SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

ગોધરામાં ગંદકી કરનારાઓ પર નજર:સાયન્સ કૉલેજ વિસ્તારમાં CCTV કેમેરા લાગ્યા; શહેરભરમાં કેમેરાની માગ

ગોધરા નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પહેલ કરી છે. નગરપાલિકા દ્વારા સાયન્સ કૉલેજ નજીકની સોસાયટીઓના વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા હતા. આ કેમેરા દ્વારા હવે જાહેરમાં કચરો નાખનારા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવશે. સીસીટીવી ફૂટેજના આધારે આવા લોકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને ગંદકી ફેલાવતા અટકાવવાનો છે. આ પહેલને પગલે શહેરના યુવા અગ્રણી ફરહાન ઝભાએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર અમુક વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના તમામ મુખ્ય માર્ગો અને અન્ય સોસાયટી વિસ્તારોમાં પણ CCTV કેમેરાનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. ફરહાન ઝભાના મતે, જો આખા ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો અને સોસાયટીના નાકે કેમેરા લગાવવામાં આવે, તો કચરો નાખનારાઓ પર રોક લગાવી શકાશે. આનાથી તંત્રને દેખરેખ રાખવામાં સરળતા રહેશે અને ગોધરા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બની શકશે. નગરપાલિકાના આ પગલાથી સ્થાનિક રહીશોમાં વર્ષોથી ચાલતી ગંદકીની સમસ્યાના કાયમી ઉકેલની આશા જાગી છે. આગામી સમયમાં પાલિકા આ કેમેરાનું નેટવર્ક આખા શહેરમાં કેટલું ઝડપથી વિસ્તારે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:26 pm

ખેડૂતને ખોટા કેસમાં ફસાવી ₹3.25 લાખ પડાવ્યા:નકલી પોલીસ બની અફીણ કેસની ધમકી આપી, બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ

પાટણમાં નકલી પોલીસ બનીને એક ખેડૂત પાસેથી રૂ. 3.25 લાખ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને અફીણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પાટણના બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટણ શહેરની પાર્થ નગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વસંતભાઈ કાન્તીભાઇ પટેલ ગત 6 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના સંબંધી ગોવિંદભાઈ સાથે જમીન જોવા નીકળ્યા હતા. તેમની સાથે વામૈયા ગામનો બળદેવ ઠાકોર અને એક અજાણ્યો શખ્સ પણ હતો. પુનાસણ ગામ નજીક નદીના પુલ પાસે એક સફેદ રંગની નંબર વગરની ગાડીમાં આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વસંતભાઈનું એક્ટિવા રોકાવ્યું હતું. આ શખ્સોએ એક્ટિવાની ડેકી ખોલાવી તેમાંથી અફીણ જેવો પદાર્થ કાઢી વસંતભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કેસ પતાવવા માટે શરૂઆતમાં રૂ. 20 લાખની માંગણી કરી અને માર મારવાની ધમકી પણ આપી. ગભરાઈ ગયેલા વસંતભાઈએ તે સમયે પોતાની પાસે રહેલા રૂ. 25,000 આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વસંતભાઈને ગાડીમાં બેસાડી પાટણ રેલવે સ્ટેશન લાવ્યા હતા. અહીં વસંતભાઈએ પરિચિતો પાસેથી ઉછીના મેળવીને વધુ રૂ. 3 લાખ આપ્યા, આમ કુલ રૂ. 3,25,000 પડાવી લેવામાં આવ્યા. આ સમગ્ર કાવતરામાં વસંતભાઈ સાથે આવેલો બળદેવ ઠાકોર પણ સામેલ હોવાનું જણાઈ આવતા, વસંતભાઈએ બળદેવ ઠાકોર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે આ મામલે BNSS ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:09 pm

સુરતમાંથી વધુ એક સેક્સ રેકેટ ઝડપાયું:ગ્રાહકોને કોલગર્લના ફોટો અને હોટલનું લોકેશન મોકલતા, ડમી ગ્રાહક મોકલી પોલીસે ભાંડો ફોડ્યો

સુરતના પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી પાલ પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડયું હતું. ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો અને હોટલનું લોકેશન મોકલી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે ઓનલાઈન ગ્રાહકો સેટ કરનારા એક દલાલને ઝડપી પાડ્યો છે. જ્યારે યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો મળેલી બાતમીના આધારે પાલ પોલીસે એક દલાલનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે વ્હોટ્સએપ ઉપર વાત કરી એક યુવતીનો ફોટો મંગાવી તેની સાથે રૂ.7 હજાર ભાવ નક્કી કરી ડમી ગ્રાહકને શરીરસુખ માટે લોકેશન મોકલવા કહ્યું હતું. દલાલે પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલનું લોકેશન મોકલતા ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે રૂમમાં જતા પોલીસે રેઈડ કરી હતી. યુવતીને હોટલ પર મોકલનાર શખસની ધરપકડ, દલાલની શોધખોળપોલીસની તપાસમાં ત્યાં હાજર હોટલ મેનેજર અને માલિકની કોઈ સંડોવણી નહીં મળતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. પોલીસે ડમી ગ્રાહક સાથે મળેલી મુંબઈની 25 વર્ષીય યુવતીને બચાવી તેની પુછપરછ કરી તેની પાસેથી ચાર કોન્ડોમ અને રોકડા રૂ. 2 હજાર કબજે કર્યા હતા. પોલીસે યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણના કહેવાથી અહીં આવી હતી અને તેને દલાલે સંર્પક કરાવ્યો હતો. પાલ પોલીસે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને દલાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 7000 વસૂલતા હતાસાહિલ ઉર્ફે અયાન અને અજાણ્યો દલાલ બંને ગ્રાહકોને કોલગર્લના ફોટા મોકલીને ભાવતાલ નક્કી કરતા હતા. એ પછી હોટલનું મોબાઇલ ફોન પર લોકેશન મોકલતા હતા. દીઠ રૂ. 7000ની વસૂલાત કરીને આધુનિક ફુટણખાનું ચલાવવા હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:03 pm

ભરૂચમાં 906 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણને વેગ:બાળકો માટે આકર્ષક માળખું: 206 કામ પૂર્ણ, 164 પ્રગતિમાં

રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' ભરૂચ જિલ્લામાં ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોને અભ્યાસ, પોષણ અને બાળ-સ્નેહી વાતાવરણ પૂરું પાડવાના હેતુથી વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને 'આકર્ષક આંગણવાડી' તરીકે વિકસાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાળવણી સુનિશ્ચિત કરવા માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી 210 કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે. મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાંથી 134 કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળપતિ ઉત્કર્ષ યોજના, ડીએમએફ, 15મું નાણાપંચ, મનરેગા અને એટીવીટી સહિતની યોજનાઓ મારફતે 72 આંગણવાડીના કામો પ્રગતિમાં છે. સાથે જ, પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળમાંથી રૂ. 20 લાખના ખર્ચે 19 ભવનોના કામો ચાલી રહ્યા છે. નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને હવે સરકારી આંગણવાડીઓમાં પ્લે-સ્કૂલ જેવી સુવિધાઓ મળી રહી છે. આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધારેલા માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થતા વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે. આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત ન રહેતા બાળ વિકાસ, પોષણ અને મહિલા સશક્તિકરણને વેગ આપતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો હવે શિક્ષણ અને આરોગ્ય સેવાઓના કેન્દ્રબિંદુ તરીકે વિકસી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:03 pm

નવસારી LCBએ મંગળસૂત્ર લૂંટનારને ઝડપ્યો:વૃદ્ધ મહિલા પાસેથી લૂંટેલો ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ આશાબાગ વિસ્તારમાં વૃદ્ધ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટવાના કેસમાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટાયેલું સોનું, મોબાઈલ અને બાઈક સહિત કુલ ₹1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ઘટના જિલ્લામાં વધતી જતી ચેઈન સ્નેચિંગની ઘટનાઓને રોકવા માટે પોલીસની સક્રિયતા દર્શાવે છે. પકડાયેલ આરોપીની ઓળખ દિલીપભાઈ રાવલ (રહે. કબીલપોર, મૂળ રાજસ્થાન) તરીકે થઈ છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે બેરોજગાર હતો અને દેવું વધી જતાં તેણે ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે ચેઈન સ્નેચિંગનો પ્લાન બનાવ્યો હતો. ગત 4 ફેબ્રુઆરીના રોજ તેણે આશાબાગ રોડ પરથી પસાર થતી એક વૃદ્ધ મહિલાને એકલતાનો લાભ લઈ નિશાન બનાવી હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સુરત રેન્જ IG પ્રેમવીર સિંહ અને નવસારી SP રાહુલ પટેલની સૂચનાથી LCB PI વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. બાતમીદાર દ્વારા મળેલી માહિતીના આધારે, સ્નેચર વિરાવળથી ભેંસતખાડા જવાના રોડ પરથી પસાર થવાનો હોવાની જાણ થતાં PSI એમ.બી. ગામીત અને તેમની ટીમે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા અને લૂંટના સાધનો સહિત કુલ ₹1,68,380 ની મતા જપ્ત કરી છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ₹1,28,380 ની કિંમતની સોનાની ઢાળકી (લગડી), ₹10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ₹30,000 ની કિંમતનું હોન્ડા સાઈન બાઈક (GJ-21-AN-8784) નો સમાવેશ થાય છે. આ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવામાં LCB PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત, ASI સુનિલસિંહ અને કોન્સ્ટેબલ સંદિપભાઇ સહિતની ટીમની મહત્વની ભૂમિકા રહી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:02 pm

પાટણમાં રાજપૂત યુવા સંઘે 26મો વીરાંજલિ સમારોહ યોજ્યો:પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ, સમાજ એકતા પર ભાર મુકાયો

પાટણ નગરના 1281મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 26મો વીરાંજલિ સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરની જૂની શિશુમંદિર શાળાના મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત દીકરીઓ અને દીકરાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ 26મા વીરાંજલિ સમારોહમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ અને સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રાજવી પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોના હસ્તે આ સન્માન કરાયું હતું. પ્રવચન આપતા રાજ રાજેશ્વર યોગીરાજ રુખડનાથજી બાપુએ ક્ષત્રિય (રાજપૂત) સમાજની એકતા અને ગૌરવશાળી ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાજપૂત સમાજે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં તેમણે સફળતા ન મેળવી હોય. બાપુએ 'અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ' દ્વારા છેલ્લા 26 વર્ષથી સમાજને એક તાંતણે બાંધવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જે સમાજ પોતાના પૂર્વજો અને ઇતિહાસને ભૂલી જાય છે અથવા એક થતો નથી, તેનો ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી સીમિત રહી જાય છે. રાજપૂતોનું એક સાથે આવવું એ આવનારી પેઢી માટે 'સુવર્ણકાળ' સમાન છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજનો ઇતિહાસ જાળવી રાખવો એ આપણી સૌની ફરજ છે. તેમણે ધર્મના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ધર્મ આપણી સાથે હશે તો દરેક કાર્યમાં સફળતા મળશે. તેમણે બાળકોને ભણાવવા અને પૈસા કમાવવા સાથે સમાજની શક્તિ અને ધર્મ જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોગીરાજ રુખડનાથજી બાપુ (ધીણોજ), પૂર્વ મંત્રી હકુભા જાડેજા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા, કીર્તિસિંહ વાઘેલા, બલભદ્રસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 3:01 pm

ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં વેપારી પર છરાથી હુમલાનો પ્રયાસ:દુકાન સામે થડો પાથરવા મુદ્દે માથાકૂટ સર્જાઈ, એક શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ભાવનગર ખાતેના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનની સામે બટેટાનો થડો પાથરવાના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થડો ધરાવતા ઈસમે વેપારી પર છરા સાથે હુમલો કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેપારી પર હુમલાનો પ્રયાસ કરાતા અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યોઆ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ચિત્રા માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ચંદન રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ચિત્રા માર્કેટ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા સવારના સમયે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતેની દુકાને શાકભાજીનો વેપાર કરવા માટે આવ્યા ત્યારે દુકાનની બહાર ચંદન રણજીતભાઈ નામનો શખ્સ બટેટા નો થડો પાથરીને બેઠો હતો, જેથી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ તેને દુકાનની સામેથી બટેટા લઈ લેવાનું કહેતા ચંદન રણજીતભાઈએ ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ ગાળો દીધી હતી, એટલું જ નહિ મારે અહિયા જ ધંધો કરવાનો છે અને તારે જે થાય તે કરી લે તેમ કહી છરો લઈને મારવા દોડ્યો હતો, જેથી આજુબાજુમાં ઉભેલા વેપારી મિત્રોએ વચ્ચે પડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, તેમજ બનાવ અંગે પોલીસને જાણ કરતા ચંદન રણજીતભાઈ ત્યાથી ભાગી ગયો હતો, અને જતા જતા ધમકી આપતો ગયો કે આજે તો રહી ગયો હવે બીજી વાર મળીશ તો જીવતો નહિ રહેવા દવ. જે બનાવ ના પગલે રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલિસે ચંદન રણજીતભાઈ નામના ઈસમ સામે BNS 352,351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વેપારીઓએ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માગ કરીમળતી માહિતી મુજબ આજે સવારે એક પરપ્રાંતીય કે જે ઘણા વર્ષોથી યાર્ડમાં ધંધો કરે છે. જે રાજેન્દ્રસિંહ જાડેજાની જગ્યામાં ઘૂસપેઠ કરતો હતો, જેના પગલે આજે રાજેન્દ્રસિંહે પોતાની જગ્યામાં બેસવા માટે ના પાડી હતી, જે બાબત ને લઈને ચંદન રણજીતભાઇ નામના શખ્સે ઉગ્ર થઈ જેમ તેમ બોલવા લાગ્યો હતો, જેની બે પાંચ મિનિટ પછી તે અચાનક છરી લઈને ધસી આવ્યો હતો અને રાજેન્દ્રસિંહ જાડેજાને મારવાની કોશિશ કરી હતી. એ સમયે આજુબાજુના વેપારી મિત્રોએ ચંદન રણજીતભાઈ નામના ઈસમને પકડી છરી મારતા અટકાવ્યો હતો. જેથી જતા જતા હજુ હું તને છોડીશ નહીં એવી ધમકી આપતો ગયો હતો. જે બાદ રાજેન્દ્રસિંહ જાડેજાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, હાલ વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે મીટીંગ બોલાવી ચેરમેન ને અરજી આપી રજૂઆત કરી છે. જેમાં વેપારીઓને જાનનું જોખમ હોય આવા પરપ્રાંતીયો યાર્ડમાં ન પ્રવેશે, તેમજ કોઈને હેરાન ન કરે, એ માટે શું મદદ થાય એવી યાર્ડ ખાતે રજુઆત સાથે અરજી કરી છે. માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માથાકૂટ સર્જાઈ હતીઆ બનાવ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે સવારના માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રભાઈની બાજુમાં જે પોતાનો માલ વેચતો હતો, માલ વેચાણમાં જગ્યામાં કંઈ નાની મોટી તકરાર થતા બોલાચારી થઈ હતી, અને બોલાચાલી બાદ સીધો હુમલો કરવા છરો લઈને મારવા આવ્યો હતો. પરંતુ સદનસીબે બીજા વેપારીઓ ત્યાં હાજર હોય, જેમણે ચંદનને પકડી લીધો હતો, અને કોઈ મોટી ઘટના ઘટતા પહેલા અટકી ગઈ છે. પરંતુ આ વિષયને લઈને શાકભાજીનો વેપાર કરતાં દરેક વેપારીઓમાં ખૂબ મોટો અસંતોષ અને રોષ ફેલાયો છે. જે હિસાબે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરી સાથે અત્યારે મીટીંગ બોલાવી છે, અને વારંવાર માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગની અંદર પરપ્રાંતિય લોકો દ્વારા આવા હિંસક હુમલાઓ થતા રહે છે, તો ફરી આવું દુષણ ન થાય એની રજૂઆત કરવા માટે શાકભાજીવાળા વેપારીઓ આવ્યા છે, અને તેની સાથે અત્યારે મીટીંગ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:40 pm

મહિલા પાસેથી 20 લાખ પડાવનાર બેની મુંબઈથી ધરપકડ:શેરબજારમાં મોટા નફાની લાલચ આપી પૈસા ટ્રાન્સફર કરાવ્યાં, સુરત સાયબર સેલ દબોચી લાવી

શેરબજારમાં રાતોરાત અમીર બની જવાની લાલચ અને નકલી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતી ટોળકીઓ હાલ સોશિયલ મીડિયા પર માયાજાળ ફેલાવીને બેઠી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા આવી જ એક ટોળકીનો શિકાર બની હતી. જોકે, સુરત સાયબર ક્રાઈમ સેલે આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરતા આ કેસના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા અને મુંબઈથી બે રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઠગોએ મહિલાને શેરબજારમાં મોટા નફાની લાલચ આપીઆ અંગની મળતી માહિતી મુજબ, જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઠગબાજોએ 'niftystock.in' નામની એક નકલી વેબસાઈટ બનાવી તેને 'સેબી (SEBI) રજિસ્ટર્ડ' કંપની તરીકે ઓળખાવી હતી. આ ગેંગના સભ્યોએ 'વિજય સિંગ' અને 'અનીશ' તરીકે ખોટી ઓળખ આપી કોમલબેનનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ કોમલબેનને વિશ્વાસમાં લીધા હતા કે, જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે, તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને 'ફંડેડ એકાઉન્ટ' ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર કરી હતી. ટુકડે-ટુકડે 20 લાખથી વધુ પડાવ્યાશરૂઆતમાં નફાની લાલચમાં આવીને કોમલબેને વિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ વિવિધ પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂ. 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે કોમલબેને પોતાના નફાની રકમ કે મુદલ પરત માંગી ત્યારે આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનુ માલુમ થતાં તેમણે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી બે આરોપીની ધરપકડસુરત સાયબર ક્રાઈમ સેલના ડીસીપી બીશાખા જૈનની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, છેતરપિંડીના પૈસા મહારાષ્ટ્રના અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા થયા છે, જેના આધારે સુરત પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને બે શખસને દબોચી લેવામાં આવ્યા હતા. એક મુખ્ય સૂત્રધાર, 10 ટકા કમિશન પર બેંક ખાતા ભાડે લેતોપકડાયેલ આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ (ઉં.વ.25) તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના 2.67 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અજરોદ્દીન ખસિમ અજમેર જમાદાર (ઉં.વ.34) થાણેનો રહેવાસી આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસતા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ મેળવી, તે એકાઉન્ટ્સ સાયબર ઠગોને ભાડે આપતો હતો અને તેના બદલામાં 10 ટકા કમિશન મેળવતો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:39 pm

DDCET-2026 પરીક્ષા 26 એપ્રિલ યોજાશે:ધો.-12 પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં એડમિશન માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન શરૂ

રાજ્યની ટેકનિક્લ શિક્ષણ કમિશ્નરની કચેરી અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિપ્લોમા પછી સીધા બીજા વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા DDCET-2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. વિદ્યાર્થીઓ 30 માર્ચ 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ માટે ઉમેદવારે રૂ. 250 (નોન-રિફંડેબલ) રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. 36,212 બેઠકો પર પ્રવેશ મળશેઆ વર્ષે રાજ્યની 16 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 120 પ્રાઇવેટ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ મળીને આશરે 36,212 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે, જેમાં સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 2068 બેઠકોનો સમાવેશ થાય છે. DDCET-2026 પરીક્ષા કુલ 200 ગુણની રહેશે અને તેના માટે અઢી કલાકનો સમય ફાળવવામાં આવશે. એન્જિનિયરિંગમાં બે પેપર રહેશે. બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. જ્યારે ફાર્મસીમાં બે પેપર રહેશે. બેઝિક ઓફ ફાર્મસી અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશેઓનલાઈન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની જરૂર નથી, સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જરૂરી દસ્તાવેજમાં હાલના તબક્કે ઉમેદવારો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી અને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે. 26 એપ્રિલે ઓફલાઇન માધ્યમથી પરીક્ષાઅવેરનેસ કાર્યક્રમ જેમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે રાજ્યભરમાં ૫૨ જેટલા ઓફલાઈન અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ પરીક્ષા 26 એપ્રિલ 2026ના રોજ ઓફલાઇન માધ્યમથી લેવામાં આવશે. જેનું પરિણામ મે 2026માં પહેલા અથવા બીજા અઠવાડિયે ડિક્લેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:33 pm

SRP જવાને મહિલાની છેડતી કરી:ST બસમાં સવાર મહિલાએ 112 પર ફરિયાદ કરતા મોઢેરા પોલીસે ચાલુ બસમાંથી જ જવાનની ધરપકડ કરી

મહેસાણા જિલ્લામાં એસટી બસમાં સવાર મહિલાની એસઆરપી જવાન દ્વારા છેડતી કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે એસઆરપી જવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસટી બસમાં બાજુમાં બેસેલા SRP જવાને છેડતી કર્યાનો આરોપભોગ બનનાર મહિલા પોતાના સાસરેથી પિયર જવા માટે બસમાં નીકળી હતી.આ દરમિયાન તેની બાજુની સીટ પર બેઠેલા વિરમગામ F-20 SRP ગ્રુપના જવાન ગેનજી ઠાકોરે ચાલુ બસે મહિલાની છેડતી કરી હતી. જવાનની આ હરકતથી ગભરાવાને બદલે મહિલાએ હિંમત દાખવી તાત્કાલિક '112' નંબર પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ચાલુ બસમાંથી જ જવાનને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતા જ મોઢેરા પોલીસ એક્શનમાં આવી હતી. મોઢેરા પી.આઈ.એ ચાલુ બસમાંથી જ આરોપી જવાન ગેનજી ઠાકોરને દબોચી લીધો હતો. આ મામલે મહિલાની ફરિયાદના આધારે મોઢેરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાન દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:25 pm

ગોધરામાં કેન્સર જાગૃતિ માટે વોલ્કેથોન યોજાઈ:આરોગ્યમ હોસ્પિટલ દ્વારા આયોજન, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કર્યું

આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ગોધરા તાલુકાના નંદાપૂરા નજીક 'આરોગ્યમ વોલ્કેથોન–2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલ્કેથોનનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વોલ્કેથોનની શરૂઆત ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પરથી કરવામાં આવી હતી. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવીને તેને ફ્લેગ ઓફ કરી હતી. આ વોલ્કેથોન પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, રામસાગર તળાવ અને અટલબાગ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અંતે, તે ફરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. કાર્યક્રમ દરમિયાન, આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને તેની સારવારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:21 pm

બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી!:સુરેન્દ્રનગરના હરદીપ શુક્લા સામે ગુનો દાખલ કરવા લેખિત આવેદનપત્ર અપાયું

સુરેન્દ્રનગરના હરદીપ શુક્લા દ્વારા ભારતીય સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના વિરોધમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા ગુનો દાખલ કરવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખારાપાટ યુવા વિકાસ પરિષદ, માંડલ, પાટડી અને વિરમગામના સંગઠને આ આવેદનપત્ર પાઠવીને હરદીપ શુક્લા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આવા મહાન વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરવી અયોગ્ય છે. ભવિષ્યમાં આવા મહાપુરુષોનું અપમાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:15 pm

ટંકારા પાસે ST બસ-કન્ટેનર અકસ્માત:કન્ટેનર પલટી ગયું, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

મોરબી-રાજકોટ રોડ પર ટંકારા નજીક ઓવરબ્રિજ ઉતરતી વખતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મુંદ્રાથી કોડીનાર જતી એસ.ટી. બસ અને એક કન્ટેનર વચ્ચે ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં કન્ટેનર પલટી મારી ગયું હતું અને બસને નુકસાન થયું હતું. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાથમિક માહિતી અનુસાર, ટંકારાથી રાજકોટ તરફ જઈ રહેલી એસ.ટી. બસ ઓવરબ્રિજ પરથી નીચે ઉતરી રહી હતી. તે જ સમયે, ઓવરબ્રિજ પરથી આવી રહેલું એક ટ્રક કન્ટેનર બસ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અકસ્માત બાદ કન્ટેનર ડિવાઈડર કૂદીને સ્ટ્રીટ લાઈટના પોલ સાથે ધડાકાભેર અથડાઈને રોંગ સાઈડમાં પલટી મારી ગયું હતું. એસ.ટી. બસના આગળના ભાગને પણ નોંધપાત્ર નુકસાન થયું હતું. બસને નુકસાન થવાને કારણે તેમાં સવાર મુસાફરો રસ્તા પર ફસાઈ ગયા હતા. જોકે, તંત્ર દ્વારા તાત્કાલિક વૈકલ્પિક એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાને મોકલી શકાયા. આ બનાવની જાણ થતાં જ ટંકારા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:12 pm

‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે’:ઈન્દ્રનીલ પક્ષને ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે; રાજકોટમાં પૂર્વ કોંગી કોર્પોરેટરનાં નિવેદનથી ખળભળાટ

રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા નગરસેવકના પતિ પ્રવીણ સોરાણીએ અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને 0 (ઝીરો) સીટ મળશે. સોરાણીના આ દાવાએ રાજકીય આલમમાં ભૂકંપ સર્જ્યો છે. પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડતા સોરાણીએ આક્ષેપ કર્યો છે કે શહેર કોંગ્રેસ હાલમાં માત્ર અમુક નેતાઓની પેઢી બની ગઈ છે અને પાયાના કાર્યકરોને હડધૂત કરવામાં આવી રહ્યા છે. આ નિવેદનના જવાબમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તેને પક્ષની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવીને કડક શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે. પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ મૂકીને શહેર કોંગ્રેસના સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ હાલમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલી રહી છે અને પક્ષને એક ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવી રહ્યો છે. સોરાણીએ પોસ્ટમાં લખ્યું છે કે, શહેર પ્રમુખ જ્યાં મિટિંગો બોલાવે છે ત્યાં જૂના, પીઢ અને પાયાના કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. તેમણે સીધું જ નિશાન સાધતા જણાવ્યું કે, જો શહેર પ્રમુખમાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો તેમણે તુરંત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે: પ્રવીણ સોરાણીપ્રવીણ સોરાણીએ મીડિયા સામે આવીને પણ પક્ષના વર્તમાન માળખા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યવાણી કરી છે કે જે રીતે હાલમાં શહેર કોંગ્રેસનું સંચાલન થઈ રહ્યું છે, તે જોતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષનો સફાયો થઈ જશે અને કોંગ્રેસના ફાળે માત્ર 0 (ઝીરો) સીટ આવશે. આ નિવેદન માત્ર એક ભવિષ્યવાણી નથી પરંતુ પક્ષના કાર્યકરોમાં વ્યાપેલી હતાશાનું પ્રતિબિંબ પણ માનવામાં આવે છે. ‘સંગઠન ચલાવવાની ક્ષમતા ન હોય તો પ્રમુખ રાજીનામું આપી દે’સોરાણીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને નિશાન બનાવતા કહ્યું કે, તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના અને પીઢ કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. જો પ્રમુખમાં સંગઠન ચલાવવાની કે કાર્યકરોને સાથે રાખવાની ક્ષમતા ન હોય, તો તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આ પ્રકારના આકરા નિવેદનોથી રાજકોટ કોંગ્રેસના બે ભાગલા પડી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ‘ઇન્દ્રનીલ રાજ્યગુરુ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે’આ વિવાદમાં માત્ર શહેર પ્રમુખ જ નહીં, પણ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ ઉછળ્યું છે. પ્રવીણ સોરાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલે છે અને તેઓ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે. સોરાણીએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના સૈનિક છીએ, કોઈ વ્યક્તિના માણસ નથી, પરંતુ હાલની કાર્યપદ્ધતિ પક્ષને વિનાશ તરફ લઈ જઈ રહી છે. ‘અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા’સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે સોરાણીએ પક્ષના કાર્યાલયને લઈને પણ જૂના ઘા ઉખેડ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે અતુલ રાજાણી જ્યારે પ્રમુખ હતા ત્યારે પણ કાર્યાલય બદલવાની માગ કરવામાં આવી હતી કારણ કે હાલનું કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની વ્યક્તિગત મિલકત છે અને ત્યાં સામાન્ય કાર્યકરોનું સન્માન જળવાતું નથી. જો રાજદીપસિંહ જાડેજા નવું કાર્યાલય ન બનાવી શકતા હોય તો તેમણે નૈતિકતાના ધોરણે સત્તા છોડવી જોઈએ. ‘મારી ટિકિટ કાપવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી’ચૂંટણીલક્ષી આક્ષેપો કરતા પ્રવીણ સોરાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં મારી ટિકિટ કાપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી છે. જોકે, તેમણે મક્કમતાથી કહ્યું કે તેઓ લડશે તો કોંગ્રેસમાંથી જ, પરંતુ જો પક્ષ તેમની અવગણના કરશે તો તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર નિર્ણય લેવા માટે મજબૂર થશે. તેમણે શહેર પ્રમુખને આડે હાથ લેતા કહ્યું કે કાર્યકરોની લાગણી સમજવાને બદલે સંગઠન માત્ર અમુક લોકોના ઈશારે જ નિર્ણયો લઈ રહ્યું છે. પ્રવીણ સોરાણીના આક્ષેપો પાયાવિહોણા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો ભાગ: રાજદીપસિંહ જાડેજાપ્રવીણ સોરાણીના આક્ષેપોનો શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જાડેજાએ જણાવ્યું કે, પ્રવીણ સોરાણી કદાચ ભાજપના નેતાઓ સાથે વધુ પડતી ઉઠક-બેઠક ધરાવતા હોવાથી તેમને કોંગ્રેસની હારના અને ઝીરો સીટના સપના આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોરાણી જે આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો એક ભાગ છે. આવી પક્ષવિરોધી પ્રવૃત્તિ કોઈ આગેવાન કે કાર્યકર કરે તે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમ મુજબ પ્રવીણભાઈ સામે પણ પગલાં લેવામાં આવશે. ‘એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી’કાર્યાલયના મુદ્દે જાડેજાએ સ્પષ્ટતા કરી કે, આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમજ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનાં અનેક નેતાઓ આ કાર્યાલયમાં આવી ચૂક્યા છે અને અહીં ઘણી મિટિંગો પણ થઈ છે. પ્રવીણભાઈ જેવા એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી. જે વાત તેમણે શીર્ષ નેતૃત્વને કરવી જોઈએ તે મીડિયા મારફત કરી શિસ્તભંગ કર્યો છે. પક્ષની શિસ્તનો ભંગ કરનાર અને જાહેરમાં પક્ષને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને જડબાતોડ જવાબ આપશે અને ઝીરો સીટની વાતો કરનારાઓને પ્રજા યોગ્ય જવાબ આપશે. કોંગ્રેસની આંતરિક લડાઈ શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચીઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોંગ્રેસની આ આંતરિક લડાઈ હવે શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. એક તરફ પક્ષના પાયાના કાર્યકર હોવાનો દાવો કરતા સોરાણી પક્ષના પતનની આગાહી કરી રહ્યા છે, તો બીજી તરફ સંગઠન તેમને શિસ્તના નામે બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા નેતાઓ પર થતા આક્ષેપો પક્ષ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ વિખવાદનો સીધો ફાયદો સત્તારૂઢ ભાજપને મળી શકે છે. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ નેતૃત્વ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તેનાં પર સૌની નજર છે. હાલ તો પ્રવીણ સોરાણીનું ઝીરો સીટ વાળું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 2:02 pm

