મીઠાપુર ખાતે રઘુવંશી ગ્રુપ દ્વારા આરપીએલ-2026 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારકા, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા અને આરંભડા સહિતના વિસ્તારોમાં રહેતા લોહાણા જ્ઞાતિના યુવા ખેલાડીઓ માટે છે. તેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વિધિ સાથે થયો હતો. દીપ પ્રાગટ્ય ઓખા મંડળના વેપારી અગ્રણી અને હોટલીયર બિપીનભાઈ સામાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમની સાથે ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પરિમલભાઈ દાસાણી, રાજુભાઈ સુતરીયા, પ્રભુદાસભાઈ અને દિલીપભાઈ કોટેચા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહાનુભાવોને ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આરપીએલ-૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ટીમોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ખેરાલુ તાલુકાના ડભોડા ગામની સીમમાં રસ્તા બાબતે અને સામાન્ય બોલાચાલીમાં પાડોશીઓ વચ્ચે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સમજાવવા ગયેલી મહિલાઓ પર ધારિયા અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ લોહિયાળ ઝઘડામાં એક પક્ષના સુરેખાબેનને કાનના પાછળના ભાગે ધારીયાનો ઘા વાગતા અને બીજા પક્ષના હંસાબેનના માથામાં ધારિયું ઝીંકાતા બંને મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. બંનેને સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા બંનેને ટાંકા આવ્યા હતા. હુમલાખોરોએ જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે. જે અંગે ખેરાલુ પોલીસ મથકે બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ ફરિયાદસુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યાડભોડા ગામના સુરેખાબેન વિનુજી ઠાકોર ગઈકાલે સવારે પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમના કુટુંબી નિરમાબેન ઠાકોરના ઘરે પાડોશમાં રહેતા સ્નેહાબેન ઠાકોર ગાળાગાળી કરી રહ્યા હોવાથી સુરેખાબેન ત્યાં સમજાવવા ગયા હતા. આ દરમિયાન સ્નેહાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને તેમનું ઉપરાણું લઈને આવેલા ભરતજી ઈશ્વરજી ઠાકોર, અજયજી દશરથજી ઠાકોર (બંને રહે. ડભોડા) અને હંસાબેન ફુલાજી ઠાકોર (રહે. વિસનગર) એ ભેગા મળી સુરેખાબેન તથા નિરમાબેનને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' આ મારામારી દરમિયાન ભરતજી ઠાકોરે ઉશ્કેરાઈને ધારિયાના ઉંધા ભાગ વડે સુરેખાબેનને ડાબા કાનના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતા પરિવારના અન્ય સભ્યો દોડી આવતા હુમલાખોરો 'આજે તો બચી ગયા છો પણ હવે પછી જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. મહિલાને કાનના ભાગે ચાર ટાંકા આવતા પોલીસમાં ફરિયાદઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને કાનના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. આ મામલે સુરેખાબેને ચારેય હુમલાખોરો વિરુદ્ધ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ફરિયાદત્રણ શખસોએ દોડી આવી ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યોડભોડા ગામની સીમમાં રહેતા સ્નેહાબેન ઠાકોર અને તેમની બહેન ઘરે હાજર હતા, ત્યારે પડોશમાં રહેતા નિરમાબેન શંકરજી ઠાકોર રસ્તા બાબતે ગાળાગાળી કરી રહ્યા હતા. આ સમયે સ્નેહાબેનના ઘરે સામાજિક પ્રસંગે આવેલા તેમના ફોઈ અને અન્ય સંબંધીઓએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો હતો. નિરમાબેનના સમર્થનમાં અન્ય ત્રણ શખ્સો વિનુજી હરીજી, સુર્યાબેન વિનુજી અને શંકરજી વેલાજી પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. ધારિયું મહિલાના માથામાં મારી દેતા ચાર ટાંકા આવ્યાઆ ઝઘડા દરમિયાન આરોપીઓએ સ્નેહાબેન અને તેમના ફોઈ વિજયાબેન સાથે ગડદાપાટુનો માર માર્યો હતો. દરમિયાન, ઉશ્કેરાયેલા શંકરજી વેલાજીએ પાસે પડેલું ધારિયું લાવી સ્નેહાબેનના ફોઈ હંસાબેનના માથામાં ડાબી બાજુએ ઝીંકી દીધું હતું. હુમલામાં હંસાબેન લોહીલુહાણ થઈ જતાં તેમને તાત્કાલિક 108 મારફતે ખેરાલુ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. પોલીસે ચાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીહુમલાખોરોએ જતી વખતે પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સ્નેહાબેન ઠાકોરે નિરમાબેન, વિનુજી, સુર્યાબેન અને શંકરજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે રોડ પર કાર વાળવા જેવી નજીવી બાબતમાં બે હિન્દીભાષી શખ્સોએ એક યુવાન અને તેના ભાઈ સાથે માથાકૂટ કરી, માર મારીને કિંમતી ઘડિયાળની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકે નોંધાઈ છે. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને આર.ટી.ઓ. કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ વિક્રમસિંહ ગોહિલ ઉ.વ. 29 ગત રાત્રે સાડા નવેક વાગ્યાના અરસામાં પોતાના ભાઈ અને મિત્ર સાથે મિત્રની ઓરા કાર નંબર DD 01 C 3181 લઈને સરદારનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે વેળા એ તેમના પત્નીનો ફોન આવતા કે તેમની તબિયત ખરાબ છે, ભગીરથસિંહે ઉતાવળમાં મેઘાણી ઓડિટોરિયમ પાસેના વળાંકથી કાર પરત વાળી હતી, કાર વાળતી વખતે સામેથી ચાલીને આવતા બે શખ્સો એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને દેખ કે ચલા, અંધા હૈ ક્યા? તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ભગીરથસિંહ અને તેમના ભાઈ દિપેન્દ્રસિંહ કારમાંથી નીચે ઉતરી ગાળો બોલવાની ના પાડતા, બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ઝપાઝપી શરૂ કરી દીધી હતી, ભોગ બનનાર યુવાને જ્યારે આ શખ્સોને તેમના નામ પૂછ્યા ત્યારે એકે પોતાનું નામ અમિત જયોતિકુમાર રાકેશ અને બીજાએ દિપક જયસ્વાલ હોવાનું જણાવ્યું હતું, આ ઝપાઝપી દરમિયાન અમિત નામના શખ્સે ભગીરથસિંહના હાથમાંથી રૂપિયા 12,800ની કિંમતની ટાઇટન કંપનીની ઘડિયાળ ઝૂંટવી લીધી નાસી છૂટ્યો હતો, લૂંટ ચલાવ્યા બાદ બંને શખ્સો અલગ-અલગ દિશામાં ભાગ્યા હતા, આ મામલે ભગીરથસિંહે બંને શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે બી.એન.એસ ની કલમ 309(4), 115(2), 352 તથા 54 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીના હૃદય સમાન સેલવાસના ડેમ વિસ્તારની સમીપમાં આવેલ નાઇટ્રોજન ગેસના એક ગોડાઉનમાં મધરાતે પ્રચંડ વિસ્ફોટ થતા સમગ્ર પંથક ધ્રૂજી ઉઠ્યો હતો. આ દુર્ઘટનાએ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. અત્યંત ચોંકાવનારી વિગત એ છે કે, આ મોતના ગોડાઉન જેવું જોખમી એકમ એક શૈક્ષણિક સંકુલ એટલે કે સ્કૂલથી માત્ર 30 મીટરના અલ્પ અંતરે જ આવેલું હતું. જો આ બ્લાસ્ટ ચાલુ શૈક્ષણિક કલાકો દરમિયાન થયો હોત, તો કેટલી મોટી જાનહાનિ થઈ હોત તેની કલ્પના માત્રથી કંપારી છૂટી જાય તેમ છે. ગોડાઉનમાં થયેલો વિસ્ફોટ એટલો ભીષણ હતો કે ત્યાં ફરજ બજાવી રહેલા અને શ્રમ કરી રહેલા 3 નિર્દોષ લોકોના લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ મૃતાત્માઓના પરિવારોમાં કાળો કલ્પાંત છવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ દાદરા અને નગર હવેલીના ફાયર ફાઈટરના જવાનો તાબડતોબ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે વધુ જાનહાનિ અટકાવવા માટે સઘન તપાસ અને કામગીરી હાથ ધરી છે. આ પ્રચંડ બ્લાસ્ટ અને ત્રણ-ત્રણ માનવ જિંદગીઓ હોમાઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોમાં આ પ્રકારના જોખમી ગોડાઉનોની મંજૂરી સામે પણ અનેક સવાલો અને રોષ જોવા મળી રહ્યો છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યા છીએ…
મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને જાહેર હિતને ધ્યાને રાખીને જિલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ ઇન્સ્પેક્ટર ની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. આ મોટા ફેરફારને પગલે જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી છે. લિવ રિઝર્વમાં રહેલા 13 અધિકારીઓને પોસ્ટિંગ મળ્યુંજિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવેલા આ આદેશમાં મુખ્યત્વે લિવ રિઝર્વમાં રહેલા અને નવા આવેલા અધિકારીઓને મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિગતો મુજબ, કુલ 18 અધિકારીઓમાંથી 13 પોલીસ ઇન્સ્પેક્ટરો જેઓ અત્યાર સુધી લિવ રિઝર્વમાં હતા તેમને અલગ-અલગ પોલીસ મથકોમાં નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. 5 PIની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂકઆ ઉપરાંત, જિલ્લામાં અગાઉથી કાર્યરત એવા અન્ય 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની પણ તેમની વર્તમાન ફરજ પરથી બદલી કરીને અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય બાદ એકસાથે આટલી મોટી સંખ્યામાં થયેલી બદલીઓને કારણે પોલીસ તંત્રમાં નવીનતા આવશે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ બદલી થયેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી સોંપાયેલા નવા પોલીસ મથકોમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે.
વડોદરાના આજવા રોડ પર આવેલી જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન ખાતે જાધવ અમી શ્રદ્ધા યુવક મંડળ દ્વારા સાંઈબાબાની પાલખી યાત્રા, ભજન-કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ 4 અને 5 એપ્રિલ,2026ના રોજ યોજાશે. ચૈત્ર વદ બીજ, શનિવાર, 4 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:00 કલાકે સાંઈબાબાની પાલખી યાત્રા નીકળશે. આ યાત્રા મહેશભાઈ કહાર (મૂર્તિકાર) નાલંદા પાણીની ટાંકી પાસે, વાઘોડિયા રોડથી શરૂ થઈ જાધવ અમી શ્રદ્ધા સોસાયટી, નવજીવન, આજવા રોડ ખાતે પહોંચશે. પાલખી યાત્રા પૂર્ણ થયા બાદ રાત્રે ભજન-કીર્તનનો કાર્યક્રમ યોજાશે. ભાવેશભાઈ આર્ય ગ્રુપ દ્વારા ભજન-કીર્તનનું રસપાન કરાવવામાં આવશે, જેમાં ભાવિક ભક્તોને પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્ર વદ ત્રીજ, રવિવાર, 5 એપ્રિલ, 2026ના રોજ સાંજે 7:00 કલાકે સાંઈબાબાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે પણ સર્વ ભાવિક ભક્તોને પ્રસાદી લેવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
ગાંજા વાવેતર કેસ: આરોપીને પાંચ વર્ષની સખત કેદ:પાટણ SOGએ રૂ. 5.22 લાખના 35 છોડ જપ્ત કર્યા હતા
સમી તાલુકાના ઉમેદપુરા ગામમાં ગાંજાના વાવેતર કેસમાં રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, આરોપીને કુલ એક લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ કરાયો છે. આ કેસ 24 જાન્યુઆરી, 2022નો છે, જ્યારે પાટણ SOGએ સમી તાલુકાના બાસ્પાથી રાધનપુર જતા હાઈવે પર આવેલી નર્મદા કેનાલની અમરાપુર બ્રાન્ચ કેનાલ પાસેના એક ખેતરમાંથી દરોડો પાડ્યો હતો. પોલીસે ચણાના પાકની વચ્ચે વાવેલા 52 કિલો 295 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાના 35 લીલા છોડ અને 4510 ગ્રામ સૂકો ગાંજો જપ્ત કર્યો હતો, જેની કુલ કિંમત રૂ. 5,22,950 આંકવામાં આવી હતી. આ કેસમાં ઉમેદપુરા (જાખેલ) ગામના કનુભાઈ ચુંડાભાઈ ઠાકોરને આરોપી બનાવવામાં આવ્યા હતા. રાધનપુરની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટ (સેશન્સ કોર્ટ)ના જજ આર.આર. ચૌધરીએ તેમને નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985ની કલમ 20(એ)(આઈ) અને 20(બી)(2)બી હેઠળ પાંચ વર્ષની સખ્ત કેદ અને પ્રત્યેક ગુના માટે રૂ. 50,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદની સજા પણ ફરમાવી હતી. સરકારી વકીલ શૈલેષભાઈ એચ. ઠક્કર અને જિતેન્દ્ર જે. બારોટે દલીલ કરી હતી કે આવા ગંભીર ગુનાઓની સમાજ પર વિપરીત અસર પડે છે. જજે નોંધ્યું હતું કે માદક પદાર્થોનું સેવન ઝડપથી વધી રહ્યું છે અને તે દેશના યુવાધનને ખતમ કરી રહ્યું છે, જે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યું છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને આરોપીને સજા ફટકારવામાં આવી હતી. આ કેસમાં ગાંજાનું બિયારણ પૂરું પાડવાનો આરોપ ધરાવતા અન્ય આરોપી હસુભાઈ ઠાકોરને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલો ગાંજાનો જથ્થો ખેતરમાં ચણાના વાવેતર વચ્ચેથી મળી આવ્યો હતો, અને સૂકો ગાંજો મિણિયામાંથી પણ મળી આવ્યો હતો.
વલસાડમાં ગરમી ઘટશે, વરસાદનું એલર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હળવા ઝાપટાં, તાપમાન 3 ડિગ્રી ઘટશે
વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ગઈકાલે 32C તાપમાન નોંધાયા બાદ આજે પારો ગગડશે અને હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દક્ષિણ ગુજરાત સુધી પહોંચી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડમાં મહત્તમ તાપમાન 29C આસપાસ રહેવાની સંભાવના છે, જે ગઈકાલના 32C કરતાં 3 ડિગ્રી ઓછું છે. જોકે, ભેજનું પ્રમાણ 64 જેટલું ઊંચું રહેવાને કારણે નગરજનોને બફારાનો અનુભવ થશે. હાલ વલસાડમાં તાપમાન 28C છે, જે અનુભવમાં 30C જેવી ગરમીનો અહેસાસ કરાવી રહ્યું છે. બે બેક-ટૂ-બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વલસાડ સહિતના વિસ્તારોમાં આજે આકાશ વાદળછાયું રહેશે. બપોર બાદ કે સાંજના સમયે હળવા વરસાદી ઝાપટાં પડવાની 30 શક્યતા છે. આ દરમિયાન પશ્ચિમ દિશામાંથી 8 માઈલ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ (આજે) માટે ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠાની આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં જો વરસાદ પડે તો કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આવતીકાલે રવિવારે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજની સ્થિતિ પર એક નજર: મહત્તમ તાપમાન 29C (ગઈકાલે 32C), વરસાદની શક્યતા 30 ભેજ 64 અને પવનની ગતિ 8 mph (પશ્ચિમ દિશાથી).
આણંદ સ્થિત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ (SPET) સંચાલિત સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ (ઓટોનોમસ) ખાતે BCA, BBA-ITM, PGDCA અને M.Sc. (ડેટા સાયન્સ) વિભાગના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવ અને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહેમાનોના શાબ્દિક સ્વાગત સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ ડીન ડો. દર્શન બી. ચોક્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને આઈટી સેક્ટરમાં રહેલી ઉજ્જવળ તકો અને ભવિષ્યના વિષયો અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે SPET ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બી.એન. પટેલ, અનવેષભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડો. તેજલ તન્ના અને વિભાગીય વડા ડો. નયન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ડો. મિતેશ પટેલના નેતૃત્વમાં તૈયાર થયેલો વાર્ષિક અહેવાલ વીડિયો સ્વરૂપે રજૂ કરાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ નિષ્કા જયસ્વાલ, રાશિ ભાનુશાલી અને પ્રિતેશ પટેલનું વિશેષ યોગદાન રહ્યું હતું. વિદ્યાર્થીઓએ રજૂ કરેલી સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રો. શનિ પટેલે મિત્રતાનું ગીત રજૂ કરતા અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ ભાવુક બન્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પ્રો. નિધિ રાણા અને ડો. લતા વેદના સંચાલન હેઠળ તેમજ કોલેજના સમગ્ર સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ધારપુર સિવિલમાં વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી:બાળકોને રમતો, નાસ્તો, કીટ વિતરણ; વાલીઓને માર્ગદર્શન અપાયું
પાટણની ધારપુર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડિસ્ટ્રીક્ટ અર્લી ઈન્ટરવેન્શન સેન્ટર (DEIC) દ્વારા 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઓટિઝમથી પીડિત બાળકો માટે વિવિધ રમતો, પોષણયુક્ત નાસ્તો અને કીટનું વિતરણ કરાયું હતું, સાથે જ વાલીઓને માર્ગદર્શન પણ અપાયું હતું. NHM અંતર્ગત કાર્યરત DEIC વિભાગમાં 0 થી 18 વર્ષના બાળકોની સારવાર કરવામાં આવે છે. આ ઉજવણીમાં આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ, તબીબો, ઓટિઝમ પીડિત બાળકો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. RCHO, THO પાટણ, એડિશનલ MS, RMO, પીડિયાટ્રિક વિભાગના ડોકટરો તેમજ RBSK ટીમના નોડલ અધિકારીઓ અને સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, એડિશનલ MS અને RCHO દ્વારા વાલીઓને ઓટિઝમના લક્ષણો, વહેલી ઓળખ અને યોગ્ય થેરાપી દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજમાં ઓટિઝમ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ઓટિઝમ ધરાવતા બાળકોને સમાનતા તથા સમાવેશપૂર્ણ વાતાવરણ પૂરું પાડવાનો હતો. વાલીઓને બાળકોની કાળજી રાખવા અંગે પણ સમજણ આપવામાં આવી હતી. બાળકો માટે આનંદદાયક, શૈક્ષણિક અને વિકાસાત્મક પ્રવૃત્તિઓ તેમજ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સહભાગી થયેલા બાળકોને પોષણયુક્ત નાસ્તો અને દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી પ્રોત્સાહન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસર દામિની પટેલ, ડેન્ટલ મેડિકલ ઓફિસર પ્રિયંશી ભોજક, મેનેજર મિહિર પટેલ, ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પંચાલ જલ્પા, DEIC વિભાગના સ્ટાફ અને પીડિયાટ્રીશિયન ડોકટરોએ જહેમત ઉઠાવી હતી. તબીબી અધિક્ષક પારુલ શર્માના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
જામનગર સિટી-એ PI એ ચાર્જ સંભાળ્યો:સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું
જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા પી.આઇ. વી.એમ. ડોડીયાએ ચાર્જ સંભાળતાની સાથે જ સક્રિય કામગીરી શરૂ કરી છે. તેમણે પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પી.આઇ. ડોડીયાએ સૌ પ્રથમ પાંચ હાટડી, પટણીવાડ અને વાઘેરવાડા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે પોલીસ સ્ટાફ સાથે આ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવ્યા હતા. પી.આઇ. ડોડીયાએ પોલીસ સ્ટાફને સાવચેતીપૂર્વક કામગીરી કરવા અને કોઈપણ અનિચ્છનીય બનાવને અટકાવવા માટે સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. આ કામગીરીથી સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની સક્રિય હાજરી નોંધાઈ છે, જે કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે.
સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની 'સેન્સ' લેવાની પ્રક્રિયા બે દિવસ સુધી ચાલી હતી, આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી આ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની ઉત્સુકતા દર્શાવી છે, ચૂંટણી લડવા માંગતા ઉત્સાહી કાર્યકરોઓમાંભાવનગર તાલુકા પંચાયતની 210 બેઠકો માટે કુલ 913 કાર્યકરોએ દાવેદારી કરી છે, જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે કુલ 381 કાર્યકરો મેદાનમાં છે, જયારે 3 નગરપાલિકાઓની 96 બેઠકો માટે 377 કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે, મળી કુલ 13 મંડળોના ઉમેદવારો માટે લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં 1294 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવાની દાવેદારી નોંધાવી હતી, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે જિલ્લા ભાજપમાં બે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દાવેદારો નોંધાયા હતા, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 બેઠકો માટે 381 ઉમેદવારો તથા 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો માટે 913 ઉમેદવારો અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે 377 ઉમેદવારો નોંધાયા હતા, આમ બે દિવસ દરમિયાન કુલ 1294 જેટલા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો, સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થયા બાદ, હવે સ્થાનિક કક્ષાએ નામોની પેનલ બનાવીને પ્રદેશ ભાજપને મોકલવામાં આવશે, ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા ટિકિટ માટેનો આખરી નિર્ણય લેવામાં આવશે, કયા કાર્યકરનું નસીબ ખુલે છે અને કોને ટિકિટ મળે છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી પ્રદેશ કક્ષાએ યાદી મોકલી દેવામાં આવી હતી. કોંગ્રેસ આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે, જ્યારે ભાજપ 9 એપ્રિલે પ્રથમ યાદી જાહેર કરે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસે 20 જેટલા ઉમેદવારો ફાઈનલ કર્યાઆધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેર કોંગ્રેસમાં ચૂંટણી માટે 20 જેટલા ઉમેદવારોના નામને અંતિમ મ્હોર આપી દેવામાં આવી છે અને તેમના નામ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે. આ યાદી જોતા કોંગ્રેસ અનુભવી અને જૂના જોગીઓને મેદાને ઉતારવા નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આ ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ
ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) ના વિદ્યાર્થીઓએ GUJCOST દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ROBOFEST 5.0 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. Application-Based Robotics કેટેગરીમાં CSPITની ટીમોએ પ્રથમ અને તૃતીય સ્થાન મેળવી કુલ ₹15 લાખના પુરસ્કારો જીત્યા છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની એક ટીમે Pinaka નામનો સ્માર્ટ એગ્રીકલ્ચર રોબોટ વિકસાવ્યો હતો. આ પ્રોજેક્ટને ₹10 લાખના પુરસ્કાર સાથે પ્રથમ સ્થાન મળ્યું છે. Pinaka રોબોટ વાવેતર, સ્પ્રેઇંગ અને માટીનો ભેજ માપવા જેવી સુવિધાઓ પૂરી પાડી કૃષિ ક્ષેત્રમાં આધુનિકતા લાવવાનો પ્રયાસ કરે છે. આ ટીમના સભ્યોમાં પ્રેમ જોગાણી, દેવ ભાલોડિયા, ખુશી સોનાગરા અને હીત શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. બ્રિજેશ કુંડાલિયાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Pinaka એક કોમ્પેક્ટ એગ્રોરોબોટ છે, જે પૂર્વનિર્ધારિત માર્ગ પર ચોકસાઈ સાથે વિવિધ કૃષિલક્ષી કામગીરી કરે છે. તેમાં વાવેતર મિકેનિઝમ, સ્પ્રેઇંગ સિસ્ટમ, સોલાર સહાયતા, માટીની ભેજ માપવાની વ્યવસ્થા, ટિલ્ટ ડિટેક્શન અને બ્લેક લાઇન નેવિગેશન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ માનવશ્રમ ઘટાડી સ્માર્ટ કૃષિને પ્રોત્સાહન આપે છે. આ ઉપરાંત, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓની બીજી ટીમે Sarva Netra નામનો સ્માર્ટ સર્વેલન્સ રોબોટ રજૂ કર્યો હતો. આ ટીમને ₹5 લાખના પુરસ્કાર સાથે તૃતીય સ્થાન મળ્યું છે. આ ટીમના સભ્યોમાં યાશ્વી તન્ના, તિશા મણિયાર, ખુશી ઉધાડ અને કૈવલ શાહનો સમાવેશ થાય છે. ફેકલ્ટી માર્ગદર્શક તરીકે ડૉ. જીગર સારડાએ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. Sarva Netra એક આધુનિક સ્વચાલિત સર્વેલન્સ સિસ્ટમ છે. તેમાં GPS આધારિત પેટ્રોલિંગ, લાઇવ વિડિયો મોનીટરીંગ, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ગેસ સેન્સર આધારિત એલર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ રોબોટ અવરોધ ટાળવાની ક્ષમતા ધરાવે છે અને 3D એન્વાયર્નમેન્ટ પરસેપ્શન માટે ડેપ્થ કેમેરાનો ઉપયોગ કરે છે, જે સુરક્ષા ક્ષેત્રે વિશ્વસનીય ઉકેલ પૂરો પાડે છે. આ સિદ્ધિ બદલ FTEના ડીન ડૉ. વિજય ચૌધરી અને CSPITના પ્રિન્સિપાલ ડૉ. તૃષિત ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સફળતા CSPIT અને ચારુસેટના વિદ્યાર્થીઓની ઇનોવેશન, ટેક્નિકલ કૌશલ્ય અને સંશોધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતાની સાથે જ પક્ષ પલ્ટુની પણ મોસમ શરૂ થઇ ચુકી છે. આ શરૂઆત આ વખતે કોંગ્રેસ નહિ, પરંતુ ભાજપમાંથી થવા પામી છે. ગઈકાલે (3 એપ્રિલ) રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 6માં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપના સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ, તેમના પતિ મનસુખ જાદવ સહિત કાર્યકર્તાઓને કોંગ્રેસના આગેવાનોએ ખેસ પહેરાવી વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે પોતાના બે મહિલા કોર્પોરેટરોને 2024માં સસ્પેન્ડ કર્યા હતાં, જેમાં એક નામ દેવુબેન જાદવ અને બીજું નામ વજીબેન ગોલતર હતું. કોર્પોરેટરના પતિઓના આવાસ કૌભાંડમાં નામ ખુલ્યાં હતાંવોર્ડ નંબર 6ના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવ અને વોર્ડ નંબર 5ના મહિલા કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતરે પોતાના અન્ય જગ્યાએ ઘરનું ઘર હોવા છતાં સાગરનગર અને મચ્છાનગર સ્લમ વિસ્તારમાં આવાસ મેળવવા પાત્ર લાભાર્થીઓની યાદીમાં નામ લખાવ્યું હતું. 2024માં મુખ્યમંત્રીના હસ્તે યોજાયેલા ડ્રોમાં બન્નેના નામ આવતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે દેવુબેન જાદવ કાયદો-નિયમન સમિતિના ચેરમેન હતા. આ ઉપરાંત કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ દ્વારા પૈસાની માંગણી કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા કડક કાર્યવાહી કરતાં વજીબેન ગોલતર અને દેવુબેન જાદવનું ચેરમેન પદેથી રાજીનામું લઈ અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો.
