2017-18માં ફિલ્મ 'પદ્માવત' વિરુદ્ધ થયેલા ઉગ્ર આંદોલન દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની મોટી સફળતા મળી છે. ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ ચાલેલા લાંબા સમયના પ્રયાસો અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણા જિલ્લાના 11 જેટલા સેશન્સ કેસો પરત ખેંચાઈ ગયા છે. આ કેસોમાં મહેસાણા સેશન્સ કોર્ટમાં નંબર 54/2018, 36/2019, 02/2020, 06/2020, 204/2021, 156/2018, 157/2018, 96/2019, 48/2019, 49/2020 અને 136/2023 જેવા મુખ્ય કેસોનો સમાવેશ થાય છે. આ બધા કેસોમાં સરકાર તરફથી કોર્ટમાં અરજી રજૂ કરવામાં આવી હતી, જેને કોર્ટે માન્ય રાખીને કેસો પરત ખેંચવાની મંજૂરી આપી છે. અમદાવાદ ખાતેના કેટલાક કેસો હજુ પેન્ડિંગ છે અને તેની કાર્યવાહી ચાલુ છે. આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' (પછી 'પદ્માવત')માં ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ, સંસ્કારો અને રાજપૂત નારીના ચિત્રણને લઈને સમગ્ર દેશમાં વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉગ્ર આંદોલન કર્યું હતું. આ આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર વિરુદ્ધ નહોતું પરંતુ, ફિલ્મ દ્વારા ક્ષત્રિય સમાજને બદનામ કરવાના પ્રયાસ વિરુદ્ધ હતું. આ દરમિયાન દેખાવો અને ઉશ્કેરાટમાં યુવાનો પર અનેક પોલીસ કેસ નોંધાયા હતા. ક્ષત્રિય આગેવાનોની મહેનત રંગ લાવીઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારની આગેવાનીમાં શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા, રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા સહિત 50થી વધુ સામાજિક સંસ્થાઓ અને 1000થી વધુ આગેવાનોએ આ મુદ્દે સતત રજૂઆતો કરી હતી. તા. 15 જુલાઈ, 2025ના રોજ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલમાં તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી. તા. 7 ઓક્ટોબર, 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતિમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવાની ખાતરી આપી હતી. કાનૂની લડતમાં મહત્વનો ભાગઆ સમગ્ર કેસોમાં ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક વકીલ જયદેવસિંહ ચાવડા (મહેસાણા) અને મહેન્દ્રસિંહ જાડેજા (અમદાવાદ)એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે કોર્ટમાં રજૂઆતો અને કાનૂની પ્રક્રિયા સંભાળી હતી. સમાજનો આભાર વ્યક્ત કર્યોઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે ગુજરાત સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઉર્જા તથા પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ તમામ ક્ષત્રિય આગેવાનો, સંસ્થાઓ અને નિઃશુલ્ક વકીલોનો પણ આભાર માન્યો છે. આ સફળતા ક્ષત્રિય સમાજની એકજૂટતા અને સરકારના સહયોગનું પરિણામ ગણાવવામાં આવી રહી છે.
કર્ણાવતીના દસ્કોઈ સ્થિત નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત 'માતૃશક્તિ દુર્ગાવાહિની'ની બે દિવસીય અખિલ ભારતીય બેઠકનો ભવ્ય પ્રારંભ થયો છે. દેશભરના વિવિધ પ્રાંતોમાંથી આવેલી 350થી વધુ બહેનો અને સંગઠનના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શરૂ થયો હતો. કાર્યક્રમની શરૂઆત મા દુર્ગાની સ્તુતિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. શક્તિ વિના જગતની કલ્પના અશક્ય ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત સંતગણ સ્વામી પરપ્રજ્ઞાનંદા સરસ્વતીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, શક્તિ દ્વારા જ જગતની ઉત્પત્તિ અને પાલન થાય છે. તેમણે જાગૃત સ્ત્રીશક્તિની વિશાળ ઉપસ્થિતિ જોઈને આનંદ વ્યક્ત કર્યો અને દરેક મહિલા રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું સક્રિય યોગદાન આપે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની પ્રસ્તાવના મુખ્ય વ્યવસ્થા પ્રમુખ અને કેન્દ્રીય માતૃશક્તિ સહ સંયોજિકા સરોજ સોનીએ રજૂ કરી હતી. સામાજિક મૂલ્યો અને મહિલા સશક્તિકરણ મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે 'ભારતના વિકાસમાં મહિલાઓનું યોગદાન' વિષય પર સંબોધન કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સામાજિક મૂલ્યો જળવાઈ રહે તેવો સર્વાંગી વિકાસ અનિવાર્ય છે. મહિલાઓએ પરિવારની જવાબદારીની સાથે રાષ્ટ્ર નિર્માણમાં પણ સક્રિય થવું જોઈએ. વર્તમાન સમયમાં આધ્યાત્મિક જાગૃતિ અને સશક્તિકરણ અત્યંત આવશ્યક છે. દુર્ગાવાહિની દ્વારા બહેનોમાં સાહસ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે, જે ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. વિવિધ સ્તરના અધિકારીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં વિનાયક રાવ દેશપાંડે, ગોવિંદ શિંદે, મીનાક્ષી તાઈ પિશ્વે, મીનાબેન ભટ્ટ, પ્રજ્ઞા મહાલા, અશ્વિન પટેલ અને હર્ષદભાઈ ગિલેટવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિંકી પવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ આયોજનને સફળ બનાવવા માટે કલ્પનાબેન વ્યાસ, જવાનિકા બહેન ભટ્ટ, નુપુરબેન પટેલ અને હિતેશ ઠક્કર સહિતની સ્થાનિક સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.
કચ્છના રણની મધ્યમાં આવેલું અને પક્ષીઓના સ્વર્ગ તરીકે જાણીતું ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ ઉજવાનારા ‘વિશ્વ વેટલેન્ડ્સ દિવસ’ પૂર્વે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર આ મહત્વની જાહેરાત કરી છે. છારી-ઢંઢની સાથે ઉત્તરપ્રદેશના પટના પક્ષી અભયારણ્યને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સાથે જ ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે, જ્યારે ભારતનું રામસર નેટવર્ક 2014માં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચ્યું છે. કચ્છનું પ્રથમ અને ગુજરાતનું પાંચમું રતન ગુજરાત અગાઉથી જ નળસરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ્સ ધરાવે છે. હવે છારી-ઢંઢ આ યાદીમાં જોડાનાર ગુજરાતનું પાંચમું અને કચ્છ જિલ્લાનું પ્રથમ વેટલેન્ડ બન્યું છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ અંગે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ-વિવિધતા અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવશે. નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વેટલેન્ડ સંવર્ધન માટે સતત કાર્યરત છે. વેટલેન્ડ સંરક્ષણમાં ગુજરાત દેશમાં મોખરે ભારતના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે, જે દેશના તમામ રાજ્યોમાં સૌથી વધુ છે. રાજ્યમાં અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં વેટલેન્ડ્સ ફેલાયેલા છે, જે ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ રોકે છે. રાજ્યમાં 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ અને 19 એવા વિસ્તારો છે જે પક્ષીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન આ નિવસનતંત્રોના સંશોધન અને દસ્તાવેજીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. છારી-ઢંઢ: પક્ષીઓ અને વન્યજીવોનું કુદરતી ઘર કચ્છી ભાષામાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે 227 ચોરસ કિલોમીટર (22,700 હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ બન્નીના ઘાસના મેદાનો અને રણની વચ્ચે આવેલું છે. વર્ષ 2008માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રિઝર્વ’ જાહેર કરાયું હતું. અહીં પક્ષીઓની 250થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપથી 25,000થી 40,000 જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીટોડી અને ચોટીલી પેણ અહીં મુકામ કરે છે. આ ઉપરાંત લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ફ્લેમિંગો (હંજ), સારસ અને શિકારી પક્ષીઓ માટે પણ આ આદર્શ આશ્રયસ્થાન છે. માત્ર પક્ષીઓ જ નહીં, પણ ચિંકારા, ડેઝર્ટ ફોક્સ, હેણોતરો અને વરુ જેવા વન્યજીવો પણ અહીં વસે છે. વૈશ્વિક ઓળખથી સ્થાનિક વિકાસના દ્વાર ખુલશે રામસર સાઇટનો દરજ્જો મળવાથી છારી-ઢંઢને હવે આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ ભંડોળ અને ટેકનિકલ સહાય મળશે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ જણાવ્યું કે, આનાથી કચ્છમાં ઈકો-ટુરિઝમને મોટું પ્રોત્સાહન મળશે, જેના કારણે સ્થાનિક સમુદાય માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ સિદ્ધિ મેળવવામાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન જયપાલ સિંઘ અને તેમની ટીમનું યોગદાન નિર્ણાયક રહ્યું છે.
સુરતના સચિન વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે આ ઘટનાના તાર હવે મહેસાણા સાથે જોડાયા છે. સુરતમાં જે 'જયંતી સુપર' કંપની દ્વારા નિર્મિત ટાંકી તૂટી પડી હતી, તે જ કંપની હાલ મહેસાણામાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી હોવાની વિગતો બહાર આવતા શહેરીજનોમાં ફાળ પડી છે. અમૃત 2.0 યોજના હેઠળ ₹120 કરોડનો પ્રોજેક્ટ મહેસાણા શહેરમાં 'અમૃત 2.0' યોજના અંતર્ગત અંદાજે રૂ 120 કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામો ચાલી રહ્યા છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વિવાદિત 'જયંતી સુપર' કંપનીને સોંપવામાં આવ્યો છે. હાલમાં શહેરના નીચેના વિસ્તારોમાં ટાંકીઓનું નિર્માણ થઈ રહ્યું છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તેની તાપસ કરવા માગઆ મામલે પૂર્વ કોર્પોરેટર જનક બ્રહ્મભટ્ટે તંત્ર અને કંપની પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મહેસાણામાં જે નવી ટાંકીઓ બની રહી છે, તેમાં અત્યારથી જ તિરાડો અને ભેજ-ભીનાશ દેખાવા લાગ્યા છે. સુરત જેવી હોનારત મહેસાણામાં ન સર્જાય તે માટે આ કામગીરીની તાત્કાલિક તપાસ થવી જોઈએ. ટાંકીની કામગીરી ચાર મહિનાથી બંધમળતી માહિતી મુજબ, ચવેલી નગરમાં બની રહેલી પાણીની ટાંકીમાં ગુણવત્તાના ગંભીર પ્રશ્નો ઉભા થતા છેલ્લા ચાર મહિનાથી કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હલકી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થતો હોવાની શંકાને પગલે સ્થાનિક સ્તરે પણ વિરોધ જોવા મળી રહ્યો છે. વિવાદિત કંપનીને કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ?સુરતની ઘટના બાદ મહેસાણા પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. જોકે વિવાદિત કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવા પાછળ કોના આશીર્વાદ છે તે તપાસનો વિષય છે. શું તંત્ર આ ટાંકીઓનું સેફ્ટી ઓડિટ કરાવશે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશ? આ બાબતે જીયુડીસીના હર્ષ રાવલે જણાવ્યું કે, આ લિંકેજ નથી પણ ક્ષાર જમ્યા એના ધબ્બા દેખાય છે, એમ કહીને વાત પૂર્ણ કરી હતી. શહેરના અનેક પ્રોજેક્ટ 'જયંતી સુપર' કંપની પાસેઅંબાજીમાતા, રામોસણા, ઋતુરાજ સોમનાથ, કસબા અને ચવેલી નગર વિસ્તારમાં 4થી માંડીને 6 લાખ લીટરની ઓવરહેડ પાણીની ટાંકીઓ અને નાગલપુર ખાતે 50 એમએલડીનો એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ આજ વિસ્તારમાં ટાંકીની બાજુમાં સંપ પણ બનાવવાના છે. સાથે શિવમ સોસાયટી અમરપુરા વિસ્તાર, ગાંધીનગર લિંક રોડ, જનતાનગર શોભાસણ અને વાઈડ એંગલ આ વિસ્તારમાં પાંચ ગટરના પંપિંગ સ્ટેશન પણ આ જ કંપની બનાવવાની છે. 'જયંતી સુપર' કંપનીને 120 કરોડના આ કામ સોંપાયા
વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઇવે 48 જાણે મોતનો હાઇવે બની ગયો હોય એમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઇ રહ્યા છે. ગઈકાલે કરજણ-ધાવટબ્રિજ બાદ આજે(31 જાન્યુઆરી) ફરી બામણગામ પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી લક્ઝરી બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત થયું છે અને 20થી વધુ લોકોને નાનીમોટી ઇજાઓ પહોંચી છે, જ્યારે બેથી વધુ લોકો ગંભીર હોવાનું સામે આવ્યું છે. સતત બીજા દિવસે અકસ્માતના કારણે બે દિવસમાં ત્રણનો ભોગ લેવાયો છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વરરાજાએ જણાવ્યું કે ડ્રાઇવર ફોન પર વાત કરતો હતો અને કોણીથી બસ ચલાવતો હતો. બાદમાં બધા સૂઈ ગયા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. અમરેલીથી સુરત જતી લકઝરીનો અકસ્માતલકઝરી અમરેલીથી સુરત તરફ જઈ રહી હતી એે દરમિયાન ડ્રાઇવરની બેદરકારીના કારણે બસ આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી જતાં બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. એમાં ડ્રાઈવર ફસાયો હતો, જેથી કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ વિવિધ સાધનોની મદદથી રેસ્ક્યૂ કરી મૃતદેહ બહાર કાઢ્યો હતો. લકઝરીનો આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યોલકઝરીનો આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક મશીન અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહ બહાર કાઢ્યો હતો. અકસ્માતને કારણે ટ્રાફિકજામઆ અકસ્માતને લઈ કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માતને કારણે હાઇવે પર રેસ્ક્યૂ અને બચાવ કામગીરીને કારણે ટ્રાફિકને રોકવામાં આવ્યો હતો. ડ્રાઇવર ફોન પર વાત કરતા કરતાં ડ્રાઇવિંગ કરતો હતો: ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાઆ અંગે ઈજાગ્રસ્ત પ્રિન્સ સોમણિયાએ જણાવ્યું હતું કે, અમે અમરેલીથી લગ્ન પતાવીને આવતા હતા. આ બસનો ડ્રાઈવર રફ ડ્રાઇવિંગ કરતો હતો. આ અંગે અમે ડ્રાઇવરને જણાવ્યુ કે શાંતિથી ડ્રાઇવિંગ કરો પરંતુ તે રફ ચલાવતો હતો. આ બાબતે અમે આ બસના સંચાલકને પણ જાણ કરી હતી. બાદમાં બધા સૂઈ ગયા હતા અને અચાનક આગળ ચાલતા ટ્રકમાં બસ ઘૂસી ગઈ હતી. 30 જાન્યુઆરી, 2026એ કરજણ-ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર ઊભેલી ટ્રકને લકઝરીએ ટક્કર મારી 30 જાન્યુઆરી, 2026ની વહેલી સવારે વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર ઔરંગાબાદથી અમદાવાદ તરફ આવતી જય ખોડિયાર ટ્રાવેલ્સની બસ કરજણ ધાવટ ચોકડી પાસેના બ્રિજ પર સાઇડમાં ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બાદમાં ફાયરને જાણ કરતાં તાત્કાલિક કરજણ ફાયર સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ અકસ્માતમાં બે લોકોનાં મોત અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ લોકો લોહીલુહાણ હાલતમાં રોડ પર બેસેલા જોવા મળ્યા હતા તથા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. સ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયરના જવાનોએ બસમાં જઈ સ્ટ્રેચરની લપસણી બનાવી મૃતદેહ બહાર કાઢ્યા હતા. 29 જાન્યુઆરી, 2026એ વડોદરાના NH-48 પર ટ્રેલર દુકાનમાં ઘૂસ્યુંનંદેસરી પોલીસ મથક હદમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ખેડા તરફથી તામિલનાડુ જઈ રહેલું લોખંડની એંગલ્સ ભરેલું ટ્રેલર સાંકરદાબ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતું હતું. ચાલકે સ્ટીયરિંગ પરથી એકાએક કાબૂ ગુમાવતાં ટ્રેલર દુર્ગા એસ્ટેટના ગેટ પાસે આવેલી ડ્રાય ફ્રૂટ્સની દુકાન પાસે ધડાકાભેર ટકરાઈ ગયું હતું. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત આ ટક્કર એટલી ભયાનક હતી કે દુકાનની બાજુના રૂમની દીવાલ તૂટી પડી હતી. રૂમમાં આરામ કરી રહેલા અમિતકુમાર રામ નામની એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેલરચાલકને પણ ઈજાઓ થતાં તેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રૂમમાં સૂતા અન્ય છ લોકો બહાર નીકળી જવાથી આબાદ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 28 જાન્યુઆરી, 2026એ NH-48 પર સુંદરપુરા ગામ પાસે એક કારે બાઇકને પાછળથી ટક્કર મારી 28 જાન્યુઆરી, 2026એ વડોદરા શહેર પાસેથી પસાર થતા નેશનલ હાઇવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઈવે-48 પર આવેલા સુંદરપુરા ગામ પાસે એક કાર બાઇકને પાછળથી ધડાકાભેર અથડાય છે અને ત્યાર બાદ બાઈક સાથે રોડની બાજુમાં ઊતરી પલટી મારી જાય છે. આ ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર
આણંદ મનપાએ આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી કરી:મુખ્ય માર્ગો પરથી 30 વાહનો લોક કરાયા, દંડ વસૂલાશે
આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ મુખ્ય સ્ટેશન રોડ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફિક સમસ્યા ઊભી કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર મનપા વિસ્તારમાં નો-પાર્કિંગ ઝોનમાં વાહનો મૂકનારાઓના વાહનો લોક કરીને દંડ વસૂલવામાં આવશે. કમિશનરની સૂચનાને પગલે, મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમે આજે સ્ટેશન રોડ વિસ્તારમાં કાર્યવાહી કરી. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને લોક કરવામાં આવ્યા હતા. દરેક વાહન માલિક પાસેથી ₹200નો દંડ વસૂલવામાં આવશે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે નગરજનોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો નો-પાર્કિંગ ઝોનમાં ન મૂકે. ટ્રાફિક સમસ્યા ઊભી ન થાય અને અન્ય લોકોને અગવડ ન પડે તે રીતે આડેધડ પાર્કિંગ કરવાનું ટાળવા પણ જણાવાયું છે. મહાનગરપાલિકા દ્વારા હવે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ નિયમિત ચેકિંગ કરવામાં આવશે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને લોક કરીને તેમના માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા દૂર થાય અને મુખ્ય રસ્તાઓ પરથી અવરજવર કરતા નગરજનોને આડેધડ પાર્કિંગને કારણે થતી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાનો હેતુ છે. નગરજનોને તેમના વાહનો નિયમ અનુસાર વ્યવસ્થિત રીતે માત્ર પાર્કિંગ ઝોનમાં જ મૂકવા વિનંતી કરવામાં આવી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. તા. 01.01.2026ની લાયકાત તારીખના આધારે હાથ ધરાયેલી આ પ્રક્રિયામાં ફોર્મ નં. 6 – 7,25,920, ફોર્મ નં. 7 – 1,83,235 અને ફોર્મ નં. 8 – 5,60,970 અરજીઓ મળી છે. તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી સુધીમાં નિકાલ કરાશેરાજ્યમાં 27 ઓક્ટોબર, 2025થી શરૂ થયેલી SIR ઝુંબેશ બાદ 19 ડિસેમ્બર, 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. નાગરિકોને દાવો-વાંધા રજૂ કરવાની મુદત અગાઉ 18 જાન્યુઆરી, 2026 સુધી હતી, જેને બાદમાં વધારીને 30 જાન્યુઆરી, 2026 સુધી કરવામાં આવી હતી. હવે મળેલા તમામ ફોર્મની ચકાસણી કરી 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં નિકાલ કરાશે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 2.16 લાખ ફોર્મ મળ્યાજિલ્લાવાર આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 2.16 લાખ ફોર્મ મળ્યા છે. ત્યારબાદ સુરત (1.31 લાખ), આણંદ (78,790), રાજકોટ (72,149) અને ભાવનગર (63,116) જિલ્લાઓમાં નોંધપાત્ર અરજીઓ આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ફોર્મ મળી આવતા મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ તરફ વહીવટીતંત્રની સક્રિય કામગીરી સ્પષ્ટ થાય છે. સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશેચૂંટણી પંચના હેતુ “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય” ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ અને સહાયક અધિકારીઓ ફોર્મની તપાસ કરી સમયમર્યાદામાં નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, જે નાગરિકો કોઈ કારણસર આ પ્રક્રિયામાં જોડાઈ ન શક્યા હોય, તેઓ આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત ફોર્મ ભરીને નામ ઉમેરવા, રદ્દ કરવા અથવા સ્થળાંતર સહિતના ફેરફારો કરાવી શકશે.
શહેરાના ડૉ. દીપક પરમારનું જૂનાગઢમાં સન્માન:સમાજશાસ્ત્ર ક્ષેત્રે યોગદાન બદલ ગૌરવપૂર્ણ સન્માન કરાયું
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના વતની ડૉ. દીપક પરમારનું જૂનાગઢ ખાતે સન્માન કરવામાં આવ્યું છે. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આયોજિત ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદના 31મા અધિવેશનમાં તેમને સમાજશાસ્ત્ર ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક પ્રદાન અને સંશોધન કાર્ય બદલ ગૌરવપૂર્ણ સન્માન એનાયત કરાયું હતું. ડૉ. દીપક પરમારે સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રખર સમાજશાસ્ત્રી પ્રો. રમેશ એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પોતાનું પીએચ.ડી.નું સંશોધન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમનો સંશોધન વિષય સ્થળાંતરિત આદિવાસી મહિલા મજૂરોની સ્થિતિ અને સમસ્યાઓ: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ હતો. આ સંશોધનને ધ્યાનમાં રાખીને તેમને આ સન્માન અપાયું હતું. આ સન્માન સમારોહમાં અધિવેશનના પ્રમુખ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. હેમીક્ષા રાવ, ડૉ. રાજેન્દ્ર જાની, ડૉ. જયસિંહ ઝાલા, તેમજ ડૉ. એચ. એલ. ચાવડા સહિત રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓના નામી વિદ્વાનો અને અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ ડૉ. પરમારના શૈક્ષણિક કાર્ય અને સામાજિક સંશોધનોની પ્રશંસા કરી હતી. ખેડૂત પરિવારમાંથી આવતા ડૉ. દીપક પરમાર હાલમાં થરાદની શ્રી રાજેશ્વર આર્ટસ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એક ગ્રામીણ વિસ્તારના યુવાને શિક્ષણ ક્ષેત્રે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
આગામી 11 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવવા જઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મેળો જગવિખ્યાત બની રહે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા મહાશિવરાત્રીનો મેળો લોકોની સુખ સુવિધા અને સલામાતી ભર્યો યોજાઈ જેને લઇ જુનાગઢ તંત્રને ખાસ સુચના આપવામાં આવી છે. જૂનાગઢના જીલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાની અધ્યક્ષતામાં આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ, ધારાસભ્ય સહિતના ભાજપના પદાધિકારીઓ, ઉતારા મંડળ તેમજ અન્નક્ષેત્રના સંચાલકો સાથે પણ વિગતવાર બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો 11 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં યોજાશે. આ મેળાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર છેલ્લા 1 મહિનાથી સાધુ-સંતોના આશીર્વાદ અને પરામર્શ સાથે આ ભવ્ય તૈયારીઓ કરી રહી છે. મેળાની ભવ્યતા અને રવેડીનો રૂટ મેળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળે તે હેતુથી આ વખતે મેળાના વિસ્તારમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભવનાથ વિસ્તાર પૂરતો મર્યાદિત રહેતો આ મેળો હવે ગિરનાર દરવાજા અને મજેવડી દરવાજા (ભરડાવાવ દરવાજા) થી જ શરૂ થશે. સમગ્ર રૂટ પર વિશેષ સુશોભન, લાઈટિંગ અને સેલ્ફી પોઈન્ટ્સ મૂકવામાં આવશે. ખાસ કરીને, દર વર્ષે રવેડી (સરઘસ) જોવા માટે ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને રવેડીના રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. હવે રવેડીનો કુલ રૂટ 2 કિલોમીટર જેટલો લાંબો થશે, જે મેર સમાજની વાડીથી ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર સુધી રહેશે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન કરી શકશે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લોખંડી બનાવવા માટે પોલીસ સ્ટાફમાં ધરખમ વધારો કરાયો છે. દર વર્ષના 1500 પોલીસ જવાનોના બદલે આ વર્ષે 2900 થી 3000 જેટલા પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિક નિયંત્રણ માટે 25 અલગ-અલગ પાર્કિંગ સ્થળો નક્કી કરાયા છે, જ્યાં 18,000 વાહનો પાર્ક થઈ શકશે. ભરડાવાવથી જ વાહનો માટે પ્રવેશબંધી રહેશે, જેથી યાત્રાળુઓ ચાલીને મેળાનો આનંદ માણી શકે. ઉતારા મંડળ અને અન્નક્ષેત્રોને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી અને ગેસના બોટલ લાવવા માટે રાત્રીનો સમય ફાળવવામાં આવ્યો છે જેથી દિવસ દરમિયાન ભીડ ન થાય. પાર્કિંગ સ્થળોની સંખ્યા અને કુલ ક્ષમતા જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા કુલ 24 જેટલા પાર્કિંગ સ્થળો ફાળવવામાં આવ્યા છે. આ તમામ પાર્કિંગ પ્લોટની કુલ ક્ષમતા 17,290 વાહનોની છે, જેથી મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય.મેળામાં સૌથી વધુ સંખ્યામાં આવતા ટુ-વ્હિલર માટે કુલ 8 પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 8,850 બાઈક કે સ્કૂટર પાર્ક કરી શકાશે. તેવી જ રીતે, ફોર-વ્હિલર (કાર) માટે 9 અલગ પાર્કિંગ સ્થળોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 6,700 વાહનોની રાખવામાં આવી છે. ઓટો રિક્ષા અને ભારે વાહનો માટેનું આયોજન મુસાફરોની અવરજવર કરતી ઓટો રિક્ષા માટે 2 પાર્કિંગ સ્થળો ફાળવાયા છે, જેમાં 300 રિક્ષા રહી શકશે. આ ઉપરાંત, બસ જેવા ભારે વાહનો માટે 5 પાર્કિંગ સ્થળો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યાં કુલ 1,440 ભારે વાહનો પાર્ક કરવાની ક્ષમતા ઉપલબ્ધ છે. નવી પહેલ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ વર્ષે 11 તારીખની સાંજે (નોમના દિવસે) સાધુ-સંતોના 'નગર પ્રવેશ'નો એક નવો અને વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં નગરજનો સાધુ-સંતોનું ભવ્ય સ્વાગત કરશે, આરતી ઉતારશે અને આશીર્વાદ મેળવશે. ત્યારબાદ ભવનાથ મંદિરમાં આરતી અને ધર્મસભા યોજાશે. મનોરંજન માટે જિલ્લા પંચાયત સામેના પાર્કિંગ ગ્રાઉન્ડમાં વિશાળ મંડપમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં 5 થી 6 હજાર લોકો એકસાથે બેસી શકશે. આરોગ્ય અને અન્ય સુવિધાઓ: મેળા દરમિયાન સ્વચ્છતા માટે 3 ગણી વધુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને પ્લાસ્ટિક મુક્ત મેળા માટે વિશેષ સમિતિ નિયમિત ચેકિંગ કરશે. આરોગ્ય સુવિધા માટે 250 થી વધુ કર્મચારીઓ, ICU વ્યવસ્થા અને 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. પરિવહન માટે 300 ST બસો અને 70 મિની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત, વૃદ્ધો અને બાળકો માટે ઈ-રિક્ષાની પણ વિશેષ સુવિધા કરવામાં આવી છે. સમગ્ર વહીવટી તંત્ર મેળાને સફળ અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બનાવવા માટે કટિબદ્ધ છે.
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાને ચોટીલા યાત્રાધામની આસપાસની હોટલોમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હોવાની વિશ્વસનીય માહિતી મળી હતી. આ પ્રવૃત્તિ યાત્રિકો અને નાગરિકોની ભાવનાઓ અને આસ્થાને ઠેસ પહોંચાડી રહી હતી. આ માહિતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, તેની ખરાઈ કરવા માટે અધિકૃત ટીમ અને ગ્રાહકોને વિવિધ હોટલોમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, બે હોટલોમાં દેહવ્યાપાર જેવી ગંભીર, ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલતી હોવાનું માલુમ પડ્યું હતું. આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ રૂ. 1000 વસૂલ કરવામાં આવતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોટલો અને તેમના માલિકોના નામ જોઈઓ તો સીટી પેલેસ હોટલ, ચોટીલા, જેના માલિક દેવાભાઈ ભીખાભાઈ આલ (રબારી) છે. બાલાજી હોટલ, ચોટીલા, જેના માલિક ગભરુભાઈ ભોજભાઈ કાઠી દરબાર છે. ખાનગી રાહે મોકલેલી અધિકૃત ટીમ અને ગ્રાહકો દ્વારા કરાયેલી અચાનક તપાસમાં આ બંને હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું હતું. તેથી, Immoral Traffic (Prevention) Act, 1956 (અનૈતિક વેપાર (નિવારણ) અધિનિયમ 1956) ની કલમ 18 (1) હેઠળ મળેલી સત્તાની રૂએ બંને હોટલના માલિકોને દેહવ્યાપારની પ્રવૃતિઓ બંધ કરવા અને હોટલો સીલ કરવા માટે ક્લોઝર નોટિસ ફટકારીને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જો ચોટીલા ડિવિઝનમાં આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોય અથવા તેમના ધ્યાનમાં આવે, તો તેઓ ખાનગી રાહે માહિતી આપી શકે છે.
વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આગનો બનાવ સામે આવ્યો હતો. આ આગની ઘટનામાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી. જેમાં એક રૂમમાં રહેતી 15 યુવતીનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ થયો હતો. ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગીશહેરના રેસકોર્સ પાસે આવેલા પરેશ ગોસ્વામી વાણિજ્ય ભવન પાસે આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 15 યુવતીઓ રૂમમાં હાજર હતી, તે દરમિયાન ચા બનાવતી વખતે ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ લાગી હતી. આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ વિકરાળ બને તે પહેલા જ વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી પહેલા અંદર રહેલ યુવતીઓને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી. આ આગના કારણે દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની સમય સૂચકતાને લઈ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતાવડીવાડી ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે રૂમમાં ધુમાડા છવાઈ ગયા હતા અને ગેસ લીકેજ ચાલુ હતો. જેથી, આ સિલિન્ડર ટેરેસ પર મૂકી દેવામાં આવ્યો હતો. આ સાથે યુવતીઓની હિંમતને કારણે તેમનો બચાવ થયો હતો. આ મામલે તાત્કાલિક ફાયર વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી.
