીણું પીવડાવી લૂંટતી ગેંગ ઝડપાઈ:ભક્તોને બેભાન કરી દાગીના-રોકડની લૂંટ ચલાવતા, ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભાવનગરના બે આરોપી જેલહવાલે

જગત મંદિર દ્વારકાના દર્શનાર્થે આવતા ભોળા ભક્તોને વિશ્વાસમાં લઈ, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટી લેતી એક શાતિર ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના બે શખસને રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી છે. મોડસ ઓપરેન્ડી: મીઠી વાતો અને ધતુરાનો પાવડર આરોપીઓ ખાસ કરીને વૃદ્ધ અને નિર્દોષ દર્શનાર્થીઓને નિશાન બનાવતા હતા. જામજોધપુરના પ્રવાસીઓ બન્યા હતા ભોગ તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ દરમિયાન જામજોધપુર પંથકથી આવેલા બે દર્શનાર્થીને આ ટોળકીએ નિશાન બનાવ્યા હતા. તેમને શેરડીના રસમાં ધતુરો પીવડાવી સોનાના ઠોરીયા અને રોકડની લૂંટ ચલાવી હતી. આ અંગે દ્વારકા પોલીસ મથકે ગુનો નોંધાતાં પોલીસ એક્શનમાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો… પોલીસની કામગીરી અને ધરપકડ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચનાથી LCB પીઆઈ બી.જે. સરવૈયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસે વોચ ગોઠવી પોલીસે બે આરોપીને દબોચી લીધા હતા: જપ્ત કરાયેલો મુદ્દામાલ પોલીસની જનતાને અપીલ આ સફળ કામગીરી બાદ પોલીસે યાત્રિકો અને સ્થાનિક જનતાને સાવચેત રહેવા અપીલ કરી છે. કોઈપણ અજાણ્યા વ્યક્તિ દ્વારા આપવામાં આવતી ખાવા-પીવાની વસ્તુઓનો સ્વીકાર ન કરવો અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 6:06 pm

વધુ એક મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો:સ્થાનિક સ્વરાજ પહેલા ભાજપ-કોંગ્રેસમાં ભડકો, પાંચ શખ્સોએ સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના એક વ્હોટ્સએપ ગૃપમાં કાર્યકર્તાઓએ અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે શરુ કરી સ્થાનિક સ્વરાજ માટેની તૈયારીઓ કોંગ્રેસે સોમનાથ દાદાના દર્શન કરી સ્થાનિક સ્વરાજ માટે સંગઠન મજબૂત કરવાની તૈયારી શરુ કરી. જો કે દરમિયાન સોમનાથ વિધાનસભાના જ ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીએ કોંગ્રેસના આંતરિક વિવાદને લઈને સવાલો ઉભા કર્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિર વિવાદ મામલે તપાસ તેજ જૂનાગઢના ગીરનારમાં અંબાજી મંદિર વિવાદ મામલે તપાસનો ધમધમાટ. આજે રવિવારની રજા હોવા છતાં પ્રાંત અધિકારીએ પૂજારી, PRO અને રસોયા સહિત કુલ 26 લોકોને પૂછપરછ માટે બોલાવ્યા હતા. .11 લોકોના નિવેદન નોંધવામાં આવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામેશ્વર મંદિર બન્યું અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ તરફ અમદાવાદના ઘાટલોડિયાના રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં દારુ અને ગાંજાની મહેફિલ જામતી હોવાનો આક્ષેપ.. મંદિર ટ્રસ્ટે કહ્યું કે મંદિર બંધ થયા બાદ પરિસર અને ગાર્ડનમાં અસામાજિક તત્ત્વો અડ્ડો જમાવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બમ્પ કૂદાવી કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી વડોદરામાં સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ સ્પીડમાં આવતા કાર ચાલકે બાઈકસવારને ટક્કર મારી.. યુવક 20ફૂટ દૂર જઈને પટકાયો અને તરફડિયા મારતો રહ્યો. જો કે કારચાલક ત્યાંથી તાત્કાલિક ભાગી છૂટ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગીરા પર પાંચ શખ્સોએ ગેંગરેપ કર્યો સુરતના ઉમરપાડામાં સગીરા પર ગેંગરેપની ઘટના સામે આવી. પાંચ શખ્સોએ અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુના અડ્ડાના ઝઘડામાં યુવતીએ મચાવી ધમાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં દેશી દારુના અડ્ડા બાબતે એક યુવતીએ ધમાલ મચાવી. હાથમાં છરો લઈને યુવતીએ તલવારની જેમ ફેરવી બેફામ ગાળો ભાંડી..પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવકોના મોત અમદાવાદ -મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવકોના મોત થયા. ટક્કર એટલી ભયાનક હતી કે હાઈવે પર માંસના લોચા વિખેરાયા. પતિના મૃતદેહ પાસે મહિલાના હૈયાફાટ આક્રંદે સૌ કોઈને હચમચાવી નાખ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધને કારણે સર્જાયેલી ગેસની અછતને પગલે હવે પરપ્રાંતીય શ્રમિકોએ વતનની વાટ પકડી..સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વતન જવા રવાના થયા..રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગેલી જોવા મળી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું HCના આદેશ બાદ ભદ્ર પાથરણાં બજાર ફરી ધમધમતું થયું. જો કે AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:55 pm

ફિલ્મી ઢબે દારૂ ભરેલી બ્રેઝા કાર સાથે એકની ધરપકડ:ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની શાહપુર બ્રિજ પાસે રેડ; એક આરોપી અંધારાનો લાભ લઈ ફરાર

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 8.10 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કાર રોકવાનું કહેતા આરોપીએ ભગાવીઆ અંગેની મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ ઈન્દ્રોડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની સફેદ કલરની વિટારા બ્રેઝા નંબર RJ-23-CC-5327માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેના પગલે ટીમે ખાનગી વાહનોમાં પીછો કરતા શાહપુર બ્રિજ પાસે સર્વિસ રોડ પર પટેલ આઈસ્ક્રીમ શોપ નજીક ગાડીને કોર્ડન કરી લીધી હતી. એક આરોપી કારમાંથી ફરારઆ દરમિયાન મુખ્ય આરોપી નરૂ ઉર્ફે કાળિયો (રહે. બુબી, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, શામળાજી)ને ઝડપી લીધો હતો. દારૂ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્તઆ અંગે એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાએ કહ્યું કે, ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 376 બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂ. 2,95,210નો જથ્થો મળી આવ્યો છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની વિટારા બ્રેઝા ગાડી અને રૂ. 15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,10,210નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ફરાર આરોપી સહિતનાની શોધખોળ શરૂ કરીઆરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો નરૂ ઉર્ફે કાળિયો લાવ્યો હતો અને રતનપુર બોર્ડરથી કરણકુમારને સાથે રાખી અમદાવાદમાં કોઈને સપ્લાય કરવાનો હતો. પોલીસે આ મામલે પકડાયેલ આરોપી, ફરાર આરોપી, ગાડીના માલિક અને દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ મથકના ગુનો દાખલ કરવામાં આવ્યો છે .

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:54 pm

પાટણમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજની ઝૂલેલાલ બાઈકયાત્રા:'આયો લાલ ઝૂલેલાલ'ના નાદ સાથે શ્રદ્ધાળુઓ શહેરના માર્ગો પર ઉમટ્યા

પાટણ શહેરમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે વહે ગુરુ ગ્રુપ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા ચાચરીયા વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરથી પ્રસ્થાન થઈ હતી. યાત્રાના પ્રારંભે ભક્તો દ્વારા 'આયો લાલ ઝૂલેલાલ'ના જયઘોષ કરવામાં આવ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે લીમડીચોક, નગરપાલિકા રોડ, ફત્તેસિંહરાવ લાયબ્રેરી, મદારસા, ત્રણ દરવાજા, દોશીવટ, હિંગળાચાચર અને બગવાડા દરવાજા થઈને ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ - ખાડીયા મુકામે સમાપ્ત થશે. માર્ગમાં આવતા વિવિધ વિસ્તારોમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં સિંધી સમાજના યુવાનો, વડીલો અને શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે પોતાની બાઈક સાથે જોડાયા હતા. પરંપરાગત ઉત્સાહ અને આસ્થા સાથે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર આકર્ષણ જમાવ્યું હતું અને પર્વની ઉજવણીમાં લોકો સહભાગી થયા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:49 pm

BCG ચૂંટણીનું પરિણામ આવવાની શરૂઆત:આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલ કાઉન્સિલના સભ્ય બન્યા, વધુ સભ્યો વિશે આગામી સમયમાં પરિણામ આવશે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે. જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે. આફતાબ હુસૈન અંસારી અને જે.જે. પટેલ કાઉન્સિલના સભ્ય બન્યાBCGના સભ્ય માટે 1929 નો ક્વોટા મેળવવો જરૂરી હતો. આફતાબ હુસૈન અન્સારી 2,398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા બન્યા છે. જે.જે.પટેલને 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે કાઉન્સિલના સભ્ય બન્યા છે. સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદ પરીણામ ચારેક દિવસમાં સ્પષ્ટ થશે. ચૂંટણીમાં કુલ 99 ઉમેદવારો મેદાનમાં હતાકુલ 23 ઉમેદવારો BCGના સભ્યો નક્કી થશે. તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે. ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. 06 માર્ચે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:40 pm

દાદરા નગર હવેલીમાં તોતાપુરી કેરીનું આગમ:ખેડૂતે એકાદશીએ વેચાણ શરૂ કર્યું, પ્રથમ દિવસે ₹2000 ભાવ મળ્યો

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણ પ્રદેશમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ફળોના રાજા કેરીની સિઝન પણ નજીક આવી રહી છે. હાલમાં આંબાવાડીઓમાં તોતાપુરી કેરીનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ છે, જેના પગલે ખેડૂતોએ કેરી ઉતારવાનું શરૂ કર્યું છે. ખેડૂત ભરતસિંહ સોલંકીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો કેરીનો સારો પાક મળશે અને ખેડૂતોને પણ સારો ભાવ મળી રહેશે. આગામી સમયમાં તોતાપુરી કેરી બજારમાં ધૂમ મચાવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:37 pm

પાલનપુરમાં ₹4.60 કરોડના ખર્ચે નવો ડેપો-વર્કશોપ બન્યો:મંત્રી પ્રવીણભાઈ માળીએ આધુનિક સુવિધાઓવાળા સંકુલનું લોકાર્પણ કર્યું

પાલનપુર ખાતે રાજ્યના પરિવહન માળખાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી ₹4.60 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક ડેપો-વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે આ સંકુલનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અને ધારાસભ્યએ એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટર કર્મચારીઓને સ્વહસ્તે ભોજન પીરસીને પ્રોત્સાહિત કર્યા હતા. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વર્કશોપ ખાતેની વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તૈયાર કરાયેલું આ નવું વર્કશોપ બિલ્ડિંગ 15,712 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. જૂના અને જર્જરિત ડેપોનું ડિમોલિશન કરીને અત્યાધુનિક આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળું બાંધકામ કરવામાં આવ્યું છે. આ વર્કશોપ બસોના ઝડપી અને ગુણવત્તાયુક્ત મેન્ટેનન્સ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધામાં વધારો કરશે. વર્કશોપના ગ્રાઉન્ડ ફ્લોર પર 998.38 ચોરસ મીટરનો બિલ્ટઅપ એરિયા છે. અહીં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, સ્ટોર, ઓઈલ રૂમ, ટાયર અને બેટરી રૂમ જેવી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, બસોના સમારકામ માટે લોન્ગ સર્વિસ પીટ અને યુ-શેપ પીટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે કર્મચારીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ, વર્કર્સ રૂમ, રેકોર્ડ રૂમ અને ડિસ્પેન્સરી જેવી પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. સમગ્ર સંકુલમાં 6,000 ચોરસ મીટર વિસ્તારમાં સી.સી. ટ્રિમિક્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. પાલનપુર એસ.ટી. વિભાગ હાલમાં વિશાળ ફલક પર કાર્યરત છે, જેમાં કુલ 2,896 કર્મચારીઓ (1,147 ડ્રાઈવર અને 1,269 કંડક્ટર સહિત) ફરજ બજાવી રહ્યા છે. આ વિભાગ હેઠળ 7 ડેપો વર્કશોપ અને 8 કંટ્રોલ પોઈન્ટ્સ કાર્યરત છે. હાલમાં 647 બસો દ્વારા દૈનિક 594 શિડ્યુલ અને 2,881 ટ્રિપો મારફતે આશરે 2.69 લાખ કિલોમીટરનું અંતર કાપીને નાગરિકોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. એસ.ટી. વિભાગ દ્વારા 99.34% ગ્રામીણ વિસ્તારોમાં બસ સેવા પહોંચાડવામાં આવે છે. દૈનિક 1.19 લાખ મુસાફરો આ સેવાનો લાભ લે છે, જેમાં 18 હજાર ગ્રામીણ વિદ્યાર્થીનીઓને 100% ફ્રી પાસ અને 24 હજાર વિદ્યાર્થીઓને રાહત દરે મુસાફરીનો લાભ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ડીંડોલીમાં ધોળે દિવસે યુવકની ઘાતકી હત્યા, ગેસના વિકલ્પમાં ચુલાનો ઉપયોગ શરૂ કરાતા લાકડાના ભાવમાં ભડકો

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:હાથમાં છરો લઈને યુવતી બેફામ બની, કાર્યકરોએ ભાજપ MLA ડો.હસમુખ પટેલ સામે જ મોરચો માંડ્યો

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:26 pm

મુખ્યમંત્રીએ દાહોદને ₹367.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી:સિંગવડમાં સેવા સદન, ગરબાડામાં એકલવ્ય સ્કૂલનું લોકાર્પણ; GIDCનું પણ ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. સિંગવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે તાલુકા સેવા સદન અને ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ અને નવી GIDC પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ તેમના હસ્તે સંપન્ન થયું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વનબંધુઓના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે, અને આ નવા પ્રોજેક્ટ્સ દાહોદ જિલ્લાના વિકાસને નવી ગતિ આપશે. સિંગવડ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંગવડ તાલુકા સેવા સદન, ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ, નવી GIDC, રમતગમતના મેદાનો અને દેવગઢ બારિયામાં આદર્શ નિવાસી શાળાના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સહિતના મહત્વના કામો ખુલ્લા મૂક્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે દાહોદ જિલ્લો ઐતિહાસિક રીતે આદિવાસી ગૌરવ અને સ્વાતંત્ર્ય આંદોલન સાથે જોડાયેલો છે. તેમણે 2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાયેલી વનબંધુ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો, જેનાથી આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટું રોકાણ થયું છે. નર્મદાના પાણી દ્વારા દાહોદ, છોટા ઉદેપુર અને પંચમહાલના તળાવો ભરવાના ₹5500 કરોડના પ્રોજેક્ટથી 51,000 હેક્ટરથી વધુ જમીનને સિંચાઈનો લાભ મળશે. દાહોદના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં દાહોદ જિલ્લાને વિકાસની નવી દિશા મળી છે. અગાઉ વંચિત ગણાતો આ જિલ્લો આજે દેશના નકશામાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમણે જિલ્લામાં રેલવે ક્ષેત્રે મોટા રોકાણ, ઇલેક્ટ્રિકલ એન્જિન ઉત્પાદન એકમ અને રાષ્ટ્રીય રાજમાર્ગોના વિકાસથી આર્થિક પ્રગતિ તેજ બન્યાનો ઉલ્લેખ કર્યો. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્ય મંત્રી રમેશ કટારા, સહ પ્રભારી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર અને ધારાસભ્યો શૈલેષ ભાભોર, બચુ ખાબડ, મહેન્દ્ર ભાભોર, મહેશ ભુરીયા તથા કનૈયાલાલ કિશોરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:25 pm

દેવભૂમિ દ્વારકામાં ગાંજા સાથે એક ઝડપાયો:રૂ. 19,170નો જથ્થો જપ્ત, અન્યની શોધખોળ ચાલુ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી એસ.ઓ.જી. ટીમે 54 વર્ષીય મહિપતસિંહ મનુભા જાડેજાને 383.4 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹19,170 આંકવામાં આવી છે. જિલ્લા એસ.ઓ.જી. પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ કલ્યાણપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. બાતમીના આધારે ખાખરડા ગામમાં ખેતી સાથે સંકળાયેલા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજાના રહેણાંક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના ઘરમાંથી કુલ 383.4 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો. આ મામલે વધુ પૂછપરછ કરતા જામનગરમાં રહેતા દિનેશ ગોજીયા નામના વ્યક્તિનું નામ પણ સામે આવ્યું છે. પોલીસે તેની સંડોવણી અંગે તપાસ શરૂ કરી છે અને તેને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 5:22 pm

પાટડીમાં સગીરાએ બાળકને જન્મ આપ્યો:સરકારી ડોક્ટરે પોલીસને જાણ કરતાં દુષ્કર્મનો ખુલાસો થયો; 60 વર્ષના આરોપીને તરત દબોચી લેવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એક સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકના એક ગામમાં 14 વર્ષની સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. હોસ્પિટલના ડોકટરો દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તે જ ગામના 60 વર્ષીય આધેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સગીરા આરોપી ભરવાડ શાદુળભાઈ ભગાભાઇના ઘરે ઘરકામ કરવા જતી હતી. તે દરમિયાન આરોપીએ સગીરાને લલચાવી ફોસલાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પીઆઈ બી. સી. છત્રાલીયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:52 pm

સોમનાથના જોખમી સમુદ્રમાં યાત્રિક મહિલા તણાઈ:10 સ્થાનિક ફોટોગ્રાફર-અશ્વસવારોએ સમુદ્રમાં ઝંપલાવી દોરડાની મદદથી પ્રચંડ મોજાં વચ્ચે જીવના જોખમે નવજીવન આપ્યું

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકાંઠે આજે (15 માર્ચે) રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયાના ઉછળતા મોજાંની મોજ માણવા ગયેલી એક મહિલા યાત્રિક અચાનક ઊંડા પાણીમાં તણાવા લાગી હતી. જોકે, કાંઠે હાજર સ્થાનિક યુવાનોની સમયસૂચકતા અને અદભૂત સાહસને કારણે મહિલાને નવજીવન મળ્યું છે. મોજમસ્તી બની જીવનું જોખમ રવિવારે બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે સોમનાથ બીચ પર યાત્રિકોની ભારે ભીડ હતી. આ દરમિયાન એક મહિલા પ્રવાસી દરિયાના મોજાંનો આનંદ લેવા કિનારાની નજીક ગઈ હતી. અચાનક સમુદ્રમાં કરંટ વધતા અને ઊંચા મોજાં ઉછળતા મહિલા સંતુલન ગુમાવી બેઠી હતી અને જોતજોતામાં દરિયાના ઊંડા પાણીમાં ખેંચાવા લાગી હતી. મહિલાને ડૂબતી જોઈ કિનારે ઉભેલા સહેલાણીઓમાં ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક યુવકો બન્યા 'દેવદૂત' મહિલાનો જીવ જોખમમાં જોઈને ત્યાં રોજી-રોટી કમાતા સ્થાનિક યુવકોએ જરાપણ વિલંબ કર્યા વગર મેદાને પડ્યા હતા. બીચ પર ફોટોગ્રાફી કરતા યુવકો, ઘોડેસવાર અને ઊંટસવાર સહિત અંદાજે 10 જેટલા યુવાનો દોરડા લઈને દરિયામાં કૂદી પડ્યા હતા. દરિયાના પ્રચંડ મોજાં અને ખેંચાણ વચ્ચે આ યુવકોએ માનવ સાંકળ રચી અને દોરડાની મદદથી મહિલા સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે દરિયાની બહાર કાઢી લાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોના મતે, જો આ યુવકોએ સેકન્ડોની પણ વાર કરી હોત, તો મહિલાનું મોત નિશ્ચિત હતું. સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, જો આ યુવાનો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી જાનહાનિ થઈ હોત. આ યુવકોએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર જે માનવતા બતાવી છે તે ખરેખર વંદનીય છે. નિષેધ હોવા છતાં બેદરકારી નોંધનીય છે કે, સોમનાથનો દરિયા કિનારો અત્યંત જોખમી માનવામાં આવે છે. અહીં અગાઉ પણ અનેક ડૂબી જવાની ઘટનાઓ બની હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દરિયામાં નહાવા કે ઉતરવા પર પ્રતિબંધાત્મક જાહેરનામું અમલમાં છે. તેમ છતાં, પ્રવાસીઓ ઉત્સાહમાં આવીને જોખમ ખેડતા હોય છે, જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:49 pm

ભક્તિના ઓથે 'લાલો' બની છુપાયેલો ઠગ ઝડપાયો:12 લાખની છેતરપિંડી કરી 10 મહિનાથી આશ્રમમાં સેવા કરતો હતો, ઊંઘતી હાલતમાં જ પોલીસે દબોચ્યો

સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી 'લાલો' નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો, જ્યાંથી સુરત પોલીસે તેને દબોચી લીધો છે. શું હતો સમગ્ર મામલો?બોટાદ જિલ્લાના બરવાળાનો રહેવાસી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39)એ ડિસેમ્બર, 2024માં એક વેપારી પાસેથી મોબાઈલ હેન્ડસેટ, સ્માર્ટ વોચ અને બ્લૂ-ટુથ જેવી એસેસરીઝ મળી કુલ રૂ. 11,79,499નો માલ ખરીદ્યો હતો. બજારના નિયમ મુજબ 30 દિવસમાં નાણાં ચૂકવવાની ખાતરી આપી હોવા છતાં તેણે પેમેન્ટ કર્યું નહોતું અને છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો. આ મામલે ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 'દર્શનાર્થી' બની છટકું ગોઠવ્યુંઆરોપીને પકડવા માટે પી.આઈ. એન.જી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. વી.ટી. ડોડીયાની ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધર્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી વિરમગામના વંથલ ગામે આવેલા શ્રી પુરુષોત્તમ લાલજી મહારાજ આનંદ આશ્રમમાં નામ બદલીને રહે છે. પોલીસની ટીમ દર્શનાર્થી બનીને આશ્રમમાં પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે 'લાલો' નામનો વ્યક્તિ ગૌશાળામાં સૂતો છે. પોલીસે મોકો જોઈ ગૌશાળામાંથી જ ઊંઘતી હાલતમાં ધનંજયને ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસઆરોપી ધનંજય નરસિંહભાઈ છેટા (ઉં.વ. 39 રહે. પુરાણીયા શેરી, રામપરા ગામ, તા-બરવાળા, જિ. બોટાદ) સામે અગાઉ ગુનો નોંધાઈ ચુક્યો છે. 2016માં વરાછા પોલીસ મથકે કલમ 406, 420 હેઠળ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. જ્યારે હાલ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં BNS-2023ની કલમ 318(4) મુજબ ગુનો દાખલ કરીને ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:31 pm

નવસારીમાં ખનિજ વિભાગે ₹171 કરોડની વસૂલાત કરી:રોયલ્ટી આવક ₹100 કરોડને પાર, દ.ગુજરાતમાં સૌથી વધુ

નવસારી જિલ્લામાં ખાણ-ખનિજ વિભાગે ગેરકાયદે ખનિજ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. વિભાગે ચાલુ નાણાકીય વર્ષમાં ₹171.42 કરોડની વસૂલાત કરી છે, જ્યારે રોયલ્ટીની આવક ₹100 કરોડને વટાવી ગઈ છે. આ આવક દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે, જે સરકારી તિજોરીને મજબૂત બનાવવામાં મદદરૂપ થઈ છે. ખનિજ ચોરી અટકાવવા માટે વિભાગે ત્રણ મુખ્ય સ્તરે કામગીરી કરી છે. ગેરકાયદે ખનનના 8 કેસમાં ₹1.42 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વાહનો દ્વારા થતી ગેરકાયદે વહનના 27 કેસમાં સૌથી વધુ ₹24.56 કરોડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત, ગેરકાયદે સંગ્રહના 2 કેસમાં સ્ટોકિસ્ટો પાસેથી ₹2.27 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. એપ્રિલ માસથી અત્યાર સુધીમાં કુલ 83 કેસમાં ₹64.69 કરોડની વસૂલાત થઈ છે. સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન, કુલ 154 કેસની સામે ₹171.42 કરોડની માતબર રકમ વસૂલવામાં વિભાગને સફળતા મળી છે. આ કાર્યવાહી દરમિયાન, ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 182 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ખનિજ સંપત્તિ ધરાવે છે. ખાસ કરીને ચીખલી તાલુકાના ડુંગરાળ પ્રદેશમાં આવેલી બ્લેક સ્ટોનની ખાણો રોયલ્ટી પેટે સરકારને મોટી આવક પૂરી પાડે છે. આ આવક વધારવા માટે તંત્ર દ્વારા વધુ 13 નવી લિઝ પણ મંજૂર કરવામાં આવી છે. ખાણ-ખનિજ વિભાગના સૂત્રો અનુસાર, વર્ષ 2025-26 માટે રોયલ્ટીની આવકનો અંદાજ ₹145 કરોડ રાખવામાં આવ્યો છે, જ્યારે વિભાગ ₹150 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યું છે. ખનિજ માફિયાઓ દ્વારા થતી ચોરીને કારણે તિજોરીને થતું નુકસાન અટકાવવા આગામી દિવસોમાં હજુ વધુ કડક તપાસ હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:25 pm

સુરતમાં બ્રહ્મસમાજની બહેનો માટે રોજગાર મેળાનું આયોજન:75થી વધુ સ્ટોલ્સ દ્વારા 'વોકલ ફોર લોકલ'ને વેગ; સરકારી યોજનાઓ અને લોનનું માર્ગદર્શન અપાયું

