વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. યુવતી સાથેના પ્રેમ પ્રકરણને લઈને મામલે યુવતીના ભાઈએ સ્કૂટર સળગાવી દેતા વિવાદ થયો હતો. આ મામલે સ્કૂટરના ચાલકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા 24 વર્ષીય રોહિત રામાવતાર શર્માએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છૂટક ઇલેક્ટ્રિક કામ કરીને ગુજરાન ચલાવે છે અને વર્ષ 2021માં કારેલીબાગ ખાતેથી TVS NTORQ સ્કૂટર ખરીદ્યું હતી. રોહિતના ભાઈ સંતોષ રામાવતાર શર્માને 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ યુવતીના ઘરવાળાને પડતાં 23 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યે યુવતીના કાકા, ફોઈ અને ભાઈ વિશાલ લાલવાણી રોહિતના ઘરે પહોંચ્યા હતા. ત્યાં બોલાચાલી અને ઝઘડો થતાં પરિવારે 112 પર ફોન કર્યો હતો. પોલીસની ગાડી આવતાં બંને પક્ષોને વારસીયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સમાધાન થયું અને બધા ઘરે પરત ફર્યા હતા. આ ઘટનાના બીજા જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ રોહિત સમા ખાતે ગયા હતા. બપોરના આશરે 3.15 વાગ્યે તેમની બહેન કાજલે ફોન કરીને જણાવ્યું કે, યુવતીનો ભાઈ તેમના ઘરે આવીને બોલાચાલી કરી ગયો છે અને ત્યાંથી નીકળીને રોડ પર રાખેલી તેમની બાઈકને જવલનશીલ પ્રવાહી રેડીને સળગાવી દીધી છે. રોહિત તાત્કાલિક ઘરે પહોંચ્યા અને જોયું તો બાઈક સળગી ગઈ હતી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાણીગેટ પોલીસે રોહિત શર્માની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આગની લપેટમાં ગાડી બળીને ખાખવડોદરામાં જાણે ખાખીનો ડર ના હોય તેમ અસામાજિક તત્વોનો આતંક વધવા માંડ્યો છે. તેવામાં એક ગાડી સળગાવી દેવાની ઘટના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં બની હતી. ગાડીને આગ લગાવી ઈસમ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. જોકે, આગની લપેટમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. ફરિયાદી રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મારી મોપેડ પડી હતી. જેને વારસિયામાં રહેતા વિશાલ લાલવાણી નામનો વ્યક્તિ છે. એની સાથે જૂની મેટર થઈ હતી. જોકે તેમાં સમાધાન થઈ ગયું હતું. છતાં તેણે મારા ઘરે આવીને મારી બહેન અને મમ્મીને ધમકી આપીને ગયો હતો. બાદમાં બીજી વખત આવ્યો અને મારી ગાડી સળગાવીને જતો રહ્યો હતો. મારી બહેન અને મમ્મીને ધમકી આપી હતી કે, તને તારા ઘરવાળા અને ઘરમાં જેટલા રહે છે. એ બધાને સળગાવી દઈશ. જે થાય એ કરી લેજો. હું મોટો બુટલેગર છું. એ લોકો 23 ફેબ્રુઆરીએ પણ આવ્યા હતા. છોકરીની મેટર હતી. મારા ભાઈ સાથે પણ સમાધાન થયું હતું. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. મારી માંગ છે કે એને કડકમાં કડક સજા થાય.
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં તેની મહિલા મિત્ર પૂનમ ભદોરિયા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાયો છે. પૂનમની ધરપકડ કરાયા બાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી છે. જેમાં પૂનમ તરફથી ઘેલાણી પરિવારના સભ્યો તરફ ગંભીર આક્ષેપો કરાયો છે. પોતાના પર 300 બાળકોની જવાબદારી હોય તેના ભવિષ્યનું કારણ આગળ ધરી જામીનની માગણી કરવામાં આવી છે. ઘેલાણી પરિવારના સભ્યો તુષાર ઘેલાણીનો ATM તરીકે ઉપયોગ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે યોજાશે. 'તુષારભાઈ પોતાના પરિવારના વર્તનથઈ દુઃખી હતા'પૂનમ ભદોરિયાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે વર્ષ 2010થી તુષાર ઘેલાણીના સંપર્કમાં હતી. તેણે આક્ષેપ કર્યો છે કે તુષારભાઈ તેમના પરિવાર સાથે સુખી હોવાનો બહારથી દેખાવ કરતા હતા, પરંતુ હકીકતમાં તેઓ પરિવારના વર્તનથી ખૂબ જ દુઃખી હતા. પરિવાર તેમને માન-સન્માન આપવાને બદલે તેમની ઉપેક્ષા કરતો હોવાનું પૂનમે અરજીમાં જણાવ્યું છે. ‘એટીએમ’ તરીકે ઉપયોગ થતો હોવાનો દાવોપૂનમના જણાવ્યા અનુસાર, તુષાર ઘેલાણીનો પરિવાર તેમનો માત્ર એક ‘એટીએમ’ મશીન તરીકે જ ઉપયોગ કરતો હતો. તેમને માત્ર પૈસા કમાવવાના સાધન તરીકે જોવામાં આવતા હતા અને તેમની ભાવનાઓની કોઈ કદર કરવામાં આવતી નહોતી. આ બાબતની જાણ તુષારભાઈના પિતા અને બહેનને પણ હતી તેવો ગંભીર દાવો પૂનમે કર્યો છે. મોટી દીકરીના વર્તનને લઈ સવાલ ઉઠાવ્યાઅરજીમાં સૌથી ચોંકાવનારો આક્ષેપ તુષારભાઈની મોટી દીકરી સામે કરવામાં આવ્યો છે. પૂનમના જણાવ્યા મુજબ વિદેશથી અભ્યાસ કરીને આવ્યા બાદ દીકરી પિતા સાથે અત્યંત ખરાબ વ્યવહાર કરતી હતી. તે પિતાને પિતા તરીકે સન્માન આપવાને બદલે સામો જવાબ આપતી અને ઘરના અન્ય સભ્યોને પણ તેમની વિરુદ્ધ ઉશ્કેરતી હતી, જેના કારણે તુષારભાઈ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ચોંકાવનારા વોટ્સએપ સ્ક્રીનશોટ રજૂ કર્યાપૂનમે પુરાવા તરીકે કોર્ટમાં કેટલાક સ્ક્રીનશોટ રજૂ કર્યા છે, જેમાં દીકરીએ પિતાને ‘મિસ્ટર તુષાર ઘેલાણી’ કહીને સંબોધ્યા છે. એક મેસેજમાં દીકરીએ લખ્યું હતું કે, ચિંતા ના કરશો, મારે મારી જાત વેચીને પણ તમારા રૂપિયા ચૂકવી દેવા પડશે તો કરી દઈશ, તમે હવે મજા લો અને ખુશ થાઓ. આ મેસેજ પિતા માટે અત્યંત આઘાતજનક હોવાનું પૂનમે જણાવ્યું છે. 'પિતાની દરેક મુવમેન્ટ પર દીકરી દેખરેખ રાખતી હતી'પૂનમનો વધુ એક ગંભીર આરોપ છે કે,દીકરી તેના પિતાના દરેક મૂવમેન્ટ પર નજર રાખતી હતી. તુષારભાઈ કોની સાથે ફોન પર વાત કરે છે, કોની સાથે ચેટ કરે છે અને કાર લઈને ક્યાં જાય છે તે તમામ વિગતો મેળવીને તે પિતાને સંપૂર્ણપણે કંટ્રોલ કરવાનો પ્રયાસ કરતી હતી. આ સતત દેખરેખથી તેઓ ગૂંગળામણ અનુભવતા હતા. 300 બાળકોના ભવિષ્યનો હવાલોપોતાના જામીન માટે પૂનમે દલીલ કરી છે કે તે વેસુ વિસ્તારમાં ‘બ્લ્યુ પેપિલોન’ નામની સ્કૂલ ચલાવે છે, જેમાં 250 થી 300 નાના બાળકો અભ્યાસ કરે છે. આ બાળકોના શિક્ષણ અને શાળાના વહીવટની જવાબદારી તેના શિરે હોવાથી, જો તેને જામીન નહીં મળે તો શાળાનું સંચાલન ખોરવાઈ જશે અને સેંકડો બાળકોનું ભવિષ્ય જોખમાશે. આપઘાતના આગલા દિવસની સ્થિતિઅરજીના અંતે પૂનમે જણાવ્યું કે આપઘાતના એક દિવસ પહેલા એટલે કે 31મી જાન્યુઆરીએ સાંજે તુષારભાઈ સાથે તેની વાત થઈ હતી ત્યારે તેઓ ખૂબ જ ખુશ હતા. પૂનમના મતે, તે સમયે કોઈ પણ રીતે તેઓ આપઘાત કરે તેવું જણાતું નહોતું. હવે આ મામલે ગુરુવારે કોર્ટમાં વધુ સુનાવણી થશે. ચાર દિવસ પહેલા સ્વ. તુષાર ઘેલાણીના પુત્રીએ પૂનમ ભદોરિયા સામે ફરિયાદ નોંધાવી હતીસ્વ. તુષાર ઘેલાણીની પુત્રીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પિતા જ્યારે ઉદાસ રહેતા હતા ત્યારે કારણ જાણવા મેં પ્રયાસ કરતા પિતાએ મને જણાવ્યું હતું કે, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મારે એક પૂનમ ભદોરીયા નામની મહિલા સાથે પંદરેક વર્ષથી અનૈતિક સંબંધો છે. જે અનૈતિક સંબંધોના કારણે પૂનમ મને ખૂબ હેરાન પરેશાન કરે છે અને મારું આર્થિક-માનસિક શોષણ કરે છે. હું તેનાથી કંટાળી ગયો છું અને છુટકારો લેવા માંગુ છું. પણ તે મને છોડતી નથી. આ વાતની તારી મમ્મીને જાણ થશે તો તે ખૂબ દુઃખી થશે. હું નથી ચાહતો કે , મારી ભૂલના લીધે મારા પરિવારના સભ્યો હેરાન થાય અથવા દુઃખી થાય. પિતા (તુષારભાઈ)એ વધુમાં જણાવ્યું હતું કે, વેસુ ખાતે આવેલ 'બ્લૂ પેપીલોન'ના નામથી પ્રિ પ્રાયમરી સ્કૂલ આવેલી છે. આ સ્કૂલ ચાલુ કરવામાં તમામ નાણાં મે જ રોકાણ કરેલા હતા. મારે પૂનમ સાથે અનૈતિક સંબંધ હોય તેનો લાભ ઉઠાવીને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી આ સ્કૂલમાં 50 ટકાની ભાગીદારીનો કરાર પણ મારી પાસે કરાવી લીધેલ છે અને સ્કૂલનું તમામ મેનેજમેન્ટ પોતાની જાતે જ કરે છે. આ સ્કૂલનું બિલ્ડિંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર આપણે જ બનાવેલ છે અને તે જગ્યા પણ આપણી માલિકીની છે તેવી વાત કરી હતી. ત્યારે મેં મારા પિતાને ખૂબ હિંમત આપી હતી અને કહ્યું હતું કે, આનો આપણે સાથે મળીને કોઈ રસ્તો કાઢીશું. પિતાને હેરાન પરેશાન ન કરવા દીકરીઓએ પણ પૂનમને સમજાવવા પ્રયાસ કર્યો હતોપરંતુ, ત્યારબાદ પણ પૂનમ મારા પિતાને હેરાન પરેશાન કરતા હોય અને વારંવાર ફોન કરતી હતી. મારા પિતાના તેની સાથે અનૈતિક સંબંધની જાણ સમાજમાં અને પરિવારના સભ્યોને કરવાની ધમકી આપતી હોય મેં મારા પિતાને પૂનમના ઘરનું સરનામું પૂછ્યું હતું. ત્યારબાદ હું અને મારી નાની બહેન જુલાઈ-2025માં પૂનમને મળવા તેના ઘરે ગયા હતા. અમે રૂબરુ મળઈને મારા પિતાને હેરાન નહીં કરવા સમજાવતા તે મારા પર ગુસ્સે થઈ ગયા હતા અને કહ્યું હતું કે, તું તારા પિતાને ક્યાં સારુ રાખે છે અને તુષાર મારો જ છે અને તેને મારો કરી લેવાનો છે અને તે મારું કહ્યું નહીં માને તો તેને પુરો કરી નાખવાનો છે. જે રીતે સ્કૂલમાં 50 ટકાનો ભાગ મેળવી લીધો છે તેમ તેની તમામ મિલકતમાં મારે 50 ટકા મિલકત મારા નામે કરાવી લેવાની છે. તારા પિતાને કહી દેજે જો મને મિલકતમાં ભાગ નહીં આપે તો હું તેનું જીવવાનું હરામ કરી દઈશ અને સમાજમાં પણ બદનામ કરી તેને ક્યાંયનો નહીં રહેવા દવ. પૂનમે ધમકી આપતા હું અને મારી બહેન ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ પણ પૂનમે મારા પિતાને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. 'દીકરીના લગ્નમાં આવી તુષાર ઘેલાણીને પરેશાન કરવા પૂનમે ધમકી આપી હતી'તુષાર ઘેલાણીના પુત્રીએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા 5મી ફેબ્રુઆરીએ લગ્ન હોય અમે ખૂબ આનંદથી તૈયારીઓ કરી રહ્યા હતા. 1 ફેબ્રુઆરીએ લગ્નની કંકોત્રીનું લેખન રાખેલ હતું. 31મી જાન્યુઆરીએ હું અને મારા પિતા આજુબાજુમાં બેસેલા હતા ત્યારે સાંજના સમયે મારા પિતાના મોબાઈલ પર પૂનમનો ફોન આવ્યો હતો. પિતાએ ફોન રિસિવ કરીને વાતચીત કરતા હતા ત્યારે ખૂબ દુઃખી થઈ ગયા હતા. મેં પિતાને પૂછ્યું તો તેને કહ્યું કે, આ પૂનમ તારા લગ્નમાં આવીને ભવાડો કરીને મને સમાજમાં બદનામ કરવાની ધમકી આપે છે. વારંવાર ફોન કરી મિલકત તથા નાણા બાબતે અલગ અલગ માગણીઓ કરી મને હેરાન કરી દીધો છે. તારા લગ્ન થઈ જાય એટલે બસ, આ પૂનમ મને જીવવા નહીં દે અને હું તારા લગ્ન પછી તો આનો કોઈ રસ્તો શોધી કાઢીશ. મારાથી હવે જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. હું હવે હારી ગયો છું. જેથી મેં મારા પિતાને ધરપત આપી હતી. પિતાની માલિકીની બે દુકાનો પૂનમે પડાવી લીધી- દીકરીમારા પિતા મરણ ગયા બાદ તેઓની લાશનો કબ્જો અમોને સોપેલ હતો અને સોપ્યા પછી અમોએ મારી પિતાની લાશની અંતિમવિધિ કરેલ હતી ત્યાર પછી અમોને જાણવા મળેલ છે તે મુજબ અમારી માલિકીની જોલી આર્કેડની ગ્રાઉન્ડ ફલોરની બંન્ને દુકાનો મારા પિતાના નામ પર ચાલી આવેલ હતી તે બન્ને દુકાનો આ પુનમબેનનાઓએ મારા પિતા પાસેથી પડાવી લીધેલ છે અને બન્ને દુકાનના મળી કુલ્લે રૂપીયા 1.07 કરોડ અવેજ પેટેના કે, જે દસ્તાવેજમાં દર્શાવેલ છે તે આજદીન સુધી આપેલ નથી. 'સ્કૂલમાં 50 ટકાની ભાગીદારી રાખી 7 વર્ષમાં પૂનમે 1.37 કરોડનો પગાર મેળવ્યો'તેમજ અમારી આ 'BLUE PAPILLON' નામની સ્કુલનુ વહીવટી કામ સી.એ. ઇશાંત ત્રિવેદી નાઓ સંભાળતા હોય તેઓ પાસે જઇ તપાસ કરતા આ પુનમબેનનાઓ અમારી સ્કુલમાં 50 ટકાના ભાગીદાર પણ હતા અને તેઓ સ્કૂલમાંથીપગાર તથા નફો બન્ને મેળવતા હતા. જેમાં વર્ષ 2018 થી 2024 સુધીમાં પગાર સિવાયના આ પુનમબેન નાઓએ રૂપીયા 1 કરોડ 37 લાખ મળવેલ હોવાનુ અમોને જાણવા મળેલ છે. પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતાઅત્રે ઉલ્લેખનીય છે કે તુષાર ઘેલાણી અને પૂનમ ભાદોરિયાના સંબંધોની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી, જ્યારે પૂનમબેન તુષારભાઈની ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતા હતા, જોકે થોડા સમય બાદ તેઓ છૂટા પડ્યાં હતાં, પરંતુ વર્ષ 2012-13માં ફરી એકવાર સંપર્કમાં આવ્યાં હતાં. આ પુનઃમિલન બાદ તેમણે વ્યાવસાયિક ભાગીદારી શરૂ કરી, જેમાં સૌપ્રથમ તુષારભાઈના બિલ્ડિંગમાં 'બચપન' સ્કૂલની ફ્રેન્ચાઈઝી બે વર્ષ સુધી ચલાવી હતી. ત્યાર બાદ, તેમણે સુરતના જોલી આર્કેડમાં દેરાસરની પાછળ પોતાની 'બ્લૂ પેપિલોન' પ્રી-પ્રાઇમરી સ્કૂલ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બ્લૂ પેપિલોન સ્કૂલના સંચાલનમાં પૂનમબેનનું કોઈપણ પ્રકારનું દસ્તાવેજી આર્થિક રોકાણ ન હોવા છતાં તેઓ મેનેજિંગ પાર્ટનર તરીકે કાર્યરત હતાં અને નફામાં મોટો હિસ્સો મેળવતાં હતાં. ઓગસ્ટ 2025માં એક અત્યંત શંકાસ્પદ વ્યવહાર થયો હતો, જેમાં તુષાર ઘેલાણીએ જોલી આર્કેડમાં આવેલી અંદાજે 1.06 કરોડની કિંમતની બે દુકાનો કોઈપણ બેંકિંગ ટ્રાન્ઝેક્શન વગર પૂનમબેનના નામે ટ્રાન્સફર કરી દીધી હતી. આ મિલકત ટ્રાન્સફર પાછળ ગંભીર આર્થિક દબાણ હોવાની શંકા સેવવામાં આવી રહી છે. શું હતો સમગ્ર મામલો?સુરતના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ 1 ફેબ્રુઆરી, 2026ને રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની જ લાઉસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારી હતી. એ બાદ તુષાર ઘેલાણીને ગંભીર હાલતમાં સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના મગજના ડાબા ભાગે વાગેલી 9 mmની બુલેટ મગજની આરપાર નીકળી ગઈ હતી. સાથે જ બુલેટ્સના પાર્ટુકલ પણ મગજના વિવિધ જગ્યા પર પહોંચી જતાં મગજમાં સોજો આવી ગયો હતો. શહેરના નિષ્ણાત તબીબોની ટીમે તેમને બચાવવા માટે દિવસ-રાત એક કર્યા હતા. પાંચ દિવસ સુધી તેઓ વેન્ટિલેટર પર જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા, જોકે ઈજા એટલી ગંભીર હતી કે બુધવારે તબીબોએ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કર્યા હતા. આ પણ વાંચો- સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર, પરિવારની અંગદાનની જાહેરાત કોણ હતા તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામક્ષેત્રે સક્રિય હતા. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે જોલી કોમ્પ્લેક્સમાં આવેલી હતી. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા. આ પણ વાંચો.... દીકરીના કંકોત્રી લેખનના દિવસે જ પિતાનો ગોળી મારી આપઘાતનો પ્રયાસ, ઘરે મંડપ પણ રોપાઈ ગયાં હતાં
કોઈપણ નાગરિક સાથે સાઇબર ક્રાઇમ કરવા માટે મ્યુઅલ એકાઉન્ટ જરૂરી છે ત્યારે હવે બેંક મેનેજર દ્વારા જ મ્યુઅલ એકાઉન્ટ ખોલી અને સાઇબર ફ્રોડ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલા બેંક મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું, બીજા કર્મચારીએ એકાઉન્ટના કેવાયસીમાં સુધારા કર્યા હતા. અન્ય મહિલા મેનેજરે સાયબર ફ્રોડના રૂપિયામાંથી સોનું ખરીદી સાયબર માફિયાને પહોંચાડ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે કુલ પાંચ આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે. જ્યારે માસ્ટર માઇન્ડ બે આરોપીઓની ધરપકડ કરવા માટે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. નફાની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવી લીધા શહેરના એક સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરી 15 ડિસેમ્બર 2025થી 4 ફેબ્રુઆરી, 2026 દરમ્યાન સાયબર માફિયાઓ જુદા જુદા રોકાણ કરાવી વધુ નફાની લાલચ આપી રૂપિયા 1.54 કરોડ પડાવી લીધા હતાં. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. પોલીસે અમદાવાદ, સુરત અને ભાવનગર તથા અન્ય શહેરોમાં દરોડા પાડી તપાસ કરતાં આ સાયબર ફ્રોડના 10 લાખ રૂપિયા હરેશ મકવાણા (સુરત) તથા રાજુ મકવાણા (ભાવનગર)ના ખાતામાં જમા થયા હોવાની વિગતો સામે આવી હતી. જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. બેંકની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણીવધુ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ સાયબર ફ્રોડમાં ખુદ બેંકની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એન. આર. ગામીતની ટીમે ઇન્ડસઇન્ડ બેંક ચાંદખેડા બ્રાંચના બ્રાન્ચ મેનેજર પૂજા ફ્રેડરિક પરીયત, ઇન્ડસઇન્ડ બેંકની ઇસીબીડી મેનેજર હિના દિવ્યમ દરજી તથા ઇન્ડસઇન્ડ બેંક ગોતા બ્રાંચના એકાઉન્ટ મેનેજર મહેશ રાજેશકુમાર તારાણીની ધરપકડ કરી છે. મેનેજર પૂજા મ્યૂલ એકાઉન્ટ ઓપન કરી આપતીત્રણેયની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તેમની વિવાદાસ્પદ કામગીરી બેંકના ધ્યાનમાં આવતાં તેમના એમ્પ્લોય કોડ બંધ કરી તેમની પાસેથી બેંક એકાઉન્ટ ઓપન કરવાના પાવર પણ લઈ લેવામાં આવ્યા હતા. બેંક કર્મચારી મહેશ એકાઉન્ટ ખોલાવવા માટે એજન્ટોના માણસોને બેંકમાં લાવતો હતો. પૂજા પોતે મેનેજર હોવાથી તે એકાઉન્ટ ઓપન કરી આપતી હતી અને બેંકના નિયમ મુજબ એકાઉન્ટ ઓપન થયા બાદ 3 મહિના સુધી ફોન નંબર કે મેઇલ આઈડી ચેન્જ કરી શકાય નહીં. તેમ છતાં તમામ ફેરફાર કરી દેવામાં આવતા હતા. એક લાક કમિશન પેટે સોનું ખરીદીને એજન્ટને આપતીસાયબર ફ્રોડના રૂપિયા આવે એટલે તેની એફડી કરી દેવામાં આવતી અને હિના આ એફડી લઈ સોનાના શો રૂમમાં જઈ તેના આધારે શિવરંજની વિસ્તારમાં આવેલા તનિષ્કના શોરૂમમાં જઈને સોનું ખરીદી સાયબર માફિયાના એજન્ટને આપતી હતી. તેઓને કમિશન પેટે એક લાખ મળતા હોવાની વિગતો સામે આવી છે. ચાઇનીઝ ગેંગ માટે મ્યુલ એકાઉન્ટ ભાડે લેતા માસ્ટર માઇન્ડ હરકિશન તથા અકિબ ઉર્ફે કાળુભાઈ લાખેપોટાની ધરપકડ કરવા કવાયત ચાલી રહી છે. તેઓ ચાઇનીઝ ગેંગ માટે મ્યુલ એકાઉન્ટ ભાડે લેતા અને રૂપિયા સાયબર માફિયાને પહોંચાડતા હતા. હવે તેમને ઝડપી લેવા માટેની કવાયત ચાલી રહી છે. માસ્ટર માઇન્ડ પાલીતાણાનો ને ફ્રોડના 400 ગુનાઓ નોંધાયાજ્યારે પૂજાએ તેની નોકરી દરમિયાન જે એકાઉન્ટ ખોલાવ્યા છે તેમાં સાયબર ફ્રોડના 400 ગુનાઓ નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. માસ્ટર માઇન્ડ પાલીતાણાનો હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સાબરમતીથી લઈને વટવા સુધી બુલેટ ટ્રેનના પિલ્લરથી લઈ સેગમેન્ટ સહિતના અલગ અલગ કામ ચાલી રહ્યા છે, ત્યારે કાંકરિયા રેલવે યાર્ડ નજીક અનુપમ રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી કરવાની હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ અનુપમ રેલવે ઓવરબ્રિજ રાત્રિના સમયે વાહન ચાલકો માટે બંધ કરાશે. વાહન ચાલકોએ બંને તરફ અવર-જવર કરવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. પૂર્વ અને પશ્ચિમ બંને છેડે વાહનોના અવરજવર પર પ્રતિબંધઅમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સાબરમતીથી વટવા સુધી ચાલી રહી છે. જે અંતર્ગત અનુપમ રેલવે ઓવર બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવવાનું કામ અને ખસેડવાની કામગીરી માર્ચ મહિનામાં કરવામાં આવશે. જેથી 9થી 11 માર્ચ અને 20, 21 તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેને કારણે અનુપમ બ્રિજના પૂર્વ અને પશ્ચિમ બંને છેડે વાહનોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. સુરત શહેરમાં હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. DCP ટ્રાફિક પન્ના મોમાયાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓની સુવિધાએ પોલીસની પ્રાથમિકતા રહેશે. મેટ્રો કામગીરીને કારણે સાંકડા રસ્તાઓનું પડકારસુરત શહેરમાં હાલ મેટ્રો રેલનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો સાંકડા થઈ ગયા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ સ્થિતિમાં પરીક્ષાના સમયે ટ્રાફિક જામ થવાની પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને વરાછા, અડાજણ અને મજુરા ગેટ જેવા વિસ્તારોમાં મેટ્રોના પિલરને કારણે રસ્તાઓ પર દબાણ વધ્યું છે, જે પરીક્ષાર્થીઓ માટે ચિંતાનો વિષય હતો. ટ્રાફિક જામ નિવારવા 80 વધારાના જવાનો તૈનાતઆ પડકારને પહોંચી વળવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે વિસ્તારોમાં મેટ્રોનું કામ ચાલુ છે, ત્યાં 80 જેટલા વધારાના ટ્રાફિક પોલીસ જવાનોને સ્પેશિયલ ડ્યુટી સોંપવામાં આવી છે. આ જવાનોનું મુખ્ય કામ પરીક્ષાના સમયે ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવાનું રહેશે જેથી વિદ્યાર્થીઓની સ્કૂલ બસ કે પ્રાઈવેટ વાહનો ક્યાંય અટવાય નહીં. મોટા પરીક્ષા કેન્દ્રોની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. વાહન બગડે તો પોલીસ બનશે 'સારથિ'પોલીસે માત્ર ટ્રાફિક મેનેજમેન્ટ જ નહીં, પણ ઈમરજન્સી સેવા માટે 40 જેટલા વાહનો (ટુ-વ્હીલર અને પીસીઆર) ફિલ્ડમાં ઉતાર્યા છે. જો કોઈ વિદ્યાર્થીનું વાહન રસ્તામાં બગડી જાય, પંચર પડે અથવા કોઈ કારણસર તે ટ્રાફિકમાં ફસાઈ જાય અને તેને લાગે કે તે પરીક્ષામાં મોડો પડશે, તો નજીકમાં ઉભેલા પોલીસ જવાનનો સંપર્ક કરી શકશે. પોલીસ જવાન તે વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી જશે. આ હેલ્પલાઇન નંબર વિદ્યાર્થીઓ માટે સંજીવનીસુરત પોલીસ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર 74340 95555 જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ કે વાલીઓ આ નંબર પર કોલ કરીને મદદ માંગી શકશે. આ ઉપરાંત જો આ નંબર વ્યસ્ત હોય તો તાત્કાલિક 100 અથવા 112 નંબર પર પણ ડાયલ કરી શકાશે. પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક જે-તે લોકેશન પર નજીકના ટ્રાફિક જવાનને મોકલી આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાયની વ્યવસ્થાDCP પન્ના મોમાયાએ વધુમાં ઉમેર્યું હતું કે, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પોલીસ વિશેષ સંવેદનશીલતા દાખવશે. જો કોઈ દિવ્યાંગ વિદ્યાર્થીને સેન્ટર સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની અડચણ આવશે, તો પોલીસ તેને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રીતે કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવશે. સુરત પોલીસનો આ અભિગમ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારનારો સાબિત થશે.
