અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. એક જ અઠવાડિયામાં હત્યાની 3 ઘટનાઓ સામે આવતા ફફડાટ ફેલાયો છે. વડીયાના બરવાળા બાવીશી ગામની સીમમાં મોડી રાત્રે ખેતમજૂરે પોતાના જ માલિકના પુત્રની ઘાતકી હત્યા કરી છે. ટ્રેક્ટરને ઉછાળી રીલ્સ બનાવવા મુદ્દે તેણે આરોપીને ટોક્યો હતો. મનદુખ રાખી તે બાઈક પર નીકળતાં આરોપીએ પાછળથી માથામાં લોખંડની પાઈપ મારી નીચે પાડ્યો હતો અને ત્યારબાદ ઉપરાછાપરી પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. એટલું જ નહીં, બાઈકની લૂંટ ચલાવી આરોપી ફરાર થઈ ગયો હતો. દીકરાના મોતથી પિતા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. પોતાના વહાલસોયાને ખોળામાં રાખીને પિતા નિશબ્દ થઈ ગયા હતા. ઠપકો આપતાં ખાર રીતે કૃત્યમૃતક કર્ણદેવ વાળા રાત્રિના સમયે પોતાના ખેતરે હાજર હતા. તે સમયે ત્યાં કામ કરતો ખેતમજૂર રવિ જેમાભાઈ કારોલીયા ખેતરમાં બેફામ રીતે ટ્રેક્ટર ચલાવી રહ્યો હતો. રવિ મોબાઈલમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાના ચક્કરમાં ટ્રેક્ટરને જોખમી રીતે કુદાવી રહ્યો હોવાથી કર્ણદેવે તેને આવું ન કરવા કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકાથી ઉશ્કેરાયેલા રવિએ મનમાં ખાર રાખ્યો હતો. રસ્તામાં આંતરી હુમલો કર્યોઠપકો આપ્યા બાદ કર્ણદેવ પોતાના બાઈક પર ખેતરથી ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન જાહેર રસ્તા પર આરોપી રવિએ પાછળથી આવી લોખંડની પાઈપ વડે હુમલો કરી કર્ણદેવને બાઈક પરથી નીચે પાડી દીધા હતા. આરોપીએ તને જીવતો નથી મૂકવો તેમ કહી ગાળો ભાંડી હતી અને માથાના ભાગે પથ્થરોના ઉપરાછાપરી ઘા મારી કર્ણદેવને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. હત્યા કર્યા બાદ આરોપી મૃતકનું બાઈક લૂંટીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ વડીયા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતકના પિતા અશોકભાઈએ રવિ જેમાભાઈ કારોલીયા વિરુદ્ધ હત્યા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યોસ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ વચ્ચે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયામાં હત્યાની આ 3જી ઘટના છે. લીલીયાના સનાળીયા ગામમાં 1 શખસની હત્યા. રાજુલાના ભાક્ષી ગામમાં યુવકની હત્યા. વડીયાના બરવાળા બાવીશીમાં યુવકની હત્યા. આ ઉપરાંત અમરેલી શહેરમાં પણ જાહેરમાં છરી વડે હુમલાની ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ ઠંડા કલેજે એક મોટો હાથ માર્યો છે. આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી તસ્કરો અંદાજે 50 લાખથી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, સાયબર ફ્રોડના વધતા કિસ્સાઓથી ડરીને વેપારીએ બેંક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યા હતા જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે. ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેંકિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત નથી તેવી ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણી જેવી કે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ બેંક લોકરમાંથી ઉપાડી લીધી હતી. બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી ને શંકા ગઈઆ કિંમતી સામાન ઘરમાં જ સુરક્ષિત રહેશે તેમ માનીને તેઓ માર્ચ મહિનામાં ફરી આફ્રિકા પરત ફર્યા હતા. આ બંધ ઘરની સંભાળ રાખવા માટે પરેશભાઈના બહેન સમયાંતરે આવતા હોય છે. આજે જ્યારે તેઓ મકાન પર તપાસ માટે આવ્યા ત્યારે ઘરની પાછળની બારીની ગ્રિલ તૂટેલી હાલતમાં મળી આવી હતી. સમગ્ર વિસ્તારમાં ચોરીથી ફફડાટબાદમાં અંદર જઈને જોતા રૂમમાં રહેલી તિજોરીના તાળા તૂટેલા હતા અને તમામ કિંમતી ચીજવસ્તુઓ ગાયબ હતી. 50 લાખથી વધુની માતબર રકમ અને દાગીનાની ચોરી થઈ હોવાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ ઘટનાની જાણકારી મળતા જ સેક્ટર-7 પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોએ જે રીતે ચોરીને અંજામ આપ્યો છે તે જોતા કોઈ જાણભેદુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને ડોગ સ્ક્વોર્ડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
6 વર્ષથી નાસતો ફરતો કેદી ઝડપાયો:અમદાવાદ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર હતો
રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા એક કેદીને ઝડપી પાડ્યો છે. આ કેદી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતો. ઝડપાયેલા કેદીનું નામ અમનખાન રહીમખાન પઠાણ છે. તેને સુરેન્દ્રનગરની નુરેમહમદી સોસાયટી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને અમદાવાદ મધ્યસ્થ જેલને સોંપી દેવામાં આવ્યો છે.
સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં એક ઓપરેશન પાર પાડીને લોખંડના સળિયાની ચોરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડિંડોલીની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેના રોડ પરથી પોલીસે 59,910 કિલોગ્રામ (અંદાજે 60 ટન) લોખંડના TMT સળિયા સાથે ચાર રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે સળિયા, ટ્રેલર અને ફોર-વ્હીલર ગાડી સહિત કુલ રૂ. 71,52,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર સહિત સ્થાનિક મજૂરી કામ કરતા શખ્સોનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓની વિગત અને પ્રોફાઈલSOG દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે ઘટનાસ્થળેથી ચાર શખ્સોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં (1) ભેરારામ રેખારામ જાખડ (રહે. બાડમેર, રાજસ્થાન- ટ્રક ડ્રાઈવર), (2) નીંબારામ બાબુલાલ જાખડ (રહે. બાડમેર, રાજસ્થાન- ટ્રક ક્લીનર) (3) પ્રદિપ સદાબ્રિજ ત્રીપાઠી (રહે. ડિંડોલી, મૂળ ઉત્તર પ્રદેશ) અને (4) પ્રદિપ કિશનલાલ શર્મા (રહે. ડિંડોલી, મૂળ રાજસ્થાન)નો સમાવેશ થાય છે. આ આરોપીઓ સંગઠિત થઈને બાંધકામના સળિયાની ચોરી કરી તેને બજારમાં વટાવવાનું કામ કરતા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતપોલીસે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તે આ નેટવર્કની ગંભીરતા દર્શાવે છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 32.95 લાખની કિંમતના 59,910 કિલો લોખંડના સળિયા, રૂ. 33 લાખનું ટ્રેલર (નંબર GJ-39-T-3987), રૂ. 5 લાખની ફોર-વ્હીલર કાર (નંબર GJ-05-RY-9234), ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમનો સમાવેશ થાય છે. આટલી મોટી માત્રામાં સળિયા ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કોને વેચવાના હતા તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. કેવી રીતે થતી હતી ચોરી?ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આ એક સુનિયોજિત ષડયંત્ર હતું. આરોપીઓ ટ્રક અને ટ્રેલર મારફતે આવતા સળિયાના જથ્થામાંથી બારોબાર સળિયા ચોરી કરી લેતા હતા. આ ચોરીમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોની પણ સંડોવણી હોવાની શંકા છે. આરોપીઓ ચોરીના સળિયાને સસ્તા ભાવે વેપારીઓ કે બિલ્ડરોને પધરાવી દેવાની ફિરાકમાં હતા, ત્યારે જ SOGએ લાઈવ રેડ કરીને તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. મુખ્ય સૂત્રધારો જીતુ અને રાજન તિવારી ફરારપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આખી ગેંગના મુખ્ય માસ્ટરમાઈન્ડ જીતુ અને રાજન તિવારી છે. આ બંને શખ્સો જ આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા અને માલના વેચાણની ગોઠવણ કરતા હતા. હાલમાં આ બંને આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેમની ધરપકડ બાદ સુરતના કયા કયા મોટા માથાઓ આ ચોરીનો માલ ખરીદતા હતા તે વિગતો બહાર આવવાની શક્યતા છે. ફરાર આરોપીઓ વિરુદ્ધ કલમ 370(4) હેઠળ કાર્યવાહીની તૈયારી ચાલી રહી છે. કાયદેસરની કાર્યવાહી અને કલમોનો ગાળિયોચારેય આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ વિરુદ્ધ કલમ 305(2) અને 370(2) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરાઈ છે. આ ગેંગનો કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ અને અગાઉ તેમણે કેટલી જગ્યાએ આ પ્રકારે સળિયાની ઉઠાંતરી કરી છે તે અંગે પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે. બિલ્ડરો અને વેપારીઓ રડારમાંઆ કેસમાં સૌથી મહત્ત્વનો વળાંક એ છે કે પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ચોરીનો આ માલ કોણ ખરીદતું હતું. પોલીસ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, તપાસ દરમિયાન જો કોઈ બિલ્ડર કે લોખંડનો વેપારી ચોરીનો માલ લેતા ઝડપાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતના અન્ય વિસ્તારોમાં પણ આ ગેંગ સક્રિય હોવાની આશંકાએ SOG એ અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો વ્યાપ વધાર્યો છે.
ભરૂચના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા GIDCમાં આજે ફરી એકવાર આગની ગંભીર ઘટના બની છે. અહીં આવેલી મેટ્રોપોલિટન એક્ઝીચેમ કંપનીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો હતો, જે બાદ જોતજોતામાં આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર સૂધી અવાજ સંભાળાયોભીષણ બ્લાસ્ટકંપનીના પ્લાન્ટમાં કોઈ કારણોસર પ્રચંડ ધડાકો થયો હતો, જેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો. ધુમાડાના ગોટેગોટાઆગ એટલી વિકરાળ છે કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઘણા કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. અફરાતફરીબ્લાસ્ટને પગલે કંપનીમાં કામ કરતા કામદારો અને આસપાસની કંપનીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. જીવ બચાવવા માટે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યા છીએ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. કચ્છ જિલ્લા તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ ગાંધીધામ મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભાવનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવાર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બોટાદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મોરબી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ મોરબી મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ 23 એપ્રિલ, વિશ્વ પુસ્તક દિન નિમિત્તે પુસ્તકોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જીવનમાં પુસ્તકો અવશ્ય વાંચવા જોઈએ, કારણ કે પુસ્તકો વાંચવાથી જ્ઞાન મળે છે અને જ્ઞાનથી જીવન જીવવાનો સાચો માર્ગ પ્રાપ્ત થાય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં ઉમેર્યું હતું કે પુસ્તકોના વાંચનથી નવા વિચારોનો જન્મ થાય છે. આ નવા વિચારો વ્યક્તિના જીવનને નવી દિશા આપે છે અને તેને વધુ સારી રીતે ઘડવામાં મદદરૂપ થાય છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના જીવનનું ઉદાહરણ આપ્યું. કલામ સાહેબ બાળપણમાં પુસ્તકો ખરીદી શકતા ન હોવાથી પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા હતા. આ રીતે તેમણે નવા વિચારો પ્રાપ્ત કર્યા અને પોતાના જીવનને સફળ બનાવ્યું. સાધુ પ્રેમવત્સલદાસજીએ સૌને પુસ્તકો અને ધર્મગ્રંથો વાંચવાની પ્રેરણા આપી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માત્ર વાંચન જ નહીં, પરંતુ વાંચેલી બાબતો પર વિચાર કરીને તેને વર્તમાન જીવનમાં અમલમાં મૂકવી પણ એટલી જ જરૂરી છે. તેમણે સૂચવ્યું કે જો કોઈ વ્યક્તિ પુસ્તકો વાંચતી ન હોય, તો આજથી દરરોજ ઓછામાં ઓછી ૧૦ મિનિટ પુસ્તક વાંચવાનો નિયમ લેવો જોઈએ. આ રીતે જ વિશ્વ પુસ્તક દિવસની સાચી અને સાર્થક ઉજવણી થઈ શકશે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2026 આગામી 26 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આચારસંહિતાના ચુસ્ત પાલન અને નાગરિકોની ફરિયાદોના ત્વરિત નિવારણ માટે એક ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નં. 1 થી 5 અને વોર્ડ નં. 10 થી 13 માં ચૂંટણીલક્ષી આચારસંહિતાના ભંગની ઘટનાઓ કે ચૂંટણી સંબંધિત અન્ય કોઈપણ ફરિયાદો માટે નાગરિકો અને ઉમેદવારો આ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકશે. આ કંટ્રોલ રૂમ સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. નાગરિકો પોતાની ફરિયાદ કે રજૂઆત નોંધાવવા માટે ટેલિફોન નંબર 02752-299461 પર સંપર્ક કરી શકે છે. ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થાય તે હેતુથી, સંબંધિત વોર્ડના મતદારો, હરીફ ઉમેદવારો અને જાગૃત નાગરિકોને જરૂર જણાયે આ સુવિધાનો ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સુરેન્દ્રનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
જામનગર શહેરની શાન ગણાતા લાખોટા તળાવમાં આજે સવારે ડૂબી જવાથી 2 બાળકોના અકાળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે અને સ્થાનિક વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સવારનો બનાવઆજે સવારે લખોટા તળાવમાં કોઈ ડૂબ્યું હોવાની આશંકા જતાં વિપુલ નામના જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સંદેશ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ ટીમને તળાવમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. મૃતક બાળકોની ઓળખ જેનીશ નંદા (ઉંમર: 12 વર્ષ) હર્ષિલ રાજેશભાઈ ડાંગર (ઉંમર: 10 વર્ષ) પોલીસ કાર્યવાહીફાયર વિભાગે બંને મૃતદેહોને બહાર કાઢી, સ્થળ પર હાજર પરિવારજનોની ઓળખ બાદ જામનગર સીટી 'A' ડિવિઝન પોલીસને સોંપ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસે બંનેના મૃતદેહોને જીજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. શોકનું મોજુંસામાન્ય રીતે રમવા ગયેલા 2 આશાસ્પદ બાળકોના મોતના સમાચાર મળતા જ પરિવારે ભારે આક્રંદ મચાવ્યો હતો. એકસાથે 2 માસૂમોના જીવ જવાથી સ્થાનિક લોકોમાં પણ ચિંતા અને ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. અમરેલી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામરાવલ નગરપાલિકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ગીર સોમનાથ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
અસહ્ય ગરમીમાં રેલી અને સભાઓમાં મોટી સંખ્યામાં લોકોને એકઠા કરવા અઘરું થઈ જતાં હવે ઉમેદવારોની વાત મતદારો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. મતદારોની સમસ્યાઓની રીલ બનાવી ભાજપ પર આકરા પ્રહાર કરી નાગરિકોને રિઝવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમાં પણ AIનો ટ્રેન્ડ ચૂંટણીમાં પણ જોવા મળ્યો છે. હવે તો સમજો, લઈ આવો પંજોના નારા સાથે AIનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં સત્તાપક્ષ પર કટાક્ષ કરી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે પાયાની સુવિધા સાથે ભ્રષ્ટાચારને મુદ્દો બનોવ્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રોડ-રસ્તા, પીવાના પાણી સહિતના મુદ્દો સૌથી મહત્વના હોય છે. જો કે કોંગ્રેસે તેની સાથે-સાથે ભ્રષ્ટાચારના મુદ્દાને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો બનાવી દીધી છે. કમલમ, કટકી અને કૌભાંડના સ્લોગન સાથે ભાજપને ઘેરવાનો અને મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કરવાના આવી રહ્યો છે. કોંગ્રસ આ બધા મુદ્દાઓને લઈને AI આધારિત વીડિયો બનાવી નાગરિકોના મત મેળવવા માટે સોશિયલ મીડિયા માધ્યમથી પ્રચાર શરૂ કર્યો છે. સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી નિશાનગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થીમસોંગ પણ બનાવ્યું છે, જેમાં હવે તો સમજો લઈ આવો પંજોના નારા સાથે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે સત્તાપક્ષ સામે માર્મિક ટકોર કરતી AI આધારિત અનેક વીડિયો અને મીમ્સ પણ બનાવ્યા છે. ખાડા, વરસાદી પાણી, નકલી પનીર, જર્જરિત બ્રિજ સહિત અનેક મુદ્દા પર AIનો ઉપયોગ કરીને વીડિયો બનાવવામાં આવ્યા છે. જેમાં રસ્તાઓ પર ખાડાના વર્ષો થયા, નળમાંથી ગંદા પાણીના વર્ષો થયા, ભ્રષ્ટાચારના વર્ષો થયા હોવાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરણી બોટકાંડ સહિતની ઘટનાનો ઉલ્લેખતેમજ રાજ્યમાં બનેલી તમામ મોટી દુર્ઘટનાને પણ કોંગ્રેસે ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે. હરણી બોટ દુર્ઘટના સહિત અનેક મોટી દુર્ઘટનાનો સમાવેશ કરી AI આધારિત વીડિયો બનાવ્યો છે. હરણીમાં ભાજપે કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરી અને એમના ભ્રષ્ટાચારે આપણા સંતાનોનો ભોગ લીધો હોવાનો કોંગ્રેસ દ્વારા AI આધારિત વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. હવે કોંગ્રેસ દ્વારા રેલી અને સભામાં બદલે AI આધારિત વીડિયો બનાવી સત્તાપક્ષ પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. જો કે હવે AI આધારિત વીડિયોથી કોંગ્રેસને ચૂંટણીમાં કેટલો ફાયદો થાય તે જોવાનું રહેશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પોરબંદર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ પોરબંદર મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ
આગામી નગરપાલિકા તેમજ તાલુકા/જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદારોને કાળઝાળ ગરમી અને હીટવેવથી બચવા માટે વહેલી સવારે મતદાન કરવા અપીલ કરી છે. મતદાન કરવા માટે સ્થાનિક સંસ્થાની મતદાર યાદીમાં નામ હોવું ફરજિયાત છે. ઓળખના પુરાવા તરીકે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ (EPIC) અથવા માન્ય કરેલા અન્ય વૈકલ્પિક દસ્તાવેજોમાંથી કોઈ પણ એક સાથે રાખવાનું રહેશે. નગરપાલિકાની ચૂંટણીમાં EVMના ઉપયોગ અંગે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વની સ્પષ્ટતા કરી છે. મતદારે પોતાની પસંદગીના વધુમાં વધુ ચાર ઉમેદવારો સામેનું વાદળી બટન દબાવ્યા બાદ, મશીનમાં સૌથી નીચે આપેલું 'રજીસ્ટર' બટન ફરજિયાતપણે દબાવવું પડશે. 'રજીસ્ટર' બટન દબાવ્યા બાદ 'બીપ' સંભળાશે, જે મત નોંધાયાની ખાતરી આપશે. જો મતદાર આ બટન દબાવવાનું ભૂલી જશે તો તેમનો મત નોંધાશે નહીં. જો ભૂલથી કોઈ અન્ય ઉમેદવારનું બટન દબાઈ ગયું હોય, તો રજીસ્ટર બટન દબાવતા પહેલાં તે જ ઉમેદવારનું બટન ફરીથી દબાવવાથી તે રદ થઈ જશે. ત્યારબાદ સાચા ઉમેદવારનું બટન દબાવીને છેલ્લે રજીસ્ટર બટન દબાવી મતદાન પૂર્ણ કરી શકાશે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા માટે પણ વિશેષ આયોજન કરાયું છે. એક જ મતદાન મથકમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે અલગ-અલગ મતકુટિરમાં અલગ મતદાન એકમ (BU) રાખવામાં આવશે. તાલુકા પંચાયતના એકમ પર ગુલાબી રંગનું અને જિલ્લા પંચાયતના એકમ પર સફેદ રંગનું મતપત્ર લગાવેલું હશે. અહીં મતદારે પોતાની પસંદગીના એક ઉમેદવાર સામેનું વાદળી બટન દબાવવાનું રહેશે, જેનાથી લાલ લાઈટ થશે અને 'બીપ' સંભળાશે, જે મત નોંધાઈ ગયાની પુષ્ટિ કરશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ માર્ગદર્શિકાનું પાલન કરી વહેલી સવારે ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ કર્યો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જૂનાગઢ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગોધરા પરવડી ચોકડી પાસે કાર અકસ્માત:ટાયર ફાટતા ચાલક ગંભીર ઇજાગ્રસ્ત, વડોદરા રિફર કરાયા
