SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
... ...View News by News Source

પોલીસ ભરતી:પોલીસ ભરતીમાં 8 દિવસમાં 50,383 ઉત્તીર્ણ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અનેએલઆરડી કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભરતી પ્રક્રિયામાં સમગ્ર રાજ્યમાંથી 10 લાખથી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જે દર્શાવે છે કે યુવાનોમાં પોલીસ સેવામાં જોડાવાનો ભારે ઉત્સાહ છે. ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. 22 થી 29 જાન્યુઆરી દરમિયાન કુલ 1,87,874 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી 1,16,075 ઉમેદવારોએ ઉત્સાહભેર કસોટી આપી હતી. આ કડક પરીક્ષાના અંતે 50,383 ઉમેદવારો સફળતાપૂર્વક ઉતીર્ણ થયા છે. આ ભરતી પ્રક્રિયા પુરુષ ઉમેદવારો માટે 13 માર્ચ અને મહિલા ઉમેદવારો માટે 6 માર્ચ સુધી ચાલશે. રાજ્યના 15 શહેરોમાં ફુલપ્રુફ વ્યવસ્થા વચ્ચે લાખો યુવાનો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉમેદવારોની શારીરિક કસોટી આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબી અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. સ્થળ પર જ ફરિયાદ નિવારણ માટે ‘અપીલ બોર્ડ’ મુકાયાં છેજો કોઈ ઉમેદવારને પોતાની ઊંચાઈ કે અન્ય માપણીમાં અસંતોષ હોય, તો તેમના માટે દરેક ગ્રાઉન્ડ પર ‘અપીલ બોર્ડ’ની સુવિધા રાખવામાં આવી છે. જેમાં SP કક્ષાના અધિકારી અને મેડિકલ ઓફિસરની હાજરીમાં પુનઃ ચકાસણી કરી ત્વરિત નિરાકરણ લવાય છે. આમ ટેકનોલોજીના ઉપયોગથી ગેરરીતિ અટકાવાશે. ત્રિવેણી સંગમ | ગેરરીતિ અટકાવવા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:57 am

વિશાલ પારાશર | અમદાવાદ:વેજલપુર, મકરબામાં બ્રિજનું કામ મંથર ગતિએ ચાલતાં ટ્રાફિકની સમસ્યા, સરખેજના રોજાના તળાવમાં ગંદકીથી દુર્ગંધની સમસ્યા

સરખેજ વોર્ડની હંમેશાં ઉપેક્ષા થતી હોવાનો આ વિસ્તારમાં રહેતા નાગરિકોનું કહેવું છે. વોર્ડના વેજલપુર-મકરબામાં બ્રિજનું કામ બેથી ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે. ધીમી ગતિના કામને કારણે અહીં રોજ ટ્રાફિકની સમસ્યા રહે છે. ઐતિહાસિક સરખેજ રોજાના તળાવમાં ગંદકીની વારંવાર ફરિયાદો છતાં તેનો ઉકેલ લવાતો નથી. શ્રીનંદનગર પાસે સોનલ રોડ પર દર ચોમાસે 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલાં રહે છે, પણ તેના ઉકેલનું કોઈ નક્કર આયોજન હજુ સુધી તંત્ર લાવી શક્યું નથી. મહિના પહેલાં જ ખુલ્લા મુકાયેલાં નવા શકરી તળાવની લાઇટો બંધ હાલતમાં પડી છે. તો મકરબા પોલીસ લાઇનથી હાઈવે સુધીના રસ્તાની ફૂટપાથો પર દબાણ, આડેધડ પાર્કિંગને કારણે ચાલવાની જગ્યા જ રહી નથી. જર્જરિત કન્યા શાળા તોડી પડાઈ, નવી ક્યારે બનશે?અધૂરા બ્રિજથી ટ્રાફિક, પીયૂષનગરમાં અકસ્માતનો ભય, વરસાદમાં ગંદા પાણીની ગંભીર સમસ્યા છે. વારંવારની રજૂઆત છતાં કામગીરી થતી નથી, જેનું સત્વરે કાયમી નિરાકરણ લાવવું અનિવાર્ય છે. • દિવ્યકાંત પરમાર શાંતિપુરા ચાર રસ્તા પાસે રોડનું કામ અત્યંત ધીમું હોવાથી વાહનચાલકો પરેશાન છે. તંત્ર સત્વરે આ કામગીરી ઝડપી બનાવે અને ધૂળની ગંભીર સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી છે. • બલવાનસિંહ ચૌધરી સરખેજમાં રેલવે સ્ટેશનથી આરોગ્ય કેન્દ્ર સુધી ફૂટપાથનું કામ બજેટ છતાં અધૂરું છે. નવા શકરી તળાવની લાઈટો બંધ છે અને ત્યાં પણ ફૂટપાથની સુવિધા નથી. આ કામ વહેલીતકે પૂર્ણ કરવું જોઈએ. • સુરેશ સોલંકી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે ઓવરબ્રિજની કામગીરી 3 વર્ષ પછી પણ અધૂરી રહેતા સ્થાનિકો ટ્રાફિક, સ્ટ્રીટલાઇટની સમસ્યાથી ત્રસ્ત છે. ધીમી ગતિથી ચાલતા કામને કારણે લોકોમાં રોષ છે. • વિનોદ ચાવડા શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે, પરંતુ સરખેજ રોજા જેવાં સ્થાપત્યોનું યોગ્ય ડેવલપમેન્ટ વાતોમાં જ સીમિત છે. મકરબા પોલીસ લાઈનથી હાઈવે સુધીના રસ્તા પર ફૂટપાથ પરનાં દબાણો, ટ્રાફિકની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. સરખેજ રોઝાને જોડતો અલબુરુજ ચાર રસ્તા સુધીનો રોડ પણ બિસમાર હાલતમાં છે. • નાવેદ કાઝી જર્જરિત કન્યા શાળાને તોડી પાડીને વિદ્યાર્થિનીઓને કુમાર શાળામાં બેસાડાય છે. નવી શાળા ક્યારે બનશે તેની કોઈ માહિતી નથી. કોર્પોરેટરના બજેટનો પ્રજાહિતમાં વપરાશ થયો નથી. ટીપી-85માં 2 વર્ષથી શાળાની પરવાનગી છતાં કામ અટકેલું છે. ફતેવાડીથી બાકરોલ સુધીનો ગ્રીન ઝોન હટાવી રેસિડન્સી માટે ખુલ્લો મૂકવો જોઈએ. • અઝહર વડિયા શ્રીનંદનગર પાસે સોનલ રોડ પર દર ચોમાસે 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયેલાં રહે છે, પણ કોઈ ઉકેલ લવાતો નથી. મકરબાનો બ્રિજ 3 મહિનામાં શરૂ થઈ જશે વેજલપુરનો બ્રિજ અડધો વેજલપુર અને અડધો સરખેજ વોર્ડમાં આવે છે. દબાણો અને ડ્રેનેજની લાઈનોને પગલે બ્રિજનું કામ મોડું થયું છે. સરખેજ રેલવે સ્ટેશનથી હેલ્થ સેન્ટરનો રસ્તા પરના ફૂટપાથનું કામ ફેબ્રુઆરીમાં થઈ જશે. 3 મહિનામાં મકરબાનો બ્રિજ શરૂ થઈ જશે. પોલીસ હેડ ક્વાટર્સથી હાઈવે માર્ગ પર દબાણો દૂરની કાર્યવાહી કરાશે. • જયેશ ત્રિવેદી, કોર્પોરેટર

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:56 am

પ્રગતિશીલ ખેડૂત:પ્રાકૃતિક ખેતપેદાશો વેચવા ઈ-માર્કેટ બનાવી વાર્ષિક 12 લાખની આવક

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુકસવાડામાં રહેતા અને ધોરણ- 10 સુધી ભણેલા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિત પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડી માત્ર 6 વીઘા જમીનમાંથી તેઓ વર્ષે ₹ 10થી 12 લાખની આવક મેળવી રહ્યા છે. તેઓ વેબસાઈટ બનાવીને ગાયના ઘી, ઉપરાંત પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ વિગેરેનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. મોહનભાઈના શબ્દોમાં જ એમની વાત જાણીએ.. ‘શરૂઆતમાં હું મોબાઈલ એજન્સીનો બિઝનેસ કરતો હતો પણ, કોરોનાકાળમાં ધંધો બંધ થઈ ગયો. બીમાર ગાયની સંસ્થામાં પણ હું સેવા આપતો ત્યાં ગાયના શરીરમાંથી પ્લાસ્ટિક નીકળતા જોયું ત્યાર પછી મારી જમીનમાં પ્રાકૃતિક કૃષિ શરૂ કરી. શરૂઆતમાં મેં પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી, આત્મા સાથે જોડાયો. બાગાયત વિભાગ સહિતના અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું. સરકારની વિવિધ પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓનો પણ લાભ લીધો અને પદ્મશ્રી સુભાષ પાલેકરની પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ લીધી. આજે હું 6 વીઘા જમીનમાં નાળિયેરી, કેળ, હળદર, સુરણ, આંબામોરી સહિતના પાકોની મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરું છું. પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો પાસેથી ગાયના ઘીનું બ્રાન્ડિંગ અને પેકિંગ કરી અમદાવાદ, સુરત, મુંબઈ સુધી વેચીએ છીએ. પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ મિશ્રિત ચા, શેમ્પૂ, તેલ, નેચરલ ફ્લોર ક્લીનર ગોનાઈલ, મોબાઇલ માટે એન્ટીરેડીએશન ચીપ, પેઈનકીલર ઓઈલ સહીતની પ્રોડકટનું પણ વેચાણ કરીએ છીએ.' ફાર્મમાં દર મહિને 30 ખેડૂતોને તાલીમ અપાય છેમાળીયાહાટીના તાલુકાના કુકસવાડા ખાતે તેમનું ગૌકૃપા ફાર્મ એ આત્માનું મોડેલ ફાર્મ જાહેર થયેલ છે. તેમજ ગુજરાતની સૌ પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી - હાલોલ દ્વારા ચાલતા પ્રોજેકટ અંતર્ગત અહીંયા રિસોર્સ સેન્ટર અપાયું છે. જ્યાં જૂનાગઢ જિલ્લાના 30 ખેડૂતો મહિનામાં 2 વાર બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપસા મિશ્રપાકની પ્રેક્ટિકલ તાલીમ લઈ રહ્યા છે. ગોબર-ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત વડે મિશ્ર-બહુસ્તરીય પદ્ધતિથી ખેતી6 વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવનાર મોહનભાઈ હવે નાળિયેરી, કેળા, હળદર, સુરણ, આંબા અને રતાળુની મિશ્ર-બહુસ્તરીય પદ્ધતિથી ખેતી કરે છે. ગાયના ગોબર-ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ પ્રાકૃતિક કીટનાશકોનો જ ઉપયોગ કરીને તેઓ ખેતરમાં એક પણ રૂપિયાનું રાસાયણિક ખાતર કે દવા વાપરતા નથી. મોહનભાઈ પંડિત : મોબાઈલ નંબર - 99988 52699(જયરામ મહેતા સાથેની વાતચીતના આધારે)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:47 am

ગુજરાત જ ગ્રોથ એન્જિન!:બજેટનો ‘આત્મા’ ગુજરાત ‘નિર્ભર’

દેશની સરકારે રવિવારે સ્પષ્ટ કર્યું કે ભારતના આર્થિક વિકાસનો આગામી તબક્કો ગુજરાતના સમર્થનથી આગળ વધશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં મેન્યુફેક્ચરિંગ, MSME, સેમિકન્ડક્ટર, ફાર્મા, ટેક્સટાઇલ, રિન્યૂએબલ એનર્જી, ડિફેન્સ અને ટૂરિઝમ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેનો સૌથી મોટો અને સીધો ફાયદો ગુજરાતને જ મળશે. સરકારનું સ્પષ્ટ વિઝન મેન્યુફેક્ચરિંગ, ટેકનોલોજી અને ગ્રીન એનર્જી દ્વારા આત્મનિર્ભર ભારતનો પાયો મજબૂત બનાવવાનો છે. ગુજરાત આ વિઝનમાં માત્ર ભાગીદાર નથી, પરંતુ દેશના ગ્રોથ એન્જિન તરીકે પણ ઉભરી આવ્યું છે. બજેટમાં 200 MSME ક્લસ્ટર પાર્ક અને ₹10,000 કરોડના ગ્રોથ ફંડની જાહેરાત કરવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ હબ હોવાને કારણે ગુજરાતમાં 10 થી 12 ક્લસ્ટર પાર્ક બનવાની અપેક્ષા છે. રાજ્યમાં પહેલાથી જ ઉપસ્થિત 6.5 થી 7.5 લાખ MSME યુનિટ્સને આનો સીધો લાભ મળશે. સોલારમાં કાચા માલ અને BESS પર ડ્યુટી રાહત, ટેક્સટાઇલ માટે ₹1,500 કરોડનું પેકેજ, ડિફેન્સ બજેટમાં વધારો અને લોથલ-ધોળાવીરાના વિકાસથી ગુજરાતને નોંધપાત્ર ફાયદો થયો છે. લોથલ-ધોળાવિરાથી ગુજરાતમાં ટુરિઝમ-હોસ્પિટાલિટી સેક્ટરને ફાયદોધોળાવિરા અને લોથલ જેવા પ્રાચીન સ્થળોને ડેવલપ કરવાની જાહેરાતથી ગુજરાતમાં હોસ્પિટાલિટી તથા ટૂરિઝમ સેક્ટરને મોટો ફાયદો મળશે. આ વિસ્તાર આસપાસ રહેતા લોકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થશે. ઇતિહાસિક સ્થળો પર વધુ પ્રવાસીઓ વધશે અને સ્થાનિક આર્થિક પ્રવૃત્તિ વધશે નાના વ્યવસાયને વેગ મળશે. નવી પ્રવૃત્તિઓથી ટુરિઝમ સેક્ટરમાં રોકાણ વધશે, ટ્રાવેલ એજન્સીઓ, હોટેલ અને રેસ્ટોરન્ટ સેગમેન્ટમાં નવા રોકાણ આવશે. મેડિકલ ટૂરિઝમનો પણ બહોળો વ્યાપ ગુજરાતને મળશે. ટેક્સટાઈલ ગુજરાતના ઉદ્યોગોને મળશે નવી ગતિટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે 1500 કરોડના ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઈલ પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે ગુજરાત સહિત દેશના મુખ્ય ટેક્સટાઈલ હબને સીધો ફાયદો થવાનો છે. સરકારે નેશનલ ફાઈબર સ્કિમ,, ટેક્સટાઈલ એક્સપેન્શન એન્ડ એમ્પલોયમેન્ટ સ્કિમ, ટેક્સ-ઈકો ઈનિશિએટીવ અને સમર્થ 2.0 જેવી યોજનાઓ દ્વારા ફાઈબરથી લઈને ફિનિશ્ડ ફેબ્રિક સુધી સંપૂર્ણ વેલ્યુ ચેઈન મજબૂત થશે. ગુજરાત માટે ખાસ મહત્વ એ છે કે સુરત દેશના મેનમેડ ફેબ્રિક, સાડી અને પ્રોસેસિંગ યુનિટોનું સૌથી મોટું કેન્દ્ર છે. જેમ એન્ડ જ્વેલરી SEZ વેચાણ, ઈ-કોમર્સ એક્સપોર્ટ સરળતા-ડ્યુટી લંબાવાથી મોટો ફાયદોજેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા અનેક મહત્વપૂર્ણ નીતિગત સુધારા જાહેર કરવામાં આવ્યા છે. ખાસ કરીને SEZ યુનિટોમાં બનેલી પ્રોડક્ટ્સને હવે સ્થાનિક બજારમાં વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે ઉત્પાદકોને સ્ટોક ક્લિયરન્સ અને કેશ ફ્લો બંનેમાં રાહત મળશે. ઈ-કોમર્સ મારફતે વિદેશમાં જ્વેલરી અને ડાયમંડના પાર્સલ મોકલવા માટે અગાઉ રહેલી 10 લાખની મર્યાદા હટાવી દેવામાં આવતા નાના અને મધ્યમ એક્સપોર્ટર્સને હવે સીધી રીતે ગ્લોબલ ગ્રાહકો સુધી પહોંચવાની તક મળશે. રિન્યુએબલ એનર્જી : ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ અને રૂફટોપ પ્રોજેક્ટ્સને મળશે ગતિસ્વચ્છ ઊર્જા સેક્ટરને પ્રોત્સાહન આપવા સોલાર ઈન્ડસ્ટ્રી માટે મહત્વપૂર્ણ રાહતો જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને સોલાર પેનલના કાચ બનાવવામાં ઉપયોગ થતા કાચા માલ જેમ કે સોડિયમ એન્ટિમોનેટ સહિતના મટીરીયલ્સ પર કસ્ટમ્સ ડ્યૂટી ઘટાડીને શૂન્ય અથવા ઓછા દરે લાવવામાં આવી છે, જ્યારે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) અને સંબંધિત કેપિટલ ગુડ્સ પર પણ ડ્યૂટી છૂટ આપવામાં આવી છે. આ નિર્ણયથી સુરત અને ગુજરાતની ઈન્ડસ્ટ્રીને સૌથી મોટો લાભ થશે. બાયોફાર્મા શક્તિ…બાયોફાર્મા શક્તિ અગ્રણી બનાવશે. ગુજરાતમાં આ સેગમેન્ટમાં અત્યાર સુધીમાં સરેરાશ 5000 કરોડનું રોકાણ આવી ચૂક્યું છે અને સરકારની જાહેરાતથી આગામી બે-ત્રણ વર્ષમાં વધારાનું 5-7 હજાર કરોડનું રોકાણ આવશે. સરકાર દ્વારા 10000 કરોડની ફાળવણીમાંથી ગુજરાતને 50 ટકાથી વધુ ફાળવણી થાય તેવો અંદાજ એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ભાવેશ ઉપાધ્યાયે દર્શાવ્યો હતો. સમગ્ર ભારતમાં ખાસ કરીને ગંભીર અને દીર્ઘકાલીન રોગોથી પીડાતા દર્દીઓ માટે આધુનિક અને સસ્તી સારવાર વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ બનશે. ફાર્મા ઉદ્યોગ માટે આ જટિલ જનરિક્સ, બાયોલોજિક્સ અને આગામી પેઢીની નવીનતામાં રોકાણ માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જ્યારે દર્દીઓ માટે વહેલું નિદાન, અદ્યતન સારવાર સુધી ઝડપી પહોંચ અને વધુ સારા આરોગ્ય પરિણામોની આશા ઉભી કરે છે. અંતે, આ બધું મળીને ભારતને ‘વિશ્વની ફાર્મસી’ સાથે સાથે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાનો વિશ્વસનીય વૈશ્વિક પુરવઠાકર્તા તરીકે વધુ મજબૂત બનાવશે. બજેટમાં ગુજરાતના સેક્ટરને શું મળ્યું, કેટલો ફાયદો થશે MSME – ગુજરાતમાં 6.7 - 7 લાખ યુનિટ મેન્યુફેક્ચરિંગ હબ હોવાથી રાજ્યને સૌથી વધારે ફાયદો મળશેએમએસએમઇ સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની રજૂઆત કરાઇ છે અને ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ હોવાથી સૌથી વધુ ફાયદો મળશે. 200માંથી 10-12 ક્લસ્ટર પાર્ક આવે તો પણ ગુજરાતમાં નવા રોકાણ, રોજગાર સર્જન તથા મેન્યુફેક્ચિરંગ ઉત્પાદનમાં ઘણું આગળ નીકળી શકે છે. ગુજરાતમાં નાના-મોટા મળીને 6.5-7 લાખ યુનિટો આવેલા છે. બજેટમાં કરવામાં આવેલ જોગવાઈથી રાજકોટ-મોરબી સહિત અનેક ઔદ્યોગિક સેન્ટરનો વિકાસ થશે અને ત્યાંના ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ચિપ મેન્યુફેક્ચરિંગ: સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 રજૂ કરશે, ગુજરાતને વધુ તકચિપ મેન્યુફેક્ચરિંગમાં દેશમાં ગુજરાત ટોચનું સ્થાન ધરાવે છે અને આગામી ટુંકાગાળામાં ગુજરાતમાંથી પહેલી કોર્મશિયલ ચિપ રજૂ કરાશે. દેશમાં ગુજરાતમાં સૌ પહેલા સેમીકંડક્ટર પોલિસી ઘડાઇ અને ચાર સેમીકંડક્ટર પ્લાન્ટને મંજૂરી મળી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 1.30 લાખ કરોડથી વધુનું રોકાણ આવી ચૂક્યું છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0નો પ્રારંભ સેમિકન્ડક્ટર સાધનો, મટીરિયલ્સ, ડિઝાઇન અને સપ્લાય ચેનમાં સહાય વિસ્તારીને અદ્યતન ચિપ્સમાં આત્મનિર્ભરતા તરફ ભારતની યાત્રાને ઝડપી બનાવશે અને વૈશ્વિક સ્પર્ધામાં ભારતને મજબૂત બનાવશે તેમજ ગુજરાતમાં રોકાણને વેગ મળશે. ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને બૂસ્ટ અપ કરશે: મુખ્યમંત્રીવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સામાન્ય લોકોને પ્રાધાન્ય આપ્યું છે. તેમના નેતૃત્વમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીઝ, કટીંગ એજ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર્સ જેવા ક્ષેત્રો પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે. એમ.એસ.એમ.ઇ. પર ભાર મૂકવામાં આવ્યો છે. જેથી ગુજરાતના મેન્યુફેક્ચરીંગ સેક્ટર બૂસ્ટ અપ થશે. - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:45 am

મંડે પોઝિટીવ:ભાઈ સાથે પણ વાત ન કરવા દેનારા પતિથી છૂટા થઈ શિક્ષિકા જીસેટ, નેટ, સી-ટેટ, બી.એડ્ અને પીએચડી કરી આત્મનિર્ભર બની

પડ્યું પાનું નીભાવી લેવા કરતાં છેડો ફાડીને આગળ વધીએ તો એક વાર થઈ ગયેલી ભૂલનું પુનરાવર્તન થવાનો પસ્તાવો નથી રહેતો અને પછીનું જીવન અન્યો માટે દૃષ્ટાંત બની જતું હોય છે. અમદાવાદનાં ઈંગ્લીશ પેડાગોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કુંજન કે. પાટડિયા આવો જ પ્રેરણાસ્રોત બન્યાં છે. પતિના અમાનુષી ત્રાસ, સાસરિયાંનું મૌન અને બે દીકરીના ભવિષ્યની ચિંતા કરીને ડૉ. કુંજને ‘પિયા કા ઘર’નો ત્યાગ કર્યો. ભાંગી પડવાને બદલે, દુખિયા નારી બની રહેવાને બદલે નિવૃત્ત IPSનાં દીકરીએ અધૂરો મૂકેલો અભ્યાસ ફરી શરૂ કર્યો. લગ્ન પહેલાં અંગ્રેજીમાં બીએ કર્યું હતું. એ પછી પિયર આવીને બીએડ્, એમએડ્, એજ્યુકેશનમાં નેટ, અંગ્રેજી અને એજ્યુકેશન વિષયમાં એમ બે વાર જીસેટ પાસ કરી. અને હજી હમણાં જ અંગ્રેજી વિષયમાં પીએચડી પણ કર્યું. કૉલેજમાં 20 વર્ષની ઉંમરે પ્રેમ થયો અને પછી પરિવારની સંમતિથી 2004-05માં લગ્ન થયાં. છ મહિનામાં જ લગ્ન પહેલાં અને પછીની અનુભૂતિમાં આભ-જમીનનું અંતર જોયું. મનનો માણીગર ધીમેધીમે શંકાશીલ બનતો ગયો. એટલે સુધી કે રક્ષાબંધને ભાઈ સાથે વાત કરવાની પણ મનાઈ હતી. સાસરું ઘરમાંથી પીંજરું બનવા લાગ્યું. બંધન ધીમેધીમે ત્રાસનું સ્વરૂપ પણ લેવા લાગ્યો. પતિ જીપીએસસીની તૈયારી કરવા પુસ્તકાલયમાં વાંચવા જતો ને દારૂ પીને ઘરે આવતો. આવીને ગાળો આપતો, ઢોર સમજીને મારતો. સાસુ-સસરાં આંખ-કાન-મોં ખુલ્લાં રાખીને મૂક-બધીર ને અંધ બની બેસી રહેતાં. કારણ કે સમજાવવાનો પ્રયાસ કર્યો તો દીકરો બાપ ઉપર પણ હાથ ઉપાડતો. આટલા ત્રાસ છતાં બાળક આવશે તો જવાબદારીનું ભાન થશે, સુધરી જશે; એવા વિચારે સાસરિયાએ સમજાવ્યાં. પડ્યું પાનું નીભાવી લઈએ, એ વિચારે ડૉ. કુંજને મન વાળ્યું અને 2008માં દીકરીનો જન્મ થયો. પણ ધારણા ખોટી પડી. પરિસ્થિતિ હતી એના કરતાં પણ વધારે વરવી થઈ. હવે દીકરી પણ માને માર ખાતાં જોતી. દીકરી એક દિવસ નજીકમાં રહેતા નાનાને ઘરે રહેવા ગઈ અને બાળસહજ સ્વભાવે નાનાને વાત કરી. એ પછી સમજાવટનો દોર ચાલ્યો. સમજી પણ ગયા પણ પછી હતું એનું એ થવા લાગ્યું. ફરી પાછો સંતાનનો વિચાર આવ્યો અને 2015માં બીજી દીકરીએ જન્મ લીધો. આ વખતે પણ સ્થિતિ ન સુધરી. પતિ વધારે બેફામ બન્યો. ‘ પોલીસ બનવા માટે જ લગ્ન કર્યાં’તાં’, પતિનો આ સ્વાર્થનો સંબંધ ડૉ. કુંજન માટે વજ્રાઘાત પુરવાર થયો. રોજ દારૂ પીને દીકરી ખોળામાં હોય તોય લાત મારવાની પતિની આદત ન સુધરી. છેવટે બંને દીકરીના ભવિષ્યની ચિંતાએ ડૉ. કુંજને 2013માં ઉંબરો ઓળંગ્યો અને એક પછી એક ડિગ્રી મેળવી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:31 am

ભાસ્કર ઇન્ફો:ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી નિકાસ વધશે, પણ રો મટીરિયલના ઊંચા ભાવ, લેબર હજુ પડકાર

ગુજરાતની અર્થવ્યવસ્થાનો મજબૂત આધાર ગણાતા કાપડ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની નિકાસ અંગે રાજ્યના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનમાં આશાવાદ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં માગમાં ધીમે ધીમે સુધારો થતાં નિકાસ વધવાની શક્યતાઓ ઊભી થઈ છે. જોકે કેટલાક પડકારો પણ યથાવત્ છે. ઉદ્યોગ જગતનું માનવું છે કે જો સરકાર ઇનપુટ ખર્ચ ઘટાડે, નિયમનાત્મક પ્રક્રિયાઓ સરળ બનાવે અને ઝડપી રિફંડ તથા લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડે, તો કાપડ અને ફાર્મા બંને ક્ષેત્રમાં નિકાસમાં નોંધપાત્ર ઉછાળો શક્ય છે. લાંબા ગાળે ગુણવત્તા, બ્રાન્ડિંગ અને ટેક્નોલોજી અપગ્રેડેશન જ ગુજરાતને વૈશ્વિક બજારમાં વધુ મજબૂત બનાવી શકે છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો અમલ કરવાથી લાભ મળશેયુરોપ, અમેરિકા અને મધ્યપૂર્વના બજારોમાં કોટન, ડેનિમ અને ટેકનિકલ ટેક્સટાઇલની માગ ફરી વધી રહી છે. ભારત-યુરોપિયન યુનિયન અને ભારત-યુકે સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવતા ડ્યુટીમાં રાહત મળશે, જેના કારણે ગુજરાતના નિકાસકારોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ફાયદો મળશે. જોકે ઊંચા કાચા માલના ભાવ, વીજળી અને મજૂરી ખર્ચ નિકાસકારો માટે મોટો પડકાર બની રહ્યા છે. - ગૌરાંગ ભગત, મસ્કતી કાપડ મહાજન ડોમેસ્ટિક વેચાણમાં છૂટ અપાતાં યુનિટોને મોટો ફાયદો નિકાસ ઉદ્યોગમાં એસીઝેડમાં ડોમેસ્ટિક વેચાણમાં સુધારો આપ્યો છે. છૂટ આપવામાં આવતા યુનિટોને મોટો ફાયદો થશે. વધારામાં સરકારની મૂવર સ્કીમમાં 2030 સુધી જે કેપિટલ ગુડ્સ લાવવામાં આવે અને તેના પર થતો નફો તેમ જ ભાડાની આવક પર માફી જાહેર કરાતા ઇન્કમટેક્સની માફી જાહેર કરાતા મોટા ભાગના યુનિટ બહારથી મશીનરીની બહારથી આયાત કરીને ઉદ્યોગને સૌથી વધારે રાહત મળી છે. - વિપુલ ખંધાર, સીએ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને દવાઓની નિકાસમાં વિશાળ તક ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ઉદ્યોગપતિઓ મુજબ ગુજરાત આજે દેશનું મહત્ત્વપૂર્ણ ફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બની ચૂક્યું છે. ઈયુ, આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયન દેશોમાં દવાઓની નિકાસ માટે વિશાળ તકો ઉપલબ્ધ છે. ભારતીય ફાર્મા ઉદ્યોગ ગુણવત્તા અને આંતરરાષ્ટ્રીય ધોરણો જેમ કે US-FDA અને EU-GMP અનુરૂપતા કારણે વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બન્યો છે તેમ છતાં ઉદ્યોગપતિઓ માને છે કે, ભારત હજી પણ મૂલ્યવર્ધિત નિકાસમાં પાછળ છે અને તેમાં સુધારાની જરૂર છે. - જયેશભાઈ રાજપૂત, એમડી સની ફાર્મા હવે વિદેશ જવા માટે પાન કાર્ડની જરૂર પડશે હવે વિદેશમાં અભ્યાસ માટે અને મેડિકલ માટે જવામાં આવે તો વિદેશ ટૂર માટે 2 ટકા ટીસીએસ લાગુ પડશે. ઓછામાં ઓછી મર્યાદા રૂ. 7 લાખ હતી તે નિકાળી દેવામાં આવી છે. આમ હવે વિદેશ જતા દરેક વ્યક્તિને પાન કાર્ડની જરૂર પડશે. જો પાન કાર્ડ ન ધરાવતા હોય અને વિદેશ જવા માગતા હોય તો 20 ટકા ટીસીએસ લાગશે. - આશિષ ખંધાર, સીએ મેટ્રો મુસાફરોની સંખ્યા મોંઘી કારના વેચાણમાં ફેરફાર અન્ય મહત્વપૂર્ણ આંકડાકીય વધારો

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:29 am

મંડે પોઝિટીવ:કેન્સરમાં ગાલ, જડબું, જીભ ગુમાવ્યાં, પણ હિંમત નહિ: આઠ કેન્સર વોરિયરે સ્ટેજ પર ગીતો ગાયાં, શંખનાદ કર્યો, મોટિવેશનલ સ્પીચ આપી

‘કેન્સર એટલે જીવનનો અંત’ આ ભ્રમ તોડતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ ‘ગોલ્ડન વોઇસ’ અમદાવાદ મેડિકલ એસોસિયેશન અને અમદાવાદ કેન્સર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, જેમાં 8 કેન્સર વોરિયરમાંથી બેએ ગીત ગાયાં, એકે શંખનાદ કર્યો તો પાંચે મોટિવેશનલ સ્પીચ આપી હતી. આ એવા કેન્સર વોરિયર્સ છે, જેમણે ગાલ, જડબું કે જીભ ગુમાવી દીધાં, પણ હિંમત ન હાર્યા. ફાઉન્ડેશનના ડિરેક્ટર અને હેડ એન્ડ નેક સર્જન ડો. કૌસ્તુભ પટેલે જણાવ્યું કે, ‘મોઢાના કેન્સરની સર્જરી બાદ દર્દીનું જીવન કેવી રીતે પુનઃસ્થાપિત થઈ શકે છે એ બાબત પર ઓછું ધ્યાન જાય છે. એએમએ પ્રમુખ ડો. જિગ્નેશ શાહે જણાવ્યું કે, 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસના સંદર્ભમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પહેલી વાર કેન્સર વોરિયર્સને મંચ પર લાવી સમાજ સામે જીવંત ઉદાહરણ રજૂ કરાયું હતું કે, કેન્સર પછી પણ જીવન અટકતું નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:22 am

મંડે મેગા સ્ટોરી:યુનેસ્કોના રિવ્યુ પહેલાં હેરિટેજ ઇમારતો-સ્થાપત્યોનો ‘મેકઓવર’ કરાશે, રિસ્ટોરેશન માટે પોલિસી બનાવાશે

વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જાના નિરીક્ષણ માટે યુનેસ્કોની ટીમ વર્ષના અંતમાં કે 2027ની શરૂઆતમાં અમદાવાદ આવશે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ પણ આવી રહી છે, જેને પગલે મ્યુનિ.એ હેરિટેજ ઇમારતો અને સ્થાપત્યોને નવો ઓપ આપવા માટે નવી નીતિને મંજૂરી આપી છે. વર્ષ 2026-27માં મ્યુનિ. હેરિટેજ ઇમારતનાં રિસ્ટોરેશન, રિપેરિંગની મંજૂરી માટેની પોલિસી બનાવશે. ઉપરાંત હેરિટેજ ઇમારતોનું મેન્યુઅલ સરવે કરાશે, દરેક ઇમારતનું ડિજિટલ ડોક્યુમેન્ટેશન કરાશે. હેરિટેજ સિટી જોવા આવતાં સહેલાણીઓ માટે ગાઇડ, હેરિટેજ અને ટૂરિસ્ટ બસ સહિતની સુવિધા તૈયાર કરાશે. ટૂરિસ્ટ બસોને ખાસ કરીને કોટ વિસ્તાર અને રિવરફ્રન્ટના મહત્ત્વનાં હેરિટેજ સ્થળો સાથે જોડશે. આ બધા માટે અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને વર્ષ 2026-27ના બજેટમાં 18.8 કરોડની ફાળવણી કરાશે. લાઇડર સ્કેનિંગ ટેક્નોલોજી : લેઝર કિરણોથી જમીન, ઇમારતોનું થ્રીડી મેપિંગ કરાશેલાઇડ સ્કેનિંગ ટેક્નોલોજી દ્વારા પ્રાપ્ત થ્રીડી સરવે, ઇમારતની સ્થિતિનું મૂલ્યાંકન અને ઇમારતોનાં ડિજિટલ આર્કાઇવ લાંબા ગાળાના સંરક્ષણ માટે વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. ઉપરાંત એઆર (ઓગમેન્ટેડ રિયાલિટી) અથવા વીઆર (વર્ચ્યુઅલ રિયાલિટી) તરીકે પ્રસ્તુતિ માટે પણ આ ડેટા ઉપયોગી રહેશે હેરિટેજ વારસાની જાળવણીના પ્રયાસો વર્લ્ડ હેરિટેજ સિટી ટ્રસ્ટને વર્ષ 2026-27નાં આયોજનનાં અલગ અલગ કામો માટે રૂ.18.8 કરોડનું બજેટ ફાળવાશે