મોરબી શહેરના શનાળા રોડ પાસે આવેલ એક પેકેજીંગ યુનિટમાં રવિવારે સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં મશીન માથાના ભાગે પડતા એક આધેડ વયના ભાગીદારનું ઘટનાસ્થળે જ અત્યંત કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર શ્રીજી એસ્ટેટ અને મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગતમળતી માહિતી મુજબ, મોરબીના સનાળા રોડ પર આવેલી વૈભવનગર સોસાયટીમાં રહેતા વિજયભાઈ ભાનુશંકર શીલુ (ઉં.વ.52 ) શનાળા ગામ પાસેના શ્રીજી એસ્ટેટમાં 'શિવશંકર પેકેજીંગ' નામનું કારખાનું ભાગીદારીમાં ચલાવતા હતા. સાંજના આશરે સાડા પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈ કારખાનામાં કામકાજમાં વ્યસ્ત હતા, તે દરમિયાન અચાનક એક ભારેખમ મશીન તેમના પર પડ્યું હતું. આ અકસ્માત એટલો ગંભીર હતો કે મશીન સીધું જ તેમના ડોકના ભાગે પડતા તેમનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. ગંભીર ઈજાઓના કારણે વિજયભાઈનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. પરિવાર પર આભ તૂટી પડ્યુંઆ અકસ્માત માત્ર એક ઉદ્યોગપતિનો જીવ જ નથી લીધો, પરંતુ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. મૃતક વિજયભાઈને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અચાનક બનેલી દુર્ઘટનાને કારણે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યોઘટનાની જાણ થતા જ મોરબી સીટી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મશીન કેવી રીતે પડ્યું અને આમાં કોઈ બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
ગુજરાત વિધાનસભામાં બજેટ અને પૂરક બજેટ પર ચર્ચા દરમિયાન સત્તા-વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલ, આંકડાકીય પ્રહારો, પોઇન્ટ ઓફ ઓર્ડર, ટકોર અને રાજકીય ટિપ્પણીઓ વચ્ચે દિવસભર ગૃહ ગરમાયું. માર્ગ-મકાન, પીવાનું પાણી, કુદરતી આફત સહાય, કેન્દ્ર સરકારની ફાળવણીમાં ઘટાડો, કુપોષિત બાળકો, MSME, રમતગમત, ગેરકાયદે ખનન સહિતના તમામ મુદ્દાઓ ગૃહમાં ગુંજ્યા. ચૈતર વસાવાનો માર્ગ-પાણી મુદ્દે પ્રહારચૈતર વસાવાએ પૂરક માંગણી ચર્ચામાં જણાવ્યું કે, તેમના વિસ્તારમાં માર્ગ-મકાન વિભાગમાં FCIની પરવાનગીના નામે કામ અટકાવવામાં આવે છે અને વન સંરક્ષણ અધિનિયમ હેઠળ રસ્તા બનાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. નાદોદ તાલુકામાં 700 વર્ષથી વસેલું ગામ આજે પણ તૂટેલા રસ્તાથી પરેશાન છે. વરસાદમાં રસ્તો તૂટી ગયો, 4 વર્ષ પહેલા મંજૂરી મળવા છતાં વન વિભાગ કામ કરવાની મંજૂરી આપતું નથી. અંકલેશ્વરથી ડેડીયાપાડા નેશનલ હાઈવે પર કરજણ નદી આગળનો બ્રિજ 8 વર્ષથી બંધ છે, માર્ગ-મકાન વિભાગે બંધ કર્યો છે. નવા બ્રિજને મંજૂરી કે ડાયવર્ઝન આપવા માંગ કરી. તેમજ અન્ય 54 ગામોને પીવાનું પાણી આપવાની જોગવાઈ છે છતાં પાણી મળતું નથી. નર્મદા માટે પૂરક માંગણી આવી છે છતાં તેમના વિસ્તારમાં પાણી મળ્યું નથી. શૈલેષ પરમારનો આંકડાઓ સાથે કેન્દ્ર-રાજ્ય પર હુમલોશૈલેષ પરમારએ કુદરતી આફત સહાય અને કેન્દ્ર સરકારની ફાળવણી મુદ્દે આંકડાકીય વિગતો રજૂ કરી. છેલ્લા ત્રણ વર્ષમાં કુદરતી આફત સમયે ભારત સરકારને કેટલા પત્ર લખાયા તેનો સવાલ. તાઉતે વાવાઝોડા સમયે 3277 કરોડની માંગ સામે 1113 કરોડ મળ્યા. પૂર અને વાવાઝોડા વખતે 11 હજાર કરોડની જાહેરાત. 2023-24માં 25557 કરોડ કેન્દ્રથી મળ્યા. 2024-25માં 14127 કરોડ મળ્યા – 11460 કરોડ ઓછા. NDRF હેઠળ 1553 કરોડની માંગણી કરી પરંતુ હજુ મળ્યા નથી. વિકાસદર 2024-25માં 9.2% થી ઘટીને 2025-26માં 8.3% થયો. સરકાર વધારાનો ખર્ચ અને દેવામાં વધારો કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે કેન્દ્ર સરકાર ગુજરાતને સૌથી ઓછી સહાય આપે છે. વિવિધ યોજનાઓ હેઠળની ગ્રાન્ટ પણ ઓછી મળી છે. ગોપાલ ઇટાલિયાનો ખેડૂત મુદ્દે સવાલગોપાલ ઇટાલિયાએ વિસાવદર તાલુકાના હસનાપુર ગામના ખેડૂતો કમોસમી વરસાદના વળતરથી વંચિત હોવાનું કહ્યું. તમામ ખેડૂતોએ ફોર્મ ભર્યા છતાં સહાય ન મળ્યાનો આક્ષેપ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લાવવામાં આવેલી મુખ્યમંત્રી ખેડૂત સહાય યોજના અમલમાં મૂકવાની માંગ કરી. ભાગે ખેતી રાખતા ખેડૂતોને પણ વળતર આપવાની માંગ કરી. “કૂવાના દેડકા” શબ્દપ્રયોગ પર ગૃહમાં ટકરાવવિધાનસભામાં ચર્ચા દરમિયાન માતરના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ “આફતના સમયે અમુક લોકો અવસર જોઈને કૂવાના દેડકાની જેમ બહાર આવે છે” એવો શબ્દપ્રયોગ કર્યો હતો, જેના વિરોધમાં ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર રજૂ કર્યો, પરંતુ અધ્યક્ષે તે સ્વીકાર્યો નહોતો. નાણાં મંત્રી કનુ દેસાઈનો જવાબકનુ દેસાઈએ જણાવ્યું કે, વર્ષ દરમિયાન નવી યોજના કે જુની યોજનાને વેગ આપવા પૂરક માંગણી આવે છે. 3.70 લાખ કરોડના બજેટ સામે કુદરતી આફત માટે 19354 કરોડની માંગ (5.22%). આજે 11358.14 કરોડની માંગ કુદરતી આફત માટે.22,53,570 પશુઓને મફત ઘાસ વિતરણ. 5 જિલ્લામાં પાક નુકસાન માટે 565.92 કરોડ વધારાની જરૂર. માવઠા દરમિયાન 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ 5700 કરોડ જરૂર. માર્ગ-મકાન વિભાગે 4360.65 કરોડના 2445.45 કિમીના 160 કામ મંજૂર. 2006થી સરકાર ઓવરડ્રાફ્ટમાં ગઈ નથી. ગુજરાતનો GSDP 14.10%. 2025-26માં વિકાસ ખર્ચ 67%, 2026-27માં 64%. તેમણે સભ્યોને કાપ દરખાસ્ત પરત ખેંચવાની વિનંતી કરી. રમણલાલ વોરાનો કોંગ્રેસ પર પ્રહારરમણલાલ વોરાએ કહ્યું કે બજેટમાં રકમ ન હોવા છતાં સરકાર ઉદાર મનથી સહાય આપે છે. “દેવું એ જ કરી શકે જેની ભરવાની તાકાત હોય,”. કુપોષણ, MSME અને રમતગમત ખર્ચ મુદ્દે કિરીટ પટેલનો સરકાર પર સવાલોનો મારોકિરીટ પટેલએ રાજ્યમાં કુપોષણની ગંભીર સ્થિતિ તરફ ધ્યાન દોરતાં જણાવ્યું કે, જાન્યુઆરી 2025 સુધી ગુજરાતમાં અંદાજે 5 લાખ કુપોષિત બાળકો છે અને ડાંગ, પંચમહાલ, નર્મદા તથા તાપી જિલ્લાઓમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. વર્ષ 2025-26માં કુપોષિત બાળકો માટે 1550.32 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં માત્ર 554.42 કરોડનો જ ખર્ચ થયો અને 995.90 કરોડ, એટલે કે 64.23 ટકા રકમ વપરાઈ નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સાથે જ તેમણે MSME અને રમતગમત ક્ષેત્રે પણ સરકારને ઘેરતાં કહ્યું કે, રાજ્યમાં 90 ટકા રોજગારી નાના ઉદ્યોગોમાંથી મળે છે છતાં ઉદગમ પોર્ટલ મુજબ 8789 MSME એકમો બંધ થયા છે, વાઈબ્રન્ટ સમિટમાં થયેલા MOU અંગે પારદર્શિતાનો અભાવ છે અને CAG રિપોર્ટ મુજબ માત્ર 40 ટકા પ્રોજેક્ટ જ અમલમાં આવ્યા છે જ્યારે 60 ટકા બાકી છે. રમતગમત માટે 1500 કરોડની જોગવાઈ હોવા છતાં માત્ર 15 ટકા ખર્ચ થયો, રાજ્યની 40 ટકા શાળાઓમાં મેદાન નથી, અમદાવાદમાં ઓલિમ્પિક માટે 500 કરોડ ખર્ચાયા છતાં ગ્રામ્ય ખેલાડીઓને સુવિધા મળતી નથી અને અન્ય રાજ્યોની સરખામણીએ સ્ટાઈપેન્ડ પણ ઓછું આપવામાં આવે છે. ગેરકાયદે ખનન આંકડા8 જિલ્લામાં 392 ફરિયાદ, 256 વાહન કબ્જે, 3158.65 લાખ દંડ. પંચમહાલમાં 5.12 લાખ મેટ્રિક ટન જપ્તી. અરવલ્લીમાં 1 લીઝ રદ. વિરામ દરમિયાન મહિલા ધારાસભ્યોએ ‘રીલ’ બનાવી! ગૃહમાં મોબાઈલ રેકોર્ડીંગ પર અધ્યક્ષની ટકોરવિધાનસભામાં વિરામ પડતા જ ગૃહનું દૃશ્ય થોડી ક્ષણ માટે જાણે સોશિયલ મીડિયા સ્ટુડિયો બની ગયું હોય એમ લાગ્યું. કેટલાક મહિલા ધારાસભ્યો ફોટોગ્રાફી અને વીડિયો બનાવતા નજરે પડ્યા, જેમાં ભાનુબેન બાબરીયા, મનીષાબેન વકીલ અને સંગીતાબેન પાટીલ રીલ બનાવતા હોવાની ચર્ચાએ ગૃહના કોરિડોરમાં ગોસીપ થઈ. આ દૃશ્યો લાઈવ ટીવી પર પણ દેખાતા હોવાનું કહેવામાં આવ્યું. જોકે બેઠક ફરી શરૂ થાય તે પહેલાં અધ્યક્ષે સભ્યોને કડક શબ્દોમાં યાદ અપાવ્યું કે ગૃહની કાર્યવાહી મોબાઈલમાં રેકોર્ડ કરવી નહીં અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ પણ ન કરવી. ત્યારબાદ ગૃહમાં ફરી સંયમનું વાતાવરણ જોવા મળ્યું. પૂરક માંગણીઓની ચર્ચા વચ્ચે નેતાઓ સુઈ ગયાનાણા મંત્રી કનુ દેસાઈ પૂરક માંગણીઓ પર વિસ્તૃત જવાબ આપી રહ્યા હતા, ત્યારે ગૃહમાં બીજી જ ચર્ચા ચાલી. કહેવાય છે કે ધારાસભ્યો અમિત ઠાકર, અમિત શાહ અને જીતુ પટેલ બેઠક દરમિયાન ઊંઘતા દેખાયા હોવાની વાતો કોરિડોરમાં ફેલાઈ ગઈ. કનુભાઈના લાંબા સંબોધન દરમિયાન આ દ્રશ્યો નજરે પડ્યા હોવાની ચર્ચાએ રાજકીય ગપસપને વધુ રંગ આપ્યો. લવિંગજી ઠાકોરનો ટેબલેટ કિસ્સોલવિંગજી ઠાકોર ભાષણ શરૂ કરતાં પહેલા ટેબલેટમાં સ્પીચ ખુલતી ન હોવાથી થોડી વાર મથામણ કરી. “નોધારાના આધાર અને ગરીબોના બેલી ભાજપ સરકાર” બોલતાં ગૃહમાં વાહ-વાહનું વાતાવરણ સર્જાયું. અધ્યક્ષે કહ્યું – “હવે તમારી પાસે 2 મિનિટ.” પ્રવીણ માળીએ કહ્યું “ચાલુ રાખો”. રાજ્યપાલ સ્વાગત મુદ્દે પોઇન્ટ ઓફ ઇન્ફોર્મેશનમાં 14 મીનિટ ચર્ચા ચાલીશૈલેષ પરમારે અધ્યક્ષને રજુઆત કરતાં કહ્યું કે, ગૃહના પ્રથમ દિવસે રાજ્યપાલને આમંત્રિત કરવામાં આવ્યા હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ આવ્યા હતા અને તેમને ચેર સુધી લઈ ગયા હતા તો ગૃહની પ્રણાલી મુજબ વિપક્ષમાંથી પણ અમિત ચાવડા કે તુષાર ચૌધરીને પણ અધ્યક્ષ દ્વારા આમંત્રિત કરવા જોઈએ અને અધ્યક્ષનો બચાવ કરતાં રમણલાલા વોરાએ જણાવ્યું કે, હું શૈલેષભાઈની વાત સાથે સહમત છું વિપક્ષને આમંત્રિત કરવાની પ્રણાલી છે પરંતુ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રાજ્યપાલના અંગત સબંધોને લઈને તેઓ ગયા હતા, જ્યારે અધ્યક્ષએ કહ્યું કે, મેં માત્ર મુખ્યમંત્રીને આમંત્રિત કર્યા હતા ભાજપના અધ્યક્ષને આમંત્રણ આપ્યું ન હતું પરંતુ તેઓ સ્વૈચ્છાએ આવ્યા તો હું ના કહી શકુ નહીં વિપક્ષમાંથી પણ કોઈ આવ્યું હોત તો ગૃહને વાંધો ન હતો. આ ચર્ચા ગૃહમાં 14 મીનિટ સુધી ચાલી. આર્સેલર મિત્તલને દંડArcelorMittal Steel Indiaને હજીરા ખાતે જમીન દબાણ મામલે 106.82 કરોડ દંડ. 391 વિઘા અને 487 વિઘાના ટુકડામાં દબાણ. જમીન ખાલી કરાવવા કાર્યવાહી ચાલુ. અંતે કાપ દરખાસ્ત પરતશૈલેષ પરમાર, ઉમેશ મકવાણા અને ચૈતર વસાવાએ ખાતરી બાદ કાપ દરખાસ્ત પરત ખેંચી. અધ્યક્ષે મતપ્રસ્તાવ મૂકતા સર્વાનુમતે મંજૂર. આ રીતે પૂરક માંગણીઓની ચર્ચા અને પ્રશ્નોત્તરી માત્ર આંકડા સુધી મર્યાદિત ન રહી, પરંતુ ગ્રામ વિકાસ, ખેડૂત, પાણી, ઉદ્યોગ, કુપોષણ, ગેરકાયદે ખનન અને રાજ્ય-કેન્દ્ર સંબંધોની રાજકીય લડત સુધી પહોચી. ગૃહમાં રાજકીય તાપમાન ઊંચું રહ્યું, તો બીજી તરફ મોબાઈલ રેકોર્ડિંગ અને સભ્યો ઊંઘતા હોવાના દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા.
હળવદ પાસે ડમ્પર ટ્રેલર પાછળ ઘૂસ્યું:ડ્રાઇવર-ક્લીનર ફસાયા, અઢી કલાકની જહેમત બાદ બહાર કઢાયા
હળવદ નજીક માળિયા-અમદાવાદ હાઈવે પર હરીદર્શન ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક ડમ્પર ટ્રક ટ્રેલરની પાછળ ઘૂસી જતાં ડમ્પરના ડ્રાઇવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા હતા. આ ઘટના સાંજે 6:30 વાગ્યા આસપાસ બની હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે ડમ્પરની કેબિન સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. ફસાયેલા ડ્રાઇવર અને ક્લીનરને બહાર કાઢવા માટે જેસીબી અને હિટાચી મશીનની મદદ લેવામાં આવી હતી. લગભગ અઢી કલાકની ભારે જહેમત બાદ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતના કારણે માળિયા-અમદાવાદ હાઈવે પર હળવદ પાસે બંને બાજુએ આશરે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર મૂકવામાં આવેલા સ્પીડબ્રેકર પાસેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. તેની પાછળ કોલસા ભરેલું ડમ્પર આવી રહ્યું હતું, જેના ચાલકે કાબૂ ગુમાવતા ડમ્પર ટ્રક ટ્રેલરના પાછળના ભાગમાં અથડાયું હતું, જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
બોટાદમાં ST બસ ડ્રાઈવર પર હુમલો:રીક્ષા ચાલકે લોખંડના પાઈપથી માર મારતા ઈજા, હોસ્પિટલ દાખલ
બોટાદમાં એસ.ટી. બસના ડ્રાઈવર પર હુમલો થયો છે. ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં રીક્ષા ચાલકે લોખંડના પાઈપ વડે હુમલો કરતા ડ્રાઈવરને ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એસ.ટી. બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા ઈંગોરાળાથી બોટાદ આવી રહ્યા હતા. બોટાદના ભાંભણ રોડ પર હિફલી વિસ્તારમાં પહોંચતા એક રીક્ષા ચાલક રોંગ સાઈડમાં આવતા તેમની સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા રીક્ષા ચાલકે હરેશભાઈ પર લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. બોટાદ એસ.ટી. ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા જગદીશભાઈ બાવળીયાએ બોટાદની સરકારી હોસ્પિટલ ખાતેથી આ ઘટના અંગે માહિતી આપી હતી.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન દ્વારા મહત્વની યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં ગ્રાન્ટેડ શાળાઓને નવજીવન આપતું 'સુમન મોડેલ', શિક્ષણ સમિતિના પ્રવાસમાં થયેલી ગેરવ્યવસ્થા બાદ કડક આયોજન, ચોમાસા પહેલા પાણી ભરાવાની સમસ્યા નિવારવા 'ઝીરો ટોલરન્સ' પ્રિ-મોન્સૂન કામગીરી, સ્વચ્છતા સર્વેક્ષણ માટે ‘સૂકો શનિવાર’ અભિયાન અને વસ્તી ગણતરી માટે આધુનિક ડિજિટલ સેન્સસ પ્રિ-ટેસ્ટનો સમાવેશ થાય છે. આ તમામ પગલાં સુરતને સ્માર્ટ સિટીથી આગળ વધારી એક આધુનિક મેટ્રોપોલિટન બનાવવાની દિશામાં લેવામાં આવ્યા છે. ગ્રાન્ટેડ શાળાઓ માટે ‘સુમન મોડેલ’સુરતની જૂની અને પ્રતિષ્ઠિત ગ્રાન્ટેડ શાળાઓ જેવી કે ભુલકા ભવન અને આઈ.પી. સવાણી આર્થિક સંકડામણને કારણે બંધ થવાના આરે હતી. આ શાળાઓને બચાવવા માટે મનપાએ ‘મિશન સંજીવની’ અંતર્ગત ‘સુમન ગ્રાન્ટેડ મોડેલ’ અમલમાં મૂક્યું છે. આ હાઈબ્રિડ મોડેલમાં શિક્ષકોનો 100% પગાર રાજ્ય સરકાર ભોગવશે, જ્યારે ઇમારતનું રિનોવેશન, આધુનિક લેબ, અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મનપા સંભાળશે. આનાથી વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ જેવી સુવિધાઓ અત્યંત ઓછી ફીમાં મળશે. મનપા હવે આ શાળાઓમાં ધોરણ 11-12 સાયન્સ અને કોમર્સ પણ શરૂ કરવા જઈ રહી છે, જેથી મધ્યમ વર્ગના પરિવારો પર ખાનગી ટ્યુશન અને ફીનું ભારણ ઘટે. આ મોડેલ માત્ર સુરત જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે શિક્ષણ ક્ષેત્રે એક માર્ગદર્શક 'રોલ મોડેલ' સાબિત થશે, જેમાં સરકારી સહાય અને કોર્પોરેશનના સંચાલનનો સુમેળ જોવા મળશે. શિક્ષણ સમિતિનો પ્રવાસ વિવાદ, આયોજનમાં કમીનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવતા વિવાદ સર્જાયો છે. ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓને ધરમપુર અને દાંડી લઈ જવાની યોજના હતી, પરંતુ કેટરર્સ અને ટ્રાન્સપોર્ટના નબળા સંચાલનને કારણે બસો નિર્ધારિત સમય કરતા બે કલાક મોડી પડી હતી. સૌથી ગંભીર બાબત ભોજનની રહી, જેમાં બાળકોને સવારનો નાસ્તો બપોરે અને બપોરનું જમવાનું છેક સાંજે પીરસવામાં આવ્યું હતું. શિક્ષકોની ઓછી સંખ્યા અને કેટરર્સના વાહનોમાં ટ્રાફિકના નિયમોના ભંગને કારણે પોલીસ કાર્યવાહી થતા વિલંબ વધ્યો હતો. આ ઘટના બાદ વાલીઓએ રોષે ભરાઈને જવાબદારો સામે કડક દંડ અને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે. મનપા હવે ભવિષ્યમાં આવા આયોજનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન અને કડક એગ્રીમેન્ટ જેવી પ્રક્રિયાઓ લાગુ કરવા વિચારી રહી છે જેથી બાળકોની સુરક્ષા અને સુવિધા જળવાય. પ્રિ-મોન્સૂન એક્શન પ્લાન: અધિકારીઓની જવાબદારી નક્કીચોમાસામાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા કમિશનરે 96 દિવસ અગાઉથી જ આક્રમક પ્લાન તૈયાર કર્યો છે. ખાડી સફાઈ, ડ્રેનેજ લાઇનની ડી-સિલ્ટિંગ અને કેચપિટની ચકાસણી માટે કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ વખતે મનપાએ ડિજિટલ મોનિટરિંગ સિસ્ટમ અપનાવી છે, જેમાં દરેક કામગીરીના ફોટા અને વીડિયો પુરાવા તરીકે રજૂ કરવા પડશે. કમિશનરે તમામ 9 ઝોનના અધિકારીઓને ચેતવણી આપી છે કે જો ચોમાસા દરમિયાન કોઈ પણ વિસ્તારમાં માનવસર્જિત બેદરકારીને કારણે પાણી ભરાશે, તો તે ઝોન ઓફિસર સામે સીધા પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય વિભાગને પણ સાવચેત કરી દેવાયો છે, જેથી વરસાદી પાણીના નિકાલ સાથે મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવી શકાય. મનપાનો ઉદ્દેશ્ય ‘ઝીરો વોટર લોગિંગ’ સાથે નાગરિકોને હાલાકી મુક્ત ચોમાસું આપવાનો છે. ‘સૂકો શનિવાર’ અને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટસ્વચ્છ ભારત મિશન હેઠળ સુરતને ફરીથી દેશમાં પ્રથમ ક્રમે લાવવા માટે ‘સૂકો શનિવાર’ નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દર શનિવારે મનપાની ટીમો દ્વારા સોસાયટીઓ અને વ્યવસાયિક એકમોમાંથી માત્ર પ્લાસ્ટિક અને સૂકો કચરો એકત્ર કરવામાં આવે છે. તાજેતરમાં વિવિધ ઝોનમાંથી 1500 કિલોથી વધુ પ્લાસ્ટિક એકત્ર કરી તેને રિસાયક્લિંગ માટે મોકલવામાં આવ્યું છે. નવી ગાઈડલાઈન મુજબ નાગરિકોએ ભીનો, સૂકો અને જોખમી કચરો અલગ-અલગ ડસ્ટબિનમાં રાખવો ફરજિયાત છે. મોટી સોસાયટીઓ (બલ્ક વેસ્ટ જનરેટર) માટે મનપાએ કડક નિયમો બનાવ્યા છે, જેમાં તેમણે પોતાના સ્તરે જ કચરાનું વર્ગીકરણ કરવું પડશે. ‘ઇકો વિઝન’ જેવી એજન્સીઓ સાથે મળીને પ્લાસ્ટિક મુક્ત સુરત બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઝુંબેશ દ્વારા મનપા કચરાના નિકાલના ખર્ચમાં ઘટાડો કરી તેને આવકના સ્ત્રોતમાં બદલવા માંગે છે. ડિજિટલ સેન્સસ: સુરતનું સગરામપુરા મોડેલવસ્તી ગણતરીની પ્રક્રિયાને વધુ સચોટ અને ઝડપી બનાવવા માટે સુરત મનપાએ ડિજિટલ સેન્સસ પદ્ધતિ અપનાવી છે. એપ્રિલ મહિનાથી શરૂ થનાર હાઉસ લિસ્ટિંગના પ્રથમ તબક્કા માટે સગરામપુરા વિસ્તારમાં કરવામાં આવેલો પ્રિ-ટેસ્ટ સફળ રહ્યો છે. આ પદ્ધતિમાં 14,500 થી વધુ કર્મચારીઓ ટેબ્લેટ અને મોબાઈલ એપ દ્વારા ડેટા એન્ટ્રી કરશે. GIS (જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ) ના ઉપયોગથી ડેટામાં ડુપ્લીકેશનની શક્યતા નહિવત રહેશે. જો કોઈ પરિવાર ઘરે હાજર ન હોય, તો તેમને ઓનલાઈન લિંક આપવામાં આવશે જેના દ્વારા તેઓ જાતે જ 33 પ્રશ્નોના જવાબ સબમિટ કરી શકશે. આ ડિજિટલ ડેટાબેઝના આધારે 2027 ની મુખ્ય વસ્તી ગણતરી થશે, જે શહેરના ભાવિ ટ્રાન્સપોર્ટ, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓના પ્લાનિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. સુરતનું આ ડિજિટલ મોડેલ ટેકનોલોજીના ઉપયોગમાં દેશના અન્ય શહેરો માટે પથદર્શક બનશે.
ભૂતપૂર્વ DGP એસ.એસ. ખંડવાવાલાને કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાંથી નિર્દોષ છૂટવામાં 50 વર્ષ લાગ્યા છે. તેઓ આ કેસમાં 23 વર્ષ સુધી દોષિત રહ્યા હતા, પરંતુ સજા મોકૂફ હોવાને કારણે, તેમને વર્ષ 2009માં રાજ્ય પોલીસ વિભાગના સર્વોચ્ચ પદ પર બઢતી મળી હતી અને ત્રણ મહિનાના સર્વિસ એક્સ્ટેન્શન પછી એક વર્ષ બાદ તેઓ નિવૃત્ત થયા હતા. એસ.એસ. ખંડવાવાલા પર ગેરકાયદે અટકાયત અને કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપઆ કેસમાં પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ધનજી કોટિયાવાલાની હત્યા બાદ ઓક્ટોબર 1976માં પોલીસે જૂનાગઢ જિલ્લાના સુત્રેજ ગામના મેરાગ હાજાની ધરપકડ કરી હતી. નવેમ્બર 1976 માં હાજાએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પાસે ફોજદારી ફરિયાદ દાખલ કરીને અપહરણ, પોરબંદર પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે અટકાયત અને કસ્ટોડિયલ ટોર્ચરનો આરોપ લગાવ્યો હતો, જેના પરિણામે તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. મેજિસ્ટ્રેટની તપાસ બાદ, જે એકવાર અટકાવી દેવામાં આવી હતી, JMFC એ કેસની નોંધ લીધી અને 1982 માં 1973-બેચના IPS અધિકારી ખંડવાવાલા અને તેમના ત્રણ ગૌણ અધિકારીઓ સામે ટ્રાયલ શરૂ થઈ. 2003માં જૂનાગઢ સેશન્સ કોર્ટે ખંડવાવાલાને 5 વર્ષની કેદની સજા ફટકારીએકવીસ વર્ષ પછી વર્ષ 2003 માં, જૂનાગઢ સેશન્સ કોર્ટે ખંડવાવાલાને 5 વર્ષની કેદ અને અન્ય બેને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યાં સુધીમાં એક અધિકારીનું મૃત્યુ થયું હતું અને તેમની સામેનો કેસ પડતો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી, જેમાં ખંડવાવાલા અને તેમના બે ગૌણ અધિકારીઓએ એડવોકેટ નંદીશ ઠાકર મારફત તેમની સજાને પડકારી હતી, જ્યારે રાજ્ય સરકારે તેમની સજા વધારવાની માંગ કરી હતી. ફરિયાદી હાજાએ પણ સજા વધારવા માટે રિવિઝન અરજી દાખલ કરી હતી, પરંતુ રાજ્ય સરકારની અપીલને ધ્યાનમાં રાખીને તેમની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અપીલ પેન્ડિંગ હતી તે દરમિયાન ખંડવાવાલાના અન્ય બે ગૌણ અધિકારીઓનું પણ અવસાન થયું હતું. જસ્ટિસ ગીતા ગોપીએ પૂર્વ DGPને નિર્દોષ જાહેર કર્યાઅપીલની સુનાવણી બાદ જસ્ટિસ ગીતા ગોપીએ પૂર્વ DGPને નિર્દોષ જાહેર કર્યા અને તેમની સજા વધારવાની રાજ્ય સરકારની અપીલને ફગાવી દીધી. હાઈકોર્ટે કહ્યું હતું કે પ્રોસિક્યુશન ફરિયાદી પર પોલીસ કસ્ટડીમાં ત્રાસ ગુજારવાનો કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયું છે. ઈજાઓ પોલીસ કસ્ટડીમાં માર મારવાને કારણે થઈ હોવાનું સાબિત થયું નથી. કસ્ટડીની તારીખ પણ સાબિત થઈ નથી. જ્યારે ફરિયાદીની આર્મ્સ એક્ટ હેઠળના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે તે આરોપી તરીકે પોલીસ દ્વારા કરવામાં આવેલી ઈજાની ફરિયાદ કરવાનો પોતાનો અધિકાર વાપરવામાં નિષ્ફળ રહ્યો હતો. સજા વધારવાની દલીલનો કોઈ આધાર રહેતો નથીહાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ કોર્ટના જજ આ બાબતમાં આર્મ્સ એક્ટ, ક્રિમિનલ મેન્યુઅલ અને CrPC ની કલમો મુજબ પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આમ, ચુકાદો ભૂલભરેલો છે અને યોગ્યતાના આધારે ટકી શકે તેમ નથી, તેથી તેને રદ કરવો જરૂરી છે. જ્યારે દોષિત ઠેરવવાનો કોઈ કેસ જ નથી, તો સજા વધારવાની દલીલનો કોઈ આધાર રહેતો નથી. હાઈકોર્ટે ખંડવાવાલાને રિવિઝન અરજી દાખલ કરીને હાઈકોર્ટ સુધી ખેંચી જવા બદલ હાજા પાસેથી 10 હજાર રૂપિયા વસૂલવાની પણ મંજૂરી આપી હતી.
ભાવનગર શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતી મહિલાના ભરણપોષણના કેસને લઈને મહિલાના પતિ(જમાઈ)એ સાસુને જાહેર રોડ પર લાફા મારી ઈજાઓ કરી હતી. જમાઈ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ભરણપોષણનો કેશ પાછો ખેંચી લેવાનું કહી નાસી છૂટ્યો હતો. જ્યારે સમગ્ર મામલે નિલમબાગ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. જમાઈ એ સાસુને લાફા માર્યાઆ બનાવ અંગે નિલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં આવેલી નિશાળની બાજુમાં રહેતા નંદનીબેન આનંદભાઈ લેખવાણીએ ફરિયાદ નોંધાવી છે કે, 23 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે કેશોદ ખાતે સામાજિક પ્રસંગ પૂર્ણ કરી તેઓ અને તેમની દીકરી પીન્કી ભાવનગર ટર્મિનસ પર ઉતર્યા હતાં. ત્યાંથી પુત્ર તેમને લેવા આવ્યો હતો, જે ગાડી આપી રીક્ષામાં બેસી પરત ફરી ગયો હતો. અપશબ્દો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યોબાદમાં નંદનીબેન અને તેમની દીકરી પોતાની ગાડી લઈને ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે રેલવે સ્ટેશન રોડ પર દીકરીનો પતિ (જમાઈ) મહેશ લખમણભાઈએ પોતાની ગાડી ઉભી રાખી અપશબ્દો બોલવા શરૂ કર્યા હતાં. અપશબ્દો બોલવાની મનાઈ કરતા મહેશે ભરણપોષણના કેસનો ઉલ્લેખ કરી કેસ પરત ખેંચવાની ધમકી આપી અને કોર્ટ મુદતે ગયા તો જાનથી મારી નાખીશ એમ કહી સાસુને લાફા મારી ઇજા પહોંચાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીબનાવ દરમિયાન બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થતાં મહેશ ત્યાંથી ભાગી ગયો હતો તેમજ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી ગયો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ માતાએ સર્ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જમાઈ વિરુદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવીત્યારબાદ નંદનીબેન તેમના પતિ આનંદભાઈ વશરામભાઈ લેખવાણી સાથે નિલમબાગ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ લખમણભાઈ રહે. સિન્ધુનગર, ભાવનગર સામે BNS 115(2), 352, 351(3) કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટે દાહોદ જિલ્લાના ઝાલોદના મામલતદારના આદેશને રદબાતલ કર્યો છે અને એવું ઠરાવ્યું છે કે કોઇ અપરિણીત મહિલા લગ્ન કરીને બીજે સ્થળાંતર કરી લેશે એવા ડર અને શક્યતાના આધારે તેની નોકરી નકારી શકાય નહીં. જાહેર નોકરીઓમાં ફેવરેટિઝ્મનો આ એક દ્રષ્ટાંત હોવાની આકરી ટીકા પણ હાઇકોર્ટે કરી હતી. આ મામલે હાઇકોર્ટે ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારની એડમિનિસ્ટ્રેટિવ કમ કૂકના હોદ્દા પર કરાયેલી ભરતીને રદ કરી હતી. સાથે જ તંત્રને આદેશ કર્યો હતો કે અરજદારની શૈક્ષણિક સહિતની યોગ્યતાની ચકાસણી કર્યા બાદ મેરિટના આધારે નવેસરથી નિર્ણય કરવામાં આવે. મહિલાએ મામલતદારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યોઆ સમગ્ર મામલે હાઇકોર્ટે અરજદારની અરજીને આંશિક રીતે ગ્રાહ્ય રાખી હતી. અરજદાર હંસાબેન સાંગદા દ્વારા ઝાલોદ તાલુકાના મામલતદારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં અરજદાર અને અન્યો દ્વારા સંબંધિત પોસ્ટ માટેની જાહેરાતના આધારે અરજી કરી હતી. અરજદારને સ્નાતકમાં 68 ટકા માર્ક્સ હતા જ્યારે કે પ્રતિવાદીના 48.94 ટકા માર્ક્સ હતા. એટલું જ નહીં પ્રતિવાદીનું સ્નાતકનું સ્ટેટ્સ અરજી વખતે અચોક્કસ હતું. તેમ છતાંય જ્યારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું ત્યારે પ્રતિવાદીને અરજદાર કરતાં ઉપરના ક્રમે મૂકવામાં આવ્યા હતા. વધુ યોગ્યતા છતાં મેરિટ લિસ્ટમાં નીચા ક્રમે મુકવાનો મહિલાનો આરોપઅરજદારની દલીલ હતી કે તેની યોગ્યતા વધુ અને ઉપરના ક્રમે હોવા છતાંય મેરિટ લિસ્ટમાં તેને નીચા ક્રમે મુકવામાં આવી હતી અને નોકરીમાં નિમણૂકનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. જ્યારે કે પ્રતિવાદીને ફેવરેટિઝ્મના આધારે ભરતી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ અરજદારે કર્યો હતો. નિમણૂકમાં ભારે ગેરરીતિ હોવાનું જણાય છે-હાઈકોર્ટહાઇકોર્ટે આ કેસમાં તમામ પક્ષોની રજૂઆતને ધ્યાનમાં લેતાં ચુકાદો આપતાં નોંધ્યું હતું કે આ કેસમાં પ્રતિવાદીને આપવામાં આવેલી નિમણૂકમાં ભારે ગેરરીતિ હોવાનું જણાય છે. આ કેસ સીધેસીધું કોઇની તરફેણ કરવાનો ક્લાસિક કેસ જણાય છે, જ્યાં પ્રતિવાદી મેરિટ લિસ્ટમાં ચોથા ક્રમે હોવા છતાંય તેની નિમણૂક કરવામાં આવી હતી. 'નોકરીનો ઇન્કાર કરવો એ આપખુદશાહી ભર્યો નિર્ણય છે'હાઇકોર્ટે એવું મહત્ત્વપૂર્ણ અવલોકન પણ કહ્યું હતું કે, અપરિણીત સ્ત્રીને એવી ધારણા પર નોકરી આપવાનો ઇનકાર કરવો કે તેણી લગ્ન કરીને સ્થળાંતર કરી શકે છે તે મનસ્વી છે. આ પ્રકારના કારણો દર્શાવીને નોકરીનો ઇન્કાર કરવો એ આપખુદશાહી ભર્યો નિર્ણય છે અને બંધારણના અનુચ્છેદ 14 અને 16નો સીધેસીધો ભંગ કરે છે. 'જાહેર નોકરીઓમાં પારદર્શિતા વધારતી પદ્ધતિ અપનાવવી જોઇએ'આ મામલે હાઇકોર્ટે પ્રતિવાદીની નિમણૂકને રદ કરવાનો આદેશ કર્યો છે, પરંતુ અરજદારને સીધી ભરતીનો આદેશ કરવાના બદલે હાઇકોર્ટે ઓથોરિટીને આદેશ કર્યો છે કે તેઓ અરજદારના ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની જરૂરી ચકાસણી કર્યા બાદ નિર્ણય કરે. એટલું જ નહીં આ ચુકાદામાં હાઇકોર્ટે રાજ્ય સરકારને એવી તાકીદ પણ કરી છે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં સામે આવવી જોઇએ નહીં અને જાહેર નોકરીઓમાં પારદર્શિતા વધારતી પદ્ધતિ અપનાવવી જોઇએ.
અમેરિકા-ઈરાન વિવાદમાં ચીનની એન્ટ્રી ! તેહરાનને આપશે ભયાનક હથિયાર
China-Iran Defense Deal : અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી ભારે વિવાદ ચાલી રહ્યો છે. પરમાણુ કાર્યક્રમથી ગુસ્સે થયેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપ્યા બાદ, અમરાડામાં યુદ્ધ જહાજ સાથે વિશાળ સેના તહેનાત કરી દીધી છે, તો બીજીતરફ ઈરાને પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને ચીન સાથે ઐતિહાસિક ‘અત્યાધુનિક સમજૂતી’ કરી છે. ઈરાન ચીન પાસેથી ખતરનાક મિસાઈલ ખરીદશે મીડિયા રિપોર્ટ મુજબ, ઈરાન ચીન સાથે એક મોટો સંરક્ષણ સોદો કરવાની નજીક પહોંચી ગયું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં કેટલાંક લોકો ભાડે અને PG તરીકે રહેતા હોવાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સોલા સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા LIG 15 શિવાલય હાઇટ્સ નામના આવાસ યોજનામાં ઉત્તર પશ્રિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર, 40 જેટલા મકાનોમાં ચેકીગ કરવામાં આવ્યું હતું, જેમાં 1 મકાનમાં PG ચાલતું હોવાને લઈને સીલ કરવામાં આવ્યું હતું. 16 અંતિમ નોટિસ આપી હતી અને 1ને કારણદર્શક નોટિસ આપી હતી. જ્યારે 11 આવાસમાં મૂળ લાભાર્થી અને 22 આવાસો બંધ હાલતમાં હતાં. રોપડા તળાવ પાસે આવેલ 4-રહેણાંક તેમજ 4 ધાર્મિક બાંધકામના દબાણ દૂર કરાયાદક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા સરખેજમાં ડ્રાફટ ટી.પી.સ્કીમ નં.25(વેજલપુર)ના રેવન્યુ સર્વે નં.783માં હયાત રોપડા તળાવની પાળ પર આવેલ 4-રહેણાંક તેમજ 4 ધાર્મિક પ્રકારના બાંધકામોના દબાણોને નોટીસ આપી દૂર કરવામાં આવેલા છે. ટી.પી.સ્કીમ નં.84/બી (મકરબા), મોજે-મકરબાના રેવન્યુ સર્વે નં.127માં હયાત મકરબા તળાવની પાળ પર આવેલા 7 ધાર્મિક પ્રકારના દબાણોને નોટીસ આપી દૂર કરવામાં આવ્યા છે. ચાંદખેડાના વડું તળાવ 16-કાચા-પાકા બાંધકામના દબાણ દૂક કરાયાચાંદખેડા વિસ્તારમાં આવેલા વડું તળાવ ટી.પી.સ્કીમ નં. 76/બી (ચાંદખેડા)ના રે.સર્વે નં. 21 ક્ષેત્રફળ 43200 ચો.મી. ને ફાળવે 1/3 નં. 11 જેનું કલેક્ટર અમદાવાદ પાસેથી દબાણ સહિતનું પઝેશન મેળવવામાં આવ્યું હતું. પશ્ચિમ ઝોનના એસ્ટેટ સ્ટાફ, સી.એન.સી.ડી. પોલીસ સ્ટાફ, ખાનગી કોન્ટ્રાક્ટરના મજુરો, જે.સી.બી. મશીન અને હિટાચી મશીન દ્વારા ખાતાકીય રાહે અમલીકરણ કરી 9 ઢોરવાડા (21-ઢોર બાંધવાના ખીલ્લા સહિત), 16-કાચા-પાકા રહેણાંક પ્રકારના બાંધકામો, 1-ધાર્મિક દબાણ વિગેરે દુર કરવામાં આવ્યા છે.
