ગણદેવી સુગર ફેક્ટરીમાં ગેસ લીકેજની મોકડ્રીલ:6 કામદાર ગૂંગળાયા, તંત્રની સજ્જતા ચકાસાઈ
ગણદેવી સ્થિત સુગર ફેક્ટરીમાં આજે ગેસ લીકેજની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આલ્કોહોલ ટેન્કરમાંથી ગેસ ગળતર થવાનો દ્રશ્ય ઊભું કરાયું હતું, જેના કારણે શરૂઆતમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોકડ્રીલના ભાગરૂપે, ફેક્ટરી પરિસરમાં ઉભા રાખવામાં આવેલા આલ્કોહોલ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાનો સંકેત આપવામાં આવ્યો હતો. આ દ્રશ્યને કારણે સ્થળ પર હાજર 6 જેટલા કામદારોની તબિયત લથડતી દર્શાવવામાં આવી હતી, અને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ અને ગણદેવી પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ત્વરિત કાર્યવાહી કરીને લીકેજ થઈ રહેલા કન્ટેનર પર પાણીનો મારો ચલાવી ગેસને હવામાં ફેલાતો અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે જહેમત બાદ ગેસ લીકેજ બંધ કરવામાં સફળતા મળી હતી. જ્યારે તમામ વિભાગોએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો, ત્યારે જાહેર કરવામાં આવ્યું કે આ કોઈ વાસ્તવિક દુર્ઘટના નહોતી, પરંતુ એક મોકડ્રીલ હતી. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ગેસ લીકેજ જેવી કટોકટી સમયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ, પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રતિભાવ ક્ષમતા અને સજ્જતા ચકાસવાનો હતો. ઓપરેશન સફળ રહેતા અને તંત્રની કામગીરી સંતોષકારક જણાતા ઉચ્ચ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજમાં આજે આગ લાગવાની ઘટના બનતા શૈક્ષણિક આલમમાં ચિંતા પ્રસરી ગઈ હતી. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આ આગને કારણે કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા ઓફિસમાં ધુમાડાના ગોટા નીકળ્યાપ્રાપ્ત વિગતો અનુસાર, ભગવાન મહાવીર કોલેજમાં આ ઘટના નર્સિંગ ડિપાર્ટમેન્ટના પહેલા માળે આવેલી ઓફિસમાં બની હતી. ઓફિસમાં લાગેલા એસીના વાયરિંગમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. વાયરિંગમાં લાગેલી આગે જોતજોતામાં ઓફિસની બારીના પડદાને ઝપેટમાં લઈ લીધા હતા, જેના કારણે ઓફિસમાં ધુમાડાના ગોટા નીકળવા લાગ્યા હતા. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યોઆગની જાણ થતા જ કોલેજ તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા વેસુ ફાયર સ્ટેશન અને ભીમરાડ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે રવાના થયો હતો. સબ ફાયર ઓફિસર કિશોર પટેલની આગેવાનીમાં ફાયરના જવાનોએ બંને ગેટની ટીમ સાથે મળીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જાનહાનિ ટળી પણ માલસામાનને નુકસાનરાહતની વાત એ છે કે આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. જે સમયે આગ લાગી ત્યારે ઓફિસમાં કોઈ હાજર ન હોવાથી મોટી હોનારત ટળી હતી. જોકે, આગમાં એસીનું વાયરિંગ અને ઓફિસના પડદા સળગીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ બીજા રૂમો કે ઉપરના માળે પ્રસરતા અટકી ગઈ હતી.
આણંદ જિલ્લામાં રામનવમીના પવિત્ર પર્વની લોહાણા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ સંગઠનો અને સંસ્થાઓએ આ નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. વલ્લભ વિદ્યાનગર ખાતે શ્રી લોહાણા મિત્ર મંડળ દ્વારા નીલકંઠ મહાદેવ મંદિરમાં નૂતન વસ્ત્રો ભેટ ધરવામાં આવ્યા હતા. મંડળના પ્રમુખ રાજેશભાઈ કારિયા અને ઉપસ્થિત સભ્યોએ સમૂહ આરતી કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ઉપપ્રમુખ જયેશભાઈ ઠકરારે કર્યું હતું. તે જ દિવસે સાંજે, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન આણંદ દ્વારા અમૃત વાડી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રામનવમીના પાવન દિવસે યજમાન પરિવાર મહેન્દ્રભાઈ સૂચક દ્વારા આરતી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ રીનાબેન કારિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને સૂચક પરિવાર દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને ફરાળ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સંસ્થાના ઉપપ્રમુખ અતુલભાઈ પાવાગઢી ગુજરાત લોહાણા સમાજ ફોરમના મધ્ય ઝોનના પ્રમુખ બન્યા હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લાના તમામ લોહાણા સંગઠનોએ તેમને બિરદાવ્યા હતા. શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહાજન આણંદના પ્રમુખ રીનાબેન કારિયા અને તેમની ટીમે શાલ ઓઢાડીને અતુલભાઈનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત, શ્રી સૌરાષ્ટ્ર લોહાણા મહિલા મંડળ અને શ્રી સૌરાષ્ટ્ર લોહાણા યુવક મંડળ દ્વારા પણ તેમને સન્માનિત કરાયા હતા. વલ્લભ વિદ્યાનગરના શ્રી લોહાણા મિત્ર મંડળના પ્રમુખ રાજેશભાઈ કારિયા અને તેમની કારોબારી ટીમે પણ સન્માન કર્યું. કન્યા છાત્રાલય અને વિદ્યાર્થી ભવનના હોદ્દેદારો પ્રવીણભાઈ ઠક્કર અને પ્રો. ચંદ્રકાંત તન્નાએ પણ અતુલભાઈ પાવાગઢીનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ, આણંદના પ્રખ્યાત કલાકાર ગીરીબાપુ અને તેમની ટીમે સુંદરકાંડના પાઠનું રસપાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રામનવમીની ઉજવણીમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. રાજેશભાઈ કારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરથી વિદ્યાર્થીઓને ભેટ:13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડની સ્કોલરશીપનું વિતરણ
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. 13.96 લાખથી વધુ વિદ્યાર્થીને સ્કોલરશીપનું વિતરણકાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹354 કરોડથી વધુની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી. રાજ્ય સરકારના આંકડા મુજબ વર્ષ 2023-24થી અત્યાર સુધીમાં કુલ 27.61 લાખ વિદ્યાર્થીઓને ₹1871.71 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે. નમો લક્ષ્મી અને સરસ્વતી યોજનાનમો લક્ષ્મી યોજના હેઠળ વર્ષ 2024-25થી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને ₹1438.06 કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે. સાથે જ 80 ટકા હાજરી ધરાવતી વિદ્યાર્થીનીઓને માર્ચ 2026 સુધીમાં ₹200 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. બીજી તરફ, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 1.5 લાખથી વધુ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ₹220 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જેમાંથી 80 ટકા હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને આગામી તબક્કે ₹60 કરોડથી વધુની રકમ આપવામાં આવનાર છે. મેરિટ આધારિત સ્કોલરશીપ યોજનાઓમુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ અત્યાર સુધીમાં 75,000 વિદ્યાર્થીઓને ₹119.1 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે અને બીજા સત્ર માટે ₹57 કરોડથી વધુની ચુકવણી થવાની છે. ઉપરાંત, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ 90,000 વિદ્યાર્થીઓને ₹94.55 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જ્યારે આગામી તબક્કે ₹36 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવશે. સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહનરાજ્યમાં Student Startup and Innovation Policy (SSIP 2.0) અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કલ્ચર વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને તેમના સ્ટાર્ટઅપ અથવા ઇનોવેશન આઈડિયા માટે ₹20,000 સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજાયેલા નેશનલ સ્ટાર્ટઅપ ડે 2025 કાર્યક્રમ દરમિયાન 110 વિદ્યાર્થીઓને ₹3.22 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જ્યારે જિલ્લા કક્ષાએ 735 વિદ્યાર્થીઓને ₹69.68 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારની આ યોજનાઓ માત્ર આર્થિક સહાય પૂરતી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા અને આત્મનિર્ભરતા વધારવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. ગુજરાતમાં શિક્ષણ સાથે નવીનતા તરફ આગળ વધતા વિદ્યાર્થીઓ માટે આ પહેલ એક મજબૂત આધાર બની રહી છે.
શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે મુખ્ય ચાર રસ્તા છે તેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે ત્યાંથી વાહનચાલકો જઈ શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરી કેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા હોવાથી ટ્રાફિક ઓછો થયો છે. પરંતુ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. 100 મીટર ફરીને જવાની જગ્યાએ લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છેય ડિવાઈડર કટ બંધ કર્યા છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં જે લોકો જઈ રહ્યા છે તેમને રોકવામાં આવ્યા નથી. મુખ્ય ચાર રસ્તા પર ડિવાઇડર બનાવાતા નથીજ્યારે પણ રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તા પર આમને સામને અવરજવર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે અને ઇજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે, ત્યાર બાદ સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે: ટ્રાફિક ડીસીપીટ્રાફિક ડીસીપી (પૂર્વ) નરેશ કણજારીયાએ જણાવ્યું કે, પૂર્વમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા મુખ્ય ટ્રાફિક જંકશનનો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસ કર્યા બાદ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર બેરીકેડીંગ લગાવી તેને બંધ કરી અને 100 મીટર દૂર તેના કટ આપવામાં આવે અને સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે. હીરાવાડી ચાર રસ્તા ખાતેના મુખ્ય જંકશનને બંધ કરી બંને તરફ 100 મીટર કટ આપવામાં આવ્યો છે. જેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી નથી. જે લોકો રોંગ સાઈડ જઈ રહ્યા છે તેઓને વિનંતી છે કે ટ્રાફિક વ્યવસ્થિત ચાલે તેના માટે રોંગ સાઈડ જાય નહીં. જે કટ બંધ કરવામાં આવ્યા છે ત્યાંથી 100 મીટર દૂર કટ આપેલા છે. જ્યાંથી વાહન ચાલકો જઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને કામગીરી કરવામાં આવી રહી છે જે પ્લાનિંગ આપવામાં આવે છે. માં સહયોગ આપી આ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.
• મુખ્યમંત્રીના હસ્તે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે. જેમાં વોર્ડ નં.16ના જંગલેશ્વર વિસ્તારમાં 1500 જેટલા ગેરકાયદેસર મકાનો-દુકાનો સહિતના દબાણ ઉપર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું તે 1.25 કિલોમીટર સુધીનો રસ્તો ખુલ્લો કરાવ્યા બાદ હવે રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આ કામનું ખાતુમહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ જ્યાં ડિમોલિશન કરાયું ત્યાં વોંકળો પણ પસાર થઈ રહ્યો હોવાથી હવે ત્યાં સ્લેબ કલ્વર્ટ બનાવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા બાપુનગર સ્મશાનથી શરૂ કરી નાડોદાનગર વિસ્તારમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે આ રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તૃત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ.632.13 કરોડના 44 વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.88.25 કરોડના 4 મહત્વપૂર્ણ પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે કુલ રૂ.543.89 કરોડના 40 પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં બાંધકામ વિભાગના રૂ.368.01 કરોડના કુલ 29 કામો, વોટર વર્કસ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા રૂ.173.17 કરોડના 7 કામો, ડ્રેનેજ વિભાગ દ્વારા રૂ.1.96 કરોડના 3 કામો અને રોશની વિભાગ દ્વારા રૂ.75 લાખના 1 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા આનંદ રાવળ નામના બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કલસી પુરા પાટા ગામના રહેવાસી કાનાભાઈ અમરાભાઇ ખાંટ વ્યવસાયે ડ્રાઇવિંગ કરે છે. તેઓ પોતાની માલિકીનો દસ ટાયર વાળો ટર્બો ટ્રક લઈને રાજપુરા સ્થિત આકાશ સિરામિકમાંથી ટાઇલ્સ ભરીને લુણાવાડા જવા નીકળ્યા હતા. ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોતઆ દરમ્યાન માણસા બજાર ક્રોસ કરી તેઓ પાંજરાપોળના વળાંક પાસે પહોંચ્યા હતા .ત્યારે સામેથી આવતી એક બાઇક (નંબર GJ-02-EE-9523) પૂરપાટ ઝડપે ટ્રકને અથડાઈ હતી. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ઉબખલ ગામનો રહેવાસી આનંદ રાવળ પોતાની બાઈક અત્યંત પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી રહ્યો હતો. આ દરમિયાન વળાક પાસે નિયંત્રણ ગુમાવતા બાઇક ટ્રકને અથડાઈ હતી. જેના કારણે ચાલક આનંદ રાવળ ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો હતો. જેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવીઆ ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇસમોને માણસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ટ્રક ચાલક કાનાભાઈ ખાંટે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આડા સંબંધોના વિરોધમાં સસરાની હત્યા:સુરેન્દ્રનગરમાં પુત્રવધૂ સહિત ત્રણ સામે ગુનો
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક હેઠળના ફૂલગ્રામ ગામમાં 58 વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબુની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મૃતકની પુત્રવધૂ સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ આડા સંબંધોનો વિરોધ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતક રમેશભાઈના નાના દીકરા અશોકભાઈની પત્ની ચકુબેન ગાબુને ગામના સોહીલ રમેશભાઈ જીડીયા સાથે આડા સંબંધો હતા. રમેશભાઈ અને તેમના મોટા દીકરા મહેશભાઈ આ સંબંધોનો સખત વિરોધ કરતા હતા અને ચકુબેન તથા સોહીલને અનેકવાર સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં, રમેશભાઈ ગાબુએ સોહીલ જીડીયા અને પુત્રવધૂ ચકુબેનને તેમના સંબંધો અંગે ઠપકો આપ્યો હતો. આ બાબતને લઈને સોહીલ જીડીયા અને ચકુબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન, સોહીલ જીડીયા, સોહીલના દાદાનો દીકરો સુરેશભાઈ લખમણભાઈ જીડીયા અને પુત્રવધૂ ચકુબેન ગાબુએ રમેશભાઈ ગાબુ પર હુમલો કર્યો હતો. આરોપી સોહીલ જીડીયાએ લોખંડના પાઇપ વડે રમેશભાઈના માથામાં માર માર્યો હતો, જ્યારે સુરેશ જીડીયા અને ચકુબેને લાકડાના ધોકા વડે તેમના માથા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલાના કારણે રમેશભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના મોટા દીકરા મહેશભાઈ રમેશભાઈ ગાબુએ જોરાવરનગર પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે. જોરાવરનગર પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક રમેશભાઈ ગાબુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ફરજ પરના ડોક્ટરે શંકાસ્પદ મોત જણાતા, મૃતદેહને FSL રિપોર્ટ માટે રાજકોટની હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અશોકભાઈ ગાબુના લગ્ન પાંચ વર્ષ પહેલાં નળિયા ગામની ચકુબેન સાથે પ્રેમલગ્ન થયા હતા. ચકુબેનના આ પહેલા બાળા ગામ અને ખાંડિયા ગામમાં પણ લગ્ન થયા હતા. તેમને એક દીકરો પણ છે જે હાલ ચકુબેન સાથે રહે છે. અશોકભાઈ અને ચકુબેનને એક નાની દીકરી પણ છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મુરતિયાને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી બાજી ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરીને તેજ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખીને પ્રમુખ પદ માટેના રોટેશન જાહેર કરવામાં આવેલ છે રાજ્ય સરકારે મોરબી જિલ્લા અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કર્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ જાહેરાત મહત્વપૂર્ણ છે. ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણીલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું નવું રોટેશન મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે શેડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી અનામત છે. જો કે, વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે એસઇબીસી એટલે કે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, મોરબી-હળવદ તાલુકા પંચાયત સામાન્ય સ્ત્રી અનામત તથા ટંકારા-માળીયા (મી) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે સામાન્ય ઉમેદવાર જાહેર કરવામાં આવેલ છે.
સુરેન્દ્રનગરમાં વસ્તી ગણતરી 2027ની તૈયારીઓ શરૂ:ચાર્જ અધિકારીઓ અને ફિલ્ડ ટ્રેનર્સને તાલીમ અપાઈ
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027 માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ચાર્જ અધિકારીઓ માટે 16 અને 17 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ફિલ્ડ ટ્રેનર્સ માટે 25 થી 27 માર્ચ 2026 દરમિયાન ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી અધિક કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર (સેન્સસ) દ્વારા તાલીમમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના 10 તાલુકા મામલતદાર, 5 નગરપાલિકાના ચીફ ઓફિસરો અને મહાનગરપાલિકાના ચાર્જ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ તમામ અધિકારીઓ પોતાના વિસ્તારમાં ચાર્જ અધિકારી તરીકે વસ્તી ગણતરીની કામગીરીનું નેતૃત્વ કરશે. તેમને વસ્તી ગણતરી સંબંધિત માર્ગદર્શિકા, પ્રક્રિયા, ડિજિટલ સિસ્ટમ અને કામગીરીના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ચાર્જ અધિકારીઓની મુખ્ય જવાબદારીઓમાં વહીવટી એકમોની યોગ્ય રચના કરવી, ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવી તેમજ એન્યુમરેટર અને સુપરવાઈઝરોને તાલીમ આપવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાએ 2 માસ્ટર ટ્રેનર અને તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ કુલ 54 ફિલ્ડ ટ્રેનરોની નિમણૂક કરવામાં આવી છે, જેમણે પોતાની તાલીમ પૂર્ણ કરી લીધી છે. તંત્ર દ્વારા સંપૂર્ણ અને ચોક્કસ વસ્તી ગણતરી થાય તે માટે ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન જિલ્લા કલેક્ટર પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી તરીકે અને નિવાસી અધિક કલેક્ટર જિલ્લા વસ્તી ગણતરી અધિકારી તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તી ગણતરીની તમામ કામગીરી પર દેખરેખ અને નિયંત્રણ રાખશે. વસ્તી ગણતરીની કામગીરી બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કા હેઠળ સેલ્ફ એન્યુમરેશન (SE) પ્રક્રિયા 5 એપ્રિલ 2026 થી 16 એપ્રિલ 2026 દરમિયાન હાથ ધરાશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO) 20 એપ્રિલ 2026 થી 15 મે 2026 દરમિયાન યોજાશે. બીજો તબક્કો, એટલે કે પોપ્યુલેશન એન્યુમરેશન (PE), 8 ફેબ્રુઆરી 2027 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન યોજાશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, વસ્તી ગણતરી એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયા હોવાથી જિલ્લાના તમામ અધિકારીઓ અને ફિલ્ડ સ્ટાફ દ્વારા સંપૂર્ણ સંકલન, જવાબદારી અને પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરવામાં આવશે.
વલસાડ જિલ્લામાં સરકારી દસ્તાવેજોની ખોટી બનાવટ કરી બેન્કને છેતરવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. મગોદ ગામના માજી સરપંચના પતિ અને હાલના ગ્રામ પંચાયત સભ્ય દીપેશ પટેલે પંચાયતના નકલી સિક્કા અને ખોટી સહીના આધારે ₹10.52 લાખની લોન મેળવી હતી. વલસાડ રૂરલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં માજી સરપંચ સંધ્યાબેન પટેલ (ટર્મ 2017–2023) અને તેમના પતિ દીપેશ પટેલની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. દીપેશ પટેલ હાલમાં મગોદ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે. તપાસ મુજબ, આરોપી દીપેશ પટેલે પોતાના સસરાના નામે રહેલું મકાન (ઘર નં. 587) ખોટી રીતે પોતાની પત્નીના નામે ટ્રાન્સફર કરી તેના દસ્તાવેજો બનાવ્યા હતા. લોન મેળવવા માટે, આરોપીએ સુયોજિત રીતે નકલી પુરાવા તૈયાર કર્યા હતા. તેણે પંચાયતના તલાટી-કમ-મંત્રીના નામે ખોટા રબર સ્ટેમ્પ બનાવ્યા, તલાટી અને વર્તમાન સરપંચની ખોટી સહીઓ કરી, તેમજ વેરા રસીદ અને રહેઠાણના બોગસ દાખલા બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોના આધારે, દીપેશ પટેલે વાપી સ્થિત 'યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક'માંથી ₹10,52,000ની લોન મેળવી હતી. મગોદના તલાટી-કમ-મંત્રી ચિરાગ પંડ્યાને આ દસ્તાવેજો અંગે શંકા જતાં તેમણે તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે પંચાયત દ્વારા આવા કોઈ દસ્તાવેજ જારી કરવામાં આવ્યા નહોતા. આ ખુલાસા બાદ, તાલુકા વિકાસ અધિકારીની સૂચનાથી વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 465, 467, 468, 471 અને 114 હેઠળ ગુનો નોંધી દીપેશ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસ આ કૌભાંડમાં બેન્કના કોઈ કર્મચારી અથવા પંચાયતના અન્ય સભ્યોની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
વલસાડમાં ગરમી યથાવત, કપરાડામાં પારો 40°C પાર:વલસાડમાં 37°C તાપમાન, બપોરે લૂ લાગવાની શક્યતા
વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 37C નોંધાયું હતું. ગઈકાલે 38C સુધી પહોંચેલા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં ગરમીથી ખાસ રાહત મળી નથી. બપોરના સમયે ગરમ લૂ ફૂંકાવાની શક્યતા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર બની છે. ખાસ કરીને કપરાડામાં તાપમાન 40C ને પાર જતાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ધરમપુરમાં પણ પારો 38C થી 39C વચ્ચે રહેવાની શક્યતા છે. વાપી વિસ્તારમાં તાપમાન 35C થી 37C વચ્ચે નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના ઉમરગામમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી તાપમાન 34C આસપાસ રહેવાની શક્યતા છે. સવારથી જ તીખો તડકો શરૂ થતાં લોકો વહેલી સવારે જ પોતાના કામકાજ પતાવવા નીકળી પડ્યા હતા. સવારે 10 વાગ્યાથી જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. બપોરના સમયે ઉત્તર-પશ્ચિમ દિશામાંથી લગભગ 11 mphની ઝડપે ફૂંકાતા ગરમ પવનને કારણે લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગરમીના કારણે બપોરે શહેરના મુખ્ય રસ્તાઓ અને બજારોમાં લોકોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી શકે છે. ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, તેમજ વધુમાં વધુ પાણી, છાસ અને લીંબુ પાણી જેવા પ્રવાહી પદાર્થો લેવાની અપીલ કરવામાં આવી છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો સાંજના સમયે દરિયા કિનારે જઈ શીતળ પવનોની મજા માણતા જોવા મળશે.
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો
AI Image
ભરૂચના શક્તિનાથ મંદિરમાં લાખોની ચોરી:તસ્કરો ચાંદીના છત્ર, નાગ સહિત આભૂષણ લઈ ફરાર
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે. ગત મધરાત્રિ બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, ચાંદીનો નાગ અને ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય આભૂષણો ચોરી ગયા હતા. ચોરી બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. સવારે નિયમિત પૂજા માટે આવેલા પૂજારી નૈનેષ જોષીએ મંદિરના દરવાજા ખોલતા ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પૂજારીના જણાવ્યા અનુસાર, મંદિરમાંથી અંદાજે રૂપિયા ૩ થી ૪ લાખની કિંમતની સામગ્રી ચોરાઈ હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે, તેમજ નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે. તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઘટનાને કારણે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ છે. ધાર્મિક સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવાની માંગ ઉઠી રહી છે. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા એક ધાર્મિક સ્થળ (જમાતખાના)નું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં બે માળ સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમની મુલાકાત બાદ જામનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના આદેશ બાદ આ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમ સહિત 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સવારે બચુ નગર પહોંચ્યો હતો. ડિમોલેશન દરમિયાન સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી પણ મદદમાં જોડાઈ હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ આ સમગ્ર કાર્યવાહી વહેલી સવારથી જ સ્થળ પર શરૂ કરવામાં આવી હતી.
જામનગરમાં 45મી રામ સવારી યોજાઈ:ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયું
જામનગર, જેને 'છોટીકાશી' તરીકે પણ ઓળખાય છે, ત્યાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ઐતિહાસિક જનમેદની ઉમટી પડી હતી. આ રામ સવારીનો પ્રારંભ તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી થયો હતો. તે હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ અને બેડી ગેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રાત્રીના 12:30 વાગ્યે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે તેનું સમાપન થયું હતું. શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર હજારો રામભક્તોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજીની પાલખીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા 13 જેટલા સુંદર અને આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. રામભક્તોએ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા, અને રામધૂનના નારા લગાવતા સમગ્ર 'છોટીકાશી' રામમય બની ગયું હતું. આ 45મી રામ સવારીના પ્રારંભ પ્રસંગે બાલા હનુમાન મંદિરના પૂજારી, બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ અને અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ સહિત અન્ય ટ્રસ્ટીગણે પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું. આ પ્રસંગે હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા અને શહેર કોંગ્રેસના અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ તમામ મહાનુભાવોએ રામ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યું હતું.