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. શહેર ભાજપ લઘુમતી મોરચાના નવનિયુક્ત મહામંત્રી સહિત ચાર શખ્સોએ એક એડવોકેટની ઓફિસમાં ઘૂસી, હુમલો કરી, અપહરણ અને લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાતા વકીલ આલમ અને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે. શું છે સમગ્ર ઘટના?હવાઈ ચોક વિસ્તારમાં ઓફિસ ધરાવતા એડવોકેટ પંકજભાઈ અરવિંદભાઈ લહેરુએ જામનગર સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત 28મી તારીખે બપોરે 3 વાગ્યાના અરસામાં મુન્નાભાઈ આંબલીયા અને ગટુભાઈ આશિફભાઈ નામના બે શખસ તેમની ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. જૂની પૈસાની લેતીદેતીના મામલે ઉગ્ર બોલાચાલી કરી આરોપીઓએ વકીલનું માથું દીવાલમાં પછાડી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અપહરણ અને લૂંટનો આરોપહુમલો કર્યા બાદ આરોપીઓ વકીલ પંકજભાઈનું અપહરણ કરી લાલ બંગલા સર્કલ પાસે લઈ ગયા હતા. ત્યાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી હારુન સુલેમાનભાઈ આંબલીયા (ઉર્ફે હલુ પટેલ)ના કહેવાથી સમીર રફિકભાઈ નામના શખસે વકીલ સાથે ફરી મારકૂટ કરી હતી. આ દરમિયાન વકીલના ખિસ્સામાં રહેલા ₹10,000ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. રાજકીય કનેક્શન અને કારણનોંધનીય છે કે, મુખ્ય આરોપી હારુન આંબલીયાની તાજેતરમાં જ શહેર ભાજપ દ્વારા લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે: સિટી એ-ડિવિઝન પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમે એડવોકેટની ફરિયાદના આધારે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે: પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 309-9 (લૂંટ), 115-2, 351-3, 352, 54 અને જીપી એક્ટની કલમ 135-1 મુજબ ગુનો નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં 55 નવા TRB જવાનોની ભરતી કરાઈ:એક સપ્તાહની ટ્રેનિંગ બાદ ટ્રાફિક પોઈન્ટ પર તૈનાત થશે
નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ વધતા ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે જિલ્લા પોલીસ પ્રશાસને મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે 55 નવા ટ્રાફિક બ્રિગેડ (TRB) જવાનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને આજે તેમને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. નવસારી જિલ્લા ટ્રાફિક ભવન કચેરી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલના હસ્તે આ નવનિયુક્ત જવાનોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે TRB કમિટીના સભ્યો મધુભાઈ કથીરિયા અને ભરત ગાંધી તેમજ DYSP અને PI કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત 55 TRB જવાનોને એક અઠવાડિયાની વિશેષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ટ્રાફિક સિગ્નલિંગ, જાહેર ફરજો અને કાયદાકીય જાણકારીનો સમાવેશ થાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ, તેમને શહેરના વિવિધ વ્યસ્ત ટ્રાફિક પોઈન્ટ્સ પર ફરજ માટે તૈનાત કરવામાં આવશે. નવસારી શહેર મહાનગરપાલિકા બન્યા બાદ વાહનોની અવરજવર અને વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે પીક અવર્સમાં શહેરના મુખ્ય સર્કલો અને માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સામાન્ય બની હતી. આ નવી ભરતીથી લાંબા સમયથી અનુભવાતી સ્ટાફની અછત પૂરી થશે અને નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની અપેક્ષા છે. નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં મંજૂર થયેલી કુલ જગ્યાઓ પૈકી ખાલી પડેલી 55 જગ્યાઓ પર છેલ્લા એક મહિનામાં તપાસ પ્રક્રિયા હાથ ધરી યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ 55 ઉમેદવારોને આજે TRB જવાન તરીકેના નિમણૂક પત્રો અપાયા છે. એક અઠવાડિયાની તાલીમ બાદ તેમને યુનિફોર્મ સાથે નવસારી જિલ્લાના વિવિધ શહેરોમાં ટ્રાફિક નિયમન માટે તૈનાત કરવામાં આવશે.
પાટણમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી:42 વર્ષથી ચાંદીના રથમાં નીકળી શોભાયાત્રા, સરકારી રજાની માંગ
સમગ્ર ભારતમાં ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાટણ શહેરમાં પંચાલ પરિવાર દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું. પાટણના મનુપંચાલ ભુવનમાંથી છેલ્લા 42 વર્ષથી ચાંદીના રથમાં ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા સમગ્ર ગુજરાતમાં એકમાત્ર એવી હોવાનું મનાય છે. આ શોભાયાત્રામાં સમગ્ર વિશ્વકર્મા સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પવિત્ર દિવસે હવન-પૂજન કરીને સમગ્ર વિશ્વકર્મા પરિવારે ઉત્સવ ઉજવ્યો હતો. આ સાથે, સમગ્ર વિશ્વકર્મા પરિવારે ભારત સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી કરી છે. તેમણે ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિને સરકારી રજાનો દરજ્જો આપવા વિનંતી કરી છે. છેલ્લા ઘણા સમયથી આ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી તે સ્વીકારવામાં આવી નથી. સમગ્ર ભારતમાં કરોડોની સંખ્યામાં વસતા વિશ્વકર્મા પરિવારની ભાવના છે કે સરકારે તેમની આ માંગણી પર વિચાર કરીને આ દિવસે સરકારી રજા જાહેર કરવી જોઈએ.
ઇડરના વડીયાવીરમાં અંબાજી માતાનો 14મો પાટોત્સવ ઉજવાયો:સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું આયોજન
સાબરકાંઠાના ઇડર તાલુકાના વડીયાવીર બિલેશ્વર ધામમાં અંબાજી માતાજીનો ૧૪મો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંતો-મહંતોની ઉપસ્થિતિમાં સનાતન ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવની ઉજવણી અંતર્ગત ગામમાં સંતો-મહંતો અને ધર્મપ્રેમી જનતા સાથે વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રામજનોએ શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. વડીયાવીર મંદિરના મહંત શાંતિગીરી મહારાજની વિનંતીથી અનેક સંતો-મહંતો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. જનસેવા પ્રતિષ્ઠાન દ્વારા મહંત બુદ્ધિગીરીજી અને શીતલગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મસભાનું પણ આયોજન થયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, અખિલ ભારતીય ધર્માચાર્ય અશોક તિવારીજી, હિંમતનગરના નલિનભાઈ પટેલ, પ્રદીપભાઈ ખરાદી, પ્રકાશભાઈ પરમાર, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ સહિત વડીયાવીરના ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. સંતો-મહંતોએ ધર્મસભામાં હિન્દુ સમાજની વર્તમાન સમસ્યાઓ, સંસ્કાર, એકતા અને સમાજ સુધારા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સમાજોને સંતોના માર્ગદર્શન હેઠળ આ સમસ્યાઓના નિવારણ માટે ચિંતન કરવા આહ્વાન કર્યું હતું. આ વિરાટ મહાસંમેલનને કારણે સમગ્ર વડીયાવીર ગામમાં ધાર્મિક વાતાવરણ છવાયું હતું.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની કોમન એન્ટરન્સ ટેસ્ટ યોજવામાં આવી હતી. તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના મેળવવા માટે પણ સરકારી શાળા, સ્કૂલ બોર્ડની શાળા અને જિલ્લા પંચાયતની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 125 સેન્ટર પર 26 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિદ્યાર્થીઓનું ફુલ આપી એન્ટ્રી આપવામાં આવી હતી. સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા યોજાઈવર્ષ 2023- 24થી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે CET ની પરીક્ષા લેવામાં આવતી હોય છે. જેમાં મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ વર્ષે CET પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ પણ આપવામાં આવી છે. ધોરણ 5ના વિદ્યાર્થીઓ પહેલી વખત કોઈ સરકારી યોજના પરીક્ષા આપતા હોવાથી તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ મળશે તેમજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે તેમણે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ ફુલ આપીને સેન્ટર પર પ્રવેશ આપ્યો હતો. બપોરે 1થી 3 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પૂર્ણ થયા બાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ અને સ્કોલરશીપ આપવામાં આવશે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં એડમિશન મેળવી શકશેઅમદાવાદ શહેર DEOએ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રસ ટેસ્ટ યોજાઇ રહી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની કહી શકાય તેવી મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ લઇ શકે અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ અને રક્ષા શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ આ ત્રણેય શાળાઓમાં પ્રવેશ મેળવી શકે તે માટેની પરીક્ષા યોજાઈ રહી છે. પાસ થનાર વિદ્યાર્થીઓ આ ત્રણે શાળાઓમાં પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવવા માટે લાયક બનશે. એ સિવાયના જે વિદ્યાર્થીઓ છે તે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના લાયક બનશે. મોટેભાગે સરકારી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. 'સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે'વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સરકારી શાળા, સ્કૂલ બોર્ડમાં ભણતા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે પરીક્ષા આપતા હોય છે. વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ અપાવો અને રેસીડેન્સીયલ સ્કૂલનો લાભ અપાવવો તે માટે ઉત્સાહ જોવા મળ્યું છે. તેમજ વિદ્યાર્થીઓની સ્વાગત પણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષા દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાનો છે. આ પરીક્ષાના કારણે સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભા પણ બહાર આવશે. અમદાવાદમાં 125 સેન્ટર પર 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા વધુમાં રોહિત ચૌધરી જણાવે છે કે, અમદાવાદમાં કુલ 125 સેન્ટર પર પરીક્ષા લેવાઈ રહી છે જેમાં 25 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જ્યારે રાજ્યભરમાં 7 લાખ કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સરકારની શાળાઓમાં 6થી 12 સુધી ઉત્તમ સગવડો આપીને શિક્ષણ મળી રહી તે માટે શાળાઓને મંજૂરી આપવામાં આવતી હોય છે. જો વિદ્યાર્થી તે શાળામાં પ્રવેશ નથી મેળવી શકતા તો તેમને મેરીટના આધારે સ્કોલરશીપ પણ આપવામાં આવતી હોય છે. સરકારી કે ખાનગી શાળામાં વિદ્યાર્થી અભ્યાસ કરે તો પણ તેને સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે. ધોરણ 12 સુધી વિદ્યાર્થીઓને આર્થિક મદદ કરવા આ સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે.
જોધપુર અને સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સંયુક્ત માલિકીની જમીન મામલે પરિવારજનો વચ્ચે વિવાદ ઊભો થયો છે. 52 વર્ષીય નંદલાલ પટેલે આરોપ મૂક્યો છે કે તેમની જાણ બહાર અને મંજૂરી વગર કાકા નટવર પટેલ અને મનહર પટેલે સંયુક્ત મિલકત ભાડે આપી આર્થિક લાભ લીધો છે. ડિસેમ્બર 2024થી જમીન ભાડે આપી ત્યાં ઓફિસ બાંધકામ કરાયું હોવાનું સામે આવ્યું હતું. તપાસ કરતા સંયુક્ત વારસદારોની સહમતિ વિના ભાડા કરાર કરાયો હોવાનું સામે આવ્યું હતું. નંદલાલ પટેલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સંયુક્ત માલિકીની મિલકતને કાકાએ ભાડે ચડાવી દીધી52 વર્ષીય નંદલાલ પટેલના પરિવારની વણ વહેંચાયેલી સંયુક્ત માલિકીની મિલકત અમદાવાદના જોધપુર વિસ્તારમાં આવેલી છે. આ મિલકતમાં કુલ 11,200 ચોરસ મીટર જમીન છે, જેમાં નંદલાલ પટેલ, તેમની પત્ની મમતાબેન તેમજ પરિવારના અન્ય સભ્યોના સંયુક્ત નામ ખાતેદાર તરીકે નોંધાયેલા છે. તેમજ સેટેલાઈટ વિસ્તારમાં કાદંબરી સોસાયટીની સામે આવેલી 2529 ચોરસ મીટરની બીજી મિલકત પણ સંયુક્ત માલિકીની છે. જમીનની સંયુક્ત વારસદારોએ બાંધકામ કરવાની એકબીજાની સહમતિ ન હોવાથી મંજૂર મળેલ નહીં. ભત્રીજાની જાણ અને મંજૂરી વગર કાકાએ ભાડા કરાર કર્યાપરંતુ તે જ મિલકત નંદલાલ પટેલના કાકા નટવરભાઈ પટેલે અને મનહર પટેલે આર્થિક લાભ માટે જાણ અને મંજૂરી વગર ભાડા કરાર કરી જમીન ભાડેથી આપી દીધી હતી. 15 નંદલાલ પટેલને 15 મેના રોજ જાણ થઈ હતી કે સંયુક્ત માલિકીની જમીન પર “Trinay Buildspace LLP” નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે અને ત્યાં બાંધકામની ઓફિસ કાર્યરત છે. જમીન ભાડા કરાર પર આપી દીધી હતીઆ બાબતે તપાસ કરવા તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે ઓફિસની અંદર જયંતીભાઈ પટેલ હાજર જોવા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડિસેમ્બર 2024થી નટવરભાઈ પટેલ અને મનહર પટેલે આ જમીન ભાડા કરાર પર આપી દીધી હતી. નટવરભાઈ પટેલ અને મનહર પટેલે સંયુક્ત માલિકીની જમીન ડિસેમ્બર 2024થી ભાડા કરાર કરી આપી દીધી હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું હતું. મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યાવધુ પૂછપરછ કરતા ભાડા કરાર કરી મહિના દીઠ 75 હજાર રૂપિયા નક્કી ર્ક્યા બાદ જમીન પર પાકું બાંધકામ કરી ઓફિસ બનાવી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ફરીયાદીએ જમીનના માલિક હોવાની ઓળખ આપી અને રજીસ્ટરમાં નામ હોવાનું જણાવી ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવા કહ્યું હતું. જે દરમિયાન ફરિયાદીને જાણવા મળ્યું હતું કે નરવર પટેલ અને મનહર પટેલે કાયદેસર રીતે ભાડા કરાર કરી જમીન ભાડે આપી હતી. ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવીનટવર પટેલ અને મનહર પટેલે આર્થિક લાભ માટે જમીન માલિક ની મંજૂરી વગર મિલકત અલગ અલગ માણસોને જુદી જુદી રકમથી ભાડે આપી છેતરપિંડી આચરી છે. આર્થિક નુકસાન થયું હોવાથી ફરિયાદીએ તેના કાકા નટવર પટેલ અને મનહર પટેલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બિલ્ડીંગના છત પર ચાલી રહેલી દારૂની પાર્ટી પર અકોટા પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને નબીરાઓનો દારૂનો નશો પણ ઉતરી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 8 નબીરાઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હારી. પોલીસે દારૂની બોટલ અને ચાખનાનો સામાન પણ કબ્જે કર્યો છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં અકોટા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં ફરી હતી. તે દરમ્યાન કંટ્રોલ રૂમ ખાતે 11.51 વાગે વર્ધી મળી હતી કે અલકાપુરી વિશ્વાસ કોલોની ખાતે આવેલ ગોલ્ડ ક્રાફટ કોમ્પલેક્ષના ધાબા પર આઠ શખ્સો ભેગા થયા છે અને તમામ ભેગા મળી દારૂ પાર્ટી કરી રહ્યા છે. જેના આધારે અકોટા પોલીસની ટીમને બાતમી મળી હતી કે જયરામભાઈએ ગોલ્ડ ક્રાફટ બીલ્ડીંગના ધાબા પર રેડ કરી હતી. ત્યારે છત પર આઠ શખ્સો ગોળ કુંડાળુ વળી દારૂની મહેફિલ માણી રહ્યા હતા. પોલીસને જોઈને તેમનો નશો પણ ઉતરી ગયો હતો. જેથી પોલીસે સ્થળ પરથી 8 નબીરાની ધરપકડ કરી તેમની પાસેથી દારૂની બોટલ, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા પ્લાસ્ટીકના આઠ ગ્લાસ કબ્જે કર્યા છે. ઝડપાયેલા નબીરાના નામ સરનામા (1) ભાવીક પ્રીતેશભાઈ ઉપાધ્યાય (રહે. ઈલોરા પાર્ક સોસાયટી દીવાળીપુરા વડોદરા વડોદરા શહેર) (2) મનોજ વાસુદેવ સાધુ (રહે. પરશોતમનગર ફ્લેટ રાણીપ અમદાવાદ, અમદાવાદ શહેર) (3) હરી વસંતભાઈ બારોટ ( રહે. હરીઓમનગર સોસાયટી ભાયલી રોડ વડોદરા શહેર, વડોદરા શહેર) (4) યામીન સલીમભાઈ શેખ (રહે. અલસફા તાંદળજા વડોદરા શહેર, વડોદરા શહેર) (5) અર્પીત રાજેશભાઈ ચીત્રે (રહે. શરદનગર સાંઈબાબા મંદીર પાસે તરસાલી વડોદરા ) (6) અભિલાપ ઓમનારાયણ દિવેદી ( રહે. અક્ષર રેસિડેન્સી વડસર વડોદરા શહેર ) (7) આસીશ વિજયભાઈ ભોસલે ( રહે. ઝંડા ચોક કિશનવાડી આજવા રોડ વડોદસ શહેર) (8) ચિરાગ સુજાનર્સિંગ રાઠવા ( રહે.અક્ષરયુગ સોસાયટી ખંટબા ગામ વાઘોડીયા જી.વડોદરા )
વડોદરા શહેરના નિઝામપુરા બસ ડેપોથી ઉત્તર ગુજરાતના થરાદ માટે નવી બસ સેવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. આ બસને ધારાસભ્ય કેયુર રોકડિયાએ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. જોકે, આ એક બસની શરૂઆતને સ્થાનિક લોકોએ આગામી ચૂંટણી પહેલાંનો માત્ર એક 'સ્ટન્ટ' ગણાવીને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. બસો બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવતા વિરોધસ્થાનિકોના જણાવ્યા અનુસાર, નિઝામપુરા વિસ્તારમાં ઉત્તર ગુજરાતના આશરે 1.25 લાખ જેટલા લોકો રહે છે, જેમને થરાદ, ઉત્તર ગુજરાતના વિવિધ શહેરો સાથે સીધી બસ સેવાની ખૂબ જરૂર છે. કોવિડ પહેલાં આ વિસ્તારમાંથી સૌરાષ્ટ્ર તરફ 40થી વધુ બસો દોડતી હતી, જેને પાછળથી બંધ કરીને સેન્ટ્રલ બસ ડેપો તરફ ખસેડી દેવામાં આવી હતી. ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવા માગસ્થાનિક નાગરિકોએ આ એક બસની શરૂઆતને અપૂરતી ગણાવી છે અને માંગ કરી છે કે પહેલાની જેમ ઓછામાં ઓછી 40 બસોની સેવા તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે. જો આ માંગ પૂરી ન કરવામાં આવે તો આવતી ચૂંટણીમાં જવાબ આપવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે. ધારાસભ્ય કેયુર રોકડિયા સામે પણ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, જોકે તેમણે વધુ બસો દોડાવવાની લોકોની માંગ સ્વીકારી આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય કેયૂર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને ઘેર્યાવોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલે પણ આ બસ સેવા શરૂ કરાવવા માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી. ઉત્તર ગુજરાતના મોટા ભાગના લોકો આ વિસ્તારમાં રહે છે. આ બાબતે મેં છ મહિના અગાઉ રજૂઆત કરી હતી. કોરોના પહેલા જે પ્રમાણે બસોનો રૂટ છે તે પ્રમાણે જતી હતી તે પ્રમાણે રૂટ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. અગાઉ અમે જે અહીંયાથી જતા હતા તે બસો ચાલુ જ છે પરંતુ રૂટ બદલી નાખવામાં આવ્યો છે જે ફરી શરૂ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે.
ભરૂચ નગર સેવા સદનમાં 33 વિકાસકામ મંજૂર:કોંગ્રેસે સફાઈ, ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાવ્યો
ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભામાં કુલ 33 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે, બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરની સફાઈ વ્યવસ્થા અને ભૂગર્ભ ગટર યોજનાને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. એજન્ડા પરના 28 કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામો મળીને કુલ 33 વિકાસકામોને સર્વસંમતિથી મંજૂરી અપાઈ હતી. બેઠક દરમિયાન વિપક્ષ કોંગ્રેસે શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાની ખામીઓ અંગે સત્તાધીશો પર પ્રહારો કર્યા હતા. વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા હોવા છતાં શહેરમાં વાસ્તવિક સફાઈનો અભાવ છે અને ભરૂચ રાજ્યકક્ષાના સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે. આ જ સમયે, કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજનાને દસ વર્ષ પૂર્ણ થયા હોવા છતાં નગરપાલિકા દ્વારા જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ થયા નથી, જેના કારણે નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિપક્ષના આ આરોપોના જવાબમાં નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો સર્વાંગી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે શહેરમાં ચાલતા વિકાસકાર્યો જોઈને કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે અને તેથી સામાન્ય સભામાં બિનજરૂરી હોબાળો મચાવી રહી છે.
બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ:મોરબી જિલ્લાના શિક્ષકોએ શિક્ષણમાં નૂતન પ્રયોગો રજૂ કર્યા
મોરબીની વી.સી. હાઈસ્કૂલ ખાતે બે દિવસીય ૧૧મો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન (DIET) મોરબી દ્વારા ૨૯ અને ૩૦ તારીખે આ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલમાં મોરબી તાલુકામાંથી ૬, હળવદમાંથી ૩, ટંકારામાંથી ૨ અને વાંકાનેરમાંથી ૪ કૃતિઓ શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે નવા પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહિત કરવાનો આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. રજૂ કરાયેલી કૃતિઓમાં 'નેચરલ હાઈજીન મેનેજમેન્ટ ઇન સ્કૂલ', 'સુંદરતાનું રહસ્ય રસોડું', 'રમત દ્વારા અસરકારક શિક્ષણ', 'નો પેન્ડિંગ, નો વેઇટિંગ', 'પઝલ દ્વારા અધ્યયન નિષ્પત્તિઓનું કઠિનતાથી સરળતા તરફ પ્રયાણ', 'ચાલો વાંચતા શીખીએ' અને 'ધ રિસેસ-માઈન્ડ બૂસ્ટર' જેવા વિષયોનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કે.એમ. મોતા, ડાયટના પ્રાચાર્ય સંજયભાઈ મહેતા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા, સી. લેક્ચરર ડો. ગંગાબેન વાઘેલા અને બીઆરસી કો-ઓર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજા સહિત શિક્ષક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. પાંચેય તાલુકામાંથી લગભગ ૫૦૦ જેટલા શિક્ષકોએ પણ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને ઇનોવેટર્સના પ્રોજેક્ટ્સ નિહાળ્યા હતા. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલને સફળ બનાવવા માટે ડાયટ અને બીઆરસી - મોરબીની ટીમે જહેમત ઉઠાવી હતી. જિલ્લા ઇનોવેશન કો-ઓર્ડિનેટર તરીકે ડાયટ મોરબીના સંશોધન અને તાલીમ સહાયક જિજ્ઞાસાબેન રાઠોડ તેમજ માધવનભાઈ સતાણીએ વિશેષ યોગદાન આપ્યું હતું.
સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પરિવર્તન જોવા મળ્યું છે. સવાર થી બપોરે 12 વાગવા છતાં હવામાં ઝેરી ધુમ્મસ (Smog) છવાયેલું રહ્યું હતું, જેના કારણે વિઝિબિલિટીમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને તાપી નદીના તટ અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકોને ધોળે દિવસે હેડલાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી. સામાન્ય રીતે ચોખ્ખી દેખાતી સૂર્યપુત્રી તાપીનો પટ આજે પ્રદૂષણની સફેદ ચાદર નીચે ઢંકાયેલો જોવા મળ્યો હતો, જે શહેરની બગડતી હવાની ગુણવત્તાનો પુરાવો છે. AQI 350ને પાર: સુરત હવે દિલ્હી બનવા તરફ અગ્રેસર?સુરત શહેરની હવાની શુદ્ધતા માપતો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) આજે ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે. સામાન્ય દિવસોમાં જે આંકડો 93ની આસપાસ રહેતો હોય છે, તે આજે ઉછળીને 350ને પાર કરી ગયો હતો અને અમુક વિસ્તારોમાં તો 360ની નજીક પહોંચી રહ્યો છે. આ આંકડા દર્શાવે છે કે સુરતની હવા હવે 'ખૂબ જ નબળી' શ્રેણીમાં આવી ગઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્રદૂષણના મામલે સુરત હવે દેશની રાજધાની દિલ્હીને ટક્કર આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે સુરતીઓ માટે મોટી ખતરાની ઘંટડી છે. ઔદ્યોગિક એકમોના ઝેરી ધુમાડાનો કહેરસુરતમાં પ્રદૂષણના આ આકસ્મિક વધારા પાછળ શહેરની આસપાસ આવેલા અનેક ઔદ્યોગિક એકમોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. જીઆઈડીસી વિસ્તારોમાંથી છોડવામાં આવતો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો અને પવનની ગતિ ઓછી હોવાને કારણે પ્રદૂષણના કણો હવામાં જ જમા થઈ રહ્યા છે. પ્રતિદિન વધી રહેલા આ પ્રદૂષણ પાછળ તંત્રની નબળી કામગીરી અને ઉદ્યોગો દ્વારા પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ ઝેરી હવા સીધી રીતે લોકોના શ્વાસમાં જઈ રહી છે, જે લાંબે ગાળે ફેફસાની ગંભીર બીમારીઓ નોતરી શકે છે. લોકોના સ્વાસ્થ્ય સામે ઊભા થયેલા જોખમોવાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા સુરતના નાગરિકો હવે પોતાના પરિવારના સ્વાસ્થ્યને લઈને ભારે ચિંતાતુર બન્યા છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા અને ગળામાં ઇન્ફેક્શન જેવી ફરિયાદોમાં વધારો થયો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પ્રદૂષિત હવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો આગામી દિવસોમાં પ્રદૂષણના સ્ત્રોત પર નિયંત્રણ મેળવવામાં નહીં આવે, તો સુરતની 'સ્માર્ટ સિટી'ની ઓળખ જોખમાશે અને શહેર 'પ્રદૂષિત નગરી' તરીકે ઓળખવા લાગશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા તાલુકાના સુરૈઇ અને મુળી તાલુકાના વિરપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તલાટી ક્રમ મંત્રીના દફતરની તપાસણી કરી હતી અને એપેન્ડીક્ષ-એ ફોર્મ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, નાયબ કલેક્ટરે ગ્રામજનોના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમણે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રશ્નોની તપાસ કરી અહેવાલ સુપરત કરવા સૂચના આપી હતી. ગામની દફતર તપાસણી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબના રજીસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી:1. ગામ નમુના નંબર 1: ખેતીવાડી પત્રક2. ગામ નમુના નંબર 8 (ક): શિક્ષણ ઉપકર 3. ગામ નમુના નંબર 9: રોજમેળ તથા પહોંચનું પત્રક 4. ગામ નમુના નંબર 10: ચલણ5. ગામ નમુના નંબર 14: જન્મ – મરણ રજીસ્ટર 6. ગામ નમુના નંબર 14 (ડ): ઢોરોનું રજીસ્ટર7. ગામ નમુના નંબર 17: આવક – જાવક રજીસ્ટર8. ગામ નમુના નંબર 18: સરક્યુલર ફાઇલઆ તપાસમાં ગામની જમીન, વસ્તી, ઢોર, પિયતના પાણીના સાધનો અને સમયાંતરે થતા રોગચાળા અંગેની માહિતી રાખવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. તલાટી ક્રમ મંત્રી નિયમિતપણે ગામની મુલાકાત લે છે, ડાયરી લખે છે અને પંચાયતની તમામ મિલકતની દેખરેખ રાખે છે કે કેમ તે મુદ્દાઓની પણ તપાસ કરવામાં આવી હતી.
સાઉદી અરબની 'ડબલ ગેમ': ઈરાન સાથે દોસ્તીનો ડોળ અને ટ્રમ્પ સાથે મળીને હુમલાનું પ્લાનિંગ?