આજે સુરત ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા મહિલા પાંખ, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજની બહેનો માટે એક વિશેષ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓ અને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો અને તેમને ઉદ્યોગ સાહસિકતા તરફ વાળવાનો છે. આ રોજગાર મેળાનો મંગલ પ્રારંભ સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણી સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, જ્યારે સમાજની મહિલા આર્થિક રીતે સક્ષમ બને છે, ત્યારે આખો પરિવાર અને રાષ્ટ્ર પ્રગતિ કરે છે. બ્રહ્મ સમાજ દ્વારા લેવામાં આવેલી આ પહેલ અન્ય સમાજો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે મેળાનું આયોજનવડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલના આહવાનને વેગ આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં પ્રદર્શિત કરવામાં આવેલી મોટાભાગની વસ્તુઓ બહેનો દ્વારા ઘરે અથવા નાના પાયે તૈયાર કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ થકી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળ્યું છે અને મહિલાઓને સીધા ગ્રાહકો સાથે જોડાવવાની તક મળી છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય જોવા મળ્યું આ મેળામાં કુલ 75થી પણ વધારે સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ખાણી-પીણી, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, કપડાં, ઘર સુશોભનની વસ્તુઓ અને આયુર્વેદિક ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરવામાં આવ્યું છે. બહેનોમાં છુપાયેલી કળા અને વ્યવસાયિક કૌશલ્ય અહીં જોવા મળી રહ્યું છે. મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુંઆ રોજગાર મેળાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં માત્ર વેચાણ જ નહીં, પરંતુ મહિલાઓને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાની ટીમ દ્વારા મહિલાઓ માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓના ફોર્મ અને માહિતી માટે વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યા છે. નવો ઉદ્યોગ શરૂ કરવા માંગતી બહેનોને સરકાર તરફથી મળતી લોન, સબસિડી અને અન્ય પ્રોત્સાહનો વિશે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. જે યુવતીઓ ખાનગી ક્ષેત્રમાં નોકરી કરવા ઈચ્છે છે, તેમને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અને કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થાઆ મેળો માત્ર આર્થિક પ્રવૃત્તિ પૂરતો મર્યાદિત નથી. આયોજકો દ્વારા સામાજિક જાગૃતિ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અંગદાન જાગૃતિ અભિયાન માટેનો ખાસ સ્ટોલ રાખવામાં આવ્યો છે, જ્યાં લોકોને અંગદાનનું મહત્વ સમજાવી સંકલ્પ પત્રો ભરાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, બ્રહ્મ સમાજના વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા કરવામાં આવતી સામાજિક પ્રવૃત્તિઓથી પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. 'ફાઉન્ડેશન અને બ્રહ્મ સમાજે અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું'જાગૃતિ બહેને જણાવ્યું હતું કે, બ્રહ્મ સમાજ દ્વારા આજે જે આયોજન કરવામાં આવ્યું છે, અહીંયા ટોટલ 75 જેટલા સ્ટોલ છે, જે લેડીઝોને આત્મનિર્ભર બનાવવા માટેના છે. મેજોરિટી વસ્તુ લેડીઝો જે ઘરેથી કરે છે, જે લોકોને પ્લેટફોર્મની જરૂર છે, તે લોકોને પ્લેટફોર્મ સારું એવું આજે મળી રહ્યું છે. અમારો એમાં આ કોટનનું કુર્તી અને તેનો સ્ટોલ છે, એકદમ રિઝનેબલ પ્રાઇસથી છે જે દરેક લોકો અફોર્ડ કરી શકે તેવું છે. અને સારી એવી અહીંયા આ લોકોએ વ્યવસ્થા કરી આપી છે, તો થેન્ક્યુ આ ફાઉન્ડેશનને અને બ્રહ્મ સમાજને કે એ લોકોએ અમને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કરાયુંધારિત્રી બહેને જણાવ્યું હતું કે, આજે જે સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા 75 સ્ટોલોનું બહેનો માટે આયોજન કર્યું છે કે જેથી રોજગાર મળી રહે, એમાં અમે આજે કોટનની કુર્તીઓ જે એકદમ રીઝનેબલ ભાવથી ઘરેથી જ કામ કરીએ છીએ પણ આજે અમને એક પ્લેટફોર્મ મળ્યું. આ પ્લેટફોર્મ થકી અમે કઈંક રોજગાર પણ કરી શકીએ અને આગળ અમે એડવર્ટાઈઝ પણ કરી શકીએ. તો જે આ કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા અને સમસ્ત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા એક સારું પ્લેટફોર્મ અમને પૂરું પાડ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:23 pm

મંદિર બંધ થતા જ કમ્પાઉન્ડમાં દારૂ ગાંજાની મહેફિલ:અમદાવાદનું મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?, રામેશ્વર ટ્રસ્ટની વીડિયો સાથે પોલીસને અરજી

અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ સામાજિક તત્વો દારૂ અને ચરસની મહેફીલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમે છે. આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી છે. જેને લઇને પોલીસ દ્વારા હાલ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે. મહાદેવ મંદિર પરિસર ને ગાર્ડન અસામાજિક તત્વોનો અડ્ડો?મળતી વિગત અનુસાર, ઘાટલોડિયામાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇને અરજી પણ આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રામેશ્વર મહાદેવનું મંદિર તથા અમુલનો બગીચો વર્ષોથી સ્થાપિત છે. બગીચાનું સંચાલન અમુલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 'મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂનું સેવન'અરજી મુજબ, બપોરના સુમસામ સમયે 12:30થી 04:30 તથા રાત્રે 8:30થી આખી રાતના સમયગાળામાં અસામાજિક તત્વો દ્વારા મંદિરના પગથિયા ઉપર બેસીને ગાંજો, ચરસ, ધૂમ્રપાન તથા દારૂ જેવા પદાર્થોનું સેવન કરવામાં આવતું હોય છે. અભદ્ર ભાષા બોલે છે. જેનો વીડિયો પણ છે. મંદિરના પગથિયાં પર પાન મસાલા ખાઈને પિચકારી મારી ગંદકી પણ કરવામાં આવી રહી છે. ટ્રસ્ટે પોલીસ સ્ટેશનમાં બે અરજી કરીમહાદેવ મંદિરના રામેશ્વર સેવા ટ્રસ્ટ દ્વારા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં બે અરજી કરવામાં આવી છે.જેમાં મંદિર અને બગીચાની આસપાસ પોલીસ પેટ્રોલિંગ અને કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારાયું - PIઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ સી. જી. જોશીએ જણાવ્યું હતું કે, મંદિર તરફથી અરજી મળ્યા બાદ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. મંદિર આસપાસ કાયમી પોલીસનો પોઇન્ટ પણ મૂકવામાં આવશે. મંદિર દ્વારા કરવામાં આવેલી અરજી પર ત્વરિત પગલા લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:18 pm

દિલ્હીમાં ગુજરાતના રત્નો ઝળહળ્યા:દિવ્ય ભાસ્કર 'રત્ન એવોર્ડ્સ'માં 40થી વધુ ઉદ્યોગપતિઓ સન્માનિત; સી.આર.પાટીલના હસ્તે સન્માન અપાયું

આપણા રાજ્યના ઉદ્યોગપતિઓએ માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની ઇકોનોમિક પ્રોગ્રેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ જ કોન્ટ્રીબ્યુશનને નવાજવા અને સમાજમાં ઇન્સપાયરીંગ વ્યક્તિત્વને જાહેર કરવા માટે દિવ્ય ભાસ્કર દર વર્ષે રત્ન એવોર્ડ્સનું આયોજન કરે છે. આ વર્ષે પણ દિવ્ય ભાસ્કરે દિલ્હી ખાતે ભવ્ય કાર્યક્રમ સાથે ગુજરાતના રત્નો સમાન બિઝનેસ સહસિકોને સન્માનિત કર્યા હતા. દિલ્હીના ભવ્ય માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરતા 40થી વધુ ઉદ્યોગપતિઓ અને સમાજસેવી વ્યક્તિત્વોને રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. બિઝનેસ, ઉદ્યોગ, સેવા, નવીનતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આ તમામ મહાનુભાવોને દિલ્હીમાં ભારત સરકારના સેન્ટ્રલ કેબિનેટ મિનિસ્ટર સી.આર.પાટીલના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. સી.આર. પાટીલે હાજર ઉદ્યોગપતિઓને સંબોધતા કહ્યું કે, “આજના સમયમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સ દેશની અર્થવ્યવસ્થાના મુખ્ય આધાર બની રહ્યા છે. ગુજરાતના ઉદ્યોગપતિઓએ હંમેશા નવી ટેક્નોલોજી અપનાવીને વિકાસના નવા માપદંડ સ્થાપિત કર્યા છે.' ગુજરાતના આ રત્નો જેની ઉદ્યોગ સાહસિકતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આ સન્માન આપાવ્યું. સુધીર નાણાવટી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિતકાયદાકીય અને શિક્ષણ ક્ષેત્રે આદર્શ નેતૃત્વ કરનાર સુધીર નાણાવટી GI 5 યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. આજે બહુમૂલ્ય 15000+ વિદ્યાર્થીઓને શિક્ષણ આપી GIS યુનિવર્સિટીને 3.44 (પ્રથમ સાઇકલ)ના CGPA સાથે NAAC A+ ગ્રેડ એનાયત થયો છે, જે તેને સૌથી વધુધોઈન્ટ પ્રાપ્ત કરનારી ગુજરાતની એકમાત્ર પ્રાઈવેટ યુનિવર્સિટી (જનરલ કેટેગરીમાં) બનાવે છે. તેમની સેવાને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે અને તેમણે યુવા પેઢીને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું છે. યુનિવર્સિટી તરફથી ‘લિફ’ નામનું ઈન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે ઇમ્પ્લોયમેંટ અને સ્ટાર્ટઅપ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેમણે યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીયકરણ તરફ દોરી જતા સંકલનાત્મક સહયોગો જેવા કે યુ.કે., ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને દુબઈની યુનિવર્સિટીઓ સાથે મજબૂત ભાગીદારી દ્વારા વૈશ્વિક ઊંચાઈ અપાવી છે. ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવમાં 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરીવૈશ્વિકસ્તરે સતત બદલાતી જતી લાઇફસ્ટાઈલના કારવી નવા-નવા રોગનું થઈ છે. રોગનું મૂળ વધતું વજન છે તેમ કહેવું ખોટું નથી. ઓબેસીટિના કારણે અનેક રોગો થઈ રહ્યાં છે. મેદસ્વીતા મોટી ઉમરના લોકોમાં જ જોવા મળે છે એવું નથી હવે ટીનએજ 13-17 વર્ષના બાળકોમાં સૌથી વધુ સમસ્યા જોવા મળી રહી છે. પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ રોબોટીક બેરિયાટ્રિક સર્જરી રેડિયન્સ હોસ્પિટલમાં કરવામાં આવી છે. . ડૉ.અપૂર્વ વ્યાસના 30 વર્ષના અનુભવ અને કુલ 18000થી વધારે લેપ્રોસ્કોપીક સર્જરી કરી છે. 13 વર્ષમાં 90 કિલોથી 300 કિલો વજનવાળા દર્દીઓ પર 7000થી વધુ સ્થૂળતા સર્જરી કરી છે. તેમણે મેદસ્વિતાની સારવાર માટે રેડિયન્સ હોસ્પિટલનું ગુજરાતનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનાવ્યું છે. ધીરેન્દ્ર સોમકુંવર 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીને વધારવાના કાર્ય સાથે સંકળાયેલાએનર્જીમાં ફેરવવાનું વિઝન ધરાવતી ગુજરાતની એકમાત્ર કંપની છે પંક્તિ ઇન્ડસ્ટ્રીઝ પ્ર લિ. જેઓ છેલ્લા 16 વર્ષથી ઈન્ડક્શન ટેક્નોલોજીના ઉપયોગને વધારવાનું કાર્ય કરતા આવ્યા છે. પ્રોડક્ટ બનાવીને વેંચવાની નહિં.પણ તેનાથી પર્યાવરણ અને ઇલેક્ટ્રિસિટી કેવી રીતે બયાવી શકાય તેવા ધ્યેય સાથે પંક્તિ ઈન્ડસ્ટ્રી પ્રા.લિ. સાથે પીરેન્દ્ર સોમકુંવર કાર્યરત છે. ધીરેન્દ્રભાઇએ જ્યારે આ ટેક્નોલોજી જોઇ ત્યારે કોમર્શિયલ માર્કેટમાં જો આ ટેક્નોલોજી આવે તો ગેસ અને લાકડાનો ઘણો ખરો વપરાશ ઓછો થશે એવા એક વિઝન સાથે ગુજરાતમાં ઇન્ડક્શન ટેક્નોલોજીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં લોકોને અવેરનેસ ન હોવાને કારણે ઘણો સંઘર્ષ રહ્યો પણ આજે તેઓ સમગ્ર ગુજરાત અને 8 દેશોમાં આ ટેક્નોલોજી સપ્લાય કરે છે. પંક્તિ ઇન્ડસ્ટ્રી પ્રા.લિ. આજે 100 કિલોવોલ્ટની કેપેસિટીવાળું એક ઇક્વિપમેન્ટ બનવવામાં સફળ રહ્યાં છે. ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠઅમેરિકમાં રિટેલ સેક્ટરનું ઓટોમેશન કરનાર આગવી IT કંપનીઓમાં સાયપ્રય ગ્રુપ'નું નામ શ્રેષ્ઠ ગણાય છે. કંપનીના સ્થાપક ઘનશ્યામ નાયક આજે વૈશ્વિક સ્તરે જાણીતા ટેક વિઝનરી લીડર છે. અમેરિકામાં રહેતા હોવા છતાં તેમણે ભારતમાં ગુજરાતને પોતાનું કર્મનું કેન્દ્ર બનાવ્યું છે. માત્ર IT સેવા પૂરતું સીમિત ન રહીને રિટલ ઈન્ડસ્ટ્રીમાં આર્ટિફશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે માટેના રિસર્ચમાં તેમનું સૌથી મોટું યોગદાન આ ક્ષેત્રમાં સર્વોચ્ચ રહેશે. સાયપ્રમ ગ્રુપે રિટેલ ઇન્ડસ્ટ્રીમાં AIનો ઉપયોગ કેવી રીતે વધુ અસરકારક બની શકે તે માટે વિશિષ્ટ સંશોધન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં સ્થાપિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ આધુનિક ટેક્નોલોજીમાં તાલીમ માટે યુવાનો માટે આશીર્વાદરૂપ બની છે. AI પર આધારિત રિસર્ચ લેબની શરૂઆત કરનારા પ્રથમ ભારતીયમાં તેમનું સ્થાન છે. 2020માં યુ. એસ. બેંક તરફથી ‘બેસ્ટ અચીવર એવૉર્ડ’ તેમણે મેળવેલો છે. ‘અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું’સખત મહેનત એ એકમાત્ર સિદ્ધાંત છે જે આપણને ક્યારેય નિષ્ફળ બનાવતો નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણી આગામી પેઢી ફક્ત વારસો નથી જાળવતી, તેને વધુ આગળ વધારવા ઉત્સાહી છે. અમારું વિઝન સપ્લાય ચેઇનમાં ઇન્ડિયાને ગ્લોબલ લીડર બનાવવાનું છે. આજે ભારતભરના 5 રાજ્યોમાં 9 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે, જેમાં 4 હજારથી વધારે લોકોને રોજગારી મળે છે તેમજ 120થી વધુ દેશોમાં એક્સપોર્ટ સાથે ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ લિમિટેડ એ એગ્રી-પ્રોસેસિંગમાં ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ તરીકે ઉભરી આવી છે. કંપનીમાં આગામી પેઢીના નેતૃત્વના પ્રતિનિધિ શ્રેયાન ગુપ્તા પોતાના પિતાની સાથે કંપનીમાં જોડાયા છે અને તેઓએ યુનાઈટેડ કિંગડમની વોરવિક યુનિવર્સિટીમાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેમણે હવે કંપનીના ફર્મેન્ટેશન ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ સંભાળ્યું છે, જે આ ઉચ્ચ-વૃદ્ધિવાળા સેગમેન્ટમાં નવો અભિગમ અને સ્ટ્રેટજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 6 પેટન્ટ નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરીમાનવ જીવનમાં જેટલું હદયનું મહત્વ છે તેનાથી પણ વિશેષ મહત્વ આંબને આપવું જરૂરી બન્યું છે. આંખની દ્રષ્ટિ અઘતન ટેક્નોલોજી દ્વારા લાંબા સમય માટે ટકાવી રાખવા નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલના વિટ્રીઓ રેટીના સર્જન ડોક્ટર પાર્થ રાણાએ દેશભરમાં નામના મેળવી છે. 6 પેટન્ટ તેમના નામ પર કરી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આંખની એન્જીઓગ્રાફી કરવામાં આવે છે જે માટેનું વૈશ્વિક સ્તરે સૌથી અદ્યતન સાધન ઓપ્ટોસ કેલિફોર્નિયા RGB ભારતમાં સૌ પ્રથમ નેત્રાલયમાં લાવવામાં આવેલ છે. ગુજરાતની સૌ પ્રથમ નેત્રાલય હોસ્પિટલમાં અલ્ટ્રા વાઇડ ફિલ્ડ રેટીનલ ઇમેજીંગ સીસ્ટમ દ્વારા દર્દીની કીકી પહોળી કર્યા વગર પડદાની તપાસ કરવામાં આવે છે, જેનાથી દર્દીઓને સરળતાથી આંખના પડદાની તપાસ થાય છે અને સાથે કોઇ માણસ લઇને આવવાની જરૂર રહેતી નથી. ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યારાજેશ બ્રહ્મભટ્ટની લીડરશિપ હેઠળ કંપનીએ ભારતમાં 70થી વધુ મહત્વપૂર્ણ પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા છે અને 46 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તાર વિકસાવ્યો છે. કંપનીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરે નામના મંગવી છે. આ ઉપરાંત, સામાજિક કાર્યોમાં CEPT યુનિવર્સિટીને લેક્ચર નોલ 7,86,000 સર્વે. ફિમાં 1600 જેટલા પરિવારો માટે રિહેબિલિટેશન હાઉસિંગ અને ઉભરતા કલાકારોને વધુ પ્રોત્સાહન મળે એ માટે Abir ગ્રૂપના માધ્યમથી આર્ટક્ષેત્રે યોગદાન આપીને એક ઉત્તમ સમાજસેવી કંપનીમાં પરિવર્તિત કરી છે. ગુજરાત સ્ટેટ એવોર્ડ દ્વારા ‘બેસ્ટ એમ્પ્લોયર ઓફ ડિસએબલ્ડ પીપલ(2009)’, સહિત અઢળક નામાંકિત એવોર્ડસ એનાયત થયેલ છે. કંપની એમડી રૂપેશભાઈના પ્રયત્નો થકી BSAFAL એ સસ્ટેઈનેબલ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરીને રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહી છે. 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં 10 લાખ વૃક્ષારોપણનું લક્ષ્યગ્રીન ઇકોનોમી, સામાજીક જવાબદારી નિભાવવામાં સતત અગ્રેસર એવા ચિરીપાલ ગ્રુપમાં સેકન્ડ જનરેશન ઝડપી વિઝન સાથે આગળ વધી રહી છે. યંગ જનરેશન ગ્રીન ઈકોનોમીને વેગ આપવા માટે સોલાર-રિન્યુએબલ એનર્જી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ ઉપરાંત હવે ઈથનોલ સેગમેન્ટમાં પણ પ્રવેશ્યું છે. કંપનીનું નવું ફોક્સ ઈથેનોલ સેગમેન્ટ જેમાં ટ્રુ બાયોગ્રીન ફ્યુઅલની શરૂઆત આ વર્ષમાં થશે. જેની ઉત્પાદન ક્ષમતા 300 કિલો લિટર પ્રતિ દિવસની રહેશે. હેલ્થ, એજ્યુકેશન ઉપરાંત પર્યાવરણ મુદ્દે ચિરીપાલ ગ્રુપ દ્વારા સૌથી વધુ સીએસઆર એક્ટિવિટી કરવામાં આવી રહી છે. પર્યાવરણને બચાવવા માટે ગ્રુપે વર્ષ 2032 સુધીમાં અમદાવાદ અને આસપાસના ગામોમાં મળીને કુલ 10 લાખનું વૃક્ષારોપણનો અને ઉછેર કરવાનો છે. આ વર્ષે ગ્રીન યોદ્ધા થીમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. બારેજા આસપાસના 90 ગામોના યુવાઓ માટે શાંતિ પોલિટેક્નિક સ્કૂલ શરૂ કરી છે. ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવ્યાવર્ષ 2017માં ગ્રીનપીલ કંપનીની શરૂઆત અને 10 વર્ષથી પણ ઓછા સમયમાં ગુજરાત અને ભારતભરમાં રિન્યુએબલ એનર્જીના MEGA પ્રોજેક્ટ સફળ બનાવી રહ્યાં છે. 15 વર્ષથી વધારેનો ટેક્નિકલ અનુભવ ધરાવતા બે ફાઉન્ડર્સ દ્વારા શરૂ થયેલી ગ્રીનપીલ આજે 90થી વધારે લોકોને પ્રત્યક્ષ રીતે અને 250થી વધારે લોકોને પરોક્ષ રીતે રોજગારી આપી રહી છે. ગુજરાતમાં ગ્રીન એનર્જીનો IPO લઈને આવનારી કંપની ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રા.લિ. ફર્સ્ટ જનરેશન આંત્રપ્રિન્યોર મહેશ્વરી બ્રધર્સ એ માત્ર 10 વર્ષમાં ગ્રીનપીલને સોલાર એનર્જી (EPC IPP) બેટરી સ્ટોરેજ, ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે ભારતમાં અગ્રેસર બનાવી છે. કંપની પાસે 1000 એકર્સથી પણ વધારે લેન્ડ બેંક ગુજરાતમાં છે અને તેના પર 66 KVના સોલાર પાર્ક ડેવલપ કરી થર્ડ પાર્ટી - ગ્રુપ કેપટિવ મોડેલ દ્વારા MNC, કોર્પોરેટ્સ, ઈન્ડસ્ટ્રીને ગ્રીન પાવર સપ્લાય કરે છે. જીજ્ઞેશ પટેલેની કંપની અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું ‘પાવર પરફેક્શન’વડોદરા સ્થિત પાર્થ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. આજે ટેકનોલોજી અને અતૂટ વિશ્વાસના જોરે ગુજરાતનું 'પાવર પરફેક્શન' બન્યું છે. કંપનીના એમ.ડી. જીજ્ઞેશ પટેલે નોકરીના અનુભવ બાદ 200૫માં માત્ર ૫ વ્યક્તિઓ સાથે સર્વિસ પ્રોવાઈડર તરીકે સાહસ શરૂ કર્યું હતું, જે આજે 200થી વધુ લોકોને રોજગારી આપતી અગ્રણી કંપની બની છે. જીજ્ઞેશભાઈના કુશળ મેનેજમેન્ટ હેઠળ કંપનીએ 2009માં આધુનિક જાપાનીઝ મશીનરી સાથે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ગુજરાતનું પ્રથમ 220 KV GIS સબસ્ટેશન સ્થાપવાનું ગૌરવ હાંસલ કર્યું. માત્ર ઉપકરણો જ નહીં પણ દરેક પ્રોજેક્ટનું સચોટ સોલ્યુશન આપતી આ કંપની પાસે 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી મજબૂત ટીમ છે. આગામી સમયમાં ઓડિશા અને બરોડામાં નવા યુનિટ્સ સ્થાપવાના વિઝન સાથે જીજ્ઞેશ પટેલ 'મેક ઇન ઇન્ડિયા'ના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. નવોદિત ઉદ્યોગસાહસિકોને તેઓ સંદેશ આપે છે કે, પોતાના આત્મવિશ્વાસ અને ઉર્જાને ઓળખીને મક્કમતાથી કામ શરૂ કરવાથી જ સફળ બિઝનેસ સ્થાપી શકાય છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:09 pm

દરેડ અને સચાણામાં SOGનો દરોડો: બે બોગસ ડોક્ટર ઝડપાયા:ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા

જામનગર એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા બોગસ ક્લિનિકો પર દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરેડના શાંતિનગર અને સચાણા ગામમાંથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી સ્ટાફના ધર્મેન્દ્ર વૈષ્ણવ અને અશોકસિંહાને મળેલી બાતમીના આધારે દરેડના શાંતિનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં જગદીશ મકવાણા નામનો શખ્સ કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર 'શ્રીજી ક્લિનિક' ચલાવતો હતો. તે દર્દીઓને તપાસી, ઇન્જેક્શન આપી અને બાટલા ચડાવી પૈસા વસૂલતો હતો. પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ અને દવાઓ સહિત રૂ. 4,910નો મુદ્દામાલ જપ્ત કરી પંચકોશી 'બી' પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે. બીજી તરફ, એસઓજીના વિજયભાઈ કારેણ, જયેશભાઈ પેઢેરિયા અને તોશિફભાઈ તાયાણીને મળેલી બાતમી મુજબ, સચાણા ગામમાં વલીમામદ આમદભાઈ કકલની ઓરડીમાં મધુમંગલ અનંતભાઈ બિશ્વાસ નામનો શખ્સ દવાખાનું ચલાવતો હતો. આ શખ્સ પાસે પણ કોઈ માન્ય ડિગ્રી ન હોવા છતાં તે એલોપેથિક સારવાર આપતો હતો. પોલીસે અહીંથી રૂ. 2,335ની કિંમતની દવાઓ અને સાધનો કબજે કર્યા છે અને આરોપી વિરુદ્ધ પંચકોશી 'એ' પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એસઓજી પોલીસે બંને સ્થળોએથી કુલ રૂ. 7,245નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટરો વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી છે. એસઓજી પોલીસે એક જ દિવસમાં કુલ ચાર નકલી બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે, જેના કારણે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં આવા શખ્સોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 4:09 pm

