રામનવમીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં યોજાનારી શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. સાથે સાથે શહેરના મુખ્ય બજારો, ભીડવાળા વિસ્તારો અને રાજમાર્ગો પર પોલીસ દ્વારા સતત ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. વેરાવળ સીટી પી.આઈ. જે.એન. ગઢવીની આગેવાનીમાં પોલીસ ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત નજર રાખી રહી છે. તહેવાર દરમ્યાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ સાથે સીસીટીવી મોનીટરીંગ અને સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ પર પોલીસની તૈનાતી પણ કરવામાં આવી છે. વેરાવળ પોલીસે અસામાજિક અને તોફાની તત્વોને કડક સંદેશ આપતા જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થા ભંગ કરવાનો કોઈપણ પ્રયાસ સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર વ્યવસ્થાથી વેરાવળ શહેરમાં રામનવમી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ શકે તેવા પ્રયત્નો પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ખંભાત શહેરમાં રામનવમી પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રાના રૂટ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં નાયબ પોલીસ અધિક્ષક, પી.આઈ., પી.એસ.આઈ. સહિતના પોલીસ જવાનો જોડાયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા તમામ માર્ગો પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. રામનવમી શોભાયાત્રા શકરપૂર રામજી મંદિરથી શરૂ થશે. ત્યારબાદ તે જકાતનાકા, ગોપાલ સર્કલ, પાણિયારી મેદાન, અલિંગ ચાર રસ્તા, લાંબી ઓટી, ઝંડા ચોક, સ્વામી નારાયણ મંદિર, રાણા ચકલા, રાજપૂત વાડો, વાસણાવાડ અને સરદાર ટાવર થઈને ગોપાલ સર્કલ ખાતે પરત સમાપ્ત થશે. પોલીસ દ્વારા સમગ્ર શોભાયાત્રાના માર્ગ પર સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળો સતર્ક છે.
પ્રાંતિજ ડમ્પિંગ સાઇટ પર કચરામાં આગ:ફાયર ટીમે રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા નજીક આવેલી નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ગત રાત્રિના સમયે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ડમ્પિંગ સાઇટમાં રહેલા કચરાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. જેના પરિણામે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત્રી સુધી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંતિજ ફાયર બ્રિગેડ ટીમના મુકેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવાપુરા ડંપિંગ સાઇટ પર ગત રાત્રીએ આગ લાગી હતી.જેમાં કચરાની ગાસડીઓ બનાવી હતી, તે આગમાં લપેટાઈ ગઈ હતી. રાત્રે 5 કલાકમાં 7500 લીટર પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.
ઓસ્કર એવોર્ડસ:બધા ફિલ્મી એવોર્ડસ અને તેની લોકપ્રિયતા-ઓળખનો ભીષ્મ પિતામહ
વર્ષો પહેલાં બોલિવૂડની દંતકથા સમાન અભિનેત્રી રેખાનો વાંચેલો એક ઇન્ટરવ્યૂ યાદ આવે છે. એ ઇન્ટરવ્યૂમાં રેખાએ ખૂબ મૌલિક એક વાત કરી હતી એવોર્ડસ વિશે ફિલ્મના કે કોઇપણ ક્ષેત્રના કલાકારો, સર્જકો વ્યક્તિગત જિંદગીમાં ખૂબ અસલામતી અનુભવતા હોય છે. એમને મળતા એવોર્ડસ કે સન્માન એ અસલામતી સામે એક જાતનું કવચ પૂરું પાડે છે! આ વિધાન કદાચ સાચું હોઇ પણ શકે અને કદાચ અતિશયોક્તિ પણ હોઇ શકે પણ વાતમાં દમ તો છે અને તેની પુષ્ટિ બોલિવૂડ એવોર્ડસ કે હોલિવૂડના એવોર્ડસ માટે રચાતા કહેવાતા કાવાદાવા, એને મળતું માઇલેજ, ચર્ચાઓ, એવોર્ડ સંભારભના મોટા થતાં જતાં સ્કેલ વગેરે વગેરે છે. ઓસ્કર મેળવવો એ કોઇપણ કલાકારનું સપનું હોય છેએમાંય વૈશ્વિકરણ સાથે દુનિયાના કોઇપણ દેશની ફિલ્મ, રિમોટ કન્ટ્રોલનું બટન દબાવો એટલી દૂર છે ત્યારે ગ્રેમી, એમી, ઓસ્કર જેવા દુનિયાભરની પ્રતિભાને ઓળખ અને સન્માન આપતા એવોર્ડસનો દબદબો વધી ગયો છે. એમાં પણ ઓસ્કર એવોર્ડ્સ મેળવવો એ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, ટૂંકી ફિલ્મ જેવા માધ્યમો સાથે સંકળાયેલા દુનિયાના કોઇપણ કલાકાર માટે જિંદગીનું એક અતિ મહત્વનું સપનું હોય છે.અને આ સપનું કેમ ના હોય? ઓસ્કર એવોર્ડસ જેને સત્તાવાર રીતે Academy Awards કહેવામાં આવે છે, એ ફક્ત હોલિવૂડ નહીં પણ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારોમાં એક છે. દર વર્ષે Academy of Motion Picture Arts and Sciences (AMPAS) દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ કે જે ઓસ્કર ટ્રોફી તરીકે પણ ઓળખાય છે એ સોનાના રંગની એવી પ્રતિમા છે જેને હાથમાં લઇને બાથરૂમના અરીસા સામે ઓસ્કર સ્પીચ આપવાનું રિહર્સલ વિશ્વના દરેક કલાકારે એક વખત જિંદગીમાં કર્યું હોય છે. ઓસ્કરનો રસપ્રદ ઇતિહાસ1929માં જેનો પહેલો એવોર્ડ વિતરણ સમારોહ Hollywood Roosevelt Hotel ખાતે યોજાયો એના નામની પણ અજબ ગજબ કહાની છે. 1931માં એક લાયબ્રેરિયન (માર્ગારેટ હેરિક) એ ટિપ્પણી કરી કે ઓસ્કર એવોર્ડની આ પ્રતિમા તેના કાકા ઓસ્કર જેવી લાગે છે અને તેના પરથી આ નામ 1939માં એકેડેમી દ્વારા સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું. દુનિયાભરના લોકો જેને જોતાં જ ઓળખી જાય છે એ સેડ્રિક ગિબન્સ દ્વારા ડિઝાઇન કરાયેલી ઓસ્કરની ટ્રોફી 13.5 ઇંચ ઊંચી અને 8.5 પાઉન્ડ વજનની છે અને આ ટ્રોફી ફિલ્મ સાથે સંકળાયેલા કોઇના જીવનમાં પણ અગત્યનું વજન ધરાવે છે. વોલ્ટ ડિઝનીએ 22 વખત એવોર્ડ જીત્યો1929થી અપાતા આ એકેડેમી એવોર્ડસ અથવા ઓસ્કરનો ઇતિહાસ અનેક અવનવી, ચિત્ર-વિચિત્ર ઘટનાઓ અને બનાવોનો સાક્ષી રહ્યો છે. જેમ કે બાળકો જ નહીં મોટેરાઓમાં પણ અમર થઇ ગયેલા ડિઝની મૂવીના વોલ્ટ ડિઝનીએ 22 વખત ઓસ્કર એવોર્ડ જીતીને તોડી ના શકાય એવો રેકોર્ડ બનાવ્યો છે. રિટર્ન ઓફ ધ કિંગ સૌથી વધુ ઓસ્કર જીતવાનો રેકોર્ડ ધરાવે છે. જેમાં તેને મળેલા 11 નોમિનેશનમાંથી 11 એ 11 એવોર્ડસ જીતે છે. ટાટમ ઓ'નીલને ફક્ત 10 વર્ષની ઉંમરે પેપર મૂન (1974) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. છતાં ઓસ્કરનો ઇતિહાસ પણ અમેરિકન રંગભેદના ઇતિહાસની જેમ સોનામાં લોઢાની મેખ જેવી કેટલીક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. જેમકે હેટી મેક ડેનિયલ ઓસ્કર જીતનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ બન્યા (1940) પરંતુ તેમને જે હોટેલમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો ત્યાં એક અલગ ટેબલ પર બેસવાની ફરજ પડી. પણ ત્યાર પછીનો ઇતિહાસ અસંખ્ય અશ્વેત કલાકારોને મળેલા ઓસ્કર માન સન્માનથી ભરેલો છે. 2010માં ધ હર્ટ લોકર માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીતનાર કેથરિન બિગેલો જે પ્રથમ મહિલા દિગ્દર્શક હતી ત્યારથી ઓસ્કર 2025માં આપણી પોતાની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા એવૉર્ડ નોમિનેશન માટે સ્ટેજ પર આવે ત્યાં સુધી ઘણી બધી ચડતી પડતી અને વાદ વિવાદો જોયા છે. જેના પર એક અલાયદો લેખ થઇ શકે. ભારતીય કલાકારોએ ઓસ્કરમાં ડંકો વગાડ્યોઆજે જે ઓસ્કર સમારોહ સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ સાથે ભવ્ય રીતે ઉજવાય છે અને લાખો લોકો તેને ઉત્સાહપૂર્વક જુએ છે એ ઓસ્કરમાં અનેક કેટેગરી હોય છે. જેમ કે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ સપોર્ટિંગ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ વગેરે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઉપરાંત ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ છે. જેમ કે આપણા સત્યજિત રે થી શરુ કરીને એ.આર.રહેમાન, પાયલ કાપડિયા, ભાનુ અથૈયા ઉપરાંત બીજા ઘણા ભારતીય મૂળના કલાકારોને આ એવોર્ડ મેળવ્યા પછી દુનિયા ઓળખતી થઇ છે. અને હવે સમય એવો આવ્યો છે કે ઓસ્કર સમારોહ માત્ર એવોર્ડ વિતરણ સુધી સીમિત નથી. તેમાં ફેશન, રેડ કાર્પેટ, સામાજિક મુદ્દાઓ અને વૈશ્વિક ફિલ્મ ઉદ્યોગના ટ્રેન્ડ્સ પણ જોવા મળે છે. બોલિવૂડના કોઇપણ એવોર્ડ સમારોહમાં એક યા બીજા કારણોસર હાજર નહીં રહેતા અને કોઇપણ એવોર્ડ નહીં સ્વીકારતા, સતત વિવાદોમાં ઘેરાયેલા રહેતા મિ. પરફેક્શનિસ્ટ આમિર ખાન પણ એમના દ્વારા અભિનીત અને નિર્મિત ફિલ્મ લગાનને ઓસ્કર મળે એ માટે ખૂબ બધું લોબિંગ, પ્રચાર કરે એ એકેડેમી એવોર્ડસ ઓસ્કરની લોકપ્રિયતા અને વિશ્વસનીયતા સાબિત કરે છે! સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિકઓસ્કર ટ્રોફી જેને Oscar statuette કહેવામાં આવે છે. સોનાના રંગની પ્રતિમા છે જેમાં એક યોદ્ધા ફિલ્મ રીલ પર ઊભો હોય છે. આ ટ્રોફી ફિલ્મ જગતમાં સફળતા અને પ્રતિષ્ઠાનું પ્રતિક માનવામાં આવે છે. કોઇપણ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતા માટે ઓસ્કર જીતવું તેમની કારકિર્દીનું મોટું સપનું ગણાય છે. વર્ષોથી ઘણા પ્રસિદ્ધ કલાકારોએ ઓસ્કર જીત્યા છે. જેમ કે મેરિલ સ્ટ્રીપ, લિયોનાર્દો દ કેપ્રિયો, કેથરિન હેપબર્ન. આ કલાકારો તેમના ઉત્તમ અભિનય અને ફિલ્મોમાં આપેલા યોગદાન માટે જાણીતા છે. ઓસ્કર એવોર્ડસ ફિલ્મ ઉદ્યોગ માટે ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે તે નવી પ્રતિભાને પ્રોત્સાહન આપે છે અને ફિલ્મોની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ઓસ્કર જીતવાથી ફિલ્મોની લોકપ્રિયતા અને વ્યાપારિક સફળતા પણ વધે છે. ઘણા નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે આ એવોર્ડસ આંતરરાષ્ટ્રીય માન્યતા મેળવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે.
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામોમાં હવન:માતાનામઢ અને ભુજ આશાપુરા મંદિરે હવનમાં બીડું હોમાયું
કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશ દેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વના સાતમા નોરતે બુધવારે રાત્રે 8.30 કલાકે હોમ હવનની ધાર્મિક વિઘી સાથે મોડી રાત્રે મઢ જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહજી રાજાબાવાના હસ્તે બીડું હોમવામાં આવ્યું હતું. યજ્ઞના આચાર્ય દેવકૃષ્ણ મૂળશંકર વાસુ તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નવ કલાકે માં આશાપુરાજી પૂજન અર્ચન સાથે યજ્ઞ વિધિ પ્રારંભ થયા બાદ મોડી રાત્રે બેડું આવ્યું હતું. જેમાં જાગીરના ટ્રસ્ટીઓ ખેંગારજી જાડેજા, વિનોદભાઈ સોલંકી તેમજ ઓધવરામ સેવા સમિતિના કનૈયાલાલ કટારીયા, મયુરસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ઢોલ શરણાઈના નાદ સાથે રાત્રે જાગીર અધ્યક્ષ દ્વારા મા આશાપુરા માતાજી તેમજ હિંગળાજ માતાજીના મંદિરે આરતી ઉતારવામાં આવી હતી. ભુજ આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ધાર્મિક ઉત્સાહ સાથે વિવિધ વિધિઓ યોજાઈ રહી છે. સાતમના પવિત્ર દિવસે રાત્રે 9:30 કલાકે રાજકોષી પૂજા સાથે હવન વિધિનો આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય આચાર્ય નિકુંજભાઈ જોશી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન કરાવાઇ હતી. સહાયક આચાર્ય તરીકે મિતેશભાઈ જાની અને દિવ્ય ત્રિવેદીએ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. જયઘોષ વચ્ચે પૂજારી જનાર્દન પી. દવેના હસ્તે બીડું હોમાયું હતું. પૂજન વિધિ દરમિયાન પૂજારી કવચ અને મારુત દવે પણ સેવા માટે હાજર રહ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પાવન અવસરે કચ્છની મહારાણી પ્રીતિ દેવીએ કચ્છવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી.
સુરત મહાનગપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ખજોદ ડમ્પીંગ સાઈટ પર એકત્ર થયેલા ઘનકચરાના નિકાલ માટે અપાયેલા કોન્ટ્રાક્ટને લઈ સવાલો ઉઠ્યા છે. ઘનકચરાનો નિકાલ કરતી એજન્સી સદંતર નિષ્ફળ રહી હોવા છતા મનપા કામ કરાવવા માટે જાણે લાચાર હોય તે રીતે વધુ 10 મહિનાનું એક્સ્ટેન્શન આપવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સવાર એ પણ થાય છે કે, જે કામ ત્રણ વર્ષોમાં ન થયું તે 10 મહિનામાં કઈ રીતે થશે. વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ કંપનીને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો લક્ષ્યાંક હતો, જેની સામે કંપની માત્ર 13.62 લાખ ટન જ નિકાલ કરી શકી છે. એટલે કે 50% થી પણ ઓછી કામગીરી છતાં 10 મહિનાનો નવો કોન્ટ્રાક્ટ આપવાના નિર્ણય લેવાયો અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં જ ખજોદ સાઇટ પર ફરીથી ભીષણ આગ ફાટી નીકળી છે. છેલ્લા 53 દિવસમાં આ બીજી ઘટના છે.જે સૂચવે છે કે કચરાના નિકાલમાં થયેલી નિષ્ફળતાને છુપાવવા માટે આ 'મેનમેઇડ' આપત્તિ તો નથી ને? તેવા સવાલો ઉઠી રહ્યા છે. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ આક્ષેપ છે કે કંપની કચરાનો નિકાલ કરવામાં 50% નિષ્ફળ રહી છે, તેથી જમા થયેલા કચરાના ડુંગરોનો નિકાલ કરવાને બદલે તેને સળગાવી દેવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કર પાસે ઠરાવની કોપી, સમયમર્યાદામાં કામ ન થયાનો પાલિકાનો સ્વીકારદિવ્ય ભાસ્કર પાસે રહેલા પાલિકાના ઠરાવની કોપી સ્પષ્ટ કરે છે કે ઉચ્ચ અધિકારીઓ બધું જાણતા હોવા છતાં મૌન છે. પાલિકાએ ઠરાવમાં પોતે સ્વીકાર્યું છે કે તેઓ નિર્ધારિત જથ્થો પ્રોસેસ કરી શક્યા નથી.ભાસ્કર પાસે જે ઠરાવની કોપી છે તેમાં પાલિકા એ પોતે સ્વીકાર્યું છે કે, ખજોદ ખાતે ઘનકચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સી.ડી. ટ્રાન્સપોર્ટને 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનું પ્રોસેસિંગ કરવાનું હતું. જોકે, પાલિકાના સત્તાવાર રિપોર્ટ મુજબ, કંપની માત્ર 13,62,448 મેટ્રિક ટન કચરો જ પ્રોસેસ કરી શકી છે. એટલે કે અડધોઅડધ કચરો હજુ પણ સાઇટ પર પડ્યો છે. આ નિષ્ફળતા છતાં કંપનીને બ્લેકલિસ્ટ કરવાને બદલે તેને ફરીથી કામ સોંપવામાં આવ્યું છે. દૈનિક 2500 ટન નિકાલનો ફિયાસ્કોવર્ક ઓર્ડર મુજબ કંપનીએ દરરોજ 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો. 2022થી શરૂ થયેલી આ કામગીરીમાં કંપની ક્યારેય આ આંકડા સુધી પહોંચી શકી નથી. પરિણામે પાલિકાએ તેના રનિંગ બિલોમાંથી 40,02,750 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરી છે. દંડ વસૂલવો એ સાબિત કરે છે કે કંપની કામ કરવામાં સક્ષમ નથી, છતાં પાલિકાના શાસકો તેના પર મહેરબાન છે. ખજોદમાં વારંવાર લાગતી આગ પાછળનું રહસ્યછેલ્લા 53 દિવસમાં બે વાર લાગેલી આગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, પણ રિપોર્ટ હજુ સુધી સામે આવ્યો નથી. કોંગ્રેસના નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ આગ કુદરતી નથી પણ લગાડવામાં આવી છે. કચરાનો જથ્થો ઓછો બતાવવા અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા આ ગતકડું કરાયું હોવાની પૂરી આશંકા છે. ડાયમંડ બુર્સની આબરૂ બચાવવા વધારાનો ખર્ચખજોદ સાઇટ ડાયમંડ બુર્સની બિલકુલ સામે હોવાથી ત્યાં ગંદકી ન દેખાય તે માટે પાલિકાએ પોતાના ખર્ચે રસ્તા બનાવ્યા અને કચરો ખસેડ્યો હતો. આ કામગીરી પાછળ પાલિકાને 2.22 કરોડથી વધુનો ખર્ચ થયો છે જે ઇજારદાર પાસેથી વસૂલવાનો છે. કંપનીના પાપે પાલિકાની તિજોરી પર બોજ વધી રહ્યો છે, છતાં અધિકારીઓ તેને એક્સટેન્શન આપવા માટે મરણીયા થયા છે. 5 વખત ટેન્ડર બહાર પાડ્યા છતાં 'નો રિસ્પોન્સ'જૂનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા પાલિકાએ 5-5 વખત નવા ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ કોઈ કંપનીએ ટેન્ડર ભર્યું નહીં. પૂર્વ કોર્પોરેટરનો આક્ષેપ છે કે, ટેન્ડરની શરતો એવી રીતે રાખવામાં આવી હતી કે કોઈ નવી કંપની આવી જ ન શકે અને અંતે સી.ડી. ટ્રાન્સપોર્ટને જ મુદત વધારો આપવાનો રસ્તો સાફ થઈ જાય. 213 કરોડનું કૌભાંડ અને વિપક્ષનો હોબાળોવાપીની આ એજન્સી પર અંદાજિત 213 કરોડ રૂપિયાના કૌભાંડના આક્ષેપો છે. કચરાના નિકાલના નામે માત્ર આંકડાકીય માયાજાળ રચીને પેમેન્ટ મેળવવામાં આવતું હોવાની ચર્ચા છે. વિપક્ષે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. જ્યારે કંપની 50% કામ પૂરું કરી શકી નથી, ત્યારે તેને કયા આધારે નવો 9 લાખ ટનનો જથ્થો સોંપવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. ઉબેર ખાતે નવા પ્લાન્ટમાં વિલંબનો ફાયદોપાલિકા હવે ઉબેર ખાતે નવો પ્લાન્ટ બનાવી રહી છે, પણ તે એપ્રિલ 2026 પહેલા શરૂ થાય તેમ નથી. વરસાદ અને પર્યાવરણ ક્લિયરન્સના બહાના હેઠળ આ પ્રોજેક્ટમાં વિલંબ કરવામાં આવી રહ્યો છે જેથી ખજોદમાં સી.ડી. ટ્રાન્સપોર્ટની મનમાની ચાલુ રહી શકે. વિલંબ જેટલો વધારે, તેટલો જ ફાયદો આ કોન્ટ્રાક્ટર કંપનીને થઈ રહ્યો છે. પેનલ્ટી છતાં 10 મહિનાનું 'ગોલ્ડન' એક્સટેન્શનસામાન્ય રીતે જે કંપની દંડ ભરે તેને ફરી કામ મળતું નથી, પણ અહીં નિયમો નેવે મૂકાયા છે. 4 જાન્યુઆરી 2026ના રોજ કામ પૂરું થતું હોવા છતાં, પાલિકા કમિશનરે 10 મહિનાનો વધારો આપવાની દરખાસ્ત તૈયાર કરી છે. આ દરખાસ્તમાં કંપનીને હયાત ભાવે જ કામ ચાલુ રાખવા જણાવાયું છે, જે અનેક શંકાઓ જન્માવે છે. વિપક્ષે સમગ્ર પ્રોસેસને લઈ ગંભીર સવાલ ઉઠાવ્યાપૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયા એ જણાવ્યું હતું કે, કંપનીને ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, સીડી ટ્રાન્સપોર્ટ. એમને સુરત શહેરમાંથી રોજ 2500 મેટ્રિક ટન કચરો બહાર નીકળે છે, પર મેટ્રિક ટન 790 રૂપિયા ચૂકવવાના અને છેલ્લા ત્રણ વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો. પરંતુ આ ઈજારદાર દ્વારા ત્રણ વર્ષમાં ફક્ત અને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ કર્યો છે. બાકીનો જે 16 લાખ મેટ્રિક ટન કચરો છે એ પ્રોસેસ કર્યા વગરનો, સાયન્ટિફિક વે પ્રોસેસ કર્યા વગરનો એ સ્થળ પર જ, ખજોદ ડમ્પિંગ સાઈટ પર એઝ ઈટ ઈઝ છે. એટલે ક્યાંકને ક્યાંક આ કોન્ટ્રાક્ટરને છાવરતા હોય અને પોતાની કેપેસિટી કે એવી એડવાન્સ કોઈ પણ એની પાસે મશીનરી નથી, છતાં પણ એને આ કોન્ટ્રાક્ટરને ફરીથી વધુ 10 મહિના માટે કોન્ટ્રાક્ટ એક્સટેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલી વાત તો કે જ્યારે આ પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને શરૂઆતથી જ આની કેપેસિટી નથી, રોજનો 2500 મેટ્રિક ટન કચરાનો નિકાલ નથી કરી શકતો તો ત્યારથી ટેન્ડર બહાર પાડીને નવા ટેન્ડરરો લાવવાની જરૂર હતી. પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ટેન્ડરની કન્ડિશનો એવી રાખે છે કે એમાં એક જ પાર્ટી સેટ થાય એટલે એના માનીતા અને જે પણ જેમની જે આમાં ભાગીદારી છે એવા જ કોન્ટ્રાક્ટરોને સેટ કરવા માટે કોન્ટ્રાક્ટર... કોન્ટ્રાક્ટરની કન્ડિશનો રાખવામાં આવે છે. એટલે જ કોઈ નવા કોન્ટ્રાક્ટરો સુરતમાંથી અથવા ભારતમાંથી આવતા નથી. આવું જ ભૂતકાળમાં ઉંભેર ખાતે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાં પણ બે વાર પ્રયત્ન કરવા છતાં ભારત આખામાંથી કોઈ કોન્ટ્રાક્ટર એમાં સેટ એટલે નોતો થતો કે એમણે સિવિલ વર્કને પ્રોસેસ વર્ક સાથે જોઈન્ટ કરેલું હતું એટલે ઇન્ડિયામાં ફક્ત એક જ કોન્ટ્રાક્ટર એવી જ રીતે આ સીડી ટ્રાન્સપોર્ટ એક જ કોન્ટ્રાક્ટર સેટ થાય એ રીતે ટેન્ડર કન્ડિશનો બનાવવામાં આવી છે.
