ઓગણજ વિસ્તારમાં આવેલી એક વ્યક્તિની જમીન એક શખસે પચાવી પાડી છે. આ જમીન પચાવી આરોપીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બનાવટી ટેક્સ બિલના આધારે ઉત્તર ગુજરાત વીજ કંપનીમાંથી ખોટી રીતે વીજળીનું કનેક્શન પણ મેળવ્યું છે. આ અંગે જમીન માલિકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રમેશ દેસાઈએ રમેશભાઈ ભરવાડની માલિકીની જગ્યા પચાવી પાડીવટવામાં રહેતા રમેશભાઈ ભરવાડે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ ટ્રેક્ટર કોન્ટ્રાક્ટ પર ચલાવે છે. જુલાઈ, 2025ના રોજ તેમણે ઓગણજમાં એક જમીન લીધી હતી, જેનો દસ્તાવેજ પણ કરાવ્યો હતો. જોકે, આ જમીન રમેશ દેસાઈ નામના ચાણક્યપુરીના વ્યક્તિએ પચાવી પાડી હતી. જે અંગે હાલ કાર્યવાહી ચાલી રહી છે. રમેશ દેસાઈએ રમેશભાઈ ભરવાડની માલિકીની જગ્યામાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાંથી વીજ કનેક્શન મેળવ્યું છે. પુરાવા રૂપે રમેશ દેસાઈએ AMCનું બનાવટી ટેક્સ બિલ મૂક્યું હતુંરમેશભાઈ ભરવાડે કંપનીમાં જઈને તપાસ કરતા દસ્તાવેજી પુરાવા રૂપે રમેશ દેસાઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એક બનાવટી ટેક્સ બિલ મૂક્યું હતું જેના આધારે વીજ કનેક્શન મેળવ્યું છે.ખોટા ટેક્સ બિલના પુરાવા સાથે રમેશભાઈ ભરવાડે રમેશ દેસાઈ વિરુદ્ધ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરતા તેમની મહિલા મિત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, તુષાર ઘેલાણીએ પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું, જે મામલે તેમના પરિવાર દ્વારા ગંભીર આક્ષેપો સાથે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, સામે પક્ષે મહિલા મિત્ર દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ સમગ્ર મામલાની ઊંડી તપાસ બાદ પોલીસને મહિલા મિત્રની સંડોવણી જણાતા આખરે તેની વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો?સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. જે બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટીકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે, ઈજા એટલી ગંભીર હતી કે, બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. કોણ હતા તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા. આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ…
નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં હાલ ભડકો જોવા મળી રહ્યો છે. જલાલપોર વિધાનસભાના કાર્યકરોમાં સંગઠન પ્રત્યે ભારે રોષ વ્યાપ્યો છે અને રાજીનામાનો દોર ચાલી રહ્યો છે. આ ખેંચતાણ વચ્ચે નવનિયુક્ત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ પાટીલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેઓ વિજલપોરના વિઠ્ઠલ મંદિરમાં પરંપરાગત ધાર્મિક નૃત્ય કરતા જોવા મળી રહ્યા છે. ભાજપ અગ્રણી ભક્તિમાં મગ્નવિજલપોર સ્થિત વિઠ્ઠલ મંદિરમાં દર વર્ષે શિવરાત્રીથી 9 દિવસ સુધી હરિપાઠનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના વારકરી સંપ્રદાયની પરંપરા મુજબ ભક્તો ફૂગડી રમે છે. આ પ્રસંગે વિજલપોર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને હાલના જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશ પાટીલ પણ ભક્તિમાં મગ્ન થઈને પરંપરાગત શૈલીમાં નૃત્ય કરતા કેમેરામાં કેદ થયા હતા. પાટીલે આ અંગે જણાવ્યું હતું કે, દર વર્ષે વિઠ્ઠલ મંદિરમાં શિવરાત્રીથી 9 દિવસ માટે હરિપાઠનું આયોજન થાય છે. મહારાષ્ટ્રના સંતોની વાણી સાંભળવા સાથે ભક્તિના ભાગરૂપે ફૂગડી રમીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જલાલપોર ભાજપમાં ભભૂકતો રોષએકતરફ જ્યારે પ્રકાશ પાટીલ ભક્તિના રંગે રંગાયા છે, ત્યારે બીજીતરફ જિલ્લા ભાજપમાં સ્થિતિ ગંભીર છે. જલાલપોર વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યના પસંદગીના વ્યક્તિને મહામંત્રીનું પદ ન મળતા કાર્યકરોમાં ભારે નારાજગી છે. જિલ્લા અને પ્રદેશ સંગઠન દ્વારા આ રોષને ધ્યાને ન લેવાતા દરરોજ નવસારી અને જલાલપોર તાલુકામાંથી હોદ્દેદારો રાજીનામા ધરી રહ્યા છે. શું આ 'ઓલ ઈઝ વેલ'નો સંકેત છે?શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં જે રીતે રાજીનામાની ઝડી વરસી રહી છે, તેણે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. વિરોધના આ વંટોળ વચ્ચે જિલ્લા સંગઠનના ઉચ્ચ હોદ્દેદારનું મુક્ત મને કાર્યક્રમોમાં હાજરી આપવી અને નૃત્ય કરવું એ બાબત તરફ ઈશારો કરે છે કે સંગઠન આ વિરોધને ખાસ મહત્વ આપવા માંગતું નથી અથવા બધું જ ટૂંક સમયમાં થાળે પડી જશે તેવો આડકતરો મેસેજ વહેતો કરવામાં આવ્યો છે. પ્રકાશ પાટીલ કોણ છે?હોદ્દો: નવનિયુક્ત ઉપપ્રમુખ, નવસારી જિલ્લા ભાજપ. અનુભવ: પૂર્વ ઉપપ્રમુખ, વિજલપોર નગરપાલિકા. પાર્શ્વભૂમિ: છેલ્લા અનેક વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છે અને વિજલપોર વિસ્તારના કદાવર નેતા તરીકેની છાપ ધરાવે છે.
બોટાદ રિક્ષા એસોસિએશને ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. એસોસિએશને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી મફત પહોંચાડવાની સેવા જાહેર કરી છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવ વચ્ચે વાહનવ્યવહારની ચિંતામાંથી મુક્ત કરવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે. આ સંજોગોમાં, બોટાદ શહેરના રિક્ષા એસોસિએશને વિદ્યાર્થીઓના હિતમાં આ પ્રશંસનીય પગલું ભર્યું છે. પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓ સમયસર અને કોઈપણ આર્થિક બોજ વગર કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે આ 'ફ્રી સેવા' શરૂ કરવામાં આવી છે. બોટાદ શહેરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર સુધી રિક્ષામાં જવાની સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. વિદ્યાર્થીઓ અને વાલીઓની સરળતા માટે રિક્ષા એસોસિએશન દ્વારા ખાસ હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવશે, જેના પર સંપર્ક કરીને રિક્ષા બોલાવી શકાશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવ વચ્ચે વાહનવ્યવહારની ચિંતા ન રહે અને તેઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે. રિક્ષાચાલકોએ પોતાની રોજીરોટીની ચિંતા કર્યા વગર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જે ઉદારતા દાખવી છે, તેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. શહેરના રિક્ષાચાલકોના આ નિર્ણયને વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. બોટાદ રિક્ષા એસોસિએશનના પ્રમુખ દિલીપભાઈ મહારાજે આ અંગેની માહિતી આપી હતી.
આજરોજ પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ 'સારંગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટર જાગૃતિબેન કાકા, મોટિવેશનલ સ્પીકર હસમુખભાઈ જાદવ, કોર્પોરેટર જ્યોતિબેન પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નીલેશભાઈ કહાર, વોર્ડ મહામંત્રી મનોજભાઈ સોલંકી, વોર્ડ પ્રમુખ કૃણાલભાઈ સોનલકર, કોર્પોરેટર ધર્મેશભાઈ પટની, SMC અધ્યક્ષા મીનાબેન અને શિક્ષણવિદ ભાનુબેન ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ગુરુ બ્રહ્મા શ્લોક, પ્રાર્થના અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. સંસ્કૃત ભારતી વિદ્યાલયના નિવૃત્ત શિક્ષક હસમુખભાઈ જાદવે ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયમાંથી મુક્ત થવા માટે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જાગૃતિબેન કાકા, જ્યોતિબેન પટેલ, મનીષભાઈ અને નીલેશભાઈ કહારે પણ પોતાના પ્રવચનો દ્વારા બાળકોને ધોરણ 10ની પરીક્ષાનો ડર દૂર કરવા પ્રોત્સાહિત કર્યા હતા. નીલેશભાઈ કહારે સાંસદ હેમાંગભાઈ જોષી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પાઠવવામાં આવેલો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વાર્ષિક ઉત્સવનો મુખ્ય કાર્યક્રમ શરૂ થયો હતો. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમાંક મેળવનાર બાળકોને પ્રમાણપત્રો અને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. બાળકો દ્વારા કુલ 15 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોને સમગ્ર વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માટે પણ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ધોરણ નવના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ મહાભારત, શિવ તાંડવ સ્તોત્ર અને રાણી લક્ષ્મીબાઈની સ્કીટ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. શાળામાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા અક્ષયભાઈ બારીયાને સરકારી શિક્ષક તરીકે કચ્છ ખાતે નોકરી મળતા, શાળામાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વંદે માતરમ ગીત અને જનગણમણનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વિરલભાઈ વ્યાસ અને ઇન્ચાર્જ આચાર્ય જંદુભાઈએ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
SOIBM ખાતે PGDMનો પ્રથમ દીક્ષાંત સમારોહ:'નોકરી શોધનાર નહીં, નોકરી આપનાર બનો': ડૉ. સસ્વતા બિસ્વાસ
સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (SOIBM) ખાતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM)નો પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહ સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આયોજિત કરાયો હતો, જેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ (IRMA-આણંદ)ના ડિરેક્ટર ડૉ. સસ્વતા બિસ્વાસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. બિસ્વાસે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજના સ્પર્ધાત્મક બિઝનેસ જગતમાં સફળ થવા માટે ઉદ્યોગસાહસિકતા અને જોખમ લેવાની તૈયારી જરૂરી છે. તેમણે યુવા પેઢીને નોકરી શોધનાર નહીં, પરંતુ નોકરી આપનાર બનવા માટે પ્રેરણા આપી હતી. આ સમારોહની અધ્યક્ષતા સિલ્વર ઓક યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પૂનમ અગ્રવાલે કરી હતી. તેમણે યુવા સ્નાતકોને નૈતિક મૂલ્યો સાથે વ્યવસાય કરવા અને સમાજ માટે ઉપયોગી તેમજ ટકાઉ ઉદ્યોગો સ્થાપવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પદવીદાન સમારોહમાં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ વિદ્યાર્થી આનંદ ગોહેલને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. આ પ્રસંગે સિલ્વર ઓક યુનિવર્સિટીના મેનેજમેન્ટ ગણ અને પ્રોગ્રામ ચેરપર્સન ડૉ. બાલા ભાસ્કરન પણ ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદના પાલડી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે ફાગણ સુદ ત્રીજ, શુક્રવાર, ૨૦ ફેબ્રુઆરીના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનું ષોડ્શોપચારથી પૂજન અને અભિષેક કરાયા બાદ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પાટોત્સવ દરમિયાન કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ૮૪મા દીક્ષા દિનની પણ ઉજવણી થઈ હતી. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ તેમને પ્રથમ ત્યાગી પટ્ટશિષ્ય સંત તરીકે દીક્ષા આપી હતી. આ અવસરે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૫ ફૂટનો વિશાળ હાર અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. આ ત્રણેય દ્વારા જનસમાજમાં સંસ્કારોનું સંવર્ધન થાય છે. સંતોના યોગથી વ્યક્તિનું પરિવર્તન શક્ય બને છે, જેમ કે નારદજીના યોગમાં વાલિયો લૂંટારો વાલ્મિકિ ઋષિ બન્યા હતા. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ દેશ-વિદેશ અને ગુજરાતના ગામડે-ગામડે ફરીને અનેક યુવાનોને ભક્તિ અને સદાચારના માર્ગે વાળ્યા છે. તેમના પ્રયાસોથી ઘણા લોકો આજે પણ વ્યસનમુક્ત જીવન જીવી રહ્યા છે. તેમણે લોકોને સવારે જાગીને ધ્યાન-પ્રાર્થના કરવા, નિત્ય મંદિરે દર્શન કરવા અને પછી નૈતિકતા જાળવીને ધંધા-નોકરીનું કાર્ય કરવાના સંસ્કારો આપ્યા છે. આ પાટોત્સવ અને દીક્ષા દિનની ઉજવણી દ્વારા સંતો અને સંસ્કૃતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે.
સોશિયલ મીડિયા પર વિવાદોનું કેન્દ્ર રહેતી કિર્તી પટેલ અને તેની ગેંગ સામે જૂનાગઢના એક યુટ્યુબરે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે. સનાતન ધર્મ અને સાધુ-સંતોના અપમાનનો વિરોધ કરવા બદલ યુટ્યુબર અબજલ કારાભાઇ સીડાને 20 લાખ રૂપિયાની ખંડણી માંગી, જાનથી મારી નાખવાની અને ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી મળતા તેણે ઝેરી દવા (ફિનાઈલ) પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવાન જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શું છે સમગ્ર વિવાદનું મૂળ?ફરિયાદી અબજલ સીડા, જે પોતે એક યુટ્યુબર (ZIDI_boy_4848) છે, તેણે પોલીસ સમક્ષ લખાવેલી વિગતો મુજબ તાજેતરમાં જૂનાગઢ ખાતે યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં કિર્તી પટેલે સાધુના વેશમાં મૃગી કુંડમાં શાહી સ્નાન કર્યું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ છેડાયો હતો. અબજલના જણાવ્યા અનુસાર કિર્તી પટેલે ત્યારબાદ સાધુ-સંતો અને સનાતન ધર્મ વિરુદ્ધ વાંધાજનક વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. ફરિયાદી મુસ્લિમ હોવા છતાં સનાતન ધર્મમાં અતૂટ આસ્થા ધરાવતો હોવાથી તેણે કિર્તી પટેલના આ વીડિયોનો વિરોધ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. કિર્તી પટેલે વ્યુઅર્સ ઘટતા 20 લાખની ખંડણી માંગ્યાનો આક્ષેપઅબજલે આક્ષેપ કર્યો છે કે તેના વિરોધ પ્રદર્શન વાળા વિડિયોને કારણે કિર્તી પટેલના વ્યુઅર્સમાં મોટો ઘટાડો થયો હતો. આથી કિર્તી પટેલ અને તેના સાગરીતો—જૂનાગઢની દિવ્યા સાવલાણી, તેનો બોયફ્રેન્ડ જશપાલસિંહ, અને સુરતના હનુ રાણાભાઈ ચાવડા તથા વિરમ ચોથાભાઈ મેવાડાએ એકસંપ થઈને અબજલને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર કોલ કરી ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેઓએ અબજલને કહ્યું હતું કે, તારા વિડિયોના કારણે અમારા વ્યુઅર્સ ઘટી ગયા છે એટલે તારે કિર્તી પટેલને 20 લાખ રૂપિયા આપવા પડશે. બળાત્કારના કેસમાં ફસાવવાની અને જાનથી મારવાની ધમકીફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી દિવ્યા સાવલાણી અને જશપાલસિંહે અબજલને વ્હોટ્સએપ કોલ કરીને ગંદી ગાળો આપી હતી અને ધમકી આપી હતી કે, જો તે વીડિયો ડિલીટ નહીં કરે અને 20 લાખ રૂપિયા નહીં આપે, તો તેને ખોટા બળાત્કારના કેસમાં ફિટ કરાવી દેવામાં આવશે. ફક્ત એટલું જ નહીં, આરોપીઓએ અમે તારા ઘરે આવીએ છીએ, તું તૈયાર રહેજે એવી ધમકી આપતા અબજલ માનસિક રીતે ભાંગી પડ્યો હતો. બીકના માર્યા યુટ્યુબરે બે વાર ફિનાઈલ પીધુંઆરોપીઓ માથાભારે હોવાથી અને અગાઉ પણ અનેક ઝઘડાઓમાં સંડોવાયેલા હોવાથી અબજલને ડર લાગ્યો હતો કે તેની આખી જિંદગી જેલમાં બરબાદ થઈ જશે. 20 ફેબ્રુઆરીની સાંજે જ્યારે જશપાલસિંહ અને દિવ્યાએ કોન્ફરન્સ કોલ પર ધમકી આપી ત્યારે ગભરાઈ ગયેલા અબજલે પોતાના ઘરે જ બાથરૂમમાં રાખેલું ફિનાઈલ પી લીધું હતું. ત્યારબાદ તે ઘરેથી નીકળીને જેતપુર નવાગઢ પાસે ભાદર નદીના રેલ્વે પુલ પાસે ગયો અને ત્યાં ફરીથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 108 મારફતે હોસ્પિટલ ખસેડાયોઘટનાસ્થળેથી પસાર થતી એક મહિલાએ અબજલને પીડામાં જોતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના કારણે તેને જેતપુર સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર મળી શકી હતી. હોસ્પિટલના બિછાનેથી અબજલે પોલીસને આપેલા નિવેદનમાં કિર્તી પટેલ, દિવ્યા સાવલાણી (જૂનાગઢ), જશપાલસિંહ (દિવ્યાનો બોયફ્રેન્ડ), હનુ રાણાભાઈ ચાવડા (સુરત) અને વિરમ ચોથાભાઈ મેવાડા (સુરત)ના નામ આપ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે મોબાઈલ લોકેશન અને વોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ઝીરો નંબરથી એન્ટ્રી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને પૈસા ખંખેરવા માટે રચાતા આ માયાજાળમાં કીર્તિ પટેલ ગેંગની સંડોવણીથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મોબાઈલ લોકેશન અને વોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરસપુરના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે(20 ફેબ્રુઆરી) રાત્રે લગ્ન પ્રસંગમાં ગીતો વાગતા આસપાસના લોકો પહોંચ્યા હતા અને ગીતો બંધ કરવાનું કહીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બંને પક્ષે સામ સામે મારામારી થઈ હતી. મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષે સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી. તો બીજી તરફ આજે પોલીસ સ્ટેશનમાં પરિવારના સભ્યો અને VHPના કાર્યકરો ધરણા પર બેઠા છે. પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં તોડફોડસરસપુરમાં આવેલા વંદે માતરમ પાર્ટી પ્લોટમાં ગઈકાલે રાત્રે 11:30 વાગ્યાની આસપાસ યુવતીના લગ્ન હતા જેમાં ઊંચા અવાજે ડીજે વાગી રહ્યું હતું. ત્યારે આસપાસના સ્થાનિકો પૈકી કેટલાક લોકો પાર્ટી પ્લોટ બહાર આવ્યા હતા અને ધીમે ગીતો વગાડવા કહ્યું હતું. જે બાબતે બંને જૂથના લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ મારામારી કરી પાર્ટી પ્લોટની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. મામલો ઉગ્ર બનતા પથ્થરમારોમામલો વધુ ઉગ્ર બનતા કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો તલવાર લઈને પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન જાણ થતા શહેરકોટડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. પોલીસે બંને પક્ષની સામ સામે ફરિયાદ નોંધી 7 આરોપીની અટકાયત પણ કરી હતી.
કાપડિયાળી ગામે જૂના ઝઘડામાં પરિવાર પર હુમલો:ચાર શખ્સો સામે ગુનો નોંધાયો, પોલીસ તપાસ શરૂ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કાપડિયાળી ગામે જૂના ઝઘડાની અદાવતમાં એક પરિવાર પર હુમલો થયો છે. આ મામલે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, પાંચ જેટલા શખ્સો લાકડીઓ લઈને ફરિયાદી ભુપતભાઈ મેરના ઘરે પહોંચ્યા હતા. તેમણે ભુપતભાઈ અને તેમના પરિવારના સભ્યોને માર માર્યો હતો. આ હુમલામાં વૃદ્ધ ખેડૂત ભુપતભાઈ મેર, તેમની પત્ની રામુબેન, પુત્ર જગદીશભાઈ અને પુત્ર દેવરાજને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બરવાળા પોલીસે આ ઘટના અંગે પ્રવિણભાઈ સોમાભાઈ ઝાલા, ગંભીરભાઈ લાભુભાઈ, હસમુખભાઈ બાબુભાઈ અને વનરાજભાઈ બાબુભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં સુમરા યુવાન પર જૂની અદાવતે હુમલો:પાંચ હાટડી વિસ્તારમાં 8 આરોપીઓ સામે ગુનો નોંધાયો
જામનગરના પાંચ હાટડી વિસ્તારમાં ગઈ રાત્રે જૂની અદાવતને કારણે એક સુમરા યુવાન પર હુમલો થયો હતો. આ ઘટના બાદ પોલીસે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સમગ્ર વિસ્તાર બંધ કરાવ્યો હતો અને આઠ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા પાંચ હાટડી વિસ્તારમાં ઓસમાણ મુસાભાઈ ખફી (સુમરા) નામના યુવાન પર 7 થી 8 અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલાની જાણ થતાં જ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા સહિતની સર્વેલન્સ ટીમ તાત્કાલિક પાંચ હાટડી વિસ્તારમાં પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારમાં આવેલી હોટલો, ખાણી-પીણીની લારીઓ અને ચા-પાનના ગલ્લા સહિત તમામ દુકાનો બંધ કરાવીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઈજાગ્રસ્ત ઓસમાણભાઈને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ફરિયાદી ઓસમાણભાઈએ જૂની અદાવતના કારણે હુમલો કરનાર આઠ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સિટી એ ડિવિઝનના પી.એસ.આઇ. વી.આર. ગામેતીએ રેહાન ઈકબાલભાઈ બેલીમ, સદામ ઉર્ફે ઈંડો શેખ, રઉફ ગુલામભાઈ બેલીમ, સાકીર રફિકભાઈ ખીલજી, મોહમ્મદ અખ્તરભાઈ પંજા, અસલમ કાદરભાઈ શેખ અને સદ્દામ હનીફ પંજા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરામાં ફાગોત્સવ ઉજવાયો, વૈષ્ણવજનો ઉમટ્યા:મહારાજશ્રીઓની ઉપસ્થિતિમાં પુષ્પોની હોળી રમાઈ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે હોળીના પાવન પર્વ નિમિત્તે 'કૃષ્ણ પાર્ટી પ્લોટ' માં ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ મહોત્સવ ષષ્ઠપીઠાધિશ્વર પ.પૂ.ગો. 108 દ્વારકેશલાલજી મહારાજ, પ.પૂ.ગો. 108 આશ્રયકુમારજી મહોદય અને પ.પૂ.ગો. ૧૦૮ શરણમકુમારજી મહોદયની ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ગાયક કલાકારો દ્વારા હોળીના રસિયા અને ફાગના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત વૈષ્ણવજનોએ રંગબેરંગી ફૂલો દ્વારા હોળી રમી ઉત્સવની ઉજવણી કરી હતી. ગોધરા અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં વૈષ્ણવજનોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને દર્શનનો લાભ લીધો હતો.
દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'India-AI Impact Summit 2026' માં વિરોધ પક્ષ દ્વારા વિરોધના પડઘા હવે સુરતમાં પણ જોવા મળી રહ્યા છે. દિલ્હીમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા સમિટ દરમિયાન કરવામાં આવેલા પ્રદર્શનને ભાજપે દેશની વૈશ્વિક છબી ખરડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે સુરતના અઠવાગેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તેમના પૂતળાનું દહન કર્યું હતું. કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છેઃ ભાજપઅઠવાગેટ ખાતે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પ્રદર્શનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે ભારત ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને વિદેશી રોકાણકારો ભારત આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે સમિટમાં અવરોધ ઊભો કરવો એ માત્ર સરકારનો વિરોધ નથી, પરંતુ ભારતની પ્રગતિને રોકવાનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશને શરમાવવાનું કૃત્ય છે. ‘રાહુલ ગાંધીની 'દેશ વિરોધી માનસિકતા' હવે ખુલ્લી પડી ગઈ છે’વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત ભાજપના અગ્રણીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની 'દેશ વિરોધી માનસિકતા' હવે ખુલ્લી પડી ગઈ છે. તેમણે ઉમેર્યું કે ભારત જ્યારે $250 બિલિયનથી વધુના રોકાણની પ્રતિબદ્ધતાઓ સાથે સફળતાના શિખરો સર કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવતા આવા 'અશોભનીય' પ્રદર્શનો દેશની જનતા ક્યારેય સ્વીકારશે નહીં. પૂતળા દહનના કાર્યક્રમને પગલે અઠવાગેટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા બે શખ્સોને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અમદાવાદ સેન્ટ્રલ જેલ અને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. પ્રથમ કિસ્સામાં, વડિયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એ.એન. ગાંગણાએ આટકોટના રહેવાસી અક્ષય જનીભાઈ સાઢમિયા સામે પુરાવા એકત્ર કર્યા હતા. તેમની સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા પોલીસ વડા મારફત જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી. લોકોની મિલકતને જોખમરૂપ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને, અમરેલી જિલ્લા કલેક્ટરે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. ત્યારબાદ, અમરેલી એલસીબી પીઆઈ એ.ડી. ચાવડા અને તેમની ટીમ દ્વારા આરોપી અક્ષય સાઢમિયાની ધરપકડ કરવામાં આવી હતી. તેને અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે અટકાયતમાં રાખવા માટે મોકલી દેવામાં આવ્યો છે. આરોપી અક્ષય સાઢમિયા સામે અગાઉ વડિયા પોલીસ સ્ટેશનમાં બે, બાબરા પોલીસ સ્ટેશનમાં બે અને વિંછીયા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. આમ, તેના નામે કુલ પાંચ ગુના નોંધાયેલા છે, જે પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ દર્શાવે છે. બીજા કિસ્સામાં, બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. શેઠ દ્વારા જસદણના રહેવાસી મહમદહુસેન હબીબભાઈ કટારીયા સામે પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. આ પુરાવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરાયા બાદ, કલેક્ટરે પુરાવાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી સામે પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું. એલસીબી ટીમ દ્વારા પાસા વોરંટની બજવણી કરીને આરોપી મહમદહુસેન કટારીયાની ધરપકડ કરવામાં આવી હતી. તેને મહેસાણા જિલ્લા જેલ ખાતે અટકાયતમાં રાખવા માટે ખસેડવામાં આવ્યો છે. આરોપી મહમદહુસેન હબીબભાઈ કટારીયા સામે બાબરા પોલીસ સ્ટેશનમાં બે અને વડિયા પોલીસ સ્ટેશનમાં બે ગુના સહિત કુલ ચાર ગુના નોંધાયેલા છે. પોલીસ ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ, અમરેલી જિલ્લામાં બે ગુનેગારો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવતા, ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આવા તત્વો સામે સતત વોચ રાખીને તડીપાર અને પાસા જેવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
ચરોતર એજ્યુકેશન સોસાયટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત એમ. બી. પટેલ સાયન્સ કૉલેજના 51 વિદ્યાર્થીઓ અને 3 પ્રાધ્યાપકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આધુનિક એન્જિનિયરિંગ અને રાષ્ટ્રીય વિરાસતથી પરિચિત કરાવવાનો હતો. મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વ્યુઈન્ગ ગેલેરી, મ્યુઝિયમ, જંગલ સફારી, મેઈઝ ગાર્ડન અને વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લીધી હતી. તેમણે લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પણ આનંદ માણ્યો હતો. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના હોદ્દેદારો અને એન્જિનિયરો સાથે પ્રશ્નોત્તરી સત્રમાં ભાગ લીધો હતો. તેમણે પ્રતિમાના નિર્માણ, ટેકનોલોજી અને વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પ્રશ્નો પૂછીને મહત્વપૂર્ણ ટેકનિકલ માહિતી મેળવી. અધિકારીઓએ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા હતા. સમગ્ર મુલાકાત દરમિયાન ડૉ. નિરવ સાપરિયા, ડૉ. રાજેન્દ્ર પ્રજાપતિ અને ડૉ. અંકિતા ઠક્કરે વિદ્યાર્થીઓને સતત શૈક્ષણિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક સાબિત થયો. વિશ્વ કક્ષાના આ પ્રોજેક્ટની પ્રત્યક્ષ મુલાકાતથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશના વિકાસ પ્રત્યેની જાગૃતિમાં વધારો જોવા મળ્યો હતો.
