31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે દ્વારા નાઈટ કોમ્બિંગ આવી હતી. તેને લઈ શહેરના નિલમબાગ સર્કલ ખાતે પોલીસ દ્વારા અનેક વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફોર વ્હીલ તેમજ ટુ વ્હીલ વાહનોને અટકાવી તપાસ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી હતી. શહેરના 9 અને જિલ્લાના 8 એન્ટ્રી પોઇન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ભાવનગર શહેરમાં ઠેર-ઠેર 31 ડિસેમ્બરની ઉજવણી લોકો શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં કરી શકે તે માટે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડે, એલસીબી, એસઓજી, ટ્રાફિક પોલિસ સહિત મસમોટા પોલીસ કાફલા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના 9 એન્ટ્રી પોઇન્ટ અને જિલ્લાના 8 એન્ટ્રી પોઇન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા માટે વાહનોનું સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું, જેથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. સ્થાનિક પીઆઈના બંદોબસ્ત સાથે કડકાઈથી વાહન ચેકિંગઅંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને લઈને રેન્જ આઈ જી ગૌતમ પરમાર દ્વારા રાત્રીના સમયે ત્રણેય જિલ્લામાં કોમ્બિંગ આપવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે આજરોજ ભાવનગર શહેરના 9 એન્ટ્રી પોઇન્ટ અને એક્સઝીટ પોઇન્ટ ઉપર, અને ભાવનગર જિલ્લાના 8 એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર નાકાબંધી પોઇન્ટ ગોઠવામાં આવી હતી. જ્યાં સ્થાનિક ડિવાયએસપી અને તમામ સ્થાનિક પીઆઈના બંદોબસ્ત સાથે કડકાઈથી વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને ખાસ બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથેસાથે અન્ય અધિકારિઓએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને ગ્રામ્યના અલગ અલગ વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઇ સતત પેટ્રોલિંગ કર્યું હતું.
અમરેલી જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી બાદ દીવથી પરત ફરતા નશાખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. DYSP કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ, રાજુલા-જાફરાબાદ પંથક સહિત દીવથી અમરેલી જિલ્લામાં પ્રવેશતા મુખ્ય માર્ગો પર રાતભર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અન્ય રાજ્યના લોકો પણ પકડાયાથર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે દીવમાં મોટી સંખ્યામાં લોકો નશો કરવા આવતા હોય છે. આ લોકો દીવમાંથી નશો કરીને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં પ્રવેશતા હોવાથી, અમરેલી જિલ્લા પોલીસે આવા નશાખોરો સામે સઘન ઝુંબેશ ચલાવી હતી. આ કાર્યવાહીમાં અન્ય રાજ્યના લોકો પણ પકડાયા હતા. નેશનલ હાઈવે ઉપર પણ ચેકિંગઅમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના નિર્દેશ હેઠળ, દીવથી આવતા નશાખોરો અને સ્થાનિક વિસ્તારમાં નશો કરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લામાં કુલ 17 મુખ્ય ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. આ ચેકપોસ્ટ ધારીના દુધાળા, કોઠા પીપરીયા, બગસરાના માણેકવાડા, ખાંભાના ખડાધાર, વડીયા નજીક ચોકી ચાર રસ્તા, ચારણ સમઢીયાળા પાટીયા, લાઠીના ચાવંડ ત્રણ રસ્તા, બાબરાના કોટડાપીઠા, દેવળીયા, દામનગર નજીક નારાયણનગર ચોકડી, ધુફણીયા ચોકડી, લીલીયા ભોરિંગડા ચોકડી, વંડા નજીક છેલણા ચોકડી, સાવરકુંડલા રુલર વીજપજડી, ડુંગર નજીક દાતરડી, માંડળ અને નાગેશ્રી નજીક ટીંબી ખાતે હતી. આ ઉપરાંત, રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ પોલીસે નેશનલ હાઈવે ઉપર પણ વાહન ચેકિંગ કર્યું હતું. નશેડીઓ સામે કડક કાર્યવાહીઆ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ અંતર્ગત અલગ અલગ ચેકપોસ્ટ ઉભી કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ટીંબી ચેકપોસ્ટ સહિતના સ્થળોએ પોલીસ બ્રેથએનેલાઇઝર અને અન્ય ડિવાઇસ દ્વારા વાહનચાલકોનું ચેકિંગ કરી રહી છે. નશા કરેલી હાલતમાં જોવા મળતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, જે લોકો પરિવાર સાથે પ્રવાસ કરી રહ્યા છે અને જેમણે નશો કર્યો નથી, તેમની સાથે પોલીસ સારો વ્યવહાર કરી રહી છે.
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં સામાન્ય રીતે 31 ડિસેમ્બરે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. નવા વર્ષના સ્વાગત માટે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં પહોંચે છે. જોકે, આ વર્ષે પાંચ વર્ષમાં પહેલીવાર 31 ડિસેમ્બરે સાપુતારામાં ભીડ ફિક્કી જોવા મળી, જેના કારણે પર્યટન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઓછી સંખ્યામાં પણ વિન્ટર ફેસ્ટિવલમાં ગરબા-આતશબાજી સાથે લોકોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. ટ્રાફિકની સમસ્યા નહિવત્ રહીસામાન્ય રીતે 31 ડિસેમ્બરે સાપુતારાની હોટલો, લોજો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક રહે છે. બોટિંગ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ, ગાર્ડન તેમજ માર્કેટ વિસ્તારમાં પગ મૂકવાની જગ્યા પણ ન રહે તેવી સ્થિતિ સર્જાય છે. પરંતુ આ વર્ષે મુખ્ય વિસ્તારોમાં ભીડ ઓછી રહી અને અનેક હોટલોમાં રૂમ ખાલી જોવા મળ્યા હતા. રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકની સમસ્યા પણ નહિવત્ રહી હી. વેપારીઓને આર્થિક નુકસાનસ્થાનિક વેપારીઓના મતે, પ્રવાસીઓની સંખ્યા ઘટવાના અનેક કારણો હોઈ શકે છે. વધતી મોંઘવારી અને પ્રવાસ ખર્ચ, અન્ય પર્યટન સ્થળોએ યોજાયેલા આકર્ષક કાર્યક્રમો અને ઓફરો, તેમજ સાપુતારામાં ચાલી રહેલા વિન્ટર ફેસ્ટિવલ પ્રત્યે અપેક્ષિત ઉત્સાહ ન દેખાવાની ચર્ચા કરવામાં આવી રહી છે. પ્રવાસીઓ ઓછા રહેતા હોટલ, રેસ્ટોરન્ટ, ટેક્સી ડ્રાઈવર, ગાઈડ અને નાના વેપારીઓને આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. વર્ષના અંતિમ દિવસોમાં થતો વ્યવસાય સમગ્ર સિઝન માટે મહત્વનો મનાય છે, પરંતુ આ વર્ષે અપેક્ષા મુજબ ધંધો ન થયો હતો. વિન્ટર ફેસ્ટિવલમાં નવા વર્ષની ઉજવણીજોકે, શાંત માહોલ વચ્ચે પણ સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. ફેસ્ટિવલ દરમિયાન લોકોએ ગરબા રમીને નવા વર્ષનું સ્વાગત કર્યું. ગરબા બાદ ભવ્ય આતશબાજી યોજાઈ, જેના કારણે ઉજવણીનો માહોલ રંગીન બન્યો. આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ સાંસદ ધવલ પટેલ હાજર રહ્યા હતા. ઓછી ભીડ ચિંતાનો વિષયવહીવટીતંત્ર અને પોલીસ માટે ભીડ ઓછી હોવાથી વ્યવસ્થા જાળવવી સહેલી રહી હતી. તેમ છતાં, પર્યટન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે સાપુતારાની લોકપ્રિયતા જાળવવા અને પ્રવાસીઓને આકર્ષવા માટે ભવિષ્યમાં નવા આકર્ષણો, વ્યાપક પ્રચાર અને સુવ્યવસ્થિત કાર્યક્રમોની જરૂર છે. કુલ મળીને, આ વર્ષે 31 ડિસેમ્બરે સાપુતારામાં જોવા મળેલી ઓછી ભીડ પર્યટન ક્ષેત્ર માટે ચેતવણીરૂપ સંકેત બની છે.
રાધનપુરના ધરવડીમાં 1.60 લાખની ચોરી:તસ્કરો ઘરની બારી તોડી રોકડ-દાગીના લઈ ગયા
રાધનપુર તાલુકાના ધરવડી ગામના વાડી વિસ્તારમાં સવજીભાઈ સવાભાઈ ઠાકોરના મકાનમાં ઘરફોડ ચોરી થઈ છે. તસ્કરો રૂ. 50,000 રોકડા અને રૂ. 1,10,000ના દાગીના મળી કુલ રૂ. 1,60,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવજીભાઈ અને તેમનો પરિવાર રાત્રે ઘરને તાળું મારી ઓસરીમાં સૂતો હતો. બુધવારે સવારે છ વાગ્યે સવજીભાઈ કેનાલે મશીન ચાલુ કરવા જઈ રહ્યા હતા, ત્યારે તેમણે ઘરની પાછળની દીવાલ પાસે એક લાકડું ઊભું જોયું અને ઘરની બારી તૂટેલી હતી. દીવાલ પાસે કાગળો વેરવિખેર પડેલા જોઈ તેમણે પરિવારજનોને જગાડ્યા હતા. ઘરનો દરવાજો બહારથી બંધ હોવાથી, સવજીભાઈએ તેમના પુત્ર સુનિલને તૂટેલી બારીમાંથી ઘરમાં ઉતારી દરવાજો ખોલાવ્યો હતો. ઘરમાં તપાસ કરતા પતરાની બે પેટીઓ તૂટેલી હતી અને સામાન વેરવિખેર પડ્યો હતો, જેના પરથી ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. ચોરોએ પેટીઓમાંથી રૂ. 25,000નું ચાંદીનું કડું, રૂ. 50,000ની વીંટી, સોનાની ચૂંક, ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીની ઝેર, ચાંદીની વેઢ અને રૂ. 50,000 રોકડાની ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વર્ષ 2025ના અંતિમ દિવસ એટલે કે 'થર્ટી ફર્સ્ટ'ની રાત્રે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણીના નામે કોઈ પણ અસમાજિક તત્વો શાંતિ ભંગ ન કરે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું ,જેમાં ખુદ એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ મધ્યરાત્રિ સુધી રસ્તા પર ઉતરીને સુરક્ષા વ્યવસ્થાનું મોનિટરિંગ કરતા નજરે પડ્યા હતા. સાસણમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખીજૂનાગઢ પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ,પીએસઆઈ અને વિશાળ પોલીસ કાફલો રાત્રિના સમયે મેદાનમાં ઉતરી આવ્યો હતો. ખાસ કરીને સાસણ-ગીર જેવા પ્રવાસન ક્ષેત્રોમાં સહેલાણીઓનો ભારે ધસારો હોવાથી ત્યાં એએસપી, મેંદરડા પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમોએ સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સાસણ વિસ્તારમાં ચેકિંગ દરમિયાન પ્રવાસીઓની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજરઆ વર્ષે જૂનાગઢ પોલીસ વધુ આધુનિક જોવા મળી હતી. ભીડભાડવાળા વિસ્તારો અને ફાર્મ હાઉસની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ડ્રોન સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. આ ઉપરાંત, દારૂ પીધેલા શખ્સોને ત્વરિત પકડવા માટે 'બેટન લાઈટ વિથ બ્રેથ એનેલાઇઝર'નો ઉપયોગ કરાયો હતો. આ મશીનની મદદથી શ્વાસની તપાસ કરીને આલ્કોહોલનું પ્રમાણ માપી શકાય છે, જેથી નશો કરનારા શખસો સ્થળ પર જ પકડાઈ ગયા હતા. નાકાબંધી કરી વાહનોની તપાસ કરાઈજૂનાગઢ શહેરના પ્રવેશદ્વાર સમાન વિસ્તારો તેમજ સોમનાથ હાઈવે, જૂનાગઢ બાયપાસ અને સાસણ રોડ પર પોલીસે નાકાબંધી કરી હતી. દરેક શંકાસ્પદ વાહનની તલાશી લેવામાં આવી રહી હતી. વાહનોની ડિક્કીઓ ખોલાવીને માલસામાન ચેક કરવામાં આવ્યો હતો જેથી દારૂ કે અન્ય નશીલા પદાર્થોની હેરફેર અટકાવી શકાય. જે વાહનોમાં ગેરકાયદે બ્લેક ફિલ્મ લગાવાયેલી હતી તેને સ્થળ પર જ દૂર કરી દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી. વગર નંબર પ્લેટ અને લાયસન્સ વગરના વાહન ચાલકો વિરુદ્ધ પણ કડક હાથે કામ લેવામાં આવ્યું હતું. અલગ અલગ ટીમોએ રાતભર પેટ્રોલિંગ કર્યું નશો કરીને વાહન ચલાવતા નબીરાઓને પકડવા માટે પોલીસ અધિકારીઓએ સ્ટાફ અને અલગ અલગ ટીમોએ રાતભર પેટ્રોલિંગ કર્યું હતું. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકોનું બ્રેથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરાયું હતું. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે રસ્તા પર જોખમી રીતે ડ્રાઇવિંગ કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ફાર્મ હાઉસ અને હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગનવા વર્ષની પાર્ટીઓના નામે દારૂની મહેફિલો ન જામે તે માટે પોલીસે હાઈવે પર આવેલી હોટલો, રિસોર્ટ અને શહેરની આસપાસના એકાંત ફાર્મ હાઉસમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની ટીમોએ હોટલના ગેસ્ટ રજિસ્ટર અને પથિક પોર્ટલની એન્ટ્રીઓ પણ ચકાસી હતી. રાતભર જૂનાગઢ પોલીસ ખડેપગે રહેતા સામાન્ય જનતાએ સુરક્ષાનો અનુભવ કર્યો હતો. પોલીસની આ સક્રિયતાને કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના વગર નવા વર્ષની શાંતિપૂર્ણ શરૂઆત થઈ શકી છે.
નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ખાસ કરીને કડી, બાવલુ અને નંદાસણ પોલીસે થર્ટી ફર્સ્ટની રાત્રિએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. નશેડીઓને પકડવા માટે બ્રેથ એનેલાઇઝર મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઠેર-ઠેર ચુસ્ત બંદોબસ્તસમગ્ર વિશ્વ અને ગુજરાતભરમાં નવા વર્ષને આવકારવા માટે લોકો ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગુજરાત પોલીસે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. 31મી ડિસેમ્બરની રાત્રિએ ઠેર ઠેર પોલીસ ચેકિંગ જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગમહેસાણા જિલ્લામાં પણ 31મી ડિસેમ્બરની રાત્રે સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કડી, નંદાસણ અને બાવલુ પોલીસે ઢોરીયા, અણખોલ, નંદાસણ, બાવલુ, મેઢા ચોકડી, થોળ ચોકડી જેવા અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. ફાર્મહાઉસોમાં પણ નિરીક્ષણપોલીસે માર્ગ પરથી પસાર થતા વાહનોનું અને વાહનચાલકોનું ઝીણવટભર્યું ચેકિંગ કર્યું હતું. આ ઉપરાંત, બાવલુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નશાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે બ્રેથ એનાલાઈઝર મશીન દ્વારા ચુસ્તપણે તપાસ કરી હતી.
મહેસાણા મહાનગરપાલિકાનું એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 4 વાગ્યે મહેસાણા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.140 કરોડના વિકાસ પ્રકલ્પો તેમજ જિલ્લાના વિવિધ વિભાગના રૂ.696 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રસંગે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણ માળી ઉપસ્થિતિ રહેશે. સાંસદ-ધારાસભ્યો સહિતના હાજર રહેશેઆ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, મહેસાણા લોકસભા સાંસદ હરિ પટેલ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ, બેચરાજી ધારાસભ્ય સુખાજી ઠાકોર, વિજાપુર ધારાસભ્ય ડૉ. સી.જે ચાવડા, ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલ, ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને કડી ધારાસભ્ય રાજેન્દ્રકુમાર ચાવડા ઉપસ્થિત રહેશે.
યુવકને માર્યો માર:બુટલેગર સહિત 8 શખ્સોએ અદાવતે યુવકને મારમાર્યો, છની ધરપકડ કરાઈ
ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવકને નજીવી બાબતે આઠ જેટલા શખ્સોએ બે કારમાં આવી યુવકને લાકડી, ધોકાના ફટકા મારી, ગંભીર હાલત કરી ફરાર થયા હતા. જે મામલે પોલીસે છની ધરપકડ કરી છે. ભાવનગરના બગદાણા ગામે રહેતા નવનીતભાઇ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક નવનીતભાઇના બાઇકને ઉભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે ગંભીર મારમારી, ઇજા કરી ફરાર થયા હતા. જે મામલે આજે પોલીસે મુખ્ય સુત્રધાર નાજુ ધિંગુભાઇ કામળીયાની ધરપકડ કરી હતી. અને રાજુ દેવાયતભાઇ ભમ્મર, આતુ ઓઘડભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીષ વિજયભાઇ વનાડીયા, ભાવેશ ભગવાનભાઇ શેલાણા, પંકજ માવજીભાઇ મેર અને વિરૂ મધુભાઇ સયડાના પણ નામ ખુલવા પામ્યા છે. જે મામલે પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. જો કે, આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે. ત્યારે આજે રાજુલાના ધારાસભ્ય હિરાભાઇ સોલંકી પિડીત નવનીતભાઇની વ્હારે આવનાર છે. બગદાણા આશ્રમના સેવક પર હુમલાના દોષિતો સામે કાર્યવાહીની માંગબગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર અસામાજિક તત્વો દ્વારા થયેલ હુમલાના પગલે અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી) તેમજ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહકન્વીનર માવજીભાઈ સરવૈયા ઇજાગ્રસ્ત નવનીતભાઈ બાલધિયાની હોસ્પિટલમાં મુલાકાત લઈ સબંધિત પોલીસ વિભાગના અધિકારીને રૂબરૂ મળી ઘટના સંદર્ભે ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરશે અને સાંજના મહુવા કોળી સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી પીડિતને ન્યાય નહી મળે તો આગામી સમયમાં આક્રમક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવશે. ઓળખ પરેડ પછી રિ-કન્સ્ટ્રક્શન કરાશેઆ બનાવમાં બગદાણા પોલીસ મથકના પી.આઇ. ડી.વી. ડાંગરે જણાવ્યું હતું કે, આઠ શખ્સો પૈકી છ શખ્સોને હાલ હસ્તગત કરાયા છે. આ તમામ આરોપીઓની ઓળખ પરેડ થયા બાદ તમામ આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન પણ કરાશે.
ઝાલોદના નાનસલાઈ ગામે બંધ મકાનમાં તસ્કરી:અશ્વિન પટેલના ઘરમાંથી 6300ની ચોરી, પોલીસ તપાસ શરૂ
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામે એક બંધ મકાનમાં તસ્કરીની ઘટના સામે આવી છે. મંદિર ફળિયામાં રહેતા અશ્વિનભાઈ રામાભાઈ પટેલના મકાનમાંથી અજાણ્યા તસ્કરો ₹6300 રોકડા ચોરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ચિંતાનો માહોલ છે અને ઝાલોદ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, ગત ૧૫ ડિસેમ્બરના રોજ અશ્વિનભાઈ પટેલનું મકાન બંધ હતું. રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો અને લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ, અંદરના ડ્રોવરમાંથી રાખેલા ₹6300 રોકડાની ચોરી કરી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. સવારે મકાન ખોલવા જતાં અશ્વિનભાઈને ચોરીની જાણ થઈ હતી. તેમણે તાત્કાલિક ઝાલોદ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ઝાલોદ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને આસપાસના વિસ્તારોમાં પૂછપરછ તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી કરી રહી છે. આ ઘટના બાદ નાનસલાઈ ગામ સહિત આસપાસના વિસ્તારોમાં બંધ મકાનોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે. ગ્રામજનોએ પોલીસ તંત્રને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય. ઝાલોદ પોલીસ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસને વેગ આપવામાં આવ્યો છે.
બનાસકાંઠા પ્રભારી સચિવ મોના ખંધારના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી ખાતે 'વિકસિત બનાસકાંઠા @2047 - વિકસિત ગુજરાત @2047' થીમ હેઠળ એક બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ચાલી રહેલી યોજનાઓની સમીક્ષા કરવાનો હતો. બેઠક દરમિયાન શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વચ્છતા અને સામાજિક કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અને યોજનાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ મોના ખંધારે જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વિભાગવાર સંકલન સાથે સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી. તેમણે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અંતિમ લાભાર્થી સુધી અસરકારક રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરનો GST વિવાદ:700થી વધુ વેપારીઓને કરોડોની ડિમાન્ડ નોટિસ
ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા 2018-19થી 2023-24 સુધીના સમયગાળાની 700થી વધુ નોટિસો છ માસ અગાઉ ભાવનગરના વેપારીઓ, ઉદ્યોગકારોને ફટકારવામાં આવી હતી, અને તેમાં વેપારીઓ દ્વારા જે જીએસટી નંબરો રદ્દ થયા હતા તેના કારણો, આધાર પુરાવા આપવા છતા કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો પ્રસારિત કરવામાં આવી રહી હોવાથી મોટા પાયે દેકારો મચી ગયો છે. સમગ્ર રાજ્યમાંથી ફક્ત ભાવનગરમાં જ વેપારીઓ, ઉદ્યોગકારોને સીજીએસટી દ્વારા વર્ષ 2018-19થી 2023-24ના સમયગાળા દરમિયાન કરેલી ખરીદીમાં સપ્લાયર પાર્ટીના નંબર રદ્દ થયા હોય તેવા કિસ્સામાં ખરીદનાર પાસેથી સપ્લાયરના ટર્નઓવરના વર્ષ વાઇઝ ઇન્વોઇસ, ઇ-વે બિલ, માલ પરિવનની વિગતોમાં ટ્રાન્સપોર્ટ રીસીપ્ટ, બિલટી, ચલણ, લોરી રીસીપ્ટ, ડિલિવરી ચલણ, વે-બ્રિજની રીસીપ્ટ, ટોલ ટેક્સની રીસીપ્ટ અને માલ મળી થયો હોવાની રીસીપ્ટ, સપ્યાલરને કરવામાં આવેલા પેમેન્ટની બેંક સ્ટેટમેન્ટમાં આપેલી અસર, કર જવાબદારી અને લીધેલી વેરાશાખની સરખામણીની શીટ, કેસ સંબંધિત અન્ય કાગળો માંગવામાં આવ્યા હતા. 700થી ભાવનગરના વેપારીઓ-ઉદ્યોગકારો દ્વારા નોટિસોના જવાબો કારણો અને પુરાવા સહિત આપવા છતા ડિમાન્ડ નોટિસો ઇશ્યુ કરવામાં આવી રહી છે. જેની પાસેથી માલની ખરીદી કરી હોય તેવા વેપારીઓ-સપ્લાયરોની ભાગીદારી પેઢીમાં તબદીલી આવી હોય, પ્રાયવેટ લિમિટેડ પેઢી બનાવી હોય, પરમેનન્ટ એકાઉન્ટ નંબર કોઇપણ કારણોસર નવો લેવામાં આવ્યો હોય તેવા તમામ લોકોએ જેને વેચાણ આપ્યુ છે તેની પાસેથી માહિતીઓ માંગવામાં આવી હતી. જે સપ્લાયર-વેપારીના એબેનેશિયો રદ્દ થયા હોય તેવા કિસ્સામાં તેની વિગતો, ટેક્સ રીટર્ન ભર્યા સહિતની માહિતી તંત્ર પાસે હોય છે કોમ્પ્યુટરમાં સામેલ હોય જ છે, તમામ માહિતી જીએસટીઆર-3બીમાં રીફ્લેક્ટ થાય છે છતા ડિમાન્ડ કરવામાં આવી રહી છે. કેસ થયા હોય તેવા કિસ્સામાં વેપારીએ તંત્રની માંગ મુજબના નાણા ભરી દીધા હોવા છતા તેની પણ માહિતીઓ પુરાવા સાથે માંગવામાં આવી રહી છે. વેપારીઓ પાસે માંગવામાં આવેલી માહિતીઓ તંત્ર પાસે પોતાના કોમ્પ્યુટરમાં હોય જ છે છતા હેરાનગતિ કરાઈ રહી છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ વેપારીઓ એકત્ર થઇ અને આ સમસ્યાની રજૂઆત કરવાના હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે. પુરાવા આપ્યા છતા ધ્યાને લેવાયા નહીંવર્ષ 2018-19થી 2023-24ના સમયગાળાની નોટિસોના જવાબો આપી દીધા હતા, પુરાવા આપી દીધા હતા છતા વેપારીઓ, ઉદ્યોગકારોને ડિમાન્ડ નોટિસો ફટકારવામાં આવી રહી છે. રદ્દ થયેલા નંબરોના કારણો સ્વીકારવામાં આવી રહ્યા નથી અને એક તરફી કાર્યવાહી કરવામાં આવી રહી છે. > સાદીક કાનાણી, અગ્રણી વેપારી
સાયબર ફ્રોડ કરતી ટોળકીના બે સભ્યો ઝડપાયા:અલગ-અલગ રાજ્યોના પીડિતો પાસેથી લાખો પડાવ્યા
આણંદ સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ફ્રોડ કરતી એક ટોળકીના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ અલગ-અલગ રાજ્યોના લોકો સાથે છેતરપિંડી કરીને તેમના બેંક ખાતામાંથી નાણાં પડાવતા હતા. પોલીસે તેમની પાસેથી ₹11.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં આણંદના મોગરીમાં રહેતા એક યુવકે ફરિયાદ નોંધાવી હતી. ત્રણ મહિના પહેલા યુવકનો પરિચય દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, મહેસાણા) અને શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) સાથે થયો હતો. મિત્રતા કેળવાયા બાદ તેઓ અવારનવાર આણંદમાં મળતા હતા. દક્ષેશ અને શિવાનીએ યુવકને જણાવ્યું કે તેમને બેંક ખાતાની જરૂર છે અને તેઓ તેમના ધંધાના પૈસા યુવકના ખાતામાં જમા કરાવશે, કારણ કે તેમને વધુ ઇન્કમ ટેક્સ આવતો હતો. મિત્રતાના ભાવે યુવકે તેમને પોતાના બેંક ખાતા નંબર આપ્યા હતા. ત્યારબાદ, 3 નવેમ્બર, 2025ના રોજ દક્ષેશ અને શિવાનીએ યુવકના બેંક ખાતામાં ₹5,00,000 જમા કરાવ્યા અને તરત જ ચેક દ્વારા ₹4,80,000 ઉપાડી લીધા હતા. બીજા દિવસે, ₹15,50,000 જમા કરાવી તે જ દિવસે ₹12,00,000 ઉપાડવામાં આવ્યા. 6 નવેમ્બર, 2025ના રોજ ફરી ₹5,00,000 જમા કરાવી તરત જ ઉપાડી લેવામાં આવ્યા હતા. આ મોટા ટ્રાન્ઝેક્શનોને કારણે યુવકનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. તે સમયે દક્ષેશ અને શિવાનીએ ખાતું અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપી હતી. તાજેતરમાં, દક્ષેશ અને શિવાની ફરી આણંદ આવ્યા અને યુવક પાસેથી IDFC બેંકનો ખાતા નંબર લઈ તેમાં ₹4,00,000 જમા કરાવ્યા. તેમાંથી યુવક પાસેથી ₹3,50,000 ચેકથી ઉપડાવી પરત મેળવી લીધા હતા. આ ટ્રાન્ઝેક્શન અંગે શંકા જતાં યુવકે બેંકમાં પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે યુવકના ખાતામાં જે એકાઉન્ટથી પૈસા આવ્યા હતા, તેની વિરુદ્ધ આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના સાયબર પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાયેલી હતી. આથી, યુવકે દક્ષેશ નથુભાઈ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગર અને તેમના સાથી પ્રફુલભાઈ વિરુદ્ધ આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી દક્ષેશ નથુભાઈ પટેલ અને શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી સાયબર ફ્રોડના ₹3,50,000 રોકડા, જુદી જુદી બેંકોના 10 ક્રેડિટ/ડેબિટ કાર્ડ, 13 ચેક બુક/પાસબુક, 6 મોબાઈલ ફોન અને એક ફોર વ્હીલ કાર સહિત કુલ ₹11,80,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ એકબીજાના મેળાપીપણામાં પુર્વ આયોજીત રીતે ષડયંત્ર રચી બેન્ક એકાઉન્ટ ખોલાવી લોકોને વિશ્વાસમા લઈ તેમના બેન્ક ખાતાઓમાં રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી નાણા મેળવી આગળ તેમના મળતીયાઓને મોકલી સાયબર ફ્રોડને અંજામ આપે છે.