ટ્રકે બાઈક સવારને કચડતા હાઈવે પર માસના લોચા ઉડ્યા:મહિલાનું હૈયાફાટ રુદન-'અહીંથી ઉઠાવો નહીં તો મરી જશે', અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2ના કમકમાટીભર્યા મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને 'આમને ઉઠાવો, નહીંતર મરી જશે' તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારતા અકસ્માત સર્જાયોઅમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર 3 લોકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર બે લોકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિના પગ પણ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે એક મહિલા તીવ્ર આક્રંદ કરતી જોવા મળીઅકસ્માતને પગલે હાઈવે પર ટોળેટોળા લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે ત્યાં હાજર એક મહિલા પોક મુકીને રડી રહી હતી અને તેમના હાથમાં રોડ પર એક મૃતદેહ હતો અને લોકોને મદદ માટે પોકારી રહી હતી કે, આમને કોઈ ઉઠાવો નહીં તો મરી જશે. તે દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાબાઈક પર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે 2 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નંદેસરી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:36 pm

ગીર સોમનાથમાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા સંમેલન:નવા હોદ્દેદારોની જાહેરાત, કર્મચારીઓ દ્વારા પ્રશ્નોની રજૂઆતની તૈયારી

ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કક્ષાનું સંમેલન પ્રાચી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નાના ગીરધર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી કરસનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જિલ્લાના છ તાલુકાઓમાંથી આંગણવાડી કાર્યકરો, આશા વર્કર બહેનો અને વિવિધ ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા મજદૂર સંઘની નવી કારોબારીની રચના કરીને વિવિધ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી. નવી કારોબારીમાં જિલ્લા પ્રમુખ તરીકે વિજયભાઈ મેરામણભાઈ કાછેલા (GHCL, સુત્રાપાડા)ની નિમણૂક કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ આર. વંસ (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા), જસુભા પી. જાડેજા (શ્રી સોમનાથ ટ્રસ્ટ, પાટણ), અસલમખાન બી.સી.ટી. (મૂળદ્વારકા, કોડીનાર), કંચનબેન આર. ગોસ્વામી અને પ્રતાપભાઈ કે. ખેર (સૌરાષ્ટ્ર સિમેન્ટ, મોરાસા)ની પસંદગી થઈ છે. જિલ્લા મંત્રી તરીકે પ્રતાપભાઈ મેરામણભાઈ કટારીયા, સહમંત્રી તરીકે નિલેશ છોટુપ્રસાદ મહેતો, સંગઠન મંત્રી તરીકે રામપાલ એમ. સોની અને અરજણભાઈ હરદાસભાઈની નિમણૂક કરવામાં આવી છે. કોષાધ્યક્ષ તરીકે જયેશ રામજીભાઈ દેવડીયા (રેયોન ફેક્ટરી, વેરાવળ) અને કાર્યાલય મંત્રી તરીકે મુન્સીરામ સૈની (રેયોન, વેરાવળ)ની પસંદગી કરાઈ છે. આ સંમેલનમાં ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય કર્મચારી સંઘ અને આંગણવાડી કર્મચારી સંઘના નવા હોદ્દેદારોની પણ જાહેરાત થઈ. આરોગ્ય કર્મચારી સંઘમાં ગુજરાત પ્રદેશ આશા કર્મચારી મહાસંઘના મહામંત્રી તરીકે વેરાવળના નયનાબેન પરમારની પસંદગી કરાઈ. જિલ્લા પ્રમુખ તરીકે કુસુમબેન વંસ અને જિલ્લા મંત્રી તરીકે હંસાબેન વિસાવાડિયા સહિત અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘમાં પ્રમુખ તરીકે હંસાબેન સોલંકી (ઉના) અને જિલ્લા મંત્રી તરીકે કંચનબેન ગોસ્વામી (કોડીનાર) સહિત અન્ય હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. સંમેલનમાં વિવિધ ક્ષેત્રના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા થઈ. આગામી દિવસોમાં કર્મચારીઓના હિત અને સમસ્યાઓના ઉકેલ માટે સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરવાની વ્યૂહરચના પણ ઘડવામાં આવી. પ્રદેશ મંત્રી નાના ગીરધર પાટીલે સંમેલનને સંબોધતા કર્મચારીઓને વધુ સંગઠિત બની પોતાના હકો માટે લડત આપવા આહ્વાન કર્યું. તેમણે ખાતરી આપી કે આવનારા સમયમાં સંગઠન વધુ મજબૂત બની કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રીતે કાર્ય કરશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:34 pm

સુરેન્દ્રનગરમાં નિવૃત્ત અધિકારીના ખાતામાંથી ₹10.69 લાખ ઉપડ્યા:પેન્શનના બહાને સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી, ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરમાં સાયબર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વીજ અધિકારીએ ₹10.69 લાખ ગુમાવ્યા છે. 77 વર્ષીય વૃદ્ધને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તા. 20 નવેમ્બર, 2025ના રોજ, વૃદ્ધના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં પંજાબ નેશનલ બેંકનો સિમ્બોલ હતો અને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાનું કહેવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓને દર નવેમ્બરમાં આવા પ્રમાણપત્રની જરૂર પડતી હોવાથી, તેમણે તેને બેંકની ઓનલાઈન સુવિધા સમજીને વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક કર્યો હતો. કોલ પર 'આશિષ' નામના વ્યક્તિએ વાત કરી હતી. તેણે વૃદ્ધને એક APK ફાઇલ મોકલી અને તેને ઓપન કરીને જરૂરી વિગતો ભરવા જણાવ્યું હતું. વૃદ્ધે સૂચના મુજબ વિગતો ભરી દીધી હતી.વિગતો ભર્યા પછી લાંબા સમય સુધી તેમનું પ્રમાણપત્ર જનરેટ થયું ન હતું. આ દરમિયાન, તેમના બેંક ખાતામાંથી બે વાર ₹5 લાખ, ₹47,500, ₹9,000 અને ₹13,000 એમ કુલ ₹10,69,500 ઉપડી ગયા હતા. આ છેતરપિંડીનો અહેસાસ થતાં, વૃદ્ધે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ₹10,69,500ની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પીઆઈ આર.એમ. સંગાડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:31 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરામાંના મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા:રાજ્યની પ્રગતિ અને જનતાની સુખ-શાંતિ માટે પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે સુપ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી. પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેનો નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ સીધા જ મરડેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. તેમણે ભોળાનાથના શિવલિંગ પર જલાભિષેક કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મરડેશ્વર દાદાના દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ ગુજરાતની નિરંતર પ્રગતિ, જનતાની સુખ-શાંતિ અને રાજ્યમાં સમૃદ્ધિ બની રહે તે માટે મહાદેવ પાસે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:26 pm

સુરેન્દ્રનગરમાં દારૂનો જથ્થો ઝડપાયો:A ડીવીઝન પોલીસે ₹1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ ₹1,86,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વાદીપરા શેરી નંબર 7માં ધાવડી માતાજીના ડેલા સામે રહેતો મુકેશ કાનજીભાઈ દેગામા પોતાના ઘરે દારૂનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. જોકે, દરોડા દરમિયાન આરોપી મુકેશ દેગામા સ્થળ પર હાજર મળ્યો ન હતો. પોલીસે મકાનમાંથી દારૂની નાની-મોટી કુલ 528 બોટલો અને બીયરના 72 ટીન જપ્ત કર્યા હતા. આરોપી મુકેશ દેગામા વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ વિજયસિંહ પરમાર ચલાવી રહ્યા છે. આ ઉપરાંત, ધ્રાંગધ્રા સીટી પોલીસે પણ એક અલગ કાર્યવાહીમાં બસ સ્ટેશન પરથી દિવ્યાંગ મહિલા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂની કિંમત ₹5,940 આંકવામાં આવી છે.પોલીસને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા બસ સ્ટેશનના બાકડામાં બેઠેલી એક દિવ્યાંગ મહિલા પાસે થેલીમાં દારૂ છે. આ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. પોલીસે મોરબી જિલ્લાના માળીયા ગામની 45 વર્ષીય ઝુલેખાબેન કરીમભાઈ સામતાણી પાસેથી વિદેશી દારૂના 33 ચપલા મળી આવ્યા હતા. મહિલા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એચસી બી.બી.પઢીયાર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:25 pm

હવે ગેસ એજન્સીઓ પર મહેસૂલી કર્મી - પોલીસનો પહેરો:રાજકોટના ગોંડલમાં હોટલ - રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર કબ્જે, એક ઘરમાંથી 38 ખાલી બાટલા જપ્ત

ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાંથી 30 ઘરેલું ગેસ સિલિન્ડર મળી આવતા તે જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેરમાં એક ઘરમાંથી 38 ઘરેલું ગેસના ખાલી સિલિન્ડર મળી આવતા તે પણ કબ્જે કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ. ઝાપડાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કલેકટરની સૂચનાથી જિલ્લાના તમામ મામલતદાર દ્વારા જુદી જુદી ટીમો બનાવી સમગ્ર જિલ્લામાં આવેલ વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ, ટી-સ્ટોલ, ફરસાણ સ્ટોર, નાસ્તા હાઉસ તથા ફાસ્ટ ફૂડ સ્ટોર ખાતે ઘરેલુ ગેસ સિલિન્ડરના વપરાશ બાબતે કુલ 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગોંડલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બિલિયાળા ગામેથી મામલતદાર ગોંડલ (ગ્રામ્ય) દ્વારા 15 ભરેલા તથા 10 ખાલી એમ કુલ 25 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.45,410) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત જુદી જુદી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વધુ 5 ઘરેલુ ગેસ સિલિન્ડર (રૂ.11,038) ના જથ્થા સાથે સિઝ કરી ગેસ એજન્સીને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ગોંડલ શહેર વિસ્તારમાં મામલતદાર દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં સંગ્રહ કરેલા રિલાયન્સ કંપનીના 38 ખાલી ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. જેની કિંમત રૂ.63,400 થાય છે. આ સાથે જ તમામ હોટલ તથા ફાસ્ટ ફૂડ સ્ટોરના માલિકોને ઘરેલુ સિલિન્ડરના ગેરવપરાશ અંગે સમજણ આપવામાં આવી હતી. દરમિયાન સમગ્ર જિલ્લામાં કુલ 18 ગેસ એજન્સીઓની તપાસણી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ અને ગોડાઉનમાં નાયબ મામલતદાર (પુરવઠા) ની દેખરેખ હેઠળ દરેક એજન્સી તથા ગોડાઉન દીઠ 1 મહેસુલી કર્મચારી સાથે 1 પોલીસ જવાનને મુકવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:25 pm

મોરબી સિરામિક એસો.માં ચૂંટણી નિશ્ચિત:વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં

મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થતાં ત્રણ કારખાનેદારોએ દાવેદારી નોંધાવી છે. આ ત્રણ ઉમેદવારોમાંથી પ્રમુખની પસંદગી સભ્યોના મતદાન દ્વારા કરવામાં આવશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વકક્ષાનો છે, જ્યાં વિવિધ પ્રકારની ટાઇલ્સ અને સેનેટરીનું ઉત્પાદન થાય છે. આ ઉદ્યોગમાં વોલ ટાઇલ્સ, ફ્લોર ટાઇલ્સ, વિટ્રિફાઇડ અને સેનેટરીવેર એમ ચાર ડિવિઝન છે. વોલ ટાઇલ્સ એસોસિએશનના વર્તમાન પ્રમુખ હરેશ બોપલિયા છેલ્લા ચાર વર્ષથી (બે ટર્મ) કાર્યરત છે, જેમની ટર્મ આગામી 31 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. સામાન્ય રીતે સિરામિક એસોસિએશનમાં ચૂંટણીને બદલે સર્વસંમતિથી પસંદગી (સિલેક્શન) કરવાનો આગ્રહ રાખવામાં આવે છે. જોકે, એક કરતાં વધુ દાવેદારો હોય ત્યારે ચૂંટણી યોજાય છે. આ વખતે પણ વોલ ટાઇલ્સ ડિવિઝનમાં ચૂંટણી ટાળીને સર્વસંમતિ સાધવાના પ્રયાસો એસોસિએશનના આગેવાનો અને અગ્રણી ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમ છતાં, પ્રમુખ પદ માટે કેવલ સંઘાણી, નરેન્દ્ર સંઘાત અને કાંતિ સીતાપરાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પણ કોઈ ઉમેદવારે ફોર્મ પાછું ન ખેંચતા હવે ચૂંટણી નિશ્ચિત બની છે. મોરબી અને આસપાસના વોલ ટાઇલ્સના 160 થી વધુ કારખાનાના માલિકો, જેઓ એસોસિએશનના સભ્યો છે, તેઓ મતદાન કરીને નવા પ્રમુખને ચૂંટી કાઢશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:22 pm

સગીરાએ યુવકના ત્રાસથી એસિડ પીધું, ટૂંકી સારવાર બાદ મોત:મોબાઈલ દુકાન સંચાલક પર બ્લેકમેલનો આરોપ; સુસાઇડ નોટમાં લખ્યું- એ મને ફસાવી, બ્લેકમેઇલ કરે છે, હું એના કારણે મરું છું

વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસની ટૂંકી સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું. ડિમ્પલ તેના પરિવાર સાથે રહેતી હતી. ઘટનાના દિવસે તે કોઈની સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહી હતી. તેની માતાએ કોની સાથે વાત કરે છે તેમ પૂછતાં, ડિમ્પલને મન દુઃખ લાગી આવ્યું હતું. આ પછી તેણે સુસાઇડ નોટ લખી એસિડ ગટગટાવ્યું હતું. પરિવારના સભ્યોને ઘટનાની જાણ થતાં જ તેઓએ સગીરાને બચાવવાના પ્રયાસો કર્યા અને તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જોકે, સારવાર દરમિયાન સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસ ટીમને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાએ સુસાઇડ નોટમાં મોબાઈલ દુકાનના સંચાલક દ્વારા બ્લેકમેલ કરવામાં આવતો હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:11 pm

પ્રતિબંધિત ગોગો કોન-પ્રિ-રોલ સ્ટિકનું વેચાણ કરતો શખસ ઝડપાયો:ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પાનની દુકાનમાં પોલીસની રેડ, તમામ મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની 'જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક' નામની પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોલિંગ પેપર તેમજ ગોગો કોન (પ્રિ-રોલ્ડ સ્મોકિંગ કોન) જેવા પ્રતિબંધિત સ્મોકિંગ સામગ્રીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ મળી આવ્યાપોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગધેડા માર્કેટ વિસ્તારમાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, આ દુકાનમાં ગોગો રોલિંગ પેપર અને સંબંધિત પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનદાર ધર્મેશ જગદીશ રાજપૂત (ઉંમર 26, રહે સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. દુકાનના કાઉન્ટર પરથી પોલીસને ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ તથા રોલિંગ પેપરના 8 નંગ મળી આવ્યા હતા. જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ રોલિંગ પેપર અને ગોગો કોન જેવી સ્મોકિંગ સામગ્રીના સંગ્રહ, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ વારસિયા પોલીસે ધર્મેશ રાજપૂત સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 3:03 pm

જમીન વિવાદમાં ઘાતકી હુમલો:મેદરામાં જમીન પચાવી પાડવાના ઈરાદે હથિયારો સાથે ટોળાનો આતંક, તોડફોડ કરી સિક્યુરિટી ગાર્ડ્સ પર હુમલો

ગાંધીનગરના મેદરા ગામની સીમના સર્વે 172ની જમીન પચાવી પાડવાના ઇરાદે 25 થી 30 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડભોડા પોલીસે ટોળાં વિરુધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 25થી 30 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરીગાંધીનગરના મેદરા ગામની સીમમાં આવેલ સર્વે નંબર 172 વાળી જમીન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા શિવાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગઈકાલે તેઓ અન્ય ગાર્ડ્સ અને ઇન્ચાર્જ જીગરભાઈ ચૌધરી સાથે હાજર હતા. ત્યારે અચાનક લાકડીઓ અને ધારિયા જેવા હથિયારો સાથે 25 થી 30 શખસોનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. બાદમાં હુમલાખોરોએ જમીન પર પોતાનો હક જતાવતા બૂમો પાડવાનું શરૂ કર્યું હતું અને બિભત્સ ગાળો આપી હતી. ગાર્ડ્સે બચાવ માટે લોખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો હોવા છતાં ઉશ્કેરાયેલા ટોળાએ દરવાજો તોડી પાડી અંદર પ્રવેશ કર્યો હતો. હુમલાખોરોએ ત્યાં મારેલા બોર્ડની પણ તોડફોડ કરી અંદાજે 22 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવીફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલામાં ​દીપક કમશી રબારી,બળદેવ પુંજાભાઇ ચૌધરી ,બકુલ ધામેલીયા,,સતીષ દેવાજી ઠાકોર, પ્રધ્યુમન ચંદ્રવિહાર પરમાર, સત્યેન્દ્રસિહ અમરસિંહ રાજપુર, અભય સંજયસિંહ રાજપુત , ડી. કે. રબારીના ટોળાંએ લાકડીઓ ધારીયા વડે હુમલો કર્યો હતો. ​આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડ્સને ગડદાપાટુનો માર માર્યો હતો અને જો જમીન ખાલી નહીં કરે તો જાનથી મારી નાખીશું તેવી ગંભીર ધમકીઓ આપી હતી.બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોરો હથિયારો સાથે ફરાર થઈ ગયા હતા. આ મામલે ડભોડા પોલીસે રાયોટિંગ, મારામારી અને પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:59 pm

સુરત શહેરમાં વધુ એક હત્યા:ડિંડોલીમાં ક્રિષ્ના AC મોલ બહાર યુવકને રહેંસી નાંખ્યો, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો

સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલ બહાર યુવકની હત્યા કરવામાં ઓઆવી છે. કેટલાક ઈસમો દ્વારા આશિષસીંગ રાજપૂત નામના યુવક પર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને પગલે મૃતકના પરિવારજનો ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમજ ડિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:55 pm

ગુજરાત મેટ્રો રેલના 100 સિક્યુરિટી ગાર્ડ હડતાળ પર:પગાર, હક્ક રજા સહિતના પ્રશ્ને ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શન

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (મેટ્રો રેલવે)માં રેલવે સ્ટેશન પર સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનારા કર્મચારીઓ આજે 15 માર્ચના રોજ બપોરે હડતાલ પર ઉતરી ગયા હતા. ઇન્કમટેક્સ નજીક ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન ખાતે 100 જેટલા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભેગા મળી વિરોધ નોંધાવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડના આક્ષેપ છે કે, તેમને નક્કી કરેલા પગાર કરતા ઓછો પગાર આપવામાં આવે છે. હકની રજા આપવામાં આવતી નથી અને ઓવરટાઈમનો પણ ચૂકવતો પગાર આપવામાં આવતો નથી. જે સુપરવાઇઝરને તેમણે ફરિયાદ કરી હતી અને તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તેમને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે જેથી તેમને નોકરીમાં પરત લેવામાં આવે અને માંગણીઓ પૂરી કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ કર્યો હતો. ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન પર વિરોધ પ્રદર્શનઅમદાવાદની લાઈફ લાઇન ગણાતી એવી મેટ્રો ટ્રેનમાં રેલવે સ્ટેશન અને અન્ય જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સિક્યુરિટી ગાર્ડોએ ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશન નીચે ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંદાજે 100 જેટલા ગાર્ડોએ ગૌરવ સિક્યુરિટી એજન્સી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. પુષ્પાબેન રાજપૂત નામના મહિલા સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે, ગૌરવ સિક્યુરિટીમાં અમે નોકરી કરીએ છીએ અગાઉ અમને ₹496 રૂપિયા પ્રતિ દિવસના ચૂકવવામાં આવતા હતા હવે 476 રૂપિયા આપવામાં આવે છે આ બાબતે અમે અમારા સુપરવાઇઝર નીનામા સાહેબને વાત કરી હતી તેમણે ઉપરી અધિકારીને રજૂઆત કરી હતી. ઉપરી અધિકારીના રજૂઆત કરતા સિક્યુરિટી ગાર્ડનો પક્ષ કેમ લો છો એમ કહી અને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા જેથી તેમને નોકરીમાં પરત લાવવાની પણ માંગ કરી છે. ભરતી સમયે જે ખાતરી અપાઈ તે સુવિધા મળતી ન હોવાની રજૂઆતસિક્યુરિટી ગાર્ડ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભરતી સમયે તેમને જે પગાર અને સુવિધાઓ અંગે ખાતરી આપવામાં આવી હતી, તે મુજબ સુવિધાઓ આપવામાં આવતી નથી. તેમને નક્કી કરેલા પગાર કરતાં ઓછો પગાર આપવામાં આવે છે અને ઘણી વખત પગારમાં કાપ પણ કરવામાં આવે છે. ગાર્ડોએ આક્ષેપ કર્યો કે પૂરતી રજા આપવામાં આવતી નથી અને જો કોઈ ગાર્ડ રજા માંગે તો તેને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવામાં આવે છે. ઓવરટાઈમનો વધારાનો પગાર ન અપાતો હોવાનો આક્ષેપઆ ઉપરાંત ગાર્ડોએ કહ્યું કે તેમની પાસેથી લાંબા સમય સુધી ડ્યૂટી કરાવવામાં આવે છે અને ઘણી વખત જબરદસ્તી ઓવરટાઈમ પણ કરાવવામાં આવે છે. પરંતુ તે ઓવરટાઈમનો કોઈ વધારાનો પગાર ચૂકવવામાં આવતો નથી. સાથે જ જે સુપર વાઇઝર સિક્યુરિટી ગાર્ડના હક માટે લડતા હતા તેમને પણ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યા છે. આ સમગ્ર માંગ અને તેમના સુપરવાઇઝરને નોકરીમાં પરત લેવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:54 pm

નેતન્યાહુ ક્યાં છે? હત્યાની અટકળો વચ્ચે ઈઝરાયલની સ્પષ્ટતા અને ઈરાનની 'શોધીને મારવાની' ખુલ્લી ધમકી

Iran America War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો દાવો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાની હુમલામાં ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું મોત નીપજ્યું છે. આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક ભયાનક ધમકી આપી.