સુરત રેલવે સ્ટેશન પર આજે એક ચમત્કારિક ઘટના બની હતી, જેમાં મોતના મુખમાં ગયેલા એક મુસાફરને નવજીવન મળ્યું છે. ચાલુ ટ્રેને ચડવા જતા મુસાફર ટ્રેન નીચે પટકાતા અડધી મિનિટ સુધી ટ્રેન તેની ઉપરથી ચાલતી રહી હતી. આ હૃદયદ્રાવક દૃશ્યો સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. CCTVમાં કેદ થયા રુંવાડા ઉભા કરી દેતા દૃશ્યોસીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, જ્યારે ટ્રેન નંબર 09628 અજમેર સ્પેશિયલ ફેર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર 1 પરથી રવાના થઈ રહી હતી, ત્યારે એક મુસાફરે દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો. સંતુલન ગુમાવવાને કારણે મુસાફર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબક્યો હતો. લગભગ અડધી મિનિટ સુધી ટ્રેન ચાલતી રહી હતી, જેના કારણે ત્યાં હાજર મુસાફરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ટ્રેન ઉભી રખાવી મુસાફરને બહાર કાઢ્યોપ્લેટફોર્મ પર ફરજ બજાવતી સુરત રેલવે પોલીસની સર્વેલન્સ ટીમે આ ઘટના જોતા જ તાત્કાલિક સ્ફૂર્તિ બતાવી હતી. રેલવે જવાનોએ ત્વરિત ટ્રેન ઉભી રખાવી દીધી હતી અને ટ્રેન નીચે ફસાયેલા યુવકને અત્યંત સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો. યુવકનો આ ચમત્કારિક બચાવ જોઈને પ્લેટફોર્મ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ગભરાઈ ગયેલા યુવકને પોલીસનો માનવીય અભિગમટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવ્યા બાદ યુવક અતિશય ગભરાઈ ગયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. મીઠાપરા અને તેમની ટીમે યુવકને સાંત્વના આપી તેને શાંત કર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ મુસાફર સુરક્ષિત હોવાનું જણાતા તેને તે જ ટ્રેનમાં બેસાડી આગળ રવાના કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસની આ બહાદુરીના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાતા બચી ગયો છે. આ પણ વાંચો…ભોપાલ સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અકસ્માત, યુવક 5 સેકન્ડમાં 5 વાર ટ્રેન-પ્લેટફોર્મ વચ્ચે ઢસડાયો
પાટણમાં પત્નીએ પતિને બચત કરી મકાન બનાવવાની સલાહ આપતા પતિ અને સાસરિયાઓએ તેને ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદ પીડિતાએ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાસકાંઠાના ઓગડ તાલુકાના ટોટાણા ગામના વતની અને હાલ પાટણના માખણીયાપરામાં મજૂરી કરતા સુનિતાબેન દેવજીભાઈ પટણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે તેમણે પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણીને દેવું ન કરવા અને બાળકોના ભવિષ્ય માટે પૈસા બચાવી મકાન બનાવવાની વાત કરી હતી. આ સાંભળી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. સુનિતાબેને ગાળો બોલવાની ના પાડતા પતિએ તેમને નીચે પાડી ગળું દબાવ્યું હતું અને હાથમાં રહેલા દાતરડાના ઊંધા ભાગે બરડામાં માર માર્યો હતો. આ દરમિયાન સાસુ કાંતાબેન પટણી અને સસરા રાયાભાઈ પટણીએ પણ છોડાવવાને બદલે સુનિતાબેનને પકડી રાખ્યા હતા. પતિએ તેમને ગડદાપાટુનો માર માર્યો, બંને હાથે બચકાં ભર્યા અને વાળ પકડીને ઘસેડી હતી. સસરા રાયાભાઈએ લાકડાની કાતર ફેંકી હતી, જોકે સુનિતાબેન ખસી જતા તેમને વાગી નહોતું. આ ઘટના બાદ સાસરિયાઓએ સુનિતાબેનને ઘરમાં પૂરી રાખી ક્યાંય જવા દીધા નહોતા. બીજા દિવસે સવારે પતિ દેવજીભાઈ તેમને મોતીસા ચોકમાં ઉતારીને જતો રહ્યો હતો. ત્યાંથી સુનિતાબેન ચાલીને તેમના પિતાના ઘરે પહોંચ્યા હતા અને માતા-પિતાને આપવીતી જણાવતા તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ સુનિતાબેને પતિ દેવજીભાઈ રાયાભાઈ પટણી, સાસુ કાંતાબેન અને સસરા રાયાભાઈ વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 115(2), 296(b), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ પાટણ સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને પાટણ નગરપાલિકાના વિવિધ વોર્ડ માટેના ઉમેદવારોના નામોનો સમાવેશ થાય છે. પક્ષ દ્વારા પાટણ જિલ્લામાં ચૂંટણીલક્ષી ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયતની બાલીસાણા બેઠક પરથી રાણાજી સોમાજી ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી હિતેશભાઈ પટેલ અને વોર્ડ નંબર 10 માંથી મનુભાઈ ઠક્કરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની બેઠકો પર નજર કરીએ તો, પાટણ તાલુકા પંચાયતની મણુંદ બેઠક પરથી દિનુજી લક્ષ્મણજી વાઘેલા, સંડેર બેઠક પરથી જ્યોત્સનાબેન ઠાકોર, સંખારી બેઠક પરથી તબ્બસુમ હારૂનભાઈ મનસુરી અને બાલીસાણા-1 બેઠક પરથી વિપુલભાઈ પંચાલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. આ ઉપરાંત, સરસ્વતી તાલુકા પંચાયત હેઠળની વામૈયા બેઠક પરથી સેધૂભા એસ દરબાર, અઘાર બેઠક પરથી દિલીપસિંહ બનેસિંહ વાઘેલા અને અજીમણા બેઠક પરથી કિંજલબેન મંગળભાઈ પ્રજાપતિના નામોની સત્તાવાર જાહેરાત થઈ છે. આમ આદમી પાર્ટી દ્વારા આગામી સમયમાં પાટણ નગરપાલિકા, પાટણ તાલુકા પંચાયત અને સરસ્વતી તાલુકા પંચાયત સહિત પાટણ વિધાનસભા અંતર્ગત આવતી જિલ્લા પંચાયતની બાકી રહેલી બેઠકો માટેના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે. આ નામોની જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે.
વલસાડમાં ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા:₹13.50 લાખના કેસમાં 9 માસની કેદ, વળતર ચૂકવવા આદેશ
વલસાડ તાલુકાના મગોદ ગામમાં મિત્રતા આધારિત નાણાકીય વ્યવહારમાં ચેક બાઉન્સ થતાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વલસાડની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) કોર્ટે આરોપીને 9 માસની કેદ અને ₹13.50 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મગોદ ગામના રહેવાસી ધર્મેશભાઈ વિનોદભાઈ પટેલે તેમના મિત્ર મિરાજ જગદીશભાઈ પરમારને વિશ્વાસના આધારે કુલ ₹13.50 લાખ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત કરવા માટે મિરાજે ચેક આપ્યા હતા. ધર્મેશભાઈએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે બાઉન્સ થયા હતા, જેના કારણે નાણાકીય વિવાદ વધુ ઘેરો બન્યો હતો. નાણા પરત ન મળતા, ધર્મેશભાઈએ તેમના વકીલ જે.એમ. પુરોહિત મારફતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ વલસાડ JMFC કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન, ફરિયાદી પક્ષે મજબૂત દસ્તાવેજી પુરાવા અને દલીલો રજૂ કરી હતી. આરોપી મિરાજ પરમાર તરફથી વકીલ ડી.એમ. આચાર્યએ પક્ષ રજૂ કર્યો હતો. એડિશનલ સિવિલ જજ પ્રીતિ સાગરની કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ આરોપી મિરાજ પરમારને દોષિત ઠેરવ્યો હતો. કોર્ટે તેને 9 માસની સજા ફટકારી અને ફરિયાદીને ₹13.50 લાખ વળતર રૂપે ચૂકવવાનો આદેશ કર્યો. કોર્ટે ટિપ્પણી કરી કે આવા કેસોમાં દસ્તાવેજી પુરાવા અને વ્યવહારની પારદર્શિતા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. ફરિયાદી પક્ષ પોતાની રકમ સાબિત કરવામાં સફળ રહ્યો, જે ચુકાદામાં નિર્ણાયક સાબિત થયું.
મહીસાગરમાં 5 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:LCBએ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા
મહીસાગર LCBએ કોઠંબા, લુણાવાડા અને બાલાસિનોર વિસ્તારમાં થયેલી પાંચ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પીઆઈ એમ.કે. ખાંટે વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. આ માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન, LCB સ્ટાફના ASI વિશ્વજીતસિંહ અને કોન્સ્ટેબલ ભરતભાઈને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, બાલાસિનોર GIDC વિસ્તારમાં બે અજાણ્યા શખ્સો શંકાસ્પદ હાલતમાં ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં ફરી રહ્યા હતા. પીઆઈની સૂચનાથી LCB ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંને શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડ્યા. આરોપીઓની બેગની તપાસ કરતા તેમાંથી જુદા-જુદા સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. દાગીના અંગે સઘન પૂછપરછ કરતા, બંને આરોપીઓએ આ દાગીના મહીસાગર જિલ્લામાં અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ કબૂલ્યું કે તેમણે લુણાવાડા નજીક ઘંટાવ ગામે એક વર્ષ પહેલા એક બંધ મકાનમાંથી રોકડ રકમની ચોરી કરી હતી. આ ઉપરાંત, ચાર મહિના પહેલા થાણા સાવલી ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી હતી. બાલાસિનોર ટાઉન ખાતે મુસ્લિમ વિસ્તારમાં એક બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, ઇન્દિરાનગર વિસ્તારમાં બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોહિતવાસમાં બંધ મકાનમાંથી પણ ચોરી કરી હતી. આરોપીઓ બંધ મકાનોના દરવાજાના નકુચા કાપીને પ્રવેશ કરતા અને તિજોરીઓના લોક તોડી ચોરીને અંજામ આપતા હતા. LCBએ આરોપીઓ પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ છે: (1) જશપાલસિંહ ઇશ્વરસિંહ રાઠોડ (સીકલીગર), રહે. એસ.ટી. નગર, બાલાસિનોર, તા. બાલાસિનોર, જિ. મહીસાગર અને (2) બલરાજસિંહ ઉર્ફે મલીન્દર ઉર્ફે ડોન મોહનસિંગ શીખ, હાલ રહે. હલધરવાસ, તા. મહેમદાવાદ, જિ. ખેડા, મૂળ રહે. શીખવાડા, ગુરુ નાનક નગર, મહેમદાવાદ, જિ. ખેડા.
ગઢડામાં બે કોમ વચ્ચે ફરી બબાલ, એક ગંભીર:SP સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે, બોટાદ હોસ્પિટલ ખસેડાયા
ગઢડાના વિંછીયા પરા વિસ્તારમાં ફરી બે કોમ વચ્ચે બબાલ થઈ છે. રાત્રિના સમયે થયેલી આ ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય બેને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રફિકભાઈ હાજીભાઈ સૈયદને પ્રાથમિક સારવાર માટે ગઢડા હોસ્પિટલ ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે તેમને બોટાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતા બોટાદ SP ધર્મેન્દ્ર શર્મા, DYSP, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર વિંછીયા પરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે અને કેટલાક શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા છે. શહેરમાં પણ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને. આ બબાલની શરૂઆત ગઈકાલે બપોરના સમયે પશુને માર મારવાના મુદ્દે થઈ હતી. આ મામલે મોટી સંખ્યામાં લોકો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રાત્રિના સમયે ફરી તણાવ વધતા આ બબાલ સર્જાઈ હતી. બોટાદના DYSP મહર્ષિ રાવલે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી. હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્રનગરમાં મયુરધ્વજસિંહ પરમાર દ્વારા તેમના પિતા સ્વ. ઘનશ્યામસિંહ ભુરુભા પરમારની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઔદીચ્ય બ્રહ્મસમાજ, સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. આ જ્ઞાતિ ભોજન માટે સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ અને રતનપર સહિતના વિસ્તારોમાં રહેતા બ્રાહ્મણોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ બ્રહ્મભોજનમાં 3500થી વધુ ભૂદેવ પરિવારોએ પ્રસાદ લીધો હતો. આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા મયુરધ્વજસિંહ અને તેમના પરિવારનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
વડોદરાના વાડી હનુમાન પોળ ખાતે હનુમાન પ્રાગટ્યોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વાડી હનુમાન પોળ યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાડી હનુમાન પોળનું મંદિર લગભગ 350 વર્ષ જૂનું છે. ઇતિહાસ અનુસાર, આ વિસ્તાર પહેલાં શૂરા શાળવીની પોળ તરીકે ઓળખાતો હતો. તે સમયે શાળવી કોમના લોકો અહીં વસવાટ કરતા હતા, જેઓ વણાટ, કળા અને છાપકામ જેવી કારીગરીમાં નિષ્ણાત હતા. તે સમયે વડોદરામાં વણઝારાની એક પોઠ આવી હતી. પોઠના મોભીએ જણાવ્યું કે તેમને રસ્તામાંથી હનુમાનદાદાની મૂર્તિ મળી હતી, જેને તેઓ બળદગાડામાં સ્થાપિત કરીને નિર્ધારિત સ્થળે લઈ જવાના હતા. બીજા દિવસે વણઝારાની પોઠ આગળ જવા નીકળી, પરંતુ હનુમાનદાદાની મૂર્તિ ધરાવતું ગાડું ઘણા પ્રયત્નો છતાં ખસ્યું નહીં. વધુ બળદો જોડવા છતાં પણ ગાડું આગળ વધ્યું નહીં. આ ઘટનાને કારણે અહીં જ હનુમાનદાદાનું મંદિર બાંધવામાં આવ્યું. આથી હનુમાનદાદા ‘હઠીલા હનુમાનજી’ તરીકે ઓળખાવા લાગ્યા અને શૂરા શાળવીની પોળનું નામ બદલાઈને હનુમાન પોળ થયું. વડોદરાના પ્રાચીન ગરબામાં પણ આ સ્થળનો ઉલ્લેખ જોવા મળે છે: “હાથિયાખાણાના દરવાજે કંઈ હઠીલા હનુમાનજી રે…” મંદિર નજીક તે સમયે બનાવવામાં આવેલો કૂવો આજે પણ અસ્તિત્વમાં છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ઓછા લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલે ઘાટલોડિયા વોર્ડમાંથી દાવેદારી નોંધાવીભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 3 એપ્રિલના રોજ યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બોડકદેવ વોર્ડમાંથી, હિતેશ બારોટે થલતેજ વોર્ડમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે. ઘાટલોડિયા વોર્ડમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર પ્રવીણ પટેલ સહિતના દાવેદારોએ પણ દાવેદારી કરી છે. AMTS કમિટીના પૂર્વ ચેરમેન ધરમસિંહ દેસાઈ એ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ધરમશી દેસાઈ અમદાવાદના મેયર પદ માટેના મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. ધરમશી દેસાઈની સાથે તેમના પુત્ર ધનરાજ દેસાઈએ પણ દાવેદારી નોંધાવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કયા વોર્ડમાંથી કેટલા દાવેદાર ક્યાં ક્યાં ઉમેદવારોએ દાવેદારી કરી ગોતા ઘાટલોડિયા થલતેજ બોડકદેવ બાપુનગર
'આપણે યુદ્ધમાં છીએ..', ઈરાને અમેરિકન ફાઈટર જેટ તોડી પાડયા બાદ ટ્રમ્પનું પ્રથમ નિવેદન
US Iran War: મધ્ય પૂર્વમાં અમેરિકન લડાયક વિમાનો ઈરાન દ્વારા તોડી પાડવા આવ્યા છે, ત્યારે અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ઘટનાઓની ઈરાન સાથે ચાલી રહેલી વાતચીત પર કોઈ અસર પડશે નહીં. NBC ન્યૂઝને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, 'આ ઘટનાઓની રાજદ્વારી સંબંધો અને વાતચીત પર કોઈ અસર નહીં પડે, બિલકુલ નહીં. આ યુદ્ધ છે. આપણે યુદ્ધમાં છીએ.' તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહી અને રાજદ્વારી પ્રયાસો બંને સાથે-સાથે ચાલી રહ્યા છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી જ્ઞાન, વિચારવાની ક્ષમતાને નુકસાન : રિસર્ચનું તારણ
- એમઆઈટીના સંશોધકોએ એઆઈ યુઝર્સને ચેતવણી આપી - એઆઈ ચેટબોટ દરેક વાતમાં સહમતી દર્શાવતા હોવાથી તેના વધુ વપરાશ કરતાં યુઝર્સ ચોક્કસ પેટર્નમાં ભ્રમિત થયાનું જણાયું Report on AI : અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ એઆઈ ચેટબોટનો વધારે ઉપયોગ કરતાં યુઝર્સને ચેતવણી આપી હતી કે તેનાથી સમજવા-વિચારવાની ક્ષમતાને ગંભીર અસર થાય છે. એઆઈ એક પેટર્ન પ્રમાણે જવાબ આપે છે એટલે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે. એઆઈ ચેટબોટ્સનો ચાપલુસીભર્યું વર્તન યુઝર્સને ગેરમાર્ગે દોરે છે. એઆઈનો વધારે ઉપયોગ આપણાં જ્ઞાન ઉપર પણ અસર કરે છે.
અમદાવાદમાં આજે બીજી મેચ GT vs RR:વૈભવ સામે રબાડા-સિરાજનો પડકાર; ગુજરાતે રાજસ્થાન સામે 6 મેચ જીતી
IPLમાં શનિવારની બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ સીઝનનો આ નવમો મુકાબલો હશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે અને ટૉસ 7 વાગ્યે થશે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચ ચેન્નઈ સામે જીતી હતી, જ્યારે ગુજરાતને પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. IPLમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ 8 વખત સામસામે આવી છે, જેમાં GTએ 6 અને RRએ 2 મેચ જીતી છે. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે રમાયેલી બે મેચમાં બંનેએ એક-એક મેચ જીતી હતી. વૈભવ પર રહેશે નજર આ મેચમાં રાજસ્થાન રોયલ્સને મજબૂત માનવામાં આવી રહી છે. તેનું સૌથી મોટું કારણ 15 વર્ષના યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું શાનદાર ફોર્મ છે. વૈભવે IPL 2026ની પોતાની પ્રથમ મેચમાં ચેન્નઈ સામે માત્ર 15 બોલમાં 50 રન ફટકારી દીધા હતા. તેણે 17 બોલમાં 52 રન બનાવ્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. જોકે, આ વખતે તેનો સામનો કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના જેવા ઇન્ટરનેશનલ પેસ એટેક સામે થશે, જે તેના માટે મોટો ટેસ્ટ સાબિત થઈ શકે છે. ગુજરાત પાસે પેસ બોલિંગ એટેક ગુજરાત ટાઇટન્સ પાસે કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાની ત્રિપુટી છે. કેપ્ટન શુભમન ગિલે ગત મેચમાં 39 રન બનાવ્યા હતા. જોકે, ટીમની બેટિંગ ચિંતાનો વિષય રહી છે. ગિલ, જોસ બટલર અને સાઈ સુદર્શન ઝડપથી રન બનાવી શકતા નથી. મિડલ ઓર્ડર પણ બહુ ભરોસાપાત્ર દેખાયો નથી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ રિપોર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેલેન્સ્ડ માનવામાં આવે છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને બાઉન્સ મળે છે, પરંતુ બાદમાં બેટિંગ સરળ થઈ જાય છે. સાંજની મેચમાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવે છે, જેનાથી બીજી ઇનિંગમાં બેટિંગ સરળ બને છે. આવામાં ટૉસ જીતીને ટીમ ચેઝ કરવાનું પસંદ કરે છે. આ મેદાન પર અત્યાર સુધી 44 IPL મેચ રમાઈ છે, જેમાં પહેલા બેટિંગ કરનાર ટીમે 22 અને ચેઝ કરનાર ટીમે પણ 22 મેચ જીતી છે. હાલની મેચોમાં અહીં એવરેજ સ્કોર 200+ રહ્યો છે અને સ્પિનર્સ કરતા પેસર્સને વધુ સફળતા મળી છે. વેધર રિપોર્ટ અમદાવાદમાં મેચના દિવસે હવામાન ઘણું ગરમ રહેવાનું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજના સમયે પણ તાપમાન ૩૫C ની આસપાસ રહી શકે છે. વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને સંભવિત પ્લેઇંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને અશોક શર્મા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરન હેટમાયર, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા અને દાસુન શનાકા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલેમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના કતારગામ-વેડ વોર્ડ નં. 7 (કતારગામ ગામ, વેડ રોડ, નંદુ ડોશીની વાડી, ધનામોરાની વાડી)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. વોર્ડ 7ના વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરના ઢાંકણા અડધા ખુલેલા છે અથવા તૂટેલી હાલતમાં છે. સ્ટ્રીટ લાઈટના પોલ પર વીજળીના બોર્ડ ખુલ્લા લટકી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, તંત્રને અનેક રજૂઆતો છતાં આ બાબતે કોઈ નક્કર કામગીરી થઈ નથી. ગાર્ડનમાં રાત્રિના સમયે પૂરતી લાઈટો ન હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વો દારૂની મહેફિલો માણે છે. સ્થળ પરથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસો પણ જોવા મળ્યા હતાં. સ્થાનિકોએ રોષ ઠાલવતાં કહ્યું, કોઈ કોર્પોરેટર આવતા જ નથી. સુરત મનપામાં ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણહીરા નગરી સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગવા માંડ્યા છે. ખાસ કરીને કતારગામ વિસ્તાર, જે સુરતના રાજકારણનું એપીસેન્ટર ગણાય છે, ત્યાં અત્યારથી જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં તમામ 120 બેઠકો પર કબજો જમાવવા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાના એંધાણ છે. પરંતુ, આ રાજકીય ખેંચતાણ વચ્ચે કતારગામ વોર્ડ 7ની જનતા અનેક પાયાની સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. 'ગટરના ઢાંકણા બધા જ ખુલ્લા છે'સ્થાનિક ગીતાબેને જણાવ્યું હતું કે, કમ્પ્લેન કરી હોય તોય કોઈ આવતું નથી અને પ્લસ પાણી તો એકઠામકું આવતું જ નથી, એક ગ્લાસ પાણી જોતું હોય ને તો મોટર ચાલુ કર્યા વગર પાણી આવતું નથી. નીચે ભૂગર્ભ ટાંકામાં એક ગ્લાસ પાણી મોટર ચાલુ કર્યા વગર આવતું નથી. પ્રેશર વગરનું પાણી આવે છે. 'અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે'સ્થાનિક હિરેન વાઘાણીએ જણાવ્યું હતું કે, એક સમસ્યા એ છે કે, કેટલા ટાઈમથી અમે અહીંયા સ્પીડ બ્રેકરની માંગ કરી છે. અવારનવાર સોસાયટીના સભ્યો ભટકાતા હોય છે, એની જાણ કરેલી છે, છતાં પણ અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવતો નથી. એક ફરિયાદ બીજી કરેલી છે, સામે શાકભાજીવાળાની લાઈનો થાય છે, સવારમાં 7:00 વાગ્યામાં ન્યુસન્સ ફેલાવે છે, એની પણ અરજી કરેલી છે, એનો પણ કોઈ નિકાલ થતો નથી. 'ગાર્ડનમાં રોજ અવારનવાર ન્યુસન્સ થાય છે'હિરેન વાઘાણીએ કહ્યું કે, અહીંયા ગાડીઓનું પાર્કિંગ થઈ રહ્યું છે, એની પાછળ અહીંયા મજૂરો જે રાત્રે સૂવા આવે છે, તે લોકો અહીંયા બગાડ કરે છે, સંડાસ-જાજરૂ બધું અહીંયા જ કરે છે. એની પણ ફરિયાદ કરેલી છે, એનું પણ નિકાલ નથી થતો. 'આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી'સ્થાનિક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ રસ્તો છે ને એક શેરી પૂરતો છે, મર્યાદિત રસ્તો છે. પણ એમાંથી રાત્રે 9થી 9:30ની આસપાસ દોઢથી બે કલાક સુધી સૌરાષ્ટ્ર ટ્રાવેલિંગની બસો ચાલે છે. જે ક્યારેક ગમે ત્યારે અકસ્માત થવાની પૂરી સંભાવના છે. કારણ કે આ મેઈન રસ્તો લક્ઝરી માટે કે પ્રાઇવેટ બસ માટેનો નથી. ‘લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે’સ્થાનિક રાજેશ પટેલે વધુમાં જણાવ્યું કે, કોઈ જાહેર જનતા માટેનો રસ્તો નથી, આ એકદમ સેપરેટ અને શેરી ટાઈપનો રસ્તો છે. પણ આ લોકો શોર્ટકટ મારવા માટે અહીંયાથી લક્ઝરી બસ કાઢે છે. એટલે રિક્વેસ્ટ છે કે ભાઈ અહીંયાથી આ મોટી બસો અને બીજું સ્પીડ બ્રેકર એક પણ નથી, એટલે ગમે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધારે છે. 'એમના ઘરો પચાવી પાડવાની એક ષડયંત્ર ચાલી રહ્યું છે'વેડ વોર્ડ નંબર 7ના આપની ટિકિટના દાવેદાર ડૉ. પ્રીતિ સદાદિયાએ જણાવ્યું હતું કે, અહીંયા કતારગામ, વેડ વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર સૌથી મોટો પ્રશ્ન છે ટીપી રિઝર્વેશનનો. ટીપી 49, 50 અને 51ની અંદર જે રિઝર્વેશનનો સૌથી મોટો પ્રશ્ન છે. એની અંદર એવું છે કે સોસાયટીના લોકોને કોઈ પણ નોટિસ કે જાણ કર્યા વગર એમને ઘર ખાલી કરવાની નોટિસો આપ્યા વગર જ એમની ઉપર ખાલી કરવા માટેના દબાણો કરવામાં આવે છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કર્યાભાજપ 'પેજ સમિતિ' અને 'કાર્યકર્તા સંમેલન'ના માધ્યમથી ભાજપ આ વખતે ક્લીન સ્વીપ કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ વોર્ડમાં ચૂંટણી કાર્યાલયોના ઉદ્ઘાટન સાથે પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે. 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યુંઆમ આદમી પાર્ટી ગત વખતના પ્રદર્શનને જાળવી રાખવા અને બેઠકો વધારવા માટે 'AAP'એ શેરીએ-શેરીએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. લોકોની સ્થાનિક સમસ્યાઓને વાંચા આપી સત્તાધારી પક્ષને ઘેરવાની રણનીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાંકોંગ્રેસ લાંબા સમયથી હાંસિયામાં ધકેલાયેલી કોંગ્રેસ આ વખતે પુનઃપ્રાપ્તિના મૂડમાં છે. દાવેદારોની સાંભળવાની પ્રક્રિયા અને સંગઠનને મજબૂત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
નડિયાદ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પણ હાલ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે નડિયાદના વોર્ડ નંબર 1ના મતદારોનો મિજાજ જાણ્યો હતો. આ વિસ્તારમાં સ્થાનિકો ગટરની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકામાં ભળ્યા બાદ ગામનો વિકાસ રુંધાયો હોવાનું જણાવ્યું હતું. વોર્ડની કુલ વસતી આશરે 20,697 જેટલી આ વોર્ડમાં કમળા, યોગીનગર, ડભાણ અને મંજીપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેની કુલ વસતી આશરે 20,697 જેટલી છે. આગામી ચૂંટણીમાં અહીં બેઠકોનું સમીકરણ પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને બે સામાન્ય બેઠકો મુજબ ગોઠવવામાં આવ્યું છે, જેના પર રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ગટરના પાણીની સમસ્યાથી સ્થાનિકોમાં રોષદિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ વોર્ડમાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, વોર્ડના મોટાભાગના વિસ્તારોમાં ગટર અને ખરાબ રસ્તાની સમસ્યાઓ જટિલ બની છે. ખાસ કરીને યોગીનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘પંચાયતના શાસનમાં ગટર લાઈનની સફાઈ થતી હતી’યોગીનગરના રહીશ બિપિન પ્રજાપતિએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, જ્યારે અહીં ગ્રામ પંચાયતનું શાસન હતું ત્યારે વર્ષમાં બે વાર ગટર લાઈનની સફાઈ થતી હતી, પરંતુ મહાનગરપાલિકામાં ભળ્યા બાદ ગટરની સમસ્યા વકરી છે. ચોમાસામાં તો સમસ્યા ગંભીર બની જાય છે. જ્યારથી મહાનગર પાલિકા બની છે ત્યારથી વિકાસના કોઈ કામો થયા નથી. અમારી મેન સમસ્યા ગટરની છે. ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છેડભાણ ગામના ખ્રિસ્તી ફળિયામાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી હતી. અહીં છેલ્લા ઘણા દિવસોથી ગટરના પાણી જાહેર રસ્તા પર ઉભરાઈ રહ્યા છે. વિસ્તારની મહિલા સંગીતાબેને જણાવ્યું કે, અમે પંચાયતમાં હતા ત્યારે અમારા બધા કામો થતા હતા. પણ જ્યારથી પાલિકામાં ભળ્યા છીએ ત્યારથી કોઈ કામ થતા નથી. ગટર લાઈન ઉભરાઈ છે પણ તે સમસ્યાનું પણ સમાધાન થયું નથી. ‘મનપા બની તે બાદ અમારી સમસ્યામાં વધારો થયો’કોકિલાબેને આક્ષેપ કર્યો હતો કે, અહિં ગટર ઉભરાઈ છે જેથી બાળકો સહિત તમામને ખુબ હાલાકી ભોગવવી પડે છે. સમસ્યા સર્જાય ત્યારે કાઉન્સિલરો માત્ર એક દિવસ પૂરતા આવે છે અને કામગીરીના ફોટા પડાવીને નીકળી જાય છે. બીજા જ દિવસથી પરિસ્થિતિ જસની તસ થઈ જાય છે. મહાનગર પાલિકા બની તે બાદ તો અમારી સમસ્યામાં વધારો થયો છે. મંજીપુરા વિસ્તારમાં પણ રોડ-રસ્તાની હાલત અત્યંત બિસ્માર જોવા મળી હતી. ગામમાં પ્રવેશતા જ એક તરફ રસ્તાનું કામ ચાલતું હોવાથી અને બીજી તરફનો રસ્તો પણ સાવ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિક લોકોની માગ છે કે, રોડના કામો વહેલી તકે પૂર્ણ કરવામાં આવે જેથી દૈનિક અવરજવરમાં પડતી મુશ્કેલીઓથી મુક્તિ મળી શકે. ડભાણના સ્થાનિક સુમિત્રા બેને જણાવ્યું કે, રસ્તા પર ખાડા પડી ગયા છે, બધે પાણી ભરાઈ છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે નવી બનેલી મહાનગરપાલિકામાં યોજાનાર ચૂંટણીએ મતદારોમાં ઉત્સુકતા જગાવી છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. આ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 11માં પહોંચી હતી. રાજકીય દ્રષ્ટિએ આ વોર્ડ અત્યંત મહત્વનો ગણાય છે. આ વિસ્તારના મતદારોએ વિવિધ મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં સાંસદ, 5 વિધાનસભા, 1 જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકા આ તમામ જગ્યાએ ભાજપનું એકહથ્થુ શાસન છે. સંયુક્ત પાલિકા હતી જેમાં પણ ભગવો જ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે, આ વખતે ચૂંટણીમાં AAPએ પણ ઝંપલાવ્યુ છે. જેથી હવે અહિં ત્રિપાખીયો જંગ જોવા મળશે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં ભોગાવો નદી કાંઠો, ભરવાડવાસ વિસ્તાર, રામાપીર મંદિર વિસ્તાર, હનુમાન ચોકની શેરીઓ, રોહિદાસ વંસી સમાજ વાડી, અનુસૂચિત જાતિ વાસ, સુખધામ વિસ્તાર, ઘરસાડા વિસ્તાર, શનિ મહારાજ મંદિર, પી.એન.બી બેંક વિસ્તાર, વઢવાણ ઝોન ઓફિસ વિસ્તાર, બ્રહ્મસમાજ સોસાયટી વિસ્તાર, સ્વામિનારાયણ મંદિર વિસ્તાર, બાલાસાગર તળાવ, દરગાહ વિસ્તાર, ભાવનગર રેલવે ફાટક વિસ્તાર, ત્રિમૂર્તિ સ્કૂલ વિસ્તાર, દેરાસર વિસ્તાર અને આર્ટસ કોલેજ રોડ વિસ્તારનો સમાવેશ કરવામાં આવેલો છે. ‘અમે રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરીએ છીએ’વોર્ડ નંબર-11ના ચામુંડાનગરમાં રહેતા કાંતિ દાના સોલંકીએ આક્રોશ સાથે જણાવ્યું કે, આ સોસાયટી બન્યાને લગભગ 15 વર્ષ થયા છે. રોડ-રસ્તા મુદ્દે 15 વર્ષથી અરજીઓ પર અરજીઓ કરવા છતાં હજી આ વિસ્તારમાં એકપણ પાર્ટી રસ લેતી નથી. માર્ચ મહિનો જતો રહ્યો અને અમે આમને આમ ઉલ્લુ બનીએ છીએ, પણ હવે કોઇ જાગો અને અમને રોડ રસ્તા આપો, પાણીની અને ગટરની વ્યવસ્થા આપો, ચોમાસાના ચાર મહિના સુધી કોઈ બાજુ જવાનો રસ્તો નથી, બાળકોને તકલીફ, મહિલાઓને તમામને તકલીફ પડી રહી છે. ‘રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત નહીં આપીએ’આ અંગે જોરાવરનગરના ભગવાન રાવળદેવે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં વર્ષોથી રોડની સુવિધા નથી, ચોમાસામાં એટલી બધી તકલીફ પડે છે કે, જેની કોઈ વાત ના થાય, પાણીમાં ટીંગાટોળી કરીને માણસોને લઈ જવા પડે છે. ચાલવામાં પણ બહુ જ તકલીફ પડે છે. માંખી અને મચ્છરનો ખુબ જ ત્રાસ છે. અમને રોડ બનાવી આપો, નહીં તો અમે કોઈને મત આપવાના નથી. ‘નાના છોકરાઓ માટે બાલ મંદિરની પણ સુવિધા નથી’આ અંગે આરતીબેન મકવાણાએ જણાવ્યું હતું કે, અમારે અહિં પાણી ભરાઈ રહે છે. આજુબાજુવાળા પાણી ઢોળે તો રોજ ઝઘડા થાય છે. આ વિસ્તારમાં 15 દિવસે એક વખત પાણી આવે છે. એમાંય 50 ટકા જેટલું પાણી તો કચરાવાળુ ગંદુ જ આવે છે. એ પાણી અમારે કેવી રીતે પીવું ? નાના છોકરાઓ માટે અહીં બાલ મંદિરની પણ સુવિધા નથી. બાલમંદિર માટે અમારે બાળકોને રેલવેના પાટા પાર કરીને જવું પડે છે. એ પણ સુવિધા કરાવો. અમારે પાણી વગર શું કરવું?આ અંગે લીલાબેન ડાભીએ જણાવ્યું હતું કે, અમારા ઘરના ભાઈઓ તો નોકરી અને કામ ધંધા માટે બહાર જતા હોય છે, તો અમારે પાણી વગર શું કરવું? બહારથી ટેન્કર મંગાવીએ તો એ રૂ. 500 લે છે. અમે મજૂરી કરીને ઘર ચલાવીએ છીએ. અહીં પાંચથી સાત દિવસે એક વખત પાણી આવે છે. અમને અહિં ખુબ તકલીફ પડે છે કોઈ સુવિધા નથી. મનપા બન્યા બાદ પણ વિવિધ મુદ્દે અનેક વખત રજૂઆતો કરી છેઆ અંગે ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા વિશાલ પરમારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, અમારા વોર્ડ નં 11માં છેલ્લા 15 વર્ષથી આજ દિન સુધી અહીં એકપણ પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો નથી કે ગટરની લાઈનની કોઈ સુવિધા આપવામાં આવી નથી અને સમયસર ક્યારેય પાણી આવ્યું નથી. સ્થાનિકોએ અનેક વખત નગરપાલિકા હતી ત્યારે પણ રજૂઆત કરી છે. ચૂંટાયેલા સભ્યોને સાથે રાખીને પણ રજૂઆત કરી છે. છેલ્લા દોઢ વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી, અને અધિકારીઓનું શાસન આવ્યું ત્યારે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ આ લોકોની દાનત નથી લાગતી કે, આ વિસ્તારને ડેવલોપ કરવો પડે, રોડ રસ્તા બનાવવા પડે, સમયસર પાણી આપવુ પડે અને ભૂગર્ભ ગટર આપવી પડે. વધુમાં જણાવ્યું કે, આ કોમન પ્લોટમાં બાબા સાહેબનુ સ્ટેચ્યુ આવેલું છે, ત્યાં 14મી એપ્રિલ આવવાની છે, ત્યારે અહીં બાબા સાહેબના સ્ટેચ્યુએ કાર્યક્રમ યોજાશે, પણ અહીં આવવાની કોઈ વ્યવસ્થા નથી. ચોમાસુ હોય અને અહીંના લોકોને એમ્બ્યુલન્સ બોલાવવી હોય તો અહીં નાની ગાડી પણ આવી શકતી નથી. ટીંગાટોળી કરીને દર્દીને દેવ પાર્ટી પ્લોટ સુધી લઇ જવો પડે છે. વધુમાં જણાવ્યું કે, હવે ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે, ત્યારે જે પણ ઉમેદવાર હશે એ તમામને કહીએ છીએ કે, આ વિસ્તારમાં કામ નહીં થાય તો આવનારા દિવસોમાં તમે ચૂંટાયા હશો તો પણ તમારા ઘરમાંથી બહાર કાઢીને આ વિસ્તારનું કામ કરાવવા અમે કટીબધ્ધ છીએ. આ વોર્ડમાં કેટલા મતદારો?સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વોર્ડ નં 11માં વર્ષ 2021માં પુરુષ મતદારો -7,803, સ્ત્રી મતદારો -7,254 મળી કુલ મતદારો -15,056 હતા. જે મહાનગરપાલિકા બન્યા બાદ આ વોર્ડ નં 11માં પુરુષ મતદારો-6,355, સ્ત્રી મતદારો - 5,576 મળી કુલ મતદારો - 11,931 થયા છે, એટલે કે આ વોર્ડમાં કુલ 3,125 મતદારોનો ઘટાડો નોંધાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગસુરેન્દ્રનગર મનપામાં જ્ઞાતિ મુજબ વસ્તી જોઈએ તો વોર્ડ નં 11માં કુલ 19,160 વસ્તી છે. જેમાં SCની વસ્તી-6,509, STની 111 અને OBCની વસ્તી 8,784ની છે. જયારે આ વોર્ડ નં 11માં બેઠક-1માં OBC સ્ત્રી અનામત, બેઠક-2માં સ્ત્રી અનામત, બેઠક-3માં SC અને બેઠક-4માં સામાન્ય વર્ગની બેઠક છે. અને આ વોર્ડ નં 11માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામવાનો છે.
ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં લઘુમતી વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવનાર AIMIM પાર્ટી દ્વારા જાહેર સભાથી પ્રચાર શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં લઘુમતી સમાજમાં પ્રભુત્વ ધરાવનારા પાંચ મહાનગરપાલિકાઓ 10 જેટલી નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 630 જેટલા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. આજે 4 એપ્રિલના રોજ અમદાવાદના ખાનપુર વિસ્તારમાં જે.પી ચોક ખાતે AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસી દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવશે. સાંજે 7 વાગ્યે યોજનારી જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશેરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 વોર્ડમાં મુસ્લિમ સમાજનું વધુ પ્રભુત્વ હોવાને લઈને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા 12 વોર્ડમાં 48 જેટલા ઉમેદવાર ઉભા રાખવામાં આવશે. ઓવૈસીની પાર્ટી દ્વારા આજથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવશે. અસદુદ્દીન ઓવૈસી અમદાવાદમાં ગુજરાતના નેતાઓની સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 7:00 વાગ્યાની આસપાસ ખાનપુરના જે.પી ચોક ખાતે જાહેર સભાને સંબોધન કરવાના છે. ગત વિધાનસભા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ખાનપુર ખાતે સભાને તેઓએ સંબોધન કર્યું હતું. ખાનપુર વિસ્તાર શાહપુર, દરીયાપુર અને જમાલપુર એમ ત્રણેય વોર્ડની બોર્ડર નો વિસ્તાર કહેવાય છે જેના કારણે આ વિસ્તારમાં જાહેર સભા રાખવામાં આવી છે. 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશેAIMIM પાર્ટીના ગુજરાતના પ્રમુખ સાબીર કાબલીવાલા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અસદુદ્દીન ઓવૈસી ગઈકાલે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા. આજે ગુજરાતના કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે જાહેર સભાને સંબોધન કરવાના છે. AIMIM પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકામાં 48 વોર્ડમાંથી 12 જેટલા વોર્ડ જેમાં જમાલપુર, શાહપુર, દરીયાપુર, ખાડિયા, બહેરામપુરા, દાણીલીમડા, લાંભા, મકતમપુરા, વેજલપુર, સરખેજ, ગોમતીપુર અને વટવા વોર્ડમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. AIMIM પાર્ટીમાં બે ઉમેદવારો અત્યારે નક્કી કરી દેવામાં આવ્યા છે જેમાં જમાલપુરમાંથી અફસાના બાનુ ચીસ્તી અને મકતમપુરા વોર્ડમાંથી ઝૈનબબીબીને ફરીથી ટિકિટ મળી શકે છે, જ્યારે જમાલપુર વોર્ડમાંથી જીત મેળવી કોર્પોરેટર બનેલા મોહમ્મદ રફીક ભાઈ હવે પાર્ટીમાં નિષ્ક્રિય છે અને તેમની જમાલપુર નથી લડવાની ઈચ્છા છે પરંતુ, અનામત રોટેશનના કારણે તેઓ લડી શકતા ન હોવાના કારણે ત્યાંથી તેમને ટિકિટ આપવામાં આવનાર નથી જ્યારે મુસ્તાક ખાદીવાલાએ AIMIM પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જેથી જમાલપુર વોર્ડમાંથી ફરીથી તેઓ ચૂંટણી લડશે નહીં જ્યારે બીનાબેન ચૌહાણને પણ ટિકિટ આપવામાં આવનાર નથી.
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત યોજાનારી સામાન્ય ચૂંટણીનો માહોલ હાલ ગરમાયો છે. ત્યારે વાપીના મતદારોનો મિજાજ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ વાપીના વોર્ડ નંબર 6 અને 7માં પહોંચી હતી. આ વખતે ચૂંટણીનો માહોલ જનતાની હાલાકી અને વેપારીઓના રોષથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાપીના હાર્દ સમાન આ બન્ને વોર્ડના મતદારો બ્રીજની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી ખુબ હાલાકી ભોગવી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજના કામને લઈ જનતાનો આક્રોશવોર્ડ નં. 6 અને 7ની સૌથી મોટી અને સળગતી સમસ્યા વાપી ઇસ્ટ અને વેસ્ટને જોડતો બ્રિજ છે. છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ બ્રિજ નિર્માણાધીન અવસ્થામાં છે. આ વિલંબને કારણે માત્ર ટ્રાફિકની સમસ્યા જ નથી સર્જાઈ, પરંતુ શહેરના બે ભાગ વચ્ચેનું સામાજિક અને આર્થિક અંતર વધી ગયું છે. સ્થાનિકોનો આરોપ છે કે, વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અથવા બેદરકારીને કારણે કામ કાચબા ગતિએ ચાલી રહ્યું છે. બ્રિજની કામગીરીને કારણે વાપીનું મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડ હાઈવે પર શિફ્ટ કરવામાં આવ્યું છે. આ નિર્ણયની સૌથી માઠી અસર ઝંડા ચોક અને આસપાસના બજાર પર પડી છે. બસ સ્ટેન્ડ ખસતા ગ્રાહકોની અવરજવર ઘટી ગઈ છે, જેના કારણે વર્ષો જૂના વેપારીઓનો ધંધો 50% થી 60% સુધી પડી ભાંગ્યો છે. નાના ફેરિયાઓ અને દુકાનદારો અત્યારે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. “સરકાર જમીનદારોના ફાયદા માટે બ્રિજ નથી બનાવતી”વાપીના વર્ષો જૂના રહેવાસી ઉમાશંકર યાદવે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, “મેં વાપીનો વિકાસ જોયો છે, પણ આ બ્રિજનું કામ કેમ અટકેલું છે તે સમજાતું નથી. અહીં કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી જવાબ આપવા તૈયાર નથી. મંત્રી કનુ દેસાઈ વારંવાર પેપરમાં નિવેદન આપે છે કે, કામ જોરશોરમાં ચાલુ થશે, પણ જમીન પર કંઈ દેખાતું નથી. મને લાગે છે કે સરકાર મોટા જમીનદારોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ નથી બનાવતી. જનતા હેરાન થાય છે, લોકોના ધંધા તૂટી ગયા છે, પણ તંત્રને પડી નથી. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જનતા આનો જવાબ ચોક્કસ આપશે.” બસ ડેપો શિફ્ટ થવાથી વેપાર પડી ભાંગ્યોસ્થાનિક વેપારી સંજય ભાવસારે બ્રિજને કારણે થતી આર્થિક નુકસાની અંગે જણાવ્યું કે, “વાપી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આવી રહી છે ત્યારે અમારા માટે સૌથી મોટો મુદ્દો આ ઓવરબ્રિજ જ છે. છેલ્લા ચાર વર્ષથી આ પ્રોજેક્ટ લટકી રહ્યો છે. જેથી અમારી રોજીરોટી પણ ખુબ જ અસર થઈ છે. બ્રિજનું કામ અને બસ ડેપો શિફ્ટ થવાને કારણે ઝંડા ચોક વિસ્તારનો આખો વેપાર પડી ભાંગ્યો છે. ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ છે. મારી પોતાની હાલત એવી થઈ છે કે ઘર ચલાવવા માટે વર્ષોની બચત પણ વપરાઈ ગઈ છે. જે લોકોએ આ પ્રોજેક્ટમાં મોડું કર્યું છે, તેમને મત આપતા પહેલા અમે સો વાર વિચારીશું.” ‘લોકો ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે’જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાદ બોગાએ જમાવ્યું કે, વાપી મહાનગરપાલિકાની આગામી જે ચૂંટણી આવી રહી છે, એમાં સૌથી મુખ્ય મુદ્દો જો વાપીનો હોય તો એ બ્રિજનો મુદ્દો છે. ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ જ્યારે તોડી પાડવામાં આવ્યો છે ત્યારથી લોકોને ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના લીધે ઘણા દુકાનદારોને પણ એનું નુકસાન થઈ રહ્યું છે. ઈસ્ટથી વેસ્ટ હોય કે વેસ્ટથી ઈસ્ટ જવાનું હોય, લોકો ગભરાય છે કે કલાક-બે કલાક ટ્રાફિકમાં નીકળી જાય છે, એના લીધે લોકોનો રોજગાર પણ તૂટી ગયો છે. લોકો હવે આવવાનું એવોઈડ કરે છે. ‘ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે’બીજો મુદ્દો વાપીમાં પાણીની સમસ્યા છે. હવે ગરમીની સીઝન શરૂ થશે એટલે બધાની બોરિંગો સુકાઈ જાય છે, જેથી સંપૂર્ણ ડિપેન્ડન્ટ બધાનું નગરપાલિકાની પાણીની સપ્લાય પર રહે છે. એ સપ્લાય સ્લો થઈ જાય છે અને લોકોને સમયસર પાણી ઓછું મળે છે, એટલે પાણીની સમસ્યા પણ વધી જાય છે. ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા જોવા મળે છે. ઘણા ડામરના રસ્તાઓ પીગળી ગયા, તો એ સારી ગુણવત્તાના રસ્તા બનાવવામાં આવ્યા નથી. મતદારો સ્થાનિક ઉમેદવારને પસંદ કરશે જે લોકોની વચ્ચે રહીને લોકોનું કામ કરે, ના કે કોઈ પાર્ટીમાંથી આવીને પાર્ટીના સિમ્બોલ પર મત માંગીને જીતી ગયા પછી ગાયબ થઈ જાય. પહેલા પણ એવું જોવા મળ્યું છે કે ઘણા એવા ઉમેદવાર હતા જે જીતીને આવ્યા પછી વિસ્તારમાં જોવા મળ્યા નથી. એટલે લોકો ઈચ્છે છે કે, એવા કેન્ડિડેટ હોય જે લોકોની વચ્ચે રહીને લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે. લોકોમાં ઉત્સાહની સાથે સાથે રોષ પણ છે. વાપીમાં ચોમાસા દરમિયાન જળબંબાકારની સ્થિતિ હવે નિયતિ બની ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલની લાઈનો નાખવામાં આવી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. નિકાલની વ્યવસ્થા હોવા છતાં સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાય છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર દેખાડો સાબિત થતી હોવાનું સ્થાનિકો માની રહ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 26 એપ્રિલે અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ વોર્ડ નં. 46 લાંભાના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો ત્યારે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશ દક્ષેશે કહ્યું કે, ચૂંટાયેલા કોર્પોરેટરો પાંચ વર્ષમાં પાંચ વાર પણ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં માત્ર કોર્પોરેટરોનો જ વિકાસ થયો છે, જ્યારે વોર્ડ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો છે. લાંભામાં આજે પણ સ્મશાન, લાઈબ્રેરી કે જિમ્નેશિયમ જેવી પ્રાથમિક વ્યવસ્થાઓનો અભાવ હોવાથી જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાલાંભા વોર્ડમાંથી વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે. મોટા ભાગના લોકો ત્યાંથી મુસાફરી કરતા હોય છે. પરંતુ આ વોર્ડના રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લાંભા વોર્ડમાં નારોલ, રંગોળીનગરમાં હાઈફાઈ ચાર રસ્તા, લાંભા બળિયાદેવ મંદિર, વટવા ટર્નિંગ પોઇન્ટ, માંડવી ચોક લાંભા ગામ વગેરે વિસ્તારો આવેલા છે. ટ્રાફીકની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 'લાંભામાં પાણીની ટાંકી, લાઇબ્રેરી કે જિમ્નેશિયમની કોઈ વ્યવસ્થા નથી'સ્થાનિક એડવોકેટ અરબાઝ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના ચાર કોર્પોરેટરોને પાંચ વર્ષમાં આજસુધી અમે જોયા નથી. પાંચ વર્ષથી સત્તામાં હોવા છતાં એ લોકો ક્યારેય વોર્ડમાં વિઝીટ કરવા પણ આવ્યા નથી. અમારા વિસ્તારમાં આવેલી કેનાલની આસપાસ કોઈ પણ પ્રકારની સેફટી ગ્રીલ બનાવવામાં નથી. અને ગંદકીને લઈને પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. 'પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં 5 વાર પણ આવ્યા નથી'સ્થાનિક યુવા દક્ષેશએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડમાં વિકાસ થયો જ નથી. અમારા કોર્પોરેટરોએ અહીં કંઈ ધ્યાન આપતા નથી. સવારમાં કોર્પોરેટર માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, પણ પાંચ વર્ષમાં કોર્પોરેટર અહીં પાંચ વાર પણ આવ્યા નથી. એક યુવાન તરીકે જોઉં તો અહીં લાઈબ્રેરી નથી, જીમ નથી કે લગ્ન કરવા માટે સરકારી હોલ પણ નથી. સામાન્ય જનતાને શું જોઈએ? અહીં રોડ, રસ્તા અને ગટર પણ નથી. રોડ બનાવવામાં આવે તો વરસાદ પહેલા રોડ બને છે અને વરસાદ પડે એટલે રોડ તૂટી જાય છે. 'ફક્ત ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે'સ્થાનિક દક્ષેશએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનો શું આ જ વિકાસ છે? મને તો એવું લાગે છે કે અહીં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના માણસોનો જ કોન્ટ્રાક્ટ છે. ભાજપના માણસો ખાલી સોસાયટીએ-સોસાયટીએ જશે, ખાત મુહૂર્ત કરશે, એમના 20થી 25 માણસો આવશે અને ખેસ પહેરીને ફોટા પડાવશે અને સોશિયલ મીડિયામાં મૂકશે. બાકી, બીજું કઈ કામ નહીં કરે. 'આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી'લાંભા વોર્ડ કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, લાંભા વોર્ડ વિશે પ્રોબ્લેમની વાત કરીએ તો લાંભા વોર્ડમાં કોઈ સમસ્યા નથી. સમસ્યામાં લાંભા વોર્ડ છે એવું લાગી રહ્યું છે. 2010થી આ વોર્ડનો સમાવેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કરવામાં આવ્યો છે. જ્યારથી આ વોર્ડ બન્યો છે ત્યારથી આ વોર્ડની અંદર કોઈપણ જાતનો વિકાસ અમે જોયો નથી. 'જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી'ઘનશ્યામભાઈ વધુમાં કહ્યું હતું કે, જે જે જગ્યાએ રોડ બનાવવામાં આવે છે એના બે મહિના બાદ એ રોડને ખોદી નાખવામાં આવે છે. રોજ રોજ ઉભરાતી ગટરો બનાવવામાં આવી છે. જ્યાં જ્યાં પાણીના નળ નાખ્યા છે ત્યાંથી પાણી જ આવતું નથી. 'રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં'વોર્ડ કોંગ્રેસ પ્રમુખે કહ્યું, લાંભા બે ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં કોઈ સ્થાનિક લોકો રહેતા નથી પરંતુ ત્યાં ટીપીના રોડ બનાવવામાં આવ્યા છે. સ્ટ્રીટ લાઈટ અને ગટરની વ્યવસ્થા પણ એ વિભાગમાં કરવામાં આવેલી છે. જ્યારે લાંભાનો બીજો વિભાગ જ્યાં પબ્લિક વસવાટ કરે છે એ જગ્યાએ કોઈ પણ પ્રકારના રોડ રસ્તા પાણીની સગવડ છે જ નહીં. આ વિસ્તારની અંદર જેટલા પણ ગામડા આવેલા છે એ ગામમાં હજી સુધી પીવાના પાણીની ટાંકી પણ નાખવામાં આવેલ નથી. હજી સુધી ત્યાં સ્મશાન પણ બનાવવામાં આવી નથી. પૂર્વ કોર્પોરેટરના ગોળ ગોળ જવાબસ્થાનિકોએ કરેલા આક્ષેપોના જવાબ માટે જ્યારે ભાસ્કરે લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલ સાથે વાત કરતાં તેને ગોળ ગોળ જવાબ આપ્યા હતા, તેના 5 વર્ષના કાર્યકાળના હિસાબો કરાવા લાગ્યા હતાં. 'મે 210 સોસાયટીઓમાં કામગીરી કરી છે'લાંભા વોર્ડના પૂર્વ કોર્પોરેટર ચાંદની પટેલે જણાવ્યું હતું કે, 210 સોસાયટીઓમાં પાણી, ડ્રેનેજ લાઇટ અને રસ્તાઓ માટે મારા બજેટમાંથી 5 વર્ષમાં મેં 1,44,98,659 જેટલું બજેટ ફાળવેલ છે. આ બજેટ 20 ટકા લેખે ફાળવવામાં આવે છે. સોસાયટીમાં આપણે સ્પોટ પર જોવા જઈએ તો 100 ટકા લેખે આ કામગીરી 7,24,93,295 રૂપિયાનું કામ થયેલું હોય.