કચ્છમાં કુદરત રૂઠી:ભુજ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ઝાપટા
છેલ્લા એક સપ્તાહથી કચ્છના વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે. હવામાન વિભાગની કોઈ પણ પ્રકારની આગાહી વગર જ અચાનક આવેલા ભારે પવન અને કરા સાથેના વરસાદે કચ્છના વિવિધ વિસ્તારોને બાનમાં લીધા છે. 19 માર્ચના થયેલા ભારે માવઠા બાદ છેલ્લા ત્રણ દિવસમાં ફરી બે વખત વરસેલા વરસાદે ખેતીના પાકને પાયમાલ કરી દીધો છે. બુધવારે ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાં ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું હતું. આ ઉપરાંત ભુજોડી, કુકમા અને કાળી તલાવડી જેવા વિસ્તારોમાં કરા પડવાને કારણે ઉભા પાકને વ્યાપક નુકસાનીની સંભવના છે. માત્ર ભુજ જ નહીં, પરંતુ અંજાર તાલુકાના ખોખરા, અંબાપર, સતાપર અને લાખાપર જેવા ગામોમાં પણ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. 19 માર્ચના માવઠામાં ખેડૂતોએ જે નુકસાન સહન કર્યું હતું, તેમાંથી હજુ માંડ બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યાં જ છેલ્લા બે દિવસના વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેતીના પાક હવે લણણીના આરે હતા, ત્યારે જ આ ગામોમાં ભારે પવન અને કરા સાથે ઝાપટા થતા ખેડૂતોનો ‘મોઢે આવેલો કોળિયો’ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જીરું, રાયડો અને ઉનાળુ પાકોમાં વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રો આર્થિક પાયમાલી તરફ ધકેલાયા છે. માધાપરમાં પવનથી કથા મંડપને નુકસાન, લોકોએ ફરી ઉભો કર્યો અચાનક ફૂંકાયેલા જોરદાર પવન અને કમોસમી વરસાદના ઝાપટાંએ માધાપરમાં ચાલતી રામકથાના મંડપ-સામિયાણાને નુકશાની પહોચાડી હતી. જોકે, આ આફત સામે માધાપરની ખુમારી ઝળકી ઉઠી હતી. અગ્રણીઓ અરજણભાઈ ભુડિયા અને નારણભાઈની આગેવાનીમાં યુવાનો અને મહિલાઓ મંડપને પુન : ઉભો કરવા માટે કામે લાગી ગયા હતા. નુકસાન છતાં, ગામના ભાઈ-બહેનોએ જે રીતે સંકટ સમયમાં સમારકામ હાથ ધર્યું, તેણે 1971ના યુદ્ધ વખતે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરનાર માધાપરની વીરાંગનાઓની યાદ તાજી કરાવી દીધી હતી. માર્ચમાં માવઠું યથાવત : કચ્છમાં ફરી એકવાર 29 અને 30 માર્ચે વરસાદની આગાહી કરાઇમાર્ચ મહિનાની શરૂઆતમાં અસહ્ય ગરમીનો અનુભવ કર્યા બાદ, મહિનાના અંતિમ દિવસોમાં કચ્છના હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 19 માર્ચથી શરૂ થયેલા કમોસમી વરસાદનો સિલસિલો હજુ પણ થંભવાનું નામ લેતો નથી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 29 અને 30 માર્ચના રોજ કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી માવઠું થવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 માર્ચે કચ્છની સાથે બનાસકાંઠામાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 30 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધવાની સંભાવના છે. આ દિવસે કચ્છ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાઓમાં પણ માવઠું ખાબકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ગાંધીધામ પાસે ટ્રેઇલરમાં અથડાતા ડમ્પર ચાલકનું મોત
ગાંધીધામ-ભચાઉ હાઇવે પર ચુંગીનાકા પાસે ગત મોડી રાત્રે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં વોંધના રબારી યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. ટ્રેઇલર ચાલકની બેદરકારીને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં મૃતકના ભાઈએ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ભચાઉના વોંધ ગામે રહેતા પપુભાઈ રાણાભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ,તા.૨૪ માર્ચની રાત્રે ત્રણેક વાગ્યે તેમના ભત્રીજા શીવાભાઈનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, ગાંધીધામ ખાતે દેવાભાઈના ડમ્પરને અકસ્માત નડ્યો છે અને તેમનું નિધન થયું છે. સમાચાર મળતા જ પરિવારજનો તાત્કાલિક ગાંધીધામ દોડી આવ્યા હતા. મૃતક દેવાભાઈ પોતાનું ડમ્પર લઈને ચુંગીનાકા પુલ પર ચડી રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલા ટ્રેઇલરના ચાલકે અચાનક બ્રેક મારી દેતા પાછળ આવતું ડમ્પર ટ્રેઇલરમાં ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ડમ્પર ચાલક દેવાભાઈને મોઢા, હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ ડમ્પર માલિક નિર્મલસિંહ જાડેજાએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્ત દેવાભાઈને રામબાગ સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસ કાર્યવાહી:રાપરના મોડા ગામની સીમમાં શિકાર કરવા નીકળેલા 2 જબ્બે
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત આડેસર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાપર તાલુકાના મોડા ગામની સીમમાં નર્મદાની પેટા કેનાલ પાસે ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે શિકાર કરવા નીકળેલા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એ. સેંગલ અને તેમનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે મોડા ગામની સીમમાં રહેતા બે શખ્સો નર્મદા કેનાલ તરફ શિકાર કરવા માટે ગયા છે. આ હકીકતના આધારે પોલીસે કેનાલ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં જણાતા બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી હથિયાર મળી આવ્યા હતા. પોલીસે રૂ. 10,000ની કિંમતની બે દેશી હાથ બનાવટની બંદૂક કબજે કરી મુળ ચિત્રોડના હાલે મોડા સીમમાં રહેતા સુરેશભાઈ ભીખાભાઈ કોલી અને મળ નાની હમીરપરના હાલે મોડા સીમમાં રહેતા રામજીભાઈ રાઘુભાઈ કોલી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાસ્કર બ્રેકિંગ:હવે માંડવીમાં પાઇપ મારફતે પહોચશે PNG ગેસ
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રદૂષણ મુક્ત ઈંધણને પ્રોત્સાહન આપવા માટે એલપીજીના બદલે પીએનજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ કડીમાં કચ્છ જિલ્લામાં પીએનજીના વિસ્તરણમાં નડતા વહીવટી અવરોધોને દૂર કરવા જિલ્લા પ્રશાસને એક્ટીવ બન્યું છે, બાકી રહેલી મંજૂરો તાત્કાલિક મંજુર કરવા માટે કલેકટર આનંદ પટેલે સ્પસ્ટ સુચના આપી છે. જિલ્લા કક્ષાએ પડતર રહેલી તમામ મંજૂરીઓ મળતા વિવધ વિસ્તારમાં અટકેલી કામગીરી વધુ તેજ બનશે. અત્યાર સુધી ભુજ અને મુન્દ્રા શહેરમાં પીએનજીની સુવિધા ઉપલબ્ધ છે. હવે માંડવી શહેરમાં પણ પીએનજી મારફતે ગેસ પહોચાડવાની કામગીરી વેગવંતી બની છે. ગુજરાત ગેસ કંપનીના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ માંડવીમાં પીએનજી પહોચાડવવ માટે સર્વેની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. બાકી રહેલી મંજૂરીઓ પણ ઝડપથી મળી જાય તેવી શક્યતા છે. એટલે મંજુરી મળતા જ માંડવી શહેરમાં પણ પીએનજી ગેસ માટે પાઈપલાઈન બિછાવવાની કામગીરી શરૂ થઇ જશે. અત્યાર સુધી ભુજ અને મુન્દ્રા શહેરમાં જ પીઅનેજીની સુવિધા ઉપલબ્ધ છે અને ત્યાં 17,200 ઘરોમાં ગેસ પહોચી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં માંડવીની સાથે માધાપર, અને પધ્ધર ગામમાં પણ પીએનજીનું વિસ્તરણ થવાનું છે. માધાપરના નવાવાસ અને જૂનાવાસમાં હાલ અમુક વિસ્તારોમાં પાઇપલાઈ દ્વારા ગેસ પહોચી રહ્યું છે. જો કે હવે સમગ્ર માધાપર ગામને આવરી લેવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસનની તત્પરતાને કારણે હવે પીએનજી માટે અટકેલી પ્રક્રિયાનું ઝડપથી નિરાકરણ થઇ રહ્યું છે. એલપીજી સિલિન્ડરની સરખામણીએ પીએનજી ગેસ સુરક્ષિત અને સસ્તો પડે છે. સિલિન્ડર બુક કરાવવાની કે તેની ડિલિવરીની રાહ જોવાની ઝંઝટમાંથી ગૃહિણીઓને મુક્તિ મળશે. જિલ્લા કલેક્ટરના આ સકારાત્મક અભિગમથી કચ્છના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં જીવનધોરણ વધુ સુવિધાજનક બનશે તેવી આશા સેવાઈ રહી છે. ભાસ્કર નોલેજસુરક્ષા, સગવડ, બચતમાં PNG એ LPG કરતા ચડિયાતોપીએનજીને ઘરમાં સ્ટોર કરવાની ઝંઝટ રહે છે, પરંતુ PNG માં 24 કલાક સતત ગેસ પુરવઠો મળે છે અને કોઈ બુકિંગની માથાકૂટ રહેતી નથી. ભાવ અને આર્થિક ફાયદાની દ્રષ્ટિએ જોતા PNG સામાન્ય રીતે LPG કરતા 20% થી 30% જેટલો સસ્તો પડે છે, કારણ કે LPG માં આખા સિલિન્ડરના પૈસા અગાઉથી ચૂકવવા પડે છે અને વધારાનો ડિલિવરી ચાર્જ પણ લાગે છે, જ્યારે PNG માં જેટલો વપરાશ કરો તેટલું જ બિલ મીટર રીડિંગ મુજબ બે મહિને આવે છે. આમ, સુરક્ષા, સગવડ અને બચત એમ ત્રણેય માપદંડો પર PNG એ LPG કરતા ઘણો ચડિયાતો અને આધુનિક વિકલ્પ સાબિત થાય છે. ભુજ અને મુન્દ્રા શહેરમાં પણ સુવિધાનું વિસ્તરણLPGના સંકટ વચ્ચે હવે ભુજ અને મુન્દ્રા શહેરમાં બાકી રહેલ પીએનજી ગેસ પરવાનગીને મંજુર કરી દેવામાં આવી છે, જેથી ભુજ શહેરના અને મુન્દ્રાના અનેક વિસ્તારોમાં પીએનજી ગેસની લાઈનો પાથરવામાંની કામગીરી હવે વેગવંતી બનશે. ભુજ શહેરનો વિસ્તાર 54 સ્કેવર કિલોમીટરમાં પથરાયેલો છે. જેથી વિવિધ મંજૂરીઓની પ્રક્રિયાના કારણે સમગ્ર ભુજ શહેરમાં હજુ પીએનજી ગેસ પહોચ્યું નથી. હવે ભુજ અને મુન્દ્રા શહેરમાં પાઈપ મારફતે ઝડપી પીએનજી ગેસ પહોચે તેવી શક્યતા છે.
નુકસાની સામે સહાયની માંગ:ભુજ તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી રવિ અને બાગાયતી પાકોમાં ભારે નુક્સાન
તાજેતરમાં ભુજ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને જોરદાર પવનના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભુજ નાયબ મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાને કારણે રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ઘઉં, રાયડો, ધાણા, જીરું, વરિયાળી અને ઈસબગુલમાં ભારે નુકશાન થયું છે. આ ઉપરાંત કપાસ, એરંડા, તુવેર અને વાલ જેવા રોકડિયા પાકોને પણ માઠી અસર પહોંચી છે. ખેડૂતોએ સરકારી પ્રોત્સાહનથી મોટા પાયે બાગાયતી ખેતી અપનાવી હતી, પરંતુ કુદરતી આફતે કેરી, આંબા, દાડમ, પપૈયા અને જામફળ જેવા ફળોના બગીચાઓમાં પાયમાલી સર્જી છે. શાકભાજીની ખેતી કરતા ખેડૂતોના મરચા, ટમેટા, રીંગણા તેમજ તરબૂચ અને શક્કરટેટીના પાક પણ બગડી ગયા છે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઈ કરશન ગાગલએ જણાવ્યું હતું કે, એક તરફ ખેતીના ઈનપુટ સાધનો, બિયારણ, ખાતર અને મજૂરી ખર્ચમાં તોતિંગ વધારો થયો છે, તો બીજી તરફ ખેતપેદાશોના પૂરતા ભાવ મળી રહ્યા નથી. આવા કપરા સમયે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે નુકશાની પામેલા પાકોનો સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરવામાં આવે, ખેડૂતોને યોગ્ય અને વહેલી તકે વળતર ચૂકવવામાં આવે, ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે નક્કર નિર્ણય લેવામાં આવે. ભાસ્કર ઇનસાઇડદિવાળી સમયે માવઠાથી નુકશાનીની સહાય માત્ર 86 ગામોને મળ્યોઆ તકે કિસાન ભુજ તાલુકાના કિસાન સંઘના પ્રમુખ કાનજી ભાઈ ગાગલે ભૂતકાળના અન્યાયને પણ વાગોળ્યો હતો. અગાઉ દિવાળી સમયે થયેલી અતિવૃષ્ટિમાં સમગ્ર કચ્છમાં નુકસાની હોવા છતાં, સરકારે માત્ર અંજાર, ભચાઉ અને રાપરના 86 ગામોના ખેડૂતોને જ સહાય આપી હતી. ભુજ સહિતના અન્ય તાલુકાઓ આ લાભથી વંચિત રહ્યા હતા. આ વખતે આવો ભેદભાવ ન રાખતા, સમગ્ર કચ્છના અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળે અને વહેલી તકે વળતર ચૂકવાય તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
કુપોષણ મુક્ત અભિયાન:કચ્છમાં કુપોષિત બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો
કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા પોષણ સંગમ સમીક્ષા બેઠક અને વર્કશોપ યોજાયો હતો જેમાં ICDS અને આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઝુંબેશના પગલે કચ્છમાં બાળકોના પોષણ સ્તરમાં સકારાત્મક સુધારો જોવા મળ્યો છે તેમ આ તકે જણાવાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અધ્યક્ષસ્થાને ICDS શાખા કચ્છ દ્વારા યોજાયેલી બેઠકની શરૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, જિલ્લામાં પોષણ સંગમ અંતર્ગત બે બેચની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય અને ICDS વિભાગ વચ્ચેના સંકલન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જો બંને વિભાગો સાથે મળીને કામ કરશે તો બાળકોના સ્વાસ્થ્ય અને પોષણમાં કાયમી સુધારો લાવી શકાશે. તેમણે ઉપસ્થિત અધિકારીઓને પાયાના સ્તરે સઘન કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. પ્રોગ્રામ ઓફિસરે વર્તમાન કુપોષણની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આગામી સમયમાં જિલ્લાના બાળકોને કુપોષણમુક્ત કરવા માટે તાલુકા દીઠ લેવા જોઈતા પગલા અંગે વિશેષ જાણકારી રજૂ કરી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ માત્ર બાળકો જ નહીં, પરંતુ સગર્ભા, ધાત્રી માતાઓ અને ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા માટે લેવાવા જોઈતા જરૂરી પગલાંઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વર્કશોપમાં જિલ્લા પ્રોગ્રામ આસિસ્ટન્ટ લક્ષ્મી સેગલિયા દ્વારા પોષણ સંગમ પ્રોટોકોલ અંગે તાલીમ આપવામાં આવી હતી. CDHO, RCHO અને PO ICDS તથા કચેરીનો તમામ સ્ટાફ તેમજ તાલુકા કક્ષાએથી THO, CDPO, THV, RBSK મેડિકલ ઓફિસર, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
સહાય:અકસ્માતમાં જીવ ગુમાવનાર પોલીસ કર્મીના પરિવારને 1.42 કરોડની સહાય
પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને માર્ગ અકસ્માતમાં અકાળે અવસાન પામેલા પોલીસ હેડ કોન્સ્ટેબલના પરિવારને 1.42 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. સ્વ. મંગેશકુમાર રત્નાભાઈ પ્રજાપતિના પરિવારની વહારે પોલીસ વિભાગ અને બેંક આગળ આવ્યા છે. આજે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મૃતક પોલીસ કર્મીના પરિવારને કુલ રૂ.1 કરોડ42 લાખ63,000ની સહાય રાશિ અર્પણ કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક સાગર બાગમારના હસ્તે સ્વ. મંગેશકુમારના ધર્મપત્નીને એક્સિસ બેંક અકસ્માત વીમાની રૂ.1,00,00,000 (એક કરોડ), દીકરી માટે શૈક્ષણિક સહાય માટે રૂ.16,00,000,જિલ્લા પોલીસ ફાળાની રૂ.12,63,000 અને સરકારી ઉચ્ચક નાણાકીય સહાયમાંથી રૂ.14,00,000 મળી કુલ રૂ.1 કરોડ 42 લાખ 63 હજારનો ચેક અર્પણ કરાયો હતો. પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફરજ દરમિયાન કે અકસ્માતમાં જીવ ગુમાવનાર જવાનના પરિવારને આર્થિક રીતે સુરક્ષિત કરવો એ વિભાગની પ્રાથમિકતા છે. પોલીસ અધિકારીઓ અને એક્સિસ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા
અરજદારો થયા પરેશાન:પાલિકામાં લગ્ન નોંધણીમાં 1 મહિનાથી સબ રજીસ્ટ્રાર ન હોવાથી લોકોને ધક્કા
શહેરમાં જન્મ, મરણ અને લગ્ન નોંધણીની કામગીરી ભુજ નગરપાલિકા દ્વારા સંચાલિત કરવામાં આવે છે, પરંતુ હાલમાં આ કામગીરીની ગતિ ધીમી પડી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નગરપાલિકામાં ‘જન્મ-મરણ અને લગ્ન નોંધણી શાખા’ કાર્યરત હોવા છતાં, વ્યવસ્થાપનના અભાવને કારણે નાગરિકોને સમયસર સેવા મળતી નથી. જન્મ અને મરણ નોંધણી માટે પોર્ટલ દ્વારા ઓનલાઇન કામગીરી થાય છે, પરંતુ લગ્ન નોંધણી માટે આવેલી અરજીઓમાંથી બહુ ઓછી નોંધ થઈ છે. મળતી માહિતી મુજબ, અગાઉ સબ-રજિસ્ટ્રાર તરીકે સહી કરવાની સત્તા મુખ્ય અધિકારી દ્વારા કાયમી કર્મચારીને સોંપવામાં આવી હતી, પરંતુ ગત મહિને તે કર્મચારી નિવૃત્ત થતાં હવે મુખ્ય અધિકારી સિવાય કોઈને આ સત્તા આપવામાં આવી નથી. પરિણામે તમામ ફાઈલો પર અંતિમ સહી માટે મુખ્ય અધિકારી પર નિર્ભર રહેવું પડે છે. આ દરમિયાન મુખ્ય અધિકારીને વારંવાર રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર ખાતે મીટીંગ માટે જવું પડતું હોવાથી કામગીરી અટકી રહેતી હોવાનું જાણવા મળે છે. નગરપાલિકા સંકુલમાં સંબંધિત શાખામાં કાયમી તેમજ હંગામી સ્ટાફની પૂરતી સંખ્યા હોવા છતાં કામગીરીમાં ગતિનો અભાવ હોવાનું સૂત્રો જણાવે છે. ફરિયાદો અનુસાર, સામાન્ય નાગરિકો તો દૂર, પાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓના કામ પણ સમયસર થતા નથી. વધુમાં, લગ્ન નોંધણી માટે દસ્તાવેજોની ઝેરોક્ષ સેલ્ફ એટેચ કરવાની સરળ પ્રક્રિયાને બદલે નોટરી કરાવવાની ફરજિયાત કરી મૂકાતા લોકોનો સમય અને ખર્ચ બંને વધે છે. આ મામલે વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મુખ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ રાજકોટ ખાતે મીટીંગમાં હોવાને કારણે સંપર્ક થઈ શક્યો નહોતો. જન્મ, મરણ અને લગ્ન નોંધણી આજના સમયમાં અત્યંત મહત્વના દસ્તાવેજો બની ગયા છે, જે શૈક્ષણિક, કાનૂની અને અન્ય સરકારી પ્રક્રિયાઓ માટે આવશ્યક છે. તેથી નાગરિકોને સમયસર સેવા મળે તે માટે કામગીરીમાં ઝડપ લાવવા અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા તંત્રે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બન્યું છે.
ભુજની અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જરી વિભાગ દ્વારા વેરિકોઝ વેઇન્સ એટલે કે પગમાં સુજેલી ભૂરા રંગની નસો અને વસ્કુલર ડિસીઝ અર્થાત્ નસોમાં રક્ત સંચારના રોગો તેમજ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ઉપર સર્જન્સની કાર્ય પ્રણાલી વધુ પ્રભાવશાળી બને એ માટે વ્યાખ્યાન માળા યોજાઈ હતી. આણંદ ખાતેના રાજ્યસ્તરના વેરિકોઝ વેઇન્સ રોગોના નિષ્ણાત અને સર્જન ડો.જયેશ પટેલે આ રોગનું લેસર ઓપરેશન કરી જીવંત નિદર્શન કરી માર્ગદર્શન કર્યું હતું અને ભુજની કે.કે.પટેલ હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડો.તેજેન્દ્રપ્રસાદ રામાણીએ રેડિયો ઇમેજ દ્વારા સચોટ નિદાન અને ઉપચાર ઉપર ઉપયોગી માહિતી આપી હતી. ડૉ.પટેલે શસ્ત્રક્રિયાનું નિદર્શન કરતાં કહ્યું કે, વેરિકોઝ વેઈન્સમાં લેસર પધ્ધતિથી કરાતા ઓપરેશનથી આ પ્રકારની ગંભીર અને મોટી સર્જરી ઝડપી અને અસરકારક બને છે. તેમણે ઉમેર્યું કે, સામાન્ય દેખાતી વેરિકોઝ વેઈન્સ એક ગંભીર સમસ્યા છે. પગની મોટી નસમાં બ્લોકેટ થાય તો તે બ્લડ કલોટ તૂટીને શરીરના અન્ય ભાગોમાં પ્રસરી શકે છે અને તેમાંય જો ફેફસા અને મગજની નસોમાં પહોંચે તો જીવલેણ સાબિત થઈ શકે છે. હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગના વડા ડો.રાજેશ ગોરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વ્યાખ્યાન પ્રસંગે રેસિડેન્ટ્સ તબીબો ઉપસ્થિત રહ્યા હતા. વેરીકોઝ વેઇન્સના લક્ષણોવેરીકોઝ વેઇન્સમાં પગની ત્વચા નીચે સૂજેલી આડી અવળી અનેક ભૂરા રંગની નસો ઉપસી આવતી હોય છે, જે ખરાબ રક્ત સંચાર અને કમજોર વાલ્વને કારણે થાય છે. આ રોગના લક્ષણોમાં પગની નસો ફૂલી જાય, દુખાવો થાય અને ભારેપણું લાગે છે. ત્વચામાં ફેરફાર પણ થાય છે.લાંબા સમય સુધી ઊભા રહેવાથી, સ્થૂળતા અને ધૂમ્રપાનને કારણે આ સમસ્યા થાય છે.
ભગવાન રામનું જીવન સૌના માટે એક આદર્શ છે, પરંતુ તેમની જન્મ કુંડળીનો ઊંડો અભ્યાસ જ્યોતિષીઓ માટે પણ સંશોધનનો વિષય છે. ભગવાન રામની કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હોતાં પ્રજાવત્સલ રાજા બન્યા તેમ તાજેતરમાં ભુજ ખાતે યોજાયેલી કચ્છ જ્યોતિષ મંડળની બેઠકમાં જણાવાયું હતું. મુખ્ય વક્તા આનંદ શાહે ભગવાન રામની કુંડળીનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે, કર્ક લગ્નની આ કુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના કે સ્વગૃહી છે. આ ગ્રહોની વિવિધ ભાવોમાં ઉપસ્થિતિને કારણે તેઓ પ્રજાવત્સલ રાજા, આદર્શ પુત્ર અને વચનપાલક બન્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચોથા સુખ સ્થાનમાં શનિની હાજરી, વ્યયેશ બુધની દ્રષ્ટિ અને સાતમે મંગળની ઉપસ્થિતિને કારણે જ તેમને રાજત્યાગ, વનવાસ, સીતા હરણ અને અયોધ્યા પરત આવ્યા બાદ પણ પત્ની-સંતાન વિયોગ જેવી ઘટનાઓનો સામનો કરવો પડ્યો હતો, જે કુંડળીના યોગો સાથે સંપૂર્ણ સુસંગત જણાય છે. ચર્ચાને આગળ વધારતા નરેન્દ્ર ગોર ‘સાગર’’’’ એ શ્રી રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રના ચોથા ચરણમાં થયો હોવાનું જણાવી તેના આધારે દશા, અંતર્દશા અને ગ્રહોના ગોચર ના સમયની ગણતરી કરતા તે પ્રભુના જીવનની ટાઈમલાઈન સાથે કેટલી સચોટ રીતે મળે છે તેનું તાર્કિક વિશ્લેષણ રજૂ કર્યું હતું. મંડળના પ્રમુખ પ્રીતિબેન રાજગોર તથા ઉપપ્રમુખ પ્રફુલ જોશીએ કહ્યું હતું કે રામજીનું જીવન અભ્યાસુઓ માટે જ્ઞાનનો ભંડાર છે. સલાહકાર ગીરીશગોરે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે કચ્છ જ્યોતિષ મંડળ ભવિષ્યમાં પણ જ્યોતિષીઓને સંશોધન માટે આવું પ્લેટફોર્મ પૂરું પાડતું રહેશે. બેઠકના પ્રારંભમાં રામેશ્વર મંદિરના આશિષ જોશીએ સૌનું સ્વાગત કર્યું હતું, જ્યારે સંચાલન મંત્રી અશોક માંડલિયાએ કર્યું હતું. પ્રશ્નોત્તરીમાં સુભાષભાઈ જોશી, લીના ઠક્કર, ઝંખના શર્મા અને વનીતાબેન મહિડાએ ભાગ લીધો હતો. વ્યવસ્થા રાજેશભાઇ અને અરવિંદભાઈએ સંભાળી હતી. આ બેઠકમાં ધીરેન્દ્ર રઘુવંશી, સ્મિત રાજગોર, પ્રવીણભાઈ વરસાણી, પૂજા ભાટિયા, પરેશ જોશી, પ્રશાંત ભોજક, મીનલ દવે, હેમાલી ઓઝા, હંસાબેન પંડ્યા, નિધિ કુબડીયા, હિતેન્દ્ર દવે, દેવાંગ ચૌહાણ, દિપા જોશી, સુભાંગી જોશી, વિપુલા મહેતા અને જયેશ જોશી સહિત મોટી સંખ્યામાં જ્યોતિષીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દહિંસરામાં ગૌવંશની હત્યાનો પર્દાફાશ:માનકુવા પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
તાલુકાના દહીંસરા ગામે ગૌવંશની હત્યાનો પર્દાફાશ કરી માનકુવા પોલીસે 85 અબોલ જીવોને મુક્ત કરાવ્યા છે. માનકુવા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.ગઢવીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે સઘન તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન બાતમીને આધારે દહિસરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલા એક વાડામાં ત્રાટકીને ગૌવંશની હત્યાના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ગૌવંશની હત્યા માટે વપરાયેલી છરી જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી કતલ કરેલ એક નર વાછરડું કબ્જે કરવામાં આવ્યું હતું અન્ય 85 જેટલા ગૌવંશને બચાવી લેવાયા હતા. પોલીસે આ કૃત્યમાં સંડોવાયેલા બે આરોપીઓ ગામના મુસ્તાક જુસબ રાયમા અને ઈસ્માઈલ જુસબ રાયમાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી જીવતા મળી આવેલા 85 ગૌવંશને તાત્કાલિક અસરથી વાડાસર સ્થિત ભક્તિ ગૌરક્ષણ સેવા સમિતિ ખાતે સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં માનકુવા પીએસઆઈ એ.એન. ધાસુરા, એએસઆઈ બ્રિજેશભાઈ યાદવ, ઉપેન્દ્રસિંહ રાણા, જીગ્નેશભાઈ અસારી, જયંતિભાઈ મહેશ્વરી અને અજયભાઈ ઝણકાત સહિત હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ડાભી, જયપાલસિંહ જાડેજા, વિનોદભાઈ ઠાકોર, કિરણકુમાર પુરોહિત, મહેશભાઈ વાળા, સુરેશભાઈ જોશી તથા જીઆરડી સભ્યો જગમાલ હિંગાણા અને રણજીતસિંહ જાડેજા જોડાયા હતા.
કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલી પ્રથમ તબક્કાની પરીક્ષાના પ્રથમ દિવસે ગંભીર બેદરકારી સામે આવી છે. એમ.એ. અર્થશાસ્ત્ર સેમેસ્ટર-4 ની પરીક્ષામાં અર્થશાસ્ત્ર-2 વિષયનું પ્રશ્નપત્ર અભ્યાસક્રમ બહારનું પૂછાતા પરીક્ષા હોલમાં વિદ્યાર્થીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. આ છબરડાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમ.એ. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને જ્યારે CCEC 410 આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર-2 નું પેપર આપવામાં આવ્યું, ત્યારે પરીક્ષાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા કારણ કે પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલો નક્કી કરેલા સિલેબસ મુજબના નહોતા. આ બાબતે વિદ્યાર્થીઓએ તુરંત હોબાળો મચાવતા પરીક્ષા તંત્ર દોડતું થયું હતું અને અંદાજે 30 મિનિટના વિલંબ બાદ સુધારેલા અભ્યાસક્રમ મુજબનું નવું પેપર અપાયું હતું. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, આ સુધારેલા પેપરમાં પણ કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી, જેના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પર માઠી અસર પડી હતી. યુનિવર્સિટીની આ ગંભીર ભૂલ સામે એબીવીપીના કાર્યકરોએ પરીક્ષા નિયામક સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. વિદ્યાર્થી સંગઠને માંગ કરી હતી કે, જે પણ પેપર સેટર, પેપર ચેરમેન કે જવાબદાર અધિકારીઓની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે, તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ મામલે ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે ખાતરી આપી હતી કે, આગામી પરીક્ષામાં આવી ભૂલ ન થાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે. આ રજૂઆત દરમિયાન એબીવીપી પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક શૈલેષ પરમાર, જિલ્લા સહ સંયોજક મીત દરજી અને યુનિવર્સિટી અધ્યક્ષ મહીપાલસિંહ જાડેજા સહિત વિદ્યાર્થી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
કિશોર પાણીમાં ગરક થયો:જીપીએસના ધો.11ના છાત્રનો પગ લપસતાં સેવાસી કેનાલમાં તણાયો
શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં વહેલી સવારે એક કિશોરનો પગ લપસી જતાં તણાયો હતો. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરાતા ઢળતી સાંજ સુધી તેની શોધખોળ લાશ્કરોએ કરી હતી પણ તેની ભાળ મળી ન હતી. બનાવની વિગત એવી છે કે, અટલાદરાની જીપીએસ સ્કૂલના ધો.11 (સીબીએસઇ)માં ભણતો હર્ષવર્ધન ક્ષેત્રિય વડસર સ્થિત પોતાના ઘરેથી સવારે એક્ટિવા લઇને નીકળ્યો હતો. રસ્તામાં તેણે આ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઓમ દુબેને પોતાની સાથે એક્ટિવા પર બેસાડ્યો હતો. તેઓ સવારે સેવાસી કેનાલ પાસે ગયા હતા અને ત્યાં વડાપાઉનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ મોં-ધોવા તે નજીકથી પસાર થતી કેનાલમા ઢાળવાળી જગ્યાએથી નીચે ઉતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે સીધો જ નહેરના પાણીમાં ખાબક્યો હતો. તેની સાથેના ઓમે આ દૃશ્ય જોતા જ હેબતાઇ ગયો હતો. દરમિયાન તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લપસ્યા બાદ હર્ષવર્ધન પાણીમાં ગરક થઇ ગયો હતો. ફાયરબ્રિગેડના લાશ્કરોએ બોટ લાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પણ રાત સુધી તેની કોઇ ભાળ મળી ન હતી. આ અંગે પોલીસે તેના મિત્ર ઓમની બનાવ અંગે પૂછપરછ કરીને બનાવની વધુ તપાસ હાથ ધરી છે. હર્ષવર્ધન ફૂટબોલનો ઉમદા ખેલાડી છેહર્ષવર્ધન ક્ષેત્રિય ફૂટબોલનો ઉમદા પ્લેયર છે. તેણે ફૂટબોલની ક્લસ્ટર ટુર્નામેન્ટમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેની ભાળ ન મળતાં તેના મિત્રો પણ નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શહેર વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાં એક યા બીજા કારણોસર 5 વ્યક્તિઓ તણાયા છે. અંબાલા ગામે નર્મદા કેનાલમાં તણાયેલા યુવકનો મૃતદેહ મળ્યોમગળવારે શિનોરના અંબાલા ગામે નર્મદા કેનાલમાં કૃષ્ણપાલસિંહ પરમાર નામનો એક યુવક તણાઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ વડોદરા ફાયરબ્રિગેડની ઇઆરસી (ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર)ની ટીમ તેની ભાળ મેળવવા માટે રવાના થઇ હતી. જોકે ગુરુવારે બપોરે એક વાગ્યાના સુમારે નહેરમાંથી કૃષ્ણપાલસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.
ગેસ સિલિન્ડરની કાળાબજારી ઝડપાઈ:4 હજારમાં ગેસનો સિલિન્ડર વેચતા શખ્સની ધરપકડ કરાઇ
ગેસ સિલિન્ડરની કાળાબજારી કરનારની માંજલપુર પોલીસે વડસર જીઆઈડીસી રોડ પરથી મંગળવારે રાત્રે ધરપકડ કરી છે. ચેતન ઈનાની રૂા.3500નો સિલિન્ડર રૂા.4 હજારમાં વેચતો હતો. પોલીસના પેટ્રોલીંગ દરમિયાન વડસર જીઆઈડીસી પાણીની ટાંકી પાસે રાતે 8:20 કલાકે બે વ્યક્તિ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાથે ઉભા હતાં. ચેતન સુંદરલાલ ઈનાની (ઉ.વ.48,રહે-પુજા ટેનામેન્ટ, દરબાર ચોકડી પાસે, માંજલપુર) દ્વારા સીલપેક સિલિન્ડર બીજા વ્યક્તિ ભાનુભાઈ ધામુભાઈ ચુનારા (ઉ.વ.34, રહે-હિમાલયા કંપનીની સામે ઝુપડામાં, મકરપુરા)ને રૂા.4 હજારમાં વેચતો હતો. પોલીસે રૂા.4 હજાર કબજે કર્યાં હતાં. સિલિન્ડર પર રૂા.3500ની કિંમત હતી. છાપેલી કિંમતથી વધુ ભાવે વેચાણ કરવા સામે ચેતન ઈનાની વિરૂધ્ધ એસેન્સીયલ કોમોડીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, ઈરાન-અમેરિકા યુધ્ધના કારણે શહેરમાં કોમર્શીયલ અને ઘરેલું એલપીજી ગેસની અછત સર્જાઈ છે. આ સમસ્યાં વચ્ચે એલપીજી સિલિન્ડરનો કાળાબજાર કરનારા લોકો સામે વહિવટી તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
હજારો માછલીના શંકાસ્પદ મોત:દંતેશ્વર તળાવમાં હજારો માછલીના મોત,દુર્ગંધને પગલે લોકો ત્રાહિમામ
સુરસાગર બાદ હવે દંતેશ્વર તળાવમાં હજારો માછલીઓના અચાનક મોતથી આશ્ચર્ય ફેલાયું છે. પાલિકાને અસહ્ય દુર્ગંધની ફરિયાદ મળતા તળાવની સફાઈ હાથ ધરી છે. જેમાં 2 ટ્રક ભરીને માછલીઓ કાઢવામાં આવી છે. સુરસાગરમાં માછલીઓ મોત બાદ ઓટો એરેશન સિસ્ટમ નાખવામાં આવી છે. તેના કારણે માછલીઓના મૃત્યુ ઘટ્યા છે. તેવામાં દંતેશ્વર તળાવમાં એકાએક હજારોની સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં જોવા મળતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ભારે દુર્ગંધના કારણે આસપાસના રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે પૂર્વ ઉન્સિલર પ્રીતિબેન ભટ્ટને આ અંગેની ફરિયાદ મળતા તેઓએ સ્થળ વિઝિટ કરી અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જેના પગલે તાત્કાલિક ધોરણે તળાવની સફાઈ શરૂ કરાઈ હતી. જાણકારોના મતે ઓક્સિજન લેવલ ઓછું થવાથી માછલીઓના મૃત્યુ થાય છે. જોકે પાલિકાએ માછલીઓના મોત થવા પાછળનું કારણ શોધવું જોઈએ.
બાદશાહે ગર્લફ્રેન્ડ ઈશા રિખા સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધાં
ઈશાની માતાએ તસવીરો શેર કરી બાદશાહ છ વર્ષ પહેલાં છૂટાછેડા લઈ ચૂક્યોછેઃ ઈશા તેના કરતાં આઠ વર્ષ નાની મુંબઈ - સિંગર બાદશાહે પંજાબી અભિનેત્રી ઇશા રિખી સાથે છાનામાન લગ્ન કરી લીધા હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરોથી મનાઈ રહ્યું છે. યુગલે પોતાના લગ્ન વિશે કોઇ માહિતી આપી નથી. પરંતુ બાદશાહની સાસુએ બાદશાહ અને ઇશાના લગ્નની ૧૦ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઝળહળતી સિદ્ધિ:સંત કબીર સ્કૂલના સેન્સર્સ અને AIથી અડચણો પાર કરતા રોબો-એથ્લિટને 5 લાખનું ઇનામ
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજકોસ્ટ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા રોબોફેસ્ટ 5.0 સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા જુનિયર તેમજ સિનિયર કેટેગરી માટે હતી. જેમાં સંત.કબીર સ્કૂલની બે ટીમે જુનિયર કેટેગરી ઇવેન્ટમાં ભાગ લીધો હતો, જ્યાં રોબો-એથ્લિટ અને મેઝ સોલ્વિંગ રોબોટ બનાવવાના હતા. રોબો-એથ્લિટ ટીમમાં ધો.9ના જૈનિલ સુતરસંધિયા, ધ્રુમિત શાહ, સમર્થ વ્યાસ, ધો.11 સાયન્સના ચાર્મી શાહ અને માર્ગદર્શક ડૉ. બીના બેડેકરનો સમાવેશ થતો હતો. જ્યારે મેઝ સોલ્વિંગ રોબોટમાં ધો.11 સાયન્સના પુષ્કર પટેલ, શ્લોક ચૌહાણ, વેદાંત પરમાર, પ્રિશા હાથીએ ભાગ લીધો હતો. બંને ટીમે સ્પર્ધાના પહેલા અને બીજા રાઉન્ડમાં જીત મેળવી હતી અને તેમને 25 હજાર અને 1 લાખનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ રોબોટ્સની નવીન ડિઝાઇન પહેલાથી જ ડિઝાઇન પેટન્ટિંગની પ્રક્રિયામાં છે. વિદ્યાર્થીઓમાં કૌશલ્ય અને ટીમ ભાવના કેળવાઇસ્પર્ધાનો અંતિમ રાઉન્ડ અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. સંત.કબીર સ્કૂલની રોબો-એથ્લિટ ટીમે તેમની શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા દ્વારા તેમને 5 લાખના રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જુલાઈ 25 થી આજ સુધીની આ વિદ્યાર્થીઓની રોબોફેસ્ટ સફર તેમને માત્ર જીવન કૌશલ્ય જ નહીં પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પોતાને કેવી રીતે પ્રેરિત અને સકારાત્મક રાખવા તે પણ શીખવી છે. ઇન્ડસ્ટ્રીમાં સામાનને શીફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાયરોબો એથલીટ લાઇન ફોલોઇંગ રોબોટ છે. જે બોલ અથવા ડિસ્કને ઓળખવાની અને તેમને નિર્ધારિત ગોલ પોસ્ટમાં ધકેલવાની ક્ષમતા ધરાવે છે. તે વચ્ચે આવતા અવરોધોને પણ દૂર કરી શકે છે. સ્પોર્ટ્સ અને ગેમિંગ ટેકનોલોજીમાં ઓટોમેટેડ ગેમ્સ અથવા બોલ ટ્રેકિંગ અને ગોલ કરાવવા આ રોબોટનો ઉપયોગ કરી શકાય છે. ઇન્ડસ્ટ્રીયલ જગ્યાઓમાં વસ્તુઓને શિફ્ટ કરવા માટે રોબોટ એથ્લિટ ઉપયોગ કરી શકાય છે.
આજવા નિમેટા રોડ ખાતે આરએમએસ કેમ્પસ ખાતે પ્રોજેક્ટ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિકેનિકલ, કેમિકલ, સિવિલ, આર્કિટેક્ચર, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઇટી અને નર્સિંગ સહિત વિવિધ શાખાના 300 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા અને તકનિકી કુશળતા દર્શાવી, જે તેમના જ્ઞાન અને પ્રતિભાનું પ્રતિબિંબ હતું. ડિપ્લોમા કમ્પ્યુટર આઇટીના વિદ્યાર્થીઓ દ્વારા કોર ક્રાફ્ટ, લાઇફ સિંક જેવી 20થી વધારે એઆઇ બેઝ્ડ એપ્લિકેશન્સ અને રોબોટિક સિસ્ટમ્સ રજૂ કરવામાં આવી હતી. ડિપ્લોમા મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થીઓએ મેગ્નેટ્સ અને સેન્સર્સના ઉપયોગથી ઉર્જાસંરક્ષણ માટે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. જ્યારે નર્સિંગના વિદ્યાર્થીઓએ હેલ્થ કેરને એઆઇ સાથે જોડતા મોડેલ્સ રજૂ કર્યા હતા.
રામ નવમી પહેલા સિટીમાં ભક્તિ, ધીરજ અને કલાનું અનોખું સંકલન જોવા મળ્યું છે. મકરપુરાના ખાનગી કાર સ્પા ખાતે આધ્યાત્મિક મોઝેક પોર્ટ્રેટ સર્જીને વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. આ વિશે આર્ટિસ્ટ રાહુલ કુમાવતે જણાવ્યું હતું કે, મારી સાથે સંજય કુમાવત અને નેન્સી પરમારે મળી મર્સિડિઝ કાર પર 51,008 વાર ‘રામ રામ’ને લખીને શ્રી રામ અને ભગવાન હનુમાનજીનું 14થી 15 ફૂટનું પોર્ટ્રેટ તૈયાર કર્યું છે. જેને બનાવતા અમને 4 દિવસનો સમય લાગ્યો હતો. દરેક ‘રામ’ નામ આધ્યાત્મિક્તાને કલા સાથે જોડે છે. જેને ઇન્જીનિયસ ચાર્મ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જે આજે રામનવમીના અવસરે આ કૃતિ બરોડિયન્સ માટે મકરપુરા અકશર કાર સ્પા ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
લોટી ઉત્સવ યોજાયો:યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવે શોભાયાત્રા નીકળી,5 હજારથી વધુ વૈષ્ણવો ઉમટ્યા
વાઘોડિયા રોડ પર આજે યમુનાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ડો.વાગીશકુમારજીની નિશ્રામાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા. યમુનાજીના સ્વરૂપને વિક્ટોરિયા ગાડીમાં બિરાજમાન કરાયા હતાં. બેન્ડવાજા અને શરણાઈના સૂર સાથે નીકળેલી શોભાયાત્રામાં માદરે વતન સંખેડા સહિત દેશ-વિદેશના હજારો વૈષ્ણવો જોડાયા હતા. વિશેષ કરીને ગુલાબી ગનગોર નિમિત્તે મહિલાઓ અને પુરુષો ગુલાબી વસ્ત્રોમાં સજ્જ થઈને આવતાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. શોભાયાત્રા સુખધામ હવેલી ખાતે પહોંચી હતી, જ્યાં યમુના નિકુંજમાં ડો. વાગીશકુમારજીના હસ્તે લોટી મહોત્સવની જેમ વિશેષ પૂજા-અર્ચના કરાઈ હતી. ત્યારબાદ મહાઆરતી કરાઈ હતી.
STને કેશલેસ વહેવાર ફળ્યો:એસટીની મુસાફરો પાસેથી ડિજિટલ પેમેન્ટથી દૈનિક આવક 3 લાખને પાર
એસટીમાં સફર કરતા મુસાફરો કેશલેસ વહેવાર કરે તે માટે બે મહિના અગાઉ 450 કન્ડક્ટર્સને ઓટોમેટેડ ટિકિટિંગ મશીનો આપવામાં આવ્યાં હતા. માર્ચ મહિનામાં પહેલીવાર વડોદરા એસટી ડિવિઝનમાં કેશલેસ વહેવારનો આંક 3 લાખને વટાવ્યો છે. જેમાં સૌથી વધુ આવક વડોદરા ડેપોએ કરી છે. રેલવેની જેમ એસટીને પણ કેશલેસ વહેવારને પ્રોત્સાહિત કરવા માટે કહેવાયું છે. આ વિશે વાત કરતા વડોદરાના ડિવિઝનલ મેનેજર જેએન પટેલે જણાવ્યું કે, આ કુલ આવકના 10 ટકા જેટલી છે પણ લોકો ઝડપથી કેશલેસ વહેવાર એસટીમાં કરી રહ્યાં છે. વડોદરા પછીના ક્રમે સૌથી વધુ કેશલેસ વહેવાર ડભોઇ અને પાદરા ડેપો દ્વારા નોંધાઇ રહ્યો છે. વડોદરા ડિવિઝનમાં વડોદરા ઉપરાંત બોડેલી, છોટાઉદેપુર, ડભોઇ, કરજણ. પાદરા, વાઘોડિયા અને સાવલી ડેપોનો સમાવેશ થાય છે. જે વિસ્તારમાં શહેરીકરણ વધુ છે ત્યાં એસટીમાં ડિજિટલ આવક વધુ છે. બીજી તરફ વાઘોડિયા જેવા વિસ્તારોમાં પણ લોકો હજીય એસટી સિવાયની વૈકલ્પિક વ્યવસ્થામાં સફર કરતા હોવાથી ત્યાં પણ ડિજિટલ કલેકશનથી આવક ઓછી નોંધાઇ રહી છે. ડેપો વાઈઝ આવકની વિગતો (આ આવક 19મી માર્ચ, 2025ની છે. સ્રોત- વડોદરા એસટી ડિવિઝન)
આજે અષ્ટમી:માઈ મંદિરોમાં હવન, ચંડિયાગ, નવાર્ણ મંત્રના જાપ કરાશે
આજે દુર્ગાષ્ટમી સાથે રામનવમી પણ ઉજવાશે. સવારે 11.51 વાગ્યા સુધી અષ્ટમી છે ત્યારબાદ નોમ બેસે છે જે 27 માર્ચના રોજ સવારે 10.09 મિનિટ સુધી છે. તિથિ ઘડી અને પળના સંયોગને કારણે આજે અષ્ટમી અને રામ નવમી એક દિવસે ઊજવાશે. આજે દુર્ગાષ્ટમીએ માઈ મંદિરોમાં હવન, પૂજન, ચંડિયાગ અને નવાર્ણ મંત્રના જાપ, માતાજીના અભિષેક, શણગાર અને નૈવેદ્ય કરવામાં આવશે. કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિર, માંડવી અંબામાતા મંદિર, બેંક રોડ પર આવેલા મહાલક્ષ્મીજીના મંદિરોમાં આજના દિવસે વિવિધ પૂજન અર્ચન યોજાશે. નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતાનું પૂજન અર્ચન કરવામાં આવે છે. મહાગૌરી માતાના પૂજનથી સૌભાગ્યની પ્રાપ્તિ સાથે સુખ-શાંતિ, માન-પ્રતિષ્ઠા અને આનંદની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને માતાજીને ખીર અને સફરજનનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. આઠમના દિવસે માતાજીના હવન પૂજનનો વિશેષ મહિમા છે. આજના દિવસને હવનાષ્ટમી કહેવાય છે. હવનાષ્ટમીના દિવસે હવન કરવાથી ઘરની અનિષ્ટતાનો નાશ થાય છે. 108 નવાર્ણ મંત્રની એક માળાનો હોમ વિદ્વાન બ્રહ્મનો પાસ કરાવવો જોઈએ.
બાઈક રેલીનું આયોજન કરાયું:ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવે 240 યુવક-યુવતીઓની બાઈક રેલી યોજાઈ
બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન સ્વામિનારાયણના 245માં પ્રાગટ્યોત્સવની ઉજવણીના ભાગરૂપે બુધવારે બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 120 બાઈક પર યુવકો અને 120 મોપેડ પર યુવતીઓ રેલીમાં જોડાઈ હતી. રેલીની શરૂઆત છાણીથી કરવામાં આવી હતી. જે બાદ નિઝામપુરા, રાજમહેલ રોડ, માંજલપુર થઈને અંત અટલાદરા મંદિર ખાતે કરવામાં આવ્યો હતો. આ ગુરુવારે બપોરે 12 વાગે 3,245 વાનગીઓનો અન્નકૂટ ધરાવાશે. આ સાથે બપોરે 12 વાગે મંદિરમાં ભગવાન રામનો જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને આરતી કરવામાં આવશે. રાત્રે 10 વાગે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની ઉજવણી સાથે આરતી કરવામાં આવશે. ગાયકવાડ સરકાર દ્વારા છાણીમાં ભગવાન સ્વામિનારાયણનું સ્વાગત કરાયું હતુંગાયકવાડ સરકારના સમયમાં વડોદરા શહેરમાં ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. ત્યારે ગાયકવાડ સરકાર દ્વારા છાણી ખાતેથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છાણી ગામમાં એક ઓટલો પણ જ્યા ભગવાન સ્વામિનારાયણે વિશ્વામ કર્યો હતો. જેના કારણે આ શોભાયાત્રાની શરૂઆત છાણીથી કરવામાં આવી હતી.
દાંડિયા બજારમાં 150 વર્ષ પૂર્વે 1872માં દિંડોરકર પરિવારે પેશ્વા શૈલીમાં ભગવાન રામનું મંદિર બનાવડાવ્યું હતું. જેની વિશેષતા એ છે કે, મંદિરમાં સ્થપાયેલી ભગવાન રામની મૂર્તિ અભય મુદ્રામાં છે. આ મુદ્રામાં શ્રીરામની પ્રતિમા વિશ્વમાં માત્ર 2 સ્થળે જ છે. જે પૈકી એક વડોદરામાં અને એક નાશિકના પંચવટીના કાળારામ મંદિરમાં છે. મંદિરમાં બ્લડ પ્રેશરની અક્સિર દવા ગણાતા અર્જુન વૃક્ષના લાકડાનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો છે. મંદિરનું સંચાલન કરતા ગોવિંદ મહારાજે જણાવ્યું હતું કે, અમારા દાદા દ્વારા 1872માં આ મંદિરની સ્થાપના કરાઈ હતી. મંદિરમાં રામ, સીતા અને લક્ષ્મણની મૂર્તિ નેપાળની ગંડકી નદીના કાળા પાષાણમાંથી બનાવવામાં આવી છે. ગંડકી નદીમાંથી મળી આવતા આ પથ્થરોને શાલિગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ ઉમેર્યું હતું કે, અભય મૂદ્રામાં શ્રીરામનો જમણો હાથ તેમની છાતી પર છે અને ડાબો હાથ યોગ મૂદ્રામાં છે. આ મૂદ્રાનો અર્થ છે કે, ‘ગભરાશો નહીં’ અથવા ‘હું તમારી રક્ષા કરીશ’. શહેરમાં વિવિધ જગ્યાએ રામ શોભાયાત્રા-રામધૂનનું આયોજન ગુજરાતમાં માત્ર 2 જગ્યાએ હનુમાનજીના હાથમાં ધનુષ્ય હોય તેવી મૂર્તિ છેમૂર્તિની સંરચના એવી રીતે કરાઈ છે કે, હનુમાનજીની દૃષ્ટિ રામજીના પગ પર પડી રહી છે. મૂર્તિના ધાર્મિક મહત્વ મુજબ, રામ-રાવણ યુદ્ધમાં લક્ષ્મણજી મૂર્છિત થયા ત્યારે રામજી પાસે હથિયાર નહોતા. હનુમાજીએ રામજીનું ધનુષ્ય-બાણ લઈને યુદ્ધ કર્યું હતું. યુદ્ધ બાદ હનુમાનજી ભગવાનની સામે ઊભા હતા તેની પ્રતિકૃતિ આ મૂર્તિ છે. આવી બીજી મૂર્તિ સુરતના વ્યારામાં આવેલી છે.
અધ્યાપકોની ભરતી પ્રક્રિયાનું નોટિફિકેશન તૈયાર:મ.સ.યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક
મ.સ.યુનિ.માં અધ્યાપકોની ભરતી માટે ઓએસડીની નિમણૂક કરવામાં આવી છે. ભરતી પ્રક્રિયાના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. હંગામી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે નોટિફિકેશન તૈયાર કરાયું છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે પણ ઓએસડી જ પ્રક્રિયા કરશે. આગામી શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોની ભરતી માટે યુનિવર્સિટી સત્તાધીશોએ હજી નોટિફિકેશન પણ બહાર પાડ્યું નથી. અધ્યાપકોની ભરતી પ્રક્રિયા કરવા માટે યુનિવર્સિટી દ્વારા રિક્રૂટમેન્ટ સેલ બનાવ્યો છે, જેના ઓએસડી તરીકે પ્રો.ધનેશ પટેલની નિમણૂક કરાઈ છે. 750 હંગામી અધ્યાપકોની ભરતી કરવી પડે તેવી શક્યતા છે. જેના માટે તમામ ફેકલ્ટીના ડીનો સાથે ઓસએસડીએ બેઠક પણ કરી લીધી છે. બે-ત્રણ દિવસમાં નોટિફિકેશન બહાર પડાય તેવી શક્યતા છે. આગામી સમયમાં કાયમી અધ્યાપકોની ભરતી પ્રક્રિયા પણ કરવામાં આવનાર છે. કાયમી અધ્યાપકોની ભરતી માટે સરકારે મંજૂરી તો આપી છે પણ કાર્યવાહી શરુ થઈ નથી. યુનિવર્સિટીમાં એક તબક્કે કાયમી અધ્યાપકોની 1350 જગ્યા હતી. છઠ્ઠુ પગારપંચ લાગુ થયું ત્યારે 300 જગ્યા ખાલી હતી. ભરતી પ્રક્રિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશેઆગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. જો ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવશે તો યુનિવર્સિટીમાં હંગામી અને કાયમી બંને ભરતી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી પંચ પાસે મંજૂરી લેવી પડે તેવી શકયતાઓ છે.