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:18 am

NCPના નેતૃત્વ અંગે ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો:NCPના નિવેદન પર પત્રકાર પર દોષ ઢોળીને ગોયલનો `યુ-ટર્ન'

ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના અકાળે અવસાન પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ) ના નેતૃત્વ અંગે ચાલી રહેલી ચર્ચાએ હવે નવો વળાંક લીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે પ્રફુલ્લ પટેલ એનસીપીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. જોકે, આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જતાં, ગોયલે થોડા કલાકોમાં જ 'યુ-ટર્ન' લઈ લીધો છે. તેમણે પોતાના નિવેદનનું પત્રકારોએ ખોટું અર્થઘટન કર્યું હોવાનું જણાવ્યું. તેમણે દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું કે પાર્ટી પ્રફુલ્લ પટેલ નહીં પણ સુનેત્રા પવારના નેતૃત્વમાં કામ કરી રહી છે. પીયુષ ગોયલે જાહેરાત કરી હતી કે પ્રફુલ્લ પટેલને એનસીપીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેનાથી રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. જોકે આ સમાચાર આગની જેમ ફેલાતાં, પીયુષ ગોયલે સ્પષ્ટતા કરી હતી કે, એક વરિષ્ઠ પત્રકારે મને આ ખોટી માહિતી આપી હતી. મેં કોઈ પણ સત્તાવાર ચકાસણી કર્યા વિના તે નિવેદન આપ્યું હતું. હવે હું સમજી ગયો છું કે એનસીપી પાર્ટી ઉપર મુખ્ય મંત્રી સુનેત્રા અજિત પવારના નેતૃત્વમાં કામ કરી રહી છે.દરમિયાન, પીયુષ ગોયલના પહેલાં નિવેદન પછી, મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા સોશિયલ મિડિયા પર લેવામાં આવેલું વલણ વિવાદના કેન્દ્રમાં રહ્યું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:12 am

સેલિબ્રિટિની ઘરની બહાર કરાયો હુમલો:ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર પર ગોળીબારના લીધે ખળભળાટ

બોલીવુડના ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘર અજ્ઞાત વ્યક્તિ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. શનિવારે મધરાતે રોહિતના જુહુ ખાતેની બિલ્ડિંગ પર ગોળીબાર કરવામાં આવ્યો. ઘટનાની માહિતી મળતા જ જુહુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જખમી થયું નથી. આ ઘટનાની ગંભીર નોંધ લેતા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે. ગોળીબાર પ્રકરણે મુંબઈ પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. આ એફઆઈઆર અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ બીએનએસ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમ હેઠળ નોંધવામાં આવી છે. આ સેલિબ્રિટિઓ પર હુમલોકોમેડિયન કપિલ શર્માની કેનેડાની કેપ્સ કેફે પર ત્રણ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. પહેલો હુમલો 10 જુલાઈ 2025, બીજો 7 ઓગસ્ટ 2025 અને ત્રીજી વખત ઓક્ટોબર 2025માં હુમલો થયો. લોરેન્સ બિશ્નોઈની ટોળકીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. 12 સપ્ટેમ્બર 2025ના અભિનેત્રી દિશા પટણીના બરેલી ખાતેના ઘરની બહાર બે હુલાખોરોએ ગોળીબાર કર્યો હતો. એની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ ટોળકીએ સ્વીકારી હતી. બંને હુમલાખોર માર્યા ગયાની માહિતી પોલીસે આપી હતી. સપ્ટેમ્બર 2024માં પંજાબી ગાયક એપી ઢિલ્લોના કેનેડાના ઘરની બહાર અજ્ઞાત હુમલાખોરોઓ ગોળીબાર કર્યો હતો. બિશ્નોઈ સાથે સંબંધિત રોહિત ગોદારાએ આ ઘટનાની જવાબદારી સ્વીકારી અને પછી સોશિયલ મીડિયા પર ધમકી પણ આપી હતી. 17 ઓગસ્ટ 2025ના સવારે 5 વાગ્યે યુટ્યુબર એલ્વિશ યાદવના ગુરુગ્રામ ખાતેના ઘર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી. આ પ્રકરણમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:10 am

પંચાહ્નિકા તપોત્સવનું આયોજન કરાયું:શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે પંચાહ્નિકા તપોત્સવનું આયોજન

જૈન ધર્મની તપ, ત્યાગ અને સંયમની પરંપરાને ઉજાગર કરતી એક ગૌરવસભર ધાર્મિક ઘટના રૂપે રામનગર, સાબરમતી ખાતે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયના પાર્શ્વનાથ આરાધના ભવનમાં પંચાહ્નિકા તપોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તથા ૧૦૮ ફૂટના આદિનાથ દાદાના પ્રેરક, જંબૂદ્વીપ, નાગેશ્વર, માંડવગઢ અને માણીભદ્ર તીર્થોના ઉદ્ધારક તથા માર્ગદર્શક ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી અશોકસાગરસૂરીશ્વરજી મ.સા.ના પાવન સાનિધ્યમાં આ તપોત્સવ યોજાયો હતો. કાર્યદક્ષ વિનયી પ.પૂ.આ.મ. શ્રી સૌમ્યચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. વર્ધમાનતપ આરાધક પ.પૂ.આ.મ. શ્રી વિવેકચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. પ્રવર્તક પ.પૂ. શ્રી ધૈર્યચંદ્રસાગર જી મ.સા., પ.પૂ.સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ.સા.ની શિષ્યા, ભીષ્મ તપસ્વિની પ.પૂ.સા. શ્રી ગિરાંશુ મ.સા. શ્રીજી મ.સા.ના દિવ્ય તપોબળથી વર્ધમાન તપની ૧૦૦મી ઓળીની પરિપૂર્ણતા પ્રસંગે પારણું શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ ટ્રસ્ટ્રી શ્રી સંજય જીવણલાલ શાહ તથા શ્રીમતી અલ્પાસંજય શાહ મહિલાવિભાગ(ઉપપ્રમુખ)ના વરદ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસર રવિવારે ઊજવાયો હતો.અલ્પ વયથી આરંભેલી કઠોર તપશ્ચર્યાઓ, અખંડ આરાધના અને સંયમમય જીવન દ્વારા તપસ્વી શ્રીનું જીવન આજે સમાજ માટે પ્રેરણાનું જીવંત પ્રતીક બન્યું છે. આ પંચાહ્નિકા તપોત્સવ દરમિયાન તપવદના, અનુમોદના, વિનંતિ, શ્રમણી-શ્રમણીઓના વંદન તથા પાંચ છોડના ઉદ્યાપન સહિત વિવિધ તપ આરાધના કાર્યક્રમો યોજાયા હતા. આ અવસરે અને અનેક સાધુ-સાધ્વી ભગવંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ, સાધના અને આત્મશુદ્ધિના ભાવોથી પરિપૂર્ણ બન્યું હતું. તપસ્વી શ્રી દ્વારા કરાયેલ ૧૦૮ ઉપવાસ ગુણસંવનન, 7400 દીર્ઘ આયંબિલ, 18 માસક્ષમણ તથા અન્ય દુર્લભ તપશ્ચર્યાઓએ જૈન સમાજમાં તપમહિમા, સંયમ અને આધ્યાત્મિક ઉન્નતિના મૂલ્યોને તેમજ પ.પૂ.સા. શ્રી ગિરાંશુ ધારા જેમની વાકપ્રતુતા નું પ્રતીક વધુ મજબૂત બનાવ્યા છે. પ્રવચન, શિબિરો અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા અનેક શ્રાવક-શ્રાવિકાઓ ધર્મપથ પર આગળ વધ્યા છે.આ પાવન અવસરે સાબરમતી સંઘ અધ્યદ્મ શ્રી જયંતિભાઈ સંઘવી (રત્નમની) ધર્મે ટ્રસ્ટ્રી ધર્મેશભાઈ શાક અને શ્રી જશવંતલાલ નેમચંદ શાહ સાધુ સાધવી અને જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા હજારો શ્રાવક શ્રાવિકા ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:04 am

કોર્ટનો ચુકાદો:સગીરની હત્યા કરવાના આરોપમાં પિતાને બાર વર્ષ પછી જન્મટીપ

નવજાત પુત્રની હત્યા કરવાના પ્રયાસમાં થાણેની કોર્ટે 36 વર્ષના પિતાને જન્મટીપની સજા ફટકારી છે. ઉપરાંત પત્ની અને અન્ય બે સંતાનની હત્યા કરવાના પ્રયાસ માટે કસૂરવાર ઠરાવ્યો હતો. આ ઘટના 2013માં બની હતી. એડિશનલ સેશન્સ જજ એસ જી ઈનામદારે શુક્રવારે આપેલા આદેશમાં જણાવ્યું કે પોલીસે આરોપી સુનિલ સદાશિવ પાતાડે વિરુદ્ધ સર્વ આરોપો ઉચિત શંકાની પાર સિદ્ધ કરવામાં સફળતા મેળવી છે.પત્નીના ચારિત્ર્ય પર શંકા કરીને આરોપીએ તેની પર અને તેના ત્રણ સંતાન પર હુમલો કર્યો હતો. 7 માર્ચ, 2013ના રોજ કલ્યાણ શહેરમાં તેમના ઘરે આ બધા જ સૂતેલા હતા ત્યારે આરોપીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના નવ વર્ષના પુત્રનું મૃત્યુ થયું હતું, જ્યારે તેની પત્ની અને અન્ય બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, એમ પોલીસે કોર્ટને જણાવ્યું હતું. કલ્યાણમાં મહાત્મા ફુલે ચોક પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) અને 324 (ખતરનાક શસ્ત્રનો ઉપયોગ કરીને ગંભીર ઈજાઓ પહોંચાડવી) હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી હી.કોર્ટે તેના પુત્રની હત્યામાં તેને જન્મટીપ આપી હતી, જ્યારે અન્ય પરિવારજનોની હત્યાના પ્રયાસ માટે વધુ 10 વર્ષની કેદ આપી હતી, જે બંને સજા તેણે વારાફરતી ભોગવવાની રહેશે. ઉપરાંત આરોપીને રૂ. 10,000નો એકત્રિત દંડ કર્યો હતો અને આ રકમ ભરપાઈ તરીકે પત્નીને સોંપવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:02 am

કોર્ટનો ચુકાદો:પત્નીની હત્યાનો આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યો

ફરિયાદ પક્ષ ઉચિત શંકાની પાર કસૂર સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયો છે અને જુબાનીઓમાં સાતત્યતા નથી એવું કારણ આપીને થાણે જિલ્લાની કોર્ટે 50 વર્ષીય આરોપીને પત્નીની હત્યાના કેસમાં નિર્દોષ છોડી મૂક્યો છે. પ્રમુખ જિલ્લા અને સેશન્સ જજ એસ બી અગ્રવાલે થાણેના ડાયઘરમાં રહેતી શગુફ્તા શેખના પતિ મહંમદ તારિક પીરમહંમદ શેખને નિર્દોષ છોડી મૂક્યો છે. 22મી જાન્યુઆરીના રોજ આ આદેશ પસાર કરાયો હતો, જેની નકલ શુક્રવારે મળી હતી. કેસની વિગતો અનુસાર શગુફ્તા શેખ 19 મે, 2024ના રોજ ઘણા બધા ફ્રેક્ચર્સ સાથે મળી આવી હતી અને ઘરમાં બધું વેરવિખેર હતું. ફરિયાદ પક્ષનો કેસ મૃતકના ભાઈ અને પિતાની જુબાની પર આધારિત હતો. તેમણે આરોપ કર્યો હતો કે આરોપી વારંવાર પત્ની સાથે ઝઘડા કરતો હતો અને ઘટનાના દિવસે રાત્રે તેણે અમને કોલ કરીને જણાવ્યું કે પોતે લાકડીથી પત્નીને ફટકારી હતી, જેમાં તે બેભાન થઈ ગઈ છે. પોલીસે દાવો કર્યો કે આરોપી ડાયઘર પોલીસ સ્ટેશનમાં પોતે જ આવ્યો અને હુમલો કર્યો છે એવું કહીને શરણાગતી સ્વીકારી હતી. પોસ્ટમોર્ટમમાં પણ હિંસામાં મૃત્યુ થયું હોવાનું તારણ નીકળ્યું હતું. જજને જણાયું કે ફરિયાદ પક્ષની વાર્તામાં હત્યાના આરોપ પર કસૂરવાર ઠરાવવા માટે જરૂરી કાનૂની ભારનો અભાવ છે.કોર્ટે આદેશમાં નોંધ્યું કે મૃતકના ભાઈએ એવી જુબાની આપી કે તેની બહેન આરોપી દ્વારા કરાતી ગાળાગાળી અને ચારિત્ર્ય પર શંકા કરતો હતો, પરંતુ આ વાત માનવામાં આવે તેવી નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:02 am

વીજ ગ્રાહકોનું વધશે આર્થિક ભારણ:વીજળીના ભાવ વધારાનો ખતરો યથાવત, 3જીથી જાહેર સુનાવણી

વીજળીના દર, સરચાર્જ અને સેવાની ગુણવત્તા અંગે ગ્રાહકોમાં વધી રહેલા અસંતોષ વચ્ચે, મહારાષ્ટ્ર વીજળી નિયમનકારી આયોગ (MERC) એ મહાવિતરણની સમીક્ષા અરજી પર વધુ એક વિભાગવાર જાહેર સુનાવણીની જાહેરાત કરી છે. જોકે 3 ફેબ્રુઆરીથી પ્રથમ પખવાડિયામાં રાજ્યના છ મુખ્ય શહેરોમાં ગ્રાહકોને ઈ-જાહેર સુનાવણી દ્વારા પોતાના મંતવ્યો વ્યક્ત કરવાની તક આપવામાં આવશે, પરંતુ વધતા બિલને કારણે નાગરિકો અને ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોગની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અગાઉ, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં જાહેર સુનાવણી યોજાઈ હતી. હવે, તેના પર કોઈ નિર્ણય લીધા વિના, ફરીથી જાહેર સુનાવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સંજય કુમારે નિવૃત્તિના ત્રણ અઠવાડિયા પહેલા રાજીનામું આપ્યું હતું. તેમના સ્થાને વલસા નાયર સિંહે કાર્યભાર સંભાળ્યો છે. મહાવિતરણે ગ્રાહકોના મંતવ્યો ધ્યાનમાં લીધા વિના નવા વીજદર પર પુનર્વિચારણા માટે દરખાસ્ત રજૂ કરી હતી. વીજળી નિયમનકારી પંચે તેને મંજૂરી આપી હતી. પરિણામે, વીજળીના દર ઘટવાને બદલે વધ્યા. દમનકારી પરિસ્થિતિઓને કારણે, સૌર ઉર્જા ગ્રાહકો સાથે અન્યાય થયો. રાજ્યભરના વીજ ગ્રાહકો અને તેમના સંગઠનોએ આ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને મુંબઈ હાઈકોર્ટમાં દોડી ગયા હતા. આ સુનાવણી બાદ કોર્ટે વીજળીના દર વધારવાનો નિર્ણય રદ કર્યો હતો. મહાવિતરણે આ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અહીં પણ હાઈકોર્ટનો નિર્ણય યથાવત રહ્યો. જાહેર સુનાવણી યોજવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. વિભાગવાર સુનાવણી આ રીતે થશેવિભાગવાર જાહેર સુનાવણીનો સમય ૧૦.૩૦ નવી મુંબઈ: સ્થળ: કોન્ફરન્સ હોલ, 7મો માળ, CIDCO ભવન, CBD બેલાપુર: 3જી ફેબ્રુઆરી, નાશિક: સ્થળ: આયોજન ભવન, કલેક્ટર ઓફિસ કેમ્પસ, ઓલ્ડ આગ્રા રોડ: 4 ફેબ્રુઆરી, છત્રપતિ સંભાજીનગર: સ્થળ: ASCI, QCC હોલ, સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફિસ: 5 ફેબ્રુઆરી, પુણે: સ્થળ: એન્જિનિયરિંગ કોલેજ ઓડિટોરિયમ, ૬ ફેબ્રુઆરી, અમરાવતી: સ્થળ: ડીપીડીસી હોલ, અમરાવતી: ૯ ફેબ્રુઆરી, નાગપુર: સ્થળ: જિલ્લા આયોજન સમિતિ કાર્યાલય, સદર પોલીસ સ્ટેશન પાસે: ૧૦ ફેબ્રુઆરી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:01 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:બજેટ 2026- સંરક્ષણ બજેટ 15% વધ્યું, ફોન-EV સસ્તા, ભારત સાથે વર્લ્ડ કપ મેચ નહીં રમે પાકિસ્તાન; કેન્દ્રીય બજેટ ગુજરાત માટે લાભદાયી

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બજેટ 2026-27થી જોડાયેલા રહ્યા. આમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રક્ષણ બજેટ (Defense Budget) 15% વધ્યું છે. બીજા મોટા સમાચાર પાકિસ્તાન સરકારની જાહેરાતના રહ્યા. તેણે ભારત સાથે ટી-20 વર્લ્ડ કપ મેચ રમવાની ના પાડી દીધી છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. બજેટ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા થશે. 2. સોનમ વાંગચુકની મુક્તિની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. બજેટ 2026: ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ બજેટમાં 15%નો વધારો:ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર નહીં, કેન્સરની દવા સસ્તી થશે, 3 આયુર્વેદિક એઇમ્સ; 7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનશે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. તેઓ 85 મિનિટ બોલ્યા, પરંતુ સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત કરી નથી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહી છે. બજેટ ભાષણમાં કોઈ સીધી ચૂંટણીલક્ષી જાહેરાત પણ નહોતી. ઓપરેશન સિંદૂર પછીના પ્રથમ બજેટમાં સીતારમણે ભૂ-રાજનીતિ અને પડકારોની વાત કરી અને દેશનું સંરક્ષણ બજેટ ₹6.81 લાખ કરોડથી વધારીને ₹7.85 લાખ કરોડ કર્યું. એટલે કે, કુલ સંરક્ષણ બજેટમાં 15.2% નો વધારો થયો છે. હથિયારોની ખરીદી અને આધુનિકીકરણ પર ગયા વર્ષના ₹1.80 લાખ કરોડની સરખામણીમાં આ વર્ષે ₹2.19 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મેચ નહીં રમાય:પાકિસ્તાન સરકારની જાહેરાત; બાંગ્લાદેશના સમર્થનમાં 15 ફેબ્રુઆરીના મહામુકાબલાનો બહિષ્કાર કર્યો T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ નહીં રમાય. પાકિસ્તાન સરકારે આ મેચના બોયકોટની જાહેરાત કરી છે. બંને ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં એકબીજા સામે ટકરાવાની હતી. જોકે, હાલમાં એ નક્કી નથી કે જો ભારત અને પાકિસ્તાનની ટીમ નોકઆઉટ રાઉન્ડમાં સામસામે આવશે ત્યારે પાકિસ્તાન રમશે કે નહીં? ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં એન્ટ્રી આપી હતી. ICCના આ નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સામેની મેચનો બોયકોટ કરી દીધો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બજેટ બાદ શેરબજાર ધડામ! ₹11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટીને 80,722 પર બંધ , નિફ્ટી પણ 495 પોઈન્ટ તુટ્યો, કારણ- FO પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો બજેટ બાદ, શેરબજાર 1 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1546 પોઈન્ટ અથવા લગભગ 2% ઘટીને 80,722 પર બંધ થયો. નિફ્ટી પણ 495 પોઈન્ટ ઘટીને 24,825 પર બંધ થયો. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. છેલ્લા કલાકોમાં, રોકાણકારોના લગભગ 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વઘારીને 0.05% કર્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પરનો STT પણ વધીને 0.15% કર્યો. આ કારણે બજારમાં આટલો ઘટાડો થયો. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કોંગ્રેસનો દાવો- અનિલ અંબાણીએ એપસ્ટીન પાસે મદદ માગીઃ મોદી-ટ્રમ્પની મિટિંગ કરાવવાની હતી; શનિવારે કોંગ્રેસે કહ્યું હતું- ટ્રમ્પ માટે મોદી ઈઝરાયલમાં નાચ્યા કોંગ્રેસે રવિવારે સતત બીજા દિવસે એપ્સટિન ફાઇલ્સનો મુદ્દો ઉઠાવ્યો. કોંગ્રેસના નેતા પવન ખેરાએ X પર બે પોસ્ટ શેર કરી. આમાં 16 માર્ચ, 2017ના રોજ અનિલ અંબાણી અને અમેરિકન સેક્સ અપરાધી જેફરી એપસ્ટીન વચ્ચેની ચેટના સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે. ચેટમાં અનિલ અંબાણી કુશનર અને બેનન (ટ્રમ્પની નજીકના) ને મળવા માટે એપસ્ટીનની મદદ માંગતા જોવા મળે છે, અને ટ્રમ્પ-મોદીની મુલાકાત ગોઠવવામાં એપસ્ટીનની મદદ પણ માંગતા જોવા મળે છે. ખેરાની બીજી પોસ્ટમાં 24 મે, 2019ના રોજ જેફરી એપસ્ટેઇન અને સ્ટીવ બેનન વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ સામેલ છે. તેમાં એપસ્ટીન બેનનને કહે છે કે મોદીની મુલાકાત ખરેખર રસપ્રદ હતી. મોદીના માણસે તેમને કહ્યું કે વોશિંગ્ટન (યુએસએ)માં કોઈ તેમની સાથે વાત કરતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ટ્રમ્પે ફરી એક વખત મોદીની ડીલની પોલ ખોલી:કહ્યું- ભારત ઈરાનના બદલે વેનેઝુએલાથી તેલ ખરીદશે, ડીલ પહેલેથી જ નક્કી છે; ચીનને પણ આવી જ ડીલ કરવા કહ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત હવે ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને બદલે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે. તેમણે દાવો કર્યો છે કે ભારતે વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદવાનો સોદો કરી લીધો છે. આ નિવેદન ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીથી એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આપ્યું હતું. જોકે, ભારત સરકાર તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ટ્રમ્પે કહ્યું, “અમે પહેલાથી જ એક ડીલ કરી લીધી છે. ભારત વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદશે, ઈરાન પાસેથી નહીં.” તેમણે એમ પણ કહ્યું કે ભારત સાથે આ સોદાનો કોન્સેપ્ટ નક્કી થઈ ચૂક્યો છે. ટ્રમ્પના મતે, ચીન પણ જો ઈચ્છે તો વેનેઝુએલા પાસેથી ઓઈલ ખરીદી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે: MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે; જાણો કેન્દ્રીય બજેટથી ગુજરાતને શું ફાયદો? કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 1 ફેબ્રુઆરી, 2026એ બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ ન હતી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતો કહેવામાં આવી છે. ત્યારે ગુજરાતને આ બજેટથી અનેક ફાયદા થવા જઈ રહ્યા છે. જેમાં રાજ્યના 34 જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનશે તો SME-MSME ગ્રોથ ફંડ માટે 10 હજાર કરોડની જાહેરાત અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 લોન્ચની જાહેરાતથી ગુજરાતમાં MSMEથી લઈ સેમિકન્ડક્ટરમાં સિક્કો પડશે, તો આવો જાણીએ ગુજરાતનું ઔધોગિક જગત આ બજેટને કેવી રીતે જુએ છે અને તેનાથી ગુજરાતને શું ફાયદો? વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'જીતુ વાઘાણીને ધોળા દિવસે તારા દેખાડવાના છે': કિશન મેર:ઋષિભારતીનો ભાવનગરની ન્યાય સભામાં હુંકાર, 'હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને દોડાવો' બગદાણાના કોળી સમાજના યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલાના મામલે ન્યાય મળ્યા બાદ આજે ભાવનગરના અક્ષરપાર્ક ખાતે કોળી સમાજ દ્વારા ભવ્ય 'ન્યાય સભા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં ઋષિભારતી બાપુએ હુંકાર સાથે સ્પષ્ટ સંદેશ આપ્યો કે, નવનીત બાલધિયાને ન્યાય મળ્યો, હવે આખા કોળી સમાજને 25 દિવસ દોડાવનારને પણ દોડાવવો જોઈએ. આ ફક્ત કોળી સમાજની સભા છે, કોઈ પાર્ટીની નથી. બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી સહિત કેટલાક કદાવર નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા નથી, જેની સમાજમાં ચર્ચા ચાલી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ: અજિત પવારના મૃત્યુથી CM ફડણવીસનો શેડ્યૂલ બદલાયો:જિલ્લા પરિષદ-પંચાયત સમિતિ ચૂંટણીનો પ્રચાર નહીં કરે; NCP વિલય પણ નક્કી નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2.ઈન્ટરનેશનલ : 'મેં રશિયન છોકરીઓ સાથે સંબંધો નથી બનાવ્યા':બિલ ગેટ્સે કહ્યું- એપસ્ટીન ફાઇલ્સમાં લાગેલા આરોપો સંપૂર્ણપણે ખોટા; જાતીય રોગના દાવાને ખોટો ગણાવ્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3.નેશનલ : 2027 ચૂંટણી પહેલાં PM મોદીનો પંજાબ પ્રવાસ શા માટે:32% દલિત મતદારો પર નજર, 23 બેઠકો ટાર્ગેટ; કોંગ્રેસ માટે રાજકીય ખતરાની ઘંટડી (સંપૂર્ણ સમાચાર વાંચો) 4.ઈન્ટરનેશનલ : ભારતે બાંગ્લાદેશની મદદ ઘટાડીને અડધી કરી:હવે ₹60 કરોડ આપશે, માલદીવ-મ્યાનમારનું ફંડ પણ ઘટાડ્યું, ભૂટાનનું વધારીને ₹2288 કરોડ કર્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 5.બિઝનેસ : નાણા મંત્રીએ કહ્યું- STT વધારવાથી સટ્ટાબાજી અટકશે:નાના રોકાણકારોને નુકસાનથી બચાવવાનો હેતુ, AI ક્યારેય માણસની જગ્યા લઈ શકતું નથી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6.સ્પોર્ટ્સ : ભારત U-19 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચ્યું:પાકિસ્તાનને 58 રનથી હરાવ્યું, ગુજરાતના વેદાંત ત્રિવેદી-ખિલન પટેલ ઝળક્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંત રવિદાસ જયંતિ:પારસ પથ્થર મળવા છતાં રવિદાસજીએ સોનાની લાલચ ન કરી, જાણો પ્રેરણાદાયી કથા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ટોયલેટમાં ફસાયા પૂર્વ CMના મીડિયા સલાહકાર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેના મીડિયા સલાહકાર મહેન્દ્ર ભારદ્વાજ ટ્રેનના ટોયલેટમાં લગભગ એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા. બાદમાં રેલવે કર્મચારીઓએ દરવાજો તોડીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે બિગ સ્ટોરી : સોના-ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ વચ્ચે લોકો તાંબા તરફ વળ્યા: એક કિલોની લગડીમાં 3 મહિનામાં 35% રિટર્ન, માર્કેટ એક્સપર્ટે ચેતવ્યા- ભંગારના ભાવે વેચવું પડશે 2. ખાખી કવર : મંત્રીએ કહ્યું, 'મારી પ્રેમિકાને મારી નાખો!’: 7 માસની ગર્ભવતી મધુમિતાની હત્યાથી UP હચમચી ગયું, કિલરે જન્મટીપના નામે VIP રૂમમાં જલસા કર્યા 3. સન્ડે જઝબાત: પોલીસે મારા પ્રાઇવેટ પાર્ટ પર ઇંટ બાંધી: માથું ખુરશીમાં બાંધીને ઊંધો લટકાવ્યો, વકીલ બનીને કેસ જાતે લડ્યો; 12 વર્ષ પછી નિર્દોષ છૂટ્યો 4. આજનું એક્સપ્લેનર:સામાન્ય લોકો માટે નીરસ કેમ રહ્યું બજેટ, ભાષણ પછી કેવી રીતે ક્રેશ થયું શેરબજાર; જાણો 5 મોટા કારણો 5. બજેટમાં કોઈ મોટું એલાન કેમ નહીં, એક્સપર્ટ પાસેથી સમજો:ગોલ્ડ બોન્ડ પર ટેક્સ છૂટ હવે 8 વર્ષ પછી; કરદાતા માટે શું બદલાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મિથુન રાશિના જાતકોનું ધારેલું કામ પાર પડશે, સિંહ રાશિના લોકો માટે નવું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 5:00 am

છેતરપિંડીનો મામલો આવ્યો સામે:શેરોમાં રોકાણને નામે વૃદ્ધ સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી

શેરબજારમાં રોકાણો કરવા પર ઉચ્ચ વળતરો મેળવી આપવાનું વચન આપીને નવી મુંબઈના 75 વર્ષીય વેપારી સાથે રૂ. 1.08 કરોડની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે ગુનો દાખલ કર્યો છે. પીડિત નવી મુંબઈના વાશી વિસ્તારનો રહેવાસી છે. ગયા મહિને તેણે શેરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરોનું વચન આતી ફેસબુક પર જાહેરાત જોઈ હતી. આ જાહેરાત પર ક્લિક કરતાં જ તેને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો અને ટ્રેડિંગ અકાઉન્ટ માટે સ્થાપિત વિવિધ છેતરામણી વેબસાઈટ્સ પર દોરવામાં આવ્યો હતો. 5 ડિસેમ્બર, 2025 અને 6 જાન્યુઆરી વચ્ચે વૃદ્ધે 18 અલગ અલગ ટ્રાન્સફરમાં વિવિધ ખાતાંમાં રૂ. 1.08 કરોડ જમા કર્યા હતા, એમ સાઈબર સેલના અધિકારીએ જણાવ્યું હતું. વિશ્વાસ જીતવા માટે ઠગે આરંભમાં મંચ પર તેનો નફો રૂ. 4 કરોડ સુધી વધી ગયો હોવાનું બતાવ્યું હતું. જોકે વૃદ્ધે આ ભંડોળ ઉપાડવાનો પ્રયાસ કરતાં ઠગે કર અને આઈપીઓ સબ્સ્ક્રિપ્શન ફીને નામે વધુ પેમેન્ટસ માગ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોતે છેતરાયો છે એવું ધ્યાનમાં આવતાં જ વૃદ્ધે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ થકી ફરિયાદ નોંધાવી હતી. નવી મુંબઈ સાઈબર પોલીસે 29 જાન્યુઆરીના રોજ ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ધારાની સુસંગત જોગવાઈઓ હેઠળ બે અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:59 am

સિટી એન્કર:મહાપાલિકાનો ભાંડુપમાં એશિયાનો સૌથી મોટો જળશુદ્ધિકરણ પ્રકલ્પ

મહાપાલિકાનો ભાંડુપ જળશુદ્ધિકરણ પ્રકલ્પ એશિયાનો સૌથી મોટો પ્રકલ્પ છે. એમાં દરરોજ બે હજાર મિલિયન લીટર પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે. ત્યાં 46 વર્ષ પહેલાં બાંધેલા દરરોજ 1 હજાર 910 મિલિયન લીટર ક્ષમતાના જળશુદ્ધિકરણ પ્રકલ્પનું બાંધકામ નબળું પડવાથી નવો પ્રકલ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ પ્રકલ્પ એપ્રિલ 2029 સુધી પૂરો કરવાનો ઉદ્દેશ છે. મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણીએ આ પ્રકલ્પસ્થળની મુલાકાત લીધી હતી. આ પ્રકલ્પનું કામ ઝડપી કરો એવો આદેશ તેમણે આપ્યો હતો. આ પ્રકલ્પ પૂરો થયા પછી પાણી પુરવઠા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. ઉપરાંત વધુ દરજ્જાવાળું પાણી ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં વધનારી લોકસંખ્યા, ઔદ્યોગિક જરૂરિયાત તેમ જ નાગરીકરણના કારણે વધતી પાણી માગ ધ્યાનમાં લઈને આ પ્રકલ્પ મહત્વનો છે. પાણીની વધતી જરૂરિયાત પૂરી કરવી અને આયખું પૂરું થયેલા પ્રકલ્પની જગ્યા લેવી એ મુખ્ય ઉદ્દેશ છે એમ ગગરાણીએ જણાવ્યું હતું. આ સમયે સ્પેશિયલ એન્જિનિયરીંગ ડિપાર્ટમેંટના ઉપાયુક્ત પુરુષોતમ માળવદે, પાણી પુરવઠા પ્રકલ્પના ચીફ એન્જિનિયર મહેન્દ્ર ઉબાળે સહિત સંબંધિત એન્જિનિયરો અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. મુંબઈની વધતી લોકસંખ્યા અને નાગરીકરણનો વિચાર કરતા પાણી પુરવઠા વિતરણ વ્યવસ્થાને વધુ સક્ષમ કરવી ઘણી જરૂરી છે એમ ગગરાણીએ ઉમેર્યું હતું. બે સિસ્ટમનો ઉપયોગમુંબઈને પાણી પુરવઠો કરવા બે સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એક સિસ્ટમમાં તાનસા-વૈતરણા સિસ્ટમ દ્વારા તાનસા, મોડકસાગર, મધ્ય વૈતરણા અને અપ્પર વૈતરણા જળાશળનું પાણી પાઈપલાઈન દ્વારા ગુરુત્વાકર્ષણ દ્વારા ભાંડુપ કોમ્પ્લેક્સમાં લાવવામાં આવે છે. બીજી સિસ્ટમમાં આ કોમ્પ્લેક્સના જૂના અને નવા જળશુદ્ધિકરણ કેન્દ્રમાં આ પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. એ પછી એનો મુંબઈમાં પુરવઠો કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:58 am

મંડે પોઝિટીવ:ભાયખલાના રાણીબાગમાં 6 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે મુંબઈ પુષ્પોત્સવ