Saudi arab and Iran News : મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યારે 'બે મોઢાની રમત' રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સાઉદી અરબ ઈરાન સાથે મિત્રતા અને શાંતિની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં જઈને કંઈક અલગ જ રાગ આલાપી રહ્યું છે. સાઉદીના આ 'ડબલ ગેમ'થી તેહરાન અને રિયાધ વચ્ચેના સંબંધોમાં ફરી શંકાના વાદળો છવાયા છે. એક ભાઈ શાંતિદૂત, બીજો યુદ્ધની તરફેણમાં? સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) જાહેર મંચ પરથી સતત ઈરાનની સંપ્રભુતા અને શાંતિની વાતો કરી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામે રહેતા એક નિવૃત્ત વૃદ્ધ ડિજિટલ અરેસ્ટના શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ દિલ્હી પોલીસના નામે ખોટી ઓળખ આપી વૃદ્ધને દોઢ મહિના સુધી માનસિક ભયમાં રાખ્યા હતા અને તપાસના બહાને કુલ 49 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે કહીને ડરાવ્યા કલોલના પાનસરના મોરારજી નગરમાં રહેતા અને પુસ્તકાલય ચલાવી નિવૃત્ત જીવન જીવતા 73 વર્ષીય અમરતજી ડાહ્યાભાઈ પ્રજાપતિને ગત 10 ઓક્ટોબર 2025ના રોજ બપોરના સમયે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ટેલિકોમ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અભિમન્યુ નામના શખ્સે જણાવ્યું હતું કે, તમારા પર કેસ થયેલ છે અને થોડીવારમાં દિલ્હી પોલીસના અધિકારી નિરજ ઠાકુરનો ફોન આવશે. ત્યારબાદ નિરજ ઠાકુર નામના શખ્સે વીડિયો કોલ મારફતે વૃદ્ધનો સંપર્ક કરી ભય બતાવ્યો હતો કે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થયો છે અને ICICI બેંકમાં 66 કરોડના ફ્રોડમાં તમારું નામ આવ્યું છે. SIPના રોકાણો દોઢ મહિનામાં વિડ્રો કરાવી લીધાઠગોએ વૃદ્ધને માનસિક રીતે તોડી નાખવા માટે 'ડિજિટલ અરેસ્ટ'ની પદ્ધતિ અપનાવી હતી. તેમને સતત કેમેરા સામે રહેવા અને દર કલાકે I am Safe તેવો મેસેજ વોટ્સએપ પર મોકલવા મજબૂર કર્યા હતા. 10 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2025 સુધીના લાંબા સમયગાળા દરમિયાન આ ઠગોએ વૃદ્ધના શેર બજાર અને SIPના રોકાણો વિડ્રો કરાવી લીધા હતા. 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતાતપાસના બહાને આ રકમ RBIમાં જમા કરાવવી પડશે અને નિર્દોષ જાહેર થશો તો વ્યાજ સાથે પરત મળશે તેવી લાલચ આપી ઠગોએ અલગ-અલગ બેંક ખાતામાં કુલ 49 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. વૃદ્ધને બનાવટી રિસિપ્ટો મોકલી ને ઠગોએ સંપર્ક કાપ્યોઆ સમગ્ર ખેલમાં ઠગોએ વૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ખોટા લેટરપેડ પર પેમેન્ટ મળ્યાની બનાવટી રિસિપ્ટો પણ મોકલી આપી હતી. 24 નવેમ્બરના રોજ કેસ બંધ થઈ ગયો હોવાનું કહી ઠગોએ સંપર્ક કાપી નાખ્યો હતો. ગુનો નોંધાયોસાત દિવસ બાદ પણ નાણાં પરત ન આવતા વૃદ્ધને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અંતે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
એક ડોક્ટરલ સંશોધક વિદ્યાર્થિનીએ પોતાના Phd ગાઇડ દ્વારા iPad અને પ્રિન્ટર લાંચ રૂપે માંગવામાં આવ્યા હોવાનો અને આ માગ પૂરી ન થતાં પોતાના સંશોધન કાર્યમાં અડચણો ઉભી કરાઈ હોવાનો આક્ષેપ કરીને ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થિનીએ રજૂઆત કરી હતી કે, તેણે ગાઇડની ગેરકાયદેસર માગ અને અભ્યાસમાં સર્જાયેલી અડચણોની ફરિયાદ યુનિવર્સિટીને કરી હતી, પરંતુ 4 વર્ષથી વધુ સમય સુધી યુનિવર્સિટી સત્તાધીશોએ આ ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહોતી. તેના બદલે રિકવરી કાર્યવાહી અને Phd નોંધણી રદ કરવાની નોટિસ આપીને તેને સજા કરવામાં આવી હોવાનું તેણીનું કહેવું છે. આ પરિસ્થિતિને કારણે તેણે પોતાની Phd અભ્યાસ પુનઃસ્થાપિત કરવા અને ગાઇડ બદલવાની માગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસ વડોદરા જિલ્લાના ડભોઈ શહેરની એક વિધાર્થીની સાથે સંકળાયેલો છે. તેણે ફેબ્રુઆરી 2020માં શ્રીગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરામાં ‘બાયોડિગ્રેડેબલ અને નોન-બાયોડિગ્રેડેબલ ઘટકો પર તુલનાત્મક અભ્યાસ’ વિષય પર પીએચડી માટે નોંધણી કરાવી હતી. તેણે ડભોઈ સ્થિત શ્રીCNPF આર્ટ્સ એન્ડ DN સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી વિભાગની ફેકલ્ટી સભ્યના માર્ગદર્શન હેઠળ સંશોધન શરૂ કર્યું હતું. 31 ડિસેમ્બર, 2021ના રોજ વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી સત્તાધીશોને ફરિયાદ કરી હતી કે, તેના Phd ગાઇડે પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની માગ કરી હતી. તે ખરીદી શકતી ન હોવાથી, ગાઈડ 4 લાખની SHODH ફેલોશિપ હેઠળ મળવાપાત્ર વિવિધ ખર્ચના બિલો પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. ગાઈડે ઘણા મહિના સુધી હાજરી અને મૂલ્યાંકન અહેવાલો પર પણ સહી ન કરી હોવાનો આક્ષેપ છે. વસાવાએ વધુમાં આક્ષેપ કર્યો કે, તેણી અનુસૂચિત જનજાતિની સભ્ય હોવાને કારણે તેને અપમાનિત કરવામાં આવી હતી. એડવોકેટ બ્રિજેશ રાજ મારફતે દાખલ કરાયેલી અરજીમાં વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, યુનિવર્સિટીએ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નહોતી અને ગાઇડની માગ પૂરી ન થતાં તેનું ડોક્ટરલ સંશોધન બગડ્યું હતું. તેના બદલે 10 મે, 2023ના રોજ યુનિવર્સિટીએ તેને નોટિસ આપી હતી કે SHODH ફેલોશિપ હેઠળ મળેલી રકમ અથવા પાર્ટ-ટાઇમ લેક્ટરર તરીકે મળેલ વેતન પરત કરે. બીજી નોટિસમાં યુનિવર્સિટીએ તેની Phd નોંધણી કેમ રદ ન કરવી તે અંગે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. નવેમ્બર, 2024માં તેણીએ યુનિવર્સિટીના કુલપતિ અને તેના ગાઇડને કાનૂની નોટિસ પાઠવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફરિયાદ ઉઠાવવાના બદલામાં ન્યાય આપવાને બદલે યુનિવર્સિટીએ અરજદારને સજા કરી છે. વિદ્યાર્થિનીએ હાઇકોર્ટને વિનંતી કરી હતી કે, યુનિવર્સિટીને આક્ષેપોની તપાસ શરૂ કરવા અને અરજદારના Phd અભ્યાસ પૂર્ણ કરવા માટે નવા પ્રોફેસર-ગાઇડની નિમણૂક કરવા આદેશ આપવામાં આવે. અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને તેમજ હકીકતને જોતા કે અરજદાર દ્વારા યુનિવર્સિટી સમક્ષ 31 ડિસેમ્બર, 2021ની રજૂઆત પર 5 વર્ષથી વધુ સમય સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, આથી પપક્ષકારોને આદેશ આપવામાં આવે છે કે તેઓ કાયદા મુજબ શક્ય તેટલી વહેલી તકે આ રજૂઆત પર નિર્ણય લઈ યોગ્ય કારણ સાથે આદેશ પસાર કરે અને તે આદેશની સ્પીડ પોસ્ટ દ્વારા અરજદારને જાણ કરે.
મોરબી જિલ્લામાં 'સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો પ્રારંભ જિલ્લા ક્ષય કેન્દ્ર/રક્તપિત્ત કેન્દ્ર ખાતે દીપ પ્રાગટ્ય કરીને થયો હતો. 'પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત' (Ending Discrimination, Ensuring Dignity) થીમ હેઠળ આ કેમ્પેઈન શરૂ કરાયું છે. દર વર્ષે 30મી જાન્યુઆરીને રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ પણ છે. ગાંધીજીના નિર્વાણ દિને, 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી દરમિયાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીના રક્તપિત્ત મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવાનો છે. લોકોને શંકાસ્પદ લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવા અને દર્દીઓ પ્રત્યે ભેદભાવ ન રાખવા અપીલ કરવામાં આવી હતી. સંયુક્ત પ્રયાસોથી ગામને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારી સૌની છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમમાં જોડાવા માટે સમાજના તમામ જાગૃત લોકોને અપીલ પણ કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા ક્ષય/રક્તપિત્ત અધિકારી ડો. ધનસુખ અજાણાના સતત માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. કાર્યક્રમ દરમિયાન, પિયુષભાઈ જોષીએ રક્તપિત્ત રોગ વિશેની માન્યતાઓ અને ગેરમાન્યતાઓ, તેના લક્ષણોને વહેલા કેવી રીતે ઓળખવા અને કાળજી કેવી રીતે રાખવી તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં 100 વર્ષથી વધુ સમયથી વજન કાંટા બનાવવાનો પરંપરાગત ઉદ્યોગ વિકસ્યો હતો. એક સમયે આ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાતું સાવરકુંડલા આજે મંદીના ભરડામાં છે. 400 જેટલા કારખાનાઓમાંથી હવે માત્ર 50 થી 100 યુનિટ જ કાર્યરત રહ્યા છે. હજારો પરિવારોને રોજગારી મળતી હતીભૂતકાળમાં, સાવરકુંડલામાં આશરે 400 નાના-મોટા કારખાનાઓમાં વજન કાંટા બનાવવાનું કાર્ય થતું હતું. દરેક કારખાનામાં 20 થી 25 કારીગરો કામ કરતા હતા, જેનાથી હજારો પરિવારોને રોજગારી મળતી હતી. સમય જતાં ટેક્નોલોજીમાં આવેલા બદલાવ, બજારમાં ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો વધતો પ્રચાર, કોરોના મહામારી અને નોટબંધી જેવા પરિબળોએ આ પરંપરાગત ઉદ્યોગને ભારે ફટકો પહોંચાડ્યો છે. પરંપરાગત મેન્યુઅલ વજન કાંટા બનાવવાનું કામ બંધઆજે પરંપરાગત મેન્યુઅલ વજન કાંટા બનાવવાનું કામ લગભગ બંધ થઈ ગયું છે. તેના સ્થાને ઇલેક્ટ્રિક તથા ડિજિટલ વજન કાંટા બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં પણ પૂરતું કામ ઉપલબ્ધ નથી. અગાઉ જ્યાં 20-25 કારીગરો કામ કરતા હતા, ત્યાં હવે માત્ર 4 થી 5 કારીગરો જ કાર્યરત છે. પરિણામે અનેક કામદારોએ રોજગારી ગુમાવી છે અને તેઓ અન્ય વ્યવસાયો તરફ વળવા મજબૂર બન્યા છે. દેશ-વિદેશમાં સાવરકુંડલાના વજન કાંટા વખણાતાએક સમયે દેશ-વિદેશમાં સાવરકુંડલાના વજન કાંટા વખણાતા હતા, તે ઉદ્યોગ આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગકારો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ પરંપરાગત ઉદ્યોગને બચાવવા માટે ખાસ સહાય, ટેક્સમાં રાહત અને નવી ટેક્નોલોજી સાથે તાલમેલ બેસાડવા માટે પ્રોત્સાહન આપવામાં આવે. જેથી આ સદી જૂનો ઉદ્યોગ ફરી જીવંત બની શકે અને સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે. 'બજારમાં વધતી સ્પર્ધા ઉદ્યોગની મંદી માટે જવાબદાર' નાસિરભાઈ ચૌહાણના જણાવ્યા અનુસાર, વધતો ઉત્પાદન ખર્ચ, જીએસટી સહિતના વિવિધ કરનો ભાર અને બજારમાં વધતી સ્પર્ધા પણ ઉદ્યોગની મંદી માટે જવાબદાર છે. સાવરકુંડલાથી સાત કિલોમીટર દૂર સરકાર દ્વારા GIDC મંજૂર કરવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ છે કે મંદીના માહોલમાં સંઘર્ષ કરી રહેલા કાંટા ઉદ્યોગના યુનિટો આ GIDC માં સ્થાનાંતરિત થશે કે કેમ. 'ધંધાને ફરી બેઠા કરવા ટેક્સ માફ કરવો જોઈએ'સાવરકુંડલા વેપારી વિપુલભાઈ ડોડીયાએ જણાવ્યું કે, અમારે બાપ દાદાનો આ ધંધો છે. 100 વર્ષ કરતા વધુ સમય વીત્યો છે. પહેલા મેન્યુલ કાંટાનું કરતા હતા અમે એક સમય દુનિયાભરમા કાંટા અહીંથી જતા હતા. પહેલા ગૃહ ઉદ્યોગ કહેવાતો સમય બદલાતા ઇલેક્ટ્રિક કાટા આવતા હવે બધે બનતા હોય છે. હવે નવો યુગ આવ્યો છે, જેના કારણે કાંટા ઉદ્યોગ મૃતપાય બન્યો છે. પહેલા 400 જેટલા યુનિટ ચાલુ હતા. અત્યારે 100 જેટલા યુનિટ છે રો મટીરીયો મળે નહીં કોરોના મહામારી બહારના ધંધા અટવાય ગયા જેથી હવે ધીરે ધીરે બીજામાં ડ્રાયવટ થવા લાગ્યા છે. આ ધંધાને ફરી બેઠા કરવા હોય તો પહેલા ટેક્સ માફ કરવો જોઈએ.
ગુજરાતના વાતાવરણમાં પલટો: અરવલ્લી અને ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત, બટાકા-ઘઉંના પાક પર જોખમ
Unseasonal Rain Gujarat: ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક વાતાવરણ પલટાયું છે અને અરવલ્લી સહિત ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) ખાબક્યો છે. ભરશિયાળે વરસેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ જગતનો તાત ચિંતામાં મુકાયો છે. અરવલ્લીના માલપુર અને મેઘરજમાં માવઠું અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું અને ત્યારબાદ અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.
ઝાલોદ તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ સલાણીયાનું હાર્ટ એટેકના કારણે અચાનક નિધન થતાં સમગ્ર ઝાલોદ તાલુકા પંચાયત વર્તુળમાં તેમજ દુધિયા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટના ગઈ રાત્રે દુધિયા ગામે તેમના નિવાસસ્થાને બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ મહેન્દ્રભાઈ રાત્રીના સમયે પોતાના ઘર બહાર તાપણી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમને હાર્ટ એટેક આવતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તરત જ દોડી આવ્યા હતા અને કોઈ વિલંબ કર્યા વિના તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને મહેન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મહેન્દ્રભાઈ સલાણીયા ઝાલોદ તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે જવાબદાર પદ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન, કાર્યકુશળ અને શાંત સ્વભાવના અધિકારી તરીકે ઓળખાતા હતા. તાલુકા પંચાયતના કર્મચારીઓમાં તેઓ સારા સંકલનકાર અને સહાયક સ્વભાવના કર્મચારી તરીકે લોકપ્રિય હતા. તેમની અચાનક વિદાયથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં પણ ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મહેન્દ્રભાઈના હાર્ટ એટેકથી થયેલા અચાનક અવસાનના સમાચાર મળતા જ સહકર્મચારીઓ, મિત્રો તેમજ પરિચિતોએ તેમના નિવાસસ્થાને પહોંચીને શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તાલુકા પંચાયત વર્તુળમાં પણ શોકસભા યોજવાની ચર્ચા ચાલી રહી છે. એક જવાબદાર સરકારી કર્મચારી તરીકે મહેન્દ્રભાઈ સલાણીયાએ પોતાની ફરજ દરમિયાન કરેલી સેવાઓ હંમેશા યાદગાર રહેશે. તેમના અવસાનથી થયેલી ખોટ પરિવારજનો માટે તો અપૂરણીય છે જ, પરંતુ તાલુકા પંચાયત માટે પણ મોટી ખોટ તરીકે જોવામાં આવી રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં કૂતરૂ કરડ્યા બાદ એક યુવકને હડકવા ઉપડ્યો હતો. પાલનપુર તાલુકાના નરાસળ ગામના એક યુવકમાં હડકવાના લક્ષણો દેખાયા હતા. આ યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો. તેમજ લોકોને કરડવા દોડ્યો હતો. જેથી અંતે દોરડાથી બાંધી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યા પણ યુવકે ધમાલ મચાવી હતી. આ યુવકને ત્રણ બાળકો છે. ઘરમાં પરિવારજનો પર હુમલો કરવા દોડ્યોપ્રાથમિક માહિતી મુજબ, ત્રણ મહિના પહેલા આ યુવકને એક કૂતરાએ બચકા ભર્યા હતા. ભાગીયા તરીકે કામ કરતા આ યુવકમાં ત્રણ મહિના બાદ હડકવાના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો હતો અને ચાર પગે ચાલીને લોકોને કરડવા દોડતો હતો. તે અચાનક ઘરમાં હિંસક બનીને પોતાની પત્ની પર પણ હુમલો કરવા દોડ્યો હતો. દોરડાની મદદથી યુવકને ઝાડ સાથે બાંધી દીધોપરિસ્થિતિની ગંભીરતા જોતા પરિવારજનો, ગામલોકો અને પોલીસે દોરડાની મદદથી યુવકને કાબૂમાં લીધો હતો અને એક ઝાડ સાથે બાંધી દીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં દોરડા તોડી નાખતા રૂમમં બંધ કરવો પડ્યોપાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો હતો. તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફને તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી હતી. પરિસ્થિતિ વણસતા હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને જાણ કરી હતી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યોભારે જહેમત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધીને ઇન્જેક્શન આપી બેભાન કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે, પરંતુ તબીબોના મતે હડકવાના આ તબક્કે દર્દીના બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં હડકવાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ વડગામ તાલુકાના ઘોડીયાલ ગામે પણ એક યુવકને હડકવાની અસર થઈ હતી, જેમાં તેનું મૃત્યુ થયું હતું. આ અંગે બનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, હડકવાના લક્ષણો ધરાવતા એક દર્દીને જનરલ હોસ્પિટલ પાલનપુરના ટ્રોમા સેન્ટરમાં ગઈકાલે રાત્રે 3:00 વાગ્યાની આસપાસ લાવવામાં આવ્યો હતો. એ હાલ નળાસર ગામમાં રહે છે તેમજ મુળ સાબરકાંઠાના વિજયનગરના ભગોરી ગામનો વતની છે. યુવકને હોસ્પિટલમાં પલંગ પર બાંધી રખાયોગઈકાલે સાંજે 10:00 વાગ્યા પછી ખબર પડી કે એને હડકવાની અસર થઇ છે. જેથી તે એની પત્ની સહિત બધા ઉપર એટેક કરી રહ્યો હતો. જેથી ગામ લોકોએ એને કન્ટ્રોલ કરી બાંધીને અહિં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. જ્યાં તેની ટ્રીટમેન્ટ હાલ ચાલુ છે. યુવકને હોસ્પિટલમાં પલંગ પર બાંધીને રાખ્યો હતો. જોકે, એને જોર કરીને ગમે તેમ કરી દોરડા તોડી નાખ્યા હતા અને હોસ્પિટલમાં એકદમ ધમાલ મચાવી દીધી હતી. યુવકને ઇન્જેક્શન આપીને કન્ટ્રોલ કર્યોયુવકે હોસ્પિટલમાં ધમાલ મચાવતા અમે રૂમ બંધ કરીને થોડી વાર માટે એને કન્ટ્રોલ કરવા પ્રયત્ન કર્યો હતો. જે બાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસને પણ આ અંગે જાણ કરી છે. આ યુવકને અમે જંગલી પ્રાણીઓને કન્ટ્રોલ કરવા માટેનું ડાર્ટ ઇન્જેક્શન આપવાનો પણ વિચાર કર્યો હતો, પરંતુ એ ડાર્ટ ઇન્જેક્શનથી ક્યારેક માણસનું મોત પણ થઈ શકે છે. જેથી એનો જરા થોડો વિચાર કરીને એના સગા એ બારીના સળિયા સાથે બાંધી દીધો પછી અમે એને ઇન્જેક્શન આપીને કન્ટ્રોલ કર્યો હતો. હાલ એની ટ્રીટમેન્ટ ફરી ચાલુ કરી નાખી છે. હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ છે આજ સુધી કોઈ એવા કિસ્સા જોયા નથી કે હડકવા લાગ્યા પછી માણસ જીવી ગયો હોય. અત્યાર સુધીમાં અમને જાણ થયા મુજબ તે બધા પર એટેક કરે છે પણ કોઈને કરડ્યો નથી. કૂતરા જેવું જ ભસતો હતો અને કૂતરા જેવી જ એક્શનો કરતો હતો એ બધા વીડિયો અમે જોયા છે. હવે આપણે જોઈએ હડકવાનાં લક્ષણો વિશે તેમજ હડકવાથી કેવી રીતે બચી શકાય?
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા સાધુ પ્રેમવત્સલદાસજી લિખિત શિક્ષાપત્રી મંથન ગ્રંથ નું પ્રકાશન કરવામાં આવ્યું છે. આ ગ્રંથ શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીને યુવાપેઢી સરળતાથી સમજી શકે તે હેતુથી તૈયાર કરાયો છે. આ ગ્રંથને ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધીના રાજકીય મહાનુભાવોએ વધાવ્યો છે. બી.એ.પી.એસ. સંસ્થાના વડા પૂ. મહંતસ્વામી મહારાજ, અનેક મહામંડલેશ્વરો, સાહિત્યકારો તેમજ કાશી અને જગન્નાથપુરીના વિદ્વાનોએ પણ તેની પ્રશંસા કરી છે. ગ્રંથ અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શિક્ષાપત્રીમાંથી 25 અલગ-અલગ વિષયોના વિભાગો પાડવામાં આવ્યા છે. દરેક વિભાગમાં ચિત્રો, હિન્દુ ધર્મના ગ્રંથોના આધારભૂત અંશો અને મહાપુરુષો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોના પ્રેરણાદાયી પ્રસંગો આલેખાયેલા છે. આનાથી વાચકને ગૂઢ જ્ઞાન સરળતાથી યાદ રહે અને સમજી શકાય. શિક્ષાપત્રી મંથન ગ્રંથ માં નૈતિક સદાચાર, ધર્મ-આચરણ, સત્સંગીના નિત્ય કરવાના કર્મ, વ્યવહારિક નીતિ, સામાજિક-વ્યવસાયિક નીતિ, ગૃહસ્થોએ રાખવાની મર્યાદા, વ્યસન મુક્તિ, આહાર શુદ્ધિ, અહિંસા ધર્મ, જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ, જીવ-માયા-ઈશ્વર, સત્સંગી-સાધુ-સ્ત્રીઓ અને બ્રહ્મચારી આદિના ધર્મો જેવા ૨૫ પ્રકરણોનો સમાવેશ થાય છે. આ ગ્રંથ પર ૧૯થી વધુ દરેક ક્ષેત્રના મહાનુભાવોએ પોતાના મંતવ્યો આપ્યા છે, જે ગ્રંથમાં અંકિત કરવામાં આવ્યા છે. કુમકુમ સંસ્થા દ્વારા આ ગ્રંથ સૌને ઉપલબ્ધ થાય તે માટે તેની પડતર કિંમત પર ૭૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
બોટાદ જિલ્લામાં CET પરીક્ષાનો પ્રારંભ:46 કેન્દ્રો પર 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
બોટાદ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોટાદ જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાળા અને રાણપુર તાલુકામાં કુલ 46 પરીક્ષા કેન્દ્રો પર 11,648 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લાના કુલ 401 બ્લોકમાં આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે CET પરીક્ષા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે યોજાય છે. આ પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મળે છે. આ કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઢડા નૂતન વિદ્યાલયના શિક્ષક પ્રવિણભાઈ ડોડીયાએ આ અંગે માહિતી આપી હતી.
'181 મહિલા હેલ્પલાઇન' મહિલાઓની સુરક્ષા અને ન્યાય માટે 24 કલાક કાર્યરત છે, ત્યારે તાજેતરમાં ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકામાં અભયમ ટીમે એક મહિલાને આત્મહત્યા કરવા જતી અટકાવી નવજીવન આપ્યું હતું, આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર જ્યારે '112 જનરક્ષક હેલ્પલાઇન' પરથી 181 ટીમને કોલ ટ્રાન્સફર કરવામાં આવ્યો કે, એક મહિલા માનસિક તણાવમાં આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. સ્થિતિની ગંભીરતાને સમજી પાલિતણા અભયમ ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી, અભયમ કાઉન્સેલરે પીડિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે, મહિલા લાંબા સમયથી માનસિક રીતે ભાંગી પડ્યા તેમને એવું લાગતું હતું કે, પરિવારમાં તેમના નિર્ણયોનું કોઈ મૂલ્ય નથી, પોતાનું જીવન નકામું હોવાની નિરાશા સાથે તેઓ ઘરેથી આત્મહત્યા કરવાના ઈરાદે નીકળી ગયા હતા, ટીમે અત્યંત ધીરજપૂર્વક પીડિતાનું કુશળ કાઉન્સેલિંગ કર્યું, તેમને સમજાવ્યું કે માનવ જીવન અમૂલ્ય છે અને મુશ્કેલીઓનો અંત આત્મહત્યા નથી, કાઉન્સેલિંગના અંતે મહિલામાં નવું જીવન જીવવાની ચેતના જાગી અને તેમણે પોતાનો વિચાર માંડી વાળ્યો હતો, કાઉન્સેલિંગ દરમિયાન પીડિતાએ પોતાના પરિવાર વિશે માહિતી આપી હતી, તપાસ કરતા માલૂમ પડ્યું કે મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેમની દવાઓ પણ ચાલી રહી હતી અને અગાઉ પણ તેઓ ઘરેથી નીકળી ગયા હતા, અભયમ ટીમે પીડિતાના પતિ અને પરિવારજનોને બોલાવીને પીડિતાની લાગણીઓનું ધ્યાન રાખવા સૂચન કર્યું, માનસિક સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી લેવા સમજાવ્યા, સુખદ સમાધાન બાદ મહિલાને હેમખેમ પરિવારને સોંપ્યા, આમ, 181 અભયમ ટીમની સમયસૂચકતા અને અસરકારક કાઉન્સેલિંગને કારણે એક હસતું-રમતું પરિવાર વિખેરાતા બચી ગયું હતું.
આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનું બાળપણ મોબાઈલની સ્ક્રીનમાં કેદ થઈ રહ્યું છે, ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના એક નાના એવા સરણા ગામમાં પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. ગામના નિવૃત શિક્ષકોએ એક અનોખી પહેલ કરીને ખેતરની વચ્ચે જ રમતગમતનું સંકુલ કાર્યરત કર્યું છે, જ્યાં આજે 130થી વધુ બાળકો વિનામૂલ્યે ખેલકૂદની તાલીમ લઈ રહ્યા છે. આ ભગીરથ કાર્યની શરૂઆત 2018માં થઈ હતી. નિવૃત આચાર્ય છનાજી હેમતાજી ઠાકોર અને નિવૃત શિક્ષક પ્રવિણસિંહ રાણાએ જ્યારે ગામના બાળકોને સતત મોબાઈલમાં વ્યસ્ત જોયા ત્યારે તેમને બાળકોના ભવિષ્ય અને ફિઝિકલ ફિટનેસની ચિંતા થઈ. બાળકોને ડિજિટલ વ્યસનમાંથી મુક્ત કરવાના હેતુથી છનાજી ઠાકોરે ઉદારતા દાખવી પોતાની 4 વીઘા જમીનમાંથી 2 વીઘા અને જરૂરિયાત મુજબ વધુ જમીન રમતગમત માટે ફાળવી દીધી. શરૂઆતમાં માત્ર 25 બાળકોથી શરૂ થયેલું આ અભિયાન આજે વટવૃક્ષ બન્યું છે. એકસાથે 28 બાળકોની જિલ્લા કક્ષાએ પસંદગીગામડાના બાળકોને પણ શહેર જેવી સુવિધાઓ અને માહોલ મળે તે માટે નિવૃત વ્યાયામ શિક્ષક રસિકસિંહ ઠાકોર અને અન્ય સાથીઓ નિઃસ્વાર્થ ભાવે જોડાઈ ગયા. અહીં બાળકોને દોડ, વોલીબોલ, ખો-ખો, લાંબીકૂદ, સાયક્લિંગ અને યોગની તાલીમ આપવામાં આવે છે. ખાસ કરીને 'ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ'ની પરીક્ષા માટે જરૂરી 11 આઈટમો જેવી કે પુલ-અપ્સ, મેડિસિન બોલ અને બ્રોડ જમ્પની સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આ મહેનતનું જ પરિણામ છે કે, ગયા વર્ષે એકસાથે 28 બાળકો જિલ્લા કક્ષાની રમતગમત શાળા (DLSS)માં પસંદગી પામ્યા છે. માત્ર રમત નહીં, સંસ્કારોનું પણ સિંચનઆ સંકુલનું કોઈ સત્તાવાર નામ નથી કે અહીં કોઈ ફી લેવામાં આવતી નથી. નિવૃત શિક્ષકો પોતાની પાસે રહેલું ટેકનિકલ જ્ઞાન પીરસી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, તેમનું લક્ષ્ય માત્ર ખેલાડીઓ તૈયાર કરવાનું જ નથી, પરંતુ બાળકોમાં શિસ્ત, નિર્ભયતા અને દેશભક્તિના ગુણો વિકસે તે પણ છે. રમતગમતની સાથે બાળકોના અભ્યાસ પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે, જેના કારણે બાળકોનો આત્મવિશ્વાસ વધ્યો છે. અહીં તાલીમ લેતા બાળકો હવે અભ્યાસમાં પણ તેજસ્વી બની રહ્યા છે. ગ્રાસરૂટથી ઓલિમ્પિક્સ સુધીનિવૃત શિક્ષકોની આ ટોળી હવે એક જ સપનું સેવી રહી છે કે, આ જમીન પરથી તૈયાર થયેલા બાળકો ભવિષ્યમાં ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ઠાકોર જેવા યુવાનો પણ આ કાર્યમાં સહયોગી બની રહ્યા છે. ખેતરમાં લહેરાતા પાકની વચ્ચે પરસેવો પાડતા આ બાળકો આજે મોબાઈલની દુનિયા ભૂલીને મેદાનના અસલી ખેલાડી બની રહ્યા છે. અહીં આવ્યાં બાદથી મારો પહેલો નંબર આવે છેઃ હાર્દિકકુમારઅહીં પ્રેક્ટિસ કરતા હાર્દિકકુમાર સુખડિયાએ જણાવ્યું કે, મને અહીંયા આવીને સારું લાગે છે. હું સ્કૂલમાં આમ તો ત્રીજા ધોરણમાં ભણતો હતો, ત્યારે હું છેલ્લો આવતો હતો પણ હવે અહીંયા આવું છું ત્યારે મને મારો પહેલો નંબર આવે છે. આ વખતે હું ખેલ મહાકુંભમાં જવાનો જ હતો પણ બીજા બે બાળકો આવી ગયા એટલે હું ન જઈ શક્યો, પણ અહીંયા આવીને મને બહુ જ સારું લાગે છે. અહીંયા પુલ-અપ, મેડિસિન બોલ, બ્રોડ જમ્પ, 50 મીટર, પછી આવી રીતે 300 મીટરના રાઉન્ડ્સ-એવું બધું કરાવવામાં આવે છે. બાળકોને ઓલિમ્પિક્સ સુધી પહોંચાડવાનું આમારૂ લક્ષ્યઃ પ્રવિણસિંહનિવૃત શિક્ષક પ્રવિણસિંહ રાણાએ જણાવ્યું કે, અહીંયા બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને તેમની ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે તે માટેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. અમારો મુખ્ય લક્ષ્ય એ છે કે, બાળકો ઓલિમ્પિક્સ સુધી પહોંચી શકે. અહીં વોલીબોલ, ખો-ખો, એથ્લેટિક્સ અને DLSSની ટેસ્ટ માટેની 11 આઈટમોની નિયમિત પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અત્યારે અમારી પાસે 130થી વધુ બાળકો આવે છે. ગયા વર્ષે અમારા 28 બાળકો એકસાથે DLSSમાં સિલેક્ટ થયા છે. ‘બાળકોને અમારા વગર અને અમને બાળકો વગર ફાવતું નથી’અમે આ પ્રવૃત્તિ 2018થી શરૂ કરી છે અને ધીમે-ધીમે અમને સફળતા મળી રહી છે. મને મારા મિત્ર અને આચાર્ય સનાજીની પ્રેરણાથી આ વિચાર આવ્યો. બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અમે આ કામ શરૂ કર્યું છે. શરૂઆતમાં 20-30 બાળકો હતા, પણ હવે 130થી પણ વધારે બાળકો જોડાયેલા છે. બાળકોને આમાં બહુ રસ પડી ગયો છે. હવે તો એવું થયું છે કે બાળકોને અમારા વગર અને અમને બાળકો વગર ફાવતું નથી. સનાજી સાહેબે અમને આ લગભગ 6 એકર જમીન રમતગમત માટે ખાસ આપી છે. જ્યારે પણ અમારે બાળકોને રમાડવા હોય, ત્યારે તેઓ તમામ વ્યવસ્થા પૂરી પાડે છે. DLSS એટલે શું?DLSS એટલે કે District Level Sports School (જિલ્લા કક્ષાની રમતગમત શાળા). આ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ કાર્યરત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વકાંક્ષી યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમતગમતની પ્રતિભાઓને શોધીને તેમને વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ આપવાનો છે. DLSS યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓશિક્ષણ અને રમતગમતનો સમન્વય: આ યોજના હેઠળ પસંદ થયેલા વિદ્યાર્થીઓને એવી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે જ્યાં અભ્યાસની સાથે-સાથે રમતગમત માટે ઉત્તમ મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ હોય. નિષ્ણાત કોચિંગ: દરેક રમત માટે સરકાર દ્વારા નિષ્ણાત અને લાયક કોચની નિમણૂક કરવામાં આવે છે, જેઓ બાળકોને વ્યાવસાયિક તાલીમ આપે છે. રહેવા-જમવાની સુવિધા: પસંદ થયેલા ખેલાડીઓને રહેવા માટે હોસ્ટેલ અને તેમના શરીરની જરૂરિયાત મુજબ પૌષ્ટિક આહાર (Nutrition) સરકાર દ્વારા નિઃશુલ્ક પૂરો પાડવામાં આવે છે. સ્પોર્ટ્સ કીટ અને સહાય: ખેલાડીઓને રમતગમતના સાધનો, ટ્રેકશૂટ અને સ્પોર્ટ્સ કિટની સાથે-સાથે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેનો ખર્ચ પણ સરકાર ભોગવે છે. પસંદગી પ્રક્રિયા અને લાયકાતવય મર્યાદા: સામાન્ય રીતે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતા બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે. બેટરી ટેસ્ટ: પસંદગી માટે રાજ્યભરમાં 'બેટરી ટેસ્ટ' લેવામાં આવે છે, જેમાં બાળકની શારીરિક ક્ષમતા (જેમ કે ઝડપ, તાકાત, લવચીકતા વગેરે) માપવામાં આવે છે. ટ્રાયલ્સ: શારીરિક ટેસ્ટ પાસ કર્યા પછી, જે-તે રમતની કૌશલ્ય કસોટી (Skill Test) લેવામાં આવે છે. કઈ રમતોનો સમાવેશ થાય છે?DLSS માં એથ્લેટિક્સ, આર્ચરી (તીરંદાજી), ફૂટબોલ, હોકી, કુસ્તી, જુડો, વોલીબોલ, હેન્ડબોલ અને બાસ્કેટબોલ જેવી વિવિધ ઓલિમ્પિક રમતોનો સમાવેશ થાય છે. ફાયદો શું થાય?આ યોજનામાં તૈયાર થયેલા ખેલાડીઓ રાજ્ય કક્ષા (Khel Mahakumbh), રાષ્ટ્રીય કક્ષા અને આગળ જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને દેશનું નામ રોશન કરે છે. ઘણા ખેલાડીઓ આ માધ્યમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવી સરકારી નોકરીઓ પણ મેળવે છે.