હરિયાણાની મૂળ રહેવાસી અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 22 વર્ષીય પ્રોફેશનલ એન્કર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા ફ્રીલાન્સ કન્ટેન્ટ ક્રિએટર યુવતીને બદનામ કરવા માટે 3 લોકોએ મળીને વિડિઓ વાઇરલ કર્યો હતો અને તેની સાથેના યુવક સાથેના નજાયજ સંબંધ હોવાની વાત વિડિઓમાં કરે છે. આ મામલે યુવતીએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હરિયાણાની મૂળ રહેવાસી અને વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પરિવારથી અલગ રહે છે અને સ્વાવલંબી છે. તે પ્રોફેશનલ એન્કર, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તથા ફ્રીલાન્સ કન્ટેન્ટ ક્રિએટર તરીકે કાર્યરત છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 50,000થી વધુ ફોલોઅર્સ છે. તે વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ બ્રાન્ડ્સ માટે એડવર્ટાઇઝમેન્ટ અને પ્રમોશનનું કામ કરે છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં હરિયાણામાં તેના પરિવાર અને અન્ય વ્યક્તિઓ સાથે વિવાદ થયો હતો. મારી સાથે કામ કરતા યુવકનું પત્ની ગુરજીતકૌર, સ્વીટી, મનજીતકૌર અને રણજીતકૌર સામે ગાંધીનગર (હરિયાણા) પોલીસ સ્ટેશનમાં IPC કલમ 323, 452, 506 અને 34 હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી, જે હાલ કોર્ટમાં ચાલુ છે. આ કેસની આગામી તારીખ 02 એપ્રિલ 2026 છે. આ કેસ ચાલુ હોવા છતાં, તા. 18 જાન્યુઆરી 2026ના રોજ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. 1 મિનિટ 29 સેકન્ડના આ વીડિયોમાં ગુરજીતકૌર પોતાનું નામ અને મારી સાથે કામ કરતા યુવકને પતિ તરીકે ઓળખાવીને ફરિયાદી યુવતી પર આક્ષેપ કરે છે. વીડિયોમાં તે યુવક અને યુવતી સાથે નાજાયજ સંબંધ રાખવા, તેને પૈસાની લાલચ આપીને ભગાડી લઈ જવા, પહેલાં પણ અન્ય લગ્ન કરીને છૂટાછેડા લીધા હોવા જેવા આરોપો લગાવે છે. યુવતીના ઓળખીતાએ તેને આ વીડિયો વિશે જાણ કરી હતી. જેથી તેણે યુવકને ફોન કરીને પૂછતાં તેમણે જણાવ્યું કે, ગુરજીતકૌર છૂટાછેડાના કેસમાં વધુ પૈસાની માંગણી કરી રહી છે અને તેમનો ઇનકાર કરતાં બદલો લેવા માટે આ વીડિયો વાયરલ કરાવ્યો છે. આ વીડિયો ગુરજીતકૌર અને તેની બહેન દલજીતકૌરે પોતાના ફેસબુક આઈડી પરથી અપલોડ કર્યો છે. આ વીડિયો વાયરલ થવાથી યુવતીના બ્રાન્ડ એડવર્ટાઇઝમેન્ટના કામમાં ઘટાડો થયો છે, જેમ કે વડોદરાના બંસલમોલ, રાધે બ્રાન્ડ પોઇન્ટ, અમદાવાદના પેલેડિયમ મોલ અને સુરતના અજમેરા ફેશન જેવા ક્લાયન્ટ્સ સાથેના કરારો પર અસર પડી છે. તેણે આર્થિક નુકસાન સાથે બદનામીનો આરોપ લગાવ્યો છે.
સુરતના રાંદેર વિસ્તારમાં 19 ફેબ્રુઆરીએ ધોળા દિવસે બનેલી સનસનાટીભરી લૂંટની ઘટનાનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આંગડિયા પેઢીમાંથી રૂપિયા 35 લાખ લઈને નીકળેલા વેપારીની ફોર્ચ્યુનર કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર અમદાવાદની કુખ્યાત છારાનગર ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકી ખાસ લૂંટના ઈરાદે જ અમદાવાદથી બાઈક પર સવાર થઈ સુરત આવી હતી અને રેકી કરીને આખી ઘટનાને અંજામ આપ્યો હતો. અમદાવાદથી બાઈક પર સવાર થઈ લૂંટ કરવા સુરત આવ્યા હતાઆ કેસની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે, પકડાયેલા આરોપીઓ અજય ઉર્ફે મોટીયા દશરથ ભોગેકર અને નિલેષ ઉર્ફે લીલેશ ફતીયા ભોગેકર ખાસ આ લૂંટ માટે જ અમદાવાદના છારાનગરથી સુરત આવ્યા હતા. તેઓ 19 ફેબ્રુઆરીના રોજ મળસ્કે જ પોતાની હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ અને જ્યુપિટર મોપેડ લઈને સુરત પહોંચ્યા હતાં. સુરતની સરહદમાં પ્રવેશતા જ હાઈવે પાસે તેઓએ પકડાઈ જવાની બીકે બાઈકની નંબર પ્લેટ પર સ્ટીકર લગાવીને નંબર બદલી નાખ્યા હતા, જેથી કોઈ તેમને ટ્રેક ન કરી શકે. આંગડિયા પેઢી પાસે વોચ રાખી વેપારીનો પીછો કર્યો'તોઆરોપીઓએ પહેલાથી જ નક્કી કરેલા પ્લાન મુજબ મહિધરપુરા વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીઓ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ફરિયાદી શિવરતન પુનિયા ગણેશ જયેશકુમાર આંગડિયા પેઢીમાંથી 35 લાખ ભરેલો સફેદ થેલો લઈને પોતાની સફેદ ફોર્ચ્યુનર કારમાં નીકળ્યા હતા. આરોપીઓએ તરત જ પોતાની બાઈક તેમની કાર પાછળ લગાવી દીધી હતી. રામનગર ચાર રસ્તાથી મોરા ભાગળ વચ્ચેના રોડ પર ટ્રાફિકનો લાભ લઈને આરોપીઓએ તક ઝડપી હતી. અકસ્માતનું નાટક કરી વેપારીને કારની બહાર ઉતાર્યાલૂંટારુઓએ ફિલ્મી સ્ટાઈલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. વેપારીની ગાડી જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે આરોપીઓએ પાછળથી ફોર્ચ્યુનરને ટક્કર મારી હતી. વેપારીને લાગ્યું કે અકસ્માત થયો છે, તેથી તેઓ તપાસ કરવા માટે ગાડીની બહાર ઉતાર્યા હતાં. વેપારીનું ધ્યાન ભટકતા જ ગેંગના અન્ય બે સાગરીતોએ સ્ફૂર્તિથી ફોર્ચ્યુનરનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો અને સીટ પર પડેલી ₹35 લાખ ભરેલી બેગ લઈને પળવારમાં ગાયબ થઈ ગયા હતાં. CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયોઆ ઘટના બનતા જ રાંદેર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી. પોલીસ કમિશનરના આદેશથી વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લૂંટારુઓ બારડોલી તરફ ભાગ્યા છે. પોલીસે બારડોલીથી લઈને મહારાષ્ટ્રના શિરડી, નાસિક અને સાપુતારા સુધીના સેંકડો CCTV કેમેરા તપાસ્યા હતા. સતત પીછો કર્યા બાદ અંતે બાતમી મળી હતી કે આરોપીઓ ચોરીના રૂપિયા સાથે સુરતના અબ્રામા રોડ પરથી પસાર થવાના છે. અબ્રામા રોડ પરથી બે આરોપીઓ ઝડપાયા, 19 લાખ રિકવરક્રાઈમ બ્રાન્ચની ટીમે અબ્રામા ગામથી વેલંજા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન જ્યુપિટર મોપેડ (GJ 05 AC 6174) પર જઈ રહેલા અજય અને નિલેષને પોલીસે આંતર્યા હતા. તેમની જડતી લેતા તેમની પાસેથી લૂંટના રોકડા 19,13,500 મળી આવ્યા હતા. પોલીસે રોકડ રકમ અને જ્યુપિટર મોપેડ જપ્ત કરી બંનેની ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગુનામાં કુલ 4 શખ્સો સામેલ હતા, જેમાંથી બે હજુ ફરાર છે. છારાનગર ગેંગની મોડસ ઓપરેન્ડીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ખાસ કરીને અમદાવાદથી વહેલી સવારે બાઈક પર નીકળે છે. તેઓ જે તે શહેરમાં જઈને આંગડિયા પેઢી કે બેંકની બહાર વોચ રાખે છે. જે વ્યક્તિ પાસે મોટી રકમ હોય તેનો પીછો કરે છે અને કાં તો ટાયર પંચર કરીને અથવા તો અકસ્માતનું બહાનું કાઢીને વેપારીનું ધ્યાન ભટકાવે છે. જેવી વેપારીની નજર હટે કે તરત જ આ ટોળકી કારના કાચ તોડી મિનિટોમાં લૂંટ ચલાવીને રફુચક્કર થઈ જાય છે. પકડાયેલા આરોપીઓ પર અનેક ગુનાઓ નોંધાયેલાએસીપી કિરણ મોદીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ રેકોર્ડ પર આવ્યું છે. આરોપી અજય ઉર્ફે મોટીયા વિરુદ્ધ અમદાવાદના સોલા, ચાંદખેડા અને કચ્છ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉ 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી નિલેષ વિરુદ્ધ પણ અમદાવાદ સહિતના શહેરોમાં 6 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ બંને આરોપીઓ અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે. બાકીના બે સાગરીતોની શોધખોળ હાલમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. લૂંટના બાકીના 15 લાખથી વધુની રકમ અન્ય બે આરોપીઓ પાસે હોવાની શક્યતા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે સુરત સિવાય અન્ય કયા શહેરોમાં આ પ્રકારે લૂંટને અંજામ આપ્યો છે. ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો અમદાવાદ રવાના કરી છે.
વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તારમાં સોમવારે વોર્ડ 14ના મહામંત્રીએ મુખ્ય માર્ગ ઉપર ગાડી પાર્ક કરી દીધી હતી. જેના પગલે ટ્રાફિક વિભાગના કર્મચારીઓએ તેઓની ગાડીના ફોટા પાડી લીધાં હતાં. બસ પછી તો પૂછવું જ શું. નેતાજીનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. અને કોન્સ્ટેબલ કક્ષાના આધિકારી સાથે બોલાચાલી થઇ. જો કે તેઓને મચક ન મળતા તેઓએ પોતાના વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરને જાણ કરી. અને પછી મામલો બિચક્યો. કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટરે પોલીસને જ નિયમો ગણાવ્યાવોર્ડના મહામંત્રીનો ફોન જતા જ કોર્પોરેટર સચિન પાટડીયા અને પૂર્વ કોર્પોરેટર વિજય પાવર ત્યાં દોડી ગયા હતાં. સામી ચૂંટણીએ કોઈ પોતાના પક્ષના આગેવાનને કરાવવાનું કહે તે તો કેવી રીતે સાખી લેવાય? બસ પછી તો કોર્પોરેટર અને મોટા અવાજે બોલવા ટેવાયેલા પૂર્વ કોર્પોરેટરે ટ્રાફિક પોલીસને નિયમો શીખવવા માંડયા હતાં. ચાર દરવાજા પાસે ઉભી રહેતી રીક્ષાઓને કેમ દંડાતા નથી તેવા સવાલો પૂછવા માંડયા. જો કે એક તબક્કે તેઓ સાચા પણ હતા. પાણીગેટ તરફ સરેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘનનો આક્ષેપભાજપના કાર્યકરોએ એવી પણ રજૂઆત કરી હતી કે, ચાર દરવાજા વિસ્તારમાં માત્ર ત્રણ દરવાજા પાર જ કેમ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં આવે છે? પાણીગેટ તરફ સરેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં પોલીસ આંખ આડા કાન કેમ કરી દે છે તેવા પણ સવાલો ઉઠ્યા હતાં. ત્યારે પોલીસ વિભાગ બેવડી નીતિ અપનાવી રહી હોવાના પણ આક્ષેપ થયા હતા. પીઆઇ સાથે બોલાચાલી બાદ ડીસીપી સમક્ષ રજૂઆત કરાઈ કોર્પોરેટર સચિન પાટડિયાએ જણાવ્યું હતું કે, અમે ટ્રાફિક પોલીસ સાથે ખુબ વિનમ્રતાથી વાત કરી હતી પરંતુ ટ્રાફિક પી.આઈ.એ ખુબ જ ઉદ્ધતાઇથી વાત કરી હતી. જેથી આજે અમે ટ્રાફિક ડીસીપી સમક્ષ રજૂઆત કરી હતી. આ વિસ્તારમાં જ્યાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થાય છે ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. તેઓએ એમ પણ જણાવ્યું કે, અમે જો નિયમનું ઉલ્લંઘન કરતા હોય તો અમને દંડો પરંતુ એ કાયદો તમામ માટે હોવો જોઈએ.
રાજકોટ એસટી બસ સ્ટેશનમાં હવે ગંદકી કરનારાઓની ખેર નથી કારણકે અહીં થૂંકનારાઓને રૂ.200, ધુમ્રપાન કરનારાઓને રૂ.100 નો દંડ ફટકારવાની ઝૂંબેશ કડક બનાવવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેને સાર્થક બનાવવા માટે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર સ્વચ્છતા બાબતે મુસાફરોને સમજ આપવામાં આવી રહી છે તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સમયાંતરે એનાઉસમેન્ટ કરીને મુસાફરોને સ્વચ્છતા રાખવા બાબતે અનુરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ વોલ્વો મેનેજર એન. વી. ઠુમ્મર તથા સીનીયર ડેપો મેનેજર જી. એચ. ચગના જણાવ્યા મુજબ વિભાગીય નિયામક એમ.પી.રાજના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન, ડેપો પરિસર તથા બસની અંદર કચરો કરનારા, પાન-મસાલાની પિચકારીઓ મારનારા તેમજ ગંદકી ફેલાવનારા સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિ પાસેથી રૂ.100નો દંડ વસૂલવામાં આવશે. જ્યારે જ્યાં ત્યાં થૂંકનારી વ્યક્તિ સામે રૂ.200 નો દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ બસ પોર્ટમાં 'ધ્રુમપાનની મનાઈ છે', 'થૂંકવું નહીં', 'ખિસ્સા કાતરુથી સાવધાન' જેવા સૂત્રો ધરાવતા સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. આમ છતાં પણ જો કોઈપણ વ્યક્તિ બસ સ્ટેશન કે બસની અંદર ગંદકી ફેલાવતી હોવાનું જણાશે તો તેની સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે સ્વચ્છતા અભિયાનનો હેતુ બસ સ્ટેશન અને બસમાં સ્વચ્છતા જાળવી રાખવાનો છે. જેથી મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીની સુવિધા મળી રહે. દરેક વ્યક્તિએ કચરો માત્ર નિયત કરેલી કચરા પેટીમાં જ નાખવો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી.
ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી,સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે આગામી તા.29 માર્ચથી ભાવનગર થી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ પુન:શરૂ થશે, જેનું આવતીકાલ 25મી ફેબ્રુઆરીથી બુકીંગ શરૂ થશે, ભાવનગર શહેરમાં ઉડાન યોજનાનો સમયગાળો પૂર્ણ થતાં બંધ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવા જઈ રહી છે, જે અંતર્ગત ભાવનગરને મુંબઈ સાથેની સીધી એર કનેક્ટિવિટી પુનઃ પ્રાપ્ત થશે, ભાવનગરને હવાઈ સુવિધા મળે તે માટે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ સઘન પ્રયાસો કર્યા હતા જેના પરિણામે આ સફળતા મળી છે, મંત્રીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુને રૂબરૂ રજૂઆત કરી હતી, કેન્દ્રીય રાજ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ સાથે તથા વિવિધ એર લાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી, ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક બે ફ્લાઇટ (ATR વિમાન) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે આવતીકાલને 25 ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે, ભાવનગરથી નવી મુંબઈ સવારે 8.35 વાગે અને સાંજે 20:50 વાગે ઉપડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આધુનિક પરિવહન સુવિધાઓ માટેની સરકારની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ સેવા શરૂ થવાથી ભાવનગરના વ્યાપાર-ઉદ્યોગને નવો વેગ મળશે અને મુંબઈ મારફતે દેશના અન્ય શહેરો સાથેનું જોડાણ પણ સરળ બનશે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય મંત્રી કે.આર. નાયડુ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલનો આભાર વ્યક્ત કર્યો છે મંત્રી નિમુબેન બાંભણીયાએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે અને આ સુવિધા બદલ સમગ્ર ભાવેણાવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરના નગરપાલિકા અને મહાનગરપાલિકાના વોર્ડોમાં ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પડે તે હેતુસર રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની નિયુક્તિ તેમજ ફેરબદલી અંગે મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નિર્ણયથી આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તૈયારીઓને વેગ મળશે. RO-ARO તરીકે ફરજ બજાવતા અધિકારીઓની યાદી જાહેરઆયોગ દ્વારા અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, નવસારી, વલસાડ, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી સહિત અનેક જિલ્લાઓમાં RO-ARO તરીકે ફરજ બજાવનારા અધિકારીઓની યાદી જાહેર કરવામાં આવી છે. વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકાના વોર્ડ મુજબ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે સ્પષ્ટ કર્યું છે કે, નિયુક્ત અધિકારીઓએ ચૂંટણી સંબંધિત તમામ કામગીરી કાયદા અને નિયમો મુજબ પાર પાડવાની રહેશે. ઉમેદવારી ફોર્મની સ્વીકાર-ચકાસણી, મતદાન પ્રક્રિયા, મતગણતરી સહિતની જવાબદારીઓ RO-ARO સંભાળશે. આ સાથે જ સંબંધિત જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રને પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને સુવ્યવસ્થા જળવાઈ રહે. ચૂંટણી પૂર્વે જ વહીવટી માળખું મજબૂત બનાવવાના રાજ્ય ચૂંટણી આયોગના આ પગલાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અકસ્માતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પિઠવડી ગામના રહેવાસી અને સુરતના લંબે હનુમાન રોડ પર આવેલી રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. તેમના પત્ની અને કારની ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. મૃતકના પત્ની 68 વર્ષીય ચંપાબેન ધીરુભાઈ નાકરાણીએ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ 23 ફેબ્રુઆરીની રાત્રે આશરે 11 વાગ્યાની આસપાસ ચંપાબેન, તેમના 75 વર્ષીય પતિ ધીરુભાઈ વલ્લભભાઈ નાકરાણી અને ડ્રાઇવર કાંતીભાઈ શ્યામજીભાઈ રાઠોડ (ઉંમર 50 વર્ષ, રહે. શિવાજીનગર, સાવરકુંડલા, અમરેલી) સાથે મહેન્દ્રા XUV 300 સફેદ કલરની કારમાં પિઠવડી (અમરેલી)થી સુરત જવા નીકળ્યા હતા. આજ રોજ (24 ફેબ્રુઆરી) સવારે આશરે 5.45 વાગ્યે વાસદથી વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર ભારત પેટ્રોલ પંપથી આશરે 500 મીટર આગળ, જલારામ ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે કાર રોડના મધ્ય ભાગે આવેલા ડિવાઇડર પરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચંપાબેનને છાતી, પાંસળીઓ તથા મણકામાં દુખાવો, કપાળમાં ઈજા અને બંને હાથમાં ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવા દ્વારા છાણી ખાતેની શ્રીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર હાલ ચાલુ છે. અકસ્માતમાં ચંપાબેનના પતિ ધીરુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ તેમનું અવસાન થયું હતું. ડ્રાઇવર કાંતીભાઈ રાઠોડને પણ ખભામાં, બંને ઘૂંટણમાં, જમણા હાથની આંગળીમાં તથા છાતીના ભાગે ઈજા થઈ હતી. તેમને પણ 108 દ્વારા વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી મોટો આર્થિક ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. શાંતિ રેસીડેન્સી પ્રા. લિમીટેડના ડાયરેક્ટરો અને જાણીતા ગજેરા બંધુઓ વિરુદ્ધ કુલ 19,28,39,69,000ની ગંભીર ઉચાપત અને ફોર્જરીની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં દાખલ કરવામાં આવી છે. આ કેસમાં પ્રોજેક્ટની મિલકતોના વેચાણ પેટે મળેલા અબજો રૂપિયા રોકડા મેળવી કંપનીના ચોપડે ન બતાવી અંગત સ્વાર્થ માટે વાપર્યા હોવાનો આરોપ થયો છે. ચેકથી માત્ર 157 કરોડ બતાવ્યા, 1928 કરોડ રકમ રોકડેથી મેળવીઆ સમગ્ર કૌભાંડમાં આંકડાઓ ચોંકાવનારા છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ કુલ 20,85,98,25,000ની બજાર કિંમતની દુકાનોનું ગેરકાયદેસર રીતે વેચાણ કર્યું હતું. આ વેચાણ અવેજ પૈકી માત્ર 1,57,58,56,000 જેટલી રકમ જ ચેકથી કંપનીના ખાતામાં જમા લેવામાં આવી હતી. બાકીની જંગી રકમ એટલે કે 19,28,39,69,000/- આરોપીઓએ રોકડેથી મેળવી લીધી હતી. આ રોકડ રકમ કંપનીના સત્તાવાર હિસાબોમાં દર્શાવવાને બદલે આરોપીઓએ ગેરવહીવટ કરી ઉચાપત કરી લીધી હોવાનું પ્રાથમિક ફરિયાદ નોધાઇ છે. 2025નો ફોરેન્સિક રિપોર્ટ અને હાઈકોર્ટનો કડક આદેશઆ મામલો છેલ્લા લાંબા સમયથી તપાસ હેઠળ હતો. ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે વર્ષ 2022 અને 2023માં આપેલી અરજીઓના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ શરૂ કરી હતી. શંકાસ્પદ દસ્તાવેજો અને સહીઓના નમૂના ચકાસણી માટે ગાંધીનગર સ્થિત DFSL લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેનો પૃથ્થકરણ અહેવાલ વર્ષ 2025માં આવ્યો હતો, જેમાં સહીઓ બોગસ હોવાનું સાબિત થયું હતું. ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે ફેબ્રુઆરી 2026માં આદેશ આપતા સુરત ક્રાઈમ બ્રાન્ચે ચુનીભાઈ, વસંતભાઈ અને અશોકભાઈ ગજેરા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મિલેનીયમ-02 પ્રોજેક્ટમાં 93% રકમની હેરાફેરીનો આક્ષેપફરીયાદીએ આપેલી ફરિયાદ મુજબ કંપનીના ડાયરેક્ટરોએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી મિલેનીયમ-02 પ્રોજેક્ટમાં મોટું ગાબડું પાડ્યું છે. આ પ્રોજેક્ટની કુલ 413 દુકાનોના વેચાણમાંથી આશરે 93% રકમ, જેની કિંમત 17,80,75,20,000 થાય છે, તે કંપનીના હિતમાં વાપરવાને બદલે ડાયરેક્ટરોએ અંગત લાભ માટે મેળવી લીધી હતી. આ કૌભાંડ આચરવા માટે જંત્રી અને બજાર કિંમત વચ્ચેનો મોટો તફાવત ઉભો કરી રોકડ રકમ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મિલેનીયમ-04 માં પણ 84% રકમની ઉચાપતસાથે ફરિયાદમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, કૌભાંડની જાળ માત્ર એક પ્રોજેક્ટ પૂરતી સીમિત નહોતી. મિલેનીયમ-04 પ્રોજેક્ટની 185 દુકાનોના વેચાણમાં પણ આશરે 84% રકમ એટલે કે 1,47,64,49,000ની ઉચાપત કરવામાં આવી છે. આરોપીઓએ આ રકમ મેળવવા માટે કંપનીના અન્ય હિતધારકોને અંધારામાં રાખ્યા હતા અને તમામ કાયદાકીય મર્યાદાઓ ઓળંગીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી કંપનીને આર્થિક પાયમાલી તરફ ધકેલી દીધી હતી. બોગસ રાજીનામું અને સહીઓનું સુનિયોજિત કાવતરુંફરિયાદી પ્રવીણ અગ્રવાલ શાંતિ રેસીડેન્સી પ્રા. લિમીટેડમાં ડાયરેક્ટર તરીકે કાર્યરત હતા. તેમને પદ પરથી દૂર કરવા માટે 1 જાન્યુઆરી 2015ના રોજ એક બનાવટી રાજીનામું પત્ર તૈયાર કરવામાં આવ્યો હતો. રાકેશ ગજેરાએ આ પત્ર પર પ્રવીણભાઈની બોગસ સહી કરી હતી. આટલું જ નહીં, પ્રવીણભાઈના પત્ની શીતલ અગ્રવાલ અને પિતા દેવકીનંદન અગ્રવાલની પણ અલગ-અલગ શેર ઓફર લેટર્સ અને રીનાઉન્સીએશન ફોર્મમાં ખોટી સહીઓ કરી શેર હોલ્ડિંગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા.
રાજકોટ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા વાહન માલિકો માટે મનપસંદ નંબર મેળવવાની સુવર્ણ તક જાહેર કરવામાં આવી છે. મોટર વાહનોની નવી સીરિઝ GJ-03-PR તથા અગાઉની સીરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે રી-ઓક્શન પ્રક્રિયા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. જે વાહન ચાલકો પોતાના વાહન માટે ખાસ નંબર મેળવવા ઈચ્છુક હોય, તેઓએ આ માટે ભારત સરકારની અધિકૃત વેબસાઇટ http://parivahan.gov.in/fancy પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. નિયત સમયપત્રક મુજબ, ઓનલાઇન એપ્લિકેશન કરવાની પ્રક્રિયા 27 ફેબ્રુઆરીના રોજ સાંજે 04:00 કલાકથી શરૂ થઈને 03 માર્ચના રોજ સાંજે 04:00 કલાક સુધી ચાલશે. ત્યારબાદ, બિડિંગ પ્રક્રિયા 03 માર્ચના રોજ સાંજે 04:01 કલાકથી શરૂ થશે અને 05 માર્ચના રોજ સાંજે 04:00 કલાકે પૂર્ણ થશે. હરાજીનું અંતિમ પરિણામ 05 માર્ચના રોજ સાંજે 04:15 કલાકે ઓનલાઇન જાહેર કરવામાં આવશે. ઓનલાઇન અરજી અને પ્રક્રિયાના નિયમો: * અરજદારે વેબસાઇટ પર 'Fancy Number Booking' સેક્શનમાં જઈને પબ્લિક યુઝર આઈ.ડી. બનાવવાનું રહેશે.* પસંદગીના નંબર માટે જરૂરી લઘુત્તમ ફી ભરીને CNA ફોર્મ ઓનલાઇન સબમિટ કરવાનું રહેશે.* હરાજીમાં સફળ થયા બાદ બાકીની રકમ 05 દિવસમાં જમા કરાવી RTO કચેરીએથી મંજૂરી મેળવવાની રહેશે.* વાહન ખરીદ્યાના 07 દિવસની અંદર CNA ફોર્મ ભરવું ફરજિયાત છે, સમયમર્યાદા બાદની અરજીઓ માન્ય રાખવામાં આવશે નહીં. રાજકોટ જિલ્લા પંચાયતનું અંતિમ બોર્ડ તોફાની બને તેવા એંધાણ, વિપક્ષના 19 સવાલોથી ખળભળાટ રાજકોટ જિલ્લા પંચાયતની આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી ખાસ સામાન્ય સભા તોફાની રહેવાના સંકેતો મળી રહ્યા છે. આ ટર્મની છેલ્લી સભા હોવાથી શાસકોએ પ્રશ્નોત્તરીની છૂટ આપતા જ વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. વિપક્ષ દ્વારા કુલ 19 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને સફાઈ ટેન્ડરના દરમાં થયેલા તોતિંગ વધારા મુદ્દે વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ ઉપરાંત 84 લાખના સ્થળાંતર ખર્ચ અને બાંધકામમાં વપરાતી રેતીની ગુણવત્તા અંગે પણ જવાબ માંગવામાં આવ્યા છે.સભામાં આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ નશાની હાલતમાં રહેતા હોવાના ગંભીર આક્ષેપો સાથે જર્જરિત શાળાઓ, વરસાદી નુકસાનીની બાકી સહાય અને ટ્રેક્ટર સહાયમાં ગેરરીતિ જેવા મુદ્દાઓ ગાજશે. પંચાયતમાં કર્મચારીઓની ઘટ અને વાહન ભાડાના ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર મામલે પણ વિપક્ષ શાસકોને ઘેરવાની તૈયારીમાં છે. બજેટ પસાર કરવા માટે મળેલી આ ખાસ સભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ભારે વાદ-વિવાદ અને હોબાળો થવાની શક્યતા સેવાઈ રહી છે. રાજકોટમાં 27 ફેબ્રુઆરીએ ‘યૂથ એસેમ્બલી’ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન રાજકોટમાં આગામી 27 ફેબ્રુઆરીએ ‘યૂથ એસેમ્બલી 2025-26’ અંતર્ગત વિશેષ વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હેમુ ગઢવી હોલ ખાતે યોજાનારી આ સ્પર્ધામાં 15થી 29 વર્ષ સુધીના યુવાનો લોકશાહી અને મતદાનના મૂલ્યો વિશે પોતાના વિચારો રજૂ કરશે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવાનોમાં લોકશાહી શાસન વ્યવસ્થા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં મતદાનના મહત્વને સમજાવવાનો છે. જે સ્પર્ધકોએ આ સ્પર્ધા માટે પોતાની અરજીઓ કચેરીમાં જમા કરાવી છે, તેઓને તા. 27 ફેબ્રુઆરીએ સવારે 8:30 કલાકે નિયત સ્થળ પર હાજર રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ દ્વારા યુવાનોને પોતાની અભિવ્યક્તિ રજૂ કરવાની અને લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી થવાની ઉત્તમ તક મળશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા શહેરમાં નાગરિકોની સલામતીને લઈને ફાયરબ્રિગેડના સ્ટાફની ભરતી અને સ્નોરકેલ ખરીદવા બાબતે મુદ્દો ઉઠાવ્યો હતો. શહેરમાં રખડતા કૂતરાઓના કરડવાના કેસોને લઈને પણ વિપક્ષે સવાલ ઉભા કર્યા હતા કે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કુતરા કરડવાના કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો નથી. 5 વર્ષમાં 3.41 લાખ નાગરીકોને કુતરાં કરડ્યાવિપક્ષના નેતા શહેઝાદ પઠાણે શહેરમાં કુતરા કરડવાના કેસોને લઈને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટ પર સવાલો ઉભા કર્યા હતાં કે, અમદાવાદને લીવેબલ સીટી અને લવેબલ સીટી તરીકેની ઓળખ આપી છે.પરંતુ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 3.41 લાખ નાગરીકોને કુતરા કરડ્યા છે, જેમને રસી લેવાની ફરજી પડી છે. કુતરાઓ બાબતે મ્યુનિ.ને 5 વર્ષમાં 40 હજાર કરતા વધારે ફરિયાદો મળી છે. ત્યારે કુતરાઓના રસીકરણ પાછળ અત્યાર સુધીમાં રૂ.13.46 કરોડનો ખર્ચ કર્યો છે. બહારથી વિદેશથી કોઈ વ્યક્તિ રિવરફ્રન્ટ પર ફરવા આવે અને રખડતા કૂતરું કરડી ગયું તો આ મામલે જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હતી. કુતરાં કરડવાની 40 હજારથી વધુ ફરિયાદ નોંધાઈસામાન્ય સભામાં તેઓએ રજૂઆત કરી હતી કે શહેરમાં કુતરા કરડતાં હોવાની અત્યાર સુધીમાં 40007 જેટલી ફરિયાદ છેલ્લા 5 વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે મળી છે. વર્ષ 2025-26ના 10192 જેટલી એટલે કે ચોથાભાગની ફરિયાદ તો ગયા વર્ષે જ નોંધાઇ છે. તંત્ર દ્વારા છેલ્લા 5 વર્ષમાં જ 1,38,051 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું છે. મ્યુનિ. એવું માને છેકે શહેરમાં બેથી અઢી લાખ જેટલા કુતરાઓ છે. કુતરતા કરડવાને કારણે છેલ્લા 5 વર્ષમાં જ મ્યુનિ. દ્વારા 3.41 લાખ નાગરીકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી છે. જેમાં 1.56 લાખ લોકોને તે છેલ્લા બે વર્ષમાં જ રસી આપવામાં આવી છે. '440 કરોડની મિલકતોમાં આગના કારણે નુકસાન'વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, દર વર્ષે મોટા પાયે આગના કોલ ફાયરબ્રિગેડને મળે છે. છેલ્લા 10 વર્ષમાં ફાયરને આગના 24490 કોલ મળ્યા છે. દર મહિને 210 આગના કોલ મળે છે. છેલ્લા પાંચ વર્ષમાં 440 કરોડ રૂપિયાની મિલકતોનું આગ લાગવાના કારણે નુકસાન થયું છે ત્યારે ફાયર વિભાગમાં કર્મચારીઓની અછત જોવા મળી રહી છે. ફાયર વિભાગમાં 796 જગ્યામાંથી 316 જગ્યા ખાલી છે. વર્ષોથી ખાલી જગ્યા ભરવાની તસ્દી લેવામાં આવી નથી. 'સ્નોરકેલ લાવવાની વાત માત્ર કાગળ ઉપર જ છે'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ પણ ગેમ ઝોન કે અન્ય મિલકત ધારકો દ્વારા લાપરવાહી કરવામાં આવે છે અને કોઈપણ દુર્ઘટના થાય ત્યારબાદ ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ જાગે છે અને કામગીરી કરે છે. રૂપિયાની મિલકતોનું નુકસાન થયું છે ભાજપના સત્તાધિશો શહેરમાં ગગનચુંબી ઇમારતો બનાવવાની વાતો કરે છે પરંતુ આગ લાગવાની ઘટનામાં બચાવ કાર્ય માટે દોઢ વર્ષ પહેલા સ્નોરકેલ ( ઉંચી સીડી) લાવવાની વાત કરી હતી પરંતુ હજી સુધી આ બાબત કાગળ ઉપર જ છે. 'ડીપ ટ્રેકિંગ વોટર સિસ્ટમ લાવવામાં આવી 'સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું હતું કે, સ્નોરકેલ ખરીદી કરવા માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડી વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને તે થોડા સમયમાં આવી જશે. નાગરિકોની સલામતી માટે ફાયર વિભાગમાં પૂરતા પ્રમાણમાં સાધનોની ખરીદી કરવામાં આવી છે તાજેતરમાં સીવાલીક બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે લોકોને બચાવવામાં આવ્યા હતાં . ડીપ ટ્રેકિંગ વોટર સિસ્ટમ પણ લાવવામાં આવી છે. ફાયર વિભાગમાં ખાલી જગ્યા માટે ભરતીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 148 કિલોમીટરના રસ્તાઓ માટે રૂ. 246 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇકબાલગઢથી સુરેલા-ધનપુરા-વિરમપુરને જોડતા માર્ગનું રૂ. 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં આપી હતી. મંત્રી પટેલે ઇકબાલગઢથી સુરેલા-ધનપુરા-વિરમપુર-અંબાજી રોડના નવનિર્માણ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ અને વિરમપુર થઈને યાત્રાધામ અંબાજીને જોડતા આ મહત્વપૂર્ણ માર્ગનું રૂ. 9.80 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે. આ કામગીરીમાં રોડનું વાઈડનિંગ, માટીકામ, મેટલકામ, ડામરકામ, સી.સી. કામ, જરૂરી પ્રોટેક્શન વોલ, ગટરકામ અને રોડ ફર્નિશિંગ સહિતની તમામ કામગીરીનો સમાવેશ થાય છે. આ રોડના વિકાસથી ઇકબાલગઢના માર્કેટયાર્ડમાં ખેતપેદાશો લઈને આવતા ખેડૂતોને નોંધપાત્ર સુવિધા મળશે. આ ઉપરાંત, ત્રણ પ્રાથમિક શાળાઓ, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આસપાસના ચાર ગામોના અંદાજે 13 હજારથી વધુ નાગરિકોને પરિવહનનો સીધો લાભ પ્રાપ્ત થશે. મંત્રીએ રોડની પહોળાઈ અને માપદંડો વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા રસ્તાની પહોળાઈ વધારવા માટે આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ કામગીરી કરાય છે. રસ્તાની પહોળાઈ 3.75 મીટરથી વધારીને 5.50 મીટર કે 7 મીટર કરવા માટે પેસેન્જર કાર યુનિટ (PCU)ના માપદંડો મુજબ કામગીરી હાથ ધરવામાં આવે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, જો જમીન સંપાદન, રેલવે લાઇન કે વીજ લાઇન જેવા વ્યાજબી કારણો વિના કોઈ કોન્ટ્રાક્ટર કામમાં વિલંબ કરશે, તો સરકાર તેની સામે કડક કાર્યવાહી કરશે. આવા કિસ્સામાં કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવાથી લઈને બ્લેકલિસ્ટ કરવા સુધીની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના કાર્યપાલક એન્જિનિયર વિપુલ ગણેશવાલા અને વચેટિયા ઈસ્માઈલ પઠાણ ઉર્ફે પરવાના લાંચના કેસમાં છેલ્લા ચાર દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ બંને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે, ત્યારે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પરવાનાને ફરાર કરવામાં અને તેના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોમાં 'સમીર' નામના એક વ્યક્તિની ભૂમિકા અત્યંત શંકાસ્પદ ACBને જણાઈ રહી છે. પરવાનાને ફરાર કરવામાં મોટી મદદ કરનાર કોણ છે સમીર?ACBની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરવાનાને પોલીસ પકડથી દૂર રાખવામાં સમીર નામના વ્યક્તિએ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો હોય તમે લાગી રહ્યું છે. ACB સૂત્રોના જણાવ્યા અનુસાર, સમીર સીમકાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ વ્યવસાયની આડમાં તે પરવાનાના અનેક ગેરકાયદેસર કામોમાં ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે. પરવાના ભૂગર્ભમાં ઉતરી ગયો તે પાછળ સમીરનું નેટવર્ક કામ કરી રહ્યું હોવાની પ્રબળ શંકાને આધારે હવે તેની પણ પૂછપરછની તૈયારીઓ ચાલી રહી છે. લિંબાયત ઝોન પાસેના લક્ઝરી જીમમાં પરવાનાની પાર્ટનરશિપપરવાનાની મિલકતોની તપાસ કરતા ACBના અધિકારીઓ ત્યારે ચોંકી ગયા જ્યારે લિંબાયત ઝોન ઓફિસની બિલકુલ બાજુમાં જ એક જીમ હોવાનું જાણવા મળ્યું. આ જીમ હાલમાં જ શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં પરવાનાએ મોટી રકમનું રોકાણ કર્યું હોવાનું ACBને જાણવા મળ્યું છે. સરકારી કચેરીની નાક નીચે જ વચેટિયા તરીકેની કમાણીમાંથી આ જીમ ઉભું કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મદીના મસ્જિદ પાસે ગેરકાયદેસર બાંધકામનો વિવાદમાત્ર જીમ જ નહીં, પણ લિંબાયતના મદીના મસ્જિદ વિસ્તારમાં આવેલા એક મોટા બાંધકામમાં પણ પરવાનાનું હિત જોડાયેલું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાંધકામ વિવાદિત છે અને તેમાં પરવાનાની ભાગીદારીની તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં તેનું રૂપિયાનું રોકાણ હોવાનું મનાય છે. ભ્રષ્ટાચારના નાણાં આ પ્રકારના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં વાપરવાની પરવાનાની આખી મોડસ ઓપરેન્ડી હવે પોલીસ રડારમાં છે. માર્જિનની જમીન દબાવીને ઉભું કરાયું ગેરકાયદે સ્ટ્રક્ચરACBની તપાસમાં વધુ એક ગંભીર બાબત એ સામે આવી છે કે, મદીના મસ્જિદ પાસેનું જે બાંધકામ ચાલી રહ્યું છે તે 30 ટકા માર્જિનની જમીન પર કરવામાં આવ્યું છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આ બાંધકામ ખડકી દેવાયું હોવાનું સપાટી પર આવ્યું છે. મ્યુનિસિપલ એન્જિનિયર વિપુલ ગણેશવાલા સાથેની સાંઠગાંઠને કારણે જ આવા ગેરકાયદેસર કામોને પ્રોત્સાહન મળતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. સ્થાનિકોનો ભારે વિરોધ અને પોલીસ સ્ટેશન સુધી મામલોઆ વિવાદાસ્પદ બાંધકામ સામે સ્થાનિક સોસાયટીના રહીશો લાંબા સમયથી લડત આપી રહ્યા છે. સ્થાનિકોએ અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી હતી કે આ બાંધકામ ગેરકાયદેસર છે, પરંતુ પરવાનાના પ્રભાવને કારણે કોઈ કાર્યવાહી થઈ ન હતી. અગાઉ આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત થઈ હતી પરંતુ ફરિયાદ દાખલ થઈ નથી. ACB દ્વારા સંપત્તિની તપાસ તેજ, આગામી દિવસોમાં મોટા ઘટસ્ફોટહાલમાં ACB દ્વારા વિપુલ ગણેશવાલા અને પરવાનાની બેનામી સંપત્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બેંક એકાઉન્ટ્સ, લોકર અને મિલકતના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સમીર અને પરવાના વચ્ચેના આર્થિક લેવડદેવડના પુરાવાઓ મળતા જ આ કેસમાં વધુ કેટલાક લોકોની ધરપકડ થઈ શકે છે.
