SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
...

રાયપુર કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળતા મોતનો આંક 3 થયો:હજુ એક યુવાન લાપતા, દારૂની લતમાં બે સગા ભાઈએ જીવ ગુમાવ્યો; ગઈકાલે બે યુવકની લાશ મળી'તી

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા 24 કલાકમાં ચાર આશાસ્પદ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ગુમ થયેલા ચાર યુવકો પૈકી ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવતા કુલ મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. જ્યારે હજુ પણ એક યુવાનની શોધખોળ જારી છે. આ ઘટનાને પગલે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથીગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાં બે યુવાનોની લાશ કેનાલમાંથી મળી આવી હતી. ત્યારે ગઈકાલે વધુ એક યુવાનની લાશ કલોલની જાસપુર કેનાલમાંથી મળી આવી હતી. હજી પણ ચોથા યુવાનની લાશ મળી આવી નથી. હાલમાં તો આ ઘટનામાં બે પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. આ બંને મામલે ડભોડા પોલીસ તપાસ ચલાવી રહી છે. દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈને કેનાલમાં છલાંગ લગાવીઅમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ વાઘેલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, બે પરણિત ભાઈઓ નિખિલ અને નીરજ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી નીરજ ઘર છોડીને રાયપુર કેનાલ પર પહોંચ્યો હતો અને જોતજોતામાં કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. નાના ભાઈને બચાવવા માટે મોટો ભાઈ નિખિલ પણ પાછળ કૂદ્યો હતો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં બંને ભાઈઓ ગરકાવ થઈ ગયા હતા. નિખિલની લાશ અગાઉ મેદરા કેનાલમાંથી મળી હતી, જ્યારે નીરજનો મૃતદેહ ગઈકાલે છેક જાસપુર કેનાલમાંથી મળી આવ્યો છે. એકની લાશ જાસપુર તણાઈ આવીને અને તેનો ભાઈ લાપતા છેબીજી તરફ મૂળ ધોલેરાના અને હાલ અમદાવાદમાં રહેતા બે પિતરાઈ ભાઈઓ પણ કેનાલની બલિ ચઢ્યા છે. સુનીલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે હાથ-પગ ધોવા ઉતર્યા હતા, ત્યારે એક ભાઈનો પગ લપસતા તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ ડૂબ્યો હતો. તંત્ર દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યુ ઓપરેશનમાં સુનીલનો મૃતદેહ મળી આવ્યો છે, પરંતુ રોશન આંબલીયા હજુ પણ લાપતા છે. ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈના જણાવ્યા અનુસાર, પાણીનો પ્રવાહ તેજ હોવાથી મૃતદેહો તણાઈને કિલોમીટરો દૂર પહોંચી ગયા હતાં. નીરજ વાઘેલાની લાશ જાસપુર સુધી તણાઈને આવી હતી. હાલમાં રોશનની શોધખોળ ચાલુ છે. આ પણ વાંચો કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. 30 માર્ચે છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનાઓમાં કરુણતા એ વાતની છે કે એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધીની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:57 pm

જામનગર સિટી-એ PI નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી:પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી થઈ છે. આ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાફ, અન્ય અધિકારીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. પીઆઈ એન.એ. ચાવડાએ જામનગરમાં તેમની ફરજ દરમિયાન પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાર્થક કર્યું હતું. તેમણે પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમની નિઃસ્વાર્થ સેવા અને સેવા-સુરક્ષા-શાંતિ ના પોલીસ સૂત્રને અનુરૂપ કામગીરીને સૌએ બિરદાવી હતી. આ વિદાય સમારોહમાં દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વી.આર. ગામેતી, પીએસઆઈ ડી.જી. રામાનુજ, પીએસઆઈ એમ.એન. રાઠોડ અને ખંભાળીયા ગેટ પોલીસ ચોકીના પીએસઆઈ એમ.કે. બ્લોચ સહિત વિવિધ વિભાગોના સ્ટાફ હાજર રહ્યો હતો. સર્વેલન્સ સ્ક્વોડ, એલઆઈબી સ્ટાફ, દરબારગઢ ચોકી સ્ટાફ, ખંભાળીયા ગેટ ચોકી સ્ટાફ અને દિગ્વિજય પ્લોટ ચોકી સ્ટાફ દ્વારા પીઆઈ ચાવડાને ફૂલહાર પહેરાવી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:50 pm

મહેસાણામાં ક્ષયના દર્દીઓમાં ચિંતાનજક વધારો:વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1,241 દર્દી નોંધાયા, જિલ્લાના 146 ગામ સંપૂર્ણપણે ક્ષયમુક્ત થયા

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષય રોગના દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2025માં જિલ્લામાં 1,355 ક્ષયના દર્દીઓ નોંધાયા હતા. જેની સામે વર્ષ 2026ના પ્રારંભિક ગાળામાં જ અત્યાર સુધીમાં 1,241 જેટલા દર્દી સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં ટીબીનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે આ ચિંતાજનક સ્થિતિની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના પ્રયાસોને પરિણામે મહેસાણાના 600 ગામ પૈકી 146 ગામ સંપૂર્ણપણે ક્ષય મુક્ત બનવામાં સફળ રહ્યા છે. એક તરફ નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ ગામડાઓને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ પણ વેગ પકડી રહી છે. 'જિલ્લામાં ક્ષયરોગથી મૃત્યુદરમાં વધારો થયો'મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ક્ષય રોગના કારણે મૃત્યુદરમાં પણ વધારો નોંધાયો છે.હાલની સ્થિતિએ દર 1 લાખની વસ્તીએ 3-4 વ્યક્તિઓના મૃત્યુ ક્ષય રોગને કારણે થઈ રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીબીના રોગને જડમૂળથી નાથવા માટે એક વિશેષ અને નવીન ‘એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત દર્દીઓનું વહેલું નિદાન,સચોટ સારવાર અને લોકોમાં જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.ખાસ કરીને જે ગામો હજુ ક્ષય મુક્ત થયા નથી, ત્યાં સઘન તપાસ હાથ ધરીને ટીબી મુક્ત ગામની સંખ્યા વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં વહીવટી તંત્ર આ આયોજનબદ્ધ કામગીરી દ્વારા જિલ્લામાં ક્ષય રોગના વ્યાપને ઘટાડવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:48 pm

‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી, કોંગ્રેસે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા

પોરબંદરમાં જાણીતી હોટેલોને લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહિ અપાઈ તે જાહેરાત PM કરે તેવી માગપોરબંદરમાં 1500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. પરમિટ ધારકો જિલ્લા બહાર દારૂ લેવા માટે જતા હોય છે, જેથી પોરબંદરમાં જ લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. ભાજપ ગાંધીજીની વિચારધારાને ખતમ કરવા માગતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીની વિચારધારાને ખતમ કરવા માંગતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહીં આપવામાં આવે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરાત કરે તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે સમગ્ર ગુજરાતમાં દારૂ બાંધીના કાયદાની કડક અમલવારી થાય તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. ‘ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ’ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, જે આપણા સૌ માટે ચોંકાવનારા છે. એક તરફ ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. ગાંધીજીને સંસ્થાને તોડી નાખો અને આધુનિકરણ કરવાના બહાને બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગાંધી ગાંધી વિચારની સંસ્થાઓને કઈ રીતે ખતમ કરી શકાય તેવી સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર એવા છે કે, જેમણે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘વિદેશમાં પ્રધાનમંત્રી પોતે ગાંધીજી સિવાય બીજી વાત કરતા નથી’વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માગું છું કે પક્ષા-પક્ષીથી ઉપર રહીને કામ કરવાની જરૂર છે. વિશ્વમાં દેશ ગાંધીની વિચારધારા તરીકે ઓળખાય છે. ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય છે. વિદેશમાં જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે પણ ગાંધીજી સિવાય બીજી કોઈ વાત કરતા નથી. વિશ્વ આખું ગાંધી વિચારધારા પર આગળ વધતું હોય ત્યારે ગુજરાતની શાસકો જે રીતે પગલા ભરી રહ્યા છે તે જરાય પણ વ્યાજબી નથી. પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા છે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે, ગાંધીની ભૂમિ પર પણ સમગ્ર ગુજરાતની જેમ સખત કાયદાની અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારધારાને આગળ વધારી શકીશું અને નવ યુવાનો જે ગુજરાતનું ભવિષ્ય છે તેને નશાની આડમાંથી બચાવી શકીશું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:47 pm

મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન:અંતિમયાત્રામાં મંત્રી કાંતિ અમૃતિયા, ત્રણેય પક્ષના નેતાઓ અને ઉદ્યોગપતિઓ જોડાયા

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગઈકાલે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની અંતિમયાત્રા આજે બપોરે 12:30 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી. આ અંતિમયાત્રામાં રાજ્યના મંત્રી સહિત ત્રણેય પક્ષના રાજકીય અગ્રણીઓ, મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને નગરજનો જોડાયા હતા. સોમવારે મોડી સાંજે કિશોરભાઈ ચીખલીયા મહેન્દ્રનગર ગામે કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક કરવા ગયા હતા. તે સમયે તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જોકે સારવાર કારગત ન નીવડતા તેમનું નિધન થયું હતું. આજે સવારે 11:30 વાગ્યે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજવાટીકા ખાતેના તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. રાજ્યના મંત્રી કાંતિ અમૃતિયા તેમજ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય રાજકીય પક્ષના સ્થાનિક આગેવાનો તથા કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો કિશોરભાઈ ચીખલીયાની અંતિમયાત્રામાં જોડાયા હતા. આ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો, સિરામિક ઉદ્યોગકારો સહિતના નગરજનો પણ અંતિમયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતિમયાત્રામાં જોડાયેલા લોકોએ કિશોરભાઈ ચીખલીયાએ છેલ્લા વર્ષોમાં લોકો માટે કરેલા કામો અને ખેડૂતોને ઉપયોગી થવાની તેમની ભાવનાને યાદ કરી હતી. તેમના નિધનથી મોરબી અને કોંગ્રેસને મોટી ખોટ પડી હોવાની લાગણી સહુ કોઈએ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં તેઓ પ્રથમ વખત કોંગ્રેસના સિમ્બોલ સાથે રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા. ત્યારબાદ વર્ષ 2015માં મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સિમ્બોલ સાથે ચૂંટાયા હતા. તેમણે મોરબી જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હતી. વર્ષ 2024થી તેમને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી સમયમાં તેમના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોરબીમાં યોજાવાની હતી અને તેઓ મજબૂત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. તેમના અચાનક અવસાનથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને નેતૃત્વની ખોટ પડશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:45 pm

સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસના 30 દાવેદારોએ ફોર્મ ભર્યા:પૂર્વ ધારાસભ્યના કાર્યાલયે સેન્સ પ્રક્રિયા, સ્થાનિક મુદ્દાઓ પર ચૂંટણી

અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સક્રિય બની છે. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના પ્રભારી અમિત લવતુકા દ્વારા આ પ્રક્રિયા પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય ખાતે યોજાઈ હતી. આ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધીમાં કોંગ્રેસ પક્ષમાંથી અંદાજે 30 જેટલા ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા છે. સેન્સ પ્રક્રિયા સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેવાની હોવાથી વધુ ફોર્મ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પક્ષે આગામી નગરપાલિકા ચૂંટણી સ્થાનિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને લડવાનો નિર્ધાર કર્યો છે. ખાસ કરીને રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા તેમજ ટ્રાફિક જેવી જનહિતની સમસ્યાઓને મુખ્ય મુદ્દા તરીકે ઉઠાવવામાં આવશે. આ પ્રસંગે પ્રભારી અમિત લવતુકાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજય મેળવશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:42 pm

રાજકોટ મહાપાલિકાની ઐતિહાસિક કર વસૂલાત:31 માર્ચ સુધીમાં રૂ. 438 કરોડની વસુલાત સાથે તંત્રએ રચ્યો નવો વિક્રમ, હજુ અનેક સરકારી સંસ્થાઓનાં મળી રૂ. 91.98 કરોડ બાકી

નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ દિવસે રાજકોટ મહાપાલિકાના વેરા વિભાગે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. મનપા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા વાર્ષિક લક્ષ્યાંકની અત્યંત નજીક પહોંચતા તંત્રએ 31 માર્ચની બપોર સુધીમાં જ રૂ. 438 કરોડનો વેરો વસૂલ કરી લીધો છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે વસૂલાતનો આંકડો ઘણો ઊંચો રહ્યો છે, જે મનપાની મજબૂત નાણાકીય સ્થિતિ અને વેરા વિભાગની આક્રમક કામગીરીનો પુરાવો આપે છે. ટેક્સ વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, હજુ રાત સુધીમાં આ આંકડો રૂ. 445 કરોડને પાર કરી જવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે હજુપણ અનેક સરકારી સંસ્થાઓનાં મળીને કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. વેરા વસૂલાતના મુખ્ય આંકડા અને લક્ષ્યાંકની પ્રાપ્તિરાજકોટ મહાનગરપાલિકાનાં ટેક્સ મેનેજર વત્સલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે કુલ રૂ. 454 કરોડનો વેરા વસૂલાતનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે આજે 31 માર્ચ બપોરની સ્થિતિએ તંત્રએ રૂ. 438 કરોડ વસૂલીને 97% જેટલો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે. આ સફળતા પાછળ મનપાની 'રિવોર્ડ અને પેનલ્ટી' નીતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે. વર્ષના પ્રારંભમાં એડવાન્સ વેરો ભરનારાઓને અપાયેલી રિબેટ યોજના અને વર્ષના અંતે બાકીદારો સામે લેવાયેલા કડક પગલાંને કારણે તિજોરી છલકાઈ છે. આજના દિવસમાં વેરા વસુલાતનો આંકડો રૂ. 445 કરોડને પાર થવાની શક્યતા વેરા મેનેજર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.વધુમાં તેમણે જણાવ્યું કે, સૂલાતના માધ્યમો પર નજર કરીએ તો ડિજિટલ ઇન્ડિયાનો પ્રભાવ રાજકોટમાં સ્પષ્ટ દેખાય છે. કુલ આવકમાંથી રૂ. 237.99 કરોડ જેટલી માતબર રકમ ઓનલાઇન પેમેન્ટ દ્વારા મળી છે, જે દર્શાવે છે કે મોટા ભાગના કરદાતાઓએ ઘરબેઠા વેરો ભરવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત, મનપાની બારીઓ પર રોકડ સ્વરૂપે રૂ. 123.03 કરોડની આવક થઈ છે, જ્યારે ચેક દ્વારા રૂ. 76.87 કરોડની વસૂલાત કરવામાં આવી છે. વ્યાજમાફી યોજનાને મળ્યો જબરો પ્રતિસાદરાજકોટ મનપાની વ્યાજમાફી યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં 9 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી કુલ 43346 આસામીઓએ આ યોજનાનો લાભ લીધો છે. દરમિયાન મનપા દ્વારા કુલ રૂ. 11,84,04,468.00 જેટલી વ્યાજની રકમ માફ કરવામાં આવી છે, જેની સામે કુલ રૂ. 73,30,14,180.00ની વેરાની આવક થઈ છે. કેટેગરી મુજબ વિગતો જોઈએ તો, રહેણાંક હેતુના 31,061 આસામીઓએ યોજનાનો લાભ લીધો છે, જેમાં રૂ. 8,76,77,970.00 વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. અને રૂ. 39,65,01, 436.00 ની વસૂલાત કરવામાં આવી છે. બીજીતરફ બિન-રહેણાંક મિલકતોમાં 11668 આસામીએ લાભ લીધો છે, જેમાં રૂ. 2,86,55,096.00 વ્યાજ માફી સાથે રૂ. 32,14,45,899.00ની આવક થઈ છે. ઉપરાંત અનલિંક વોટર કેટેગરીમાં 617 આસામીએ લાભ મેળવ્યો છે, જેમાં પણ કુલ રૂ. 20,71,402.00 નું વ્યાજ માફ કરવામાં આવ્યું અને રૂ. 1,50,66,845.00 ની વેરાની રકમ ભરપાઈ થઈ છે. સરકારી કચેરીઓનાં કરોડોના લેણાં હજુ પણ બાકીએક તરફ રાજકોટના સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ સમયસર વેરો ભરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ મોટી સરકારી સંસ્થાઓ અને કચેરીઓ મનપા માટે માથાનો દુખાવો બની છે. તેમજ આશ્ચર્યજનક રીતે, ગરીબ કે મધ્યમ વર્ગના લોકો નહીં પરંતુ હાઈ-પ્રોફાઈલ સરકારી એકમો જ સૌથી મોટા બાકીદારો તરીકે ઉભરી આવ્યા છે. મુખ્ય બાકીદારોની વિગત જોઈએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ સમરસ હોસ્ટેલના રૂ. 15.35 કરોડ, BSNL ટાવરના રૂ. 13.42 કરોડ, સિટી પોલીસના રૂ. 12.06 કરોડ અને રેલવેના રૂ. 11.94 કરોડ બાકી બોલે છે. કલેક્ટર ઓફિસે આ વર્ષે રૂ. 2.5 કરોડની ભરપાઈ કરી હોવા છતાં હજુ પણ રૂ. 10.25 કરોડનું લેણું મળી કુલ રૂ. 91.98 કરોડ વસુલવાના બાકી છે. સરકારી સંસ્થાઓનો બાકી વેરો1) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રૂ. 28.96 કરોડ2) સમરસ હોસ્ટેલ રૂ. 15.35 કરોડ3) BSNL ટાવર રૂ. 13.42 કરોડ4) સિટી પોલીસ રૂ. 12.06 કરોડ5) રેલવે વિભાગ રૂ. 11.94 કરોડ6) કલેક્ટર કચેરી રૂ. 10.25 કરોડ છેલ્લા 5 વર્ષની તુલનાત્મક સમીક્ષારાજકોટ મનપાની છેલ્લા પાંચ વર્ષની વેરા આવકનું વિશ્લેષણ કરવામાં આવે તો જણાશે કે શહેરીકરણની સાથે વેરાની આવકમાં પણ તોતિંગ વધારો થયો છે. વર્ષ 2021-22માં કુલ વસૂલાત રૂ. 256.40 કરોડ હતી અને કરદાતાઓની સંખ્યા 3,85,120 હતી. જે ક્રમશઃ વધીને વર્ષ 2022-23માં રૂ. 312.15 કરોડ (4,02,450 કરદાતા), વર્ષ 2023-24માં રૂ. 385.60 કરોડ (4,12,060 કરદાતા) અને ગત વર્ષે એટલે કે 2024-25માં રૂ. 412.03 કરોડ (4,20,662 કરદાતા) સુધી પહોંચી હતી. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આ આંકડો રૂ. 438 કરોડને પાર કરી ગયો છે અને કરદાતાઓની કુલ સંખ્યા વધીને 4,59,681 પર પહોંચી છે. આ વર્ષે નવા 39,019 કરદાતાઓનો ઉમેરો થયો છે, જે દર્શાવે છે કે રાજકોટના ભૌગોલિક વિસ્તારની સાથે મિલકતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખાસ કરીને નવા ભળેલા વિસ્તારોમાંથી ટેક્સની સારી આવક થઈ રહી છે. વર્ષ કરદાતાઓની સંખ્યા વેરાની વસુલાત2021-22 3,85,120 રૂ. 256.40 કરોડ2022-23 4,02,450 રૂ. 312.15 કરોડ2023-24 4,12,060 રૂ. 385.60 કરોડ2024-25 4,20,662 રૂ. 412.03 કરોડ2025-26 4,59,681 રૂ. 438.00 કરોડ જૂના રાજકોટમાં પડકાર અને સીલિંગની કાર્યવાહીજૂના રાજકોટના વિસ્તારો જેવા કે સોની બજાર, મોચી બજાર, ઘી કાંટા રોડ અને ધર્મેન્દ્ર રોડ પર વેરો વસૂલવો તંત્ર માટે હંમેશા પડકારજનક રહ્યો છે. આ વિસ્તારોમાં ઘણી મિલકતોના વર્ષો જૂના લેણાં બાકી હતા. આ વર્ષે મનપાએ નમ્રતા છોડીને કડક હાથે કામ લીધું છે. ટેક્સ વિભાગે આ વર્ષે અંદાજે 800 કરતા વધુ મિલકતોને સીલ કરી હતી. બાકીદારોના નળ જોડાણ કાપવા અને ડ્રેનેજ કનેક્શન બંધ કરવા જેવી આકરી કાર્યવાહીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને કરદાતાઓ વેરો ભરવા મજબૂર બન્યા હતા. તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે હવે આગામી વર્ષે કોઈપણ પ્રકારની વ્યાજ માફી કે 'વોલ્ટરી ટેક્સ સેટલમેન્ટ' સ્કીમ લાવવામાં આવશે નહીં, તેથી બાકીદારોએ વ્યાજ સાથે પૂરી રકમ ચૂકવવી પડશે. કોઈપણ રજાઓ વિના ટેક્સ વિભાગ સતત ખડેપગેનાણાકીય વર્ષના અંતિમ બે સપ્તાહમાં ટેક્સ વિભાગના કર્મચારીઓએ રજાના દિવસોમાં પણ કામગીરી ચાલુ રાખી હતી. તમામ ઝોનલ ઓફિસ (સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ) ની બારીઓ મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવી છે. વત્સલ પટેલના માર્ગદર્શન હેઠળ વિભાગે 'ડોર-ટુ-ડોર' સંપર્ક અને મોટા બાકીદારોને પર્સનલ કોલ કરીને વેરો ભરવા પ્રોત્સાહિત કર્યા હતા. મનપાએ પોતાની મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટને વધુ યુઝર-ફ્રેન્ડલી બનાવી છે, જેના પરિણામે આ વર્ષે રૂ. 237 કરોડથી વધુની રકમ ઓનલાઇન આવી છે. આ તંત્રની મોટી સફળતા છે કારણ કે તેનાથી વહીવટી ખર્ચ ઘટે છે અને નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે છે. ઉલ્લેખનીય છે કે, રૂ. 438 કરોડનું કલેક્શન રાજકોટના વિકાસ માટેનો પાયો છે. આ રકમનો ઉપયોગ શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાણી પુરવઠો અને નવા બ્રિજ બનાવવા પાછળ કરવામાં આવશે. કલેક્ટર ઓફિસ અને રેલવે જેવી સંસ્થાઓ જો પોતાનો બાકી વેરો ભરી દે, તો આ આંકડો રૂ. 500 કરોડને પણ પાર કરી શકે તેમ છે. આગામી વર્ષ 2026-27 માટે મનપાએ હજુ વધુ મોટો લક્ષ્યાંક રાખ્યો છે. મિલકત વેરાના દરમાં ફેરફાર કર્યા વગર, માત્ર બાકી રહેલા એકમોને ટેક્સ નેટમાં લાવીને આવક વધારવાની મનપાની યોજના છે. જો યોજના સફળ થશે તો શહેરને 'સ્માર્ટ સિટી' બનાવવા તરફ વધુ એક ડગલું આગળ વધી શકાશે તે નિશ્ચિત છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:41 pm

કોઈ ચાર્જ વિના લોનની લાલચ આપી ઠગે મહિલાને ફસાવી:પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને 16 હજાર પડાવી લીધા

અમદાવાદ શહેરના કાલુપુરમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન કરાવી આપવાનું કહીને ગઠીયાએ એક ગૃહેણી પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે. વોટ્સએપ ગ્રુપમાં જાહેરાત આવી ગઈ હતી કે, સીબીલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન થઈ જશે. જોકે મહિલાએ રસ દાખવતા ગઠિયાએ અલગ અલગ ચાર્જના નામે 16 હજાર રૂપિયા પડાવ્યા હતાં. કાલુપુર પોલીસે મહિલાની ફરિયાદ નોધી તપાસ શરૂ કરી છે. વોટ્સએપ ગ્રુપમાં સરળ લોનની જાહેરાત આવી'તીમળતી માહિતી અનુસાર, કાલુપુર વિસ્તારમાં રહેતી મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં સાયબર ગઠીયાઓ વિરૂદ્ધ ચિંટીગની ફરિયાદ કરી છે. મહિલા પતિ અને બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. થોડા દિવસ પહેલા મહિલાના વોટ્સએપ ગ્રુપમાં સરળ લોન બાબતેની જાહેરાત આવી હતી. જાહેરાતમાં સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન મળી જશે તેવો ઉલ્લેખ કરાયો હતો. સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન કરી આપવાનું કહીને ફસાવીમહિલાએ જાહેરાતમાં દર્શાવેલા નંબર પર ફોન કર્યો હતો અને જેમાં સામેથી જણાવ્યુ હતું કે,પ્રધાનમંત્રી મુદ્રા લોનનું કામ કરીએ છે અને કોઈપણ સિબિલ સ્કોર અને પ્રોસેસીંગ ચાર્જ વગર લોન કરી આપીશું. મહિલાએ તેના તમામ ડોક્યુમેન્ટ વોટ્સએપ પર મોકલી આપ્યા હતાં. બીજા દિવસે 6 લાખ રૂપિયાની મુદ્રા લોન થઈ ગઈ હોવાનું દર્શાવ્યુ હતું. ગઠીયાએ મહિલા પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લીધાગઠીયાએ મહિલાને જણાવ્યુ હતું કે, આ લોન તમારા ખાતામાં બે દિવસમાં જમા થઈ જશે. ત્યારબાદ ગઠીયાએ મહિલાને ફોન કર્યો હતો કે પ્રોસેસીંગ ચાર્જ વાળી ઓફિસ જાન્યુઆરી મહિના સુધી જ હતું જો તમારે લોન લેવી હોય તો 3 હજાર રૂપિયા પ્રોસેસીંગ ચાર્જ આપવો પડશે. મહિલાએ રૂપિયા ગુગલ પે કર્યા હતાં. ત્યારે ગઠીયાએ કહ્યુ હતું કે, તમારા બેંકમાં લોન ઓટો ડેબીટ થવામાં સમસ્યા આવી રહી છે જેથી તમારે એડવાન્સમાં માર્ચ મહિનાનો ઈએમઆઈ ભરવો પડશે. મહિલાએ 7929 રૂપિયા પણ ગુગલ-પેથી ટ્રાન્સફર કર્યા હતાં. આ સિવાય ઈન્સ્યોરન્સના રૂપિયા બાકી હોવાનું પણ જણાવીને 6 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. લોનના રૂપિયા નહી આવતા મહિલાએ તેને ફોન કર્યો હતો તો તેનો નંબર બંધ આવતો હતો. ગઠીયાએ મહિલા પાસેથી 16 હજાર રૂપિયા પડાવી લીધા છે.કાલુપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:36 pm

લોઢવા–સુત્રાપાડા સ્ટેટ હાઇવે બન્યો 'મરણિયો માર્ગ':35 ગામના લોકો ત્રાહિમામ્, રોજના 450 ભારે ટ્રકોના ભાર હેઠળ રસ્તો બેસી ગયો, તાત્કાલિક રીપેરીંગ-પહોળાઈ વધારવાની માગ

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવેને જોડતો અને સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માટે જીવાદોરી સમાન લોઢવા-સુત્રાપાડા સ્ટેટ હાઇવે છેલ્લા પાંચ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓ અને સાંકડી પહોળાઈના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અહીંથી પસાર થવું જીવના જોખમ સમાન બની ગયું છે. ઔદ્યોગિક ભાર અને સાંકડો રસ્તો: અકસ્માતનું કારણ આ માર્ગ વેરાવળ-કોડીનાર-ઉના નેશનલ હાઈવેને સુત્રાપાડા તાલુકા મથક સાથે જોડે છે. આશરે 10.5 કિલોમીટર લાંબો આ રસ્તો માત્ર 5 મીટરની પહોળાઈ ધરાવે છે. સ્થાનિક અગ્રણીઓનો રોષ થરેલી ગામના માજી સરપંચ રામ બાંમભણીયા અને અમરપુરના યુવા અગ્રણી રાજસી જેઠવાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષથી 35થી વધુ ગામોના લોકો આ નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ માટે પણ આ રસ્તો અવરોધરૂપ બની રહ્યો છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. તંત્રની કબૂલાત અને હૈયાધારણ માર્ગ અને મકાન વિભાગ (RB)ના નાયબ કાર્યપાલક ઈજનેર બી.એમ. ભીમાણીએ સ્વીકાર્યું હતું કે, ભારે ઔદ્યોગિક વાહનોના સતત અવરજવરના કારણે રસ્તાની સ્થિતિ ખરાબ થઈ છે. તેમણે ખાતરી આપી છે કે, વિભાગ દ્વારા ટૂંક સમયમાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત લાવી શકાય. લોકોની મુખ્ય માંગણીઓ: વર્ષોથી મુશ્કેલી વેઠી રહેલા સુત્રાપાડા પંથકના લોકો હવે 'આર યા પાર' ના મૂડમાં છે. જો વહેલી તકે મરામત શરૂ નહીં થાય, તો આગામી દિવસોમાં આંદોલન છેડાય તેવી પણ શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે RB વિભાગની આ હૈયાધારણ ક્યારે અમલમાં મુકાય છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:28 pm

પાટણ HNGU રસાયણશાસ્ત્ર વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:2002-2006 બેચના 110થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત; કુલપતિએ સંબોધન કર્યું

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા 'એલ્યુમિનિ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2002 અને 2006ની બેચના 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ્ય જૂની યાદો તાજી કરવાનો અને યુનિવર્સિટીના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન અંગે ચર્ચા કરવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થયો હતો. રસાયણશાસ્ત્ર વિભાગના વડા પ્રો. (ડો.) સંગીતા શર્માએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સાચી મૂડી હોય છે. તેમણે વિભાગની પ્રગતિની રૂપરેખા પણ રજૂ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. (ડો.) કે. સી. પોરિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને સમાજમાં જે સ્થાન ધરાવે છે તેનાથી યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે અને તેઓ સંસ્થાના વિકાસમાં મજબૂત સ્તંભ સમાન છે. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. આર. એન. દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના પૂર્વ વડા પ્રો. જે. ડી. જોષીએ વિદ્યાર્થીઓને નૈતિકતા અને મૂલ્યો પર ભાર મૂક્યો હતો, અને શૈક્ષણિક સફળતા સાથે જીવનમાં પ્રામાણિકતા અને કર્મયોગી બનવાનું આહવાન કર્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને પૂર્વ વડા પ્રો. જે. જે. વોરાએ એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શૈક્ષણિક ભવિષ્ય, પડકારો અને તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. એ. આર. મજમુદારે પોતાના શૈક્ષણિક અનુભવો રજૂ કર્યા, જ્યારે પ્રો. સી. પી. ભસીને 'નોબલ પ્રાઈઝનો ઇતિહાસ' વિષય પર વક્તવ્ય આપી સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન 'મેમરી લેન' સત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સત્રમાં વર્ષ 2002 અને 2006ની બેચના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવી પોતાની હોસ્ટેલ લાઈફ, લેબોરેટરીના અનુભવો અને જૂના કિસ્સાઓ યાદ કર્યા હતા. ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સફળતામાં વિભાગ અને ગુરુજનોના ફાળાનો સ્વીકાર કર્યો હતો. તેમણે આગામી સમયમાં યુનિવર્સિટીના વિકાસમાં સહયોગી બનવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં પ્રો. કે. એ. પરમારે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:28 pm

જીઆઈડીસીના બિસ્માર રસ્તાઓ અને પાલિકાના પોકળ વાયદા:ઉદ્યોગકારોએ રોડ મુદ્દે હાઈવે પર ડાયવર્ઝન આપવાનું અલ્ટીમેટમ આપતા મનપામાં ફફડાટ,9 મહિના પહેલા 270 કરોડના વિકાસના વાયદા, ટેન્ડિંગ કમિટીના ચેરમેન સોશિયલ મીડિયામાં વાહવાહી લૂંટવામાં વ્યસ્ત,