મુંબઈ મહાપાલિકા અને વૃક્ષ પ્રાધિકરણના સહિયારા પ્રયાસથી ભાયખલાના વીરમાતા જીજાબાઈ ભોસલે વનસ્પતી ઉદ્યાન અને પ્રાણીસંગ્રહાલય એટલે કે રાણીબાગમાં 6 થી 8 ફેબ્રુઆરીના ત્રણ દિવસમાં મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 6 ફેબ્રુઆરીના સવારે મુંબઈ પુષ્પોત્સવનું ઉદઘાટન કરવામાં આવશે. એ પછી રાતના 8 વાગ્યા સુધી પુષ્પોત્સવ બધા મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે. બાકીના બે દિવસ એટલે ક 7 અને 8 ફેબ્રુઆરીના સવારે 8 થી રાતના 8 વાગ્યા સુધી મુંબઈ પુષ્પોત્સવ મુંબઈગરા અને પર્યટકો માટે ખુલ્લુ રહેશે. આ વર્ષે 29મો પુષ્પોત્સવ છે. મુંબઈ મહાપાલિકા કમિશનર અને પ્રશાસક ભૂષણ ગગરાણી અને અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પૂર્વ ઉપનગરો) ડો. અવિનાશ ઢાકણેના માર્ગદર્શન હેઠળ તેમ જ ઉપાયુક્ત (ઉદ્યાન) અજિતકુમાર આંબી અને ઉદ્યાન અધિક્ષક જિતેન્દ્ર પરદેશીની દેખરેખ હેઠળ મુંબઈ પુષ્પોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શિશિર ઋતુની શરૂઆત થાય એટલે મુંબઈગરા રાણીબાગના પુષ્પોત્સવની રાહ જુએ છે. ઘડિયાળના કાંટે અને પવનની ઝડપે દોડતા મુંબઈગરા માટે મુંબઈ પુષ્પોત્સવ એટલે સુંગધી તહેવાર હોય છે. વિવિધ પ્રજાતિના રંગબેરંગી ફૂલઝાડ, ફળોના ઝાડ, ઔષધીય વનસ્પતિ તેમ જ વિવિધ ઋતુઓમાં ખીલતા ફૂલો વગેરે મળીને લગભગ 5 હજાર છોડનો મુંબઈ પુષ્પોત્સવમાં સમાવેશ હોય છે. પર્યાવરણનો શોખ અને ફૂલો પર પ્રેમ કરનારા પર્યાવરણપ્રેમીઓ માટે પુષ્પોત્સવમાં ઉદ્યાન સંબંધી સામગ્રીનું વેચાણ, ઝાડ માટે જરૂરી ખાતર વગેરેની હાટડી પણ ખુલ્લી મૂકવામાં આવશે. આ ત્રણ દિવસના મુંબઈ પુષ્પોત્સવમાં નાગરિકોને મફત પ્રવેશ આપવામાં આવશે. ગાર્ડન વર્કશોપમુંબઈ પુષ્પોત્સવ સાથે જ 6 થી 8 ફેબ્રુઆરી 2026ના ત્રણ દિવસમાં ઉદ્યાન સંબંધી ગાર્ડન વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. આ વર્કશોપમાં બાગકામ કેવી રીતે કરવું, ઝાડોની સંભાળ કેવી રીતે રાખવી, રોપા-ઝાડ અને વેલને કયું ખાતર ક્યારે અને કેટલા પ્રમાણમાં આપવું એ બાબતે અભ્યાસપૂર્ણ પ્રશિક્ષણ આપવામાં આવશે. નોખી આકર્ષક સંકલ્પના મુંબઈ પુષ્પોત્સવમાં ફૂલઝાડોની સુંદર રજૂઆત અને આકર્ષક સજાવટ કરવામાં આવે છે. એ સાથે દર વર્ષે એક ખાસ સંકલ્પના રચીને પુષ્પોત્સવ ઉજવવામાં આવે છે. ગયા વર્ષે ભારતના રાષ્ટ્રીય પ્રતિકોની આકર્ષક રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ ફૂલોની મનમોહક રચના દ્વારા રાષ્ટ્રધ્વજ, ભારતરત્ન પુરસ્કારની પ્રતિકૃતિ તેમ જ રાષ્ટ્રીય ફળ આંબાની રચના ગલગોટાના ફૂલોથી તૈયાર કરવામાં આવી હતી. આ સજાવટે મુંબઈગરાના મન મોહી લીધા હતા. આ વર્ષના મુંબઈ પુષ્પોત્સવમાં પણ નોખી અને આકર્ષક સંકલ્પના રજૂ કરવામાં આવશે. સળંગ ત્રણ દિવસ ચાલનારા આ પુષ્પોત્સવને મુંબઈગરાએ માણવો એવી હાકલ મુંબઈ મહાપાલિકા તરફથી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:57 am

LCBની કાર્યવાહી:રાયપુર ગામના પાર્લરમાંથી દારૂના જથ્થા સાથે 1 પકડાયો

ગાંધીનગરના રાયપુર ગામમાં ધોળા દિવસે દારૂનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી છે,લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-1) ની ટીમ જ્યારે ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ માહિતી મળી હતી કે રાયપુર ગામના બળિયાદેવ વાસમાં રહેતો ગોવિંદજી ઉદાજી ઠાકોર પોતાના ''''શિવ પાર્લર'''' માં વિદેશી દારૂ સંતાડીને વેચી રહ્યો છે. પોલીસે જ્યારે શિવ પાર્લરમાં તપાસ કરી, ત્યારે પાર્લરમાં રાખેલા એક લાકડાના ટેબલના કબાટમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 42 નંગ વિદેશી દારૂની બોટલો અને 16 નંગ બીયરના ટીન કબજે કર્યા છે. આ કુલ 58 નંગ મુદ્દામાલની કિંમત અંદાજે ₹12,570/- જેટલી થાય છે. આ મામલે પોલીસે 53 વર્ષીય ગોવિંદજી ઉદાજી ઠાકોરની સ્થળ પરથી ધરપકડ કરી છે. તેની સામે ડભોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે,હાલમાં પોલીસ આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને અન્ય કોણ સામેલ છે તે દિશામાં તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:54 am

કેબલચોરો થયા સક્રિય:મોટા ચિલોડામાં સાઈટ પરથી 100 ફૂટ કેબલની ચોરી

ગાંધીનગરના મોટા ચિલોડામાં આવેલી એક ફેબ્રિકેશન સાઈટને નિશાન બનાવી બે શખ્સોએ અંદાજે 100 ફૂટ લાંબા ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. મૂળ પેથાપુરના રહેવાસી 44 વર્ષીય ઇમરાન સિરાજભાઈ લુહાર કે જેઓ છૂટક મજૂરી અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમણે આ અંગે ચિલોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોટા ચિલોડાથી ગાંધીનગર તરફ જતા રોડ પર, સેતુસ્વેર કોમ્પ્લેક્ષની બાજુમાં ગુડા (GUDA) નો એક ખુલ્લો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં વિશ્વાસ ફેબ્રિકેશનના નામે કામકાજ ચાલે છે અને ત્યાં લોખંડના સામાન સાથે અન્ય સામગ્રી રાખવામાં આવે છે. ગત 29 જાન્યુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ કામ પતાવીને સાઈટ બંધ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 30 જાન્યુઆરીની સવારે 9 વાગ્યે જ્યારે ઇમરાનભાઈ સાઈટ પર પહોંચ્યા ત્યારે તેમને સામાન વેરવિખેર જણાયો હતો. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, ત્યાં પડેલો અંદાજે 100 ફૂટ લાંબો 6 એમ.એમ. ફોરકોર ઇલેક્ટ્રિક કેબલ ગાયબ હતો. આ કેબલની અંદાજિત કિંમત ₹18,000 જેટલી થાય છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:53 am

કેબલની ચોરી:રાયપુરમાં કંપનીના પતરા તોડી કેબલની ચોરી થઇ

ગાંધીનગર જિલ્લાના રાયપુર ગામમાં આવેલી ‘એમ.ટેક વે સિસ્ટમ નામની કંપનીને તસ્કરોએ નિશાન બનાવી છે. કંપનીના શેડમાં બાકોરું પાડીને અજાણ્યા ચોરો અંદાજે ₹44,800ની કિંમતનો કિંમતી વેલ્ડિંગ કેબલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. કંપનીમાં સર્વિસ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા બળદેવભાઈ ભગવાનભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 26 જાન્યુઆરીની સાંજે સાડા છ વાગ્યે તેઓ કંપનીના મશીનો ચેક કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે 10:30 વાગ્યે જ્યારે તેઓ નોકરી પર પરત ફર્યા અને કામ શરૂ કરવા માટે વેલ્ડિંગ મશીન ચાલુ કરવા ગયા, ત્યારે તેમને જોયું કે મશીનનો કેબલ ગાયબ હતો. તપાસ કરતા માલૂમ પડ્યું કે મશીનમાંથી કેબલ કાપી નાખવામાં આવ્યો હતો. ચોરોએ ચોરી કરવા માટે કંપનીના પતરાના બનાવેલા શેડના દરવાજા પાસે પતરામાં મોટું બાકોરું પાડ્યું હતું અને તેમાંથી અંદર પ્રવેશ્યા હતા. અંદરથી તેઓ 100 મીટર લાંબો વેલ્ડિંગ કેબલ લઈ નાસી છૂટ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:53 am

અડાલજ પોલીસ દ્વારા દરોડો:શેરથાના ખેતરમાંથી 400 લીટર દેશી દારૂનો વોશ ઝડપાયો

ગાંધીનગરના શેરથા ગામેથી દંતાલી તરફ જતા રોડ પર આવેલા એક ખેતરમાં અડાલજ પોલીસે દરોડો પાડીને દેશી દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જોકે,જોકે પોલીસના આવતા પહેલા જ આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. શનિવારે અડાલજ પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે શેરથા ગામના પ્રહલાદજી ગલાબજી ઠાકોર ખેતરમાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે,બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખીને ખેતરમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં દેશી દારૂ ગાળવા માટેની ભઠ્ઠી મળી હતી. હતા, જ્યાંથી 400 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ (રસાયણ) ભરેલો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:52 am

ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય થઈ:મનપા ચૂંટણીના પગલે શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન રચાયું

ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી ચાલુ વર્ષે યોજાનાર છે ત્યારે કોંગ્રેસ એકાએક સક્રિય બની ગઈ છે. ગાંધીનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિનું જમ્બો સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. શહેર પ્રમુખ શક્તિ પટેલની આગેવાનીમાં સામાજિક સમીકરણો ને ધ્યાને લઈ ને વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગાંધીનગરની સ્થાનિક ચૂંટણી ને ધ્યાનમાં રાખીને શહેર સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. ભાજપમાં શહેર પ્રમુખની નિમણુંક ના 6 મહિના બાદ પણ હજુ સંગઠન માળખું રચાયું નથી ત્યારે કોંગ્રેસ આગોતરી તૈયારી કરી રહી છે. કોંગ્રેસ દ્વારા સામાજિક સમીકરણો સેટ કરવા જમ્બો સંગઠન માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 16 ઉપ પ્રમુખ, 7 મહામંત્રી અને 20 મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 3 સહમંત્રી, કાર્યાલય મંત્રી અને સલાહકારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રવક્તા તરીકે સી. જે. પરમાર અને ફેનિલ પટેલની જ્યારે મહામંત્રી તરીકે કર્મજીતસિંહ વાઘેલા, મીતુલ જોશી સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનપાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસે અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:48 am

450 દબાણ હટાવાયાં:રજાના દિવસે પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રખાઇ

પાટનગરને દબાણ મુક્ત કરવાની ઝુંબેશ રવિવારે રજાના દિવસે પણ અવિરત રખાઇ હતી. ચોથા દિવસે રહેણાંક અને વાણિજ્યની સાથે ધાર્મિક હેતુના દબાણો સુધી તંત્ર પહોંચતા સેક્ટર 24માં ઉચાટનો માહોલ સર્જાયો હતો. દબાણ હટાવ ટુકડીએ ધર્મસ્થાન ફરતે કરાયેલી ફન્સિંગ અને ઓટલા તોડી નાંખ્યા હતાં. સેક્ટર 20, 21, 24 અને સેક્ટર 30ના વિસ્તારમાંથી ઝુંપડા સહિત 450 દબાણો હટાવાયા હતાં. દબાણકારોની ઘુસણખોરીથી શહેરનું કોઇ સેક્ટર બાકાત રહ્યું નથી. આ મુદ્દે વર્ષોની બેદરકારી કારણભુત બની છે. હવે સચિવાલયથી છુટેલા આદેશના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને રજાના દિવસે પણ ચાર સેક્ટરોમાં 10 ટીમ ઉતારીને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. પાંચ જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર સહિત સરંજામ સાથે દબાણો હટાવવામાં આવ્યા હતાં. તેમાં માત્ર સેક્ટર 24ના વિસ્તારમાંથી જ 230 ઉપરાંત દબાણો તોડી પાડવામાં આવ્યા હતાં. અહીં ધર્મસ્થાનો આસપાસ કરવામાં આવેલી તાર ફેન્સિંગ અને ઓટલા પર જેસીબી ચલાવવામાં આવ્યાના પગલે લોકો એકઠા થઇ ગયા હતાં. જોકે દબાણ હટાવ ટુકડીઓ દ્વારા ધર્મસ્થાનને કોઇ હાની પહોંચાડાઇ ન હતી. બાદમાં મામલો થાળે પડી ગયો હતો. આ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ઝુંપડા, છાપરાની સાથે વાણિજય હેતુ માટે બાંધવામાં આવેલા શેડ અને ઓટલા હટાવી દેવામાં આવ્યા હતાં. બીજી બાજુ સેક્ટર 20 અને 21 તથા સેક્ટર 30માં દબાણો હટાવવામાં આવ્યા હતાં. જ્યાં વાહન રિપેરીંગના ગેરેજ સંબંધે કરાયેલા 200 ઉપરાંત પાકા દબાણો અને ફેન્સિંગ દુર કરવામાં આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:47 am

ગિફ્ટ સિટીને મહત્વપૂર્ણ નીતિગત પ્રોત્સાહન અપાયું:ગિફ્ટસિટી માટે બજેટનો ‘બૂસ્ટર ડોઝ’, વૈશ્વિક નાણાકીય હબ બનવા તરફ ડગલું

તાજેતરના કેન્દ્રીય બજેટે ગિફ્ટ સિટીને મહત્વપૂર્ણ નીતિગત પ્રોત્સાહન આપ્યું છે અને તેને ભારતના ઉદયમાન વૈશ્વિક નાણાકીય તથા સેવા કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવ્યું છે. બજેટમાં લેવામાં આવેલા બે મુખ્ય નિર્ણયો આંતરરાષ્ટ્રીય કંપનીઓને આકર્ષવામાં અને ભારતની નાણાકીય વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લાંબા ગાળાની અને દૂરગામી અસર ધરાવે છે. સૌથી મહત્વપૂર્ણ સુધારો કર પ્રોત્સાહન સાથે સંકળાયેલો છે. અગાઉ આવકવેરા કાયદા હેઠળ ગિફ્ટ સિટીમાં કાર્યરત સંસ્થાઓને 15 વર્ષના સમયગાળા દરમિયાન 10 વર્ષ માટે કર મુક્તિ આપવામાં આવતી હતી. હવે આ મુક્તિનો સમયગાળો વધારીને 20 વર્ષ કરવામાં આવ્યો છે. લાંબી કર મુક્તિ વૈશ્વિક કંપનીઓને લાંબા ગાળાની યોજના બનાવવા માટે સહાયક બનશે અને ગિફ્ટ સિટીને સિંગાપુર તથા દુબઈ જેવા આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રો સામે વધુ સ્પર્ધાત્મક બનાવશે. બીજો મહત્વપૂર્ણ સુધારો વૈશ્વિક ટ્રેઝરી સેન્ટરો સાથે સંબંધિત છે. અગાઉ કેટલાક નિયમનકારી અવરોધો કારણે બહુરાષ્ટ્રીય કંપનીઓ ગિફ્ટ સિટીમાં ટ્રેઝરી કામગીરી શરૂ કરવા માટે સંકોચ અનુભવતી હતી. તેમાં ખાસ કરીને ‘ડીમ્ડ ડિવિડન્ડ’ની જોગવાઈ મોટો મુદ્દો હતો. બજેટમાં આ જોગવાઈ દૂર કરવામાં આવતા કર સંબંધિત અનિશ્ચિતતા ઘટશે અને વૈશ્વિક ધોરણો સાથે સુસંગતતા આવશે. આ બંને સુધારાઓ નીતિગત સ્થિરતા, નિયમનકારી સ્પષ્ટતા અને સરકારના દ્રઢ ઇરાદાને દર્શાવે છે, જેનાથી વૈશ્વિક નાણાકીય સંસ્થાઓનું આગમન વધવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય કંપનીઓના આવવાથી ગિફ્ટસિટીમાં નોકરીની નવી તકો પણ સર્જાશે જે રાજ્ય માટે સારા સમાચાર છે. ગિફ્ટસિટી દુબઇ અને સિંગાપુર જેવા શહેરોને ટક્કર આપશે. જે ગાંધીનગરને દુનિયામાં સ્થાન અપાવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:46 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વાવોલ પાસે બનેલા અન્ડરપાસનો લોકોએ લોકાર્પણ વગર જ ઉપયોગ શરૂ કરી દીધો

વાવોલ ગામ ખાતે રેલવે ક્રોસિંગ નંબર 20 પાસે બનાવાયેલ અન્ડરપાસ લાંબા સમય બાદ તો ઉપયોગમાં આવ્યો છે, પરંતુ કોઈ સત્તાવાર લોકાર્પણ વગર લોકો જાતે જ તેનો ઉપયોગ શરૂ કરતા અનેક સલામતીના પ્રશ્નો ઉભા થયા છે. લાઈટિંગ સહિતની મૂળભૂત સુવિધાઓના અભાવે અન્ડરપાસ અકસ્માત ઝોન બની રહ્યો છે. વાવોલ ગામમાં રેલવે ક્રોસિંગ નંબર 20 પાસે બનાવાયેલ અન્ડરપાસ છેલ્લા ઘણા સમયથી નિર્માણાધીન હતો અને છેલ્લા છ મહિનાથી આ અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે છતા પણ આ અંડરપાસનુ લોકાર્પણ કરવામા આવ્યુ ન હતુ. આ પરિસ્થિતિમાં કોઈ સત્તાવાર જાહેરાત કે લોકાર્પણ વગર જ સ્થાનિક લોકોએ અન્ડરપાસનો ઉપયોગ શરૂ કરી દીધો. શરૂઆતમાં લોકોમાં રાહતની લાગણી જોવા મળી, પરંતુ થોડા જ દિવસોમાં અન્ડરપાસની ખામીઓ સામે આવવા લાગી. અન્ડરપાસમાં સૌથી મોટી સમસ્યા લાઈટિંગની છે. અંદર સ્ટ્રીટ લાઈટ કે કોઈ વિકલ્પી લાઈટની વ્યવસ્થા નથી. સાંજ પડતાં જ અન્ડરપાસમાં અંધારું છવાઈ જાય છે. આ અંધારામાં વાહનચાલકોને માર્ગ દેખાતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, લોકો દ્વારા અન્ડરપાસનો ઉપયોગ શરૂ થયા પછી અહીં નાના-મોટા અનેક અકસ્માતો થયા છે. કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. તેમ છતાં ઘણા બનાવોની સત્તાવાર નોંધ થતી નથી. લોકોમાં એ ભય છે કે ફરિયાદ કરવાથી અન્ડરપાસ બંધ કરી દેવામાં આવશે, જેના કારણે તેઓ મૌન ધારણ કરે છે. અહીં વધુ ચિંતાજનક બાબત એ છે કે અન્ડરપાસ હજી સુધી સત્તાવાર રીતે શરૂ થયો નથી. તેની જાળવણી, સફાઈ, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થાની જવાબદારી કોણે લેવી તે અંગે સ્પષ્ટતા નથી. લોકો માગ કરી રહ્યા છે કે હવે સલામતીના તમામ પગલાં લેવાય અને ત્યારબાદ સત્તાવાર લોકાર્પણ કરવામાં આવે. લોકોનું કહેવું છે કે વર્ષોની રાહ બાદ મળેલી આ સુવિધા જો યોગ્ય રીતે સંચાલિત નહીં કરવામાં આવે, તો તે વિકાસનું કામ બની રહેવા બદલે લોકોના જીવ માટે જોખમ બની શકે છે. અંધારું, તીવ્ર વળાંક અને અચાનક ચઢાવ બન્યા અકસ્માતનું મુખ્ય કારણઅન્ડરપાસમાં પ્રવેશ કર્યા બાદ આગળ જતાં એક તીવ્ર વળાંક આવે છે અને ત્યારબાદ અચાનક ચઢાવ શરૂ થાય છે. અંધારાના કારણે વાહનચાલકો આ વળાંક અને ચઢાવને સમયસર ઓળખી શકતા નથી. પરિણામે ઘણા વાહનોનું સંતુલન બગડે છે. ખાસ કરીને ટુ-વેહિલર્સ અચાનક લપસી જાય છે અથવા થોભી જાય છે. ઘણી વાર આગળ ચાલતું વાહન અચાનક ધીમું પડે અથવા લપસે ત્યારે પાછળ આવતું વાહન સમયસર બ્રેક લગાવી શકતું નથી. લાઈટિંગના અભાવે અંતરનો અંદાજ ન આવતાં પાછળથી ટક્કર થવાની સંભાવના વધી જાય છે. અહીં થયેલા મોટાભાગના અકસ્માતો આ જ કારણસર થયા હોવાનું લોકો કહે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:44 am

3 વર્ષમાં 10 હજાર દર્દીઓએ સિવિલમાં સારવાર લીધી:ખ્યાતિકાંડ બાદ ખાનગી હોસ્પિટલોથી ભરોસો ઘટ્યો, પણ ગાંધીનગર સિવિલ પર લોકોનો વિશ્વાસ વધ્યો

ખ્યાતિ કાંડ અને ખાનગી હોસ્પિટલોમાં સામે આવેલી અન્ય ઘટનાઓ બાદ હવે લોકોનો વિશ્વાસ ખાનગી હોસ્પિટલો પરથી ધીમે ધીમે ઓછો થતો જઈ રહ્યો છે, જે ગાંધીનગર સિવીલના PM-JAYનાં આકડા પરથી જોવા મળી રહ્યુ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પીએમજેએવાય (આયુષ્માન ભારત) કાર્ડ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 10,716 દર્દીઓએ સારવાર લીધી છે, જે બદલ કુલ 21.96 કરોડ રૂપિયાના ક્લેમ કરવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે પીએમજેએવાય કાર્ડધારકો ખાનગી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે કેશલેસ સારવાર મેળવી શકે છે, છતાં હવે તેઓ હવે સરકારી સિવિલ હોસ્પિટલ પર ભરોસો કરી ત્યાં સારવાર કરાવી રહ્યા છે. આ ક્લેમ કરાયેલા નાણા ખાનગી હોસ્પિટલોને મળવાને બદલે સરકારને મળ્યા છે. જેનાથી સરકારી હોસ્પિટલોમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરવામાં વપરાશે. આ ત્રણ વર્ષમાં સિવિલમાં વિવિધ પ્રકારની સારવાર ઉપરાંત ઓપરેશનો પણ કરવામાં આવ્યા છે. આ ત્રણ વર્ષ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ, ઓર્થો, સર્જરી, મેડિસિન, ગાયનેક, બાળરોગ, ટીબી, નીઓનેટલ સહિત વિવિધ પ્રકારની સારવાર સાથે મોટા અને નાના ઓપરેશનો પણ કરવામાં આવ્યા છે. ખાસ કરીને ઓર્થો, સર્જરી અને ડાયાલિસિસ વિભાગમાં દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે વધી છે. 2023માં સિવિલમાં 2 હજારથી વધુ દર્દીઓએ સારવાર લીધીગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંકડાઓ મુજબ વર્ષ 2023માં પીએમજેએવાય યોજના હેઠળ કુલ 2022 દર્દીઓએ સારવાર લીધી હતી. આ સારવાર બદલ કુલ રૂ. 3.81 રૂપિયાના ક્લેમ કરવામાં આવ્યા હતા. ચાલુ વર્ષે ડાયાલિસિસ, ઓર્થો,જનરલ સર્જરી, મેડિસિન અને ઇએનટી વિભાગમાં દર્દીઓને વધુ સારવાર આપવામાં આવી હતી. એક વર્ષમાં દર્દીઓ બમણા થયાવર્ષ 2024માં પીએમજેએવાય હેઠળ સારવાર લેનારા દર્દીઓ બમણા થયા હતા. સિવિલ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 4199 પહોંચી હતી. આ વર્ષે કુલ રૂ. 8.26 રૂપિયાના ક્લેમ કરાયા હતા. 2025માં 8.88 કરોડના ક્લેમ કરાયાવર્ષ 2025માં પીએમજેએવાય કાર્ડ મારફતે કુલ 4499 દર્દીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. આ સારવાર બદલ કુલ રૂ. 8.88 કરોડ રૂપિયાના ક્લેમ કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:43 am

મંડે પોઝિટીવ:શહેરમાંં 13 વર્ષથી ચાલતી અનોખી ‘પુસ્તક પરબ’માં વાચકો પુસ્તકો સાથે લઇ જઇ શકે છે અને આપી શકે છે

માતૃભાષા અભિયાન હેઠળ છેલ્લા 13 વર્ષથી નિયમિત રીતે યોજાતું પુસ્તક પરબ ગુજરાતી ભાષા સાથે લોકોનો નાતો મજબૂત બનાવવાનું કામ કરી રહ્યું છે. દર મહીનાના પ્રથમ રવિવારે સવારે 7:30 થી 9:30 વાગ્યા સુધી યોજાતા આ પરબમાં સરેરાશ 125 જેટલા વાચકો જોડાય છે અને તેઓ પોતાની સાથે બે પુસ્તકો તથા બે મેગેઝિન વાંચવા માટે લઈ જઈ શકે છે. આ પુસ્તક પરબની એ ખાસ વાત છે કે આ પુસ્તક પરબમાં કોઇ પણ વ્યક્તિ પુસ્તકો લઈ જઈ શકે છે અને કોઈ પણ વ્યક્તિ પોતે પુસ્તક આપી પણ શકે છે અને આ આખી જ પુસ્તક પરબનું સંચાલન પ્રજ્ઞા પટેલ અને તેમના સાથીમિત્રો કરે છે. માતૃભાષા અભિયાન અંતર્ગત ચાલતું પુસ્તક પરબ ગાંધીનગરમાં છેલ્લા 13 વર્ષથી નિરંતર રીતે યોજાઈ રહ્યું છે. આ પરબનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ગુજરાતી ભાષા પ્રત્યે રસ વધારવો અને વાંચનની ટેવ વિકસાવવાનો છે. સમય જતાં આ પુસ્તક પરબ ઘણા લોકોના જીવનનો એક ભાગ બની ગયો છે. દર મહિનાના પ્રથમ રવિવારે સવારે 7:30 થી 9:30 વાગ્યા સુધી આ પુસ્તક પરબ યોજાય છે. વહેલી સવારના આ સમયમાં બાળકો, યુવાનો અને વડીલો સહિત વિવિધ વયજૂથના લોકો અહીં આવીને પુસ્તકો પસંદ કરે છે. દર રવિવારે સરેરાશ 125 જેટલા વાચકોની હાજરી રહે છે. પુસ્તક પરબમાં આવનારા દરેક વ્યક્તિને એક સાથે બે પુસ્તકો અને બે મેગેઝિન લેવાની છૂટ આપવામાં આવે છે. આથી લોકો ઘરે બેઠાં શાંતિથી ગુજરાતી સાહિત્ય વાંચી શકે છે અને નવી જાણકારી મેળવી શકે છે. પુસ્તક પરબ બની રહ્યું છે વાંચન સાથે સામાજિક જોડાણનું કેન્દ્રઅમે આ પુસ્તક પરબ વર્ષ 2014થી સતત ચલાવી રહ્યા છીએ. અહીં લોકો માત્ર પુસ્તકો લેવા માટે જ નથી આવતા, પરંતુ એકબીજાને મળવા, વાતચીત કરવા અને મિત્રતા બાંધવા માટે પણ આવે છે. અહીં આવનારા ઘણા લોકો નિયમિત બની ગયા છે. આ પરબે લોકો માટે એક સકારાત્મક સામાજીક વાતાવરણ ઊભું કર્યું છે. બાળકોને જો નાની ઉંમરે પુસ્તકો સાથે જોડવામાં આવે, બાળપણમાં મળેલો આ અનુભવ ભવિષ્યમાં તેમની આદતો અને વિચારો પર સારો પ્રભાવ પાડે છે.> પ્રજ્ઞા પટેલ

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:40 am

ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું:શંકરાચાર્યજી મહારાજનું દ્વારકામાં આગમન, પરંપરાગત સ્વાગત

સનાતન ધર્મના પરમ પ્રચારક, વૈદિક સંસ્કૃતિના સંરક્ષક અને પશ્ચિમામ્નાય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજજીની રવિવારે સાંજે શારદાપીઠ, શ્રીશંકરાચાર્ય મઠ, દ્વારકા ખાતે પધરામણી થઈ હતી. જગદગુરુ શંકરાચાર્ય મહારાજના આગમનથી યાત્રાધામ દ્વારકામાં ધાર્મિક ઉલ્લાસ અને આધ્યાત્મિક આનંદનું વાતાવરણ સર્જાયું છે. તેઓના આગમન પ્રસંગે શ્રી શારદાપીઠ મઠ ખાતે પરંપરાગત રીતિ-રિવાજ મુજબ સ્વાગત-પૂજન કાર્યક્રમ યોજાયો હતો. શિષ્યવર્ગ, સાધુ-સંતો તેમજ ભક્તજનો દ્વારા ભક્તિભાવપૂર્વક મહારાજશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.શંકરાચાર્યજી મહારાજના પાવન દર્શનનો લાભ ભક્તોને તા.02જી ફેબ્રુઆરીથી મળશે. દર્શનનો સમય સવારે 10.00 કલાકથી 12.00 કલાક સુધી તથા સાંજે 6.00 કલાકથી 8.00 કલાક સુધી રહેશે. આ દરમિયાન શંકરાચાર્યજી આશીર્વચન આપશે તેમજ ધર્મ, સંસ્કૃતિ અને સનાતન પરંપરા વિષયક માર્ગદર્શન પ્રદાન કરશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:38 am

દારૂ ઝડપાયો:જામનગરમાં સિક્યુરીટી ગાર્ડ દારૂની 112 બોટલ સાથે ઝબ્બે

શહેરના ગાંધીનગર, કષ્ટભંજન હનુમાન મંદીરની બાજુમાં રહેતા ભવ્યદીપસિંહ ઈન્દ્રજીતસિંહ વાળા નામના સીક્યુરીટી ગાર્ડ પોતાના સ્કુટરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હેરાફેરી કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેના ઘરથી નજીકમાં જ વોચ ગોઠવી હતી. તે સ્કુટર લઈને નિકળતા પોલીસે આંતરી લીધો હતો. સ્કુટરની તલાસી લેતાં તેમાંથી રૂ. 64,550ની કિંમતની વિદેશી દારૂની 112 બોટલો મળી આવી હતી. જેથી પોલીસ દારુનો જથ્થો અને સ્કુટર કબજે કરીને ગુનો નોંધ્યો છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:36 am

તસ્કરો કેમેરામાં કેદ થયા:ધોળા દિવસે ચોરી, CCTV કેમેરામાં બે શખસો કેદ થયા

જામનગર શહેરમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ધોળા દિવસે મકાનમાંથી ચોરી કરી નાશી છુટતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે આરોપીઓની સઘન શોધખોળ હાથ ધરી છે. શહેરના મોટી હવેલી રોડ, ઓઝાના ડેલાની પાસે ખારી ફુઇવાળી શેરીના નાકાવાળા કોર્નર પાસેના મકાનમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. મકાનમાંથી રોકડ અને ચાંદીની લક્કીની ચોરી કરીને નાશી છુટ્યા હતા. જે અંગેની મકાન માલિકને જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી છે. ધોળા દિવસે થયેલી ચોરીમાં આરોપીઓ શેરીમાંથી પસાર થતાં હોય અને સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં એક શખસના મોઢા ઉપર રૂમાલ બાંધેલ છે અને તેની ઓળખ થતી નથી. જેથી પોલીસે તસ્કરોની ઓળખ કરીને પકડી પાડવા માટે સોર્સને કામે લગાડ્યા છે. તો બીજી બાજુ આ ચોરી અંગેની પોલીસ ફરીયાદ નોંધાઈ નથી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:32 am

રમતગમત:રમતમાં વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ‎મેડલ સહિત પ્રમાણપત્ર એનાયત કરાયા‎

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત દેવભૂમિ દ્વારકા દ્વારા આલ્ફા સ્કુલ ખંભાળિયામાં જિલ્લા સ્તરીય ખેલ કુદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન મુરૂભાઈ બેરા ધારાસભ્ય ખંભાળિયા તેમજ મેરા યુવા ભારતના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતર ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં મુરૂભાઈ બેરા દ્વારા યુવાનોને ખેલ પ્રત્યે રૂચિ જાગે અને ખેલાડી તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજજવળ બનાવવું તે બાબતે યુવાનોને માહિતગાર કરાયા હતા તેમજ મેરા યુવા ભારત દેવભૂમિ દ્વારકાના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપજીએ કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિજેતા થયેલા ખેલાડીઓને મેરા યુવા ભારત દેવભૂમિ દ્વારકા દ્વારા ટ્રોફી તેમજ મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરાયા હતાં. સ્કૂલના ટ્રસ્ટી સ્કૂલના પ્રિન્સિપાલ હસમુખ તથા સ્કૂલના સ્ટાફે દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં મેરા યુવા ભારતના સ્વયંસેવકો, કરેના કિરણ, શાંતિ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું માર્ગદર્શન મેરા યુવા ભારત જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ દેશભ્રતાર દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:31 am

મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ:આત્મનિર્ભર તરફ આગળ વધારવા કોલેજના 2 વિદ્યાર્થીઓને ગ્રાન્ટ અપાઈ

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ વિદ્યાર્થી ઉદ્યમીતાસાહસિકતા નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુસર એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત જામનગરની વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજના બે તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓમાં ધોકિયા સુમિત તથા દોદાણી તાજુદીનને પ્રતિ વિદ્યાર્થી રૂા. 40 હજારની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાનું સ્વતંત્ર ઉદ્યોગસાહસ શરૂ કરી આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકશે, જે આત્મનિર્ભર ભારતના સંકલ્પને પણ સશક્ત બનાવે છે. આ સિદ્ધિ પાછળ કોલેજના આચાર્ય જી. બી. સિંહનું સતત પ્રોત્સાહન અને દિશાનિર્દેશન મહત્વપૂર્ણ રહ્યું છે. ઉપરાંત કોલેજના એન્ટરપ્રેન્યોરશિપ સેલના નોડલ ઓફિસર ડો. નિતિક્ષા જે. ગેડિયા દ્વારા આપવામાં આવેલું માર્ગદર્શન, તાલીમ અને યોગ્ય માર્ગચિંતન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયું છે. વી. એમ. મહેતા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં કાર્યરત એન્ટરપ્રેન્યોરશિપ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં નવી વિચારધારા અને વ્યવસાયિક દૃષ્ટિકોણ વિકસાવવાની દિશામાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આવી ગૌરવસભર સિદ્ધિઓ પ્રાપ્ત થઈ રહી છે. કોલેજ પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓને આ સિદ્ધિ બદલ બિરદાવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:30 am

ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું:36 બાળકોને ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવા અનોખી ક્વિઝ સ્પર્ધા યોજાઇ