નવસારી જિલ્લાની જાણીતી વસુધરા ડેરીના આઉટસોર્સિંગ કર્મચારીઓએ મેનેજમેન્ટ સામે મોરચો માંડ્યો છે. છેલ્લા 15 વર્ષથી થઈ રહેલા કથિત આર્થિક શોષણ અને ગેરરીતિઓના ગંભીર આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે વહેલી સવારથી ડેરીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ધરણા પર બેસી ગયા છે. આ લડતમાં હવે રાજકીય પક્ષો પણ સામેલ થતા મામલો ગરમાયો છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા પંકજ પટેલ પણ ધરણા સ્થળે પહોંચ્યા હતા. લેખિત બાંહેધરી આપતાં આંદોલશન સમેટાશેજિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ જણાવ્યું હતું કે વસુધરા ડેરીના આઉટસોર્સિંગના જે 500થી વધુ કર્મચારીઓ છે, એમનું છેલ્લા 15 વર્ષથી શોષણ થઈ રહ્યું છે. એમને પીએફ જે 1200 રૂપિયા જમા થાય છે, પરંતુ પીએફ કપાય છે 1600 રૂપિયા. જ્યારે એ જ રીતે બોનસ પણ 8.33 ટકા કપાય છે અને આપવામાં આવે છે, પરંતુ જમા થાય છે 5.92 ટકાના હિસાબે.રોજગારીના મુદ્દે પણ અનેક પ્રશ્નો છે, એમના જે વર્કિંગ અવર્સ છે, એમના પણ અનેક પ્રશ્નો છે. 15 જેટલા પ્રશ્નોને લઈને અમે આજે ધરણા પર બેઠા છે અને અત્યારે મેનેજમેન્ટ જોડે વાત ચાલુ છે. કર્મચારીઓને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. પરંતુ આજે અમે ધરણા પર બેસીને એક જ માંગણી છે કે, જે અમારી 15 માંગણીઓ છે એ સ્વીકારવામાં આવશે તો અમે ધરણા સમેટી લઈશું અને ડેરીનું કામ એમના રોજ જે રીતે થાય છે એ રીતે થશે. પરંતુ અમારી માંગણીઓ સ્વીકારવી આવશ્યક છે. અત્યારે એવો લેખિતમાં અમને બાંહેધરી આપવા માટે તૈયાર થયા છે, જો લેખિતમાં બાંહેધરી અમને મળશે તો અમે અમારું આંદોલન સમેટી લઈશું.PF અને બોનસમાં આર્થિક ગફલાના આક્ષેપકર્મચારીઓનો મુખ્ય આક્ષેપ પ્રોવિડન્ટ ફંડ (PF) અને બોનસમાં કરવામાં આવતી ગેરરીતિ અંગે છે. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર, સરકારી ધારાધોરણ મુજબ કાગળ પર 8.33% બોનસ દર્શાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કર્મચારીઓના ખાતામાં માત્ર 5.92% જેટલી જ રકમ જમા થાય છે. કાગળ પરની વિગતો અને વાસ્તવિક ચુકવણીમાં જોવા મળતા આ તફાવતને કારણે કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. 15 પડતર માંગણીઓ સાથે મડાગાંઠકર્મચારીઓએ મેનેજમેન્ટ સમક્ષ કુલ 15 જેટલી વિવિધ માંગણીઓ રજૂ કરી છે. આંદોલનકારી ધર્મેશ પટેલે જણાવ્યું હતું કે, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા આશરે 500થી 600 કર્મચારીઓને મળવાપાત્ર હક રજા, PF અને બોનસ યોગ્ય રીતે મળતા નથી. જ્યાં સુધી મેનેજમેન્ટ તરફથી લેખિત ખાતરી અને અમલીકરણની સમયમર્યાદા નક્કી કરવામાં નહીં આવે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. રાજકીય સમર્થન અને આક્રમક વલણકર્મચારીઓના સમર્થનમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા પંકજ પટેલ પણ ધરણા સ્થળે પહોંચ્યા હતા. વિપક્ષી નેતાઓએ કર્મચારીઓના પ્રશ્નો સાંભળી ડેરી મેનેજમેન્ટની નીતિઓની ટીકા કરી હતી. હાલમાં ડેરીના પ્રવેશદ્વાર પર ભારે સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ તંગ છે. જો મેનેજમેન્ટ દ્વારા વહેલી તકે કોઈ સકારાત્મક ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે.
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ડમ્પરની ટક્કરે એક નિર્દોષ યુવકનો જીવ ગયો છે. 21 ફેબ્રુઆરીને શનિવારે વહેલી સવારે યમદૂત બનીને આવેલા ડમ્પરે 22 વર્ષના મોપેડ રહીને જઈ રહેલા યુવકને ટક્કર મારતા યુવકને માથાના ભાગે ગંભીર જાઓ થઈ હતી, જેથી યુવકનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બનાવ અંગે જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પાછળથી આવતા ડમ્પરે યુવકને અપફેટે લીધોફતેવાડી વિસ્તારમાં રહેતો મુસ્તકીમ નામનો 22 વર્ષનો યુવક સવારના સમયે મોપેડ લઈને જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂર ઝડપે નંબર પ્લેટ વિનાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે મુસ્તકીમને ટક્કર મારી હતી. ટક્કર વાગતા મુસ્તકીમ જમીન પર પટકાયો હતો, જેના કારણે મુસ્તકીમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોમાં રોષગંભીર ઇજાઓના કારણે મુસ્તકીમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત થતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. તપાસ કરતા ડમ્પરના આગળ અને પાછળના ભાગે કોઈ નંબર પ્લેટ લાગેલી નહોતી. દિવસ દરમિયાન ભારે વાહનો જુહાપુરા જેવા ગીચ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં પણ દિવસ દરમિયાન ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે છે, તેના કારણે જ આ અકસ્માત થયો છે. આ પણ વાંચો: વાળીનાથ ચોક પાસે જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે ટક્કર મારી, મહિલાના માથા પરથી ડમ્પર ફરી વળતા માથું છુંદાયું ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો દાખલબનાવની જાણ થતા એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ડમ્પરને શહેરમાં નો એન્ટ્રમાં આવવાની પરમિશન હતી કે નહીં? તે બાબતની તપાસ કરવામાં આવશે. આ પણ વાંચો: અમદાવાદના ખોખરામાં એક્ટિવા લઈને જતી યુવતીને ડમ્પરે કચડી શહેરમાં પાંચ વર્ષમાં ટ્રક કે ડમ્પરથી 81 અકસ્માતમાં 44નાં મોત થયાં અમદાવાદમાં પાંચ વર્ષમાં ટ્રક કે ડમ્પરના 81 અકસ્માત નોંધાયા છે. તેમાં 44 લોકોએ જીવ ગુમાવ્યો છે. રોડ એક્સિડેન્ટ ઇન ઇન્ડિયા રિપોર્ટ મુજબ, 2019થી 2023 દરમિયાન અમદાવાદમાં ટ્રક કે ડમ્પર દ્વારા થયેલા અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. આ ઉપરાંત 43 લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દિવસે નો-એન્ટ્રી હોવા છતાં ડમ્પરો બેફામ ફરતાં હોય છે. 18 ડિસેમ્બર, 2025ઃ ડમ્પર ચાલકે વ્યાસવાડીથી પકવાન સુધી રસ્તો બાનમાં લીધો, 3 વાહનને અડફેટે લીધા, ટક્કરથી ઝાડ પડ્યું 18મી ડિસેમ્બરના રોજ મોડીરાત્રે એક ડમ્પર ચાલક બેફામ બન્યો હતો. આ બેફામ ડમ્પર ચાલકે વ્યાસવાડીથી પકવાન સુધી રસ્તો બાનમાં લીધો હતો. શહેરના પકવાન ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બેથી ત્રણ વાહનોને ટક્કર મારી હતી, જેમાં બે લોકોને ઇજા થઈ હતી. સ્થાનિક લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ડ્રાઇવરને ઉતારીને ઢોર માર મારવામાં આવ્યો હતો. (સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હિંમત હાઈસ્કૂલ ખાતે હિંમતનગર, પ્રાંતિજ અને તલોદ તાલુકાના શિક્ષકો માટે યોજાયેલી છ દિવસીય તાલીમનો આજે અંતિમ દિવસ હતો. આ તાલીમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત આયોજિત કરવામાં આવી હતી. આ તાલીમ 16 ફેબ્રુઆરી 2026, સોમવારથી શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી 2026, શનિવારે પૂર્ણ થઈ. તેમાં ગણિત, વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના શિક્ષકોને આવરી લેવામાં આવ્યા હતા. શનિવારે, હિંમતનગર, તલોદ અને પ્રાંતિજના કુલ 38 શિક્ષકોને સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી 6 ટ્રેનરો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, ICT અને AI નો ઉપયોગ, અસરકારક વર્ગ શિક્ષણ અને અવલોકન, SWOC એનાલિસિસ, પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ (NSA) અને NCF-SE અનુસાર માધ્યમિક તબક્કાના વિવિધ વિષયોનું માળખાકીય માળખું જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી સમયમાં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને તંત્ર સજ્જ બન્યું છે. ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સામાન્ય રીતે દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં 'લહિયા' (રાઇટર) મેળવવા માટે જિલ્લા શિક્ષણ કચેરી સુધી લાંબા થવું પડતું હતું. જોકે, આ વર્ષે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓની મુશ્કેલી સમજીને સામે ચાલીને તેમની શાળાઓમાં જઈને ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી છે. નવો ફેરફાર શું છે?વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, બોર્ડના નિયમ મુજબ દિવ્યાંગ વિદ્યાર્થીઓને દર એક કલાકે 20 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે. એટલે કે, 3 કલાકના પેપરમાં આ વખતે વિદ્યાર્થીઓને કુલ 60 મિનિટનો વધારાનો સમય મળશે. આ એક મોટો ફેરફાર છે જે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ઘણી રાહત આપશે. શાળામાં જઈને 'લહિયા'ની મંજૂરી અપાઈશિક્ષણ વિભાગે જણાવ્યું કે, અમે એવું વિચાર્યું કે દિવ્યાંગ બાળકોએ કચેરી સુધી હેરાન થઈને આવવું પડે એના કરતાં અમે જ તેમની પાસે જઈએ. આ અંતર્ગત આજે સીપી હાઈસ્કૂલ ખાતે શિક્ષણ વિભાગની ટીમે મુલાકાત લીધી હતી. વલસાડની સી બી હાઇ સ્કૂલમાં અભ્યાસ કરતા અંધ વિદ્યાર્થીઓ પૈકી ધોરણ 10 ના 5 અને ધોરણ 12 ના 3 વિદ્યાર્થીઓની સ્થળ પર જ રૂબરૂ ચકાસણી કરવામાં આવી હતી. જરૂરી ડોક્યુમેન્ટ્સ અને શારીરિક સ્થિતિની તપાસ બાદ તેમને પરીક્ષા માટે 'લહિયા' રાખવાની મંજૂરીના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના આ સંવેદનશીલ અભિગમને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવે વિદ્યાર્થીઓએ કચેરીના ધક્કા ખાવાને બદલે માત્ર પોતાની તૈયારી પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે.
પાટણ શહેરના સુનિયોજિત વિકાસ માટે પાટણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. પાટણ 'અ' વર્ગની નગરપાલિકા હોવાથી તેને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (વિસ્તાર વિકાસ સત્તામંડળ) જાહેર કરવામાં આવી છે. હાલમાં શહેરમાં TP-1 અને TP-2નું અમલીકરણ થઈ ચૂક્યું છે, જોકે TP-2માં પ્લોટના કબજા સોંપવાની કામગીરી હજુ પ્રગતિ હેઠળ છે. વિકાસ યોજના (DP) રિવાઇઝ કરવાની કામગીરીપાટણની વિકાસ યોજના (DP) ને રિવાઇઝ કરવાનો ત્રીજો તબક્કો હાલ બાકી છે. આ અંગેની દરખાસ્ત ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમની કલમ 16 હેઠળ રાજ્ય સરકારમાં સાદર કરવામાં આવી છે. પાલિકાની તાજેતરની રિવ્યુ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સરકાર દ્વારા આ વિકાસ યોજનાને આખરી મંજૂરી મળ્યા બાદ જ શહેરમાં નવી TP સ્કીમો બનાવવાની દિશામાં આગળ વધી શકાશે. હદ વિસ્તરણની પ્રક્રિયાશહેરના વિસ્તારમાં વધારો કરવા માટે પાટણ નગરપાલિકાએ સમાલપાટી પૈકી સરસ્વતી નદીની ઉત્તર બાજુના વિસ્તારને પાલિકાની હદમાં ભેળવવા દરખાસ્ત કરી છે. આ અંગે ગાંધીનગરના નાયબ સચિવ (નગરપાલિકા) દ્વારા 16/5/25ના રોજ જરૂરી અભિપ્રાય સાથેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવામાં આવી છે. અન્ય નગરપાલિકાઓની સ્થિતિપાટણ ઉપરાંત જિલ્લાની અન્ય નગરપાલિકાઓમાં પણ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ કામગીરી ચાલી રહી છે: સિદ્ધપુર: અહીં DPનો ત્રીજો તબક્કો બાકી છે. વર્ષ 2015માં OG (આઉટગ્રોથ) વિસ્તારને ભેળવીને હદ વધારવામાં આવી હતી. રાધનપુર: વિકાસ યોજનાનો પ્રથમ તબક્કો બાકી છે. ચાણસ્મા: DP રિવાઇઝ કરવાનો ત્રીજો તબક્કો બાકી છે. હારીજ: હારીજ સિવાયની તમામ પાલિકાઓને ઓથોરિટીનો દરજ્જો મળેલો છે. સિદ્ધપુરમાં નવી TP સ્કીમનું આયોજનસિદ્ધપુર પાલિકામાં એક નગર રચના યોજના (TP) હાલ અંતિમ તબક્કામાં છે, જ્યારે એક નવી TP સ્કીમ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કન્સલ્ટન્ટ દ્વારા આ માટેનો 'કન્સેપ્ચ્યુઅલ પ્લાન' તૈયાર કરી લેવાયો છે. વેરિફિકેશન અને માપણીની કામગીરી માટે DILR કચેરી, પાટણ ખાતે 64,600 રૂપિયાની ફી પણ જમા કરાવી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં DILR દ્વારા માપણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોરબંદરમાં ગાયત્રી મંદિર સામેના ખાડી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં આશરે 2500 વાર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ ડિમોલેશન કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મોટા કાફલાને ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને નગરપાલિકાની ટીમ બુલડોઝર સાથે હાજર રહી હતી. ખાડી કાંઠે વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર કાર્યવાહી ચાલુ રહેશે. આ કામગીરીને કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
વડોદરામાં નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ગોલ્ડન ચોકડીથી આજવા ચોકડી તરફ જતા અકસ્માત, એક્ટિવા ચાલક આઇસર ટ્રકમાં ઘૂસ્યો, એકનું ઘટનાસ્થળે મોત અન્ય એક ઘાયલ, ઇજાગ્રસ્ત યુવક યુવરાજ ઠાકોરને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, મૃતક યુવક તેનો મિત્ર હોવાનું સામે આવ્યું, હાલમાં હરણી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. ત્યારે આજે(21 ફેબ્રુઆરી) પ્રવાસના બીજા દિવસે તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. નીતિન નવીને સવારે રિવરફ્રન્ટ પર મોર્નિંગ વોક કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેર પ્રમુખ પ્રેરક શાહ, ભાજપના આગેવાનો અને ભાજપના ધારાસભ્યો હાજર રહ્યા હતા. નીતિન નબીને નગરદેવી ભદ્રકાળીના દર્શન કર્યાનીતિન નવીને રિવરફ્રન્ટ ખાતે ગાઠિયા, પૌવા અને ઉપમાનો નાસ્તો પણ કર્યો હતો. નીતિન નવીને અટલ બ્રિજની મુલાકાત દરમિયાન ત્યાં હાજર યુવાનો સાથે પણ અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તાજેતરમાં આવેલા બજેટ અને અન્ય રાજકીય મુદ્દા ઉપર પણ વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે નગરદેવી ભદ્રકાળી માતાજીના દર્શન કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના 3 દિવસના પ્રવાસે ગઇકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નબીન સૌપ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમનું પાટણના પટોળાનો ખેસ પહેરાવીને અમદાવાદમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
રાજ્યપાલ દેવવ્રતજીનું ભાદરા ગામને આદર્શ ગામ બનાવવા આહ્વાન:રાત્રી સભામાં ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. ઊંડ નદીના કિનારે યોજાયેલી રાત્રી સભામાં તેમણે ગ્રામજનો સાથે આધ્યાત્મિકતા, પર્યાવરણ જતન અને સામાજિક જવાબદારીઓ અંગે સંવાદ કર્યો હતો. રાજ્યપાલે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની જન્મભૂમિ ભાદરાને પવિત્ર સ્થળ ગણાવ્યું હતું. તેમણે કપિલમુનિના ન્યાયશાસ્ત્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના કર્મફળના સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો. રાજ્યપાલે જણાવ્યું કે મનુષ્ય દેહ જ્ઞાન અને કલ્યાણ માટે છે, અને જેઓ ધર્મ તથા પુરુષાર્થ કરે છે, તેમનું જીવન સુધરે છે. ‘સ્વચ્છતા હી સેવા’ના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલે કહ્યું કે ગંદકી કરનાર કરતાં સાફ કરનાર વ્યક્તિ હંમેશા મહાન હોય છે. તેમણે ગ્રામજનોને ભાદરાને પવિત્ર યાત્રાધામ તરીકે સ્વચ્છ રાખવાની નૈતિક જવાબદારી યાદ અપાવી. આ ઉપરાંત, તેમણે વાલીઓને દીકરા અને દીકરી બંનેને ઉચ્ચ શિક્ષણ આપી આગળ વધારવા પ્રેરણા આપી હતી. ભાદરા ગામને 'આદર્શ ગામ' બનાવવા માટે રાજ્યપાલે ગ્રામજનોને આહ્વાન કર્યું. તેમણે ગામને બાવળમુક્ત બનાવી વડ, પીપળા અને ઉમરા જેવા પક્ષીઓને આશ્રય આપતા વૃક્ષોથી હરિયાળું બનાવવાની વાત કરી. રાજ્યપાલે ઓક્સિજન આપનાર વૃક્ષો ઉછેરવાને પુણ્યનું કાર્ય ગણાવ્યું અને જન્મદિવસ કે લગ્ન જેવા શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરવાની પરંપરા અપનાવવા પ્રોત્સાહિત કર્યા. આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ અશોક શર્મા, કલેકટર કેતન ઠક્કર, નાયબ વનસંરક્ષક અરુણ કુમાર, ઇ.જિલ્લા વિકાસ અધિકારી શારદા કાથડ અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ ટાઉન પોલીસે પોક્સો અને અપહરણના ગુનામાં છેલ્લા છ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ દીપક ઉર્ફે કે.કે. હિંમતભાઈ મકવાણા છે, જે બોટાદના ભાવનગર રોડ સ્થિત સીતારામ નગરમાં રહે છે. તેની સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો અને અપહરણનો ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપી છેલ્લા છ વર્ષથી કાયદાની પકડથી દૂર હતો. બોટાદ ટાઉન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પીઆઈ એસ.આર. ખરાડી, પીએસઆઈ વી.સી. ભરવાડ અને તેમની ટીમે ઝડપી કામગીરી કરીને આરોપીને પકડી પાડ્યો. હાલ બોટાદ પોલીસે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.
ચિત્રા GIDCમાં જે.કે. ટાયર્સના ગોડાઉનમાં ભીષણ આગ:4 થી 5 ફાયર ફાઈટરો દ્વારા આગ ઓલવવા ભારે જહેમત
ભાવનગર શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા ચિત્રા જીઆઈડીસી (GIDC) માં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી છે જેમાં આવેલ જે.કે. ટાયર્સના એકમમાં અચાનક વિકરાળ આગ લાગી હતી તાત્કાલિક ફાયરબ્રિગેડ ને જાણ કરતા કાફલો તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહી છે, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ચિત્રા GIDC વિસ્તારમાં આજે વહેલી સવારે એક ટાયરના એકમ માં વિકરાળ આગનો બનાવ સામે આવ્યો છે, આગ એટલી વિકરાળ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, આ આગ ની જાણ તાત્કાલિક ફાયર વિભાગ ને કરતા ફાયરબ્રિગેડ ના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, આ આગ એટલી વિકરાળ હતી કે આગ ના ગોટ ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જે.કે. ટાયર્સ ચિત્રા જીઆઈડીસી ભાવનગરના એકમ માં ટાયરોનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, આગ લાગવાની જાણ થતા જ ભાવનગર ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અત્યાર સુધીમાં આશરે 4 થી 5 ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો છટકાવ કરવામાં આવી રહ્યો છે, આગ પર કાબુ મેળવવા નો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, ટાયરના કારણે આગ કાબુમાં લેવી મુશ્કેલ બની રહી છે, જેથી લાંબા સમયની જહેમત બાદ પણ આગ હજુ સુધી પૂર્ણપણે કાબુમાં આવી નથી,હાલમાં પણ ફાયર વિભાગના જવાનો દ્વારા આગને ઓલવવાની કામગીરી કરી રહ્યા છે,સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ મોટાપાયે આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ચોરભુજ ગામે ગત સાંજે મકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આગ એક મકાનમાં લાગી હતી, જે બાદ આસપાસના અન્ય બે મકાનમાં પ્રસરતા ભારે દોડધામ મચી જવા પામી હતી. આ અંગેનો કોલ મળતા વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગે અન્ય બે મકાનને પણ ઝપેટમાં લીધાકરજણના ચોરભુજ ગામમાં એક મકાનમાં ગત સાંજે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ ઝડપથી ભડકી ઉઠતાં તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આજુબાજુમાં આવેલા બીજા બે મકાનોમાં પણ આગ ફેલાઈ ગઈ હોવાની જાણ થતાં સ્થિતિ ગંભીર બની હતી. ઘટનાની તાત્કાલિક જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનું કાર્ય શરૂ કર્યું હતું. ફાયરની ટીમે અંદાજે એક કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત ઉપાડ્યા બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લીધી હતી. ઘરવખરી બળીને ખાખસદભાગ્યે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ત્રણેય મકાનોમાં રહેલી ઘરવખરી સળગીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
સુરતમાં 18 ફેબ્રુઆરીએ ઉધના BRC નજીક 2 લૂંટારુઓએ એક યુવકને નિશાન બનાવી તેની પાસે રહેલા રોકડા રૂપિયાની લૂંટ કરી હતી. ભોગ બનનાર યુવક કડોદરાથી પોતાની નોકરી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે જ રસ્તામાં આ આકસ્મિક હુમલો થયો હતો. ધોળા દિવસે જાહેર રોડ પર બનેલી આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ લૂંટની ઘટનાની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે લૂંટારુઓ યુવકને લૂંટી રહ્યા હતા, ત્યારે ત્યાં હાજર એક નાગરિકે આ સમગ્ર ઘટનાનો લૂંટનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 2 લૂંટારુઓ કેવી રીતે નિર્દોષ યુવકને ચપ્પુ બતાવી ડરાવી રહ્યા છે અને તેની પાસેથી જબરદસ્તી નાણાં પડાવી રહ્યા છે. આ લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. ‘ગાલી ક્યું દે રહા હૈ’ કહીને હુમલો કર્યોઘટનાની વિગતો મુજબ, યુવક જ્યારે મરાઠી સ્કૂલ પાછળથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે બાઇક સવાર 2 શખ્સોએ તેને રોક્યો હતો. લૂંટારુઓએ ઝઘડો કરવાના બહાને ‘કયું મુઝકો ગાલી દે રહા હૈ’ કહી યુવક સાથે મારામારી શરૂ કરી હતી. એક શખ્સે યુવકના બંને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે બીજા શખ્સે તેના પેન્ટના ખિસ્સામાંથી કારીગરોના પગાર માટે રાખેલા 23,000 રોકડા કાઢી લીધા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારુઓનું લોકેશન ટ્રેસ કર્યુંલૂંટની જાણ થતા જ ભોગ બનનારે તુરંત પોતાના પુત્ર અને પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઘટનાની ગંભીરતા સમજી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને વાઇરલ થયેલા લાઈવ વીડિયોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી લૂંટારુઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું. મુખ્ય આરોપી અવતારસિંગની ધરપકડ, એક વોન્ટેડપોલીસે આ મામલે સઘન તપાસ કરીને બે પૈકીના એક મુખ્ય આરોપી અવતારસિંગ ત્રીલોકસિંગ ભાદા (ઉંમર 23 વર્ષ, રહે. પ્રભુનગર, ઉધના) ને ઝડપી પાડ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલી રકમમાંથી 20,000 જેટલી રોકડ રકમ રિકવર કરવામાં સફળતા મેળવી છે. જોકે, આ કેસમાં અન્ય 1 આરોપી હજુ પણ ફરાર છે જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે, ત્યારે આજે (21 ફેબ્રુઆરી) ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં એક જ પરિવારના 4 સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. કઈ રીતે સર્જાયો અકસ્માત? મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના ભાવનગરના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને પોતાની ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોની વિગત આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકોના નામ: ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની ખુશીઓમાં ગરકાવ પરિવારમાં આ અકસ્માતને પગલે માતમ છવાઈ ગયો છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ….
ગાંધીનગરના સેક્ટર-28માં આવેલી સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાંથી એક 13 વર્ષીય મૂકબધિર બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસને બિનવારસી હાલતમાં મળી આવેલો આ બાળક સંસ્થાના વાલીપણામાંથી કોઈને કહ્યા વગર રાત્રિના સમયે નીકળી જતા સેક્ટર-21 પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સ્પેશિયલ હોમમાંથી બાળક ગુમઆ અંગેના સંસ્થાના ગૃહપતિ હિતેશભાઈ નિનામાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે 13 વર્ષીય આ બાળક મૂળભૂત રીતે બિનવારસી હતો, જેને સેક્ટર-7 પોલીસે શોધી કાઢ્યા બાદ ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યો હતો. જોકે બાળક મૂકબધિર હોવાથી તેના વિકાસ માટે ગત નવેમ્બર માસમાં સેક્ટર-28ની સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો. નાસ્તા સમયે બાળક ગેરહાજર જણાતા સંસ્થામાં દોડધામદરમિયાન ગત તા. 6 ફેબ્રુઆરીના રોજ સવારે નાસ્તા સમયે બાળક ગેરહાજર જણાતા સંસ્થામાં દોડધામ મચી હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જાણવા મળ્યું હતું કે, તા. 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યે તે કોઈને જાણ કર્યા વગર સંસ્થામાંથી બહાર નીકળી રહ્યો હતો. અગાઉ પણ બે વખત સંસ્થામાંથી ભાગી ગયો હતોફરિયાદમાં જણાવ્યા અનુસાર, બાળક છેલ્લા કેટલાક સમયથી અસામાન્ય વર્તન કરી રહ્યો હતો. તે રાત્રે અન્ય બાળકો પર હુમલો કરવો, આક્રમક થઈ જવું અને પાગલપન જેવી હરકતો કરતો હતો. આ અગાઉ પણ તે બે વખત સંસ્થામાંથી ભાગી ગયો હતો, પરંતુ ત્યારે તેને શોધી લેવામાં આવ્યો હતો. આ બાબતે સંસ્થા દ્વારા ગત જાન્યુઆરીમાં સરકારી બાળ સંભાળ ગૃહને લેખિત જાણ કરી બાળકની અન્યત્ર વ્યવસ્થા કરવા વિનંતી પણ કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં તપાસ કરી પણ બાળક મળ્યો નહીંઆ બાળક ગુમ થયા બાદ સંસ્થાના સ્ટાફે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને આજુબાજુના વિસ્તારોમાં સઘન તપાસ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આસપાસના જિલ્લાઓની સંસ્થાઓ અને પોલીસ મથકોને બાળકના ફોટા સાથે જાણ કરી છે. જો કોઈને આ વર્ણન ધરાવતો બાળક મળી આવે તો તુરંત નજીકના પોલીસ સ્ટેશન અથવા સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
દાંતા તાલુકામાં ગઈકાલે (20 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. આ અકસ્માતમાં કુલ પાંચ લોકો સંડોવાયેલા હતા, જેમાંથી ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય એક વ્યક્તિને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતકોમાં એક રંગપુર, એક ખેરાલુ અને એક થલવાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંધારામાં બની હતી, જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી. અકસ્માત જીતપુર ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર અડેરણ તરસંગ ગામ નજીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પાલીતાણા શેત્રુંજી ડિવિઝનને નવા DCF મળ્યા:રાજ્ય સરકારે ચિરાગ અમીનની નિમણૂક કરી, વહીવટી ખાધ પૂરાઈ
રાજ્ય સરકારે પાલીતાણા શેત્રુંજી વન વિભાગમાં ખાલી પડેલી DCF (ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ)ની જગ્યા પર ચિરાગ અમીનની નિમણૂક કરી છે. વર્ષ 2017 બેચના IFS અધિકારી ચિરાગ અમીનને આ મહત્વપૂર્ણ ડિવિઝનની જવાબદારી સોંપવામાં આવી છે. તેમની નિમણૂકથી વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતા પાલીતાણા શેત્રુંજી ડિવિઝનમાં લાંબા સમયથી DCFની જગ્યા ખાલી હતી. આ ડિવિઝન હેઠળ રાજુલા, જાફરાબાદ, પીપાવાવ કોસ્ટલ અને લીલીયા રેન્જ જેવા વિસ્તારો આવે છે, જ્યાં સિંહોની મોટી સંખ્યા નોંધાય છે. DCF ન હોવાને કારણે વહીવટી કામગીરી ખોરંભે પડી હતી, જેનાથી કર્મચારીઓ, પ્રજા અને ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ચિરાગ અમીન હિંમતનગર જિલ્લાના કાણીયોલ ગામના વતની છે. તેમણે વર્ષ 2016માં ત્રીજા પ્રયાસે UPSC પરીક્ષા પાસ કરી હતી અને 2017ની IFS કેડરમાં ગુજરાતમાંથી એકમાત્ર અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા. પ્રોબેશનલ સમયગાળા દરમિયાન તેમણે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વમાં ACF (આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ) તરીકે સેવા આપી હતી. આ પહેલા તેઓ મોરબી અને બનાસકાંઠાના પાલનપુરમાં DCF તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન સિંહો માટે સૌરાષ્ટ્રના સૌથી સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. અમરેલી જિલ્લામાં સિંહોની સૌથી વધુ વસ્તી નોંધાય છે. પીપાવાવ પોર્ટથી રાજુલા, સાવરકુંડલા અને લીલીયા સુધીના રેલવે ટ્રેક પર સિંહોની અવરજવર સામાન્ય છે, જેના કારણે ભૂતકાળમાં અનેક સિંહોએ જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં, વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષા વધારવા અને તેમને બચાવવા માટે અનેક કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. જોકે, રાજુલા કોસ્ટલ નેશનલ હાઈવે પર સિંહો દ્વારા રસ્તો ઓળંગવાની ઘટનાઓમાં વધારો થતાં અકસ્માતોનું જોખમ વધ્યું છે. આ પરિસ્થિતિ જાફરાબાદ અને રાજુલા વન વિભાગ માટે એક મોટો પડકાર બની રહી છે, જેના પર નવા DCFનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીને લઘુમતી સમાજના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થાય છે. બાદમાં બંને અલગ અલગ ધર્મના હોવાથી બંનેના માતા પિતા લગ્ન માટે સહમતિ આપતા નથી. દરમિયાન યુવકના પોતાની જ્ઞાતિમાં લગ્ન થાય છે, ત્યારે યુવતી તેની સાથે સંબંધો ન રાખવાની વાત કરે છે, છતાં યુવક અવાર નવાર ફોન દ્વારા હેરાન કરી ધમકી આપતા આખરે આ મામલે ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ઇન્સ્ટાગ્રામ પર મળ્યા હતાગોત્રી પોલીસ મથકમાં યુવતીએ આપેલી ફરિયાદ મુજબ, તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2020માં ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. દ્વારા અન્ય ધર્મના યુવક સાથે સંપર્ક થાય છે. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થાય છે જે પ્રેમમાં પરિણામે છે. બાદમાં એક બીજાની મુલાકાત શહેરના કમાટીબાગ ખાતે થાય છે. આ યુવકનું નામ મહોમદ કૈફ (રહે તાંદલજા) હોવાનું સામે આવે છે. દરમિયાન એકબીજાના મોબાઈલ નંબર આપલે કર્યા હતા. યુવકના બીજે લગ્ન થવા છતા ફોન કરતો હતોત્યારબાદ તેઓ એકબીજા સાથે અવાર નવાર કાફેમાં તથા અલગ-અલગ જગ્યાએ મળવા જતા હતા. ત્યારબાદ વર્ષ 2024માં લગ્ન કરવા માટે યુવક અને યુવતીએ બંનેના માતાપિતાને વાતચીત કરતા બંને અલગ અલગ ધર્મના હોવાથી ના પાડી હતી. દરમિયાન કૈફના લગ્ન તેના ધર્મની યુવતી સાથે થઈ જાય છે. બાદમાં યુવતી તેની સાથે વાતચીત ન કરવા જણાવે છે. છતાં લગ્નના એક અઠવાડિયા બાદ સતત કોલ કરે છે. બાદમાં યુવતી તેને બ્લોક કરી દૂર જવાનો પ્રયાસ કરે છે છતાં તે અવાર નવાર હેરાન પરેશાન કરે છે. ‘તું મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ’યુવતી તેની સામે ફરિયાદ કરવાની વાત કરે છે ત્યારે યુવક યુવતીને ધમકી આપે છે કે, તારાથી જે થાય તે કરી લે, હું કોઈનાથી ડરતો નથી અને તું મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ. એ મામલે યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે.
ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા હતી, જેના પગલે ડાંગના સાપુતારા સહિતના ગામડાઓમાં ધીમી ધારે વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. શિયાળાની ઋતુમાં પડેલા આ વરસાદથી ખાસ કરીને રવિ અને શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે, પાક હાલ પાકવા નજીક છે, ત્યારે વરસાદ પડવાથી ઉપજ પર સીધી અસર પડી શકે છે. ઘઉં, ચણા અને અન્ય શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા છે. ખેડૂતો વર્ષભર ખેતી પર નિર્ભર રહેતા હોય છે. આવી સ્થિતિમાં અચાનક પડેલા વરસાદથી તેમની મહેનત પર પાણી ફરી વળે તેવી આશંકા છે. હાલ ખેડૂતો આકાશ તરફ નજર રાખી રહ્યા છે અને વધુ વરસાદ ન પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો વરસાદ યથાવત્ રહેશે તો ખેતીને મોટું નુકસાન થવાની શક્યતા છે. સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. ખેડૂતો સરકાર તરફથી જરૂરી સહાય અને માર્ગદર્શન મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
ભાવનગર શહેરના ફુલઝરીયા હનુમાન ખાતે શ્રી ભાવનગર સમસ્ત વાળંદ સમાજ સામાજિક ટ્રસ્ટ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2026 ના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુણાલ શાહ (કુમારભાઈ શાહ) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી અને આયોજકોને સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રીઓ, પૂર્વ મહામંત્રીઓ, ભાવનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, પાર્ટીના હોદ્દેદારો, આઇ.ટી., સોશિયલ અને મીડિયાના હોદ્દેદારો તેમજ સમાજના હોદ્દેદારો અને જ્ઞાતિજનો સહિતના રાજકીય તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
દશેરા ટેકરી પાસે યુવાનનો મૃતદેહ મળ્યો:હત્યા કે આત્મહત્યાની શંકા, પોલીસકાફલો ઘટનાસ્થળે
નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. બાલાપીર દરગાહ નજીક શંકાસ્પદ હાલતમાં લાશ હોવાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. મળતી વિગતો અનુસાર, ગત મોડી રાત્રે સ્થાનિકોને બાલાપીર દરગાહ પાસે એક યુવાન બેભાન અથવા મૃત હાલતમાં હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા આ યુવાનનું નામ ચેતન હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક નવસારી ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ નવસારી ટાઉન પોલીસ સહિત DYSP અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે પ્રાથમિક પંચનામું કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી. યુવાનનો મૃતદેહ શંકાસ્પદ અવસ્થામાં હોવાથી પોલીસ સાવચેતીપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસે ચેતનના મૃતદેહને તાત્કાલિક કબજે કરી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ ઘટના હત્યા છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ અકસ્માત, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રમ્પનો ટેરિફ અમેરિકાને જ ભારે પડ્યો, 8200 સ્ટોર્સને તાળા વાગ્યા, 717 કંપનીઓ દેવાળીયું
USA Economy News : હાથના કર્યા હૈયે વાગ્યા તે કહેવત છે તેમ અમેરિકાના ટેરિફ અમેરિકનોને જ વાગ્યા છે. ટ્રમ્પે લાદેલા ટેરિફના પગલે અમેરિકામાં એક જ વર્ષમાં 8200થી વધુ સ્ટોર્સને તાળા વાગ્યા છે. તેની તુલનાએ 2024માં 7325 સ્ટોર બંધ થઈ ગયા હતા. આ સિવાય 717 કંપનીઓ પોતાને નાદાર જાહેર કરી ચૂકી છે, જે આંકડો છેલ્લા 15 વર્ષનો સૌથી મોટો આંકડો છે. આ ટ્રમ્પના ટેરિફની વિપરીત અસર બતાવે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ભારતનો વિકાસ થશે પરંતુ બેરોજગારી વધશે, IMFના વડાની ચેતવણી
AI Summit and IMF Chief News : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી દુનિયામાં નવા યુગની શરૂઆત થશે અને વૈશ્વિક અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળશે. ભારત એઆઈની મદદથી વિકસિત ભારતનું સપનું સાકાર કરી શકશે, પરંતુ એઆઈથી ભારતમાં લાખો નોકરીઓ પર સંકટ ઊભું થશે. પ્રત્યેક ૧૦માંથી ચાર નોકરી જવાનું જોખમ રહેશે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં ચીફ ક્રિસ્ટલિના જોર્જીવાએ ઈન્ડિયા એઆઈ સમિટમાં જણાવ્યું હતું. બીજીબાજુ ઓપન એઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને કહ્યું કે, રોબોટ જેવા કેટલાક ક્ષેત્રોમાં ચીન ઘણું આગળ છે, પરંતુ એઆઈમાં ભારતનો વિકાસ શાનદાર રહ્યો છે. એઆઈની લોકતાંત્રિક આવૃત્તિની શક્ય છે, જેનાથી આર્થિક શક્તિનું વિકેન્દ્રીકરણ થઈ શકે છે.
ગણિત શિક્ષક તાલીમ કાર્યક્રમ યોજાયો:ગણિતને સરળ અને રસપ્રદ બનાવવા માટેના સર્જનાત્મક ઉપાયો દર્શાવાયા
ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રિજીયોનલ સાયન્સ સેન્ટર, ભાવનગર ખાતે તા. 18 થી 20 ફેબ્રુઆરી, 2026 દરમિયાન ત્રણ દિવસીય રહેણાંક ટીચર્સ ટ્રેઇનીંગ પ્રોગ્રામ ઓન મેથેમેટિક્સનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અંદાજે 50 જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તાલીમને સફળતા આપી હતી. આ ત્રણ દિવસીય તાલીમ દરમિયાન શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ, ટેક્નોલોજી આધારિત અભિગમ, AI નો ઉપયોગ, પ્રાયોગિક પ્રવૃત્તિઓ તથા ગણિતને સરળ અને રસપ્રદ બનાવવા માટેના સર્જનાત્મક ઉપાયો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમનો મુખ્ય હેતુ શિક્ષકોને વર્ગખંડમાં નવીન અને અસરકારક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડૉ. ચંદ્રમૌલી જોશી ( પ્રમુખ, ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ) તથા હિરેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે ગુણવત્તાયુક્ત ગણિત શિક્ષણ અને નવોચારના મહત્વ પર ભાર મુકાયો. પ્રથમ દિવસે ડૉ. ચંદ્રમૌલી જોશી દ્વારા વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ, ગ્રુપ એક્ટિવિટીઝ અને જીવન સાથે જોડાયેલા ઉદાહરણો દ્વારા ગણિતને સરળ અને રસપ્રદ રીતે રજૂ કરવામાં આવ્યું, ગણિતીય પ્રયોગો અને તરકીબો રજૂ કરાઇડૉ. ચિન્મય વ્યાસ દ્વારા એઆઇ ઇન ટીચીંગ મેથ્સ વિષય પર આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ અંગે સત્ર યોજાયું. ત્યારબાદ ડૉ. નલિન પંડિત દ્વારા વર્ગખંડમાં ગણિત શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. દર્શન મહેતા દ્વારા પ્રાયોગિક અભિગમ સાથે ગણિતને સરળ બનાવવાના ઉપાયો રજૂ કરવામાં આવ્યા. બપોર બાદ ગણિત મોડેલ પ્રદર્શન અને ઇન્ટરેક્ટિવ સત્રો યોજાયા. ગોવર્ધન દેવરાદ્વારા રસપ્રદ ગણિતીય પ્રયોગો અને તરકીબો રજૂ કરવામાં આવી હતી. ત્રીજા દિવસે ગણિત અને નવી શિક્ષણ નીતિવિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું અને શિક્ષણમાં સર્જનાત્મકતા, તાર્કિકતા તથા સમસ્યા નિરાકરણ ક્ષમતાના વિકાસ પર ભાર મુકાયો. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. ભરત રામાનુજન (કુલપતિ, એમ.કે.બી. યુનિ.,) ઉપસ્થિત રહ્યા અને શિક્ષકોને પ્રેરણાદાયી સંબોધન આપ્યું. અતિથિ વિશેષ તરીકે ડૉ. ગિરીશ વાઘાણી તથા ડૉ. ભાવેશ જાની ઉપસ્થિત રહ્યા. મહેમાનો દ્વારા આવા તાલીમ કાર્યક્રમોની આવશ્યકતા અને શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરવામાં આવી.
આજે માતૃભાષા દિવસ:માતૃભાષામાં વાચન અને અર્થગ્રહણમાં નબળા હોવાથી ધો.10માં 1,14 લાખ છાત્રો નાપાસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ,2025માં લેવાયેલી ધો.10ની પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં પરિણામ 81.79% ટકા આવેલું અને કુલ 1,14,144 પરીક્ષાર્થીઓ નાપાસ થયા હતા જ્યારે માતૃભાષા જ્યાં ગુજરાતી છે તેવા ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં પરિણામ 92.58% આવેલું અને 7,319 પરીક્ષાર્થીઓ જ નાપાસ થયા હતા. 2025માં ધો.10માં ગુજરાતી માધ્યમમાં એકંદરે પરિણામ 81.79% હતુ જ્યારે અંગ્રેજી માધ્યમમાં પરિણામ 92.58% ટકા હોય ગુજરાતી માધ્યમમાં પરિણામ 10.79 ટકા ઓછું હતુ. જે દર્શાવે છે કે માતૃભાષામાં શિક્ષણમાં કચાશ છે. આ સંજોગોમાં 21મી ફેબ્રુઆરીનો દિવસ સમગ્ર વિશ્વમાં માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવશે. ત્યારે ખાસ તો ગુજરાતીમાં પ્રાથમિકથી જ ગુજરાતી વાચન અને અર્થગ્રહણની ખાસ જરૂર છે. આજે અંગ્રેજીના વૈશ્વિક આક્રમણ સાથે વિશ્વની 7000 પૈકી અડધોઅડધ ભાષાઓ લુપ્ત થવાની તૈયારીમાં છે. ગુજરાતી ભાષા તત્કાલ લુપ્ત તો નહીં થાય પણ ગુજરાતી ભાષાનું સૌંદર્ય નષ્ટ થયું છે અને અસંખ્ય ગુજરાતી શબ્દોનું સ્થાને અંગ્રેજી ભેળસેળવાળું ગુજરાતી ઘરે ઘરે નવી પેઢી દ્વારા બોલાતું અને લખાતું થઇ ગયું છે. તેમાં સોશિયલ મીડિયા પણ થોડા અંશે જવાબદાર છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ અને તેના વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. એકાદ દશકામાં ધો.10માં ગુજરાતમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ વધી ગયા છે. ગુજરાતી ફરજિયાત કરાયું પણ અભિગમ બદલાયો નથીચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ઈટાલી કે યુરોપના મોટા ભાગના વિકસીત દેશોમાં ઇજનેરી કે તબીબી જેવા ઉચ્ચ કક્ષાના મનાતા તેમજ યુનિ. કક્ષાએ વિષય મુજબ સ્નાતક કક્ષાએ ભણાવાતા વિષયોમાં માધ્યમ તો માતૃભાષા જ હોય છે, આપણે ત્યાં હજી ઇજનેરી કે તબીબી જેવા ઉચ્ચ શિક્ષણમાં મેકોલે બ્રાન્ડ હજુ સુધી દુર થયું નથી જે આપણી કમનસીબી છે. જોકે ગુજરાત સરકારે ગુજરાતી માધ્યમ ફરજિયાત કર્યું છે પણ સાથે ધીમી ગતિએ તેના પરિણામ મળી રહ્યાં છે કારણ કે હજી અભિગમ બદલાયો નથી. 11 વર્ષમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા બમણી થઇગુજરાત બોર્ડમાં તો માતૃભાષામાં શિક્ષણની તુલનામાં અંગ્રેજી માધ્યમનો દબદબો વધી રહ્યો છે તે હકીકત છે. ધો.10માં જે રીતે વિદ્યાર્થીઓ માધ્યમની પસંદગી કરે છે. ઇ.સ.2014ના વર્ષમાં ધો.10માં જીએસઇબીમાં ગુજરાતી માધ્યમ પસંદ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 9,75,892 હતી તે તબક્કાવાર ઘટીને 2024ના વર્ષમાં બોર્ડે પરીક્ષા લીધી તેમાં ઘટીને 5,90,264 થઇ ગયેલી. આ સામે ઇ.સ.2014ના વર્ષમાં ગુજરાત બોર્ડમાં અંગ્રેજી માધ્યમ પસંદ કર્યુ હોય તેવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 48,351 હતી તે 2025માં પરીક્ષા લેવામાં આવી વધીને 98,655 થઇ ગયા હતા. આમ, એકાદ દશકામાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ બમણી થઇ ગઇ છે. ભાસ્કર એક્સપર્ટશા માટે અંગ્રેજી માધ્યમનો મોહ વધ્યો ?જે પ્રકારે માતૃભાષાના ભવનોમાં સક્રિયતા હોવી જોઇએ તે જોવા મળતી નથી. પરિસંવાદ, સેમિનાર થાય તો છે પણ પછી અમલીકરણ થતું નથી. પાઠ્યપુસ્તકોમાં , ખાસ કરીને ધો.6થી 12ના પુસ્તકોમાં ભાષાકીય ક્ષતિઓ જોવા મળે છે. વ્યાકરણ પણ ગુંચવડાભર્યુ હોય છે. આ સાથે અંગ્રેજી માધ્યમમાં પોતાના સંતાનને બેસાડવાની ઘેલછાનું એક કારણ સામાજિક દેખાદેખી છે. લઘુતાગ્રંથી અને મોભા પણ પણ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં બેસાડવા માટે કારણભૂત છે. ઉપરાંત હવે સીબીએસઇમાં પણ ગુજરાતમાં સંખ્યા વધતી જાય છે. - ડો.નલીન પંડિત, પૂર્વ નિયામક, GCERT
માર માર્યો:બાઇક સ્લિપ થતાં બે યુવકોને બચાવવા ગયેલા બે પિતરાઇ ભાઇઓને મારમાર્યો
ભાવનગરના સિહોર ગામે બાઇક ચાલકની બાઇક સ્લિપ થતાં, બાઇકમાં બેસેલા બે યુવકોને ગંભીર ઇજા થઇ હતી. જે બાદ અકસ્માત જોઇને બે યુવકો બાઇક સવારને બચાવવા દોડ્યા હતા. બચાવવા દોડેલા બે પિતરાઇ ભાઇઓ ઉપર બાઇક ચાલક સહિત ત્રણ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજા કરી ફરાર થઇ જતાં બંન્ને યુવકોને ગંભીર હાલતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ચાર શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. ભાવનગર જિલ્લાના સિહોર ગામે રહેતા વિશાલભાઇ નાગજીભાઇ પરમાર અને તેમના મામાનો દિકરો પાર્થિવભાઇ મનસુખભાઇ પરમાર બંન્ને સિહોર બસ સ્ટેન્ડમાં બેઠા હતા. જે દરમિયાન સિહોરના ટાણા ગામ તરફથી આવતી બાઇક રોડ ઉપર સ્લિપ થઇ જતાં બાઇકમાં સવાર બે યુવકો રોડ ઉપર પટકાયા હતા. જેને વિશાલભાઇ અને પાર્થિવભાઇ બંન્ને બાઇક સવાર બે યુવકોને બચાવવા દોડી ગયા હતા પરંતુ બાઇક સવાર બંન્ને શખ્સોએ ઉલટાનું બે પિતરાઇ ભાઇઓને ઢીકા પાટુનો મારમાર્યો હતો. અને બાદમાં બીજા બે અજાણ્યા શખ્સોએ પણ ઘટના સ્થળે આવી બે પિતરાઇ ભાઇઓને ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થઇ જતાં વિશાલભાઇ અને પાર્થિવભાઇને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં વિશાલભાઇએ બાઇક ચાલક નરેશ ઉર્ફે ઘુલો પરમાર સહિત ત્રણ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
નિર્ણય:છ ગાવ યાત્રામાં ભાવનગર ST વિભાગ 40 એકસ્ટ્રા બસો દોડાવશે
ભાવનગરના પાલિતાણા ખાતે ફાગણ સુદ-13 ના રોજ યોજાનારી છ ગાવ યાત્રાના મેળામાં શ્રધ્ધાળુઓનો ઘોડાપુર ઉમટી પડશે. તેને જોતા ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રધ્ધાળુઓ માટે 40 જેટલી એકસ્ટ્રો બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે મળેલી માહિતી મુજબ ભાવનગર વિભાગમાંથી 40 જેટલી એસ.ટી. બસો દોડાવવામાં આવનાર છે. પાલિતાણાથી આદપુર અને આદપુરથી પાલિતાણા માટે 40 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ આઠ ડેપોમાં શ્રધ્ધાળુઓનો ધસારો જેમ જેમ વધશે તેમ સ્ટેન્ડ બાય બસોને પણ પાલિતાણાની છ ગાવ યાત્રામાં મોકલાશે. ભાવનગરના પાલિતાણામાં આગામી તા. 01-03-2026ને રવિવારના રોજ ફાગણ સુદ તેરસને છ ગાવ યાત્રા યોજાવાની છે. જે યાત્રા ઢેબરા તેરસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. શ્રધ્ધાળુઓને યાત્રા સુધી પહોંચવા માટે ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રધ્ધાળુઓ માટે 40 જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. તેમજ આ સિવાય પણ ભાવનગર ડિવીઝનના ભાવનગર ઉપરાંત આઠ ડેપો ઉપર શ્રધ્ધાળુઓ માટે સ્ટેન્ડ બાય એસ.ટી. બસો રાખવામાં આવશે અને જેમ જેમ શ્રધ્ધાળુઓનો ધસારો વધારો થશે તે મુજબ એસ.ટી. બસો પાલિતાણા ખાતે મુકવામાં આવનાર છે.
ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે એક કલરના વેપારીના ગોડાઉનમાં ત્રણ દિવસ અગાઉ કેટલાક તસ્કરો દ્વારા ગોડાઉનમાં રાખેલ જુદા જુદા કંપનીનના કલરની ડોલ, રોકડ સહિતની લાખો રૂપિયાના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જે તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપ્યા બાદ ગારિયાધાર પોલીસે જુદી જુદી ટીમો બનાવી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. અને પોલીસની તપાસ દરમિયાન અગાઉ કરેલ ઘરફોડ ચોરીના મુખ્ય સુત્રધારને ઝડપી લઇ આકરી પૂછપરછ કરતા, છ તસ્કરોએ મંડળી રચી તસ્કરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે પાંચ તસ્કરોને ઝડપી લઇ રૂા. 10.12 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગારિયાધાર ખાતે ગૌશાળા શેરી વોરા મસ્જીદ પાસે રહેતા અને શાલીમાર પોઇન્ટ નામે દુકાન ધરાવી ઘર માટેના કલરનો વેપાર કરતા વેપારી મુર્તુજાભાઇ હુસૈનભાઇ વોરાના સુખનાથ મંદિર પાસે ગોડાઉનમાં ત્રણેક દિવસ અગાઉ અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ ગોડાઉનમાં ઘુસી એશીયન પેઇન્ટ કલરની વીસ લીટરની ડોલ નંગ 30, ઇન્ડિગો કંપનીની કલરની વીસ લીટરની ડોલ નંગ 70, બીરલ ઓપસ વીસ લીટરની ડોલ નંગ 19 મળી કુલ રૂા. 4,83,350ની તસ્કરી થયાની ગારિયાધાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. જે ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ગારિયાધાર પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન તસ્કરીનો મુખ્ય સુત્રધાર સરફરાજ ઉર્ફે સફુ વાહિદભાઇ ગોહીલ મળી આવતા પુછપરછ દરમિયાન અન્ય પાંચ શખ્સો સાથે મળી તસ્કરી કર્યાનું પોલીસ સમક્ષ કબુલાત આપતા પોલીસે સરફરાજ ઉર્ફે સફુ વાહિદભાઇ ગોહિલ (રહે. નવાગામ રોડ, બ્રહ્માણી નગર, ગારિયાધાર), આદીલ યુસુફભાઇ મહેતર (રહે. પાલિતાણા રોડ, પેટ્રોલપંપની સામે, ગારિયાધાર), સાહીલ ઉર્ફે બાંગો મહેબુબભાઇ ચૌહાણ (રહે. બાગેઅમન સોસાયટી ગારિયાધાર), કાર્તીક નટુભાઇ ચૌહાણ (રહે. સારીંગપુર, ગારિયાધાર), પીયુષ અરજણભાઇ પરમાર (રહે.વડીયા રોડ, ગણેશનગર, પાલિતાણા) ની ધરપકડ કરી છે. જ્યારે સાહિલ ઉર્ફે ખાટુ ઉસ્માનભાઇ કુરેશી (રહે. ગારિયાધાર) ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રૂા. 10.12 લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કરાયો હતો. સરધાર જઇ તસ્કરોને સાથે રાખી મુદ્દામાલ રીકવર કરાયોતસ્કરોએ ગોડાઉનમાંથી લાખો રૂપિયાની મત્તાની કલરની ડોલની તસ્કરી કરી રાજકોટના સરધાર ખાતે મુદ્દામાલ સંતાડી રાખેલ હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. જે બાદ ગારિયાધાર પોલીસે આરોપીઓને સાથે રાખી રાજકોટના સરધાર ખાતે ગયા હતા અને ત્યાંથી પોલીસે જુદી જુદી કંપનીની કલરની ડોલ, રોકડ રૂા, બોલેરો પીકઅપ વાન સહિત રૂા. 10.12 લાખથી વધુનો મુદ્દામાલ રીકવર કર્યો હતો.
પૂ્જ્યપાદ શાસનસમ્રાટશ્રીના પુણ્યપ્રભાવી સામ્રાજ્યમાં ભાવનગર જિલ્લામાં આવેલુ દેવગાણા ગામમાં દાદા વિમલનાથ ભગવાનનો શતાબ્દી મહોત્સવ પૂ.આચાર્ય ભગવંત વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ.આચાર્ય ભગવંત વિજય રાજહંસસૂરીશ્વરજી મ.સા.ની કલ્યાણકારી પ્રભાવક નિશ્રામાં અતિશય - અપાર આનંદોલ્લાસ સાથે શતાબ્દી મહોત્સવની ઔતિહાસિક ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ હતી. સમગ્ર દેવગાણા ગામ સમસ્ત જ્ઞાતિજનોનો આનંદ હિલોળે ચઢ્યો હતો. શતાબ્દી મહોત્સવ અંતર્ગત પંચાન્હિકા મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતભરમાં પરિવારો, બહેનો દીકરીઓ આ ઉત્સવમાં જોડાયા હતા. પંચદિવસીય મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે પૂજ્ય ગુરૂભગવંતનો જાજરમાન પ્રવેશ તેમજ ગામની શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ શાળાના દીકરા-દીકરીઓ દ્વારા યોજાયો હતો. તેમાં 100થી વધુ વિદ્યાર્થીઓને સુંદર મઝાની કીટનું વિતરણ તેમજ શાળામાં 150થી વધુ બેન્ચ અને 5થી વધુ સ્માર્ટ ટી.વી. પણ દેવગાણા જૈન સંઘ દ્વારા અર્પણ કરાયું હતું. દ્વિતીય દિવસે પાટલાપૂજન આદિ મંગલ વિધાનો યોજાયા હતા. તૃતિય દિવસે જાજરમાન નિર્માણ થયેલી કપિલપુર નગરીમાં વિમલ વધામણા જેવું અનેરૂ અનુષ્ઠાન થયું હતું. એ ઉત્સવે લોકોના હદયમાં પ્રભુ પ્રત્યેના ભાવો આસમાને આંબી દીધા હતા. રાત્રીએ ટમટમતા દીપકની રોશનીમાં ભવ્ય ભક્તિ ભાવના યોજાઈ હતી જેમાં સંગીતકાર પારસ ગડા, દીપેશ કામદાર અને જિનય મહેતા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી. ચતુર્થ દિવસે ધજા વધામણાનો અનેરો નવતર ઉત્સવ ઉજવાયો ભક્તિના ભાવોએ ધજાનો મસ્તક પર લઈ ખુમ ઝુમાવ્યા હતા. વિમલથી વિમલાચલ શીર્ષક હેઠળ રાત્રિ ભાવના એ તો જાણે સ્વર્ગ ખડી કરી દીધુ. સુપ્રસિદ્ધ સંગીત રત્નો પાર્થ દોશી અને મનન સંઘવીની જોડીએ સમગ્ર ગામને મંત્રમુગ્ધ કરી દીધુ હતું. સમયનું ભાન ભુલીને લોકો ભક્તિમાં ઘેલા થયા હતા. પાંચમાં દિવસે દાદાના શિખરે 100મી ધજા ફરકાવાની હતી. ગ્રામજનોના હૈયામાં આનંદ સમાનો ન હતો અને અદકેરા ઉલ્લાસ સાથે 12.39ના મંગલમય વિજય મુહૂર્તે ધજા લહેરાઈ હતી. ત્યારબાદ મહામંગલકારી લઘુ શાંતી સ્નાત્ર ભણાવાયું હતું. આ સમગ્ર મહોત્સવ અંતર્ગત જીવદયાનો સુકૃતો, સાધર્મિક પરિવારોની વિશિષ્ટ ભક્તિ અનુકંપા સમસ્ત દેવગાણા ગામની અઢારે આલમનું ગામજમણ રખડતા ઢોરોને નીરણ ગામની મંદિરો તેમજ પુજારીનું સન્માન કરાયું હતું.
વિધવા સહાય યોજના:વિધવા સહાય યોજનાની સહાય હવે પોસ્ટના IPPB ખાતામાં જમા થશે
ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની ગત મહિને યોજાયેલી બેઠકમાં વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને આધાર આધારિત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) લાભ વ્યવસ્થિત મળે તે માટે ભાર મુકવામાં આવ્યો હતો. વિધવા સહાય યોજના હેઠળ લાભાર્થીઓને મળતી સહાય રકમ હવે DBT પદ્ધતિ દ્વારા સૌથી પહેલા તેમના પોસ્ટના IPPB (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક) ખાતામાં જમા કરવામાં આવશે. વિધવા સહાય યોજના સહાયની પ્રક્રિયાને વધુ પારદર્શક, ઝડપી અને સુરક્ષિત બનાવવા તમામ લાભાર્થીઓના આધાર સીડેડ ડિજિટલ ખાતાઓ IPPBમાં ખોલવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. IPPB ખાતા ખોલવા શરૂ કરાયેલ વિશેષ અભિયાનનો હેતુ પાત્રતા ધરાવતા લાભાર્થીને સહાય સમયસર અને કોઈપણ મધ્યસ્થી વિના સીધી જ તેમના ખાતામાં મળે તેવો હોય પોસ્ટ ઓફિસમાં સીડેડ ખાતું હોવું અનિવાર્ય છે. ભાવનગર ડિવિઝનના કુલ આશરે 34,500 વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ ને ડિજિટલ માધ્યમથી સહાય રકમ સીધી જ તેમના આધાર-લિક થયેલ ખાતામાં જમા થાય તે માટે તેમના ડિજિટલ ખાતા ખોલવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ભાવનગર ડિવિઝનના તમામ સબ પોસ્ટ ઓફિસ તથા બ્રાંચ પોસ્ટ ઓફિસમાં નવા DBT આધારિત આધાર સીડિંગ વાળા ખાતાઓ IPPBમાં ખોલવામાં આવશે. IPPB ખાતા ખોલાવી શકાશેવિધવા સહાય યોજના લાભાર્થીઓએ નજીકની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ અને મોબાઇલ નંબર (આધારકાર્ડમાં નોંધાયેલ) સાથે હાજર રહી પોતાના ડિજિટલ ખાતા IPPBમાં આ વિશેષ અભિયાન દરમિયાન ખોલાવી પેપર લેસ કામગીરી સાથે આધાર સીડિંગ પૂર્ણ કરાવી શકશે. જેથી સરકારની DBT આધારિત વિધવા સહાય યોજનાની સહાય રકમમાં કોઈ વિલંબ ન થવાની સાથે લાભાર્થીના ખાતામાં જમા થઇ જશે.