​જૂનાગઢ શહેરના હૃદય સમાન ગણાતા જીઆઈડીસી-2 વિસ્તારના ઉદ્યોગકારો અને સ્થાનિક શ્રમિકો આજે તંત્રની ઘોર બેદરકારી સામે રણચંડી બન્યા છે. ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના શાસકો સામે બાયો ચડાવવામાં આવી છે અને આગામી 1લી એપ્રિલ 2026ના રોજ સવારના 11 વાગ્યાથી રાજકોટ-જૂનાગઢ હાઈવે પર જીઆઈડીસી ગેટ પાસેથી ટ્રાફિકને ડાયવર્ઝન તરફ વાળી રસ્તા રોકો જેવી સ્થિતિ ઉભી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઉદ્યોગકારોનો આક્રોશ એટલા માટે ચરમસીમાએ છે કારણ કે ભૂતકાળમાં જ્યારે હાઈવે પર પુલનું નિર્માણ ચાલતું હતું ત્યારે તંત્રએ રસ્તા બનાવી આપવાના વાયદા સાથે જીઆઈડીસીના આંતરિક રસ્તાઓનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કર્યો હતો, પરંતુ હવે પુલ બની ગયા બાદ તંત્ર જાણે 'ગરજ સરી એટલે વૈદ્ય વેરી' જેવો ઘાટ ઘડીને બેઠું હોય તેમ આ વિસ્તારના રસ્તાઓ સામે જોવાની પણ તસ્દી લેતું નથી. ​જૂનાગઢ મહાનગરપાલિકામાં હાલ જાણે અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિ પ્રવર્તી રહી હોય તેવું જોવા મળે છે. ખાસ કરીને મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ' પેચ વર્ક' અને સામાન્ય પેચવર્કની તસવીરો અપલોડ કરીને જાતે જ પોતાની પ્રશંસા લૂંટી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં જૂનાગઢના રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને ઉડતી ધૂળ તંત્રની નિષ્ફળતાની ચાડી ખાય છે. શહેરની જનતા જ્યારે બિસ્માર રસ્તાઓ અને ધૂળથી પરેશાન થઈ રહી છે ત્યારે સત્તાધીશો ઉદ્ઘાટનો અને રીબીનો કાપવાના કાર્યક્રમોમાં વ્યસ્ત રહીને પ્રજાના પ્રશ્નો પ્રત્યે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા હોય તેવું જનતા અનુભવી રહી છે. ​આજથી 9 મહિના પહેલા જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પલ્લવીબેન ઠાકરે ખૂબ જ ઉત્સાહપૂર્વક 270 કરોડ રૂપિયાના વિકાસ કામો મંજૂર કરવાની જાહેરાત કરી હતી, જેમાં 50 કરોડ રૂપિયા તો માત્ર નવા રસ્તાઓ માટે ફાળવવામાં આવ્યા હતા. તે સમયે મોટા ઉપાડે એવા વાયદાઓ કરવામાં આવ્યા હતા કે જૂનાગઢના રસ્તાઓ ટૂંક સમયમાં જ ચકાચક બની જશે અને જનતાને હાલાકીમાંથી મુક્તિ મળશે. પરંતુ આજે 9 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં પરિણામ શૂન્ય છે. પલ્લવીબેન ઠાકરના તે કરોડોના આંકડાઓ આજે માત્ર કાગળ પરના સપના સાબિત થયા છે અને વાસ્તવિકતામાં રોડ રસ્તાની સ્થિતિ પહેલા કરતા પણ વધુ બિમાર બની ગઈ છે. જનતા સવાલ પૂછી રહી છે કે 270 કરોડ રૂપિયા ગયા ક્યાં અને જો મંજૂર થયા હતા તો જમીન પર કેમ દેખાતા નથી ? ​જીઆઈડીસી વિસ્તારની વ્યથા રજૂ કરતા ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે અમારો વિરોધ કોઈ વ્યક્તિગત નથી પરંતુ વ્યવસ્થા સામે છે. એપ્રિલ 2025માં જ્યારે પુલનું કામ શરૂ થયું ત્યારે મેયર અને કમિશનરે અમને વિનંતી કરી હતી કે જો ઉદ્યોગકારો ડાયવર્ઝન માટે રસ્તો આપે તો તંત્ર GIDCના તમામ રસ્તાઓ નવા બનાવી આપશે. અમે માનવતા અને શહેરના વિકાસ માટે આ સહમતિ આપી હતી, પરંતુ સપ્ટેમ્બર 2025માં પુલ કાર્યરત થઈ ગયા બાદ તંત્રએ અમને અધ્ધરતાલ છોડી દીધા છે. અત્યારે જે સોશિયલ મીડિયામાં પેચવર્ક બતાવવામાં આવે છે તે માત્ર દેખાડો છે. ઉદ્યોગકારો હવે છેતરાવા તૈયાર નથી અને એટલે જ 24 કલાકનું અલ્ટીમેટમ આપીને આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ​આ તરફ જય ભવાની એસ્ટેટના પ્રમુખ ચુનીભાઈ રાખોલિયા પણ તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે ગટર લાઈન નાખવા માટે જ્યારે રસ્તો ખોદવામાં આવ્યો ત્યારે તંત્રએ ખાતરી આપી હતી કે કામ પૂર્ણ થતા જ રસ્તાનું સમારકામ કરવામાં આવશે. આજે 3 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ ડોકાતું નથી. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે નાના રિક્ષાવાળાઓ ફેક્ટરી સુધી માલ લઈ જઈ શકતા નથી અને રિક્ષાઓને ધક્કા મારવા પડે છે. જવાબદાર અધિકારીઓ જાણે એસી ઓફિસોમાં બેસીને જનતાની તકલીફોથી અજાણ હોય તેવું વર્તન કરી રહ્યા છે. દેખરેખના અભાવે કામગીરીની ગુણવત્તા પણ કથળી રહી છે અને ઉદ્યોગકારો ટેક્સ ભરતા હોવા છતાં પાયાની સુવિધા માટે તરસી રહ્યા છે. ​સ્થાનિક અગ્રણી કિરીટભાઈ પાઘડાર જેવા સ્થાનિક અગ્રણીઓ પણ વીડિયોના માધ્યમથી તંત્ર પર પ્રહારો કરતા જણાવે છે કે પુલ નિર્માણ બાદ મુખ્ય રસ્તો 80 ટકા જેટલો દબાવી દેવામાં આવ્યો છે. રસ્તો સાંકડો થઈ ગયો છે અને ઉપરથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે 30-30 ટનના ભારે વાહનો પસાર થાય ત્યારે અકસ્માતનો સતત ભય રહે છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળ્યા છે. કિરીટભાઈએ તીખો સવાલ કર્યો છે કે જો મહાનગરપાલિકા મસમોટો હાઉસ ટેક્સ વસૂલતી હોય તો બદલામાં સુરક્ષિત અને સારા રસ્તા કેમ આપી શકતી નથી ? જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો GIDC-2 ના તમામ લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. ​આ સમગ્ર વિવાદ અને આક્ષેપો અંગે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે રક્ષણાત્મક વલણ અપનાવતા જણાવ્યું કે આજે જ કામો શરૂ થઈ ગયા છે પરંતુ વરસાદને કારણે વિઘ્ન આવ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવા બાબતે તેમણે બચાવ કર્યો કે તે કામચલાઉ પેચવર્ક છે અને કામ પૂર્ણ થશે એટલે લોકોના આક્ષેપો આપોઆપ શાંત થઈ જશે. 270 કરોડના ખર્ચે વિકાસના કામો કરવાની વાત પર તેઓ હજુ પણ મક્કમ છે, પરંતુ આ કામો ક્યારે પૂરા થશે તેની કોઈ ચોક્કસ સમયમર્યાદા તેઓ આપી શક્યા નથી. આમ, એક તરફ તંત્રના પોકળ વાયદાઓ છે અને બીજી તરફ જૂનાગઢની જનતા અને ઉદ્યોગકારોની રસ્તા પર ઉતરી આવવાની તૈયારી છે, જે જૂનાગઢ મહાનગરપાલિકાના વહીવટ પર મોટા સવાલો ઊભા કરે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:24 pm

સોમનાથ મંદિરમાં વૃદ્ધ મહિલા લપસી પડ્યા:સુરક્ષા સ્ટાફે તાત્કાલિક સારવાર આપી, માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે આવેલા મહારાષ્ટ્રના એક વૃદ્ધ મહિલા લપસી પડ્યા હતા. મંદિર સુરક્ષા સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેમને સમયસર સારવાર પૂરી પાડી હતી. આ ઘટનાએ સુરક્ષા સ્ટાફની સતર્કતા અને માનવતાભર્યા અભિગમને ઉજાગર કર્યો છે. મહારાષ્ટ્રના આકોલા જિલ્લાના પનાજ ગામના નિર્મલાબેન અનંતરાવ તાવે મંદિરના સભાખંડ પાસે અચાનક લપસી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મંદિર સુરક્ષા સ્ટાફ તુરંત સ્થળ પર પહોંચી ગયો અને વૃદ્ધાને પ્રાથમિક સંભાળ આપી. જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને મંદિર સુરક્ષા પીઆઈ ઉદય રાવલની દેખરેખ હેઠળ, સુરક્ષા સ્ટાફે વૃદ્ધાને ગોલ્ફ કાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા. 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક તપાસમાં વૃદ્ધાના કમરના ભાગે ઈજા થઈ હોવાનું જણાયું હતું. સુરક્ષા કર્મચારીઓએ પરિવારજનની જેમ કાળજી લીધી અને સમગ્ર ઘટના દરમિયાન તેમની સાથે રહ્યા. સમયસર મળેલી મદદ બદલ નિર્મલાબેને સુરક્ષા સ્ટાફ અને પોલીસ તંત્રનો આભાર માન્યો. આ ઘટનાએ ગુજરાત પોલીસની માનવ સેવા અને સંવેદનશીલતા દર્શાવી છે. મંદિર સુરક્ષા સ્ટાફના આ કાર્યથી યાત્રાળુઓમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના વધુ મજબૂત બની છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:11 pm

માર્ગ અકસ્માતે છીનવી લીધા પિતા-પુત્રીના જીવ:સિહોરના કાજાવદર પાસે કાળ બની આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી; ચાલક વાહન મૂકી ફરાર

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર પાસે ગતરાત્રિના બનેલી કરૂણ માર્ગ દુર્ઘટનામાં પિતા-પુત્રીના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પિતા તેની દીકરીને દવાખાનેથી પરત લાવતા હતા, તે દરમ્યાન બેફામ ડમ્પરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા-પુત્રીના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી ડમ્પરચાલક વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. સિહોર પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દીકરીને માથામાં ઈજા થતાં મોતઆ બનાવ અંગે સિહોર પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવદર ગામે રહેતા બોઘાભાઈ ભાવચંદભાઈ પરમાર (ઉં.વ. 58)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તથા તેમના પત્ની બન્ને વડીયા ગામે વાડીએ હતાં, ત્યારે રાતના આશરે સાડા સાતેક વાગ્યા આસપાસ તેમના મોટાભાઈના દીકરાનો ફોન આવ્યો કે તેમના દીકરા સંજયભાઈ અને પૌત્રી હર્ષીતાનો ડમ્પર સાથે અકસ્માત થયો છે અને બંનેને ગંભીર હાલતમાં 108 મારફતે સિહોર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બોઘાભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સંજયભાઈને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે હર્ષીતાબેનને માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકે હોસ્પિટલમાં અકસ્માત અંગે જણાવ્યુંહોસ્પિટલ ખાતે બોધાભાઈને રમેશભાઈ ભુરાભાઈએ જણાવ્યું કે, સંજયભાઈ પોતાની દીકરીને દવાખાને લઈ ગયા હતા અને દવાખાનાથી પરત કાજાવદર પરત આવતા હતા, ત્યારે જાંબાળા અને કાજાવદર વચ્ચેના ઉંડા નાળાના વળાંક પાસે ઝડપી અને બેફામ દોડતા ડમ્પરે તેમની મોટરસાયકલને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. બાદમાં સંજયભાઈને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા, જ્યાં તેમને પણ મૃત જાહેર કરવામાં આવ્યા. આ બનાવ અંગે સિહોર પોલીસે ડમ્પરચાલક સામે BNS કલમ 106(1), 281 તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો 177, 184, 134 હેઠળ ગુનો નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:02 pm

PI આર.કે. રાજપૂતની ભરૂચમાં બદલી:ગોધરા બી ડિવિઝન PIને પોલીસ સ્ટાફ દ્વારા વિદાય અપાઈ

પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ભાગરૂપે, ગોધરા શહેર બી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. રાજપૂતની ભરૂચ ખાતે બદલી કરવામાં આવી છે. આ નિમિત્તે ગોધરા બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગત મોડી રાત્રે વિદાય સમારંભ યોજાયો હતો. તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પોલીસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. આ બદલીઓમાં PI રાજપૂતનો પણ સમાવેશ થાય છે, જેમણે ગોધરામાં પોતાની ફરજ બજાવી હતી. ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથક ખાતે આયોજિત વિદાય સમારંભમાં પોલીસ વિભાગના સહકર્મચારીઓ, શહેરના અગ્રણી નાગરિકો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાથી પોલીસ કર્મચારીઓ દ્વારા PI રાજપૂતનું પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત નાગરિકોએ પણ ફૂલોની વર્ષા કરી તેમની કામગીરીને બિરદાવી હતી. સહકર્મચારીઓએ તેમના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 2:01 pm

રજાના દિવસે પણ વેરા વસૂલાત, 48 હજારથી વધુ મિલકતો સીલ:વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાના રૂ.790 કરોડના લક્ષ્ય સામે 728 કરોડની વસૂલાત; રૂ. 62 કરોડ હજુ બાકી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનાના અંતિમ દિવસ સુધી કડકાઇથી વેરા વસૂલાત કરવામાં આવી છે. જો કે પાલિકા લક્ષ્યથી હજુ પણ 62 કરોડ દૂર છે. આજે રજાના દિવસે પણ કચેરીમાં વેરા વસૂલાત માટે રેવન્યુ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 790 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુંવડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના વેરાબિલોની બજવણી કરવામાં આવેલી હતી. ચાલુ નાંણાકીય વર્ષના વેરા વસુલાતના બજેટ લક્ષ્યાંક રૂ.790 કરોડ રાખવામાં આવ્યું હતું, જેની સામે 30 માર્ચ સુધીમાં કુલ વેરાની વસુલાત રૂ. 728 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. બાકી મિલકત વેરા અને વ્યવસાય વેરાની સઘન રીકવરી ચાલુ કરવામાં આવી છે. હાલ સુધીમાં 48 હજારથી વધુ મિલકતો સીલ કરાઈમહાનગ૨પાલિકાના તમામ 19 વોર્ડમાં દરરોજ અંદાજે 400 જેટલી બિન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવે છે. અત્યાર સુધી કુલ 48500 જેટલી બિનરહેણાંક મિલકતોને વેરા વસુલાત માટે સીલ કરવામાં આવી છે અને 8800 જેટલી રહેણાંક મિલકતોને નોટિસો આપવામાં આવી છે. તેમજ અંદાજે 120 જેટલી રહેણાંક મિલકતોના વેરા વસુલાત માટે પાણી કનેક્શન કાપવામાં આવ્યા હતા. રજાના દિવસે પણ વસૂલાત ચાલુકરદાતાઓની સુવિધા માટે વડોદરા મહાનગ૨પાલિકાના તમામ વોર્ડ કચેરીના રેવન્યુ વિભાગ દ્વારા આજે દિવસે સવારે 9.30થી સાંજના 9 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી હતી. મિલકત વેરાની રકમ તમામ વોર્ડ કચેરીઓમાં રૂબરૂમાં તેમજ ઓનલાઈન પણ ભરી શકાય છે. હાલમાં રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ 52.80% તેમજ બિન રેહણાંક મિલકતો માટે પાછલી બાકી રકમના વ્યાજ ૫૨ 60% વ્યાજ માફીની આકર્ષક વ્યાજ વળતર યોજના અંતિમ દિવસ સુધી ચાલુ રાખવામાં આવી હતી, જેની અનેક કરદાતાઓએ લાભ લીધો હતો. એપ્રીલ 2026થી રેવન્યુ રાહે વેરા વસુલાતની કામગીરી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 1:39 pm

યુદ્ધનો ભયાનક ખર્ચ: અમેરિકા દર સેકન્ડે ખર્ચે છે રૂ. 9.8 લાખ, રોજનો રૂ. 8,455 કરોડનો ધુમાડો!

US Iran War Cost 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્ર પર મોટું આર્થિક ભારણ આવી રહ્યું છે. એક તાજેતરના સંશોધન મુજબ, અમેરિકા આ યુદ્ધમાં દર સેકન્ડે 10,300 ડૉલર(આશરે 9.8 લાખ રૂપિયા) ખર્ચ કરી રહ્યું છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(SIPRI)ના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધના 31મા દિવસે અમેરિકન કરદાતાઓને અત્યાર સુધીમાં 27.68 અબજ ડૉલર(આશરે 2.63 લાખ કરોડ રૂપિયા)નો ખર્ચ થયો છે.

ગુજરાત સમાચાર 31 Mar 2026 1:38 pm

ભરૂચ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પૂર્વે ઉમેદવારો અંગે ચર્ચા, જિલ્લા સ્તરના આગેવાનો ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા સ્તરના અનેક આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની સંભાવના છે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. ગત રોજ જિલ્લા પ્રભારી મનહર પટેલ અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાના અધ્યક્ષસ્થાને ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ રસ દાખવ્યો હતો. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટેના સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આગેવાનોના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા હતા. ચર્ચા બાદ જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલિકાઓ માટેના કોંગ્રેસના સંભવિત ઉમેદવારોના નામો પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે. પ્રદેશમાંથી અંતિમ જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષ આગામી ચૂંટણીઓમાં જીત હાંસલ કરશે. બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, સિનિયર આગેવાન અનિલ ભગત, યુવા આગેવાન શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિતના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 1:34 pm

ગઢડામાં યુવક પર લાકડી લઈ તૂટી પડ્યા, વીડિયો વાઈરલ:નિંગાળા ગામમાં યુવતીને હેરાન કરવાના મુદ્દે મારપીટમાં 3 શખસ સામે ફરિયાદ, એક આરોપીની ધરપકડ

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામમાં એક યુવક પર થયેલા હિંસક હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા ચકચાર મચી છે. યુવતીને હેરાન કરવાના મુદ્દે થયેલી આ મારપીટની ઘટનામાં પોલીસે 3 શખસ વિરુદ્ધ ગુનો નોંધી 1 આરોપીની ધરપકડ કરી છે. નિંગાળા ગામના પીપળીયા રોડ પર 2 દિવસ પૂર્વે આ હિંસક ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મિત હરેશ કાસોદરીયા નામના યુવકને કેટલાક શખ્સોએ રસ્તામાં રોકી તેને પકડી રાખ્યો હતો અને લાકડીઓ તેમજ ઢીકા-પાટુ વડે બેરહેમીથી માર માર્યો હતો. હુમલાખોરોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો, જે વાયરલ થતા પંથકમાં ખળભળાટ મચી ગયો છે. હુમલાનું કારણ અને પોલીસ કાર્યવાહીપોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, યુવતીને હેરાન કરવા બાબતે ચાલી રહેલી અદાવતમાં મિત કાસોદરીયા પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે ગઢડા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે: આરોપીઓના નામ: ભરત વેરશી સાથળીયા પ્રેમ ભરત સાથળીયા સચિન ભરત સાથળીયા પોલીસે કાર્યવાહી હાથ ધરીને આરોપી ભરત સાથળીયાની ધરપકડ કરી છે, જ્યારે ફરાર અન્ય 2 આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 1:28 pm

'જંગલેશ્વરમાં બોમ્બ ફેંકી દો એટલે જીવવું નહીં કે જોવું નહીં':હાઈકોર્ટના આદેશ બાદ 1358 મિલકત તોડી પાડવાનો રસ્તો ખુલ્લો થતા સ્થાનિકોમાં રોષ, એક પરિવારમાં 21 એપ્રિલે દીકરાના લગ્ન

રાજકોટના જંગલેશ્વરમાં હવે ડિમોલિશન પાર્ટ - 2 માટેનો રસ્તો ખૂલી ગયો છે. અહીં રૂ.400 કરોડની 1,05,800 ચોરસ મીટર જમીન ઉપર 1358 પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતુ. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર હેઠળના પૂર્વ મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી દબાણકર્તાઓને સાંભળવામાં આવ્યા હતા. તેઓને 3 મુદ્દતમાં સાંભળ્યા બાદ ડિમોલિશન માટેની કલમ 202 હેઠળની નોટિસ આપવામાં આવતા અરજદારો હાઈકોર્ટમાં ગયા હતા અને તે બાદ હવે રાજ્ય મહેસૂલ પંચે 720 અરજદારોની અપીલ રદ કરી નાખતા સરકારી જમીન પરની દબાણ હટાવવા માટેનો રસ્તો ખુલી ગયો છે. જોકે તેની સામે લોકોમાં રોસ ફેલાયો છે. અહીંના એક રહેવાસીના પરિવારમાં તો 21 એપ્રિલે દીકરાના લગ્ન છે તો અન્ય 10 વ્યક્તિઓનો પરિવાર પણ નોંધારો બની ગયો હતો. આ ઉપરાંત એક મહિલાએ રોસ ઠાલવતા કહ્યુ કે, સરકાર અમને હેરાન કરવા માંગે છે તો અહીં બોમ્બ ફેંકી દે. જેથી રસ્તો જ સાફ થઈ જાય અને આગામી ચૂંટણીમાં અમે ભાજપને મત આપવા જવાના નથી. જે મત આપવા જશે તેને પણ માર મારીશ. 21 તારીખે મારા દીકરાના લગ્ન છે, હવે શું કરવું?- રાયધનભાઈશહેરના ગોવિંદનગર મેઇન રોડના છેડે રહેતા રાયધનભાઈએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, અમે એવા કોઈ વ્યક્તિ નથી કે અમે કોઈ એવા વ્યક્તિ નથી કે આગળ કેસ લડી શકીએ. અમારી પાસે એવા કોઈ નાણા નથી કે લડત ચલાવી શકીએ. મજૂરી કરીને અમારુ ગુજરાન ચલાવીએ છીએ. સરકાર અમને મારવા તૈયાર થઈ છે તો અમે સહન કરવા તૈયાર છીએ. 21 એપ્રિલના મારા દીકરાના લગ્ન છે. અમે પરિવારમાં પતિ -પત્ની અને દીકરો રહીએ છીએ. અમે અહીં 30 વર્ષથી રહીએ છીએ. સરકારને કહો કે બોમ્બ ફેંકી દે એટલે જીવવું નહીં કે જોવું નહીં- દેવકુબેનજ્યારે સ્થાનિક દેવકુબેન લાવડીયાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર શેરી નંબર 18 માં રહીએ છીએ. અહીં અગાઉ રસ્તા ખોલવા હતા તો મકાનો પાડવામાં આવ્યા. અમારે એક વર્ષનો પુત્ર અને અઢી વર્ષનો પુત્ર છે. સરકારને કહેવા માંગીએ છીએ કે બોમ્બ ગોળા ફેંકી દે એટલે આ રસ્તો સાફ થઈ જાય. જેથી અમારે જીવવું નહીં અને જોવું નહીં. અહીં ગેસની લાઇન નથી મળતી અને લાકડા મળતા નથી. રસોઈ કઈ રીતે કરવી. અહીં 50 વર્ષથી રહીએ છીએ તો અત્યાર સુધી સરકાર ક્યાં ગઈ હતી. આગામી ચૂંટણીમાં અમે મત આપવા જવાના જ નથી. જે મત આપવા જશે તેને હું મારીશ. જે અમારા મકાન પાડી નાખે એ ભાજપ સરકારને મત ન અપાય. કેસ લડવા માટે પરિવાર દીઠ 5000-5000 હજાર રૂપિયા આપ્યા હતાઆ ઉપરાંત સ્થાનિક વજુભાઈ જળુએ જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં શક્તિ કૃપા મકાનમાં રહીએ છીએ. મકાન પાડવા માટે કલમ 202 હેઠળ દબાણ દૂર કરવા નોટીસ ફટકારવામાં આવી છે. આગામી મહિને 3 મહિના પૂર્ણ થશે. નાના માણસોને સરકાર રહેવા દે તો એમનો આભાર. અત્યાર સુધીમાં ત્રણ વખત સામાન ફેરવ્યો છે. આ ઉપરાંત અત્યારે ભાડે મકાન લેવા જઈએ તો કોઈ આપતું નથી. બધાએ પરિવાર દીઠ હાઇકોર્ટમાં કેસ લડવા રૂ.5000 આપ્યા હતા. જોકે હાઈકોર્ટ દ્વારા રાજ્ય મહેસૂલ પંચને 90 દિવસમાં ચૂકાદો આપવા આદેશ આપ્યો હતો. જોકે તે અપીલ રદ થઈ છે. અમે પરિવારમાં 10 વ્યક્તિઓ રહીએ છીએ. હવે અમારે ક્યાં રહેવા જવું. કોઠારીયા વિસ્તારમાં સામાન લઈ ગયા હતા. 2 દિવસ પહેલા જ અમે અહીં રહેવા આવ્યા છીએ. હવે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આગામી નિર્ણય લેવાશે- મામલતદારજ્યારે રાજકોટ શહેર પૂર્વ મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યુ હતુ કે, જંગલેશ્વરમાં રૂ.400 કરોડની સરકારી જમીન પર રહેલા 1358 બાંધકામોને દૂર કરવા અગાઉ 61 હેઠળ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણકર્તાઓ હાઈકોર્ટમાં જતા હાઇકોર્ટે 90 દિવસનો સ્ટે આપી રાજ્ય મહેસૂલ પંચને ચૂકાદો આપવા આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય મહેસૂલ પંચે અરજદારોની અપીલ રદ કરી રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેથી હવે આ ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. આ સમાચાર પણ વાંચોઃજંગલેશ્વરમાં ડીમોલીશન પાર્ટ-1માં 1509 બાંધકામ તોડી પડાયા હતા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક મહિના પહેલા હાથ ધરાયેલા મેગા ડીમોલીશન દરમિયાન કુલ 1509 ગેરકાયદે મિલકતો તોડી પાડવાાં આવી હતી. જ્યારે અન્ય મિલકતોનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય ડીમોલીશન પેન્ડિંગ રખાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 1:28 pm

અરુણકુમાર મહેતાની જીવનયાત્રાથી વિદ્યાર્થીઓ પ્રેરિત:સી. સી. શેઠ કૉલેજમાં ‘હીરો’ પુસ્તક પર વિશેષ સંવાદ અને વાંચન સત્ર યોજાયું

અમદાવાદની સી. સી. શેઠ કૉલેજ ઑફ કૉમર્સ અને નવગુજરાત સેન્ટ્રલ લાઈબ્રેરીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક પ્રેરણાદાયી વાંચન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્ર ભારતના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ અરુણકુમાર મહેતાના જીવન પર આધારિત પુસ્તક ‘હીરો – વન પર્સનાલિટી, ટુ મીનિંગ્સ’ પર કેન્દ્રિત હતું. લેખિકા ચિરંતના ભટ્ટ લિખિત આ પુસ્તક દ્વારા યુવા પેઢીને એક સફળ ઉદ્યોગસાહસિકના સંઘર્ષ અને મૂલ્યોથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ઋષિ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણથી વૈશ્વિક ફલક સુધીની સફરસત્રના પ્રારંભમાં કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ધર્મેન્દ્ર મિસ્ત્રીએ અરુણકુમાર મહેતાના જીવનના વિવિધ પાસાઓ રજૂ કર્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે પાટણના નાના ગામથી શરૂ થયેલી તેમની સફર તેમને વૈશ્વિક બિઝનેસ લીડર તરીકે પ્રસ્થાપિત કરી ગઈ. ત્યારબાદ ડૉ. ઋષિ ઠાકરે મહેતાના વ્યાવસાયિક વારસા, તેમની નમ્રતા અને સાદગી વિશે વાત કરતા જણાવ્યું કે, મજબૂત માનવીય મૂલ્યો જ તેમને અન્ય કરતા અલગ પાડે છે. વિદ્યાર્થીઓએ મેળવી સફળતાની ગુરુચાવીઆ સત્રમાં અંદાજે 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પુસ્તકમાંથી મેળવેલા બોધપાઠ રજૂ કર્યા હતા. બી.કૉમ. સેમેસ્ટર-2ની વિદ્યાર્થિની સોનુ કુમારીએ કટોકટીના સમયે સંયમ રાખવાની તેમની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. જ્યારે એમ.કૉમ. સેમેસ્ટર-2ની સાક્ષી પ્રજાપતિએ વૈશ્વિક સ્તરે વ્યવસાયના વિસ્તરણ અને વ્યાપારી પ્રથાઓના આધુનિકીકરણ વિશે ચર્ચા કરી હતી. અન્ય વિદ્યાર્થિની રાધિકા પાસીએ અરુણકુમાર મહેતાના જીવન પર જૈન મૂલ્યો અને પ્રામાણિકતાના પ્રભાવ વિશે પોતાના મંતવ્યો જણાવ્યા હતા. નૈતિક મૂલ્યોનું મહત્ત્વકાર્યક્રમમાં કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધાર્મિક સોલંકીએ પણ ખાસ હાજરી આપી હતી. તેમણે અરુણકુમાર મહેતાના નૈતિક વ્યાપારી આચરણો અને આજના સ્પર્ધાત્મક યુગમાં તેની પ્રસ્તુતતા વિશે વાત કરી હતી. સમગ્ર સત્રના અંતે વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેઓએ એક મહાન વિભૂતિના જીવનમાંથી સંઘર્ષ અને સફળતાના પાઠ શીખ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:58 pm

SIR બાદ સુરત મહાનગરપાલિકામાં 8 લાખ મતદારો ઘટ્યા:ડ્રાફ્ટ યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો આવ્યા, હવે 30 વોર્ડમાં 24.77 લાખ મતદારો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકશાહીના પર્વ સમાન આ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે તાજેતરમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી મતદાર યાદીમાં અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2021ની છેલ્લી ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદારોની સંખ્યામાં 8.11 લાખનો તોતિંગ ઘટાડો નોંધાયો છે, જે રાજકીય આલમ અને વહીવટી તંત્ર માટે ભારે આશ્ચર્યનો વિષય બન્યો છે. 2021ની સરખામણીએ 8.11 લાખ મતદારો ઘટ્યાવહીવટી તંત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, સુરત પાલિકાના તમામ 30 વોર્ડ માટે ગયા સોમવારે પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં સૌથી મોટો ફેરફાર મતદારોની કુલ સંખ્યામાં જોવા મળ્યો છે. વર્ષ 2021માં જ્યારે પાલિકાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે સુરત શહેરમાં કુલ 32.88 લાખ નોંધાયેલા મતદારો હતા. જોકે, તાજેતરમાં થયેલી એસઆઈઆરની કામગીરી અને મતદાર યાદીના શુદ્ધિકરણ બાદ આ આંકડો ઘટીને હવે 24.77 લાખ પર પહોંચી ગયો છે. આમ, સીધો 8.11 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પાછળ ડુપ્લીકેટ નામોનું કમી થવું, મૃત્યુ પામેલા મતદારોના નામ દૂર કરવા અથવા કાયમી ધોરણે અન્ય શહેરોમાં સ્થળાંતર કરી ગયેલા લોકોના નામ હટાવવા જેવા કારણો જવાબદાર હોવાનું મનાય છે. 30માંથી 18 વોર્ડમાં 25-25 હજાર મતદારો ઘટ્યામાત્ર મતદારો જ નહીં, પરંતુ મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે. 2021ની ચૂંટણી વખતે શહેરમાં કુલ 3185 મતદાન મથકો હતા, જે હવે ઘટાડીને 2587 કરી દેવામાં આવ્યા છે. આ આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, 30 વોર્ડ પૈકીના 18 વોર્ડ એવા છે જ્યાં સરેરાશ 25-25 હજાર જેટલા મતદારો ઘટ્યા છે. આટલા મોટા પાયે ફેરફાર થયો હોવા છતાં, જનતા કે રાજકીય પક્ષો તરફથી જોવા મળેલી ઉદાસીનતાએ તંત્રને અચરજમાં મૂક્યું છે. પાલિકાએ આ નવી યાદી સામે વાંધા-સૂચનો મંગાવવા માટે જે સમય આપ્યો હતો, તેમાં સમગ્ર સુરત શહેરમાંથી માત્ર 20 જેટલા જ વાંધા સૂચનો પ્રાપ્ત થયા છે. પ્રાથમિક યાદી બાદ માત્ર 20 વાંધા સૂચનો મળ્યાસામાન્ય રીતે ચૂંટણી પૂર્વે જ્યારે મતદાર યાદીમાં થોડા પણ નામો કમી થાય ત્યારે રાજકીય પક્ષો દ્વારા વહીવટી તંત્ર સામે મોરચો માંડવામાં આવતો હોય છે, પરંતુ 8 લાખથી વધુ નામો ઓછા થવા છતાં કોઈ મોટી પ્રતિક્રિયા જોવા મળી નથી. હાલમાં વાંધા-સૂચનો મંગાવવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વહીવટી તંત્ર આ 20 વાંધાઓનો નિકાલ કરીને આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તૈયારીમાં છે. આ અંતિમ યાદી જાહેર થયા બાદ જ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના જંગનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થશે. સુરત જેવા સતત વિકસતા શહેરમાં મતદારોની સંખ્યામાં આટલો મોટો ઘટાડો એ વહીવટી દ્રષ્ટિએ શુદ્ધિકરણની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:56 pm