પ્રૌઢને સગા સાઢુભાઈએ દગો દીધો:રાજકોટમાં સોપારીના ધંધામાં નુકશાન થતા ખેતીની જમીન પર લોનના બહાને વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો, રૂ.1 કરોડની માંગણી થતા FIR

રાજકોટમાં પ્રૌઢને સગા સાઢુભાઈએ દગો દીધો હોવાની ઘટના સામે આવી છે. ખારચિયા ગામના રહેવાસી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભુવા પાસે સાઢુભાઈ સુરેશ તાલપરાએ સોપારીના ધંધામાં નુકસાન પહોંચ્યું હોવાથી નાણાંની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામની ખેતીની જમીન પર લોન લેવડાવી આપવા કહ્યુ હતુ અને તેના નાણા 6 માસમાં ભરી દેશે તેવી બાંયધરી આપી હતી. જોકે તે બાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ અન્યના નામે કરાવી નાખ્યા. જેથી પ્રૌઢે ખેતીની જમીન પરત માગતા વ્યાજ સહિત રૂ.1 કરોડની માંગણી કરવામાં આવતા પ્રૌઢે સાઢુભાઈ સહિત 4 શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગૂનો નોંધી છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના ખારચિયા ગામે રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા 55 વર્ષીય રમેશભાઇ ભુવાએ આજી ડેમ પોલીસ મથકમાં સુરેશભાઈ તાલપરા (ઉ.વ.45, ધંધો-મજુરી રહે.પિતૃ કૃપા મકાન, સીતારામ સોસાયટી શેરી નં.૩, મોરબી રોડ, રાજકોટ), અલ્પેશ દોંગા (રહે. આર.કે. વર્લ્ડ ટાવર, ત્રીજો માળ, શીતલ પાર્ક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ),ધર્મેન્દ્ર ઠેસીયા (ઉ.વ.50, ચાંદીકામ રહે.મારૂતીનગર-3 શેરી નં.1, કુવાડવા રોડ, રાજકોટ, મુળ- પાતા મેઘપર તા. કાલાવડ જી.જામનગર), પરસોતમભાઈ લુણાગરીયા (ઉ.વ.50, ચાંદીકામ, રહે.આર.કે. બંગ્લોઝ, બંગલો નં-સી, કુવાડવા રોડ, 80 ફુટ રોડ, રાજકોટ) તથા તપાસમાં ખુલે તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તા.21/04/2023 થી તા.02/05/2023 દરમિયાન સાઢુભાઈ સુરેશભાઇ તાલપરાને સોપારીના ધંધામાં નુકશાની થતા નાણાની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામે આવેલી ખેતીની જમીન પર લોન કરાવી આપવા કહ્યું હતું અને 6 માસમાં લોનના નાણા ભરી દેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ લોનના બહાને પીપરવાડી ખાતેની જમીનનો ધર્મેન્દ્ર ઠેસિયાના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી છેતરપિંડી કરી હતી. જે બાદ ફરિયાદી રમેશભાઈએ બેઠક પણ કરી હતી. તે વખતે જમીન ઉપર વ્યાજે લીધેલા રૂપીયાના વ્યાજ સહીત કુલ રૂ.1 કરોડની માંગણી કરવામાં આવી હતી અને જો વ્યાજ સહીત રૂપીયા નહી આપો તો જમીન ભુલી જવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે આઇ.પી.સી. કલમ 420, 120(બી) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનીયમ – 2011 ની કલમ 5,40,42 મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:27 pm

સુરત સાયબર ક્રાઈમની મોટી સફળતા:‘ડિજિટલ એરેસ્ટ’ના નામે વૃદ્ધોને લૂંટતી ટોળકીનો વધુ એક સાગરીત ઝડપાયો, કોમ્પિટિટિવ એક્ઝામની કરે છે તૈયારી

આજના આધુનિક યુગમાં જેટલી ઝડપે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેટલી જ ઝડપે સાયબર અપરાધીઓ પણ સક્રિય થયા છે. નિર્દોષ નાગરિકો, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી ભયાનક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી વૃદ્ધોને માનસિક ત્રાસ આપી લૂંટતી આ ટોળકીના વધુ એક સાગરીત જીગ્નેશ શાહને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. શું હતી સમગ્ર ઘટના?આ ઘટનાની વિગત એવી છે કે, એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ (CBI) ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે ડરનું વાતાવરણ ઊભું કર્યું અને જણાવ્યું કે, “નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે.” આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. એટલે કે, તેમને સતત વીડિયો કોલ પર દેખરેખ હેઠળ રાખી કોઈને પણ જાણ ન કરવા દબાણ કર્યું હતું. આ માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મરણમૂડીમાંથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. કેવી રીતે બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા?પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જીગ્નેશ શાહ આ ગેંગ માટે ‘બેંક એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. ઠગબાજો જે રકમ પડાવતા, તે રકમ જીગ્નેશે પૂરા પાડેલા ખાતાઓમાં જમા થતી હતી, જેમાંથી તે પોતાનું કમિશન કાપી લેતો હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, “કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવો કોઈ કાયદેસરનો શબ્દ નથી, તે માત્ર ઠગાઈ કરવાની એક રીત છે. હાલ તો સુરત સાયબર ક્રાઈમ સેલ જીગ્નેશ શાહની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:24 pm

બેફામ બાઇક ચાલકે યુવકનો ભોગ લીધો:કોલવડા સોનીપુર રોડ પર મિત્ર સાથે વોકિંગમાં નીકળેલા યુવાનનું બાઇકની ટક્કરે મોત

ગાંધીનગરના કોલવડા ગામના ચામુંડાપુરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રિના સમયે જમીને ચાલવા નીકળ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલા એક મોટરસાઈકલ ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રણજીત પ્રજાપતિ નામના 27 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલીને જતા બે મિત્રોને અડફેટે લીધા હતાગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેફામ વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ કોલવડા ગામનો 27 વર્ષીય યુવક બન્યો છે.ગાંધીનગરના કોલવડાનો આનંદ અજમલજી ઠાકોર તેના મિત્ર રણજીત હરિભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રે આઠેક વાગે કોલવડાથી સોનીપુર રોડ પર ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઇક ચાલકે (નં.GJ27E4532) પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી બંને મિત્રોને પાછળથી અડફેટે લીધા હતા. રણજીત પર આખું બાઇક ચઢાવી દીધુંઆ ટક્કર એટલી જોરદાર હતી કે રણજીતભાઈ પર આખું બાઈક ચડી ગયું હતું. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા રણજીતને માથાના પાછળના ભાગે લોહી નીકળતું હોવાથી તે બેભાન થઈ ગયો હતો.જેના પગલે 108 એમ્બ્યુલન્સ થકી બંને મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓ થવાથી ફરજ પરના ડોક્ટરે રણજીતને મૃત જાહેર કર્યો હતો.આ અંગે આનંદ ઠાકોર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 1:16 pm

ભારત-મલેશિયા વચ્ચે સેમિકન્ડક્ટર-AI સહિત 6 ડીલ પર મહોર, PM મોદીએ કહ્યું- આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

Major Deals Signed Between India Malaysia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી. PM મોદી હાલ મલેશિયાના પ્રવાસે વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 1:11 pm

વસ્તડીના શખ્સનો રીક્ષામાં ભૂલાયેલો થેલો મળ્યો:નેત્રમની મદદથી સુરેન્દ્રનગર પોલીસે પરત કર્યો

સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના વસ્તડી ગામના ગોવિંદભાઈ ઈશ્વરભાઈનો રીક્ષામાં ભૂલાઈ ગયેલો થેલો 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી પરત કરવામાં આવ્યો છે. આ થેલામાં રૂ. 3,000ની કિંમતનો સામાન હતો.સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા 'નેત્રમ'ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવે છે. અરજદાર ગોવિંદભાઈ ઈશ્વરભાઈ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ ધ્રાંગધ્રાથી રીક્ષામાં બેસી સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે ઉતર્યા હતા. તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા.આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, 'નેત્રમ'ના સીસીટીવી કેમેરાની મદદથી ગોવિંદભાઈ જે રીક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01 TH-5325 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રીક્ષાચાલકનો સંપર્ક કરીને ગોવિંદભાઈનો થેલો તેમને પરત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:42 pm

બોડેલી મેરેથોનમાં 15 હજાર દોડવીરોએ ભાગ લીધો:જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન, વિજેતાઓને રોકડ ઇનામ અપાયા

છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલી ખાતે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં દેશ-વિદેશના આશરે 15 હજાર દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડમાં 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ થતો હતો. મેરેથોનની શરૂઆત વહેલી સવારે લગભગ 6 વાગ્યે બોડેલી સેવા સદન નજીકના ગ્રાઉન્ડથી થઈ હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ફ્લેગ ઓફ કરીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1 કિલોમીટરની દોડમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 5-5 હજાર, 5 કિલોમીટરની દોડમાં રૂ. 11-11 હજાર અને 10 કિલોમીટરની દોડમાં રૂ. 25-25 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 50-50 હજારનું ઇનામ અપાયું હતું. આ મેરેથોનમાં એક 7 વર્ષીય બાળકીએ પણ 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે લગભગ ત્રણ કલાકમાં આ દોડ પૂરી કરી હતી. બાળકીના આ સાહસ બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:40 pm

ભરૂચમાં હજ યાત્રિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન:આશરે 500 હાજીઓએ રસીકરણનો લાભ લીધો

ભરૂચમાં આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ હજ યાત્રીઓને જરૂરી રસીકરણ પૂરું પાડવાનો હતો. હજ કમિટી દ્વારા આયોજિત આ કેમ્પ તાજેતરમાં 8મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ ઉપસ્થિત રહી રસીકરણનો લાભ લીધો હતો. આયોજકોએ યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપી હતી. સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામગીરીને સફળ બનાવવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. કેમ્પ દરમિયાન ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. ગોપિકા મેખીયા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અભિનવ શર્મા, ડૉ. રૂહીના શેખ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. કેમ્પના સમાપ્તિએ, ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:40 pm

મોરબીમાં બે અપમૃત્યુના બનાવ:કારખાનામાં લિફ્ટ પડતાં આધેડનું મોત, યુવાનને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના અપમૃત્યુ થયા છે. સોખડા ગામ પાસે એક કારખાનામાં લિફ્ટ પડતા 52 વર્ષીય આધેડનું મોત થયું હતું, જ્યારે ધુતારી વાડી વિસ્તારમાં 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલા સોખડા ગામ નજીક પીરવોન લેમિનેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ (ઉંમર 52) કારખાનામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર લિફ્ટ પડતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત લલનભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મોરબીના બાયપાસ રોડ પર નેક્સેસ સિનેમા સામેના ધુતારી વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉંમર 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ યુવાનનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:37 pm

મોરબી નાગરિક બેંકના 6 ડિરેક્ટર માટે આજે મતદાન:મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. મોડીરાત સુધીમાં પરિણામ જાહેર થશે

મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટર પદો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. કુલ 9 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બાકીના 6 પદો માટે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતાં નવી વરણી માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાં 6 સામાન્ય બેઠકો, 2 મહિલા અનામત બેઠકો અને 1 SC/ST અનામત બેઠકનો સમાવેશ થાય છે. મહિલા અનામત બેઠકો પર જ્યોતિબેન વિરાણી અને હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા બન્યા છે. જ્યારે SC/ST અનામત બેઠક પર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. સામાન્ય કેટેગરીની 6 ડિરેક્ટર બેઠકો માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો બે અલગ-અલગ પેનલમાંથી આવ્યા છે. મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટયાર્ડ ખાતે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી અધિકારી ડી.એમ. બાવરવા પાસેથી મળતી માહિતી મુજબ, કુલ 6,596 સભાસદો મતદાન કરીને 12 ઉમેદવારોમાંથી 6 ડિરેક્ટરોની પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ભાગ લેનાર તમામ 12 ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં બંને પેનલ જીત માટે સઘન પ્રયાસો કરી રહી છે. મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મતગણતરી આજે મોડી રાત સુધીમાં પૂર્ણ કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:30 pm

પિતાની નજર સામે પુત્રની હત્યા:સુરતમાં બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલા પિતા-પુત્રને ચપ્પુના ઘા માર્યા, પિતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નજીવી બાબતે થયેલા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. બાળકોના સામાન્ય વિવાદમાં સમજાવવા ગયેલા પિતા-પુત્ર પર પડોશીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શું હતી સમગ્ર ઘટના?અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બાળકો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ મામલો થાળે પાડવા અને પડોશીઓને સમજાવવા માટે 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા ગયા હતા. જોકે, ઉશ્કેરાયેલા સામા પક્ષના લોકોએ સમજવાને બદલે પિતા-પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો. પુત્રનું મોત, પિતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છેઆ હુમલો એટલો ભયાનક હતો કે ફરીદ બંબાવાલાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. બીજી તરફ, પુત્રને બચાવવા ગયેલા પિતા પર પણ હુમલો થતા તેઓ હાલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પરિવારે ગુમાવ્યો આધારસ્તંભમૃતક ફરીદ વ્યવસાયે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે માસૂમ બાળકો (એક દીકરી અને એક દીકરો), વૃદ્ધ માતા-પિતા અને ભાઈ-ભાભીનો સમાવેશ થાય છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. રોષે ભરાયેલા પરિવારજનોએ આરોપીઓને સખત સજા અને ઉંમર કેદની માગ કરી છે. પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરીજુવાન દીકરાને ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર પરિવારજનોના હૈયાફાટ રૂદને સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. મારો ભાઈ સમજાવવા ગયો ને પાછળથી ચપ્પુ મારી દીધું: મૃતકનો ભાઈમોહમ્મદ અઝીમે (મૃતકનો ભાઈ) જણાવ્યું કે બાળકો-બાળકો વચ્ચેનો ઝઘડો હતો, તેમાં મારો ભાઈ સમજાવવા ગયો હતો. એટલી જ વારમાં તે લોકોએ પાછળથી તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો. ત્યારબાદ મારા પપ્પા પણ વાતચીત કરવા અને મામલો થાળે પાડવા ગયા હતા, પરંતુ મારા પપ્પાને પણ પાછળ કમરના ભાગે ચપ્પુ માર્યું છે. મારવાવાળા ત્યાંના મૌલાના આઝાદ છે, સદ્દામ છે, સિરાજ છે અને બીજો એક છે જેનું નામ મને ખબર નથી. એમ કુલ ચાર જણા હતા. ‘આરોપીઓને કડકમાં કડક સજા થાય’ફરીદભાઈ ત્યાં રિક્ષા ચલાવતા હતા. રિક્ષા ચલાવીને ધંધા પરથી ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે ત્યાં ઝઘડો થયો છે. તો મારો ભાઈ ખાલી વાત કરવા ગયો હતો કે મામલો પતી જાય, પણ તે લોકોએ પાછળથી વાર કરી દીધો. તેમની સજા એવી હોવી જોઈએ કે તેમના બંને ઘૂંટણ સુધીના પગ કાપી નાખવા જોઈએ. તેમને લાવારિસ ભિખારી બનાવી દો જેથી તે સિગ્નલ પર ભીખ માંગવા લાયક રહી જાય. આ સાથે તેમણે ઉંમર કેદની સજા કરવામાં આવે. સામાન્ય બાબતનો ઝઘડો હતો: મૃતકના સંબંધીમૃતકના સંબંધી ભીખન મુન્શી શેખે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય બાબતનો ઝઘડો હતો, જે બાળકો-બાળકો વચ્ચે થયો હતો. આ ફરીદ નામનો છોકરો જેનું મૃત્યુ થયું છે તેમને સમજાવવા માટે ગયો હતો, પણ ત્યાં ચાર જણા હતા. જેમણે ભેગા મળીને તેને લાકડીઓ અને ચપ્પુના ઘા મારીને ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. તેના પરિવારની બે-ત્રણ મહિલાઓને પણ ઈજા થઈ છે. મામલો ઘણો ગંભીર બની ગયો હતો એટલે રાત્રે જ અમે તેને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. તેના પિતાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ અત્યારે હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ‘પોલીસ અમને ન્યાય અપાવશે’આ ઘટના કોસાડ આવાસ, H1 બિલ્ડીંગ નંબર 50 પાસે બની હતી. હુમલો કરનારાઓમાં મૌલાના આઝાદ, સિરાજ, મુસ્તાકીમ અને સદ્દામ નામના ચાર ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. આ માત્ર બાળકોના ઝઘડામાં સમજાવવા જવાની બાબતે આટલું મોટું પગલું ભરી લેવામાં આવ્યું છે. પોલીસ અત્યારે આ મામલે કાર્યવાહી કરી રહી છે અને અમને પોલીસ પર પૂરો ભરોસો છે કે તેઓ અમને ન્યાય અપાવશે. આરોપીઓની ઉંમર કેદની સજા થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:23 pm

‘દર વર્ષે નવું પ્રપોઝલ આવે છે’, VIDEO:પ્રપોઝ કર્યું પૂછતાં જ છોકરીઓની સાથે છોકરાઓ પણ હરખાયા; જાણો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા

વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. આમ તો તમે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે પ્રપોઝ કરી શકો. પણ વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ અમદાવાદીઓને પૂછ્યું કે શું તમને કોઇએ પ્રપોઝ કર્યું?… તો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા છે તે જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:08 pm

ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર:ઈન્ડિગો રાજકોટથી દુબઈ, બેંગકોકની ફ્લાઇટ શરૂ કરવા તૈયાર પણ ઇમિગ્રેશન ક્લિયરન્સ ન મળ્યું

રાજકોટ-અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણના અઢી વર્ષ બાદ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજિસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા બબ્બે વખત સર્વે થયા બાદ પણ ઈમિગ્રેશન ક્લિયરન્સ આપવામાં ન આવતા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. ઈન્ડિગોએ રાજકોટથી દુબઈ અને બેંગકોક માટેની ફ્લેટ શરૂ કરવા તૈયારી બતાવવામાં આવી છે, ત્યારે ઇમિગ્રેશન ક્લિયરન્સને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. ઈન્ડીગો રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા તૈયાર આ દરમિયાન હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આશરે 26 જેટલી ડોમેસ્ટીક ફલાઈટોનું આવન-જાવન થઈ રહ્યું છે. રાજકોટ ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થયાને આશરે સવા બે વર્ષ થઈ ગયા હોય ઈન્ટરનેશનલ ફલાઈટો એક પણ ઉડાન ભરી રહી નથી. ત્યારે ઈન્ડીગો એરલાઈન્સ સાથે મૌખીક ચર્ચા થયા મુજબ તેઓ રાજકોટ-દુબઈ અને રાજકોટ-બેન્કોક માટેની ફલાઈટ શરૂ કરવા માટે તૈયાર છે પરંતુ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે તે શક્ય બની રહ્યું નથી. સર્વે બાદ પણ ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલયની મંજૂરી નહિજ્યારે કસ્ટમ્સ કલીયરન્સની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વધુમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમિગ્રેશનની સુવિધા માટે અમદાવાદની ફોરેનર્સ રિજિયોનલ રજીસ્ટ્રેશન ઓફિસની ટીમ દ્વારા છેલ્લા 9 માસ પહેલા સર્વે કરવામાં આવ્યો હતો. તેઓ દ્વારા જે સૂચનો આપવામાં આવેલા હતા તે પ્રમાણે તમામ ફેરફારો પણ થઈ ગયા છે. તાજેતરમાં જ 3 માસ પહેલા આ જ કંપની દ્વારા બીજીવાર પણ સર્વે કરવામાં આવ્યો હતો અને તમામ વ્યવસ્થાઓ બરાબર હોવાનો અભિપ્રાય પણ આપ્યો છે, પરંતુ આજ દીન સુધી ઈમિગ્રેશનની સુવિધા માટે ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા મંજૂરી મળી નથી. અગાઉ ઈમીગ્રેશનની સુવિધા માટે રજૂઆતો કરાઈ હતીરાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા અગાઉ પણ ઈમીગ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉડયનમંત્રી કિંજરાપુ રામમોહન નાયડુ, રાજયકક્ષાના ઉડયનમંત્રી મુરલીધર મોહોલ, ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ તાત્કાલીક અસરથી રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમીગ્રેશનની સુવિધા શરૂ કરાવાવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેથી કરીને ઈન્ટરનેશનલ ફલાઈટો વ્હેલીતકે શરૂ થાય અને રાજકોટ-સૌરાષ્ટ્રના વેપાર-ઉદ્યોગકારો, આમ પ્રજાને ઈન્ટરનેશનલ ફલાઈટોની સુવિધાનો લાભ મળી રહે તેમ જણાવ્યુ હતુ. સૌરાષ્ટ્રના નજરાણા સમાન નિર્માણ પામેલ રાજકોટ ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું 27 જુલાઈ, 2023ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામા આવ્યુ હતું. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને PMના નેતૃત્વમાં ઉદ્યોગો ખૂબ જ વેગવંતા બન્યા છે, ત્યારે રાજકોટ ખાતે 2.25 લાખથી વધુ MSME એકમો કાર્યરત હોય અને આયાત-નિકાસ પણ દિન પ્રતિનિધિ વધી રહ્યું છે. આ સાથે જ સમગ્ર સૌરાષ્ટ્ર ઐતિહાસિક સ્થળોથી પથરાયેલું હોવાથી વિદેશીઓ સહિત અન્ય રાજયોના પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:02 pm

જામજોધપુરના કોટડા બાવીસીમાં પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ:ખેડૂતોને કૃષિ નિષ્ણાતો દ્વારા પાંચ આયામનું વિસ્તૃત માર્ગદર્શન મળ્યું

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી એક વિશેષ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તાલીમ દરમિયાન, કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવવામાં આવ્યા હતા. તેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માહિતી આપી. આ ઉપરાંત, ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા અને ઝેરમુક્ત ખેતી દ્વારા લોકોના સ્વાસ્થ્યની રક્ષા કરવા અંગે પણ જાગૃત કરવામાં આવ્યા. આ પદ્ધતિઓ અપનાવવાથી પર્યાવરણનું રક્ષણ કેવી રીતે થઈ શકે તે વિશે પણ સમજાવવામાં આવ્યું. આ તાલીમ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. તેમણે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓને ઊંડાણપૂર્વક સમજીને પોતાના ખેતરમાં તેનો અમલ કરવાનો ઉત્સાહ દર્શાવ્યો. આ આયોજન દ્વારા ગ્રામ્ય સ્તરે ટકાઉ ખેતી અને પર્યાવરણની જાળવણીનો સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 12:00 pm

પંચમહાલમાં ડીજે વોર:વીડિયો વાઇરલ થતાં જ પોલીસે 2 DJ સિસ્ટમ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સંચાલકો પાસે મંગાવી માફી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભુરખલ ગામમાં 'ડીજે વોર'નો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. શહેરા પોલીસે બંને ડીજે સિસ્ટમ સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને તેના સંચાલકો પાસે જાહેરમાં માફી મંગાવી હતી. આ ઘટના ભુરખલ ગામમાં એક સામાજિક પ્રસંગ દરમિયાન બની હતી. જેમાં બે અલગ-અલગ ડીજે સિસ્ટમ્સને સામસામે ગોઠવીને 'ડીજે વોર' સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા દરમિયાન કેટલાક યુવાનો ડીજે ટ્રકો પર જોખમી રીતે ચઢેલા જોવા મળ્યા હતા. યુવાનો દ્વારા જાહેરમાં અભદ્ર ઈશારાઓ કરીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. મોટા અવાજે સંગીત વગાડીને જાહેર શાંતિનો ભંગ પણ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં જ શહેરા પોલીસ સક્રિય બની હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. શહેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર અંકુર ચૌધરીના જણાવ્યા પ્રમાણે, બંને ડીજે સિસ્ટમ અને વાહન મળી 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પોલીસે બંને ડીજે સંચાલકો પાસે જાહેરમાં કાન પકડાવી માફી મંગાવી હતી. ભવિષ્યમાં આવા કૃત્યોનું પુનરાવર્તન ન થાય અને જાહેર શાંતિ જળવાઈ રહે તે હેતુથી આ પગલું ભરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 11:55 am

અમરેલી મુખ્ય બજારમાં ગટરના પાણી ઉભરાયા:જિલ્લા પંચાયત નજીક દુર્ગંધથી વેપારીઓ-રાહદારીઓ પરેશાન

અમરેલી શહેરની મુખ્ય બજારમાં આવેલા જિલ્લા પંચાયત બિલ્ડીંગ નજીક ગટરના ગંદા પાણી ફરી એકવાર રોડ પર ઉભરાઈ રહ્યા છે. આ સમસ્યાને કારણે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, જેનાથી રાહદારીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નગરપાલિકાની કથિત બેદરકારીને કારણે આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી દર બેથી પાંચ દિવસે સર્જાય છે. ગટર મેન્ટેનન્સ વારંવાર કરવા છતાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી, જેના પરિણામે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પ્રભાવિત થયો છે. જિલ્લા પંચાયત બિલ્ડીંગ નજીક ગટરના ગંદા પાણી રોડ પર ભરાઈ રહેતા વેપારીઓ, દુકાનદારો, ગ્રાહકો અને વાહનચાલકો સહિતના રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. દુકાનો સામે ગંદુ પાણી ભરાઈ રહેવાથી ધંધા-રોજગાર પર સીધી અસર પડે છે, અને દુર્ગંધના કારણે લોકોમાં આરોગ્યની ચિંતા પણ વધી છે. સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી આ ગંભીર સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેને લઈને લોકોમાં વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. આ અંગે સ્થાનિક વેપારી કલ્પેશભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, દર અઠવાડિયે આ ગટરનો પ્રશ્ન ઉભો થાય છે, જેના કારણે ભયંકર દુર્ગંધ આવે છે. નગરપાલિકાના અધિકારીઓ ધ્યાન આપતા નથી. તેઓ ત્રણ-ચાર પાઈપ લઈને આવે છે, પણ કામ કરતા નથી. ઢાંકણા તૂટી જાય છે અને દસ દિવસે રિપેર કરવા આવે છે. આગળ એક મોટો ટાંકો તૂટી ગયો છે અને ખાડો પડ્યો છે, છતાં ઢાંકણું બદલવામાં આવ્યું નથી. અમે નગરપાલિકામાં ત્રણ-ચાર વાર રજૂઆત કરી છે, પણ 'આવશું, આવશું' એવો જવાબ મળે છે. આના કારણે ગ્રાહકો પણ આવતા નથી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 11:18 am

રાણીની વાવ ઉત્સવ શરૂ, બલરાજ શાસ્ત્રી, સીદી ધમાલ રજૂઆત:પાટણમાં બે દિવસીય કાર્યક્રમ, યુવાનોને સંસ્કૃતિથી વાકેફ કરવાનો ઉદ્દેશ્ય

પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય 'રાણીની વાવ ઉત્સવ'નો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ લોકગાયક બલરાજ શાસ્ત્રી અને તેમના કલાકારોના વૃંદ તેમજ સીદી ધમાલ નૃત્ય રજૂ કરાયા હતા. આ ઉત્સવનું આયોજન ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય સંસ્કૃતિ, લોકકલાઓ અને પાટણના ગૌરવપૂર્ણ ઇતિહાસથી પરિચિત કરાવવાનો છે. આ કાર્યક્રમ રવિવારે પાટણના 1281મા સ્થાપના દિવસ પૂર્વે યોજાયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરે રાણીની વાવની મુલાકાત લીધી હતી. રાણીની વાવને રંગબેરંગી લાઇટિંગથી શણગારવામાં આવી હતી, જેનાથી વાતાવરણ મનમોહક બન્યું હતું. આ સંગીત સમારોહમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક અધિકારીઓ, કર્મચારીઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી. મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાણીની વાવ પાટણની અદભૂત ઓળખ છે અને ઇતિહાસમાં તેનું વિશિષ્ટ સ્થાન છે. વર્ષો પહેલા જમીનમાં દટાઈ ગયેલી આ વાવને પુનર્જીવિત કરીને તેની પરંપરાગત જાળવણી અને ઉજવણી કરવામાં આવે છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ભારતીય સંસ્કૃતિ, લોકકલાઓ અને પાટણના ગૌરવપૂર્ણ ઇતિહાસથી વાકેફ કરવાનો છે. પાટણ સ્થાપના દિન ઉત્સવ સમિતિ દ્વારા મંત્રીને રાણીની વાવ ખાતે લેસર શો ઝડપથી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 11:12 am

વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા:ગત મોડી સાંજથી સર્ચ ઓપરેશન, ડેમમાંથી પાણી બંધ કર્યુ; ખેરાલુના ચાડા ગામનો બનાવ

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં 75 વર્ષીય વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત(7 ફેબ્રુઆરી) બપોરના સમયથી બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળ્યાખેરાલુના ચાડા ગામના વતની આનંદીબેન મગનલાલ બારોટ (ઉં.વ. 75) ગત બપોરે ગામ પાસેથી પસાર થતી ધરોઈ કેનાલ પાસે ગયા હતા. આ દરમિયાન તેઓ અકસ્માતે કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આસપાસના ખેતરમાં કામ કરતા લોકો અને પસાર થતા વિદ્યાર્થીઓએ વૃદ્ધાને કેનાલમાં પડતા જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ કેનાલ કાંઠે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળી આવ્યા હતા જેના પરથી તેઓ અહીં જ ડૂબ્યા હોવાની પુષ્ટિ થઈ હતી. ધરોઈ ડેમમાંથી પાણી બંધ કરી સર્ચ ઓપરેશનસ્થાનિકોએ તાત્કાલિક મહેસાણા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટરોની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વૃદ્ધાની શોધખોળ માટે ધરોઈ ડેમમાંથી કેનાલનું પાણી પણ બંધ કરાવવામાં આવ્યું હતું. ફાયરની ટીમ અને સ્થાનિક તરવૈયાઓએ ગત મોડી સાંજ સુધી કેનાલના ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે અંધારું થઈ જતાં અને વિઝિબિલિટી ઘટતા રાત્રિના સમયે રેસ્ક્યુ કામગીરી અટકાવવાની ફરજ પડી હતી.આજે વહેલી સવારથી ફરી એકવાર મહેસાણા ફાયર ટીમ દ્વારા કેનાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વૃદ્ધા હજુ સુધી ન મળતા પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 10:01 am

પ્રભાસપાટણ ગામ-સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો:સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાતોરાત રસ્તા બંધ કરતા ગ્રામજનોમાં ભારે આક્રોશ; પ્રભાસ હિત રક્ષક સમિતિનું આવેદન

સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના જાહેર રસ્તાઓને સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે જાહેર સૂચના વિના રાતોરાત સિમેન્ટની દીવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાતા સમગ્ર પ્રભાસ પાટણ ગામમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે પ્રભાસ પાટણ ગામના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતી પ્રભાસ હીત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ તથા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવી, મંદિર ટ્રસ્ટ દ્વારા મનસ્વી રીતે બંધ કરાયેલા બંને રસ્તાઓ તાત્કાલિક અસરથી ખુલ્લા કરાવવા માગણી કરવામાં આવી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિના પ્રમુખ હેમલચંદ્ર ભટ્ટ, ઉપપ્રમુખ બાલાભાઈ શામળા સહિતના આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રભાસ પાટણ ગામ સદીઓથી વસેલું છે અને ચારથી પાંચ પેઢીથી ગ્રામજનો અહીં વસવાટ કરે છે. જ્યારે ગામ વસ્યું ત્યારે સોમનાથ મંદિર જર્જરિત અવસ્થામાં હતું અને અહલ્યાબાઈ હોલ્કર દ્વારા નિર્મિત જુનુ મંદિર હાજર હતું. તે સમયથી પ્રભાસ પાટણ ગામની મુખ્ય બજારથી દિગ્વીજય દ્વાર સુધીનો ખુલ્લો રસ્તો ગ્રામજનો તથા યાત્રાળુઓ માટે જીવનરેખા સમાન રહ્યો છે. આ રસ્તાઓ માત્ર અવરજવર માટે નહોતા, પરંતુ પ્રભાસ પાટણ ગામ માટે ધોરીનશ સમાન હતા. ચારથી પાંચ પેઢીથી અહીં વસતા ગ્રામજનો માટે આ રસ્તાઓ ધાર્મિક આસ્થા, સામાજિક સંસ્કાર, આર્થિક પ્રવૃત્તિ અને આપત્તિ સમયે જીવ બચાવવાના માર્ગ રહ્યા છે. ભગવાન શ્રી સોમનાથજીના નિયમિત દર્શન, અંતિમ યાત્રા સમયે ધ્વજાજીના દર્શન, તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ તથા આગના બનાવોમાં ફાયર ફાઈટર પહોંચાડવા માટે આ રસ્તાઓ અનિવાર્ય રહ્યા છે. પરંતુ કોઈ આગોતરી જાણ, જાહેરનામું કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ટ્રસ્ટ દ્વારા આ રસ્તાઓ બંધ કરાતા પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે જાણે દીવાલ ઊભી કરી દેવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિણામે યાત્રાળુઓનો ગામમાં પ્રવેશ અટકી ગયો છે, જેના કારણે સ્થાનિક વેપાર, હોટલ, રેસ્ટોરન્ટ, વણકામ, દરજીકામ જેવા પરંપરાગત ધંધાઓ પર સીધી અસર પડી છે. પ્રભાસ હીત રક્ષક સમિતિએ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયને પાઠવેલા આવેદનપત્રમાં આ પગલાને કાયદા વિરુદ્ધ અને મનસ્વી ગણાવ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, સીટી સર્વે રેકોર્ડ અનુસાર 1922થી 1926 દરમ્યાનથી આ રસ્તાઓ સરકારી જાહેર રસ્તા તરીકે અસ્તિત્વમાં છે અને 100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં છે. ઈન્ડિયન ઈઝમેન્ટ એક્ટ મુજબ ગ્રામજનોના કાયદેસર ઈઝમેન્ટ રાઈટ હોવા છતાં, તે અધિકારો રાતોરાત છીનવી લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:55 am

સામાન્ય અકસ્માતમાં મારામારી:પ્રહલાદનગર ગાર્ડન પાસે ડ્રાઈવરથી ગાડી અડી જતા પાછળ બેઠેલા શેઠાણીને બે શખસોએ લાફા મારી દીધા

અમદાવાદ શહેરના પ્રહલાદનગર ગાર્ડન પાસેથી ગઇકાલે(7 ફેબ્રુઆરી) બપોરના સમયે એક ગાડીમાં ડ્રાઇવર શેઠાણીને લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન ડ્રાઇવરથી આગળની ગાડીને ગાડી અડી જતા ગાડીમાંથી એક યુવક યુવતીએ ઉતરીને ડ્રાઈવર અને શેઠાણીને લાફા મારી દીધા હતા. આ અંગે ડ્રાઈવરે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આગળની ગાડીને કાર અડી ગઈવેજલપુરમાં રહેતા ઉપેન્દ્ર યાદવે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે પ્રહલાદનગર ખાતે રહેતા તેમના શેઠાણી નિધી શાહને ગાડીમાં લઈને તે જતો હતો. આ દરમિયાન પ્રહલાદનગર ગાર્ડન પાસે આગળની ગાડીને તેમની ગાડી અડી જતા આગળની ગાડીમાંથી એક યુવતી અને તેની સાથે એક યુવક ગાડીમાંથી ઉતરીને બહાર આવ્યા હતા. ડ્રાઇવર અને શેઠાણીને લાફા માર્યાબંનેએ ઉપેન્દ્રને કહ્યું હતું કે તું આંધળો છે તેમ કહી ઉપેન્દ્ર અને નિધીબેનને ગાળો બોલીને પાછળનો દરવાજો ખોલી નિધીબેનને લાફા મારી દીધા હતા. ઉપેન્દ્રને પણ એક લાફો મારી દીધો હતો. આ દરમિયાન તેમના પતિ સંયમ શાહને ફોન કરતા સંયમભાઈ પણ ત્યાં પહોંચ્યા ત્યારે બંનેેએ સંયમભાઈનો કોલર પકડીને તેમને પણ રસ્તાની વચ્ચે બે લાફા મારી દીધા હતા. યુવક-યુવતી મારામારી કરી ત્યાંથી જતા રહ્યા હતા. બાદમાં આ અંગે ઉપેન્દ્રએ ફરિયાદ નોંધાવતા આનંદનગર પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:40 am

ચીન ડૉલર-બોન્ડ વેચી સોનાનો કરી રહ્યો છે ભંડાર, સતત 15મા મહિને બમ્પર ખરીદી કરી ચોંકાવ્યાં

Gold and China News : ચીન સતત અમેરિકન બોન્ડ વેચીને ડી-ડોલરાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે. ચીનની આ આક્રમક નીતિનો વઘુ એક પુરાવો મળ્યો છે જેમાં ચીન યુએસ બોન્ડ અને ડોલર વેચી તો રહ્યું છે અને સામે સોનાનો બમ્પર સ્ટોક પણ કરી રહ્યું છે. બીજી તરફ સોનાના ઊંચા ભાવને પરિણામે 2025માં વિશ્વની વિવિધ કેન્દ્રીય બેન્કો દ્વારા સોનાની ખરીદી 1000 ટનની અંદર રહી હતી. અગાઉના ત્રણ વર્ષમાં દર વર્ષે ખરીદીનો આંક 1000 ટનની ઉપર રહ્યો હતો. ચીનની સેન્ટ્રલ બેંકે સતત 15મા મહિને સોનાની ખરીદી કરીને વૈશ્વિક નાણાકીય બજારોનું ધ્યાન ખેંચ્યું છે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 9:38 am

સુરતમાં નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ, મેજર કોલ જાહેર:ગ્રાઉન્ડ ફ્લોર પરના ખાતામાં આગ લાગતા અફરાતફરી, 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે

સુરતમાં ફરી લાગી ટેકસટાઇલ માર્કેટમાં આગ લાગી છે. પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેકસ્ટાઈલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ખાતામાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ છે. ખાતામાં જથ્થાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા પાંચ ફાયર સ્ટેશનની 10 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ફાયરના જવાનો દ્વારા ઓક્સિજન માસ્ક પહેરી અંદર પ્રવેશ કરીને પાણીનો મારો ચલાવી રહ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં આગના પગલે ચીફ ફાયર ઓફિસર સહિતના ઘટના સ્થળે દોડી ગયા છે. રવિવાર હોવાથી રજાનો દિવસે આગથી હાલ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:28 am

NDPS કેસનો આરોપી ઝડપાયો:પોશીનાના ચંદ્રાણા પાસેથી ડીસા પોલીસે પકડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPSના ગુનામાં આઠ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને પોશીનાના ચંદ્રાણા ગામની સીમમાંથી બાતમીના આધારે પકડવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI આર.કે. ગજ્જર અને ડી-સ્ટાફના માણસો પોશીના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન સ્ટાફના દીપકકુમારને બાતમી મળી હતી. બાતમી મુજબ, બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતો ફરતો આરોપી હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર (રહે. ચંદ્રાણા, તા. પોશીના) ચંદ્રાણા ગામની સીમમાં રોડ પર ઊભો હતો. આ બાતમીના આધારે પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને છેલ્લા આઠ મહિનાથી ફરાર હવલાભાઈને ઝડપી લીધો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ હવલાભાઈ કાંતિભાઈ નાગોત્તર છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તે ચંદ્રાણા (ખણીઘાંટીફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠાનો રહેવાસી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:22 am

નવસારીમાં લગ્નના ગરબામાં કાર ઘૂસી, 5થી વધુ ઇજાગ્રસ્ત:બેફામ સ્પીડે આવેલા ચાલકે અડફેટે લીધા; નશાની આશંકા, પોલીસ તપાસ શરૂ

નવસારી શહેરમાં ગત રાત્રે સુશ્રુષા હોસ્પિટલ નજીક એક લગ્ન પ્રસંગના ગરબામાં બેફામ ગતિએ આવતી કાર ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં ગરબા રમી રહેલા 5થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ફૂલ સ્પીડમાં કાર ગરબા રમી રહેલા ટોળામાં ઘુસાડી દીધી હતી. પ્રાથમિક આશંકા છે કે કાર ચાલક નશાની હાલતમાં હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે લગ્ન પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પીડિત પરિવાર દ્વારા વિજલપોર પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજી આપવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે અને કાર ચાલકની અટકાયત કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:17 am

બોટાદમાં મિકેનિક-ડીલર એસોસિએશનનો સેમિનાર યોજાયો:ટ્રાફિક પોલીસે નિયમો અંગે જાગૃતિ માટે સૂચનો કર્યા

બોટાદના ગઢડા રોડ પર આવેલી મહાદેવ હોટેલ ખાતે મિકેનિક અને ડીલર એસોસિએશનનો જાગૃતિ સેમિનાર યોજાયો હતો. પટેલ હીરો એજન્સી દ્વારા આયોજિત આ સેમિનારમાં બોટાદ જિલ્લાના બાઈક મિકેનિકલ એસોસિએશન અને બાઈક ડીલર એજન્સીના પ્રતિનિધિઓ સહિત આશરે 250 લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોટાદ ટ્રાફિક પી.એસ.આઈ., એ.એસ.આઈ., કોન્સ્ટેબલ સહિતના પોલીસ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ કેળવવા માટે સૂચનો કર્યા હતા. જેમાં હેલ્મેટ પહેરવું, સિગ્નલોનું પાલન કરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ટાળવો, વાહનોનું આડેધડ પાર્કિંગ ન કરવું, અને સીટબેલ્ટ ફરજિયાત બાંધવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાહનો માટે જરૂરી પીયુસી, વીમો, પાસિંગ અને નંબર પ્લેટ નિયમ મુજબ લગાવવા, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે રાખવું અને બાઇકમાં ત્રણ સવારી ન કરવી જેવા અનેક ટ્રાફિક નિયમોના સુચારુ અમલીકરણ માટે પણ જાણકારી અને સૂચનો આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 9:05 am

લગ્ન માટે હવે વિદેશ જવાની જરૂર નથી!:નવસારીમાં બની રહ્યું છે ગ્લોબલ વેડિંગ ડેસ્ટિનેશન, બૂલેટ ટ્રેન NRI હબને આપશે નવી ગતિ; મુંબઈથી દોઢ કલાકનું જ અંતર

દક્ષિણ ગુજરાતનું શાંત અને હરિયાળું શહેર ગણાતું નવસારી હવે વિશ્વના નકશા પર નવી ઓળખ પ્રસ્થાપિત કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી માત્ર ચીકુ અને કેરીની વાડીઓ માટે જાણીતું આ શહેર આગામી દિવસોમાં 'મેરેજ ટુરિઝમ'નું હબ બનશે. નવસારીના એક ખેડૂતપુત્રએ ખેતીમાં નુકસાન વેઠ્યા બાદ હિંમત હારવાને બદલે કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. હવે અડદા ગામમાં 250 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ સાકાર કરી રહ્યા છે, જે 5000 લોકોને રોજગારીની તકો પૂરી પાડશે. આ સાથે જ મુંબઈથી માત્ર દોઢ કલાકના અંતરે આ વર્લ્ડ ક્લાસ સુવિધા વિકસશે. ત્યારે અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટથી આને ખૂબ મોટો ફાયદો થશે. ખેતીના સંઘર્ષમાંથી કન્સ્ટ્રક્શનનો માર્ગઆ સાહસિક સફરની શરૂઆત સંજય પટેલ નામના યુવાન દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2000થી 2005 દરમિયાન તેઓ પરંપરાગત ખેતી સાથે જોડાયેલા હતા. જોકે, બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે વારંવાર પાક નિષ્ફળ જતાં તેમને મોટું આર્થિક નુકસાન થયું હતું. કુદરત પર નિર્ભર ખેતીમાં અનિશ્ચિતતા જણાતા તેમણે 2005માં કન્સ્ટ્રક્શન ક્ષેત્રે પદાર્પણ કર્યું. નવસારી જેવા ટાયર-3 શહેરમાં તેમણે સૌપ્રથમવાર 'રી-ડેવલપમેન્ટ'નો કન્સેપ્ટ રજૂ કરીને ઈમારતોનો કાયાકલ્પ કરવાનું શરૂ કર્યું હતું. 'મેરેજ ટૂરિઝમ' શા માટે?આ પ્રોજેક્ટ પાછળનો વિચાર સંજય પટેલને તેમના યુરોપ પ્રવાસ દરમિયાન આવ્યો હતો. વિદેશમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ કયા શહેરના છે, ત્યારે 'નવસારી' નામ કોઈ ઓળખી શક્યું નહીં. પરંતુ જ્યારે તેમણે 'સુરતની બાજુમાં' એમ કહ્યું ત્યારે તુરંત ઓળખ મળી હતી. આ ઘટનાએ તેમને હચમચાવી દીધા. તેમણે નક્કી કર્યું કે નવસારીની ઓળખ માત્ર સુરતના પડોશી શહેર તરીકે નહીં, પરંતુ ગ્લોબલ લેવલે સ્વતંત્ર હોવી જોઈએ. તેમણે નક્કી કર્યું કે નવસારીને સુરતના ઓશિયાળા રહેવાને બદલે એક સ્વતંત્ર અને વૈશ્વિક ઓળખ આપવી જોઈએ. આ હેતુથી તેમણે સુરત જેવી જ લક્ઝુરિયસ રેસિડેન્શિયલ અને કોમર્શિયલ સુવિધાઓ નવસારીમાં લાવવાનું નક્કી કર્યું. આ હેતુથી તેમણે નવસારીને વેડિંગ હબ બનાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને સુવિધાઓઅડદા ગામમાં 8 લાખ સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જમીન પર આ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. જેની સુવિધાઓ આંતરરાષ્ટ્રીય હોટલ ચેઈન જેવી કે તાજ અને મેરિયટને ટક્કર આપે તેવી હશે.કુલ રોકાણ 250 કરોડ (અંદાજિત)જમીનનો વિસ્તાર 8,00,000 સ્ક્વેર ફૂટમહેમાનોની ક્ષમતા 5,000 લોકો એકસાથેરૂમની સંખ્યા 235 લક્ઝુરિયસ રૂમ્સબેન્ક્વેટ હોલ 25,000 સ્ક્વેર ફૂટ (કોલમ લેસ)રમત-ગમત IPL સાઈઝ ક્રિકેટ ગ્રાઉન્ડ, ગો-કાર્ટિંગ, ટેનિસ કોર્ટઅન્ય સુવિધાઓ ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પૂલ, 1,200ની ક્ષમતાનું ઓડિટોરિયમપાર્કિંગ 500 કારની ક્ષમતા NRI અને મુંબઈના પરિવારો માટે પ્રથમ પસંદગી રહેશેનવસારી જિલ્લો એનઆરઆઈ (NRI) હબ ગણાય છે. દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન હજારો પરિવારો વતન આવે છે. અત્યાર સુધી આ પરિવારો ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર, જયપુર કે ગોવા તરફ વળતા હતા, જેના કારણે કરોડો રૂપિયાનું મહેસૂલ અન્ય રાજ્યોમાં જતું હતું. હવે, નવસારીમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ મળવાથી આ આર્થિક પ્રવાહ સ્થાનિક કક્ષાએ જળવાઈ રહેશે. વધુમાં, આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થતા મુંબઈથી નવસારી માત્ર 1.5 કલાકમાં પહોંચી શકાશે. મુંબઈમાં થતા કરોડોના ખર્ચ કરતા અડધા ભાવે અહીં વૈશ્વિક સુવિધાઓ મળશે, જે મુંબઈગરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. રોજગારીનું નવું એન્જિનઆ પ્રોજેક્ટ માત્ર એક ઈમારત નથી પણ આર્થિક ગતિવિધિઓનું કેન્દ્ર છે. આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 5,000 લોકોને રોજગારી મળશે. કયા ક્ષેત્રોને બુસ્ટ મળશે કેટરિંગ અને ફૂડ ઉદ્યોગ: મોટા પાયે સ્થાનિક ઉત્પાદનો અને સેવાઓનો વપરાશ વધશે. ઈવેન્ટ મેનેજમેન્ટ: ડેકોરેશન, ડીજે, સાઉન્ડ સિસ્ટમ અને સલૂન વ્યવસાયને વેગ મળશે. ટ્રાન્સપોર્ટેશન: લોકલ ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ એજન્સીઓના બિઝનેસમાં વધારો થશે. કોલેજ પૂરી ખેતી તરફ વળ્યાં પણ ફેલડેવલોપર સંજય પટેલ જણાવે છે કે હું મારા પૂર્વજોના વ્યવસાય એટલે કે ખેતીમાંથી આવું છું. કોલેજ પૂરી કર્યા પછી મેં લગભગ પાંચ વર્ષ ખેતી કરી, પરંતુ ખેતી સંપૂર્ણપણે કુદરત પર આધારિત છે. વારંવાર કમોસમી વરસાદ અને પાક નિષ્ફળ જવાને કારણે, મેં આ વ્યવસાય છોડીને કંઈક નવું કરવાનું વિચાર્યું. મને પહેલેથી જ કન્સ્ટ્રક્શનમાં રસ હતો, તેથી 2005થી મેં ખેતી છોડીને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશનનું સપનુંપટેલ વધુમાં જણાવે છે કે, અમે હવે 'મેરેજ ટુરિઝમ' પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ. નવસારી એક એન.આર.આઈ. (NRI) પ્રભુત્વ ધરાવતું શહેર છે, જ્યાં વર્ષોથી લોકો તેમના બાળકોના લગ્ન કરાવવા માટે આવતા હોય છે. લોકો જયપુર અને ઉદયપુર જેવા સ્થળોએ લગ્ન માટે કરોડો રૂપિયા ખર્ચે છે. અમે નવસારીમાં 8 લાખ સ્ક્વેર ફૂટમાં એક ભવ્ય ક્લબ હાઉસ અને દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું મેરેજ ડેસ્ટિનેશન તૈયાર કરી રહ્યા છીએ, જેથી તે જ સુવિધાઓ અહીં મળી શકે. નવસારીની ઓળખ સુરતના આધારે થતીજ્યારે હું વિદેશ જતો ત્યારે મને એ વાતનું દુઃખ થતું કે અમારે નવસારીની ઓળખ આપવા માટે 'સુરત પાસેનું નવસારી' કહેવું પડતું હતું. પરંતુ મારા આ પ્રોજેક્ટ દ્વારા, હું નવસારીને વિશ્વના નકશા પર એક અલગ ઓળખ અપાવવા માંગુ છું. જેમ મેડિકલ ટુરિઝમ પ્રખ્યાત છે, તેમ નવસારી મેરેજ ટુરિઝમ માટે જાણીતું બને તેવી મારી ઈચ્છા છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે લગભગ 4થી 5 હજાર લોકોને રોજગારી પૂરી પાડીશું. જેમાં લાઈટિંગ, મંડપ, ડેકોરેશન, કેટરિંગ અને હોટલ રૂમ્સ જેવી વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારા પોતાના વિકાસની સાથે શહેરનો પણ સર્વાંગી વિકાસ થાય. નવસારીમાં ધંધા-રોજગાર સારા ચાલે એ સમયની માગનવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા જણાવે છે કે, અહીં નવસારીમાં જેમને લગ્ન કરવા હોય તેવા પરિવારો માટે પણ એક મેરેજ ટુરિઝમ પ્રોજેક્ટ સ્થપાઈ રહ્યો છે. હાલમાં જ સંજય કાછિયાવાડીએ મોટા બિલ્ડર છે અને એ પણ આવો કંઈક આવો જ મોટો પ્રોજેક્ટ લાવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. અને એ એવો પ્રોજેક્ટ કે જેમાં મોટા-મોટા મુંબઈના, અમદાવાદના કે મોટા જે લોકો બહાર ડેસ્ટિનેશન મેરેજ કરતા હોય છે, એમના માટે આ જગ્યા બહુ સારી રહેશે એટલું એ રીતનું એ બનાવે છે. તો અહીંયા પણ આના માટે કંઈક એક મેઈન સુવિધા રેલવેની છે નવસારી ફરી ઉપર આવે, નવસારીમાં ફરી ધંધા-રોજગાર સારી રીતે ચાલે એવું થાય એ સમયની માગ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 8:00 am

પાકિસ્તાનને ધૂળ ચટાડનાર 18 વર્ષનો ગુજ્જુ કોણ?:કોહલીને જોઇ બેટ લઇ નીકળી પડતો, સચિને આપી કુલ રહેવાની ટિપ્સ; 21 નંબરની જર્સી અને 21મી તારીખનું ખાસ કનેક્શન