અમરેલી શહેરના એક કોન્ટ્રાક્ટર સાથે ₹15 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદના એક શખ્સે લોખંડના સળિયા ન આપીને આ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મયંકભાઈ જયંતિભાઈ માંગરોળિયા, જેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે અમદાવાદના હિરેનભાઈ સખરેલિયા પાસેથી આશરે 26 ટન લોખંડના સળિયા મંગાવ્યા હતા. હિરેનભાઈ 'બાલાજી એન્ટરપ્રાઈઝ' નામની પેઢી ચલાવે છે. આ લોખંડ માટે મયંકભાઈએ હિરેનભાઈની પેઢીમાં એડવાન્સ પેટે કુલ ₹15,13,092 RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. જોકે, આરોપી હિરેનભાઈએ ન તો લોખંડના સળિયા મોકલ્યા કે ન તો રકમ પરત કરી. આ ઘટના બાદ મયંકભાઈ માંગરોળિયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હિરેનભાઈ સખરેલિયા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે રાજકીય માહોલ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગમે તે ક્ષણે સભાસ્થળે પહોંચશે. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હેલિપેડ તૈયાર, નેતાઓના આગમનની ક્ષણો ગણાઈ રહી છે સભાસ્થળની બિલકુલ બાજુમાં તૈયાર કરવામાં આવેલા હેલિપેડ પર સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરી દેવામાં આવી છે. અત્યારે હેલિપેડ પર ગતિવિધિઓ તેજ બની છે, અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન થોડી જ મિનિટોમાં લીમખેડામાં પહોંચશે. સભાસ્થળે વિશાળ ડોમમાં જનમેદની ઉમટી પડી છે મંચ પર દિગ્ગજ નેતાઓનો જમાવડો આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. મંચ પર ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહેલેથી જ પહોંચી ગયા છે. આ ઉપરાંત લોકપ્રિય ધારાસભ્યો ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી પણ જનસભામાં ઉપસ્થિત છે.સાથે જ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહી માહોલ ગરમાવી રહ્યા છે. ચૂંટણીલક્ષી રણનીતિ આગામી સમયમાં યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ સભા અત્યંત મહત્વની માનવામાં આવે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આદિવાસી સમાજને સ્પર્શતા પ્રશ્નો અને પાયાની સુવિધાઓ મુદ્દે સંબોધન આપે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારમાં જે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હવે સૌની નજર કેજરીવાલના સંબોધન પર ટકેલી છે.
પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને બ્રહ્મ મહોત્સવ પર્વે 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાસ ચોકલેટનો અન્નકૂટ મંદિરમાં દર્શનાર્થે આવતા બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આવતીકાલે, 245 કિલો મીઠાઈ, ફરસાણ અને ફાગવાનો ભવ્ય અન્નકૂટ યોજાશે. આ અન્નકૂટ સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને રામચંદ્ર ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો છે. વર્ણીન્દ્રધામ મંદિર તેની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં 108 ગૌમુખધારા સ્નાન, મંદિર ફરતે 75 લાખ લિટર પાણીનો પ્રવાહ અને નીલકંઠ સરોવરમાં ઠાકોરજીનો નિત્ય નૌકાવિહાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં રથ, ઘોડા અને હાથી જેવા સાજ સાથે રાજાધિરાજ ઠાકોરજીની નિત્ય નગરયાત્રા નીકળે છે. નીલકંઠધામની જેમ વર્ણીન્દ્રપ્રભુને નિત્ય 108 વાનગીઓનો 9 વખત થાળ ધરાવવામાં આવે છે અને નિત્ય મહાઅભિષેક પણ કરવામાં આવે છે. મંદિરમાં સ્વામિનારાયણ મહામંત્રની આજીવન અખંડધૂન ચાલે છે. આજીવન કાયમી વૈદિક વિધિથી શ્રી મહાવિષ્ણુયાગ, શ્રી મારૂતિયાગ અને શ્રી રૂદ્રયાગનું પણ આયોજન થાય છે. આ ઉપરાંત, રામ, શ્યામ અને ઘનશ્યામ ચરિત્ર સાંસ્કૃતિક પ્રદર્શન પણ અહીં ઉપલબ્ધ છે.
સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા એક બંધ બંગલાને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર કુખ્યાત 'મોડેલ ગેંગ'ના સાગરીતોને સુરત ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ સામે અગાઉ 25થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સુભાષનગર સોસાયટીના બંગલામાં થઈ હતી ચોરીગત 22 માર્ચ, 2026ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડદોડ રોડ પરની સુભાષનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં ત્રણ અજાણ્યા ઇસમો બંગલામાંથી ચાંદીની વસ્તુઓ અને રોકડ રકમ મળી કુલ 1.74 લાખની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજાથી આરોપીઓને દબોચ્યાચોરીની આ ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગતપોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં (1) રોહિત ઉર્ફે મોડેલ અશોક દેવીપૂજક (ઉં.વ. 25), (2) કરણ ઉર્ફે કાળીયો વિનુભાઈ દેવીપૂજક (ઉં.વ. 20)નો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. 1.69 લાખનો મુદ્દામાલ કબજે કરાયોપોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી ચાંદીની ટ્રે (349 ગ્રામ), પાયલ, કડા, હાર, લોકેટ અને ચાંદીના 87 સિક્કાઓ કબજે કર્યા છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી એપ્રિલિયા કંપનીની મોપેડ (GJ-05-SR-5179) પણ જપ્ત કરવામાં આવી છે. કુલ 1,19,226ની ચાંદી અને 50,000ની મોપેડ મળી 1,69,226નો મુદ્દામાલ રિકવર થયો છે. મોપેડ પર ફરતા અને બંધ બંગલા શોધતાઆરોપીઓએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેઓ તેમના ત્રીજા સાગરીત સંજુ ઉર્ફે કાલીયા સાથે મળીને શહેરના પોશ વિસ્તારોમાં મોપેડ પર રેકી કરતા હતા. જે બંગલામાં લાઈટો બંધ હોય કે તાળું મારેલું હોય તેને નિશાન બનાવતા હતા. સુભાષ નગરના બંગલામાં પણ તેઓએ મધરાતે સળિયા વડે દરવાજો તોડી પલંગના ખાનામાંથી દાગીના ચોર્યા હતા. મુખ્ય આરોપી રોહિતનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલો રોહિત ઉર્ફે મોડેલ રીઢો ગુનેગાર છે. તેની સામે સુરતના ઉમરા, અડાજણ, પાલ, રાંદેર, વેસુ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી અને ચોરીના અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે પોલીસે અગાઉ બે વખત (વર્ષ 2020 અને 2021માં) તેની સામે 'પાસા' (PASA) હેઠળ કાર્યવાહી કરી જેલભેગો કર્યો હતો.
ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાત ટીમને સિલ્વર મેડલ:હિંમતનગર DLSS ની ટ્વિંકલ હડુલાએ યોગદાન આપ્યું
છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રાજ્યને ગૌરવ પ્રાપ્ત થયું છે. મેડલ વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), મહિમા ચૌહાણ (દાહોદ), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટેલ (સુરત)નો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. ખાસ કરીને હિંમતનગરની જિલ્લા કક્ષાની રમતગમત શાળા-DLSSની ખેલાડી હડુલા ટ્વિંકલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમના કોચ હેમલ વર્ધાનીના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 26 માર્ચ, ગુરુવારથી રાયપુર, છત્તીસગઢ ખાતે શરૂ થઈ હતી અને 30 માર્ચ સુધી ચાલશે. દેશભરમાંથી વિવિધ રમતોમાં કુલ 1400 ખેલાડીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે યોજાયેલી 4 X 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં 20 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમ વિજયી બની અને ચારેય ખેલાડીઓને સિલ્વર મેડલ મળ્યા.
સુરતના પાસોદરા વિસ્તારમાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો. આ સાથે મહિલાએ પોતાની વેદના અને પડોશીઓના ત્રાસ અંગે રડતા રડતા પણ જણાવ્યું હતું. 32 વર્ષીય મહિલાએ તેમના પડોશી મહિલા, તેમના પતિ અને ભાઈના ત્રાસથી કંટાળી આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મામલે લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વીડિયોમાં મહિલાની આપવીતી આજે મારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે. છેલ્લા 6 મહિનાથી અમને બાજુવાળી અલ્પા ટાંકનો ત્રાસ વધી ગયો છે, મને અને મારા પરિવારને. હવે હું સાવ કંટાળી ગઈ છું, સાવ એટલે સાવ કંટાળી ગઈ છું. હવે હું જે પણ કંઈ પગલું ભરી રહી છું, એનો જવાબદાર અલ્પા ટાંક, એનો ભાઈ નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. કાલ સવારે મને કે મારા પરિવારને કાંઈ પણ થયું, તો એનો જવાબદાર અલ્પા ટાંક, નિલેશ પરમાર અને એના સાથ આપવાવાળાઓ રહેશે. પડોશી મહિલા ઘરનો કચરો વાળીને ફરિયાદી મહિલાના ઘર પાસે નાખી દેતીફરિયાદ મુજબ, આ વિવાદની શરૂઆત આશરે છ મહિના પહેલા થઈ હતી. બિલ્ડિંગની લોબીમાં કચરા-પોતા કરવા જેવી સામાન્ય બાબતે પડોશી અલ્પાબેન સાથે તકરાર થઈ હતી. આ ઉપરાંત, બાલ્કનીમાં વરસાદનું પાણી ન આવે તે માટે લગાવેલી તાડપત્રીના પૈસા બાબતે પણ અલ્પાબેને ઝઘડો કર્યો હતો. અલ્પાબેન અવારનવાર ઘરનો કચરો વાળીને મહિલાના ઘર પાસે નાખી દેતા હતા અને બિલ્ડિંગની અન્ય મહિલાઓને ફરિયાદી વિરુદ્ધ ચઢાવતા હતા. કચરો નાખવાનો વીડિયો બનાવી ગ્રુપમાં મૂક્યોને મામલો ઉગ્ર બન્યોજ્યારે આ કચરો નાખવાની હરકતનો વીડિયો બનાવી મહિલાના પતિએ બિલ્ડિંગના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો, ત્યારે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ અલ્પાબેનના ભાઈ નીલેશ પરમાર, પતિ શૈલેષ ટાંક અને એક અજાણ્યા શખ્સે ફરિયાદીના ઘરે આવીને ગંભીર ધમકીઓ આપી હતી. નીલેશ પરમારે વીડિયો કેમ બનાવે છે, તારા ટાંગા ભાંગી નાખીશ અને તને સગેવગે કરી દઈશ તેવી ગર્ભિત ધમકી આપી ફરિયાદીને ધક્કો પણ માર્યો હતો. આ શખ્સોએ મહિલાને તારા જેવા કેટલાય ભાડુઆત અહીંથી જતા રહ્યા છે કહી માનસિક દબાણ બનાવ્યું હતું. ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસપડોશીઓના સતત ત્રાસ અને દરરોજની ગાળાગાળીથી કંટાળી ગયેલા મહિલાએ ગતરોજ બપોરના 4 વાગ્યે પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ અને પોતાની આપવીતી તેણે સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને કરી હતી. ઘટનાની જાણ થતા તેમના પતિ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પડોશી મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવીલસકાણા પોલીસે આ મામલે મહિલાની ફરિયાદના આધારે ત્રણ મુખ્ય આરોપીઓ અલ્પાબેન શૈલેષભાઇ ટાંક, શૈલેષભાઇ ટાંક અને નીલેશ પરમાર વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવને લઈ અફરાતફરી મચી ગઈ હતી, ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ બને તે પહેલાં જ ફાયરે કાબૂ કરીઆ આગની ઘટના અંગે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા જ ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. તમામ મટિરિયલ બળીને ખાખસદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મોટા પ્રમાણમાં મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને વીજ કનેક્શન કાપી ફાયરે કામગીરી શરૂ કરી હતી. હજુ સુધી નુકસાનનો અંદાજ નથીઃ માલિકઆ અંગે કંપનીના માલિક નીલ ભટ્ટે જણાવ્યું હતું કે, અમારી મેન કંપની પૂનામાં આવેલી છે, અમારે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે. અહીંયા રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટિરિયલ બળીને ખાખ થઈ ગયું છે. હજુ સુધી નુકસાનનો અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો છે.
સમસ્ત રાચ્છ પરિવાર અને ચોથાણી પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મઢ ખાતે ચૈત્ર માસની નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીની આઠમે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે બંને પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ હવનમાં સમસ્ત રાચ્છ પરિવારના સભ્યોએ માતાજીની સ્તુતિ, આરાધના અને પૂજા અર્ચના કરી હતી. ઉપસ્થિત ભક્તોએ હવનમાં બેસીને આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. મંદિરના પૂજારી હરિભાઈ સાધુએ જણાવ્યું હતું કે, માતાજી મંદિરના ટ્રસ્ટની કમિટી દ્વારા દર વર્ષે ચૈત્ર અને આસો માસની નવરાત્રીની આઠમે માતાજીના હવનનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી જાળવી રાખવામાં આવી છે. હવનમાં બેસવા ઈચ્છતા રાચ્છ પરિવારના સભ્યોએ લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવા વિનંતી કરવામાં આવી છે. આ માટે અમદાવાદના વિનોદભાઈ એલ. રાચ્છ (મો. 9723170844) અને મંદિરના પૂજારી હરિભાઈ સાધુ (મો. 9825016603) નો સંપર્ક કરવા મોમાઈ માતાજીના પૂજારી છાડવારા દ્વારા એક યાદીમાં જણાવાયું છે.
ગીર સોમનાથ જિલ્લા સેવા સદનમાં ક્લાસ ટુ અધિકારી પરેશભાઈ હિંમતલાલ રવેસિયા અને તેમના પરિવારે ચૈત્ર માસ નિમિત્તે શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના વતની પરેશભાઈ રવેસિયા પરમ હનુમાન ભક્ત છે. આ અનુષ્ઠાન છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે છે. આ પાઠનું અનુષ્ઠાન બે દિવસ સુધી ચાલે છે, જેમાં સવારે 7:30 વાગ્યાથી શરૂ થઈને બીજા દિવસે સાંજ સુધી શ્રીરામચરિત માનસના પાઠ કરવામાં આવે છે. આ સાથે હવન અને પૂજાનું પણ આયોજન કરવામાં આવે છે. કષ્ટભંજન હનુમાન મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં આ પાઠ કરવાથી જીવનના દરેક દુઃખ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં પણ યશસ્વી જીવન મેળવવા માટે આવા પાઠના અનુષ્ઠાનનો ઉલ્લેખ છે. આ ધાર્મિક કાર્યક્રમ કષ્ટભંજન હનુમાનજી મંદિર, ગ્રાસિમ રેયોન ઇન્ડસ્ટ્રી ગેટ સામે, વેરાવલ, ગીર સોમનાથ ખાતે યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો, સ્નેહીજનો અને મંદિરે પધારતા હનુમાન ભક્તો સહભાગી થઈ ધન્યતા અનુભવે છે. પાઠ બાદ ફરાળ અને પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પરેશભાઈ ઠક્કર દ્વારા વર્ષ દરમિયાન આવા અનેક ધાર્મિક, સામાજિક તેમજ આરોગ્ય સેવાના કાર્યોમાં સહભાગી થઈ પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે.
રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની સ્થિતિ ટાળવા માટે તમામ વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે. નાણાં વિભાગને 8 દિવસમાં દરખાસ્ત રજૂ કરવી પડશેપરિપત્ર મુજબ, હવે કોઈપણ હાઈકોર્ટના ચુકાદાનું અમલીકરણ મહત્તમ 45 દિવસની અંદર કરવું ફરજીયાત રહેશે. ચુકાદા મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય મોકલવો પડશે, જ્યારે નાણાં વિભાગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે 8 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારબાદ ખાતાના વડાએ 10 દિવસની અંદર દરખાસ્તની ચકાસણી પૂર્ણ કરવી પડશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવો અનિવાર્ય રહેશે. નિકાન ન થાય તો સંબંધિત વિભાગે કોર્ટમાં અરજી કરવી પડશેજો નક્કી કરેલી સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે કોર્ટમાં સમયવધારા માટે ફરજીયાત અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા બિનજરૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાયપ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ અને પેન્શનરોને ઝડપી ન્યાય મળશેનાણાં વિભાગના આ પરિપત્રથી હવે કર્મચારીઓ અને પેન્શનરોને લાંબા સમયથી બાકી રહેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા વધી છે, તેમજ સરકારી વિભાગોની જવાબદારી પણ વધુ સુનિશ્ચિત બનશે.
તિથલ દરિયાકિનારે પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે અત્યાધુનિક હાઇબ્રિડ સોલર સિસ્ટમ પોલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. રામનવમીના શુભ દિવસે સરપંચ રાજેશભાઈ દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ સૂર્યપ્રકાશ અને પવનચક્કી (વિન્ડ ટર્બાઇન) દ્વારા વીજળી ઉત્પન્ન કરશે. આ પોલ પર સોલર પેનલ સાથે નાની પવનચક્કી પણ લગાવવામાં આવી છે. દરિયાકિનારે પવનની ગતિ વધુ હોવાથી, રાત્રિ દરમિયાન પણ વીજળીનું ઉત્પાદન સતત ચાલુ રહેશે, જે લાઇટોને કાર્યરત રાખશે. સુરક્ષાના હેતુથી, આ પોલ પર હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે 24 કલાક વિસ્તારનું મોનિટરિંગ કરશે. આ લાઇટો અંધારું થતાં જ આપોઆપ ચાલુ થઈ જશે, જેનાથી માનવબળની જરૂરિયાત રહેશે નહીં અને કાર્યક્ષમતા વધશે. કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ થતો હોવાથી ગ્રામ પંચાયત પર વીજળીના બિલનો કોઈ આર્થિક બોજ પડશે નહીં. આ નવી પહેલથી દરિયાકિનારે આવતા પ્રવાસીઓ અને સ્થાનિક માછીમારોને સીધો ફાયદો થશે. સીસીટીવી કેમેરા દ્વારા અંધારામાં થતી ચોરી કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ રાખી શકાશે. ગ્રામજનોએ કલેક્ટર, DDO અને તંત્રના આ પ્રોજેક્ટને આવકાર્યો છે. તેમણે જણાવ્યું છે કે આ સિસ્ટમથી તિથલ દરિયાકિનારા પર પ્રવાસનને પણ વેગ મળશે અને સુરક્ષામાં વધારો થશે.