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર 1 જાન્યુઆરી, 2026થી નવું સમય પત્રક અમલમાં મૂકવામાં આવી રહ્યુ છે. તેમાં કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના કારણે મુસાફરોનો સમય બચશે. ભાવનગર રેલવે ડિવિઝનની 4 ટ્રેનો વહેલી દોડાવવામાં આવશે જ્યારે 8 ટ્રેનો નિર્ધારીત સમયથી મોડી ચલાવવામાં આવશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠી અનુસાર, આ વખતે ભાવનગર મંડળમાંથી પસાર થતી 4 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી તથા 8 ટ્રેનો હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી ચલાવવામાં આવશે. ભાવનગર મંડળમાંથી પસાર થતી કુલ 17 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, તેમજ મુસાફરીના સમયમાં 5 મિનિટથી લઈને 50 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે, જેનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓને તેમના ગંતવ્ય પર પહોંચવામાં સમયની બચત થશે. ટ્રેન નંબર 59228 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 05.10 વાગ્યાના બદલે 05.05 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59234 ભાવનગર–સુરેન્દ્રનગર પેસેન્જર, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 13.40 વાગ્યાના બદલે 13.30 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા દૈનિક એક્સપ્રેસ, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 22.10 વાગ્યાના બદલે 22.00 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59554 બોટાદ–ગાંધીગ્રામ પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 17.10 વાગ્યાના બદલે 17.00 વાગ્યે રવાના થશે. પ્રારંભિક સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય કરતાં મોડેથી રવાના થશે જેમાં ટ્રેન નંબર 16333 વેરાવળ–તિરુવનંતપુરમ સેન્ટ્રલ એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 06.50 વાગ્યાના બદલે 06.55 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 11465 વેરાવળ–જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 10.05 વાગ્યાના બદલે 10.10 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 26902 વેરાવળ–સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 14.40 વાગ્યાના બદલે 14.45 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 19204 વેરાવળ–બાંદ્રા એક્સપ્રેસ, વેરાવળ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.40 વાગ્યાના બદલે 19.00 વાગ્યે એટલે કે 20 મિનિટ મોડેથી રવાના થશે. ટ્રેન નંબર 59215 ભાણવડ–પોરબંદર પેસેન્જર, ભાણવડ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 21.50 વાગ્યાના બદલે 22.40 વાગ્યે એટલે કે 50 મિનિટ મોડેથી રવાના થશે. ટ્રેન નંબર 59555 ગાંધીગ્રામ–બોટાદ પેસેન્જર, ગાંધીગ્રામ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 18.50 વાગ્યાના બદલે 19.00 વાગ્યે રવાના થશે. ટ્રેન નંબર 59271 બોટાદ–ભાવનગર પેસેન્જર, બોટાદ સ્ટેશન પરથી હાલના નિર્ધારિત સમય 15.45 વાગ્યાના બદલે 15.50 વાગ્યે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ટર્મિનસ સ્ટેશન પર પીટ લાઇનની મરામત માટે ચાલી રહેલા કાર્યને કારણે જે ટ્રેનો 25 જાન્યુઆરી, 2026 સુધી રદ કરવામાં આવી છે, તે ટ્રેનો રદ જ રહેશે અને તે ટ્રેનો માટે બદલાયેલ સમય કાર્ય પૂર્ણ થયા બાદ અમલમાં આવશે.
પત્નીની હત્યાનો પ્રયાસ:તળાજામાં પતિએ પત્ની ઉપર પેટ્રોલ છાંટીને સળગાવવાનો કરેલો પ્રયાસ
તળાજા શહેરના ગાંધી ચોક પાસે ત્રણ સંતાનો સાથે પિયરમાં રહેતા શિતલબેન ઘરે હતા. જે દરમિયાન તેમના બહેનના જન્મ દિવસ અર્થે ગાડીમાં રાખેલ કેક લેવા ગયા હતા. જ્યાં પહેલેથી હાજર તેમનો પતિ જીતુ નરશીભાઇ પાંગળએ અચાનક પ્લાસ્ટીકની થેલીમાં રહેલ પેટ્રોલ શિતલબેન ઉપર છાંટી દિધું હતું અને શિતલબેનને સળગાવવાનો પ્રયાસ કરતા શિતલબેન ભાગી છુટતા આબાદ બચાવ થયો હતો. જે બાદ તેમની હાલત ગંભીર થતાં શિતલબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવ અંગે જીતુ પાંગળ વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના રમતગમતના મેદાનો પર બહારના તત્વોના કબજાને લઈને ઉદ્ભવેલો વિવાદ સોમવારે મોડી સાંજે તીવ્ર બન્યો, જ્યારે ABVP અને NSUI સામાન્ય રીતે વિપરીત ધ્રુવ પર રહેતા બે વિદ્યાર્થી સંગઠનો એકસાથે ઉતરી આવ્યા અને યુનિવર્સિટીના ટેબલ ટેનિસ ગ્રાઉન્ડ ખાતે જનતા રેડ કરી. છેલ્લા કેટલાય દિવસોથી બહારના લોકોને ગ્રાઉન્ડમાં રમવા અને ચલાવવા દેવામાં આવતું હોવાના મુદ્દે બંને સંગઠનો દ્વારા વિરોધ નોંધાવાયો હતો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે અંતે વિદ્યાર્થી સંગઠનોઓ એ જાતે જ કાર્યવાહી હાથ ધરી. જનતા રેડ દરમિયાન બંને સંગઠનોના કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડમાં રમતા બહારના લોકોને અટકાવ્યા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે સ્કૂલના વિદ્યાર્થીઓને ત્યાં રમવા દેવામાં આવી રહ્યા હતા, જ્યારે યુનિવર્સિટીના પોતાના વિદ્યાર્થીઓને પોતાનું જ ગ્રાઉન્ડ મળતુ ન હોય, આ દૃશ્યોએ સ્થળ પર જ ભારે તણાવ સર્જ્યો અને યુનિવર્સિટીના મેદાનો કોના માટે? એવો સવાલ ગુંજતો થયો. આ દરમિયાન વાયરલ થયેલા વીડિયોમાં એમ.જે. કોમર્સ કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર રીના જોશી તથા ઇન્કમટેક્સ વિભાગમાં ક્લાસ-ટુ અધિકારી હાર્દિક જોશી, બંને પતિ પત્નીએ ABVP અને NSUI સંગઠનોના આગેવાનોને ધમકાવી પોતાના હોદ્દાથી ગ્રાઉન્ડના માલિક હોય તેવું વર્તન કરી અને શારીરિક શિક્ષણ વિભાગના નિયામક દિલીપસિંહ ગોહિલને પૂછવાની કોઈ જરૂર નથી જેવી ઉદ્ધત ભાષા વાપરતા હોય તેવું સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું જેનાથી વિવાદે વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે બંને વિદ્યાર્થી સંગઠનો એકસૂર બની યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર બહારના લોકોના કબજાને હટાવવાની લડત લડતા રહ્યા. અખબારી અહેવાલોમાં ટેબલ ટેનિસનો ગ્રાઉન્ડ ખાનગી વ્યક્તિને ચલાવવા આપ્યું હોવાના ખુલાસા થતાં જ સંબંધિત વ્યક્તિએ તાત્કાલિક પોતાનું બોર્ડ હટાવી લેવું પડ્યું, જે તંત્રની ગોઠવણો અને અસ્પષ્ટ વ્યવસ્થાપન પર મોટો પ્રશ્નચિહ્ન મૂકે છે. વિદ્યાર્થીઓનું સ્પષ્ટ કહેવું છે કે યુનિવર્સિટીના મેદાનો વિદ્યાર્થીઓના હકના છે અને જો તંત્ર તાત્કાલિક કડક પગલાં નહીં ભરે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ તીવ્ર બનશે તેવું બંને સંગઠનોના આગેવાનોએ જણાવ્યું હતું.
દમણમાં 31 ડિસેમ્બરની ધામધૂમથી ઉજવણી:પ્રવાસીઓના ઘોડાપૂર સાથે 2026નું ઉમંગભેર સ્વાગત
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી કરવામાં આવી. નવા વર્ષની પૂર્વસંધ્યાએ દેશભરના પ્રવાસીઓનું ઘોડાપુર દમણમાં ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ 2025ને વિદાય આપી 2026નું ઉમંગભેર સ્વાગત કર્યું હતું. હોટલો, રિસોર્ટ અને દમણના નમો પથ પર પ્રવાસીઓ એકઠા થયા હતા. ડીજેના તાલે યુવા વર્ગ સહિત સહેલાણીઓ ઝૂમી ઊઠ્યા હતા. વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીઓ અને લાઇવ મ્યુઝિકના કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં લોકોએ નવા વર્ષને હર્ષોલ્લાસ અને તાજગી સાથે આવકાર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ દમણ પ્રવાસીઓની પ્રથમ પસંદ બની રહ્યું. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. મુંબઈ, અમદાવાદ તેમજ મહારાષ્ટ્રના નાસિક સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દમણ પહોંચ્યા હતા. નવા વર્ષની ઉજવણી માટે આવેલા પ્રવાસીઓએ દમણને સ્વચ્છ, સુરક્ષિત અને વિકાસશીલ ગણાવી પ્રશંસા કરી હતી. ઘણા પ્રવાસીઓએ તો દમણમાં આવ્યા બાદ વિદેશી પ્રવાસનો અનુભવ થતો હોવાનું જણાવ્યું હતું. રાત્રે 12ના ટકોરે સમગ્ર દમણ 'હેપ્પી ન્યુ યર'ના નાદ અને ફટાકડાઓની ગુંજથી ગુંજી ઉઠ્યું હતું. દમણના વિકાસ, સ્વચ્છતા અને સુંદરતાને કારણે આ વર્ષે માનવ મહેરામણ જોવા મળ્યું, જેનાથી હોટલ ઉદ્યોગને પણ સારો લાભ થયો. દમણ પ્રશાસન દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન આપવાના પગલાંઓને કારણે પ્રથમ વખત 31 ડિસેમ્બરની રાત્રે દમણની તમામ હોટલો ખીચોખીચ ભરાયેલી જોવા મળી હતી. હોટલ માલિકોએ પણ આ વર્ષની ઉજવણીને સકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવ્યું. દમણ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને કડક વાહન ચેકીંગની કામગીરીને લઈને સહેલાણીઓએ તેમની કામગીરી અને સેવાને બિરદાવી હતી.
જામનગરમાં નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મધ્યરાત્રિએ યુવાધન સેલિબ્રિટી સિંગર અને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યું હતું, જ્યારે બીજી તરફ સનાતન ધર્મની પરંપરા મુજબ ભક્તિમય કાર્યક્રમો પણ યોજાયા હતા. મધરાતે યુવાધન હિલોળે ચડ્યુંશહેરમાં નવા વર્ષની ઉજવણીનો અનેરો થનગનાટ હતો. મધ્યરાત્રિ સુધી યુવાનો ઉત્સાહ અને ઉમંગ સાથે હિલોળે ચડ્યા હતા. ડીજે સાથે ડાન્સ પાર્ટીઓ, આકર્ષક લાઇટિંગ અને વિવિધ એન્કર તથા કલાકારોના પર્ફોર્મન્સથી યુવાનોએ નવા વર્ષને આવકાર્યું હતું. યુવક-યુવતીઓ ડીજેના તાલે ઝૂમ્યાસેવન સીઝન રિસોર્ટ સહિત અનેક પાર્ટી પ્લોટમાં યુવાનો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. વર્ષ 2025 ને વધાવવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ હતો. રિસોર્ટમાં યોજાયેલી ઉજવણીમાં યુવાનોએ મોજ-મસ્તી સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. કલાકારોએ રંગત જમાવીઆ ઉજવણીમાં અનેક કલાકારો અને એન્કરોએ રંગત જમાવી હતી. સેલિબ્રિટી સિંગર ધવાની પરીખે પણ પોતાના પર્ફોર્મન્સથી યુવાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ગીત-સંગીત અને ડાન્સના કાર્યક્રમો બાદ રાત્રિના 12:00 વાગ્યે કેક કટિંગ કરીને વર્ષ 2025 ને આવકારવામાં આવ્યું હતું, અને ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. સનાતન ધર્મની પરંપરા જાળવીઆ ઉજવણીમાં સનાતન ધર્મની પરંપરા જાળવી રાખીને ભક્તિમય કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં જય શ્રી રામ, હરે મહા આરતી અને ન્યૂ યર નાઈટ કીર્તનનો સમાવેશ થાય છે. મોટી સંખ્યામાં લોકોએ રામધૂન, હનુમાન ચાલીસા, કૃષ્ણ ભજન અને મહા આરતીમાં ભાગ લીધો હતો, અને 'જય શ્રી રામ'ના નારા સાથે નવા વર્ષને સનાતન ધર્મ મુજબ આવકાર્યો હતો. પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યોનવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે જામનગર પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. શહેરના બાયપાસ, રિસોર્ટ, હોટલ અને વિવિધ સર્કલો તથા વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેથ એનાલાઇઝર દ્વારા લોકોને ચેક કરવામાં આવ્યા હતા અને સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું. 700થી વધુ જવાનો તૈનાત રહ્યાજિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. આ બંદોબસ્તમાં 4 ડીવાયએસપી, 24 પીઆઈ, 35 પીએસઆઈ સહિત કુલ 65 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને ગ્રામ્ય રક્ષક દળના જવાનો સહિત 700થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
ભાવનગર જિલ્લામાં આગામી વર્ષ-2026માં લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જેમાં ખાસ કરીને ભાવનગર શહેર અને જિલ્લાના વાહન ચાલકોને નવા વર્ષમાં AI ટેક્નોલોજીથી સજ્જ ટેસ્ટિંગ ટ્રેક સહિતની અદ્યતન સવલતોથી સજ્જ રૂ.8.32 કરોડના ખર્ચે નવ નિર્મિત RTO કચેરીની ભેટ મળશે. ભાવનગર શહેરના ભાગોળે નારી ચોકડી નજીક લાખો રૂપિયાને ખર્ચે તૈયાર કરાયેલી ભાવનગર જિલ્લાની RTO કચેરીનું ટૂંક સમયમાં લોકાર્પણ થશે. ભાવનગર શહેરના નારી ખાતે નવ નિર્મિત ભાવનગર RTO કચેરીનું બે વર્ષ પહેલા ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ રૂ. 832.70 લાખના ખર્ચે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવીન સંકુલ તાજેતરમાં બનીને તૈયાર થયું છે. આગામી વર્ષ-2026માં સંભવતઃ જાન્યુઆરી માસમાં નવ નિર્મિત ભાવનગર RTO કચેરીનું લોકાર્પણ થવાની સાથે લોકોને નવી સવલતનો લાભ મળશે. ભાવનગર જિલ્લાની નવી RTO કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જન સેવા કેન્દ્ર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર મોટર વિહિકલ, પી.આર.ઓ. રૂમ, સ્માર્ટ કાર્ડ રૂમ, સ્ટાફ રૂમ, વેઇટિંગ એરિયા, ટોઇલેટ બ્લોક, લિફ્ટ, પેસેજ અને ઓપન સર્ક્યુલેશન એરિયાની સવલત હશે. જ્યારે પ્રથમ માળ ખાતે આર.ટી.ઓ. ઓફિસર, એ આર.ટી.ઓ., પી.આર.ઓ., મામલતદાર એડ.ઓફિસર, સ્માર્ટ ઓપ્ટિકલ કાર્ડ રૂમ, રેકર્ડ સ્ટોર રૂમનું નિર્માણ કરાયું છે. તેમજ કચેરીના ગ્રાઉન્ડમાં વ્યૂ ટાવર, ટુ એન્ડ વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, ફોર એન્ડ વ્હીલર વાહનો માટે ટેસ્ટિંગ ટ્રેક, પાર્કિંગ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસની વહિવટી પ્રક્રિયા સરળ થશે:નવાપરામાં 27 કરોડના ખર્ચે એસ.પી. કચેરી કાર્યરત થશે
ભાવનગર પોલીસની વહિવટી પ્રક્રિયા સુદૃઢ તેમજ સરળ બને તેને લઇને ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં નવી એસ.પી. ઓફિસ કાર્યરત કરવામાં આવનાર છે. એસ.પી. ઓફિસનું નવનિર્માણ બિલ્ડીંગનું મોટા ભાગનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે નવા વર્ષમાં આ એસ.પી. ઓફિસ સંપૂર્ણ કાર્યરત થનાર છે. 27 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહેલી એસ.પી. કચેરીમાં તમામ વિભાગો એક છત હેઠળ કાર્યરત થશે. ભાવનગર શહેરમાં ભાવનગર જિલ્લા પોલીસને એક નવુ નજરાણું મળવા જઇ રહ્યું છે. ત્યારે ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ એસ.પી. કચેરીને અપગ્રેડ કરવામાં આવી રહી છે. એસ.પી. ઓફિસ કચેરીનું બાંધકામ ઘણા વર્ષો જુનું છે. તેની જગ્યાએ ભાવનગર એસ.પી. કચેરી 27 કરોડના ખર્ચે નવી બનવા જઇ રહી છે. ભાવનગર પોલીસની વહિવીટી પ્રક્રિયા વધુ સરળ અને સુદૃઢ બનશે. ભાવનગર પોલીસના વિભાગો એલ.સી.બી., એસ.ઓ.જી., રીડર શાખા, વહિવટી શાખા, જી.આર.ડી, કંટ્રોલ ઓફિસ, એલ.આઇ.બી વગેરે પાંચ માળની એસ.પી. કચેરીમાં કાર્યરત થશે.
નવીન ક્લબનું થશે નિર્માણ:રૂા.4.5 કરોડના ખર્ચે ક્લબમાં શૂટીંગ - જીમની સુવિધા મળશે
કોર્પોરેશન દ્વારા 4.5 કરોડના ખર્ચે સીદસરમાં ભાવનગર ક્લબનું નિર્માણ કરવામાં આવશે. ભાવનગર ક્લબના નિર્માણથી શહેરીજનોને એક નવી મનોરંજન સાથેની સુવિધા મળશે અને સાથોસાથ કોર્પોરેશનને આવકનું એક નવું માધ્યમ પણ ઊભું થશે. સીદસર ખાતે નિર્માણ પામનાર ભાવનગર ક્લબમાં ઈન્ડોર ગેમ, જીમ, શૂટિંગ રેંજ સાથે આઉટડોરમાં પણ ટેનિસકોટ સહિતની રમતો માટે અને બેઠક વ્યવસ્થા ગોઠવાશે. સામાજિક પ્રસંગો માટે કોર્પો. દ્વારા સામાન્ય નગરજનોને પોસાય તેવી કિંમતે વ્યવસ્થા ઉભી કરાશે.
ધોલેરા વચ્ચે નવો ટ્રેન માર્ગ શરૂ કરવા માટેનો સર્વે શરૂ કરવામાં આવ્યો હોવાના સમાચાર ભાવનગર અને સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પ્રાથમિક સ્તરે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સંભવિત રૂટ, જમીન ઉપલબ્ધતા, ખર્ચ અને ભવિષ્યની મુસાફરી તથા માલવહન ક્ષમતાનો અંદાજ લેવામાં આવી રહ્યો છે. આ નવી રેલ લાઇન અમલમાં આવશે તો ભાવનગરના વિકાસને નવી ગતિ મળશે. નવા ટ્રેન માર્ગથી ભાવનગરને અનેક ક્ષેત્રોમાં ફાયદો થવાની સંભાવના છે. ખાસ કરીને ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR) સાથે સીધી રેલ કનેક્ટિવિટી મળવાથી ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ધોલેરા સરમાં સ્થપાતા મોટા ઉદ્યોગોનો તૈયાર માલ ભાવનગર બંદર મારફતે દેશ-વિદેશમાં નિકાસ કરવો વધુ સરળ અને ખર્ચ અસરકારક બનશે. હાલમાં માર્ગ પરિવહન પર આધાર રાખવો પડે છે, પરંતુ રેલ માર્ગ શરૂ થતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. ભાવનગર બંદર પહેલેથી જ નિકાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર છે. નવી રેલ લાઇન દ્વારા બંદરને ધોલેરાના ઉદ્યોગો સાથે જોડવાથી બંદરની ક્ષમતાનો વધુ સારો ઉપયોગ થઈ શકશે. પરિણામે સ્થાનિક વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને રોજગારી પર પણ સકારાત્મક અસર પડશે. આ સાથે ભાવનગર શહેરની આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની અપેક્ષા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ધોલેરા-સાબરમતિ વચ્ચે નવી ટ્રેન લાઇન માટે જમીન સંપાદનનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આ લાઇન પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ભાવનગર-ધોલેરા-અમદાવાદને જોડતી એક મહત્વપૂર્ણ રેલવે કોરિડોર વિકસી શકે છે. આથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચે મુસાફરી વધુ સુલભ બનશે. ભાસ્કર એક્સપર્ટધોલેરા રેલવે લાઇન ગેમ ચેન્જર બનશેધોલેરા સરમાં આકાર લઇ રહેલા ઉદ્યોગો માટે કાચા માલની આયાત, તૈયાર માલની નિકાસ માટે દરિયાઇ માર્ગની જરૂર પડશે, અને ધોલેરાથી સૌથી નજીક ભાવનગર બંદર આવેલુ છે તેથી ધોલેરા-ભાવનગર વચ્ચે રેલવે લાઇન ઉપલબ્ધ કરાવવાથી ઉદ્યોગોના તૈયાર માલની નિકાસ ભાવનગર બંદરેથી આસાનીથી થઇ શકશે. - કિરીટભાઇ સોની, પૂર્વ પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ
કલાનગરીને મળશે ઓડિટોરિયમની ભેટ:કલાનગરીના કલાકારોને વધુ એક ઓડિટોરિયમનું મળશે પ્લેટફોર્મ
ભાવનગરને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. યશવંતરાય નાટ્યગૃહ સિવાય કોઈ અન્ય વિકલ્પ કલાકારો માટે હતો નહીં. પરંતુ કોર્પોરેશન દ્વારા સરદારનગર ખાતે બનાવવામાં આવેલા ઓડિટોરિયમની સફળતા બાદ વધુ એક 60 કરોડના ખર્ચે 850 ની બેઠક ક્ષમતાનો ઓડિટોરિયમ બનાવવા કાર્યવાહી હાથ ધરી છે. નીલમબાગ સર્કલ પાસે એલ.આઇ.સી ઓફિસ ની બાજુમાં કોર્પો. હસ્તકની ખાલી કરેલી જગ્યામાં ઓડિટોરિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરી તમામ સર્વિસીસ ફાયર સેફટી સિસ્ટમ, કંટ્રોલ એન્ડ મેન્ટેનન્સ રૂમ, યુ પી એસ રૂમ, સર્વર રૂમ, સાઉન્ડ કંટ્રોલરૂમ, લાઈટ કંટ્રોલરૂમ સહિતની સુવિધા ઉભી કરાશે. ગ્રાઉન્ડ, અપર અને ફર્સ્ટ ફ્લોર મુજબ ઓડિટોરિયમની ડિઝાઇન આર્કિટેક દ્વારા બનાવવાની કાર્યવાહી શરૂ છે.
ભાવનગર બનશે ફાટકમુક્ત શહેર:શહેરના કુંભારવાડા રેલવે ક્રોસિંગમાં 90 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ
ભાવનગરમાં રેલવેના વારંવાર બંધ થતા ફાટકને કારણે લોકો લાંબો સમય ક્રોસિંગ પર અટવાઈ જાય છે. તેમાં પણ કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર તો 15000 થી 20,000 વાહનોની અવરજવર રહે છે. અને સામાન્યતઃ દર એક કલાકે ટ્રેન પસાર થતી હોવાથી ક્રોસિંગ વારંવાર બંધ થાય છે. જેથી આ સમસ્યાના ઉકેલ માટે ભાવનગર કોર્પોરેશન દ્વારા 90.54 કરોડના ખર્ચે કુંભારવાડા ક્રોસિંગ પર ટુ લેન્ડ રેલ્વે ઓવરબ્રિજ બનાવાશે. કુંભારવાડા રેલવે ક્રોસિંગ પર 700 મીટર લંબાઈના ટુ લેન ઓવરબ્રિજ માટે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓવરબ્રિજ માટે જમીન સંપાદન પણ કરવી પડશે. ઓવરબ્રિજને કારણે વાહન વ્યવહાર કોઈ વિકટ કે અવરોધ વગર અવરજવર થઈ શકશે. ભાવનગર શહેરની પશ્ચિમ વિસ્તારના 50% થી વધુ વસ્તીને કુંભારવાડા રેલ્વે ક્રોસિંગના ઓવરબ્રિજનો લાભ મળશે. અને તેની માટે કોર્પોરેશન દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી આગામી સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે. જ્યારે ગઢેચી વડલા થી કુંભારવાડા સર્કલ તરફ જતા જવાહર કોલોની પાસે 22.74 કરોડના ખર્ચે રેલવે અંડરબ્રિજ બનાવવાનું પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. જેને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જવાહરનગર કોલોની પાસેના ક્રોસિંગમાં પણ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોજના 10,000 થી થી 12,000 જેટલા વાહનોની અવરજવર રહે છે. જેથી અંડર બ્રિજ બનવાને કારણે વાહન વ્યવહારની સમસ્યા ઉકેલાઈ જશે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનિક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાનો છે. આ બ્રિજનું નિર્માણ થતા સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના બે લાખથી વધુ લોકોને ભાવનગર આવવા-જવાનું સરળ બનશે અને ભાવનગરને પણ એક નવો પ્રવેશદ્વાર મળશે. ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનિક ઓવરબ્રિજ બનાવવા માટે શાસક પક્ષ દ્વારા આર્કિટેકટ પાસે આ આઇકોનિક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવ્યો છે. બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી મથામણ થઇ રહી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે.
ભરૂચમાં નવા વર્ષ 2026નું ઉમંગભેર સ્વાગત:મધરાતે આતિશબાજી, ડીજે પાર્ટીઓમાં યુવાનો ઝૂમ્યા
ભરૂચ જિલ્લામાં 31મી ડિસેમ્બરની મધરાતે વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષ 2026નું સ્વાગત કરવામાં આવ્યું હતું. વર્ષના છેલ્લા દિવસે અને નવા વર્ષના આગમનને લઈને જિલ્લામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 12 વાગ્યાના ટકોરે લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરાયું હતું. ફટાકડાના ધડાકાઓથી ભરૂચ શહેરનું આકાશ રોશન થયું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રસ્તાઓ પર નીકળી નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા, જેમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ હતો. ભરૂચ શહેરના સીટી સેન્ટર વિસ્તાર તેમજ ઝાડેશ્વર નર્મદા કોલેજ પાસેની ખુલ્લી જગ્યામાં ડીજે પાર્ટીઓનું આયોજન કરાયું હતું. આ પાર્ટીઓમાં મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. મધરાતે 12 વાગતા જ સમગ્ર વિસ્તાર હેપ્પી ન્યૂ યરના નાદોથી ગુંજી ઉઠ્યો હતો. ઉજવણી દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર વધી હતી. નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. કાયદો-વ્યવસ્થા જાળવવા માટે પોલીસ વિભાગ પણ રાત્રિ દરમિયાન એલર્ટ મોડમાં રહી પેટ્રોલિંગ કરી રહ્યું હતું અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું હતું.
ચોંકાવનારી વિગત સામે આવી:રાજકોટની મહાદેવ અને મા એન્ટરપ્રાઇઝનો બોગસ બિલિંગનો આંક 1000 કરોડને આંબશે
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલી મહાદેવ એન્ટરપ્રાઇઝ અને મોરબી રોડ પર આવેલી મા એન્ટરપ્રાઇઝમાં સેન્ટ્રલ જીએસટી કચેરીની પ્રિવેન્ટિવ વિંગે ગત સપ્તાહમાં દરોડા પાડી રૂ.300 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને 3 કૌભાંડીની ધરપકડ કરી હતી. આ કૌભાંડની ઊંડી તપાસ દરમિયાન બોગસ બિલિંગનો આંક રૂ.1000 કરોડને આંબે તેવા સંકેતો મળ્યા છે અને તેના પરિણામે સરકારને રૂ.180 કરોડની જીએસટીની આવકની નુકસાની થયાનું બહાર આવ્યું છે. આ કૌભાંડમાં 20 બોગસ કંપનીની સંડોવણી પણ બહાર આવી છે. સેન્ટ્રલ જીએસટીના પ્રિવેન્ટિવ વિંગના સૂત્રોએ જણાવ્યા અનુસાર સિમેન્ટ અને લોખંડના બોગસ બિલો બનાવી કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરવાના કૌભાંડમાં અજય લીખિયા, વિશાલ મુલિયા ઉર્ફે સાગર અને જીલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં રૂ.300 કરોડના બોગસ બિલો બનાવી આરોપીઓએ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવી સરકારને રૂ.54 કરોડનો ચૂનો ચોપડ્યાનું ખુલ્યું હતું. ત્યારબાદ જીલ ઠક્કર, અજય લીખિયા અને વિશાલ મુલિયા પાસેથી કબજે કરાયેલા દસ્તાવેજો અને ડેટાઓની સીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગે ઊંડી તપાસ હાથ ધરતા કૌભાંડનો આંક રૂ.1000 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. હાલમાં બોગસ બિલિંગનો આંકડો રૂ.600 કરોડને આંબી જતા સરકારને રૂ.108 કરોડનો આરોપીઓએ ચૂનો ચોપડ્યાનું બહાર આવ્યું છે. આ બોગસ આઇટીસીનો લાભ લેવાનો આંક પણ રૂ.180 કરોડને આંબી જાય તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી છે. મોરબીમાં વિમલ પાનમસાલા સહિત 3 ટ્રેડર્સને ત્યાં દરોડાસેન્ટ્રલ જીએસટીની ટીમે મંગળવારે મોરબીમાં વિમલ પાનમસાલાના ટ્રેડર્સ સહિત કુલ 3 ટ્રેડર્સને ત્યાં દરોડા પાડ્યા હતા અને પ્રાથમિક તપાસમાં મોટા પાયે જીએસટી ચોરી બહાર આવવાની શક્યતા વ્યક્ત કરી છે. સીજીએસટીની ટીમે મોરબીમાં 10 જેટલા સ્થળ પર દરોડા પાડી દસ્તાવેજી પુરાવા અને ડેટા કબજે કર્યો છે અને તેની તપાસ હાથ ધરી છે. ઇમિટેશનના ધંધાર્થીઓની રૂ.60 લાખની GST ચોરી પકડાઇસીજીએસટીની પ્રિવેન્ટિવ વિંગ દ્વારા એક પખવાડિયા પૂર્વે સંત કબીર રોડ પર ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મનીષ વસોયાની વી.એમ.ઝૂમખી, ચિરાગ ગોસરાનીની સાધના સેલ્સ અને રવિભાઇ ઠક્કરની શ્રીજી સેલ્સમાં દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન રૂ.60 લાખની જીએસટી ચોરી બહાર આવ્યાનું સૂત્રોએ જણાવ્યું છે.