પાલિકા-સિક્યુરિટી એજન્સીએ મોઢું ફેરવ્યું:ઘાયલ કર્મચારીને એમ્બ્યુલન્સમાં લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો
વડીવાડીમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ટેમ્પા પરથી પડી ઇજાગ્રસ્ત થનાર યુવકના ખર્ચ બાબતે પાલિકા અને સિક્યુરિટી એજન્સીએ હાથ ઊંચા કર્યા છે. ત્યારે ખાનગી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્ત યુવકને લઈ પરિવાર પાલિકામાં પહોંચ્યો હતો. તેઓએ રૂ.4 લાખથી વધુનો ખર્ચ આપવા માગ કરી હતી. દબાણ શાખાની ટીમ સોમવારે વડીવાડી રોડ પર દબાણ હટાવવા ગઇ હતી. તે સમયે ટેમ્પોમાં મૂકેલી રેલિંગ વૃક્ષમાં ભટકાતા બાજુમાં બેઠેલા કર્મચારી ગોપાલ રબારી નીચે પટકાયા હતા. જેમાં તેઓનો થાપાનો બોલ તૂટી જતા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સિક્યુરિટી એજન્સીએ એસએસજીમાં સારવાર કરાવવા કહી ખર્ચ આપવાની ના પાડી હતી. બે દિવસથી ઇજાગ્રસ્ત ગોપાલ રબારીને વિવિધ હોસ્પિટલમાં લઈ જવાઈ રહ્યા છે, પરંતુ પાલિકાના અધિકારી કે સિક્યુરિટી એજન્સીના અધિકારી જોવા આવ્યા નથી. બુધવારે પરિવારજનો ઈજાગ્રસ્ત ગોપાલ રબારીને એમ્બ્યુલન્સમાં લઈ પાલિકાએ પહોંચ્યા હતા. પરિવારજનોએ કહ્યું કે, ખાનગી હોસ્પિટલમાં રૂ. 4થી 5 લાખનો ખર્ચો કર્યો છે. પરંતુ પાલિકા કે સિક્યુરિટીના એક પણ અધિકારી જોવા આવ્યા નથી. ઘરમાં નાના બાળકો છે. તેવામાં પાલિકા મદદ કરે તેવી અમારી માગ છે.
પાલિકાની ચૂંટણી ગમે તે ક્ષણે જાહેર થવાની સંભાવના છે. તેવામાં ભાજપ કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓના ઉજાગરા શરૂ થયા છે. 19 વોર્ડની સ્થિતિ ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા પ્રમુખે વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ અને પ્રભારીઓ સાથે બેઠક કરી હતી. અન્ય પક્ષોની કામગીરી, મતદારોનો મિજાજ અને ગત ચૂંટણીના મતદાન અંગેનો ચિતાર મુકાયો હતો. તાજેતરમાં જાહેર કરાયેલી 19 વર્ષની મતદાર યાદી પર વિવિધ પક્ષે કામ શરૂ કર્યું છે. ત્યારે મિશન 76નો લક્ષ્યાંક લઈને ચાલતી ભાજપના કાર્યાલયમાં હોદ્દેદારોના કાર્યકરોના ઉજાગરા થઈ રહ્યા છે. સૂત્રો મુજબ શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીએ 19 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક કરી હતી. જેમાં વોર્ડમાં ગત ચૂંટણીનું મતદાન, માર્જિનથી જીત કે હાર, હાલની પરિસ્થિતિ, લોકોનો મિજાજ, વોર્ડની સમસ્યાઓ, જાતિય સમીકરણ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી. મંગળવારે રાત સુધી 1થી 7 વોર્ડના હોદ્દેદારોની બેઠકો ચાલુ હતી. ત્યારબાદ બુધવારે પણ બાકીના વોર્ડના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. આગામી ‘મન કી બાત’ કાર્યક્રમમાં સંગઠન દ્વારા વોર્ડ દીઠ ચૂંટણી સમિતિના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે તેની પણ ચર્ચા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. સંજય જોષીના નજીકના ધનરાજ રાયબોલેનો પુત્ર યુવા મોરચામાં, વિવાદ પ્રદેશ કક્ષાએ પહોંચ્યોભાજપના સૂત્રો મુજબ યુવા મોરચામાં શહેર કારોબારી સભ્ય તરીકે કેયુર રાયબોલેને નિમણૂક અપાઈ છે. સંજય જોશીના નિકટના ગણાતા રાયબોલેના પુત્રને સંગઠનમાં સમાવાતાં કાર્યકરોમાં ભારે આશ્ચર્ય છે. પ્રદેશ સ્તરે આ મુદ્દો પહોંચતા જ વડોદરા સંગઠનને ઠપકો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાજપનું એક જૂથ માને છે કે આ મુદ્દે પ્રદેશ તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરાશે. કોંગ્રેસમાંથી આવેલાને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું, જૂનાની અવગણના થઇ છેસંગઠને સમિતિ-મોરચામાં પદાધિકારી નિમ્યાં છે. વોર્ડ-5માં અક્ષય સુથારને ઉપપ્રમુખ બનાવતા કાર્યકરોએ કહ્યું કે, જૂનાની અવગણના થઇ છે. અક્ષય સુથારે પાલિકાકર્મી સાથે માથાકૂટ કરી હતી. જેનાથી પાર્ટીની બદનામી થયાની ચર્ચા છે.
ભાસ્કર એક્સક્લુસિવ:વીજકંપનીની 96 સ્લોટ્સમાં દર 15 મિનિટે શેરબજારની જેમ વીજ ખરીદી
વડોદરા શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે જ વીજ વપરાશમાં તોતિંગ ઉછાળો નોંધાયો છે. 14મી માર્ચે થયેલા માવઠા બાદ તાપમાન ફરી 37 ડિગ્રી પર પહોંચ્યું છે. આ કારણે MGVCLની કુલ વીજ માંગ 2100 મેગાવોટથી વધીને મંગળવારે રેકોર્ડબ્રેક 2400 મેગાવોટ પર પહોંચી ગઈ છે. જેમાં વડોદરા શહેરનો હિસ્સો 210 મેગાવોટ નોંધાયો હતો. ઉનાળામાં પુરવઠો ખોરવાય નહીં તે માટે કંપની શેરબજારની પદ્ધતિએ દર 15 મિનિટે વીજળીની ખરીદી કરી વ્યવસ્થાપન કરી રહી છે. MGVCLના સૂત્રોના જણાવ્યા મુજબ, વીજ વપરાશની આગાહી માટે ટેકનિકલ ડેટા સાથે વાતાવરણના ફેરફારો પર સતત નજર રાખવામાં આવે છે. દિવસ દરમિયાન વીજ વપરાશની આગાહી તાપમાન, પવનની ઝડપ અને ભેજ જેવા 6 મુખ્ય પરિબળો પર કરવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે, વીજ કંપનીના અધિકારીઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીને પણ ધ્યાનમાં લે છે. જો મોટી ક્રિકેટ મેચ હોય તો ઘરેલું વપરાશ વધે છે, જ્યારે રજાના દિવસે ઉદ્યોગો બંધ હોવાથી એકંદર માંગ ઘટે છે. આગામી 3 દિવસમાં માંગ વધીને 2450 મેગાવોટ સુધી પહોંચવાની શક્યતા છે. માંગને પહોંચી વળવા માટે શહેરના 40થી 50 સબ સ્ટેશનો પર લોડનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે. જો કોઈ વિસ્તારમાં અચાનક લોડ વધે તો સિસ્ટમ દ્વારા તેનું ત્વરિત બેલેન્સિંગ કરાય છે, જેથી પાવર કટની સ્થિતિ ઊભી ન થાય. આગાહી પર આધારિત વીજળીની ખરીદી થાય છેMGVCL વિવિધ પરિબળોને આધારે આગામી 15 મિનિટના સ્લોટ માટે જરૂરી વીજળીનો જથ્થો નક્કી કરે છે. આ જથ્થાની દેશભરની વીજ ઉત્પાદન કંપનીઓને ઓનલાઇન જાણ કરવામાં આવે છે. જે કંપનીનો ભાવ સૌથી ઓછો હોય તેની પાસેથી MGVCL વીજળી ખરીદે છે. 24 કલાકમાં આવા 15 મિનિટના કુલ 96 સ્લોટ હોય છે. રજાના દિવસે ઉદ્યોગો બંધ રહેતા માંગ ઘટે છેરજાના દિવસે લોકો ઘરે હોવાથી એસી, કુલર અને ટીવીનો વપરાશ વધે છે, પરંતુ ઉદ્યોગો બંધ હોવાથી કુલ માંગમાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે કુલ વીજ વપરાશમાં ઉદ્યોગોનો હિસ્સો 30% જેટલો હોય છે. દિવસ દરમિયાન સરેરાશ 70% વીજ વપરાશ થતો હોય છે.જ્યારે રાત્રે વીજમાંગ 30 ટકા હોય છે. જોકે વિસ્તાર મુજબ તેમાં ફેરફાર થતાં રહે છે. વડોદરાની દૈનિકમાંગ 210 મેગાવોટને પારMGVCLના કાર્યક્ષેત્રમાં વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, મહિસાગર, આણંદ, દાહોદ અને ખેડા સહિત કુલ 7 જિલ્લા આવે છે.
વિશ્વામિત્રીમાં નખાયેલા કાટમાળ અંગે હ્યુમન રાઈટ્સ કમિટીએ કરેલા અવલોકન અને ભલામણનો રિપોર્ટ કમિશનમાં રજૂ કર્યો છે. નક્કર કામ ન થતાં પાલિકામાં બેઠકમાં કમિટીના સભ્યોએ અસંતોષ વ્યક્ત કરી કહ્યું કે, ‘મે સુધીમાં નદીમાંથી કાટમાળ કાઢો નહીં તો હાથ ઊંચા કરી દો કે અમારાથી નહીં થાય’ પાલિકામાં હ્યુમન રાઈટ કમિટીના રોહિત પ્રજાપતિ, નેહા સરવટે, મિતેશ પંચાલ, રાજેન્દ્રસિંહ દેવકર અને ડો. જીતેન્દ્ર ગવળી સાથે મ્યુનિ. કમિશનર અને અધિકારીઓની બેઠક મળી હતી. આ અંગે મ્યુનિ.કમિશનરે કહ્યું કે, કાટમાળ કાઢવાના સૂચન બાદ એક્શન પ્લાનની સૂચના આપી છે. 2 સ્થળેથી કાટમાળ કાઢવાનું કામ શરૂ કરાશે. રિપોર્ટમાં નદી-પૂર વિસ્તારમાં કાટમાળ ઠલવાયાનો ઉલ્લેખ હતો. બેઠકમાં રિપોર્ટ બાદ નક્કર કામ ન થયું હોવાની ફરિયાદ સભ્યોએ કરી છે. સૂત્રો મુજબ સભ્યોએ મે સુધીમાં કાટમાળ કાઢી લેવા કહ્યું હતું અને ટકોર કરી હતી કે, જો તમારાથી ન થાય તો હાથ ઊંચા કરી લો. કમિટીના સભ્યોએ 10થી 15 દિવસમાં કેટલો કાટમાળ કાઢ્યો તેનો રિપોર્ટ આપવા પણ કહ્યું છે. કાટમાળનું પ્રોસેસિંગ કરતા સી એન્ડ ડી પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરો, નવા પ્લાન્ટ પણ ઊભા કરોસૂત્રો મુજબ સભ્યોએ કહ્યું હતું કે, નદીને ઊંડી-પહોળી કર્યા બાદ પણ નવો કાટમાળ નાખવામાં આવ્યો છે. ડ્રોનની મદદથી તેને શોધી શકાય તેમ છે. જોકે વિપુલ પ્રમાણમાં કાટમાળ કાઢી તેનું પ્રોસેસિંગ કરવા માટે બીજા સીએનડી વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભા કરવા પડશે. તેમજ અટલાદરા ખાતેના પ્રોસેસિંગ પ્લાટિક ક્ષમતા પણ વધારવી પડશે.
ગરબા મહોત્સવની અનોખી પરંપરા:ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા
હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં આસો માસને બદલે ચૈત્ર માસમાં માતાજીની આરાધના સહિત નવ દિવસનો ગરબા મહોત્સવ યોજાય છે. છેલ્લા 67 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર જે તે સમયે ચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનો પુન: નિર્માણ કરવામાં આવ્યો હતો અને તે સમયે ચૈત્ર મહિનામાં ગરબા મહોત્સવનું આયોજન કરવા નિર્ણય લેવાયો હતો. જે આજ દિન સુધી અકબંધ જળવાઈ રહ્યો છે. આ સિવાય ગ્રામજનો બીજી કોઈ સ્પષ્ટતા કરવા અસમર્થ થતા દાખવી રહ્યા છે. સામાન્ય રીતે ભારત વર્ષમાં ચાર નવરાત્રીઓનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં આલેખવામાં આવ્યું છે જેમાં વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રિ, અને પુષ્ય નવરાત્રીનો સમાવેશ થયો છે જે પૈકીની ચૈત્રી ગઢોડામાં 67 વર્ષથી ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ ગરબા નવરાત્રીનું અનેરું મહત્વ હોય છે. ચૈત્ર મહિનાના શુકલપક્ષની પ્રતિ પ્રદા તિથિ એટલે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. આ ચૈત્રી નવરાત્રી નવ દિવસ માતા દુર્ગાની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે. ચૈત્રમાં મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ પ્રથા શરૂ થઈચૈત્ર મહિનામાં માતાજીના મંદિરનું પુન:નિર્માણ કરાયા બાદ આ પ્રથા શરૂ કરાઈ હોવાનું ગામના લોકો જણાવે છુ. આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન માટે આવી પહોંચતા હોય છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે ને નવમા દિવસે ગઢ ભવાની માતાજીના મંદિર ખાતે રામનવમીનું હવન યોજાતું હોય છે. આ હવનના દિવસે લોકમેળો પણ યોજવામાં આવતો હોય છે અને મોટી સંખ્યામાં લોકો હવનનો અને મેળાનો લાભ લેતા હોય છે
કરો રામજીના અલૌકિક મંદિરના દર્શન:વડાલીનું પ્રાચીન રામજી મંદિર સદીઓ જૂની સંસ્કૃતિનું પ્રતિક
વડાલીના પશ્ચિમ ભાગમાં આઝાદ ચોક પાસે આવેલું પ્રાચીન રામજી મંદિર મધ્યકાલીન યુગથી સંસ્કૃતિ અને સામાજિક એકતાનું અજોડ પ્રતિક છે. આ મંદિરની સ્થાપના ઉત્તર પ્રદેશથી પધારેલા મહંત લક્ષ્મણદાસજીના માર્ગદર્શન હેઠળ થઈ હતી. તેમણે આસપાસના 13 ગામોના કડવા પટેલ સમાજને સંગઠિત કરી, લોકફાળા દ્વારા આ ભવ્ય ઠાકોરદ્વારનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે પણ ભક્તો માટે અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે. સંત પરંપરા અને સમૃદ્ધિ મહંત લક્ષ્મણદાસજીએ અહીં અખાડાની પરંપરા મુજબ અખંડ ધૂણી પ્રજ્વલિત કરી હતી, જે આજે પણ મંદિરની પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતિક છે. તેમના શિષ્ય રઘુનંદનજી મહારાજ, જેઓ સિદ્ધ મહાત્મા તરીકે જાણીતા હતા, તેમના સમયમાં મંદિર ધાર્મિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. લોકવાયકા મુજબ, તે સમયે મંદિરની સમૃદ્ધિ એટલી હતી કે ઠાકોરદ્વારના આંગણે ગજરાજ (હાથી) પણ બંધાતો હતો. મંદિરના ગર્ભગૃહમાં પ્રભુ શ્રી રામચંદ્રજી, માતા સીતાજી અને લક્ષ્મણજીની મનોહર પ્રતિમાઓ બિરાજમાન છે, જ્યારે પ્રવેશદ્વાર પાસે હનુમાનજીની ભવ્ય મૂર્તિ ભક્તોમાં વિશેષ આસ્થા જગાવે છે. આજે પણ આ મંદિર ભક્તો માટે માનસિક શાંતિ અને આત્મિક સંતોષનું કેન્દ્ર છે. મહંતો દ્વારા સિંચાયેલા સંસ્કારો અને આધ્યાત્મિક જ્યોત આજે પણ વડાલીના જનજીવનમાં જીવંત રહી પેઢી દર પેઢી પ્રેરણા આપી રહી છે.
ઈડર બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવની દાદાગીરી:હિંમતનગરમાં આપ નેતાએ બાઈક સવારને ટક્કર મારીને ધમકી આપી
હિંમતનગર શહેરના છાપરીયા ચાર રસ્તા પાસે મંગળવારે સાંજે રોડ પર જોખમી રીતે બાઈક ચલાવતા આમ આદમી પાર્ટીના ઈડર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર શ્યામ યાદવ અને તેના સાથીદારે એક એક્ટિવા સવારને ટક્કર મારી બિભત્સ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવા અંગે એ-ડિવિઝન પોલીસે ગૂનો નોંધી તુજે માર કે ચલા જાઉંગા, મેં બિહાર કા હૂં ની ધમકી આપનારને પકડવા તજવીજ હાથ ધરી હતી. હિંમતનગરના મોન્ટુપુરી ગોસ્વામી (ઉ.વ. 39) વ્યવસાયે ડ્રાઈવર છે. ગત મંગળવાર, 24 માર્ચના રોજ સાંજે 7:15 કલાકે તેઓ પોતાનું એક્ટિવા GJ-09-DS-7000 લઈને નવા ગામથી મોતીપુરા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન આગળ જઈ રહેલા બાઈક GJ-31-L-3985 ના ચાલકે તેનું બાઈક રોડ પર જોખમી રીતે રેલાવતા (ઝિગ-ઝેગ મોન્ટુપુરીએ તેને બાઈક સીધી ચલાવવા ટકોર કરી હતી. આ ટકોરથી ઉશ્કેરાયેલા બાઈક ચાલકે છાપરીયા ચોકડી પાસે ખેતીવાડી બેંક નજીક મોન્ટુપુરીના એક્ટિવાને સાઈડમાં ટક્કર મારી હતી. બાઈક પર પાછળ બેઠેલા શ્યામ યાદવે ઉશ્કેરાઈને હિન્દીમાં ધમકી આપતા કહ્યું હતું કે, જો તું ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશું.મારું નામ શ્યામ યાદવ છે અને હું બિહારનો છું, તને મારીને જતો રહીશ. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 281, 352, 351(2), 54 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કાંકરેજના MLAએ ખેડૂતો માટે વળતરની માંગ કરી:765 KV લાઈનથી પાક નુકસાન 6 માસથી ખેડૂતો વળતર વિહોણા
કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે વિધાનસભા ગૃહમાં ખેડૂતલક્ષી મુદ્દાઓને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. તાલુકાના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી તેમને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કાંકરેજ અને ડીસા તાલુકામાં પાવર ગ્રિડ કંપની દ્વારા 765 KV વીજ લાઇન ખેડૂતોના ખેતરોમાંથી પસાર કરી છે. આ કામગીરી દરમિયાન વીજપોલ ઉભા કરવા ખેડૂતના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હોવા છતાં અત્યાર સુધી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવાયું નથી. પોલ નાખ્યા બાદ 6 મહિના જેટલો સમય પસાર થયો હોવા છતાં ખેડૂતો વળતર માટે રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જેટકો કંપની દ્વારા પણ ખેતરોમાં મનમાની રીતે વીજ લાઇન નાખવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ધારાસભ્યે માંગણી કરી કે જે ખેડૂતોના ખેતરોમાં વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે, તેમને તેના બદલામાં માસિક ભાડું આપવામાં આવે, કારણ કે વીજપોલ ખેતરની નોંધપાત્ર જમીન રોકી રાખે છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ખેડૂતોની વેદનાને ધ્યાનમાં રાખીને સરકાર પાસે તાત્કાલિક વળતર ચૂકવવા અને યોગ્ય નીતિ ઘડવાની માંગ કરી હતી.
પ્રજાજન પરેશાન:પાલનપુરમાં ધનિયાણા ચોકડીએ ગટર નાખ્યા બાદ મહિનાથી રોડ બન્યો નથી
પાલનપુરમાં ધનિયાણા ચોકડીથી હાઉસિંગ બોર્ડ વચ્ચેના 500 મીટરનો માર્ગ ખોદીને ભૂગર્ભ ગટરલાઇન નાંખી છે. જે કામ પુરૂ થયાને એક માસનો સમય થયો હોવા છતાં નવો માર્ગ બનાવાયો નથી. તેનાથી શુ મુશ્કેલીઓ પડી રહી છે. તે જાણવા માટે રિયાલિટી ચેક કરી હતી. અડધો કલાક રોકાતા જોવા મળ્યું કે, અંબાજી, આરટીઓ કચેરી અને ધનિયાણા તરફથી આવતાં વાહનો પસાર કરવા માટે કોઇ નિયમન થતું નથી. વાહન ચાલકો મરજી પ્રમાણે બંને સાઇડના માર્ગનો ઉપયોગ કરતા હોવાથી સામસામે મોટા વાહનો આવી જાય ત્યારે વારંવાર ટ્રાફિકજામ થાય છે. તૂટેલા માર્ગે વાહનો પસાર થતાં ખાડામાં ટાયર પટકાય છે. એમ્બ્યુલન્સ, શબવાહિની, એસ. ટી. બસો સહિતના વાહન ચાલકો અને મુસાફરો તેમજ સ્થાનિક રહિશો- વેપારીઓની મુશ્કેલીઓ વધી રહી છે. મોટી માત્રામાં ધૂળ ઉડીને આજુબાજુની દુકાનોમાં જઇ રહી હોવાથી વેપારીઓ અને ગ્રાહકોને હાલાકી પડી રહી છે. 5 જેટલી સોસાયટીના રહીશોને પણ અવર - જવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. પાલિકાને ડિપોઝિટ જમા કરાવવા નોટિસબનાસકાંઠા માર્ગ મકાન વિભાગના અધિકારીના આશિષ પટેલે જણાવ્યું કે નગરપાલિકાએ નિયમ મુજબ રોડની સાઇડમાં પાઇપલાઇન નાંખવાને બદલે વચ્ચે ખોદકામ કર્યું છે. આ મુદ્દે નોટિસ આપી છે. તેમજ રૂપિયા 1.75 કરોડ ડિપોઝિટ જમા કરવા જણાવાયું છે. જે પછી માર્ગ મકાન વિભાગ દ્વારા નવા માર્ગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. બિસમાર માર્ગ અને ધૂળની સમસ્યામાં લોકોની વેદના
ઇ.વી. વાહનોની ખરીદી વધી:શહેરની જુદીજુદી કંપનીઓમાં 30થી વધુ ટુ-વ્હીલર, ફોર વ્હિલરનું બુકિંગ
ગુજરાતમાં પેટ્રોલ ડિઝલની અછતની અફવા બનાસકાંઠા સુધી પહોંચી હતી. જ્યાં પેટ્રોલપંપે વાહનોની કતારો લાગી હતી. આવી સ્થિતિ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં પાલનપુરમાં 8થી વધુ જુદી જુદી કંપનીના શો રૂમમાં 30થી વધુ ટુ-વ્હિલર અને ફોર વ્હિલર વાહનોનું વેચાણ થયું હતુ. બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડિઝલ અને ગેસથી સંચાલિત વાહનોની સાથે સાથે ઇ.વી. વાહનોની પણ ખરીદી વધી રહી છે. આ અંગે પાલનપુરમાં ઇલેકટ્રીક વ્હિકલની કંપનીના સંચાલકોએ જણાવ્યું કે, ત્રણ દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર ''પેટ્રોલ-ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે તેવી ઉડેલી અફવા બાદ પાલનપુરમાં 20 જેટલા નવા ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં ટુ-વ્હિલરની સંખ્યા વધુ છે. આ ઉપરાંત વિવિધ શો-રૂમમાં છેલ્લા 72 કલાકમાં 30થી વધુ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના બુકિંગ નોંધાયા છે. આ અંગે પાલનપુરના હર્ષિત પટેલે જણાવ્યું કે, પહેલા ઇ.વી. વાહનોની બેટરી લાઈફ બાબતે શંકા હતી. પરંતુ હવે કંપનીઓ દ્વારા અપાતી લાંબી વોરંટી અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને કારણે મે ઇલેકટ્રીક બાઇક ખરીદ્યું છે. બનાસકાંઠામાં 50 હજાર ઉપરાંત ઇ.વી. વાહનો બનાસકાંઠા આરટીઓ કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 50,000થી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને રિક્ષાઓ નોંધાઇ છે. ખાસ કરીને ખેતીવાડી અને સ્થાનિક ટ્રાન્સપોર્ટમાં પણ ઇલેક્ટ્રિક રિક્ષાનું પ્રમાણ વધ્યું છે.