PGVCL એક્શન મોડમાં:PGVCLની કલેક્શન ડ્રાઈવમાં રૂ.26.14 કરોડની વસુલાત થઈ
વીજળીનું બિલ નહીં ભરનારા ગ્રાહકો પાસેથી ભાવનગર PGVCL સર્કલમાં ગત ડિસેમ્બર-2025 મહિનાથી બાકી રકમની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ઘરવામાં આવી છે. ચાલુ ફેબ્રુઆરી-2026 માસમાં ભાવનગર જિલ્લામાં PGVCLની કડક કાર્યવાહીમાં 87435 હજાર ગ્રાહકો પાસેથી બાકી લ્હેણાની રૂ.26.14 કરોડની વસુલાત કરવામાં આવી છે. છેલ્લા 20 દિવસની કાર્યવાહીમાં ફેબ્રુઆરી-2026 મહિનાની કાર્યવાહીમાં ભાવનગર PGVCL સર્કલમાં 7590 કર્મચારીઓને કામે લગાડી કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં વીજળીનું બિલ નહીં ભરનારા 2644 ગ્રાહકોના વીજ જોડાણ કાપી નખાયા છે. કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવમાં ગત જાન્યુઆરી-2026 મહિનામાં 58 હજાર ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ.23.56 કરોડની બાકી લ્હેણી રકમની વસુલાત કરાઈ હતી. જાન્યુઆરી મહિનાની સરખામણીએ ચાલુ ફેબ્રુઆરી મહિનામાં કલેક્શન અને ડિસકનેક્શન ડ્રાઈવ તેજ બનાવી દેવામાં આવી છે. ચાલુ ફેબ્રુઆરી મહિનામાં કલેક્શન ડ્રાઈવમાં પાલિતાણા ડિવિઝનમાં 28226 ગ્રાહકો પાસેથી સૌથી વધુ રૂ.7.99 કરોડની વસુલાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી તા.25મી ફેબ્રુઆરીના PGVCLની મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં વસુલાત ઝુંબેશ તેજ બનતા બાકી લ્હેણી રકમની વસુલાતમાં વધારો થશે.
CGSTની કાર્યવાહી સામે વેપારીઓએ બાંયો ચડાવી:ભાવનગર CGST સામે CBI તપાસની માંગ
ભાવનગરના વેપારી આલમમાં હાહાકાર મચાવી રહેલા CGST ની કાર્યવાહી પ્રકરણમાં વેપારીઓ હવે બાંયો ચડાવવાના મુડમાં આવી ગયા છે, બીજી તરફ 700થી વધુ વેપારીઓની સામે કરવામાં આવેલી કાર્યવાહી પૈકી 100થી વધુ શિપબ્રેકરો, રી-રોલિંગ મિલ, ઇન્ડક્શન ફરનેસ ધારકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાથી એસો.ના સભ્યોએ સહી સાથે વડાપ્રધાનને પત્ર લખી ભાવનગર CGST કચેરીના ભ્રષ્ટાચારને નાથવા CBI તપાસની પણ માંગ કરી છે. વર્ષ 2018-19થી 2023-24 સુધીના સમયગાળા માટે 700થી વધુ વેપારીઓને નોટિસો પાઠવવામાં આવી હતી અને ત્યારબાદ ડિમાન્ડ નોટિસો અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો વેપારીઓ, વ્યવસાયકારોને ડિમાન્ડ નોટિસથી અસંતોષ હોય તો 10% ડિપોઝિટ રકમ ભરી અને અપિલમાં જવું પડે છે, એક-એક વેપારીને કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો પાઠવવામાં આવેલી છે, તેથી અપિલમાં જવા માટે પણ 10 ટકા લેખે જંગી વર્કિંગ કેપિટલના નાણા અનિશ્ચિત મુદ્દત માટે અટવાય જાય તેમ હોય છે. આવા સંજોગોમાં સીજીએસટીના ઉચ્ચ અધિકારીઓ વચેટીયા સમાન કુખ્યાત ટેક્સ કન્સલટન્ટ અને રોલિંગ મિલ સાથે સંકળાયેલા ઉદ્યોગકાર પીડિત વ્યવસાયકારોને સીજીએસટીની ડિમાન્ડ નોટિસો, કાયદાકીય કાર્યવાહીનું ફીંડલુ વળાવી દેવા અવાંતર હેતુથી મધ્યસ્થીની ભૂમિકા અદા કરી રહ્યા છે. 10 ટકા રકમ અપિલમાં જવા માટે અને કાયદાકીય પ્રક્રિયા લાંબો સમય ચલાવવા, કચેરીના ધક્કા ખાવાની પલોજણમાંથી છુટકારો અપાવવા કુલ ડિમાન્ડના 3 ટકા રકમ સ્પીડ મની તરીકે ચુકવી આપી અને મામલો રફે-દફે કરે છે. શિપબ્રેકરો, રી-રોલિંગ મિલ, ઇન્ડકશન-ફરનેસ ધારકોને 100થી વધુ શો-કોઝ નોટિસો અને ત્યારબાદ ડિમાન્ડ ઓર્ડર ઇશ્યુ કરાયા હતા રકમ 200 કરોડથી વધુ થાય છે. આવા લોકોને મામલો બંધ કરવા માટે 3 ટકા રકમની માંગણી સ્પીડ મની તરીકે કરવામાં આવી રહી હતી. આવી પ્રેક્ટિસથી ત્રસ્ત એક એસોસિએશને વડાપ્રધાનને વેદનાપત્ર પાઠવ્યો છે. મહાજન, રાજકીય નેતાઓની નિષ્ક્રિયતાભાવનગરના 700થી વધુ વેપારીઓ, ઉદ્યોગકારો સીજીએસટીના દમનકારી વલણથી પીડાઇ રહ્યા છે, અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ તથા ભાવનગરના તમામ પક્ષના રાજકીય નેતાઓ પ્રકરણથી વાકેફ હોવા છતા વ્યવસાયકારોને નોંધારા મુકી દેવામાં આવ્યા છે. વેપારીઓએ શું રજૂ કર્યુ?જે વેપારીઓને નોટિસો ફટકારાઇ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, તે રજૂ કર્યા હતા છતા અધિકારીઓ સાચા કિસ્સામાં પણ વેપારીઓની હેરાનગતિ કરી રહ્યા છે.
માનવકંકાલ મળતાં ચકચાર મચી:રાજકોટના માલિયાસણ પાસેથી માનવકંકાલ મળ્યું
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા માલિયાસણ પાસે ખુલ્લા પટમાંથી માનવકંકાલ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલ નિષ્ણાતોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ કંકાલ મહિલાનું છે કે પુરૂષનું તે પ્રથમ દૃષ્ટિએ તો નક્કી કરી શકાય તેમ નહોતું પણ ખેડાણ દરમિયાન ઘટનાસ્થળેથી પોલીસને પુરુષના કપડાં મળી આવ્યા છે, જેથી કંકાલ પુરુષનું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પુખ્તતા માટે મેડિકલ કોલેજ ખાતે કંકાલને ખસેડી ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, માલિયાસણ નજીક આઇઓસીની પાછળના ભાગે આવેલા ખુલ્લા પ્લોટમાં એક માનવકંકાલ પડયું હોવાની જાણ સ્થાનિકોએ 112ને કરતા પોલીસ કન્ટ્રોલરૂમમાં બનાવની જાણ કરવામાં આવી હતી. આ અંગે જે વાડીમાંથી કંકાલ મળ્યું હતું તે બાબતે હરેશભાઈ સોરઠિયાએ જણાવ્યું હતું કે, જીસીબીથી ખેડાણ કામ ચાલુ હતું ત્યારે હું પણ પગપાળા ચાલી રહ્યો હતો. થોડા સમય બાદ જીસીબી સાથે કઇક અથડાતા જીસીબીના ચાલકે નીચે ઉતરીને જોયું તો એક માનવકંકાલ જોવા મળ્યું હતું.
ઉનાળાની શરૂઆત સાથે જ વીજતંત્રે બાકી લેણાં વસૂલવા માટે કડક વલણ અપનાવ્યું છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. (PGVCL) દ્વારા આગામી તા.25ને બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના તમામ 12 સર્કલમાં વિશેષ ડિસ્કનેક્શન ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 4,43,878 વીજગ્રાહકોના બિલ બાકી છે. સૌથી વધુ બાકીદારો જામનગર સર્કલમાં છે, રાજકોટ શહેરની સ્થિતિ પર નજર કરીએ તો 26,325 વીજગ્રાહકો પાસેથી કુલ અંદાજે 66 કરોડ રૂપિયા જેટલી લેણી રકમ બાકી છે. તેમાં 111 ગ્રાહકોના એક લાખથી વધુ, 249 ગ્રાહકોના 50 હજારથી વધુ અને 382 ગ્રાહકોના 25 હજારથી વધુ રકમના બિલ બાકી છે. વીજતંત્રના જણાવ્યા મુજબ પ્રથમ તબક્કે એક લાખથી વધુ રકમ બાકી ધરાવતા ગ્રાહકોના જોડાણ કાપવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય બાકીદારોને આવરી લેવાશે. રાજકોટમાં બુધવારે એક દિવસની ખાસ ઝુંબેશ યોજાશે.
રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક રહેતા એક યુવાન એક્સપોર્ટ વેપારી સાથે ઈમ્પોર્ટના ધંધામાં ભાગીદારીના બહાને રૂ. 31.88 લાખની છેતરપિંડી આચરી હતી. ફરિયાદ મુજબ ગુણાતિતનગર મેઈન રોડ પર રહેતા કૌશલભાઈ ભોજાણી સિરામિક ઉદ્યોગમાં એક્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમની ઓફિસ અગાઉ અયોધ્યા ચોક ખાતે આવેલા આર.કે. આઈકોનિક કોમ્પલેકસમાં હતી. સાવન રમેશ ધમસાણિયા નામનો વ્યક્તિ મળવા આવ્યો હતો. આરોપીએ ઈમ્પોર્ટના ધંધામાં સારો નફો મળશે તેવી ખાતરી આપતાં ફરિયાદીએ વિશ્વાસ મૂકી કટકે કટકે રૂ. 26.44 લાખ ટ્રાન્સફર કર્યા હતા. હિસાબ મુજબ કુલ રૂ. 31.88 લાખ જેટલી રકમ બાકી નીકળતી હોવા છતાં આરોપીએ કોઈ સ્પષ્ટ હિસાબ આપ્યો નહોતો. બાદમાં મિલકત વેચાણ બાદ રકમ પરત આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 10માં સૌથી અઘરા લાગતા વિષયો ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓએ કેવી રીતે તૈયારી કરવી તે અંગે દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાત સાથે વાત કરી હતી. નિષ્ણાત શિક્ષકોએ અંતિમ સમયમાં કેવી રીતે તૈયારી કરવી તેની ટીપ્સ આપતા કહ્યું કે આટલું કરી લો 75% માર્ક્સ ક્યાંય નહીં જાય. બ્લુ-પ્રિન્ટના એનાલિસિસ IMPવિજ્ઞાન વિષયના નિષ્ણાત શિક્ષક અજય ગમારાએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન એક સાયન્ટિફિક સબ્જેક્ટ છે, જેમાં ઓછી મહેનતથી વધુ સ્કોર લાવવો ખૂબ જ સરળ છે. આ માટે વિદ્યાર્થીઓ માટે બ્લુ-પ્રિન્ટના એનાલિસિસ અગત્યની બાબત છે. જ્યારે સેક્શન અનુસાર સેક્શન A: 24 માર્ક્સ, સેક્શન B: 18 માર્ક્સ, સેક્શન C: 18 માર્ક્સ, સેક્શન D: 20 માર્ક્સ માટે પૂછાય છે. ‘વિદ્યાર્થી ઓછા ચેપ્ટરમાં પણ વધુ સારો એવો સ્કોર લાવી શકે’વધુમાં કહ્યું કે, આ સેક્શન અનુસાર ખાસ વધુ માર્ક્સ વિદ્યાર્થીઓ મેળવી શકે તે માટે ખાસ કરીને વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2, 3, 5, 7, 10, 12 અને 13 પર વિદ્યાર્થીઓ ધ્યાન આપે તો 75 ટકા સુધી માર્ક્સ મેળવી શકે છે. હાલના સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા જનરલ ઓપ્શન કેટેગરી આપવામાં આવી છે. જેનો સંપૂર્ણ લાભ ઉઠાવીને વિદ્યાર્થી ઓછા ચેપ્ટરમાં પણ વધુ સારો એવો સ્કોર લાવી શકે છે. ‘પેપર મધ્યમથી લઈ અઘરું આવી શકે’વધુમાં જણાવ્યું કે, ઓછી મહેનત કરી હોય અથવા મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ માત્ર ચેપ્ટર નંબર 2, 3, 5, 10 અને 13 એમ પાંચ ચેપ્ટરની તૈયારી કરીને 50 ટકાથી વધુ માર્ક્સ મેળવી શકે છે. આ વર્ષે યોજાનાર બોર્ડની પરીક્ષામાં પેપર મધ્યમથી લઈ, અઘરું આવી શકે છે. બેઝિક ગણિત લેનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ટીપ્સધોરણ 10માં વિજ્ઞાન સાથે સૌથી અઘરો લાગતો વિષય ગણિત છે. ગણિતમાં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત આવે છે. વિષય નિષ્ણાત સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ કરવું હોય તેમના માટે સ્ટાન્ડર્ડ ગણિત હોય છે જેનું લેવલ થોડું અઘરું હોય છે. જે વિદ્યાર્થીઓએ કોમર્સ કે બાયોલોજી જેવા વિષયનો અભ્યાસ કરવો છે તેઓ માટે બેઝિક ગણિત હોય છે. ત્યારે નિષ્ણાતે બેઝિક ગણિત લેનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ટીપ્સ આપી હતી. ‘આંકડાશાસ્ત્ર ખાસ તૈયાર કરો’વધુમાં કહ્યું કે, પહેલા વિદ્યાર્થીઓએ આંકડાશાસ્ત્ર ખાસ તૈયાર કરવાનું છે. જેમાં ચાર ક્રિયાઓ અને ત્રણ સૂત્રો આવે છે. જેમાં ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી તથા મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ખાસ તૈયારી કરો એટલે 16 માર્કનું પૂછાય છે. આ સાથે સંભાવના ચેપ્ટર આપણે ધ્યાનથી તૈયાર કરવું જેમાં ખાસ 14 માર્કસનું પૂછાય છે જેમાંથી 10 માર્ક્સનું ફરજિયાત પૂછશે. આ સાથે યામભૂમિતિ ચેપ્ટર અમુક દાખલા અઘરા લાગે છે, પરંતુ ખુબજ સરળ ચેપ્ટર છે, જેમાંથી 11 માર્કસનું પૂછાય છે જેમાંથી 8 માર્ક્સનું ફરજિયાત પૂછાશે. ‘રકમ વાંચવામાં કોઈ ઉતાવળ કરવી નહીં’આ સાથે હોશિયાર વિદ્યાર્થીઓએ સેક્શન Aમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જેમાં 24 માર્ક્સ છે તેમા માર્ક્સ ન કપાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે સેક્શન Bમાં કદાચ કોઈ હાર્ડ દાખલો પૂછાય તો તેના પર ખૂબ ધ્યાન આપવાનું અને સમય આપવાનો છે, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. બધા જ વિદ્યાર્થીઓએ રકમ આખી વાંચવી અને વિચારીને ગણવું જોઈએ. રકમ વાંચવામાં કોઈ ઉતાવળ કરવી નહીં, ક્યારેક તેના કારણે પણ માર્ક્સ કપાઈ જતા હોય છે. ‘સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે દ્રિચલ સુરેખ સમીકરણ મહત્વનું ચેપ્ટર’વધુમાં કહ્યું કે, સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર છે કે આપણે એન્જિનિયરિંગમાં જવાનું છે. ત્યારે તેવા વિદ્યાર્થીઓ માટે ખાસ દ્રિચલ સુરેખ સમીકરણ મહત્વનું ચેપ્ટર છે. કૂટ પ્રશ્નોની રકમ ધ્યાનથી વાંચી દાખલાને ગણવા જોઈએ. આ ચેપ્ટરની ખુબજ તૈયારી કરવી જોઈએ. દિવસમાં બે પેપર લખવા જોઈએ. સાથે સમય ત્રણ કલાકની જગ્યાએ બેથી અઢી કલાકમાં લખાઈ જાય તે પ્રકારની તૈયારી રાખવી જોઈએ.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
હિન્દુ જનસંખ્યા ઘટી રહી છે, જો બહુમતી જાળવવી હશે તો તીન બચ્ચે, હિન્દુ સચ્ચે મંત્ર અપનાવવો પડશે.હિન્દુ શૌર્યવાન, પ્રમાણિક હોવા છતાં કપાઇ ગયા, લૂંટાઇ ગયા આ શબ્દો છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના. દેશભરમાં હિન્દુઓને સંગઠિત કરવા માટે તોગડિયાએ હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કર્યાં છે. દર મંગળવારે અને શનિવારે આ કેન્દ્રો પર સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ થાય છે. દેશમાં હનુમાન ચાલીસાના કેટલા કેન્દ્રો છે? શા માટે હિન્દુઓ સંગઠિત નથી થઇ શકતા? આગામી 17 વર્ષમાં હિન્દુઓની વસ્તીમાં કેવો મોટો ઘટાડો આવશે? મોહન ભાગવતે આપેલા 3 બાળકોવાળા નિવેદન પર શું કહેવું છે? આ તમામ સળગતા સવાલો પર દિવ્ય ભાસ્કરે પ્રવીણ તોગડિયા સાથે વાત કરી છે. વાંચો દિવ્ય ભાસ્કરના સવાલ અને પ્રવીણ તોગડિયાના જવાબ. દિવ્ય ભાસ્કરઃ મોહન ભાગવતે કહ્યું હતું કે હિન્દુઓએ 3 બાળકો પેદા કરવા જોઇએ. શું તમે તેમના આ નિવેદન સાથે સહમત છો?પ્રવીણ તોગડિયાઃ અમારા તમામ સંગઠનોનો નારો છે તીન બચ્ચે, હિન્દુ સચ્ચે. આ નારો હું કુંભથી લગાવી રહ્યો છું. ગામડે ગામડે લગાવીએ છીએ. અમારૂં અભિયાન છે કે જો ભારતમાં હિન્દુની બહુમતી રાખવી હશે તો 3 બાળકો કરવા પડશે. જન સંખ્યા નિયંત્રણનો કાયદો બનાવીને વધુ સંતાનો પેદા કરવાવાળા લોકોને નિયંત્રિત કરો. દિવ્ય ભાસ્કરઃ UPમાં હિન્દુવાદી છબિ ધરાવતા ભાજપની સરકાર છે. તેમ છતાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને સંગમમાં સ્નાન ન કરવા દેવાયું. આ વિશે તમે શું કહેશો?પ્રવીણ તોગડિયાઃ જે થયું છે તે દુઃખદ છે, ચિંતાજનક છે, ના થવું જોઇએ. હજુ પણ હું પ્રાર્થના કરીશ કે બન્ને મળીને વિવાદ શાંત કરે. દિવ્ય ભાસ્કરઃ શંકરાચાર્યએ યોગી આદિત્યનાથને કાલનેમી કહ્યા હતા. યોગીએ પણ વળતો પ્રહાર કર્યો હતો. બન્ને વચ્ચેના વાકયુદ્ધ વિશે તમે શું કહેશો?પ્રવીણ તોગડિયાઃ એ બન્ને સાથે ઘણાં વર્ષોથી મારે સંબંધ છે. બંનેના ગુરુ સાથે પણ મારે લગભગ 30-40 વર્ષોથી સંબંધ છે એટલે જે થઇ રહ્યું છે તેનાથી હું સૌથી વધુ દુઃખી છું. હું એટલી પ્રાર્થના કરીશ કે બન્ને મળીને વિવાદ શાંત કરે, હવે તેને ભૂતકાળ બનાવી દે, વર્તમાન નહીં. દિવ્ય ભાસ્કરઃ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે ધારાસભ્ય અમિત પી. શાહ અને યોગીની તસવીર જાહેરમાં બતાવીને કહ્યું હતું કે 2 પ્રકારના ભાજપ છે. આ વિશે તમે શું કહેશો?પ્રવીણ તોગડિયાઃ પૂજ્ય શંકરાચાર્યના નિવેદન પર કંઇપણ કહેવા માટે હું મારી જાતને અધિકૃત અને યોગ્ય નથી માનતો. મારો અધિકાર આશીર્વાદ લેવા માટેનો છે. તેમના નિવેદનની ટીકા કરવાનો કે એનાલિસિસ કરવાનો શાસ્ત્રોએ કે મારા કૂળ-પરિવારે મને અધિકાર નથી આપ્યો એટલે હું કંઇ નહીં કહું. દિવ્ય ભાસ્કરઃ હનુમાન ચાલીસાના પાઠનું અભિયાન ક્યાંથી અને ક્યારે શરૂ કરવામાં આવ્યું?પ્રવીણ તોગડિયાઃ આખા દેશમાં દરેક મંગળવાર અથવા શનિવારે સાંજે અથવા રાત્રે સામૂહિક હનુમાન ચાલીસા શરૂ કર્યા છે. આ અભિયાન ભારતના દરેક ગામમાં, શહેરની દરેક કોલોનીમાં એક વર્ષ પહેલાં કુંભના સમયથી શરૂ કરવામાં આવ્યું છે. અત્યારે અંદાજે 30 હજાર સ્થળો પર હનુમાન ચાલીસાનું અભિયાન ચાલે છે. દિવ્ય ભાસ્કરઃ હનુમાન ચાલીસાનું પઠન કેમ શરૂ કરવામાં આવ્યું? તેની પાછળનું કારણ શું છે?પ્રવીણ તોગડિયાઃ હનુમાન ચાલીસા તો હિન્દુઓ ઘરમાં કરતા જ હતા પણ હવે આપણે ગામડાંમાં અને શહેરમાં એકઠાં થઇને હનુમાન ચાલીસા કરીશું. દરેક સપ્તાહમાં કરીએ. નિશ્ચિત સ્થળ પર, નિશ્ચિત સમય પર એકવિચારથી વારંવાર ભેગાં થવાથી લોકો સંગઠિત થઇ જાય છે. 'ભારતના કોઇપણ શહેરમાં હિન્દુ પર કોઇ મુશ્કેલી આવશે તો હનુમાના ચાલીસા કેન્દ્રમાં એલાન થશે અને 10-25 લોકો નીકળશે. અમદાવાદના 1 હજાર હનુમાન ચાલીસા કેન્દ્રમાં એલાન થશે તો 50 હજાર લોકો નીકળશે. ગુજરાતના 50 હજાર કેન્દ્રોમાં એલાન થશે લાખ્ખો લોકો નીકળશે. આ કારણસર અમે હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે.' 'અમે હનુમાન ચાલીસા કેન્દ્રને હિન્દુ વેલનેસ સેન્ટરમાં પરિવર્તિત કર્યું છે. અમારા હનુમાન ચાલીસા કેન્દ્ર પર 100-200 પરિવારોમાં મિટિંગ કરીને, ઘરે ઘરે જઇને તેમની ખાણી-પીણી, રહેણી-કરણીમાં સુધારો કરીને રોગ મુક્ત કરીશું.' 'જ્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર હશે ત્યાં વર્ષમાં બધાંના એક વખત વિનામૂલ્યે બ્લડ પ્રેશર, સુગરના ટેસ્ટ કરવામાં આવશે. જ્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલશે ત્યાં બે-પાંચ ગરીબો પણ હશે. તેમને આખા ભારતમાં મફતમાં પ્રાઇવેટમાં સારવાર આપવામાં આવશે. પ્રાઇવેટમાં મફત સારવાર આપવા માટે અત્યારે મારી પાસે 10 હજાર ડોકટર છે. સંસ્થાનું નામ આપ્યું છે ઇન્ડિયા હેલ્થ લાઇન. હું ગરીબોની પ્રાઇવેટમાં સારવાર કરવા માટે 1 લાખ ડોક્ટર તૈયાર કરી રહ્યો છું.' 'જ્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલશે ત્યાં અમે એક મુઠ્ઠી અનાજ અભિયાન ચલાવીશું. 100-200 ઘરોમાં થેલી આપીશું.થેલી પર લખ્યું છે એક મુઠ્ઠી અનાજ. ખાવાનું બનાવતાં પહેલાં દરેક હિન્દુ પરિવાર એક મુઠ્ઠી અનાજ કાઢશે. આનાથી એક હિન્દુ ઘરમાંથી મહિનામાં એક કિલો અનાજ એકઠું થશે. એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર છે એટલે એક કરોડ ઘરમાંથી દરરોજ એક મુઠ્ઠી અનાજ ભેગું થશે. આ અનાજ હિન્દુ ગરીબોને આપીશું.' દિવ્ય ભાસ્કરઃ અત્યારસુધીમાં દેશના કયા રાજ્યોના કેટલા મંદિરોમાં હનુમાન ચાલીસા પઠન કરવામાં આવ્યું છે?પ્રવીણ તોગડિયાઃ અમદાવાદમાં 150ની આસપાસ કેન્દ્રો ચાલે છે. અમરેલીમાં 102, બોટાદમાં 80, ડિસામાં 125, ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 211, તેની નજીક લખીમપુર ખીરીમાં 90, પ્રયાગમાં ગંગાપારમાં 80, કાશીમાં 33 કેન્દ્રો છે. 'જ્યાં હનુમાન ચાલીસા કેન્દ્ર હશે ત્યાં 3 વખત ઓમથી હનુમાન ચાલીસાની શરૂઆત થશે પછી બધાં ભગવાનના નામ લઇશું. તેમાં કોઇ નામ નક્કી નથી. સ્થાનિક ભગવાનના નામ પણ જોડી શકાય છે. ગુજરાત હોય તો સોમનાથ બોલીશું, યુ.પી. હોય તો કાશી વિશ્વનાથ, ક્યાંક રામેશ્વર બોલીશું.' 'આના પછી અમે સંકલ્પ લઇશું કે ભગવાને બનાવેલા હિન્દુ ધર્મ, હિન્દુ રાષ્ટ્ર, હિન્દુ સમાજ દિવ્ય છે, મહાન છે, સૃષ્ટિના પ્રારંભથી છે. 2000 વર્ષ પહેલાં પૂરી દુનિયામાં હિન્દુઓ હતા પણ આજે નથી કેમ કે હિન્દુઓની હત્યા-લૂંટ, ધર્માંતરણ થયા છે. ભારતમાં હિન્દુ બટા હૈ, કટ રહા હૈ. અમારો સંકલ્પ છે કે અમે તન, મન,ધનથી હિન્દુઓ માટે કામ કરીશું. દરેક સપ્તાહે આ સંકલ્પ લેવામાં આવશે.' 'તેના પછી 5 મિનિટ સંદેશ આપવામાં આવશે ત્યારપછીની 5 મિનિટ તે સપ્તાહમાં ભારત દેશ અને ધર્મ માટે કામ કરનારા મહાપુરુષોની જન્મ જયંતી, મૃત્યુતિથિ અને મહત્વની ઘટનાઓ પર વાતચીત થશે બાદમાં આરતી, પ્રસાદ હશે, ત્યારપછી ભગવાનના જયઘોષ થશે. આ કાર્યક્રમ સંપન્ન થયા પછી જે બાળકો હશે તેમને અડધો કલાક રમત અને મોટી ઉંમરના લોકોને અડધા કલાક આસન, પ્રાણાયમ, ધ્યાન કરાવવામાં આવશે.' દિવ્ય ભાસ્કરઃ હનુમાન ચાલીસાનું પઠન ક્યાં સુધી ચાલુ રાખવામાં આવશે?પ્રવીણ તોગડિયાઃ હિન્દુ શૌર્યવાન, પ્રમાણિક હોવા છતાં કપાઇ ગયા, લૂંટાઇ ગયા. સિંધ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના હિન્દુઓએ ઘર છોડીને ભાગવું પડ્યું. ભારતમાં આસામ, બંગાળ,કેરળ, કાશ્મીરમાં આવી જ સ્થિતિ છે. આ સ્થિતિમાં દરેક હિન્દુઓ સપ્તાહમાં 5 મિનિટ એક સ્થળે ભેગાં થાય તો એકતા વધશે. 'મને લાગે છે કે હિન્દુ જનસંખ્યા ઘટી રહી છે. આજે હમ દો, હમારે દો નહીં હૈ, અમારે પોણે દો હૈ. આજે 114 કરોડ હિન્દુઓ છે. 