ઝિમ્બાબ્વેની ધરતી પર ભારતની અંડર-19 ક્રિકેટ ટીમે અંગ્રેજોને વર્લ્ડકપની ફાઇનલમાં હરાવીને ભવ્ય જીત મેળવી હતી. આ માત્ર એક જીત જ નહોતી પણ યુવા ખેલાડીઓએ વિશ્વ ક્રિકેટ પર પોતાનું આધિપત્ય સાબિત કરીને બતાવ્યું છે. આ જીત સાથે ઇન્ડિયન ટીમે છઠ્ઠીવાર આ ખિતાબ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. જો કે ભારતીય ટીમ માટે ફાઇનલ મેચ કરતાં પાકિસ્તાન સામેની સુપર સિક્સ સ્ટેજની મેચ ખૂબ જ કપરી રહી હતી કેમ કે આ મેચમાં વૈભવ સૂર્યવંશી, કેપ્ટન આયુષ મ્હાત્રે અને એરોન જ્યોર્જ ખૂબ જ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. એવામાં ડગઆઉટ પર બેઠેલા 18 વર્ષીય ગુજ્જુ ખેલાડીને મિડલ ઓર્ડરમાં ટીમની કમાન સંભાળવા ક્રિઝ પર મોકલવામાં આવે છે. જે બાદ તેણે પાકિસ્તાની બોલર્સની ધોલાઇ કરીને નિર્ણાયક 68 રન બનાવ્યા… અંતે ઇન્ડિયાની જીત થઇ. જેના પછી દરેક ભારતીયના મોઢે એક જ નામ હતું......વેદાંત ત્રિવેદી. વેદાંત ત્રિવેદી મૂળ અમદાવાદનો છે અને તેણે 10 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ કોચિંગની શરૂઆત કરી હતી. વિરાટ કોહલી વેદાંતનો રોલ મોડલ છે. ક્રિકેટર બનવાના જોયેલા સપનાંને આજે વેદાંતે લાખો ચાહકોની સામે પૂરું થતાં જોયું છે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ દિવ્ય ભાસ્કર વેદાંત ત્રિવેદીના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પિતા અલ્પેશ ત્રિવેદી અને માતા મિતા ત્રિવેદી સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. વેદાંતના પિતા એન્જિનિયર છે જ્યારે માતા શિક્ષિકા છે. વર્લ્ડકપ ફાઇનલ વખતે શું થયું હતું?વેદાંતના પિતા અલ્પેશ ત્રિવેદીએ વર્લ્ડકપની ફાઇનલ મેચના દિવસનો ઘટના ક્રમ જણાવતાં કહ્યું, એ દિવસ એવો હતો કે આસપાસ કોઇ બોલાવે તો પણ તેમના પર ધ્યાન નહોતું, કંઇ ગમતું જ નહોતું. અમારું ફોકસ માત્રને માત્ર મેચમાં જ હતું પણ જ્યારે આપણી પહેલી ઈનિંગમાં 400 ઉપર સ્કોર બન્યો એ પછી થોડી શાંતિ થઇ અને અંતે અમે ફાઇનલનું એન્જોયમેન્ટ શરૂ કર્યું હતું. વેદાંત હાથમાં બેટ લઇને સોસાયટીમાં નીકળી પડતોવેદાંત નાનો હતો ત્યારે સામાન્ય બાળકની જેમ જ હાથમાં બેટ લઇને સોસાયટીમાં રમવા માટે નીકળી પડતો હતો કેમ કે તેને ક્રિકેટનો નાનપણથી જ એટલો બધો શોખ હતો. વેદાંતના પિતાએ કહ્યું, વેદાંત તેના એજ ગ્રુપ કરતાં પણ મોટા બાળકો સામે સારું ક્રિકેટ રમતો હતો. જ્યારે એ સમજણો થયો એટલે તેણે જીદ પકડેલી કે મારે પણ ક્રિકેટ કોચિંગમાં જવું છે એટલે તેની દસેક વર્ષની ઉંમર હતી ત્યારે તેને ક્રિકેટ એકેડમીમાં મૂક્યો હતો. માત્ર વેદાંત જ નહીં મને પણ ક્રિકેટનો ખૂબ જ શોખ છે. અમે જ્યારે તેને એકેડમીમાં મુક્યો તેના છએક મહિના પછી અમને લાગ્યું કે વેદાંત આમાં કંઇક સારું કરી શકશે એટલે તે વધારે સારી રીતે પ્રેક્ટિસ કરે તે પ્રકારનું આયોજન કરતાં હતા. ક્રિકેટ સાથે શિક્ષણ પણ જરૂરીતેના માતાએ રમતની સાથોસાથ વેદાંતના શિક્ષણ ઉપર પણ ધ્યાન આપ્યું હતું. તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, શિક્ષણ દરેક માટે જરૂરી છે એટલે શિક્ષિકા તરીકે હું તેને કાયમ કહેતી કે ક્રિકેટની સાથે સાથે ભણતર પણ એટલું જ જરૂરી છે. જ્યારે તે બોર્ડમાં આવ્યો ત્યારે મેં તેને કહ્યું હતું કે તુ હાઇ ક્વોલિફિકેશન જેટલા માર્ક ન લાવ તો કંઇ નહીં પણ જેટલું જરૂરી છે એટલી તુ મહેનત કર અને શિક્ષણમાં પણ આગળ નીકળ તેવી મારી આશા છે. વેદાંતનો રોલ મોડલ વિરાટ કોહલીજ્યારે વેદાંતનું જુનિયર એજમાં ક્રિકેટ રમવાનું શરૂ થયું ત્યારથી વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. જ્યારે ટેસ્ટ કે વન-ડે મેચ હોય અને તેમાં વિરાટ કોહલી રમતો હોય ત્યારે વેદાંત પણ તેનું નાનકડું બેટ લઇને ટીવી સામે ઊભો રહી જતો હતો. એ સમયે કોહલી મેચમાં જે પ્રકારે શોટ્સ મારે તેવી જ રીતે તે પણ અહીં શોટ્સ મારતો હતો. 6 વર્ષ પહેલાં સપનું જોયું હતુંતેના પિતાએ કહ્યું, વેદાંતે ક્રિકેટર્સને રમતા જોઇને જે પ્રેક્ટિસ કરી છે તેનું પરિણામ તેને ગ્રાઉન્ડ પર મળ્યું છે, એ પછી ઇન્ટર સ્કૂલની મેચ હોય કે પછી અમદાવાદ ડિસ્ટ્રીક્ટની ટીમમાં રહ્યો હોય, તેણે આ બધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. વેદાંત અંડર-19 વિશ્વકપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો છે પણ તેણે અહીં સુધી પહોંચવાનું સપનું છએક વર્ષ પહેલાં જોયું હતું. તેની ઇચ્છા હતી કે હું પણ દેશ માટે કંઈક કરું અને મારે 2026ના વર્લ્ડકપમાં ટીમમાં સ્થાન મેળવીને રમવું છે. નિષ્ફળતામાં હંમેશા માતા-પિતાનો સપોર્ટ મળ્યોદરેક સફળ ક્રિકેટરે પોતાના કરિયરમાં નિષ્ફળતાનો અનુભવ કર્યો હોય છે. આવા સમયે તેને હતાશા અને નિરાશા થતી હોય છે પણ વેદાંતના આવા સમયમાં તેના પિતા તેના મિત્ર બનીને સમજાવતાં હતા કે તેની મહેનત ક્યાં ઓછી પડી રહી છે. આવા સમયે કેવી રીતે કમબેક કરવું તેનું પણ મોટિવેશન આપતાં હતા. વેદાંતને મમ્મી તરફથી પણ પ્રોત્સાહન મળતું રહેતું. તેના માતાએ કહ્યું કે, નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. ઘણીવાર તેનું પર્ફોર્મન્સ સારૂં હોય પણ કોમ્પિટિશન વધારે હોય. ટીમ પોતાની જરૂરિયાત પ્રમાણે ખેલાડી સિલેક્ટ કરે છે. સારૂ પર્ફોર્મન્સ હોવા છતાં વેદાંત નિરાશ થાય ત્યારે અમે તેને કહેતા કે તુ તારી પ્રેક્ટિસ ચાલુ જ રાખ, તારી ક્ષમતાને તુ જેટલી ધારદાર કરીશ તેનાથી જ તુ આગળ વધી શકીશ. ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ તે ભાવુક ક્ષણતેના પિતા જણાવે છે કે, વેદાંત જ્યારે પહેલીવાર 2022માં ગુજરાત તરફથી રમ્યો એ અમારા માટે ગૌરવની ક્ષણ હતી પણ જ્યારે તેની ઓસ્ટ્રેલિયા ટૂર માટે પસંદગી થઇ અને ભારતીય ટીમની જર્સી પહેરીને ગ્રાઉન્ડ પર ઉતર્યો એ ક્ષણ અમારા માટે ખૂબ જ ભાવુક કરનારી હતી. વર્લ્ડકપ માટે નામ જાહેર થયું ત્યારે વેદાંત કારમાં હતોજ્યારે વર્લ્ડ કપની ટીમ માટે વેદાંતનું નામ ફાઇનલ થયું તે ક્ષણને યાદ કરતા તેના પિતાએ કહ્યું, એ મોમેન્ટ ખૂબ જ ભાવુક હતી. જે સપનું 7-8 વર્ષ પહેલાં જોયું હતું, એ ત્યારે પુરું થયું. આ સપનું અમારું હતું, વેદાંતનું હતું સાથે સાથે અમારા સમગ્ર પરિવારનું હતું. દેવાધિદેવ મહાદેવની વિશેષ કૃપા રહી કે ભારતે છઠ્ઠીવાર આ વર્લ્ડ કપ જીત્યો એટલે આ બધી વસ્તુઓ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. જ્યારે સ્ક્વોડ ડિક્લેર થઇ ત્યારે તમે ક્યાં હતા અને વેદાંતનું રિએક્શન કેવું હતું આ સવાલના જવાબમાં તેના પિતા જણાવે છે કે, વેદાંતે જ અમને સમાચાર આપ્યા કે પપ્પા આપણી ટીમ ડિક્લેર થઇ ગઇ છે અને મારું નામ સ્ક્વોડમાં છે. એ ટાઇમે અમે સાથે જ કારમાં હતા. હું કાર ડ્રાઇવ કરી રહ્યો હતો અને વેદાંત મારી બાજુમાં જ બેઠો હતો. તેના માતા કહે છે કે, એ ક્ષણ તો શબ્દમાં વર્ણવી શકાય તેમ નથી. તેને વર્લ્ડકપ રમવાની ઇચ્છા હતી. એ ક્ષણ જ્યારે સાચી સાબિત થઇને નજર સામે આવે ત્યારે તેને વર્ણવી ન શકાય. પાકિસ્તાન સામેની મેચનો કિસ્સો તેના માતાએ કહ્યું કે, મેચના આગલા દિવસે મારે તેની સાથે વાત થઇ હતી ત્યારે મેં તેને કહ્યું હતું કે તારે કોઇ પ્રેશર લેવાની જરૂર નથી. કોચે તને જે ગાઇડન્સ આપ્યું છે તે પ્રમાણે તુ તારી નેચરલ ગેમ રમજે. જે થાય તે ભગવાન પર છોડી દેજે. ભગવાન જે કરશે તે સારૂ જ કરશે, તુ તારી રમત પર પૂરો ભરોસો રાખ. પાકિસ્તાનની સામેની મેચમાં જ્યારે આપણો ટૉપ ઓર્ડર ચાલ્યો નહીં ત્યારે વેદાંત ક્રિઝ પર આવ્યો હતો. એ સમયે તમે મેચ જોતા હતા તો તમારા મગજમાં શું ચાલતું હતું આ અંગે પૂછતાં તેના પિતાએ કહ્યું, ભારત-પાકિસ્તાનની મેચ હોય ત્યારે દરેક ભારતવાસીઓ દબાણ અનુભવતા હોય છે. 'પાકિસ્તાન સામેની મેચમાં આપણી શરૂઆત સારી હતી પણ 47 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. આ પછી વેદાંતે વિહાન મલ્હોત્રા સાથે પાર્ટનરશીપ કરતાં ટીમને થોડી રાહત મળી હતી એટલે ત્યારે બધાને એવું જ હતું એકવાર ટીમ 225 રન સુધી પણ પહોંચી જાય. જેનો ફાયદો આપણને મળશે અને આપણે સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઇ જઇશું.' 'અંતે આપણી બેટિંગ લાઇન ખૂબ સારી હતી. છેલ્લે આપણા ઓલરાઉન્ડર્સે સારી બેટિંગ કરીને પાકિસ્તાનને એવો સ્કોર આપ્યો કે આપણે તેમને સરળતાથી મેચ હરાવી દીધી.' પાકિસ્તાન સામેની મેચ પહેલાં વેદાંત સાથે થયેલી વાતચીત અંગે તેના પિતાએ કહ્યું, જ્યારે વેદાંત બહાર ટૂરમાં રમતો હોય છે ત્યારે નોર્મલ વાત કરું છું. તેણે શું ખાધું, કેવી હેલ્થ છે, બહાર ક્યાં ફરવા ગયા, શું સારું જોવા જેવું છે, આવું જ પૂછું છું કારણ કે એક પિતા તરીકે ઇચ્છીએ કે તે દેશ-વિદેશમાં હોય ત્યારે તે જગ્યાને એક્સપ્લોર કરે એટલે તેના સિવાય મેચ વિશે કોઇ દિવસ કોઇ ચર્ચા કરી નથી. પાકિસ્તાન કે પછી વિદેશી ખેલાડીઓ આપણાં ખેલાડીઓને દબાણમાં લાવવા માટે સ્લેજિંગ કરતાં હોય છે તો પાકિસ્તાનની મેચ સમયે વેદાંતને આવો સામનો કરવો પડ્યો હતો કે નહીં એ અંગે અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, એણે તો એટલું જ કહ્યું હતું કે કોઇએ સ્લેજિગં કર્યું હશે તો મને ખ્યાલ નથી કેમ કે હું મારા ઝોનમાં જ હતો. મેચ દરમિયાન સતત તેના મગજમાં એક જ વાત ચાલતી હતી કે કેવી રીતે 40 ઓવર સુધી મેચને લઇ જવી અને તે લગભગ 40મી ઓવરમાં આઉટ થઇને પાછો ફરી રહ્યો હતો એના અનુભવ વિશે વેદાંતે કહ્યું કે તેને તેના રોલથી સંતોષ હતો. દરેક ખેલાડીનું તેની જર્સીના નંબર સાથે ખાસ કનેક્શન હોય છે એવું જ કંઇક ખાસ કનેક્શન વેદાંતનું પણ પોતાની જર્સી નંબર સાથે જોડાયેલું છે. આ અંગે તેના પિતાએ કહ્યું કે, જ્યારે વેદાંતનો જન્મ થયો ત્યારે અમારા ટેનામેન્ટનો નંબર પણ 21 હતો અને તેની જન્મ તારીખ પણ 21 હતી. એ પોતાની જન્મ તારીખને ખૂબ જ લકી માને છે એટલે જ તે પોતાની ટી-શર્ટ માટે 21 નંબરની પસંદગી કરે છે. જ્યારે વેદાંતનો શરૂઆતનો તબક્કો હતો ત્યારે તો બેએક વર્ષ સુધી તેનું સવારનું જે સેશન હોય તેમાં તે જતો હતો. એ પછી તે સ્કૂલ જતો હતો, સ્કૂલમાંથી પાછા આવીને તે ઘરમાં જ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારે તેનું ડિસ્ટ્રીક્ટ માટે સિલેક્શન થયું તો તેને સવારે સીબીસીએના કેમ્પમાં જવાનું થતું એટલે સવારના કોચિંગને તે સાંજ શિફ્ટ કરતો. જેમ જેમ તે આગળ વધી રહ્યો હતો અને પ્રોફેશનલ ક્રિકેટમાં આવ્યો એટલે તેના કોચિંગનો પણ સમય વધતો ગયો. હાલમાં તે દરરોજ 7 થી 8 કલાક પ્રેક્ટિસ કરે છે સાથે જ તેના ફિટનેસ બાબતે પણ એટલું જ ધ્યાન રાખે છે. અલ્પેશ ત્રિવેદીએ કહ્યું, વરસાદ હોય કે ઠંડી, રવિવાર હોય કે કોઇ તહેવાર હોય પણ વેદાંત 365 દિવસનો એથલિટ્સ છે. આઠ વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે પ્રેક્ટિસ માટે અમારે તેને ઉઠાડવો પડ્યો હોય. તે ખૂબ જ ક્વીક લર્નર છે. વેદાંત ત્રિવેદી આજે ભલે આંતરરાષ્ટ્રીય લેવલના મેદાનમાં રમીને સૌના દિલોમાં છવાઇ ગયો છે પણ તેણે ક્રિકેટના કક્કાની શરૂઆત તેના ઘરની બહાર આવેલા પેસેજમાંથી કરી હતી. જ્યાં તે ક્રિકેટની કિટ પહેરીને તૈયાર થતો અને તેના પિતા અલ્પેશ ત્રિવેદી તેને બોલ નાંખતાં હતા. એ જગ્યાએ વેદાંતે ખૂબ જ એન્જોય કરી છે. આજે પણ સમય મળે ત્યારે તેના પિતા સાથે તે ત્યાં જ ક્રિકેટ રમે છે. સચિને કેવી રીતે કુલ રહેવું તેની ટિપ્સ આપીતેના પિતાએ કહ્યું કે, વેદાંત અને સમગ્ર ટીમ સાથે વીવીએસ લક્ષ્મણ, ઋષિકેશ અને સુનિલ સર હોય એટલે તેમનું તો માર્ગદર્શન અવારનવાર મળતું હતું પણ જ્યારે સચિન તેંડુલકર સાથે તેની વાત થઇ એનાથી તે ખૂબ જ ખુશ હતો. વેદાંતે મને કહ્યું હતું કે પપ્પા આજે સચિન તેંડુલકર સાથે મારી વીડિયો કોન્ફરન્સથી વાત થઇ હતી ત્યારે તેણે કહ્યું હતું કે હું હજી વધારે સારું કરીશ તો તેમને રૂબરું મળી શકીશ. આ દરમિયાન સચિને કેવી રીતે કુલ રહીને મેચ જીતી શકાય તે વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું.' વેદાંતના ડાયટ અને શિક્ષણ વિશે તેના માતાએ વાત કરી.'વેદાંતને જે રીતે માર્ગદર્શન મળતું તે રીતે અમે તેને ડાયટ આપતા હતા. અમે તેને કઠોળ, જ્યૂસ કે ડ્રાયફ્રૂટ્સ આપતા હતા. વેદાંત રાત્રે થાકીને આવ્યો હોય તો પણ હું તને કહેતી કે તારે આટલું ભણવાનું તો પૂરૂં કરવું જ પડશે, આટલું વાંચવું જ પડશે. ઘણીવાર હું તેને જૂના પ્રશ્નપત્રો પણ કાઢી આપતી અને તૈયારી કરાવતી.'

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 6:00 am

કલાકારો હવે રાજકીય અને સામાજિક નિશાને?:ક્યાંક જ્ઞાતિ બહાર તો ક્યાંક મંચ પરથી ગાળો; રાજભા ગઢવી બોલ્યા-અપશબ્દોથી તમારું નામ થતું હોય તો આપો!

છેલ્લા 5-6 દિવસથી ગુજરાતમાં કલાકારોના નામની ચોતરફ ચર્ચા છે. ક્યાંક કલાકારોને સમાજ બહાર મુકી દેવાયા છે તો ક્યાંક કલાકારો માટે રાજકીય મંચ પરથી અપશબ્દોનો ઉપયોગ થયો. સામાજિક અને રાજકીય કાવાદાવા વચ્ચે કલાકારો જે રીતે નિશાન બન્યા છે તેનાથી કલાજગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ હવે એક નવા સ્તરે પહોંચ્યો છે. સૌથી પહેલાં વાત કરીએ બંધારણના કારણે સમાજ બહાર મુકાયેલા કલાકારોની. ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજે પોતાનું અલગ બંધારણ બનાવ્યું છે. જેમાં સમાજને ખોટા ખર્ચાથી બચાવવા માટે કડક નિયમો બનાવ્યા છે. ડીસા તાલુકાના જાબડિયા ગામે એક લગ્ન પ્રસંગે વરઘોડો નીકળ્યો હતો. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જેવા કલાકાર પણ હતા. તેમના પર આરોપ છે કે ડીજે સાથે વરઘોડો કાઢીને તેમણે નવા બંધારણનું ઉલ્લંઘન કર્યું છે. આના પછી ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર મુકવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયના પડઘા પડતા ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર ગબ્બર અને અર્જુનના સમર્થનમાં ખૂલીને બહાર આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ડીજે તો બંધ નહીં જ થાય. બીજીતરફ ગબ્બર અને અર્જુન ઠાકોરે પણ કહ્યું હતું કે અમે પૂછ્યા વગર આ નિર્ણય લેવાયો છે, અમે બંધારણના કોઇ નિયમોનું ઉલ્લંઘન નથી કર્યું. જગદીશ ઠાકોર બંધારણના સમર્થનમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજમાંથી બહાર કરવાના મુદ્દે અમે અલ્પેશ ઠાકોર અને ચંદનજી ઠાકોર જેવા નેતાઓનો મત જાણવા માટે તેમનો સંપર્ક કર્યો પણ તેમણે કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે સમાજના બંધારણના સમર્થનમાં સૂર વ્યક્ત કર્યો. જગદીશ ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું, હાલમાં જે એક મુદ્દો બન્યો છે તેની સમગ્ર જગ્યાએ ચર્ચા છે. હજારો લોકો જે બંધારણનો અમલ કરી રહ્યાં છે એ કોઇને દેખાતું નથી. હું કહેવા માંગુ છું કે જ્યાં સરકાર નશાબંધી મુદ્દે ફેલ ગઇ છે ત્યાં ગામે ગામ જઇ જે વ્યસન કરવાવાળા લોકો છે તેમને આ બંધારણ થકી સમજાવવાની વાત ખૂબ જ સારી રીતે ચાલી રહી છે. જો લોકલ લોકો પાસેથી રિપોર્ટ લઇએ તો આ લોકો ખૂબ જ બિરદાવાલાયક કામગીરી કરી રહ્યાં છે. હજારો લોકો આ નિયમનો અમલ કરી રહ્યાં છે તેની પણ વાત મોટા પાયે મીડિયામાં આવવી જોઇએ. ઠાકોર સમાજનું નવું બંધારણ વાંચવા અહીં ક્લિક કરો સમાજના બંધારણને બિરદાવવું જોઇએવિક્રમ ઠાકોરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જેણે બંધારણ બનાવ્યું છે તેને જ આ બાબતે ખ્યાલ નથી. આ અંગે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, મારે ટિકા ટિપ્પણીમાં પડવું નથી. ગબ્બર ઠાકોરને બંધારણના નિયમ મુજબ સમાજમાંથી બહાર કરવામાં આવ્યાં છે પણ તેમણે નિવેદન આપ્યું હતું કે, અમને બોલાવ્યા વગર આ નિર્ણય લેવાયો છે. આ બાબતે પૂછતાં જગદીશ ઠાકોરે કહ્યું, લોકશાહીમાં બધાને પોતાની રીતે અને પોતાનો મત મૂકીને આગળ વધવાની છૂટ હોય છે. આ સામાજિક નિર્ણય છે કોઇએ માનવું, ન માનવું એ કક્ષા એમણે નક્કી કરવાની છે. જેને જરૂરિયાત છે તેવા લોકોએ આ નિર્ણય બનાવ્યો છે અને તેનું પાલન પણ લોકો કરી રહ્યાં છે. ઠાકોર સમાજના અગ્રણી અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે કલાકાર કે સિંગર હોય તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ. અન્ય સમાજના કલાકારો તો વિરોધ નથી કરતાઃ બળદેવજીતેમણે કહ્યું, આ કોઇ કોર્ટ નથી પણ સમગ્ર ઠાકોર સમાજે ત્રણ જિલ્લાનું બંધારણ કર્યું છે. અમારું બંધારણ બન્યા પછી ચૌધરી અને રબારી સમાજે પણ બંધારણ બનાવ્યું છે. આ સમાજોમાં પણ ઘણા સિંગર્સ છે છતાં તેમણે ક્યારેય વિરોધ નથી કર્યો. કલાકારોએ સમાજની વાતને ટેકો આપવો જોઇએઃ બળદેવજી'અન્ય સમાજો ઠાકોર સમાજનું સારું બંધારણ બન્યું છે તેવી સારી વાતો કરતાં હોય તેવામાં અમારા સમાજના સિંગર કહે છે કે અમને સમાજમાંથી બહાર મૂક્યાં પણ અહીં એવી વાત ન હોય. આજે 21મી સદી તરફ આપણે આગળ વધી રહ્યાં છીએ તેમાં ક્યાંક અમારો સમાજ પાછળ છે આવામાં અન્ય સમાજની હરોળમાં અમારા સમાજને લઇ જવા આગેવાનો પ્રયત્ન કરતાં હોય ત્યારે કલાકાર હોય કે સિંગર હોય, તેણે સમાજની વાતને ટેકો આપવો જોઇએ.' 'કલાકારોને મોટા કરવામાં સમાજનો સિંહફાળો'બળદેવજીના મતે, કોઇ પણ મંત્રી હોય કે પછી પાર્ટીનો આગેવાન, કલાકાર હોય કે સિંગર એ વ્યક્તિ સમાજથી મોટી નથી, હંમેશા સમાજ જ મોટો છે કેમ કે આ બધાને મોટા સમાજ જ કરે છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે નિયમો જેણે જાહેર કર્યા તેને પણ ખબર નથી આ અંગે બળદેવજી ઠાકોરને પૂછતાં તેમણે કહ્યું, મારે આ બાબતે બીજું કંઇ કહેવું નથી પણ ગેનીબેન મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને આ નિયમો ત્રણેય જિલ્લાના આગેવાનોએ મળીને તૈયાર કર્યા છે. જ્યારે લાખોની હાજરીમાં સમાજે તેમને વાંચવા આપ્યું છે એટલે કેવી રીતે કહી શકાય કે ગેનીબેનને તેની ખબર નથી? બાકી જે લોકો બોલ્યાં છે એ મિટિંગના સમયે હાજર હોત તો તેમણે આવું બોલવું ન પડ્યું હોત કે બેનને ખબર નથી. હવે વાત કલાકારો માટે બોલાયેલા અપશબ્દોની કેમ કે સામાજિક વિવાદની સાથે કલાકારો માટે બોલાયેલા અપશબ્દોનો મામલો પણ ગરમાયેલો છે. થોડા દિવસ પહેલાં મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપર ગામમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધન કરવા માટે સ્ટેજ પર કોંગ્રેસના રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ લાલજી દેસાઇ જાય છે ને અચાનક તેઓ કલાકારને આડે હાથ લેવાનું શરૂ કરે છે. તેમણે સ્ટેજ પરથી નિવેદન આપ્યું કે, બધા જ ગાયક કલાકારો આજ કાલ ----(અપશબ્દ) કરે છે… ભવાઇ કરે છે અને એવું બોલે છે અંબાણી ગુજરાતી….અદાણી ગુજરાતી. એ લૂંટે છે ભેગા થઇને …એને ગુજરાતી કહીને અમારું નાક ના કપાવો તમે. અદાણી અને અંબાણી ગુજરાતી કહેવાતા હોય તો ગુજરાતના બાળકોનું શિક્ષણ મફતમાં થાય, એના માટે સ્કૂલો અને કોલેજો ખોલો. એક હોસ્પિટલ 100 કરોડની ભૂજમાં બનાવી હતી તમારા અને મારા પૈસે, ભૂકંપ પછી એ પણ અદાણીએ લઇ લીધી. લાલજી દેસાઇના આ નિવેદન બાદ કલાકારોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. જેથી લાલજી દેસાઇએ માફી માગી લીધી હતી. દિવ્ય ભાસ્કરે લાલજી દેસાઇએ સ્ટેજ પરથી જે ગીતનો ઉલ્લેખ કરીને કલાકારો વિશે બફાટ કર્યો હતો તે ગીત જેણે ગાયું હતું તે કિંજલ દવેનો સંપર્ક કર્યો પણ તેના પિતા લલિત દવેએ કહ્યું કે, આ બાબતે અમે અજાણ છીએ. તેમણે કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેના પછી અમે પદ્મશ્રી હેમંત ચૌહાણનો સંપર્ક કર્યો તો તેમણે પણ આ બાબતે કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે લોક કલાકાર રાજભા ગઢવી, લોક સાહિત્યકાર યોગેશ ગઢવી, સિંગર દેવ પગલી, લોક સાહિત્યકાર હકાભા ગઢવી અને અભિનેત્રી ભાવિની જોષીએ ઉગ્ર સ્વરમાં આ બફાટને વખોડ્યો હતો. તમારૂં નામ મોટું થતું હોય તો અમને ગાળો આપોઃ રાજભા ગઢવીલોક કલાકાર રાજભા ગઢવીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોઇપણ ઘટના બને એટલે કલાકારોને ગાળો આપવાની શરૂ થઇ જાય છે. મેં તો હવે નક્કી જ કરી લીધું છે અને એકાદ જગ્યાએ બોલ્યો પણ છું કે જો અમને ગાળો આપવાથી તમારું ચાલતું હોય અને તમારી પાર્ટીમાં તમારું નામ થતું હોય તો અમને ગાળો પણ આપો. રાજભાએ આગળ કહ્યું કે, કલાકારો ભાજપના ગુણ ગાય છે તો તમે કોના ગુણ ગાવ છો એ કહોને પહેલાં..તમે વાતો કરો છો કે અમે ખપી જઇશું… અરે ખપી જવાના ઇતિહાસ જોયા છે? ખપી કોણ જાય? અમને કોઇ વાંધો નથી તમે જે પાર્ટીમાં હોય તેના વખાણ કરો. અમે તો દરેકના નામ લઇએ છીએઃ રાજભા'આજે કોઇપણ વાત આવે એટલે શોધતાં હોય કે કલાકારો ક્યાં ગયા. ભાજપમાં બધા મિત્રો છે એમની સાથે બેસતાં હોઇએ છીએ. અમે ક્યાંક તેમના નામ લેતા હોઇએ પણ એમ તો નથી કહ્યું ને કે, આ બહું મોટો દાતાર છે અને તેણે આમ કરી નાંખ્યું. બાકી તો પ્રોગ્રામમાં જે પણ આવે અમે તો બધાનું નામ લઇએ છીએ. ક્યારેય ન લીધું હોય તો બતાવી જુઓ.' રાજભાએ વધુમાં જણાવ્યું કે, એક દુઆ સાથે એટલું જ કહેવા માગુ છું કે દુનિયાની જેટલી પણ ભાષા છે અને જેટલી ભાષા આવડતી હોય, ત્રણ કાળનું જાણતો હોય એટલો વિદ્વાન હોય પણ તેનામાં વિવેક ન હોય અને ગમે તે વ્યક્તિને ગમે તે કહી દે તો તે વિવેક વગરનો વિદ્વાન કહેવાય. કોઇ ધર્મ વિરૂદ્ધ બોલે તો જાહેરમાં જવાબ આપુંઃ રાજભાતેમણે કહ્યું કે, કોઇ મારા વિશે કે કલાકારો વિશે કંઇ પણ બોલે ને તો ક્યારેય હું તેનો જવાબ સ્ટેજ પરથી નહીં આપું. કેમ કે સ્ટેજ પર અમને સારી વાતો અને ગીતો ગાવા માટે લોકો બોલાવતાં હોય છે. સમય વેડફાય એ યોગ્ય ન કહેવાય બાકી જો કોઇ ધર્મ ઉપર બોલે તો હું એને જાહેરમાં જવાબ આપું છું. 'માટલાં ઉપર માટલું' અને 'ચાંદ વાલા મુખડાં' જેવા હીટ ગીતો ગાનારા ગુજરાતી સિંગર દેવ પગલીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, કોંગ્રેસના નેતા કલાકારો માટે ખૂબ જ ખરાબ શબ્દો જાહેર મંચ પરથી બોલ્યા છે. કોઇપણ કલાકાર વિશે આવું બોલવું એ ખરેખર ખૂબ જ નિંદનીય ઘટના છે. સિંગર દેવ પગલીએ કહ્યું કે, તમને કોઇ બોલવાવાળું નથી એટલે તમે ગમે તેમ બોલો છો. આજના કલાકારો, સાહિત્યકારો કે જે પણ લોક ગાયકો છે તે ભગવતીના અને માતાજીના અને વીર સપૂતોના વખાણ કરી રહ્યાં છે કાલે ઉઠીને તમે તેમને પણ ખરાબ બોલશો? એમને તમે કહેશો કે આમ ન બોલવું જોઇએ, આમ ન કરવું જોઇએ તમે એમને પણ આવી રીતે વખોડશો? ખરાબ બોલનારાને શરમ આવવી જોઇએઃ દેવ પગલી‘કલાકારો સરસ્વતી માતાજીના ગુણગાન ગાવાવાળા વ્યક્તિઓ છે, કલાકારો તો જ્યાં પણ પ્રસંગમાં જાય તેમના વખાણ અને વાહ વાહ કરવી એ ફરજમાં આવે છે. તમે આટલું ખરાબ રીતે બોલ્યાં છો તો તમને તો શરમ આવવી જોઇએ. આ જે શબ્દો તમે બોલ્યાં છો તેનાથી ખબર પડે છે કે તમારાં મનમાં અને પેટમાં શું દુઃખી રહ્યું છે.’ કલાકાર સનાતન ધર્મને સાચવીને બેઠો છેઃ હકાભાલોક સાહિત્યકાર હકાભા ગઢવીએ લાલજી દેસાઇના બફાટ વિશે કહ્યું, મેં એ નેતાના બફાટનો વીડિયો સાંભળ્યો છે. તેઓ કલાકાર વિશે ખૂબ જ ખરાબ બોલ્યાં છે અને કલાકારોને ગાળો પણ બોલ્યાં છે પણ કહી દઉં કે કલાકારોને ગાળો આપવી એટલે સંસ્કૃતિને ગાળો આપ્યાં બરાબર છે. કલાકાર એટલે સંસ્કૃતિ છે એ સનાતન ધર્મને સાચવીને બેઠો છે. આ એમનું મૂર્ખતાભર્યું નિવેદન છે. કલાની શરૂઆત જ ભવાઇથી થઇ હતીઃ હકાભા'નેતા એવું કહે છે કે કલાકારો ભવાઇ કરે છે તો ભવાઈ એ જ કલા છે. કલાની શરૂઆત ત્યાંથી જ થઇ હતી આવું નિવેદન આપીને તેમણે ભવાઇનું પણ અપમાન કર્યું છે. તમે કહો છો કે કલાકારો વખાણ કરે છે તો હું ઉદ્યોગપતિ, રાજકારણ, સમાજના અને જે કોઇ પણ બોલાવશે અને પૈસા આપશે તો તેના બે શબ્દો સારા બોલીશું. અમે કોઇનું ખરાબ નહીં બોલીએ.' 'તમને કલાકાર વિશે કંઇ પણ કહેવાનો કોઇ અધિકાર નથી. જો તમને કોઇ કલાકાર ન ગમતો હોય તો તેને તમે કહો કે આ કલાકાર બરાબર નથી. બધા કલાકારો તો કંઇ એક સરખા નથી હોતા ને? અમે કોઇને છરી બતાવીને પૈસા નથી પડાવતાં.' અન્ય કલાકારોએ પણ બળાપો કાઢ્યોલોક સાહિત્યકાર યોગેશ ગઢવીએ પણ પોતાના સોશિયલ મીડિયામાં આ નિવેદનને લઇને બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસના નેતા ગુજરાતના કલાકારો વિશે એલફેલ શબ્દોનો ઉપયોગ કરે છે પણ કલાકાર છું એટલે કહેવું પડે છે કે, અમે સાધનાની ઉપાસના કરવાવાળા છીએ. અમે વાણીના ઉપાસક છીએ અને સંસ્કૃતિના રખેવાળ છીએ. જે શબ્દોનો પ્રયોગ ઘરમાં કે બહાર જાહેરમાં નથી કરી શકતાં એવા શબ્દનો પ્રયોગ તમે ગુજરાત રાજ્યના કલાકારો માટે કર્યો છે. અભિનેત્રી ભાવિની જાનીએ કહ્યું, કોંગ્રેસના આ નેતા ભરી સભામાં કલાકારો માટે જેમ તેમ બોલી રહ્યાં હતા કે હવે તો એવા ગીતો નિકળ્યાં છે કે, અંબાણી ગુજરાતી, અદાણી ગુજરાતી... તો એમાં ક્યાં ખોટું છે? આપણો ગુજરાતી જો એવરેસ્ટ પર જાય તો આપણે ગર્વ ન અનુભવીએ? તમે તમારી રીતે અનુભવો, અમારા કલાકારની આગવી અનુભૂતિ હોય. અમે અમારી લાગણી ભજવીને કે ગાઇને વ્યક્તિ કરીએ છીએ. અમને પ્રાઉડ છે કે અમારા ગુજરાતના લોકો છેક ક્યાં પહોંચ્યાં છે. આમાં શું ખોટું કર્યું? આ બન્ને વિવાદ હાલમાં ગુજરાતના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં સૌથી વધુ ચર્ચાઇ રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 6:00 am

ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મુંબઈ દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ

સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાંથી તેલની હેરાફેરીમાં સંડોવણી ડિજિટલ સર્વેલન્સ અને દરિયાઈ કામગીરીનો ઉપયોગ કરીને ત્રણ જહાજોની જપ્તી, વધુ તપાસ માટે કસ્ટમ્સને સોંપાશે મુંબઈ - ભારતીય કોસ્ટ ગાર્ડે છઠ્ઠી ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ એક જટિલ દરિયાઈ-હવાઈ નેટવર્ક કેન્દ્રિત કામગીરી દ્વારા આંતરરાષ્ટ્રીય તેલ દાણચોરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ જહાજોએ સંઘર્ષગ્રસ્ત દેશોમાંથી સસ્તા તેલ અને તેલ આધારિત કાર્ગોેની મોટી માત્રામાં દાણચોરી કરવાની અને આંતરરાષ્ટ્રીય પાણીમાં મોટર ટેન્કરોમાં મધ્ય સમુદ્ર ટ્રાન્સફર દ્વારા નફો મેળવવાની પદ્ધતિ વિકસાવી હતી. આ સિન્ડિકેટમાં વિવિધ દેશોના હેન્ડલર્સનું નેટવર્ક હોય છે, જે દરિયાઈ જહાજો વચ્ચે વેચાણ અને ટ્રાન્સફરનું સંકલન કરે છે.