આજે રામનવમી:આજે પાલનપુરમાં 29 વિસ્તારોના 8 કિમી લાંબા રૂટ પર 7-8 કલાક શ્રી રામ નગરચર્યાએ નીકળશે
પાલનપુર શહેરમાં રામનવમી નિમિત્તે આજે રામ લલ્લાનો ભવ્ય રથોત્સવ યોજાશે, જેમાં બપોરે 12 વાગ્યે રામ જન્મોત્સવ ઉજવી મહા આરતી અને ઝુલાદર્શન બાદ બપોરે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના 29 વિસ્તારોમાં અંદાજે 8 કિલોમીટર લાંબા રૂટ પર ફરતી આ યાત્રા 7થી 8 કલાકમાં નિજ મંદિરે પરત ફરશે. શોભાયાત્રામાં જુદા જુદા અખાડા, ડીજે, ભજન મંડળી સાથે 4 બગી, એક હાથી, 2 ઊંટલારી, 2 ટ્રેક્ટર અને 5થી વધુ વાહનો જોડાશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાશે. યાત્રા રૂટમાં મોટીબજાર, નાની બજાર, ત્રણબત્તી, ખોડાલીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશમહેતા ચોક, ગલબાભાઈનું પુતળું, અયોધ્યાનગર, ગોબરી રોડ, સંજયચોક, સીટીલાઇટ, ગુરુનાનક ચોક, કિર્તીસ્તંભ, રેલવે સ્ટેશન, સિમલાગેટ, નગરપાલિકા, લક્ષ્મણટેકરી, વિજયચોક, શક્તિનગર અને બ્રિજેશ્વર કોલોની સહિતના વિસ્તારો આવરી લેવાશે. જેને લઇ પાલિકા દ્વારા દરેક સ્થળે વહેલી સવારે મહાસફાઈ કરાશે. શોભાયાત્રા દરમિયાન 450 કિલો પ્રસાદ તૈયાર કરાયો છે જે ભક્તોને વહેંચવામાં આવશે. મોટી બજાર, ખોડા લીમડા, ગઠામણ ચોક, અયોધ્યા નગર, ગુરુનાનક ચોક, સીમલા ગેટ, વિજય ચોક, શક્તિ નગર, એકે ફ્યુલ સેન્ટર અને બીજે સર કોલોની સહિતના સ્થાન ઉપર પાણી સરબતની વ્યવસ્થા કરી છે. રામજી મંદિરના મહંત શ્રી રાઘવ ચરણદાસજીએ જણાવ્યું કે શ્રીરામ સેવા સમિતિ જુદા જુદા હિંદુ સંગઠનો દ્વારા યાત્રા આયોજન કરાયું છે. ઘોડેસવાર પોલીસ,200જવાનો સાથે પેટ્રોલિંગશહેરમાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રાને ધ્યાનમાં રાખી પોલીસે બુધવારે સાંજે 6 કલાક બાદ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. ડીવાયએસપી ડો. જે.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ એસઓજી, એલસીબી, પૂર્વ-પશ્ચિમ પોલીસ સ્ટેશન અને ઘોડેસવારી પોલીસ સહિત 200થી વધુ જવાનો તથા 10થી વધુ વાહનો સાથે રથયાત્રા રૂટ પર પેટ્રોલિંગ યોજાયું હતું. જિલ્લામાં આ સ્થળોએ શોભાયાત્રા નીકળશે
કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા વેલિડેશન એક્ટ-2025 (પેન્શનર્સ સુધારણા બિલ) સામે પાટણ જિલ્લા પેન્શનર મંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો.મોટી સંખ્યામાં પેન્શનરોએ એકઠા થઈ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વેલિડેશન એક્ટ 2025ના વિરોધમાં પેન્શનર મંડળ દ્વારા કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ કાનજીભાઈ પટેલે જણાવ્યું કે 25 માર્ચ 2025ના રોજ કોઈપણ પૂર્વ સૂચના વિના લોકસભામાં આ કાયદો પસાર કરાયો હતો. આ કાયદાથી પેન્શનરોમાં બે ભાગલા પડશે, જેના કારણે જૂના પેન્શનરોની નિવૃત્તિ ની તારીખ અને પેન્શન હકદારીના સંદર્ભમાં ભેદ અને વર્ગીકરણનો આધાર બનશે જેનાથી કેન્દ્રીય પગાર પંચ ના કાર્યકાળ પહેલાના પેન્શનરો પગાર પંચની ભલામણોના લાભ ગુમાવશે અને હાલના પેન્શનરોને આ મુશ્કેલ સમયમાં પેન્શન વધારવાનો અધિકાર ન મળતો ભારે નુકસાન થશે. આ અન્યાયી કાયદાના વિરોધમાં ઓલ ઈન્ડિયા સ્ટેટ પેન્શનર ફેડરેશનના આદેશ મુજબ બુધવારે વિરોધ પ્રદર્શન કરાયું હતું. આગામી સમયમાં દેશવ્યાપી વિરોધ દિવસ મનાવી લડત ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રસંગે મહામંત્રી નાથાભાઈ પટેલ,નાગજીભાઈ દરબાર, ચંદુભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા અભિયાન:મહિલા સુરક્ષાનો સંદેશ આપવા 42 રિક્ષા પાછળ સ્ટીકર લગાવ્યા
જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ પાટણમાં મહિલા સશક્તિકરણ માટે એક અનોખું અભિયાન શરૂ કરાયું છે. ધારપુર સિવિલ ખાતે 24કલાક કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની સેવાઓ છેવાડાના ગામડા સુધી પહોંચે તે હેતુથી પરિવહનના સાધનોનો સહારો લેવાયો છે. આ નવીન પહેલ અંતર્ગત શહેર અને ગ્રામ્ય માર્ગો પર દોડતી 42 જેટલી રિક્ષાઓ અને એસ.ટી.બસો પર મહિલાલક્ષી યોજનાઓના માહિતીસભર સ્ટીકરો લગાડવામાં આવ્યા છે. ખાસ કરીને પેટ્રોલ પંપ અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ આ પ્રચાર અભિયાન વેગવંતું બનાવ્યું છે. પીડિત મહિલાઓને એક જ છત નીચે તબીબી અને કાયદાકીય સહાય મેળવી શકે તેમજ ગામડાની મહિલાઓ પોતાના હક પ્રત્યે જાગૃત બને અને મુશ્કેલીના સમયે તંત્રની મદદ મેળવી શકે તેવા ઉદ્દેશ સાથે આ અભિયાન શરૂ કરાયું છે.
પાલનપુરમાં મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરાયું હતું. થિયેટરના પડદા પર એઆઈ આધારિત વીડિયો દ્વારા ગુજરાતની વાસ્તવિક ઘટનાઓ રજૂ કરી મહિલાઓને સુરક્ષા અને તેમના અધિકારો અંગે સચેત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા વિશેષ અભિયાનનો ઉદ્દેશ્ય સમાજમાં મહિલા સુરક્ષા પ્રત્યે સંવેદનશીલતા વધારવાનો અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. એઆઈ ટેકનોલોજી અને રીયલ કિસ્સાઓનો સંગમ છે જેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા શહેરના સુર મંદિર થિયેટરમાં ફિલ્મના શો દરમિયાન ત્રણ વિશેષ વીડિયો ક્લિપ્સ પ્રદર્શિત કરવામાં આવી હતી. બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે,આ અભિયાન અંતર્ગત થિયેટરમાં બતાવવામાં આવેલા વીડિયો ખાસ કરીને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત અને જાગૃતિ લાવવાના હેતુથી તૈયાર કરાયા હતા. મુખ્યત્વે મહિલાઓ પર થતા અત્યાચાર આવ્યા હતા.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોમન એક્ટ હેઠળ રચાયેલી બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીમાં મોટો વહીવટી છબરડો સામે આવ્યો છે. કુલપતિ દ્વારા નિમણૂંક કરાયેલા ખાનગી એન્જિનિયર હિતેન્દ્ર મોજિંદ્રા 12 ઓક્ટોબર 2025 જ 62 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હોવાનું માર્ચ 2026 માં આધાર કાર્ડની ચકાસણીમાં ખુલતા 24 માર્ચના રોજ તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરી હવે તેમને માત્ર સલાહકાર તરીકે રાખવાનો આદેશ કરાયો છે. યુનિવર્સિટીમાં 2024 માં નવા સ્ટેચ્યૂટ મુજબ બિલ્ડિંગ એન્ડ વર્કસ કમિટીમાં નિષ્ણાત તરીકે અમદાવાદના એન્જિનિયર હિતેન્દ્ર મોજિંદ્રાની નિમણૂંક સીધી કુલપતિના આદેશથી કરવામાં આવી હતી.જોકે,નિમણૂક સમયે તેમના કોઈ પણ સત્તાવાર દસ્તાવેજો કે વયના પુરાવા લેવાની તસ્દી વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવી નહોતી. તાજેતરમાં તેમની ઉંમર બાબતે શંકા ઊભી જતાં રજીસ્ટ્રારની સૂચનાથી મેમ્બર સેક્રેટરીએ આધાર કાર્ડ મંગાવ્યું હતું.જેમાં તેમની જન્મ તારીખ 12-10-1963 હોવાનું બહાર આવ્યું હતું. સરકારના આદેશ મુજબ 62 વર્ષની મર્યાદા નક્કી કરાયેલ હોઈ 12-10-2025 ના રોજ તેમની 62 વર્ષની વય મર્યાદા પૂર્ણ થઈ હોવાથી બાંધકામ વિભાગે દરખાસ્ત તૈયાર કરી હતી, જેના આધારે 24-3-2026 ના રોજ તેમને સભ્ય પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. જોકે બાંધકામ ક્ષેત્રે તેઓ બહોળો અનુભવ ધરાવતા હોય લાભ લેવા તેમને સલાહકાર તરીકે રખાયા છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં વધુ એક સભ્યની વય મર્યાદા 62 વર્ષની પૂર્ણ થઈ છે. આ બાબત પણ યુનિવર્સિટીના ધ્યાનમાં આવી હોય કોઈ વિવાદ સર્જાય પૂર્વે આ સભ્યને પણ વય મર્યાદા ના નિયમ હેઠળ સભ્યપદમાંથી રદ કરવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. નિમણૂંક સમયે ઉંમરની સ્પષ્ટતા ન હતીકુલપતિ ડૉ.કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે તેમને નિષ્ણાત તરીકે નોમિનેટ કરવામાં આવ્યા તે સમયે ઉંમર બાબતે કોઈ સરકારની સ્પષ્ટતા ન હતી.નિમણૂક સમયે તેમની ઉંમર 62 વર્ષ થી ઓછી હતી.હાલમાં સરકારે ઉંમર મર્યાદા અંગે પાલન કરવા આદેશ કર્યો જે અનુસંધાન અગાઉ મુકેશ પટેલને મુક્ત કર્યા હતા.હવે હિતેન્દ્રભાઈની ઉંમર અંગે ધ્યાનમાં આવતા સભ્ય પદેથી મુક્ત કરાયા છે. પરંતુ તેમનો અનુભવનો યુનિ.ના ડેવલોપમેન્ટમાં જરૂર પડે ત્યારે લાભ મળે માટે સલાહકાર તરીકે રાખ્યા છે. વય મર્યાદા બાદ બે મિટિંગોમાં હાજરયુનિવર્સિટી વર્તુળોમાં નિષ્ણાત સભ્યની વય મર્યાદાને લઈ ચર્ચાઓ શરૂ થઈ હતી. જેના પગલે 10 માર્ચે રજીસ્ટ્રાર દ્વારા વય મર્યાદા અંગે ખરાઈ કરવા આધારકાર્ડ ની ખરાઈ કરવા માટે નક્કી કરાયું હતું. પરતું યુનિવર્સિટીમાં તેમનું આધાર કાર્ડ જ ના હોય મંગાવવા આદેશ અપાયા હતા. મેમ્બર સેક્રેટરીએ સત્તાવાર રીતે આધાર કાર્ડ માંગ્યું અને આવતા તેની ચકાસણી કરી ત્યારે ખબર પડી કે એન્જિનિયરની વય મર્યાદા ઓક્ટોબર 2025 માં 62 વર્ષની વય મર્યાદા વટાવી ચૂક્યા હતા. તેમને સભ્યપદમાંથી દૂર કરાયા તે પૂર્વે બે બેઠકો યોજાઈ હતી.જેમાં પણ તેવો હાજર રહ્યા હતા. નિર્ણયોમાં તેમના મત સામેલ હતા.
ઝુબેંશ:હાલારમાં વીજ તંત્રની જોડાણ કાપવા ઝુંબેશ પૂર્વે 2,601 બાકીદારોએ રૂા. 1.52 કરોડ ભર્યા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા માર્ચ માસના પ્રારંભથી બાકી રોકાતી મસમોટી વીજબીલની રકમ વસુલવા માટે ઝુબેંશ શરૂ કરી છે જેમાં ચાલુ માસમાં જ બીજી મેગા ડીસ કનેકશન ડ્રાઇવ વીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 342 ટીમ દ્વારા સવારથી કરાયેલા મેગા ઓપરેશનમાં રાત્રી સુધીમાં બંને જિલ્લાના 3894 બાકીદારોના જોડાણો કાપવાની કાર્યવાહી કરી હતી.જયારે 1025 બાકીદારોએ લેણી રકમ ભરપાઇ કરતા જોડાણો પુર્વવત કરાયા હતા. જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા શહેર-જિલ્લામાં મેગા ડીસ કનેકશન ડ્રાઇવ હેઠળ જુદી જુદી 246 ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં કુલ 2614 જોડાણ કાપવામાં આવ્યા હતા જેની બાકી રકમ રૂા. 99.85 લાખ હતી.જે પૈકી 728 પુર્નજોડાણથી વીજતંત્રને રૂા. 25.15 લાખની વસુલાત થઇ હતી. જયારે દેવભૂમિ જિલ્લામાં જુદી જુદી 96 ટીમો ખાસ ઝુંબેશમાં જોડાઇ હતી.જેમાં 48.43 લાખની બાકી રકમવાળા કુલ 1280 વીજ જોડાણો કાપવાની કાર્યવાહી કરાઇ હતી.જે પૈકી 297 જોડાણોના રીકનેકશનથી વીજતંત્રને 12.27 લાખની આવક થઇ હતી.જામનગર-દેવભૂમિ જિલ્લામાં પુર્નજોડાણથી વીજતંત્રને બાકીદારો પાસેથી રૂા. 37.42 લાખની આવક થવા પામી હતી.જયારે પીજીવીસીએલ વર્તુળ કચેરીની મેગા ડ્રાઇવને અનુસંધાને ઝુંબેશ પુર્વે જ સંભવત એક જ દિવસમાં જામનગર જિલ્લાના 2224 બાકીદારો અને દેવભૂમિ જિલ્લાના 377 બાકીદાર આસામીઓએ રૂા. 152.61 લાખની બાકી રકમ ભરપાઇ કરી દિઘી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ. ત્રણ મેગા ડ્રાઈવમાં 14,165 જોડાણ કટ, રીકનેશનથી 396.24 લાખની વસૂલાતજામનગર વીજતંત્ર દ્વારા 25મી ફેબ્રુ.ના રોજ ખાસ ડ્રાઇવમાં 5598 જોડાણ કાપવામાં આવ્યા હતા જે પૈકીના 3200થી વધુ જોડાણોના રીકનેકશનથી 185.39 લાખની આવક થઇ હતી.બીજી ડ્રાઇવમાં 4673 જોડાણ કાપવામાં આવ્યા હતા જેમાં 2424 જોડાણ પુર્વવત કરાવાયા હતા જેમાં તંત્રને 173.43 લાખની આવક થઇ હતી.જયારે ત્રીજી મેગા ડ્રાઇવમાં તંત્રે 3894 જોડાણ ડીસકનેકટ કર્યા હતા જે પૈકી 1025 જોડાણ પુર્વવત કરાવાતા તંત્રને 37.42 લાખની વસુલાત મળી હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
છાંયડા-પાણીની સુવિધાનો અભાવ:સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર નોંધાવવા એરોગેસ એજન્સી બહાર લોકોની કતારો
સાવરકુંડલા શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગેસ સિલિન્ડર નોંધાવવા માટે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરની એરોગેસ એજન્સી ઓફિસ સામે સિલિન્ડર માટે દરરોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં લાંબી લાઈનો લાગી રહી છે. કલાકો સુધી રાહ જોવી પડે છતાં લાઈનો પૂરી થવાનું નામ લેતી નથી. સરકાર દ્વારા ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવે છે, છતાં શહેરમાં ફેલાયેલી અફવાઓને કારણે લોકો એકસાથે સિલિન્ડર નોંધાવવા પહોંચી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે એજન્સી બહાર ભારે ભીડ સર્જાઈ રહી છે, સિલિન્ડર નોંધાવવા આવેલા લોકોમાં મહિલાઓ અને વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર છે. ગરમી વચ્ચે લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, પરંતુ ત્યાં છાંયડા કે પીવાના પાણી જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સાથે એજન્સી બહાર રોજ મોટી સંખ્યામાં લોકો ભેગા થવા છતાં ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો નથી. ભીડને કાબૂમાં રાખવા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર તરફથી પણ કોઈ ખાસ આયોજન જોવા મળતું નથી. જેથી પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર તાત્કાલિક પરિસ્થિતિનું નિરાકરણ લાવે તે જરૂરી છે.
ધરપકડ:ખાંભાના ચકરાવામાં સસલાનો શિકાર કરતા બે શખ્સ ઝડપાયા
ખાંભા તાલુકાના ચકરાવામાં સસલાનો શિકાર કરતા બે શખ્સને વન વિભાગે ઝડપી લીધા હતા. વન વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો હતો. ખાંભાના ચકરાવામાં વન્યજીવનના શિકારની ઘટના સામે આવી છે. સસલાનો શિકાર કરતા બે શખ્સોને વન વિભાગની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગે ભરત વાઘેલા અને રાકેશ ડોડીયાને ઝડપી લીધા હતા. વન વિભાગે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ચકરાવા ગામની આસપાસના વિસ્તારમાંથી વન વિભાગે શંકાસ્પદ હલચલ દેખાતા બંને શખ્સોને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંનેએ સસલાનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગે બંને શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સસલાનો શિકાર કરતા ઝડપાયેલા બંને સામે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી કુલ 25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ અંગે વન વિભાગેના જણાવ્યું હતું કે વન્યજીવનના શિકાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહી.
તંત્ર નિંદ્રાધીન:અમરેલીમાં ઉદઘાટન બાદ 20 વર્ષથી અબ્દુલ કલામ બગીચો ખંઢેર બન્યો
અમરેલી શહેરમાં બટારવાડીમાં આવેલ લગભગ 20 વર્ષ પહેલા બનાવવામાં આવેલ બગીચો હાલમાં સંપૂર્ણ ખંઢેર હાલતમાં જોવા મળી રહ્યો છે. શહેરના વિકાસ અને બાળકોના રમકડાં માટે બનાવવામાં આવેલ આ બગીચો છેલ્લા ઘણા વર્ષોથી અવગણનાનો ભોગ બન્યો છે, જેના કારણે અહીં ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે. આ બગીચાને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે ડૉ અબ્દુલ કલામના નામ પર અબ્દુલ કલામ બગીચો તરીકે નામ આપવામાં આવ્યું હતું. શહેરના બે દિગ્ગજ નેતાઓ દ્વારા આ બગીચાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને લોકોમાં આશા જાગી હતી કે વિસ્તારના બાળકો માટે આ બગીચો રમતનું સ્થળ બનશે, પરંતુ દુર્ભાગ્યવશ, ઉદ્ઘાટન થયા બાદ માત્ર છ મહિનામાં જ બગીચામાં મુકાયેલા બાકડા, હીંચકા તેમજ બાળકોના રમતગમતના સાધનો ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદથી બગીચાની યોગ્ય સંભાળ લેવામાં આવી નથી, જેના કારણે આજે બગીચો સંપૂર્ણ ખંઢેર બની ગયો છે. બગીચાની બાજુમાં જ આંગણવાડી આવેલ હોવાથી નાના બાળકો અને મહિલાઓ માટે આ વિસ્તાર મહત્વનો હોવા છતાં અહીં ગંદકીના ઢગલા અને કચરાના ગંજ પડેલા હોવાથી સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલિક બગીચાની સફાઈ કરી તેનો પુનઃવિકાસ કરવામાં આવે અને બાળકો માટે ફરીથી રમકડાંના સાધનો મુકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. જેથી આ વિસ્તારના લોકો અને બાળકોને સ્વચ્છ અને સુરક્ષિત બગીચો મળી શકે. સાધનો ચોરાયા અંગે કોઈ પોલીસ ફરિયાદ ન કરાઈઅહીં પ્રજાના પૈસે રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા હતા. જે ચોરાઈ ગયા છે. આ સાધનોની ચોરી અંગે કોઈ પોલીસ ફરિયાદ કરાઇનથી. શહેરમાં અનેક સ્થળે પાલિકાની મિલકત ચોરાઈ છે.
તસ્કરી:અમરેલીમાં નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી રૂપિયા 1.51 લાખની ચોરી
અમરેલીના નારાયણ મીલ વિસ્તારમાં તાળું તોડી ચોરી કર્યાનો બનાવ સામે આવ્યો છે. એક શખ્સે ઘરમાં પ્રવેશ કરીને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.51 લાખની ચોરી કરી લઈ જતાં પોલીસે ગુનો નોંધ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ અમરેલી નારાયણ મીલ વિસ્રતારમાં રહેતા રાહુલભાઈ ઈશ્વરપ્રસાદી કુસ્વાહા (ઉ.વ.32) મજૂરી કામ કરે છે. ગત તા.15 માર્ચના તેમની પત્નીને માનતા ઉતારવા પંજાબ ગયા હતા, ગઈ કાલે તેઓ આવી જતા પોતાના પાસ રહેલી ચાવી દ્વારા તાળું નહીં ખુલતા તાળું તોડવાની ફરજ પડી હતી બાદ અંદર તમામ સામાન વિખરાયેલા પડેલો જોઈ તેઓએ સમાન ચેક કરતા અલગ અલગ જગ્યાએ રાખેલા સોનાનો ચેઇન, લોકેટ, સોનાની વીટી સહિત કુલ રૂ.1.51 લાખની મત્તાની ચોરી કરી ગયાની જાણકારી થઈ હતી. આ મામલે રાહુલભાઈએ ઇમરજન્સીમાં કોલ કરી માહિતી આપતા પોલીસ ટીમ પહોંચી ગઈ હતી, તપાસ બાદ ચોરી કરનાર ત્યાજ રહેતા અભિષેક કુસ્વાહાએ રાહુલભાઈના ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી ચીરી કર્યાનું જણાતા તેને ઝડપી લઈ ગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની જેમ જ અમરેલી જિલ્લામાં પણ કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. થોડા દિવસ પહેલા આંધી તોફાન સાથે આવેલા પાકને કેરીને મોટુ નુકશાન કર્યું છે અને હવે માત્ર 40 ટકા જેટલો જ પાક બચ્યો છે. ત્યારે ખેડૂતોનું હૈયું કકળી ઉઠ્યું છે અને હવે ખેડૂતો આંબાવાડી સાફ કરી રોકડીયા પાક તરફ વળવાનું વિચારી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા, સાવરકુંડલા અને જાફરાબાદ તાલુકામાં કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. ખાસ કરીને ધારી પંથક કેસર કેરીનો ગઢ ગણાય છે. આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંબાવાડીઓ આવેલી છે અને લગભગ તમામ આંબાઓ કેસર કેરીના જ છે. ભાગ્યે જ છુટા છવાયા અન્ય પ્રકારની કેરીના આંબા અહીં જોવા મળે છે. પરંતુ હવે કેસર કેરીનો પાક લેતા ખેડૂતો મુંજાયા છે. કારણ કે પાછલા કેટલાક વર્ષોથી દર વર્ષે તેમને માવઠું કનડી રહ્યું છે. આંબામાં મોર ગમે તેટલો સારો હોય ખાખડીઓ પણ ભલે વધુ બંધાણી હોય પરંતુ કેરીનો પાક તૈયાર થાય તે પહેલા કમોસમી વરસાદ મોટુ નુકશાન પહોંચાડી દે છે. આ વર્ષે પણ અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં આંબામાં આવરણ સારૂ હતું. સારો મોર આવવા ઉપરાંત ખાખડીઓ પણ મોટા પ્રમાણમાં બેઠી હતી. જ્યારે કેટલાક વિસ્તારમાં પાક પ્રમાણમાં ઠીક ઠીક હતો. જો કે ગત સપ્તાહે આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવી લીધો છે. માવઠાની સાથે ભારે ગતિથી પવન ફૂંકાયો હતો અને કરા પણ પડ્યા હતા. જેણે કેરીના પાકને મોટુ નુકશાન કર્યું છે. ખરી ગયેલી ખાખડીનો પણ બજારમાં ખેડૂતોને પુરતો ભાવ મળી રહ્યો નથી. ઓણસાલ આંબામાં કોળામણના કારણે પણ કેરી ખરી રહી છે. ઝર, મોરઝર, દીતલા, ધારગણી વિગેરે ગામના ખેડૂતો હવે આંબાવાડીઓ દૂર કરી અન્ય પાક તરફ જવા વિચારણા કરી રહ્યા છે. 700 મણ કેરીના બદલે માત્ર 200 મણ પાક છેઆંધીના કારણે નાની અને મોટી કેરી ખરી પડી હતી. પાછતર આવરણ સારૂ હતું. પરંતુ આંધીએ ખેલ બગાડ્યો છે. ઓણસાલ 700 મણ કેરીની જગ્યાએ હાલમાં માંડ 200 મણ કેરી ઉતરે તેવા સંજોગો છે.> ઉકાભાઈ ભટ્ટી , વાડીમાં 144 આંબા ધરાવતા દિતલા ગામના ખેડૂત હવે આંબા કાઢવાનું વિચારૂ છું માવઠા અને આંધીએ કેરીનો પાક ખેરી નાખ્યો છે. દર વર્ષે આવી જ સ્થિતિ થાય છે. ઓણસાલ તો ગત વર્ષ કરતા પણ ઓછો પાક થશે. હવે આંબા કાઢી નાખવાનું વિચારૂ છું. > બિપીનભાઈ પુરોહિત,મોરઝર ગામમાં આંબાવાડી ધરાવતા ખેડૂત
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ' કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકારના લોકાભિમુખ અભિગમ હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાભરમાંથી આવેલી કુલ 10 ફરિયાદો પર સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારોની હાજરીમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આંગણવાડીના મકાન, સરકારી યોજનાઓની નાણાકીય બાબતો, RCC રસ્તો, જમીન માપણી અને રિ-સર્વે (પ્રમોલગેશન), સ્માર્ટ મીટર અંગેની મુંઝવણ, વૃદ્ધ પેન્શન યોજના અને ખેતીની જમીનમાં નામ કમી કરવા જેવા પ્રશ્નો રજૂ થયા હતા. કલેક્ટરે સ્થળ પર જ જરૂરી માર્ગદર્શન આપી આ ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ લાવ્યું હતું.વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી કે, નાગરિકોની ફરિયાદો પ્રત્યે સંવેદનશીલ અભિગમ રાખી સરકારની માર્ગદર્શિકા મુજબ ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવે. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઓડિશાના ડે. CMએ લખ્યું, મોદી હૈ તો મુમકિન હૈ:ઓડિશાના ડેપ્યુટી સીએમ એસઓયુના પ્રશંસક બન્યા
ઓડિશાના ઉપમુખ્યમંત્રી પ્રવતિ પરીદાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર સાહેબના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. તેમણે પરિસરમાં સરદાર પટેલના જીવન પ્રસંગો, પ્રતિમા નિર્માણની પ્રક્રિયા અને ભારતના એકીકરણ માટેના સંઘર્ષોને દર્શાવતી વિશાળ ફોટો ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી પરીદાએ વિઝિટર બુકમાં નોંધ્યું હતું કે, એકતાનગર આપણને સંદેશ આપે છે કે મોદી હૈ તો મુમકિન હૈ. આપણી પાસે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જે રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને નજીકથી જોવાનું સૌભાગ્ય મળ્યું તે દરેક ભારતીય માટે એક અવિસ્મરણીય અનુભવ છે. તેમણે પ્રોજેક્શન મેપિંગ શો, એકતા મોલ અને નર્મદા મહાઆરતી જેવા પ્રકલ્પોની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે એકતાનગરને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. ખાસ કરીને મહિલા સશક્તિકરણ માટે શરૂ કરાયેલી પિંક ઈ-રિક્ષા અને સ્વ-સહાય જૂથો દ્વારા રોજગાર સર્જનના પ્રયાસોને તેમણે ભારોભાર બિરદાવ્યા હતા. ઓડિશાના નાયબ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રવાસન મોડેલનો અભ્યાસ કર્યો હતો. આ અવસરે જિલ્લા કલેક્ટર સંજય મોદી, નાયબ વન સંરક્ષક પ્રસાદ રવિ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ નાયબ મુખ્યમંત્રીને સરદાર સાહેબની પ્રતિકૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા.