17 વર્ષ પછી 50 કરોડ થઇ જશે. મેં જ દુનિયા અને ભારતમાં કહ્યું છે કે હિન્દુ બટા, હિન્દુ ઘટા, હિન્દુ કટા. ભારતમાં હિન્દુઓ જાતિઓમાં તો વહેચાયેલાં જ છે પણ હવે ઘટી રહ્યાં છે.' દિવ્ય ભાસ્કરઃ તમે 11 લાખ કેન્દ્રનો ટાર્ગેટ રાખ્યો છે પણ તે કેટલા સમય સુધીમાં એચિવ કરશો?પ્રવીણ તોગડિયાઃ આ ટાર્ગેટ 11 વર્ષ પહેલાં પૂરો થઇ જાય તેવો મારો પ્રયાસ છે. 'અમારૂં ઓમ શ્રી પરિવાર અભિયાન પણ છે. જેમાં મારૂં ઘર-હિન્દુ ઘર. હિન્દુ ઘર-સુખી ઘર, હિન્દુ ઘર-સમૃદ્ધ ઘર, હિન્દુ ઘર-રોજગારયુક્ત ઘર, હિન્દુ ઘર-સુરક્ષિત ઘર, હિન્દુ ઘર-રોગમુક્ત ઘર. મહિલા સુરક્ષિત ઘર હશે. આ કેવી રીતે થાય તે હનુમાન ચાલીસા કેન્દ્ર શીખવાડશે. ભારતના દરેક તાલુકાઓ, બ્લોકમાં ઠેકઠેકાણે ત્રિદેવ, ત્રિદેવી મંદિર બનશે. એક બ્લોકમાં લગભગ 100 હનુમાન ચાલીસા કેન્દ્ર હશે. જેની સાથે 20થી 25 હજાર લોકો જોડાયેલાં હશે. તેમનું કેન્દ્ર હશે ત્રિદેવ-ત્રિદેવી મંદિર.' દિવ્ય ભાસ્કરઃ હનુમાન ચાલીસા કેન્દ્ર ક્યાં હશે?પ્રવીણ તોગડિયાઃ હનુમાન ચાલીસા માટે કોઇ જગ્યા નહીં હોય તો ગમે ત્યાં ઊભા રહી જઇશું. જેમ કે આ કોલોની છે તો તેની વચ્ચે ઊભા રહી જઇશું.તમે ઘરેથી બહાર નીકળો અને તમારી નજર પડે તે સ્થળની નજીક હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવો. નજર પડે ત્યાં મંદિર હોય તો ઠીક છે ન હોય તો કંઇ વાંધો નહીં. જ્યાં જગ્યા હોય ત્યાં કેન્દ્ર ચલાવો. જેથી 3 વર્ષનો બાળક પણ હનુમાન ચાલીસામાં આવશે અને 80 વર્ષના વૃદ્ધો પણ આવશે. ઘરમાં કામ કરતી મહિલા 10 મિનિટ સમય કાઢીને આવશે. 'જે હનુમાન ચાલીસા કેન્દ્રનો સમય 9 વાગ્યાનો હોય ત્યાં એ કેન્દ્ર ચલાવનારા 4-5 લોકો 8 વાગ્યે એકઠા થાય. હાથમાં ચોખા લઇને ઘરે-ઘરે જઇને એક-એક દાણો આપીને કહેશે કે આજે અહીંયા 9 વાગ્યે હનુમાન ચાલીસામાં આવજો.' દિવ્ય ભાસ્કરઃ એક મુઠ્ઠી અનાજ અભિયાનથી શું થશે?પ્રવીણ તોગડિયાઃ એક મુઠ્ઠી અનાજ પાછળ ઘણા વિચાર છે. 1) દરરોજ એક મુઠ્ઠી અનાજ આપનાર તરફથી અન્નદાન થશે. અમે કરોડો હિન્દુઓ પાસે દરરોજ અન્નદાન કરાવીશું. 2) એક હિન્દુ અન્ય હિન્દુ માટે દરરોજ એક મુઠ્ઠી અનાજ ભેગું કરશે તેનાથી હિન્દુ એકતા ઊભી થશે.3) લાખ્ખો હિન્દુ ગરીબોને મફતમાં અનાજ મળશે અને કોઇપણ હિન્દુ ભૂખ્યો નહીં રહે. દિવ્ય ભાસ્કરઃ એક મુઠ્ઠી અનાજ તો તમે ભેગું કરી લો પણ તે કોને આપશો અને કેવી રીતે આપશો?પ્રવીણ તોગડિયાઃ હનુમાન ચાલીસા કેન્દ્ર પરથી 100-150 ઘરોમાં એક મુઠ્ઠી અનાજની એક થેલી આપીને સમજાવીશું કે ખાવાનું બનાવતા પહેલાં એક મુઠ્ઠી અનાજ કાઢી લો. દેશમાં ભૂખ્યા સૂઇ જનારા હિન્દુ પરિવારોની સંખ્યા 19 કરોડ છે. દર મહિનાની અમાસ કે શુકલ એકાદશીએ ઘરે-ઘરે જઇને આ અનાજ એકઠું કરીશું. જો એવું ન કરવું હોય તો અમે એક સરનામું આપીશું જ્યાં જઇને અનાજ આપી દેવાનું. 'જે-તે વિસ્તારમાં 2-5 ગરીબ રહેતા હશે તેમને આપીશું. માની લો કે કોઇ વિસ્તારમાં એકપણ ગરીબ નથી તો કોઇને ત્યાં કામ કરવા આવતા, સફાઇ કરવા આવતા લોકોને, ડ્રાઇવરને પહેલી પ્રાયોરિટીમાં બોલાવીને અનાજ આપીશું. જો આના પછી પણ અનાજ વધે તો વર્ષમાં એક વખત અમે ટ્રાયબલ બેલ્ટમાં જઇને આ અનાજ આપીશું.' દિવ્ય ભાસ્કરઃ આ અભિયાન ક્યારથી શરૂ કર્યું અને કેટલા લોકોને થેલી પહોંચાડી?પ્રવીણ તોગડિયાઃ પ્રયાગમાં કુંભ મેળો હતો ત્યારથી અમે આ અભિયાન શરૂ કર્યું હતું. મેં નક્કી કર્યું હતું કે હું કુંભમાં બેસીશ અને શ્રદ્ધાળુઓને રહેવાની તેમજ ખાવાની વ્યવસ્થા મફત આપીશ તો લોકો મારી પાસે આવશે. જે લોકો મારી પાસે આવતા તેમને હું કહેતો કે તમારા ગામમાં જઇને હનુમાન ચાલીસા કેન્દ્ર ચલાવો. લગભગ દોઢ લાખ ઘરોમાં એક મુઠ્ઠી અનાજ અભિયાનની થેલી પહોંચી છે. મારું માનવું છે કે એકાદ-બે વર્ષમાં 1 કરોડથી વધુ ઘરોમાં અમારી આ થેલીઓ પહોંચશે. દિવ્ય ભાસ્કરઃ તમારી દૃષ્ટિએ એવી કઇ ખામી છે કે જેના લીધે હિન્દુઓ સંગઠિત નથી થઇ શકતા?પ્રવીણ તોગડિયાઃ 3-4 ત્રુટિઓ છે. મુસલમાન કોઇને કોઇ મસ્જિદ સાથે જોડાયેલો છે. ક્રિશ્ચિયન છે તો તેમનું ચર્ચ છે. બોદ્ધ હોય તો તેમનો કોઇને કોઇ મઠ છે. હિન્દુ એવા જૈન ભાઇઓ કોઇને કોઇ ઉપાશ્રય સાથે જોડાયેલા છે, કોઇ શીખ હોય તો તે ગુરૂદ્વારામાં સીંઘ સભા સાથે જોડાયેલા છે પણ હિન્દુ ક્યાં જોડાયેલા છે? નથી જોડાયેલા. હું હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા આ ત્રુટિ દૂર થાય તેવો પ્રયાસ કરી રહ્યો છું. 'બીજી ત્રુટિ એ છે કે હિન્દુઓના આચરણમાં મૂળભૂત સમાનતા નથી. ઇસ્લામમાં શરિયત છે, કિશ્ચિયનમાં ચર્ચ નિયંત્રણ કરે છે. બીજા બધા ધર્મમાં પણ છે. અમે ઓમ શ્રી પરિવાર દ્વારા આ મૂળભૂત સમાનતા લાવવાનો પ્રયાસ કરીએ છીએ. જેવી કે ઉઠીને ધરતી માતાને પ્રણામ કરો, માતા-પિતાને પ્રણામ કરો, દરરોજ મંદિરમાં દર્શન કરો.' 'પેલેસ્ટાઇનનો મુસલમાન મરે છે તો લંડન સહિત દુનિયાભરમાં શુક્રવારની જુમ્માની નમાજમાં એલાન થાય છે અને લાખ્ખો મુસલમાનો નીકળે છે પણ એક હિન્દુ માટે એક અવાજમાં સો, હજાર કે લાખ કે કરોડો લોકો ક્યાંય નીકળે છે? નથી નીકળતાં. હિન્દુ એવું માને છે કે બાંગ્લાદેશ, કાશ્મીરનો હિન્દુ મરશે તેમાં મારે શું લેવા-દેવા? અમદાવાદના હિન્દુ પર છુરાબાજી થાય તો મારે શું લેવા-દેવા છે?' ‘હું આ ત્રુટિઓ 5-10 વર્ષોમાં પૂરી થાય તે માટે પ્રયાસ કરૂં છું.અમે હિન્દુ હેલ્પ લાઇન આપી છે. ફોન ઉઠાવો અને ભારતમાં 24 કલાકમાં ગેરંટીથી મદદ મળશે. કોઇ કિશ્ચિયન કે મુસલમાને આવી સુવિધા નથી આપી.’ દિવ્ય ભાસ્કરઃ હિન્દુ એકતા કેમ નથી?પ્રવીણ તોગડિયાઃ તેનું કારણ ઐતિહાસિક છે. કરોડો વર્ષોથી આપણે સુરક્ષિત હતા, સમૃદ્ધ હતા. આપણા ઘર પર હુમલો કર્યો કે બહેન-દીકરીઓનો કોઇ હાથ પકડયો હોવાનું ઇતિહાસમાં કદી થયું નહોતું. સિકંદર પહેલો વ્યક્તિ હતો જે ભારતની ધરતી પર તલવાર લઇને ઘૂસ્યો હતો. આપણે વર્ષોથી સુરક્ષિત હતા એટલે સંગઠિત હોવાની કોઇ જરૂર નહોતી. આજે આપણે ઘેરાઇ ગયા છીએ તો ઇતિહાસમાં થોડું પરિવર્તન કરવું જોઇએ તેવું મને લાગે છે. દિવ્ય ભાસ્કરઃ આના માટે કોણ જવાબદાર?પ્રવીણ તોગડિયાઃ આપણે જ જવાબદાર છીએ. આપણે ઘણા સુરક્ષિત હતા એટલે ધ્યાન નહોતું આપ્યું પણ હવે ધ્યાન આપીશું. બીજું એક શાસ્ત્રોક્ત કારણ છે કે કળિયુગ શરૂ થયો છે. દરેક કળિયુગમાં ધર્મના રસ્તા પર, સત્ય કે ન્યાયના રસ્તા પર ચાલવાવાળાની ખરાબ સ્થિતિ થાય છે. તે કળિયુગનો દુષ્પ્રભાવ છે. દિવ્ય ભાસ્કરઃ સમાજને એકબીજાથી કોણે દૂર કર્યો?પ્રવીણ તોગડિયાઃ કાળના પ્રભાવમાં આ થયું છે એટલે સુધી કે પરિવાર તૂટી રહ્યાં છે. હવે વ્યક્તિ કેન્દ્રિત થયા છે. પહેલાં ધર્મ કેન્દ્રિત હતું પછી દેશ કેન્દ્રિત હતું, પછી સમાજ અને જાતિ, જ્ઞાતિ કેન્દ્રિત હતી, પછી પરિવાર કેન્દ્રિત હતો. હવે પરિવાર પણ છૂટી ગયો વ્યક્તિ કેન્દ્રિત થઇ ગયો છે. આપણે એટલાં નીચે ગયા છે. પ્રયાસ કરીશું તો તેમાં સુધારો આવી શકે છે. દિવ્ય ભાસ્કરઃ હિન્દુઓની આસ્થાનું પ્રતીક રામ મંદિર બની ગયું છે. હવે એવું શું છે કે જે હજુ બાકી છે?પ્રવીણ તોગડિયાઃ હિન્દુ એકતા, દરરોજ એક મુઠ્ઠી અનાજ હજુ બાકી છે. હિન્દુઓએ અઠવાડિયામાં એકવાર તો ભેગા થવું જ જોઇએ. દુનિયામાં કોઇ હિન્દુનું અપમાન થશે તો લોકતાંત્રિક ઢબે અવાજ ઉઠાવીશું. આ ત્રણ વાત થઇ ગઇ તો કાશી, મથુરા થઇ જ જશે. ગૌહત્યા પણ બંધ થઇ જ જશે. હિન્દુઓનું કલ્યાણ પણ થઇ જશે.
ગાંજો ઝડપાયો:રાજકોટના મોરબી રોડ જૂના જકાતનાકા પાસે 3.031 કિલો ગાંજા સાથે બે ઝડપાયા
અમદાવાદથી રાજકોટ આવતા હાઇવે પર મોરબી રોડ જૂના જકાતનાકા નજીક એસ.ઓ.જી. ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આઇસર ટ્રકમાંથી 3.031 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે આઇસર ટ્રક, ગાંજાનો જથ્થો તથા બે મોબાઇલ સહિત કુલ રૂ.16,71,550નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદથી રાજકોટ આવતી દિશામાં જૂના જકાતનાકા પાસેથી આઇસર ટ્રકમાં બે શખ્સો ગાંજાનો જથ્થો લઇ પસાર થવાના હોવાની એસ.ઓ.જી.ને બાતમી મળી હતી. બાતમીના આધારે એએસઆઇ રાજેશ બાળા, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા અને જયદીપસિંહ ચૌહાણે ટીમ સાથે દેવજીવન હોટેલ પાસે વોચ ગોઠવી આઇસર ટ્રક નં. જી.જે.03-બી.ઝેડ.-4796 અટકાવ્યો હતો. ટ્રકની તલાશી દરમિયાન ગાંજાનો જથ્થો મળી આવતા એફએસએલ અધિકારી કે.એમ. તાવિયા પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. બાદમાં લોધિકા તાલુકાના ખોડિયારપરા મફતિયાપરામાં રહેતા આસિફ તૈયબ દોઢિયા અને 150 ફૂટ રિંગ રોડ ખોડિયારનગર શેરી નં.3માં રહેતા અવેશ અબ્દુલ પઠાણને રૂ.1,51,550ની કિંમતના 3.031 કિલો ગાંજા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે બંને પાસેથી રૂ.20 હજારના બે મોબાઇલ સહિત કુલ રૂ.16,71,550નો મુદ્દામાલ કબજે કર્યો છે. બન્ને શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લેવા તજવીજપોલીસે બન્ને શખ્સોને ચાર દિવસના રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ગાંજાનો જથ્થો વાપી તરફથી લાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ દ્વારા ગાંજાનો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે અજયસિંહ જાડેજાની કરાયેલી પસંદગીને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. સરકારની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં અજયસિંહ જાડેજા નવા હોદ્દાનો ચાર્જ સંભાળશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની જગ્યા ખાલી પડી હતી જેના કારણે ઇન્ચાર્જ વ્યવસ્થામાં વહીવટી કામકાજ ચલાવવામાં આવતું હતું. કાયમી રજિસ્ટ્રારની નિમણૂક માટે તાજેતરમાં તજજ્ઞોની પસંદગી સમિતિ દ્વારા જરૂરી લાયકાત ધરાવતા ત્રણ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. પસંદગી સમિતિએ વર્તમાનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે સેવા આપતા અજયસિંહ જાડેજાની પસંદગી કરી હતી. પસંદગી બાદ તેમનું નામ રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગને અંતિમ મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. હવે ઉચ્ચ શિક્ષણ વિભાગે તેમની નિમણૂકને મંજૂરી આપતા યુનિવર્સિટી વહીવટમાં સ્થિરતા આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા મુજબ, અજયસિંહ જાડેજા ટૂંક સમયમાં સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે. નવા રજિસ્ટ્રાર સામે ભરતી સહિત અનેક પડકારોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા રજિસ્ટ્રાર તરીકે ટૂંક સમયમાં ચાર્જ સંભાળનારા અજયસિંહ જાડેજા સામે શરૂઆતથી જ અનેક મહત્વપૂર્ણ પડકારો ઉભા છે. લાંબા સમયથી કાયમી રજિસ્ટ્રારના અભાવે ઇન્ચાર્જ વ્યવસ્થામાં ચાલી રહેલા વહીવટને હવે ગતિ અને સ્થિરતા આપવી મુખ્ય પ્રાથમિકતા રહેશે. યુનિવર્સિટીમાં શૈક્ષણિક તથા ગેરશૈક્ષણિક સ્ટાફની અનેક જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. ભરતી પ્રક્રિયાને પારદર્શક અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવી નવા રજિસ્ટ્રાર માટે અગત્યનું કાર્ય રહેશે. ઉપરાંત પેન્ડિંગ ફાઇલોના નિકાલ, પરીક્ષા વિભાગની કાર્યક્ષમતા અને વિદ્યાર્થીઓને સમયસર પરિણામ મળે તે માટે સુવ્યવસ્થિત મિકેનિઝમ ઉભું કરવું પડશે.
ઇન્ડિયન કેટલ શો:આજે 20 નંદીની રિંગમાં વોકિંગ સ્પર્ધા
શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલો ‘ઇન્ડિયન કેટલ શો’માં પશુપાઇલકો તેના ગૌવંશ સાથે પહોંચ્યા છે. ત્યારે અહીં 300થી વધુ ગૌવંશ હાજર છે. જેમાં અહીં એક ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તેના ગૌવંશની ચોથી પેઢી સાથે આવ્યા છે. જેમાં શો ના પોસ્ટરમાં જે બળદ છે તેની 14 વર્ષની ગાય તથા તેની 6 વર્ષની ગાયને કાર્યક્રમમાં દુધાળા ગાયની સ્પર્ધામાં ભાગ લીધો છે. જે એક દિવસનું એક સમયનું 9 લીટર દુધ આપે છે. વિશેષ વાત તો એ છે કે, સ્પર્ધામાં ભાગ લેનાર 6 વર્ષની ગૌમાતાને 15 જ દિવસનો વાછરડો છે. જેને ચોથી પેઢી તરીકે સાથે લાવ્યા છે. આ વાછરડો સ્વામીનારાયણ કુંડળધામમાં બગલીયો કરીને ખુંટ હતો તેનો વાછરડો છે. અહીં દરેક ગૌવંશની કંઇક અલગ-અલગ વિશેષતા સાથે જોવા મળે છે. કાર્યક્રમમાં પશુપાલકો તેના ગૌવંશ સાથે પહોંચ્યા છે ત્યારે તે ગૌવંશ કુલ 200 છે ઉપરાંત ગુજરાતના 22 આયોજકના 150 ગૌવંશને પ્રદર્શનમાં રાખ્યા છે જેમાં અન્ય સામાન્ય ખેડૂતોને લાભ મળે તે હેતુથી સ્પર્ધામાં ભાગ લીધો નથી. કેશોદથી આવેલા 6 વર્ષના બે બળદનો આકર્ષક શૃંગાર કેશોદથી આવેલા 6 વર્ષના બળદ લોકો માટે આકર્ષક બન્યા હતા. કેમકે તેને જુલ, મોરી, શીંગળા પહેરાવ્યા હતા તથા પગમાં અને ગળામાં ઘુંઘરામાળ પહેરાવ્યા હતા. પ્રથમ દિવસે 80 ગીર, કાંકરેજ વાછરડા-વાછરડીની સ્પર્ધા યોજાઇ કાર્યક્રમમાં ગીર અને કાંકરેજના 20-20 વાછડો-વાછડી, ગાય, નંદી, દુધાળી ગાય એમ કુલ 200 ગૌવંશએ સ્પર્ધામાં ભાગ લીધો છે. જેના પ્રથમ દિવસે 80 વાછડી, વાછડાનું રિંગ પ્રદર્શન યોજાયું. રાજ્યપાલે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો કાર્યક્રમમાં પહોંચી રાજ્યપાલે લક્ષ્મીનારાયણ યજ્ઞમાં આહૂતિ આપી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગીર ગૌમાતાનું પૂજન કર્યું હતું. કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે, હિસાર એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં થયેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં 300 કરોડથી વધુ સુક્ષ્મ જીવાણુ હોય છે, જે ધરતીને ફળદ્રુપ બનાવે છે. વિદેશમાં થયેલા અભ્યાસમાં ભારતીય ‘દેશી ગાયનું A-2 દૂધ’ સ્વાસ્થ્ય માટે સર્વોત્તમ છે. દેશી ગાયનું ગૌમૂત્ર, ગોબર, દૂધ, ઘી તેમજ પંચગવ્ય અમૃત સમાન છે. ફેડરેશનના પ્રમુખ મદનમોહનજી દ્વારા રાજકોટમાં આગામી બે વર્ષમાં પશુઓની ડીએનએ રિસર્ચ લેબોરેટરી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી હતી. સાંજે 7:30 વાગ્યે હાર્દિકભાઇ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
ભાસ્કર ફોલોઅપ:મેયરના ગેરકાયદે બાંધકામ બાદ હવે સરકારી જમીનના કબજાને લઇને તપાસના આદેશ
રાજકોટ શહેરના સંત કબીર રોડ પર નંદુબાગ સોસાયટી મેયરના પતિ વિનોદ પેઢડિયાએ ગેરકાયદે બાંધકામ કર્યાનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો હતો. સૂચિતમાં બાંધકામની મંજૂરી નથી છતાં કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યુ હતું. જેમાં મેયરે સ્વીકાર કર્યો હતો કે સૂચિત છે પણ તેઓએ ગેરકાયદે સરકારી જમીનમાં બાંધકામ કર્યું નથી આ તેમના બાપ-દાદાની જમીન છે. ભાસ્કરે તેને લઈને ઉંડાણથી તપાસ કરતા સામે આવ્યું હતું કે, ખરેખર આ જમીન સરકારી જ છે. 1997માં જ ખાલસા કરી દેવાઈ હતી. આ બધા વિવાદ વચ્ચે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ પ્રતિક્રિયા આપી છે કે, નિયમ બધા માટે સરખા જ હોય છે. તેઓએ જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ મામલે તેઓએ મેયર અને તેમના પતિ સાથે ચર્ચા કરી હતી જેમાં સામે આવ્યું છે કે બાંધકામ સૂચિતમાં હતું જે ગેરકાયદે છે. મહાનગરપાલિકા જે કાર્યવાહી કરશે તેનું પાલન કરાશે. મનપાની ટી.પી. શાખાએ 260(1)ની નોટિસ આપી છે અને 15 દિવસમાં જવાબ રજૂ કરવા કહ્યું છે ત્યારબાદ 260(2)ની કાર્યવાહી કરાશે. બીજી તરફ આ સરકારી જગ્યા હોવાથી મામલતદારે તપાસના આદેશ આપ્યા છે. સરકારી જગ્યાનો ખુલાસો થતાં મેયર સંકલનમાં પણ ન આવ્યા!મેયર પેઢડિયાએ જુઠ્ઠાણું ચલાવ્યું હતું કે, આ તેમની જમીન છે પણ હકીકતે સરકારી હોવાનો પર્દાફાશ થયો છે. જેને લઈને હવે જવાબ આપવો તેમના માટે અશક્ય બન્યું છે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી જે પહેલા સંકલનની બેઠક હતી. જો કે મેયર આ બેઠકમાં આવ્યા ન હતા અને મેયર બંગલે જ બેઠા રહ્યા હતા. સંકલન બાદ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે ત્યાં પહોંચ્યા હતા અને મેયર તેમજ તેમના પતિ સાથે ચર્ચા કરી હતી
રૂડામાં ઈતિહાસ સર્જાયો:39વર્ષમાં 26, છેલ્લા બે વર્ષમાંનવી 10 ટી.પી. સ્કીમ બની
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી(રૂડા)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં ટી.પી. સ્કીમ પાળ 34 અને પાળ 37નો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે માત્ર બે જ વર્ષના ટૂંકાગાળામાં નવી 10 ટી.પી. સ્કીમ બનાવાઈ છે. રૂડાના ચેરમેન તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રૂડાના 39 વર્ષના ઈતિહાસમાં કુલ 26 ટી.પી. સ્કીમ બનાવાઈ હતી. તેઓએ ચાર્જ સંભાળતા જ સૌથી પહેલું કામ ટી.પી. સ્કીમ પર કર્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં 10 ટી.પી. સ્કીમ તૈયાર કરી લેવાઈ છે જે રૂડામાં સૌથી ઝડપી ટી.પી. સ્કીમ બનાવવાનો રેકોર્ડ છે. ગત વર્ષે ચેરમેને વધુમાં વધુ ટી.પી. સ્કીમ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં બીજા રિંગ રોડની ફરતે જેટલો પણ વિસ્તાર છે તે બધો જ ટી.પી.માં આવરી લેવાશે. 50 ટી.પી. સ્કીમ બનાવવામાં આવશે. બોર્ડ બેઠકમાં તૃતીય પુનરાવર્તિત વિકાસ યોજના-2047 માટે લિવેબલ રૂડા, રીસિલિયન્ટ રૂડા, સસ્ટેનેબલ રૂડા, પ્રોડક્ટિવ રૂડાની થીમ સાથે તૈયાર કરાશે.
રાજકોટના કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાંથી 18 વર્ષની યુવતીનો ખોટી રીતે કબજો સોંપાયો હોવાના દિવ્ય ભાસ્કરે ગત 15 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરેલા અહેવાલને રાજકોટની બાળ કલ્યાણ સમિતિ (CWC)એ પણ લેખિતમાં સમર્થન આપ્યું છે ત્યારે આ મુદ્દે ખોટી રીતે કબજો મેળવનાર અને યુવતીનો ખોટી રીતે કબજો આપનાર બન્ને સામે કાનૂની રાહે પગલાં લેવાય તેવી પણ સંભાવના છે. આ મુદ્દે 13 વર્ષ સુધી બાળાને પિતાની જેમ સાચવનાર મનહરભાઈ પરમારે રાજકોટના કલેકટરને લેખિતમાં અરજી કરીને જણાવ્યું છે કે, પોતે અને તેમના પુત્ર અશ્વિનભાઈ પરમાર સહિતના પરિવારજનોએ બાળા પાંચ વર્ષની હતી ત્યારથી તેનું લાલન પાલન કરીને મોટી કરી હતી અને કોલેજની ફી પરવડે તેમ ન હોવાથી રાજકોટના જ કાઠિયાવડ બાલાશ્રમમાં ઉચ્ચ અભ્યાસ માટેમૂકી હતી. જો કે, બાળા પુખ્તવયની થયાના માત્ર 10 દિવસ બાદ જ તેની જન્મ આપનાર માતા, સુરતના પાલ પોલીસ મથકના પોલીસમેન સહિતના વ્યક્તિઓએ યુવતીનો 26 જાન્યુઆરી, 2026ના રોજ ખોટી રીતે કબજો મેળવીને સુરતના પોલીસ કમિશનર પાસે રજૂ કરાઈ હતી અને તેના ફોટા પણ ફરતા કરી દેવાયા હતા. કલેકટરને કરાયેલી અરજીમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત તમામ કાર્યવાહી ખોટી રીતે કરવામાં આવી છે. આથી યુવતીને જન્મ આપનાર તેમના માતા ભાવિશાબેન તેમના હાલના પતિ ધર્મેશભાઈ હસમુખભાઈ પિત્રોડા, પાલ પોલીસ મથકના કોન્સ્ટેબલ ફિરોજબિન અહેમદ, એક અજાણ્યા મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને રાજકોટ કાઠિયાવડ નિરાશ્રીત બાલાશ્રમના સુપરિન્ટેન્ડેન્ટ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે અને વધુમાં કહેવાયું છે કે, 26 જાન્યુઆરીથી આજ દિન સુધી યુવતીને જો કંઈપણ થયું હશે તો તેની જવાબદારી અમારીરહેશે નહીં. બાળ કલ્યાણ સમિતિએ લેખિતમાં કહ્યું ‘અમારી જાણ બહાર બધું થયું’બાળા પુખ્તવયની થઈ ત્યાં સુધી લાલન પાલન કરનાર મનહરભાઈએ ચાઈલ્ડ વેલફેર કમિટિને 19 ફેબ્રુઆરીએ પત્ર લખીને યુવતીનો કબજો સોંપવા અંગે પત્ર લખતા બાળ કલ્યાણ સમિતિ (સીડબલ્યુસી)ના ત્રણ મેમ્બર સાથેની સહિ સાથેના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સગીર હોય કે પુખ્તવયનાનો જ્યારે કાઠિયાવાડ બાલાશ્રમ કે અન્ય કોઈ સંસ્થામાં કબજો મેળવવાનો હોય ત્યારે સીડબલ્યસીની મંજૂરી લેવી કાયદા મુજબ આવશ્યક છે. જો કે, સુરત પોલીસ, યુવતીને જન્મ આપનાર તેની માતા, તેની સાથેના લોકો તેમજ કાઠિયાવાડ બાલાશ્રમે આ કાનૂની પ્રક્રિયા વિના જ કબજો સોંપ્યો છે આથી તે ગેરકાયદે કહેવાય.