ગુજરાત સમાચાર 8 Feb 2026 5:30 am

આદિવાસી સંસ્કૃતિ પર રાષ્ટ્રીય સેમિનાર યોજાયો:આદિવાસી સમાજના રીત-રિવાજો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક

વ્યારાની આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ‘ભારતીય જ્ઞાન પરંપરા – દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ-વિધાન અને સંસ્કૃતિ’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોર સી. પોરિયાના મુખ્ય ઉદ્બોધન સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેમિનારે વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે નવી દૃષ્ટિ વિકસાવી. કુલપતિ ડો. પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. તેમની પરંપરાઓમાં વિજ્ઞાન, પર્યાવરણ જાળવણી, ગણિત અને ભૂમિતિના ઊંડા તત્ત્વો સમાયેલા છે. ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સમાજની પ્રાચીન વૈજ્ઞાનિક સમજનો જીવંત પુરાવો છે. આવા સેમિનારો દ્વારા નવી પેઢીમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ વધશે અને પરંપરાગત જ્ઞાનનું સંરક્ષણ થશે.નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આદિવાસી સમાજની વિધિ-વિધાન અને રીત-રિવાજો માત્ર ધાર્મિક આસ્થા નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતીક છે. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પ્રેરક ઉદ્બોધન કર્યું.કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. હિતેન્દ્રસિંહ ખરવાસિયાએ સ્વાગત પ્રવચન કર્યું. મુખ્ય વક્તા તરીકે નાસિકની કોલેજના ડો. ભાગવત શંકર મહાલેએ મહત્વપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. સાથે જ ડો. પુડલિક પવાર, ડો. જયંતીભાઈ ચૌધરી અને ડો. રાજેશભાઈ પટેલે વિષય નિષ્ણાત તરીકે પોતાના વિચારો રજૂ કર્યા. બે સત્રમાં યોજાયેલા સેમિનારમાં વિદ્યાર્થીઓએ પણ સંશોધન આધારિત પ્રસ્તુતિઓ કરી.કાર્યક્રમ દરમિયાન ‘વ્યુ ઓફ સ્પેસ રીસર્ચ જનરલ’ પુસ્તકનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે ર.ફ. દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસુભાઈ ભક્ત, ઉપાચાર્ય વસંત ગામીત, વિવિધ કોલેજોના આચાર્ય, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:14 am

108ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી:ડાંગમાં 108ની ટીમે રસ્તામાં કરાવી જોડિયા બાળકોની સફળ ડિલિવરી

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં 108ની ટીમે દેવદૂત બનીને એક પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના ઢાઢરા ગામના રહેવાસી ઈસતેરબેન અજયભાઈ ખાસીયા (ઉં.વ. 24) ને પ્રસૂતિની પીડા ઉપડતા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ EMT પ્રકાશ પટેલ અને પાઈલોટ સુભાષ રાઠોડ તાત્કાલિક દર્દીના ઘરે પહોંચ્યા હતા અને તેમને હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા. રસ્તામાં ચીચીનાગાવઠા ગામ પાસે પ્રસૂતાને અસહ્ય પીડા ઉપડતા એમ્બ્યુલન્સને રસ્તામાં જ ઉભી રાખવાની ફરજ પડી હતી. બાળકોની નાળ વીંટળાયેલી હોવાથી સ્થિતિ ગંભીર હતી. જોકે, 108ની ટીમે અમદાવાદ હેડ ઓફિસના ડૉ. કૃષ્ણા સાથે ટેલિફોનિક સંપર્ક સાધી, તેમના માર્ગદર્શન હેઠળ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. પરિણામે, ઈસતેરબેને જોડિયા (જુડવા) બાળકોને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને બંને નવજાત શિશુઓને નજીકના સીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળકો બંને સ્વસ્થ છે. 108ની ટીમે બતાવેલી સમયસૂચકતા અને કુશળતા બદલ પરિવારજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:13 am

‘પ્રોટોટાઈપ ડિઝાઇન’ વર્કશોપ યોજાયો‎:તજજ્ઞોએ વિદ્યાર્થીઓને ઇનોવેશન અને આત્મનિર્ભરતાના પાઠ ભણાવ્યા

વાંસદા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજની આઇક્યુએસી કમિટી, એસએસઆઇપી તથા ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે ‘પ્રોટોટાઈપ ડિઝાઇન’ વિષયક વર્કશોપ/વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આચાર્ય ડો. વાય.જે. મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તથા ઇનોવેશન ક્લબના કો.ઓર્ડિનેટર પ્રા. ડો. ગૌતમભાઈ ગાયકવાડના સુચારૂ સંચાલન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોલેજના વિદ્યાર્થીઓમાં ઇનોવેશન અને આત્મનિર્ભરતા વિકસે તથા ભવિષ્યમાં નોકરી ન મળે તો પણ પોતાની વિચારશક્તિ અને સર્જનાત્મકતા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં રોજગારી પ્રાપ્ત કરી શકે તેવો આત્મવિશ્વાસ વિકસાવવાનો હતો. આ અવસરે ખેરગામ સરકારી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્ર વિષયના અધ્યાપક તથા ઇનોવેશન ક્લબના કો.ઓર્ડિનેટર પ્રા. પ્રિયંકાબેન થોરાટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. પ્રા. ડો. ગૌતમભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે, ‘એસએસઆઇપી અને ઇનોવેશન યોજના સરકારની મહત્વાકાંક્ષી પહેલ છે. વિદ્યાર્થીઓ પોતાના વિચારો, સમસ્યાઓ અને તેના ઉકેલને માર્કેટની જરૂરિયાત મુજબ ટીમ વર્કથી ઉત્પાદનમાં પરિવર્તિત કરી આત્મનિર્ભર બની શકે છે, જેમાં સરકાર સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. મુખ્ય વક્તા પ્રા. પ્રિયંકાબેન થોરાટે જણાવ્યું હતું કે, ‘પ્રોટોટાઈપ મગજના વિચારોને પ્રેક્ટિકલ સ્વરૂપ આપે છે અને વિચારથી ઉત્પાદનમાં પરિવર્તન માટે સેતુરૂપ બને છે. તેમણે પ્રોટોટાઈપનો અર્થ, તેની આવશ્યકતા, ઉદ્દેશ, લાક્ષણિકતાઓ, ફાયદા તથા મર્યાદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સાથે પ્રેક્ટિકલ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ ભવિષ્ય માટે કેવા વિચારો ધરાવે છે તે જાણવા એક નવતર પ્રયાસ પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં આઇક્યુએસી કો. ઓર્ડિનેટર પ્રા. અજીતભાઈ પટેલ, પ્રા. ડો. કલ્પનાબેન પટેલ, પાયલ પટેલ સહિત કોલેજના અન્ય અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. નિમુબેન ચૌધરીએ અને પ્રા. દિપેશભાઈ કામડીએ આભારવિધી કરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:11 am

‘મમતા મંદિર’ના દિવ્યાંગ બાળકોનો દબદબો:સ્પેશિયલ ખેલ મહાકુંભમાં 104 મેડલ્સ જીત્યા‎

સ્પેશિયલ ખેલ મહાકુંભ - 2025 અને ઓલ ગુજરાત ચેમ્પિયનશીપમાં નવસારીના વિજલપોર સ્થિત ‘મમતા મંદિર' સંસ્થાના મૂક-બધિર બાળકોએ પોતાની પ્રતિભાના જોરે મેદાન મારી લીધું છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની વિવિધ રમત સ્પર્ધાઓમાં આ બાળકોએ કુલ 104 મેડલ્સ પ્રાપ્ત કરી નવસારી જિલ્લાનું નામ આખા રાજ્યમાં રોશન કર્યું છે. ​માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત પ્ર.સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય અને મ.સ. કોઠારી મૂક-બધિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ અદ્વિતીય પ્રદર્શન કર્યું છે. તેમણે 39 ​ગોલ્ડ મેડલ, 28 ​સિલ્વર મેડલ અને 37 ​બ્રોન્ઝ મેડલ સાથે ​કુલ 104 મેડલ્સ પ્રાપ્ત કર્યા હતા. ​સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફના સહયોગથી રાજ્ય કક્ષાએ એથ્લેટીકસ, વૉલીબોલ તથા ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગણદેવી અને વડોદરામાં જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આણંદમાં ચેસના ખેલાડીઓએ બુદ્ધિ ચતુરાઈ બતાવી હતી. સાબરકાંઠામાં વોલીબોલ સ્પર્ધામાં બાળકોએ જોર બતાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:11 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અમેરિકાએ PoK-અક્સાઈ ચીનને ભારતનો હિસ્સો ગણાવ્યો; સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા; એપ્સટિન ફાઇલ્સમાં અનિલ અંબાણીની ચેટ્સ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ભારતનો નકશાને લઈને હતા, જેમાં પીઓકે અને અક્સાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર સલમાન ખાનની RSSના કાર્યક્રમમાં હાજરીને લઈને રહ્યા હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢમાં નક્સલવાદના મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. 2. જાપાનમાં સામાન્ય ચૂંટણીને લઈ તમામ 465 બેઠકો પર મતદાન થશે. કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન-ચીન સામે અમેરિકાનું 'ગદ્દર':અમેરિકાએ PoK અને અક્સાઈ ચીનને ભારતના નકશામાં બતાવી દીધા; શાહબાઝ ને જિનપિંગ સમસમી ગયા ભારત અને અમેરિકાએ શુક્રવારે એક વચગાળાની ટ્રેડ ડીલનું ફ્રેમવર્ક જાહેર કર્યું. આ જાહેરાત સાથે અમેરિકી ટ્રેડ ઓફિસ (USTR)એ ઇન્ડિયન મેપ શેર કર્યો. આ મેપમાં આખો જમ્મુ-કાશ્મીર પ્રદેશ, જેમાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીન (ચીનના કબજા હેઠળનો વિસ્તાર) બતાવાયો છે, તેમને ભારતનો ભાગ દર્શાવવામાં આવ્યો છે. આ નકશો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો. અમેરિકા પહેલાના નકશાઓમાં PoK ને અલગથી દર્શાવતું હતું. આંતરરાષ્ટ્રીય મંચો અને પશ્ચિમી દેશોના સરકારી નકશાઓમાં પણ વિવાદિત ભાગોને અલગ રંગ અથવા ‘ડોટેડ લાઈન્સ’થી દર્શાવવામાં આવે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચીન જોતું રહી ગયું અને ભારત બાજી મારી ગયું!:ભારત પર US એક્સ્ટ્રા ટેરિફ આજથી ખતમ, રશિયા પાસેથી ઓઈલ ખરીદી સામે નખાયેલો 25% ટેરિફ પણ હટાવાયો વૈશ્વિક અર્થતંત્રના માળખે ભારતે એક એવી 'માસ્ટરસ્ટ્રોક' ગેમ રમી છે કે ડ્રેગન (ચીન) જોતું જ રહી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીત બાદ ભારત અને અમેરિકા વચ્ચે $30 ટ્રિલિયન (આશરે ₹2500 લાખ કરોડ)ના માર્કેટનું દ્વાર ખોલતો ઐતિહાસિક ટ્રેડ કરાર ફાઈનલ થઈ ગયો છે. આ સમજૂતી હેઠળ અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ (આયાત ડ્યૂટી) ને 50%થી ઘટાડીને સીધો 18% કરી નાખ્યો છે, જે ચીન સામે ભારતને બજારમાં બમણી મજબૂતી આપશે. આ ડીલ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં સૌથી મોટું પગલું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'લાંબી, ગોરી સ્વીડિશ યુવતી એરેન્જ કરો..':જેફરી એપસ્ટીન અને અંબાણીની ચેટ સામે આવી; મિટિંગને 'મજેદાર' બનાવવા બંને મેનહટનમાં મળ્યા હતા યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા યૌન ગુનેગાર જેફરી એપસ્ટીન સંબંધિત દસ્તાવેજોમાંથી અનિલ અંબાણી સંબંધિત નવા ઘટસ્ફોટ સામે આવ્યા છે. આ દસ્તાવેજો 2017 અને 2019 દરમિયાન એપસ્ટીન અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની વાતચીત સંબંધિત છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ વાતચીતમાં બિઝનેસ, વૈશ્વિક બાબતો અને મહિલાઓ અંગેનો સમાવેશ છે. 9 માર્ચ, 2017ના રોજ થયેલી વાતચીત દરમિયાન અનિલે એપસ્ટીનને પૂછ્યું- તમારું શું સૂચન છે? એપસ્ટીને જવાબ આપ્યો, મિટિંગને 'મજેદાર' બનાવવા માટે એક લાંબી સ્વીડિશ ગોરી યુવતી સારી રહેશે. અંબાણીએ જવાબ આપ્યો, ઓકે. એરેન્જ કરો. આ વાતચીત ત્યારની છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સલમાન ખાન RSSના કાર્યક્રમમાં પહોંચ્યા:મુંબઈમાં ભાગવતે કહ્યું- BJP સંઘનો રાજકીય પક્ષ નથી, અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 100 વર્ષ પૂરા થવા પર મુંબઈમાં શનિવારે આયોજિત કાર્યક્રમમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ સામેલ થયા. તેઓ ફિલ્મમેકર સુભાષ ઘાઈ અને ગીતકાર પ્રસૂન જોશી સાથે મંચની સામે બેઠા અને RSS પ્રમુખ મોહન ભાગવતનું ભાષણ સાંભળ્યું. આ કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. RSS કોઈના વિરુદ્ધ નથી અને ન તો તેને સત્તા કે પાવરની ઈચ્છા છે. સંઘ રાજનીતિમાં સીધા સામેલ નથી, જોકે સંઘના કેટલાક લોકો રાજનીતિમાં સક્રિય છે. ભાગવતે કહ્યું, ઘણા લોકો માને છે કે નરેન્દ્ર મોદી RSS ના કારણે વડાપ્રધાન છે. તેઓ એક પોલિટિકલ પાર્ટી ચલાવે છે, પરંતુ BJP એક અલગ સંસ્થા છે. તે RSS ની નથી, જોકે તેમાં અમારા સ્વયંસેવકો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. T20 વર્લ્ડ કપમાં ભારતની વિજયી શરૂઆત:USAને 29 રને હરાવ્યું; કેપ્ટન સૂર્યાની ફિફ્ટી, સિરાજની 3 વિકેટ ભારતે T20 વર્લ્ડ કપની શરૂઆત જીત સાથે કરી છે. શનિવારે છેલ્લી મેચમાં ટીમે અમેરિકાને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 162 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની પહેલી 4 વિકેટ માત્ર 46 રનમાં પડી ગઈ હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવે 49 બોલમાં 84 રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. 162 રનના ટાર્ગેટનો પીછો કરતા અમેરિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 132 રન જ બનાવી શકી. શુભમ રંજને અને સંજય કૃષ્ણમૂર્તિએ 37-37 રન બનાવ્યા. જ્યારે મિલિંદ કુમારે 34 રન બનાવ્યા. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. માયાભાઈ આહીરનો પુત્ર જેલ બહાર, ભગવદ્ ગીતા બતાવી:બગદાણાના ચકચારી પ્રકરણમાં 14 દિવસ બાદ જામીન, હસીને હાથ મિલાવ્યા અને કારમાં બેસી રવાના થયો બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં માયાભાઈ આહીરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીના શરતી જામીન મંજૂર થયા છે. જયરાજ આહીરની આજે 14 દિવસ બાદ જેલમુક્તિ થઈ હતી. જયરાજ જ્યારે જેલની બહાર આવ્યો ત્યારે તેના હાથમાં ભગવદ્ ગીતા જોવા મળી હતી. કારમાં બેસી રવાના થતી સમયે પણ જયરાજે ભગવદ્ ગીતા બતાવી હતી. જેલમાંથી બહાર આવી એક યુવક સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. બાલધિયા હુમલા કેસમાં જયરાજ આહીર, નાજુ કામળિયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ગઈકાલે મહુવા કોર્ટમાં તેના વકીલ મારફત જેલમુક્ત થવા જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અંબાજી યાત્રાધામના વિકાસમાં નવો અધ્યાય:CM ભૂપેન્દ્ર પટેલે ₹950 કરોડના ‘શક્તિ કોરિડોર’નું ખાતમુહૂર્ત અને 16 ફૂટ ઊંચા ‘અખંડ શક્તિ ત્રિશૂળ’નું અનાવરણ કર્યું યાત્રાધામ અંબાજીના ઇતિહાસમાં 7 ફેબ્રુઆરીએ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના અંબાજી ખાતે ₹950 કરોડના ‘શ્રી શક્તિ કોરિડોર’ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સાથે જ અંબાજીના પ્રવેશદ્વાર સમા ત્રિશુળીયા ઘાટ પર 16 ફૂટ ઊંચા દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂળ”નું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. હિમાલયની 1500 વર્ષ જૂની પૌરાણિક ઉર્જા હવે ગુજરાતની ધરા પર અવતરી છે. ઉત્તરકાશીમાં સ્થિત પૌરાણિક શક્તિ ત્રિશૂળની આ પ્રથમ પ્રતિકૃતિ છે. આ એ જ ત્રિશૂળની પ્રતિકૃતિ છે જેનાથી માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો. આધ્યાત્મિક મર્યાદા જાળવવા તેની ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : પટનામાં પપ્પુ યાદવની ધરપકડ, 31 વર્ષ જૂનો કેસ:અડધી રાત્રે પોલીસ ઘરેથી લઈ ગઈ, સમર્થકોનો હોબાળો; સાંસદ બોલ્યા- મારી હત્યાનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : મલેશિયામાં મોદીનું સ્વાગત કરવા માટે PM ઇબ્રાહિમ પોતે ગયા:મોદીને તેમની કારમાં બેસાડ્યા, મોદીએ કહ્યું, આ તેમનો ભારતીયો પ્રત્યેનો પ્રેમ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાનથી ઊડીને આવ્યું ફુગ્ગા સાથેનું બેનર:અમૃતસર એરપોર્ટ પર હાઇ એલર્ટ, રનવે પર ડ્રોન દેખાયું, 1 કલાક ઓપરેશન બંધ, 2 ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે ઓબામા-મિશેલને 'વાનર' તરીકે દર્શાવ્યા, VIDEO:સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી ડિલિટ કર્યો, વ્હાઇટ હાઉસે કહ્યું, સ્ટાફે ભૂલથી શેર કર્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આ અઠવાડિયે ₹94 હજાર ઘટીને ₹2.45 લાખ પર આવી:સોનું ₹14 હજાર ઘટીને ₹1.52 લાખ થયું, તમારા શહેરના સોનાના ભાવ જુઓ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T-20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચની આશા જાગી:શ્રીલંકા ક્રિકેટે કહ્યું- અમને રેવન્યુમાં નુકસાન થશે, PCBએ ખાતરી આપી- સરકાર સાથે વાત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : બુદ્ધિના દેવ બુધનું ગોચર!:વૃષભ જાતકોનું કરિયર ટનાટન, કર્ક રાશિ પર થશે પૈસાનો વરસાદ; મહિનાના અંતે કુંભ રાશિમાં રચાશે દુર્લભ 'ચતુર્ગ્રહી યોગ' વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ₹20 માટે 4 વર્ષની સજા, નિર્દોષ સાબિત થતા જ મોત ગુજરાતના બાબુભાઈ પ્રજાપતિને 20 રૂપિયાની લાંચ લેવાના ખોટા કેસમાં 4 વર્ષની સજા મળી હતી. તેઓ તેની વિરુદ્ધ 30 વર્ષ સુધી ગુજરાત હાઈકોર્ટના ચક્કર લગાવતા રહ્યા. બીજી તરફ, 4 ફેબ્રુઆરીએ જેવા હાઈકોર્ટે તેમને નિર્દોષ સાબિત કર્યા, તેના બીજા જ દિવસે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. બાંગ્લાદેશથી ભાસ્કર : ‘જમાત જીતે કે BNP, ડરથી હિન્દુ ધર્મ નહીં છોડીએ’: મંદિરો પર હુમલા, હત્યાથી ગભરાટ, BNPને વોટ આપી શકે છે હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન 2. આજનું એક્સપ્લેનર: વૈભવ-આયુષને નેશનલ ટીમમાં ક્યારે તક મળશે? કોહલી-યુવરાજ અંડર-19 વર્લ્ડ કપથી જ સ્ટાર બન્યા; ભારતીય ક્રિકેટને કેટલાં વર્ષનો ટેલેન્ટ પુલ મળ્યો 3. ચાર લેયર અને વચ્ચે પાણીવાળું ગુજરાતનું સિટી: સિંગોપોરથી પણ મોટું મોદીનાં સપનાનું ધોલેરા, પહેલીવાર જુઓ અંદરનો ડ્રોન વ્યૂ, ખારાપાટ ભાલની કાયાપલટ 4. એક્સક્લૂસિવ : લોથલની જમીનમાંથી સોનાના કણ મળ્યા: 65 વર્ષ બાદ ડ્રોન સર્વે, હાઇટેક ટેક્નોલોજીથી ખોદકામ; હડપ્પન સાઇટને 3 ભાગમાં વહેંચી પુરાતત્ત્વવિદોએ સંશોધન શરૂ કર્યું 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : સંદેશખાલી ગેંગરેપ- 2 પીડિતા પલટી, એક ગીતા પાઠ કરાવે છે: CBIને 50 ફરિયાદ મળી, પણ પીડિતાઓ ક્યાં; શાહજહાં, શિબુ અને ઉત્તમ જેલમાં બંધ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: વૃષભ રાશિના જાતકો માટે ગ્રહની દશા અત્યંત અનુકૂળ, મિથુન રાશિના લોકોના કરિયરમાં સોનેરી ચમક રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 5:00 am

નિયુક્તિ:બોર્ડની ધો.10-12ની પરીક્ષા માટે પાંચ ઝોનલ અધિકારીની નિયુક્તિ

ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.26 ફેબ્રુઆરીથી ધો.10 અને ધો.12ની બોર્ડની લેખિત પરીક્ષાનો આરંભ થવાનો છે ત્યારે પરીક્ષાના આયોજન માટે અધિકારીઓની ઝોનલ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. ધો.10માં ત્રણ અને ધો.12 માટે બે ઝોનલ ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે. ભાવનગર ઉપરાંત મહુવા અને તળાજામાં ઝોન કચેરી રહેશે. ધો.10 માટે ભાવનગર શહેરમાં બે ઝોનલ અધિકારી રહેશે જેમાં મુક્તાલક્ષ્મી કન્યા વિદ્યાલય છે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે જી.જે.બારૈયા( આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, નવાપરા)ની નિયુક્તિ કરાઇ છે. જ્યારે માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ઝોનલ કચેરી છે જ્યાં યુવરાજસિંહ ઝાલા (સ.મા. શાળા, નેસવડ) અને મહુવામાં ઝોનલ કચેરી કે.જી.મહેતા કન્યા વિદ્યાલય ખાતે રહેશે જ્યાં ઝોનલ અધિકારી તરીકે જી.એલ.ડાંગોદરા(આચાર્ય, સરકારી હાઇસ્કૂલ, ગળથર) રહેશે. ધો.12માં ભાવનગર ખાતે ઝોનલ કચેરી માજીરાજ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કાર્યરત રહેશે અને ત્યાં ઝોનલ અધિકારી તરીકે એસ.એમ.સૈયદ(આચાર્ય સ.મા.શાળા, બોરડી) રહેશે. તળાજા ખાતે મોડેલ સ્કૂલમાં ધો.12ની ઝોનલ કચેરી કાર્યરત રહેશે તેમાં ઝોનલ અધિકારી તરીકે પી.બી.મકવાણા (આચાર્ય મોડેલ સ્કૂલ, તલગાજરડા) કાર્યરત રહેશે તેમ ડીઇઓએ જણાવ્યું છે. ઝોનલ કચેરીની વ્યવસ્થા પરીક્ષાના સુચારૂ આયોજન માટે કરવામાં આવે છે જ્યાં દરરોજ પરીક્ષાના પેપર અને અન્ય વ્યવસ્થાનું સંકલન પણ કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:54 am

શિક્ષણ પદ્ધતિમાં આધુનિક ટેકનોલોજીનો સુમેળ:લાખણકાના શિક્ષકનો AIનો શાળા કક્ષાએ અનોખો પ્રયોગ

ભાવનગર જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં વલભીપુર તાલુકાની લાખણકા શાળાના શિક્ષક દ્વારા ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ પર નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. આ કૃતિએ શિક્ષણમાં AI ના ઉપયોગ દ્વારા 'ગોખણપટ્ટી' દૂર કરવાનો નવો રાહ ચિંધ્યો છે. જી.સી.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , સિદસર દ્વારા આયોજિત 11મા ઐતિહાસિક જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલમાં ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની લાખણકા પ્રાથમિક શાળાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. આ ફેસ્ટિવલમાં શાળાના શિક્ષક અમરજીતસિંહ ગિરવાનસિંહ પરમારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ: શિક્ષણનો સાથી શીર્ષક હેઠળ પોતાનું ઈનોવેશન રજૂ કર્યું હતું. શિક્ષણ જગતમાં કઠિન વિષયવસ્તુનું સરળીકરણ, મૂલ્યાંકન અને લોકભાગીદારી જેવી સમસ્યાઓના નિરાકરણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મેળામાં, લાખણકા શાળાનો પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ ઈનોવેશન દ્વારા શિક્ષણમાં ટેકનોલોજીના ઉપયોગથી કેવા બદલાવ લાવી શકાય તે દર્શાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:49 am

4.83 કરોડના ખર્ચે બનેલાં છાત્રાલયનું કરાયું લોકાર્પણ:હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા

ભાવનગર ખાતે રૂ. 4.83 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ર્ડા. પ્રદ્યુમનભાઈ વાજાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતુ કે આજે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ સરકારી કુમાર છાત્રાલય (પી.જી.) નું લોકાર્પણ માત્ર એક ઈમારતનું લોકાર્પણ નહીં, પરંતુ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકરના વિચારોને જીવંત રાખવાનો પ્રયાસ છે. દૂર-દૂરથી આવનારા ગરીબ વિદ્યાર્થીઓને રહેવા-જમવાની અને અભ્યાસની સગવડ મળે તે હેતુથી આ છાત્રાલય ઉપયોગી બનશે. બસના સમયપત્રક, રોજની અવરજવર જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે હોસ્ટેલ એકમાત્ર યોગ્ય સમાધાન હોવાનું અને હોસ્ટેલ માત્ર નિવાસ સ્થાન નહીં, પરંતુ જીવનના મૂલ્યો શીખવાની પાઠશાળા છે તેમ જણાવ્યું હતું. ડૉ. આંબેડકર સરકારી કુમાર છાત્રાલય કેમ્પસ, બસિલ પાર્ક હોટેલની બાજુમાં આવેલ છે. આ છાત્રાલયના નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરીને મંત્રીએ હોસ્ટેલની સુવિધાઓનું નિરીક્ષણ કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે ધારાસભ્ય સેજલબેન પંડ્યા પણ જોડાયા હતા. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે વિધાર્થીઓ સારી રીતે ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે અંદાજે પાંચ કરોડના ખર્ચે સુવિધાયુક્ત છાત્રાલયનું નિર્માણ કરાયું છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજમાં સમાનતા, ન્યાય અને સશક્તિકરણનું સૌથી મોટું સાધન છે. આજે જે લોકાર્પણ થઈ રહ્યું છે તે અનેક વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું માધ્યમ બનશે. કલેકટર ડૉ. મનીષકુમાર બંસલે આ હોસ્ટેલ 5 કરોડ રૂપિયાના ખર્ચે લગભગ 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની, જમવાની તથા લાઇબ્રેરી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના લાભાર્થી વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ વધશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:48 am

મંથર ગતિથી કામગીરી:વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલો છ વર્ષ થયા છતાં અધુરા..!