વિજ્ઞાન ગુર્જરી તથા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તા. 26 જાન્યુઆરી 2026ના 77મા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી તરીકે બાળકો માટે વિશેષ ગણતંત્ર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં બાળકોને ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી ઝોપડપટ્ટીના બાળકો માટે સેવા અને સમર્પણ સાથે કાર્યરત, આશાનું કિરણ બનેલી સંસ્થા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે પરંપરાગત ઉજવણીથી અલગ પ્રકારની ઉજવણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીની પ્રથમ વર્ષના ડોક્ટરોની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ડૉ. શુભમ જૈનના નેતૃત્વ હેઠળ ડૉ. માનસી જૈન, ડૉ. માનસી કોરડીયા, ડૉ. નમ્રતા બાઘેલ તથા ડૉ. પવિત્રા સહિતની ટીમ ઉપસ્થિત રહી હતી. આ અનોખા ગણતંત્ર વર્કશોપમાં જોગણી નગર તથા રેલવે કોલોની સ્થિત ઝૂંપડપટ્ટીના હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના 36 બાળકોને ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવા માટે મજેદાર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણતંત્ર વિષયક પ્રશ્નોના જવાબ આપનાર બાળકોને પ્રોત્સાહનરૂપે વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતાં. ઉપરાંત વિવિધ રમતો દ્વારા દેશની આઝાદી અને ગણતંત્રના અમલમાં યોગદાન આપનાર બહાદુર રાષ્ટ્રભક્તોને યાદ કરવામાં આવ્યા હતા અને તેમણે દેશ માટે કરેલા બલિદાન અંગે ડૉ. શુભમ જૈન દ્વારા માહિતી આપવામાં આવી હતી. રમતોના વિજેતા બાળકોને બચત પ્રત્યે જાગૃતિ આવે તે માટે લોખંડના બચત ડબ્બા, દૂરબીન, ચોકલેટ, પેન, પેન્સિલ સહિત સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ઇનામરૂપે આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ બાળકોને નાસ્તો કરાવ્યો હતો. આયુર્વેદિક યુનિવર્સિટીની ટીમ દ્વારા આગામી સમયમાં પણ આવા અનેક સામાજિક કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે. રસ ધરાવતા સ્વયંસેવકોએ હિતેશ પંડ્યા અથવા કાજલ પંડ્યાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:29 am

મંડે પોઝિટીવ:જામનગરના ઈતિહાસમાં પરશુરામ જન્મોત્સવ‎નિમિતે પ્રથમ વખત પરશુ દીક્ષાનું આયોજન‎

જામનગરમાં સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં વસવાટ કરતા ફકત સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે નિઃશુલ્ક યજ્ઞોપવિત-3નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 48 બટુકોને નિઃશુલ્ક યજ્ઞોપવિત આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ રંગેચંગે યોજાયો હતો અને સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થીત રહ્યા હતાં. સમુહ યજ્ઞોપવિતમાં તા. 22 જાન્યુઆરીના મંડપ મુહર્ત, ગણેશ પુજન, મામેરા, પીઠી, દાંડિયારાસ તથા રાત્રિ ભોજન તથા તા. 23 જાન્યુઆરીના ગણેશ પુજન, યજ્ઞ, યજ્ઞોપવિત સંસ્કારની સંપૂર્ણ વિધિ, કાશીયાત્રા તેમજ પ્રોસેસન તથા સવારે નાસ્તો અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ સમુહ યજ્ઞોપવિતમાં જામનગર સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી મળી કુલ 48 બટુકોને હિન્દુ સંસ્કૃતિ મુજબ વૈદીક વિધિવિધાનથી યજ્ઞપવિત ધારણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો-મહંતો સહિત દાતા પરિવારના શિવસાગરભાઈ શર્મા, ડૉ. પુજાબેન શર્મા, શહેર ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, લોહાણા અગ્રણી મિતેષભાઈ લાલ, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, ભાજપ જીલ્લા મહિલા પ્રભારી ફાલ્ગુનીબેન વ્યાસ, કોર્પોરેટર તૃપ્તિબેન ખેતિયા, ડિમ્પલબેન રાવલ, કુસુમબેન પંડ્યા, મોનિકાબેન વ્યાસ, પરાગભાઇ પટેલ, હર્ષદ ભાઈ વ્યાસ, રાજુભાઈ મહાદેવ સહિતના બ્રહ્મસમાજના આગેવાનો, રાજકિય આગેવાનો તેમજ વિવિધ સંસ્થા, જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આગામી કાર્યક્રમની સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ દ્વારા જાહેરાત કરાઇ હતી કે, નવા શૈક્ષણિક સત્રમાં સર્વના જ્ઞાતિના વિધાર્થીઓ માટે રાહત દરે એક લાખ ચોપડાનું વિતરણ કરવામાં આવશે તથા તા. 12 ફેબ્રુઆરી 2027ના નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત-4ના આયોજનની જાહેરાત કરાઇ અને આગામી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પરશુરામ એવોર્ડ-2026 તથા જામનગરમાં સૌપ્રથમ વખત પરશુ દીક્ષાનું ભવ્ય સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવશે. નિઃશુલ્ક સમુહ યજ્ઞોપવિત-3ને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટ, ટ્રસ્ટી સુનિલ જોષી, જયદિપ રાવલ, સિમિત રાવલ, મહેશ રાવલ, શહેર પ્રમુખ કિરીટ ઠાકર, યુવા પ્રમુખ વિરલ ત્રિવેદી સહિત જીલ્લા મહિલા પ્રમુખ અર્ચના જોષી,શહેર મહિલા પ્રમુખ મનીષા જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, જાન્હવી શુકલ, રક્ષા ભટ્ટ, નીતા મહેતા, વિધા મહેતા, બીના દવે , જીગ્ના વ્યાસ, જયેષ્ઠા જોષી, દીપાલી રાવલ, જીગ્ના ઠાકર, ભગવતી ત્રિવેદી, સહિત સમગ્રટીમના સભ્યો દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:28 am

ખાતમુહૂર્ત કરાયું:વોર્ડનં-8માં રૂ. 133.07 લાખના 12 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત

જામનગર શહેરના વોર્ડ નં-8માં વધુ 133.07 લાખના ખર્ચે પેવર બ્લોક, સીસીરોડ સહિતના 12 જેટલા વિકાસ કાર્યોના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના હસ્તે શુક્રવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે શુક્રવારના શહેરના વોર્ડ નં-8માં આવેલી સરદાર પાર્ક શેરી નં.1 અને 2 વચ્ચેના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું, મુરલીધરનગર, વાટલીયા પ્રજાપતિ સમાજની બાજુના કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનો પ્રારંભ કરાયો હતો. ત્યાર પછી નારણ કચરા સમાજની બાજુમાં, શેરી નં. 2, ખોડિયાર માતાના મંદિરે ડોમ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું. જે પછી કૈલાશનગર, બજરંગ પાનની સામેની સ્કૂલવાળી શેરીમાં સી.સી. રોડના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું. આ ઉપરાંત કૈલાશ નગર, ઢોસા હાઉસ વાળી શેરીના છેડે આવેલા કોમન પ્લોટમાં પેવરબ્લોક તેમજ કૈલાશ નગર, ઉદય પાનની બાજની અને સામેની શેરીમાં સી.સી. રોડ તેમજ મુરલીધરનગર-1, શેરી નં.1, મહાદેવ પ્રોવીઝન સ્ટોરની બાજુની શેરીમાં સી.સી. રોડનું કામ તેમજ મુરલીધરનગર-1, શેરી નં.2, ગુરુછાયા મકાનવાળી શેરીમાં સી.સી. રોડનું કામ શરુ કરાવ્યું છે. ત્યારબાદ મોહનનગર, કોમન પ્લોટમાં નંદ ઘર પાસે પેવર બ્લોક અને બાજુમાં સી.સી. રોડનું કામ તેમજ કામદાર કોલોની સી.સી. રોડ, આરોગ્ય કેન્દ્રની બાજુના કોમન પ્લોટમાં પેવર બ્લોકનું કામ, જ્યારે ઓશવાળ કોલોની રોડ, લીલાશાહ ધર્મશાળા બાજુની શેરીમાં આશાપુરા બ્રાસ સુધી સી.સી. રોડના કામ નું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:26 am

બજેટમાં આયોજન:લાલપુર રોડ પર રૂા. 105 કરોડના ખર્ચે ઓડિટોરીયમ

જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ રૂા. 1860 કરોડના ખર્ચવાળુ ડ્રાફટ બજેટ સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં નવા આયોજનો પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ખાસ કરી શહેરની ભાગોળે લાલપુર બાયપાસ રોડ પર 105 કરોડના ખર્ચે અધતન રીઝયોનલ કન્વેશનલ સેન્ટર બનાવવાનુ આયોજન કર્યુ છે.ગાંધીનગરના મહાત્મા ગાંઘી મંદિરના મીની વર્ઝન સમા સૂચિત નવા અધતન સુવિધાસભા ઓડીટોરીયમની ક્ષમતા લગભગ 2500 લોકો સુધીની રહેશે. જેનો ડીપીઆર પણ તૈયાર કરી સ઼બંધિત વિભાગને મોકલી દેવાયો હતો.જે રાજયના ઉઘોગો-ખાણ ખનિજ વિભાગની ગ્રાન્ટમાંથી બનશે.રેવન્યુ સર્વે નં. 385વાળી જગ્યામાં બનનારુ ઓડીટોરીયમ શહેરીજનો માટે બહુવિધ ઉપયોગી બની રહેશે. આગામી નાણાકીય વર્ષમાં મનપા તંત્ર દ્વારા રુકલ રૂા. 1236 કરોડના વિકાસ કામોનુ આયોજન કરાયુ હોવાનુ જાહેર થયુ છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:24 am

માનવતાભરી પહેલ કરાઇ:પત્નીના મૃત્યુ બાદ પતિનો ઉમદા નિર્ણય, દેહદાન

શહેરના રહેવાસી હંસાબેન કિરીટભાઈ વ્યાસ (ઉ.વ. 68)નું શનિવારે સાંજે અચાનક હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે પરિવારજનો શોકમાં ગરકાવ બન્યા હતા, છતાં સમાજને પ્રેરણા આપે એવો નિર્ણય લઈ પરિવાર દ્વારા હંસાબેનના દેહનું દાન કરવાની માનવતાભરી પહેલ કરાઇ હતી. પરિજનોએ ચર્ચા કર્યા બાદ એમ.પી. શાહ મેડિકલ કોલેજ ખાતે દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કિરીટભાઈ વ્યાસને તેમના મિત્ર કિરીટભાઈ શાહ સાથે દેહદાન અંગે લાંબા સમયથી ગાઢ વિચારવિમર્શ ચાલતો હતો. બન્ને મિત્રો પોતાના અવસાન બાદ શરીરદાન કરવા તેમજ ચક્ષુદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે અન્ય લોકોને પણ પ્રેરણા આપતા હતા. એ જ સંકલ્પને સાકાર કરતાં કિરીટભાઈ વ્યાસે પત્નીના અવસાન બાદ દેહદાનનો નિર્ણય લઈને એક પ્રેરણાદાયક કાર્ય કર્યું છે. દેહદાનથી તબીબી અભ્યાસમાં વિદ્યાર્થીઓને માનવ શરીરની રચના અંગે જ્ઞાન પ્રાપ્ત થાય છે,

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:23 am

નેચર એડવેન્ચર એન્ડ‎કલ્ચરલ કેમ્પનું ભવ્ય આયોજન‎:સાપુતારાના પહાડોમાં ટ્રેકીંગ કરીને 76 છાત્રોએ ઐતિહાસિક કિલ્લાઓની જાણકારી મેળવી હતી

પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા નવાનગર નેચર ક્લબ દ્વારા ભારત સરકારના ફિટ ઈન્ડિયા અભિયાન અંતર્ગત સાપુતારા હિલ સ્ટેશન ખાતે 4 રાત્રિ અને 3 દિવસના નેચર એડવેન્ચર એન્ડ કલ્ચરલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જામનગરની સ્કૂલના 76 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સાહસ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવ્યો હતો. આ કેમ્પ સરકારી ગાઈડલાઇન મુજબ યોજાયેલા યોજાયો હતો.આ કેમ્પમાં મુખ્ય ઇન્સ્ટ્રક્ટર તરીકે ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્ય અને માઉન્ટ્રીંગ કોચ ચંદ્રવિજયસિંહ રાણા તથા ડો. કલ્પનાબેન પટેલ , નરેશ ભોંયે અને શિવરામ દ્વારા બાળકોને ટ્રેકિંગ, સુરક્ષા અને શિસ્તના પાઠ ભણાવવામાં આવ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓએ પહાડોમાં ટ્રેકિંગ, રોપવે સવારી, બોટિંગ અને પેન્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.સાથે જ સન-રાઇઝ અને સન-સેટ પોઈન્ટ પરથી પ્રકૃતિના અદભૂત નજારા નિહાળ્યા હતા.વિદ્યાર્થીઓએ આસપાસના ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લઈ પ્રાદેશિક ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો આદર, પર્યાવરણનું જતન અને સ્વચ્છતા બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:22 am

કાર્યવાહી:સજાપુર પાસે દારૂના કટિંગ વખતે પોલીસ ત્રાટકી, 3.88 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ગાંભોઈ પોલીસ સજાપુર નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ દારૂનું કટિંગ વખતે ત્રાટકી હતી. પોલીસે 3.88 લાખનો દારૂ ઝડપી ગાડી સહિત કુલ 9,68,720નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ​ગાંભોઈ પીઆઇ એસ. જે. ગોસ્વામી અને તેમની ટીમ આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફના રસ્તા પર નાકાબંધીમાં હતી. તે દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ખાનગી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. ​બુટલેગર ગાડીને સજાપુર ગામ નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ સંતાડી દારૂનું કટિંગ કરી રહ્યો હતો. પોલીસને જોઈ આરોપી પોતાની ગાડી મૂકીને ડુંગરાળ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ​વિદેશી દારૂ/બિયર ટીન 1275 નંગ કિં. 3,88,720, ગાડી કિં. 5 લાખ, બાઇક અને એક્ટિવા કિં. 80હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ​આ મામલે ગાંભોઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને ફરાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ચોરી:ઈડરના વેરાબરકંપામાં ઘર આગળથી બે બાઇકની ચોરી

ઈડરના વેરાબર કંપા ગામની સીમમાં ઘરની બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી દીવાલ પર લટકાવેલી ચાવીઓનો ઉપયોગ કરી વિશાલકુમાર મકવાણાએ અજાણ્યા શખ્સો બાઇક ચોરીની ફરિયાદ ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી વિશાલકુમારના ઘરે ગત 25 જાન્યુઆરીના રોજ શ્રીમંત પ્રસંગ હોવાથી તેમના બહેન અને બનેવી મહેમાન તરીકે આવ્યા હતા. રાત્રિના સમયે પોતાની બાઇક નંબર GJ.09.EA.1562 અને તેમના બનેવી અંકિતસિંહની બાઇક નંબર GJ.09.DM.9829 મકાનની બહાર પાર્ક કરી હતી. તસ્કરોએ તા. 25-01-2026ની રાત્રિથી 26-01-2026ની વહેલી સવાર દરમિયાન દીવાલ પર લટકાવેલી ચાવીઓનો ઉપયોગ કરી બંને બાઇકની ચોરી કરી હતી. ચોરાયેલા બંને વાહનોની કુલ કિં.આશરે 85હજાર હોવાનું જણાવાયું છે. ઈડર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

મહા માસની પૂનમથી હોળીનો દાંડ રોપી દેવામાં આવે છે‎:છોટાઉદેપુરમાં હોળીનો દાંડ રોપાયો,‎આદિવાસીઓ દ્વારા હોળીના વધામણાં‎

છોટાઉદેપુર વિસ્તાર આદિવાસી બાહુલ્ય ધરાવતો ‎‎જિલ્લો છે. જેમાં હોળી એ દિવાળી કરતા પણ વધારે ‎‎મહત્વ ધરાવતો તહેવાર છે. તા 1 ફેબ્રુઆરી‎2026ના મહા મહિનાની પૂનમ હોઇ આજથી ‎‎આદિવાસીઓએ હોળીનો દાંડ રોપી એક મહિના ‎‎અગાઉ હોળીની તૈયારીઓ આરંભી દીધી છે. અને ‎‎હોળીના વધામણાં કર્યા હતા.‎ છોટાઉદેપુર વિસ્તારમાં જૂની પરંપરા મુજબ‎હોળીના તહેવારના એક માસ અગાઉ વધામણાં ‎‎કરવામાં આવે છે. અને એક મહિના અગાઉ ‎‎મહામાસની પૂનમથી હોળીનો દાંડ રોપી દેવામાં‎આવે છે. જેથી આવનાર ફાગણ માસની પૂનમે હોળી ‎‎હોય એક મહિના દરમ્યાન હોળી પર્વ ઉજવવાની પૂર્વ ‎‎તૈયારીઓ આરંભી દેવામાં આવે છે. આદિવાસી ‎‎સમાજના મુખ્ય તહેવાર ઉજવવા અર્થે થનગનાટ‎શરૂ થઈ જાય છે.‎ તા. 1ના સવારના 10 કલાકે આદિવાસી યુવાનો‎દ્વારા છોટાઉદેપુર નગરમાં એસ એસ હાઈસ્કૂલ‎પાછળ પ્રગટાવવામાં આવતી સરકારી હોળીના‎સ્થાન પાસે પરંપરા મુજબ હોળીનો દાંડ રોપી‎વિધિવત રીતે હોળીના વધામણાં કર્યા હતા. જેમાં‎આદિવાસી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.‎ અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર વિસ્તારમાંથી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎હજારોની સંખ્યામાં આદિવાસીઓ પર પ્રાંત તથા પર‎રાજ્યના મજૂરી અર્થે તથા ખેતીકામ માટે જતા હોય‎છે. પરંતુ હોળીના તહેવાર નજીક આવતા હવે‎મજૂરીએથી પરત પોતાને માદરે વતન પરત ફરતા‎હોય છે અને હોળીના તહેવારનો આનંદ માણતા‎હોય છે. ધામધૂમ પૂર્વક હોળીનો તહેવાર ઉજવાય છે.‎

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:ગોધરા તાલુકાની ધરા 2.7 રીકટર સ્કેલના ભૂકંપના કંપનથી ધ્રુજી ઉઠી

ગોધરા તાલુકાના કાકણપુર, પઢીયાર, વેલવડ અને રામપુરા સહિતના વિસ્તારોમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ આંચકા સવારે 10:34 મિનિટે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર 2.7ની તીવ્રતા નોંધાઈ હતી. ભૂકંપના આ હળવા આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. ગોધરા તાલુકાના ઓડીદ્રા, કાંકણપુર, ભટના મુવાડા સહિતના ગામના ગ્રામજનો સવારે ખેતરમાં કામ કરવા જતા રહ્યા હતા. ગ્રામજનો તેમના રોજીંદાકામમાં પરોવાયેલા હતા. ત્યારે રવિવારની સવારે 10.34 વાગે અચાનક ગ્રામજનોએ ભુંકંપનો સામાન્ય અંચકો અનુભવ્યો હતો. વહેલી સવારે અચાનક ગોધરા તાલુકાના ગામોની ધરતીની ધરામાં ધ્રુજારી થતા ભયનો માહોલ છવાઇ ગયો હતો. લોકોને ભૂકંપના આચકાનો અનુભવ થતા ધરની બહાર આવી ગયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હોવા મામલે જિલ્લા પ્રશાસન તરફથી માહિતી આપવામાં આવી છે કે, રવિવારે સવારે 10:34 વાગ્યે 2.7ની તીવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. ગોધરાથી આશરે 17 કિમી ઉત્તર-પશ્ચિમ દિશામાં ઓડીદ્રા પાસે કેન્દ્રબિંદુ નોંધાયું હતું. 2.7 ની તીવ્રતાનો ભૂકંપ સામાન્ય રીતે ઘણો હળવો ગણાય છે. તેનાથી કોઈ મોટા નુકસાનની શક્યતા ઓછી હોય છે, પરંતુ સ્થાનિક લોકોએ હળવો ધ્રુજારીનો અનુભવ કર્યો છે.ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી દ્વારા આ આંચકાની તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી. જોકે, સ્થાનિક કક્ષાએ તેની ખાસ કોઈ અસર વર્તાઈ ન હતી, પરંતુ ધરતી ધ્રુજવાના સમાચારથી લોકોમાં ચિંતા ફેલાઈ હતી.ગ્રામજનો જણાવ્યા અનુસાન 5 મિનીટ સુધી ભુંકંપના આચકા અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું. જિલ્લો સિસ્મિક ઝોન -3 માં આવે છે પંચમહાલ વિસ્તાર મધ્ય ગુજરાત સિસ્મિક ઝોન-3 માં આવે છે.જેથી અહિ મોટા ભૂકંપ ઓછા આવે છે. ગોધરા અને આસપાસના વિસ્તારોમાં જૂનીફોલ્ટ લાઇનો હાજર છે.જમીન નીચે દબાણ ભેગું થાય અને અચાનક છુંટે ત્યારે ભૂક઼પના હળવા ઝાટકા આવે છે. રવિવારે પણ ગોધરાથી 17 કી.મી દૂર 2.7 તીવ્રતાનો ભૂકંપ અનુભાવ્યો છે. જેનાથી કોઇ અસર થતી નથી. વર્ષ 2001 બાદ પ્રથમ વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. બધા બહાર દોડી આવ્યા હતા કાંકણપુર, શિવપુરી સહીતના આસપાસના ગામોમાં સવારે 10 વાગ્યા પછી અચાનક જમીનમાં ધ્રુજારી થઇને ભૂકંપ આવ્યો હતો.ભૂકંપ આવતા અમે બધા બહાર દોડી આવી હતા: પ્રવિણભાઇ, ગ્રામજન ફોનમાં વાત કરતા હતા ને ભૂકંપ આવ્યો હું ફોન પર સવારે વાત કરતો હતો. ત્યારે ભૂક઼પ આવતા અમે ડરી ગયા હતા. ગણતરીની સેકન્ડ સુધી ભૂકંપ આવ્યા બાદ લોકોમાં ભયભીત થયા હતા. ભૂકંપથી કોઇ નુકસાન થયું નથી: જીગ્નેશભાઇ, ગ્રામજન

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

વીજ નાણાની વસુલાત:74 ટીમો સાથે પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત, 35 મીટરો કાઢી લેવાયા, વિસ્તારમાં 2180 ડિસ્કનેક્ટ નોટિસની કુલ રકમ

ગોધરા શહેરના પશ્ચિમ પેટા વિભાગ દ્વારા વિસ્તારમાં બાકી વીજ નાણાની વસુલાત હાથ ધરાઇ હતી. જેમા વિવિધ ટીમો અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી. જેમા વિસ્તારમાંથી રૂા.80.42 લાખ જેટલી બાકી વીજ નાણાની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે 35 જેટલા મીટરોને કાઢી લેવામાં આવ્યા છે. વિસ્તારમાં બાકી બીલની વસુલાત કરવામાં આવતા અન્ય બાકી બિલ ધારકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ગોધરા એમજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર તથા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા બાકી વીજ નાણાની વસુલાત કડકાઈથી વસુલવાની સુચના અપાઇ હતી. શહેરના પશ્ચિમ પેટા વિભાગ કચેરી દ્વારા બાકી વીજ બિલના નાણાંની વસૂલાત માટેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ગોધરાના પશ્ચિમ પેટા વિભાગ કચેરીના ડેપ્યુટી ઇજનેર એડી ચાવડાના માર્ગદર્શન હેઠળ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાની 74 ટીમો સાથે પોલીસ અને એસઆરપીના જવાનો જોડાયા હતા. આ ટીમો દ્વારા કુલ 2180 DC (ડિસ્કનેક્ટ) ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જેની કુલ રકમ રૂા.151.58 લાખ હતી. જેમાં વિસ્તારમાંથી કુલ રૂા.80.42 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 35 જેટલા મીટરોને કાઢી લેવામાં આવ્યા છે. વસૂલાતની રકમમાં ઓન-સ્પોટ 842 કેસમાં રૂા.39.73 લાખ, ઓનલાઈન 637 કેસમાં રૂા.39.95 લાખ તથા ઓફિસમાં ચૂકવાયેલા 12 કેસમાં રૂા.74 હજાર મળી કુલ રૂા.80.42 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે TDC (પોલ પરથી ડિસ્કનેક્ટ)ના 85 કેસમાં રૂા.4.78 લાખ, PDC (સ્થળ પરથી મીટર કાઢી)ના 35 કેસમાં રૂા.7.45 લાખ બાકી બિલની રકમ આંકવામાં આવી છે. કાર્યવાહીમાં એમજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એન.યુ.નાયક તથા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર પી.બી.પટેલ તેમજ પશ્ચિમ પેટા વિભાગ કચેરીના ડેપ્યુટી ઇજનેર, જુનિયર ઈજનેર, એમજીવીસીએલ વિભાગના ઓફિસ સ્ટાફ લાઈન સ્ટાફ સહિતના કર્મચારીઓ ડ્રાઈવમાં જોડાયા હતા. બાકી બીલની વસુલાત કરવામાં આવતા અન્ય બાકી બિલ ધારકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ડીસી ડ્રાઇવ (ડિસ્કનેક્ટ ડ્રાઇવ) એટલે શું? ડીસી ડ્રાઈવ એટલે ગ્રાહકોએ લાંબા સમયથી વીજ બિલ ભર્યા નથી, તેમની પાસેથી વસૂલાત કરવી. વારંવાર સૂચના આપવા છતાં બિલ ન ભરનારા ગ્રાહકોના કનેક્શન સ્થળ પર જ કાપી નાખવા. સાથે ડ્રાઈવ દરમિયાન ગેરકાયદેસર રીતે લેવાતા કનેક્શન પણ ચેક કરવામાં આવે છે જેથી વીજ ચોરી અટકાવવી શકાય. ધારકો સમયે નાણાં નહીં ભરે તો આગામી સમયમાં ડ્રાઇવનું આયોજન ચાલુ રખાશેગોધરાના પશ્ચિમ વિસ્તારમાં વિભાગીય કચેરી અને વતૃળ કચેરી દ્વારા ડીસી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારમાંથી રૂા.81 લાખ જેટલી રકમ વસુલવામાં આવી હતી. 35 મીટરો કાઢી લેવામાં આવ્યા છે. ત્યારે વિસ્તારના ધારકો દ્વારા સમયસર વિજબીલના નાણાં ભરવામાં નહી આવે તો આગામી સમયમાં ડીસી ડ્રાઇવનું આયોજન ચાલુ રાખવામાં આવશે. - એ ડી ચાવડા, ડેપ્યુટી ઇજનેર, પશ્ચિમ પેટા વિભાગ, ગોધરા

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડી અભૂતપૂર્વ ભીડ:જગત મંદિરે પૂર્ણિમા પર્વે ભકતોનુ ઘોડાપૂર ઉમટ્યુ

યાત્રાધામ દ્વારકામાં રવિવારે પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની અભૂતપૂર્વ ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હજારો ભાવિકો ગોમતી નદીના પાવન તટે સ્નાન કરવા ઉમટી પડ્યા હતા. ગોમતી સ્નાન અને દ્વારકાધીશ દર્શનના પવિત્ર સંયોગે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારે સવારના બ્રહ્મમુહૂર્તથી જ ગોમતી ઘાટો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટેલા જોવા મળ્યા હતા. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં આવેલા ભાવિકોએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યાની લાગણી વ્યક્ત કરી હતી. સ્નાન બાદ ભક્તોએ 56 સીડીઓ સ્વર્ગ સમાન ગણાતી પાવન સીડીઓ ચઢીને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે મંદિર તરફ પ્રસ્થાન કર્યું હતું. પૂર્ણિમાના દિવસે ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને મંગળ આરતીના દર્શન માટે મંદિર પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. હરિ-નામના ગુંજન, ભક્તિભાવથી ભરેલા નાદ અને “જય દ્વારકાધીશ”ના નારા સાથે સમગ્ર દ્વારકા નગરી ભક્તિમય બની ઉઠી હતી. દેશના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓએ પણ પૂર્ણિમાના પર્વે દ્વારકાધીશના દર્શન કરી આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. અનેક ભક્તોએ પરિવાર સાથે અત્રે આવીને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી સુખ-સમૃદ્ધિ અને કલ્યાણની કામના કરી હતી.ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, પોલીસ પ્રશાસન તથા સ્વયંસેવકો દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સુરક્ષા વ્યવસ્થા કડક રાખવામાં આવી હતી તેમજ ભક્તોને સુવ્યવસ્થિત રીતે દર્શન મળી રહે તે માટે કતાર વ્યવસ્થા અમલમાં મૂકાઇ હતી. કોઈ અનિચ્છનીય ઘટના વગર દર્શન વ્યવસ્થા સુચારુ રીતે સંપન્ન થઈ હતી. સામાન્ય દિવસોની સાપેક્ષમાં ચાર ગણા વધુ ભાવિકો ઉમટ્યાજગતમંદિરે ગુજરાત સહિત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે.તેમાં પણ પૂનમનુ ખાસ ધાર્મિક મહાત્મ્ય હોવાથી દર પૂનમે સામાન્ય દિવસોની સરખામણીએ લગભગ ચાર ગણાથી વધુ ભાવિકો વહેલી સવારથી રાત્રી સુધી ભગવાન દ્વારકાધીશજીના દર્શનાર્થે આવતા હોવાનુ જાણકાર સુત્રો જણાવે છે. વહેલી સવારથી શરૂ થયેલો દર્શનાર્થીઓનો પ્રવાહ મોડી સાંજ સુધી અવિરત રહેતા જગતમંદિર આજુબાજુ માનવમહેરામણ ઉમટ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

મંડે પોઝિટીવ:મોરબીના 75 ટકા મનોદિવ્યાંગતા ધરાવતા યુવાને કપરાં‎ચઢાણ ચડીને કેદારનાથ અને અમરનાથ યાત્રા કરી‎

રવિ બરાસરા શારીરિક કે મનો દિવ્યાંગ માટે સામાન્ય માણસ જેવું જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારે મોરબીના 75 ટકા મનો દિવ્યાંગતા ધરાવનાર યુવાને આત્મ વિશ્વાસ અને બૌદ્ધિક ક્ષમતા ન હોવા છતાં કુદરતની કૃપાથી અસાધારણ સિદ્ધિ મેળવી છે. 21 વર્ષનો જય વિજયભાઈ ઓરિયા જન્મથી જ 75 ટકા મનો દિવ્યાંગ છે. પિતા વિજયભાઇએ જયની ઘણી જ ચિકિત્સા કરાવી છતાં પુત્રની માનસિક હાલતમાં કોઈ સુધાર આવ્યો ન હતો. એટલે માનસિક આવેગો પર કાબુ મેળવી શાંત પ્રકૃતિ કેળવીને સામાન્ય માણસ જેવું વર્તન કરી શકે તેવા પ્રયાસો કરવા પહેલા તો પુત્રને ભાવનગરની એક મનો દિવ્યાંગ શાળામાં ભણવા મોકલ્યો હતો. પરંતુ તેની મનોસ્થિતિ નબળી હોવાને કારણે શિક્ષણમાં આગળ નહિ વધી શકે એવું લાગતા ધો.6 સુધી ભણાવીને મોરબી જ બોલાવી પિતાએ તેનું કાળજી પૂર્વક જતન કરી તેને કઈ કઈ બાબતોમાં રસ રુચિ છે તે જાણવાના પ્રયાસો શરૂ કર્યા અને તેનામાં સાહસિક વૃત્તિ વધુ હોવાનો અંદાજ આવતાં તેમણે પોતાના બધા જ કામ પડતા મૂક્યા અને તેની સાથે જ રહી પુત્રની સતત ડુંગરો તેમજ પહાડોને ખુંદી વળવાની ઇચ્છા પૂરી કરી . જય ઓરિયાએ 2024માં કેદારનાથની કઠિન પગપાળા યાત્રા પુરી કરી હતી. અને 2025માં પહેલગામથી બાલતાલના રૂટ ઉપર મેડિકલ ફિટનેસ પાસ કરી પગપાળા અમરનાથની યાત્રા પૂર્ણ કરી હતી. પુત્રની દેખભાળ માટે પિતાએ સંસાર ત્યાગી દીધો‎વિજય ઓરિયાએ જણાવ્યું કે,જય બોલી શકતો ન હોય તો પણ હું તેની ઈચ્છા અને જરૂરિયાત સમજી જાઉં છું. માનસિક રીતે અસક્ષમ હોય એટલે બીજા પર નિર્ભર રહેવું પડતું હોય હું તેની દરેક નાનામાં નાની બાબતની કાળજી રાખી તેની માનસિક સ્થિતિ એકદમ શાંત રહે તેવા પ્રયાસો કરું છે. જયનું ધ્યાન રાખવા સાતેક વર્ષ પહેલા જ મેં રાજીખુશીથી ઘરસંસાર છોડી દીધો. દરરોજ એ મારી સાથે જ હોય છે. રોજ અમે ત્રણથી ચાર કિમિ ચાલીને જઈએ અને કલાકો સુધી ધ્યાન યોગ કરીએ. અશક્ય બાબતને‎શક્ય કરી બતાવી‎જય 75 ટકા મનોદિવ્યાંગ છે એટલે એનામાં આત્મવિશ્વાસ અને બૌદ્ધિક વિકાસ ખૂબ જ ઓછો હોય એટલે એને સામાન્ય જીવન જીવવામાં પણ અનેક પડકારો હોય છે. તેના માટે મોટી તો ઠીક નાની પણ સફળતા મેળવવી ખૂબ કઠિન હોય છે. પણ જો એ મહેનત કરે અને તેને કોઈ યોગ્ય રીતે ગાઈડ કરે તો કદાચ સફળતા મળે. જયની બાબતમાં પિતાનું યોગ્ય દિશા સૂચન અને કુદરતની કૃપા પણ ગણી શકાય, એટલે આ યુવાન એક મિશાલ બન્યો છે. ડો. દીપ ભાડજા, મનોચિકિત્સક

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

વકીલોનું સ્નેહમિલન:મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન થયું

મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન તાજેતરમાં રાખવામાં આવ્યું હતું તેમાં ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ સહિતની મહેમાનોના હસ્તે મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ સહિતની ટીમ, સિનિયર વકીલો અને પૂર્વ પ્રમુખોનું જિલ્લાના સરકારી વકીલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ સ્નેહમિલન તેમજ તથા સન્માન સમારોહમાં જિલ્લાના તમામ વકીલો હાજર રહ્યા હતા. મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા તાલુકાનાં લજાઈ ગામ પાસે મોરબી જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ પી. વી. શ્રીવાસ્તવ તથા એડિશનલ ડીસ્ટ્રીક સેશન્સ જજ કે. આર. પંડ્યા સહિતના તમામ જજ ઉપરાંત જે. જે. પટેલ, અંશભાઈ ભારદ્વાજ, મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ, મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સહિતના હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

મહાશિવરાત્રિની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ:મહાશિવરાત્રિમાં સોમનાથના દ્વાર 42 કલાક ખુલ્લા રહેશે‎