મનપાની 23 ફેબ્રુઆરીની ડિમોલિશન કાર્યવાહી નિશ્ચિત:જંગલેશ્વરમાં ડિમોલિશન થશે, કોર્ટમાં સ્ટે ન મળ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા તેમજ ટાઉન પ્લાનિંગ યોજના નં. 6 હેઠળના 15 મીટર પહોળા ટી.પી. રોડની માર્ગરેખામાં આવતા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વચ્ચે અદાલતમાં દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન કોઇ મનાઇહુકમ (સ્ટે) આપવામાં આવ્યો નથી, જેથી તંત્ર માટે કાર્યવાહીનો માર્ગ મોકળો બની ગયો છે. કોર્પોરેશન દ્વારા અગાઉથી સંબંધિત મિલકતધારકોને નોટિસ પાઠવી સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા તક આપવામાં આવી હતી. તા. 19મીથી ટીમો સ્થળ પર પહોંચી રહી છે અને રહેવાસીઓને માર્ગરેખા તથા નદી પટ્ટાની હદ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપી રહી છે. અંતિમ 3 દિવસની સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયગાળામાં દબાણ દૂર નહીં થાય તો તા. 23થી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કામગીરીનો ખર્ચ સંબંધિત મિલકતધારકો પાસેથી વસૂલાશે તેમજ કાયદેસરની જોગવાઇઓ મુજબ આગળની કાર્યવાહી થશે. આ મામલે અસરગ્રસ્તો દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જુદી-જુદી ત્રણ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાંથી એક અરજી પર શુક્રવારે અર્જન્ટ હિયરિંગ હાથ ધરાયું હતું. સરકારપક્ષે સમગ્ર મામલે એફિડેવિટ ફાઇલ કરવા સમય માગ્યો હતો. અદાલતે સંભવિત ડિમોલિશન સામે કોઇ સ્ટે આપ્યો નથી અને વધુ સુનાવણી 27 ફેબ્રુઆરી સુધી મુલતવીરાખી છે. આ સંજોગોમાં સોમવારથી જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન હાથ ધરાશે તેવી શક્યતા મજબૂત બની છે. તંત્ર દ્વારા વિસ્તારને 7 ઝોનમાં વહેંચી 1130થી વધુ અધિકારીઓ-કર્મચારીઓ, 260થી વધુ મશીનરી, પોલીસ બંદોબસ્ત, મેડિકલ અને ફાયર ટીમ સાથે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, શહેરના સુવ્યવસ્થિત વિકાસ, ટ્રાફિક સુધારણા અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા સહકાર આપે તથા સ્વૈચ્છિક રીતે ગેરકાયદેસર દબાણો દૂર કરે. ડિમોલિશનના ટેન્શનમાં યુવાને ઝેર પીધુંજંગલેશ્વરમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં કામ કરતા ચિરાગ કિશોરભાઈ જોગવાલી(ઉં.વ.30) નામના યુવાને સાંજે પોતાના ઘર પાસે ઉંદર મારવાની ઝેરી ટીકડી ખાઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ચિરાગ બે ભાઈ અને બે બહેનમાં મોટો છે તેમને સંતાનમાં બે દીકરા છે. સારવારમાં રહેલા ચિરાગે જણાવ્યું હતું કે, તેમને આશરો છીનવાઈ જશે અને તે હવે ક્યાં રહેવા જશે કોની પાસે મદદ માંગશે તેવા વિચારો આવતા તેણે આ પગલું ભરી લીધું છે. આ મામલે ભક્તિનગર પોલીસના સ્ટાફે કાર્યવાહી શરૂ કરી છે. પુન: વસન માટે 27મીથી લડત ચલાવાશેઅદાલતમાં જંગલેશ્વરના કેસમાં 27મીની મુદ્દત પડી છે. મનપા દ્વારા માત્ર ટી.પી. રોડ તથા રિવરફ્રન્ટ વિસ્તારમાં થયેલાં દબાણો દૂર કરવા કાર્યવાહી કરાશે તેમ જાણવા મળે છે. જો કે સાચી હકીકત તેમના સોગંદનામું મળ્યા બાદ સ્પષ્ટ થશે. મનપાએ શુક્રવારે રાત સુધીમાં એફિડેવિટ આપવાનું છે, તે મોડીરાત ઇ-મેલ દ્વારા પણ આપી શકે છે. પરંતુ હવે સ્ટે નહીં મળતા તા.27મીથી બેઘર બનેલા લોકો માટે પુન:વસનના મુદ્દે લડત ચલાવવામાં આવશે. > રવિભાઇ ગોગિયા, એડવોકેટ
નોકરી ન્યુઝ:VNSGUમાં આજે ટીચર્સ મેગા જોબ ફેર, 626 જગ્યાઓ ભરાશે
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના શિક્ષણ અને તાલીમ ભવન તેમજ મદદનીશ નિયામક (રોજગાર કચેરી) ના સંયુક્ત ઉપક્રમે આગામી 21 ફેબ્રુઆરીના રોજ શિક્ષકો માટે ભવ્ય રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. આ મેગા જોબ ફેરમાં સુરત શહેર અને અન્ય જિલ્લાઓની અંદાજે 36 જેટલી સ્વનિર્ભર સ્કૂલો સહભાગી થઈ રહી છે. જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય માધ્યમ માટે કુલ 626 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ભરતીની વિગતો મુજબ, ધોરણ 1થી 10માં 435 જગ્યાઓ અને ધોરણ 11-12 ના ત્રણેય પ્રવાહમાં 191 શિક્ષકોની જરૂરિયાત છે. ઉમેદવારોને એક જ સ્થળે અનેક સ્કૂલોના સંચાલકો સાથે સીધું ઈન્ટરવ્યૂ આપવાની તક મળશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ આયોજનનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ધોરણ મુજબ વેકેન્સી ધોરણ 1થી 5 ધોરણ 6થી 8 ધોરણ 9થી 10 ધોરણ 11થી 12 સાયન્સ ધોરણ 11થી 12 કોમર્સ ધોરણ 11થી 12 આર્ટ્સ
અડાજણ પોલીસ એક્શનમાં:વિદ્યાર્થીને ડ્રોપ કરતી વખતે વોચમેનને પણ નહીં વાલીને જ સોંપવા વાનચાલકોને સૂચના
સોશિયલ મીડિયા પર બાળકો ઉઠાવી જતી ગેંગની અફવાઓથી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. આ સ્થિતિમાં અડાજણ પોલીસ સતર્ક થઈ છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. અડાજણ પોલીસ મથકના પી.આઈ. વી. એ. જોગરાણાએ સ્કૂલ વેન એસોસિએશન સાથે મહત્વની બેઠક યોજી બાળકોની સુરક્ષા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. બોર્ડની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી રસ્તો ભટકે કે અટવાયેલો જણાય તો તેને તાકીદે નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર સુધી સુરક્ષિત પહોંચાડવાની વિશેષ જવાબદારી અડાજણ પોલીસે રિક્ષા-વેન ચાલકોને સોંપી છે. વિદ્યાર્થીનું વર્ષ ન બગડે તે માટે ડ્રાઇવરોએ માનવતાવાદી અભિગમ સાથે તત્પર રહેવું પડશે. બાળકોની સુરક્ષા માટે પોલીસની મહત્વની સૂચનાઓ
ચેક બાઉન્સ કેસની સાથે હવે ઓનલાઇન પેમેન્ટમાં પણ ચેક બાઉન્સના કેસ થઈ રહ્યા છે, જેમાં પુરાવા હોવાથી ફરિયાદીનો કેસ હાલ પુરતો તો મજબૂત લાગી રહ્યો છે. રોકડના કેસમાં આઇટીના રિટર્નના ડેટા પણ આપવા પડતા હતા. આવા કેસમાં હવે ચુકાદા પણ આવવા લાગ્યા છે અને આરોપીઓને સજા પણ થઈ રહી છે. એક કેસમાં આરોપી ચિંતન પટેલને 1 વર્ષની સજાનો હુકમ કરાયો છે. આ કેસના ફરિયાદી રવિન્દ્ર કાલરાએ ગુગલ પે અને રોકડમાં રૂપિયા 5.30 લાખ આપ્યા હતા, જેના ચેક અપાયા બાદ બાઉન્સ થયા હતા. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ પિયુષ ઉમરિયાએ દલીલો કરી હતી. કોર્ટે કહ્યું ‘ફરિયાદીને લેણીની રકમનું વ્યાજ પણ આપો’ચેક બાઉન્સના જ અન્ય કેસમાં કોર્ટે આરોપી દીપક ઉર્ફે પવાને એક વર્ષની સજા અને ચેક રકમ ઉપરાંત વ્યાજ પણ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. વરાછા ઝોનમાં કામ કરતા અને સૈયદપુરા પમ્પિંગ પાસે રહેતા દીપક ઉર્ફે પવા અમદાવાદીએ ફાયનાન્સના ધંધાર્થી એવા ફરિયાદી કિરણ બારૈયા પાસેથી 6 લાખ રૂપિયા લીધા હતા. આરોપી પાસે ઉઘરાણી કરાતાં તેણે ચેક આપ્યો હતો, જે બાઉન્સ થતાં સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. રોકડ કેસમાં હાથ પર બેલેન્સ જરૂરી, ઓનલાઇનમાં નહીંઆવકવેરા રિટર્નમાં હાથ પર કેટલી રોકડ છે તે પણ બતાવવી પડે છે. ચેક બાઉન્સ કેસમાં જ્યારે રોકડ ક્યાંથી આવી તે બતાવવા માટે રિટર્ન મહત્વનો પુરાવો બની જાય છે, પરંતુ જો રોકડ ન બતાવી હોય તો મુશ્કેલી થાય છે. ઓનલાઇન કેસમાં તો એકાઉન્ટથી જ પેમેન્ટ થયું હોવાનું આપોઆપ સાબિત થઈ જાય છે. > જુપીન ડાખરા, સી.એ. રોકડના વ્યવહાર હોય તો આઇટીને પણ જાણ કરવી પડેએડવોકેટ રહીમ શેખ કહે છે કે, ચેક બાઉન્સના કેસમાં અનેકવાર બચાવ પક્ષે આઇટી રિટર્નમાં આ રૂપિયા ન બતાવ્યા હોવાનો પણ બચાવ લે છે. આથી ફરિયાદી આ રૂપિયા ક્યાંથી લાવ્યો અને તેનો સોર્સ શું છે તે પાછળથી આઇટીમાં પણ સાબિત કરવું પડે છે. મોટા રોકડના કેસોમાં હવે આઇટીને પણ જાણ કરવામાં આવે છે.
હીરા ઉદ્યોગમાં ત્રણ વર્ષથી મંદી વચ્ચે રાજ્ય સરકારે રત્નકલાકારોનાં સંતાનોની ફી ચુકવવા જાહેર કરેલી સહાય યોજના ફરી વિવાદમાં આવી છે. વિદ્યાર્થી દીઠ 13,500 સુધીની ફી ચૂકવવાની જાહેરાત હતી, જેમાં સુરતમાં 76 હજાર ફોર્મ ભરાયાં હતા. જો કે, ચકાસણીમાં 26 હજાર ફોર્મ જુદા જુદા કારણોસર રદ થયાં હતાં. ફોર્મ અંગે પારદર્શિતા ન હોવાના આક્ષેપ સાથે 12 હજાર રત્નકલાકારોએ RTI હેઠળ અરજી કરી 3 મુદ્દે માહિતી માંગી હતી, જેમાં 1. ફોર્મની તપાસ કયા અધિકારીએ કરી 2. ફોર્મ કયા કારણસર રદ કરાયું અને 3. ડાયમંડ એસોસિએશને આપેલા ભલામણ પત્રની નકલ માંગી હતી. જો કે સરકારે તમામને એક જ જવાબ આપ્યા હતા કે, ‘12 હજારથી વધુ અરજી હોવાથી ફોર્મની નકલ વહિવટી અનુકુળતા માટે કચેરીએ રૂબરૂ આવીને જોઈ શકાશે અથવા ફોર્મના ફોટો પાડી શકાશે.’ રત્નકલાકારોએ આક્ષેપ કર્યો હતો કે ‘ભલામણ પત્રની નકલ પણ આપી નથી.’ રત્નકલાકારો હવે અપીલમાં જશે. તેમનું કહેવું છે કે, યોગ્ય કારણ વિના ફોર્મ રદ કરાયા છે અને પારદર્શિતાનો અભાવ છે. અપીલની પ્રક્રિયા બાદ સરકાર અને સંબંધિત વિભાગો શું નિર્ણય લે છે તેના પર હજારો પરિવારોની નજર ટકી છે. યોજના અને માગણી શું છે? તમામ ફોર્મ મંજૂર કરવા રજૂઆતવર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, ‘મંદી વચ્ચે ફી સહાય રાહતરૂપ હતી, પરંતુ હાલમાં હજારો પરિવારો વંચિત રહી ગયા છે. તમામ ફોર્મને મંજૂર કરી ફી ચૂકવવામાં આવે તેવી સરકારને રજૂઆત કરી છે.’ રત્નકલાકારોને આઇરટીઆઇમાં એકસરખા જ જવાબો આપવામાં આવ્યા હતા.
સેટેલાઈટમાં રહેતા 83 વર્ષીય રિટાયર્ડ નેવી ઓફિસર ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે. ગઠિયાઓએ સીબીઆઈ ઓફિસર અને નકલી કોર્ટના જજ બની વૃદ્ધને ડરાવી-ધમકાવી સતત 48 કલાક ડિજિટલ એરેસ્ટ રાખી રૂ.42.50 લાખ પડાવ્યા. વૃદ્ધના દીકરાને આ બાબતની જાણ થતા તેણે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. નેવીમાંથી રિટાયર્ડ થયેલા અને સેટેલાઇટમાં રહેતા 83 વર્ષીય વૃદ્ધ પર થોડા સમય પહેલા મોબાઈલમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, પોતાની ઓળખ ટેલિકોમ ડિપાર્ટમેન્ટના આધિકારીની આપી કહ્યું કે, તમારા મોબાઈલ નંબર પણ ઘણી બધી ફરિયાદ આવી છે, જેની તપાસ સીબીઆઈ બોમ્બે કરી રહી હોવાનું જણાવ્યું હતું. જે બાદ એક સીબીઆઈ ઓફિસર પ્રદીપકુમારને ફોન ટ્રાન્સફર કરી વૃદ્ધને વોટ્સએપમાં સતત વીડિયો કોલથી નકલી કોર્ટ રૂમનો સેટઅપ બતાવ્યો, જેમાં જજના ગણવેશમાં એક વ્યક્તિ બેઠી હતી. આ જજ અને સીબીઆઈ ઓફિસરની ઓળખ આપનારે વૃદ્ધને ધમકાવાનું શરૂ કરી તમારા પર 27 કેસ છે અને એક ખાતામાંથી તમારામાં રૂ.20 લાખ ટ્રાન્સફર થયા છે. જે બાદ ધરપકડનો ડર બતાવી સેટેલાઈટમાં રહેતા વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી પત્નીનું બેંક ખાતું તથા ફિક્સ ડિપોઝિટ તોડાવી રૂ.42.50 લાખ પડાવી લીધા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. પત્નીએ 2 દિવસ FD તોડાવી પૈસા ટ્રાન્સફર કર્યા, ત્રીજે દિવસે બેંકકર્મીને ખ્યાલ આવતા અટકાવ્યાંવૃદ્ધ ચાલી શકતા ન હોવાથી, પત્નીને આ બાબતની જાણ કરી. પત્નીએ બેંકમાં જઈ એફડી તોડાવી જુદા-જુદા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતી હતી. બે દિવસ એફડી તોડાવ્યા બાદ ત્રીજા દિવસે એફડી તોડાવા ગયાં ત્યારે બેંકકર્મીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવી વૃદ્ધાની પૂછપરછ કરતાં તેમણે પતિ સાથે ફોન પર વાત કરાવી હતી. જે બાદ પોલીસકર્મીએ વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ થયાની જાણ કરી વધુ પૈસા ટ્રાન્સફર કરતા રોક્યા હતા.
ભાસ્કર વિશેષ:રાજ્યમાં 551 સ્થળોએ માતૃભાષા દિવસની ઉજવણી
દર વર્ષે 21મી ફેબ્રુઆરી ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી તેની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની પ્રેરણાથી આ ઉજવણી આખા ગુજરાતમાં ઠેર ઠેર શૈક્ષણિક, સાહિત્યિક વગેરે સંસ્થાઓમાં થાય છે. આ વખતે સમગ્ર ગુજરાતમાં 551 સ્થળોએ તેની ઉજવણી થઈ રહી છે. સામાન્ય રીતે 21મી ફેબ્રુઆરીએ એક દિવસે જ માતૃભાષાનું મહિમાગાન કરાતું હતું. પરંતુ છેલ્લા બે-એક વર્ષથી કાર્યક્રમની સંખ્યા સતત વધી રહી છે. એટલે, ઉજવણી એક દિવસને બદલે 15મી ફેબ્રુઆરીથી સપ્તાહ સુધી વિસ્તારી દેવી પડી છે. સાહિત્ય અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ આ અંગે જણાવ્યું કે, માતૃભાષાના કાર્યક્રમોનો વ્યાપ વધતો જાય છે. જે બતાવે કે લોકોનો ભાષાપ્રેમ વધ્યો છે. તેમણે બાળક સાથે માતૃભાષામાં જ વાત કરવા ગુજરાતીઓને અપીલ કરી છે. આ ઉજવણી દરમિયાન ઠેર-ઠેર ગુજરાતી ભાષાનું મહત્ત્વ, ગુજરાતીમાં અભ્યાસ કરવાથી થતી સરળતા, નવી શિક્ષણ નીતિમાં ગુજરાતી સહિતની પ્રાદેશિક ભાષાઓ પર મુકાયેલો ભાર, ગુજરાતી ગીત, કવિતા, નિબંધ, વાર્તા વગેરેનું પઠન અને તેનું મહત્ત્વ ચર્ચવામાં આવે છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહાત્મ્યઅકાદમીના મહામાત્ર અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સંકળાયેલા જયેન્દ્રસિંહ જાદવે કહ્યું કે, ગોખણપટ્ટી કરવાને બદલે જો બાળકોને મૌલિક ચિંતન કરવા દેવું હોય તો માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવું જોઈએ. અંગ્રેજીમાં ભણ્યા પછી અનુવાદ તો કરી શકાય, પરંતુ સર્જન તો માતૃભાષામાં જ થઈ શકે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાના આગ્રહને કારણે હવે અંગ્રેજી જાણનારા કરતાં પોતાની ભાષા જાણનારા વિદ્વાનોનું મહત્ત્વ વધી રહ્યું છે.
ઠગાઈ:સિંધુભવન રોડ પર બે દુકાન ન આપી 50 લાખની ઠગાઈ
સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્કેવરમાં આધેડે ઓળખીતા પાસેથી બિલ્ડિંગ બનતાં પહેલા જ બે દુકાન રૂ.50 લાખમાં ખરીદી હતી. બિલ્ડિંગ બન્યા છતાં બિલ્ડરે આધેડને દુકાનનો કબજો ન આપતા આધેડે પૈસા પરત માગતા વેપારીએ રૂ.20 લાખનો ચેક આપ્યો જે બેંકમાં ભરતા બાઉન્સ થયો હતો. આ અંગે બિલ્ડર સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ આદરી છે. સાયન્સ સિટી રોડ પર રહેતા ભરતસિંહ ઝાલા (50)એ 2020માં તેમના ઓળખીતા અનિલ વિભાણી જે જુદી-જુદી જગાએ ફ્લેટ-ઓફિસની સ્કીમ મૂકતા હોવાથી સંપર્કમાં આવ્યા હતા. તેમની પાસેથી સિંધુભવન રોડ પર ટાઈમ્સ સ્કેવર બિલ્ડિંગમાં બે ઓફિસ રૂ.50 લાખના ચેક આપી ખરીદી હતી. બિલ્ડિંગ તૈયાર થતાં ભરતસિંહે દુકાનના દસ્તાવેજ કરી આપવાનું કહેતાં અનિલે કરી આપ્યા નહોતા. વારંવાર દુકાનની માંગણી કરવા છતાં દુકાનનો કબજો મળતો ન હોવાથી પૈસા પરત માગતા અનિલે રૂ.20 લાખનો ચેક આપ્યો, જે બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ભરતસિંહે ક્રાઈમ બ્રાંચમાં અનિલ વિભાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
રાજ્ય પરીક્ષા બોર્ડે જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ, ટ્રાઈબલ સ્કૂલ્સ, રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના માટેની 31મી જાન્યુ્આરીએ લેવામાં આવેલી (CET) કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2026નું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા 589640 વિદ્યાર્થીએ આપી હતી. જેમાં પ્રથમ હંગામી મેરિટ યાદીમાં 85,000 વિદ્યાર્થીનો સમાવેશ થયો હતો. 2025માં હંગામી યાદીમાં 76 હજારનો સમાવેશ હતો. ચાલુ વર્ષે વધુ 9000 વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે. જૂન સુધીમાં પ્રવેશ અને સ્કોલરશિપની ફાળવણી કરાશેનવા શૈક્ષણિક સત્ર જૂન્-2026 સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશિપની ફાળવણી કરાશે.ધોરણ 6થી12 સુધીના 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલશીપ મળશે. સાથે વિવિધ રેસિડેન્સિયલ સ્કૂલ્સમાં 22000 જગ્યામાં ધોરણ 6થી 12માં પ્રવેશ મળશે. કમિશ્નર ઓફ સ્કૂલ્સ અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સંયુક્તપણે આ પ્રક્રિયા હાથ ધરાશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ-2026ના પરિણામની વિગતો
CBSE:ધોરણ-12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર સરળ પૂછાયું
ધોરણ 12 સીબીએસઈ બોર્ડનું ફિઝિક્સનું પ્રશ્નપત્ર છેલ્લા બે વર્ષોમાં એક દમ ટફ રહ્યા પછી ચાલુ વર્ષે એકદમ સરળ અને મધ્યમ કક્ષાનું સંતુલિત કહી શકાય તેવું પૂછાતા વિદ્યાર્થીઓએ રાહતની લાગણી અનુભવી હતી. પ્રશ્નપત્રમાં ઈલેકટ્રિક સિટી, મેગ્નેટિઝમ, ન્યુકલિયર ભૌતિક વિજ્ઞાન, મોર્ડન ફિઝિક્સ, કિરણ પ્રકાશસાસ્ત્ર, તંરગ પ્રકાશ શાસ્ત્ર, સેમિ કન્ડક્ટર અને ઈલેકટ્રોનિક્સ સહિતના 14 ચેપ્ટરમાંથી 70 માર્કસના 33 પ્રશ્નો પૂછાયા હતા. ફિઝિક્સના પેપરમાં 25 માર્કસના 12-13 પ્રશ્નો પાઠયપુસ્તક આધારિત હોવાનું વિષય નિષ્ણાત શિક્ષક પુલકિત ઓઝાએ જણાવ્યું હતું. ધો.-10માં ડેટા સાયન્સનું પ્રશ્નપત્ર પણ સરળ નીકળ્યુંશુક્રવારે ધોરણ 10 સીબીએસઈ ડેટા સાયન્સનું પ્રશ્નપત્ર પાઠ્યપુસ્તક આધારિત સરળથી મધ્યમ કક્ષાનું પૂછાયું હોવાનું વિષય નિષ્ણાત શિક્ષક તેજસ ઠક્કરે જણાવ્યું હતું. મોટા ભાગના પ્રશ્નો સેમ્પલ પેપરની પેટર્ન મુજબના હતા. ખાસ કરીને ડેટા સાયન્સના ડેટા મર્જિંગ ટોપીક આધારિત પ્રશ્નોએ વિદ્યાર્થીની કસોટી કરી હતી. જ્યારે ડેટા સાયન્સમાં એથિક્સ અને રોજગારલક્ષી સ્કિલ્સ આધારિત સીધા જ પ્રશ્નો પૂછાયા હતા.
અંધજન મંડળના છાત્રાલયનું ભૂમિપૂજન કરાયું:દિવ્યાંગ મહિલાઓના છાત્રાલય માટે 10 કરોડથી વધુનું દાન અપાયું
જીએમડીસી મેદાન પાછળની જગ્યા પર અંધજન મંડળ દ્વારા સંસાર કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને દિવ્યાંગ મહિલાઓ માટે છાત્રાલય બની રહ્યું છે. શુક્રવારે તેનું ભૂમિપૂજન કરાયું હતું. સંસાર ગ્રુપના સીઈઓ મુકેશ ઓઝાએ 5 કરોડના દાનની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કાર્યક્રમ દરમિયાન પ્રોજેક્ટના અન્ય દાતાઓ, BPAના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. નવી ઇમારતમાં એકનું નામ લાયોનેસ કર્ણાવતી હોસ્ટેલ ફોર બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ્ડ વુમન રખાશે. એક માળનું નામકરણ કરવા માટે ઝેન માર્કેટિંગે 2 કરોડનું દાન આપ્યું છે. સ્વ. નલિનીબહેન ભૂપેન્દ્રભાઈ પુરોહિતના વસિયતનામાના અમલકર્તા બીનાબહેન બક્ષી અને દિનેશ રમણલાલે 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ડૉ. સુરેન્દ્ર અને જયશ્રી શેઠે એક માળને ‘સૂરજ કૌશલ્ય કેન્દ્ર’ નામ આપવા માટે 2 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ફૂડ વિભાગે 22 એકમોમાં કરી તપાસ:પાલડીના પાપાલુઇઝ પિત્ઝાને ગંદકી બદલ 13 હજારનો દંડ
ફૂડ વિભાગે હોટેલ, રેસ્ટોરાં સહિત 22 એકમમાંથી 42 ફૂડ સેમ્પલ લઈને તેને ચકાસણી માટે મોકલ્યા છે. બીજી તરફ પાલડીના પાપાલુઇઝ પિત્ઝા, સરખેજની સાગર હોટેલ સહિત અન્ય 7 એકમોને રૂ. 53 હજારનો દંડ કરવામાં આવ્યો છે. ખજૂર, ગ્રેવી, મરચું પાઉડર, રોટલી, દૂધી ચણાનું શાક, તુવેર-ચણા દાળ, સીંગચણા, ચિકન લવાબદાર, સુખડી રોટલી, પાણીપૂરી, સેવ, પાસ્તા, દૂધ, બેસન, જલેબી, ગોટા, ઇડલી, ફાફડા, ગાંઠિયા, બરફીના નમૂના લેવાયા હતા. કુલ 53 હજારની પેનલ્ટી
વેધર રિપોર્ટ:વાદળિયું વાતાવરણ છતાં એક દિવસમાં લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધી 20.5 થયું
મધ્ય ઉત્તર પ્રદેશથી પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી ટ્રફ (ભેજની પટ્ટી)ની સિસ્ટમ સક્રિય છે, જેની અસરોથી શુક્રવારે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો તેમ જ દિવસ દરમિયાન 12થી 18 કિલોમીટરની ગતિના ઠંડા પવન ફૂંકાયા હતા તેમ છતાં લોકોએ બપોર પછી ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. શુક્રવારે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન ગુરુવારની સરખામણીએ 2 ડિગ્રી ઊંચકાઈને 20.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 63 ટકા અને સાંજે 5.30 કલાકે 43 ટકા નોંધાયું હતું. આમ વાતાવરણમાં વધેલા ભેજને કારણે લઘુતમ તાપમાન ઊંચકાયું હતું. હવામાન વિશેષજ્ઞ એ. ટી. દેસાઈના જણાવ્યા મુજબ, જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે, ત્યારે ગરમી વધે છે અને પસાર થયા બાદ ઠંડકમાં વધારો થાય છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભેજની પટ્ટી (ટ્રફ)ની સિસ્ટમ સક્રિય હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. હજુ બે દિવસ શહેરમાં ધુપ-છાંવનું વાતાવરણ રહેશે.
ઇસ્કોન જંક્શનથી સાણંદ ચાર રસ્તા સુધી બનનારા 4.1 કિમી લાંબા એલિવેટેડ કોરિડોર માટે ત્રણ જંક્શન પર નાનકડાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં કર્ણાવતી ક્લબ જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને વાયએમસીએ જંક્શન પર એલિવેટેડ કોરિડોર પર ચઢવા અને ઊતરવા માટે બંને બાજુ મળીને કુલ છ નાનકડાં રેમ્પ બનાવાશે. ગાંધીનગર તરફથી આવનારા વાહનચાલકો કર્ણાવતી જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને વાયએમસીએ જંક્શન પર ઊતરી શકશે. આ ત્રણેય જંક્શન પરથી કોઈ પણ વાહનચાલક એલિવેટેડ કોરિડોર પર ચઢી નહિ શકે. તેમણે બ્રિજ નીચેથી જ જવું પડશે. જોકે એલિવેટેડ કોરિડોર બની ગયા બાદ બ્રિજ નીચેનો ટ્રાફિક ઘટીને માત્ર 10 ટકા રહી જશે અને ટ્રાફિક જામ થશે નહિ. સરખેજથી આવનારા વાહનચાલકો વાયએમસીએ જંક્શન, પ્રહલાદનગર જંક્શન અને કર્ણાવતી જંક્શન પર ઊતરી નહિ શકે. આ ત્રણેય જંક્શન પરથી વાહનચાલકો એલિવેટેડ કોરિડોર પર માત્ર ચઢી જ શકશે. ગાંધીનગરથી સાણંદ જતા વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે, કારણ કે આ રૂટ પર ચાલતા 80 ટકા વાહનચાલકો પકવાનથી ચઢીને છેક સાણંદ ચોકડી જ ઊતરતા હોય છે. SG હાઈવે પર 80 ટકા વાહનો આ 3 જંક્શનથી પસાર થાય છેએસજી હાઈવે પર પકવાન જંક્શનથી સાણંદ જંક્શન સુધી રોજ દોઢથી બે લાખ વાહનોની અવરજવર થતી હોય છે. તેમાં 80 ટકા વાહનો ત્રણેય જંક્શન પરથી પસાર થાય છે. એલિવેટેડ કોરિડોર બની ગયા પછી તેઓ પકવાન જંક્શનથી બ્રિજ ચઢીને સાણંદ ફ્લાયઓવર થઈને નીકળી જશે. ઇસરો તરફથી આવનારા વાહનચાલકોને જો એલિવેટેડ કોરિડોર પર ચડવું હોય તો ઉપર જવાની જરૂર નહિ રહે.
