SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

વલસાડમાં બાઈક ચોર ઝડપાયો, 17 બાઈક ચોરીની કબૂલાત:સોમવાર સુધી રિમાન્ડ મંજૂર, વધુ તપાસ ચાલુ

વલસાડ પોલીસે બાઈક ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ વલસાડ, નવસારી અને ભરૂચ સહિત વિવિધ જિલ્લાઓમાંથી કુલ 17 બાઈક ચોરીની કબૂલાત કરી છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, ડુંગરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. વાઘલધરા પોલીસ ચોકી સામે NH 48 પર વાહન ચેકિંગ દરમિયાન, પોલીસે શંકાસ્પદ રીતે બાઈક ચલાવતા સરફરાજ મીયાં ઉમરાન પંડોલિયાને અટકાવ્યો હતો. પૂછપરછ દરમિયાન, સરફરાજે બાઈક ચોરીનું હોવાનું કબૂલ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ બાઈક વલસાડ સિટી વિસ્તારમાંથી ચોરાયું હતું. ડુંગરી પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે શરૂઆતમાં વલસાડ, નવસારી અને ભરૂચમાંથી કુલ 9 બાઈક ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી રૂ. 1.25 લાખની કિંમતની 4 બાઈક, 3 ચાવીઓ અને 3 આર.સી. બુક જપ્ત કરી વલસાડ સિટી પોલીસને સોંપી હતી.વલસાડ સિટી પોલીસે આરોપીનો કબ્જો મેળવી તેને વલસાડ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન, આરોપીએ વલસાડ, નવસારી, ભરૂચ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી કુલ 17 બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સિટી પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. આ ઉપરાંત, ચોરી કરેલી બાકીની બાઈકનો મુદ્દામાલ રિકવર કરવા અને કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વલસાડ મામલતદાર કચેરીની બહાર ધોળા દિવસે બાઈક ચોરીની ઘટના સામે આવી હતી. બાઈક ચોરીની સતત વધી રહેલી ઘટનાઓને પગલે પોલીસે તપાસ અને કાર્યવાહી વધુ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:45 am

વલસાડ, કપરાડામાં બે ASI નિવૃત્ત થયા:પોલીસ મથકોમાં ભાવભર્યા વિદાય સમારંભ યોજાયા

વલસાડ અને કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા બે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) આજે વયનિવૃત્ત થયા છે. આ પ્રસંગે બંને પોલીસ મથકો ખાતે તેમના સાથી કર્મચારીઓ દ્વારા ભાવભર્યા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મહેશ પાટીલની નિવૃત્તિ નિમિત્તે પી.આઈ. અને અન્ય કર્મચારીઓએ વિદાય સમારંભ યોજ્યો હતો. પોલીસ જવાનોએ જણાવ્યું હતું કે, મહેશ પાટીલ સરળ અને મળતાવડા સ્વભાવના હતા. વલસાડ જિલ્લામાં તેમનું બાતમીદારોનું મજબૂત નેટવર્ક હતું, જેના કારણે અનેક ગુનાખોરીના કેસો ઉકેલવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ પ્રસંગે તેમના પરિવારજનો અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, કપરાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI કાળુભાઈ દેશમુખ પણ આજે વયનિવૃત્ત થયા. તેમના સાથી કર્મચારીઓએ આદિવાસી વાજિંત્રોના નાદ સાથે ભવ્ય વિદાય સમારંભ યોજ્યો હતો. કાળુભાઈ દેશમુખ તેમના સરળ અને સૌમ્ય સ્વભાવ માટે જાણીતા હતા. બંને સ્થળોએ યોજાયેલા વિદાય સમારંભો દરમિયાન પોલીસ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના કર્મચારીઓમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિદાય સમારંભો યાદગાર અને લાગણીસભર બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:42 am

વલસાડમાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાં:પાડોશી યુવકની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

વલસાડ તાલુકામાં ચાર વર્ષની બાળકી સાથે અડપલાંનો ગંભીર બનાવ સામે આવ્યો છે. શનિવારે બપોરના સમયે બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે પાડોશમાં રહેતા યુવકે તેને લાલચ આપી સુમસામ જગ્યાએ લઈ જઈ અડપલાં કર્યા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ બાળકીના પરિવારજનોએ સ્થાનિક અગ્રણીઓને જાણ કરી હતી. સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક વલસાડ સિટી પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાની સાથે જ વલસાડ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ પરમારના નેતૃત્વમાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકી સાથે અડપલાં કરનાર આરોપી યુવકની અટકાયત કરી હતી. પોલીસે બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી યુવકનું પણ મેડિકલ પરીક્ષણ અને નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાને લઈને વલસાડ તાલુકામાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:38 am

સુરેન્દ્રનગર: ભૂમાફિયા-બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ:પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ PGVCL ટીમ સાથે કાર્યવાહી કરી

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના જામવાળી ગામમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંએ પીજીવીસીએલની ટીમ સાથે રાખી ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનો પર વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં મોટા પાયે વીજ ચોરી ઝડપાઈ હતી. આ કોમ્બિંગ ડ્રાઇવમાં 50થી વધુ પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તેમની સાથે 250થી વધુ પોલીસકર્મીઓનો કાફલો પણ હતો. આ ટીમે ભૂમાફિયાઓના ઘરો પર દરોડા પાડી વીજ ચોરી અંગે તપાસ કરી હતી. પોલીસ વડા પ્રેમસુખ ડેલુંના નેતૃત્વ હેઠળ, એએસપી, ડીવાયએસપી, લીંબડી અને ચોટીલાના ડીવાયએસપી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબી અને એસઓજી ટીમો પણ આ કામગીરીમાં સામેલ હતી. અનેક સ્થળોએથી મોટા પ્રમાણમાં વીજ ચોરી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ ચોરી ઉપરાંત, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક વાહનો પણ ડિટેઈન કરવામાં આવ્યા હતા. શહેરમાં નાગરિકોને પરેશાન કરતા બદમાશ અને લુખ્ખા તત્વો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:38 am

પોરબંદરમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો:એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજની વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતિ અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક ભગીરથ સિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓને માર્ગ સલામતિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. અધેરા અને પોરબંદર ટ્રાફિક શાખાની ટીમે આ માર્ગદર્શન આપ્યું હતું. વાહન અકસ્માતો અટકાવવાના હેતુથી, વિદ્યાર્થિનીઓને ટ્રાફિકના મહત્વના નિયમો સમજાવવામાં આવ્યા હતા. જેમાં વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, વાહન હંમેશા ધીમે અને નિયંત્રણમાં ચલાવવું તેમજ રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોતાની અને અન્યની સલામતી માટે વાહન ચલાવતી વખતે કઈ રીતે કાળજી રાખવી તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. માર્ગ અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે સરકારની રાહવીર યોજના અને તેના કાયદાકીય પાસાં વિશે પણ માહિતી આપવામાં આવી હતી, અને લોકોને માનવતાપૂર્ણ સહાય માટે આગળ આવવા પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના સમાપન સમયે, ટ્રાફિક પોલીસે તમામ વિદ્યાર્થિનીઓને પોતાની સલામતી અને સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા તેમજ આ નિયમોની જાણકારી અન્ય લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસ અંતર્ગત યોજાયેલો આ કાર્યક્રમ યુવાવર્ગમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થયો છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:29 am

રાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી:1600 લિટર આથો, સાધનો જપ્ત; આરોપી ફરાર

રાણાવાવ પોલીસે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને ભઠ્ઠીના વિવિધ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બરડા ડુંગરના કાસવીરડાનેશથી પૂર્વ દિશામાં આશરે એક કિલોમીટર દૂર પાણીની ઝરમાં આવેલી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં તાડીવારાનેશ, તા. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકાના રહેવાસી અમરા લાખાભાઈ મોરી દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. દરોડા સમયે આરોપી સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ભઠ્ઠીમાંથી 1600 લિટર દેશી દારૂ બનાવવાનો આથો અને અન્ય સાધનો કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 57,200/- આંકવામાં આવી છે. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તેમની કાર્યવાહી યથાવત્ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 8:19 am

રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારની શપથવિધિ સંપન્ન

પતિ અજિત પવારના અવસાનના ચોથા દિવસે શપથ સમારોહ આ પહેલા તેમને પાર્ટીના વિધાનસભાના ગુ્રપ લીડર તરીકે વરણી કરાઇ, શરદ પવારનો પરિવાર શપથવિધિમાં ગેરહાજર મુંબઇ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાનના આજે ચોથા દિવસે જ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પતિના મૃત્યુના ગણતરીના દિવસોમાં જ ઉતાવળે લેવાયેલી શપથવિધિમાં સામે રાજકીય વર્તુળોમાં અનેક તર્ક વિતર્કો પર શરૃ થઇ ગયા હતા. આ પહેલા રાજ્ય સભાના સાંસદ પદેથી રાજીનામું આપનારા ૬૨ વર્ષીય સુનેત્રા પવારને ગવર્નર આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સાંજે પાંચ વાગે એક સંક્ષિપ્ત સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:50 am

કારભાડાના પૈસાના વિવાદમાં યુવાનની હત્યા, 3 જણની ધરપકડ

થાણેમાં હત્યાના ત્રણ કલાકમાં આરોપી પકડાયા આરોપી દ્વારા અપહરણ કરાયેલી એક વ્યક્તિને બચાવી લેવાઈ મુંબઈ - થાણેના શીળ ફાટા વિસ્તારમાં થયેલી હત્યાના બે કલાકમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે આરોપીએ અપહરણ કરેલા એક વ્યક્તિને પણ બચાવી લેવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું. થાણે શીળ ડાયઘર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ૨૯ જાન્યુઆરીના રોજ અમન શેખની હત્યા કાર ભાડા સંબંધિત પૈસાના વિવાદને લીધે કરવામાં આવી હતી.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:30 am

ગોંદિયામાં નક્સલીઓના શસ્ત્રો અને દારુગોળાનો જથ્થો જપ્ત

એકે ૪૭,એસએલઆર,વિસ્ફોટકો પકડાયા આત્મસમર્પણ કરી ચૂકેલા નક્સલીઓએ આપેલી બાતમીને આધારેકાર્યવાહી મુંબઈ - મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં નક્સલવાદીઓનો શસ્ત્રોનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો.સર્ચઓપરેશન દરમિયાન બાદ એક એકે ૪૭ ,બે એસએલઆર રાઇફલ ,વિસ્ફોટકો અને દારૃગોળો જપ્ત કરવામાં આવ્યો હતો.એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:30 am

પ્રવીણ અગ્રવાલનો PMOને પત્ર ને લક્ષ્મી ગ્રુપ પર ITની તવાઈ:ગજેરા બંધુઓની ઊંઘ હરામ, પત્ર સાથે 2000 કરોડના કૌભાંડના પુરાવા રજૂ કર્યા; હોંગકોંગથી રૂપિયા વ્હાઈટ થઈ સુરત પાછા આવ્યા

સુરતના જાણીતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ જ્યારે નિરાંતે ઉંઘતા હતા, ત્યારે આઈટીની ટીમો ત્રાટકી હતી. આ આખી કાર્યવાહી પાછળ પ્રવીણ અગ્રવાલ (પ્રવીણ ભૂત) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખાયેલો એક પત્ર જવાબદાર છે. પ્રવીણ અગ્રવાલે આ પત્રમાં માત્ર આક્ષેપો જ નથી કર્યા, પરંતુ કરોડોના કૌભાંડના નક્કર પુરાવાઓ રજૂ કર્યા છે. આ આખી ઇનસાઈડ સ્ટોરીનો સૌથી મોટો વળાંક પ્રવીણ અગ્રવાલ ઉર્ફે 'પ્રવીણ ભૂત' છે. જે વ્યક્તિ એક સમયે ગજેરા બંધુઓની નજીક હતો, તેણે જ આખા સામ્રાજ્યના કાચા ચિઠ્ઠા પીએમઓ (PMO) સામે ખોલી નાખ્યા. પ્રવીણ અગ્રવાલે લખેલા પત્રોએ સાબિત કર્યું કે, રિયલ એસ્ટેટના ખેલમાં કેવી રીતે કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવતા હતા. તેમના પત્રોએ એજન્સીઓને એવા પુરાવા આપ્યા કે જે ગજેરા બંધુઓ માથાનો દુ:ખાવો છે. પીએમઓને સીધો પત્ર મળતા કચેરી એક્શનમાં આવીપ્રવીણ અગ્રવાલે કોઈ સામાન્ય અધિકારીને નહીં, પણ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાણકારી આપી હતી. તેમણે પત્રમાં વિગતે જણાવ્યું કે કેવી રીતે સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં રોકડનો વરસાદ થાય છે અને તે નાણાં કાગળ પર ક્યાંય દેખાતા નથી. આ પત્રમાં 2000 કરોડના આંકડા સાથેના પુરાવાઓ જોઈને પીએમઓ સ્તરેથી ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા જે આ રેડનું મુખ્ય કારણ બન્યું. મિલેનિયમ માર્કેટના રોકડ વ્યવહારોનો કાચો ચિઠ્ઠોપ્રવીણ અગ્રવાલના પત્રમાં સુરતના મિલેનિયમ-2 અને મિલેનિયમ-4 ટેક્સટાઈલ માર્કેટના વેચાણ અંગે ચોંકાવનારા ખુલાસા હતા. તેમણે PMOને જણાવ્યું કે હતું કે, આ માર્કેટની હજારો દુકાનોના વેચાણમાં 90% થી વધુ રકમ રોકડમાં લેવામાં આવી હતી. આ બ્લેક મનીનો ઉપયોગ પ્રોજેક્ટના ખર્ચમાં દેખાડવાને બદલે ખાનગી રીતે સગેવગે કરવામાં આવ્યો હતો. આઈટી વિભાગે આ પત્રના આધારે જ માર્કેટના હિસાબોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. રાકેશ ગજેરાનું હોંગકોંગ કનેક્શન અને મની ટ્રેલઆ કૌભાંડના તાર સાત સમુદ્ર પાર હોંગકોંગ સુધી જોડાયેલા છે. પ્રવીણ અગ્રવાલે પીએમઓને જણાવ્યું હતું કે, સુરતમાંથી ઉઘરાવાયેલી રોકડ રકમને હવાલા મારફતે રાકેશ ગજેરાને હોંગકોંગ મોકલવામાં આવતી હતી. આ નાણાં ત્યાંથી વિદેશી કંપનીઓના રોકાણ તરીકે ફરી ભારતમાં લાવીને 'વ્હાઈટ' કરવામાં આવતા હતા. આ જ નાણાંનો ઉપયોગ કરીને મૂળ ભાગીદારોના શેર ઘટાડીને કંપની પર કબજો મેળવવામાં આવ્યો હતો. મેહુલ ચોક્સી અને PNB કૌભાંડની કાળી પડછાયાપીએમઓને લખેલા પત્રનો સૌથી ખતરનાક મુદ્દો પંજાબ નેશનલ બેંકના કૌભાંડી મેહુલ ચોક્સી સાથેના સંબંધો હતા. પ્રવીણ અગ્રવાલે દાવો કર્યો હતો કે મેહુલ ચોક્સીના 'પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ' ગજેરા બંધુઓના પ્રોજેક્ટ્સમાં રોકવામાં આવ્યા હતા. આઈટી અને ડીડીઆઈ વિંગ હવે એ તપાસી રહી છે કે શું આ પ્રોજેક્ટ્સમાં ખરેખર દેશના ટેક્સપેયર્સના લૂંટાયેલા નાણાં રોકાયેલા છે? આ લિંક દેશની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય છે. કાયદાકીય જાળમાં ફસાયા દિગ્ગજોમાત્ર PMO જ નહીં, પરંતુ પ્રવીણ અગ્રવાલે સુરતના ઈકો સેલમાં પણ જે અરજી કરી હતી, તેણે ગજેરા બંધુઓની કાનૂની મુશ્કેલીઓ વધારી દીધી. આ અરજીમાં 'શાંતિ રેસીડન્સીસ'માં થયેલી છેતરપિંડી અને શેરધારકોના હક છીનવી લેવાની ચોક્કસ વિગતો હતી. આ અરજીએ સાબિત કર્યું કે આ માત્ર ટેક્સ ચોરીનો કેસ નથી, પરંતુ રોકાણકારો સાથે થયેલો મોટો વિશ્વાસઘાત અને ફોજદારી ગુનો છે. મોટા નેતાની મધ્યસ્થી અને 'સેટલમેન્ટ'ની નિષ્ફળ કોશિશઆઈટીની તપાસમાં એક સનસનીખેજ માહિતી બહાર આવી છે કે જ્યારે ઈકો સેલમાં ફરિયાદ થઈ, ત્યારે તેને દબાવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. વસંત ગજેરાએ સુરતના એક રાજકીય નેતા સાથે ગુપ્ત બેઠક કરી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પૂર્વ કર્મચારીએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. તેમનો હેતુ પ્રવીણ અગ્રવાલને શાંત કરી તપાસ અટકાવવાનો હતો, પરંતુ પીએમઓ સીધું વોચમાં હોવાથી આ દાવ ઉલટો પડ્યો. શાંતિ રેસીડન્સીસના શેરધારકો સાથે થયેલો અન્યાય એ પ્રવીણ અગ્રવાલની લડાઈનું મુખ્ય કેન્દ્ર હતું. તેમણે પત્રમાં સમજાવ્યું કે કેવી રીતે તેમની 43% ની ભાગીદારીને કાગળ પર માત્ર 4.02% કરી નાખવામાં આવી. ગજેરા બંધુઓએ વિદેશી ભંડોળના નામે નવા શેર ઈશ્યૂ કરીને મૂળ માલિકોને હાંસિયામાં ધકેલી દીધા હતા. આ કોર્પોરેટ હાઈજેકિંગની વિગતોએ તપાસ એજન્સીઓને આ કેસમાં કડક કાર્યવાહી કરવા માટે પ્રેર્યા છે. ફરિયાદી પણ તપાસના ઘેરામાંઆ તપાસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આઈટી વિભાગે ખુદ ફરિયાદી પ્રવીણ અગ્રવાલના ઘરે પણ દરોડા પાડ્યા. આ પાછળનો તર્ક એ છે કે એજન્સીઓ આખા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માગે છે. જો પ્રવીણ અગ્રવાલ પાસે આટલી સચોટ માહિતી હોય, તો તે પોતે પણ કોઈ રીતે આ સિસ્ટમનો ભાગ હોઈ શકે છે. એજન્સીઓ ફરિયાદી અને આરોપી બંનેના વ્યવહારો તપાસીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માગે છે. ડીડીઆઈની એન્ટ્રી અને જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવાડીડીઆઈ વિંગે દરોડા દરમિયાન સેંકડો કમ્પ્યુટર્સ, મોબાઈલ ફોન અને ડિજિટલ સ્ટોરેજ જપ્ત કર્યા છે. પ્રવીણ અગ્રવાલના પત્રમાં જે વ્હોટ્સએપ ચેટ્સ અને ઈમેલનો ઉલ્લેખ હતો, તેની ખરાઈ કરવામાં આવી રહી છે. એજન્સીઓને એવી અનેક 'કાચી ડાયરીઓ' મળી છે જેમાં સમાંતર બેંકિંગના વ્યવહારો નોંધાયેલા છે. આ ડિજિટલ પુરાવાઓ કોર્ટમાં ગજેરા બંધુઓ વિરુદ્ધ સૌથી મજબૂત હથિયાર સાબિત થશે, જે પત્રમાં કરાયેલા દાવાઓને સમર્થન આપે છે. રાજકીય દબાણ વિરુદ્ધ પીએમઓની સીધી દેખરેખસામાન્ય રીતે આવા કેસમાં રાજકીય વગ કામ કરી જતી હોય છે, પરંતુ અહીં સ્થિતિ અલગ છે. પ્રવીણ અગ્રવાલે પીએમઓમાં કરેલા સતત મેઈલ અને પત્રવ્યવહારને કારણે દિલ્હીથી આ કેસ પર સીધી નજર રખાઈ રહી છે. ગાંધીનગરના નેતાઓના દબાણ છતાં તપાસ એજન્સીઓ ટસની મસ થઈ નથી. જ્યારે વડાપ્રધાન કચેરી સક્રિય હોય, ત્યારે કોઈ પણ પ્રકારની ભલામણ કે વગ કામ આવતી નથી. લક્ષ્મી ગ્રુપના સામ્રાજ્ય પર સંકટના વાદળોગજેરા બંધુઓના લક્ષ્મી ગ્રુપના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરનારાઓમાં હવે ડરનો માહોલ છે. પ્રવીણ અગ્રવાલના પત્ર બાદ ગ્રુપની શાખને મોટો ફટકો પડ્યો છે. અનેક રોકાણકારો હવે પોતાના નાણાં પાછા ખેંચવાની પેરવીમાં છે. જો એજન્સીઓ મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કરશે, તો આ ગ્રુપના અનેક ચાલુ પ્રોજેક્ટ્સ અટવાઈ શકે છે. આ કેસે સાબિત કર્યું છે કે ગેરકાયદેસર રીતે ઉભું કરાયેલું સામ્રાજ્ય ગમે ત્યારે પત્તાના મહેલની જેમ તૂટી શકે છે. PMLA હેઠળ કાર્યવાહીની લટકતી તલવારપ્રવીણ અગ્રવાલે પોતાની અરજીમાં સ્પષ્ટ માગ કરી હતી કે આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ થવી જોઈએ. આઈટી વિભાગના રિપોર્ટ બાદ ટૂંક સમયમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) આ કેસ હાથમાં લઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 7:00 am

દેશમાં સોશિયો-ઈકોનોમિક તફાવત ખૂબ જ મોટો થઈ ગયો

- પ્રજાનું આર્થિક સરવૈયું : વિશ્વના ચોથા સૌથી મોટા અર્થતંત્રમાં આર્થિક ભેદભાવ વકર્યો, મોટા વધારે મોટા થયા, નાના વધારે નાના થયા - કોરોના બાદ સામાન્ય માણસ ઘર ચલાવવા અને ગુજરાન ચલાવવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે કોઈપણ નક્કર કારણ વગર શેરબજાર રોકેટ ગતિએ ઉડી રહ્યું હતું. દેશનું અર્થતંત્ર બે વિપરિત દિશાઓમાં વહેંચાઈ ગયું હતું. એક તરફ સંગઠિત અને ધનિક વર્ગ આગળ વધતો હતો, વિકાસ કરતો હતો અને બીજી તરફ અસંગઠિત અને ગરીબ વર્ગ રસાતાળ થઈ રહ્યો હતો : મોટાભાગના કરવેરા નીચલા વર્ગના લોકો પાસેથી, મધ્યમવર્ગ પાસેથી આવે છે. બીજી તરફ ઔદ્યોગિક જૂથો અને સુપરરિચ લોકોને લાખો અને કરોડો રૂપિયાની કર રાહત આપવામાં આવે છે, દેવા માફી આપવામાં આવે છે જ્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, નાના વેપારીઓ મજૂરી કરવાના સ્તરે આવી ગયા છે : ફૂડ ઈન્ફ્લેશન 11 ટકા પહોંચી ગયું છે. હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરમાં ખર્ચા અધધ થઈ રહ્યા છે.

ગુજરાત સમાચાર 1 Feb 2026 7:00 am

ગાંધીનગરમાં મિલકતધારકો પર GMCની 'ત્રીજી આંખ' વોચ રાખશે:શહેરી વિસ્તારમાં ડ્રોન અને AI વડે મિલ્કતોનો સર્વે કરાશે,સેકન્ડોમાં ગેરકાયદે બાંધકામોની પોલ ખૂલશે

સ્માર્ટ સિટી ગાંધીનગર હવે સાચા અર્થમાં હાઈટેક બનવા જઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ ટેક્સ ચોરી રોકવા અને ગેરકાયદેસર બાંધકામોને નેસ્તનાબૂદ કરવા માટે એક મહત્વની યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. હવે મિલકતોના સર્વે માટે મ્યુનિસિપલ કર્મચારીઓ તમારા ઘરે માપપટ્ટી લઈને નહીં આવે પરંતુ આકાશમાંથી 'ડ્રોન' નજર રાખશે અને 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' તમારી ગેરકાયદેસર મિલકતની કુંડળી ખોલશે.મહાનગરપાલિકા હવે પાટનગરમાં પ્રોપર્ટી ટેક્સની ચોરી કરનારા અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે 'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરવાની તૈયારીમાં છે. આ નવી ડિજિટલ સિસ્ટમ થી મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો પણ થશે. મંજૂરી વગરના બાંધકામો ઝડપવા AIનો ઉપયોગરાજ્યના પાટનગરમાં હવે મિલકત વેરો બચાવવા માટે વધારાનું બાંધકામ છુપાવવું મિલકતધારકો માટે મુશ્કેલ બનશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ 'સ્માર્ટ ગવર્નન્સ' તરફ મોટું કદમ ઉઠાવતા હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને હાઈટેક ડ્રોન દ્વારા મિલકત સર્વે કરવાની દિશામાં આયોજન કર્યું છે. આ નવી સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં કરોડો રૂપિયાનો વધારો કરશે. ડ્રોનની મદદથી મિલકતોનો સર્વે કરી કાર્યવાહી કરાશેઆ અંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સૂત્રોએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, શહેરમાં અનેક મિલકતો એવી છે જ્યાં મંજૂરી કરતા વધુ બાંધકામ કરી લેવામાં આવ્યું છે અથવા તો રહેણાંકના હેતુ વાળી મિલકતનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે થઈ રહ્યો છે. કોર્પોરેશનની ટીમ માટે દરેક ગલી અને મકાનનો સચોટ સર્વે કરવો સમય માંગી લે તેવું અને ભૂલભરેલું હોઈ શકે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ તરીકે હવે AI અને ડ્રોન ટેક્નોલોજી વડે'ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક' કરવાનું આયોજન છે. વધુમાં સૂત્રોએ ઉમેર્યું કે, મિલ્કતોના સર્વે માટે હાઈ-રિઝોલ્યુશન મેપિંગ થશે .સૌથી પહેલા ડ્રોન દ્વારા સમગ્ર શહેરનું 3D મેપિંગ કરવામાં આવશે. બાદમાં ડેટા ફ્યુઝન એટલે કે AI સિસ્ટમ પાસે કોર્પોરેશનના જૂના ટેક્સ રેકોર્ડ અને મંજૂર થયેલા પ્લાનનો ડેટા પહેલેથી જ હશે. જ્યારે ડ્રોન જેતે મિલકતનો નવો ફોટો વિડિઓ લેશે ત્યારે AI સેકન્ડોના ભાગમાં જૂના રેકોર્ડ અને નવા ફોટાની સરખામણી કરશે. જો કોઈએ મિલકતધારક ધ્વારા ધાબા પર પતરાનો શેડ નાખ્યો હશે, વધારાનો રૂમ બનાવ્યો હશે કે બાલ્કની પેક કરી હશે તો AI તરત જ તે ભાગને લાલ રંગથી માર્ક કરી દેશે. આ સિસ્ટમ એટલી સચોટ હશે કે ક્ષેત્રફળમાં થોડો પણ વધારો હશે તો તે પકડાઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ટેક્સની વસૂલાત જ નહીં પરંતુ ટાઉન પ્લાનિંગના નિયમોનું પાલન પણ કરાવવામાં આવશે. જો કોઈ મિલકતધારકે FSI કરતા વધુ બાંધકામ કર્યું હશે અથવા માળની સંખ્યામાં વધારો કર્યો હશે તો તેની વિગતો સીધી જ કોર્પોરેશનના સર્વર પર ફ્લેશ થશે. આનાથી વ્હાલા દવલાની રાજકીય ભલામણોની શક્યતાઓ પણ ઘટશે કારણ કે ડેટામાં છેડછાડ કરવી મુશ્કેલ બનશે. કેમકે બધો ડેટા ઓનસ્ક્રીન જ પુરાવા સાથે જોવા મળશે. ગાંધીનગર મનપાની હદમાં વધારો થતા ટેક્સની આવકમાં વધારોમહત્વનુ છેકે,ગાંધીનગર મહાનગરપાલિકા ની હદ વધતા 11,966 નવી મિલકતોની આકારણી થકી કોર્પોરેશનની આવકમાં રૂ. 7.05 કરોડનો ફાયદો થયો છે. સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, રહેણાંક અને બિન-રહેણાંક બંને પ્રકારની મિલકતોમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને રહેણાંક મિલકતોમાં 10,151 નો વધારો નોંધાયો છે, જે ગત વર્ષના 1,66,890 થી વધીને ચાલુ વર્ષે 1,77,044 પર પહોંચી છે. જે રહેણાંક શ્રેણીમાં 6.08% ની વૃદ્ધિ દર્શાવે છે. તેવી જ રીતે કોમર્શિયલ અને અન્ય બિન-રહેણાંક મિલકતોમાં પણ 1,815 નો વધારો થયો છે. આ મિલકતો 33,487 થી વધીને 35,302 થઈ છે, જેમાં 5.42% નો વધારો જોવા મળ્યો છે. આમ, ગત નાણાકીય વર્ષ 2024-25 ની સરખામણીએ કુલ મિલકતોની સંખ્યા 2,00,377 થી વધીને 2,12,343 થઈ છે. મિલકતોની આ નવી આકારણી પ્રક્રિયાને પરિણામે મહાનગરપાલિકાના મિલકતવેરાના માંગણામાં પણ સીધો ફાયદો થયો છે. નાણાકીય વર્ષ 2025-26 માટે મિલકતવેરાનું કુલ માંગણું વધીને રૂ. 85,09,34,583 પર પહોંચ્યું છે. આ સમગ્ર આકારણી પ્રક્રિયાને લીધે કોર્પોરેશનની આવકમાં અંદાજિત રૂ. 7,05,12,024 નો વધારો થયો છે, જે શહેરના વિકાસ કાર્યોને વધુ વેગવંતુ બનાવશે. તંત્ર દ્વારા હાલ સુધીમાં રૂ. 64,05,91,747 ની વસુલાત પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