જામનગરમાં મહાવીર જયંતીની ઉજવણી:જૈન સમાજ દ્વારા રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

જામનગર શહેરમાં મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રથયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના 26 જૈન સંઘોની સંયુક્ત રથયાત્રા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસરથી શરૂ થઈ હતી. આ યાત્રા પેલેસ દેરાસર ખાતે સમાપ્ત થઈ. રથયાત્રામાં ચાંદીના રથો, સાયકલિસ્ટ બાળકો, 13 ફૂટના કાર્ટૂન પાત્રો, વેશભૂષા કરેલા બાળકો, જામનગર-નાસિક બેન્ડ અને ચામર નૃત્ય કરતા યુવાઓ જોડાયા હતા. રથયાત્રા શેઠજી દેરાસરથી શરૂ થઈ સજુબા સ્કૂલ પાસેના પારસ ધામ, બેડી ગેટ, ટાઉન હોલ, લાલ બંગલા સર્કલ, પોપટ પારશી પેઢી પાસેના સમેત શિખરજી દેરાસર, ગુરુદ્વારા રોડ, જી.જી. હોસ્પિટલ અને ડીકેવી સર્કલ થઈ પેલેસ રોડના દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. જૈન દર્શન ઉપાસક સંઘ (પેલેસ) દ્વારા ગુરુ ભગવંતોની ઉપસ્થિતિમાં ભક્તામર પાઠ, પક્ષાલ પૂજા અને કેસર પૂજાનું આયોજન કરાયું હતું. બપોરે ૨:૩૦ વાગ્યે બહેનોના મંડળ દ્વારા પંચકલ્યાણક પૂજા યોજાઈ હતી. સાંજે ભક્તિભાવના કાર્યક્રમ દરમિયાન ૧૦૮ દીવાની આરતી અને મંગલ દીવડાના ચડાવા પણ કરવામાં આવશે. આ રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોમાં શહેરના વિવિધ જૈન સંઘો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:50 pm

વડોદરા નજીક પદમલા ગામમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ:બંને જૂથ વચ્ચે સામસામે પથ્થરમારાથી અફરાતફરી મચી ગઈ, મંદિર અને ઘરો પર પથ્થરો પડ્યા, 4 લોકો ઇજાગ્રસ્ત થયા

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પદમલા ગામમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ સર્જાતા વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ ઉભો થયો હતો. જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો અને સામસામે પથ્થરમારો થયો હતો. જેને પગલે છાણી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મારામારી બાદ પરિસ્થિતિ વધુ બગડતા બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ પથ્થરમારાની ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત હતા. આ દરમિયાન લોકોના ઘરો તેમજ મંદિરો પર પણ ઈંટ-પથ્થર પડ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ છાણી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. આ બનાવને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને જૂની અદાવતને કારણે જ આ અથડામણ સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા વિસ્તારમાં કડક નજર રાખવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત રોહિતભાઈએ જણાવ્યું હતું કે, અમે ગેટ પાસે ઉભા હતા, અમે જે મેઈન ગેટ બનાવ્યો છે ત્યાં જ ઊભા હતા, ત્યાંથી પરત ફર્યા ત્યારે ઓટલે બૂમાબૂમ થઈ રહી હતી અને પથ્થરમારો પછી શરૂ થયો હતો. અમે ત્યાં ઉભા હતા અને અચાનક પથ્થરમારો થયો. મારી મમ્મી મને છોડાવવા આવી હતી અને હું જ્યારે મમ્મીને બચાવવા ગયો, ત્યારે સીધો એક પથ્થર મને વાગી ગયો હતો. મને એક જ પથ્થર વાગ્યો છે પણ એનાથી ઘણી ઈજા થઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:33 pm

પંચમહાલમાં 23 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે:અરજદારો 10 એપ્રિલ સુધીમાં પ્રશ્નો મોકલી શકશે

પંચમહાલ જિલ્લામાં તા. 23 એપ્રિલ, ગુરુવારના રોજ સવારે 11 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ તા. 10 એપ્રિલ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજદારોએ પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલવાના રહેશે. દરેક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવો ફરજિયાત છે. અરજીના કવર અને અરજી પર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્પષ્ટપણે લખવું પડશે. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામું અને ટેલિફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા, અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અને ત્યાર બાદ જે કચેરીનો પ્રશ્ન હોય ત્યાં અરજી કરેલી હોવી જોઈએ. જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે જિલ્લાના જવાબદાર અધિકારીને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી અનિવાર્ય છે. તા. ૧૦ એપ્રિલ સુધીમાં મળેલી અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નો જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા અને કોર્ટ મેટર ન હોય તેવા જ હોવા જોઈએ. અરજદારે કાર્યક્રમમાં જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે અને કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. આ માહિતી કલેક્ટર કચેરી, પંચમહાલ દ્વારા એક યાદીમાં જણાવાઈ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:26 pm

હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી:જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું

હિંમતનગર શહેરમાં ભગવાન મહાવીર સ્વામીના 2264મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. શોભાયાત્રાની શરૂઆત વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. આ યાત્રા શહેરના ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે શહેરના તમામ જિનાલયોને શણગારવામાં આવ્યા હતા, જેના કારણે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું હતું. ઉજવણીના ભાગરૂપે જૈન સમાજના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ જેવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:18 pm

બોટાદ RPFએ રેલવે ટિકિટના કાળા બજારનો પર્દાફાશ કર્યો:બે આરોપી ઝડપાયા, ₹3.87 લાખની 82 ટિકિટ જપ્ત

બોટાદ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ ઓપરેશન સતર્ક અંતર્ગત લીમડી રેલવે સ્ટેશન પરથી રેલવે ટિકિટના કાળા બજાર કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ ૮૨ ટિકિટ જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹૩,૮૭,૭૯૫ છે. ઇન્સ્પેક્ટર અનિલ કુમારના માર્ગદર્શન હેઠળ, સબ ઇન્સ્પેક્ટર હરિદત્ત કુમાર, હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર વાઘેલા અને કોન્સ્ટેબલ સત્યેન્દ્રસિંહની ટીમે લીમડી રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમની પાસે યોગ્ય ઓળખ પુરાવા ન હોવાથી વધુ તપાસ કરવામાં આવી હતી. જેમાં એક સગીર અને બીજા નવસાદ અમીરભાઈ બગસરિયા હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ટિકિટ બુક કરીને વધુ કિંમતે વેચતા હોવાનું ખુલ્યું હતું. આરોપીઓના મોબાઇલ ફોન તપાસતા ૬૬ ઉપયોગમાં લેવાયેલી અને ૧૬ ઉપયોગ માટે બાકી ટિકિટ મળી આવી હતી. RPF દ્વારા બે મોબાઇલ ફોન અને રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. બોટાદ RPF દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રેલવે ટિકિટના કાળા બજાર સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:13 pm

સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ:મીઠી ખાડી પાસેના મકાનમાં આગ લાગતા 4 લોકો દાઝ્યા; બેની હાલત ગંભીર

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે એક મકાનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળતા ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની ઘટના સામે આવી છે. રહેણાંક મકાનમાં લાગેલી આ આગને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ગાડીઓ અને એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી અને બચાવ કામગીરી હાથ ધરી છે. મકાનમાં ફસાયેલા અને આગની જપેટમાં આવી ગયેલા ચારેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દાઝી ગયેલા લોકો પૈકી બે વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:09 pm

₹20ની ફાટેલી નોટ બાબતે વેપારી-ગ્રાહક વચ્ચે ઝપાઝપી:મહિલા સહિત 3 ઇજાગ્રસ્ત, 5 સામે ફરિયાદ; જહુરપુરા શાકમાર્કેટમાં છૂટાહાથની મારામારીનો વીડિયો વાઈરલ

પંચમહાલના ગોધરા શહેરના ભરચક ગણાતા જહુરપુરા શાકમાર્કેટમાં ગઈકાલે (30 માર્ચે) સાંજે માત્ર 20 રૂપિયાની ફાટેલી નોટ લેવા બાબતે શરૂ થયેલી રકઝકે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ફ્રૂટના વેપારી અને ગ્રાહક વચ્ચે થયેલી આ મારામારીમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. ગોધરામાં ₹20ની ફાટેલી નોટ બાબતે જંગ પ્રાપ્ત વિગતો અનુસાર, જહુરપુરા માર્કેટમાં એક ગ્રાહક કેળા લેવા માટે ગયા હતા. જ્યાં તેઓએ 50 રૂપિયાની નોટ આપી હતી. જે બાદ કેળાની વેપારીએ 30 રૂપિયા કાપી ગ્રાહકને 20 રૂપિયાની ફાટેલી નોટ આપી હતી. જેથી ગ્રાહકે તેને સ્વીકારવાની ના પાડી તો વેપારીએ કહ્યું ચાલી જશે. જહુરપુરા શાકમાર્કેટમાં વેપારી-ગ્રાહક વચ્ચે મામલો બિચક્યો મહિલા ગ્રાહક ફાટેલી નોટ લઇને તરબૂચની લાળીએ તરબૂચ ખરીદવા ગઇ. જો કે, તરબૂચના વેપારીએ તે નોટ સ્વીકારવાની ના પાડી દીધી. જેથી મહિલા કેળાના વેપારી પાસે ગઇ અને નોટ બદલી દેવા કહ્યું. વેપારીએ ના પાડતાં આ નજીવી બાબતે બંને પક્ષ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં ઉગ્ર બની ગઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મહિલા ગ્રાહક સહિત 3 ઇજાગ્રસ્ત જે દરમિયાન મહિલાના પતિ અને અન્ય સંબંધિ ત્યાં આવી જતાં મામલો વધુ બિચક્યો હતો. કેળાના અને તરબૂચના વેપારી અને અન્ય ત્રણ ઇસમે મળી મહિલા સહિત તેના પતિ અને મિત્રને માર માર્યો હતો. તડબૂચની લારી ચલાવતા ઈસમે ગ્રાહક મહિલાની પાછળ આવી વીડિયો બનાવી વાઈરલ કરવાની ધમકી આપી, મહિલાનો હાથ પકડી કરી છેડતી કર્યા હોવાનો આરોપ પણ ફરિયાદમાં છે. ભરબજારમાં હિંસક દૃશ્યો આ વિવાદ એટલો વકર્યો કે, બંને પક્ષે એકબીજા પર છૂટાહાથની મારામારી શરૂ કરી દીધી હતી. વેપારીએ આવેશમાં આવી કરેલા હુમલામાં એક વ્યક્તિને હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જ્યારે અન્ય એક વ્યક્તિ પર પ્લાસ્ટિકના કેરેટ વડે હુમલો કરવામાં આવતાં તેની હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. ત્રીજી વ્યક્તિને ગડદાપાટુંનો માર મારવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. ભાજપ શહેર પ્રમુખે પરિવારજનોને ન્યાયની ખાતરી આપી ઘટનાની ગંભીરતાને જોતા ગોધરા ભાજપ શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. તેમણે ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા હતા અને તેમના પરિવારજનોને ન્યાય અપાવવાની ખાતરી સાથે સાંત્વના પાઠવી હતી. ફ્રૂટની લારી ચલાવતા બંને શખસ 5 સામે ફરિયાદ આ મામલે ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ફ્રૂટની લારી ચલાવતા બંને શખસ સહિત કુલ 5 ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. વાઈરલ વીડિયોના આધારે અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ભરબજારમાં નજીવી બાબતે થતી આવી હિંસક ઘટનાઓ સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે. હાલમાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:07 pm

ભરૂચ શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં મહાવીર જયંતિની ઉજવણી:શ્રદ્ધાળુઓએ પૂજા-અર્ચના કરી, ધાર્મિક વાતાવરણમાં ધન્યતા અનુભવી

ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલા ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ધાર્મિક વાતાવરણમાં ઉજવાઈ હતી. મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે દેરાસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીનો પ્રારંભ થયો હતો. સમગ્ર દેરાસર જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાનના દર્શન કરી પુણ્યનો લાભ લીધો હતો. શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિ માટે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી. જૈન સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષો પહેલા હતો. તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શાંતિ અને સત્ય તરફ દોરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન મહાવીરના 'જીવો અને જીવવા દો' ના માર્ગે ચાલીને હાલમાં દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અંગે શાંતિ જાળવવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:04 pm

વલસાડમાં ભગવાન મહાવીર સ્વામીનો 2600મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો:ભવ્ય શોભાયાત્રા નીકળી, રાજકીય અગ્રણીઓ જોડાયા

વલસાડમાં ભગવાન મહાવીર સ્વામીનો 2600મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો હતો. આ નિમિત્તે મોટા બજાર સ્થિત જૈન મંદિરથી એક શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા સવારે 10 કલાકે આઝાદ ચોક ખાતે પહોંચી હતી. તેમાં જૈન મુનિઓ અને ભગવાનનો રથ સામેલ હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી અને વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આઝાદ ચોક ખાતે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. તેમની સાથે અનેક જૈન અગ્રણીઓ પણ જોડાયા હતા. શોભાયાત્રામાં જોડાયેલા જૈન મુનિઓ અને ભગવાનના રથનું નગરના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળોએ મુનિ ભગવંતોનું સન્માન પણ કરાયું હતું. મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને શોભાયાત્રામાં જોડાયા હતા. સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીનો 'અહિંસા પરમો ધર્મ' અને 'જીવો અને જીવવા દો'નો સંદેશ આજે પણ પ્રસ્તુત છે. તેમણે સૌને ભગવાન મહાવીરના માર્ગે ચાલવા આહવાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 12:01 pm

વડોદરામાં મોડી રાત્રે કાર બેકાબુ થતા અકસ્માત:કાર ચાની લારીમાં ઘુસતાં 3 લોકો ઈજાગ્રસ્ત, અકસ્માતથી અફરાતફરી મચી ગઈ, સયાજીગંજ પોલીસે કાર કબજે લઈ કાર્યવાહી શરૂ કરી

વડોદરા શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા. આ અકસ્માતમાં ચાની લારી ઉપર બેઠેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વડોદરા શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. શહેરના ડેરી ડેન સર્કલ પાસે બનેલી આ ઘટનામાં કાર અચાનક કાબુ ગુમાવી ચાની લારીમાં ઘુસી ગઈ હતી. જેમાં 3 જેટલા લોકો ઇજાગ્રસ્ત હતા.આ અકસ્માતમાં ચાની લારી ઉપર બેઠેલા 3 લોકોને કારે અડફેટે લીધા હતા. જેમાં તેઓને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના કારણે કારનો આગળનો ભાગ તેમજ ચાની લારીને ભારે નુકસાન થયું હતું. ડેરી ડેન સર્કલ ખાતે મોડી રાત્રે ચા-નાસ્તા માટે લોકોનો ભારે જમાવડો રહેતો હોવાથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ સયાજીગંજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:58 am

શાળા ક્રમાંક 38માં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ યોજાયું:100 થી વધુ વિદ્યાર્થીનીઓને ઇનામ, રોકડ પુરસ્કાર, મેડલ, પ્રમાણપત્ર અપાયા

સુરતના રૂસ્તમપુરા સ્થિત શ્રીમતી ભીખીબેન બી. દારૂવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 38 દ્વારા વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરત મહાનગરપાલિકાના સહયોગથી રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ યોજાયો હતો, જેમાં તેમને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરતના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, વાઇસ ચેરમેન રંજનાબેન ગોસ્વામી, ભૂતપૂર્વ સી.આર.સી. રાકેશભાઈ દેસાઈ, શાળા ક્રમાંક 65ના મુખ્ય શિક્ષક નાસિરભાઈ સૈયદ, ડો. હેમાલીબેન, સંગીત માર્ગદર્શક સુરેશભાઈ રાણા, SMC કમિટીના સભ્યો, નિવૃત્ત શિક્ષિકા તારકેશ્વરીબેન અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન 100થી વધુ વિવિધ સ્પર્ધાઓની વિજેતા કન્યાઓને ઇનામો, પ્રમાણપત્રો અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર 16 વિદ્યાર્થીનીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રત્યેકને ₹1101 લેખે કુલ ₹17,606નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. ધોરણ 6ની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર બે વિદ્યાર્થીઓને સાયકલ ભેટમાં આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ત્રણ કલાકથી વધુ ચાલેલા આ કાર્યક્રમની સફળતા બદલ શાળા પરિવાર અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:58 am

ચાલતી કારમાંથી આતશબાજી કરતા યુવાનોનો વીડિયો વાયરલ:ધમડાચી-ગુંદલાવ રોડ પર જોખમી સ્ટંટ; વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ

ચાલતી કારમાંથી બહાર લટકી આતશબાજી કરતા યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના ધમડાચી-ગુંદલાવ રોડ પર બની હોવાનું અનુમાન છે. વીડિયોમાં GJ 15 CZ 2746 નંબરની આર્ટિગા કારમાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળે છે. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ચાર જેટલા યુવાનો ચાલુ કારમાંથી બહાર લટકીને આતશબાજી કરી રહ્યા છે. આ પ્રકારના સ્ટંટ માત્ર તેમના પોતાના જ નહીં, પરંતુ રસ્તા પરના અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ પ્રકારના જોખમી સ્ટંટ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જાહેર સલામતી માટે ગંભીર ખતરો ઉભો કરે છે. આવા બેદરકાર કૃત્ય સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:57 am

શિવેન્દ્રનગર શાળામાં ધોરણ 8નો વિદાય સમારંભ:જ્ઞાનમશાલ હસ્તાંતરણ, સ્મૃતિ મંજુષા જેવા નવીન કાર્યક્રમો યોજાયા

શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે 'સંભારણું' શીર્ષક હેઠળ વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જ્ઞાનમશાલ હસ્તાંતરણ અને સ્મૃતિ મંજુષા જેવા નવીન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું હતું. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાને સંગીતના સાધનોમાં નવા તબલાની એક જોડી અને એક ટેબલ ભેટ આપ્યા હતા. શાળા પરિવારે વિદ્યાર્થીઓને ₹100ની કિંમતના સ્ટેશનરી પાઉચ આપ્યા હતા. કાર્યક્રમની એક વિશેષતા 'સ્મૃતિ મંજુષા' હતી. જેમાં વિદ્યાર્થીઓએ આગામી 10 વર્ષના પોતાના લક્ષ્યો એક ચિઠ્ઠીમાં લખીને એક પેટીમાં મૂક્યા હતા. આ પેટીને 'ટાઈમ કેપ્સુલ' તરીકે શાળામાં સાચવવામાં આવશે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ શાળાની મુલાકાત લે ત્યારે પોતાના લક્ષ્યો જોઈ શકે. અન્ય એક નવીન કાર્યક્રમ 'જ્ઞાનમશાલ હસ્તાંતરણ' હતો, જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાની જવાબદારીઓ પ્રતીકાત્મક રીતે ધોરણ 7ના વિદ્યાર્થીઓને સોંપી હતી. શાળાના તમામ શિક્ષકોએ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:56 am

વડોદરામાં હરે કૃષ્ણ મૂવમેન્ટ દ્વારા રામનવમી મહોત્સવ ઉજવાયો:ભક્તોએ ઉપવાસ રાખી, યજ્ઞ અને સંકિર્તન સાથે ભગવાન રામનું સ્મરણ કર્યું

હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરા દ્વારા ૨૭ માર્ચ, ૨૦૨૬ શુક્રવારના રોજ શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદગીરીરૂપે આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્રીરામના પવિત્ર નામનું રટણ કરીને તેમજ રામાયણનું શ્રવણ કરીને ભગવાનનું સ્મરણ કર્યું હતું. આ ઉત્સવ દરમિયાન હરે કૃષ્ણ મંદિર વડોદરામાં ભગવાન શ્રી રામજી અને શ્રી શ્રી નીતાઈ ગૌરંગાના મંડપને વિશેષ અલંકારથી શણગારવામાં આવ્યા હતા. ઉત્સવના વિશેષ ભાગરૂપે, અતિ સુંદર પુષ્પોથી સુશોભિત ભવ્ય રામ દરબારનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. ભક્તો દ્વારા ભગવાન શ્રીરામના પવિત્ર નામનું ગાન કરતા સંકિર્તન કરવામાં આવ્યું. ત્યારબાદ, સૌ ભક્તોએ 'શ્રી રામ અષ્ટોત્તર શત્ નામ' (૧૦૮ નામ) તથા અન્ય વૈદિક મંત્રઘોષ સાથે 'શ્રી રામ તારક યજ્ઞ' કર્યો હતો. હરે કૃષ્ણ મૂવમેન્ટ વડોદરાના સહયોગી ઉપપ્રમુખ પ્રતાપરુદ્ર દાસ પ્રભુજી દ્વારા ભગવાન વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. અંતમાં, મહા આરતી ઉતારવામાં આવી હતી, જે દરમિયાન સૌ ભક્તોએ 'શ્રી નામ રામાયણ'નું ગાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:55 am

ખલાસી સમાજે ધોરણ 10-12 પછી કારકિર્દી સેમિનાર યોજ્યો:માં વિદ્યા વિનય ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

અમદાવાદમાં ખલાસી સમાજ દ્વારા સંચાલિત 'માં વિદ્યા વિનય ગ્રુપ' દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવન્સ કોલેજના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલા આ સેમિનારમાં ધોરણ 10 અને 12 પછીના વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર અને સંસ્કાર વિદ્યામંદિરના આચાર્ય તેમજ વિદ્યા એજ્યુકેશન એકેડેમીના ડાયરેક્ટર ધવલભાઈ વાળાએ વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. તેમણે ધોરણ 10 અને 12 પછી વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી કેવી રીતે પસંદ કરવી અને વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ કૌશલ્ય આધારિત શિક્ષણ દ્વારા કારકિર્દી કેવી રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ખલાસી સમાજના અગ્રણી શિક્ષણવિદ્ ભાવિનભાઈ ખલાસી અને સુમનબેન ખલાસી પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને કારકિર્દી સંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. 'માં વિદ્યા વિનય ગ્રુપ' દ્વારા તમામ આમંત્રિત મહેમાનોનું શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉપસ્થિત વક્તાઓને કારકિર્દી સંબંધિત પ્રશ્નો પૂછીને પોતાની મૂંઝવણોનું નિરાકરણ મેળવ્યું હતું. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓમાં કારકિર્દી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:54 am

ઊંઝા કોલેજમાં સાયબર સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને ઓનલાઈન ફ્રોડથી બચવા નિષ્ણાતનું માર્ગદર્શન મળ્યું

ઊંઝાની શ્રી બી.પી. બ્રહ્મભટ્ટ આર્ટ્સ અને એમ.એચ. ગુરુ કોમર્સ કોલેજમાં સાયબર સુરક્ષા અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. CAWACH CELL દ્વારા સોમવાર, 30 માર્ચ, 2026 ના રોજ સવારે 08:30 કલાકે કોલેજના સેમિનાર હોલમાં આ માહિતીસભર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટીના ડૉ. અમિત બલદેવભાઈ સુથાર નિષ્ણાત વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ઓનલાઈન વિશ્વમાં વધી રહેલા વિવિધ સાયબર ફ્રોડ અને સ્કેમ્સ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ડૉ. સુથારે સાયબર હુમલાઓથી બચવા માટે જરૂરી સાવચેતીના ઉપાયો અને સુરક્ષા ટિપ્સ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ડિજિટલ સુરક્ષા જાળવવા માટેના વ્યવહારુ સૂચનો આપ્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. રાકેશ રાવના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ ફેકલ્ટી સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો. તેમણે સાયબર સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી મેળવી, જે તેમના દૈનિક જીવનમાં ડિજિટલ વ્યવહારો માટે ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:52 am

મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી:ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ભાવ પૂર્ણ ઉજવણી, શહેરના મોટા દેરાસરથી એક કિલોમીટર લાંબી પરંપરાગત રંગદર્શી શોભાયાત્રા નીકળી

જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા ચરમતીર્થપતિ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક (મહાવીર જયંતી) નિમિત્તે ભાવનગરના આંગણે ભક્તિમય માહોલમાં ભવ્ય રથયાત્રા ગોળ બજાર સ્થિત આવેલ મોટા દેરાસર ખાતે થી પ્રસ્થાન થઈ એક કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી હતી, પરમ પૂજ્ય પન્યાસ પ્રવર જગતશેખર વિજયજી મ.સા. તથા ભાવનગરમાં બિરાજમાન તમામ શ્રમણ-શ્રમણી ભગવંતોની પાવન નિશ્રામાં આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો, ​ચૈત્ર સુદ-13ના મંગળવારે સવારે 8:30 કલાકે ભાવનગર મંડન આદેશ્વર ભગવાનના જીનાલય (મોટા દેરાસર) થી આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું, આ શોભાયાત્રામાં ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો, રથયાત્રામાં વિવિધ ધાર્મિક અને સામાજિક સંદેશ આપતી 76થી વધુ કૃતિઓ સામેલ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરના જાણીતા બેન્ડ મંડળો, મહિલા મંડળો, પૂજા મંડળો અને પાઠશાળાના ભૂલકાઓ આકર્ષક વેશભૂષામાં જોડાયા હતા, સમગ્ર ભાવનગર શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, ​આ ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો જેવા કે ઘોઘાગેટ અને મોતીબાગ પરથી પસાર થઈ ભીડ ભંજન મહાદેવ થઈ કાળાનાળા ચોક થઈ દાદા સાહેબ દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી,વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રાનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું,​રથયાત્રાના સમાપન બાદ સવારે 11:00 કલાકે દાદાસાહેબ જિનાલય ખાતે એક વિશેષ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂજ્ય ગુરુ ભગવંતોએ ભગવાન મહાવીરના અહિંસા અને જીવો અને જીવવા દોના સિદ્ધાંતો પર પ્રેરણાદાયી પ્રવચનો આપ્યા હતા, ​ભાવનગર સંઘના સદસ્ય હેતલ નવનીતરાય શાહે જણાવ્યું હતું કે, પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રી સંઘના ઉપક્રમે આ ભવ્ય વરઘોડાનું આયોજન થયું હતું, જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતોની વિશાળ ઉપસ્થિતિએ વાતાવરણને મંગલમય બનાવી દીધું હતું, ભાવનગર શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના મંત્રી પીયૂષ વિનયચંદ્ર દોશીએ જણાવ્યું હતું કે, જૈન શાસનના ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી ભગવાનનો આજે જન્મ કલ્યાણક છે, જન્મ કલ્યાણક એટલે કે એમનો જન્મ જ્યારે થયો હતો એ દિવસ છે અને અહિંસાનો જેને વિશ્વમાં સંદેશ આપ્યો છે એમનો જન્મ દિવસ છે આજે ​એટલા માટે સકળ સંઘ આખું ભાવનગર અને આખા ભારતભરમાં અને વિશ્વભરમાં લોકો આજે ઉત્સાહભેર એમના જન્મ કલ્યાણકની ખાસ ઉજવણી કરે છે એના ભાગરૂપે આજે ભાવનગર શ્રી સંઘના ઉપક્રમે રથયાત્રા ભાવનગર મોટા દેરાસરથી લઈ અને દાદાસાહેબ જીનાલય સુધી ઉતારવામાં આવ્યો છે ​તેમાં સંઘના વિવિધ કાર્યકરો અને ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:48 am

'પાકિસ્તાન પોતે આતંકવાદથી ઘેરાયેલું...', ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી માટે ઈઝરાયલે ભારત પર મૂક્યો ભરોસો

West Asia Conflict: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના બીજા મહિને ઈઝરાયલના વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લેર હસન-નહૂમે એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ યુદ્ધને શરૂઆતથી જ 'મલ્ટી-ફ્રન્ટ' એટલે કે બહુઆયામી પ્રાદેશિક યુદ્ધ ગણાવ્યું છે. યરૂશલેમથી વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, ગત 7 ઓક્ટોબરે દક્ષિણમાંથી હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ ઘટનાના બીજા જ દિવસે ઉત્તર દિશામાંથી પણ હુમલા શરૂ થઈ ગયા હતા, જેનાથી સ્પષ્ટ થયું કે ઈઝરાયલે એકસાથે અનેક મોરચે લડવું પડી રહ્યું છે. જોકે, તેમણે દાવો કર્યો છે કે ઈઝરાયલે સૈન્ય રીતે આ જંગમાં મોટી બઢત મેળવી લીધી છે.