વલભીપુર ભાવનગર ફોર લેન માટે નવા બનતા પુલોના કામને છ વર્ષ થયા છતાં પુલના કામો હજુ અધુરા છે. જેથી જાહનચાલકો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યાં છે. જયાં સુધી આ પુલોનું લીંકઅપ ફોરલેન સાથે નહીં થાય ત્યાં સુધી સાંકડા નાળાઓ ને કારણે ટ્રાફિક સમસ્યા રહેશે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવતા નદી નાળા અને કોઝવે ઉપરના પુલોને ઉંચા બનાવાનું કામ કોવીડ-19 ના સમય ગાળા પહેલા શરૂ થયું હતું અને કામ શરૂ થતા કોરોના વાયરસ દરમ્યાન લોકા ડાઉન થતા કામો અધુરા મુકી દેવામાં આવ્યા છે. અલબત્ત, ફોર લેનનું કામ હાલમાં સારી ઝડપે ચાલી રહ્યું છે પરંતુ ઉંડવી ભોજપરા થી લઇ ઘાંઘળી અને ચમારડી વચ્ચે નવા નિર્માણધીન પુલોની સંખ્યા ચાર થી પાંચની છે જે પુલો પૈકી એક પણ પુલોનું કામ પૂર્ણ થયું નથી. અને લોખંડની સળીયાઓ 6 વર્ષની કાટ ખાઇ રહ્યાં છે. ત્યારે આ સળીયાઓ ઉપર અધુરૂ બાંધકામ જયારે પણ શરૂ કરશે ત્યારે તે કેટલું મજબુત રહેશે અને થશે તે સમય કહેશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:46 am

કાયદાનો ભંગ:સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ

સિહોરમાં મોડી રાત સુધી વાગતા ડી.જે.ને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખલેલ પહોંચી રહી છે, આ સામે પોલીસ તંત્રના મૌનથી નગરજનોમાં નારાજગી ફેલાઇ છે. અત્યારે શિયાળામાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઊઠી છે. અને બીજી તરફ આગામી સમયમાં ફેબ્રુઆરીના અંતમાં ધોરણ :10 ને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. લગ્નની સિઝનમાં લોકોને ડી.જે.ના તાલે નાચવાનો એક અનેરો આનંદ હોય છે. પણ આ આનંદ ક્યારેક શોકમાં ફેરવાઇ જતો હોય છે. ડી.જે.ના અવાજની તીવ્રતા એટલી ભયાનક હોય છે કે ક્યારેક કોઇકનું હૃદય બેસી જતું હોય છે. બીજી તરફ આજુબાજુના રહીશોની શાંતિમાં પણ ડી.જે. ખલેલ પહોંચાડે છે. યક્ષ સવાલ એ છે કે લોકોની શાંતિમાં ભંગ પાડનાર ડી.જે. સામે પોલીસની કોઇ જવાબદારી જ નહીં. આગામી દિવસોમાં ધોરણ :10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. આ પરીક્ષા આ વિદ્યાર્થીઓના જીવનનો એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઇન્ટ હોય છે.આથી અત્યારે આ પરીક્ષાર્થીઓ 24 કલાકમાંથી 12-15 કલાક વાંચતા હોય છે. એમાંય રાત્રે અને વહેલી સવારે વાતાવરણ શાંત હોય છે આથી આ સમયગાળા દરમિયાન પરીક્ષાર્થીઓ વધારે વાંચવાનું પસંદ કરતા હોય છે. પરંતુ અત્યારે લગ્નગાળાની પણ સિઝન ચાલી રહી છે. આથી જેમના ઘેર પ્રસંગ હોય તેઓ મોડે સુધી ડી.જે. વગાડતા હોય છે. પરંતુ આ ડી.જે.આ ઘરની આજુબાજુ રહેતા અનેક બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓની શાંતિમાં કેટલી ખલેલ પહોંચાડે છે એનો વિચાર કરતું જ નથી. સુપ્રીમ કોર્ટના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘનદેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમે કોર્ટે પણ રાત્રે 10 વાગ્યા પછી ડી.જે. વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ છતાં સિહોર શહેર અને ગ્રામ્ય પંથકમાં સરેઆમ તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને આ બધું જોઇ રહી છે. જાણે કે પોતાની કોઇ જવાબદારી જ ન હોય. મોટા માણસોના ઘેર પ્રસંગ હોય,તો તેઓ પોતાની વગનો ઉપયોગ કરીને પણ ડી.જે.નો ઉપયોગ કરે છે. પરંતુ આ ડી.જે.કોઇની કારર્કિદી રોળી શકે છે એટલી સંવેદના લાવવી ક્યાંથી ?

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:45 am

ઉશ્કેરાયેલા શખ્સે તોડફોડ કરી આતંક મચાવ્યો:ચિરોડા ગામે પોલીસ વાનના ચાલક પર કોશ વડે હુમલો

જેસર ના ચિરોડા ગામે એક ઈસમ પોતાના ઘરે તોડફોડ કરતો હોય અને કોઈએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલ આ શખ્સે પોલીસ વાન અને પણ નિશાન બનાવી તેની પર ફૉસ વડે હુમલો કરી આતંક મચાવ્યો હતો. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ પણ ભાગ્યા હતા અને વાનના ડ્રાઇવર ઉપર પણ કોષ વડે હુમલો કરતા તેને પણ ગંભીર ઈજા થઈ હતી. જેસરના ચિરોડા ગામે રહેતા કુલદીપસિંહ દશરથસિંહ સરવૈયા નામનો શખ્સ પોતાના ઘરે તોડફોડ અને અન્યને મારવા દોડતો હોવાની જાણ પોલીસને કરાતા પોલીસ વાન ઘટના સ્થળે દોડી ગયું હતું. આ સ્થળે એકત્ર થયેલા લોકોને હટાવી પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ કેમ તોડફોડ કરે છે તેમ પૂછતા તેણેે ઉશ્કેરાઈ જઈ હાથમાં લોખંડની કોષ લઈ તેની પાછળ મારવા દોડ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ દોડીન દૂર થઈ જતા આ શખસે પોલીસની ગાડી પાછળ દોડી ગાડીની તોડફોડ કરી પોલીસ વાનના ડ્રાઇવર ભગીરથસિંહ સરવૈયા નીચે ઉતરતા તેની છાતીમાં ક્રોસ વડે હુમલો કરી તેમને નીચે પાડી દઈ ગંભીર ઈજા પહોંચાડી હતી. તેમજ બીકના કારણે અન્ય કોઈ તેને છોડાવવા જઈ શક્યું ન હતું. બાદ આ શખ્સ હાથમાં કોશ લઈ આ વિસ્તારમાં આટા મારવા લાગ્યો હતો.દરમિયાન પોલીસે એમ્બ્યુલન્સ ને બોલાવી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા હતા. આમ તોફાન મચાવી રહેલ આરોપી સામે જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:44 am

જિલ્લામાં કાર્ગો ક્ષમતા વધશે:દરિયાઈ માળખાને સુદ્રઢ બનાવવા મહુવા બંદર માટે DPR પ્રક્રિયા શરૂ

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા ભાવનગર જીલ્લાના મહુવા ખાતે બંદર વિકસાવવાની યોજના ઘોષિત કર્યા બાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) તૈયાર કરવાની પ્રક્રિયા વેગવંતી બનાવી છે. જીએમબી વડી કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર, મહુવા બંદર માટે સરકાર પણ સરકારાત્મક વલણ ધરાવે છે. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણના ભાગ રૂપે, રાજ્યએ દહેજ અને મહુવામાં બંદરો વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, જેનો હેતુ દરિયાઈ માળખાને વધુ મજબૂત બનાવવા, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા અને દરિયાકાંઠાના લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. પ્રસ્તાવિત વિકાસ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ટેકો આપવાના લાંબા ગાળાના ધ્યેય સાથે સુસંગત છે. મહુવા ખાતે પ્રસ્તાવિત બંદર વિકાસ પ્રોજેક્ટ્સ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતાઓમાં નોંધપાત્ર વધારો કરશે. નેવિગેશનલ માળખાગત સુવિધાઓને અપગ્રેડ કરશે અને લાંબા ગાળાની કામગીરી કાર્યક્ષમતા સુનિશ્ચિત કરશે તેવી અપેક્ષા છે. દરમિયાન, મહુવા કૃષિ-ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક વેપારને પહોંચી વળવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે, જે ક્ષમતા વિસ્તરણ અને આધુનિકીકરણ માટે નોંધપાત્ર સંભાવનાઓ પ્રદાન કરે છે. દરિયાઈ ક્ષેત્રમાં વધતી ગતિને આધારે, ગુજરાત સરકારે, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (જીએમબી) સાથે મળીને, રાજ્યને બંદરો અને સંલગ્ન ઉદ્યોગો માટે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી છે. આ દ્રષ્ટિકોણને કાર્યમાં પરિવર્તિત કરવા માટે, GMB એ બંને બંદરો માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (DPRs) તૈયાર કરવા માટે એક વિશિષ્ટ સલાહકારને જોડવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ DPRs પ્રસ્તાવિત વિકાસના ટેકનિકલ, નાણાકીય, પર્યાવરણીય અને કાર્યકારી પાસાઓને આવરી લેતો વ્યાપક રોડમેપ પ્રદાન કરશે. પૂર્ણ થયા પછી, DPRs દહેજ અને મહુવા ખાતે આધુનિક, કાર્યક્ષમ, સુરક્ષિત અને ટકાઉ દરિયાઈ માળખાગત સુવિધા સ્થાપિત કરવા માટે પાયો બનાવશે. આ પહેલો વૈશ્વિક ઉદ્યોગ માપદંડોનું પાલન કરતી વખતે રાષ્ટ્રીય દરિયાઈ પ્રાથમિકતાઓ સાથે ગાઢ રીતે સંરેખિત થવાની અપેક્ષા છે, જે ભારતના બંદર-સંચાલિત વિકાસ એજન્ડામાં ગુજરાતના નેતૃત્વને મજબૂત બનાવે છે. ગુજરાતમાં જહાજ નિર્માણ માટે સુવિધા વધશે2,340 કિલોમીટર લાંબા દરિયાકિનારા, મજબૂત બંદર માળખાગત સુવિધા અને સુસ્થાપિત ઔદ્યોગિક ક્લસ્ટરો સાથે, ગુજરાત મોટા પાયે જહાજ નિર્માણ અને દરિયાઈ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવામાં કુદરતી લાભ ધરાવે છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:40 am

યુનિ.ના કુલપતિને રજૂઆત કરાઈ:યુનિ. કાર્યાલયની સામે ભાવેણા સ્ટેટ વખતનું મ્યુઝિયમ બનાવો

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલય સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવા અંગે યુનિ.ના કુલપતિને ભાવનગર યુવક કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી કાર્યાલયની સામે ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ બનાવવામાં આવે તેવી યુવક કોંગ્રેસની માંગણી છે. કુલપતિને આ રજૂઆતમાં જણાવાયું છે કે ઈતિહાસ મુજબ ભારતની આઝાદી સમયે અખંડ ભારત માટે સૌ-પ્રથમ રાષ્ટ્ર માટે ભાવનગરના રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગર રાજ્ય સમર્પિત કર્યું હતું. યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને ગુજરાત અને ભારતની વિવિધ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, પ્રોફેસરો ભાવનગરની મુલાકાતે આવે ત્યારે યુનિવર્સીટી સામે જો ભાવનગર સ્ટેટનું મ્યુઝિયમ હોય તો તે ભાવનગરનો ઈતિહાસ સમજી-જાણી શકે તે માટે મ્યુઝીયમ બનાવવા યુવક કોંગ્રેસની માંગણી છે તેમ ભાવનગર શહેર યુવક કોંગ્રેસના મહામંત્રી ગિરિરાજસિંહ વાળાએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:38 am

વીજચોરી ઝડપાઇ:ભાવનગર સર્કલમાંથી 2.27 કરોડની વીજચોરી ઝડપાઇ

GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં છેલ્લા એક સપ્તાહમાં PGVCL ભાવનગર સર્કલમાંથી કુલ રૂ.2.27 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. PGVCL ભાવનગર સર્કલમાં છઠ્ઠા દિવસે GUVNLની કોર્પોરેટ ડ્રાઈવમાં મહુવા ડિવિઝન નીચેના મહુવા અને જેસર તાલુકાના વિસ્તારોમાં વીજ ચેકિંગના દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCLના મહુવા ડિવિઝન નીચે આવતા મહુવા ટાઉન, બગદાણા, જેસર, મહુવા રૂરલ-2 અને નેસવડ સબ ડિવિઝન નીચેના ગામોમાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં રૂ.32.07 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. વીજ ચેકિંગના દરોડામાં વિવિધ શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસમાં 77 ગ્રાહકોને વીજચોરી કરતા ઝડપી લેવામાં આવ્યા હતા. PGVCL મહુવા ડિવિઝનમાં વીજ ચેકિંગના દરોડામાં મહુવા અને જેસર તાલુકામાં આવતા મહુવા શહેર ઉપરાંત મોણપર, જેસર, રાણીગામ, દાઠા અને નેસવડ ગામમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 11 એસ.આર.પી. જવાન, 7 GUVNL પોલીસ અને 6 લોકલ પોલીસનો કાફલો તૈનાત કરવાની સાથે દરોડાની સમગ્ર કામગીરીનું 4 વિડિયોગ્રાફર દ્વારા વિડિયોગ્રાફી કરવામાં આવી હતી. PGVCL મહુવા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટની 3, સ્થાનિકની 20 અને GUVNLની 12 ટીમો મળી કુલ 35 ટીમોના જંગી કાફલા સાથે ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મહુવા અને જેસર તાલુકામાં વીજ ચેકિંગની કાર્યવાહીમાં 376 રહેણાંકી, 22 વાણિજ્ય અને 25 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 423 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં 67 રહેણાંકી, 4 વાણિજ્ય અને 6 ખેતીવાડી શ્રેણીના મળી કુલ 77 વીજ જોડાણમાંથી ગ્રાહકોને વીજચોરી કરતા પકડી પાડવામાં આવ્યા હતા. છ દિવસમાં ક્યાં ડિવિઝનમાંથી કેટલી વીજચોરી ઝડપી

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:37 am

સન્ડે ફોટો સ્ટોરી:63 દિવસની સઘન સારવારથી 4 અપરિપકવ બાળકોને મળ્યું નવજીવન

4થી ડિસેમ્બર-2025ના રોજ કુદરતનો કરિશ્મા ગણી શકાય તેવી ઘટનામાં દોઢ દાયકા સુધી નિઃસંતાન રહેલા દંપતિ પર કુદરત મહેરબાન થતા તળાજા તાલુકાના ભાલર ગામની મહિલાને IVF પદ્ધતિ દ્વારા ગર્ભધારણ થતા અતિ કુમળા, અપરિપક્વ, અધૂરા મહિને ખૂબ જ ઓછા વજન વાળા ચાર નવજાત શિશુઓને જન્મ આપ્યો હતો. અધૂરા મહિને જન્મેલા ચાર નવજાત બાળકોને સર ટી. હોસ્પિટલ બાળરોગ વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડૉ. મેહુલ એમ. ગોસાઈ સહિતના તબીબોની 63 દિવસની મહેનત અને આધુનિક સઘન સારવાર બાદ આજે સંતોષકારક અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ની પરિસ્થિતિમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે ત્યારે તબીબી ટીમ તથા પરિવારજનો સાથે ખુશીની ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:30 am

આગોતરૂ આયોજન:શિવરાત્રીના મેળામાં જવા ભાવનગરમાંથી 40 બસો દોડાવાશે

જૂનાગઢમાં મહાશિવરાતત્રીના યોજાનારા મેળાને લઈ રાજ્ય સરકાર દ્વારા સુચારૂ પગલાં લેવાયા છે તેમજ મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. આ વર્ષે પણ શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા અનેક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને એસ. ટી. વિભાગ દ્વારા પણ અનેક બસોનું સંચાલન કરવામાં આવશે. ભાવનગર ડિવિઝન દ્વારા પણ મેળામાં જવા માટે 40 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં ગિરનારની ગોદમાં આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરી સુધી વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી નો મેળો યોજવાનો છે. મહાશિવરાત્રી ના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ લાભ લે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા પણ પૂરજોશમાં તડામાર તૈયારી ઓ કરવામાં આવ્યું છે. અને સમગ્ર રાજ્યમાંથી સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા શ્રદ્ધાળુઓ માટે મોટી સંખ્યા માં બસો નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર એસ.ટી.ડિવિઝન દ્વારા 40 બસો જૂનાગઢ ખાતે દોડાવવામાં આવનાર છે. જેમાં સૌથી વધુ 20 જેટલી બસો ભાવનગર એસ. ટી. ડેપોમાંથી મૂકવામાં આવશે. ખાનગી વહાણો દ્વારા ભાડાઓ વધારી દેવામા આવે છે ત્યારે એસ. ટી વિભાગ દ્વારા વધુમાં વધુ શ્રદ્ધાળુઓ સરકાર બસનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી છે. તદુપરાંત ભાવનગર ડિવિઝન ની 15 જેટલી બસો જૂનાગઢ ડિવિઝન ની ફાળવાઈ છે. આ સાથે જો શ્રદ્ધાળુઓનું સંખ્યા બળ વધશે તો હજુ પણ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે તેમ એસ.ટી.ના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ વર્ષે શિવરાત્રીનો મેળો ભવ્યતાપૂર્વક યોજાવાનો હોય અત્યારથી જ ભાવિકોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસ.ટી.ના 8 ડેપોમાં 40 બસો દોડાવાશે

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:28 am

ભાસ્કર વિશેષ:સુરતીઓને મોંઘવારી નડતી નથી, વર્ષ 2025માં 160 કરોડનું સોનું ખરીદ્યું, ગત વર્ષ કરતાં ડબલ, જીએસટી વિભાગ પણ 48 કરોડથી વધુ ટેક્સ કમાયું

સોના-ચાંદીના ભાવ રોજ કૂદકેને ભૂસકે બદલાય રહ્યા છે અને અપ-ડાઉનની સર્કિટ પણ લાગી રહી છે. ગત વર્ષની સરખામણીમાં સોનાના ભાવ તો ડબલથી વધુ થઈ ગયા છે. આ સ્થિતિમાં બજારના નિયમ મુજબ તો જેમ ભાવ વધે તેમ ખરીદી-ડિમાન્ડ ઘટે એમ થાય પરંતુ સુરતમાં ઉલટું થઈ રહ્યુ છે. વર્ષ 2024ની સરખામણીમાં સોનુ-ચાંદીનું વેચાણ લગભગ બમણું થઈ ગયુ છે. ગત વર્ષે જ્યાં 70 કરોડનું વેચાણ થયુ હતુ ત્યાં આ વખતે 2025માં 160 કરોડથી વધુનું વેચાણ થયુ છે. જીએસટી વિભાગને આ વેચાણ પર ટેક્સ પણ 48 કરોડથી વધુનું મળ્યુ છે. ત વર્ષે સોનાનો સરેરાશ ભાવ 79 હજાર હતો, આજે 1.63 લાખ છે શહેરમાં 200થી વધુ વેપારી જીએસટીના જે એચએસએન કોડમાં સોના-ચાંદી અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે તેની સંખ્યા 200થી વધુ છે. આ ઉપરાંત જિલ્લામા પણ 70થી વધુ વેપારીઓ છે. અધીકારી સૂત્રો કહે છે કે સોના-ચાંદીના વેપારીઓએ જે વેચાણ થાય તેની પર ત્રણ ટકા ટેક્સ ભરવાનો હોય છે. એટલે કે ફાઇનલ બિલ પર લોકો પાસેથી ત્રણ ટકા જીએસટી વસુલવામા આવે છે. વર્ષ 85 કરોડથી વધુનુ વેચાણ હતુ જેની પર 25 કરોડ જેટલો ટેક્સ આવ્યો હતો. જ્યારે વર્ષ 2025માં તેમાં 160 કરોડથી વધુનુ વેચાણ થયુ છે. જેની પર 48 કરોડ જેટલો ટેક્સ આવ્યો છે. સોના-ચાંદીના જે ડેટા વિભાગ પાસે છે તેના કરતા માર્કેટમાં વેચાણ વધુ હોવાની આ આંકડાઓ પરથી લાગી રહ્યુ છે આથી કેટલાંક જ્વેલર્સ વિભાગને જરૂરી ડેટા આપી રહ્યા નથી એની પણ પ્રતિતિ થઈ રહી છે. એટલે જે વેચાણ થાય છે તે ચોપડા પર બતાવવામા આવતુ નથી. ખરીદીનો પર્પઝ પણ અલગ હોય છેલોકો બે રીતે ખરીદી કરે છે. ઘરમાં પ્રસંગ હોય ત્યારે અથવા તો રોકાણ કરવુ હોય. સામાન્ય રીતે સોનાના ભાવ વધે તો લોકો ખરીદી ટાળવાની જગ્યાએ જરૂરિયાત ઘટાડીને પણ પ્રસંગ માટે ખરીદી કરતા હોય છે. ભાવ સતત વધતા ગયા તો બની શકે લોકો આ તરફ વળે. બીજા એ લોકો છે જે રોકાણ માટે કરતા હોય છે. - દીપ ઉપાધ્યાય, સી.એ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:23 am

હનિટ્રેપનો મામલો આવ્યો સામે:CCTV હેક કરી ડૉક્ટર મસાજ કરાવતા હોય તેવો વીડિયો બનાવી રૂપિયા પડાવવાનો કારસો

પાલડીમાં ક્લિનિક ધરાવતા તબીબને હની ટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવાનું ષડ્યંત્ર પકડાયું છે. ડૉક્ટર પાસેથી રૂ. 5 હજાર પડાવ્યા બાદ 40 હજાર માગીને સમાજ-મિત્રોના ગ્રૂપમાં ન્યૂડ ફોટો-વીડિયો વહેતાં કરવાની ધમકી આપી હતી. રોજ મળી રહેલી ધમકીથી ત્રસ્ત ડૉક્ટરે ફરિયાદ નોંધાવતાં પાલડી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ ક્લિનિકના સીસીટીવી કૅમેરા હેક કરી, અસલ વીડિયોમાં ચેડાં કરીને ડૉક્ટર ક્લિનિકમાં જ બોડી સમાજ કરાવતા હોવાના વીડિયો બનાવ્યા હતા. પાલડીમાં ક્લિનિક ધરાવતા 49 વર્ષના સીરાજભાઈ (49) (નામ બદલ્યું છે)ને 11 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યે વોટસએપમાં એક વીડિયો આવ્યો હતો. તેમાં 27 માર્ચ, 2025એ બપોરે 3.25 વાગ્યે ડૉક્ટર ક્લિનિકની પર્સનલ કેબીનમાં યુવતી પાસે બોડી મસાજ કરાવી રહ્યા હતા. આ સાથે લખાણ લખ્યું હતું કે અમારી પાસે તમારા આવા ઘણા ન્યૂડ વીડિયો - ક્લિપ છે. વીડિયો ડિલીટ કરવાના રૂ. 35 હજાર થશે. સાથે જ આ વીડિયો સમાજ-મિત્રોના ગ્રૂપમાં મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. એક ક્યુઆર કોડ સ્કેનર પણ મોકલ્યું હતું પરંતુ કોઈ મજાક કરતું હોવાનું માનીને પૈસા મોકલ્યા ન હતા. ત્યાર પછી બદનામ કરવાની ધમકી આપતાં ડૉક્ટર ગભરાઈ જતાં તેમણે સ્કેનરમાં રૂ. 5 હજાર મોકલ્યા હતા. એ પછી રૂ. 40 હજાર માગ્યા હતા. આ અંગે ડૉક્ટરે મિત્રોને વાત કરતાં તેમને સાથે રાખીને ડૉક્ટરે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કૅમેરા કેવી રીતે હેક કર્યા, વીડિયોમાં ચેડાંની તપાસ શરૂ કરાઈપોલીસ કહે છે, એક આરોપીની અટકાયત કરાઈ છે પણ ષડ્યંત્રમાં અન્યોની સંડોવણી હોઈ શકે છે. આરોપીએ કૅમેરા કેવી રીતે હેક કર્યા અને વીડિયોમાં ચેડાં કરીને ન્યૂડ વીડિયો કેવી રીતે બનાવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ફેસબુક પેજનો ફોટો મોકલીને ગઠિયાએ વિઝિટ કરવા કહ્યું હતુંઆરોપીએ ડૉક્ટરને ફેસબુક પેજનો ફોટો મોકલીને વિઝિટ કરવા કહ્યું હતું. ડૉક્ટરે વિઝિટ કરતાં તેમાં ક્લિનિકનું નામ અને મોબાઇલ નંબર લખેલો હતો. ત્યાં ડોક્ટરને 3 વીડિયો પણ હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:17 am

ગોઝારો અકસ્માત સર્જાયો:રોંગસાઇડમાં આવેલું એક્ટિવા અથડાતાં બાઇકચાલકનું મોત, પત્નીને ગંભીર ઈજા

બારેજા બ્રિજ પાસે રોંગસાઇડમાં પુરપાટ ગતિએ આવી રહેલા એક્ટિવાચાલકે બાઇકને ટક્કર મારી હતી. આથી બાઈકસવાર દંપતી પટકાતાં પતિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ઈજાગ્રસ્ત પત્નીને હૉસ્પિટલ ખસેડાઈ હતી. આ અંગે અસલાલી પોલીસે ફરાર એક્ટિવાચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન દંપતી મોરજ ગામથી લગ્નપ્રસંગ પૂર્ણ કરીને બાપુનગર ઘરે જઈ રહ્યા હતા. બાપુનગરના ભરતભાઈ પટેલ 5 ફ્રેબ્રુઆરીએ પત્ની ભાવનાબહેન સાથે બાઈક લઈને સંબંધીને ત્યાં લગ્નપ્રસંગ હોવાથી મોરજ ગામ ગયા હતા. રાત્રે પરત આવી રહ્યા હતા ત્યારે બારેજા બ્રિજ પાસે સર્વિસ રોડ પર રોંગસાઇડમાં એક્ટિવા ચાલક પુરપાટ ગતિમાં આવ્યો હતો અને બાઈકને ટક્કર મારી હતી. આથી ભરતભાઈ અને તેમનાં પત્ની પટકાયાં હતાં. ભરતભાઈને માથામાં ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ભાવનાબહેનને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ એક્ટિવા ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે અસલાલી પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 10 અકસ્માતે 1 અકસ્માત રોંગસાઈડના કારણે થાય છેવર્ષ 2025માં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કુલ 1427 અકસ્માતો સર્જાયા હતા. જે અકસ્માતો પૈકી 148 અકસ્માતો રોંગસાઈડના કારણે જ થયા હતા. એટલે કે દર 10 અકસ્માતે એક અકસ્માત રોંગસાઈડના કારણે થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા રોંગસાઈડની અલગ અલગ ડ્રાઈવનું આયોજન કરીને કુલ 1.77 લાખથી વધુ કેસ કરીને 36.31 કરોડનો દંડ ફટકાર્યો છે. છતા લોકો રોંગસાઈડમાં વાહન ચલાવી રહ્યા હોવાથી અકસ્માત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:15 am

અમદાવાદની 8 મહિલા વકીલે ફોર્મ ભર્યાં:પ્રથમ વાર 20 મહિલા બાર કાઉન્સિલની ચૂંટણી લડશે

સુપ્રીમ કોર્ટના આદેશને પગલે 30 ટકા મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરાતાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના 62 વર્ષના ઇતિહાસમાં 7 મહિલા વકીલ પ્રતિનિધિત્વ કરશે. તેમાં 5 મહિલા જીતશે જ્યારે 2 મહિલાની બીસીઆઇ દ્વારા કો-ઓપ્ટ તરીકે નિમણૂક કરાશે. 6 માર્ચે યોજાનારી ચૂંટણી માટે રાજ્યમાંથી 103 ફોર્મ ભરાયાં છે. પ્રથમવાર અમદાવાદની 8 સહિત કુલ 20 મહિલાએ ઝંપલાવ્યું છે. બાર કાઉન્સિલના સેક્રેટરી સિદ્ધિ ભાવસારે જણાવ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હસમુખ પરીખ, મિલન પટેલ અને રશ્મિન જાનીની નિમંણૂક કરાઇ છે. ચૂંટણીમાં રાજ્યનાં 278 વકીલ મંડળના કુલ 76,579 મતદાર મતદાન કરશે. 150 મથકો બનાવાશે. અમદાવાદમાં જ માત્ર 2 મતદાન મથકો રહેશે. જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા અટલ હોલમાં 14,679 મતદારો મતદાન કરશે જ્યારે હાઈકોર્ટ પરિસરમાં 3962 મતદારો મતદાન કરશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:13 am

ઈગ્નુએ લોન્ચ કર્યો નવો કોર્સ:હવે ઘરે બેઠા ફેશન ડિઝાઈનર બનાશે, નવો ઓનર્સ કોર્સ લોન્ચ