ભવનાથમાં પણ શિવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે.ત્યારે જ સોમનાથમાં પણ મહાશિવરાત્રીને લઈ ટ્રસ્ટ દ્રારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.અને મંદિર પણ સતત 42 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે જેથી ભાવિકો પણ દર્શનનો લાભ લઇ શકશે. દેશના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આગામી મહાશિવરાત્રી પર્વની તડામાર તૈયારીઓ અને આયોજનો કરાઈ રહ્યા છે, ઘડાઈ રહેલા આયોજન મુજબ મહાશિવરાત્રીએ એટલે કે 15 ફેબ્રુઆરીએ દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે. જે બીજે દિવસે એટલે કે તા.16 ફેબ્રુઆરીના રોજ રાત્રીના 10વાગ્યે બંધ થશે.આમ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. સોમનાથ ટ્રસ્ટ મહાશિવરાત્રીએ પોતાના તરફથી પ્રથમ ધજાનું પૂજન કરી સોમનાથ દાદાના શિખરે ધજારોહણ કરશે. પરિસરમાં વાજતે-ગાજતે પાલખીયાત્રા‎મહાશિવરાત્રીનાદિવસે સોમનાથ મંદિર પરિસરમાં ઢોલ-શરણાઈ, પવિત્ર વેદ મંત્રોચ્ચાર અને ધૂન-ભજન વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા કાઢવામાં આવશે. હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ, બિલ્વપૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ પશ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો પણ આયોજનમાં આવરી લેવાશે. ભાવિકોને ભોજન-ફરાળ પીરસાશે‎શિવરાત્રીને અનુલક્ષી સોમનાથ ખાતે ચાર થી પાંચ વિશાળ ભોજન ભંડારા ખાતે ભાવિકોને નિ:શુલ્ક ભોજન-ફરાળ પ્રસાદી ઉપલબ્ધ કરાવશે. બહારગામથી પગપાળા કે બસોમાં સંઘ સમાજ કે ધાર્મિક ભકતજનો સોમનાથ આવી પહોંચશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ડ્રાયવરોનું સન્માન:મોડાસામાં પોતાની કારકિર્દી દરમિયાન એકેય અકસ્માત ન કર્યો હોય તેવા એસટીના ત્રણ ડ્રાયવરોનું સન્માન કરાયું

અરવલ્લી જિલ્લામાં સહાયક વાહન વ્યવહારની કચેરી દ્વારા તા.1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી માસ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું. મોડાસાની તત્વ ઇજનેરી કોલેજમાં યોજાયેલા સમાપન સમારોહમાં પોતાની કારકિર્દી દરમિયાન એક પણ અકસ્માત ન કર્યો હોય તેવા એસટી વિભાગના ત્રણ ડ્રાયવરોને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં મોડાસા પ્રાંત અધિકારી વી.બી. પટેલ, અરવલ્લી આરટીઓ જે.કે. પ્રજાપતિ તેમજ આરટીઓ ઇન્સ્પેક્ટર સહિત 108માં ફરજ બજાવતા કર્મચારીઓ અને એસ ટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોડાસા એ આરટીઓ કચેરી દ્વારાજિલ્લામાં રોડ સેફ્ટી માસ દરમિયાન યોજવામાં આવેલ વિભિન્ન સ્પર્ધાઓના વિજેતાઓને પ્રાંત અધિકારી વી.બી. પટેલ અને તત્વ કોલેજ કેમ્પસના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવારના હસ્તે પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં વર્ષોથી એટલે કે વર્ષ 1999 થી 2002 અને 2012 થી એસટી બસમાં ફરજ બજાવતા અને પોતાની કારકિર્દી દરમિયાન એક પણ અકસ્માત થયો ન હોય તેવા એસટી વિભાગના 3 ડ્રાયવરને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. જેમાં નરેન્દ્રસિંહ ચૌહાણ, નરવરસિંહ સિસોદિયા તેમજ વણકર મગનભાઈને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં ઇન્સ્પેક્ટર હર્ષ કનોજીયા અને કેવી હાડા દ્વારા ટ્રાફિકના નિયમન અંગે ઉપસ્થિત ડ્રાયવરો નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મેરેથોનમાં 1.08 લાખ લોકોએ ડ્રગ ફ્રી ઇન્ડિયાના શપથ લીધા, દોડમાં 700 લોકોના સ્નાયુ ખેંચાયા

વડોદરા ઈન્ટરનેશનલ મેરેથોનમાં 1 લાખ શહેરીજનોએ રાજમાર્ગ પર દોડ લગાવી હતી. જેમાં દોડવીરોએ નવલખી મેદાનમાં ડ્રગ ફ્રી ઇન્ડિયા માટે શપથ લીધા હતા. મેરેથોનમાં પ્રથમ વખત મહારાણી રાધિકારાજે ગાયકવાડ અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ અધિકારીઓ સાથે દોડ્યાં હતાં. મળસ્કે 4 વાગે શરૂ થયેલી મેરેથોનમાં 41 કિમી, 21 કિમી, 10 કિમી અને 5 કિમીની ફન અને હેરિટેજ રનનું આયોજન કરાયું હતું. મેરેથોનમાં 700 લોકોને સ્નાયુ ખેંચાવાની તકલીફ થતાં તેમને સ્થળ પર જ મસાજ સહિતની સારવાર આપવામાં આવી હતી. આ મેરેથોનમાં કેન્યાના દોડવીરો 41 કિમીની ફુલ મેરેથોનમાં જોડાયા હતા. મહારાણી રાધિકારાજે સાથે સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી,ભીડ વધતાં સિક્યુરિટી ગાર્ડના ઘેરામાં દોડ્યાંમેરેથોનમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ જોડાયાં હતાં. તેઓ સ્ટેજ પરથી નીચે ઊતરીને દોડવીરો વચ્ચે આવતાં જ સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી. મહિલાઓ, યુવતીઓ અને યુવાનો સેલ્ફી લેવા એકત્ર થતાં એક તબક્કે રાધિકારાજે સિક્યુરિટી ગાર્ડના ઘેરા વચ્ચે પહોંચ્યાં હતાં. દોડ શરૂ થતાં અન્ય દોડવીરો સાથે મહારાણી દોડ્યાં હતાં. તેઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી ફરતે બાઉન્સરો દોડતા જોવા મળ્યા હતા. તેજલ અમીન, રાજેન્દ્ર ત્રિવેદી, નિલેશ શુકલ ડીજેના તાલે ઝૂમ્યાંમેરેથોન શરૂ થતાં પહેલાં સ્ટેજ પર મેરેથોનના આયોજકો, રાજકીય નેતાઓ, મહાનુભાવો, સ્વામિનારાયણ સંતો, વૈષ્ણવાચાર્યોએ હાજરી આપી હતી. દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે સંગીત, ડીજે અને ઝૂમ્બાની વ્યવસ્થા કરાઇ હતી. દરમિયાન સ્ટેજ પર હાજર તેજલ અમીન, રાજેન્દ્ર ત્રિવેદી, નિલેશ શુકલ, મિતેશ પટેલ સહિતના મહાનુભવો પણ ડીજેના તાલે ઝૂમતા નજરે પડ્યાં હતાં. હેલ્મેટ પહેરીને તિરંગા સાથે દોડેલા યુવાને માર્ગ સલામતીનો સંદેશો આપ્યોમળસ્કે 4:25 કલાકે હાફ મેરેથોનને ફ્લોગ ઓફ કરાયું હતું. જેમાં એક યુવકે હેલ્મેટ પહેરી તિરંગા સાથે દોડ લગાવી હતી. યુવકે દેશભક્તિ સાથે હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો પણ સંદેશો પાઠવ્યો હતો. 5 કિમી ફન, હેરિટેજ અને ગજરા રનમાં 75 હજારથી વધુ લોકોએ દોટ મૂકીસવારે 7 વાગે 5 કિમીની હેરિટેજ-ફન મેરેથોનનું ફ્લેગઓફ કરાયું હતું. જેમાં સૌથી વધુ 75 હજાર લોકો જોડાયાં હતાં. ગજરા રનમાં એલજીબીટીક્યુ સમાજના દોડવીરો પણ જોડાયા હતા. જ્યારે ફન રનમાં કંપનીઓ, સંસ્થાઓ, ધાર્મિક સંસ્થા જોડાઈ હતી. સાથે સ્કૂલોના વિદ્યાર્થી ડ્રમ સહિત વાજિંત્રો સાથે જોડાયાં હતાં. સાથે મોટી સંખ્યામાં મહિલા, વૃદ્ધો-બાળકોએ ફન રનની મઝા માણી હતી. યોગ સર્કલ, મુજમહુડા ગાય સર્કલ સહિત ચાર રસ્તા પર ટ્રાફિક સર્જાયોમેરેથોનની શરૂઆત થતાં જ મળસ્કે 4 વાગ્યાથી જ પોલીસે રૂટ મુજબ ટ્રાફિક ડાઇવર્ઝન આપ્યો હતો. જેમાં એક તરફનો રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો રખાયો હતો. જોકે યોગ સર્કલ, મુજમહુડા, ગાય સર્કલ, બરોડા ડેરી સહિતના ચાર રસ્તા પર સવારે 6 વાગ્યાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જેને કારણે શહેરીજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

મંડે પોઝિટીવ:ડિજિટલ અરેસ્ટ વૃદ્ધા 37 લાખની એફડી તોડાવવા ગયાં,બેંક મેનેજરે બચાવી લીધાં

‘મારી જિંદગીની કમાણીના રૂપિયા સાઇબર ગઠિયા લઈ ગયા હોત તો હું આજે રાતે આપઘાત કરી લેત.’ આ શબ્દો છે નેશનલ ડેરી બોર્ડમાંથી નિવૃત્ત થયેલાં 76 વર્ષિય વૃદ્ધાના. મહારાષ્ટ્ર પોલીસના નામે ફોન કરી વૃદ્ધાને ડરાવી તેમની 35 લાખની એફડી પડાવવાનો પેંતરો રચ્યો હતો. જોકે રૂપિયા આરટીજીએસ કરવા આવેલાં વૃદ્ધાના હાવભાવ જાણી બેંક ઓફ ઈન્ડિયાના બ્રાંચ મેનેજર સ્થિતિ પામી ગયા હતા. તેમણે વૃદ્ધાને આ સાઇબર ફ્રોડ હોવાનું કહી ગઠિયાને ખખડાવ્યા હતા. મહારાષ્ટ્ર પોલીસના નામે ગઠિયાઓએ વૃદ્ધાને આધારકાર્ડથી ચાઈલ્ડ પોનોગ્રાફી, હ્યૂમન ટ્રાફિકિંગ કરાયું હોવાનું જણાવી ધમકાવ્યાં હતાં. નેશનલ ડેરી બોર્ડમાંથી 2010માંથી નિવૃત્ત થયેલાં 76 વર્ષિય વૃદ્ધાનું એકાઉન્ટ વાઘોડિયા રોડની બીઓઆઈ શાખામાં છે. તેઓ એકલા રહે છે અને 37 લાખની એફડીના વ્યાજથી જીવન પસાર કરતાં છે. વૃદ્ધા પર સવારે 9 વાગે કોલ આવ્યો હતો. જેમાં સામે છેડેથી મહારાષ્ટ્ર પોલીસમાંથી બોલતા હોવાનું જણાવ્યું હતું. આ વ્યક્તિએ કહ્યું કે, મુંબઈ પોલીસે 26 જાન્યુઆરીએ એક હોટલમાં દરોડો પાડતાં 600 થી 700 આધારકાર્ડ મળ્યાં હતાં, જેમાં તમારું પણ આધારકાર્ડ છે. તમારા આધારકાર્ડનો ઉપયોગ ચાઈલ્ડ પોનોગ્રાફી, હ્યૂમન ટ્રાફિકિંગ બિટકોઈન ડિલિંગ સહિતના વ્યવહાર માટે થયો છે. જેથી તમારા ખાતામાં રહેલી રકમની તપાસ કરવી પડશે. વૃદ્ધાએ ખાતામાં 1 લાખ હોવાનું જણાવ્યું હતું. જેથી ગઠિયાઓએ એફડીની વિગત પૂછતાં તેમણે 37 લાખની એફડીની વિગતો આપી હતી. ગઠિયાઓએ કહ્યું કે, એફડીની રકમ તમારે ટ્રાન્સફર કરવી પડશે. અમે તપાસ કરી 45 મિનિટમાં રૂપિયા પરત કરીશું. જો તમે સહકાર નહીં આપો તો તમારી ધરપકડ કરીશું. આ સાંભળી વૃદ્ધાએ ગભરાઈને બપોરે 12 વાગે બેંકમાં પહોંચી એફડીની રકમ ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. તે પછી બપોરે 2:20 કલાકે વૃદ્ધા બેંકના બ્રાંચ મેનેજરને મળતાં તેઓ વૃદ્ધાના હાવભાવ જોઈ સ્થિતિ પામી ગયા હતા અને તેમને સાઇબર ફ્રોડમાંથી બચાવી લીધાં હતાં. આમ વૃદ્ધા સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી સાઇબર એરેસ્ટ રહ્યાં હતાં. આઇએફએસસી કોડ તપાસતાં પટનાની બેંકનો જણાયો અને મને શંકા ગઈ…વૃ દ્ધાએ શનિવારે 12 વાગે બેંકમાં આવી મેડિકલ ઇમર્જન્સી હોવાનું જણાવી 37 લાખની એફડી ઉપાડવા કહ્યું હતું. જેથી રકમ ખાતામાં ટ્રાન્સફર કરી હતી. તે પછી બપોરે 2:20 વાગે મારી પાસે આવી 35 લાખનો આરટીજીએસ કરવા કહ્યું હતું. મેં આઈએફએસસી કોડ ચેક કરતાં તે પટનાની કાંકરબાગની યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેંક શાખાનો હતો. જ્યારે ખાતું પૂજા એન્ટરપ્રાઈઝના નામે હતું. અજુગતું લાગતાં મેં કહ્યું કે, મેડિકલ ઈમર્જન્સી પટનામાં છે. જેથી તેઓ ગભરાઈ ગયાં અને આપવીતી કહી હતી. તે પછી તેમને જે નંબરથી કોલ આવ્યો તેને ફોન કરી મેં કહ્યું કે, તમે જે કરો છો તે સાઇબર ફ્રોડ છે. હું ફરિયાદ કરીશ.’ જે સાંભળી સામેના વ્યક્તિએ ફોન કાપી વૃદ્ધા સાથેની ચેટ ડિલીટ કરી હતી. મેં વૃદ્ધાને ઘટના જણાવતાં તેમણે કહ્યું કે, ‘જિંદગીભરની કમાણી જતી રહી હોત તો આપઘાત કરી લેત.’ } (વાઘોડિયા રોડ બીઓઆઇના બ્રાંચ મેનેજર જીતેશકુમાર પાંડે સાથેની વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

બાળકોના આધારની નોંધણી પણ થઈ શકશે:શહેરની 31 પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડમાં સુધારા થઈ શકશે

લોકોને ઘરની નજીક જ આધાર સેવા સરળતાથી મળે તે માટે વડોદરા પશ્ચિમ વિભાગ દ્વારા કુલ 31 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. જ્યારે અન્ય તમામ વયજૂથ માટે યુઆઈડીએઆઈ દ્વારા નિર્ધારિત ફી લેવામાં આવે છે. યુઆઈડીએઆઈના નિયમ અનુસાર દરેક વ્યક્તિએ જીવન દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત આધાર નોંધણી અથવા બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. અત્રે ઉલ્લેખીય છે કે, પ્રથમ વખત 5 વર્ષની ઉંમર સુધી નવું આધાર નંબર મેળવવા માટે, બીજી વખ 5 વર્ષની ઉંમર પછી બાયોમેટ્રિક અપડેટ કરાવવા તેમજ ત્રીજી વખત 15 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વ્યક્તિના પુન: બાયોમેટ્રિક અપડેટ માટે આધાર કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી બનતું હોવાનું ટપાલ વિભાગે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

અલકાપુરી, મકરપુરા, પાણીગેટ, સમા-સાવલી રોડ પર ચેકિંગ:લોટ, ચટણી, શાક અને ચિકનનો 82 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

શહેરમાં ભેળસેળ અને અખાદ્ય વસ્તુના વેચાણ સામે ખોરાક શાખાએ તવાઈ બોલાવી છે. પાણીગેટ મેમણ કોલોની આયુર્વેદિક ત્રણ રસ્તા, મકરપુરા, દુમાડ ચોકડી અને સમા-સાવલી રોડ તથા મકરપુરામાં 20 યુનિટ પર ચેકિંગ કરી 82 કિલો લોટ, શાકભાજી, ચિકન અને મીઠાઈ સહિતની વસ્તુનો નાશ કર્યો હતો. પાણીગેટ મેમણ કોલોની આયુર્વેદિક ત્રણ રસ્તા, દુમાડ ચોકડી, સમા રોડ તથા અલકાપુરીમાં ખોરાક શાખાે ચેકિંગ કર્યું હતું. જેમાં 1 હોકર, 2 રિટેઇલર, 6 ફુડ વેડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 10 રેસ્ટોરન્ટ મળી 20 એકમો પર ચકાસણી કરી હતી. જેમાં 8 યુનિટને સ્વચ્છતા જાળવવા નોટિસ આપી હતી. જ્યારે ત્યાંથી મળેલો 82 કિલો અખાદ્ય જથ્થો નાશ કર્યો હતો. બીજી તરફ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતાં તેનો પણ નાશ કરી 1.37 લાખની પેનલ્ટી ફટકારી હતી. સેવઉસળ, મરચા પાઉડર, તેલના 30 નમૂના લેવાયાકીર્તિસ્તંભ અને આરવી દેસાઈ રોડ પર ખાદ્ય પદાર્થો વેચતાં યુનિટો પર મોબાઈલ ટેસ્ટિંગ વાનથી ચેકિંગ કરાયું હતું. જેમાં 1 રિટેઇલર, 10 ફુડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ મળી 13 યુનિટ પર સેવ-ઉસળ, મરચા પાઉડર, તેલ, રેડ ગ્રેવી, રેડ ચટણીના 30 નમૂનાનું સ્થળે જ ટેસ્ટિંગ કર્યું હતું. જ્યારે ટીપીસી વેલ્યુ વધુ આવતાં 2 કિલો તેલનો નાશ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

સિટી એન્કર:ફેબ્રુઆરીમાં ઉત્તર તરફના પવનથી પ્રથમ પખવાડિયામાં રાતે-વહેલી સવારે ઠંડી અનુભવાશે, પારો 16થી 20 ડિગ્રી

ફેબ્રુઆરીમાં પણ હિમાલય ક્ષેત્રમાં સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં રહેશે, જેને લઈને ન્યૂનતમ પારો 16 થી 20 ડિગ્રી જેટલો રહેવાની સંભાવના છે. જોકે કડકડતી ઠંડીના દિવસો હવે પૂરા થયા છે. ફેબ્રુઆરી મહિના દરમિયાન સામાન્ય ઠંડી રહેશે. પખવાડિયા બાદ શિયાળાની ઋતુ ધીમે પગલે વિદાય લેશે. જોકે ઉત્તરમાં ઉદભવનાર પશ્ચિમી વિક્ષોભ અને તેના પ્રભાવ હેઠળના ચક્રવાતી પ્રવાહોને પગલે કેટલાક દિવસો અંશત: વાદળછાયા રહી શકે છે. બીજી તરફ વિપરીત ચક્રવાતી પ્રવાહની અસર હેઠળ પવનની દિશા બદલાતી રહેવાને કારણે સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો આવવાની સંભાવના રહેશે. જેને કારણે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભેજનું પ્રમાણ વધુ રહેવાથી ન્યૂનતમ તાપમાન ઉપર-નીચે થયા કરવાની સંભાવના છે. ઉત્તર તરફથી આવતા પવનોથી ફેબ્રુઆરીમાં પ્રથમ પખવાડિયામાં રાતે અને વહેલી સવારે ઠંડી પડી શકે છે, પરંતુ દિવસનો ભાગ ગરમ રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરી દરમિયાન શહેરનું દિવસનું મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાનનો પારો 16 થી 20 ડિગ્રી વચ્ચે જોવા મળી શકે છે. વાતાવરણ સૂકું અને મોટાભાગના દિવસોએ આકાશ સ્વચ્છ જોવા મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

હેલ્પલાઈન:બોર્ડની પરીક્ષામાં સમય કરતાં અડધો કલાક વહેલાં પહોંચવું,બૂટ-મોજાં પહેરવાનું ટાળવું

બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટીકર સૌથી મહત્વનું છે. વિદ્યાર્થીએ ખંડ નિરીક્ષકની મદદથી દર્શાવેલ સૂચના મુજબ બારકોડ સ્ટીકર ઉપર ખાખી સ્ટીકર લગાડવાનું રહેશે. હોલ ટિકિટમાં બારકોડ સ્ટીકર પર લગાડવામાં આવેલ નંબરને ઉત્તરવહી નંબરના રૂપમાં લખવાનો રહેશે. બોર્ડ પરીક્ષામાં બારકોડ સ્ટીકરને લઈને વિદ્યાર્થીઓના કાઉન્સેલરને સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરણ 10ની પરીક્ષા આપતા વિદ્યાર્થીને બારકોડ સ્ટીકરને લઈને પ્રશ્નો છે. વિદ્યાર્થીઓએ નિરીક્ષકની સૂચના મુજબ જ બારકોડ સ્ટીકર ચોંટાડવું જોઈએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં બારકોડ સ્ટીકરનો અમલ એ માત્ર એક ઔપચારિકતા નથી પરંતુ તે સમગ્ર પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા લાવવાનું એક મહત્વનું પગલું છે. બારકોડ સ્ટીકરના ઉપયોગથી ઉત્તરવહીઓની ગતિવિધિને ટ્રેક કરી શકાય છે, જેથી પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય છે. વિદ્યાર્થી એક્સ્ટ્રા પુરવણી લેે ત્યારે સીટ નંબર પર દર્શાવેલ જગ્યા પર ખાખી સ્ટીકર ચોંટાડવું પરીક્ષાર્થીઓએ સૌથી વધુ ધ્યાનમાં લેવાની બાબતો

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ચાર દરવાજામાં સમસ્યાઓ અપાર:ટ્રાફિક, પાર્કિંગ, પથારા, પ્રદૂષણના 4 દૂષણથી 55 હજાર લોકો ત્રસ્ત

વડોદરાના વિકાસમાં ચાર દરવાજા વિસ્તારની રાજકીય આગેવાનીનો સિંહફાળો છે. જોકે આ વિસ્તારની પ્રજા છેલ્લા દાયકાથી કેટલીક સમસ્યાઓના પગલે રકાસ અનુભવે છે. અહીં રહેતા 55 હજાર જેટલા લોકો ટ્રાફિક, પાર્કિંગ, પથારા અને પ્રદૂષણનાં 4 દૂષણથી પરેશાન છે. પાર્કિંગ પોલિસી લાવવામાં વડોદરા નાપાસ છે, જેનો ભોગ અહીંના લોકો બને છે. લોકો મજબૂરીમાં વાહનો આડેધડ પાર્ક કરે છે કે પછી ગલીઓમાં મૂકી આવે છે. જેથી નરસિંહજીની પોળ, પોળના લોકો પરેશાન થાય છે. આ ઉપરાંત તંત્ર વેન્ડર પોલિસીના અમલમાં પણ નાકામ છે, જેથી ગલીઓમાં પણ પથારા ફેલાયા છે. ફૂટપાથો-ગલીઓમાં પણ કેટલાક વેપારીઓએ ફૂટપાથો પર ‘ગોઠવેલાં’ દબાણો આંખે ઊડીને વળગે એવાં છે. અહીંની પોળો-ગલીઓ, પોળોના સેંકડો રહીશો-વેપારીઓને રોજ સાંજે દોડતી સેંકડો રિક્ષાઓ અકળાવે છે. બાજવાડા, કાંતારેશ્વર ખાંચો, શેઠ શેરી, ઘંટિયાડા નાકાથી ઘડિયાળી પોળના રસ્તા પર આ સમસ્યા વકરી છે. ઘંટિયાડા જેવા વિસ્તારમાં ગંદા પાણીને સહન કર્યા બાદ જ વાપરવા લાયક પાણી આવે છે. અહીં જૂની માલિકીનાં ઘરો ખાલી થઇ તૂટી રહ્યાં છે, નવી દુકાનો બની રહી છે. સ્થાનિક લોકો આ સમસ્યાના મૂળમાં એક જ કારણ ચીંધે છે. અધિકારીઓ ભ્રષ્ટ બન્યાં છે, વિવિધ કારણોથી આ સમસ્યાઓમાં નેતાગીરીનો ઝંડો ચીમળાયેલો જ રહે છે. અમારું કોઇ સાંભળતું નથી. એટલે હવે અહીં કેટલાક લોકો ‘કહેવાનો કોઇ મતલબ નથી’ ના હતાશ મોડમાં આવી ગયા છે. ધુમાડા અને કચરાને લીધે વિસ્તારમાં વધતો AQI પોળોના રહીશોનાં મેડિકલ બિલ વધારશેચાર દરવાજા વિસ્તારના એક રહીશે કહ્યું કે, અહીં પોળોમાં સાંજે તો ઘણીવાર સળંગ ચાર-પાંચ રિક્ષાઓ દોડતી દેખાય છે. એ લોકો તેમનું કામ કરે છે, પણ તેના ધુમાડાને લીધે અહીં એક્યુઆઇ વધે છે. હવે આવી હવા આખો દિવસ, આખું વરસ લેવી પડે છે. જેથી ફેફસાં ખલાસ થશે અને અમારાં મેડિકલ બિલ વધારશે. આ મુદ્દો કેમ કોઇને સમજાતો નથી? હેરિટેજ બિલ્ડિંગોનું અધૂરું સમારકામ, લોકો માટે જોખમીપાસ ટેન્ડરના કોન્ટ્રાક્ટરના ભરોસે છે. ઐતિહાસિક માંડવીને જાળવવા જરૂરી બધાં જ પગલાં લેવાતાં નથી. ઐતિહાસિક ઇમારતોની ફરતે થતાં દબાણો હોય કે ઐતિહાસિક બાંધકામોને તોડીને બંધાતાં નવાં બાંધકામો તંત્ર, સ્થાનિક નેતાઓ ચૂપ છે. અહીંના હેરિટેજના સંરક્ષણના માટે સમયાંતરે ગુંજતા વાજાથી કંટાળ્યા હોવાનું લોકો કહે છે. આ વિસ્તારમાં પાર્કિંગ મોટી સમસ્યા છે. લોકો ગમે ત્યાં વાહન મૂકીને ખરીદી માટે નીકળે છે. પછી પસાર થતાં વાહનચાલકોને હેરાન થવું પડે છે. > મહેશ જોશી, સ્થાનિક વેપારી અહીં કેટલીક પોળ અને મહોલ્લા, ખાંચામાં ગંદું પાણી આવે છે. રજૂઆતો કરીએ છીએ, પણ માત્ર વાયદા જ અપાય છે. પાણી અનિયમિત પણ આવે છે.> મહેશ સોની, ઘંટિયાડા પાર્કિંગનો પ્રશ્ન પથારાવાળાઓને લીધે આકરો બન્યો છે. તેમને યોગ્ય જગ્યા અપાય. પાર્કિંગ માટે એક મોટી સુવિધા ઊભી કરવાની જરૂર જણાય છે. > નિખિલ પુરોહિત, બાજવાડા ગેરકાયદે બાંધકામો ચાર દરવાજાની મુખ્ય સમસ્યા બની છે. ઘણા લોકોએ પોતાનાં ઘર અને દુકાનો આગળ દબાણ કર્યાં છે, રિક્ષાઓનો જમાવડો વધ્યો છે. > સમીર શેખ, છીપવાડ આ વિસ્તારમાં વધુ ધાર્મિક સ્થાનો છે. જ્યાં લોકો આવતાં વધુ વાહનો આવે છે. સાંજે મેઇન રોડ પર પ્રતિબંધ હોવાથી રિક્ષા પોળોમાંથી જતાં સમસ્યા વકરે છે. > નિરજ ત્રિવેદી, વેપારી હેરિટેજની કાળજી લેવાતી નથી.સુલતાનપુરામાં પાણી ઓછું આવે છે. શાસ્ત્રીના ખાંચા, કોલાખાડીમાં પેવર બ્લોક્સનું ફિટિંગ યોગ્ય ન થતાં રસ્તો જોખમી બન્યો છે. > રૂપાલી શુક્લા, ઘંટિયાડા

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

જંગ જામ્યો:બરોડાની ક્રિકેટ ટીમમાં 11માંથી 9 ખેલાડી એક જ ક્રિકેટ એકેડેમીમાંથી આવે છે,હાલનું શાસન નિષ્ફળ

બીસીએની ચૂંટણી અગાઉ માહોલ ગરમાયો છે. ડૉ.દર્શન બેંકરે રિવાઇવલ ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે પર નિશાન લગાવીને નામ લીધા વગર તેમની જ એકેડેમીમાંથી બરોડાના 11માંથી 9 ખેલાડી હોય છે. તેમણે વડોદરાને કેટલા આઈપીએલ, નેશનલ લેવલના ક્રિકેટર આપ્યા છે, તે પ્રશ્નો છે, તેમ કહ્યું હતું. રોયલ અને સત્યમેવ જયતે ગ્રૂપે સયાજી વિહાર ક્લબમાં રવિવારે મિટિંગ રાખી સભ્યોને સંબોધન કર્યું હતું. ડૉ.દર્શન બેંકરે જણાવ્યું કે, મને ઘણા લોકો પૂછતા કે, તમે કિરણ મોરે સામે ક્રિકેટ લડી રહ્યા છો. તમને ક્રિકેટનું શું જ્ઞાન છે? જોકે કિરણ સામા પક્ષે એડમિન્સ્ટ્રેશનનું સૌથી મોટું માથું છે. તો તેમણે વડોદરાને કેટલા ક્રિકેટર આપ્યા? તેમણે એક આઈપીએલ કે એક નેશનલ ક્રિકેટર આપ્યો હોય તો બતાવો. કિરણ મોરે ઘણા સારા ક્રિકેટર હતા. તે વિકેટકીપર પણ હતા. તેનો લાભ બીસીએને મળવો જોઈએને. જોકે વડોદરાનો વિકેટકીપર બહારથી આવ્યો છે. એક જ પરિવાર અને એક જ ક્રિકેટરનું બીસીએ નથી. બરોડાની ક્રિકેટ ટીમમાં 11માંથી 9 પ્લેયર એક ક્રિકેટ એકેડેમીમાંથી આવે છે, આ યોગ્ય નથી. જ્યારે મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે કહ્યું કે, આ નિષ્ફળ શાસન છે. આ તમારી છેલ્લી તક છે. હું પણ વોટર છું. આ ભવિષ્ય નક્કી કરવાની તક છે. તેમણે રિવાઇવલ ગ્રૂપનું નામ લીધા વગર કહ્યું કે, તમે એસોસિયેશન કોર્પોરેટ બોડીનો ભાગ બને તેમ ઈચ્છશો કે મેમ્બર દ્વારા તેને ચલાવાય તેમ ઇચ્છશો. 15મીએ જરૂર મત આપજો. શાસન, પારદર્શિતા અને સ્પષ્ટતાથી કામ કરાશે. શહેરના ક્રિકેટર વધુ આગળ આવશે અને એસોસિયેશન આગળ વધશે. તમારી પાસે કોઈ આવે તો પૂછજો કે, એજીએમ વખતે ચૂંટણી કેમ ન કરી. મેનેજમેન્ટે 5 મહિના વધુ મેનેજમેન્ટ લંબાવ્યું છે. પ્રપોઝલ આવ્યું ત્યારે ઉમેદવારને એસોસિયેશન કેમ ચાલે તેની જાણ નહોતી ને નામ સામે મુકાયુંમહારાજા સમરજિતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે, 3 વર્ષ પછી ચૂંટણી થવાની છે, તેની ખુશી છે. રિવાઇવલ ગ્રૂપનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, તેમણે અગાઉ સામેથી સંપર્ક કર્યો હતો. દેશમાં ફક્ત આપણા એસોસિયેશન પાસે સ્ટેડિયમ નહોતું. જેથી વિચારોને બાજુમાં મૂકી સાથે આવ્યા હતા. જોકે આ વખતે તેમને પ્રપોઝલ અપાયું કે, તેમનો એક વ્યક્તિ પ્રમુખ હશે. તેમણે અન્ય હોદ્દા અંગે પણ કહ્યું હતું, તે યોગ્ય નહોતું. ઉમેદવારને ક્રિકેટ બેકગ્રાઉન્ડ, એડમિનિસ્ટ્રેટિવ બેકગ્રાઉન્ડ, એસોસિયેશન કેમ ચાલે તેની પણ જાણ નહોતી. અમે વહીવટમાં હોઈશું તો મેમ્બરોના ઘરે ટિકિટ પહોંચાડીશું, સભ્યોને સુવિધા મળે તેમ કરીશુંતમે ટિકિટ લેવા જાવ ત્યાં લાઇનમાં ઊભા રહેવું પડે. જ્યારે ટિકિટ ખરીદો ત્યારે તે ઘરે આવી જાય. અમે વહીવટમાં આવીશું ત્યારે અમે ગેરન્ટી આપીએ છીએ કે, મેમ્બરે ટિકિટ લેવા નહીં જવું પડે. સામે બધાને ક્રિકેટ અને બીસીએનો વહીવટ નથી આવડતો, પરંતુ તે ટિકિટના વહીવટમાં ઘણા હોશિયાર છે. મેમ્બરને ટિકિટ ન મળે એટલે લાઇનમાં ઊભા રાખવામાં આવતા હતા. તેઓ મેમ્બર માટે ક્લબ હાઉસ પણ બનાવી શક્યા નથી. સભ્યોને ફેસિલિટી મળે તેમ કરવા ઈચ્છીએ છીએ. છેલ્લાં 2 વર્ષથી લડતો હતો, ચિંગારી હવે જ્વાળા બની છેહું 2 વર્ષથી લડી રહ્યો હતો, ચિંગારી હવે જ્વાળા બની છેે. હું પુત્રના લગ્ન કરી વડોદરા આવ્યો અને ચૂંટણી અધિકારીને પ્રશ્ન કર્યો કે, મારા ઘરે ચૂંટણી કરો મજા આવશે. બીજા ઉમેદવારના ઘરમાં કરી શકતા હોય તો મારા ઘરે કેમ નહીં? > ડૉ.દર્શન બેંકર ઇન્દુલકર હજી ઉપપ્રમુખ, છતાં કેબિન લોક કરી દીધુંમહારાજા સમરજિતસિંહે કહ્યું કે, હાલના ઉપપ્રમુખ અનંત ઈન્દુલકરની બીસીએની કેબિનને લોક કરી દેવાઈ છે, તે કેબિનમાં જઈ શકતા નથી. તે હજી ઉપપ્રમુખ છે. આ બીસીએનું હાલનું મેનેજમેન્ટ છે. મેમ્બર તરીકે મને કડવો અનુભવ થયો છે. શાસનનો ઘણો વિરોધ છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:કેનેડાના વર્ક વિઝાનું કહીને 60 લોકોના 7 કરોડ ઠગનાર તલવિંદર સંધુ પકડાયો