ડૂબવાના બનાવો રોકવા માટે નિર્ણય:પરિક્રમા દરમિયાન લાઇફ જેકેટ વિના બોટમાં બેસનારને 100નો દંડ કરાશે
નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પંચકોશી પરિક્રમા દરમિયાન બોટમાં લાઇફ જેકેટ વિના મુસાફરી કરનારા લોકો પાસેથી રૂા. 100નો દંડ વસુલવામાં આવશે. ડૂબી જવાના બનાવો રોકવા માટે તંત્ર તરફથી નિર્ણય લેવાયો છે. નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રામા ગત તા.19 માર્ચથી પ્રાંરભ થઈ છે. આ છ દિવસોમાં 1.12 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવી છે. રામનવમીની રાજાઓ હોય ફરજીયાત રજીસ્ટ્રેશન કરીને પરિક્રમા વિસ્તારમાં જવાનું રહેશે. બોટિંગ પોઇન્ટ પર પણ પરિક્રમાવાસીઓ એ સાવચેતી રાખવાની છે. ખાસ કરીને લાઈફ જેકેટ ફરજીયાત પહેરવાનું છે. જો લાઈફ જેકેટ વગર કોઈ પણ પરિક્રમાવાસી ઝડપાસે તો તેની પાસેથી સ્થળ પરજ 100 રૂપિયા દંડ લેવાશે જે વ્યક્તિ દીઠ રહેશે. આ સાથે જો લાઈફ જેકેટમાં બોટ ઇજારદાર ની ભૂલ જણાશે તો બોટ ઇજારદાર પાસેથી 500 રૂપિયા વ્યક્તિ દીઠ દંડની વસુલાત કરવામાં આવશે. સુરક્ષા અને સલામતીની ખાસ કાળજી રાખવામાં આવે છે. ખાસ કરીને હાલમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી પરિક્રમાર્થીઓને સ્વાસ્થ્ય સંદર્ભે કોઈ મુશ્કેલી ન સર્જાય તેની પુરતી કાળજી રાખવા સાથે પરિક્રમા રૂટ ઉપર 8 સ્થળોએ કેમ્પ ઊભા કરી સતત સેવા પુરી પાડવામાં આવી રહી છે. ઉત્તરવાહિની પરિક્રામાના સમગ્ર રૂટ પર આરોગ્ય વિભાગ દ્વારા કુલ 8 લોકેશન પર 24X7 કલાક, 108 એમ્બ્યુલન્સ સહિત રૂટિન મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 24 કલાકમાં 450 પરિક્રમાવાસીઓની તબિયત બગડે છેઆખા દિવસમાં 450 થી વધુ લોકો આરોગ્ય સેવા લે છે. 6 દિવસો માં કુલ 4, 500 જેટલા પરિક્રમાવાસીઓ એ ડીહાઇડ્રેશન, બ્લડ પ્રેસર, સુગર વધવું ઘટવું, ચક્કર આવવા, ખેંચ આવવી સહિતની તખલીફોમાં આરોગ્ય સારવાર લીધી છે. અમદાવાદના શૈલેષ પીઠવા નામના 58 વર્ષીય પરિક્રમાવાસીને નર્મદા રામપુરઘાટ રણછોડજી મંદિર પાસે રાત્રીના 2 વાગ્યાના અચાનક ખેંચ આવી જતા બેભાન થઇ ગયા હતા.
ABVPએ સંચાલક મંડળના પ્રમુખને આવેદન આપ્યું:વલસાડ ABVPએ લો કોલેજમાં ગેરરીતિઓ સામે તપાસ માગી
વલસાડ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ,ABVP, વલસાડ દ્વારા શ્રીનુતન કેળવણી મંડળ સંચાલિત શાહ કે. એમ. લો કોલેજના કેમ્પસમાં ચાલી રહેલી કથિત શૈક્ષણિક વહીવટી ગેરરીતિના આક્ષેપો સાથે રજૂઆત કરવામાં આવી છે. આ મામલે સંચાલક મંડળને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવાની દાદ મગાઇ છે.વિદ્યાર્થી પરિષદે પોતાના આવેદનમાં જણાવ્યા મુજબ સંસ્થામાં છેલ્લા થોડાં સમયથી શૈક્ષણિક વાતાવરણને નુકસાન પહોંચાડે તેવી ઘટનાઓ સામે ABVPએ જણાવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ પર દબાણ અને અન્યાયપૂર્ણ વર્તન થઈ રહ્યું છે, જે શિક્ષણના મૂળ સિદ્ધાંતોના વિરુદ્ધ છે. વિદ્યાર્થી પરિષદે ગુજરાત સિવિલ સર્વિસ નિયમો અને UGC Regulations 2023 મુજબ, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અસરથી જવાબદારી પરથી હટાવવાની માંગણી કરી છે. ફરિયાદનો નિકાલ ન આવતા આક્રોશ વલસાડની એક માત્ર લો-કોલેજ કોઇના કોઇ મુદ્દાને લઇ વિવાદમાં આવતી રહી છે. છેલ્લા થોડા મહિનાથી કોલેજમાં વહીવટી કામગીરીમાં ગેરરિતીઓ અંગે ભારે ફરિયાદો ઉઠતી થઇ હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન કરાતા આખરે વલસાડ ABVP મેદાને આવી તપાસની માગ કરી છે.
હરિપ્રસાદ નામની બોટમાંથી લાશ મળી:વલસાડના કકવાડી દરિયા કાંઠે બોટમાંથી મૃતદેહ મળ્યો
વલસાડ તાલુકાના દરિયા કાંઠે આવેલા કકવાડી ગામે એક બોટમાંથી લાશ મળી આવતાં ભારે ચકચાર જાગી હતી.ડુંગરી પોલીસની ટીમે તાત્કાલિક જ જાણ થતાં સ્થળ પર પહોંચી લાશ કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ,ડુંગરીથી દરિયા કાંઠાના કકવાડી વિસ્તારમાં ખાડી પાસે હરિપ્રસાદ નામની બોટની કેબિનમાં મુકેશ પટેલ,ઉ.54,રહે.નાનીવહીયાળ નામના ઇસમનો મૃતદેહ મળવાની જાણ થતાં ડુંગરી પોલીસની ટીમ પહોંચી હતી. બોટના માલિક સતીષભાઇએ ડુંગરી પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.પોલીસે બીએનએસએસ કલમ 194 હેઠળ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી હતી.પોસ્ટ મોર્ટમના રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે તેવું જણાયું છે.
ગેસની કાળાબજારી:વલસાડમાં ઘરેલુ ગેસ સિલિન્ડરો પાંઉભાજીની દૂકાનમાં, તંત્રનું મૌન
ઇરાન અને અમેરિકા ઇઝરાયલ યુધ્ધ વચ્ચે દેશમાં ગેસ અને પેટ્રોલની બૂમરાણ થતા સરકાર દ્વારા ઉર્જા ગેસ કે પેટ્રોલ ઇંધણની કોઇ પણ અછત નથી તેવી જાહેરાત કરી કાળા બજારિયા ઉપર વોચ રાખવાની સૂચના આપી છે. આ પરિસ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લામાં ગેસના સિલિન્ડરોની માગ વધી રહી છે પરંતું વલસાડમાં હાલર રોડ ઉપર શોપિંગ સેન્ટરમાં ખાણી પીણીની સ્ટોલમાં 4 થી 5 ઘરેલું ગેસ સિલિન્ડર જોવા મળતાં પુરવઠા નિયંત્રણ તંત્ર સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. ઘરેલુ રસોઇના ગેસ સિલિન્ડરોની કોઇ અછત નથી પરંતું કોમર્શિયલ સ્થાનો પર ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરો જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. બજારમાં ચેકિંગ કરવામાં આવતું નથી વલસાડમાં હજી તો એક દૂકાનમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરો મળી આવ્યા છે.બીજી તરફ બજાર વિસ્તારમાં કોઇ ચેકિંગ કરવામાં આવ્યું નથી.પુરવઠા તંત્ર દ્વારા આ માટે તાત્કાલિક તપાસણી કરવામાં આવે તે જરૂરી છે. જિલ્લામાં 3.48 લાખ ગ્રાહકોને તકલીફ નથીએક ડિલરે નામ નહિ આપવાની શરતે જણાવ્યું કે, સમગ્ર વલસાડ જિલ્લામાં ગેસ એજન્સીઓની સંખ્યા 17થી વધુ છે. વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામ, વાપી અને કપરાડા તાલુકા સુધી ગેસ ગ્રાહકોને ઓનલાઇન બુકિંગ આધારે સિલિન્ડરોનો સપ્લાય રાબેતા મુજબ જારી છે. પરંતુ નવા કનેક્શનોનું રજિસ્ટ્રેશન હાલ તબક્કે કરવાની કાર્યવાહી બંધ રખાઇ છે.હાલે તો જે ગ્રાહકો છે તેમને ડિલીવરીનો સૌથી મોટો પ્રશ્ન તંત્ર સામે છે તેને પૂર્ણ કરવાની કામગીરી પર ફોક્સ પુરવઠા તંત્રનું હોવાનું મનાઇ રહ્યું છે. કોમર્શિયલમાં ઘરેલું ગેસ ફિલિંગની આશંકા પાંઉભાજીની દૂકાનમાં ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર સાથે કોમર્શિયલ સિલિડન્ડર જોવામાં આવતા મુદ્દો વિવાદી બન્યો છે.લોકોમાં એવી આશંકા ઉઠી છે કે શું કોમર્શ્યિલ સલિન્ડરમાં ડોમેસ્ટિક સિલિન્ડરનું ગેસ ફિલિંગ કરવામાં આવી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવાના મુદ્દાની લોકો ચર્ચા કરી રહ્યા છે.કોઈને શંકા ન જાય તે માટે ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી વાણિજ્ય હેતુના સિલિન્ડરમાં રિફિલ થાય છે તેવી પ્રજામાં ચર્ચા ઉઠી છે. પાંઉભાજીની સ્ટોલમાં ઘરેલું ગેસસિલિન્ડરોની તપાસ જરૂરીવલસાડમાં કેબી મોલની એક દૂકાનમાં ઘરેલું ગેસ મળી આવવાની ઘટનામામલે શું કાર્યવાહી થશે તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે.જ્યારે સરકાર દ્વારાદરેક ઘરોમાં આમ જનતાને બુકિંગના સિલિન્ડરોનો સપ્લાય નિર્વિઘ્ને જારી રહેઅને કાળા બજારની કોઇપણ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પગલાં ભરવાઆદેશો જારી કરાયા છે. તેવી પરિસ્થિતિમાં ઘરેલુ સિલિન્ડરોના કાળા બજારનહિ થાય તે માટે સતત નજર રાખવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
પ્રજાજન પરેશાન:તલાવડી અને રામજી ખત્રી વિસ્તારમાં ડ્રેનેજનું કામ બંધ કરાતા રહીશો પરેશાન
નવસારી શહેરના વોર્ડ નંબર-13માં આવેલા તલાવડી અને રામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી મંથર ગતિએ ચાલ્યા બાદ હવે સંપૂર્ણપણે બંધ કરી દેવાતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. હોળીના તહેવાર બાદ અચાનક કામગીરી અટકી પડતા ખોદાયેલા રસ્તાઓ અને ખુલ્લી લાઈનોને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ મામલે નવસારી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રહીશોની મુખ્ય ચિંતા એ છે કે જો વરસાદ પહેલા આ કામ પૂર્ણ નહીં થાય, તો વિસ્તારમાં ગંદા પાણી ભરાશે અને રોગચાળો ફાટી નીકળશે. રસ્તાઓ બિસ્માર હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. પાલિકા તંત્ર આ બાબતે ત્વરિત એક્શન લઈ કોન્ટ્રાક્ટર પાસે કામ પૂર્ણ કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. તંત્રની લાપરવાહીને કારણે રહીશો નર્કાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂરઅમારા વિસ્તારમાં હોળીના તહેવાર બાદ ડ્રેનેજનું કામ અચાનક બંધ કરી દેવાયું છે. રસ્તાઓ ખોદીને એમ જ છોડી દેવાતા રહીશોને અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. જો ચોમાસા પહેલા આ લાઇન કાર્યરત નહીં થાય, તો વિસ્તારમાં જળબંબાકાર થવો નક્કી છે. અમે કમિશનરને રજૂઆત કરી છે કે વહેલી તકે કામ પૂર્ણ કરાવી અમને ગંદકી અને રોગચાળાના ભયમાંથી મુક્તિ અપાવે. > પિયુષ નાયકા, સામાજિક કાર્યકર
ભાસ્કર અગ્રેસર:OTP કે લીંક પર ક્લિક કર્યા વિના 7 વડીલોના ખાતામાંથી રૂ.1.17 લાખ શંકાસ્પદ રીતે ગાયબ
વાંસદા તાલુકાના ચાપલધરા ગામે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં સાયબર ઠગાઈની ગંભીર ઘટના સામે આવતા ગ્રાહકોમાં ભારે ભય અને રોષનો માહોલ ફેલાયો છે. ચાપલધરા ગામના 7 સિનિયર સિટીઝનના ખાતામાંથી અંદાજે કુલ ₹ 1,17,000 જેટલી રકમ શંકાસ્પદ રીતે ઉપાડી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ઠગાઈમાં કોઈપણ ખાતેદારે OTP આપ્યો નથી, કોઈ લીંક પર ક્લિક કર્યું નથી અને ખાતેદારો તો સ્માર્ટફોન પણ વાપરતા નથી છતાં પણ ખાતામાંથી રકમ ઉપડી જતાં બેંકની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટના સામે આવતા જ બેંક તંત્ર હરકતમાં આવ્યું છે અને શાખાના મેનેજર દ્વારા વાંસદા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવા અરજી આપવામાં આવી છે. ફરિયાદમાં અજાણ્યા તત્વો દ્વારા ખાતામાં ગેરકાયદેસર પ્રવેશ કરીને પૈસા ઉપાડ્યાનો આક્ષેપ કરાયો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર, પાસબુકમાં એન્ટ્રી કરાવવા ગયેલા ખાતેદારોને આ ઠગાઈની ખબર પડી હતી. આ પછી મોટી સંખ્યામાં લોકો પોતાના ખાતાની તપાસ કરવા બેંક પર દોડી આવ્યા હતા. હાલ પોલીસ સાયબર ક્રાઇમની દિશામાં તપાસ શરૂ કરી છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જાહેર ક્ષેત્રની વિશ્વસનીય ગણાતી બેંકમાં આવી ગંભીર સુરક્ષા ખામી કેવી રીતે સર્જાઈ ? ગ્રાહકોમાં માંગ ઉઠી રહી છે કે દોષિતોને ઝડપીને કડક કાર્યવાહી કરવામાં આવે અને પીડિતોને તાત્કાલિક ન્યાય મળે. બિહાર સુધી પહોંચ્યા તારપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ખાતામાંથી ઉપાડાયેલા પૈસા બિહારના પટના શહેરમાં આવેલી યસ બેંકના ગ્રાહક સેવા કેન્દ્ર પરથી ઉપાડવામાં આવ્યા હોવાની શંકા છે. હવે પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરશે કે કેમ તેના પર નજર ઠરી છે. વધુ ખાતામાંથી ગેરરીતિ આવવાની શક્યતા સ્થાનિકોમાં ભય છે કે આ માત્ર શરૂઆત હોઈ શકે છે. ચાપલધરા શાખામાં મોટાભાગના ખાતેદારો સિનિયર સિટીઝન અને ખેડૂતો છે. આવનારા દિવસોમાં વધુ ખાતામાંથી ગેરરીતિ બહાર આવે તો નવાઈ નહીં. 7થી વધુ સિનિયર સિટિઝનના ખાતામાંથી છેતરપિંડીની ઓનલાઇન ઘટના બાબતે ચર્ચાના માહોલ સર્જાયો છે. હવે બેંકમાં પૈસા મુકવા પણ સલામત રહ્યાં નથીમારા પિતાના ખાતામાં સબસિડીના પૈસા જમા થયા કે નહીં તે જોવા પાસબુક એન્ટ્રી કરાવવા ગયા ત્યારે ખબર પડી કે ₹ 10,000 ઉપડી ગયા છે. મારા પિતા સ્માર્ટફોન પણ વાપરતા નથી અને કોઈને ઓટીપી પણ આપ્યો નથી. હવે બેંકમાં પૈસા મુકવા પણ સલામત રહ્યાં નથી. > કેતનસિંહ રાઠોડ, ભોગ બનનારના પુત્ર બેન્કિંગ સુરક્ષા પર જનતાના સવાલશું ઓટીપી વગર ટ્રાન્ઝેક્શન કેવી રીતે શક્ય બન્યું ?બેંકની આંતરિક સુરક્ષા સિસ્ટમ ક્યાં નિષ્ફળ ગઈ ?તમામ પીડિતોને રકમ પરત મળશે કે નહીં ?આ સમગ્ર ઘટનાએ બેંકિંગ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને તંત્ર માટે ચેતવણીરૂપ બની છે.
વાંસદા તાલુકામાં હાલમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઇ રહ્યા છે, જેને લઈ જનતામાં વિકાસના કામોને લઈ ખુશી જોવા મળે એ સ્વભાવિક છે પરંતુ વિકાસ માટે આવેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટને લઈ વાંસદા તાલુકામાં ગુણવત્તાયુક્ત અને સારી કામગીરી કરવામાં આવી રહી છે કે કેમ એ એક વેધક સવાલ જાગૃત પ્રજામાં ઉઠી રહ્યા છે. વાંસદા તાલુકાના અનેક ગામોમાં જિ.પંચાયત માર્ગ મકાન વાંસદા હસ્તકના મોટા રસ્તાઓનું નિર્માણ કરાઇ રહ્યું છે. આ રસ્તો બનાવામાં દરેક એજન્સી દ્વારા નકરી વેઠ ઉતારવામાં આવી રહી હોવાની બૂમ ઉઠી છે. જેમાં રસ્તાઓ ડુંગરાળ વિસ્તારમાં હોવા છતાં રસ્તાની બાજુએ ગટરની વ્યવસ્થા કરવા વગર ડામર રસ્તો બનાવી દીધો હોવાનું ગ્રામજનોને આક્ષેપ છે. અમુક જગ્યાએ ગરનાળાઓ નાંખવામાં આવ્યા એ કામગીરીમાં પણ નકરી વેઠ ઉતારાઇ છે. જોકે નાની સાઈઝના ગરનાળા નાંખી ઉપર માટી નાંખી માત્ર ગરનાળાથી ત્રણ ઇચનો ડામર કપચીનો લેયર મારી દેતા કોન્ટ્રાકટર દ્વારા નવો કીમિયો કે નવો આવિષ્કાર કરવામાં આવ્યો હોય એ જણાય રહ્યું છે. બોર્ડ પર દર્શાવ્યા પ્રમાણે ડુંગરાળ વિસ્તારમાં બનેલા રસ્તા પર રોડ ફર્નિચર માત્ર બિલોમાં દેખાઈ રહ્યા હશે સ્થળ પર બનેલા રસ્તામાં રોડની ધારે એકપણ જગ્યાએ રસ્તાની બાજુમાં રેલિંગ જોવા મળી નથી તેમજ અનેક જગ્યાએ સાઈડ સોલ્ડરિંગની કામગીરી પણ નહિવત દેખાઈ રહી છે. હાલ આ રસ્તાઓને લઈ યોગ્ય નિરાકરણ થશે કે કેમ એ દિશામાં અહીંની પ્રજા મીટ માંડીને બેસી છે. રસ્તો ચોમાસામાં ટકશે નહીંડુંગરા પર રસ્તો બનાવ્યો એ સમયે આજુબાજુ રેલિંગ મુકવા માટે તો જણાવ્યું તો અમે ખાલી પાકો રસ્તો બનાવવા માટે આવ્યા છે એમ જણાવ્યું. આ રસ્તો ચોમાસામાં ટકશે નહીં, આજુબાજુ ગટર નથી બનાવી પાણી સીધું રસ્તા પર આવશે એટલે રસ્તો ધોવાઈ જશે ડામર પણ ઓછો નાંખ્યો છે. > પ્રભુભાઈ ચવધરી, ખડકપાણી, કણધા
વાંસદા હોમગાર્ડ જવાનો વચ્ચે ગાંધીનગરમાં યોજાયેલી દોડ સ્પર્ધામાં આંબાબારી (વાંસદા) ગામના આદિવાસી યુવા રણજીતભાઈએ પોતાની અસાધારણ ઝડપથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે 100 મીટર દોડમાં ગોલ્ડ મેડલ અને 200 મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવી સફળતા મેળવી છે. કઠિન સ્પર્ધા હોવા છતાં રણજીતભાઈએ અંત સુધી પોતાની ગતિ જાળવી રાખી અને વિજય હાંસલ કર્યો હતો. તેમની આ સિદ્ધિ પાછળ સતત પ્રેક્ટિસ અને મજબૂત મનોબળનું મહત્વપૂર્ણ યોગદાન છે. આંબાબારીમાં રણજીતભાઇની જીતને લઈ આનંદનો માહોલ છે. ગ્રામજનોએ તેમનું સ્વાગત કર્યું હતું. વાંસદા પીઆઇ જે.વી.ચાવડા અને જિલ્લા હોમગાર્ડ યુનિટના અધિકારી સતીશ બોરશેએ શુભેછા પાઠવી હતી. રણજીતભાઈ ભોંયેની આ સફળતા આદિવાસી વિસ્તાર ગૌરવની ક્ષણ બની છે.
ઝળહળતી સિદ્ધિ:પ્રખરતા શોધ કસોટીમાં એ બી સ્કૂલના છાત્રોની રાજ્યસ્તરે ઝળહળતી સિદ્ધિ
જિલ્લાના પ્રતિષ્ઠિત એ બી સ્કૂલ, પરતાપોર ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં સફળ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજાયેલી ધોરણ-9 ની પ્રખરતા શોધ કસોટી (જાન્યુઆરી–2026) માં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પોતાની ક્ષમતાનો ઉત્તમ પરિચય આપવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠિત કસોટીમાં શાળાના 4 વિદ્યાર્થીઓ રુદ્ર નાયક, પ્રાર્થન આહીર, કેનિશા પટેલ અને ઝલક ગાંધીએ ગુજરાત રાજ્યના ટોપ-1000 ની યાદીમાં સ્થાન મેળવી મેરીટમાં સ્થાન મેળવ્યું છે, જે માત્ર શાળાના પૂરતું જ નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લામાં ગૌરવનો વિષય બની રહ્યો છે. આ સિદ્ધિ શાળાની ગુણવત્તાયુક્ત શિક્ષણ વ્યવસ્થા, સંસ્કારસભર માહોલ અને વિદ્યાર્થીઓના સઘન પરિશ્રમનું પ્રતિબિંબ છે. શાળાના ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલ તથા શિક્ષકમંડળે આ પ્રસંગે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે એ બી સ્કૂલ હંમેશા વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન સુધી મર્યાદિત રાખતી નથી, પરંતુ તેમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા પ્રેરણા આપવામાં આવે છે.
ટ્રેનની ટક્કરથી મોત:મરોલી પાસે ટ્રેક રિપેરીંગ દરમિયાન ટ્રેનની અડફેટે આવતા રેલવે કર્મીનું મોત
જલાલપોર તાલુકાના પોંસરા ગામની હદમાં તા.23 માર્ચના રોજ અમદાવાદથી મુંબઈ રેલવે ટ્રેક પર કામ કરી રહેલા એક પરપ્રાંતિય યુવાનનું ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. નવસારીમાં હાલ રહી રેલવેમાં નોકરી કરતા સંગમસિંગ સહાબસિંગ યાદવ (ઉ.વ. 35, મૂળ રહે. ઉત્તર પ્રદેશ) તા.23 માર્ચના રોજ પોતાના સાથી કર્મચારીઓ સાથે થાંભલા નં-247/7 થી 247/9 વચ્ચે પાટા રિપેરીંગ અને બોલ્ટ ફિટિંગનું કામ કરી રહ્યા હતા. રાત્રિના આશરે 11.30 કલાકે ટ્રેન શરૂ થવાની હોવાની સૂચના મળતા તેમને ટ્રેક પરથી હટી જવા ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જોકે, કમનસીબે તેઓ સમયસર હટી શક્યા ન હતા. થોડી જ ક્ષણોમાં ત્યાંથી પસાર થયેલી વડનગર-વલસાડ ટ્રેનની અડફેટે સંગમસિંગ આવી ગયા હતા. ટ્રેન અડફેટે આવેલા સંગમસિંગનું ગંભીર ઈજાને પગલે સ્થળ પર જ મોત થયું હતું. ભાસ્કર એક્સપર્ટફોન પર ગાડી આવી રહી છે એમ કહીં ચેતવ્યા અમે રાત્રે અમદાવાદ-મુંબઈ અપ લાઈન પર પાટા રિપેરીંગનું કામ કરી રહ્યા હતા. મેં સંગમસિંગને રાત્રે 11.30 વાગ્યે ફોન કરીને ચેતવ્યા હતા કે ગાડી ચાલુ થઈ ગઈ છે, તમે પાટા પરથી દૂર ખસી જાવ. તેમણે ઠીક હૈ’ કહી ફોન મૂક્યો હતો પરંતુ થોડી જ વારમાં સ્ટેશન માસ્ટરનો ફોન આવ્યો કે સંગમસિંગ ટ્રેનની અડફેટે આવી ગયા છે. ઘટનાસ્થળે જતાં જોયું તો તેમનું મોત નિપજ્યું હતું.' > વિજયભાઈ મીણા, સાથી કર્મચારી.
વેધર રિપોર્ટ:ગરમીનો પારો 37.5 ડિગ્રીએ પહોંચતા રસ્તા સુમસામ થયા
નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધ-ઘટ નોંધાતા લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના મોસમ વિભાગમાંથી મળતી માહિતી મુજબ રવિવારે મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયા બાદ સોમવારે પારો વધીને 37.5 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, જેણે નાગરિકોને અકળાવી મૂક્યા હતા. બુધવારે પણ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. બપોરના સમયે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજના પ્રમાણમાં જોવા મળેલા મોટા તફાવતે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. સવારે ભેજનું પ્રમાણ 87 ટકા રહેતા અસહ્ય બફારો અનુભવાયો હતો, જ્યારે બપોરે તે ઘટીને 34 ટકા થઈ ગયું હતું. પવનની દિશા ઉત્તર-પૂર્વની રહી હતી અને તેની ગતિ પ્રતિ કલાકે 2.9 કિમી નોંધાઈ હતી. કાળઝાળ ગરમી અને લૂના કારણે બપોરના સમયે શહેરના મુખ્ય રાજમાર્ગો પર લોકોની અવરજવર નહિવત જોવા મળી હતી. કામ વગર બહાર નીકળવાનું ટાળતા રસ્તાઓ સુમસામ ભાસતા હતા. આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતાને જોતા આરોગ્ય વિભાગ દ્વારા પણ સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.