વલસાડના રોલા ગામે 25 ફેબ્રુઆરીએ નમોત્સવ:200 ડ્રોન દ્વારા પીએમ મોદીની જીવનગાથા આકાશમાં પ્રદર્શિત થશે
વલસાડ જિલ્લાના રોલા ગામે આગામી 25 ફેબ્રુઆરીના રોજ ભવ્ય 'નમોત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીવનગાથા પર આધારિત મલ્ટીમીડિયા પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણ રહેશે. વલસાડ અને નવસારી જિલ્લાના નાગરિકો માટે આ કાર્યક્રમ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ 200 જેટલા ડ્રોન દ્વારા યોજાનારો લાઇટ એન્ડ વિઝ્યુઅલ શો રહેશે. આકાશમાં વિવિધ આકૃતિઓ અને સંદેશાઓ દ્વારા વડાપ્રધાનના જીવનપ્રસંગોને રજૂ કરવામાં આવશે, જે દર્શકો માટે અદભૂત દૃશ્યાવલિ સર્જશે. ઉપરાંત, જાણીતા વક્તા અને કલાકાર સાંઈરામ દવે તેમની આગવી શૈલીમાં વડાપ્રધાનના સંઘર્ષમય જીવનપ્રસંગો અને સિદ્ધિઓ રજૂ કરશે. આયોજન સમિતિ દ્વારા રોલા ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિશાળ ગ્રાઉન્ડમાં ભવ્ય સ્ટેજ, અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને બેઠક વ્યવસ્થાને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા નાગરિકો આ કાર્યક્રમનો સુચારુ રીતે લાભ લઈ શકે. લોકસભાના દંડક ધવલ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ 25 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યે શરૂ થશે. તેમણે નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપીને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી છે. આ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિપૂર્ણ રજૂઆતો પણ યોજાશે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે શારીરિક શોષણનો મામલો સામે આવ્યો છે. 19 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સામે પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના વિરોધમાં આજે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ નિવાસી શાળામાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક આદિવાસી વિદ્યાર્થિની પાસેથી વોર્ડનને મોબાઈલ મળી આવ્યો હતો. નિયમ વિરુદ્ધ મોબાઈલ હોવાથી વોર્ડને તે જપ્ત કરી સંસ્થાના ડાયરેક્ટર દિશાંત કમલેશસિંહ ઠાકોરને સોંપ્યો હતો. આરોપી દિશાંતે મોબાઈલ તપાસવાના બહાને વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં એકલી બોલાવી, તેની સાથે અશ્લીલ હરકતો કરી લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે વિદ્યાર્થિનીએ તેની માતાને જાણ કરતા પરિવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દિશાંત ઠાકોરની ધરપકડ કરી હતી. આ ઘટનાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વાંસદા નગરના કાર્યકરો શાળાએ આવેદન આપવા પહોંચ્યા હતા. તે સમયે ટ્રસ્ટી કમલેશ ઠાકોર દ્વારા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પૂરી દઈ સ્ટાફ સાથે રૂમમાં ભરાઈ ગયા હતા. નવાઈની વાત એ છે કે, ટ્રસ્ટી કમલેશ ઠાકોર પોલીસની હાજરીમાં પણ 30 મિનિટ સુધી બાથરૂમમાં છુપાઈ રહ્યા હતા. અંતે, વિદ્યાર્થીઓ અને પોલીસના દબાણ બાદ તેઓ બહાર આવ્યા હતા અને આરોપી દિશાંત ઠાકોરને તમામ જવાબદારીઓમાંથી મુક્ત કરતો ઠરાવ રજૂ કરી કડક કાર્યવાહીની ખાતરી આપી હતી. શાળામાં વિરોધ પ્રદર્શન બાદ ABVP દ્વારા વાંસદા મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ આરોપી દિશાંત ઠાકોરનું પૂતળા દહન કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. વાંસદા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા આ કેસમાં BNS 2023ની કલમ 74, 75(1), 76 તેમજ પોક્સો (POCSO) એક્ટ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી દિશાંત ઠાકોર હાલ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ ચાલી રહી છે.
ભાવનગરના મહારાણી નંદકૂવારબાની સ્મૃતિમાં 1951માં સ્થાપિત નંદકૂવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે તાજેતરમાં એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, NCC અને NSSમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 150થી વધુ દીકરીઓને પુરસ્કૃત કરવામાં આવી હતી. આ શાળા માત્ર શિક્ષણ જ નહીં, પણ વર્ષ દરમિયાન થતી 30થી વધુ ઈત્તર પ્રવૃત્તિઓ દ્વારા દીકરીઓને સંસ્કારિત કરવાનું કાર્ય કરે છે. અત્યાર સુધીમાં અહીંથી 14,00,000થી વધુ વિદ્યાર્થિનીઓ શિક્ષિત થઈ ચૂકી છે. શાળાની વિશેષતા તેના 'ગૌરવ ગ્રંથ'માં છુપાયેલી છે. રાજવી પરિવાર દ્વારા જાળવવામાં આવતા આ ગ્રંથમાં ઉજ્જવળ કારકિર્દી ધરાવતી દીકરીઓની યશગાથા લખાય છે. આ ગ્રંથમાં શાળાની ત્રીજી પેઢીની નોંધ છે, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ત્રણેય દીકરીઓના નામ પણ અંકિત છે. આ દસ્તાવેજ રાજવી પરિવારની શિસ્ત અને મૂલ્યોનો પરિચય આપે છે. આ પ્રસંગે આચાર્ય ડો. રાજેશ્વરીબા ગોહિલ અને સમગ્ર શિક્ષકગણને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સ્કાઉટ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ડો. નાનકભાઈ તથા અજય ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ દીકરીઓના કૌશલ્યને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરી હતી.
ડિજિટલ યુગમાં ગઠિયાઓ હવે નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે, ત્યારે ગાંધીનગરના એક આઈટી પ્રોફેશનલે જસ્ટ ડાયલ પર આંગડિયાનો નંબર શોધતા જ સાયબર ઠગની જાળમાં ફસાઈ ગયા હતા. ગઠિયાએ આંગડિયા પેઢીનો એજન્ટ બની એવી માયાજાળ રચી કે યુવકે જામનગર મોકલવાના 6.20 લાખ રૂપિયા સુરતના એક ગઠિયાના ખિસ્સામાં પધરાવી દીધા હતાં. આ મામલે હવે સેક્ટર-7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટીસીએસ કંપનીના કર્મચારીને 6.20 લાખનો ચૂનો લગાવ્યોતમારું આંગડિયું જલ્દી પહોંચાડી દઈશ તેવો વિશ્વાસ આપી સાયબર માફિયાએ ટીસીએસ કંપનીના કર્મચારીને લાખોનો ચૂનો લગાવ્યો છે. ગઠિયાએ ફોન પર ટોકન નંબરની હેરાફેરી કરાવી ડી.કે. આંગડિયા પેઢી દ્વારા મોકલવામાં આવેલા 6.20 લાખ રૂપિયા ચાલાકીથી સુરત ડાયવર્ટ કરાવી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચાંદીમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી ને ફસાયોગાંધીનગરના સેક્ટર - 2/એ, પ્લોટ નંબર 5156/2 માં ભાડેથી રહેતો મૂળ જામનગરનો વતની શશાંક સુરેશભાઈ પાટડીયા ટીસીએસ કંપનીમાં સીનીયર એસોસીએટની પોસ્ટ પર નોકરી કરે છે. ગત 28 જાન્યુઆરીના રોજ સહકર્મચારી ફેની પટેલે પોતાના લગ્ન માટે ચાંદીમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરતા શશાંકે તેના પિતા સુરેશભાઈ સાથે વાત કરાવી હતી. આંગડિયા પેઢીનો સંપર્ક કરવા જસ્ટ ડાયલ ઉપરથી ફોન કર્યો ને ફસાયોજેમના કહેવાથી બીજા દિવસે શશાંકે પૈસા મોકલવા માટે ગાંધીનગરની આંગડિયા પેઢીનો સંપર્ક કરવા જસ્ટ ડાયલ ઉપર ફોન કરી ગાંધીનગરમાં આંગડીયા પેઢી વિશે માહીતી મેળવી હતી. જ્યાંથી તેને શહેરની આંગડીયા પેઢીના ત્રણ અલગ અલગ નંબર મળ્યા હતાં. જોકે તેણે કોઈ જગ્યાએ ફોન કરી માહીતી લીધી ન હતી. આંગડિયા પેઢીમાં નાણાં જમા કરાવવા ટોકન આપ્યુંજોકે થોડાક સમય પછી મનીષ નામના વ્યક્તિએ સામેથી ફોન કોલ કરી પોતે આંગડિયા પેઢીનો સંચાલક હોવાની ઓળખ આપી હતી. જેણે શશાંકને સેક્ટર-3માં આવેલી આર.કે. આંગડિયા પેઢીમાં નાણાં જમા કરાવવા ટોકન આપ્યું હતું. બાદમાં શશાંક અને ફેની રૂ.6.20 લાખ લઈને પેઢીએ પહોંચ્યા હતા. અને જામનગર પૈસાનું આગંડિયું કરી બંને નોકરીએ જતા રહ્યા હતા. નવા ટોકન નંબર મારફતે 6.20 લાખનું આંગડિયુ કરી દીધુંબાદમાં મનિષે ફોન કરી જણાવ્યું હતું કે, જો ઝડપથી નાણાં પહોંચાડવા હોય તો ડી.કે. આંગડિયામાં નાણાં જમા કરાવો. અને મનિષે તેને નવો ટોકન નંબર (5.ka.02 N 111478) આપી સૂચના આપી કે પેઢી પર જઈને માત્ર આ ટોકન નંબર જ આપવો બીજી કોઈ વિગત આપવી નહીં. જેથી શશાંકે આર. કે. આંગડિયામાંથી રૂપિયા પરત લઈ સેકટર 3 ની કે. ડી.આંગડિયા પેઢીમાં સૌરવભાઈને મનિષે આપેલા નવા ટોકન નંબર મારફતે રૂ.6.20 લાખનું આંગડિયુ કરી દીધું હતું. નાણાં જામનગરને બદલે સુરતના કતારગામ બ્રાન્ચમાં ટ્રાન્સફર થયાજોકે પોતાના પિતાને અડધા કલાકમાં નાણાં મળી જવાની ખાતરી આપવામાં આવી છતાં લાંબો સમય વીતવા પછી પણ નાણાં પહોંચ્યા નહોતા. જેથી શશાંકે ડી.કે. આંગડિયામાં જઈ તપાસ કરતા માલૂમ પડ્યું કે, મનિષે આપેલા ટોકન નંબરને આધારે નાણાં જામનગરને બદલે સુરતના કતારગામ બ્રાન્ચમાં ટ્રાન્સફર થયા હતા, જ્યાં કિશોર નામનો કોઈ અજાણ્યો શખ્સ પાંચની નોટનું ટોકન બતાવી રકમ ઉપાડી ગયો છે. આખરે પોતાની સાથે ઠગાઈ થયાનો અહેસાસ થતાં તેણે સેકટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વેરાવળમાં રૂ. 1.10 કરોડના વિદેશી દારૂનો નાશ:42 હજારથી વધુ બોટલોનો કાયદેસર નાશ, કડક સંદેશ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝડપાયેલા આશરે રૂ. 1.10 કરોડની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે દારૂ-બિયરની 42 હજારથી વધુ બોટલોનો નાશ કરાયો હતો. આ દારૂના નાશની સમગ્ર પ્રક્રિયા DYSP વી.આર. ખેંગાર, વેરાવળ સીટી પી.આઈ. ગઢવી સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા અને અધિકારીઓની હાજરીમાં હાથ ધરાઈ હતી. કાર્યવાહી દરમિયાન દરેક બોટલનો પેઢી મુજબ હિસાબ રાખી કોર્ટના આદેશ અનુસાર કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 મોટા ગુનાઓ સહિત કુલ 24 જેટલા ગુનાઓમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો આ નાશ કરાયો છે. જપ્ત કરાયેલ માલમત્તાની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 1.10 કરોડ જેટલી થતી હતી. આ સમગ્ર કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિનોદ જોશીની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે કોર્ટના હુકમ અનુસાર જપ્ત માલમત્તાનો નિયમિત અને પારદર્શક રીતે નાશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધી અમલમાં હોવાથી ગેરકાયદેસર દારૂના ધંધા સામે પોલીસ સતત સખત કાર્યવાહી કરી રહી છે. તાજેતરની આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો માટે ચેતવણીરૂપ માનવામાં આવે છે.
ગત 30 જાન્યુઆરી, 2026 ના ફરિયાદીને રૂ.4 લાખના એરિયર્સના બિલની ચૂકવણી માટે રૂ.50 હજારની લાંચ માંગવાના ગુનામાં ઇન્કમટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ, નિવૃત ઓફિસર અને વચેટિયા પટ્ટાવાળાને ઝડપી પાડ્યા હતા. જે ગુનામાં લાંચની રકમ માંગતા ફરજ પરના અધિકારીની રેગ્યુલર જામીન અરજી અને તેની મદદગારી કરનાર નિવૃત અધિકારીની આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટની ખાસ અદાલતના જજ દ્વારા રદ કરવામાં આવી છે. રાજકોટ ઇન્કમટેક્સ ઓફિસના આસિસ્ટન્ટ એકાઉન્ટ રવિકુમાર જાંગીર પાસે ફરીયાદી પોતાની રૂ.4 લાખની એરીયર્સની રકમ માટે ગયા હતા. જે સમયે આ અધિકારી દ્વારા તેમની પાસેથી 20% લેખે રૂ.80 હજારની લાંચની માંગણી કરી હતી. જોકે જે રકજકના અંતે રૂ.50 હજારમાં નકકી થયુ હતુ. આ રકમમાંથી ફરીયાદીએ રૂ.5000 આપી દીધા બાદ રૂ.45 હજારની ચુકવણી કરવાની બાકી હતી. જોકે ફરિયાદી તે નાણા આપવા માગતા ન હોવાથી એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલી હતી. ફરીયાદના અનુસંધાને ટ્રેપના દિવસે રૂ.45 હજાર આપવા માટે ફરીયાદી જયારે આવ્યા ત્યારે આરોપી રવિકુમારને ટ્રેપ અંગેની દહેશત થતા તેમણે ઈન્કમટેક્ષ ખાતામાંથી સવા વર્ષ પહેલા નિવૃત થયેલ આરોપી શૈલેષ ચૌહાણને ફોન કરી આ રકમ સ્વીકારવા માટે વ્યવસ્થા કરી આપવા જણાવ્યુ હતુ. જેથી આ નિવૃત અધિકારીએ ઈન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં પટાવાળા તરીકે નોકરી કરતા અક્ષયભાઈ વાગડીયાને ફોન કરી ફરીયાદીને સ્થળ પર મોકલી લાંચની રકમ સ્વીકારાવેલી હતી. આ લાંચની રકમ સ્વીકારાય ગયા બાદ નિવૃત અધિકારી શૈલેષ ચૌહાણે પટાવાળાને તાત્કાલીક સ્થળ પરથી ભાગી જવા સુચના આપી હતી. જોકે તે ભાગે તે પહેલા એ.સી.બી.ના અધિકારીના હાથે ઝડપાઈ ગયો હતો. આ ગુન્હામાં નિવૃત અધિકારી શૈલેષ ચૌહાણે આગોતરા જામીન દાખલ કરી અને ફરજ પરના અધિકારી રવિકુમારે રેગ્યુલર જામીન અરજી દાખલ કરી. પોતાની અરજીઓના સમર્થનમાં બંને આરોપીઓ તરફે દલીલો કરવામાં આવી કે નિવૃત અધિકારી સરકારી અમલદાર નથી તેમજ ફરજ પરના અધિકારીએ પટ્ટાવાળાને લાંચની રકમ સ્વીકારવા જણાવ્યુ નથી. જેથી બંને સામે ગુન્હો સાબિત થતો ન હોય તેથી તેઓને જામીન મુક્ત કરવા જોઈએ. જોકે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, ટ્રેપ દરમ્યાન ફરીયાદીના શર્ટમાં જે વોઈસ રેકોર્ડર શેટ કરવામાં આવેલુ હતુ તેમા આ ત્રણેય આરોપીઓ વચ્ચેનો વાર્તાલાપ રેકોર્ડ થઈ ગયો છે. ફરજ પરના અધિકારી રવિકુમારે ફરીયાદી પાસેથી રકમ સ્વીકારવા નિવૃત અધિકારીને ફોન કરેલો છે. તે હકિકત જણાવે છે કે તેઓ ઝડપાઈ ન જાય તેવી ચોકકસ તકેદારી રાખીને લાંચની રકમ સ્વીકારે છે. નિવૃત અધિકારી વિશે સરકાર તરફે જણાવવામાં આવ્યુ કે સરકારી હોદા પરથી નિવૃત થઈ ગયા હોવા છતા લાંચની રકમ સ્વીકારવા કે મેળવવાની આદત જતી નથી. જેથી તેથી ફરજ પરના અધિકારીને મદદગારી કરી આવા ગેરકાનુની વ્યવહારો પુરા કરાવે છે. આ પ્રકારની મનોવૃતિવાળા લોકો અને તેઓ સામે ઈલેક્ટ્રોનિક પુરાવો ઉપલબ્ધ હોય ત્યારે જામીનના તબકકે જ ગુન્હો પુરવાર થતો હોવાનુ જણાય છે. આ સંજોગોમાં બંને આરોપીઓને જામીન મુકત કરવા હિતાવહ નથી. ખાસ કરીને જયારે નિવૃત અધિકારીની ધરપકડ કરી ગુન્હાની વધુ તપાસ થઈ શકી ન હોય. સરકારી વકીલની આ દલીલોના અંતે ખાસ અદાલતના જજ ટી.એસ.બ્રહમભટ્ટ દ્વારા બંને આરોપીઓની જામીન અરજી રદ કરાઈ છે.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જી.એસ.ટી.ના ખોટા દસ્તાવેજોના ગુનામાં નાસતા-ફરતા શખ્સને ભાવનગર શહેરના જમનાકુંડ ચોક વિસ્તારમાંથી ઝડપી લઈ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી દેતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવ્યા હતાઆ અંગે પેરોલ ફ્લો સ્ક્વોડ કચેરીથી મળતી માહિતી મુજબ, 23 ફેબ્રુઆરીના રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ડી.સી.બી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં દાખલ થયેલ જી.એસ.ટી. ને લગતાં ખોટા દસ્તાવેજો બનાવવાનાં ગુન્હામાં નાસતો-ફરતો આરોપી શકીલ ઉર્ફે એસ.કે. રહીમભાઇ ખોખર રહે. જમનાકુંડ ચોક, સબ સ્ટેશન સામે, ભાવનગરનો રહેવાસી છે. જમનાકુંડ ચોક પાસેથી શખસ દબોચાયોજે આરોપી ભાવનગર શહેરના જમનાકુંડ ચોક એકતા પાન પાછળ જાહેર રોડ ઉપર ઉભો છે જે બાતમીના આધારે પેરોલ ફર્લો પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર તપાસ કરતા નાસતો-ફરતો આરોપી મળી આવ્યો હતો, જેને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો.
ભાવનગર શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા ના ઉદ્દેશ્ય સાથે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજ રોજ શહેરના જુદા જુદા વોર્ડ ખાતે વિઝિબલ ક્લીનલીનેસ અભિયાન અંતર્ગત શહેરભરમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, આ ઝુંબેશ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ.32,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ટીમોએ શહેરના તમામ વોર્ડમાં જુદા-જુદા સ્થળોએ ચકાસણી હાથ ધરી હતી, જેમાં જાહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 69 આસામીઓ પાસેથી 28.1 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને રૂ.26,400નો દંડ ફટકારાયો હતો, તેમજ ગંદકી કરવા બદલ 19 આસામીઓ પાસેથી રૂ.4,550નો દંડ વસૂલવામાં આવ્યો હતો તેમજ ડસ્ટબીન ન રાખનારા અને ગંદકી ફેલાવતા 5 આસામીઓ પાસેથી રૂ.1,000નો દંડ લેવાયો હતો, રજકાના પૂળા વેચતા 48 આસામીઓ પાસેથી 157 પૂળા જપ્ત કરી રૂ.250નો દંડ વસૂલવામાં આવ્યો હતો, આમ, આજની ડ્રાઇવ દરમિયાન કુલ 141 આસામીઓ સામે કાર્યવાહી કરી કુલ રૂ.32,200નો દંડ વસૂલાયો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા માટેની આ ઝુંબેશ અને તપાસ ચાલુ રહેશે, શહેરને સ્વચ્છ રાખવા અને પર્યાવરણના હિતમાં શહેરીજનો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તેવી નમ્ર અપીલ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.
ભરૂચ શહેરમાં ફાયનાન્સ વાહનોની રિકવરીના નામે દાદાગીરી અને ગેરકાયદેસર દબાણ આચરનારા તત્વો સામે એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે ઝડપાયેલા રિકવરી એજન્ટો યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ધોમધખતી ગરમીમાં બંને આરોપીઓને ખુલ્લા પગે ફેરવીને પોલીસે ઘટનાની પુનઃરચના કરાવી હતી. પોલીસ સૂત્રો અનુસાર, આરોપીઓ રહાડપોર રોડ વિસ્તારમાં વાહનચાલકોને ધમકાવી, ગેરકાયદેસર દબાણ કરીને જબરદસ્તીથી વાહનો કબજે કરતા હતા. આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હતી. આ ગુંડાગીરીના કારણે 43 વર્ષીય ઉર્વીશ મોદીને ગંભીર માનસિક આઘાત પહોંચ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ, સતત ધમકીઓ અને દબાણને કારણે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના પરિણામે તેમનું અવસાન થયું. આ ઘટનાથી સમગ્ર શહેરમાં રોષની લાગણી ફેલાઈ હતી. આ પ્રકરણમાં વધુ એક વળાંક ત્યારે આવ્યો જ્યારે શેહજાન સોયેબ ખલિફા નામના યુવાને પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ અલગથી ફરિયાદ નોંધાવી. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરીને તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં રિકવરી એજન્ટોના નામે ચાલતી દાદાગીરી સામે પોલીસના આ કડક વલણથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરનારા તત્વોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામના એક વૃદ્ધ દંપતીને અંબાવાડાથી ગઠામણ રોડ પર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલી એક અજાણી રિક્ષાએ એક્ટિવાને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં બંનેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચતા હાલ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. પ્રસંગમાંથી ઘરે જતી વખતે અકસ્માત થયોઐઠોરના પંચાલવાસમાં રહેતા 65 વર્ષીય ગીતાબેન મણીલાલ પંચાલ અને તેમના પતિ મણીલાલ કરશનદાસ પંચાલ ગત 22 ફેબ્રુઆરીના રોજ ચાડા ગામે એક સામાજિક પ્રસંગમાં ગયા હતા. બીજા દિવસે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે બે વાગ્યે તેઓ પોતાના એક્ટિવા (નંબર GJ-01-LA-8057) પર પરત ઘરે જવા નીકળ્યા હતા. રિક્ષા ચાલકે એક્ટિવાને ટક્કર મારતાં દંપતીને ઈજાબપોરે અઢી વાગ્યાના સુમારે જ્યારે તેઓ અંબાવાડાથી ગઠામણ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક અજાણી રિક્ષાના ચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગીતાબેનને કપાળ અને જમણા હાથના ભાગે ઈજા થઈ હતી, જ્યારે તેમના પતિ મણીલાલને માથાના ભાગે, બંને હાથે-પગે અને નાક પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયાઅકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે. ગીતાબેને આ મામલે ખેરાલુ પોલીસ મથકે અજાણી રિક્ષાના ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) અને આત્મા પ્રોજેક્ટ, આણંદ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત આણંદના બોરસદ ચોકડી સ્થિત ATIC બિલ્ડીંગ ખાતે દર મંગળવારે 'પ્રાકૃતિક ખેતી ઉત્પાદન વેચાણ કેન્દ્ર' શરૂ કરવામાં આવ્યું છે. રાસાયણિક ખેતીના નુકસાન અંગે વધતી જાગૃતિને કારણે આ બજારને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર મંગળવારે બપોરે 3:00 થી સાંજના 6:00 કલાક દરમિયાન આ વેચાણ કેન્દ્ર ખાતે આણંદના નગરજનો મોટી સંખ્યામાં ખરીદી કરવા આવે છે. સ્થાનિક રહીશો રાસાયણિક ખાતરમુક્ત આહાર મેળવવા આ બજારનો લાભ લઈ રહ્યા છે. આ વેચાણ કેન્દ્ર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડે છે. નિયમિતપણે ખરીદી કરવા આવતા ગ્રાહકો શિલ્પા બડાયા અને આશા હિરાણીએ તેમના અનુભવો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. શિલ્પા બડાયાએ જણાવ્યું કે તેઓ નિયમિતપણે આ કેન્દ્રમાંથી ખેડૂતો દ્વારા સીધી વેચવામાં આવતી રાસાયણિક ખાતરમુક્ત શાકભાજી ખરીદે છે. તેમણે પ્રાકૃતિક ઉત્પાદનોના સ્વાદ અને ગુણવત્તાની પ્રશંસા કરી. તેમના મતે, પેસ્ટિસાઇડયુક્ત ખોરાકથી થતી બીમારીઓ અને દવાઓના ખર્ચથી બચવા માટે લોકોએ પ્રાકૃતિક અને સ્વાસ્થ્યપ્રદ વિકલ્પો અપનાવવા જોઈએ. તેમણે સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. અન્ય એક નિયમિત ગ્રાહક આશા હિરાણીએ જણાવ્યું કે તેઓ દર મંગળવારે આ કેન્દ્રની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે આ શાકભાજી વૈજ્ઞાનિક રીતે રાસાયણિક ખાતરમુક્ત સાબિત થયા છે, જે પરિવારના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. તેમણે ઉમેર્યું કે આ શાકભાજી કિંમતમાં પણ વ્યાજબી છે, જે ઘરના બજેટને જાળવી રાખે છે અને પર્યાવરણને પણ અનુકૂળ છે. તેમણે લોકોને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને આરોગ્યપ્રદ ઉત્પાદનો ખરીદવા માટે આ વેચાણ કેન્દ્રનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો.
જુલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલ ગયા હતા. તેના 9 વર્ષ પછી ફરી બે દિવસ ઈઝરાયલ જવાના છે. ઈઝરાયલની રાજધાની જેરૂસલેમમાં નેતન્યાહૂ સાથે મોદી મુલાકાત કરશે. 25-26 ફેબ્રુઆરી, મોદીની ઈઝરાયલની મુલાકાત પર દુનિયાની નજર છે. અત્યારે મીડલ ઈસ્ટમાં તણાવ છે. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરી શકે તેમ છે. આમ તો ઈરાન સાથે અમેરિકાને ન્હાવા નીચોવાનો સંબંધ નથી પણ ઈઝરાયલ માટે લડવા તૈયાર છે. ઈરાન અને ઈઝરાયલ પાડોશી દેશો છે. બંને વચ્ચે વર્ષોથી વૈમનસ્ય ચાલ્યું આવે છે. આવા સમયે મોદી ઈઝરાયલ જાય છે, આ મુલાકાત મીડલ ઈસ્ટનું ભવિષ્ય નક્કી કરી શકે છે. બીજું, ઈઝરાયલમાં નેતન્યાહૂથી ત્યાંના લોકો નારાજ છે. વિપક્ષ પણ કંટાળી ગયો છે. ઈઝરાયલના વિપક્ષી નેતા લેયર લેપિડે ચેતવણી આપી છે કે, નેસેટમાં (સંસદમાં) અમારી શરતો માનવામાં નહીં આવે તો અમે મોદીના ભાષણનો બહિષ્કાર કરીશું. જો આવું થાય તો નેતન્યાહૂની નીતિના કારણે ઈઝરાયલમાં મોદીનું અપમાન થયું ગણાય. પણ ઈઝરાયલ અને ભારતના સંબંધો જે રીતે મજબૂત છે તે જોતાં એવું લાગે છે કે નેતન્યાહૂ વિપક્ષને મનાવી લેશે. નમસ્કાર, ભારત અને ઈઝરાયલના સંબંધો પ્રમાણમાં સારા રહ્યા છે. ઈન્દિરાની સરકાર અને પછી નરસિમ્હા રાવની સરકાર હતી ત્યાં સુધી ભારત અને ઈઝરાયલના ડિપ્લોમેટિક સંબંધો નહોતા. ધીમે ધીમે ભારત-ઈઝરાયલના ડિપ્લોમેટિક સંબંધો બન્યા પણ આ સંબંધો વધારે મજબૂત બન્યા મોદી સરકારમાં. 2014માં મોદી વડાપ્રધાન બન્યા. 2015માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઈઝરાયલ ગયા. ઈઝરાયલની મુલાકાત લેનારા ભારતના પહેલા રાષ્ટ્રપતિ હતા. 2017માં નરેન્દ્ર મોદી ઈઝરાયલ ગયા. તે પણ ઈઝરાયલની મુલાકાત લેનારા ભારતના પહેલા વડાપ્રધાન બન્યા. ડિફેન્સ, ટ્રેડ, ટેકનોલોજી, AI જેવા સેક્ટરમાં ભારત-ઈઝરાયલ એકબીજાનો સહયોગ કરવાના છે. મોદી ઈઝરાયલ જઈને ઘણા કરાર પર હસ્તાક્ષર કરવાના છે. તેલ અવિવમાં મેટ્રો પ્રોજેક્ટ શરૂ થવાનો છે, તેના ટેન્ડર ઘણી ભારતીય કંપનીઓએ ભર્યા છે. આવનારા સમયમાં ઈઝરાયલની આયરન ડોમ જેવી સિસ્ટમ અને આધુનિક હથિયારો ભારત ખરીદે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી. ભારતમાં રહેલા ઈઝરાયલના રાજદૂતે શું કહ્યું? ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૂવેન અઝહરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 વર્ષ પછી ઈઝરાયલ આવી રહ્યા છે. અમારા વડાપ્રધાન નેતન્યાહૂ સાથે તેમના ખાસ સંબંધો છે. વડાપ્રધાન મોદીની ઈઝરાયલ મુલાકાત દરમિયાન પણ ઘણા કરારો પર હસ્તાક્ષર થવાના છે. અમે ભારત સાથે ડિફેન્સ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરને મજબૂત કરવા માગીએ છીએ. આતંકવાદનો સામનો કરવા માટે નવી ટેકનોલોજીને સાથે મળીને વિકસાવવાનો હેતુ છે. અમે ગઈકાલે જ (23 ફેબ્રુઆરી)એ ઈઝરાયલની સરકારમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે જેમાં ઈઝરાયલને દરેક ક્ષેત્રમાં આગળ વધારવાનું લક્ષ્ય છે. જેમ કે એજ્યુકેશન, એગ્રીકલ્ચર, ઈનોવેશન, ફાયનાન્સ, એનર્જી, માઈનીંગ જેવા ફિલ્ડમાં ડેવલપમેન્ટ માટે કરોડો ડોલર ભેગા કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે ભારત સરકાર સાથે આ સેક્ટર્સમાં ડેવલપમેન્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ અમે તેને લાગૂ કરવાનું શરૂ કરી દઈશું. આ સિવાય અમે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર સહી કરવા માગીએ છીએ. તેલ અવીવ ક્ષેત્રમાં ગ્રેટર મેટ્રોના પહેલા ચરણમાં ટેન્ડરો માટે યોગ્ય પ્રક્રિયા હવે શરૂ થઈ છે અને ઘણી ભારતીય કંપનીઓએ ટેન્ડર ભર્યા છે. અમે ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં વધારે કામ કરવા જઈ રહ્યા છીએ. રાજદૂત બોલ્યા, યુદ્ધ થાય તો અમે અમારી રક્ષા માટે તૈયાર છીએ મીડિયાએ રાજદૂત રૂવેન અઝહરને સવાલ કર્યો કે એક તરફ ભારતે ઈરાનમાં રહેતા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે, ઈઝરાયલમાં સ્થાનિક નાગરિકો પ્રદર્શન કરી રહ્યા છે તમે આ બંને બાબતને કેવી રીતે જુઓ છો? જવાબમાં રૂવેન બોલ્યા, અમે ઈરાનની સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છીએ. ઈરાન કાયમ ઈઝરાયલને ખતમ કરવાની ધમકી આપે છે. ઈરાન ન્યુક્લિયર વેપન, બેલેસ્ટિક મિસાઈલો બનાવવાના પ્રયાસ કરે છે. અમારા વિસ્તારમાં રહેલા આતંકી સંગઠનોને પણ મદદ કરે છે. અત્યારે અમારી અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. અમને આશા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત સફળ રહેશે અને અમને ખતમ કરવાની નીતિને ઈરાન બંધ કરી દેશે. જો ડિપ્લોમસી સફળ થાય છે તો ઈરાન પોતાનું વલણ બદલી શકે છે. જો ઈરાન માનશે નહીં તો સ્થિતિ વણસી શકે છે. ઈઝરાયલ સતર્ક છે.અમે અમારી રક્ષા માટે તૈયાર છીએ. મોદીની સ્પીચનો બહિષ્કાર થશે? નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીએ ઈઝરાયલ જવાના છે. વૈશ્વિક રાજનીતિમાં મોટા સંકેત તરીકે જોવાય છે. મોદી ઈઝરાયલ પહોંચે તે પહેલાં જ ઈઝરાયલની રાજનીતિમાં મોટી બબાલ થઈ ગઈ છે. વિપક્ષના સાંસદોએ નેતન્યાહૂને ચેતવણી આપી છે કે જો તેમની કેટલીક શરતો પૂરી ન થાય તો તેઓ સંસદમાં મોદીની સ્પીચનો બહિષ્કાર કરશે. એટલે આ મુલાકાત પર દુનિયાની નજર છે. 2017માં મોદી ગયા હતા ત્યારે સ્થિતિ જૂદી હતી. આ વખતે સ્થિતિ અલગ છે. ઈઝરાયલના વિપક્ષી નેતા લેયર લેપિડે ચેતાવણી આપી છે કે સંસદના સત્રમાં કેટલાક મુદ્દે સ્થિતિ સ્પષ્ટ નહીં થાય તો તો વિપક્ષી નેતાઓ વડાપ્રધાન મોદીના ભાષણનો બહિષ્કાર કરી શકે છે. લેપિડે એમ પણ કહ્યું કે, ભારત જેવા સન્માનિત દેશના વડાપ્રધાન અડધી ખાલી સંસદમાં ભાષણ આપે તે ભારતનું જ અપમાન ગણાશે. પણ આનો બધો આધાર નેતન્યાહૂના વલણ પર છે. દુનિયામાં જિયો-પોલિટિકલ હરિફાઈ તેજ થઈ ગઈ છે. મીડલ ઈસ્ટનું જિયોપોલિટિક્સ નાજુક વળાંક પર છે. ઈઝરાયલને ભારતના ડિફેન્સ બજેટમાં રસ છે. ભારત આધુનિક હથિયારોની ખરીદી કરે છે અને તેનું નિર્માણ પણ શરૂ કરી દીધું છે.ઈઝરાયલ ઈચ્છે છે કે ભારત વધારે ને વધારે હથિયારો ઈઝરાયલ પાસેથી ખરીદે. અમેરિકાના ન્યૂયોર્કમાં UN મહાસભા દરમિયાન નેતન્યાહૂ અને મોદી સપ્ટેમ્બર 2014માં પહેલીવાર મળ્યા હતા. એ પછી મોદી 2017માં ઈઝરાયલ ગયા. 2018માં નેતન્યાહૂ ભારત આવ્યા. પછી તો ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર બંનેની મુલાકાત થઈ. આ કારણે ભારત અને ઈઝરાયલ નજીક આવ્યા. ઓપરેશન સિંદૂરમાં ઈઝરાયલના હથિયાર વપરાયાં હતાં ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઓગસ્ટ 2025માં ભારતની એક ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. તેમાં તેમણે કહેલું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત પાકિસ્તાન પર ભારે પડ્યું હતું અને તેમાં ઈઝરાયલના હથિયારનો સિંહફાળો હતો. આ વખતની મોદીની મુલાકાતમાં ડિફેન્સ ડીલ મહત્વની છે. ફોકસ રહેશે બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ, ગાઈડેડ એનર્જી લેસર વેપન્સ અને ડ્રોનનું જોઈન્ટ પ્રોડક્શન. એટલે હવે ખરીદવાની વાત નથી પણ સાથે મળીને પ્રોડક્શન કરવાની વાત છે. કારણ કે હાલમાં જ ઈઝરાયલના વિદેશમંત્રી ગિદોનસારે ભારતને ગ્લોબલ સુપર પાવર કહ્યું હતું. બીજું, દિલ્હીમાં AI સમિટમાં ઈઝરાયલે તેના સૌથી મોટા ડેલિગેશનને મોકલ્યું હતું. એટલે ઈઝરાયલ ગમે તેમ કરીને ભારતની એકદમ નિકટ આવવા માગે છે અને ભારત સાથે લે-વેચની વાત નહીં, પણ એકબીજાના સહકારથી ડેવલપમેન્ટની વાત કરે છે. નહેરૂથી મોદી સુધી : ભારત- ઈઝરાયલના સંબંધો આવા રહ્યા છે છેલ્લે,જૂન, 1950માં ઈઝરાયલે નહેરૂને વિનંતી કરી કે તમે ઈઝરાયલને દેશ તરીકે માન્યતા આપો. ભારતે ત્રણ મહિના પછી 17 સપ્ટેમ્બર, 1950ના રોજ ઇઝરાયલને માન્યતા આપી. આ એ જ દિવસ હતો જ્યારે વડનગરમાં નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો. બીજી ખાસ વાત એ છે કે ઈઝરાયલે ત્યાંના પોપ્યુલર ફૂલ 'ક્રિસેન્ટ હ્યુમન'નું નામ બદલીને 'મોદી' કરી નાખ્યું છે. ઈઝરાયલનું ખાસ ફૂલ હવે મોદીના નામે ઓળખાય છે. (રિસર્ચ : યશપાલ બક્ષી)
સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના બરવાવ વિસ્તારમાં ઓનલાઈન ક્લાસિસના બહાને ચાલતા ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડો પાડી પોલીસે લાખોની છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી છે. જ્યારે એક કાર, 40 મોબાઈલ, 10 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, મોટી સંખ્યામાં હેડફોન, ચાર્જર અને કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓનલાઈન ક્લાસિસના નામે ઠગાઈનું નેટવર્કપ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના કેટલાક શખસોએ પોલીસની નજરથી બચવા માટે ઈડર જેવા અંતરિયાળ વિસ્તારની પસંદગી કરી હતી. સ્થાનિક આગેવાનના કોમ્પ્લેક્સમાં છેલ્લા 3 વર્ષથી ભાડાનું મકાન રાખીને આ કેન્દ્ર સંચાલિત કરવામાં આવતું હતું. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ભાડા કરારમાં 'ઓનલાઈન ક્લાસિસ' ચલાવતા હોવાનું દર્શાવીને આ અનૈતિક પ્રવૃત્તિ શરૂ કરી હતી. વિદેશી નાગરિકો સોફ્ટ ટાર્ગેટઆ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. આરોપીઓ વિદેશીઓને સસ્તી લોન આપવાની લાલચ આપી તેમની પાસેથી ડોલરમાં રકમ પડાવતા હતા. ત્યારબાદ આ રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હતી. SMCની 15 કલાક લાંબી કાર્યવાહીSMCની ટીમે બાતમીના આધારે બરવાવ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જે કાર્યવાહી સતત 15 કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી તપાસ કરી હતી.: જપ્ત મુદ્દામાલ 10 આરોપીઓની અટકાયતપોલીસે આ મામલે સ્થળ પરથી 10 આરોપીઓની અટકાયત કરી છે. પકડાયેલા શખસોની પૂછપરછમાં આ નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કોણ સામેલ છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી છે. SMCની આ કડક કાર્યવાહી બાદ સ્થાનિક સ્તરે પણ ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા હાલ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં સરકારી યોજનાઓ અને પાઠ્યપુસ્તકોના સપ્લાયના નામે મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી શાળાના પાઠ્યપુસ્તકો અને સાધનોના ટેન્ડરમાં રોકાણ કરી ઊંચા નફાની લાલચ આપી એક બિલ્ડર પાસેથી 1.70 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. પાઠ્યપુસ્તક મંડળના નકલી લેટર પેડ બનાવી ઠગાઈ કરવામાં આવી હતી. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડરે 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવીમૂળ અમરેલીના વતની અને હાલ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલી પાર્વતી નગર સોસાયટીમાં રહેતા 60 વર્ષીય બિલ્ડર રવજીભાઈ રજમતભાઈ કાબરીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમણે મોટા વરાછામાં રહેતા સંજય બાબુભાઈ પટેલ, બાબુભાઈ પ્રભુદાસ પટેલ અને કતારગામના અજીત કરસનભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરી છે. ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ બિલ્ડરને ફસાવ્યાઆરોપીઓએ રવજીભાઈને વિશ્વાસમાં લેવા માટે પાઠ્યપુસ્તક મંડળના નામે મોટું જાળ બિછાવ્યું હતું. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર સાથે જોડાયેલા છે અને ધોરણ-1થી 10 ના પાઠ્યપુસ્તકોના વિતરણના ટેન્ડર તેમની પાસે છે. આ સરકારી કામમાં રોકાણ કરવાથી ખૂબ જ ટૂંકા સમયમાં મોટો નફો મળશે તેવી લાલચ બિલ્ડરને આપવામાં આવી હતી. ટેન્ડર, ગ્રાન્ટના ખોટા અને બનાવટી પરિપત્રો છેતરપિંડીને અંજામ આપવા માટે આરોપીઓએ સુઆયોજિત કાવતરું રચ્યું હતું. તેમણે રવજીભાઈને સરકારી ગ્રાન્ટના ખોટા અને બનાવટી પરિપત્રો બતાવ્યા હતા. આ પરિપત્રો એવી રીતે તૈયાર કરવામાં આવ્યા હતા કે સામેની વ્યક્તિને તે અસલી લાગે. સરકારી કાગળો જોઈને રવજીભાઈને વિશ્વાસ બેઠો કે આ રોકાણ સુરક્ષિત છે અને તેમાં સરકારની સીધી સંડોવણી છે. વિશ્વાસ જીતવા માટે 23 લાખ પરત કર્યાકોઈપણ મોટા કૌભાંડની જેમ, અહીં પણ આરોપીઓએ શરૂઆતમાં ભોગ બનનારનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો હતો. રવજીભાઈએ જ્યારે શરૂઆતમાં રોકાણ કર્યું, ત્યારે આરોપીઓએ વિશ્વાસ કેળવવા માટે નફાના ભાગરૂપે ટુકડે-ટુકડે 23 લાખ પરત કર્યા હતા. આ રકમ મળતા રવજીભાઈને લાગ્યું કે સ્કીમ સાચી છે, અને તેમણે વધુ રકમનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. 1.70 કરોડ પડાવી લીધાએકવાર વિશ્વાસ સંપાદન કર્યા પછી, આરોપીઓએ રવજીભાઈ પાસેથી અલગ-અલગ સમયે અને અલગ-અલગ બહાને કુલ 1,70,00,000 જેટલી માતબર રકમ પડાવી લીધી હતી. આ રકમ પાઠ્યપુસ્તકોના છાપકામ, કાગળની ખરીદી અને વિતરણ વ્યવસ્થાના નામે લેવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નાયબ નિયામકના નામે બનાવટી પત્ર જ્યારે રવજીભાઈએ પોતાના નાણાં અને નફાની ઉઘરાણી શરૂ કરી, ત્યારે આરોપીઓએ તેમને ગેરમાર્ગે દોરવા માટે હદ વટાવી દીધી હતી. આરોપીઓએ 'નાયબ નિયામક (વહીવટ), ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર' ના નામે એક નકલી પત્ર તૈયાર કર્યો હતો. આ પત્રમાં નાણાંની ચુકવણી પ્રક્રિયામાં હોવાનું દર્શાવી સમય પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. છેતરાયા હોવાનો અહેસાસ થતાં ફરિયાદ નોંધાઈલાંબો સમય વીતવા છતાં જ્યારે કોઈ રકમ પરત ન મળી અને આરોપીઓ વારંવાર વાયદા કરવા લાગ્યા, ત્યારે રવજીભાઈને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તપાસ કરતા જાણવા મળ્યું કે પાઠ્યપુસ્તક મંડળના નામે અપાયેલા તમામ દસ્તાવેજો અને લેટર્સ બનાવટી હતા. આખરે તેમણે સુરત આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. EOW દ્વારા તપાસનો ધમધમાટસરથાણા પોલીસ મથકમાં આ અંગે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એચ.એમ. ચૌહાણ આ સમગ્ર કૌભાંડની કડીઓ જોડી રહ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે સરકારી પાઠ્યપુસ્તકોના નામે છેતરપિંડી આચરી છે.
વડોદરા માંજલપુર વિસ્તારમાં રહેતી બ્યુટી પાર્લર ચલાવતી મહિલાને યુકે વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને ઠગ પિતા પુત્ર દ્વારા તેમની પાસેથી રૂપિયા 19.58 લાખ પડાવી લીધા હતા. પરંતુ કોઇ વિઝા નહી બનાવી આપ્યા હોવાથી રૂપિયા પરત માગતા પિતા પુત્ર દ્વારા મહિલા ફોટા અને વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ ઠગ પિતા પુત્ર વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા સાર્થી ટેનામેન્ટમાં રહેતા સોનલબેન અરવિંદભાઈ પટેલે ( ઉ.વ.45) નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ વાઘોડીયા રોડ પિતાંબર ટાઉનશીપમાં એ ન્ટીક બ્યુટી કેર નામથી બ્યુટી પાર્લર કરી મારા પરીવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2014માં સોશિયલ મીડિયા પર કેતુલ પટેલની ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. જે તેમણે ન સ્વીકારતા આ સામાવાળાનો તેમને મેસેજ આવેલો કે બ્યુટી પાર્લર માટે વાત કરવી છે. મારી બહેનનું લગ્ન છે તો મારા પરીવારની સ્ત્રીઓને મેકઅપ કરીને તૈયાર થવાનું છે તો તમે મને તમારો કોન્ટેક નંબર મોકલી આપો. જેથી નંબર મેળવ્યાં બાદ તેઓ ગુડ મોનીંગ અને હાઈ હેલ્લોના મેસેજ કરતાં હતા અને મને તેઓએ મારી સાથે વાત કરવાનું તેઓને ગમે છે તેમ જણાવતાં હતા. ત્યારબાદ કેતુલે પટેલે કહ્યું હતું કે, તમારે વિદેશ જવુ હોય તો જણાવજો તેમ વાત કરી હતી. જેથી મહિલાએ વિદેશ જવામાં રસ હોવાથી તેમણે પણ યુકે જવા માટે જણાવ્યું હતું. જેથી તેમણે વિદેશના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂપિયા 19.58 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ તેમના પર ક્રોસ લેટર વોટ્સએપ પર મોકલી ડિલીટ કરી નાખ્યો હતો. ઘણો સમય થઇ ગયો હોવાં કોઇ વિઝા બનાવી આપ્યાં ન હતા. જેથી મહિલાએ રૂપિયાની પરત માગણી કરતા તેમની સાથે ફોટા તથા વિડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. આમ વિઝા નહી બનાવી આપીને કેતુલ પટેલ તથા કનુ પટેલ દ્વારા રૂપિયા 19.58 લાખની છેતરપિંડી આચરી હતી, જેથી પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા નેગોશિયેશન કરી કોર્પોરેશનના રૂ.3 કરોડ બચાવ્યા ભાવનગર મહાનગરપાલિકા ખાતે આવતીકાલે સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટી ના હોલ ખાતે ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી,જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 64 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી, આ કામો અંતર્ગત શહેરમાં ડ્રેનેજ લાઈન, 4 શાળાઓમાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવા, વિવિધ સ્થળો પર બસ સ્ટોપ બનાવવા માટે, આંગણવાડી બનવવા માટે, હિલ પાર્ક સર્કલ ડેવલોપમેન્ટ તથા ઓડિટોરિયમ બનાવવા માટે સહિતના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે, જેમાં કુલ 223 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, આ અંગે ચેરમેન રાજુભાઈ રાબડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરની જનતાની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં કરોડોના ખર્ચે વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર છે, સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં અંદાજે રૂ.223.97 કરોડના વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી, આ કામો માટે અમૃત ગ્રાન્ટ, નિર્મલ ગુજરાત ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ફંડ ફાળવવામાં આવી છે, જેમાં મુખ્યત્વે કરચલિયા પરા જેવા વિસ્તારની અંદર સ્ટોર્મ અને ડ્રેનેજ લાઈન માટે 119 કરોડ જેટલી માતબર રકમની સરકારએ સ્પેશિયલ પ્રોજેક્ટની અંદર મંજૂરી આપી છે અને કામ પણ મુકવામાં આવ્યું હતું, આ સાથે ભાવનગરની અંદર બસની જે સુવિધાઓ શરૂ થઈ છે, એના પીક-અપ માટે થઈને સીટીની અંદર બસ સ્ટેશનો બનાવવાના છે જેમાં 86 બસ સ્ટેશનો મંજૂર કરવામાં આવ્યા છે આગામી દિવસોની અંદર આ કામો, બે ટાઇપના અલગ અલગ બસ સ્ટેન્ડો બની રહ્યા છે, સ્ટેન્ડિંગ કમિટીની અંદર ચર્ચા-વિચારણા બાદ જે 10 બ્લોક છે, 10 બ્લોક 8 માર્ચ પહેલા સોંપી દેવા માટેની મંજૂરી આપી છે આ ઉપરાંત બાકીના બે બ્લોક છે એ માર્ચ મહિનાના એન્ડ સુધીમાં આપવા માટેની મંજૂરી આપી છે, આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે, એ આગામી દિવસોની અંદર જે લોકોપયોગી કામો છે, ખાસ કરીને કનેક્ટિવિટી માટે થઈને જે ભાવનગરનું નવું એન્ટ્રી પોઈન્ટ બની રહ્યું છે, એ ચિત્રા વિસ્તારની અંદર પાણીની ટાંકીથી મસ્તરામ સુધીનો 40 ફૂટ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પાણીની ટાંકીથી સિદસર સુધી ટુ-ટ્રેક હતો અને વાઈડનિંગ જૂની ટીપીના કારણે ન હતો, એને 40 ફૂટ રોડ બનાવવા માટેની પણ મંજૂરી આપી છે, આજના જે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઊંચા ભાવો આવ્યા હતા એમાં મારા લેવલેથી 8 કામોની અંદર નેગોશિયેશન કરતાં લગભગ લગભગ ભાવનગર મહાનગરપાલિકાને 3 કરોડ રૂપિયાની બચત કરવા માટેનો પ્રયાસ કર્યો છે, આ ઉપરાંત 4 અધ્યક્ષસ્થાનેથી મુદ્દા લેવામાં આવ્યા હતા જેમાં નાણાપંચની ટાઈડ-અનટાઈડ ગ્રાન્ટ, જમીન મહેસૂલ વિભાગની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવી છે અને ખાસ કરીને દેસાઈ નગરથી વિજયરાજનગર સુધી, આરટીઓ સુધીનો જે ઓવરબ્રિજ છે, એની આજુબાજુમાં જે જગ્યા સંપાદન કરવાની હતી એની મંજૂરી આપવામાં આવી છે, આગામી દિવસોમાં મંજૂરી મુજબ એને જે વળતર ચૂકવવાપાત્ર થશે એ કોર્પોરેશન ચૂકવશે અને જે જગ્યાઓ સંપાદન કરવાની છે એ સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે.
મહિલા પર બળાત્કાર અને હત્યાનો પ્રયાસ:નસવાડીમાં આરોપીની ધરપકડ, પીડિતા વડોદરા ખસેડાઈ
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક મહિલા પર બળાત્કાર ગુજારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના ગામની સીમમાં બની હતી, જ્યાં આરોપીએ મહિલાની એકલતાનો લાભ લીધો હતો. નસવાડી પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નસવાડી તાલુકાના એક ગામમાં 30 વર્ષીય મહિલા ગામની સીમમાં હતી ત્યારે વિકેશભાઈ નારણભાઈ ભીલ નામનો ઈસમ ત્યાં આવ્યો હતો. તેણે મહિલાની એકલતાનો લાભ લઈ તેને ઝાડીઓમાં ખેંચી જઈ બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા આરોપી વિકેશે પથ્થર વડે તેના કપાળ અને નાક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા બેભાન થઈ ગઈ હતી, જેના કારણે આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાદમાં, સીમમાં ગયેલા એક ગ્રામજને મહિલાને બેભાન અવસ્થામાં જોઈ હતી. તેમણે તાત્કાલિક મહિલાના ભાઈને જાણ કરી હતી. ભાઈ ઘટનાસ્થળે પહોંચી મહિલાને પ્રથમ નસવાડી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ત્યાંથી રાજપીપળા અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડી હતી. આ સમગ્ર ઘટના અંગે મહિલાના ભાઈએ નસવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વિકેશભાઈ નારણભાઈ ભીલની ધરપકડ કરી છે અને આગળની તપાસ ચલાવી રહી છે.
થોડા સમય પહેલાં જૂનાગઢ પટેલ કેળવણી મંડળની ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં છોકરો ઘુસી જતા વિવાદ થઈ ગયો હતો. આ મામલે વાલીઓએ ટ્રસ્ટી મંડળ સામે બાંયો ચઢાવી હતી. ત્યાર બાદ સમાધાન થઈ ગયું હતું. પરંતુ હવે પ્રિન્સિપાલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ કહે છે કે, મારા ખાતામાં 2.50 લાખ પગાર જમા થઈ જાય એટલે શાંતિ. ટ્રસ્ટી મંડળ અને પ્રિન્સિપાલના પ્રકારના વ્યવહાર સામે 'સમાજ બચાવો સંસ્થા બચાવો', 'ટ્રસ્ટી મંડળ હટાવો દીકરી બચાવો'ના બેનર સાથે વાલીઓએ પ્રતીક ઉપવાસ પર ઉતરી ગયા હતા. પ્રિન્સિપાલનો વાલીઓ સાથેના વિવાદનો વીડિયો વાઇરલવિગતવાર વાત કરીએ તો થાણા પીપળી ગામે જ્યારે પ્રિન્સિપાલ દિનેશ ડેઢાણીયાને વાલીઓ મળવા પહોંચ્યા ત્યારે વાલીઓએ સમગ્ર વાતચીતનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયોમાં પ્રિન્સિપાલની ભાષા અને શૈલી વાલીઓને આશ્વાસન આપવાને બદલે પડકાર ફેંકતી હોય તેવી સ્થિતિ જણાઈ રહી છે. પ્રિન્સિપાલે વાલીઓને સીધેસીધું કહ્યું હતું કે, ભાઈ પારિવારિક મામલો છે. આ આખો વિષય તમે જે માનતા હોય તે માનો, પરંતુ આ તો પટેલ કેળવણી મંડળનું જે રાજકારણ છે તે ચાલવાનું જ છે અને તેનાથી અંતે સમાજને જ નુકસાન થવાનું છે. 'તેમને આ વિરોધથી કોઈ ફરક પડવાનો નથી'પ્રિન્સિપાલે ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુનો બચાવ કરતા જણાવ્યું હતું કે, તેઓ 100 કરોડના માલિક છે અને તેમને આ વિરોધથી કોઈ ફરક પડવાનો નથી. જ્યારે વાલીઓએ સન્માનની વાત કરી ત્યારે પ્રિન્સિપાલે કબૂલ્યું કે, વાલીઓનું સન્માન થવું જોઇએ, પરંતુ સાથે જ તેમણે સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ વચ્ચેના વિખવાદની પોલ પણ ખોલી નાખી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રમુખ સવજીભાઈ અને ટ્રસ્ટી સીરીઝભાઈ જેન્ટલમેન્ટ છે અને તેઓ કાંતિભાઈને સમજાવવા પણ ગયા હતા કે આ બધું ખોટું થઈ રહ્યું છે, પરંતુ ટ્રસ્ટી રતિભાઈ વિશે તેમણે અત્યંત આકરા શબ્દો વાપરતા કહ્યું હતું કે, તે કાંતિભાઈ કરતા પણ વધુ ખરાબ માણસ છે. 'મારે તો પહેલી તારીખે અઢી લાખનો પગાર ખાતામાં પડે એટલે શાંતિ'પ્રિન્સિપાલ ડેઢાણીયાએ વાલીઓને સ્પષ્ટ કહી દીધું હતું કે, કાંતિભાઈ કોણપણ સંજોગોમાં માફી માગવાના નથી. માટે વાલીઓએ પોતાની રીતે લડી લેવું. આ વીડિયોમાં પ્રિન્સિપાલે પોતાની સંવેદનહીનતાનો પરિચય આપતા એમ પણ કહ્યું હતું કે, મને તો સીરીઝભાઈએ મોકલ્યો છે એટલે હું આવ્યો છું. મારે તો પહેલી તારીખે અઢી લાખ રૂપિયાનો પગાર ખાતામાં પડે એટલે શાંતિ. આ નિવેદને વાલીઓના આક્રોશમાં ઘી ઉમેરવાનું કામ કર્યું છે. કારણ કે, એક જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે દીકરીઓની સુરક્ષાના પ્રશ્ન પર પોતાના પગારની વાત કરે ત્યારે શિક્ષણની ગરિમા લજવાય છે. દીકરીઓની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા કથળીવાલી સમીર ભાલોડિયા, જીતુભાઈ જસાણી અને નિલેશભાઈ આકોલાએ આક્ષેપ કર્યો છે કે, સંસ્થામાં છેલ્લા 8 વર્ષથી કોઈ વાલી મીટિંગ યોજાઈ નથી. દીકરીઓની સુરક્ષા અને ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે એક સમયે 2,000થી વધુ દીકરીઓ અહીં ભણતી હતી, તેની સંખ્યા હવે ઘટીને માત્ર 600 થઈ ગઈ છે. સંસ્થાના ટ્રસ્ટીઓ સત્તાના નશામાં ચૂર થઈને સામાન્ય ખેડૂતોના ફાળાથી બનેલી આ સંસ્થાને પોતાની મિલકત સમજી રહ્યા છે. ટ્રસ્ટી મંડળના લૂલા બચાવથી સમાજમાં આક્રોશબીજી તરફ, સંસ્થાના પ્રમુખ સવજીભાઈ મેનપરાએ એવો લૂલો બચાવ કર્યો હતો કે જે યુવક હોસ્ટેલમાં આવ્યો હતો તે એક દીકરી સાથે સંબંધમાં હોવાથી આવ્યો હતો અને દીકરીની આબરૂ ન જાય તે માટે પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. જોકે, વાલીઓ આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે, જો સંસ્થા સુરક્ષિત હોય તો કોઈ અજાણ્યો માણસ અંદર કેવી રીતે પ્રવેશી શકે? અને રજૂઆત કરવા ગયેલા વાલીઓનું અપમાન કેમ કરવામાં આવ્યું? આ અન્યાય અને અપમાનના વિરોધમાં વાલીઓએ 9 તારીખે આવેદનપત્ર આપ્યું હતું. તે સમયે 24 તારીખે મીટિંગનું આશ્વાસન અપાયું હતું, પરંતુ ટ્રસ્ટીઓએ ફરી એકવાર વિશ્વાસઘાત કરતા મીટિંગ રદ કરી દીધી છે. હવે વાલીઓએ મક્કમ નિર્ધાર કર્યો છે કે જ્યાં સુધી ટ્રસ્ટીઓ જાહેરમાં માફી નહીં માંગે અને યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ ચાલુ રહેશે. શું છે સમગ્ર મામલોઆ સમગ્ર વિવાદના મૂળમાં નવરાત્રિ દરમિયાન બનેલી એક અત્યંત ગંભીર ઘટના છે. જૂનાગઢની મોતીબાગ પાસે આવેલી કન્યા હોસ્ટેલમાં એક અજાણ્યો યુવક ઘૂસી ગયો હતો અને અંદાજે 24 કલાક સુધી બાથરૂમમાં છુપાઈ રહ્યો હતો. આ ઘટનાએ હોસ્ટેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા હતા. વાલીઓનો આરોપ છે કે, જ્યારે તેઓ આ બાબતે રજૂઆત કરવા ગયા ત્યારે મેનેજિંગ ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુએ તેમની સાથે અભદ્ર ભાષામાં વાત કરી અને ગાળો ભાંડી હતી. ટ્રસ્ટીએ અહંકારમાં આવીને એવું નિવેદન પણ આપ્યું કે, આ સંસ્થા કોઈના બાપની જાગીર નથી, આ અમારા બાપની જાગીર છે. શિક્ષણ, રાજકારણ અને વાલીપણાની લડાઈઉલ્લેખનીય છે કે, પટેલ કેળવણી મંડળનો આ મુદ્દો હવે માત્ર એક સંસ્થાનો રહ્યો નથી, પરંતુ તે રાજકારણ અને શિક્ષણ વચ્ચેના સંઘર્ષનું પ્રતીક બની ગયો છે. વાલીઓમાં એવો રોષ છે કે સંસ્થાના કેટલાક ટ્રસ્ટીઓ રાજકીય ઓથ નીચે રહીને વાલીઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ પ્રિન્સિપાલ જેવા હોદ્દેદારો પોતાની જવાબદારી નિભાવવાને બદલે માત્ર આર્થિક ફાયદા અને આંતરિક જૂથવાદમાં વ્યસ્ત છે. આગામી સોમવારે જૂનાગઢમાં પટેલ સમાજ દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાલીઓ અને સમાજના અગ્રણીઓ કલેક્ટર, એસ.પી. અને આઈ.જી.ને આવેદનપત્ર પાઠવી આ મામલે તટસ્થ તપાસની માંગ કરશે. વાલીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો સંસ્થાના વહીવટમાં સુધારો નહીં આવે અને અહંકારી ટ્રસ્ટીઓને દૂર કરવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. શિક્ષણના ધામમાં દીકરીઓની સુરક્ષા સાથે થતા ચેડાં હવે સમાજ સહન કરવા તૈયાર નથી. આમ જે સંસ્થા સમાજના ઉત્થાન માટે બની હતી, તે આજે ટ્રસ્ટીઓના અહંકાર અને મનસ્વી વહીવટને કારણે પતનના આરે જઈ રહી હોવાનું વાલીઓમાં દુઃખ છે. જેન લઈ વાલીઓનું વાલીપણું હવે જાગૃત થયું છે અને તેઓ પોતાની દીકરીઓના ભવિષ્ય અને સુરક્ષા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે.