પ્રકૃતિ અને પરમેશ્વરની સંગમ ગણાતા જૂનાગઢના ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં વન્યજીવોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરના કેમેરામાં કેદ થયેલા દૃશ્યોએ પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે. ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર જંગલની બિલકુલ નજીક એક સાબર કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડ્યું હતું. આ દૃશ્યોએ સાબિત કરી દીધું છે કે, ગિરનારના સુરક્ષિત ગણાતા જંગલ વિસ્તારમાં વન્યજીવો પ્લાસ્ટિક જેવા જીવલેણ પદાર્થો ખાવા મજબૂર બન્યા છે. વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવા ક્રૂર મજાક સમાનભાસ્કર રિપોર્ટર જ્યારે ભવનાથ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તાની એક બાજુએ કચરાના ઢગલામાં એક સાબર મોઢું મારી રહ્યું હતું. નજીક જઈને જોતા માલૂમ પડ્યું કે, સાબર ખોરાકની શોધમાં પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય કચરો આરોગી રહ્યું હતું. આટલું જ નહીં, ઝેરી પ્લાસ્ટિક આરોગ્યા બાદ આ વન્યજીવ બિન્દાસ્તપણે રસ્તો ક્રોસ કરીને ભવનાથ તરફ જતા માર્ગ પર આંટાફેરા કરતું પણ નજરે પડ્યું હતું. લોકોની સતત અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ વન વિભાગના 'પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'ના દાવાઓની ક્રૂર મજાક સમાન છે. પ્લાસ્ટિક વન્યજીવો માટે મોતનું કારણ બની શકેઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ગિરનાર વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારને 'ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિકના વપરાશ, ગંદકી ફેલાવવા અને વન્યજીવોને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે. વન વિભાગ દ્વારા અવારનવાર પ્લાસ્ટિક મુક્ત અભિયાનની વાતો કરવામાં આવે છે અને પ્રવાસીઓને 'સુફિયાણી સલાહ' આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ભવનાથ જેવા સંવેદનશીલ વિસ્તારમાં આજે પણ પ્લાસ્ટિકનો કચરો ખુલ્લેઆમ ફેંકવામાં આવે છે, જે વન્યજીવો માટે મોતનું કારણ બની શકે છે. ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમઅગાઉ પણ સાબર પ્લાસ્ટિક ખાતા હોય તેવા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે, તેમ છતાં, વન વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પ્લાસ્ટિક જપ્ત કરવાના દાવાઓ વચ્ચે જંગલના દ્વાર પર જ આ પ્રકારની ગંદકી વન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા કરે છે. જો સમયસર આ કચરાનો નિકાલ કરવામાં નહીં આવે અને પ્રવાસીઓ પર કડક નજર રાખવામાં નહીં આવે, તો ગિરનારના અમૂલ્ય વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. જાહેરમાં કચરો ફેંકનારા સામે કાર્યવાહી જરૂરીઆ વીડિયો બાદ હવે પર્યાવરણ પ્રેમીઓ માગ કરી રહ્યા છે કે, વન વિભાગ માત્ર કાગળ પરની વાતો છોડીને વાસ્તવિક ધરાતલ પર કામગીરી કરે. ઇકો-ઝોન વિસ્તારમાં જે લોકો કચરો ફેંકે છે તેમની સામે કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી અબોલ વન્યજીવોને ઝેરી પ્લાસ્ટિકના મોતના મુખમાં જતા બચાવી શકાય. હાલ તો આ ઘટનાએ વન વિભાગની 'સબ સલામત'ની પોલ છતી કરી દીધી છે. આ પણ વાંચો… ગિરનારનાં હરણ પ્લાસ્ટિક ખાતાં હોવાનો વીડિયો વાઇરલ, ભવનાથ ક્ષેત્રમાં જંગલી પ્રાણીઓની અવરજવર છતાં એકપણ સાઇન બોર્ડ નહિ જીવદયા પ્રેમીઓ માંગ કરી રહ્યા છે કે, વન આ પણ વાંચો… કચરામાં ખોરાક શોધતા હરણનો બે દિવસમાં બીજો વીડિયો વાઈરલ:પ્રકૃતિ પ્રેમીએ વનમંત્રીને ટ્વિટ કર્યું, ભવનાથમાં ઠેર ઠેર કચરાના ઢગલાની ફરિયાદ
ભાસ્કર એક્સક્લુસિવ:કૌભાંડની સ્કીમ : 2 કરોડ ભરો, 63 કરોડ લઈ જાઓ
સરકારી બાબુઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે રાજ્યની તિજોરીને કેવી રીતે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, તેનો વધુ એક સનસનીખેજ ખુલાસો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ) ના માર્ચ 2024ના ઓડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓ - ખાસ કરીને જીએસટી (SGST), માર્ગ અને મકાન વિભાગ તથા મહેસૂલ વિભાગના કારભારની પોલ ખોલવામાં આવી છે. સરકારી કચેરીઓમાં ચાલતી લોલમલોલ બાબતે કેગમાં રહસ્યો ખુલ્યા છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં જવાબદાર વિભાગે હજુ પણ ગંભીરતા દાખવી નથી. બેદરકારી : ગાંધીધામ સ્ટેટ જીએસટી કચેરીમાં ટેક્સ ક્રેડિટ લેવાઈ ગઈ છતાં તંત્ર ઊંઘતું રહ્યું63.28 કરોડની તોતિંગ ટેક્સ ક્રેડિટનો અનિયમિત લાભ કોન્ટ્રાક્ટર પર મહેરબાની: 78.30 લાખની વધુ પડતી ચુકવણી કરાઈ સેવાઓની આયાત પર કરની 22.71 કરોડની ટૂંકી ચુકવણી 3100 ચો.મીટર જમીનમાં 14.90 લાખની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી થઈ
માનસ મુકુરાષ્ટક:ગુરૂના ચરણોમાં 68 તીર્થ - મોરારિ બાપુ
માધાપરમાં ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. ધીરજ મનજીભાઈ ડબાસીયા પરિવારના યજમાનપદે ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રોતા કથા શ્રવણ કરવા ઉમટ્યા હતા. બાપુએ કથામાં ગુરુનો મહિમા તેમજ સનાતન ધર્મ વિશે વાત કરી હતી. કોઈના ઉપકાર ના ભૂલવા જોઈએ તેમજ 68 તીરથ ગુરુના ચરણોમાં છે એવા ગુરુના સાનિધ્યમાં રહેવું જોઈએ. રામ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં કચ્છ સહિત ગુજરાતના વિવિધ સ્થળોએથી અનેક સાધુ, સંતો, અગ્રણીઓ અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મહંત મનોહર મહારાજ રામ જાનકી મઠ, સંત કલ્યાણદાસજી બાપુ ભજનીક તેમજ મોરારદાન પાયક અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, ઇન્દ્રજીતસિંહ જાડેજા, નાનજીભાઈ, વી. કે. પટેલ, ડો. રોનીત પી. શાહ, તુલસી સુજાન, પ્રહલાદસિંહ ગોહિલ, વિનોદભાઈ સોલંકી જજ વગેરે અગ્રણીઓ કથા શ્રવણમાં જોડાયા હતા. સમગ્ર કથા મંડપ ધાર્મિક નારાથી ગુંજી ઉઠ્યું હતું. માધાપર સહિત વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવા આપી રહ્યા છેમાધાપર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં શ્રોતાઓને દરરોજ અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. મોરારી બાપુએ ખાસ ભોજન કક્ષની મુલાકાત લીધી હતી અને ભોજન લીધું હતું. જેમાં મોટી સંખ્યામાં માધાપર ગામ તેમજ વિવિધ ગામના ભાઈઓ-બહેનો રસોડામાં દિવસ રાત સેવાઓ આપી રહ્યા છે. જેમાં સેવા ભાવના સાથે માધાપરની બહેનો પણ જોડાઈ છે. બાપુએ તેમની સેવાઓ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
27 ટકા ઓબીસી અનામતની અમલવારી બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નવા રોટેશનના કારણે અનેક વડોદરા મહાનગરપાલિકાના 76 સીટીંગ કોર્પોરેટરોમાંથી 25ના આપોઆપ પતા કપાઈ જાય તેવી પૂરી શક્યતા છે.જેમાં મેયર, પૂર્વ મેયર, દંડક, પૂર્વ ડેપ્યુટી મેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પણ સમાવેશ થાય છે. એકલ-દોકલ ઉમેદવાર માટે પાર્ટી વોર્ડ ચેન્જ કરી શકે અથવા તો જનરલ સીટ પર અનામત કેટેગરીના ઉમેદવારને ચૂંટણી લડાવી શકે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડમાં કયા કયા કોર્પોરેટર પર નવા રોટેશનની અસર થશે તેની આ આર્ટિકલમાં વાત કરીશું. નવા રોટેશનના કારણે કયા વોર્ડમાં શું પરિવર્તન આવશે વોર્ડ નંબર 1અહીં હાલ કોંગ્રેસના 4 કોર્પોરેટર છે. બેઠકમાં થયેલા ફેરફારને કારણે એક મહિલા બેઠક OBC થતાં પુષ્પાબેન વાઘેલા અથવા અમીબેન રાવત એકની ટિકિટ કપાશે. જ્યારે એક પુરુષ બેઠક ST થતા કોંગ્રેસના જહા ભરવાડ અથવા હરીશ પટેલમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે. વોર્ડ નંબર 2 અહીં એક મહિલા બેઠક OBC થતાં અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટણી લડેલા મહિલા કોર્પોરેટર રશ્મિબેન વાઘેલાનું રિપિટ થવું મુશ્કેલ છે. જ્યારે પુરૂષની એક બેઠક OBC થતાં મહાવીર રાજપુરોહિત અથવા ભાણજી પટેલમાંથી એકની ટિકિટ કપાશે. આ વિસ્તારમાં મહેસાણાના પટેલોના મતો વધારે છે. વોર્ડ નંબર 3અહીં એક મહિલા બેઠક OBC અને એક પુરૂષ બેઠક STની થતાં પરાક્રમસિંહ અથવા રાજેશ શાહમાંથી એકની ટિકિટ કપાશે.જો કે આ બેઠક ઉપરથી પરાક્રમસિંહ જાડેજા પોતે ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરી ચુક્યા છે. વોર્ડ નંબર 4અહીં એક મહિલા બેઠક OBC અને ગત ટર્મના એક પુરૂષ બેઠક OBC હતી. તેમાં ફેરફાર થતાં વિનોદ ભરવાડનું પત્તુ કપાવાની શક્યતા છે. જ્યારે બે મહિલા કૉર્પોરેટર પીન્કીબેન સોની અથવા રાખીબેન શાહમાંથી કોઈ એકની ટિકિટ કપાશે. પિંકી સોની ગત બોડીમાં મેયર રહી ચુક્યા છે. વોર્ડ નંબર 5 અગાઉની મહિલા OBCની બેઠકના સ્થાને બે મહિલા બેઠક સામાન્ય થતાં OBCની બેઠક પરથી ચૂંટણી લડેલા પ્રફુલ્લાબેન જેઠવા કપાઈ શકે છે. જ્યારે એક OBC પુરૂષ બેઠક થતાં હિતેન્દ્ર પટેલ અથવા નૈતિક શાહ બેમાંથી એકની ટિકિટ કપાશે. હિતેન્દ્ર પટેલ આ બોર્ડમાં ગત અઢી વર્ષ સ્થાયી સમિતિના ચેરમેન રહી ચુક્યા છે. વોર્ડ નંબર 6 ગત ટર્મમાં SC મહિલા બેઠક હતી. જ્યારે આ વખતે બે સામાન્ય મહિલા બેઠક થતાં જયશ્રીબેન સોલંકી રિપિટ થાય તેવી શક્યતા ઓછી છે. વોર્ડ નંબર 7 અહીં એક OBC મહિલા બેઠક અને 3 સામાન્ય બેઠક થતાં જૈસે થે પરિસ્થિતિ રહેશે. વોર્ડ નંબર 8એક OBC મહિલા બેઠક થતાં રીટાબેન આચાર્ય અથવા મીનાબા ચૌહાણની ટિકિટ કપાશે. જ્યારે કેયુર રોકડીયા હવે ધારાસભ્ય હોય કોર્પોરેશનમાં તેમના સ્થાને નવા ઉમેદવારને તક મળી શકે છે. વોર્ડ નંબર 9 અહીં મહિલા STની બેઠક રદ થતા મહિલા કોર્પોરેટર ઉમિષાબેન વસાવાની ટિકિટ કપાવાની શક્યતા છે. જ્યારે પુરૂષ OBCની બેઠક થતાં નરસિંહ ચૌહાણ અથવા શ્રીરંગ આયરેની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 10ગત ટર્મમાં એક SC મહિલા બેઠકના સ્થાને આ વખતે બે મહિલા સામાન્ય બેઠક થઇ છે. જેના કારણે લીલાબેન મકવાણાની ટિકિટ કપાવાની શક્યતા છે.જ્યારે પુરૂષ OBC અને સામાન્ય બેઠક રહેતા બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહેવાની શક્યતા છે. વોર્ડ નંબર 11બે મહિલા સામાન્ય, એક પુરૂષ OBC અને સામાન્ય બેઠક થતાં આ વોર્ડમાંથી જૈસે થેની પરિસ્થતિ રહેશે. વોર્ડ નંબર 12એક મહિલા ST અને SCની બેઠક થતાં ટ્વિકંલ ત્રિવેદી, રીટા સિંહ, સ્મિત આરદેશના (પટેલ ) અથવા મનિષ પગારમાંથી બે કોર્પોરેટરની ટિકિટ કપાશે. વોર્ડ નંબર 13 બે સામાન્ય બેઠકમાંથી એક SCની મહિલા બેઠક થતાં જાગૃતિબેન કાકા અથવા જ્યોતિબેન પટેલની ટિકિટ કપાશે. જ્યારે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે છે. વોર્ડ નંબર 14 અહીં એક બેઠક મહિલા OBC થતાં જેલમબેન ચોક્સી અથવા નંદાબેન જોશી બેમાંથી એકની ટિકિટ કપાશે. જ્યારે બે પુરૂષ કોર્પોરેટર યથાવત રહી શકે. વોર્ડ નંબર 15 અહીં બે સામાન્ય મહિલા યથાવત રહી શકે છે. જ્યારે ST બેઠક હતી તેની જગ્યાએ OBC થતા તેના પરથી ચૂંટણી લડેલા રણછોડ રાઠવાની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 16 અહીં બે મહિલા સામાન્ય બેઠક છે. જેથી મહિલાઓ માટે સ્થિતિ યથાવત રહી શકે. પરંતુ એક પુરુષ OBC બેઠક થતા અનુસૂચિત જાતિની બેઠક ઉપરથી લડેલા ઘનશ્યામ સોલંકીનું પત્તુ કપાઈ શકે છે. વોર્ડ નંબર 17અહીંની વાત કરીએ તો આ વોર્ડમાં અનુસૂચિત જાતિ મહિલા બેઠક થતા પ્રીતિ ભટ્ટ અથવા સંગીતાબહેન બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. જયારે એક પુરુષ OBC થતા પૂર્વ મેયર નિલેશ રાઠોડ અથવા વર્તમાન દંડક શૈલેષ પાટીલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 18એક મહિલા OBC અને એક સામાન્ય મહિલા બેઠક થતા ભારતી ભદ્રેશા અને સુરુતા પ્રધાન તેમજ એક પુરુષ અનુસૂચિત જાતિ બેઠક થતા કલ્પેશ પટેલ અથવા કેતન પટેલ બેમાંથી એકની ટિકિટ કપાઈ શકે છે. વોર્ડ નંબર 19 અહીં મહિલા OBC અને સામાન્ય બેઠક થતા ST બેઠક ઉપરથી ચૂંટણી લડેલા હેમલતાબેન તાડવીની ટિકિટ કપાઈ શકે છે જ્યારે જયારે બે પુરુષ યથાવત રહી શકે છે. આ વખતે ચારેય બેઠક સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નહીંવડોદરા મહાનગરપાલિકાની 19 વોર્ડની ચૂંટણીમાં બેઠક દીઠ વ્યવસ્થાનું જાહેરનામું ઓક્ટોબર મહિનામાં જ બહાર પડી ગયું હતું. ત્યારે જ માલુમ પડી ગયું હતું કે, કેટલાય કોર્પોરેટરોનો ગરબો ઘેર પહોંચી જશે. જો કે આ વખતે ચારેય બેઠકો સામાન્ય હોય તેવો એકેય વોર્ડ નથી. વર્ષ 2020માં 19 માંથી 6 વોર્ડ એવા હતા જેમાં ચારેય બેઠકો સામાન્ય હતી. ભાજપના બે કોર્પોરેટરો કોંગ્રેસમાં આવ્યા, એક સસ્પેન્ડગત ટર્મમાં ભાજપના મેન્ડેડ હેઠળ જીત્યા હતા તેવા 3 કોર્પોરેટરો હવે ભાજપમાં નથી. વોર્ડ 15ના આશિષ જોશી અને પારુલ પટેલ તાજેતરમાં જ કોંગ્રેસમાં આવી ગયા છે. તો અલ્પેશ લિમ્બાચિયાને પક્ષે જ સસ્પેન્ડ કર્યા હતા. આશિષ જોષીને પણ પક્ષ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જો કે તેઓએ પોતાના સાથી કોર્પોરેટર પારુલ પટેલ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જો કે પારુલ પટેલને આમ પણ અંદાજ આવી ગયો હતો કે આ વખતે તેઓનું પત્તુ કપાઈ જવાનું છે.
જો આ કાયદો 5 વર્ષ પહેલાં આવી ગયો હોત તો મારી દીકરી આયશા જીવતી હોત, મારી પાસે હોત. આ શબ્દો બોલતા બોલતા લિયાકતઅલીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. નીચે આપેલા આ એવા દ્રશ્યો છે જે ભાગ્યે જ કોઇ ભૂલી શક્યું હશે. પતિની બીજા લગ્ન કરવાની જીદના કારણે આયશા મકરાણી નામની યુવતીએ હસતા મોંઢે અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. જેના વીડિયોએ આખા દેશને હચમચાવી મૂક્યો હતો. હવે ગુજરાતમાં UCC બિલ પાસ થઇ જતાં આયશાના પિતા ખુલીને તેના સમર્થનમાં આવ્યા છે. તેમણે આ બિલને મુસ્લિમ દીકરીઓના રક્ષણ માટેનું બિલ ગણાવ્યું છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા દેશમાં UCC લાગુ કરવાની માગ કરી છે. '.... તો આજે મારી દીકરી જીવતી હોત'લિયાકતઅલી હાલમાં અમદાવાદના વટવામાં રહે છે અને સિલાઇ કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. વાતની શરૂઆત કરતાં તેમણે કહ્યું, 2021માં મારી દીકરી આયશાએ આત્મહત્યા કરી હતી. તેનો પતિ તેને ટોર્ચર કરતો હતો. એ પછી 498નો કેસ થયો હતો અને તે ન્યાય માટે લડતી હતી. તેનો પતિ 4 નિકાહ કરવા માંગતો હતો. ‘પતિ 4 નિકાહ ન કરે એ માટે એ માટે આયશાએ તેને ફોન કર્યો હતો. જોકે એણે કહ્યું કે હું તો આગળ નીકળી ગયો છું. આયશાએ કહ્યું કે હું મરી જઇશ તો પતિએ કહ્યું કે મરી જા. મને વીડિયો બનાવીને મોકલી દેજે. જેના પછી આયશાએ વીડિયો બનાવીને તેને મોકલી દીધો. જો આ કાયદો પહેલાં 2020 કે 2021માં આવી ગયો હોત તો મારી દીકરી જીવતી હોત, મારી દીકરી મારી પાસે હોત.’ UCCના કાયદાથી ફાયદાની આશાલિયાકતઅલીને આશા છે કે UCCનો કાયદો બનશે તો કોઇ દીકરીને આયશાની જેમ આત્મહત્યા નહીં કરવી પડે.તેમણે જણાવ્યું, UCC બિલ આવવાથી ઘણો ફાયદો થશે. હવે કોઇ મુસ્લિમ પતિ પોતાની પત્નીને તલાક આપ્યા વગર બીજા લગ્ન નહીં કરી શકે. કોઇ પોતાની પત્ની હોવા છતાં બીજા લગ્ન કરશે તો પત્ની પોલીસ કેસ કરે એનો ડર તો તેને રહેશે જ. કોઇપણ દીકરી મારી આયશાની જેમ આત્મહત્યા નહીં કરે. આવી તો કેટલીય આયશા પહેલાં પણ મરી ગઇ છે, જેણે વીડિયો નથી બનાવ્યા. તેમણે પાકિસ્તાનનું ઉદાહરણ આપતા UCCની જરૂર હોવાનું પણ કહ્યું. તેમના મતે, UCC બિલની બિલકુલ જરૂર હતી. કેટલાય મુસ્લિમ દેશોમાં 4 નિકાહ નથી કરી શકાતા. પાકિસ્તાન તો આપણાં હિન્દુસ્તાનનો દીકરો છે, ત્યાં પણ 1961 માં એવો કાયદો આવ્યો હતો કે પત્નીની મરજી વગર પતિ બીજા લગ્ન ન કરી શકે. અફસોસ થાય છે કે બાપને (ભારતને) મોડેથી સમજ આવી. જોકે સમજ આવી એ સારી વાત છે. તેમનું માનવું છે કે UCCથી મુસ્લિમ સમાજને ઘણો ફાયદો થશે. એક વ્યક્તિ જે ખાધા પીધા વગર પોતાની દીકરીને મોટી કરે છે, દીકરીના લગ્ન કરવા માટે રૂપિયા ઉધાર લાવે છે. એ જ દીકરીને કોઇ નાનકડી વાત માટે કાઢી મૂકે એ તો ખોટું જ છે ને. હવે આવું નહીં થાય. આખા દેશમાં UCC લાગુ કરોઃ લિયાકત અલીલિયાકતઅલીએ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા ભારતમાં UCC લાવવાની માગ કરી છે.તેઓ કહે છે કે, જો સરકાર મુસ્લિમોની હિતેચ્છું છે તો ગુજરાત જ કેમ? આખા ભારતમાં UCC લાગુ કરવો જોઇએ. કોઇ તેનો વિરોધ નહીં કરે કારણ કે કોને પોતાની દીકરીને બરબાદ કરવી છે? મુસ્લિમ ફક્ત ગુજરાત કે છત્તીસગઢમાં જ નથી. આખા ભારતમાં છે. સૌથી વધારે તો યુપી અને કર્ણાટકમાં છે. તેમણે UCCનો વિરોધ કરનારાને રાજકારણી ગણાવ્યા.તેઓ ઉમેરે છે કે, ગુજરાતમાં કે અન્ય જગ્યાએ જ્યાં પણ આ કાયદો આવ્યો ત્યાં કોઇ મહોલ્લામાં મહિલાઓ કે પુરુષો બહાર નીકળીને વિરોધ કરતાં દેખાયા? ક્યાંય નહીં દેખાય. મુસ્લિમ સમાજમાં કોઇ રિયલ વ્યક્તિને જોયો જે આનો વિરોધ કરતો હોય? કોઇ વિરોધ નથી કરતું. જે લોકો વિરોધ કરે છે તે લોકો રાજકારણીઓ છે. એ પોલિટિક્સ કરે છે, બાકી ખરેખરમાં કંઇ નથી. હકીકતમાં તો આ કાયદાથી બધા ખુશ છે. હું તો કહીશ જેને પણ દીકરી છે એ બધા ખુશ છે. ત્રિપલ તલાક વિશે શું કહ્યું?તેમણે ત્રિપલ તલાકનો પણ ઉલ્લેખ કર્યો. તેઓ કહે છે કે, એ સમયે 3 તલાકનો કાયદો આવી ગયો હતો. એ પણ સારો કાયદો હતો. જો કાયદો ન બન્યો હોત તો આરિફ આયશાને 3 તલાક આપી દેત. અત્યારે એ હાઇકોર્ટમાંથી જામીન મેળવીને રાજસ્થાનના ઝાલોરમાં છે અને કેસ પેન્ડિંગ છે. 3 તલાકનો કાયદો આવ્યો તો પુરુષોના મનમાં બેસી ગયું છે કે 3 તલાક આપ્યા અને મારી પત્ની કોર્ટમાં જશે તો હું મુશ્કેલીમાં મુકાઇશ. 2020માં સરકાર 3 તલાકનો કાયદો લાવી ત્યારે આ કાયદો પણ આવી ગયો હોત તો સારું હતું. હું તો કહું છું કે સરકારની ભૂલ છે. એ જ સમયે આ કાયદો લાવવાનો હતો. 'ધર્મમાં ખોટું થાય તો UCC જરૂરી'તેઓ આગળ જણાવે છે કે, ધર્મ અને કાયદાની વાત કરીએ તો ધર્મ મારી પર્સનલ બાબત છે. કાયદો મારા દેશનો છે. મારા દેશના કાયદા મુજબ મારે ચાલવાનું છે, ચાલવું પડે. સંવિધાન અને કોઇપણ ધર્મને મિક્સ કરો એ ખોટું છે. કેમ કે કોઇ ધર્મમાં અમુક વસ્તુ ન કરી શકો. એ સંવિધાન મુજબ ખોટું હોય તો ખોટું છે. માણસાઇ અને ધાર્મિક રીતે પણ ખોટું છે. કોઇ ધર્મમાં કંઇ ખોટું થતું હોય તો UCC જેવા કાયદા સારા છે. લિયાકતઅલીએ UCC બદલ PM મોદીને અભિનંદન આપ્યા અને કહ્યું કે, UCC બિલ માટે હું સરકારને અભિનંદન આપીશ. ખાસ તો આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપીશ કે જેમણે 75 વર્ષ બાદ આ તરફ ધ્યાન આપ્યું. તેમણે વિચાર્યું કે ખરેખર મુસ્લિમ છોકરીઓ પર અત્યાચાર થઇ રહ્યો છે. તેમણે શરિયા કાયદા ઉપર પણ સવાલ ઉઠાવ્યો. લિયાકતઅલીના મતે, શરિયા મતલબ ઇસ્લામિક કાનૂન. આપણું સંવિધાન બન્યું ત્યારે 4 લગ્નની મંજૂરી હતી.જો શરિયા માનીને તમે મંજૂરી આપી છે તો કોઇ દીકરી મરી જાય તો પુરૂષ પર શરિયા કાનૂન કેમ લાગુ નથી થતો? શરિયાના કાનૂન અનુસાર તો આરિફને સજા થવી જોઇએ, ખૂન કા બદલા ખૂન. આરિફને તો ફાંસી થવી જોઇતી હતી. શરિયા પ્રમાણે મને ક્યાં ન્યાય મળ્યો છે? એક તરફી શરિયા ન ચાલે. ફક્ત મહિલાઓ માટે શરિયા એ ખોટું છે. તેઓ UCC અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાવવાનો મત વ્યક્ત કરે છે.તેમણે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓની વાત કરીએ તો ઘણી ઓછી મહિલાઓને UCC બિલ વિષે જાણ છે. 3 તલાકનો કાયદો આવ્યો ત્યારે ઘણી એડવર્ટાઇઝ થઇ હતી. જેનાથી બધાને ખબર પડી. એ વખતે પણ મહિલાઓ જ સૌથી વધુ ખુશ હતી કે હવે અમને કોઇ તલાક તલાક કહીને ઘરેથી નહીં કાઢી મૂકે. UCC બિલની પણ એડવર્ટાઇઝ થવી જોઇએ કારણ કે ઘણી મુસ્લિમ મહિલાઓમાં ભણતરનો અભાવ હોવાથી તેમને હજુ સુધી આના વિષે જાણ જ નથી. જે ભણેલી છે એમને ખબર છે. ' હલાલા જૂના જમાનાનો ખોટો વિચારઃ લિયાકતઅલીતેઓ કહે છે કે, ઇસ્લામમાં આવું કંઇ છે જ નહીં. મારા મતે ઇસ્લામમાં હલાલા હરામ છે. જૂના જમાનામાં કોઇએ ફેલાવેલો ખોટો વિચાર છે. મેં રિસર્ચ કર્યું છે એ મુજબ નબી હતા ત્યારે કોઇ વ્યક્તિએ પોતાની પત્નીને તલાક આપ્યા. પત્નીએ બીજે લગ્ન પણ કર્યાં. એ પછી તેનો બીજો પતિ મરી ગયો અથવા તેણે પણ પત્નીને તલાક આપી દીધા, હકીકતની મને ખબર નથી. જે પહેલાં વ્યક્તિએ પોતે તલાક આપ્યા હતા એ વિચારતો હતો કે હું આની સાથે ફરી લગ્ન કરી લઉં. જેથી તેણે નબીને પૂછ્યું કે કે હું મારી પત્નીને તલાક આપી ચૂક્યો છું પછી તેણે લગ્ન કર્યા, જ્યાં તેના તલાક થઇ ગયા છે. હવે તેને પાછી લાવું તો એ હરામ છે કે હલાલ છે? નબીએ કહ્યું કે તું લગ્ન કરી શકે છે. એ હરામ નહીં પણ હલાલ છે. એ શબ્દ આ રીતે આવ્યો છે. રિયલ સ્ટોરી મને ખબર નથી. શુું હતો આયશા કેસ?આયશા અને આરિફ દૂરના સબંધી થતાં હતા. જેના પગલે એકબીજાને લાંબા સમયથી ઓળખતા હતા. બન્ને એકબીજાને પસંદ કરતાં હતા. પરિવારને કહ્યું તો પરિવારે લગ્ન કરાવી આપ્યા હતા. લગ્ન બાદ આયશાને જાણ થઇ કે આરિફને બીજે પણ સબંધ છે. જેથી તેણે પહેલા આરિફને સમજાવ્યો હતો. એ ન સમજ્યો તો પરિવારને જાણ કરી. એ પછી વાત વણસી જતાં આરિફ સામે કેસ કર્યો હતો. આરિફ તેને રાખવા તૈયાર નહોતો પણ ત્રણ તલાક અંગે કાયદો આવી ગયો હોવાથી એ ત્રણ તલાક આપી શકે તેમ નહોતો પણ બીજા લગ્નની તૈયારી કરતો હતો. અમદાવાદમાં માતા-પિતા સાથે રહેતી આયશાને આ વાતની જાણ થતાં તેણે આરિફને બીજા લગ્ન ન કરવાનું સમજાવવા માટે ફોન કર્યા હતા. જેના પછી તેણે વીડિયો બનાવીને આત્મહત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે આરિફને 10 વર્ષની સજા ફટકારી હતી. જો કે આરિફે હાઇકોર્ટમાં અપીલ કરતાં તેને જામીન મળી ગયા છે. આયશાના પિતાનો દાવો છે કે જામીન મળ્યા બાદ આરિફે બીજા લગ્ન કરી લીધા છે. જો UCC ત્યારે અમલમાં હોત તો તલાક વગર આરિફ બીજા લગ્ન કરવાનું વિચારત જ નહીં.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
મહિના અગાઉ મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજથી એપ્રિલ માસના સમર શેડ્યુલમાં ચાર નવી ફ્લાઈટો શરૂ કરવાની મોટી જાહેરાત કરાઈ હતી. જોકે, એપ્રિલ માસ નજીક હોવા છતાં આ જાહેરાત માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે. નવી મુંબઈ એરપોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સમર શેડ્યુલમાં ભુજની ફ્લાઈટનો ક્યાંય ઉલ્લેખ નથી, જેનાથી કચ્છના પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે કે, ઈન્ડિગો દ્વારા ભુજમાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ ભુજ એરપોર્ટ પર ચેનલ ગેટ મોટો કરવા અને પાર્કિંગ સહિતની બાબતોમાં ખામી હોવાથી ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શક્યું નથી. એરપોર્ટ ડાયરેક્ટરે પણ સ્વીકાર્યું છે કે સુરક્ષા સહિતના કારણો સામે આવ્યા હતા જેના પર હાલ કામગીરી ચાલી રહી છે. આ તરફ સ્ટાર એર દ્વારા ભુજ-વડોદરા અને ભુજ-નવી મુંબઈ સેવા અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ટર્મિનલનું નવીનીકરણનું કામ અધ્ધરતાલભુજ એરપોર્ટ પર ટર્મિનલની પેસેન્જર ક્ષમતા 540 થી વધારીને 1200 કરવાની કામગીરી 31 માર્ચ સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ કામગીરી બંધ થયાનું જાણવા મળ્યું છે. મુન્દ્રા એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ કરવાની તૈયારીબીજી તરફ મુન્દ્રા ખાનગી એરપોર્ટ પરથી નવી ચાર ફ્લાઈટો શરૂ કરવા માટે એરપોર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તબક્કાવાર સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. સંભવતઃ એપ્રિલના પ્રથમ પખવાડિયા બાદ અહીં ફ્લાઈટ ઓપરેશન શરૂ થશે. હાલ પેસેન્જર સેવા શરૂ કરવા જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
આપઘાતનું કારણ આવ્યું સામે:નાગીયારીના છકડા ચાલકના ત્રાસથી યુવતીએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ
તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીએ દસ દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં નાગીયારી ગામના આરોપી છકડા ચાલકે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ આપતા અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ નોધાઇ છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા ફરિયાદીએ નાગીયારી ગામના આરોપી અલ્તાફ આદમ બાફણ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 16 માર્ચના રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં મૃતક યુવતીએ પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. સમગ્ર મામલે તપાસ કરનાર ડીવાયએસપી એમ.જે.ક્રિશ્ચન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હતભાગી યુવતી નોકરી પર જવા માટે આરોપીના છકડામાં અવર જવર કરતી હતી. જેથી આરોપી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ આરોપીએ યુવતીને પોતાની સાથે સબંધ રાખવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેમજ અવાર નવાર ફોન કરતો તેમજ મારકૂટ પણ કરી હતી. છેલ્લા દોઢ વર્ષથી આરોપીએ આપેલા ત્રાસના કંટાળે યુવતીએ અંતિમ પગલું ભરી લીધું હતું. જે મામલે માનકુવા પોલીસ મથકે આરોપી સામે મરવા માટે મજબુર કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે આરોપીની અટકાયત કરી જેલ હવાલે કરી દીધો છે. ભાસ્કર ઇનસાઇડઆરોપીથી કંટાળી બસનો પાસ પણ કઢાવ્યોનોકરી માટે આરોપીના છકડામાં અવર જવર કરતી યુવતીએ આરોપીથી પીછો છોડાવવા માટે બસનો પાસ કઢાવી લીધો હતો. અને આરોપીના છકડાને બદલે બસમાં અવર જવર કરવાનું શરૂ કર્યું હતું.પરંતુ હાથ ધોઈને પાછળ પડી ગયેલા પરિણીત ઇસમેં તેનો પીછો છોડયો ન હતો અને અવાર નવાર યુવતીને ત્રાસ આપી મરવા માટે મજબુર કરી દીધી હતી.
પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો:અછતની અફવાએ એલપીજી બુકિંગ દિવસના 1 હજારને પાર
સમગ્ર રાજ્યમાં એલપીજી ગેસની તડામારીની અફવાઓ વચ્ચે ભુજ શહેરમાં પણ પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે શહેર અને આજુબાજુના વિસ્તારના પાંચ જેટલા એલપીજી ડીલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણ ડીલરો સાથે વાતચીત થઈ હતી. ડીલરોના જણાવ્યા મુજબ ગેસની અછત અંગેની અફવા ફેલાતાં ગ્રાહકોમાં ભયનો માહોલ ઉભો થયો અને નિયમિત બૂકિંગની સરખામણીએ અચાનક વધારો નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિના દરમિયાન જ્યાં દૈનિક સરેરાશ 650 જેટલા ડોમેસ્ટિક બૂકિંગ થતા હતા, ત્યાં અછતની ચર્ચાઓ વચ્ચે પેનિક બૂકિંગ 1000ની પાર પહોંચી ગયું હતું. જોકે બાદમાં સરકારના જાહેરનામા પછી પરિસ્થિતિ ધીમે ધીમે સ્થિર થતાં બૂકિંગની ગતિ સામાન્ય સ્તરે આવી હતી. શહેરના ડીલરોના જણાવ્યા મુજબ, ગ્રાહકો માટે બૂકિંગની ચાર સુવિધાઓ, વોટ્સએપ, આઈવીઆરસી, મિસ્ડ કોલ અને ટેક્સ્ટ ઉપલબ્ધ હતી. પરંતુ બૂકિંગમાં અચાનક વધારો થતાં ક્યારેક સર્વર ડાઉન જેવી સમસ્યાઓ સર્જાતાં ગ્રાહકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ બૂકિંગ નોંધાયા બાદ ગ્રાહકોને સમયસર ગેસ પહોંચે તે માટે ડીલરો દ્વારા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે વધેલા બૂકિંગ છતાં ગ્રાહકોને સરેરાશ 3 થી 4 દિવસમાં સિલિન્ડર પહોંચાડવાની વ્યવસ્થા જાળવવામાં આવી હતી.
ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા:કચ્છની 350 ખાનગી શાળામાં RTE હેઠળ પ્રવેશ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગના બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. જે બાળકોએ 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ કર્યા હોય, તેઓ આ યોજના હેઠળ પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે. RTEના કારણે અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી બાળકો માટે પ્રતિષ્ઠિત ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવવાના દ્વાર ખુલ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા અગ્રતાક્રમ મુજબ, અનાથ બાળકો, સંભાળની જરૂરિયાતવાળા બાળકો, બાલગૃહના બાળકો અને સ્થળાંતરિત મજૂરોના બાળકોને પ્રવેશમાં પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો, શહીદ જવાનોના સંતાનો અને જે માતા-પિતાને એકમાત્ર દીકરી હોય તેવા પરિવારોને પણ વિશેષ પ્રાધાન્ય મળશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગના બાળકો પણ આ મફત શિક્ષણ યોજનાનો લાભ લઈ શકશે. આ સિવાય રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો તેમજ સામાન્ય કેટેગરીના બાળકો સહિત તમામ લાભ લઇ શકશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે મોટા જિલ્લામાં આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રવેશ ઈચ્છતા વાલીઓએ આગામી 5 એપ્રિલ શનિવારથી 16 એપ્રિલ શુક્રવાર દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જરૂરી દસ્તાવેજોની યાદી વાલીઓ સવાર કે બપોરની સ્કૂલ શિફ્ટ પસંદ કરી શકશેશૈક્ષણિક વર્ષ 2025-26 થી વાલીઓ ફોર્મ ભરતી વખતે પોતાની પસંદગીની પાળી (શિફ્ટ) પસંદ કરી શકશે. અત્યાર સુધીના કિસ્સામાં જોવા મળતું હતું કે, જે શાળામાં સવાર અને બપોર એમ બે પાળી ચાલતી હોય ત્યાં સવારની પાળીમાં મોટાભાગે સંપન્ન પરિવારના બાળકોને પ્રાધાન્ય મળતું હતું. જોકે, હવે શિક્ષણ નિયામકની કચેરીએ RTE પોર્ટલમાં ફેરફાર કર્યો છે. હવે પોર્ટલ પર માત્ર શાળાની ખાલી બેઠકો જ નહીં, પરંતુ સવાર અને બપોરની પાળીની વિગતો પણ દર્શાવવામાં આવશે. ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું નથીવાલીઓએ ઓનલાઈન પોર્ટલ પર આરટીઇ પ્રવેશ માટે ફોર્મ ભરવાના છે તેમજ તમામ પુરાવા પણ ઓનલાઇન અપલોડ કરવાના છે.ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની છે.ઓનલાઇન ભરેલું ફોર્મ હાલ તબક્કે ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં. આવક મર્યાદામાં વધારો : અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. 1.50 લાખની મર્યાદા હતી. જોકે હવે વર્ષ 2025-26 માટે આ મર્યાદા વધારીને 6 લાખ કરી દેવામાં આવી છે. આ નિર્ણયને કારણે હવે વધુ સંખ્યામાં પરિવારો RTE હેઠળ મફત શિક્ષણનો લાભ લઈ શકશે. મહત્વની સમયરેખા
બસ મુસાફરોની સુવિધામાં વધારો:ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવી સ્લીપર બસ સેવાનો આરંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા પ્રવાસીઓની માંગણી તેમજ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભુજથી પાલીતાણા વાયા રાજકોટને જોડતી નવીન સ્લીપર બસ સેવાનો 26 માર્ચ ગુરૂવારથી આરંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં આ બસને પ્રસ્થાન કરાવાયું હતું. ભુજ થી પાલીતાણા બસ દરરોજ ભુજથી સાંજે 16:45 કલાકે ઉપડી પાલીતાણા સવારે 2:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણાથી સાંજે 8 કલાકે ઉપડી ભુજ સવારે 5:50 કલાકે પહોંચશે. આ સ્લીપર બસ સેવામાં પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી પાલીતાણા રૂ. 455/- રહેશે.આ બસ ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. વધુમાં ભુજથી અમદાવાદ વાયા શંખેશ્વર બસ દરરોજ ભુજથી સાંજે 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 5:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદથી સાંજે 18:00 કલાકે ઉપડી સવારે 4:30 કલાકે વાયા શંખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજ થી અમદાવાદ રૂ. 463/- રહેશે.જેનો પ્રારંભ તા. 1 એપ્રિલ બુધવારથી થશે આ બસ અંજાર, ગાંધીધામ, રાધનપુર, શંખેશ્વરથી અમદાવાદ રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે.
સેન્ટ્રલ જેલમાં બુધવારે 3 વાગ્યે હત્યાના ગુનાના કેદીએ લૂંટના ગુનાના કેદીને પતરાની પટ્ટી પેટમાં હૂલાવી દેતાં તે ગંભીર રીતે ઘવાયો હતો. હૂમલાખોર કેદીએ પતરાની પટ્ટી એટલી જોરથી પેટમાં હૂલાવી હતી કે તે પેટમાં જ રહી ગઇ હતી. ગંભીર રીતે ઘાયલ કેદીને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ બન્ને કેદીઓ એક જ બેરેકમાં રહેતા હતા અને 2 મહિના પહેલા તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને હુમલો કર્યો હતો. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં નોંધાયેલા લૂંટના ગુનામાં સજા કાપતો પાકા કામનો કેદી 54 વર્ષીય શિવબદન કેવટ બુધવારે બપોરે 3 વાગે જેલબંધી ખુલતા જેલના આઉટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ફતેગંજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનાનો કેદી ભયલુ દરબાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે શિવબદનને જોઈને ભયલુ ઉશ્કેરાઈ ગયો હતો અને નજીકમાં પડેલી પતરાની પટ્ટી શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઘટના બનતા અન્ય કેદીઓ અને પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. શિવબદનને જેલની હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવીને સયાજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે પેટમાં રહેલી પતરાની પટ્ટી કાઢી હતી અને સામાન્ય સર્જરી કરી હતી. હાલમાં શિવબદન સયાજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેલમાં ચાલી રહેલા બાંધકામ પાસેથી પતરાની પટ્ટી લીધીહાલમાં જેલની અંદર બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે પતરા, પથ્થર, ઈંટો ત્યાં પડેલા હતાં. જેથી ભયલુએ ત્યાંથી પતરાની પટ્ટી લઈ લીધી હતી અને શિવબદનના પેટમાં મારી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, ભયલુને દાઢ દુખતી હોવાને કારણે તે ડૉક્ટરને બતાવવા માટે જેલમાં આવેલા દવાખાનામાં જઈ રહ્યો હતો, ત્યારે શિવબદન વચ્ચે મળી જતા તેણે હુમલો કર્યો હતો. ભયલુને હત્યાના ગુનામા 10 વર્ષની સજા થઈ હતી અને શિવબદનને એક વાર 7 અને બીજી વાર 7 એમ કુલ 14 વર્ષની સજા થઈ હતી.
પોલીસ બેડામાં બદલીનો માહોલ:વડોદરાના 39 પીઆઈની જિલ્લાની બહાર બદલી કરાઇ, 35 પીઆઈ શહેરમાં આવ્યા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વ રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર શરૂ થયો છે. લાંબા સમયથી પીઆઈ બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. રાજ્યના 772 પોલીસ ઈન્સ્પેક્ટરની સાગમટે બદલીઓ થઈ હતી. ત્યારે તેમાંથી વડોદરા શહેરના 39 પીઆઈની જિલ્લા બહાર બદલી થઈ હતી, જ્યારે તેની સામે શહેરમાં 35 પીઆઈની બદલીઓ થઈ હતી. વડોદરા ગ્રામ્યમાં 11 પીઆઈ જિલ્લા બહાર મુકાયા હતા, 11 જિલ્લા બહારથી વડોદરા ગ્રામ્યમાં આવ્યા હતા. બીજી બાજુ વડોદરા શહેરના એસીપી ટ્રાફીક જે.આઈ.વસાવાને પ્રમોશન આપીને એસપીનો રેન્ક અપાયો હતો. તેમને નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક(ઉત્તર) તરીકે મુકાયા હતા. વડોદરા શહેરમાં બદલી થઈને આવેલા પીઆઈ વડોદરા શહેરમાંથી આ પીઆઈની બદલી કરાઇ વડોદરા ગ્રામ્ય પોલીસ બદલી વડોદરા ગ્રામ્યમાં આવેલા પીઆઈ: વડોદરા ગ્રામ્યમાંથી બદલી થયેલા પીઆઈ:
કોમર્સ ફેકલ્ટી દ્વારા ટાઇમ ટેબલની જાહેરાત:ટીવાય બીકોમ રેગ્યુલર સહિત ઓનર્સની પરીક્ષા 7 એપ્રિલથી
મ.સ.યુનિ.ની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એપ્રિલ મહિનાથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ જશે. ટી.વાય. બી.કોમ.ની ઓનર્સ અને રેગ્યુલરની પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, જેનું ટાઈમ-ટેબલ બહાર પાડવામાં આવ્યું છે. નવી એજ્યુકેશન પોલિસીનો અમલ થયા બાદ બી.કોમ. ઓનર્સમાં ત્રીજા વર્ષની પરીક્ષા લેવાશે, જેમાં 6,500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટીકેટી ધરાવતા 500થી 600 જેટલા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓ બી.કોમ. રેગ્યુલર બેચના હતા અને જેઓ બી.કોમ. ક્લિયર કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને પણ તક મળશે. 7 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ 13 એપ્રિલ સુધી ચાલશે. ટી.વાય. બી.કોમમાં એકાઉન્ટ ઉપરાંત કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટમાં માર્કેટિંગ તથા એચ.આર.એમ. વિષયની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે ઇકોનોમિક્સમાં એપ્લાઇડ ઇકોનોમિક્સ તથા ફાઇનાન્સ ઇકોનોમિક્સની પરીક્ષા લેવામાં આવશે. કોમર્સ સહિત અન્ય ફેકલ્ટીઓમાં પણ એપ્રિલમાં પરીક્ષાની શરૂઆત કરવામાં આવનાર હોવાનું જણાયું છે.
મોટી પહેલ:પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઈલેક્શન મેનેજમેન્ટ સંસ્થામાં રિસર્ચ કરી શકશે
ભારતના ચૂંટણી પંચ અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ દ્વારા લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને મજબૂત કરવા માટે ત્રણ મોટી પહેલની જાહેરાત કરવામાં આવી છે. 2026માં ભારત આંતરરાષ્ટ્રીય આઇડીઇએના સભ્ય દેશોની કાઉન્સિલનું અધ્યક્ષપદ સંભાળવાનું છે. તે અંતર્ગત સમાવેશક અને ટકાઉ વિશ્વ માટે લોકશાહી થીમ પર આ કાર્યક્રમો યોજાશે. યુજીસીએ વડોદરાની મ.સ.યુનિ. સહિતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ તકોનો લાભ લેવા સૂચના આપી છે. આ પ્રોજેકટમાં ‘સ્ટુડન્ટ કનેક્ટ રિસર્ચ ચેલેન્જ’ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાશે. જેમાં વિવિધ દેશોની ચૂંટણી પ્રણાલી અને કાનૂની માળખા પર તુલનાત્મક સંશોધન કરવાનું રહેશે. શૈક્ષણિક મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસમાં એક દિવસીય મુલાકાતનું આયોજન કરાશે. જેમાં વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના ચૂંટણી સંચાલનના ઓપરેશનલ પાસાઓ પ્રત્યક્ષ શીખવા મળશે. ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સનું 18-19 જૂન 2026ના રોજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ કેમ્પસ, નવી દિલ્હી ખાતે યોજાશે. જેમાં પ્રોફેસરો અને સંશોધન વિદ્વાનો ચૂંટણી શાસનના સમકાલીન મુદ્દાઓ પર પોતાના રિસર્ચ પેપર રજૂ કરી શકશે. રિસર્ચ માટેના મુખ્ય વિષયો
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે વર્ષ પહેલાં બનાવેલું પુસ્તકાલય તાળાબંધીમાં ધૂળ ખાઈ રહ્યું છે. લાઇબ્રેરીમાં 100 વર્ષ જૂના પુસ્તકો છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં તેને ‘નરેન્દ્ર પુસ્તકાલય’ના નામે શરૂ કરાયું હતું. જેને બંધ કરી દેવામાં આવતા હાલના વહીવટકર્તાઓ સામે સવાલો ઊભા થયા છે. વડાપ્રધાનના જન્મદિને 2023માં 17 સપ્ટેમ્બરે સમિતિની મુખ્ય કચેરી ખાતે પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હતું. સમિતિમાં જ ધૂળ ખાતા 100 વર્ષ જૂના પુસ્તકોને ફરીથી બાઈન્ડિંગ કરાવી મુકાયા હતા. લાઇબ્રેરી શરૂ થયાના દોઢ વર્ષમાં જ બંધ કરી દેવાઇ છે. લાઇબ્રેરીમાં અન્ય સામાન પણ મૂકી દેવામાં આવ્યો છે. સમિતિમાં ડિજિટલ વિશ્વમાં જીવી રહેલા સત્તાધીશો આ લાઇબ્રેરીની ખસ્તા હાલત માટે જવાબદાર છે. જે તે સમયે લાઇબ્રેરીનો વિકાસ કરવા માટે નેમ લેવામાં આવી હતી. જોકે અત્યારે એવી પરિસ્થિતિ છે કે લાઇબ્રેરી બંધ કરીને તેને તાળું મારી દેવાયું છે. બે આના, ચાર આનામાં ખરીદેલાં પુસ્તકો પણ છેશાળા અને શિક્ષણ પદ્ધતિ જેવા અનેક એક આના, બે આના, ચાર આના, દસ પૈસાના ઐતિહાસિક પુસ્તકો છે. વિશેષતા એ છે કે વડોદરા શિક્ષણ નગરી તરીકે જેનાથી પ્રસિદ્ધ છે એવા સયાજીરાવ ગાયકવાડના સમયના પુસ્તકો પણ છે. સિંધી, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશના મહાન લેખકોનાં પુસ્તકોનો પણ પુસ્તકાલયમાં સમાવેશ કરાયો હતોદેશના મહાન લેખકોના પુસ્તકોનો પણ આ પુસ્તકાલયમાં સમાવેશ થયો છે. જેમાં પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી, કવિ કલાપી, વીર નર્મદ, ઈશ્વર પેટલીકર, કાકાસાહેબ કાલેલકર જેવા મહત્વના લેખકોના પુસ્તકોનો સમાવેશ થયેલ છે.
ડોમ્બિવલીમાં ટ્રસ્ટીના પુત્ર પર શિક્ષિકાની છેડતીનો આરોપ
સતત અયોગ્ય મેસેજ અને શારીરિક સંબંધનું દબાણ શિક્ષિકાએ મનસેને ફરિયાદ, કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આરોપીને પોલીસને સોંપાયો, તપાસ શરુ મુંબઈ - ડોંબિવલી પૂર્વના સાગાંવ વિસ્તારમાં એક ગંભીર છેડછાડની ઘટના સામે આવી છે. જ્યાં એક શાળાના ટ્રસ્ટીના દીકરાએ શિક્ષિકાને અશ્લિલ મેસેજ તેમજ વિડીયો મોકલીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યાનો આરોપ થયો છે. જેથી સ્થાનિક સ્તરે રોષ ફેલાયો છે અને મનસેના કાર્યકરોએ આ બાબતે પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.
નર્મદ સાહિત્ય સભા દ્વારા પુરસ્કૃત લઘુ નવલકથા ‘સૂત્રિત’નું નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શન રાજેશ દાણી દ્વારા કરવામાં આવ્યું છે. જે મેધા ત્રિવેદી દ્વારા લિખિત છે. મહાત્મા ગાંધીએ સ્ત્રીઓને ચરખો ચલાવી સુતર કાંતવાની પ્રવૃત્તિમાં જોડાવાની હાકલ કરી. એ પ્રવૃતિનો એક સ્ત્રી અને તેના પરિવાર પર કેવો પ્રભાવ પડ્યો તેની આ નાટકમાં વાત કરી છે. ચરખાની પ્રવૃત્તિ દ્વારા ગાંધીજીએ સ્ત્રીઓને આર્થિક સ્વતંત્રતા અપાવી, એમને ઘરની બહાર લાવી સ્વદેશી અને આઝાદીની ચળવળમાં જોતરી. ‘સૂત્રિત’ નાટકમાં એક અનોખી વાત છે, એક અનોખી રજૂઆત છે. 7 વર્ષના બાળકલાકારોથી લઈને 45 વર્ષથી વધુ સમયથી રંગમંચ પર કાર્યરત અનુભવી એવા 30થી વધારે કલાકારો રંગમંચ પર આવશે. જેનું અત્યારે રિહર્સલ ચાલી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી દરેક વયના અને વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની મનગમતી પ્રવૃત્તિ નાટકમાં કિરદાર નિભાવવા માટે સમય ફાળવે છે. વડોદરાના રંગમંચને વરેલ નિષ્ઠવાન કલાકારો સાથે વિશિષ્ટ પ્રકાશ આયોજન, સંગીત અને વેશભૂષા દ્વારા ‘સૂત્રિત’ નાટક પ્રો. સી. સી. મહેતા ઓડિટોરિયમમાં 29મી માર્ચના રોજ સાંજે 7.30 વાગ્યે સંસ્કૃતિ થિયેટર્સ દ્વારા ભજવવામાં આવશે.
આજના ઝડપભર્યા જીવનમાં ઈગોને હરાવવાની વાત નથી. તેને સમજવાની જરૂર છે. ઈગો આપણી ઓળખને બચાવવાનો પ્રાકૃતિક મિકેનિઝમ છે, પરંતુ જ્યારે તે અણજાણ્યા રિએક્શનમાં ફેરવાઈ જાય છે, ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. વારંવાર થતા ટ્રિગર્સ કોઈ અકસ્માત નથી, પરંતુ અંદર છુપાયેલા પેટર્ન્સ છે, જે અવેરનેસ માંગે છે. ભાવનાઓને દબાવી દેવી એ ઉકેલ નથી. ગુસ્સો, દુઃખ કે નિરાશા જો સમયસર પ્રોસેસ ન થાય તો મન તેને ‘મહત્વપૂર્ણ’ માનીને સંગ્રહિત રાખે છે. આથી જ પોઝ લીધા પછી રીએક્ટ કરોનો સિદ્ધાંત મહત્વનો બને છે પ્રતિસાદ આપતા પહેલાં થોડી ક્ષણ માટે થંભવું જ સાચી શક્તિ છે. સાચી શક્તિ એમાં નથી કે તમે તરત જવાબ આપો, પણ એમાં છે કે તમે સમજ સાથે જવાબ પસંદ કરો. યુવાનો માટે ‘ઇગો મેનેજમેન્ટ અને ઈમોશનલ મેચ્યોરિટી’ પર યુવાલય દ્વારા યોજાયેલા સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભારતી નાઇકે જણાવ્યું હતું. યુવાલય દ્વારા યોજાતી આ વિવિધ શ્રેણીની ટોકમાં યુવાનોને માનસિક વિકાસ તરફ દોરી જવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ઇમોશનલ મેનેજમનેટ ઇગો નહીં પણ રીએક્શન શત્રુ છેઈગો ક્યારેય શત્રુ નથી, પરંતુ અણજાણતા રિએક્શન ખરેખર નુકસાન કરે છે. ટ્રિગર્સને ઓળખો, થોભો અને વિચારપૂર્વક પ્રતિસાદ આપો. નાની નાની બદલાવથી મોટો ફેરફાર શક્ય છે. બીજાને નહીં, પોતાને સંભાળવાની કળા જ સાચી સફળતા અને શાંતિ તરફ લઈ જાય છે. એ જ સાચી પ્રોઍક્ટિવ લીડરશિપ છે. સાચી વૃદ્ધિ બીજાને બદલવામાં નથી, પરંતુ પોતાની પ્રતિક્રિયાઓને સંભાળવામાં છે. જાતને પ્રશ્ન કરવાથી વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકેજ્યારે આપણે કોઈ ચોક્કસ ઓળખ, પદ કે માનને બચાવવા પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે રક્ષણાત્મક બની જઈએ છીએ. આથી ગુસ્સો, ઉંચી અવાજમાં વાત કરવી અને આક્રમક વલણ દેખાય છે. માનસિક આરોગ્ય ક્ષેત્રના જાણકારો માને છે કે ‘હું કઈ ઓળખને બચાવી રહ્યો છું?’ આ પ્રશ્ન વ્યક્તિને પોતાની અંદર ઝાંખી કરવા પ્રેરિત કરે છે. આ પ્રશ્ન દ્વારા વ્યક્તિ પોતાના અહંકારને ઓળખી શકે છે અને પ્રતિભાવ આપવાનું શીખી શકે છે.