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) દ્વારા ફેબ્રુઆરી-2026ના સત્રથી 'બીએસસી (ઓનર્સ) ઇન ફેબ્રિક એન્ડ અપેરલ ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કરાયો છે. 4 વર્ષીય આ સ્નાતક કાર્યક્રમ ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડમાં હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા શિક્ષણ મેળવી શકશે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટેક્સટાઈલ અને ફેશન ડિઝાઈનિંગની ઊંડી સમજ આપી ઉદ્યોગ માટે તૈયાર કરવાનો છે. કુલ 120 ક્રેડિટના આ પ્રોગ્રામમાં પ્રેક્ટિકલ સ્કીલ્સ પર વિશેષ ભાર મુકાયો છે. મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન અપાયો

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:06 am

જીટીયુ:ઇજનેરીનો અભ્યાસ છોડનારા વિદ્યાર્થી ગ્લોબલ પ્લેટફોર્મ થકી સ્કિલ કોર્સ કરી શકશે

જીટીયુમાં બીઈ, એમઈ, ડિપ્લોમા ઈજનેરીનો કોર્સ અધૂરો છોડી દેનારા વિદ્યાર્થીઓ હવે વિવિધ ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરી શકશે. જીટીયુના આ નિર્ણયના પગલે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતનાં શહેરોની ડિપ્લોમા-ડીગ્રી ઇજનેરી, એમઈ કોલેજોના વિદ્યાર્થીઓને આ લાગુ પડશે. એકેડમિક સેક્શન વિભાગે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ના અમલીકરણના અનુસંધાને મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ પૉલિસીને લગતા સુધારાની જાહેરાત અનુસાર જીટીયુ દ્વારા અપાતી મર્યાદિત સંસ્થાઓની યાદીના પગલે વૈશ્વિક સ્તરે ગ્લોબલ પ્લેટફોર્મ પરથી સ્કિલ બેઝ કોર્સ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓને આઈટી, મેન્યુફેક્ચરિંગ કે સર્વિસ સેક્ટરને લગતા આધુનિક અર્વાચિન કૌશલ્યો શીખવાની તક મળશે. આ રીતે જેમણે અભ્યાસ છોડયો છે તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ અધૂરો છોડયા પછીથી વૈશ્વિક અને સ્થાનિક બજારમાં રોજગારી મેળવવામાં સહાયભૂત સાબિત થઈ શકે તેમ છે. વિદ્યાર્થીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે ભાસ્કર ફર્સ્ટ પર્સનનિયમોમાં આ પ્રકારનો સુધારો કરવામાં આવ્યોઆ અગાઉમાં વિશિષ્ટ ક્ષેત્રને લગતા ચોક્કસ પ્રકારના સ્કિલ કોર્સની યાદી અપાતી હતી. ડિસેમ્બર, 2025માં મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે જીટીયુની ગાઇડલાઇનની સેકશન 6 (ડી)માં સુધારો કરાયો છે. જેના પગલે વિદ્યાર્થીઓ પસંદગી મુજબ માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ પરથી 6થી આઠ ક્રેડિટના કોર્સ પોતાની રીતે પૂર્ણ કરી શકશે. - ડો. રીમા જોષી, સ્કિલ સ્પેશિયાલિસ્ટ, આસિ. પ્રોફેસર, બી જે મેડિકલ કૉલેજ

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:05 am

નોકરી ન્યુઝ:NIAમાં 88 જગ્યા ભરાશે 1.42 લાખ સુધીનો પગાર

ગુજરાત પોલીસના ‘સુપર કોપ્સ’ માટે હવે દિલ્હીના દ્વાર ખુલ્યા છે, કારણ કે દેશની પ્રીમિયર તપાસ એજન્સી NIA એટલે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પ્રતિનિયુક્તિના ધોરણે મોટી ભરતી જાહેર કરી છે. એનઆઈએમાં વિવિધ 88 જગ્યાઓ ભરાશે. જેમાં પસંદગી પામનાર અધિકારીઓને સાતમાં પગાર પંચ મુજબ 1.42 લાખ સુધી પગાર મળવાપાત્ર થશે. ભરતી પ્રક્રિયામાં લાયકાતના ધોરણોમાં ગ્રેજ્યુએટ સાથે ધોરણ-12 પાસ એવા પોલીસ કર્મચારીઓ કે જેમને ઈન્વેસ્ટિગેશન કે પછી ઈન્ટેલિજન્સનો અનુભવ હોય તે ફરજિયાત છે. ખાસ આતંકવાદ વિરોધી કામગીરી કે ગુના શોધવાની કળામાં માહેર પોલીસકર્મીઓ માટે શ્રેષ્ઠ તક છે. ઈન્સ્પેક્ટરથી હેડ કોન્સ્ટેબલમાં કેટલી જગ્યા ભરાશે

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:03 am

ભાસ્કર એક્સક્લુસિવ:કોર્પોરેટ વર્લ્ડના પ્લેસમેન્ટમાં 6 વર્ષ દરમિયાન CMAને જોબ ઓફરમાં 40 ટકાનો વધારો

કોર્પોરેટ વર્લ્ડમાં નાણાંકીય વ્યવસ્થાપન, ખર્ચમાં ઘટાડો કરવા સહિતની વિવિધ બાબતોને લગતા નિષ્ણાતોની વધેલી માંગેને પગલે સીએમએ (કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ)ના છ વર્ષોના પ્લેસમેન્ટમાં કરાતી જોબ ઓફરની સંખ્યામાં 40 ટકાનો વધારો જોવા મળ્યો છે. સીએમએ પાસ આઉટ ઉમેદવારોને પાંચ વર્ષોમાં 13થી વધુ સેક્ટરની કંપનીઓએ વાર્ષિક 5થી 16 લાખ સુધીનું પેકેજ ઓફર કરાયું છે. ચાલુ વર્ષે સર્વાધિક એટલે કે વાર્ષિક 12.5 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. સારા પગાર સાથે સીએમએના પ્લેસમેન્ટના આ રહ્યાં કારણો વર્ષ પ્રમાણે કરાયેલી જોબ ઓફર્સ અને પેકેજ આ 13થી વધુ સેક્ટરની કંપનીએ જોબ પાસઆઉટ ઉમેદવારોને ઓફર કરીટેલિ કોમ્યુનિકેશન, ફાર્માસ્યુટિકલ્સ, બેન્કિગ, કેમિકલ્સ, એનબીએફસી કન્સલ્ટન્સી ફર્મ, પ્લાસ્ટિક, કન્સ્ટ્રકશન, પેકેજિંગ, ઓટોમોબાઈલ,ગ્રીન એનર્જી, ડેરી પ્રોડક્ટ,હોટલ ઈન્ડસ્ટ્રીઝસ, લોજિસ્ટિક ઈન્ડસ્ટ્રીઝ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

એલસીબીની કાર્યવાહી:સ્મશાનની ઓરડીમાંથી વિદેશી દારૂના 956 ચપટા મળી આવ્યા

રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર દરોડો પાડી ઓરડીમાં રાખેલ વિદેશી દારૂના 956 ચપટા એલસીબીએ કબ્જે કર્યા હતા. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના અનુસંધાને એલસીબી પીઆઈ આર.કે.કાંબરીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે રાણા વડવાળા ગામ બાયપાસ નજીક પહોંચતા બાતમી મળેલ કે, રાણા વડવાળા ગામના સ્મશાનની ઓરડીની છત પર વિદેશી દારૂની બોટલોનો જથ્થો કોઇએ વેચવા માટે છુપાવેલ છે. જેથી સ્ટાફે સ્મશાનની ઓરડીની છત પર તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ 20 જેમાં 956 ચપટા મળી આવતા પોલીસે કુલ રૂ. 2,86,800નો મુદામાલ કબ્જે કર્યો હતો. અને આ સ્થળે કોઈ શખ્સ મળી આવેલ ન હોય જેથી અજાણ્યા શખ્સ વિરુધ્ધ રાણાવાવ પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મનપાએ ચેકીંગ ઝુંબેશ આદરી:4 સ્થળેથી 80 મણ ઘાસચારો જપ્ત‎કરી ગૌશાળા ખાતે મોકલી દેવાયો‎

પોરબંદરમાં જાહેરમાં ઘાસચારો વેંચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આમછતાં ઘાસચારો વેંચાઈ રહ્યો છે ત્યારે મનપા ટીમ દ્વારા ચેકીંગ ઝુંબેશ શરૂ કરી 4 સ્થળેથી જાહેરમાં ઘાસચારો વેચનાર સામે કાર્યવાહી સ્વરૂપે 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો છે. જાહેરમાં ઘાસચારો નાખવાથી પશુઓ એકત્ર થાય છે અને રોડ પર અડ્ડો જમાવી બેસે છે જેને કારણે લોકોને મુશ્કેલી પડે છે. જેને કારણે કલેક્ટર દ્વારા પશુઓને જાહેર સ્થળ પર ઘાસચારો ન નાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અને તે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાના અમલીકરણ માટે મનપા દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું અને થોડા મહિનાથી ચેકીંગ બંધ કર્યું હતું ત્યારે ફરી ચેકીંગ કામગીરી શરૂ કરી છે. મનપાના કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર ચતુર્વેદીના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ઓફિસર જગદીશ ઢાંકીની સૂચનાથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વનરાજ ટીંબા સહિતની ટીમ દ્વારા ચેકીંગ કર્યું હતું. ચેકીંગ દરમ્યાન વિવિધ વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચતા શખ્સો મળી આવતા, તેઓની સામે કાર્યવાહી કરી કુલ 80 મણ જેટલો ઘાસચારો જપ્ત કરી આ ઘાસચારો મનપા હસ્તકની ઓડદર સ્થિત ગૌશાળા ખાતે પશુઓ માટે મોકલી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કાર્યવાહી:પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનું વેચાણ કરનાર 24 વેપારીને‎રૂ.16,300નો દંડ ફટકારી 868 કિલો પ્લાસ્ટિક જપ્ત

પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર અંકુશ મૂકવા માટે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર ગત જાન્યુઆરી માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકી અને વિવિધ વોર્ડના સેનિટરી સબ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ ગ્રાહકોને આપતા હોય તેવા 24 વેપારી ઝડપાયા હતા. તેમની પાસેથી વહીવટી ચાર્જ તરીકે રૂ.16,300 વસૂલ કરી, અંદાજે 868 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરનાર, જાહેર સ્થળોએ દબાણ કરનાર તથા સ્વચ્છતા નિયમોનું ઉલ્લંઘન કરનાર કુલ 30 વ્યક્તિ સામે કાર્યવાહી કરી રૂ. 10,100નો દંડ ફટકારવામાં આવ્યો હતો.મનપાએ જણાવ્યું છે કે શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે આવી ઝુંબેશ નિયમિત રીતે આગળ પણ ચાલુ રાખવામાં આવશે. પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો ડસ્ટબિનમાં જ નાખે અને ડોર-ટુ-ડોર કચરા વાહનમાં જ ઠાલવવામાં આવે તેવી અપીલ પણ કરી છે. નિયમોનું પાલન નહીં કરનાર સામે રૂ. 100થી લઈને રૂ.5,000 સુધીનો દંડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

આર્થિક સ્થિતિ કફોડી બની‎:ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળી ગોડાઉન સુધી પહોંચડનાર ટ્રક ચાલકોને ભાડું ન ચૂકવાયું

પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી સેન્ટરમાં ખરીદી કરેલ મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસ ભાડાનું પેમેન્ટ ન ચુકવવામાં આવતા તેમની આર્થિક સ્થિતિ કફોડી બની છે.જેથી ટ્રક ચાલકો ભાડા ચૂકવવા માંગ કરી હતી. પોરબંદરના માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી.પોરબંદરના યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી કરેલ મગફળીને ગોડાઉનમાં પહોંચાડવા માટે ટ્રક મારફતે મગફળી પહોંચડવામાં આવી રહી છે.ત્યારે મગફળીને ગોડાઉન સુધી પહોંચાડનાર ટ્રક ચાલકોને છેલ્લા 20 દિવસથી ભાડાની રકમ ન ચુકવવામાં આવતા હાલ આ ટ્રક ચાલકોને ડિઝન સહિતના પેમેન્ટ માટે આર્થિક સ્થિતિ દયનિય બની છે તો આ ટ્રક ચાલકો અવાર નવાર ભાડાના પૈસા ચૂકવવા માગણી પણ કરવામાં આવી હતી તેમછતાં રૂપિયાની ચૂકવણી કરવામાં આવી નથી જેને લઈને ટ્રક ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો.તેમજ આ ટ્રક મગફળીના ભરેલા પણ 7 થી 8 દિવસ સુધી પડ્યા રહેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મગફળી ભરેલ છેલ્લા 7 થી 8 દિવસથી ભરેલો પડ્યો છે. તેને ખાલી કરવા માટે કોઈ જવાબ મળી રહ્યો નથી .છેલ્લા બે મહિનાથી ટ્રક ચલાવી રહ્યા હોવા છતાં, હજુ સુધી તેમને પૂરતું પેમેન્ટ મળ્યું નથી.જયારે ટ્રાન્સપોર્ટર ને ફોન કરે ત્યારે ગોડાઉન ખાલી ન હોવાનું અને પૈસા આવ્યા ન હોવાનું જણાવી દેવામાં આવે છે ડ્રાઈવરો પાસે ડીઝલ, સીલક કે જમવા માટે પણ પૈસા નથી ટ્રક પડતર હોવા છતાં પડતર ભાડું પણ આપવામાં આવતું નથી. > અભેશ ઓડેદરા,ટ્રકચાલક

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રોજગાર માટે થતી હિજરતને પરિણામે છેલ્લા 10 વર્ષમાં જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ

પોરબંદર જિલ્લામાં ઉદ્યોગો મૃતપ્રાય થઈ રહ્યા છે અને ઉદ્યોગ ન હોવાને કારણે લોકો હિજરત કરે છે. રોજગાર માટે અન્ય જિલ્લામાં હિજરત થતી હોવાને કારણે છેલ્લા 10 વર્ષમાં પોરબંદરની કુલ 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાને બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં સરેરાશ દર વર્ષે 5 સરકારી શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા ધબડક થઈ છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 35 વર્ષમાં એકપણ મોટા ઉદ્યોગ આવ્યા નથી. ભૂતકાળમાં જે મોટા ઉદ્યોગ હતા તે બંધ થયા હતા અને હાલ જે ઉદ્યોગ છે તે પણ મૃતપ્રાય અવસ્થામાં છે. જિલ્લામાં ખેતી અને પશુપાલન તેમજ માછીમાર ઉદ્યોગ આવેલ છે તેમાં પણ વાતાવરણની અસરના કારણે માછીમાર ઉદ્યોગને માઠી અસર પહોંચી હતી જ્યારે ચોમાસા દરમ્યાન માવઠાને કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી. શહેરમાં હાલ બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ થયો છે ત્યારે મજૂરો પણ બેરોજગાર થયા છે. મંદીના કારણે અને રોજગારી મળતી ન હોવાથી નાનો અને મધ્યમ વર્ગ હિજરત કરી રહ્યો છે, જેની અસર 10 વર્ષમાં જોવા મળી છે. રોજગાર માટે થતી હિજરતના પરિણામે છેલ્લા 10 વર્ષમાં પોરબંદર જિલ્લાની 54 પ્રાથમિક શાળા બંધ થઈ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળાઓને બંધ કરવામાં આવે છે ત્યારે વર્ષ 2016થી દર વર્ષે સરેરાશ 5 શાળાને તાળા લાગતા કુલ 26 સરકારી શાળા અને 28 ખાનગી શાળા બંધ થઈ છે. હિજરતથી પોરબંદર જિલ્લો પાયમાલ થઈ રહ્યો છે. જિલ્લાની કઈ સરકારી શાળા બંધ થઈ ? વર્ષ 2016 થી પોરબંદર જિલ્લાની પ્રાથમિક સરકારી શાળા બંધ થઈ છે જેમાં ટુકડા મિયાણી સીમ શાળા, વિસાવાડા સીમ શાળા, દેગામ સીમ શાળા 1, સાતવીરડાનેસ પ્રાથમિક શાળા, બોરીયા વાળો નેસ પ્રા. શાળા, આજમાપટ નેસ પ્રા. શાળા, પથકડા સીમ પ્રા. શાળા, મહિરા સીમ શાળા, કુણવદર સીમ શાળા 1, કંડોરણા સીમ શાળા નંબર 3, કુણવદર સીમ શાળા 2, ચામુંડા સીમ શાળા, રાજમહેલ પ્રાથમિક શાળા, તાલીપટ્ટી સીમ પ્રા. શાળા મોકર, ધ્રુવાળા સીમ પ્રા. શાળા, કરાર સીમ શાળા, સીશોર સીમ શાળા, નંદેશ્વર પ્રાથમિક શાળા, ભોમિયાવદર સીમ શાળા 3, ભેટકડી સીમ શાળા, અડવાણા સીમ નંબર 2, રાણા રોજીવાડા સીમ શાળા 1, સિસલી સીમ શાળા, નીલકંઠ સીમ શાળા અને સોઢાણા સીમ શાળા બંધ થઈ છે. હિજરત માટે કયા પરિબળ ભાગ ભજવે છે ?સરકારી અને ખાનગી શાળાઓ બંધ થતી જાય તેની પાછળ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું કારણ છે. એકપણ વિદ્યાર્થી ન હોય તેવી શાળા બંધ કરવામાં આવી છે. સરકારી તેમજ ખાનગી શાળા પણ બંધ થવાનું કારણ હિજરત પણ હોય છે. પોરબંદર જિલ્લામાં સાડા ત્રણ દાયકાથી એકપણ ઉદ્યોગ આવ્યો નથી. રોજગારી મળતી ન હોવાથી પરિવારો અન્ય જિલ્લામાં હિજરત કરે છે, આ ઉપરાંત કુટુંબ નિયોજનના ફેલાવાની જાહેરાતની લાંબાગાળાની અસર પણ જોવા મળે છે. હવે લોકો એક જ સંતાન પ્રાપ્ત કરે છે જેથી બાળકોની સંખ્યા પણ ઓછી થતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટે છે. >ડો. ભુપેન્દ્રસિંહ જાડેજા, પ્રોફેસર, એમ.ડી. સાયન્સ કોલેજ, પોરબંદર

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

પદ્મશ્રી હાજી રમકડુંનો સન્માન કાર્યક્રમ યોજાયો:રેડક્રોસ સોસાયટી ઓડિટોરિયમ ખાતે શાલ, ટ્રોફી અને પુષ્પહારથી પદ્મશ્રી હાજી રમકડુંનું સન્માન

જૂનાગઢના પ્રસિદ્ધ તબલાવાદક હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ મળતા ડીજેએચઆરએફના ગુજરાત રાજ્ય પ્રમુખ જીજ્ઞાબહેન દેસાઈના માર્ગદર્શન અને જિલ્લા પ્રમુખ શાંતિબહેન જાડેજા અને જિલ્લા મહામંત્રી શ્રીમતી મિતલબહેન ત્રિવેદીના નેતૃત્વ હેઠળ હાજીભાઈ કાસમ ભાઈ મીર (હાજી રામકડુ)નો સન્માન કાર્યક્રમ રખાયો હતો. જૂનાગઢમાં રેડક્રોસ સોસાયટી ઓડિટોરિયમ ખાતે શાલ, ટ્રોફી અને પુષ્પહારથી ડીજેએચઆરએફ પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ધારાશાસ્ત્રી કમલેશભાઈ પંડયાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં કુસુમ બહેન મહેતા, માયાબહેન ચાંઉ, રૂપલબહેન મઢવી, વર્ષાબહેન જાની, નિરીક્ષાબહેન તેરૈયા, મીનાક્ષીબહેન મહેતા, ડીજેએચઆરએફ પરિવારના મહિલા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

તજજ્ઞોએ વિદ્યાર્થીઓને સુચનો કર્યો‎:છાત્રોએ રિવિઝન માટે ટાઇમટેબલ બનાવવું, 7 કલાક ઉંઘ લેવી જરૂરી '

કુલદિપ માઢક આગામી તારીખ 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હાલ અંતિમ તબક્કાની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. દિવસ- રાત વાંચન કરી વધુમાં વધુ ગુણ કઇ રીતે મેળવવા તે માટે છાત્રો રાત-દિવસ એક કર્યા છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ શરૂ થયુ ત્યારથી જ તૈયારીમાં લાગી ગયા છે. હાલ તમામ શાળાઓમાં કોર્ષ પૂર્ણ થઇ જતા રીવીઝન પેપર પણ શરૂ થયા છે. સાયન્સના વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા પણ ચાલી રહી છે. હવે માત્ર બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી છે જે દરમિયાન વિદ્યાર્થીઓએ કઇ રીતે પરીક્ષાની તૈયારી કરીને વધુમાં વધુ ગુણ મેળવી શકે તે બાબતે ભાસ્કરે કેળવણીકારો સાથે વાત કરી હતી જેમાં તેઓએ કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ વિદ્યાર્થી માટે શેર કરી હતી. ઘરનો જ ખોરાક લેવો જોઇએ મોબાઇલથી દૂર રહેવુ જરૂરીહવે જ્યારે બોર્ડની પરીક્ષાને 18 દિવસ જ બાકી રહ્યા છે. તેને ધ્યાને રાખી વિદ્યાર્થીઓએ હવે માઇક્રોટાઇમીંગ સાથે વિષય મુજબ ટાઇમટેબલ બનાવી રીવીઝન કરવુ જોઇએ. અંતિમ પેપર હોય તે વિષયનુ શરૂઆતમાં અને પ્રથમ પેપરનુ અંતિમ રીવીઝન ગોઠવવાથી શ્રેષ્ઠ પ્રદર્શન મળે. વાલીઓએ ઘરનુ વાતાવરણ સકારાત્મક જ રાખવુ નકારાત્મક વૃત્તિ અટકાવવી જોઇએ. બાળકને સાત્વીક અને ઘરનો ખોરાક જ ખાવા દેવો બહારના ખોરાકથી દૂર રાખવા જોઇએ. હવે વિદ્યાર્થિઓએ મોબાઇલથી થોડુ દૂર રહેવુ ફાયદાકારક રહેશે. > એલ.વી.જોશી, શિક્ષક જે આવડતુ હોય તેનુ વધુમાં વધુ રીવીઝન કરવાનું રાખોહવે બોર્ડની પરીક્ષાને આડે જૂજ દિવસો જ રહ્યા છે એટલે હવે વિદ્યાર્થીઓએ અત્યાર સુધી જે નથી આવડ્યું તેની તૈયારી છોડી જે આવડે છે તેને સારામાં સારી રીતે તૈયાર કરવુ જોઇએ. હાલ પ્રશ્નોના જવાબ મુદ્દા સાથે સચોટ કઇ રીતે લખવા તે તરફ ધ્યાન આપવુ જોઇએ. આત્મવિશ્વાસ સાથે વાંચન કરવુ હિતાવહ રહેશે. ખાસ કરીને વાંચન સાથે શરીરની પણ કાળજી લેવી જોઇએ જેમાં બહારનુ જંકફુડ છોડી ઘરનો જ આહાર સેવન કરવો અને દિવસ દરમિયાન 6 થી 8 કલાકની પુરતી ઉંઘ લેવી જોઇએ. સવાર,બપોર અને સાંજ ત્રણ-ત્રણ મિનિટ ઉંડા શ્વાસ તથા બોડીંનુ સ્ટ્રેચિંગ કરવુ જેથી ઓક્સિજનની માત્ર જળવાય રહે. > ડો. માતંગ પુરોહીત, આચાર્ય ઘરનું વાતાવરણ સકારાત્મક રહે તો છાત્રનો ડર દૂર થાય હવે બોર્ડની પરીક્ષાને થોડા દિવસો બાકી હોવાથી વિદ્યાર્થીઓએ ગભરાવવાનુ છોડી વિષય મુજબ મુખ્ય મુદ્દાઓને તારવીને રિવીઝન શરૂ કરવુ જોઇએ. ખાસ કરીને ટાઇમનુ મેનેજમેન્ટ રાખવુ હિતાવહ રહેશે. શરીર સ્વચ્છ રાખવા માટે 6 થી 8 કલાકની એકધારી પુરતી ઉંધ લેવી જોઇએ. ખાસ કરીને વાલીઓએ હવે ઘરમાં વિદ્યાર્થીઓ પ્રત્યે નકારાત્મ વાતો છોડી પરીક્ષા સુધી સકારાત્મક વાતાવરણ જ રાખવુ જોઇએ અને બહારનો ખોરક ન આપી ઘરનુ ભોજન, ફ્રુટ, લીલા શાકભાજી ખવડાવવુ જોઇએ. વિદ્યાર્થીઓએ રોજ ખોટા ઉજાગરા છોડી ચિંતા વગર ટાઇમ ટેબલ ગોઠવી પરીક્ષાની તૈયારી કરવી ફાયદાકારક રહેશે. > ભરત મેસિયા, પ્રાધ્યાપક સમય, સ્પીડ નક્કી કરવા પેપર સોલ્વ કરવા હિતાવહહવે બોર્ડની પરીક્ષાને માત્ર 18 દિવસનો સમય જ બાકી હોવાથી હવે વિદ્યાર્થીઓએ જે ન સમજાતુ હોય તે વિષયના શિક્ષકો પાસેથી જાણકારી મેળવી રીવીઝન કરવુ જોઇએ. ઉપરાંત અનેક પ્રકાશનો દ્વારા જે બોર્ડના પેપરો જાહેર કર્યા હોય તે બોર્ડની સ્ટાઇલ મુજબ વિદ્યાર્થીઓએ લખવા જોઇએ જેથી સમય- સ્પીડ નક્કી થઇ શકે. વહેલી સવારે વાંચન સમય બોર્ડના વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા નજીક હોવાથી આ દિવસોમાં વિદ્યાર્થીઓએ બહારનો ખોરાક ઓછો ખાઇ ઘરે જ સાદુ અને સાત્વિક ભોજન લેવુ જોઇએ અને વિદ્યાર્થિઓએ રોજની 7 થી 8 કલાકની પુરતી ઉંધ લેવી હિતાવહ રહેનાર છે.> જી.પી. કાઠી, શાળા સંચાલક

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મેળાના રૂટનુ ચેકીંગનુ નાટક:મેળાના રૂટ સહિતની તૈયારી પુરી થયા પછી મંત્રીઓ નિરીક્ષણ કર્યુ હોવાના ફોટા પડાવવા માટે નિકળ્યા

આગામી 11 ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિનો મીનીકુંભ મેળો યોજાનાર છે. જેની તૈયારીઓ તંત્ર દ્વારા ઘણા દિવસો પૂર્વેથી કરવામાં આવી છે અને હવે તૈયારીઓનો અંતિમ ઓપ આપવાનુ શરૂ છે. ત્યારે શનિવારે સાંજે પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને સહ પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાએ મેળાના રૂટનુ ચેકીંગનુ નર્યુ નાટક કર્યુ હતુ. ઉલેખનીય બાબત એ છે કે, જો બંને મંત્રીએ ખરી રીતે મીનીકુંભ શિવરાત્રિના મેળાના રૂટનુ ચેકીંગ કરવુ જ હતુ તો તેઓએ અઠવાડીયા પહેલા આવીને તૈયારીઓ નિહાળવી જોઇએ. તેમજ તંત્રને યોગ્ય સુચનો આપવા જોઇએ પરંતુ હાલ તો તંત્રએ પોણાભાગની તૈયારી કરી નાખી છે અને મેળાને આખરી ઓપ આપી દિધો ને પ્રભારીઓને રૂટ નિરીક્ષણ કરી, ફોટા પાડીને દેખાડો કરવાનુ નાટક સુજ્યુ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:ભણાવવાની શરતે મહિલાએ લગ્ન કર્યા, બાદમાં સાસરીયાએ ના પાડતા પરિણીતા રિસામણે ગઇ

અઢી વર્ષ પહેલા ભણાવવાની શરતે બહેને લગ્ન કર્યા બાદમાં સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા નારી અદાલતના શરણે પહોંચી છુટાછેટા, ઘરેણા-કરીયાવર સહિતનુ સ્ત્રીધન પાછુ મેળવવા માટેની માંગ કરી. નારી અદાલતે સ્ત્રીધન પાછુ અપાવ્યુ. નારી અદાલતના ભગવતી મહેતાએ જણાવ્યુ કે, એક બહેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયેલા હતા ભણતર અધૂરૂ હતુ જેથી સામાવાળાને ભણવાની શરતે લગ્નગ્રંથિએ જોડાયા હતા. પરંતુ લગ્નબાદ સાસરીયાઓએ પરિણીતાને ભણાવવાની ના પાડતા બહેન પિયરમાં જતા રહ્યા હતા. બહેનનુ વડીલો દ્વારા સમાધાન પણ કરાવવામાં આવ્યુ હતુ અને સાસરીયાપક્ષના લોકો બહેનને તેડી પણ ગયા હતા. પરંતુ છેલ્લા 6 મહિનાથી ફરી પરિણીતા પીયરમાં આવી ગયા હતા અને આ બાબતે નારી અદાલતમાં કેસ નોંધાવ્યો હતો. જેમાં જણાવ્યુ કે, મે ભણાવવાની શરત લગ્ન માટે હા પાડી હતી. પરંતુ લગ્ન બાદ સાસરીયાવાળાએ મને ભણાવવાની ના પાડી દિધી છે. જેને કારણે હુ રિસામણી જતી રહી હતી હવે મારે છુટાછેડા અને સ્ત્રીધન પાછુ જોઇએ છે. નારી અદાલતમાં છૂટાછેડા થતા ન હોવાથી સામાવાળાને નારી અદાલતે બોલાવી. નારી અદાલતની ટીમ દ્વારા બંને પક્ષને સમજાવ્યુ પરંતુ બંને છુટાછેડા જ કરવા માંગતા હોવાથી નારી અદાલતે ઘરેણા, કરીયાવર સહિતનુ સ્ત્રીધન મહિલાને પાછુ અપાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ફરિયાદ:PGVCLના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા હોટેલ માલિક સરપંચે હુમલો કર્યો