ગુજરાત સમાચાર 31 Mar 2026 11:14 am

દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે આજે મહત્વપૂર્ણ દિવસ:શેરડીના ટન દીઠ ભાવ જાહેર થશે; ચૂંટણીનું વર્ષ હોવાથી પોષણક્ષમ ભાવ મળવાના ઉજળા સંજોગો

દક્ષિણ ગુજરાતની આર્થિક જીવાદોરી સમાન સુગર ઉદ્યોગ માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે. આજે વિવિધ સુગર મિલો દ્વારા શેરડીના ટન દીઠ અંતિમ ભાવ જાહેર કરવામાં આવનાર છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાંડ, બગાસ અને મોલાસીસના બજાર ભાવ ઊંચા રહ્યા હોવાથી ખેડૂતોને ગત વર્ષ કરતા સારા ભાવ મળે તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ખેડૂતોમાં પણ આ જાહેરાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ખાંડની રિકવરી સારી છતાં વધતા ખર્ચથી ખેડૂતો ચિંતિતચાલુ પિલાણ સિઝન દરમિયાન શેરડીમાં ખાંડની રિકવરીનું પ્રમાણ ઘણું સારું જોવા મળ્યું છે. જોકે, બીજી તરફ ખાતરના ભાવમાં થયેલો વધારો અને ખેતમજૂરીના દરોમાં ઉછાળો આવતા ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં પણ મોટો વધારો થયો છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે શેરડીના ટન દીઠ સરેરાશ 3500 રૂપિયાથી વધુ ભાવ આપવામાં આવે, જેથી તેમને ખેતીમાં થયેલું રોકાણ વળતરદાયી બની રહે. ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગોઆગામી બેથી ત્રણ મહિનામાં દક્ષિણ ગુજરાતની લગભગ તમામ સુગર મિલોમાં વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીઓ યોજાનાર છે. સહકારી ક્ષેત્રમાં સત્તા ટકાવી રાખવા માટે અને ખેડૂતોને પોતાની તરફ આકર્ષવા માટે મિલોના ચેરમેન અને શાસક પક્ષો દ્વારા ખેડૂતોને આકર્ષક અને પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ગત વર્ષે પણ ખેડૂતોને ટન દીઠ રૂ. 30થી 130 સુધીનો વધારો મળ્યો હતો, જે આ વખતે વધુ રહેવાની ધારણા છે. કેવડિયાની બેઠકમાં સ્ટોક વેલ્યુ 3700 નક્કી કરાઈતાજેતરમાં કેવડિયા ખાતે ખાંડ ઉદ્યોગ સંઘની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખાંડની સ્ટોક વેલ્યુ 3700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, શેરડીના પ્રતિ ટન ભાવ હંમેશા ખાંડની સ્ટોક વેલ્યુની આસપાસ જ નક્કી થતા હોય છે. આ નિર્ણયને જોતા નિષ્ણાતો માની રહ્યા છે કે આ વર્ષે શેરડીના ભાવમાં મજબૂતી જોવા મળશે. 3650થી 3900 સુધી ભાવ રહેવાની શક્યતાબજારના સૂત્રો અને વર્તમાન સ્થિતિ મુજબ, આ વર્ષે શેરડીના ભાવ 3650થી 3900 રૂપિયા પ્રતિ ટનની વચ્ચે રહેવાની શક્યતા છે. ગત વર્ષે ખાંડના વેચાણ અને આડપેદાશો જેવી કે મોલાસીસની સારી આવકને કારણે સુગર મિલોની આર્થિક સ્થિતિ પણ સુધરી છે. આજ સાંજ સુધીમાં સુરત જિલ્લાની વિવિધ સુગર મિલો સત્તાવાર રીતે ભાવની જાહેરાત કરશે, જેના પર લાખો ખેડૂતોની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 11:13 am

ટ્રમ્પે કરેલી ભૂલની સજા હવે આખું વિશ્વ ભોગવશે? ઈરાનની સંસદમાં હોર્મુઝ અંગે નવો કાયદો પસાર

AI IMAGE Iran Israel sea war : વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ઈરાનની સંસદની સુરક્ષા સમિતિએ આ માર્ગ પરથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાની યોજનાને લીલી ઝંડી આપી દીધી છે.

ગુજરાત સમાચાર 31 Mar 2026 11:12 am

રેડ ક્રોસ ગીર સોમનાથને રાજ્ય રનર્સ અપ એવોર્ડ:પાંચ પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં સન્માન કરાયું

અમદાવાદમાં યોજાયેલા રાજ્ય કક્ષાના એવોર્ડ સમારોહમાં રેડ ક્રોસ – ગીર સોમનાથને રનર્સ અપ એવોર્ડથી સન્માનિત કરાયું. સંસ્થાને વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આરોગ્ય સેવાના પાંચ મુખ્ય પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આ પુરસ્કાર એનાયત થયો. આ સમારોહ 30 માર્ચના રોજ રેડ ક્રોસ ભવન, અમદાવાદ ખાતે યોજાયો હતો. ગુજરાત રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો. રેડ ક્રોસ – ગીર સોમનાથની ટીમને બ્લડ બેન્ક, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, પેથોલોજી અને પ્રધાનમંત્રી જનઔષધિ જેવા પાંચ મુખ્ય પ્રકલ્પોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ આ ઉપ-વિજેતા (રનર્સ અપ) એવોર્ડ અપાયો. આ એવોર્ડ સ્વીકારવા માટે રેડ ક્રોસ – ગીર સોમનાથ વતી ચેરમેન એમિરેટસ શ્રી કિરીટભાઈ ઉનડકટ, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાચ્છ, તેમજ કમિટીના સભ્યો સંજય દાવડા, ભાવેશ મહેતા અને પરેશ તન્ના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વેરાવળથી રેડ ક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાબાર, વાઇસ ચેરમેન કમલેશ ફોફંડી, સેક્રેટરી ગિરીશ ઠક્કર, ટ્રેઝરર સમીર ચંદ્રાણી,પૂર્વ સેક્રેટરી સેવારામ મુલચંદાણી સહિત કમિટીના સભ્યોએ અભિનંદન પાઠવ્યા. તેમણે સર્વે સ્ટાફની કામગીરીની નોંધ લઈ આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2023-24માં પણ રેડ ક્રોસ – ગીર સોમનાથને બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના લોકાર્પણ સમયે પાંચ પ્રકલ્પો શરૂ કરવા બદલ રાજ્ય કક્ષાની શ્રેષ્ઠ જિલ્લા શાખાનો રનર્સ અપ એવોર્ડ મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:56 am

દિલ્હી-શિરડી ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનથી આકાશમાં 1 કલાક સુધી ઈન્ડિગોનું વિમાન ગોળ-ગોળ ફર્યું, 150 પેસેન્જરોના જીવ અધ્ધર થયા

દિલ્હીથી શિરડી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર 150થી વધુ મુસાફરો માટે ગઈકાલની રાત ભારે ફાળકાભરી રહી હતી. શિરડી એરપોર્ટ પર ખરાબ હવામાન અને જોરદાર પવનને કારણે લેન્ડિંગ અશક્ય બનતા પાયલટે સુરત એરપોર્ટ પર વિમાનનું ડાયવર્ઝન કરાવ્યું હતું. સુરત એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. શિરડીના આકાશમાં 1 કલાક ચકરાવા માર્યાઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીથી નિર્ધારિત સમયે ઉપડી હતી. જ્યારે વિમાન શિરડી એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વિઝિબિલિટી અત્યંત ઓછી હતી. પાયલટે વાતાવરણ સુધરવાની રાહમાં સતત 60 મિનિટ સુધી શિરડીના આકાશમાં વિમાનના આંટા મરાવ્યા હતા. વારંવારના ચકરાવાને કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અંતે જોખમ ન લેતા પાયલટે સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી લેન્ડિંગની મંજૂરી માગી હતી. 150થી વધુ મુસાફરોમાં ચિંતા અને ગૂંચવણફ્લાઈટમાં 150થી વધુ પેસેન્જરો સવાર હતા, જેમાં વયોવૃદ્ધો અને બાળકો પણ સામેલ હતા. અચાનક વિમાન સુરત તરફ વળતા મુસાફરોમાં મૂંઝવણ જોવા મળી હતી. જોકે, સુરત એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન્સના અધિકારીઓએ મુસાફરોને શાંત પાડ્યા હતા અને તેમને જરૂરી વિગતો પૂરી પાડી હતી. સુરત એરપોર્ટ પર વિમાનનું ટચ-ડાઉન થતા જ મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે પાયલટનો આભાર માન્યો હતો. સુરતમાં તાબડતોબ વ્યવસ્થા કરાઈસુરત એરપોર્ટ પર ડાયવર્ઝન લેન્ડિંગની જાણ થતા જ સુરક્ષા અને મેડિકલ ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી. હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. એરલાઈન્સ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક આયોજન પણ વિચારવામાં આવ્યું હતું. 3 કલાકના વિલંબ બાદ અંતે શિરડી પહોંચ્યાહવામાન વિભાગ તરફથી શિરડીમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ મળતા જ, મોડી રાત્રે ફ્લાઈટને સુરતથી ફરી રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો તેમના નિર્ધારિત સમય કરતા 3 કલાક મોડા શિરડી પહોંચ્યા હતા. શિરડી એરપોર્ટ પર લેન્ડિંગ થતા જ મુસાફરોએ 'સાંઈ રામ' ના નાદ સાથે હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:55 am

કુઆલાલમ્પુરથી આવેલી મહિલાના ગુપ્ત ભાગમાંથી 83 લાખનું સોનું ઝડપાયું:કસ્ટમ્સથી બચવા ગોલ્ડ પેસ્ટને કેપ્સ્યુલમાં સંતાડી હતી, અમદાવાદ એરપોર્ટ પરથી મહિલાની ધરપકડ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ AIUની ટીમે વિદેશથી સોનાની દાણચોરી કરતી એક મહિલા મુસાફરને ઝડપી પાડી 83.29 લાખનું સોનું જપ્ત કર્યું છે. કુઆલાલમ્પુરથી ફ્લાઈટ નંબર AK-91 દ્વારા અમદાવાદ ઉતરેલી આ મહિલાએ કસ્ટમ્સની નજરથી બચવા માટે પોતાના ગુપ્ત ભાગમાં કાળી ટેપથી વીંટાળેલી બે લંબગોળ કેપ્સ્યુલ છુપાવી હતી, જેમાં પ્રવાહી કેમિકલયુક્ત સોનાની પેસ્ટ મળી આવી હતી. ગ્રીન ચેનલમાંથી પસાર થતી મહિલા પર શંકા જતા અટકાવવામાં આવીકસ્ટમ્સ એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ને મળેલી ચોક્કસ માહિતી અને APIS પ્રોફાઇલિંગના આધારે, 30 માર્ચના રોજ ફ્લાઇટ નંબર AK 91 દ્વારા કુઆલાલમ્પુરથી અમદાવાદ આવેલી મહિલા પર વોચ રાખવામાં આવી હતી. ટર્મિનલ-2 પર ઉતરેલી આ મહિલા જ્યારે ગ્રીન ચેનલ દ્વારા બહાર નીકળવાની ફિરાકમાં હતી, ત્યારે જ અધિકારીઓએ તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મહિલાએ સંતોષકારક જવાબ ન આપતા તેની સઘન તપાસ કરવામાં આવી હતી. ગુપ્ત ભાગમાં છુપાવેલી બે કેપ્સ્યુલ્સમાંથી 24 કેરેટ સોનું નીકળ્યુંતપાસ દરમિયાન મહિલાના શરીરના ગુપ્ત ભાગમાંથી કાળી ટેપથી વીંટાળેલા લંબગોળ આકારના બે કેપ્સ્યુલ્સ મળી આવ્યા હતા. આ કેપ્સ્યુલ્સમાં પ્રવાહી કેમિકલ્સ સાથે મિશ્રિત સોનાની પેસ્ટ ભરેલી હતી, જેનું કુલ વજન 643.28 ગ્રામ હતું. ત્યારબાદ નિષ્ણાતોની હાજરીમાં શુદ્ધિકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા, તેમાંથી 999.0 શુદ્ધતા ધરાવતું 553.07 ગ્રામ (24 કેરેટ) સોનું પ્રાપ્ત થયું હતું. 83.29 લાખનું સોનું જપ્ત કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયોજપ્ત કરવામાં આવેલા સોનાની બજાર કિંમત 83,29,234 અને ટેરિફ મૂલ્ય 75,58,393 આંકવામાં આવી છે. મુસાફરે કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા વિના અને ડ્યુટી ચોરીના ઈરાદે શરીરમાં સોનું છુપાવી દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાથી, કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કરી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે આ દાણચોરી પાછળ અન્ય કોઈ સિન્ડિકેટ કામ કરી રહી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:51 am

RTOના નામે APK ફાઇલ ડાઉનલોડ કરતા સાવધાન:ઠગોએ શેઠનો ફોન હેક કરી આધેડને ફાઇલ મોકલી, ડાઉનલોડ કરતા 10.70 લાખ ટ્રાન્સફર

જો તમારા મોબાઇલ નંબર પર કોઈ APK ફાઇલ મોકલે છે તો તે ડાઉનલોડ કરતા પહેલા ધ્યાન રાખજો, કારણ કે એ APK ફાઇલ ડાઉનલોડ થવાથી મોબાઇલ હેક થઈને તમારા ખાતામાંથી પૈસા ઉપડી શકે છે. શહેરના એક આધેડના મોબાઇલ પર શેઠના નંબર પરથી APK ફાઇલ આવી હતી, જે ડાઉનલોડ કરતા આધેડના ખાતામાં 9.81 લાખની લોન કરીને ગઠિયાઓએ 10.70 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર ક્રાઈમે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શેનના નંબરથી APK ફાઈલ આવતા ક્લિક કર્યુંનિકોલમાં રહેતા 50 વર્ષીય આધેડ વટવા GIDCમાં આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આધેડ 19 ફેબ્રુઆરીએ નોકરી પર હાજર હતા, ત્યારે તેમના શેઠના મોબાઈલ નંબર પરથી વોટ્સએપમાં RTO ઈ-ચલણ નામની એક APK ફાઈલ આવી હતી. જેમાં આરટીઓનો મેમો તપાસવા તેમને શેઠે જણાવ્યું હતું, જેથી આધેડે ફાઈલ તરત ડાઉનલોડ કરી હતી. જેમાં મોબાઈલ નંબર, નામ, માતાનું નામ સહિતની વિગતો ભરવાનું જણાવતા સ્ક્રીનશોટ લઈને તરત બહાર નીકળી ગયા હતા. જે બાદ APK ફાઈલ ડિલિટ કરી દીધી હતી. 20 ફેબ્રુઆરીના સાંજના સમયે આધેડ નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ફોનમાં અચાનક બેંકના મેસેજ આવવા લાગ્યા હતા. ઠગે ત્રણ ટૂકડામાં પૈસા ટ્રાન્સફર કર્યાખાતામાંથી પૈસા ડેબિટ થયાનો મેસેજ આવતા આધેડ બીજા દિવસે બેંકમાં ગયા અને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું. આ સમયે તેમને જાણ થઈ કે કોઈ અજાણી વ્યક્તિએ તેમના મોબાઇલનું એક્સેસ મેળવીને બેંકની એપ્લિકેશનમાંથી 5.31 લાખ રૂપિયાની ઇન્સ્ટોલ જમ્બો લોન 4.50 લાખ રૂપિયાની ઈન્સ્ટન્ટ લોન કરી દીધી હતી. જે બાદ તેમના ખાતામાંથી ટુકડે-ટુકડે 5 લાખ, 2.60 લાખ 2.50 અને 60 હજાર એમ કુલ 10.70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. આધેડને તેમના સાથે થયેલા સાઈબર ક્રાઇમની જાણ થતા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરી અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:50 am

જામનગરના કલેક્ટર કેતન ઠક્કર વયનિવૃત્ત:રાષ્ટ્રધ્વજને સલામી આપી વિદાય લીધી; શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન

જામનગરના કલેક્ટર કેતન ઠક્કર એક વર્ષ અને બે મહિનાના કાર્યકાળ બાદ વયનિવૃત્ત થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે શિક્ષણ, આરોગ્ય અને જનકલ્યાણના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ઠક્કરે શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, તેમજ શહેરી અને ગ્રામ્ય વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી હતી. તેમના પ્રયાસોથી વહીવટીતંત્ર વધુ પારદર્શક, જવાબદાર અને જનતાભિમુખ બન્યું હતું. તેમની ઝડપી નિર્ણયશક્તિ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ તેમને કાર્યદક્ષ પ્રશાસક તરીકેની ઓળખ આપી હતી. વિદાય સમારંભમાં સહકર્મીઓ અને મહાનુભાવોએ તેમના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે જામનગર સાથેનો તેમનો સંબંધ માત્ર સરકારી ફરજ પૂરતો સીમિત ન રહેતા ઊંડી લાગણી અને નૈતિક જવાબદારી સાથે જોડાયો હતો. તેમણે ફરજ દરમિયાન તમામ નાગરિકો અને સહકર્મીઓ તરફથી મળેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વિદાય પ્રસંગના અંતે, કેતન ઠક્કરે કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન ગાયું હતું. ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય નિવૃત્ત જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:46 am

મોરબીમાં મહાવીર જયંતીની આસ્થાભેર ઉજવણી:ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ; શોભાયાત્રામાં જૈન સમાજ ઉમટ્યો

મોરબીમાં મહાવીર જયંતિ નિમિત્તે સમસ્ત જૈન સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા દરબાર પાસે આવેલા દેરાસર ખાતેથી શરૂ થઈ હતી. ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિને બિરાજમાન કરીને શોભાયાત્રા મોરબીના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2624મા જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં 14 સ્વપ્ન રત્ન, જૈન બેન્ડ ગ્રુપ, પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઓ-ફ્લોટ પણ શામેલ હતા. દરેક જૈન સંઘ, મંડળો, સ્વયંસેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી ગ્રીન ચોક, નેહરુગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈને બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી. બોયઝ હાઈસ્કૂલ ખાતે શોભાયાત્રા ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી. શોભાયાત્રાના રૂટમાં જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત, છાશ, ઠંડા પાણી અને ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામીએ મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર વિષય પર મંગલ પ્રવચન આપ્યું હતું, જેનો મોરબીના તમામ જૈન ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:34 am

મહિલાઓ સિટી બસમાં સીટ માટે બાખડી, VIDEO:એકબીજાના વાળ ખેંચીને છૂટાહાથની મારામારી કરી, સુરતમાં ખીચોખીચ મુસાફરો ભરેલી બસમાં સીટ મેળવવા બાબતે મામલો બિચક્યો

ડાયમંડ સિટીમાં જાહેર પરિવહન સેવા સમાન સીટી બસ હવે અવારનવાર વિવાદોનું કેન્દ્ર બની રહી છે. તાજેતરમાં શહેરના ડીંડોલી વિસ્તારમાં દોડતી સીટી લિંકની બસમાં બેસવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. આ હાઈવોલ્ટેજ ડ્રામાને કારણે બસમાં સવાર અન્ય મુસાફરોમાં ફાળ પડી ગઈ હતી, જ્યારે કોઈકે આ સમગ્ર ઘટનાને મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધી છે. ખીચોખીચ ભરેલી બસમાં બેસવા માટે મહિલાઓ ઝઘડીઘટનાની વિગતો મુજબ, સુરત સીટીલિંકની બસ નંબર 104 ડીંડોલી રૂટ પર જઈ રહી હતી. બસમાં ભારે ભીડ હોવાને કારણે સીટ મેળવવા માટે મુસાફરો વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. આ દરમિયાન બે મહિલા મુસાફરો વચ્ચે સીટ પર બેસવા બાબતે તકરાર શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી જેવો જણાતો આ કિસ્સો જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગયો હતો. બંને મહિલાઓ એકબીજા પર તૂટી પડી હતી અને બસના કંડક્ટર કે ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ રણચંડીકા બની ગયેલી મહિલાઓએ જાહેરમાં તમાશો કર્યો હતો. ગુસ્સામાં લાલચોળ મહિલાઓ કોઈનું માનવા તૈયાર નહોતીબસમાં ડ્રાઈવરની સીટની બરાબર બાજુમાં જ આ બબાલ શરૂ થઈ હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બે મહિલાઓ એકબીજાના વાળ પકડીને ખેંચી રહી છે અને છૂટાહાથની મારામારી કરી રહી છે. આ દૃશ્યો જોઈ અન્ય મુસાફરો અચંબિત થઈ ગયા હતા. ભણેલા-ગણેલા ગણાતા સુરત શહેરમાં જાહેર પરિવહનમાં આ પ્રકારે મહિલાઓ વચ્ચે થતી મારામારીએ સુરતીઓની સભ્યતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. બસમાં હાજર અન્ય મહિલાઓએ બંનેને છોડાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુસ્સામાં લાલચોળ થયેલી આ મહિલાઓ કોઈનું માનવા તૈયાર નહોતી. ‘ઝઘડો કરવો હોય તો પાછળ જાવ’: મુસાફરોનો રોષજ્યારે આ મારામારી હદ બહાર ગઈ ત્યારે બસમાં સવાર અન્ય પુરુષ મુસાફરો પણ તેમને રોકવા આગળ આવ્યા હતા. મહિલાઓ સતત એકબીજાને લાતો અને મુક્કા મારી રહી હતી, જેના કારણે ડ્રાઈવરને બસ ચલાવવામાં પણ તકલીફ પડી રહી હતી. આ અફરાતફરી વચ્ચે એક જાગૃત મુસાફરે રોષે ભરાઈને કહી દીધું કે, જો તમારે આવું જ (ઝઘડો) કરવાનું હોય તો બસની છેલ્લી સીટ પર પાછળ જાવ, અહીં ડ્રાઈવર પાસે ગિરદી ના કરો. મુસાફરોમાં એવી પણ ચર્ચા હતી કે આવી ઘટનાઓને કારણે અન્ય લોકોનો સમય બગડે છે અને અકસ્માતનો ભય પણ રહે છે. પોલીસકર્મીની એન્ટ્રી થતા જ મામલો થાળે પડ્યોઆ હંગામો ચાલી રહ્યો હતો ત્યારે જ બસમાં એક પોલીસકર્મીની એન્ટ્રી થઈ હતી. વર્દીધારી પોલીસને જોઈને ઉગ્ર બનેલી મહિલાઓ એકાએક શાંત પડી ગઈ હતી. પોલીસકર્મીએ કડક શબ્દોમાં ઠપકો આપતા બંને પક્ષે ઝઘડો કરવાનું બંધ કર્યું હતું. પોલીસની હાજરીને કારણે મામલો આગળ વધતા અટક્યો હતો અને પોલીસની દરમિયાનગીરી બાદ જ સ્થિતિ થાળે પડી હતી. જોકે, આ ઘટના બાદ ડરના માર્યા ઘણા મુસાફરો આગલા સ્ટોપેજ પર જ ઉતરી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:25 am

બહુચરાજી મેળામાં જતાં પદયાત્રીને ટ્રકે કચડ્યાં, બેના મોત:મહેસાણાના નવા દેલવાડા નજીક સંઘને અડફેટે લઈ ચાલક ફરાર, 7ને ગંભીર ઈજા

ચૈત્રી પૂનમના પાવન પર્વે મા બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તો માટે કાળમુખો અકસ્માત સર્જાયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે આવેલા નવા દેલવાડા નજીક 30 માર્ચની મોડીરાત્રે એક બેકાબૂ ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ કરૂણ દુર્ઘટનામાં બે માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય સાત શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાતમાંથી બેના ઘટનાસ્થળે જ મોતઆ અંગેની મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં સહભાગી થવા જઈ રહ્યો હતો. ભક્તિમય માહોલમાં માના દર્શનની આશા સાથે આગળ વધી રહેલા આ સંઘને નવા દેલવાડા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં આશરે 9 જેટલા પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં ઠાકોર દલપતજી પારખાનજી અને લાલાજી નાગજીજી નામના બે યુવકના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. અકસ્માત બાદ ટ્રકચાલક ફરારગંભીર રીતે ઘાયલ થયેલા ઠાકોર હેતલબેન, ઠાકોર જુહાજી, વિક્રમ અમૃતજી ઠાકોર, મેહુલ જુહાજી ઠાકોર સહિતના સાત 7 પદયાત્રીને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મોડીરાત્રે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ બંન્ને યુવકના મૃતહદેહને પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનો સોંપવામાં આવતા તેઓ અંતિમવિધિ માટે પોતાના વતન જવા રવાના થયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:24 am

‘નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો’:સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં આદિવાસી મુદ્દા ઉઠાવ્યા; મધુબન ડેમના વિસ્થાપિતોને વળતર, જમીન અધિકારની માગ

લોકસભામાં નક્સલવાદ મુદ્દે ચાલી રહેલી ચર્ચા દરમિયાન દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે આદિવાસીઓના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ ન થઈ શકે, પરંતુ નક્સલવાદ પાછળના સામાજિક અન્યાય અને પ્રશાસનિક નિષ્ફળતાને અવગણી શકાય નહીં. ‘નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો’ સાંસદ પટેલે ભારપૂર્વક કહ્યું કે, જ્યાં ન્યાય ન મળે ત્યાં અસંતોષ જન્મે છે. તેમણે સવાલ કર્યો કે, જો દર વર્ષે નક્સલવાદ ખતમ કરવાના દાવા થતા હોય, તો આ સમસ્યા વારંવાર શા માટે ઊભી થાય છે. તેમણે આના મૂળ કારણોમાં આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકારોની અસ્પષ્ટતા અને વિકાસના નામે થતા વિસ્થાપનને જવાબદાર ગણાવ્યા હતા. 'નાના ખેડૂતો-આદિવાસીઓની જમીનો છીનવાઈ' ઉમેશ પટેલે સંઘ પ્રદેશ દમણ-દીવ અને દાદરા નગર હવેલીના સ્થાનિક પ્રશ્નો પણ સંસદમાં રજૂ કર્યા. તેમણે ટાઉન પ્લાનિંગ સ્કીમ (TPS 1E)ના વર્તમાન સ્વરૂપનો વિરોધ કરતા જણાવ્યું કે તેનાથી નાના ખેડૂતો અને આદિવાસીઓની જમીનો છીનવાઈ રહી છે. આ સ્કીમમાં વળતરની કોઈ ગેરંટી નથી અને ખેડૂતો પર 'બેટરમેન્ટ ચાર્જ'નો બોજ નાખવામાં આવી રહ્યો છે. મધુબન ડેમના વિસ્થાપિતોને વળતર, જમીન અધિકારની માગ તેમણે 1972-73ના મધુબન ડેમ પ્રોજેક્ટના વિસ્થાપિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જે લોકોએ આ પ્રોજેક્ટમાં જમીનો ગુમાવી હતી, તેમને આજે પણ પૂરું વળતર કે પુનઃવસન મળ્યું નથી. સાંસદે પ્રદેશમાં આદિવાસીઓના હિત માટે PESA એક્ટ (Panchayats Extension to Scheduled Areas) તાત્કાલિક લાગુ કરવાની માગ કરી હતી. ઉમેશ પટેલે સરકાર સમક્ષ ચાર મુખ્ય માંગણીઓ રજૂ કરી: TPS 1E સ્કીમની સ્વતંત્ર તપાસ અને બજાર ભાવે વળતર, નાના જમીન માલિકો પરથી બેટરમેન્ટ ચાર્જ હટાવવો, મધુબન ડેમ અને હાઈવે પ્રોજેક્ટના અસરગ્રસ્તોનું સંપૂર્ણ પુનઃવસન, અને આદિવાસી સમાજને તેમના કુદરતી સંસાધનો પર કાયદેસરનો હક મળે. તેમણે પોતાના વક્તવ્યના અંતે કહ્યું કે, નક્સલવાદ એ ખાલીપામાં છે જ્યાં ન્યાય નથી પહોંચ્યો. માત્ર ઓપરેશનથી ઉકેલ નહીં આવે, લોકોનો વિશ્વાસ જીતવો પડશે. સ્પિકરના સતત રોકવા છતાં સાસંદે પોતાની વાત રજૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 10:14 am

આજે ખેડબ્રહ્માથી અસારવા મેમુનું ઉદ્ઘાટન:વડાપ્રધાન કરાવશે પ્રસ્થાન, 1 એપ્રિલથી નિયમિત સેવા શરૂ, જાણો ટાઇમટેબલ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માથી આજે અસારવા માટે 09439 મેમુ ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. દેશના વડાપ્રધાન આ ટ્રેનને પ્રસ્થાન કરાવશે. આ નવી મેમુ સેવા 1 એપ્રિલથી નિયમિત રીતે શરૂ થશે, જેમાં 69251 અસારવા-ખેડબ્રહ્મા અને 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે. આજે સાંજે 4 વાગ્યે 09439 મેમુ ખેડબ્રહ્માથી ઉપડશે. તે ઇડર સાંજે 4:25 વાગ્યે પહોંચશે અને 15 મિનિટના રોકાણ બાદ 4:40 વાગ્યે આગળ વધશે. હિંમતનગર સાંજે 5:19 વાગ્યે પહોંચીને બે મિનિટના રોકાણ બાદ 5:21 વાગ્યે ઉપડશે. 1 એપ્રિલથી, 69251 અસારવા-ખેડબ્રહ્મા મેમુ અસારવાથી સાંજે 6:25 વાગ્યે ઉપડશે. તે હિંમતનગર સાંજે 7:44 વાગ્યે પહોંચશે અને બે મિનિટના રોકાણ બાદ 7:46 વાગ્યે ઉપડશે. ઇડર રાત્રે 8:15 વાગ્યે પહોંચીને એક મિનિટના રોકાણ બાદ 8:16 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:10 વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. 2 એપ્રિલથી, 69252 ખેડબ્રહ્મા-અસારવા મેમુ ખેડબ્રહ્માથી સવારે 6:45 વાગ્યે ઉપડશે. તે ઇડર સવારે 7:04 વાગ્યે પહોંચશે અને એક મિનિટના રોકાણ બાદ 7:05 વાગ્યે ઉપડશે. હિંમતનગર સવારે 7:35 વાગ્યે પહોંચીને બે મિનિટના રોકાણ બાદ 7:37 વાગ્યે ઉપડશે અને સવારે 9:30 વાગ્યે અસારવા પહોંચશે. આ મેમુ ટ્રેન ખેડબ્રહ્મા, ઇડર, હિંમતનગર, સોનાસણ, પ્રાંતિજ, તલોદ, રખિયાલ, દહેગામ, ડભોડા, નરોડા, સરદારગ્રામ અને અસારવા સ્ટેશનો પરથી પસાર થશે. મુસાફરો માટે અન્ય અગત્યની સૂચના મુજબ, અસારવા-કોટા અને ચિત્તોડગઢ-અસારવા ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19821 અસારવા-કોટા એક્સપ્રેસના સમયમાં 20 મિનિટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ફેરફાર 4 એપ્રિલ, 2026 (શનિવાર) થી અમલમાં આવશે. હવે આ ટ્રેન અસારવા જંક્શનથી સવારે 08:55 વાગ્યે ઉપડશે (જૂનો સમય સવારે 09:15 હતો). સરદારગ્રામ સવારે 09:01/09:03 અને નંદોલ દહેગામ સવારે 09:28/09:30 વાગ્યે પહોંચશે. હિંમતનગર અને તે પછીના સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી. ટ્રેન નંબર 69244 ચિત્તોડગઢ-અસારવા મેમુના અસારવા જંક્શન પર પહોંચવાના સમયમાં પણ ફેરફાર થયો છે. આ ફેરફાર 1 એપ્રિલ, 2026 (બુધવાર) થી અમલમાં આવશે. આ ટ્રેન અસારવા જંક્શન પર નિર્ધારિત સમય કરતાં 10 મિનિટ મોડી એટલે કે સાંજે 18:55 (06:55 વાગ્યે) પહોંચશે (જૂનો સમય 18:45 હતો). ચિત્તોડગઢથી સહીજપુર વચ્ચેના અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નથી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:54 am

સોમનાથ રહેણાક વિસ્તારમાં દીપડો દેખાયો:વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવી પકડવાની કામગીરી શરૂ કરી

સોમનાથની વેણેશ્વર સોસાયટી નજીક રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સોમનાથ ટ્રસ્ટના કર્મચારી જીગ્નેશ ભટ્ટે સાંજે લગભગ 4 વાગ્યે દીપડાને જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. માહિતી મળતા જ વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગે બે કલાકના ગાળામાં દીપડાની અવરજવરવાળા વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી છે. પાંજરા પર નજર રાખવા માટે એક કર્મચારીની પણ નિમણૂક કરવામાં આવી છે. સ્થાનિક રહીશ જગદીશભાઈ ગોહેલના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગાઢ ઝાડીઓ, જંગલ અને નજીકમાં નદી હોવાથી દીપડાઓને પાણી અને ખોરાક સરળતાથી મળી રહે છે. આ કારણે દીપડાઓ અવારનવાર આ વિસ્તારમાં જોવા મળે છે. વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવતા સ્થાનિકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:48 am

સુરતથી અમદાવાદ આવેલી કિશોરીનું રેસ્ક્યુ:પિતાએ નોકરી ના કરવા દીધી તો ઘર છોડ્યું, અભયમ ટીમે કરાવ્યું સુખદ મિલન