આજે ચૈત્ર સુદ નોમ એટલે કે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ યોજાયો હતો. આ વર્ષે મારા ભગવાનને, મારા વાસણમાં, મારો થાળના વિશેષ અભિગમ સાથે ભક્તોએ ઘરેથી તૈયાર કરેલી વાનગી અર્પણ કરી હતી. ભક્તો દ્વારા અર્પણ કરાયેલી 825 પ્રકારની મીઠાઈ, 2050 પ્રકારના ફરસાણ, સૂકો મેવો, ફળ, મુખવાસ અને કેક મળીને કુલ 3245 પ્રકારનાં વ્યંજનોનો અન્નકૂટ તૈયાર કરાયો હતો. જ્યારે રામ નવમીના અવસરે બપોરે 12 કલાકે ભગવાન રામલલ્લાની આરતી ઉતારી હતી. અટલાદરા બીએપીએસ મંદિરમાં ભક્તો ઘરેથી વિવિધ વાનગી બનાવી લાવ્યા
આગ લાગી:સંગર ચાર રસ્તા પાસે ACના ઇન્ડોર યુનિટમાં આગ, ફર્નિચર બળી ગયું
સંગમ ચાર રસ્તા પાસેની નાગેશ્વર સોસાયટીના એક મકાનમાં રાત્રે 11 વાગ્યાના સુમારે આગ લાગી હતી. ઘરના બેડરૂમમાં મૂકેલા એસીમાં અચાનક આગ લાગ્યા બાદ ઘરના અન્ય ભાગમાં ફેલાઇ હતી. આ આગમાં ફર્નિચર સહિતની ઘરવખરી ભસ્મીભૂત થઇ હતી. આગને પગલે સમગ્ર ઘરમાં ભારે ધુમાડો થતાં ફાયરબ્રિગેડના લાશ્કરોએ આવીને ધુમાડો ઘરની બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે સોસાયટીના સંખ્યાબંધ લોકો એકત્ર થયા હતા. આગ પ્રસરે એવું જણાતાં ઘરના લોકોએ જ સમયસૂચકતા વાપરીને એસી યુનિટ નજીકથી ગાદલાં સહિતનો સામાન સલામત જગ્યાએ ખસેડી લીધો હતો. મકાન માલિકે જણાવ્યું કે, એસી દસેક વર્ષ જૂનું હતું અને તેનું સર્વિસિંગ ગત ઉનાળામાં કરાવ્યું હતું અને વપરાશ ખૂબ ઓછો હતો. ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં ગરમી વધતાં અને વોલ્ટેજમાં અચાનક ફેરફાર થતાં પણ વીજ ઉપકરણોમાં આગ લાગવાના બનાવો વધે છે. વોલ્ટેજ હાઇ થતાં નબળું વાયરિંગ સળગી ઊઠે છેઇનર એસી યુનિટમાં આગ લાગવાનાં અનેક કારણો છે. મોટાભાગે વોલ્ટેજ હાઇ થાય ત્યારે નબળું, ઘસાયેલા વાયરો પર લોડ આવતાં તે સળગી ઊઠે છે. આ ઉપરાંત એસીની લાંબા સમયથી સફાઇ ન થઇ હોય અને એસી કલાકો સુધી ચાલુ રહે તો પણ આગ લાગી શકે છે. > હેમિલ ભટ્ટ, વીજ તજ્જ્ઞ
રામ નવમીએ શહેરમાં 22 શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ વીએચપીના કારેલીબાગ પ્રખંડ દ્વારા હરણીથી યોજાતી શોભાયાત્રા જૂના રૂટ પર કાઢવાની મંજૂરી પોલીસે ન આપતાં કાર્યકરો રોષે ભરાયા હતા. જેને પગલે શોભાયાત્રા જ રદ કરી દેવાઈ હતી, જ્યારે વીએચપીનાં 150થી વધુ કાર્યકર રાજીનામાં આપશે. 2023માં આ યાત્રા કુંભારવાડા પાસે પહોંચતાં પથ્થરમારો થયો હતો. તે પછી ગત વર્ષે પણ પોલીસે યાત્રાનો રૂટ બદલી દીધો હતો. જ્યારે શહેરની કુંભારવાડામાંથી નીકળતી સૌથી જૂની શોભાયાત્રા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. વીએચપીના કાર્યકરોએ શોભાયાત્રા માટે ફતેપુરાના જૂના રૂટની માગ કરી હતી, જ્યારે પોલીસે એલએન્ડટી સર્કલ, અમિતનગર થઈ પાણીની ટાંકી, બહુચરાજી રામ મંદિર સુધીની મંજૂરી આપી હતી. જેથી કાર્યકરોએ રોષે ભરાઈ શોભાયાત્રા રદ કરી હતી અને અમિતનગર સર્કલ પાસે મહાઆરતી, રામધૂનનું આયોજન કર્યું હતું. નોંધનીય છે કે, ગોરવા, ફતેગંજ, અકોટા, કુંભારવાડા, છાણી, વાડી, સમા, માંજલપુર સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી. 600થી વધુ શકમંદોની યાદી તૈયાર, લોકેશન ટ્રેકિંગ પર મુકાયાં, 250ની અટકશાંતિ ડહોળવા પ્રયાસ કરી શકે તેવા 600થી વધુ શકમંદોની વિશેષ યાદી તૈયાર કરાઈ હતી. પોલીસે તમામના ફોન લોકેશન ટ્રેકિંગ પર મૂકી દીધા હતા અને શકમંદો સાથે તેમના સંબંધી પર પણ વોચ રખાઈ હતી. જ્યારે 250થી વધુની અટકાયત કરાઈ હતી. નેત્રમ સીસીટીવી રૂમ ખાતે પોલીસની ખાસ ટીમે આરોપીના ફોટો-વીડિયો એનાલિટિક્સમાં અપડેટ કર્યા હતા અને વોચ રાખી હતી. પોલીસે કંટ્રોલ રૂમથી ગ્રાઉન્ડ સ્ટાફને નિર્દેશ આપ્યા હતા. ડ્રોન-CCTVથી પોલીસની શોભાયાત્રા પર નજર વર્ષ 2023માં પથ્થરમારો થયો હતો તે સ્થળે પતરાં લગાવી દેવાયાં કુંભારવાડા પાસે 2023માં રામજીની શોભાયાત્રા સમયે પથ્થરમારો થયો હતો. જેથી આ વર્ષે મસ્જિદ સામે અને આગળના ચાર રસ્તે સુરક્ષાના હેતુથી પતરાં માર્યાં હતાં. સાથે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે મુસ્લિમ આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. જૂના રૂટની મંજૂરી ન મળતાં કાર્યકરોમાં નારાજગી ફેલાઈ જૂના રૂટથી શોભાયાત્રા કાઢવા ન દેતાં કાર્યકરો નારાજ છે. પ્રશાસન સામે રોષ છે. હિન્દુત્વ માટે શોભાયાત્રા કાઢીએ છીએ. કારેલીબાગ પ્રખંડનાં 150 કાર્યકર રાજીનામાં આપશે. અમિતનગર સર્કલ પાસે રામધૂન, મહાઆરતીનું આયોજન કર્યું છે. — કલ્પેશ જોષી, કારેલીબાગ પ્રખંડ મંત્રી VHP રામ નવમીની શોભાયાત્રા શાંતિમય રીતે પૂર્ણ થઈ પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, અન્ય વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરાયું હતું. રામ નવમીની શોભાયાત્રાઓ શાંતિમય રીતે પૂર્ણ થઈ હતી. શહેરીજનોનો પણ પોલીસને સારો સહકાર મળ્યો હતો. — નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર આવતા વર્ષે આ રૂટથી યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું પોલીસે મંજૂરી આપી હતી, પણ આયોજકોની 2023માં જે રૂટ હતો ત્યાંથી શોભાયાત્રા કાઢવા માગ હતી. બુધવાર સાંજ સુધી આયોજકો સંપર્કમાં હતા. પોલીસે લો-ઓર્ડરને ધ્યાને રાખી નિર્ણય કર્યો છે. આવતા વર્ષે આ રૂટે યાત્રા નીકળે તેવા પ્રયત્ન કરીશું. — ડૉ. જયપ્રકાશ સોની, શહેર ભાજપ પ્રમુખ પોલીસે અગાઉ પણ આશ્વાસન આપ્યું હતું2023ની ઘટના બાદ બીજા વર્ષે જે તે સમયના ડીસીપીએ આ વખતે રૂટ બદલો, ચૂંટણી પર અસર થશે તેમ કહ્યું હતું. તે પછી જૂના રૂટની મંજૂરીનું આશ્વાસન આપ્યું હતું. પોલીસ તે વાત પર કાયમ ન રહી. — વિપુલ પઢિયાર, સહમંત્રી, વડોદરા, VHP
દેશમાં સર્જાયેલા ગેસ બોટલના સંકટ વચ્ચે સરકાર દ્વારા પીએનજી ગેસ લાઇન જોડાણને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે ગેસ કંપનીમાં નવા કનેક્શન માટે 9 હજાર અરજી પેન્ડિંગ હોવાનું સપાટી પર આવ્યું છે. છેલ્લા એક મહિનામાં 2 હજાર અરજી મળી છે. જોકે રાહતની વાત એ છે કે, ગેસ વિભાગે રૂા.300 રજિસ્ટ્રેશન ફી નાબૂદ કરી છે. સરકારે રહેણાક વિસ્તારમાં પીએનજી ગેસનું જોડાણ ફરજિયાત બનાવ્યું છે. જેમાં કોઈ વિસ્તારમાં જતી ગેસ લાઈનમાંથી 3 મહિનામાં કનેક્શન લેવા કહેવાયું છે. ત્યારે મહાનગર પાલિકા અને ગેલના સંયુક્ત સાહસ ગેસ કંપની લિમિટેડમાં નવા કનેક્શનની 9 હજાર અરજી પેન્ડિંગ છે. ગેસ કંપનીનાં સૂત્રો મુજબ છેલ્લા એક મહિનામાં 2 હજાર જેટલી અરજી આવી છે. જ્યારે રોજનાં 150થી વધુ ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યાં છે. આગામી બે મહિનામાં તમામ અરજીનો નિકાલ કરવામાં આવશે. સરકારે ડિપોઝિટ નહીં લેવા અને રૂા.500 સુધીનો ગેસ મફત આપવાની જાહેરાત કરી છે. જોકે વડોદરા ગેસ કંપની પાસે એવો કોઈ સર્ક્યુલર આવ્યો નથી તેવું જાણવા મળ્યું છે. નવા કનેક્શન માટે ગેસ કંપનીએ રૂા.300 રજિસ્ટ્રેશન ફી નહીં લેવાનું નક્કી કર્યું છે. નવા કનેકશનમાં ગેસ કંપનીની જાહેરાત : 300 રજિસ્ટ્રેશન ફી નાબૂદપુરવઠા વિભાગ મુજબ શહેર-જિલ્લામાં 12 હજાર કોમર્શિયલ સહિત 5.44 લાખ ગેસ બોટલના ગ્રાહક છે. સામાન્ય દિવસોમાં રોજ 8 હજાર જેટલાં બોટલનું રિફીલિંગ થતું હતું, જે હાલ બમણું થયું છે. આઉટ ગ્રોથ વિસ્તારમાં ગેસનું નેટવર્ક, 40 હજાર જૂના કનેક્શન પણ બદલ્યાંગેસ કંપની હાલમાં 2.90 લાખ ગ્રાહકોને ગેસનો પુરવઠો પાઇપ મારફતે પૂરો પાડે છે. જ્યારે 3030 કોમર્શિયલ કનેક્શન છે. શહેરમાં વેમાલી, ઉંડેરા, સેવાસી, કલાલી, જાંબુઆ સુધી નેટવર્ક નખાયેલું છે. 40 હજાર કનેક્શનનું જૂનું નેટવર્ક હટાવી નવું નેટવર્ક નાખ્યું છે, જેને કારણે પ્રેશર સુધારો થયો હોવાનો દાવો છે.
પ્રજાએ વ્યક્ત કર્યો આક્રોશ:ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી ન મળતાં લોકોના દેખાવો, માટલાં ફોડી વિરોધ
શહેરમાં ભરઉનાળે લોકોને પાણી મળતું ન હોવાની ફરિયાદો ઊઠી રહી છે. ભાયલી સ્ટેશન નજીક છેલ્લા 10 દિવસથી પાણી ન મળતાં રહીશોએ માટલાં ફોડી વિરોધ કર્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે, 5-5 દિવસથી કપડાં ધોયાં નથી અને આસપાસ તળાવ પણ નથી કે ત્યાં જઈને ધોઈ શકાય. ભાયલી સ્ટેશન પાસે 10 દિવસથી પાણી નહીં આવતું હોવાની ફરિયાદ સાથે લોકો એકત્ર થયા હતા. મહિલાઓનું કહેવું હતું કે, પાણી નહીં આવવાથી પરેશાની થઈ રહી છે. આ વિસ્તારમાં સામાન્ય આવક ધરાવતા લોકો રહે છે, જેથી પાણીનું ટેન્કર મગાવવું પરવડે તેમ નથી. આ અંગે પાલિકાના તંત્ર અને સ્થાનિક નેતાઓને જાણ કરી છે, પરંતુ કોઈ જોવા આવતું નથી. ગત ચૂંટણીમાં કહેતા હતા કે, અમારી તરફ જોજો. હવે જ્યારે અમારે જરૂર પડી છે તો કોઈ જોવા આવતું નથી. રહીશ મીનાબેને જણાવ્યું હતું કે, પાણી ન આવતું હોવાથી 5 દિવસથી કપડાં ધોયાં નથી. આસપાસ તળાવ કે સરોવર પણ નથી કે ત્યાં જઈને કપડાં ધોઈ શકાય. તંત્ર તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવે તે માટે વિરોધ પ્રદર્શન કર્યું છે.
સરકારી ડેન્ટલ કોલેજની મેસમાં કોલસાની સગડીઓ પર રસોઈ
ગેસ ટ્રેબલના કારણે મુશ્કેલી સર્જાઈ માંગ વધતાં હવે તો કોલસાની કિંમત પણ બમણી થઈ ગઈ છે ઃ ભોજન અને નાસ્તાનું મેનુ ટૂંકાવી દેવાયું મુંબઈ - ઈરાન- અમેરિકા યુધ્ધને પાયે ગેસની અભૂતપૂર્વ કટોકટી સર્જાઈ હોવાથી દક્ષિણ મુંબઈની સરકારી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ માટે કેન્ટીનમાં કોલસાની મોટી મોટી સગડીઓ પર રસાઈ બનાવવામાં આવી રહી છે. છેલ્લાં ત્રણ અઠવાડિયાથી આ રીતે કોલસાની સગડી અને ચૂલા ઉપર આંધણ ચડાવવામાાં આવે છે. કેન્ટીનના સંચાલક નાગરાજના જણાવ્યા પ્રમાણે સિલિન્ડર મળતા ન હોવાથી આ રીતે કોલસાની સગડી પેટાવીને રાંધવાનો વારો આવ્યો છે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ચેતવણીને લઈને રહ્યા. તેમણે કહ્યું કે ઈરાન યુદ્ધથી કોરોના મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. બીજા મોટા સમાચાર કાશ્મીરમાં ઈરાન માટે એકત્ર કરવામાં આવેલા 18 કરોડ રૂપિયાના ફાળાના રહ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવશે. અયોધ્યામાં રામલલાનું સૂર્યતિલક બપોરે 12 વાગ્યે થશે. 2. યુપીના સુલતાનપુરમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણીના મામલામાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. પુતિન બોલ્યા- ઈરાન યુદ્ધથી કોવિડ જેવી સ્થિતિનો ખતરો:જેઓ યુદ્ધ લડી રહ્યા છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાન યુદ્ધ અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આ યુદ્ધથી COVID મહામારી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. મોસ્કોમાં બિઝનેસ લીડર્સ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામોનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. તેમણે કહ્યું કે જે દેશો આ યુદ્ધમાં સામેલ છે, તેમને પણ તેની અસરનો અંદાજ નથી. તેમણે જણાવ્યું કે આ સંઘર્ષની અસર આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ, ઉત્પાદન અને સપ્લાય ચેઇન પર પડી રહી છે. આ સાથે ઓઇલ-ગેસ, ધાતુ અને ખાતર ક્ષેત્રની કંપનીઓ પર દબાણ વધી રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈરાન યુદ્ધ મામલે કાલે PM મોદીની તમામ મુખ્યમંત્રીઓ સાથે બેઠક:સંસદમાં કહ્યું હતું- આવનારો સમય કોરોના જેવી પરીક્ષા લેશે, રાજ્ય-કેન્દ્રએ મળીને કામ કરવું પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 27 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. તેમાં ઈરાન યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ પર ચર્ચા થઈ શકે છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ સહિત 5 ચૂંટણી રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં હાજરી આપશે નહીં. મોદીએ 24 માર્ચે રાજ્યસભામાં કહ્યું હતું કે જો અમેરિકા-ઇઝરાયલનું ઈરાન સાથેનું યુદ્ધ ચાલુ રહેશે તો તેના દુષ્પરિણામો આવશે. આવનારો સમય કોરોના મહામારીની જેમ દેશની પરીક્ષા લેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કામ કરવું પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. હોટલ-રેસ્ટોરાં બિલમાં વધારાના LPG ચાર્જ લઈ શકશે નહીં:સરકારે કહ્યું- જો આવું કરશે તો કાર્યવાહી થશે, 5% ગેસ-ક્રાઇસિસ ચાર્જ વસૂલવાનો મામલો સામે આવ્યો હતો હોટલ-રેસ્ટોરાં હવે ગ્રાહકો પાસેથી 'LPG ચાર્જ' અથવા 'ફ્યુઅલ કોસ્ટ રિકવરી' જેવા વધારાના ચાર્જ લઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે ખાવાની કિંમત સિવાય બિલમાં ફક્ત સરકારી ટેક્સ જ ઉમેરી શકાશે. LPG સંકટ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ તેના આદેશમાં જણાવ્યું છે કે હોટલ અને રેસ્ટોરાંએ તેમના તમામ ઇનપુટ કોસ્ટને મેનૂમાં આપેલી કિંમતોમાં જ સામેલ કરવા પડશે. જો કોઈ રેસ્ટોરાં ગેસની વધતી કિંમતો અથવા અન્ય કોઈ ઓપરેશનલ ખર્ચનો હવાલો આપીને બિલમાં અલગથી ચાર્જ ઉમેરે છે, તો તેને નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઓથોરિટી મુજબ, મેનૂમાં જે ભાવ લખેલો છે, ગ્રાહક ફક્ત તે જ અને તેના પર લાગતા ટેક્સ જ ચૂકવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. બંગાળમાં TMC-BJP કાર્યકરો વચ્ચે અથડામણ, 20 ઘાયલ:5 રાજ્યોમાંથી 400 કરોડ જપ્ત; કેરળના મુખ્યમંત્રી બોલ્યા- રાહુલમાં કાર્યકરો જેટલી સમજણ નથી ગુરુવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને ટીએમસીના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને આઠ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના બસંતી (SC) વિધાનસભા મતવિસ્તારમાં બની હતી, જ્યાં 29 એપ્રિલે બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. દરમિયાન, ચૂંટણી પંચે અહેવાલ આપ્યો છે કે 15 માર્ચે ચૂંટણીની જાહેરાત પછી ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ₹400 કરોડથી વધુ મૂલ્યના ગેરકાયદેસર પ્રલોભનો જપ્ત કરવામાં આવ્યા છે. આમાં ₹17.44 કરોડ રોકડા અને ₹167.38 કરોડ ડ્રગ્સનો સમાવેશ થાય છે. દરમિયાન, આસામના મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું, કોંગ્રેસ ભારતમાં સરકાર બનાવી શકતી નથી. તે ફક્ત પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં જ સરકાર બનાવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. કાશ્મીરીઓએ ઈરાનની મદદ માટે ₹18 કરોડનું ભંડોળ એકત્ર કર્યું:બડગામ જિલ્લો સૌથી આગળ, સુરક્ષા એજન્સીઓને આતંકી ફંડિંગમાં ઉપયોગ થવાની આશંકા કાશ્મીર ઘાટીમાં ઈરાનના સમર્થનમાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાના મામલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. તેમને આશંકા છે કે આ પૈસાનો ઉપયોગ આતંકી ફંડિંગમાં થઈ શકે છે. સૂત્રો અનુસાર, અત્યાર સુધીમાં 17.91 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે, જેમાંથી 85% રકમ શિયા સમુદાયે દાન કરી છે. કાશ્મીરનો બડગામ શિયા બહુમતી ધરાવતો વિસ્તાર છે. અહીંથી લગભગ 9.5 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 29-30 માર્ચે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી:6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. PM સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે:ગાંધીનગરમાં જૈન ઇતિહાસને સમર્પિત મ્યુઝિયમની ભેટ આપશે, ડીસામાં જાહેરસભા સંબોધશે, 31 માર્ચે ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે એક દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેમાં તેઓ અમદાવાદથી લઈને ડીસા સુધી અનેક મહત્વના વિકાસકાર્યોમાં ભાગ લેશે. સવારે 9:45 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ પીએમ મોદી સીધા ગાંધીનગરના કોબા તીર્થ જશે, જ્યાં તેઓ સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે જૈન મુનિ પદ્મસાગર સુરીશ્વરજીની હાજરી રહેશે, જેમણે આ મ્યુઝિયમ પ્રોજેક્ટને પ્રેરણા આપી છે. આ મ્યુઝિયમ જૈન ઇતિહાસ અને સંસ્કૃતિને સમર્પિત એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસિત થયું છે.વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : રાહુલે કહ્યું- હોસ્પિટલમાં આખી રાત સોફા પર સૂતો રહ્યો:માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતો; સોનિયા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં બસ નદીમાં ખાબકી, 26નાં મોત:6 લોકોનો જીવ બચાવાયો, બસને મોટી બોટ પર ચઢાવતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : મધ્યપ્રદેશ-CMના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલી બસ પલટી, 9 મોત:30થી વધુ ઘાયલ; એકનો હાથ કપાઈને અલગ, છિંદવાડા પાસે અકસ્માત વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાંચ દિવસના સીઝફાયર પછી ફરી યુદ્ધ શરૂ:અફઘાનિસ્તાન-પાકિસ્તાનના એકબીજા પર હુમલા, 3 લોકોના મોત; 3 પાકિસ્તાની ચોકીઓ તબાહ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 મોંઘું થયું:નયારાએ દેશભરમાં ભાવ વધાર્યા, ગુજરાતમાં એક લિટર પેટ્રોલ ₹99.34 અને ડીઝલ ₹92.90 થયું, ક્રૂડ ઓઇલ મોંઘું થવાની અસર વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : IPLની ઓપનિંગ સેરેમની નહીં થાય:ભાગદોડ દુર્ઘટના બાદ BCCIનો નિર્ણય, ફાઇનલમાં થશે ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગ્રહોનો ખેલ, દુનિયામાં તોફાનની રેલ:16 એપ્રિલ સુધીનો સમય ભારત અને વિશ્વ માટે અત્યંત કપરો; શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળશે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 11 વર્ષના છોકરાએ પ્લેન ઊડાડ્યું અમેરિકામાં 11 વર્ષના ઋષિ શર્માએ ચાર વર્ષની ટ્રેનિંગ પછી વિમાન ઉડાડ્યું. તેણે ઓક્સનાર્ડ એરપોર્ટ પર ટચ-એન્ડ-ગો લેન્ડિંગ કર્યું. જોકે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને અમેરિકામાં એકલા ઉડાન ભરવાની મંજૂરી નથી, તેઓ ટ્રેનર સાથે ઊડાડી શકે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પ આટલા વિચિત્ર કેમ છે?:ભત્રીજીએ પરિવારના રહસ્ય ખોલ્યાં, કોઈ માનસિક બીમારી? 7 મુદ્દાથી સમજો જીતવાની જીદનો સાયકોલોજીકલ X-Ray 2. ભાસ્કર સિરીઝ : પૂર્વ પત્રકાર ‘પોઝિટિવ પાજી’ને આગ ચાંપી, આખો દિવસ મારતા રહ્યા: શું આસારામના ગુંડાઓ બોમ્બ બ્લાસ્ટ કરવાના હતા? સિરીઝનો નવો એપિસોડ 3. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : નદીમાં ગેરકાયદે પુલ બનાવ્યા, દિવસ-રાત ડમ્પરોની દોડધામ:ભાજપ નેતાના પુત્ર, ભાઈની ધોંસ સામે અધિકારી ઢીલા પડ્યા; દોઢ મહિનાની તપાસમાં સાબરમતીમાં ખનનનું રેકેટ ખુલ્યું 4. આજનું એક્સપ્લેનર:મોઢામાં બીડી દબાવીને કલાકો ઊભો રહ્યો ડિલિવરી બોય; શું છે 'ઝોમ્બી ડ્રગ' જે સ્ટેચ્યૂ બનાવી દે છે, ભારતમાં કેવી રીતે પહોંચ્યું? 5. ભાસ્કર ઇન્વેસ્ટિગેશન : 3 દિવસ સુધી ભાસ્કર રિપોર્ટર 'ડિજિટલ અરેસ્ટ':વીડિયો કૉલ પર યુવતી કપડાં ઉતારવા લાગી, 20 અલગ-અલગ ક્લિપ મોકલીને કહ્યું- 2 લાખ આપો 6. એક્સક્લૂસિવ : વિદેશથી દારૂ, સોનું ને લેપટોપ લાવવા બદલ કેટલી ડ્યૂટી લાગે?:નવા બેગેજ રૂલ્સ અંગે જાગૃતિ માટે કસ્ટમ્સ વિભાગે અપનાવી અનોખી રીત, માહિતી આપતા મીમ્સ બનાવ્યા 7. બંગાળમાં ‘ચૂંટણીલક્ષી’ રામનવમી, હિંદુઓની હત્યા મુદ્દો:BJP-હિંદુ સંગઠન 5 દિવસ શોભાયાત્રા કાઢશે, TMC પણ તૈયાર, બોલી- રામ સૌના છે 8. બ્લેકબોર્ડઃ ‘વિધવાઓની ગલી’, જ્યાં એક પણ પુરુષ જીવતો નથી:ગામના દર બીજા ઘરમાં કેન્સરથી મોત; લોકોએ કહ્યું- અમને-બાળકોને પણ થવાનો ડર કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: આજે સફળતા વૃષભ રાશિના લોકોના કદમ ચૂમશે, વૃશ્ચિક જાતકોની મનોકામના પૂરી થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
મોકડ્રિલ યોજાઈ:પ્રાંતિજ કાટવાડ પાટિયે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડાયા
પ્રાંતિજના કાટવાડ પાટિયા પાસે આવેલ હેક્ઝોન ઇન્ટરકેમ પ્રાઇવેટ લિમિટેડમાં મોકડ્રિલનું આયોજન કરાયું હતું. મોકડ્રિલમાં પ્લાન્ટમાં મિથિલિન ઓક્સાઈડ ગેસ ગળતર સાથે આગ લાગતાં તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તંત્ર, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરો દ્વારા ગેસ ગળતર પર કાબૂ મેળવવા અને આગને ઓલવવા અદ્યતન સાધનોનો ઉપયોગ કરી કામગીરી કરાઇ હતી. ડ્રિલ દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઉત્તર ગુજરાતના શૈક્ષણિક હબ ગણાતી પાટણ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવતી ગ્રામીણ અને દૂરના વિસ્તારોની વિદ્યાર્થીનીઓ સુરક્ષા સાથે રહેવા માટે સુવિધા ઉપલબ્ધ થાય માટે કેમ્પસમાં 13.63 કરોડના ખર્ચે ત્રણેય મુખ્ય ગર્લ્સ હોસ્ટેલોનું આધુનિક વિસ્તૃતીકરણ કરવામાં આવશે.જેનાથી વધુ 500 દીકરીઓને સુરક્ષિત નિવાસની સુવિધા મળશે. યુનિવર્સિટી કેમ્પસમાં હાલમાં કાર્યરત PG (અનુસ્નાતક), UG (સ્નાતક) અને રૂસા (RUSA) ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટે દર વર્ષે ભારે ધસારો રહેતો હોય છે.હાલમાં 500 વિદ્યાર્થીનીઓ રહે છે.મર્યાદિત ક્ષમતાને કારણે અનેક વિદ્યાર્થીનીઓને ખાનગી હોસ્ટેલ કે ભાડાના મકાનમાં રહેવું પડે છે. જે વાલીઓ માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ ચિંતાનો વિષય હતો. હવે 13.63 કરોડના ખર્ચે નવા રૂમોનું બાંધકામ થતાં વધારાની 500 વિદ્યાર્થીનીઓ કેમ્પસમાં રહી શકશે. વધુમાં યુનિવર્સિટીના બાંધકામ વિભાગના ઇજનેર વિપુલ ભાઈ સાંડેસરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે ફાળવણી કરતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામગીરી શરૂ કરાશે. સુરક્ષા માટે કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ કરાશેત્રણેય હોસ્ટેલમાં હવે માત્ર રહેઠાણ સુવિધા પૂરતી સીમિત રહેશે નહીં.નવી હોસ્ટેલમાં વિસ્તૃતીકરણમાં અદ્યતન ભોજનાલય, રમત-ગમત માટે સ્પોર્ટ્સ હોલ અને અભ્યાસ માટે અદ્યતન લાઇબ્રેરી જેવી સુવિધાઓ ઉભી કરાશે. સૌથી મહત્વની બાબત એ છે કે ત્રણેય હોસ્ટેલને સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. સાથે જ પર્યાવરણના જતન અને વીજ ખર્ચ ઘટાડવા માટે આખું પરિસર સોલાર સંચાલિત બનાવવામાં આવશે.