ગુજરાત સમાચાર 15 Mar 2026 2:31 pm

ગુજરાત હાઇકોર્ટનો રાજ્ય સરકારને હુકમ:જન્મ-મૃત્યુ પ્રમાણપત્રમાં ફેરફાર કરવાની સત્તા હોવા છત્તા રજિસ્ટ્રાર કોર્ટનો હુકમ માગે છે, સત્તા વાપરવા સરકાર નિર્દેશ આપે

ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક વ્યક્તિએ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કરવા માટે અરજી કરી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, તેની દીકરીના જન્મ પ્રમાણપત્રમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢીને દત્તક લેનાર પિતાનું નામ ઉમેરવામાં આવે અને માતાના નામમાં પણ ફેરફાર કરીને નવું જન્મ પ્રમાણપત્ર આપવામાં આવે. દીકરીના જૈવિક પિતાનું નામ દૂર અરજી આ કેસમાં અરજદારે એક છુટાછેડા લીધેલ મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાને પહેલા પતિથી એક દીકરી હતી, જેનો જન્મ 2015માં થયો હતો. જ્યારે તેના છૂટાછેડા 2022માં થયા હતા. દીકરીની કસ્ટડી તેની માતા પાસે હતી. આથી અરજદારે દીકરીને ખોળે લીધી હતી અને તે માટેની કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પરંતુ જન્મ પ્રમાણપત્રમાં દીકરીના જૈવિક પિતાનું નામ હોવાથી મુશ્કેલીઓ સર્જાઈ હતી, જેથી અરજદારે દીકરીના જૈવિક પિતાનું નામ દૂર કરીને તેનું નામ ઉમેરવા માટે જન્મ મૃત્યુ નોંધણી રજિસ્ટ્રારમાં અરજી કરી હતી. જો કે, જન્મ- મૃત્યુ રજિસ્ટ્રારે અરજદાર પાસેથી કોર્ટનો ઓર્ડર માગ્યો હતો. રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા હુકમગુજરાત હાઇકોર્ટમાં આ કેસ આવતા કોર્ટે નોંધ્યું હતું કે, અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાની સત્તા જન્મ-મૃત્યુ રજિસ્ટ્રાર પાસે છે. કોર્ટે અગાઉ પણ આવા કેસોમાં હુકમ કર્યા છે. તેમ છતાં આવા કેસો ફરી આવી રહ્યા છે, જેથી રાજ્ય સરકાર જન્મ મૃત્યુ નોંધણી વિભાગને આ સંદર્ભે યોગ્ય દિશા નિર્દેશ આપે. આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે જૂનાગઢના જન્મ-મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કર્યો હતો. અરજદારને એક અઠવાડિયામાં નવી અરજી કરવા અને રજિસ્ટ્રારને ચાર અઠવાડિયામાં તેની પર નિર્ણય લેવા માટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:28 pm

પાટણમાં ₹15 કરોડના ખર્ચે નવું છાત્રાલય બનશે:પ્રજાપતિ કેળવણી મંડળે કુમાર-કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો

પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાટણ શહેરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે. આ શિલાન્યાસ વિધિ સતાધાર ધામના મહંત વિજયબાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના સંસ્થાપક દલસુખભાઈ સી. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે દયાગૌરી પુનમચંદ સ્વામી, ભરતભાઈ જી. પ્રજાપતિ, મોતીભાઈ આર. પ્રજાપતિ, નવનીતભાઈ ડાહ્યાભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પુનમચંદભાઈ પરષોત્તમભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ કે. પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ આર. પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ કે. પ્રજાપતિ, અમૃતભાઈ પી. કંબોયા અને રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મનજીભાઈ રૂગનાથભાઈ પ્રજાપતિએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંસ્થાના પ્રમુખ શાંતિલાલ એસ. પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:28 pm

પાટણ ફાયરિંગ-હત્યા કેસ: 4 આરોપી ઝડપાયા:પૂર્વ આયોજિત કાવતરા હેઠળ યુસુફખાનની હત્યા, હથિયાર-ગાડી કબજે

પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચના રોજ ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાટણ જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મુખ્ય શૂટર સહિત 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તારીખ 12 માર્ચ, 2026ના રોજ સવારના સુમારે આ ચકચારી ઘટના બની હતી. મૃતક યુસુફખાન ચાંદખાન પઠાણ પોતાની સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર GJ 08 BF 8784 લઈને બુકડીથી જૂનાગંજ તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રસ્તામાં તેમની ગાડી ઉભી રખાવી હતી. આરોપીઓ પૈકીના એક શખ્સે રિવોલ્વર જેવા હથિયાર વડે યુસુફખાન પર બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે પાટણ સિટી એ ડિવિઝન પોલીસ મથકે BNS ની કલમ 103(1), 126(2), 61(2) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચનાથી LCB, SOG, પેરોલ ફર્લો અને ટેકનિકલ સર્વેલન્સની વિવિધ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ સફેદ કલરની જાયલો ગાડી નંબર GJ 24 A 8316 માં વડુ ત્રણ રસ્તા પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી હતી અને તેમાંથી ઝહીર ઉર્ફે ખોખરો અબ્બાસખાન બેલીમ, સાહિદ સાજીદ શેખ, ઇમરાનખાન મહમદખાન બલોચ અને એજાજ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈની અટકાયત કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ ગુનાને અંજામ આપવા માટે તેઓએ બે દિવસ સુધી રેકી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પઠાણ અને બલોચ પરિવારો વચ્ચે છેલ્લા એક વર્ષથી વૈમનસ્ય ચાલતું હતું. તાજેતરમાં નમાજ પઢવા બાબતે બાળકો વચ્ચે થયેલા ઝઘડા બાદ બંને પરિવારો સામસામે આવી ગયા હતા અને તે આ હત્યાનું તાત્કાલિક કારણ બન્યું હતું. આરોપીઓ પાસેથી 4,00,000ની કિંમતની જાયલો ગાડી અને 20,000 ની કિંમતના 4 મોબાઈલ મળી કુલ 4,20,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીઓ પૈકી ઝહીર ઉર્ફે ખોખરો સામે વિવિધ રાજ્યોમાં મર્ડર અને લૂંટ જેવા 10 ગુનાઓ નોંધાયેલા છે. આ કેસમાં હથિયાર છુપાવવામાં મદદ કરનાર મોસીન ઉર્ફે ચટણી અને મહોમદ ખાન બલોચને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:23 pm

બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી દોઢ કરોડનો ગાંજો ઝડપાયો:સીટની નીચે સેફ્ટી જેકેટના પાઉચમાં 4 પેકેટ છુપાવેલા હતા, ગાંજો લાવનારા મુસાફરની શોધખોળ શરૂ

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરતા વિદેશથી આવતી ફ્લાઈટમાંથી દોઢ કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોક-સુરત ફ્લાઈટમાં સીટની નીચે ડ્રગ્સ છુપાવ્યું હોવાની બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ સફળતા મળી છે. નવાઈની વાત એ છે કે, આ નશીલો પદાર્થ સીટ નંબર 12E અને 12F ની નીચે સેફ્ટી જેકેટ રાખવાના ખાનામાં બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. પેકિંગ એવું કે સ્કેનરમાં પણ ન પકડાય!એર ઇન્ડિયા એક્સપ્રેસ (IX-263) ફલાઇટ બેંગકોકથી સુરત ગત રોજ રાત્રે 7.40 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. જેમાંથી 1656.07 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. સીટ નં. 12E અને 12F નીચેના પાઉચમાં ગાંજો છુપાવ્યો હતો. ગાંજો પકડાઈ જવાથી બચાવવા માટે ખાસ વેક્યૂમ પેક્ડ પોલિથિનનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન કુલ 4 પેકેટ મળી આવ્યા હતા, જેમાં 3 પેકેટ ગ્રે કલરની સેલો ટેપથી વિંટાળેલા હતા. 1 પેકેટ બ્રાઉન કલરની સેલો ટેપથી વિંટાળેલું હતું. ફીલ્ડ ટેસ્ટમાં ડ્રગ્સની પુષ્ટિકસ્ટમ્સ વિભાગે સઘન તપાસ દરમિયાન આ જથ્થો કબજે કર્યો હતો. શંકાસ્પદ પદાર્થની તપાસ 'ફીલ્ડ ટેસ્ટ કીટ' દ્વારા કરવામાં આવતા તે હાઈ-ક્વોલિટી ગાંજો હોવાનું કન્ફર્મ થયું હતું. જે બાદ NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી સમગ્ર જથ્થો જપ્ત કરી લેવાયો છે. આ જથ્થાની કિંમત અંદાજે દોઢ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. સીટ નંબર પરથી પેડલર સુધી પહોંચવા તપાસ તેજકસ્ટમ્સ વિભાગ હવે એ તપાસ કરી રહ્યું છે કે આ સીટ પર બેંગકોકથી કોણે મુસાફરી કરી હતી. એરલાઇન્સ પાસેથી પેસેન્જર લિસ્ટ મંગાવવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સુરતમાં કોને ડિલિવરી કરવાનું હતું અને આ નેટવર્ક પાછળ કોણ છે તે દિશામાં સુરત AIU એ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:14 pm

કનકપુરા યાર્ડનું આધુનિકીકરણ:રાજકોટ ડિવિઝનની ટ્રેનો પર અસર, ઓખા અને પોરબંદરથી ઉપડતી અનેક ટ્રેનોના રૂટ બદલાયા અથવા આંશિક રદ

ત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવેલા કનકપુરા યાર્ડ ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની અવરજવરને વધુ સુગમ બનાવવા, લાઈનોની ક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત રેલ લાઈનોના નવા જોડાણો અને લંબાઈમાં વધારો કરવામાં આવશે. જોકે, આ ટેકનિકલ કામગીરીને કારણે મે 2026માં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે રદ ટ્રેન નંબર 20951 (ઓખા–જયપુર): 11.05.2026ના રોજ ઓખાથી ઉપડતી આ ટ્રેન જયપુર સુધી જવાને બદલે અજમેર ખાતે જ રોકાઈ જશે. એટલે કે, અજમેર અને જયપુર વચ્ચે આ ટ્રેન રદ રહેશે. ટ્રેન નંબર 20952 (જયપુર–ઓખા): 12.05.2026ના રોજ આ ટ્રેન જયપુરથી ઉપડવાને બદલે અજમેરથી પ્રસ્થાન કરશે. આમ, જયપુર અને અજમેર વચ્ચેની મુસાફરી રદ કરવામાં આવી છે. પોરબંદરની ટ્રેનોના રૂટમાં ફેરફાર મુસાફરોએ ખાસ નોંધ લેવી કે પોરબંદરથી ઉપડતી ટ્રેનો નિર્ધારિત માર્ગને બદલે પરિવર્તિત માર્ગ (ડાયવર્ટ) પરથી દોડશે: પોરબંદર–મુઝફ્ફરપુર (19269): 08.05.2026ના રોજ આ ટ્રેન ફુલેરા-જયપુર-રેવાડીને બદલે ફુલેરા-રિંગસ-રેવાડી થઈને જશે. આ ટ્રેન જયપુર, અલવર અને બાંદીકુઈ સ્ટેશન પર જશે નહીં. પોરબંદર–દિલ્હી સરાય રોહિલ્લા (20937): 09.05.2026ના રોજ ઉપડતી આ ટ્રેન પણ ફુલેરા-રિંગસ-રેવાડી માર્ગે ચાલશે. જેના કારણે જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર અને ખૈરથલ સ્ટેશનો પર ટ્રેન ઉભી રહેશે નહીં. મુઝફ્ફરપુર–પોરબંદર (19270): 11.05.2026ના રોજ આ ટ્રેન રેવાડી-રિંગસ-ફુલેરા માર્ગે દોડશે. આ ટ્રેન અલવર, બાંદીકુઈ અને જયપુર સ્ટેશનો પર જશે નહીં. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા અધિકૃત પૂછપરછ બારી અથવા વેબસાઈટ પર ટ્રેનનું સ્ટેટસ ચકાસી લે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 2:03 pm

વારસિયાના ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી, CCTV:ગર્ભગૃહમાં પ્રવેશની રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરાર, સેવકે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું આ ઘટનાની વિગતો એવી છે કે ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનને અર્પણ કરેલા કિંમતી આભૂષણોની ચોરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ભક્તો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાનું જણાતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. રોકડ, ચાંદીના છત્ર અને આભૂષણો લઈને તસ્કરો ફરારઆ ચોરીની ઘટનામાં મંદિરમાંથી ચોર ઈસમે ચાંદીનું મોટું છત્ર, ચાંદીનું નાનું છત્ર, દાન પેટીમાંથી ચોરાયેલ રોકડ રકમ મળી કુલ 45,200ની મતા ચોરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટના અંગે મંદિરના ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને પંચનામું કર્યું છે અને અજાણ્યા ચોર શખસ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:49 pm

મોડાસામાં 125 વર્ષ જૂની C.S. બુટાલા અને બ્રધરહૂડ લાયબ્રેરીની ઉજવણી:વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધા યોજાઈ

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુથી પુસ્તકાલય દ્વારા વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં મોડાસા શહેરની વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ પુસ્તકો આપણા મિત્રો (અક્ષરલેખન) અને મારી કલ્પનાનું પુસ્તકાલય જેવા વિષયો પર સુંદર ચિત્રો દોરી પોતાની સર્જનાત્મકતા રજૂ કરી હતી. આ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવાનો અને તેમની કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. જાહેર પુસ્તકાલય દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિઓ યોજીને નવી પેઢીને પુસ્તક સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જાળવી રાખવા આ પહેલ પ્રેરણાદાયક બની રહી છે. આ કાર્યક્રમના આયોજનમાં બ્રધરહૂડ લાઇબ્રેરીના પ્રમુખ એ.જે. મોદી, ટ્રસ્ટીઓ, કન્વીનર કામેશ શાહ, મિનેશભાઈ ગાંધી, તેમજ કલરવ સ્કૂલના આચાર્ય સેજલબેન ઠેકડી સહિતના આયોજકોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:46 pm

400 કિ.મી.ની ઝડપે બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ થશે:વડોદરામાં અનોખી ધ બુલેટ રેસ્ટોરન્ટની શરૂ થઈ, 3 મહિનાની મહેનત બાદ બુલેટ ટ્રેનની આબેહૂબ મોડલ બનાવ્યું, અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે ઉદ્ઘાટન, બુલેટ ટ્રેન તો 2030માં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેનથી પ્રેરણા લઈને વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેવન સીઝ મોલમાં બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે, ગુજરાતી ફિલ્મ જગતના અભિનેત્રી શ્રદ્ધા ડાંગરના હસ્તે આજે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટ્રેનમાં બેસતા જ 400 કિમી સ્પીડ બુલેટ ટ્રેન જતી હોય એવો અનુભવ તમને થશે. જેના માટે બારીમાં LED સ્ક્રીન લગાવવામાં આવી છે અને તેમાં અમદાવાદથી મુંબઈના રિયલ દૃશ્યો દર્શાવવામાં આવ્યા છે. જેને શૂટ કરતા 45 દિવસનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત રેસ્ટોરન્ટનું ઇન્ટિરિયર પર લક્ઝુરિયસ છે. ધ બુલેટ રેસ્ટોરન્ટના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે, વર્ષ 2016માં કામ અર્થે ચાઈના જવાનો અવસર મળ્યો હતો. તે સમયે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી અને ત્યાર બાદ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈથી અમદાવાદ વચ્ચે વર્ષ 2030માં બુલેટ ટ્રેનનો પ્રારંભ થશે તેવી જાહેરાત કરી છે. જેથી મને વિચાર આવ્યો કે બુલેટ ટ્રેનમાં લોકો વર્ષ 2030માં મુસાફરી કરશે પણ તે પહેલા તેઓને બુલેટ ટ્રેનમાં બેસવા જેવો અનુભવ મળે એના માટે કંઈક કરીએ. તેઓએ વધુમાં કહ્યું કે, અમે 45 દિવસ મુંબઈથી અમદાવાદના રૂટ પર શૂટ કર્યું હતું અને તે શૂટિંગને LED સ્કિન ઉપર મૂકવામાં આવ્યું છે. જેનાથી રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને ટ્રેનમાં બેઠા હોય તેવું ફિલ થશે. જે માટે 3 મહિના સુધી 100 લોકોની ટીમ કામે લાગી હતી અને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભારતમાં વર્ષ 2030 સુધીમાં જે બુલેટ ટ્રેન આવવાની છે, અમે તે અંગેની જરૂરી માહિતી એકત્રિત કરી હતી. એ જ માહિતીના આધારે અમે આ 'ડમી ટ્રેન' બનાવી છે, જે બહારથી જોતા તમને બિલકુલ અસલી ટ્રેન જેવો જ અનુભવ કરાવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારો પૂરો પ્રયાસ છે કે લોકોને અહીં અદ્ભુત અનુભવ મળે. ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ઘર જેવું જ ભોજન મળી રહે તે અમારી પ્રાથમિકતા છે. તેના માટે અમે 'ઓપન કિચન' રાખ્યું છે, જે કાચમાંથી તમે સીધું જોઈ શકો છો અને રસોઈમાં વપરાતી સ્વચ્છતાની ખાતરી કરી શકો છો. આ એક મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ છે, એટલે કે અહીં ખાસ્સું લાંબુ મેનુ છે. ​તેઓએ વધુમાં કહ્યું કે, એક ખાસ વાત એ છે કે અત્યારે બજારમાં LPG ની અછત હોવાને કારણે અમે 'બ્લેક'માં ગેસ લેવાનું ટાળ્યું છે. હાલ પૂરતું અમે 'NON-LPG' મેનુ લોન્ચ કર્યું છે, જેમાં લગભગ 30-32 આઈટમ્સ ઉપલબ્ધ છે. એકવાર કાયદેસર રીતે ગેસની સુવિધા ઉપલબ્ધ થાય પછી અમે સંપૂર્ણ મેનુ શરૂ કરીશું.વડોદરા શહેરની અન્ય મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સની સરખામણીએ અમે ભાવ 20 થી 30 ટકા ઓછા રાખવાનો પ્રયત્ન કર્યો છે, જેથી સામાન્ય વ્યક્તિ પણ આ અનોખા વાતાવરણમાં ભોજનનો આનંદ માણી શકે.​ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે અલગ-અલગ કન્સેપ્ટ પર કામ થઈ રહ્યું છે તે જોઈને ખૂબ જ આનંદ થાય છે. પછી ભલે તે રેસ્ટોરન્ટ હોય, કાફે હોય કે એવી કોઈ પણ જગ્યા જ્યાં આપણે આપણા પરિવાર સાથે જઈ શકીએ. અગ્રવાલ ફેમિલીએ આ 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટમાં ખૂબ જ સુંદર કન્સેપ્ટ રજૂ કર્યો છે.​તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે જાણીએ છીએ કે, ગુજરાતીઓને ખાવાનો ખૂબ શોખ હોય છે. ભલે ઘરે મહેમાન આવે કે ન આવે, બહાર જમવાના પ્લાન હંમેશા તૈયાર જ હોય છે! ગુજરાતીઓ માટે સૌથી પહેલી પ્રયોરીટી એ હોય છે કે પરિવારને શુદ્ધ અને સરસ જમવાનું મળે. આ રેસ્ટોરન્ટમાં મેનેજમેન્ટનો મુખ્ય હેતુ પણ એ જ છે કે તેઓ જેવું શુદ્ધ ભોજન ઘરે જમે છે, એવું જ લોકોને પીરસે.​તેઓએ કહ્યું કે, આ રેસ્ટોરન્ટની સૌથી મોટી ખાસિયત તેનો બુલેટ ટ્રેન કન્સેપ્ટ છે. મેં અત્યાર સુધી ક્યાંય પણ આવો અનોખો પ્રયોગ જોયો નથી. જ્યારે તમે તમારા ફેમિલી સાથે લંચ કે ડિનર લઈ રહ્યા હોવ અને તમને એવું અનુભવાય કે તમે બુલેટ ટ્રેનમાં બેસીને શાંતિથી મુસાફરી કરી રહ્યા છો, તો એ ખરેખર 'પૈસા વસૂલ' કન્સેપ્ટ છે.​હું વડોદરાવાસીઓને એટલું જ કહીશ કે હવે જ્યારે પણ તમે પરિવાર સાથે બહાર જમવાનો પ્લાન કરો, ત્યારે સેવન સીઝ મોલમાં આવેલી 'ધ બુલેટ' મલ્ટિક્યુઝિન રેસ્ટોરન્ટ ની મુલાકાત જરૂર લેજો.​તરોનિશ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે, અહીં આવીને ખૂબ જ નવો અનુભવ થઈ રહ્યો છે. અહીં બેસીને એવું લાગે છે કે જાણે આપણે સાચે જ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ. તમે પાછળ જોશો તો તમને લાગશે કે તમે ખરેખર બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને સાથે જમવાની મજા માણી રહ્યા છો. ખૂબ જ સારો અનુભવ છે, એટલે અહીં ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. લોકોએ અહીં ચોક્કસ આવવું જોઈએ. અહીં તમને બિલકુલ નવો જ અનુભવ મળશે, તો એકવાર અહીં જરૂર મુલાકાત લો. ગ્રાહક મોનલબેને જણાવ્યું હતું કે, આ એકદમ નવો કન્સેપ્ટ છે. મેં આવું પહેલાં ક્યારેય ક્યાંય સાંભળ્યું પણ નહોતું. મને આ કન્સેપ્ટ ખૂબ જ સરસ લાગ્યો. જ્યારે તમે અંદર બેસીને આનો અનુભવ કરો ત્યારે જ ખબર પડે. બિલકુલ બુલેટ ટ્રેનમાં બેઠા હોઈએ તેવી જ ફીલિંગ આ રેસ્ટોરન્ટમાં બેસીને આવે છે. અહીંની બધી જ સુવિધાઓ ખૂબ જ સરસ છે. ​

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:45 pm

ત્રીજા માળેથી પટકાતા મોત થયાને પાંચ મહિને ગુનો નોંધાયો:હેબતપુર સાઇટ સેફ્ટી નેટ ન લગાવતા શ્રમિકનું ત્રીજા માળેથી પડવાથી મોત થયું'તું, બિલ્ડર સહિત ચાર સામે ગુનો નોંધાયો

અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈડ પર સેફ્ટી નેટના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બનાવના પાંચ મહિનાથી વધુ સમય બાદ બિલ્ડર એન્જિનિયર કોન્ટ્રાક્ટર સહિત કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ત્રીજા માળેથી પડવાના કારણે મોતરાજસ્થાનમાં રહેતા ગોવિંદ નીનામા નામના યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના મોટાભાઈ અનિલ એસ.પી. રીંગ રોડ હેબતપુર ખાતે આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા હતા. 30 સપ્ટેમ્બર ના રોજ અનિલનું કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળેથી પડવાના કારણે મોત થયું હતું. અનિલ ત્રીજા મળે ફ્લેટમાં વોટરપ્રૂફિંગનું કામ કરતો હતો. આ દરમિયાન છજા પરથી અનિલનો પગ લસરી જતા નીચે પડ્યો હતો.જેના કારણે અનિલને માથામાં ગંભીર ઈજા થઈ હતી,જે બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બેદરકારી, 4 સામે ગુનો નોંધાયોઆ સમગ્ર મામલે બાંધકામ સાઈટ પર અવરોધક સેફ્ટી નેટ લગાવી ન હોવાથી બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે.બોડકદેવ પોલીસે બિલ્ડર વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ,લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:39 pm

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર

Vijay TVK BJP Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 નજીક આવતા જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી 'તમિલગા વેટ્ટી કડગમ' (TVK) અને ભાજપ (BJP) વચ્ચે ગઠબંધન માટેની વાતચીત અંતિમ તબક્કામાં હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપની વિજયને મોટી ઓફર: 80 બેઠકો અને ડેપ્યુટી CM પદ? સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે વિજયને NDAમાં સામેલ કરવા માટે એક આકર્ષક ઓફર આપી છે. ભાજપે વિજયની પાર્ટીને ગઠબંધનમાં 80 બેઠકો આપવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાત સમાચાર 15 Mar 2026 1:38 pm

પોક્સો-અપહરણ કેસનો ફરાર આરોપી ઝડપાયો:એસ.ઓ.જી. સુરેન્દ્રનગરે સગીરા સાથેના ગુનામાં મોરબીથી પકડ્યો

સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હેબિયસ કોર્પસની ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી છે. આરોપી અને સગીરાને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, થાનગઢ પોલીસ સ્ટેશનના ગુના નંબર 11211050260051/2026, બી.એન.એસ. કલમ 137(2), 87 મુજબના હેબિયસ કોર્પસ, પોક્સો અને અપહરણના કેસનો આરોપી વિપુલભાઈ બીજલભાઈ સરવૈયા (ઉં.વ. 26, રહે. સરોડી તળાવ પાસે, તા. થાનગઢ) મોરબી ખાતેના ખોખરા હનુમાન, બેલા રંગપરા પાસે હાજર છે. બાતમીના આધારે તપાસ કરતા ઉપરોક્ત આરોપી અને ભોગ બનનાર સગીરા મળી આવ્યા હતા. એસ.ઓ.જી. ટીમે તેમને ઝડપી પાડીને વધુ કાર્યવાહી માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:36 pm

ગુજરાત યુનિ.માં ભરતી પ્રક્રિયાના વિવાદ વચ્ચે લેખિત પરીક્ષા:નોન ટીચિંગ સ્ટાફની 130 જગ્યા માટે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી, કહ્યું- મળતિયાઓને સેટ કરાશે તો ઘણી અસર થશે'

ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી પરીક્ષા યોજવામાં આવી છે. અલગ અલગ 130 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તે બાદ ભરતી પ્રક્રિયામાં મળતિયાઓને સેટ કરવા માટે ગોઠવણ ચાલતી હોવાના આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યા હતા. અનેક વિવાદો વચ્ચે આજે હજારો ઉમેદવારોએ પરીક્ષા આપી છે. સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતના પદો માટેની લેખિત પરીક્ષા યોજવામાં આવી છે. કોઈપણ વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થાય અને નિષ્પક્ષ રીતે પરીક્ષાનું પરિણામ જાહેર થાય તેવી આશા સાથે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ભરતી પ્રક્રિયા જાહેર થઈ ત્યારથી અનેક વિવાદો સામે આવ્યા હતાગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી નોન ટીચિંગ સ્ટાફની અલગ અલગ જગ્યાઓ ખાલી પડી હતી. જેના કારણે કામગીરી પર પણ તેની અસર જોવા મળી રહી હતી. તેમજ લાંબા સમયથી ભરતી પ્રક્રિયા અટકી હોવાને કારણે અનેક ઉમેદવારો આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા. જો કે તે બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા 130 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયા જાહેર થઈ ત્યારથી જ અનેક વિવાદો પણ સામે આવ્યા હતા. મળતિયાઓને સેટ કરવા ગોઠવણ ચાલતી હોવાનો NSUIનો આક્ષેપગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મળતિયાઓને સેટ કરવા ગોઠવણ ચાલતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ રાતોરાત નિયમો બદલીને સબંધીઓને નોકરીમાં લાવવા પ્રયાસ થતા હોવાના પણ આક્ષેપ થયા હતા. સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવાની માગ સાથે અનેક વખત NSUI દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણીને પ્રવેશ આપવામાં આવ્યોગુજરાત યુનિવર્સિટી દ્વારા NSUIના તમામ આક્ષેપને નકારી દેવામાં આવ્યા હતા. જો કે લેખિત પરીક્ષા યોજાય તે પહેલા આસિસ્ટન્ટ રજીસ્ટર, ફિઝિકલ એજ્યુકેશન ડાયરેક્ટર, પીએ ટુ વીસી અને પીએ ટુ રજીસ્ટરની જગ્યા પરની ભરતી પ્રક્રિયા મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ બાકીની જગ્યા માટે યુનિવર્સિટીએ નક્કી કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા યોજવામાં આવી છે. શહેરના અલગ અલગ પરીક્ષા સેન્ટર પર હજારો ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. વિવાદોને નજર અંદાજ કરી ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. પરીક્ષા સેન્ટર પર ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પણ શરૂ ગઈ હતી. ઉમેદવારોને સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ જાય તેવી આશાઉમેદવાર વિક્રમ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી નોન ટીચિંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી હતી. જેથી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી યોજાઈ હતી જેની આજે પરીક્ષા લેવાઈ રહી છે. પરીક્ષા માટે ઘણી મહેનત કરી છે અને સારી તૈયારી કરી છે. પેપર કેવું પુછાય છે તેના પર આધાર છે. ભરતીમાં વિવાદ ચાલતો હોવાનો પણ સામે આવ્યું હતું, પરંતુ એ તમામ વિવાદોને નજર અંદાજ કરીને સારી રીતે તૈયારી કરી છે. જો ભરતીમાં મળતિયાઓને સેટ કરવામાં આવે તો ઘણી અસર થઈ શકે છે. કારણ કે ઘણા વર્ષોથી પરીક્ષા માટેની તૈયાર કરતા હોઈએ છીએ. ઘણી એવી પરીક્ષા છે જેમાં આવું બનેલું પણ છે, પરંતુ સારી રીતે પરીક્ષા પૂર્ણ થઈ જાય તેવી આશા રાખીએ છીએ. 'ભરતીમાં પછીથી કોઈ વિવાદ સર્જાશે તો ઘણી અસર થઈ શકે'ઉમેદવાર અમને જણાવ્યું હતું, નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટેની આજે પરીક્ષા લેવાઈ રહી છે. તૈયારીઓ તો ઘણી સારી કરી છે. રીઝનીંગ પર સૌથી વધુ ધ્યાન આપ્યું છે. તેમજ કોમ્પ્યુટરના જે સવાલ છે તેના પર પણ વધારે ફોકસ રહેશે. મારા માટે કોમ્પ્યુટરના સવાલ અઘરા રહેવાના છે. જેથી સારા માર્ક્સ સ્કોર કરી શકું તેવી ઉમ્મીદ છે. અત્યારે તો ભરતી પ્રક્રિયા પારદર્શક હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ પછીથી કોઈ વિવાદ સર્જાય છે કે ઘણી અસર થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:23 pm