કેનેડાના વિઝાના બહાને 60 લોકોના 7.42 કરોડ ઠગનાર એજન્ટને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. સીઆઇડી ક્રાઈમ ગાંધીનગર ખાતે ફરિયાદ બાદ વડોદરાનો તલવિંદર સંધુ ફરાર હતો. ગાંધીનગર ખાતે આરોપીએ ઓવરસીઝ ગેટવે કંપનીની ફ્રેન્ચાઇઝી લઈ ઓફિસ ખોલી હતી. જેમાં 2020થી 2024 સુધી જુદા જુદા વિઝાના બહાને 60 લોકો પાસે થી 7.42 કરોડ જેટલી રકમ મેળવી હતી. બનાવટી કાગળો બતાવી વિઝા પ્રોસેસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, નકલી દસ્તાવેજ કેનેડિયન એમ્બેસી સમક્ષ પણ રજૂ કર્યા હતા. જાણ થતા વિઝા રદ કરવામાં આવ્યા હતા. આ અંગે ગ્રાહકોએ એજન્ટને પૂછાતા એને ગલ્લા તલ્લા કરી સમય પસાર કર્યો હતો. અંતે ભાંડો ફુટતાં ગાંધીનગર સીઆઇડી ક્રાઈમ સમક્ષ 1 ડિસેમ્બરે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં નિઝામપુરા, નતાશાપાર્ક, ગુરુનાનક નગર પાસે રહેતા તલવિંદર દારાસિંહ સંધુ આરોપી હતો. ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચને તે ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. મલ્ટી નેશનલ કંપનીઓના નકલી એલએમઆઈએ લેટર બનાવીને લોકો સાથે એમ્બેસીને ઠગવાનો પ્રયાસગાંધીનગરમાં ઓવરસીઝ ગેટ-વેની ફ્રેન્ચાઈઝી ખોલી હતી. જેમાં કેનેડાની વર્ક પરમિટના LMIA લેટર મેળવવાની ખાતરી આપતો હતો. ડ્રેગન ઇ-બાઇક, મેક ડોનાલ્ડ, આઈટીઆઈટી સિસ્ટમ જેવી મલ્ટી નેશનલ કંપનીના નકલી લેટર વર્ક પરમિટ માટે કેનેડા એમ્બેસીમાં મુકી એપ્લાય કરતા વેરિફિકેશનમાં લેટર નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

વડોદરા પોલીસનું કલંક:વડોદરામાં ડ્રગ્સના વેપલાનો મદદગાર એએસઆઇ લક્ષ્મી દેસાઇ સસ્પેન્ડ,હવે મિલકતોની તપાસ કરાશે

હેરોઇન ડ્રગ વેચનારા ડીલર સાથે સાઠગાંઠમાં ઝડપાયેલા SOGના એએસઆઈ લક્ષ્મીકાંત દેસાઇને SMCએ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બીજી તરફ શહેર પોલીસ કમિશનરે લક્ષ્મીકાંતને સસ્પેન્ડ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે શહેર પોલીસના એસઓજીમાં ફરજ બજાવતા લક્ષ્મીકાંત દેસાઇની રૂ. 47,98,800ના હેરોઇન કેસમાં ધરપકડ કરી હતી. હેરોઇન લાવનાર પેડલર સાથે લક્ષ્મીકાંતની સિધી સંડોવણી એસએમસીની તપાસમાં ખુલતા તેની તેની ધરપકડ કરાઇ હતી. જેને કોર્ટમાં રજૂ કરી તપાસના મહત્વના મુદ્દા દર્શાવતા કોર્ટે 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 9 જાન્યુઆરીએ SMCને બાતમી મળી હતી કે, વડોદરા રેલવે સ્ટેશને એક શખ્સ ડ્રગ્સનો જથ્થો લાવશે. ટીમે વોચ ગોઠવી હતી. જોકે અમરિકસિંઘ માલ્હી રેલવે સ્ટેશનની દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તે પડી જતાં એસએમસીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. અમરિકસિંઘ સામે એનડીપીએસનો ગુનો નોંધી તપાસ શરૂ થઇ હતી. જેમાં તે રાજસ્થાનથી હેરોઇન લાવ્યો હતો જેને ભટીંડાનો નિશાનસિંઘ આપી ગયો હતો. અમરિકસિંઘનો મોબાઇલ તપાસતાં એસએમસીને એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇના અસંખ્ય કોલ્સ-મેસેજ મળ્યા હતા. આરોપીએ કબૂલાત કરી હતી કે ક્યારે માલ લાવવો, પોલીસની તેના પર વોચ છે જેવી તમામ માહિતી તે અમરિકસિંઘને આપતો હતો. પુરાવા મળતાં એસએમસીએ લક્ષ્મીની ધરપકડ કરી હતી. લક્ષ્મીકાંત રાત્રિબજાર પાસેના બુટલેગરનું સીમકાર્ડ વાપરતો હતોલક્ષ્મીકાંત પાસેથી મળેલા મોબાઇલની એસએમસીએ તપાસ કરતાં સીમ કાર્ડ સાગર સુનિલભાઇ પટોલે રહે. સાઇનાથ કો-ઓપરેટીવ સોસા. નવરચના યુનિ. પાછળ, વાસણા હોવાનું ખુલ્યું હતુ. લક્ષ્મીકાંત ડમી સીમકાર્ડ થકી અમરિકસિંઘ સાથે સંપર્કમાં રહેતો અને 6 મહિનામાં 132 વખત વાત થઇ હોવાનું જણાયું છે. જેમાં વોટ્સએપ કોલ લોગ તથા ચેટ ડીલીટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. અન્ય સીમ કાર્ડ કારેલીબાગ રાત્રિ બજાર પાસેના એક બુટલેગર પાસેથી પણ મેળવ્યું હતું. જેમાં ડ્રગ અને માદક પદાર્થ વેચનારા સાથે એક ડમી નંબર અને દારૂ વેચનારા સાથે બીજા ડમી નંબર તેમજ પોલીસ કર્મચારી અધિકારી સાથે ત્રીજા નંબરથી વાત કરતો હતો. સત્તાના દુરઉપયોગથી સાક્ષી-પુરાવાનો નાશ કરે તેવી શક્યતા31મીએ પોલીસ કમિશનરે લક્ષ્મીકાંતને સસ્પેન્ડ કર્યો હતો. આદેશમાં ‘તમારી ગેરવર્તણૂંક એવી છે કે કોર્ટ કેસ અને ખાતાકીય તપાસમાં પુરવાર થાય તો ફરજિયાત નિવૃતિ કે નોકરીમાંથી રૂખસદ કે બરતરફીની શિક્ષા થાય તેમ છે. ફરજ ઉપર ચાલુ રહો તો તમે સત્તાનો દુરુપયોગ કરી પુરાવા અને સાક્ષીનો નાશ કરો તેમ છો.’ તેમ જણાવાયું હતું. આ 5ની SOGમાંથી 3 દિવસ પૂર્વે બદલી આ 4ને SOGમાં મૂકવામાં આવ્યા ડ્રગ ડિલરો સાથે ભાગીદારી હતી?

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

સંવેદનશીલ વિસ્તારો નાગરવાડા, નવાબવાડા, કુંભારવાડામાં ચેકિંગ:મચ્છીપીઠ સહિત વિસ્તારમાં 125 ગેસ જોડાણ કાપ્યાં,162ના 26 લાખ વસૂલ્યા

ગેસ કંપનીએ બાકી લેણાની વસૂલાત શરૂ કરી છે. ત્રણ દિવસમાં કારેલીબાગના નાગરવાડા, મચ્છીપીઠ, નવાબવાડા સહિતમાં 287 મિલકતો ચકાસી 125 જોડાણ કાપી 26.22 લાખની વસૂલાત કરી હતી. જે જોડાણ કાપ્યા તેમના 83.36 લાખ વસૂલવાના બાકી છે. કારેલીબાગ પોલીસની સાથે ગેસ વિભાગે 29, 30 અને 31 જાન્યુઆરીએ કારેલીબાગના ઘી કાંટા રોડ, સૈયદપુરા, લાલજીકુઈ, નાગરવાડા ચાર રસ્તા, કુંભારવાડા મુસ્લિમ મહોલ્લો, મોલવી મસ્જિદ, સલાટવાડા, માળી મહોલ્લો, તુલસી બાઈની ચાલ, બારોટ મહોલ્લો, નવી ધરતી સ્લમ ક્વોટર્સ, મહેતા વાડી, સુતરીયા પોળ, ખત્રીપોળ, મચ્છીપીઠ, જુના રેડિયો સ્ટેશન, સરવાળા ટેકરા, કાગધીવાડ, નવાબવાડા અને કડુ પાગામાં આવેલી 287 મિલકતોની ચકાસણી કરી હતી. 125 મિલકતોના બિલ બાકી હોવાથી જોડાણ કાપી નાખ્યા હતા. 125 મિલકતોના ગ્રાહકો પાસેથી 83.36 લાખના બિલ બાકી છે. 3 દિવસમાં 162 ગ્રાહકોના 26.22 લાખની વસૂલાત કરી હતી. શહેરભરની 8 હજારથી વધુ મિલકતોના ~40 કરોડના ગેસનાં બિલ વસૂલવાનાં હજુ પણ બાકી પાલિકા અને ગેસ વિભાગના સંયુક્ત સાહસ ગેસ કંપનીના શહેરમાં 2.80 લાખ ગ્રાહકો છે. 2014 થી ગેસ કંપની કાર્યરત છે. જેમાં અત્યારસુધી 8 હજારથી વધુ મિલકતના 40 કરોડના બિલ બાકી છે. 40 કરોડની વસૂલાત માટે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવા માટેનું ગેસ વિભાગનું આયોજન છે. એક અંદાજ મુજબ માર્ચ સુધીમાં વધારેમાં વધારે બિલની વસૂલાત કરવાની તૈયારી છે. જેમાં મિલકત ધરાશાયી થઈ હોય, મકાન બંધ હોય જેવા મોટાભાગની બાબતોનો ઉકેલ લાવવાનું આયોજન છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભુજના રહેણાંક વિસ્તારની ડ્રેનેજ લાઇન ખારી નદીમાં વાળી !

શહેરના પાંચ નાકા બહારનો વિસ્તાર ધરતીકંપ બાદ છેલ્લા બે દાયકામાં ઝડપથી વિકસ્યો છે. ગ્રાઉન્ડ પ્લસ વન જેવી મર્યાદિત બાંધકામ મંજૂરી હોવાથી શહેરની હદો વિસ્તરતી ગઈ છે. ખાસ કરીને ખારી નદીની બીજી બાજુ આવેલ રતીયા સીમ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક સોસાયટીઓ ઊભી થઈ છે. પરંતુ વિકાસ સાથે સાથે મંજૂરીઓ અને મૂળભૂત સુવિધાઓ બાબતે અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. શનિવારે બરસાણા રેસીડેન્સી નામની એક વસાહત દ્વારા ગંદા પાણીની લાઈન ખારી નદી તરફ વાળવામાં આવી હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા આપવામાં આવી હતી. સ્થળ પર તપાસ કરતાં જોવા મળ્યું કે રસ્તો ખોદીને નદી તરફની બાજુમાં એક અંડર ગ્રાઉન્ડ ટાંકી જેવી રચના બનાવી, તેમાંથી ગંદુ પાણી સીધું નદીમાં છોડાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તસ્વીરોમાં પણ આ સ્થિતિ સ્પષ્ટ જોવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર એક જ નહીં, પરંતુ આસપાસની અનેક સોસાયટીઓ દ્વારા પણ આવી જ રીતે ગટરનું પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કચ્છની એકમાત્ર ઉત્તરવહીની ખારી નદી ધાર્મિક અને પર્યાવરણીય દૃષ્ટિએ મહત્વ ધરાવે છે, અને તેના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં ગંદા પાણીનો નિકાલ સીધો નદીમાં કરવો ગંભીર બાબત કહેવાય. સંબંધિત તંત્રો દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. પંચાયતની મંજૂરીના નામે થાય છે તિકડમભુજ એરપોર્ટ રીંગરોડ સુધી નગરપાલિકાની હદ અને બાંધકામની મંજૂરી માટે ભાડાની હદ ત્યાંથી થોડા મીટર સુધી જ રહે છે. ખારી નદીની બીજી તરફ સૌથી નજીકનું ગામ રતિયા આવેલું છે માટે ભુજનો જ આ રહેણાંક વિસ્તાર રતીયા ગ્રામ પંચાયતમાં આવે. પંચાયતની વિવિધ મંજૂરીઓ આસાનીથી મેળવી લેવાય છે. જો ભાડાની હદ વધે અને ખારી નદી પછીના વિસ્તારનો યોજનામાં સમાવેશ થાય તો અંદર ચાલતી અનેક મંજૂરીની તિકડમબાજી બંધ થાય.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ઘરમાં રાખેલ મુદ્દામાલ સગેવગે કરે તે પહેલા એલસીબીએ ઉઠાવ્યો:ખાસરા ગ્રાઉન્ડ પાસે કારખાનામાંથી સાડી અને દુપટ્ટાની ચોરી કરનાર ઇસમ ઝડપાયો

શહેરમાં આવેલા ખાસરા ગ્રાઉન્ડ પાસે સાડી રંગાટના કારખાનામાંથી રૂપિયા 4.65 લાખની બાંધણીની સાડી અને દુપટ્ટા ચોરી કરનાર ભુજના ઈસમને એલસીબીએ મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી હનીફ અયુબ ખત્રીએ ચોરીનો ગુનો નોધાવ્યો હતો. જે ગુનાનો ભેદ ઉકેલવા એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાએ ટીમને સુચના આપી હતી.પેટ્રોલિંગમાં રહેલી ટીમને બાતમી મળી હતી કે,મદીનાનગર-2 માં રહેતો આરોપી સમીર તાલબ ગોકલ(શેખ) પોતાના રહેણાંક મકાને હાજર છે અને ચોરી કે છળકપટથી મેળવેલ સાડી અને દુપટ્ટા સગેવગે કરવાની પેરવીમાં છે.બાતમીને આધારે સ્થાનિકે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આરોપીના ઘરમાંથી અલગ અલગ ઝબલામાં રાખેલ સાડી અને દુપટ્ટા મળી આવ્યા હતા.જે બાબતે આરોપીને પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું.જ્યારે પોલીસે વધુ પૂછપરછ કરી ત્યારે ખાસરા ગ્રાઉન્ડ નજીક આવેલા કારખાનામાંથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી.એલસીબીએ આરોપી પાસેથી 2.79 લાખની બાંધણીની સાડી અને 68 હજારના દુપટ્ટા અને 30 હજારની એકટીવા કબ્જે કરી આરોપીને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે સોપવામાં આવ્યો છે. ચોરી પહેલા વીજ કનેક્શન કાપી નાખ્યોરાત્રીના સમયે આરોપી પોતાની એકટીવા નંબર જીજે 12 ઈઆર 1611 વાળી લઈને ફેમીલી મોલ નજીક આવેલા સાડી રંગાટના કારખાના પાછળ ગયો હતો. જ્યાં પોતાની એકટીવા રાખી દઈ આરોપીએ કારખાનામાં પ્રવેશ કર્યો હતો અને ઉપર લગાડેલ વીજતારનો મેઈન કનેક્શન કાપી નાખ્યો હતો.જે બાદ બાંધણીની સાડી અને દુપટ્ટા ઝબલામાં ભરી એકટીવા પર પલાયન થઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

સિટી એન્કર:ભુજના શેરી ફેરિયાઓને મળશે 30 હજારની મર્યાદાવાળું ‘ક્રેડિટ કાર્ડ’

તીરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમની સમાંતર ભુજ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ નગરપાલિકા હોલ ખાતે પાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓ માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખોલતી મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બેન્ક ઓફ બરોડાના લીડ મેનેજર નીતીશ ગામીતે ક્રેડિટ કાર્ડ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજના હેઠળ જે લાભાર્થીઓ રૂ. 20 હજારની લોન નિયત સમયમાં ભરપાઈ કરે છે, તેઓને હવે બેંક દ્વારા રૂ. ૩૦ હજારની લિમિટવાળું ‘ક્રેડિટ કાર્ડ’ આપવામાં આવશે. આ નવી સુવિધા નાના વેપારીઓની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બેંકો દ્વારા મંજૂર કરાયેલ 41 લાભાર્થીઓને કુલ રૂ. 14,60,000ની લોન સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એન.યુ.એલ.એમ વિભાગના મેનેજર કિશોર શેખાએ યોજનાની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આ યોજનામાં ફેરિયાઓને કોઈપણ ગેરંટી વિના 7 ટકા વ્યાજ સબસિડી સાથે તબક્કાવાર રૂ. 15 હજાર, 25 હજાર અને ત્યારબાદ 50 હજાર સુધીની લોન પૂરી પાડવામાં આવે છે. વધુમાં, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરનાર લાભાર્થીઓને વાર્ષિક મહત્તમ રૂ. 1600 સુધીનું કેશબેક પણ મળવાપાત્ર છે. આ યોજના માત્ર લોન પૂરતી સીમિત નથી, પરંતુ લાભાર્થી પરિવારને જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા, માતૃ વંદના અને વન નેશન વન રાશન કાર્ડ જેવી વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. ઇન્ચાર્જ ચીફ ઓફિસર અનિલ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સેનિટેશન ચેરમેન અનિલભાઈ છત્રાળા, વોટર સપ્લાય ચેરમેન સંજયભાઈ ઠક્કર, સાંસ્કૃતિક ચેરમેન મનીષાબેન સોલંકી, નગરસેવક ધીરેનભાઈ લાલન, ભાજપ ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર તથા HDFC બેંકના પિયુષભાઈ પંડિત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુચારું આયોજન સ્ટોર બ્રાન્ચ હેડ દક્ષેશભાઈ ભટ્ટે કર્યું હતું, સંચાલન કિશોર શેખાએ અને આભારવિધિ ડીમ્પલબેન ત્રિવેદીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:માંડવીમાં રોડનું એક તરફનું કામ પૂર્ણ થાય તે પૂર્વે જ રોડની બીજી બાજુ ખોદકામ કરાયું

માંડવી શહેરમાં રોડ પહોળો કરવાની કામગીરી વાહનચાલકો માટે મુશ્કેલીરૂપ બની છે. જન કલ્યાણ મેડિકલ હોસ્પિટલથી લઈ રિલાયન્સ પેટ્રોલ પંપ સુધીનો માર્ગ શહેરનો અત્યંત વ્યસ્ત હાઈવે છે. છેલ્લા એકાદ માસથી અહીં હાઈવે પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ એક બાજુના માર્ગનું કામ પૂર્ણ થાય તે પૂર્વે જ બીજી બાજુ ખોદકામ શરૂ કરી દેવામાં આવતા હાલ પરિસ્થિતિ વધુ વણસી છે. ધમધમતો હાઈવે હવે જાણે એક સાંકડી ગલીમાં ફેરવાઈ ગયો છે. રસ્તાની પહોળાઈ અત્યંત ઓછી થઈ જતાં સામસામે આવતા વાહનો વચ્ચે પસાર થવું મુશ્કેલ બની ગયું છે. દિવસના સમયે મોટા વાહનો સામ સામે આવી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. કેમ કે એસટી બસ, ખાનગી ટ્રાવેલ્સની બસો અને નલિયા તરફ જતા ભારે વાહનો આ જ માર્ગ પરથી પસાર થાય છે. રોડની પહોળાઈ વધારવા માટે ખાડા ખોદીને તેની માટી પણ રસ્તા પર જ ઠાલવવામાં આવી રહી છે, જેથી જેવા વાહનો પસાર થાય ધૂળના ગોટેગોટા ઉડે છે. જૈન આશ્રમથી માંડવી શહેર સુધીનો નેશનલ હાઈવે હવે નગરપાલિકા હસ્તક આવ્યોસામખિયાળી, ગાંધીધામ, મુન્દ્રા અને માંડવીથી નલિયાને જોડતો આ માર્ગ હાલ નેશનલ હાઈવે ઓથોરીટી પાસે છે. પણ માંડવીના જૈન આશ્રમ પાસેથી જ્યાં બાયપાસ રોડ પસાર થાય છે ત્યાંથી લઈને માંડવી શહેર સુધીનો માર્ગ હવે નગર પાલિકા હસ્તક આવી ગયો છે. આ બાબતે માંડવી નગર પાલિકાના કારોબારી ચેરેમેન વિશાલ ઠક્કરે જણાવ્યું હતું કે આગાઉ આ રોડ નેશનલ હાઈવે ઓથોરીટી પાસે હતો, પણ હવે અંદાજીત 4 કિમીનો માર્ગ નગરપાલિકા હસ્તક આવી ગયો છે. અને રોડનો પહોળાઈ વધારવાની કામગીરી ચાલી રહી છે, તે પણ માંડવી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ટોલ પ્લાઝા પર પેમેન્ટ સમયે લોકોને પડતી હતી મુશ્કેલીઓ:ફાસ્ટેગ માટે KYV પ્રક્રિયાનો અંત, કચ્છના લાખો ચાલકોને થશે ફાયદો

ફાસ્ટેગ સંબંધિત પ્રક્રિયામાં વાહન માલિકોને મોટી રાહત મળી છે. આવતીકાલથી, એટલે કે 1 ફેબ્રુઆરીથી, નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રક્રિયા કરાવવાની જરૂર રહેશે નહીં. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર નવી વાહનો જ નહીં, પરંતુ જેમના વાહનમાં પહેલેથી જ ફાસ્ટેગ લગાવાયેલો છે, તેવા વાહન માલિકોને પણ હવે રૂટિન KYV પ્રક્રિયામાંથી મુક્તિ મળશે. અગાઉ માન્ય દસ્તાવેજો હોવા છતાં વારંવાર વેરિફિકેશનના કારણે વાહન માલિકોને લાંબી રાહ જોવી પડતી હતી, જે હવે ટળી જશે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ફાસ્ટેગ સક્રિય થયા બાદ ઊભી થતી તકલીફોને દૂર કરવાનો છે. અગાઉ ઘણી વખત વાહન ચાલકો ફરિયાદ કરતા હતા કે ફાસ્ટેગ એક્ટિવ હોવા છતાં બેંક અથવા સંબંધિત ઓથોરિટી દ્વારા વેરિફિકેશનના નામે વિલંબ થાય છે. નવી માર્ગદર્શિકા અમલમાં આવતા ફાસ્ટેગને વારંવાર અપડેટ કરાવવાની ઝંઝટ દૂર થઇ છે. રાજ્યમાં સૌથી વધુ કચ્છમાં 9 ટોલ પ્લાઝાકચ્છ જિલ્લામાં આવેલા કુલ 9 ટોલનાકાઓ આવેલા છે જેમાં 7 નેશનલ હાઈવે અને 2 સ્ટેટ હાઈવેના ટોલ પ્લાઝા પરથી પસાર થતા હજારો વાહનચાલકો માટે મોટી રાહત મળી છે. 1 ફેબ્રુઆરીથી ફાસ્ટેગમાં ફરજિયાત KYC પ્રક્રિયા બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી અધૂરા KYCને કારણે અનેક વાહનચાલકોના ફાસ્ટેગ બ્લોક થઈ જતા હતા, જેના કારણે ટોલનાકા પર બમણો ટેક્સ ચૂકવવો પડતો હતો અથવા લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું. કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને પ્રવાસીઓ માટે આ જાહેરાત આશીર્વાદ સમાન સાબિત થશે. ખાસ કરીને સૂરજબારી, સામખિયાળી અને ભિરાંડિયારા જેવા વ્યસ્ત નાકાઓ પર હવે ટેકનિકલ કારણોસર થતી હેરાનગતિમાં ઘટાડો થશે. સરકારના આ પગલાથી વાહનચાલકોનો સમય અને નાણાં બંનેની બચત થશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:નવીનાળ-શિરાચા વચ્ચે વાડીમાં રાખેલા 320 લીટર દેશી દારૂ સાથે 2 પકડાયા, 8 ભાગી છુટ્યા

મુન્દ્રાના નવીનાળ અને શિરાચા રોડ પર આવેલી વાડીમાંથી પોલીસે રૂપિયા 64 હજારના 320 લીટર દેશી દારૂ સાથે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. જેમાં વવારના આરોપી પાસેથી જથ્થો ખરીદી માણસો રાખી તેમની પાસે દારૂ કોથળીમાં ભરવામાં આવતો હતો અને તેનું છુટકમાં વેચાણ થતું હતું. જોકે મુખ્ય બે આરોપી રેઇડ દરમિયાન હાથ લાગ્યા ન હતા અને વધુ છ આરોપીની સંડોવણી સામે આવી છે. મુન્દ્રાના પીઆઈ એસ.એમ.રાણાની સુચનાથી પેટ્રોલિંગમાં રહેલી ટીમને બાતમી મળી હતી કે,નવીનાળ ગામનો આરોપી ગજુભા જાડેજા અને કિશનસિંહ જાડેજાએ વાવર ગામના આરોપી ગોપાલ ગઢવી પાસેથી દેશી દારૂનો જથ્થો મંગાવી નવીનાળ-શિરાચા રોડ પર આવેલી પાલુ ગોપાલ ગઢવીની વાડીમાં રાખેલો છે. જ્યાં માણસો રાખી દારૂ કોથળીમાં ભરવામાં આવે છે અને તે બાદ છુટકમાં વેચાણ કરે છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે રેઇડ કરતા કુંદરોડી ગામનો આરોપી રાજદીપસિંહ દશરથસિંહ જાડેજા અને નવીનાળનો વિક્રમકુમાર બ્રહ્મદેવ તિવારી હાજર મળી આવ્યા હતા. જેના કબ્જામાંથી પોલીસે રૂપિયા 64 હજારની કિંમતનો 320 લીટર દેશી દારૂ સહીતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. મુખ્ય આરોપી ગજુભા ભીમાજી જાડેજા, કિશનસિંહ જાડેજા, જથ્થો આપનાર ગોપાલ ગઢવી, પાલુ ગોપાલ ગઢવી, તેજશ, શંભુ પાંડે, શિવમ અને જગદીશ ચાવડા પોલીસને હાથ લાગ્યા ન હતા. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. વેપલા માટે 12 હજારમાં વાડી ભાડે રાખીસમગ્ર મામલે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એસ.એમ.રાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપી ગજુભા જાડેજા અને કિશનસિંહ જાડેજા સાથે મળી દારૂનો વેપલો કરતા હતા.દારૂનો જથ્થો પાલુ ગોપાલ ગઢવીની વાડીમાં આવેલી ઓરડીમાં રાખવામાં આવ્યો હતો અને દારૂના વેપલા માટે વાડી માલિકને રૂપિયા 12 હજાર ભાડું ચુકવતા હતા.જ્યાં ભાડે રાખેલા માણસો દારૂ કોથળીમાં ભરતા અને તે બાદ અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ ચલાવી તેનું વેચાણ કરવામાં આવતું હતું.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ફિટનેસ, શિસ્તનો સંદેશ લઈને 60, 30 અને 10 કિમી રનમાં 460 દોડવીરો જોડાયા

બીએસએફની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થવાના અવસરે હીરક જયંતિ વર્ષની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રવિવારે કચ્છના ધોળાવીરા ખાતે ‘BSF રન-રોડ ટુ હેવન’ નું આયોજન કરાયું હતું. વિશ્વવિખ્યાત રોડ ટુ હેવન માર્ગ પર યોજાયેલી આ કઠોર દોડનો મુખ્ય હેતુ ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો, યુવાનોમાં દૃઢ સંકલ્પ, શિસ્ત વિકસાવવાનો તેમજ રાષ્ટ્રપ્રેમનો સંદેશ ફેલલાવવાનો રહ્યો હતો. જેમાં સામાન્ય લોકો અને સુરક્ષા જવાનો એમ બન્ને કેટેગરીમાં દેશભરના દોડવીરોએ ભાગ લીધો હતો. 60 કિમી અલ્ટ્રા, 30 કિમી રન અને 10 કિમી રનની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં કુલ 379 પુરુષ અને 81 મહિલા મળી કુલ 460 સ્પર્ધકો જોડાયા હતા. સાથેજ બીએસએફના 207 જવાનોએ રનમાં ભાગ લીધો હતો. આ સમગ્ર ઇવેન્ટનું સંકલન દિલ્હીની ખાનગી ઇવેન્ટ મેનેજમેન્ટ સંસ્થાએ કર્યું હતું. સાથે રાજ્યના પ્રવાસન વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી તથા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોજિસ્ટિક્સ, સુરક્ષા, રૂટ મેનેજમેન્ટ અને મેડિકલ સપોર્ટ સહિતની વ્યવસ્થામાં મહત્વનો સહયોગ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન BSF દ્વારા ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રસેવાના સંદેશ સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને વિજેતા સ્પર્ધકોને રૂા. 10 હજારથી લઇને રૂા. 2.50 લાખ સુધીના રોકડ રકમ સાથે પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 60 કિમી દોડ પૂર્ણ કરનાર મહિલા ડિફેન્સ રનરને રોકડ ઇનામ નહીં !રોડ ટુ હેવન રન’ માં દેહરાદૂનથી પહોંચેલા એનસીસી અધિકારી મેજર શશી મહેતાએ ડિફેન્સ કેટેગરીમાં 60 કિમી અલ્ટ્રા મેરેથોન પૂર્ણ કરી નોંધપાત્ર સિદ્ધિ નોંધાવી હતી. ડિફેન્સ વિભાગમાંથી 60 કિમી દોડ પૂર્ણ કરનાર તેઓ એકમાત્ર મહિલા સ્પર્ધક રહ્યા હતા અને તેમણે 5 કલાક 47 મિનિટમાં દોડ પૂર્ણ કરી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ હતી કે ડિફેન્સ કેટેગરીમાં વિજેતા બનેલા પુરુષ સ્પર્ધકોને રોકડ ઇનામ એનાયત કરાયા છતાં, પણ સમાન કેટેગરીમાં દોડ પૂર્ણ કરી વિજેતા બનેલા આ મહિલા સ્પર્ધકને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો નહતો ! તેઓએ સ્થળ પર જ આ અંગે આયોજન અંગે નારાજગી સાથે ખેદ વ્યક્ત કર્યો હતો. પુરુષ ખેલાડીઓને રોકડ ઇનામ અપાઇ અને મહિલા સ્પર્ધકોને નહીં તે ભેદભાવ છે તેવો આક્ષેપ કર્યોહતો. તો બીજીતરફ આ અંગે બીએસએફ દ્વારા સ્પષ્ટતા કરાઇ હતી કે, કોઈ પણ કેટેગરીમાં ઓછામાં ઓછા 3 સ્પર્ધકો હોય તો તે કેટેગરીમાં પુરસ્કાર કરવામાં આવે છે. પરંતુ તેમને રોકડ નહીં પરંતુ તેમની દોડ બદલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વસ્તીનો સહકાર દેશની શક્તિમાં વધારો કરે છેબીએસએફની સ્થાપના વર્ષ 1965ની ગૌરવભરી યાદ સાથે યોજાયેલા ‘રોડ ટુ હેવન રન’ના કાર્યક્રમમાં 11 વર્ષના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધીનાદોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેને તેમણે આ આયોજનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. સરહદી વિસ્તારની વસ્તી BSF સાથે ખભેખભા મિલાવી દેશને વધુ મજબૂત બનાવવાની તૈયારી દર્શાવી રહી છે, જે વિશ્વાસ અને સહકારનું સકારાત્મક પ્રતિબિંબ છે. આ અવસરે તેમણે સરહદી વિસ્તારમાં રહેનાર નાગરિકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ કાર્યક્રમમાં જોડાયેલા તમામ સ્પર્ધકો અને સહયોગીઓને દિલથી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. > અભિષેક પાઠક, BSF- IG મંજૂરી વગર 7 કલાક રોડ ટુ હેવન બ્લોક કરાયોરોડ ટુ હેવન નેશનલ હાઈવે રસ્તો છે. આ રસ્તો બંધ કરવો હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરનું નોટિફિકેશન કરીને બંધ કરી શકે પણ મેરેથોનના આયોજકો દ્વારા કોઈ નોટિફિકેશન વગર રાતના 3 થી સવારના 10.30 સુધી બંધ કરી રાખ્યો હતો. જેથી પ્રવાસીઓ તેમજ જીવન જરૂરિયાત અસર થયેલ હતી. તેમજ આખા રસ્તે પાણીની બોટલો અને પ્લાસ્ટિકના ઢગ લાગી ગયા હતા. જે ખુબજ દુઃખદ ગણી શકાય છે. > જિલુભા સોઢા, સંરપંચ ધોળાવીરા ધોળાવીરા સહિતના વિસ્તારના દોડવીરોએ પણ ભાગ લીધોજ્યારે બીએસએફની રોડ ટુ હેવન રનમાં દેશ દેશાવરમાંથી સ્પર્ધકો ઉમટી આવ્યા હતા, ત્યારે ધોળાવીરા તથા આસપાસના ગામોના સ્થાનિક દોડવીરો પણ પાછળ રહ્યા નહોતા, આશરે 70 જેટલા સ્થાનિક દોડવીરોએ પોતાના ઘર આંગણે આયોજિત કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તંદુરસ્તી અને લોક જાગૃતિનો સંદેશ મજબૂત બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

સારવાર કેમ્પ:ભીમાસર રત્નમણિ કંપનીમાં 110 ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ અને સારવાર કેમ્પ યોજાયો

રત્નમણિ મેટલ કંપની ખાતે અંધજન મંડળ કે. સી. આર. સી ભુજ દ્વારા તેમજ અંજાર ટ્રાફિક પોલીસ એન્ડ જિલ્લા પોલીસ અને સાઈટ સેવર ઇન્ડિયાના સહયોગથી ટ્રાફિક અવેરનેસ અને માર્ગ સુરક્ષા અંતર્ગત ટ્રક ડ્રાઇવરોની આંખની તપાસ અને સારવાર માટે કેમ્પનું આયોજન કરાયું હતું. અંધજન મંડળ ભુજના મેનેજર અરવિંદસિંહ ગોહિલ, રાજુભાઈ પલણ, અંજાર ટ્રાફિક પોલીસ વનરાજસિંહ સોલંકી, દિનેશભાઈ ચૌધરી, જિલ્લા પોલીસ લખમશીભાઈ ફફલ, પુષ્પાબેન તથા તેમની ટીમ અને અરજણભાઇ ગઢવી આદિપુર તેમજ રત્નામણી કંપનીના જનરલ મેનેજર સુનિલ જૈન, આસિસ્ટન્ટ જનરલ મેનેજર મુકેશસિંહ, સેફ્ટી ઑફિસર સૌરભભાઈ, કોમર્શિયલ મેનેજર રામજીભાઈ પટેલ, હેલ્થ ઓફિસર જીતેન્દ્ર શ્રીમાળી અને NHAIના શૈલેષભાઈ રામી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પનો ઉદેશ છે કે કચ્છના ટ્રક ડ્રાઇવરો જે રાત દિવસ ડ્રાઈવિંગ કરે છે તેમની આંખ તપાસ થાય અને જરૂરી ચશ્મા દવા કે ઓપરેશન દ્વારા સારવાર આપીને એક્સિડન્ટનું પ્રમાણ ઓછું કરી શકાય અને લોકોની જિંદગી બચાવી શકાય. દૂરના તેમજ નજીકના ચશ્મા વગેરેની ફ્રી આપવામાં આવ્યા હતા. ઓપરેશન લાયક દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન ભુજ મધ્યે કરી આપવામાં આવશે. અંધજન મંડળ કે.સી.આર.સી ભુજના ભુપેન્દ્રસિંઘ રાવત, સૂર્યદીપસિંહ ગોહિલ, મિતરાજસિંહ ગોહિલ,દીપકભાઈ મહેશ્વરી, હેમેનભાઈ મારવાડા અંધજન મંડળ કે. સી. આર. સી. સ્ટાફએ નેત્ર નિદાન કેમ્પની કામગીરી કરી હતી. કેમ્પ ને સફળ બનાવવા માટે અંજાર ટ્રાફિક પોલીસ અને જિલ્લા પોલીસ અને રત્નામણી કંપનીના સ્ટાફમિત્રો દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