સાપાવાડામાં નાયક સમાજના કલાકારોનું સમ્માન:રંગભૂમિની યશગાથા યુગે યુગે ગવાતી રહેશે
આજે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠા નાયક સમાજના કલાકારોનું ઈડરના સાપાવાડામાં ડુંગરની ગુફામાં આવેલ મહાકાળી માતાજીના મંદિરના ચાચર ચોકમાં સમૂહલગ્ન સમિતિ ઈડર દ્વારા કલાકારોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં ઋષિકુમાર જી.નાયકે જણાવ્યું હતું કે રંગભૂમિની યશગાથા યુગે યુગે ગવાતી રહેશે જ્યારે ને ત્યારે વિખરાઈ ગયેલા વેણીના ફૂલ પાંખડીઓ ભેગી કરવાનો કોઈને કોઈ પ્રયાસ કરશે ત્યારે આ રંગભૂમિના રંગમંચના સમાજના સ્વર્ગસ્થ કલાકારોને વડીલોને જૂના અદાકારોની આ આરાધના પણ યાદ કરાશે અને રંગભૂમિના અદાકારોને કચકડે મઢી લેવાનું મન થશે. આ પ્રસંગે ઉપસ્થિત કલાકાર ભાવેશભાઈ બી.નાયક, અરવિંદલાલ બાપુલાલ નાયક, ઓમપ્રકાશ એમ.નાયક, જનકભાઈ નાયક, સુબોધભાઇ નાયક. નિકુલભાઇ નાયક તથા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ નિતીનભાઈ એન નાયક, મંત્રી દિનેશભાઈ એમ નાયક તથા કારોબારી સમિતિના સભ્યો હાજર રહી કલાકારોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જનક નાયક, નિકુલભાઈ નાયક અને કનૈયાલાલ નાયક જાદર દ્વારા સાબરકાંઠા નાયક સમાજના જૂની રંગભૂમિના કલા કસબી કલાકારોની ગામ પ્રમાણે યાદી બનાવી છે આ યાદીની પીડીએફ પત્રિકાનું વિમોચન કરાયું હતું.
વેધર રિપોર્ટ:ઉ.ગુ.માં 24 કલાક બાદ 2-3 ડિગ્રી ગરમી ઘટશે
ઉત્તર ગુજરાતમાં ગુરુવારે 10 દિવસ બાદ ફરી ગરમીનો પારો 37 ડિગ્રી પહોંચ્યો હતો. બપોરે આકરી ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. જો કે, 24 કલાક બાદ વાતાવરણમાં પલટો આવતાં 2થી 3 ડિગ્રી ગરમી ઘટી શકે છે. તેમજ 29 અને 30 માર્ચે ઉત્તર ગુજરાતના રાજસ્થાનના સરહદી જિલ્લામાં પ્રિ-મોનસૂનનો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં 10 દિવસ બાદ ફરી એકવાર તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચતાં ગરમીનો અહેસાસ વધી ગયો હતો. ગુરૂવારે દિવસ દરમિયાન પોણો ડિગ્રીનો વધારો નોંધાતા શહેરોમાં બપોરે તીવ્ર ગરમી અનુભવાઈ હતી. આજે પણ આ જ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, 28 માર્ચથી વાતાવરણમાં બદલાવ થઈ શકે છે. ખાસ કરીને 29 માર્ચે બનાસકાંઠા જિલ્લો માં થંડરસ્ટ્રોમ સાથે પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આગળ વધતાં 30 માર્ચે આ એક્ટિવિટી વધુ પ્રબળ બનવાની શક્યતા છે. આ દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે તેજ પવન અને હળવો વરસાદ થવાની આગાહી છે. જો કે, મહેસાણા અને પાટણ જિલ્લામાં આકાશ ભાગ્યે વાદળછાયું રહેવાની શક્યતા છે,.
પાક સંરક્ષણ માટે કૃષિ નિષ્ણાંતનું સૂચન:મહિનાના અંતે માવઠાથી બચવા તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડો
રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આફત મંડરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 29 થી 31 માર્ચ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં પણ છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે ત્યારે કમોસમી વરસાદ (માવઠું) ખેડૂતોના તૈયાર થયેલા રવિ પાક અને ઊભા ઉનાળુ પાકને નુકસાન ન પહોંચાડે તે હેતુથી કૃષિ એડવાઈઝરી જાહેર કરાઇ છે. જેમાં ખેડૂતોને પાક સુરક્ષા માટે અત્યારથી જ સજ્જ થવા જણાવાયું છે. જિલ્લા કૃષિ અધિકારી બી.જે.જોષીએ જણાવ્યું કે માવઠાની સંભાવનાને પગલે ખેડૂતોએ આ સમય ગાળા દરમિયાન ઊભા પાકમાં પિયત આપવાનું બંધ કરવું. ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલ (ડ્રેનેજ) માટે યોગ્ય નિકો બનાવવી જેથી પાકના મૂળ કોહવાય નહીં. વધુમાં જ્યાં સુધી હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું ન થાય ત્યાં સુધી જંતુનાશક દવાઓ કે ખાતરનો છંટકાવ મુલતવી રાખવો હિતાવહ છે. જે ખેડૂતોના ઘઉં, ચણા અને વરિયાળી જેવા શિયાળુ પાક તૈયાર થઈ ગયા હોય. તેમણે વિલંબ કર્યા વગર વહેલી તકે કાપણી કરી લેવી જોઈએ અને તૈયાર માલને સુરક્ષિત ગોડાઉન કે છત નીચે ખસેડી લેવો. જો પાક ખેતરમાં ઢગલાં સ્વરૂપે હોય, તો તેને પ્લાસ્ટિકની તાડપત્રીથી વ્યવસ્થિત ઢાંકવો જેથી નીચેથી ભેજ ન લાગે અને ઉપરથી વરસાદી પાણીથી બચાવી શકાય. ખાસ કરીને જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોમાં ચરમી કે કાળિયો રોગ આવવાની શક્યતા વધુ હોવાથી ખેડૂતોએ વિશેષ તકેદારી રાખવી પડશે. બીજી તરફ, ઉનાળુ પાકોમાં મગફળી, મગ અને તલના ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી મૂળનો વિકાસ અટકી શકે છે અને છોડ પીળા પડી શકે છે. ડાંગરની ક્યારીમાં જો વરસાદનું નવું પાણી આવે, તો અગાઉ ભરેલું જૂનું પાણી કાઢી નાખવું હિતાવહ છે. વરસાદ બાદ વાતાવરણમાં ભેજ વધવાને કારણે ફૂગજન્ય રોગો અને ચુસિયા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે, તેથી વરસાદ રોકાયા બાદ દવાનો છંટકાવ કરવો જરૂરી છે.
પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો:સાબરકાંઠામાં 6 PSIની બઢતી સાથે બદલી, 4 PI જિલ્લા બહાર મૂકાયા
હિંમતનગર રાજ્યના પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા રાજ્યના 254 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરને તરીકે હંગામી ધોરણે બઢતી આપીને તેમના નવા નિમણૂંકના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 6 પોલીસ સબ ઈન્સ્પેકટરને બઢતી સાથે જ્યારે 4 પોલીસ ઈન્સ્પેકટરને અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. તેવી જ રીતે બહારના જિલ્લામાંથી 6 પોલીસ ઈન્સ્પેકટરની સાબરકાંઠા જિલ્લામાં નિયુક્તિ કરાયા છે.
અરવલ્લી LCBની ટીમે ધાડનો ભેદ ઉકેલ્યો:મોડાસામાં લૂંટ કરનાર એમપીનો શખ્સ ઝબ્બે
અરવલ્લી LCBએ મધ્યપ્રદેશની રીઢા ગુનેગારોની ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી બે મહિના અગાઉ મોડાસાની અંજનીવિલા સોસાયટીમાં ત્રાટકી લોકોને બંધક બનાવી લૂંટ કરી હોવાનો ગુનો ઉકેલ્યો હતો. પોલીસે બાતમી આધારે આરોપીને મુદ્દામાલ સાથે દબોચી લઈ ગુજરાત અને એમપીના કુલ 24 જેટલા ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે મોડાસા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે, શંકાસ્પદ શખ્સ સોના-ચાંદીની રણીઓ વેચવા માટે સોની બજારમાં ફરી રહ્યો છે પોલીસે વોચ ગોઠવીને મોડાસા બસ સ્ટેશન રોડ પરથી લાલુ મંડલોઈ (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી તેની તલાશી લેતા તેની પાસેથી સોના અને ચાંદીની રણીઓ મળી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે, બે માસ અગાઉ તેણે પોતાના અન્ય 5 સાગરિતો સાથે મળીને મોડાસા-ગોધરા હાઈવે પર આવેલી અંજનીવિલા સોસાયટીમાં રાત્રિના સમયે લોકોના હાથ-પગ બાંધી લૂંટ ચલાવી હતી આ ગુનામાં સંડોવાયેલ અન્ય પાંચ આરોપીઓ સોમલા બધેલ, ગુડ્ડુ ઉર્ફે ગજેન્દ્રસિંહ, સરદાર ઉર્ફે સરદન મહેડા, ઈશ્વર બામણીયા અને નરુ મહેડાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઇમાનદારીના દર્શન થયા:દિયોદર 108ની ટીમે રૂ.1.75 લાખ પરિવારને પરત આપ્યા
આપાતકાલીન પરિસ્થિતિમાં દેવદૂત સમાન સેવા આપતી 108 એમ્બ્યુલન્સ ટીમે દિયોદરમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુરુવારે સાંજે સુરાણા ગામ પાસે એક્ટીવા અને આખલા વચ્ચે અકસ્માત સર્જાતા પ્રવીણભાઈ નટવરભાઈ ઠક્કર (રહે.દિયોદર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. એમ્બ્યુલન્સના ઇએમટી દેવરામભાઈ ઉપાધ્યાય અને પાયલોટ બિપીનભાઇ ત્રિવેદીએ પ્રાથમિક સારવાર આપી ઇજાગ્રસ્તને દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સારવાર દરમિયાન પ્રવીણભાઈ પાસે રહેલ રોકડ રકમ રૂ.1.75 લાખ, મોબાઈલ, પાકીટ, એક્ટીવાની ચાવી અને જરૂરી દસ્તાવેજો સુરક્ષિત રીતે એકત્રિત કર્યા હતા.આ તમામ માલમત્તા પ્રવીણભાઈના નાનાભાઈ કનુભાઈ નટવરભાઈ ઠક્કર (રહે. દિયોદર)ને સોંપી હતી.
પાલનપુરમાં ગુરૂવારે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા નીકાળવામાં આવેલી ભવ્ય શોભાયાત્રામાં શ્રદ્ધા, શિસ્ત અને સ્વચ્છતાના દર્શન થયા હતા. જ્યાં બપોરે 12.27‘ભય પ્રગટ કૃપાલા’ના ગુંજારવ સાથે મહાઆરતી યોજાઈ હતી. જે પછી મહંતશ્રી રાઘવદાસ બાપુની નિશ્રામાં શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. યાત્રામાં ફૂલોથી શણગારેલા બે ભવ્ય રથ, ઊંટ લારીઓ અને ભગવાન રામ-સીતા-લક્ષ્મણની ઝાંખીઓ સાથે ભાવિક ભક્તો જોડાયા હતા.જેમાં મહિલાઓ કેસરીયા સાફા અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હતી. શોભાયાત્રા પરંપરાગત રૂટ મોટીબજાર, નાની બજાર, ત્રણ બત્તિ વિસ્તારમાંથી પસાર થતાં અડધો કલાક થયો હતો. જ્યાં પોલીસે સુરક્ષાની ખાસ તકેદારી રાખી હતી. જે પછી તબક્કાવાર ખોડા લીમડા, હનુમાનશેરી, ગઠામણ દરવાજા, સુરેશ મહેતા ચોક,ગલબાભાઇની પ્રતિમા, અયોધ્યાનગર, ગોબરીરોડ, સંજય ચોક, સીટીલાઇટ, ગુરૂનાનક ચોક, કિર્તીસ્તંભ,રેલવે સ્ટેશન, સિમલાગેટ, નગરપાલિકા, લક્ષ્મણ ટેકરી, વિજય ચોક, શક્તિનગર, બ્રિજેશ્વર કોલોની થઇ સાંજે 7.00 કલાકે નિજસ્થળે પરત આવી હતી. વિવિધ સંસ્થાઓ, સેવાભાવી લોકો દ્વારા લીંબુ શરબત, પાણીનું વિતરણ કરાયું હતુ.આયોજકો ખુદ રસ્તામાં પડેલો કચરો વિણી સ્વચ્છતા અભિયાનને સાર્થક બનાવ્યું હતુ. સંવેદનશીલ વિસ્તારમાં બજાર બંધ કરાવાયુંરામજીમંદિરથી શોભાયાત્રા સંવેદનશીલ નાની બજાર, મોટી બજાર અને ત્રણબત્તિ વિસ્તારમાં પહોંચી ત્યારે સુરક્ષાને લઇ પોલીસ દ્વારા તમામ દુકાનો બંધ કરાવી હતી. વિસ્તારની ગલીઓના રસ્તા બેરીટેક બાંધી બંધ કરી દેવાયા હતા. સાથે યુવકોના હાથમાં રહેલી તલવારો પણ પોલીસે લઇ લીધી હતી.
ફરાર આરોપી ઝડપાયો:11 માસથી નાસતો ફરતો રીઢો ગુનેગાર બાડમેરથી ઝડપાયો
સમી પોલોસે બનાવટી દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા 11 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો રીઢો આરોપી રાવતારામ જાટને આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પીઆઈ એ.પી. જાડેજાની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી ગુપ્ત બાતમી આધારે વોચ ગોઠવી આરોપીને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલો હતો.30 વર્ષીય આરોપી વ્યવસાયે ડ્રાઈવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભક્તિમય માહોલ છવાયો:ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાટણમાં નગર દેવી કાલિકા માતાની આરાધના કરાઈ
પાટણનાં નગરદેવી કાલિકા માતાનાં પ્રાચિન મંદિરમાં બેદિવસય શાસ્ત્રીય ગાયન અને વાદનનો જાજરમાન કાર્યક્રમ યોજાયો હતો. દરવર્ષે ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધનાનાં દિવસોમાં યોજાતા આ સંગીતસભર ભક્તિમય કાર્યક્રમમાં વ્યાસ પરિવારની બે સ્વરકિન્નરીઓ તિથિ અને તોરલ દુર્ગા સ્તોત્રનાં ગાનથી આ સંગીત સભાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્યાર બાદ નંદિતા ભટ્ટ કથ્થક નૃત્ય રજૂ કર્યું હતું. આ અવસરનો લોકો પણ લાભ લઈ રહ્યા છે. ગુરુવારે પ્રથમ દિવસે શાસ્ત્રીય ગાયિકા બેલડી દુર્ગાસ્તોત્ર દ્વિતિય ચરણમાં બીનાબેન પટેલ અને તેમનું વૃંદ નૃત્ય બેલે પ્રસ્તુત કર્યું હતું.ત્રીજા ચરણમાં રાધિકા પરીખે શાસ્ત્રીય ગાયન રજૂ કરીને માતાજીને રિઝવ્યા હતા.ત્યાર બાદ ચોથા ચરણમાં શ્રીમાંશુ પાઠક વાયોલિન વાદન રજુ કર્યું હતું. પાંચમા ચરણમાં અમી નીરજ પરીખે શાસ્ત્રીય ગાયન પ્રસ્તુત કરીને શ્રીમાતાજીને કાલાવાલા કરાવ્યાં હતા.છઠ્ઠ ચરણમાં દ્રષ્ટિ જૈન અને જીનાંશી તથા પરીખીની ત્રિપુટી વાયોલીન વાદન પ્રસ્તુત કરાવી હતી. અને છેલ્લે સાતમા ચરણમાં પંડિત વિકાસ પરીખે શાસ્ત્રીય રચનાઓ ગાઈને માતાજીને રિઝવ્યા હતા.સાંજે 5 વાગે સંધ્યા આરતી કરાઈ હતી. અને 6.30 થી શાસ્ત્રીય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. રાત્રે 11.30 કલાકે સંપન્ન થયો હતો.જ્યારે બીજા દિવસે શુક્રવારે સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી ઉપશાસ્ત્રીય તથા સુગમ ગાયનનાં કાર્યક્રમ યોજાશે. જેમાં પાટણનાં સ્થાનિક કલાકારો માતાજી સમક્ષ એક જ મંચ પર બેસીને ભજનોની રમઝટ જમાવશે.કમલેશ સ્વામી,સમ્યક પારેખ,સંદિપ ખત્રી, આત્મારામ નાયી સહીતના કલાકારો સાથે જીગર બારોટ તબલા પર અને મયુર યોગી કિબોર્ડ પર સંગત કરશે . માતાજીનાં દરબારમાં દર્શનનો લાભ લેવા માટે મંદિરનાં પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યુ છે. માતાજીને મુંબઈ કલકત્તા થી ફૂલો લાવીને શું શોભિત કરવામાં આવ્યા હતા
ઉત્કૃષ્ટ પ્રદર્શન:યુથ પાર્લામેન્ટમાં પાટણનો યુવાન સતત બીજા વર્ષે જિલ્લામાં પ્રથમ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની યુથ પાર્લામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું.કટોકટીના 50 વર્ષ: ભારતીય લોકશાહી માટે પાઠ વિષય પર યોજાયેલી આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી પસંદ થયેલા 14 તેજસ્વી વિદ્યાર્થીઓએ વાકછટાના જૌહર બતાવ્યા હતા. જેમાં હિતેશ જોષીએ હિન્દી ભાષામાં કટોકટીના કાળા અધ્યાય અને પ્રેસની આઝાદી પર થયેલા પ્રહારની અત્યંત પ્રભાવશાળી રજૂઆત કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. નોંધનીય છે કે હિતેશ જોષીએ ગત વર્ષે પણ જિલ્લામાં પ્રથમ આવી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની હાજરીમાં સ્પીચ આપી હતી. આ સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ સગા ભાઈ-બહેનની જોડી રહી હતી. હિતેશ જોષીએ પ્રથમ ક્રમ મેળવ્યો તો તેની બહેન નેહા જોષીએ અંગ્રેજી ભાષામાં ધારદાર રજૂઆત કરી પાંચમો ક્રમ મેળવ્યો હતો. સ્પર્ધાના ટોપ-5 વિજેતાઓમાં પ્રથમ હિતેશ જોષી બીજો ક્રમ કુલદીપ પટેલ , ત્રીજો ક્રમ મીરા રાજગોર , ચોથો ક્રમે ઋત્વિક રાવલ પાંચમો ક્રમ નેહા જોષી મેળવ્યો હતો. આ પાંચેય વિજેતા સ્પર્ધકો આગામી બુધવારે ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
ભાસ્કર બ્રેકિંગ:પાટણ- સિદ્ધપુર બાદ ચાણસ્મા પણ પીએનજી નેટવર્કથી જોડાશે
અમેરિકા-ઈરાન-ઇઝરાઇલ તણાવના સીધા પ્રભાવથી એલપીજી ગેસ બુકિંગમાં માર્ચ મહિનામાં અંદાજે 40 ટકાનો ઉછાળો આવ્યો છે, ત્યારે ગેસની વધતી માંગ વચ્ચે ચાણસ્મા શહેર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે પાટણ અને સિદ્ધપુર બાદ હવે ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થશે. ચાણસ્મા શહેરમાં પીએનજી ગેસ માટે પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કંપનીએ માર્ચ મહિનાના અંત સુધી ગેસ સપ્લાય શરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. ગેસ શરૂ થયા બાદ માત્ર 15 દિવસમાં ઘરેઘરે કનેક્શન પહોંચાડવાનું આયોજન છે. સાબરમતી ગેસ કંપનીના સૂત્રો મુજબ, ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને કામગીરી યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહી છે. આ તરફ એલપીજી પર દબાણ સતત વધી રહ્યું છે. જિલ્લામાં 3,11,660 ઘરેલુ અને 2,175 કોમર્શિયલ કનેક્શન છે. 9 થી 23 માર્ચ દરમિયાન 68,200થી વધુ સિલિન્ડર વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યારે બુધવારે 6,959 સિલિન્ડરના સ્ટોક સામે આશરે 9,000 બુકિંગ નોંધાયા હતા.ચાણસ્મામાં પીએનજી ગેસ શરૂ થતાં એલપીજીની અછત વચ્ચે લોકોને મોટો વિકલ્પ મળશે અને સતત, સુરક્ષિત ગેસ સપ્લાયથી શહેરને રાહત મળશે. આ અંગે પાટણ પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.કે હાલમાં પાટણ અને સિદ્ધપુરમાં 125 જેટલા નવા પીએનજી કનેક્શન આપવા પ્રક્રિયા ચાલી રહી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:9 વર્ષના વિલંબ બાદ પાટણના બસપોર્ટનો આજે શૂભારંભ
પાટણ શહેરમાં 17 કરોડના ખર્ચે 2583 ચોરસ મીટરમાં બનેલા ‘આઈકોનિક બસ ટર્મિનલ’ (બસપોર્ટ) નું વર્ષ 2017 માં બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. નવ વર્ષની શહેરીજનોની લાંબી પ્રતિક્ષા બાદ હવે શુક્રવારે સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવનાર છે. અંદાજે રૂ. 17 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ બસ સ્ટેન્ડ માત્ર મુસાફરો માટે પરિવહનનું માધ્યમ જ નહીં, પરંતુ વિસ્તારમાં 9 વર્ષથી પડી ભાગેલા વેપારીઓના ધંધા રોજગારને વેગ આપનાર બનશે. સાથે આ શહેરનું નવું બસપોર્ટ મુસાફરોને મુસાફરીની સાથે મનોરંજન, ભોજન અને શોપિંગની સુવિધાઓ પણ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવશે. પાટણ વેપારી એસોસિયેશના પ્રમુખ મહાશુખલાલ મોદી અને વેપારી હરેશ મોદીએ જણાવ્યું હતું કે, હવે શહેરના હાર્દ વિસ્તારમાં નવું બસ સ્ટેન્ડ શરૂ થશે એટલે છેલ્લા 8 વર્ષમાં ગ્રાહકો સાથેનો સંપર્ક અને સંબંધોમાં જે અંતર આવ્યું હતું તે દૂર થશે અને સમગ્ર બજારમાં ફરીથી 30 ટકા સુધી તેજી આવશે. જે તમારે જાણવું છે... બસપોર્ટમાં શું નવી સુવિધા અને મુસાફરોને શું ફાયદા બસપોર્ટમાં સ્ટાફ માટે રહેવા ક્વાટર્સ અને આરામ પણ રેસ્ટરૂમની વિશેષ સુવિધા હશેજૂના બસ સ્ટેશનમાં કે હાલ હંગામી બસ સ્ટેશનમાં કર્મચારીઓને સૂવા માટે કે રહેવા માટે યોગ્ય વ્યવસ્થા ના હોય તેમને બાંકડા ઉપર સૂવું પડતું હતું. આ બસપોર્ટમાં નિગમના કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રખાયું છે. મહિલા અને પુરુષ ડ્રાઇવર-કંડક્ટર માટે અત્યાધુનિક રેસ્ટરૂમ અને રહેવા માટે રેસિડેન્શિયલ ક્વાર્ટર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 20 કર્મચારીઓ, 823 થી વધુ બસ ટ્રીપોનું સંચાલન થશેપાટણ એસ.ટી. ડેપો દ્વારા દૈનિક 823 બસ ટ્રિપોના સંચાલન સાથે આ ડેપોની બસો દરરોજ 34,866 કિલોમીટરનું અંતર કાપે છે. સમગ્ર ડેપોનું સંચાલન 20 કર્મચારીઓ કરશે. ટોટલ ડ્રાઇવર કંડકટર સહિત વહીવટી મળી કુલ 350 જેટલા કર્મચારીઓ ડેપોના છે વેપારીઓના અચ્છે દિન પરત ફર્યા પાટણ વેપારી એસોસિયેશનના પ્રમુખમહાશુુખલાલ મોદી અને વેપારી હરેશ મોદીએજણાવ્યું હતું કે હવે જૂનું બસ સ્ટેશન બંધ થતાલોકો નવા બસ સ્ટેશનમાં ઉતરીને કામ પૂર્ણકરીને ચાલ્યા જતા હતા.હવે શહેરના હાર્દવિસ્તારમાં નવું બસ સ્ટેશન શરૂ થશે એટલેછેલ્લા 8 વર્ષમાં ગ્રાહકો સાથેનો સંપર્ક અનેસંબંધોમાં અંતર આવ્યું હતું તે દૂર થશે અનેફક્ત બસ સ્ટેશન આસપાસ જ નહીં પરંતુસમગ્ર બજારમાં ફરીથી 30 ટકા સુધી તેજીઆવશે.