ગોધરાના પરવડી ચોકડી નજીક ગઈકાલ રાત્રે એક કાર અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટવાને કારણે કાર પલટી ખાઈ જતાં સંજેલીના ફારૂખભાઈ નામના ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફારૂખભાઈ, જે સ્પેરપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ પોતાની કારમાં સામાન ભરીને પરત ફરી રહ્યા હતા. તે સમયે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ફારૂખભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જામનગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ જામનગર મનપાના ઉમેદવારોની યાદી હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોની યાદી હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપ-કોંગ્રેસ અને AAPના ઉમેદવારોનું લિસ્ટ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી સંકટમોચન હનુમાનજી દાદાનો પાટોત્સવ વૈશાખ સુદ છઠ્ઠના રોજ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે નૂતન ધજા આરોહણ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટોત્સવ નિમિત્તે દિવસે મેહુલભાઈ અને જીગરભાઈ કાંતિભાઈ વ્યાસ પરિવાર તરફથી શ્રી હનુમાનજી દાદાના મંદિર પર નૂતન ધજા ચડાવવામાં આવી હતી. રાત્રિના સમયે રાવલ ભરતકુમાર દેવશંકર પરિવાર દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. જેમાં જનકભાઈ રાવલ અને હર્નિષ મુખ્ય યજમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગામગોર નીતિનભાઈ ઠાકર દ્વારા ગણેશજી, કુળદેવી, દેવી-દેવતા અને ભગવાન સત્યનારાયણનું આવાહન, પૂજન અને કથાનું વાંચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે હનુમાનજી મંદિરના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, શ્રી ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ ચેતનભાઈ વ્યાસ, પૂર્વ પ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, વિહીપના નીતિનભાઈ વ્યાસ, કનુભાઈ વ્યાસ, ભરતભાઈ વ્યાસ, નવીનભાઈ વ્યાસ, વિઠાભાઈ પટેલ, વિહાભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદની વ્યવસ્થા જીતુભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ, જયંતીભાઈ પટેલ, ઈચુપુરી મહારાજ અને દિપકભાઈ પંચાલ સહિતના કાર્યકરો દ્વારા સંભાળવામાં આવી હતી. આગામી વર્ષ માટે સત્યનારાયણ કથાના યજમાન તરીકે કનુભાઈ નટવરલાલ વ્યાસના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. રાજકોટ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ઉપપ્રમુખને દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાતરાજકોટ જિલ્લા પંચાયતમાં 21 બેઠક બિન અનામત સામાન્ય, 10 બેઠક સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ(ઓબીસી), 4 બેઠક અનુસૂચિત જાતિ અને 1 બેઠક અનુસૂચિત જનજાતિની જાહેર કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે બેઠકોનું રોટેશન કરતા પ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત પદાધિકારીના પતા કપાયા છે. જોકે, ઉપપ્રમુખ રાજેશભાઈ ડાંગરને આ વખતે દેરડીના બદલે મોવિયા બેઠક પરથી ઉમેદવાર બનાવી ચૂંટણી લડાવવા જાહેરાત કરવામાં આવી છે. 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા ધુરંધરો કપાઇ ગયાજિલ્લા પંચાયતમાં સ્ત્રીઓ માટે બિન અનામત સામાન્ય બેઠકમાંથી 10, ઓબીસીની 5, અનુસૂચિત જાતિની 2 અને અનુસૂચિત જનજાતિની 1 મળી કુલ 18 બેઠક અનામત રાખવામાં આવી છે. જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકમાંથી માત્ર 7 બેઠક ગત વખતની જેમ યથાવત્ રાખવામાં આવી છે જ્યારે 29 બેઠકમાં ફેરફાર કરવામાં આવતા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કારોબારી ચેરમેન પી.જી.કિયાડા, પૂર્વ પ્રમુખ ભૂપત બોદર, પૂર્વ કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના ધુરંધરો કપાઇ ગયા છે. જિલ્લા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર નેતાની ભાજપે જિલ્લા પંચાયતની ટિકિટ કાપીરાજકોટ જિલ્લા પંચાયતમાં પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન અને પૂર્વ વિપક્ષ નેતા પણ રહી ચૂકેલા અર્જુન ખાટરિયાનું પત્તુ કપાઈ ગયું છે. અર્જુન ખાટરીયા 25 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ ગત લોકસભા ચૂંટણી પહેલા વર્ષ 2024માં તેઓએ કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેઓ સતત ચાર ટર્મથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા હતા જો કે ભાજપમાં પ્રવેશ બાદ આ વખતે તેમની બાદબાકી કરવામાં આવી છે. ગત 2021ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જનરલ બેઠકો પુરુષ 13, સ્ત્રી 14 હતી જેમાંથી જનરલ પુરુષમાંથી 5 અને સ્ત્રીઓમાંથી 4 મળી કુલ 9 બેઠક પરથી ઓબીસીને લડાવવામાં આવ્યા હતા અને તેઓ ચૂંટાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને 2 અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી. રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં 66.64 ટકા અને 2021માં 63.30 ટકા મતદાન થયું હતુંવર્ષ 2021ની ચૂંટણીમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાજપને 25 અને કોંગ્રેસને 11 બેઠક મળી હતી. આ ઉપરાંત રાજકોટની 11 તાલુકા પંચાયતમાં પણ ભાજપે ભગવો લહેરાવ્યો હતો. જો કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાનો ગઢ સાચવી શક્યા ન હતા જેમાં જસદણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 10 અને ભાજપને 6 બેઠક મળી હતી. જ્યારે વીંછિયામાં 14 કોંગ્રેસને અને ભાજપને 4 બેઠક મળી હતી. જયારે ગોંડલ નગરપાલિકામાં ભાજપે તમામે તમામ 44 બેઠક પર જીત મેળવી હતી. બીજી તરફ, જામકંડોરણા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતા અને ભાજપે તમામ 16 બેઠક પર વિજય મેળવ્યો હતો. હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોના નામ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ડાંગ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ડાંગ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. નવસારી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નવસારી મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વલસાડ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ વાપી મહાનગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગોધરામાં ઉમ્મીદ ટ્રસ્ટ દ્વારા 11મા સમૂહ લગ્ન:14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા, ઘરવખરી ભેટ અપાઈ
ગોધરાની સેવાભાવી સંસ્થા ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧મા સર્વ સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાંથી કુરિવાજો નાબૂદ કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડી નવા જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહ લગ્નમાં ભાગ લેનારા તમામ નવદંપતીઓને સખી દાતાઓના સહયોગથી જીવનજરૂરી ઘરવખરીનો સામાન ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરિવારોને મદદરૂપ થવાનો અને સામાજિક કુરિવાજોને દૂર કરવાનો રહ્યો છે. આ કાર્યક્રમમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સમાજસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હાજર રહેલા મહાનુભાવોએ ઉમ્મીદ ચેરિટેબલ ટ્રસ્ટના આ સેવાકીય પ્રયાસને બિરદાવ્યો હતો અને નવદંપતીઓને સુખમય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક હિંસક ઘટના સામે આવી છે. શહેરના પિપલિયાનગર વિસ્તારમાં એક યુવક પર બે શખ્સોએ જાહેરમાં જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવક જ્યારે પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાને સોડા પીવા ગયો હતો, ત્યારે અચાનક પાછળથી આવેલા હુમલાખોરોએ તેના પર હિંસક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર લોહીયાળ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ઇજાગ્રસ્ત યુવક સાગર નિતિનભાઈ દેત્રોજાએ હોસ્પિટલના બિછાનેથી પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, આ હુમલા પાછળ 'મૈત્રી કરાર' જવાબદાર છે. સાગરના જણાવ્યા અનુસાર, તેણે હુમલાખોરની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતનો લાંબા સમયથી ખાર રાખીને રવિ કુશવાહા અને રમેશ કુશવાહા નામના બે શખ્સોએ તેને જાનથી મારી નાખવાના ઇરાદે આ હુમલો કર્યો હતો. અગાઉની આ અદાવતનું પરિણામ આજે હિંસક હુમલામાં પરિણમ્યું છે. સાગર દેત્રોજા પાનના ગલ્લા પર ઉભો હતો ત્યારે રવિ અને રમેશ કુશવાહા પાઈપ અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. સાગરે જીવ બચાવવા ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોરોએ તેને રસ્તા પર જ પકડી લીધો હતો અને નીચે પાડી દઈ બેફામ માર માર્યો હતો. હુમલાખોરોએ સાગરના માથાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા અને પાઈપ વડે હાથ-પગ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, હુમલાખોરોએ સાગર પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને તેના મોબાઈલ ફોન તેમજ ગાડીની પણ તોડફોડ કરીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાગરને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધોળા દિવસે થયેલા આ હુમલાને કારણે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે કેશોદ પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ રવિ કુશવાહા અને રમેશ કુશવાહા વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનારના નિવેદન અને ટેકનિકલ પુરાવાઓને આધારે પોલીસ આ હુમલા પાછળના અન્ય કોઈ પાસાઓ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર કેશોદ પંથકમાં આ હિંસક હુમલાની ઘટના ચર્ચાનો વિષય બની છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. તાપી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. તાપી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. સુરત જિલ્લા પંચાયત અને કડોદરા, તરસાડી નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. સુરત જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. નર્મદા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભરુચ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ભરૂચ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. છોટા ઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. છોટા ઉદેપુર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. વડોદરા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પંચમહાલ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પંચમહાલ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. દાહોદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. મહિસાગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. મહિસાગર જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં નગરપાલિકા ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. ગત રાત્રિએ વોર્ડ નંબર 2, 5 અને 10માં ચૂંટણી સભાઓ યોજાઈ હતી. આ સભાઓમાં ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી બિપિન ઓઝ, પ્રેમલ દેસાઈ, પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, સાંસદ શોભનાબેન બારૈયા સહિતના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 5, 6, 7, 8, 9, 2 અને 10ની ચૂંટણી સભાઓમાં મહામંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ તેમના દ્વારા કરાયેલા અને આગામી સમયમાં થનારા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત મતદારો સમક્ષ ઉમેદવારોની ઓળખ કરાવી હતી અને તેમને બમ્પર મતદાન કરીને ભાજપને વિજયી બનાવવા અપીલ કરી હતી. ભાજપના પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મતદારોને સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ચિન્હ 'પંજા' પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પંજો હિંમતનગર, ગુજરાત અને દેશને પસંદ નથી. તેમણે વિરોધ પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યાં તેમને ઉમેદવાર મળતા નથી, ત્યાં બહારથી ઉમેદવારો લાવીને ઊભા રાખે છે અને પછી પૈસાથી ખરીદવાના કે ધાકધમકી આપવાના આરોપો લગાવે છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી પરિણામો પછી ઈવીએમ પર દોષારોપણ કરવાની પણ તેમની તૈયારી હોય છે. વધુમાં, પ્રદેશ મહામંત્રીએ તમામ વોર્ડના ઉમેદવારોને મતદારો સમક્ષ જ સૂચના આપી હતી. તેમણે કહ્યું કે, જીત્યા પછી આ જ વોર્ડના લોકોને જમાડજો અને પાંચ વર્ષ સુધી લોકોના કામ માટે ચારેય ઉમેદવારોનું સંયુક્ત જન સેવકનું જન સંપર્ક કાર્યાલય ખોલજો, જેના ઉદ્ઘાટનમાં અમે બધા આવીશું. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, જો કોઈ ઉમેદવારે વિરોધ પક્ષ સાથે અંદરખાને સેટિંગ કર્યું અને ચારમાંથી ત્રણ જીત્યા, એટલે કે પેનલ તૂટી, તો જીતેલા એક પણ ઉમેદવારને પાંચ વર્ષ સુધી કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શિસ્તની ચૂંટણી છે અને ભાજપ પ્રદેશ અશિસ્ત ક્યારેય ચલાવી લેશે નહીં.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આણંદ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ મહાનગર પાલિકાના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. આ વખતે વડોદરામાં મહાનગરપાલિકાની ચૂંટણીનો ખરાખરીનો જંગ જામ્યો છે. વડોદરા ગાયકવાડી નગરી છે અને એટલે જ વર્તમાન શાસકોના કામની સરખામણી ગાયકવાડી શાસન સાથે થાય તે સ્વાભાવિક છે. જો કે જયારે પણ આ વાત થાય ત્યારે સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના વિઝનને સહુ કોઈ નતમસ્તક પ્રણામ કરે છે. વડોદરાની રાજનીતિની બદલાતી તાસીર અંગે દિવ્યભાસ્કરે વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. અમિત ધોળકિયા સાથે ખાસ વાતચીત કરી. પ્રોફેસર અમિત ધોળકિયાએ વડોદરાના રાજકારણ અને તેના બદલાતા મિજાજ વિષે જણાવ્યું કે, સર સયાજીરાવ ગાયકવાડ તૃતીયના લાંબા શાસનના કારણે વડોદરાનો શહેરી વિકાસ અને સુવિધાઓનું માળખું અન્ય શહેરો કરતા અલગ પડે છે. તેના કારણે વડોદરામાં જ્યારથી મ્યુનિસિપલ ઓથોરિટીની સ્થાપના થઇ તે સમયે અને ત્યાર બાદ સત્તાધીશો માટે વડોદરા ઉપર શાસન કરવું એક પડકારરૂપ જ રહ્યું છે. શાસકો માટે ગાયકવાડ જેવી સુવિધાઓ કેવી રીતે આપવી અને તેના ઉપર કેવી રીતે કામ કરી શકાય તે મોટો પડકાર છે. આઝાદી બાદ 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યુંઅમિત ધોળકિયાએ જણાવ્યું કે, આઝાદી બાદ વડોદરામાં એકાદ અપવાદને બાદ કરતા 1990 સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું. તે સમયમાં અનેક મોટા નેતાઓએ પોતાની આગવી છાપ છોડી હતી. વચ્ચે અપવાદરૂપ એક અન્ય પાર્ટીનું પણ શાસન આવ્યું હતું. જો કે ત્યાર બાદ પુનઃ કોંગ્રેસનું શાસન આવ્યું હતું. શરૂઆતમાં ગાયકવાડી શાસન દરમિયાન જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી તેનો જ ઉપયોગ કરાતો હતો. જો કે જેમ જેમ સમય બદલાયો તેમ તેમ લોકોનો મિજાજ અને શાસન પણ બદલાયું વડોદરાના પૂર્વ પોલીસ કમિશનર મેયર બન્યાઅમિત ધોળકિયાએ જણાવ્યું કે, વડોદરામાં આમ તો 1990 સુધી કોંગ્રેસનું શાસન હતું જો કે વચ્ચે વડોદરામાં પોલીસ કમિશનર રહી ચૂકેલા જશપાલસિંહે નિવૃત્તિ બાદ પોતાની પાર્ટી બનાવી. આ પાર્ટીનું નામ હતું, સાવધાન પાર્ટી. જશપાલસિંહ મૂળ વડોદરાના ન હતા પરંતુ તેઓની લોકોમાં એટલી લોકપ્રિયતા હતી કે તેઓ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા અને શાસન પણ કર્યું. જો કે કોર્પોરેશનમાં કોંગ્રેસના શાસન માટે આ અપવાદરૂપ કિસ્સો હતો. રાષ્ટ્રીય સ્તરના સંવેદનશીલ મુદ્દાઓ હાવી થયાઅમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રતિનિધિ કેવો છે, સ્થાનિક મુદ્દાઓ શું છે તેના ઉપર ચૂંટણી લડાતી હોય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ રાષ્ટ્રીય અને રાજ્યના મુદ્દાઓ ઉપર લડાય છે.જો કે, હાલમાં રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓ સ્થાનિક મુદ્દાઓ ઉપર હાવી થઇ ગયા છે. મતદારો સ્થાનિક મુદ્દાઓના બદલે રાષ્ટ્રીય સંવેદનશીલ મુદ્દાઓ જોઈને મત આપે છે. જો કે તેઓએ એ સમજવું જોઈએ કે, લોકસભા કે વિધાનસભામાં સ્થાનિક રોડ રસ્તાના મુદ્દાઓ નહીં ચર્ચાય, એ તો કોર્પોરેશનની સામાન્ય સભામાં જ ચર્ચાશે અને ઉકેલ પણ ત્યાંથી જ આવશે.
ગીરસોમનાથના વેરાવળમાં નગરપાલિકા ચૂંટણી હવે માત્ર વિકાસના મુદ્દાઓ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ ધાર્મિક લાગણીઓ અને ભૂતકાળની ઘટનાઓને કેન્દ્રમાં રાખી રાજકીય લડાઈ વધુ આક્રમક બની છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી જાહેરસભામાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવેલો એક સવાલ સમગ્ર રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો છે — “જેણે મસ્જિદ, દરગાહ અને મંદિર તોડ્યા, શું એવા લોકોને આપણે મત આપવો જોઈએ?” આ નિવેદન માત્ર એક રાજકીય ટિપ્પણી નથી, પરંતુ મતદારોની ભાવનાઓને સીધો સ્પર્શ કરવાનો પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. જાહેરસભામાં ઉપસ્થિત જનમેદની વચ્ચે આ મુદ્દાએ ભારે પ્રતિસાદ ઉભો કર્યો હતો. ચુડાસમાએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સત્તાના દમ પર થયેલી ધાર્મિક સ્થળોને લગતી ઘટનાઓને ભૂલવી ન જોઈએ અને મતદાન સમયે તેને યાદ રાખવી જોઈએ. તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, જ્યારે આવી સંવેદનશીલ ઘટનાઓ બની રહી હતી ત્યારે અન્ય કોઈ નેતાઓ દેખાયા નહોતા, જ્યારે તેઓ પોતે અડધી રાત્રે સ્થળ પર પહોંચી લોકો સાથે ઉભા રહ્યા હતા. આ વાત દ્વારા તેમણે પોતાને લોકોના “સંકટકાળના સાથી” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પ્રકારની આક્રમક ભાષા અને ધાર્મિક મુદ્દાઓને આગળ ધપાવવાની રણનીતિ મતદારોને ધ્રુવીકરણ તરફ દોરી શકે છે. વેરાવળ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આવા નિવેદનો ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. ચુડાસમાએ વધુમાં મતદારોને ચેતવણી આપતા કહ્યું કે ભાજપ પોતાની સીધી લડાઈ ન આપી શકતા અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોને “બી ટીમ” તરીકે મેદાનમાં ઉતારી રહી છે. તેમણે મતદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે મત વિખેરાય નહીં અને કોંગ્રેસને જ સમર્થન આપવું. સભાના અંતે તેમણે દાવો કર્યો કે 44 બેઠકોમાંથી 25થી વધુ બેઠકો પર કોંગ્રેસ વિજય મેળવે તે નિશ્ચિત છે. “આ વખતની ચૂંટણી માત્ર સત્તા માટે નહીં, પરંતુ સ્વાભિમાન અને ન્યાય માટે છે,” એમ કહી તેમણે પોતાના ભાષણને વધુ ભાવનાત્મક વળાંક આપ્યો. પ્રદેશ ભાજપ પ્રમુખ પર નિશાન સાધતા ચુડાસમાએ આત્મવિશ્વાસભેર કહ્યું કે ભાજપને એક બેઠક માટે બહારથી નેતાઓ બોલાવવા પડે છે, જ્યારે કોંગ્રેસ સ્થાનિક સ્તરે જ મજબૂત છે. “અહીં માટે હું એકલો જ પૂરતો છું,” એમ કહી તેમણે ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો. વેરાવળમાં ચૂંટણી હવે માત્ર રાજકીય સ્પર્ધા નહીં, પરંતુ ભાવનાઓ, આક્ષેપો અને પ્રતિક્રિયાઓની લડાઈ બની ગઈ છે. હવે જોવાનું રહ્યું કે મતદારો આ આક્રમક અભિયાન વચ્ચે કઈ દિશામાં પોતાનો નિર્ણય આપે છે.