અમદાવાદના નારોલ વિસ્તારમાં વહેલી સવારે 6 વાગ્યે એક 17 વર્ષીય કિશોરી શંકાસ્પદ હાલતમાં પેટ્રોલ પંપ પર બેઠેલી જોવા મળી હતી. સતર્ક સ્ટાફે તાત્કાલિક 181 અભયમ ટીમને જાણ કરી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે આ કિશોરી પોતાના સપના પૂરા કરવા સુરતથી ભાગીને અમદાવાદ આવી પહોંચી હતી. તેણીને જીવનમાં આગળ વધવાની અને સ્વતંત્ર રીતે જીવવાની તીવ્ર ઈચ્છા હતી. મોટિવેશનલ વીડિયો બન્યા કારણકિશોરીએ જણાવ્યું કે તે મોબાઈલમાં મોટિવેશનલ વીડિયો જોતી હતી. અન્ય યુવતીઓને નોકરી કરતી અને વાહન ચલાવતી જોઈ તેને પણ આવી જ જિંદગી જીવવાની પ્રેરણા મળી હતી. જોકે, તેનો પરિવાર રૂઢીચુસ્ત હોવાથી પિતા તેને ઘરની બહાર નીકળવા કે નોકરી કરવા દેતા નહોતા. આ બંધનથી કંટાળીને તે અગાઉ પણ અનેકવાર ઘર છોડી ભાગી ચુકી હતી. આ વખતે પણ તે અમદાવાદ આવી ગઈ, પણ પૂરતા પૈસા અને શહેરની જાણકારી ન હોવાથી અટવાઈ ગઈ હતી. અભયમ ટીમનું સફળ કાઉન્સેલિંગશરૂઆતમાં કિશોરીના પિતા તેને સ્વીકારવા તૈયાર નહોતા અને તેને નારી કેન્દ્રમાં રાખવા આગ્રહ કરતા હતા. જોકે, અભયમ ટીમે લગભગ 1 કલાક સુધી પિતાનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કર્યું અને દીકરીની સુરક્ષા અને ભવિષ્ય અંગે સમજાવ્યા. અંતે, OSC સેન્ટર ખાતે વધુ પ્રક્રિયા પૂર્ણ કરી કિશોરીને તેના પિતાને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. 181 ટીમની સમયસૂચકતાથી એક પરિવાર તૂટતા બચ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:40 am

વડોદરા પોલીસે ખોવાયેલા મોબાઈલ પરત કર્યા:હરણીમાં ‘તેરા તુજકો અર્પણ’ હેઠળ 12 નાગરિકોના ચહેરા પર ફરી સ્મિત લવાયું

વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન દ્વારા માનવીય અભિગમ સાથે એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ પોલીસે નાગરિકોના ગુમ થયેલા લાખોની કિંમતના મોબાઈલ ફોન શોધી કાઢીને મૂળ માલિકોને પરત સોંપ્યા છે. હરણી વિસ્તારમાંથી અલગ-અલગ સમયે ગુમ થયેલા કુલ 12 મોબાઈલ ફોન ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિકવર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પરત કરવામાં આવેલા આ ફોનની અંદાજિત બજાર કિંમત ₹2,60,000 જેટલી થાય છે. ટેકનિકલ તપાસ દ્વારા મળી સફળતાઆ સમગ્ર કામગીરી હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. જેમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ મગનસિંહે CEIR એપ્લિકેશન અને IMEI નંબરના CDR ના આધારે ઝીણવટભરી તપાસ કરી આ સફળતા મેળવી હતી. આ સફળ કામગીરી શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાની સૂચના હેઠળ પાર પાડવામાં આવી હતી. માલિકોના ચહેરા પર છવાઈ ખુશીહરણી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં પી.આઈ. એસ.વી. વસાવાએ માલિકોની ખરાઈ કર્યા બાદ તેમને હર્ષભેર મોબાઈલ સોંપ્યા હતા. આજના સમયમાં મોબાઈલ માત્ર એક સાધન નથી, પણ તેમાં ઘણો કિંમતી ડેટા હોય છે. પોતાનો કિંમતી ફોન અને ડેટા સુરક્ષિત રીતે પરત મળતા નાગરિકો ગદગદિત થઈ ગયા હતા અને વડોદરા પોલીસની નિષ્ઠાપૂર્વકની કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:24 am

દ્વારકાધીશ મંદિરમાં છપ્પન ભોગ અર્પણ કરાયા:મંગલા આરતી સમયે ભક્તોએ દર્શનનો લાભ લીધો

દ્વારકાના શ્રી દ્વારકાધીશ મંદિરમાં મંગલા આરતી દર્શન સમયે છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના ગર્ભગૃહ સમક્ષ વિવિધ પ્રકારની પ્રસાદ થાળીઓ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત, ગર્ભગૃહને રંગબેરંગી પુષ્પોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. છપ્પન ભોગની પરંપરા વૈષ્ણવ ભક્તિ અને સમર્પણનું પ્રતિક માનવામાં આવે છે. મંગલા આરતીના સમયે ભગવાનના ચરણોમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ અને ભોગ ધરાવવામાં આવ્યા હતા. દર્શન દરમિયાન ભક્તોએ 'જય દ્વારકાધીશ'ના નાદ સાથે પોતાનો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. આ છપ્પન ભોગ દર્શન ધાર્મિક પરંપરા અને શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. દ્વારકાધામમાં યોજાયેલો આ પ્રસંગ ભક્તો માટે એક મહત્વપૂર્ણ અને યાદગાર ધાર્મિક અનુભવ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:20 am

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં FRCની પ્રથમ બેઠક યોજાઈ:સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા ચર્ચા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠક યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ફીનું યોગ્ય માળખું નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા માટે FRCની રચના કરવામાં આવી છે. પ્રથમ બેઠકમાં ફીના માળખામાં સુધારા-વધારા કરીને યોગ્ય માળખું નક્કી કરવા તેમજ આ અંગે કોલેજોના સૂચનો ધ્યાને લેવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં FRCના સભ્યો તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત જનરલ મેનેજર, જીટીયુના નિવૃત્ત કુલપતિ, પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને પ્રોફેસરનો સમાવેશ થાય છે. કોલેજો દ્વારા કયા પ્રકારની અને કેટલી ફી લેવામાં આવે છે, તેમજ ફીના માળખામાં વધારો કરવાની રજૂઆતો અને માગણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું હતું. કોલેજોની વર્તમાન ફી, તેઓ કેટલી ફી ઈચ્છે છે તેના સૂચનો, વિગતો અને છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો પણ મંગાવવામાં આવ્યા છે. કમિટી કોલેજોના ટ્રસ્ટી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય વિચારણા કરશે અને નિર્ણય આપશે. યોગ્ય ફી માળખું નક્કી થવાથી સારી કોલેજોનું અસ્તિત્વ જળવાઈ રહે અને અન્ય કોલેજો અંગેની માહિતી પણ મળી શકે. યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોના ફી સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ મેળવીને તેના પર પણ ચર્ચા થઈ હતી. આગામી શૈક્ષણિક વર્ષ પહેલા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:18 am

સુરત જિલ્લામાં 22.83 કરોડના વિકાસકામો મંજૂર:નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 742 જનસુવિધાના પ્રોજેક્ટ્સને મળી લીલીઝંડી

સુરત જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે પ્રભારી મંત્રી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વર્ષ 2026-27 માટેના વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ વિવિધ જોગવાઈઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આયોજન મંડળ દ્વારા નિર્ધારિત 2250 લાખની જોગવાઈ સામે કુલ 2283 લાખના ખર્ચે 742 જેટલા જનહિતલક્ષી વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. તાલુકા અને નગરપાલિકા સ્તરે આયોજન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ સામાન્ય, ટી.એ.એસ.પી. અને એસ.સી.એસ.પી. સદર હેઠળના કામોનું વિસ્તૃત આયોજન કરાયું હતું. જેમાં સુરત જિલ્લાના 11 તાલુકાઓમાં 20.50 કરોડના ખર્ચે 724 કામો હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, જિલ્લાની 4 નગરપાલિકાઓમાં 233 લાખના ખર્ચે 18 વિકાસકામોને બહાલી આપવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની ખાસ યોજના હેઠળ પણ 10 લાખના 2 વિકાસકામો મંજૂર કરાયા છે. આંગણવાડી અને જળસંચય પર ભાર ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને બાળ સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ 2 કરોડના ખર્ચે 13 નવી આંગણવાડીઓના નિર્માણનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણામંત્રીએ ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પૂર્વે જળસંચયના તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અત્યંત અનિવાર્ય છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓને પ્રાધાન્ય આપી, વિકાસકામોનું સતત મોનિટરિંગ કરવામાં આવે જેથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચી શકે. મહાનુભાવોની ઉપસ્થિતિ બેઠકની શરૂઆતમાં કલેક્ટર ડો. સૌરભ પારધીએ મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ તકે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સંદિપભાઈ દેસાઈ, કુંવરજીભાઈ હળપતિ સહિત નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:15 am

BJP કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસ બહાર તોડફોડ:બાપુનગરમાં અસામાજિક તત્વોએ વૃદ્ધને ઘરે જઈ માર માર્યો, બાઈક સહિતના વાહનોમાં નુકસાન કર્યું

બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બાજુમાં રહેતા વૃદ્ધ પર જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના શખસ સહિત ચાર જેટલા લોકોએ હુમલો કર્યાની ઘટના બની છે. આ લોકોએ વૃદ્ધના ઘર તેમજ ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર રહેલી લોખંડની તિજોરી, બોર્ડ અને શેડના પંખામાં અને બે વાહનમાં તોડફોડ કરી નુકસાન પણ કર્યું હતું. વૃદ્ધના દીકરા પાસે પેરોલ પરના આરોપીએ ખર્ચાના પૈસા માંગ્યા હતા, જેને લઈને વૃદ્ધને માર માર્યો હતો. બાપુનગર પોલીસે આ મામલે ગુનો નોંધી કોર્પોરેટરની ઓફિસની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. વૃદ્ધના દીકરાની જેલમાં આરોપી સાથે મુલાકાત થઈ હતીમળતી માહિતી મુજબ, બાપુનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની પાસે નલીનભાઈ મિસ્ત્રી તેમના પરિવાર સાથે રહે છે. નલીનભાઈનો પુત્ર પાંચેક વર્ષ પહેલા આત્મહત્યાના દુષ્પ્રેરણના કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયો હતો, જ્યાં જીગર પટેલ ઉર્ફે જીગર કાઠીયાવાડી નામના વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. જીગર જ્યારે પેરોલ ઉપર આવે ત્યારે વૃદ્ધના દીકરા દેવાંગને મળવા માટે આવતો હતો. વૃદ્ધના દીકરા પાસે આરોપીએ ખર્ચના પૈસા માગતા બબાલ28 માર્ચના રોજ જીગરે દેવાંગને ફોન કરી શુકન ચાર રસ્તા નિકોલ ખાતે મળવા બોલાવ્યો હતો, જેથી દેવાંગ અને તેનો મિત્ર પ્રતિપાલ ઝાલા જીગરને મળવા માટે શુકન ચાર રસ્તા પાસે ગયા હતાં. જીગરે દેવાંગ પાસે ખર્ચના પૈસા માંગ્યા હતા, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પ્રતિપાલ ઝાલા વચ્ચે પડ્યો હતો, જેથી જીગરે પ્રતિપાલ સાથે પણ બોલાચાલી કરી હતી. રાતના મિત્ર સાથે પહોંચી આરોપીએ વૃદ્ધ સાથે મારામારી કરીઆ બબાલમાં જીગરે દેવાંગને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો અને વધુ ઝઘડો ન થાય તેથી દેવાંગ ઘરે આવી ગયો હતો. બાદમાં 30 માર્ચે રાતના 12 વાગ્યાની આસપાસ જીગર અને તેનો ભાઈ સેવુલ પટેલ એક્ટિવા ઉપર આવ્યા હતા અને ઘરની બહાર સૂતેલા નલીનભાઈને કહ્યું હતું કે, તમારો દીકરો ક્યાં છે? મારે તેની પાસેથી ખર્ચના પૈસા લેવા છે, તેમ કહી જોરજોરથી બૂમો પાડી ગાળો બોલવા લાગ્યો હતો. તારો દીકરો દેવાંગ ક્યાં છે? મને મળશે એટલે હું તેને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. વૃદ્ધે શાંતિથી વાત કરવાનું કહેતા જીગરે તેની પાસે રહેલી લોખંડની પાઇપથી નલીનભાઈને થાપાના ભાગે ફટકો માર્યો હતો. ઘરની બહાર પાર્ક વાહનો અને કોર્પોરેટરની ઓફિસમાં તોડફોડ કરીનલીનભાઈએ બુમાબુમ કરતા આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો આવી ગયા હતાં. સાથે જીગરના બીજા બે મિત્ર પણ બાઈક લઈને આવ્યા હતા, આ તમામે ભેગા મળીને નલીનભાઈના ભત્રીજા અને તેના મોટાભાઈના ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં ડંડા મારીને તોડફોડ કરી હતી. નલીનભાઈના ઘરની બાજુમાં આવેલી ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરની ઓફિસની બહાર લોખંડની તિજોરીના કાચમાં પણ ડંડો મારીને તોડી નાખ્યો હતો. તેમનું બોર્ડ અને તેમના શેડ પર રહેલા પંખામાં પણ દંડા મારીને નુકસાન કર્યું હતું. પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતા તમામ આરોપીઓ ભાગી ગયા હતાં. આ સમગ્ર બાબતની જાણ થતાં બાપુનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર ફરી સવાલો ઉઠ્યાંબાપુનગર વિસ્તારમાં ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર તોડફોડ કરવામાં આવતા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર મદદગાર પરિવાર નામની સંસ્થા પણ ચલાવે છે અને તેમની ઓફિસ પણ ત્યાં આવેલી છે. જો ભાજપના જ કોર્પોરેટરની ઓફિસ બહાર આ રીતે તોડફોડ કરવામાં આવતી હોય તો પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 9:06 am

વડોદરામાં જ્ઞાનવત્સલ સ્વામીજીનું થશે વિશેષ સન્માન:9 લોકો અને 6 અનસંગ હીરોઝને દીપ પ્રેરણા એવોર્ડથી નવાજશે લાયન્સ ક્લબ

વડોદરાની લાયન્સ ક્લબ દ્વારા સમાજસેવાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન કરનાર વિભૂતિઓને બિરદાવવા માટે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. 'દીપ પ્રેરણા એવોર્ડ' અંતર્ગત 'લાયન્સ રત્ન એવોર્ડ' અને 'અનસંગ હીરો એવોર્ડ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ 31 માર્ચના રોજ સાંજે 6:30 વાગ્યે વડોદરાની હોટલ તારાસંસ ખાતે યોજાશે. અધ્યાત્મ અને સેવાનો સંગમઆ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જ્ઞાનવત્સલ સ્વામીજી અને નિત્યાનંદ પ્રભુજી ખાસ ઉપસ્થિત રહેશે. ક્લબ દ્વારા આ બંને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમની ઉપસ્થિતિ કાર્યક્રમની ગરિમામાં વધારો કરશે. સમાજના 9 રત્નોનું બહુમાનકાર્યક્રમમાં કુલ 9 મહાનુભાવોને 'લાયન્સ રત્ન એવોર્ડ'થી નવાજવામાં આવશે. જેમાં આદિવાસી વિસ્તારોમાં સેવા આપતા ત્રિભુવનદાસ કાબરા, પદ્મશ્રી ધાર્મિકલાલ પંડ્યા સહિત દીપક ફાઉન્ડેશન અને મહાવીર ફાઉન્ડેશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ થાય છે. અજાણ્યા હીરોઝની ઓળખસમાજમાં કોઈપણ પ્રસિદ્ધિની ભૂખ વગર પાયાના સ્તરે કાર્યરત 6 વ્યક્તિઓને 'અનસંગ હીરો એવોર્ડ' આપવામાં આવશે. આ યાદીમાં એવા NGO કાર્યકરો અને સરકારી કર્મચારીઓ સામેલ છે જેમના કાર્યોથી સામાન્ય જનતા હજુ અજાણ છે. આયોજન અને અપીલઆ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ચેરમેન હાર્દિકભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. આ અવસરે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ પણ હાજર રહેશે. ક્લબના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજ માટે સમર્પિત આવા સાચા રત્નોના કાર્યો લોકો સુધી પહોંચે તે જ આ એવોર્ડનો મુખ્ય હેતુ છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:57 am

સુરતના વાસરાઈમાં પ્રકૃતિ પર્વનો ભવ્ય પ્રારંભ:5000 લોકોની હાજરીમાં મિશન LiFE હેઠળ પર્યાવરણ જાળવણી માટે સામૂહિક સંકલ્પ લેવાયો

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર (CERC) દ્વારા પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય (MoEFCC-EIACP) ના સહયોગથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વાસરાઈ ગામ ખાતે 'પ્રકૃતિ પર્વ મેગા ઇવેન્ટ'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. 30 માર્ચ 2026, સોમવારના રોજ દિશા ફાઉન્ડેશનના મેદાનમાં યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'મિશન LiFE' (લાઇફસ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ)ના વિચારને જન-જન સુધી પહોંચાડવાનો હતો. જનશક્તિનું મહાકુંભ: 5000 લોકોની સહભાગિતાઆ જાગૃતિ અભિયાનમાં અંદાજે 5000 જેટલા લોકો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ, સ્થાનિક સમુદાયો અને સ્વૈચ્છિક સંસ્થાઓએ ભાગ લઈને હરિયાળા ભવિષ્ય માટે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાની ખાતરી આપી હતી. રાજ્ય વહીવટીતંત્ર, શાળાઓ, કોલેજો અને એનજીઓના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ એક સાચા લોકઉત્સવમાં ફેરવાઈ ગયો હતો. આદિવાસી સંસ્કૃતિ અને ટકાઉપણુંકાર્યક્રમના મુખ્ય આકર્ષણોમાં ટ્રાઈબલ સમુદાય અને ટકાઉપણું વિષય પર નિષ્ણાતોનું વિશેષ સત્ર યોજાયું હતું. પરંપરાગત 'તુર નૃત્ય' અને અન્ય લોકનૃત્યોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. પ્રદર્શનમાં 50 જેટલા ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનોના સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા, જેમાં પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વાંસની બનાવટો અને મિલેટ આધારિત પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન આ મેગા ઇવેન્ટમાં બારડોલી જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના અધ્યક્ષ, દિશા ફાઉન્ડેશનના અધ્યક્ષ, ટ્રાઈબલ એડવાઈઝરી કાઉન્સિલના વડા તેમજ વલ્લભ વિદ્યાનગર યુનિવર્સિટીના પ્રિન્સિપલ અને HOD હાજર રહ્યા હતા. CERC ના ચેરમેન ડૉ. સુનિલ પારેખે જણાવ્યું હતું કે, ભારત વિશ્વનો પ્રથમ દેશ છે જેણે LiFE ને પોતાના લક્ષ્યાંકોમાં સ્થાન આપ્યું છે. આ અભિયાન સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા જલવાયુ પરિવર્તન સામે લડવાની પ્રેરણા આપે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:56 am

પુણાગામની નાલંદા વિદ્યાલયમાં આનંદ મેળો:તારક મહેતા ફેમ પિન્કુની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 15,000 થી વધુ લોકો ઉમટ્યા

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમની આંતરિક શક્તિઓને મંચ પૂરું પાડવાના ઉમદા હેતુથી 'આનંદ મેળા'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે વ્યવહારુ જ્ઞાનનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યકાર્યક્રમની શરૂઆત સંસ્થાના પ્રમુખ મનુભાઈ ચાવડા, આચાર્ય મગનભાઈ સોલંકી અને કેમ્પસ ડાયરેક્ટર શિવ મિશ્રા સહિતના આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્યની સાથે જ સમગ્ર કેમ્પસ ઉત્સાહ અને ઉમંગના માહોલમાં રંગાઈ ગયું હતું. પિન્કુના આગમનથી ઉત્સાહ બેવડાયોઆ મેળાનું મુખ્ય આકર્ષણ ટેલિવિઝન જગતની લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના બાળ કલાકાર પિન્કુ રહ્યા હતા. તેમની પ્રેરક હાજરીએ વિદ્યાર્થીઓમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના મનગમતા કલાકારને રૂબરૂ જોઈ ભારે હર્ષની લાગણી અનુભવી હતી. કૌશલ્યનું પ્રદર્શન અને સન્માનઆનંદ મેળામાં બાલભવનથી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ વિવિધ ફૂડ અને બિઝનેસ સ્ટોલ્સ ઊભા કર્યા હતા. આ સ્ટોલ્સ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને વ્યવસાયિક સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ નારી શક્તિના સન્માનરૂપે શાળાની તમામ શિક્ષિકા બહેનોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. આ મેળામાં અંદાજે 15,000 થી વધુ લોકોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શાળા પરિવારની દિવસોની મહેનતના પરિણામે આ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:52 am

લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર

મહાવીર જયંતિના પવિત્ર અવસરે, લીંબડી ખાતે આવેલું બાહુજીન સ્વામીનું દેરાસર વિશેષ મહત્વ ધરાવે છે. આખા વિશ્વમાં બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે બિરાજમાન હોય તેવું આ એકમાત્ર દેરાસર છે. આ દેરાસર 140 વર્ષ જૂનું છે. આ પ્રાચીન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિ પણ એટલી જ જૂની છે. હાલમાં, આ દેરાસરમાં કુલ 112 ભગવાનનો પરિવાર બિરાજમાન છે, જે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ દેરાસર સ્થાનકવાસી પરંપરાના લીંબડી અજરામાર સંપ્રદાયનું મુખ્ય મથક (હેડક્વાર્ટર) છે. આ સ્થળ 'અજરામાર ગાદી' તરીકે પણ પ્રખ્યાત છે, જ્યાં દરરોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. અજરામાર સંપ્રદાયના ભક્તો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે, પરંતુ ખાસ કરીને કચ્છના વાગડ, કંઠી અને ઝાલાવાડ પ્રદેશના શ્રાવકોની સંખ્યા અહીં વધુ જોવા મળે છે. વર્તમાનમાં, આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી આ સંપ્રદાયના ગચ્છાધિપતિ છે. આ અંગે દર્શનચંદ્રજી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે મહાવીર જયંતિ નથી, પણ મહાવીર જન્મ કલ્યાણક છે, એટલે કે પ્રભુનો જન્મ થાયને, એ તહેવાર તરીકે કે બર્થડે તરીકે કે જન્મ જયંતિ તરીકે નથી ઉજવાતો, એનો સાચો શબ્દ કલ્યાણક છે, કારણ કે એમના જન્મ હોય, ચવન હોય, દિક્ષા હોય, કેવલ જ્ઞાન હોય કે, નિર્વાણ હોય એ આખા સંસાર માટે કલ્યાણ સ્વરૂપ છે, સંસારના તમામ જીવો માટે કલ્યાણ સ્વરૂપ છે. એટલે એમનો જન્મ કલ્યાણક હોય, એટલે ચૈત્ર સુદ-13ના દિવસે ચરમ તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણકનો દિવસ અને પ્રભુનો જન્મ ભારતની આ ભૂમિ પર કે, જે મહાવીરની ભૂમિ છે, અને એમના શાસનમાં જન્મેલા આપણે બધા જ ગર્વ થાય કહેવાનું કે, અમે મહાવીરના વંશમાં, શ્રવણ પરંપરામાં અમે દિક્ષા લીધી છે, એ મહાવીર જયારે આપણે આજની તારીખમાં જોઈએ છીએ કે, હાલમાં જયારે આખુ વિશ્વ એકબીજા સાથે લડી રહ્યું હોય, ત્યારે એવો ભાવ થાય કે, ભગવાને કહેલી એક વાત પણ જો કોઈ સ્વીકારી લેને કે,એક વાતનો પણ જો અમલ કરી લેને તો આખા વિશ્વની શાંતિ એમ કહીએ ને કે એક મિનિટ જ દૂર હોય. પછી ભગવાને અહિંસાનો શબ્દ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અપરિગ્રહનો સંદેશ આપ્યો હોય તો પણ ભલે, ભગવાને અનેકાંતવાદની વાત કરી હોય, ભગવાને આપેલું જન્મથી કરીને ભગવાનના નિર્વાણ સુધીમાં ભગવાને આપણને કેટલી બધી વસ્તુઓ શીખવાડી હશે, એમાંથી કોઈ એક વસ્તુ આપણે ગ્રહણ કરી લઈએ ને તો અનેકાંતવાદનો સિદ્ધાંત કદાચ ક્યારેક અભ્યાસ કરવાનો અવસર મળે અને વિશ્વના નેતાઓને આ અનેકાંતવાદની જો કોઈ એક વાત હૃદયમાં સ્પર્શી જાયને વિશ્વ શાંતિ જાણે આપણા હથેળીમાં છે, અને એ અનેકાંતવાદનો સિદ્ધાંત આપનારા જો કોઈ હોય તો એ ભગવાન મહાવીર સ્વામી છે, અને એમના સિદ્ધાંતો આજથી અઢી ત્રણ હજાર વર્ષો પહેલા ભગવાન થયા છતાં પણ આજની તારીખે પણ એટલા જ એપ્લિકેબલ છે, આજની તારીખે પણ એટલા જ વેલીડ છે, આજની તારીખમાં પણ એટલા જ ઈમ્પ્લીટેબલ છે, આજની તારીખમાં પણ એટલા જ લોજીકલ પણ છે, આજની તારીખમાં પણ એટલા જ સાયન્ટીફિકલ પણ છે. એટલે ભગવાન મહાવીર એક વ્યક્તિત્વ છે, ભગવાન મહાવીર એક વિચાર છે, ભગવાન મહાવીર એક સંસ્કાર છે, ભગવાન મહાવીર એક પરંપરા છે, અને એમનો જન્મ કલ્યાણકનો દિવસ આપણા બધા જ માટે આપણા દુર્ગુણો દૂર થાય અને આપણા જીવનમાં એમનો એક ગુણ આવી જાય, એમના જીવનનો એક સંદેશ આપણા જીવનને સ્પર્શી જાય એજ મંગલ ભાવના. જયારે આ અંગે લીંબડી આણંદજી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી કમલેશભાઈ શાહ જણાવે છે કે, અત્યારે લીંબડી ખાતેના આ દેરાસર 140 વર્ષ જૂનું દેરાસર છે, અને આ તીર્થંકર તરીકે જ છે, અને અહીં મુળનાયક તરીકે બાહુજીન સ્વામી છે, જે 20 વિહરમાનમાં ત્રીજા નંબરના છે, એ અહીં બિરાજમાન છે, આખા વિશ્વમાં આ બાહુજીન સ્વામી મૂળનાયક તરીકે હોય એવુ આ લીંબડી ખાતે એક જ દેરાસર છે, અહીં મહાવીર સ્વામિની મૂર્તિ પણ એટલી જ પ્રાચીન છે. આ દેરાસરમાં અત્યારે કુલ 112 ભગવાનનો પરિવાર છે, જે ધરતીકંપ પછી જીર્ણોદ્ધાર કરીને નવેસરથી પુન: નિર્મિત કરીને એની પુન: પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ અંગે અજરામાર સંપ્રદાયના ભરતભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતું કે, આ સ્થળ પ્રભુ મહાવીરના શાસનમાં ચાર ફીરકાઓ છે, સ્થાનકવાસી, મૂર્તિપૂજક, દિગંબર અને તેરાપંથી, એ પૈકી સ્થાનકવાસીમાં ગુજરાતમાં 12 સંપ્રદાયો છે, એ પૈકીનો લીંબડી અજરામાર સંપ્રદાયનુ આ હેડક્વાર્ટર છે, આ જગ્યા અજરામાર ગાદી તરીકે પ્રખ્યાત છે, અહીં રોજ સેંકડો યાત્રિકો દર્શન કરવા આવે છે. ખાસ તો અજરામાર સંપ્રદાયમાં સારાય ગુજરાતના ભક્તો છે, પણ ખાસ વિશેષ કરીને કચ્છ વાગડ, કંઠી અને ઝાલાવાડના શ્રાવકો વધુ છે, અત્યારે વર્તમાનમાં આચાર્ય ભગવંત ભાવચંદ્રજી સ્વામી એ આના ગચ્છાધીપતી છે, અને આ તસ્વીર દેખાય છે, એ અજરામાર દાદાની છે, અને એવુ કહેવાય છે કે, અજરામાર દાદા એકાવતારી છે, જૈન પરિભાષામાં એકાવતારી એટલે જેનો એક જન્મ લેવાનો બાકી છે, અને ત્યાર પછી એ ભગવાન બની જશે, મોક્ષ બની જશે, અને જૈન માન્યતા પ્રમાણે મહાવિદય ક્ષેત્ર જ્યાં સીમંધર સ્વામી બિરાજે છે, ત્યા આ અજરામાર દાદા જન્મ લેશે અને મોક્ષ પામશે અને ભગવાન બની જશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:51 am

રેલવેની સુરક્ષામાં હવે 'કવચ'નો સુરક્ષાચક્ર:વડોદરા-નાગદા રૂટ પર 224 કિમીમાં અકસ્માત રોકતી અત્યાધુનિક સ્વદેશી ટેકનોલોજી કાર્યરત

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આજે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રદીપ કુમાર દ્વારા વડોદરા–નાગદા ખંડ પર રેલ સુરક્ષાને વધુ સઘન બનાવતી ‘કવચ’ સિસ્ટમનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.આર.એમ. રાજુ ભડકે સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ કવચ પ્રણાલીથી સજ્જ રેલવે એન્જિનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વર્ઝન 4.0 સાથે ટેકનોલોજીનો ઉપયોગવડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી પશ્ચિમ રેલવેના સિગ્નલ અને ટેલિકોમ વિભાગ દ્વારા આ સ્વદેશી સિસ્ટમનું લોકાર્પણ કરાયું છે. આ સિસ્ટમ ‘કવચ’ના સૌથી આધુનિક વર્ઝન 4.0 ના ધોરણો મુજબ તૈયાર કરવામાં આવી છે, જે રેલવે સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ તકનીકી સુધારો ગણાય છે. આ ટેકનોલોજીના અમલીકરણથી ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત અને વિશ્વસનીય બનશે. 224 કિલોમીટરનો રૂટ સુરક્ષિત બનશેઆ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 224.51 રૂટ કિલોમીટર (Rkm) વિસ્તારને કવચ પ્રણાલી હેઠળ આવરી લેવામાં આવશે. જેમાં વડોદરાથી મંગલ મહુડી (122.5 Rkm) અને પંચપિપલિયાથી નાગદા (102.01 Rkm) ખંડનો સમાવેશ થાય છે. આ સિસ્ટમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માનવીય ભૂલોને ઘટાડીને કટોકટીના સમયે આપોઆપ હસ્તક્ષેપ કરે છે, જેનાથી ટ્રેન અકસ્માતોની શક્યતા નહિવત થઈ જશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:45 am

ગીર સોમનાથમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે વેરાવળમાં તાલુકા, જિલ્લા, નગરપાલિકા સ્તરે બેઠકો

ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. 01 એપ્રિલ, 2026ના રોજ વેરાવળ ખાતે આ પ્રક્રિયા યોજાઈ રહી છે, જેને પગલે જિલ્લાભરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વેરાવળ-જૂનાગઢ હાઈવે પર આવેલી ‘હોટલ દક્ષ’ ખાતે સવારથી મોડી રાત સુધી મેરેથોન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:00 થી 1:00 દરમિયાન વેરાવળ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બપોરે 2:00 થી 6:00 દરમિયાન વેરાવળ નગરપાલિકા માટે અને સાંજે 7:00 થી 9:00 દરમિયાન સુત્રાપાડા નગરપાલિકા માટે પ્રક્રિયા યોજાશે. આ પ્રક્રિયા દરમિયાન પક્ષના ઇચ્છુક ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનો પોતાની રજૂઆતો કરી દાવેદારી નોંધાવશે. એક જ દિવસે ત્રણ અલગ-અલગ સ્તરે યોજાતી આ બેઠકોને કારણે રાજકીય વર્તુળોમાં આ દિવસ અત્યંત મહત્વપૂર્ણ ગણાઈ રહ્યો છે. ભાજપ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા ઉમેદવારોની પસંદગી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. પાર્ટીના નિરીક્ષકો અને જિલ્લા સ્તરના નેતાઓ ઉમેદવારોની લોકપ્રિયતા, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિના આધારે વિગતવાર મૂલ્યાંકન કરશે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે. વેરાવળ શહેરમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:42 am