વલસાડ પોલીસે ડ્રોનથી નશેડીઓ પર નજર રાખી:નવા વર્ષની ઉજવણીમાં દારૂ-ડ્રગ્સનો નશો અટકાવવા કડક ચેકિંગ
વલસાડ જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂબંધીના કાયદાના કડક અમલ માટે વ્યાપક કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા એસ.પી. યુવરાજસિંહ જાડેજાની સૂચનાથી સમગ્ર જિલ્લામાં પોલીસ ટીમોને એલર્ટ રાખવામાં આવી હતી. 31 ડિસેમ્બરની રાત્રિએ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ ગોઠવી વાહન ચેકિંગ કરાયું હતું. દારૂના નશામાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવા ખાસ ટીમો તૈનાત હતી. આ ઉપરાંત, શંકાસ્પદ વિસ્તારો અને ફાર્મ હાઉસો પર ડ્રોનની મદદથી કડક નજર રાખવામાં આવી હતી. ભૂતકાળમાં જ્યાં દારૂની મહેફિલો ઝડપાઈ હતી તેવા ફાર્મ હાઉસો અને અવાવરૂ સ્થળો પર પોલીસની વિશેષ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ કરાયું હતું. પોલીસની આ સતર્ક કાર્યવાહીને કારણે જિલ્લામાં કોઈપણ શંકાસ્પદ વિસ્તારમાં દારૂની પાર્ટી યોજાઈ હોવાનો એક પણ બનાવ સામે આવ્યો નહોતો. શંકાસ્પદ વિસ્તારો અને ફાર્મ હાઉસ સુમસામ જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની આ કડક કાર્યવાહીથી નવા વર્ષની આડમાં દારૂની મહેફિલ માણવાની તૈયારીમાં રહેલા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસની સતર્કતા અને ટેકનોલોજી આધારિત ચેકિંગથી દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ થયો હોવાનું સ્પષ્ટ બન્યું છે.
હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું:રાજકોટમાં 10 વર્ષની બાળકી અને યુવાન સહિત 5ના હાર્ટએટેકથી મોત
શહેરમાં હૃદય બંધ પડી જવાથી 10 વર્ષની બાળકી સહિત પાંચના મૃત્યુ થયા છે. હાર્ટએટેકથી વૃદ્ધ અને પ્રૌઢના મૃત્યુ બાદ હવે યુવાન વયના અને બાળકોના મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મવડીની માટેલ સોસાયટી-6માં રહેતાં મનોજભાઈ દાનાભાઈ સબાડ અને રંજનબેન મનોજભાઈ સબાડની દીકરી માહી (ઉ.વ.10) ગઇકાલે ઘરે રમતી હતી ત્યારે એક ઊલટી થયા પછી તરત તે બેભાન જેવી થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. તબીબે મૃત્યુ પાછળનું હાર્ટએટેક આવી ગયાનું તારણ આપ્યું હતું. માહી મવડીમાં આવેલી એસ.કે.પી. સ્કૂલમાં ધોરણ-4માં અભ્યાસ કરતી હતી. બીજા બનાવમાં જૂના એરપોર્ટ રોડ પર ઇન્કમટેક્સ સોસાયટીમાં રહેતાં નૈમિષભાઇ પંકજભાઈ શાહ (ઉ.વ.34)નું વહેલી સવારે સાડા ત્રણેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. નૈમિષભાઇને હાર્ટએટેક આવી ગયાનું જાહેર થયું હતું. નૈમિષભાઈ ગવરીદળ પાસે આઇઓસીમાં ઓફિસર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા. ત્રીજા બનાવમાં મોરબી રોડ સીતારામ પાર્કમાં રહેતાં રસિકભાઈ નરશીભાઇ ઢેઢી-પટેલ (ઉ.વ.47) રાતે એકાદ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. હૃદયરોગનો હુમલો આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. ચોથા બનાવમાં રૈયાધાર ભરવાડવાસ શેરી નં.4માં રહેતાં બાવજીભાઈ ગોવિંદભાઇ કાતિયા (ઉ.વ.49)ને ઘરે છાતીમાં દુખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ અહીં મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું પરિવારે જણાવ્યું હતું. પાંચમાં બનાવમાં, મવડી પ્લોટ વિનાયકનગર-15માં રહેતા મીનાબેન કિશોરભાઈ રાઠોડ(ઉં.વ.43) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. પરિવારે હાર્ટએટેક આવી ગયાનું જાહેર કર્યું હતું. મૃત્યુ પામનાર મીનાબેન આરએમસીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. છઠ્ઠા બનાવમાં મવડી પ્રજાપતિ સોસાયટી પાસે ઓમનગરમાં રહેતાં અશોકભાઇ લાલજીભાઇ પાડલિયા (ઉ.વ.55)નું 29મીએ ઘરે બાથરૂમમાં પડી જતાં મૂઢ ઇજા થતાં બેભાન જેવા થઈ જવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું આજે સવારે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો હતો.
અમદાવાદમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા 'IMA NATCON 2025' નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. 27 અને 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા તબીબોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ ડૉ. મનીષ એન. મહેતાને વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. તેમને રાજ્યકક્ષાના પ્રતિષ્ઠિત 'ડૉ. જેઠાલાલ એમ. પટેલ બેસ્ટ સિનિયર ફિઝિશિયન' એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ એવોર્ડ ડૉ. મહેતા દ્વારા ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલી નિઃસ્વાર્થ તબીબી સેવા બદલ એનાયત કરાયો છે. જી.જી. હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં મેડિસિન વિભાગના વડા તરીકેની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે સમુદાયના સ્વાસ્થ્ય ઉત્થાન માટે વ્યક્તિગત ધોરણે પ્રયાસો કર્યા છે. ડૉ. મનીષ મહેતાનું આ સન્માન જામનગરના તબીબી આલમ અને એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે ગર્વનો વિષય બન્યો છે. શિક્ષણ અને સારવાર બંને ક્ષેત્રે તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે, જે યુવા ડોકટરો માટે પણ પ્રેરણારૂપ બનશે.
ગોઝારો અકસ્માત:રાજકોટ પરીક્ષા દેવા કારમાં આવતા જામનગરના ઇજનેર યુવાનનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર પડધરીના મોટા રામપર ગામ પાસે જીવલેણ ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં મૂળ વડોદરાના અને હાલ જામનગર રિલાયન્સમાં એન્જિનિયર તરીકે નોકરી કરતાં 28 વર્ષના યુવાનનું મોત થયું છે. પ્રાપ્ત વિગત મુજબ, મૂળ વડોદરાના અને હાલ જામનગરમાં રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા ભાવિકભાઈ હસમુખભાઈ પ્રજાપતિએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ ગઇકાલ સવારે સાત વાગ્યે તેમની અલ્ટ્રોઝ કાર લઈને મિત્ર ધવલ કટારિયા, પાર્થ ઠક્કર, રાહુલ ઠાકોર અને પ્રફુલ જાની સાથે પરીક્ષા આપવા રાજકોટ જવા નીકળ્યા હતા. જ્યારે તેઓ પડધરીના મોટા રામપર ગામ પાસે પહોંચ્યા ત્યારે આગળ જતી એક અલ્ટો કારે ધીમી પાડતા પૂરઝડપે આવેલા આઈશર ટેન્કરના ચાલકે તેમની કારને પાછળથી ટક્કર મારી હતી. આ કારણે ભાવિકભાઈની કાર આગળ જતી અલ્ટો કારમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં પ્રફુલભાઈ જાનીને માથામાં ગંભીર ઈજાઓ અને લોહી વહેવા લાગ્યું હતું. જ્યારે ધવલભાઈને નાકના ભાગે ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં વેન્ટિલેટર પર સારવાર લઈ રહેલા પ્રફુલભાઈને હેમરેજ જેવી ગંભીર ઇજા થતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પડધરી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એસ. ઝાલાએ ભાવિકભાઈની ફરિયાદ પરથી આઇશર ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો.
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બુધવારે સાંજે રાજકોટના સર્કિટહાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં અમુક પોલીસ અધિકારીઓ સરકારના ટોમી બનીને કામ કરી રહ્યા છે અને બુધવારે રાજકોટની જેલમાં આપના પ્રવીણ રામને તેમના પરિવાર સાથે મળવા ગયા ત્યારે કોઇપણ જાતના નિયમ કે કારણ વગર મળવા ન દેવાયાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આપના ધારાસભ્ય ઇટાલિયાએ જણાવ્યું હતું કે, અમારા જૂનાગઢ જિલ્લાના આપના પ્રમુખ હરિશભાઇ સાવલિયા દ્વારા ખોટી રીતે આરોપ પોલીસ દ્વારા મૂકવામાં આવ્યો અને ખોટી એફઆઇઆર કરી ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માગણી કરતા કોર્ટે રિમાન્ડ આપવાની ના પાડી દીધી હતી. ખોટી એફઆઇઆર હતી, ખોટા આરોપો હતો તેથી કોર્ટે જોયું આમાં રિમાન્ડ આપવાની જરૂર નથી. ત્યારબાદ ગઇકાલે રાત્રે ફરીથી જેલમાં હરિશભાઇ સાવલિયા સામે ષડ્યંત્ર ઊભું કરી હરિશભાઇને અન્ય કેદીઓ પાસે માર મરાવી ફરીથી તેમની પર એટ્રોસિટીની ફરિયાદ ઊભી કરવામાં આવી છે. હરિશભાઇ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે કામ કરી રહ્યા છે અને ખેડૂતો માટે લડાઇ લડી રહ્યા છે. ગુજરાતમાં જે જે લોકો ખેડૂતો માટે લડાઇ લડે છે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આખું આયોજન કરવામાં આવ્યું છે. અમારા નેતા રાજુભાઇ કરપડા, પ્રવીણભાઇ રામ, રમેશભાઇ મેર આજની તારીખે રાજકોટની જેલમાં છે. ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય જો સરકારી માણસને મારે તો પોલીસ એફઆઇઆર ન ફાડે પણ જો આપના હરિશભાઇ સાવલિયા વિસાવદર અને ભેંસાણ તાલુકાના ખેડૂતો માટે અવાજ ઉઠાવે તો પોલીસ તેના વિરુદ્ધ એટ્રોસિટી, છેડતી આવા ગંભીર પ્રકારના આરોપોની એફઆઇઆર કરી જેલમાં મોકલ્યા છે અને જેલની અંદર પણ નવી એફઆઇઆર કરી છે. આ એફઆઇઆરનો ખેલ કરવાની અંદર ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ કમળનો પટ્ટો ગળામાં પહેરીને હર્ષ સંઘવીના ટોમી બનીને દલાલી કરવાનું કામ ચાલુ કર્યું છે. કેટલાક અધિકારીઓ સારા છે, કેટલાક ટોમી બની ગયા છે.
આપઘાતનો મામલો આવ્યો સામે:મિત્રની ઓફિસમાં યુવકે અને સેટેલાઈટ ચોક પાસે પ્રૌઢે આપઘાત કરી લીધો
શહેરના નાનામવા મેઈન રોડ પર આવેલા દેવનગર શેરી નં.01માં રહેતા રાહુલ દીપકભાઈ રાઠોડ (ઉ.વ.25)નામનો યુવક માયાણીનગર આવાસના ક્વાર્ટર પાસે આવેલ તેના મિત્રની ઓફિસે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હોવાની 108ને જાણ કરતા ઈએમટીએ યુવકને તપાસી મૃત જાહેર કરી માલવિયાનગર પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ સાળંગ ઓગાણિયા સહિતનો સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરતા મૃતક બેભાઈમાં મોટો અને અપરિણીત હતો. ઘરમાં ઝઘડા કરતો હોય જેથી પરિવારે કાઢી મુક્યો હોવાથી મિત્રની ઓફિસમાં ચાર-પાંચ દિવસથી રહેતો હતો અને ત્યાં જ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળતા પોલીસે વિશેષ તપાસ યથાવત્ રાખી છે. જ્યારે મોરબી રોડ પર આવેલ સેટેલાઈટ ચોકની જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા અને ઘરેથી ઈમિટેશનનું કામ કરતા કિશોરભાઈ બચુભાઈ પાનસુરિયા(ઉ.વ.53)નામના પ્રૌઢે પોતાના ઘરે બપોરે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હોવાની પરિવારને જાણ થતા બી-ડિવિઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં સ્થાનિક ખાણ ખનીજ વિભાગ મૂર્છિત અવસ્થામાં સરી પડ્યો હોય તેવી સ્થિતિ વચ્ચે ખનીજચોરી રોકવાની સઘળી જવાબદારી રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા એક મહિનામાં જ રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ખનીજ ખનન અને વહનના 61 જેટલા કિસ્સા ઝડપી લઈ 1.21 કરોડથી વધુનો દંડ વસૂલ કર્યો હતો. સૌરાષ્ટ્રમાં ભૂતળમાં મુખ્યત્વે રેતી, સેન્ડસ્ટોન, બ્લેકટ્રેપ, લાઇમ સ્ટોન, હાર્ડ મોરમ સહિતના ખનીજનો ખજાનો સંગ્રહાયેલ પડ્યો હોય રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લામાં ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની પેરેલલ વોટ્સએપ નેટવર્ક ચલાવી ખાણ ખનીજ વિભાગ દરોડા પાડે તે પૂર્વે જ પેપર ફોડી નાખી ખનીજ ખનન અને પરિવહનના કિસ્સામાં બચી જવામાં સફળ થઇ રહ્યા છે. સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કામ જ કરતો ન હોય તેવી સ્થિતિમાં હાઇવે પર ખનીજચોરી બિંદાસ્ત બની ખનીજનું પરિવહન કરી રહ્યા છે. જોકે પોલીસ વિભાગની એસએમસીની ટીમની જેમ જ ખાણ ખનીજ વિભાગમાં પણ ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી હોય ખનીજ માફિયાઓ પર ફ્લાઈંગ સ્ક્વોડ સતત કાર્યવાહી કરી રહી છે. ડિસેમ્બર માસમાં ફ્લાઈંગ સ્ક્વોડે સૌરાષ્ટ્રમાં 61 કિસ્સા ઝડપી લીધા હતા. રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડના મદદનીશ નિયામક અંકિત ભટ્ટના જણાવ્યા મુજબ ડિસેમ્બર માસમાં એફએસની ટીમે ખનન અને વહનના કુલ 61 જેટલા કિસ્સા ઝડપી લીધા હતા જેમાં સૌથી વધુ રાજકોટમાં 24, મોરબીમાં 20, સુરેન્દ્રનગરમાં 8, જામનગરમાં 5, ભાવનગરમાં અને પોરબંદરમાં એક કિસ્સામાં ખનીજચોરી ઝડપી લઈ ખનીજ વહન સબબ રૂ.108 લાખ, ખનીજ ખનન બદલ રૂ.10.84 લાખ તેમજ ખનીજનો સંગ્રહ કરવાના એક કિસ્સામાં 2.50 લાખનો દંડ ફટકાર્યો હતો. ક્યાં જિલ્લામાં કેટલી ખનીજચોરી
પાર્ટી નહીં, પુણ્યથી મનાવી થર્ટી ફર્સ્ટ:ગરીબોને 24 હજાર વસ્ત્રો, દિવ્યાંગોને રાશન કિટ આપી
જ્યારે આખું યુવાધન પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને 31 ડિસેમ્બરની રાત્રે ડાન્સ અને પાર્ટીઓમાં મશગૂલ હોય છે, ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવતાની મહેક ફેલાવી નવા વર્ષને આવકાર્યું છે. ‘વસ્ત્રદાન એ જ મહાદાન’ના સંકલ્પ સાથે શાળાના 900 વિદ્યાર્થીએ અંદાજે 24,000 જેટલા વસ્ત્રો એકત્ર કરી જરૂરિયાતમંદોને અર્પણ કરવાનો નિર્ણય લીધો છે. શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી અને આસપાસના વિસ્તારોમાંથી સ્વેટર, જેકેટ, ધાબળા, સાડી અને ડ્રેસ જેવા કુલ 23,997 વસ્ત્ર એકઠા કર્યા હતા. આ સેવામાં માત્ર વસ્ત્રો જ નહીં, પરંતુ કોમર્સના 200 વિદ્યાર્થીએ પોતાની ‘પોકેટ મની’ બચાવીને દિવ્યાંગો માટે એક મહિનાનું રાશન પણ ખરીદ્યું હતું. આ એકત્રિત થયેલા વસ્ત્રો વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજકોટના રૈયાધાર, લોહાનગર, આજી ડેમ અને કુવાડવા રોડ જેવા ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ કચ્છના મીઠાના અગરિયાઓ સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે સૌથી વધુ વસ્ત્રો એકત્ર કરનાર વિદ્યાર્થીઓનું સી.જે. ગ્રૂપ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન માત્ર ભૌતિક દાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ‘ચક્ષુદાન’ કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આજે જ્યારે સમાજ સ્વકેન્દ્રી બની રહ્યો છે, ત્યારે 13થી 17 વર્ષના આ કિશોરોએ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ છોડીને ભારતીય સંસ્કારોનું જતન કર્યું છે. વિરાણી હાઈસ્કૂલના આ વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે, જો યુવા શક્તિ સાચી દિશામાં વળે, તો સમાજમાં મોટું પરિવર્તન લાવી શકાય છે.
વિદ્યાર્થીઓનું વર્ષ નહીં બગડે:ઈજનેરીમાં પહેલીવાર 1 વર્ષમાં બીજીવાર પ્રવેશ પ્રક્રિયા કરાશે
ગુજરાતના શિક્ષણ જગતમાંથી એન્જિનિયરિંગમાં કરિયર બનાવવા માગતાં વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ઈજનેરી શિક્ષણના ઈતિહાસમાં પ્રથમ વખત સત્રના મધ્યમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ સહિત રાજ્યભરની ઈજનેરી કોલેજોમાં હજારો બેઠકો ખાલી રહેતા વિદ્યાર્થીઓના હિતમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધીની પરંપરા મુજબ, એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે માત્ર એક જ વાર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. જોકે આ વર્ષે પ્રથમ તબક્કાની પ્રક્રિયાના અંતે પણ રાજ્યની અનેક નામાંકિત કોલેજોમાં બેઠકો ખાલી રહી છે. બીજી તરફ, સપ્લિમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ અને અગાઉ કોઈ કારણસર પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓનું આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ હતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ACPC એ ‘મધ્યસત્ર પ્રવેશ પ્રક્રિયા’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું એજ્યુકેશન હબ ગણાય છે. રાજકોટની સરકારી અને ખાનગી ઈજનેરી કોલેજોમાં પણ અનેક બેઠકો ખાલી છે. આ નિર્ણયથી રાજકોટના એવા વિદ્યાર્થીઓ કે જેઓ ડિગ્રી એન્જિનિયરિંગમાં જોડાવા માગતાં હતા, પરંતુ ફોર્મ ભરી શક્યા નહોતા અથવા લાયકાત મેળવવામાં વિલંબ થયો હતો, તેમના માટે આ સુવર્ણ તક છે. આ પ્રક્રિયામાં ખાસ કરીને સપ્લિમેન્ટરી પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ પ્રથમ તબક્કામાં રજિસ્ટ્રેશન નહોતું કરાવ્યું તેવા વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. શિક્ષણ વિદોના મતે, આ નિર્ણયથી કોલેજોને પૂરતા વિદ્યાર્થીઓ મળશે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું એક વર્ષ બચશે. પૂરક પરીક્ષા અને NIOSના વિદ્યાર્થીઓને ફાયદો થશે, તેમનું વર્ષ ન બગડે તેવી પ્રક્રિયાબીજી વખત પ્રવેશ પ્રક્રિયા કરવાનું કારણ એવું છે કે, જે વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા આપી હોય અને ત્યારે પરિણામ મોડા ડિક્લેર થયા હોય. બીજું કે NIOS બોર્ડ છે તેનું પરિણામ પણ સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં આવતું હોય છે. એટલે આ બંને બોર્ડના વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે આ પ્રક્રિયા કરી છે. આ પ્રક્રિયામાં કોલેજો પાસે ચોઈસ હોય છે કે, તેને જાન્યુઆરીમાં એડમિશન આપવા છે કે નહીં. જે કોલેજ આ પ્રક્રિયામાં જોડાવવા માગતી હોય તે જોડાઈ શકે છે. જાન્યુઆરીમાં જે વિદ્યાર્થી ઈજનેરીમાં એડમિશન લે તે જૂનના વિદ્યાર્થી કરતા એક સેમેસ્ટર પાછળ રહે છે બાકી અભ્યાસમાં તે વિદ્યાર્થીને કોઈ નુકસાન થતું નથી. જે વિદ્યાર્થીઓએ જૂનમાં એડમિશન લીધું હોય તેઓ જાન્યુઆરીમાં બીજા સેમેસ્ટરમાં આવે અને મીડટર્મના વિદ્યાર્થીઓને જાન્યુઆરીમાં પહેલા સેમેસ્ટરમાં પ્રવેશ મળે. પ્રવેશની જેમ પરીક્ષામાં પણ જૂન અને જાન્યુઆરીના વિદ્યાર્થીઓની પરીક્ષા આગળ-પાછળ રહેશે. શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે ઈજનેરીનું 1 જુલાઈથી 30 જૂન સુધીનું હોય છે, પરંતુ મીડટર્મ વાળા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બરનું ગણાશે. - ડૉ.નીરવ મણિયાર, પ્રોફેસર 30થી વધુ ખાલી જગ્યા ધરાવતી બ્રાન્ચમાં ફરી તકACPCના નિયમ મુજબ, જે કોલેજની જે બ્રાન્ચમાં 30થી વધુ બેઠકો ખાલી હશે, ત્યાં જ આ પુનઃ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે, જ્યાં પૂરતી સંખ્યામાં જગ્યાઓ છે ત્યાં વિદ્યાર્થીઓને સમાવી શકાય અને શૈક્ષણિક સંસાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે. બેઠકોનું ગણિત | ક્યાં કેટલી જગ્યાઓ ખાલી?રાજ્યભરની 52 જેટલી શૈક્ષણિક સંસ્થાઓની અંદાજે 21,000 બેઠક માટે આ પ્રક્રિયા ફરીથી હાથ ધરાશે. રાજ્યમાં કુલ 39,000 બેઠક ખાલી છે, જેમાંથી પ્રવેશ સમિતિએ 21,000 બેઠકને પુનઃ પ્રક્રિયા હેઠળ આવરી લીધી છે. ખાલી બેઠકોની વિગત નીચે મુજબ છે:
અગ્નિકાંડ બાદ લાંબા સમયથી ખાલી જગ્યા ભરાઇ:2 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 3 સ્ટેશન ઓફિસરની ભરતી
રાજકોટ મહાનગરપાલિકામાં દોઢ વર્ષ કરતા પણ લાંબા સમયથી ખાલી પડેલી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 2 અને સ્ટેશન ઓફિસરની 3 ખાલી જગ્યા પર કમિશનર તુષાર સુમેરાએ નિમણૂકના ઓર્ડર કર્યા છે. જ્યારે વધુ એક ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ટૂંક સમયમાં અરજીઓ મગાવીને ભરતી કરાશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તત્કાલીન ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ કાયમી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ભરતી કરવામાં આવી ન હતી. હાલમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત દવે ફરજ બજાવી રહ્યા છે, મનપાએ ગત સપ્ટેમ્બરમાં ખાતાકીય ભરતી માટે કાર્યવાહી કરી હતી હતી અને ગત 12 ડિસેમ્બરના રોજ ઉમેદવારોની પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને નિમણૂકના ઓર્ડર અપાયા હતા. કમિશનરે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તરીકે અશોકસિંહ બનેસિંહ ઝાલા, મુબારક કાસમભાઇ જુણેજાને અને સ્ટેશન ઓફિસર તરીકે પરેશ પુનાભાઇ ચુડાસમા, રાહુલ પ્રવીણભાઇ જોશી અને ધીરેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજાને નિમણૂકના ઓર્ડર આપ્યા છે.
બદલીનો માહોલ:17 RTOની બદલી, રાજકોટમાં ટાંક મુકાયા
ગુજરાત સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા વર્ષના અંતિમ દિવસે વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે આરટીઓની બઢતી સાથે બદલી કરી છે. રાજ્યના મોટર વાહન વિભાગમાં ફરજ બજાવતા 17 જેટલા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીઓને પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-1) તરીકે બઢતી આપી તેમની બદલીના આદેશ કરાયા છે. રાજકોટ ખાતે કાર્યરત કેતનકુમાર મથુરભાઈ ખપેડની વડોદરા ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. તેમની ખાલી પડેલી જગ્યા પર ભાવનગરના આર.ટી.ઓ. ઇન્દ્રજિત સુરેશભાઈ ટાંકને રાજકોટના નવા આર.ટી.ઓ. તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમદાવાદના હાર્દિકકુમાર પટેલની પાટણ ખાતે બદલી કરાઈ છે. જૈમિનકુમાર ચૌધરીની બદલી પાટણથી નાયબ નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. સુરતના આકાશ પટેલની નવસારી બદલી થઈ છે.ભાવનગરના ઇન્દ્રજિત ટાંકની રાજકોટ બદલી કરવામાં આવી છે. આ તમામ બઢતી અને બદલીના હુકમોનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવું ઓર્ડરમાં જણાવાયું છે.
મેઘરાજાની થર્ટી ફર્સ્ટ:2025ના છેલ્લા દિવસ સુધી માવઠાએ પીછો ન છોડ્યો, હજુ આજે પણ આગાહી
વર્ષ 2025ના અંતિમ દિવસે જ્યારે લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરી રહ્યા હતા, ત્યારે મેઘરાજાએ અચાનક ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથક સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા બુધવારે સાંજે કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સાંજે 5 વાગતાની સાથે જ શહેરના કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. ભરશિયાળે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. હાલ ખેતરોમાં ચણા, જીરું અને ઘઉં જેવા રવીપાકો તૈયાર થઈ રહ્યા છે, ત્યારે માવઠાને કારણે પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દ્વારકા તથા કચ્છ જિલ્લામાં ગુરુવારે પણ હળવો વરસાદ પડી શકે છે. લોકો નવા વર્ષના સ્વાગતની તૈયારીઓ કરતા હતા, મેઘરાજાએ ‘થર્ટી ફર્સ્ટ’ની પાર્ટીના રંગમાં ભંગ પાડ્યો બુધવારે કથા મોકૂફ હનુમાન કથાની સાથોસાથ રાત્રે આતશબાજીનો કાર્યક્રમ પણ વરસાદને કારણે રદ કરી ગુરુવારે રખાયો છે. સિવિલમાં પાણી ભરાયા હોસ્પિટલના નવા ગેટની નીચે પાણી નિકાલની વ્યવસ્થાને અભાવે પાણી ભરાતા દર્દીઓ હેરાન થયા હતા. ટ્રાફિકજામશહેરમાં સાંજે અચાનક વરસાદ પડ્યો હતો. વરસાદ થંભી ગયા બાદ એસ્ટ્રોન ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો.
ભાસ્કર વિશેષ:નીમ કરોલી બાબાએ કચ્છમાં કરી હતી તપસ્યા
ઉત્તરાખંડમાં આવેલું કેચી ધામ મંદિરમાં બાબા નીમ કરોલી મહારાજના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. બાબા કલયુગમાં ભગવાન હનુમાનજીનો અવતાર મનાય છે. આ સ્થળ હનુમાનજીને સમર્પિત એક મંદિર પણ આવેલું છે. જ્યાં બાબા નીમ કરોલીનું મંદિરમાં બનાવવામાં આવ્યું છે. તેઓને 20મી સદીના મહાન સંતોમાંના એક માનવમાં આવે છે. મહારાજજીના ભક્ત રામ દાસ દ્વારા લિખિત પુસ્તક ‘’મિરેકલ ઓફ લવ’’ (Miracle of Love) માં નીમ કરોલી બાબાના પ્રારંભિક જીવન અને તેમના ભ્રમણ વિશે અનેક રોચક વિગતો સામે આવી છે. જેમાં કચ્છ અને રાપર-ભચાઉ વિસ્તારના તેમના રોકાણ અંગેની મહત્વની વિગતો મળી છે. પુસ્તકમાં સાધના કાળનો ઉલ્લેખ છે કે મહારાજજીએ તેમના જીવનના પ્રારંભિક ગાળામાં 1910 થી 1930ની આસપાસ ખૂબ લાંબો સમય સાધુ તરીકે ભ્રમણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે તેમણે કચ્છના રણ જેવા અત્યંત વિકટ અને નિર્જન વિસ્તારોમાં વર્ષો સુધી તપસ્યા કરી હતી. ‘’મિરેકલ ઓફ લવ’’ માં આ સમયગાળાને બાબાના “અજ્ઞાતવાસ” તરીકે વર્ણવવામાં આવ્યો છે. બાબા રાપર અને ભચાઉના આંતરિયાળ ગામડાઓમાં ‘’લક્ષ્મણ દાસ’’ નામે ઓળખાતા હતા. રણમાં માર્ગ ભૂલી જવો એ સામાન્ય વાત હતી. એવી અનેક લોકવાયકાઓ છે કે જ્યારે કોઈ વટેમાર્ગુ કે ભક્ત રણના સૂકા વિસ્તારમાં રસ્તો ભટકી જતો અથવા તરસથી વ્યાકુળ થતો, ત્યારે લક્ષ્મણ દાસ (બાબા) અચાનક ક્યાંકથી પ્રગટ થતા. તેઓ ભક્તોને સાચો રસ્તો બતાવતા અને ક્યારેક તો ચમત્કારિક રીતે પાણીની વ્યવસ્થા પણ કરી આપતા હતા. જેવો કોઈ ભક્ત સુરક્ષિત જગ્યાએ પહોંચે, બાબા ત્યાંથી અદ્રશ્ય થઈ જતા હતા. નીમ કરોલી બાબાના ભક્તોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, એપલ કંપનીના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ, ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. વર્ષ 1910 થી 1930ના સમયે રાપર આ વિસ્તારમાં બાવળના ઝાડ વધુ હોવાથી અને તેઓ અવારનવાર બાવળના ઝાડી-ઝાંખરામાં બેસીને ધ્યાન કરતા હોવાથી સ્થાનિક લોકો તેમને ‘’બાવળિયા બાબા’’ તરીકે પણ સંબોધતા હતા. બાબાના આ સમયગાળાના અનેક ચમત્કારો પણ રાપર અને ભચાઉ પંથકના વૃદ્ધોમાં જીવંત છે, જેનો ઉલ્લેખ રામ દાસે પોતાના પુસ્તકમાં બાબાના ‘’રહસ્યમય વ્યક્તિત્વ’’ માં કર્યો છે. જમીનમાં ખાડો ખોદીને ‘ભૂગર્ભ’ સાધના કરતાકચ્છમાં રોકાણ દરમિયાન બાબા ઘણીવાર જમીનમાં ઊંડો ખાડો ખોદીને તેની અંદર બેસી જતા અને ઉપરથી ખાડો ઢાંકી દેવાનું કહેતા. તેઓ દિવસો સુધી ખોરાક કે પાણી વગર જમીનની અંદર સમાધિમાં રહેતા. તે સમયે રાપર પંથકના લોકોને બાબાની આ સાધના જોઈને ખાતરી થઈ ગઈ હતી કે આ કોઈ સામાન્ય સાધુ નથી પણ સાક્ષાત્ ઈશ્વરનો અંશ છે. કચ્છના માલધારીઓ ગાય-ભેંસ ચરાવવા નીકળતા, ત્યારે બાબા ઘણીવાર તેમની સાથે બેસતા. કહેવાય છે કે બાબા પશુઓની ભાષા પણ સમજતા હતા. ક્યારેક કોઈ પશુ બીમાર હોય તો બાબાના સ્પર્શ માત્રથી તે સાજું થઈ જતું. માલધારીઓ તેમને પ્રેમથી રોટલો અને દૂધ ખવડાવતા, અને બદલામાં બાબા તેમને જીવનનું જ્ઞાન સરળ ભાષામાં આપતા હતા કેવું હતું નીમ કરોલી બાબાનું જીવન?નીમ કરોલી બાબાનું મૂળ નામ લક્ષ્મીનારાયણ શર્મા હતું. તેમનો જન્મ અંદાજે 1900ની આસપાસ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના અકબરપુર ગામમાં થયો હોવાનું માનવામાં આવે છે. બાળપણથી જ તેઓ આધ્યાત્મિક સ્વભાવ ધરાવતા હતા અને સંસારિક મોહથી દૂર રહેતા હતા. યુવાવસ્થામાં જ તેમણે ઘર છોડીને ત્યાગમય જીવન અપનાવ્યું હતું. તેઓ વિવિધ સ્થળોએ ભટકતા રહ્યા અને અંતે “નીમ કરોલી બાબા” તરીકે પ્રસિદ્ધ થયા. ઉત્તરાખંડના કૈંચી ધામ, સહિત અનેક સ્થળોએ તેમના આશ્રમો સ્થાપિત થયા હતા. બાબાનું જીવન સાદગી, કરુણા અને નિઃસ્વાર્થ સેવાથી ભરેલું હતું. તેઓ જાતિ, ધર્મ કે દેશના ભેદભાવ વગર સૌને સમાન રીતે આશીર્વાદ આપતા હતા. 11 સપ્ટેમ્બર 1973ના તેમણે દેહત્યાગ કર્યો, પરંતુ આજે પણ લાખો ભક્તો માટે નીમ કરોલી બાબા પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક રૂપે જીવંત છે.