વિશ્વ જળપ્લાવિત ક્ષેત્ર દિવસ:કચ્છ માત્ર રણ નહિ : જળપ્લાવિત ક્ષેત્રોનું તોરણ છે

દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ જળપ્લાવિત ક્ષેત્રની મહત્વતા તથા તેના દ્વારા પૂરી પાડવામા આવતી મહત્વપૂર્ણ પરિસ્થિતિક સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. 2 ફેબ્રુઆરી, 1971ના રોજ ઇરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય મહત્વના જળપ્લાવિત ક્ષેત્ર અંગેની રામસાર સંધિ સ્વીકારવામાં આવી હતી જેની યાદમાં વિશ્વ જળપ્લાવિત ક્ષેત્ર દિવસ વર્ષ 1997થી વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. કચ્છને છારીઢંઢ રામસર સાઈટની ભેટ મળી છે, ભવિષ્યમાં સુરખાબનાગરી બીજી રામસર સાઈટ બની શકે છે. કચ્છની ઓળખ ભલે રણની હોય દરેક તાલુકામાં નાના મોટા જલપ્લાવિત વિસ્તાર આવેલા છે. વિશ્વ જળપ્લાવિત ક્ષેત્ર દિવસ 2026ની થીમ “જળપ્લાવિત ક્ષેત્ર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાની ઉજવણી” છે, જે જળપ્લાવિત ક્ષેત્રના સંરક્ષણ અને ટકાઉ વ્યવસ્થાપનમાં સ્થાનિક અને પરંપરાગત પદ્ધતિઓની મહત્વતા પર ભાર મૂકે છે. કચ્છને લઈને આ થીમ ખૂબ જ સુસંગત છે. જળપ્લાવિત વિસ્તાર એટલે શું?જળપ્લાવિત ક્ષેત્ર એટલે કાદવયુક્ત વિસ્તાર , ફેન્સ, પીટલેન્ડ્સ અથવા જળાશયો, જે કુદરતી કે માનવનિર્મિત, કાયમી કે તાત્કાલિક હોઈ શકે છે અને જેમાં સ્થિર કે વહેતું પાણી હોય શકે છે, જે મીઠું, ખારું કે ખારાશવાળું હોઈ શકે છે. આ વ્યાખ્યામાં ઓટ સમયે છ મીટરથી વધુ ઊંડાઈ ન ધરાવતા દરિયાઈ જળ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે જળપ્લાવિત ક્ષેત્રને આંતરિક જળપ્લાવિત ક્ષેત્ર જેમ કે તળાવો, નદીઓ, પૂરના મેદાનો, કાદવયુક્ત વિસ્તારો અને જળાશયો અને કાંઠાકીય તથા દરિયાઈ જળપ્લાવિત ક્ષેત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં મૅન્ગ્રોવ્સ, એસ્યુરીઝ, લવણિય કાદવયુક્ત વિસ્તાર, કાદવના મેદાનો અને લેગૂન્સનો સમાવેશ થાય છે. રાજ્યમાં 17613 જળપ્લાવિત ક્ષેત્રો ; કચ્છ મહત્વપૂર્ણગુજરાત રાજ્યમાં ભારતનો સૌથી મોટો જળપ્લાવિત ક્ષેત્ર વિસ્તાર આવેલો છે, જે દેશના કુલ જળપ્લાવિત ક્ષેત્ર વિસ્તારનો લગભગ 21.9 ટકા ભાગ ધરાવે છે. રાજ્યમાં આશરે 17613 જળપ્લાવિત ક્ષેત્ર આવેલી છે, જે કુલ મળીને લગભગ 35 હજાર વર્ગ કિ.મી. વિસ્તાર આવરી લે છે. ગુજરાતમાં બે નવી રામસાર જળપ્લાવિત ક્ષેત્રને માન્યતા આપવા માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં પોરબંદરનું ગોસાબારા મોકરસાગર અને કચ્છના ફ્લેમિંગો સિટી જળપ્લાવિત ક્ષેત્રનો સમાવેશ થાય છે તેમ ગુજરાત રાજ્યના વનવિભાગના વડા ડો.એ.પી સિંહે જણાવ્યું હતું. જળપ્લાવિત ક્ષેત્રની સ્થિરતા અને કાંઠાકીય સુરક્ષા આપેે છેજળપ્લાવિત ક્ષેત્ર અનેક મહત્વપૂર્ણ કાર્યો કરે છે. તેઓ પાણી શુદ્ધિકરણ અને પોષક તત્ત્વોના ચક્રમાં યોગદાન આપે છે, પૂર નિયંત્રણમાં મદદ કરે છે, ભૂગર્ભ જળનું પુનઃભરણ કરે છે અને નદીઓમાં આધાર પ્રવાહ જાળવી રાખે છે. જળપ્લાવિત ક્ષેત્ર કાંઠાની સ્થિરતા અને કાંઠાકીય સુરક્ષા પૂરી પાડે છે, કાર્બન સંગ્રહ દ્વારા જળવાયુ પરિવર્તન ઘટાડવામાં સહાય કરે છે, માછીમારી, ખેતી અને ઇકો-ટુરિઝમ જેવા જીવનોપાર્જનને આધાર આપે છે તથા સ્થળાંતર કરતા પક્ષીઓ અને સંકટગ્રસ્ત પ્રજાતિઓ માટે મહત્વપૂર્ણ નિવાસસ્થાન પૂરો પાડે છે. જળપ્લાવિત વિસ્તારને આજના સમયમાં અનેક જોખમોનો સામનોજળપ્લાવિત ક્ષેત્રનું પર્યાવરણીય મહત્વતા હોવા છતાં હાલ તેઓ અનેક જોખમોનો સામનો કરે છે, જેમ કે અતિક્રમણ અને જમીન ઉપયોગમાં ફેરફાર, ગટર, ઔદ્યોગિક પ્રવાહો અને કૃષિ પ્રવાહોથી થતું પ્રદૂષણ, કુદરતી જળ પ્રવાહ અને નિકાસ પ્રણાલીમાં ફેરફાર, સપાટી અને ભૂગર્ભ જળનું અતિશય શોષણ, આક્રમક વિદેશી પ્રજાતિઓનો ફેલાવો, જળવાયુ પરિવર્તન અને સમુદ્ર સપાટીમાં વધારો વગેરે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 100થી વધુ વાહનોની સઘન તપાસ:તાપી જિલ્લામાં ટ્રાફિક પોલીસનું ચેકિંગ, 30થી વધુ વાહનચાલકોને દંડ

વ્યારા નગર સહિત સમગ્ર તાપી જિલ્લામાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસના પીઆઇના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા શહેર તેમજ જિલ્લામાં મુખ્ય માર્ગો, ચોરાહા અને સંવેદનશીલ વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન 100થી વધુ વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. જેમાં હેલ્મેટ ન પહેરવું, સીટબેલ્ટ ન લગાવવી, લાયસન્સ વગર વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો તેમજ અન્ય ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર 30થી વધુ વાહનચાલકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ટ્રાફિક નિયમોની મહત્વતા સમજાવી હતી અને જાહેર માર્ગો પર શિસ્તબદ્ધ રીતે વાહન ચલાવવાની અપીલ કરી હતી. ખાસ કરીને બીજીવાર નિયમો તોડનાર વાહનચાલકોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી કે ભવિષ્યમાં ફરી નિયમભંગ કરાશે તો કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક પીઆઇ સલીમ શેખે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે આવા ચેકિંગ અભિયાન નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

વ્યારામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ સાથે બજેટ નિહાળ્યું:દેશના દરેક વર્ગને સ્પર્શતું બજેટ, તાપી જિલ્લા કાર્યાલયે ઉત્સાહભર્યો માહોલ

વિકસિત ભારત’ના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ તાપી જિલ્લા કાર્યાલય વ્યારા ખાતે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા સામૂહિક રીતે નિહાળવામાં આવ્યું હતું. દેશના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, યુવા, મહિલા તથા ઉદ્યોગકારોને કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલું આ બજેટ આત્મનિર્ભરતા, સુશાસન અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ દિશા દર્શાવે છે. વિકાસને જનજન સુધી પહોંચાડવાનો આર્થિક રોડમેપ આ બજેટમાં સ્પષ્ટ દેખાય છે. આ કાર્યક્રમમાં મંત્રી ડો. જયરામભાઈ ગામીત, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, જિલ્લા પ્રભારી મધુભાઈ કથીરીયા, જિલ્લા પ્રમુખ સુરજભાઇ વસાવા, ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, જિલ્લા મહામંત્રી રાકેશભાઈ કાચવાલા, ડો. નીલેશભાઈ ચૌધરી, સુહાગભાઈ પાડવી સહિત સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ સુરજ વસાવાએ જણાવ્યું હતું કે, “આ બજેટ દેશને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મજબૂત પગલું છે. ખેડૂત, યુવા અને મહિલાઓ માટે નવી તકો સર્જાય તેવો આ બજેટનો આત્મા છે. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક કાર્યકર્તાએ સરકારની યોજનાઓને ઘરઘર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવવી પડશે.”કાર્યક્રમ અંતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને વિશ્વાસનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

છેતરપિંડી:ફેસબુક પર સસ્તી કાર લેવાની લાલચ ભારે પડી, ₹ 81 હજારની છેતરપિંડી

ઉચ્છલના સુંદરપુર ગામના એક યુવકને ફેસબુક પર અર્ટિગા ગાડી જોવી મોંઘી પડી છે.ભાવનગરના બે ગઠિયાઓએ ગાડી વેચવાના બહાને લોન પેટે ₹ 81,854 ભરાવી દઈ ગાડી ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. સોશિયલ મીડિયાના માર્કેટ પ્લેસ પર સસ્તી ગાડીઓની જાહેરાત જોઈ ખરીદી કરતા પહેલા સાવધ રહેવાની જરૂર છે નહિ તો છેતરપિંડી થવાની શક્યતા છે એવો એક કિસ્સો જાણવા મળ્યો છે. ઉચ્છલના સુંદરપુર ગામે રહેતા અને ડ્રાઇવિંગ વ્યવસાય સાથે સંકળાયેલા પાઉલભાઈ કાથુડે ફેસબુક માર્કેટ પ્લેસ પર ₹ 9.60 લાખની કિંમતની મારૂતિ સુઝુકી અર્ટિગા (GJ-19- BA-1121) વેચાણ માટે જોઈ હતી. જાહેરાત મુકનારનો પાઉલ ભાઈએ સંપર્ક કરતા સામે વાળી વ્યક્તિએ નામ મનન જણાવ્યું હતું અને ₹ 8.50 લાખમાં કાર નો સોદો નક્કી કર્યો હતો. આ ગાડી પર એસ.કે. ફાઇનાન્સની લોન હોવાથી મનન અને ગાડી માલિક ધર્મેશ ચુડાસમાએ પાઉલભાઈને વિશ્વાસમાં લીધા હતા. ગઠિયાઓએ જણાવ્યું હતું કે જો લોન તમારા નામે ટ્રાન્સફર કરવી હોય તો બાકી નીકળતી રકમ ₹ 81,854 તમારે જ ભરવી પડશે. પાઉલભાઈએ ગઠિયાઓની વાત પર વિશ્વાસ મૂકી વ્યારા સ્થિત ફાઈનાન્સ ઓફિસમાં આ રકમ ઠગ ઇસમના ખાતામાં જમા કરાવી હતી. પુત્રનો જન્મદિવસ હોવાથી તેઓ ગાડી લેવા પરિવાર સાથે વડોદરા પહોંચ્યા હતા. ત્યાં પહોંચ્યા બાદ આરોપીઓએ ડ્રાઇવર રસ્તામાં હોવાના બહાના બતાવી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બે દિવસ ધક્કા ખાવા છતાં ગાડી કે પૈસા પરત ન મળ્યાં હતાં. તે પછી ફરિયાદીએ અવારનવાર સંપર્ક કરી રૂપિયા પરત માંગતા મોબાઇલ નંબર બંધ થયો હતો. અંતે પાઉલભાઈએ ધર્મેશ સુરેશભાઈ ચુડાસમા અને મનનભાઈ (બંને રહે. મહુવા, ભાવનગર) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

દુર્લભ સંયોગ:સામાન્ય વર્ષ હોવાથી 11 વર્ષ બાદ ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કેલેન્ડર રિપીટ

મુકેશ પરમાર સમય અને કેલેન્ડરની ગોઠવણીમાં એક દુર્લભ સંયોગ ફરી સામે આવ્યો છે. વર્ષ 2015 બાદ પુરા 11 વર્ષ પછી 2026માં ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કેલેન્ડર એ જ રીતે ફરી આવ્યું છે. બંને વર્ષોમાં ફેબ્રુઆરી મહિનો સામાન્ય વર્ષ હોવાથી 28 દિવસનો રહ્યો છે અને ખાસ વાત એ છે કે બંને વખતે મહિનાની શરૂઆત રવિવારથી થઈ હતી. પાલનપુરના નરેશ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2015 બાદ 11 વર્ષ પછી ફરી એક વખત એવો દુર્લભ સંયોગ સર્જાયો છે કે, ફેબ્રુઆરી મહિનાનું સંપૂર્ણ કેલેન્ડર ફરી એકસરખું આવ્યું છે. વર્ષ 2015 અને વર્ષ 2026 બંનેમાં ફેબ્રુઆરી મહિનો લીપ વર્ષ ન હોવાને કારણે કુલ 28 દિવસનો રહ્યો છે અને બંને વર્ષોમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત રવિવારથી થઈ છે.કેલેન્ડર મુજબ 1 ફેબ્રુઆરી 2015 અને 1 ફેબ્રુઆરી 2026 બંને રવિવારના દિવસે આવ્યા હતા, જ્યારે 28 ફેબ્રુઆરી બંને વર્ષોમાં શનિવારે પૂર્ણ થાય છે. આ કારણે તારીખ અને દિવસોની ગોઠવણી સંપૂર્ણપણે એકસરખી જોવા મળે છે. સમગ્ર મહિના દરમિયાન સોમવારથી રવિવાર સુધીના તમામ દિવસો એ જ ક્રમમાં પુનરાવર્તિત થયા છે. સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોય છે, જ્યારે લીપ વર્ષમાં તેમાં 29 દિવસ હોય છે. દર 4 વર્ષે એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છેપૃથ્વી સૂર્યની પરિક્રમા કરવા માટે 365 દિવસ ઉપરાંત આશરે 6 કલાક લેતી હોવાથી દર ચાર વર્ષે એક વધારાનો દિવસ ઉમેરવામાં આવે છે, જેને લીપ વર્ષ કહેવામાં આવે છે. 2015 અને 2026 બંને સામાન્ય વર્ષ હોવાથી અને લીપ વર્ષોની ગોઠવણી સમાન પડતાં આ કેલેન્ડર સંયોગ સર્જાયો છે.આવો સંયોગ વારંવાર જોવા મળતો નથી, તેથી કેલેન્ડર અને તારીખોમાં રસ ધરાવતા લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 4:00 am

BCAની ચૂંટણી પહેલા રોયલ સત્યમેવ જયતે ગ્રુપનું શક્તિ પ્રદર્શન:દર્શન બેંકરે કહ્યું: છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનું સ્તર ઘણું કથળ્યું, હાર્દિક પંડ્યા પછી કોઈ મોટો ક્રિકેટર વડોદરાથી આવ્યો નથી, IPLમાં પણ પસંદગી થતી નથી

આગામી 15 ફેબ્રુઆરીના રોજ યોજાનાર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને પગલે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા રવિવારે રાત્રે વડોદરાની સયાજી વિહાર ક્લબ ખાતે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકર, રોયલ ગ્રુપના અગ્રણી અને વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ, BCCIના પૂર્વ સેક્રેટરી સંજય પટેલ, અનંત ઇન્દ્દુલકર, જતીન વકીલ સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ અને BCAના મેમ્બર હાજર રહ્યા હતા. જેમાં તમામ ઉમેદવારોએ મેમ્બર્સને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે પણ મેમ્બર્સને સંબોધન કર્યું હતું અને રિવાઈવાલ ગ્રુપ સામે આક્ષેપો કર્યા હતા. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર દર્શન બેંકરે જણાવ્યું હતું કે, આજે અમારી BCAના મેમ્બર્સ સાથેની પ્રથમ મીટિંગ હતી. અમે અમારા વિચારો વ્યક્ત કર્યા છે કે, અમે BCA માં શું કરવા માંગીએ છીએ અને અત્યાર સુધી ત્યાં શું ખોટું થઈ રહ્યું છે. આ મીટિંગ ટૂંકી સૂચના પર યોજવામાં આવી હોવા છતાં સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 વર્ષથી BCAનો જે પ્રકારનો વહીવટ ચાલ્યો છે, તેનાથી સભ્યોમાં ઘણી નારાજગી છે. તેઓ પરિવર્તન ઈચ્છે છે અને અમારી સાથે ઊભા રહેવા માટે તત્પર છે. અમારું વિઝન ક્રિકેટને સુધારવાનું અને પારદર્શિતા લાવવાનું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં વડોદરામાં ક્રિકેટનું સ્તર ઘણું કથળ્યું છે. હાર્દિક પંડ્યા પછી કોઈ મોટો ક્રિકેટર વડોદરાથી આવ્યો નથી. IPLમાં પણ વડોદરાના ખેલાડીઓની પસંદગી થતી નથી. છેલ્લા 14 વર્ષથી આપણે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ પણ નથી રમ્યા. અમારો હેતુ ક્રિકેટના વહીવટમાં પારદર્શિતા લાવવાનો અને ભૂતપૂર્વ ક્રિકેટરોને આ પ્રક્રિયામાં સામેલ કરવાનો છે. તેઓએ કહ્યું હતું કે, સભ્યોને ટિકિટ મેળવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે, જે આજના યુગમાં યોગ્ય નથી. મેમ્બર્સ માટે સ્ટેડિયમમાં બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી. તેમને પ્લાસ્ટિકની ખુરશીઓ પર બેસાડવામાં આવે છે, જ્યારે નોન-મેમ્બર્સ બોક્સમાં બેસે છે. અમે આ સ્થિતિ બદલવા માંગીએ છીએ. સ્ટેડિયમની સુવિધાઓ અને તેના મેનેજમેન્ટમાં પણ સુધારાની જરૂર છે. રોયલ સત્યમેવ જયતે ગ્રુપના અગ્રણી અને વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, ફરી એકવાર BCAની ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે. કોઈપણ એસોસિએશનમાં લોકશાહી જાળવવા માટે ચૂંટણી અત્યંત આવશ્યક છે. આ પહેલી એવી ચૂંટણી છે જેમાં લોઢા કમિટીના રેકમેન્ડેશન (ભલામણો) લાગુ થયા પછી તે સંપૂર્ણપણે 'ઓપન ઇલેક્શન' બની ગયું છે. ઘણા જૂના હોદ્દેદારો, જેમાં મારો પણ સમાવેશ થાય છે, હવે આ ચૂંટણી લડવા માટે ક્વોલિફાય નથી. જેથી આ વખતે ઘણા નવા ચહેરાઓ મેદાનમાં છે અને મેમ્બરોમાં પણ આ બાબતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમે 'રોયલ સત્યમેવ ગ્રુપ' તરીકે આજે સયાજી ક્લબમાં એક મિટિંગ રાખી હતી, જેમાં લગભગ 200 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અમારું કેમ્પેઈન અત્યારે પૂરા જોશમાં છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આ ચૂંટણીઓ સપ્ટેમ્બર મહિનામાં યોજાવી જોઈએ, પરંતુ તેને મહાશિવરાત્રીના દિવસે રાખવામાં આવી છે. આ એક વહીવટી પ્રશ્ન છે જે વિચારવા જેવો છે. વડોદરાની વિવિધ ટીમોનું પ્રદર્શન આ વર્ષે ઘણું નબળું રહ્યું છે. ખેલાડીઓ ઝોનલ કે નેશનલ ટીમમાં આગળ વધી શકતા નથી. આ પાછળ સિલેક્શન કમિટી અને ક્રિકેટ એડવાઈઝરી કમિટીની કામગીરી જવાબદાર છે. આ ઉપરાંત ઘણા સિનિયર મેમ્બર્સ ઈચ્છે છે કે, તેમના પછી તેમના પરિવારના સભ્યોને નોમિનેટેડ મેમ્બર બનાવવામાં આવે. આ મુદ્દે પણ ઘણી ચર્ચાઓ થઈ છે. અમે આ ત્રણેય મુખ્ય વિષયોને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:28 am

ફ્લાવર શોમાં નિહાળેલા રોપા તમારા ઘરે લાવી શકશો:શહેરના અલગ અલગ વિસ્તારની ચાર નર્સરી પરથી ખરીદી કરાશે,પ્રતિ રોપાનો ભાવ રૂ. 10 થી 235

સાબરમતી રિવરફ્રન્ટ પર 1 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી યોજાયેલા ફ્લાવર શોમાં અલગ અલગ જાતિના રોપાઓ રાખવામાં આવ્યા હતા. જે રોપાનું વેચાણ કરવાનું નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી ચાર જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશનની નર્સરીઓ ઉપરથી આ તમામ અલગ અલગ પ્રજાતિના રોપાઓ નાગરિકો ખરીદી શકશે. પ્રતિ રોપાનો ભાવ 10 રૂપિયાથી લઈને 235 રૂપિયા સુધી રાખવામાં આવ્યો છે. નાગરિકો 1 નંગથી લઇ 1,000થી વધારે ફુલના રોપાઓ લઈ શકશે. લોકોએ જે રોપા નિહાળ્યા તે હવે ખરીદી ઘરે લાવી શકશેસાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ફૂલના રોપાઓ વાવવામાં આવ્યા હતા અને તેનું પ્રદર્શન નાગરિકોએ નિહાળ્યું હતું. જેમાં ગજેનીયા, ડાયન્થસ, સિલોસીયા, વિન્કા, કેલેન્ડુલા, ઓર્નામેન્ટલ કેલ, બીગોનીયા, હાયપોસ્ટીસ, સિલ્વર ડસ્ટ, પીટુનીયા, યુફોર્બીયા, કોલીયસ, સેવંતી, સાલ્વીયા, એસ્ટર, ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ હતા. આ રોપાઓને વેચવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે જે શહેરના ચાંદખેડા, એલિસબ્રિજ, નવરંગપુરા અને સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી નર્સરીઓ ખાતે વેચાણ કરવામાં આવશે. પ્રતિ રોપાના રૂ. 10 થી 235 ચૂકવવાના રહેશેરિવરફ્રન્ટ પર યોજાયેલા ફ્લાવર શોમાં જે ફૂલો ના રોપા ની જાત વેચાણ કરવાની છે તેના માટે 1થી 100 નંગ, 100 નંગથી 1000 નંગ અને 1000થી વધુ નંગના ભાવો નક્કી કરવામાં આવ્યા છે. અલગ અલગ જાતના ભાવો રાખવામાં આવ્યા છે જેમાં 10 રૂપિયાથી શરૂ કરીને 235નો ભાવ રાખવામાં આવ્યો છે. જો એક સાથે વધારે રોપાવો ખરીદવામાં આવે તો તેના માટેનો ભાવ ઓછો રાખવામાં આવ્યો છે. ડાયન્થસ, પીટુનીયા, ગ્રીન-રેડ અલ્ટનેન્થેરા વગેરે પ્રકારના રોપાઓ માત્ર 1000 નંગ સુધી જ લઈ જઈ શકાશે. આ રોપાવો ખૂબ ઓછા હોવાના કારણે એટલા મોટા પ્રમાણમાં લઈ જઈ શકાશે નહીં. આ સ્થળો પરથી રોપાની ખરીદી કરી શકાશે

દિવ્ય ભાસ્કર 2 Feb 2026 12:05 am

ખતરનાક મોડસ ઓપરેન્ડીથી દેશના ત્રણ રાજ્યમાં તસ્કરી:સુરત પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગ ઝડપી, બચવા 'ZANGI' મોબાઈલ એપ વાપરતા

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરી પોલીસને થાપ આપતી મહારાષ્ટ્રની ખતરનાક ગેંગના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડ અને કિંમતી ઘડિયાળો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ટોળકી બનાવી હતી. હાઈટેક પદ્ધતિથી પોલીસને આપતા હતા થાપઆ ગેંગની સૌથી ચોંકાવનારી બાબત તેમની કામ કરવાની પદ્ધતિ છે. ધરપકડ અને ટ્રેકિંગથી બચવા માટે આરોપીઓ સામાન્ય કોલિંગને બદલે 'ZANGI' નામની મોબાઈલ એપ્લિકેશન અને વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, ચોરી કર્યા બાદ પુરાવા નાશ કરવા માટે તેઓ મકાનમાં લાગેલા CCTV કેમેરાનું DVR પણ સાથે ચોરી કરી જતા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે. ગુજરાત પાસિંગની ગાડી અને રેકીનું નેટવર્કતપાસમાં ખુલાસો થયો છે કે આ ગેંગે ગુજરાતમાં ગુના આચરવા માટે ખાસ ગુજરાત પાસિંગની સેકન્ડ હેન્ડ ફોર વ્હીલર ગાડી ખરીદી હતી. જેથી સ્થાનિક સ્તરે કોઈને શંકા ન જાય. તેઓ દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. તાજેતરમાં જ તેમણે સુરતના અડાજણ વિસ્તારમાં બે મોટી ઘરફોડ ચોરી કરી હતી, જેનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. ઝડપાયેલા આરોપીઓ અને ગુનાહિત ઈતિહાસપોલીસે મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસી એવા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. સલીમ ઉર્ફે સાહીલ શેખ આ આરોપી અત્યંત ખતરનાક માનવામાં આવે છે, જેના વિરુદ્ધ માત્ર કર્ણાટકમાં જ 40 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. સરફરાજ શેખ આ ગેંગનો સક્રિય સભ્ય છે. આ ગેંગ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ સક્રિય હતી અને અનેક ગુનાઓને અંજામ આપી ચૂકી છે. રૂ. 4.28 લાખનો મુદ્દામાલ કબજે કરાયોક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી ફોર વ્હીલર ગાડી, 28 કિંમતી કાંડા ઘડિયાળ, રોકડ રકમ સહિત કુલ 4.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં સુરત પોલીસ આ ટોળકીના અન્ય સભ્યો અને તેમણે રાજ્યમાં અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે. આઇ આર જાડેજા (પીઆઇ) એ જણાવ્યું હતું કે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વણશોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત હતી. એક માહિતી મળેલ કે સરફરાજ સબ્બીર શેખ (રહે. બોઇસર, મુંબઈ) અને તેનો સાગરીત સલીમ ઉર્ફે સાહિલ રફીક શેખ (રહે. બેંગલોર, કર્ણાટક) સુરત ખાતે આવીને એક મહિના પહેલા ડસ્ટર ગાડી સેકન્ડ હેન્ડ કાર મેળામાંથી મેળવી હતી. આ આરોપીઓ સુરતના અલગ-અલગ વિસ્તારોમાં બંધ ઘરોની રેકી કરતા હતા. અડાજણ ખાતે બે મકાનોને ટાર્ગેટ કરી, ત્યાંથી સોના-ચાંદીના દાગીના અને કિંમતી ઘડિયાળોની ચોરી કરી હતી. તેઓ ચોરી કર્યા બાદ DVR પણ સાથે લઈ જતા હતા જેથી પુરાવા ન મળે. બંને આરોપીઓ સાથે ત્રીજો સાગરીત બિલાલ મંડલ પણ સંડોવાયેલ હતો, જેને પકડવાની તજવીજ ચાલુ છે.આ ત્રણેય આરોપીઓ અગાઉ જેલમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ આ ટોળકી બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:42 pm

અંતે ત્રણમાંથી એક ગાર્ડનનું લોકાર્પણ થશે:બે ગાર્ડન લોકાપર્ણની તૈયારીમાં, શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા AMC ટ્રાફિક સેલ બનાવવામાં આવશે

કરોડો રૂપિયાનો ખર્ચ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજા માટે સુવિધા ઉભી કરવામાં આવે છે પરંતુ સમયસર લોકાર્પણ કરવામાં આવતું નથી. જેના કારણે લોકો સુવિધાનો લાભ લઈ શકતા નથી. ત્યારે અમદાવાદ શહેરમાં ત્રણ જેટલા ગાર્ડન બનીને તૈયાર છે. જેમાંથી એક ગાર્ડનનું આખરે આવતીકાલે 2 ફેબ્રુઆરીના રોજ કુબેરનગર વિસ્તારના જી વોર્ડમાં ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે બે ગાર્ડન હજી સુધી લોકાર્પણ કરાયા નથી. ગાર્ડનના નામ કરણને લઈને તેનું લોકાર્પણ કરાયું નહોતું જોકે આખરે હવે હંમેશા વિવાદમાં રહેતા સરદાર નગર વોર્ડમાં આખરે નામકરણ બાદ ગાર્ડન લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સરદારનગરમાં નવનિર્મિત ગાર્ડનનું લોકાર્પણ કરાશેમ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર નગર વોર્ડમાં આવતા કુબેરનગર જી વોર્ડ પાસે હોમાગાર્ડ મેદાન ઓફિસની પાછળ નવો ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં લોકોને બેસવાની વ્યવસ્થા માટે ગજેબો, લાઈટ, ચાલવાની વ્યવસ્થા સાથે ગાર્ડન નવેમ્બર 2025માં જ તૈયાર થઇ ગયો હતો. જોકે આ ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નહોતું. લાંબા સમયથી લોકાર્પણની રાહ જોઇ રહ્યો હતો. સુત્રો મુજબ ગાર્ડનનું નામ આપવા માટે તેનું સમયસર લોકાર્પણ થયું નહોતું. આખરે સરદારનગર વિસ્તારમાં ગાર્ડનનું નામ સાંઇ ઝુલેલાલ ગાર્ડન તરીકેનું નામકરણ મંજુર થયા બાદ તેનું લોકાર્પણ આવતીકાલે બે ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. લાંભાના તળાવ અને ગાર્ડનનુંમંગળવારે લોકાર્પમ કરાશેઆ ઉપરાંત લાંભા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંભા તળાવ ગાર્ડનનો વિકાસ કરવામાં આવ્યો છે. જેનું પણ મંગળવારે લોકાર્પણ કરવામાં આ‌વશે. જ્યારે લાંભા તળાવ પાછળ નવા બનાવવામાં આવનાર પાર્ટીપ્લોટ અને વટવા ટર્નિગ પાસે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું પણ ખાતમૂહુર્ત કરવામાં આવશે. આ સિવાય વટવા વિસ્તારમાં પણ મ્યુનિ. દ્વારા તૈયાર કરવામાં આ‌વેલા એક ગાર્ડનને આગામી દિવસોમાં લોકાર્પણ થશે. ટ્રાફિક સેલની રચના કરવાની વિચારણાઅમદાવાદ શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે ટ્રાફિક સેલની રચના કરવામાં આવે તેવી શક્યતા છે. ચાર રસ્તાઓ પર લેફ્ટ ટર્ન ફ્રી, ટ્રાફીક માટે સર્કલની ડીઝાઇન સહિત અનેક બાબતોમાં ટ્રાફિક પોલીસના સંકલનમાં રહીને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિક સેલ કામ કરે તેવી શક્યતા છે. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય તેના માટે હવે નવેસરથી ટ્રાફિક સેલની રચના કરવામાં આવશે. જેમાં ટ્રાફિકમે લગતાં પ્રશ્નોમાં પાર્કિંગની મહત્તમ વ્યવસ્થા કઇ રીતે થઇ શકે તે દિશામાં પણ ચકાસણી કરશે. સાથે શહેરમાં હાલ ચાલતાં સિંગ્નલ પણ યોગ્ય રીતે ચાલે છે કે કેમ? તેમાં કયા પ્રકારની બદલાવ જરૂરી છે, પગપાળા જતાં નાગરીકો માટે યોગ્ય ફુટપાથ છે કે કેમ? કયા પ્રકારના રોડ પર કેવી ફુટપાથ હોવી જોઇએ સહિતની અનેક બાબતોની સમિક્ષા કરીને તેના અમલની દિશામાં આ સેલ યોગ્ય કામગીરી કરશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:26 pm

ગાંઠીલા ઉમિયાધામ ખાતે પાટીદાર ચિંતન શિબિર..:​સરપંચથી સંસદ સુધી પાટીદારોનું વર્ચસ્વ બમણું કરવાનો લક્ષ્યાંક: જૂનાગઢમાં ટૂંક સમયમાં યોજાશે ભવ્ય રેલી, ભાગેડુ લગ્નપ્રથા અને EWS મુદ્દે સરકાર સામે હુંકાર.