જોટાણા ખાતે આવેલી જાનકી કન્યા વિદ્યાલયમાં રજાના દિવસે તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તા નહીં પણ મહત્વના દસ્તાવેજો અને રોકડની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. શાળાના આચાર્યાએ સાંથલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમતો દોર શરૂ કર્યો છે. ચાર ઓફિસના તાળા ગાયબ ને ચોરીજોટાણાની જાનકી કન્યા વિદ્યાલયમાં આચાર્યા તરીકે ફરજ બજાવતા ઈલાબેન ભીખાભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત શનિવારે 21 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યે શાળા સમય પૂરો થતા પટ્ટાવાળા પાસે તમામ રૂમો બંધ કરાવી તેઓ ઘરે ગયા હતાં. રવિવારની રજા બાદ સોમવારે સવારે જ્યારે તેઓ શાળાએ આવવા નીકળ્યા ત્યારે પટ્ટાવાળા અમૃતભાઈએ ફોન કરી જાણ કરી હતી કે શાળાની ચાર ઓફિસોના તાળા ગાયબ છે અને કોઈએ ઓફિસ ખોલી હોવાનું જણાય છે. ટેબલનું ડ્રોવર તોડી ચાવીઓ લઈને ત્રણ તિજોરી ખંખેરીઆચાર્યા તાત્કાલિક શાળાએ પહોંચી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તસ્કરોએ આચાર્ય ઓફિસ, ક્લાર્ક ઓફિસ, સ્ટાફ રૂમ અને ભગિની ખંડના તાળા ખોલ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આચાર્યની ઓફિસમાં ટેબલનું ડ્રોવર તોડી તેમાંથી ચાવીઓ મેળવી તસ્કરોએ ત્રણ તિજોરીઓ આરામથી ખોલી હતી અને સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. 31,300 ની મત્તાની ચોરી કરીને તસ્કરો ફરારતપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તિજોરીમાં રાખેલ દાનના રૂ. 10,000 રોકડા, કમ્પ્યુટર ટીચરના પગારના રૂ. 5,300 ભરેલું કવર, અને પુરાવા નાશ કરવાના ઈરાદે શાળાના સીસીટીવી કેમેરાના બે ડીવીઆર કિંમત રૂ. 16000 ની ચોરી થઈ હતી.આ ઉપરાંત એક કાળા કલરની બેગ જેમાં શાળાના પરચુરણ કાગળો અને ક્લાર્કના દસ્તાવેજો હતા તે પણ ગાયબ જણાઈ હતી.કુલ રૂ.31,300 ની મત્તાની ચોરી અંગે સાંથલ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હોળી-ધૂળેટીના આગામી તહેવારોમાં રત્નકલાકારો અને શ્રમજીવીઓના વતન ગમન માટે સુરત એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને તારીખ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2026 દરમિયાન કુલ 580 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બસ સ્ટેશન પરથી એસટી મળી રહેશેમુસાફરોની સુવિધા માટે સુરતના વિવિધ વિસ્તારોમાંથી બસોનું સંચાલન થશે. બપોરે 4 કલાકથી રાત્રે 10 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે આવેલ સીટી બસ સ્ટેશન, રામનગર (રાંદેર રોડ), સુરત. આ ઉપરાંત અડાજણ બસ પોર્ટ, ઉધના, કામરેજ અને કડોદરા બસ સ્ટેશનથી પણ બુકિંગ થઈ શકશે. ટિકિટ બુકિંગ ક્યાંથી કરવું?મુસાફરો એડવાન્સ બુકિંગ એસ.ટી.ના તમામ બસ સ્ટેશનો અને નિમણૂક કરેલા બુકિંગ એજન્ટો દ્વારા, GSRTC ની સત્તાવાર વેબસાઈટ www.gsrtc.in પરથી ઓનલાઈન અને એસ.ટી.ની મોબાઈલ એપ્લિકેશન દ્વારા થઈ શકે છે. મુખ્ય આકર્ષણ 'એસ.ટી. આપના દ્વારે'આ વર્ષે પણ શ્રમજીવીઓ અને સોસાયટીના રહીશો માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. જો આખી બસનું ગ્રુપ બુકિંગ કરવામાં આવશે, તો એસ.ટી. આપના દ્વારે યોજના હેઠળ તે બસ સીધી તમારી સોસાયટી કે વિસ્તારમાંથી જ ઉપડશે અને સીધી વતન પહોંચાડશે. ગયા વર્ષની સફળતા અને લક્ષ્યાંકગયા વર્ષે હોળી દરમિયાન 548 ટ્રીપો દ્વારા 29 હજાર જેટલા મુસાફરોને વતન પહોંચાડવામાં આવ્યા હતા, જેનાથી નિગમને 94 લાખની આવક થઈ હતી. આ વર્ષે સુરત વિભાગે 1 કરોડ રૂપિયાની આવક મેળવવાનો અને અંદાજે 30 હજારથી વધુ શ્રમજીવીઓને સુરક્ષિત રીતે વતન પહોંચાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મુસાફરો હશે ત્યાં સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન ચાલુ રહેશેસુરત એસટી વિભાગીય નિયામક પી વી ગુર્જરે જણાવ્યું હતું કે, બસો મુખ્યત્વે ગોધરા, ઝાલોદ, દાહોદ, લુણાવાડા, છોટાઉદેપુર અને ક્વાંટ તરફ જશે. ગયા વર્ષે 548 બસો દ્વારા એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 94 લાખની આવક થઈ હતી. આ વર્ષે અમે 580 બસોનું આયોજન કર્યું છે અને જ્યાં સુધી મુસાફરો હશે ત્યાં સુધી અમે એક્સ્ટ્રા બસોનું સંચાલન ચાલુ રાખીશું. વિવિધ શહેરો માટે નક્કી કરવામાં આવેલ અંદાજિત ભાડું નીચે મુજબ છે:| ક્રમ | સ્થળ (વતન) | કુલ ભાડું| ૧ | અમદાવાદ (વાયા વડોદરા બાયપાસ) | ૩૨૫ || ૨ | દાહોદ | ૩૫૦ || ૩ | ઝાલોદ | ૩૫૫ || ૪ | ગોધરા | ૩૦૫ || ૫ | લુણાવાડા | ૩૩૦ || 6 | કવાંટ | ૩૦૫ || 7 | છોટાઉદેપુર | ૩૧૫ |(નોંધ: રામનગરથી ઉપડતી દાહોદ અને ઝાલોદની બસોનું ભાડું અનુક્રમે ₹૩૬૦ અને ₹૩૫૫ રહેશે.)
મહીસાગરના હાડોડ બ્રિજ પર અકસ્માત, એક બાળકનું મોત:લુણાવાડા જઈ રહેલા પરિવારના અન્ય બે સભ્યો ઘાયલ
મહીસાગર નદી પર આવેલા હાડોડ બ્રિજ પર એક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વર્ષના એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતનો ભોગ બનેલો પરિવાર લુણાવાડા ખાતે દવા કરાવવા જઈ રહ્યો હતો. આ અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કોઠંબા પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ નિવારવાના ઉમદા હેતુ સાથે જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. લુણાવાડાની પી.એન. પંડ્યા કોલેજ ખાતે અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન અને મહીસાગર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે ‘નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ‘જન ભાગીદારીથી જન કલ્યાણ’ના સૂત્રને સાર્થક કરે છે. આ કાર્યક્રમ મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, “હેલ્મેટ એ કોઈ બોજ નથી, પરંતુ વાહન ચાલકના મસ્તકની સુરક્ષા અને તેના પરિવારની રક્ષાનું અભેદ કવચ છે.” તેમણે ઉમેર્યું કે અકસ્માત અનિશ્ચિત હોય છે, પરંતુ જો ચાલકે સુરક્ષાના સાધનો પહેર્યા હશે તો તે સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછો ફરી શકશે. આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત મેઘમણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર આશિષભાઈ સોપારકર દ્વારા કુલ 900 થી વધુ હેલ્મેટનું અનુદાન આપવામાં આવ્યું છે. જેમાંથી પ્રથમ તબક્કામાં 100 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં તબક્કાવાર અન્ય વિતરણ કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે એ.એસ.પી. વિકાસ યાદવ, મમતા મશીનરીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશ પંડ્યા, લુણાવાડા પી.આઈ. જે.એસ. વળવી સહિત આર.ટી.ઓ. અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હેલ્મેટ સ્વીકારી માર્ગ સલામતીના નિયમોના પાલન માટે સંકલ્પ લીધો હતો. કાર્યક્રમના અંતે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક ‘હેલ્મેટ જાગૃતિ રેલી’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ દ્વારા હત્યાના ગુનામાં બે આરોપીઓને નિર્દોષ છોડાતા રાજ્ય સરકારે તેના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જો કે ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે પ્રોસીકયુશન કેસને શંકાથી પરે સાબિત કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, સાહેદોના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળે છે. જેથી હાઇકોર્ટે પણ આ ચુકાદાને યોગ્ય ઠેરવેલ છે સેશન્સ કોર્ટે પિતા-પુત્રને હત્યાના ગુનામાં નિર્દોષ છોડ્યા હતાં2003માં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે આરોપી પિતા અને પુત્રને હત્યાના ગુનામાં નિર્દોષ છોડ્યા હતાં. 2002ના ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં અમદાવાદમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતાં. ત્યારે 12 માર્ચના રોજ અમદાવાદમાં આવેલી ઈદગા મસ્જિદમાં રાત્રે 1 વાગે ટોળું ઘુસ્યું હતું. મસ્જિદમાં હાજર લોકોને ઇજાઓ કરી હતી અને મિલકતને નુકસાન કર્યું હતું. એક વ્યક્તિ ઉપર કેરોસીન નાખીને તેને સળગાવી દેવામાં આવ્યો હતો. જે સંદર્ભે માધુપુરા પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેની તપાસ બાદ બે આરોપી એવા પિતા પુત્ર ઉપર ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. સરકારે હાઈકોર્ટમાં અપીલ કરીઅમદાવાદ સીટી સેશન સેશન્સ કોર્ટે 5 સાહેદ અને 8 દસ્તાવેજી પુરાવા તપાસીને આરોપી પિતા પુત્રને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત હાઇકોર્ટમાં સરકારે અપીલ કરતા રજૂઆત કરી હતી કે સેશન્સ કોર્ટે સાહેદોની જુબાનીને મહત્વ આપ્યું નથી. ડોક્ટરની તપાસમાં પણ સામે આવ્યું છે કે મરનારનું મૃત્યુ દાઝી જવાથી થયું છે. 'મોટાભાગના એ આરોપીઓને જોયા નથી'જો કે કોર્ટે નોંધ્યું હતું કે પોલીસ ફરિયાદ 11થી 12 દિવસ જેટલી વિલંબથી કરવામાં આવી છે. ફરિયાદ સમયે આરોપીના નામ ફરિયાદ કરનારને ખબર નહોતા. ઘટના બની ત્યારે અમદાવાદ શહેરમાં કર્ફ્યુ લાગ્યો હતો. સાહેદોમાંથી મોટાભાગના એ આરોપીઓને જોયા નથી તેમ જ ઘટના નજરે જોનાર કોઈ શખસ પણ નથી. 'મસ્જિદમાં શું કરતા હતા અને તેઓ ત્યાં કેવી રીતે ગયા હતા ?'એક સાહેદના જણાવ્યા મુજબ મૃતકને જીવતો સળગાવીને આરોપીઓ ભાગી ગયા હતાં. ઘટના બનતા પોલીસથી આવી પહોંચી હતી અને ટીયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેર્યું હતું. રાત્રિના સમયે 200- 250 માણસોનું ટોળુ મસ્જિદમાં ઘૂસ્યું હતું. ત્યારે કોર્ટે નોંધ્યું હતું કે રાત્રિના 1 વાગ્યાનો સમય હતો અને કર્ફ્યુ હતો, તેમ છતાં સાહેદ સહિતના કેટલાક લોકો મસ્જિદમાં શું કરતા હતા અને તેઓ ત્યાં કેવી રીતે ગયા હતા ? હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યોફરિયાદ મુજબ આરોપી પિતાએ મૃતકને પકડી રાખ્યો હતો અને પુત્રે કેરોસીન છાંટીને સળગાવ્યો હતો. પરંતુ કેરોસીન તેઓ કેવી રીતે અને શેમાં લઈને આવ્યા હતા તેનો કોઈ ઉલ્લેખ નથી. જેથી ઘટનાને નજરે જોનાર દાવો કરનાર સાહેદ ત્યાં હાજર હતો તેવું માની શકાય તેમ નથી. વળી મૃતક કે ડેડબોડી પર ક્યાંથી મળી તેવું પણ સાહેદ જાણતા નહોતા. સાહેદોની જુબાનીમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો. આમ પ્રોસોક્યુશન પક્ષ દ્વારા કેસને શંકાથી પરે સાબિત કરવામાં નિષ્ફળ નીવડતા સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવવામાં આવ્યો હતો.
રાજકોટ સ્થિત PGVCL ની કચેરી દ્વારા છેલ્લા બે મહિનામાં રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી રૂ.2.28 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. બંને જિલ્લાના 7 ગામો એવા છે કે જ્યાં વીજ કર્મચારીઓને ચેકિંગ માટે પ્રવેશવા દેવામાં આવતા ન હતા અને તેથી પીજીવીસીએલ દ્વારા પોલીસની મદદ લેવામાં આવી. બંને જિલ્લાના એસ.પી.ની મદદથી વીજ ચેકીંગ શક્ય બન્યુ. જે માટે પોલીસ દ્વારા ડ્રોન દરોડા પાડવામાં આવ્યા હતા અને 42 SRP જવાનો તેમજ 321 સ્થાનિક પોલીસના જવાનોના લોખંડી બંદોબસ્ત વચ્ચે પીજીવીસીએલની 164 ટીમોએ ચેકિંગ કર્યું હતું. જેમાં 1147 માંથી 327 વિજ જોડાણમાં ગેરરીતિ પકડાઈ હતી. પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટર કેતન જોશી, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી વીજ ચેકિંગની કામગીરી ન કરવા દેતા ગામો જેવાકે સુદામડા, સાયલા, જાની વડલા, નાની મેલડી, થાન, આંકડિયા અને મોટા માત્રા ગામોમાં પોલીસને સાથે રાખી પીજીવીસીએલની ટીમ ત્રાટકી હતી અને વિજ ચોરી પકડી પાડી દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની 164 ટીમ તેમજ 321 સ્થાનિક પોલીસના જવાનો, 35 જીયુવીએનએલ પોલીસ અને 42 એસ.આર.પી. જવાનો સહીતના સુરક્ષાકર્મીઓ જોડાયા હતા. આ વીજ ચેકિંગની કામગીરી દરમ્યાન કુલ 1147 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ 327 વીજ જોડાણોમાં ગેરરીતી જોવા મળતા કુલ રૂ.2.28 કરોડની વીજ ચોરી પકડી પાડી હતી. આ ઉપરાંત વીજ ચોરીના સ્થળેથી 24.66 કિલોમીટર લાંબા કેબલ તેમજ 1 પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર કબજે કરવામાં આવ્યુ હતુ. પીજીવીસીએલ તેમજ પોલીસતંત્રની આ સયુંકત કામગીરીને પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજચોરીમાં પકડાયેલા ગ્રાહકો/બિનગ્રાહકો સામે વીજ કંપનીના પોલીસ સ્ટેશન દ્વારા વીજચોરીનો ગુનો દાખલ કરી વીજચોરો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. વીજચોરીને કારણે રાજ્ય અને રાષ્ટ્રને મોટું નુકશાન થાય છે અને વીજળીનો વેડફાટ પણ વધે છે. ક્યારેક વીજ ચોરી કરતા સમયે વીજ અકસ્માત થતા વ્યક્તિનો જીવ ગુમાવવાના કિસ્સાઓ પણ બને છે.જો કોઈ સ્થળે વીજચોરી થતી હોવાની જાણ થાય તો જાગૃત નાગરીકો પીજીવીસીએલની વેબસાઈટ www.pgvcl.com મારફતે આ અંગેની ફરિયાદ મોકલી શકે છે. ઉલ્લેખનીય છે કે માહિતી આપનારનું નામ તેમજ અન્ય વિગતો તદ્દન ગુપ્ત રાખવામાં આવતી હોય છે. વર્તુળ કચેરી -તાલુકો -ગામ -પકડાયેલા વિજ જોડાણ - આકારણી (લાખમાં)રાજકોટ ગ્રામ્ય - જસદણ -મોટા માત્રા -74 -68.60રાજકોટ ગ્રામ્ય - વિંછીયા -આંકડિયા -29 -30.10સુરેન્દ્રનગર - થાન - થાન -64 -73.88સુરેન્દ્રનગર - સાયલા -સુદામડા -91 -49.34સુરેન્દ્રનગર - ચોટીલા -નાની મોલડી -47 -42.28 સુરેન્દ્રનગર - ચોટીલા -જાની વડલા -19 -10.23 સુરેન્દ્રનગર - સાયલા -સાયલા -03- 8.50કુલ - 327 -282.93
એઆઇ સમિટમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. 'હાય રે રાહુલ, હાય રે કોંગ્રેસ'ના નારા લાગ્યારેસ્કોર્સ નજીક યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કાઉન્સિલરો જોડાયા હતા. મહિલાઓએ હાય રે રાહુલ હાય હાય અને હાય રે કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના આ કૃત્યને તેઓએ દેશનું અપમાન ગણાવ્યું હતું. 'કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી રહી છે'શહેર ભાજપના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય એઆઇ સમિટમાં વિશ્વભરના દેશના પ્રતિનિધિઓ હાજર હતા ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલું આ કૃત્ય તેઓની દેશ વિરોધી માનસિકતા છતી કરે છે. કોંગ્રેસ હંમેશા દેશને નીચું દેખાડવાનું કામ કરતું આવ્યું છે જે આ વખતે પણ કર્યું. આ વિરોધ પ્રદર્શનમાં મહિલા મોરચાના પ્રમુખ સ્નેહલ પટેલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
દિલ્હી ખાતે આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશ વિશે કરવામાં આવેલી ટિપ્પણીને ભાજપે 'દેશ વિરોધી માનસિકતા' ગણાવી હતી આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે આજે ભાવનગર શહેર ભાજપ મહિલા મોરચા એક દીવસીય શહેરના ઘોઘા ગેઇટ ચોક ખાતે ઘરણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની છબી ખરડાય તેવા નિવેદનો આપીને કોંગ્રેસે ફરી એકવાર પોતાની માનસિકતા છતી કરી છે આ મામલે ભાવનગર મહાનગર મહિલા મોરચા દ્વારા ભાવનગરના હાર્દ સમાન ઘોઘા ગેટ વિસ્તારમાં ધરણા યોજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, રાહુલ ગાંધી અને કોંગ્રેસની કથિત દેશ વિરોધી માનસિકતાનો વિરોધ.હીનાબેન શાહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતને બદનામ કરવાનો આ પ્રયાસ 140 કરોડ દેશવાસીઓના ગૌરવને ઠેસ પહોંચાડે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા દેશની છબીને નુકસાન પહોંચાડતું નિવેદન અત્યંત નિંદનીય છે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આ પ્રકારની 'દેશ વિરોધી માનસિકતા'નો કડક શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. મહિલા કાર્યકરોએ એકત્ર થઈ ધરણા દ્વારા પોતાનો રોષ પ્રગટ કર્યો હતો, નિવેદન આપતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભાજપ માટે હંમેશા 'દેશ પ્રથમ, રાજકારણ પછી' નો સિદ્ધાંત રહ્યો છે રાજકીય મહત્વાકાંક્ષા માટે વિદેશમાં જઈને દેશનું અપમાન કરવું એ અસ્વીકાર્ય છે. કોંગ્રેસની આ માનસિકતા દેશને નબળો પાડનારી છે. અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને જનતા સમક્ષ આ વાસ્તવિકતા લાવતા રહીશું.
અમદાવાદના વાડજ પોલીસ મથકે વર્ષ 2025ના અંતમાં પુત્રવધુના પિયરીયાઓ સામે જમાઈની હત્યા કરવાનો ગુનો નોંધાયો હતો. જે સંદર્ભે આરોપી નરેશ પરમાર અને મેહુલ પરમારે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને સીટી સેશન્સ કોર્ટે ફગાવી નાખી છે. અરજદારો વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે અને તપાસ પૂર્ણ થઈ ચૂકી છે. આરોપીઓની કસ્ટડીની હવે કોઈ જરૂર નથી. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. મરણ જનાર પોતે માનસિક સારવાર કરાવતા હતા. તેઓ વ્યસની અને જનૂની સ્વભાવના હતા. તેઓએ જાતે કૂદીને આપઘાત કર્યો હતો. જ્યારે મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે સામે દલીલ કરી હતી કે, આરોપીઓએ મરણ જનારને પાંચમાં માળેથી નીચે ફેંકીને તેમની હત્યા કરી છે. તેમની ગુનામાં સક્રિય ભાગીદારી હોવાથી તેમને જામીન આપી શકાય નહીં. પુત્રવધુ ગોમતીપુરના રેડીમેડ કપડાના કામ સાથે સંકળાયેલી હતીકેસને વિગતે જોતા ફરિયાદીના દીકરાએ લગભગ 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓના સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયા હતા. તેઓ વાડજ ખાતે રહેતા હતા, પરંતુ તેમનું મકાન રી ડેવલપમેન્ટમાં જતા તેઓ શાહીબાગ ખાતે ભાડે રહેવા ગયા હતા. જ્યારે તેમના પુત્રવધુ ગોમતીપુરના રેડીમેડ કપડાના કામ સાથે સંકળાયેલી હતી. પુત્ર અને પુત્રવધુ વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલતા હતાપુત્રવધુએ કહ્યું હતું કે, તેની પર 7 લાખનું દેવું થઈ ગયું છે, જેને ભરપાઈ કરે. ત્યારબાદ તે રિસાઈને પોતાની દીકરીને લઈને પિયર જતી રહી હતી. દીકરો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. વહુ બાદમાં ઘરે આવી ગઈ હતી. ત્યારે દીકરાએ કહ્યું હતું કે, તે તેને લેવા આવત, શા માટે વહેલા આવી ગઈ ? બંને વચ્ચે નાના-મોટા ઝઘડા ચાલતા હતા. 5મા માળેથી નીચે ફેંકી દેતા લોહી લુહાણ હાલતમાં તેનું મૃત્યુ નીપજ્યુંતે દરમિયાન બીજ ભરવા માટે તેઓ હાથીજણ મંદિરે જઈને ઘરે આવ્યા હતા. ત્યારબાદ અચાનક જ ફરિયાદીના પુત્રવધુના પિયરીયાઓ જેમાં પુત્રવધુના મમ્મી, તેમના જમાઈ, દીકરી, કાકાનો દીકરો વગેરે ઘરે આવ્યા હતા. જેઓએ તેમના પુત્રને ગાળો આપીને તેમની અને તેમના દીકરા સાથે મારામારી શરૂ કરી હતી. તેમને ખેંચીને મકાનના રસોડા પાસે આવેલી ચોકડીમાં લઈ ગયા હતા અને 5માં માળેથી નીચે ફેંકી દેતા નીચે પડવાથી લોહી લુહાણ હાલતમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય અનાથ સગીરા પર 6 શખસે અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. વડોદરાના એક યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે અન્ય ચાર યુવક અને સગીરે પણ સગીરા પર અલગ અલગ સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હતી. સગીરાને પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે 5 યુવક અને એક સગીર સામે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. વરણામા પોલીસે છ આરોપીની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટના આદેશથી 5 આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયા છે અને એક સગીરને બાળ રિમાન્ડ હોમમાં મોકલાયો છે. વડોદરાના યુવકે લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચર્યું વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા યુવક રોહિત રાઠોડિયાને વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે પરિચય થયો હતો. એક વર્ષ પહેલાં રોહિત સગીરાને વારંવાર મળતો અને લગ્નની લાલચ આપી હતી અને ફોસલાવી પટાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા, જોકે યુવકે તેની સાથે લગ્ન કર્યા નહોતા. યુવકે સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. રોહિત અને સગીરાના સંબંધ જાહેર કરવાની ધમકી આપી અન્ય પાંચ યુવકે કુકર્મ આચર્યું રોહિત અને સગીરા વચ્ચેના સંબંધોની જાણ થતાં શૈલેષ ઉર્ફે અજય વસાવા, મનોજ વસાવા, સંજય રાઠોડ, સાહિલ ઘાંચી અને એક સગીર સહિતનાએ સગીરાને મારી નાખવાની ધમકી આપતા હતા. મુખ્ય આરોપી રોહિત સાથેના સંબંધની બીજા 5 છોકરાને ખબર પડી ગઈ હતી. તેમણે સગીરાને ધમકી આપી હતી કે જો તે તેમની સાથે સંબંધ નહીં રાખે તો તેઓ આ વાત જાહેર કરી દેશે અથવા તેને જાનથી મારી નાખશે. આવી ધમકીઓ આપીને અલગ-અલગ સમયે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. 10 ફેબ્રુઆરી 2025થી 20 ડિસેમ્બર 2025 દરમિયાન યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતાં 6 આરોપીનો ભાંડો ફૂટ્યો આરોપીઓ અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે સગીરાને લઈ જતા હતા. સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. તેને હાલ પાંચથી છ મહિનાનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે, જેની જાણ સગીરાએ પરિવારને કરતાં આખરે મામલો વરણામા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. આ મામલે 6 આરોપી યુવક સામે દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સગીરાનાં માતા-પિતાનાં થઈ ચૂક્યાં છે અવસાન સગીરાનાં માતા-પિતાનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે, જેથી તે તેના સંબંધી સાથે રહે છે. તેણે 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને અત્યારે ભણતી નથી. સગીરા અનુસૂચિત જાતિની છે. જેથી આ મામલે વરણામા પોલીસે દુષ્કર્મ અને પોકસો સિવાય એટ્રોસિટીનો ગુનો પણ દાખલ કર્યો હતો અને 6 આરોપીની ધરપકડ કરી હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસે દેતડ ગામમાં ગેરકાયદેસર દારૂના વેચાણના આક્ષેપો અંગેની તપાસ બાદ મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું કે, મારામારીના ગુનાને છુપાવવા માટે દારૂ વેચાણનો મુદ્દો ઉઠાવીને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની શરૂઆત 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાત્રે થઈ હતી, જ્યારે દેતડ ગામના આશરે 100 જેટલા સ્ત્રી-પુરુષો સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે ગામના અશ્વિનભાઈ છગનભાઈ વાઘેલા પર ગેરકાયદેસર દારૂનો ધંધો ચલાવવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આવેદનપત્ર સુપરત કરીને પ્રોહિબિશન દૂર ન થાય તો આંદોલનની ચીમકી અપાઈ હતી. આક્ષેપોની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમરેલીના SP સંજય ખરાતે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. DYSP નયના ગોરડીયા અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, 30 જાન્યુઆરી, 2026 ના રોજ દેતડ ગામમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 કલમ 194 હેઠળ એક ગુનો નોંધાયો હતો. આ ગુનામાં મૃત્યુ પામનારનું પ્રાથમિક કારણ પેનલ ડોક્ટર દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ મુજબ 'કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ' દર્શાવાયું છે. જોકે, મૃત્યુનું અંતિમ કારણ વિસેરાના કેમિકલ એનાલિસિસ રિપોર્ટ પર આધારિત છે, જે હજુ મળ્યો નથી. મૃતકના પરિવારજનો દ્વારા અશ્વિનભાઈ વાઘેલા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. 22 ફેબ્રુઆરી, 2026 ના રોજ સાંજે મૃતકની લીલ વિધિ બાદ પરિવારજનો ઉશ્કેરાઈને અશ્વિનભાઈના ઘરે પહોંચ્યા હતા. તે સમયે અશ્વિનભાઈ ઘરે હાજર ન હોવાથી તેમની પત્ની રેખાબેન અને માતા અંબાબેનને ગાળો આપી, હુમલો કરી મારામારી કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટના અંગે 112 પર કોલ મળતા જનરક્ષક ટીમ દેતડ ગામે પહોંચી હતી. ત્યારબાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાર મહિલાઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે સ્પષ્ટ કર્યું કે, આ મારામારીના ગુનાને છુપાવવા માટે અમુક ચોક્કસ લોકો દ્વારા દારૂ વેચાણના મુદ્દે એક ટોળું ભેગું કરીને સમગ્ર મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ DYSP નયના ગોરડીયાએ જણાવ્યુ મોત મામલે સઘન તપાસ ચાલુ છે. જો તપાસ દરમિયાન ગુનાહિત કૃત્ય સામે આવશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તાજેતરના મારામારીના ગુનાની ન્યાયિક તપાસ ચાલુ છે.દારૂબંધી અમલ માટે અમારી પોલીસ કટિબદ્ધ છે.પોલીસ જનતાને અપીલ કરે છે કે ગેરકાયદેસર દારૂ અંગે માહિતી હોય તો તાત્કાલિક સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મો.નં. 63596 27890 પર સંપર્ક કરવો.
જો તમે સોમનાથ દર્શન કરવા જવાના હોવ અને સોમનાથ ટ્રસ્ટના અલગ અલગ ત્રણ અતિથિ ગૃહમાં રોકાવા માટે ઓનલાઈન બુકીંગ કરાવતા હોવ તો સાવચેત રહેજો. કારણ કે, ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સોમનાથ ટ્રસ્ટના નામે ચાલતી ફેક વેબસાઈટનો પર્દાફાશ કર્યો છે. રાજસ્થાનથી ચાલતા આ રેકેટમાં અત્યાર સુધીમાં 90 યાત્રાળુઓ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનની આ ગેંગ ચોક્કસ મોડસ ઓપરેન્ડીથી યાત્રાળુઓને નિશાન બનાવતા હતા. પોતે બનાવેલી ફેક વેબસાઈટ ગુગલ સર્ચમાં ઉપર દેખાય તે માટે પેઈડ પ્રમોશન પણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. સોમનાથમાં કાર્યરત ત્રણ અતિથિ ગૃહના બુકીંગ માટે ફેક વેબસાઈટ બનાવીવિશ્વવિખ્યાત શ્રી સોમનાથ ટ્રસ્ટના નામે ફેક વેબસાઈટ બનાવી ભક્તોને છેતરતા ગેંગનો સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓ સોમનાથ ટ્રસ્ટના સાગર દર્શન અતિથિ ગૃહ, મહેશ્વરી અતિથિ ગૃહ અને લીલાવતી અતિથિ ભુવનના બુકીંગ માટે એક ફેક વેબસાઈટ બનાવી હતી. જેમાં પોતાનો નંબર મૂકીને યાત્રાળુઓ પાસેથી બુકીંગના નામે પૈસા ખંખેરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મૂળ વેબસાઈટ જેવી જ ડિઝાઈન અને લોગોનો ઉપયોગ કરી ડુપ્લિકેટ સાઈટ તૈયાર કરી હતી. ગૂગલ સર્ચમાં ઉપર આવે તે માટે પેઈડ પ્રમોશન પણ કરાયું હતું. ભક્તો ઓનલાઈન પૂજા કે દાન માટે ક્લિક કરતા જ તેઓને ખોટા મોબાઈલ નંબર પર સંપર્ક કરવા દોરવામાં આવતા હતા. ત્યારબાદ આરોપીઓ UPI અને બેંક ટ્રાન્સફર મારફતે રૂપિયા પડાવતા હતા. આરોપીની મોડસ ઓપરેન્ડીઆ કામના આરોપીઓ દ્વારા એકસાથે મળી સોમનાથ ટ્રસ્ટ હસ્તકની સોમનાથ સાગર દર્શન, લીલાવતી અતિથીભવન તથા મહેશ્વરી અતિથી ભવન નામની હોટેલોના નામની A। દ્વારા ફેક વેબસાઇટો બનાવી હતી. આ ઉપરાંત AGODA પ્લેટફોર્મ પર સોમનાથ ટ્રસ્ટની મંજુરી વગર હોટલોનું ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરાવેલ હતું. હોટલના મુળ ફોટાઓનો ઉપયોગ કરી તેમાં એડિટિંગ કરીને ખોટા બુકીંગ મોબાઇલ નંબરો દર્શાવ્યા. પર્યટકોને લોકેશન આપવા માટે લોકેશન ચેન્જર નામની એપ્લીકેશનનો ઉપયોગ કરતા હતા. પર્યટકોને ભ્રમિત કરતા હોઈ અને સાયબર સીંડીકેટના આરોપીઓ છેતરપીંડીના રૂપિયા મેળવવા સારુ QR CODE સ્કેનર મારફતે રૂપિયા મેળવી તેના બદલામાં AI દ્વારા જનરેટ કરવામાં આવેલ બુકિંગ રીસીપ્ટ ભોગબનારને મોકલી આપતા હતા.જ્યારે પર્યટકો અતિથિ ગૃહ પર પહોંચે ત્યારે માલૂમ પડતું તે તેની સાથે ફ્રોડ થયો છે. ઝડપાયેલા આરોપીઓના નામ આ પ્રકારની છેતરપિંડીથી બચવા આ બાબતનું ધ્યા્ન રાખો
સુરત મહાનગરપાલિકા દ્વારા અમરોલી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી સરકારી જમીન પર કબજો જમાવીને બેઠેલા દબાણકર્તાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે અને બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા-પાકા શેડનું ડિમોલેશનઅમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા-પાકા શેડ અને ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે તંત્રને અનેક ફરિયાદો મળી હતી ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસરો દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આ પછી દબાણો જાતે ન હટાવાતા આજે સવારથી જ મનપાનો કાફલો જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. કરોડોની જમીન ખાલી કરાવાઈમનપાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કામગીરી દરમિયાન હજારો ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે, જેની બજાર કિંમત કરોડોમાં અંકાય છે. આ વિસ્તારમાં રસ્તા નડતરરૂપ દબાણો અને સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવતા અનેક રસ્તાઓ પણ હવે વધુ મોકળા બનશે. ડિમોલિશન દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસની હાજરીને કારણે તંત્રએ મક્કમતાથી પોતાની કામગીરી ચાલુ રાખી હતી. ‘સ્વેચ્છાએ દબાણો હટાવી લે નહી તો કા્ર્યવાહી થશે’સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરના અન્ય વિસ્તારોમાં પણ જ્યાં સરકારી જમીન કે જાહેર માર્ગો પર દબાણ છે ત્યાં આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદે કબજો કરનારાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સ્વેચ્છાએ દબાણો હટાવી લે નહી તો મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે થોડા દિવસ પૂર્વે ટ્રક ડ્રાઇવર પર હુમલો થયો હતો, જે મામલામાં ટ્રક ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નીપજતા ગુનો હત્યામાં ફેરવાયો છે. રેતીના ભાવ મુદ્દે થયેલી બોલાચાલીમાં કેટલાક ઈસમોએ લાકડાના ધોકા અને છરીથી હુમલો કર્યો હતો, જે બનાવના પગલે પોલીસે સગીર સહિત 3 લોકોને ઝડપી લઈ ઝડપાયેલા શખ્સો સામે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ ટ્રક ઉભો રખાવ્યોઆ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા અને ડ્રાઇવિંગના વ્યવસાય સાથે ખેતમજૂરી કરતા ગોગાભાઈ ઉર્ફે રાજુભાઈ વાલજીભાઈ ગઢાદરા (ઉં.વ.37) સાથે કેટલાક ઈસમોએ હુમલો કર્યાની ગંભીર ઘટના સામે આવી હતી. ફરિયાદ મુજબ તા. 19 ફેબ્રુઆરીના રોજ બપોરે જમ્યા બાદ ચેતનસિંહ દરબારનો છ વ્હીલ ટ્રક લઈને લાખણકા ગામે રેતી ભરવા જઈ રહ્યા હતા. ત્યારે બપોરના આશરે અઢી વાગ્યે ભેંસવડી રોડ પર મોરચંદ ગામની સીમમાં પહોંચતા પાછળથી બે મોટરસાયકલ પર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ટ્રક ઉભો રખાવી રેતીના ભાવ બાબતે પુછપરછ કરી હતી. ગોગાભાઈને બંને પગ, પેટ અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચીભાવની જાણ ન હોવાનું કહેતા જ ચારેય શખ્સોએ અપશબ્દો બોલી ગોગાભાઈને ટ્રકમાંથી નીચે ઉતારી લાકડાના ધોકા અને છરીથી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો, જેમાં ગોગાભાઈને બંને પગ, પેટ અને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ દેકારો કરતા શખ્સો મોટરસાયકલ લઈને નાસી છૂટ્યા હતા, જે બાદ ઇજાગ્રસ્ત ગોગાભાઈ ટ્રકને ત્યાં જ છોડી દઈ પગપાળા ઘરે જવા નીકળ્યા હતા, પરંતુ ઈજાગ્રસ્ત હોવાના કારણે લોહી વહેતુ હોવાથી નથુગઢ ગામ નજીક લીમડી ધાર પાસે કમજોરીના કારણે તેઓ નીચે પડી ગયા હતા. ડ્રાઈવરનું મોત નીપજતાં હત્યાની કલમનો ઉમેરો કરાયોબાદમાં 108 મારફતે ગોગાભાઈને સારવાર માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકમાં અજાણ્યા ચાર ઈસમો સામે ગુનો દાખલ થયો હતો. ત્યારબાદ તા. 23 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગોગાભાઈનું મોત નીપજતાં પોલીસે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લોકલ લોકોની મદદ લઈ આ બનાવને ડિટેક્ટ કર્યોઆ અંગે ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું હતું કે, તારીખ 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરના 2.30થી 3:00 વાગ્યાના સમય દરમિયાન ગોગાભાઈ ટ્રક લઈને આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેની સાથે 3થી 4 લોકો એ ઝપાઝપી અને બોલાચાલી કરી હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં અજાણ્યા ચાર લોકોનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ પોલીસે લોકલ લોકોની મદદ લઈ આ બનાવને ડિટેક્ટ કર્યો હતો. પિતા-પુત્ર અને કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સહિત ત્રણની ધરપકડઆમાં આરોપી તરીકે મનુ બચુભાઇ મોણપરિયા (ઉં.વ 40) અને તેનો પુત્ર બટુક મનુ મોણપરિયા (ઉં.વ 25, બન્ને નથુગઢના રહેવાસી) જે બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, અને આ બનાવમાં અન્ય એક સગીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને લઈ હાલ તપાસ ચાલી રહી છે અને આ બનાવમાં અન્ય કોઈ શખ્સ સામેલ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ બનાવનું કારણ શું હતું તે તપાસનો વિષય છે. અમે સગીર સહિત 3 લોકોની અટક કરી છે, તેની પૂછપરછમાં વધુ વિગત સામે આવશે. ઝડપાયેલા તમામ શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશેપોલીસને મળેલી માહિતી મુજબ, ગોગાભાઈ ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. જેઓ આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણથી ચાર લોકો સાથે ઝપાઝપી અને બોલેચાલી કરી અને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ ગોગાભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લીધે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, અને હાથની આંગળીઓ કાપી નાખી હતી. જે બનાવને લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યાર બાદ 23 ફેબ્રુઆરીના રોજ ગોગાભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેમાં આગળની કલમ ઉમેરો કરવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ શખ્સોને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢમાં ખેડૂત અને વૈજ્ઞાનિકોના સમન્વય સાથે બે દિવસીય તાલીમ શિબિરનો પ્રારંભ થયો છે. સરદાર બાગ સ્થિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના 37 જેટલા ખેડૂતો ઉત્સાહભેર જોડાયા છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળેલા ખેડૂતોને ટેકનિકલ અને આર્થિક પાસાઓથી સજ્જ કરવાનો છે. નિષ્ણાતો દ્વારા ટેકનિકલ માર્ગદર્શન તાલીમના પ્રથમ દિવસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સુનિલ છોડવડીયાએ પ્રાકૃતિક ખેતીના પાંચ પાયાના આયામો વિશે સમજણ આપી હતી. તેમણે જમીનનું સ્વાસ્થ્ય જાળવવા અને પોષક તત્વોના વ્યવસ્થાપન પર ભાર મૂક્યો હતો. સાથે જ, આસિસ્ટન્ટ પ્રોફેસર કેવલ હિરપરાએ પિયત પદ્ધતિઓ, જળસંચય અને ખેતર પર જ બાયો-ઇનપુટ બનાવવાની વૈજ્ઞાનિક રીતો સમજાવી હતી. બજાર વ્યવસ્થાપન અને બાગાયત પર ભાર પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન મેળવ્યા બાદ તેનું યોગ્ય વળતર મળે તે માટે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર સંદીપ પરમારે બજાર વ્યવસ્થાપનની કળા શીખવી હતી. સંયુક્ત ખેતી નિયામક એસ.એમ. ગધેસરિયા અને પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.જી રાઠોડે ખેડૂતોને આ પદ્ધતિના મહત્વ વિશે પ્રોત્સાહિત કર્યા હતા. ઉપરાંત, બાગાયત અધિકારી રાજેશ ચૌહાણે પ્રાકૃતિક પદ્ધતિથી બાગાયતી પાકો લેવા અને સરકારી યોજનાઓના લાભો વિશે માહિતી પૂરી પાડી હતી. આ તાલીમ 25-02-2026ના રોજ પૂર્ણ થશે.