પાંચ વર્ષથી બનતું દાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ હેરિટેજ લૂકમાં અટવાયું:AMCના અણઘણ આયોજનથી કામ અધુરૂં, ત્રણ માળનું બિલ્ડિંગ છતાં લોકોને રસ્તા પર વાહન પાર્ક કરવા પડ્યા

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા પાર્કિંગ જરૂરી બન્યું છે. જોકે, કેટલીક જગ્યાએ AMCએ બનાવેલા મલ્ટીલેવલ પાર્કિંગ નિષ્ફળ ગયા છે. કારણ કે, AMCએ અણઘણ આયોજન કરી પાર્કિંગ બનાવી દીધા છે. શહેરના કોટ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગની સમસ્યા રહે છે, ત્યારે દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછળ જ મલ્ટીલેવલ પાર્કિંગ અને નવું ફાયર સ્ટેશન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ પાર્કિંગ અને ફાયર સ્ટેશન નાગરિકો માટે ઉપયોગી બન્યું નથી. એક તરફ શહેરના મલ્ટીલેવલ પાર્કિંગો ખાલી રહે છે તો બીજી તરફ વાહન પાર્કિંગ માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર છે, પરંતુ બિલ્ડિંગને હેરિટેજ લુક આપવાનો બાકી હોવાને કારણે શરૂ થઈ નથી. વાહનચાલકો આ પાર્કિંગ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. કોટ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ ખૂબ જરૂરિયાતઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આફિસ દાણાપીઠ પાછળ જૂનું ફાયર સ્ટેશન તોડી ત્યાં નવું ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા વર્ષ 2019થી શરૂઆત કરી હતી. કોટ વિસ્તારમાં પાર્કિંગ માટે આ મલ્ટીલેવલ પાર્કિંગ ખૂબ જ જરૂરી છે, ત્યારે દિવ્ય ભાસ્કર દ્વારા આ મલ્ટીલેવલ પાર્કિંગનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હેરિટેજ લૂક આપવાની કામગીરી બાકી રહેતા હાલ પાર્કિંગ બંધઆ મલ્ટીલેવલ પાર્કિંગની કામગીરી 80થી 90% જેટલી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હવે મલ્ટીલેવલ પાર્કિંગ હેરિટેજ સ્થળોની આસપાસ આવેલું હોવાથી તેને હેરિટેજ લૂક આપવાનો બાકી હોવાના કારણે કામગીરી અધુરી રહી છે અને હજી સુધી મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું નથી. જેથી લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળનું મલ્ટીલેવલ પાર્કિંગમાણેકચોક, ત્રણ દરવાજા, પાનકોર નાકા અને ગાંધી રોડ સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે નાની ગલીઓમાં ખરીદી કરવા જવું પડે ત્યારે વાહનો પાર્કિંગ કરવાની સમસ્યા દૂર કરવા જૂના દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગને તોડીને ત્યાં નવું બનાવવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ત્રણ માળ સુધીનું મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. આ પાર્કિંગના ત્રણેય માળ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. ત્રીજા માળ ઉપર અત્યારે હાલમાં કલરની કામગીરી કરવામાં આવી રહી છે. લિફ્ટ અને ફાયરની સુવિધાઓ લગાવવામાં આવી રહી છે, પરંતુ પાર્કિંગના બિલ્ડિંગને હજુ હેરિટેજ લૂક આપવાનો બાકી છે. ધીમા કામથી લોકો ટ્રાફિક-પાર્કિંગની સમસ્યાથી પરેશાનપાંચ વર્ષ પહેલાં આ બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું હતું અને કામગીરી વર્ષ 2022માં શરૂ થઈ હતી. મલ્ટીલેવલ પાર્કિંગની બાજુમાં ફાયર સ્ટેશન અને ક્વાટર્સ પણ બનાવવામાં આવ્યા છે. જેની અત્યારે હાલ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. AMCની ધીમી કામગીરીથી એક વર્ષથી લોકો ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુનેસ્કો-આર્કોલોજી વિભાગનો હેરિટેજ લૂક આપવા AMCને પત્રદાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ અને ફાયર સ્ટેશન હેરિટેજ સ્થળની 100થી 300 મીટરની મર્યાદામાં આવે છે. જેને લઇને હવે યુનેસ્કો-આર્કોલોજી વિભાગ દ્વારા હવે હેરિટેજ લૂક આપવા માટે AMCને પત્ર લખીને જાણ કરી છે. જેના પગલે AMC દ્વારા હવે પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની કામગીરી કરવામાં આવશે. હેરિટેજ લૂકની ડિઝાઈન બનાવવાની કામગીર સેપ્ટ યુનિવર્સિટીને સોંપાઈAMC દ્વારા દાણાપીઠ ફાયર સ્ટેશન અને મલ્ટીલેવલ પાર્કિંગને હેરિટેજ લૂક આપવાનો હોવાથી તેની ડિઝાઈન અને ફસાડ બનાવવા માટે સેપ્ટ યુનિવર્સિટીને કામગીરી સોંપી છે. ડિઝાઈન બનીને તૈયાર થયા બાદ તેને કોર્પોરેશન દ્વારા મંજૂરી આપી અને દાણાપીઠ ફાયર સ્ટેશનને હેરિટેજ લૂક આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ ત્રણથી ચાર મહિનાનો સમય લાગી શકે છે. આગામી એપ્રિલ મહિના સુધીમાં મલ્ટીલેવલ પાર્કિંગ લોકો માટે શરૂ થઈ શકે તેવી સ્થિતિ નથી. મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા હેરિટેજની મંજૂરીમાં વિલંબદાણાપીઠ મલ્ટીલેવલ પાર્કિંગ જ્યારથી બનાવવાની શરૂઆત કરાઈ ત્યારથી જ વિવાદોમાં આવ્યું છે. વર્લ્ડ હેરિટેજ સિટી ગણાતા અમદાવાદમાં હેરિટેજ સ્થળ એવા જુમ્મા મસ્જિદની 100થી 300 મીટરની મર્યાદામાં આવતું હોવાથી આ જગ્યા ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવા હેરિટેજની મંજૂરીમાં વિલંબ થયો હતો. હવે હેરિટેજ લૂક આપવાનો બાકી હોવાના કારણે સમયસર પાર્કિંગ ન બનતા લોકોને પાર્કિંગ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. AMC ઓફિસમાં આવતા લોકોનું રસ્તા પર વાહન પાર્કિંગઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આફિસ દાણાપીઠમાં જ પાર્કિંગની ખૂબ જ સમસ્યા જોવા મળે છે. ગાડીઓ અને વાહનો પાર્ક કરવા માટેની જગ્યા હોતી નથી જેના કારણે થઈને વાહનો બહાર પાર્ક કરવા પડે છે. AMC ઓફિસમાં આવનારા લોકોને જ પોતાની ગાડીઓ બહાર રોડ પર પાર્ક કરવી પડે છે, ત્યારે આ પાર્કિંગ ખૂબ જ જલદી શરૂ થાય તેના માટે AMCના અધિકારીઓ અને ભાજપના સત્તાધિશોએ સમજવાની જરૂર છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિએ કામગીરી ઝડપી થાય તેવા પ્રયત્નો કરવામાં ન આવતા આજે પણ AMC ઓફિસમાં જ આવતા લોકો ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

સોના-ચાંદીના ભાવ વધતા લોકો તાંબા તરફ વળ્યા:એક કિલોની લગડીમાં 3 મહિનામાં 35% રિટર્ન, માર્કેટ એક્સપર્ટે ચેતવ્યા- ભંગારના ભાવે વેચવું પડશે

ભાઇ, હવે તો સોના અને ચાંદીના ભાવે એટલા વધ્યા છે કે કાચના શો રૂમમાં બહારથી જ જોઇને સંતોષ માનવો પડે એવી સ્થિતિ આવી ગઇ છે. આવું વાક્ય થોડા દિવસ પહેલાં દરેક ગુજરાતીઓના ઘરે સૂર્યોદયની સાથે સાથે સાંભળવા મળતું હશે કેમ કે સોના અને ચાંદીના ભાવ ક્યારેક 10 હજાર તો ક્યારેક 30 થી 40 હજાર વધતા હતા. જો કે શુક્રવારે આ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો કડાકો બોલી ગયો. સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચડાવ વચ્ચે લોકો હવે કોપરની ખરીદી તરફ વળ્યાં છે. એક સમયે સોના અને ચાંદી પાછળ ઇન્વેસ્ટ કરનાર ગુજરાતીઓમાં હાલ કોપરના બાર ખરીદવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કોઇ 1 કિલો તો કોઇ 10-10 અને 20-20 કિલો કોપરના બાર ખરીદી રહ્યાં છે. શું ખરેખર કોપરમાં ઇન્વેસ્ટ કરાય ખરું? શું કોપર ક્યારેય ચાંદી અને સોનાનો વિકલ્પ બની શકે? કોપર ખરીદતાં પહેલાં કેવી તકેદારી રાખવી જોઇએ? કોપર બજારમાં સરળતાથી મળી તો રહ્યું છે પણ જ્યારે તેને વેચવા જાઓ તો ક્યાં વેચવું? આવા તમામ સવાલોના જવાબ વાંચો આજની સન્ડે બિગ સ્ટોરીમાં. દિવ્ય ભાસ્કરે બજારના મોટા બુલિયન વેપારીથી લઈને વર્ષોથી સોના ચાંદીની દુકાન ચલાવનાર સોની અને શેર માર્કેટના એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી. જો સોનુ-ચાંદી તિજોરીમાં પડ્યું રહે તો વર્ષો પછી પણ તેની કિંમત જળવાઇ રહે છે. હા, ચાંદી કાળી પડી જાય છે. કોપરની વાત થોડી અલગ છે. કોપરની લગડીને જો પ્લાસ્ટિકના પેકિંગમાંથી બહાર કાઢવામાં આવે તો થોડી જ મિનિટોમાં તેના પર લીલા ડાઘ (ઝંક) લાગી જાય છે અને ચમક પર અસર થાય છે. કોઇપણ સોનીને ત્યાં જઇને સોનુ-ચાંદી વેચીને રૂપિયા મેળવી શકાય છે. જો કે કોપર માટે કોઇ આવી પોલિસી નથી. કોપરમાં છેલ્લા ત્રણેક મહિનામાં 35% જેટલું વળતર મળ્યું છે. સોનુ-ચાંદી મોંઘું થતાં લોકો હવે કોપર બારને પણ ગિફ્ટમાં આપી રહ્યાં છે. કોપરની લગડી કેવી રીતે બને છે?ઇલેક્ટ્રિક વાયર કે કેબલના સ્ક્રેપને પ્રોસેસ કરીને તેમાંથી રો મટિરિયલ બનાવાય છે. આ રો મટિરિયલને ઊંચા તાપમાને ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે છે. ઓગળી ગયેલા મટિરિયલને બીબાંમાં ઢાળવામાં આવે છે. આ બીબાં 1 કિલો, 5 કિલો એમ અલગ અલગ કિલોના માપના હોય છે. બીબાંમાં રેડ્યા પછી તેને ઠંડું થવા દેવાય છે. કોપર ઠંડું થયા પછી તેના પર વજન અને કંપનીનો લોગો મારવામાં આવે છે. કોપર હવામાં ખૂલ્લું રહે તો તેના પર લીલા ડાઘ (ઝંક) લાગી જાય છે. જેથી કોપરની લગડી જેવી તૈયાર થાય કે તરત જ તેના પર પ્લાસ્ટિકનું મજબૂત પેકિંગ કરી દેવાય છે. જેના લીધે તેની ચમક જળવાઇ રહે છે. વિશ્વમાં ભારત સહિત ઘણા દેશો કોપરનું ઉત્પાદન કરે છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા રાજ્યો કોપરના મુખ્ય ઉત્પાદક છે. 5 વર્ષ પહેલાં આટલી માંગ નહોતીશ્રી અંબિકા ટચના ઓનર અને પ્રોપરાઇટર ભૌમિક સોનીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, આજથી 5 વર્ષ પહેલાં કોપરને કોઇ ઇન્વેસ્ટમેન્ટ તરીકે નહીં પરંતુ સ્ક્રેપ્ટ તરીકે જોતા હતા એટલે 5 વર્ષ પહેલાં કોપરને પ્રિસિયસ મેટલમાં કે કોઇ જવેલર્સમાં તેની કોઇ જ ડિમાન્ડ નહોતી. જો કે હાલમાં તેની ડિમાન્ડ જોવા મળી રહી છે. તેમણે કોપરની ડિમાન્ડ વધવા પાછળના કારણો પણ જણાવ્યા. તેમના મતે, સોના-ચાંદીના ભાવ આસમાને આંબી જતાં છેલ્લા 2-3 મહિનાથી જ કોપરની ડિમાન્ડ વધી છે. કેટલીક કંપનીઓએ એવી જાહેરાત કરી કે અમે AI, EV અને સોલારમાં પણ કોપરનો ઉપયોગ કરીશું. જેથી લોકોને એવું લાગે છે કે કોપર સિલ્વરનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. કોપરની લગડીનો ભાવ 1200 રૂપિયાને પારકોપરના હાલના અને ભૂતકાળના ભાવ વિશે પણ ભૌમિક સોનીએ માહિતી આપી. તેઓ કહે છે કે, આજથી 2 કે 3 મહિના પહેલાંની વાત કરીએ તો કોપર ફક્ત 800 કે 900 રૂપિયે કિલો વેચાતું હતું. ચાંદીની વધતી જતી માંગના કારણે કોપરનું ચલણ વધ્યું અને તેના ભાવ પણ વધ્યા. આજે કોપરનો ભાવ 1200 રૂપિયાથી પણ વધુ છે. 'અત્યાર સુધી તો કોઇ પૂછવા નહોતું આવતું કે અમારે કોપર ખરીદવું છે પણ આજે 10% ગ્રાહકો માત્ર કોપરની ખરીદી કરવા માટે આવી રહ્યાં છે એટલું જ નહીં તેઓ 10 કિલોથી માંડીને 20 કિલો સુધીનું કોપર લઇ જાય છે. તેમણે માર્કેટમાં વેચાતા કોપરના પટ્ટા અને તાર મિશ્રણવાળા હોવાનું પણ જણાવ્યું. 'જેમ ગોલ્ડ અને સિલ્વર બાર મળે છે એવી જ રીતે કોપર પણ બારમાં જ મળી રહ્યું છે. હાલમાં માર્કેટમાં કેટલાક લોકો સ્ક્રેપ્ટમાંથી પણ તૈયાર કરેલાં કોપરના પટ્ટા વેચી રહ્યાં છે. કેટલાક લોકો તાર વેચી રહ્યાં છે. જે પ્રોપર નથી, ઇમ્પ્યોરિટીવાળું છે. તેમાં ઝીંક કે અન્ય મેટલનું મિશ્રણ કરેલું હોય છે.' 'હાલમાં ગમે તે જગ્યાએ કોપર મળી રહ્યું છે એટલે ત્યાંથી લેવાને બદલે જ્વેલર્સ પાસેથી જ લેવાનો આગ્રહ રાખવો જોઇએ કેમ કે તેનું સાચું પ્રમાણે જ્વેલર્સ જ નક્કી કરી શકે છે. દરેક જવેલર્સની પોતાની એક રેપ્યુટેશન હોય છે. હાલમાં બજારમાં 85%, 95% અને 99%નું કોપર મળી રહ્યું છે. સામન્ય રીતે હાલમાં બજારમાં કોપર 1800 થી 2000 રૂપિયે કિલો મળી રહ્યું છે.' 'MCXમાં કોપરનો ભાવ 1200 રૂપિયા છે જેમાં 18% જીએસટી અને બાકી હેન્ડલિંગ ચાર્જ લગાવવામાં આવે છે. બજારમાં મળતાં લંડન બુલિયન માર્કેટ એપ્રુવડ કોપરમાં અઢી ટનનો કોન્ટ્રાક્ટ હોય છે એટલે પહેલાં અઢી ટન કોપર લેવું પડે છે. આજે ઇન્વેસ્ટમેન્ટ ખૂબ વધારે છે એટલે નફાનો ભાગ પણ વધારે છે પણ તમને બુલિયન અને જ્વેલર્સમાં જે ખાતરી મળે છે એવી ક્યાંય નહીં મળે.' અમદાવાદમાં દૈનિક 300થી 400 કિલો કોપરનું વેચાણતેમણે કહ્યું કે, મારા અંદાજ પ્રમાણે છેલ્લા એકાદ મહિનામાં અમદાવાદમાં 999 ક્વોલિટીનું દૈનિક 300થી 400 કિલો કોપર વેચાઇ રહ્યું છે. જ્યારે દેશભરમાં 2થી 3 ટનનું વેચાણ થઇ રહ્યું છે. હાલમાં લોકો કોપરની ધૂમ ખરીદી કરી રહ્યાં છે. લોકો એવું વિચારી રહ્યાં છીએ કે ચાંદીની જેમ કોપરનો પણ ભાવ વધશે ત્યારે તેને વેચીને પૈસા ઊભા કરી શકાશે. જો કે કોપરને કેવી રીતે વેચી શકાશે તેના વિશે ભૌમિક સોનીનું માનવું છે કે, અત્યારે હાલ પૂરતી તો કોપરમાં કોઇ બાય બેક વેલ્યૂ નથી એટલે તેની વેલ્યૂ નથી એવું ન કહી શકાય પણ હા બાયબેક નથી. કોપરની કિંમત ઓછી છે તેની સામે 18% જીએસટી છે એટલે સેલિંગ પોલીસી છે પણ રિટર્ન પોલીસી નથી. દોઢ થી બે વર્ષમાં રિટર્ન પોલિસી પણ આવી જશે. કોપરના રેટમાં વધારો ચોક્કસ થશે. અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્ક્વાયરીદેવિકા જવેલર્સના માલિક જૈનિલ સોનીને ત્યાં અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્કવાયરી આવે છે. તેમણે કહ્યું કે, હવે સોનુ-ચાંદી મધ્યમ વર્ગના બજેટની બહાર જતું રહ્યું છે. જેથી મધ્યમ વર્ગ કોપરની ખરીદી તરફ વળ્યો છે. અમારે ત્યાં અઠવાડિયામાં કોપરની 10થી વધુ ઇન્કવાયરી આવે છે પણ જોઇએ એવી ડિમાન્ડ હજી નથી કેમ કે તેની બાયબેક પોલિસી નક્કી નથી થઇ શકી. લોકો અત્યાર સુધી સોના-ચાંદીની નાની વસ્તુઓમાં રોકાણ કરતા હતા અથવા તો લોકોને ગિફ્ટ આપવા માટે લઇ જતાં હતા પણ હવે કેટલાક લોકો કોપરના બાર ખરીદીને ગિફ્ટમાં આપી રહ્યાં છે. કોપર ચાંદીનું સ્થાન નહીં લઇ શકેજૈનિલ સોનીએ કહ્યું, હાલમાં જે રીતે લોકો બજારમાંથી કોપરના બાર ખરીદી રહ્યાં છે તેવામાં તેમણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ જેમ કે આવી વસ્તુ રેગ્યુલર જ્વેલર્સ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો. જેથી ભવિષ્યમાં કોઇ રિટર્ન પોલિસી આવે તો તમને સારો અને સાચો જવાબ મળી રહે. કોપર સિલ્વરની જગ્યા લઇ લેશે તેવું તો ન જ કહી શકાય. હા, એટલું ચોક્કસ છે કે થોડુંક ચલણમાં આવી જશે. 3 મહિનામાં 35%થી વધુ રિટર્નઆપકા ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ ફાઇનાન્શિયલ એક્સપર્ટ હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, છેલ્લાં 5 વર્ષની વાત કરવામાં આવે તો કોપર 600 થી 700 રૂપિયા કિલોના ભાવે મળતું હતું જે ઘણાં વર્ષ સુધી ચાલ્યું. 2025ના વર્ષથી કોપરમાં ખૂબ જ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને આજે કોપર 1300 થી 1400 રૂપિયાએ પહોંચી ગયું છે. ઓવર ઓલ છેલ્લા 3 મહિનામાં 35%થી વધારાનું રિટર્ન આપી ચૂક્યું છે. ભંગારના ભાવે વેચવું પડશેઃ માર્કેટ એક્સપર્ટ તેમના મતે, કોપરના બાર્સમાં ભલે ગમે તેટલી તેજી આવે પણ જ્યારે વેચવા જાઓ ત્યારે ભંગારના ભાવે જ વેચવું પડશે. 'લોકો સિલ્વરની અને ગોલ્ડની ચેઇન પહેરે છે પણ મને નથી લાગતું કે આવનારા 10 વર્ષના સમયમાં લોકો કોપરની ચેઇન પહેરતાં થશે. જ્યારે તમે કોપરને વેચવા જશો ત્યારે તમારા કોપરના બાર્સ ભલે ને ગમે તેટલી ચમક આપતાં હોય પણ તેને તમારે ભંગારના ભાવે જ વેચવું પડશે કેમ કે તે ભંગારના ભાવે જ વેચાય છે.' 'જો બાર્સની જગ્યાએ તમે કોપરને લગતાં સ્ટોક માર્કેટમાં રોકાણ કરશો તો તે એક સારો વિકલ્પ બની શકે છે. જે પણ કોપર રિલેટેડ કંપનીઓ છે જેમ કે હિન્દ કોપર, હિન્દુસ્તાન ઝિંક્સ તેમાં પણ કોપરના ભાવની સાથે સાથે વધારો જોવા મળે છે. છેલ્લા 2 મહિનામાં અમે જોયું છે કે આ બંને કંપનીઓએ ખૂબ જ સારી પ્રાઇસ મૂવમેન્ટ બતાવી છે એટલે આવી કંપનીઓમાં ઇન્વેસ્ટ કરવું એ વધારે નફાકારક રહેશે.' 'સોના-ચાંદીનો ભાવ વધતાં લોકોને તે મોંઘું લાગી રહ્યું છે. લોકો સોનુ-ચાંદી ખરીદી શકે તેમ નથી. જેથી એવું વિચારી રહ્યાં છે કે સોના-ચાંદી જેવી બીજી કઇ ધાતુ છે જે લાંબાગાળે નફો આપી શકે તેમ છે. આ જ કારણોસર કોપર લાઇમ લાઇટમાં છે. કોપર સસ્તા ભાવે મળી રહ્યું છે એટલે લોકોને એવું લાગે છે કે તેની ખરીદી કરીને ભેગું કરી લેવું જોઇએ. જ્યારે ભાવ વધશે ત્યારે ફાયદો થશે.' સોમાણી જણાવે છે કે, કોપર ઇન્ડસ્ટ્રિયલ મેટલ છે. આવનારા સમયમાં તેના પર ઝંક લાગી જશે. ધીરે ધીરે તે ખરાબ થતું જશે. હાલમાં જે રીતે કોપરના બાર્સ મળી રહ્યાં છે તે તો ખૂબ જ ખોટું છે. રિટેલમાં ઇન્વેસ્ટ કરવાવાળા લોકોએ આમાંથી બચવું જોઇએ. કોપરના એક કિલોના બાર્સ 1200 થી 1300 રૂપિયાના છે. જે બજારમાં 2-2 હજાર રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. 750 રૂપિયા જેટલો ચાર્જ તો ફક્ત મેકિંગનો હોય છે. એનો મતલબ એ છે કે ખાલી 60% રકમ તો તમે મેકિંગની જ આપી રહ્યાં છો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 6:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:કોંગ્રેસે કહ્યું- એપ્સટિન ફાઇલમાં મોદીનું નામ, ટ્રમ્પ માટે તે નાચ્યા; ઈરાનના 7 શહેરોમાં વિસ્ફોટ; બજેટમાં સોનું-ચાંદીના સસ્તા થઈ શકે

નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર કોંગ્રેસ પાર્ટીના દાવાના રહ્યા. પાર્ટીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ એપ્સટિન ફાઇલ્સમાં દેખાય છે. બીજા મોટા સમાચાર ઇરાનના સાત શહેરોમાં બોમ્બ વિસ્ફોટના અહેવાલો હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. કોંગ્રેસે કહ્યું- ટ્રમ્પના ફાયદા માટે મોદી ઇઝરાયેલમાં નાચ્યા:પૂછ્યું- PMએ યૌન અપરાધી એપસ્ટીન પાસેથી શું સલાહ લીધી; સરકારે કહ્યું- જાહેર ગુનેગારની આ ઘટિયા ટિપ્પણી કોંગ્રેસે શનિવારે કહ્યું કે જાતીય ગુનેગાર જેફ્રી એપસ્ટીનની ફાઇલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ X પર બે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું - આ રાષ્ટ્રીય શરમનો વિષય છે. પીએમ શા માટે જેફ્રી એપસ્ટીનની સલાહ લઈ રહ્યા હતા? પહેલી પોસ્ટમાં ખેડાએ લખ્યું છે કે જેફ્રી એપસ્ટીન, જે અમેરિકામાં માનવ તસ્કરી, સગીરોનું જાતીય શોષણ અને બળાત્કાર માટે દોષિત ઠર્યો છે, તે લખે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સલાહ માની. અમેરિકાના રાષ્ટ્રપતિને ફાયદો પહોંચાડવા માટે ઇઝરાયલમાં નાચ-ગાન કર્યું. થોડા અઠવાડિયા પહેલા તેમની મુલાકાત થઈ હતી અને આ કામ કરી ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો 2. મી સુનેત્રા અજિત પવાર...:અજિતના નિધનના ચોથા દિવસે સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા Dy.CM; શરદ પવારની સૂચક ગેરહાજરી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર શનિવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી સીએમ બન્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકભવનમાં સુનેત્રાને શપથ લેવડાવ્યા. શપથગ્રહણ સમારોહ અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો. શરદ પવારની આ સમારોહમાં સૂચક હાજરી રહી. આ અગાઉ દિવસ દરમિયાન NCP ધારાસભ્ય દળ અને વિધાન પરિષદના સભ્યોની વિધાન ભવનમાં બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુનેત્રાને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો 3. એકસાથે 12 શહેર પર હુમલાથી પાકિસ્તાન ધ્રૂજ્યું:BLAનું 'ઓપરેશન હેરોફ', 10 પોલીસકર્મીનાં મોત; ડેપ્યુટી કમિશનરનું કિડનેપ, શાહબાઝે કહ્યું- ભારતનો હાથ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં શનિવારે બલુચ લિબરેશન આર્મી (BLA)એ એકસાથે 12 સ્થળોએ હુમલા કર્યા. ન્યૂઝ એજન્સી AFP અનુસાર, હુમલામાં ઓછામાં ઓછા 10 સુરક્ષાકર્મીઓના મોત થયા છે. જ્યારે, પાકિસ્તાની સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં 37 લડવૈયાઓ પણ માર્યા ગયા. એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે બલુચ વિદ્રોહીઓએ ક્વેટા, પસની, મસ્તુંગ, નુશ્કી અને ગ્વાદર જિલ્લામાં શનિવારે સવારે 12થી વધુ સ્થળોએ એકસાથે હુમલા કર્યા. રાજધાની ક્વેટામાં ઓછામાં ઓછા ચાર પોલીસકર્મીઓ માર્યા ગયા. સંપૂર્ણ સમાચાર વાંચો 4. બજેટમાં અપેક્ષાઓ: સોનું-ચાંદી સસ્તાં થઈ શકે છે:ડ્યૂટી ઘટાડીને 4% કરવામાં આવે એવી શક્યતા; 2025માં ચાંદી 167%, સોનું 75% મોંઘું 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પછી સોનું-ચાંદી ખરીદવું સસ્તું થઈ શકે છે. સરકાર આના પર લાગતી કસ્ટમ ડ્યુટી 6%થી ઘટાડીને 4% કરી શકે છે. જો આવું થશે, તો સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 3 હજાર અને ચાંદી 6 હજાર રૂપિયા સસ્તી થઈ શકે છે. વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% વધ્યા છે. અત્યારે એટલે કે જાન્યુઆરી 2026માં 10 ગ્રામ 24 કેરેટ સોનું 1.50 લાખ અને એક કિલો ચાંદી 3.30 લાખ રૂપિયામાં મળી રહી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. 'ભીખ માગતી વખતે શરમથી માથું ઝૂકી જાય છે':PM શાહબાઝે પાકિસ્તાનની પોલ ખોલી, કહ્યું- લોન અમારા આત્મસન્માન પર બહુ મોટો બોજ, કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે વિદેશી દેવાં પર દેશની વધતી નિર્ભરતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ, શાહબાઝે શુક્રવારે સ્વીકાર્યું હતું કે દેશની ખરાબ આર્થિક સ્થિતિને કારણે તેમને વારંવાર વિદેશપ્રવાસે જઈને લોન માગવી પડી હતી. પાકિસ્તાની વડાપ્રધાન રાજધાની ઇસ્લામાબાદમાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'હું તમને કહેવા માગું છું કે જ્યારે ફિલ્ડ માર્શલ અસિમ મુનીર અને હું દુનિયાભરમાં પૈસા માગવા જઈએ છીએ ત્યારે અમને શરમ આવે છે.' સંપૂર્ણ સમાચાર વાંચો 6. 15 વર્ષની દીકરી પર સગા બાપનું 4 વર્ષથી દુષ્કર્મ:ઉપલેટામાં માતા કેન્સરથી પથારીવશ થતાં દિવ્યાંગ પિતાએ બળજબરી કરી, 17 વર્ષની ભત્રીજીનું પણ 7 વર્ષથી શોષણ કર્યાનો ઘટસ્ફોટ રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સમાજને શર્મસાર કરતી અને પિતા-પુત્રીના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોહીના સંબંધોને લજવતા આ કિસ્સામાં એક નરાધમ દિવ્યાંગ પિતાએ પોતાની જ સગી પુત્રી પર છેલ્લાં ચાર વર્ષ સુધી સતત દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારથી તેની સાથે સગા બાપે હેવાનિયત શરૂ કરી હતી. રક્ષક જ ભક્ષક બનતા પિતાએ સંબંધની મર્યાદા ઓળંગી, પુત્રીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધવાનું શરૂ કર્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી પિતાએ તેની 17 વર્ષની ભત્રીજી પર પણ છેલ્લા 7 વર્ષથી દુષ્કર્મ ગુજાર્યુ હોવાનું સામે આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. પોલીસે થેલી ખંખેરી તો હાડકાંનો ઢગલો થયો:જૂનાગઢના ગુમ વૃદ્ધાની હત્યાની આશંકામાં ગામના યુવકની ધરપકડ, કૂવામાંથી માનવકંકાલ મળ્યું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામના છેવાડે આવેલા એક અવાવરૂ કૂવામાંથી માનવકંકાલ અને કીમતી દાગીના મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે કૂવામાંથી કચરાની ભરેલી થેલીમાંથી હાડપિંજરનાં ટુક્ડા બહાર કાઢ્યાં છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ગુમ થયેલાં 65 વર્ષીય વૃદ્ધાનું કંકાલ હોવાનું મનાઈ રહ્યું છે. હાડપિંજરના અવશેષો સત્તાવાર પુષ્ટિ કરવા માટે DNA ટેસ્ટ અને FSLમાં મોકલી આપ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ દાવો- રાજસ્થાનની સાધ્વીનું ઇન્જેક્શનથી મૃત્યુ થયું:પિતા બોલ્યા- તેમના અંતિમ શબ્દો હતા 'મને ન્યાય અપાવજો', એટલે 4 કલાક પછી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ભયાનક વિસ્ફોટોથી હચમચ્યું ઈરાન:7 શહેરોમાં એકસાથે બ્લાસ્ટમાં 5 લોકોનાં મોત; 14 ઘાયલ, ઇઝરાયલે હાથ અદ્ધર કર્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ શાહે કહ્યું- બંગાળમાં SIRથી ઘૂસણખોરો બહાર થશે:જે રહી જશે તેમને ભાજપના CM કાઢી મુકશે; આ વર્ષ TMCને 'ટાટા, બાય-બાય' કહેવાનું છે (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ કેનેડાના દુશ્મનોને મળ્યા અમેરિકાના અધિકારીઓ:અલ્બર્ટાને આઝાદ દેશ બનાવવાના પ્રયાસમાં અલગતાવાદીઓ; PM કાર્ની બોલ્યા-આંતરિક મામલાઓમાં દખલગીરી સહન નહીં કરીએ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ક્રિકેટઃ ભારતે ન્યૂઝીલેન્ડને 46 રને હરાવ્યું:ઈશાન કિશનની સેન્ચુરી; અર્શદીપ સિંહે 5 વિકેટ ઝડપી; ટીમ ઈન્ડિયાએ સિરીઝ 4-1થી કબજે કરી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ ફાસ્ટેગ માટે KYV પ્રક્રિયા આવતીકાલથી પૂરી થશે:વાહન માલિકોને વારંવાર અપડેટ નહીં કરવું પડે, બેંકો પોતે ડેટા વેરિફાય કરશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 01 ફેબ્રુઆરીનુ ટેરો રાશિફળ:તુલા જાતકોને ઝડપી નિર્ણયશક્તિથી નાણાકીય લાભ થશે, મીન જાતકોનો દિવસ વિચારોની ગડમથલમાં પસાર થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ આંખો સ્કેન કર્યા પછી જ મળશે જમવાની થાળી દિલ્હીના અટલ કેન્ટીનમાં હવે આંખના સ્કેન પછી જ ફૂડ પ્લેટો પીરસવામાં આવશે. જેથી કોઈ પણ એકથી વધુ પ્લેટ લઈ ન શકે. 86 અટલ રસોડામાં રેટિના સ્કેનીંગ કેમેરા લગાવવામાં આવ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર:એક જ દિવસમાં ચાંદી 1 લાખ કેમ તૂટી? કોને ફાયદો ને કોને નુકસાન? રાહ જોવી કે ખરીદીનો યોગ્ય સમય? 2. અબજોપતિ બિલ્ડર્સ જેની પાસે રીલ બનાવડાવે એ દર્શક રાઠોડ કોણ?:મિત્ર સાથે શરત લગાવી રિયલ એસ્ટેટમાં એન્ટ્રી કરી, એક વીડિયોથી કિસ્મત ચમકી, આજે વેચે છે કરોડોની પ્રોપર્ટી 3. 2 હજારની નોટ બદલી આપનારા માફિયા કેમેરામાં કેદ:''બેન્કની ગાડીમાં જ 2 હજારની સામે 500ની નોટો આપી દઈશું'', 50 કરોડની ડીલમાં 22 કરોડ કમિશન 4. અજિત-શરદની NCP એક થવાની તૈયારીમાં, ભાજપ સંમત:શરદ જૂથના 8 સાંસદ મોદી સરકારને ટેકો આપશે, પક્ષના નેતૃત્વને લઈને ખેંચતાણ 5. 45 મિનિટમાં ધોલેરા-બુલેટ સ્પીડે ભાવનગર:પહેલીવાર જુઓ 11 ફાંટાવાળા એક્સપ્રેસ-વેનો ડ્રોન વીડિયો, રાખ અને કચરામાંથી કમાલ, હાઇવેની પેરેલલ હાઇસ્પીડ ટ્રેન દોડશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: કુંભ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે, સિંહ જાતકોને મહેનત વધુ અને નફો ઓછો મળશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 5:00 am

મુસાફરોની સુવિધામાં વધારો:ભાવનગર-ઓખા અને સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનમાં કોચ વધારાયા

ભાવનગર રેલવે ડિવિઝનની ભાવનગર–ઓખા એક્સપ્રેસ અને ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી ટ્રેનોમાં વધારાના કોચની સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19209, 19210)માં તાત્કાલિક ધોરણે એક થર્ડ એસી કોચ તથા ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી ટ્રેન (20966, 20965)માં તાત્કાલિક ધોરણે 4 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ ટ્રેન નં. 19209, 19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક થર્ડ એસી કોચ 1લી થી 5મી ફેબ્રુઆરી સુધી લગાડવવામાં આવશે. ટ્રેન નં. 20966, 20965 ભાવનગર–સાબરમતી–ભાવનગર ઇન્ટરસિટી ટ્રેનમાં 4 જનરલ કોચ 1લી થી 5મી ફેબ્રુઆરી લગાડવવામાં આવશે. આ ટ્રેનોના વિરામસ્થાનો, સંરચના અને સમયસૂચિ અંગે વિગતવાર માહિતી માટે યાત્રીઓને સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર વિઝીટ કરવા પણ જણાવવામાં આવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:31 am

સાધારણ સભામાં વિપક્ષ દ્વારા આક્ષેપબાજી:લીઝ રીન્યુમાં ભાજપ ચેકથી રૂપિયા લે છે : કોંગ્રેસ; લીઝની વિઝીટે કોંગ્રેસ પ્રમુખ શું કામ ગયા? : ભાજપ

ભાવનગર કોર્પોરેશન હસ્તકના લીઝ હોલ્ડ પ્લોટના રીન્યુઅલ અને હેતુફેર સહિતના મુદ્દે વર્ષોથી ભ્રષ્ટાચારના છાંટા ઉડી રહ્યા છે ત્યારે આજે આજે મળેલી સાધારણ સભામાં પણ કોંગ્રેસના સભ્યો દ્વારા ખુલ્લેઆમ લીઝ પટ્ટા રીન્યુમાં ભાજપ ચેક થી રૂપિયા લેતા હોવાના આક્ષેપ કર્યા હતા. જ્યારે બીજી તરફ વિરોધ પક્ષના નેતા સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ ફેક્ટરી લીઝ હોલ્ડ પ્લોટની મુલાકાતે જતા ભાજપના સભ્યો દ્વારા આડકતરી રીતે પ્લોટના મુલાકાતના હેતુ સામે પ્રશ્ન ઉભા કર્યા હતા. આજની સાધારણ સભામાં પુનઃ બિન રહેણાકી લીઝ હોલ્ડ પ્લોટને રીન્યુઅલ કરવાના કાર્યો લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ત્રણ ફેક્ટરી પ્લોટ પૈકી રૂવાપરી રોડ પર આવેલ પ્લોટ નંબર એફ/46/18ના લીઝ પટ્ટાની મુદ્દત રીન્યુ કરવાના કાર્યમાં પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા કોર્ટ મેટર હોવાથી અને સ્થળ પર વિઝીટ કરતા પ્લોટનો દૂર ઉપયોગ થતો હોવાથી કાર્યનો વિરોધ દર્શાવ્યો હતો. જોકે, ફેક્ટરી પ્લોટની મુલાકાતને સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડીયાએ ખુલ્લી પાડી હતી. અને લીઝ હોલ્ડ પ્લોટ કે જેનું રીન્યુ થવાનું કાર્ય છે તેમાં કોંગ્રેસ પ્રમુખની મુલાકાતને ગંભીર ગણાવી હતી. વિરોધ પક્ષના નેતા સાથે શહેર કોંગ્રેસના પ્રમુખ પણ ફેક્ટરી પ્લોટની મુલાકાતે ગયા હતા. કોર્પોરેશનના પદાધિકારી, અધિકારી કે સભ્ય નહિ હોવા છતાં ફેક્ટરી પ્લોટની મુલાકાત સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા. મેયર ભરતભાઈ બારડ દ્વારા પણ કોઈ રાજકીય પાર્ટીના આગેવાન કે હોદ્દેદાર કોર્પોરેશનના સભ્ય ન હોય તે કોર્પોરેશનના કાર્યમાં રસ લઈ શકે નહીં અને સ્પષ્ટ રીતે આવા કાર્યમાં દખલગીરી ન કરવા પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈ બુધેલીયાએ પણ એક સાથે તમામ લીઝ પટ્ટાને મંજૂરી માટે લાવવા અને લીઝ પટ્ટા રીન્યુ માટે પાર્ટી પાસેથી ભાજપ ચેકથી રૂપિયા લેતા હોવાના આક્ષેપ કરતા ભાજપના સભ્યો ઉકળી ઉઠ્યા હતા. અંતે લીઝ પટ્ટો રીન્યુ કરવાનું કાર્ય મતદાન પર લઈ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે વિરોધ પક્ષના નેતા દ્વારા ઔદ્યોગિક હેતુ માટે ફાળવાયેલા પ્લોટની મુદ્દત પૂર્ણ થયા પહેલા કે પછી અરજી કરી હોય તો નિયમ અનુસાર રીન્યુ કરવા વધારાનું કાર્ય મૂકવામાં આવ્યું હતું. જેમાં કમિશનર દ્વારા પણ વધારાના કાર્યનો હાલમાં પણ નિયમ અને જોગવાઈ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. છતાં વિપક્ષ નહીં માનતા અંતે બહુમતીથી નામંજૂર કરાયું હતું. પ્રશ્નોત્તરીમાં ભરતભાઈ બુધેલીયાએ યુસીડી વિભાગ હસ્તકની યોજનાઓ વિશેના પ્રશ્નનો પ્રત્યુતર મળી ગયો હોવાથી વિશેષ ચર્ચા નહીં કરતાં ભાજપના સભ્યો દ્વારા એક પછી એક સરકારની યોજનાઓ અને તેના ફાયદાઓ વિશે અધિકારી પાસેથી માહિતીઓ માગી એક કલાક પ્રશ્નોત્તરીનો પૂર્ણ કરાવી લીધો હતો. કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવનાર રોડ અને એસ્ટેટ સહિતના પ્રશ્નની ચર્ચાની તક છીનવી લીધી હતી. 1982 થી આવતી કાર્ય પ્રણાલીઓમાં ફેરફારને મંજુરીસાધારણ સભામાં સંચાલન કરવાની અને કોર્પોરેશનની સમિતિઓની કાર્યવાહીનું સંચાલન અને નિયમો તેમજ કાર્ય પ્રણાલી 1982થી ચાલી આવી રહી છે. અન્ય મહાનગરોમાં સુધારા વધારા અને ફેરફાર થયા છે. ત્યારે આજે સાધારણ સભામાં વર્ષો જૂની કાર્યપ્રણાલીમાં ફેરફારનો ઠરાવ કર્યો છે. જોકે, જયદીપસિંહ ગોહિલ દ્વારા અમદાવાદ કોર્પોરેશનની જેમ ભાવનગરમાં વ્યાજ માફી આપવા માગણી કરી હતી. એક વિસ્તારના ત્રણ પ્લોટ છતાં એકનો જ વિરોધ !કોર્પોરેશન દ્વારા છેલ્લા દોઢ બે મહિનાથી બંધ ઔદ્યોગિક લીઝ પટ્ટાની રીન્યુઅલ શરૂ કરી અને વિવાદ છંછેડાયો હતો. આજે આજે સભામાં રૂવાપરી રોડ પરના ત્રણ ફેક્ટરી પ્લોટની મુદ્દત રીન્યુઅલ કરવાનું કાર્ય હતું. તે પૈકી માત્ર એક ફેક્ટરી પ્લોટનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અન્ય બે ફેક્ટરી પ્લોટમાં હરફસુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. ત્યારે સભામાં પણ જાહેર થયેલ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ ફેક્ટરી પ્લોટની કરેલી મુલાકાતે અનેક શંકા કુશંકાઓ ઊભી કરી હતી. અને તેમાં પણ પાર્ટી ફંડની ચર્ચાએ જોર પકડ્યું છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:30 am

કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું:જિલ્લામાં 247 સખી મંડળોને 543 લાખની લોન સહાય

ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરુના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના અંતર્ગત વિવિધ કેશ ક્રેડિટ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોના માધ્યમથી જિલ્લામાં કુલ 247 સખી મંડળ જૂથોને રૂ. 543 લાખની લોન સહાય આપવામાં આવી હતી. ગત રોજ યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પોમાં ફરિયાદકા ગામ ખાતે 39 સખી મંડળોને રૂ.62 લાખ, ગારિયાધાર તાલુકા પંચાયત કચેરી ખાતે 43 સખી મંડળોને રૂ.125 લાખ, ઘોઘા તાલુકાની HDFC ચિત્રા શાખા ખાતે 17 સખી મંડળોને રૂ. 70 લાખ, જેસર તાલુકાના માતાજીના મઢ ખાતે 13 સખી મંડળોને રૂ. 24 લાખ, મહુવા તાલુકાના કતપર ગામે 23 સખી મંડળોને રૂ. 55 લાખની લોન મંજૂર કરવામાં આવી હતી પાલિતાણા તાલુકા પંચાયત કચેરી ખાતે 33 સખી મંડળોને રૂ. 65 લાખ, સિહોર તાલુકાના વળાવડ ગામે 11 સખી મંડળોને રૂ. 25 લાખ, તળાજા તાલુકાના ટીમાણા ગામે 6 સખી મંડળોને રૂ. 17 લાખ, ઉમરાળા તાલુકા પંચાયત કચેરી ખાતે 47 સખી મંડળોને રૂ. 70.5 લાખ તેમજ વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયેલા કેશ ક્રેડિટ કેમ્પમાં15 સખી મંડળોને રૂ. 30 લાખની લોન મંજૂર કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના તાલુકાના ગામોમાં યોજાયેલા કેમ્પ દરમિયાન સખી મંડળની બહેનોને નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન યોજનાની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, બેંકોના અધિકારીઓ દ્વારા સખી મંડળોને મળતી લોન તથા વિવિધ સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:27 am

વર્ષોથી વિવાદિત રીંગરોડ અધૂરોને અધૂરો જ રહ્યો:એક વર્ષમાં રોડના 473 કામ સૂચવ્યા અને થયા માત્ર 316

ભાવનગર શહેરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે. અને મોટાભાગનો વિકાસ ભાવનગર કોર્પોરેશન રોડ પાછળ જ કરે છે જે વાસ્તવિકતા છે. વર્ષ 2024-25 માં કોર્પોરેશનની હદમાં કુલ 473 કામ સૂચવ્યા હતા તે પૈકી 316 કામ જ પૂર્ણ થયા છે. વર્ષ 2024 - 25 દરમિયાન ભાવનગર કોર્પોરેશનની હદમાં સૂચવેલા કુલ 473 કામ પૈકી 37 કામો તો સર્વિસ લાઈન નાખવાની હોવાથી થઈ શક્યા જ નથી. જ્યારે 55 કામો કાર્યરત હોવાનું રોડ વિભાગ દ્વારા કોર્પોરેશનના સભ્ય દ્વારા માગવામાં આવેલી માહિતીમાં જણાવ્યું છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી રીંગરોડ વિવાદમાં સપડાયેલો છે. રિંગરોડનું કામ આર એન્ડ બી હસ્તક કરવામાં આવી રહ્યું છે જે પૈકી મહાનગરપાલિકા હસ્તકના રીંગરોડમાં તળાવથી મંત્રેશ સુધીનું કામ શરૂ છે. ક્યારે મંત્રેશ થી ટોપ થ્રી સર્કલ સુધી આઇકોનિક રોડ બનાવવાનું ટેન્ડર અપલોડ કરવામાં આવ્યું છે. ટોપ થ્રી સર્કલ થી આગળનું કામ હજુ મંજૂરીની પ્રોસેસમાં છે. ક્યારે મંજૂરી મળશે અને ક્યારે કામ થશે તે બાબતે તંત્ર પણ માથું ખંજવાળે છે. જ્યારે હિલ પાર્ક ચોકડી થી ઢબુડી તળાવ તરફ 400 મીટર બાકી રહેલ રસ્તો આર એન્ડ બી સ્ટેટ દ્વારા બનાવવામાં આવે છે. આમ ભાવનગરનો રીંગરોડ વર્ષોથી અધુરોને અધુરો જ રહ્યો છે. જ્યારે શહેરના અન્ય ઘણા રોડ તૂટ્યા પહેલા જ નવા બનાવવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:25 am

સૌરાષ્ટ્ર સમાચાર ઇમ્પેક્ટ:GMB દ્વારા જર્જરીત જેટી પર પ્રતિબંધ, તત્કાલ રિપેર કરાશે

લાંબા સમયથી જર્જરીત હાલતમાં ગરકાવ થયેલી ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકની ઘોઘા જૂના બંદરની કોંક્રિટ જેટી (વાર્ફ)ની કંગાળ હાલત અંગેના સવિસ્તર અહેવાલ દિવ્ય ભાસ્કરના સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રસિધ્ધ થતા જ તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને તત્કાળ ધોરણે આ જેટીના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકી અને રિપેરિંગ અને નવી જેટી બનાવવાની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. ઘોઘાની જેટીની કંગાળ હાલતની અવગત થતાની સાથે જ રાહુલ મિશ્રા, બંદર અધિકારી, જીએમબી ભાવનગર દ્વારા તત્કાળ અસરથી વાર્ફવોલના ડાઉન્ડેશનને ભારે નુકસાન થયુ હોવાનું અને બેકઅપ મટિરીયલનું પણ ધોવાણ થયુ હોવાનું જણાતા આદેશ થકી નુકસાન થયેલ વાર્ફવોલનો ઉપયોગ થવો હિતાવહ નહીં હોવાના અભિપ્રાયસ સાથે ત્યાં બાર્જ, ટગ કે અન્ય દરિયાઇ પરિવહનના સાધનોને રાખવા, બાંધવા, પરિવહન કરવા પર તત્કાળ અસરથી પ્રતિબંધ મુકાયો છે. નવેસરથી ઘોઘા જેટી બનાવવામાં આવશેઘોઘા ખાતેની કોંક્રિટ જેટી (વાર્ફ) તદ્દન જર્જરીત થઇ ગયો છે, અને હાલ તુરત વધુ નુકસાન ન થાય તેવા હેતુથી રિપેરિંગના ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. બજેટમાં નવેસરથી આ જેટી બનાવવાનું પ્રાવધાન કરવામાં આવશે અને તેના માટે કન્સલટન્ટની નિમણૂંક પણ કરવામાં આવનાર છે. > એમ.વાય.પવાર, કાર્યપાલક ઇજનેર, જીએમબી, ભાવનગર લાંબા સમયથી જીએમબી શું કરી રહ્યું હતુ?લાંબા સમયથી ઘોઘાની કોંક્રિટ જેટી વાર્ફ ઉબડ-ખાબડ અને મરામત વિના સાવ જર્જરીત બની ગઇ છે. જુનુ માળખું તોડી અને નવું બનાવવાની કોઇ ખાતાકીય કામગીરી પણ કરવામાં આવી ન હતી. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ દરમિયાન કોઇ અકસ્માત ઘટ્યો હોત તો તેના માટે જવાબદાર કોણ?

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:24 am

રાષ્ટ્રીય સ્તરે પ્રથમ પહેલ:યુનિ.દીક્ષાંત સમારોહનો સંપૂર્ણ ભાર મહિલાઓના શિરે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) દ્વારા માર્ચ 2026માં યોજવા જઈ રહ્યો છે 10મો દીક્ષાંત સમારોહ એક નવો ઇતિહાસ રચાવ જઈ રહ્યો છે. યુનિવર્સિટીના ઇતિહાસમાં અને રાષ્ટ્રીય સ્તરે પ્રથમ વાર, દીક્ષાંત સમારોહ જેવી મહત્ત્વની ગરિમા પૂર્ણ ઇવેન્ટ તમામ વહીવટી અને વ્યવસ્થાપક સમિતિઓની કમાન સંપૂર્ણપણે મહિલા અધિકારીઓ અને મહિલા અધ્યાપિકા અને મહિલા કર્મચારીઓ ને સોંપવામાં આવી છે. કુલપતિ ડો ભરતભાઈ રામાનુજ ના નવતર અભિગમ સાથે 10396 સ્નાતકોને પદવી એનાયત થશે. દીક્ષાંત સમારોહના સુચારુ આયોજનમાં કન્ટ્રોલર ઓફ એક્ઝામિનેશન પ્રો. તેજસ પી. જોશી અને તેમની પરીક્ષા ટીમ દ્વારા જવાબદારીઓ નિભાવવામાં આવી રહી છે. શૈક્ષણિક સંકલન, પ્રોટોકોલ વ્યવસ્થા, લોજિસ્ટિક્સ, મંચ વ્યવસ્થા, દસ્તાવેજીકરણ, વિદ્યાર્થીઓ માટેની સુવિધાઓ, મહેમાનોનું સંચાલન અને વહીવટી કામગીરી—દરેક ક્ષેત્રમાં મહિલા નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મહિલા નેતૃત્વ હેઠળ આયોજિત આ 10મો દીક્ષાંત સમારોહ શૈક્ષણિક ગૌરવ, શિસ્ત અને સંસ્થાગત પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે અને દેશની અન્ય યુનિવર્સિટીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે. વિદ્યાશાખા અને ડિગ્રીધારકોની સંખ્યા મહિલા નેતૃત્વ હેઠળની મુખ્ય સમિતિઓ

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:23 am

વેધર રિપોર્ટ:ભાવનગરમાં રાતે તાપમાનમાં ત્રણ દિવસમાં 5 ડિગ્રીનો થયેલો વધારો

ભાવનગર શહેરમાં રાતનું તાપમાન છેલ્લાં ત્રણેક દિવસથી સતત વધી રહ્યું હોય અને સાથે પવનની ઝડપ પણ ઘટી ગઇ હોય તેમજ સવારના સમયે ભેજનું પ્રમાણ વધ્યું હોય ઠંડી કૂણી પડી ગઇ છે. લોકોને લગ્નસિઝનમાં ઠંડીમાં રાહત મળી છે. શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જ્યારે મહત્તમ તાપમાન પણ વધીને 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. રાતનું તાપમાન સામાન્ય હોવું જોઇએ તેનાથી 3.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયુ હતુ. ત્રણ દિવસમાં રાતનું તાપમાન 5 ડિગ્રી વધી ગયું છે. ગઇ કાલે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 28.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જ્યારે 24 કલાક અગાઉ શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 17.7 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે વધીને 18.6 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ વધીને 89 ટકા થઇ ગયુ હતુ. તો સાંજે હવામાં ભેજનું પ્રમાણ પણ 69 ટકા હોય બપોરના સમયે ઠંડીની ગાયબ થઇ ગઇ હતી. ગઇ કાલ સાંજની તુલનામાં આજે સાંજે ભેજનું પ્રમાણ 11 ટકા વધુ નોંધાયુ હતુ. મહત્તમ તાપમાનમાં વધારો

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:20 am

સિટી કેલેન્ડર:21મીએ માતૃભાષા દિવસ, 26મીથી 10 અને 12ની પરીક્ષાનો આરંભ

02 સોમવાર: વેટલેન્ડ દિવસની યુનિ.માં ઉજવણી• વિશેષતા : આ દિવસ માનવ સમાજમાં જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવા માટે ઉજવાશે 04 બુધવાર: કેન્સર દિવસની ઉજવણીની રેલી• વિશેષતા : કેન્સરનાં લક્ષણો અને કેન્સર થવાનાં કારણો પ્રત્યે લોક જાગૃતિ કાર્યક્રમ 08 રવિવાર: હિનદી ફિલ્મી ગીતો• વિશેષતા : સાંજે 6 થી 9 કલાકે શિશુવિહાર રંગમંચ સ્વર આનંદ ગ્રુપ દ્વારા હિન્દી ફિલ્મી ગીતોનો કરાઓકે ટ્રેક શો કાર્યક્રમ 14 શનિવાર: વેલેન્ટાઇન ડેની ઉજવણી • વિશેષતા : પ્રેમની અભિવ્યક્તિ માટે ટેડીબેર, ઘડિયાળ વોલેટ, પરફ્યુમ અને બેલ્ટની ભેટ અપાશે. 15 રવિવાર: સૂર સંગમ ફિલ્મ ગીતો • વિશેષતા : સાંજે 5.30 વાગ્યે શિશુવિહાર રંગમંચ સૂર સંગમનો કાર્યક્રમ ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય વહેલો રાખવામાં આવ્યો છે. 15 રવિવાર: એક સાંજ આપની સાથે • વિશેષતા : બપોરે 3.30 થી સાંજે 7 કલાકે યશવંતરાય નાટ્યગૃહ હોલ ખાતે લાઈવ ઓરકેસ્ટ્રા સાથે 179મો કાર્યક્રમ રજુ થશે 21 શનિવાર: માતૃભાષા દિવસની કરાશે ઉજવણી• વિશેષતા : શાળા અને સંસ્થાઓમાં માતૃભાષા અંગે જાગૃતિ કેળવતા કાર્યક્રમો 22 રવિવાર: કોહિનુર મ્યુઝિક ગ્રુપ • વિશેષતા : સાંજે 5.30 કલાકે શિશુવિહાર રંગમંચ નટરાજ કલા સંસ્થાનો ગાયેજા ગીત મિલન કેનો 82મો કાર્યક્રમ યોજાશે 26 ગુરૂવાર: ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા• વિશેષતા : બોર્ડમાં ધો.10 અને ધો.12 સાયન્સમાં એકાંતરા પેપર લેવાશે 28 શનિવાર: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાશે• વિશેષતા : રામન ઇફેટ્સની શોધના દિવસની યાદગીરી રૂપે કાર્યક્રમો યોજાશે. મારા કામના નંબર વિવિધ સરકારી વિભાગ વિવિધ સેવાના નંબર વીજ કંપનીના નંબર કોર્પોરેશનના નંબર

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:17 am

માથાના દુ:ખાવા સમાન બની ટ્રાફિકની સમસ્યા:વલાદ–ચિલોડા હાઈવે પર વારંવાર ભારે ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થયા

ગાંધીનગરના વલાદથી ચિલોડા તરફ જતા હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા લોકો માટે મુશ્કેલી બની રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર અઠવાડિયે 4 થી 5 દિવસ અહીં 2 કિલોમીટર સુધી વાહનો ટ્રાફિક જામમાં અટકી જાય છે, ગઈકાલે એક ટ્રકે કારને ટક્કર મારતાં રસ્તા પર વાહન વ્યવહાર ધીમો પડી ગયો હતો અને થોડી જ વારમાં વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે ફરી આ જ માર્ગ પર લગભગ 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો. રોજ ઓફિસ, શાળા અને અન્ય કામ માટે જતા લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:01 am

શિષ્ટાચારના લીરેલીરા:બીયુ અને કમ્પ્લિશન સર્ટિ. આપતા મહિના લાગી જાય, શું‎મકાનો પાકિસ્તાનની બોર્ડરે છે? ભાજપ સભ્યનો પ્રશ્ન