ગોધરામાં રોગચાળા વચ્ચે અર્બન હેલ્થ સેન્ટર પાસે ગંદકી:ઉભરાતી ગટરો મુદ્દે કલેક્ટરને રહીશોની રજૂઆત
ગોધરા શહેરમાં હાલ ઓરીની બીમારીએ માથું ઊંચક્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. જોકે, જ્યાં લોકોની સારવાર થાય છે તે જ અર્બન હેલ્થ સેન્ટર પાસે ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. આજે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક આગેવાનોએ તેમને ઊભરાતી ખુલ્લી ગટરો અને ગંદકી અંગે વાકેફ કર્યા હતા. ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરની બિલકુલ બહાર ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે રોગચાળો વધુ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. જિલ્લા કલેક્ટર અજય દહિયા આરોગ્ય કેન્દ્રની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા પહોંચ્યા ત્યારે સ્થાનિક રહીશોએ તેમને અટકાવી રજૂઆત કરી હતી. રહીશોનો આક્ષેપ છે કે એક તરફ બીમારી ફેલાઈ રહી છે અને બીજી તરફ હેલ્થ સેન્ટર પાસે જ ગંદકીનું સામ્રાજ્ય છે, જેનાથી અન્ય રોગો ફેલાવવાનો ભય છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ. કે. શાહ મેડિકલ કોલેજ વિવાદમાં આવી છે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે રેગિંગના ગંભીર આક્ષેપ લાગ્યા છે. તીર્થ પટેલ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ લગાવ્યા છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશનને મેઈલ કરીને રેગિંગ થતી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ દર્દી સામે માર મારવાની ધમકી આપતા હોવાનો અને દારૂ, સિગારેટની વ્યવસ્થા કરવા દબાણ કરતા હોવાનો પણ મેઇલ કરીને આક્ષેપ કરવામાં આવ્યો છે. રેગિંગના ગંભીર આક્ષેપ થતા જ ત્રણ સભ્યોની તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. ડોક્ટર એસોસિએશનને મેઈલ કરી પોતાની વ્યથા જણાવીઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. એમ. કે. શાહ મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરોની હાલત શું હોય છે તે ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશનને મેઈલ કરી પોતાની વ્યથા જણાવી છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ આક્ષેપ કર્યોમૂળભૂત જરૂરિયાતોથી વંચિત રખાતા હોવાનો પણ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે. દારૂ, સિગારેટની જેવી વ્યવસ્થા કરવા માટે દબાણ કરાતું હોવાનો પણ મેઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મંજૂરી ન આપે ત્યાં સુધી શ્વાસ ન લેવા પણ દબાણ કરાતું જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી શ્વાસ ન લેવા પણ દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતા અનેક પ્રકારની ફરિયાદો સાથેનો મેઇલ કરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ જે મેઇલ કર્યો તે પણ વાયરલ થયો છે. તેમજ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ તપાસ કરી કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. '10 વિદ્યાર્થીઓ 5 દિવસથી કોઈને જાણ કર્યા વગર ડ્યુટી પર આવ્યા નથી'એમ.કે.શાહ મેડિકલ કોલેજના ડીન એ. ટી. લેઉઆએ જણાવ્યું હતું કે, અત્યારે બે બેંચના ઓર્થોપેડિક વિભાગના 10 જેટલા વિદ્યાર્થીઓ 5 દિવસથી કોઈપણ જાણ કર્યા વગર ડ્યુટી પર આવ્યા નથી. આ વિદ્યાર્થીઓનો અમે ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો ફોન પણ બંધ આવી રહ્યા છે. જેથી તેમના વાલીઓને જાણ કરી છે. તપાસ માટે કમિટીની નિમણૂંક કરાઈતેને વધુમાં કહ્યું કે, અમને આ સમગ્ર બાબતે ઇમેલ દ્વારા ફરિયાદ મળી છે. જેથી તપાસ માટે કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. તપાસ કમિટીની નિમણૂક કર્યા બાદ પ્રેસિડેન્ટ ડોક્ટરો આ કમિટી સમક્ષ પણ હાજર થતા નથી. જેથી તપાસ કમિટી યોગ્ય તારણ સમજવા માટે તેમના વાલીઓ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. યોગ્ય તપાસ માટે અમે તૈયારી દર્શાવી છે. વધુમાં ડીન એ. ટી. લેઉઆએ જણાવ્યું હતું કે, વિભાગના વડા નીરવ ત્રિવેદીનો સંપર્ક કરી ફરિયાદ મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર તીર્થ પટેલ છે તેના પણ કમિટી સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા છે. કમિટીનો રિપોર્ટ હજી સુધી અમને મળ્યો નથી. કમિટી બંને પક્ષના તમામ મુદ્દાઓને લઈને જવાબ લેખિતમાં લેતી હોય છે. 'તીર્થ પટેલને અમે રજા પર ઉતારી દીધા છે'લેઉઆએ વધુમાં કહ્યું હતું કે, જો વિદ્યાર્થીઓ હાજર થશે તો કમિટી સંપૂર્ણ રીતે તેમને સહયોગ કરશે. સિનિયર લેવલની મીટીંગ પણ કરવામાં આવી છે. તેમાં અમે નિર્ણય લીધો છે કે જેના સામે પ્રેસિડન્ટ ડોક્ટર હોય ફરિયાદ કરી છે તેવા તીર્થ પટેલને અમે રજા પર ઉતારી દીધા છે. જેથી ન્યાયિક રીતે તપાસ થઈ શકે. તેને વધુમાં કહ્યું કે, વિદ્યાર્થીઓનો સંપર્ક કરવા અન્ય ઓર્થોપેડિક વિભાગના વિદ્યાર્થીઓને પણ જણાવ્યું છે. પરંતુ આ તમામ વિદ્યાર્થીઓનો ફોન બંધ આવી રહ્યો છે. જેથી સરનામાના આધારે વિદ્યાર્થીઓના વાલીને પણ જાણ કરવામાં આવી છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે.
કચ્છ જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા વેટલેન્ડ્સની પ્રતિષ્ઠિત યાદી રામસર સાઇટમાં સામેલ થયું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે પાંચ પર પહોંચી છે, જે રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે. છારી-ઢંઢ ગુજરાતની પાંચમી રામસર સાઈટહાલ ગુજરાતમાં સમાવિષ્ટ રામસર સાઇટ્સમાં નળસરોવર બર્ડ સેન્ચુરી, થોળ પક્ષી અભ્યારણ્ય, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય , વઢવાણ પક્ષી અભ્યારણ્યઅને હવે છારી-ઢંઢ પક્ષી અભ્યારણ્યનો સમાવેશ થાય છે.છારી-ઢંઢ બર્ડ સૅન્ક્ચ્યુરી પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મનપસંદ આશ્રયસ્થાન છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશમાંથી આવનારા પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. ગુજરાત દેશના કુલ વેટલેન્ડ વિસ્તારના 21 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે રાજ્યને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રે અગ્રણી બનાવે છે. छारी-ढांढ पक्षी अभयारण्य को रामसर साइट की अंतरराष्ट्रीय पहचान गर्व का क्षण है। इसके साथ गुजरात में रामसर साइटों की संख्या 5 हो गई है। यह पहचान से पर्यावरण संरक्षण, जैव विविधता, स्थानीय विकास, वैश्विक पहचान सभी क्षेत्रों में सकारात्मक परिवर्तन आएगा।- श्री @arjunmodhwadia pic.twitter.com/J0mycjTVbW— Office Of Arjun Modhwadia (@OfficeOfAM_) January 31, 2026 ભુજથી 80 કિમીના અંતરે આવેલું છે છારી-ઢંઢ‘છારી’ એટલે ખારું અને ‘ઢંઢ’ એટલે છીછરા તળાવો. છારીઢંઢ રાજ્યનું પ્રથમ સંરક્ષણ ક્ષેત્ર વર્ષ 2008માં વનવિભાગ દ્વારા જાહેર કરાયું હતું. ભુજથી 80 કિલોમીટર દૂર આ વેટલેન્ડ 227 ચો.કી મી ના વિસ્તારમાં સંરક્ષિત છે. વર્ષ 1992માં 22,700 હેક્ટર વિસ્તારને ‘રણ પક્ષી અભયારણ્ય’ જાહેર કરવા પ્રસ્તાવ મુકાયો હતો. 270 પક્ષી પ્રજાતિનું પ્રવાસસ્થાન, કુંજનું બીજું ઘર ! છારીઢંઢ પક્ષીઓ અને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે, અહીં પક્ષીઓની આશરે 270 જેટલી પક્ષીઓની પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સ્થળાંતર કરનારા હજારો પક્ષીઓ ઠંડીની ઋતુ ગાળવા આવે છે. આ ઉપરાંત અહીં વરુ, રણ બિલાડી, શિયાળ, લોમડી, હેણોતરો સહીત દુર્લભ પ્રાણીઓ જોવા મળે છે. શિયાળામાં હજારો કુંજ પક્ષી સાયબેરિયાથી અહીં પ્રવાસ ખેડે છે. 40 પ્રકારના વિવિધ ઘાસ અહીં વન્યપ્રાણીઓને ખોરાક અને જીવન પૂરું પાડે છે. શું છે રામસર સાઈટ ? રામસર સાઈટએ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી જળપ્લાવિત ભૂમિ (વેટલેન્ડ) છે. જે 1971માં ઈરાનના રામસર શહેરમાં યુનેસ્કો દ્વારા હસ્તાક્ષર કરાયેલા ‘કન્વેન્શન ઓન વેટલેન્ડ્સ’ જે રામસર સંધિથી ઓળખાય છે તેના અંતર્ગત સંરક્ષણ મળે છે. આ સંધિનો મુખ્ય ઉદ્દેશ્ય જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. નવી સાઈટ જાહેર કરતા પહેલા, આંતરરાષ્ટ્રીય માપદંડોની ચકાસણી, દરખાસ્ત તૈયાર કરવી, કેન્દ્રીય મંજૂરી બાદમાં કેન્દ્ર સરકાર આ અંતિમ દરખાસ્ત સ્વિટ્ઝર્લેન્ડના ગ્લેન્ડ ખાતે આવેલા રામસર સચિવાલયને મોકલે છે અને અંતમાં વૈશ્વિક જાહેરાત થાય છે.
અમરેલી તાલુકાના જાળીયા અને રાંઢીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યોમાં જાળીયામાં અંદાજે રૂ. 2 કરોડથી વધુના ખર્ચે સુવિધાપથ (સી.સી. રોડ) અને રૂ. 25 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન સામેલ છે. જાળીયા મુકામે રૂ. 2 કરોડથી વધુના ખર્ચે સી.સી. રોડ બનશે, જે નાગરિકોની સુવિધામાં વધારો કરશે. આ ઉપરાંત, રૂ. 25 લાખના ખર્ચે નવું ગ્રામ પંચાયત ભવન પણ આકાર પામશે. અંદાજિત રૂ. 6.5 કરોડના ખર્ચે જાળીયા-કેરાળા-હડાલા રોડ પર સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાંઢીયા મુકામે પણ રૂ. 25 લાખના ખર્ચે નવું પંચાયત ભવન બનશે, જેનાથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. રાજ્યમંત્રીએ આ નવા પંચાયત ભવનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. રાજ્ય સરકાર પ્રજાના હિત માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને રૂ. 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ આપીને મોટું મન દાખવ્યું છે. રાજ્યમંત્રીએ અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસકામોની ભેટ આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યઓ, સરપંચો, ગ્રામ પંચાયતના સભ્યઓ, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં 25 લાખ ટેક્સ બાકી: 3 મિલકતો સીલ:યામાહા શોરૂમ-ગેરેજ સીલ, નીલમ સિનેમા માલિકે ચૂકવણીની ખાતરી
પાટણ નગરપાલિકાએ બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે, આશરે 25 લાખ રૂપિયાનો વેરો બાકી હોય તેવી પાંચ મિલકતોને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં ત્રણ મિલકતો સીલ કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, લાંબા સમયથી વેરો ન ભરાયો હોય તેવી મિલકતોને નિશાન બનાવવામાં આવી છે. સીલ કરાયેલી મિલકતોમાં યામાહા સર્વિસ સ્ટેશન (શોરૂમ), ફૂડઝોન નજીક આવેલું ગેરેજ અને એક ખુલ્લી જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાલિકાની ટીમ વર્ષો જૂના નીલમ સિનેમા ખાતે પણ સીલિંગની કાર્યવાહી માટે પહોંચી હતી. સિનેમાના મિલકત માલિક દ્વારા બાકી નાણાં ભરવાની મૌખિક ખાતરી આપવામાં આવી છે. જોકે, ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી બાકી ટેક્સની સંપૂર્ણ રકમ ભરવામાં નહીં આવે ત્યાં સુધી સીલ ખોલવામાં આવશે નહીં. પાટણ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ મોટા પ્રમાણમાં ટેક્સ બાકી હોય તેવા અન્ય આસામીઓ સામે સીલિંગની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. બાકી મિલકત ધારો યામાહા શો રૂમ 7 લાખગુરુકૃપા ગેરેજ સર્વિસ સ્ટેશન 2.25 લાખનંદ કુમાર મોતી લાલ લાટી 1.78 લાખનીલમ સિનેમા 5.35વીઆઈપી હોલ 10 લાખ
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મોખાસણ ખાતે ભવ્ય લોકાર્પણ અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાદીના આદ્ય આચાર્ય પ્રવર મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી 1.25 કરોડના ખર્ચે નવનિર્મિત મુકતજીવન સ્વામીબાપા પક્ષીઘર જાહેર જનતા અને પક્ષીઓ માટે ખુલ્લું મુકાયું હતું. આ પક્ષીઘર 108 ફૂટની ઊંચાઈ અને 18 ફૂટની પહોળાઈ ધરાવે છે, જે વિસ્તારનું સૌથી ઊંચું પક્ષીઘર મનાય છે. સરદાર પટેલની પ્રતિમા અને લોકસેવા આ પ્રસંગે સિંહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ અને ગ્રામોત્થાન માટે ઠંડા પાણીની ફિલ્ટરવાળી પરબનું લોકાર્પણ પણ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીના હસ્તે કરાયું હતું. આ પ્રોજેક્ટ્સમાં પટેલ સંતોકબેન સોમાભાઈ મણીલાલ ગીરધરદાસ પરિવાર (મુકેશભાઈ, વિનોદભાઈ, સુરેશભાઈ તથા ભરતભાઈ પટેલ) દ્વારા આર્થિક સૌજન્ય પ્રાપ્ત થયું હતું. માનવસેવા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને ફુલસ્કેપ ચોપડાની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વ અને દાન મહંત સદગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ વિગતો આપતા જણાવ્યું કે, કાર્યક્રમ દરમિયાન વિવિધ 11 સંસ્થાઓને કુલ 6.51 લાખના દાનના ચેક એનાયત કરાયા હતા. આ રકમ પક્ષી સંરક્ષણ, વૃક્ષ જતન, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, ગ્રામ્ય વિકાસ અને સ્મશાન ગૃહ જેવા સામાજિક કાર્યો માટે વાપરવામાં આવશે. વ્યસનમુક્તિ રેલી અને આશીર્વચન સમાજમાં જાગૃતિ લાવવા માટે એક વિશાળ વ્યસનમુક્તિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે, શિક્ષાપત્રીના આદેશ મુજબ પ્રાણીમાત્ર પર દયા રાખવી જોઈએ. સંસ્કાર, સત્સંગ અને શિક્ષણના સમન્વયથી જ મનુષ્ય ઉન્નતિ કરી શકે છે. આ કાર્યક્રમમાં સંતો સહિત અમેરિકા, લંડન અને આફ્રિકાના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાટડીના જરવલામાં 28 પાળિયાનું પુનઃસ્થાપન:ઇતિહાસ જાગૃતિ અને સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો
પાટડી તાલુકાના જરવલા ગામે ઇતિહાસ જાગૃતિ અને સામાજિક સમરસતાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગામના પાદરમાં આવેલા 28 જેટલા પ્રાચીન પાળિયાઓનું પુનઃસ્થાપન કરી, ગ્રામજનોએ અજ્ઞાત વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સમરસતાનો સંદેશ આપ્યો હતો. આ પાળિયાઓ પરોપકાર માટે ખપી ગયેલા અજ્ઞાત વીરોના સ્મારકો છે, જેની માહિતી ઉપલબ્ધ નહોતી. ઝરવલાના ઝાલા ક્ષત્રિયોના આમંત્રણથી સંશોધકો લકીરાજસિંહજી ભાલાળા, મયુરસિંહજી કોંઢ, રાજરાણા પ્રહલાદસિંહજી સોખડા અને સંજયસિંહજી અણીદરાએ ગામના ઇતિહાસ અને વીર પુરુષો વિશે જાણકારી મેળવવા પ્રવાસ કર્યો હતો. કનુભાઈ પરસોતમભાઈ બારોટના ચોપડામાંથી ઐતિહાસિક સંદર્ભો મળ્યા બાદ ગ્રામજનોને વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હતી. સંશોધન દરમિયાન ઝરવલાના ઝાલા સમાજના બે પાળિયા સહિત કુલ 28 જેટલા પાળિયાઓ માટીમાં દટાયેલા મળી આવ્યા હતા. ઝરવલાના ઝાલા ભાયાતોએ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના આ તમામ પાળિયાઓને જમીનમાંથી બહાર કાઢી, તેમની વિધિવત સ્થાપના કરી અને ફરતે ફેન્સીંગ કરીને સુરક્ષિત કર્યા હતા. આ કાર્ય દ્વારા સામાજિક સમરસતાનો ઉત્તમ સંદેશ આપવામાં આવ્યો હતો. આ જીર્ણોદ્ધાર ઉત્સવમાં તમામ પાળિયાનું પૂજન-અર્ચન, શોભાયાત્રા, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહજી ઝાલા, ઉપપ્રમુખ અશોકસિંહજી રંગપર, ઉપપ્રમુખ વિક્રમસિંહજી બજરંગપુરા, દેવેન્દ્રસિંહજી વણા, હરપાલસિંહ ઝાપોદર, ધર્મેન્દ્રસિંહજી બામરોલી અને રવિરાજસિંહ મહાદેવપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક આગેવાનોમાં રામ મહેલ મંદિર ધ્રાગધ્રાના મહામંડલેશ્વર શ્રી મહાવીરદાસજી અને મહંત રામદાસજી, ઝાલાસર ઝાડી જગ્યાના મહંત મહેશગીરીજી, માવસર જગ્યાના મહંત તથા ગામના પૂજારી સહિતના સાધુ-સંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કનુભાઈ બારોટે આ કાર્યને બિરદાવી સંસ્કાર સિંચન અને પરંપરા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. લકીરાજસિંહજી ભાલાળાએ ઝાલાવાડ અને કચ્છ દેશમાંથી થતી ઇતિહાસ સંશોધનની પ્રવૃત્તિઓ અને તેના પરિણામલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ રુદ્રસિંહજી ઝાલાએ સર્વ સમાજના કલ્યાણ અને એકતા માટે ક્ષત્રિયોને સદાય જાગૃત રહેવા હાકલ કરી હતી, અને આવા કાર્યક્રમોથી ઇતિહાસ-સંસ્કૃતિ સંવર્ધનને વેગ મળે છે તેમ જણાવ્યું હતું. ધ્રાગધ્રાના મહારાજા સાહેબના પ્રતિનિધિ સંજયસિંહજીએ ઇતિહાસનો અનેરો મહિમા સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં સતાપર, મોટી માલવણ, ચંદુર, બામણવા, વિસાવડી વગેરે ગામોના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન તેજેન્દ્રસિંહ ઝાલાએ કર્યું હતું.
27 જાન્યુઆરીએ રાજકોટ જિલ્લા ભાજપનું સંગઠન માળખું જાહેર કરાયુ. જેમાં પ્રમુખ બદલાય છે તેવી અફવા ચાલી હતી. જોકે તેમના દ્વારા પ્રદેશ કક્ષા સુધી ભલામણોનો ધોધ કરતા તેમને યથાવત રાખવામાં આવતા આજે 31 જાન્યુઆરીએ સાફો પહેરાવવામાં આવ્યો હતો અને કટાર અપાઈ હતી. જ્યારે નવા હોદ્દેદારોનું ઢોલ નગારાના તાલે પદગ્રહણ થયું હતુ. આ તકે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નાગદાન ચાવડા દેખાયા હતા અને ઢોલીને પૈસા આપી જિલ્લાના નવા હોદ્દેદારોના વધામણા પણ કર્યા હતા. આ દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયાએ પ્રમુખ બદલાઈ રહ્યા છે તે વાતને અફવા ગણાવી હતી અને અર્જુનની જેમ તેમનું લક્ષ્ય ભારત અને ભાજપને મજબૂત બનાવવા માટેનું હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે 8, મહામંત્રી તરીકે 3 અને 8 મંત્રી સહિતના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા બદલાઈ રહ્યા છે તેવી અફવા શરૂ થઈ હતી. તે અંગે પૂછવામાં આવતા ઢોલરીયાએ જણાવ્યું હતું કે, અત્યારે મોબાઈલ અને ટેકનોલોજીનો યુગ છે તમારે જે અફવા ફેલાવવી હોય તે એક મિનિટમાં ફેલાઈ જાય. ભાજપ શિસ્તબધ્ધ પાર્ટી છે તેમાં ક્યારેય એવું હોતું નથી. પાર્ટીના નિયમ અને સંગઠન પ્રમાણે પાર્ટી ચાલતી હોય છે. અફવાથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ કે હતાશ થતા નથી. તેમણે જણાવ્યું હતું કે, જેમ અર્જુનને આંખ દેખાય છે તેમ ભાજપના કાર્યકર્તાઓને અફવાથી કોઈ ફેર પડતો નથી. અમારું એક જ લક્ષ્ય છે કે ભારત મજબૂત થાય, રાષ્ટ્ર મજબુત થાય અને ભાજપ મજબૂત થાય. જિલ્લા ભાજપના પ્રમુખ નક્કી કરે તે મુજબ સંગઠન થાય તેવું ન હોય. રાષ્ટ્રીય નેતૃત્વ માંથી જે નિયમો બને તે ગુજરાતમાં લાગુ પડે અને ગુજરાતના કમલમમાંથી જે નિયમો બને તે તમામ જિલ્લાઓમાં લાગુ પડે. અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી જે વાત મૂકે તે મુજબ અમે કાર્ય કરતા હોઈએ છીએ. રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ઉપપ્રમુખ તરીકે લોધિકાના કાજલબેન ગોંડલીયા, ગોંડલના રીનાબેન ભોજાણી, ધોરાજીના રેખાબેન ડાભી, ગોંડલના પ્રફુલભાઇ ટોળીયા, જામકંડોરણાના સુરેન્દ્રસિંહ વાળા, ઉપલેટાના જયેશભાઇ ત્રિવેદી, લોધિકાના મનોજભાઈ રાઠોડ, અને ધોરાજીના રાજુભાઈ બાલધાની નિમણુંક કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે રાજકોટ તાલુકાના નરેન્દ્રસિંહ જાડેજા, જસદણ તાલુકાના હરેશભાઇ હેરભા અને ઉપલેટાના રવિભાઈ માંકડિયાની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત મંત્રી તરીકે ભારતીબેન સાંકળિયા, સતિષભાઈ ભીમજીયાણી, મુકેશભાઈ મેર, પ્રવીણભાઈ હેરમાં, સુધાબેન ગોહેલ, મનીષાબેન સંચાણીયા, અનિતાબેન ચૌહાણ અને શૈલેષ અજાણીની નિમણુંક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા ભાજપના નવા સંગઠન માળખામાં રિપીટ થિયરી જોવા મળી છે. જેમાં મહામંત્રી પદ પર ત્રણેય હોદેદારોને રિપીટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉપપ્રમુખ પદ પર રીનાબેન ભોજાણીને પણ રિપીટ કરવામાં આવ્યા છે. અનિતાબેન ચૌહાણને કાર્યાલય મંત્રીમાંથી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે યુવા મોરચા પ્રમુખ તરીકે મહામંત્રી પદે રહેલા દેવ કોરડિયાને પ્રમુખ, સૂરજ ડેરને મંત્રીમાંથી મહામંત્રી જાહેર કરવામા આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાના આયોજન સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. ભેસ્તાન ખાતે 34 કરોડના ખર્ચે બનેલો બ્રિજ અત્યારે ગલીથી શરૂ થઈને દિવાલ પર ખતમ જેવો ઘાટ સર્જી રહ્યો છે. આ 'અધૂરા' બ્રિજની પોલ ખુલતા જ ભાજપના કોર્પોરેટરોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકાર્પણ સાત દિવસ બાદ આખી ફોજ બ્રિજ પર ખુલાસા આપવા ઉતરી પડી હતી. ભાજપના કોર્પોરેટર બ્રિજ પર જઈ ખુલાસો કરી વિડિયો બનાવી પોતાના સોશ્યલ મીડિયામાં અપલોડ પણ કર્યા છે. બ્રિજ ઉતરો એટલે સીધા રેલવે ટ્રેક! વાહનચાલકો 'ચકરાવે' ચડ્યાસિદ્ધાર્થ નગર પાસે બનેલો આ 600 મીટર લાંબો બ્રિજ જ્યારે ખુલ્લો મુકાયો, ત્યારે લોકોમાં ખુશી હતી. પણ આ ખુશી ત્યારે ગાયબ થઈ ગઈ જ્યારે વાહનચાલકોએ જોયું કે બ્રિજ ઉતરતાની સાથે જ સામે રેલવે ટ્રેક આવી જાય છે! કનેક્ટિંગ રસ્તો ન હોવાથી લોકોએ ફરજિયાત યુ-ટર્ન લેવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે, 'શું આ બ્રિજ માત્ર રેલવે ટ્રેક જોવા માટે બનાવ્યો છે?' નેતાઓએ બ્રિજ પર વીડિયો બનાવી બ્રિજના ફાયદા ગણાવ્યામીડિયામાં ફજેતી થતા જ કોર્પોરેટર અમિત રાજપૂત, દિનેશ પુરોહિત, દિનેશ જોગાની, નેન્સી શાહ અને કેયુર ચપટવાલા સહિતના નેતાઓ કાફલા સાથે બ્રિજ પર પહોંચી ગયા હતા. સામાન્ય રીતે ઓફિસમાં બેસતા નેતાઓએ ધોમધખતા રાતમાં બ્રિજ પર ઉભા રહીને વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોમાં તેઓએ જનતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે બ્રિજ નકામો નથી પણ ભવિષ્યનો રસ્તો છે. ભલે અત્યારે રસ્તો બંધ લાગે,પણ....કોર્પોરેટરોએ જોરશોરથી દાવો કર્યો છે કે ભલે અત્યારે રસ્તો બંધ લાગે, પણ આ બ્રિજથી આસપાસના 1800 ઇન્ડસ્ટ્રીયલ એકમોને ફાયદો થઈ રહ્યો છે. ભાજપના નેતાઓના મતે, આ બ્રિજ ભવિષ્યમાં સીધો એરપોર્ટ સાથે જોડાશે. રેલવે બ્રિજનું કામ અત્યારે ચાલી રહ્યું હોવાથી આ અડચણ છે, પણ કામ પૂરું થતા જ આ બ્રિજ 'સુપરહિટ' સાબિત થશે. વિવાદ કે વિકાસ? એક તરફ ભાજપની 'કોર્પોરેટર ફોજ' આને માસ્ટરપ્લાન ગણાવી રહી છે, તો બીજી તરફ જનતા એ વાતથી પરેશાન છે કે જો કામ અધૂરું હતું તો લોકાર્પણની ઉતાવળ કેમ કરવામાં આવી? અત્યારે તો ભેસ્તાન બ્રિજ સુરતની રાજનીતિ અને સોશિયલ મીડિયા પર મીમ્સ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મેયરે પણ બ્રિજના ફાયદા ગણાવવા મેદાને ઉતર્યામાત્ર ભાજપના કોર્પોરેટરો જ નહીં, પરંતુ મેયર દક્ષેશ માવાણી પણ અચાનક બ્રિજ પર પહોંચી ગયા હતા અને આ બ્રિજના કેટલા લાભો છે તે અંગે વિગતો આપી હતી. લોકાર્પણના સાત દિવસ બાદ, જ્યારે વિવાદ વધ્યો અને વિપક્ષે આકરા પ્રહારો કર્યા, ત્યારે અચાનક જ મેયર સહિત ભાજપના કોર્પોરેટરોની આખી ફોજ બ્રિજના ફાયદા ગણાવવા મેદાને ઉતરી હતી.