ગેસ સંકટથી પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી:સુરતના વીવિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો ટ્રેન મારફતે વતન રવાના, કોરોનાકાળ જેવી સ્થિતિ ન થાય તે પહેલા જ હિજરત

મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી હવે તેમની ધીરજનાં બાણ ખુટી જતાં વતનની વાટ પકડી રહ્યાં છે. 15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુધ્ધની વધી રહેલી તણાવ ભરી સ્થિતિને કારણે જો કોઈ વસ્તુની સર્વાધિક અસર વર્તાઈ હોય તો તે રાંધણ ગેસની છે. હાલ વધી રહેલી કટોકટીને કારણે તેની સિધી અસર રસોઈથી માંડીને રોજીદાં જીવન ઉપર પણ પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચુકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. રાંધણ ગેસની વધતી જતી કાળા બજારી વચ્ચે શ્રમિકો એ તેમના વતન જવુ વધૂ મુનાસિબ સમજી રહ્યાં છે. છેલ્લા બે દિવસોથી સુરત અને ઉધના રેલ્વે સ્ટેશન ઉપર શ્રમિકો વતન તરફ પ્રયાણ કરતા નજરે ચડી રહ્યાં છે. સવારે 8:00 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. વિજય માંગુકિયા (અંજની ઈન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોશિએશનના પ્રમુખ) એ જણાવ્યું હતું કે, અત્યારે તકવાદીઓ જે તકનો લાભ ઉઠાવી રહ્યા છે અને જે રીતે કામદારોમાં એક જ્યારે ભૂતકાળની અંદર કોરોના કાળ આવ્યો હતો અને લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોને જે તકલીફ પડી હતી એ દોહરાય નહીં એના માટે કામદારોએ વતનની વાટ પકડી છે અને વીવિંગમાં 50% જેટલા કામદારો અત્યારે હાલમાં જે સ્થિતિ સર્જાય ત્યાર પછી એમના ગામ તરફ જતાં જોવા મળ્યા છે અને ત્યાર પછી જે વીવિંગ ઉદ્યોગની અંદર 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો યાર્નના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે એ પણ સ્થિતિ બગાડી રહ્યો છે અને વીવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. જ્યારે કામદારોને ગેસના બાટલાની અછત હોય અને અમારા દ્વારા કલેક્ટરને સોમવારે રજૂઆત કરવામાં આવશે, રૂબરૂ રજૂઆત કરવામાં આવશે, લેખિતમાં રજૂઆત કરવામાં આવશે કે જો 50 થી 60% જ અમારી ફેક્ટરી વીવિંગ ઉદ્યોગ ચાલવાનો હોય તો અમારા ભાગનો જે ગેસ છે જે મળવાપાત્ર ગેસ છે એ કામદારોને આપવામાં આવે અને કામદારોનું પણ જીવન ટકી રહે, જીવનયાત્રા ચાલુ રહે અને કંપનીઓ પણ ચાલુ રહે એવું અમે વિચારી રહ્યા છીએ. વધુમાં જણાવ્યું હતું કે, 50% જેટલા કામદારોએ વતનની વાટ પકડી છે અને જે ગેસ નથી મળી રહ્યો, જે રીતે તકવાદીઓ કરિયાણા સ્ટોર હોય કે પછી અન્ય ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓ હોય કે પછી રેસીડેન્સીયલ વિસ્તારોની અંદર જે કામદારો જે વસે છે એ વિસ્તારોની અંદર કઈ પણ ચીજવસ્તુ હોય એમાં ભાવ વધારો આપવો પડતો હોય ત્યારે કામદારોમાં ચોક્કસ એક એવી સ્થિતિ ઉભી થઈ શકે એ વતન તરફ જઈ રહ્યા છે. યાર્નના ભાવની અંદર 30 થી 40 રૂપિયાનો અલગ-અલગ ડેનિયરોમાં ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ સ્થિતિ છે કે જે ઓર્ડરો લીધેલા છે, વીવર્સોએ જે ઓર્ડરો લીધેલા છે એ ઓર્ડરો પૂરા કરવા માટે થોડું થોડું યાર્ન ખરીદી રહ્યા છે પરંતુ આ તકનો લાભ ઉઠાવવાના જે પ્રયાસો છે એને ડામવા જોઈએ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા એવી અમારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:22 pm

પક્ષીઓ માટે જલસેવાનો સેવાયજ્ઞ:અમદાવાદના રતનપોળ વિસ્તારમાં 1000 થી વધુ માટીના કુંડાનું વિતરણ કરી જીવદયા વહાવી

અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાન અને ભીષણ ગરમીના કારણે માનવીઓ જ નહીં, પણ અબોલ પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજે 'આદિ ફાઉન્ડેશન' દ્વારા શહેરના વ્યસ્ત એવા રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં માટીના જલપાત્ર (કુંડા) વિતરણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 1000 થી વધુ કુંડાનું વિતરણઆ અભિયાન અંતર્ગત સંસ્થા દ્વારા નાગરિકોને 1000 થી વધુ માટીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હાજર રહેલા શહેરીજનોએ આ પહેલને વધાવી લીધી હતી અને પોતપોતાના ઘરની છત, બાલ્કની કે આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે નિયમિત પાણી રાખવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે, ઉનાળાની પ્રચંડ ગરમીમાં પાણીના અભાવે અનેક પક્ષીઓ જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ નાનકડો પ્રયાસ પણ અબોલ જીવોના જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જીવદયા પ્રેમીઓ અને સભ્યોની ઉપસ્થિતિઆ સેવાકાર્યમાં આદિ ફાઉન્ડેશનની ટીમ સાથે અનેક જીવદયા પ્રેમીઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે હાર્દિક સંઘવી, અલ્પેશ શાહ, ચિરાગ ભાઈ અને રવિ ચૌહાણ સહિત સંસ્થાના અન્ય અગ્રણી સભ્યો હાજર રહ્યા હતા અને વ્યવસ્થા સંભાળી હતી. સંસ્થાએ અંતમાં શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પણ પોતાની આસપાસ પાણીના પાત્ર મૂકીને જીવદયાના આ કાર્યમાં સહભાગી બને અને સમાજમાં માનવતાનો સંદેશ ફેલાવે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:22 pm

અકસ્માત ગ્રસ્ત રીક્ષા ચાલકને 108 ટીમે કિંમતી ચીજવસ્તુઓ સોંપી:રામોસણા ચોકડી પાસે જેસીબી સાથે રીક્ષા અથડાતા અકસ્માત થયો'તો

મહેસાણાના રામોસણા ચોકડી પાસે ગત સાંજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 108 ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અકસ્માતગ્રસ્ત રિક્ષા ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે હોસ્પિટલ સત્તાધીશોને સોંપી ફરજનિષ્ઠા અદા કરી હતી. જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત મહેસાણાના રામોસણા ચોકડી પાસે પાર્ક કરેલા એક જેસીબી મશીન સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા ચાલક વિશાલકુમાર દશરથભાઈ રાવલને દાઢી અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ તત્કાલ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તને કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે તેને પરત અપાઈજિલ્લા અધિકારી હરેશ વાણિયાએ જણાવ્યું હતું કે, અકસ્માત સમયે ઈજાગ્રસ્તના કોઈ સબંધી હાજર ન હોવાથી 108ની ટીમે નૈતિક જવાબદારી નિભાવી હતી. દર્દીની રિક્ષાની ચાવી, મોબાઈલ ફોન અને આધાર કાર્ડ જેવી તમામ કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે મેળવી લીધી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર પાર્થ ને આ તમામ વસ્તુઓ વિધિવત રીતે સુપ્રત કરવામાં આવી હતી. 108ની ટીમની આ કામગીરી અને પ્રમાણિકતાને સ્થાનિકો તેમજ વહીવટી તંત્ર દ્વારા બિરદાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:20 pm

ચાંદખેડામાંથી વિદેશી નાગરિકોને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું:કેનેડાના નાગરિકોને ડરાવી પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડ દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવતા, ચાર શખ્સની ધરપકડ

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ કરી પ્રોસેસ કરવાના બહાને જુદી જુદી કંપનીના ગિફ્ટ કાર્ડ વાઉચર દ્વારા પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી કરતા હતાં. સાઇબર ક્રાઇમે કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં છેતરપિંડીનો કાળો કારોબાર ચલાવતાઅમદાવાદ સાઇબર ક્રાઇમે બાતમીના આધારે ચાંદખેડામાં આવેલા ન્યુ સીજી રોડ પાસેના સોપાન હાઈટ્સમાં આવેલા મકાનમાંથી કુશ પટેલ, હર્ષ પટેલ, આશુ પટેલ અને સુનિલ રાવત નામના ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. 1.87 લાખનો મુદ્દામાલ જપ્તપકડાયેલા આરોપીઓ પાસેથી 6 લેપટોપ, 5 મોબાઇલ ફોન, 4 હેડફોન, 1 કીબોર્ડ સહિત કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓના લેપટોપમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું જેનો વોઇસ કોલ કરવા માટે ઉપયોગ થતો હતો. લેપટોપ માંથી સ્ક્રિપ્ટ પણ મળી આવી હતી. એજન્સી ને બેંકના નકલી ઓફિસર બનીને છેતરતાંસ્ક્રિપ્ટમાં આરોપીઓ પોતાને કેનેડા રેવન્યુ એજન્સીના અધિકારી અને બેંકના અધિકારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોનો ફોન કરી તેમનો વિશ્વાસ સંપાદન કરતા હતા. જે બાદ નાગરિકોના નામ, સરનામા, પોસ્ટલ કોડ સહિતની વિગત મેળવી લેતા હતાં. કેનેડિયનને ડરાવી ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતાંઆરોપીઓ નાગરિકોને જણાવતા હતા કે તેમના વિવિધ બેંકમાં અનેક TFSA એકાઉન્ટ ખુલ્લા છે અને કોઈ અજાણી વ્યક્તિ તેમના વ્યક્તિગત માહિતીનો દૂર ઉપયોગ કરી રહી છે. જે બાદ કેનેડિયન નાગરિકોને ડરાવી ઓનલાઈન પ્રોસેસના બહાને ગિફ્ટ કાર્ડના વાઉચરમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. ચાર આરોપીની ધરપકડ, એક ફરારઆ પૈસા શિવાંગ નામના યુવકના ખાતામાં જતા હતાં. સાયબર ક્રાઈમે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જેમની પાસેથી લેપટોપ,મોબાઈલ પણ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.આ ગુનામાં પાંચમો આરોપી શિવાંગ હાલ ફરાર છે જેની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:12 pm

હિંમતનગરની પૌરાણિક દરબારી વાવનું રિસ્ટોરેશન શરૂ:33 લાખના ખર્ચે ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થશે, ઇડર સ્ટેટ વખતનું બાંધકામ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી પૌરાણિક દરબારી વાવના રિસ્ટોરેશનનું કામ શરૂ થઈ ગયું છે. ટાવર ચોકના બગીચામાં આવેલી આ વાવના જીર્ણોદ્ધાર માટે રૂ. 33 લાખનો ખર્ચ કરવામાં આવશે અને આગામી ચાર મહિનામાં કામગીરી પૂર્ણ થવાની અપેક્ષા છે. આ વાવને 'દરબારી વાવ' અથવા 'બોરસલ્લીની વાવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇડર સ્ટેટ વખતની આ વાવનું બાંધકામ ગુજરાતના સુબા અહેમદશાહના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. અગાઉ, પંચાયત દ્વારા આ વાવમાં બોર કરીને તેના પાણીનો ઉપયોગ બગીચાના વૃક્ષોની જાળવણી માટે થતો હતો. જોકે, બોરમાં પાણી ન રહેતા તેનો ઉપયોગ બંધ કરી દેવાયો હતો, જેના કારણે વાવ જર્જરિત થઈ ગઈ હતી. હિંમતનગર નગરપાલિકા દ્વારા આ રિસ્ટોરેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય વી.ડી. ઝાલા અને સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલમાં, સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વાવની ક્ષતિગ્રસ્ત પથ્થરની દીવાલોમાંથી પથ્થરો કાઢીને કામગીરી શરૂ કરવામાં આવી છે. હિંમતનગર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જીનલ પટેલે જણાવ્યું હતું કે, વાવના પુનરુદ્ધારનો મુખ્ય હેતુ હિંમતનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું જતન કરવાનો તેમજ પાણીનો સંગ્રહ કરીને વાવને ફરી જીવંત કરવાનો છે. કામગીરી પૂર્ણ થયા બાદ વાવની બહાર મુલાકાતીઓ માટે નાના બગીચા સાથે બેઠક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:08 pm

વાપીમાં 15 વર્ષીય કિશોર લાપતા:પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી, પોલીસ તપાસ શરૂ

વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. આ મામલે કિશોરના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો 15 વર્ષીય પુત્ર 'મનોજ' (નામ બદલ્યું છે) ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ગત વર્ષે જ ધોરણ 9માં ભણવા માટે વાપી તેના માતા-પિતા પાસે આવ્યો હતો. ગત 12મી માર્ચના રોજ મનોજને કોઈ વાતનું મનદુઃખ થતાં તે ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર નીકળી ગયો હતો. સાંજે જ્યારે તેના માતા-પિતા નોકરી પરથી પરત ફર્યા ત્યારે પુત્ર ઘરે જોવા મળ્યો ન હતો. પરિવારજનોએ આજુબાજુમાં અને ગીતાનગર વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તેમણે સ્થાનિક અગ્રણીઓ અને યુવકોની મદદથી વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોએ પણ શોધખોળ કરી. કિશોર વતને ગયો હોવાની શંકાએ બિહારમાં પણ તપાસ કરવામાં આવી હતી, છતાં મનોજ મળ્યો ન હતો. અંતે, પરિવારજનોએ વાપી ટાઉન પોલીસ મથકે મનોજના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી. વાપી ટાઉન પોલીસે ગીતાનગર વિસ્તારના CCTV ફૂટેજ મેળવ્યા છે. પોલીસે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રીક્ષા સ્ટેન્ડના CCTV ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી કિશોરના સગડ મેળવવાની સઘન તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:06 pm

ભરૂચમાં વ્યાજખોરે વેપારી પાસેથી ₹18 લાખ વસૂલ્યા:મારપીટ અને ધમકી આપતા વિડીયો વાયરલ, પોલીસ હરકતમાં

ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ પાસેથી ₹3 લાખ ઉધાર લીધા હતા. આ રકમ 10 મહિનામાં 5 ટકા વ્યાજ સાથે પરત કરવાની શરત હતી. સુરક્ષા પેટે ફરિયાદીએ આરોપીને ત્રણ કોરા ચેક પણ આપ્યા હતા. આક્ષેપ મુજબ, ત્યારબાદ આરોપીએ વ્યાજના નામે સતત વધુ રકમની માંગણી કરી હતી. દબાણ કરીને ફરિયાદી પાસેથી આશરે ₹18 લાખ સુધીની રકમ વસૂલવામાં આવી હતી. તેમ છતાં, આરોપી દ્વારા ધમકી અને ઉઘરાણીનો ત્રાસ ચાલુ રાખવામાં આવ્યો હતો. ફરિયાદમાં એ પણ ઉલ્લેખ છે કે આરોપી એકથી વધુ વખત વેપારીની દુકાને આવી ગાળાગાળી અને ધમકીઓ આપતો હતો, તેમજ મારપીટ પણ કરતો હતો. એક કિસ્સામાં, ફરિયાદીને બળજબરીથી કારમાં બેસાડી અન્ય સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવાર સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી વધુ પૈસા આપવા દબાણ કરાયું હોવાનું પણ જણાવાયું છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ ત્રાસથી કંટાળીને વેપારીએ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે અરજીના આધારે મામલાની તપાસ શરૂ કરી છે. જો આરોપો સાચા સાબિત થશે, તો વ્યાજખોરી અને ધમકીના ગુનાઓ હેઠળ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:05 pm

લાકડાથી રસોઈ શરૂ થઈ તો લાકડાના ભાવમાં પણ ભડકો:15 રૂ. કિલો વેચાતું લાકડું 25 રૂપિયે પહોંચતા રેસ્ટોરન્ટના માલિકની પરિસ્થિતિ કફોડી બની, જમવાની થાળીમાં રૂ. 10નો સીધો વધારો

સુરતમાં કોમર્શિયલની અછતના કારણે ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ શહેરના ખાણી-પીણી ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે અને તેની માઠી અસરની શરૂઆત અત્યારથી જ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવો આસમાને પહોંચતા સુરતના રેસ્ટોરન્ટ સંચાલકો હવે આર્થિક બોજ હળવો કરવા માટે મજબૂરીવશ આધુનિક ગેસ સ્ટવ છોડીને ફરીથી લાકડાના બળતણ તરફ વળી રહ્યા છે. જે રેસ્ટોરન્ટ્સમાં અત્યાર સુધી ગેસ પર રસોઈ બનતી હતી, ત્યાં હવે મોટા ચૂલાઓ પર લાકડા સળગાવીને રસોઈ તૈયાર કરવામાં આવી રહી છે. લાકડું 15 રૂપિયાથી સીધું 25 રૂ. પ્રતિ કિલોના ભાવે વેચાવાનું શરૂ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી ઓછી થઈ રહી નથી કારણ કે ગેસની સાથે સાથે લાકડાના ભાવમાં પણ મોટો ભડકો થયો છે. જે લાકડું અગાઉ બજારમાં રૂ. 15 પ્રતિ કિલોના ભાવે મળતું હતું, તેની માગ વધતા હવે તે સીધું રુ.25 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. બળતણના આ અસહ્ય ભાવ વધારાને કારણે રેસ્ટોરન્ટ માલિકો પાસે હવે ગ્રાહકો પાસેથી વધુ પૈસા વસૂલવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી, જેને પગલે રસોઈમાં પ્રતિ ડીશ સીધો 10 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. બહારથી આવીને વસેલા મધ્યમ વર્ગ માટે ભાવ વધારો મોટો ફટકોસુરત જેવા શહેરમાં જ્યાં હજારોની સંખ્યામાં શ્રમિકો અને મધ્યમ વર્ગના લોકો રોજીરોટી માટે બહારથી આવીને વસેલા છે, તેમના માટે આ ભાવ વધારો મોટો ફટકો સાબિત થઈ રહ્યો છે. શહેરના પંજાબી રસોઈ રેસ્ટોરન્ટમાં દરરોજ સરેરાશ 150થી 200 લોકોનું જમવાનું બનાવવામાં આવે છે અને આટલી મોટી સંખ્યામાં રસોઈ બનાવતી વખતે બળતણનો ખર્ચ સીધો નફા પર અસર કરે છે. પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરાયાભાવ વધારાની વિગતો જોઈએ તો, જે છોલે ભટુરે અત્યાર સુધી રુ. 70 પ્રતિ ડિશ મળતા હતા તેના ભાવ હવે 80 કરી દેવામાં આવ્યા છે. તેવી જ રીતે સામાન્ય માણસની પહેલી પસંદ ગણાતા રાજમા ચાવલ, કડી ચાવલ અને છોલે ચાવલ જે અગાઉ 50 પ્રતિ ડીશ મળતા હતા, તે હવે 60માં વેચાઈ રહ્યા છે. એટલું જ નહીં, શ્રમિક વર્ગમાં લોકપ્રિય એવી પંજાબી થાળીના ભાવ પણ 50થી વધારીને 60 પ્રતિ ડીશ કરી દેવામાં આવ્યા છે. આમ, કોમર્શિયલ ગેસના ભાવ વધારાની ચેઈન રિએક્શનને કારણે સુરતવાસીઓની થાળી હવે મોંઘી થઈ ગઈ છે અને મોંઘવારીનો આ માર છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે. કોમર્શિયલ ગેસની અછતથી નાના ધંધાર્થીઓ પરેશાનપંજાબી રસોઈના માલિક તરુણભાઈએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ ગેસની જુઓ તો બહુ પરેશાની છે, બહુ તકલીફ છે અત્યારે. ક્યાંય પણ નથી મળી રહ્યો, બહુ ખરાબ હાલત છે. લાકડા પર જમવાનું બનાવવું પડી રહ્યું છે. જે થાળીનો ભાવ 50 રૂપિયા હતો તે હવે 60 રૂપિયા કર્યો છે. અને હાલત એવી છે કે જે લાકડા 15 રૂપિયે કિલો મળતા હતા, તે પણ હવે 25 રૂપિયે કિલો થઈ ગયા છે. તોતિંગ ભાવ વધારા અને અછતના પગલે ઘરે પરત ફરવા મજબૂરહવે અમે એ વિચારી રહ્યા છીએ કે, જમવાનું ખવડાવીએ કે ભાવ વધારીએ? શું કરીએ એ જ નથી સમજાતું. અમારી રેસ્ટોરન્ટમાં મજૂર લોકો જ આવે છે. અમે મજૂર લોકોને જ જમવાનું ખવડાવીએ છીએ. તમારી ચેનલના માધ્યમથી જ જોઈએ છીએ કે ઉધના સ્ટેશન પર કેટલી ભીડ છે, લોકો ઘરે જઈ રહ્યા છે. જ્યારે મજૂરો જ નહીં હોય તો અમે કોને જમાડીશું? અમારે તો મજૂરોનું જ કામ છે. 50-60ની થાળી તો મજૂર જ ખાશે, અમીર માણસ તો ખાશે નહીં. અત્યારે તો એવી હાલત છે કે હવે ફરી પાછા ઘરે જવાની તૈયારી પર છીએ. છોકરાઓને ઘરે મોકલી રહ્યા છીએ. લાકડા પર જેટલા દિવસ ચાલશે એટલા દિવસ ચલાવીશું, નહીં ચાલે તો 'જય રામજી કી'. કંઈક ને કંઈક તો કરીશું જ. વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે તેવી માગસ્ટાફ ઘટાડવાને લઈને તેમને કહ્યું હતું કે, સ્ટાફનું તો શું કરીએ, સ્ટાફને તો મોકલવા જ પડશે ને? હવે માણસો ઘટાડવા જ પડશે, ક્યાંથી આવશે પૈસા એમને આપવા માટે? બસ અમારી સરકાર પાસે એક જ માગ છે કે વહેલી તકે ગેસ પૂરો પાડવામાં આવે અને વ્યવસ્થિત ચાલુ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:03 pm

મહીસાગર SOGએ મોબાઈલ ચોર પકડ્યો:સંતરામપુર પોલીસ સ્ટેશનના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલાયો

મહીસાગર SOG પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 26,000ની કિંમતના ચોરાયેલા OPPO મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી. આ બાતમી મુજબ, સંતરામપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ નોંધાયેલા ગુનામાં ચોરી થયેલો OPPO કંપનીનો મોબાઈલ ફોન ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના બચકરીયા ગામે હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. માહિતી મળતા જ, SOG પીએસઆઈ એ.એમ. બારીયા અને SOG સ્ટાફને ડીટવાસ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યાં તપાસ કરતા, છાયામહુડા ફળિયું, બચકરીયા ઉત્તર, તા. કડાણા, જી. મહીસાગરના રહેવાસી બાબુ કાળુભાઈ ડામોરને ચોરી થયેલા રૂ. 26,000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી અને ચોરીનો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 1:02 pm

અમદાવાદમાં છરો લઈ તલવારની જેમ ફેરવી યુવતીએ બેફામ ગાળો ભાંડી:દેશી દારૂના અડ્ડાઓ મામલે પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોફાન મચાવી દીધું, પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે બાબતે કહેતા મહિલાઓ દ્વારા ચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ વીડિયોમાં બે યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી છે. તેમજ એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. આ મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીના સંજય ચોક વિસ્તાર પાસે આવેલી ચાલીનો આ વિડિયો છે. જેમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં થયેલી બોલાચાલીમાં હથિયાર જેવું બતાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ચારથી પાંચ યુવતીઓ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા બાબતે બોલાચાલી થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:55 pm