ભાસ્કર નોલેજ:વોટ્સએપમાં નવા વર્ષની શુભકામનાની APK ફાઈલ ભૂલથી પણ ન કરતા ઇન્સ્ટોલ
આજે નવું વર્ષ 2026 શરૂ થઇ રહ્યું છે, ત્યારે તમને વોટ્સએપ પર આવતી કોઈ અજાણી લીંક અથવા નવા વર્ષની શુભેચ્છાઓ માટેની કોઈ પણ લીંક આવે તો તેને ભૂલથી પણ ઇન્સ્ટોલ ન કરતા, નહી તો તમારું મોબાઈલ હેક થઇ શકે છે. સાથે જ તમારું બેંક ખાતું પણ સાયબર ફ્રોડ દ્વારા ખાલી કરી શકે. હાલ સાયબર ઠગો શુભેચ્છાના બહાને ફરી સક્રિય બન્યા છે. સોશિયલ મીડિયા પર ખાસ કરીને વોટ્સએપ પર “નવું વર્ષ મુબારક શુભેચ્છા કાર્ડ” અને “તમારા નામે શુભેચ્છા મોકલો” જેવી લિંક્સ મોટા પ્રમાણમાં ફોરવર્ડ થતી જોવા મળી રહી છે. વોટ્સએપ પર લોકોને આવો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે “નવું વર્ષ મુબારક! તમારો ખાસ શુભેચ્છા કાર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.” આ મેસેજ પર ક્લિક કરતા જ મોબાઈલમાં રહેલી માહિતી, ઓટીપી, બેંક એપ્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની સંભાવના વધી જાય છે. કેસમાં આ મેસેજ ઓળખીતા નંબર પરથી પણ આવે છે, કારણ કે સાઈબર ઠગો પહેલેથી હેક કરેલા વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરીને આવા મેસેજ ફેલાવે છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે અજાણ્યા અથવા શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું, ભલે તે મિત્ર કે સગા તરફથી આવી હોય. કોઈપણ લિંક ખોલતાં પહેલાં તેની સત્યતા તપાસવી, ફોનમાં એન્ટી વાયરસ સુરક્ષા રાખવી અને ઓટીપી કે બેંક સંબંધિત માહિતી કોઈ સાથે શેર ન કરવી જરૂરી છે. આજે નવા વર્ષ ઉજવતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. કેવી રીતે સુરક્ષિત રહેવુંઆજે નવા વર્ષના દિવસે તમને વોટ્સએપમાં અનેક મિત્રો અથવા અજાણ્યા નંબરથી આવતા મેસેજમાં ફક્ત ટેક્સ્ટ મેસેજ, ઇમેજ અથવા વિડીયો જ ઓપન કરો. જો શુભેચ્છા જોવા માટે એપ્લિકેશનને “ઇન્સ્ટોલ” અથવા “અપડેટ” કરવાનું કહેતી કોઈપણ લિંકને ઇન્સ્ટોલ ન કરવી જોઈએ. આ માલવેર ખતરનાક .apk ફાઇલ ડાઉનલોડ કરવાના પરિણામો ગંભીર હોઈ શકે છે, જેમાં નાણાકીય છેતરપિંડીથી લઈને સરકારી જાસૂસીનો સમાવેશ થાય છે.
કાર્યવાહી:મુન્દ્રામાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબીથી ઝડપી લેવાયો
મુન્દ્રા શહેર પોલીસમાં નોંધાયેલા અપહરણના ગુનામાં પોલીસે આરોપી અને ભોગ બનનારને મોરબીથી શોધી લીધા છે. આ અંગેની વિગતો મુજબ, ગત 20 ડિસેમ્બરના ફરીયાદીની સગીરવયની દીકરીને આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો.જે અંગે મુંદરા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદને આરોપી તથા ભોગ બનનારને સત્વરે પકડી પાડવા સુચના આપી હતી જે સુચના અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુંમરે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું જે આધારે કર્મચારીઓ કાર્યરત હતા તે દરમ્યાન એએસઆઇ દેવરાજભાઇ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ ગઢવીને જાણવા મળેલ કે, આરોપી દિપક બાદરભાઇ સોલંકી રહે.કપડવંજ વાળો હાલે લાલપુર (મોરબી) મધ્યે છે જેથી તુરંત એક ટીમને મોરબી મોકલાવી ટીમને ટેક્નીકલ એનાલીસીસ અને હ્યુમન રિસોર્સના આધારે આરોપીનુ સરનામુ મળતા તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢ્યા હતા જેઓને હસ્તગત કરી મુંદરા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. આરોપી સામે અગાઉ પણ પોક્સો, બળાત્કારનો ગુનોઆરોપી સામે અગાઉ વર્ષ 2023માં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણ અને બળાત્કાર તથા પોક્સોનો ગુનો દાખલ થયો હતો. જેમાં આરોપી બિલોદરા જેલ (નડીયાદ) માં બે વર્ષ રહ્યો હતો. અને તે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપી આશરે દોઢ વર્ષ પહેલા પુરાવાના અભાવે નિર્દોષ છુટયો હતો.
સિટી કેલેન્ડર:10મીએ પતંગોત્સવ અને વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ
2026ના જાન્યુઆરી માસમાં શહેરમાં અનેક કાર્યક્રમ થવાના છે. જેની સૂચિ નીચે પ્રમાણે છે. મારા કામના નંબર પાવર ફોલ્ટ માટે: પોલીસ મદદ માટે: કોર્પોરેશનની સેવા-ફરિયાદ: તબીબી કટોકટી માટે: ઘાયલ પ્રાણીઓ માટે: ફાયર ઇમર્જન્સી: ગુજરાત ગેસ કંપની:
વહીવટી તંત્ર અને જીએમડીસીના સહયોગથી કામગીરી:ના. સરોવરમાંથી શેવાળ દુર કરી ગામને સ્વચ્છ બનાવાયું
પવિત્ર નારાયણ સરોવરમાંથી શેવાળ દુર કરી ગામને સ્વચ્છ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. નારાયણ સરોવર પૌરાણિક તીર્થ સ્થાન છે વર્ષ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શનાર્થે આવે છે તેમજ ધાર્મિક પૂજા વિધિ માટે પણ ભાવિકો આવે છે.જોકે આ સરોવરમાં લીલનું સામ્રાજ્ય હોવાથી ભાવિકોને અગવડતાનો સામનો કરવો પડતો હતો.પવિત્ર સરોવરમાં શેવાળ એટલી હતી કે પાણી લીલું લીલું જ જોવા મળતું હતું.ગત નવેમ્બર મહિનામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં આવ્યા અને તે બાદ તંત્ર દ્વારા પવિત્ર સરોવરની સફાઈ શરૂ કરવામાં આવી છે.અગાઉ સર્વે કરાયો અને હવે સરોવરમાંથી લીલ દુર કરવામાં આવી રહી છે. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમના અઘ્યક્ષસ્થાને તમામ સંકલિત ડિપાર્ટમેન્ટ સાથે નારાયણ સરોવર ગ્રામ પંચાયત ખાતે 8 નવેમ્બરના મુલાકાત કરીને સ્વચ્છતા બેઠકનું આયોજન કરાયું જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ દ્રારા અઠવાડિક મુલાકાત લેવામાં આવી સાથે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર દ્રારા સમયાંતરે મુલાકાત લઈને સફાઈ બાબતે ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. જીએમડીસી દ્વારા નારાયણ સરોવરની સાફ સફાઈની કામગીરી શરુ કરાઈ જેમાં સર્વ પ્રથમ સરોવરની આજુબાજુ ઝાડીનું કટિંગ કરાયું તેમજ સરોવરની અંદર શેવાળ તેમજ અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરાયો. કામગીરી દરમિયાન તળાવની અંદર રહેલ જીવજંતુને નુકશાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખીને સફાઈ કરાઈ તેમજ તળાવના પાણીના શુદ્ધીકરણ માટે ગાઈડ સંસ્થા દ્રારા સેમ્પલ લઈને પાણીનું ટેસ્ટીંગ પણ કરાયું હતું. સરકારી તંત્ર અને જીએમડીસીના સહયારા પ્રયાસથી નારાયણ સરોવરની સફાઈ કામગીરી પૂર્ણ થવામાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદ લેવાઈઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિષ્ણાત ટીમ દ્રારા સરોવરની સફાઈ માટે માર્ગદર્શન અપાયું તેમજ બરોડા યુરોટેક કંપની દ્રારા નારાયણ સરોવરની સફાઈ માટે માર્ગદર્શન અપાયું. બીજા તબક્કામાં પાણી અશુદ્ધ ન થાય તે માટે કામગીરી કરવામાં આવશે. 500 રૂપિયાનો દંડ નક્કી કરાયોનારાયણ સરોવરને ઝડપથી સ્વચ્છ બનાવવા ગ્રામ પંચાયત દ્રારા સફાઈવેરો ઉઘરાવાય તે રીતની પહેલ કરાઈ છે તેમજ જાહેર જગ્યાએ અને બજારમાં કચરો કરવા પર 500 રૂપિયાનો દંડ નક્કી કરાયો છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય તે માટેની મુહિમપવિત્ર સ્થળને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત ગામ બને તે માટે ગામમાં રોજે-રોજ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. વેપારીઓ દ્રારા પ્લાસ્ટિકનો નહીવત ઉપયોગ કરવામાં આવે છે. જે પ્રવાસીઓ ગામની મુલાકાત લે છે તેમને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવા તેમજ કચરા પેટીમાં કચરો નાખે તેવી વ્યવસ્થા પંચાયત દ્રારા કરાઈ છે ગામલોકોની જાગૃતિના કારણે કચરો ગમે ત્યાં ફેકવાના બદલે ઘરેથી જ કચરાનું વર્ગીકરણ કરીને ડપ્પીંગ સાઈટ ઉપર લઇ જવામાં આવે છે.આ પહેલથી દર્શનાર્થે આવતા શ્રધાળુઓમાં આનંદની લાગણી જોવા મળે છે.
2026માં રાજકોટવાસીઓને મળશે આ ભેટ:2026માં આ ચાર પ્રોજેક્ટ રાજકોટની સુવિધામાં ચાર ચાંદ લગાવશે
2026માં રાજકોટમાં આ પ્રોજેક્ટ કાર્યરત થવાના છે. જેના કારણે શહેરવાસીઓની સુવિધામાં વધારો થશે. આધુનિક લાઈબ્રેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી રૂ.7.39 કરોડના ખર્ચે અત્યાધુનિક નવી લાઇબ્રેરી એક મહિનામાં શરૂ કરાશે. આ છે વિશેષતા | હાઈ-સ્પીડ ઈન્ટરનેટ, વાઈ-ફાઈ ઝોન અને ઓનલાઈન જર્નલ્સ એક્સેસની સુવિધા. રાજકોટ-જેતપુર વચ્ચે સિક્સલેનનું કામ દિવાળી સુધીમાં અને જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે, લાખો વાહનચાલકોના સમય-ઈંધણ બચશે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા રાજકોટ -જેતપુર હાઈવેને સિક્સલેન બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે અને સંભવત: દિવાળી પહેલા તમામ ઓવરબ્રિજ સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાશે ત્યારબાદ લોકોની હાડમારી ઓછી થાશે. છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી આ હાઈવે પર રોજ 50 હજારથી વધુ વાહન ચાલકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ હાઈવેની કામગીરી પૂરી થતાં હજારો વાહનચાલકોનો સમય અને ઈંધણની બચત થશે. તેવી જ રીતે રાજકોટના સાંઢિયાપુલની કામગીરી પણ હવે અંતિમ તબક્કામાં છે અને સંભવત: માર્ચ અથવા એપ્રિલમાં તેનું લોકાર્પણ કરાશે ત્યારે જામનગર, દ્વારકા, ઓખા તરફ જતાં-આવતા અને માધાપર, નાગેશ્વર, ઘંટેશ્વર, ઈશ્વરિયા સહિતના વિસ્તારમાં રહેતા અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને અવર-જવરમાં સમય અને ઈંધણની બચત થશે અને રૈયારોડ પર ફરીને આવવા-જાવવામાંથી મુક્તિ મળશે. અદ્યતન RTO ફેબ્રુઆરી સુધીમાં 9 કરોડની આરટીઓ ઓફિસ, 40 લાખના ખર્ચે બનેલો AI આધારિત ટ્રેક શરૂ થશે નવા વર્ષની શરૂઆતમાં જ રાજકોટના વાહનચાલકો અને વિદ્યાર્થીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો હવે અંત આવશે. શહેરના વાહનચાલકો માટે અંદાજે રૂ.9 કરોડના ખર્ચે નવી અત્યાધુનિક RTO કચેરી ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે. આ સાથે જ, ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સચોટ બનાવવા માટે અંદાજિત રૂ.40 લાખના ખર્ચે એઆઈ આધારિત નવો ડ્રાઈવિંગ ટ્રેક પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ હાઈ-ટેક ટ્રેક દ્વારા લાઇસન્સ ટેસ્ટની કામગીરી વધુ સુદૃઢ બનશે.
સ્માર્ટ મીટર બાદ પણ વીજ ગ્રાહકોનો અસંતોષ યથાવત:ભુજ અને માધાપરમાં અનેક ફરિયાદોનો હજુ ઉકેલ નહીં
વીજ કંપની દ્વારા ગ્રાહકોને વધુ સુવિધા અને ચોકસાઈ મળે તે હેતુથી પહેલા ડિજિટલ મીટર અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે. જોકે, આ નવી વ્યવસ્થા બાદ પણ અનેક વિસ્તારોમાં ગ્રાહકોનો સંતોષ પૂર્ણ ન થયો હોવાના દાખલાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને ભુજ અને માધાપર વિસ્તારમાં વીજ બિલ અંગે ફરિયાદો નોંધાઈ છે. ભુજના લાલ ટેકરી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વીજ કંપનીના અનેક ગ્રાહકોને નિયમિત બે મહિનાના બદલે ત્રણ મહિને બિલ મળતા હોવાની ફરિયાદ ઉઠી છે. સામાન્ય રીતે રૂ. 600 થી 800 જેટલું આવતું બિલ આ વખતે ઘણું વધુ આવતા રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. તેવી જ રીતે માધાપરમાં એક ગ્રાહકને છ મહિને બિલ મળ્યું હતું અને તે પણ અંદાજે રૂ. 9,000 જેટલું ભારે બિલ આવતા વીજ વપરાશ અંગે પ્રશ્નો ઊભા થયા હતા. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ આવી જ તકલીફોની માહિતી મળી રહી છે. આ મુદ્દે પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેર તપન વોરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડિજિટલ મીટર અગાઉથી અમલમાં છે અને હવે તેને એપ્લિકેશન સાથે જોડીને સ્માર્ટ મીટર બનાવવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થાથી ગ્રાહક પોતાનું વીજ વપરાશ એપ્લિકેશનમાં જોઈ અને સમજી શકે છે. બિલ જનરેટ થવામાં મોડું પડ્યું હોય તો રકમમાં તફાવત દેખાઈ શકે, પરંતુ મીટર ફાસ્ટ ન હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું. અસંતોષ ધરાવતા ગ્રાહકોને વીજ વપરાશ અંગે સંપૂર્ણ સમજ આપવામાં આવે છે અને જરૂર જણાય ત્યાં બિલને બે કે વધુ મહિનાના હપ્તામાં ચૂકવવાની સુવિધા પણ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર બાબતે અગાઉ પણ અનેક સ્થળોએ વિરોધ નોંધાયો છે. કેટલીક ફરિયાદોમાં વીજ કંપની દ્વારા મીટર લગાવતી વખતે પૂર્વ જાણ અથવા મંજૂરી ન લેવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. જોકે, મોટા ભાગે ગ્રાહક આધારિત હોવાથી ખુલ્લા વિવાદો ભાગ્યે જ જોવા મળે છે.
ભુજ વાસીઓને મળશે નવી સુવિધાઓ:1100 કરોડનો હાઇવે, 200 કરોડનું રેલવે સ્ટેશન મળશે
2026 શહેરના માળખાગત વિકાસ માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. એક બાજુ સામખિયાળી-ગાંધીધામ હાઇવેથી સીધા જ ભુજ આવવા માટે ભીમાસર-ભુજ એરપોર્ટ વચ્ચે બનેલા 1100 કરોડના હાઇવેનું કામ પૂર્ણ થઇ જશે. તો બીજી તરફ રાજ્યમાં કાલુપુર અને ગાંધીનગર જેવું જ અત્યાધુનિક રેલવે સ્ટેશન ભુજમાં બની રહ્યું છે. નવા વર્ષે આ સ્ટેશનની સાથે નવી ટ્રેનો પણ આવશે. આ સાથે વર્ષોથી ખખડધજ રિંગરોડનો મુદ્દો પણ ઉકેલાતા લોકોને સારા માર્ગો મળશે. એરપોર્ટ, યુનિવર્સિટીમાં પણ નવી સુવિધા ઉમેરાશે. ચાર વર્ષે જર્જરિત કૃષ્ણાજી પુલના પ્રશ્નનો હલ આવશે. 1 કલાકમાં જ ભીમાસરથી ભુજ 60 કિમી નવો હાઇવે બનતા એરપોર્ટ સુધી કનેક્ટિવિટીભુજ | સરહદી જિલ્લાનો મહત્વપૂર્ણ ભીમાસર–ભુજ રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સમાવિષ્ટ થયા બાદ 2021માં માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લીલી ઝંડી આપી અને 2023માં શરૂ થયેલા ચાર માર્ગીય રૂપાંતરણનું કાર્ય હવે પૂર્ણ થયું છે. કચ્છના આર્થિક કોરીડોર તરીકે ઓળખાતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં 1100 કરોડથી વધુના ખર્ચે પ્રથમ વખત અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મજબૂત માર્ગ બનાવ્યો છે. જો કે, મીઠાના પરિવહનને કારણે અનેક જગ્યાએ તૂટ્યો પણ ખરો. કુલ 60 કિલોમીટર લાંબા આ ચાર માર્ગીય ધોરીમાર્ગ પર ચાર મેજર રેલવે બ્રિજ તથા અંદાજે 20 કિલોમીટર લાંબા સર્વિસ રોડનું નિર્માણ પૂર્ણ થયું છે. હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર આધારિત આ પ્રોજેક્ટ હેઠળ માર્ગની 15 વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે. જમીન સંપાદન અને બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવાનું બતાવીને કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ભીમાસર–ભુજ ધોરીમાર્ગ પૂર્ણ થઈ ગયો હોવાનો દાવો કરે છે, પણ રતનાલ પાસેના રેલવે ઓવરબ્રિજનું કોકડું ઉકેલાયું નથી. આ માર્ગ બનતા દૈનિક 15000 થી વધુ વાહનોને સરળતા અને સમય બચત થશે. એક સાથે 1200 પ્રવાસીઓની ક્ષમતા થશે ભુજ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર ક્ષમતા 4 ગણી થશે, નવા 2 ગેટ સાથે વીઆઇપી લોન્જ પણભુજ | હવાઈમથકે પ્રવાસન સુવિધાનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ભુજ હવાઇમથકે 300 પ્રવાસીની અવરજવરની ક્ષમતા છે જેમાં વધારો કરીને એકસાથે 1200 મુસાફરો અવરજવર કરી શકે તેટલી ક્ષમતાનું વિસ્તરણ થશે આ ઉપરાંત આગમન અને નિકાસમાં બે નવા ગેટ તેમજ વધુ એક વીઆઇપી લોન્જ, કોમર્શીયલ આઉટલેટમાં વિવિધ ફુડ સ્ટોલ સહિતની સુવિધાઓ ઉભી થશે.એરપોર્ટ ડાયરેક્ટર નવીનકુમાર સાગરે જણાવ્યું કે, આ સુવિધાઓ ઉભી થવાથી પ્રવાસીઓની સુખાકારી અને સગવડમાં વધારો થશે. આગની સાથે અન્ય હોનારતમાં મદદગાર|સાત કરોડના ખર્ચે બની રહ્યું છે અત્યાધુનિક જિલ્લા ફાયર સ્ટેશનસુરતમાં ક્લાસિસમાં અને રાજકોટમાં ગેમ ઝોનમાંઆગની ઘટનાથી અસંખ્ય લોકોએ જાન ગુમાવી હતી. જે બાદ રાજ્ય સરકારે ફાયર સ્ટેશનને અત્યાધુનિક સાધનોથી સજ્જ કરવાનો નિર્ણય લીધો હતો, જેથી ભુજમાં 7 કરોડના ખર્ચે જિલ્લા ફાયર સ્ટેશન બની રહ્યું છે. જે 2026 દરમિયાન બનીને કાર્યરત થઈ જશે.ફાયર સ્ટેશનના કર્મચારીઓને માત્રઆગની ઘટના વખતે જ નહીં પણ જળાશયોમાં ડૂબતી વ્યક્તિ બચાવવા અને મૃતકની લાશ બહાર કાઢવાની કામગીરી પણ સોંપાઈ હોય છે, જેથીઆગ અને પાણીમાં ઉપયોગી અત્યાધુનિક સાધનોની જરૂર પડે છે. કર્મચારીઓનેએની તાલીમ પણઆપવાની હોય છે, જેથી જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનની જરૂર પડતી હોય છે. જેના પગલે ભુજમાંઆર.ટી.ઓ. પાસે જિલ્લા ફાયર સ્ટેશન બની રહ્યું છે. જોકે, કચ્છમાં ગાંધીધામ સિવાય બાકીના તાલુકા મથકોએ ફાયર સ્ટેશન નામ પૂરતા જ કાર્યરત છે, જેથી ભુજ ફાયર સ્ટેશનને જ દોડવું પડતું હોય છે. નવા વર્ષે છાત્રોને પણ મળશે નવી સુવિધા યુનિ.માં 1 હજાર વિદ્યાર્થી બેસી શકે તેવું ઓડિટોરિયમ, જીમ, મ્યુઝિયમ, સ્ટડી સેન્ટર અને રેકોર્ડિંગ સ્ટુડિયો બનશેયુનિવર્સિટીમાં 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે આધુનિક ઓડિટોરિયમ બનીને તૈયાર છે હવે ફર્નીચર કામ બાકી છે આ સિવાય લાયબ્રેરીની પાછળ રેકોર્ડિંગ સ્ટુડિયો તેમજ મેઈન એન્ટ્રી ગેટ પાસે વિદ્યાર્થીઓ માટે જિમ, મ્યુઝીયમ, મોલ બની રહ્યા છે જે કામ 2026મા પુર્ણ થઈ જશે.આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્રથી પીજીના બે કોર્ષ અને સોલાર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા સેન્ટર ઉભું કરવાની દિશામાં આયોજન થઈ રહ્યું હોવાનું કુલપતિ ડો.મોહનભાઇ પટેલે જણાવ્યું હતું. 4.21 કરોડના ખર્ચે કૃષ્ણાજી પુલ બનશે ભુજમાં હમીરસર તળાવ પાસે 4.21 કરોડના ખર્ચ કૃષ્ણાજી પુલ બનાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને 2026માં પુલ બની જાયએવી શક્યતા છે.રાજાશાહીમાં દિવાન કૃષ્ણાજીએ હમીરસર તળાવના પ્રારંભે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતું લાકડાનું પુલ બનાવ્યું હતું. જે બાદ 1972માં નગરપાલિકાએ પુન:નિર્માણ કર્યું હતું. પરંતુ, છેલ્લાએકાદ દાયકાથી જર્જરિત અવસ્થામાં હતું. 2022માં મોરબીની મચ્છુ નદી ઉપર ઝુલતો પુલ તૂટી ગયો અને અસંખ્ય લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારે જર્જરિત પુલને નવા બનાવવા નિર્ણય લીધો હતો. સરકારી તંત્રની અનેકઆંટીઘૂંટી બાદ છેક 2025માં ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ શકી છે અનેએમાંય બીજા પ્રયત્નેએક જ ટેન્ડરઆવ્યું છે, જેથી મુખ્ય અધિકારી ડો. અનિલ જાદવ તમામ શક્યતાઓ ચકાસ્યા બાદ ટૂંક સમયમાં કામ શરૂ કરાવી દેએવી શક્યતા છે. એપ્રિલ મહિના સુધી ભુજના 41 કિમી રિંગ રોડની હાલત સુધરશેભૂકપં બાદ શહેર અને કોટ બહારના વિસ્તારમાં રીંગરોડ બનાવ્યા. 24 વર્ષ બાદ તેમનું નવીનીકરણ થઈ રહ્યું છે. પંદર દિવસથી શરૂ થયેલું માર્ગ સુધારણાનું કામ આગામી ચાર મહિનામાં એટલે કે નવા વર્ષના એપ્રિલ કે મે મહિના સુધી 18 રીંગરોડ નવા બની જશે એટલે કે મોટા ભાગનું ભુજ ફરીથી સુંદર રસ્તાઓથી મઢાઈ જશે તેવું ભાડાના સીઇઓ અને પ્રાંત અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું. સરકારે ભુજના રસ્તાઓને ખાસ કેસ તરીકે માન્યતા આપીને, 40.750 કિલોમીટર રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગને સોંપવાનો નિર્ણય કર્યો હતો. આ તમામ રસ્તાઓ રૂ. 150 કરોડના ખર્ચે નવા બની રહ્યા છે ખાવડા રોડ પર પશુ કોલેજનો આરંભ, હોસ્પિટલ શરૂનવી વેટરનરી કોલેજનો પ્રારંભ થયો છે. કોલેજને ચાલુ વર્ષે શૈક્ષણિક વર્ષમાં 80 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી મળી છે. સાથે પશુ સારવાર સંકુલમાં દરરોજ 25 થી 30 પ્રાણીઓની સારવાર વિનામુલ્યે કરાય છે. પશુધન ફાર્મ સંકુલમાં ગાયોનું સંવર્ધન અને વિવિધ સંશોધનો થાય છે.ભવિષ્યમાં કાંકરેજ ગાય, બન્ની ભેંસ, કચ્છી તેમજ ખારાઈ ઊંટ અને સિંધી ઘોડા ઉપર સંશોધન કરાશે.
પાણીની લાઈન તોડવા મુદ્દે તાકીદ કરાઈ:હવે સીટકોની બેદરકારી ખુલશે તો FIR સુધીના પગલા લેવાશે
સહારા દરવાજા પાસે સીટકોએ લાઇન તોડી નાંખતાં લાખો લોકો પાણીથી વંચિત રહ્યા હતા. આ મુદ્દે બુધવારે શાસકો-અધિકારીઓ જાગ્યા હતા અને મેયર અને મનપા કમિશનરની અધ્યક્ષતામાં સીટકો સાથે મીટીંગ યોજાઈ હતી, જેમાં હવે જો એમએમટીએચની કામગીરીને કારણે પાલિકાની લાઈનમાં ભંગાણ થશે તો પોલીસ ફરિયાદ કરાશે તેવી સ્પષ્ટ ચીમકી અપાઈ હતી. સીટકો અને પાલિકાની કો-ઓર્ડિેનેટ કમિટી બનાવાઈ છે. હવેથી જ્યારે પણ સીટકો ખોદકામ કરશે ત્યારે સીટકોની પીએમસી ટીમ પણ હાજર રહેશે. અત્યાર સુધી સીટકોના કોન્ટ્રાક્ટરો હાજર રહેતા હતા પરંતુ હવેથી પીએમસી ટીમ તેમજ પાલિકાના પ્રતિનિધિ હાજર રહેશે તેમજ સંકલન માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું છે. અને પીએમસી ટીમના પ્રતિનિધિને નોડલ ઓફિસર તરીકે નીમાયા છે. જેઓ કામગીરી અંગે જાણ કરશે.
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી.