વેલિડેશન એક્ટ-2025 વિરુદ્ધ પેન્શનરો મેદાને ઉતર્યા:પેન્શનર્સ સુધારણા બિલનો પેન્શનરો દ્વારા ઉગ્ર વિરોધ
પેન્શનરોના હકોને નુકસાન પહોંચાડતો હોવાના આક્ષેપ સાથે મહેસાણામાં વેલિડેશન એક્ટ-2025 વિરુદ્ધ પેન્શનરો મેદાને ઉતર્યા હતા. કાયદાના એક વર્ષ પૂર્ણ થતાં બુધવારે વિરોધ દિવસ નિમિત્તે મહેસાણા જિલ્લા પેન્શનર મંડળ દ્વારા વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટર મારફતે પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પેન્શનરોના જણાવ્યા મુજબ, 25 માર્ચ 2025ના રોજ કોઈ પૂર્વ સૂચના વિના લોકસભામાં આ કાયદો પસાર કરાયો હતો. આ કાયદાને કારણે નિવૃત્તિ તારીખના આધારે પેન્શનરો વચ્ચે ભેદભાવ ઊભો થયો છે. ખાસ કરીને જૂના પેન્શનરોને નવા પગાર પંચના લાભોથી વંચિત રહેવું પડશે, જેનાથી તેમને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવશે. આ કાયદો સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નાકરા જજમેન્ટના વિરુદ્ધ છે, જેમાં પેન્શનને સામાજિક સુરક્ષા અને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર ગણાવ્યો છે.
મહેસાણા શહેરમાં પોસ્ટ ઓફિસ રોડ ઉપર મહેશ્વરી સોસાયટીથી ચામુંડા ચોકડી સુધી 120 મીટર અંતરમાં અધૂરી ખુલ્લી કેનાલ ઉપર મહાનગરપાલિકા દ્વારા રોડ કરી દેવામાં આવતા રસ્તો ત્રણથી સાડા ચાર મીટર પહોળો સારો થયો છે પરંતુ આ રસ્તો કર્યા પછી ઉપરથી માટી ઉપાડીને સફાઈ કરવામાં ન આવતા માટી આખાય રસ્તામાં ફેલાતા રસ્તો ધૂળિયો બન્યો છે. આખા રસ્તામાં બે દિવસથી માટી ઉડી રહી છે. પસાર થતા ટુ વ્હીલર ચાલકો રસ્તામાં માટીના કારણે સ્લીપ ખાઈ જવાનો ભય તોડાઈ રહ્યો છે. યુજીવીસીએલ ચોકડીથી પોસ્ટ ઓફિસ નજીક અગાઉ જ ખુલ્લી વરસાદી કેનાલ ઉપર રોડ કરાયો હતો. મહેશ્વરી સોસાયટીથી પોસ્ટ ઓફિસ સર્વોદય વિભાગ 2, શાંતીકુંજ, ધરતી પાર્ક, શિવકુંજ થઈને મેઇન રોડ ચામુંડા ચોકડી તરફ રસ્તાની સાઈડમાં કેનાલ ખુલ્લી હતી. આ ખુલ્લી કેનાલમાં પણ વરસાદી પાણીની પાઇપલાઇન ઉતારીને ઉપર રોડ કરી દેવાયો છે. આ કામ પૂરું થઈ ગયા પછી માટીના થર જામ્યા છે. માટી ઉપાડવામાં આવી નથી. મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ કરાયા પછી સફાઈ કરવામાં ન આવતા અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
દારૂની પરમિટ:પાટણમાં દારૂની પરમિટ વધી, મહેસાણામાં ઘટી
પાટણ-મહેસાણા જિલ્લામાં બે વર્ષમાં દારૂ પરમીટના આંકડાનું એનાલિસીસ કરતા ચોંકાવનારૂં તથ્ય સામે આવ્યું છે. જેમાં પાટણમાં દારૂની પરમિટ મેળવનાર લોકોના આંકડા વધી રહ્યા છે. બીજી તરફ જ્યારે મહેસાણામાં પરમિટ લેવાના આંકડા ઘટ્યા છે. 31 ડિસેમ્બર 2025 સુધીનાં આંકડા મુજબ પાટણ જિલ્લામાં કુલ 80 લોકો પાસે દારૂ પરમિટ છે, જ્યારે મહેસાણા જિલ્લામાં આ સંખ્યા 421 છે. જો કે,વર્ષ 2024 દરમિયાન પાટણમાં ફક્ત 2 નવા પરમિટ આપવામાં આવ્યા હતા, જ્યારે 2025માં આ આંકડો વધીને 4 થયો છે. બીજી તરફ મહેસાણામાં 2024માં 29 નવા પરમિટ અપાયા હતા,જે 2025 માં ઘટીને 22 થયા છે.
વાંધા નોંધાવવાનો આજે છેલ્લો દિવસ:મનપા યાદીમાં 2 હજાર મતદારોના વોર્ડ ફેરના વાંધા
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં જાહેર થયેલી પ્રાથમિક મતદાર યાદીમાં અનેક સોસાયટી અને ફ્લેટ વિસ્તારો અન્ય વોર્ડમાં સામેલ થયા હોઇ વોર્ડ ફેર સુધારા કરવા અરજીઓનો ખડકલો થયો છે. આ મુદ્દે અત્યાર સુધી અંદાજે બે હજારથી વધુ મતદારો દ્વારા સામૂહિક વાંધા-સૂચનો નોંધાવવામાં આવ્યા છે. મતદારો દ્વારા વોર્ડ સીમાંકન મુજબ યોગ્ય વોર્ડમાં નામ ફેરફાર કરવા માટે લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે. મનપાની મતદાર યાદી શાખામાં રજાના દિવસે પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ અરજીઓની ચકાસણી કર્યા બાદ યોગ્ય લાગતા કેસોમાં અંતિમ મતદાર યાદીમાં સુધારો કરવામાં આવશે. વાંધા નોંધાવવાનો આજે શુક્રવાર અંતિમ દિવસ છે અને તા. 31 માર્ચ સુધીમાં ચકાસણી પૂર્ણ થશે. મનપાના ચૂંટણી તંત્રના જણાવ્યા મુજબ પ્રાથમિક મતદાર યાદી 17 ફેબ્રુઆરીએ જાહેર થયેલી એસઆઈઆર યાદી આધારિત છે. ત્યારબાદ ભરાયેલા ફોર્મ નં. 6 અને 8ના આધારે થયેલા ફેરફારો હજી પુરવણી યાદીમાં સમાવિષ્ટ થવાના બાકી છે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા પુરવણી મતદારયાદી આવતી હોય છે અને ઈ રોલમાં આવી ગયા હોય તે નામો પુરવણી યાદીમાં આવતા હોય છે આ સોસાયટીઓની માંગ, ચકાસણી બાદ નિર્ણય લેવાશે 200ના નામ પ્રાથમિક યાદીમાં નથી ચૂંટણી તંત્રમાં ફોર્મ નં. 6 ભર્યા હોવા છતાં મનપાની પ્રાથમિક મતદાર યાદીમાં નામ ન આવેલા અંદાજે 200 મતદારોને સામેલ કરવા માટે અરજી કરવામાં આવી છે. આ અરજીઓ મુખ્યત્વે વોર્ડ નં. 7માંથી કરવામાં આવી છે. ફોર્મ નં. 8 ભર્યા તે પ્રમાણે મતદારયાદીમાં નથી. પૂર્વ પ્રમુખ દંપતીની પણ અરજીમહેસાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખમુકુંદકુમાર અંબાલાલ પટેલે પોતાનું નામહાલના વોર્ડ નં. 2 ઉમિયાનગરમાંથી બદલીવોર્ડ 1 રાધનપુર રોડ (શૈલજા ગ્રીન્સ )માં દાખલકરવા અરજી કરી છે. વર્ષાબેન મુકુંદભાઈ પટેલેપણ વોર્ડ નં. 8 અક્ષરધામ એપાર્ટમેન્ટ પાસેથીનામ બદલીને વોર્ડ નં. 1(શૈલજા ગ્રીન્સ) માંદાખલ કરવા જરૂરી પુરાવા સાથે અરજી કરી છે.
કાર્યવાહી:બાબરા તાલુકાના ભીલડી ગામમાંથી 251 વિદેશી દારૂની બોટલ ઝડપાઈ
બાબરાના ભીલડી ગામે બપોરના સમયગાળા દરમિયાન ભીલડી ગામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન શંકાસ્પદ કારની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની કુલ 251 બોટલ મળી આવી હતી. આ મામલે પોલીસે ઇગોરાળા ગામના ધર્મેશ દેવાયતભાઇ ડેર (ઉ.વ.33) ને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસે પાસ-પરમીટ વગર દારૂનો જથ્થો રાખવામાં આવેલ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે રૂ.1.60 લાખથી વધુની કિંમતની દારૂની બોટલો તેમજ 80હજારની કાર મળી કુલ રૂ.2.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ધરપકડ:અમરેલી ફર્લો સ્ક્વોડે ગેંગરેપના એક ફરાર કેદીને ઝડપી પાડ્યો
રાજકોટ મધ્યસ્થ જેલમાંથી ફર્લો રજા પર છૂટ્યા બાદ સમયસર જેલમાં હાજર ન થતા ફરાર થયેલા ગેંગરેપના ગુનામાં સજા ભોગવી રહેલા પાકા કામના કેદીને અમરેલી પોલીસની પેરોલ-ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડ્યો છે. રાજકોટ ગેંગરેપનો ઇમરાન ઉર્ફે ઇમુ સોલંકી (ઉ.વ.30) નામનો કેદી ફર્લો રજા પરથી હાજર નહીં થતા અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અને એલસીબી પો.ઇન્સ્પેક્ટર એ.ડી. ચાવડાના રાહબરી હેઠળ પેરોલ-ફર્લો સ્કવોર્ડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાણવા મળતી વિગત મુજબ કેદી જેલમાં સમયસર હાજર ન થવા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે બ્લેડથી પોતાના હાથની નસ કાપી નાખતા તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ભાગવાની કોશિશમાં હતો. આ માહિતી મળતા જ પેરોલ-ફર્લો સ્કવોર્ડની ટીમ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.
કરૂણાંતિકા:કબુતર પકડવા કુવામાં ઉતરતા મજૂરનું પાણીમાં ડૂબતા મોત
લાઠી તાલુકાના ભુરખીયા ગામે એક મજૂરી કામ કરતા વૃદ્ધ કુવામાં કબૂતર પકડવા ઉતરતી વખતે દોરડું છૂટી જવાથી પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. લાઠીના ભુરખીયા ગામે રહેતા અને મૂળ અલીરાજપુર એમપીના રહેવાસી મૃતક વિક્રમભાઈ ઈડીયાભાઈ (ઉ.વ.60) હાલ લાઠીના ભુરખીયા ગામે પ્રકાશભાઈ મુળજીભાઈ બરડાની વાડીએ મજૂરી કામ કરી રહેતા હતા. તે દરમિયાન રાત્રે 8 વાગ્યે નાથાભાઈ ભુરાભાઈ સરધારાની વાડીના કૂવામાં તેઓ કબુતર પકડવા માટે ઉતરતા હતા ત્યારે તેમના હાથમાં રહેલું દોરડું અચાનક છૂટી જતા તેઓ કુવાના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે પાણીમાં ડૂબી જવાથી તેમનું અકસ્માતે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે તેમના પુત્ર રમેશ વિક્રમભાઈ અજનાર (ઉ.વ.30) એ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી શહેરમાં 10 કરોડથી વધુનો ખર્ચ કરી સેન્ટર પોઈન્ટથી લાઠી બાયપાસ સુધીનો નવો આરસીસી રોડ બની રહ્યો છે. પરંતુ બન્યાના ત્રણ માસમાં જ રોડ તુટવા લાગ્યો છે અને ટેસ્ટીંગમાં પણ આ રોડ નબળો હોવાનું સાબીત થતા તંત્રએ કોન્ટ્રાકટરને 150 મીટરનો રોડ ઉખેડી નાખી તેના સ્થાને નવો બનાવવાની ફરજ પાડી છે. આવી જ સ્થિતિ ચિતલ રોડની છે. જો કે તંત્રની મિલી ભગતથી આખો રોડ ખરાબ બન્યો હોવા છતાં માત્ર થોડા ટુકડા જ નવા બનાવાયા છે. અમરેલીમાં 2800 મીટરનો લાઠી બાયપાસ સુધીનો રોડ આરસીસીનો બનાવવામાં આવ્યો છે. હાલ તો બાયપાસ અને ઠેબી ડેમના પાળાથી લઈ છેક રાધેશ્યામ ચોકડી સુધી નવા રોડનું કામ શરૂ છે. આ રોડ જુદા જુદા ટુકડામાં બનાવવામાં આવી રહ્યા છે. સેન્ટર પોઈન્ટથી લાઠી રોડનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે સેન્ટર પોઈન્ટથી ચિતલ રોડનું કામ હજુ શરૂ છે. 20 કરોડથી વધુના ખર્ચે આ બંને રોડ નવા બની રહ્યા છે. ચિતલ રોડ 10 કરોડથી વધુના ખર્ચે બન્યો છે. 2800 મીટરના આ નવા બનેલા રોડની મજબુતાઈનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જે ટેસ્ટીંગ રીપોર્ટ ફેલ આવતા માર્ગ અને મકાન વિભાગે કોન્ટ્રાકટરને નબળો માર્ગ તોડી તેના સ્થાને ફરી નવો માર્ગ બનાવવા હુકમ કર્યો છે. જેના પગલે હાલમાં લાઠી રોડ પર 150 મીટરનો રોડ કોન્ટ્રાકટરના ખર્ચે તોડવામાં આવી રહ્યો છે. તેના સ્થાને હવે કોન્ટ્રાકટરના ખર્ચે જ નવો રોડ બનાવવામાં આવશે. આવી સ્થિતિ માત્ર લાઠી રોડની નથી. પણ ચિતલ રોડની પણ છે. આ રોડ તો હજુ બની રહ્યો છે અને રોડનું 40 ટકા જેટલું કામ બાકી પણ છે. આમ છતાં તે તુટવા લાગ્યો છે. જેને પગલે બે સ્થળે રોડ તોડી તેને નવો બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અમરેલીના જેસીંગપરાથી રાધેશ્યામ ચોકડી સુધી પણ રોડ નવો બન્યો છે. તેનું કામ પણ નબળું થયું છે. અમરેલી શહેરને રસ્તાના આવા અનેક કામો સરકાર ફાળવી તો રહી છે. પરંતુ ભ્રષ્ટ સરકારી બાબુઓની મિલીભગતથી રસ્તાના કામો નબળા ચાલી રહ્યા છે. આવા દરેક કિસ્સામાં નક્કર પગલાં લેવાવા જોઈએ. રસ્તા ઉપર પણ મોટા પ્રમાણમાં તિરાડો પડીલાઠી અને ચિતલ રોડ પર રસ્તાના કામ ચાલુ છે. ત્યાં જ તેમાં તિરાડો પણ પડવા માંડી છે. ચિતલ રોડ પર તો કેટલાક સ્થળેથી રસ્તાનું સ્ટ્રક્ચર રીતસર ભાંગી ગયું છે. ડામર લગાવી તિરાડો છુંપાવવાનો પ્રયાસ લાઠી અને ચિતલ રોડ પર જે સ્થળે રસ્તો ભાંગી ગયો છે. તેને છુંપાવવા કોન્ટ્રાકટર દ્વારા પ્રયાસ. તિરાડો પર ડામર પાથરી તેને છુંપાવવામાં આવી રહી છે.
હુકમ:અમરેલી જિલ્લામાંથી 8 PI ની જિલ્લા ફેરબદલી કરવામાં આવી
અમરેલી જિલ્લામાંથી 8 પીઆઈની જિલ્લા ફેરબદલી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લામાં નવા 6 પીઆઈ અને 4 પીએસઆઈની નિમણૂંક કરવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત પોલીસના પીઆઈ અને પીએસઆઈની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પીઆઈ એ.ડી.ચાવડા, એમ.આર.શેઠ, એ.એમ.દેસાઈ, સી.એસ.કુગસિયા, આર.ડી. ચૌધરી, એસ.એમ.સોની અને ડી.કે.વાઘેલા તથા આઈ.જે. ગીડાની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. જ્યારે સુરત શહેરથી એમ.બી. ઔસુરા, અમદાવાદ ગ્રામ્યમાંથી એચ.એચ. સેંગલીયા, વડોદરા શહેરમાંથી એસ.એમ.સગર, ગાંધીનગરમાંથી આર.આર. પરમાર, સુરત ગ્રામ્યમાંથી બી.જી.ઈશરાણી, પોરબંદરથી વી.કે. ગાલવેલકરની અમરેલીમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે અમરેલીમાંથી પીએસઆઈ ભૂનિકાબેન ભટ્ટની સીઆઈડી ક્રાઈમમાં બદલી કરવામાં આવી હતી. તેમજ વડોદરા શહેરમાંથી નીતીરાજસિંહ જાડેજા, આણંદથી વિજય રાઠોડ, કચ્છ ગાંધીગ્રામથી મયુરરાજસિંહ ઝાલા અને એટીએસમાંથી કાનજી સોલંકીની અમરેલીમાં પીએસઆઈ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. રાજ્યમાં આજે પોલીસ મહાનિરીક્ષક વહિવટી ગગનદીપ ગંભીર દ્વારા પીએસઆઈ અને પીઆઈની બદલીનો હુકમ કર્યો હતો.
ફરિયાદ:ધારીમાં પેટ્રોલ પંપના સંચાલક ઉપર હુમલો
પેટ્રોલ નહીં મળેની અફવાઓએ હાલ જોર પકડતા પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે, ત્યારે ધારીના નસિત પેટ્રોલપંપની પણ આવીજ હાલત છે, ત્યાં પણ લાંબી કતારો જોવા મળી હતી, તે દરમિયાન ભરડ ગામનો લાલો લાઇનમાં ઉભા રહ્યા વિના આડેથી વાહન રાખીને ડીઝલ ભરાવવા માટે દબાણ કરતો હતો, જેથી પંપના સંચાલક સુકેતુભાઇ જયેશભાઇ નસીત (ઉ.વ.30)એ નિયમ મુજબ લાઇનમાં ઊભા રહી ડીઝલ ભરાવવાનું કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલી તું અહીં ઉભોરે કહી કોઈને ફોન કર્યો હતો બાદમાં લાલો, ઉદય નકુમ, શિવરાજ સભાડ અને બે અજાણ્યા સહિત 6 શખ્સો ધસી આવી અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરતા પંપના માલિક ઇજાગ્રસ્ત થયા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે પંપના માલિક સુકેતુભાઈ નસીતે ફરિયાદ આપતા ધારી પોલીસે લાલો રહે.ભરડ, ઉદય ગોબરભાઇ નકુમ રહે.પ્રેમપરા, દીપુ ઓઢાભાઇ સાભાડ રહે.ભરડ, શિવરાજ ખુમાણ રહે.ભરડ અને બે અજાણ્યા મળી કુલ 6 શખ્સો સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં પેટ્રોલ-ડીઝલની તંગી અંગે ફેલાયેલી અફવાઓને કારણે લોકોમાં પણ ગેરસમજ અને અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે પેટ્રોલ પંપ પર ભીડ વધતી જોવા મળે છે. ઘટનાને પગલે પંપ સંચાલકે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે.
અફરાતફરીનો માહોલ:દેવળામાં ઝેરી મધમાખીનો આતંક : 6 લોકોને ડંખ માર્યા
ધારીના દેવળા ગામે ઝેરી મધમાખીઓના હુમલાની ઘટના સામે આવી છે. દરમિયાન ધારીના દેવળા ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓનું ટોળું ઊડીને આવ્યું હતું અને ત્યાં બેઠેલા લોકોને ડંખ મારતા 6 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દેવળાના બસ સ્ટેન્ડ નજીક અચાનક મધમાખીઓનું એક ઝુંડ ઉડીને આવ્યું હતું અને ત્યાં બેઠેલા લોકો ઉપર હુમલો કરી દેતા મધમાખીઓના હુમલામાં 6 થી વધુ લોકોને ડંખ મારતા તેઓને ઝેરી અસર થઈ હતી. ઘટનાની જાણ થતા જ 108 ઇમરજન્સી સેવા બોલાવવામાં આવી હતી અને એમ્બ્યુલન્સ મારફતે 6 લોકોને તાત્કાલિક સારવાર માટે ધારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ અચાનક બનેલી ઘટનાને કારણે દેવળા ગામ સહિત આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લો બન્યો ત્યારથી અત્યાર સુધી જિલ્લામાં 'ફૂડ એન્ડ ડ્રગ્સ' વિભાગની સ્વતંત્ર કચેરી કાર્યરત નથી. હાલ નગરપાલિકા દ્વારા જેમ-તેમ ગાડું ગબડાવવામાં આવે છે, પરંતુ મુખ્ય વિભાગની ગેરહાજરીને કારણે લારી-ગલ્લા, હોટલો અને ધાબાવાળાઓ બેફામ બન્યા છે. નર્મદા જિલ્લો પ્રવાસન ધામ હોવાથી અહીં ભરૂચ કરતા પણ વધુ હોટલો અને ખાણી-પીણીના સ્ટોલ્સ આવેલા છે, તેમ છતાં અહીં ફૂડ એન્ડ ડ્રગ્સની અલાયદી ઓફિસનો અભાવ છે. પરિણામે નિયમિત ચેકિંગ થતું નથી અને માત્ર દિવાળી જેવા તહેવારોમાં ભરૂચથી અધિકારીઓ આવી નામ પૂરતી તપાસ કરીને ચાલ્યા જાય છે. હાલમાં એક મહિનો ચાલનારી નર્મદા પરિક્રમા દરમિયાન પરિક્રમા પથ પર ઊભા કરાયેલા ભંડારાઓ અને દુકાનોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ સ્થળ પર જઈ સ્વચ્છતાની ખાતરી કરી હતી તેમજ સેવાભાવી સંસ્થાઓ અને સંગઠનોને પરિક્રમાવાસીઓને તાજો ખોરાક અને નાસ્તો પીરસવા સૂચના આપી હતી. જોકે, કાયમી ઓફિસના અભાવે આવી ઓચિંતી તપાસ માત્ર ધાર્મિક પ્રસંગો પૂરતી જ મર્યાદિત રહેતી હોવાથી તે હાસ્યાસ્પદ બની રહી છે. પરિક્રમા પથ પર જ કેમ જાગ્યું તંત્ર? પ્રવાસન ધામને કારણે નર્મદામાં ભરૂચ કરતા પણ વધુ ખાણી-પીણીના સ્ટોલ્સ છે. આમ છતાં, આખું વર્ષ મૌન રહેતું તંત્ર અચાનક પરિક્રમા પથ પર ભંડારાઓની તપાસ કરવા નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે કે શું આ માત્ર પ્રસિદ્ધિ મેળવવાનો જ પ્રયાસ છે? કાયમી કચેરી વગરની આ કામગીરી પ્રજા માટે 'હાસ્યાસ્પદ' સાબિત થઈ રહી છે.