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 16માં રાજકીય માહોલ ગરમાયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈ જંગલેશ્વર અને કોઠારીયા રોડ જેવા વિસ્તારોની સ્થિતિ જાણી ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે જનતાનો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અહીં 1400 મકાનોના ઐતિહાસિક ડિમોલિશન બાદ બેઘર થયેલા લોકોમાં શાસક પક્ષ સામે રોષ છે, તો બીજીતરફ નીલકંઠ પાર્ક અને મેહુલનગરમાં ગંદા પાણી, ઉભરાતી ગટર અને મચ્છરોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજી GIDC પાસે ખરાબ રસ્તા અને પુલના અભાવે જીવલેણ અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે, ત્યારે 'કામ કરશે તેને જ મત'ના મિજાજ સાથે મતદારોએ નેતાઓને આડેહાથ લીધા છે. આ તમામ સમસ્યાઓ વચ્ચે એક તરફ સત્તાધારી ભાજપ મંજુલાબેન જોષી ગાર્ડન, નવા રોડ-રસ્તા અને મંદિરોની સફાઈ જેવા વિકાસકામોના જોરે ફરી જીતનો દાવો કરી રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગંદા પાણીની સમસ્યા, ઉભરાતી ગટરો, વરસાદી પાણીનો ભરાવો અને આજી નદીના કાંઠે વકરેલા મચ્છરોના ત્રાસને મુદ્દો બનાવી મેદાનમાં ઉતર્યા છે. આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ખરાબ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી પરેશાન મતદારો આગામી ચૂંટણીમાં પક્ષને બદલે કામ કરનાર ઉમેદવારને પ્રાધાન્ય આપવાના મૂડમાં જણાઈ રહ્યા છે. વોર્ડમાં કોઈ સમસ્યા નથી, કોઈ સુવિધા ઘટતી હશે તે પુરી કરીશું: પૂર્વ BJP કોર્પોરેટરશહેરના વોર્ડ નં.16 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર રૂચીતાબેન જોશીએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા, લાઈટ, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન છે ત્યારે દરેક મંદિરોમાં સ્વચ્છતા જાળવવામાં આવેલી છે. આ ઉપરાંત મંજુલાબેન જોષી ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે, જ્યાં 100 જેટલા યુવાનો પોલીસ બનવા માટે પ્રેક્ટિસ કરે છે અને ત્યાં બાળકો માટેનું ક્રીડાંગણ પણ છે. આરોગ્ય કેન્દ્ર ખૂબ જ સારી રીતે ડેવલપ થયું છે. વોર્ડમાં તમામ જગ્યાએ પાકા રસ્તાઓ છે અને ડ્રેનેજની કોઈ સમસ્યા નથી. લોકોને હજુ પણ કોઈ સુવિધાઓ ઘટતી હશે તે પૂરી કરાવવામાં આવશે. 'પાંચ વર્ષમાં તમામ ગ્રાન્ટ વિકાસના કામોમાં વાપરવામાં આવી'જંગલેશ્વરમાં મકાનો તોડવામાં આવ્યા તે બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, કોઈનું જતું હોય તો તેઓમાં નારાજગી હોય તે આપણે પણ સમજી શકીએ છીએ. જોકે વર્ષ 1990માં ત્યાં TPનો રોડ ફાઈનલ થઈ ગયો હતો. જેથી આ ડિમોલિશન કરવામાં આવ્યું. જોકે તે શાંતિપૂર્ણ રીતે થયું છે. પાંચ વર્ષ દરમિયાન વિકાસ કામોમાં તમામ ગ્રાન્ટ વાપરવામાં આવી છે. મંદિરો, કોમન પ્લોટ સહિતમાં પતરાના શેડ પણ લગાવ્યા છે. 'અડધા લોકોના મકાન તૂટી ગયા છે અને બાકીના તોડી પાડશે'મહાનગરપાલિકા દ્વારા જ્યાં સરકારી જમીન પર દબાણરૂપ મકાનો તોડી પાડવામાં આવ્યા તે અંકુર સોસાયટીમાં રહેતા મરિયમબેને જણાવ્યું હતું કે, ખોખળદડના નદીકાંઠાના વિસ્તારમાં રહીએ છીએ. જ્યાં મકાનો તોડવા માટે આવ્યા નથી, પરંતુ ત્યાં પણ મકાનો તોડી નાખશે તેવું કહેવામાં આવી રહ્યું છે. લોકોના મકાનો તૂટી પડતા અહીં ખૂબ જ ગંભીર સમસ્યા થઈ ગઈ છે, અનેક લોકોના અડધા મકાનો પડી ગયા છે અને બાકીના મકાનો તોડી પાડવા માટે પણ નોટિસ આપવામાં આવી છે. 'RMCના સફાઈકર્મીઓ અનેક સોસાયટીમાં સફાઈ કરવા આવતા નથી'આ ઉપરાંત વોર્ડ નંબર 16માં રહેતા કિરણબેન ભુવડે જણાવ્યું હતું કે, અહીં અમારે છેલ્લા ઘણા સમયથી લાઇટ, પાણી અને ગંદકીની સમસ્યા છે. અહીં આવેલા જંગલેશ્વરમાં વોકળા ખૂલ્લા હતા. જેને લીધે પ્રાણીઓ તેમાં પડી જતા હતા અને જીવ ગુમાવતા હતા. જેથી વર્ષ 2022માં કોર્પોરેશનમાં અરજી આપી હતી. જે બાદ ત્યાં પતરા નાખવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓને પગાર આપવામાં આવે છે આમ છતાં પણ તેઓ અહીં આવેલી અનેક સોસાયટીઓમાં સફાઈ કરવા માટે આવતા જ નથી. જે બાદ ફરિયાદ કરવામાં આવે તો અઠવાડિયે એક વખત સફાઈ કરવા માટે આવે છે. 'પાણી, ડ્રેનેજ, લાઇટના પ્રશ્નોને પ્રાયોરીટી આપશે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું'અહીં 20 મિનિટ પાણી આપવામાં આવે છે જો કે ઉનાળામાં ખૂબ જ તકલીફ પડે છે. જેથી કોર્પોરેશને અડધો કલાક પાણી આપવું જોઈએ. અમારા પાણી, ડ્રેનેજ, લાઇટ જેવા કોમન પ્રશ્નોને પ્રાયોરીટી આપે તે પક્ષને અમે પ્રાયોરીટી આપીશું. અમારા વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે તે પણ મને ખ્યાલ નથી કારણકે તેઓ છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં આવ્યા જ નથી. પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડે તેમની પાસેથી બીજી શું આશા હોય: AAP પ્રભારી, વોર્ડ નં.16 વોર્ડ નંબર 16ના આમ આદમી પાર્ટીના પ્રભારી અને એડવોકેટ વિવેક લીંબસીયાએ જણાવ્યું હતું કે, અહીં નીલકંઠ પાર્ક, સાગર સોસાયટી, કેદારનાથ અને જંગલેશ્વર જેવા વિસ્તારો આવે છે. અહીં રહેણાંક વિસ્તારની સૌથી મોટી સમસ્યા પીવાનું પાણી, ગટર અને ગંદકીની છે. આ જ રીતે આજી GIDC અને સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ આવેલો છે. અહીં ખરાબ રસ્તાઓની સમસ્યા વર્ષોથી છે. રાજકોટના 30 વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી ન શકે તો તેમની પાસેથી બીજી શું આશા હોય શકે?. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ભાજપના પૂર્વ ચાર કોર્પોરેટર વિસ્તારમાં આવતા હોય તો લોકોને પ્રાથમિક સુવિધાઓની સમસ્યા ન હોય. અહીં આરોગ્ય કેન્દ્રમાં તબીબ તો સરકારી શાળામાં શિક્ષકોનો અભાવ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપની જે નિષ્ફળતા છે તેને સફળતામાં બદલવામાં વિઝન સાથે આમ આદમી પાર્ટી લોકો સમક્ષ જશે અને લોકોમાં પોતાનો વિશ્વાસ પેદા કરશે. વ્યવસ્થિત પૂલનું નિર્માણ થાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થશે: સ્થાનિક કોઠારીયા મેઈન રોડ ઉપર રહેતા મિલનભાઈ રૂપાવટીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં છેલ્લા 20 વર્ષથી પરિવાર સાથે રહીએ છીએ. અહીંના રસ્તાઓ સારા છે અને ખૂબ જ સારું મંજુલાબેન જોશી ગાર્ડન બનાવવામાં આવ્યું છે. અહીં રહેણાંક વિસ્તારમાંથી સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ સહિતના વિસ્તારમાં જવું હોય તો આજી નદીનો બેઠો પૂલ છે. જેને લીધે ત્યાંથી જવામાં તકલીફ પડે છે અને તેને કારણે હાઇવે પરથી રોંગ સાઈડમાં જવું પડે છે. જેને કારણે અકસ્માતોની ઘટના બને છે. જેથી વ્યવસ્થિત પૂલનું નિર્માણ થઈ જાય તો વેપારી વર્ગની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. 'ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે'સ્થાનિક જ્યોતિબેન પટેલે જણાવ્યું હતું કે, હું વોર્ડ નંબર 16માં છેલ્લા 35 વર્ષથી રહું છું. મારું પિયર વોર્ડ નંબર 17માં છે જેથી નાનપણથી જ આ વિસ્તારમાં રહું છું. અત્યારે જે મંજુલાબેન જોષી ગાર્ડન છે ત્યાં પહેલા ખુલ્લો પટ્ટ હતો. જેને કારણે ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. જોકે હવે તે સમસ્યા દૂર થઈ છે. અહીં પાણીની કોઈ સમસ્યા નથી. જોકે અહીંના લોકોનો સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણી ભરાઈ જવાનો છે. ચોમાસામાં થોડો પણ વરસાદ પડે તો અહીં પાણી ભરાઈ જાય છે, પાણી ઘરમાં ઘૂસી જાય છે જેને લીધે આખું ઘર પાણી પાણી થઈ જાય છે. જેથી વરસાદી પાણીનો નિકાલ લાવવામાં આવે તે અત્યંત જરૂરી છે, પરંતુ આ વખતે મત તો ભાજપને જ આપશું કારણકે અહીંના ભાજપ કોર્પોરેટરો રાત-દિવસ જોયા વિના અમારી પડખે ઊભા રહે છે. ચોમાસામાં વરસાદ આવે એટલે 80 ફૂટના રોડ પર પાણી ભરાઈ જાયનિવૃત શિક્ષક બળવંતભાઈ રામાવતે જણાવ્યું હતું કે, અહીં શિક્ષણની વ્યવસ્થા સારી છે. બાજુમાં જ હરિઓમ સ્કૂલ છે આ ઉપરાંત અન્ય બે ખાનગી સ્કૂલો પણ છે. રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન છે ત્યારથી વિકાસ તો અવિરત ચાલુ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો કોઈપણ સમસ્યાઓ હોય તો અહીંના કોર્પોરેટરો સ્વજન તરીકે અમારી સાથે ઉભા રહ્યા છે. જોકે અહીંનો અમૂક ભાગ સૂચિત રહી ગયો છે. જો કે તે કાયદેસર થાય તે માટે કોર્પોરેટરો મહેનત કરી રહ્યા છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવેલી છે. જોકે ચોમાસામાં વરસાદ આવે ત્યારે 80 ફૂટના રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. જે સમસ્યા દૂર કરવા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. 'વોર્ડ નં.16ના આ વિસ્તારોમાં ભાજપ સંપૂર્ણ નિષ્ફળ ગઈ'રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ દિપ્તીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, અહીં વોર્ડ નંબર 16માં મેહુલનગર, ગોવિંદનગર, નાડોદાનગર, જંગલેશ્વર, દેવપરા અને હુડકો સહિતના વિસ્તારો આવેલા છે. આ વોર્ડમાં ભાજપની સત્તા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. અહીં મચ્છરોનો ખૂબ ત્રાસ છે. મહાનગરપાલિકામાં અરજી કરવા છતાં પણ આ વિસ્તારમાં એક પણ વખત ફોગિંગ કરવા માટે કોઈ આવ્યું નથી. અહીં આજી નદીમાં ગાંડી વેલના કારણે મચ્છરોનો અસહ્ય ત્રાસ છે. અનેક વિસ્તારની સોસાયટીઓમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબતેમણે જણાવ્યું કે, આ વોર્ડમાં આવતા જંગલેશ્વર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ડિમોલિશન કરવામાં આવ્યું. રમઝાન માસની પણ પરવાહ કરવામાં ન આવી અને લોકોને બેઘર કરવામાં આવ્યા. હાલ ડિમોલિશન બાદ કાટમાળ એ જ સ્થિતિમાં પડ્યો છે. જેને લીધે અતિશય ગંદકી ફેલાઈ છે અને લોકોને રોગચાળાનો સામનો કરવો પડે છે. નાડોદાનગર, ન્યૂ સાગર સહિતની સોસાયટીઓમાં રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. સફાઈનો બહુ મોટો પ્રશ્ન છે અને ટીપરવાન સમયસર આવતી નથી. લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળેજો આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસની સત્તા આવશે તો જંગલેશ્વરમાં જે લોકોના મકાનો પડી ગયા છે તેઓને રહેવા માટે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવશે. તાજેતરમાં મેહુલનગરમાં પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી જતા લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. જ્યાં ટાઈફોઈડ અને મેલેરિયા જેવા રોગોનો ફેલાવો થયો છે તો લોકોને સારું પીવાનું પાણી મળે અને આરોગ્યની સુવિધા સારી મળે તેવા પ્રયત્નો રહેશે. પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નોનીલકંઠ પાર્ક શેરી નંબર 5માં રહેતા તસ્લીમબેને વધુમાં જણાવ્યું હતું કે, પીવાનું પાણી ઓછું આવે છે અને ચોમાસામાં ગટર ઉભરાવવાના પ્રશ્નો છે. અહીં સ્પીડ બ્રેકર નાખવા માટે ત્રણ વખત અરજી કરેલી છે આમ છતાં પણ કોઈ સ્પીડ બ્રેકર નાખવા આવતું નથી. થોડા સમય પહેલા અકસ્માતમાં એક ભાઈ મરતા મરતા બચી ગયા. જે લોકો સારું કામ દેખાડશે તેને મત આપશું. TPનો રોડ ભાજપના કોર્પોરેટરોએ મહા મહેનતે ખુલ્લો કરાવ્યોજ્યારે વાસુર બોરીચાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 16ના વિવેકાનંદનગર વિસ્તારમાં રહું છું. કોઠારીયા રોડ પર નંદા હોલ ચોકથી જંગલેશ્વરમાં ભવાની ચોક જતો રસ્તો છેલ્લા 18 વર્ષથી બંધ હતો. અહીંથી ટીપીનો 15 મીટરનો 50 ફૂટનો રોડ નીકળે છે. જે TPનો રોડ ભાજપના કોર્પોરેટરો દ્વારા મહેનત કરીને ખુલ્લો કરાવવામાં આવ્યો છે. હાલ આ રોડનું કામ ચાલુ છે જેથી જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોને દેવપરા કે સોરઠીયાવાડી ફરીને આવવું નહીં પડે. તેઓ સીધા કોઠારીયા રોડ પહોંચી શકે તે પ્રકારનો આ રોડ છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
સ્થાનિક સ્વરાજની ચૂંટણી:કચ્છની 5 નગરપાલિકામાં 1.70 લાખ મતદારોનો વિક્રમી ઘટાડો નોંધાયો
કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે, જેમાં આ વખતે 5 નગરપાલિકાઓની સાથે ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. વર્ષ 2021ની ચૂંટણીમાં અંજાર (36 બેઠક), ભુજ (44), ગાંધીધામ (52), માંડવી (36) અને મુન્દ્રા (28) એમ કુલ 196 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કુલ 4,29,450 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જોકે, વર્તમાન ચૂંટણીના ચિત્રમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગાંધીધામ હવે નગરપાલિકામાંથી અપગ્રેડ થઈને મહાનગરપાલિકા (મનપા) બની ગયું છે, જેના કારણે નગરપાલિકાઓની યાદીમાંથી ગાંધીધામની 52 બેઠકો બાદ થઈ છે અને તેની ખાલી પડેલી જગ્યાએ નખત્રાણા નગરપાલિકાનો નવો સમાવેશ કરાયો છે. નખત્રાણામાં 24 બેઠકો ઉમેરવામાં આવતા હવે પાંચ નગરપાલિકાઓની કુલ બેઠકોની સંખ્યા 172 થઈ છે, જ્યાં ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ગાંધીધામ મનપા બનતા તેના સીમાંકનમાં ધરખમ ફેરફાર થયો છે, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ કરાતા મતદારોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. વર્ષ 2021માં ગાંધીધામમાં 1,73,714 મતદારો હતા, જે આ વર્ષે વધીને 2,15,313 પર પહોંચી ગયા છે. આ નવા આંકડા મુજબ, ગાંધીધામ મહાનગરપાલિકામાં 1,12,250 પુરુષ મતદારો, 1,03,059 સ્ત્રી મતદારો અને 4 અન્ય મતદારો નોંધાયા છે. આમ, 2021ની સરખામણીએ નગરપાલિકા સ્તરે 24 બેઠકોનો ઘટાડો (196 સામે 172) થયો છે, પરંતુ ગાંધીધામ મહાનગરપાલિકામાં 41,599 જેટલા નવા મતદારો ઉમેરાતા કચ્છના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવ્યો છે. નખત્રાણાના નવા સમાવેશ અને ગાંધીધામના મનપા તરીકેના ઉદય સાથે કચ્છમાં લોકશાહીનો આ જંગ આ વખતે વધુ રસાકસીભર્યો અને વ્યાપક બને તેવી શક્યતા છે. વર્ષ 2021 અને 2026માં મતદારોમાં થયેલ ફેરફાર કચ્છ જિલ્લા પંચાયતની 2 બેઠક ઓછી થઇ પાંચ વર્ષમાં 98,495 મતદારોનો ઘટાડોકચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ હાલ સેન્સ પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ વખતે મતદારોના આંકડામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. વર્ષ 2021ની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો પર કુલ 10,75,380 મતદારો નોંધાયા હતા, જેમાંથી 6,80,156 લોકોએ મતદાન કરતા 63.25% મતદાન નોંધાયું હતું. જોકે વર્ષ 2026માં ગાંધીધામ મહાનગરપાલિકા બનતા અને SIRની કામગીરીને કારણે જિલ્લા પંચાયતની બે બેઠકો ઓછી થઈ છે. જેમાં મીઠી રોહર અને અંતરજાળનો સમાવેશ થાય છે. જેથી હવે આ વર્ષે 38 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ ફેરબદલને કારણે કુલ મતદારોની સંખ્યા ઘટીને 9,76,885 થઈ છે, જે ગત ચૂંટણીનીમાં 10,75380 હતી. સરેરાશ 98,495 મતદારોનો ઘટાડો દર્શાવે છે. આ ઘટાડા પાછળ મુખ્યત્વે ડુપ્લીકેટ મતોના નામ કમી કરવાની ઝુંબેશ અને નવા સીમાંકનમાં કારણે બે બેઠકો ઓછી થવી જેવા ફેરફારો જવાબદાર આવે છે. જાતિવાર આંકડા જોઈએ તો, 2021માં 5,57,444 પુરુષ અને 5,17,936 સ્ત્રી મતદારો હતા, જ્યારે 2026માં પુરુષ મતદારોની સંખ્યા 5,06,287 થઈ છે, જયારે સ્ત્રી મતદારોની સંખ્યામાં ઘટાડો થઈને તે 4,70,597 પર પહોંચી છે, આમ 50,557 પુરુષ અને 47,339 સ્ત્રી મતદારોનો ઘટાડો થયો છે.બે બેઠકોની સંખ્યા ઘટવાની સાથે મતદારોની યાદીમાં થયેલું આ શુદ્ધિકરણ આગામી ચૂંટણીના પરિણામો પર નિર્ણાયક અસર પાડી શકે છે. વર્ષ 2021 vs 2026માં મતદારોમાં થયેલ ફેરફાર
દાનની વર્ષા થઈ:લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાનને 80 લાખનું દાન
તાલુકાના દેશલપર ખાતે આવેલા લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન-સંસ્કારધામની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં હોવાથી, આગામી તા. 25થી 27-4 દરમિયાન ‘ત્રિદશાબ્દિ મહોત્સવ’ ની ઉજવણી કરવામાં આવનાર છે. આ મહોત્સવના સુદ્રઢ આયોજન માટે તજેતરમાં કેન્દ્રસ્થાન ખાતે એક અગત્યની સભા યોજાઈ હતી, જેમાં કચ્છભરના લક્ષ્મીનારાયણ મંદિરોના 600 જેટલા પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના મંત્રી કીરીટભાઈ ભગતે સૌને આવકાર્યા હતા. સંસ્થાના પ્રમુખ ગંગારામભાઈ રામાણીએ મહોત્સવની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહોત્સવ દરમિયાન રૂ. 12 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા અને 70 રૂમો તથા ભોજનાલયની અદ્યતન સુવિધા ધરાવતા ‘અતિથિભવન’ નું લોકાર્પણ કરવામાં આવશે. ત્રિદિવસીય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, વિષ્ણુયાગ અને સંતો-વિદ્વાનોના પ્રેરણાદાયી પ્રવચનોનું પણ આયોજન કરાયું છે. આ સભામાં દાનનો અદભુત મહિમા જોવા મળ્યો હતો. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ-નખત્રાણાના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી અને કેન્દ્રીય સમાજના મહામંત્રી અશોકભાઈ ભાવાણીએ મહોત્સવને સફળ બનાવવા સૌને તન, મન અને ધનથી જોડાવા હાકલ કરી હતી. સંસ્થાના મહામંત્રી ઈશ્વરભાઈ ભાવાણીની દાનની અપીલને ભારે પ્રતિસાદ મળ્યો હતો અને માત્ર અડધા કલાકમાં જ ભાવિકો દ્વારા રૂ. 80 લાખના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. આ ઉદાર યોગદાન બદલ ઉપપ્રમુખ કૌશલભાઈ લીંબાણીએ દાતાઓનો આભાર માન્યો હતો. જ્યારે કેન્દ્રીય યુવા સંઘના પ્રમુખ જગદીશભાઇ લીંબાણીએ યુવા સંઘ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. સંસ્કાર સંવર્ધન સમિતિના ચેરમેન રતિભાઈ પોકારે સંસ્થાની 30 વર્ષની કામગીરીને આલેખતો ‘સ્મૃતિગ્રંથ’ પ્રકાશિત કરવાની જાહેરાત કરી હતી. સભાનું સફળ સંચાલન ઈશ્વરભાઈ ભાવાણીએ કર્યું હતું, જેમાં એસએલવીપીના ચેરમેન પ્રો. કે.વી. પાટીદારનો સહયોગ સાંપડ્યો હતો. આ પ્રસંગે પૂજાભાઈ શીરવી, ડો. પ્રેમજીભાઈ ગોગારી, નારણભાઈ ચોપડા, પ્રેમજીભાઈ ભાવાણી, ઉપપ્રમુખ મોહનભાઈ ચોપડા, મંત્રી પ્રવિણભાઈ ધોળુ, શાન્તીલાલ નાકરાણી, બાબુભાઈ ચોપડા અને ખજાનચી ગંગારામ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુમ્બલે ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કરતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કચ્છના મતદારો આ વખતે પરિવર્તન લાવવા માટે તૈયાર છે. ગ્રામ પંચાયતોથી લઈ જિલ્લા પંચાયત સુધી વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગ્રામ પંચાયતોમાં 10થી 12 ટકા અને નગરપાલિકાઓમાં આશરે 40 ટકા સુધીની ટકાવારી જિલ્લાથી પ્રદેશ કાર્યાલય સુધી લેવામાં આવે છે. ભાજપના શાસનમાં અધિકારીરાજ આવ્યું, અમે લોક શાસન લાવશું. કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા 80 ટકા પૂર્ણ થઈ ગઈ છે તેમજ ઉમેદવારો માટે પણ સ્વચ્છ અને પ્રજા લક્ષી કામોને પ્રાધાન્ય આપે તેવા પસંદગીની વાત કરતા હુંબલે જણાયું કે, ભાજપા સરકારે વિકાસ કામો કર્યા તેમાં ગુણવત્તા ઘટી રહી છે અને તેનો રોષ સ્થાનિક સરપંચો તથા પંચાયતના સભ્યોને સહન કરવો પડી રહ્યો છે. ફરિયાદ કરનાર ગ્રામ પંચાયતોને વિકાસ કામોથી વંચિત રાખવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સિંચાઈ સહિતના કામોમાં માત્ર 20 ટકા જ રકમ વપરાય છે જ્યારે બાકીની રકમ ભ્રષ્ટાચાર દ્વારા વેરવિખેર થાય છે. ભાજપ સરકાર પંચાયતી રાજના અધિકારોને કમજોર બનાવી રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને યોગ્ય સત્તા મળતી નથી. વિકાસ કામોના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં પણ કોન્ટ્રાક્ટરો પાસેથી ખર્ચ વસૂલાતો હોવાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતો, યુવાનો અને મહિલાઓમાં ભાજપ વિરુદ્ધ નારાજગી વધતી હોવાનો દાવો કરીને કોંગ્રેસે સ્વચ્છ છબી ધરાવતા યુવાન ઉમેદવારોને તક આપવાની વાત કરી છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળશે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં સત્તા પ્રાપ્ત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સીમાંકનમાં વિસંગતતાઓ દેખાય છે ટકાવારી મુજબ ફેરફાર થવા જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમને ફાયદો થાય તે મુજબ ફેરફાર કર્યો છે. ખેડૂતો પર ખાનગી કંપનીના હિસાબે અત્યાચાર થાય તે પણ ખેડૂતો ભૂલશે નહીં શિક્ષકોની ઘટનુ સમાધાન માત્ર વાત કરવા પૂરતું જ છે. ઉમેદવારની યાદી 6 તારીખ સુધી તૈયાર થશેઆગામી ચૂંટણીમાં ઉમેદવારોની યાદી માટે જે પ્રક્રિયા થઈ રહી છે તે મહત્વનું કામ ક્યારે પૂર્ણ થશે અને યાદી બહાર પડશે તે અંગે તેમણે જણાવ્યું કે આવતી કાલે સેન્સ પ્રક્રિયા પૂરી થતાં ગુજરાત પ્રદેશ કાર્યાલય પરથી પેનલ દ્વારા નામો નક્કી કરવામાં આવશે, તે મુજબ યાદી તૈયાર થશે. તારીખ 6 એપ્રિલ સુધી ઉમેદવારો નું લિસ્ટ બની જશે. જોકે ફોર્મ તારીખ 11 એપ્રિલ સુધી ભરવાનું છે માટે ત્યાં સુધી ફેરફાર થાય કે ભાજપ કોઈ સબળ ઉમેદવારને આંચકી લે તો નવાઈ નહીં.
કચ્છના પ્રાચીન નગર ધોળાવીરાએ ફરી એકવાર પોતાની અનોખી જળવ્યવસ્થા દ્વારા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. સિંધુ ખીણ સંસ્કૃતિના આ પ્રાચીન મહાનગરની મુલાકાતે આવેલા જાણીતા લેખિકા અને રાજ્યસભા સાંસદ સુધા મૂર્તિ અહીના જળસંચય, ગંદા પાણીના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે ધોળાવીરાની જળસંરચનાઓ દર્શાવતો વિડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ ઐતિહાસિક સ્થળની પ્રશંસા કરી હતી. સુધા મૂર્તિના જણાવ્યા મુજબ, ધોળાવીરામાં એવી ચેનલો અને નાળીઓ બનાવવામાં આવી હતી કે જેથી વધારે પડતો વરસાદી પાણી રોકાઈ ન જાય અને યોગ્ય રીતે બહાર નીકળી જાય. આ રચના કારેઝ જેવી પ્રાચીન જળવ્યવસ્થાની જેમ છે. નાળાઓ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે જ નહીં, પરંતુ પાણીના સંગ્રહ, વિતરણ અને શુદ્ધિકરણ માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. વિશેષ વાત એ છે કે, અહીં લગભગ દરેક ઘરમાં શૌચાલયની સુવિધા હતી અને ત્યાંથી નીકળતો ગંદો પ્રવાહ નદી કે દરિયામાં ભળી પ્રદૂષણ ન ફેલાવે, અને ખાસ બનાવેલા નાળાઓ મારફતે શહેરની બહાર મોકલવામાં આવતો હતો. સાથે જ તેમણે કહ્યું કે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા દેશમાં 5 થી 7 હજાર વર્ષ જૂનું આવું નગર આજે પણ ગૌરવશાળી શહેર અડીખમ છે.
ફરિયાદ:નટવરનગરમાં પતિનો પત્ની ઉપર કાતરથી હુમલો
બગસરા તાલુકાના નટવરનગર વિસ્તારમાં ઘરેલુ ઝગડામાં પતિ દ્વારા પત્ની પર કાતરથી હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામા આવી છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, 29 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યે નટવરનગર વિસ્તારમાં કાજલબેન જગદીશ ડાભી (ઉ.વ.30) પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન તેમના પતિ જગદીશ કાળુભાઈ ડાભી સાથે બોલાચાલી થતાં તેણે અપશબ્દો આપી આજે તો તને મારી નાખવી છે તેવી ધમકી આપી હતી. આ દરમિયાન પતિએ ઘરમાં પડેલી કાતર લઇ કાજલબેન પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કાજલબેન ડાભીએ 2 માર્ચના રોજ બગસરા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સાવરકુંડલા શહેરની મધ્યમાં આવેલ તાલુકાના લોકોનું એકમાત્ર મુખ્ય ફરવા લાયક સ્થળ જનતા બાગની હાલમાં અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. પંડિત દિન દયાળ ઉપવન બગીચામાં હાલમાં ઘાસ ઝાડીઓ એટલી ઊભી થઈ ગઈ છે કે તેને જંગલ જેવું બનાવી દીધું છે. પાલિકા તંત્ર અને અગાઉના સતાધીશો દ્વારા જાળવણી કરવામાં ન આવતા લોકોં ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જનતા બાગમાં બાંકડા ઉપર બેસવાનું તો દૂર પણ ખડના હિસાબે પગ રાખવા માટે પણ જગ્યા મળતી નથી. આ સ્થિતિને કારણે સવારે વોકિંગ, વ્યાયામ અને શાંતિ માટે આવતા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના નાગરિકોને ભારે અસુવિધા ભોગવવી પડી રહી છે. સાવરકુંડલા શહેરમાં દોડધામ ભરેલા જીવનમાં જનતા બાગ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં લોકો કુદરતી વાતાવરણમાં ફ્રેશ થઈ શકે, ચાલી શકે, બેસી શકે અને મનને શાંતિ આપી શકે. રવિવારે તહેવારોના દીવસેં તેમજ રજાના દિવસોમાં બગીચો નાના મોટા સૌનું પ્રિય સ્થળ બને છે. હવે સફાઈના સંપૂર્ણ અભાવને કારણે આ સુંદર સ્થળમાં હેરાનગતિ પામી રહ્યા છે. જનતાબાગમાં લોકોને અને સિનિયર સીટીઝનો માટે સવારે વોકિંગ માટે ક્યાં ચાલવું તેવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. બાળકો અને વૃદ્ધો માટે આરામનું સ્થળ ક્યારે પુનઃસ્થાપિત થશે. ? શહેરીજનો દ્વારા સત્તાધીશો પાસે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. બગીચાની સાફ-સફાઈ, ઘાસ કાપણી, બાંકડા અને પગથિયાંની સુવિધા પુનઃસ્થાપના તથા નિયમિત જાળવણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.
આત્મહત્યા:એક આધેડે ઝેર પીધું તો યુવકે ગળાફાંસો ખાધો
વડીયા તાલુકાના તોરી ગામે 28 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું છે અને સાવરકુંડલામાં 56 વર્ષીય આધેડે દવા પી લેતા મોત થયું છે. તોરી ગામની સીમમાં સવારના સમયે 28 વર્ષીય નિકુંજભાઈ ભીખુભાઈ રાઠોડે અગમ્ય કારણો સર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. જે અંગે તેઓના પિતા ભીખુભાઈ નાથાભાઈ રાઠોડે જાણ કરતા વડીયા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સા.કુંડલામાં નૂરાનીનગરમાં રહેતા ઈકબાલભાઈ સૈયદ (ઉ.વ.56) એ બપોરે ત્રણ વાગ્યે કબ્રસ્તાનમાં જઈ કોઈ અગમ્ય કારણો સર દવા પી લેતા મોત થયું છે. આ અંગે તેમના દીકરા ઇમ્તિયાઝભાઇ ઈકબાલભાઈ સૈયદે જાણકારી આપતા સાવરકુંડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સહાનૂભૂતિ:ભુરખિયા હનુમાનજી મંદિરે માનવતાનું દ્રશ્ય
લાઠી નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે ચૈત્રી પૂર્ણિમા નિમિત્તે ઉજવાતા હનુમાન જન્મોત્સવના મેળામાં આ વર્ષે માનવતાનો સ્પર્શ કરતું દૃશ્ય જોવા મળ્યું હતું. મેંદરડા તાલુકામાં કાર્યરત એજ્યુકેશન ટ્રસ્ટના આશ્રિત અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકો દાદાના દરબારમાં પહોંચતા હજારો શ્રદ્ધાળુઓમાં કરુણા અને સહાનુભૂતિની લાગણી જગાવી હતી. ભુરખિયા હનુમાજી ખાતે આ મેળામાં આવેલા આ બાળકોને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિરના દર્શન પ્રવેશદ્વાર પાસે સંસ્થાને સ્ટોલ રાખવાની પરવાનગી આપવામાં આવી, જેથી દર્શન કરવા આવતા હજારો ભક્તો આ બાળકોને જોઈ શકે અને પોતાની ક્ષમતા મુજબ સહાય કરી શકે. આ સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી પોતે પણ અતિ ગંભીર પ્રકારના વિકલાંગ છે અને ચોપગા પશુની માફક ચાલે છે. છતાં તેઓ અતિ ગંભીર મનોદિવ્યાંગ બાળકોની સેવા, સંભાળ અને લાલન-પાલન માટે સતત પ્રયત્નશીલ રહે છે. મેંદરડા નજીકના સમઠીયાળા ગામથી આવેલા આ બાળકોને જોઈ ઘણા ભક્તોમાં કુતૂહલ સાથે કરુણાનો ભાવ જાગ્યો હતો. ઈશ્વરની અનોખી રચનાને નિહાળી અનેક લોકો અંતરથી પ્રેરાઈ સહાય માટે આગળ આવ્યા હતા. આ પ્રસંગે ઘણા શ્રદ્ધાળુઓએ કહ્યું કે આવી સેવા જોઈને ઈશ્વરની હાજરી દરેક જગ્યા પર હોવાનો અનુભવ થાય છે. ત્યારે ચૈત્રી પૂનમના પવિત્ર દિવસે ભુરખિયા હનુમાનજીના દરબારમાં માત્ર ધાર્મિક ભાવનાનો જ નહીં પરંતુ માનવતા, સેવા અને કરુણાનો પણ સંદેશ પ્રસરી ગયો હતો.