સ્ટાફની અછતથી હાલાકી:જનસેવા કેન્દ્રમાં શહેરી વિભાગમાં લાંબી કતાર લાગી, ગ્રામ્ય ખાલીખમ
નવસારી મામલતદાર કચેરીમાં નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના બે જનસેવા કેન્દ્ર આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારના જનસેવા કેન્દ્રમાં લાંબી લાઇન લાગે પણ ગ્રામ્ય વિસ્તારમાં લાઇન લાગતી નથી. જેને લઇ એક બાજુ લાઇન તો બીજી બાજુ ઓપરેટર એમ જ હોય આ વિસંગતા દૂર કરવા સામાજિક આગેવાનોએ વહીવટી તંત્રને અપીલ કરી છે. નવસારી મામલતદાર કચેરીમાં શહેર અને ગ્રામ્ય જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા, જાતિના દાખલા, આવાસ યોજના, ક્રિમિલિયરના દાખલા, રેશન કાર્ડમાં સુધારો સહિતના અનેક દાખલા કઢાવવા માટે લોકો આવે છે. જેમાં શહેરી વિસ્તારોમાં વધારો થવાને કારણે લોકોની લાઇન જન સેવા કેન્દ્રોમાં લાગે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગામો ઓછા થવાને લીધે લોકો પોતાના કામો સરળતાથી કરાવી જાય છે. જેને લઇ વિસંગતતા ઊભી થઈ છે. આગામી દિવસોમાં વેકેશન દરમિયાન વિવિધ દાખલા કઢાવવા માટે લાઇન લાંબી લાગશે ત્યારે શું હાલત થશે તે બાબતે વહીવટી તંત્રે અત્યારથી જ સુવિધા ઉપલબ્ધ કરાવી આપવી પડશે.સ્ટાફના અભાવે કામગીરી અટકશેહાલમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના જનસેવાકેન્દ્રમાં સ્ટાફ પણ બહુ ઓછો છે. જેથી વેકેશન દરમિયાનજ્યારે લોકો પોતાના કામ માટે આવશે ત્યારે સ્ટાફનાઅભાવે લોકોને અગવડતા પડશે. જેથી હમણાંથી જ સ્ટાફવધારવામાં આવે એવી માગ છે. શહેરી વિસ્તારમાં 12 ગામો સમાવ્યા છે નવસારી મનપામાં 12 ગામોના લોકોનો સમાવિષ્ટ થતા તે વિસ્તારના લોકોએ પણ શહેરી જનસેવા કેન્દ્રોમાં પોતાના કામ માટે જાય છે. શાળા ચાલુ થશે ત્યારે વિવિધ દાખલા માટે લાંબી લાઇનો લાગશે તે નક્કી છે. સ્ટાફના અભાવે કામગીરી અટકશે હાલમાં શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારના જનસેવા કેન્દ્રમાં સ્ટાફ પણ બહુ ઓછો છે. જેથી વેકેશન દરમિયાન જ્યારે લોકો પોતાના કામ માટે આવશે ત્યારે સ્ટાફના અભાવે લોકોને અગવડતા પડશે. જેથી હમણાંથી જ સ્ટાફ વધારવામાં આવે એવી માગ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:નવસારીમાં વિજલપોરના બે વોર્ડના કુલમતદાર જેટલા એક જ વોર્ડ 13 ના મતદારો
નવસારી શહેરમાં સંભવતઃ પ્રથમવાર વોર્ડના મતદારોની સંખ્યામાં ભારે 50 સુધીના તફાવતની અસમાનતા જોવા મળી છે.વસ્તી ગણતરીને 15 વર્ષ થયા અને ‘સર’ માં ઘણા મતદારો નીકળી જતા મુખ્યત્વે આ સ્થિતિ સર્જાઈ છે. નવસારી મહાપાલિકાની ચૂંટણીની તૈયારી ચાલી રહી છે ત્યારે તે અંતર્ગત શહેરના મતદારોની યાદી પ્રસિદ્ધ થઈ ગઈ છે.આ યાદીમાં મનપા વિસ્તારના કુલ મતદારો 18775 બહાર આવ્યા છે,જેમાં પુરુષ 95015,સ્ત્રી 92848 અને અન્ય 12 છે. સમગ્ર શહેર ઉપરાંત તમામ 13 વોર્ડના મતદારની સંખ્યા પણ વોર્ડવાર જાણવા મળી છે. જોકે તેમાં થોડી નહી પણ ભારે અસમાનતા છે. 10 યા 15 ટકા નહી પણ 50 ટકા ફર્ક છે. બે વોર્ડમાં જેટલા કુલ મતદાર છે તેટલા એક વોર્ડમાં છે. વિજલપોર વિસ્તારના જ્યાં વોર્ડ-10માં 9569 અને વોર્ડ-11માં 10181 મતદાર છે ત્યાં ગણદેવી રોડ દશેરા ટેકરી વિસ્તારને સાંકળતા એક જ વોર્ડ-13માં 19422 મતદાર છે. આવું જ જ્યાં વોર્ડ-5માં 18280 મતદાર છે ત્યાં વોર્ડ-4માં 12850 અને વોર્ડ-7માં 12656 મતદાર છે. આ વોર્ડના મતદારોમાં ભારે તફાવતનું મુખ્ય કારણ 2011ની વસ્તી ગણતરીને આધાર બનાવી વોર્ડ રચના કરાઈ છે, કારણકે 2021 ની વસ્તી ગણતરી થઈ નથી અને છેલ્લી ગણતરીને 15 વર્ષ થતા શહેરની સ્થિતિમાં ભારે ફેરફાર થયો છે. બીજું જે સર પ્રક્રિયા અંતર્ગત મતદારો ઘણા નીકળી ગયા છે. 4 ગામ મનપામાં જોડાયા છતાં 5 વર્ષમાં મતદાર વધવાની જગ્યાએ ઘટી ગયાસામાન્યતઃ સમય જતા વસ્તી વધે અને મતદાર પણ વધે છે.બીજું એક કારણ હયાત વિસ્તારમાં નવા વિસ્તાર જોડાય ત્યારે પણ મતદાર વધે એ સ્વાભાવિક છે પણ હાલ નવસારીની નવી મતદાર યાદી જોતા એવી બન્યું નથી. મળતી માહિતી મુજબ નવસારી વિજલપોર પાલિકાની ચૂંટણી વેળા કુલ મતદાર 2.18 લાખ હતા, ત્યારબાદ તેમાં 4 ગામો ઉમેરવામાં આવ્યા અને મહાપાલિકા બની છે તો મતદાર વધવાની જગ્યાએ ઘટી માત્ર 1.87 લાખ જ થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ ‘સર' છે. તેમાં અગાઉની જે મતદાર યાદી હતી તેમાંથી મૃતક, સ્થળાંતર થયેલ, ડુપ્લીકેટ સહિત અન્ય હજારો મતદારો કમી થઈ ગયા છે. વોર્ડવાર મતદાર ભૌગોલિક વિસ્તારમાં પણ અસમાનતાજ્યાં મતદારોની સંખ્યામાં અસમાનતા છે ત્યાં બીજીતરફ ભૌગોલિક વિસ્તારમાં પણ અસમાનતા છે. શહેરના વોર્ડ નં. 1, 9 અને 13 માં શહેરનો 55 ટકાથી વધુ વિસ્તાર સમાયેલ છે. અન્ય કુલ 10 વોર્ડમાં 45 ટકાથી ઓછો વિસ્તાર સમાયેલ છે.
રામનવમી વિશેષ:દક્ષિણ ગુજરાતના અનેક પૌરાણિક સ્થળો ભગવાન રામની વનવાસ કથા સાથે જોડાયેલા છે
ગુરુવાર ને ચૈત્રી નવમી હોય રામનવમી છે. ગુજરાતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભગવાન રામ વનવાસ વેળા આવ્યા હોવાની કથા છે. મહત્વની બાબત એ છે કે રામ જે પંચવટી ગયા તે આજનું નાસિક કહેવાય છે. તેની નજીકના જ આ દક્ષિણ ગુજરાતના પૌરાણિક સમયે ઓળખાતો દંડકારણ્ય વિસ્તારો છે. અહીંના ડાંગ જિલ્લામાં આવેલ સુબીર નજીક શબરીધામ છે જ્યાં રામજીનું માતા શબરી સાથે મિલન થયું હતું. અહીં ગુજરાત ટુરિઝમ વિકાસ કરી રહી છે. આ શબરીધામ નજીક પંપા સરોવર છે, જ્યાં શબરીમાતાના ગુરુ માતંગ ઋષિનો આશ્રમ હોવાની કથા છે. ડાંગમાં જ અંજનીકુંડ ગામ પણ છે જે રામભક્ત હનુમાનજીનું જન્મસ્થાન મનાય છે. આ જન્મસ્થાન હોવાને લઇ ડાંગ જિલ્લાના તમામ ગામોમાં એક હનુમાન મંદિર પણ એક ભક્ત દાતા બનાવી રહ્યાં છે. ડાંગની નજીક નવસારીનું પ્રસિદ્ધ ઉનાઇ યાત્રાધામ છે અને અહીં ગરમ પાણીના કુંડ છે. માતા સીતાજીએ અહીં ગરમ પાણીનું સ્નાન કર્યું અને ‘હું નાઈ'' પરથી ‘ઉનાઇ'' નામ પડ્યાની માન્યતા છે. દક્ષિણ ગુજરાતના જ નાસિક ‘પંચવટી'' નજીકના ધરમપુર તાલુકામાં એક ગામ મરઘમાળ આવેલ છે. આ ગામનું નામ ભૂતકાળમાં પૌરાણિક મૃગમાળ પરથી પડ્યાનું કહેવાય છે.અહીં ભગવાન રામે માયાવી મૃગને માર્યાની કથા છે અને મૃગમાળ સમય જતા મરગમાળ થયું. મહત્વની વાત એ છે કે અહીંની નદી નજીક રામકુંડમાં રામના પગલા પડ્યા હોવાની કથા હોય ગામના એક ફળિયાનું નામ રામકુંડ પણ પડ્યું. આ ઉપરાંત દ.ગુજરાતના પદમડુંગરી અને તેની નજીકના તાપી, સુરત જિલ્લાના વિસ્તારોમાં પણ રામ સાથે જોડાયેલ કથા યા આસ્થા છે.
કરુણાંતિકા સર્જાઈ:નવસારીના મોટી ચોવીસી તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મૃત્યુ
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા મોટી ચોવીસી ગામના તળાવમાં ડૂબી જવાથી 35 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવસારીના પસ્તાકીયાની ચાલમાં રહેતા રોકી અરૂણભાઇ રાઠોડ (ઉ.વ. 35) ગત 20 માર્ચના રોજ રાત્રે ઘરેથી બ્રહ્માણી માતાજીના મંદિરની સાલગીરી છે' તેમ કહીને નીકળ્યા હતા. મંદિર પાસે આવેલા તળાવના કિનારે બાકડા પર બેઠા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મૃતકના ભાઈ અભી રાઠોડે પોલીસને આપેલી જાહેરાત મુજબ, રોકી રાઠોડ દારૂ પીવાની આદત ધરાવતા હતા. રાત્રિના સમયે દારૂના નશામાં હોવાથી તળાવ કિનારે બેસતી વખતે શરીરનું સંતુલન ગુમાવતા તેઓ પાણીમાં ખાબક્યા હતા અને ડૂબી જવાથી તેમનું મોત નિપજ્યું હતું. 24 માર્ચના રોજ સવારે આ ઘટના પ્રકાશમાં આવી હતી.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તંત્ર એક્શન મોડમાં:નવસારીમાં કોમર્શિયલ ગેસની અછતને પગલે તંત્ર એક્શનમાં, હોટલવાળા પાસે વિગતો માગી
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વૈશ્વિક અસરો હવે સ્થાનિક સ્તરે પણ વર્તાવા લાગી છે. આ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર ખોરવાતા ભારતભરમાં એલપીજી ગેસની અછત ઊભી થઈ છે, જેની સીધી અસર નવસારી જિલ્લાના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર જોવા મળી રહી છે. નવસારીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના પુરવઠામાં અનિયમિતતા આવતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં કેટલીક જગ્યાએ ગેસના અભાવે ખાણી-પીણીની હોટલો અને નાના રેસ્ટોરાં બંધ રાખવા પડી રહ્યાં છે અથવા મેનુમાં દર્શાવેલ પુરતી વસ્તુ ગેસના અભાવે આપી કે બનાવી શકતા નથી. ગ્રાહકોની અવરજવર હોવા છતાં રાંધણ ગેસ ન હોવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. નવસારી જિલ્લા તંત્ર દ્વારા હોટલ અને રેસ્ટોરાં સંચાલકોને વિશેષ ફોર્મ આપીને તેમની માસિક ખપત અંગેની વિગતો મંગાવાઇ છે. આ ફોર્મમાં સંચાલકોએ તેમની હોટલમાં દર મહિને કેટલા કોમર્શિયલ ગેસની જરૂરિયાત રહે છે તેની સ્પષ્ટ માહિતી આપવાની રહેશે. 200 મોટી હોટલ પાસે આંકડા મંગાવાયાજિલ્લામાં હોટલ ઉદ્યોગનો વ્યાપ ઘણો મોટો છે. મોટી હોટલની વાત કરીએ તો આશરે 200 જેટલી (40 થી 50 લોકોની બેઠક ક્ષમતા ધરાવતી) અને નાની હોટલ આશરે 800થી 900 જેટલી (40 થી ઓછી બેઠક ક્ષમતા ધરાવતી) છે. તંત્ર દ્વારા તમામ નાની-મોટી હોટલોના માસિક વપરાશના આંકડા મંગાવવામાં આવ્યા છે, જેથી આગામી સમયમાં ગેસના પુરવઠાનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકાય અને આર્થિક નુકસાન અટકાવી શકાય. > સુરેશભાઇ પાંડે, પ્રમુખ, નવસારી જિલ્લા હોટલ એસોસિએશન
મારામારીની રીસ રાખી હુમલો કરાયો:અગાઉની અદાવતમાં શક્તિનાથ નજીક યુવાન પર બેટ વડે હુમલો
ભરૂચ તાલુકાના ચાવજ ગામે રંગસિટી સોસાયટીમાં રહેતો અને મુળ યુપીનો મન્નુ કેશવર યાદવ રાત્રીના સમયે શક્તિનાથ વિસ્તારમાં આવેલાં મુરલીધર પાન હાઉસ પર તેના મિત્ર વિશાલ રાય સાથે સિગરેટ પિવા માટે ગયો હતો. અરસામાં અનિશ રાણા, વિરલ ઉર્ફે ગુલ્લુ ગડરિયા, તરુણ ગોહિલ તેમજ રાધે પટેલ તેમની પાસે આવ્યાં હતાં. તેઓ પૈકી વિરલ ગડરિયાના હાથમાં બેટ હતું. તેઓએ આવી તેમની સાથે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં તેમણે તેમના પર બેટના કટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યાં હતાં. જોકે, તેઓએ ત્યાંથી જતાં જતાં હવે મળશે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે મન્નુ કેશવર યાદવે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેની રીશ રાખી તેમણે હુમલો કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં તેતેમજ તેના મિત્ર વિશાલ રાયને તરૂણ ગોહિલ સાથે મારામારી થઈ હતી જેની રીશ રાખી તેમણે હુમલો કર્યો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હુમલો:ભોલાવમાં સફાઈ સુપરવાઈઝર પર પાવડા વડે જીવલેણ હુમલો
ભરૂચના ભોલાવ ગામે નિશાળ પાસે રહેતા અને સફાઈ સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા નસીરુદ્દીન શેખ પર જૂની અદાવતમાં હુમલો થયો છે. ગત 22મી માર્ચે સાંજના સમયે તેઓ ભોલાવ બ્રિજ પાસે રોડની સાફસફાઈ કરાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ વૈકુંઠ બંગ્લોઝ પાસે અન્ય સુપરવાઈઝર સુનિલ તિવારી સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. ભોલાવ વિસ્તારના જ મહેન્દ્ર સોમા વસાવા અને રાહુલ રાજુ પટેલ મોપેડ પર ત્યાં ધસી આવ્યા હતા. તેમણે નસીરુદ્દીન શેખ સાથે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા શખ્સોએ ભોલાવ ગ્રામ પંચાયતના ટ્રેક્ટરમાંથી પાવડો કાઢી નસીરુદ્દીન પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભરૂચ સી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં બુધવારે કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. સરકારના લોકાભિમુખ અભિગમ હેઠળ યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો છે. જિલ્લામાંથી મળેલી વ્યક્તિગત તેમજ જાહેર હિત સંબંધિત અરજીઓ પર અરજદારો અને સંબંધિત વિભાગોના અધિકારીઓની હાજરીમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, મહેસૂલ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ સહિતના વિભાગોની અરજીઓનો સમાવેશ થયો હતો. કલેક્ટરે અધિકારીઓ સાથે ફરિયાદોની સમીક્ષા કરી સ્થળ પર જ માર્ગદર્શન આપતાં અનેક ફરિયાદોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ફેબ્રુઆરી માસમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર તથા વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
પોલીસે 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો:ભરૂચમાં ગૌચર જમીન પરથી 35 પશુ સાથે વાહનો ઝડપાયા
ભરૂચ જિલ્લામાં લુવારા ગામ નજીક ગૌચર જમીન પરથી પોલીસ દ્વારા 35 ભેંસો સાથે બે ટ્રક, એક કાર અને એક મોટરસાયકલ કબજે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ 112 હેલ્પલાઇન પર મળેલી બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોતા આશરે પાંચ જેટલા શખ્સો અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. સ્થળ પરથી બે ટ્રક જેમાં એક ખાલી હતી સાથે એક કારઅને એકબાઈક મળી આવી હતી. તપાસ દરમિયાન ટ્રક અને આસપાસથી કુલ 35 ભેંસો ટૂંકા દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવી હતી. જેમાં ખોરાક અને પાણીની કોઈ વ્યવસ્થા નહોતી. પોલીસે આશરે રૂ. 24.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભેંસોને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી છે. આ મામલે ભેંસોને કતલ કરવા લઈ જવાના ઇરાદા સાથે પશુઓ પર ક્રૂરતા કરવાના ગુનામાં નાસીર અકુજી સહિતનાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
લોકમેળાને લઈને આયોજન:બહુચરાજી ચૈત્રી મેળામાં એક્સ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસૂલાશે
યાત્રાધામ બહુચરાજી ખાતે તા.31 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન ચૈત્રી પૂનમનો લોકમેળો યોજાનાર છે. આ મેળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી નિગમ દ્વારા અંદાજે 530 થી વધુ ટ્રિપોનું આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મેળા દરમિયાન એક્સ્ટ્રા સંચાલન માટે નિગમ દ્વારા નિર્ધારિત કરાયેલ 1.25ના ગુણાંકમાં ભાડું વસૂલાશે. મેળા દરમિયાન વાહન વ્યવહારનું સંચાલન ખોરવાય નહીં તે માટે બહુચરાજી ખાતે ત્રણ અલગ-અલગ સેક્ટર વાઈઝ બૂથની રચના કરવામાં આવી છે. જેમાં બૂથ નંબર-1 બહુચરાજી બસ સ્ટેન્ડથી મહેસાણા, કડી, પાટણ, અમદાવાદ અને ચાણસ્મા તરફ જતી બસોનું સંચાલન થશે. બૂથ નંબર-2 કંકુમાના આશ્રમ પાસે શંખલપુર રોડ, જ્યાંથી હારિજ તરફની બસો ઉપડશે. જ્યારે બૂથ નંબર-3 હારિજ-શંખેશ્વર રોડ પર ગોલ્ડન ઓએસીસ હોટલની પાછળ કાર્યરત થશે, જે કડી, દસાડા, માંડલ, શંખેશ્વર, વિરમગામ અને અમદાવાદ તરફ જનારા મુસાફરો માટે સુવિધા પૂરી પાડશે. યાત્રાળુઓની સુખાકારી માટે બહુચરાજીના મુખ્ય ટ્રાફિક સર્કલ અને બસ સ્ટેન્ડ પાસે સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખતોવખત ગુજરાતમાંથી, દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડ્યાના આંકડા પણ આવે છે. પરંતુ આ ડ્રગ્સ પકડાઇ ગયાં બાદ તેનું શું થાય છે તે કોઇ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કમ્પ્ટ્રોલર જનરલના રીપોર્ટમાં બહાર આવ્યું છે કે 12 વર્ષમાં પોલીસે પકડેલાં ડ્રગ્સમાંથી 2,332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં અને ચોર ચોરી ગયાં. વાત આશ્ચર્યજનક લાગે તેવી છે પણ પોલીસ અધિકારીઓએ જ પોતાના ખુલાસામાં આવી વિગતો જણાવી છે. કેગે પોતાના અહેવાલમાં નોંધ્યું છે કે, એડીજીપી સીઆઇડી ક્રાઇમ, ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ બાર વર્ષના ગાળા દરમિયાન કુલ 6,510.54 કિલો અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે મોટાપાયે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો. જોકે ઓક્ટોબર 2022થી જુલાઇ 2023 દરમિયાન નિકાલ કરાયેલો જથ્થો 4,177.86 કિલો નોંધાયો. આમ તેમાં જપ્ત કરાયેલાં જથ્થા કરતાં 2,332.68 કિલો એટલે કે 35 ટકા જથ્થાનો તફાવત હતો. આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઇડી ક્રાઇમે જણાવ્યું કે, લગભગ 144.180 કિલો ગાંજો તેમાંથી ચોરી થઇ ગયો જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયાં. આ ઉપરાંત ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યાં તેથી તેમાંથી ભેજ શોષાઇ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઇ. કેગે નોંધ્યું કે, આટલાં મોટા જથ્થામાંથી આંશિક જથ્થાની આવાં કારણોસર ઘટ આવી શકે પણ આટલાં મોટાં પ્રમાણમાં આવેલો તફાવત પુનર્વિચાર માગી લે છે. અર્થાત કેગને પણ પોલીસ અધિકારીઓની નિયત પર શંકા ગઇ છે. ડ્રગ્સ રાખવાના ઓરડામાં ખાળે ડૂચા અને દરવાજા મોકળાકેગ દ્વારા પોતાના અહેવાલમાં એક તસવીર રજૂ કરવામાં આવી છે જે પોલીસ સ્ટેશનનો એક સાવ નકામો ઓરડો હોય તેવું લાગે છે. આ ઓરડામાં જ પકડાયેલું ડ્રગ્સ રાખવામાં આવતું હોવાનું પોલીસે કેગને જણાવ્યું હતું.
ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ થયેલા CAG રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે મિશ્ર પરંતુ ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. એક તરફ રાજ્યનું અર્થતંત્ર અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ નોંધાઈ છે, તો બીજી તરફ મહેસૂલી પુરાંતમાં મોટો ઘટાડો અને દેવામાં વધારો થયો છે. જે સરકાર માટે પડકારરૂપ બન્યો છે. મહેસૂલી પુરાંતમાં 43.41 ટકાનો ઘટાડોCAG રિપોર્ટ અનુસાર, રાજ્યની મહેસૂલી પુરાંતમાં ગત વર્ષની સરખામણીએ 43.41 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2023-24માં રૂપિયા 33,477 કરોડ રહેલી પુરાંત 2024-25માં ઘટીને રૂપિયા 18,943 કરોડ થઈ ગઈ છે. મહેસૂલી ખર્ચમાં નોંધાયેલા વધારો અને આવકમાં ઘટાડો આ સ્થિતિ માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. એક વર્ષમાં ગુજરાતનું દેવું 22 હજાર કરોડ વધ્યુંરાજ્યનું કુલ જાહેર દેવું હવે રૂપિયા 3.80 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જેમાં એક વર્ષમાં આશરે 22 હજાર કરોડનો વધારો થયો છે. બજાર લોનનો આંકડો પણ રૂપિયા 3.11 લાખ કરોડ સુધી પહોંચ્યો છે. આ સાથે સાથે રાજ્ય પોતાની આવકનો 12.82 ટકા હિસ્સો માત્ર દેવાના વ્યાજની ચૂકવણીમાં જ ખર્ચી રહ્યું છે, જે વિકાસ માટેના ખર્ચને અસર કરી શકે છે. માથાદીઠ આવક 3.66 લાખ સુધી પહોંચીઆર્થિક રીતે રાજ્ય મજબૂત સ્થિતિમાં દેખાઈ રહ્યું છે. ગુજરાતનો GSDP વધીને રૂપિયા 26.72 લાખ કરોડ થયો છે, જે દેશના કુલ GDPમાં લગભગ 8 ટકા હિસ્સો ધરાવે છે. માથાદીઠ આવક રૂપિયા 3.66 લાખ સુધી પહોંચી છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. સાક્ષરતા દર 84.6 ટકા અને ગરીબી દર 11.66 ટકા હોવો પણ સકારાત્મક પાસા દર્શાવે છે. 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણસામાજિક સૂચકાંકોમાં કેટલીક ચિંતાજનક બાબતો પણ સામે આવી છે. રાજ્યમાં શહેરીકરણ ઝડપથી વધી રહ્યું છે અને હવે 50.29 ટકા વસ્તી શહેરોમાં વસે છે. આરોગ્ય ક્ષેત્રે સુધારો નોંધાયો હોવા છતાં સ્ત્રી-પુરુષના પ્રમાણમાં ગુજરાત પાછળ છે, જ્યાં 1000 પુરુષો સામે માત્ર 904 સ્ત્રીઓનું પ્રમાણ છે. વહીવટી સ્તરે પણ ખામીઓ સામે આવી છે. વર્ષો સુધી હજારો કરોડના વપરાશ પ્રમાણપત્રો બાકી છે અને વધારાની ચૂકવણીઓનું નિયમિતકરણ થયું નથી, જે નાણાકીય શિસ્ત અંગે પ્રશ્નો ઊભા કરે છે. મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધ્યુંCAGના આ અહેવાલે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રાજ્યની મહેસૂલી સ્થિતિ નબળી બનતાં રાજકોષીય દબાણ વધી રહ્યું છે. આવનારા સમયમાં ખર્ચ પર નિયંત્રણ અને આવકના નવા સ્ત્રોત ઊભા કરવાના પ્રયાસો નહીં કરવામાં આવે તો વિકાસલક્ષી યોજનાઓ પર અસર થવાની શક્યતા છે.
ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરમાં આગામી શ્રીરામ જન્મોત્સવને લઈને અત્યારથી જ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઝાંઝરડા રોડ વિસ્તાર જાણે મિની અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેમ સમગ્ર માર્ગને ધજા-પતાકા, ભગવા રંગના આકર્ષક ગેઈટ અને ઝળહળતી લાઈટોથી શણગારવામાં આવ્યો છે. ભોજલરામ ગ્રુપ જૂનાગઢ અને સેવા સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત બે દિવસીય સાંસ્કૃતિક મહોત્સવના પ્રથમ દિવસે લાઈવ ઓરકેસ્ટ્રા અને ભક્તિમય સુરાવલીએ લોકોને આધ્યાત્મિકતાના રસાસ્વાદમાં તરબોળ કરી દીધા હતા. સિધ્ધેશ્વર મંદિર પાસે મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓના 'જય શ્રી રામ'ના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રામ નવમીની પૂર્વ સંધ્યાએ આયોજિત આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર અને ભજનીક દિવ્યેશ જેઠવા તેમજ હરિઓમ પંચોલીના બેન્ડ દ્વારા શાનદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ અવસરે દિવ્યેશ જેઠવાએ જણાવ્યું હતું કે, ભારતની ધરતી અને ગરવા ગિરનારની ગોદમાં જ્યારે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હોય ત્યારે જૂનાગઢ પાછળ કેમ રહે? ઝાંઝરડા રોડ પર કરવામાં આવેલી આ પૂર્વ તૈયારીઓ એ આપણા ઇષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. 25 અને 26 માર્ચ એમ બે દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં નામી-અનામી કલાકારો દ્વારા લાઈવ પરફોર્મન્સ, સામાજિક કાર્યકરોનું સન્માન અને રામ ભક્તિના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સનાતન હિન્દુ એકતા સમિતિ દ્વારા પણ રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે સાંજે ઝાંઝરડા રોડ સ્થિત રામ મંદિરથી આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને સિદ્ધનાથ મંદિરે તેની પૂર્ણાહુતિ થશે. આ શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ફ્લોટ્સ અને રામસેના પાત્ર ગ્રુપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગોને જીવંત કરતા પાત્રો આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત મણિયારો રાસ અને સંતવાણીના કાર્યક્રમોએ પણ લોકોમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. સમગ્ર ઝાંઝરડા રોડ પર મંડપ અને રોશનીનો એવો શણગાર કરાયો છે કે જે જોતા જ ભક્તોને અયોધ્યામાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ભોજલરામ ગ્રુપના અગ્રણી મહેન્દ્રભાઈ પરમાર અને સેવા સમર્પણ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ જૂનાગઢવાસીઓને આ ભક્તિમય પર્વમાં સહભાગી થવા અને ભગવાન રામના સ્વાગતની તૈયારીઓમાં જોડાવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે. મીડિયા કર્મીઓ દ્વારા થઈ રહેલા કવરેજને પણ કલાકારો અને આયોજકોએ બિરદાવ્યું હતું. અત્યારે આખું જૂનાગઢ જાણે પ્રભુ રામના આગમનની પ્રતિક્ષામાં ભક્તિના રંગે રંગાઈ ગયું છે.
જામનગર પોલીસ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયે પોતાની કડક કાર્યશૈલીથી ફરી એકવાર જામનગરમાં ખળભળાટ મચાવ્યો છે. પોતાની નિડર છબી માટે જાણીતા આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયે જ્યારે શહેરના સંવેદનશીલ અને ચર્ચિત વિસ્તારોમાં કાફલા સાથે રાત્રિ પેટ્રોલિંગ શરૂ કર્યું, ત્યારે ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પેટ્રોલિંગ દરમિયાન, જે અસામાજિક તત્વો શહેરની શાંતિ ડહોળતા હતા, તેમને આઈજી નિર્લિપ્ત રાયે ઝડપી લીધા હતા. તેમણે આ શખ્સોને કાયદાનું ભાન કરાવતા જાતે જ ગ્રાઉન્ડ અને આસપાસના વિસ્તારોની સાફ-સફાઈ કરાવી હતી. જે લોકો રોફ જમાવતા હતા, તેમને કાયદાના શાસન હેઠળ સાફ-સફાઈ કરતા જોઈ નાગરિકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ વખત બન્યું છે કે કોઈ ઉચ્ચ અધિકારી આટલી કડકાઈથી ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને અસામાજિક તત્વોને સીધા કરી રહ્યા હોય. સામાન્ય નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે સરાહના જોવા મળી રહી છે. આઈજી નિર્લિપ્ત રાયે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જામનગરની શાંતિને કોઈ પણ સંજોગોમાં ડહોળવા દેવામાં આવશે નહીં. પોલીસ કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠક અને ત્યારબાદના પેટ્રોલિંગે ગુનેગારોના મનમાં કાયદાનો ભય પેદા કરી દીધો છે. તેમણે શહેરના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો સાથેની બેઠકમાં પણ સામાજિક એકતા અને શાંતિ જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. નિર્લિપ્ત રાયની આ મુલાકાત માત્ર એક પોલીસિંગ નથી, પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારાઓ માટે એક ચેતવણી છે. જામનગરની જનતા હવે એક સુરક્ષિત અને શાંત શહેરનો અનુભવ કરી રહી છે, અને આ કડક કાર્યવાહીથી જામનગર પોલીસની કામગીરીની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
વલસાડ તાલુકાની ભગોદ ગ્રામ પંચાયતના સભ્ય દીપેશ પટેલે બેંક લોન મેળવવા માટે બોગસ દસ્તાવેજો બનાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે દીપેશ પટેલની ધરપકડ કરી છે અને તેમને ૨૭મી માર્ચ સુધીના રિમાન્ડ પર લીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ભગોદ પંચાયતના સભ્ય દીપેશ પટેલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પંચાયતના સહી-સિક્કાનો ઉપયોગ કરી ખોટા આધાર-પુરાવા તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોનો ઉપયોગ તેઓ બેંકમાંથી લોન મેળવવા માટે કરવાના હતા. આ ગેરરીતિની જાણ ગામના સરપંચને થતા તેમણે તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારી (TDO) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને લેખિત ફરિયાદ કરી હતી. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ વલસાડ રૂરલ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપી દીપેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે દીપેશ પટેલના ૨૭મી માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર:જી. એચ. સોલંકી સુરેન્દ્રનગરના નવા કલેક્ટર બન્યા
ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, નડિયાદ નગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જી. એચ. સોલંકી (IAS, SCS:GJ:2014)ની સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક સાથે, સુરેન્દ્રનગર કલેક્ટર પદનો વધારાનો હવાલો સંભાળી રહેલા કે. એસ. યાજ્ઞિક (IAS)ને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે. જી. એચ. સોલંકી 2014 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ અગાઉ નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાયમી કલેક્ટરની નિમણૂક થવાથી વહીવટી કામગીરીમાં વધુ ગતિ આવશે તેવી અપેક્ષા છે. રાજ્ય સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ પડશે અને નવનિયુક્ત કલેક્ટર ટૂંક સમયમાં પોતાનો પદભાર સંભાળશે.
સુરત અને મલેશિયા વચ્ચે ચાલી રહેલા એક મોટા એક્સપોર્ટ કૌભાંડનો પર્દાફાશ ATS દ્વારા કરાયો છે. એલોવેરા પાવડરના નામે પ્રતિબંધિત કેમિકલ પાવડર (એટોમિડેટ) મલેશિયા મોકલીને તેના પૈસા ક્રિપ્ટોકરન્સી મારફતે સુરતની આંગડિયા પેઢીમાં મંગાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં ATS અમદાવાદે ત્રણ મુખ્ય આરોપીઓના વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 90 લાખનું મિસલેબલિંગ કૌભાંડઆરોપીઓ નિકુંજ ગઢીયા, ચેતન વાવડિયા અને ભૌતિક પદમાણીએ ભેગા મળીને મોટું ષડયંત્ર રચ્યું હતું. નિકુંજે પોતાની કંપની 'ન્યુટ્રલ ફાર્મા' નામે સેન્ચુરી ફાર્મામાંથી 84.200 કિલોગ્રામ 'એટોમીડેટ પાવડર' ખરીદ્યો હતો. આ પાવડરને એલોવેરા પાવડર તરીકે દર્શાવી, ખોટા બિલ બનાવી મુંબઈ એરપોર્ટથી મલેશિયા એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. પેમેન્ટની નવી મોડસ ઓપરેન્ડીસરકારી વકીલ પવન શાહની દલીલોમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીઓ મલેશિયા માલ મોકલી તેના બદલામાં પૈસા સીધા બેંકમાં લેવાને બદલે USDT (ક્રિપ્ટોકરન્સી) માં ફેરવતા હતા. આ ડિજિટલ કરન્સીને બાદમાં ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરી સુરતના મહિધરપુરાની પી.એમ. આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આંગડિયા સંચાલકનો ઈનકાર અને વિરોધાભાસજ્યારે ATS દ્વારા મહિધરપુરાની આંગડિયા પેઢીના ફ્રેન્ચાઈઝી ધારકની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે આવા કોઈ પૈસા આવ્યા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. આરોપીઓ કહે છે કે, પૈસા આંગડિયામાં આવ્યા છે, જ્યારે સંચાલક ના પાડે છે. આ વિરોધાભાસ દૂર કરવા માટે કોર્ટે આરોપીઓને આંગડિયા સંચાલક સાથે સામસામે બેસાડી પૂછપરછ કરવા રિમાન્ડ મંજૂર કર્યા છે. તપાસમાં મોટો જથ્થો ઝડપાયોતપાસ દરમિયાન મુંબઈની એરાપ્રેક્સ કુરિયર સર્વિસમાંથી 26 કિલોગ્રામ એટોમીડેટ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓએ અત્યાર સુધીમાં અંદાજે 58.200 કિલોગ્રામ જેટલો જથ્થો મલેશિયા પહોંચાડી દીધો છે. અન્ય આરોપી ચેતન વાવડિયાએ પણ પોતાની 'રૂદ્ર એન્ટરપ્રાઇઝ' નામે હજારો કિલો પાવડરની ખરીદી કરી હોવાના પુરાવા મળ્યા છે.
મોરબી બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ:મહાનગરપાલિકા ચૂંટણીમાં પુરુષ આગેવાનોને ટિકિટ આપવા માંગણી
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મોરબીમાં પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટો ફાળવવામાં આવે. બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા મહિલા અનામત અને અન્ય અનામત બેઠકો હોય છે. જોકે, છેલ્લી પાલિકા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને અવગણીને માત્ર મહિલાઓને જ ટિકિટ આપવામાં આવી હતી. આ પુનરાવર્તન ન થાય તે માટે આ માંગણી કરવામાં આવી છે. મોરબી શહેરમાં અંદાજે 14 થી 15 હજાર જેટલું બ્રહ્મ સમાજનું મતદાન છે. નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે યોજાયેલી આ બેઠકમાં પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાની આગેવાની હેઠળ અનિલભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા, ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ત્રિવેદી, નીરજભાઈ ભટ્ટ, અમુલભાઈ જોશી, નલિનભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌનો એક જ સૂર હતો કે બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટો મળે. પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, જે બ્રહ્મ સમાજના આગેવાનો ચૂંટણી લડવા ઈચ્છુક હોય, તેઓએ ફોર્મ ભરીને પરશુરામ ધામ ખાતે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આવેલા ફોર્મના આધારે રાજકીય પક્ષો સમક્ષ ટિકિટ માટે પૂરી તાકાત સાથે રજૂઆત કરવામાં આવશે. સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પુરુષ આગેવાનોને વધુમાં વધુ ટિકિટ મળે તે માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.
ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ તાલુકાના ઈણાજ ગામે રાત્રીસભાનું આયોજન થયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામજનોને કચેરીઓ સુધી આવવું ન પડે અને તેમની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ મળે તે હતો. રાત્રીસભા દરમિયાન કલેક્ટરશ્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે પ્રાકૃતિક ખેતી, પાકધિરાણ યોજના, મોડેલ શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપ તથા અન્ય સહાયક પ્રવૃત્તિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. આ સાથે, આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્ય, કુપોષણ નિવારણ અને મધ્યાહ્ન ભોજનની ગુણવત્તા અંગે પણ પૂછપરછ કરી હતી. “મારા કુટુંબની સુરક્ષા એ મારી જવાબદારી છે”ના સૂત્રને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રીએ ગ્રામજનોને પીએમજેયાય કાર્ડ કઢાવવા અનુરોધ કર્યો હતો. સગર્ભા મહિલાઓ માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને તે માટે ખાસ સૂચનો પણ આપવામાં આવ્યા હતા. સભા દરમિયાન ગ્રામજનો દ્વારા પ્લોટ ફાળવણી, અનધિકૃત દબાણ અને ગામતળના પ્રશ્નો સહિત વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને આ રજૂઆતો પર નિયમ મુજબ કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે, પીએમશ્રી મોડેલ શાળાના આચાર્ય દ્વારા નમો સરસ્વતી, નમો લક્ષ્મી, સરસ્વતી સાધના યોજના તેમજ કે.જી.બી.વી હોસ્ટેલ પ્રવેશ જેવી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, આત્મા પ્રોજેક્ટના ડિરેક્ટર પુષ્પકાંત સ્વર્ણકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો અને પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ તરફથી મેડિકલ ઓફિસર રાજદીપભાઈ મૂછારે ‘મમતા સેશન’ હેઠળ રસીકરણ, સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ, એચપીવી વેક્સિન અને પીએમજેયાય જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા. આ રાત્રીસભામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, સરપંચ, એસ.એમ.સી. સભ્યો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાની વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા અને વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતા 22 વર્ષીય વિદ્યાર્થીએ રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતના બનાવ સંદર્ભે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના યુવકનો વડોદરામાં ગળે ફાંસો ખાઈ આપધાતપ્રાપ્ત વિગતો અનુસાર, વિદ્યાર્થી સુરતના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટીમાં રહેતો અને હાલ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ ચંદ્રગુપ્ત સોસાયટીમાં રહેતો અને વાઘોડિયા ખાતે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઋત્વીજ વિઠ્ઠલભાઈ કલસરિયા (ઉંમર વર્ષ 22) ભાડે મકાન રાખીને તેના સહધ્યાય અન્ય બે મિત્રો સાથે રહેતો હતો. તે ગઈકાલે દિવસ દરમિયાન તેના સમયે કોલેજે ગયો હતો. તે બાદ સાંજે ઘરે આવ્યો હતો. રાત્રિના સમયે તેના સહધ્યાયી બે મિત્રો જમવા માટે પર ગયા હતા. તે દરમિયાન વિદ્યાર્થી ઋત્વિજ કલસરિયા એ રહસ્યમય સંજોગોમાં એકલતાનો લાભ ઉઠાવી રસોડામાં આવેલા પંખાના હુક સાથે ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈને મિત્રો ચોકી ઉઠ્યા તેના મિત્રો બહારથી જમીને ઘરે આવ્યા બાદ ઋત્વિજને ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોતા તેના રૂમ પાર્ટનર બે મિત્રો ચોકી ઉઠ્યા હતા અને બૂમો પાડી ઉઠ્યા હતા. બૂમોના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો, આત્મહત્યાનું કારણ અકબંધઆ સમગ્ર ઘટનાની જાણ બાપોદ પોલીસ તથા પરિવારજનો તથા કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી આલમમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે આવી બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ મહત્વના જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક સાથે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. પી.બી. પંડ્યા બન્યા જામનગરના કલેક્ટરઅમરેલી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા પી.બી. પંડ્યા (IAS)ને જામનગરના નવા કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ કે.બી. ઠાકર (IAS)ના નિવૃત્તિ પછી આ જવાબદારી સંભાળશે. ઠાકર 31 માર્ચ 2026ના રોજ નિવૃત્ત થવાના છે. સુરેન્દ્રનગરમાં જી.એચ. સોલંકીની ટ્રાન્સફરનડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત જી.એચ. સોલંકીને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર તરીકે ટ્રાન્સફર કરીને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલમાં વધારાની જવાબદારી સંભાળતા કે.એસ. યાજ્ઞિક (IAS)ને રિલીવ કરશે. ગાંધીનગરમાં રવિન્દ્ર ખાતલે કલેક્ટરમહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા આપતા રવિન્દ્ર ધ્યાનેશ્વર ખાતલેને ગાંધીનગરના કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જે.એન. વાગેલા (IAS)ની વધારાની જવાબદારીને બદલશે. રાજ્ય વહીવટમાં નવી ગતિઆ બદલી-નિયુક્તિઓથી રાજ્યના વહીવટમાં નવી દિશા અને ગતિ આવવાની અપેક્ષા છે. સરકારના આ નિર્ણયને પ્રભાવશાળી વહીવટી વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પી.આર. પટેલિયાની ફરી સચિવ તરીકે કરાર આધારે નિમણૂકગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 25 માર્ચ, 2026ના જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર. પટેલિયા 31 માર્ચે નિવૃત્ત થવા છતાં તેમની સેવા ચાલુ રાખવામાં આવી છે. સરકાર દ્વારા તેમને 1 એપ્રિલ, 2026થી એક વર્ષ માટે કે આગળના આદેશ સુધી કરાર આધારે સચિવ તરીકે ફરી નિમણૂક આપવામાં આવી છે. સાતમા પગાર પંચ મુજબ “લાસ્ટ પે માઈનસ પેન્શન” ફોર્મ્યુલા આધારે તેમને વેતન ચૂકવાશે. તેમના કરારની અન્ય શરતો બાદમાં જાહેર કરવામાં આવશે, જે સરકારના નિર્ણયને લઈ પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. રાજ્યમાં 27 આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની બદલીગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યભરના આયુર્વેદિક મેડિકલ ઓફિસરોની વ્યાપક બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કુલ 27 અધિકારીઓની સ્વવિનંતીથી વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જેમાં સેવા સુદ્રઢ બનાવવા અને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનાવવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બદલાયેલા અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ કાર્યભાર સંભાળવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગરથી જારી કરાયેલા આ આદેશમાં વિવિધ તાલુકા અને જિલ્લાની હોસ્પિટલોમાં નિમણૂક આપવામાં આવી છે, જેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આયુર્વેદિક સારવાર સુવિધાઓ વધુ મજબૂત બને. આરોગ્ય વિભાગના આ નિર્ણયને કારણે તંત્રમાં ચુસ્તતા વધશે અને દર્દીઓને વધુ સુવિધાજનક સારવાર ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાના કીમ ખાતે રહેતા અને સ્થાનિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જમનાદાસભાઈ ખેડૂત મંડળીના સભાસદ હતા. 20 માર્ચ, 2018ના રોજ તેઓ પોતાની બાઇક પર સવાર થઈ શાળાએ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર પશુઓ આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતોખેડૂત મંડળી દ્વારા પોતાના તમામ સભાસદો માટે ‘ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ’ લેવામાં આવ્યું હતું. જમનાદાસભાઈના અવસાન બાદ પરિવાર વતી વીમાના રૂ. 2 લાખ માટે ક્લેઈમ કરવામાં આવ્યો હતો. જોકે, વીમા કંપનીએ આ ક્લેઈમ ફગાવી દેતા દલીલ કરી હતી કે પોલિસીની શરતો મુજબ માત્ર 70 વર્ષની વય સુધીના વ્યક્તિને જ વળતર મળી શકે છે, જ્યારે મૃતક ખેડૂતની ઉંમર અકસ્માત સમયે 71 વર્ષ હતી. ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથીવીમા કંપનીના આ અન્યાયી વલણ સામે ખેડૂત મંડળી દ્વારા ગ્રાહક કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. મંડળી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, કંપની પાસે ખેડૂતની ઉંમર 71 વર્ષ હોવાનો કોઈ સત્તાવાર દસ્તાવેજી પુરાવો નથી. કોર્ટે વારંવાર તક આપવા છતાં વીમા કંપની ખેડૂતની વય મર્યાદા ઓળંગાઈ ગઈ હોવાનું સાબિત કરી શકી ન હતી, જેના કારણે કંપનીનો પક્ષ નબળો પડ્યો હતો. ગ્રાહક કોર્ટનો ચુકાદોબંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુરત ગ્રાહક કોર્ટે વીમા કંપનીની ઝાટકણી કાઢી હતી. કોર્ટે અવલોકન કર્યું કે માત્ર ટેકનિકલ કારણો કે પુરાવા વગરની ઉંમરની દલીલો આપીને કોઈનો હક્ક છીનવી શકાય નહીં. અંતે, કોર્ટે વીમા કંપનીને આદેશ આપ્યો કે મૃતક ખેડૂતના વારસદારોને વીમાની રકમ રૂ. 2 લાખ, અરજી કર્યાની તારીખથી 9 ટકા વ્યાજ સાથે ચૂકવી દેવી.
વલસાડમાં રામ નવમીની ઉજવણી પૂર્વે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. SP યુવરાજસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આવતીકાલે વલસાડ જિલ્લામાં કુલ 14 સ્થળોએ રામ નવમીની શોભાયાત્રાનું આયોજન છે. તેમાંથી 3 શોભાયાત્રા વલસાડ શહેર વિસ્તારમાં અને 4 જેટલી યાત્રા ગ્રામ્ય વિસ્તારોમાં નીકળશે. આ ઉપરાંત 27મી તારીખે પણ 3 સ્થળોએ શોભાયાત્રાનું આયોજન છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા હાઈટેક નજર રાખવામાં આવશે. યાત્રાના રૂટ પર ડ્રોન કેમેરા દ્વારા આકાશમાંથી દેખરેખ રખાશે. CCTV કેમેરા અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા તત્વો પર સ્પેશિયલ ટીમ દ્વારા વોચ રખાઈ રહી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં DySP એ.કે. વર્મા, સિટી PI ભાવિક જીતિયા સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. SP યુવરાજસિંહ જાડેજાએ નગરજનોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહી, કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે રામ નવમીના તહેવારની ઉજવણી કરે.
ભાવનગર શહેર આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ સામે આવ્યો હતો, ભાવનગર મહાનગરપાલિકા ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડગમ વાગી ચૂક્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના જુદા જુદા વોર્ડમાં 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખને ટિકિટ ન આપાતા તેને પોતાના કાર્યકરો સાથે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે, આમ, આગામી સમયમાં રાજકીય પક્ષોમાં ઉલટ-ફેરફારો થશે. જેમાં શહેર ઉપપ્રમુખ ડી.એન. મારૂએ આજે પાર્ટીના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી પોતાની ટીમ સાથે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે તેમણે પાર્ટી પર ઉપેક્ષા અને જ્ઞાતિવાદના ગંભીર આક્ષેપો કર્યા છે, આ સાથે 30 થી 40 આપના કાર્યકરોએ રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, રાજીનામા પાછળના આપના ડી.એન. મારૂએ જણાવ્યું કે, છેલ્લા 5 વર્ષથી તેમણે રાત-દિવસ પાર્ટી માટે કામ કર્યું છે 2022ની વિધાનસભા અને 2024ની લોકસભા ચૂંટણીમાં 'સ્ટાર પ્રચારક' તરીકે ઘરે-ઘરે જઈને પ્રચાર કરવા છતાં પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે, તેમણે પત્રમાં ગંભીરતાપૂર્વક નોંધ્યું છે કે, હું દલિત (અનુસૂચિત જાતિ) હોવાથી મારી કદર કરવામાં આવતી નથી. સતત કામ લેવા છતાં યોગ્ય માન-સન્માન ન મળતું હોવાનું તેમણે જણાવ્યું હતું, વધુમાં તેમણે યાદ અપાવ્યું કે વિરોધ પ્રદર્શનો, કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા કે પોલીસ અટકાયત સહન કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે જ્યારે વડાપ્રધાન કે ગૃહમંત્રીના આગમન સમયે પણ તેમણે જેલવાસ ભોગવ્યો છે, છતાં પાર્ટીએ તેની નોંધ લીધી નથી, બીજું હરિયાણા, વિસાવદર, રાજકોટ અને ચોટીલા જેવા વિસ્તારોમાં પ્રચાર માટે તેઓ પોતાના ખર્ચે જતા હોવા છતાં પક્ષમાં તેમની કોઈ ગણના થતી નહોતી, જ્યાં માન-સન્માન ન જળવાતું હોય ત્યાં રહેવાનો કોઈ અર્થ નથી. તેથી હું અને મારી ટીમ આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીએ છીએ, આ રાજીનામું ભાવનગર શહેર પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ને સંબોધીને મોકલી આપવામાં આવ્યું છે, ચૂંટણીઓ નજીક છે ત્યારે ભાવનગરમાં 'આપ'ના પાયાના કાર્યકર અને હોદ્દેદારનું આ રીતે રાજીનામું પડવું એ પાર્ટી માટે મોટો ફટકો પડશે.
શહેરના વાસણામાં મધરાતે બહેનની સામે ભાઇની ઘાતકી હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. દોઢ વર્ષ અગાઉ આરોપીના ભાઇની લાશ મળી હતી. જે હાલના મૃતકે કરી હોવાનું માનીને આરોપીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ભાઇના મોતની શંકાનો બદલો લેનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. બહેનની નજર સામે ભાઈને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યોવાસણા વિસ્તારમાં આવેલા ભરવાડ વાસમાં રહેતો 25 વર્ષીય હિતેશ મેઘવાલ 23 માર્ચની રાત્રે બે વાગ્યા આસપાસ ઘરની બહાર સૂતો હતો, ત્યારે હિતેશને અજાણ્યો વ્યક્તિ તીક્ષ્ણ હથિયાર માર મારતો હોવાથી હિતેશની બહેન જ્યોતિ જાગી ગઇ હતી. જ્યોતિએ જાગીને જોયું તો પાતળા બાંધાનો લાંબો શખસ ટોપી પહેરીને આવ્યો હતો અને તે હિતેશને માર મારીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતો હતો. જ્યોતિએ પ્રતિકાર કરતા જ શખસ ત્યાંથી ભાગી ગયો હતો. વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનાને લઇને ક્રાઇમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકી રંગવાલની ધરપકડ કરીક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને 28 વર્ષીય વિનોદ ઉર્ફે વિકી રંગવાલની ધરપકડ કરી છે. આરોપીને વી.એસ. હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી ઝડપી લઇ પૂછપરછ કરતા અનેક માહિતી સામે આવી છે. જેમાં સામે આવ્યું છે કે, દોઢ વર્ષ પહેલા આરોપી વિનોદના ભાઈ શ્રવણની ચંદ્રનગર બ્રિજ નીચેથી લાશ મળી હતી. જેથી વિનોદને શંકા હતી કે તેના ભાઈના મોત પાછળ હિતેશનો જ હાથ છે. આજ શંકા અને બદલાની આગમાં વિનોદે હિતેશને ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને મોકો શોધીને હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

29 C