મોરબી યુવાનની છરીના ઘા મારી હત્યા:શિવમ રબારી સહિત 6 આરોપીની કલાકોમાં ધરપકડ
મોરબીના યુવાન અનિલ કંડિયાની માળીયા (મી) હળવદ રોડ પર આવેલી ધૈર્ય હોટલ પાસે છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. રૂપિયાની લેતીદેતીના મામલે આ ઘટના બની હતી. પોલીસે ગણતરીની કલાકોમાં શિવમ રબારી સહિત છ આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીના આલાપ પાર્ક સોસાયટીના વિવેક વિનોદભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં શિવમ રબારી, રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ (તમામ મોરબી નિવાસી)ના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, મૃતક અનિલ કંડિયા અને ફરિયાદી સહિતના ગૌરક્ષકો અણીયારી ટોલનાકા પાસે વોચ રાખી રહ્યા હતા. રાત્રે તેઓ ધૈર્ય હોટેલે નાસ્તો કરવા ગયા ત્યારે એક ઇકો ગાડી આવી હતી, જેમાંથી ઉપરોક્ત પાંચ આરોપીઓ છરીઓ સાથે ઉતર્યા હતા. આરોપીઓએ અનિલ કંડિયા પાસે જઈને જણાવ્યું હતું કે, અમને હોથલ ફાયનાન્સવાળા શિવમ રબારીએ મોકલ્યા છે, તું શિવમભાઈના પૈસા કેમ આપતો નથી? આ પછી ઝઘડો થયો હતો. કિશન ચૌહાણ અને રમેશ રબારીએ અનિલભાઈને મારી નાખવાના ઈરાદે છરીના ઘા માર્યા હતા. અનિલને બચાવવા વચ્ચે પડેલા ફરિયાદીને પૃથ્વીરાજસિંહે છરીનો ઘા માર્યો હતો. હોટેલના સ્ટાફ અને અનિલના સાથીદારો વચ્ચે પડતા પાંચેય શખ્સો ઇકો ગાડીમાં નાસી છૂટ્યા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અનિલ કંડિયાનું મોત નીપજ્યું હતું. મૃતક અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સના શિવમ રબારી પાસેથી પૈસા લીધા હતા. આ લેતીદેતીના મામલે શિવમ રબારીએ કાવતરું ઘડીને તેના પાંચ માણસોને છરી જેવા હથિયારો સાથે અનિલ પાસે મોકલ્યા હતા, જેના પરિણામે યુવાનની હત્યા થઈ હતી. પોલીસે આ ગુનામાં મોહન ઉર્ફે શિવમભાઈ ભગવાનજીભાઈ ભુંભરીયા, રમેશભાઈ ઉર્ફે રામો અરજણભાઈ રબારી, પૃથ્વીરાજસિંહ ભગીરથસિંહ ઝાલા, ગુલામહુસૈન મહેબુબભાઈ પઠાણ, કિશનભાઈ અમરશીભાઈ ચૌહાણ અને હીરાભાઈ રવજીભાઈ ઉલવા (તમામ મોરબી નિવાસી)ની ધરપકડ કરી છે. હત્યામાં વપરાયેલી ઇકો ગાડી નંબર GJ 36 B 3749 પણ પોલીસે કબજે કરી છે. મોરબી એલસીબી અને માળીયા (મી) તાલુકાના પીઆઈની સૂચના મુજબ સ્ટાફે આ કાર્યવાહી કરી છે અને આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નગરપાલિકાના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. ગાંધીનગર જિલ્લા-તાલુકા પંચાયતના તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ નગરપાલિકાના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ હવે જુઓ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. અરવલ્લી જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકોના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 5, 4 અને 11ના સમર્થનમાં ભાજપ દ્વારા આયોજિત જાહેર સભાની નિમંત્રણ પત્રિકા વિવાદમાં સપડાઈ છે. આ પત્રિકામાં પૂર્વ કોર્પોરેટરોની યાદીમાં કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર ભવાનજી ઠાકોરનું નામ છપાયું છે, જેના કારણે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ભવાનજી ઠાકોર હાલમાં વોર્ડ નંબર 11માંથી કોંગ્રેસ પક્ષમાંથી કોર્પોરેટરની ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા નેતાનું નામ પક્ષની સત્તાવાર પત્રિકામાં આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે કે ભાજપ દ્વારા આ નામ ભૂલથી છપાયું છે કે પછી જાણીજોઈને. આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય આલમમાં આશ્ચર્ય ફેલાયું છે. 23 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી આ સભાની પત્રિકામાં રજનીભાઈ પટેલ, હિતુ કનોડિયા અને કે.સી પટેલ જેવા વરિષ્ઠ ભાજપ નેતાઓના નામ પણ સામેલ છે. વિરોધ પક્ષના ઉમેદવારનું નામ સત્તાધારી પક્ષની પ્રચાર સામગ્રીમાં જોવા મળતા ભાજપની શિસ્ત અને સંકલન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.જોકે બાદ માં નવી પત્રિકા તેમનું નામ કમી કરી દેવમાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. બનાસકાંઠા જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો પર ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. પાટણ જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે જુઓ તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ
ગુજરાતમાં આવતીકાલથી ત્રણ દિવસ આગઝરતી ગરમીની આગાહી કરવામાં આવી છે. 24 તારીખથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી છે.કાલથી આકરા તાપનું ટોર્ચર શરૂ થશેહવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર, આજથી 28 એપ્રિલ દરમિયાન ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે. આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. ત્યારબાદ ફરીથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે આ અઠવાડિયાના અંતમાં મહતમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચવાનું પૂર્વાનુમાન હવામાન વિભાગનું છે.સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાં ભેજનું પ્રમાણ અને ઊંચા તાપમાનને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે. અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મતદાનના દિવસે 43 ડિગ્રીએ તાપમાન પહોંચી શકેઆગામી 26 એપ્રિલ એટલે કે ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15 થી 20 નોટ રહેવાની પણ આગાહી છે. 22 એપ્રિલે રાજ્યમાં સૌથી ગરમ અમદાવાદરાજ્યમાં આકરી ગરમીનો રાઉન્ડ શરૂ થયા બાદ રાજકોટ સૌથી ગરમ શહેર રહેતું આવ્યું છે. જો કે, ગઈકાલે 22 એપ્રિલે 40.8 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ સિટી રહ્યું હતું. જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી, જ્યારે વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવુંરાજ્યમાં સતત વધતી ગરમીને કારણે બપોરના સમયે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મોઢે રૂમાલ, દુપટ્ટો બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને ગરમીથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શક્યતા હોવાથી આરોગ્ય વિભાગ અને હવામાન વિભાગે બપોરે કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.આ પણ વાંચો:ઓડિશામાં 44.6C તાપમાન, બપોરે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક, યુપીમાં રસ્તાઓ પર વોટર સ્પ્રે; દિલ્હીની શાળાઓમાં પાણી પીવા માટે વાગશે ઘંટડી દેશના અડધાથી વધુ રાજ્યોમાં હીટવેવ ચાલુ છે. બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા શહેરોમાં બુધવારે તાપમાન 40C થી 45C ની વચ્ચે રહ્યું છે. ઓડિશાનું ઝારસુગુડા બુધવારે 44.6C તાપમાન સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું. હીટવેવને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે બપોરના સમયે વસ્તી ગણતરી પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે.એટલે કે, ફિલ્ડ સ્ટાફ હવે સવારે 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન વસ્તી ગણતરીનું કામ કરશે નહીં. બૌધ અને મયુરભંજ જિલ્લામાં 23 એપ્રિલ સુધી તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ તરફ, દિલ્હીની શાળાઓમાં વોટર બેલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. દર 45 થી 60 મિનિટે ઘંટડી વગાડવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પાણી પીવાનું યાદ અપાવી શકાય અને ડિહાઇડ્રેશનથી બચાવી શકાય.સંપૂર્ણ સમાચાર વાંચો
સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં ગત 17 તારીખે ગેસ લીકેજને કારણે થયેલા ભીષણ વિસ્ફોટમાં ગંભીર રીતે દાઝેલા 6 લોકો પૈકી 3 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઘરમાલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકે જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં ભાડે આપવામાં આવતાં મકાનોમાં સુરક્ષા અને વેન્ટિલેશનના અભાવ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું હતી સમગ્ર ઘટના? ચલથાણની ખુમાનસિંહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ઘરમાલિક નીરજ મિશ્રા (ઉ.વ. 40) ગત 17 તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદ ભૂલથી ગેસ ચાલુ રાખીને નોકરી પર ગયા હતા. આખો દિવસ ગેસ લીક થવાને કારણે બંધ ઘર 'ગેસ ચેમ્બર'માં ફેરવાઈ ગયું હતું. સાંજે જ્યારે નીરજ મિશ્રા ઘરે પરત ફર્યા, ત્યારે પાડોશમાં રહેતી દુર્ગાવતી દેવીએ તેમને ઘરમાંથી ગેસની તીવ્ર વાસ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવધાની રાખવાને બદલે જેવો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ સ્પાર્ક થતાં ઘરમાં પ્રચંડ ધડાકો થયો હતો. બ્લાસ્ટમાં કોણે જીવ ગુમાવ્યો? આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ઘરની અંદર રહેલા નીરજ મિશ્રા, પાડોશી મહિલા દુર્ગાવતી દેવી અને તેમના ચાર બાળક ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન નીચે મુજબના 3 લોકોના મોત નિપજ્યાં છે: વેન્ટિલેશનનો અભાવ અને સુરક્ષાના સવાલો સ્થાનિક સ્તરેથી મળેલી માહિતી અનુસાર, આ એપાર્ટમેન્ટના જે રૂમમાં આ ઘટના બની, ત્યાં વેન્ટિલેશન (હવા-ઉજાસ)ની કોઈ જ વ્યવસ્થા ન હતી. રૂમમાં માત્ર એક બારી અને દરવાજો હોવાથી લીક થયેલો ગેસ બહાર નીકળી શક્યો નહીં અને રૂમમાં ભરાઈ રહ્યો. ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન માલિકો દ્વારા વધુ ભાડું મેળવવાની લાલચમાં સુરક્ષાના તમામ માપદંડોને નેવે મૂકીને બનાવેલા આવા રૂમો શ્રમિકો માટે મોતનું કારણ બની રહ્યા છે. આ ઘટનાએ પૂરતા વેન્ટિલેશન અને ગેસ સુરક્ષા બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂરિયાત પર લાલબત્તી ધરી છે. ---- આ પણ વાંચો એકસાથે 9 જિંદગીઓ જીવતી ભડથું થઈ! યુપીના મિર્ઝાપુરમાં બુધવારે રાત્રે માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મધ્યપ્રદેશથી કપચી ભરીને આવી રહેલું ટ્રેલર બ્રેક ફેઈલ થતાં બેકાબૂ બન્યું હતું. ટ્રેલરે પહેલા સ્વિફ્ટ કારને ટક્કર મારી, પછી એક ટ્રક સાથે અથડાયું. કાર બંને ટ્રકોની વચ્ચે ફસાઈ ગઈ. આ દરમિયાન પાછળથી આવી રહેલી બોલેરો ટ્રોલામાં ઘૂસી ગઈ. સંપૂર્ણ અહેવાલ વાંચો… લીંબડીમાં પતિ-પત્ની જીવતા ભૂંજાયા સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં આવેલી વોરા સોસાયટીમાં ગત 17 એપ્રિલે મોડી રાત્રે લાગેલી ભયાનક આગમાં એક સુખી સંપન્ન દંપતીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં તંત્રની ભારે બેદરકારી અને લીંબડી નગરપાલિકાની ફાયર સેવાની પોલ ખુલી ગઈ હતી. મૃતકના પરિવારજનો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, જો ફાયરની ટીમ સમયસર પહોંચી હોત તો દંપતીનો જીવ બચાવી શકાયો હોત. સંપૂર્ણ અહેવાલ વાંચો…
પાળીયાદ પાંજરાપોળને દોશી પરિવારે ₹1.11 લાખનું દાન આપ્યું:અબોલ પશુઓના ઘાસચારા માટે મુંબઈથી સહાય મળી
પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટને મુંબઈ સ્થિત નયનાબેન રાજેશભાઈ દોશી પરિવારે ₹1,11,000નું અનુદાન આપ્યું છે. આ દાન અબોલ પશુઓના ઘાસચારાની વ્યવસ્થા માટે ઉનાળાની ઋતુમાં પ્રાપ્ત થયું છે. નયનાબેન રાજેશભાઈ દોશી પરિવાર સ્વ. દલીચંદભાઈ જેઠાભાઈ ઝોબાળિયા (પાળીયાદવાળા)ના સુપુત્રી છે. આ આર્થિક સહાય ખાસ કરીને ઉનાળામાં પશુઓ માટે ઘાસચારાની અછત નિવારવામાં મદદરૂપ થશે. પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટે જીવદયાના આ કાર્ય બદલ તેમની સરાહના કરી હતી.
પતિએ પત્ની પાસેથી બાળક ઝૂંટવ્યું:181 અભયમ અને 112 ટીમે માતાને પરત અપાવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઘરેલું વિવાદના એક કિસ્સામાં, પતિએ પત્ની પાસેથી ત્રણ માસના બાળકને ઝૂંટવી લીધું હતું. આ મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને 112 જનરક્ષક ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને માતાને પરત સોંપ્યું હતું. પીડિત મહિલાએ 181 અભયમ અને 112 જનરક્ષક ટીમને ફોન કરીને જણાવ્યું હતું કે તેનો પતિ બપોરની કાળઝાળ ગરમીમાં ત્રણ માસના બાળકને તેના હાથમાંથી બળજબરીપૂર્વક ખેંચીને ગામમાં ભાગી રહ્યો છે અને તેને મદદની જરૂર છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન બારૈયા અને પાયલોટ હિતેશભાઈ સોલંકી 112 જનરક્ષક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામજનો પાસેથી માહિતી મેળવીને ટીમે પતિને શોધી કાઢ્યો હતો. બાળકના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ટીમે પતિ પાસેથી બાળકને છોડાવીને હેમખેમ તેની માતાના ખોળામાં પરત સોંપ્યું હતું. 181 ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેમના લગ્નને 15 વર્ષ થયા છે અને તેમને ત્રણ બાળકો છે. પતિ છેલ્લા સાત વર્ષથી પત્નીના ચારિત્ર્ય પર વારંવાર શંકા કરતો હતો. તેણે ઘરમાં સી.સી.ટી.વી. કેમેરા પણ લગાવ્યા હતા જેથી પત્નીની દિનચર્યા પર નજર રાખી શકાય. પતિ નાની નાની બાબતોમાં ટોકીને પત્નીને માનસિક ત્રાસ આપતો હતો. શંકાનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે પડોશીઓ સાથે પણ કોઈપણ પ્રકારના વ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પતિના આ વર્તનથી ત્રસ્ત થઈને અને આત્મસન્માનને ઠેસ પહોંચતા મહિલાએ તેના પિયર જવાનો નિર્ણય લીધો હતો. આ વાતની જાણ થતા જ પતિ કાળઝાળ ગરમીમાં બાળકને લઈને ગામમાં દોડધામ કરવા લાગ્યો હતો. 181 અને 112 ટીમે મહિલાના પતિને ખોટી શંકાના કારણે તેમના લગ્નજીવનમાં આવતી સમસ્યાઓ અને બાળકના ભવિષ્ય અંગે સમજાવ્યો હતો. પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને સમસ્યા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ભવિષ્યમાં આવા ઝઘડા ન થાય તે માટે ગઢડા PBSC સેન્ટર ખાતે લાંબા ગાળાના કાઉન્સેલિંગ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કેસ PBSC ગઢડા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં PBSC ના કાઉન્સેલર ક્રિષ્નાબેન બધેકાએ આગળની કાઉન્સેલિંગ કાર્યવાહી હાથ ધરી છે.
આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ 1 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 658 હથિયારો પોલીસ મથકે જમા થયાચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્યમાં કુલ 718 પરવાનેદાર હથિયારો છે. જેમાંથી 658 હથિયારો પોલીસ મથકે જમા લેવાયા છે. બાકીના હથિયારો સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સિક્યુરિટી વગેરે) અને રમતવીરોને નિયમ મુજબ મુક્તિ આપવામાં આવી છે. 1.54 કરોડના દારૂનો જથ્થો ઝડપાયોઆ સાથે પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો હતો. ગ્રામ્ય પોલીસે કુલ 595 કેસો નોધ્યા છે. જેમાં દેશી દારૂ 2248 લિટર, વિદેશી દારૂની 18043 બોટલ (કિંમત 88.16 લાખ ) મળી કુલ 1.54 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 4261 શખસો સામે અટકાયતી પગલાંઆ સાથે ગ્રામ્ય પોલીસે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વિવિધ ધારા હેઠળ 4261 શખસો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. આ સાથે 565 ઈસમો પાસે સારી વર્તણૂક અંગેના જામીન લેવડાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 434 (Non-Bailable) વોરંટની બજવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 15 ચેકપોસ્ટ પર સઘન વ્હીકલ ચેકિંગ હાથ ધરી 19409 વાહનોની તપાસ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 25 કેસ અને 43 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે. 22 એપ્રિલની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદની પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે થયેલી બબાલની અદાવતમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે. શું હતી સમગ્ર ઘટના?જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો. મિત્ર બચાવવા વચ્ચે પડ્યો તો તેને પણ છરી મારીમોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. પોલીસે મુખ્ય આરોપી સહિત 3ને દબોચ્યાગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે. વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત.
ડો. સેવતી લાલ પટેલે તાજેતરમાં કોંગ્રેસ દ્વારા તેમના ભાષણના ખોટા અર્થઘટન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે વોર્ડ નંબર 2 ના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. પટેલે અગાઉ કહ્યું હતું કે સનાતન ધર્મના હિન્દુઓ ત્યાં સુધી જાગૃત ગણાશે નહીં જ્યાં સુધી કોંગ્રેસને દેશમાં કોઈ હિન્દુ ઉમેદવાર ન મળે અને તેણે માત્ર અબ્દુલ, ઇસ્માઈલ કે ઇકબાલ જેવા નામો પર નિર્ભર રહેવું પડે. આ નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા તેમને મુસ્લિમ વિરોધી ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો. આક્ષેપોને ફગાવતા સેવતી લાલ પટેલે સ્પષ્ટ કર્યું કે ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વિરોધી નથી, પરંતુ માત્ર દેશદ્રોહી તત્વોની વિરોધી છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો ભાજપ મુસ્લિમ વિરોધી હોત તો અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપ્રેમી વ્યક્તિને રાષ્ટ્રપતિ ન બનાવ્યા હોત. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ હિન્દુઓને આતંકવાદી અને હિંસક કહીને બદનામ કરવાનું તેમજ મુસ્લિમોનું તુષ્ટિકરણ કરવાનું કામ કરે છે. ભાજપની નીતિ 'સબકા સાથ, સબકા વિકાસ' ની છે અને પક્ષ કોઈની ચાપલૂસી કે અવગણનામાં માનતો નથી. કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ડોક્ટર સાથેની વ્યાપારી ભાગીદારી અંગે થયેલા આક્ષેપો પર પટેલે ડો. હમીદ મન્સૂરીના સેવાકીય કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ડો. મન્સૂરીએ શિશુમંદિરમાં 2.5 લાખ રૂપિયા અને અયોધ્યા રામમંદિર નિર્માણ માટે RSS ના ફાળામાં પણ 2.5 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત, ડો. મન્સૂરીએ ગૌશાળામાં 1 લાખ રૂપિયા અને મૃતદેહોને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા માટે મા-પરિવાર સંસ્થાને 10 લાખ રૂપિયાનું દાન આપેલું છે. ડો. મન્સૂરી રાષ્ટ્રવાદી મુસલમાન હોવાથી તેમની સાથે મિત્રતા અને ભાગીદારી હોવાનું પટેલે સ્પષ્ટ કર્યું હતું.
પાલનપુર નગરપાલિકા વિસ્તારનો વોર્ડ નંબર-2 મહત્વનો વોર્ડ ગણાય છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે કુલ 6810 મતદારો ધરાવતા આ વોર્ડના મતદારોનો મિજાજ જાણવા દિવ્ય ભાસ્કરની ટીમ આ વોર્ડમાં પહોંચી હતી. જ્યા મતદારોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. વોર્ડ નંબર 2ના લક્ષ્મી નગર, આસોપાલવ સોસાયટી સહિતના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે આ વોર્ડમાં આવેલું પાલનપુરનું આન બાન સમાન માન સરોવરની કાયાપલટ થયેલી જોવા મળી છે. કેટલાક વિસ્તારમાં વિકાસના સારા એવા કામો થયા છે જેથી મતદારોમાં ખુશી જોવા મળી હતી. જોકે, મોટાભાગના વિસ્તારોમાં વિકાસના કામો થયા નથી. ‘ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય છે’સુરેખાબેન ઠાકરે જણાવ્યું કે, કચરાના ઢગલા થાય તો પણ કોઈ કચરો લેવા આવતા નથી. કચરો પડ્યો હોય, જેથી ગંદકીના લીધે છોકરાઓ બીમાર થાય. ગટરની પાણીની પાઇપલાઇનો તૂટી જાય તો પણ સરખી કરવા આવતા નથી. અમારી ભાગ્યોદય સોસાયટી આગળ રોડને ખોડી નાખ્યો છે. સવારમાં પાણી પણ ચાલ્યું જાય છે, તો તકલીફ કેટલી? અમારી સોસાયટીમાં કોઈએ વોટ માટે આવવું નહીં. ‘લાઈટ-પાણીની કોઈ સુવિધા નથી’સ્થાનિક ગણેશ પ્રજાપતિએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી કોર્પોરેટરો અમારો કોઈ ફોન ઉપાડતા નથી. ગટરની કોઈ સુવિધા નથી, લાઈટ-પાણીની સુવિધા નથી. જ્યારે પણ અમે કોઈ પણ કામનું કહીએ છીએ ત્યારે બસ 'માણસ મોકલીએ છીએ' એમ જ કહે છે. છેલ્લા 10 વર્ષમાં ત્રણ-ત્રણ વાર રોડ બન્યો છે, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની કોઈ હદ નથી. જે માણસોને ટિકિટો આપવાની હોય એવાને નથી આપતા, ગુંડા તત્વોને ટિકિટો આપે છે અને પાછલા બારણેથી પૈસા લઈને ટિકિટો આપે છે આ ભાજપનો મોટો ભ્રષ્ટાચાર છે. ‘વારંવાર રજૂઆતો કરી છતાં કોઈ કામ થયું નથી’સ્થાનિક હેમંતભાઈએ જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં કોઈ પણ પ્રકારનું કામ થયું નથી. આજે રસ્તાઓની હાલત જુઓ. અમે વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરી છે છતાં કોઈ જ કામ થયું નથી. મનીષ ઠાકરે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી કોઈ કાર્ય જોવા મળ્યા નથી, જેવા કે સાધારણ કામ પણ જોવા મળ્યા નથી કે જે બધાથી પ્રસન્ન થઈ જાય. તો આ બોર્ડ મારવાની જરૂર ના પડે અને ચૂંટણીનો વિરોધ કરવાની જરૂર ના પડે. ઉમેદવારો પાસે અમે જવાબ માગીશું કે, રોડનું કામ, કચરાનું કામ પાણીની સમસ્યા એ તમામનું સોલ્યુશન કેમ નથી લાવ્યા તમે? હિરેન પ્રજાપતિએ જણાવ્યું કે, વોટ લેવાના ટાઈમે નેતાઓ દેખાય છે, એના પછી કોઈ દેખાતા નથી. રોડ આખો ખોદી નાખ્યો છે. રોડ પર ખાડાઓ છે જેથી વૃદ્ધો ચાલતા ચાલતા પડી જાય છે. એક્ટિવા લઈને જતી લેડીઝો પડી જાય છે. આ વખતે સોસાયટીએ નક્કી કર્યું છે કે કોઈને વોટ આપવો નથી, ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ.