રાજ્યભરમાં રિવરફ્રન્ટ અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનો વેગ વધી રહ્યો છે ત્યારે સાવરકુંડલાની ઐતિહાસિક ઓળખ સમાન નાવલી નદીના કાંઠે એક ગંભીર સામાજિક અને આર્થિક સંકટ ઊભું થયું છે વર્ષોથી પરંપરાગત રીતે વેપાર કરતા પાલા ધારકો પર આજે વિસ્થાપિત થવાની તલવાર લટકી રહી છે. કોર્ટના નિર્ણય બાદ પ્રશાસન દ્વારા અપાયેલી બીજી નોટિસથી હજારો પરિવારોના ચૂલા ઓલવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. સાવરકુંડલાના રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીના વિસ્તારમાં સૂચિત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અત્યારે ભારે ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. શહેરના વિકાસ માટે રિવરફ્રન્ટ આવકાર્ય છે પરંતુ જે વિસ્તારમાં તેનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર અને સેંકડો પરિવારોની રોજીરોટી છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે આ પાલા હટાવવાથી અનેક પરિવારો રોજગારી વિહોણા થશે. જે તેમને શહેર છોડી અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર કરશે. સાવરકુંડલાના બુદ્ધિજીવીઓના મતે રિધ્ધિ સિધ્ધિ ચોકથી રઝકાપીઠ સુધીનો વિસ્તાર રિવરફ્રન્ટ કરતાં કોમર્શિયલ હેતુ માટે વધુ પ્રસ્તુત છે. સાવરકુંડલા એક મર્યાદાશીલ અને પરંપરાગત મૂલ્યો ધરાવતું શહેર છે. સતત ચહલપહલ વાળા વ્યાપારી વિસ્તારમાં રિવરફ્રન્ટનો મૂળ હેતુ સિદ્ધ થશે કે કેમ તે એક મોટો સવાલ છે. જાણકારોનું સૂચન છે કે તંત્રએ ફરીથી ફિઝિબિલિટી રિપોર્ટ કરાવી, રિવરફ્રન્ટના વિસ્તારને શહેરના ઉપલે કાંઠે વિસ્તરિત કરવા અંગે માંગણી કરી છે. જેના કારણે મુખ્ય વ્યાપારી કેન્દ્રને નુકસાન ન પહોંચે. સાવરકુંડલામાં રાજવી કાળમાં નેક નામદાર મહારાજા સ્વ. કૃષ્ણકુમારસિંહજીએ પ્રજાના રોટલા અને ઓટલાની રક્ષા માટે આ પાલા ધારકોને મંજૂરી આપી હતી. અમુક ધારક પાસે મહારાજા દ્વારા અપાયેલ તાંબા પત્ર જેવા દસ્તાવેજો પણ હોવાનું મનાય છે. ભૂતકાળમાં સ્વ. નવીનચંદ્ર રવાણી જેવા નેતાઓએ જેમના હિતોનું રક્ષણ કર્યું હતું. આ સંદર્ભે સાવરકુંડલામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં પાલા ધારકોએ જ્ઞાતિ અને સમાજના અગ્રણીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. સર્વાનુમતે તંત્રને જાહેર અપીલ કરવામાં આવી હતી કે શહેરની શોભા વધે તેની સામે વાંધો નથી, પરંતુ તે કોઈના મોઢાનો કોળિયો છીનવીને ન થવું જોઈએ. પાલા ધારકો છેલ્લા ત્રણ કે ચાર પેઢીથી અહીં વ્યવસાય કરીને પેટિયું રળે છે. ટાઢ, આકરો તડકો, ચોમાસા દરમિયાન નદીના પાણીના ભય સાથે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.
શિક્ષણ:આજથી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ: EWS કેટેગરીનો પણ સમાવેશ કરાયો
ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યા્ર્થીઓને ધોરણ 1માં આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ માટેની પ્રક્રિયાનો 4 એપ્રિલ શનિવારથી પ્રારંભ થશે લાયકાત ધરાવનારા https;/rte.orpgujarat.com વેબસાઈટ પરથી 14મી એપ્રિલ સુધી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે. શિક્ષણ વિભાગે વર્તમાન શૈક્ષણિક વર્ષથી આરટીઈની પ્રવેશ પ્રક્રિયામાં 13 અગ્રતા કેટેગરીમાં ઈડબ્લ્યુએસ કેટેગરીનો સમાવેશ કર્યો છે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. પ્રવેશમાં અમદાવાદ સહિતની રાજ્યની સ્કૂલોમાં આરટીઈ હેઠળની 25 ટકા પ્રવેશ પ્રક્રિયામાં વાલીઓ જે તે સ્કૂલમં સવારની અને બપોરની એમ બે પૈકીની એક અનુકુળ શિફ્ટ પસંદ કરી શકશે. શિક્ષણ નિયામક દ્વારા 2025-2026ના વર્ષ માટે અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના બાળકોના વાલીઓને માટે વાર્ષિક આવકની મર્યાદા 6 લાખની કરાઈ હતી. અગાઉના વર્ષોમાં ધોરણ 1 માટે ગ્રામ્ય વિસ્તાર માટે 1.20 લાખ રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1.50 લાખની આવક મર્યાદા હતી. આંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક 9થી 11માં કરાતા રિઝર્વ કેટેગરીને અગ્રતા મળશેઆંગણવાડીના બાળકો માટેનો ક્રમાંક બદલવામાં આવતા રિઝર્વ કેટેગરીના વાલીઓ-બાળકોને પ્રવેશમાં પ્રાધાન્ય મળશે. ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયામાં આંગણવાડીના બાળકો માટેનો અગ્રતા ક્રમાંક 9થી 11 કરાયો છે. જેના કારણે એસસી-એસટી-ઓબીસી-ઈડબલ્યુએસ કેટેગરીને અગ્રતા મળશે. 13 કેટેગરીમાં અગ્રતાક્રમ મુજબ પ્રવેશ અપાશેકુલ 13 કેટેગરી નક્કી કરાઈ છે. જેમાં અનાથ બાળકો, બાળ મજૂર, દિવ્યાંગ બાળકો, શહીદ જવાનના સંતાનો, બીપીએલ કાર્ડ ધારકોને અગ્રતાક્રમ બાદ એસસી, એસટી તેમજ ઈડબલ્યુએસ સહિતના વર્ગના બાળકોનો સમાવેશ. 25% મુજબ કુલ 9709 શાળામાં 84228 બેઠકો માધ્યમ સંખ્યા ગુજરાતી 41411 અંગ્રેજી 40262 હિન્દી 2235 અન્ય માધ્યમ 320 કુલ શાળાઓ 9709 વાલી, વિદ્યાર્થીના આ પુરાવા રજૂ કરવા જરૂરીઉંમર : પહેલી જૂન,2026ના રોજ બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ, રહેઠાણનો પૂરાવો. , વાલીનું જાતિનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર , પાસપોર્ટ સાઈઝના કલર ફોટો, વાલીનું આવકનું પ્રમાણપત્ર ,બીપીએલ-બાળકનું આધાર કાર્ડ, વાલીનું આધારકાર્ડ
પશ્ચિમમાં 10 સ્માર્ટ સિગ્નલ:આંબાવાડીમાં સિગ્નલ પર ઊભા રહેવાનો સમય 30 સેકન્ડ સુધી ઘટી ગયો
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ શહેરનું ટ્રાફિક મેનેજમેન્ટ હવે હાઈટેક બન્યું છે. પશ્ચિમ વિસ્તારનાં સૌથી વ્યસ્ત 10 મુખ્ય જંક્શનો પર હવે ટ્રાફિક પોલીસને બદલે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS) કમાન સંભાળી રહ્યું છે. આ સ્માર્ટ સિગ્નલ્સ હવે રસ્તા પર વાહનોની સંખ્યા જોઈને પોતાની મેળે નક્કી કરે છે કે કઈ તરફની વાહનોની લાઇન કેટલી સેકન્ડ ખુલ્લી રાખવી. ટ્રાફિક ડીસીપી નરેશ કણઝરિયાએ જણાવ્યું કે, સફળ ટ્રાયલ બાદ વધુ 50 જંક્શન પર આ સિસ્ટમ કાર્યરત કરાશે. હાલ આ 10 જંક્શન પર સિસ્ટમ કાર્યરતઆંબાવાડી સર્કલ, નહેરુનગર સર્કલ, શિવરંજની ચાર રસ્તા, જોધપુર ક્રોસ રોડ, સ્ટાર બજાર ત્રણ રસ્તા, ઈસરો ગેટ, શિવાનંદ આશ્રમ, રામદેવનગર, ઇસ્કોન ક્રોસ રોડ અને સીએન વિદ્યાલય જંક્શન. ITMSથી શું ફાયદો થશે? સમયની બચત: વાહનોની સંખ્યા મુજબ સિગ્નલ ચાલુ રહેતુ હોવાથી કારણ વગર ઊભા રહેવું નહીં પડે. ઇમરજન્સી વ્હીકલને રાહત: એમ્બ્યુલન્સ કે ફાયરબ્રિગેડને સેન્સર દ્વારા ઝડપી રસ્તો મળશે. મેનપાવર: ટ્રાફિક પોલીસ હવે સિગ્નલ ઓપરેટ કરવાને બદલે કાયદો-વ્યવસ્થા પર ધ્યાન આપી શકશે. નિયમ ભંગ: આઈટીએમસના કેમેરા જંક્શનનું સતત મોનિટરિંગ કરે છે. અંધારામાં પણ સ્પષ્ટ કેપ્ચર કરે છે. ITMS કેવી રીતે કામ કરે છે? : આ સિસ્ટમમાં લાગેલા સેન્સર રસ્તા પર વાહનોની લાઇન માપે છે. જો કોઈ રસ્તા પર ટ્રાફિક ઓછો હોય, તો ત્યાં ગ્રીન સિગ્નલનો સમય આપમેળે ઘટાડી દે છે અને જ્યાં વધુ ટ્રાફિક હોય ત્યાં ગ્રીન સિગ્નલનો સમય વધારી ટ્રાફિક ક્લિયર કરે છે. અગાઉ શું હતું અને હવે શું સ્થિતિ? આંબાવાડી સર્કલ | અગાઉ ટ્રાફિક ન હોય તો પણ 90 સેકન્ડ ઊભા રહેવું પડતું, હવે વાહનો ઓછાં હોય તો 30થી 60 સેકન્ડમાં જ સિગ્નલ ક્રોસ કરી શકાય છે. નહેરુનગર સર્કલ | અગાઉ BRTS, ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જવાનોએ સતત મેન્યુઅલ સંચાલન કરવું પડતું હતું. હવે સેન્સર નક્કી કરે છે કે કયો રસ્તો ખોલવો. શિવરંજની ચાર રસ્તા | પહેલાં 120 સેકન્ડથી વધુ સમય ઊભા રહેવું પડતું. આઈટીએમએસથી ટ્રાફિકનું ભારણ વધતા જ ગ્રીન લાઇટનો સમય આપોઆપ વધી જાય છે, જેથી એકસાથે વધુ વાહનો નીકળી જાય. જોધપુર ક્રોસ રોડ | પીક અવર્સમાં જામ રહેતો હતો. હવે સેન્સર લાઇનની લંબાઈ માપે છે. જો 500 મીટર લાંબી લાઇન હોય તો લાઇન અડધી ન થાય ત્યાં સુધી ગ્રીન સિગ્નલ ચાલુ રહે છે.
નજીવી બાબતે હત્યા:કોયારી ગામે 10 રૂપિયા વાપરવા નહીં અપાતાં ગળું દબાવી હત્યા
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કોયારી ગામે એક નજીવી બાબતે રોષે ભરાયેલ વ્યક્તિએ બીજાની હત્યા કરી નાખી કારણ હતું, એકે 10 રૂપિયા વાપરવા માગ્યા હતા. બીજા એ ના પાડતા હત્યા ની ઘટના બની તિલકવાડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગરુડેશ્વર ના કોયારી ગામના મૂળ વતની અને હાલ ભાદરવા ટેકરા ફળિયામાં રહેતા 41 વર્ષીય રાજેશભાઈ ધનજીભાઈ તડવી સવારે ભાદરવા સ્ટેન્ડ બાજુથી કરીયાણ લઇ ભાદરવા ગામ તરફ આવતા હોય આ સમયે ગામમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ઘમો ગણપત તડવી જે પણ ગામ બાજુ આવતો હોય ગામના ઝાપા પાસે ધર્મેન્દ્ર એ રાજેશભાઈ સાથે ભેગા થઇ જતા રાજેશ પાસેથી ધર્મેન્દ્ર એ વાપરવા માટે રૂપિયા 10 માંગતા રાજેશભાઈ એ આપવાની ના પાડી હતી જેથી ધર્મેન્દ્ર રોસે ભરાઈ ને રાજેશને આર.સી.સી.રોડ પ૨ પાડી દઈ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળાના ભાગે પગ મુકી ગળુ દબાવી દઈ મોત નિપજાવ્યું હતું. જે બાબત ની સ્થાનિકોએ પરિવાર ને જાણ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને ધર્મેન્દ્ર ભાગી ગયો હતો તિલકવાડા પી.આઈ એ.પી.સોલંકી તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ધર્મેન્દ્ર ગણપત તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોર્ટનો ચુકાદો:રાણીપુરામાં પત્નીને સળિયાના ઘા ઝીંકનાર પતિને આજીવન કેદ
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાણીપુરા ગામે વર્ષ 2024માં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેસન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પોતાની જ પત્નીની નિર્મમ હત્યા કરનાર પતિ રામસિંહ પોહ્લ્યા પાડવીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રામસિંહ પાડવી અને તેની પત્ની અરૂણાબેન વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો. 5 જાન્યુઆરી 2024ની રાત્રે પરિવાર જમી પરવારીને ઘરના આંગણે સૂતો હતો. મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે રામસિંહ અચાનક જાગ્યો હતો અને ઊંઘી રહેલી પત્ની પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ થતાં અરૂણાબેન લોહીલુહાણ થઈ ગયા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. આ કેસ નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને રાખી ન્યાયાધીશે આકરો ચુકાદો આપ્યો છે. સમાજમાં દાખલો બેસે તે રીતે પત્નીના હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. કેસમાં સરકારી વકીલ વંદના ભટ્ટે કોર્ટ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. તેમણે રજૂ કરેલા મેડિકલ રિપોર્ટ, પંચનામા અને સાક્ષીઓના નિવેદનોના આધારે પુરવાર થયું હતું કે, આરોપી રામસિંહ પોહ્લ્યાભાઈ પાડવીએ 5 જાન્યુઆરી 2024ની રાત્રે પૂર્વઆયોજિત કાવતરા મુજબ ઊંઘી રહેલી પત્નીના માથામાં લોખંડના સળિયાના ઘા ઝીંકી હત્યા કરી હતી.
ગઠિયાઓએ કરી હાથસફાઈ:દેડિયાપાડામાં વેપારીની ચેઇન બે વીંટી લઇને બે ગઠિયા ફરાર
દેડિયાપાડામાં ઘડિયાળની દુકાનમાં ઘુસેલા ગઠિયાઓ દુકાનદારની નજર ચુકવીને એક સોનાની ચેઇન અને બે વીટી લઇને ફરાર થઇ ગયાં હોવાની ઘટના સામે આવી છે. દેડીયાપાડા પટેલ ચાલીમાં રહેતા અને યાહામોગી ચોક પાસે શ્રીજી વોચ નામની ઘડિયાળની દુકાન ચલાવતા હસમુખ પટેલ પાસે બે ગઠિયાઓ ઘડિયાળ ખરીદવાના બહાને મળ્યાં હતાં. બે તારીખે સવારે 11 કલાક ના સમયે દુકાન પર હતા ત્યારે બે અજાણ્યા ઈસમો દુકાનમાં આવી ને નીલકટર માંગવા લાગ્યા. પછી વાત વાતમાં વેપારીને વિશ્વાસમાં લઈ ને તેમણે પહેરેલી ત્રણ તોલાની ચેન અને બે અડધા તોલાની બે વીટીઓ તેમની પાસેથી શરીર પરથી ઉતારાવી દીધી હતી. વેપારીની નજર ચૂકવીને બંને ગઠિયાઓ ચેઇન અને વીટી લઇને ફરાર થઇ ગયાં હતાં. જેની કિમંત 2.38 લાખ રૂપિયા થવા જાય છે. વેપારીએ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ટોળકીની મોડસ ઓપરેન્ડી શું હોય છે ? વેપારીઓ અને ખાસ કરીને જ્વેલર્સની નજર ચૂકવીને ચોરી કે છેતરપિંડી કરવા માટે ગઠિયાઓ ખૂબ જ હોશિયારીથી પ્લાનિંગ કરતા હોય છે. ગઠિયાઓ ઘણીવાર જૂથમાં આવે છે અને એકસાથે અલગ-અલગ દાગીના કે વસ્તુઓ જોવાની માંગ કરે છે. વેપારી જ્યારે એક ગ્રાહકને સંભાળવામાં વ્યસ્ત હોય, ત્યારે ટોળકીનો બીજો સભ્ય નજર ચૂકવીને દાગીના ખિસ્સામાં સરીકાવી લે છે.
TP સ્કીમ રદ કરવા આયોગને રજૂઆત:દાનહમાં TP સ્કીમથી આદિવાસીઓની જમીન- ધાર્મિક સ્થળોને જોખમ વધશે
સેલવાસના આમલી-બાવીસા ફળીયા ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અને ઓઆઈડીસી વેલુગામ યોજના રદ કરવાની માંગ સાથે પીડિત આદિવાસી પરિવારોએ દિલ્હી ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્ય સાથે મુલાકાત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને આદિવાસી એકતા પરિષદના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રભુ ટોકીયાના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે આ ગંભીર મુદ્દે રજૂઆત કરી હતી.બેઠક દરમિયાન પ્રભુ ટોકીયા અને અન્ય આગેવાનોએ આ યોજનાઓથી આદિવાસી સમુદાય પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, પ્રસ્તાવિત ભૂમિ અધિગ્રહણને કારણે સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત જમીન, ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ અને આજીવિકા જોખમમાં મુકાઈ શકે તેમ છે. આદિવાસી અસ્તિત્વની સુરક્ષા માટે આ યોજનાઓને તાત્કાલિક અસરથી રદ કરવા ભાર પૂર્વક માંગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળે આયોગના અધ્યક્ષને વિનંતી કરી કે તેઓ દાનહની મુલાકાત લઈ આદિવાસીઓની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરે. આયોગના અધ્યક્ષ અંતરસિંહ આર્યએ મામલાની ગંભીરતા સમજીને આ વિષયમાં યોગ્ય અને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાતમાં આદિવાસી એકતા પરિષદના ગજાનન બ્રાહ્મણે, વિજય પટેલ, ચેતન પટેલ, અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ કલાબેન ડેલકરે લોકસભાના સદનમાં પ્રશ્ન ઉઠાવ્યો:દાનહમાં વિકાસ કાર્યોની સાથે પારદર્શીતા અંગે ટકોર
દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોક સભાના સદનમાં આવજ ઉઠાવતા જાનહમાં અગાઉથી ચાલી રહેલ સ્માર્ટ સીટી પરિયોજનાના અધૂરા કાર્યોને પ્રાથમિકતાની સાથે પૂર્ણ કરવામાં આવે અને ત્યારબાદ નવી યોજનાને લાગુ કરવા જણાવ્યું હતું સાથે જ તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમને લઇ પ્રદેશના ખેડૂતો,જમીન માલિકો અને સ્થાનિક નિવાસીઓમા ભારે અસંતોષ હોય તેને રદ કરવા જણાવ્યું હતું. સ્માર્ટ સીટી પરિયોજનાઓ અંતર્ગત કેટલાક વિકાસના કામો શરુ કરવામાં આવેલા પરંતુ એમાથી કેટલાક કાર્ય હાલમાં પણ અધૂરા છે.જેનાથી જનતાને અપેક્ષિત સુવિધાઓ નથી મળી રહી. એમણે એ પણ કહ્યુ કે, જ્યા સુધી પહેલા શરુ કરવામાં આવેલા કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી યોજનાઓ શરુ કરવું યોગ્ય નથી કારણકે, એનાથી સરકારી સંસાધનો પર વધુ પડતો ભાર પડે છે અને વિકાસ કાર્ય અધૂરા રહી જાય છે. સ્માર્ટ સીટી યોજનાનો ઉદેશ્ય શહેરમાં આધુનિક સુવિધાઓ, સારા રસ્તાઓ, પાણીની વ્યવસ્થા, પાર્ક, બજાર, ડીજીટલ સેવાઓ અને સારી શહેરી વ્યવસ્થાપન ઉપલબ્ધ કરાવવાની છે.પરંતુ કેટલીક યોજનાઓ હજી પણ અધૂરી જ છે. જેથી એમણે સરકારને આગ્રહ કર્યો છે કે સ્માર્ટ સીટી મિશન અંતર્ગત જે પણ કાર્ય શરુ કરવામાં આવેલા એને સમય પર પૂર્ણ કરવામાં આવે જેથી જનતાને એનો સીધો લાભ મળી શકે અને પ્રદેશનો વાસ્તવિક વિકાસ થઇ શકે. આવનાર સમયમાં એ પણ જોવુ મહત્વપૂર્ણ છે કે પ્રશાસન ટાઉન પ્લાનિંગ સ્કીમ પર શુ નિર્ણય લે છે અને સ્માર્ટ સીટી યોજનાઓના અધૂરા કાર્યોને પૂર્ણ કરવા માટે કયા પગલા ઉઠાવવામાં આવે છે.
નદીમાં ડ્રેજિંગ કરાવવા સાંસદને લેખિત આવેદન:વલસાડના ભદેલીમાં જમીન ધોવાણ અંગે ગ્રામજનોમાં રોષ
વલસાડના ભદેલીજગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી ગામે ચોમાસામાં ભરતીના કારણે જમીનના થતાં ધોવાણ મુદ્દે ગામના અગ્રણીઓ દ્વારા સાંસદ ધવલ પટેલને આવેદન આપ્યું હતું.આ વિસ્તારમાં ચોમાસામાં નદીની રેલ અને ભરતીના કારણે આ પ્રશ્ન ઉકેલવા માગ કરવામાં આવી છે. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ભદેલી જગાલાલા અને ભદેલી દેસાઇ પાર્ટી વિસ્તારમાં ખેતીવાળી જમીનમાં નદી કિનારેથી ચોમાસાના દિવસોમાં થતું ધોવાણની સમસ્યા સર્જાઇ રહી છે.જેના કારણે ખેતી કરતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આ મામલે ગ્રામજનોએ સાંસદ ધવલ પટેલના કાર્યાલય ખાતે જઇને આવેદન આપી રજૂઆત કરી હતી.ગત વર્ષે પૂરના કારણે સાંસદે આ ગામમાં મૂલાકાત લીધી હતી તે બાબતે ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી.આ સાથે તેમણે આવેદનમાં જણાવ્યા મુજબ આ ગામના છેવાડે જમીન પાસેથી નદીની રેલ અને દરિયાની ભરતીના કારણે ચોમાસા દરમિયાન ધોવાણનો પ્રશ્ન વર્ષો જૂનો છે .કિનારે ગામ હોવાથી નાના ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે તેવી રજૂઆતો કરી નદીને ઉંડી કરવાની માગ કરી હતી.આ ધોવાણથી ખેતી નહિ થતાં નાના સિમાંત ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવતાં સાંસદ દ્વારા નદી ઉંડી જો કરાવવામાં આવે તો ચોમાસામાં પ્રવાહ દરિયા સુધી સરળતાથી થઇ શકે તેમ હોય આ કામગીરી માટે સાંસદ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.સાંસદ ધવલ પટેલે રહીશોની રજૂઆતો સાંભળી હૈયાધરપત આપી હતી.
મહિનાની વાતચીત:આરોગ્ય સેવા સાથે જોડાયેલી દષ્ટિ- વ્યક્તિગત મુદ્દા પર સુપ્રિન્ટેન્ડન્ટનો ઇન્ટરવ્યુ
ભાવનગર જિલ્લાના બોટાદ (હાલે બોટાદ જિલ્લો)ના વતની વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો. ભાવેશ ગોયાણી સિવિલમાં આવતાં હજારો દર્દીને દૈનિક સારવાર પૂરી પાડવાનું ટીમ-નેટવર્ક પોતાની વહીવટી કુશળતાથી સંભાળી રહ્યા છે. એસએસસી બાદ સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લઇ તબીબી સેવાની મંઝિલ સર કરવાના લક્ષ્ય સાથે આગળ વધતા ગયાં હતા.સર્વિસ બેઝ ધરાવતાં કુટુંબમાંથી આવતાં ડો.ભાવેશ ગોયાણી આરોગ્ય વિભાગ, સરકારી નિયમો અને નીતિને અનુસરી દર્દીઓની સેવા કરવા પ્રેરાયા હતા. સિવિલ હોસ્પિટલમાં નિમણૂંક પામી દર્દીઓની સેવાની ભાવના સાથે સફળતાથી આગળ ધપી યુથ માટે પરિશ્રમથી સફળતા પામવાનો પ્રેરણા સ્ત્રોત બન્યા છે. વલસાડ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પ્રોફેસર અને સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ ડો.ગોયાણી સાથે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિએ તેમની કારકિર્દીનું લક્ષ્ય, જીવનયાત્રા,દર્દીઓની મેડિકલ ટ્રીટમેન્ટનું મોનિટરિંગ, જીવનનો પ્રેરણા સ્ત્રોત,કૌટુંબિક જવાબદારી સહિત મુદ્દે રસપ્રદ પ્રશ્નોત્તરીના અંદાજે વાતચીત કરી જે માનવંતા વાચકો માટે અત્રે પસ્તુત છે. Q. જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક કોને માનો છો?A. માતા પિતાના સંસ્કારો અને બિમારીઓથી પિડાતા દર્દીઓની સારવારનો ખર્ચ વધી જતાં તેમની મજબૂરી નિહાળી હતી જે સરકારી મશીનરીમાં જોડાઇ મેડિકલ ક્ષેત્રે નોકરી મેળવી દર્દીઓની સેવા કરવાનો વિચાર સ્ફૂર્યો તે ક્ષણ જીવનનો મહત્વનો વળાંક હતો.વિદ્યાર્થી જીવનના ધો.12 પછી દર્દીઓની મેડિકલ સેવા માટેની ભાવના સરકારની આરોગ્યલક્ષી કામગીરીમાં જોડાવાની જીવન યાત્રાનો ભાગ બની. Q. મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિકલ સુપ્રિન્ટન્ડન્ટ બન્યા તો, શૈક્ષણિક સફર કેવો રહ્યો?A. 1995માં ધો.12માં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરી ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં એમબીબીએસ બનવાનો નિર્ણય કર્યો હતો.જેમાં સફળ થતાં મેરિટ બેઝ પર સરકારી સિવિલ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદમાં પ્રવેશ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું. સતત મહેનત અને ધગશથી એમબીબીએસ પાસ કર્યુ અને તેમાં પણ મેરિટ પર પ્રવેશ મેળવી એમડી રેડિયોલોજિસ્ટ અમદાવાદની કોલેજમાં કર્યું. બાદમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં શૈક્ષણિક ક્ષેત્રે ઝંપલાવવા પ્રોફેસરની ઉપાધિ મળી.પ્રથમ સુરતમાં આસિ.પ્રોફેસર અને બાદમાં એસોસિએટ પ્રોફેસરની પદવી મળી.જેમાં જીવનના 14 વર્ષનો સંઘર્ષ હતો. આ લક્ષ્ય પણ મેરિટ બેઝ પર પાર પાડી ઉચ્ચ પદવીની સિધ્ધિ પ્રાપ્ત થઇ. Q. સિવિલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આવતાં હજારો દર્દીની સારવારનો શક્તિ સ્ત્રોત શું છે?A. સુરતની સિવિલ હોસ્પિટલમાં નોકરી મળી અને તે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી ત્યારે વલસાડ ખાતે 400 તબીબી સ્ટુડન્ટની ક્ષમતા ધરાવતી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફરજ બજાવવા નિમણૂંક મળી. તબીબી વિદ્યાર્થીઓને ભણાવવા સહિતની જવાબદારી માટે 2012થી વલસાડમાં સિવિલ અને મેડિકલ કોલેજની વિશાળ હોસ્પિટલના મોટા કાફલા સાથે 11 વર્ષથી ફરજ બજાવવાનો આત્મવિશ્વાસ અને શક્તિનો મુખ્ય સ્ત્રોત દર્દીઓની સારવાર માટેની સંવેદનશીલતાનો છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:અસ્ટોલ ગામમાં પીવાના પાણીનું સંકટ કરોડોની યોજના છતાં ગ્રામજનો તરસ્યા
કપરાડા તાલુકાના અસ્ટોલ ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ફરી એકવાર સપાટી પર આવી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે કરોડો રૂપિયાની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે ગામના નામ પરથી બનાવી તેજ ગામમાં પાણી માટે લોકોના વલખા 586 કરોડની યોજના ગામમાંથી પસાર થતી હોવા છતાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી, જેના કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.હાલમાં તો દિવા તળે અંધારું જેવી સ્થતિ ઉભી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે રૂ. 586 કરોડના ખર્ચે અમલમાં મુકાયેલી આ મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ કપરાડા અને ધરમપુર તાલુકાના 175થી વધુ ગામો અને 500થી વધુ ફળિયામાં ઘરઘર નળ દ્વારા પાણી પહોંચાડવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. પરંતુ જમીનસ્તરે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. અસ્ટોલ ગામના ડુંગરપાડા, બીજાપાડા અને નીચલા ફળિયામાં હજુ સુધી પાણી પહોંચતું નથી. ગ્રામજનોને આશરે 2 કિલોમીટર દૂર આવેલા કૂવામાંથી પાણી લાવવા જવું પડે છે, જે રોજિંદા જીવન માટે મોટી મુશ્કેલી બની રહી છે. ગામના સરપંચ રાજુભાઈ નવસુભાઈ શીંગડા અને ડેપ્યુટી સરપંચ ગોપજીભાઈ લાનુભાઈ તેમજ અન્ય આગેવાનો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોના જણાવ્યા મુજબ ઘરઘર નળ યોજના હોવા છતાં મોટાભાગની પાણીની ટાંકીઓ બંધ હાલતમાં છે. પાણી નહી મળે તો ચૂંટણીનો બહિષ્કાર અસ્ટોલ ગામમાં આશરે 3 હજારની વસ્તી વસે છે, છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. તેમણે ચેતવણી આપી કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો આગામી ચૂંટણીમાં ગ્રામજનો મતદાનથી દૂર રહેશે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે કરોડોની આ યોજનાનો વાસ્તવિક લાભ લોકોને મળે અને અસ્ટોલ ગામમાં નિયમિત તથા સ્વચ્છ પાણી પુરવઠો તાત્કાલિક શરૂ કરાશે.> રાજુભાઈ શીંગાડા, સરપંચ
વિતરણ:પારનેરાના અધ્યાપકે આંગણવાડીના બાળકોને બિસ્કિટનું વિતરણ કર્યું
સફળતાનું શિખર ગમે તેટલું મોટું હોઈ, પણ મૂળ તો વતન ની માટી મા જ હોઈ ‘વતનનું વહાલ’ ગમે તેટલી ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિને પોતાની માટી સાથે જોડી રાખે છે. પારનેરા ના સેવાભાવી અધ્યાપક હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા એ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને પોતાના વતનની આંગણવાડીની મુલાકાત લીધી હતી. ભાવી ભારતના ઘડવૈયાઓ સાથે સંવાદ મુલાકાત દરમિયાન તેઓએ આંગણવાડીના નાના ભૂલકાઓ સાથે આત્મીયતાથી સમય વિતાવ્યો હતો. તેમણે બાળકો સાથે વાર્તાલાપ કર્યો અને રમત-ગમત દ્વારા તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આંગણવાડીના આ બાળકો જ ‘ભાવી ભારત’ના સાચા ઘડવૈયા છે. મુલાકાતના સ્મરણરૂપે અને બાળકો પ્રત્યેના સ્નેહભાવથી, અધ્યાપક દ્વારા તમામ બાળકોને ગ્લુકોઝ બિસ્કિટના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાના બાળકોના ચહેરા પરની નિર્દોષ સ્મિત જોઈને ત્યાં ઉપસ્થિત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પણ આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું. આપણે આપણા વતનના બાળકોના શિક્ષણ અને પોષણ માટે થોડો પણ ફાળો આપી શકીએ, તો તે આપણા માટે સૌભાગ્યની વાત છે. આ પ્રેરણાદાયી પહેલ દ્વારા તેમણે સમાજને સંદેશ આપ્યો છે કે પ્રત્યેક વ્યક્તિએ પોતાના વતન અને શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા રહીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ.
સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 30માંથી 18 ગેટનું રિપેરિંગ કરવામાં આવશે. આ માટે 15 એપ્રિલથી સાબરમતી નદી ખાલી કરાશે. સાથે સાથે સુભાષબ્રિજના જૂના સ્પાન તોડી નવા સ્પાન માટે જરૂરી કામગીરી શરૂ કરાશે. 60 દિવસના સમયમાં મહત્તમ કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક આપવામાં આવે છે. મ્યુનિ. દ્વારા 90 લાખથી 1 કરોડ લીટર જેટલા પાણીનો જથ્થો આગળ છોડી દેવાશે. અગાઉ જે રીતે નદી ખાલી કરતાં તેમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું તે પ્રકારનું સફાઇ અભિયાન આ વખતે થવાની શક્યતા દેખાતી નથી. 15 એપ્રિલથી ગેટ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જે કામગીરી 60 દિવસમાં પુર્ણ કરવી પડશે. કેમકે 15મી જુનથી ચોમાસુ શરૂ થઇ જાય તેમ કહી શકાય. નદી ખાલી થતાં આસપાસના 2થી 3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોએ અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડશે. આ રીતે ગેટ રિપેર કરાશેક્રેન દ્વારા ગેટને હીંજ પરથી કાઢવામાં આવશે. સાઇટ પર જ ગેટમાં કોઇ ક્ષતિ હોય તો તેને રીપેર કરવામાં આવશે. ગેટનું અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ થશે. પ્લેટ અને રિબ્સને રિપેરિંગ કરાશે. પાણી લીકેજ અટકાવવા સાઇડ સીલ અને બોટમ સીલને બદલાશે. ગેટ પર એન્ટિ કોરોશન કોટિંગ કરાશે. ગેટને રિઇન્સ્ટોલ કરીને તેનું ટેસ્ટિંગ કરાશે.
કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થયેલા રૂ.220ના તોતિંગ વધારાએ ગુજરાતના હોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગની કમર તોડી નાખી છે. ખાસ કરીને અમદાવાદમાં ગેસ બોટલ પર આધારિત નાની અને મધ્યમ રેસ્ટોરાંએ મેનુમાં 5થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, વધેલા ખર્ચને પહોંચી વળવા માટે ચાની કિંમતમાં રૂ.2 થી રૂ.5 અને થાળી કે પંજાબી ડિશમાં રૂ.20થી રૂ.50 સુધીનો વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મોટી હોટલો જ્યાં પાઇપલાઇન (PNG) સુવિધા છે ત્યાં ભાવ યથાવત હોવાથી નાના વેપારીઓ માટે અસમાન સ્પર્ધા ઊભી થઈ છે. મંદીના માહોલમાં ભાડું, સ્ટાફનો પગાર અને હવે મોંઘા ગેસને કારણે વેપારીઓ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. કેટલીક હોટેલ-રેસ્ટોરાંના સંચાલકોનું કહેવું છે કે, કાચો માલો શાકભાજી, તેલ અને અન્ય મસાલાના ભાવ વધવાના કારણે મેનુ રિવાઈઝ કરવું અનિવાર્ય બન્યું છે. તેમજ ભાડું અને મજૂરોની અછતના કારણે વધેલા પગાર ખર્ચને સરભર કરવા ભાવ વધારો જરૂરી બન્યો છે. પાઈપલાઈન ગેસ ધરાવતી હોટેલોએ વધારો કર્યો નથીહોટલ અને રેસ્ટોરાં ઉદ્યોગ હાલ મંદીમાં ચાલી રહ્યો છે, તેથી ભાવ વધારો કરવો પોસાય તેમ નથી. છતાં ગેસ બોટલનો ઉપયોગ કરતા વ્યવસાયકારો માટે ખર્ચ વધવાથી અમુક વસ્તુઓમાં 5થી 10 ટકા વધારો કરવો મજબૂરી બની છે. જ્યારે પાઇપલાઇન ગેસ ધરાવતા હોટલોમાં આ વધારો લાગુ પડતો નથી. - નરેન્દ્ર સોમાણી, પ્રમુખ, ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન
મેમાં અમદાવાદથી દિલ્હી, વારાણસી, પટના, હરિદ્વાર જતી ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ છે. અનેક ટ્રેનોમાં બુકિંગ સમયે ‘રિગ્રેટ’ બતાવી રહ્યું છે. રેલવેમાં કન્ફર્મ ટિકિટ ન મળતા મુસાફરો ફ્લાઇટ તરફ વળ્યા છે, જેના કારણે દિલ્હી સહિતનાં શહેરોમાં વિમાન ભાડાં સામાન્ય કરતાં બે ગણા સુધી વધી ગયા છે. મેમાં હરિદ્વાર જતી ટ્રેનોમાં સ્લીપર ક્લાસમાં વેઈટિંગ લિસ્ટ 241 સુધી પહોંચી ગયું છે. બરૌની અને પુરી જતી ટ્રેનોની તમામ શ્રેણીમાં ‘રિગ્રેટ’ મેસેજ આવી રહ્યો છે, એટલે કે હવે ત્યાં વેટિંગ ટિકિટ પણ ઉપલબ્ધ નથી. ઉત્તર ભારત તરફ જતી 16થી વધુ ટ્રેનોમાં સરેરાશ વેઈટિંગ 100થી ઉપર ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં હોલિડે સ્પેશિયલની જાહેરાતઅધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં વધુ હોલિડે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ રૂટ પર અચાનક મુસાફરોની સંખ્યા વધી જશે, તો ‘ટ્રેન ઓન ડિમાંડ’ મુજબ તાત્કાલિક અસરથી તે જ દિવસે ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે. ‘વિકલ્પ’ સ્કીમનો ઉપયોગ કરો : ટિકિટ બુક કરતી વખતે આ ઓપ્શન પસંદ કરો. જો તમારી ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ નહીં થાય, તો તે જ રૂટની બીજી ટ્રેનમાં ખાલી બર્થ હશે તો સીટ મળી શકે છે. ચાર્ટ તૈયાર થયા બાદ સ્ટેટસ ચેક કરો : પ્રથમ ચાર્ટ બન્યા પછી ક્વોટાની ખાલી બેઠકો સામાન્ય મુસાફરો માટે ખોલવામાં આવે છે. IRCTC એપ પર ‘ચાર્ટ વેકેન્સી’માં જઈને ખાલી બર્થ જોઈ શકાય છે. કનેક્ટિંગ ટ્રેન: જો સીધી ટ્રેનમાં ટિકિટ ન મળે તો રતલામ, કોટા કે મથુરા સુધીની ટિકિટ લઈ આગળની કનેક્ટિંગ ટ્રેનનો વિકલ્પ તપાસવો. અમદાવાદથી વિવિધ શહેરો માટે વેઇટિંગ શહેર સ્લીપર થર્ડ એસી સેકન્ડ એસી ટ્રેન દિલ્હી 100 111 29 16 વારાણસી 95 62 26 17 પટના 95 62 25 9 બરૌની રિગ્રેટ રિગ્રેટ રિગ્રેટ 4 મુજફ્ફરપુર 100 62 29 3 પુરી 115 69 રિગ્રેટ 6 હરિદ્વાર 241 139 122 2 વિવિધ શહેરો માટે વધેલાં ફ્લાઇટ ભાડાં શહેર રેગ્યુલર ભાડું વધેલું ભાડું દિલ્હી 4 હજાર-5 હજાર 10 હજાર-12 હજાર લખનઉ 5 હજાર-6 હજાર 8 હજાર-10 હજાર વારાણસી 5 હજાર-6 હજાર 7 હજાર-8 હજાર
સરકાર જાગી:અસલી કે એનાલોગ પનીરનું બોર્ડ હોટેલ-રેસ્ટોરાંએ લગાવવું પડશે
રાજ્યમાં પામોલીન ઓઈલમાંથી બનતા ‘એનાલોગ પનીર’ના વધતા વ્યાપ સામે સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આદેશ આપ્યો છે કે હવેથી દરેક હોટેલ-રેસ્ટોરાંમાં પીરસાતું પનીર અસલી છે કે એનાલોગ, તેનું સ્પષ્ટ બોર્ડ લગાવવું પડશે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વિપુલ રાણાના જણાવ્યા મુજબ, ફૂડ સેફ્ટી એક્ટ-2006 હેઠળ માહિતી છુપાવનાર એકમોને રૂ.2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં રૂ.1.80 કરોડની કિંમતનું 45 હજાર કિલો નકલી પનીર ઝડપાયું છે, જેમાં અમદાવાદના માધુપુરા અને ઓઢવ મુખ્ય કેન્દ્રો બન્યા છે. સસ્તું હોવાથી તેનો ઉપયોગ વધ્યો છે, પરંતુ ગ્રાહકોને તેની જાણકારી આપવી હવે કાયદેસર રીતે અનિવાર્ય છે. નકલી પનીરથી બ્લડ પ્રેશર સહિતની બીમારીનો ખતરોદૂધના ફેટને બદલે સસ્તું પામોલીન ઓઈલ, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને કેમિકલ ઈમલ્સિફાયરના મિશ્રણથી બને છે. તેમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધુ હોવાથી હાર્ટ એટેક, બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધે છે.
કરુણાંતિકા સર્જાઈ:નવસારીમાં પિતાની જ કારની અડફેટમાં આવતા પુત્રનું મોત
નવસારીના છાપરા ગામે પિતાએ જ અજાણતામાં પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સ લેતા અથવા હંકારતા પોતાના 2 વર્ષના માસૂમ પુત્રને અડફેટમાં લીધું હતું. કાર અડફેટમાં આવતા પુત્રનું મોત નિપજ્યું છે. નવસારી રૂરલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગત 1 એપ્રિલના રોજ રાત્રે આશરે 9.30 વાગ્યે છાપરા રોડ પર આવેલી ખોડીયારનગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અબ્રામા ગામે રહેતા ભાવિનભાઈ ગોવિંદભાઈ પટેલ પોતાની કાર (નં. GJ-21 Y-9396) ચલાવી રહ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાની કાર ગફલતભરી રીતે રિવર્સમાં લેતા અથવા હંકારતા પોતાના જ 2 વર્ષીય પુત્ર રીશીવને અડફેટમાં લીધો હતો. અકસ્માતમાં રીશીવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાને પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતક બાળકના મામા હાર્દિકભાઈ પટેલે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભાવિનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ પીએસઆઇ એમ.એલ. સૈયદે હાથ ધરી છે.
વેધર રિપોર્ટ:બપોરમાં 35 ડીગ્રી તાપમાન,સવારે 93% ભેજથી ઉકળાટ
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) દ્વારા જાહેર કરાયેલા 3 એપ્રિલ 2026ના હવામાન મુજબ શહેરમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ નોંધાયું છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા ગરમીનો અનુભવ થયો હતો, જ્યારે રાત્રે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ઊંચું રહી 93 ટકા સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ગરમી સાથે ભેજનો ઉકળાટ અનુભવાયો હતો. જોકે સાંજે ભેજ ઘટીને 38 ટકા રહેતાં વાતાવરણમાં થોડી રાહત મળી હતી. પવન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતો રહ્યો હતો અને તેની ગતિ 4.4 કિમી પ્રતિ કલાક નોંધાઈ હતી, જેનાથી વાતાવરણ સામાન્ય રીતે સ્થિર રહ્યું હતું. હાલના હવામાનને જોતા આગામી દિવસોમાં ગરમી યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ભેજના ફેરફારને કારણે લોકોને દિવસ દરમિયાન ઉકળાટ અને સાંજે થોડી રાહત અનુભવાઈ શકે છે.
કરુણાંતિકા સર્જાઈ:હાંસાપોરના તળાવમાં નાહવા પડેલા વિજલપોરના કિશોરનું ડૂબી જતા મોત
જલાલપોર તાલુકાના હાંસાપોર ગામની સીમમાં આવેલ તળાવમાં નાહવા પડેલા વિજલપોરના 17 વર્ષીય કિશોરનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. વિજલપોરની એપ્પલ રેસિડેન્સીમાં રહેતો આયુષ ઉર્ફે ટપ્પુ જતિનભાઇ કોસાડીયા (ઉ.વ. 17) ગત 2 એપ્રિલના રોજ સાંજના સમયે તેના મિત્ર રાજ સાથે હાંસાપોર ગામની સીમમાં સર જે.જે. સ્કૂલની સામે નહેર પાસે આવેલા તળાવે ગયો હતો. સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં આયુષ તળાવના પાણીમાં નાહવા માટે પડ્યો હતો પરંતુ પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે મૃતકના મિત્ર રાજે વિજલપોર પોલીસ મથકે જાણ કરી હતી. મૃતક આયુષે ધો-12ની પરીક્ષા આપી હતી મૃતક આયુષ હાલમાં જ ધોરણ-12ની પરીક્ષા આપી હતી. તેમના પિતા જતીનભાઈ કોસડિયા વિદેશ નોકરી કરતા હોવાની માહિતી મળી છે. એક વર્ષ પહેલા જ એપ્પલ રેસિડેન્સીમાં રહેવા આવ્યા હતા. મૃતક આયુષ તેના મિત્રની બર્થડે હોય ફરવા ગયા હતા. પિતા વિદેશ નોકરી કરતા હોય શનિવારે ભારત આવનાર હોવાની માહિતી મળી છે. મનપા ક્યારે જાગશે? હાંસાપોર તળાવની ફરતે સુરક્ષા કે ચેતવણીના બોર્ડ જ નથીહાંસાપોર તળાવ ઊંડું હોય કિનારે ભયજનક અને ચેતવણી માટે કોઈ બોર્ડ પણ મૂક્યા ન હોવાની માહિતી સાંપડી છે. હાલમાં ઉનાળો હોય બાળકો પાણીમાં નાહવા માટે આવતા હોય કોઈ દુર્ઘટના ન થાય તે માટે મનપાએ બોર્ડ મૂકવું જોઈએ એવી લોકમાંગ ઉઠી છે.
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર-6માં આવેલા ભેંસત ખાડાથી વિરાવળ જકાતનાકા તરફ જતાં રિંગરોડ પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા વિકરાળ બની રહી છે. આ વિસ્તારમાં આવેલી વરસાદી ગટર લાઇન વર્ષોથી અપૂરતી અને ક્ષતિગ્રસ્ત હોવા છતાં મહાનગર પાલિકા દ્વારા હજુ સુધી કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં ગટરના પાણી ઉભરાઈને રોડ પર અને નીચાણવાળા ઘરોમાં ઘૂસી જાય છે, જેના કારણે લાખોનું નુકસાન થાય છે અને રોગચાળો ફેલાવાનો ભય રહે છે. ઉનાળો પૂરો થવા આવ્યો હોવા છતાં મનપા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. જો સમયસર ગટર લાઈનનું નવિનીકરણ કે સફાઈ કરવામાં નહીં આવે, તો આ વર્ષે પણ ચોમાસામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે તે નક્કી છે. તંત્ર વહેલી તકે જાગે અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન જ્યારે પણ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે સૌ પ્રથમ શહેરમાં આ ભેંસતખાડા વિસ્તારના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થાય છે અને ગણતરીના કલાકોમાં જ આખો વિસ્તાર પાણીમાં ગરક થઇ જવા પામે છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ખાનપુરમાં વાને બાઇકને અડફેટે લેતા બાઇક ચાલકનું ગંભીર ઇજાથી મોત
વાંસદા તાલુકાના ખાનપુર ગામ પાસે ધરમપુર તરફથી બાઈકનો હપ્તો ભરીને ઘરે પરત ફરતા હતા ત્યારે મારૂતિ વાન ચાલકે અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા છાતી તથા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં વધુ સારવાર માટે વલસાડ સિવિલમાં લઈ જતા રાત્રીના સમય ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. વાંસદા તાલુકાના ખાનપુર ચાર રસ્તા પાસેથી વધઈ તાલુકાના બોર દહાલ ગામે રહેતા રામચંદ્ર લક્ષ્મણ ભાઈ ભોંયે ઉમ્ર 20 વર્ષ એ ડ્યુક બાઇક નંબર જીજે.15. ઇડી.6915 લઈને ધરમપુર ગામે બાઈકનો હપ્તો ભરીને ત્યાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન મારુતિ વાન નંબર જી.જે.15. PP. 5254 નો ચાલક પ્રવીણ ઝીણાભાઇ પવાર (રહે.ધોલાર રાનપાડા ફળિયું તાલુકો ચીખલી)એ બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ થતા પ્રથમ ધરમપુર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં રામચંદ્ર ભોંયેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મરનારના ભાઈ સુનિલ ભોંયેએ મારુતિવાન ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અચાનક બનેલી ઘટનાએ યુવાનનો જીવ લીધો હતો. જેને લઇ તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ લખાઇ છે ત્યાં સુધીમાં પોલીસે વાન ચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામમાં ગુજરાત ગેસમાં પીએનજીના જોડાણ માટે અરજી કર્યાને બે વર્ષ જેટલો સમય વીતવા છતાં જોડાણ આપવામાં ઠાગાથૈયા કરવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. રાનવેરીખુર્દ ગામના ગુજરાત ગેસની બીલીમોરા કચેરીમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે રાનવેરીખુર્દ ગામમાં ખરોલી ચાર રસ્તા વિસ્તારમાં 40થી વધુ ગ્રાહકોએ ઘરેલુ ગેસના જોડાણ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરી નિર્ધારિત રકમની ચૂકવણી પણ ઓનલાઈન કરી હતી. ચૂકવણી કર્યા પછી પણ આજદિન સુધી ગામમાં ગેસ પાઇપ લાઇન નાંખવાની અથવા કનેક્શન આપવાની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ બાબતે ઘણા ગ્રાહકોએ કસ્ટમર કેર તથા ઓફિસમાં રજૂઆત કરી હોવા છતાં યોગ્ય જવાબ મળ્યો નથી. આ મુજબની લેખિત રજૂઆત કર્યાને બે મહિના જેટલો સમય વીતી ગયો છે. ઉપરાંત જોડાણની માંગણી કરી નાણાંની ભરપાઈ કર્યાને તો બે વર્ષ જેટલો સમય વિતી ગયો છે પરંતુ ગેસ કંપની દ્વારા પીએનજીના જોડાણો રાનવેરીખુર્દમાં આપવામાં ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાલ અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિમાં કોમર્શિયલ એલપીજી ગેસનો પુરવઠો પ્રભાવિત થતા સરકાર દ્વારા પીએનજીના જોડાણને પ્રાથમિકતા આપી હોવા છતાં ગેસ કંપની દ્વારા પીએનજીના જોડાણ માટે રીતસરના અખાડા કરવામાં આવી રહ્યા છે. આ માત્ર ચીખલી રાનવેરીખુર્દની જ વાત નથી પણ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ હોવાની ચર્ચા છે. બીલીમોરા ઓફિસમાં અવારનવાર રજૂઆત કરી તો પણ પરિણામ નહીંઅમારા ખરોલી ચાર રસ્તા વિસ્તારના રહીશો દ્વારા પીએનજીના જોડાણો માટે નાણાં ભરી દીધાને બે વર્ષ કરતા વધુ સમય વીતવા છતાં જોડાણો અપાયા નથી. આ માટે અમે બીલીમોરા કચેરીમાં અવારનવાર રજૂઆત કરી છે.> નરેન્દ્રસિંહ પરમાર, રાનવેરીખુર્દ અધિકારીઓ સરખા જવાબ આપતા નથી અમારે ત્યાં અટગામ રોડ પર પીએનજીના જોડાણ માટે અમારી માંગણીને પગલે ગુજરાત ગેસ દ્વારા સર્વે કરાયા બાદ તપાસ કરતા અધિકારીઓ દ્વારા કોઈ સરખા જવાબ આપવામાં આવ્યા નથી. ઘેજમાં અટગામ રોડ ઉપરાંત ભવાની ફળિયા અને પહાડ ફળીયામાં પણ ઘણા જોડાણોની માંગ છે. > ભીખુભાઇ પટેલ, ઘેજ ભરડા સર્વેથી આગળ કોઇ તજવીજ હાથ ધરાઇ નથી ચીખલી તાલુકાના ઘેજ ગામે અટગામ રોડ પર પીએનજીના જોડાણો માટે ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા સર્વે થયાને ચારેક માસ જેટલો સમય વિતી ગયો છે. સ્થાનિક આગેવાનોની અવારનવારની રજૂઆત બાદ ગુજરાત ગેસ કંપની દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. ઘેજમાં અટગામ રોડ અને ભવાની ફળિયા તથા પહાડ ફળિયા મળી 50થી વધુ જોડાણોની માંગ ઉઠી છે પરંતુ ગેસ કંપની દ્વારા સર્વેથી આગળ કોઈ તજવીજ હાથ ધરાઈ નથી.
અવ્યવસ્થાના લીધે પરેશાન:વાંસદા SBI બેંક પરિસરમાં રેતીના ઢગલા અને પાર્કિંગથી ગ્રાહકો પરેશાન
વાંસદા શંકર ફળિયામાં આવેલા સ્ટેટ બેંકના પરિસરમાં છેલ્લા ઘણા દિવસોથી સર્જાયેલી અવ્યવસ્થા ગ્રાહકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. બેંકના આંગણામાં રેતીના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે, જ્યારે બીજી તરફ બેંકની આજુબાજુના રહીશો પોતાના વાહનો પાર્ક કરી દેતા હોવાથી સ્થિતિ વધુ જટિલ બની ગઈ છે. પરિણામે બેંકના કામકાજ માટે ગામોમાંથી આવતા લોકોને વાહન પાર્કિંગ કરવું માથાનો દુઃખાવો બની ગયું છે. ગ્રાહકોના જણાવ્યાનુસાર, બેંક પરિસરમાં જ રેતીના ઢગલા હોવા છતાં બેંક મેનેજર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આવા ઢગલાઓને કારણે માત્ર પાર્કિંગ જ નહીં, પરંતુ સલામતી સંબંધિત પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને વયસ્ક અને મહિલા ગ્રાહકો માટે બેંક સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા બેંક સામે સતત પાર્કિંગ કરાતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિયંત્રણ કે માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. આ પરિસ્થિતિથી બેંકમાં આવનારા ગ્રાહકોમાં અસંતોષ ફેલાયો છે. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું બેંક મેનેજમેન્ટ અને સ્થાનિક તંત્ર આ સમસ્યાથી અજાણ છે કે પછી જાણતાં હોવા છતાં અવગણના કરી રહ્યું છે. બેંક પરિસરમાં રેતીના ઢગલા કેમ અને કોણે ખડક્યા છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરાઇ નથી. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તંત્રએ તાત્કાલિક પગલાં ભરીને બેંક પરિસર ખાલી કરાવવું જોઈએ અને ગેરકાયદેસર પાર્કિંગ પર નિયંત્રણ લાવવું જોઈએ. ગ્રાહકો હવે તંત્ર અને બેંક મેનેજમેન્ટ પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યાં છે.
નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોની ક્રિકેટ ટુર્નામેન્ટ યુનિટી કપ 2.0 એકતા સ્પોર્ટ્સ ક્લબ, નાગધરાના ક્રિકેટ મેદાન પર રમાઈ હતી. જેમાં નવસારી તાલુકાના 65 શિક્ષકોએ ભાગ લીધો હતો. માહી ઈલેવન, જે.બી.ટાઈગર્સ, અનાયા ઈલેવન અને લાલો ઈલેવન એમ ચાર ટીમો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. જેમાં માહી ઈલેવન ટીમ ચેમ્પિયન અને જે.બી.ટાઈગર્સ ટીમ રનર્સ અપ બની હતી. ફાઈનલ મેચમાં નિર્ધારિત 8 ઓવરમાં માહી ઈલેવને 94 રન કર્યા હતા. તેની સામે જે.બી.ટાઈગર્સ 65 રન કરી શકી હતી. એમ માહી ઈલેવનનો 29 રને વિજય થયો હતો. યુનિટી કપ 2.0 ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા અને શિક્ષક ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અજુવેન્દ્ર પટેલ, મહામંત્રી હિતેશ પટેલ, કાર્યાધ્યક્ષ ચંદ્રકાંત ગાયકવાડ, ખજાનચી ભાવેશ ટંડેલ, સહમંત્રી ધર્મેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે નવસારી જિલ્લા ઘટક સંઘ ગણદેવીના પ્રમુખ કલ્પેશ ટંડેલ, ખેરગામના પ્રમુખ દિવ્યેશ ચૌહણ, વાંસદાના પ્રમુખ ભરત થોરાટ, ચીખલીના પ્રમુખ હિતેશ પટેલ, નવસારીના પ્રમુખ હેમંતસિંહ ચૌહાણ, જલાલપોરના પ્રમુખ નિલેશ પટેલ પણ હાજર રહ્યા હતા. નવસારી તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ફુલચંદ ભગતાણી અને નાગધરાના આગેવાન મુકુંદ પટેલે પણ શિક્ષકોને રમત થકી શારિરીક તંદુરસ્તી મેળવવા માટે અપીલ કરી હતી. મહાનુભવોના હસ્તે ચેમ્પિયન અને રનર્સ અપ ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરિઝ અને બેસ્ટ બેટસમેન સુનિલ પટેલ અને બેસ્ટ બોલર જીતેન્દ્ર પટેલ બન્યા હતા.
નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખની જાહેરાત બાદ ભડકો થયા બાદ હવે જાહેર થયેલ સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને પણ સમાવાતા મોવડીમંડળે સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવી છે. થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા નવસારી શહેર કોંગ્રેસના પ્રમુખપદે દીપક બારોટની વરણી કરી હતી. આ બાબતે સ્થાનિક કોંગ્રેસમાં નારાજગી બહાર આવી અને મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરાઇ હતી. બાદમાં અગ્રણીઓ, કાર્યકરોએ રાજીનામા પણ ધરી દીધા હતા. મહાપાલિકાની ચૂંટણી ટાણે જ શહેર કોંગ્રેસમાં ભડકો થતા કોંગ્રેસ મોવડીઓ પણ ચિંતામાં મુકાયા હતા. આ દરમિયાન શુક્રવારે પ્રદેશ કોંગ્રેસ દ્વારા મનપાની ચૂંટણી અંતર્ગત એક 7 સભ્યોની સંકલન સમિતિની જાહેરાત કરાઈ હતી. આ સમિતિમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ ઉપરાંત રાજન જોશી, અસલમ સાયકલવાળા, ધનસુખ રાજપૂત ઉપરાંત શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલ નીરવ નાયક, ધર્મેશ માળી, પ્રવીણ દેસાઈને પણ સંકલન સમિતિમાં સમાવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે નીરવ નાયક, ધર્મેશ માળી વગેરેએ બારોટની શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી સામે નારાજગી દર્શાવી છે. સંકલન સમિતિમાં નારાજ અગ્રણીઓને સમાવાતા તેને મોવડી મંડળ દ્વારા સમાધાનકારી ફોર્મ્યુલા અપનાવાઈ હોવાની જોવાઈ રહ્યું છે. જોકે આ સમિતિ અને તેના સભ્યોની ટિકિટ ફાળવણીમાં શું ભૂમિકા રહેશે વગેરે જોવું રહ્યું.
શ્રમિકે કર્યો આપઘાત:ગણેશ સિસોદ્રા પાસે બુલેટ ટ્રેનના બ્રીજ ઉપર શ્રમિકે ફાંસો ખાધો
નવસારી જિલ્લાના ગણેશ સિસોદરા ગામની હદમાં બુલેટ ટ્રેનના નિર્માણાધીન બ્રીજ ઉપર એક શ્રમિકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ કબીલપોર વિસ્તારમાં રહેતા 43 વર્ષીય પ્રોઢે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાની વિગતો મુજબ, નવસારીના કબીલપોર ગ્રીડ સ્થિત જનકપુરી સોસાયટીમાં રહેતા અને હેલ્પર તરીકે કામ કરતા નારાયણ કર્માકર (ઉ.વ. 43) નાઓએ ગત તા. 1 એપ્રિલની રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યાનો નિર્ણય લીધો હતો. તેઓએ ગણેશ સિસોદરા ગામની સીમમાં સ્થિત બુલેટ ટ્રેન બ્રીજના પીલર નં. 23/276 અને 23/278 વચ્ચે, બ્રીજ ઉપર આવેલી લોખંડની એંગલ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એમ.એલ. સૈયદ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકની સહ કર્મીઓ સાથે મારામારી પણ થઇ હોવાની ચર્ચા હોવાથી તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે.
'સર'ની અસર:નવસારી જિ.પંચાયતની ચૂંટણીમાં 5 વર્ષમાં મતદાર વધવાની જગ્યાએ 45 હજાર ઘટ્યા
નવસારી જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો વધવાની જગ્યાએ 45 હજાર જેટલા મતદારોનો ઘટાડો થયો છે. 4 ગામો શહેરમાં જતા તથા ‘સર’ના કારણે મતદારો કમી થતા આ સ્થિતિ બની છે. નવસારી જિલ્લા પંચાયતની પણ ચૂંટણી જાહેર થઈ છે, જે માટે 26 એપ્રિલના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણી માટે મતદારોની સંખ્યા જે બહાર આવી છે તે જોતા 7.32 લાખ જેટલી છે. સામાન્યતઃ ભૂતકાળમાં દર 5 વર્ષે વસતી વધતા મતદારોની પણ સંખ્યા વધતી હોવાનું જોવાયું છે પણ આ વખતે વધવાની સંખ્યા ઘટી છે. ગત ચૂંટણીમાં 7.77 લાખ મતદારો હતા.આમ 45 હજાર જેટલો ઘટાડો થયો છે. નવસારી જિલ્લા પંચાયતમાં મતદાર ઘટવાના મુખ્ય બે કારણ છે. પહેલું કારણ ગત ચૂંટણીની સરખામણીએ 4 ગામો ઓછા છે. નવસારી નજીકના દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોરના મતદારોએ ગત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાન કર્યું હતું. જોકે હવે આ ગામો નવસારી મહાપાલિકામાં ભેળવી દેવાતા આગામી ચૂંટણીમાં પંચાયતમાં મતદાન કરશે નહી. બીજું કારણ ખાસ મતદાર સુધારણા ઝુંબેશ ‘સર' છે. આ ઝુંબેશમાં જિલ્લા પંચાયતના ઘણા મતદારો કમી થયા છે, જે મૃતક, સ્થળાંતર યા ડુપ્લીકેટ વગેરે હતા. આ બે કારણોને લઈ મતદાર ગત ચૂંટણી કરતા ઘટ્યા છે. તમામ તાલુકામાં ઘટ્યા, જેમાં સૌથી વધુ જલાલપોરમાં અગામી ચૂંટણીમાં 5 વર્ષમાં મતદારો જે ઘટ્યા છે તે થોડા ઘણા તમામ તાલુકામાં ઘટ્યા છે, જેમાં સૌથી વધુ જલાલપોર તાલુકામાં અંદાજે 16 હજાર ઘટ્યા છે. અન્ય તાલુકાની સ્થિતિ જોઈએ તો નવસારીમાં 8500થી વધુ, ગણદેવીમાં અંદાજે 9 હજાર, ચીખલીમાં 8 હજાર જેટલા છે. વાંસદામાં એકાદ હજાર જેટલા અને ખેરગામમાં વધુ ઘટાડો નથી. તાલુકા પંચાયતોના મતદાર પણ ઘટ્યા જિલ્લા અને તાલુકા પંચાયત બન્નેમાં ગામડાઓ આવે છે. બન્ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આમ તો અલગ છે પણ તેમાં મતદારો એક જ હોય છે જેને લઈ છેલ્લા 5 વર્ષમાં જિલ્લાની તાલુકા પંચાયતોના મતદાર પણ ઘટ્યા છે.જલાલપોર તાલુકા પંચાયતના મતદાર વધુ ઘટ્યા છે. પ્રમુખપદ મહિલા હોય મહિલાઓમાં રેસ લાગીનવસારી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન તો 26 એપ્રિલના રોજ થઈ રહ્યું છે પણ ત્યારપછી પ્રમુખ કોણ બનશે તેના પાસાં અત્યારથી ગોઠવાઈ રહ્યાની જાણકારી મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના આગામી પ્રથમ અઢી વર્ષ માટેના પ્રમુખની બેઠકનું અનામત રોટેશન જાહેર થયું છે,જે મહિલા બિન અનામત છે. પ્રમુખ મહિલા બનનાર હોય અત્યારથી જ પ્રમુખ બનવા ખાસ કરીને ભાજપમાં હોડ જામી ગઈ છે અને પાસાં પણ ગોઠવાઈ રહ્યાની જાણકારી મળી છે.કોંગ્રેસમાં પણ મહિલા અગ્રણીઓ રેસમાં છે.
વેરા વસૂલાતની કામગીરી:મિલકતો વધતા આવકમાં 46 લાખનો ઉછાળો, વસૂલાતમાં 2.66%નો ઘટાડો
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે વેરા વસૂલાતની ઝુંબેશ પૂર્ણ કરવામાં આવી છે. પાલિકાની અલગ-અલગ ટીમોએ તમામ વોર્ડમાં કરેલી કામગીરીને અંતે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કુલ આવકમાં ₹46 લાખનો વધારો નોંધાયો છે. પાલિકા વિસ્તારમાં મિલકતોની સંખ્યા વધવાને કારણે વસૂલાતની ટકાવારીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે 74.92% વસૂલાત થઈ હતી, જેની સામે આ વર્ષે 72.26% વસૂલાત નોંધાઈ છે. આમ, ટકાવારીમાં 2.66%નો ઘટાડો થયો છે, પરંતુ મિલકતો વધતા કુલ આવક વધી છે. શહેરમાં 34,000 થી વધુ મિલકત ધારકો પાસેથી આ વેરો વસૂલવામાં આવ્યો છે. વ્યવસાય વેરામાં ₹1.83 કરોડના ડિમાન્ડ સામે ₹1.58 કરોડની વસૂલાત થઈ છે. ગત વર્ષે 87.02% વસૂલાત સામે આ વર્ષે 86.29% વસૂલાત થઈ છે. ટકાવારીમાં અડધા ટકાનો નજીવો ઘટાડો હોવા છતાં, ગત વર્ષ કરતા ₹15 લાખ વધુ વ્યવસાય વેરો સરકારી તિજોરીમાં જમા થયો છે. હાઉસ ટેક્સ વિભાગ વાર્ષિક આવક વ્યવસાય વેરો વાર્ષિક આવક ઝુંબેશ પૂર્ણ : લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં આવીઅંકલેશ્વર નગરપાલિકાની અલગ-અલગ ટીમો દ્વારા તમામ વોર્ડમાં વેરા વસૂલાતની ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વર્ષ 2025-26 માટે કુલ ₹13.32 કરોડના લક્ષ્યાંક સામે ₹9.64 કરોડની વસૂલાત કરવામાં પાલિકાને સફળતા મળી છે. ગત વર્ષની સરખામણીએ કુલ આવકમાં ₹46 લાખનો વધારો નોંધાયો છે, જોકે મિલકતોની સંખ્યા વધતા ટકાવારીમાં 2.66%નો નજીવો ઘટાડો જોવા મળ્યો છે. હવે 1 મેથી બાકીદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની 348 બેઠકો માટે 26મીના રોજ ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ 11મી નકકી કરવામાં આવી છે. 11મીએ ફોર્મ ભરવા આડે માત્ર 8 દિવસ બાકી રહયાં છે ત્યારે ભાજપે ઉમેદવારોને ફોન પર સૂચના આપી તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દીધી છે. ભરૂચ જિલ્લા પંચાયત, નવ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકામાં થનારી ચૂંટણી પહેલાં ભાજપે તમામ ઉમેદવારો લગભગ નકકી કરી દીધાં છે. પ્રદેશમાંથી નિરિક્ષકો મોકલીને બે દિવસ સેન્સ લેવાની ઔપચારિકતા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાજપે નકકી કરેલાં ઉમેદવારોને ફોન કરીને તેમના દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. અંકલેશ્વર પાલિકાની 36 બેઠકો માટે ભાજપમાંથી 146 દાવેદારો નોંધાયાં છે. 36 બેઠક માટે ભલે 146 દાવેદારો હોય પરંતુ ભાજપે તમામ 36 ઉમેદવાર નકકી કરી દીધાં છે અને તેમને ફોન કરીને દસ્તાવેજો તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી છે જેથી તેઓ 11મીએ ઉમેદવારીપત્રો ભરી શકે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી માટે દાવેદારી કરનારા અનેક દાવેદારોને ફોન કરીને દસ્તાવેજો તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે. કેટલાક ઉમેદવારો પાસેથી તો દસ્તાવેજો લઇને તેમના ફોર્મ પણ તૈયાર કરવામાં આવી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં મોટાભાગના નગરસેવકોને ઘરે બેસાડીને તેમના સ્થાને નવા ચહેરાઓને તક આપવામાં આવશે. જેના પર ફોન આવ્યાં છે તેમાંથી મોટાભાગના નવા ચહેરા છે અને પ્રથમ વખત જ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે જઇ રહયાં છે.
જિલ્લાનું તાપમાન ઘટી 33 ડિગ્રી નોંધાયું:ભરૂચમાં વાદળછાયા વાતાવરણ સાથે ઠંડા પવન ફૂંકાતાં રાહત થઇ
ભરૂચ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ગુરુવારે રાત્રિ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. તો આજે શુક્રવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે ગત રોજ કરતાં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. તાપમાનમાં ઘટાડો થતા સવારે અને સાંજે ઓછી ગરમી અનુભવાઇ હતી. આમ દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ વધીને 30 ટકાની આસપાસ અને પવનની ગતિ 21 કિમી પ્રતિ કલાકની આસપાસ રહી હતી. પવનની ગતિમાં વધારો થતાં ખેડૂતોને ખેતી પાકમાં દવાનો છંટકાવ નહીં કરવા માટે સલાહ આપી છે. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ ખેતી પાકમાં જરૂરિયાત મુજબ પિયત આપવું અને ખેતરમાં તૈયાર પાકને સુરક્ષિત જગ્યાએ મૂકવા માટે સલાહ આપી છે.
ફરિયાદ:નોજણવાવ ગામે કરિયાવર મુદે પતિએ દુઃખ ત્રાસ આપી માર માર્યો
કેશોદ પાસેના નોંજણ વાવ ગામના રવિનાબેનના લગ્ન વર્ષ 2014માં કરેણી ગામના મહીપતસિંહ જીવાભાઇ મક્કા સાથે થયા હતા. લગ્ન બાદ કરિયાવર ઓછો લાવવા અને ઘરકામ મુદ્દે પતિ દ્વારા મેણા-ટોણા મારી હેરાનગતિ શરૂ કરવામાં આવી હતી. પુત્રીના જન્મ બાદ પતિ દ્વારા પુત્રની ઘેલછામાં વધુ ત્રાસ આપવામાં આવતો અને નાની-નાની બાબતોમાં મારપીટ કરવામાં આવતી હતી. પતિની દારૂની લત અને ચારિત્ર્ય પર શંકા કરવાના સ્વભાવથી કંટાળી મહિલા છેલ્લા આઠ વર્ષથી પિયરમાં રહેતા હતા. અંતે મહિલાએ ફરિયાદ કરતા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.
નમસ્તે, ગઈકાલના મુખ્ય સમાચાર પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ₹450ને પાર કરી ગયા હોવાના રહ્યા. બીજી તરફ, ઈરાને અમેરિકાના F-35 ફાઈટર જેટને તોડી પાડ્યાનો દાવો કર્યો છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી કેરળના તિરુવનંતપુરમ અને તિરુવલ્લામાં ચૂંટણી સભા અને રોડ શો કરશે. 2. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TET) ની અનિવાર્યતાના વિરોધમાં દેશભરના શિક્ષકો દિલ્હીના રામલીલા મેદાનમાં પ્રદર્શન કરશે. કાલના મોટા સમાચારો 1. ઈરાને અમેરિકાનું F-15 પ્લેન તોડી પાડ્યું, પાયલટની શોધ ચાલુ; ઈરાને કહ્યું, મિડલ ઈસ્ટના તમામ બ્રિજ તોડી નાખીશું ઈરાનમાં તોડી પાડવામાં આવેલા યુએસ ફાઇટર જેટના પાઇલટની શોધ ચાલુ છે. યુએસ અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે શોધ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી ક્રૂ વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. અગાઉ ઈરાને એક અમેરિકન ફાઇટર જેટને તોડી પાડવાનો દાવો કર્યો હતો. ઈરાની મીડિયાએ તેને F-35 સ્ટીલ્થ ફાઇટર તરીકે વર્ણવ્યું હતું, જોકે આ વાતની પુષ્ટિ થઈ નથી. દરમિયાન, કેટલાક નિષ્ણાતો કહે છે કે ઈમેજમાં દેખાતું વિમાન F-35 નહીં પણ F-15 હોઈ શકે છે. આ દાવાઓ પર અમેરિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'ખામોશ કરાયા હૈ-હારા નહીં હૂં, સુનામી બનકે આઉંગા':ઉપનેતા પદ પરથી હટાવ્યા બાદ AAPએ રાઘવ ચઢ્ઢાને કહ્યું- મોદીથી ડરેલાં વ્યક્તિ હવે શું લડવાના? આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં ઉપનેતા પદ પરથી હટાવવાને લઈને શુક્રવારે પ્રથમ પ્રતિક્રિયા આપી. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં કહ્યું- મને ચૂપ કરાવવામાં આવ્યો, પરંતુ હું હાર્યો નથી. આમ આદમીને આ મારો સંદેશ છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે મેં જનતાના મુદ્દા ઉઠાવ્યા, તેનાથી AAPને શું નુકસાન થયું? વીડિયોના અંતમાં તેમણે AAPને ચેતવણી આપી કે અવાજ ચૂપ કરાવનારાઓ સામે હું સુનામી બનીને આવીશ. જોકે, રાઘવે ન તો પાર્ટીના કોઈ નેતાનું નામ લીધું અને ન તો પાર્ટી છોડવા કે આગળની રણનીતિ વિશે કંઈ કહ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો:પેટ્રોલના 450, ડીઝલ 500 રૂપિયે લીટર; ઈરાન યુદ્ધની અસર પાકિસ્તાનમાં પહેલીવાર ડીઝલ-પેટ્રોલ સૌથી મોંઘું થયું છે. એક લિટર પેટ્રોલ 458 અને ડીઝલ 520 રૂપિયા (પાકિસ્તાની રૂપિયા)ને પાર પહોંચી ગયું છે. સરકારે પેટ્રોલની કિંમતોમાં 43% અને હાઈ-સ્પીડ ડીઝલ (HSD)ના ભાવમાં 55%નો વધારો કર્યો છે. આ નિર્ણય અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ લેવામાં આવ્યો છે. નવા દરો ગુરુવાર મધ્યરાત્રિથી લાગુ થઈ ગયા છે. વધારા બાદ પાકિસ્તાનમાં હવે પેટ્રોલ 458.41 અને ડીઝલ 520.35 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. કેરોસીનના ભાવ પણ 34.08 રૂપિયા વધારીને 457.80 રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. માલદા હિંસાનો માસ્ટરમાઇન્ડ એરપોર્ટ પરથી અરેસ્ટ:ભાગી જવાની ફિરાકમાં હતો; ન્યાયિક અધિકારી બંધક કેસમાં NIA એ પણ તપાસ શરૂ કરી પશ્ચિમ બંગાળના માલદામાં હિંસાના 48 કલાકની અંદર પોલીસે માસ્ટરમાઇન્ડ મોફક્કરુલ ઇસ્લામને પકડ્યો છે. મોફક્કરુલને બાગડોગરા એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો, જ્યાં તે ભાગવાની ફિરાકમાં હતો. મોફક્કરુલ કલકત્તા હાઈકોર્ટમાં વકીલ છે અને તે 2011માં AIMIMનો ઉમેદવાર રહી ચૂક્યો છે. મોફક્કરુલ પર આરોપ છે કે માલદાના સુજાપુરમાં 1 એપ્રિલે થયેલા વિરોધ પ્રદર્શનમાં તેણે ભડકાઉ ભાષણો આપ્યા. જેનાથી જનતા ભડકી ઉઠી અને હજારો લોકોએ કલિયાચોકના BDO ઓફિસને ઘેરી લીધું. બે ગેટ બંધ કરી દેવામાં આવ્યા, જેના કારણે 7 ન્યાયિક અધિકારીઓ 9 કલાક અંદર ફસાયેલા રહ્યા. મોડી રાત્રે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાનના રણમાં કરાં પડ્યાં:યુપીમાં ધૂળની ડમરી ઊડી; જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં હિમપ્રપાતનો ખતરો દેશભરમાં ઉનાળાની શરૂઆત પછી હવામાન ખરાબ થઈ ગયું. શુક્રવારે રાજસ્થાનના જેસલમેર અને બિકાનેરના રણ જિલ્લાઓમાં કરાં પડ્યાં. જયપુર સહિત સાત જિલ્લાઓમાં વરસાદ પડ્યો. ચુરુમાં ધૂળનું તોફાન આવ્યું. ચંદીગઢ, મોહાલી અને પંચકુલા સહિત પંજાબમાં પણ હવામાન બદલાયું. મોહાલી, પઠાણકોટ અને ભટિંડાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો. ઉત્તર પ્રદેશમાં, વારાણસી સહિત અનેક જિલ્લાઓમાં ભારે ધૂળના તોફાન પછી વરસાદ પડ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. અમદાવાદના વસ્ત્રાલ-સિંગરવામાં ભારે પવન સાથે બરફના કરા પડ્યા:ભાવનગર, પાટણ, બનાસકાંઠા સહિતમાં વરસાદની ધબધબાટી, વેરાવળમાં 20 મિનિટમાં 1 ઈંચ ગુજરાતમાં ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. આજે 3 એપ્રિલે ગીર સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર, રિક્ષા ચાલકે કહ્યું-ધીમે-ધીમે વધારો કરવા કરતા છરી મારીને મારી નાખો અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે. આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અયોધ્યામાં બુરખો પહેરીને લૂંટ કરનાર છોકરી હિન્દુ નીકળી:રમકડાંની પિસ્તોલ બતાવીને 3.6 લાખનો સોનાનો હાર લૂંટ્યો, બોયફ્રેન્ડ સાથે બાઇક પર ભાગી ગઈ હતી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારત જતું ઈરાની ઓઈલ ટેન્કર ચીન તરફ વળ્યું:ગુજરાતના વાડીનાર આવી રહ્યું હતું ને દિશા બદલી નાખી, પેમેન્ટના વિવાદની આશંકા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ચારધામ યાત્રા 2026 પર યુદ્ધથી સંકટના વાદળો, રજીસ્ટ્રેશનમાં ઘટાડો:બુકિંગ લેવાથી ખચકાઈ રહ્યા છે ટ્રાવેલ ઓપરેટર્સ; પર્યટન વેપારીઓની મુશ્કેલીઓ વધી વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્ર તરફ નીકળ્યા અવકાશયાત્રીઓ:34 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યા; સહેજ પણ ચૂકથી ચંદ્ર સાથે અથડાઈ શકે છે યાન વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : OTP વગર ઓનલાઈન પેમેન્ટ થઈ શકશે:બેંક-ટેલિકોમ કંપનીઓ 'સાયલન્ટ ઓથેન્ટિકેશન' લાવશે; જો સિમ-ડિવાઇસ મેચ નહીં થાય તો ટ્રાન્ઝેક્શન અટકશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : અભિષેક શર્મા પર મેચ ફીના 25% દંડ:KKR સામેની મેચમાં IPL કોડ ઓફ કન્ડક્ટનું ઉલ્લંઘન, એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : 18 એપ્રિલથી વૈશાખ માસ શરૂ:આ મહિનામાં ગંગા, યમુના, શિપ્રા, નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ અમેરિકામાં ભૂલથી મહિલા બની કરોડપતિ અમેરિકામાં 57 વર્ષની મહિલાએ લોટરી લેતી વખતે ભૂલથી 47 ને બદલે 39 નંબર પસંદ કરી લીધો. તે જ નંબરથી તેના તમામ અંકો મેચ થઈ ગયા અને તે આશરે 2.33 કરોડ રૂપિયા જીતીને કરોડપતિ બની ગઈ. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પારકી પંચાત : સંઘવીની ક્રિસ ગેલની જેમ ફટકાબાજી:MLA મેડમ વિકેટ કિપર બન્યા; શૈલેષ સોટ્ટાએ કોનું ‘જય શ્રી રામ’ કરી નાખવાની હનુમાનજીને પ્રાર્થના કરી? 2. ભાસ્કર સિરીઝ : માતા-પિતાને બહાર મંત્રોચ્ચાર કરવા બેસાડીને આસારામે દીકરીને પીંખી નાખી: ‘કયા મોઢે કહું કે આપણે જેને ભગવાન માનીએ છીએ તેણે જ મારી સાથે...’ જુઓ સિરીઝનો એપિસોડ-25 3. કેરળમાં મહિલાઓ સ્તન ઢાંકવા માટે ટેક્સ આપતી હતી:વિરોધમાં નંગેલીએ પોતાના સ્તન કાપી નાખ્યા; આજે પણ 50+ બેઠકો પર તેની અસર 4. ફિલ્મી ફેમિલી : જયાપ્રદાએ પરિણીત ને બે સંતાનોના પિતા સાથે લગ્ન કર્યા:એક્ટરે જાત પર કાબૂ ગુમાવતા એક્ટ્રેસે થપ્પડ મારી, આઝમ ખાને અશ્લીલ તસવીરો વહેતી કરી 5. ઘર-મદરેસા તૂટ્યા, હિમંતાથી નારાજ મુસ્લિમો બોલ્યા- અત્યાચારો યાદ રાખીશું:અસર 35થી 23 બેઠકો પર સીમિત રહી, શું મિયાં ફેક્ટર BJPની ગેમ બગાડશે 6. આજનું એક્સપ્લેનર:ટ્રમ્પ હોર્મુઝ નહીં ખોલાવે, ન તો પરમાણુ બોમ્બનું યુરેનિયમ જપ્ત કરશે; ટ્રમ્પના 4 મોટા સંકેત, ઈરાન યુદ્ધમાં આગળ શું થશે? કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રાશિફળ શનિવારનું રાશિફળ:મિથુન-ધન રાશિના લોકો માટે આર્થિક લાભના યોગ, મેષ-કન્યા રાશિના જાતકોના પ્રોપર્ટીના કામ પાર પડશે વાંચો સંપૂર્ણ સમાચાર…
ગત શુક્રવારે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર આવેલા પકવાન બ્રિજ ઉપર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી અને બાઈકચાલક રોડ પર પટકાયો હતો. આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું હતું, તેમ છતાં કારચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ફસાયેલા બાઈક સાથે જ કારને 50થી 60 મીટર સુધી દોડાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થયો હતો. ઘટના બાદ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને કાર ચાલકને રોકીને કારના બોનેટમા ફ્સાયેલુ બાઈક બહાર કાઢયુ હતું. જે બાદ સ્થાનિકોએ તેને ખખડાવ્યો હતો. જે બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે એસજી હાઈવે ટ્રાફ્કિ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ અકસ્માતમાં કમલેશ ખાનીયાણીયા નામના બાઇકચાલકને ઇજાઓ પહોચી હતી, સાત દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. આ અંગે ટ્રાફિક પોલીસે કારચાલક સામે હિટ એન્ડ રનની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે જેમાં શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા સાબુના ધંધાર્થી પોતાના કામ અર્થે બહાર ગયા હતા અને પત્ની પોતાનું ઘર ખુલ્લું મૂકી પાડોશમાં બેસવા ગયા હતા દરમિયાન ઘરમાં રહેલા 10.80 લાખના દાગીનાની ચોરી થતા બનાવ અંગે ફરિયાદ નોંધાવતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી 13 વર્ષીય સગીરાને ઝડપી પાડી ચોરાઉ મુદામાલ વેચવા જાય એ પહેલા જ તમામ મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રોલક્ષ રોડ પર સરદાર ચોક પાછળ સત્યમપાર્ક શેરી નંબર 2માં રહેતાં ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયા (ઉ.વ.37)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમા અલગ અલગ જગ્યાએ ગાડીની ફેરી કરી સાબુનો વેપાર કરે છે. ગઈ તા.01.04.2026ના રોજ બપોરના 3 વાગ્યા આસપાસ તેઓ સાબુનો વેપાર કરવા માટે ગયા હતા અને સાંજે 7 વાગ્યે ઘરે આવ્યા ત્યારે પત્ની પારૂલબેને જણાવ્યું કે, હુ આપણી શેરીમાં બપોરના 4થી સાંજના 6 વાગ્યા સુધી બેઠી હતી ત્યારે આપણા ઘરના દરવાજા ખુલ્લા હતા અને હુ બહારથી આપણા ઘરમાં આવી ત્યારે દિવાલના ખુલ્લા કબાટમાં પડેલ પર્સ જોવા મળ્યું ન હતું જેમાં મારા ઘરેણાં હતા. પર્સમાં આસરે ચાર તોલાનો એક સોનાનો હાર, બે તોલાનું એક મંગળસુત્ર, બે તોલાનો હાથમા પહેરવાનો પોચો, બે સોનાની બુટી તથા એક સોનાનો ટીકો રાખ્યો હતો. જેથી કુલ 10.80 લાખની કિંમતનું કુલ 9 તોલા સોનુ કોઈ અજાણ્યા તસ્કરો ઘરમાં ઘુસી ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત મળી હતી કે, રૂ.10.80 લાખના દાગીના ચોરી કરનાર કોઈ રીઢો તસ્કર નહિ પરંતુ 13 વર્ષની બાળકી છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું ફરિયાદીના ઘર નજીકમાં એક દંપતી 15 દિવસ પહેલા ભાડેથી રહેવા આવ્યું હતું તેમને સંતાનમાં એક પુત્ર અને 13 વર્ષની પુત્રી છે. ફરીયાદી દંપતી ઘરે ન હતું ત્યારે બાળકીએ ઘરમાં આવી દાગીના ભરેલ પર્સ લઈ નાસી છૂટી હતી હાલ પોલીસે ચોરીમાં ગયેલ તમામ 10.80 લાખનો મુદામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગતા જ રાજકીય કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે અમદાવાદ મનપાના લાંભા વોર્ડનું રાજકરણ ગરમાયું છે. લાંભા વોર્ડમાં દાવેદારી કરનાર રાહુલ માટીયા સામે લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતોરાહુલ માટીયા અને સતીશ ભરવાડ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની ટિકિટ નક્કી છે એવું કહી ફેક્ટરી માલિકો પાસે ફંડ માગી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ માટીયા સામે અગાઉ નારોલ પોલીસે ગેરકાયદે કેમિકલ છોડતા રાહુલ માટીયા સામે કાર્યવાહી પણ કરી હોવાનું સામે આવ્યું છે. રાહુલ માટીયાને અગાઉ લાંભા વોર્ડનો ઉપપ્રમુખ બનાવતા પણ વિવાદ સર્જાયો હતો. ચૂંટણીમાં ટિકિટ માટે અનેક લોકોએ દાવેદારી કરી છે ત્યારે ભાજપમાં લાંભા વોર્ડમાં ટિકિટ મળ્યા અગાઉ જ દાવેદારી કરનાર યુવક સામે આક્ષેપ કરતો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ નક્કી છે કહી ડોનેશન માંગી રહ્યા છેઆ લેટરમાં લખ્યું છે કે, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ જે અમી કેમિકલ નામની કંપની ધરાવે છે અને લાંભા વિસ્તારમાં દરેક ફેક્ટરીમાં કેમિકલ તેમના પદના હિસાબે સપ્લાય કરે છે જેને કારણે કેમિકલ ધંધામાં ભાગીદારી ધરાવતા સતિષ ભરવાડ અને તેમનો દીકરો જે ભાજપ લાંબા વોર્ડનો પ્રમુખ છે, તે રાહુલ ભરવાડ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાની ટિકિટ નક્કી છે તેમ કહીને ચૂંટણીમાં ડોનેશન અને ટિકિટ માટે ડોનેશન માંગી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવાર રહી હારી ચૂકેલા વિક્રમ ભરવાડ અને રમણ ભરવાડ વર્ષ 2015માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેમની હેરાનગતિ વધી ગઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિક્રમ ભરવાડ ઉમેદવાર હતા ત્યારે તે વખતે વિક્રમભાઈની ટિકિટ માટે કર્ણાવતી મહાનગરના મંત્રીઓનું નામ લઇ ડોનેશન માગી રહ્યા હતા. વેપારી એસોસિએશન ખૂબ મોટી રકમ લઈ ગયા હતા અને અત્યારે પણ તેમનું નામ લઇ આગામી ટીકીટ મળવાની છે, જેના નામે ડોનેશન માંગણી કરી રહ્યા છે. પત્ર લખનારે વધુમાં એવું પણ કહ્યું છે કે, અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીના સમર્થક અને વરેલા રહીએ છીએ. પાર્ટીનું નામ બદનામ ના થાય જેથી, ખાનગીમાં બંનેની હેરાનગતિને કારણે પત્ર લખી રહ્યા છે. આ પત્ર લીધે અમને હેરાનગતિ ના થાય અને તપાસ કરી યોગ્ય પગલા લેવામાં આવે.આ પત્ર સાથે સતિષ ભરવાડ અને રાહુલ ભરવાડ વિરુદ્ધ થયેલી કાર્યવાહીના કાગળ પણ જોડાણ સાથે મોકલવામાં આવ્યા છે. દિવ્યભાસ્કરે રાહુલ માટીયા સાથે વાત કરી ત્યારે જણાવ્યું હતું કે, દાવેદારી કરી છે પરંતુ, કોઈની પાસે ડોનેશન માંગ્યું નથી.લોકશાહી હોવાથી ફરિયાદ તો જેને કરવી હોય તે કરે.