વલસાડ પાલિકામાં ભાજપને શહેરીજનોએ ગત ચૂંટણીમાં ખોબે ખોબે મતો આપી 44માંથી 41 બેઠકો આપી છતાં અંદરોઅંદર ભારે મતભેદ અને જૂથબંધી ચાલી રહી છે. જિલ્લા અને શહેર ભાજપ સંગઠનને પણ સભ્યો ગાંઠતાં નથી તેવું પાલિકા સભાગૃહમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મતદારોનો વિશ્વાસ ડગમગી જાય તેવું સામાન્ય સભામાં સભ્યોના બુમબરાડા પરથી નજરે પડતાં કેડર બેઝ ધરાવતા ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધું હતું. છેલ્લાં 6 માસથી કેટલાક સભ્યોની વિવાદાસ્પદ ભૂમિકાને લઇ સત્તાધારી ભાજપને અચંબાની સ્થિતિમાં મૂકાઇ જવું પડ્યું હતું. તે દરમિયાન શનિવારે મળેલી સામાન્ય સભામાં પાલિકા પ્રમુખની વહીવટી નિષ્ક્રિયતા, કામો સામે ઉદાસીનતાના આક્ષેપો કરી ખુદ ભાજપના જ સભ્યોએ ભારે વિરોધ કર્યો હતો. પરંતુ શિસ્તને નેવે મૂકી દેવાતાં કબાડી બજાર જેવા દ્રશ્યો સર્જાયા હતા. સભામાં એજન્ડાના કામોની ચર્ચા માટે ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાએ વાંચન કરવા સામે સભાગૃહમાં ભારે બુમબરાડા, શોરબકોર અને હોબાળાથી ભારે તંગ વાતાવરણ સર્જાયું હતું. આરટીઆઇના જવાબમાં વિલંબ, રસ્તા, વેરા આકારણી, લાઇટના પ્રશ્ને ભાજપના સભ્યોએ જ પ્રમુખ માલતીબેન ટંડેલ સામે રોષ ઠાલવ્યો હતો. કેટલાક સભ્યોએ તો પોતાની આરટીઆઇનો જવાબ આપતાં નથી તેવો પ્રશ્ન ઉઠાવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આરટીઆઇ ભાજપના સભ્યોને કરવાની જરૂર કેમ પડે તે મુદ્દે લોકોમાં ટીકાઓ થઇ હતી. ભાજપના નિતેશ વશીના વેધક પ્રશ્નબાંધકામના બીયુ અને સીસી પાલિકામાંથી અપાતા જ નથી. હાલર વિસ્તારમાં બિલ્ડિંગના કામે વાંધાજનક રજૂઆતો અંગે પ્રમુખને જ ખબર નથી. બાંધકામની કાયદેસરની પરમિશન મળતી જ નથી. લેખિત રજૂઆતો છતાં સીસી માટે મહિનાઓ લાગી જાય છે તો શું વલસાડમાં બાંધકામના ઘરો ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા છે કે શું? પાલિકાની કી પોસ્ટ પર કોઇ નથી. પ્રમુખનું કર્મીઓ પર કોઇ કન્ટ્રોલ જ નથી. સીઓનો પણ કન્ટ્રોલ નથી. કર્મીઓ ગણતા જ નથી. સમયસર બાંધકામોના બીયુ અને કમ્પલિશન સર્ટિફિકેટ ઇસ્યુ કરાતા જ નથી. લેખિતમાં ફરિયાદ છતાં પ્રમુખ કોઇ કામ કરતા નથી. કંપનીની આકારણી કેમ કરાતી નથી એક સભ્યએ અબ્રામા વિસ્તારમાં આવેલી કંપનીના આકારણી કરવામાં આવતી નથી તેવો પ્રશ્ન કરી ફિઝિકલ મેઝરમેન્ટ કયારે થયેલું તે સવાલ સામે વેરા અધિકારીએ 2017માં આકારણી થઇ હોવાનો ઉત્તર વાળતાં દર ચાર વર્ષે મેઝરમેન્ટ કરવાનો નિયમ હોય ખોટું થતું હોય તો દંડની વસુલાત કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આકરણી ન કરાતા પાલિકાને મોટું નુકસાન થાય છે. ડ્રેનેજ લાઇનથી માત્ર બિલ્ડરને લાભઅબ્રામા વિસ્તારમાં 1200 મીટરની ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે જે એક બિલ્ડરને લાભ થાય તે માટે નંખાઇ છે કે શું તેવો પ્રશ્ન અબ્રામાના સભ્યએ ઉઠાવ્યો હતો. વાત સાથે સંમત થતાં નિતેશ વશીએ ઇજનેરને પ્રશ્ન કર્યો કે, આ ડ્રેનેજ લાઇન નાંખવા કોઇ સભ્યએ, નાગરિકે કે કોઇ હોદ્દેદારોએ રજૂઆતો કરી હોય તો બતાવો. હિતેશ પટેલે પ્રમુખને ઉદ્દેશી કહ્યું કે, ઇન્કવાયરી કરી કસુરવાર કોઇ હોય તો કાર્યવાહી કરો. વિનોદ શર્માએ બેઠક પરથી ઉભા થઇ કહ્યું કે, કોઇ પણ કામો કરવા હોય તો નાણાંકિય જવાબદારીને ધ્યાને લઇ કોન્ટ્રાકટરો પાસે સોગંદનામુ લો. જો કે આવી કોઇ કાયદાકીય જોગવાઇ જ નથી તેવું સભ્યને જણાવાયું હતું. આજની સભા વિવિધ મુદ્દે તોફાની બની હતી. ભાજપના જ સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. ઉપપ્રમુખનો ફોન પણ પ્રમુખ નથી ઉપાડતા સભ્યોની રજૂઆતો છે કે, પાલિકા પ્રમુખ ફોન જ ઉંચકતા નથી, ફોન નથી ઉપાડતાં તો કામ શું કરવાના? પબ્લિકના કામ કરવા આવેલા કે બેસવા આવેલા તેવો વેધક સવાલ પ્રમુખ માલતીબેન સમક્ષ ઉઠાવતા પ્રમુખે સફાઇ આપતાં કહ્યું કોઇ કામ હોય તો ફોન તરત ન પણ ઉંચકાય.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સરકારની એક તરફ ગ્રીન સિટીની વાતો બીજી તરફ પર્યાવરણનું નિકંદન‎:એકતાનગરના મુખ્યબજારમાં 6 માર્ગીય રસ્તો બનાવવા 300 વૃક્ષો કાપી નંખાશે

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ રોજના હજારો પ્રવાસીઓ મુલાકાતે આવી રહયાં છે. કેવડિયાના મુખ્યબજારમાં 6 માર્ગીય રસ્તો બનાવવામાં આવી રહયો છે. આ રસ્તાના નિર્માણ માટે 300 જેટલા વૃક્ષોને કાપવાની નોબત આવી છે. કેવડિયામાં પોલીસ સ્ટેશનથી સહકાર ભવન સુધી આરસીસીનો 6 માર્ગીય રસ્તો બની રહયો છે. વર્ષોથી સિંગલ ટ્રેકના આ રસ્તાને પહોળો કરીને 6 માર્ગીય બનાવવામાં આવી રહયો છે. રોડની સાઇડમાં આજુ બાજુમાં ઊગેલા ઝાડ ને કાપવાની કામગીરી હાલ ચાલી રહી છે. અંદાજિત 3 કિમી લાંબો રોડ બનશે જેમાં 300 થી વધુ નાના મોટા વૃક્ષોને કાપી જગ્યા હાલમાં ખૂલ્લી કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેવડીયા એકતનગરને ઈકો ફ્રેન્ડલી અને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. ત્યારે આ 3 કિમી ના રોડ પાછળ 300 થી વધુ વૃક્ષો કપાયા છે તો વન વિભાગ આના કરતા વધારે નવા વૃક્ષોનું વાવેતર કરે તેવી સ્થાનિકોની માગણી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક:નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના સેવાસેતુ કાર્યક્રમ શરૂ‎

નર્મદા જિલ્લામાં લોકોની સમસ્યાઓ તથા પડતર પ્રશ્નોના નિવારણ માટે ફરીથી સેવાસેતુ કાર્યક્રમ શરૂ થવા જઇ રહયો છે.પ્રથમ તબકકો 28મીથી શરૂ થઇ ગયો છે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબકકો 7મી માર્ચથી શરૂ થશે. જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળાના અધ્યક્ષતામાં સેવાસેતુ (ગ્રામ્ય) કાર્યક્રમના અસરકારક અમલીકરણ તથા દેખરેખ અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ છેવાડાના નાગરિકોને યોજનાકીય લાભ સમયસર મળી રહે તે માટે બેઝિક ડોક્યુમેન્ટેશનની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધીત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. પ્રથમ તબકકો 28મીથી શરૂ થઇ ગયો છે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે જયારે બીજો તબકકો 7મી માર્ચથી શરૂ થશે. બંને તબક્કાઓ દરમિયાનની કામગીરી સો ટકા પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં દેડિયાપાડા પ્રાંત અધિકારી જૂહી પાંડે, નાયબ કલેકટર સુશ્રી વિધુ ખૈતાન, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકીની ભગોરા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

નાંદોદ અને દેડિયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી સામુહિક કામગીરી થશે‎:નર્મદા જિલ્લાના 289 ગામોના 3.55 લાખ લોકોને હાથીપગાની દવા આપવામાં આવશે

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં ત્રણ દિવસ સુધી સામુહિક દવા વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમ અંતર્ગત 289 ગામોના કુલ 3.55 લાખ લોકોને આવરી લેવામાં આવશે. નર્મદા જિલ્લાની આરોગ્ય શાખા તરફથી નેશનલવેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ કાર્યક્રમ અંતર્ગત એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઈલેરિયાસીસ (હાથીપગા) રોગના નિયંત્રણ અને નિર્મૂલન માટે 10મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દવાઓનુું વિતરણ કરવામાં આવશે. નાંદોદ તથા ડેડીયાપાડા તાલુકામાં હાથીપગા રોગનું પ્રમાણ જોવા મળેલ હોઈ, આ ત્રણ દિવસ દરમિયાન ડીઈસી. તથા આલ્બેન્ડાઝોલ દવાઓનું વિતરણ કરવામાં આવશે. આ દવાનો ડોઝ બે વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને ડોટ (DOT) પદ્ધતિ મુજબ આરોગ્ય કર્મચારીઓ દ્વારા રૂબરૂ ગોળી ગળાવી આપવામાં આવશે. સગર્ભા માતાઓ, ધાત્રીમાતાઓ તેમજ ગંભીર પ્રકારની બીમારી ધરાવતા વ્યક્તિઓને આ દવા ગળાવવામાં આવશે નહિ. દવા વિતરણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને તેમજ શાળા અને કોલેજોમાં જઈને ગળાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત નાંદોદ તાલુકાનાં 115 ગામોની 1.44 લાખ વસ્તી અને દેડીયાપાડા તાલુકાનાં 174 ગામોની 2.11 લાખ વસ્તી આમ કુલ 3,55,854 લોકોને આવરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ, જેને સામાન્ય રીતે 'એલિફેન્ટિયાસિસ' પણ કહેવાય છે, તે એક પીડાદાયક અને અતિશય વિકૃત રોગ છે. ભારતમાં, મોટાભાગના (લગભગ 99 ટકા) ચેપ મચ્છરોથી ફેલાય છે જે તેના કરડવાથી એક પ્રકારનો કૃમિ ફેલાવે છે. તે લસિકા વાહિનીઓ પર હુમલો કરે છે તેથી તેને લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ પણ કહેવામાં આવે છે. લસિકા વાહિનીઓ આખા શરીરમાં હાજર હોય છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સન્ડે ફોટો સ્ટોરી:નાગર્જુન સિસોદીયા પાર્કમાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ

પોરબંદર શહેરમાં હાલ પણ અનેક ઐતિહાસિક સ્મારકો અને બિલ્ડીંગો ઉપલબ્ધ છે.પોરબંદર શહેરમાં એસ.ટી.બસ સ્ટેશન નજીક શહીદ નાગર્જુન સીસોદીયા પાર્ક આવેલ છે. આ પાર્કમાં વર્ષ 23 નવેમ્બર 1928ના દિવસે દાતાઓના સહયોગથી પીવાના પાણી માટે મોનિડોર બનાવવામાં આવ્યું હતું. હાલ પણ આ બગીચામાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ છે.ત્યારે અગાઉ બાગ,બગીચામાં પીવાના પાણીની સુવિધા માટે મોનિડોર બનાવવામાં આવતા હતા.આ મોનિડોરની કોટરની અને તેમની બનાવટ તેમજ મોનિડોર પર ગીઘ પક્ષીઓ કડોરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લામાં એકમાત્ર આ બગીચામાં 97 વર્ષ પૌરાણિક મોનિડોર ઉપલબ્ધ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

કર્કશ અવાજ કરતા બુલેટ બાઈક સામે પોલીસની તવાઈ‎:મોડિફાઈડ સાયલેન્સરની ઝુંબેશમાં વધુ 38 બુલેટ બાઈક ડિટેઈન કર્યા

પોરબંદર પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના સૂચન મુજબ શહેરમાં કર્કશ અવાજ કરતા મોડીફાઈડ સાયલેન્સર વાળા બુલેટ બાઈક સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઝુંબેશના બીજા દિવસે ટ્રાફિક શાખાના પીઆઈ એમ. એલ. આહિરના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ કે.બી. ચૌહાણ, કે.એન.અઘેરા તથા ટ્રાફિક ટીમ દ્વારા શહેરના વિવિધ પોઈન્ટ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બીજા દિવસે ચેકિંગ દરમ્યાન 38 જેટલા બુલેટ બાઈકમાં મોડીફાઈડ સાયલેન્સર મળી આવતા મોટર વાહન અધિનિયમ કલમ 207 મુજબ બાઈક ડીટેઈન કરવામાં આવ્યા છે. આમ 2 દિવસમાં કુલ 75 બુલેટ બાઈક ડીટેઈન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ખાસ ઝુંબેશ આગામી એક સપ્તાહ સુધી ચાલુ રાખવામાં આવશે. ઝુંબેશ પૂર્ણ થયા બાદ પણ નિયમિત વાહન ચેકિંગ દરમ્યાન જો મોડીફાઈડ સાયલેન્સર વાળા બાઈક ચાલકો મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, વાહન ચેકિંગ દરમ્યાન જો મોડીફાઈડ સાયલેન્સર મળી આવશે તો તેને સ્થળ પર જ દૂર કરી કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદર પોલીસે બાઈક ચાલકોને પોતાની બાઈકમાં મોડીફાઈડ સાયલેન્સર ન રાખવા જાહેર અનુરોધ કર્યો છે. સાયલેન્સરથી શું નુકસાન થાય છે ? ભારે અને કર્કશ અવાજથી નાગરિકોને માનસિક તણાવ થાય છે. વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે. દર્દીઓ, વિદ્યાર્થીઓ અને પરીક્ષાર્થીઓને ગંભીર તકલીફ પડે છે. ખાસ કરીને અવાજ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન થાય છે, ટ્રાફિકમાં અચાનક અવાજથી અકસ્માતની શક્યતા વધી જાય છે કાયદેસર દંડ અને વાહન ડીટેઈન જેવી કાર્યવાહીનો સામનો કરવો પડે છે. આરટીઓ ખાતે દંડ ભરવો પડે‎ઉલ્લેખનીય છે કે, વાહનો ડિટેઇન કરવામાં આવે‎ત્યારે ચાલકોએ આરટીઓ ખાતે જઈને દંડની રકમ‎ભરવી પડે છે અને ત્યાંથી પહોંચ લઈને ટ્રાફિક‎ઓફિસે રજૂ કરવામાં આવે ત્યારે વાહન છોડવામાં‎આવે છે. રૂ.1 હજારથી લઈને રૂ.5 હજાર સુધીનો‎આરટીઓ દંડ ભરવો પડે છે.‎ ટ્રાફિક પોલીસ રાત્રે પણ‎સરપ્રાઈઝ ચેકીંગ કરશે‎પોરબંદર પોલીસ દ્વારા શહેરના વાહનચાલકોને‎પોતાની બુલેટ કે અન્ય બાઈકમાં મોડીફાઇડ‎સાઈલેન્સર ન રાખવા તથા ટ્રાફિક નિયમોનું પાલન‎કરવા અપીલ કરવામાં આવી છે. પીએસઆઈ કે.બી.‎ચૌહાણે જણાવ્યું હતુ કે, રાત્રીના સમયે પણ આવા‎બુલેટ બાઈક ચાલકો ધૂમ સ્ટાઇલમાં પસાર થાય છે‎ત્યારે રાત્રે પણ સરપ્રાઈઝ ચેકીંગ કરી કાર્યવાહી‎કરવામાં આવશે.‎

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:વડિયામાં બીએલઓ, સરકારી કર્મીઓ, પેન્શનર અને ગ્રામ પંચાયતના સદસ્યના નામો મતદાર યાદીમાંથી રદ્દ

વડીયામાં બીએલઓ, પત્રકાર, સરકારી કર્મચારીઓ, પેન્શનર, ગ્રામપંચાયત સદસ્ય સહિતના લોકોના મતદાર યાદીમાંથી નામ કમી થતા હડકંપ મચ્યો છે. મતદારો અરજી માટે માલતદાર કચેરીએ દોડી ગયા અને અરજી કરી હતી. રાજ્યમાં SIRની અંતર્ગત મતદાર યાદી સુધારણાની કામગીરી ચૂંટણી આયોગ દ્વારા વહીવટી તંત્ર પાસે કરાવવામાં આવી રહી છે. આ SIRની કામગીરીમાં અમરેલી જિલ્લાના અનેક જગ્યાએ મતદારોના 7 નંબરના ફોર્મથી વાંધા અરજીઓ આવેલી છે. વડીયામાં પણ આ બાબતની અરજીઓએ હાલ ભારે વિવાદ સર્જયો હોય તેમ સતત બજારોમાં 7 નંબરના ફોર્મની અરજીઓ બાબતે થઇ રહેલી ખરાઈની ચર્ચાઓ ચકડોળે ચડતી જોવા મળી રહી છે. તો ક્યાંક વહીવટી તંત્રને આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી વિધાનસભામાં કુલ 6500થી વધુ મતદારો સામે 7 નંબર ના ફોર્મ આવ્યા છે. જયારે વડીયા તાલુકમાં 360 માંથી વડીયા ગામમાં 200 લોકોના મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યા છે. જેના માટે 7નંબરના ફોર્મ સામે હાલ બીએલઓ દ્વારા ખરાઈ કરવામાં આવી રહી છે. નવાઈની વાત એ છે કે વડીયામાં જે મતદારો સામે 7 નંબરના ફોર્મથી અરજીઓ કરવામાં આવી છે. તેવા લોકોમાં સરકારી કર્મચારીઓ, પત્રકાર, પેન્શનરો, ગ્રામપંચાયતના સદસ્ય સહિતના લોકો મતદાર યાદીમાંથી નામ કમી થતા હડકંપ મચ્યો છે. ત્યારે આવા લોકો જે વડીયા ગામમાં વર્ષોથી વસવાટ કરી અનેક પ્રવુતિઓ સાથે જોડાયને પોતાની સેવા આપે છે. તે લોકોને ટાર્ગેટ કરનાર અને તંત્રને ખોટા ગેરમાર્ગે દોરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવા લોકોમાં માંગણી ઉઠી છે. સરના કામમાં જોડાનાર મહિલા બીએલઓનું નામ પણ કમીવડીયામાં જે મહિલાએ બીએલઓમાં કામ કર્યું છે. તે મહિલાનું નામ પણ મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 રજુ થયું છે. બીએલઓમાં કામગીરી કરી છતાં નામ કમી કરવાનો પ્રયાસહું સરકારી શિક્ષક છું. વડીયામાં બીએલઓની કામગીરી કરૂ છું. છતાં મારૂ નામ ફ્રોમ નંબર 7 ભરી કાઢવાનો પ્રયાસ કર્યો છે. તે એક નીંદનીય અને લોકશાહી ખત્મ કરવાનો હક છીનવવાનો પ્રયાસ છે. આ બાબતે દુઃખ વ્યક્ત કરૂ છું. > સાયલ બાલાપરિયા, વડીયાના શિક્ષક મતદારોના નામ કાપી મતનો અધિકાર લૂંટે છેમતદારોના નામ કાપી મતનો અધિકાર લૂંટે છે. હાલ ગુજરાત માં કોંગ્રેસના મતદારો ટાર્ગેટ કરતા હોવાનો તેણે આક્ષેપ કર્યો હતો. > જુનેદ ડોડીયા, અમરેલી વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

રાજ્યમંત્રી દ્વારા નદીની સાફ સફાઈ ઝુંબેશનો ‎પ્રારંભ:અમરેલીના સોનારીયામાં 6 કિલોમીટરની નદીમાં બાવળ સહિતની આડશની સફાઈ થતા ધરતીપુત્રોને ફાયદો થશે

અમરેલી તાલુકાના સોનારીયામાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને નદીની સાફ સફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારીયાથી ચાંદગઢ સુધી 6 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ સહિતની આડશની સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નદીના પટમાં રાજ્યમંત્રીના હસ્તે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રીએ ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આપતા શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે નદીમાં આડશના લીધે વહન ક્ષમતા ઘટી જવાથી પૂરની સ્થિતિમાં ખેતીલાયક જમીનમાં વ્યાપક ધોવાણ થતું હતું. આ માટે રાજ્ય સરકારે જરૂરી નાણાકીય જોગવાઈ કરી કામ મંજૂર કરતા આજે આ કાર્ય શરૂ થયું છે. આ વિસ્તારના ખેડૂતોની જમીન ધોવાણ થતી અટકશે અને નદીની વહન ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત અમરેલી તાલુકાના ચાંપાથળ અને ફતેપુરમાં 10-10 લાખના અનુદાનથી નિર્મિત કોમ્યુનિટી હોલનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે ફેતપુર મુકામે પ્રાથમિકશાળાની મુલાકાત લઈ અને 418 જેટલી વ્યાપક સંખ્યા થવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સાયબર ફ્રોડ:એપ્લિકેશન અપડેટ કરવા અને બેંક કર્મીની ઓળખ આપી રૂા. 4.50 લાખની છેતરપિંડી

અમરેલી જિલ્લામાં આજે વધુ ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ હતી. એપ્લિકેશન અપડેટ કરવા અને બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી 4.50 લાખની છેતરપીંડી આચરવામાં આવી હતી. અમરેલીના રંગપુરમાં રહેતા વિપુલભાઈ નાગજીભાઈ રાદડીયા (ઉ.વ.48)ને એક મોબાઈલ નંબર ધારકે વોટસએપ કોલ કરી એસબીઆઈ યોનો એપ્લીકેશન અપડેટ કરવાનું કહી લિંક ઓપન કરાવી રૂપિયા 87,772ની વિપુલભાઈના ખાતામાંથી મેળવી લીધા હતા અને છેતરપીંડી આચરી હતી. જ્યારે વંડા પોલીસે મુળ વંડાના અને હાલ સુરતમાં રહેતા દિપક રમેશ ખસીયા અને સુરતના વિપુલ મહાજન સામે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા મુદ્દે ગુનો નોંધ્યો હતો. આ બંને શખ્સોએ વિજયભાઈ રમેશભાઈ ખસીયાના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા 2,00000 જમા કરાવી તેને સગેવગે કરી દીધા હતા. જ્યારે લીલીયાના વિશાલ માનસીંગ ચૌધરીને અજાણ્યા મોબાઈલ નંબર ધારકે મુંબઈ એસબીઆઈ બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી ક્રિડીટ કાર્ડ બંધ કરવાની ધમકી આપી ઓટીપી મેળવી બેંક ખાતામાંથી રૂપિયા 1,62,892ની છેતરપીંડી કરી હતી. આમ અમરેલી જિલ્લામાં 4.50 લાખની સાયબર ફ્રોડની છેતરપીંડી અંગે વધુ 3 ફરિયાદ નોંધાઈ હતી. ગઈકાલે અમરેલી જિલ્લામાં એક સાથે સાયબર ફ્રોડની 7 ફરિયાદ નોંધાઈ હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

કરુણાંતિકા સર્જાઈ:દેતડમાં ધાતરવડી નદીમાં પડી જતા યુવકનું મોત

સાવરકુંડલાના દેતડમાં ધાતરવડી નદીમાં પડી જતા 36 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. સાવરકુંડલાના દેતડમાં રહેતા પુનાભાઈ મધુભાઈ વાઘેલાએ પોલીસને જણાવ્યું હતું કે પ્રકાશભાઈ વિનુભાઈ વાઘેલા (ઉ.વ.36) 30 જાન્યુઆરીના ધાતરવડી નદીના પટમાં કોઈ કામ અર્થે ગયા હતા. ત્યારે નદીના પટમાં પ્રકાશભાઈ વાઘેલા પડી જતા માથાના ભાગે ઈજાના નીચાન મળી આવ્યા હતા. આ ઘટનામાં પ્રકાશભાઈ વાઘેલાનું મોત નિપજ્યું હતું. આ અંગે સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પીએસઆઈ એચ.ડી.રાઠોડ વધુ તપાસ ચલાવી રહ્યા છે. દેતડમાં યુવકના મોતથી પરિવારમાં આક્રંદ સવાયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર વિશેષ:અમરેલી જિલ્લામાં ઈમરજન્સી સેવા અને પ્રાથમિક સારવાર અંગે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ

અમરેલી જિલ્લાની જુદી જુદી શાળામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફ માટે સલામતી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા સલામતી સપ્તાહ અંતર્ગત અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા બગસરા ખાતે આવેલી શાળા નંબર–૩ માં ફાયર સેફ્ટી અવરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગઢવી હરિક્રુષ્ણ, બાંભણીયા હિમતભાઈ તથા ઇસોટીયા જયદીપભાઇ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક સ્ટાફને બેઝિક ફાયર અવેરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગના પ્રકારો, આગ લાગવાની જુદી જુદી પરિસ્થિતિઓમાં અલગ અલગ અગ્નિશામક સાધનોના ઉપયોગ અંગે માહિતી આપી વિદ્યાર્થીઓની હાજરીમાં લાઈવ ડેમોસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાવરકુંડલાની પ્રાથમિક શાળા નંબર–3 ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મેહુલભાઈ વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓ તથા શિક્ષક સ્ટાફને પ્રાથમિક સારવાર અંગે તાલીમ આપવામાં આવી હતી. સાવરકુંડલાના આદસંગ પ્રાથમિક શાળા ખાતે 108 ઈમરજન્સી સેવા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વેધર રિપોર્ટ:અમરેલીમાં ન્યુનત્તમ પારો 16.2 ડિગ્રી પર પહોંચતા ઠંડી ઘટી

અમરેલીમાં આજે ન્યુનત્તમ તાપમાનનો પારો 16.2 ડિગ્રી પર પહોંચતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. અમરેલીમાં ઉત્તરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધારે રહ્યું હતું. અહીં તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે પહોંચી ગયો હતો. જેના કારણે હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતુ 26મી જન્યુઆરી બાદ અમરેલમાં ન્યુનત્તમ તાપમાનમાં સતત વધારો થયો છે. આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાન 16.2 ડિગ્રી રહેતા ઠંડી ઘટી હતી. તેમજ બપોરના સમયે મહત્તમ તાપમાન પર 30.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. તેમજ પવનની ગતિ પ્રતિ કલાક 1 કિલોમીટરની રહી હતી. અમરેલીમાં હવે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. આમ, ઠંડી ઘટતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

75 લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું નિર્માણ:અમરેલીના નાના માચિયાળામાં સીસીટીવી સુવિધા સાથે પ્રાથમિક શાળાના બિલ્ડીંગને ખુલ્લુ મુકાયું

અમરેલીના નાના માચીયાળામાં ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક શાળાનું નવુ બિલ્ડિંગ આકાર પામતા બાળકોને સુવિધાયુક્ત શિક્ષણનો લાભ મળશે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 75 લાખના ખર્ચે સીસીટીવી, સ્માર્ટ ક્લાસરૂમ, દિવ્યાંગ સેનિટેશન સહિતની સુવિધાઓ સાથે પ્રાથમિક શાળાનું નવું બિલ્ડિંગ આકાર પામ્યું છે. નાના માચિયાળામાં 38 લાખથી વધુના ખર્ચે વિવિધ 11 વિકાસકામોનું રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રેન બસેરા, કોમ્યુનિટી હોલ, પુર સંરક્ષણ દિવાલ, બ્લોક રોડ સહિતના કામોનો સમાવિષ્ટ છે. આ તમામ વિકાસકાર્યો થકી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશભાઈ પાથર, તાલુકા પંચાયત સભ્યઓ, અમરેલી તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ગ્રામ પંચાયત સરપંચ અને સભ્ય સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ચોરીનો આવ્યો બનાવ:રાભડા અને મેમદા ગામની વાડીમાંથી કેબલ વાયર, ઈલેક્ટ્રીક મોટરની ચોરી

દામનગરના રાભડા અને મેમદામાં વાડીમાંથી 900 ફૂટ કેબલ વાયર અને ઈલેકટ્રીક મોટરની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે દામનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લાઠીના રાભડામાં રહેતા કાંતિભાઈ ગોબરભાઈ મેરૂલીયાએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમની વાડીમાંથી 600 ફૂટ કેબલ વાયર અને ઈલેક્ટ્રીક મોટરની અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. અહીંથી રૂપિયા 70,000ની મત્તાની ચોરી થઈ હતી. જ્યારે લાઠીના મેમદામાં રહેતા માવજીભાઈ પુંજાભાઈ સોલંકીએ અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ખેતરમાંથી અજાણ્યો શખ્સ રૂપિયા 10,500ની કિંમતનો 300 ફૂટ કેબલ વાયર ચોરી ગયો હતો. આમ દામનગરના રાભડા અને મેમદામાંથી બે સ્થળેથી રૂપિયા 80,500ની કિંમતના કેબલ વાયર અને ઈલેકટ્રીક મોટરની ચોરી થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, અમરેલી જિલ્લા સહિત દામનગર પંથકમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