રાજ્યમાં નવી બનેલી 15 મહાનગરપાલિકાઓમાં અત્યારે સત્તાના સમીકરણો તેજ બન્યા છે. એપ્રિલ મહિનાના આકરા તાપની વચ્ચે સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પણ ચૂંટણીનો પારો ગરમાયો છે. ત્યારે દિવ્યભાસ્કર ડિજિટલની ટીમ સુરેન્દ્રનગરના વોર્ડ નં 3માં પહોંચી હતી. જ્યાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 15 હજારથી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ક્યાંક વિકાસની ચમક જોવા મળી છે તો ક્યાંક પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. આ વોર્ડ નં 3માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામવાનો છે, ત્યારે આ વિસ્તારના મતદારોએ બાળકો માટે લાઈબ્રેરી, યુવાનો માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની તેમજ આરોગ્ય ભવન અને ઓડિટરિયમની મહાનગર પાલિકા પાસે અપેક્ષા રાખી છે. ‘પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી’સ્થાનિક સુનિલ ભટ્ટે જણાવ્યું હતું કે, હું આ ત્રણ નંબર વોર્ડમાં છેલ્લા 35 વર્ષથી રહુ છું. આ 35 વર્ષની અંદર આ વોર્ડમાં પાયાની માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળે છે. પાણીનો કોઈ ફિક્સ ટાઈમ જ નથી, સવારમાં સાડા છએ પણ આવે અને રાત્રે 11 વાગ્યે પણ આવે. ‘ઘણી ફરિયાદો કરી પણ કોઈ દિવસ નિકાલ થયો નથી’વધુમાં જણાવ્યું કે, મેઈન રોડ ઉપર મોટી હોસ્પિટલ છે, અહીં સ્કૂલ પણ આવેલી છે. એ રોડ ઉપરથી પસાર થાય તો ધૂળો અને રજકણો ઉડે છે, એનાથી માણસોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થયા છે. ઘરે જઈને નહાવું પડે છે. વર્ષોથી કેટલી બધી ગ્રાન્ટો આવે છે, પણ કોઈ ગ્રાન્ટ વ્યવસ્થિત રીતે વપરાતી હોય અને એના આવા બધા પ્રશ્નો રોડ, લાઈટ, રસ્તા અને ગટરના પ્રશ્નો હલ થયા હોય એવુ મેં જોયું નથી. અમે યોગ્ય જગ્યાએ ઘણી બધી ફરિયાદો કરી પણ એ ફરિયાદોના કોઈ દિવસ ક્યારેય નિકાલ થતા હોતા નથી. ‘ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવામાં આવે’આ અંગે વોર્ડ નં -3ના ધર્મેન્દ્રસિંહ જાલિમસિંહ ટાંકે જણાવ્યું હતું કે, હું આ વિસ્તારમાં છેલ્લા 45 વર્ષથી રહુ છું, અમારી માંગણી છે કે, આ ટીબી હોસ્પિટલથી કરમણપરા સુધીનો રોડ બનાવવાનો બાકી રહી ગયો છે, જે અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં કામ થયું નથી. વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. આ વોર્ડમાં પીવાનું પાણી રેગ્યુલર આવવું જોઈએ. ‘અમારા વોર્ડમાં વિકાસના ઘણા કામો થયા છે’અશોક મગારાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જે પૂર્વ કોર્પોરેટર હતા, એમણે ઘણા બધા વિકાસના કાર્યો કરેલા જ છે. હાલ અમારી માંગ એવી છે કે, યુવા વર્ગ આ વોર્ડમાં રહે છે, તો એમના માટે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બને. અમારા વિસ્તારમાં કોમ્યુનિટી હોલ નથી, એની પણ અમારી મહાનગરપાલિકા પાસે માંગણી છે. રોડ, રસ્તા, ગટર, પાણી અને સાફસફાઈમાં પૂરતું ધ્યાન આપે એવી અમારા વોર્ડ વતી વિનંતી કરું છું. મુકેશ બારોટે જણાવ્યું હતું કે, હું સુરેન્દ્રનગર વોર્ડ નં -3માં છેલ્લા 15 વર્ષથી રહુ છું. આ 15 વર્ષની અંદર અગાઉ જયારે મહાનગરપાલિકા નહોતી બની ત્યારે નગરપાલિકા હતી, ત્યારથી અમારો જે રસ્તાનો પ્રોબ્લેમ હતો, એ અત્યારે દૂર થઇ ગયો છે. અમારા નવા જંક્શન રોડ ઉપર જનયુગ પાસે સહયોગ પાર્કની અંદર બગીચો પણ છે. અત્યારે વોર્ડ નં 3ની અંદર લાઈબ્રેરી તેમજ આરોગ્ય ભવન નથી, તે માટેની અમારા વોર્ડ નં 3ના તમામ નાગરિકોની માંગ છે. અમારા બાળકોને વાંચવા માટે લાઈબ્રેરી અહીંયાથી ખુબ દૂર જવું પડે છે. શૈલેષ ઘોપાળે જણાવ્યું હતું કે, અમારા ત્રણ નંબર વોર્ડમાં પાલિકાએ ગાર્ડન બનાવ્યો છે, રોડ અને રસ્તા પણ ખુબ સારા છે. અમારા વિસ્તારમાં જે જંક્શન રોડ છે, એ રોડને પણ આઇકોનીક બનાવવામાં આવી રહ્યો છે, આમ તો એકંદરે ખુબ જ સારી વ્યવસ્થા છે. ‘અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાતો લે’વોર્ડ નં-3ના હાઈસ્કૂલના નિવૃત પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર રાવલે જણાવ્યું હતું કે, આજુબાજુમા નાના નાના કોમન પ્લોટ હોય ત્યાં બગીચા થાય, ઓડિટરિયમ બનાવવામાં આવે, જેથી નાના છોકરાઓને રમવા માટે અને મોટા વડીલોને ચાલવા માટેની વ્યવસ્થા થાય. આ ઉપરાંત નિયમિત રીતે લાઈટની વ્યવસ્થા કરવામાં આવે. સામાન્ય રીતે અહીંયા જે કોઈ ચૂંટાય એ હંમેશા લોકોની મુલાકાત લે એ વધારે સારામાં સારુ છે. રાજકીય સ્થિતિ: ભાજપના ગઢમાં 'આપ'ની એન્ટ્રીસુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે ભાજપનું એકહથ્થુ શાસન છે. સાંસદ, 5 વિધાનસભા, જિલ્લા-તાલુકા પંચાયત અને તમામ નગરપાલિકાઓમાં ભગવો લહેરાઈ રહ્યો છે. અગાઉ અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી એ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. મતદારોનું ગણિત: નવા મતદારો કિંગમેકર બનશેજિલ્લાની સ્થિતિ: કુલ 13,66,275 મતદારોમાંથી 21,415 મતદારો ઘટ્યા છે, જેની સામે 21,316 નવા મતદારો ઉમેરાયા છે. ભાજપ માટે આ નવા મતદારોને રીઝવવા મોટો પડકાર છે.વોર્ડ નં. 3 ની સ્થિતિ: 2021માં અહીં 18,093 મતદારો હતા, જે ઘટીને હવે 15,069 થયા છે (3,024 મતોનો ઘટાડો). વોર્ડ નં. 3: જ્ઞાતિગત સમીકરણ અને અનામતકુલ વસ્તી:21,382જ્ઞાતિ મુજબ વસ્તીOBC-8,266SC-177ST-54બેઠકોનું માળખું:બેઠક-1: OBC સ્ત્રી અનામતબેઠક-2: સ્ત્રી અનામતબેઠક-3: સામાન્ય વર્ગબેઠક-4: સામાન્ય વર્ગ જનતાના મુખ્ય પ્રશ્નો અને માંગણીપાણીની સમસ્યા:પીવાના પાણીનો કોઈ ચોક્કસ સમય નથી, અનિયમિતતાથી રહીશો પરેશાન.રોડ-રસ્તા:ટીબી હોસ્પિટલથી કરમણપરાનો રસ્તો અધૂરો, ઉડતી ધૂળને કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો.નવી સુવિધાઓ: વોર્ડમાં લાઈબ્રેરી, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, કોમ્યુનિટી હોલ અને આરોગ્ય ભવનની તાતી જરૂરિયાત.વિકાસની મિશ્ર અસર:કેટલાક વિસ્તારોમાં નવા બગીચા અને આઈકોનિક રોડ બનતા લોકોમાં સંતોષ પણ જોવા મળ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાણે ભાવનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન અને વિકાસ ગાથાનું વર્ણન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગરની ટૂંકી મુલાકાતે પહોંચ્યા હતા, પ્રબુદ્ધ સંમેલનમાં 2047 સુધીનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો, બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમ બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાવનગર ખાતે યોજાયેલા પ્રબુદ્ધ સંમેલનમાં હાજરી આપી હતી, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમમાં યોજાયેલી આ સભામાં રાજ્યના વિકાસને લઈને મહત્વપૂર્ણ દિશા દર્શાવવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, શહેરના વિવિધ વેપારી એસોસિએશન અને શૈક્ષણિક સંસ્થાઓના સંયુક્ત આયોજન હેઠળ યોજાયું હતું, આ સાથે મોટી સંખ્યામાં વેપારીઓ અને શૈક્ષણિક ક્ષેત્રના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતા, લોકશાહીના પાવન પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રાજ્યભરમાં યોજાઈ રહી છે, ત્યારે વિચારોના સકારાત્મક આદાનપ્રદાન અને વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવવા માટે આજે આ પ્રબુદ્ધ સંમેલન યોજાયું હતું, આ પ્રસંગે ભાજપને એક સતત કાર્યશીલ અને વિકાસમુખી પાર્ટી તરીકે રજૂ કરવામાં આવી હતી. રાજ્યમાં પાણી, વીજળી અને માર્ગ વ્યવસ્થા જેવા મૂળભૂત સુવિધાઓમાં નોંધપાત્ર સુધારા થયા હોવાનું જણાવી કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સફળ આયોજનથી રાજ્યમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ રોકાણ કર્યું છે, જેના પરિણામે રોજગારીના નવા દ્વાર ખુલ્યા છે આગામી 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત અગ્રણિય ભૂમિકા ભજવશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. વિકસિત ગુજરાત માટેનો માર્ગ-નકશો તૈયાર થઈ ગયો છે અને રાજ્યના વિવિધ ઝોનમાં તેનું અમલીકરણ શરૂ થઈ ચૂક્યું છે, મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં “વિકસિત ભારત” સાથે “વિકસિત ગુજરાત” માટે 2047 સુધીનો રોડમૅપ તૈયાર હોવાનું જણાવ્યું હતું. આ રોડમૅપને 6 મહત્વપૂર્ણ સેક્ટરમાં વહેંચી રાજ્યના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્ર સાથે ગુજરાત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાય ચૂંટણી દરમિયાન રાજ્યમાં વિકાસ કાર્યો સ્પષ્ટ રીતે જોવા મળ્યા છે, ખાસ કરીને સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ વૈશ્વિક સ્તરે વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ પર મૂકાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું, ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોવાને કારણે મુખ્યમંત્રીએ રાત્રે 10 વાગ્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. છેલ્લા ત્રણ દાયકામાં જનતાએ ભાજપ પર મુકેલો વિશ્વાસ વિકાસના કાર્યો દ્વારા સાબિત થયો છે, અને રાજ્યમાં નવા ઉદ્યોગો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા સમૃદ્ધિનો માર્ગ વધુ મજબૂત બન્યો છે, આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું, આ સંમેલનમાં કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, કેન્દ્રિય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલબેન, શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
જીવલેણ હુમલો:તલોદના તાજપુરની સીમમાં એસટીના મિકેનિકલ હેલ્પર પર જીવલેણ હુમલો
તલોદના તાજપુરની સીમમાં જૂની અદાવતને લીધે નોકરી પરથી પરત ફરી રહેલા એસટીના મિકેનિકલ હેલ્પર પર બે શખ્સોએ લોખંડના કડા વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને માથામાં ત્રણ ટાંકા આવ્યા હતા. તલોદના આંત્રોલી દોલજી વાસમાં રહેતા 21 વર્ષીય યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તલોદ એસટી વર્કશોપમાં મિકેનિકલ હેલ્પર તરીકે ફરજ બજાવે છે. ગત 21 એપ્રિલના રોજ મોડી રાત્રે દોઢ વાગ્યાના સુમારે સાથી કર્મચારી પવન સોલંકી સાથે બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તાજપુર ગામની સીમમાં જીઓ પેટ્રોલપંપ સામે આવેલી એક ચાની હોટલ પર રોકાયા હતા. યુવરાજસિંહ ચા પીવા ઉભા હતા ત્યારે પાછળથી આંત્રોલી પુંજાજી વાસનો શૈલેષસિંહ બાપુસિંહ પરમાર અને તલોદનો જયેશ ઝાલા ત્યાં ધસી આવ્યા હતા. અગાઉ થયેલા મનદુઃખની વેરભાવના રાખીને આ બંને શખ્સોએ યુવરાજસિંહ પર હુમલો કર્યો હતો. શૈલેષસિંહ પરમારે પોતાના હાથમાં પહેરેલા લોખંડના કડા વડે યુવરાજસિંહના માથાના પાછળના ભાગે, કપાળ પર અને જમણા હાથની આંગળી પર ફટકા માર્યા હતા. હુમલાને કારણે યુવરાજસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝપાઝપી દરમિયાન યુવકની સોનાની ચેઈન અને રોકડ ભરેલું પાકીટ પણ સ્થળ પર પડી ગયું હતું. હુમલો કર્યા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સાબરકાંઠા તા.પં. ચૂંટણી:વડાલીના બડોલમાં સૌથી ઓછા મતદારો, ઝહીરાબાદમાં સૌથી વધુ
સાબરકાંઠા જિલ્લાની 8 તાલુકા પંચાયતોની ચૂંટણીના જંગમાં સ્ત્રી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવવા જઈ રહી છે. જિલ્લાના કુલ 170 વોર્ડમાં 444826 મહિલા મતદારો નોંધાયા છે. વડાલીના બડોલમાં સૌથી ઓછી મહિલા મતદારો નોંધાઈ છે. હિંમતનગર તાલુકાની 28-ઝહીરાબાદ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી મોટી બેઠક છે. અહીં કુલ 10184 મતદારો છે. આ એકમાત્ર એવી બેઠક છે જ્યાં મતદારોનો આંકડો 10 હજારને પાર કરી ગયો છે. તો વડાલી તાલુકાની 2-બડોલ બેઠક સમગ્ર જિલ્લામાં સૌથી નાની બેઠક છે. અહીં કુલ માત્ર 2772 મતદારો છે. એટલે કે, ઝહીરાબાદ અને બડોલ વચ્ચે આશરે 7400 મતદારોનો તફાવત છે. ઝહીરાબાદ બેઠકમાં સૌથી વધુ 5036 મહિલા મતદારો છે. ત્યારબાદ ઈડરના ગોરલમાં 3660 અને હિંમતનગરના બેરણામાં 3638 બેઠક આવે છે. વડાલીની બડોલ બેઠક પર જિલ્લામાં સૌથી ઓછી 1344 મહિલા મતદારો છે. આ ઉપરાંત પોશીના તાલુકાની દેમતી-1 બેઠકમાં માત્ર 1350 મહિલા મતદારો નોંધાવા પામ્યા હતા. તાલુકા વાઇઝ બેઠકોની વિગત હિંમતનગર (28 બેઠક) ઇડર (28 બેઠક) ખેડબ્રહ્મા (20 બેઠક) પોશીના (20 બેઠક) પ્રાંતિજ (20 બેઠક) તલોદ (20 બેઠક) વિજયનગર (18 બેઠક) વડાલી (16 બેઠક)
LCBની કાર્યવાહી:મકાઈના વેપારી સાથે 10 લાખની ઠગાઈકરનારા ચાર શખ્સ પાલનપુરથી ઝડપાયા
પાલનપુર-ડીસા હાઈવે પરથી એલસીબીએ મધ્યપ્રદેશના વેપારી સાથે છેતરપિંડી કરનારા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પહેલા વેપારીઓનો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પહેલા વેપારીને વિશ્વાસ જીતવા સમયસર નાણાં ચૂકવતા અને બાદમાં મોટા જથ્થામાં અનાજ-ચોખાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા હતા. બનાસકાંઠા એલસીબીના પીઆઈ ડી.એમ.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટીમે બાતમીના આધારે પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ હોટલ પ્રાઈમ નજીક વોચ ગોઠવી મધ્યપ્રદેશના ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મધ્યપ્રદેશના કુરાવર (કોટરા)ના વેપારી રાધેશ્યામ અગ્રવાલ પાસેથી લિમરા ઇન્ટરપ્રાઇઝ ફર્મના સંચાલકોએ વિશ્વાસ કેળવી 56.24 લાખ રૂપિયાની મકાઈ ખરીદી હતી. જેની સામે માત્ર 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. બાકીના 10 લાખથી વધુની રકમ ન ચૂકવી છેતરપિંડી આચરાઈ હતી. આ મામલે ગુનો નોંધાયો હતો. ઝડપાયેલા આરોપીઓ1.ફૈઝાન અબ્દુલહક અબ્દુલ્લા મુખી (રહે.,ભાગળ-જ, તા. પાલનપુર) 2.શાહબુદ્દીન કિફાયતુલ્લા શરીફભાઈ દુક્કા (રહે.સઈદપુરા, કાલેડા,વડગામ) 3.અહેમદખાન ખિતાબુલ્લા ભુલઈ ચૌધરી(હાલ રહે.વસઈ રોડ, મુંબઈ) 4.જમાલ ઉર્ફે દાનિશ મુકીન અંસારી(હાલ રહે.મુંબઈ, મૂળ રહે.ઉત્તરપ્રદેશ)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સાબરકાંઠા: 48 અપક્ષો વચ્ચે 21 ચૂંટણી ચિહ્નોની ફાળવણી
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ખેંચવાની મુદ્દત પૂર્ણ થતાંની સાથે જ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી ચિહ્નોની ફાળવણી કરી દેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોના સત્તાવાર ઉમેદવારો સામે મેદાનમાં ઉતરેલા 48 જેટલા અપક્ષ ઉમેદવારોએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા આ અપક્ષોને કુલ 21 જેટલા વિવિધ રોજીંદા વપરાશના ચિહ્નો ફાળવવામાં આવ્યા છે, જેમાં ટેબલ અને કાચનો ગ્લાસ ઉમેદવારોની પસંદ બન્યા હોય તેમ જણાય છે. જિલ્લામાં ચૂંટણી લડી રહેલા અપક્ષોમાં ટેબલ ચિહ્ન સૌથી વધુ લોકપ્રિય સાબિત થયું છે. કુલ 7 ઉમેદવારોને ટેબલનું ચિહ્ન ફાળવવામાં આવ્યું છે. જ્યારે 6 ઉમેદવારો કાચના ગ્લાસના નિશાન સાથે અને 5 ઉમેદવારો કડાઈના નિશાન સાથે મતદારો પાસે જશે. આ સિવાય અન્ય ઉમેદવારોને ટીલર, દૂરબીન, પેટ્રોલપંપ, સીતાર, અલમારી, માઇક, ઝૂલો, ડીશ એન્ટેના,મીકસી, એરકંડીશનર, પટ્ટો, રોબટ, ઇસ્ત્રી, ભીંડા, દ્વાક્ષ, માચીસ બોકસ, પાણીની ટાંકી, ક્રેન જેવા ચિહ્નો ફાળવવામાં આવ્યા છે. ઇડર પાલિકામાં સૌથી વધુ 21 અપક્ષસાબરકાંઠાના રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આટલી મોટી સંખ્યામાં અપક્ષો મેદાનમાં હોવાથી મુખ્ય પક્ષોના મતોમાં ગાબડું પડી શકે છે. જિલ્લા પંચાયતમાં 04, આઠ તાલુકા પંચાયતમાં 20, ઇડર પાલિકામાં સૌથી વધુ 21 હિંમતનગર પાલિકામાં 2 અને વડાલી પાલિકામાં 1 મળી કુલ 48 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે ખાસ કરીને ઇડર અને પ્રાંતિજમાં અપક્ષોનું જોર વધુ જોવા મળી રહ્યું છે. પક્ષના મેન્ડેટ ન મળતાં નારાજ થયેલા ભાજપના10 કાર્યકરોએ બળવો કરીને અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે.