ઉનાળામાં જ પીવાના પાણીની બોટલ મોંઘી:યુધ્ધના લીધે રાજકોટના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસને માઠી અસર, એક કેરેટમાં 1 લીટરના રૂ.75, 500 ML ના રૂ.95 થયા

અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટલના એક કેરેટના રૂ.60 થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે. રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લીટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લીટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે ઓકે પછી જગ્યાએ એક સરખી ખરાબ પરિસ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:53 pm

ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતાં. જોકે કાર્યક્રમ થશે તો કઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ'એ ગોડસેના વંશજને આમંત્રિત આપ્યુ'તુંસુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ' દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ભારત સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન' વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસ્વીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. 'ર્હોડિંગ્સ લગાવીને નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ'કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા ર્હોડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો હતો. કોંગ્રેસની ચીમકી, આયોજક દ્વારા કાર્યક્રમ રદ કરાયોવિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયોકાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો. 'ગાંધીના હત્યારાને ગુણગાન કરવા માટેનો કાર્યક્રમ હતો'કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. અને આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ. 'અમે પાણી નાખી દીધું, એમની હિંમતને અમે તોડી નાખી'ઉધનાવાલાએ કહ્યું હતું કે, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવા ન દીધી, એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલીય દેશોમાં એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલીય બુકો લખવામાં આવી છે. એવા મહાન આપણા રાષ્ટ્રપિતાની વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય, તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચાલવા દે, ભારતના લોકો નહીં ચાલવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમ રદ થયો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:51 pm

ગોધરામાં રમઝાનમાં નિઃશુલ્ક ટિફિન સેવા:9મા વર્ષે જરૂરિયાતમંદોને વહેલી સવારે ભોજન પૂરું પાડે છે, 10 લોકોની ટીમ 'શહેરી'માં સેવારત

ગોધરામાં સામાજિક કાર્યકર તોફિક મલેક અને તેમની ટીમ દ્વારા પવિત્ર રમઝાન માસ દરમિયાન નિઃશુલ્ક 'શહેરી' (વહેલી સવારનું ભોજન) ટિફિન સેવા પૂરી પાડવામાં આવે છે. આ સેવા છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓ અને અન્ય જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે. આ સેવા માટે ગોધરાના સરદાર નગર ખંડ નજીક દરરોજ વહેલી સવારે દસથી વધુ યુવાનોની ટીમ એકત્ર થાય છે. આ ટીમ દ્વારા ગરમાગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા ટિફિન શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના પરિજનો, મુસાફરો અને આર્થિક રીતે નબળા પરિવારો સુધી પહોંચાડવામાં આવે છે. આ સેવા દર રમઝાન માસમાં છેલ્લા નવ વર્ષથી સતત ચાલી રહી છે અને તેનો સંપૂર્ણ આર્થિક ભાર તોફિક મલેક પોતે ઉઠાવે છે. વહેલી સવારે જ્યારે મોટાભાગના લોકો આરામ કરતા હોય છે, ત્યારે આ યુવાનોની ટીમ સક્રિય હોય છે. તૈયાર થયેલા ટિફિનને સુવ્યવસ્થિત રીતે પેક કરીને વિવિધ વિસ્તારો અને હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ વહેલી સવારના ભોજનથી વંચિત ન રહે. કોઈપણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના કરવામાં આવતી આ સેવા ગોધરા શહેરમાં પ્રશંસા મેળવી રહી છે. તોફિક મલેક અને તેમની ટીમની આ કામગીરી સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:43 pm

ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો આરોપી ફરાર:ગણતરીના કલાકોમાં ઝડપાયો, બે પોલીસકર્મી સામે ગુનો નોંધાયો

સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ચિઠોડા પોલીસે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બલીચા ગામના સંજયભાઈ બંસીલાલ ખરાડીને પ્રોહિબિશનના ગુનામાં પકડ્યો હતો. શનિવારે વહેલી સવારે 6:05 થી 6:15 કલાકના દસ મિનિટના ગાળામાં સંજયભાઈ લોકઅપના દરવાજાની સ્ટોપર ખોલીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનના PSO દ્વારા લોકઅપના દરવાજાને લોક ન મારવામાં આવ્યું હોવાનું અને મહિલા વાયરલેસ ઓપરેટરની બેદરકારી સામે આવી હતી. હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ મગનભાઈ હુડલાની ફરિયાદના આધારે, ફરાર આરોપી સંજયભાઈ બંસીલાલ ખરાડી, PSO હેડ કોન્સ્ટેબલ રમણભાઈ જીવાજી બુવળ અને વાયરલેસ ઓપરેટર મહિલા હેડ કોન્સ્ટેબલ રીટાબેન કાનજીભાઈ ડોડીયાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇડરના DYSP સ્મિત ગોહિલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી ફરાર થયા બાદ સ્થાનિક પોલીસ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ તેને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના નયાગાવ તાલુકાના બલીચા ગામેથી સાંજે ઝડપી લેવામાં આવ્યો હતો. નોંધાયેલી ફરિયાદ સંદર્ભે જિલ્લા પોલીસ વડા દ્વારા ખાતાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:24 pm

જૂનાગઢમાં 'સફેદ દૂધના કાળા કારોબાર' પર જનતા રેડ:વહેલી સવારે યુવરાજસિંહ જાડેજાની ટીમે શંકાસ્પદ દૂધનું ટેન્કર ઝડપ્યું; કેમિકલયુક્ત દૂધ સોરઠ ડેરીમાં ઠાલવવાનું કૌભાંડ હોવાનો આક્ષેપ

​જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવી હતી. ટીમને લાંબા સમયથી માહિતી મળી રહી હતી કે, અહીં દૂધમાં મોટા પાયે ઝેરી કેમિકલ્સની ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા છે જેના પર્દાફાશ માટે આજે વહેલી સવારે વોચ ગોઠવવામાં આવી હતી. યુવરાજ સિંહે પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો​આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળિયા તત્વો બેફામ બન્યા છે અને અગાઉ પણ તેમણે વરિયા ગામ પાસેથી નકલી દૂધનું ટેન્કર પકડીને આ રેકેટ ખુલ્લું પાડ્યું હતું. આજે જે ટેન્કર પકડાયું છે તે વિસાવદરના દેડિયા ગામથી દરરોજ સવારે પાંચ વાગ્યે નીકળે છે જેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢમાં ઝડપાયેલા શંકાસ્પદ દૂધના મામલે યુવરાજસિંહની ટીમે પોલીસ સ્ટેશનમાં જ પોતાની કિટથી ટેસ્ટ કરતા ભેળસેળનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન ફૂડ વિભાગના અધિકારીઓ પાસે પૂરતા સાધનો ન હોવાથી તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા માગ કરાઈ છે. ભેળસેળની સચોટ માહિતી માટે દૂધને FSLમાં મોકલાયું​યુવરાજસિંહની ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યા બાદ તાત્કાલિક અસરથી 112 નંબર પર કોલ કરીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી લીધા હતા. આ સાથે જ દૂધના નમૂનામાં કયા પ્રકારની ભેળસેળ છે તેની સચોટ માહિતી મેળવવા માટે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી જેથી દૂધમાં રહેલા ઘાતક તત્વોની વૈજ્ઞાનિક તપાસ થઈ શકે. હાલમાં પોલીસ દ્વારા આ ટેન્કરને સી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષિત લઈ જવામાં આવ્યું છે અને આગળની તમામ કાયદેસરની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. '350થી 400 લિટર શંકાસ્પદ જથ્થો ડેરીઓમાં ઠલવાય છે'​આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગે આક્ષેપ કરતા જણાવાયું છે કે, વિસાવદરના દેડિયા ગામની સહકારી ડેરીમાં વાસ્તવમાં ખૂબ ઓછું દૂધ જમા થાય છે, પરંતુ આસપાસના મજૂરો પાસેથી માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવ્યા બાદ તેમાં મોટા જથ્થામાં મિશ્રણવાળું અને કેમિકલયુક્ત દૂધ ઉમેરી દેવામાં આવે છે. આ રીતે અંદાજે 350થી 400 લિટર જેટલો શંકાસ્પદ જથ્થો તૈયાર કરીને ડેરીઓમાં ઠાલવવામાં આવે છે. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજે ગુજરાતમાં કેન્સર અને કિડનીના કેસોમાં જે ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. તેની પાચે ક્યાંકને ક્યાંક આવા સફેદ દૂધના કાળા કારોબારીઓ જવાબદાર છે જે લોકોના જીવ જોખમમાં મૂકીને નફો કમાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો​આ સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે અને FSLના અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જો આ નમૂનામાં કેમિકલની હાજરી સાબિત થશે તો દૂધના માલિક દેવાભાઈ ભરવાડ તેમજ જે ડેરીમાં આ દૂધ જતું હતું તે તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે. લોકોમાં પણ એવી માગ ઉઠી રહી છે કે, માત્ર એક ટેન્કર પકડીને સંતોષ માનવાને બદલે આખા નેટવર્કનું મૂળ શોધવામાં આવે જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે થતા આ અક્ષમ્ય અપરાધને રોકી શકાય.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:11 pm

પ્રાંતિજના સાદોલીયા ઓવરબ્રિજ પર અકસ્માતમાં 2નાં મોત:ભારે વાહનો રોકવાની લોખંડની ગડરને ડમ્પર અથડાયું, વિચિત્ર અકસ્માતમાં તેની પાછળ બીજા 2 ડમ્પર અને ટ્રક અથડાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર કાઢ્યો હતો. સાદોલીયા ઓવરબ્રિજ પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે તંત્ર દ્વારા લોખંડના ગડર (બેરિયર) લગાવવામાં આવ્યા છે. શનિવારે રાત્રે રેતી ભરીને જતું એક ડમ્પર આ લોખંડના ગડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે પાછળ આવી રહેલા અન્ય 2 ડમ્પર અને 1 ટ્રક પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. મૃતકોની ઓળખઅકસ્માતમાં ડમ્પરના કેબિનનો કુરચો બોલી ગયો હતો, જેમાં ફસાયેલા ચાલક અને ક્લીનરનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અજીત શના ઠાકોર (25 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ વિશાલ લક્ષ્મણ ઠાકોર (24 વર્ષ) – રહે. પીંઢારપુરા, ચાણસ્મા, જિ. પાટણ ફાયર વિભાગનું રેસ્ક્યૂ ઓપરેશનઘટનાની જાણ થતા જ પ્રાંતિજ ફાયર વિભાગની ટીમ મુકેશ પરમારના નેતૃત્વમાં સ્થળ પર પહોંચી હતી. અંદાજે 45 મિનિટની જહેમત બાદ ડમ્પરની કેબિન કાપીને બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન પાછળ અથડાયેલી ટ્રકના કેબિનમાં ફસાયેલા ચાલક જીવરામ ગોવિંદને ફાયર ટીમે માત્ર 10 મિનિટમાં સુરક્ષિત બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ કાર્યવાહીપ્રાંતિજ પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 12:00 pm

સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ!:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત; દિગ્ગજોએ દર્શન કરી આશીર્વાદ લીધા; વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવના મંદિરે જળાભિષેક અને પાઘ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા. આ સાથે જ વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું મુખ્યાલય પણ ખુલ્લું મુકવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે સંગઠનાત્મક દ્રષ્ટિએ આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષે સંગઠન મજબૂત બનાવવાની દિશામાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. સોમનાથ મહાદેવના દર્શન બાદ મીડિયા સાથે વાત કરતાં મુકુલ વાસનિકે જણાવ્યું કે તેઓ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ મજબૂત બનીને મેદાનમાં ઉતરશે. વાસનિકે ઉમેર્યું કે રાજ્યભરમાં કોંગ્રેસના સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. કાર્યકર્તાઓને સક્રિય બનાવી સ્થાનિક સ્તરે જનસંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, પવિત્ર સોમનાથથી પ્રચારની શરૂઆત કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. આ પગલું આવનારી ચૂંટણીઓમાં રાજકીય ગરમાવો વધારવાનું સૂચવે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:58 am

બોટાદની તરઘરા શાળામાં યોગ શિબિર યોજાઈ:બાળકોને પરીક્ષાનો ભય દૂર કરવા અપાયું માર્ગદર્શન

બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે પરીક્ષાનો ભય દૂર કરવા માટે વિવિધ આસનો, પ્રાણાયામ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને અભ્યાસ કરાવ્યો હતો. શાળા પરિવારે શ્રી યોગ ફાઉન્ડેશનના પ્રમુખ નયનભાઈ શેઠ અને તેમની ટીમનો આ કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિ:શુલ્ક યોગ શિબિરથી બાળકોમાં પરીક્ષા પ્રત્યે આત્મવિશ્વાસ વધ્યો હતો અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી. શાળાના આચાર્ય મનુમાસ્તર અને શાળા પરિવારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:44 am

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બાદ 'બાબ અલ મંદેબ' પણ બંધ થશે! યમનના હુથીઓની ધમકીથી દુનિયા ટેન્શનમાં

Iran Israel War : ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે માત્ર સરહદ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને ડૂબાડવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન સમર્થિત યમનના હૂતી બળવાખોરોએ હવે દુનિયાના સૌથી મહત્વના દરિયાઈ માર્ગ 'બાબ અલ-મંડેબ' (Bab al-Mandab) ને બ્લોક કરવાની ધમકી આપી છે. શું છે ઈરાનની 'ત્રણ તબક્કાની રણનીતિ'? પ્રથમ તબક્કો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરવો (જે પહેલાથી જ પ્રભાવિત છે).

ગુજરાત સમાચાર 15 Mar 2026 11:38 am

અકસ્માત વળતરના કેસમાં મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યો:63 લાખ ચૂકવાયા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરિમયાન દાવો ફેંસલ કરાયો, MACP ના 405 દાવાનો નિકાલ

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલેજથી પરત ફરી વખતે અકસ્માત થયો'તોમળતી વિગત અનુસાર, 37 વર્ષીય શાહ-નવાઝ ઉર્ફે આસિફ મોહમદ રફીકમીયા શેખને એક માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમના અવસાનને કારણે થયેલા અપૂરણીય નુકસાન અને દુઃખ માટે યોગ્ય વળતર મેળવવા માટે તેમની કાનૂની વારસદારો પત્ની, ચાર સંતાનો અને માતા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. અકસ્માત 19 જુલાઈ, 2024ના રોજ રાત્રે થયો હતો. શાહ-નવાઝ તેમના મિત્ર તૌફીક વ્હોરા સાથે આણંદ-ભાલેજથી કામ પરથી પરત ફરી રહ્યા હતાં. શાહ-નવાઝ પોતાનું ટુ વ્હિલર સુઝુકી બર્ગમેન ચલાવી રહ્યા હતાં. તેઓ નડિયાદ નજીક દુમરાલ ગામ પાસે પહોંચ્યા ત્યારે સામે પક્ષ દ્વારા ચલાવવામાં આવતી કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન મોત થયુંતેમને તરત જ સિવિલ હોસ્પિટલ નડિયાદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ઈનડોર પેશન્ટ તરીકે ઈજાઓને કારણે મોત થયું હતું. આ અકસ્માત અંગે નડિયાદ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. મૃતકના પરિવારજનોએ 1 કરોડનો દાવો કર્યોમૃતકના કાનૂની વારસદારો દ્વારા મોટર વાહન અધિનિયમની કલમ 166 હેઠળ 1 કરોડ રૂપિયાના વળતર માટે જિલ્લા અને સત્ર ન્યાયાલય, અમદાવાદ ગ્રામ્ય ખાતે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા, તમામ પક્ષકારો, વીમા કંપનીના પ્રતિનિધિઓનો સક્રિય સહકાર મળતા 14 માર્ચ, 2026ના રોજ લોક અદાલત દરમિયાન આ મામલો સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન દ્વારા નિવારવામાં આવ્યો હતો. કોર્ટે દાવો ફેંસલ કરીને 63 લાખ ચૂકવવા આદેશ કર્યોપારસ્પરિક ચર્ચા અને વિચારવિમર્શ બાદ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા મૃતકના કાનૂની વારસદારોને 63 લાખની રકમ ચૂકવવા સંમતિ અપાતા, અધિક જિલ્લા ન્યાયાધીશ એન.પી. ઉનડકટની કોર્ટમાં આ દાવો ફેંસલ કરવામાં આવ્યો. આ રકમ નક્કી કરતી વખતે મૃતકની ઉંમર, 40 હજાર રૂપિયાની માસિક આવક, પરિવારની નિર્ભરતા અને તેમના ભવિષ્યના સંભવિત આવક જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:31 am

અમીરગઢ ચેકપોસ્ટ પરથી 801 ગ્રામ ચરસ ઝડપાયું:રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસમાં બેઠેલા મુંબઈના યુવક પાસેથી ₹2.10 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતી ટ્રાવેલ્સ બસને રોકવામાં આવી હતી. બસમાં બેઠેલા એક યુવક પર શંકા જતાં તેની બેગની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન યુવકની બેગમાંથી 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. ઝડપાયેલા આરોપીનું નામ જય ચેતન ગાલા (ઉંમર 29) છે, જે મુંબઈના ગોરેગામનો રહેવાસી અને મૂળ કચ્છના મુન્દ્રાનો છે. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(બી)(ii)(બી) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીની વાદળી રંગની ટ્રાવેલિંગ બેગમાંથી કપડાં અને જેકેટની આડશમાં છુપાવેલું 801 ગ્રામ ચરસ મળી આવ્યું હતું. આ ચરસની બજાર કિંમત ₹2,00,250 આંકવામાં આવી છે. ચરસ ઉપરાંત, એક એન્ડ્રોઇડ મોબાઈલ પણ જપ્ત કરાયો છે, જે સાથે કુલ ₹2,10,250 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:31 am

બેફામ કારચાલકે સ્પીડમાં બમ્પ કુદાવી બાઈકચાલકને ઉડાવ્યો, CCTV:યુવક 20 ફૂટ દૂર જઈ પટકાયો, આરોપી અકસ્માત સર્જી ક્ષણભરની રાહ જોયા વગર કાર વળાવી ભાગી છૂટ્યો

વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કારચાલકે યુવકને ટક્કર મારતા યુવક બાઈક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ હૃદયદ્રાવક અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કાર હંકારી બાઈક સવારને ટક્કર મારીવડોદરા શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં 12 માર્ચના રોજ સાંજે 7 વાગ્યે એક બાઈક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેને પગલે બાઈકચાલક બાઈક પરથી નીચે પટકાયો હતો. જેને કારણે તે ઇજાગ્રસ્ત થયો હતો અને રોડ પર જ કણસવા લાગ્યો હતો. યુવક નીચે પટકાયો હતો, પરંતુ બાઈક દોડતી દોડતી દૂર જઈને પડી હતી. કારચાલક ઉભો રહી મદદ કરવાની જગ્યાએ કાર લઈ નાસી છૂટ્યોસ્પીડ બ્રેકર હોવા છતાં કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કારચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટીયરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. જે બાદ અકસ્માત સર્જાવાને પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. જે બાદ યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીવડોદરાના છાણી રોડ પર બનેલી અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે, તેમ છતાં વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહન ચલાવીને લોકોના જીવ જોખમમાં મૂકે છે. સાથે સાથે લોકો પણ આ પ્રકારે બેફામ વાહન ચાલકો સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. આ પણ વાંચો: અમદાવાદમાં વૃદ્ધને બોનેટ પર બેસાડી 500 મીટર સુધી કાર દોડાવી, વૃદ્ધ કહેતા રહ્યા- 'કેસ નથી કરવો, કેસ નથી કરવો' અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ બન્યો હતો. અકસ્માત સર્જનારા કારચાલક જાદવ હરિસિંહ સુરસંગને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કારચાલકે કાર ભગાડી મૂક્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. વીડિયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે, 'હજી કહું છું કેસ નથી કરવો' તેમ છતા જાદવ હરિસિંહ સુરસંગે પોતાની કાર ઉભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી રહ્યો હતો. આ મામલે રાતે પોલીસ સ્ટેશનમાં ભયજનક ડ્રાઇવિંગની કલમ બીએનએસ (BNS) 281 મુજબ અને એમવી એક્ટ (MV Act) 184, 177, 134 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.અને આરોપી ડ્રાઈવર જાદવ હરિસિંહ સુરસંગની અટકાયત કરવામાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) લાલ દરવાજા વિસ્તારમાં બેફામ કારચાલકે 3થી 4 વાહનને ટક્કર મારી અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં લકી ટી સ્ટોલ પાસે બેફામ બનેલા કારચાલક દ્વારા ત્રણથી ચાર વાહનને ટક્કર મારવી હોવા અંગેનો બનાવ બન્યો છે. ચાલક ત્રણથી ચાર વાહનને ટક્કર મારીને એલિસબ્રિજ તરફ ભાગ્યો હતો, જ્યાં સ્થાનિક લોકોએ પીછો કરી અને કારચાલકને ઝડપી પાડ્યો હતો. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કારચાલક શાહપુર તરફથી પૂરપાટ ઝડપે ગાડી લઈને આવી રહ્યો હતો અને ત્યાંથી પણ ત્રણથી ચાર વાહનને ટક્કર મારી લાલ દરવાજા લકી સ્ટોલ પાસે ટક્કર મારી હતી. એક એક્સેસ ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં કેટલા લોકોને ઈજા થઈ છે તે અંગે હજી માહિતી મળી નથી. એલિસબ્રિજ પાસે ચાર રસ્તા નજીક કારચાલકને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તરત જ ટ્રાફિકના TRB જવાનો આવી ગયા હતા. સ્થાનિક લોકો અને TRB જવાનો દ્વારા આરોપીને પકડી એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:12 am

ચોટીલા હાઈવે પર હોટલોમાં સઘન ચેકિંગ:પુરવઠા વિભાગે ઘરેલું ગેસના દુરુપયોગ પર અંકુશ લગાવવા કવાયત હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ નિર્દેશ હેઠળ પુરવઠા વિભાગે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 11:10 am

ગરમી વચ્ચે વલસાડ જિલ્લામાં પારો 4 ડિગ્રી ગગડતા રાહત:શનિવારે 37°C ચડેલો પારો રવિવારે ઘટીને 34°C પર સ્થિર, ઊંચા ભેજને કારણે લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થશે

વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શનિવારે 37C સુધી પહોંચેલો પારો રવિવારે 4 ડિગ્રી ઘટીને 34C પર સ્થિર થયો હતો. જોકે, તાપમાન ઘટવા છતાં હવામાં ઊંચા ભેજને કારણે નાગરિકો બફારો અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ નોંધાયું હતું, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનને કારણે તાપમાન નીચું રહ્યું હતું. ધરમપુરમાં મહત્તમ 35C અને લઘુત્તમ 22C તાપમાન નોંધાયું હતું. વાપીમાં 34C મહત્તમ અને 25C લઘુત્તમ તાપમાન સાથે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. વલસાડમાં 33C, કપરાડામાં 34C અને ઉમરગામમાં 32C મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી 24 કલાક અને સાવચેતીહવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં બપોરના સમયે આકાશ સ્વચ્છ રહેશે. જોકે, UV ઇન્ડેક્સ 9 (ખૂબ ઊંચું) હોવાથી બપોરે 12 થી 4 દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં રહેવું ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 24C આસપાસ રહેશે અને વાદળછાયું વાતાવરણ રહેતા બફારો વધી શકે છે. પશ્ચિમ દિશા તરફથી 4 mphની ગતિએ ફૂંકાતા પવનો ગરમીથી આંશિક રાહત આપશે. નિષ્ણાતોના મતે, ગરમી અને ડિહાઈડ્રેશનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત કે નાળિયેર પાણી લેવું હિતાવહ છે. આગામી 2-3 દિવસમાં પારો ફરી 1 થી 2 ડિગ્રી ઉંચકાય તેવી શક્યતા છે. આગામી અઠવાડિયાનું અનુમાનસમગ્ર અઠવાડિયા દરમિયાન સરેરાશ મહત્તમ તાપમાન 29C થી 31C વચ્ચે રહેશે. વીકેન્ડમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ 43% થી 69% અને પવનની ગતિ 9થી 11 mph રહેવાની સંભાવના છે.સોમવારથી રવિવાર સુધીનું પૂર્વાનુમાન