વડતાલ પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી ભાદરવા ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરનો 22મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પાટોત્સવ પ્રસંગે વડતાલ લક્ષ્મીનારાયણદેવ ગાદીના ભાવી આચાર્ય લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સંતો અને પાર્ષદો સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમની દિવ્ય શોભાયાત્રા ભાદરવા ગામના પાદરેથી નીકળીને મંદિર સુધી પહોંચી હતી, જેમાં સંતો, ભક્તો અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શોભાયાત્રા બાદ લાલજી મહારાજએ મંદિરમાં બિરાજમાન દેવોની પાટોત્સવ આરતી ઉતારી હતી. ત્યારબાદ યોજાયેલી સત્સંગ સભામાં તેમણે ઉપદેશ આપતા જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલા સિદ્ધાંતો અનુસાર જીવન જીવવાથી સુખ, શાંતિ અને સફળતા મળે છે. આ પ્રસંગે મંદિરમાં બિરાજમાન દેવોને અન્નકૂટનો ભોગ ધરાવાયો હતો. અન્નકૂટ આરતી બાદ ભક્તોમાં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો સૌએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનથી ગામમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. આ સમગ્ર આયોજન ભાદરવા ગામ સત્સંગ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું.
આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થનારી બોર્ડ પરીક્ષાને લઈ તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ થયું છે. શહેરની કુલ 347 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 95 હજાર 688 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10 માટે 191 ઇમારતોમાં 54 હજાર 492 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 40 ઇમારતોમાં 8 હજાર 152 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 116 ઇમારતોમાં 33 હજાર 44 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્રોની તમામ ઇમારતો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન સુરક્ષાને પ્રાથમિકતા આપતા શહેરના 12 સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે ગૂગલ મેપિંગ દ્વારા પરીક્ષા કેન્દ્રોના સરનામા મોકલવામાં આવશે. સાથે ટાઇમ ટેબલ અને હેલ્પલાઇન નંબર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કુલ 182 લહિયાના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ સરળ અને સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ST અને AMTS સહિત સંબંધિત વિભાગો સાથે સંકલન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે સાબરમતી જેલમાં રહેલા 30 ધોરણ 10ના અને 15 ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ વખતે પરીક્ષા આપશે. બોમ્બ થ્રેટ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. કોઈ પણ બોમ્બ થ્રેટ મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાની સૂચના આપવામાં આવી છે. જોકે, કોઈ પણ ધમકીની ગંભીરતા ચકાસ્યા વગર શાળાને ખાલી કરાવવામાં નહીં આવે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારની અફવા કે ધમકીથી ડરવાની જરૂર નથી. લોકોના સહકારથી પરીક્ષા સુરક્ષિત અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થશે. આગામી આપણી SSC અને HSC બોર્ડ એક્ઝામ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં આપણા આઠ ઝોન અંતર્ગત ૨૬૧-૨૬૪ બિલ્ડીંગ છે, એમાં ૭૮,૧૮૦ જેટલા વિદ્યાર્થીઓ SSC-HSC ની પરીક્ષા આપવાના છે. અમે તમામ કેન્દ્ર સંચાલકશ્રીઓની સ્થળ પર મીટિંગ કરીને બધી જ સૂચનાઓ બોર્ડની ગાઇડલાઇન છે એ મુજબ આપેલી છે. અમારા ઝોનલ જે છે એમણે બધી તૈયારીઓ કરી દીધી છે. એના સમગ્ર કેન્દ્રો જે છે એ CCTV થી સજ્જ છે. અને વિદ્યાર્થીઓને પણ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય બંને શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટર સાહેબ દ્વારા એમને શુભેચ્છા સંદેશ આપવામાં આવ્યા છે કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાના ભય વિના શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે. એ પણ અમે હોલ ટિકિટ સાથે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી દીધા છે. અને સમગ્ર જિલ્લાના તમામ કેન્દ્રો જે છે એ ખૂબ સજ્જ છે. અને જો કોઈ પણ પ્રકારના ઈમેલ ભયવાળા મળે છે, તો એના માટે પણ અમે સમગ્ર તૈયારી અમારી બોર્ડની સૂચના મુજબ કરી લીધી છે. એટલે સમગ્ર માહોલ જે છે શાંતિપૂર્ણ રીતે પરીક્ષામાં લેવાશે. ખાસ લહિયા માટે પણ અમે અહીંયા જે કંટ્રોલ રૂમની અંદર વ્યવસ્થા કરી છે અને અમે ગ્રામ્યને અને શહેર DEO અમે બંને સાથે મળીને જે દિવ્યાંગ સંસ્થાઓ છે ત્યાં રૂબરૂ જઈને એ વિદ્યાર્થીઓને લહિયા આપી દીધા છે. ૧૯ તારીખે જ અમે શહેર અને ગ્રામ્યમાં કામગીરી પૂરી કરી છે. અકસ્માતે કોઈ આવા વિદ્યાર્થીઓને જરૂરિયાત ઉભી થાય તો તાત્કાલિક જ DEO કચેરીની અંદર અમે લહિયાની સુવિધા આપીશું, એટલે આવા કોઈ પણ બાળકને પરીક્ષાની કોઈ મુશ્કેલી ન રહે. ગ્રામ્યની અંદર આપણે 48 લહિયાની અત્યાર સુધી પરવાનગી આપી છે, જેમાં બે અકસ્માતવાળા વિદ્યાર્થીઓને આપી છે. સ્થળ ઉપર અમે દિવ્યાંગ સંસ્થા આપની ઘાટલોડિયા છે ત્યાં 28 જેટલા વિદ્યાર્થીઓને SSC-HSC ના જે એમને લહિયાની સુવિધા ત્યાં સ્થળ ઉપર જઈને આપેલી છે.
નવસારી શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી વિઠ્ઠલ મકની ચાલના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી ડ્રેનેજ અને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે આજે રહીશોએ નવસારી નગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. ઉકેલ ન આવતા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રહીશોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં ડ્રેનેજ પાઇપલાઇન નાખવામાં આવી હતી. જોકે, ચેમ્બરમાંથી મુખ્ય કનેક્શન હજુ સુધી આપવામાં આવ્યું નથી. આ કારણે ડ્રેનેજ વ્યવસ્થા અધૂરી રહી છે અને સમસ્યા યથાવત છે. આ સમસ્યાને કારણે ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. શૌચાલયની સુવિધાના અભાવે ગરીબ મહિલાઓ ખુલ્લામાં શૌચક્રિયા કરવા મજબૂર બની છે. રહીશોએ આ સ્થિતિને વડાપ્રધાનના 'ઘર-ઘર શૌચાલય' અભિયાનના ઉદ્દેશ્યથી વિપરીત ગણાવી છે. આ સમસ્યા અંગે રહીશોએ અગાઉ વર્ષ 2023માં તત્કાલીન પાલિકા પ્રમુખ જીગીશ શાહને પણ રજૂઆત કરી હતી. સ્થાનિક નેતા નરેશભાઈ પુરોહિતને પણ અનેકવાર જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આજે ડેપ્યુટી કમિશનર વસાવાએ આ મુદ્દે અલગ ટીમ બનાવી તાત્કાલિક કામગીરી કરવાની ખાતરી આપી હતી. જોકે, આવેદનપત્ર આપવા પહોંચેલા પ્રતિનિધિઓએ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં અધિકારીઓના વર્તન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે અધિકારીઓએ તેમની રજૂઆત શાંતિથી સાંભળવાને બદલે ઉદાસીનતા દાખવી હતી.તંત્ર શું કહે છે?આ મામલે નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જગુ વસાવાએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલ મકની ચાલ અને દેવચંદ ચાલના નાગરિકો દ્વારા ડ્રેનેજ અને લો-પ્રેશરથી આવતા પાણી અંગે રજૂઆત મળી છે. મેં તાત્કાલિક અસરથી ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સૂચના આપી દીધી છે. આવનારા સમયમાં વધુ ટીમો ફાળવીને આ સમસ્યાનું કાયમી સોલ્યુશન લાવવામાં આવશે અને હું પોતે આ કામગીરીનું રેગ્યુલર મોનિટરિંગ કરીશ.જો કે, રહીશોએ અંતિમ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આગામી દિવસોમાં કામ શરૂ કરવામાં નહીં આવે, તો આદિવાસી સમાજ અને સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
પાલનપુર સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી-BAOUના પ્રાદેશિક કેન્દ્ર ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ ભાષા વૈવિધ્ય અને માતૃભાષાના સંરક્ષણ માટે આ દિવસ વિશ્વ સ્તરે ઉજવાય છે. યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. અમી ઉપાધ્યાયની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં BAOU લાઈબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. પ્રિયાંકી વ્યાસ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માતૃભાષાના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું કે, માતૃભાષા આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને ઓળખનો આધારસ્તંભ છે. તેમણે ભાષા સંરક્ષણની આવશ્યકતા સમજાવી અને નવી પેઢીને માતૃભાષા પ્રત્યે ગૌરવભાવ વિકસાવવાનો સંદેશ આપ્યો. આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રાદેશિક કેન્દ્ર નિયામક ડૉ. સોનલ ચૌધરીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, માતૃભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસનો મૂળ આધાર છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષા પ્રત્યે ગૌરવ અનુભવવા અને દૈનિક જીવનમાં તેનો સન્માનપૂર્ણ ઉપયોગ કરવા પ્રેરિત કર્યા. વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયક ગુજરાતી ગીતો, કવિતાઓ અને વક્તવ્યો દ્વારા પોતાની અભિવ્યક્તિ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ રિજનલ ડાયરેક્ટર પાર્થ રાવલ અને ગોકુળભાઈ દેસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
દસાડાના બજાણામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિના દાખલા સહિતની કામગીરી કરાઈ
દસાડા તાલુકાના બજાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રેશનકાર્ડ, આધાર કાર્ડ, જાતિના દાખલા અને આરોગ્ય સંબંધિત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમમાં દસાડા તાલુકા મામલતદાર હરેશ અમીન સહિત મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આઠથી દસ ગામના અરજદારો જોડાયા હતા. જોકે, બજાણા ખાતે યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હતો. બજાણા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ આજુબાજુના ગામડાઓના સરપંચો અને સદસ્યોની પણ પાંખી હાજરી જોવા મળી હતી.
ભૂપેન્દ્ર પટેલ દ્વારા નર્મદા જિલ્લાના આદિજાતિ વિસ્તારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના 11 જેટલા ગામોના 18 હજારથી વધુ લોકોને જિલ્લા અને તાલુકા મુખ્ય મથકો સાથે વર્ષભર સરળ અવર-જવર સુલભ બને તે માટે રાજ્ય સરકારે 302.40 કરોડ રૂપિયાના ખર્ચે બે નવા બ્રિજ નિર્માણને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ રેંગણ ઘાટથી રામપુરા ઘાટ સુધીના પૂલ માટે રૂ. 123.13 કરોડ અને શહેરાવ ઘાટથી તિલકવાડા ઘાટને જોડતા પૂલ માટે રૂ. 179.27 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. બંને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ઉત્તર અને દક્ષિણ નર્મદા વચ્ચેની કનેક્ટિવીટીમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સીધો લાભ મળશેતિલકવાડા, વાસણ, રેંગણ, રામપુરા, માંગરોલ અને શહેરાવ સહિતના ગામોમાં વસતા લોકો માટે ખાસ કરીને ચોમાસા દરમિયાન આવન-જાવન મોટી સમસ્યા બનતી હતી. નવા પૂલો બનતા શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને વર્ષભર સલામત માર્ગ મળશે. તાત્કાલિક સારવાર, કૃષિ ઉત્પાદનના પરિવહન અને રોજગાર માટે તાલુકા-જિલ્લા મથકો સુધી પહોંચ સરળ બનશે. સ્થાનિક વેપાર-ધંધા અને પર્યટન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશેનાંદોદ અને તિલકવાડા તાલુકામાં ચૈત્ર માસ દરમિયાન યોજાતી ઉત્તરવાહિની પરિક્રમામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. નવા બ્રિજના નિર્માણથી અંદાજે 17 કિ.મી.નો ફેરાવો ઘટશે, જેથી સમય અને ઈંધણ બંનેની બચત થશે. સ્થાનિક વેપાર-ધંધા અને પર્યટન પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે. આદિજાતિ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ફોકસરાજ્ય સરકાર છેલ્લા કેટલાંક વર્ષોથી આદિજાતિ વિસ્તારોમાં રોડ, આરોગ્ય અને શિક્ષણ જેવી આધારભૂત સુવિધાઓ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. નર્મદામાં આ બે મહત્ત્વના બ્રિજ પ્રોજેક્ટથી વિસ્તારના સર્વાંગી વિકાસને ગતિ મળશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી દિશા મળશે.
સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની ભારત-કઝાકિસ્તાન સંસદીય મિત્રતા જૂથના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા આવકારવામાં આવી છે. આ મિત્રતા જૂથ ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સંસદીય સ્તરે સંવાદ વધારવાનો તેમજ વેપાર, શિક્ષણ, સાંસ્કૃતિક અને આર્થિક સહકારને નવી દિશા આપવાનો છે. સાંસદ શોભનાબેન બારૈયાની આ નિમણૂક તેમના કાર્ય પ્રત્યેના સમર્પણ, સક્રિયતા અને જનહિતના પ્રશ્નો પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ નિમણૂક સાબરકાંઠા-અરવલ્લી લોકસભા વિસ્તાર માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. એક ખાનગી ટ્યુશન સંચાલકે સગીરા સાથે જાતીય સતામણી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી અસ્વદ શેખની ધરપકડ કરી છે. કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે આરોપીને તાલુકાના એક ગામના જાહેર માર્ગો પર ફેરવી કડક કાર્યવાહી હાથ ધરી હતી. આખો બનાવ શું છે?મળતી માહિતી મુજબ, આરોપી અસ્વદ હૈદર શેખ વર્ષ 2021થી બુહારીમાં ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ભોગ બનનાર સગીરા અહીં અભ્યાસ માટે જતી હતી. 1 જૂન 2025થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન, આરોપીએ અન્ય વિદ્યાર્થીઓને ક્લાસ વર્ક આપીને સગીરાને હોલની પાછળના રૂમમાં એકલી બોલાવી હતી. ત્યાં તેણે સગીરા સાથે શારીરિક અડપલાં કરી ગંભીર જાતીય સતામણી કરી હતી. ધમકી અને પીછોઆરોપી માત્ર ક્લાસમાં જ નહીં, પરંતુ સગીરાનો ફોન દ્વારા અને રૂબરૂમાં પીછો કરીને પણ હેરાન કરતો હતો. તેણે સગીરાને ધમકી આપી હતી કે, જો તું મારી સાથે વાત નહીં કરે અથવા આ બાબતે કોઈને જાણ કરશે, તો હું તને જાનથી મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ. પોલીસ કાર્યવાહીસતત હેરાનગતિથી કંટાળીને સગીરાએ પરિવારને જાણ કરતા વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્વરિત પગલાં ભરી આરોપી અસ્વદ હૈદર શેખની અટકાયત કરી હતી. સમાજમાં દાખલો બેસે તે હેતુથી પોલીસે આરોપીનું ગામમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
AI અને ડીપફેક મુદ્દે સરકાર પાસે જવાબ માગ્યો હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ડીપફેક અને એઆઈ કોન્ટેન્ટ મામલે જવાબ માગ્યો છે.એડવોકેટ જનરલે કહ્યું-પ્લેટફોર્મ પ્રોવાઇડરને જાણ કરવા છતાં વીડિયોને દૂર કરાતા નથી. સરકારે આ મામલે કડક નિયમો લાવવા જોઈએ.સરકારના જવાબ બાદ પ્લેટફોર્મ પ્રોવાઈડર પાસે પણ જવાબ માગવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોગ્યથી વીજળી સુધીના ચોંકાવનારા આંકડા જાહેર વિધાનસભામાં આજે આરોગ્યથી વીજળી સુધીના ચોંકાવનારા આંકડાઓ જાહેર થયા..અમદાવાદ સિવિલમાં 1,849 કિડની દર્દીઓ વેઇટિંગમાં છે તો પાણીજન્ય રોગોના હજારો કેસો નોધાઈ રહ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બુલડોઝર ફરતું રહ્યું અને બાળકીઓના આંસુ વહેતા રહ્યા રાજકોટના જંગલેશ્વરમાં આજે સતત બીજા દિવસે ડિમોલીશનની કામગીરી ચાલી... ઘર ગુમાવનાર પરિવારના બાળકો સતત રડતા જોવા મળ્યા...અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1300 મિલકત તોડી પાડવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાધકોના ઘરે ઘરે જઈ આસારામે મુલાકાત કરી આસારામે વલસાડમાં સાધકોના ઘરે ઘરે જઈ મુલાકાત કરી. .મીડિયાને જોઈ છત્રીથી મોં છુપાડી આસારામ કારમાં બેસી ગયા. તો સાધકોએ રુમાલ અને હાથથી કેમેરા ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના નેતા જીગીશા પટેલ પર ગોંડલમાં હુમલો ગોંડલમાં આપના નેતા જીગીશા પટેલ પર હુમલો.. મહિલાઓએ ગાડીના કાચ તોડી જીગીશા પટેલને તમાચા માર્યા.. જીગીશા પટેલ સ્થાનિકોના પ્રશ્નો સાંભળવા આવ્યા, ત્યારે આ ઘટના બની હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડૂતો માટે આપની 13 દિવસીય યાત્રા આમ આદમી પાર્ટીએ 'પરિવર્તન લાવો....ખેડૂત બચાવો'ના સંકલ્પ સાથે 13 દિવસીય યાત્રાનો સોમનાથથી પ્રારંભ કર્યો.. યાત્રા 8 જિલ્લામાં ફરી ખેડૂતોની વેદનાને વાચા આપશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શર્ટ કાઢી અર્ધનગ્ન થઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો દારુ અને ડ્રગ્સ મામલે રાજકોટમાં એનએસયુઆઈએ ઉગ્ર વિરોધ કર્યો.. કિશાનપરા ચોક ખાતે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા.. પોલીસે ટીંગાટોળી કરી તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દ.ગુજરાતથી રાજસ્થાન જતા લોકો માટે ચિંતાના સમાચાર હોળી-ધૂળેટી આડે જ સુરત-રાજસ્થાનની 300 બસોના પૈડા થંભ્યા...રાજસ્થાન RTOની કનડગત સામે લક્ઝરી બસ સંચાલકો અચોક્કસ મુદ્દત સુધી હડતાળ પર ઉતરી ગયા છે..સુરત APMC ગ્રાઉન્ડ ખાતે બસોનો ખડકલો થયેલો જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોડી રાત્રે ઘરમાં લાગેલી આગમાં પિતા-પુત્ર જીવતા સળગ્યા અમદાવાદના વેજલપુરમાં મોડી રાત્રે ઘરમાં લાગેલી આગમાં પિતા-પુત્ર જીવતા સળગી ગયા..સાડા ત્રણ વાગ્યાની આસપાસ લાગેલી આગમાં પત્ની,પુત્રી અને માતા બાલ્કનીમાંથી નીચે ઉતરી જતા તેમનો બચાવ થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે મોડીરાત્રે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા.. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મધ્યપ્રદેશના રંજિતપુરા ગામમાં 8મા ધોરણની વિદ્યાર્થિની પર થયેલા અત્યાચાર અને હત્યાના ફરાર આરોપીઓને તાત્કાલિક પકડી ફાંસીની સજા આપવાની માંગ સાથે હિંમતનગરમાં નાયી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર હિંમતનગર તાલુકાના સમસ્ત નાયી સમાજ અને ન્યાયપ્રિય નાગરિકો વતી રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં જણાવાયું હતું કે મધ્યપ્રદેશના રંજિતપુરા ગામમાં 8મા ધોરણમાં ભણતી સેન સમાજની દીકરી સાથે થયેલી ક્રૂરતા અને તેની હત્યાની ઘટનાએ દેશભરના નાગરિકોમાં આક્રોશ જગાવ્યો છે. સમાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આટલી ગંભીર અને ક્રૂર ઘટના બન્યા હોવા છતાં, આરોપીઓ હજુ સુધી પોલીસની પકડથી બહાર છે. આવેદનપત્રમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું આ પ્રશાસનની નિષ્ફળતા નથી અને જો હત્યારાઓ ખુલ્લેઆમ ફરશે તો સમાજમાં કાયદાનો ડર ક્યાં રહેશે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. જો સ્થાનિક પોલીસ નિષ્ફળ જાય, તો આ કેસની તપાસ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ હતી. સમાજે માંગ કરી હતી કે આ કેસમાં કોઈ બાંધછોડ વગર, તમામ દોષિતોને ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા જાહેરમાં ફાંસીની સજા થાય. વધુમાં, આરોપીઓના મકાનો અને મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવે જેથી અન્ય કોઈ આવું કૃત્ય કરતા પહેલા સો વાર વિચારે. આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો આ દીકરીને ન્યાય આપવામાં વિલંબ થયો અને આરોપીઓ જલ્દી પકડાયા નહીં, તો આગામી દિવસોમાં હિંમતનગર અને સમગ્ર સાબરકાંઠાનો નાયી સમાજ રસ્તા પર ઉતરી ઉગ્ર આંદોલન, ચક્કાજામ અને પ્રદર્શન કરશે.
સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસે બામણા ગામ નજીકથી પોર્ટર લખેલા એક બિનવારસી ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1,476 બોટલો સહિત 10.20 લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પા માલિક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પીછો કરતા ચાલક ટેમ્પો મૂકી ફરારગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીના જણાવ્યા અનુસાર, પોલીસ ટીમ આડા હાથરોલ ગામે પ્રોહિબિશન વોચમાં હતી. તે દરમિયાન ભિલોડા તરફથી એક શંકાસ્પદ ટેમ્પો આવતા તેને ઉભો રાખવા ઈશારો કરવામાં આવ્યો હતો. જોકે, ચાલકે ટેમ્પો ઉભો રાખવાને બદલે બામણા ગામ તરફ ઝડપથી હંકારી મૂક્યો હતો. પોલીસે ખાનગી વાહન દ્વારા પીછો કરતા ચાલક બામણા ત્રણ રસ્તા પાસે ટેમ્પો મૂકીને ઝાડી-ઝાંખરાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. તપાસમાં ગુપ્ત ખાનું મળી આવ્યુંતપાસ દરમિયાન ટેમ્પામાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી 5,20,320 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયર મળી આવ્યો હતો. પોલીસે 5 લાખની કિંમતનો ટેમ્પો અને દારૂ સહિત કુલ 10,20,320 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.મુદ્દામાલ જપ્ત વિદેશી દારૂ/બિયર: 1,476 બોટલ (કિંમત રૂ. 5,20,320) ટાટા ટેમ્પો: કિંમત રૂ. 5,00,000 કુલ મુદ્દામાલ: રૂ. 10,20,320
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને અન્ય ડેપો પર સ્વચ્છતા જાળવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જાહેર સ્થળોએ પાન-મસાલા અને ગુટખાની પિચકારી મારી ગંદકી ફેલાવતા મુસાફરો સામે તંત્રએ લાલ આંખ કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ બસ સ્ટેશનો પર જાહેર આરોગ્ય અને સ્વચ્છતાની જાળવણી કરવાનો છે. ફેબ્રુઆરી માસમાં દંડની વસૂલાત વડોદરા વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વિવિધ ડેપો અને બસ સ્ટેશનો પર કરવામાં આવેલી ચકાસણી દરમિયાન કુલ 30 કેસ નોંધાયા હતા. આ મુસાફરો જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા અને તમાકુજન્ય પદાર્થો ખાઈને ગંદકી કરવા બદલ દોષિત જણાયા હતા, જેમના પાસેથી અંદાજે 26,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. મુસાફરોને સહકાર આપવા અપીલ એસટી તંત્ર દ્વારા માત્ર દંડ જ નહીં, પરંતુ મુસાફરોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. તંત્રએ તમામ નાગરિકોને વિનંતી કરી છે કે તેઓ બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળોએ નશો કે ગંદકી ન કરે અને સ્વચ્છ ગુજરાતના નિર્માણમાં સહયોગ આપે.
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકી વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરી આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર બાંધકામ પરવાનગી આપવા બદલ ભાજપના સદસ્યોએ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત અરજી આપી છે. આ કાર્યવાહી રેલવે સ્ટેશન પાસે બનેલા કે-શ્યામ સ્ક્વેર બિલ્ડિંગને ઇમ્પેક્ટ ફીના નિયમો વિરુદ્ધ જઈ મંજૂરી આપવા બદલ કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, દંડક, સદસ્યો તેમજ પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સંયુક્ત રીતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અરજીમાં જણાવાયું છે કે ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ 2022ની કલમ 5 હેઠળની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ કાયદા મુજબ, જે બાંધકામો 30 સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂર્ણ થયા હોય તેને જ નિયમિત કરી શકાય છે. જોકે, આ કિસ્સામાં નિયમોને અવગણીને પરવાનગી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા જે બાંધકામની મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, તેને વર્તમાન ચીફ ઓફિસર હીરલબેન ઠાકર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર ચંદ્રકાંત સોલંકીએ આર્થિક ફાયદો મેળવીને મંજૂરી આપી દીધી છે. ભાજપના સદસ્યોએ ચીફ ઓફિસર પર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી મોટો આર્થિક ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પાટણ શહેરમાં ચર્ચિત બનેલા આ કેસમાં 15 ઓક્ટોબર 2022ના રોજ થયેલી ઓનલાઇન અરજીને ખોટી રીતે સ્વીકારી મંજૂરી અપાઈ હોવાથી કાયદેસરની તપાસ કરી ગુનો નોંધવાની માંગ પોલીસ સમક્ષ કરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સુરત મ્યુનિસિપલ ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ એજયુકેશન એન્ડ રિસર્ચ (SMIMER) ના કોમ્યુનિટી મેડીસીન વિભાગ દ્વારા ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ અંતર્ગત 24 ફેબ્રુઆરી 2026 ના રોજ ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે એક ભવ્ય નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની સૌથી મોટી વિશેષતા તેની આધુનિક કાર્યપદ્ધતિ હતી. સામાન્ય રીતે મેડિકલ કેમ્પમાં કાગળના કેસ પેપરનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ કેમ્પ SMC ના ISD વિભાગ દ્વારા સંપૂર્ણપણે 'HIMS' (Hospital Information Management System) સેટઅપ સાથે ઓનલાઈન કરવામાં આવ્યો હતો. દર્દીના રજીસ્ટ્રેશનથી લઈને તપાસ અને લેબોરેટરી રિપોર્ટ સુધીની તમામ પ્રક્રિયા કમ્પ્યુટર દ્વારા ડિજિટલ માધ્યમથી કરવામાં આવી હતી. આ પ્રકારની સિસ્ટમ સાથે ગ્રામીણ સ્તરે કદાચ પ્રથમ વખત કેમ્પનું આયોજન થયું છે. આ કેમ્પ ડીન દીપક હોવાલે તથા મેડીકલ સુપરિન્ટેન્ડન્ટ જીતેન્દ્ર દર્શનના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મેડીસીન, સર્જરી, ગાયનેકોલોજી, પીડીયાટ્રીક્સ, ઓપ્થેલ્મોલોજી અને ડર્મેટોલોજી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાતોએ સેવા આપી હતી. તબીબી તપાસની સાથે રક્તદાન કેમ્પ, પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી એડોપ્શન પ્રોગ્રામ હેઠળ M.B.B.S. ના વિદ્યાર્થીઓએ દેલાડવા ગામના પરિવારોને દત્તક લીધા છે. આ વિદ્યાર્થીઓ સમયાંતરે પરિવારોની મુલાકાત લઈને તેમના સ્વાસ્થ્યનું ફોલોઅપ લેશે. આ કાર્યક્રમમાં 18 ફેકલટી સભ્યો, સીનીયર રેસીડન્ટ્સ અને પી.એસ.એમ વિભાગના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ સફળ આયોજનમાં દેલાડવા ગામના સરપંચ નિકિતાબેન હાર્દિકભાઈ પટેલ, તલાટી પંકજભાઈ જાલોંદરા અને ગ્રામ પંચાયતનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ ઘરઆંગણે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો.
ભરૂચ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઈ હતી. આ સભામાં વર્ષ 2026-27 માટે ₹1322.82 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. સભા દરમિયાન કુલ દસ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી, જેમાં વર્ષ 2025-26ના સુધારેલા અંદાજપત્ર અને વર્ષ 2026-27ના નવા બજેટને સભ્યોએ એકમતથી મંજૂરી આપી હતી. પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાએ આ બજેટને ભરૂચના સર્વાંગી વિકાસનો રોડમેપ ગણાવ્યો હતો. બજેટની મુખ્ય વિશેષતાઓમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાં 40 ટકાનો નોંધપાત્ર વધારો સામેલ છે. ગત વર્ષના ₹87.45 કરોડની સામે આ વર્ષે ₹127.48 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં, જિલ્લા પંચાયત લોકલ ફંડ શેષમાંથી ₹9 કરોડ નર્મદા કિનારાના ગામો માટે ફાળવવામાં આવ્યા છે. આ ભંડોળનો ઉપયોગ પરિક્રમાવાસીઓ માટે સુવિધાઓ, પર્યટન વિકાસ અને નદીની સ્વચ્છતા સંબંધિત કાર્યો માટે કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે, જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં વિવિધ ટેસ્ટ માટે ઓટોમેટિક મશીનો સ્થાપિત કરાશે, જ્યાં મફત તપાસની સુવિધા ઉપલબ્ધ થશે. કૃષિ ક્ષેત્રે, દરેક તાલુકા દીઠ એક ડ્રોન ફાળવવાની જોગવાઈ છે, જેનાથી ખેડૂતોને સસ્તા દરે દવાઓનો છંટકાવ કરવાની સુવિધા મળશે. વિકાસકાર્યો માટે પંચાયત વિભાગ હેઠળ ₹17.80 કરોડ અને જાહેર બાંધકામ વિભાગ માટે ₹52.74 કરોડ ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પંચાયત હસ્તકની મિલકતો પર કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉભા કરીને રોજગારી સર્જવા અને આવક વધારવાનો પ્રયાસ કરાશે. શિક્ષણ ક્ષેત્રે ₹4.10 કરોડ અને આઈ.સી.ડી.એસ. માટે ₹1 કરોડની ફાળવણી દ્વારા કુપોષણમુક્ત ભરૂચ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આ સભામાં વિવિધ સમિતિઓના ચેરમેન, સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભ્યો દ્વારા પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી અને કર્મચારીઓના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના વર્તમાન ઉત્તર-દક્ષિણ કોરિડોરને GIFT સિટીથી શાહપુર સુધી વિસ્તારવાને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કુલ અંદાજિત કિંમત ₹1,067.35 કરોડ છે. આ વિસ્તાર 3.33 કિલોમીટર લાંબો હશે અને તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનનો સમાવેશ થશે – GIFT સિટી હાઉસ, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી અને શાહપુર (જે IIT ગાંધીનગરની નજીક આવેલું છે). આ મેટ્રો ફેઝ-2Bની કામગીરી લગભગ 4 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્ક માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કોરિડોર પર રોજના 23,702 યાત્રીઓ મુસાફરી કરશેપ્રોજેક્ટના બાંધકામ દરમિયાન આશરે 1,000 નોકરીઓનું સર્જન થવાની શક્યતા છે, જ્યારે પૂર્ણ થયા બાદ સંચાલન અને જાળવણી માટે લગભગ 250 લોકોને રોજગાર મળશે. આ ઉપરાંત અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા પરોક્ષ રોજગારની તકો પણ વધશે. અંદાજ મુજબ 2029માં આ વિસ્તારિત કોરિડોર પર રોજના 23,702 યાત્રીઓ મુસાફરી કરશે, જે 2041 સુધીમાં વધીને 58,059 થઈ જશે. આનાથી ટ્રાફિકમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. અનેક લોકોને ફાયદો થશેઆ પ્રોજેક્ટ અમદાવાદ અને GIFT સિટી વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવશે. આ માર્ગ પર આવેલી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને વાણિજ્યિક કેન્દ્રોને સીધો લાભ મળશે. બિઝનેસ, રોજગાર અને શિક્ષણ સંબંધિત મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. આ નિર્ણય અમદાવાદ મેટ્રો ફેઝ-2Bના ભાગરૂપે લેવામાં આવ્યો છે, જે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ આપશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પાટણ શહેરના રામનગર, માતરવાડી, હાસાપુર અને બકરાતપુરા વિસ્તારોમાં 'સ્વામિત્વ' અને 'ગામતળ' યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી શરૂ કરવા માંગ કરવામાં આવી છે. પાટણ શહેર કોંગ્રેસ સમિતિએ આ અંગે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. આ વિસ્તારો લાંબા સમયથી પાટણ નગરપાલિકાની હદમાં સમાવિષ્ટ છે અને રહીશો નિયમિત વેરો ભરે છે. તેમ છતાં, તેમને હજુ સુધી પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા નથી, જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં 'સ્વામિત્વ' અને 'ગામતળ' યોજના હેઠળ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ બનાવવાની ઝુંબેશ ચાલી રહી છે. શહેરના અન્ય વિસ્તારોમાં આ કામગીરી પ્રગતિમાં છે, પરંતુ ઉપરોક્ત ચાર વિસ્તારોમાં પ્રક્રિયા શરૂ થઈ નથી. પ્રોપર્ટી કાર્ડના અભાવે આ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગના રહીશોને પોતાની મિલકત પર લોન મેળવવામાં, વારસાઈ કરવામાં કે મિલકતની ફેરબદલી કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે કલેક્ટરને પત્ર પાઠવી વિનંતી કરી છે કે, આ વિસ્તારોનો સત્વરે યોજનામાં સમાવેશ કરી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે. તમામ રહીશોને વહેલી તકે પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે માટે સંબંધિત વિભાગને જરૂરી આદેશો આપવા માંગ કરવામાં આવી છે.