બોર્ડ બેઠકમાં ઘટસ્ફોટ:બીઆરટીએસની 350માંથી રોજ 60 બસ ખોટકાય છે, 5 વર્ષમાં 80 હજાર બસનું બ્રેકડાઉન
બીઆરટીએસની 79262 બસનું છેલ્લાં પાંચ વર્ષમાં બ્રેકડાઉન થયું છે. આટલી મોટી સંખ્યામાં બસોનું બ્રેકડાઉન થઈ રહ્યું હોવાનો મુદ્દો મ્યુનિ. બજેટ બોર્ડની બેઠકમાં ઉઠતાં તમામ લોકો ચોંકી ગયા હતા કે, આ આંકોડો સાચો છે? એક તબક્કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ એવું કહ્યું કે, આંકડામાં કોઈ ભૂલ હોઈ શકે. જોકે કમિશનરે આ મામલે બીઆરટીએસ વિભાગ સંભાળતા ડીવાયએમસી અમૃતેશ ઔરંગાબાદકરને પૂછતાં તેમણે કહ્યું કે,આ આંકડો સાચો છે. મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ સ્વાયત્ત કંપની બનાવાઈ છે ત્યારે 2021થી 2025 સુધી 9 હજારથી લઈને 20 હજાર સુધી બસો ખોટકાઈ છે તેમ વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું. ભેદભાવ: આઇકોનિક કામો પૂર્વમાં કરાતાં નથીમ્યુનિ.એ આઇકોનિક કામો માટે ઝોન પ્રમાણે 1112.65 કરોડ પૈકી પશ્ચિમના 18 વોર્ડ માટે રૂ. 602,11 કરોડ જ્યારે પૂર્વના 30 વોર્ડ વચ્ચે રૂ. 510.54 કરોડનો ખર્ચ દર્શાવ્યો છે. શહેરનું કુલ ક્ષેત્રફળ 480.88 ચો.કિમી. છે. જેમાં પૂર્વનો 247.45 ચો.કિમી છે જ્યારે શહેરની 65 ટકા કરતાં વધારે વસતી આ વિસ્તારોમાં રહે છે. બસ સમયસર ન ઊપડે, નિયત સમયમાં ચાર્જ ન થાય તે પણ બ્રેકડાઉનમાં ગણી દંડ લેવાય છેબીઆરટીએસ પાસે 350 બસો છે. જે 18 રૂટ પર અત્યારે 50 હજાર કિમી કરતાં વધારે દોડે છે. બીઆરટીએસ દ્વારા વિવિધ એજન્સીઓને બસ દોડાવવા માટે પ્રતિ કિમી રૂ. 52થી લઈને રૂ. 61 ચૂકવાય છે. જ્યારે બ્રેકડાઉન થાય ત્યારે તંત્ર દ્વારા સંબંધિત એજન્સીને દંડ પણ કરવામાં આવે છે. બ્રેકડાઉનમાં માત્ર બસ બગડે તેટલું જ નહિ પણ મોડી ઊપડે, નિયત સમયમાં ચાર્જિંગ ન થાય, સમયસર નિયત સ્થળે ન પહોંચે તેનો પણ સમાવેશ થાય છે. આ કિસ્સામાં વિવિધ ટેન્ડરની જોગવાઈ પ્રમાણે દંડ કરાય છે. બજેટ એ ઓલિમ્પિક બીડ માટે મજબૂત કરવા માટેનું પ્રથમ ડગલું છે: કમિશનરબજેટ બેઠકમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાને લઇ આ બજેટ વ્યાપક દૃષ્ટ્રી અને વ્યુહાત્મક નકશો છે. શહેરને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવું બનાવશે. 2036ની ઓલિમ્પિક બીડ માટે મજબૂત કરવા માટેનું આ બજેટ મહત્ત્વનું પ્રથમ પગલું છે. અમદાવાદ નાગરિકો માટે જીવવા માટે શ્રેષ્ઠશહેર બને તે આવશ્યક છે. આ બજેટ શહેરને સંતુલિત વિકાસ આપશે. વાર્ષિક હિસાબ : મ્યુનિ.ને 1434 કરોડની લોનમ્યુનિ.એ સત્તાવાર રીતે 1434.58 કરોડની લોન દર્શાવી છે. તેમાં સરકારની 80.11, જીએસએફસીની 354.47, ગ્રીન બોન્ડના 200, જીઆરસીપીના 350, નવી લોન તરીકે જીએસએફએસની 150 કરોડ જીઆરસીપીના 300 કરોડની તથા વધારાની રૂ. 450 કરોડની લોન દર્શાવી છે. જો વર્લ્ડ બેંકની 3000 કરોડની લોન દર્શાવી નથી. રિવરફ્રન્ટ: એક પણ પ્લોટનું વેચાણ ન થયુંમ્યુનિ.ને માથે 3 હજાર કરોડ કરતાં વધારે દેવું છે તે તેણે રિવરફ્રન્ટને રૂ. 2378 કરોડની અત્યાર સુધી લોન આપી છે. બીજી તરફ રિવરફ્રન્ટ દ્વારા અત્યાર સુધીમાં 131 કરોડની આવક થઇ છે. જે પૈકી 71.26 કરોડ જેટલી મોટી રકમ તો માત્ર બાઉન્સર રાખવા પાછળ ખર્ચ કરી નાંખ્યો છે. તંત્રે 7 પ્લોટ વેચવા મૂક્યા હતા, પરંતુ એક પણ પ્લોટ હજુ સુધી વેચાયો નથી.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોશિયલ મીડિયા પર પાકિસ્તાની વડાપ્રધાનના ટ્રોલ થવા અંગે રહ્યા. બીજા મોટા સમાચાર AI સમિટમાં કોંગ્રેસના પ્રદર્શનના રહ્યા. કાર્યકરોએ ટી-શર્ટ ઉતારીને ભારત-US ડીલનો વિરોધ કર્યો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. RSS પરની ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી મહારાષ્ટ્રની ભિવંડી કોર્ટમાં હાજર થઈ શકે છે. 2. પીએમ મોદી યુપીના ગૌતમબુદ્ધ નગરમાં સેમિકન્ડક્ટર નિર્માણ યુનિટનો શિલાન્યાસ કરશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે દુનિયાભરના દેશો પર 10% વધારાનો ટેરિફ લગાવ્યો:કહ્યું- જજ દેશ માટે કલંક છે; 3 કલાક પહેલા જ સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા હતા અમેરિકી સુપ્રીમ કોર્ટના ટેરિફ રદ કરવાના નિર્ણયના ત્રણ કલાકની અંદર જ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભર પર 10% વધારાનો (એક્સ્ટ્રા) ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તેઓ આજે એક આદેશ પર હસ્તાક્ષર કરશે, જેના હેઠળ 10% નો એક્સ્ટ્રા ગ્લોબલ ટેરિફ લાદવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ટેરિફ પહેલેથી લેવામાં આવતા બેઝલાઇન ટેરિફ ઉપરાંતનો હશે. એટલે કે અત્યારે જે ટેરિફ લેવાય છે, તેના પર આ નવો 10% વધારાનો ટેરિફ લાગુ પડશે. આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને ગેરકાયદેસર ગણાવી રદ કર્યા હતા. કોર્ટે 6-3ની બહુમતીથી ચુકાદો આપતા કહ્યું હતું કે બંધારણ મુજબ ટેક્સ અને ટેરિફ લગાવવાનો અધિકાર રાષ્ટ્રપતિને નહીં, પણ માત્ર સંસદને છે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. કોંગ્રેસી કાર્યકર્તાઓએ શરમ નેવે મૂકી:દિલ્હી AI સમિટમાં પહોંચીને ટી-શર્ટ કાઢી નાખ્યા, નારા લગાવ્યા; ભાજપે કહ્યું-રાહુલના ઘરે પ્લાનિંગ થયું હતું દિલ્હી ખાતે ભારત મંડપમમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ શુક્રવારે AI સમિટ 2026માં ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. કાર્યકર્તાઓએ ટી-શર્ટ કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓએ નારા લગાવતા કહ્યું- ‘PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ’. કોંગ્રેસના કાર્યકરોના વિરોધ પ્રદર્શનના અનેક વીડિયો પણ સામે આવ્યા છે. આ વીડિયોમાં 15-20 કોંગ્રેસ કાર્યકરોની ભીડ હાથમાં સફેદ ટી-શર્ટ સાથે દેખાય છે. આ ટી-શર્ટ પર PM મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા છે. તેમાં લખ્યું છે, PM ઇઝ કોમ્પ્રોમાઇઝ્ડ. દિલ્હી પોલીસનું કહેવું છે કે તેઓ ઈન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકરો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. બલૂચ લડવૈયાઓની કેદમાં રડતા દેખાયા પાકિસ્તાની સૈનિકો:જવાનોએ કહ્યું- અમે દેશ માટે લડીએ છીએ, પરંતુ સરકારને અમારી કોઈ કદર નથી પાકિસ્તાનમાં બલોચ લિબરેશન આર્મી (BLA) એ વધુ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં પાકિસ્તાની સૈનિકો સરકાર પાસે મદદ માટે આજીજી કરતા દેખાય છે. આ વીડિયોમાં 7 પાકિસ્તાની સૈનિકોને બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં એક સૈનિક રડતા રડતા કહી રહ્યો છે કે તે પાકિસ્તાન માટે લડતો રહ્યો, પરંતુ આજે સેના તેને પોતાનો નથી માની રહી. તે કહી રહ્યો છે કે તેની પાસે પાકિસ્તાની સેનાનું ID કાર્ડ છે તો પછી શા માટે કહેવામાં આવી રહ્યું છે કે તે પાકિસ્તાની સૈનિક નથી. આ વીડિયો પાકિસ્તાનની સેનાના તે નિવેદનને સીધો પડકાર ફેંકે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના કોઈ પણ સૈનિક ગુમ નથી અને ન તો કોઈ ઉગ્રવાદી સંગઠનની કસ્ટડીમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટ્રમ્પે દુનિયા સામે પાકિસ્તાની PMની ફજેતી કરી:'ઊભા થઈ જાવ' કહેતા જ શાહબાઝ આદેશ પાળતા હોય એમ માથું નમાવીને ઊભા થયા!, VIDEO વાઇરલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ સાથે આખી દુનિયા સામે એક જુનિયર જેવો વ્યવહાર કર્યો, તેમને પોતાના જ વખાણ કરતા પાકિસ્તાની PMને ઊભા રહેવાનો આદેશ આપ્યો. ટ્રમ્પે બોર્ડ ઓફ પીસની પહેલી બેઠકમાં ફરીથી તે જ જૂઠાણું પુનરાવર્તિત કર્યું છે કે તેમણે 2025ના ભારત-પાકિસ્તાન સૈન્ય તણાવ દરમિયાન બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી. તેમણે કહ્યું હતું કે જો યુદ્ધ રોકવામાં નહીં આવે તો બંને દેશો પર 200 ટકા ટેરિફ લાગશે. જોકે, ભારતે ગયા વર્ષે મે મહિનામાં થયેલા સૈન્ય સંઘર્ષમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી અથવા કોઈ ફાઇટર જેટને નુકસાન થવાના તમામ દાવાઓને સતત નકારી કાઢ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. રાજસ્થાનના અલવર-ફતેહપુરમાં તાપમાન 10.4C:MPના 25 જિલ્લામાં વરસાદ, હરિયાણામાં કરા પડ્યા; ઉત્તરાખંડના કેદારનાથમાં હિમવર્ષા દેશમાં મેદાની અને પહાડી રાજ્યોમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. રાજસ્થાનમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ઘણા વિસ્તારોમાં કરા પણ પડ્યા છે. જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 30C થી ઓછું અને લઘુત્તમ તાપમાન 15C થી ઓછું રહ્યું. સૌથી ઓછું તાપમાન અલવર-ફતેહપુરનું રહ્યું જે 10.4C હતું. સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મધ્ય પ્રદેશના 25 જિલ્લાઓમાં વરસાદ અને કરા પડ્યા છે. શ્યોપુરમાં 63kmphની ઝડપે પવન ફૂંકાયો. વરસાદથી પાકને નુકસાન થયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 'વેશ્યાવૃત્તિ એ પણ સમાજની એક સેવા છે':ગુજરાતી એક્ટ્રેસ મોના થિબાના નિવેદનથી વિવાદ સર્જાયો, ખોડલધામના ટ્રસ્ટીએ કહ્યું- 'ફિલ્મ પ્રમોશન માટે મહિલાઓનું અપમાન ન કરાય, માફી માંગો' ગુજરાતી અભિનેત્રી મોના થિબા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચી હતી, ત્યારે રાજકોટમાં તેમણે કરેલા એક નિવદેનથી વિવાદનો વંટોળ ઊભો થયો છે. મોના થિબાએ વેશ્યાવૃત્તિને એક પ્રકારની સમાજ સેવા ગણાવી હતી. જેને લઈને વિવાદ સર્જાતા હવે ખોડલધામના ટ્રસ્ટી જેની ઠુમરે પણ તેમનો વિરોધ કરી એક્ટ્રેસની આ ટિપ્પણીને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી દરેક સામાજિક સંસ્થાઓ અને ખાસ મહિલાઓની માફી માગે તેવી માગ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 800 કરોડના કૌભાંડનો 'ટેક્નિકલ માસ્ટરમાઈન્ડ' પાટણથી ઝડપાયો: MSC.IT પાસ યુવક વિયેતનામથી આવતા ગેમિંગ અને બેટિંગના બ્લેકમનીને વ્હાઈટ કરતો, ખાસ પ્લેટફોર્મથી કરતો પૈસાની હેરફેર સુરતના કતારગામ વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇ આખરે પાટણના વાગડોદ ગામેથી ઝડપાઇ ગયો છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી MSC.IT જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે. પોતાની આ ટેક્નિકલ જાણકારીનો ઉપયોગ તેણે ગેરકાયદેસર ઓનલાઇન બેટિંગ સાઇટ્સના કરોડો રૂપિયાના ફંડ ટ્રાન્સફર કરવા માટે કર્યો હતો. આ રેકેટમાં અત્યાર સુધીમાં કરોડોની છેતરપિંડી અને 800 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અમિત શાહે કહ્યું- કોંગ્રેસે સરહદો ખુલ્લી છોડી, ઘૂસણખોરી વધી:આસામમાંથી ₹6900 કરોડની યોજના લોન્ચ કરી; કહ્યું- 5 વર્ષમાં રાજ્યને પૂરમુક્ત કરીશું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પની 'બોર્ડ ઓફ પીસ' મીટિંગમાં ભારત સામેલ થયું:ગાઝા માટે ₹1.5 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત; 50 દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભાગવત જે વંદે ભારતથી મેરઠ પહોંચ્યા, તેના પર પથ્થરમારો:બારીનો કાચ તૂટ્યો, સ્ટેશન પર સુરક્ષા વચ્ચે ઉતર્યા; GRPની તપાસ ચાલુ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : બ્રિટનનો અમેરિકાને પોતાના એરબેઝ આપવાનો ઇનકાર:ટ્રમ્પ ઈરાન પર હુમલા માટે ઉપયોગ કરવા માંગે છે, કહ્યું- ચાગોસ ટાપુ છોડવો મોટી ભૂલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : AI સમિટમાં ભારત-અમેરિકાનો 'પેક્સ સિલિકા' સમજુતી:ચિપ સેક્ટરમાં 10 લાખ નોકરીઓ આવશે, મોદી-ટ્રમ્પ મુલાકાત ટૂંક સમયમાં થશે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : ટીમ ઈન્ડિયાના વધુ એક ક્રિકેટરના ડિવોર્સ:એનિવર્સરી પહેલાં રાહુલ ચહર-ઈશાની અલગ થયા; ક્રિકેટરે લખ્યું- ભારે કિંમત ચૂકવવી પડી, જીવનના આ તબક્કાનો અંત આવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : શું શિવજીના કોઈ માતા છે?:મહાદેવ કેમ સ્મશાનમાં નિવાસ કરે છે? જાણો અત્યંત રસપ્રદ રહસ્યો પાછળનું સત્ય વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ કૂતરા માટે કન્યાએ મંડપમાંથી જાન પાછી કાઢી યુપીના ફતેહપુરમાં દુલ્હને લગ્ન તોડી નાખ્યા. કારણ કે એક જાનૈયાએ તેના પાલતુ કૂતરાને લાત મારી હતી. નારાજ દુલ્હને મંડપમાંથી જાન પાછી કાઢી, વરરાજા ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડતો રહ્યો અને તેને મનાવતો રહી ગયો. હકીકતમાં, બંને પહેલા જ પ્રેમ લગ્ન કરી ચૂક્યા હતા અને હવે પરિવારની હાજરીમાં ફરીથી લગ્ન થઈ રહ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એક્સક્લૂસિવ : પાકિસ્તાનીઓએ ચપ્પુ બતાવી કરોડો રૂપિયા માંગ્યા:એજન્ટે કિડનેપર્સને કહી દીધું-એમને મારી નાખો, ગુજરાતીઓને બચાવનારા ઓપરેશન મહીસાગરની ઇનસાઇડ સ્ટોરી 2. પારકી પંચાત : ગુજરાત કોંગ્રેસની કમાન હવે ‘પાયલટ’ના હાથમાં!:દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે બેઠક પછી નવી વાત ઉડી; લેઉવા-કડવા એક ધજા નીચે આવશે? રૂપાલા-આનંદીબેને સંકેત આપ્યો 3. બોલિવૂડ ક્રાઇમ ફાઇલ્સ : 70 દિવસ જેલ, 3 વર્ષની રાહ ને અધૂરો ન્યાય!:ધર્મ પરિવર્તન, ડ્રગ્સના આરોપ, માતાએ જ ગળું દબાવ્યાનો ખુલાસો, જાણો તુનિષા આત્મહત્યા પાછળ કોની ગેમ 4. ફિલ્મી ફેમિલી : સલીમ ખાને 'શોલે'ના પાત્રોના નામ કોલેજના મિત્રો પરથી રાખ્યા:સલમાન ખાનને ફિલ્મ મળે એટલે પિતાએ ખોટા સમાચાર છપાવ્યા; એક ગુજરાતીએ સલમાનને સુપર સ્ટાર બનાવ્યો 5. હિમાલયમાં 13 મહિનાની સાધના:કરોડોનું સામ્રાજ્ય છોડીને સંન્યાસી બનેલા સાધકની કહાણી, જેમાં છુપાયેલું છે સાચી ખુશીનું રહસ્ય 6. ડેરી પ્રોડક્ટ્સ: સ્વાસ્થ્યનો ખજાનો કે પછી બીમારીનું ઘર?:મસલ બિલ્ડિંગ માટે પનીર અને પાચન માટે દહીં, ઉંમરના હિસાબે વસ્તુઓ પસંદ કરો; ડાયટિશિયનનું ગણિત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ રાશિફળ
અજિત પવારના વિમાન દુર્ઘટના કેસ:અજિત પવારના CCTV ફૂટેજ જાહેર કરવાનો ઇનકાર કરાયો
અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ અંગે સતત વિવિધ શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી અધિકાર કાયદા હેઠળ 28 જાન્યુઆરીની વિમાન દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ આપવાનો ઇનકાર કરી દીધો છે. આ કારણે, આ બાબતમાં શંકા ધરાવતા એક આરટીઆઈ કાર્યકર્તાએ કહ્યું છે કે શંકાને અવકાશ છે. ૨૮ જાન્યુઆરીએ બારામતીમાં વિમાન દુર્ઘટનામાં અજિત પવારનું મૃત્યુ થયું હતું. એનસીપી શરદચંદ્ર પવારની પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે તે દુર્ઘટના નહીં પણ ભાંગફોડિયા કાવતરું હોવાની શંકા છે. આ પૃષ્ઠભૂમિમાં, માહિતી અધિકાર કાર્યકર્તા નીતિન યાદવે ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૬ થી ૯ વાગ્યા સુધી મુંબઈ એરપોર્ટ પર નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસેથી આરટીઆઈ કાયદા હેઠળ સીસીટીવી ફૂટેજ માગ્યા હતા, પરંતુ વિભાગે આ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. આ અંગે નીતિન યાદવે કહ્યું કે, મેં RTI હેઠળ અજિત પવારના CCTV ફૂટેજની માગણી કરી હતી. મેં આ મામલે વારંવાર ફોલોઅપ કર્યું હતું, પરંતુ સંબંધિત વિભાગે મેં માગેલી માહિતી આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે, શું ખરેખર અજિત પવારની હત્યા કરવામાં આવી હતી? મેં હવે આ મામલે અપીલ કરી છે અને સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય માહિતી કમિશનરના નિર્ણયને ટાંકીને ફરી એક વાર આ ફૂટેજની માગણી કરી છે. મેં આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને 28 જાન્યુઆરીના રોજ સવારે 6 થી 9 વાગ્યા સુધીના CCTV ફૂટેજ માટે વિનંતી કરી છે, જે મુંબઈ ટ્રાફિક પોલીસ વિભાગ પાસેથી દેવગિરિ, મુંબઈ સ્થિત સત્તાવાર નિવાસસ્થાનથી મંત્રાલય સુધીના છે. અજિત પવાર મહારાષ્ટ્રના ઉપ મુખ્ય મંત્રી તરીકે બંધારણીય પદ પર સેવા આપતા જનપ્રતિનિધિ અને સરકારી કર્મચારી હતા. આ વાતનો ઉલ્લેખ કરીને, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન વિભાગે મુંબઈ એરપોર્ટ પરના સીસીટીવી ફૂટેજને નકારી કાઢ્યા છે. આ આઘાતજનક છે અને હું માગણી કરું છું કે તેઓ તાત્કાલિક તે દિવસના અજિતદાદાના સીસીટીવી ફૂટેજ પ્રદાન કરે, એમ નીતિ યાદવે પણ કહ્યું છે.
હાઇકોર્ટ દ્વારા સીબીઆઈ તપાસનો આદેશ:રેપ- હત્યાના શકને દબાવીને દુર્ઘટના બતાવી
13 વર્ષીય બાળાના રહસ્યમય મૃત્યુના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. રેપ અને હત્યાના શકને દબાવી દુર્ઘટના બતાવવા માટે કોર્ટે પોલીસને આડે હાથ લીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ પ્રકરણને આરંભથી જ દુર્ઘટનામાં મૃત્યુ સાબિત કરવાની દિશામાં કેસ ચલાવવામાં આવ્યો, પરંતુ દુષ્કર્મ અને હત્યાની ગંભીરતાથી સંપૂર્ણ તપાસ કરાઈ નહીં.જસ્ટિસ સારંગ વી કોટવાલ અને જસ્ટિસ સંદેશ ડી પાટીલની ખંડપીઠે 15 વર્ષ જૂના આ કેસની તપાસ સીબીઆઈને સોંપીને કહ્યું કે ન્યાય માટે સ્વતંત્ર સંસ્થાની તપાસ અનિવાર્ય છે. નગ્નાવસ્થામાં મૃતદેહ મળ્યો હતો. 2010માં શાળામાં કેમ્પ દરમિયાન ગુમ બાળાની લાશ સમુદ્રકિનારે પથ્થરો પર મળી. સૌથી ચોંકાવનારી વાત એ કે શરીર પર કપડાં નહોતાં. કોર્ટે જણાવ્યું કે તપાસ એ રીતે કરાઈ કે લક્ષ્ય પહેલેથી જ નક્કી હોય. ઘટનાને દુર્ઘટના સાબિત કરવાનું. ગંભીર ગુનાની સંભાવનાની યોજનાબદ્ધ રીતે અવગણના કરાઈ. સ્થાનિક પોલીસ, રાજ્ય સીઆઈડી અને વિશેષ ટાસ્ટ ફોર્સે તપાસ કરી પરંતુ બધાનો નિષ્કર્ષ એક જ હતો દુર્ઘટના. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રેપ અને હત્યાની દિશામાં ગંભીરતાથી તપાસ કરાઈ નહીં. કોર્ટે જણાવ્યું કે સમય વીતવા છતાં પીડિતા અને તેના પરિવાર માટે ન્યાય આપવાનું જરૂરી છે. આથી આખો મમલો સીબીઆઈને હવાલે કરવામાં આવે. કાનૂની દ્રષ્ટિએ રાજ્ય પોલીસ માટે આને મોટો આંચકો માનવામાં આવે છે. આ ફેંસલો સ્પષ્ટ સંકેત આપે છે કે ગંભીર ગુનાઓને દુર્ઘટના બતાવીને દફન નહીં કરી શકાય. આથી હવે સીબીઆઈ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું અત્યંત રસપ્રદ બની રહેવાનું છે.
કસ્ટમ વિભાગની કાર્યવાહી:એરપોર્ટ પર 8 દિવસમાં હીરા, કરોડોના નશીલા પદાર્થ જપ્ત
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દેશવિદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘણી છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હંમેશા પ્રવાસીઓની મોટા પ્રમાણમાં અવરજવર થાય છે. તેથી અહીં સુરક્ષા યંત્રણા પણ મોટા પ્રમાણમાં કાર્યરત રહે છે. મુંબઈ એરપોર્ટ પર અનેક વખત તપાસમાં નશીલા પદાર્થ અથવા દાણચોરીનું સોનુ મળી આવે છે. તાજેતરમાં 4 થી 11 ફેબ્રુઆરી દરમિયાન કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરીને કરોડોની સામગ્રી જપ્ત કરી છે. આ પ્રકરણે 8 જણની ધરપકડ પણ કરવામાં આવી. મુંબઈ કસ્ટમ ઝોન-3 (એરપોર્ટ) તરફથી જબરદસ્ત કાર્યવાહી કરીને વિવિધ પ્રકરણમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ, હીરા, સોનુ, વિદેશ ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં કુલ 8 પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી. કસ્ટમ વિભાગની માહિતી અનુસાર કાર્યવાહીમાં લગભગ 16.7 કરોડ રૂપિયાના નશીલા પદાર્થ, 38 લાખ રૂપિયાના હીરા, 15 લાખ રૂપિયાનું સોનુ અને વિવિધ પ્રકરણમાં 1.13 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ જેટલી સામગ્રી જપ્ત કરવામાં આવી છે. લગભગ 16.756 કિલો શંકાસ્પદ એનડીપીએસ (હાઈડ્રોપોનિક વીડ) જપ્ત કરવામાં આવ્યું. એની કિંમત અંદાજે 16.756 કરોડ રૂપિયા જેટલી છે. 246.75 કેરેટ કુદરતી અને લેબગ્રોન હીરા જપ્ત કરવામાં આવ્યા જેની કિંમત લગભગ 38.28 લાખ રૂપિયા છે. ઉપરાંત 104 ગ્રામ 24 કેરેટ સોનુ જેની કિંમત 15.24 લાખ રૂપિયા છે.
રામદાસ ગાડેને મૂળ સ્થાને ટ્રાન્સફર કરાયો:લાંચ કેસ બાદ મંત્રી ઝિરવળનો અંગત સચિવ ફરજ પરથી મુક્ત
રાજ્યના ખાદ્ય અને ઔષધ પ્રશાસન મંત્રી નરહરિ ઝિરવળે તેમના અંગત સચિવ રામદાસ ગાડે સામે કડક કાર્યવાહી કરી છે. તેમણે રામદાસ ગાડેને મુક્ત કરીને તેમના મૂળ સ્થાને પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. મંત્રી નરહરિ ઝિરવળના વિભાગમાં કારકુન રાજેન્દ્ર ધેરિંગેને ભ્રષ્ટાચાર વિરોધી વિભાગના અધિકારીએ ૩૫,૦૦૦ રૂપિયાની લાંચ લેતાં રંગેહાથ પકડી લીધો હતો. તે પોલીસ કસ્ટડીમાં હતો, પરંતુ શુક્રવારે તેને જામીન મળ્યા છે. જાણવા મળ્યું છે કે તેણે ઝિરવળના અંગત સહાયક રામદાસ ગાડેનું નામ લીધું હતું. આ પ્રકારની લાંચ સીધી મંત્રાલયમાં લેવાઈ હતી, જેનાથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. વિપક્ષે આ મામલે ઝિરવળને આડે હાથ લીધા હતા અને તેમના રાજીનામાની માગણી કરી છે. આ અંગે ઝિરવળે સ્પષ્ટ કર્યું હતું કે જો આ મામલામાં તેમનો સંબંધ જણાશે તો તેઓ જાતે રાજીનામું આપી દેશે. આ પૃષ્ઠભૂમિમાં, ઝિરવળે ઉપરોક્ત કાર્યવાહી કરી છે. ઝિરવળે તેમના અંગત સચિવ ડૉ. રામદાસ ગાડેને તાત્કાલિક અસરથી તેમના પદ પરથી મુક્ત કર્યા છે. ગાડે ઝિરવળના મંત્રાલયમાં પ્રતિનિયુક્તિ પર હતા, પરંતુ હવે તેમની સેવા તેમના મૂળ કૃષિ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ઝિરવળે સામાન્ય વહીવટ વિભાગને આ મામલે તાત્કાલિક આદેશ જારી કરવાનો નિર્દેશ આપ્યો છે.ઉલ્લેખનીય છે કે લાંચનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ, ઉપ મુખ્ય મંત્રી સુનેત્રા પવારે પાર્ટીની કોર કમિટીની બેઠકમાં ઝિરવળના વિભાગના સંચાલન પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તમારી અને પાર્ટીની છબિ ખરડાય નહીં તેનું ધ્યાન રાખો. ખાસ કરીને, વહીવટ અને અધિકારીઓની બદનામી ન થાય તેનું ધ્યાન રાખો, એમ સુનેત્રા અજિત પવારે આ મામલે ઝિરવળને કહ્યું હતું.દરમિયાન ઝિરવળે આ મામલે વિગતવાર ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મારા વિભાગનો એક કારકુન લાંચ કેસમાં પકડાયા તે મારી જવાબદારી છે. હું એમ ન કહી શકું કે આ જવાબદારી મારી નથી.