2025 : ભારતની કૂટનીતિ અને વિદેશનીતિ માટે કપરું વર્ષ રહ્યું
- ભાજપ સરકારની મલ્ટિ એલાયન્સ નીતિ સદંતર નિષ્ફળ ગઈ, બધાને ખુશ રાખવાના પ્રયાસમાં ભારતને ઘણું ગુમાવવું પડયું - પાકિસ્તાને તો આતંકી હુમલો કરાવવાની ફિતરત ચાલુ રાખી હતી. બીજી તરફ નેપાળ અને બાંગ્લાદેશે પણ ભારતની અગ્નિપરિક્ષા કરી હતી. માત્ર ઘર આંગણે જ નહીં અમેરિકા, રશિયા, ઈરાન, કેનેડા અને બ્રિટન તથા ન્યૂઝિલેન્ડ જેવા દેશો સાથે પણ ભારતને ઘણા મોરચે જોડતોડ કરવાની ફરજ પડી હતી : ઓપરેશન સિંદૂર બાદ અમેરિકાને એકાએક ભારતથી વાંકુ પડયું છે. તેના કારણે પોતાના પહેલા કાર્યકાળમાં ભારતના ગુણગાન ગાતા અમેરિકી પ્રમુખ હવે બીજા કાર્યકાળમાં આકારપાણીએ થયા છે. તેમણે ભારત ઉપર રેસિપ્રોકલ ટેરિફ નાખી દીધા.
તરુણે આપઘાત કર્યો:નેપાળ રહેતી માતાએ મોબાઇલ લેવા ના પાડતા તરુણે પાંચમા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો
અમરોલી વિસ્તારમાં 16 વર્ષના નેપાળી તરૂણનો પાંચમાં માળની અગાસી પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. વતનમાં રહેતી માતાએ હાલ મોબાઈલ લેવાની ના પાડતા જે વાતનું માઠું લગાડી તરૂણે મોતને વ્હાલું કરી લીધુ હોવાનું હાલ સામે આવ્યું છે. નેપાળનો વતની 16 વર્ષીય જગતકવર નૂરબહાદુર કવર હાલમાં અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા ઉગમ ટેક્ષટાઇલ પાસેની રૂમમાં મિત્રો અને સંબંધી સાથે રહેતો હતો. તેનો પરિવાર વતન નેપાળમાં રહે છે. તે પોતે લુમ્સના ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. જગતકવર મંગળવારે રાત્રે જમીને ઉગમ ટેક્ષટાઇલના પાંચમાં માળની અગાસી પર ગયો હતો અને મોબાઈલ પર પોતાની માતા સાથે વાત કરતો હતો. તેણે માતા સમક્ષ મોબાઈલ લેવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ માતાએ હાલ મોબાઈલ લેવાનો ઇન્કાર કર્યો હતો. જે વાતનું માઠું લગાડી આ તરુણે અગાસી પરથી નીચે ઝપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવમાં તરૂણનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે અમરોલી પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
કલાનગરીના ઐતિહાસિક વારસા સમા જર્જરીત બનેલા માંડવીનું આખરે રિસ્ટોરેશન અને રિનોવેશન નવા વર્ષમાં શરૂ થશે. ગત એપ્રિલમાં પડેલી તિરાડના 9 મહિના પછી રૂ. 4.96 કરોડના ખર્ચે રિસ્ટોરેશન હાથ ધરાશે. આ કામગીરી કોન્ટ્રાક્ટર ત્રણ વર્ષમાં પૂર્ણ થશે. ઐતિહાસિક સ્થાપત્યોની નગરી વડોદરામાં ગત એપ્રિલ મહિનામાં માંડવી ગેટના ગેંડીગેટ અને એમ જી રોડ તરફના એક પીલરમાં તિરાડો પડી હતી. ત્યારબાદ પાલિકાએ હંગામી ધોરણે લોખંડના ટેકા લગાવતા જાણકારોએ પાલિકાની કામગીરીની આકરી ટીકા કરી હતી અને વહેલી તકે સમારકામ શરૂ થાય તેવી માંગ કરી હતી. આખરે આ ઘટનાના 9 મહિના બાદ નવા વર્ષે માંડવી ગેટના રિસ્ટોરેશન અને રિનોવેશન માટેનું કામ હાથ પર લેવાયું છે. અગાઉ એક વખત ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા બાદ સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડે રૂપિયા 4.20 કરોડના અંદાજ સામે 18 ટકા વધુ ભાવભરી 4.96 કરોડના ખર્ચે કામગીરી કરવાનું નક્કી કર્યું છે. આ કામની દરખાસ્ત પર શુક્રવારે સ્થાયી સમિતિ નિર્ણય લેશે. અગાઉ લોખંડના ટેકા લગાવી લોખંડની ગોળ પ્લેટો મૂકી ચણતર કર્યું હતુંમાંડવીના સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટમાં ગંભીર બાબતો જણાઈ આવી હતી. અગાઉ અણઘડ રીતે લગાવેલા લોખંડના ટેકાની બાજુમાં બીજા પિલરો ઉભા કરાયા હતા. તદુપરાંત જર્જરીત થયેલા પિલરની ફરતે લોખંડની પ્લેટો લગાવી તેમાં ચૂનો, ગોળ અને પથ્થરનું મિશ્રણ નાખી હંગામી ચણતર કર્યું હતું. સ્ટ્રક્ચરલ એનલિસીસ માટે એનડીટી અને અન્ય ટેસ્ટ કરવા રૂ.10 લાખ ફાળવાયામાંડવીના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરતાં પહેલા અને પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની જરૂરિયાત મુજબના સ્ટ્રક્ચરલ એનાલિસીસ માટે એનડીટી કે અન્ય વિવિધ ટેસ્ટ કરવાના થશે. આ માટે પાલિકા, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ મોદી એસોસિએટ્સ અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરતી એજન્સી સીઆઈઈએલ નક્કી કરે તે એજન્સીને રોકવામાં આવશે. જે ટેસ્ટિંગ માટે રૂ.10 લાખની અલાયદી જોગવાઈ કરવામાં આવી છે. રાજવી પરિવારે માંડવી ગેટની મુલાકાત લઇ તંત્રને ટકોર કરી હતીશહેરને ઐતિહાસિક સ્થાપત્યો આપનાર રાજવી પરિવારે પણ જર્જરિત થયેલા માંડવીની મુલાકાત લીધી હતી. રાજમાતા શુભાંગીની દેવી અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પણ માંડવી ગેટની સ્થિતિ નિહાળી સત્વરે સમારકામ શરૂ થાય તેવી તંત્રને ટકોર સાથે અપીલ કરી હતી. માંડવી જર્જરિત થતાં ડીજે વગાડવા પણ પ્રતિબંધ મૂકાયો હતોગત એપ્રિલમાં માંડવીના પીલર જર્જરિત થતાં મોડે મોડા તંત્રને ભાન આવ્યું હતું અને તેની આસપાસ રેલિંગ લગાવી હતી. એટલું જ નહીં સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ બાદ ગંભીરતાને સમજી ચાર દરવાજા વિસ્તારમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકાયો હતો. ઘટનાની ટાઇમ લાઇન
ગરવી ગુજરાત દ્વારા અડાજણના આનંદમહલ રોડ ખાતે હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. જેમાં આર્ટિસ્ટે પોતાની વિવિધ કલાનું પ્રદર્શન કર્યું હતું. જેમાં એક્સેસરી, કપડાં, હોમ ડેકોરની વસ્તુઓ સામેલ હતી. પ્રદર્શનમાં 50થી પણ વધુ સ્ટોલધારકોએ હેન્ડમેડ પ્રોડક્ટ્સ વેચીને રોજગારી મેળવી રહ્યા છે. 50થી પણ વધુ સ્ટોલધારકોએ હેન્ડમેડ પ્રોડક્ટ્સ વેચીને રોજગારી મેળવી જૂટ પ્રોડક્ટસ : જ્યોતિ રાઠોડ દ્વારા ઈકો ફ્રેંડલી પ્રોડક્ટસ ડિસ્પ્લે કરાયા હતા. જે જૂટ અને ડબ ગ્રાસમાંથી બનાવામાં આવ્યા હતા. તેઓ 5 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેમની સાથે અન્ય 35 બહેનો પણ આ કામમાં જોડાયેલી છે. એક પ્રોડક્ટ બનતા 2 દિવસ લાગે છે. જેની કિંમત રૂ.150 થી 550 સુધી હોય છે. પેઈન્ટિંગ : ફાલ્ગુની દેસાઈએ હેન્ડ પેઇન્ટેડ કપડા ડિસ્પ્લે કર્યા હતા. જેને એક્રેલિક કલર દ્વારા પેઇન્ટ કરવામાં આવ્યા હતા. જેની કિંમત રૂ.200થી 500 વચ્ચે હોય છે. તેઓ 2 વર્ષથી આ કામ કરી રહ્યા છે. એમના હુનરને જ એમણે બિઝનેસ બનાવ્યો છે. સાડીની પીન : હિનલ સરફ દ્વારા એક્સેસરી ડિસ્પ્લે કરાઇ હતી. જેમાં તેમણે જયપુરના ટ્રેડિશન આર્ટ સાડીની પિન રજુ કરી છે. આ સાથે તેમણે બ્રાસ જ્વેલરી પણ ડિસ્પ્લે કરી હતી. જેની કિંમત રૂ.200થી 2000 સુધી હોય છે. આ પ્રોડક્ટ્સ હેન્ડક્રાફ્ટેડ છે.
વાસણા જંકશન પર મોડી રાતે વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે રોડ પર પાઇપ ઉતરતા લોકોએ વિરોધ કર્યો હતો. સામાજિક અગ્રણીઓએ કોઈપણ બેરિકેડ કે બોર્ડ વિના 200 મીટર સુધી રોડ પર પાઇપ ઉતરતા વાહનચાલકો અટવાયા હોવાની ફરિયાદ સાથે કામગીરીનો વિરોધ કર્યો હતો. શહેરના વાસણા જંકશન પર મંગળવારે મોડી રાતે સ્થાનિક લોકોએ વીજ કંપનીની કામગીરીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક અગ્રણી વસીમ શેખે જણાવ્યું હતું કે, વાસણા જંકશન પર વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે 200 મીટર સુધી રોડ પર પાઇપ મૂકી હતી. જેના કારણે ત્યાંથી અવરજવર કરતાં વાહનચાલકો અટવાયા હતા. કોન્ટ્રાક્ટરે સ્થળ પર કોઈ બોર્ડ કે બેરિકેડ મૂક્યા વિના કામગીરી શરૂ કરી હતી. આ અંગે કોન્ટ્રાકરે પરવાનગી લીધી છે કે કે તે પૂછતાં તેને કોઈ ઉત્તર આપ્યો ન હતો. જો રાતે કોઈ ઇમરજન્સી સર્જાઇ હોત તો તેઓ પાઈપના કારણે રોડ પરથી અવરજવર કરી શક્યા ન હોત. જેથી આ અંગે બેદરકારી બદલ વીજ કંપનીને ફરિયાદ કરવામાં આવશે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પાઇપ મૂકવાના કારણે રાતે બે અકસ્માત સર્જાયા હતા. પાલિકાની પરવાનગી લઈ નિયમ મુજબ કામ કર્યું છેજેટકોના અધિકારી જણાવ્યું હતું કે ગોત્રીથી વાસણા તરફની 66 કે.વીની વીજ લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. દિવસે ટ્રાફિક થતો હોવાથી રાતે કામગીરી કરવામાં આવતી હતી. અમે પાલિકાની તમામ પરવાનગી લઈને નિયમ મુજબ કામગીરી કરતાં હતા.
ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી સુરત અને ‘શી ટીમ’ કતારગામ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બાળકોની સુરક્ષા અને કાયદાકીય જાગૃતિના હેતુથી સુમન હાઈસ્કૂલ -3, કતારગામ ખાતે સેમિનારનું આયોજન કરાયું હતું. જેનો ઉદ્દેશ્ય સમાજમાં ‘પોક્સો એક્ટ’ અને વર્તમાન સમયમાં વધતા ‘સાયબર ક્રાઇમ’ સામે બાળકોનું રક્ષણ અને તેમનામાં જાગૃતિ લાવવાનો હતો. લિંકમાં કંઇ શંકાસ્પદ જણાય તો 1930 પર રિપોર્ટ કરવોસેમિનારમાં એડવોકેટ હેતા દેસાઇએ જણાવ્યું હતું કે, હાલ સગીર બાળકો પણ ઓનલાઇન ગેમિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાઇબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. વિદ્યાર્થીઓએ ક્યારેય પણ માતા-પિતાના ફોનનો ઉપયોગ કરતી વખતે અજાણી લિંક કે અજાણી વ્યક્તિ સાથે વીડિયો કોલ પર વાતચીત ન કરવી જોઇએ. વોટ્સએપમાં આવતી શંકાસ્પદ લિંક્સ પર ક્લિક ન કરવું જોઇએ અને અજાણી ફાઇલોને ઇન્સ્ટોલ ન કરવી જોઇએ. જો કંઇ શંકાસ્પદ જણાય તો 1930 પર રિપોર્ટ કરવો. પોક્સો એક્ટ અંગે કહ્યું કે બાળકો સામે થતા કોઈપણ પ્રકારના શારીરિક કે માનસિક શોષણ વિરુદ્ધ કાયદાકીય સહાય માટે વિશેષ કોર્ટની રચના કરાઇ છે. જેમાં બાળકોની ઓળખને સંપૂર્ણ પણે સુરક્ષિત રખાય છે.
3જીએ NMMS પરીક્ષા:ફોન કે સ્માર્ટ વોચ લાવનાર ધો. 8ના વિદ્યાર્થી સામે FIR કરાશે
3 જાન્યુઆરીએ ધો.8ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા લેવાશે. સુરતના 51 કેન્દ્રોના 432 બ્લોકમાં 12,722 વિદ્યાર્થીનોંધાયા છે. CCTVથી વોચ રખાશે. પરીક્ષા ખંડમાં ફોન, સ્માર્ટ વોચ સાથે પકડાય, તો સ્થળ સંચાલકે FIR નોંધાવવાની રહેશે. ગેરરીતિ અને શિક્ષાત્મક કાર્યવાહીનું કોષ્ટક
નોકરી ન્યૂઝ:જાપાનમાં NIMS ઇન્ટર્નશિપ કરવા 30મી જાન્યુ. સુધી અરજી કરી શકાશે
જાપાનની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મટિરિયલ્સ સાયન્સ દ્વારા વર્ષ 2026 માટે પેઇડ ઇન્ટર્નશિપની જાહેરાત કરાઇ છે. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શોધન કાર્ય બદલ માસિક સ્ટાઈપેન્ડ ચૂકવાશે. scholarshipscorner.website/nims-internship-japan પર 30 જાન્યુ.સુધી અરજી કરી શકાશે. વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓ
માણેજા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાત્રિના સમયે ફેંકી દેવાયેલા ત્રણ થેલામાં મળ્યા હતા.જેમાં દારૂની 70 ખાલી બોટલો સાથે વડાપ્રધાન સિકયુરિટીના પોલીસ ડ્યુટી પાસ, પોલીસ ગણવેશની ત્રણ ટોપી અને બુટ મળી આવ્યા હતા. આ અંગે જાગૃત નાગરિકે 112 નંબર ઉપર જાણ કર્યાં બાદ યોગ્ય તપાસ નહીં કરાતાં મામલો ગૃહ મંત્રી, ડીજીપી અને પોલીસ કમિશનરને વીડિયોના પુરાવા સહિત મોકલાયો છે. જાગૃત નાગરિક દ્વારા રાજ્યની ઇમરજન્સી સેવા 112 ઉપર પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ગુપ્ત માહિતી લીક થઈ હોવાથી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. જેમાં મકરપુરા પોલીસ મથકમાં ફરજ બજાવતા જવાનના આઈ કાર્ડ અને ટોપી હોવાનું માનવામાં આવે છે. જાગૃત નાગરિક જિતેન્દ્ર પરમારને ગત 21મીએ મિત્ર દ્વારા જાણ થઈ હતી કે, જામ્બુઆ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જાહેર જગ્યામાં કોઈ ત્રણ થેલા ફેંકી ગયું છે.જેમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું લાગી રહ્યું છે. તપાસ કરતા થેલામાંથી દારૂની 70 ખાલી બોટલો અને વડાપ્રધાન સુરક્ષાના નવસારી પોલીસે આપેલા ફોટા અને નામ સહિતના ડ્યુટી પાસ,પોલીસ ગણવેશની બે ટોપી અને બુટ મળી આવ્યા હતા. તેમણે ઇમરજન્સી સેવા 112 ને ફોન કરતા નજીકની મકરપુર પોલીસની વાન આવી હતી.અને પોલીસ વિભાગને લાગતી સામગ્રી લઈને જતી રહી હતી. ત્યાર બાદ કોઈ કાર્યવાહી કરી ન હતી. મહત્વની વાત એ છે કે 112 ને આપેલી માહિતી મકરપુરા પોલીસને કેવી રીતે જાણ થઈ અને મકરપુરા પોલીસ મથકેથી આવેલી પીસીઆરમાં એ જ જવાન આવ્યો હતો.જેના ઓળખપત્ર મળ્યા હતા. રહસ્યમય રીતે બીજા દિવસે આ સ્થળ ઉપરથી બોટલો પણ હટી ગઈ હતી. પરિણામે જાગૃત નાગરિકે આ મામલાની તપાસ માટે ગૃહ મંત્રી,ડીજીપી અને પોલીસ કમિશનરને ઇમેઇલ કરી માંગ કરી છે. પોલીસ પાસ ઉપર હિરેનકુમાર રાઠવા લખેલું હતું, મોબાઈલ નંબર પણ હતોગ્રાઉન્ડ પાસે થેલામાંથી દારૂની બોટલો સાથે વડાપ્રધાન પ્રોગ્રામના પોલીસ ડ્યુટી પાસ મળ્યા હતા. જેમાં હિરેનકુમાર રાઠવા લખેલું હતુ. મોબાઇલ નંબર 9328470885 હતો અને એલ.આર.ડીના ફોટા સાથેનું 22.2.24 સુધીની વેલિડિટી હતી. થેલામાંથી પોલીસની ટોપી અને બુટ પણ મળી આવ્યા હતા. મેં કચરામાં ડ્યુટી પાસ ફેંક્યા હતામેં નકામા ડ્યુટી પાસ કચરામાં ફેંક્યા હતા. તે જામ્બુઆ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે દારૂની ખાલી બોટલો સાથે થેલામાં કેવી રીતે પહોંચ્યા એની મને જાણ નથી. થેલામાંથી મળેલી પોલીસ ગણવેશની ટોપી અને બુટ મારા નથી. દારૂની ખાલી બોટલો કોઈ અન્ય ફેંકી ગયું હોઈ શકે. > હિરેન રાઠવા, એલ.આર.ડી જવાન
કુંડી યજ્ઞનું આયોજન કરાયું:મહારાજા ભગવતસિંહજી શાળામાં 21 કુંડી યજ્ઞ યોજાયો
મોટા વરાછા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહારાજા ભગવતસિંહજી શાળા ક્રમાંક 353 માં 31 ડિસેમ્બર નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય ઘનશ્યામ વાનાણીએ જણાવ્યું હતું કે નવી પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળી રહી છે ત્યારે જન્મદિવસની ઉજવણી સહિતની બાબતોમાં બાળકોમાં ઘણી બધી ગેર સમજો ઉભી થતી જાય છે ત્યારે આપણી મૂળભૂત સંસ્કૃતિ અને પરંપરાનો ખ્યાલ આવે તે હેતુથી દર મહિનાના છેલ્લા દિવસે યજ્ઞ કરવામાં આવે છે. મહિનામાં જે જે વિદ્યાર્થીઓનો જન્મદિવસ આવતો હોય તે વિદ્યાર્થી અને તેના માતા પિતાને યજ્ઞમાં બેસવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ડિસેમ્બરના અંતે 21 કુંડી યજ્ઞમાં 21 પરિવારોએ ભાગ લીધો હતો. સાથે સાથે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશનના અધ્યક્ષ ઘનશ્યામ વસાણી ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ રક્તદાન કેમ્પમાં વાલીઓ અને શિક્ષકોના સહયોગથી 32 બોટલ રક્ત એકત્ર થયું હતું.
લબ્ધિભૂમિનો પ્રારંભ કરાયો:વેસુની 4 હજાર વારમાં બનેલી લબ્ધિભૂમિમાં 6000 કિલો ચંદનની પ્રવચન પીઠ બનાવાઇ
શ્રેષ્ઠ સ્થાપત્યોમાં જે ભૂમિનું નામ મોખરે રહ્યું છે એ લબ્ધિભૂમિનો 31 ડિસેમ્બરે પ્રારંભ કરાયો હતો. લબ્ધિભૂમિના જૈનાચાર્ય અજીતયશ સુરીશ્વરજી મહારાજે ઉદ્ઘાટન પર સંબોધન કરતા કહ્યું હતું કે શાસનની આરાધનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જ્યારે સન્મતીનો સંગ કરે છે ત્યારે એ લબ્ધિભૂમિ જેવી સુકૃત કરાવે છે. વેસુમાં નિર્માણ થયેલ લબ્ધિભૂમિ 4000 વાર જગ્યામાં સાત માળનું હજારથી વધારે ફૂટનું બાંધકામ કરાયું છે જેમાં સાધુ સંતો માટેનું ઉપાશ્રય, પ્રવચન હોલ, પ્રસંગોપાત ઉપયોગમાં લઈ શકાય તેવો બેંકવેટ હોલ અને જ્ઞાન ભંડાર, જૈન ધર્મને ઉજાગર કરતું પ્રદર્શન, આર્ટ ગેલેરી, લાઇબ્રેરી વગેરે મુખ્ય છે. શ્રાવક તુષાર મહેતા અને પરેશ દાઢીએ જણાવ્યું હતું કે સૌથી મહત્વની બાબત આચાર્યો માટે 6 ફૂટ લાંબી 10 ફૂટ પહોળી અને 5 ફૂટ ઊંડી સુધર્મા સ્વામી પ્રવચન પાટ 6000 કિલો ચંદનના લાકડામાંથી ઓરિસ્સાના કારીગરોએ તૈયાર કરી છે. આ પ્રસંગે જાપાન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, આફ્રિકા, કેનેડા, લંડન અને દુબઈથી ગુરૂ ભક્તો આવ્યા હતા. જૈનાચાર્ય અજીતયશસુરીશ્વરજી મહારાજની પ્રભાવક સાંજિધ્યતાનો તથા સંસ્કારયશસુરિશ્વરની માર્ગદર્શિતાથી તન, મન, જીવન, ધન સર્વસ્વ સમર્પિત કરી દેનારા ગુરુ ભક્તોના પરિશ્રમથી નિર્મિત થયેલી ચંદનની બેનમૂન પાટ , અતિ ભવ્યતમ મ્યુઝિયમ આર્ટ ગેલેરી જેવા ભવ્ય સ્થાપત્યોએ રોનકમાં અભિવૃધ્ધિ કરી છે.
ભાસ્કર ઈનસાઈડ:દેશમાં 99 ટકા લોકો જીએસટી ભરે છે વડોદરા નંબર 1 પર છેઃ કર્મવીર સિંઘ
2017માં જ્યારે જીએસટી લાગૂ પડાયો ત્યારે તેમાં ઘણા પ્રશ્નો હતા, હવે એ જટિલતાઓ દૂર કરવામાં આવી છે. હાલમાં 99 ટકા લોકો જીએસટી ભરે છે, હવે જે સમસ્યાઓ છે તે એક ટકા કરદાતાઓની છે. જેમાંથી પણ અડધા જ ડિસપ્યૂટમાં જાય છે. અડધા ટકા લોકો જ ટેક્સ ચોરી કરે છે. સીજીએસટી-1ના પ્રિન્સિપાલ કમિશનર કર્મવીર સિંઘે જણાવ્યું હતું કે, કર ચૂકવવામાં વડોદરા નં-1 પર છે. સેન્ટ્રલ જીએસટીના પ્રિન્સિપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે જણાવ્યું હતું. જીએસટી વિભાગ દ્વારા વડોદરા ઝોનના ટ્રેડ એસોસિયેશનો સાથે આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 99 ટકા લોકો પોતાની જાતે ઇલેક્ટ્રોનિક સુવિધાઓનો ઉપયોગ કરીને જીએસટી ભરે છે. હાલમાં જીએસટી-2 દાખલ કરવામાં આવતાં હવે સ્ટ્રકચરને ખૂબ જ સરળ બનાવ્યું છે. જેના પગલે માત્ર વિવાદ ઓછા થયા છે. સંબંધિત લોકોનો ખર્ચ પણ ઘટ્યો છે, લોકોનો સમય પણ બચ્યો છે. અગાઉ 12 ટકા અને 18 ટકામાં કરદાતાઓમાં ઘણા વિવાદો થતા હતા. ટેક્નોલોજીને લીધે ડેટાથી જ જીએસટી અંગે થતી ચોરી વિશે જાણી શકાય છેમીડિયા સાથેની વાતચીતમાં સીજીએસટી-1ના પ્રિન્સિપાલ કમિશનર કર્મવીર સિંઘે જણાવ્યું કે , ટેક્સચોરી કરતા લોકોને શોધવા માટે ટેક્નોલોજી મોટા પ્રમાણમાં મદદરૂપ થઇ રહી છે. જે ડેટા વિભાગ પાસે આવે છે તેનું એનાલિસિસ કરતાં જ હવે તરત જાણ થઇ જાય છે કે, અહીં ટેક્સ ચોરી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં વડોદરા ઝોન નંબર.1 બન્યું છે, 2025માં માત્ર 2 મહિના સિવાય વડોદરા ઝોને સૌથી વધુ સીજીએસટી એકત્ર કર્યો છે.
ભીમનાથ બ્રિજ નજીક આવેલા મેદાનમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટી રાખવામાં આવી છે. જ્યાં માત્ર 500 મીટરથી પણ ઓછા અંતરે સયાજી હોસ્પિટલ, ડૉક્ટર આવાસ સાથે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આખો જેલ રોડ સાયલેન્સ ઝોનમાં છે. જેથી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.રંજન ઐયરે સવાલ ઉઠાવ્યા છે. ભીમનાથ બ્રિજ પાસેના મેદાનમાં રાખેલી નવા વર્ષની પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો આવશે. મેદાનની પાસે સયાજી હોસ્પિટલનું વિશ્રાંતિ ગૃહ છે. જેને હાલમાં ગર્લ્સ હોસ્ટેલમાં પરિવર્તિત કરાયું છે. ડૉક્ટર આવાસના મકાનના 500 મીટરથી પણ ઓછા અંતરે સયાજી હોસ્પિટલ છે. ધ્વની પ્રદૂષણ બાબતે હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રંજન ઐયરે સવાલ ઉઠાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આખો જેલ રોડ સાયલેન્સ ઝોનમાં છે, જેલ રોડ તરફ સર્જીકલ સાથે અનેક વોર્ડ છે. વિદ્યાર્થિનીઓની પરીક્ષા પણ ચાલતી રહેતી હોય છે. હોસ્પિટલની પાસે પાર્ટી કેવી રીતે થઈ શકે? રાવપુરા પોલીસ મથકના કુલદીપ જાધવે જણાવ્યું હતું કે, અમારી પાસે મંજૂરી લેવા આવ્યા હતા, અમે સીપી ઓફિસમાં મોકલી આપી હતી. પાર્ટીના આયોજક અમીત પરીખે જણાવ્યું હતું કે, અમે હોસ્ટેલના રૂમ તપાસ્યા છે. હાલમાં કોઈ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં નથી. માત્ર થોડી જ વિદ્યાર્થિનીઓ હાજર છે.
સિટી કેલેન્ડર:વેપારનો ડિજિટલ ગ્રોથ, મહિલા હાફ મેરેથોન, AI કોન્કલેવ, પ્રોપર્ટી એક્સ્પો
જાન્યુઆરી-2026માં સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમો થશે. જે અંગેનું સિટી કેલેન્ડર નીચે પ્રમાણે છે. મારા કામના નંબરપાવર ફોલ્ટ માટે: પોલીસની મદદ મેળવવા: તબીબી કટોકટી માટે: અન્ય સેવાઓ:
મુંબઈની બોસ્ટન આઈવીવાય હેલ્થકેર સોલ્યુશન પ્રા.લી.ને 40 લાખ ગ્લવ્સનો ઓર્ડર મોકલવાના બહાને વડોદરા વલ્લભી હર્બલ્સ ઓ.પી.સી.પ્રા.લી.ના સંચાલકે રૂ.63.22 લાખ પડાવી લીધા હતા. અમદાવાદના યશસ્વી પોલીમર્સના સંચાલકની સંડોવણી બહાર આવી હતી. અટલાદરા પોલીસે બે જણા સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. વેસ્ટ મુંબઈ ગગનગ્રી એપાર્ટમેન્ટમાં રહેતા કમલાકર દુર્ગાપ્રસાદ શુકલા સુભાષ રોડ ખાતે બોસ્ટન આઈવીવાય હેલ્થકેર સોલ્યુશન પ્રા.લી. કંપનીમાં કોમર્સિયલ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નોકરી કરે છે. તેમણે અમદાવાદના મિત્ર હિતેશ ગુપ્તા કમલાકર થકી અટલાદરા-પાદરા રોડ પરની વલ્લભી હર્બલ્સ ઓ.પી.સી.પ્રા.લી.ના સંચાલક જય અનિરૂદ્ધ રાજાણી (રહે, આદિત્ય એલાન્જા, અટલાદરા) સાથે વાત કરી 40 લાખ ગ્લોવ્સનો ઓર્ડર આપી રૂ.63.22 લાખ વલ્લભી હર્બલ્સના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતા. પછી જય રાજાણીએ ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતું. જેથી કમલાકર જયની ઓફિસે ગયા હતા, જ્યાં તેને કહ્યું હતું કે, તમારા માલનો ઓર્ડર મેં યશસ્વી પોલીમર્સ અમદાવાદના સંચાલક પાર્થ સુનિલ મહેતાને રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. ત્યારબાદ ગ્લવ્સ ન મળતા કમલાકરે રૂપિયા પરત માગ્યા હતા. જયે કહ્યું હતું કે, રૂપિયા પરત મળશે નહીં, જે થાય તે કરી લો. મારુ કોઈ કશું ઉખાડી શકે નહીં.