SOGની કાર્યવાહી:ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 95,000 પડાવ્યા, 2 પકડાયા

શહેરના એક યુવકને ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 શખ્સે રૂપિયા 95,000 પડાવી લીધા હતા જોકે એસઓજીએ ગણતરીની કલાકોમાં આરોપીને કોલ રેકોર્ડિંગ આધારે પકડી લીધા હતા. શહેરમાં સરદાર બાગ પાછળ આવેલ ગુલિસ્તાન સોસાયટી વિસ્તારમાં રહેતા 22 વર્ષીય અરમાન જાહિદ ભાઈ થઇમ નામના યુવક બાઈક લઈને જતો હતો ત્યારે સોસાયટીમાં રહેતો સાજીદ હુસેનભાઈ હાલા ઘોરી પીરની દરગાહ પાસે મળ્યો હતો. શખ્સે યુવકને એસઓજીએ તેના મિત્રને એમડી ડ્રગ્સ સાથે પકડ્યો છે અને તેમાં તારું નામ પણ ખુલ્યું છે. પોલીસ ધરપકડ કરશે અને હેરાન કરશે તેમ જણાવી એમડીના કેસમાંથી નામ કઢાવી નાખવા પોતે વહીવટ કરાવી આપશે તેવું જણાવ્યું હતું. યુવાનને 200 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં સંડોવણીની બીક લાગી હતી. યુવકે મિત્રો પાસેથી ઉછીના નાણાં મેળવી અને પિતાનું ક્રેડિટ કાર્ડ વાપરીને અલગ-અલગ સમયે કુલ રૂપિયા 95,000 સાજીદ હુસેન અને અખ્તર અમરેલીયાને આપ્યા હતા. બાદમાં પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતા અરમાને શુક્રવારે રાત્રે ફરિયાદ કરતા સી ડિવિઝન પોલીસે બંને શખ્સ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી . દરમ્યાન ગુનામાં સંડોવાયેલ સાજીદ હુસેન હાલા અને અખ્તર કમાલભાઈ અમરેલીયાને એસઓજી પીઆઇ આર. કે. પરમારની ટીમે પકડી મોબાઈલ ફોન ચેક કરતા કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. પૂછપરછમાં બંને શખ્સે ગુનાની કબુલાત કરતા 2 મોબાઈલ કબજે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

રોકાણકારોને અપાયું માર્ગદર્શન:ઘટતા જતા વ્યાજ દરને કારણે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત, સમયની સાથે રોકાણમાં પરિવર્તન કરો

દિવ્ય ભાસ્કર અને યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોકોમાં સુરક્ષિત રોકાણ માટેની જાગૃતિ આવે તે માટે જૂનાગઢની રેલવે સ્ટેશન રોડ પર આવેલી લીલા બીજોટેલ (રંગત) હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વક્તા દ્વારા સુરક્ષિત અને લાંભા ગાળાનું નફાકારક રોકાણ કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન અપાયું હતું, આ કાર્યક્રમમાં સંખ્યાબંધ લોકોએ ભાગ લીધો હતો. ભારત 2030 સુધી 5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યું છે. આ મિશનમાં યુટીઆઈ જોડાયેલું છે તેવું જણાવતા અમદાવાદના ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ વક્તા શ્રેયા દવેએ બચત અને રોકાણ વચ્ચેનો તફાવત તેમજ સુરક્ષિત રોકાણ કઈ રીતે કરી શકાય તેના પર પ્રકાશ પાડ્યો હતો. સરળ ભાષામાં ઉદાહરણ આપીને સમજાવ્યું કે, જ્યાં સુધી પૈસા એકઠા કરવામાં આવે તે બચત અને તે પૈસા પોતે કમાવા માંડે તે રોકાણ, જે કાંઈપણ આજનો ખર્ચ છે, તે સમજવા આ નિયમ સમજવો પડે. આવનારા ત્રીસ વર્ષમાં માસિક ખર્ચ અનેકગણા વધી જશે માટે જ મ્યુચ્યુઅલ ફંડ સુરક્ષિત છે. કંઈ ઉંમરે કેટલું રોકાણ કરવું જોઈએ તે બાબતે સમજાવતા કહ્યું કે, જો તમારી નાની ઉંમર છે તો આજથી જ નાની રકમની પણ એસઆઈપી શરૂ કરી દેવી જોઈએ. જે નિવૃત્તિના સમયે લાખોમાં પહોંચશે. ઘટતા વ્યાજદર ને ધ્યાનમાં લઈને લાંબા ગાળાની રોકાણ યોજના જરૂરી છે. સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દરેક માટે પેન્શન યોજના સમાન ગણી શકાય. શોર્ટ ટર્મ માટે જરૂર હોય તેટલા રૂપિયા રાખીને બાકીના રૂપિયા લૉગ ટર્મ માટે રોકાય. સોના-ચાંદીમાં રોકાણ જોખમી છે ? તે માટે દ્રષ્ટાંત આપ્યું કે, છેલ્લા દસ વર્ષમાં ચાર વખત નેગેટિવ રિટર્ન મળ્યું છે. સોનુ લાંબા ગાળા માટે ખરીદાય. ઇક્વિટીમાં પણ માર્કેટ રિસ્ક છે. મ્યુચ્યુલ ફંડમાં રોકાણ વધુ સુરક્ષિત વિકલ્પ છે. કારણકે આ કંપનીઓ તેમના એક્સપર્ટ દ્વારા શેર માર્કેટ, સોના ચાંદી, કોમોડિટી વગેરે પર સતર્કતાથી નજર રાખે છે અને ગ્રાહકને ફાયદો થાય તે રીતે રોકાણ કરે છે. ઈ-કેવાયસી કરવું જરૂરી છે આજે જ કરો. છેતરપિંડી ન થાય તે માટે પણ સતર્ક રહો તે ખાસ સલાહ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર જૂનાગઢના તંત્રી જયરામ મહેતા, યુનિટ હેડ જયદીપ પ્રજાપતિ, એક્સપર્ટ શ્રેયા દવે, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ જૂનાગઢના કસ્ટમર હેડ રમેશ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સન્માન સમારોહ યોજાયો:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં 22 વિષયોના સંશોધકોની તાલીમ પૂર્ણ

જૂનાગઢ સ્થિત ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને પીએચ.ડી. કોર્સવર્કનો સમાપન સમારોહ યોજાયો હતો. કુલપતિએ 22 વિષયોના 184 સંશોધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જ્ઞાન અને વિજ્ઞાનમાં વિશ્વ કલ્યાણની ભાવના રહેલી છે. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા સૂચનો આગામી શૈક્ષણિક નિર્ણયો માટે ઉપયોગી સાબિત થશે. કાર્યકારી રજીસ્ટ્રાર ડો. કિર્તીબા વાઘેલાએ સમયબદ્ધ આયોજન અને કોર્સવર્કની પારદર્શિતાને બિરદાવી હતી. આ એક માસના તાલીમી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ થીસીસ માળખું, સાહિત્ય સમીક્ષા, સંશોધન પદ્ધતિ અને ડેટા સંગ્રહ જેવા પાસાઓનું જ્ઞાન મેળવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નયનાબેન ઢોલરીયા, મૌલિક શાહ સહિતના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કરી યુનિવર્સિટીની કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. નોડલ ઓફિસર ડો. ઓમ જોષીએ સંશોધન કાર્યની વિગતો આપી હતી. તથા પરીક્ષા નિયામક ડો. દિલસુખ સુખડીયા સહિત વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. ઋષિરાજ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

મનપાનું 2026-27નું ડ્રાફટ અંદાજપત્ર રજૂ કરાયું:જામ્યુકોનું બાકી લેણું 848.88 કરોડ, મિલ્કત વેરાના જ રૂા. 550.90 અને પાણી વેરાના રૂા. 142.49 કરોડ

જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2026-27નુ ડ્રાફટ અંદાજપત્ર સ્થાયી સમિતિમાં રજુ કરાયુ હતુ જેમાં આર્થિક ભારણના કારણે જુદા જુદા કરદરમાં મળી રૂા.9.10 કરોડનો વધારો સુચવાયો છે. અંદાઝપત્રમાં જાહેર થયા અનુસાર મનપા પર અંદાજિત 1027 કરોડ (વિવિધ વિભાગો અને સરકાર)નુ દેણુ છે જયારે મહાપાલિકાને શહેરીજનો તથા સરકાર પાસેથી મળી રૂા. 848.88 કરોડનુ લેણુ બાકી દર્શાવાયુ છે. જેમાં માત્ર મિલ્કત વેરાના પેટેજ લગભગ 550.90 કરોડનો સમાવેશ થાય છે જયારે પાણી વેરાના પણ બાકી રૂા. 142.49 કરોડ દર્શાવાયા છે.તંત્ર વેરા વસુલાતમાં ઉણું ઉતર્યુ હોવાનુ ચિત્ર મસમોટી બાકી રકમ પરથી ઉપસી રહયુ છે. જામનગર મહાનગરપાલિકાનુ વર્ષ 2025-06નુ રીવાઈઝડ તથા વર્ષ 2026-27નુ રૂા. 1860 કરોડનુ ડ્રાફટ અંદાજપત્ર સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને સુપરત કરવામાં આવ્યુ હતુ.જેમાં જાહેર થયા અનુસાર મહાપાલિકાને વિવિધ 19 વોર્ડ(વિભાગ)ના શહેરીજનો ઉપરાંત સરકાર પાસેથી વિવિધ લેણા પેટે 848.88 કરોડ દર્શાવાયા છે જેમાં મિલ્કત વેરા પેટે જ લગભગ 2.16 લાખ કરદાતા પાસેથી 550.90 કરોડનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ વોર્ડ નં. 2માં 123.94 કરોડ બાકી દર્શાવાયા છે જયારે વોર્ડ નં. 9માં સૌથી ઓછા 3.60 કરોડ જાહેર થયા છે.જયારે મનપાને અંદાજિત 85 હજારથી વધુ કરદાતાઓ પાસેથી પાણી વેરા પેટે 142.49 કરોડ લેવાના રહે છે.જેમાં કારપેટ બેઇઝ પધ્ધતિ મુજબ 78 હજારથી વધુ કરદાતા પાસેથી 91.67 કરોડ, રેન્ટ બેઇઝ પધ્ધતિ મુજબ 7 હજારથી વધુ કરદાતા પાસેથી 21.95 કરોડ અને સ્લમના 22 હજારથી વધુ કરદાતા પાસેથી 28.86 કરોડ દર્શાવવામાં આવ્યા છે. 20 વર્ષ પુર્વેની લગભગ 84 કરોડથી વધુ વસુલાત બાકી....લગભગ બે દશકા પુર્વે મનપા રેન્ટ બેઇઝ પધ્ધતિથી વેરાની વસુલાત કરતી હતી.જે તે સમયના કરદાતાઓ પાસેથી વર્તમાન સ્થિતિએ પણ 7,245 કરદાતા પાસેથી 62,09,52,399ની વસુલાત બાકી છે.જયારે પાણી વેરામાં પણ રેન્ટ બેઇઝડ પધ્ધતિના 7,354 કરદાતા 21,95,93,525ની રકમ હજુ સુધી ચુકવી નથી એવુ આંકડા દર્શાવી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છેકે, વર્ષ 2006 સુધી મનપા દ્વારા રેન્ડ બેઇઝડ પધ્ધતિથી મિલકત-પાણી વગેરે વેરાની વસુલાત કરવામાં આવતી હતી.જે બાદ કારપેટ બેઇઝડ પધ્ધતિથી વેરા વસુલાત શરૂ કરાઇ હતી. લગભગ બે દશકાના લાંબા સમયગાળા બાદ પણ તંત્ર માતબર બાકી રકમની વસુલાત કરી શકી ન હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે. મનપાનું કુલ બાકી લેણું

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ફરિયાદ:જામનગરમાં એડવોકેટનું અપહરણ કરી રૂા. 10 હજારની લૂંટની ફરિયાદ

જામનગર શહેરમાં પૈસાની લેતી-દેતી બાબતે એડવોકેટની ઓફીસમાં ઘુસીને છરીની અણીએ રૂ.10 લાખની માંગણી કરીને આરોપીઓએ રૂ.10 હજારની લૂંટ કરી હતી. બાદમાં એડવોકેટનું અપહરણ કરીને બાકીની રકમ કઢાવવા માટે ધમકી આપી હતી. આ બનાવમાં ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સહિત 4 શખસો સામે ફરિયાદ નોંધાતા શહેરમાં ચકચાર જાગી છે. પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે. શહેરના હવાઈચોકમાં આવેલા ભાનુશાળી વાડની શેરી નં.1માં રહેતા એડવોકેટ પંકજ અરવિંદભાઈ લહેરૂ (ઉ.વ.39) નામના યુવાનને આરોપીઓ સાથે પૈસાની લેતીદેતીનો વ્યવહાર હતો. આ બાબતે હલુ પટેલના કહેવાથી બુધવારે બપોરે પંકજભાઈ જ્યારે કોર્ટમાં હતા ત્યારે મુન્નાભાઈએ આવીને ગાળો ભાંડી હતી અને બોલાચાલી કરી હતી. ત્યારપછી સાંજના સમયે પંકજભાઈ હવાઈચોકમાં પોતાની ઓફિસે હતા, ત્યારે હલુ પટેલના કહેવાથી આવી ચઢેલા ગટુ આસિફભાઈ અને સમીર રફીકભાઈએ ઓફીસે એડવોકેટને છરી બતાવીને રૂ.10 લાખની માંગણી કરી હતી. પરંતુ એડવોકેટે રુપિયા આપવાની નાપાડતા બન્ને શખસોએ ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારીને દિવાલમાં માથુ અફળાવ્યું હતું. સમીરે પોતાની પાસે રહેલી મુંઠ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એડવોકેટ પંકજભાઈના ખિસ્સામાંથી રૂ।.10 હજાર ઝૂંટવી લીધા હતા. બાદમાં એડવોકેટનું અપહરણ કરીને પરીવાર પાસેથી બાકીના રૂપિયા કઢાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે એડવોકેટ પંકજભાઈએ સીટી એ ડિવિઝનમાં આરોપી મુના આંબલીયા, ગટુ આશીફભાઈ, સમીર રફીકભાઈ અને હલુ ઉર્ફે પટેલ આંબલીયા સામે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ધો.12 વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા:ધો.12 વિ.પ્ર.ની પ્રાયોગિક પરીક્ષા 1820 છાત્રો આપશે

જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત રાજયભરમાં આગામી તા.5મી ફેબ્રુઆરીથી ઘો. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાશે. જામનગર શહેરમાં જુદા જુદા ચાર પરીક્ષા કેન્દ્ર અને ધ્રોલમાં બે પરીક્ષા કેન્દ્ર રહેશે.જેને અનુલક્ષીને શિક્ષણ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ કરી દેવાઇ છે. આગામી તા.5મી ફેબ્રુઆરીથી તા.16મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી પ્રાયોગિક પરીક્ષા માટે શહેરના જુદા જુદા ચાર કેન્દ્રો પર 1260 વિધાર્થીઓ અને ધ્રોલમાં જુદા જુદા બે પરીક્ષા સેન્ટર પર 560 વિધાર્થીઓ નોંધાયા છે. આમ,જામનગર જિલ્લાના જુદા જુદા છ પ્રાયોગિક પરીક્ષા કેન્દ્રો પર કુલ 1820 વિધાર્થીઓ પરીક્ષા આપશે.ઘો. 12 વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી, ફિઝીકસ અને કેમેસ્ટ્રી વિષયોની પ્રાયોગિક પરીક્ષાને અનુલક્ષીને તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્યાઓ હાથ ધરાઇ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ:જામનગરમાં વિશ્વકર્મા જયંતીની ઉજવણીમાં 7 હજારથી વધુ લોકોએ દર્શન-મહાપ્રસાદનો લાભ લીધો

જામનગર સુથાર જ્ઞાતિમા વિશ્વકર્મા જયંતી ઉત્સવમાં જ્ઞાતિના 7000થી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લીધો હતો. જેમાં સવારે 5 વાગ્યે મંગળા આરતી, 7 વાગ્યે હવન તેમજ 11 થી 12 સભા સંબોધન અને 12.30ના મહાપ્રસાદ યોજાયો હતો. આ ઉત્સવમાં સમાજના લોકોએ મોટી સંખ્યામાં દર્શનને લાભ લીધો હતો અને જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, દિલીપ મામા, અશોકભાઈ આમરણીયા, ભરતભાઈ વડગામા, નિલેશભાઈ ખારેચા, હેમાંશુભાઈ આમરણીયા, દેવીકાબેન બકરાણીયા સહિતના જોડાયા હતાં.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ:વિવિધ સ્પર્ધાઓ અને ડેમોસ્ટ્રેશન દ્વારા‎ વિદ્યાર્થીઓને અપાયું જીવનરક્ષક શિક્ષણ‎

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના માર્ગદર્શન હેઠાક જામનગર જિલ્લામાં તા. 27થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ સપ્તાહ અંતર્ગત જાગૃતિ લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહનો પ્રારંભ ન્યૂ સ્કૂલ દિગ્વિજયસિંહજી સરકારી શાળાથી કરવામાં આવ્યો હતો. જ્યાં શાળાના આચાર્યના ઉદબોધન બાદ ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉદઘાટન નિહાળી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. ​સમગ્ર સપ્તાહ દરમિયાન ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આરટીઓ ઇન્સ્પેક્ટર એસ.વી. રૂપાણી અને રોડ સેફ્ટી ટ્રેનર વનરાજ વેગડા દ્વારા માર્ગ સલામતીના નિયમોનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા કટોકટીના સમયે ઉપયોગી એવી પ્રાથમિક સારવાર અંગેના જીવંત નિદર્શનો રજૂ કરાયા હતા. પાંચ દિવસ સુધી ચાલેલા આ અભિયાનમાં રોડ સેફ્ટી, 108 એમ્બ્યુલન્સ, GSFC, રિલાયન્સ, ફાયર બ્રિગેડ અને રેડ ક્રોસ સોસાયટી જેવા વિવિધ વિભાગોએ જોડાણ કરી વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અને શું કરવું અને શું ન કરવું તે અંગે વિશેષ જાગૃત કર્યા હતા.​ આ ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન વિષય પર નિબંધ, ચિત્ર અને વક્રતૃત્વ સ્પર્ધાઓ તેમજ પોસ્ટર પ્રદર્શન યોજાયા હતા, જેના દ્વારા બાળકોમાં સલામતી પ્રત્યે સભાનતા કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો:નેપાળી યુવાનનો માથાના ભાગે ઈજા થયેલો મૃતદેહ મળ્યો, ચકચાર મચી

જામનગર શહેરના હિમાલય સોસાયટીમાં નેપાળી યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગયો છે અને યુવાનને માથાના ભાગે ઈજા હોવાથી પોલીસે હત્યાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. છતાં પોલીસે હોટલમાં કામ કરતા સહકર્મચારીઓની પુછપરછ શરૂ કરીને યુવાનના પરિવારજનોને જાણ કરી છે. શહેરના ખોડીયાર કોલોની નજીક હિમાલય સોસાયટીમાં રહેતા અને હોટલમાં કામ કરતા રાજન રણબહાદુરસીંગ કેશી (ઉ.વ.32) નામના નેપાળી યુવાનનો આજે સાંજના સમયે પોતાના રૂમેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પીઆઈ એન.બી.ડાભી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનને માથાના ભાગે લાગેલાના નિશાન હોય હોવાથી હત્યાની આશંકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલીને પ્રાથમિક રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. તો પોલીસે બીજી બાજુ હોટલમાં સાથે કામ કરતા કર્મચારીઓની પણ પુછપરછ કરવામાં આવી રહી છે અને યુવાનના પરિવારજનોને પણ જાણ કરી દેવામાં આવી છે. આ બનાવથી શહેરમાં ચકચાર વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

હુમલાની ઘટના આવી સામે:જમવાનું લેવા જતાં યુવક ઉપર હુમલો

જામનગર શહેરમાં જમવા માટે ઈંડાકળીની રેંકડીએ પાર્સલ લેવા જતાં યુવક ઉપર બે શખસોએ હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના રણજીતસાગર રોડ, ન્યુ હર્ષદમીલની ચારલી શેરીનં-1માં રહેતા રાજેશભાઈ હમીરભાઈ સાદીયા (ઉ.વ.48) નામના યુવક ગત તા.28ના રોજ સાંજે નાનકપુરી નીલકંઠ આરોગ્ય કેન્દ્ર પાસે ઈંડાકળીની રેંકડીએ જમવાનું પાર્સલ કરાવવા માટે ગયો હતો. પાર્સલમાં વાર લાગવા બાબતે યુવકે આરોપી બોદુ સત્તારભાઈ સાથે વાતચીત કરતા હતા. જેથી આરોપી બોદુ અને સત્તારભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવકને અપશબ્દો બોલી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરીને લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારીને નાકના ભાગે ફેક્ચર તેમજ શરીરે મુંઢ ઈજા પહોંચાડી હતી અને જાનથી માી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની રાજેશભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ધરપકડ માટે શોધખોળ આરંભી છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વીજ ચોરીને ‎‎ડામવા તંત્ર સક્રિય થયું:વડોદરા વિજીલન્સ ટીમ સાથે વીજતંત્રનું જામનગરમાં ચેકીંગ

જામનગરમાં માં પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચોરીને ડામવા માટે સતત કાર્યરત રહે છે ત્યારે જામનગર શહેરમાં સતત બીજા દિવસે પીજીવીસીએલની ચેકિંગ ટીમ કાલાવડ નાકા બહારના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. આ ચેકીંગવડોદરાથી ધસી આવેલી જીયુવીએનએલની ટીમ અને રાજકોટ પોલીસના સ્ટાફને સાથે રાખી ચેકીંગ હાથ ધર્યું હતું. વહેલી સવારથી મોટી સંખ્યામાં વાહનોના કાફલા સાથે ધસી આવેલી ચેકીંગ ટૂકડીએ તે વિસ્તારમાં કેટલાક મકાનો તથા દુકાનોમાં ચકાસણી કરી હતી ઉલ્લેખનીય છેકે વીજ ચેકિંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂરક્ષા જવાનો કાફલા દ્રારા ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો રહેણાક, દુકાનો સહિતના વીજ કનેશનોમાં વીજ ચેકિંગ હાથ ધરેલ હતું. વીજ ચેકિંગ દરમ્યાન મોટી રકમની વીજ ચોરી ઝડપાઈ તો નવાઈ નહિ. વીજ ચેકિંગ ટીમે કેટલા વીજ કનેશનો ચેક કર્યા કેટલી વીજ ચોરી ઝડપાય તેની અંગે ની જાણકારી જાહેર કરવામાં આવી નથી

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું:જામનગર કોર્ટ પરિસરમાં બોમ્બ ડોગ સ્કવોડ ટીમોનું ઓચિંતું ચેકીંગ

જામનગર શહેરના કોર્ટ પરિસરમાં શનિવારે સવારના સમયે સુરક્ષા વ્યવસ્થાને લઈ અચાનક બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમ્યાન કોર્ટ પરિસરના વિવિધ વિસ્તારો, કોર્ટ રૂમ, પાર્કિંગ એરિયા તેમજ આવન-જાવનના માર્ગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોડ દ્વારા પણ સમગ્ર પરિસરમાં ફેરવી તપાસ કરવામાં આવી હતી. આ અચાનક ચેકીંગને કારણે થોડા સમય માટે કોર્ટમાં હાજર વકીલો, અરજદારો અને કર્મચારીઓમાં કુતુહલ જોવા મળ્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે બનાવ મળી આવ્યો ન હતો. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ સમગ્ર કાર્યવાહી સંપૂર્ણપણે રૂટીન સુરક્ષા વ્યવસ્થાનો ભાગ હતી. કોર્ટ પરિસરમાં સુરક્ષા મજબૂત રાખવા માટે સમયાંતરે આવી ચેકીંગ કરવામાં આવતી હોવાનું પણ જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ઓનલાઈન ઠગાઈ:પુત્રની ઓનલાઈન ખરીદી પિતાએ 4.15 લાખ ગુમાવ્યા

કાલાવડમાં વેપારી પુત્રએ ઓનલાઈન ખરીદેલી વસ્તુ ઉપલબ્ધ ન હોવાનો કોલ કરીને અજ્ઞાત શખસે પૈસા પરત આપવા વાત કરી હતી અને વેપારીના પુત્રએ પિતાના ગુગલ-પેમાંથી રીકવેસ્ટ મોકલી હતી. જેના પરથી શખસે પીન નંબર મેળવીને વેપારીના ખાતામાંથી રૂ.4.15 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કાલાવડના કૃષ્ણનગર, પોલીસ સ્ટેશનના સામે વાળી શેરીમાં રહેતા ચિમનભાઈ દામજીભાઈ ફળદુ (ઉ.વ.51) નામના વેપારીના પુત્ર દક્ષએ ગત તા.11 જાન્યુઆરીના ઓનલાઈન નેક્લેસ મંગાવ્યું હતું. તા.16 જાન્યુઆરીના રોજ વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં મે મંગાવેલ વસ્તુ આઉટ ઓફ સ્ટોક હોય જેથી પૈસા પરત આપી દેવા અંગે જણાવ્યું હતું. જેથી પુત્રએ પિતા ચીમનભાઈના ગુગલ પે આઈ.ડી.ઉપર પૈસાની રીકવેસ્ટ મોકલી હતી. જે બાદ શખસે પુત્રને વાતોમાં ભોળવીને પીન નંબર મેળવી લીધો હતો. વેપારીના પીન નંબરનો દુર ઉપયોગ કરીને તેમના ગુગલ પેમાંથી રૂ.4,15,035 પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગેની વેપારીના ખાતામાંથી રૂપિયા ઉપડી જતાં તેઓ બેંકમાં પહોંચ્યા હતા. જે બાદ ઘરે વાત કરતા પુત્રએ કરેલી વાત પરથી પોતાના સાથે ફ્રોડ થયાનું સામે આવ્યું હતું. જેથી વેપારી પોલીસમાંઅજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે તપાસ શરૂ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

આંતર કોલેજ એથ્લેટિક ‎સ્પર્ધાનું કરાયું:કામધેનુ યુનિ. આયોજિત બે દિવસીય આંતર કોલેજ એથ્લેટિક ઈવેન્ટ પૂર્ણ

શહેરની કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન વેટરનરી કોલેજ દ્વારા આયોજિત બે દિવસીય આંતર કોલેજ એથ્લેટિક સ્પર્ધાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 30 અને 31 જાન્યુઆરીના યોજાયેલ આ સ્પર્ધામાં ગાંધીનગર યુનિવર્સિટી હેઠળની વેટરનરી, ડેરી સાયન્સ અને ફિશરીઝ વિદ્યાશાખાની 11 કોલેજોના 216 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં જિલ્લા રમત-ગમત અધિકારી ભૂષણ કુમાર યાદવે ખેલાડીઓને અનુશાસન સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તથા ડૉ. બી.એન. પટેલ, ડૉ. એન.બી. જાદવ અને ડૉ. એમ.આર. ગડરીયા સહિતનાએ રમતગમતના મહત્વ પર ભાર મૂક્યો હતો. સ્પર્ધામાં 100 મીટર દોડથી લઈ ચક્ર ફેંક અને બરછી ફેંક જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમજ સમાપન સમારંભમાં ભૂતપૂર્વ કુલપતિ ડૉ. એન.સી. પટેલે વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા. જૂનાગઢ વેટરનરી કોલેજના ચૌહણ ધનંજયે ચક્ર ફેંકમાં પ્રથમ, જ્યારે પાથર મિલન, હિરાણી મેહુલ અને અન્ય છાત્રોએ વિવિધ દોડ તથા જમ્પ સ્પર્ધાઓમાં વિજેતા બની કોલેજનું ગૌરવ વધાર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ડી. બી. બારડના આભાર દર્શન અને રાષ્ટ્રગાન સાથે પૂર્ણ થયું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

શિવરાત્રીને લઈને મળી મહત્વની બેઠક:કલેકટર : ઉતારામાં વીજ વપરાશનું બિલ આપવુ પડશે, ઉતારા મંડળ : 3 વર્ષથી ફ્રી મળતી તો આ વર્ષે કેમ નહીં ?

આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રિનો મીની કુંભ મેળો થનાર છે. મેળાને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મિનિકુંભ એવા મહાશિવરાત્રી મેળાને લઇ વહીવટી તંત્ર અને ઉતારા મંડળની બેઠક મળી હતી. જેમાં વીજ કનેકશનને લઈ ઉતારા મંડળમાં કચવાટ જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી વીજ કનેકશન વીનમુલ્યે મળી રહ્યું છે ત્યારે આ વખતે ઉતારા મંડળોએ વીજ કનેકશન માટે અરજી કરવી પડશે અને બીલ પણ ભરવુ પડશે. નાયબમુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની તાજેતરમાં જ સાધુ-સંતોની બેઠક મળી હતી જેમાં સંઘવીએ જાહેરાત કરી હતી કે, આ વર્ષનો શિવરાત્રિનો મેળો ભવ્યથી ભવ્ય થનાર છે. જેને લઇને રવેડીનો રૂટમાં 500મીટરના વધારા સાથે 2 કિમીનો કરાયો છે. મેળાને લઇને ભવનાથમાં પીજીવીસીએલ, મનપા, વહીવટી તંત્ર સહિત, ઉતારામંડળ દ્વારા પણ તૈયારી શરૂ કરી છે. જેમાં તારીખ 31 જાન્યુઆરીના રોજ કલેકટરની અધ્યક્ષતામાં ઉતારામંડળ, પદાધિકારીઓની બેઠકનુ આયોજન થયુ હતુ. જેમાં મેળા દરમિયાન ઉતારાવાળાને છેલ્લા ત્રણ વર્ષથી જે તંત્ર દ્વારા મફતમાં લાઇટીંગ મળતી હતી તે આ વર્ષે કલેકટરે તમામ ઉતારાવાળાને પીજીવીસીએલમાં અરજી કરી કનેકશન મેળવવાનુ કહ્યુ હતુ. એટલે કે ઉતારાવાળાને આ વર્ષે તમામનુ બિલ ભરવાનુ રહેશે. ઉલેખનીય બાબત એ છે કે, જે ઉતારાવાળા શિવરાત્રિના મેળાના દિવસો દરમિયાન લાખો ભાવિકોને અન્નક્ષેત્રના માધ્યમથી પ્રસાદ પીરસતા હોય છે તેને આ વર્ષે તંત્રએ મફતમાં આપવાની જાહેરાત કરતા ઉતારામંડળમાં રોષ ભભક્યો છે. આ બેઠકમાં એસપી, એસડીએમ, ડીડીઓ, શહેર ભાજપ પ્રમુખ, મેયર, ધારાસભ્ય, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસકપક્ષ નેતા સહિતના અધિકારી- પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરડાવાવ, ગિરનાર દરવાજા સુધી લાઇટીંગ, સુશોભન થશે આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનો વિસ્તાર અગાઉ જે ભવનાથ સુધી સીમીત હતો તે વધારીને ભરડાવાવ અને ગિરનાર દરવાજા સુધીનો કરાયો છે. આ વિસ્તાર સુધી સુશોભનો, લાઇટિંગ, સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવશે. જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, 6 હજારની કેપેસીટીવાળો મંડપ બંધાશે મહાશિવરાત્રીના મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે પરંતુ દર વર્ષે જે ભવનાથ મંદિરની પાછળની મનપાની જગ્યામાં થતો હતો તે આ વર્ષે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના પાર્કિંગના ગ્રાઉન્ડમાં યોજાશે, અહીં 6 હજાર લોકો સમાઇ શકે તેવો વિશાળ મંડપ તૈયાર કરાશે. દરેક સમાજની દીકરીઓ કળશ લઇને 11મીએ સંતોનુ સ્વાગત કરશે આ વર્ષે શિવરાત્રિના મેળામાં પ્રથમવાર તારીખ 11 ફેબ્રુઆરીના રોજ સાધુસંતોની ભવ્ય નગરયાત્રા નિકળવાની છે. જે નગરયાત્રાનુ દરેક સમાજની દિકરીઓ કળશ લઇને દરેક પોઇન્ટ પર સ્વાગત કરશે. તેમજ આ નગરયાત્રાની જિલ્લાપંચાયત ગ્રાઉન્ડથી શરૂ થઇ ભવનાથમાં દર્શન કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્ટેજ ખાતે સભાનુ આયોજન થશે. આ નગરયાત્રા પોલીસ બેન્ડ, અશ્વની સવારી સાથે નિકળશે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સન્ડે ફોટોસ્ટોરી:ખાપરા કોડીયાની ગુફામાં ખુશ્બુ ગુજરાત કી'ના શૂટિંગ માટે બનેલી રેલિંગ હવે ભંગાર અવસ્થામાં!​

અમિતાભ બચ્ચને જે ઐતિહાસિક ખાપરા કોડિયાની ગુફાઓમાં 'ખુશ્બુ ગુજરાત કી'નું શૂટિંગ કર્યું હતું, તે આજે તંત્રની બેદરકારીની સાક્ષી પૂરી રહી છે. વર્ષ 2012માં બિગ-બીના આગમન ટાણે લાખોના ખર્ચે જે લાકડાની રેલિંગ બનાવવામાં આવી હતી, તે જાળવણીના અભાવે સડીને કચરો થઈ ગઈ છે. હેરિટેજ સાઈટની આવી દુર્દશા જોઈ પ્રવાસીઓ પણ મોઢું ફેરવી રહ્યા છે. કરોડોના ખર્ચે બનેલી આ વ્યવસ્થા હવે માત્ર 2-3 મુલાકાતીઓ પૂરતી સીમિત રહી ગઈ છે. શું તંત્ર આ વિરાસતને બચાવશે ખરું?.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:જૂનાગઢમાં હવે સિક્કિમ મોડેલ, શિક્ષિત વહુને 50 હજારના એવોર્ડ સાથે પંચાયતની જવાબદારી

જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમર હાલ સિક્કિમના પ્રવાસે છે. સિક્કિમમાં પંચાયતી રાજની મજબૂત વ્યવસ્થા અને ગ્રામીણ વિકાસની અનોખી પદ્ધતિઓનો અભ્યાસ કરવા રાજ્ય સરકાર દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. સિક્કિમની મુલાકાત દરમિયાન એક અત્યંત પ્રેરણાદાયી બાબત સામે આવી છે, જે હવે આગામી બજેટમાં જૂનાગઢ જિલ્લામાં પણ લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સિક્કિમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગ્રાન્ટ વચેટિયાઓ કે તાલુકા-જિલ્લા પંચાયતના હસ્તક્ષેપ વગર સીધી જ ગ્રામ પંચાયતના ખાતામાં જમા થાય છે. આ ઉપરાંત, ત્યાં સામાજિક ઉત્થાન માટે એક અનોખી પરંપરા છે. ગામમાં નવી પરણીને આવેલી વહુ જો ભણેલી-ગણેલી હોય અને તેમનું વર્તન ઉત્કૃષ્ટ હોય, તો તેમને 50,000નો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે. આટલું જ નહીં, આવી શિક્ષિત વહુઓને ગામના ભલા માટે પંચાયતના કામોમાં સક્રિય ભૂમિકા પણ સોંપવામાં આવે છે. પ્રમુખ હરેશ ઠુમરે જણાવ્યું હતું કે, સિક્કિમની આ 'શિક્ષિત વહુ-સશક્ત ગામ' યોજના જૂનાગઢમાં પણ અમલમાં મુકાશે. આગામી બજેટમાં આ માટે ખાસ જોગવાઈ કરવામાં આવશે. જેનાથી જિલ્લાની શિક્ષિત દીકરીઓ/વહુઓને પ્રોત્સાહન મળશે અને ગ્રામીણ વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધશે. આગામી સમયમાં જૂનાગઢ જિલ્લામાં આ બદલાવ આવશેસિક્કિમમાં પંચાયતી રાજ ખૂબ જ પારદર્શક છે. ત્યાંની શિક્ષિત વહુઓને સન્માનિત કરવાની રીત અમને ખૂબ ગમી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત પણ આગામી બજેટમાં આ યોજનાનો સમાવેશ કરશે, જેથી ગામડાની ભણેલી-ગણેલી વહુઓ વહીવટમાં જોડાઈને ગામનું ભલું કરી શકે. > હરેશ ઠુંમર, જિલ્લા પંચાયત પ્રમુખ, જુનાગઢ સિક્કિમ મોડેલની 3 મુખ્ય વિશેષતાઓ‎

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:ભાસ્કરના અહેવાલ બાદ બહુમાળી ભવનમાં પાણી ભરાવાનુ બંધ થયુ

જૂનાગઢ શહેરમાં આવેલ બહુમાળી ભવનની કચેરીમાં છેલ્લા ઘણા દિવસથી પાઇપલાઇન લીકેજ થતા પાણી વહેવાનુ શરૂ થયુ હતુ. દિવાલમાંથી પાણી વહેતા કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાયેલુ જ રહેતુ હતુ. જેને કારણે અરજદારોને આવન-જાવનમાં મુશ્કેલી રહેતી હતી. ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારોને ચાલવુ કઢીન બનતુ હતુ તેમજ લાદીમાં પાણી ભરાવાથી પડી જવાની પણ સમસ્યા ઉભી થઇ હતી. આ તમામ બાબતને લઇ ભાસ્કરે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. બાદમાં તુરંત પાઇપલાઇન રીપેરીંગ કરતા પાણી ટપકતુ બંધ થયુ હતુ. અને ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ભરાતુ અટકતા અરજદારોની મુશ્કેલી દૂર થઇ હતી.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

વેધર રિપોર્ટ:3 દિ'માં તાપમાન 5.9 ડિગ્રી વધ્યું, ગિરનાર પર 11.4

જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે હવામાનમાં પલટો યથાવત રહેવાથી 3 દિવસમાં તાપમાન 5.9 ડિગ્રી વધતા ઠંડીમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. ગિરનાર પર્વત પર ગુરુવારે લઘુત્તમ તાપમાન 5.5 રહ્યા બાદ શનિવારે સતત ત્રીજા દિવસે પણ સવારનો પારો 1.9 ડિગ્રી ઉપર ચડીને 11.4 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે પર્વતીય વિસ્તારમાં ઠંડીથી આંશિક રાહત અનુભવાય હતી. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને ધુમ્મસ રહેતા ગિરનારનું વાતાવરણ વધુ આહલાદક બની ગયું હતું. બીજી તરફ જૂનાગઢ શહેરનું પણ લઘુતમ તાપમાન 1.9 ડિગ્રી ઊંચકાઈને 16.4 ડિગ્રી નોંધાયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 83 ટકાએ પહોંચી જતા અને વાદળછાયું વાતાવરણ રહેતા આખ દિવસ ધૂંધળું વાતાવરણ રહ્યું હતું. સવારથી 2.7 કિલોમીટરની પવનની ઝડપ વચ્ચે મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી વધીને 31 ડિગ્રી નોંધાયું હતું અને બપોરની હવામાં ભેજનું પ્રમાણ 37 ટકા રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

સીઇટી પરીક્ષા:પેપર એકંદરે સામાન્ય રહેતા વિદ્યાર્થીઓને સમયસર પૂર્ણ થયુ

જૂનાગઢ સહિત રાજ્યભરમાં તારીખ 31 જાન્યુઆરીના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સીઇટી)ની પરીૅક્ષા યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાં 14,390 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 11,144 હાજર રહ્યા હતા. પેપર એકંદરે સામાન્ય રહ્યુ હતુ. શિક્ષણવિભાગમાંથી મળતી માહિતી મુજબ 31 જાન્યુઆરીના રોજ યોજાયેલ સીઇટીની પરીક્ષાનુ જિલ્લામાં 52 સ્થળ, 511 બ્લોકમાં આયોજન થયુ હતુ. કુલ 14,390 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જેમાંથી 11,144 હાજર અને 3246 ગેરહાજર રહ્યા હતા. પેપર એકંદરે સામાન્ય રહેતા વિદ્યાર્થીઓને સમયસર પેપર પૂર્ણ થઇ ગયુ હતુ. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસનો તમામ ખર્ચ સરકાર તરફથી મળવાપાત્ર રહેશે એમ જણાવ્યુ છે.

દિવ્ય ભાસ્કર 1 Feb 2026 4:00 am

ડાંગમાં લાકડા ચોરી અટકાવવા જતાં વનકર્મીની હત્યા:વઘઇ રેન્જમાં બોરીગાંવઠા ગામ નજીક 3 તસ્કરોનો ધારદાર હથિયારો વડે હુમલો, આરોપીઓ ફરાર

ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ હેઠળ આવતા બોરીગાંવઠા ગામ નજીક લાકડા તસ્કરી અટકાવવા ગયેલા વનકર્મીની તસ્કરો દ્વારા હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકારમાં ફરજ બજાવી રહેલા વનકર્મી પર 3 જેટલા તસ્કરોએ ધારદાર હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાને પગલે વન વિભાગમાં ભારે રોષ અને શોકની લાગણી વ્યાપી છે. ધારદાર હથિયારો વડે વનકર્મી પર જીવલેણ હુમલોમળતી માહિતી મુજબ, વઘઇ રેન્જમાં ગેરકાયદે લાકડાની કાપણી થઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળતા વનકર્મી સનત બિરારી રાત્રિના સમયે તપાસ માટે નીકળ્યા હતા. બોરીગાંવઠા ગામની સીમમાં 3 શખ્સો લાકડાની ચોરી કરતા નજરે પડ્યા હતા. સનત બિરારીએ આ તસ્કરોને રોકવાનો અને પકડવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. ઉશ્કેરાયેલા તસ્કરોએ પોતાની પાસે રહેલા ધારદાર હથિયારો વડે વનકર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. વનકર્મી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે ઢળી પડ્યો હુમલો એટલો ગંભીર હતો કે સનત બિરારી લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આસપાસના વિસ્તારમાંથી કોઈ મદદ પહોંચે તે પહેલા જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હત્યા કર્યા બાદ ત્રણેય આરોપીઓ જંગલના અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ કાર્યવાહી અને તપાસઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વઘઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતક વનકર્મીના સાથી કર્મચારી હરેશ ચૌધરીએ આ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. શંકાસ્પદ વિસ્તારો અને નજીકના ગામોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સલામતી સામે સવાલજંગલ અને વન્યજીવોના રક્ષણ માટે રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવતા વનકર્મીની હત્યાએ વન વિભાગના સ્ટાફની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન ખડા કર્યા છે. સ્થાનિકો અને વનકર્મી મંડળો દ્વારા માંગ કરવામાં આવી છે કે આરોપીઓને વહેલી તકે પકડી કડક સજા કરવામાં આવે અને જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા કર્મચારીઓને પૂરતા પ્રમાણમાં સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:26 pm

1.70 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે આરોપી અમદાવાદથી ઝડપાયો:ભાવનગરથી તેના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો, સાગરીતને રોપડા બ્રિજ પાસે ઉતારીને આરોપી ફરાર

એસ.પી. રીંગરોડ નજીક આવેલા વટવા રોપડા ચાર રસ્તા પાસેથી પોલીસે બાતમીના આધારે એક યુવકને 1.70 કરોડની 1.718 કિલોગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યો છે અને એક આરોપી ફરાર છે.ભાવનગરથી તેના સાગરિત સાથે કારમાં એમ્બરગ્રીસ વેચવા અમદાવાદ આવ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર આરોપી તેને એમ્બરગ્રીસ વેચવા માટે રૂ. 20 હજાર કમિશન આપવાનો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. 1.70 કરોડનો વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવ્યો વટવા પોલીસને બાતમી મળી હતી કે રોપડા બ્રિજ પાસે એક યુવક એમ્બરગ્રીસ લઇને ઉભો છે. તેના આધારે પોલીસે ત્યાં પહોચીને યુવકને કોર્ડન કરીને તેની તપાસ કરતા તેની પાસેથી 1.70 કરોડની 1.718 કિલોગ્રામ સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો મળી આવ્યો હતો. ભરત તેને કમિશન પેટે 20 હજાર આપવાનો હતોપોલીસે તેનું નામ પૂછતા ભાવનગરના મહુવાનો ભરત ઘુંઘળવા અને મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યુ હતુ. તે તેના સાગરિત ભાવનગરનો ભરત બાંભણીયા સાથે કારમાં એમ્બરગ્રીસ લઇને આવ્યો હતો. બાદમાં ભરત તેને રોપડા બ્રિજ પાસે ઉતારીને નાસી ગયો હતો.જેમાં ભરતે તેને ડિલિવરીનું કામ સોંપ્યુ હતુ. જેમાં ભરત તેને કમિશન પેટે 20 હજાર આપવાનો હતો. ત્યારે હાલ વટવા પોલીસની એક ટીમ ભાવનગર ખાતે અન્ય આરોપીની શોધખોળ કરવા પહોંચી છે. પોલીસે તપાસ હાથ ધરીપોલીસે હાલ કબ્જે કરેલ વ્હેલ માછલીની ઉલ્ટીને લઈને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.કારણકે ભારતીય વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ વ્હેલ માછલીનો વેપાર કરવો અને તેની ઉલ્ટી કે જેને એમ્બરગ્રીસ કહેવાય છે તેનું વેચાણ અને ખરીદી પણ ગુનો સાબિત થતો હોવાના લીધે પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરુ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:22 pm

250થી વધુ વિદ્યાર્થીઓએ સ્પોર્ટ્સ વીકમાં ભાગ લીધો:મોડાસાની કૃષ્ણા નર્સિંગ કોલેજમાં ટેલેન્ટ ફેસ્ટાનું આયોજન

મોડાસાના ગાઝણ ખાતે આવેલી કૃષ્ણા નર્સિંગ કોલેજમાં 'કૃષ્ણા ટેલેન્ટ ફેસ્ટા' અંતર્ગત સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. કોલેજના તમામ ફેકલ્ટી સભ્યોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રેસિડેન્ટ અશ્વિન પટેલ, સેક્રેટરી દીપ પટેલ, ડો. વ્રજ પટેલ, ડો. દામિની પટેલ અને ધ્વનિ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કોલેજના પ્રિન્સિપાલ વિજય પાટીદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:13 pm

ઓરિસ્સાથી ત્રીજી વખત ગાંજો ઘૂસાડતા ઝડપાયા:રૂરલ SOGએ 14 લાખનો ગાંજો બોલરોમાં ગોંડલ સપ્લાય થાય તે પૂર્વે કબ્જે કર્યો, 4 શખ્સો પકડાયા

રાજકોટ રૂરલ પોલીસે નશીલા પદાર્થોના વેપલો કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રામ્ય SOG ની ટીમ દ્વારા રાજકોટથી ગોંડલ તરફ જઈ રહેલી એક બોલેરો કારમાંથી અંદાજે રૂ.14 લાખની કિંમતનો 29 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઓરિસ્સાથી રાજકોટ ટ્રકમાં ગાંજાનો જથ્થો લાવનાર 2 શખ્સ અને જેમને સપ્લાય કરવા આવ્યા તે 2 શખ્સને પોલીસે પકડી પાડ્યા છે. જ્યારે ઓરિસ્સાનો મુખ્ય સૂત્રધાર વોન્ટેડ છે. જેને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે. જોકે મહત્વની વાત એ છે કે ઓરિસ્સાથી અગાઉ 2 વખત ગાંજો રાજકોટમાં ઘૂસાડી પોલીસની આંખમાં ધૂળ નાખી ચૂક્યા છે. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યારાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યુ હતુ કે, ગાંજાના જથ્થા સાથે અશરફ ઉર્ફે અપુ પટ્ટા અને શાહનવાજ પટ્ટા બંને ભાઈઓ છે. જેઓ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો ટ્રકમાં લઈને આવ્યા હતા. જે બાદ આ જથ્થો પોતાની બોલેરો કારમાં લઈ ભાયાવદરના સમીર પટ્ટા અને ઉપલેટાના અશ્ફાક ખોખરને સપ્લાય કરવા જતા હતા ત્યારે પોલીસે ચારેયને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ત્રીજી વખત ગાંજાનો જથ્થો ઘૂસાડ્યો પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીઓએ ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યા હોવાની કબૂલાત આપી હતી. આ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઓરિસ્સાનો શુશાંત લેનકા હોવાનું સામે આવ્યુ છે. જે હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ત્રીજી વખત ગાંજાનો જથ્થો ઘૂસાડ્યો છે. જેના પગલે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસે આ મામલે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:12 pm

લાખવડ શાળામાં બેગલેસ ડેની ઉજવણી:ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ સલાડ ડેકોરેશન કર્યું

લાખવડ પગાર કેન્દ્ર શાળામાં મહિનાના ચોથા શનિવારે બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિ અંતર્ગત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ કલાત્મક રીતે સલાડ ડેકોરેશન કર્યું હતું. વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી ગાજર, બીટ, વટાણા, કોબી, મરચું, ટામેટા, મૂળો, કેળા, સફરજન જેવી શાકભાજી અને ફળો લાવ્યા હતા. સાથે જ ચપ્પુ અને સ્ટીલની થાળી પણ લાવ્યા હતા.ગ્રુપમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના આકારોનો ઉપયોગ કરીને સલાડની ડીશને અનોખી રીતે શણગારી હતી. ધોરણ 6, 7 અને 8 ના વર્ગ પ્રમાણે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પણ આપવામાં આવ્યા હતા.પ્રવૃત્તિના અંતે, તૈયાર કરેલી સલાડ ડીશમાં સંચળ ઉમેરીને શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેનો સ્વાદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:06 pm

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું રાજકોટમાં સન્માન:કરુણા ફાઉન્ડેશન દ્વારા 1 ફેબ્રુઆરીએ સમારોહ યોજાશે

રાજકોટમાં કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન દ્વારા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારોહ 01 ફેબ્રુઆરી, 2026 રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે રાજકોટની ભાભા હોટેલ, ત્રિકોણબાગ પાસે યોજાશે. અર્જુનભાઈ મોઢવાડિયા વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગ સાથે સંકળાયેલા છે. મંત્રી મોઢવાડિયાનું સન્માન પર્યાવરણ સંરક્ષણ, વન સંવર્ધન, ક્લાઈમેટ ચેન્જ અંગે જાગૃતિ અને સમાજહિતના અનેક કાર્યોમાં તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે કરવામાં આવશે. જીવદયા ક્ષેત્રે, પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી અને અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા તેમનું વિશેષ સન્માન કરાશે. શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન છેલ્લા 22 વર્ષથી નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર, એમ્બ્યુલન્સ સેવા, રેસ્ક્યુ કામગીરી અને જનજાગૃતિના ક્ષેત્રે અવિરત સેવા આપી રહી છે. આ સંસ્થાને ભારત સરકાર દ્વારા જીવદયાના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે અને તે નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારત દેશની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થાના દવાખાનામાં અત્યાર સુધીમાં 13 લાખ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ પર જ, વિનામૂલ્યે, નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા 11 એમ્બ્યુલન્સ તેમજ ત્રણ બાઇક એમ્બ્યુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર કરવામાં આવી છે. દર માસે લગભગ 13,000 જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાત પશુચિકિત્સકોની ટીમ દ્વારા સ્થળ પર જ, વિના મૂલ્યે, તેઓ સાજા થાય ત્યાં સુધી સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર, અશક્ત અને અકસ્માતથી ઘવાયેલા પશુ-પક્ષીઓને ગૌશાળા, પાંજરાપોળ અથવા સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, પર્યાવરણપ્રેમીઓ, જીવદયા સાથે સંકળાયેલા કાર્યકરો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે. રસ ધરાવતા સૌને ઉપસ્થિત રહેવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઇન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ ભરાડ, ધીરેન્દ્રભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર અને ઘનશ્યામભાઈ ઠક્કર સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વધુ માહિતી માટે મિત્તલ ખેતાણી (98242 21999) અને પ્રતિક સંઘાણી (99980 30393) નો સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:05 pm

ગીરગંગા ટ્રસ્ટ દ્વારા નવા ઝાંઝરીયામાં ગ્રામસભા:જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પર ભાર મૂકાયો

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નવા ઝાંઝરીયા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ગ્રામ્ય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાના હેતુથી આ સભા યોજાઈ હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રનો મુખ્ય આધાર જળસંચય છે. ટ્રસ્ટ લોકભાગીદારીથી ચેકડેમ ઊંડા કરવા, ખેત તલાવડીઓ બનાવવા અને બોર રિચાર્જ જેવા કાર્યો કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે વરસાદી પાણીને ગામમાં અને સીમમાં રોકી શકીશું, તો જ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. જળસંગ્રહ માત્ર પાણી બચાવવાનું કાર્ય નથી, પરંતુ આવનારી પેઢીને સુખી અને સમૃદ્ધ બનાવવાનું અભિયાન છે. ગ્રામસભામાં પાણીના દરેક ટીપાનું મહત્વ સમજાવીને તેને જમીનમાં ઉતારવા માટેની વિવિધ પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ ટ્રસ્ટની કામગીરીને બિરદાવી જળસંચય અભિયાનમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ કલ્યાણભાઈ, રમેશભાઈ ધાનાણી, દેવચંદભાઈ સવાલીયા, મહેન્દ્રભાઈ પાથર, વિવેકભાઈ કોલડિયા, દિલીપભાઈ કોલડિયા, કાંતિભાઈ કોલડિયા, અરજણભાઈ માસ્તર, નારણભાઈ કોલડિયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:04 pm

જામનગરમાં શિક્ષણ વિભાગના પેન્શનર્સની બેઠક યોજાઈ:સૌરાષ્ટ્ર ઝોનના નિવૃત્ત કર્મચારીઓ જોડાયા, સંસ્મરણો તાજા કર્યા

ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનર મંડળ દ્વારા જામનગર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પેન્શનરોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના વિવિધ જિલ્લાઓમાંથી નિવૃત્ત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરાના નિવૃત્ત આચાર્ય ડી.આર. રાવલે કરી હતી. અતિથિ વિશેષ તરીકે જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય સી.કે. વાછાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જામનગરના નિવૃત્ત અધિક્ષક એલ.ડી. બંધીયા હાજર રહ્યા હતા. ઓસવાળ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટના વેલજીભાઈ શાહ ખાસ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ આઈ.કે. પટેલ, મહામંત્રી જી.કે. પરમાર, સંગઠન મંત્રી ભગુભાઈ સિંઘલ, કારોબારી સભ્યો ડી.જી. સોલંકી અને કાળુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. મહેમાનો અને મંડળના હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. મંડળના મહામંત્રી જી.કે. પરમાર અને પ્રમુખ આઈ.કે. પટેલ સહિત અન્ય મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિઠ્ઠલભાઈ ધોળકિયાએ કર્યું હતું, જ્યારે મંડળના સિનિયર સભ્ય એન.જી. દવેએ આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:03 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ શાંતિ પ્રાર્થના-2026 યોજાઈ:મહાત્મા ગાંધી, બળદેવદાસજીની પુણ્યતિથિ નિમિત્તે શાંતિ સંદેશ અપાયો

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2026માં મહાત્મા ગાંધી અને બળદેવદાસજીની પુણ્યતિથિ નિમિત્તે વિશ્વ શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શાંતિ, સહઅસ્તિત્વ અને પરસ્પર સન્માનનો સંદેશ ફેલાવવાનો હતો. ગાંધીજી અહિંસા, સત્ય અને માનવતાના પ્રતીક છે, જ્યારે બળદેવદાસજી સેવા, ત્યાગ અને આધ્યાત્મિક મૂલ્યોના માર્ગદર્શક રહ્યા છે. આ પ્રાર્થના કાર્યક્રમ દ્વારા વર્તમાન સમયમાં વધી રહેલી હિંસા, અસહિષ્ણુતા અને માનસિક તણાવ વચ્ચે શાંતિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. વિવિધ ધર્મો અને સમુદાયોના લોકો એકત્રિત થઈ પ્રાર્થનામાં જોડાયા, જેણે સર્વધર્મ સમભાવ અને વૈશ્વિક એકતાનો સંદેશ આપ્યો. આ પ્રાર્થના આંતરિક શાંતિ, સંવાદ અને સમજણનું માધ્યમ બની. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ આયોજન સમાજમાં નૈતિક મૂલ્યોને મજબૂત કરવા અને યુવા પેઢીને ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતો તેમજ બળદેવદાસજીના સેવાભાવથી પ્રેરણા આપવા માટે મહત્વપૂર્ણ છે. આવા શાંતિ પ્રાર્થના કાર્યક્રમો દ્વારા માનવતા, કરુણા અને સહયોગની ભાવના વિકસે છે, જે શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વિશ્વના નિર્માણમાં ફાળો આપે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:01 pm

સાળંગપુર હનુમાનજીને ચાંદીનો મુગટ, જરદોશી વાઘા અને ફૂલોનો શણગાર:દાદાને સુખડી-ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં શનિવાર, ૩૧ જાન્યુઆરીના રોજ દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ, જરદોશીવર્ક અને ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઓર્કિડ અને ગુલાબના ફૂલોથી અત્યંત મનોહર શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર ગર્ભગૃહને આ ફૂલોથી સુશોભિત કરાયું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાદાને સુખડી અને તાજા ફળોનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંદિરમાં વહેલી સવારે 5.30 કલાકે વડતાલના ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન થઈ હતી. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દાદાના દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 10:00 pm

દીવાન-બલ્લુભાઈ શાળામાં વેશભૂષા હરીફાઈ:ધોરણ 1 અને 2 ના 205 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હરીફાઈમાં કુલ ૨૦૫ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ વિવિધ પાત્રો, રાષ્ટ્રીય મહાનુભાવો, સામાજિક વિષયો અને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ મંચ પર રજૂ થયા હતા. તેમની આત્મવિશ્વાસભરી રજૂઆત અને સર્જનાત્મકતાએ ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. આ હરીફાઈનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, અભિવ્યક્તિ શક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવાનો હતો. કાર્યક્રમને શિક્ષકો અને વાલીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક શિક્ષિકાઓ શ્રી જીનાલીબહેન ભટ્ટ અને શ્રી શિલ્પાબહેન રબારી તેમજ સહભાગી બનેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:58 pm

ગુરુકુળના વિદ્યાર્થીઓએ ભાવનગર સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી:વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવવા શૈક્ષણિક પ્રવાસનું આયોજન