હિંમતનગર નેશલ હાઈવે પર અકસ્માત:બાઇક પાછળ બાઈક અથડાતાં વકીલનું મોત
હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પૂરઝડપે આવતાં બાઇક ચાલકે આગળ જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વકીલાતનો વ્યવસાય કરતાં 58 વર્ષીય પ્રૌઢનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આરોપી પોલીસને જાણ કર્યા વગર નાસી છૂટ્યો હતો, જેની સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. દેસાસણના વતની અને વ્યવસાયે વકીલ એવા પ્રકાશકુમાર સોમાભાઈ પટેલ ગત તા.19-04-2026ના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાની બાઈક નં જીજે-09-સીજી-8459 લઈને હિંમતનગર ઓફિસે આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે નેશનલ હાઈવે પર મેડિસ્ટાર હોસ્પિટલથી આગળ ધનલક્ષ્મી સીડ્સ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી આવતાં બાઈક નં આરજે-12-પીએસ-6662ના ચાલકે તેમના બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં પ્રકાશભાઈને માથા તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફતે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સ્વપ્નીલભાઈ પટેલે એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉનાળાની જમાવટ વચ્ચે પાટણના ફ્રૂટ માર્કેટમાં આ વર્ષે કેરીની મીઠાશ મોંઘી બની છે.કમોસમી વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર પડી છે.જેના પગલે પાટણના બજારમાં કેરીની આવકમાં 75 ટકા ઘટાડો થતા કેરીના ભાવમાં કિલોએ 20 રૂપિયા વધારો આવ્યો છે. પાટણના વેપારી દીપેશ રાવળે જણાવ્યુ હતું કે અગાઉ આ સમયે બજારમાં દૈનિક 4 ગાડી કેરીની આવક થતી હતી, જે હવે ઘટીને માત્ર 1 ગાડીએ પહોંચી ગઈ છે.એક તરફ લગ્નગાળો હોવાથી લગ્નપ્રસંગોમાં રસની માંગ વધુ છે.પરંતુ બીજી તરફ બજારમાં માલનો પુરવઠો પૂરતો ન હોવાથી અછત સર્જાઈ છે. વરસાદી ઝાપટાંના કારણે આંબા પરથી મોર ખરી પડતા ઉત્પાદનને મોટું નુકસાન થયું છે.ખાસ કરીને ઝાપટાના કારણે આંબા ઉપરની નાની કાચી કેરી પુષ્કળ પ્રમાણમાં પડી ગઈ હતી.પુરવઠો ઘટતા કેરીના ભાવમાં સરેરાશ 20 જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગુણવત્તાની દ્રષ્ટિએ કેરી ખાવામાં સારી છે.પરંતુ ઓછી આવકના કારણે સામાન્ય ગ્રાહકો માટે કેરીનો રાજા અત્યારે મોંઘો સાબિત થઈ રહ્યો છે. આવનારા દિવસોમાં જો આવક વધશે તો જ ભાવમાં રાહત મળવાની શક્યતા છે.
ઘેટા-બકરાંનાં મોત:સમીના સિંગોતરીયામાં એરંડાના પાન ખાતાં 35 ઘેટા-બકરાંનાં મોત નીપજ્યાં
સમી તાલુકાના સિંગોતરીયા ગામના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં ચરવા ગયેલા રબારી સમાજના પશુપાલકના 35 જેટલા ઘેટા-બકરાના એકસાથે મોત થયા હતા. સમી તાલુકાના સિંગોતરીયા ગામના ઠાકોર મહાદેવભાઇ ચુડાભાઇના ખેતરમાંથી એરંડાનો પાક લઈ લીધા બાદ, તેમણે માલધારી અમરાભાઇ રૂગનાથભાઈને પરવાનગી આપી હતી. બુધવારે સવારે અમરાભાઇ અંદાજે 250 જેટલા ઘેટા-બકરા લઈ ચરાવવા માટે ગયા હતા. ખેતરમાં એરંડાના કુણા પાન ફૂટેલા હોય, ઘેટાઓએ વધુ પ્રમાણમાં આ પાન ખાઈ લેતા તેમની તબિયત લથડી હતી. 50થી વધુ પશુઓ બીમાર ઘટનામાં 35 ઘેટા-બકરાના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 50થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર હાલતમાં જોવા મળ્યા હતા. અચાનક પશુઓના મોતથી હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક સ્થાનિક પશુ ડોક્ટરને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી અન્ય બીમાર પશુઓની પ્રાથમિક સારવાર શરૂ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા ગામના તલાટી સહિતના સરકારી અધિકારીઓ અને ગામના આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી હતી.
ભાસ્કર એનાલિસિસ:સિદ્ધપુર પાલિકાની ચૂંટણી: અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે
સિદ્ધપુર નગરપાલિકાની 36 બેઠકોના જંગમાં ભાજપે 3 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક સરસાઈ મેળવી લીધી છે. જોકે, બાકીની 33 બેઠકો પર 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. ચૂંટણીમાં અપક્ષો ભાજપની પેનલ તોડી શકે છે. આ વખતે નવાઈની વાત એ છે કે કોંગ્રેસ (14 ઉમેદવાર) કરતાં અપક્ષ ઉમેદવારોની સંખ્યા (34) વધુ છે, જે ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય છે. વોર્ડ નંબર 3, 6 અને 9 માં પરંપરાગત ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર છે, જ્યારે બાકીના 6 વોર્ડમાં અપક્ષોએ પોતાની તાકાત બતાવી ચૂંટણીને પ્રવાહી બનાવી દીધી છે. જેમાં મુખ્યત્વે પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સામે સામાન્ય મહિલાઓ કદાવર નેતાના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હોય મોટા માથાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગતા અહીં રસાકસી ચરમસીમાએ પહોચતા જંગ જામ્યો છે. પાલિકાની ચૂંટણી રસાકસી ભરી બની છે. એક મહિલા બે વોર્ડમાં અપક્ષ લડી રહી છેસિધ્ધપુરમાં અપક્ષ મહિલા ઉમેદવાર ડિમ્પલબેન હિતેશકુમાર હરવાણી એ બે વોર્ડમાં અપક્ષ ઉમેદવારી નોંધાઈ છે. જેમાં વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ તેમજ વોર્ડ નંબર ચારમાં અપક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. બંને બોર્ડમાં સામાન્ય સ્ત્રી બેઠક ઉપરથી ઉમેદવારી કરી છે. ભાજપ મજબૂત, પણ ‘આંતરિક અસંતોષ’ અને ‘અપક્ષો’ પેનલ તોડે તેવી પૂરી શક્યતા વિશ્લેષકના મતે ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં હોય 3 બિનહરીફ બેઠકોના કારણે સરસાઈમાં છે. પરંતુ ટિકિટ વહેચણીમાં ઊભો થયેલો ક્યાંક આંતરિક અસંતોષ અને ક્યાંક શક્તિશાળી અપક્ષો તેની પેનલ તોડી શકે છે. સામે કોંગ્રેસ માત્ર મર્યાદિત ગઢ (વોર્ડ 6, 9) સાચવવા મથશે. જ્યારે અપક્ષના નવા ચહેરાઓ દ્વારા પરિવર્તન ઈચ્છતા મતો ખેંચી નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આમ પાલિકામાં 36 બેઠકોના પરિણામમાં મિક્સ પ્રતિનિધિ મંડળની શક્યતા નકારી શકાય નહીં. પરંતુ બહુમતી બેઠકો ભાજપની આવી શકે છે. એવા હાલના સમીકરણો જોતા લાગે છે.
ખેતીમાં વધતા જતા રાસાયણિક ખાતરોનો ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, પાટણ દ્વારા સિદ્ધપુર તાલુકાના ખળી ગામે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં ખાતરના સંતુલિત ઉપયોગ વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના 39 જેટલા જાગૃત ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. ઉપેશકુમારે ખેડૂતોને પાકની જરૂરિયાત અને હવામાન મુજબ યોગ્ય માત્રામાં ખાતર આપવાની સલાહ આપી હતી. તેમણે ખાસ કરીને મેક્રો અને માઇક્રો પોષક તત્વોના સંતુલન પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે વિષય નિષ્ણાત એસ.એસ. દરજીએ વિગતે જણાવ્યું હતું કે, સંતુલિત ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચમાં મોટો ઘટાડો થાય છે અને પાકની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે. તાલીમ દરમિયાન ભારત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજના, નીમ-કોટેડ યુરિયા અને આધુનિક ટેકનોલોજી સમાન નેનો ખાતરના ઉપયોગ અંગે પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રશ્નોત્તરી બાદ ખેડૂતોના મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી તાલીમનું સફળ સમાપન કરાયું હતું.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:બાઈકની ટક્કરથી પતિનું મોત પત્નીને ઈજા પહોંચી
પાટણ તાલુકાના કુણઘેરથી સબોસણ તરફના માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા સવાર આધેડનું મોત નિપજ્યું છે. પાટણ શહેરના મોતીસા દરવાજા પાસે આવેલી સતકેવલ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ કાંતિભાઈ પટણી અને તેમના પત્ની જ્યોત્સનાબેન પોતાનું એક્ટીવા લઈને કુણઘેર-સબોસણ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક બાઈક ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતી રોડની સાઈડમાં ફંગોળાઈને નીચે પટકાયું હતું, જેમાં પ્રકાશભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે તેમના પત્ની જ્યોત્સનાબેનને પણ શરીરના ભાગે વધતી-ઓછી ઈજાઓ થઈ હતી. બંનેને બેભાન અવસ્થામાં તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ પ્રકાશભાઈ પટણીએ દમ તોડ્યો હતો. બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અત્યારે બોલિવૂડની ફિલ્મ ધૂરંધર ફક્ત ભારત જ નહીં પણ દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. રોજે રોજ નવા નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મ વિશે, એના કલાકારો વિશે, સંગીત વિશે, ફિલ્મની વાર્તા વિશે અને ફિલ્મ ડિરેક્ટર આદિત્ય ધર વિશે નવી નવી વાતો અને રમૂજો બહાર આવે છે. આદિત્ય ધર ફક્ત એક મૂવીના 2 ભાગ બનાવી રાતોરાત બોલિવૂડના ખેરખાંઓને હડસેલીને સ્ટાર ડિરેક્ટરની હરોળમાં પ્રથમ નંબર પર આવી ગયા છે. ખાસ કરીને ઇન્ડિયામાં ઘટેલી વાસ્તવિક ઘટનામાં કલ્પનાના રંગો પૂરીને જે મનોરંજનની ધમાલ એમણે મચાવી છે એને કારણે એમને એવોર્ડ્સ તો ઘણા બધા મળશે જ મળશે પણ જીનિયસ, ઓરિજિનલ વાર્તાકાર-ડિરેક્ટર વગેરે જેવા વિશેષણથી નવાજવામાં આવી રહ્યા છે. જે એમણે અને આખી ટીમે કરેલી મહેનત માટે યોગ્ય જ છે. ફિલ્મ મેકિંગની નવી વ્યાખ્યા બનીઆખરે ટિકિટબારી પર સફળ થાય એ જ જો જીતા વહી સિકંદર પછી એને પ્રોપેગન્ડા, હાયપર નેશનાલિસ્ટ ફિલ્મ વગેરે કહેવાવાળા ટીકા ટિપ્પણી કર્યા કરે. કલ્ટ ફિલ્મની કેટેગરીમાં આવી ગયેલી ધૂરંધર બોલિવૂડ માટે ફિલ્મ મેકિંગની એક નવી વ્યાખ્યા સફળતાપૂર્વક લઇને આવી છે એ વાતનો ઇન્કાર કોઇ કરી શકે એમ નથી! અને આવી કલ્ટ મૂવી બોલિવૂડ અને વિશ્વને આપનાર આદિત્ય ધરની આ ફિલ્મ ધૂરંધર ઘણાને ઓરિજિનલ લાગી પણ વૈશ્વિક સિનેમા જોવાના રસિયાઓએ પકડી પાડ્યું હશે કે આ એક અંગ્રેજીમાં નોન લીનિયર સ્ટોરી ટેલિંગ તરીકે ઓળખાતી વાર્તા કહેવાની રીતથી પ્રભાવિત ફિલ્મ છે. આ નોન લિનીઅર સ્ટોરી ટેલિંગના માસ્ટર છે જીવતે જીવ દંતકથા સમાન બનેલા જીનિયસ હોલિવૂડ દિગ્દર્શક, સર્જક ક્વિન્ટન ટેરેન્ટિનો. ક્વિન્ટન ટેરેન્ટિનોએ નવો જ ચીલો ચાતર્યોક્વિન્ટન ટેરેન્ટિનો જે બધા વિશેષણો પ્રતિભાશાળી લોકો માટે વપરાય છે એનાથી પર છે અને એમના વિશે વાત કરવા એક લેખ નહીં પણ લેખની સિરીઝ જોઇએ પણ આજે એમની નોન લિનીઅર સ્ટોરી ટેલિંગની વ્યાખ્યા આપનાર, વિશ્વભરની ફિલ્મ મેકિંગમાં નવો ચીલો ચાતરનાર, ફિલ્મો જેવી કે રિઝર્વાર ડોગ, પલ્પ ફિક્શન, કિલ બિલ, ઇન્ગ્લોરિયાસ બાસ્ટર્ડ અને જાંગો અનચેઇન્ડ જેવી ફિલ્મોની વાત કરવી છે. વાતને અસરકારક રીતે રજૂ કરવા જુદી-જુદી પદ્ધતિઆગળ ઉલ્લેખ કર્યો એમ ટેરેન્ટિનોની ફિલ્મોમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા નોન લીનિયર સ્ટોરી ટેલિંગ છે. સાદી સરળ ભાષામાં આનો અર્થ થાય છે કે તેઓ વાર્તા સીધી શરૂઆતથી અંત સુધી નહીં પરંતુ તૂટેલા સમય ક્રમમાં રજૂ કરે છે અને આ વાત વધુ અસરકારક રીતે રજૂ કરવા સર્જકો ફ્લેશબેક, ફ્લેશ-ફોરવર્ડ અને ડ્રિમ સિક્વન્સનો ઉપયોગ કરે છે. ટેરેન્ટિનોની પલ્પ ફિક્શન આ શૈલી સમજવા માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેમાં અનેક અલગ-અલગ કથાઓ એકબીજા સાથે જોડાયેલી છે. માટે જ ફિલ્મને ફક્ત મનોરંજન અને ટાઇમ પાસ માટે જોતાં સિનેમાના ચાહકોને આ રીત અપીલ ના કરી શકે. કારણ કે આ રીતથી કહેવાતી કથા સમજવા માટે ધ્યાનપૂર્વક ફિલ્મ જોવી પડે છે. કલ્પના સૃષ્ટિની કમાલપહેલી જ ફિલ્મ રિઝર્વાર ડોગથી ફિલ્મ રસિયાઓ, સર્જકો, કલાકારોનું ધ્યાન ખેંચનાર ટેરેન્ટિનો આ મૂવી માટે પાછા કોઇ ઠહેરાવ વિના આવતા લાંબા લાંબા ડાયલોગ્સ, જે હાસ્ય, તણાવ, કરુણા અને જીવન વિશે ફિલોસોફી એક સાથે રજૂ કરે છે. ઉપરાંત ટેરેન્ટિનો ફક્ત વાર્તા નહીં પણ એ વાર્તા જેના દ્વારા કહેવામાં આવે એ અલગ અલગ પાત્રો સર્જવામાં પણ કમાલ કરી જાણે છે. ફિલ્મને ફક્ત અને ફક્ત મનોરંજનના માધ્યમ તરીકે જોનાર આથી જ જેટલી સરળતાથી કથા માટે નાયકનું પાત્ર રચી જાણે છે એટલી જ ખૂબીથી પ્રતિનાયક(વિલન) પણ સર્જી શકે છે. વળી ક્યારેક Django Unchained ફિલ્મમાં અમીટ છાપ છોડી જનાર એન્ટિ હીરો પણ એમની કલ્પના સૃષ્ટિમાંથી ફિલ્મના પડદે આવી ચડે છે. કિલ બિલઃ એક રિવેન્જ સ્ટોરીટેરેન્ટિનો જેને એમની સર્જન માટે પ્રેરણામૂર્તિ માને છે એવી ભારતીય નામ ધરાવતી હોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઉમા થર્મન અભિનીત Kill Bill: Volume 1-2. વિશ્વભરના દર્શકો જે સિનેમા અને એની સ્ટાઇલ જોઇને ગાંડા થઇ ગયા હતા એ કિલ બિલ આમ તો એક રિવેન્જ સ્ટોરી છે. ફિલ્મમાં મુખ્ય પાત્ર ઉમા થર્મન તેના પર થયેલા અન્યાયનો બદલો લેવા એક પછી એક દુશ્મનોને જે અંદાજમાં શોધે છે એ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ, રંગોનો ઉપયોગ, કેમેરા એંગલ, બેકગ્રાઉન્ડ સંગીત, લડાઇના સ્ટાઇલિશ અને એક એક લડાઇના દ્રશ્યો પર થિસીસ લખી શકાય એવી અદભૂત રીતે રચાય છે. આ ફિલ્મ દ્વારા ફક્ત ઉમા થર્મન જ નહીં પણ બધા પાત્રો, ઘટનાઓ, વાર્તા, વાર્તા કહેવાની ટેરેન્ટિનોની અનન્ય રીત ફક્ત કલ્ટ નહીં પણ ના ભૂતો ના ભવિષ્યતિ બની ગયા છે. ટેરેન્ટિનો પોતાની ફિલ્મમાં જૂના એમને પોતાને પ્રિય એવા ગીતો બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે ઉપયોગ કરી ને સ્પેગેટી વેસ્ટર્ન, સામુરાઇ ફિલ્મો અને 70ના દાયકાની ફિલ્મોથી પ્રેરણા લઇને જે કલ્પના અને વાસ્તવિકતાનું વિશ્વ રચે છે એ એમના માટે એક જાતનું એ જે માધ્યમને દિલોજાનથી ચાહે છે એને આપેલું તર્પણ, શ્રદ્ધાંજલિ છે. જેમની ફિલ્મનો હેતુ તેમના દર્શકોને પોતાની નૈતિકતા અને જાત વિશે પ્રશ્ન ઉઠાવવા મજબૂર કરે છે પછી ભલેને વિવેચકો અને સિનેમા રસિયાઓએ વિભાજીત થઇને એના વિશે ચર્ચા કર્યા કરે! પોતાની કલા દ્વારા ચર્ચા ઊભી કરવામાં માહેર અને આપણા આદિત્ય ધર, રામ ગોપાલ વર્મા જેવાને પ્રેરણા આપનાર ધ ક્વિન્ટન ટેરેન્ટિનો પોતે એક કલ્ટ બની ગયા છે!
14 કોર્ટોમાં દરરોજ 200થી વધુ કેસોને અસર:પાલનપુરના વકીલો 7 દિવસથી હડતાળ ઉપર
પાલનપુરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવા મુદ્દે 17 એપ્રિલથી શરૂ થયેલો વિરોધ પ્રદર્શન સતત પાંચ દિવસથી જારી છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલ હાલમાં વકીલાત કર્યા વગર ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી હાઇકોર્ટ થી જુદા જુદા સિનિયર એડવોકેટ આવીને આ મુદ્દાને સમર્થન આપી રહ્યા છે. અગાઉ જે જિલ્લામાં કોર્ટ બદલાવાથી મુશ્કેલીઓ ઊભી થઈ તેવી મુશ્કેલી પાલનપુરમાં ન થાય તેનું પણ માર્ગદર્શન આપી રહ્યા છે. પાલનપુર બાર એસોસિએશનના પ્રકાશભાઈ એ જણાવ્યું કે પાલનપુર જોરાવર પેલેસ સંકુલમાં જુદી જુદી 14થી વધુ કોર્ટ આવેલી છે. જેમાં હાલ વકીલોની ગેરહાજરીમાં કેસો ન ચાલવાના લીધે પ્રતિ દિન 200થી વધુ કેસોને અસર થઈ રહી છે અને તારીખો પડી રહી છે. અમે આ મુદ્દાને લઇ હાઇકોર્ટમાં પણ ધ્યાન દોર્યું છે. એસો.ના પ્રમુખ ભાવેશભાઈ રાવલે જણાવ્યું હતું કે આ સમગ્ર પાલનપુર શહેરનો મુદ્દો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી, આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા
પાલનપુર પાલિકામાં 13 અપક્ષોને માઈક, એસી અને આઈસ્ક્રીમ જેવા ચિન્હો ફાળવાયા છે. પાલિકાના કુલ 11 વોર્ડની 40 બેઠકો માટે હવે 105 ઉમેદવારો વચ્ચે જંગ અંતિમ તબક્કામાં છે. શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ મોટાભાગની બેઠકો પર આમને-સામને છે, જ્યારે વોર્ડ 2, 4, 5, 6 10માં અપક્ષોની સંખ્યાએ રસાકસી વધારી દીધી છે. ચૂંટણી અધિકારી દ્વારા અપક્ષોને ફાળવવામાં આવેલા નિશાનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં મહિલા ઉમેદવારને માચીસ બોક્ષ, કેટલાક યુવા ઉમેદવારોને મોર ગ્લાસ તરબૂચનું નિશાન મળ્યું છે. વોર્ડ 6 માં મહિલા ઉમેદવારને આઈસ્ક્રીમ, જ્યારે બીજાને એરકંડીશનર ફાળવાયું છે. વોર્ડ 11 ના એક ઉમેદવારને માઈકનું પ્રતીક મળ્યું છે. પાલિકાના જંગમાં માત્ર પુરુષો જ નહીં પરંતુ ચાર મહિલાઓએ પણ અપક્ષ તરીકે ઝંપલાવ્યું છે. વોર્ડ 2 માં વોર્ડ 6 માં 2 મહિલા ઉમેદવારો જ્યારે વોર્ડ 10 માં પણ અપક્ષ મહિલા ચૂંટણી લડી રહ્યા છે. લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 4 અને 5 માં AIMIM ના ઉમેદવારો કોંગ્રેસના મતોમાં ગાબડું પાડી શકે છે. સમગ્ર ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારોમાંથી મહિલા ઉમેદવારોની સંખ્યા પણ નોંધપાત્ર છે, જેમાં વોર્ડ નંબર 6 માં તો પુરુષો કરતા મહિલા ઉમેદવારો વધુ છે. વોર્ડ નંબર 2 માં સૌથી વધુ 14 અને વોર્ડ 4 માં 16 ઉમેદવારો હોવાથી ત્યાં મતદારોને પસંદગી માટે મોટી યાદી મળશે. બીજી તરફ, વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 10 માં માત્ર 4-4 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે, જેના કારણે ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ ખેલાશે. અપક્ષોની ભૂમિકા આ વખતે ઘણી નિર્ણાયક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 6 માં ઠાકોર જ્ઞાતિના ત્રણ અપક્ષ ઉમેદવારો ઉભા રહેતા મુખ્ય પક્ષોના જ્ઞાતિ સમીકરણો ખોરવાય તેવી શક્યતા છે.
પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના એક મોટા કિસ્સાનો ભેદ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ એક વેપારી સહિત દેશના 11 રાજ્યોમાં 20 લોકોને આકર્ષક રિટર્નની લાલચ આપીને રૂ.6.60 કરોડની ઓનલાઈન ઠગાઈ કરનાર કંબોડિયા-ચાઇનીઝ ગેંગના એક સાગરીત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. તેને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યો છે. કોર્ટ સમક્ષ 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે અવું દિગ્વિજયસિંહ પઢીયાર, પીઆઈ, સાયબર ક્રાઇમે જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં એક વેપારીને ટાર્ગેટ બનાવી ઠગાઈ આચરવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરીને ગેંગના સભ્યોએ શેર બજારમાં રોકાણ કરવાથી નિશ્ચિત વળતર અને આકર્ષક નફાની લાલચ આપી વેપારીને વિશ્વાસમાં લીધો હતો. શરૂઆતમાં ઓછી રકમના રોકાણ પર બમણું અને ત્રણ ગણું રિટર્ન આપીને વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. આ રીતે વિશ્વાસ ઉભો થયા બાદ વેપારીએ વધુ નફાની લાલચે રૂ.87.47 લાખનું મોટું રોકાણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ગેંગના સભ્યોએ સંપર્ક તોડી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધા હતા, જેના કારણે વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાની જાણ થઈ હતી. આ મામલે પાલનપુર સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ટેકનિકલ વિશ્લેષણ અને ડિજિટલ ટ્રેલના આધારે તપાસ હાથ ધરી હતી. તેના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપ્લિકેશન નંબર પરથી અને ચેટની ડિટેલથી અન્ય બે સાગરીતોના નામો ખુલ્યા છે. જેમના સુધી પહોચીશું. તપાસ દરમ્યાન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિધેય કનુભાઈ ચોવટીયા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીનો રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં ખુલ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત કંબોડિયા-ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલ છે. આ ગેંગ દ્વારા દેશના 11 રાજ્યોમાં 20 વ્યક્તિઓને આ જ રીતથી ટાર્ગેટ બનાવી કુલ રૂ.6.60 કરોડની ઠગાઈ કરવામાં આવી છે. હાલ પોલીસે અન્ય બે સાગરીતોના નામ મેળવી તેમની ધરપકડ માટે કાર્યવાહી તેજ કરી છે. આ સમગ્ર કૌભાંડમાં વધુ લોકો સંડોવાયેલા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાસ્કર એનાલિસિસ:GST દર ઘટ્યા છતાં ખરીદી-વેપાર વધતાં આવક 8% વધી
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં જીએસટી દર ઘટ્યા હોવા છતાં ઓટોમોબાઇલ, ઓટોપાર્ટ્સ એસેસરીઝ, ખેતી સહિતના ક્ષેત્રોમાં ખરીદી અને વેપારમાં વધારો થતાં જીએસટીની આવકમાં 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન ₹રૂ.2576.70 કરોડની આવક નોંધાઈ છે. જે ગત વર્ષે ₹2387.19 કરોડ હતી. સૌથી વધુ GST આ વક ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ₹286 કરોડ, ઓટોપાર્ટ્સ એસેસરીઝમાં ₹251 કરોડ અને વર્ક્સ કોન્ટ્રાક્ટમાં ₹અંદાજે રૂ.250 કરોડની આ વક થઇ છે. મહેસાણા ડિવિઝનના નવ ઘટક મહેસાણા, પાટણ, પાલનપુર, વિજાપુર, વિસનગર, કડી, ઊંઝા, ડીસા અને સિદ્ધપુર વિસ્તારમાં ઓટો સ્પેરપાર્ટ્સ, રોડ એન્ડ બિલ્ડિંગ (વર્ક્સ કોન્ટ્રાક્ટ), મેનપાવર સપ્લાય, તમાકુ, ઓટોમોબાઇલ, ખેતી, સિરામિક, એરકન્ડીશનિંગ અને રેફ્રિજરેશન તેમજ ડેરી પ્રોડક્ટ્સનો વ્યાપ વધારે છે. જીએસટી મહેસાણા ડિવિઝન કમિશનર મિતેશભાઇ પ્રજાપતિએ કહ્યું કે, માર્કેટમાં કન્ઝપ્શન વધતાં જીએસટી આવકમાં વધારો થયો છે. બજારમાં ખરીદી વધે એટલે વેપાર વધે. જેથી જીએસટીની આવક વધતી હોય છે. ઊંઝા, ડીસાથી એક્સપોર્ટ વધતાં સ્થાનિક આવક ઘટીમહેસાણા ડિવિઝનના ઊંઝા અને ડીસા ઘટકોમાં આ વર્ષે GST આવક ઘટી છે. વિભાગના અધિકારીઓ અનુસાર, આ વિસ્તારોમાંથી આંતરરાજ્ય વેપાર અને એક્સપોર્ટ વધારે થાય છે. પરિણામે, GST સેટલમેન્ટ અન્ય રાજ્યોમાં થતું હોવાથી સ્થાનિક સ્તરે આવક ઓછી દેખાય છે. જે રાજ્યમાં માલ સપ્લાય થયો ત્યાં જીએસટી કલેકશન થાય. હકીકતમાં આવક દેશમાં જ થાય છે. મહેસાણા રૂ.₹845 કરોડની આવક સાથે અગ્રેસરજીએસટી આ વકમાં સૌથી વધુ વૃદ્ધિ પાલનપુર (20%), વિજાપુર (19%) અને વિસનગર (17%) જ્યારે ઘટાડો ઊંઝામાં (28%) અને ડીસામાં (6%) થઇ છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા શહેર રૂ.₹845 કરોડની આ વક સાથે ટોપ પર છે.
ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:10 મતદાન મથકો વચ્ચે પોલીસની એક મોબાઇલ ટીમ પેટ્રોલિંગ કરશે
મહેસાણા જિલ્લામાં 26 એપ્રિલને રવિવારના રોજ યોજાનારી મહેસાણા મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન યોજાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત માટે એક્શન પ્લાન ઘડાયો છે. ચૂંટણીના દિવસે 4 ડીવાયએસપી, 27 પીઆઇ, 75 પીએસઆઇ, 1398 પોલીસ, 80 સભ્યોની એક એસઆરપી કંપની, 2021 હોમગાર્ડ અને 153 તાલીમી એલઆરડી સહિત કુલ 3758 પોલીસ જવાનો ફરજ બજાવશે. બંદોબસ્ત વ્યવસ્થા મુજબ, જિલ્લામાં 994 મતદાન મથકોના 1723 બુથ ઉપર જ્યાં મતદાન થવાનું છે ત્યાં દરેક બુથ ઉપર 1 પોલીસ, 1 હોમગાર્ડ અને 1 જીઆરડી તેમજ મતદાન મથકના 100 અને 200 મીટરના અંતરે પણ પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડી તૈનાત કરાશે. આ સિવાય 10 મતદાન મથકો વચ્ચે એક પીએસઆઇ અને અન્ય પોલીસ સાથેની 125 સેક્ટર મોબાઈલવાન સતત પેટ્રોલિંગ કરતી રહેશે. ઉપરાંત, સ્થાનિક પોલીસ મથકની પીસીઆર અને મોબાઇલ વાનનું પણ વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રહેશે. જિલ્લામાં એક સાથે યોજાઇ રહેલી ત્રણ ચૂંટણીઓમાં આ વખતે નવીન તાલીમ લઈ રહેલા 153 એલઆરડી પણ ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા સંવેદનશીલ મતદાન મથકો ઉપર અન્ય મતદાન મથકની સાપેક્ષમાં વધારે પોલીસ ફોર્સ ગોઠવાશે. 1130 લાયસન્સ વાળાં હથિયાર જમા લીધાજિલ્લામાં યોજાઇ રહેલી ચૂંટણીને લઇ પોલીસ દ્વારા અત્યાર સુધી 1130 જેટલા હથિયાર જમા લેવાયા છે. 23 જેટલા નાસતા ફરતા આરોપીઓને પકડી લેવાયા છે. તેમજ 2780 સામે અટકાયતી પગલાં ઉપરાંત 11,301 વાહનોનું ચેકિંગ અને 1 પાસાનો પણ હુકમ કરાયો છે.
સોશિયલ મીડિયા પર એક સામાન્ય કોમેન્ટ ક્યારેક કેટલો મોટો વિવાદ ઉભો કરી શકે છે તેનું તાજું ઉદાહરણ મહેસાણામાં સામે આવ્યું છે. મહેસાણા શહેરના માનવ આશ્રમ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી 51 વર્ષની આધેડ મહિલાને ઇન્સ્ટાગ્રામ પર કરેલી એક કોમેન્ટ ભારે પડી ગઈ છે અને હવે મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. મહિલાએ હરિયાણાના એક યુવક દ્વારા તેના પેરાલિસિસથી પીડિત પિતાની સંભાળ લેતા વીડિયો પોસ્ટ પર “છોકરાઓ આવાં જ હોવા જોઈએ” જેવી સામાન્ય કોમેન્ટ કરી હતી. પરંતુ, આ કોમેન્ટથી યુવકની એક મિત્ર યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે મહિલાને ગાળો લખીને જવાબ આપ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર જ ગાળાગાળી અને વાકયુદ્ધ શરૂ થઈ ગયું હતું. મામલો વધુ ગંભીર બનતાં મહિલાએ પણ સામેવાળી યુવતીને ગાળો આપતાં અને તું મહેસાણા આવે તો તને ખબર પાડું અને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતી કોમેન્ટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર વિવાદ બાદ યુવતીએ ગુડગાંવ પોલીસ મથકે મહેસાણાની મહિલા સામે પોતાને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આઇપી એડ્રેસ અને મોબાઇલ નંબરના આધારે ગુડગાંવ પોલીસ મંગળવારે મહેસાણા એ ડિવિઝન પોલીસ સાથે તપાસ માટેપહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદથી મહિલાને પોલીસ મથકેબોલાવતાં તેણીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતુ કે, તેને પણસામેવાળી યુવતીએ બેફામ ગાળો લખી હતી અને સમગ્ર વિવાદમાંતે પહેલેથી ઉશ્કેરાઈ હતી. હાલ ગુડગાંવ પોલીસે મહિલાનું નિવેદનલઈ સાથે મહિલા પોલીસ ન હોવાથી નોટિસ આપી છે અને સમયમર્યાદામાં ગુડગાંવ હાજર થવા સૂચના આપી છે. સાથે જ મહિલાનેમહેસાણા સાઇબર ક્રાઇમમાં પણ ફરિયાદ નોંધાવવા સલાહઆપવામાં આવી છે. મને ગાળો લખનાર યુવતી સામે હું પણ ફરિયાદ કરીશ મારા કરતાં તો સામેવાળી યુવતીએ મને બેફામ ગાળો લખી છે. જે યુવકની પોસ્ટ પર મેં કોમેન્ટ લખી હતી તે યુવકને પણ મેં વાત કરતાં તેણે પણ તે યુવતી સાઇકી હોવાની વાત કરતાં હવે હું પણ મહેસાણામાં સાઇબર ક્રાઇમ પોલીસ મથકે તેની સામે ફરિયાદ નોંધાવીશનું પોલીસની હાજરીમાં મહિલાએ કહ્યું હતું.
મનપાની ચૂંટણીમાં રાત ઓછી વેશ ઝાઝા:ઉમેદવારો હવે 7-8 કલાક અને 10 10 સોસાયટીમાં મત માગવા ફરે છે
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઉમેદવારોએ સમર્થકો સાથે સોસાયટીઓમાં ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે મતદારોનો સંપર્ક વધારી દીધો છે. છેલ્લા દિવસોમાં દરેક મતદાર સુધી પહોંચી શકાય તે માટે સાત થી આઠ કલાક ફરી રહ્યા છે. મુલાકાત દરમિયાન વડીલોને પગે લાગે છે, મહિલાઓને બે હાથ જોડી નમન કરે છે તો યુવાનો સાથે હાથ મિલાવે છે. સાથે પોતાની પેનલના ચારેય ઉમેદવારોને મત આપવા વિનંતી કરી રહ્યા છે. એક ઉમેદવાર રોજ 10 થી વધુ સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર માટે ફરતા હોઇ કસરત એટલી હદે વધી છે કે કમરના દુ:ખાવા પણ કેટલાકને શરૂ થયા છે. શહેરના વોર્ડ નં.4માં વિસનગર રોડ પર એન.જી. સ્કૂલ સામે કૃણાલ હોપટાઉન અને સોમેશ્વર યુએન હોમ્સમાં સાઉન્ડ સિસ્ટમ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરતા ઉમેદવારો ઘરમાંથી વડીલ બહાર આવે કે તરત પગે લાગી આશીર્વાદ મેળવતા, માસી જોજો હો, મત રહી ન જાય, તો સામે માસી પણ અરે કહેવું ના પડે, બધુ બરોબર છે તેવા સંવાદ સંભળાય છે. બાજુમાં એક કાર્યકર પેમ્ફલેટ આપી આ ક્રમ સામે બટન દબાવી રજીસ્ટ્રેશન છેલ્લે કરી લેવા સમજાવે છે. આ બંને સોસાયટીમાં સ્થાનિક લોકોને પૂછ્યું કે, અહીં કેટલા મતદારો છે. તો જવાબ મળ્યો કે, ઘણા વતનમાં રહે છે. એટલે મકાન 250 છે પણ મત 130 જેટલા હશે. ચૂંટણીનો માહોલ કેવો છે, શું લાગે છે એવું પૂછતાં એક યુવાને કહ્યું, તમે ભાજપમાં કે કોંગ્રેસમાં છો?. એટલે મતદારો પણ સામે કયા પક્ષ માં માનવાવા ળા છે તે જા ણીને જવાબ આપે છે. એક વડીલે કહ્યું જે ઉમેદવારો આવે તેમને બધાને આવકારવાના. મત તો જેને આપવાનો હોય તેને જ મતદારો આપશે ને? ઉમેદવારો સાલ અને હાર સાથે જ રાખે છેપ્રચાર દરમિયાન કેટલાક ઘરમાલિકને સામેથી સાલ, હારઆપી અને તેમના હસ્તેઉમેદવારોનું સ્વાગત કરતાફોટોની જમાવટ પણ જોવા મળીરહી છે. ટાબરિયાઓને પાર્ટીનીટોપી મળી જતાં સાયકલીગ મોજકરવા લાગ્યા. ત્યાં ત્રીજીલાઇનના એક ઘરના ઝાંપે આપ્રચાર ટીમ પહોચી તો એક યુવાનમોબાઇલ લઇને તરત રીલઉતારવા લાગ્યો અને ઉમેદવારનેઆગળ ધરી મત અપીલ મેળવીલીધી હવે ઇન્ટાગ્રામમાં ચઢાવીદઇશુ તેવું કહ્યું.
કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પોર્ટલમાં છેલ્લા કેટલાક સમયથી ઉભી થયેલી અનેક ટેકનિકલ ખામીઓના કારણે ખેડૂતો ધક્કે ચડ્યા છે. અડધો ડઝનથી વધુ ખામીઓના કારણે ખેડૂતો ગામડાથી તાલુકા પંચાયત અને જિલ્લા ખેતીવાડી કચેરીના છેલ્લા કેટલાક સમયથી ચક્કર લગાવી રહ્યા છે. તેમ છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હવે ખેડૂતોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. આ પરિસ્થિતિમાં મહેસાણા તાલુકાના આંબલિયાસણ સહિત 16 ગામોના ખેડૂતોએ સામૂહિક રજૂઆત કરી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠાવી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અત્યારે ખેડૂતો માટે સન્માનને બદલે પરેશાનીનું કારણ બની રહી છે. પીએમ કિસાન પોર્ટલમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી અડધો ડઝનથી વધુ ટેકનિકલ ખામીઓને કારણે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાયા છે. જેને લઇ સીએસસી સેન્ટરથી લઈને જિલ્લા ખેતીવાડી કચેરી સુધી ધક્કા ખાવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં આખરે ખેડૂતો અકળાઇ ગયા છે. મહેસાણા તાલુકાના આંબલિયાસણ સહિતના 16 ગામના ખેડૂતોએ રજૂઆત કરી છે. ખેડૂતોએ મામલતદાર, ટીડીઓ અને જિલ્લા ખેતીવાડી કચેરીને લેખિતમાં રજૂઆત કરી ત્રણ મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં પોર્ટલ પર આવતી ખામીઓ તાત્કાલિક દૂર કરવામાં આવે, જે ખેડૂતોના હપ્તા બંધ થયા છે, તેમનું વેરિફિકેશન ઝડપથી કરી નાણાં જમા કરવામાં આવે અને ખેડૂતોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવા ગ્રામ્ય કક્ષાએ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેની માંગણી છે. ફોર્મ ભર્યે 12 મહિના થયા પણ હજુ લાભ નથી મળ્યો યોજનાનો લાભ લેવા 12 મહિના પહેલા ફોર્મ ભર્યું હતું. પરંતુ આજ દિન સુધી લાભ નથી મળ્યો. કયા કારણથી લાભ નથી મળી રહ્યો એ કારણ પણ જાણવા મળતું નથી. > છનાજી ઠાકોર, ખેડૂત પોર્ટલની 7 મોટી ખામી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર હવે કચ્છના દરિયાઈ વેપાર પર જોવા મળી રહી છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારત, અને ખાસ કરીને કચ્છના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહેલા એક વિશાળ કન્ટેનર શિપ ‘એપામિનોડેસ’ને રોકીને કબજે કરવામાં આવ્યું છે. લાઈબેરિયાના ફ્લેગ ધરાવતું આ જહાજ મુન્દ્રા પોર્ટ પર માલસામાન ઉતારવા માટે નિર્ધારિત હતું, પરંતુ ઈરાની નૌકાદળે તેને અધવચ્ચેથી ઈન્ટરસેપ્ટ કરી પોતાના કબજામાં લીધું છે. ઈરાની નૌકાદળના સત્તાવાર નિવેદન અનુસાર, આ જહાજ પરવાનગી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યું હતું. વધુમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જહાજની નેવિગેશન સિસ્ટમમાં છેડછાડ કરવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન છે. આ કાર્યવાહી દરમિયાન ઈરાને માત્ર ‘એપામિનોડેસ’ જ નહીં, પરંતુ ઈઝરાયલ સાથે કનેક્શન ધરાવતા ‘ફ્રાન્સેસ્કા’ નામના જહાજને પણ જપ્ત કર્યું છે, જ્યારે ‘યૂફોરિયા’ નામના જહાજ પર હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મુન્દ્રાએ ભારતનું સૌથી મોટું ખાનગી બંદર છે અને અહીંથી હજારો ટન માલસામાનનું પરિવહન થાય છે. આ જહાજમાં રહેલો કન્ટેનર કાર્ગો મુન્દ્રાના વિવિધ એજન્ટો અને ઉદ્યોગો સાથે જોડાયેલો હતો. આ અગાઉ ઓમાનના તટ પાસે પણ જહાજો પર હુમલાની ઘટનાઓ બની હતી, જે દર્શાવે છે કે આ રૂટ પર જોખમ વધી રહ્યું છે. જહાજ જપ્ત થતા થશે મોટી અસર
કચ્છમાં ફરી ડીઝલનો દુકાળ?:ખાનગી પંપોએ ભાવ વધારતા સરકારી પંપો ખાલી
કચ્છ જિલ્લામાં એક માસના વિરામ બાદ ફરી એકવાર ડીઝલની ગંભીર અછત ર્સજાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં ડીઝલની સાથે અનેક જગ્યાએ પેટ્રોલ પણ પુરતું મળતું નથી. નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓએ ડીઝલના ભાવમાં લિટર દીઠ 5 થી 7 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકી દેતા ગ્રાહકો સરકારી પેટ્રોલ પંપ (HPCL, IOCL, BPCL) તરફ વળ્યા છે. સરકારી પંપો પર અચાનક ઘસારો વધતા સ્ટોક રાતોરાત ખાલી થઈ રહ્યો છે. હાલત એવી છે કે અનેક પંપો પર રાત્રિના સમયે વાહનચાલકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે. ડીઝલની અછત પાછળ કંપનીઓની નવી નીતિ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીના જણાવ્યા અનુસાર, કંપનીઓએ દરેક પંપ માટે સપ્લાયનો ‘કોટા’ નક્કી કરી દીધો છે. સરેરાસ વેચાણ મુજબ જ જથ્થો ફાળવવામાં આવતો હોવાથી, જ્યારે માંગ વધે ત્યારે પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા ઝૂલી જાય છે. પંપ સંચાલકોના મતે કંપનીઓ જરૂરિયાત મુજબ સપ્લાય આપી રહી નથી. કચ્છની અર્થવ્યવસ્થાની જીવાદોરી સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને મોટો ફરી એકવાર મોટી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. હજારો ટ્રક ચાલકો ડીઝલ મેળવવા માટે એક પંપથી બીજા પંપે ભટકી રહ્યા છે. પૂરતો જથ્થો ન મળતા ડિલિવરી મોડી પડી રહી છે, જેની સીધી અસર આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર પડવાની ભીતિ છે. ઇંધણની અછત અને કારણો
ભાસ્કર એક્સક્લુસિવ:રાજસ્થાન રિફાઇનરીમાં આગથી મુન્દ્રાથી પમ્પ થતું 1.5 થી 2 મિલિયન બેરલ ક્રૂડ અટવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજસ્થાનના પચપદરા ખાતે 79,450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી HPCL રાજસ્થાન રિફાઇનરી (HRRL) ના નિર્ધારિત ઉદ્ઘાટનના બરાબર એક દિવસ પહેલા જ, તેના હાર્દ સમાન ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) માં લાગેલી આગે સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે. આ ઘટના માત્ર ટેકનિકલ ખામી હતી કે કોઈ મોટું ષડયંત્ર તેની તપાસ માટે હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી અને કેન્દ્રીય એજન્સીઓએ મોરચો સંભાળી લીધો છે. પણ આ આગના લીધે કચ્છના બંદરો પર આર્થિક સંકટ આવી શકે છે. આ આગ રાજસ્થાનમાં લાગી હોય, પરંતુ તેનો આર્થિક અને લોજિસ્ટિકલ ભૂકંપ 487 કિલોમીટર દૂર ગુજરાતના કચ્છ (મુન્દ્રા અને કંડલા) ખાતે અનુભવાઈ રહ્યો છે. રિફાઇનરી પ્રોજેક્ટ અનિશ્ચિત સમય માટે અટકતા મુન્દ્રા પોર્ટ અને કંડલાના ઉદ્યોગો પર તેની ગંભીર આર્થિક અસરો શરૂ થઈ ગઈ છે. ગત 17 એપ્રિલના રોજ જ મુન્દ્રાના ક્રૂડ ઓઇલ ટર્મિનલ (COT) થી પચપદરા સુધીની 487 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનું સફળ ટેસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પાઇપલાઇનમાં આશરે 1.5 થી 2 મિલિયન બેરલ આયાતી ‘આરબ મિક્સ ક્રૂડ’ રિફાઇનરી તરફ પમ્પ કરી દેવાયું હતું. પરંતુ CDU માં વિસ્ફોટ અને આગના કારણે આખું યુનિટ બંધ પડી ગયું છે. નિષ્ણાતોના મતે નુકસાન મોટું હશે તો રિફાઇનરી શરૂ થવામાં એક વર્ષનો વિલંબ થઈ શકે છે. આ સંજોગોમાં મુન્દ્રાની કરોડો રૂપિયાની સપ્લાય ચેઇનને અચાનક બ્રેક વાગી ગઈ છે. કચ્છના ઉદ્યોગોને લાખોનો ફટકો પડશે મુન્દ્રા-રાજસ્થાન ક્રૂડ પ્રોજેક્ટ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે બે દિવસ બાકી રહ્યા છે. રાજકીય પક્ષો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સુરત મનપાની ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપે પાટીદાર બહુલ વિસ્તારમાં પ્રભુત્વ મેળવવા પૂરી તાકાત લગાવી દીધી છે અને આજે 23 એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ભવ્ય બાઈક રેલીજ્યાં તેઓ સીમાડા નાકાથી હીરાબાગ સર્કલ સુધી ભવ્ય બાઈક રેલી યોજી જનસમર્થન મેળવવાનો પ્રયાસ કરવાના છે. આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસને પગલે શહેરમાં સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે. સાંજે 5 વાગ્યે જુના રાજકોટ વિસ્તારમાં તેઓ ભવ્ય રોડ શો યોજવાના છે. રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ભવ્ય રોડ શોતેઓ શહેરની જૂની બજારમાં રોડ શો યોજી વેપારીઓને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ પણ કરશે. રાજકોટના ત્રિકોણબાગથી શરૂ કરી ગરેડીયા કુવા રોડ, ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર અને પરત ત્રિકોણબાગ ખાતે રોડ શો પૂર્ણ કરવામાં આવશે. 'અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે'ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે અમદાવાદ શહેરના જમાલપુર વોર્ડમાં મિરઝાપુરના કુરેશી ચોકમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જાહેર સભા યોજી હતી. જેમાં અસદુદ્દીન ઓવૈસી ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ઓવૈસીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલની જરૂર છે. અમદાવાદમાં સ્લોટર હાઉસ બનવું જરૂરી છે. કુરેશી સમાજના લોકો જ્યારે પશુઓ લઈને આવે છે ત્યારે ગૌરક્ષક અને RSS રોકે છે. 'બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા'ભારતમાં મુસ્લિમની નેતાગીરી હોવી જોઈએ. માત્ર જો વોટર બનશો તો તમારી તકલીફો દૂર નહીં થાય. લોકો મારા પર આરોપ લગાવે છે કે, હું ચૂંટણી લડું છું. પશ્ચિમ બંગાળમાં અનેક પાર્ટીઓ ચૂંટણી લડે છે, પરંતુ માત્ર મારા પર ભાજપને જીતાડવાનો આરોપ લગાડવામાં આવે છે. જે વધુ સીટ પર લડે છે એમને કોઈ પૂછવા આવતું નથી. જ્યારે મુસ્લિમની નેતાગીરી હશે અને તેમને રોકશે નહીં. હું તમામને કહું છું કે, તમે આરોપ લગાવી દો. હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી લડીશ. હું ગુજરાતમાં પાંચ ધારાસભ્ય લડાવીશ અને જીતીશું. બિલિકીસ બાનુના આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે. 2002ના તોફાનો કઈ જ નથી એના પહેલા કોંગ્રેસની સરકારમાં બહુ તોફાનો થયા છે. 'તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી'AIMIM પાર્ટીના નેતા બનાવવા માટે આવ્યો છું. તમારા કોઈ નેતા બને એવું લોકો ઇચ્છતા નથી. તમારા વોટથી પાર્ટીને સફળ બનાવવાની છે. તમારી નેતાગીરીને મજબૂત કરવાની છે. ભારતના કરોડો મુસ્લિમોનો અવાજ બનીશું. તમારો વોટ કોઈને સફળ બનાવવા માટે હશે. 'UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું'તમારો મત ભાજપ વિરુદ્ધ હોવો જોઈએ. ગુજરાતના ભાજપ અને RSS નેતાઓને કહેવા માગું છું કે, તમે મુસ્લિમ વિરુદ્ધ UCC બિલ લાવ્યા છો. UCC બિલ વિરુદ્ધ અમે અદાલતમાં જઈશું. આ બિલ વિરુદ્ધમાં તમારે મત આપવાનો છે. કોંગ્રેસે અશાંતધારો બનાવ્યો છે. અશાંતધારો અને UAPA કોંગ્રેસે બનાવ્યો છે અને ભાજપે તેને વધારે ખરાબ કરી નાખ્યો છે. વાઇબ્રન્ટ ગુજરાતની વાતો કરો છો તો કેમ અશાંતધારો લાગુ કર્યો છે? અશાંતધારો લાગુ કર્યો છે. હું જવાબદારી સાથે કહું છું કે આ ચૂંટણી પૂરી થયા બાદ 3 મહિનામાં અમારા નેતા ગુજરાત આવશે અને કોર્પોરેટરને મળશે અને બધાને સુધારશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની 200 વર્ષની સફર એટલે ભદ્રથી સ્માર્ટ સિટીનો પ્રવાસ. રણછોડલાલ છોટાલાલ અને સરદાર પટેલ જેવા નેતાઓએ ઘડેલું આ શહેર આજે રિવરફ્રન્ટથી ગ્લોબલ મેપ પર છે. વિકાસ અને પડકારો વચ્ચે, 26 એપ્રિલનું મતદાન અમદાવાદનું ભાવિ નક્કી કરશે. જુઓ આઝાદીથી અત્યાર સુધીની AMCની આ ખાસ ગાથા પણ મનપા સામે આખલાની જેમ 7 સમસ્યાઓ હજુ પણ ઉભી છે. વીડિયો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની આ વખતની ચૂંટણી એક અલગ જ કારણે ચર્ચામાં છે. કારણ કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઘણા ઉમેદવારોના ફોર્મ રદ થયા અથવા તો એમણે પાછા ખેંચી લીધા. પરિણામે ભાજપે 700થી વધુ બેઠકો બિનહરિફ જીતી લીધી. એમાં પણ કડી અને ગણદેવી તો એવી નગરપાલિકા છે, જ્યાં મતદાન થયા વગર જ ભાજપને સત્તા મળી ગઈ. આવા ગજબનાક ઘટનાક્રમને સમજવા માટે અમે ગણદેવીમાં ઇન્વેસ્ટિગેશન કર્યું. તો કોંગ્રેસી નેતાઓની એવી દાનત ખુલ્લી પડી, જેનાથી જનતા જ નહીં મોટા નેતાઓ પણ કદાચ અજાણ હશે. સત્તાની સજાવેલી થાળી ભાજપને ભેટમાં મળવાની ઘટના શું છે?આ પ્રકરણની શરૂઆત થઈ 11 એપ્રિલથી. ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ગણદેવી નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો છે. જ્યાં ગયા વખતે તમામ બેઠકો ભાજપ જીતી ગયું હતું. આ વખતે કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી ગયા. જેમ તેમ કરીને 18 બેઠકો માટે ઉમેદવારો નક્કી કર્યા. એટલે કે ઉમેદવારી માટે કોંગ્રેસમાં આંતરિક રીતે કોઈ ખેંચતાણ ન હતી એ સ્પષ્ટ રીતે માલુમ પડે છે. એક સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારોના ફોર્મ રદ થયાચૂંટણી કેલેન્ડર પ્રમાણે 11 એપ્રિલે બપોરના 3 વાગતા સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાય એમ હતું. કોંગ્રેસના નેતાઓ 18 ઉમેદવારો ફોર્મ લઈને દોઢ વાગ્યે પહોંચ્યા પરંતુ મેન્ડેટ 3 વાગતા સુધીમાં ન પહોંચી શક્યા. એટલે ચૂંટણી અધિકારી મિતેશ પટેલે કહી દીધું કે ‘હવે મેન્ડેટ સ્વીકારવામાં આવશે નહીં.’ 13 એપ્રિલે ફોર્મ ચકાસણી થઈ, મેન્ડેટ ન હોવાથી કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ રદ થયા અને ભાજપના નેતાઓ આ બેઠકો પર બિનહરિફ વિજેતા જાહેર થયા. પણ…પણ…પણ.. આ ઘટનાક્રમ દેખાય છે એટલો ચોખ્ખો નથી. એક સાથે 18 ઉમેદવારોના મેન્ડેટ ન પહોંચવા એ અસામાન્ય ઘટના હતી. આ સમાચાર આવતા જ પહેલી નજરે લાગ્યું કે દાળમાં કંઈક કાળુ છે. એટલે વિગતવાર આખો ઘટનાક્રમ સમજવા માટે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર ત્રણ દિવસ ગણદેવી, ચિખલી અને નવસારીમાં રહ્યા અને ઇન્વેસ્ટિગેશન કર્યું. અમે કોંગ્રેસી નેતાઓને મળ્યા, જરૂર લાગી ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યું અને સત્તાવાર ઇન્ટરવ્યૂ પણ લીધા. જેમાં અમે જાણ્યું તે અમદાવાદના પ્રદેશ કાર્યાલયથી મેન્ડેટ કોણ લઈને નીકળ્યું? ફોર્મ ભરાઈ રહ્યા હતા ત્યારે મેન્ડેટ ક્યાં હતા? મેન્ડેટ મોડા પહોંચવા પાછળનું કારણ ખરેખરમાં શું છે? એ જાણવા માટે અમે વિવિધ નેતાઓને મળીને આખો ઘટનાક્રમ સમય પ્રમાણે ગોઠવ્યો. જેમાં ખરેખર કોની “ભૂલ” હતી એ ખબર પડી ગઈ. સૌથી પહેલાં આ કોષ્ટકમાં આપેલી માહિતી જુઓ. કોંગ્રેસના નેતાઓ સવા 1 વાગ્યાની આસપાસ ઉમેદવારો સાથે ફોર્મ ભરવા માટે ચિખલી પહોંચી ગયા હતા. ડિપોઝિટ જમા કરાવ્યાની રસિદમાં લખેલા સમય પ્રમાણે તેમણે પહેલું ફોર્મ વોર્ડ નંબર 2ના ઉમેદવાદ અમીના બેનનું 2 વાગીને 37 મિનિટે જમા કરાવ્યું હતું. જ્યારે છેલ્લું ફોર્મ પણ અમીના બેનનું વોર્ડ નંબર 3ના ઉમેદવાર તરીકે 2 વાગીને 55 મિનિટે જમા કરાવ્યું હતું. ફોર્મ જમા કરાવવાનો સમય 3 વાગ્યા સુધીનો હતો. એટલે જો 5 મિનિટ પહેલાં જ ફોર્મ જમા કરાવી દીધા હોય તો સમયસીમા પૂરી થતાં પહેલાં ઉમેદવાર કે અધિકારીઓને મેન્ડેટ યાદ આવ્યા હતા કે નહીં? કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા પછી 13મી એપ્રિલે નવસારી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની સૌથી પહેલી પ્રતિક્રિયા આવી હતી. તેમણે આ મુદ્દે આક્રોશ વ્યક્ત કરીને હાઇકોર્ટ જવા સુધીની તૈયારી દર્શાવી હતી. પણ પછી જાણે કાંઈ થયું જ ન હોય એમ ન તો શૈલેષ પટેલ આ બાબતે આગળ વધ્યા, ન તો પ્રદેશ કક્ષાએથી હલચલ જોવા મળી. એટલે અમે સૌથી પહેલાં શૈલેષ પટેલને મળવાનું નક્કી કર્યું. શૈલેષ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત થયા પછી તેમણે 16 એપ્રિલે બપોરે 1 વાગ્યે રૂબરૂ મળવા માટેની તૈયારી દર્શાવી. જો કે 1 વાગ્યાનો વાયદો કર્યા બાદ પણ શૈલેષ પટેલ 3 વાગ્યે પહોંચ્યા. તેમણે ઓનરેકોર્ડ ઇન્ટરવ્યૂ આપવાનો ઇન્કાર કરી દીધો. એટલે નાછૂટકે અમારે સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું. રૂબરુ મુલાકાત દરમિયાન અમે સૌથી પહેલાં ફોર્મ ભરાયા એ દિવસના ઘટનાક્રમ અંગે સવાલ કર્યા. જેના જવાબમાં શૈલેષ પટેલે કહ્યું, મેન્ડેટ તો અમે જ અમદાવાદથી લાવીએ છીએ. અમે સવારમાં લખીને આપી દીધા હતા. કુલ 18 લોકોના મેન્ડેટ લખ્યા હતા. પણ અધિકારી રાજરમત રમી ગયા. તેમણે આગળ કહ્યું, કુલ 18 ઉમેદવારોના ફોર્મ ભરવાના હતા. એમના ફોર્મ અને ફી ભરવાની પ્રક્રિયા 3 વાગતા સુધીમાં પતી ગઈ. તમામ લોકો સંકુલમાં જ હતા. પણ ફોર્મમાં જે તે વસ્તુ ખુટે છે એમ કહેતા સમયમર્યાદા કરતા 7 મિનિટ વધુ થઈ ગઈ. પછી અમારા લોકો મેન્ડેટ આપવા ગયા એટલે ચૂંટણી અધિકારીએ ના પાડી દીધી. “અમારા આગેવાનોએ મને ફોન કર્યો. હું હાઇવે પર જ હતો. એટલે પાંચ મિનિટમાં પહોંચી ગયો. ત્યારે ચૂંટણી અધિકારી મિતેષ પટેલે મને પણ કહ્યું કે ‘સાત મિનિટ વધારે થઈ ગઈ છે.’ મેં કહ્યું, ‘ફી ભરી દીધી છે, તેની રસિદ પણ છે. એ લોકોએ ફોર્મમાં સુધારા તમારા અધિકારીની દેખરેખમાં કરતા હતા તો પછી વાંધો શું છે?’ મને 50 લાખની ઓફર હતી- શૈલેષ પટેલવાતવાતમાં શૈલેષ પટેલે એક ચોંકાવનારો દાવો કર્યો કે, ભાજપના કાર્યકરોએ મને પણ પ્રલોભન આપ્યા હતા. એ લોકો ચહેરા અને હોદ્દા જોઈને ઓફર કરે છે. મને નબળા ઉમેદવાર ઉભા રાખવા માટે 50 લાખ રૂપિયાની ઓફર હતી. જિલ્લા પંચાયતની જે પણ સીટ પર એ લોકો હારતા હોય ત્યાં મારે નબળા ઉમેદવાર મૂકવાના. એટલે એ લોકો જીતી જાય. મારે એવી 10 સીટ સેટ કરવાની હતી. એમાં 50 લાખ રૂપિયાની ઓફર હતી. પરંતુ અમે ઉમેદવાર મજબૂત મૂક્યા એટલે અમારા ઉમેદવાર ખરીદવા પડ્યા. એ લોકોએ ખરીદીને, ધમકાવીને ઉમેદવાર પાડી દીધા. પોલીસવાળા મને કહે છે કે ચૂંટણી વખતે સરખા રહેજો નહીં તો તમારા પર કેસ થશે. અમારી પાસે ઓફર તો ઘણા પ્રકારની આવે. પણ મારી પાસે એ લોકો નથી કરી શકતા. શૈલેષ પટેલ બોલ્યા, મારે કહેવું ન જોઈએ પણ મારા કાર્યકારી પ્રમુખને તો એ લોકોએ ખરીદી લીધો. એક રેગ્યુલર પ્રમુખ સાથે પણ સેટિંગ કરી લીધું. અમે વેરો ભર્યો, જેમ તેમ કરીને ઉમેદવારો તૈયાર કર્યા હતા- શૈલેષ પટેલશૈલેષ પટેલે અન્ય એક સવાલના જવાબમાં જણાવ્યું, અત્યારે કોંગ્રેસના ઉમેદવારોની સ્થિતિ એવી છે કે એ લોકોનો ઘર વેરો પણ અમારે ભરવો પડ્યો. એ લોકોની ડિપોઝિટ પણ આપવાની અને જેમ તેમ કરીને ચૂંટણી લડાવવા માટે લાવવાના. એવી પરિસ્થિતિમાં 18 ઉમેદવાર તૈયાર કર્યા હતા. શૈલેષ પટેલ સાથેની મુલાકાતથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ફોર્મ ભરાયા ત્યારે કોંગ્રેસના એક નેતા પાસે મેન્ડેટ હતા અને આ નેતા પ્રાંત અધિકારીની ઓફિસે જ હાજર હતા. પરંતુ આવી હકીકત સામે આવતા જ કેટલાક ગંભીર સવાલો પણ ઉઠ્યા. મેન્ડેટ વગર ફોર્મ ભર્યા એટલે ઉમેદવારી રદ થવી નક્કી હતી. વાજતેગાજતે ઉમેદવારી નોંધાવવા માટે ગયેલા કોંગ્રેસના નેતાઓ વીલા મોઢે એ દિવસે ઘરે પરત ફર્યા હતા. આ જ ઉમેદવારો સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. એટલે સચોટ સત્ય જાણવા માટે અમે એવા નેતાને મળ્યા, જેનું ફોર્મ મેન્ડેટ ન હોવાના કારણે રદ થયું. અમારી મુલાકાત મયુર શાંતિલાલ મિસ્ત્રી સાથે થઈ. જેઓ ગણદેવી શહેર કોંગ્રેસ પ્રમુખ છે અને તેમણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5માંથી ઉમેદવારી નોંધાવવાની તૈયારી કરી હતી. વાંચો… મયુર મિસ્ત્રી સાથેના સવાલ-જવાબ. જેનાથી ઘણુ ખરું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. પહેલાં શૈલેષ પટેલ અને ત્યાર બાદ મયુર મિસ્ત્રી સાથેની વાતચીતથી ખ્યાલ આવી ગયો કે મેન્ડેટ તો સમયસર મળી જ ગયા હતા. પરંતુ એ યોગ્ય સમયે રજૂ કેમ ન કર્યા? આ વાતનો જવાબ એક જ વ્યક્તિ પાસે મળે એમ હતો. આ વ્યક્તિ એટલે નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ. તેમણે મળવા અમે શહેર કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા. કોંગ્રેસી નેતાએ કહ્યું, પ્રદેશ કક્ષાએથી કોઈ મદદ ન મળીગણદેવી શહેરમાં એક કોમ્પ્લેક્સના અંડરગ્રાઉન્ડ ફ્લોર પર કોંગ્રેસની ઓફિસ આવેલી છે. ઓફિસમાં ગાદલા પાથરીને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ચૂંટણી જ ન હોવાના કારણે કાર્યાલય પર સન્નાટો હતો. અમે ત્યાં પહોંચ્યા તો ત્રણેક લોકો જ હાજર હતા. એક પીઢ કોંગ્રેસી કાર્યકરે કહ્યું, અહીંયાં કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળતા, માંડ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. અમુક ઉમેદવારોનો વેરા પણ અમે અમારા ખિસ્સાના રૂપિયા કાઢીને ભર્યો હતો. અમને પ્રદેશ કોંગ્રેસે મદદ નથી કરી, કોઈ ફંડ નથી આપ્યું. ઝેરોક્ષ કરાવવાના રૂપિયા પણ અમારે ચૂકવવા પડે છે એવી હાલત છે. થોડા જ સમયમાં અમારી મુલાકાત નવસારી જિલ્લા કોંગ્રેસના મંત્રી મિનેશ પટેલ ઉર્ફે મુન્નાભાઈ પટેલ સાથે થઈ. મેન્ડેટ એમની પાસે હોવાનું અગાઉ બે લોકો કહી ચૂક્યા હતા. એટલે અમે સત્ય જાણવા માટે ટૂ ધી પોઈન્ટ અને આકરા સવાલો પૂછ્યા. દિવ્ય ભાસ્કર- તમે ફોર્મ ભરવા માટે કેટલા વાગ્યે નીકળ્યા હતા?મિનેશ પટેલ- અમે ચિખલીની કોંગ્રેસ ઓફિસથી ગણદેવી SDM કચેરીએ ફોર્મ ભરવા માટે એક-સવા એક વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. અમે દોઢ વાગતા સુધીમાં કચેરીએ પહોંચી ગયા હતા. અમને એવી માહિતી આપવામાં આવી તે તમારા બધા ઉમેદવારોના ફોર્મ ઓબ્ઝર્વેશન રૂમમાં ચેક કરાવી લો. અમે ત્યાં ગયા અને ઉમેદવારોના ફોર્મ ચેક કરાવ્યા. એમણે (અધિકારીઓએ) અમને “ઓકે” લખીને આપ્યું અને કહ્યું, ‘તમે પ્રાંત અધિકારીની કચેરીમાં આ ફોર્મ જવા કરાવી દો અને ફી ભરી દો.’ એટલે અમે પ્રાંત અધિકારીની ઓફિસમાં ગયા અને બધાના ફોર્મ રજૂ કર્યા. એમણે ફોર્મ ચેક કરીને ફરીથી “ઓકે” લખ્યું. ત્યાર પછી બધાની ડિપોઝિટની રસીદ પણ ફડાવી આપી. ‘પછી ત્રણ વાગવામાં એક-બે મિનિટ બાકી હતી ત્યારે અમારા ગણદેવીના શહેર પ્રમુખ મયુર મિસ્ત્રીને પૂછ્યું કે તમારા મેન્ડેટ ક્યાં છે?’ ‘ત્યારે મયુર મિસ્ત્રી જવાબ આપ્યો, મેન્ડેટ બહાર જ છે. અમે તમને લાવીને આપીએ છીએ. આ રીતે વાત કરી તો તરત જ પ્રાંત અધિકારીએ કહ્યું, હવે સમય પૂરો થઈ ગયો છે, તમે મેન્ડેટ નહીં આપી શકો.’ દિવ્ય ભાસ્કર- તમને કોઈ લોભલાલચ આપવામાં આવી હતી?મિનેશ પટેલ- ના.. એવું કાંઈ નથી. પરંતુ ભાજપના મંત્રી દ્વારા જ પ્રાંત અધિકારીને દબાણ હોય કે કોંગ્રેસના ફોર્મ રદ કરવા, એવું થયું હોય એમ અમને લાગે છે. કારણ કે અમારી વાત જરાય સાંભળવામાં નથી આવી. ગણદેવીના અત્યાર સુધીના ઇતિહાસમાં ગણદેવી મામલતદાર ઓફિસ કે નગરપાલિકામાં જ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. આ વખતે પહેલીવાર એવું થયું કે ચિખલીમાં પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા જવાનું થયું. આ ફેરફાર કેમ આવ્યો તેનો ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- તમે પ્રદેશ કક્ષાએ આ મુદ્દે કોઈ વાત કરી? ચૂંટણી અધિકારીના નિર્ણય વિરુદ્ધ તમે કોર્ટમાં જવાના હતા એનું શું થયું?મિનેશ પટેલ- શૈલેષ પટેલ સાથે વાત થઈ છે અને પ્રદેશકક્ષાએ પણ વાત થઈ છે. એમણે કહ્યું છે કે હાઇકોર્ટમાં અરજી કરવી પડશે. પ્રદેશમાં કોઈક વકીલ સાથે વાત થઈ છે. પ્રદેશ કક્ષાએથી કોઈક વકીલે કહ્યું છે કે આ પ્રક્રિયા ચાલુ જ રહેશે. પરંતુ ચૂંટણી પતે એના 15 દિવસની અંદર હાઇકોર્ટમાં અરજી દાખલ કરીશું. મિનેશ પટેલે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન છે કે જો આવી પરિસ્થિતિમાં એક-બે મિનિટ આમતેમ થાય તો લોકશાહીના હિતમાં મેન્ડેટ સ્વીકારવા જોઈએ. પરંતુ કોઈ જાતની વાત માનવામાં નથી આવી. પ્રાંત અધિકારીએ ભાજપના કોઈ મંત્રીના દબાણમાં આવીને કામ કર્યું હોય એવું લાગે છે. ચૂંટણી અધિકારીએ મેન્ડેટ પ્રકરણ પર કહ્યું, અમારી પાસે વીડિયો પુરાવા છેપરિસ્થિતિ વધુ સ્પષ્ટ રીતે સમજી શકાય એ હેતુથી અમે ચિખલીના પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા મિતેશ પટેલને મળવાનું નક્કી કર્યું. જ્યારે અમે તેમને પ્રશ્ન કર્યો કે, ઉમેદવારો પાસે મેન્ડેટ હોવા છતાં માત્ર પાંચ-દસ મિનિટના વિલંબને કારણે લોકશાહીના હિતમાં ફોર્મ કેમ સ્વીકારવામાં ન આવ્યું? ત્યારે તેઓ ઓન-કેમેરા બોલવા તૈયાર નહોતા. જોકે, ઓફ-કેમેરા તેમણે આખી ઘટનાની વિગતો સમજાવી હતી. તેમણે જણાવ્યું કે, જ્યારે ઉમેદવારો ફોર્મ ભરવા આવે છે, ત્યારે વહીવટી તંત્ર તરફથી તેમને સંપૂર્ણ સહયોગ આપવામાં આવે છે અને અમે નિષ્પક્ષ રીતે જ કામ કરીએ છીએ. કોઈપણ રાષ્ટ્રીય પક્ષ વતી ઉમેદવારી નોંધાવતી વખતે પક્ષનું મેન્ડેટ જમા કરાવવું ફરજિયાત છે. અમે પૂરતી કાળજી રાખીએ છીએ કે તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ થાય અને જો કોઈ ઉમેદવારને તકલીફ પડે તો અમે મદદ પણ કરીએ છીએ. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ થયા તે બાબતે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, અમારી ઓફિસના કેમેરા સતત કાર્યરત હોય છે. ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખે બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય હતો. અમારા કર્મચારીઓ દ્વારા વારંવાર બૂમો પાડીને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે તમામ બાબતો કેમેરામાં કેદ થયેલી છે. આમ છતાં, કોંગ્રેસના ઉમેદવારો સમયસર મેન્ડેટ રજૂ કરી શક્યા નહોતા. નિયમ મુજબ, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ અમે કશું કરી શકતા નથી. આ મુદ્દે અમે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીને સવાલો કર્યો તેમણે કહ્યું, પક્ષ તરફથી ક્યાંય ભૂલ થઈ હશે, પક્ષના કોઈ આગેવાને કરી હશે, પક્ષના કોઈ સ્થાનિક પદાધિકારીએ કરી હશે તો તેને કોઈ પદ પર રાખવામાં નહીં આવે. કારણ કે હજારો કાર્યકરોની મહેનત લાગી હોય, હજારો મતદારો મતાધિકાર ગુમાવી દેતા હોય એવા સંજોગોમાં કોંગ્રેસની જવાબદારી બને છે કે આવું ખોટું થયું હોય તો ચલાવી લેવાય નહીં. જો કે હાઇકોર્ટ જવાનો દાવો કરતી કોંગ્રેસ અરજી ક્યારે કરશે એ મોટો સવાલ છે. કારણ કે બિનહરિફ ઉમેદવારોને ચૂંટણી અધિકારીએ સર્ટિફિકેટ આપી દીધા છે અને ભાજપ ગણદેવી પાલિકા પર સત્તા મેળવી ચૂક્યું છે. અગાઉ રાજ્યસભાની ચૂંટણીમાં એવું બની ચૂક્યું હતું કે કોંગ્રેસ ગેરરીતિના આરોપ લગાવીને ગણતરીના કલાકોમાં જ કોર્ટ તેમજ ચૂંટણીપંચ સુધી પહોંચી ગઈ હોય.
ભાસ્કર વિશેષ:ખરવા મોવાસા રસીકરણમાં રાજ્યમાં કચ્છ પ્રથમ
કચ્છ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પશુધનને ગંભીર રોગોથી સુરક્ષિત કરવાના હેતુ સાથે ‘ખરવા મોવાસા’ (FMD) રસીકરણની ખાસ ઝુંબેશની શરૂઆત 1 માર્ચથી કરવામાં આવી હતી છે. આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્લાના અંદાજે 9,85,900 જેટલા ગાય અને ભેંસ વર્ગના પશુઓનું રસી આપવાનું આયોજન છે. . આ ખાસ ઝુંબેશ 1લી માર્ચથી 15મી એપ્રિલ સુધી સતત દોઢ મહિનો ચાલવાની હતી, પરંતુ આ ડેડ લાઈનમાં કેન્ચાદ્લર સરકાર દ્શેવારા 15 દિવસનો વધારો કરીને હવે 30 એપ્રિલ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કચ્છના 7 લાખ 33 હજાર 225 ગાય અને ભેંસને રસીકરણ સાથે રાજ્યમાં 75 ટકા કામગીરી સાથે પ્રથમ ક્રમે છે. જેમાં 6 મહિનાથી ઉપરની વયના તમામ ગાય અને ભેંસ વર્ગના પશુઓને આ રસી વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. પશુપાલકોની સગવડતા માટે સરકારી પશુ દવાખાનાઓ ઉપરાંત ગામે-ગામ ખાસ રસીકરણ કેમ્પનું આયોજન કરાઈ રહ્યું છે. રસીકરણની પ્રક્રિયાને વેગ આપવા માટે 23 પશુ ચિકિત્સા અધિકારીઓ, 45 પશુધન નિરીક્ષકો અને 150 પેરાવેટ્સની ટીમ કાર્યરત કરવામાં આવી છે.રસીના જથ્થાને સુરક્ષિત રાખવા માટે તાલુકા કક્ષાએ કોલ્ડ ચેઈન જાળવવામાં આવી છે અને કોઈ પણ કટોકટી માટે વધારાનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે. નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. વિજયભાઈ દેસાઈએ જિલ્લાના તમામ પશુપાલકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના પશુધનને આ રસી અપાવી ખરવા મોવાસા જેવા જીવલેણ રોગ સામે રક્ષણ અપાવે. જો કોઈ પશુ બીમારી કે અન્ય કારણોસર રસીથી વંચિત રહી જાય, તો તેનો રેકોર્ડ રાખીને પાછળથી અચૂક રસીકરણ કરવામાં આવશે. પશુઓ માટે કેમ જરૂરી છે ખરવા-મોવાસાની વેક્સિનપશુઓમાં જોવા મળતો ખરવા-મોવાસાએ એક અત્યંત ચેપી વિષાણુજન્ય રોગ છે, જે પશુધનને ગંભીર શારીરિક નુકસાન પહોંચાડવાની સાથે પશુપાલકોને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે. આ રોગ સામે સમયસર રસીકરણ કરાવવાથી પશુઓમાં મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવાય છે, જે તેમને જીવલેણ સંક્રમણથી સુરક્ષિત રાખે છે. રસીકરણનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખે છે, કારણ કે આ રોગના પ્રકોપથી દૂધમાં 5% થી 50% સુધીનો મોટો ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત, રસીકરણથી પશુઓમાં ગર્ભપાત અને વંધ્યત્વ જેવી પ્રજનન સમસ્યાઓ અટકે છે અને બીમાર પશુઓના મોંઘા નિદાન તેમજ સારવારના ખર્ચમાં પણ મોટી બચત થાય છે. જો ગામના તમામ પશુઓને રસી અપાયેલી હોય, તો આખા વિસ્તારમાં રોગચાળાને ફેલાતો અટકાવી શકાય છે. આથી, પશુપાલકોએ આર્થિક સ્થિરતા અને પશુધનની તંદુરસ્તી માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતા મફત અભિયાનનો લાભ લઈ દર છ મહિને આ રસી અચૂક અપાવવી જોઈએ. ખરવા-મોવાસા એટલે શું
નરનારાયણદેવનાં 203માં પાટોત્સવની ઉજવણી:અન્નકૂટ ઉત્સવમાં ભાવિકોની ભક્તિ છલકાઇ
ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણદેવનાં 203મા પાટોત્સવ ઉજવાયો હતો. શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત પોથી યાત્રા યોજાઇ હતી. કથાના સમાપને મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મકુળ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર , મુન્દ્રા તેમજ ચોવીસીના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અભિષેક અને અન્નકુટ દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી નરનારાયણ દેવનાં 203માં પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે મૂળ માધાપર હાલે બોલ્ટન લંડનના અ.નિ. વિશ્રામભાઈ કાનજી વરસાણી તથા અ.નિ. ખીમજીભાઈ હીરા વાગડીયા પરિવારના અક્ષરનિવાસી ભક્તોની સ્મૃતિમાં નાનદાસભાઈ સામજી વરસાણી સહ પરિવારે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતુ. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજીએ કર્યુ હતું. કથા દરમ્યાન ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ, શ્રીહરિ ભુજ આગમન, ફૂલદોલોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. ઉજવણીનાં સમાપને વહેલી સવારે વિધિવિધાન સાથે પંચામૃતથી ઠાકોરજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. મહોત્સવને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી ગોલોકવિહારી દાસજી, મુખ્ય કોઠારી રામજીભાઈ વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસીયા, ટ્રસ્ટીઓ ખીમજી ભગત, દિનેશ ભગત, ઘનશ્યામવલ્લભદાસજી, પુરૂષોત્તમપ્રિય દાસજી, શ્રીહરિપ્રસાદ દાસજી, વિજ્ઞાન દાસજી, ભક્તિપ્રકાશ દાસજી, પુરૂષોત્તમ સ્વરૂપદાસજી, કૃષ્ણવિહારી દાસજી, શાન્તિસ્વરૂ પદાસજી, નંદકિશો રદાસજી, ઘનશ્યામ ચરણદાસજી, ગોવલ્લભ દાસજી, દિવ્યપ્રસાદ દાસજી, વિવેકસાગર દાસજી, જગજીવન દાસજી, ઘનશ્યામ પ્રકાશદાસજી, બ્રહ્મવિહારી દાસજી, જ્ઞાનસ્વરૂપ દાસજી, જ્ઞાનપ્રિય દાસજી, નિલકંઠસ્વરૂપ દાસજી, ઘનશ્યામચરણ દાસજી, ઘનશ્યામસેવક દાસજી, પ્રેમવલ્લભ દાસજી આદિ સંતો, કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રામાં મહિલા બેન્ડે આકર્ષણ જમાવ્યુંકથા પ્રારંભ પૂર્વે સ્મૃતિ મંદિરથી વાજતે-ગાજતે નીકળેલી પોથીયાત્રામાં સંતો, સાંખ્યયોગી બહેનો જોડાયા હતાં. પટેલ ચોવીસીની મંડળીએ કીર્તનની રમઝટ બોલાવી હતી જ્યારે મહિલા બેન્ડ અને પાઇપ બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. કથાનાં વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી આનંદવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી પ્રેમવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યુ હતું.
કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી
ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ પહેલા કચ્છમાં ભારતીય સેનાએ પોતાની શક્તિ, તૈયારીઓ અને આધુનિક યુદ્ધક્ષમતાનું પ્રભાવશાળી પ્રદર્શન કરીને વિશ્વપટલ પર સંદેશ મૂક્યો છે કે દેશની સુરક્ષા માટે તે સર્વદિશામાં સજ્જ છે. એર ડિફેન્સ રેજિમેન્ટ દ્વારા L70 એર ડિફેન્સ ગન અને ડ્રોન ટેકનોલોજીના પ્રદર્શન સાથે દુશ્મનના સંભવિત હુમલાઓને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ રજૂ કરાઈ હતી. ડ્રોન ટેકનોલોજીના વધતા પ્રભાવ વચ્ચે સેનાએ દેખરેખ, લક્ષ્ય ઓળખ અને જેતે સમયની ગુપ્ત માહિતી એકતરીત કરવાની ક્ષમતાને વધુ મજબૂત બનાવી હતી. સાથે જ એર ડિફેન્સ સિસ્ટમ્સના ઝડપી પ્રતિસાદ આપવાની ક્ષમતા પણ સામે આવી હતી. કવાયતથી જમીન અને જળ બંને મોરચે સૈન્ય વ્યૂહરચનાઓનું પ્રદર્શન કરાયું, જેમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાએ ખાડી વિસ્તારમાં જમીન અને પાણી બંને પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું.
આગ લાગી:દયાપર-દોલતપર હાઇવે પર ટ્રકમાં અચાનક આગ લાગી
દયાપરથી એકાદ કિલોમીટરના અંતરે દોલતપર તરફથી આવી રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. હાઈવે માર્ગ પર આવેલા પોલીસ મથક નજીક બુધવારે સવારે દસેક વાગ્યાના અરસામા બનાવ બન્યો હતો. ચિનાઈ માટીના પાઇપ ભરેલ ટ્રકમાં આગના બનાવને લઈને જીએમડીસી પાનધ્રો તેમજ ઉંમરસરમાં જાણ કરતા ફાયર ફાઈટર દોડી આવ્યા હતા. અને સળગતી ટ્રક પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. હાઇવે માર્ગ પર બનેલા બનાવને લઈને રસ્તાની બંને તરફ વાહનોને લાંબી કતાર લાગી ગઈ હતી. બનાવને પગલે દયાપર પોલીસ જવાનો પણ દોડી આવ્યા હતા. આગનો બનાવ ગાડીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બંને હોવાનું લોકોએ જણાવ્યું હતું. ટ્રકના આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો.
મુસાફરોમાં ફફડાટ ફેલાયો:ભુજ-નલિયા ST બસમાં ખિસ્સાકાતરૂનો ઉપદ્રવ : 3 દિવસમાં 3 મોબાઈલ ચોરાયા
કચ્છમાં વેકેશન અને ધાર્મિક ઉત્સવોની મોસમ શરૂ થતા જ બહારગામથી આવતા પ્રવાસીઓની ભીડનો લાભ લેવા ખિસ્સાકાતરૂ ટોળકી સક્રિય બની છે. ખાસ કરીને ભુજથી નલિયા જતી એસટી બસોમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ મોબાઈલની ચોરી થતા મુસાફરોમાં ફફડાટ ફેલાયો છે. આ અંગેની એક ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં મુસાફરોને સાવચેત રહેવા અને પોલીસ ફરિયાદ કરવા અપીલ કરવામાં આવી છે. હાલમાં મુંબઈ સ્થિત કચ્છી માડુઓ વેકેશન અને સામાજિક પ્રસંગો માટે વતન આવી રહ્યા છે. મુંબઈથી ટ્રેન દ્વારા વહેલી સવારે ભુજ રેલવે સ્ટેશન ઉતર્યા બાદ મુસાફરો અબડાસા જવા માટે એસટી બસ સ્ટેશન પહોંચે છે. લાંબી મુસાફરીના થાકને કારણે મુસાફરો અસાવધ હોય છે, જેનો લાભ ખિસ્સાકાતરૂઓ ઉઠાવે છે. બસોની સંખ્યા મર્યાદિત હોવાથી ભીડનો લાભ લઈ ગઠિયાઓ નજર ચૂકવી મોબાઈલ અને કિંમતી સામાન સેરવી લે છે. ચોરીનો ભોગ બનનારા મોટાભાગના મુસાફરો બહારગામના હોવાથી પોલીસ સ્ટેશનના ધક્કા અને કાયદાકીય ગૂંચવણથી બચવા ફરિયાદ કરવાનું ટાળે છે. મુસાફરોને કયા પોલીસ મથકે જવું તેની જાણકારી હોતી નથી, પરિણામે ગઠિયાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. વાયરલ ઓડિયોમાં પણ ઉલ્લેખ છે કે અનેક ઘટનાઓ છતાં હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી.જો એસટી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા વહેલી સવારે બસ સ્ટેશન પર ચેકિંગ વધારવામાં નહીં આવે, તો વતનમાં આવતા પ્રવાસીઓમાં કચ્છની સુરક્ષા અંગે ખરાબ છાપ ઊભી થશે તેવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સાવચેતીની અપીલ

31 C