પીજીવીસીએલના ઇજનેરે વીજ ચોરીની જાણ કરતા માલણકા પાસે આવેલ રુદ્ર હોટલના માલિક સરપંચ તેમજ તેના પિતા, ભાઈએ 2 ઈજનેર પર હુમલો કરી મોબાઈલ ફોન તોડી નાખી ધમકી આપી હતી. બનાવની વિગતો અનુસાર માંગરોળ પીજીવીસીએલ ડિવિઝનના જુનિયર ઈજનેર સેજાભાઈ બાલાભાઈ કરમટા, પરબતભાઈ હમીરભાઇ સિંધલ શુક્રવારે સવારે 8 વાગ્યે મેંદરડા શાસન રોડ પર માલણકા ગામ પાસે આવેલ રુદ્ર હોટલે વીજ ચેકિંગ માટે ગયા હતા. જેમાં હોટલની પાછળ આવેલ ખેતીવાડીના ટીસીમાંથી ડાયરેક્ટર નાખી વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું જેથી સેજાભાઈએ સ્થળ પર હાજર પ્રતિનિધિને પૂછતા તેને કોઈ જવાબ આપેલ નહીં અને થોડીવાર બાદ રુદ્ર હોટલના માલિક માલણકાના સરપંચ મંગળુભાઈ જેબલીયાએ આવી બંને ઇજનેરને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાજર પ્રતિનિધિ મંગળુભાઈના ભાઈ ભરતે તેજાભાઈના હાથમાંથી મોબાઇલ ફોન લઈ તોડી નાખ્યો હતો. આ દરમિયાન ભરત તથા તેના પિતા શાર્દુલભાઈએ હોટલમાંથી લાકડ્યો લઈ આવી હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. વધુ મારથી બચવા માટે ગાડી મોબાઈલ ત્યાં જ મૂકી બંને ઇજનેર, ડ્રાઇવર જતા હતા તે દરમિયાન મંગળભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે બનાવ અંગે જુનિયર ઈજનેર સેજાભાઈ કરમટાની ફરિયાદ આધારે રુદ્ર હોટલના માલિક સરપંચ મંગળભાઈ, તેના પિતા, ભાઈ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ તેમજ ફરજ રૂકાવટ સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વિવાદ:જેલમાં લુડો રમવા મુદ્દે કેદીએ કેદીને મારપીટ કરી, 1ને ઇજા

જૂનાગઢ જિલ્લા જેલની બેરેકમાં કેદીઓ વચ્ચે લુડો રમવાના મુદે મારામારીનો બનાવ બન્યો હતો. 6 મહિનાથી જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા 30 વર્ષીય ઘેલાભાઈ દિલીપભાઈ સોલંકી અને અન્ય એક કેદી શુક્રવારે બપોરે બેરેકબંધીના સમયે બેરેકમાં લુડો રમી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર કેદી સુરેશ ભીખાભાઈ સોલંકીએ રમતમાં વચ્ચે બોલવાનું શરૂ કર્યું હતું. ઘેલાભાઈએ તેને શાંતિથી રમત જોવા અને વચ્ચે ન બોલવા માટે કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેનું માથું દીવાલ સાથે ભટકાવ્યું હતું. આ ઝઘડામાં ઘેલાભાઈને શરીરના ભાગે અને ડાબી આંખ પાસે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેલના અન્ય કેદીઓ અને ફરજ પરના સિપાઇઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઈજાગ્રસ્ત કેદીને જેલ દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કેદી સુરેશ સોલંકીવિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

મેન્ટેનન્સની કામગીરીને લઇ નિર્ણય:આરટીઓ કચેરીએ 17મી સુધી ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ

જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે મેન્ટેનન્સની કામગીરીને લઇ તારીખ 17 ફેબ્રુઆરી સુધી ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ રહેનાર છે. કામગીરી પૂર્ણ થતા ટ્રેક ફરી શરૂ કરાશે. આરટીઓ અધિકારીએ જણાવ્યુ કે, જૂનાગઢ આરટીઓ કચેરી ખાતે રોજના 50થી વધુ અરજદારો ફોરવ્હીલર, ટુ-વ્હીલરના ડ્રાઇવીંગ ટેસ્ટ માટે આવતા હોય છે. રોજના મોટી સંખ્યામાં અરજદારોનો ધસારો રહેતો હોવાથી આ ટ્રેકનુ સમયાંતરે મેન્ટેનન્સની કામગીરી કરવાની હોય છે તેમજ કચેરી ખાતે પણ મેન્ટેનન્સનુ કામ થતુ હોય છે. જેને કારણે તારીખ 8 થી 17 ફેબ્રુઆરી સુધી આરટીઓ કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટની કામગીરી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કામગીરીનું નિરાકરણ થતા જ રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે એમ જણાવેલ છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વાતાવરણ:ગરમીમાં એકાએક વધારો, તાપમાન 33 ડિગ્રીએ પહોંચ્યું

શનિવારે જૂનાગઢ સહિત સોરઠમાં ગરમીમાં એકાએક વધારો થતા મહત્તમ તાપમાન વધીને 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું. બુધવારથી જૂનાગઢના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. સવારે ગુલાબી ઠંડી રહ્યા બાદ બપોરે આકરા તાપથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. શનિવારે સવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન સામાન્ય ઘટાડા સાથે 15.2 અને ગિરનાર પર્વત પર 10.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહેતા વ્હેલી સવારે ઝાકળવર્ષા થઇ હતી. જેના પરિણામે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ બપોર થતાની સાથે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 33 ડિગ્રીએ સ્થિર થતા આકરી ગરમીથી લોકો અકળાઈ ગયા હતા. શિયાળાના અંતિમ દિવસોમાં તાપમાનનો પારો 33 ડિગ્રી રહેવાની સાથે બપોરે હવામાં ભેજ 29 ટકા રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વેપારીઓને મુશ્કેલી:ડોળાસા પંથકમાં ચલણી નોટો, સિક્કાની અછતથી મુશ્કેલી

કોડીનાર તાલુકાના ડોળાસા પંથકમાં હાલ નાની ચલણી નોટો અને સિક્કાઓની તીવ્ર અછત જોવા મળી રહી છે. જેના કારણે ગ્રાહકો અને વેપારીઓને લેવડ દેવડમાં મુશ્કેલીઓ પડી રહી છે. ડોળાસા સહિત આસપાસનાં ગામોમાં રૂપિયા 5, 10, 20 અને 50ની ચલણી નોટોની અછત જોવા મળી રહી છે. આ ઉપરાંત રૂપિયા 5, 10 સિક્કાઓની પણ તંગી જોવા મળી રહી છે. જેને લઈ વેપારીઓ અને ગ્રાહકોને લેવડ- દેવડમાં ભારે મુશ્કેલી પડી છે. જેને લઈ ડોળાસા વેપારી મંડળના પ્રમુખ પ્રતાપસિંહ મોરીએ રજૂઆત કરી આ પ્રશ્નનો વહેલીતકે હલ કરવાની માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ધરપકડ:જામનગરમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીના ગુનામાં 1 શખસ ઝડપાયો

જામનગર શહેરમાં શ્રમિક પરિવાર ઘરને તાળા મારીને લગ્નમાં ગયોને ધોળા દિવસે તસ્કરો ત્રાટકીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયાની ફરિયાદના ગણતરીની કલાકોમાં જ એલસીબીએ ઉકેલી નાંખીને એક શખસની ધરપકડ કરી છે અને એક લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. શહેરના વુલન મિલ નજીક સિદ્ધાર્થ નગર માં રહેતા પ્રવીણભાઈ નારાણભાઈ બગડા (ઉ.વ.42) નામના શ્રમિક યુવાન ગત તા.5ના રોજના રોજ લાલપુર તાલુકાના પીપળી ગામમાં પોતાના કુટુંબી સાળાના લગ્ન હોવાથી પત્ની અને ત્રણ સંતાનો સાથે ગયા હતા. સવારના 10 મકાનને તાળા મારીને નિકળ્યાને બપોરે 4 વાગ્યા સુધીમાં તસ્કરો તાળા તોડી અંદર ઘુસીને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.67 હજારના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એલસીબીના કિશોરભાઈ પરમાર, ભરત ડાંગર અને અરજણભાઈ કોડીયાતરને મળેલી બાતમી મળી હતી કે, ચોરીમાં શની જેસીંગભાઈ કોળી બાવરી (રે.દિગ્જામ ર્સકલપાસે બાવરીવાસ) નામનો શખસ સંડોવાયેલો છે અને તે હાલ ચોરીના મુદામાલ પાસે શહેરના બાવરીવાસ ખુલ્લી ફાટક પાસે ઉભો છે. જેથી એલસીબીની ટીમે દરોડો પાડીને શનીને ઝડપી લીધો હતો. તેના કબજામાંથી ચોરાઉ સોનાના રૂ.92 હજારના દાગીના તેમજ રૂ.8,500ની કિંમતના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.1,00,500નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

ધરપકડ:ફિલ્મી ઢબે પીછો કરીને પોલીસે દારૂની ભરેલી કાર સાથે બે શખસોને દબોચ્યા

ધ્રોલના હજામચોરા પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની 519 બોટલ ભરેલી કાર સાથે બે શખસોને રૂ. 6.37 લાખના મુદામાલ સાથે ઝડપી લીધો છે. જેમાં સામખીયાળીના સપ્લાયરનું નામ ખુલ્યું છે. મળતી વિગત મુજબ આમરણ-ધ્રોલ નેશનલ હાઈવે તરફથી એક કારમાં અમુક શખસો ઈગ્લિંશ દારૂનો જથ્થો લઈને હજામચોરા તરફ આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે પીઆઈ એચ.વી.રાઠોડએ સ્ટાફના જયેશભાઈ દલસાણીયા, જતીનભાઈ ગોગરા, સંજયભાઈ મકવાણા, ભગીરથસિ઼હ જાડેજાએ વોચ ગોઠવી હતી. ખાનગી આડશ ઉભી કરી દારૂની ભરેલી કારને રોકવાનો પ્રયત્ન કરતા ચાલકે કાર રીવર્સ લઈ યુટર્ન મારી પાછો હાઈવે તરફ નાશ્યો હતો. જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. તેમાંથી અબ્દુલ ઉર્ફે સોપારી અનવરભાઈ ભટ્ટી અને અરમાન ઈકબાલભાઈ જુણેજાને ઝડપી લીધા હતા. કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી 519 બોટલો રૂ.3,07,725ની કિંમતની તેમજ રૂ.3 લાખની કિંમતની કાર અને રૂ.30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ.6,37,725નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેની પુછપરછ કરતા આ દારૂનો જથ્થો સામખીયાળીના જુસબ તરયાએ સપ્લાય કર્યો હોવાનું જણાવતા પોલીસે તેને ફરાર જાહેર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

દરોડો:પંજાબથી મોટી ખાવડી સુધીના હેરોઈનના નેટવર્કનો પર્દાફાશ, 4ની ધરપકડ: 1 પોલીસ કસ્ટડીમાંથી ફરાર

પંજાબના અમૃતસરથી જામનગરના મોટી ખાવડીમાં મજુર વસાહતમાં હેરોઈન (ડ્રગ્સ) વેંચાણના નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને ચાર પંજાબીઓને હોટલમાંથી ઝડપીને રૂ.83.60 લાખની કિંમતનું 418 ગ્રામ હેરોઈન જપ્ત કર્યો છે. જેમાં અમૃતસરના સપ્લાયરનું પણ નામ ખુલ્યું છે. અમૃતસરથી મોટી ખાવડી સુધીના અંદાજે 1307 કીલોમીટરનું અંતર કાપ્યું છતાં એક પણ ચેકપોસ્ટ ખાતે ન પકડાતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સાંજના સમયે એક શખસ પોલીસ સ્ટેશનમાંથી નાશી છુટતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મોટી ખાવડીમાં આવેલી હોટલ 666ના રૂમનં-202માં રહેતા શખસો ડ્રગ્સ લાવીને વેંચાણ કરતા હોવાની એસઓજીના હર્ષદભાઈ ડોરીયા, મયુરરાજસિંહ જાડેજા, ફિરોજભાઈ ખફી, બળભદ્રસિંહ, ધર્મન્દ્રભાઈને બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પીઆઈ બી.એન.ચૌધરી તેમજ પીએસઆઈ એ.વી.ખેર સહિતના સ્ટાફે હોટલમાં દરોડો પાડ્યો હતો. રૂમની તલાસી લેતાં તેમાંથી રૂ.83.60 લાખની કિંમતનો 418 ગ્રામ હેરોઈન (ડ્રગ્સ) મળી આવતા વિશાલસિંઘ જસવિરસિંઘ મટુ, હરપ્રિતસિંઘ તેગાસિંઘ મજવી, બિક્રમજીતસિંહ અમરજીતસિંઘ મજવી અને જગદિપસિંઘ ઉર્ફે જગ્ગી લખબીરસિંઘ ખેહરાને ઝડપી લીધા હતા. તેના પાસેથી રૂ.35 હજારની કિંમતના 7 મોબાઈલ તેમજ ઈલેક્ટ્રીક વજન કાંટો રૂ.500ની કિંમતનો તેમજ રોકડ રૂ.18,500 મળીને કુલ રૂ.84,14,000નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. તેની પુછપરછ કરતા વિશાલસિંઘએ કબુલાત કરી હતી કે, તે સાગરીતો હરપ્રિતસિંઘ, બિક્રમજીતસિં, અને જગદિપસિંઘ છેલ્લા બે-ત્રણ મહીનાથી અમૃતસર ખાતેથી ફિલી5સ ઉર્ફે ફૌજી પાસેથી હેરોઈન પાવડર લઈને જામનગરમાં વેંચાણ કરીએ છીએ. તે થોડા સમય પહેલા પંજાબ ગયા ત્યારે આરોપી હરપ્રિતસિંઘએ ફોન કર્યો હતો અને ફિલિ5સ પાસેથી હેરોઈન પાવડર લેતો આવજે, જેથી તે તેને 500 ગ્રામ હેરોઈન લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય શખસોની ધરપકડ કરીને એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પીઆઈ પી.ટી.જયસ્વાલએ પંજાબ સુધી તપાસ લંબાવી છે. મેઘપર પોલીસે ચારેય શખસો સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કેસના કાગળો સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પકડાયાના કલાકોમાં જ અરોપી વિશાલસિંઘ જરાવિરસિંઘ મટુ નામનો શખસ મેઘપર પોલીસ સ્ટેશનમાં પોલીસને ચકમો આપીને નાશી છુટતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તેનો પીછો કરવા છતાં તે હાથમાં ન આવતા અને અંધારામાં ઓગળી ગયો હતો. પોલીસ કંટ્રોલરૂમને જાણ કરીને શહેર-જિલ્લામાં પોલીસે નાકાબંધી કરાવી હતી. જેમાં નાશી છુટેલા શખસનો ફોટો પણ પોલીસમાં વાયરલ કર્યો હતો. આ બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસની મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તે મળી આવ્યો ન હતો. પંજાબી શખસો અંદાજે 1307 કીલોમીટરનું અંતર ટ્રેન તેમજ સરકારી બસો અને ખાનગી જામનગરમાં યુ.પી., બિહાર, રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાંથી પરપ્રાંતિયો કામ અર્થે આવે છે અને નશાકારક પદાર્થો જામનગરની ખાનગી કંપનીની મજુર વસાહતોમાં ઘુસાડવામાં આવે છે અને શ્રમિકોમાં વેચાણ કરે છે. દેશભરમાંથી આવતા પરપ્રાંતિયોના કારણે ડ્રગ્સનું પ્રમાણ જામનગરમાં વધી રહ્યું છે. ગાંજા, મેફેડ્રોન ડ્રગ્સ, હેરોઈન પાવડર સહિતના જુદા જુદા નશાકારક પદાર્થો મળી રહ્યા છે. પોલીસ એનડીપીએસ એક્ટ મુજબ ગુનાઓ નોંધે છે. મેઘપર પડાણામાંથી તેમજ શહેરની અને જામનગર ખંભાળિયા હાઈવે પરની અમુક દુકાનોમાંથી ગત વર્ષે નશાકારક ચોકલેટોનો જથ્થો ત્રણ થી ચાર દૂકાનોમાંથી એસઓજીએ પકડી પાડ્યો હતો. તે નશાકારક ચોકલેટો ઉત્તરપ્રદેશના શખસો ચોકલેટોનું દુકાનોમાં વેચાણ કરતા હોવાનું ખુલ્યું હતું. ગત વર્ષે એનડીપીએસ એકટ મુજબ 8 ગુનાઓ નોંધાયા હતા. ત્યારે વર્ષ 2026ની શરૂઆતમાં જ લાખોની કિંમતનો હેરોઈનનો જથ્થો પકડીને પંજાબના ચાર શખસોને પકડીને એસઓજીએ પર્દાફાશ કર્યો છે. હેરોઈન પાવડરનો મળેલો જથ્થો પણ પંજાબના અમૃતસરથી વેચાણ માટે લાવ્યો હોવાની કબુલાત કરી છે. વાહનો મારફત જામનગર પહોંચ્યો હતો. જ્યારે આટલું અંતર કાપવા છતાં ચેકીંગના બળીંગા ફુંકતી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે. આરોપીઓ ચરસી હોવાથી હોટલમાં 18 ગ્રામ હેરોઈન પી ગયાની કબૂલાત ખાનગી કંપનીમાં મજુરી કામ કરતા ચારેય શખસો ચરસી હોય, અને હેરોઈન પીવાના પણ બંધાણી હોવાની કબૂલાત કરી હતી. તેઓ પંજાબથી હેરોઈન પાવડર લાવ્યા બાદ 82 ગ્રામ જેટલો પી ગયા હતા. જે અંગેની પોલીસની પુછપરછમાં કબુલાત કરી હોવાની એસઓજી પીઆઈ બી.એન.ચૌધરીએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

કાર્યવાહી:દિગ્જામ ઓવરબ્રીજ પાસે ડિમોલિશન 29.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

જામનગર શહેરની ભાગોળે દિગ્જામ ઓવરબ્રીજ નીચેના વિસ્તારમાં શુક્રવારે રેલ્વેની જમીનમાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયુ હતુ જેમાં તંત્ર દ્વારા કાચા-પાકા બાંધકામો, ઝુંપડાઓ વગેરે મળી નાના મોટા 194 દબાણો દૂર કરી રૂા. 29.52 કરોડની કિંમતની 18,450 ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી કરાવાઇ હતી.તંત્ર દ્વારા રાત્રી સુધીમાં દબાણ હટાવ ઓપરેશન પૂર્ણ કરી દેવાયુ હતુ. શહેરના વુલનમીલ રોડ પર દિગ્જામ ઓવરબ્રિજ નીચે પસાર થતી રેલ્વે લાઇનની આજુબાજુમાં છેલ્લા કેટલાક વર્ષોથી નાના મોટા કાચા-પાકા સહિતના દબાણો ઉભા થયા હતા.જેને દૂર કરવા માટે રેલ્વે તંત્રે શુક્રવારે સવારથી સ્થાનિક પોલીસ અધિકારીઓ સાથે લગભગ 300થી વધુ પોલીસ કર્મચારીઓના ચુસ્ત બંદોબસ્ત મેગા ડિમોલિશન શરૂ કરાયુ હતુ.રેલ્વે તંત્ર દ્વારા 15 જેસીબી મશીનની મદદ વડે નાના મોટા કાચા-પાકા મળી 194 દબાણોને દૂર કરવા કાર્યવાહી કરી હતી. રેલ્વે તંત્ર દ્વારા આ દબાણ હટાવ ઓપેરેશનમાં રેલ્વે ટ્રેક આજુબાજુ બાવરીવાસ સહિત લગભગ ત્રણેક કિલોમીટર વિસ્તારમાં ખડકી દેવાયેલા દબાણો દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી જેમાં 15 જેસીબી મશીનની મદદ વડે 75 પાકા અને 119 જેટલા કાચા ઝુંપડાઓ વગેરે મળી 194 દબાણોને રાત્રી સુધીમાં હટાવી દિધા હતા જેમાં લગભગ રૂા. 29.52 કરોડની કિમંતની 18,540 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવાઇ હતી. ડબલ ટ્રેકના પગલે આ મેગા ડિમોલિશનને પગલે ચુસ્ત બંદોબસ્ત રહયો હતો જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત 300 જેટલા પોલીસ અધિકારી-જવાનોએ બંદોબસ્ત જાળવ્યો હતો.રેલ્વેના સંબંધિત વિભાગના અધિકારીઓ અને આરપીએફ સહિત 70 જેટલા કર્મચારીઓ પણ જોડાયા હતા.જે સાથે મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને વિજતંત્રના પાંચ-પાંચ અધિકારી-કર્મીઓ પણ ઓપેરશનમાં સામેલ થયા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

આપણી સંસ્કૃતિ આપણી વિરાસત:જામનગરમાં વેલેન્ટાઈન-ડેના બદલે માતૃ-પિતૃ પૂજન દિન ઉજવવા 1100 વિદ્યાર્થીઓના શપથ

આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી રહી છે, ત્યારે તેમને પુનઃ ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને મૂલ્યોનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ - દુર્ગાવાહિની અને માતૃશકિત દ્વારા ''''આપણી સંસ્કૃતિ આપણી વિરાસત''''ની ઉજવણી અંતર્ગત વેલેન્ટાઈન ડેના બદલે માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી અંતર્ગત 1100 વિદ્યાર્થીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. આપણી સંસ્કૃતિ આપણી વિરાસત સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરની ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ, એન ડી શાહ હાયર સેકન્ડરી વિદ્યાલય, ફાયર કોલેજ, નવાનગર હાઈસ્કૂલ સહિત શાળા કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ કૃપાબેન લાલ વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને તેને જીવનમાં ઉતારવાની અનિવાર્યતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને 7 ફેબ્રુઆરીના રોઝ ડે ના બદલે પ્રકૃતિ વંદના દિવસ, 8ના પ્રપોઝ ડે ના બદલે મંદિર દર્શન દિવસ કે સમૂહ આરતી દિવસ, ચોકલેટ ડે ના બદલે સ્વદેશી દિવસ, ટેડી ડે ના બદલે ગાય માતા પૂજન દિવસ કે ઉંબરા પૂજન દિવસ, પ્રોમિસ ડે ના બદલે નાગરિક કર્તવ્ય દિવસ, હગ ડે ના બદલે સૂર્ય દેવ જળ અર્પણ દિવસ,કિસ ડે ના બદલે તિલક દિવસ, વેલેન્ટાઇન ડે ના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસ ઊજવવા માટે આહવાન કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 1100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોએ એકસાથે મળીને આપણી અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા તેમજ તેને ગૌરવપૂર્વક અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીના આ પ્રયાસને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

વાહનચાલકોને ભારે મુશ્કેલી:જામ્યુકોની બુધ્ધીનું દેવાળું એક રોડ પર 8 સ્પીડબ્રેકરો

જામનગર મહાનગરપાલિકાએ બુધ્ધીનું દેવાળું ફુંક્યું હોય તેમ શહેરના જનતા સોસાયટીથી ખોડિયાર મંદિર તરફ જતા કામદાર કોલોનીના મેઈન રોડ ઉપર એક-બે કે ત્રણ નહીં પરંતુ થોડા અંતરમાં 8 સ્પીડબ્રેકર મુકવામાં આવતા રોજિંદા અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલી સાથે માથાના દુ:ખાવા સમાન બની ગયા છે. વાહનચાલકોમાં રોષ્ વ્યાપી ગયો છે. મહાનગરપાલિકા સામાન્ય રીતે એક સ્પીડબ્રેકર બનાવવા માટે અનેક નિયમો અને પ્રક્રિયાઓ બતાવે છે, ત્યારે એક જ રોડ પર થોડા-થોડા અંતરે 8 સ્પીડબ્રેકરોને મંજૂરી કેવી રીતે અપાઈ તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હવે આ વધારાના સ્પીડબ્રેકરો હટાવવા માટે કોની મંજૂરી લેવી પડશે તે મુદ્દે બુદ્ધિજીવીઓમાં ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિકોનું માનવું છે કે આડેધડ અને નજીકમાં બનાવાયેલા સ્પીડબ્રેકરો હવે માથાના દુખાવા સમાન બન્યા છે. તો મોટી ઉંમરના તેમજ બીમાર માણસો માટે તે રોડ ઉપરથી વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:દામનગરમાં ઉચ્ચ શિક્ષિત એકના એક પુત્રએ ત્યાગાશ્રમ સ્વીકાર્યો

દામનગર શહેરના લેઉવા પટેલ સમાજના સામાન્ય શ્રમિક પરિવારમાંથી આવતા તાગડીયા પરિવારના એકના એક પુત્ર મહિર ભરતભાઈ તાગડીયા વીતરાગના માર્ગે પ્રયાણ કર્યું છે. ઉચ્ચ શિક્ષત, આકર્ષક આવક મૂકીને BAPS સ્વામી નારાયણ સંસ્થાનનો ત્યાગાશ્રમ સ્વીકારતા આજે સૌરાષ્ટ્રભરમાંથી અનેક BAPS મંદિરના વરિષ્ઠ સંતો તેડવા પધાર્યા હતા. વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી અધ્યાત્મત સ્વરૂપદાસ ગઢડા, કોઠારી સાળંગપુર સંત તાલીમ કેન્દ્રના ગુરુજી સંત સ્વામી ભક્તિસાગર સ્વરૂપદાસજી સ્વામી, સુરેન્દ્રનગર સ્વામી આનંદ નયન સ્વરૂપદાસજી, સ્વામી આનંદનિલય સ્વરૂપદાસજી, સ્વામી દિનબધું સ્વરૂપદાસજી, સ્વામી બ્રહ્મભૂષણ સ્વરૂપદાસજી વિગેરે હાજર રહ્યા હતા. દામનગર શહેરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો હરિ ભક્તોએ સ્થિરપ્રજ્ઞ બની પૂજ્ય સંતોના ગુણો સાંભળ્યા હતા. ત્યાગ વૈરાગ્ય સ્વીકારી વીતરાગના માર્ગે ચાલવા 31 જેટલા યુવાનો આગામી માર્ચ માસ સાળંગપુર ધામ ખાતે દીક્ષા મેળવશે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

માર માર્યો:જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા મુદ્દે યુવકને માર માર્યો

જાફરાબાદમાં ઘરમાં પાણી છાંટવા જેવી બાબતે યુવક પર ચાર શખ્સોએ ધોકા, તલવાર અને પાઈપ વડે હુમલો કર્યો હતો. આ અંગે જાફરાબાદ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જાફરાબાદના સામાકાંઠા ગોલ્ડન સોસાયટીમાં રહેતા નિલેશભાઈ ગણપતભાઈ ટંડેલ (ઉ.વ.35)એ)મયુર રમેશભાઈ, શંભુ સુરેશભાઈ, રોનક રમેશભાઈ અને હિતેશ ચેતનભાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું મયુર પોતાના ઘર પર પાણી છાંટતો હતો. જે પાણી તેના ભાઈ રાજેશભાઈની અગાસી ઉપર આવતું હતું. રાજેશભાઈએ મયુરને પાણી છાંટવાની ના પાડતા ચારેયને સારૂ ન લાગતા તમામે તલવાર, પાઇપ, બેઝબોલનો ધોકો તથા ફાઇબરની લાકડી લઈને નિલેશભાઈ અને રાજેશભાઈને આડેધડ માર માર્યો હતો. તેમજ મારી નાખવાન ધમકી આપી હતી. આ અંગે જાફરાબાદ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એચ.પી.ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

સગીરાનું અપહરણ કરાયું:અમરેલી તાલુકાના સોનારીયામાંથી સગીરાનું અપહરણ

અમરેલીના સોનારીયામાં રહેતા સગીરાના પરિવારે મુળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાધગામનો વતની અને હાલ અમરેલીના તરકતળાવ ખાતે રહેતા અંતિમ સુડીયા બધેલએ 23 ડિસેમ્બરની રાતે સોનારીયામાંથી 16 વર્ષિય સગીરાનું લલચાવી ફોસલાવી તેમજ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. સગીરાના અપહરણ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં અંતિમ સુડીયા બધેલ સામે ગુનો નોંધાતા પીઆઈ ઓ.કે.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am

હુમલો કરાયો:ખાંભાના બોરાળા ગામમાં યુવક પર કુહાડી વડે હુમલો

ખાંભાના બોરાળામાં 32 વર્ષિય યુવક પર ચાર શખ્સોએ કુહાડી, પથ્થર વડે હુમલો કર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ગીરસોમનાથના ગીરગઢડાના નવા ઉગલા ગામના ભાવેશભાઇ જાદવભાઇ પરમાર (ઉ.વ.32)એ બોરાળાના દાના ગભાભાઇ વાઘેલા, દાના વાઘેલાનો નાનોદિકરા તેમજ મોટો દિકરો અને તેના જમાઇ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરીના બપોરના સાડા બારેક વાગ્યે ભાવેશભાઈ પરમારે તેના ભાઇ ભગુભાઇને ટેલીફોનિક પુછપરછ કરી હતી. તે સમયે ભાવેશભાઈ બોરાળા ગામે ધનાભાઇ મધુભાઇ પરમારના ઘરે લગ્નમાં આવ્યા હતા. અહીં ચારેય શખ્સો તેને સાંભળતા ભાવેશભાઈના મોટાભાઇ ભગુભાઇ પરમારને ઉપાડી લેવો છે તેવી વાતો કરતા હતા. ત્યારે ભાવેશભાઈએ ભગુભાઇને એકલા ના સમજતા તેમ કહેતા આ વાતનુ સારૂ ન લાગતા ચારેય શખ્સોએ ભાવેશભાઈ પરમાર પર કુહાડી વડે હુમલો કર્યો હતો. .

દિવ્ય ભાસ્કર 8 Feb 2026 4:00 am