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના બનતા અટકી છે. ચોકલેટ અને કુરકુરેની લાલચ આપી 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરનાર બિહારના શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બાળકીને સહી-સલામત મુક્ત કરાવી હતી. ચોકલેટની લાલચ આપી અપહરણઘટનાની વિગત મુજબ, ગત 31 માર્ચના રોજ રાત્રે પાંડેસરા વિસ્તારમાંથી એક બાળકી અચાનક ગુમ થઈ હતી. પોલીસ કંટ્રોલ રૂમ (112) પર કોલ આવતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે, એક અજાણ્યો શખ્સ બાળકીને લલચાવી ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. એસીપી ઝેડ.આર. દેસાઈના જણાવ્યા અનુસાર, આરોપી પ્રદીપ ઉર્ફે સત્યેન્દ્ર પાલ અને બાળકી વચ્ચે કોઈ પૂર્વ પરિચય નહોતો, તેમ છતાં લાલચ આપી તે માસૂમને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. 6 ટીમોનું મેગા સર્ચ ઓપરેશનઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પાંડેસરા પી.આઈ. કે.ડી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 50 જેટલા પોલીસ કર્મચારીઓની 6 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ઓપરેશનમાં અલથાણ અને ખટોદરા પોલીસની ટીમોને પણ સામેલ કરી સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો હતો. રાતભર ચાલેલી આ શોધખોળમાં પોલીસે વડોદ ગામથી પ્રાઇમ પોઇન્ટ સુધીના અંદાજે 45 જેટલા CCTV કેમેરા તપાસ્યા હતા. સિક્યોરિટી ગાર્ડની માહિતી અને સફળતાવહેલી સવારે 4:30 વાગ્યે સીસીટીવી ફૂટેજમાં આરોપી બાળકી સાથે દેખાયો હતો. દરમિયાન, 'વેદાંત' સાઈટના સિક્યોરિટી ગાર્ડે પણ પોલીસને મહત્વની કડી આપી હતી. આ માહિતીના આધારે પોલીસે ખાડી પાસેના ઝાડી-ઝાંખરામાં તપાસ કેન્દ્રિત કરી હતી. અંતે સવારે 6:15 વાગ્યે CEPT પ્લાન્ટ પાછળની ઝાડીઓમાં આરોપી બાળકી સાથે સૂતેલી હાલતમાં ઝડપાઈ ગયો હતો. એસીપી ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, આ કેસ અત્યંત સંવેદનશીલ હતો. સમયસર સર્ચ ઓપરેશન હાથ ધરવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને બાળકી સહી-સલામત મળી આવી છે. કોણ છે આરોપી?પકડાયેલો 22 વર્ષીય આરોપી પ્રદીપ મૂળ બિહારના ઔરંગાબાદનો વતની છે અને હાલ લક્ષ્મીનગરમાં રહે છે. તે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તેનો ઇરાદો બદકામ કરવાનો હતો, પરંતુ રસ્તામાં લોકોની અવરજવરને કારણે તે સતત સ્થળ બદલતો રહ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ-137(2) મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. મેડિકલ તપાસમાં બાળકી સુરક્ષિત હોવાનું જણાતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
ગુજરાતના રાજકારણમાં હાલ ભારતીય જનતા પાર્ટીનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સંસદથી લઈને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સુધી ભાજપનું એકહથ્થુ શાસન હોવાથી સત્તાના સથવારે પોતાની રાજકીય નૈયા પાર પાડવા ઈચ્છતા કાર્યકરોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે.ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, કલોલ, માણસા અને ગાંધીનગર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની કુલ 176 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા 548 જેટલા દાવેદારો મેદાનમાં ઉતરી આવ્યા છે.એક સમયે જ્યાં ઉમેદવારો શોધવા પડતા હતા ત્યાં આજે ટિકિટ માટે લાઈનો લાગી છે. ભાજપની ટિકિટ મેળવવા દાવેદારોનો રાફડો ફાટ્યોગાંધીનગર તાલુકાની સાદરા જિલ્લા પંચાયતની બેઠક હાલમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બની છે.આ બેઠક બિનઅનામત હોવાથી અહીં ભાજપના ટિકિટ વાંચ્છુઓનો રાફડો ફાટ્યો છે.માત્ર આ એક જ બેઠક માટે 21 મૂરતિયાઓએ પોતાની દાવેદારી નોંધાવતા નિરીક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.આટલી મોટી સંખ્યામાં દાવેદારી સૂચવે છે કે સ્થાનિક સ્તરે પક્ષમાં આંતરિક સ્પર્ધા કેટલી તીવ્ર છે. ઉમેદવાર પસંદ કરવો લોઢાના ચણા ચાવવા સમાનઆ વખતની ચૂંટણીમાં એક નવો વળાંક જોવા મળ્યો છે.ગાંધીનગર જિલ્લામાં ઠાકોર ક્ષત્રિય મતદારોનું વર્ચસ્વ નિર્ણાયક માનવામાં આવે છે,ત્યારે ઠાકોર સેનાના અનેક આગેવાનોએ પણ ભાજપના પ્રતીક પર ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે.ખાસ કરીને ઓબીસી અનામત ધરાવતી બેઠકો પર ઠાકોર સેનાના આગ્રહને કારણે ભાજપ હાઈકમાન્ડ માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી કઠિન બની શકે તેમ છે. ત્રણ તાલુકાની 21 બેઠક માટે 121 દાવેદારપાર્ટી નિરીક્ષકો દ્વારા છેલ્લા બે દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જિલ્લા પંચાયતની બેઠકોની વાત કરીએ તો ત્રણેય તાલુકાની 21 બેઠકો માટે 121 દાવેદારો લાઈનમાં છે.જેમાં દહેગામની 7 બેઠકો માટે 47, કલોલની 6 બેઠકો માટે 16 અને ગાંધીનગરની 8 બેઠકો માટે 58 દાવેદારો છે. કલોલ તાલુકા પંચાયતની 22 બેઠક માટે 65ની દાવેદારીએ જ રીતે તાલુકા પંચાયતની દહેગામ તાલુકા પંચાયતની 28 બેઠક માટે 69 અને કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 65 દાવેદારોએ ઉમેદવારી માટે તૈયારી દર્શાવી છે.જ્યારે નગરપાલિકાની બેઠકો પૈકી દહેગામ પાલિકાના 7 વોર્ડ માટે 135 અને કલોલ પાલિકાના 11 વોર્ડ માટે 157 જેટલા ફોર્મ ભરાયા છે. હાલમાં માણસા તાલુકાની જિલ્લા પંચાયતની 7 બેઠક માટે 58 દાવેદારો નોંધાયા છે. ઉપરાંત માણસા તાલુકા પંચાયતની 26 બેઠકમાં 85 દાવેદારોએ ફોર્મ ભર્યા છે.આમ નિરીક્ષકોની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે ટિકિટ કોને મળશે તે અંગે સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.ભાજપ માટે આટલી મોટી સંખ્યામાંથી શ્રેષ્ઠ અને વિજેતા ઉમેદવારની પસંદગી કરવી એ મોટો પડકાર બની રહેશે.
ખાડીયા વૉર્ડના પૂર્વ કાઉન્સિલર, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટના દીકરા જૈવલ ભટ્ટે તેમજ પૂર્વ ભાજપ પક્ષના નેતા-સતત પાંચ વખતના કાઉન્સિલર મયુર દવેના પુત્ર શાલીન દવેએ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.બીજા એક શાહીબાગ વૉર્ડમાં પણ પૂર્વ કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવિણ પટેલના પુત્ર વિશાલ પટેલે પણ કાઉન્સિલર માટે દાવેદારી નોંધાવી છે. જેને પગલે ભાજપના પાયાના કાર્યકરો-આગેવાનોમાં ભારે ગણગણાટ શરુ થયો છે. કેમ કે ભાજપના નાના મોટા નેતાઓ હંમેશા કોંગ્રેસના પરિવારવાદને ગાળો આપતા આવ્યા છે, ત્યારે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસની આવી નીતિરીતિનો જ અમલ કરાશે કે શું એવો પ્રશ્ન બધા પૂછી રહ્યા છે. ભાજપ આગેવાનોના પુત્રોની દાવેદારીથી આક્રોશ ચૂંટણીની જાહેરાત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જે પણ મીડિયા ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યા છે તેમાં એવુ સ્પષ્ટ કહ્યુ છે કે, પૂર્વ નેતાઓ પુત્રોને ટિકિટ આપવામાં નહી આવે.શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક હાલના ભાજપના કેટલાક આગેવાનોના સંતાનોએ ટિકિટ માટેની દાવેદારી કરતા પાયાના કાર્યકરોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમજ જૂના નેતાઓ અને નેતા પુત્રો પ્રમુખના આદેશને ઘોળીને પી રહ્યા હોય તેવા હાલ થયા છે. પાયાના કાર્યકરો સાથે દગો થઈ રહ્યો હોવાની ચર્ચા કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે પરિવારવાદના આક્ષેપ કરતી ભાજપ એનો આંતરવિગ્રહ કેવી રીતે ટાળશે એ ખુબ મોટો પ્રશ્ન ભાજપના પ્રમુખ અને ચૂંટણી ઉમેદવાર પસંદગી સમિતિ સામે ઉભો થયો છે.પોતાના જીવનનો સર્વસ્વ અર્પણ કરનાર પાયાના કાર્યકર્તા સાથે દગો થઈ રહ્યો હોય તેમ કાર્યકર્તા કહી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ પોતાના જાહેર ભાષણોમાં કાર્યકર્તાને કેન્દ્ર સ્થાને રાખે છે, કાર્યકર્તા બાબતે મોટા- મોટા નિવેદનો આપે છે અને જયારે ખરેખર કાર્યકર્તાને ન્યાય આપવાની બાબત આવે છે ત્યારે દબાણમાં આવીને હથિયાર હેઠા મૂકી દેશે કે શું તેવો પ્રશ્ન પણ કાર્યકરો એકબીજાને પૂછી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 120 બેઠકો માટે કુલ 2078 કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે દર્શાવે છે કે સત્તાધારી પક્ષમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ થવાની શક્યતા છે. પ્રદેશ નેતૃત્વની દેખરેખ હેઠળ ચાલેલી આ પ્રક્રિયામાં હવે ટિકિટ કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે. વોર્ડ નંબર 10 અડાજણ-પાલમાં દાવેદારોનો રાફડોભાજપ માટે સૌથી 'સિક્યોર' ગણાતી બેઠકો પર કાર્યકર્તાઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર) માં સૌથી વધુ 142 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે, જેના કારણે અહીં ટિકિટ મેળવવા માટે હોડ જામી છે. આ ઉપરાંત અલ્થાણ-બમરોલી (વોર્ડ 29) અને ખટોદરા-મજૂરા (વોર્ડ 20) માં પણ દાવેદારોની સંખ્યા 100 ને પાર કરી ગઈ છે. સલામત બેઠકો પર કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે, જે સંગઠન માટે પસંદગીનો પડકાર ઊભો કરી શકે છે. કાપોદ્રા-વરાછા જેવા પાટીદાર વિસ્તારોમાં નિરસતાબીજી તરફ, જે વિસ્તારોમાં અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું, ત્યાં ભાજપના કાર્યકર્તાઓમાં હજુ પણ થોડી નિરસતા જોવા મળી રહી છે. ખાસ કરીને વરાછા અને કાપોદ્રા જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વોર્ડ નંબર 4 (કાપોદ્રા) માં સૌથી ઓછી એટલે કે માત્ર 34 દાવેદારી નોંધાઈ છે. તેવી જ રીતે પુણા પૂર્વ (વોર્ડ 17) માં 37 અને ફૂલપાડા-અશ્વિનીકુમાર (વોર્ડ 5) માં માત્ર 41 દાવેદારોએ રસ દાખવ્યો છે. આ વિસ્તારોમાં રાજકીય સમીકરણો કઠિન હોવાને કારણે કાર્યકર્તાઓ સાવચેતી વર્તી રહ્યા હોય તેવું જણાય છે. ત્રણ દિવસમાં 2078 લોકોએ દાવેદારી નોંધાવીસેન્સ પ્રક્રિયાના ત્રણેય દિવસ દરમિયાન ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓથી ઉભરાયું હતું. પ્રથમ દિવસે 12 વોર્ડ માટે આશરે 800 જેટલા કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની વાત મૂકી હતી. બીજા દિવસે પણ 12 વોર્ડ માટે 778 દાવેદારો મેદાનમાં આવ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે બાકી રહેલા 6 વોર્ડ માટે 500 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. આમ, કુલ 2078 લોકોએ સુરતના વિકાસમાં કોર્પોરેટર તરીકે ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ 60 થી વધુ દાવેદારો નોંધાયા છે, જે ટિકિટ વિતરણ વખતે નેતાઓની કસોટી કરશે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઉત્સાહિતશહેરના વિવિધ ઝોન મુજબ દાવેદારીની વિગતો તપાસતા માલુમ પડે છે કે રાંદેર અને અઠવા ઝોનમાં દાવેદારોની સંખ્યા નોંધપાત્ર છે. વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) માં 96 અને વોર્ડ નંબર 29 (અલ્થાણ-વડોદ) માં 101 દાવેદારો છે. મધ્ય સુરતની વાત કરીએ તો વોર્ડ નંબર 13 (વાડીફળીયા-બેગમપુરા) માં 94 દાવેદારોએ ઝંપલાવ્યું છે. લિંબાયત અને ઉધના વિસ્તારમાં પણ સરેરાશ 60 થી 80 દાવેદારો દરેક વોર્ડમાં જોવા મળી રહ્યા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે કેટલા ઉત્સાહિત છે. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં સંકલન બેઠક, ટિકિટના માપદંડો પર ચર્ચાસેન્સ પ્રક્રિયા પૂર્ણ થયાના તુરંત બાદ ભાજપના સંગઠનમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પ્રદેશ મહામંત્રી અને સુરત શહેર પ્રભારી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ, વિવિધ વિધાનસભાના ધારાસભ્યો અને પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ સેન્સ દરમિયાન આવેલા નામોનું સ્ક્રીનિંગ કરવાનો અને જીતી શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનો હતો. પ્રભારીએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષના માપદંડો મુજબ જ ઉમેદવારની પસંદગી થશે. જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પરિબળો પર ભારઆગામી દિવસોમાં ટિકિટની વહેંચણી માટે જ્ઞાતિ-જાતિના ગણિતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. સંકલન બેઠકમાં જે-તે વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડના સામાજિક સમીકરણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કયા વોર્ડમાં કયા સમાજનું પ્રભુત્વ છે અને કયા ઉમેદવારને ઉતારવાથી એન્ટી-ઈન્કમ્બન્સી ઓછી કરી શકાય, તે બાબતે ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. હવે આ નામોની પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. સુરત ભાજપ હવે ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. સુરત મનપા ચૂંટણીની વોર્ડ (1થી 30) વાઈઝ દાવેદારોની યાદી
મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશમાંથી આવેલા અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટે વોર્ડવાર આગેવાનોની સેન્સ લીધી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના જણાવ્યા અનુસાર, 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં કુલ 427 આગેવાનોએ ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. વોર્ડ નં. 9 માં સૌથી વધુ 49 દાવેદારો હતા, જ્યારે વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 18 દાવેદારો નોંધાયા હતા. અન્ય વોર્ડમાં દાવેદારોની સંખ્યા આ મુજબ છે: વોર્ડ 1માં 39, 2માં 31, 3માં 35, 4માં 26, 5માં 31, 6માં 35, 7માં 44, 8માં 34, 11માં 29, 12માં 30 અને 13માં 26. દાવેદારી કરનારાઓમાં નગરપાલિકાના પૂર્વ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો (અથવા તેમના પતિ), સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો અને સામાજિક આગેવાનોનો સમાવેશ થાય છે. હવે જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ દાવેદારોના નામની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે, ત્યારબાદ પ્રદેશમાંથી ઉમેદવારોના અંતિમ નામ જાહેર કરાશે.
BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ
Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે(3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને એક પછી એક બે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ જોડવામાં આવ્યા હતા. DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતાઆંબલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત કોંગ્રેસના દેવભૂમિ દ્વારકાના ખેડૂત નેતા છે. વર્ષ 2020 માં તેમની સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાં તેમને પોલીસ સ્ટેશનથી બોલાવીને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનથી પરત ફરતા હતા, ત્યારે તેમને અંગૂઠો લેવાનો છે તેમ કહીને ફરીથી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેમને પોલીસ કમિશનર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં DCP જયદીપસિંહ અને PI હિતેશ ગઢવીએ તેમને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. PIએ ફરિયાદ લેવાની ના પાડી હતીતે પછી તેમની પર જુદા જુદા કેસ કરવામાં આવ્યા હતા. પાલ આંબલિયાએ આ સંદર્ભે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોધાઇ હતી. તેઓએ પ્રદ્યુમન નગર પોલીસ મથકે DCP અને માર મારનાર PI હિતેશ ગઢવી સામે પોલીસ ફરિયાદ આપવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનના PI વિક્રમ વણઝારાએ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેઓએ આ અંગે કમિશનરને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત DGP ને પત્ર લખ્યો હતો. ત્યાં ગાંધીનગર સેક્ટર 21 પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતીઆંબલિયાના જણાવ્યા મુજબ તેમનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું ન હતું. આ કેસ જ્યારે પેન્ડિંગ હતો, ત્યારે પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતી. પરંતુ તેમાં પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમરી ભરી દીધી હતી. જે મુજબ અન્ય એક DCP એ કરેલી તપાસમાં પ્રથમદર્શી રીતે કસ્ટોડિયલ માર મરાયાનું સામે આવ્યું નથી. જો કે ડોક્ટરના સારવારના પ્રમાણપત્રો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારીચાર પોલીસ કર્મચારી સામે ફરિયાદ સંદર્ભે A સમરીમાં પૂરતા પુરાવા નહીં મળી આવ્યા અને ગુનો બન્યો છે, પરંતુ આરોપી ઓળખાયા નથી તે પ્રમાણેની સમરી ભરવામાં આવી છે. જ્યારે સામા પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે JMFC કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ છે. આરોપીએ સામે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી. CID ક્રાઈમ બ્રાન્ચે પણ આ બાબતે તપાસ કરી હતી. આ ઘટનાના કોઈ CCTV પણ નથી. કોઈ એટ્રોસિટી આચરવામાં આવી નથી કે તેની કોઈ સાબિતી પણ નથી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ બાબતે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી, JMFC કોર્ટ સમક્ષ આ મુદ્દો પેન્ડિંગ છે, ત્યારે આ અરજીને નકારવામાં આવે છે.
સુરતના કતારગામ વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. રામજી મંદિર પાસે નિર્માણ પામી રહેલી એક શાળાના બાંધકામ સ્થળે શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકી પર પિતાની સાથે જ કામ કરતા એક મજૂરે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકીએ હિંમત બતાવી માતા-પિતાને આપવીતી જણાવતા પોલીસે બિહારના આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રમતી બાળકી પર નજર બગડીમળતી માહિતી પ્રમાણે, કતારગામ રામજી મંદિર પાસે એક સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં બિહારના કટિહાર જિલ્લાના અનેક મજૂરો પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે. ગત 1 એપ્રિલના રોજ બપોરે 2 થી સાંજના 6:30 વાગ્યા દરમિયાન જ્યારે અન્ય મજૂરો કામમાં વ્યસ્ત હતા, ત્યારે આરોપી અલી અજંર મહમદ હબલુ આલમ (રહે. બિહાર) એ ત્યાં રમી રહેલી 8 વર્ષની બાળકીને એકલી જોઈ હતી. આરોપી બાળકીને પકડીને સાઇટ પર બનાવેલી એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ધમકી આપી ‘માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ’માસૂમ બાળકી કંઈ સમજે તે પહેલા જ હવસખોર અલી અજંરે તેને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે બાળકીને ધમકી આપતા કહ્યું હતું કે, જો તે આ વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ. માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ. આ ધમકીથી બાળકી થરથર ધ્રૂજી ઉઠી હતી. જોકે, હવસખોરના ગયા બાદ માસૂમે હિંમત એકઠી કરી આખી ઘટના માતા-પિતાને કહી સંભળાવી હતી. ગણતરીના કલાકોમાં આરોપી જેલ ભેગોબાળકીના માતા-પિતાએ તાત્કાલિક કતારગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાળકીની ગંભીર હાલત અને ગુનાની ગંભીરતા જોઈ તુરંત જ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી અલી અજંરની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. શાળા જેવી પવિત્ર જગ્યાએ નરાધમનું પાપજ્યાં બાળકો શિક્ષણ મેળવવા આવવાના છે તેવી નિર્માણધીન શાળામાં જ આ હીન કૃત્ય આચરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ કેસમાં વધુ પૂછપરછ કરી શકાય.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન વીજળી પડતા પશુપાલન પર નિર્ભર કાંતાબેન (સ્વ. પુંજાજી વાઘાજી ઠાકોર) ના બે પશુઓ મૃત્યુ પામ્યા હતા. બાંધેલા પશુઓને બચાવવાની કોઈ તક મળી ન હતી. કાંતાબેન અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે અને તેમના પરિવારમાં કમાનાર કોઈ સભ્ય નથી. આ ગાય અને ભેંસ જ તેમના ઘરનું ગુજરાન ચલાવવાનો એકમાત્ર સ્ત્રોત હતા. પશુઓના દૂધથી થતી આવક દ્વારા જ તેઓ પરિવારનું ભરણપોષણ કરતા હતા. આ દુર્ઘટના બાદ પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ જતાં કાંતાબેન અને તેમનો પરિવાર અસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે. ગ્રામજનોએ વિધવા મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ત્વરિત ધોરણે પશુઓના મોત અંગેનો સર્વે કરવાની માંગ કરી છે. પરિવાર પાસે હાલ આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી સરકારી તંત્ર વહેલી તકે આર્થિક વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે. પશુઓના અકાળે મોતથી થયેલું નુકસાન આ ગરીબ પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે.
વાપી મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ દ્વારા તમામ 52 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શાહે જણાવ્યું હતું કે, હાલમાં સેન્સ લેવાની અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 110 દાવેદારોએ ફોર્મ ભર્યા છે, અને આ આંકડો 225 સુધી પહોંચવાની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં પાણીની સમસ્યા, ભ્રષ્ટાચાર અને જમીન કપાત જેવા મુદ્દાઓને મુખ્ય બનાવવામાં આવશે. આ મુદ્દાઓ પર જનતા સમક્ષ ભાજપ સરકારની નિષ્ફળતાઓ રજૂ કરાશે. શહેર પ્રમુખે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગત સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને જનતા સમક્ષ ખુલ્લો પાડવામાં આવશે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જમીન કપાત અને ડેવલપમેન્ટ ચાર્જીસના મુદ્દે લોકોમાં ભારે રોષ છે. કોંગ્રેસ આ વખતે મજબૂત ટીમ સાથે મેદાનમાં ઉતરશે અને સત્તા પરિવર્તન માટે પૂરી તાકાત લગાવશે.
વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથુ મળ્યુંશહેરના નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલી વ્યાયામશાળામાં અસામાજિક શખ્સ દ્વારા બકરાનું કપાયેલું માથું નાખવામાં આવ્યું હોવાની ઘટના ચકચાર મચાવી છે. આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને વાતાવરણમાં તણાવ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ હિન્દુ યુવકો દ્વારા રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા પ્રયાસપોલીસે હાલમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપાયેલું બકરાનું માથું નાખીને શહેરની શાંતિ ભંગ કરવા સાથે હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. સંગઠનોએ DRM આવેદનપત્ર આપ્યુંઆજે હિન્દુ સંગઠનો દ્વારા DRM ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈ ગંભીરતા દાખવી છે.આ મામલે રેલવે પોલીસે જાણાવાજોગ ફરિયાદ નોધી આ વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓને પાછો ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ આપવામાં આવ્યો છે, ત્યારે હવે ભાજપમાં જ આંતરિક વિખવાદ સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાપૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રીઓંક ફરતી કરી હોવાના આક્ષેપ હતા. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ તેઓના સાળાનું નામ પણ ખુલ્યું હતું. સમગ્ર મામલે ભાજપે અલ્પેશ લીંબાચીયા સામે કડક રહે કાર્યવાહી કરી તેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે તે સમયે પત્રિકાકાંડની તપાસમાં તેઓની ભૂમિકા સપાટી પર આવતાં અને પક્ષમાં કોઈ આવું કૃત્ય ન આચરે તેવો દાખલો બેસાડવા ભાજપે અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા નિર્ણય કર્યો છે, જ્યારે અલ્પેશ લિંબાચિયાએ કહ્યું કે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. સસ્પેન્ડ થયા બાદ પણ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યુંઅલ્પેશ લિંબાચિયાને ભાજપે વિધિવત રીતે ખેસ પહેરાવી પુનઃ પ્રવેશ આપ્યો હતો. ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ થયા બાદ પણ મેં ભાજપ વિરુદ્ધ કામ નથી કર્યું. જયારે સામાન્ય સભામાં મતદાન થકી કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મેં ભાજપની તરફેણમાં જ મતદાન કર્યું છે. ત્યારે ભાજપે મારા ઉપર પુનઃ જવાબદારી મૂકી છે તેને હું એક કાર્યકર તરીકે પરિપૂર્ણ કરીશ. ત્રણ વર્ષમાં કોર્પોરેશનમાં જ્યારે પણ મતદાનની સ્થિતિ આવી, ત્યારે તેમણે હંમેશા ભાજપની તરફેણમાં જ મત આપ્યો છે. તેમણે ક્યારેય પણ પાર્ટીની શિસ્ત વિરુદ્ધ કામ કર્યું નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ચૂંટણી લડુ કે નહીં તે પાર્ટી નિર્ણય કરશેઆગામી સમયમાં ચૂંટણીઓ છે, ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પાર્ટી જે નિર્ણય લેશે તે પ્રમાણે હું અનુસરીશ. તેઓ એક જ વાતને વળગી રહ્યા હતા કે પાર્ટી જે આદેશ કરશે તે પ્રમાણે કરીશ. ત્યારે આગામી સમયમાં ભાજપના સમીકરણો બદલાઈ શકે છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સિનિયર ધારાસભ્યએ મધ્યસ્થી કરી?અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વોર્ડ 19માંથી જીત્યા હતા. તેઓ દ્વારા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નજીકના મનાતા અને તેઓના આશીર્વાદથી જ મેયર બનેલા નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં શું સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જ મધ્યસ્થી કરી કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં એમ જણાવ્યું હતું કે, આ પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટી કરે એ શિરોમાન્ય હશે.

31 C