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:54 am

વડોદરામાં શાકભાજીના ભાવ મુદ્દે હિંસક બબાલ:સસ્તા ભાવે વેચાણની અદાવતમાં યુવકને ગળા અને આંખ પાસે ચાકુના ઘા ઝીંક્યા; સામસામે ફરિયાદ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં શાકભાજીના ઓછા ભાવે વેચાણના મુદ્દે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝપાઝપી દરમિયાન એક યુવકને ચાકુથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા માંજલપુર પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજી ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ હતીગત સાંજે શહેરના મકરપુરા GIDC પાસે ભૂમિ ચોકડી ખાતે એક ઘટના બની હતી. મહેન્દ્રનગરમાં રહેતા મુકીમ અનિશભાઈ પઠાણ (ઉંમર 32) શાકભાજીની ફેરી માટે ટેમ્પો લઈને નીકળ્યા હતા. ટેમ્પો બંધ પડતા તેમણે રોડની બાજુમાં શાકભાજી વેચવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન નજીક જ પથારો લગાવીને શાકભાજી વેચતા ઇમરાન તસીરખાન પઠાણ (ઉંમર 26) ત્યાં આવ્યા અને ઓછા ભાવે વેચાણ કરવા બાબતે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. કમર, ગળા અને ડાબી આંખ પાસે ચાકુના ઘા માર્યાત્યારબાદ ઇમરાનના ભાઈ મોહમ્મદ સાબાન ખાન પણ સામેલ થયો હતો. બાદમાં સામાન્ય બોલાચાલી બાદ વાત ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. ઝપાઝપી દરમિયાન ઇમરાનના ભાણેજ શાહિદે ચાકુ કાઢીને મુકીમને કમર, ગળા અને ડાબી આંખ પાસે ઘા કર્યા હતા. જેથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત મુકીમે પોતાના ભાઈ સુફિયાનને ફોન કરતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા મુકીમને એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. મુકીમે ઇમરાન તસીરખાન, મોહમ્મદ સાબાન ખાન તેમજ શાહિદ સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે કોલર પકડીને ગાળાગાળી અને મારામારીની ફરિયાદ કરીબીજી તરફ ઇમરાન તસીરખાને પણ સામે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા અનુસાર મુકીમ તેમની બાજુમાં ટેમ્પો રાખીને ઓછા ભાવે શાકભાજી વેચવા લાગ્યા હતા. તેમને ટેમ્પો સાઈડમાં રાખવા જણાવ્યું હતું, પરંતુ મુકીમે તેમ ન કર્યું કરતા બબાલ થઈ હતી. ત્યારબાદ મુકીમે કોલર પકડીને ગાળાગાળી કરી અને મારામારી શરૂ કરી દીધી હતી. ઝપાઝપીમાં ઇમરાન, મોહમ્મદ સાબાન અને સાહિબે આલમને સામાન્ય ઈજાઓ થઈ હતી. તેઓ પણ 108 એમ્બ્યુલન્સ દ્વારા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ ઘટના અંગે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે ચારેય વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શહેરમાં હત્યાના બે બનાવો સામે આવ્યા છે. ત્યારે ગત સાંજે સર્જાયેલ આ મારામારીમાં પણ ઘાતક હથિયાર ચાકુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો યુવકને છાતીના કે ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોત તો કદાચ જીવલેણ સાબિત થઈ હોત. ત્યારે પોલીસે કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ફરી નિયંત્રણમાં લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:52 am

મહેસાણાના ગોઝારિયા જીઆઈડીસીમાં લાકડાની કંપનીમાં આગ:ધુમાડાના ગોટેગોટા ને લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ, 5 કલાકની જહેમત બાદ કાબુ મેળવાયો

મહેસાણા જિલ્લાના ગોઝારિયા વિસ્તારમાં આવેલી નવી જીઆઈડીસીમાં ગત મોડી રાત્રે આગની એક મોટી ઘટના સામે આવી હતી.ગોઝારિયાના નિર્મલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થિત ઘનશ્યામ ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન નામની લાકડાની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠીમોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ કંપનીમાં રહેલા લાકડાના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 10 હજાર લિટર પાણીનો મારો ને 5 કલાકની મહામહેનતે આગ કાબુમા આવીફાયર વિભાગની ટીમે સતત 5 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આશરે 10 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આખરે સવારે 7 વાગ્યાની આસપાસ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જેના કારણે તંત્ર અને કંપની માલિકે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગને કારણે લાકડાનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા આર્થિક નુકસાન થવા પામ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:30 am

પાટીલને જન્મદિવસ નિમિતે શુભેચ્છા પાઠવવા કાર્યકર્તાઓએ લાઇન લગાવી:ફરી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા

ગુજરાતના રાજકારણમાં ચર્ચાસ્પદ નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આવતીકાલે, 16 માર્ચના રોજ જન્મદિવસ છે. આ અવસરને વધાવવા માટે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને સમગ્ર રાજ્યમાંથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફરીથી ટિકિટ મળેની લાલચે પૂર્વ કોર્પોરેટરો પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પહોંચ્યાસુરત મહાનગરપાલિકાની ટર્મ પૂરી થઈ ગઈ છે અને હવે ચૂંટણી થોડા સમયમાં જાહેર થશે અને તે પહેલા સી આર પાટીલનો જન્મદિવસ હોવાને કારણે અનેક પૂર્વ કોર્પોરેટરો સીઆર પાટીલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા અને પોતાને ફરીથી ટિકિટ મળે તેની લાલચે સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતાં. આવતીકાલે દિલ્હી જવાના હોવાથી આજે જ શુભેચ્છાઓનો વરસાદસામાન્ય રીતે રાજકીય નેતાઓના જન્મદિવસે મોટા પાયે આયોજનો થતા હોય છે, પરંતુ આ વખતે 16 માર્ચના રોજ દિલ્હી ખાતે સંસદનું સત્ર ચાલુ હોવાથી સી.આર. પાટીલ આવતીકાલે દિલ્હીમાં વ્યસ્ત રહેવાના છે. આ કારણોસર તેઓ આવતીકાલે પોતાના મતવિસ્તાર અથવા સુરત ખાતે હાજર રહી શકે તેમ નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્યભરના કાર્યકરો, હોદ્દેદારો અને પ્રશંસકો આજે જ મોટી સંખ્યામાં તેમને રૂબરૂ મળીને જન્મદિવસની અગાઉથી શુભકામનાઓ પાઠવવા માટે ઉમટી પડ્યા છે. સવારથી જ તેમના નિવાસસ્થાન પર ફૂલહાર અને બુકે સાથે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે- પાટીલસી.આર. પાટીલે હંમેશા પેજ સમિતિ અને મજબૂત સંગઠન સાથે છેવાડાના માનવી સુધી પહોંચવા પર ભાર મૂક્યો છે. આ વર્ષે પણ તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે કાર્યકરોને એક અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારના ભવ્ય આયોજનો, હોર્ડિંગ્સ કે ફટાકડા ફોડીને ઉત્સવ મનાવવાને બદલે, આ દિવસને સેવાકીય પ્રવૃત્તિ તરીકે ઉજવવામાં આવે. બ્લડ ડોનેશન કેમ્પ, અનાજની કિટનું વિતરણ જેમાં ઠેર-ઠેર બ્લડ ડોનેશન કેમ્પ યોજીને જરૂરિયાતમંદ દર્દીઓને મદદ કરવી.જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરવું અથવા ભોજન કરાવવું. વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન દ્વારા પર્યાવરણની જાળવણી કરવી. તેજસ્વી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ભણતરમાં મદદરૂપ થવું જોઈએ. સી.આર. પાટીલ ભારતની લોકસભામાં સૌથી વધુ લીડથી જીતનાર સાંસદોમાં સ્થાન ધરાવે છે. તેમણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને આધુનિક બનાવ્યું છે અને ડિજિટલ ડેટાબેઝ દ્વારા કાર્યકરોને સીધા નેતૃત્વ સાથે જોડ્યા છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:19 am

પેથાપુરની સીમમાં ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ:21 લાખના મુદ્દામાલ સાથે 21 ઝડપ્યા, જુગાર રમવા માટે ખેચરમાં જગ્યા કરી આપનાર મુખ્ય સૂત્રધાર ફરાર

પેથાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાં ગઈકાલે મોડી સાંજે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને હાઈપ્રોફાઈલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. LCBએ લકઝરી ગાડીઓ લઈને જુગાર રમવા આવેલા 21 જુગારીઓને 2 લાખની રોકડ સહિત 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ સપાટો બોલાવી છે. જોકે આ દરોડામાં મુખ્ય સૂત્રધાર નાસી છૂટવામાં સફળ રહ્યો છે. LCBએ ચારેય દિશા કોર્ડન કરી 21 જુગારીઓને ઝડપી પાડ્યાગાંધીનગર LCBને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ફતેપુરાથી દિપેશ્વરી મંદિર તરફ જવાના માર્ગે ડાબી બાજુએ આવેલા એક ખુલ્લા ખેતરમાં ગુડ્ડુ ભદોરિયા નામનો શખ્સ બહારથી જુગારીઓને બોલાવી મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યો છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહે છે. જેના પગલે LCBની ટીમો જુગારધામ પર ત્રાટકતા જ જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે અગાઉથી ચારેય દિશા કાર્ડન કરી 21 જુગારીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓજુગારીઓની પૂછતાછ કરતાં તેમણે પોતાના નામ મુન્નેશ બુધ્ધસિંહ પ્રજાપતિ (કુબેરનગર, અમદાવાદ), નરેન્દ્ર પહેલવાનસિંગ પ્રજાપતિ (રામોલ, અમદાવાદ), રામપ્રસાદ રામજીલાલ પ્રજાપતિ (નારોલ, અમદાવાદ), રણજીત જગતસિંહ યાદવ (પેથાપુર, ગાંધીનગર), સંદિપ મુકેશભાઈ રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), પ્રમોદકુમાર રામકુમાર ગુપ્તા (નવા વાડજ, અમદાવાદ), દિનેશ અત્તરસિંગ કુશવાહ (ચાંદલોડીયા, અમદાવાદ), રાજેન્દ્ર લક્ષ્મણસિંગ યાદવ (પીંપળજ, અમદાવાદ), પ્રેમસિંગ ગંભીરસિંગ રાઠોર (ચાંદલોડીયા, અમદાવાદ), રાહુલસિંગ અનારસિંગ પરીહાર ઠાકુર (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત અન્યોના નામ સોનુંસિંગ રામબિહારી જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ,), મુકેશભાઈ કનુભાઇ ભરવાડ (નારોલ, અમદાવાદ), સુનિલકુમાર પ્રેમનારાયણ કહાર (મેઘાણીનગર, અમદાવાદ), ધીરેન અમરસિંહ રાઠોડ (ચાંદલોડીયા, અમદાવાદ), જીતુ સુરેન્દ્રસિંહ રાજપુત (મેઘાણીનગર, અમદાવાદ,), બબલુ રામસેવક રાઠોડ (ન્યુ રાણીપ, અમદાવાદ), વિક્કી કલ્યાણસિંગ કુશવાહા (ન્યુ રાણીપ, અમદાવાદ), અરવિંદ જગદીશ પાંડે (ચાંદલોડીયા), જીતેન્દ્રસિંહ મંગલસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ), માનસિંઘ રામવંશ કુશવાહ (ચાણક્યપુરી, અમદાવાદ,) અને ધર્મેન્દ્ર અમરસિંહ જાટવ (ચાણક્યપુરી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. 2.04 લાખ રોકડા સહિત 21 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યોઆ અંગે PI ડી બી વાળાએ કહ્યું કે, તપાસમાં ખુલાસો થયો છે કે વોન્ટેડ મુખ્ય સૂત્રધાર ગુડુ ભદોરીયાએ આ તમામ લોકોને જુગાર રમવા માટે ખેતરમાં વ્યવસ્થા કરી આપી હતી. તે બદલ 5,000 રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. આ જુગારીઓ મોટાભાગે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મૂળ વતની છે. જુગારીઓ પાસેથી 2.04 લાખ રોકડા, રૂ.1.25 લાખના 21 મોબાઇલ ફોન તેમજ વાહનો મળીને કુલ રૂ.21.04 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:08 am

અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી, 18થી 20મી સુધી કમોસમી માવઠું:ખેડૂતોના જીવ તાળવે ચોંટયા, પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી ગરમીમાં રાહત થશે; તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતાં. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાયોરાજ્યમાં છેલ્લા બે દિવસમાં તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં તાપમાન 36થી 38 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં તાપમાન ધીમે ધીમે વધતું જાય છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત રહી શકે છે. ભેજનું પ્રમાણ વધવાથી ગરમીમાં રાહત મળશેહવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને પવનની દિશામાં ફેરફાર થશે. જેના પરિણામે દિવસના તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી નાગરિકોને રાહત મળશે. 18થી 20 માર્ચ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તેમજ માર્ચ મહિનામાં જ પ્રિ મોન્સુન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટો આવતા નાગરિકો માટે ગરમીમાંથી થોડી રાહત મળશે. ત્યાં ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે. અનેક વિસ્તારોમાં ઘઉં, જીરૂં, ચણા સહિતના પાકને કમોસમી વરસાદ થાય તો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 10:00 am

ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉનાઈ માતાજીના દર્શને:કાર્યકરો સાથે ચાની ચુસ્કી લેતા ચૂંટણીલક્ષી ચર્ચા કરી

ગુજરાતમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારીના પૌરાણિક ઉનાઈ માતાજીના મંદિરે દર્શન અને આરતી કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓમાં પક્ષના વિજય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આદિજાતિ મંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસે છે. તેમણે બે દિવસ અગાઉ વલસાડ અને ત્યારબાદ ડાંગ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. ડાંગમાં વિધાનસભાના બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યા બાદ, તેઓ મોડી સાંજે નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા. નવસારીમાં તેમણે રામાયણ કાળ સાથે સંકળાયેલા ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે માં ઉષ્ણ અંબાની આરતી કરી આગામી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ આદિવાસી પટ્ટામાં ભાજપનો ગઢ મજબૂત કરવાના નિર્ધાર સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. મંદિરે દર્શન કર્યા બાદ જગદીશ વિશ્વકર્માએ મંદિર નજીક આવેલી સ્થાનિક ચાની દુકાને કાર્યકર્તાઓ સાથે બેસીને ચા પીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યકરો સાથે સ્થાનિક પ્રશ્નો અને આગામી ચૂંટણી રણનીતિ અંગે અનૌપચારિક ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા, જેનાથી સ્થાનિક કેડરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:55 am

યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન

ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયો હતો. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી દેવાયું હતું. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજા થઈ હતી અને ઘરવખરી તેમજ વાહનને નુકસાન થયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે, વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવાના બહાને ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ એમ કુલ સાત વ્યક્તિઓ જયંતીભાઈના ઘરે આવ્યા હતા. જયંતીભાઈ અને તેમના પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે હુમલાખોરોએ યુવતીના ભાગી જવા અંગે કોઈ વાતચીત કરી ન હતી. તેના બદલે, તેઓએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને તેમના પુત્ર મીત દિનેશ પટેલને સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે સૌને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જયંતીભાઈ પટેલના ઘરમાં વોશિંગ મશીન, બારીના કાચ, બહાર પડેલી ઈકો ગાડી અને ઘરમાં રહેલા ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડીને ઘોડિયું તોડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન નિલેશ પટેલનો સોનાનો દોરો અને તેમની પત્નીનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, જે બાદમાં મળ્યું ન હતું. ઘટના બાદ 112 નંબર પર જાણ કરવામાં આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્માની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ પટેલની ફરિયાદના આધારે અમરત પટેલ, સાહિલ અમરત પટેલ, તીર્થ પટેલ, ધાર્મિક પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) અને બકાભાઈ પટેલ, સાવન પટેલ, આનંદ પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:54 am

પાટણ લોક અદાલતમાં ₹11.90 કરોડના સેટલમેન્ટ એવોર્ડ:38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો

પાટણ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ 38,180 કેસો રજૂ કરાયા હતા. તેમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. 'ન્યાય સર્વના માટે'ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી દ્વારા દેશભરમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગુજરાત હાઈકોર્ટના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નિર્દેશન હેઠળ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તેની તાબાની તમામ તાલુકા કોર્ટોમાં આ અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, વાહન અકસ્માત, મજૂર તકરાર, લગ્નજીવન તકરાર કે પરિવાર સંબંધિત કેસો, બેંકના દાવાઓ, જમીન વળતર અને અન્ય દીવાની કેસો સહિત તમામ પ્રકારના સમાધાનને લાયક કેસોનો સમાવેશ કરાયો હતો. પ્રિ-લિટીગેશન કેસોનો પણ સુખદ નિકાલ થાય તે હેતુથી તેમને લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. પાટણ જિલ્લાની લોક અદાલતમાં કુલ 33,024 પ્રિ-લિટીગેશન કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 7,181 કેસોનો નિકાલ થયો અને ₹98,64,559નું સેટલમેન્ટ થયું. રેગ્યુલર લોક અદાલતમાં 1,659 કેસોમાંથી 634 કેસોમાં સુખદ સમાધાન થયું, જેમાં ₹10,91,97,339ના એવોર્ડ અપાયા. આ ઉપરાંત, 3,497 ક્રિમિનલ કેસો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 3,186 કેસોનો નિકાલ થયો. આમ, પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસોમાંથી 10,991 કેસોનો સુખદ નિકાલ થયો અને કુલ ₹11,90,61,898ના સેટલમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ માહિતી પાટણ જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરી આર.એ. નાગોરીએ આપી હતી. આ લોક અદાલતોની પાટણ જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોએ મુલાકાત લીધી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:50 am

મેઘપરમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોક્ટર ઝડપાયા:SOGએ રામદૂતનગરમાં દરોડા પાડી કાર્યવાહી કરી, બંને પશ્ચિમ બંગાળના ઊંટવૈધ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મુદ્દામાલ જપ્ત

જામનગર જિલ્લામાં માનવ જિંદગી સાથે ચેડાં કરતા તત્વો સામે રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ કાર્યવાહી કરી છે. લાલપુર તાલુકાના મેઘપર ગામના રામદૂતનગરમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા બે પશ્ચિમ બંગાળી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. SOG પી.આઈ. બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બળભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને લાલજીભાઈ રાતડીયા નામના બાતમીદારો દ્વારા ચોક્કસ વિગત મળી હતી કે મેઘપરના મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર બે શખ્સો દવાખાનું ચલાવી રહ્યા છે. આ બાતમીના આધારે SOG ટીમે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રોવાસ વિશ્વાસ નામના શખ્સ પાસેથી દવાઓ, સ્ટેથોસ્કોપ અને અન્ય તબીબી સાધનો મળી કુલ રૂ. 2511 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મીલટન રતનભાઈ બિશ્વાસ પાસેથી દવાઓ અને ઈન્જેક્શન સહિત કુલ રૂ. 2538 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ બંને શખ્સો લાયકાત વગર દર્દીઓને તપાસતા, ઈન્જેક્શન આપતા અને બાટલા ચડાવીને ગેરકાયદેસર રીતે પૈસા વસૂલતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રોવાસ નિત્યાનંદા વિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) અને મીલટન રતનભાઈ બિશ્વાસ (રહે. રામદૂતનગર, મેઘપર; મૂળ પશ્ચિમ બંગાળ) ની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વિરુદ્ધ મેઘપર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ 1963 ની કલમ 30 તથા B.N.S. કલમ 125 મુજબ એ.એસ.આઈ. અશોકભાઈ સિંહલાએ ગુનો દાખલ કરાવ્યો છે. આ કામગીરીમાં SOG ના PI બી.એન. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર અને સમગ્ર સ્ટાફ જોડાયેલ હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:46 am

અમરેલીમાં નકલી સફેદ દૂધના કાળા કારોબાર પર દરોડો:પોલીસ અને ફૂડ વિભાગે ખાંભાના ઇંગોરાળામાં 200 લીટર દૂધ, વનસ્પતિ તેલ અને પાઉડર જપ્ત કર્યુ; નમૂના FSLમાં મોકલાયા

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં મોડી રાત્રે બનાવટી દૂધ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ખાંભા પોલીસ અને ફૂડ સેફટી વિભાગે બે અલગ-અલગ રહેણાંક મકાનોમાં દરોડા પાડી બનાવટી દૂધનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દરોડામાં રાણાભાઈ જેસાભાઈ સુસરા અને રાજુભાઈ જસાભાઈ આલના રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ 220 લીટર બનાવટી દૂધ, 214 કિલો પાવડર અને 43.4 કિલો વનસ્પતિ તેલ મળી આવ્યું હતું. કુલ 78,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા દૂધના સેમ્પલ લઈને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય માટે હાનિકારક માનવામાં આવતા બનાવટી દૂધના જથ્થાનો રાત્રે જ નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. આ કામગીરી ખાંભા પીઆઈ કરણરાજસિંહ ચુડાસમા અને ફૂડ ઓફિસર કિશોર કળસરીયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાંભા પંથકના ગામડાઓમાં બનાવટી દૂધ બનાવવાનો કારોબાર મોટા પાયે ચાલી રહ્યો છે. અગાઉ પણ અહીંની ડેરીઓમાં અનેક વખત બનાવટી દૂધ ઝડપાયું છે અને પોલીસે ભૂતકાળમાં પણ દરોડા પાડ્યા છે. ફરીવાર આ નકલી દૂધ પર અભિયાન હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો ફૂડ વિભાગ દ્વારા ગામડાઓમાં દૂધના વેપારની વ્યાપક તપાસ કરવામાં આવે તો મોટો પર્દાફાશ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે જિલ્લાની કેટલીક જાણીતી ડેરીઓ પણ શંકાના ઘેરામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:43 am

અમદાવાદમાં ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો:ધારાસભ્ય હસમુખ પટેલ વિરુદ્ધ કાર્યકરોનો બળવો; 'વિકાસના કામો કરતાં અંગત અદાવતમાં વધુ રસ' સહિત હિટલરશાહીના વ્હોટ્સએપ મેસેજ વાઇરલ