ભાસ્કર નોલેજ:વડોદરા-અમદાવાદ એસટીનું ભાડું ~4 વધ્યું, રાજકોટનું ભાડું ~251
એસટી વિભાગે 1લી જાન્યુઆરીથી શરૂ થતાં નવા વર્ષે મુસાફરોના માથે ભાડા વધારાનો બોજો નાંખ્યો છે. હાલના એસટી ભાડામાં 3 ટકાનો વધારો જાહેર કર્યો છે. નવા ભાડા મુજબ અમદાવાદના એક્સપ્રેસ બસના ભાડામાં રૂ.4નો વધારો થશે. અમદાવાદનું નવું ભાડંુ રૂ.149 પર પહોંચશે. રાજકોટનું એક્સપ્રેસ બસનું ભાડંુ રૂ.237થી વધીને રૂ.244 થયું છે. જ્યારે સુરતના ભાડું રૂ.5 વધીને રૂ.172 પર પહોંચ્યું છે. બીજી તરફ પાસ પર મુસાફરી કરતા વિદ્યાર્થીઓ પાસેથી હાલના પાસના વધુ રૂપિયા વસૂલાશે નહીં. જ્યારે નવો પાસ કઢાવશે ત્યારે તેમાં વધારો થશે. આ વિશે એસટી વિભાગના વિભાગીય નિયામક અધિકારી જે.એન.પટેલે જણાવ્યું કે, નવા ભાડા બુધવાર મધરાતથી રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે, જે બસમાં મુસાફરી 12 વાગ્યા પહેલા મુસાફરો કરી રહ્યાં હશે. તેમની પાસેથી ભાડા જૂના દર પ્રમાણે જ વસૂલાશે. જૂના ભાડામાં કેશોદની છેલ્લી બસ, નાથદ્રારાનું નવું ભાડુંવડોદરા એસટી ડેપો પરથી 31મી ડિસેમ્બર, બુધવારે રાત્રે 11.30 વાગ્યે વડોદરા-કેશોદ એક્સપ્રેસ બસ છેલ્લી બસ હશે. જેમાં જૂના ભાડા મુજબનું યાત્રીઓ પાસે ભાડું વસૂલાશે. જ્યારે ડેપોથી સવારે 5 વાગ્યે ઉપડતી બસ વડોદરા-નાથદ્રારા એક્સપ્રેસ પહેલી બસ હશે, જેમાં મુસાફરો પાસેથી નવું ભાડું વસૂલાશે.
શહેરમાં રોડ અને ફૂટપાથ પર લારી ગલ્લાના કારણે ટ્રાફિકજામ થતો હોવાની ફરિયાદ ઉઠી છે. જેનો ઉકેલ લાવવા પાલિકાએ સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. લારી ધારકોને નક્કી કરેલા પ્લોટમાં જગ્યાની ફાળવણી કરાશે. 18 મીટરથી નીચે, 30 મીટરના રોડ પરના પ્લોટ પરની જગ્યા માટે લારી ધારકે 1 હજારથી 3 હજાર ભાડું આપવું પડશે. તદુપરાંત વર્ષ 2017માં નોંધાયેલા લારી ધારકોને પ્રાથમિકતા આપી શકશે. વહીવટી તંત્રે પ્રોવિઝનલ ટાઉન વેન્ડિંગ કમિટીને મંજૂરી મળે તે માટે અગાઉ દરખાસ્ત રજૂ કરાઈ હતી, જે સભામાં મંજૂરી માટે પેન્ડિંગ પડી છે. તેથી શહેરમાં રોડ અને ફૂટપાથ પર થતા લારીના દબાણો વધતા પાલિકાએ હંગામી સ્ટ્રીટ વેન્ડિંગ કમિટીની રચના કરવાનું નક્કી કર્યું છે. આ કમિટી શહેરમાં સરવે કરી હોકિંગ ઝોન અને નો-હોકિંગ ઝોનનો અભ્યાસ કરશે. આ કમિટીને મંજૂરી મળે તે માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકાઇ છે. સાથે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો ડ્રાફ્ટ મુકાયો છે. આ પોલીસી મુજબ વર્ષ 2017માં કરાયેલા સરવે મુજબ નોંધાયેલા સ્ટ્રીટ વેન્ડર્સને અગ્રીમતા અપાશે. 30 મીટરથી ઉપરના રોડ નજીકના હોકિંગ ઝોનમાં લારીધારકોએ મહિને ₹3 હજાર ભાડું ચૂકવવું પડશે. 18 મીટર અને તેની ઉપરના રોડ પાસેની જગ્યા માટે રૂ. 2 હજાર અને તેથી નીચેના રોડ પર રૂ.1 હજાર ભાડું ચૂકવવું પડશે. આ સિવાય એક વ્યક્તિ શહેરમાં એક જ લારી કરી શકશે તેવા નિયમો બનાવવાયા છે. લારીધારક હોકિંગ ઝોનમાં ખુરશી,ટેબલ નહીં ગોઠવી શકેહોકિંગ ઝોનમાં લારીધારકો શેડ બાંધી નહીં શકે. ટેબલ કે ખુરશીઓ પણ નહીં રાખી શકે. ડસ્ટબિન ફરજિયાત અને દર મહિને એકથી 10 તારીખ વચ્ચે વોર્ડ ઓફિસમાં કે ઓનલાઈન ફી ભરવી પડશે. લારી ધારકે ઓળખપત્ર ફરજિયાત રાખવું પડશે અને હોકિંગ ઝોનમાં જ ધંધો કરવો પડશે. સરકારી કચેરીઓ અને હોસ્પિટલના 200 મીટરમાં નો-હોકિંગ ઝોન બનાવાશેસ્ટ્રીટ વેન્ડિંગ માટે વધુ ટ્રાફિકવાળા તમામ મુખ્ય રસ્તાઓ પરનો વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવશે. જેમાં જિલ્લા કોર્ટ, જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇમારતો, ફાયર બ્રિગેડ અને જનરલ હોસ્પિટલના 200 મીટરના વિસ્તારમાં નો-હેકિંગ ઝોન હશે. રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ અને શૈક્ષણિક સંસ્થાના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ 50 મીટર સુધી નો-હોકિંગ ઝોન હશે. ઐતિહાસિક ઇમારતો, એરપોર્ટ વિસ્તાર, રિસર્ચ સેન્ટર સહિતના વિસ્તારમાં પણ નો-હોકિંગ ઝોન રખાશે.
સાવચેતી:મ.સ.યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં થર્ટી ફર્સ્ટને લઈ લેટ પાસ ન આપ્યા, પોલીસ પેટ્રોલિંગની અરજી
31 ડિસેમ્બરને લઇને એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નિયંત્રણો લગાવામાં આવ્યા હતા. 31 ડિસેમ્બરના પગલે લેટ પાસ-આઉટ પાસ ઈશ્યુ કરવામાં આવ્યા ના હતા. પોલીસને પેટ્રોલિંગ કરવા માટે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા પત્ર લખ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધી હોસ્ટેલમાં પરત આવતા વિદ્યાર્થીઓના આઇકાર્ડ ચેકિંગ કરાયું હતું. એમ.એસ.યુનિર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં 31 ડિસેમ્બરને લઇને તકેદારીના ભાગરૂપે નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા ગર્લ્સ હોસ્ટેલમાં 2 હજાર કરતાં વધારે વિદ્યાર્થિનીઓ રહે છે. પોતાના પરિવારથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલી આ વિદ્યાર્થિનીઓની સાવચેતીનાં ભાગરૂપે વિદ્યાર્થીઓને 31 ડિસેમ્બરની રાત્રીએ બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હોસ્ટેલ સત્તાધીશો દ્વારા એક નોટિસ જારી કરવામાં આવી હતી, જેમાં 31 ડિસેમ્બર કોઇ પણ વિદ્યાર્થિનીને લેટ પાસ-આઉટ પાસ ઈશ્યુુ કરવામાં આવશે નહીં જેના ભાગરૂપે કોઇને પાસ ઈશ્યુુ કરાયા ના હતા. જો કોઇ પણ પ્રકારની ઇમરજન્સી કે અન્ય પરિસ્થિતિ હોય તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીનીના માતા-પિતાની પરવાનગીથી અને તે જ કિસ્સામાં વિદ્યાર્થિનીને 31 ડિસેમ્બરના રોજ લેટ પાસ કે આઉટ પાસ ઇસ્યુ કરાયા હતા. આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલ ફતેંગજ વિસ્તારની નજીક આવેલો છે જેના પગલે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે ભીડ એકત્રિત થતી હોય છે જેથી ગર્લ્સ હોસ્ટેલમાં કોઇ અસામાજિક તત્વો ઘૂસી ના જાય તે માટે પણ પોલીસને પત્ર લખવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત તથા પેટ્રોલિંગ કરવા માટે પત્ર લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત હોસ્ટેલ સત્તાધીશો દ્વારા પોતે પણ વધારાના સિક્યોરીટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ના હોય તેવી કોઇ ગર્લ્સ પ્રવેશી ના જાય તે માટે આઇકાર્ડ ચેકિંગની પણ સૂચના આપવામાં આવી હતી. ગર્લ્સ અને બોયસ હોસ્ટેલના ગેટ પર સીસીટીવી લગાડવાની કામગીરી અંતિમ તબક્કામાં, સીસીટીવીથી મોનિટરિંગ કરાશેગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલના પ્રવેશવાના ગેટ પર સીસીટીવી લગાડવાનું કામ અંતિમ તબક્કામાં છે. સીસીટીવીથી મોનિટરીંગ કરીને કોઇ પણ અસામાજિક તત્ત્વોને હોસ્ટેલ કેમ્પસમાં પ્રવેશતા રોકી શકાશે. અત્યારે હોસ્ટેલોમાં સીસીટીવી લગાડેલા છે પરંતુ પૂરતી સંખ્યામાં નથી જેથી 200થી વધારે સીસીટીવી લગાડવામાં આવી રહ્યા છે. હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ નવા વર્ષની ઉજવણી કરતી હોય છેગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને વોર્ડન દ્વારા 31 ડિસેમ્બરની ઉજવણી કરવા માટે પરવાનગી અપાય છે. વિદ્યાર્થિનીઓ હોલના કોમન રૂમમાં મ્યુઝીક સિસ્ટમ મૂકીને ડાન્સ કરીને નવા વર્ષની ઉજવણી કરતી હોય છે. બોયઝ હોસ્ટેલમાં પોલીસ પેટ્રોલિંગ માટે અરજીબોયઝ હોસ્ટેલમાં લેટ આવવા પર કોઇ નિયંત્રણો મૂકવામાં આવ્યા નથી. પરંતુ પોલીસને બોયઝ હોસ્ટેલમાં કોઇ ઘટના ના બંને તે માટે પેટ્રોલિંગ કરવા માટે અરજી કરવામાં આવી હતી. બોયઝ હોસ્ટેલના ગેટ પર સિક્યોરીટી જવાનોને પણ વધારવામાં આવ્યા હતા.
01 ગુરુવારગજરા રન, 30 દિવસ મેન્ટલ હેલ્થ ચેલેન્જગજરા કેફેની 1 જાન્યુઆરીથી રન, 30 દિવસ મેન્ટલ હેલ્થ ચેલેન્જ} વિશેષતા: એપમાં ચેલેન્જ અપાશે, સ્વાસ્થ્ય પર ફોકસ. 02 શુક્રવારટ્રાફિક બ્રિગેડના કર્મીઓની ભરતીમાંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં 6 વાગે 160 જગ્યાના ઇન્ટરવ્યૂ} વિશેષતા: બ્રિગેડની નિમણૂક થતાં ટ્રાફિક નિયંત્રણ દૃઢ થશે. 03 શનિવારરી-યુનિયનનું આયોજનમ.સ.યુનિ.ની જર્નાલિઝમ ફેકલ્ટીમાં રી-યુનિયન યોજાશે.} વિશેષતા: ફેકલ્ટીની શરૂઆતિથી 2025 સુધીના વિદ્યાર્થીઓ ભેગા થશે. 04 રવિવારએસઆઈઆર કેમ્પ3-4 જાન્યુઆરીએ બીજા તબક્કા હેઠળ બીએલઓ સવારે 10થી 5 મતદાન કેન્દ્રો પર હાજર રહેશે.} વિશેષતા: મતદારયાદી ચકાસાશે, પુરાવા સ્વીકારાશે. 09 શુક્રવારવડોપેક્ષ પ્રદર્શન9-10 જાન્યુઆરીએ અકોટા અતિથિગૃહમાં ટપાલ ટિકિટ પ્રદર્શન} વિશેષતા: કવરનું વિમોચન, સેમિનાર, પત્ર લેખન સ્પર્ધા 11 રવિવારભારત-ન્યૂઝિલેન્ડ ઇન્ટરનેશનલ મેચકોટંબી સ્ટેડિયમમાં બપોરે 1.30 વાગ્યાથી મેચ શરૂ થશે.} વિશેષતા: વડોદરામાં 15 વર્ષ બાદ, કોટંબીમાં પ્રથમ વખત. 14 બુધવારઉત્તરાયણ14-15 જાન્યુઆરીએ ઉત્તરાયણ. વાસી ઉત્તરાયણ ઉજવાશે.} વિશેષતા: ઉત્તરાયણના દિવસે દાન-પુણ્યનું પણ મહત્વ, મંદિરોમાં કપડા, લોકોને ભોજનનું દાન કરશે. 16 શુક્રવારપ્રી-બોર્ડની પરીક્ષાઓનું આયોજનધો.10-12ની પ્રીબોર્ડની પરીક્ષાઓ શરૂ થશે.} વિશેષતા: 250 સ્ટેટ બોર્ડની સ્કૂલોમાં પરીક્ષાઓ યોજાશે. 18 રવિવારલા પો લા ચિલ્ડ્રન્સ ફ્રેન્ડ્સ થિયેટરયોગ નિકેતનમાં સાંજે 6થી 8} વિશેષતા : ત્રિવેણી થિયેટર ગ્રૂપ દ્વારા ખાસ બાળકો માટે આ નાટકનું આયોજન કરાશે. 26 સોમવારપ્રજાસત્તાક દિવસસરકારી ઈમારતો, સ્કૂલો, સંસ્થાઓ ધ્વજવંદન કરશે.} વિશેષતા: સંસ્થાઓ દ્વારા બાઈક રેલી તેમજ વકૃતત્વ સ્પર્ધાનું પણ આયોજન કરાશે.
નવા વર્ષમાં સુરતીઓ માટે 150થી વધુ પ્રોજેક્ટના લોકાર્પણ કરાશે, જેમાં ખાસ કરીને 10 વર્ષ પછી અર્બન ઝોન સહિતની વિવિધ સુવિધાઓ સાથે ડુમસ બીચ નવા રંગરૂપમાં જોવા મળશે. સુડાના સમયથી દસેક વર્ષથી આ પ્રોજેક્ટનાં સપનાં બતાવવાનાં શરૂ કરાયાં હતાં, જેમાં પહેલો તબક્કો વર્ષ 2026માં સાકાર થશે. ઝોન-1માં બીચ વૉલિબૉલ, ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ હશે. આ ઉપરાંત સુરત-નવસારીને જોડતો સચિનનો સાતવલ્લા બ્રિજ, કતારગામ-અમરોલીના રત્નમાલા જંકશન પર ફ્લાયઓવર સહિત 4 બ્રિજ પણ ખુલ્લા મુકાશે. 55 કરોડના ખર્ચે બનેલું નવું ગાંધીસ્મૃતિ ભવન જુલાઈમાં તેમજ કતારગામનું ઓડિટોરિયમ માર્ચમાં ખુલ્લું મુકાશે. શહેર માટે અતિ મહત્વાકાંક્ષી એવી મેટ્રો રેલની બંને લાઇનનું સિવિલ વર્ક નવા વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. ડુમસ સી ફેસગાર્ડનિંગ, સાઇકલ ટ્રેક, વ્યૂઈંગ ડેકનું આકર્ષણ મારા માટે શું? નવી DKM હોસ્પિટલમાં રસીકરણ, પ્રસૂતિ ગૃહ, OPD આધુનિક બનશે: DKM હોસ્પિટલના બિલ્ડિંગના આધુનિકીકરણની કામગીરી શરૂ કરાઈ છે. રિનોવેશન બાદ રસીકરણ , પ્રસૂતિ ગૃહ અને OPD વધુ આધુનિક બનશે. આ ઉપરાંત બાપુનગર, કાપોદ્રા, સરોલી, ભેદવાડ, ઉધના, ગોડાદરા-ડીંડોલીમાં હેલ્થ સેન્ટર તથા સીંગણપોર, કતારગામ, ડભોલીમાં આરોગ્ય કેન્દ્ર, લિંબાયત હેલ્થ સેન્ટરમાં માળ વધારીને 30 બેડની હોસ્પિટલ બનાવાશે. મગદલ્લા રોડ પાસે 50 બેડની હોસ્પિટલ સાકાર કરાશે. સચિન સાતવલ્લા બ્રિજ ફેબ્રુઆરી-માર્ચમાં ખુલ્લો મુકાશે, 15 લાખને લાભ: સુરત-નવસારીને જોડતો બ્રિજ હોવાથી સચિન રેલવે સ્ટેશન, જીઆઈડીસી, નવસારી કે હાઇવે તરફ જતા વાહનચાલકોને ફાયદો. સચિન GIDCના ઉદ્યોગપતિ-શ્રમિકો માટે અવર-જવર સરળ બનશે ભારે વાહનોની અવર-જવર પણ સરળ બનશે. કનકપુર અને પાલી ગામ તરફ જતા ટ્રાફિકની સમસ્યા ઘટશે. કતારગામ-અમરોલી રોડ પર રત્નમાલા જંકશન પર ફ્લાયઓવર: આ ફ્લાયઓવરથી રત્નમાલા જંકશન પર ટ્રાફિક જામની સમસ્યા ઉકેલાશે. કતારગામને અમરોલી-ઉત્રાણ અને બીજી તરફ સુરત સ્ટેશન સાથે ઝડપથી જોડશે. રત્નકલાકારો અને સ્થાનિકો માટે લાઈફલાઈન સાબિત થશે. મુસાફરીના સમયમાં 10થી 15 મિનિટનો ઘટાડો થશે. સરથાણા જોગિંગ ટ્રેક: સરથાણા નેચર પાર્કને અડીને 800 મીટર લંબાઇનો જોગિંગ ટ્રેક 1.58 કરોડના ખર્ચે નિર્માણાધિન છે. પુણામાં મલ્ટિલેવલ પાર્કિંગ કમ વેજિટેબલ માર્કેટ:પુણામાં વેજિટેબલ માર્કેટના ભવન સાથે 300થી વધુ વાહનોની ક્ષમતા સાથેનું મલ્ટિ લેવલ પાર્કિંગનું પણ નિર્માણ કરાઈ રહ્યું છે. આ સુવિધા મે સુધીમાં ઉપલબ્ધ થઈ શકશે. આ ઉપરાંત ગોડાદરામાં વેજિટેબલ માર્કેટની જગ્યામાં વેન્ડિંગ માર્કેટ, મુંબઈ-ભેસ્તાન-ભુસાવલ રેલ્વે ઓવર બ્રિજની નીચે વેજિટેબલ માર્કેટ, મદનપુરા માર્કેટની જગ્યામાં વેન્ડિંગ માર્કેટનું નવિનીકરણ કરાશે. વેપારી માટે શું? 23 જાન્યુઆરીથી ડાયમંડ બુર્સનો નવો અધ્યાય શરૂ થશે: ડાયમંડ બુર્સનું 2 વર્ષ પહેલાં ઉદ્દઘાટન તો થઈ ગયું છે પરંતુ મંદીને કારણે હીરા વેપારીઓ બુર્સમાં ઓફિસો શરૂ કરતા ન હતા. જો કે, મોટા પ્રમાણમાં ઓફિસો શરૂ કરવા માટે વેપારીઓએ સંકલ્પ લીધો હતો, જેને કારણે આગામી 23 જાન્યુઆરીથી બુર્સનો નવો અધ્યાય શરૂ થશે. આખરે ફેબ્રુઆરીથી વેસુમાં GSTની ટ્રિબ્યુનલ શરૂ થશે: 8 વર્ષે ફેબ્રુઆરીમાં વેસુમાં VIP રોડ પર GST ટ્રિબ્યુનલ બેન્ચ શરૂ થશે. જજ અને મેમ્બરની નિમણૂક થઈ ગઈ છે. ટ્રિબ્યુનલમાં જવા ડિમાન્ડના 10% ભરવા પડશે. પોર્ટલ શરૂ થઈ ગયું છે, શરૂઆતમાં જ 4 હજાર કેસ આવી શકે છે. રોડ ટ્રાન્સપોર્ટેશન (CC રોડ, ફલાય ઓવર-ખાડી બ્રિજ) ચોક્કસ, યુવાઓ અને મહિલાઓ માટેના સેક્શનની સંપૂર્ણ વિગતો તમે આપેલા લખાણ મુજબ અહીં છે: યુવાઓ, મહિલા માટે શું? પાર્લેપોઇન્ટ બ્રિજ નીચે સ્પોર્ટ્સ સેન્ટર તૈયાર, જાન્યુઆરીમાં કોન્ટ્રાક્ટ અપાશે: પાર્લેપોઈન્ટ બ્રિજ નીચે આધુનિક સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર બનાવાયું છે. સેન્ટર શરૂ કરવા કોન્ટ્રાકટ સોંપાયો નથી. ટેન્ડર પ્રક્રિયા જાન્યુઆરીમાં હાથ ધરાશે. આ સેન્ટરમાં બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને સ્કેટિંગ સહિત ની રમતો માટે સુવિધા ઉપલબ્ધ થશે. મુલાકાતીઓ માટે માટે વોકિંગ ટ્રેક અને ઓપન જીમ, લાઇટિંગ અને બેસવા માટેની વ્યવસ્થા પણ છે, જેથી રાત્રિના સમયે પણ તેનો ઉપયોગ કરી શકાશે. 60 કરોડના ખર્ચે બનેલા કતારગામના ઓડિટોરિયમમાં 900 પ્રેક્ષકોની ક્ષમતા: કતારગામમાં ગોતાલાવાડી જૂની ટેનામેન્ટની જગ્યા પર 60 કરોડના ખર્ચે બનાવાયેલા ઓડિટોરિયમમાં 900 પ્રેક્ષકોની ક્ષમતા હશે. અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે હાઈ-ટેક ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ મૂકવામાં આવી છે. આ ઉપરાંત કલાકારો માટે અદ્યતન ડ્રેસિંગ રૂમ અને રિહર્સલ હોલ પણ હશે. અહીં બે માળનું અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ પણ બનાવાયું છે. 55 કરોડના ખર્ચે બનેલું નવું ગાંધીસ્મૃતિ ભવન જુલાઈમાં ખુલ્લુ મુકાશે: ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ પર બનેલું નવું ગાંધી સ્મૃતિ ભવન GRIHA રેટિંગ સાથેનું ‘ગ્રીન બિલ્ડિંગ’ છે, જે પર્યાવરણને અનુકૂળ હશે. 55 કરોડના ખર્ચે બનેલા આ ભવનમાં 847 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા, અદ્યતન સાઉન્ડ અને લાઈટિંગ સિસ્ટમ, વિશાળ સ્ટેજ, ડ્રેસિંગ રૂમ અને રિટાયરિંગ રૂમ, મલ્ટિ-લેવલ પાર્કિંગની સુવિધા હશે. પરવટ-ગોડાદરામાં ઓપન યોગ સ્ટુડિયો: યોગ મેટ્સ, બ્લોક્સ, બેલ્ટ, વ્હીલ્સ, બોલસ્ટર, ચેન્જિંગ રૂમ અને લોકર્સ સાથેનો ઓપન સ્ટુડિયો બનાવાશે. યુનિવર્સિટીમાં યુટિલિટી સેન્ટર: નર્મદ યુનિવર્સિટીમાં યુટિલિટી સેન્ટર હવે અંતિમ સ્ટેજ પર છે. આ સેન્ટર વિદ્યાર્થીઓ માટે ‘વન સ્ટોપ સોલ્યુશન’ સાબિત થશે. ફેબ્રુઆરીમાં યોજાનારા પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે આ હાઈટેક સેન્ટરનું લોકાર્પણ થાય તેવી શક્યતા છે. આ યુટિલિટી સેન્ટરને એવી રીતે ડિઝાઇન કરાયું છે કે વિદ્યાર્થીઓએ નાની-મોટી જરૂરિયાતો માટે કેમ્પસની બહાર જવું નહીં પડે.
વીતેલું વર્ષ 2025 વડોદરા માટે અનેક સારી-નરસી ઘટનાઓની યાદગીરી છોડી ગયું છે, જ્યારે નવું વર્ષ 2026 નવી આશા અને નવી અપેક્ષાઓ સાથે શહેરીજનોની સુખ-સુવિધાઓમાં વધારો કરનારું નિવડે તેવાં આયોજન કરાઈ રહ્યાં છે. ખાસ કરીને ગત વર્ષે ગંભીરા બ્રિજ તૂટી પડતાં લોકોના જીવનનો સેતુ પણ ધરાશાયી થયો હતો. આ સંજોગોમાં નવા વર્ષના આરંભે ટુ વ્હીલરો અને ચાલતા જતા લોકો માટે સ્ટીલ બ્રિજ ખુલ્લો મૂકવાનું આયોજન છે, જેનાથી નોકરિયાત વર્ગ અને સ્થાનિક લોકોને રાહત થશે. જ્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં 9 માળના ઓપીડી બિલ્ડિંગનું કામ ઝપાટાભેર ચાલી રહ્યું છે. વિવિધ વોર્ડ, ઓપરેશન થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. નર્મદા ભુવન અને કુબેર ભુવનનું સમારકામ પણ પૂરું થતું પુનઃ વિવિધ સરકારી કચેરીઓ ત્યાં પરત લવાય તેવું આયોજન છે. જ્યારે વડીલો માટેનું શ્વર્ગાશ્રમ અને મ.સ.યુનિ.ના ઐતિહાસિક ગુુંબજનું કામ પણ પૂરું થવાની આશા છે. ગંભીરા બ્રિજ જાન્યુઆરીમાં દ્વિચક્રી વાહનો અને પગપાળા જતા લોકો માટે સ્ટીલ બ્રિજ ખુલ્લો મૂકાશેમહી નદી પર આવેલો ગંભીરા બ્રિજ ગત જુલાઇ મહિનામાં તૂટી પડતાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી તરફ આસપાસના ગામો અને કંપનીમાં કામ કરતા કર્મીઓને અવર-જવર માટે લાંબો ફેરો કરવો પડી રહ્યો છે. આખરે બીજો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ બનાવવાનું આયોજન છે. જાન્યુઆરીમાં સ્ટીલ બ્રિજ ખુલ્લો મૂકાશે. નવો સ્ટીલ બ્રિજ : રૂા.9.12 કરોડના અંદાજિત ખર્ચથી નવો તૈયાર કરવામાં આવનાર સ્ટીલ બ્રિજની લંબાઈ અંદાજે 45 મીટર જેટલી હશે, જ્યારે તેનું વજન 150 ટન હશે. જેથી લોકોને રાહત થશે. હોસ્પિટલ એસએસજીમાં ગ્રાઉન્ડ ફ્લોર સહિત 9 માળની ઓપીડી બિલ્ડિંગનું નિર્માણ સયાજી હોસ્પિટલની સામેની તરફ મધર ચાઈલ્ડ યુનિટની કામગીરી પણ પૂર્ણ થવાને આરે છે. સાથે લેપ્રસી મેદાનમાં કાર્ડિયાક હોસ્પિટલનું કામ પણ ચાલી રહ્યું છે. સયાજી હોસ્પિટલના તાત્કાલિક વિભાગની પાછળ 9 માળની ઓપીડી બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેની કામગીરી વર્ષ 2026માં પૂરી થવાની શક્યતા છે. જેને પગલે દર્દીઓને રાહત થશે. ડિફેન્સનું પહેલું કાર્ગો એરક્રાફ્ટ સી-295 સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી એરફોર્સને સુપરત કરાશેવડોદરા સ્થિત સી-295 વિમાનોના નિર્માણનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટનું ઉદઘાટન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. ટાટાએ જાહેર કરેલા શિડ્યુઅલ મુજબ આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધીમાં સી-295 વિમાનો ડિલિવરી માટે તૈયાર થઇ જશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 10 એસેમ્બ્લી લાઇનો તૈયાર કરવામાં આવી છે. જેમાંથી 8 કાર્યરત છે. જે પ્રિએસેમ્બ્લી, ટેસ્ટિંગ અને પોસ્ટ એસેમ્બ્લીમાં વિભાજીત કરવામાં આવી છે. નર્મદા-કુબેર ભુવન રૂા.7 કરોડના ખર્ચે બંને ઇમારતોને ભૂકંપ પ્રૂફ બનાવવાનું કામ પૂર્ણ થશે, સમારકામની સાથે નવી ફાયર સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરાશેગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નર્મદા ભુવન અને કુબેર ભુવનની ઈમારતોના સ્ટેબિલિટી રિપોર્ટ કરાયા બાદ બંને ઈમારતોના સમારકામનો નિર્ણય કરાયો હતો. જુલાઈ-ઓગસ્ટમાં બંને ઈમારતોની 90 ઓફિસોને અલગ અલગ સ્થળે શિફ્ટ કરી દેવાઈ છે. જ્યારે 2026માં નર્મદા ભુવન અને કુબેર ભુવનની કામગીરી પૂરી થઈ જશે. MSU ઐતિહાસિક આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ-2026માં નવા રંગરૂપ સાથે તૈયાર થઇ જશે મ.સ.યુનિ.ના એશિયાના બીજા સૌથી મોટા ઐતિહાસિક ગુંબજનું 2023માં શરૂ થયેલી રિસ્ટોરેશનની કામગીરી આખરે 2026માં પૂર્ણ થઇ જશે. હાલ ઐતિહાસિક ગુંબજની 90% કામગીરી પૂર્ણ} રિસ્ટોરેશનની કામગીરી અંદાજે 5.50 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહી છે.} રિપેલન્ટ ટ્રીટમેન્ટથી ગુંબજ પર લીલ નહીં જામે, લાંબા સમય સુધી તેના પરનો કલર પણ જળવાઇ રહેશે.} આર્ટ્સ ફેકલ્ટીના ઐતિહાસિક ગુંબજની ત્રીજી વખત રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
કાર્યવાહી:નિકોરામાં પત્ની સાથે સંબંધની આશંકાએ યુવાન પર હુમલો
ભરૂચ તાલુકાના નિકોરા ગામે પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનારા શખ્સને ઠપકો આપવા ગયેલાં પતિને શખ્સ અને તેના સાગરિતોએ મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. નિકોરા ગામે નવીનગરી ખાતે રહેતાં દિનેશ વસાવા બપોરના સમયે તેના ફળિયાના રણજી વસાવા સાથે નર્મદા નદીના કિનારે આવેલાં ઓવારા પર મચ્છીમારી કરવા માટે ગયો હતો. ત્યા ગામના જ ઋત્વિક વસાવા, ભાવેશ વસાવા તેમજ દિપક વસાવા પણ મચ્છીમારી કરી રહ્યાં હતાં. અરસામાં તેમના ફળિયામાં રહેતો કીશન વસાવા ત્યાં આવી પહોંચ્યો હતો. કીશનને દિનેશની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાનું દિનેશ જાણતો હોઈ તેણે કિશનને તું મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહેતાં કિશન અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને માર માર્યો હતો.દરમિયાનમાં તેનું ઉપરાણું લઈને ત્યાં માછીમારી કરતાં ઋત્વિક, ભાવેશ તેમજ દિપકે ત્યાં દોડી આવી દિનેશ પર હુમલો કરી ચારેયે મળી તેને માર માર્યો હતો. બનાવ અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નબીપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.બનાવના પગલે ગામમાં ચર્ચાઓનો દોર શરુ થઇ ગયો છે.