ગોધરામાં ઉભરાતી ગટર સમસ્યાનું નિરાકરણ:સિગ્નલ ફળિયા રોડ પર પાલિકાએ સફાઈ શરૂ કરી
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા રોડ પર લાંબા સમયથી પ્રવર્તતી ઉભરાતી ગટરની સમસ્યાનો નગરપાલિકા તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવ્યો છે. આ સમસ્યા અંગે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ પાલિકાએ સફાઈ કામગીરી હાથ ધરી હતી. સિગ્નલ ફળિયા રોડ પર આવેલા સરકારી ઘાસ ગોડાઉન નજીક ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફેલાઈ જતું હતું. આના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ પ્રતિકૂળ અસર થતી હતી. આ ગંભીર સમસ્યા અંગે ગઈકાલે વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રકાશિત થતાં જ નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું અને આજે તાત્કાલિક સ્થળ પર ટીમો મોકલી સફાઈ કામગીરી શરૂ કરાવી. ગટર લાઇનનું બ્લોકેજ દૂર કરવા માટે મશીનરી અને કર્મચારીઓ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમસ્યાના નિરાકરણથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ રાહત અનુભવી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના અપહરણના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ઓળખ છુપાવી સચિન વિસ્તારમાં બરફની ફેકટરીમાં મજૂર તરીકે કામ કરી રહ્યો હતો. લગ્ન કરવાની લાલચ આપીને મહિલાને ફસાવીપોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપી અને ભોગ બનનારની ઉંમરને લઈને સામે આવી છે. પકડાયેલ આરોપી ગગનકુમાર રાધિકાપ્રસાદ તિવારીની ઉંમર માત્ર 29 વર્ષ છે, જ્યારે જે મહિલાનું તેણે અપહરણ કર્યું હતું તેની ઉંમર આશરે 34 વર્ષ છે. આરોપી ગગનકુમારે આ 5 વર્ષ મોટી ઉંમરની મહિલાને લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને ગત 11 ઓગસ્ટ, 2025ના રોજ ઉત્તર પ્રદેશથી ભગાડી લાવ્યો હતો. સુરતની GIDCમાં પેકિંગ મજૂરનું કામ કરતો ગુનો કર્યા બાદ પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી ગગન તિવારી સુરત આવી પહોંચ્યો હતો. તેણે સુરતના ઔદ્યોગિક હબ ગણાતા સચિન GIDC વિસ્તારમાં આવેલી મામા ઇન્ડસ્ટ્રી બરફ ફેક્ટરી પાસે પોતાનું નવું ઠેકાણું બનાવ્યું હતું. અહીં તે કોઈને શંકા ન જાય તે રીતે પેકિંગની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તે જ ફેક્ટરી પાસે આશરો મેળવ્યો હતો. તેને એમ હતું કે સુરત જેવા મોટા શહેરમાં લાખો મજૂરોની ભીડમાં તે છુપાઈ જશે, પરંતુ ક્રાઈમ બ્રાંચની જનરલ સ્કોડને તેની સચોટ બાતમી મળી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચે આરોપીને દબોચ્યોઉત્તર પ્રદેશના ચિત્રકુટ જિલ્લાના કરવી કોતવાલી નગર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં આરોપી ગગન સામે અપહરણ અને SC-ST અધિનિયમ જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. UP પોલીસે સુરત ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરતા જનરલ સ્કોડના જવાનોએ વોચ ગોઠવી હતી. બાતમી મુજબ સચિન GIDCમાં દરોડો પાડીને પોલીસે 29 વર્ષીય ગગન તિવારીને ઝડપી લીધો હતો અને તેની સાથે રહેલી 34 વર્ષીય મહિલાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. આરોપીને UP પોલીસને સોંપાયોસુરત ક્રાઈમ બ્રાંચે સફળતાપૂર્વક આરોપીની અટકાયત કર્યા બાદ ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરી હતી. આરોપી ગગન તિવારી અને ભોગ બનનાર મહિલા બંનેનો કબજો ચિત્રકુટ જિલ્લાની પોલીસને સોંપવા માટેની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
કેસર કેરીના ગઢ ગણાતા તાલાલા અને ગીર પંથકમાં આ વર્ષે કુદરતી વિષમતાઓ વચ્ચે પણ કેરીના પાકની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. કમોસમી વરસાદને કારણે મોડી શરૂ થયેલી મોર ફૂટવાની પ્રક્રિયા હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. હાલમાં 60 ટકાથી વધુ આંબાવાડીઓમાં ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. ત્રણ તબક્કામાં મોરની સ્થિતિ ગીરના આંબામાં મોર આવવાની પ્રક્રિયા આ વર્ષે ત્રણ અલગ-અલગ તબક્કામાં વહેંચાઈ છે: પ્રથમ તબક્કો (ડિસેમ્બર મધ્ય): ઓક્ટોબરમાં ભારે વરસાદને કારણે આ પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી. આ તબક્કે જે મોર આવ્યા હતા, તેમાં અત્યારે સફળતાપૂર્વક 'મગીયો' (નાની ખાખડી) બંધાઈ ચૂકી છે. બીજો તબક્કો (જાન્યુઆરી પ્રથમ સપ્તાહ): જાન્યુઆરીની શરૂઆતમાં ફૂટેલા મોર પર કકડતી ઠંડીની વિપરીત અસર જોવા મળી હતી, જેના કારણે આંશિક નુકસાન થયું છે. ત્રીજો તબક્કો (હાલમાં કાર્યરત): અત્યારે ફૂટનો છેલ્લો અને આખરી તબક્કો ચાલી રહ્યો છે. ખેડૂતોના મતે આ પ્રક્રિયા 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આગોતરી કેરીની આવકમાં વિલંબની શક્યતાસામાન્ય રીતે ઓક્ટોબર-નવેમ્બરમાં જે મોર ફૂટે છે તેની કેરી એપ્રિલની શરૂઆતમાં બજારમાં આવી જતી હોય છે, જેનાથી ખેડૂતોને ઊંચા ભાવ મળે છે. પરંતુ આ વર્ષે કમોસમી વરસાદે ગણિત બગાડ્યું છે. જોકે, અમુક ગામોમાં છૂટાછવાયા આંબામાં આગોતરી ફૂટ થતા ત્યાં ખાખડી તૈયાર થઈ રહી છે, પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ ફ્લાવરિંગ ચાલુ છે. ખેડૂતો દ્વારા માવજત અને આશાવાદહાલમાં રોગ-જીવાતનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. મોરનું બંધારણ સારું થાય તે માટે ખેડૂતો દવાના હળવા સ્પ્રે કરી રહ્યા છે. માર્ચમાં ચિત્ર સ્પષ્ટ થશેઆગામી માર્ચ મહિનામાં ખબર પડશે કે કેટલા ટકા ફૂટ ટકી રહી છે અને કેરીનું બંધારણ કેવું છે. જો હવે માવઠું કે કમોસમી વરસાદ ન થાય, તો આ વર્ષે કેસરનું મબલખ ઉત્પાદન મળવાની પૂરી સંભાવના છે. આ પણ વાંચો, આ વર્ષે કેસર કેરી મોડી અને મોંઘી મળવાના એંધાણ; જાણો જવાબદાર કારણો
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે, કારણ કે અમદાવાદના રાણીપમાં બલોલનગર બ્રિજની નીચે જાહેરમાં દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં લોકો જાહેરમાં દારૂ પીવા આવે છે. દારૂ પીવા માટે સોફા, ચેર સહિતની VIP ટ્રીટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. જાણ થતાં જ ભાસ્કર રિપોર્ટર આ દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા. ભાસ્કર રિપોર્ટરને જોતા જ દારૂડિયાઓ ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. તો એક ચિક્કાર પીધેલો શખ્સ ત્યાં મળી આવ્યો હતો. તેને પૂછતાં તેણે કહ્યું કે હા અહીં દારૂ મળે છે, હું 15-20 પોટલી મારીને બેઠો છું. રાણીપના દેશી દારૂના અડ્ડામાં બાર જેવી વ્યવસ્થારાણીપના બલોલનગર બ્રિજ નીચે સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં રેલવે લાઇનની બાજુમાં એક ખુલ્લી જગ્યામાં ચારે બાજુથી પડદા બાંધીને દારૂનો અડ્ડો ચલાવવામાં આવી રહ્યો છે. આ સ્થળ પર ભાસ્કર રિપોર્ટર પહોંચતા જ અંદરથી લોકો બહાર નીકળીને ભાગી ગયા હતા. જોકે અંદર જઈને તપાસ કરતા મોટા બારમાં હોય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. બ્રિજ નીચે ચારે તરફ પડદા ઢાંકીને સોફા-ચેર-ટેબલ ગોઠવ્યાખુલ્લી જગ્યામાં ચારે તરફથી પડદા ઢાંકીને અંદર સોફા મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચેર મૂકવામાં આવી હતી. પથ્થરથી ટેબલ પણ બનાવવામાં આવ્યા હતા. અંદર દેશી દારૂની થેલીઓ પણ જોવા મળી હતી. અલગ અલગ કેરેટમાં દેશી દારૂની અનેક થેલીઓ પણ જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા આવતા હોવાની શક્યતાથોડે દૂર કેટલાક લોકો ટોળા થઈને ઊભા હતા. અહીંયા મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા આવતા હોવાની પણ શક્યતા છે. ત્યાં હાજર એક વ્યક્તિએ પણ જણાવ્યું હતું કે તે અહીંયા દારૂ પીવા જ આવ્યો હતો. દારૂનો અડ્ડો ચલાવનાર સામે થોડા સમય પહેલાં જ પાસા કરી: PIસમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનના PI યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દારૂનો અડ્ડો ચલાવનાર સામે અનેક કેસ કરવામાં આવ્યા છે. થોડા સમય અગાઉ જ પાસા કરવામાં આવી હતી. પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલશહેર પોલીસ દ્વારા દારૂબંધીનું કડક પાલન થતું હોવાના દાવા કરવામાં આવે છે ત્યારે જાહેરમાં આ પ્રકારનો દારૂનો અડ્ડો ચાલતો હોવાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
સરકાર દ્વારા 'નળ સે જળ' યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ઘરે-ઘરે પાણી પહોંચાડવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠાના 6 ગામોમાં છેલ્લા 5 દિવસથી પીવાના પાણી માટે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉકાઈ ડાબા કાંઠા નહેરના સમારકામને પગલે પાણીનું રોટેશન બંધ થતા હજારો ગ્રામજનો ખારું પાણી વાપરવા મજબૂર બન્યા છે. 10 હજારથી વધુ લોકોની હાલત કફોડીનવસારીના જાણીતા પ્રવાસન ધામ ઉભરાટ સહિત દાંતી, દીપલા, બોરસી, વાસી અને દીવાદાંડી માછીવાડ ગામના લોકો વર્ષોથી પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ઉકાઈ નહેરના વાર્ષિક સમારકામ માટે વિભાગ દ્વારા 45 થી 60 દિવસનો પાણી કાપ લાદવામાં આવે છે. તેની સામે ઉભરાટ જૂથ યોજના અંતર્ગત જે તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે તેની ક્ષમતા માત્ર 28 દિવસની જ છે. તળાવ છીછરું હોવાને કારણે પાણી જલ્દી સુકાઈ જાય છે, પરિણામે રોટેશનના અંતિમ દિવસોમાં 10 હજારથી વધુ લોકોની હાલત કફોડી બની જાય છે. કૂવાનું પાણી 4000 TDS ધરાવે છે, ચર્મરોગનો ખતરોપાણીના અભાવે બોરસી ગામની મહિલાઓ કૂવેથી પાણી ખેંચવા મજબૂર બની છે. જોકે, આ કૂવાનું પાણી અત્યંત ખારું અને 4000 TDS (Total Dissolved Solids) ધરાવે છે. આટલું ક્ષારયુક્ત પાણી વાપરવાથી ગ્રામજનોમાં ચર્મરોગ અને અન્ય ગંભીર બીમારીઓ થવાની દહેશત સેવાઈ રહી છે. આઝાદીના 77 વર્ષ પછી પણ પાયાની સુવિધા માટે વલખાં મારતા ગ્રામજનોમાં વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. PM મિત્રા પાર્ક આશાનું કિરણ, પણ અધિકારીઓ ઉદાસીનહાલમાં વાસી ગામ ખાતે 'PM મિત્રા પાર્ક'નું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, જો આ પાર્ક માટે નાખવામાં આવતી અલાયદી પાણીની લાઈનમાંથી આ 6 ગામોને જોડાણ આપવામાં આવે, તો કાયમી ઉકેલ આવી શકે છે. આ ઉપરાંત ઉભરાટના જૂથ યોજનાના તળાવને ઊંડું કરવા અથવા નવું તળાવ બનાવવાની રજૂઆતો વર્ષોથી પેન્ડિંગ છે, પરંતુ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ: બોરસી ગામના રહેવાસી કહી રહ્યા છે કે, છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીનો પુરવઠો ગામમાં બંધ છે. પાંચ ગામો વાંસી, બોરસી, માછીવાડ, દિપલામાં પાણી પુરવઠો અત્યારે ઉપલબ્ધ નથી. પુરવઠા ખાતા દ્વારા પાણીની યોજના છે તે અત્યારે નહેરના સમારકામને લીધે બંધ પડેલી છે. નહેરનું સમારકામ 60 દિવસ માટે એનું મેન્ટેનન્સ કરવામાં આવેલું છે અને અમારા તળાવની જે કેપેસિટી છે તે ફક્ત 28 દિવસની જ હોવાથી એ પાણી અત્યારે તળાવ ખાલી થઈ જતા આ પાણી આવી શકતું નથી. અધિકારીઓને જાણ કરવામાં આવી છતાં 60 દિવસ માટે કોઈ સગવડ ઊભી કરી નહીં અને આજે જોઈએ તો પાણી અમારા માટે એક અમૃત જેવું બની ગયું છે. અમે દરિયા કિનારાના રહેવાસી લોકો છીએ, દરિયા કિનારે પુષ્કળ પ્રમાણમાં પાણી છે, પરંતુ અમારે જે મીઠા પાણીની જરૂર છે એ પાણી અમને હાલ મળતું નથી. અમે સરકારને વિનંતી કરીએ કે, જલ્દીથી જલ્દી પાણીની સગવડ કરે. અત્યારે કૂવામાંથી અમારી બહેનો પાણી ભરી રહી છે પણ એ પાણી 4000 ટીડીએસ પીપીએમ જેવું છે, એ પાણી શરીર માટે યોગ્ય નથી. ન્હાવા માટે પણ આ પાણી યોગ્ય ન હોવા છતાં પણ તેનો ઉપયોગ કરવા મજબૂર છીએ. અન્ય એક સ્થાનિક લક્ષ્મીબેન કાંતિએ જણાવ્યું કે, અહીં પાણીની બહુ તકલીફ છે. પીવા માટે પણ પૂરતું પાણી મળતું નથી. કૂવામાં પાણી છે પણ એ ઘણું ખારું છે. એ પાણી વાપરવાથી વાસણો બગડી જાય છે, કપડાં ફાટી જાય છે અને ન્હાવા માટે પણ એ પાણી યોગ્ય નથી. વાસણ સાફ કરવા માટે ઘણું પાણી જોઈએ, તો એ અમે ક્યાંથી લાવીએ? તળાવ પણ સાવ સૂકા ભઠ્ઠ થઈ ગયા છે. મને અહીં રહેતા 50 વર્ષ થઈ ગયા છે અને ત્યારથી જ અમે આ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ. દરિયાનું પાણી આવી જવાને કારણે તળાવના પાણી પણ ખારા થઈ જાય છે. જો થોડું પણ પાણી હોય તો અમે થોડો સમય ચલાવી લઈએ, પણ પછી એ વાપરવા જેવું રહેતું નથી. અમે આ બાબતે ઘણી વાર રજૂઆત કરી છે, પણ અત્યાર સુધી કોઈ જોવા માટે પણ આવ્યું નથી. આ પહેલી વાર છે કે તમે અહીં આવ્યા છો.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી બિન હથિયારી પોલીસ સબ ઈન્સપેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. બંને પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ ક્વોલીફાઈડ થયેલા 8679 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકીના 1023 ઉમેદવારોને 5 ફેબ્રુઆરીથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે. જેના કોલલેટર 2 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે. PSI ભરતી પરીક્ષામાં 8679 ઉમેદવારો ક્લોલિફાઈડ થયાગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25 અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ભરતી જાહેરનામા ક્રમાંક GPRB/202324/1 અંતર્ગત હાથ ધરાયેલી આ ભરતી પ્રક્રિયામાં શારીરિક કસોટીમાં ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા (પેપર-1 અને પેપર-2) આપી હતી. પરીક્ષા નિયમો મુજબ પેપર-1ના Part-A અને Part-Bમાં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવેલા ઉમેદવારોમાંથી કુલ 49,591 ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક)ની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલા કુલ 8679 ઉમેદવારોને ક્વોલિફાઈડ જાહેર કરવામાં આવેલ. ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવીભરતી નિયમો અનુસાર ઉપલબ્ધ ખાલી જગ્યાના આધારે મેરિટ યાદી તૈયાર કરવામાં આવી છે. આ મેરિટ મુજબ ટોચના 1,023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે. ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી તા. 29 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. 5 ફેબ્રઆરીથઈ દસ્તાવેજ ચકાસણી હાથ ધરાશેદસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા તા. 5 ફેબ્રુઆરી 2026થી તા. 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે યોજાશે. ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટેના કોલલેટર OJAS વેબસાઇટ પરથી તા. 2 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યા બાદ ડાઉનલોડ કરી શકાશે. અનામત જાતિના ઉમેદવારોને પણ ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓ મુજબ ફરજિયાત દસ્તાવેજ સાથે હાજર રહેવાનું રહેશે. ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા અંગે ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પોલીસે મોબાઈલ, રોકડા તથા ગંજીપાનાં સહિત કુલ 20થી વધુનો મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગરના શહેરના રસાલા કેમ્પ પાસે નવા ગુરુદ્વારા સામે આવેલ ખુલ્લા મેદાન પાસે દરોડો પાડી જાહેર જગ્યામાં જુગાર રમતા 7 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે શખ્સોઓ પાસેથી રોકડ રકમ અને જુગારના સાહિત્ય મળી કુલ રૂ.20 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન શહેરના રસાલા કેમ્પ નવા ગુરુદ્વારા સામે આવેલ ખુલ્લા મેદાન પાસે પહોંચતા તેમને ખાનગી રાહે માહિતી મળી હતી કે, નવા ગુરુ દ્વારા સામે આવેલ ખુલ્લા મેદાનમાં જાહેર જગ્યામાં અમુક ઈસમો ગોળકુંડાળુ વાળી ખુલ્લી જાહેર જગ્યામાં અમુક તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા, આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેઈડ કરતા જુગાર રમી રહેલા 7 ઇસમોને રંગેહાથ ઝડપી લીધા હતા, પોલીસે તેમની પાસેથી મોબાઈલ 2 કિંમત રૂપિયા 10,000 તથા રોકડા 10,640 તથા સાહિત્ય સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ઝડપાયેલા આરોપીઓમાં ગોવિંદ કિશોરભાઈ સોલંકી ઉ.મ.22 રહે.સીદસર શામપરા મેઘાણીનગર, મેલડી માતાના મંદિર પાસે, રૂસ્તમખાન સૌરમખાન પઠાણ ઉ.મ.45, રહે.મોતીતળાવ શેરી નં-6, કાદરી મસ્જીદ પાસે, કુંભારવાડા, ઝાહીરઅબ્બાસ અહેમદભાઇ બેલીમ ઉ.મ.30, રહે.અમીપરા મસ્જીદ પાસે, રેવડી બજાર વડવા, સલીમ મહમદભાઇ બેલીમ ઉ.મ.58, રહે.અમીપરા મસ્જીદ પાસે, રેવડી બજાર, વડવા, મુકેશ સાજણભાઈ મેર ઉ.મ.30, રહે.કર્મચારીનગર, મફતનગર, ચિત્રા, ફુલસર, રાજુ ખોડીદાસભાઈ ડાભી ઉ.મ.52, રહે.બે માળીયા, ભરતનગર અર્બન તથા સોમુ અશોકભાઇ મકવાણા ઉ.મ.22 રહે.સીદસર શામપરા, મેઘાણીનગર, રામાપીરના મંદિરની સામેની શેરી વાળાને જુગારના પટમાં પડેલ જુગારના સાહિત્ય મળી કુલ 20,640 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી 7 શખ્સો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરુ કૂવામાંથી માનવ કંકાલ અને કિંમતી દાગીના મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી સોનું અને હાડપિંજરનાં ટૂક્ડાં બહાર કાઢ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં ગુમ થયેલા 65 વર્ષીય વૃદ્ધાનું કંકાળ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે હાડપિંજરના અવશેષો સત્તાવાર પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટ અને FSLમાં મોકલી આપ્યા છે. ખમીદાણા ગામમાં છેલ્લા છ મહિનાથી રહસ્યમય રીતે ગુમ થયેલા 65 વર્ષીય વૃદ્ધાના કેસમાં પોલીસે ગઈકાલે(30 જાન્યુઆરી) મોડી રાત સુધી પોલીસની 12 કલાક લાંબી તપાસ અને પરિવારની ભારે વેદના બાદ આખરે હવે આ મામલે સત્ય બહાર આવતું જણાઈ રહ્યું છે. 15 તોલા સોનાના દાગીના અને 2 લાખ સાથે ગુમ થયા'તાઆશરે 6 મહિના પહેલા કેશોદ તાલુકાના ખમીદાણા ગામના 65 વર્ષીય સુમરીબેન (ઉર્ફે મણીબેન) રામદેભાઈ બારૈયા અચાનક પોતાના ઘરેથી લાપતા થયા હતા. તેમના ભત્રીજા નાથાભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, સુમરીબેન ગામમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયા હતા, જ્યાંથી સવારે 11.30 વાગ્યાની આસપાસ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. ગુમ થયા ત્યારે તેની પાસે 15 તોલાથી વધુ સોનાના દાગીના અને આશરે 2 લાખ રૂપિયાની રોકડ રકમ હતી. શોધખોળ બાદ પણ વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો ન હતોતેઓ ક્યારેય આ મત્તા પોતાનાથી દૂર રાખતા ન હોવાથી પરિવારને પ્રથમ દિવસથી જ કોઈ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા હતી. તે સમયે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. જેમાં તેઓ હોસ્પિટલ તરફ જતા દેખાયા હતા, પરંતુ ત્યારબાદ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. પરિવાર અને સમાજે મુખ્યમંત્રી અને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા'તાવૃદ્ધાના ગુમ થયા બાદ પરિવારજનો આકુળ-વ્યાકુળ હતા. ન્યાય માટે તેમણે મુખ્યમંત્રી અને સરકારમાં રજૂઆતો કરી હતી, તેમજ હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવ્યા હતા. કોળી સમાજ દ્વારા પણ આ મામલે અપહરણ કે હત્યાની આશંકા સાથે મૌન રેલી યોજી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. લાંબા સમય સુધી પોલીસને કોઈ સફળતા ન મળતા પરિવારની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો હતો. RR સેલની તપાસ ને અવાવરુ કૂવા પર શંકાઆખરે આ તપાસનો દોર જૂનાગઢ RR સેલ દ્વારા સંભાળવામાં આવ્યો હતો. RR સેલે જૂના પુરાવા અને કડીઓને જોડીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. આ તપાસ દરમિયાન ગામની સીમમાં આવેલા એક અવાવરુ કૂવા પર શંકા જતા ત્યાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. એક થેલીમાં સોનું અને માનવ હાડપિંજરના અવશેષો ટોર્ચ અને દોરડાની મદદથી કૂવામાં ઉતરેલી પોલીસ ટીમને કલાકોની જહેમત બાદ સફળતા મળી હતી. કૂવામાંથી કચરો કાઢતા એક થેલી મળી આવી હતી, જેમાં સોનું હોવાનું જાણવા મળ્યું છે. તેની સાથે જ માનવ હાડપિંજરના અવશેષો પણ મળી આવ્યા છે. કૂવો કચરાથી ભરેલો હોવાને કારણે તપાસની કામગીરી ખૂબ જ મુશ્કેલ રહી હતી, જેમાં પોલીસે ખાટલો નાખીને તમામ વસ્તુઓ બહાર કાઢવાની પદ્ધતિ અપનાવી હતી. FSL અને DNA રિપોર્ટ બાદ ખબર પડશે કંકાલ કોનુંહાલમાં પોલીસે જે માનવ કંકાલ બહાર કાઢ્યા છે તેની ઓળખ કરવી મુશ્કેલ છે. આથી, આ અવશેષો સુમરીબેનના જ છે કે કેમ તેની સત્તાવાર પુષ્ટિ કરવા માટે તેમને DNA ટેસ્ટ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, FSL રિપોર્ટ બાદ જ વાસ્તવિક હકીકત સામે આવશે. શંકાસ્પદની અટકાયત, લૂંટના ઈરાદે હત્યાની આશંકાઆ મામલે RR સેલ દ્વારા એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત પણ કરવામાં આવી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા હોઈ શકે છે. મોડી રાત સુધી પોલીસ કાફલો ખમીદાણા ગામમાં ધામા નાખીને બેઠો છે અને કૂવાની આસપાસ વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. ગુમશુદા કેસ પરથી પડદો ઉંચકાશેહાલ તો છ મહિના બાદ આ રહસ્યમય ગુમશુદા કેસ પરથી પડદો ઉંચકાતો જણાય છે. પોલીસની આ તપાસથી ગામલોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે અને આગામી દિવસોમાં આ સમગ્ર ગુનાનો સંપૂર્ણ ઘટસ્ફોટ થવાની શક્યતા છે.
ગુજરાત વિદ્યાપીઠ, સાદરા ખાતે 30 જાન્યુઆરી, 2026 મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે વિવિધ રચનાત્મક અને સેવાભાવી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. શારીરિક શિક્ષણ વિદ્યાશાખા અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) એકમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રભાત ફેરી, સમૂહ સફાઈ, છાત્રાલય સફાઈ, સમૂહમાં મૌન, સમૂહ કાંતણ અને છાત્રાલય સુશોભન જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી.ભાગ લેનાર 300 વિદ્યાર્થીઓને જુદી જુદી ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા, જેમાં દરેક ટુકડીમાં એક લીડર નિયુક્ત કરાયો હતો. આ ટુકડીઓએ સંકલિત રીતે સમગ્ર પરિસરની સ્વચ્છતા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. પ્રભાત ફેરીનું આયોજન NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. નીરજ સિલાવટ દ્વારા કરાયું હતું. સમૂહ સફાઈ અભિયાન ડૉ. જગદીશ સાવલિયા, ડૉ. દળસંગ ચૌધરી અને ડૉ. ગીતા પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયું. સમૂહમાં મૌન અને કાંતણ પ્રવૃત્તિઓનું આયોજન ડૉ. અરવિંદ રામી, ડૉ. નિમેશ ચૌધરી અને ડૉ. વિજય મકવાણાએ કર્યું હતું. છાત્રાલય સુશોભન પ્રવૃત્તિઓનું આયોજન અને સંચાલન કંકાભાઈ ડામોર, ડૉ. મોહમ્મદ બાદી, રાહુલ પટેલ, નિખિલ પોકાર અને સૂર્યાબેન ભગોરાએ કર્યું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય સંબંધિત દેખરેખની જવાબદારી મેડિકલ ઓફિસર ડૉ. ધર્મેશ પટેલે નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ડીન ડૉ. પ્રભુલાલ કાસુન્દ્રાની મુખ્ય ભૂમિકા રહી હતી. તેમ જ NSS પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડૉ. નીરજ સિલાવટના માર્ગદર્શન હેઠળ આયોજન અને સંચાલન સફળતાપૂર્વક પૂર્ણ થયું. આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સેવાભાવ, શિસ્ત, સહકાર અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.
આણંદ LCBએ ₹1.51 કરોડનો દારૂ ઝડપ્યો:વાસદ-બગોદરા હાઈવે પર હોટલ પાર્કિંગમાંથી જથ્થો જપ્ત
આણંદ જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ અધિક્ષકની સૂચના બાદ લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) ને મોટી સફળતા મળી છે. વાસદ-બગોદરા હાઈવે પર આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાંથી એક ટ્રકમાંથી ₹1.51 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. LCB ટીમને બાતમી મળી હતી કે, એક ટ્રકમાં ચોખાની કણકીના કોથળાની આડમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા શંકાસ્પદ ટ્રક મળી આવી હતી. જોકે, પોલીસને જોઈને ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા, ચોખાની કણકીના 500 કોથળા નીચે છુપાવેલી વિદેશી દારૂની 2594 બોટલો મળી આવી હતી. આ દારૂ ભારતીય બનાવટનો વિદેશી દારૂ હતો. પોલીસે કુલ 96 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત ₹1,51,00,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹15,00,000ની કિંમતની અશોક લેલન ટ્રક અને તેમાં ભરેલા ચોખાની કણકીના 500 કોથળા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ ₹1,66,50,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ફરાર થયેલા ટ્રક ચાલક વિરુદ્ધ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરી પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ અને પોલીસ સબ ઈન્સ્પેક્ટર આઈ.જે. રાણાની ટીમે પાર પાડી હતી.
રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીનાં 1358 પરિવારોને ડિમોલિશન માટેની ફાઇનલ નોટિસ આપવામાં આવી છે. અસરગ્રસ્તોએ તાજેતરમાં મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજૂઆતો કરી હતી. રૂ. 400 કરોડની કિંમતની અંદાજે 1.05 લાખ ચો. મીટર જગ્યા ખાલી કરવાની નોટિસ મળતા અનેક પરિવારોમાં ચિંતામાં મુકાઈ ગયાં છે. દિવ્ય ભાસ્કર અહીંના લોકોની વ્યથા જાણવા જંગલેશ્વરમાં પહોંચ્યું હતું. અમે રાધાકૃષ્ણ સોસાયટીનાં વેલનાથજી મંદિરે પહોંચ્યાં ત્યારે અહીં મહિલાઓ સહિત 50 જેટલા લોકો એકઠા થયા હતા. ડિમોલિશનની નોટિસ મળતા જ આશરો છીનવાઈ જવાની ભીતિમાં ગરીબ પરિવારો જોવા મળ્યા હતા. સ્થાનિકોએ તંત્ર સહિત નેતાઓ સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. અનેકે તો ઘરમાં રાંધ્યું પણ નહોતું. જ્યાં જુઓ ત્યાં લોકો એકત્ર થઈને હવે શું થશે? ક્યાં જઈશું? જેવી ચર્ચા કરતા જોવા મળ્યા હતા. દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા વર્ણવતા એક મહિલા તો રડી પડી હતી. અન્ય વૃદ્ધાએ કહ્યું કે, અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડીને જે વિકાસ કામો કરવા હોય તે કરે. તો વેલનાથજી મંદિરના મહંતે કહ્યું કે, હજારો લોકોને આશરો આપતા મંદિરને પણ આ લોકોએ છોડ્યું નથી, તેણે પણ તોડી પાડવા નોટિસ આપી છે. 35 વર્ષ પહેલાં તમામ સમાજે મળી વેલનાથજી મંદિરનું નિર્માણ કર્યું હતુંઃ મહંતરાધાકૃષ્ણ નગરનાં વેલનાથજી મંદિરમાં છેલ્લા 50 વર્ષથી વસવાટ કરતા મહંત મનુભાઈ ધેણોજાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જ્યારે તેઓ અહીં રહેવા આવ્યા ત્યારે આ વિસ્તારમાં છૂટાછવાયા જ મકાનો હતા. સમય જતાં વસ્તી વધી અને લોકોની સુવિધા માટે આશરે 35 વર્ષ પહેલાં તમામ સમાજના લોકોએ સાથે મળી વેલનાથજી મંદિરનું નિર્માણ કર્યું હતું. મંદિર પાછળનો મુખ્ય ઉદેશ્ય એ હતો કે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો, જેઓ મોંઘા વાડીના ભાડા ખર્ચી શકતા નથી, તેઓ પોતાના પ્રસંગો અને જમણવાર અહીં યોજી શકે છે. ‘કપરા સમયમાં આશરો આપનારા મંદિરને પણ ન છોડ્યું’આ મંદિરમાં લગ્ન કે અન્ય સામાજિક પ્રસંગો માટે 40 કે 50,000 જેવું મોટું ભાડું વસૂલવામાં આવતું નથી. માત્ર વાસણ, લાઈટ અને પાણીના ખર્ચ પેટે નજીવી રકમ લઈને લોકોને પ્રસંગો કરવાની મંજૂરી આપવામાં આવે છે, જેથી ગરીબ લોકો પણ પોતાના દીકરા-દીકરીના લગ્ન સારી રીતે કરી શકે છે. જોકે, તંત્રએ કોરોના સહિતના કપરા સમયમાં હજારોને આશરો આપનારા આ મંદિરને પણ છોડ્યું નથી. તેનું પણ ડિમોલિશન કરવાની નોટિસ આપવામાં આવી છે. ‘સ્થાનિક ધારાસભ્યનો ફોન બંધ, કુંવરજી બાવળીયાને પણ રજૂઆત’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે જનતાના મતોની જરૂર હોય છે, ત્યારે તમામ નેતાઓ અહીં આવતા હોય છે, પરંતુ અત્યારે જ્યારે લોકોના માથે ઘર વિહોણા થવાનું સંકટ આવ્યું છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને અન્ય પદાધિકારીઓ જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ દેખાઈ રહ્યા છે. આ બાબતે કુંવરજી બાવળીયાને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી હતી. તો અહીંના સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો ફોન બંધ આવે છે અને તેની ઓફિસેથી તેઓ ગાંધીનગર હોવાનું જણાવાય છે. કલેક્ટર કચેરીએ કરવામાં આવેલી રજૂઆતમાં પણ માત્ર 'વિચારીશું' તેવો અસ્પષ્ટ જવાબ મળ્યો છે. ‘હકીકતમાં તંત્રએ 1300ને નહિ, 4000 જેટલા લોકોને નોટિસ આપી છે’મહંતના જણાવ્યા મુજબ, આ ડિમોલિશન માટે હુસેની ચોકથી લઈને નાડોદા સુધીના વિસ્તારમાં આશરે 3500થી 4000 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. તંત્ર દ્વારા આશરે 1300 મકાનો તોડી પાડવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં 4000 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે. જેના કારણે આશરે 1.5 થી 2 લાખ જેટલા લોકોની વસ્તી પ્રભાવિત થઈ શકે તેમ છે. આટલી મોટી સંખ્યામાં લોકોને ઘરબાર વગરના કરવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે અજંપો વ્યાપેલો છે. ‘મકાન ભાડે આપવલા કોઈ તૈયાર નથી, ભાડું સીધું રૂ. 15000 માગે છે’વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે જંગલેશ્વરનું નામ પડતા જ બહાર કોઈ ભાડે મકાન આપવા તૈયાર નથી અને જ્યાં મળે છે, ત્યાં ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. રૂ. 5000નું ભાડું સીધું રૂ. 15000 સુધી માંગી રહ્યા છે, જે આ મજૂર વર્ગના લોકો માટે અશક્ય છે. આ વિસ્તારમાં અત્યંત ગરીબ અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે. ડીમોલિશનના ડર અને મકાન ન મળવાની ચિંતામાં ગઈકાલે 2 લોકોના મોત નિપજ્યા હોવાનું પણ તેમણે દુઃખ સાથે જણાવ્યું હતું. ‘વિકાસનો વિરોધ નથી, ગરીબોને પહેલાં આશરો આપો’સરકાર જો વિકાસના કામો કરવા માંગતી હોય તો તેનો અમને કોઈ વિરોધ નથી, પરંતુ આ ગરીબ લોકોને ક્યાંક આશરો આપવામાં આવે તેવી મારી મુખ્ય માગ છે. જો તંત્રને આ જમીન જોઈતી હોય તો અમને પણ આવાસ યોજનાના ક્વાર્ટર્સ અથવા અન્ય કોઈ જગ્યાએ 50 વારની જગ્યા આપવામાં આવે તો અમે સ્થળાંતર કરવા તૈયાર છીએ. ગરીબ જનતાની પીડા સાંભળવા કોઈ નેતા કે અધિકારી આગળ આવે તેવી અપીલ પણ તેમણે કરી છે. નોટિસ મળતા ઘણા લોકોએ ઘરમાં રાંધ્યું પણ નથી: જેનુબેનજંગલેશ્વર ખાતે રહેતા જેનુબેન અમનભાઈ સેતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે અહીં 35 વર્ષથી રહીએ છીએ. અમે ગરીબ માણસો માંડ-માંડ દિવસો કાઢીએ છીએ. અમારા ત્રણ દીકરા છે, જેમને ત્યાં નાની દીકરીઓ અને દીકરાઓ છે. હું પોતે વિધવા છું અને આટલા મોટા પરિવાર સાથે હવે ક્યાં જવું? સરકાર દ્વારા અમારા મકાનો છીનવી લેવાની વાતથી આખું કુટુંબ આઘાતમાં છે. જ્યારથી મકાનો ખાલી કરવાની નોટિસ મળી છે, ત્યારથી ઘણા લોકોએ ઘરમાં રાંધ્યું પણ નથી. તેઓ પોતાની આ વ્યથા ઠાલવતા રડી પડ્યા હતા. અહીં કોઈ શ્રીમંતો નથી રહેતા, માત્ર ગરીબ અને મજૂર વર્ગના લોકો જ વસવાટ કરે છે. તંત્રને અમારી પર જરા પણ દયા આવતી નથી? ‘અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડે’વધુમાં તેમણે જણાવ્યું કે, જો અમારો આ આશરો છીનવાઈ જશે, તો અમારી પાસે બીજો કોઈ રસ્તો રહે તેમ નથી. તેમણે માગ કરી છે કે તંત્ર તેમની પરિસ્થિતિ પર ધ્યાન આપે અને તેમને અહીંથી ન હટાવે. આટલા વર્ષોથી જે જગ્યાએ તેમનું જીવન વીત્યું છે, ત્યાંથી અચાનક બહાર કાઢી મુકવા તે માનવીય રીતે પણ યોગ્ય નથી. આ કરતા તો અમને બધાને મારી નાખે અને પછી મકાનો પાડીને જે વિકાસ કામો કરવા હોય તે કરે. આ મામલે સ્થાનિક નેતાઓને વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ હાથ ઝાલતું નથી. 65 વર્ષથી રહીએ છીએ, 30 વર્ષથી નિયમિત વેરો પણ ભરીએ છીએઃ હીરાબાહીરાબા નામના વૃદ્ધાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે તેઓ આ વિસ્તારમાં છેલ્લા 65 વર્ષથી રહે છે. તેઓ 30 વર્ષથી નિયમિત રીતે વેરો પણ ભરી રહ્યા છે. ખૂબ નાની વાયથી આ વિસ્તારમાં રહે છે. તેમજ પોતાના બાળકોને પણ કાગળિયાં વીણી-વીણીને મોટા કર્યા છે. તે સમયે સરકાર ક્યાં ગઈ હતી ? તેવો પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, હાલ તેમના પરિવારમાં 15 સભ્યો છે અને ડિમોલિશન બાદ તેઓ ક્યાં જશે? તેમને રહેવા માટે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિક નેતા ડવ સામે રોષતેઓએ સ્થાનિક નેતા નરેન્દ્ર ડવ વિરુદ્ધ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, નરેન્દ્ર ડવે અમારા રહેવા માટે બીજી કોઈ વ્યવસ્થા કરવાનું આશ્વાસન આપવા છતાં પણ હજી સુધી કોઈપણ કાર્યવાહી કરી નથી. અમને આ વિસ્તારમાં આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવી છે. પાકા રોડ અને ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અત્યારે ડિમોલિશનની નોટિસ મળતા આ તમામ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તંત્ર દ્વારા અગાઉ 992 જેટલા બાંધકામોને નોટિસ અપાઈ હતીદિવ્ય ભાસ્કર દ્વારા આ ડિમોલિશનની તંત્ર પાસેથી વિગતો મેળવાઈ હતી, જેમાં જાણવા મળ્યું હતું તે મુજબ, મનપા દ્વારા જંગલેશ્વર નદીના પટમાં ગેરકાયદેસર 992 જેટલા મકાનોને 2024માં નોટિસ અપાઈ હતી. ત્યારબાદ ચોમાસાને કારણે કામ અટક્યું હતું. ફરીથી નોટિસ આપી હતી, તેનો પિરિયડ પણ પૂરો થઈ ગયો છે. જે લોકોને આ નોટિસ અપાઈ છે તેઓ ટીપી સ્કીમ ન 6 ફાઇનલ પ્લોટ નં 133, 134, 137, અને 159માં રહે છે. આ કુલ 80 હજાર ચોરસ મીટર જગ્યા છે, જે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટરને ફાળવવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ 992 જેટલા બાંધકામોને નોટિસ અપાઈ હતી, જેમાં દરવાજા ખખડાવી ખખડાવી નોટિસ અપાઈ હતી. પુરુષ ન હોય તો મહિલાને નોટિસ આપી વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે બાદમાં સ્થાનિકોનાં વિરોધને પગલે આ ડિમોલિશન થઈ શક્યું નહોતું અને જગ્યા કલેક્ટર તંત્રને ફાળવવામાં આવી હોય અંતે આ જવાબદારી કલેક્ટરને સોંપવામાં આવી છે. જંગલેશ્વરના અનેક વિસ્તારો દસ્તાવેજ વાળાજંગલેશ્વરનાં ભૌગોલિક વિસ્તારની વાત કરવામાં આવે તો અહીં પટેલ નગર, પરસાણા સોસા. અને ગોકુલનગર તેમજ નીલકંઠ પાર્ક સહિતના વિસ્તારો દસ્તાવેજ વાળા છે. જ્યારે ભરતવન, સૂર્યોદય, લેઉવા પટેલ, અંકુરનગર, ન્યુ સાગર, સંત ભોજલરામ, પૂજા પાર્ક, બુદ્ધનગર અને રાધાકૃષ્ણ સોસા., દીપ્તિનગર અને સિદ્ધાર્થનગર સોસા. સહિતની સૂચિત સોસાયટીઓ આવેલી છે. જંગલેશ્વરની 1થી 58 નંબરની શેરીને નોટિસ અપાઈતેમજ જ્યાં ડિમોલિશનની નોટિસ અપાઈ, તેમાં મુખ્ય જંગલેશ્વરની 1થી 58 નંબરની શેરી, તેમજ નાડોદનગર, રાધા કૃષ્ણ સોસા., હુસેની ચોક, બાપુનગર, તવક્કલ ચોક, જમજમ ચોક, નૂરાની ચોક, કનૈયા ચોક, એકતા કોલોની, અંકુર સોસાયટી, ન્યૂ સાગર, પટેલ સોસાયટી અને ઠક્કરબાપા વાસનાં અનેક મકાનોનો સમાવેશ થાય છે. આ તમામ સોસાયટીમાં મકાન તેમજ પાણીવેરો વસુલવામાં આવે છે. પરંતુ Gpmc એક્ટ 1949ની મુજબ મિલકત વેરો ભરનાર પ્રથમ વ્યક્તિનું નામ ચોક્સાઇ કરવા પૂરતું જ હોય છે. તે માલિકીનો આધાર હોવાની સ્પષ્ટતા કાયદા મુજબ કરતું નથી. જેથી નિયમ મુજબ તંત્ર ડિમોલિશન કરી શકે છે. જમીનની કિંમત અંદાજે રૂ. 400 કરોડનીઃ પૂર્વ મામલતદારરાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારના સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6 ના ફાઇનલ પ્લોટ નંબર 133, 136, 137 અને 159 ની કુલ જમીન 1,05,800 ચોરસ મીટર થાય છે. જ્યાં રહેતા 1350 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી છે. જમીનની કિંમત અંદાજે રૂ. 400 કરોડ જેટલી થાય છે. સામાન્ય રીતે સરકારી જમીન ઉપર દબાણ હોય તે ખાલી કરાવવાનું જ હોય છે. જોકે અહીં ભવિષ્યમાં આજી રિવરફ્રન્ટ બનવાની પણ યોજના છે. નોટિસ દરમિયાન ત્યાંના લોકોનું શું કહેવું છે તે બાબતે પૂછવામાં આવતા તેમની જણાવ્યું હતું કે ત્યાંના લોકો પણ જાણે છે કે આ સરકારી જમીન છે અને તેના પર દબાણ થયેલું છે અને તેને કારણે મકાનો અને દુકાનો ખાલી કરાવવા માટે નોટિસ આપવામાં આવી રહી છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટની કામગીરી 2011થી શરૂઆજી રિવરફ્રન્ટ પ્રોજેકટ વર્ષ 2011થી કાર્યરત છે, જેમાં સૌથી મહત્વનું અને પ્રથમ પગલું એનવાયરમેન્ટ ક્લિયરન્સ મેળવવાનું કામ 17 ફેબ્રુઆરી, 2022ના રોજ થયું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટી માટે State Expert Appraisal Committee (SEAC) સમક્ષ 20 ઓગસ્ટ, 2021થી સર્ટીફિકેટ મળવા માટે સબમિટ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને કમીટી દ્વારા જરૂરી સુધારા વધારા કરવા જણાવેલ જે અન્વયે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજૂ કરાયું હતું. આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડીઝાઇન પ્લાનિંગ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ અમદાવાદની 5 માર્ચ, 2014થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. પ્રોજેક્ટને એન્વાયરમેન્ટલ કલિયરન્સની પણ મંજૂરી મળી ગઈકંપની દ્વારા ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહી છે. જેમાં પ્રથમ ફિઝિબિલિટી સ્ટડી, બીજું રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાંથી લેવાની થતી મંજૂરી અને ત્રીજું ફાઈનલ માસ્ટર પ્લાન કમ્પોનન્ટની ડિટેઈલ ડિઝાઈન તથા ટેન્ડરની કામગીરી. જે પૈકી ફિઝિબિલિટી સ્ટડીની કામગીરી પૂર્ણ થઇ છે અને એન્વાયરમેન્ટલ કલીયરન્સ (EC)ની મંજુરી પણ મળી ગઈ છે. હવે પછી આજી નદીમાં રિવફ્રન્ટ અન્વયેના વિશેષ કામો હાથ ધરવામાં આવશે. નદીનો દૂધસાગરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધીનો ભાગ ડેવલોપ કરાશેઆ પ્રોજેક્ટથી નદીમાં ઠલવાતો ગાર્બેજ બંધ થશે અને નદી શુદ્ધ થશે. હાલમાં નદીની પહોળાઈ 80થી 150 મીટરની છે, જેને અંદાજીત 70 મીટરની કરી આજુ બાજુના કાંઠા વાળા ભાગોમા ગાર્ડન, રસ્તા, વોક-વે, ફૂડ કોર્ટ, હોકર્સ ઝોન, STP વી.ની કામગીરી કરવામાં આવશે. નદીનો દૂધસાગરબ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધીનો ભાગ ડેવલોપ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે. હાઈકોર્ટનો 2 ફેબ્રુઆરી સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા આદેશઉલ્લેખનીય છે કે, એકતરફ તંત્ર જંગલેશ્વર સહિતની સોસાયટીમાં ડિમોલિશન કરવા માટે મક્કમ છે. તેમજ આ માટેની મોટાભાગની તૈયારીઓ કરી લેવામાં આવી છે. બીજીતરફ અસરગ્રસ્તો કોઈપણ રીતે ડિમોલિશન અટકાવી શકાય તેના માટે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હાઇકોર્ટમાં સરકારી વકિલે હાલમાં કોઇ અસરકારક પગલાં ન ભર્યા હોવાની દલીલ કરી છે. હાઇકોર્ટે 2 ફેબ્રુઆરી સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા આદેશ કર્યો છે. વધુ સૂનવણી 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. કેટલાક ભાડાથી રહેતા લોકોએ તો પોતાનો સામાન ફેરવવાની તેમજ આ વિસ્તારમાંથી અન્યત્ર સ્થળાંતર કરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. ત્યારે આગામી સમયમાં આ ડિમોલિશન કરવામાં આવે તો સ્થાનિકો અને તંત્ર વચ્ચે મોટું ઘર્ષણ થવાના એંધાણ પણ વર્તાઇ રહ્યા છે.
વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ટોલ ભરવા જેવી સામાન્ય બાબતે ડમ્પરચાલક અને અન્ય એક શખસે ટોલ બૂથના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શખસોએ માત્ર ધમકી જ નહીં, પરંતુ ટોલ બેરીકેટને નુકસાન પહોંચાડી ડમ્પર ભગાવી જવાનો પણ પ્રયાસ કર્યો હતો. શું છે સમગ્ર મામલો?મૂળ બિહારના અને હાલ વાંકાનેરના સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહી વઘાસિયા ટોલ પ્લાઝા પર મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર નિર્ભયકુમાર સુધાંશુ (ઉં.વ. 37)એ આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અહેવાલ મુજબ, ડમ્પર નંબર GJ 36 V 5208નો ચાલક અને વઘાસિયાની હરસિદ્ધિ હોટલ ધરાવતા જયરાજસિંહ નામના શખસો અવારનવાર ટોલ બૂથ પર દાદાગીરી કરતા હતા. તેઓ ટોલ ટેક્સ ચૂકવ્યા વગર જ વાહનો પસાર કરવા માટે સ્ટાફ પર દબાણ કરતા અને ના પાડવા પર ઝઘડો કરી ધમકીઓ આપતા હતા. સરકારી મિલકતને નુકસાનફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીઓએ અનેકવાર ટોલ ભર્યા વગર પૂરપાટ ઝડપે ડમ્પર હંકારી મૂક્યું હતું. આ પ્રક્રિયામાં ટોલ બૂથના લોખંડના બેરીકેટ અને બૂથના માળખાને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્ટાફને અપશબ્દો બોલી માહોલ બગાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. બે માથાભારે શખસ સામે ફરિયાદટોલ મેનેજરની ફરિયાદના આધારે વાંકાનેર સિટી પોલીસે નીચે મુજબના આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે: પોલીસે આ મામલે આઈ.પી.સી. (હવે ભારતીય ન્યાય સંહિતા)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મુસાફરો-કર્મચારીઓમાં ભયનો માહોલટોલનાકા પર સ્થાનિક માથાભારે તત્વોની દાદાગીરીની આ ઘટનાને પગલે અન્ય મુસાફરો અને કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી આવી ઘટનાઓ રોકવા માટે પોલીસ કડક પગલાં ભરે તેવી માગ ઉઠી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટ (મેન) 2025-26 અંતર્ગત તારીખ 30-01-2026 ના રોજ રોમાંચક મેચો રમાઈ હતી. 30 જાન્યુઆરીએ ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું કૌશલ્ય બતાવીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગ્વાલિયરનો 9 વિકેટે ભવ્ય વિજયરામરાજ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આજના દિવસની પ્રથમ મેચમાં ITM યુનિવર્સિટી ગ્વાલિયરે સંદીપ યુનિવર્સિટી નાસિક સામે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા સંદીપ યુનિવર્સિટી 17.4 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ITM યુનિવર્સિટીએ માત્ર 8.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 109 રન બનાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ મેચમાં રાહુલ સૈનીએ માત્ર 23 બોલમાં અણનમ 58 રન ફટકારી આક્રમક ઇનિંગ રમી હતી. બોલિંગમાં મિહિર મેહરાએ તરખાટ મચાવતા માત્ર 9 રન આપી 4 વિકેટ ઝડપી હતી. મેવાડ યુનિવર્સિટીનો રોમાંચક વિજયબીજી મેચ RK સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર મેવાડ યુનિવર્સિટી અને ડૉ. સુભાષ યુનિવર્સિટી વચ્ચે રમાઈ હતી, જેમાં મેવાડ યુનિવર્સિટીએ 5 વિકેટે જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરતા ડૉ. સુભાષ યુનિવર્સિટીએ 20.0 ઓવરમાં 135/8 રન બનાવ્યા હતા. મેવાડ યુનિવર્સિટીએ 19.0 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 137 રન કરીને મેચ જીતી લીધી હતી. મેવાડ યુનિવર્સિટી તરફથી ચિરાગ સુખવાલે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેણે બેટિંગમાં 45 રન બનાવ્યા હતા અને બોલિંગમાં માત્ર 9 રન આપી 4 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ભવ્ય ક્રિકેટ સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ સ્પોન્સરો દ્વારા નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે, જે પ્રશંસનીય છે.પરમ અગરબત્તીએમ.ડી. કેયુર ઘાટોડીયા દ્વારાદરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી અર્પણ કરવામાં આવી રહી છેઓમ. વી.વી.આઈ.એમ. કોલેજ, મોરબીટ્રસ્ટી સુમનભાઈ પટેલ દ્વારાસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીમના ખેલાડીઓ માટે ટી-શર્ટ અને ટ્રેકસૂટ પ્રદાન કરવામાં આવ્યાડૉ. સુભાષ યુનિવર્સિટીયુનિવર્સિટી પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા દ્વારાદરેક હારનાર ટીમને Consolation Trophy આપી ખેલાડીઓનું મનોબળ વધારવામાં આવી રહ્યું છેઆ સ્પર્ધામાં ખેલાડીઓ ઉપરાંત આયોજન સમિતિના સભ્યો, ટેક્નિકલ સ્ટાફ અને સ્વયંસેવકો દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. ખેલાડીઓ માટે રહેઠાણ, મેદાન વ્યવસ્થા, સ્કોરિંગ અને ટ્રોફી વિતરણ જેવી તમામ વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે સંચાલિત થઈ રહી છે.
અંબાજી ખાતે ત્રિદિવસીય 51 શક્તિપીઠ ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે. આજે મહોત્સવનો બીજો દિવસ છે. હિંમતનગર તાલુકાના 19 ગામોમાંથી 916 ભક્તો એસટી બસોમાં નિઃશુલ્ક અંબાજી જવા રવાના થયા હતા. આ ભક્તો શનિવારે સવારે તેમના ગામોમાં મુકવામાં આવેલી એસટી બસોમાં બેસીને અંબાજી જવા રવાના થયા હતા. જિલ્લામાં પરિક્રમા માટે કુલ 65 બસો ફાળવવામાં આવી છે. હિંમતનગર તાલુકાના હડિયોલ, લિખિ, વિરાવાડા, પ્રેમપુર, બેરણા, ખેડાવાડા, બાવસર, કનાઈ, કાનડા, ઘોરવાડા, કાણીયોલ, સાયબાપુર, વક્તાપુર, જામળા, હાંસલપુર, મહાદેવપુરા સહિત 19 ગામોના શ્રદ્ધાળુઓએ આ સેવાનો લાભ લીધો હતો. જિલ્લામાં વડાલી તાલુકામાં 8, ઇડરમાં 14, હિંમતનગરમાં 19 અને પ્રાંતિજમાં 4 સહિત અન્ય તાલુકાઓમાં મળીને કુલ 65 એસટી બસો ફાળવવામાં આવી છે. આ ત્રિદિવસીય પરિક્રમા મહોત્સવનો આવતીકાલે અંતિમ દિવસ છે.
બોટાદ જિલ્લાના ખેલાડીઓએ ખેલ મહાકુંભ-2025 રાજ્ય કક્ષાની ટેકવોન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે 27 થી 28 જાન્યુઆરી દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય, બોટાદના ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ના ખેલાડીઓએ કુલ પાંચ મેડલ જીતીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં સાંકળિયા ખમ્માએ ગોલ્ડ મેડલ, ઝાપડિયા નેહલે સિલ્વર મેડલ અને ડાભી કૃપાલી, શિયાળ રિંકલ તથા સરવૈયા વનીતાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ સિદ્ધિ સાથે બોટાદના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ પોતાની દબદબાભરી હાજરી નોંધાવી હતી. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-2025 રાજ્યના યુવા ખેલાડીઓ માટે તેમની પ્રતિભા પ્રદર્શિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. આના માધ્યમથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છુપાયેલી રમત પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન, તાલીમ અને સ્પર્ધાત્મક તકો મળે છે, જેના પરિણામે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ નામ રોશન કરી રહ્યા છે. ખેલાડીઓની આ સફળતા પાછળ ટેકવોન્ડો કોચ અજયભાઈ મૌર્ય અને ટેકવોન્ડો ટ્રેનર પટેલ હેપ્પીનું મહત્વપૂર્ણ માર્ગદર્શન અને મહેનત રહેલી છે. તેમના સતત પ્રયાસો અને યોગ્ય તાલીમના કારણે ખેલાડીઓ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા છે. આ શાનદાર સિદ્ધિ બદલ જિલ્લા રમત વિકાસ અધિકારી, બોટાદ, આદર્શ વિદ્યાલય, બોટાદ તેમજ સમગ્ર બોટાદ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. આ અવસરે આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદ વતી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ, આચાર્ય સંજયભાઈ ધાધલ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા તમામ રમતવીર ખેલાડીઓ, કોચ અને DLSS ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ વધુ સફળતા પ્રાપ્ત કરવાની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
પાટણમાં મોચી સમાજના કુળદેવી ચામુંડા માતાજીનો પાટોત્સવ:છપ્પન ભોગ અન્નકુટ અને ભવ્ય શોભાયાત્રા યોજાઈ
પાટણ શહેરમાં ગુજરાતી મોચી સમાજના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનો પાટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાઈ રહ્યો છે આ પ્રસંગે છપ્પન ભોગના અન્નકુટ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરના રસણીયાવાડા વિસ્તારમાં આવેલું શ્રી ચામુંડા માતાનું સ્થાનક ગુજરાતભરના મોચી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. મહાસુદ તેરસના દિવસે મંદિરના નવનિર્માણ નિમિત્તે પાટોત્સવ ઉજવાય છે. આ વર્ષે પાટોત્સવ નિમિત્તે માતાજીના સ્થાનકને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુ ભક્તો દ્વારા છપ્પન ભોગના અન્નકુટ મનોરથ દર્શન યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત, મંદિર પરિસરમાં માતાજીના નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાટોત્સવ નિમિત્તે નિજમંદિર ખાતેથી માતાજીની ભવ્ય પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. યાત્રાના પ્રસ્થાન પહેલાં યજમાન પરિવારે માતાજીની મૂર્તિને પાલખીમાં બિરાજમાન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ સંગીતની સુરાવલી સાથે પાલખીયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મોચી સમાજ સહિત અન્ય સમાજના લોકોએ ઠેર ઠેર માતાજીની પૂજા-આરતી કરી ધન્યતા અનુભવી હતી. પાલખીયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી નીજમંદિરે પરત ફરી હતી.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઉત્તર પ્રદેશના નોઇડા ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસે આ કાર્યવાહી કરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે આર્મ્સ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ અહીરવાર (રહે. ગરોલી ગામ, તા. નૌગામ, જી. છતરપુર, મધ્યપ્રદેશ) હાલ નોઇડામાં હાજર છે. આ માહિતીના આધારે, તાત્કાલિક એક પોલીસ ટીમને નોઇડા રવાના કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી નોઇડામાં એમ.આઈ.ટી. યુનિવર્સિટી નજીક આવેલી નાસ્તાની દુકાનમાં નોકરી કરતો હતો. પોલીસે ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી રાજેશ અહીરવારે કબૂલ્યું હતું કે તેણે અગાઉ પકડાયેલા આરોપી સોનુ મુન્નાલાલ શાહુને દેશી બનાવટનો તમંચો વેચ્યો હતો. આરોપીને ભરૂચ લાવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભાવનગર શિહોરના શામપરા (ખો) ગામ પાસે આવેલી આઈ-ટેક રમકડાની કંપનીમાં ગત ઓગસ્ટ મહિનામાં સર્જાયેલા એક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 31 વર્ષીય યુવાન નિશાંત મનસુખભાઈ વાઢેરનું લાંબી સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોત થતા મૃતકની બહેન દિપીકા વાઢેરે ટ્રક ચાલક વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ગત તા.28/8/2025 ના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં નિશાંત આઈ-ટેક કંપનીમાં ફરજ પર હતા, તે દરમિયાન કંપનીમાં રહેલા એક ટ્રક નંબર GJ-04-AW-9355 ના ચાલકે પોતાનો ટ્રક બેફીકરાઈથી અને પૂરઝડપે રિવર્સમાં લેતા નિશાંત ટ્રક અને કંપનીની દીવાલ વચ્ચે દબાઈ ગયા હતા, આ અકસ્માતમાં તેમને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, અકસ્માત બાદ નિશાંતને તાત્કાલિક શિહોરની મારુતિનંદન હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગરની બજરંગદાસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, પાંચ મહિના દરમિયાન તેમની તબિયતમાં સુધારા-વધારા થતા રહ્યા હતા, ભાવનગરમાં અને ત્યારબાદ શિહોરમાં સારવાર લીધી હતી, ફરી પેટમાં દુખાવો ઉપડતા શિહોરમાં બીજું ઓપરેશન કરવામાં આવ્યું. 14 જાન્યુઆરીએ ટાંકા લીકેજ થતા હાલત નાજુક બની હતી અને વધુ સારવાર માટે નિશાંતને 16 જાન્યુઆરીએ રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત તા.18/1/2026 ના રોજ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા, મૃતકની બહેન દિપીકાએ જણાવ્યું હતું કે, પિતાની નાદુરસ્ત તબિયત અને ભાઈને બચાવવા માટે હોસ્પિટલની દોડધામમાં વ્યસ્ત હોવાને કારણે તેમજ ભાઈના મૃત્યુ બાદની અંતિમ વિધિમાં રોકાયેલ હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો, હાલ વરતેજ પોલીસે ટ્રક નંબર GJ-04-AW-9355 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હનુમાનજી દાદાને ચાંદીનો મુગટ, જરદોશીવર્ક અને ફૂલની આકર્ષક ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. મંદિરના ગર્ભગૃહને ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ સાથે જ દાદાને સુખડી અને તાજા ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. વહેલી સવારે વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે શણગાર આરતી સંપન્ન થઈ હતી. મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
બોટાદ જિલ્લા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રતિનિધિઓએ બોટાદના નવનિયુક્ત RTO ઓફિસર આર.પી. દાણી મેડમની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં એસોસિએશનના પ્રમુખ અને રઘુવીર ટ્રાવેલ્સ બોટાદ સિટી બસના સંચાલક હકુભાઈ ખાચર તેમજ સહકારી અગ્રણી મયુરધ્વજસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે RTO ઓફિસરને શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે, ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા શ્રી કષ્ટભંજનદેવ દાદાની ફોટોમૂર્તિ આર.પી. દાણી મેડમને અર્પણ કરવામાં આવી હતી.