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે. ભાજપના જ એક વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. ધારાસભ્ય પર 'હિટલરશાહી' ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. NRI યુવકને માર મારવાથી લઈને સોસાયટીઓના રોડના કામ અટકાવવા સુધીના વિવાદોમાં ઘેરાયેલા ધારાસભ્યની કાર્યશૈલીથી નારાજ કાર્યકરોએ સ્પષ્ટ ચિમકી ઉચ્ચારી છે કે, જો આંતરિક વિખવાદ નહીં શમે તો આગામી ચૂંટણીમાં ભાજપને જ હારનો સામનો કરવો પડી શકે છે. ડો. હસમુખ પટેલનો સંપર્ક કરતા તેમણે ફોન રિસિવ ન કર્યોચૂંટણીમાં જીત માટે ટક્કરવાળી તેમજ કોંગ્રેસના વોટબેંકવાળી અમદાવાદની અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હવે ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના વિવાદો અને તેમની કાર્યશૈલીથી વિધાનસભાના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ નારાજ છે. ધારાસભ્ય પોતાની મનમાની કરી રહ્યા હોવાની અને સિનિયર કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ મુદિદે અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય ડો. હસમુખ પટેલનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો. અમરાઈવાડી વિધાનસભાના પ્રભારીનું ઘટનાથી અજાણ હોવાનું નિવેદનઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના પ્રભારી હેમંત મગરેનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરી આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હું આ ગ્રુપમાં નથી મને આ સ્ક્રીનશોટ વાઇરલ થયા છે તે અંગે કોઈ જાણ નથી. આપણે આ બધી રૂબરૂમાં મળીને ચર્ચા કરીશું એમ કહી અને ફોન કાપી નાખ્યો હતો. જ્યારે અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડના પ્રભારી હાર્દિક રાવલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, મારા ધ્યાન ઉપર આવી કોઈ બાબત આવી નથી. અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના 'Team BJP Amraiwadi' નામથી ચાલતાં વ્હોટ્સએપ ગ્રુપમાં કાર્યકર્તાઓની નારાજગી અંગેના સ્ક્રીનશોટ વાઇરલ થયા છે. જેમાં લખવામાં આવ્યું છે... અત્યારે અમરાવાડી વિધાનસભા હિટલરશાહી શાસનથી ચાલે છે. કાર્યકર્તાઓને કોઇ સાંભળવા માટે રાજી છે જ નહીં. જો તમે સામે બોલો, સામે પડો તો તમારી ઉપર તરત એક્શન લેવામાં આવે છે. સિનિયર કાર્યકર્તા પ્રશ્નની ચર્ચા પ્રભારી સાથે કરે છે અને ચર્ચાનો નિકાલ નથી આવતો.સિનિયર કાર્યકર્તાનુ નિવેદન એ છે કે પ્રભારી તેમની વાત સાંભળતા નથી. ભારતીય જનતા પાર્ટી તો શિસ્તબધ્ધ પાર્ટી છે તો સંગઠનમાં સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને પ્રભારી અવગણી દે તે વ્યાજબી કહેવાય ખરું?, અન્ય કાર્યકર્તાઓને પણ જાણ થવી જ જોઈએ કે સત્ય શું છે? સત્યની તપાસ થવી જ જોઈએ. આ આખા વિષયમાં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે સિનિયર કાર્યકર્તાની અવગણનાના પ્રશ્નને અવગણવામાં પ્રભારીને શું રસ હોઈ શકે?, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, પ્રમુખ, મહામંત્રી, પૂર્વ પ્રમુખ - મહામંત્રી, વરિષ્ઠ કાર્યકર્તા શકે અન્ય કાર્યકર્તા જેવા કોઈપણ આગેવાનને સમજ પડે તો અમને સમજાવવા વિનંતી છે. 'મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું'કાર્યકર્તાઓએ રોષ ઠાલવતાં લખ્યું હતું કે, ભાજપના કાર્યકર્તા છીએ. પાર્ટી માટે કારખાનામાંથી દિવસ પાડીને પ્રચાર કરતા હોય તેમજ પાર્ટીના હિત માટે કાર્યો કરતા હોય. નવા નવા યુવા કાર્યકતાનું જોડાણ કરતા હોવાની આ બધી મેહનત કર્યા પછી જો તમને કોઇ હોદ્દેદાર જવાબ ના આપે તો કોની પાસે અપેક્ષા રાખીએ...?, સાહેબ નકરું બસ ભરવા અને ભીડ ભેગી કરવા કાર્યકર્તા નથી બન્યા. મારા વોર્ડમાં કોઇએ ધારાસભ્યનું મોઢું પણ નથી જોયું. લોકસેવામાં હાજર રહેવું પડે, લોકોને મળવું પડે, લોકોની સમસ્યા ગંભીરતાથી લઇને એનું સમાધાન કરવું પડે. 'કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું'અત્યંત ખેદ સાથે જણાવવું પડે છે કે, ચૂંટણી જીત્યા બાદ આપને જનતાના કામોમાં કે વિસ્તારના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ હોય તેવું જણાતું નથી. ચૂંટાયા પછી આપ કોઈપણ સોસાયટીની મુલાકાતે આવ્યા નથી. તેના બદલે, એવું જોવા મળી રહ્યું છે કે, આપનો સમય જે લોકો આપને પસંદ નથી, તેમને હેરાન પરેશાન કરવામાં વધુ ફાળવી રહ્યા છો. લોકશાહીમાં પ્રજાના પ્રતિનિધિનું કામ જનતાની સેવા કરવાનું છે નહીં કે અંગત અદાવત રાખવાનું. અમે આશા રાખીએ છીએ કે, આપ આ વલણ બદલીને જનતાના પડતર પ્રશ્નો અને વિસ્તારના વિકાસ પર ધ્યાન આપશો અને ટૂંક સમયમાં જ રહીશોની મુલાકાત લેશો. એસી કારમાં રહેનારા તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજેભાજપના પૂર્વ કોર્પોરેટર અશોકભાઈએ ગ્રુપમાં લખ્યું હતું કે, આજરોજ મેં ઇન્દ્રપુરી વોર્ડના કાર્યકર્તાઓ વિશે પ્રભારીને ચર્ચા કરતા ચર્ચાનો કોઇ નિકાલ ના કર્યોને પ્રભારીએ કોઈ સારી રીતે જવાબ મને આપ્યો નથી. પ્રભારી કોઈની વાત સાંભળતા નથી તો પ્રભારીને મારી વિનંતી છે કે વોર્ડની અંદર જે પ્રોબ્લેમ હોય તેનો ઉકેલ લાવો અને સિનિયર કાર્યકર્તાઓનું કોઇપણ અપમાન કરે તે ચલાવી લેવાના નથી. સત્યની તપાસ કરો અને સાચું કહો કોઇપણ કાર્યકર્તાઓનું સન્માન ધવાય તે ચલાવી લેવામાં નહિ આવે. ગ્રુપમાં મહિલા કાર્યકર્તાઓએ પણ બળાપો કાઢતા કહ્યું હતું કે, બે મહીનાની આવેલાને હોદ્દા ઉપર બેસાડી દે છે અને વર્ષોની મજૂરી કોઈને દેખાતી નથી. એસી ઓફિસ અને એસી કારમાં રહેનારા આ તડકામાં કાર્યક્રમ કરતા કાર્યકરને કોણ સમજે છે. જુગાર-દારૂના અડ્ડા બંધ કરાવવાની અનેક રજૂઆતોનું નિરાકરણ નહીંઅમરાઈવાડી વિધાનસભામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે પણ ભાજપના ધારાસભ્યને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ અવારનવાર ચર્ચા કરી હોય તેવી ચર્ચા પણ ગ્રુપમાં કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં ચાલતા દેશી અને ઇંગલિશ દારૂના અડ્ડાઓના લિસ્ટનો ફોટો પણ કોઈ વ્યક્તિ દ્વારા મૂકવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ પણ કર્યો હતો કે, આ ધંધાઓ ચાલે છે જે અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. NRIને માર માર્યો હોવાની ઘટનાને લઈને પણ હસમુખ પટેલ વિવાદમાંઅમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં જ એક NRI યુવકને એક સામાન્ય અકસ્માત બાબતે કોઈ તેમના ઓળખીતા સાથે બોલાચાલી થઈ હતી. એ બોલાચાલી બાબતે NRI યુવકને બોલાવીને તેમની જ ઓફિસમાં માર મારવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર મામલે સમાધાન કરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી હતી. ધારાસભ્ય હોવાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હોવાની ચર્ચા પણ જાગી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ મોટાભાગના કાર્યકર્તાઓ નારાજભાજપના આંતરિક સૂત્રોમાં ચર્ચા જાગી છે કે, ભાજપના નેતા ધર્મેન્દ્ર પટેલ ઉર્ફે ધમભાઈની જગ્યામાં તેમના માણસોને બેસવા માટે એક કન્ટેનર મૂકવામાં આવેલું હતું. તે કન્ટેનરને પણ ધારાસભ્ય ડો. હસમુખ પટેલ દ્વારા હટાવવાવામાં આવ્યું છે. તેમજ ઉનાળામાં પાણીની પરબ બનાવવામાં આવી છે જેમાં એક છાપરું બનાવવામાં આવ્યું હતું જે પણ તોડાવી નાખવામાં આવ્યું હોવા અંગેની ચર્ચા ચાલી રહી છે. જેમાં ધર્મેન્દ્ર પટેલ અને ધારાસભ્ય વચ્ચે આંતરિક વિખવાદ થયો છે. અમરાઈવાડી વિધાનસભાના કેટલાક કાર્યકર્તાઓથી લઈને નેતાઓ પણ હવે ચૂંટણી નજીક આવતા ધારાસભ્ય ટિકિટ અપાવી દેશે જેની લાલચ રાખીને તેમના પક્ષમાં બોલી રહ્યા છે, પરંતુ મોટાભાગના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી છે. ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ અણબનાવને લઈ વિવાદમાંતાજેતરમાં જ બીજો એક વિવાદ સામે આવ્યો હતો, જેમાં ભાજપના યુવા કાર્યકર્તાની સોસાયટીમાં બજેટમાં આપવામાં આવેલા કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નહોતું. અમરાઈવાડી વિધાનસભાના ઇન્દ્રપુરી વોર્ડમાં સુરેલીયા એસ્ટેટ પાસે આવેલી દિવ્યકુંજ સોસાયટીમાં ભાજપના જ હોદ્દેદારની સાથે થઈ રહેલા અણબનાવને લઈને સોસાયટીના રોડનું કામ અટકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું. ઇન્દ્રપુરી વોર્ડના ભાજપના યુવા મોરચાના પ્રમુખ જે સોસાયટીના ચેરમેન પણ છે તેમના કારણે ખાતમુહૂર્ત કર્યું નહીં અને સોસાયટીના રોડનું કામ પણ અટકાવી દીધું હતું. સોસાયટીના ચેરમેનને લેટરપેડ લઈને આવવા માટે ધારાસભ્યએ કહ્યું છે ત્યારબાદ જ કામ ચાલુ થશે. અમરાઈવાડીમાં આવેલા એક એસ્ટેટનો મુદ્દો પણ ખૂબ ગાજ્યો હતોવર્ષો જુના એસ્ટેટમાં કલેક્ટર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં રોડ કપાત આવતો હતો જેથી ઘણા બધા એસ્ટેટના શેડ તૂટતા હતા. જેને લઈને એસ્ટેટના વેપારીઓ દ્વારા અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્યને વાત કરી હતી. જેમાં ધારાસભ્ય દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નહીં અને એસ્ટેટની જગ્યાને બચાવવાની જગ્યાએ તોડવાની વાત કરવામાં આવી હતી. જે બાદ રાજ્યના મુખ્યમંત્રી સુધી વેપારીઓએ રજૂઆત કરવી પડી હતી અને ત્યારબાદ તોડવાની બાબતને મોકો રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પણ ધારાસભ્યનો જ હાથ હોવાની ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે, અમરાઈવાડી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડો. હસમુખ પટેલના અનેક વિવાદો છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે. તેમ છતાં પણ ભાજપના મોવડી મંડળ દ્વારા આ બાબતે કોઈ નોંધ લઈ વિવાદ શાંત કરવામાં આવ્યો નથી. ભાજપના નેતાઓએ પણ તેમના વિવાદ વિશે તેમને અનેક વખત પૂછ્યું છે, પરંતુ શા માટે આ પ્રકારે ભાજપના ધારાસભ્યના વિવાદને ભાજપના જ પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખ અને પ્રભારી છાવરી રહ્યા છે તે અંગે ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:20 am

ફેરિયાઓ અને પાથરણાંવાળાથી ભદ્ર ફરીથી ધમધમતું થયું:AMCએ વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરતાં ગમે તેમ બેસી ગયા, ફરી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિર નજીક ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ AMC દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ પોતે ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો છે. ભદ્ર પરિસરમાં મંદિરે દર્શન કરવા આવનારા લોકો અને હેરિટેજ વિસ્તારને જાળવવા માટે ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગના ચેરમેન દ્વારા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભદ્ર પરિસર મુદ્દે ઢીલુ મૂકી દેવાતાં છેવટે ભદ્ર પરિસર ધમધમતું થયું છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ AMCએ કમિટીની રચના કરી નહીંઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે નિયમ મુજબ તપાસ કરવામાં આવી નહીં અને જે પણ ફેરિયાઓ બેસી ગયા તેમને બેસવા દેવામાં આવ્યા હતાં. જગ્યા ફાળવી અને વ્યવસ્થિત રીતે બેસવા દેવા દેવાની સૂચના છતાં પણ ગમે તે જગ્યા ઉપર બેસી ગયા હતાં. હાઇકોર્ટના આદેશ બાદ તાત્કાલિક ધોરણે કોઈપણ પ્રકારની કમિટીની રચના કરી નહીં અને ભદ્ર બજાર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. જોકે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થયુંલાલ દરવાજાના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો સર્વે કર્યા વિના તેમના હટાવવા બાબતે લઈને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીથી 586 ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવા માટે આદેશ કર્યો છે. ત્યારે 14 માર્ચે શનિવારથી જ ભદ્ર પરિસર ફરીથી ધમધમતું થઈ ગયું હતું. સર્ટિફિકેટની ચકાસણી પહેલાં જ ફેરિયાઓએ ધંધો શરૂ કર્યો હાઈકોર્ટના આદેશને અનુસરીને AMC દ્વારા ત્રણ અધિકારી અને એક સિનિયર પોલીસ અધિકારી દ્વારા ફેરિયાઓને આપેલાં સર્ટિફિકેટની ચકાસણી કરીને ભદ્ર પરિસરમાં બેસવા દેવા માટેની પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે. જોકે, આ પ્રકારે સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તે પહેલાં જ ફેરિયાઓએ ભદ્ર વિસ્તારમાં પાથરણાં પાથરીને ધંધો કરવાનું શરૂ કરી દેવાને કારણે ભારે ભીડ જોવા મળી હતી. ગેરકાયદે બેસતાં ફેરિયાઓ પર એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી નહીં!એક પણ ફેરિયાઓની પાસે કયા સંસ્થાના ફેરિયાઓ છે અને વ્યવસ્થિત રીતે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેમ એક જ લાઈનમાં અને પટ્ટા દોરી અને સરખી રીતે બેસવાનું હોવા છતાં પણ ફેરિયાઓ અને પાથરણાંવાળાઓ બેસી ગયા હતાં. મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા કોઈપણ પ્રકારે આ બાબતે ધ્યાન આપ્યું નથી. ગેરકાયદેસર રીતે બેસતા ફેરિયાઓ અને પાથરણાંવાળાઓનો અને કબજો જમાવનારા લોકો સામે કાર્યવાહીની સૂચના છતાં પણ કોર્પોરેશનને કોઈ કાર્યવાહી કરી નહીં. ફરી ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતાસૂત્રોના જણાવ્યાનુસાર, હાઈકોર્ટના આદેશને પગલે ઘણાં સમય પછી ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને બેસવા દેવામાં આવશે. પરંતુ AMC રેકર્ડ પર નોંધાયેલા ફેરિયા- પાથરણાંવાળાઓની સરખામણીએ મોટી સંખ્યામાં પાથરણાંવાળાઓનો રાફડો ફાટી નીકળે તેવી શક્યતા છે અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા વકરે તેવી શક્યતા છે. વધુમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા AMC દ્વારા ભદ્ર વિસ્તારમાં ફેરિયાઓ અને પાથરણાવાળાને દૂર કરવા માટે દબાણની ગાડીઓ અને સ્ટાફને ખડે પગે રાખવા અને મશીનરીને કામે લગાડવાની કામગીરી કરાઈ હતી. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોમાં સફળતા મેળવનારા લીગલ કમિટી અને એસ્ટેટ વિભાગના બંને ચેરમેનો ભદ્ર પરિસરના મુદ્દે નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 9:05 am

માછલીના પાણીથી વેરાવળ બંદર રોડ ચીકણો બન્યાની બૂમરાણ:ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થતાં હોવાથી સામાજિક કાર્યકરે લેખિત રજૂઆત; સોમનાથ, કોડીનાર અને ઊના તરફનો ટ્રાફિક અહીં ડાયવર્ટ

વેરાવળ શહેરના બંદર રોડ પર સ્ટ્રીટ લાઈટ અને યોગ્ય સફાઈ વ્યવસ્થાના અભાવે હાલ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. રસ્તા પર માછલીના પાણી અને કચરાના કારણે ચીકાશ વધતા ટુ-વ્હીલર ચાલકો સ્લીપ થઈ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ગંભીર સ્થિતિ અંગે સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ વેરાવળ બંદર અધિકારીને લેખિત રજુઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. રજુઆતમાં જણાવાયું છે કે વેરાવળ શહેરથી સોમનાથ, કોડીનાર અને ઊના તરફ જતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી મરામત હેઠળ હોવાથી હાલ નાના-મોટા તમામ વાહનોને વેરાવળ બંદર રોડ પરથી જ પસાર થવું પડે છે. પરિણામે આ રસ્તા પર વાહનવ્યવહાર ખૂબ વધી ગયો છે અને દિવસભર ભારે ટ્રાફિક રહે છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં માછલી ભરેલા વાહનો પસાર થાય છે. ઘણા વાહનોમાંથી માછલીનું પાણી અને કચરો રોડ પર પડી રહે છે, જેના કારણે રસ્તો ખૂબ જ ચીકણો બની જાય છે. પરિણામે ઘણી વખત બે-ચક્રી વાહનો સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે અને અકસ્માતની શક્યતા વધી રહી છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ ઉપરાંત બંદર રોડ પર રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે અંધારું છવાઈ જાય છે. અંધારાના કારણે વાહનચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જેના કારણે અકસ્માત થવાની ભીતિ વધુ વધી જાય છે. રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે બંદર વિસ્તારમાંથી દરરોજ જવલા (માછલી) ભરેલી ખુલ્લી રીક્ષાઓ પસાર થાય છે. આ રીક્ષાઓમાંથી પડતા માછલીના પાણીના કારણે રસ્તો વધુ ચીકણો બની જાય છે અને રોજબરોજ બે-ત્રણ બાઈક સ્લીપ થવાના બનાવો બનતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે સાથે સરકારે જવલા માછલી મારવા પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ તેનો વેપાર ચાલુ હોવાની શંકા વ્યક્ત કરી તેની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ કરવામાં આવી છે. સામાજિક કાર્યકર મેઘજી ચાવડાએ જનહિતને ધ્યાનમાં રાખીને બંદર રોડ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવા, રોડ પર પડતા માછલીના કચરાની નિયમિત સફાઈ માટે વ્યવસ્થા ગોઠવવા તેમજ વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખી જરૂરી ટ્રાફિક સલામતીના પગલાં લેવા બંદર તંત્રને માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 8:56 am

ઈરાનનો એક પ્લાન અમેરિકાની બાદશાહત ખતમ કરશે! સ્ટ્રેટ ઓફ હોર્મૂઝની સમસ્યા ઉકેલાઈ જશે

Iran conditions oil tanker passage on Chinese Yuan : મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાને એક નવો અને ચોંકાવનારો પ્રસ્તાવ મૂક્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી ઓઈલ ટેન્કરો પસાર થવા દેવા માટે ઈરાને એક કડક શરત રાખી છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં મોટા ફેરફાર લાવી શકે છે. ઈરાનનો 'યુઆન' પ્લાન સીએનએન (CNN) ના અહેવાલ મુજબ, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી મર્યાદિત સંખ્યામાં ઓઈલ ટેન્કરોને પસાર થવા દેવા પર વિચાર કરી રહ્યું છે, પરંતુ તેની શરત એ છે કે તેલનો વેપાર ચીની યુઆન (Yuan) માં થવો જોઈએ. સામાન્ય રીતે વૈશ્વિક તેલનો વેપાર અમેરિકન ડોલરમાં થાય છે, પરંતુ ઈરાન હવે ડોલરના વર્ચસ્વને પડકારીને ચીની કરન્સીને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ગુજરાત સમાચાર 15 Mar 2026 8:19 am

ઝાયડસ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન માટે હેલ્થ ટોક યોજાઈ:પેટ, હૃદય અને પ્રોસ્ટેટ કેન્સર વિશે નિષ્ણાત ડોકટરોએ માહિતી આપી

ઝાયડસ હોસ્પિટલમાં ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનિયર સિટીઝન નીલગીરી સોલા ગ્રુપ માટે એક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૬૮ સભ્યોએ નોંધણી કરાવી હતી અને ભાગ લીધો હતો. નિષ્ણાત ડોકટરો દ્વારા 'હેલ્થ ટોક' યોજવામાં આવી હતી, જેમાં સભ્યોના પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યત્વે પેટના રોગ, હૃદય રોગ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા વિષયો પર વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડો. ધૈવત વૈષ્ણવ, ડો. કેતન વેકરિયા અને ડો. રાજ પટેલ જેવા નિષ્ણાત ડોકટરોએ ઉપસ્થિત સભ્યોને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન નીલગીરી ગ્રુપના પ્રેસિડેન્ટ દશરથભાઈ અને રમેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. હેત હેલ્પિંગ હેન્ડ્સ ચેરીટેબલ ટ્રસ્ટના ઓનર હેતલબેન ચોકસીનું પણ અતિથિ વિશેષ તરીકે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમણે હેલ્થ ટોકમાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:57 am

વેરાવળમાં PC-PNDT એક્ટ પર વર્કશોપ યોજાયો:માતા મરણ અને જાતિ પરીક્ષણ રોકવા કાયદાની સમજ અપાઈ

જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત એક ઓરિયેન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રૉયે 'માતા મરણ' અને કાયદાની અગત્યતા સમજાવી હતી. તેમણે જણાવ્યું કે આજના ટેક્નોલોજીના યુગમાં ફાયદાઓ સાથે કેટલાક દુષ્પરિણામો પણ જોવા મળે છે, ત્યારે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટનું અમલીકરણ ગીર સોમનાથ જિલ્લામાં સહિયારા પ્રયાસોથી થાય તે દિશામાં ઉપસ્થિત સર્વેને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. નોડલ એ.બી. ચૌધરીએ નોંધાયેલી તમામ સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ અને ડિલિવરી રજિસ્ટ્રેશન નિભાવીને માતા મરણ અટકાવવા પર ભાર મૂક્યો હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી અને આરોગ્યલક્ષી સ્કેનર મશીન સહિતના ઉત્પાદકોને પણ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ લાગુ પડે છે તેમ જણાવ્યું હતું. તેમણે તપાસ દરમિયાનની ક્ષતિઓના નિવારણ, હોસ્પિટલમાં ફરજિયાત રજિસ્ટ્રેશન-રિન્યૂઅલ સહિત એક્ટની વિવિધ કલમો અંગે વિગતવાર માહિતી આપી હતી. ડૉ. દુમાતરે વધુમાં ફોર્મ-એફ માં રાખવાની થતી તકેદારી, હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીનના યુઝર ડોક્ટર ઉમેરવા અંગેની અરજી, નવું સોનોગ્રાફી મશીન ખરીદ કરવા અંગેની અરજી અને સોનોગ્રાફી ઇમેજિંગ મશીન ઇન્સ્ટોલ થયા બાદ મશીનની વિગતો ફોર્મ-બી માં ઉમેરવા માટેની પ્રક્રિયા સમજાવી હતી. ડૉ. પુનિત રાખોલિયા અને ડૉ. દોમડિયા સહિતના અન્ય ડોકટરોએ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ટેક્નોલોજીના ઉપયોગ અને સોશિયલ મીડિયાની સામાજિક અસરોને સાંકળીને પોતાના પ્રતિભાવો અને વિચારો રજૂ કર્યા હતા. ક્વોલિટી મેડિકલ ઈન્શ્યોરન્સ ઓફિસર શ્રી એચ. કણસાગરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, આ વર્કશોપનો મુખ્ય ધ્યેય નવા રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સ અને ડોકટરોને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જાણકારી આપવાનો છે, જેથી ભવિષ્યમાં કાયદાકીય કાળજી રાખી શકાય.પ્રોગ્રામ આસિસ્ટન્ટ યોગેશ કિંદરખેડિયાએ પ્રેઝન્ટેશન દ્વારા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.નું જિલ્લાનું માળખું, નિયમોનુસાર પ્રક્રિયા, સેક્સ રેશિયો અને કુલ રજિસ્ટ્રેશન્સ સહિતની વિગતો વર્ણવી હતી. ઉપસ્થિત સર્વેએ 'બેટી બચાવો, બેટી પઢાવો' અંતર્ગત સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટેના શપથ લીધા હતા.આ વર્કશોપમાં ઉના સિવિલ સુપરિટેન્ડન્ટ મિશ્રા, વેરાવળ સહિત જિલ્લાના પ્રેક્ટીશનર્સ અને પી.સી.પી.એન.ડી.ટી. અંતર્ગત નોંધાયેલા ડોકટરો, મેડિકલ અને આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:51 am

કારે બાઈકને અડફેટે લેતા 2 યુવકો ઈજાગ્રસ્ત:કોડીનાર હાઈવે પર અકસ્માત સર્જાયો, સ્થાનિકોએ કારચાલકને પકડીને પોલીસને સોંપ્યો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-સોમનાથ હાઈવે પર ભુવાટીંબી ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક કારે બાઇકને ટક્કર મારી એક કિલોમીટરથી વધુ દૂર સુધી ઘસડ્યું હતું, જેના પરિણામે બાઇક પર સવાર બે યુવકો ઘાયલ થયા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પ્રાસલી ગામ નજીક મોગલમાતા મંદિર પાસેથી સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. બાદમાં તેને સુત્રાપાડા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં તાલાલા તાલુકાના જશાધાર ગામના રહેવાસી પ્રવેશભાઈ કાળુભાઈ અને રજનીભાઈ જયંતિભાઈ નામના બે યુવકો ઘાયલ થયા હતા. સ્થાનિક લોકો અને અન્ય મુસાફરોએ ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બંનેને કોડીનારની રાનાવાળા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જનાર કારનો નંબર GJ 32B 3617 છે. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં તબીબ હોવાનું અને નશાની હાલતમાં હોવાનું મનાય છે. આ સમગ્ર મામલે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:48 am

સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા

દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાદરગઢ ગામે રહેતા એક વ્યક્તિ પર ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દાઠા પોલીસ સ્ટેશનમાં હરીશકુમાર મનુભાઈ પરમાર રહે પાદરગઢએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામકાજ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમુક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ વાળું પાણી કરી થોડા સમય બાદ ઘરેથી બહાર પાન-માવો લેવા માટે નીકળ્યા હતા. તે સમયે રઘુ ગીગાભાઈ ભમ્મર, દાદુ કાદુભાઈ કામળિયા, ભીમા હમીરભાઈ કામળિયા તથા એક અજાણ્યો શખ્સ એક સંપ થઈ અને એકબીજાની મદદગારી કરી હરીશભાઈ પરમાર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત હરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:25 am

મારામારીની ઘટના આવી સામે:સાણોદર ગામે ઘરમાં ભાભી સાથે યુવકને જોઈ જતા નણંદે બૂમાબૂમ કરી અને બે પરિવાર વચ્ચે થઈ સશસ્ત્ર અથડામણ

ઘોઘા તાલુકાના સણોદર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસણખોરી અને બાદમાં થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા પુરુષના અવાજની શંકા થતાં પરિવારજનો જાગી જતા રૂમમાંથી એક યુવક ઝડપાઈ જતા મામલો બગડ્યો હતો અને બાદમાં બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકાથી હુમલો થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના સણોદર ગામે રહેતા એક ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પરિવારના સભ્યો અલગ અલગ રૂમમાં સુવા ગયા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ફરિયાદી પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેમના ભાભી એકલા સુતા હોય તે રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાતા તેમને શંકા ઉપજી હતી. જેથી ફરિયાદીએ પરિવારજનોને જગાડી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા થોડા પ્રયત્નો બાદ દરવાજો ખૂલ્યો હતો. દરવાજો ખુલતા રૂમની અંદર ફરિયાદીના ભાભી સાથે ગામમાં રહેતો અજય ઘુઘાભાઈ હળવદિયા હાજર હોવાનું જણાયું હતું. પરિવારજનોને જોઈ અજય ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. તેને પકડવા માટે રાડુ દેકારા થતા અજયના સંબંધીઓ રાહુલ હળવદિયા, અનિલ હળવદિયા, સુનિલ હળવદિયા અને વિજય ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન વિજય અને રાહુલે ફરિયાદી તથા તેના પરિવારજનોને ધક્કા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ભૂંડા બોલી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીના અન્ય કુટુંબી ભાઈઓ પણ સ્થળે આવી જતા બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સાથે જ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. તમે કંઈ નહીં કરી શકો, અમારું કાંઈ બગડશે નહીંઆ સમગ્ર ઘટના બન્યા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓના સગા-સંબંધીઓ સહિતના લોકોએ એક જ ગામમાં રહેતા હોવાથી તમે અમારું કંઈ કરી શકશો નહીં અને અમારું કંઈ બગડવાનું પણ નથી તેવી ધમકીઓ આપતા ફરિયાદી ભયભીત બન્યા હતા. જેના પગલે ફરિયાદીએ આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવી પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દિવ્ય ભાસ્કર 15 Mar 2026 7:24 am