શામળાજી મંદિરમાં આજથી ફાગોત્સવનો પ્રારંભ:હોળી સુધી શામળિયાને રંગ છાંટી, ઘાણી-ચણાનો ભોગ ધરાવાશે
યાત્રાધામ શામળાજી મંદિરમાં ફાગણ સુદ આઠમથી ફાગોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉત્સવ હોળીના પર્વ સુધી ચાલશે, જેમાં ભગવાન શામળિયાને રંગ છાંટી અને વિશેષ ભોગ ધરાવવામાં આવશે. ફાગણ સુદ આઠમ, જે હોળાષ્ટકના પ્રારંભનો દિવસ છે, ત્યારથી જ મંદિરમાં ફાગોત્સવની શરૂઆત થઈ છે. મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી સુધી દરરોજ શણગાર આરતી પહેલા ભગવાનને અબીલ-ગુલાલનો છંટકાવ કરવામાં આવશે. આ ઉપરાંત, કેસુડાના ફૂલોને ઓગાળીને તૈયાર કરાયેલું પાણી પણ ભગવાન પર છાંટવામાં આવશે. આજના દિવસથી ભગવાનને ફાગવાનો ભોગ પણ ધરાવવામાં આવે છે. શામળિયાને ધાણી, ચણા, કાજુ, બદામ, દ્રાક્ષ સહિતનો સૂકો મેવો ભોગ તરીકે અર્પણ કરાશે. હોળી નજીક આવતા કૃષ્ણ મંદિરોમાં ભગવાનના વિશેષ મનોરથ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. તેના ભાગરૂપે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઉત્સવનું આયોજન કરાયું છે અને દર્શન તેમજ ઉત્સવ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર પોતાની આક્રમક શૈલી અને સતત વિવાદોમાં રહેવા માટે કુખ્યાત કીર્તિ પટેલ માટે જૂનાગઢનો પ્રવાસ કાયદાકીય મુશ્કેલીઓનો પહાડ લઈને આવ્યો છે. છેલ્લા સાત દિવસમાં કીર્તિ પટેલ સામે એક પછી એક એમ કુલ ત્રણ ફરિયાદો નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે જૂનાગઢ કોર્ટ દ્વારા ખંડણીના ગંભીર ગુનામાં જામીન આપ્યા બાદ, આજે કીર્તિ પટેલ અન્ય બે ગુનાઓના મામલે પોતાના એડવોકેટ સાથે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સૌથી મોટો વિવાદ 20 લાખ રૂપિયાની ખંડણી માંગવા અંગેનો હતો. જૂનાગઢના એક શખ્સ પાસે કીર્તિ પટેલે મોટી રકમની માંગણી કરી હોવાની અને જો રકમ ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી હતી. જોકે, ગઈકાલે સાંજે જૂનાગઢ કોર્ટે આ કેસની ગંભીરતા અને રજૂ કરવામાં આવેલી દલીલોને ધ્યાને રાખીને કીર્તિ પટેલના જામીન મંજૂર કર્યા હતા. આ જામીન મળતા જ કીર્તિને આંશિક રાહત મળી હતી મૃગીકુંડ સ્નાન અને ધાર્મિક લાગણી દુભાવવાનો વિવાદ મહાશિવરાત્રીના મેળા દરમિયાન જૂનાગઢના ભવનાથમાં આવેલા પવિત્ર મૃગીકુંડમાં સ્નાન કરવાનો મોટો વિવાદ સામે આવ્યો હતો. પરંપરા મુજબ મૃગીકુંડમાં માત્ર સાધુ-સંતો જ સ્નાન કરી શકે છે, પરંતુ કીર્તિ પટેલે શિવરાત્રીની રાત્રે પ્રતિબંધ હોવા છતાં મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રભાસ પાટણના બજરંગદાસબાપુ એ ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કીર્તિ પટેલ આજે પોતાના વકીલ સાથે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છે. મહિલા PI સાથે ગેરવર્તણૂક અને ફરજમાં રૂકાવટ મૃગીકુંડની ઘટના બાદ જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે કીર્તિ પટેલે ફરજ પરના મહિલા પીઆઇ સાથે અશોભનીય વર્તન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે. મહિલા અધિકારી સાથે દલીલબાજી અને પોલીસ તંત્રના નિયમોના ઉલ્લંઘન બદલ તેની સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બંને મામલે તપાસમાં સહયોગ આપવા માટે કીર્તિ પટેલ આજે ભવનાથ પોલીસ સમક્ષ રજૂ થઈ છે. સાત દિવસમાં ત્રણ ફરિયાદ: કીર્તિ પટેલ માટે કપરા ચઢાણ છેલ્લા એક અઠવાડિયામાં કીર્તિ પટેલ પર જૂનાગઢમાં જ ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. પહેલા ખંડણી, પછી ધાર્મિક મર્યાદાનો ભંગ અને ત્યારબાદ પોલીસ સાથે ગેરવર્તણૂક. આ ઘટનાક્રમ દર્શાવે છે કે કીર્તિ પટેલ સામે સાત દિવસમાં જે ત્રણ ગુનાઓ દાખલ થયા હતા જેને લઈ આગામી સમયમાં કીર્તિ પટેલને રાહત મળે છે કે પછી આ સમય કાનૂની રીતે જટિલ રહેશે. સો.મીડિયાની સિંહણ સોમવારે કોર્ટમાં જતાં જ મગરનાં આંસુએ રડી : પહેલાં ખૂબ રૌફ જમાવ્યો, હવે કાયદાના સકંજામાં આવતાં ઢીલી ઢફ મહાશિવરાત્રિ મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડમાં નાગા સાધુઓ સાથે ભગવા વસ્ત્રો પહેરીને છળકપટપૂર્વક શાહી સ્નાન કરવાના આરોપમાં ધરપકડ થયેલી કીર્તિ પટેલને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી. પોલીસની બોલેરોમાંથી ઊતરતાંની સાથે જ કીર્તિ પટેલ ચોધાર આંસુએ રડી પડી હતી. રડતાં-રડતાં તેણે મીડિયા સમક્ષ જણાવ્યું કે “મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે. તેના પર લાગેલા આરોપો ખોટા છે અને તેને ન્યાય મળવો જોઈએ.” જોકે પોલીસે તેને વધુ બોલતાં અટકાવીને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી કરી. આ ઘટના બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.ખંડણી કેસમાં કીર્તિ પટેલના જામીન મંજૂર થયા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
ભાવનગર અને બોટાદ જિલ્લાના પશુપાલકો તેમજ ઇજારદારો માટે કામના સમાચાર સામે આવ્યા છે. ભાવનગર વન વિભાગ હેઠળની વિવિધ રેન્જ કચેરીઓના ગોડાઉનમાં સંગ્રહિત વર્ષ 2021-22 અને 2022-23ના ઘાસના જથ્થાની જાહેર હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હરાજીમાં ભાગ લેવા માટે વન વિભાગ દ્વારા તમામ રસ ધરાવતા ઇસમોને નિયત સ્થળ અને સમયે હાજર રહેવા જણાવાયું છે. રેન્જ મુજબ હરાજીનું સમયપત્રક અને વિગત વન વિભાગ દ્વારા અલગ-અલગ રેન્જ કચેરીઓ હેઠળ હરાજીની તારીખો જાહેર કરવામાં આવી છે: ભાવનગર રેન્જ: ભાવનગર ઘાસ ડેપોના વિવિધ ગોડાઉન અને મેલકડી ગોડાઉન ખાતે રહેલા કુલ 3,16,924 કિ.ગ્રા. ઘાસની હરાજી 01-03-2026ના રોજ સવારે 11:30 કલાકે પરીક્ષેત્ર વન અધિકારીની કચેરી, જ્વેલ્સ સર્કલ ખાતે યોજાશે. વલ્લભીપુર રેન્જ: દુદાપુર, વાવડી, બોટાદ અને રોહિશાળા સહિતના ગોડાઉનોમાં સંગ્રહિત ઘાસ માટે 01-03-2026ના રોજ સવારે 11:30 કલાકે આઈ.ટી.આઈ.ની બાજુમાં આવેલી વલ્લભીપુર રેન્જ કચેરી ખાતે હરાજી થશે. મહુવા રેન્જ: મહુવા રેન્જ હેઠળના સાંખડાસર, કુંઢડા અને ગેબર ગોડાઉનના વિપુલ જથ્થા માટે 02-03-2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા સેવા સદન પાછળ હરાજીનું આયોજન છે. શિહોર રેન્જ: થાળા, પીપરલા, સણોસરા અને ઉમરાળાના ગોડાઉન માટે 02-03-2026ના રોજ સવારે 11:30 કલાકે હોટલ વિજય પેલેસની સામે આવેલી કચેરીએ પ્રક્રિયા હાથ ધરાશે. જેસર રેન્જ: મોટા ખુંટવડા, બેડા અને કરજાળા ગોડાઉનના ઘાસ માટે 05-03-2026ના રોજ સવારે 11:30 કલાકે તાલુકા સેવા સદનના ત્રીજા માળે હરાજી યોજાશે. પાલીતાણા રેન્જ: રાજસ્થળી અને સરોડ ગોડાઉનના જથ્થા માટે 05-03-2026ના રોજ સવારે 11:30 કલાકે હાડકેશ્વર મંદિર પાસે આવેલી કચેરી ખાતે હરાજી થશે. હરાજીની મુખ્ય શરતો અને નિયમો હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ સ્થળ પર 100 રૂપિયાની ડિપોઝિટ ભરવાની રહેશે. જેની માંગણી મંજૂર નહીં થાય તેને આ રકમ પરત કરી દેવામાં આવશે. જે ઇસમની હરાજી મંજૂર થાય, તેમણે ખરીદ કિંમતના 25 ટકા રકમ તાત્કાલિક સ્થળ પર ભરવાની રહેશે. બાકીની રકમ માલ ઉપાડતા પહેલા અથવા હરાજી પૂર્ણ થયા બાદ નિયમ મુજબ ભરવાની રહેશે. વસ્તુ જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં વેચવામાં આવશે, તેથી ખરીદદારોએ અગાઉથી ડેપો પર જઈને માલની ખરાઈ કરી લેવી હિતાવહ છે. જો સફળ બોલી લગાવનાર વ્યક્તિ નિયત સમયમાં રકમ નહીં ભરે, તો તેની ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે અને તેના ખર્ચે ફરીથી હરાજી કરાશે. હરાજી અંગેના અંતિમ નિર્ણયો લેવાની તમામ સત્તા નાયબ વન સંરક્ષક પાસે અબાધિત રહેશે. વધુ માહિતી માટે જે તે રેન્જ કચેરીનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.
સુરત મનપાના કમિશનર નાગરાજન દ્વારા વહીવટી પારદર્શિતા અને વિભાગો વચ્ચે તાત્કાલિક સંકલન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે હવે મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ રિયલ ટાઈમમાં એકબીજા સાથે સંપર્ક કરી શકે તે માટે આધુનિક કોમ્યુનિકેશન સર્વિસ વાયરલેસ સેટનું વિતરણ કરવામાં આવશે. અંદાજે 1 કરોડના ખર્ચે વધુ 500 સેટની ખરીદી હાલમાં મનપા પાસે કુલ 600 જેટલા વાયરલેસ સેટ ઉપલબ્ધ છે, જેમાંથી મોટાભાગના સેટ ફાયર વિભાગમાં કાર્યરત છે. જોકે, બદલાતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કમિશનર દ્વારા વધુ 500 નવા વાયરલેસ સેટ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ નવા સેટ આવવાથી ફિલ્ડમાં કાર્યરત કર્મચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓ સુધીનું સંકલન વધુ સરળ અને ઝડપી બનશે. વાયરલેસ સેટ દ્વારા રિયલ ટાઈમ સંકલન થશેસુરત શહેરમાં જ્યારે આગ, ભૂકંપ જેવી આકસ્મિક ઘટનાઓ બને અથવા ખાડી પૂરની ગંભીર સ્થિતિ ઊભી થાય, ત્યારે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. મોબાઈલ નેટવર્કની મર્યાદાઓ વચ્ચે પણ વાયરલેસ સેટ દ્વારા રિયલ ટાઈમમાં સૂચનાઓ આપી શકાશે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં બચાવ, રાહત કામગીરી અને પુનર્વસન જેવી પ્રવૃત્તિઓમાં આ આધુનિક સિસ્ટમથી એકસૂત્રતા જળવાઈ રહેશે. આ કર્મચારીઓ અને અધિકારીઓને વાયલેસ સેટ મળશેમનપા કમિશનર નાગરાજન દ્વારા આગામી દિવસોમાં પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓ અને અધિકારીઓમાં સંકલનને ધ્યાને રાખીને વધુ 500 વાયરલેસ સેટ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વાયરલેસ સેટ આરોગ્યલક્ષી કામગીરીમાં સંકળાયેલા ચીફ એસ.આઈ. તેમજ એસ.એસ.આઈ અને સિવિલ ઈજનેરીનાં પ્રોજેક્ટલક્ષી કામગીરીમાં જોતરાયેલા કાર્યપાલક ઈજનેર અને ડેપ્યુટી ઈજનેર કક્ષાનાં અધિકારીઓને ફાળવવામાં આવશે. આ સિવાય વિભાગીય વડાઓથી માંડીને નાયબ આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર, ડેપ્યુટી ઈજનેર જેવા અધિકારીઓને પણ આધુનિક વાયરલેસ સેટની ફાળવણી કરવામાં આવશે.
ખેલે સાણંદ સીઝન 3:ઝોળાપુર, ઈન્દિરાનગર ઝોન-ડી સુપર લીગ રાઉન્ડમાં છવાયા
24 ફેબ્રુઆરી, 2026ના રોજ સાણંદમાં રમતગમતનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળ્યો. ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગ સીઝન 3 ના સુપર લીગ રાઉન્ડના મુકાબલાઓ મંગળવારે સંપન્ન થયા હતા. આ સ્પર્ધામાં સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઉભરતી પ્રતિભાઓએ પોતાની રમતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 6 ટીમો વચ્ચે જામ્યો રસાકસીભર્યો જંગ અંડર-14 ગર્લ્સ ખો-ખો અને બોયઝ કબડ્ડી ટુર્નામેન્ટમાં કુલ 5 ગામોની 6 ટીમોએ મેદાનમાં ઉતરી પરાક્રમ બતાવ્યું હતું. કુલ 6 રોમાંચક મેચો રમાઈ હતી, જેમાં ખેલાડીઓએ અદ્ભુત ટીમવર્ક અને જીતવા માટેનો અતૂટ સંકલ્પ પ્રદર્શિત કર્યો હતો. રસાકસીભર્યા મુકાબલાઓના અંતે ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થયેલી ટીમોના નામ જાહેર કરાયા છે: અંડર-14 કબડ્ડી (બોયઝ): પૂલ-ડી માંથી ઝોળાપુરની ટીમ વિજેતા બની. અંડર-14 ખો-ખો (ગર્લ્સ): પૂલ-ડી માંથી ઈન્દિરાનગરની ટીમે બાજી મારી. સ્થાનિક સહયોગ અને પ્રોત્સાહન આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મણકોલ ગામના સરપંચ મહાદેવભાઈ ચૌહાણ અને સ્થાનિક સ્વયંસેવકોનો ફાળો અમૂલ્ય રહ્યો હતો. તેમણે ખેલાડીઓ અને દર્શકો માટે ભોજન-નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ લીગનો મુખ્ય હેતુ ગ્રામીણ સ્તરે રમતગમત દ્વારા સામાજિક એકતા મજબૂત કરવાનો છે. ટીમ ખેલે સાણંદે જણાવ્યું કે, યુવા ખેલાડીઓની આવી નિષ્ઠા ગ્રામ્ય ભારતના ખેલ જગતને નવું જીવન આપશે.
અમરેલીમાં યુવા ભાજપનો રાહુલ ગાંધી સામે વિરોધ:પૂતળાને ચપ્પલ મારી, સૂત્રોચ્ચાર સાથે દહન કરાયું
અમરેલી જિલ્લા યુવા ભાજપ દ્વારા રાજકમલ ચોકમાં રાહુલ ગાંધી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આયોજિત AI સમિટમાં રાહુલ ગાંધીએ દેશને હાસ્યપદ ગણાવ્યા હોવાના આક્ષેપ સાથે આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન, યુવા ભાજપના કાર્યકરો અને મહિલાઓએ રાહુલ ગાંધીના પૂતળાને ચપ્પલ મારી, રાહુલ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પૂતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના વિવિધ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી, મહિલા મોરચા સહિત વિવિધ મોરચાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં વધતા જતા ગુના અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી. શહેરમાં જાહેરમાં મારામારીના કિસ્સાઓ વધી રહ્યા છે તેની વચ્ચે પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું હતું કે કહેતા ગર્વ થાય છે કે શહેરમાં ક્રાઈમ રેટ ખૂબ જ કાબૂ હેઠળ છે, ગુનાઓના ડિટેકશન પણ સારા થયા છે. શહેરમાં સીસીટીવીના પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે. 24,000થી વધુ સીસીટીવી શહેરમાં લગાવવામાં આવ્યા છે. લોક ભાગીદારીથી આ સીસીટીવી લગાવવામાં આવ્યા છે જેમાં 3000 સીસીટીવીના ફીડ કંટ્રોલરૂમમાં મળે છે જેથી સીસીટીવીના આધારે પણ ઘણા બધાઓ ગુનાઓના ડિટેકશન થયા છે. ‘શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી’વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ક્રાઈમ કોન્ફરન્સમાં વર્ષ 2023થી 2025 એમ ત્રણ વર્ષમાં અમદાવાદમાં ગુનાખોરીની સ્થિતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. શહેરમાં ડ્રગ્સ અને ટ્રાફિકની સમસ્યાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી છે ખાસ કરીને સુભાષબ્રિજ બંધ થવાના કારણે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અનેક જગ્યાએ કામો ચાલે છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પોલીસ મહેનત કરી રહી છે, પરંતુ શહેરીજનોને અપીલ કરું છું કે લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે જેના કારણે થઈને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે. ‘ટ્રાફિક ના નડે તે માટે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર નીકળે’ટ્રાફિક બ્રિગેડની પણ નિમણૂક કરવામાં આવી છે. 450 ટ્રાફિક બ્રિગેડના જવાનોની ટ્રેનિંગ પૂર્ણ થઈ છે અને વધુ પોલીસ રોડ ઉપર મૂકી છે. પોલીસ કર્મચારીઓની હાજરી માટે એપ પણ બની રહી છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પણ તકલીફ ન પડે તેના માટે ટ્રાફિક નડે નહીં અને સમયસર કોઈ સ્થળે પહોંચવા માટે સમયસર નીકળે. ‘ધમકીભર્યા મેલથી પરીક્ષામાં કોઈ અડચણ ન આવે તેવી વ્યવસ્થા ગોઠવી’પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં જે ધમકીભર્યા ઈ-મેલ આવતા હતા તેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા એસઓપી બનાવવામાં આવી છે. સારી રીતે પરીક્ષા યોજાશે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તમામ પ્રયત્નો શોધવાના ચાલી રહ્યા છે, પરંતુ પરીક્ષામાં કોઈ અડચણ ન આવે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ‘સાયબર ક્રાઈમ એક પડકાર’શહેરમાં વધતા જતા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને પણ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ એક પડકાર છે જે ધમકીભર્યા ઈ-મેલ આવતા હતા તેમાં VPNનો ઉપયોગ કરવામાં આવે છે અને ખૂબ જ મુશ્કેલ છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભૂતકાળમાં તમિલનાડુનું મોડ્યુલ પકડ્યું હતું જે આખા ભારતમાં ઓપરેટ કરતું હતું. સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા હાલ શોધવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. ધમકીભર્યા ઇ-મેલ આવે તો પરીક્ષામાં કોઈ અડચણ નહીં ઉભી થાય તે માટે પણ કામગીરી કરવામાં આવી છે. ‘અરજી મળે એટલે બંદોબસ્ત આપીએ છીએ’શહેરમાં રોડ ઉપરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પોલીસ બંદોબસ્ત આપવા મામલે તેમણે જણાવ્યું હતું કે રોડ પરથી ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં પોલીસને અને કોર્પોરેશનને ફાયદો છે. બંદોબસ્ત આપવા માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે કોઈ કારણોસર બંદોબસ્ત આપી શકાતો નથી. જ્યારે બંદોબસ્ત આપવા માટે અરજી આપવામાં આવે છે ત્યારે તરત જ બંદોબસ્ત આપી દેવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા તેનાથી દૂર થાય છે. પોલીસ કમિશનર દ્વારા શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને ઘણી બધી ચર્ચા કરવામાં આવી હતી.
વડોદરાના પ્રખ્યાત અષ્ટ સહેલી ગ્રૂપ દ્વારા આગામી 1 માર્ચ, 2026ના રોજ એક અનોખા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘વિસરાતી જતી વિરાસત’ શીર્ષક હેઠળ યોજાનારા આ મેળાનો મુખ્ય હેતુ આજની ભાગદોડભરી જિંદગીમાં ભુલાઈ રહેલી આપણી ભવ્ય પરંપરાઓ અને વાનગીઓને ફરી જીવંત કરવાનો છે. આ કાર્યક્રમ સાંજે 4:00 થી રાત્રિના 10:00 વાગ્યા સુધી ચાલશે, જેનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન વડોદરા શહેરના DCP ઝોન-2 મંજીતા વણઝારાના હસ્તે કરવામાં આવશે. 33 સ્ટોલ્સ પર પિરસારો પ્રાચીન સ્વાદનો ખજાનો આ મેળાનું મુખ્ય આકર્ષણ ઠાકોરજીના શ્રૃંગારનો વિશેષ સ્ટોલ રહેશે. તે સિવાય કુલ 33 જેટલા સ્ટોલ્સ દ્વારા વિસરાઈ ગયેલી પરંપરાગત વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરીની ખીચડી, સાતઘાનનો ખીચડો, રતાળુનો હાંડવો, અને વડના પાન પર બનતા દામણી ઢોકળા જેવી પૌષ્ટિક વાનગીઓ લાઈવ જોવા મળશે. આ ઉપરાંત કોકમ પંચ, કેરીનો બાફલો, હેલ્ધી સત્તુ ડ્રિંક અને મિલેટ્સ જેવી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ દ્વારા લોકોને શુદ્ધ અને સાત્વિક આહારનો સંદેશ આપવામાં આવશે. ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાનું પ્રદર્શન માત્ર ખાણી-પીણી જ નહીં, પરંતુ આ મેળો કલા-કૌશલ્યનો પણ સંગમ છે. અહીં બ્લોક પ્રિન્ટની વસ્તુઓ, સિલ્વર જ્વેલરી, ક્રોશિયો વર્ક, હાથ ભરતની ચીજવસ્તુઓ અને મોતીકામનો સુંદર સંગ્રહ જોવા મળશે. ઘરગથ્થુ મસાલા, અથાણાં અને ઓર્ગેનિક હેર કેર પ્રોડક્ટ્સ પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ રહેશે. આરોગ્ય તપાસ અને વિશેષ સુવિધાઓ વર્ષ 2026ના સભ્ય બહેનો માટે પ્રવેશ અને ફૂડ કૂપન નિઃશુલ્ક રાખવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના સહયોગથી ફ્રી ચેક-અપ કેમ્પ પણ યોજાશે. જેમાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, ECG અને કેન્સર થર્મલ સ્ક્રીનીંગ જેવી તપાસ સ્થળ પર જ કરવામાં આવશે. વધુમાં, સભ્યો માટે મેમોગ્રાફી અને સીટી કોરોનરી એન્જીઓગ્રામ જેવા એડવાન્સ ટેસ્ટ પર 50% સુધીની રાહત પણ જાહેર કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગણાતી બરોડા ડેરીની ચૂંટણી માટેનું રાજકારણ ધીમે ધીમે ગરમાવા માંડયું છે. આગામી 18 માર્ચના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજાશે. જેના માટે ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ડેરીના છોટાઉદેપુર ઝોન તેમજ ઝોન 3માં બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. 26 ફેબ્રુઆરી ફોર્મ ભરવાની અંતિમ તારીખબરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 ફેબ્રુઆરી છે. ત્યાર બાદ 28 ફેબ્રુઆરીના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. અને ત્યાર બાદ 18 માર્ચે ચૂંટણી યોજવામાં આવશે. આ બંને ઝોનની બેઠક ગત ટર્મમાં બિનહરીફ હતીડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે છોટાઉદેપુર ઝોન 13માંથી અતુલ પટેલે ઉમેદવારી નોંધાવી છે. તો વડોદરા તાલુકા, ઝોન 3માંથી હિતેશ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બંને ઉમેદવારો ભાજપના આગેવાનો છે. ગત ટર્મમાં આ બંને બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. અને આ વખતે આ બંને ઉમેદવારોને આશા છે કે ભાજપ પક્ષ તેઓને મેન્ડેડ આપશે જ. બંને ઉમેદવારોએ ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબે સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ચૂંટણી રસાકસીપૂર્ણ રહે તેવી શક્યતાસહકારી ક્ષેત્રમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી e પ્રતિષ્ઠાનો જંગ ગણાય છે. જિલ્લાના તમામ ધારાસભ્યો પણ આ ચૂંટણીમાં પોતાનો દબદબો રહે તેમ ઈચ્છતા હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણી રસાકસીપૂર્ણ રહે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
છોટાઉદેપુર જિલ્લામાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવે કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી કપાસ ઉત્પાદક ખેડૂતોમાં રોષ અને ચિંતા વ્યાપી છે. છોટાઉદેપુર જિલ્લામાં કપાસ મુખ્ય પાક છે અને આ વર્ષે તેનું ઉત્પાદન પણ સારું રહ્યું છે. જોકે, હજુ પણ અનેક ખેડૂતોના ખેતરોમાં કપાસના જીંડવા તૈયાર થવામાં આશરે પંદર દિવસનો સમય લાગી શકે છે. ઘણા ખેડૂતોએ CCI દ્વારા કપાસ વેચીને યોગ્ય ભાવ મેળવ્યો છે, પરંતુ બાકીના ખેડૂતો માટે આ નિર્ણય મુશ્કેલી સર્જી રહ્યો છે. ખરીદી બંધ થવાથી ખેડૂતો સામે કપાસનો સંગ્રહ કરવો કે ખાનગી વેપારીઓને ઓછા ભાવે વેચવો તેવો પ્રશ્ન ઊભો થયો છે. તેમને ભય છે કે ખાનગી વેપારીઓને કપાસ વેચવાથી ટેકાના ભાવ કરતાં ઓછો ભાવ મળશે, જેના પરિણામે આર્થિક નુકસાન થશે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારી એજન્સીઓ દ્વારા ખરીદી બંધ કરાતા ખાનગી વેપારીઓ બજારમાં પ્રભુત્વ જમાવી ખેડૂતોની મજબૂરીનો લાભ ઉઠાવે છે. તેથી, ખેડૂતો કપાસ ખરીદીની મુદત લંબાવવાની માંગ કરી રહ્યા છે, જેથી મોડા ઉતારાવાળા ખેડૂતોને પણ ટેકાના ભાવનો લાભ મળી શકે. ખેડૂતોની આ માંગણી પર તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે અને તેમને આર્થિક નુકસાનથી કેવી રીતે બચાવી શકાય છે તે જોવું રહ્યું.
શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર આંતરિક જૂથવાદ અને અશિસ્તના વરવા દ્રશ્યો સામે આવ્યા છે. કતારગામ વિસ્તારની સરકારી શાળાના મુદ્દે પોતાની જ પાર્ટીના ધારાસભ્ય વિનુ મોરડીયા અને મનપાના અધિકારીઓ સામે મોરચો ખોલનારા કોર્પોરેટર નરેન્દ્ર પાંડવને પક્ષ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવવામાં આવે તે પૂર્વે જ આ નોટિસ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. આશ્ચર્યની વાત એ છે કે, વાઇરલ થયેલા લેટરપેડ પર શહેર પ્રમુખ પરેશ પટેલની સહી નથી, છતાં નોટિસ જાહેર થતાં રાજકીય આલમમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. કોર્પોરેટરના ધારાસભ્ય વિનુ મોરડિયા પર ગંભીર આક્ષેપનરેન્દ્ર પાંડવ છેલ્લા ઘણા સમયથી પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં રહ્યા છે. તાજેતરમાં જ કતારગામમાં સરકારી શાળાના લોકેશનને બદલવા મુદ્દે તેમણે ધારાસભ્ય વિનુ મોરડીયા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. પાંડવનો આરોપ હતો કે જે શાળા ચોક્કસ જગ્યાએ બનવાની હતી, તેને ધારાસભ્યના દબાણવશ અન્યત્ર ખસેડાઈ રહી છે. આ ઉપરાંત, મનપાના અધિકારીઓ અને વિસ્તારમાં ચાલતા ગેરકાયદે બાંધકામો સામે પણ તેઓ સતત પત્રવ્યવહાર કરતા રહ્યા છે, જે પક્ષના મોવડી મંડળને ખૂંચ્યું હોય તેમ જણાય છે. સહી વગરની નોટિસ વાઇરલ થતાં ‘શિસ્ત’ પર સવાલસોશિયલ મીડિયા પર જે નોટિસ વાઇરલ થઈ છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, નરેન્દ્ર પાંડવના મનસ્વી વર્તનને કારણે પાર્ટીએ શોભજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. આ અંગે સાત દિવસમાં ખુલાસો કરવા આદેશ કરાયો છે, અન્યથા શિસ્તભંગના પગલાં લેવાની ચીમકી અપાઈ છે. જોકે, ભાજપ કાર્યાલયમાંથી સત્તાવાર રીતે નોટિસ ઇસ્યુ થાય અને તેના પર પ્રમુખની સહી થાય તે પહેલા જ આ પત્ર સોશિયલ મીડિયામાં કેવી રીતે પહોંચ્યો તે મોટો પ્રશ્ન છે. શું પક્ષની અંદર જ કોઈ પાંડવને નિશાન બનાવી રહ્યું છે કે પછી આ કોઈ આંતરિક ખેંચતાણનો ભાગ છે, તે ચર્ચાનો વિષય બન્યો છે. સહી વાળા અને સહી વગરના લેટરપેડમાં એકસરખું લખાણપહેલા સહી વગરની એક કારણદર્શક નોટિસ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. આ નોટિસ વાઇરલ થયા બાદ, આખરે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર પ્રમુખ પરેશ પટેલની સહી સાથેની સત્તાવાર નોટિસ જાહેર કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બંને લેટરપેડ પર 23 ફેબ્રુઆરીની તારીખ છે અને બંને લખાણો એકસરખા છે. આથી, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી આ લેટરપેડ સહી થાય તે પહેલાં કોણે વાઇરલ કર્યું, તેની તપાસ હાલ પ્રમુખ દ્વારા કરવામાં આવી રહી છે. શહેર પ્રમુખ પરેશ પટેલે તપાસના આદેશ આપ્યાઆ સમગ્ર મામલે જ્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે અજાણતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'હાલ કઈ નોટિસ વાઇરલ થઈ છે તેની મને સત્તાવાર જાણકારી નથી. જો ભારતીય જનતા પાર્ટીના લેટરપેડનો આવો દુરુપયોગ થયો હશે અથવા સહી વગરની નોટિસ વાઇરલ થઈ હશે, તો હું ભાજપ કાર્યાલયમાં તેની ચોક્કસ તપાસ કરાવીશ.' પ્રમુખના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષમાં સંકલનનો અભાવ ક્યાંકને ક્યાંક વર્તાઈ રહ્યો છે. 'મેં પક્ષ વિરોધી કોઈ કામ કર્યું નથી': નરેન્દ્ર પાંડવબીજી તરફ, કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ હાલ સુરત બહાર ધાર્મિક પ્રસંગે ગયા છે. તેમણે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હું અત્યારે ગોબા છું અને મને હજુ સુધી કોઈ સત્તાવાર નોટિસ મળી નથી. મેં ક્યારેય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી નથી, માત્ર લોકહિતના પ્રશ્નો ઉઠાવ્યા છે. જો મને નોટિસ મળશે તો હું સુરત પરત આવીને પ્રમુખને રૂબરૂ મળીશ અને મારો પક્ષ રજૂ કરીશ.' પાંડવના આક્રમક તેવર જોતા આગામી દિવસોમાં સુરત ભાજપમાં ગરમાવો વધવાના એંધાણ છે. ભાજપમાં અંદરોઅંદરની લડાઈ હવે ચકડોળે ચડીસુરત મહાનગરપાલિકામાં ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં, શાસક પક્ષના જ કોર્પોરેટર જ્યારે ધારાસભ્ય સામે પડે ત્યારે સંગઠનની નબળાઈ છતી થાય છે. સહી વગરની નોટિસ વાઇરલ થવી એ પણ પક્ષની આંતરિક સિસ્ટમ પર સવાલ ઉભા કરે છે. ભાજપમાં સામાન્ય રીતે શિસ્તને સર્વોપરી ગણવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં નોટિસ આપવાની પ્રક્રિયા જ વિવાદમાં આવતા હવે હાઈકમાન્ડ આ મામલે શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

28 C