ટંકારા પાસે ક્રેટા કારે રિક્ષાને ટક્કર મારી:મોરબીના યુવાનનું મોત, કારચાલક સામે ફરિયાદ
મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા નજીક વીરપર ગામ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ક્રેટા કારના ચાલકે સીએનજી રિક્ષાને ટક્કર મારતા મોરબીના એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના વજેપર શેરી નંબર 15 માં રહેતા જયંતીભાઈ નરસીભાઈ ખાણધર પોતાની સીએનજી રિક્ષા (નંબર GJ 3 AW 0246) લઈને રાજકોટ-મોરબી હાઈવે પર જય દ્વારકાધીશ હોટલ સામેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન GJ 20 CB 7777 નંબરની ક્રેટા કારના ચાલકે તેમની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં જયંતીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મૃતક જયંતીભાઈના પત્ની માલતીબેન જયંતીભાઈ ખાણધરે (ઉંમર 32) ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ક્રેટા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપી કાર ચાલકને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ઉધના વિસ્તારમાં એક માતા ત્યારે રણચંડી બની ગઈ, જ્યારે માતાને ખબર પડી કે તેની 12 વર્ષીય દીકરીની છેડતી કરવામાં આવી છે. માતાએ ભારે રોષ સાથે માસૂમ બાળકીની છેડતી કરનાર શખસે પકડીને જાહેરમાં ફડાકા ઝીંક્યાં હતાં. તો રોષે ભરાયેલા ટોળાએ પણ યુવકને બેફામ માર માર્યો હતો. લોકોના મારથી આરોપીની ચકલ પણ બદલાઈ ગઈ હતી અને તેને સારવારમાં ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં રોમિયોગીરી કરનાર શખ્સનો કોલર પકડીને માતા કહી રહી છે કે, તારા જેવા લોકોને કારણે દીકરીઓને બહાર મોકલતા પણ ડર લાગે છે. ક્રોધે ભરાયેલી માતાએ યુવકને જાહેરમાં ઝીંક્યા તમાચા30 જાન્યુઆરીની રાતે ઉધના વિસ્તારમાં એક શખ્સે 12 વર્ષની બાળકીની છેડતી કરી હતી. પોતાની દીકરી સાથે થયેલી ગેરવર્તણૂકથી રોષે ભરાયેલી માતાએ રસ્તા પર જ આરોપીનો કોલર પકડી લીધો હતો અને એક પછી એક અનેક તમાચા ઝીંકી દીધા હતા. માતાનો આક્રોશ એટલો હતો કે, ત્યાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. માતાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, તમારા જેવા લોકોના કારણે જ આજે માતાપિતા પોતાની દીકરીઓને ઘરની બહાર મોકલતા ડરે છે. અગાઉ પણ છેડતી કરી હોવાનો ઘટસ્ફોટઆ ઘટના દરમિયાન જ્યારે માતા આરોપીને ખખડાવી રહી હતી, ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ શખસ અગાઉ પણ અન્ય છોકરીઓની છેડતી કરી ચૂક્યો છે. વીડિયોમાં અન્ય એક વ્યક્તિ કહેતા સંભળાય છે કે, આ શખસ અગાઉ પણ છેડતી કરતા પકડાયો હતો અને ત્યારે તેણે 'ડુમ્મસથી માણસો બોલાવવાની' ધમકી આપી હતી. જોકે, આ વખતે તેની શાન ઠેકાણે લાવવા માટે લોકોએ તેને બરાબરનો 'મેથીપાક' આપ્યો હતો. દીકરીઓને હિંમત આપતા મહિલાએ કહ્યું- આવા લોકોથી ગભરાવાનું નહીં, લાફો ઝીંકી દેવાનો આ સમગ્ર ઘટનામાં ચોકાવનારા દ્રશ્ય એ હતા જ્યારે પીડિત બાળકીની માતાએ ત્યાં હાજર અન્ય છોકરીઓને સંબોધીને વાત કરી. તેમણે દીકરીઓને કહ્યું કે, દરેક જગ્યાએ મા-બાપ તમારી સાથે નહીં હોય. જો કોઈ તમારી છેડતી કરે તો ગભરાવાને બદલે તેને વળતો જવાબ આપવો અને લાફો ઝીંકી દેવો. જો તમે ડરશો તો એ લોકો વધુ ડરાવશે. માતાના આ શબ્દોએ સમાજમાં દીકરીઓની સુરક્ષા માટે સ્વ-રક્ષણનો મજબૂત સંદેશ આપ્યો છે. યુવકને સારવાર આપી પોલીસે કાર્યવાહી શરૂ કરીઉધનાના સ્થાનિક લોકોમાં આ શખ્સ પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ આરોપીને મેથીપાક આપ્યા બાદ પોલીસને જાણ કરી હતી. ઉધના પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ગામ નજીક આવેલી આલીશાન હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં દારૂની 33,816 બોટલ સંતાડી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો ત્યારે જ SMC ત્રાટકી હતી. પોલીસે દોઢ કરોડના દારૂ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. SMC દ્વારા 30 જાન્યુઆરી, 2026ના રોજ કરાયેલા આ દરોડામાં રૂ. 1,50,48,800ની કિંમતની દારૂની 33,816 બોટલ મળી આવી હતી. આ દારૂ હરિયાણાના જુંડલ તેમજ જટવારમાં લિકર પ્રાઈવેટ લિમિટેડ તેમજ ઓએસિસ કોમર્શિયલ પ્રાં.લિમિટેડમાં બનાવવામાં આવ્યો હતો. SMCની ટીમે દરોડો પાડી દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપ્યોઆ દારૂ હરિયાણાથી ટ્રકમાં કવરિંગ પ્લાયબોર્ડની આડમાં ભરી ગુજરાતમાં ઘૂસાડવામાં આવ્યો હતો. જોકે, આ ટ્રક સુરેન્દ્રનગરના માલવણ ગામ નજીકની હોટલમાં પાર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં SMCની ટીમે દરોડો પાડી દારૂ સાથે ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો. રૂ. 1.68 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયોદારૂ ઉપરાંત, પોલીસે રૂ. 15,00,000ની કિંમતનો એક ટર્બો ટ્રક, રૂ. 5,000નો એક મોબાઈલ ફોન અને રૂ. 3,00,000ની કિંમતના કવરિંગ પ્લાયબોર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ, કુલ રૂ. 1,68,53,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાઆ કેસમાં પોલીસે ઓરૈયા (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી ટ્રક ચાલક સત્યેન્દ્ર પાલ બલવીરસિંગની ધરપકડ કરી છે. આ ઉપરાંત, દારૂના રિસીવર તરીકે સુરેન્દ્રનગરના ગેડિયા ગામના બિલકીસબાનુ હનીફખાન મલેક અને ઈસ્માઈલખાન બિસ્મીલાખાન મલેક, ઝેઝરી ગામના અકીબખાન ઇલમખાન મલેક તેમજ દારૂના સપ્લાયર તરીકે ઉદયપુર, રાજસ્થાનના પ્રીતમસિંગ સહિત ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. વધુ કાર્યવાહી માટે આરોપીને બજાણા પોલીસ સ્ટેશનને સોંપાયોઆ દરોડો પ્રતિબંધ અધિનિયમની કલમો 65 (A)(E), 81, 83, 98 (2), 116 B) અને ભારતીય ન્યાય સંહિતા -2023ની કલમો 111(2)b, 111(3)(4) હેઠળ નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે બજાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી SMCના પીએસઆઈ આર.જી. વસાવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
એપ્સ્ટીન ફાઇલ્સ: પાવરફુલ લોકોનું 'ડાર્ક વર્લ્ડ' જાહેર, ઈવાન્કા અને મસ્કના નામથી ખળભળાટ!
New Epstein Files Released : અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા 'એપ્સ્ટીન ફાઇલ્સ'ના અંતિમ અને સૌથી મોટા જથ્થાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. 30 લાખ પાના અને અસંખ્ય પુરાવા 'એપ્સ્ટીન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ' હેઠળ જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં 30 લાખથી વધુ પેજ, 1.80 લાખ તસવીરો અને 2,000 વીડિયો ક્લિપ્સ સામેલ છે.
બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં કાળા વાદળો છવાઈ જતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો તેમના પાકને નુકસાન થવાની ભીતિ સેવી રહ્યા છે. ખાસ કરીને ઘઉં, રાયડો, બટાકા અને વરિયાળી જેવા તૈયાર પાકોને કમોસમી વરસાદથી ભારે નુકસાન થઈ શકે છે. આ પાકો ખેડૂતોની મુખ્ય આવકનો સ્ત્રોત છે. વાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો કમોસમી વરસાદ આવે તો તેમની મહેનત પર પાણી ફરી વળવાની શક્યતા છે.
સવારના 10:30 વાગ્યાએ પણ સૂર્ય અંતર્ધ્યાન:વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાઠ ઘુમમ્સ જોવા મળ્યું
ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ, 1 ડીગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું ભાવનગરમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ગાઠ ઘુમમ્સ જોવા મળ્યું હતું, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, આજે 1 ડિગ્રીનો વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું, ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, ધુમ્મસ એટલું ગાડ હતું કે નજીકના અંતરેથી પણ કોઈ પણ વસ્તુ દેખાતી ન હતી, શહેર અને જિલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અવકાશમાં વાદળો છવાઈ જવા સાથે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યો છે અને વાતાવરણ ધૂંધળું બન્યું છે, સાથે ભેજના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આ બદલાયેલા માહોલને પગલે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે કારણ કે, માવઠું થવાના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના પ્રબળ બને છે, પરંતુ જો આ જ માહોલ વધુ સમય સુધી અકબંધ રહેશે તો કેરી સહિત બાગાયત ખેતને પણ નુકસાન કરી શકે છે. છેલ્લા પાંચ દિવસ નો તાપમાન નો પારો તા.27 જાન્યુઆરી ને મંગળવારના રોજ મહત્તમ તાપમાન 29.8 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 48 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.28 જાન્યુઆરી ને બુધવારના રોજ મહત્તમ તાપમાન 26.2 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 27 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.29 જાન્યુઆરી ને ગુરુવારના રોજ મહત્તમ તાપમાન 26 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 52 ટકા અને પવનની ઝડપ 14 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી,તા.30 જાન્યુઆરી ને શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 28.4 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 17.7 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 58 ટકા અને પવનની ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, તા.31 જાન્યુઆરી ને શનિવારના રોજ લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 89 ટકા અને પવનની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી.
શહેરમાં ગાડી ભાડે આપનાર સામે વધુ એક વખત છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપનાર સામે ઠગાઈ આચરવામાં આવી છે. સાહિલ મિયાત્રા 12 કલાક માટે મહિન્દ્રા થાર ગાડી ભાડે લઈ ગયો હતો. 12 કલાક બાદ ગાડી પરત ન આપી સાહિલે સામે 15 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ગાડીના GPSનું લોકેશન ચેક કરતા દેહગામ પાસે બંધ ગયું હોવાથી ફરિયાદીએ સાહિલને ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન બંધ આવતા સાહિલ ગાડી લઈને ફરાર થઈ છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભરતભાઈએ કાર ગાડી ભાડે આપવા માટે મૂકી હતી મેમનગર વિસ્તારમાં રહેતા 27 વર્ષીય સંકેત નકુમ અને દિવ્યરાજસિંહ ડોડીયાની વસ્ત્રાપુરમાં એસ.એસ.સેલ્ફ ડ્રાઇવ નામની ઓફિસ આવેલી છે. છેલ્લા અઢી વર્ષથી ગાડી ભાડે આપવાનો ધંધો કરે છે. જેમાં GJ 33 F 6596 નંબરની મહિન્દ્રા થાર પણ ભાડે મૂકેલી હતી. ભરતભાઈ રાઠોડ નામના કાર માલિકે ગાડી ભાડે આપવા માટે મૂકી હતી. ગત 29 જાન્યુઆરીએ બપોરના સમયે સાહિલ મિયાત્રા નામનો વ્યક્તિ સંકેત નકુમની વસ્ત્રાપુરમાં આવેલી ઓફિસમાં આવ્યો હતો. આરોપીએ 7 હજાર આપી બે દિવસ કાર લઈ જવાં ડીલ કરીનિકોલમાં રહેતા સાહિલ મિયાત્રાએ બે દિવસ માટે ગાડી ભાડે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં ચર્ચા બાદ તેણે 12 કલાક માટે મહિન્દ્રા થાર ગાડી ભાડે લેવાની ડીલ ફાઇનલ કરી હતી. આ માટે તેણે એડવાન્સ તરીકે 7000 રૂપિયા ચુકવ્યા હતા અને ઓળખ તરીકે આધાર કાર્ડની નકલ પણ જમા કરાવી હતી. તમામ કાગળપત્રની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાહિલ થાર ગાડી લઈને ઓફિસમાંથી નીકળી ગયો હતો. 30 જાન્યુઆરીએ સમય પૂરો થતો હોવા છતાં ગાડી પરત આપવા ન આવતા સંકેતે સાહિલને ફોન કર્યો હતો. પરંતુ સાહિલે આપેલા જે નંબર હતો તે બંધ થઈ ગયો હતો. ફોનની સાથે આરોપીએ કારનું લોકેશન પણ બંધ કરી દીધુનક્કી કરેલો સમય પૂરો થવા છતાં ગાડી પરત ન આવતા સંકેત નકુમે સાહિલને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાહિલે આપેલો મોબાઇલ નંબર બંધ આવતો હતો. જેના કારણે શંકા જતા ફરિયાદીએ ગાડીમાં લગાવેલા GPS સિસ્ટમનું લોકેશન ચેક કર્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે થાર ગાડીનું છેલ્લું લોકેશન દેહગામ નજીક દર્શાવીને GPS બંધ થઈ ગયું હતું. જેથી ફરિયાદીએ અનેક સાહિલને ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોર્મ બંધ જ આવતા ઠગાઈ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 15 લાખની કિંમતની થાર ગાડી ભાડે લઈ જઈ પરત ન આપતા ફરિયાદીએ સાહિલ મિયાત્રા સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
ગોધરામાં સગીરા કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ:અભયમ ટીમે શોધખોળ કરી પરિવાર સાથે કરાવ્યું મિલન
ગોધરાના એક શહેરી વિસ્તારમાંથી એક સગીરા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. આ અંગે એક જાગૃત નાગરિકે અભયમ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ અભયમ ટીમના કાઉન્સેલર એમ.વી. રાઠવા ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જાગૃત નાગરિક સાથે વાતચીત કર્યા બાદ ટીમે સગીરાને સુરક્ષિત જગ્યાએ બેસાડી હતી. મહિલા હેલ્પલાઇન ટીમે સગીરા સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે, તેની માતાએ મોબાઈલ લઈ લીધો હતો અને તેને ઠપકો આપ્યો હતો. ઉપરાંત, તેને એક છોકરો પસંદ હોવા છતાં માતા વાત કરવાની ના પાડતી હોવાથી તે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. વધુ પૂછપરછ અને કાઉન્સિલિંગ દરમિયાન સગીરાએ જણાવ્યું કે તે સંતરામપુરથી ગોધરા આવી હતી અને જામનગર જવાની યોજના હતી. મોબાઈલ ન મળતા તે ઘરથી દૂર જવાનું વિચારી રહી હતી. ટીમે તેને સમજાવીને સાંત્વના આપી હતી. સગીરાના માતા-પિતા મોરવા હડફના રામપુર ગામે પરિવાર સાથે રહે છે. 16વર્ષીય સગીરાને તેના ઘરે જવાનો રસ્તો ભૂલાઈ ગયો હતો અને કોઈના ફોન નંબર પણ યાદ નહોતા. તેથી, અભયમ ટીમે સગીરા દ્વારા જણાવેલા અધૂરા સરનામાના આધારે પરિવાર સુધી પહોંચવાના પ્રયાસો કર્યા. અભયમ ટીમે મોરવા હડફના રામપુર આસપાસના લોકોને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેના માતા-પિતા રામપુર ગામે રહે છે. ટીમે શોધખોળ કરીને તેમના ઘરે પહોંચી. પરિવાર આખો દિવસથી સગીરાની શોધખોળ કરી રહ્યો હતો. અભયમ ટીમે સગીરાના માતા અને પરિવારજનોનું કાઉન્સિલિંગ કર્યું. ટીમે તેમને કાયદાકીય જાણકારી આપી અને દીકરીના પુખ્ત વયે જ લગ્ન કરવા સમજાવ્યા. ઉપરાંત, સગીરાને સારી રીતે રાખવા અને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા સૂચન કર્યું. આ રીતે, અભયમ ટીમે એક સગીરાને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલન કરાવવામાં મદદ કરી.
સુરત શહેરના પાલ વિસ્તારમાં સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા તરાપ મારવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી કરોડો રૂપિયાની માટી ચોરીના કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડ કરી છે. કચરો હટાવવાના બહાને કૌભાંડસુરતના પાલ ગામમાં કાસા રીવેરા રેસીડેન્સીની પાછળ મહાનગરપાલિકાનો કિંમતી પ્લોટ આવેલો છે. આ પ્લોટ પર જમા થયેલો આરસીસી વેસ્ટ હટાવવા માટે કોન્ટ્રાક્ટર દીપ સુભાષ ડોબરિયાને કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, કચરો હટાવવાના બહાને આ આરોપીઓએ જમીનનું ઊંડું ખોદકામ કરી માટીની ચોરી કરવાનું આયોજન કર્યું હતું. કોન્ટ્રાક્ટરે ‘જય શ્રી ચામુંડા કાર્ટિંગ’ના માલિકો સાથે મળીને આશરે 626 ટન માટી ખોદી કાઢી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પાલિકાની ટીમની તપાસ અને પોલીસ કાર્યવાહીઆ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે પાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર સિધ્ધરાજસિંહ ભાભોરને ડેપ્યુટી એન્જિનિયર દ્વારા શંકાસ્પદ ખોદકામની જાણ કરવામાં આવી હતી. 27 જાન્યુઆરી, 2026ના રોજ જ્યારે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં ગેરકાયદેસર રીતે જેસીબી મશીનો ચાલતા જોવા મળ્યા હતા. અડાજણ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી 2 જેસીબી, માટી ભરેલી 2 ટ્રકો અને અન્ય 3 ખાલી ટ્રકો મળી કુલ 1.60 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. માટીની ઓલપાડમાં કાળાબજારીપોલીસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ચોરી કરેલી માટી ઓલપાડના માસમા વિસ્તારમાં ચાલી રહેલી ખાનગી બાંધકામ સાઇટ પર વેચતા હતા. એક ટ્રક દીઠ તેઓ 3થી 5 હજાર રૂપિયા વસૂલતા હતા. ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં આરોપીઓએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું. આ માટીની અંદાજિત કિંમત લાખોમાં થાય છે, પરંતુ જે રીતે જમીનનું ખોદકામ કરવામાં આવ્યું તે પાલિકા માટે મોટું નુકસાન છે. મુખ્ય આરોપી દીપ ડોબરિયાની ધરપકડઅગાઉ આ કેસમાં દીપક વણજારા અને કમલેશ વણજારાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર ગણાતો દીપ સુભાષભાઇ ડોબરીયા ફરાર હતો. અડાજણ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તેને કામરેજ પાસે આવેલા અમન રેસીડેન્સી નજીકથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. ભૂમાફિયાઓ માટે એક કડક ચેતવણી સુરત મહાનગરપાલિકા દ્વારા આ ઘટના બાદ અન્ય ખુલ્લા પ્લોટો પર પણ નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. સરકારી જમીન પર થતા અતિક્રમણ અને ચોરીના કિસ્સામાં આ કાર્યવાહી ભૂમાફિયાઓ માટે એક કડક ચેતવણી સમાન છે. અડાજણ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં રાણીપમાં બલોલનગર બ્રિજ પર ગત મોડી રાતે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે. પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર ચાલકે એકટીવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે જ્યારે એક્ટિવા ચાલકની પત્નીને ઇજા પહોંચી છે.બનાવ અંગે એલ ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીમાં ઢોર પકડનાર ટીમને ધમકી:ગાય છોડાવી જનાર બે શખસ સામે સરકારી કામમાં અવરોધની ફરિયાદ
મોરબીમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીમાં અવરોધ ઉભો થયો છે. ખાખરેચી દરવાજા પાસે રખડતા ઢોર પકડતી ટીમના કર્મચારીઓ સાથે બે શખ્સોએ માથાકૂટ કરી હતી. આ શખ્સોએ પકડાયેલી ગાયને છોડાવી જઈ, કર્મચારીઓને ધમકી આપી હતી. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગત 9 જાન્યુઆરીના રોજ સવારે 9:45 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. મહાપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ રખડતા ઢોરને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ મયાભાઈ રાતડીયા નામના બે શખ્સો ત્યાં આવ્યા હતા. તેઓએ કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી. ફરિયાદી વિપુલભાઈ લખમણભાઈ છૈયા (ઉંમર 29), જેઓ માળિયા તાલુકાના મોટાભેલા ગામના રહેવાસી છે અને મહાપાલિકામાં ઢોર પકડવાનું કામ કરે છે, તેમણે જણાવ્યું કે રાજુભાઈ દેવાભાઈએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે વિજયભાઈ રાતડીયાએ તેમને ધક્કો મારીને પકડાયેલ ઢોરને છોડાવી દીધું હતું. આ રીતે તેઓએ મહાપાલિકાના કર્મચારીઓની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી. આ બનાવ અંગે વિપુલભાઈ છૈયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ દેવાભાઈ અને વિજયભાઈ મયાભાઈ રાતડીયા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ઢોર પકડવાની કામગીરી કરતા કર્મચારીઓ સાથે માથાકૂટના બનાવો અવારનવાર બનતા હોય છે. અગાઉ પણ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવા બે ગુના નોંધાયા છે, અને આ ત્રીજી ફરિયાદ છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ સંલગ્ન 33 સેલ્ફ ફાઇનાન્સ કોલેજો સામે યુનિવર્સિટીએ કડક કાર્યવાહી કરી છે. નિયમોની અવગણના અને વહીવટી અનિયમિતતાઓને કારણે આ કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકવામાં આવી છે. કુલપતિની અધ્યક્ષતામાં બે દિવસીય રૂબરૂ સુનાવણી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના નીતિ-નિયમો, ખાસ કરીને પ્રવેશ પ્રક્રિયા અને અન્ય વહીવટી જોગવાઈઓનું પાલન ન કરવા બદલ આ કોલેજો સામે પગલાં લેવાયા છે. યુનિવર્સિટી દ્વારા અગાઉ ત્રણથી પાંચ વખત પરિપત્રો અને નોટિસો પાઠવવામાં આવી હતી, પરંતુ કોલેજો તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ મળ્યો ન હતો. યુનિવર્સિટીના પોર્ટલ પર પણ જરૂરી માહિતી અપડેટ કરવામાં આવી ન હતી. આ ગંભીર બેદરકારીને પગલે યુનિવર્સિટી સત્તાધીશોએ કોલેજોને 'નો એડમિશન ઝોન'માં મૂકી છે. તેમના જોડાણ (એફિલિયેશન) અંગે ખુલાસો કરવા માટે પાટણ યુનિવર્સિટી ખાતે બે દિવસીય સુનાવણીનું આયોજન કરાયું છે. કુલપતિ ડો. કિશોર પોરીયા અને રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈની ઉપસ્થિતિમાં આ સુનાવણી શરૂ થઈ છે, જેમાં કોલેજ સંચાલકોને રૂબરૂ સાંભળવામાં આવી રહ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, કેટલીક કોલેજો વર્ષોથી પ્રવેશ પ્રક્રિયા કરતી નથી અને વારંવારના ફોલોઅપ છતાં જવાબ આપતી નથી. વહીવટી તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણી કોલેજોમાં નોંધાયેલા ટ્રસ્ટીઓ અને આચાર્યો હવે હોદ્દા પર નથી, પરંતુ યુનિવર્સિટીના રેકોર્ડમાં કોઈ સુધારા થયા નથી. આ ગેરરીતિઓ અને સંકલનના અભાવે અનેક પ્રશ્નો ઊભા થયા છે. કુલપતિ ડો. કે.સી. પોરીયાએ સ્પષ્ટતા કરી હતી કે જે કોલેજો પોર્ટલ પર માહિતી આપવામાં છ વખત નિષ્ફળ રહી છે અને ટેલિફોનિક સંપર્ક દરમિયાન પણ સંતોષકારક વિગતો પૂરી પાડતી નથી, તેમની સામે સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કડક પગલાં લેવાશે. આ બે દિવસીય સુનાવણીના અહેવાલો ઉચ્ચ કક્ષાએ રજૂ કરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓમાં શિસ્ત અને નિયમોનું પાલન થાય તે હેતુથી આ સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે.
ગોલ્ડ માર્કેટે માત્ર 24 કલાકમાં 6.3 ટ્રિલિયન ડૉલર ગુમાવ્યા, ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ
Gold Market Cap News : સોનાના બજારમાં અત્યારે જે થઈ રહ્યું છે તે ઈતિહાસમાં ક્યારેય નથી થયું. છેલ્લા 24 કલાકમાં સોનાના માર્કેટ કેપમાં જે ધોવાણ થયું છે, તેણે આખા વિશ્વના અર્થતંત્રમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગઈકાલે જ સોનામાં એક જ દિવસમાં મોટી ઉથલ પાથલ વચ્ચે ભયાનક ક્રેશની સ્થિતિ પણ જોવા મળી. સોનું એક જ દિવસમાં લગભગ 33000 રૂપિયાથી વધુ તૂટીને 150000 પ્રતિ ગ્રામની આસપાસ આવી ગયું હતું.
પાટણમાં 2.75 લાખના દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો:ચાણસ્માના સોનીએ ચોરીનો માલ ખરીદી લગડી-ચોરસો બનાવ્યો
પાટણની સિદ્ધચક્રની પોળમાં મુંબઈ સ્થિત જૈન પરિવારના બંધ ઘરમાંથી રૂ. 2.75 લાખના સોના-ચાંદીના દાગીના અને પૂજાના વાસણોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મુખ્ય આરોપી પાટણના જીતેન્દ્ર દિનેશભાઈ મોદી અને ચોરીનો માલ અડધી કિંમતે ખરીદનાર ચાણસ્માના સોની કૌશિકભાઈની ધરપકડ કરી છે. બંનેને કોર્ટમાં રજૂ કરાતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. પોલીસ પૂછપરછમાં જીતેન્દ્ર દિનેશભાઈ મોદીએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા જ્યારે કુશલ શાહનો પરિવાર પાટણ આવ્યો હતો, ત્યારે તે તેમના ગીઝરનું રિપેરિંગ કરવા ગયો હતો. તે સમયે તેણે ઘરની મુખ્ય ચાવી ચોરી લીધી હતી. પરિવાર મુંબઈ પાછો ફર્યા બાદ, છેલ્લા એક મહિનાથી તે રાત-દિવસ પોતાની પાસેની ચાવી વડે ઘર ખોલીને તિજોરીઓને કટર અને ગ્રાઇન્ડરથી તોડીને ચોરી કરતો હતો. ચોરી કરેલો માલ તેણે ચાણસ્માના એક જ્વેલર્સ કૌશિકભાઈને અડધી કિંમતે વેચ્યો હતો. ચોરી કરાયેલા દાગીનામાં સોનાની ચેન, ચાંદીના વાસણો, ચાંદીના સિક્કા, પૂજાનો ખલ, ત્રણ ઓજાર અને ભગવાનને બેસવાનું સિંહાસન વગેરેનો સમાવેશ થતો હતો. કૌશિક સોનીએ ચોરીના આ દાગીના અને વાસણોમાંથી 72.43 ટચની 10 ગ્રામ સોનાની લગડી, જેની કિંમત રૂ. 1,25,000 છે, અને 71.74 ટચના 400 ગ્રામ ચાંદીનો ચોરસો, જેની કિંમત રૂ. 1,26,000 છે, તે બનાવી દીધા હતા. પોલીસે આ બંને વસ્તુઓ જપ્ત કરી છે. ચોરીનો માલ હોવાનું જાણવા છતાં તેને ખરીદવા બદલ સોની કૌશિકભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી.