અભયમની સુંદર કામગીરી:જમીનમાં ભાગ માટે મામા દાદાનો અત્યાચાર, અભયમે સુમેળભર્યું સમાધાન કરી આપ્યું
જર, જમીન અને જોરૂ છે કજિયાના છોરૂ કહેવતને સાર્થક કરતી ઘટના નર્મદા જિલ્લામાં પ્રકાશમાં આવી છે. 75 વર્ષીય નાનાની સંભાળ રાખતી કિશોરીને જમીનમાં ભાગ માટે તેના મામાઓ અને દાદાઓ હેરાન કરતાં હોવાથી તેણે આખરે અભયમની મદદ લીધી હતી. નર્મદા જિલ્લામાં એક હૃદયસ્પર્શી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં 16 વર્ષની એક કિશોરીએ સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. કિશોરીનાં માતાએ બીજા લગ્ન કર્યા છે અને પિતા અન્ય ગામમાં રહેતા હોવાથી તે તદ્દન નિરાધાર જેવી સ્થિતિમાં હતી. હાલમાં તે તેના 75 વર્ષીય વૃદ્ધ નાના સાથે રહીને તેમની સારસંભાળ રાખતી હતી. કિશોરીનાં નાના લકવાગ્રસ્ત હોવાથી તે તેમની સેવા-ચાકરી કરે છે અને તેમના માટે ભોજન બનાવે છે. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ પરિવારનાં સભ્યો મદદ કરવાને બદલે હેરાનગતિ કરી રહ્યા હતા. નાનાનાં ત્રણ ભાઈઓ અને મામાઓ જમીન પચાવી પાડવાનાં ઈરાદે કિશોરી અને તેના અશક્ત નાના ને અવારનવાર માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આખરે તેણે હિંમત ભેગી કરી 181 પર કોલ કરીને જણાવ્યું હતું કે, તેના દાદા અને મામાઓ વારંવાર ઝગડો કરી મારઝૂડ કરે છે અને ગાળો ભાંડે છે. આ શખ્સો વૃદ્ધ નાના ની જગ્યા પડાવી લેવા માટે કિશોરી પર દબાણ બનાવી રહ્યા હતાં. આ ફરિયાદ મળતા જ અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અભયમની ટીમે સ્થળ પર પહોંચીને દાદાઓ અને મામાઓને કાયદાકીય પાસાઓ સમજાવ્યા હતા.ટીમે સામા પક્ષનાં લોકોને સ્પષ્ટ જણાવ્યું હતું કે એક અસહાય કિશોરી અને વૃદ્ધ વ્યક્તિને હેરાન કરવી એ ગુનો છે. ત્રણેય ભાઈઓએ સાથે બેસીને જગ્યાની યોગ્ય વહેંચણી કરવાનો નિર્ણય લીધો હતો લાંબા સમયનાં કાઉન્સેલિંગ અને સમજાવટ બાદ, સામા પક્ષનાં ત્રણેય ભાઈઓ પોતાની ભૂલ સમજી નમ્ર બન્યા હતા.ટીમની મધ્યસ્થતાથી બંને પક્ષો વચ્ચે સુમેળભર્યું સમાધાન થયું હતું. ત્રણેય ભાઈઓએ સાથે બેસીને જગ્યાની યોગ્ય વહેંચણી કરવાનો નિર્ણય લીધો હતો પ્રોપર્ટી ઝઘડામાં અભયમ 181 સેવા: તાત્કાલિક સહાય અને શાંતિપૂર્ણ ઉકેલઅભયમ 181 સેવા મહિલાઓ અને નાગરિકોને તાત્કાલિક મદદ આપવા માટે કાર્યરત એક મહત્વપૂર્ણ હેલ્પલાઈન છે. પ્રોપર્ટી સંબંધિત લડાઈ-ઝગડા જેવી પરિસ્થિતિમાં, પીડિત વ્યક્તિ 181 પર કૉલ કરીને તાત્કાલિક સહાય મેળવી શકે છે. ટીમ સ્થળ પર પહોંચી પરિસ્થિતિને શાંત કરે છે, બંને પક્ષને સમજાવે છે અને જરૂરી હોય તો પોલીસ સાથે સંકલન કરીને કાનૂની કાર્યવાહી સુનિશ્ચિત કરે છે. સાથે સાથે, કાઉન્સેલિંગ દ્વારા સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં મદદ કરે છે.
વલસાડ જિલ્લામાં કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર આવેલા એકલેરા ગામમાં શિક્ષણ વ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામની હાઈસ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી મકાનના અભાવને કારણે આશરે 43 જેટલા વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયતના મકાનમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે યોગ્ય શૈક્ષણિક માળખું ઉપલબ્ધ નથી. પરિણામે વિદ્યાર્થીઓને પૂરતી સુવિધાઓ વિના ગ્રામ પંચાયતના મકાનના માળ પર બેસીને ભણવું પડે છે. આ પરિસ્થિતિ શિક્ષણની ગુણવત્તા પર અસર કરતી હોવા સાથે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ, વલસાડ જિલ્લા તથા કપરાડા તાલુકાના શિક્ષણ વિભાગના અધિકારીઓની ઉદાસીનતા કારણે આ સમસ્યા વર્ષોથી યથાવત છે. પૂરતી સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને દૈનિક શિક્ષણમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.અત્યાર સુધી કોઇ અધિકારી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ કઇ હાલતમાં અભ્યાસ કરે છે તે જોવા સુદ્ધા આવ્યા નથી. તંત્ર કાર્યવાહી નહીં કરે તો ગ્રામજનો આંદોલન કરશે ગામલોકોએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, એકલેરા ગામની હાઈસ્કૂલ માટે તાત્કાલિક નવા મકાનનું નિર્માણ કરવામાં આવે. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને યોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી ન કરે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
દારૂની હેરાફેરીમાં પોલીસની સંડોવણીની આશંકા:ચીખલીમાં પકડાયેલા દારૂમાં વલસાડ પોલીસ કર્મી પર શંકા
નવસારી જિલ્લાના સમરોલી ચીખલીથી સ્થાનિક એલસીબીએ ગત 24 માર્ચે રૂ.2.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો પરંતું આ કાર વલસાડના પોલીસ કોન્સ્ટેબલના નામે રજિસ્ટર્ડ હોવાની આશંકા છે જે અંગે વલસાડ પોલીસ બેડામાં પણ આ ચર્ચા છે.હાલે નવસારી એલસીબીએ ચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જો કે રેલો વલસાડ સુધી આવવાની સંભાવના વર્તાઇ રહી છે. નવસારી એલસીબીએ ચીખલીના સમરોલી ઓવર બ્રિજ છેડે નાકાબંધી કરી મુંબઇથી અમદાવાદ જતાં ટ્રેક પરથી એક કારને રોકી તપાસ કરતા અંદરથી 2.94 લાખનો દારૂ મળી આવ્યો હતો.કારમાં બેઠેલા ચાલક સાવન હિરૂભાઇ હળપતી રહે.કોલેજ રોડ,અંબાલાલની વાડી,કિલ્લા પારડીની ધરપકડ કરી હતી. સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે લઇ ગુનો દાખલ કર્યો હતો. દારુનો જથ્થો ભરી આપનાર સોહેલ,રહે,દમણ અને જથ્થો મગાવનાર સુરતના સાગર ઉર્ફ રાજ પાટિલનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.આ કેસમાં કાર કોના નામે રજિસ્ટર્ડ હતી તે મુદ્દો ચર્ચામાં છે. આ કાર વલસાડના પોલીસ વિભાગના એક કર્મચારીના નામે રજિસ્ટર્ડ હોવાની ભારે ચર્ચા ચાલી હતી.જો આ ચર્ચામાં તથ્ય જણાશે તો જિલ્લા પોલીસ વડા તપાસ હાથ ધરી પગલાં ભરશે કે કેમ તેવા પ્રશ્નો પણ ઉઠ્યા છે. હાલે નવસારી એલસીબી આ ઘટના મુદ્દે તપાસ હાથ ધરી છે.આ પોલીસ જવાનને એકાદ વર્ષ અગાઉ વલસાડ હાલર રોડ પર એક બુટલેગરની કારે અડફેટમાં લીધો હોવાની ચર્ચા પણ લોકોમાં ચાલી હતી.
વલસાડ મગોદ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રી ચિરાગ અમૃતલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ મગોદ ગ્રામપંચાયતનું મકાન નં.587 માજી સરપંચ સંધ્યાબેન દિપેશ પટેલના સસરા ભીખુભાઇ લાલાભાઇ પટેલના નામે ચાલી આવતું હતું. દરમિયાન 2017થી 2023 દરમિયાન સરપંચ તરીકે ફરજ બજાવતા સંધ્યાબેન દિપેશભાઇ કોળી પટેલે આ ઘર સસરાના નામ ઉપરથી પોતાના નામે મગોદ પંચાયતના આકારણી રજિસ્ટરમાં કરી દીધું હતું. 2023-24ની સાલમાં તેના નામે મગોદ ગ્રામપંચાયતને વેરા અને બીજા નાણાં મળ્યાની પહોંચ રસીદ બનાવી તેના પર મગોદ પંચાયતનો સિક્કો મારી તેની ઉપર અંગ્રેજીમાં કિરણ નામથી સહિ કરી હતી. તેમજ વસુલ લેનાર અગર તલાટીની સહી અંગ્રેજીમાં કરી રૂ.580ની વેરા રસીદ બનાવી હતી. આ ઘર નં.587ની ચતુર્થ દિશા અંગેનું પ્રમાણપત્ર તેમજ પંચાયતનું લેણું બાકી નથીનો દાખલો,રહેણાંકનો દાખલો તથા ગ્રામપંચાયતનો દાખલો 12 ડિસેમ્બર 2023ના રોજ તલાટી કમ મંત્રી મગોદ પંચાયતનો ગુજરાતીમાં સિક્કો મારી તેની પર અંગ્રેજીમાં સહિ કરી તમામ ખોટા ડોક્યુમેન્ટ માજી સરપંચ સંધ્યાબેન દિપેશભાઇ પટેલ અને તેના પતિ દિપેશ ભીખુભાઇ પટેલનાઓ મળી બનાવ્યા હતા. આ ડોક્યુમેન્ટ તેમણે યુનિટી સ્મોલ ફાયનાન્સ બેંક વાપી બ્રાન્ચ ખાતેથી ઘર નં.587 ગીરવે મૂકી મોર્ગેજ કર્યું હતું. મોર્ગેજ ડીડી તૈયાર કરી રૂ. 10.62 લાખની લોન લીધી હતી.માજી સરપંચ કિરણભાઇ અશોકભાઇ હળપતિએ 7 જાન્યુઆરી 2026ના રોજ ટીડીઓને ફરિયાદ કરી હતી. જેની તપાસ બાદ ટીડીઓ બંન્ને આરોપીઓ મળી પંચાયતના અને તલાટી કમ મંત્રીના ખોટા સહિ સિક્કા કરી બોગસ દસ્તાવેજો બનાવી ખરા તરીકે ઉપયોગ કરી બેંકને ગેરમાર્ગે દોરી લોન લેવાનું ફલિત થતાં બંને સામે ગુનો નોંધાયો છે.
રક્તદાન શિબિર યોજાઈ:બિનવાડા ગામે રામનવમીએ બ્લડ કેમ્પમાં 82 યુનિટ રક્ત એકત્ર કરાયું
વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર પર્વે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમ શ્રી રામજી મંદિર યુવક મંડળ, શ્રી રામ સેવાભાવી મંડળ અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. શિબિરમાં ગામના 82 પ્રેરણાદાયી રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક જોડાઈને 82 યુનિટ રક્તનું દાન કર્યું હતું. જેમાં વલસાડ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પ્રભાકરભાઈ યાદવ, વલસાડ તાલુકા સંગઠન પ્રમુખ તેજસભાઈ પટેલ, વલસાડ તાલુકા યુવા મોરચા પ્રમુખ રિશિરાજસિંહ ઠાકોર તેમજ જિલ્લા યુવા મોરચાના મંત્રી દિવ્યેશભાઈ, યોગીભાઈ, વિપુલભાઈ, ગણપતભાઈ અને સતીશભાઈ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઐતહાસિક શોધ:સુરંગીમાં પ્રાચીન શિવ લિંગ મળ્યાની વાયકા
દાનહના સુરંગી પંચાયતના દસ્તુરીપાડા ગામમાં એક પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યું હતું. આજ સ્થાન પર શિવલિંગ સાથે અંદાજિત 150 વર્ષ જૂના સિક્કાઓ પણ મળી આવ્યા છે.જે આ ઐતિહાસિક શોધ પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરંગી પંચાયતના સરપંચ સંજય રાઉત અને સ્થાનિક નિવાસીઓના જણાવ્યા અનુસાર જમીનમાંથી શિવલિંગ મળ્યા બાદ લોકોએ ત્યાં પૂજા અર્ચના શરૂ કરી દીધી છે. લોકોનું માનવું છે કે, અહીં દેવોના દેવ મહાદેવનો પૂર્વ યુગમાં વાસ રહ્યો હશે. કારણ કે આ નાના અમથા સ્થાન પર પ્રવેશ કર્યા બાદ કંઈક અલગ જ ઉર્જા મહેસૂસ થાય છે. હાલમાં તો સરપંચ સંજય રાઉત ગ્રામવાસીઓના સહયોગથી આ વિસ્તારને ડેવલોપ કરી રહ્યા છે. પ્રશાસનને પણ અનુરોધ કર્યો છે કે, આ મંદિર અંગે દરેક પ્રદેશવાસીઓને જાણકારી મળે અને આ વિસ્તારના વિકાસ તરફ ધ્યાન આપે તેવા પ્રયાસ થાય તે જરૂરી છે. દાનહના સુરંગી પંચાયત વિસ્તારમાં મળેલ આ પ્રાચીન સ્વયભૂ શિવલિંગ નિશ્ચિત રૂપે એક ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ નુ સ્થળ બની શકે છે.
ચીખલી તાલુકામાં મનરેગા યોજનાના 3987 જેટલા શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી 78.07 લાખ રૂપિયાનું પેમેન્ટ ન ચૂકવાતા તંત્રના વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આ યોજનાનું વિકસિત ભારત જી રામ જી નવું નામકરણ કરાયું છે પરંતુ ત્રણ માસથી શ્રમિકોના લાખો રૂપિયા અને કર્મચારીઓના પગાર ન ચૂકવાતા તેઓની આર્થિક હાલત કફોડી બની છે. સરકાર દ્વારા હવે આ યોજનાનું વિકસિત ભારત ગેરેન્ટી ફોર એન્ડ આજીવિકા મિશન જી રામ જી નામકરણ કરાયું છે. તાલુકામાં મનરેગા યોજનાના જોબકાર્ડ ધારક શ્રમિકોને છેલ્લા ત્રણ માસથી પેમેન્ટ ન ચૂકવવામાં આવતા તંત્રનો અંધેર કારભાર બહાર આવ્યો છે. મનરેગા યોજના અંતર્ગત ગામમાં સાફસફાઈ, આંબા કલમ રોપવાની મંજૂરી, આવાસના બાંધકામમાં મંજૂરી સહિતના કરેલા કામોની રકમ છેલ્લા ત્રણ માસથી શ્રમિકોને ચૂકવવામાં આવી નથી. તાલુકામાં 3987 જેટલા શ્રમિકોની રૂ. 78,07,165નું પેમેન્ટ તંત્ર દ્વારા ન ચૂકવવામાં આવતા તેઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તંત્ર દ્વારા મનરેગા યોજનામાં શ્રમિકોને પેમેન્ટ નથી ચૂકવાયું તો બીજી તરફ કર્મચારીઓને છેલ્લા ત્રણ માસથી પગાર પણ ચૂકવાયો નથી અને કેટલાક કર્મચારીઓનો પગાર તો ત્રણ મહિના કરતા વધુ સમયથી બાકી હોવાનું જાણવા મળ્યું છે. આમ રોજગારની ગેરેન્ટી આપતી યોજનામાં શ્રમિકોને રોજગારીની ગેરેન્ટીના ધજાગરા ઉડી ગયા છે ત્યારે ખરેખર સરકારની તિજોરી ખાલી થઈ ગઈ છે કે પછી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો અણઘડ કારભારનું આ પરિણામ છે તે પણ તપાસનો વિષય છે. પાંચ વર્ષ થવા છતાં તાલુકામાં એકપણ કેટલ શેડની મંજૂરી અપાઇ નથી ચીખલી તાલુકામાં મનરેગા યોજનામાં છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી કેટલ શેડ,મેટલ રોડના કામો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પોતાની મનમાની કરી આપવામાં આવ્યા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અવાર નવારની રજૂઆત બાદ પણ એકપણ કેટલ શેડની મંજૂરી અપાઇ નથી. તાલુકામાં પશુપાલનનો વ્યવસાય મોટાપાયે વિકસિત થવા સાથે અનેક પરિવારો ઘરઆંગણે આવક મેળવી રહ્યાં છે ત્યારે કેટલ શેડની માંગ પણ તાલુકામાં મોટાપાયે રહેતી હોય છે. પરંતુ તંત્રની બેધારી નિતીને કારણે આ લાભ પશુપાલકોને હજી સુધી મળ્યો નથી. સાતેક માસથી માલસામાનનું પણ પેમેન્ટ ચૂકવાયુ નથી ! ચીખલી તાલુકામાં મનરેગા યોજના અંતર્ગતના પંચાયત ઘરો, આંગણવાડીના કામો પણ ઘણા સમયથી અધૂરા છે. તેના પરથી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો વહીવટી કુશળતા સામે સવાલો ઉભા થયા છે. આ યોજનામાં છેલ્લા સાતેક માસથી માલ સામાનનું પણ પેમેન્ટ ન આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. તંત્રના અણઘડ કારભારમાં લોકોની પાયાની સુવિધાના કામો પણ લાંબો સમય વીતવા છતાં પુરા થયા નથી.
અકસ્માત સર્જાયો:ખારેલ ઇન્ટરચેઈન્જ એક્સપ્રેસ હાઇવેના સર્કલ પર કન્ટેનર પલટ્યું
24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા એક્સપ્રેસ હાઇવેના ખારેલ ઇન્ટરચેઈજના સર્કલ પાસે કન્ટેનર પલટી જતા અકસ્માત નોંધાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. એક્સપ્રેસ હાઇવેના ખારેલ ઇન્ટરચેઈજ સર્કલ પાસે એક મોટું કન્ટેનર અમદાવાદથી મુંબઈ તરફ જતું હતું. આ કન્ટેનર એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળી ખારેલ ઇન્ટરચેઈન્જ પાસે સર્કલ પર ચાલકે કાબુ ગુમાવતા પલટી મારી ગયું હતું. કન્ટેનર પલ્ટી મારી જતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઇ ન હતી. આ અકસ્માત બાદ એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળવાના માર્ગ અને હાઇવે પર જનાર વાહનોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેને અંકુશમાં લેવા પોલીસે જહેમત ઉઠાવવી પડી હતી. સામાન્ય રીતે કહેવાય છે કે એક્સપ્રેસ હાઇવેની બહાર નીકળતા વાહન ચાલકો ભારે ગતિથી બહાર નીકળી ને.હા.નં. 48 પર જાય છે, જેને લઈને સતત અકસ્માતનો ભય રહે છે. આ સર્કલથી ખારેલ ચોકડી સુધી બમ્પ હોય તો જ આવા વાહનોની ગતિ ઉપર અંકુશ આવે, જેથી બમ્પ મુકવા લોકમાગ ઉઠી છે.
નવસારી શહેરના જલાલપોર રોડ પર આવેલી વ્રજભૂમિ એપાર્ટમેન્ટના રહીશો છેલ્લા 10 દિવસથી ગટરના ઉભરાતા પાણી અને અસહ્ય દુર્ગંધને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. જલાલપોર રોડ પર મિશન હોસ્પિટલની સામે અને બીએપીએસ મંદિર નજીક આવેલા આ રહેણાંક વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોક-અપ થઈ ગઈ છે. છેલ્લા દોઢ અઠવાડિયાથી ગટરના ગંદા પાણી ગ્રાઉન્ડ ફ્લોર અને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ગંદા પાણીના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું વ્રજભૂમિ એપાર્ટ.ના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા પરિવારો માટે તો ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવી સફાઈ કામગીરી હાથ ધરે અને અમને આ નર્કાગારમાંથી મુક્તિ અપાવે.> સંતોષભાઈ, સ્થાનિક
ખાતમુહૂર્ત:વાંસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળામાં ડોમ તેમજ 400 ફૂટના રોડનું ખાતમુહૂર્ત
વાંસદામાં હિન્દુ સમાજ ગઢી ધર્મશાળામાં ડોમ તેમજ 400 ફૂટના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વાંસદા હિન્દુ સમાજ ગઢી ધર્મશાળામાં 26 માર્ચ ગુરુવારના રોજ રામનવમીના પાવન દિને વિશાળ ડોમનું ખાતમુહૂર્ત રાકેશભાઈ પારસમલજી શર્માના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ડોમ હિન્દુ સમાજના વિવિધ ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવામાં આવશે. આથી સમસ્ત હિન્દુ સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સાથે ગ્રામ પંચાયત વાંસદા દ્વારા 400 ફૂટ આર.સી.સી રોડનું પણ ખાતમુહૂર્ત સરપંચ ગુલાબભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા તથા ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ડોમ અને રસ્તાનું ખાતમુહૂર્ત થતા વાંસદા પંથકના હિન્દૂ સમાજમાં ખુશીનો માહોલ છવાયો હતો.
ઇમાનદારીના દર્શન થયા:ઉન સાંઇબાબા મંદિરમાં મળેલી 15,700ની રોકડ સુરતના યુવાને વૃદ્ધાને પરત કરી
કહેવાય છે કે આજના સમયમાં માનવતા હજુ જીવંત છે, જેનો જીવંત પુરાવો નવસારીમાં જોવા મળ્યો છે. ઈમાનદારી અને ખુદ્દારીના પર્યાય સમાન જયેશભાઈ ઉમરેકર (કંટાળી) એ પોતાની પ્રામાણિકતા દર્શાવીને એક વૃદ્ધ દાદીના ખોવાયેલા નાણાં પરત અપાવી નવસારીનું ગૌરવ વધાર્યું છે. ગુરુવારના રોજ સાંજે 5.30 કલાકે સુરતના જયેશભાઈ ઉમરેકર નવસારી સ્થિત ઉન સાઈબાબા મંદિરમાં દર્શન માટે ગયા હતા. દર્શન દરમિયાન તેમને મંદિર પરિસરમાંથી બિનવારસી હાલતમાં રૂ. 15700ની રોકડ રકમ મળી આવી હતી. જયેશભાઈએ સહેજ પણ લાલચ રાખ્યા વગર તુરંત જ આ રકમ મંદિરના ટ્રસ્ટીઓને સોંપી દીધી હતી. મંદિર પ્રશાસન દ્વારા તાત્કાલિક લાઉડસ્પીકર પર જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત સાંભળી દર્શનાર્થે આવેલા રાધામાધવ સોસાયટીના રહેવાસી લલિતાબેન સુરેશભાઈ પટેલ ટ્રસ્ટી પાસે પહોંચ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે આ રકમ દાદીમાની જ હતી જે દર્શન દરમિયાન પડી ગઈ હતી. ટ્રસ્ટીઓની હાજરીમાં જયેશભાઈએ આ રકમ લલિતાબેનને સુપ્રત કરી હતી. ખોવાયેલા નાણાં પરત મળતા દાદીમા ગદગદિત થઈ ગયા હતા અને જયેશભાઈને અંતરના આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટે પણ જયેશભાઈની ઈમાનદારીને બિરદાવી હતી.

35 C