ચૂંટણીઓને લઈ માહોલ ગરમાયો:રાજ્યસભા અને વિધાન પરિષદને લઈ મહાવિકાસ આઘાડીમાં ભારે ખેંચતાણ
રાજ્યમાં હાલમાં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓને લઈ માહોલ ગરમાયો છે. શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેનો પક્ષ વિધાન પરિષદમાં એક બેઠક માટે આગ્રહી છે, પરંતુ કોંગ્રેસ એ જ બેઠક માટે ઠાકરે જૂથ સાથે અલગ વલણ અપનાવી રહી છે. આ કારણે, આ ચૂંટણીઓને લઈને મહાવિકાસ આઘાડીમાં ઉગ્ર રાજકારણ થવાની શક્યતા છે.૧૬ માર્ચે ૧૦ રાજ્યોમાં ૩૭ રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે. આમાં મહારાષ્ટ્રની ૭ બેઠકોનો સમાવેશ થાય છે. તે જ સમયે, રાજ્યમાં વિધાન પરિષદની ચૂંટણીઓ પણ યોજાશે. વર્તમાન સંખ્યાબળ મુજબ, મહાવિકાસ આઘાડીને આ બંને ચૂંટણીઓમાં ૧-૧ બેઠક મળશે. મહાવિકાસ આઘાડીમાં ઠાકરે જૂથ પાસે સૌથી વધુ બેઠકો છે. તેથી, એ વાત સુવિદિત છે કે તેઓએ આ બંને બેઠકો પર પોતાનો દાવો કર્યો છે, પરંતુ તે જ સમયે, તેઓ શરદ પવારને મહાવિકાસ આઘાડી દ્વારા રાજ્યસભામાં મોકલવા માટે પણ તૈયાર છે. તેઓ ઇચ્છે છે કે ઉદ્ધવ ઠાકરેને પોતે વિધાન પરિષદની એક બેઠક પર મોકલવામાં આવે. બીજી તરફ, કોંગ્રેસ આ મુદ્દે અલગ વલણ અપનાવી રહી છે. તેમણે માગણી કરી છે કે શરદ પવાર પહેલા શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાણના મુદ્દા પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. તેથી, મહાવિકાસ આઘાડીમાંથી રાજ્યસભામાં કોને મોકલવા જોઈએ? અને વિધાન પરિષદ માટે કયો ઉમેદવાર આપવો જોઈએ? આ મુદ્દે વિપક્ષી પક્ષો વચ્ચે ખેંચતાણ વધવાની શક્યતા છે, પરંતુ મહાવિકાસ આઘાડી આ મુદ્દાનો સામાન્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે કોંગ્રેસ, શરદ પવાર જૂથ અને ઠાકરે જૂથના વરિષ્ઠ નેતાઓ એકસાથે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે સ્વીકારતી નથી :રાજ્યસભા માટે શરદ પવાર અને વિધાન પરિષદ માટે ઉદ્ધવ ઠાકરેને ટેકો આપવાના ઠાકરે જૂથના વલણને કોંગ્રેસ સૈદ્ધાંતિક રીતે સ્વીકારતી નથી, કારણ કે, કોંગ્રેસ ૧૬ ધારાસભ્યો સાથે આઘાડીમાં બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ છે. તેથી, જો ઠાકરે અને શરદ પવાર જૂથો એક-એક બેઠક લઈ રહ્યા છે, તો કોંગ્રેસનું શું થશે? કોંગ્રેસના નેતાઓએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેથી, તેમની સ્થિતિ એવી છે કે તેમને રાજ્યસભા અથવા વિધાન પરિષદમાં એક બેઠક મળવી જોઈએ. કોંગ્રેસે એવો પણ આગ્રહ રાખ્યો છે કે જો વિલીનીકરણના મુદ્દા પર શરદ પવારની મિશ્ર ભૂમિકા હોય, તો કોંગ્રેસે તેમને બાજુ પર રાખીને રાજ્યસભા અને વિધાન પરિષદ માટે ઠાકરે જૂથ માટે ઉમેદવારો ઊભા કરવા જોઈએ. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઠાકરે જૂથ કોંગ્રેસના આ વલણ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
રાહુલ ગાંધી પર ફડણવીસનો શાબ્દિક હુમલો:માનવ બુદ્ધિ ઘટશે તો AI મદદ કરશે
નવી દિલ્હીમાં આયોજિત 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026'માં, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કૃષિ ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિ (AI) ની ભૂમિકા પર વિગતવાર ટિપ્પણી કરી. તેમણે સમિટ દરમિયાન તેમના રાજકીય વિરોધીઓની પણ હળવા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું કે જ્યારે માનવ બુદ્ધિ નિષ્ફળ જાય છે, ત્યારે એઆઈ મદદ કરી શકે છે. AI સમિટ ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ AI ના ઝડપથી બદલાતા ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવેલી પ્રગતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તક છે. વિશ્વના નેતાઓ AI પર ચર્ચા કરવા માટે ભારતમાં આવી રહ્યા છે તે હકીકત, જે વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહી છે, તે દેશની વધતી જતી ક્ષમતાનો સંકેત છે. કૃષિમાં AI અને ખાસ કરીને મહારાષ્ટ્ર દ્વારા પ્રાપ્ત સફળતા પર કેન્દ્રિત સત્રને ભારે પ્રતિસાદ મળ્યો હતો. વિશ્વ હાલમાં એક નિર્ણાયક તબક્કે છે. વધતી જતી આબોહવાની અનિશ્ચિતતા, ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, જમીનની ફળદ્રુપતામાં ઘટાડો, નબળી પડતી પુરવઠા શૃંખલાઓ અને અનિયમિત બજારોએ વૈશ્વિક ખાદ્ય પ્રણાલીઓ પર ભારે તાણ નાખ્યો છે. કૃષિ, ખાસ કરીને ગ્લોબલ સાઉથના દેશો માટે, માત્ર એક આર્થિક પ્રવૃત્તિ નથી પરંતુ આજીવિકા, સામાજિક સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષાનો આધારસ્તંભ છે.ભારતે ટેકનોલોજી- સંચાલિત સમાવેશી વિકાસનો માર્ગ અપનાવ્યો છે એમ જણાવતાં, ફડણવીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 'ઇન્ડિયા એઆઈ મિશન'નો ઉદ્દેશ્ય ટેકનોલોજી દ્વારા પારદર્શિતા, સમાવેશીતા અને મોટા પાયે અસર પ્રાપ્ત કરવાનો છે. જોકે, તેમણે ભાર મૂક્યો કે આ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં કૃષિ ક્ષેત્રને કેન્દ્રિય સ્થાન આપવું જરૂરી છે. ભારતમાં અડધા અબજથી વધુ લોકો તેમની આજીવિકા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર આધાર રાખે છે. રાજ્યસભા માટે મહત્ત્વપૂર્ણ નિવેદનફડણવીસે કહ્યું કે આજે હું ફક્ત એટલું જ કહીશ કે ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી મહાયુતિના સાત ઉમેદવારોમાંથી છ ઉમેદવારો ચૂંટાશે તે નિશ્ચિત છે. તેમણે દાવો કર્યો હતો કે મહાયુતિ પાસે જરૂરી સંખ્યાબધ છે. બાકીની એક બેઠક વિપક્ષના મહા વિકાસઆઘાડી દ્વારા જીતવાની શક્યતા છે. તેમણે નક્કી કરવાનું છે કે તે બેઠક કોણ લેશે. તેમના નિવેદન પછી, રાજ્યસભાની ચૂંટણીમાં રાજકીય સમીકરણો વિશે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.
સિટી એન્કર:નાલાસોપારામાં મેટ્રો પ્રમાણે લોકલમાં લાઈન લગાડીને ચઢવાનો પ્રયોગ
ઉપનગરીય લોકલમાં ચઢતા અને ઉતરતા સમયે થતી ગિરદી ટાળવા પશ્ચિમ રેલવેએ નાલાસોપારા સ્ટેશનમાં એક નોખો પ્રયોગ શરૂ કર્યો છે. દરેક ડબ્બાની સામે પ્લેટફોર્મ પર રંગીન પટ્ટા અને પગચિહ્નનનું માર્કિંગ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓએ લાઈનમાં ઊભા રહીને પહેલાં ઉતરનારા પ્રવાસીઓને માર્ગ આપે અને પછી પોતે ચઢે એ માટે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.પીક અવરમાં (સવારના 6 થી 11) મોટા પ્રમાણમાં ગિરદી થાય છે. તેથી પશ્ચિમ રેલવેએ વિશેષ ક્રાઉડ મેનેજમેંટ ઝુંબેશ અમલમાં મૂકી છે. વિવિધ સ્ટેશનમાં આરપીએફ અને એમએસએફ જવાનો સહિત નાલાસોપારા પોસ્ટના કર્મચારીઓ પ્લેટફોર્મ પર તૈનાત રહીને પ્રવાસીઓને બે લાઈનમાં ઊભા રહેવાનું, ટ્રેન થોભ્યા પછી પહેલાં ઉતરનારા પ્રવાસીઓને પૂરતી જગ્યા આપવાની હાકલ કરીને જનજાગૃતિ કરી હતી. આ ઝુંબેશમાં કુલ 22 જણનો સહભાગ હતો . એમાં આરપીએફના 12 અને એમએસએફના 10 કર્મચારી હતા. સવારની ગિરદીના સમયે જાતે પ્લેટફોર્મ પર હાજર રહીને પ્રવાસીઓને સમજાવીને શિસ્તબદ્ધ ચઢવા અને ઉતરવાની પ્રેકટિસ કરાવી હતી.પશ્ચિમ રેલવેએ આ ઉપાયયોજના પ્રાયોગિક ધોરણે આગામી બે મહિના સુધી અમલમાં ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ પ્રયોગ સફળ થશે તો તબક્કાવાર ગિરદીવાળા બીજા સ્ટેશનોમાં આવા જ રંગીન માર્કિંગ અને પગચિહ્ન કરીને લાઈન પદ્ધતિ લાગુ કરવામાં આવશે એવી માહિતી મુંબઈ વિભાગના વિભાગીય વ્યવસ્થાપકે આપી હતી. લોકલ પ્રવાસ વધુ સુરક્ષિત, સહેલો અને શિસ્તબદ્ધ કરવાની દષ્ટિએ આ પ્રયોગ મહત્વનો માનવામાં આવે છે. પ્રવાસીઓ તરફથી પણ આ પ્રયોગને ઘણો હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું રેલવે પ્રશાસને જણાવ્યું છે.નાલાસોપારા સ્ટેશનમાં શરૂ કરેલી લાઈન શિસ્ત ઉપાયયોજના પ્રવાસીઓની સુરક્ષિતતા માટે મહત્વની છે. પ્રવાસીઓ પણ હકારાત્મક પ્રતિસાદ આપીને સહકાર્ય કરશે એવી અપેક્ષા છે. આ પ્રયોગ સફળ થશે તો ગિરદીવાળા અન્ય સ્ટેશનમાં પણ તબક્કાવાર આ ઝુંબેશ શરૂ થશે એમ પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગના વિભાગીય વ્યવસ્થાપક પંકજ સિંહે જણાવ્યું હતું.
ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પ:ધારાવીના અપાત્ર રહેવાસીઓનું પુનર્વસન માલવણી પરિસરમાં
ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પના અપાત્ર ઝૂંપડાધારકોના પુનર્વસન માટે મુલુંડ ખાતે જગ્યા આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધા પછી નિર્માણ થયેલો વિવાદ હજી શાંત થતો નથી ત્યારે હવે મલાડ પશ્ચિમના માલવણી ખાતેના મુક્તેશ્વર ભાગની 118 એકર જમીન ધારાવી પુનર્વિકાસ પ્રકલ્પને (ડીઆરપી) હસ્તાંતરિત કરવામાં આવી છે. આ ભૂખંડના લીધે ધારાવીમાં જ ઈન સિટુ પદ્ધતિથી પુનર્વસન માટે અપાત્ર ઠરનારા રહેવાસીઓને મલાડમાં સ્થળાંતરિત કરવાનો માર્ગ ખુલ્યો છે.માલવણીનો આ ભૂખંડ ડીઆરપીને મળવાથી એનએમડીપીએલ તરફથી આ ઠેકાણે પુનર્વસનના ઉદ્દેશથી ઈમારતોનું નિયોજન, બાંધકામ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ડીઆરપીના અખત્યારમાં માલવણીમાં 118 એકરનો વિશાળ ભૂખંડ છે. કુર્લા ખાતેની મધર ડેરી અને મુલુંડ મીઠાગર પછી ડીઆરપીને પુનર્વસન માટે ત્રીજો મોટો ભૂખંડ મળ્યો છે. માલવણી ખાતે ધારાવીના ઝૂંપડાઓના ઉપલા માળે રહેતા રહેવાસીઓ સહિત 1 જાન્યુઆરી 2011 પછી અને 15 નવેમ્બર 2022 પહેલાં ધારાવીમાં સ્થાયી થયેલા પાત્ર નાગરિકોનું પુનર્વસન કરવામાં આવશે. ડીઆરપીની શરતો, ધોરણ અનુસાર આ રહેવાસીઓને મહાનગર પ્રદેશની સુનિયોજિત કોલોનીમાં ઘર આપવામાં આવશે. જો કે આ ભૂખંડનો માલિકી હક ડીઆરપી-એસઆરએ પાસે રહેશે અને વિકાસ હક એસપીવી પાસે રહેશે. રાજ્ય સરકારે ડીઆરપી અંતર્ગત પરવડનારા અને ઉત્તમ ઘર બાંધવા મુંબઈ મહાનગર પ્રદેશમાં લગભગ 540 એકર જમીન ઉપલબ્ધ કરી છે. એમાં કુર્લા, કાંજુરમાર્ગ, ભાંડુપ, મુલુંડ ખાતે મીઠાગરની જગ્યા સહિત દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડના થોડા ભાગનો સમાવેશ છે. આ ઠેકાણે પુનર્વસનનો ઉદ્દેશ પૂરો થશે અને પ્રક્રિયા તબક્કાવાર પૂરી કરવામાં આવશે. અહીં પાત્રતા અનુસાર આગામી સાત વર્ષના સમયગાળામાં ધારાવીના રહેવાસીઓને નવા ઘરમાં સ્થળાંતરિત કરવાનો ઉદ્દેશ છે. આ પ્રકલ્પ અંતર્ગત લગભગ 10 લાખ રહેવાસીઓના પુનર્વસન માટે સવાથી દોઢ લાખ નવા ઘર બાંધવામાં આવશે.
એફડીએ દ્વારા 9 લાખની દવાઓ જપ્ત:થાણેમાં બ્લડ પ્રેશરની દવાઓ વેચવા માટે 2 જણની ધરપકડ
થાણેમાં નામાંકિત બ્રાન્ડની બ્લડ પ્રેશરની નકલી દવાઓ વેચવા માટે બે જણની ધરપકડ કરવામાં આવી છે. રૂ. 9 લાખ મૂલ્યની આ દવાઓ વ્યાપક મુકરર બ્રાન્ડનું નામ અને ડિઝાઈનની નકલ કરીને વેચવામાં આવતી હતી. કલ્યાણ પોલીસ અનુસાર આરોપી મૂળ ઉત્પાદકની પ્રોડક્ટ તરીકે ખોટી રીતે દર્શાવતાં શ્રીરામ ફાર્માના લાઈસન્સનો ઉપયોગ કરીને નકલી તેલમા એએમ ટેબ્લેટ્સ (તેલ્મિસાર્ટન 40 મિગ્રા અને એમ્લોડિપાઈન 5 મિગ્રા) વેચતો હતો.ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા 20 જાન્યુઆરીના દરોડા પાડવામાં આવ્યા હતા અને રૂ. 8,94,400 મૂલ્યની નકલી તેલમા એએમની 2795 સ્ટ્રિપ્સ જપ્ત કરાઈ હતી. એફડીએની ફરિયાદ અનુસાર ભારતીય ન્યાય સંહિતા અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940 અને રુલ્સ 1945 હેઠળ ડોંબિવલીમાં માનપાડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે.ડોંબિવલી પૂર્વમાં રહેતો વિતરક અને મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પંકજ રાધેશ્યામ ઉપાધ્યાય (33) મુખ્ય આરોપી છે. ઉપાધ્યાય દવા નકલી છે અને માનવી જીવન માટે ગંભીર ખતરો પેદા કરી શકે તે જાણતો હોવા છતાં વિતરણ કર્યું હતું. તપાસમાં એવું જણાયું કે નકલી દવા કાંદિવલી પૂર્વમાં રહેતા વિવેક અજયકુમાર રાય (35)ને પુરવઠો કરાઈ હતી. બંનેની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે,
મારિજુઆનાની દાણચોરી વધી:મુંબઈ એરપોર્ટ પરથી ગાંજાની દાણચોરી સૌથી મોટું દૂષણ બન્યું
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 2025-26માં હાઈડ્રોપોનિક વીડ અથવા મારિજુઆના અથવા ગાંજો તરીકે ઓળખાતા નશીલા પદાર્થની દાણચોરી સૌથી મોટા દૂષણમાંથી એક બન્યું છે, જેનો મુખ્ય સ્રોત થાઈલેન્ડ છે એમ બુધવારે કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલ 2025 અને જાન્યુઆરી 2026 વચ્ચે એરપોર્ટ ખાતે એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) દ્વારા ગાંજાની દાણચોરીના 200થી વધુ કેસ દાખલ કરાયા હતા અને લગભગ 1101 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. ગાંજાનો હાઈડ્રોપોનિક વીડ અથવા કેનાબિસ પ્રકાર માટીરહિત પદ્ધતિથી ઉગાડવામાં આવે છે. આ સમયગાળામાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટ હેઠળ કેસની એકંદર નોંધણીમાં તીક્ષ્ણ વધારો થયો છે, એમ વર્ષ 2024-25 અને 2025-26 માટે એઆઈયુ દ્વારા જારી ડેટા અનુસાર જણાયું છે. કસ્ટમ્સે ગયા વર્ષે 57 કેસની સામે આ વર્ષે જાન્યુઆરી સુધી 207 એનડીપીએસ કેસ દાખલ કર્યા છે. 2024-25માં પાંચ જણની ધરપકડ સાથે રૂ. 50.9 કરોડનું 5.09 કિલો કોકેઈન જપ્ત કરાયું છે. 2025-26માં રૂ. 116.26 કરોડ મૂલ્યનું 11.6 કિલો કોકેઈન જપ્ત કરાયું છે. ભારતમાં ડ્રગ સિંડિકેટ બેન્ગકોકમાં એજન્ટોની સાઠગાંઠ સાથે ભારતમાં ડ્રગ્સ લાવવા માટે મુલ્સનો ઉપયોગ કરે છે. મુલ્સને ફલાઈટની ટિકિટ અપાય છે. બેન્ગકોકમાં હોટેલમાં મુકામ, કમિશન અને વળતી ફ્લાઈટની ટિકિટ અપાય છે. સિંડિકેટો દ્વારા હવે બાળકો સાથે પરિવારો, 61 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો સહિત ઓછું જોખમ ધરાવતા કેરિયરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓનો આશરે 25 ટકા પ્રમાણમાં ઉપયોગ કરાય છે. સિંડિકેટ દ્વારા અનધિકૃત કન્સાઈનમેન્ટની દાણચોરી માટે વિદેશી બાબતોના મંત્રાલયના નકલી રાજદ્વારી પાઉચ પણ ઉપયોગ કરાય છે. ચિપ્સ, શેમ્પૂની બોટલો અને શાકભાજીઓમાં છુપાવીને પણ લાવવામાં આવે છે.
કર વસૂલાત કરાઈ:વ્યવસાયિક ઝૂંપડાધારકો પાસેથી 32 કરોડનો કર વસૂલ
મહાપાલિકાના કર વિભાગે અત્યાર સુધી ઝૂંપડપટ્ટીના 10 હજાર 770 વ્યવસાયિક ગાળાઓ પાસેથી 32 કરોડ 3 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કર્યો છે. કુલ કર અને એના પર દંડની રકમ મળીને આ આંકડો 53 કરોડ 46 લાખ રૂપિયા છે. મુંબઈની વિવિધ જમીન પર ઝૂંપડપટ્ટીઓ ઊભી થઈ છે. અનેક ઝૂંપડાંઓનો ઉપયોગ વ્યવસાય માટે કરવામાં આવે છે. મહાપાલિકા તરફથી ઝૂંપડપટ્ટીઓને મૂળભૂત સુવિધા પૂરી પાડવામાં આવે છે છતાં તેમની પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવતો નહોતો. મહાપાલિકાએ આવકમાં વધારો કરવાની દષ્ટિએ ઝૂંપડાઓમાં વ્યવસાયિક ગાળાઓ પાસેથી એરિયા અનુસાર પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની સૂચના મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આપી હતી. તેથી ગાળાઓનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના 2 ફેબ્રુઆરી 2022ના અધ્યાદેશ અનુસાર 500 સ્કવેર ફૂટ કે એનાથી ઓછા એરિયાવાળા નિવાસી ઘર અને ગાળાધારકોને પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો છે. જો કે આ સવલત વ્યવસાયિક ગાળાઓ માટે ન હોવાથી તેમને કર લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વોર્ડના સ્તરે વ્યવસાયિક ગાળાઓનું સર્વેક્ષણ કરતા ગાળાધારકો પાસે દસ્તાવેજ માગવામાં આવી રહ્યા છે.
ભાજપના બળવાખોર નગરસેવક નારાયણ ચૌધરી આખરે ભિવંડી મહાપાલિકાના મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં ચૌધરીને સ્પષ્ટ બહુમતી મળી છે. તેમની ચૂંટણીથી ભાજપને મોટો ફટકો પડ્યો છે, અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે કોંગ્રેસે 'ચંદ્રપુર'નો બદલો લીધો છે. ભાજપે શરૂઆતમાં ભિવંડીના મેયરપદ માટે નારાયણ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા હતા, પરંતુ અચાનક સ્નેહા પાટીલને ઉમેદવાર જાહેર કર્યાં. ભાજપના આ નિર્ણયથી નારાયણ ચૌધરી અને તેમના સાથી નગરસેવકો નારાજ થયા. ચૌધરીએ આ બાબતે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી અને તેમના 8 સમર્થક નગરસેવકો સાથે કોંગ્રેસમાં જોડાયા. ત્યાર બાદ, કોંગ્રેસે શુક્રવારે યોજાયેલી ચૂંટણીમાં તેના નગરસેવકોને નારાયણ ચૌધરીની તરફેણમાં મતદાન કરવાનો આદેશ આપ્યો. તે મુજબ, શુક્રવારે બપોરે યોજાયેલી ચૂંટણીમાં ચૌધરીને 48 મત મળ્યા. નારાયણ ચૌધરીને 48 મત મળ્યા, જેમાં કોંગ્રેસના 30 અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના 12 નગરસેવકોના મતનો સમાવેશ થાય છે. મેયરપદ માટે કુલ 10 ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આમાંથી ચૌધરીએ 2 અરજીઓ નોંધાવી હતી. બધી અરજીઓ માન્ય જાહેર થયા પછી, અરજી પાછી ખેંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. તેમાં કોણાર્ક વિકાસ આઘાડીના ઉમેદવાર વિલાસ પાટીલે પોલીસ એસ્કોર્ટ સાથે આવી રહ્યા હોવાથી સમય વધારવાની માગણી કરી હતી, પરંતુ પ્રિસાઇડિંગ અધિકારીઓએ પ્રક્રિયા અટકાવવાનો ઇનકાર કર્યો હતો. અંતે, 6 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી અને સ્નેહા પાટીલ (ભાજપ), નારાયણ ચૌધરી (સેક્યુલર મોરચા દ્વારા સમર્થિત) અને વિલાસ પાટીલ (શિંદે જૂથ) વચ્ચે ત્રિપાંખી સ્પર્ધા થઈ. નારાયણ ચૌધરીને ૪૮ મત મળ્યા, જ્યારે ભાજપના સ્નેહા પાટીલને ફક્ત ૧૬ મત મળ્યા. શિંદે જૂથના વિલાસ પાટીલને ૨૫ મતોથી સંતોષ માનવો પડ્યો.
લોકો પાઈલટ્સ અસહ્ય તાણ હેઠળ:મધ્ય રેલવેના 73 લોકો પાઈલટ્સે સ્વેચ્છા નિવૃત્તી માટે અરજી કરી
મધ્ય રેલવેના લોકો પાઈલટ્સ અને મોટરમેન પર કામનો તાણ અને પ્રશાસકીય તપાસ એટલે કે લટકતી તલવારનો ગંભીર પ્રશ્ન ફરીથી સપાટી પર આવ્યો છે. નોકરીમાં તાણ અસહ્ય હોવાથી એક સાથે 73 લોકો પાઈલટ્સે સ્વેચ્છા નિવૃત્તી માટે મધ્ય રેલવેના વિભાગીય રેલવે વ્યવસ્થાપક પાસે અરજી કરી. પ્રશાસકીય તપાસ નથી જોઈતી, સેવામાંથી સ્વેચ્છા નિવૃત્તી આપો એવી આજીજીભરી વિનંતી રેલવે પ્રશાસનને કરવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે મુંબઈ વિભાગના રેલવે વ્યવસ્થાપક પાસે 73 લોકો પાઈલટ્સે સહિયારી અરજી રજૂ કરી અને રેલવેની સેવામાંથી મુક્ત કરવાની વિનંતી કરી હતી. અમે રેલવેને પ્રામાણિક, શિસ્તબદ્ધ અને સમર્પિત સેવા આપી. આમ છતાં અમારા આરોગ્ય પર ગંભીર અસર કરતી પ્રશાસકીય કાર્યપદ્ધતિનો સામનો કરવો પડે છે. આ જ ત્રાસ અસહ્ય થવાથી સ્વેચ્છા નિવૃત્તી માગવાનો સમય આવ્યો છે એમ લોકો પાઈલટ્સે અરજીમાં નોંધ્યું છે. વરિષ્ઠ અધિકારીઓને વારંવાર નિવેદન આપવા છતાં તેમ જ મૌખિક વિનંતી કરીને પણ પ્રશાસકીય તપાસ અને કામના તાણનો પ્રશ્ન જૈસે થે રહ્યો છે એવી નારાજગી અરજી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. પ્રશાસન તરફથી માનસિક હેરાનગતિ કરવામાં આવે છે. તેમ જ સતત તાણ અને તણાવપૂર્ણ કામને કારણે માનસિક, શારીરિક ત્રાસ સહન કરવો પડે છે. પ્રશાસન કર્મચારીઓ સાથે અત્યંત અસંવેદનશીલ રીતે વર્તે છે. કામના ઠેકાણેનો અસહ્ય ત્રાસ આરોગ્ય પર લાંબા ગાળાની અસર થવા સાથે જ કૌટુંબિક જીવન ખરાબ થઈ રહ્યું છે એના પર લોકો પાઈલટ્સે ધ્યાન ખેંચ્યું છે. હલકા દરજ્જાનું ભોજન:લોકો પાઈલટ્સે રેસ્ટહાઉસનું હલકા દરજ્જાનું ભોજન, ગંદકી, મૂળભૂત સુવિધાઓની કમી, પૂરતા આરામનો અભાવ, તેમ જ લોબી, ટ્રીપ શેડ અને રનિંગ રૂમની અગવડો વગેરે સમસ્યાઓની રજૂઆત સ્વેચ્છા નિવૃત્તી અરજીમાં કરવામાં આવી છે. એક સાથે 73 લોકો પાઈલટ્સે રેલવેની નોકરી છોડવાનું નક્કી કર્યું હોવાથી મધ્ય રેલવે પ્રશાસન તાણમાં છે.
RTO એક્શન મોડમાં:ફેન્સી લખાણવાળા વાહનો મુંબઈ RTOના રડાર પર, દંડની કાર્યવાહી
કાર, ટુવ્હીલર જેવા વાહનોની નંબરપ્લેટ પર ભાઈ, ડોન, બાબા જેવા શબ્દો લખેલા રાખનાર વાહનચાલકો પર મુંબઈ આરટીઓએ રડાર સિસ્ટમથી કાર્યવાહી તીવ્ર કરી છે. આરટીઓના કાફલામાં તાજેતરમાં અત્યાધુનિક રડાર સિસ્ટમવાળા ઈંટરસેપ્ટર વાહનો દાખલ થયા છે. આ વાહનો રસ્તા પર નિયમ તોડનારા ચાલકોના ચહેરા અને વાહનની નંબરપ્લેટ ક્લિક કરે છે. એના આધારે ચલાન મોકલીને સંબંધિત વાહનચાલકને દંડ કરવામાં આવે છે. મુંબઈ શહેર સહિત પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં પરિવહનના નિયમ તોડનારા વાહનચાલકોનું પ્રમાણ વધ્યું છે. અનેક વાહનચાલક ટુવ્હીલર, કારની નંબરપ્લેટ પર ફેન્સી શબ્દો લખાવી છાપ પાડવાનો પ્રયત્ન કરે છે. હકીકતમાં નિયમ અનુસાર પ્લેટ પર નંબર સ્પષ્ટ દેખાવો જરૂરી છે. સંબંધિત વાહનચાલક પર કાર્યવાહી માટે આરટીઓ કાર્યાલયને રડાર સિસ્ટમની ઘણી મદદ થઈ રહી છે. સંબંધિત વાહનચાલક પાસેથી એકથી બે હજાર રૂપિયા દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. અકસ્માતની શક્યતાવાળા ભાગ, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, શહેરના આંતરિક રસ્તાઓ પર રડાર સિસ્ટમની મદદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોસ્ટલ રોડ, હાજીઅલી, બાન્દરા-વરલી સીલિન્ક જેવા ભાગમાં પુરપાટ ઝડપે કાર ચલાવનારા આરટીઓના સાણસામાં પકડાઈ રહ્યા છે. તેમ જ હેલમેટ વિના ટુવ્હીલર ચલાવવી, હેલમેટ ન પહેરનાર સહપ્રવાસી, કારમાં સીટબેલ્ટ ન લગાડનારા, લાયસંસની મુદત પૂરી થવા છતાં વાહન ચલાવવું જેવા નિયમ ઉલ્લંઘનના ગુના મોટા પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. બોરીવલી આરટીઓમાં સૌથી વધુ ગુનાપરિવહન વિભાગે તારદેવ, વડાલા, અંધેરી, બોરીવલી એમ ચારેય આરટીઓ કાર્યાલયને દરેકને એક કે બે ઈંટરસેપ્ટર વાહન પૂરા પાડ્યા છે. છેલ્લા વીસેક દિવસમાં આ વાહનોના કારણે કાર્યવાહી ઝડપી થઈ છે. આરટીઓ કાર્યાલયે આપેલી માહિતી અનુસાર પરિવહન નિયમ ઉલ્લંઘનના તારદેવમાં 85, અંધેરીમાં 80 અને બોરીવલી આરટીઓ કાર્યક્ષેત્રમાં સૌથી વધુ 357 ગુનાની નોંધ થઈ છે. સંબંધિત વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. વડાલા આરટીઓ કાર્યાલયે રડાર સિસ્ટમની મદદથી હજી કાર્યવાહી શરૂ કરી નથી.
બોટાદ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શ્રીમતી કે.એમ.દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. શાળાના આચાર્ય દિનેશ ભુવા દ્વારા ધોરણ-૧૦માં અભ્યાસ કરતી એક સગીર વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બોલાવી છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ ઘટના બાદ અન્ય ૧૫ જેટલી સગીર વિદ્યાર્થિનીઓએ પણ પોલીસ સમક્ષ હાજર થઈ પોતાની વ્યથા ઠાલવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુનેગારનું જાહેરમાં સરઘસ કાઢવા ઉઠી માંગ કરાઈ છે. રાષ્ટ્રીય પછાત એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ મનજીભાઈ સોલંકીની આગેવાનીમાં વાલીઓ અને સામાજિક અગ્રણીઓએ પોલીસને લેખિત આવેદન પત્ર પાઠવ્યું છે. આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે કે, 'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો'ની નીતિ મુજબ આવા નરાધમ આચાર્યનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી સમાજમાં દાખલો બેસે અને અન્ય કોઈ આવું કૃત્ય કરતા સો વાર વિચારે. દરેક શાળામાં CCTV ફરજિયાત કરવા રજૂઆત આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, અગાઉ સામાજિક દબાણના કારણે ઘણી દીકરીઓ મૌન રહી હતી, પરંતુ હવે સત્ય સામે આવ્યું છે.

35 C