રણાસણ-ગાંભોઈ રોડ પરની BMD કંપનીમાં આગ:12 કલાકમાં 5 લાખ લીટર પાણીથી બુઝાવી, કોઈ જાનહાનિ નહીં
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ-ગાંભોઈ રોડ પર આવેલી BMD કંપનીમાં લાગેલી આગ 12 કલાકની જહેમત બાદ કાબૂમાં લેવામાં આવી હતી. આ આગને બુઝાવવા માટે અંદાજે 5 લાખ લીટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બ્રિગેડ કોલ મળતાની સાથે જ હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઈડર, ખેડબ્રહ્મા અને મોડાસા સહિતના વિસ્તારોમાંથી કુલ 10 ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. શુક્રવારે મોડી સાંજે લાગેલી આગને શનિવારે સવારે 7 વાગ્યા સુધીમાં સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. ફાયર ટીમોની સમયસર કામગીરીને કારણે કંપનીમાં રહેલા 200 જેટલા કામદારોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. આ ઉપરાંત, એક બોઈલર, 10 હજાર લીટર ઓઈલ, 70 ટન કોલસો, એક લેપટોપ અને અઢી લાખ રૂપિયાની રોકડ રકમ પણ બચાવી લેવામાં આવી હતી. આ ઘટનાને પગલે ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.જે. ગોસ્વામી અને હિંમતનગર મામલતદાર રોનકસિંગ પઢારિયા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. આગને કારણે આખી કંપની ભસ્મીભૂત થઈ ગઈ હતી.
અમદાવાદના મકરબા વિસ્તારમાં ગત(30 જાન્યુઆરી) મોડી રાત્રે એક પુત્રએ માતાની હત્યા કરી છે. સંપતિના વિવાદમાં પુત્રએ માતાને માથે લાકડાના દંડા વડે ફટકા મારીને હત્યા કરી છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે પુત્ર સામે ગુનો નોધી ધરપકડ કરી છે. માતા-પુત્ર વચ્ચે ઘરને લઈને વિવાદ ચાલતો હતોમકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક ઘરે હાજર હતા ત્યારે તેમનો દીકરો અજય આવ્યો હતો. માતા-પુત્ર વચ્ચે એક ઘરને લઈને વિવાદ ચાલતો હતો જેથી અજયે ઘરના બદલામાં પૈસા માંગ્યા હતા. માતાએ પૈસા આપવાની ના પાડતા પુત્રએ દંડા વડે માથામાં ફટકા માર્યાજોકે કપિલાબેને પૈસા આપવાની ના પાડી હતી જેથી અજય ઉશ્કેરાયો હતો. અજયે કપિલાબેન સાથે ઉગ્ર રીતે વાત કરી હતી જે બાદ કપિલાબેનને બાજુમાં પડેલા દંડા વડે માથામાં ફટકા માર્યા હતા. સારવાર દરમિયાન માતાનું મોતકપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કપિલાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવની જાણ થતા આનંદનગર પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે સ્થળ પરથી હત્યા કરનાર અજયની ધરપકડ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે થયેલી વ્યાપારિક સમજૂતીને વાપીના ઉદ્યોગપતિઓએ આવકારી છે. વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (VIA) ના પ્રમુખ સતીષભાઈ પટેલે આ ડીલને ઐતિહાસિક ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ સમજૂતી અમેરિકાના ટેરિફને કારણે મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગો માટે 'લાઇફલાઇન' સમાન સાબિત થશે. VIA પ્રમુખ સતીષભાઈ પટેલે સ્પષ્ટ કર્યું કે, આ નીતિને કારણે યુરોપના 29 દેશોમાં ભારતીય ઉત્પાદનો પર 'ઝીરો ટેરિફ' લાગુ પડશે. આનાથી આયાત અને નિકાસ બંને ક્ષેત્રે મોટો ફાયદો થશે. છેલ્લા છ મહિનાથી અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફના ભય હેઠળ દબાણમાં રહેલા ઉદ્યોગો માટે આ નવું બજાર નિકાસકારોમાં ઉત્સાહ જગાવશે. વાપી અને આસપાસના વિસ્તારોમાં ગાર્મેન્ટ અને કેમિકલ ઉદ્યોગો મોટા પાયે કાર્યરત છે. સતીષભાઈ પટેલે જણાવ્યું કે, આ ડીલ આ ઉદ્યોગો માટે 'ગેમ-ચેન્જર' સાબિત થશે. અત્યાર સુધી યુરોપિયન બજારમાં ચીનનું વર્ચસ્વ હતું, પરંતુ હવે ભારતનો 'મેક ઇન ઇન્ડિયા' સામાન ચીની ઉત્પાદનોને સબળ સ્પર્ધા આપી શકશે. તેમણે ઉમેર્યું કે, વાપીના ગાર્મેન્ટ ઝોન માટે આ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. નવું બજાર મળવાથી ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે. આગામી બે થી ત્રણ મહિનામાં જ આ ડીલની સકારાત્મક અસરો ધંધા-રોજગાર પર જોવા મળશે તેવી અપેક્ષા છે. ઉદ્યોગકારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની આર્થિક નીતિઓની પ્રશંસા કરી છે. VIA પ્રમુખે જણાવ્યું કે, અમેરિકન બજારમાં અનિશ્ચિતતા પ્રવર્તતી હતી ત્યારે યુરોપનું આ નવું બજાર ખોલીને સરકારે ઉદ્યોગોને નવું બળ પૂરું પાડ્યું છે. આ ડીલથી ઉદ્યોગકારોનો આત્મવિશ્વાસ બમણો થયો છે અને આગામી સમયમાં નિકાસ ક્ષેત્રે વાપી મોટું યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
વલસાડમાં સ્વચ્છતા અભિયાનને વેગ:ઓવાડાની 2 હેક્ટર જમીન સોલિડ વેસ્ટ પ્લાન્ટ માટે ફાળવાઈ
વલસાડ જિલ્લા કલેક્ટરે શહેરના કચરાના નિકાલ અને સ્વચ્છતા વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડના ઓવાડા ગામની 2 હેક્ટરથી વધુ સરકારી પડતર જમીન હવે 'સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ' માટે ફાળવી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભારત સરકારના મહત્વાકાંક્ષી 'સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0' અંતર્ગત સાકાર થશે. મહેસૂલી દફતરે થયેલી નોંધ (નંબર 3201) મુજબ, વલસાડ કલેક્ટર દ્વારા 29મી જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ હુકમ કરવામાં આવ્યો છે. આ હુકમ અન્વયે મોજે ઓવાડા, તાલુકા-જિલ્લા વલસાડના સર્વે નંબર 394 (જૂનો સર્વે નંબર 444) ની અંદાજે 2-33-71 હેક્ટર (ચોરસ મીટર) જેટલી વિશાળ સરકારી પડતર જમીન વલસાડ નગરપાલિકાને સોંપવામાં આવી છે. આ જમીન સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. તેનું નિર્માણ સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 હેઠળ ફાળવાયેલી ગ્રાન્ટમાંથી થશે. ચીફ ઓફિસર, વલસાડ નગરપાલિકાને આ જમીનનો 'આગોતરો કબજો' (Advance Possession) સોંપવા સૂચના અપાઈ છે. જમીનનું ક્ષેત્રફળ ડી.આઈ.એલ.આર. (DILR) વલસાડની માપણી શીટ મુજબ નક્કી કરવામાં આવ્યું છે. આ જમીન ફાળવણી સરકારના પ્રવર્તમાન નિયમો અને મહેસૂલ વિભાગના ઠરાવોની જોગવાઈઓ મુજબ કરવામાં આવી છે. નગરપાલિકાએ કલેક્ટરના હુકમમાં દર્શાવેલી તમામ શરતોનું પાલન કરવાનું રહેશે. આ પ્લાન્ટ કાર્યરત થવાથી વલસાડ શહેરના કચરાના વ્યવસ્થાપનની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી શક્યતા છે.
ભાવનગરના ગુલીસ્તા ગ્રાઉન્ડ સ્થિત ચંપારણ્ય ધામ ખાતે સમસ્ત મોઢ વણિક સમાજ દ્વારા 30 જાન્યુઆરીથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમિયાન રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજે જ્ઞાતિજનોને કથાનું શ્રવણ કરાવ્યું હતું. મોઢ વણિક સમાજના આગેવાન સુનિલ પારેખે જણાવ્યું હતું કે, ચંપારણ્ય ધામમાં આયોજિત ભાગવત સપ્તાહના ભાગરૂપે રૂક્ષ્મણી વિવાહનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ અવસરે દ્વારકેશલાલજી મહારાજે ઉપસ્થિત સર્વે જ્ઞાતિજનોને કથાનું રસપાન કરાવી ધન્ય કર્યા હતા. આ આયોજનમાં ભાવનગરના સમસ્ત મોઢ વણિક સમાજના જ્ઞાતિજનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દરેક મંડળ સાથે જેમના ઘરે ઠાકોરજી પધરાવેલ છે, તે તમામ ભક્તોએ ચંપારણ્ય ધામના સભા મંડપમાં પોતાના ઠાકોરજીની પધરામણી કરી હતી.આ સપ્તાહ દરમિયાન દરરોજ ઠાકોરજીની પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે.
એકધારા તેજી વચ્ચે સોના-ચાંદીની કિંમતો અચાનક ક્રેશ કેમ થઇ? આ કારણો જાણવા જેવા
Silver Price Crash Reason : શુક્રવારનો દિવસ બુલિયન બજાર એટલે કે સોના-ચાંદી માટે બ્લેક ફ્રાઈ ડે સાબિત થયો. ચાંદીમાં એક જ દિવસમાં 1,07,971 રૂપિયા તો સોનામાં 33000થી વધુનો કડાકો બોલાઈ ગયો હતો. આ કડાકાએ 2008ની મંદીમાં આવેલા ઘટાડાઓનો પણ રેકોર્ડ બ્રેક કરી નાખ્યો હતો. તો ચાલો જાણીએ કે સોના-ચાંદીની કિંમતો આટલી વધી કેમ અને પછી તેમાં કડાકો કેમ આ રીતે બોલાયો? સોના-ચાંદીની કિંમતો વધી કેમ હતી? ચાંદીનો ઉપયોગ સર્કિટ બોર્ડ, ઈલેક્ટ્રિક વ્હિકલ, બેટરી, સોલર પેનલ અને મેડિકલ ઉપકરણોમાં વધુ થાય છે.
દેશની દરિયાઈ સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 'CISF વંદે માતરમ્ કોસ્ટલ સાયક્લોથોન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયકલ યાત્રા આજે મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં માળિયા તાલુકાના સરવડ ગામમાં ગ્રામજનો દ્વારા સાયકલ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ ઐતિહાસિક સાયક્લોથોનની પશ્ચિમ દરિયાકાંઠાની ટીમે ગુજરાતના કચ્છ સ્થિત લખપત કિલ્લાથી ૨૮ જાન્યુઆરીના રોજ પ્રસ્થાન કર્યું હતું. ૩૦ જાન્યુઆરીના રોજ આ યાત્રા મોરબી જિલ્લામાં પહોંચી હતી, જ્યાં જિલ્લા વહીવટીતંત્ર અને રાજકોટ CISF યુનિટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવડ ગામમાં રાત્રે નવ વાગ્યે યાત્રાનું આગમન થયું હતું. ગ્રામજનોએ વાજતે-ગાજતે સાયકલ યાત્રીઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અને ગરબા પણ રજૂ કરાયા હતા. સરવડ ગામના આગેવાન મણિભાઈ સરડવાએ આ માહિતી આપી હતી. CISFના અધિકારી મહેશસિંગે જણાવ્યું હતું કે, આ દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે CISF રાજકોટ યુનિટને મોરબી જિલ્લાના માળિયાથી જોડિયા સુધીના દરિયાકાંઠાના પટ્ટામાં સાયક્લોથોન પ્રવૃત્તિઓનું સંચાલન અને સંકલન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ યુનિટ દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને માછીમારો, યુવાનો અને સ્થાનિક સમુદાયો સાથે સંવાદ કરીને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોન 'વંદે માતરમ્'ના ૧૫૦ વર્ષ નિમિત્તે દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે સમર્પિત છે. સાગર સુરક્ષાનો સંદેશ આપવા માટે શરૂ કરાયેલી આ યાત્રામાં કુલ ૧૩૦ જવાનો સાયકલ ચલાવી રહ્યા છે, જેમાં ૫૦ ટકા મહિલાઓનો સમાવેશ થાય છે. આ રીતે સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમ યાત્રામાં જોડાયેલા હરિયાણાના અનુકુમારીએ જણાવ્યું હતું. ૨૮ જાન્યુઆરીથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા ૨૨ ફેબ્રુઆરી સુધી, એટલે કે ૨૫ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન તે ભારતના દરિયાકાંઠા પર અંદાજે ૬,૫૦૦ કિલોમીટરનું અંતર કાપશે. કચ્છથી શરૂ થયેલી આ સાયકલ યાત્રા કોચી ખાતે સમાપ્ત થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના માલણપૂર ગામમાં 66 વર્ષીય વૃદ્ધે એક અનોખુ મ્યુઝિયમ બનાવ્યું છે. મુઘલ કાળના, રજવાડાના અને પૌરાણિક સિક્કાઓ સાથે તાંબા પિતળ તેમજ જર્મન સિલ્વરની જૂની એન્ટીક ચીજોનો સંગ્રહ જોવા મળે છે, સાથે બે વીઘા જમીનમાં પોતાનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. જેમાં જામફળ, આંબળા, ચિકુ, દાડમ, લીંબુ, બોર સહીત અંજીર, ઈલાયચી, લાલ ચંદનના છોડ વચ્ચે અબોલ પક્ષીઓનો ક્લરવ સાંભળવા મળે છે. પ્રકૃતિ સાથે દુર્લભ સંસ્કૃતિનો અનોખો સંગમ66 વર્ષના નિવૃત શિક્ષક હિંમત પનારા પોતાની પત્ની પ્રભાબેન પનારા સાથે કુદરતના સાનિધ્યમાં પ્રકૃતિ સાથે દુર્લભ સંસ્કૃતિનો અનોખો સંગમ વચ્ચે પોતાનું નિવૃત જીવન ગાળે છે. હિંમત પનારાએ પોતાના ફાર્મમાં જામફળના 500 ઝાડ, આંબાના 30 ઝાડ, 30 ચીકુના ઝાડ, 30 દાડમના ઝાડ, 30 લીંબુના ઝાડ, 30 બોરના ઝાડનું વાવેતર કર્યું છે. વિવિધ પ્રકારના ફળોનું વાવેતરઆ ઉપરાંત વિવિધ પ્રકારના ફળોના વૃક્ષોની જાતો જેમાં 7 રાયણ, 7 સંતરા, 7 મોસંબી, 7 સીતાફળ, 7 અંજીર, 20 નાળિયેરી, 7 આંબલા, 3 સેતુર, 3 ગુંદો, 3 તજ, 5 ઈલાયચી, 5 તજપત્તા (તમાલપત્ર), 3 સફરજન, 5 લાલ ચંદન, 2 ગોરસ આંબલી, 2 લક્ષ્મણ ફળ, 2 રામફળ, 2 હનુમાનફળ, 10 જાંબુડા સફળતા પૂર્વક ઉગાડ્યા છે. ફાર્મ હાઉસમાં 1000 જેટલા પક્ષીઓ આવે છેહિંમત પનારા કહે છે કે, ફાર્મ હાઉસમાં 50 ટકા ફળો અમારા પક્ષીઓ માટે હોય છે. પહેલા અહીં પક્ષીઓની સંખ્યા શૂન્ય હતી. અત્યારે ફાર્મ હાઉસમાં વિવિધ 20થી વધુ પ્રકારના 800થી 1000 જેટલા પક્ષીઓ આવે છે. નાનપણના શોખને આગળ વધાર્યોહિંમત પનારાએ પોતાના નાનપણના શોખને આગળ વધારતા વિવિધ પ્રકારના એન્ટીક કોઈન્સનો સંગ્રહ જેમાં મુઘલ કાળના સિક્કાઓ, રજવાડાના સિક્કાઓ, પૌરાણિક સિક્કાઓ, બ્રિટિશ કાળના સિક્કાઓ, બ્રિટિશ ઇન્ડિયાના સિક્કાઓ જેમાં લગભગ 14મી સદીથી 2000ની સદીના તમામ દેશી અને વિદેશી સિક્કાઓનો અનોખો સંગ્રહ કર્યો છે. તાંબા, પિતળ, જર્મન સિલ્વરની એન્ટીક ચીજોનો સંગ્રહસાથે એમણે તાંબા, પિતળ તથા જર્મન સિલ્વરની જૂની એન્ટીક ચીજોનો સંગ્રહ કર્યો છે, જેમાં રમકડાં, દીવા, મૂર્તિઓ, જૂના રસોડા સેટ, ટીફીનો, તાંબા કુંડીઓ, અત્તરદાનીઓ, જર્મન સિલ્વરના જગ, કીટલીઓ (ટી-સેટ), ડીનર સેટ, બાળકોને રમવાના રમકડા, બેડા, ડોલ, મીનીચેયર, કોતરણીવાળા લોટા, ઘડા, જળઝારી, વિવિધ જાતની પાનદાની, પિત્તળના વજનદાર રમકડાં, હાથી, ઘોડા, ઉંટ, હથિયારો, નૃત્ય કરતી મૂર્તિઓ, પોટ્રીશિલ્પો, ગાંધીજી, સરદાર, મીરાંબાઈ, રવિન્દ્રનાથ ટાગોર, તમામ ડિઝાઇનના આદિવાસીના ઘરેણાં, ઓલ્ડ ઓર્નામેન્ટ્સ, તલવારની મુઠ, હુક્કા, તોલવાના નાના મોટા ત્રાજવાઓ પિત્તળના 10 ગ્રામથી 10 કિલો સુધીના બાટ જેવા લગભગ 4,000થી વધુ એન્ટીક પીસોનો દુર્લભ સંગ્રહ એમની પાસે છે. બે લાખથી વધુ ટપાલ ટિકિટોનો સંગ્રહએમની પાસે વધુમાં મ્યુઝિકના સાધનો 10 નંગ ઓલ્ડ ગ્રામોફોન, ઓલ્ડ તાનપુરા, સિતાર તથા 1000 જેટલી ગ્રામોફોન રેકર્ડ્સ, આ સિવાય જૂના રજવાડાના તથા બ્રિટિશ કાળના દસ્તાવેજોનો સંગ્રહ, 1200 નંગ લગભગ 15 રજવાડાના દસ્તાવેજોનો સંગ્રહ એમની પાસે છે. સાથે દુનિયાના તમામ દેશોની 100 વર્ષની ટપાલ ટિકિટોનો મળી કુલ બે લાખથી વધુ ટિકિટોનો એમની પાસે દુર્લભ સંગ્રહ છે. વધુમાં એમની પાસે જૂની સંસ્કૃતિના સંભારણા તરીકે રેશમના તોરણો, રેશમના ચંદરવા, ચાકડા, પથ્થરીયા મોતીના તોરણો, ભરેલા પંખા, બળદનો શણગાર, ઘોડાઓનો શણગાર જેવી 80થી 90 વર્ષ જૂની અસંખ્ય દુલર્ભ ચીજવસ્તુઓનો એમની પાસે સંગ્રહ છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા હિંમત પનારાએ જણાવ્યું કે, અમદાવાદમાં ચિત્ર વ્યાયામ શિક્ષક તરીકે 2018માં નિવૃત થયા બાદ મારો શોખ હતો કે સંગીત અને નેચર સેવીંગ એટલે કે કુદરત સાથે રહેવું અને કુદરતનુ સેવીંગ કરવું તેમજ પર્યાવરણ બચાવવું. વિવિધ પ્રકારની વસ્તુઓનું કલેક્શન કરવું એ મારો શોખ છેએમણે વધુમાં જણાવ્યું કે, કુદરતી વાતાવરણમાં રહેવું અને કુદરતના ઝાડ પાનનો ઉછેર કરવો એ પણ મારો એક શોખ છે, એની સાથે સાથે વિવિધ પ્રકારની વસ્તુઓનું કલેક્શન કરવું કે જેમાં એન્ટીક વસ્તુઓનું કલેક્શન કરવું. એ સિવાય એક અનોખો મારો શોખ છે કે, જેમાં ટ્રેડિશનલ વસ્તુઓ કે જે આજથી પચાસ વર્ષ પહેલા વપરાશમાં હતી પણ હાલ વપરાશમાંથી નીકળી ગઈ છે. એનો હું સંગ્રહ કરું છું. મારા ફાર્મ પર આવી સેંકડો વસ્તુઓનો સંગ્રહ કરેલો છે, જેમ કે ખેતીના જૂના સાધનો પછી ઘંટી ઘન્ટુલા, પટારા પેટીઓ, ફાનશો, પેટ્રોમેકશો, પછી જૂની વાપરવાની સગડીઓ એ સિવાય જૂના કેટલાંક એવા સાધનો છે જે આજની નવી પેઢીએ ક્યારેય જોયા પણ નહીં હોય. આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતુંવધુમાં જણાવ્યું કે, આજથી પાંચ વર્ષ પહેલા આ જગ્યામાં મેં પ્રવેશ કર્યો ત્યારે અહીં બાવળનુ જંગલ હતું. જેથી મેં જમીન સરખી કરીને એમાં અત્યારે વિવિધ ઝાડ અને ફળોનું વાવેતર કર્યું છે. ઈલાયચીના છોડ, તમાલપત્ર જે મસાલામાં વપરાય છે, એ પણ છે. લવિંગ અને તજના છોડ, મરીના વેલ, ખાવાના પાનની વેલ, દ્રાક્ષની વેલ પણ છે, સીતાફળ તો ઘણી જગ્યાએ જોવા મળે છે પણ મે સીતાફળ ઉપરાંત રામફળ, હનુમાનફળ અને લક્ષ્મણ ફળનું પણ વાવેતર કર્યું છે. વધુમાં જણાવ્યું કે, હું શાકભાજીનું પણ જરૂર પૂરતું વાવેતર કરી લઉં છું. મારે ત્યાં જેટલા પણ ફળોનું ઉત્પાદન થાય છે એ બજારમાં વેચવા કરતા મારા મિત્રો અહીં આવે છે, એમને ખવડાવવામાં મને વધારે રસ હોય છે. મારી આ જગ્યામાં પક્ષીઓનો પ્રેમ પણ જાળવી રાખ્યો છે, અહીં અનેક પક્ષીઓ આ બગીચા પણ નિર્ભર છે, જેમાં એ વિવિધ પ્રકારના ફળ ખાતા હોય છે.
વડોદરા કરજણ નેશનલ હાઇવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બામણગામ પાસેથી ને.હા. 48 પર વડોદરા-ભરૂચ ટ્રેક ઉપર ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે જ્યારે બેથી વધુ મુસાફરોની સ્થિતિ ગંભીર છે. 5થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આગળનો ભાગ ડેમેજ હોવાથી રેમજેક અને વિવિધ સાધનોની મદદથી આગળનો ભાગ કાપી મૃતદેહને બહાર કાઢ્યો છે. સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે. કરજણ પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ભોજપુરી એકટ્રેસ આકાંક્ષા અવસ્થી દ્વારા બિઝનેસમેન સાથે ૧૨ કરોડની છેતરપિંડી
200 કરોડનાં વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું બિહારના એક ગોદામમાં રાખેલા ૩૦૦ કરોડ રૃપિયા કાનૂની ગૂંચવણોને કારણે અટવાયાનો દાવો કર્યો મુંબઈ - ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા અવસ્થી અને તેના પતિ વિવેકકુમાર ઉર્ફે અભિષેકકુમાર સિંહ ચૌહાણ સામે મુંબઈ સ્થિત કસ્ટમ ક્લિયરન્સ એજન્ટ સાથે ૧૧.૫૦ કરોડ રૃપિયાની છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. કસ્ટમ ક્લિયરન્સના વ્યવસાય સાથે સંકળાયેલા હિતેશ કાંતિલાલ અજમેરા દ્વારા બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. અજમેરાએ ઘાટકોપરના પંતનગર પોલીસનો સંપર્ક કરીને આરોપ લગાવ્યો હતો કે આ દંપતીએ તેમને ઉંચા વળતરના ખોટા વચનો આપીને લલચાવ્યા હતા અને ફિલ્મ ઉદ્યોગમાં મજબૂત સંબંધો હોવાનો દાવો કર્યો હતો.
વિકાસના વર્ચ્યુઅલ વાયદાઓ અને બેરોજગારીની વરવી વાસ્તવિકતા
- પ્રજાનું આર્થિક સરવૈયું : રોકેટ ગતિએ વિકસી રહેલા ભારતીય અર્થતંત્રમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને હાઈસ્કિલ ડિગ્રી લેનારા લાખો લોકો બેરોજગાર - શહેરી બેરોજગારીનો દર અંદાજે સાત ટકા પહોંચી ગયો હતો. બીજી તરફ અઢાર વર્ષથી ત્રીસ વર્ષની ઉંમરના વયજુથના યુવાનોમાં બેરોજગારીનો દર 12 ટકા જેટલો હતો. સંશોધકોએ નોંધ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ મેળવેલા યુવાનોમાં બેજરોજગારીનો દર તો તેના કરતા પણ વધારે હતો : ખરેખર વિકાસ થઈ રહ્યો છે તો ભારત કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. માત્ર ગણતરીના સેક્ટરમાં વિકાસ થયો છે અને જીડીપીની આંકડા મોટા થઈ રહ્યા છે પણ તેની સામે બેરોજગારી અને અસમાનતામાં વધારો થઈ રહ્યો છે તેના તરફ કોઈનું ધ્યાન જતું નથી અને કદાચ જેવા દેવામાં પણ આવતું નથી : રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમનો જ અહેવાલ જણાવે છે કે, ભારતની મોટાભાગની નોકરિયાત વસતી તેમના ક્ષેત્રના પાયાગત શિક્ષણ અને તાલિમથી વંચિત હોય છે. તેનું પરિણામ એ આવે છે કે, કંપનીઓ કુશળ ઉમેદવારોની અછતની બુમરાણ મચાવે છે અને બીજી તરફ યુવાનો બેરોજગારીનો માર ઝીલી રહ્યા હોય છે
અમદાવાદ શહેર આગામી કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ માટે તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રમતવીરો પ્રેક્ટિસ કરી શકે તેના માટે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ એસ.પી. રિંગ રોડ પર 43,890 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. 58 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ, લાયબ્રેરી, જીમ કાફેટેરિયા જેવી સુવિધાઓ છે. અમદાવાદનું સૌપ્રથમ મોટું ફૂટબોલ ગ્રાઉન્ડ પણ વસ્ત્રાલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ પાસે બનાવવામાં આવ્યું છે. આગામી સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે. ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવ્યોસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે 105 મીટર X 68 મીટરનું ગ્રાસી ફૂટબોલ મેદાન બનાવવામાં આવ્યું છે, જેમાં બે નંગ ફિક્સ બોલ તથા બે નંગ મુવેબલ પોલની વ્યવસ્થા કરવામાં આવી છે તથા ફૂટબોલ ગ્રાઉન્ડમાં સ્પ્રિન્કલર સિસ્ટમ સાથે પાણી છાંટવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફૂટબોલ ગ્રાઉન્ડની ચારેય બાજુ 400 મીટરનો ગ્રાસી રનીંગ ટ્રેક બનાવવામાં આવ્યું છે તથા ચોમાસાના પાણીનો નિકાલ કરવા માટે સ્ટોર્મ વોટર લાઈન પણ નાખવામાં આવી છે તથા બાજુમાં સિન્થેટીક લોંગ જમ્પ ટ્રેક બનાવવામાં આવ્યો છે. કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આઉટડોર અને ઈન્ડોર સુવિધાઓ આપવામાં આવી છે. તેના વિશે વાત કરવામાં આવે તો 400 મીટર ગ્રાસી એથ્લેટીક ટ્રેક, ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડ, 4 આઉટડોર ટેનિસ કોર્ટ, લોન્ગ જમ્પ, ટ્રીપલ જમ્પ તેમજ પાર્કિંગ એરીયા જેવી આઉટડોર સુવિધાઓનો લાભ નાગરિકો લઈ શકશે. લાઈબ્રેરી અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી શકે એવી વ્યવસ્થાલાયબ્રેરી બિલ્ડીંગ અને ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ કુલ બે બિલ્ડીંગનો સમાવેશ થાય છે. લાયબ્રેરી બિલ્ડીંગ અને કેફેટેરીયામાં કુલ 120 બાળકો બેસી એવી સેન્ટ્રલ એ.સી. સિસ્ટમ સાથેની વ્યવસ્થા સાથે બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ બનાવ્યું છે. જેમાં આશરે 91 ટુ-વ્હીલર અને 40 ફોર વ્હીલર પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા છે. સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર 100 માણસોની બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ ફ્લોર પર એક ઈન્ડોર ટેબલ ટેનિસ રૂમ કે જેમાં કુલ 6 ટેનિસની રમત કરાવી શકાય એવો એક હોલ બનાવેલો છે. આ સિવાય એક સ્વિમિંગ પુલ ફીલ્ટ્રેશન પ્લાન્ટ સાથે બનાવેલો છે. જેના ઉપયોગ માટે કોચ રૂમ, ચેન્જીંગ રૂમ અને ટોઈલેટ બ્લોક બનાવેલા છે. સ્વિમિંગ જોવા માટે ફર્સ્ટ ફ્લોર પર કુલ 100 માણસોની બેઠક વ્યવસ્થા બનાવેલી છે. થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બે માળના કોમ્પ્લેક્સમાં ફર્સ્ટ ફ્લોર પર જીમ્નેશિયમની વ્યવસ્થા સ્ટીમ, સોના અને જકુઝી સાથે કરવામાં આવી છે. મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ હોલમાં યોગા, માર્શલ આર્ટ્સ, જુડો, કરાટે, એરોબીક્સ, બોક્સીંગ, ફ્લોર એકસરસાઈઝની વ્યવસ્થા ટોઈલેટ બ્લોક સાથે કરેલી છે. સેકન્ડ ફ્લોર પર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોર્ટના હોલમાં બેડમિન્ટન, વોલી બોલ, બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણે બનાવવામાં આવ્યો છે. રમતોને જોવા માટે થર્ડ ફ્લોર પર કૂલ 176 માણસોની બેઠક વ્યવસ્થા બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને આગામી દિવસોમાં તેની ટેન્ડર પ્રક્રિયા બાદ આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

29 C