વંથલી તાલુકાના ગાંઠીલા ખાતે આવેલ સુપ્રસિદ્ધ કડવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર ઉમાધામ ઉમિયા માતાજી મંદિર ખાતે પાટીદાર સમાજની એક મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં સમાજની એકતા, યુવાનોનું ભવિષ્ય, રાજકીય પ્રતિનિધિત્વ અને સામાજિક દૂષણોને ડામવા જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ શિબિર આગામી સમયમાં પાટીદાર સમાજની નવી રણનીતિ નક્કી કરવા માટેનો પાયો સાબિત થશે તેવું દેખાઈ રહ્યું છે. ​ચિંતન શિબિરને સંબોધન કરતા પાટીદાર અગ્રણી વરુણ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને કારણે આજે સમાજને શિક્ષણ અને રોજગારમાં EWS અનામતનો લાભ મળી રહ્યો છે, પરંતુ આ આંદોલનમાં 14 યુવાનોએ શહીદી વહોરી છે અને સમાજને રાજકીય રીતે પણ મોટું નુકસાન થયું છે. તેમણે સંકલ્પ જાહેર કર્યો હતો કે આગામી સમયમાં ગ્રામ પંચાયતના સરપંચથી લઈને દેશની સંસદ સુધી પાટીદારોની સંખ્યા બમણી કરવામાં આવશે. આ સાથે જ તેમણે સરકારને ચીમકી આપી હતી કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આર્થિક ધોરણે અનામત (EWS) લાગુ થવું જોઈએ. ​વરુણ પટેલે ગાંઠીલામાં ઓઝત નદી પર છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા બ્રિજના ધીમા કામને સમાજ માટે કલંકરૂપ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે માતાજીના ધામને વિકાસથી અળગો રાખવાની સાજિશ ચાલી રહી છે. આ વિકાસના કામો તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ સાથે તેમણે જાહેર કર્યું હતું કે આગામી 30 દિવસમાં જૂનાગઢ ખાતે એક જંગી સભા અને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે, જે સૌરાષ્ટ્રના ઈતિહાસમાં એક નવો વળાંક આપશે. ​શિબિરમાં મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ યુવા પેઢીને જાગૃત કરતા જણાવ્યું હતું કે, યુવાનોએ જુગાર, દારૂ અને ડિજિટલ ગેમિંગ જેવા દૂષણોથી દૂર રહેવું જોઈએ. તેમણે વ્યાજખોરીના રાક્ષસ સામે લડત ચલાવી અનેક પાટીદાર યુવાનોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે અને તેમની ગિરવે મુકેલી જમીનો પરત અપાવી છે. તેમણે સમાજને વ્યાજમાફિયાઓ સામે સંગઠિત થઈને લડવા આહવાન કર્યું હતું. ​ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ-ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ શિબિરના હેતુ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ચિંતન બેઠક સમાજની એકતા અને વિકાસ માટે છે. ખાસ કરીને ભાગેડુ લગ્નપ્રથા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની માંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારે આ અંગે જે વચન આપ્યું હતું તે વહેલી તકે પૂરું કરે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. આ ઉપરાંત ગાંઠીલા સોનારડી રોડનું કામ શરૂ કરવા અને અહીં રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારમાં ટૂંક સમયમાં રજૂઆત કરવામાં આવશે. ​ચિંતન શિબિરમાં EWS યોજનાના લાભો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ મળે તે દિશામાં કામ કરવાની ખાતરી આપવામાં આવી હતી. સમાજમાં રાજકીય જાગૃતિ આવે અને સંગઠન વધુ મજબૂત બને તે માટે યુવાનોને આગેવાનોના આદેશને ઝીલી લેવા અપીલ કરવામાં આવી હતી. રાજકીય પ્રતિનિધિત્વ વધારવા માટે આગામી સમયમાં રણનીતિ ઘડવામાં આવશે. ​જ્યારે પત્રકારોએ આ બેઠકને ચૂંટણી પહેલાનું શક્તિ પ્રદર્શન ગણાવવા અંગે સવાલ કર્યો, ત્યારે વરુણ પટેલે જણાવ્યું કે આ માત્ર અપેક્ષિત આગેવાનોની આયોજનલક્ષી બેઠક હતી. સાચું શક્તિ પ્રદર્શન તો આગામી 30 દિવસમાં જૂનાગઢની ધરતી પર યોજાનારી જંગી રેલીમાં જોવા મળશે. આ ચિંતન શિબિરને સફળ બનાવવા માટે ગાંઠીલા મંદિરની યુવા સમિતિના અધ્યક્ષ વિનસ હદવાણી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ​સમગ્ર શિબિર દરમિયાન 'જય ઉમિયા'ના નાદ સાથે પાટીદાર સમાજે પોતાની માંગણીઓ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચિંતન શિબિરથી સ્પષ્ટ સંકેત મળ્યો છે કે પાટીદાર સમાજ હવે સામાજિક પ્રશ્નોની સાથે રાજકીય ભાગીદારી માટે પણ આક્રમક મૂડમાં છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 9:22 pm

વાપીમાં પહેલી વખત 'હલ્દી-કુમકુમ' કાર્યક્રમ યોજાયો:વિધવા અને વીર નારીઓનું સન્માન કરી નવી પરંપરાનો પ્રારંભ

વાપીના ચણોદ વિસ્તારમાં સંજય શિંદે અને શ્રીદેવી શિંદે પરિવાર દ્વારા એક અનોખા 'હલ્દી-કુમકુમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂરતો સીમિત મનાતો આ તહેવાર, આ વખતે વિધવા બહેનો અને 'વીર નારીઓ'નું સન્માન કરીને એક નવી પરંપરાનો પ્રારંભ કરાયો. રવિવારે વાપી GIDC સ્થિત કચ્છી ભાનુશાલી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળ્યો. ટ્રેડિશનલ લૂકમાં સજ્જ અંદાજે 800થી વધુ મહિલાઓએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્રમાં મકર સંક્રાંતિ બાદ રથસપ્તમી સુધી હલ્દી-કુમકુમનું વિશેષ મહત્વ હોય છે, જે અંતર્ગત આ ભવ્ય આયોજન કરાયું. કાર્યક્રમના આયોજક અને અશ્વિની તાઈ રાણેએ જણાવ્યું હતું કે, 'અમે એક નવી વિચારધારા સાથે આ પહેલ કરી છે. સમાજમાં એવી માન્યતા છે કે હલ્દી-કુમકુમ માત્ર સુહાગન મહિલાઓ જ કરી શકે. પરંતુ અમારું માનવું છે કે ભલે પતિ સાથે ન હોય, પણ સ્ત્રીના જીવનમાં અને તેના દસ્તાવેજોમાં પતિનું નામ કાયમ રહે છે. તો તેમને આ ખુશીના અવસરથી વંચિત કેમ રાખવા?' તેમણે ઉમેર્યું કે, 'અમે પેરામિલિટ્રીની વીર નારીઓ અને અન્ય બહેનોનું સન્માન કરીને સમાજને એક નવો સંદેશ આપવા માંગીએ છીએ.' આ પ્રસંગે અખિલ ભારતીય મહિલા ગુજરાત રાજ્ય પ્રમુખ (NCP) નિશા પ્રજાપતિ, શૌર્ય રક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર અશ્વિની તાઈ રાણે સહિત અનેક સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ મહિલાઓ માટે રમત-ગમત, ગિફ્ટ વિતરણ અને નૃત્યના કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉપસ્થિત મહિલાઓએ આ પહેલને બિરદાવતા કહ્યું હતું કે, આવા કાર્યક્રમોથી સ્ત્રીઓને સમાજમાં સમાન સન્માન અને નવી ઓળખ મળે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:57 pm

ખેતીમાં નુકસાનના કારણે ખેડૂતનો આપઘાત.:​મગફળી બાદ ચણાનો પાક નિષ્ફળ જવાની ભીતિમાં ખેડૂતે જીવન ટૂંકાવ્યું: 15 દિવસથી ઊંઘ ઉડી ગઈ હતી, વંથલીના નવાગામમાં ભાગીદારે ઝેરી દવા પીધી.

​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવાગામમાં ખેતીમાં સતત નુકસાન અને આર્થિક ચિંતાના કારણે એક ખેડૂતે આત્મહત્યા કરી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 65 વર્ષીય નાથાભાઈ અરભમભાઈ વાઢેરે પાક નિષ્ફળ જવાના ડર અને માનસિક તણાવમાં આવી ગઈકાલે રાત્રે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે વંથલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ​નવાગામના પ્રતાપભાઈ વિસાણાના ખેતરમાં ભાગીદાર તરીકે કામ કરતા નાથાભાઈ વાઢેર મૂળ માંગરોળ તાલુકાના મેખડી ગામના વતની હતા. પ્રતાપભાઈએ જણાવ્યું હતું કે નાથાભાઈ છેલ્લા 15 દિવસથી ખૂબ જ ચિંતિત અને તણાવમાં રહેતા હતા. ચોમાસા દરમિયાન તેમનો મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. મગફળીની નિષ્ફળતા બાદ તેમણે પોતાના વતન મેખડીમાં આવેલી 12.5 વીઘા જમીનમાં ચણાનો પાક વાવ્યો હતો, પરંતુ તે શિયાળુ પાક પણ નિષ્ફળ જવાની તૈયારીમાં હોવાથી તેઓ સતત ચિંતાતુર રહેતા હતા. ​પાક નિષ્ફળ જવાના ડર અને આર્થિક મુશ્કેલીઓના કારણે નાથાભાઈ છેલ્લા 15 દિવસથી ઊંઘી શકતા નહોતા. તેઓ વારંવાર ખેતીમાં થતા નુકસાન બાબતે ફરિયાદ કરતા હતા. પ્રતાપભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે મગફળીનો પાક નિષ્ફળ ગયો ત્યારે સરકારના સર્વે મુજબ મળેલી સહાયમાંથી નાથાભાઈના ભાગની રકમ તેમને ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં, પાક નિષ્ફળ જવાથી થયેલા મોટા આર્થિક આઘાતને તેઓ જીરવી શક્યા નહીં અને અંતે 30 જાન્યુઆરીના રોજ રાત્રે 23:30 કલાકની આસપાસ સેલફોસની ટીકડીઓ ગળી જઈ આ આત્મઘાતી પગલું ભર્યું હતું. ​આ ઘટના અંગે 31 જાન્યુઆરીના પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના પુત્ર પ્રતાપભાઈ નાથાભાઈ વાઢેરે આ અંગે પોલીસમાં નિવેદન આપ્યું છે. વંથલી પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેતીમાં નુકસાનને કારણે ખેડૂતના આ આકસ્મિક નિધનથી સ્થાનિક પંથકમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:46 pm

સુરત એરપોર્ટ પર સૈફ-કરીનાએ જમાવ્યું આકર્ષણ:ISPL મેચ જોવા 'પટોડી કિંગ' પત્ની-બાળકો સાથે આવ્યા, એરપોર્ટ પર ફેન્સનો ભારે જમાવડો

ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં આજે બોલિવૂડના 'નવાબ' સૈફ અલી ખાન અને 'બેબો' કરીના કપૂર ખાનના આગમનથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુંબઈથી પોતાના પરિવાર સાથે ખાસ સુરત પહોંચેલા આ સ્ટાર કપલનું સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકોની ભીડસૈફ અને કરીના જેવા દિગ્ગજ કલાકારો સુરત આવી રહ્યા હોવાની જાણ થતા જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ સ્ટાર પરિવાર એરપોર્ટથી સીધો જ કાર્યક્રમ સ્થળ તરફ રવાના થયો હતો. ટીમ 'કોલકતા ટાઈગર' ને સપોર્ટ કરવા પરિવાર સાથે હાજરી આપીસુરતના જાણીતા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આજે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) અંતર્ગત એક રોમાંચક મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ કોલકતા ટાઈગર્સ વિરુદ્ધ અમદાવાદ વચ્ચે રમાઈ રહી હતી. સૈફ અલી ખાન અને કરીના કપૂર તેમની ટીમ 'કોલકતા ટાઈગર' ને પ્રોત્સાહન આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ દરમિયાન સૈફ અને કરીના સ્ટેન્ડમાં બેસીને મેચનો આનંદ માણતા અને ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. તેમની સાથે તેમનો પરિવાર પણ હાજર રહ્યો હતો, જેણે પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જગાવ્યું હતું. સ્ટાર કપલની હાજરીથી ચાહકોનો જોશ બમણો થઈ ગયો સુરતમાં રમાઈ રહેલી ISPL મેચોને કારણે શહેરના રમતગમતના વાતાવરણમાં બોલિવૂડનો ગ્લેમર ઉમેરાયો છે. સૈફ-કરીનાની હાજરીથી સ્ટેડિયમમાં બેઠેલા હજારો ચાહકોનો જોશ બમણો થઈ ગયો હતો. મેચ દરમિયાન જ્યારે પણ કોલકતાની ટીમ ચોગ્ગા-છગ્ગા ફટકારતી ત્યારે આ સ્ટાર કપલ પણ ઉભા થઈને ટીમને ચીયર કરતું નજરે પડ્યું હતું. સુરત હવે માત્ર વેપાર માટે જ નહીં પરંતુ, આવા મોટા સ્પોર્ટ્સ અને બોલિવૂડ ઇવેન્ટ્સ માટે પણ મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:34 pm

બજેટ પર SP યુનિ.ના પ્રો. ડો. સોનલ ભટ્ટની પ્રતિક્રિયા:બજેટ 'રિયલ ઇકોનોમી' પર ભાર, બજારમાં સટ્ટાખોરી પર લગામ લગાડનાર ગણાવ્યું

કેન્દ્રીય બજેટની આણંદના શૈક્ષણિક અને ઔદ્યોગિક વર્તુળોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. સોનલ ભટ્ટે આ બજેટને 'રિયલ ઇકોનોમી' તરફ લઈ જનારું ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બજેટ લ્હાણી કરવાને બદલે માળખાગત સુવિધાઓ અને રોજગારી નિર્માણ પર કેન્દ્રિત છે. બજેટમાં ટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવ્યો છે, પરંતુ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં વધારો કરીને નાણામંત્રીએ જોખમી સટ્ટાખોરી પર લગામ કસી છે. પ્રો. ભટ્ટના મતે, શેરબજારમાં ફ્યુચર અને ઓપ્શન (FO) ટ્રેડિંગ કરનારા વર્ગને હવે વધુ ટેક્સ ચૂકવવો પડશે. આની સીધી અસર આણંદના એવા યુવાનો પર પડશે જેઓ ઝડપી નફો મેળવવા સટ્ટાકીય સોદા કરે છે. સરકારનો ઉદ્દેશ્ય નાણાંના પ્રવાહને જોખમી સટ્ટાથી હટાવી લાંબા ગાળાના સુરક્ષિત રોકાણ તરફ વાળવાનો છે. આણંદ-વિદ્યાનગર જેવા શૈક્ષણિક ધામ માટે પણ બજેટ આશાસ્પદ છે. સંતાનોના ઉચ્ચ શિક્ષણ માટે લોન લેનાર મધ્યમ વર્ગના પરિવારોને ટેક્સમાં વધુ રાહત મળશે, જ્યારે કરદાતાઓ માટે ITR પ્રક્રિયા સરળ બનશે. ફાર્મા ક્ષેત્રે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાનો અને ₹40,000 કરોડના સેમી-કંડક્ટર મિશનથી ચરોતરના એન્જિનિયરિંગ અને ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે સંશોધન અને નોકરીની નવી ક્ષિતિજો ખુલશે. MSME એકમો માટે ₹10,000 કરોડનું ભંડોળ જાહેર કરાયું છે, જેનાથી દેશભરના તેમજ આણંદ-વિઠ્ઠલ ઉદ્યોગનગરના એકમોને વેગ મળશે. રમતગમતના સાધનો અને ટેક્સ્ટાઇલ પાર્કની ફાળવણી સ્થાનિક ઉત્પાદકોને નવી ઊર્જા આપશે. કાચા માલની આયાત પર કસ્ટમ ડ્યૂટી ઘટતા ઉત્પાદન ખર્ચ ઘટશે અને 'આત્મનિર્ભર ભારત' હેઠળ સ્થાનિક રોજગારી વધશે. પૂર્વથી પશ્ચિમ સુધીનો નવો ફ્રેઇટ કોરિડોર આણંદની ડેરી અને મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો માટે પરિવહન સસ્તું અને ઝડપી બનાવશે. શિક્ષણ અને પ્રવાસનને જોડતા પ્રોફેસરે નોંધ્યું કે, ઇન્ડિયન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સંસ્થાની શાખાઓનો કાયાકલ્પ અને નવા યુનિવર્સિટી નગરોથી સર્વિસ સેક્ટરમાં નોકરીઓ ઉભી થશે. ખાસ કરીને સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએટર્સ માટે તાલીમ સંસ્થાનની જાહેરાત આજના ડિજિટલ યુવાનો માટે કારકિર્દીનો નવો માર્ગ ખોલશે. ચરોતરના ખેડૂતોને બાગાયતી ખેતી તરફ વળવા પ્રોત્સાહન અપાયું છે. ખંભાત જેવા દરિયાકાંઠાના માછીમારો માટે ઓફ-શોર ઉપજને કસ્ટમ વેરામાંથી મુક્તિ આપવી એ ક્રાંતિકારી પગલું છે. આનાથી મત્સ્ય ઉદ્યોગની નિકાસ વધશે. આમ, આ બજેટ ફાઇનાન્સિયલ ઇકોનોમીથી ફોકસ હટાવી ખેતી, ઉદ્યોગ અને શિક્ષણ જેવી ‘રિયલ ઇકોનોમી’ને મજબૂત કરનારું સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:31 pm

23 ગુનામાં સંડોવાયેલો ખેર ચોર ટ્રક સાથે ઝડપાયો.:વલસાડ વન વિભાગની કાર્યવાહી, કોર્ટે જેલ હવાલે કર્યો

વલસાડ વન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વન સંપદાની ચોરી સામે કડક કાર્યવાહી કરી છે. વલસાડ ઉત્તર વન વિભાગે 23 વન ગુનાઓમાં સંડોવાયેલા એક રીઢા ગુનેગારને 16 ટન ખેરના લાકડા ભરેલા ટ્રક સાથે ઝડપી પાડ્યો છે. કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો છે. મુખ્ય વન સંરક્ષક ડૉ. બી. સુચિન્તાની સૂચના અને નાયબ વન સંરક્ષક શ્રી લોકેશ ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ, આરક્ષિત વૃક્ષોના ગેરકાયદેસર કટીંગ અને વેચાણને રોકવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમમાં મદદનીશ વન સંરક્ષક (ધરમપુર), ચીખલી RFO આર.સી. ગાવિત, વાંસદા પશ્ચિમ RFO સી.આર. પટેલ અને પંગારીબારી RFO એચ.એસ. પટેલનો સમાવેશ થતો હતો. બાતમીના આધારે ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન, અર્જુનભાઈ નીછાભાઈ પટેલ (રહે. ગોડથલ, પટેલ ફળિયું) ને ટ્રક નંબર GJ-15 AX-0644 સાથે આંતરવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે કપાયેલા અને ઘડતર કરેલા 754 નંગ ખેરના લાકડા મળી આવ્યા હતા, જેનું વજન આશરે 16 ટન અને ઘન મીટર 11.757 હતું. વન વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અર્જુન પટેલ રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ 23 જેટલા વન ગુનાઓ નોંધાયેલા છે. વન વિભાગે જપ્ત કરેલા મુદ્દામાલ સાથે આરોપીને ચીખલીની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યો હતો. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને તેની જામીન અરજી નામંજૂર કરી દીધી. કોર્ટે આરોપીને 13 ફેબ્રુઆરી, 2026 સુધી નવસારી સબ જેલમાં કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. વન વિભાગની આ કડક કાર્યવાહીથી લાકડા ચોરી કરતા માફિયાઓમાં ભયનો માહોલ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:17 pm

મોરબીના પાનેલી ગામે યુવાનનું ઝેરી દવા પીવાથી મોત:વાડીએ દવા પીધા બાદ સારવાર દરમિયાન નીપજ્યું મૃત્યુ

મોરબીના પાનેલી ગામે એક યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાનેલી ગામના રહેવાસી પેથાભાઇ ભાણાભાઈ ચંદ્રેશાણીયા (ઉં.વ. 21) એ ગત તા. 29 જાન્યુઆરીના રોજ પોતાની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને તાત્કાલિક મોરબીની મંગલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તા. 31 જાન્યુઆરીની મોડી સાંજે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી છે. તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી. દેત્રોજા યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજી એક ઘટનામાં, મોરબીના સનાળા ગામેથી પોલીસે દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે ચાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મોરબી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સનાળા ગામે રહેતા મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડની 123 બોટલ દારૂ અને 63 બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 1,55,760 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. દરોડા દરમિયાન ઘરધણી મહાવીરસિંહ ધીરુભાઈ ઝાલા તેમજ રાજકોટના હરેશભાઈ નરસીભાઈ દેવાયતકા, સનાળાના સાગર ઉર્ફે લાલો નારણભાઈ ચાવડા અને ભચાઉના નારણભાઈ આહિર હાજર ન હતા. મોરબી એ-ડિવિઝન પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડવા માટે વધુ તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:14 pm

ટંકારા સર્વિસ સ્ટેશનમાં વાહન સર્વિસ મુદ્દે તોડફોડ:માલિકે એક શખ્સ સામે ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી

ટંકારા-રાજકોટ હાઈવે પર આવેલા દ્વારકાધીશ સર્વિસ સ્ટેશનમાં વાહન સર્વિસ કરાવવા બાબતે બોલાચાલી થઈ હતી. આ ઘટનામાં સર્વિસ સ્ટેશનના કર્મચારીઓ સાથે ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, તેમજ તોડફોડ પણ કરવામાં આવી હતી. સર્વિસ સ્ટેશનના માલિક આરીફભાઈ આસમભાઈ અબરાણી (ઉં.વ. 35, રહે. ટંકારા, મોરબી નાકા પાસે) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાસમભાઈ ઇબ્રાહીમભાઇ અમરોણીયા (રહે. ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપીએ સર્વિસ સ્ટેશનમાં રાખેલી નળી, ડોલ, ઇલેક્ટ્રિક બોર્ડ જેવી ચીજવસ્તુઓમાં તોડફોડ કરી હતી અને શટરમાં લોખંડના પાઇપ મારીને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસે આ ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, ટંકારામાંથી એક સગીરાના અપહરણનો પણ બનાવ સામે આવ્યો છે. સગીરાની માતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે જય બાલાજી પોલિપેક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રચનાબાઈ હરીસિંહ આહિરવાર (ઉં.વ. 34) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં સુનિલ મોતીલાલ મહતો (રહે. બિહાર) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી તેમની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી-ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા અને સગીરાને શોધી કાઢવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:13 pm

ગોધરા-વડોદરા હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ:બાસ્કા નજીક પ્લાસ્ટિક દાણા ભરેલી ટ્રક બળીને ખાખ, વાહનવ્યવહાર બંધ

ગોધરા-વડોદરા હાઇવે પર બાસ્કા ગામ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પ્લાસ્ટિકના દાણા ભરીને જઈ રહેલી એક ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગરમીના કારણે પ્લાસ્ટિક ઓગળીને રોડ પર ફેલાવા લાગ્યું હતું, જેના પરિણામે હાઇવે પર દૂર-દૂર સુધી આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી. આ દ્રશ્યો જોઈને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. આગની જ્વાળાઓ રોડ પર ફેલાયેલી હોવાથી સાવચેતીના ભાગરૂપે ગોધરા-વડોદરા હાઇવેનો એક તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ વડોદરા અને હાલોલ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના યુદ્ધના ધોરણે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, ટ્રક અને તેમાં રહેલો માલસામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:12 pm

મોરબી સિરામિક ઉદ્યોગને બજેટથી સીધો ફાયદો નહીં:આવાસ યોજનાથી આડકતરો લાભ, GST-વેટ માંગણીઓ અવગણાઈ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ 2026-27ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો નહીં થાય, પરંતુ આડકતરો લાભ મળવાની આશા છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાએ આ અંગે માહિતી આપી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા સંસદમાં રજૂ કરાયેલા બજેટમાં મોરબીના સિરામિક ઉદ્યોગની મુખ્ય માંગણીઓ ધ્યાને લેવાઈ નથી. ઉદ્યોગકારો સિરામિક ઉત્પાદનો પર લાગતા 18% GST ઘટાડવાની અને નેચરલ ગેસ પર લાગતા 6% વેટને GST હેઠળ લાવવાની માંગ કરી રહ્યા હતા, જે સંતોષાઈ નથી. આથી, ઉદ્યોગને સીધો નાણાકીય લાભ નહીં મળે. જોકે, બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી વર્ષમાં 2 કરોડ નવા મકાનો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ મકાનોમાં મોરબીના સિરામિક ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત ટાઇલ્સ અને સેનેટરી પ્રોડક્ટ્સનો ઉપયોગ થશે, જેનાથી ઉદ્યોગને આડકતરો ફાયદો થશે. આ ઉપરાંત, MSME (માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ) સેક્ટર માટે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનો લાભ મોરબીના ઉદ્યોગકારોને પણ મળશે. આમ, મનોજભાઈ એરવાડિયાના મતે, કેન્દ્ર સરકારના આ બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને પરોક્ષ રીતે ફાયદો થવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:10 pm

મંદિરની ચોરી મુદ્દે પોલીસે વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ:મહીસાગરના બાલાસિનોરની ઘટના બાદ ભાજપના 2 MLA દોડી ગયા, બાળકે આપવીતી કહી, માતા-પિતાએ ન્યાય માંગ્યો

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા પોલીસ હાલ ચર્ચામાં છે. ચોરીની આશંકા હેઠળ પૂછપરછ માટે બોલાવાયેલા ધોરણ 9ના એક વિદ્યાર્થીને પોલીસે શારીરિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને બાળ અધિકારોના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહીની માગ ઉઠી છે. સમગ્ર મામલે બાયડના ધારાસભ્ય ધવલ ઝાલા અને બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાળકના ઘરે દોડી ગયા હતા. જ્યાં બંનેએ એસપી સાથે ફોન પર વાત કરી હતી અને કાર્યવાહીની માગ કરી હતી. ત્યારે મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. જિલ્લા પોલીસ વડાએ આ બનાવની તપાસ ST/SC સેલના DySP જી.એલ. ચૌધરીને સોંપી છે. સમગ્ર મામલો શું છે?સ્થાનિક લીંબચ માતાના મંદિરે થયેલી ચોરીના સંદર્ભમાં પોલીસ દ્વારા આ સગીરની અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીના પિતાના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર મંદિરે સાફ-સફાઈની સેવા આપવા જતો હતો. માત્ર શંકાના આધારે પોલીસ તેને સ્ટેશન લઈ ગઈ હતી અને નિર્મમ રીતે માર માર્યો હતો, જેના કારણે તેને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. વિદ્યાર્થીએ આપવીતી કહીભોગ બનનાર વિદ્યાર્થીએ પોલીસ સ્ટેશનના અનુભવ અંગે જણાવ્યું હતું કે, સાંજે આશરે 4થી 5 વાગ્યાના સુમારે મને પીઆઈની ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં એક મહિલા પોલીસ કર્મચારી પણ હાજર હતા. મેં ચોરી કરી હોવાનો દબાણપૂર્વક સ્વીકાર કરાવવા માટે મને બીજા રૂમમાં લઈ જઈ લાકડી અને પટ્ટાથી બેરહેમ માર માર્યો હતો. વિદ્યાર્થીએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે મેં ચોરી ન કરી હોવાનું વારંવાર જણાવ્યું, ત્યારે મને પગ લાંબા કરાવીને મારવામાં આવ્યો. પોલીસે મને ધમકી આપી હતી કે આ તો માત્ર 'ટ્રેલર' છે, હજી 40 જેટલા પોલીસકર્મીઓ આવશે અને આખી રાત માર મારશે. જો ગુનો કબૂલ નહીં કરે તો રિમાન્ડ પર લેવાની પણ બીક બતાવી હતી. પરિવારની ન્યાયની માગવિદ્યાર્થીના પિતાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પૂછપરછના નામે સગીર બાળક પર થતો આ પ્રકારનો શારીરિક અત્યાચાર અસહ્ય છે. બાળકના હાથે અને પગે ગંભીર ઈજાઓ થઈ છે અને ચામડી પણ નીકળી ગઈ છે. તેમણે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ મામલે તપાસ કરી ન્યાય અપાવવાની આજીજી કરી છે. પોલીસ સ્ટેશનમાં 'રિમાન્ડ રૂમ' ધવલ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર શંકાના આધારે 14 વર્ષના બાળકને એટલી હદે મારવામાં આવ્યો છે કે તે અત્યારે ચાલી પણ શકતો નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનની બાજુમાં જ એક અલગ ઓફિસ (રિમાન્ડ રૂમ અથવા વહીવટી રૂમ) બનાવવામાં આવી છે, જ્યાં આવી અમાનવીય પ્રવૃતિઓ આચરવામાં આવે છે. ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા પરિવારને ધમકાવવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. PIને સસ્પેન્ડ કરવાની માગધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને જિલ્લા SPની કામગીરીની પ્રશંસા કરવાની સાથે PI કક્ષાના અધિકારી દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે જણાવ્યું કે, એક ધારાસભ્ય તરીકે મેં પોલીસને સ્થળ પર બોલાવી હોવા છતાં કલાકો સુધી કોઈ આવ્યું નથી, જે પોલીસની મનમાની દર્શાવે છે. જો આ PIને તાત્કાલિક ધોરણ પર સસ્પેન્ડ કરવામાં નહીં આવે, તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે. ન્યાય માટે SP પાસે આશાપીડિત પરિવાર હવે કોઈ અરજી આપવાને બદલે સીધી ફરિયાદ દાખલ કરવાની માગ કરી રહ્યો છે. ધારાસભ્યોએ મહીસાગર SP પાસે આશા વ્યક્ત કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ચીમકી ઉચ્ચારી છે કે ગરીબ પરિવારને ન્યાય અપાવવા માટે તેઓ મક્કમ છે અને બાળક પર કોઈ પણ પ્રકારનું માનસિક કે શારીરિક ટોર્ચરિંગ સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:06 pm

પીપલોદ બાયપાસ પાસે ટ્રકે કારને પાછળથી ફંગોળી:એક જ પરિવારના 5 સભ્યો ઈજાગ્રસ્ત, વૃદ્ધા ગંભીર હાલતમાં વડોદરા રિફર

ગોધરાના પીપલોદ બાયપાસ પર ભથવાડા ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલા પટેલ પરિવારની કારને એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 10 મહિનાની બાળકી સહિત એક જ પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પટેલ પરિવાર લુણાવાડા ખાતેથી લગ્ન પ્રસંગ પતાવીને લીમખેડા સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પીપલોદ બાયપાસ પર પાછળથી પૂરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 65 વર્ષીય માણેકબેન પટેલનો સમાવેશ થાય છે, જેમની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. કાર ચાલક હિતેશભાઈ પટેલ (38 વર્ષ) અને રિંકુબેન પટેલ (38 વર્ષ)ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઉપરાંત, 12 વર્ષીય હીર પટેલ અને 10 મહિનાની પહલ પટેલને પણ નાની-મોટી ઈજાઓ થઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:05 pm

મંત્રી મોઢવાડીયાએ ધ્રોલ, જોડિયા ST પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું:રૂ.11.98 કરોડના ખર્ચે ડેપો વર્કશોપ, બસ સ્ટેશન બનશે

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ધ્રોલ અને જોડિયા ખાતે નવા એસ.ટી. પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરાયું. ધ્રોલ ખાતે રૂ. 6.63 કરોડના ખર્ચે આધુનિક એસ.ટી. ડેપો વર્કશોપ બનશે, જ્યારે જોડિયામાં રૂ. 5.35 કરોડના ખર્ચે નવીન એસ.ટી. બસ સ્ટેશન આકાર પામશે. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ તથા મેઘજીભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, એસ.ટી. વિભાગ કોઈ પણ કમાણીની અપેક્ષા વગર નાગરિકો માટે સલામત મુસાફરીનું સબળ માધ્યમ બન્યું છે. આ નવીન પ્રકલ્પોના નિર્માણથી નાગરિકોની સુખકારીમાં વૃદ્ધિ થશે અને પરિવહનના નવા રૂટ ઉપલબ્ધ બનશે. તેમણે ઉમેર્યું કે, એક સમયે ખખડધજ સ્થિતિમાં રહેલ એસ.ટી. નિગમે આજે કાયાપલટ કરી છે. આજે એ.સી., વોલ્વો અને સ્લીપર કોચ જેવી સુવિધાઓથી એસ.ટી. વધુ લોકભોગ્ય બની છે. સરકારના દ્રષ્ટિકોણને કારણે મહાનગરોના બસ સ્ટેશનો આજે એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ ધરાવતા થયા છે. વિદ્યાર્થી અને દિવ્યાંગ પાસ જેવી યોજનાઓ લાખો લોકોને સહાયરૂપ બની રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાએ સરકારની વિકાસલક્ષી કટિબદ્ધતાને બિરદાવી હતી. તેમણે લોકોને આ જાહેર મિલકતોની જાળવણી કરવા પણ અનુરોધ કર્યો હતો. જામનગર એસ.ટી. વિભાગના ધ્રોલ મુકામે નિર્માણ પામનાર આધુનિક ડેપો-વર્કશોપ માટે કુલ 34,239.34 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. 6.63 કરોડ થશે. આ વર્કશોપ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતું હશે, જેમાં કુલ 1547.82 ચો.મી. માં બાંધકામ કરવામાં આવશે. આ નવીન ડેપોમાં વહીવટી અને ટેકનિકલ એમ બંને પ્રકારની સવલતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં ડેપો મેનેજરની ઓફિસ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, તેમજ સ્પેરપાર્ટ્સ માટે ટાયર, બેટરી, ઓઈલ અને ઈલેક્ટ્રિક માટે અલગ રૂમોની વ્યવસ્થા છે. બસોના મેઈન્ટેનન્સ માટે બે લોન્ગ પીટ અને એક યુ પીટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રાઉન્ડ ફ્લોર પર વોટર રૂમ અને આશરે 3986.35 ચો.મી. વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળ પર કર્મચારીઓ માટે વર્કર રૂમ, રેકોર્ડ રૂમ અને મહિલાઓ માટે ટોઈલેટની સુવિધા સાથેનો લેડીઝ રેસ્ટ રૂમ પણ બનાવવામાં આવશે. જોડીયા એસ.ટી.બસ સ્ટેશનની સવલતો​રાજ્ય સરકાર દ્વારા જામનગર એસ.ટી. વિભાગના જોડીયા મુકામે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર ધરાવતા એક આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કુલ 4000.00 ચો.મી. જમીન ફાળવવામાં આવી છે અને તેની કુલ અંદાજિત કિંમત રૂ. 535.00 લાખ (5.35 કરોડ)જેટલી થશે. આ બસ સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ 540.00 ચો.મી. માં બાંધકામ થશે, જેમાં મુસાફરોની સુવિધા માટે 5 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ​મુસાફરોની સગવડ માટે અહીં 162.75 ચો.મી.નો વિશાળ વેઈટીંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ અને 4 વિવિધ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. વહીવટી જરૂરિયાતો માટે કંટ્રોલર રૂમ, ઈલેક્ટ્રિક રૂમ અને પાર્સલ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહિલા મુસાફરો માટે અલગ લેડીઝ રેસ્ટ રૂમ (ટોઈલેટ સહિત) તથા પુરુષ અને સ્ત્રી મુસાફરો માટે અલગ શૌચાલય બ્લોકની સુવિધા આપવામાં આવી છે. ડ્રાઈવર અને કંડક્ટર માટે પણ શૌચાલય સાથેનો અલગ રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. બસ સ્ટેશનના સરક્યુલેશન વિસ્તારમાં 2630.00 ચો.મી. માં સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે અને વિકલાંગ વ્યક્તિઓ માટે ખાસ પ્રકારના શૌચાલય તથા સ્લોપિંગ રેમ્પની સુવિધા પૂરી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:57 pm