PIએ પાંચ પોલીસ કર્મચારીને દંડ કર્યો:ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા, તમાકુ ખાવા પર પ્રતિબંધ, ઓફિસની બહાર જ સૂચના મારી દીધી

રાજ્યની સરકારી કચેરીઓ અને જગ્યાઓ ઉપર તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ હોય છે, ત્યારે ઓફિસમાં ફરજ બજાવનારા અનેક કર્મચારીઓ પાન, મસાલા, તમાકુનું સેવન કરતા હોય છે. લોકો વ્યસન ઓછું કરે તેના માટેના અનેક પ્રયાસ વાત કરવામાં આવતા હોય છે, ત્યારે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, તમાકુ અને મસાલા ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પીઆઇએ પોલીસ સ્ટેશનમાં તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવડાવ્યા છે અને જો કોઈપણ પોલીસ કર્મચારી પાન-મસાલા ખાતા મળી આવશે તો દંડ કરવામાં આવશે. પાંચ જેટલા પોલીસ કર્મચારીઓને અત્યાર સુધી નિયમ મુજબ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. લોકોને વ્યસનથી દૂર રાખવા માટે ખોખરા પીઆઇ દ્વારા પોતાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે નિયમ બનાવવામાં આવ્યો છે. વ્યસનથી દૂર રહે તેના માટે આ પ્રયાસઃ PIખોખરા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. પી. સાવલિયાએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા અને તમાકુ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ પોલીસ કર્મચારી વ્યસન કરીને આવ્યા અને પકડાય તો તેમને નિયમ મુજબ દંડ ફટકારવામાં આવે છે. અત્યાર સુધીમાં પાંચ જેટલા પોલીસ કર્મચારીને અમે દંડ પણ ફટકાર્યો છે. વ્યસનથી લોકો દૂર રહે તેના માટે આ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં બોર્ડ પણ લગાવી દેવાયાપાન-મસાલા અને તમાકુ ખાવાની અનેક લોકો ટેવ ધરાવતા હોય છે. પોતાની ઓફિસની જગ્યા ઉપર પણ ગુટકા કે મસાલા ખાઈને કામગીરી કરતા હોય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં પાન, મસાલા કે તમાકુ ખાવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોઈપણ પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનમાં પાન-મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં. પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરવાની સાથે જ બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે આથી ખોખરા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓને જણાવવાનું કે કોઈ પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન ખાતે પાન/મસાલા/તમાકુ ખાઇને આવવું નહીં. તેમજ પાન-મસાલા, તમાકુ ખાતા મળી આવશે તો તેઓના વિરુદ્ધ તમાકુ નિયંત્રણ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓ ઓફિસમાં વ્યસન નહિ કરી શકેપોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વારથી લઈને પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ જગ્યાઓ ઉપર આવા બોર્ડ મારી વામાં આવ્યા છે. બેથી ત્રણ ઓફિસની બહાર આ જ પ્રમાણે બોર્ડ મારવામાં આવ્યા છે, જેથી જે પણ પોલીસ કર્મચારી ઓફિસમાં ફરજ બજાવતો હોય તેના ધ્યાન ઉપર આવે કે પોલીસ સ્ટેશનમાં પાન મસાલા કે તમાકુ ખાઈ શકશે નહીં.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:40 am

વઢવાણમાં મહાવીર સ્વામીના પગલા આજે પણ યથાવત્:દિક્ષા લીધા બાદ સૌપ્રથમ ભગવાન અહીં પધાર્યા, લોકોને મરકીના રોગમાંથી મુક્તિ મળી, જાણો ગામની અનોખી લોકવાયકા

આજે મહાવીર જયંતિ છે, ત્યારે 2600 વર્ષ અગાઉ દિક્ષા લીધા બાદ મહાવીર સ્વામીએ સૌ પ્રથમ વઢવાણની મુલાકાત લીધી હતી. જ્યા મરકી નામનો રોગચાળો ફેલાયેલો હતો. લોકવાયકા મુજબ ભગવાન મહાવીર સ્વામીના પવિત્ર પગલા પડતાં જ લોકોને મરકી રોગથી મુક્તિ મળી હતી. જેથી ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું હતી. જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું. ભોગાવો નદીના કિનારે મહાવીર સ્વામીના પવિત્ર પગલાં આજે પણ યથાવત્ જોવા મળે છે. વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેરસુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ એક ઐતિહાસિક અને પ્રાચીન શહેર તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. અહીં આવેલી વિવિધ પ્રકારની વાવો, દરવાજાઓ, ગઢ અને પૌરાણિક અવશેષો આજે પણ ઇતિહાસના જીવંત પુરાવા તરીકે ઉભા છે. વઢવાણ ગામની એક અનોખી લોકવાયકા પણ પ્રચલિત છે, જે શહેરના પ્રાચીન મહત્ત્વને ઉજાગર કરે છે. ‘બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં’આ અંગે મંદિરના પૂજારી મેરૂભાઈ વજાભાઈ લકુમે જણાવ્યું હતું કે, આજથી આશરે 2600 વર્ષ પહેલાં અનાજ-કરિયાણાના એક મોટા વેપારી 500 બળદોના કાફલા સાથે વઢવાણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં રાત પડતાં તમામ બળદો થાકી ગયા. ત્યારે એક બળદે પોતાના શેઠને સંકેત આપ્યો કે ભોગાવો નદી તે તમામ ગાડાં પાર કરાવી દેશે. ત્યારબાદ તે બળદે અદભૂત શક્તિ બતાવી 500 ગાડા નદી પાર કરાવ્યાં, પરંતુ તેની હાલત અત્યંત નબળી બની ગઈ અને તે ચાલી પણ શકતો નહોતો. ‘પૂર્વ જન્મનો બદલો લેવા ભયંકર રોગ ફેલાવ્યો’વધુમાં જણાવ્યું કે, વેપારીએ આ બળદ ગામલોકોને સોંપ્યો અને તેની સંભાળ બદલ તેમને ધન-સંપત્તિ આપવાની વાત કરી. છતાં ગ્રામજનો દ્વારા બળદની યોગ્ય સંભાળ લેવામાં આવી નહીં અને થોડા સમયમાં જ તેનું મૃત્યુ થયું. કહેવાય છે કે મૃત્યુ બાદ તેને બીજા જન્મમાં શૂલપાણી યક્ષ તરીકે અવતાર મળ્યો. પૂર્વ જન્મની અવગણનાનો બદલો લેવા માટે તેણે વઢવાણમાં “મરકી” નામનો ભયંકર રોગ ફેલાવ્યો. આ રોગથી અનેક લોકોનાં મૃત્યુ થતાં ગામમાં હાડકાના ઢગલા લાગી ગયા અને તે સમયગાળામાં વઢવાણ “અસ્થિગ્રામ” તરીકે ઓળખાવા લાગ્યું. પૂજારીએ વધુમાં જણાવ્યું કે, આ પરિસ્થિતિની જાણ જૈન ધર્મના 24મા તીર્થંકર મહાવીર સ્વામીને થતાં તેઓ ચોમાસું ગાળવા વઢવાણ પધાર્યા હોવાનું કહેવાય છે. લોકવાયકા અનુસાર, દીક્ષા લીધા પછીનું પ્રથમ ચોમાસું તેમણે અહીં પસાર કર્યું હતું. ભોગાવો નદી કિનારે એક રાત્રી રોકાણ દરમિયાન શૂલપાણી યક્ષે તેમને અનેક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમની સામે તેનું કોઈ બળ કામે આવ્યું નહીં. અંતે યક્ષ પરાજિત થયો અને ભગવાનનો શિષ્ય બની ગયો. ત્યારબાદ ભોગાવો નદી કાંઠે ભગવાનના ચરણપાદુકાની સ્થાપના કરવામાં આવી, જે આજે પણ અસ્તિત્વમાં છે. કહેવાય છે કે આ ઘટનાના પછી મરકી રોગથી લોકોને મુક્તિ મળી અને ગામનું નામ મહાવીર સ્વામીના મૂળ નામ પરથી “વર્ધમાનપુરી” પડ્યું, જે સમય જતાં “વઢવાણ” તરીકે પ્રચલિત થયું. આ પણ વાંચો…લીંબડીમાં બાહુજીન સ્વામીનું અનોખું દેરાસર:વિશ્વનું એકમાત્ર, 140 વર્ષ જૂનું; 112 ભગવાનનો પરિવાર

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:05 am

અમદાવાદમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝ્યાં, બાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગવાની ઘટના બની હતી. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે મકાનમાં મોટું નુકસાન થયું છે. ધડાકો એટલો જોરદાર હતો કે, આજુબાજુના બે મકાનના પણ બારી-બારણાના કાચ તૂટી ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાના કારણે આ ઘટના બની હતી. ઈજાગ્રસ્તોના નામ ફાયર વિભાગને સવારે 5.30એ કોલ મળ્યો હતોમળતી માહિતી મુજબ, અમદાવાદ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો કે નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ગેસ લીકેજ થયો છે, જેથી ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા, ત્યારે મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયેલો જોવા મળ્યો હતો. ઘરના સામાન અને ગાદલામાં આગ લાગેલી હતી, જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. મકાનના પોપડા પણ ઉખડી ગયાફાયર બ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે આગ લાગેલી જોવા મળી હતી. નાની ઓરડી જેવું મકાન હતું, જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને મકાનના પોપડા ઉખડી ગયા હતાં. આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતાં. એટલો જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના સ્થાનિક લોકો પણ બહાર દોડી આવ્યા હતા. ઘરમાં સૂતેલા લોકો ઈજાગ્રસ્ત હાલતમાં દોડીને બહાર આવ્યામકાનમાં પાંચેક જેટલા લોકો રહેતા હતા, જે બ્લાસ્ટ થવાના કારણે દાઝી ગયા હતા અને તરત જ દોડીને બહાર આવ્યા હતાં. સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યારે ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી ત્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા પાંચ જેટલા દાઝેલા લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, ત્યારે ઘરમાં સૂતેલા લોકો દોડીને બહાર આવ્યા હતા અને તેમને ઇજા થતાં હોસ્પિટલ ખસેડી દીધા છે. ગેસ લીકેજ થવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતોઃ ફાયર અધિકારીફાયર બ્રિગેડના અધિકારી ભૂમિત મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું. ગેસ લીકેજ થયો હોવાના કારણે ઘરમાં ગેસ ભરાયેલો હતો અને વહેલી સવારે કોઈ કારણોસર આગ મળી તેના કારણે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેને ફાયર પહોંચી તે પહેલા હોસ્પિટલ ખસેડી દીધા છે. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગને બુજાવી દીધી હતી. મકાન માલિક કોણ છે અને સ્થાનિક રહેવાસીઓ ભાડે રહે છે કે કેમ? તે અંગે કોઈ માહિતી મળી નથી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 8:02 am

વેધર રિપોર્ટ:શહેરમાં વાદળો અને ભેજવાળા પવનથી બપોરે ગરમી ઘટી પણ રાત્રે બફારો વધ્યો

ભાવનગર શહેરમાં બપોરે ગરમીમાં રાહત મળી રહી છે જ્યારે રાત્રે બફારો વધી રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જ્યારે લઘુતમ ઉષ્ણતામાન વધીને 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું. ભેજવાળા પવનને લીધે દિવસ પર ગરમીમાં રાહત મળી હતી. મહત્તમ અને લઘુતમ ઉષ્ણતામાન વચ્ચે નવ ડિગ્રીનો તફાવત નોંધાયો હતો. બપોરના સમયે આજે પણ શહેરમાં આછા વાદળો છવાયા હતા. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 31 માર્ચે કમોસમી વરસાદની આગાહી આઈએમડી ગુજરાત દ્વારા કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જે આ સમયગાળામાં બપોરના સમયે નોંધાતા તાપમાનથી બે ડિગ્રી સેન્ટિગ્રેડ ઓછું હતું જોકે બપોરના સમયે પણ હવામાં ભેજનું પ્રમાણ 41% અને સાથે પવનની ગતિ સાંજના સમયે વધીને 16 કિલોમીટર નોંધાઇ હતી સવારે પણ શહેરમાં પવનની ઝડપ 12 કિલોમીટર હતી આમ આજે પણ ભેજવાળો પવન દિવસભર ફૂંકાતો રહ્યો હતો જેથી ગરમીનો પ્રભાવ ઘટ્યો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાકમાં 1.1 સેન્ટિગ્રેડ વધીને આજે 26.3 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું જે આ સમયગાળામાં નોંધાતા રાતના તાપમાનથી 3.1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું હતું. જેથી રાત્રિના સમયે બફારો વધ્યો હતો. માત્ર બે શહેરોમાં રાત્રે તાપમાન 26 ડિગ્રીથી વધુ નોંધાયુંરાજ્યમાં અમદાવાદ અને ભાવનગર બે શહેરમાં રાત્રે ઉષ્ણતામાન 26 ડિગ્રી થી વધુ નોંધાયું હતું જેમાં રાતના સમયે સૌથી વધુ તાપમાન અમદાવાદ માં 26.5 ડિગ્રી નોંધાયું હતું જ્યારે ભાવનગરમાં રાતનું તાપમાન 26.3 ડિગ્રી નોંધાયું હતું અન્ય શહેરોમાં 22થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:54 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે એક્સટેન્શન પર બ્રેક, GMBની ફાઇલ ટ્રાન્સપોર્ટ વિભાગે પરત ધકેલી

ગુજરાત મેરિટાઇમ બોર્ડના ચિફ એન્જીનિયરની ફરજ તળે આવતા પ્રોજેક્ટોના બેફામ ભ્રષ્ટાચાર, પ્રોજેક્ટની નિષ્ફળતાઓ અને 1000 કરોડ રૂપિયાના નુકશાન સામે તપાસ કરાવવામાં તંત્ર ઉણુ તો ઉતર્યુ હતુ, પરંતુ જેના પર ભ્રષ્ટાચારના અને પ્રોજેક્ટની નિષ્ફળતાના આક્ષેપો છે તેને નિવૃત્તિ બાદ એક્સટેન્શન આપવા માટેની હિલચાલ ચાલી રહી હતી તેની સામે લાલ બત્તી સમાન હેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જીએમબીની દરખાસ્ત ટ્રાન્સપોર્ટ વિભાગે ફગાવી દીધી છે, અને ફાઇલ પરત મોકલી આપી છે. જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા ફેબ્રુઆરી-2026માં નિવૃત્ત થયા હતા અને એક્સટેન્શન મેળવવા માટે તેઓએ છેલ્લા બે માસથી દિલ્હી અને ગાંધીનગરના મંત્રાલયોમાં તળીયા ઘસી નાંખ્યા હતા, અનેક મંત્રીઓને કાકલૂદી કરી હતી તેથી જીએમબી દ્વારા તેને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ આગળ ધકેલવામાં આવ્યો હતો. આ ફાઇલ ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગમાં મોકલવામાં આવી હતી, અહીં અધિકારીઓએ તલાવીયાના ભૂતકાળમાં ડોકીયુ કરતા અનેક પ્રોજેક્ટની ક્ષતિઓ, ભ્રષ્ટાચારની ગંધ સપાટી પર આવી હતી, અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા એક્સટેન્શનની ફાઇલ નકારી કાઢી અને જીએમબીને પરત કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયા સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો દર્શાવતો પત્ર ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કિશોર કાનાણી (કુમાર) દ્વારા વડાપ્રધાન સહિતનાને લખવામાં આવ્યો હતો, છતા જીએમબીમાંથી એક્સટેન્શન આપવા માટેનો તખ્તો ઘડાવા લાગ્યો હતો. જીએમબી દ્વારા તલાવીયાના એક્સટેન્શનનો પ્રસ્તાવ વાઇસ ચેરમેન, સીઇઓ ડૉ.અજયકુમારની અનુપસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ વિભાગને મોકલી આપવામાં આવ્યો હતો, ત્યાંથી ફાઇલ અંગે ક્વેરી કાઢવામાં આવી હતી જેના સંતોષકારક ખુલાસા જીએમબી કરવામાં નિષ્ફળ રહેતા ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ જીએમબીને પરત મોકલી આપી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે ફાઇલ નકાર્યા બાદ ખાતાકીય કામગીરીજીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાના નિવૃત્તિ બાદ નોકરી અંગેની ફાઇલ ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા નકારી કાઢવામાં આવી છે. ફાઇલ નકારી કાઢવામાં આવ્યા બાદની ખાતાકીય કામગીરી શરૂ છે. - ડૉ.અજયકુમાર, વાઇસ ચેરમેન, સીઇઓ, ગુજરાત મેરિટાઇમ બોર્ડ, ગાંધીનગર ચિફ એન્જિનિયર તલાવીયા સામે ક્યા ક્યા આક્ષેપો હતા?જીએમબીના ચિફ એન્જીનિયર ભાવેશ તલાવીયાની સામે ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સર્વિસની નિષ્ફળતા, રૂપિયા 250 કરોડના માંગરોળ મત્સ્ય ઉદ્યોગ હાર્બર પ્રોજેક્ટની નિષ્ફળતા, 300 કરોડના ડ્રેજીંગ કૌભાંડ, નવલખી પોર્ટ જેટીમાં 150 કરોડનું કૌભાંડ, જીએમબી રહેણાંકી વસાહતમાં કૌભાંડ, અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડમાં જહાજ ભાંગવાની પરવાનગી આપવાનું કૌભાંડ, હોવરક્રાફ્ટ ખરીદી કૌભાંડ, વીટીએસ કૌભાંડના આક્ષેપ છે, પરંતુ જીએમબી દ્વારા તેની તટસ્થ તપાસ કરવવાને બદલે એક્સટેન્શન આપવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:53 am

ધોરણ 12 સાયન્સની પરીક્ષા:ધોરણ 12 સાયન્સની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ પર જાહેર કરવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર સેટ નંબર 1 થી 20 ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલી પ્રોવિઝનલ આન્સર કી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે. રસાયણ વિજ્ઞાનની આન્સર કીમાં એક પ્રશ્નમાં તમામ વિકલ્પો સાચા જણાવ્યા છે એટલે કે વિદ્યાર્થીએ પ્રશ્નમાં ગમે તે ઉત્તર લખ્યો હશે સાચો રહેશે. કેમેસ્ટ્રીમાં અંગ્રેજી માધ્યમમાં આવી રીતે એક પ્રશ્નમાં તમામ વિકલ્પ સાચા છે. ભૌતિક વિજ્ઞાન ગુજરાતીમાં આવી રીતે 3 પ્રશ્નમાં વિકલ્પો સાચા અપાયા છે ભૌતિક વિજ્ઞાન અંગ્રેજી માધ્યમમાં પણ 2 સવાલમાં વિકલ્પ સાચા છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહની આ આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ પર મુકેલ નિયત નમૂનામાં વિષયવાર માધ્યમ વાર પ્રશ્ન દીઠ અલગ રજૂઆત ઈમેલ આઇડી gshsebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલને શનિવારે સાંજે 6 સુધી કરવાની રહેશે ત્યારબાદની રજૂઆત ધ્યાને લેવાશે નહીં તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે. રજૂઆત ફક્ત email મારફત સ્વીકારાશે. જેમાં પ્રશ્ન દીઠ નિયત ફી ₹500 ચલણથી એસબીઆઇ બેન્કમાં ભરવાની રહેશે ચલણનો નમુનો બોર્ડની વેબસાઈટ પર મુકાયો છે રજૂઆતની સાથે નાણા ભરેલા ચલણની નકલ ઇમેલ મારફત મોકલવાની રહેશે જે પ્રશ્નની રજૂઆત કરી હશે અને તે સાચી થશે તો પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરાશે. બોર્ડના છાત્રો માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેન્દ્રદર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે આગળ અભ્યાસ નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન કેન્દ્રનો પ્રારંભ કરાયો છે જેમાં શિક્ષણવિદ ડો.ઓમ ત્રિવેદી વિદ્યાર્થીઓના ભેરુ બની સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. કંપનીઓ કે સંસ્થાઓ સીધી કે અડકતરી રીતે કલાકના ધોરણે તોતિંગ ફી લે છે ત્યારે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે માર્ગદર્શન નિઃશુલ્ક સ્વરૂપે પુરુ પાડવા કેન્દ્ર દ્વારા પ્રયાસો થશે. માર્ગદર્શન ઇચ્છતા વિદ્યાર્થીઓ કે વાલીઓને છેલ્લા બે વર્ષની માર્કશીટ સાથે રાખી ફોન નંબર 9924343536 પર અથવા રૂબરૂ મળી શકે છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:51 am

SGSTના એડિ. કમિશનર સામે પગલા:ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ IRS હેરમાને સિંગલ ઓર્ડરથી તત્કાળ પરત મોકલાયા

સ્ટેટ જીએસટીમાં વ્યાપકપણે ફેલાઇ ગયેલા ભ્રષ્ટાચાર અને ઉચ્ચ અધિકારી દ્વારા સીન્ડીકેટ રચી સરકારી તિજોરીને કરવામાં આવી રહેલા નુકસાન અંગે વડાપ્રધાનથી લઇ સીબીઆઇ, સીબીઆઇસી, મુખ્યમંત્રી સહિતના લોકોને આઇઆરએસ ધર્મેન્દ્ર ચંદુલાલ હેરમા સામે કરવામાં આવેલી ફરિયાદ બાદ ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સિંગલ ઓર્ડરથી અને તત્કાળ અસરથી સીબીઆઇસી બોર્ડમાંથી ડેપ્યુટેશન પર આવેલા હેરમાને અકાળે પરત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. નવેમ્બર 2023માં ડી.સી.હેરમાને ગુજરાતમાં સ્ટેટ જીએસટીમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા, અને તેઓની પાસે એન્ફોર્સમેન્ટનો ચાર્જ હતો. હેરમાની સામે વ્યાપકપણે ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી હતી, અને સરકાર દ્વારા જીણી આંખે તેની સમીક્ષા પણ કરવામાં આવી રહી હતી. હેરમા અને તેની ટોળકીમાં સામેલ તુલસી, હરેશ, મીતુલ, ચીરાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચારનો કાળો કેર વર્તવામાં આવ્યો હતો. નવાઇની વાતતો એ હતી કે, હેરમા પાસે એન્ફોર્સમેન્ટ વિભાગ હતુ, જો એન્ફોર્સમેન્ટની કોઇપણ ફરિયાદ હોય તો તેને તકેદારી વિભાગમાં તબદીલ કરવામાં આવે છે. આ તકેદારી વિભાગ પણ પોતાની પાસે જ રાખ્યો હતો, અને સ્ટાફમાંથી જો કોઇ ઉંચા-નીચા થાય તો મહેકમ વિભાગ પણ પોતાની પાસે હોવાથી સ્ટાફને રીમોટ સ્થળ પર બદલી કરી નાંખવાની ચીમકી આપી દબાવી દેતા હતા. હેરમા અને તેની ટોળકી દ્વારા કરવામાં આવેલા બેફામ ભ્રષ્ટાચારની ફરિયાદો પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સીબીઆઇસીમાં અકાળે પરત મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને સરકારના આ પગલાના ઘેરા પ્રત્યાઘાત પડવાની સંભાવના છે. હેરમાના કરતૂતો પર આ પાણીઢોળ છે, કે તેના તમામ ભ્રષ્ટાચાર અને કલંકિત ટોળકી સામે ભ્રષ્ટાચારની વધુ તપાસ થશે? તેના અંગે પણ અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:48 am

વન અને પર્યાવરણ વિભાગમાં મોટાપાયે ફેરફાર:રાજ્યના 365 RFOની સામૂહિક બદલી

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ચાર વર્ષ બાદ આજે મોટાપાયે બદલીના ઓર્ડર કરાયા હતા. જેમાં નાયબ ભાવનગર વન સંરક્ષક કચેરીના વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જ ઉપરાંત કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીના કાર્યક્ષેત્રમાં આવતી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત રાજ્યના કુલ 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની સામૂહિક બદલીના ઓર્ડર કરાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન સહિત રાજ્યની વન વિભાગની રાજ્યની 450 જેટલી રેન્જમાં થયા બદલીના ઓર્ડર નીકળ્યા હતા. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે કરેલા બદલીના ઓર્ડરમાં ભાવનગર વન સંરક્ષક કચેરી, રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરીમાં વિસ્તરણ, વન્યજીવ અને નૉર્મલ રેન્જમાં ફરજ બજાવતા 13 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી કરાઈ છે. જેમાં મોટાભાગના બદલીના ઓર્ડરમાં વન્યજીવ અને નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વિસ્તરણ મુકાયા છે. જયારે નોર્મલમાં ફરજ બજાવતા હતા તેવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને વન્યજીવમાં મુકાયા છે. ભાવનગર જિલ્લા સંલગ્ન રેન્જમાં ફરજ બજાવતા 13 RFOની બદલીRFOની બદલીમાં કિશોરસિંહ બારડની વલભીપુર રેન્જમાંથી બોટાદ વિસ્તરણ રેન્જમાં, ભરતભાઈ સોલંકીની સિહોર રેન્જમાંથી ઘોઘા વિ. રેન્જમાં, સુરેશભાઈ બારૈયાની મહુવા રેન્જમાંથી રિસર્ચ ભાવનગર રેન્જમાં, દિવ્યરાજસિંહ સરવૈયાની ભાવનગર રેન્જમાંથી વેળાવદર રેન્જમાં, મુકેશભાઈ વાઘેલાની જેસર રેન્જમાંથી સિહોર વિ.રેન્જમાં, જગાભાઈ આંબલીયાની પાલિતાણા વિ. રેન્જમાંથી જસદણ રેન્જમાં મૂકાયા છે. ,સુમીતાબેન ડાકીને સિહોર વિ.રેન્જમાંથી જુનાગઢ રિસર્ચ રેન્જમાં, અમિતકુમાર વાણિયાને ઘોઘા વિ. રેન્જમાંથી ખાંભા એમ.એસ. વન્યજીવમાં, નિમલબેન ગોલેતરને ઉમરાળા વિ. રેન્જમાંથી સિહોર રેન્જમાં, આરતીબેન શિયાળની તળાજા વિ.રેન્જમાંથી વન્યજીવ રેન્જ પાલિતાણામાં, જીજ્ઞાસાબેન શેતરણીયાને ગારિયાધાર વિ.રેન્જમાંથી વન્યજીવ જાફરાબાદ રેન્જમાં મૂકાયા છે. દિલીપભાઈ ગઢવીની વેળાવદર રેન્જમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં, મોહનભાઇ બાંભણીયાની મો.સ્ક્વોડ વેળાવદરમાંથી વન્યજીવ મહુવા રેન્જમાં મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:47 am

સરાહનીય સેવાકાર્ય:ઝીરો બેલેન્સ ધરાવતી રોબિનહુડ આર્મી સંસ્થાએ 6,62,000 લોકોને ભોજન આપી જઠરાગ્નિ ઠારી

રોબિનહુડ આર્મી સંસ્થા ભાવનગર શહેરમાં છેલ્લા નવ વર્ષથી સામાજીક ક્ષેત્રે પોતાની જવાબદારી સમજી કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદોને ભોજન, રાશન, કપડા, ચપ્પલ, ગરમ વસ્ત્રો જેવી વસ્તુઓ સાથે તેમના બાળકોને શિક્ષણ અંગેનુ યોગ્ય માર્ગદર્શન આપી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. રોબિનહુડ આર્મી સંસ્થા વિશ્વના 13 દેશ અને 400થી વધુ શહેરોમાં પોતાનુ કાર્ય કરી રહી છે. જેમા મુખ્યત્વે જરૂરીયાતમંદો સુધી ભોજન પહોંચાડવાનુ છે. સંસ્થા ઝીરો બેલેન્સ ઓર્ગેનાઇઝેશન હોવાના કારણે રોકડ દાન સ્વીકારવામાં આવતુ નથી. વસ્તુના સ્વરૂપમાં મળતુ દાન લોકો સુધી પહોંચાડવામાં આવે છે. ખાસ કરીને પ્રસંગ પછી વધેલુ ભોજન સ્વીકારી લોકોને વિતરણ કરવામાં આવે છે. સાથે જન્મ દિવસ, એનવર્સરી, તિથિ, નિમિતે દાતા તરફથી ભોજન આપવામાં આવે છે. સમાજના લોઅર, મીડલ કલાસના ઘણા કુટુંબને જરૂરીયાત હોય પરંતુ સ્વમાન ભંગ થાય માટે કોઇની સામે હાથ ફેલાવી શકતા નથી તેવા વડીલો, નિ:સહાય હોય તેવા લોકોને ભોજન, રાશનકીટ જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓ સંસ્થા દ્વારા અપાય છે. રોબીન હુડ આર્મી છેલ્લા નછ વર્ષમાં 662000થી વધુ લોકોને ભોજન પહોંચાડી જઠરાગ્ની ઠારવાનો પ્રયાસ અવિરત રહયો છે. દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. રોબીનહુ઼ડ આર્મીના એકેડમી વિભાગ દ્વારા 70 થી 80 બાળકોને ભણતર આપી તેમા રૂચી વધે તેવા પ્રયાસ કરી સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમા અમુક તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે દાતાઓના સહયોગથી અગ્રણી સંસ્થાઓમાં એડમીશન અપાવવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે કેમ્પ યોજી મહિલાઓને માર્ગદર્શન આપી દાતાઓના સહયોગથી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે આ કાર્યમાં ચિંતન વ્યાસ, હિતાંશી વ્યાસ, બીલ્વમ વ્યાસ, વિશાલ ભટ્ટ, ગૌતમ પરમાર, કાનજી ઢેઢી પીયુષ વ્યાસ, ચીંતન ભટ્ટ, ચીરાગ દેસાઇ, રેખા વ્યાસ, અભિજ્ઞા દેસાઇ, તૃપ્તી નિસરતા દ્વારા કાર્યો કરાય. વેલેન્ટાઇન-ડેને રોટી-ડે તરીકે ઉજવવામાં આવે છેવર્ષ દરમ્યાન દિવાળી, મકરસંક્રાંતિ, ધુળેટી સહિતના તહેવારો અન્ય લોકોની જેમ ઉજવી શકે તે માટે મીઠાઇના પેકેટ, ચીક્કી, પતંગ, પીચકારી આપી બાળકો સાથે તહેવાર ઉજવવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ને રોટી-ડે તરીકે ઉજવી જરૂરીયાતમંદોને ગુલાબના ફુલને બદલે થેપલા-શાક આપી રોબીન હુડ આર્મી દ્વારા ઉજવણીનો એક નવો ચીલો પાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:45 am

કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી:કોર્પો.ને પ્રથમવાર 105.56 કરોડની સ્પેશ્યલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવાઇ

ભાવનગર કોર્પોરેશનને વિકાસ કામો માટે વર્ષ દરમિયાન જુદી જુદી રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ મળતી રહે છે પરંતુ પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્ટ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા છેલ્લા થોડા વર્ષોથી શહેરમાં વિકાસ કામોના મોટા પ્રોજેક્ટ હાથમાં લીધા છે. ઘણા પૂર્ણ થવામાં છે તો ઘણા કાર્યરત છે. પરંતુ હજુ પણ વિકાસ કામોમાં ગ્રાન્ટની જરૂરિયાત હોય તો રાજ્ય સરકાર દ્વારા તમામ કોર્પોરેશનને જણાવતા ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ આગામી દિવસોમાં નવા વિકાસ પ્રોજેક્ટ સરકારમાં મૂક્યા હતા. ભાવનગર કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં મોટા પ્રોજેક્ટ માટે ગ્રાન્ટની આવશ્યકતા દેખાડતા અને વર્ષ દરમિયાન કરેલી વિકાસની કામગીરીઓ પણ રજૂ કરતા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાસ કિસ્સામાં આઠ મહાનગરપાલિકાને 1321 કરોડ ફાળવવામાં આવ્યા છે. જે પૈકી ભાવનગર કોર્પોરેશનને 105.56 કરોડની ફાળવણી સ્પેશિયલ આસિસ્ટન્સ ફોર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અંતર્ગત મંજુર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ભાવનગર કોર્પોરેશનને 22.75 કરોડની સ્પેશિયલ આસિસ્ટન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે આ વખતે પ્રથમવાર ભાવનગર કોર્પોરેશનને આટલી મોટી રકમ 105.56 કરોડ ફાળવવામાં આવી છે. જામનગર, જુનાગઢ અને ગાંધીનગર કરતા પણ વધુ ભાવનગર કોર્પોરેશનને ગ્રાન્ટની રકમ ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, રાજકોટ ત્યારબાદ ચોથા ક્રમે ભાવનગરને 105.56 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:43 am

આજે છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રહેશે:આજે મિલકત વેરો ભરવાનો છેલ્લો દિવસ

ભાવનગર કોર્પોરેશન દ્વારા હાલમાં તમામ કામ પડતા મૂકી દરેક વિભાગને મિલકત વેરાની વસુલાતમાં જોડવામાં આવ્યા છે. વેરો ભરવામાં આવતીકાલ 31 માર્ચ અંતિમ દિવસ છે. ત્યારે 190 કરોડનો ટાર્ગેટ પૂરો કરવા આજે 181.40 કરોડ સુધી પહોંચી ગયા છે. આજે એક જ દિવસમાં 3.56 કરોડની ઘરવેરાની આવક થઈ છે. આજ સુધીમાં કુલ બે લાખ કરદાતાઓએ વેરો કર્યો છે. કોર્પોરેશનની આવકના મુખ્ય સ્ત્રોત મિલકત વેરાના ટાર્ગેટ સુધી પહોંચાડવા માટે છેલ્લા એક અઠવાડિયાથી તમામ વિભાગો દોડા દોડ કરી રહ્યા છે. આજે સોમવારે 1653 કરદાતાઓ દ્વારા 3.56 કરોડનો મિલકત વેરો ભરતા 181. 40 કરોડની આવક થવા પામી છે. આજે કુલ 53 મિલકતોને સીલ પણ કરવામાં આવેલી છે. કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં 7.37 કરોડના રિબેટ સાથે કુલ 176.55 કરોડની આવક થઈ છે. તેમજ 4.85 કરોડની જૂની કરપદ્ધતિમાંથી આવક થઈ છે. 31 માર્ચના રોજ સવારે 10 થી બપોરે 2 અને સાંજના 3 કલાકથી વેરો ભરપાઈ કરનાર છેલ્લા કરદાતા સુધી કેશ બારી શરૂ રાખવામાં આવશે. રિકવરીમાં બેદરકારી, 25 અધિકારીઓને નોટિસભાવનગર કોર્પોરેશનમાં વેરા વસુલાતમાં જાગે ત્યારે ભાગની જેમ નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં હાફળા ફાફળા થઈ જાય છે. તમામ વિભાગોને રિકવરી માટે કામે લગાડ્યા છે. રજાના દિવસોમાં પણ અધિકારી કર્મચારીઓ પાસે રિકવરીની કામગીરી કરાવવામાં આવી રહી છે. તેમ છતાં પર્ફોમન્સ ગ્રાન્ટ મેળવવાના ટાર્ગેટ નજીક નહિ પહોંચતા હવે કોર્પોરેશન ઊંધે માથે થયું છે. ગૂગલ સીટ પર આંકડા નહિ ભર્યા હોવા તેમજ નબળી કામગીરી માટે તમામ 25 શાખા અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે. આવતીકાલે અંતિમ દિવસ છે તે પૂર્વે અધિકારીઓને નોટિસ અપાતા તેની વિપરીત અસરને નકારી શકાય નહીં. ઘણા વિભાગોમાં રજાના દિવસે સારી કામગીરી કરી હોવા છતાં પણ તેઓને નોટિસ અપાતા નારાજગી પણ ફેલાયેલી છે. 3જીથી કેશ કલેક્શન, ઓનલાઇન પેમેન્ટ શરૂ થશેકોર્પોરેશન દ્વારા આગામી 1 અને 2એપ્રિલના રોજ મિલકતવેરાના સોફ્ટવેરનું મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી મિલકત વેરો ભરવા માટેની કેશ કલેક્શન વિન્ડો તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા આ બંને દિવસો દરમિયાન બંધ રહેશે. તારીખ 3જી એપ્રિલના રોજથી સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. તદુપરાંત તારીખ 1લી એપ્રિલના રોજ કોર્પોરેશનના અન્ય તમામ સોફ્ટવેરનું પણ મેન્ટેનન્સનું કામ હાથ ધરવામાં આવનાર હોવાથી તમામ સોફ્ટવેર તેમજ ઓનલાઇન સુવિધાઓ તારીખ 1 એપ્રિલના રોજ બંધ રહેશે. સેન્ટ મેરી સ્કૂલે 1.34 કરોડ વેરો ભર્યોઆજે સેન્ટ મેરી સ્કૂલના બાકી મિલકત વેરાના રૂ.1.34 કરોડની આવક થઈ છે. સેન્ટ મેરી સ્કૂલની બાકી મિલકત વેરા બાબતે કોર્ટમાં કેસ ચાલતો હતો. અંતે વિભાગ દ્વારા સમજાવટ કરતા સમાધાનકારી વલણ રાખી અને નિકાલ કરેલ છે. સેન્ટ મેરી સ્કૂલ દ્વારા તમામ બાકી વેરો 1.34 કરોડ ભરપાઈ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:42 am

તબીબોની માનસિક સુખાકારી માટે ગ્રેટિટ્યુડ જર્નલનું લોન્ચિંગ:45થી 56% પીજી રેસિડેન્ટ ડોકટર અનુભવે છે ડિપ્રેશન

​મેડિકલ ટ્રેનિંગ દરમિયાન જોવા મળતા માનસિક તણાવ અને કામના અત્યંત ભારણને પહોંચી વળવા માટે, ભાવનગરની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ (GMC) દ્વારા મેડિકલ વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો માટે એક માળખાગત 'ગ્રેટીટ્યુડ જર્નલ' (કૃતજ્ઞતા ડાયરી) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય કર્મચારીઓની માનસિક સુખાકારીને પ્રાધાન્ય આપવાની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભારતમાં મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ એક ગંભીર સમય છે, જ્યાં સંશોધનો સૂચવે છે કે આશરે 45% થી 56 % જેટલા પોસ્ટગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ નોંધપાત્ર માનસિક થાક (Burnout) અને ડિપ્રેશનના લક્ષણો અનુભવે છે. અહેવાલો મુજબ, લાંબા કામના કલાકો, રાત્રિની ફરજો અને પૂરતી ઊંઘનો અભાવ આ માનસિક તણાવના મુખ્ય કારણો છે. GMC ભાવનગરની આ 'ગ્રેટીટ્યુડ જર્નલ' મનોવૈજ્ઞાનિક માળખા પર તૈયાર કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેક્ટિસ મગજમાં ડોપામાઇન અને સેરોટોનિન જેવા ન્યુરોટ્રાન્સમીટર મુક્ત કરે છે, જે મૂડ સુધારવા અને તણાવ ઘટાડવા માટે અત્યંત આવશ્યક છે. દિવસ દરમિયાન બનેલી હકારાત્મક ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી તબીબોની માનસિક સ્થિતિસ્થાપકતા વધે છે. જર્નલની મુખ્ય વિશેષતાઓઆ જર્નલ રેસિડેન્ટ ડોક્ટરોના વ્યસ્ત શિડ્યુલને ધ્યાનમાં રાખીને 'માઈક્રો-રિટ્યુઅલ્સ' (નાની વિધિઓ) તરીકે તૈયાર કરવામાં આવી છે સવારનું હકારાત્મક ફ્રેમિંગ: દિવસની શરૂઆતમાં કોઈ એક સાથીદાર અથવા સાધન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. સાંજનું થ્રી ગુડ થિંગ્સ (ત્રણ સારી બાબતો): દિવસની ક્લિનિકલ પડકારો વચ્ચે બનેલી ત્રણ હકારાત્મક બાબતોની નોંધ લેવી. ​વિષય આધારિત સૂચનો: દર્દીઓ સાથેની સારી વાતચીત અને સાથી તબીબોના સહકારને ઓળખવા માટેના વિશેષ વિભાગો. ક્લિનિકલ તણાવ સામે લડવા માટે સબળ સાધનઆ પ્રસંગે સંસ્થાના ડીન ડો. ચિન્મય શાહે જણાવ્યું હતું કે, મેડિકલ શિક્ષણ પડકારજનક છે અને અમારા વિદ્યાર્થીઓ અમારી તાકાત છે. આ જર્નલ દ્વારા અમે તેઓને ક્લિનિકલ તણાવ સામે લડવા માટે એક સબળ સાધન પૂરું પાડવા માંગીએ છીએ. મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને મનોચિકિત્સા નિષ્ણાત ડો. અશોક વાલાએ ઉમેર્યું હતું કે તબીબોનું સારું માનસિક સ્વાસ્થ્ય દર્દીઓની સારવારની ગુણવત્તામાં પણ સુધારો કરે છે. આ ગ્રેટીટ્યુડ જર્નલ હાલમાં 2020 બેચના ઇન્ટર્ન ડોક્ટરો અને તમામ રેસિડેન્ટ્સને વિતરણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:39 am

સૌરાષ્ટ્ર સમાચાર બ્રેકિંગ:પાકિસ્તાને નકારેલું શિપ અલંગમાં પધરાવાશે!

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના તમામ શિપ બ્રેકરો અને બંને સરકારના સંયુક્ત પ્રયાસોથી પર્યાવરણ, સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય માપદંડોના ક્ષેત્રે અલંગ છેલ્લા 1 દસકાથી વિશ્વમાં સુવિધાઓ, સલામતી, પર્યાવરણલક્ષી શિપ બ્રેકિંગની બાબતમાં વિશ્વમાં પ્રથમ હરોળમાં કાર્યરત છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ તદ્દન પછાત અવસ્થામાં, બિનનિયંત્રિત, પર્યાવરણ, સુરક્ષાના નિયમોનો છેદ ઉડાડીને કામ કરી રહેલા શિપ બ્રેકિંગ દેશોની યાદીમાં યાદ કરવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા નકારી કાઢવામાં આવેલું એક મોટું ઓઇલ ટેન્કર શિપ અલંગમાં ભંગાણાર્થે આવી રહ્યું હોવાની બાબતોથી એજન્સીઓના કાન ચમક્યા છે. વર્ષ 2001મા નિર્માણ પામેલ સેરેસ-1 જહાજનું નામ અને ફ્લેગ બદલી અને તેને માલી નામથી ઓળખવામાં આવ્યુ હતુ. લાંબા સમયથી પાકિસ્તાનમાં હોવાને કારણે તેને સ્થાનિક શિપ બ્રેકરોની સવલતોને ત્યાં ભંગાણાર્થે પધરાવી દેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન જેવા નિયમોના અલ્પ પાલન માટે કુખ્યાત દેશ દ્વારા પણ તેને નકારી કાઢવામાં આવ્ય હતુ અને બાદમાં તેને અલંગમાં વેચવામાં આવ્યુ હોવાની હિલચાલને કારણે ભારતની એજન્સીઓના કાન ચમક્યા છે, અને તેના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જુલાઇ-2024માં સિંગાપોર નજીક સેરેસ-1 અને હાફનિયા નાઇલ નામના બે શિપ અથડાયા હતા અને તેમાં આગ ફાટી નિકળી હતી. સેરેસ-1 ઘટના સ્થળથી ભાગી નિકળ્યુ હતુ અને તેની ટ્રેકિંગ સીસ્ટમ પણ બંધ કરી દીધી હતી, બાદમાં કોસ્ટગાર્ડ દ્વારા તેને આંતરવામાં આવ્યુ હતુ અને સલામત એન્કરેજ પર લઇ આવ્યા હતા. ડિસેમ્બર-2024માં સેરેસ-1 શિપ વેનેઝુએલા અને ઇરાનના પ્રતિબંધિત ક્રુડ ઓઇલના માલ પરિવહનમાં સામેલ હતુ તેથી અમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ દ્વારા તેના પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અકસ્માત બાદ તેને પાકિસ્તાનના કરાચી ખાતે લઇ જવામાં આવ્યુ હતુ. પ્રતિબંધિત જહાજો અંગે સરકાર અવઢવમાંઅમેરિકાની ઓફિસ ઓફ ફોરેન એસેટ કન્ટ્રોલ (ઓફેક) દ્વારા પ્રતિબંધ મુકાયેલા જહાજોની સંખ્યા વિશ્વમાં વિશેષ છે અને સતત વધતી જાય છે. આવા જહાજોને મર્યાદિત માલ પરિવહન વ્યવસાય મળે છે, અને તેનો નિભાવ ખર્ચ વધી રહ્યો હોવાથી જહાજ માલીકો તેને ભંગાણાર્થે મોકલવા માટેનો વિકલ્પ વધુ પસંદ કરે છે. દક્ષિણ એશિયામાં અલંગ સિવાયના સ્થળો હજુસુધી આવા શિપને મંજૂરી આપતા નથી, ભારતના અલંગમાં આવા શિપ ભંગાણાર્થે લાવવાની વિશાળ તકો છે, પરંતુ સરકારે તેના માટે સ્પષ્ટ અને પારદર્શક નિયમો બનાવવાની આવશ્યક્તા છે. હાલ આવા શિપ અલંગમાં આવે તો છે પરંતુ બેંક દ્વારા તેના માટે લોન આપવામાં આવતી નથી.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:37 am

સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:જળસેવા : 112 પાણીના પોઈન્ટથી સાવજ સહિતના પ્રાણીઓ થશે તૃપ્ત

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વન્યજીવોને પીવાનું પાણી સરળતાથી મળી રહે તે માટે ભાવનગર વન વિભાગ સજ્જ બન્યો છે. ભાવનગર વન વિભાગ કચેરી નીચે આવતી 6 વન રેન્જમાં કુલ 112 પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. જેના કારણે જંગલ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાણીઓને મોટી રાહત મળશે. ભાવનગર વન વિભાગ દ્વારા રેન્જ હેઠળ ઉપલબ્ધ પાણીના પોઈન્ટને સમારકામ કરવા સહિત જરૂર જણાય તો નવા પોઈન્ટ બનાવવાનું પણ આયોજન ધરાયું છે. પાણી પોઈન્ટમાં ટેન્કર દ્વારા પાણી ભરવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે, જેથી ઉનાળામાં કોઈપણ સમયે પાણીની અછત ન સર્જાય. ઉનાળુ સિઝનમાં તૈયાર કરતાં પાણીના પોઈન્ટમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત મધમાખી અને અન્ય નાના જીવ-જંતુઓ પાણી પી શકે તે માટે કોથળા અથવા શણની બનાવટની કોઈપણ વસ્તુ ઉપયોગમાં લેવામાં આવી છે. તેમજ સાબર, ચિતલ વગેરે જેવા તૃણાહારી પ્રાણીઓ વાળા વિસ્તારમાં પાણીના પોઈન્ટથી થોડે દૂર જ્યાં છાંયડો મળી રહે તેમ હોય ત્યાં વધારાના પાણીનો નિકાલ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પૂરી થશેભાવનગર વન વિભાગ નીચેના વિસ્તારમાં 118 સિંહ સહિતના વિવિધ પ્રકારના પ્રાણીઓ પણ મોટી સંખ્યામાં વિચરણ કરી રહ્યા છે. ઉનાળાની સિઝનમાં વન્ય વિસ્તારોમાં પાણી જરૂરિયાત ઉભી થતી હોય છે. વન્ય પ્રાણીઓના કુદરતી ખોરાકની સાથે પાણીની જરૂરિયાત પણ પૂર્ણ થાય તેવા હેતુથી કૃત્રિમ રીતે પાણીના 112 પોઇન્ટ ઊભા કરાયા છે. જેથી વન્ય પ્રાણીઓની પાણીની જરૂરિયાત પુરી થશે. > યોગેશ દેસાઇ, નાયબ વનસંરક્ષક, ભાવનગર વન વિભાગ 6 રેન્જમાં કેટલા પાણીના પોઈન્ટ ?◾ભાવનગર રેન્જ 21 પોઈન્ટ◾ પાલિતાણા રેન્જ 23 પોઈન્ટ◾મહુવા રેન્જ 22 પોઈન્ટ◾સિહોર રેન્જ 11 પોઈન્ટ◾જેસર રેન્જ 24 પોઈન્ટ◾વલભીપુર રેન્જ 11 પોઈન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં 38 વોટર પોઇન્ટ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદરની સહાયક વન સંરક્ષક કચેરી નીચેની વેળાવદર અને મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં પણ ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઈ વન્યજીવો માટે પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. જેમાં વેળાવદર રેન્જ નીચેની કાળાતળાવ બીટમાં 15, ભડભીડ બીટમાં 7 અને મેવાસા બીટમાં 4 મળી કુલ 26 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે. તેમજ મોબાઈલ સ્ક્વોડ રેન્જમાં સનેસ બીટમાં પણ 12 પાણીના પોઇન્ટ ઉભા કરાયા છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:35 am

રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરાયું:રંગીન વસ્ત્રો, મીઠા સૂર સાથે ગરબાની સંગરાત્રી

રામાયણ ફાર્મ ખાતે સંગરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત ચણિયા-ચોળી, કેડિયા અને વિવિધ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ યુવાનો, મહિલાઓ અને પરિવારો ગરબાના તાલે ઝૂમ્યા હતા. લોકગીતો અને આધુનિક સંગીતના સંગમ સાથે ગરબાની રમઝટ જામતાં સમગ્ર માહોલ રંગીન અને ઊર્જાવાન બન્યો હતો. સાંઈ ગરબા ક્લાસ દ્વારા આયોજીત આ કાર્યક્રમ માત્ર મનોરંજન જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના ગરબા સ્ટેપ્સનું પણ ખાસ આકર્ષણ રહ્યું હતું. પાર્ટિસિપન્ટ્સે બેઝિક બે તાળી, ત્રણ તાળી, હિંચ અને ડોડિયા જેવા પરંપરાગત સ્ટેપ્સ સાથે સાથે નવીન અને ફ્યુઝન સ્ટાઈલના સ્ટેપ્સ પણ રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:11 am

લવ એલ્ગોરિધમ અંગે હિમાંશુ સાણંદિયાનું માર્ગદર્શન:પ્રેમ માત્ર લાગણી નહી, આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન આધારિત જીવંત અનુભવ છે

મોટા વરાછા સ્થિત સરદાર ધામમાં “લવ એલ્ગોરિધમ” વિષય પર માર્ગદર્શનાત્મક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં સાયકોલોજી એક્સપર્ટ હિમાંશુ સાણંદિયા વક્તા તરીકે જોડાયા હતા અને પ્રેમના મનોવિજ્ઞાનિક પાસાઓ પર ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. પ્રેમને જીવંત રાખવા કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છેપ્રેમ કોઈ એક માત્ર લાગણી નથી, પરંતુ તે ત્રણ મુખ્ય આધાર આકર્ષણ, કનેક્શન અને ડેડિકેશન પર આધારિત એક જીવંત અનુભવ છે. ડિઝાયર શરૂઆતનું આકર્ષણ છે, જે વ્યક્તિને એકબીજા તરફ ખેંચે છે. પરંતુ લાંબા ગાળે સંબંધને મજબૂત બનાવવામાં કનેક્શન અને ડેડિકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડેડિકેશન આધારિત પ્રેમમાં સ્વતંત્રતા, સહયોગ અને આપવાની ભાવના વિકસે છે. સાચો પ્રેમ ત્યારે ખીલે છે જ્યારે સંબંધમાં સમર્પણ અને સમજણ બંને હોય. તેને જીવંત રાખવા માટે ત્રણ મહત્વના તત્વો કન્શિયસનેસ, કંપેશન અને એકશન જરૂરી છે. કન્શિયસનેસ દ્વારા વ્યક્તિ પોતાના અને પાર્ટનરના વિચારો અને ભાવનાઓને સમજવા સક્ષમ બને છે, જ્યારે કંપેશન સંબંધમાં સહાનુભૂતિ અને સ્વીકાર લાવે છે. એકશન પ્રેમને વર્તનમાં ઉતારવાનું સાધન છે, જે નાની-નાની કાળજી, સમય અને પ્રયત્નો દ્વારા વ્યક્ત થાય છે. લવ સ્વીકાર, વિશ્વાસ અને આંતરિક પૂર્ણતામાંથી જન્મે છે, જેમાં સામેની વ્યક્તિને બદલવા કરતાં તેને સ્વીકારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ સંબંધ એક સુરક્ષિત જગ્યા બને છે, જ્યાં સમજણ, સહાનુભૂતિ અને ગ્રોથ મહત્વનું પરીબળ હોય છે. જેમાં પરસ્પર વિશ્વાસ સાથે પોતે જ સાચા છે તેઓ અભિગમ છોડીને સંબંધને વધુ ઊંડો, શાંત અને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાય છે. seminar

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:10 am

SVNIT એલ્યુમની એસો.ની મ્યુઝિકલ નાઇટ:સંગીત, સ્નેહ સાથે સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો મેસેજ

SVNIT એલ્યુમની એસોસિએશન સુરત ચેપ્ટર દ્વારા “રંગ બરસે” મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હતું. રંગ ભવન જીવન ભારતી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતપ્રેમી સભ્યોએ હાજરી આપી હતી. એલ્યુમની અને તેમના પરિવારજનોએ જૂના અને નવા ગીતોની સુંદર રજુઆત કરી હતી. ઇવેન્ટમાં વિવિધ પ્રકારના સંગીત જેમ કે સુફી, ગઝલ, બોલીવુડ અને લાઇટ મ્યુઝિકનો સંગમ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત રહ્યો નહોતો, પરંતુ SVNITના પૂર્વ વિદ્યાર્થીઓ વચ્ચેના સ્નેહ, મિત્રતા અને જોડાણને વધુ મજબૂત બનાવતો એક સુંદર અવસર સાબિત થયો હતો. જેને વિદ્યાર્થીઓની જૂની યાદો ફરી તાજી કરી હતી. કાર્યક્રમની વિશેષતાસુરત ચેપ્ટર દ્વારા દિવ્યાંગ બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોના ઉત્સાહભર્યા ડાંસથી સમગ્ર વાતાવરણ આનંદ અને પ્રેરણાથી છલકાઈ ઉઠ્યું હતું. આ પહેલે સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:09 am

કીમમાં પોતાની કંપની હોવાનું કહીને કરોડોની ઠગાઈ:સચિન GIDCના વેપારી પાસેથી 1.45 કરોડની જરીનું મટિરીયલ લઇને પિતા-પુત્રએ ફુલેકું ફેરવ્યું

સચિન જીઆઇડીસીમાં આ‌વેલી ફેક્ટરીના માલિકને પાસેથી રૂ. 1.45 કરોડની કિંમતનું લેકર ફિલ્મ અને જરીનું મટિરિયલ ઉધારમાં લીધા બાદ કિમમાં આવેલું પોતાનું કારખાનું બંધ કરીને નાસી ગયેલા પિતા પુત્ર સામે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સલાબતપુરા ધામલાવાડ ખાતે રહેતા અમિત નગીનદાસ કાપડિયા સચિન જીઆઇડીસીમાં શિવ શક્તિ જરીના નામે ફર્મ ધરાવે છે અને લેકર ફિલ્મ અને જરી બનાવવાનો ધંધો કરે છે. ફેબ્રુઆરી 2025ના રોજ તેમની ફેક્ટરી પર ભરત વિઠ્ઠલ ફિનાવીયા આવ્યા હતા. કીમ માંડવી રોડ પર આવેલા મોલવનગામમાં એન્જેલિયા પોલીફિલ્મસ ઇન્ડ.ના નામે તથા સચિન જીઆઇડીસી ડાયમંડ ઇન્ડ.પાર્કમાં એનજલ ઇન્ડસ્ટ્રીઝના નામે ફેકટરી હોવાનું તથા તેમને લેકર ફિલ્મની વધારે જરૂર પડતી હોવાનું કહ્યું હતુ. તેમની વચ્ચે 30 દિવસમાં પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું. જેથી ફેબ્રુઆરી 2025માં અમિતે રૂ.3.31 લાખનો માલ મોકલ્યો હતો. જેનું સમયસર પેમેન્ટ કરીને ભરત અને તેના પિતા વિઠ્ઠલે વિશ્વાસ કેળવી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:07 am

છાત્રોને એક્સપર્ટ સાથે સીધી વાત કરવાની તક મળશે:ચૂંટણી પંચે ત્રણ નવા પ્રોજેક્ટ લોન્ચ કર્યા, દિલ્હીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ-રિસર્ચમાં વિદ્યાર્થી જોડાશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય સ્તરે ચમકવાની મોટી તક આવી છે. ભારતના ચૂંટણી પંચની ટ્રેનિંગ અને રિસર્ચ વીંગ એટલે કે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી એન્ડ ઈલેક્શન મેનેજમેન્ટ (IIIDEM) મારફતે વર્ષ 2026 માટે ત્રણ નવી શૈક્ષણિક પહેલ શરૂ કરાઈ છે. આ અંગે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને VNSGUની કોલેજો સહિત દેશભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને પત્ર લખીને આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને જોડવા તાકીદ કરાઈ છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં લોકશાહી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને ચૂંટણી સંચાલન જેવા વિષયોમાં સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને જર્નાલિઝમ, પોલિટિકલ સાયન્સ અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ્સ કેરિયર બનાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જૂન 2026 માં દિલ્હી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પસંદગી પામેલા રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવશે. આ જ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ દ્વારા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરાશે, તેમ સૂત્રોએ કહ્યું હતું. આ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ-પ્રોફેસરો જોડાઈ શકશે આ છે ચૂંટણી પંચના પ્રોજેક્ટ

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:06 am

NTAની કડક સૂચના:વિદ્યાર્થીઓ એક મિનિટ પણ મોડા પડ્યા તો JEEમાં એન્ટ્રી નહીં મળે

NTA દ્વારા એપ્રિલમાં યોજાનારી JEE મેઈન સેશન-2 પરીક્ષાના એડમિટ કાર્ડ સત્તાવાર પોર્ટલ પર જાહેર કરાયા છે. સુરતના વિદ્યાર્થીઓએ છેલ્લી ઘડીની ટેકનિકલ સમસ્યાઓથી બચવા વહેલી તકે હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી જોઈએ. એડમિટ કાર્ડમાં નામ, ફોટો કે સહીમાં ભૂલ જણાય તો NTA હેલ્પલાઈન નંબર 011-40759000 પર સંપર્ક કરવો. જે પછી એજન્સીને જાણ કર્યા બાદ સુધારાની પ્રક્રિયા હાથ ધરાશે. NTA ની સૂચના મુજબ, પરીક્ષા શરૂ થવાના દોઢ કલાક પહેલા રિપોર્ટિંગ શરૂ થશે અને ગેટ બંધ થવાના અડધો કલાક પહેલા પ્રવેશ બંધ કરી દેવાશે. નિયમ મુજબ, ઉમેદવારોએ ગેટ બંધ થવાના 1 કલાક વહેલા કેન્દ્ર પર હાજર થઈ જવું પડશે. જો ઉમેદવાર 1 મિનિટ પણ મોડું થશે તો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:03 am

શેરબજારમાં રોકાણના નામે ઠગાઈ:300% નફાની લાલચ આપી વેપારી સાથે 5 લાખની ઠગાઈ

300 ટકા નફો અપાવવાની લાલચ આપીને ગઠીયાએ શેરબજારમાં રોકાણના નામે રૂપિયા પડાવી લઇને રૂ.5.32 લાખની ઠગાઇ કરનાર ગઠીયા વિરૂદ્ધ સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે. અઠવાલાઇન્સ સ્થિત પુજા અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા મનલ્પ વિરેન્દ્રકુમાર શાહ (ઉવ,32) જેમ્સ સ્ટોનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવેમ્બર 2025માં સોશિયલ મીડિયા પર શેર બજારમાં રોકાણ કરી નફો કમાવવાની જાહેરાત જોઇ હતી. જ્યારે મનલ્પે ક્લિક કરતા તેમને C205 Market Trenda (ARES) નામના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ સરબરી સાહા અને ઇશિકા નામની વ્યક્તિએ એડમિન હોવાનું અને તેણે શેરબજારની માહિતી આપી રોકાણ કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ તેમને Ares Diversified નામની એક નકલી એલ્પપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ ગઠીયાએ તેમને એપ્લિકેશનમાં નફો થતા હોવાનું બતાવીને ટુકડે ટુકડે રૂ.11.70 લાખ જમા કરાવ્યા હતા. જોકે, બાદમાં રૂ. 5.75 લાખ જ વીડ્રો કરવા દીધા હતા. બાકીના રૂ. 5.32 લાખ વીડ્રો કરવા દીધા ન હતા. જ્યારે આ રુપિયા વીડ્રો કરવા માટે 20 ટકા પ્રોફિટ શેરિંગ પેટે રૂ. 2 લાખ ભરવા દબાણ કર્યુ હતું. આખરે વેપારી મનલ્પ શાહને છેતરપિંડી કર્યાનો એહેસાસ થતા તેણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:01 am

બંગાળી કારીગરે કર્યો વિશ્વાસઘાત:વેસુની મહિલા વેપારી પાસેથી ઘરેણાં બનાવા માટે 31.45 લાખનું સોનું લઇને કારીગર ફરાર

વેસુ વિસ્તારમાં રહેતા મહિલા જ્વેલર્સ પાસેથી ઘરેણાં બનાવવા માટે સોનું અને ડાયમંડ મળી કુલ રૂ.31.45 લાખનો મુદ્દામાલ લઇને છેતરપિંડી કર્યાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વેસુ જોલી રેસીડેન્સી પાસે આવેલા એસએનએસ સ્પ્લેન્ડીડમાં રહેતા રોશના બિપીનકુમાર સાકરીયા છેલ્લા સાત વર્ષથી આર.ડી જ્વેલર્સના નામે ઘરેથી સોના અને હીરાના ઘરેણાં વેચવાનો ધંધો કરે છે. હરિપુરા ભવાની મંદિર પાસે પંચોલી શેરીમાં ઓફિસ ધરાવતા નયનશીલ ઉર્ફે બિંદુ સોના-હીરાના દાગીના બનાવવાનું કામ કરે છે. એપ્રિલ 2025માં રોશની સાકરિયાએ તેની પાસે સોનાના દાગીના મજુરી પર બનાવવાનું શરૂ કર્યું હતું.તેઓ કાચુ સોનું આપતા હતા જેમાંથી બિંદુ દાગીના બનાવી આપતો હતો. જ્યારે બચેલુ સોનું પોતાની પાસે રાખીને બીજા ઓર્ડરમાં સોનું ઉપયોગ કરી લેવાનું કહેતો હતો. આ રીતે બિંદુએ મહિલા રોશની સાકરીયા પાસેથી રૂ.30.80 લાખની કિંમતનું 220 ગ્રામ સોનું અને રૂ.65,000ની કિંમતના 1.56 કેરેટ હીરા પોતાની પાસે જમા રાખ્યા હતા. જ્યારે રોશનીએ જમા રાખેલા પોતાના સોના અને ડાયમંડમાંથી દાગીના બનાવવાનું કહેતા બિંદુએ બહાના બનાવવાનું શરૂ કરી દીધુ હતું. બાદમાં પોતાની ઓફિસ બંધ કરીને કોલકાતા નાસી ગયો હતો. આખરે રોશની સાકરિયાએ વેસુ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ આદરી છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:01 am