રાજકીય વર્તુળમાં દુઃખની લાગણી પ્રસરી:મીરા- ભાયંદર ખાતે અજિત પવાર જૂથના ઉમેદવારનું મોત
મીરા- ભાયંદર મહાપાલિકાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક દુખદ ઘટનાને કારણે શહેરના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (અજિત પવાર જૂથ) તરફથી ઉમેદવારી નોંધાવનાર જાવેદ પઠાણ (ઉંમર 66 વર્ષ)નું અચાનક નિધન થયું છે. તેમનું અવસાન હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જાવેદ પઠાણે મંગળવારે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે વોર્ડ નં. 22 માટે પોતાની ઉમેદવારી સત્તાવાર રીતે દાખલ કરી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓ સામાન્ય કામગીરીમાં વ્યસ્ત હતા. જોકે બપોરે લગભગ 3.30 વાગ્યાની આસપાસ, મીરા રોડના હૈદરી ચોક વિસ્તાર પાસે તેમને અચાનક તીવ્ર હાર્ટ એટેક આવ્યો. તાત્કાલિક તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક ઘટનાથી તેમના પરિવારજનો, સમર્થકો તેમ જ પક્ષના કાર્યકરોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.જાવેદ પઠાણના નિધનના સમાચાર ફેલાતાં જ મીરા- ભાયંદરના રાજકીય વર્તુળમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે. ચૂંટણીના ગરમાટા વચ્ચે આવી ઘટના બનતાં સમગ્ર પ્રક્રિયા પર શોકની છાયા છવાઈ ગઈ છે.
વરણી:મતદાન પહેલાં જ ભાજપની ત્રણ ઉમેદવાર નગરસેવિકા બની ગઈ
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં, ગતિવિધિઓ તેજ બની છે અને કેટલીક જગ્યાએ ઉમેદવારી ન મળવાને કારણે બળવો જોવા મળી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ મતદાન પહેલાં જ પરિણામો નક્કી થઈ ગયાં છે. આ કડીમાં ભારતીય જનતા પાર્ટીએ કલ્યાણ- ડોંબિવલી મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલાં જ જીતનું ખાતું ખોલી નાખ્યું છે. વોર્ડ નંબર 18-Aમાંથી રેખા રાજન ચૌધરી, વોર્ડ નંબર 26-C માંથી આસાવરી કેદાર નવરે તેમ જ વોર્ડ 26-બીમાંથી રંજના મિતેશ પેણકર સામે કોઈ જ ઉમેદવાર નહીં હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાઈ આવી છે. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ઘણી જગ્યાએ ભારે અંધાધૂંધી, મૂંઝવણ અને રાજકીય નાટક જોવા મળ્યું. જોકે, કલ્યાણ-ડોમ્બિવલીના કેટલાક વોર્ડમાં અલગ જ ચિત્ર જોવા મળ્યું. ભાજપની રેખા ચૌધરીએ વોર્ડ નંબર 18-A માંથી પછાત વર્ગની મહિલાઓ માટે અનામત બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી મુદત સુધી તેની સામે કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી. પરિણામે, ચૂંટણી અધિકારી વરુણકુમાર સહારેએ રેખા ચૌધરી બિનહરીફ હોવાની ઘોષણા કરી. નોંધનીય છે કે, રેખા ચૌધરીની આ બીજી ટર્મ છે. આ જ રીતે, વોર્ડ નંબર 26-A માંથી ઓપન કેટેગરીમાં પહેલી વાર ચૂંટણી મેદાનમાં ઊતરેલી આસાવરી કેદાર નવરેએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેની સામે પણ કોઈ અરજી દાખલ ન થઈ હોવાથી, તે પણ બિનહરીફ ચૂંટાઈ છે. આવું જ રંજના પેણકરની બાબતમાં બન્યું છે. રાજકીય ક્ષેત્રમાં નવી આસાવરી નવરેનો આ પહેલો ચૂંટણી વિજય છે અને આ વિજય ભાજપ માટે ઉત્સાહજનક માનવામાં આવે છે. વિપક્ષે બે અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી લડી ન હોવાથી, ભાજપે કોઈ પણ મતદાન વિના સીધી ત્રણ બેઠકો જીતી લીધી છે. રેખા ચૌધરીની જીતને ભાજપ દ્વારા માત્ર રાજકીય જ નહીં પણ વૈચારિક વિજય તરીકે પણ માનવામાં આવે છે. રેખા ચૌધરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની સક્રિય કાર્યકર છે અને ભાજપ મહિલા મોરચાનાં કલ્યાણ વિભાગના જિલ્લા પ્રમુખ પણ છે. ભાજપે તેને હિન્દુત્વનો પહેલો વિજય ગણાવ્યો છે. આ નિર્વિવાદ જીત પાછળ ભાજપના પ્રદેશ પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણના ખાસ પ્રયાસોની ચર્ચા છે. સંગઠનાત્મક તાકાત, યોગ્ય ઉમેદવારોની પસંદગી અને સ્થાનિક સ્તરની રણનીતિને કારણે ભાજપને આનો ફાયદો થયો હોવાનું કહેવાય છે. આ બંને ઉમેદવારોની જીત બાદ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રેખા ચૌધરી અને આસાવરી નવરેને ફોન પર અભિનંદન આપ્યા હોવાની માહિતી સામે આવી છે.
ભાજપ નેતા કૃપાશંકર સિંહનું નિવેદન:મુંબઈમાં ઉત્તર ભારતીય જ મેયર બનશે
મુંબઈ અને મીરા-ભાયંદરમાં ઉત્તર ભારતીય મેયર બનાવવામાં આવશે. ઉત્તર ભારતીય મેયર બનાવવા માટે આ સ્થળોએ પૂરતા નગરસેવકો ચૂંટાઈ આવશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં, ભાજપના નેતા કૃપાશંકર સિંહે આગામી મહાપાલિકાની ચૂંટણીઓમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેને પડકાર ફેંક્યો છે. શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું રાજકારણ મુંબઈ, મરાઠી લોકો અને ઉત્તર ભારતીયોના વિરોધથી શરૂ થયું હતું. આ પક્ષો ઘણી વાર જુદાં જુદાં કારણો આપીને ઉત્તર ભારતીયોની મારપીટ કરતા હોય છે. હવે, આગામી ચૂંટણીઓમાં મુંબઈમાં ફરી એક વાર મરાઠી વિરુદ્ધ ઉત્તર ભારતીય મુદ્દો પ્રકાશમાં આવવાની શક્યતા નકારી શકાય નહીં. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ કૃપાશંકર સિંહને જવાબ આપતાં કહ્યું છે કે, મરાઠી લોકો, જાગો. કૃપાશંકર સિંહે જણાવ્યું કે મેયર પદ પર ઉત્તર ભારતીય સમુદાયની વ્યક્તિને બેસાડવા માટે જરૂરી હોય તેટલા નગરસેવકો ચૂંટવામાં આવશે. ઉત્તર ભારતીય મતદારોની સંખ્યા અને તેમની રાજકીય ભાગીદારીને ધ્યાનમાં લેતાં, તેમનું નિવેદન સૂચવે છે કે આ સમુદાય નિર્ણાયક બની શકે છે. સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવા અને મેયરપદ સુધી પહોંચવામાં તેમનો વિશ્વાસ રાજકીય સમીકરણો બદલવાની શક્યતા છે. મનસેનો પણ સામે જવાબ: કૃપાશંકર સિંહના આ નિવેદન પર રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ પ્રતિક્રિયા આપી છે. મનસેએ કહ્યું કે મરાઠી લોકોએ પોતાના ગુજરાન માટે આવેલા ઉત્તર ભારતીયોને આશ્રય આપ્યો અને આ જ ઉત્તર ભારતીયો આજે મરાઠી લોકોના માથા પર નાચવા લાગ્યા છે. મરાઠી લોકો, હવે જાગો..! આરોપ-પ્રત્યારોપ ચાલુ છેદરમિયાન, કૃપાશંકર સિંહના આ નિવેદનથી મુંબઈ અને રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાય તેવી શક્યતા છે. ઠાકરે બંધુઓના પ્રભાવ હેઠળ આવેલા મુંબઈમાં ઉત્તર ભારતીય મેયરના દાવાથી આગામી ચૂંટણીઓમાં આરોપો અને પ્રતિઆક્ષેપો વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. વાસ્તવિક ચૂંટણીઓમાં મહાયુતિની આ ભૂમિકા કેટલી અસરકારક રહે છે અને ઉત્તર ભારતીય મતદારોના મત કઈ દિશામાં જાય છે, તેની પર હવે બધાનું ધ્યાન કેન્દ્રિત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ આ નિવેદનથી રાજકીય યુદ્ધ શરૂ થઈ ગયું છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે.
વિરોધ પક્ષ દ્વારા ટીકાઓ શરૂ:11 જાન્યુઆરીએ જૈનોના કાર્યક્રમમાં મોદી હાજર રહેશે
મુંબઈ મહાપાલિકાના ચૂંટણીના પ્રચારના ધમધમાટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવી રહ્યા છે, મુલુંડમાં યોજાનારા પદ્મભૂષણ વિભૂષિત જૈનાચાર્ય પૂ.આ.શ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. લિખિત 500 માં પુસ્તકનો વિમોચન સમારોહમાં 11 જાન્યુઆરીના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે, પરંતુ આ મામલે વિરોધ પક્ષોએ અત્યારથી જ ટીકાઓ શરૂ કરી દીધી છે. જોકે આ કાર્યક્રમ ચૂ઼ંટણીની સત્તાવાર જાહેરાત થઈ એ પહેલાં ઓગસ્ટમાં નક્કી થયો હતો તે પણ અત્રે નોંધનીય છે. વડા પ્રધાનને પુસ્તકનું વિમોચન કરવા માટે જૈન અગ્રણીઓએ રૂબરૂ મળીને આમંત્રણ આપ્યું હતું. મહાપાલિકાના ચૂંટણીના કાર્યક્રમ અનુસાર 13 જાન્યુઆરીએ સાંજે પ્રચાર બંધ થઈ જાય તે પહેલાં વિવિધ વિસ્તારોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યક્રમો યોજાશે એમ ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું. મુંબઈ સહિત 29 મહાપાલિકાઓની આગામી 15 જાન્યુઆરીએ યોજાનાર ચૂંટણી તમામ પક્ષો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન છે. ઠાકરે બંધુઓ માટે, આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ છે, જ્યારે દેશ, રાજ્ય જીતનાર ભાજપ માટે, મુંબઈ મહાપાલિકા એક અધૂરું સ્વપ્ન છે. તેથી એ વાત ચોક્કસ છે કે, ભાજપ આ ચૂંટણી જીતવા માટે પોતાની બધી તાકાત લગાવશે. મહાયુતિએ મુંબઈ અને આસપાસનાં મહાનગરોમાં મહાપાલિકા જીતવા માટે પ્રચારનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. 11, 12 અને 13 જાન્યુઆરીએ મુંબઈ, નવી મુંબઈ, બોરીવલી, થાણે અને મીરા- ભાયંદરમાં મહાયુતિની મોટી બેઠકો યોજાશે. સૂત્રો કહે છે કે આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના અન્ય રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ હાજર રહેશે. વિકાસના નામે મુંબઈમાં મહાયુતિની બેઠકોનું આયોજન કરવામાં આવશે. જૈનાચાર્યની સાહિત્યસર્જનની યાત્રાજૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના 5૦૦મા પુસ્તકનો વિમોચન પ્રસંગ આગામી 7થી 11 જાન્યુઆરી દરમ્યાન મુલુંડમાં યોજાવાનો છે. મહારાજસાહેબે અત્યાર સુધીમાં અલગ-અલગ વિષયો પર 499 પુસ્તકો લખ્યાં છે, અને હવે તેમણે 500મું પુસ્તક લખ્યું છે. ઉલ્લેખનીય છે કે જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબ છેલ્લાં 50 વર્ષથી પ્રવચનો અને પુસ્તકલેખનના માધ્યમથી શીલ, સદાચાર, સંસ્કૃતિની રક્ષાનાં કાર્યો કરી રહ્યા છે. ગુરુદેવે સમાજકલ્યાણના હેતુ સાથે આરંભાયેલી સાહિત્યસર્જનની યાત્રા 500મા પુસ્તકના શિખરને સ્પર્શવા જઈ રહી છે. વિરોધ પક્ષોએ કરી આકરી ટીકાચૂંટણી ટાણે મોદીની મુંબઈ મુલાકાતની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને લાવવામાં આવે તો પણ નવાઈ નહીં. મોદીને ભેટનારા લોકો વિદેશથી આવે તો નવાઈ નહીં. તે ભાજપની પરંપરા બની ગઈ છે. મોદીએ મુંબઈમાં જૈન સમુદાયના એક કાર્યક્રમનું આમંત્રણ સ્વીકાર્યું છે. તેઓ તે સમુદાયના લોકોને પ્રભાવિત કરવા આવી રહ્યા છે. ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? એમ સંજય રાઉતે કહ્યું હતું.
કાર્યવાહી:પાનોલી પોલીસે ચોરી અથવા ગુમ થયેલા 4 ફોન માલિકોને પરત કર્યા
ભરૂચની પાનોલી પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.85 હજારની કિંમતના 4 મોબાઇલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન બાઈક તેમજ અન્ય મુદ્દામાલ શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે પાનોલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર. પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા.
સંચાલકોએ કોઇ પગલા ન ભર્યા:બીજી ટ્રેડ સેન્ટરમાં દાદર ધરાશાયી, જાનહાનિ અટકી
ભરૂચના પાંચબત્તી સર્કલ નજીક આવેલી બી.જી. ટ્રેડ સેન્ટરમાં દાદર ધરાશાયી થવાની ઘટના બની હતી. જોકે ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાનિ થઈ હતી નહીં. આ શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. ભરૂચ નગરપાલિકા એ અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં સંચાલકો તરફથી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા હતા નહીં. દાદર ધરાશાય થવાના કારણે દવાખાનાઓમાં જતો રસ્તો જોખમી બની ગયો છે. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને દાદરને સીલ કરી જરૂરી સલામતી પગલાં લીધા હતા. પાલિકાની વારંવારની નોટિસ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાની સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.
રાજ્ય ચૂંટણી પંચે મુંબઈ સિવાય રાજ્યભરની મહાપાલિકાઓમાં યોજાનારી બહુ-સભ્ય વોર્ડ ચૂંટણીઓમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર END બટન બંધ રાખવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેથી મતદારો કોઈ ઉમેદવારને મતદાન કરવાનો વિરોધ ન કરે અને તેના કારણે મતદાન પ્રક્રિયામાં મૂંઝવણ અને વિલંબ ન થાય. પંચે આદેશ આપ્યો છે કે જો કોઈ મતદાર પસંદગીના ઉમેદવારને અથવા ઉપરોક્તમાંથી કોઈ નહીં, એટલે કે NOTA ને મત આપવાનો ઇનકાર કરે, તો કેન્દ્રીય અધિકારીએ હાજર મતદાન એજન્ટો સાથે NOTA બટન દબાવીને મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ. રાજ્યમાં, મુંબઈ મહાપાલિકા સિવાય, ચૂંટણીઓ બહુ-સભ્ય વોર્ડ સિસ્ટમમાં યોજાય છે. તે મુજબ, દરેક મતદારને વોર્ડ મુજબ 4-5 મત આપવાનો અધિકાર છે. આ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને, રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે વિકસાવવામાં આવેલા EVM ના બેલટ યુનિટ પર છેલ્લું (16મું) બટન END તરીકે મૂક્યું છે. ચૂંટણી પંચે ડિસેમ્બર 2022 ના પોતાના આદેશ દ્વારા મતદાન મશીન પર END બટનનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે આદેશો જારી કર્યા હતા. આ નિર્ણય મુજબ, મતદારો તેમના વોર્ડમાં 5 ઉમેદવારોને મતદાન કરવાનો ઇરાદો ધરાવતા હોવા છતાં, તેઓ ફક્ત 2 ઉમેદવારોને મતદાન કરે છે. ત્યાર બાદ, તેમણે NOTA બટન દબાવીને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે દર્શાવવાનું હોય છે. પરંતુ મતદારો આ બટન દબાવતા નથી. આ કારણે, તેમની મતદાન પ્રક્રિયા પૂર્ણ થતી નથી. પરિણામે, મતદાન મથકના અધિકારીઓએ NOTA અથવા END બટનનો ઉપયોગ કરીને આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડી. સ્થાનિક સ્તરે આ બટન સાથે આવતી વિવિધ સમસ્યાઓ અને મતદાનમાં વિલંબને ધ્યાનમાં રાખીને ફિલ્ડ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા, પંચે આ ચૂંટણીમાં END બટનને સફેદ માસ્કિંગ ટેબથી ઢાંકવાનો આદેશ આપ્યો છે.
ખેડૂતોને સહાય:ભરૂચમાં 86 હજાર ખેડૂતોને પાક વળતરના 267 કરોડની ચૂકવણી
ભરૂચ જિલ્લામાં માવઠામાં નુકસાન થયેલા ખેડૂતોને અત્યાર સુધીમાં 86144ખેડૂતોને 267 કરોડથી વધુ રકમ ચૂકવી દેવામાં આવી છે. હવે અંદાજે 9 હજાર જેટલા ખેડૂતો બાકી છે તેમને ટૂંક સમયમાં ચૂકવી દેવામાં આવશે. ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાક માં વ્યાપક નુકશાન થયું છે. ત્યાર બાદ સરકારે રાહત પેકેજ જાહેર કર્યા બાદ ગ્રંપંચાયત માં વીસીઇ અને વીએલઇ ના માધ્યમથી ખેડૂતો સહાય મેળવવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં 5 ડિસેમ્બર સુધી સહાય માટે ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. જેમાં દરમિયાન 95 હજાર જેટલા ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 86144 ખેડૂતોને રાજ્ય તેમજ એસડીઆરએફ માંથી કુલ રૂપિયા 267 કરોડ થી વધુ ની રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. જેમાં પણ 78492 ખેડૂતોને બેંક ખાતામાં તેમજ 7652 ખેડૂતોનું બિલ બનાવી હિસાબી શાખા માં ચૂકવના રજૂ કરી દીધા છે. સહાય માટે 14 નવેમ્બર થી ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અને 5 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હાલ તાલુકામાં ખરાઈ કરીને અરજી જિલ્લા ખેતી વિભાગ માં મોકલવામાં આવી રહી છે ત્યાર બાદ ખેતીવાડી વિભાગ માંથી મંજૂરી મળતા સહાયની રકમ ખેડૂતોના ખાતામાં નાખવામાં આવી રહી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 25 દિવસમાં 86144 ખેડૂતોને 267 કરોડ સહાયની રકમ ચૂકવી દેવામાં આવી છે. માવઠામાં 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્તભરૂચ જિલ્લામાં માવઠાને કારણે 654 ગામમાં અંદાજે 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. જેના સર્વે માટે 355 ટિમ કામે લાગી ચાર દિવસમાં સર્વે પૂર્ણ હતો. જેમાં ડાંગર, કપાસ, તુવેર અને સોયાબીનના પાકમાં નુકશાન થયું હતું. હાલ એસડીઆરએફ અને રાજ્ય માંથી આમ સહાઈની રકમ ખેડૂતોને ચૂકવવામાં આવી રહી છે.
ભાવ વધારો:એસટી ભાડામાં વધારાથી જિલ્લાના મુસાફરોને દૈનિક અંદાજે રૂ. 50,000થી વધુનો બોજ
એસટી નિગમે 1 ઓગસ્ટ-2023માં દરેક રૂટના ભાડામાં 25 ટકા જેટલો ભાવ વધારો ઝીંક્યો હતો. ત્યારબાદ 29 માસ બાદ ફરી એટલે કે તા. 31-12-2025ના દિવસે 3 ટકા ભાડામાં વધારો થતા તેની અસર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઇ છે. જિલ્લામાં રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી અને ધ્રાંગધ્રા એસટી ડેપોમાં કુલ 140થી વધુ બસો દોડાવવામાં આવી રહી છે. પરિણામે ચારેય ડેપોની દૈનિક આવક રૂ. 16,87,500ની આવક થતી હતી. પરંતુ હવે 3 ટકાનો વધારો થતા આ આવક રૂ.17,37,610ની શકયતા છે. આમ 3 ટકા એટલે રૂ. 50,610થી વધુ ચૂકવવા પડશે. કારણે ચારેય ડેપોમાં દૈનિક અંદાજે 37000થી વધુ મુસાફરો મુસાફરી માટે આવ-જા કરી રહ્યા છે. જેની અસર પણ લોકલ, એક્સપ્રેસ તેમજ નોન એસી સ્લીપરની ટિકિટના દરોમાં થઇ છે. 29 મહિના બાદ થયેલા એસટી ભાડાનો બોજો પણ હવે મુસાફરોએ સહન કરવાનો ઘાટ સર્જાયો છે. એસટી તંત્રે આ સત્તાવાર રીતે રૂટ પ્રમાણેનું પત્રક જાહેર કર્યું નથી. પરંતુ 3 ટકાના ભાવ પ્રમાણે આ ભાડું ચૂકવવાનું રહે તેવી શક્યતા. સુરેન્દ્રનગર ડેપોમાં લોકલ, એક્સપ્રેસના ભાવની શક્યતાસુરેન્દ્રનગર-લીંબડી : પહેલાં રૂ. 28, હવે રૂ. 29 - સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા : પહેલાં રૂ. 34, હવે રૂ. 35 { સુરેન્દ્રનગર-ચોટીલા : પહેલાં રૂ. 48, હવે રૂ. 50 - સુરેન્દ્રનગર-પાટડી : પહેલાં રૂ. 43, હવે રૂ. 45. જ્યારે એક્સપ્રેસમાં { અમદાવાદ : પહેલા રૂ. 124, હવે રૂ.128, સુરત(લ.) :પહેલાં રૂ. 248, હવે રૂ.255, { રાજકોટ : પહેલાં રૂ. 69, હવે રૂ. 71, { ભાવનગર : પહેલાં રૂ. 144, હવે 148, { કચ્છ-ભુજ : પહેલાં રૂ. 245, હવે રૂ.252, { વડોદરા : પહેલા રૂ. 206, હવે રૂ. 212
ચૂંટણી પહેલા મુંબઈમાં ભાજપે એક બેઠક ગુમાવી:ભાજપની ટિકિટ હાથમાં હોવા છતાં ઉમેદવાર તેની અરજી ન ભરી શકી
મુંબઈ મહાપાલિકાના વોર્ડ નંબર 212 માં વિચિત્ર ઘટના બની છે જ્યાં એક ઉમેદવાર ભાજપની ટિકિટ હોવા છતાં ઉમેદવારી નોંધાવી શકી નહોતી, જેના કારણે ચૂંટણી પહેલાં જ ભાજપને એક બેઠક ગુમાવવી પડી છે.સમય ખરેખર ખૂબ જ કીમતી છે. તે કોઈ માટે રોકાતો નથી. ઘણા લોકો આ વાત સમજે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે આવું જ બન્યું છે. મંગળવારે ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. આ માટે, બધા ઉમેદવારો નિર્ધારિત સમયમાં પોતાની અરજીઓ દાખલ કરવા માટે દોડાદોડ કરી રહ્યા હતા. પરંતુ વોર્ડ નંબર 212 ના ભાજપની ઉમેદવાર મંદાકિની ખામકર 15 મિનિટ મોડી આવી હતી અને ભાજપ જેવા શક્તિશાળી પક્ષનું ફોર્મ હોવા છતાં તે ફોર્મ ભરી શકી ન હતી. પાર્ટીએ મંદાકિનીને સમયસર એબી ફોર્મ પણ આપ્યું હતું. પરંતુ તે એક નવા બેંક ખાતા પર કામ કરવા માટે બેંક ગઈ હતી, જેને ચૂંટણી અરજી સાથે લિંક કરવાની જરૂર હતી. કમનસીબે, બેંકમાં ટેકનિકલ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં તેને અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો. મંદાકિની ખામકર બેંકમાં પોતાનું કામ પૂર્ણ કરીને રિટર્નિંગ ઓફિસરની ઓફિસ પહોંચી, ત્યારે ઉમેદવારી પત્ર ભરવાની મુદત સમાપ્ત થઈ ગઈ હતી. રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય મુજબ, અરજીઓ દાખલ કરવાની છેલ્લી તારીખ મંગળવારે સાંજે 5 વાગ્યા હતી. પરંતુ મંદાકિની ખામકર વોર્ડ ઓફિસમાં 15 મિનિટ મોડી પહોંચી. આ કારણે, ચૂંટણી અધિકારીઓએ તેની અરજી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. અધિકારીઓએ તેને કહ્યું કે ઉમેદવારી પત્રો દાખલ કરવાનો સમય પૂરો થઈ ગયો છે. હવે વોર્ડ 212 માં ભાજપના કોઈ સત્તાવાર ઉમેદવાર નથી. તેથી, પાર્ટીએ કોને ટેકો આપવો જોઈએ? તે વિશે મૂંઝવણ ઊભી થઈ છે. દરમિયાન, આ પ્રસંગે ફરી એક વાર એ વાત પર ભાર મૂક્યો છે કે સમય ખૂબ જ કીમતી છે, તે કોઈના માટે રોકાતો નથી.
વિશેષ સવલત અપાઈ:15 જાન્યુઆરીને મતદાનના દિવસે 29 મહાપાલિકામાં કર્મીઓને ભરપગારે રજા
રાજ્યના તમામ સરકારી, અર્ધસરકારી અને ખાનગી આસ્થાપનાઓના બધા જ કર્મચારીઓને 15 જાન્યુઆરીના મતદાનના દિવસે, મુંબઈ, થાણે સહિત રાજ્યની 29 મહાપાલિકામાં ભરપગારે રજા જાહેર કરવામાં આવી છે. લોકપ્રતિનિધિત્વ કાયદા અનુસાર મતદાનના દિવસે મતદારો મતદાનનો હક બજાવી શકે એ માટે ભરપગારે રજા આપવામાં આવે છે અથવા કેટલાક ઠેકાણે કામના કલાકમાં યોગ્ય સવલત આપવામાં આવે છે. જો કે છેલ્લી કેટલીક ચૂંટણીમાં કેટલીક સંસ્થાઓ, આસ્થાપનાઓ તેમના કામદારોને મતદાનની ભરપગારે રજા અથવા સવલત આપતા ન હોવાનું જણાયું છે. તેથી મોટા પ્રમાણમાં મતદારોએ તેમનો મતદાનનો હક બજાવવાથી વંચિત રહેવું પડે છે. આ લોકશાહી માટે અત્યંત ઘાતક હોવાનું જણાવતા આ વખતે મહાપાલિકા ચૂંટણી માટે મતદારોને ભરપગારે રજા આપવાનો આદેશ રાજ્ય ચૂંટણી પંચે રાજ્ય સરકારને આપ્યો હતો. એ અનુસાર 15 જાન્યુઆરીના રાજ્યની 29 મહાપાલિકાઓમાં થનારી ચૂંટણીમાં તમામ મતદારો તેમનો મતદાનનો હક યોગ્ય રીતે બજાવી શકે એ માટે ભરપગારે રજા જાહેર કરવામાં આવી છે. ઉદ્યોગ અને કામદાર વિભાગે આ બાબતનો આદેશ જારી કર્યો છે. ચૂંટણી થનારા મતદાન ક્ષેત્રમાં મતદારવાળા કામદારો, અધિકારીઓ, કર્મચારીઓને કે પછી કામ નિમિત્તે ચૂંટણી થનારા ક્ષેત્રની બહાર કાર્યરત હોવા છતાં તેમને ચૂંટણીના દિવસે મતદાનનો હક બજાવવા ભરપગારે રજા આપવામાં આવે એમ આ આદેશમાં જણાવ્યું છે. આ રજા ઉદ્યોગ, ઉર્જા તથા કામદાર વિભાગ અંતર્ગત આવતા તમામ આસ્થાપના, કારખાના, દુકાનો, ખાનગી કંપનીઓમાં આસ્થાપના, તમામ દુકાન અને અન્ય આસ્થાપના, નિવાસી, હોટેલ, રેસ્ટોરંટ, ઓડિટોરિયમ, વેપાર, ઔદ્યોગિક ઉપક્રમ અથવા બીજી આસ્થાપના તેમ જ માહિતી અને તંત્રજ્ઞાન કંપનીઓ, શોપિંગ સેંટર, મોલ્સ, રિટેલર્સને લાગુ રહેશે.