સ્વામિનારાયણ ગુરુકુળના સ્પેશિયલ વિભાગના ધોરણ 8 અને 9ના કુલ 300 વિદ્યાર્થીઓએ 30 જાન્યુઆરી, 2026ના રોજ ભાવનગરના નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટર (RSC)ની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત સહ-અભ્યાસિક પ્રવૃત્તિના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ કેળવાય અને ટેકનોલોજીના વિવિધ પાસાઓનું પ્રાયોગિક જ્ઞાન મળે તે મુખ્ય હેતુ હતો. ગુરુકુળ દ્વારા આયોજિત આ પ્રવાસમાં વિદ્યાર્થીઓને પુસ્તકિયા જ્ઞાનને પ્રાયોગિક મોડેલ્સ સાથે સાંકળવાનો અવસર મળ્યો. સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા વિદ્યાર્થીઓને પાંચ મુખ્ય ગેલેરીઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ગેલેરીઓમાં મરીન એક્વેટિક, ઓટોમોબાઈલ, નોબેલ પ્રાઈઝ, બાયો સાયન્સ અને ઈલેક્ટ્રો મિકેનિકલ ગેલેરીનો સમાવેશ થાય છે. મરીન એક્વેટિક ગેલેરીમાં વિદ્યાર્થીઓએ દરિયાઈ જીવસૃષ્ટિ અને જળચર પ્રાણીઓ વિશે જાણ્યું. ઓટોમોબાઈલ ગેલેરીમાં પૈડાની શોધથી લઈને આધુનિક કાર અને વિમાનના એન્જિનની ઉત્ક્રાંતિ તેમજ એન્જિનના કાર્યકારી મોડેલ્સ જોઈને વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં વિજ્ઞાન ક્ષેત્રે મહાન યોગદાન આપનાર વૈજ્ઞાનિકો અને તેમના ક્રાંતિકારી સંશોધનો વિશે પ્રેરણાત્મક માહિતી આપવામાં આવી. બાયો સાયન્સ ગેલેરીમાં પૃથ્વી પર સજીવોની ઉત્પત્તિ અને વિકાસના તબક્કાઓ દર્શાવતી વિશેષ ડોક્યુમેન્ટરી નિહાળી, જેણે વિદ્યાર્થીઓના જીવવિજ્ઞાનના જ્ઞાનમાં વધારો કર્યો. ઈલેક્ટ્રો મિકેનિકલ ગેલેરીમાં વિદ્યાર્થીઓએ વીજળી અને યંત્રશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો સમજ્યા. મોટર અને જનરેટર કઈ રીતે કાર્ય કરે છે, તેમજ વીજળીનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કઈ રીતે થાય છે તેની જીવંત સમજૂતી મેળવી. વર્કિંગ મોડેલ્સ દ્વારા વિદ્યુત ચુંબકીય સિદ્ધાંતો શીખવાનો અનુભવ વિદ્યાર્થીઓ માટે નવો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન સેન્ટરના સ્ટાફની સમજાવવાની શૈલી અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા પ્રશંસનીય રહી હતી. આ શૈક્ષણિક મુલાકાત વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીને વ્યવહારિક રીતે સમજવામાં અત્યંત સફળ રહી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:57 pm

લક્ષ્મી અને અનિલ બગદાણા ગ્રુપ પર ચોથા દિવસે રેડ યથાવત:અધિકારીઓએ હજુ સુધી એક પણ સ્થળ છોડ્યું નથી, વધુ એક- બે દિવસ સુધી આ કામગીરી ચાલે એવી શક્યતા

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સુરતના જાણીતા લક્ષ્મી ગ્રુપ અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા અનિલ બગદાણા પર હાથ ધરવામાં આવેલું સર્ચ ઓપરેશન આજે ચોથા દિવસે પણ સતત ચાલુ રહ્યું છે. તપાસની ગંભીરતાને જોતા અધિકારીઓએ હજુ સુધી એક પણ સ્થળ છોડ્યું નથી અને કુલ 30 જેટલા સ્થળો પર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ એક- બે દિવસ સુધી આ કામગીરી ચાલે એવી શક્યતા છે. અગાઉની રેડમાં પણ આવી મોડસ ઓપરેન્ડી પકડાઈ ચૂકી છેતપાસ દરમિયાન લક્ષ્મી ગ્રુપની ઓફિસોમાંથી મોટા પ્રમાણમાં હીરાનો સ્ટોક મળી આવ્યો છે, જેનું હાલ વેલ્યુએશન કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ હીરાના આયાત-નિકાસના ડેટા સાથે સ્ટોકની સરખામણી કરી રહ્યા છે. મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે, શું હીરાનો જથ્થો સત્તાવાર ચોપડે નોંધ્યા વગર જ 'બે નંબરમાં' સપ્લાય કરવામાં આવ્યો છે કે કેમ, કારણ કે અગાઉની રેડમાં પણ આવી મોડસ ઓપરેન્ડી પકડાઈ ચૂકી છે. જમીનના સોદા બાબતે આકરી પૂછપરછ હાથ ધરાઈબીજી તરફ બિલ્ડર અનિલ બગદાણાની જમીનના સોદા બાબતે આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન જમીનના 'સતાઘટ' ના અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. અધિકારીઓએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, મોટા પાયે થયેલા જમીનના સોદાઓમાં કેટલી રોકડની લેવડ-દેવડ થઈ હતી અને તેમાંથી કેટલી રકમ બગદાણાને મળી હતી. બેનામી રોકાણોના પુરાવા એકત્રિત કરવા પર આઈટીની ટીમ જોર આપી રહી છે. 100 કરોડ રૂપિયાના વ્યવહારોના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યાઅત્યાર સુધીની ચાર દિવસની તપાસમાં આવકવેરા વિભાગને મોટી સફળતા મળી છે, જેમાં અંદાજે 10 કરોડ રૂપિયાની રોકડ અને કરોડોના મૂલ્યની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. આ સિવાય, એક સ્ટોર રૂમમાંથી આશરે 100 કરોડ રૂપિયાના વ્યવહારોના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાં અનેક કાચા વ્યવહારો અને બિનહિસાબી રોકાણોની વિગતો હોવાનું મનાય છે. ટેક્સ ચોરીનો આંકડો મોટો થવાની સંભાવનાસમગ્ર દરોડાની કાર્યવાહીમાં આવકવેરા વિભાગના 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. સુરત અને મુંબઈ સ્થિત અન્ય સહયોગીઓના સ્થળો પર પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં જ્યારે ડિજિટલ ડેટા અને જપ્ત કરાયેલા દસ્તાવેજોનું સંપૂર્ણ વિશ્લેષણ થશે ત્યારે ટેક્સ ચોરીનો આંકડો મોટો થવાની અને અનેક મોટા માથાંઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:51 pm

બોટાદના રાણપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં 3નાં મોત:ટ્રક અને ઈકો વચ્ચે ભયાનક ટક્કર, કારનો કચ્ચરઘાણ વળી ગયો, લાશો રોડ પર પડી, બાળકે તરફડીયા માર્યા

બોટાદ જિલ્લાના રાણપુર નજીક કિનારા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં એક ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારને ભારે નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:50 pm

હાઈકોર્ટે બે પુરુષોને નિર્દોષ છોડ્યા:યુવતીને નર્મદા કેનાલમાં કૂદતી બચાવી હતી, તેના અપહરણનો આરોપ બંને પુરુષો ઉપર લાગ્યો હતો

એક છોકરીના અપહરણનો આરોપ લાગેલા બે પુરુષોને દોષિત ઠરાવવાનો આદેશ હાઇકોર્ટે રદ કર્યો છે. જેમાં એવું અવલોકન કર્યું છે કે, આરોપીઓએ છોકરીને મદદ કરી હતી પરંતુ, તેમ છતાંય તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આવા ઘણા યુવાનો જેલમાં સબડી રહ્યા છે કારણ કે, કડક કાયદાઓ 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ સાથેના સંબંધોને મંજૂરી આપતા નથી. ભલે તે સંબંધો મૈત્રીપૂર્ણ જ કેમ ન હોય. નોંધનીય છે કે આ બંને આરોપીઓ પીડિતાને આપઘાત કરવાથી બચાવી હતી. બાળકોના રક્ષણ અધિનિયમ 2012 હેઠળ ટ્રાયલનો સામનો કરવો પડી શકે આ કેસમાં અપીલકર્તા પુરુષો વતી હાજર એડવોકેટ અને રાજ્ય સરકારની દલીલોને ધ્યાનમાં લેતા હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે 18 વર્ષથી ઓછી ઉંમરની કિશોરાવસ્થામાં ગર્લફ્રેન્ડને મદદ કરવાથી અથવા મદદ કરવાથી તેમને ભારતીય દંડ સંહિતા અથવા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ, 2012 હેઠળ ટ્રાયલનો સામનો કરવો પડી શકે છે. એ બાબત પુખ્તવયે પહોંચી રહેલા યુવકોને સમજવા અને શીખવાની જરૂર છે. 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે સંબંધ બાંધવાની મંજૂરી ન આપતા કડક કાયદાઓને કારણે હાલમાં ઘણા યુવાનો જેલમાં સબડી રહ્યા છે. ભલે પછી તે યુવાનોના સંબંધો મૈત્રીપૂર્ણ રીતે બંધાયેલા હોય. બંને પુરુષોને અપહરણના આરોપ હેઠળ સજા ફટકારવામાં આવી હતી2004માં પીડિતાના પિતા દ્વારા નોંધાયેલી FIRનો આ મામલો છે. જેમાં બે પુરુષો પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓએ બે આરોપીઓમાંથી એકસાથે લગ્ન માટે લલચાવીને પીડિતાને તેના પિતાના કાયદેસર વાલીપણાથી ભગાડીને લઈ ગયા હતા. આ પુરુષો પર ભારતીય દંડ સંહિતાની કલમ 363 અને 366 હેઠળ અપહરણ અને લગ્ન માટે મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બંને પુરુષોને અપહરણના આરોપ હેઠળ બે વર્ષની સખત કેદ અને 5 હજાર રૂપિયા દંડ અને એટ્રોસિટી એક્ટ હેઠળ 6 મહિનાની સખત કેદ અને 1 હજાર રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી હતી. બંને પીડિતાનું રક્ષણ કરતા હતાઅપીલકર્તાના વકીલે રજૂઆત કરી હતી કે, આ બે આરોપીઓ ફક્ત પીડિતાનું રક્ષણ કરી રહ્યા હતા. જે દિવસે તે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલ પર ગઈ હતી. પોલીસ પીડિતાને તેના માતા-પિતાને સોંપવાને બદલે તેને એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં બે આરોપીઓ તેનું રક્ષણ કરવા અને આત્મહત્યા ન કરવા માટે સમજાવવા તેની સાથે જ હતા અને જે બાબત પોલીસને પણ ખબર હતી. આરોપીઓ વિરૂદ્ધ કોઈ ગુનો સાબિત થતો ન હોવાથી બંનેને આરોપોમાંથી મુક્ત કરાયાપીડિતાએ તેના પરિવાર સાથેના વિવાદને કારણે પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું. પીડિતના ભાઈએ તેને માર માર્યો હતો અને તેથી તે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલ ગઈ હતી. હાઇકોર્ટે ઉક્ત રજૂઆતો બાદ નોંધ્યું હતું કે પીડિતા 18 વર્ષથી ઓછી ઉંમરની હોવાનું ફરિયાદી પક્ષી સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. ફરિયાદ પક્ષનો આખો કેસ આરોપી પર દોષારોપણ કરવા માટે જ કરવામાં આવ્યો છે. માતાપિતા તેને સલામત વાતાવરણ અને ઘરમાં યોગ્ય સંભાળ અને પ્રેમ આપવામાં નિષ્ફળ ગયા હતા, જેથી તે આત્મહત્યાના ઇરાદે ઘરની બહાર નીકળી હતી. આવા તબક્કે આરોપીઓ વિરૂદ્ધ કોઈ ગુનો સાબિત થતો ન હોવાથી બંનેને આરોપોમાંથી મુક્ત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:22 pm

અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ દેસાઈ સસ્પેન્ડ:સત્તાના દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિ બદલ DDOની કડક કાર્યવાહી

વલસાડ જિલ્લાની અતુલ ગ્રામ પંચાયતના ઉપસરપંચ દર્શલ દેસાઈને સત્તાના દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા આ કડક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપસરપંચ દર્શલ દેસાઈ પર આરોપ છે કે તેમણે પંચાયતના નાણાકીય વ્યવહારોમાં સરપંચની ફરજિયાત સહીને બદલે પોતાની સહી કરીને બિનઅધિકૃત રીતે નાણાં ઉપાડ્યા હતા. આ મામલે અગાઉ સરપંચ અને ઉપસરપંચ વચ્ચે પરસ્પર ફરિયાદો નોંધાઈ હતી. વલસાડ DDO અને TDOની ટીમે સંયુક્ત રીતે આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. તપાસમાં ફરિયાદના આક્ષેપો સાચા ઠર્યા હતા, જેના આધારે DDO કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો. જાન્યુઆરી 2022 થી ડિસેમ્બર 2022 દરમિયાન વિકાસ કમિશનરના 2018ના ઠરાવનું ઉલ્લંઘન કરીને ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાંનો ગેરરીતિપૂર્વક ઉપયોગ થયો હોવાનું તપાસમાં સામે આવ્યું. પંચાયતના રેકોર્ડ મુજબ, કુલ 588 કામો માટે નાણાં ચૂકવાયા હતા, જેમાંથી માત્ર એક જ કામને વહીવટી મંજૂરી મળી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે કામ પૂર્ણતા પ્રમાણપત્ર વિના લાખો રૂપિયા ચૂકવાયા હતા, સામાન્ય સભાના ઠરાવ વિના ખરીદીઓ અને ખર્ચ કરાયા હતા, તેમજ લેખિત મંજૂરીને બદલે મૌખિક આદેશોથી કામો કરાવવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના જણાવ્યા અનુસાર, આ તમામ ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ ઉપસરપંચ દર્શલ દેસાઈને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તેઓ આ નિર્ણય સામે 30 દિવસની અંદર વિકાસ કમિશનર સમક્ષ અપીલ કરી શકશે. આ ઉપરાંત, તે સમયગાળા દરમિયાન ફરજ બજાવતા તત્કાલીન તલાટી-કમ-મંત્રી સામે પણ તપાસ શરૂ કરવા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આદેશો આપવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:16 pm

60 વર્ષીય વૃદ્ધને શેરબજારની લાલચમાં 64 લાખની છેતરપિંડી:યુટ્યુબ જાહેરાતથી વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા, ગઠિયાઓએ ફેક એપમાં બેલેન્સ બતાવી લૂંટી લીધા

શેરબજારમાં ઝડપથી નફો કમાવવાની લાલચમાં આવીને અમદાવાદના એક 60 વર્ષીય વૃદ્ધને સાયબર ગઠિયાઓએ 64.04 લાખ રૂપિયા પડાવ્યા. ઇસનપુર-વટવા રોડ વિસ્તારમાં રહેતા આ વૃદ્ધ યુટ્યુબ પર શેરબજારમાં રોકાણના વીડિયો જોતા હતા, જ્યાં 'પ્રેમપ્રકાશ' નામના એક શખસ દ્વારા ઓનલાઈન ટ્રેડિંગથી લાખોનો નફો કરાવવાની જાહેરાત જોતાં તેમને પણ રોકાણની લાલચ જાગી હતી. એપમાં રોકાણ સામે મોટુ બેલેન્સ બતાવીને વૃદ્ધને વિશ્વાસમાં લીધાજાહેરાત પર ક્લિક કરતાં જ વૃદ્ધ એક વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ ગયા. ગ્રૂપમાં 'પ્રેમપ્રકાશ' નામનો વ્યક્તિ સવારે ભારતીય શેરબજાર અને સાંજે યુ.એસ. સ્ટોકમાં ટ્રેડિંગની ટિપ્સ આપતો હતો અને મોટો નફો થઈ શકે તેવી લાલચ આપતો હતો. ગઠિયાઓએ વૃદ્ધનો વિશ્વાસ મેળવી તેમની બેંક વિગતો મેળવી લીધી અને એક ફેક ટ્રેડિંગ એપમાં એડ કરી દીધા. એપમાં રોકાણ સામે મોટુ બેલેન્સ બતાવીને વૃદ્ધને વિશ્વાસમાં લેવામાં આવ્યા. પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ કરતાં કોઈ રકમ જમા ન થઈગઠિયાઓએ કુલ 13 ટ્રાન્ઝેક્શન કરાવી 56.16 લાખ રૂપિયા રોકાણ કરાવ્યા. ત્યારબાદ વધુ નફાની લાલચ આપીને આઈપીઓમાં રોકાણના બહાને વધુ 7.88 લાખ રૂપિયા ઉઘરાવ્યા, જેથી કુલ 64.04 લાખ રૂપિયાનું નુકસાન થયું. એપમાં 2.55 કરોડનું બેલેન્સ બતાવીને વૃદ્ધને ખુશ કરવામાં આવ્યા હતા, પરંતુ પૈસા ઉપાડવાની રિક્વેસ્ટ કરતાં કોઈ રકમ જમા ન થઈ. અનેક વખત સંપર્ક કરવા છતાં જવાબ ન મળતા વૃદ્ધે સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીની ધરપકડના પ્રયાસ ચાલુપોલીસે જણાવ્યું કે, આ પ્રકારની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપિંડીમાં ફેક એપ, ફેક બેલેન્સ અને ખંડણી જેવી રીતો અપનાવવામાં આવે છે. વૃદ્ધો અને નવા રોકાણકારોને યુટ્યુબ જાહેરાતો અને વોટ્સએપ ગ્રૂપ્સથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. સાયબર ક્રાઈમ સેલે આ કેસની તપાસ શરૂ કરી છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 9:00 pm

સુરેન્દ્રનગર મોક્ષધામ મેનેજરે ગુમ થયેલા ચેક પરત કર્યા:ખાતાધારક રાજેશ વોરાને ઈમાનદારીપૂર્વક પરત કર્યા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સંચાલિત મુખ્ય મોક્ષધામના મેનેજર સુમિતભાઈ ઉમરાણીયાએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમને મોક્ષધામના પટાંગણમાંથી ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરાના ગુમ થયેલા બે ચેક મળ્યા હતા. આ ચેક પર સહી કરેલી હતી, પરંતુ રકમ અને તારીખ લખેલા ન હતા. ચેક રાજકોટ નાગરિક બેંકના હોવાથી, સુમિતભાઈએ પાવર ફાઇનાન્સ બોર્ડના ડિરેક્ટર અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન નરેશભાઈ ધનરાજભાઈ કેલાનો સંપર્ક કર્યો હતો. નરેશભાઈ કેલાએ તાત્કાલિક સુરેન્દ્રનગર રાજકોટ નાગરિક બેંકના બ્રાન્ચ મેનેજર મયુરભાઈ ધોળકિયાને જાણ કરી. બ્રાન્ચ મેનેજરે ખાતાધારક રાજેશભાઈ વોરાનો સંપર્ક કરીને તેમને મોક્ષધામ ખાતેથી ચેક મેળવી લેવા જણાવ્યું. ત્યારબાદ, ખાતાધારક રાજેશભાઈ લાલચંદભાઈ વોરા સુરેન્દ્રનગર મોક્ષધામની ઓફિસ ખાતે આવ્યા હતા. સુમિતભાઈ ઉમરાણીયા અને મોક્ષધામના ચોકિયાત મફાભાઈએ સાથે મળીને તેમને બંને ચેક પરત કર્યા હતા. પોતાના ગુમ થયેલા ચેક પાછા મળતા રાજેશભાઈ વોરાએ ખુશી વ્યક્ત કરી હતી અને સુમિતભાઈ તથા મોક્ષધામના સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:50 pm

રૂ. 97 લાખના 'તરતા સોના' સાથે બે ઝડપાયા:સ્પર્મ વ્હેલની ઉલ્ટી લઈને રાજકોટ વેંચવા આવેલા બે શખસોને પોલીસે દબોચી લીધા, મુખ્ય સૂત્રધારની શોધખોળ

રાજકોટમાંથી 97 લાખની સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોને માલવીયાનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી. જેમાં મેંદરડાના માનપુર ગામનો શખ્સ વ્હેલ માછલીની ઉલ્ટી લઈ આવ્યો અને ગોંડલ રોડ પરની ખોડિયાર હોટલે રાજકોટના પ્રફુલ ટોળીયાને સપ્લાય કરતા જ પોલીસ ત્રાટકી હતી. મુખ્ય સૂત્રધાર મેંદરડાનો એગ્રો સંચાલક કાળુ પાદરિયા ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગે હાથ ધરી છે. 97 લાખના એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) સાથે બે ઝડપાયારાજકોટ ACP બી. જે. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, ગોંડલ રોડ પર આવેલ ખોડીયાર હોટલની પાસે બે શખ્સો શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઉભા હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે માલવિયા નગર પોલીસની ટીમે કાળુ નાગજી કયાડા (ઉ.વ.-60, રહે.માનપુર ગામ પ્લોટ વિસ્તાર, મેંદરડા) અને પ્રફુલ શૈલેષ ટોળીયા (ઉ.વ.33,(રહે. અંકુરનગર શેરી નં 8, જગદીશ ફ્લોર મીલની સામે, અંકુર મેઇન રોડ) ને પકડી પાડી વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) 970 ગ્રામ રૂ.97 લાખ અને બે મોબાઈલ મળી કુલ રૂ.97.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વનવિભાગે વધુ તપાસ હાથ ધરીવધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વ્હેલ માછલીની ઉલ્ટીની કિંમત બહુ ઉંચી હોવાથી તેનું વેચાણ કરવા ગ્રાહકો શોધખોળ કરતા હોવાની આરોપીઓએ કબૂલાત આપી હતી તેમજ આ મળી આવેલ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) હોવાની એફએસએલ તપાસમાં પ્રાથમિક પુરવાર થતાં આગળની તપાસ વનવિભાગના કાર્યક્ષેત્રને લગતી હોય વધુ તપાસ અર્થે વન વિભાગના અધિકારી રાજકોટને સોંપી છે. હાલ વનવિભાગે માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) ની તપાસ માટે નમૂના દેહરાદૂન લેબમાં મોકલ્યા છે. સપ્લાય બદલ બંને આરોપીને કમિશનર પેટે 5 લાખ મળવાના હતાવધુમાં મળેલ વિગત મુજબ, મેંદરડામાં એગ્રો ચલાવતો કાળુ પાદરીયા નામનો શખ્સ શુક્રવારે રાજકોટ પહોંચી કાળુ કયાડાને માછલીની ઉલ્ટી આપી ગયો હતો. મુખ્ય સૂત્રધાર કાળુ પાદરીયાએ પ્રફુલ ટોળિયાના નંબર અને સરનામું કાળું ક્યાડાને આપ્યું હતુ અને તેને તે સપ્લાય કરવા બદલ રૂ.5 લાખનું કમિશન મળવાનું હતું જોકે તે પહેલા જ કાળુ ક્યાડા અને પ્રફુલ ટોળિયા ઝડપાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:37 pm

ભાવનગર-સોમનાથ હાઈવે પર કારે સિંહણને અડફેટે લેતા મોત:રોડ ક્રોસ કરતા સમયે પુરપાટ આવતી કારે ઉલાળી, હિટ એન્ડ રન બાદ કારચાલક નાગેશ્રી ટોલનાકાથી ઉના તરફ ફરાર

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓ પર કાળમુખા વાહનોનો કહેર યથાવત છે. ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલનાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણી કારે જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે સિંહણને અડફેટે લીધી મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે સિંહણ હાઇવે ઓળંગી રહી હતી, ત્યારે ઉના તરફ જતી એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જી કાર ચાલક નાગેશ્રી ટોલનાકું પસાર કરી ઉના તરફ નાસી છૂટ્યો હતો. વન વિભાગ દ્વારા તપાસનો ધમધમાટઘટનાની જાણ થતા જ જાફરાબાદ રેન્જની વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. વન વિભાગે મૃત સિંહણનો કબજો મેળવી પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ સર્કલના સીએફ રામ રતન નાલાએ જણાવ્યું હતું કે, અજાણ્યા વાહનની અડફેટે સિંહણનું મોત થયું છે. અમારી ટીમ દ્વારા આસપાસના વિસ્તારો અને ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપી વાહન ચાલકની ઓળખ કરી શકાય. તેમણે વાહન ચાલકોને આ વિસ્તારમાં ગતિ મર્યાદા જાળવવા પણ અપીલ કરી છે. એક જ મહિનામાં ત્રણ વન્યપ્રાણીઓના મોતથી રોષનોંધનીય છે કે છેલ્લા માત્ર એક મહિનામાં આ વિસ્તારમાં અકસ્માતને કારણે બે સિંહ અને એક દીપડા સહિત કુલ ત્રણ વન્યપ્રાણીઓ કાળનો કોળિયો બન્યા છે. હાઇવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અને વન્યપ્રાણીઓની સુરક્ષા સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વન્યપ્રેમીઓમાં આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને હાઇવે પર સ્પીડ બ્રેકર કે વન્યપ્રાણીઓ માટેના સુરક્ષિત કોરિડોરની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:36 pm

મનપાની સાધારણ સભા:18માંથી 17 કામ સર્વાનુમતે મંજૂર, ઔદ્યોગિક હેતુના પ્લોટ લીઝ પર આપવાના કામને લઈ વિપક્ષનો વિરોધ

આજે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષસ્થાને ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળી હતી, આ સભામાં શહેરના વિકાસલક્ષી કુલ 1 થી 18 કામો ચર્ચા માટે લેવામાં આવ્યા હતા, શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચાલેલી આ સભામાં મોટાભાગના કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. એક એજન્ડાને લઈ વિપક્ષે વિરોધ કરતા મતદાન કરવાની ફરજ પડી હતી. 12 નંબરના એજન્ડાને લઈ વિરોધનો સૂર ઉઠતા મતદાન કરાયું​સભા દરમિયાન એજન્ડા નંબર 12 ના કામ પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો, વિપક્ષી સભ્યો આ કાર્ય સાથે સહમત ન થતા આખરે મતદાન કરવાની ફરજ પડી હતી. જેમાં ભાજપના 34 અને કોંગ્રેસના 6 મત પડ્યા હતા, જોકે, બહુમતીના આધારે આ કામને પસાર કરવામાં આવ્યું હતું, આ એક કાર્ય સિવાયના અન્ય તમામ 1 થી 11 અને 13 થી 18 કામો સભામાં સર્વાનુમતે પસાર થયા હતા, ​સભામાં એજન્ડા નંબર 15 થી 18 અંતર્ગત શહેરના વહીવટ અને સુખાકારી માટે નવા નિયમો બનાવવાની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. આ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ તમામ સભ્યોએ તેને આવકારી હતી અને આ નવા નિયમોને સર્વાનુમતે મંજૂરી આપી હતી, મેયરએ જણાવ્યું હતું કે, આ ફેરફારો ભાવનગરના હિતાર્થે અને વિકાસને વેગ આપનારા સાબિત થશે,​​સભાના અંતે વિપક્ષી નેતા જીતુભાઈ સોલંકી દ્વારા એક વધારાનું કાર્ય રજૂ કરવામાં આવ્યું હતું, આ બાબતે સત્તાપક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ નિયમ પહેલેથી જ અમલમાં છે અને તેના પર કામગીરી ચાલુ જ છે, આ કારણોસર, વિપક્ષની આ દરખાસ્ત પર મતદાન કરવામાં આવ્યું હતું અને તેને મંજૂરી આપવામાં આવી નહોતી, ઔદ્યોગિક હેતુ માટે અપાયેલી જમીનને લઈ વિપક્ષે આશંકા વ્યકત કરીઆ અંગે વિરોધપક્ષના નેતા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક લીઝ પટ્ટા આવે, ભાવનગરની અંદર ઘણા બધા એવા પ્લોટ છે કે ઉદ્યોગ ચલાવવા માટે આપેલા અને ભાવનગરના ઉદ્યોગ માટે પણ સારી બાબત છે, પણ જ્યારે ઘણા વર્ષોથી લીઝ રીન્યુ ન થયા હોય, પેન્ડિંગ પડ્યા હોય, ઘણા બધા વર્ષોથી અરજીઓ પેન્ડિંગ પડી હોય, અચાનક લીઝ પ્લોટ આવે રીન્યુ થવા અને અચાનક બંધ થઈ જાય, આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ રૂપ છે એના ભાગે ઘણા સમય પછી આ ઔદ્યોગિક પ્લોટ ત્રણ પ્લોટ આવ્યા તો એમાં પણ આ સાધારણ સભામાં હતા અને મેં રજૂઆત કરી એમાં એક પ્લોટ તો સાવ ઇલલીગલ છે કે ત્યાં ખાલી પ્લોટ છે અને બિલ્ડિંગ મટીરીયલ માટે ભાડે આપેલો છે તો આ ફોરફિટ કરવો જોઈએ અને એની માટે અમે વિનંતી કરી અધ્યક્ષને કે આ ફોરફિટ થવો જોઈએ તો એમને એ સમજાણું નહીં અને એમણે મતદાન ઉપર લઈ અને બહુમતીના જોરે એ કાર્ય મંજૂર કરી દીધેલ છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:07 pm

રાજકોટ મ્યુ. કમિશનર વોર્ડ નં-3માં પહોંચ્યા:નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઓફિસની મુલાકાત લીધી, વોર્ડમાં સ્વચ્છતા અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું

રાજકોટ મ્યુ. કમિશનર તુષાર સુમેરા આજે વોર્ડ નં. 3માં પહોંચ્યા હતા. જ્યાં નવનિર્મિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) ઓફિસની મુલાકાત લીધી હતી. સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2026ને ધ્યાને રાખીને કમિશનર દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ઓફિસની સુવિધાઓ અને મેદાન સ્તરની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન તુષાર સુમેરાએ SWM ઓફિસમાં ઉપલબ્ધ આધુનિક સાધનો, મશીનરી અને વાહનોના વ્યવસ્થાપનની ચકાસણી કરી હતી. તેમણે વોર્ડ નં. 3માં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ભીના અને સુકા કચરાનું વર્ગીકરણ અને જાહેર સ્થળે સફાઈ પ્રક્રિયા અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત કચરાનાં વ્યવસ્થાપનમાં ટેકનોલોજીનો ઉપયોગ અને નાગરિકોની ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો. આ તકે નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ અને નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મનપાના પ્રોજેક્ટ્સમાં હવે જનતાનો અવાજ ગુંજશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોમાં પારદર્શિતા અને લોકઉપયોગીતા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મ્યુ. કમિશ્નર તુષાર સુમેરાએ આજે એક પરિપત્ર બહાર પાડીને જણાવ્યું છે કે, હવેથી મનપાની કોઈપણ યોજના કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં માત્ર ટેકનિકલ કન્સલ્ટન્ટની સલાહ જ નહીં, પરંતુ જે-તે પ્રોજેક્ટના લાભાર્થીઓ એટલે લોકોનો અભિપ્રાય લેવો ફરજિયાત રહેશે. આ નવા અભિગમનો હેતુ નાગરિકોની વાસ્તવિક જરૂરિયાતોને સમજીને સુવિધાઓનું નિર્માણ કરવાનો છે. આ નવી પહેલનો પ્રાયોગિક ધોરણે અમલ વોર્ડ નં. 17 માં બની રહેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ડિઝાઇન નક્કી કરતા પહેલા 21 રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીનું માર્ગદર્શન લેવાયું હતું. તેવી જ રીતે, સ્માર્ટ સિટી અંતર્ગત નિર્માણાધીન વર્કિંગ વુમન હોસ્ટેલ માટે પણ 100 જેટલી મહિલાઓ સાથે ચર્ચા કરી તેમના સૂચનો મુજબ ડે-કેર અને સેફ્ટી જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. હવે કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ તેમજ લાયબ્રેરી જેવા પ્રોજેક્ટ્સમાં નિષ્ણાંતો અને જનતાના અભિપ્રાય પણ ફરજીયાત લેવાના રહેશે. ઉનાળામાં પાણીની તંગી નહીં રહે રાજકોટવાસીઓને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ અપાવનાર સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ ફરી એકવાર છલકાવાનાં આરે પહોંચી ગયો છે. આગામી ઉનાળાની સીઝનમાં શહેરમાં પાણીની કોઈ અછત ન સર્જાય તે માટે મહાપાલિકાએ સિંચાઈ વિભાગને આજી અને ન્યારી-1 ડેમમાં નર્મદાના નીર છોડવા દરખાસ્ત કરી હતી. આ વિનંતીને પગલે ચાલુ મહિનાની શરૂઆતથી જ બંને જળાશયોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે જળસ્તરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સિંચાઈ વિભાગના આંકડા મુજબ આજી-1 ડેમમાં અત્યાર સુધીમાં 550 MCFT નર્મદા જળ ઠાલવવામાં આવ્યું છે. આ ડેમની કુલ ક્ષમતા 29 ફૂટની છે, જેની સામે અત્યારે સપાટી 28.25 ફૂટે પહોંચી ગઈ છે. માત્ર પોણો ફૂટ ખાલી રહેલો આ ડેમ 95%થી વધુ ભરાઈ ચૂક્યો છે, આગામી 2 થી 3 દિવસમાં તે 100 ટકા ભરાઈ જવાની પૂરી શક્યતા છે. બીજી તરફ, 25 ફૂટે છલકાતા ન્યારી-1 ડેમમાં પણ 275 MCFT પાણી છોડતા તેની સપાટી 20.75 ફૂટે પહોંચી છે. આમ, નર્મદાના નીરની આવક ચાલુ રહેતા ઉનાળામાં પાણીની તંગી થવાની શક્યતા નહીંવત છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 8:06 pm

યુરોપ અને યુકે વર્ક પરમિટના વિઝાના નામે છેતરપિંડી:વિઝા આપવાની લાલચ આપી 17 લાખ પડાવ્યા, બેંકના ચેક પણ બાઉન્સ થતા પ્રિયાંક ત્રિવેદી અને ઓનીલ મલાની સામે ફરિયાદ

ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને સેવિયર હોસ્પિટલમાં એચઆર તરીકે નોકરી કરતા 42 વર્ષીય મનીષભાઈ ઠાકર સાથે યુરોપ અને યુકેના વર્ક પરમિટ વિઝાના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી છે. વર્ષ 2022માં યુરોપના વિઝા માટે સંપર્કમાં આવેલા પ્રિયાંક ત્રિવેદી અને તેના ભાગીદાર ઓનીલ મલાની દ્વારા અલગ–અલગ બહાનાં હેઠળ લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. વિઝાની કોઈ પ્રક્રિયા ન થતાં બાદમાં યુકેના વિઝાની લાલચ આપી વધુ રકમ વસૂલવામાં આવી. અંતે વિઝા ન મળતા અને આપેલા ચેક બાઉન્સ થતાં 17.25 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મિત્રની ઓળખાણથી ફરિયાદીનો પ્રિયાંક સાથે સંપર્ક થયો હતોચાંદખેડા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય મનીષભાઈ ઠાકર સેવિયર હોસ્પિટલમાં એચઆર તરીકે નોકરી કરે છે. વર્ષ 2022માં યુરોપના વર્ક પરમિટ વિઝા કરાવવાના હોવાથી મનીષભાઈ ઠાકરે તેમના મિત્ર પાર્થ સોલંકી કે જે પોર્ટુગલમાં રહે છે તેનો સંપર્ક કર્યો હતો. જેથી તેના કોન્ટેકથી એપ્રિલ 2022માં પ્રિયાંક ત્રિવેદી સાથે મુલાકાત કરી હતી. ટાઇટેનિયમ સિટી સેન્ટર ખાતે ફરિયાદીની પ્રિયાંક ત્રિવેદી સાથે મુલાકાત થઈ હતી. જે દરમિયાન પ્રિયાંક ત્રિવેદીએ યુરોપના વર્ક પરમિટ વિઝા કરાવવા માટે 6.65 લાખનો ખર્ચ થતો હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. જેથી પ્રિયાંક પર વિશ્વાસ રાખીને ફરિયાદીએ તેને વિઝા માટેનું કામ સોંપ્યું હતું. ફરિયાદીએ 40 હજાર અને 25 હજાર એમ બે વખત પ્રિયાંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પૈસાની ચૂકવણી બાદ ફરિયાદી જ્યારે પ્રિયાંકની ઓફિસે ગયા ત્યારે તેને તેના ભાગીદાર ઓનીલ મલાની સાથે ઓળખાણ કરાવી હતી. યુરોપના વિઝા કાઢવાની ઓનીલ કરશે તેવું કહી આગળનું પેમેન્ટ ઓનીલને આપવા કહેવામાં આવ્યું હતું. વિઝાની પ્રોસેસ ન થતા ફરિયાદીએ પૈસા પરત માગ્યા તો હાથ અધ્ધર કર્યાજે બાદ ઓનીલ વિઝાની પ્રોસેસ આગળ વધારવા માટે સ્મોલ જાયન્ટ એન્ટરપ્રાઇઝ ફર્મના એકાઉન્ટમાં ફરિયાદીએ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે તે બાદ પણ વિઝાની કોઈપણ પ્રોસેસ થઈ નહીં. જેથી ફરિયાદી તેની ઓફિસે મળવા માટે ગયા ત્યારે યુરોપના વિઝા થઈ શકે તેમ ન હોવાનું કહી હાથ અદ્ધર કરી દીધા હતા. યુકેના વિઝા કઢાવવાની સલાહ આપી ફરિયાદી પાસે 26 લાખ ખર્ચ થશે પણ વિઝા થઈ જશે તેવી લાલચ આપી હતી. ફરી એક વખત ફરિયાદીએ ઓનીલ પર વિશ્વાસ રાખીને યુકેના વિઝા કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ઓનીલે યુકેના વિઝા માટેની પ્રોસેસ પણ ચાલી કરી દીધી હતી. વિઝા માટે ફરિયાદીએ 23.35 લાખ રૂપિયા આપ્યા હતા. 10 લાખ રૂપિયા રોકડા ઓનીલના ઘરે જઈને આપવામાં આવ્યા હતા. તેમજ બે લાખ ઓનીલે તેની પત્ની પ્રિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી. જ્યારે વી.એફ. એક્સની એપોઈમેન્ટ હતી તેના થોડા દિવસ પહેલા એપોઈમેન્ટ કેન્સલ થઈ ગઈ હોવાનું ફરિયાદીને જણાવ્યું હતું. તેમાં થોડા મહિના બાદ એપ્રિલ 2024માં યુકેના નિયમ બદલાયા હોવાનું કહી વિઝા થઈ શકે તેમ નથી એવું કહી ફરી હાથ અદ્ધર કરી દીધા હતા. ફરિયાદીને આપેલા ચેક બેંકમાં જમા કરાવ્યા તો બાઉન્સ થયાવિઝા કામ માટે આપેલા રૂપિયા ટુકડે ટુકડે આપવાનું વચન કરી થોડા દિવસ બાદ 8.75 લાખ પરત આપ્યા હતા. તેમજ એટલું જ નહીં પૈસા પરત આપવા માટે સોગંદનામું પણ કર્યું હતું. જેમાં કરણસિંહ નામના વ્યક્તિને સાક્ષી તરીકે રાખવામાં આવ્યા હતા, અને ફરિયાદીને ચેક પણ આપવામાં આવ્યા હતા. અનેક વખત રજૂઆત કરવા છતાં રૂપિયા પરત ન કરતા ઓનીલે આપેલા ચેક જ્યારે બેંકમાં જમા કરાવ્યા ત્યારે ચેક બાઉન્સ થયા હતા. જેથી ફરિયાદીને છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા ઓનીલ મલાની અને પ્રિયાંક ત્રિવેદી પર 17.25 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:51 pm

વાપીના ઉદ્યોગકારોને કેન્દ્રીય બજેટ 2026થી આશા:ઉદ્યોગમૈત્રીપૂર્ણ નિર્ણયોની અપેક્ષા રાખી રહ્યા છે

કેન્દ્રીય બજેટ 2026ને લઈને સમગ્ર ઉદ્યોગ જગતમાં ઉત્સુકતા છે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ વાપીના ઉદ્યોગકારો આ બજેટથી વિશેષ આશા રાખી રહ્યા છે. તેઓ સરકાર તરફથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપતા અને વિકાસને વેગ આપે તેવા નિર્ણયોની અપેક્ષા સેવી રહ્યા છે. આગામી 1લી ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. વાપી, જે દક્ષિણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક કેન્દ્રો પૈકી એક છે, ત્યાંના ઉદ્યોગકારો માટે આ બજેટ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA)ના પ્રમુખ સતીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી તેમને પૂરી આશા છે. તેમણે માહિતી આપી હતી કે વાપી અને આસપાસના વિસ્તારમાં અંદાજે 10,000 જેટલા નાના અને મોટા ઉદ્યોગો કાર્યરત છે. આમાં મુખ્યત્વે પેસ્ટિસાઇડ્સ, પેકેજિંગ, કલર ઇન્ટરમીડિયેટ્સ અને એન્જિનિયરિંગ ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ મોટાભાગના ઉદ્યોગો MSME અને SME શ્રેણીમાં આવતા હોવાથી, તેઓ સરકારની નીતિઓ અને બજેટમાં થતી જોગવાઈઓ પર વિશેષ નિર્ભરતા ધરાવે છે. સતીષભાઈ પટેલના મતે, ઉદ્યોગકારોને આશા છે કે આ બજેટમાં પણ ઔદ્યોગિક એકમોના વિકાસ માટે નવી તકો અને રાહતો જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:48 pm

મોરબી હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદ:પાલિકાના માજી ઉપપ્રમુખ અને પુત્રની હત્યાનો ચુકાદો

મોરબીમાં વર્ષ 2021માં નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યાના ગુનામાં એડિશનલ સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેક આરોપીને ₹30,000નો દંડ પણ કર્યો છે. આ કેસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ઘટના 16 સપ્ટેમ્બર, 2021ના રોજ મોડી રાત્રે બની હતી. મોરબીના વિસીપરા મદીના સોસાયટીમાં રહેતા નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝ મોટલાણીની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરોએ છરી અને ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ મામલે મૃતક ફારૂકભાઈના પત્ની રઝીયાબેન મોટલાણીએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીઓ ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી અને આસિફ રહીમભાઈ સુમરાએ નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખના કારણે આ હત્યા કરી હતી. પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ મોરબીના એડિશનલ સેશન્સ જજ કે.આર. પંડ્યાની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકીલ વિજયભાઈ જાની અને ફરિયાદીના વકીલ વી.એચ. કનારા દ્વારા રજૂ કરાયેલા આધાર-પુરાવા અને દલીલોને કોર્ટે ધ્યાનમાં લીધી હતી. તમામ પુરાવા અને દલીલોને આધારે, કોર્ટે ચારેય આરોપીઓ – ડાડુભાઈ ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમામદ જેડા, અલતાફઅલી ઉર્ફે અસગઉર્ફે અસો જાકમભાઈ ભટ્ટી, જૂસબ ઉર્ફે જુસો જાકમભાઈ ભટ્ટી (ત્રણેય રહે. મદીના સોસાયટી, મોરબી) અને આસિફ રહીમભાઈ સુમરા (રહે. સનરાજ પાર્ક, વિસીપરા, મોરબી) ને આજીવન કેદની સજા અને ₹30,000નો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:43 pm

સુરતમાં 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર દુષ્કર્મ:પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો, રમતા બાળકને રૂમમાં પૂરી કિશોરે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

સુરત શહેરમાં વિકૃત માનસિકતાની બે ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રથમ ઘટનામાં અઠવા વિસ્તારમાં એક 32 વર્ષીય મંદબુદ્ધિ યુવતી પર અજાણ્યા શખસે શારીરિક અત્યાચાર ગુજારી તેને 5 મહિનાની ગર્ભવતી બનાવી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે બીજી ઘટનામાં મહિધરપુરામાં એક 7 વર્ષના માસૂમ બાળકને પડોશમાં રહેતા કિશોરે લલચાવી-ફોસલાવીને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. યુવતીને પાંચ મહિનાનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યોસુરતમાં રહેતી એક 32 વર્ષીય યુવતી જે માનસિક રીતે અક્ષમ છે, તેની લાચારીનો ફાયદો ઉઠાવી કોઈ અજાણ્યા શખસે તેની સાથે અમાનવીય કૃત્ય આચર્યું છે. ગત 30 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે યુવતીએ તેના માતા-પિતાને પેટમાં અને પગમાં દુ:ખાવાની ફરિયાદ કરી, ત્યારે પરિવાર તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ જે ખુલાસો કર્યો તેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, યુવતી પાંચ મહિનાની ગર્ભવતી છે. યુવતી મંદબુદ્ધિ હોવાથી તે પોતાની સાથે થયેલા અન્યાય વિશે કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતી. કોઈ અજાણ્યા શખશે તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી દીધી હોવાનું બહાર આવ્યું છે. આ હચમચાવી દેનાર હકીકત સામે આવતા પરિવારે ન્યાયની ગુહાર લગાવી છે. રમતા બાળકને રૂમમાં પુરી કિશોરે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યશહેરમાં બનેલી બીજી એક ઘટનાએ માનવતાને વધુ એકવાર શર્મસાર કરી છે. જ્યારે એક 7 વર્ષ અને 9 મહિનાનો માસૂમ બાળક પોતાના ફળિયામાં રમી રહ્યો હતો, ત્યારે પડોશમાં જ રહેતા એક કિશોરે તેને લલચાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. કિશોરે રૂમનો દરવાજો અંદરથી બંધ કરી બાળકને ડરાવી-ધમકાવી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. પોતાની વિકૃત માનસિકતા સંતોષવા માટે એક કિશોર દ્વારા માસૂમ બાળક સાથે કરવામાં આવેલા આ સૃષ્ટિ વિરુદ્ધના અકુદરતી કૃત્યએ સૌને હચમચાવી દીધા છે. આ મામલે બાળકના પરિવારે હિંમત દાખવીને મહિધરપુરા પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:42 pm

પોરબંદર કોર્પોરેશને પૂર્વ કાઉન્સિલરો સાથે બેઠક યોજી:આગામી 2026-27ના બજેટ માટે સૂચનો મેળવાયા

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ના આગામી બજેટની તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પૂર્વ કાઉન્સિલરો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી બજેટ માટે અભિપ્રાયો અને સૂચનો મેળવવાનો હતો. બેઠક દરમિયાન, મહાનગરપાલિકાના અધિકારીઓએ પૂર્વ કાઉન્સિલરોને આગામી બજેટમાં સમાવી શકાય તેવા પ્રોજેક્ટો અંગે પોતાના સૂચનો રજૂ કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત, નગરજનો પણ ૩ ફેબ્રુઆરી સુધીમાં એક ખાસ એપ્લિકેશન દ્વારા પોતાના અભિપ્રાયો અને સૂચનો રજૂ કરી શકશે. પૂર્વ કાઉન્સિલરો દ્વારા અનેક મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં પક્ષી અભ્યારણ વોકિંગ પ્લાઝા ખાતે રિનોવેશન કરીને ત્યાં લાઈટિંગ, કેમેરા, ટોયલેટ અને જીમના સાધનો વસાવવાનો સમાવેશ થાય છે. અન્ય સૂચનોમાં દરેક વોર્ડમાં પૂરતા સ્ટાફ સાથે હેલ્થ સેન્ટર બનાવવાની વ્યવસ્થા કરવી, તમામ ભૂગર્ભ ચેમ્બરોનું રીપેરીંગ કરવું, ચોપાટી વિસ્તારમાં શૌચાલય અને પીવાના પાણીની સગવડો ઊભી કરવી અને નવી શૈક્ષણિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. વધુમાં, દરેક વિસ્તારોમાં ઉપલબ્ધ સાર્વજનિક પ્લોટનો સ્થાનિકોના અભિપ્રાય લઈને વિકાસ કરવો, તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી વ્યવસ્થા અને પંપિંગ સેન્ટરની સુવિધા ઊભી કરવા જેવા મુદ્દાઓ પણ રજૂ કરાયા હતા. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આ તમામ સૂચનોને આગામી બજેટમાં યોગ્ય રીતે ધ્યાનમાં લઈને શહેરના સર્વાંગી વિકાસ માટે જરૂરી આયોજન કરવામાં આવશે. ઉપસ્થિત સર્વે પૂર્વ સભાસદોનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:42 pm

ખંભાતથી દેશી રિવોલ્વર સાથે એક શખ્સ ઝડપાયો:આણંદ SOGએ નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી પકડ્યો

આણંદ SOGએ ખંભાતમાંથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે. ગેરકાયદે હથિયારો પકડવાની ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવક હથિયાર સાથે ફરી રહ્યો છે. બાતમીના આધારે SOGની ટીમે નગીના મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. મસ્જિદ તરફથી આવી રહેલા ઝેદ અહેસાન અંસારી ને અટકાવવામાં આવ્યો હતો. તલાશી લેતા તેના પેન્ટની કમરના ભાગેથી રૂ. 5 હજારની કિંમતની દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. પોલીસે રિવોલ્વર ઉપરાંત રૂ. 3 હજારની કિંમતનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. કુલ રૂ. 8 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી ઝેદ અહેસાન અંસારી વિરુદ્ધ ખંભાત સિટી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:30 pm

સહકારી અધિકારીએ 26 મંડળીના ઓડિટ કર્યા:અધિકૃત ન હોવા છતાં, ખોટી સહી-સિક્કા કરતાં ફરિયાદ નોંધાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા (ઉ.વ. 49) સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં 1 મે 2024 થી 30 જૂન 2024 દરમિયાન 26 સહકારી મંડળીઓના ઓડિટ કર્યા હતા. ઝાલા પર આરોપ છે કે તેમણે અંગત આર્થિક લાભ મેળવવાના હેતુથી આ ઓડિટ કર્યા હતા. તેમણે ઓડિટ ફી પેટે કુલ રૂપિયા 78,000 મેળવ્યા હતા. આ માટે તેમણે બે અલગ-અલગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પેનલ ઓડિટરની ખોટી સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. આ રીતે તૈયાર કરાયેલા ખોટા ઓડિટ અહેવાલોને દેવભૂમિ દ્વારકા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરીમાં સાચા અહેવાલ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. જામનગરના બળવંતરાય ચંદ્રકિશોર જોશી (ઉ.વ. 52) ની ફરિયાદના આધારે ખંભાળિયા પોલીસે મહેન્દ્રસિંહ ટેમભા ઝાલા સામે આઈપીસી કલમ 409, 418, 419, 465, 468 અને 471 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. એસ.ઓ. સાંધ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:30 pm

બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં 50,831 વિદ્યાર્થીઓએ CETની પરીક્ષા આપી:219 કેન્દ્રો પર 2,194 બ્લોકમાં પરીક્ષા યોજાઇ, 79.62% હાજરી નોંધાઈ

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ - 2026 (CET-2026) પરીક્ષા 31 જાન્યુઆરી, 2026ના રોજ શનિવારે બપોરે 1:00 થી 3:30 કલાક દરમિયાન યોજાઈ હતી. આ પરીક્ષા બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં લેવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આ પરીક્ષાનું આયોજન થયું હતું. કુલ 219 પરીક્ષા કેન્દ્રો પર 2,194 બ્લોકમાં 63,838 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 50,831 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં હાજરીની ટકાવારી 79.62% નોંધાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:29 pm

ગોધરાની મેસરી નદી પટમાં 100 થી વધુ મિલકતધારકોને નોટિસ:સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણ હટાવવા નગરપાલિકાનો આદેશ

ગોધરા શહેરમાં મેસરી નદીના પટમાં વસવાટ કરતા 100 થી વધુ મિલકતધારકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તેમને સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા અથવા માલિકીના પુરાવા રજૂ કરવા જણાવાયું છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીના પટમાં થયેલા દબાણો અને રહેણાંક મિલકતો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. નગરપાલિકાની દબાણ શાખાની ટીમે તમામ મિલકતધારકોને વિધિવત નોટિસ પાઠવી છે. આ નોટિસમાં મિલકતધારકોને પોતાની માલિકી કે વસવાટ સંબંધિત આધાર-પુરાવા રજૂ કરવા અથવા નોટિસ મળ્યાના સાત દિવસની અંદર સ્વેચ્છાએ દબાણો દૂર કરવા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:08 pm

હર્ષ સંઘવીની ટકોર તો દાદાએ સુરતીઓના વખાણ કર્યા:'મન ફાવે ત્યાં પિચકારીઓ મારવાનું બંધ કરો': DyCM, મુખ્યમંત્રીના હસ્તે 342 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સુરત શહેરના વિકાસની સાથે સાથે નાગરિકોની 'સિવિક સેન્સ' (નાગરિક શિસ્ત) ચર્ચાનો વિષય બની હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને જવાબદાર બનવા ટકોર કરી હતી. તો બીજી તરફ મુખ્યમંત્રીએ સુરતીઓની બદલાયેલી આદતોના વખાણ કરીને સૌનો સાથ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મન ફાવે ત્યાં પિચકારીઓ મારવાનું બંધ કરો: હર્ષ સંઘવીકાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતીઓને તેમના ઘરની જેમ જ શહેરની મિલકતો સાચવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઓડિટોરિયમ, બ્રિજ, લાયબ્રેરી અને સ્કૂલો તો બનાવે છે, પણ આ પ્રોજેક્ટ્સ આપણી મહેનતનું પરિણામ છે. આપણે આને માત્ર 'સરકારી પ્રોજેક્ટ' માનીને ગમે ત્યાં પિચકારીઓ મારીએ કે વેફર-બિસ્કિટના પડીકા નાખીએ તે યોગ્ય નથી. જેટલું આપણે આપણું ઘર સાચવીએ છીએ, તેટલી જ જવાબદારી આ જાહેર મિલકતો સાચવવાની પણ આપણી જ છે. હવે પિચકારી મારતા પહેલા સુરતીઓ હજાર વાર વિચારે છે: મુખ્યમંત્રીહર્ષ સંઘવીના નિવેદન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખૂબ જ હળવી શૈલીમાં સુરતીઓની પ્રશંસા કરતા કહ્યું કે, લોકોમાં મોટો બદલાવ આવ્યો છે. હવે લોકો ગાડીમાંથી પડીકી ફેંકતા કે પિચકારી મારતા પહેલા હજાર વાર વિચારે છે. તેમને ડર હોય છે કે જો કોઈ જોઈ જશે તો સામેવાળી વ્યક્તિ ગુસ્સે થશે અથવા ટોકશે. મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે વર્ષો જૂની આદતો છૂટતા થોડો સમય લાગે છે, પરંતુ સુરત બદલાઈ રહ્યું છે. વડાપ્રધાનના 'સૌનો પ્રયાસ' મંત્રને યાદ કરતા તેમણે કહ્યું કે, 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે નાગરિકોએ પણ પોતાની ફરજ જોરશોરથી નિભાવવી પડશે. બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતામાં!એટલું જ નહિ મુખ્યમંત્રીએ સુરતીઓ સાથે સુરતની પણ પ્રશંસા કરી મુંબઈ સાથે સરખામણી કરતા તેઓએ કહ્યું કે, સુરત અને સુરતની વાત જ કંઈક અલગ હોય ને? કારણ કે બોમ્બેથી નજીક આવી ગયું છે ને? એટલે કોઈ પણ ફેસિલિટી, કેવી રીતે રહેણી-કરણી... પણ એક વસ્તુમાં બહુ મોટો ચેન્જ કરી દીધો છે તમે. બોમ્બેને પાછળ પાડી દીધું છે સ્વચ્છતામાં! અને સ્વચ્છતા તો સુરતની ગજબ કરી છે તમે. સ્વચ્છતામાં હવે જે તમારા માટે ચેલેન્જ છે એ માત્ર એને મેઈન્ટેન કરવાની છે કે ભાઈ હવે આ રહેવું જોઈએ સ્વચ્છ. આપણે નથી કહેતા કે આપણે ક્યાંય ફરવા-બરવા ગયા હોઈએ, ગમે તેટલો ધમાલી છોકરો હોય આપણો, પણ એને ફાઈવ સ્ટારમાં લઈ જાવને તો એનેય ડિસિપ્લિન આવી જાય કે હારું કંઈક લોચો પડશે તો અહીં કંઈક થશે એવું લાગે છે. એટલે એવું તમારે દરરોજ રાખવું પડે તો પછી આપણા ત્યાં થોડા ધમાલી તો હોય ને પાછા, એ લોકો પણ વિચારે. મુખ્યમંત્રીના હસ્તે સુરતને કરોડોની ભેટમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત મહાનગરપાલિકાના કુલ રૂ. 342.81 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરીને શહેરની પ્રગતિને નવો વેગ આપ્યો છે. સુરતવાસીઓની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની મક્કમતા જોવા મળી હતી. આ ભવ્ય ભેટ દ્વારા શહેરના ખૂણેખૂણે માળખાગત સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે, જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે. અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ કલા અને સંસ્કૃતિનું નવું કેન્દ્રડભોલી વિસ્તારમાં રૂ. 70 કરોડના ખર્ચે નવનિર્મિત 'અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ' આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. મુખ્યમંત્રીએ આ અત્યાધુનિક ઓડિટોરિયમનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, આ સુવિધા સુરતના કલા જગત અને સાંસ્કૃતિક વારસાને એક નવું અને સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઓડિટોરિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાથી સ્થાનિક કલાકારો અને સંસ્થાઓ માટે કાર્યક્રમો યોજવાનું હવે વધુ સરળ બનશે. નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્તઆ કાર્યક્રમમાં કુલ રૂ. 173.78 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 17 વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ, ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ. 169 કરોડના ખર્ચે સાકાર થનારા 24 નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી અને ઊર્જા બચત માટે બનાસકાંઠાના વિઠોદર ખાતે સુરત મનપા દ્વારા સ્થાપિત 10 મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે સુરતની ગ્રીન એનર્જી તરફની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જનસુખાકારી અને મજબૂત માળખાગત સુવિધાઓઆ વિકાસકાર્યોનો સીધો લાભ સુરતની સામાન્ય જનતાને મળશે, કારણ કે તેમાં લેકગાર્ડન, વાંચનાલય, અર્બન હેલ્થ સેન્ટર અને શેલ્ટર હોમ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી શહેરની જનસુખાકારીમાં નોંધપાત્ર વધારો થશે. વધુમાં, હાઇડ્રોલિક અને ડ્રેનેજ વિભાગના નવા કામોથી શહેરનું આંતરમાળખું વધુ સુદ્રઢ બનશે, જે ચોમાસા દરમિયાન અને દૈનિક નાગરિક સેવાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 31 Jan 2026 7:06 pm