'અમારા વિસ્તારના કોર્પોરેટરો ડોકાય તો ઓળખીને':ખાડીપૂર સમયે શેરીઓમાં ત્રણ ત્રણ દિવસ પાણી ભરાયેલા રહે, મતદાર બોલ્યા- 'હવે તો પહેલા કામ પછી જ મત'

સુરત આગામી સમયમાં સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીના ઢોલ વાગવા જઈ રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો મતદારોને રીઝવવા મેદાને પડ્યા છે. પરંતુ સુરતના વોર્ડ નંબર 22 (ભટાર-વેસુ-ડુમ્મસ)ના મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. ભાસ્કરની ટીમ જ્યારે આ વિસ્તારના આઝાદનગર અને રસુલાબાદ પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સ્થાનિકો પાયાની સુવિધાઓથી વંચિત છે. વર્ષોથી પડતર પ્રશ્નો ઉકેલાયા ન હોવાથી લોકોમાં સિસ્ટમ પ્રત્યે ભારે નારાજગી છે. અહીંના લોકોના મનમાં એક જ સવાલ છે કે જો 5 વર્ષમાં કામ ન થતા હોય તો ચૂંટણી સમયે જ નેતાઓ કેમ દેખાય છે? આઝાદનગરના રહીશો ખાડીપૂર અને ગંદકી વચ્ચે જીવવા મજબૂરઆઝાદ નગર વિસ્તારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં અત્યંત દયનીય બની જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહીં દર 2 વર્ષે ખાડીપૂર જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ જાય છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. માત્ર પાણી જ નહીં, પરંતુ ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. સ્થાનિક રહેવાસી સોપુબેન ચૌહાણે રોષ ઠાલવતા જણાવ્યું કે, અમે અહીં 35-40 વર્ષથી રહીએ છીએ, પણ અહીં માત્ર મુખ્ય રોડ જ સાફ થાય છે. અંદરની ગલીઓમાં એટલી ગંદકી છે કે રહેવું મુશ્કેલ છે. સફાઈ કામદારો આવે છે પણ ઉપરછલ્લું કામ કરીને ચાલ્યા જાય છે. 'પીવાના પાણીમાં કીડા, કોર્પોરેટર કોણ છે એ પણ અમને ખબર નથી'આધુનિક સુરતની વાતો વચ્ચે આઝાદનગરમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. જનાબેન નામના મહિલાએ જણાવ્યું કે, સવારના સમયે નળમાં જે પાણી આવે છે તે અત્યંત ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે. ઘણીવાર તો પાણીમાં જીવતા કીડા પણ જોવા મળે છે. તંત્રને અનેકવાર અરજીઓ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંના મોટાભાગના મતદારો પોતાના વિસ્તારના કોર્પોરેટરના નામ કે ચહેરાથી પણ અજાણ છે. લોકોનું કહેવું છે કે, અમારા વિસ્તારમાં કોઈ કોર્પોરેટર ડોકાતા જ નથી, તો અમે ઓળખીએ કોને? ચૂંટણી સમયે જ નેતાઓ ગીધની જેમ કેમ તૂટી પડે છે?સ્થાનિક રહીશ પોપટભાઈએ નેતાઓની કામગીરી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, ચૂંટણીના પાંચ વર્ષમાં નેતાઓ ક્યારેય જોવા મળતા નથી, પણ જેવી ચૂંટણી નજીક આવે એટલે એક આ બાજુ ભાગે અને બીજો પેલી બાજુ. તેમણે નેતાઓની સરખામણી ગીધ સાથે કરતા કહ્યું કે, જેમ કંઈ પડેલું હોય અને તેના પર ગીધડા બેસી જાય, તેમ ચૂંટણી આવતા જ નેતાઓ મતની લાલચમાં દોડી આવે છે. એકવાર ચૂંટણી પતી જાય એટલે ફરી પાંચ વર્ષ સુધી કોઈ ડોકાતું નથી. હાલમાં અહીં રિક્ષા સ્ટેન્ડ અને ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે લોકોને ચાલવા માટે રસ્તો પણ મળતો નથી. સ્ટોર્મ લાઇન કાગળ પર, હકીકતમાં ચોમાસામાં જનજીવન નર્કાગારસરકાર અને તંત્ર દ્વારા મોટાપાયે 'સ્ટોર્મ વોટર લાઈન'ના પ્રોજેક્ટ્સની વાતો કરવામાં આવે છે, પરંતુ આઝાદનગરના પ્રભાકર કાશીનાથ લાઠે જણાવે છે કે, આ બધું માત્ર ટીવી અને પેપરમાં જ સીમિત છે. હકીકતમાં જ્યારે ખાડી ભરાય છે ત્યારે પાણીનો નિકાલ થતો નથી અને બે-ત્રણ દિવસ સુધી શેરીઓમાં પાણી ભરાયેલા રહે છે. ગંદા પાણી અને કચરાના કારણે આ વિસ્તારમાં મહામારી ફેલાવાનો ભય સતત રહે છે. સ્થાનિકોની તંત્ર પાસે એક જ અપીલ છે કે ડ્રેનેજ સિસ્ટમ સુધારો અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવો. સ્લમ વિસ્તારની અવગણના: અમારી સમસ્યાનું નિવારણ અમારે જ કરવું પડે છેમદન રામચંદ્ર નામના મતદારે જણાવ્યું કે, નેતાઓ અને કોર્પોરેટરોના મનમાં કદાચ એવું બેસી ગયું છે કે, આ સ્લમ વિસ્તાર છે એટલે અહીં જવાની જરૂર નથી. પાંચ વર્ષ વીતી ગયા છતાં કોઈએ જનતાની સમસ્યા જાણવાની કોશિશ કરી નથી. લોકોનું કહેવું છે કે જનતા શું વિચારે છે એના પર કોઈ વિચાર કરતું નથી. એટલે જ આ વખતે લોકો મક્કમ છે કે જો પાયાની સુવિધાઓ જેવી કે સફાઈ અને ચોખ્ખું પાણી નહીં મળે, તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે. લોકોમાં હવે એક જ ગુંજ છે: “પહેલા કામ કરો, પછી જ મતની અપેક્ષા રાખો.”

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

'અહીંયા તો બધુ બાઈ બાઈ ચાળણી જેવું છે':વસ્ત્રાલના કોર્પોરેટરના કામની વાત આવતા જ કાકા બરાબરના બગડ્યા, મેટ્રો અને સ્પોર્ટસ કોમ્પલેક્સના કામથી લોકો ખુશ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારના વોર્ડ નંબર 41 એટલે કે વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે ભાસ્કર વસ્ત્રાલ વોર્ડમાં પહોંચ્યું. કેટલાક લોકો અહીંના વિકાસથી ખુશ દેખાયા તો કેટલાક મતદારો આક્રોશિત જોવા મળ્યા. આજે વાત વસ્ત્રાલ વોર્ડના મતદારોની. અહીં વિકાસની સાથે સાથે ભ્રષ્ટાચાર પણ થયો છે- અભિષેકભાઈવસ્ત્રાલના રહીશ અભિષેકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં મોટાભાગે જોવા જઈએ તો ટ્રાફિકની સમસ્યા છે. પેવર બ્લોકના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. એક જગ્યાએ પેવર બ્લોક નાખી કાઢી નાખવામાં આવ્યા હતા.ત્યારબાદ ફરી નવા પેવર બ્લોક નાખવામાં આવ્યા. આગળ રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું પણ નથી. વસ્ત્રાલમાં વિકાસ તો થયો જ છે. પણ સાથે સાથે ભ્રષ્ટાચાર પણ એટલો જ થયો છે. જ્યારે અમે વસ્ત્રાલ વોર્ડમાં નિરાંત ચાર રસ્તા પાસે પહોંચ્યા તો લોકોના જણાવ્યા મુજબ, હમણાં 2 મહિના પહેલા ત્યાં ટ્રાફીક સિગ્નલ લાગી જવાને કારણે ટ્રાફીક જામ ઓછો જોવા મળ્યો હતો. જોકે લોકોના જણાવ્યા અનુસાર, આ મેટ્રો સ્ટેશન વાળા રૂટ પર વરસાદ દરમિયાન કેડસમા પાણી ભરાઈ જવાની સમસ્યા થતી હોય છે. મેટ્રો રૂટથી અંદરના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. વસ્ત્રાલ વોર્ડમાં છેલ્લા 10 વર્ષથી રહેતા હેત પંચાલે જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં હજી ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સમસ્યાઓ પણ ખૂબ જોવા મળે છે જેમ કે રસ્તાઓ ખોદીને રાખ્યા છે પરંતુ તેની માટે કોઈ વૈકલ્પિક રસ્તો આપવામાં આવતો નથી. આ વિસ્તારમાં વરસાદની સિઝનમાં મોટાભાગના લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે. કારણ કે જે પણ નોકરીયાત વર્ગ અથવા વિદ્યાર્થીઓ હોય છે તે પોતે આ રસ્તા પરથી પસાર થતાં પોતાના વ્હીકલ માં પાણી ભરાઈ જવાને કારણે બંધ થઈ જતા હોય છે અને દરેક લોકોને ખૂબ તકલીફ પડતી હોય છે. મને અમારા કોર્પોરેટરનું નામ નથી ખબર પરંતુ તેમના એડ્રેસની ખબર છે. રસ્તા પર ભરાતી શાકમાર્કેટના કારણે ટ્રાફિકની સમસ્યાઅન્ય રહીશ ભાવિકભાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલમાં ડેવલપમેન્ટ તો સારું થયું છે. પણ નિરાંત ચાર રસ્તા પાસે ટ્રાફિકની ખૂબ જ સમસ્યા હતી એ પણ છેલ્લા 2 મહિનાથી સિગ્નલને કારણે ઓછી થઈ ગઈ છે. પરંતુ મેટ્રો સ્ટેશન પિલર 135થી સ્વામિનારાયણ મંદિર જતો રસ્તો ખૂબ જ ટ્રાફિક જામ થઈ જતો હોય છે. ત્યાં સાંજે સબ્જી માર્કેટ લાગે છે. તેને કારણે લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પ્રજાને ખાલી લુખ્ખા વચન અપાય છે, કોઈ સાંભળતુ નથી- ભરતસિંહભરતસિંહે જણાવ્યું હતું કે,આ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં કોઈપણ ટ્રાફિક વ્યવસ્થા જળવાતી નથી. આ સમસ્યાનો ઉકેલ કોણ લાવશે? પ્રજાનું કોણ સાંભળશે? પ્રજા વતી સત્તા પર બેસો છો તો પ્રજાનું ધ્યાન તો આપો. ખાલી સત્તા પર આવવા માટે બધું પ્રજાને દેખાડે છે પણ એમાંનું કંઈ થતું નથી. બાઈ બાઈ ચાળણી જેવું છે. પબ્લિક આમથી તેમ ભટકી રહી છે. ખાલી પ્રજાને લુખ્ખા વચનો આપે છે પણ પ્રજાનું કોઈ સાંભળતું છે નહીં. આ સમસ્યા પ્રજા ક્યાં સુધી સહન કરશે? એનો અંત તો આવશે કે નહીં? કોઈ આખી ટર્મ પૂરી થઈ જાય, કોઈ પણ તમે જઈને પૂછો કે આ વ્યક્તિ કોણ છે તો પ્રજાએ એને જોયો જ નથી હોતો. ‘વસ્ત્રાલના નવા વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર ધ્યાન આપવાની જરુર’વસ્ત્રાલના રહીશ જી. એસ. રાઠોડના જણાવ્યા અનુસાર, અનિરુદ્ધ સિંહ ઝાલા, પરેશ ભાઈ, ચંદ્રિકા બેન અને ગીતા બેન નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે. કોઈપણ પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર તેમને મળી શકાય છે. દશામાતાના મંદિરથી મહાદેવ ફાર્મ સુધીના મુખ્ય રોડનું કામ પૂર્ણ થઈ ગયું છે. પાણી પુરવઠામાં નોંધપાત્ર સુધારો થયો છે અને નવી લાઈનો નાખવામાં આવી રહી છે. નવા વિકસિત વિસ્તારોના આંતરિક રસ્તાઓ પર હજુ ધ્યાન આપવાની જરૂર છે. સાંજના સમયે થતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે સમર્પિત 'શાકભાજી માર્કેટ' (સબ્જી મંડી) અને પાર્કિંગની વ્યવસ્થા હોવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

રાજ્યની 6 સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રક્રિયા હાથ ધરાઈ:ME/ M. Techની બેઠક પર 9 એપ્રિલ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકાશે, 358 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા

રાજ્યની 6 પ્રાઇવેટ સેન્ટર ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ME/ M. Tech. અભ્યાસક્રમોમાં ફક્ત GATE પરીક્ષાના માન્ય સ્કોર આધારિત ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઓફ એક્સેલેન્સ યુનિવર્સિટીઓમાં 25 ટકા એસીપીસી બેઠક પર આગામી 9 તારીખ સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન વિદ્યાર્થીઓ કરી શકશે. વર્ષ 2025- 26માં 242 બેઠકોમાંથી માત્ર 25 જ બેઠકો ભરાઈ હતી. જ્યારે આ વર્ષે 358 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી માત્ર ક્વોલિફાઈંગ GATE સ્કોરના આધારે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. વિવિધ વિદ્યાશાખાઓમાં અંદાજે 358 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રવેશ પ્રક્રિયામાં અત્યારે B.E/B. Tech માં પાસ થયેલા અથવા તો છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલા અને વર્ષ 2026માં પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. પરંતુ આવા વિદ્યાર્થીઓને પ્રવેશલાયકાત પૂર્ણ કરવાની શરતે ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 9 એપ્રિલ સુધી ચાલશે. ત્યારબાદ ચોઈસ ફિલિંગ અને વેરિફિકેશન 9 એપ્રિલથી 15 એપ્રિલ સુધી ચાલવાનું છે. રાજ્યની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન સરકારી, અન્ય અનુદાનિત સંસ્થા તથા પ્રાઇવેટ સંસ્થાઓ ખાતે એમ. ઇ/ એમ. ટેક અભ્યાસક્રમની ઉપલબ્ધ બેઠકો પર ગત વર્ષની જેમ જ PGSET-GATE પરીક્ષાના આધારે ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ પ્રવેશ કાર્યવાહીની મંજૂરી મળ્યા બાદ પ્રવેશ પ્રક્રિયા મે-જૂન 2026માં શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am

'અમારા વોર્ડમાંથી મેયર હતા પણ ક્યારેય દેખાયા નથી':અહીં મંદિરનો વિકાસ થયો પણ આસપાસનો ભૂલાઈ ગયો, ભાજપે કહ્યું- 'સમસ્યાઓનો કાયમી ઉકેલી શોધી કાઢ્યો છે'

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લી 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2021 ચૂંટણીમાં પણ વડોદરાવાસીઓએ ભાજપને 78માંથી 69 બેઠકો જીતાડી હતી. પાંચ વર્ષ બાદ ફરી એકવાર કોર્પોરેશનની ચૂંટણી આવી છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 4ના મતદારોની શું સમસ્યા છે અને તેઓની માગણીઓ કેવી હતી અને કેટલી સંતોષાઈ છે. તે જાણવા માટે ભાસ્કર પહોંચ્યું હતું. અહીંના મતદારો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી વોર્ડની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગરમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાથી સ્થાનિકો પરેશાનપ્રથમ અમે વોર્ડ નંબર-4નો સૌથી જાણીતો વિસ્તાર એટલે ખોડિયારનગરમાં પહોંચ્યા.જ્યાં ખોડિયાર માતાના મંદિર પરથી આ વિસ્તારનું નામ પડ્યું છે. આ વોર્ડમાં હવાઈ ક્ષેત્રે જાણીતું એરપોર્ટ આવેલું છે. સાથે ટ્રાન્પોર્ટેશન માટે લોકોની અવરજવર વધુ રહેતી હોય છે તેવા દરજીપુરા વિસ્તારમાં RTO કચેરી પણ આવે છે. આ વિસ્તારમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ પણ આવેલો છે. અહીંયા દરજીપુરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે વડોદરામાં ખોડિયારનગર વિસ્તારમાં એરબસ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ દ્વારા 2026 સુધીમાં પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' C-295 એરક્રાફટ તૈયાર કરવાનું લક્ષ્ય છે જે આ વિસ્તારમાં આવેલ છે. અમે ખોડિયારનગર વિસ્તારમાં પહોંચતા જ આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કરતા ભક્તો નજરે પડ્યા હતા. આ મેયરનો વોર્ડ છે અને વિકાસને લઈ લોકોના પ્રતિભાવો જાણ્યા જેમાં મુખ્યત્વે તમામ વોર્ડ કરતા અહીંયા સૌથી વધુ પાણીની સમસ્યા છે. સાથે ડ્રેનેજની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અહીંયા આવેલા સ્લમ વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોય તેવું જાણવા મળ્યું હતું. અહીંયા ટ્રાફિક સમસ્યા વધુ હોવાથી ખોડિયારનગર ચાર રસ્તા પર બ્રિજ નિર્માણ કરવામાં આવી રહ્યો છે. આ વોર્ડ મેયરનો હોવા છતા વિકાસથી વંચિત રહ્યો- રૂપેશ સથવારાઆ અંગે સ્થાનિક નાગરિક રૂપેશ સથવારાએ જણાવ્યું હતું કે, ગત ટર્મમાં મેયર રહેલા પિન્કીબેન સોની આ જ વોર્ડમાં ચૂંટાયા હતા.મેયર હોવા છતાં પણ આ વોર્ડ વિકાસથી વંચિત રહ્યો છે. આ સાથે અન્ય કોર્પોરેટરો છે તેઓનું કામ પ્રશંસનીય છે. એમનો સપોર્ટ હતો પણ મેયર તરફથી જે પ્રતિભાવ મળવો જોઈએ અને આ વિકાસ થવો જોઈએ એ નથી થયો. સમસ્યા અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ તમે જોઈ શકો છો કે આખો રોડ છેલ્લા બે મહિનાથી બંધ છે અને ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. છેલ્લા બે વર્ષથી ડ્રેનેજની કામગીરી ચાલે છે, ખાડા ખોદાય છે, પાછું જૈસે થે થઈ જાય છે. અને પાણીની વાત કરીએ તો પાણી પૂરતા પ્રેશરથી આવતું નથી અને પૂરતું મળતું નથી. 'અહીં મંદિરનો સારો વિકાસ થયો પણ આસપાસના વિસ્તારનો ભૂલાઈ ગયો'સ્થાનિક બળદેવભાઈ શાંતિલાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખોડિયારનગર છે અને અહીંયા ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. અહીંયા મંદિરનો વિકાસ સારો થયો છે. પરંતુ આજુબાજુ જે વિકાસ થવો જોઈએ એટલો વિકાસ હજુ થયો નથી. અમારો વોર્ડ મેયરનો છે. મેયર બધું કામ પાસ કરે છે પરંતુ અધિકારીઓ કામગીરી દરમ્યાન હાજર રહેતા નથી અને વ્યવસ્થિત કામ થતું નથી. વધુમાં કહ્યું કે, અહીંયા થોડા થોડા અંતરે ખાડા થયા છે. એવું નથી કે આ લાઈન ખોદી છે, આ સાંઈનનગર વિભાગ-1માં કાંસ ખોદ્યો છે પણ પછી એના ઉપર જે મટીરીયલ સારી રીતે દબાવવું જોઈએ એ રોડનું હજુ કર્યું નથી. એ લોકોને બહુ અગવડ પડે છે. આ વિસ્તારમાં જે આ ખાડા ખોદી વળ્યા છે એનો જલ્દી નિકાલ થવો જોઈએ બાકી હજુ વરસાદ આવશે. તે પહેલા જો નિકાલ ના થયો તો લોકોને બહુ અગવડ પડશે. કારણ કે અહીંયા ટ્રાફિક બહુ જામ થાય છે. 'અમારા વોર્ડના મેયર હતા પણ મોટાભાગના લોકો તેને ઓળખતા નથી'અહીંના સ્થાનિક અને સામાજિક આગેવાન ડાહ્યાભાઈ રામાભાઈ પરમારે જણાવ્યું હતું કે, ખરેખર તો વિકાસ થવો જોઈએ એવું ઈચ્છી રહ્યા છીએ. તમામ વડોદરા શહેરની જનતા છેલ્લા 30 વર્ષથી ત્રાહિમામ થઈ ગઈ છે. ભાજપના રાજમાં ખરેખર વોર્ડ નંબર 4 માં હું સયાજી નગરીમાં ઊભો છું, તમે જોઈ શકો છો કોઈ સુવિધા નથી અને વોર્ડ નંબર 4 ના મેયર પિંકીબેન સોની અહીંયા જ રહે છે છતાં આજુબાજુવાળા પિંકીબેનને ઓળખતા નથી. ખરેખર ગાર્ડનમાં એમના નામના બાંકડા હોવા જોઈએ, એમના નામની કોઈ સુવિધા કરેલી હોવી જોઈએ પણ એવું કશું નથી. વધુમાં જણાવ્યું હતું કે, સ્લમ એરિયામાં જશો તો પાણીની બિલકુલ સુવિધા નથી, ડ્રેનેજના પાણી મિક્સ થાય છે. અમે મોરચા લઈને ગટરના પ્રોબ્લેમ, રોડ રસ્તાના પ્રોબ્લેમ, અત્યારે ચાર દિવસમાં ચામુંડા નગર અને દત્તનગરની વચ્ચે જે ગટરનું એટલું ગંદુ પાણી મિક્સ થઈને આવે છે, એ મેં કહ્યું હતું કે જો 15 દિવસમાં એની સુવિધા નહીં થાય તો મોરચો લઈને આવીશ. હજી સુધી કંઈ કામગીરી ચાલુ કરી નથી. વધૂમાં કહ્યું કે, આવનાર પાંચ વર્ષ ખરેખર તો પબ્લિક એટલી ત્રાહિમામ થઈ છે કે, બહિષ્કાર કરવા માટે તૈયાર છે કે ભાજપ સરકારનું કોઈ પણ આવશે કોર્પોરેશન લડવા માટે એને ભગાવીશું. એરિયામાં ઊભા જ નહીં રાખીએ એવું લોકોનું કહેવું છે અને તે જ થશે. કોઈ સારો ઉમેદવાર આવશે તેને મત આપીશું એવું જ બધાનું કહેવું છે. અહીં ચારેય કોર્પોરેટર ભાજપના છે, જે વિકાસ થવો જોઈએ તે નથી થયો- વીણાબેનસ્થાનિક વીણાબેન શર્માએ જણાવ્યું હતું કે, અહીંયા ભાજપની સત્તા છે, અહીંયા જે રીતે વિકાસ થવો જોઈએ તે પ્રમાણે થયો નથી. આખા વડોદરાની સ્થિતિ મુજબ અહીંયા પણ રોડની સ્થિતિ તેવીજ છે. અહીંયા ખોદકામ કરવામાં આવ્યું છે, બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, તેમને મુશ્કેલી પડી રહી છે. આ વોર્ડમાં સ્લમ એરિયા (ઝૂંપડપટ્ટી) વિસ્તાર વધારે છે, પણ ગંદકી એટલી બધી છે કે તમને રોડ પર જ કચરો મળશે. ઘણી બધી જગ્યાએ ગાયોનું ખાણ પડ્યું હોય છે, રખડતી ગાયો જોવા મળે છે, જેના કારણે આવવા-જવામાં મુશ્કેલી થાય છે. ગટર લાઈનો ખુલ્લી છે. આટલી ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે અને લોકો બીમાર પડી રહ્યા છે. આ બાબતે તંત્રનું કોઈ જ ધ્યાન નથી. વધુમાં કહ્યું કે, આ વોર્ડના કોર્પોરેટર મેયર પિંકીબેન સોની છે જેઓ મેયર હોવા છતાં પણ અમે તેમને ક્યારેય જોયા નથી કે લોકોની મુલાકાત લીધી હોય કે તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું હોય.તેઓ ફક્ત જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ લોકોને મળે છે. બાકી અહીં કોઈ જ સફાઈ કે સુવિધા નથી. તમને ઠેર ઠેર ડ્રેનેજ લાઈનો ખુલ્લી જોવા મળશે. અમે ભાજપને જીતાડ્યો પણ અમારું કામ નથી કર્યું- સંજયભાઈસ્લમ વિસ્તારમાં રહેતા માછી સંજયભાઈએ જણાવ્યું હતું કે, આજવા રોડ પર આવેલ ચામુંડાનગર એકમાં અમે ઘણા વર્ષોથી રહીએ છીએ. અહીંયા અમારા ઘર પાસે જ છેલ્લા કેટલાય વર્ષોથી ગટરની સમસ્યા છે, વરસાદી કાંસની સમસ્યા છે અને રસ્તાની સમસ્યા છે. વારંવાર એની અરજી કરીએ છીએ, તંત્રને કહીએ છીએ, કોર્પોરેટરને કહીએ છીએ પણ કોઈ જોવા આવતું નથી. અહીંયા ગંદકીના છે અને અહીંયા નાના-નાના બાળકો રમે છે અને બીમાર થાય છે. અહીંયા આવવા -જવાનો રસ્તો પણ નથી અને કોર્પોરેશનના માણસો આવે છે પણ વાંધા-વચકા બતાવીને જતા રહે છે અને કામ કરવા તૈયાર થતા નથી. હવે ચૂંટણી આવી રહી છે એટલે અમારે વિચારવાનું રહ્યું કે હવે અમારે કોને વોટ આપવો? અમારું કામ ભાજપે આટલા વખતથી કંઈ કર્યું નથી એવું લાગી રહ્યું છે. અહીંયા રહેતા એક મહિલા માલાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં છેલ્લા 20 વર્ષથી ગટરની સમસ્યા છે. ચૂંટણી આવે એટલે અમને વોટ માટે યાદ કરે છે પછી કામ નીકળી જતા અહીંયા કોઈ આવતું નથી. હવે વોટ લેવા આવશે તો પહેલા સુવિધા પાછી વોટની વાત કરીશું. સ્લમ વિસ્તારમાં રહેતા બાબુભાઈને જણાવ્યું હતું કે, અમે અહીંયા વર્ષોથી રહીએ છીયે. અમે ભાજપને વોટ આપ્યા છે પરંતુ અમારી કોઈ વ્યવસ્થા કે સુવિધા આપી નથી. અહીંયા લાઇટનો થાંભલો છે પરંતુ લાઈટ નથી. રસ્તો છે પરંતુ રોડ નથી. વ્યવસ્થા નહીં થાય તો અમે બીજી જગ્યાએ જવું પડશે.વોટ તો અમે મોદીને જ આપવાના, પરંતુ સુવિધા નહીં મળે તો બીજાને આપીશું. ભાજપના લોકો ચૂંટાયા બાદ ગ્રાઉન્ડ પર દેખાયા જ નથી- હરીશ ઓડઆ અંગે વોર્ડ નંબર 4 કોંગ્રેસના પ્રમુખ હરીશ ઓડે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના અઢી વર્ષ જ્યારે વડોદરા શહેરના મેયરે વોર્ડ નંબર 4 માંથી આવતા હોય પણ વર્ષોથી જે વિકાસ છે એ વોર્ડ નંબર 4માં રૂંધાયા છે. તમે કોઈપણ નાગરિકને જઈને પૂછશો ને તો કોર્પોરેટર ચારે ચાર કોણ હતા એ પણ નહિ ઓળખી શકે કેમ કે આ લોકો ગ્રાઉન્ડ પર પહોચ્યા જ નથી. વધુમાં કહ્યું કે, અમારા વોર્ડની મુખ્ય સમસ્યા છે કે અહીંયા જ્યારે પણ નજીવો વરસાદ પડે તો પાણી બે અઢી ફૂટ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે અમારા વોર્ડ નંબર 4 ની વૈકુંઠ-2 ની પાછળ આવેલી કાંસ. આ લોકોએ જે કાંસ મોટા પ્રમાણમાં લાંબી અને પહોળી હતી એને ટૂંકી કરી અને એ કાંસને સાંકડી બનાવી દેવાથી પૂરની પરિસ્થિતિ આખા વોર્ડની અંદર સર્જાય છે. આ કારણ બતાવીને એ રોડની અંદર આખો રોડ ખોદી કાઢ્યો છે અને કાંસ નાખવાની શરૂઆત કરી છે. પણ જ્યારે મોટી કાંસ, કુદરતી કાંસ વર્ષોથી વોર્ડ નંબર 4 માંથી પસાર થતી હોય તો એને ચાલુ રાખી અને એને સાંકડી કરી અને આ લોકો બીજી પોતાના પૈસા કમાવવા માટે અને ખિસ્સા ભરવા માટે નવી કાંસનું રૂપાંતર કરે છે. આ કાર્ય કરવાથી ફક્તને ફક્ત તમારા ખિસ્સા ભરાશે પણ આ વોર્ડની અંદર જે પાણીની સમસ્યા છે, જે પૂરની સમસ્યા છે એ નીકળશે નહીં. વધુમાં કહ્યું કે, આ મેયરના વોર્ડમાં એટલી બધી ગંદકી છે કે તમે જોવો જે વિસ્તારમાં જશો એ જગ્યાએ તમને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળશે. મચ્છરોનો ત્રાસ એટલો બધો છે કે સામાન્ય નાગરિક જ્યારે અહીંયા કોઈ પણ જગ્યાએ ગાર્ડનમાં જતો હોય કે ચાલતા જતો હોય કે કોઈપણ જગ્યાએ બેઠો હોય તો 10 થી 15 મિનિટથી વધારે બેસવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. પહેલાના સમયમાં ધુમાડા લઈને લોકો ધુમાડા કરવા પણ કોર્પોરેશનમાંથી આવતા હતા પણ એ પણ હવે એવું ઔપચારિક જેવું થઈ ગયું છે કે હવે કોઈ દેખાતું છે નહીં અને મચ્છરોનો ત્રાસ પણ બહુ વધી ગયો છે. અમે સમસ્યાનું લોંગ ટાઈમ સોલ્યુસન શોધી કાઢ્યું છે- પ્રતીક જેઠવાઆ અંગે ભાજપના વોર્ડ ચારના પ્રમુખ પ્રતીક જેઠવાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડમાં પાણી અને ડ્રેનેજની સમસ્યા છે, જે સ્થાનિક સમસ્યાઓ છે. પાણીને લઈ અત્યારે કામગીરી ચાલી રહી છે. વોર્ડની અંદર ખોડિયાર નગર, સંગમ, વોર્ડ નંબર 4 ની ઓફિસની પાછળ આવેલ બુસ્ટરનું કામ અંતિમ તબક્કામાં છે. આ વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે અને લોકો વધુને રહ્યા છે. એટલે અમે લોંગ ટાઈમનું સોલ્યુશન શોધ્યું છે . જેથી અત્યારે પાણીની સમસ્યા છે એ ઝીરો થઈ જશે. ડ્રેનેજ અંગે જણાવ્યું કે, ડ્રેનેજના કામો તમે અત્યારે વોર્ડમાં ફરશો તો દરેક જગ્યાએ અત્યારે ડ્રેનેજના કામ ચાલુ છે. એટલે એ સમસ્યા પણ આપણે કાયમી અંત લાવવા માટેનું જ કામ ચાલુ છે. સ્લમ વિસ્તારમાં જે ગંદકીનો વિષય છે એ આપણે કોર્પોરેશન થકી જે કામ કરાવવાનું છે જે કામ ચાલુ જોવડાવીશું. આ વિસ્તારમાં મંત્રી મનીષબેન વકીલના પ્રયાસથી આપણે ત્રણ પોલીસ સ્ટેશન છે જેમાં હરણી, બાપોદ, વારસીયા પોલીસ મથક લાવ્યા છીએ. અશાંતધારાનો કાયદો પણ અહીંયા લાગુ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Mar 2026 6:00 am