મહિલા સહિત 7 જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો:થાણેમાં જમીનમાં રોકાણને નામે ઠગાઈ કરનારાઓ વિરુદ્ધ ગુનો
થાણેમાં જમીનમાં રોકાણો પર આકર્ષક વળતરોનું વતન આપીને અનેક રોકાણકારો સાથે રૂ. 64 લાખથી વધુની છેતરપિંડી કરવા સંબંધે પોલીસે મહિલા સહિત સાત જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કાંદિવલીમાં રહેતા યુવાન અને અન્ય અજ્ઞાત પીડિતોની ફરિયાદને આધારે થાણેના વાગળે એસ્ટેટ વિભાગમાં કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાત આરોપીમાં કિસનરાવ રાઠોડ, મેનકા રાઠોડ, યુગાંધર, સંતોષ પાવસકર, સ્વપ્નિલ બેગાલે, અવિનાશ નારકર અને એક એજન્ટનો સમાવેશ થાય છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. ફરિયાદ અનુસાર આરોપી રોકાણ કંપનીમાં પ્રતિનિધિ તરીકે કામ કરતો હતો અને સપ્ટેમ્બર 2023માં બોગસ યોજનાઓ વહેતી કરી હતી. તેમણે રોકાણકારોને આકર્ષક વળતરોનું વચન આપ્યું હતું અને કેવની દીવે, કાલ્હેર અને ભિવંડીમાં પ્લોટ આપવાની ખાતરી આપી હતી. યોજનાનો પ્રચાર કરવા માટે જાહેરાતો પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મુ઼ંબઈ મહાપાલિકાની આગામી ચૂ઼ંટણી માટે 227 વોર્ડના ઉમેદવારો માટે રાજ્ય ચૂ઼ંટણી પંચે રિટર્નિંગ ઓફિસરો (આરઓ)ની નિમણૂક કરી છે, જે મુજબ મહાપાલિકાના 24 વોર્ડના ચૂ઼ંટણી સંચાલન માટે 23 આરઓને જવાબદારી આપવામાં આવી છે. એ મુજબ આરઓ 1 દ્વારા આર- ઉત્તર વોર્ડ ક્રમાંક 1 થી 8ની જવાબદારી આરઓ 2 આર સેન્ટ્રલ વોર્ડ ક્રમાંક 9 થી 18, આરઓ 3 આર દક્ષિણ વોર્ડ ક્રમાંક 19 થી 31, આરઓ 4 પી ઉતર વોર્ડ ક્રમાંક 32 થી 35 અને 46 થી 49, આરઓ 5 પાસે પી- ઉત્તર વોર્ડ ક્રમાંક 36 થી 45, આરઓ 6 પાસે પી દક્ષિણ વોર્ડ ક્રમાંક 50 થી 58, આરઓ 7 પાસે કે પશ્ચિમ વોર્ડ ક્રમાંક 59 થી 71, આરઓ 8 પાસે કે ઉત્તર વોર્ડ ક્રમાંક 72 થી 79 અને કે પૂર્વ વોર્ડ ક્રમાંક 80 81 અને 86, આરઓ 9 પાસે કે પૂર્વ વોર્ડ ક્રમાંક 82 થી 85 અને એચ પશ્ચિમ વોર્ડ ક્રમાંક 97 થી 102, આરઓ 10 પાસે એચ પૂર્વ વોર્ડ ક્રમાંક 87 થી 96,આરઓ 11 પાસે ટી. ક્રમાંક 103 થી 108 અને એસ વોર્ડ નંબર 109 110 113 114, આરઓ 12 પાસે એસ વોર્ડ ક્રમાંક 111 112 અને 115 થી 122 છે. આરઓ 13 પાસે એન વોર્ડ ક્રમાંક 123 થી 133, આરઓ 14 પાસે એમ પૂર્વ વોર્ડ ક્રમાંક 145 થી 148 અને એમ પશ્ચિમ વોર્ડ ક્રમાંક 149 થી 155, આરઓ 15 પાસે એમ પૂર્વ વોર્ડ ક્રમાંક 134 થી 144, આરઓ 16 પાસે એલ વોર્ડ ક્રમાંક 156 થી 164, આરઓ 17 પાસે એલ વોર્ડ ક્રમાંક 163 165 અને 171, આરઓ 18 પાસે એફ ઉત્તર વોર્ડ ક્રમાંક 172 થી 181, આરઓ 19 પાસે જી ઉત્તર વોર્ડ ક્રમાંક 182 થી 192 છે. આરઓ 20 પાસે જી દક્ષિણ વોર્ડ ક્રમાંક 193 થી 199, આરઓ 21 પાસે એફ દક્ષિણ વોર્ડ ક્રમાંક 200 થી 206, આરઓ 22 પાસે ડી વોર્ડ ક્રમાંક 214 થી 219 અને સી વોર્ડ ક્રમાંક 220 થી 222 અને આરઓ 23 પાસે ઈ વોર્ડ ક્રમાંક 207 થી 213 અને બી વોર્ડ ક્રમાંક 223 224 અને એ વોર્ડ ક્રમાંક 225 થી 227. આમ કુલ 23 આરઓ પાસે મુંબઈ મહાપાલિકાના 227 વોર્ડની ચૂ઼ંટણીની જવાબદારી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર:31મીની રાત્રે પોલીસની બાજ નજર, 1000થી વધુ જવાનોનો બંદોબસ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.31-12-2025 રોજ નવા વર્ષની ઉજવણીના ઉત્સાહમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થાના આદેશો આપવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં લોખંડી બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે, જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત હોમગાર્ડ અને જીઆરડીના જવાનો ખડેપગે રહેશે. આ ઉજવણી દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે SP, ASP, Pro IPS અને 4 DySPના સીધા માર્ગદર્શન હેઠળ 15 PI, 36 PSI સહિત 620 પોલીસ જવાનો અને 370 હોમગાર્ડ/જીઆરડી મળી કુલ 1000થી વધુ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાની હદ પર કુલ 08 ચેક પોસ્ટ અને શહેરના મુખ્ય પ્રવેશ-નિકાસના માર્ગો સહિત 32 જેટલા મહત્વના સ્થળોએ વાહન ચેકિંગ પોઇન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે. 31મીની રાત્રિથી જ આ પોઈન્ટ્સ પર પોલીસ બાજ નજર રાખશે. બ્રેથ એનેલાઇઝર અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ નશાની હાલતમાં વાહન ચલાવનારાઓને ઝડપી પાડવા માટે પોલીસને 68 બ્રેથ એનેલાઇઝર ફાળવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિઓની ત્વરિત તપાસ કરવામાં આવશે અને દારૂ પીનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે.પારદર્શિતા જાળવવા અને પુરાવા તરીકે પોલીસ કર્મચારીઓ 201 બોડી વોર્ન કેમેરા સાથે ફરજ બજાવશે. એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો ટીમો દ્વારા હોટલો, ફાર્મ હાઉસ, ક્લબો અને પ્રાઈવેટ પાર્ટી પ્લોટમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે પ્લેન ક્લોથમાં મહિલા પોલીસ અને 20 જેટલી શી ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે. મોટી ચેકપોસ્ટ પરPSI લેવલના અધિકારીજિલ્લાની જનતાને નવુ વર્ષ સમૃધ્ધી, સુખશાંતિ લાવે તેવી શુભેચ્છા. પાણશીણા, લખતર, માલવણ ચોકડીએ મોટી ચેકપોસ્ટ પર પીએસઆઇ લેવલના અધિકારી હાજર રહેશે. > પ્રેમસુખ ડેલુુ, પોલીસ વડા
જ્યુપિટર મેરેથોનનું કરાયું આયોજન:જ્યુપિટર મેરેથોનમાં સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો જોડાશે
4 જાન્યુઆરીના રોજ લેટ્સ આઉટરન કેન્સર સંકલ્પના હેઠળ જ્યુપિટલ હોસ્પિટલ તરફથી જ્યુપિટર મેરેથોન થાણે 2026નું આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્સર વિશે જનજાગૃતિ ફેલાવવા યોજાનારી આ મેરેથોનમાં આ વખતે સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો પણ ભાગ લેશે. આશરે 50 સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકો આ વિશેષ દોડવામાં ભાગ લેશે. તેમની સાથે કેન્સર પર સફળતાથી માત આપનારા લગભગ 100 કેન્સર સર્વાઈવર્સ પણ દોડશે. આ સહભાગ થકી ધૈર્ય, સમાવેશકતા અને આશાનો હકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં આશરે 15 ટકા વધારો થવાથી સમયસર તપાસ અને ઝડપી નિદાનનું મહત્ત્વ અધોરેખિત કરવાનો આ ઉપક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. સવારે 5.30 વાગ્યે સિંઘાણિયા સ્કૂલ મેદાન, થાણેથી મેરેથોનની શરૂઆત થશે. 6000થી વધુ નાગરિકો ભાગ લેવાનો અંદાજ છે. જ્યુપિટર હોસ્પિટલમાં નિષ્ણાતોના મતે, થાણે અને મુંબઈ જેવા શહેરી વિસ્તારોમાં જીવનશૈલી સાથે સંબંધિત કેન્સરનું પ્રમાણ વધતું હોઈ મહિલાઓમાં સ્તનનું અને પુરુષોમાં માથું અને ગરદનના કેન્સરનું પ્રમાણ વધુ છે. આ ઉપક્રમ બાબતે બોલતાં જ્યુપિટર હોસ્પિટલ્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. અજય પી. ઠક્કરે જણાવ્યું હતું કે જનજાગૃતિ અને સમયસર તપાસને લીધે અનેક જીવ બચી શકે છે. થાણે શહેર આ સામાજિક ચળવળના સ્વાગત માટે સુસજ્જ છે.
મુંબઈમાં અત્યારે મોટા પ્રમાણમાં ચાલતા મેટ્રો પ્રકલ્પ, પુલના બાંધકામ, રસ્તા કોંક્રિટીકરણ, અન્ય વિકાસકામો અને ચાલી-ઝૂંપડપટ્ટીઓના પુનર્વિકાસ, ઈમારતોનું રિપેરીંગ જેવા કામના કારણે દરરોજ લગભગ 8 હજાર મેટ્રીક ટન કાટમાળ નિર્માણ થાય છે. રસ્તા પર ગમે ત્યાં ફેંકવામાં આવતા કાટમાળનો નિકાલ કરવો મહાપાલિકાના માટે માથાનો દુખાવો બન્યો છે. નાગરિકો રસ્તા પર કાટમાળ ન ફેંકે એ માટે મહાપાલિકા પ્રશાસને ડેબ્રિજ ઓન કોલ યોજના શરૂ કરી. પણ આ યોજનાનો શહેર અને પૂર્વ ઉપનગરોમાં અલ્પ તથા પશ્ચિમ ઉપનગરોમાં પ્રતિસાદ જ મળતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેથી આ યોજના નિષ્ફળ ગયાની ચર્ચા થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષમાં મુંબઈમાં મોટા પ્રમાણમાં વિકાસકામ ચાલુ છે. એમાં મેટ્રો પ્રકલ્પ, રસ્તાઓનું કોંક્રિટીકરણ, પુલ બાંધવા, નાળાસફાઈ, ચાલી-ઈમારતો તેમ જ ઝૂંપડપટ્ટીઓનો પુનર્વિકાસ, ઈમારતોનું રિપેરીંગ, ઘરમાં કરવામાં આવતા નાનામોટા રિપેરીંગ વગેરેનો સમાવેશ છે. આ કામના લીધે મુંબઈમાં મોટા પ્રમાણમાં કાટમાળ નિર્માણ થાય છે. અનેક લોકો નાનામોટા રસ્તા, હાઈવે, ખાડી અથવા નાળા પાસે કાટમાળ ફેંકતા હોવાનું મહાપાલિકાના ધ્યાનમાં આવ્યું. આ કાટમાળનો નિકાલ કરવો મહાપાલિકા માટે દિવસે દિવસે મુશ્કેલ થતું હતું. થોડા વર્ષ પહેલાં બાંધકામ અને તોડકામના લીધે નિર્માણ થતા કચરાનો નિકાલ યોગ્ય રીતે કરી શકાય, રસ્તા પર ક્યાંય પણ કાટમાળ ફેંકવામાં ન આવે એ માટે પ્રશાસને ડેબ્રિજ ઓન કોલ યોજના તૈયાર કરી. આ યોજના અનુસાર કાટમાળ ઉંચકવા ટન દીઠ 1470 રૂપિયા શુલ્ક નિશ્ચિત કરવામાં આવ્યુ. મહાપાલિકાએ આ યોજનાની અમલબજાવણી શરૂ કરી. જો કે આ યોજનાને નાગરિકો તરફથી અલ્પ પ્રતિસાદ મળે છે. પરિણામે રસ્તા પર જ ફેંકવામાં આવતો કાટમાળ મહાપાલિકાએ જ ઉંચકવો પડે છે. મહાપાલિકાએ દહિસર પૂર્વમાં કોકણીપાડા અને થાણે જિલ્લાના ડાયઘર (શિળફાટા) ખાતે દરરોજ 600 ટન કાટમાળ પર પ્રક્રિયા કરતા બે પ્રકલ્પ ઊભા કર્યા. કોકણીપાડા ખાતેના પ્રકલ્પમાં પશ્ચિમ ઉપનગરોનો તથા ડાયઘર ખાતેના પ્રકલ્પમાં શહેર અને પૂર્વ ઉપનગરોના કાટમાળ પર પ્રક્રિયા કરીને નિકાલ કરવામાં આવે છે. ડેબ્રિજ ઓન કોલ યોજના અનુસાર નાગરિકો ઘરનું રિપેરીંગ, ઈમારત રિપેરીંગ દરમિયાન નિર્માણ થતા કાટમાળનો નિકાલ કરવા મહાપાલિકાનો સંપર્ક કરે એ અપેક્ષિત હતું. એ સાથે જ પુનર્વિકાસ, ઈમારત તોડકામ, વિકાસકામમાં નિર્માણ થતા કાટમાળનો નાશ આ યોજનાના માધ્યમથી કરવો શક્ય છે. પણ માર્ચ 2024થી ઓગસ્ટ 2025ના સમયગાળામાં પશ્ચિમ ઉપનગરોમાંથી ડેબ્રિજ ઓન કોલ યોજનાને પ્રતિસાદ જ મળ્યો નહીં. પરિણામે આ સમયગાળામાં રસ્તા પર ફેંકવામાં આવેલો 1 લાખ 34 હજાર 827 મેટ્રીક ટન કાટમાળ ઉંચકીને કોકણીપાડા ખાતેના પ્રકલ્પ સુધી મહાપાલિકાએ પહોંચાડવો પડ્યો. શહેર-પૂર્વ ઉપનગરોમાં અલ્પ પ્રતિસાદદરમિયાન આ જ સમયગાળામાં શહેર અને પૂર્વ ઉપનગરોમાંથી આ યોજનાને થોડો ઘણો પ્રતિસાદ મળ્યાનું મહાપાલિકાના આંકડા પરથી સ્પષ્ટ થાય છે. શહેર અને પૂર્વ ઉપનગરોના નાગરિકોએ શુલ્ક ભર્યો હોવાથી ડેબ્રિજ ઓન કોલ યોજના અંતર્ગત 10 હજાર 318 મેટ્રીક ટન કચરો ઉંચકવામાં આવ્યો. એ સાથે રસ્તા પર ફેંકવામાં આવેલો 49 હજાર 127 મેટ્રીક ટન કચરો મહાપાલિકાએ ઉંચકવો પડ્યો. નવેમ્બર 2024થી જુલાઈ 2025 દરમિયાન આ યોજના અંતર્ગત કાટમાળ ઉંચકવાના લીધે મહાપાલિકાની તિજોરીમાં 66 લાખ 21 હજાર 918 રૂપિયા જમા થયાની માહિતી મહાપાલિકા અધિકારીએ આપી હતી. આમ છતાં આ યોજનાને નાગરિકો તરફથી ઝાઝો પ્રતિસાદ મળતો ન હોવાથી રસ્તા પર ગમેતેમ ફેંકેલો કાટમાળ ઉંચકવા મહાપાલિકાની તિજોરીમાંથી ઘણાં રૂપિયા ખર્ચ કરવા પડતા હોવાનો વસવસો પણ અધિકારીએ વ્યક્ત કર્યો.
સિટી એન્કર:ટાટા મુંબઈ મેરેથોન માટે આંદ્રે દ ગ્રાસ ઈવેન્ટ એમ્બેસેડર જાહેર
18 જાન્યુઆરીના રોજ યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ગોલ્ડ લેબલ રેસ ટાટા મુંબઈ મેરેથોન (ટીએમએમ)ની 21મી એડિશન માટે ઈન્ટરનેશનલ ઈવેન્ટ એમ્બેસેડર તરીકે ઓલિમ્પિક ચેમ્પિયન આંદ્રે દ ગ્રાસની નિયુક્તિ કરવામાં આવી છે. સૌથી સિદ્ધ સ્પ્રિંટરમાંથી એક ગ્રાસની હાજરી નવી પેઢીને પ્રોત્સાહિત કરશે. સ્પોર્ટ્સના સૌથી મોટાં મંચો પર મંત્રમુગ્ધ કરનારા ફિનિશ, દબાણ હેઠળ પણ સ્વસ્થ અને ઉત્તમ કામગીરી કરવાની ક્ષમતા માટે જ્ઞાત આંદ્રે વૈશ્વિક એથ્લેટિક્સ આઈકોન છે, જેનો પ્રવાસ વિશ્વભરમાં લાખ્ખો યુવાનોને આજે પણ પ્રેરિત કરે છે. એક સ્થાનિક સ્પર્ધામાં તે બાસ્કેટબોલ શૂઝ અને ઉધાર લીધેલા સ્પાઈક્સ સાથે સ્પ્રિંટમાં ભાગ લેતો જોવા મળ્યો હતો, જે અવસર અસાધારણ કારકિર્દીનો આરંભ હતો.આજે ગ્રાસ સાત ઓલિમ્પિક મેડલ્સ સાથે વર્લ્ડ એથ્લેટિક્સના એલિટમાં સ્થાન ધરાવે છે. રિયો 2016 ઓલિમ્પિક ગેમ્સમાં તેણે 200 મીટરમાં સિલ્વર, 100 મીટર અને 4x100 મીટર રિલેમાં બ્રોન્ઝ પ્રાપ્ત કર્યો હતો. ટોકિયો 2020 ઓલિમ્પિક્સમાં 200 મીટરમાં ગોલ્ડ અને 100 મીટર તથા 4x100 મીટર રિલેમાં પોડિયમ ફિનિશ કર્યું હતું. તાજેતરમાં પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સમાં 4x100 મીટર રિલેમાં કેનેડાના ગોલ્ડ અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ઓલિમ્પિક મંચની પાર યુજીનમાં 2022 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ ખાતે ગોલ્ડ સહિત પાંચ એડિશનમાં છ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ટ્રેકની બહાર આંદ્રે દ ગ્રાસ ફેમિલી ફાઉન્ડેશન થકી હજારો યુવાનોને સ્પોર્ટસ અને શિક્ષણને પહોંચ આપવામાં મદદરૂપ પણ થાય છે. સિટી એન્કર મહાનતા સૌથી અણધારી શરૂઆતઈવેન્ટની પ્રમોટર પ્રોકેમ ઈન્ટરનેશનલના વિવેક સિંહ કહે છે, ગ્રાસનો પ્રવાસ મહાનતા સૌથી અણધારી શરૂઆતમાંથી ઊભરી શકે તેની શક્તિશાળી યાદગીરી છે. તેની સિદ્ધિ સાથે સમાજને કશું આપવાની માનવતા અને કટિબદ્ધતા ટાટા મુંબઈ મેરેથોનના જોશ સાથે સહજતાથી સુમેળ સાધે છે. તેની હાજરી ભારતભરના રનરોને તેમની સીમા પાર કરવા અને તેમની સંભાવના સાકાર કરવા માટે પ્રેરણા આપશે. ટાટા મુંબઈ મેરેથોન 21મી એડિશનમાં પ્રવેશ કરીને ધૈર્ય, સમુદાય અને રમતનાં મૂલ્યોની પરિવર્તનકારી શક્તિની ઉજવણી કરવાનું ચાલુ રાખ્યું છે, જે ગ્રાસના અનન્ય પ્રવાસ અને મજબૂત વારસા સાથે ઊંડાણથી સુમેળ સાધે છે.
31 ડિસેમ્બરઃ સરહદોને અતિક્રમી ગયેલી તારીખ:અલગ અલગ દેશોમાં ઉજવાતા તહેવારોનું પણ વૈશ્વિકરણ થઇ ગયું
ગ્લોબલાઇઝેશન અને કોમ્યુનિકેશનના અવનવા સાધનો હાથવગા હોવાના કારણે આપણી પૃથ્વી ચણી બોર જેવડી નાની બની ગઇ છે અને આ કારણે અલગ અલગ દેશોમાં ઉજવાતા તહેવારોનું પણ વૈશ્વિકરણ થઇ ગયું છે. તહેવારોને કોઇ સરહદ નથી નડતીઆપણા નવરાત્રિ અને ગરબા, ભાંગડા હવે સરહદ પાર કરીને વિશ્વના અનેક દેશોમાં રંગે ચંગે ઉજવાય છે અને ફક્ત ભારતીયો જ નહીં પણ વિદેશીઓ પણ એના તાલે ઝૂમે છે. હોળીના રંગોમાં ભારતીયો જ નહીં પણ દુનિયા આખી હવે રંગાય છે. યહુદીઓનો તહેવાર હનુકા કે હિસ્પેનિક અને ચાઇનીઝ ન્યૂ યર કોઇને હવે પરાયા નથી લાગતાં. અને એમાંય ગ્રેગોરિયન કેલેન્ડર પ્રમાણે ઉજવાતું નવું વર્ષ અને એનો આગલો દિવસ એટલે કે 31 ડિસેમ્બર, લોકપ્રિયતાની દ્રષ્ટિએ શિરમોર છે. પશ્ચિમના દેશોમાં ખાસ કરીને યુરોપ અને નોર્થ અમેરિકામાં સ્નો ફોલ સાથે નવા વર્ષની ઉજવણી અને વધામણીની છડી પોકારાઇ ગઇ છે. ઇતિહાસની રીતે જોઇએ તો ગ્રેગોરિયન કેલેન્ડરમાં નવા વર્ષનો દિવસ કેલેન્ડર વર્ષનો પહેલો દિવસ 1 જાન્યુઆરી છે અને મોટાભાગની સંસ્કૃતિઓ અને દેશો જેમ કે ગ્રેગોરિયન, જુલિયન, પ્રાચીન ઇજિપ્ત, બેબીલોન સંસ્કૃતિ ઉત્તરીય શિયાળા કે એની નજીકના સમયે અથવા ચંદ્ર સૌર અને ચંદ્રની ગતિવિધિ આધારિત કેલેન્ડરના આધારે તેમનું નવું વર્ષ ઉજવતા. 1 જાન્યુઆરી વિશ્વની સૌથી વધુ ઉજવાતી જાહેર રજાઓમાંની એકહાલનું નવું વર્ષ અને એની ઉજવણી પહેલી જાન્યુઆરીએ વ્યાપક અને મોટાભાગની સંસ્કૃતિ અને દેશોમાં સ્વીકાર્ય બન્યું એ પહેલા અલગ અલગ તારીખ, ઇતિહાસ અને ધાર્મિક માન્યતાઓમાંથી પસાર થયું છે અને હવે વર્તમાન સમયમાં મોટાભાગના દેશો ગ્રેગોરિયન કેલેન્ડરને તેમના નાગરિક કેલેન્ડર તરીકે ઉપયોગ કરે છે. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ 1 જાન્યુઆરી એ વિશ્વની સૌથી વધુ ઉજવાતી જાહેર રજાઓમાંની એક છે. હવે 31 ડિસેમ્બર એટલેકે ન્યૂ યર ઇવ એ નવા વર્ષની પૂર્વ સંધ્યા અને તેની ધમાકેદાર ઉજવણી માટે દુનિયાભરના લોકોને જોડે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યા નાચવા, ખાવા, પીવા અને ફટાકડા જોવા અથવા પ્રગટાવવા સાથે ઉજવવામાં આવે છે. નવા વર્ષની વિવિધ રીતે ઉજવણીએમાંય યુએસએ અને યુરોપ નવા વર્ષની ઉજવણી વિશાળ જાહેર મેળાવડા, જાહેરસ્થળોએ અદભૂત લાઇટિંગ, શણગારેલા વિશાળ ક્રિસ્ટ્મસ ટ્રી, બાળકો માટે મોલ્સ અને શહેરમાં વિવિધ જગ્યાઓ સાન્ટા ક્લોઝ સાથે મુલાકાત, ગિફ્ટ્સની આપ લે, ક્રિસ્ટ્મસ પરેડ, કપડાં, ઘર માટે જરૂરી વસ્તુઓ, વગેરેમાં મોટું ડિસ્કાઉન્ટ, કુટુંબીજનો અને મિત્રો સાથે વેકેશન અને ઘરમાં ઓફિસોમાં થતાં મેળાવડા દ્વારા થાય છે. ટાઇમ્સ સ્ક્વેર પર અદભૂત નજારોઅમેરિકામાં ન્યૂ યોર્ક સિટી, ન્યૂ યરની એની ટાઇમ્સ સ્ક્વેર પરની બોલ ડ્રોપ વિધિ માટે જાણીતું છે. જ્યાં ઘડિયાળના કાંટા મધ્યરાત્રિએ વાગે છે ત્યારે એક સ્ફટિક બોલ ધ્વજસ્તંભ પરથી નીચે ઉતરે છે ત્યારબાદ એક વિશાળ કોન્ફેટીનો વરસાદ થાય છે અને આ દ્રશ્ય અદભૂત નજારો છે. જે જોવા લોકો ઠેર ઠેરથી આવે છે અને કાતિલ ઠંડીમાં કલાકો સુધી ઊભા રહે છે. ઉપરાંત જુગાર નગરી લાસ વેગાસ, ન્યૂ યર ઇવ અને નવા વર્ષના આગમન ટાણે લાસ વેગાસનો મુખ્ય રસ્તો જેને સ્ટ્રીપ તરીકે ઓળખવામાં આવે છે એ બ્લોક પાર્ટી (સામૂહિક પાર્ટી) માટે સજ્જ થઇ જાય છે. આ સિવાય વેગાસ ત્યાંની ભવ્ય હોટલ અને રિસોર્ટ દ્વારા થતી આતિશબાજી માટે દુનિયાભરના લોકોને આકર્ષે છે. અને યુરોપ જે એની શિયાળાની કાતિલ ઠંડી અને બરફ વર્ષા માટે જાણીતું છે એ ન્યૂ યર ઇવ અને નવા વર્ષના આગમનની તૈયારી આગવી શૈલીમાં કરે છે. દુનિયાની ફેશન નગરી પેરિસ, ચેમ્પ્સ-એલિસીસ પર આર્ક ડી ટ્રાયમ્ફ ખાતે લાઇટ શો અને મધ્યરાત્રિએ સુંદર રોશની, શણગારથી ચમકતાં એફિલ ટાવર દ્વારા નવા વર્ષની રાહ જોવે છે. તો લોકપ્રિય લંડન થેમ્સ નદીના કિનારે, લંડન આઇ અને બિગ બેન પાસે ભવ્ય આતિશબાજી કરીને નવા વર્ષ માટે તૈયાર થાય છે. ઉપરાંત યુરોપિયન દેશો, સ્પેન, જર્મની, સ્કોટલેન્ડ વગેરે પણ એમની નવા વર્ષની ઉજવણીની પરંપરા, ખાણીપીણી, નૃત્યો, મેળાવડા માટે પ્રવાસીઓમાં માનીતા સ્થળ છે. વોચ નાઇટ માસઆ સિવાય વિવિધ સંપ્રદાયના ધાર્મિક ખ્રિસ્તીઓ (કેથોલિક, લ્યુથરન, એંગ્લિકન અને મોરાવિયન, અન્ય લોકો સહિત) ઘણીવાર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાત્રે વોચ નાઇટ માસ (પ્રાર્થના, પૂજા વગેરે) માં હાજરી આપીને ઉજવણી કરે છે. ઘણા પ્રવાસીઓ નવા વર્ષનું સ્વાગત કરવા પહેલો સૂરજ પ્રથમ જે દેશમાં ઉગે ત્યાં જતા હોય છે જેમ કે પેસિફિક મહાસાગરમાં લાઇન આઇલેન્ડ્સ, સમોઆ અને ટોંગા. તો ગરમ મોજા, સ્વેટર પહેરીને ગરમ ગરમ ચોકલેટ મિલ્ક પીતાં પીતાં, નેટફ્લિક્સ પર કુટુંબીજનો અને મિત્રો સાથે ક્રિસમસ ફિલ્મો જોતા જોતા, નવા વર્ષના આગમન માટે તૈયાર છો ને?
1 માર્ચ 2025જુહાપુરા, અમદાવાદ‘હું બ્લેક મેજિક કરી તમારાં બધાં દુ:ખ દૂર કરી દઇશ. મારી પાસે આવી તમારાં દુ:ખો દૂર કરો. મારું કરેલું કદી ફોગટ જતું નથી, મારી વિદ્યાને કોઈ તોડી શકતું નથી…’ બપોરનો સમય છે. શાંત માહોલ છે. એવામાં ઘરનાં કામમાંથી પરવારીને બેઠેલી એક મહિલા પોતાના મોબાઈલમાં યુટ્યુબ શોર્ટ્સ જોઈ રહી હતી. સ્ક્રોલ કરતાં કરતાં એક તાંત્રિકબાબાનો બ્લેક મેજિક બતાવતો વીડિયો આવ્યો. મહિલાને અંદરથી ધક્કો વાગ્યો અને વીડિયોમાં બોલતા બાબા સાથે અજીબ કનેક્શન ફીલ થયું. લાગ્યું કે, આ બાબા જ મારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકે છે. મહિલાએ વીડિયોમાં દેખાતો નંબર નોંધ્યો ને રાત્રે ફ્રી પડીને ફોન કર્યો. સામે છેડેથી બાબાએ ધરપત આપી, પણ સામે એક જોખમી રસ્તો સૂચવ્યો કે, આ માટે તમારે આટલા લાખ રૂપિયા અને એક બલિ ચડાવવો પડશે, માણસનો…!’ *** જ્યારે મુશ્કેલી, ચિંતા અને લાચારીમાં અંધશ્રદ્ધાના ઝેરી ટીપાં પડે ત્યારે માણસનું જીવન ઝેર જેવું બની જાય છે. ને પછી માણસ ક્યારે અંધશ્રદ્ધાના અંધારિયા કૂવામાં ડૂબી જાય છે એ ખબર પણ નથી પડતી. અદ્દલ આવો જ એક કિસ્સો બન્યો હતો અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં. ‘માયાજાળ’ના આજના એપિસોડમાં વાત કરીશું એક એવા કિસ્સાની, જેમાં મહિલા મુશ્કેલીના પહાડ પરથી ઊતરવા ગઈ અને અંધશ્રદ્ધાની ખાઈમાં પડી. કોણ હતી એ મહિલા? નામ ફાતિમા. ઉંમર 41 વર્ષ. ફાતિમા પર છેલ્લાં 4-5 વર્ષોમાં દુ:ખના પહાડો તૂટ્યા હતા. જુહાપુરામાં શાંતિપૂર્ણ જીવન ચાલતું હતું ત્યાં 2022માં વહાલસોયા દીકરાએ અલવિદા કહી જન્નતની વાટ પકડી. દીકરો ગુમાવ્યાના આઘાતમાંથી હજુ બહાર આવે આવે ત્યાં ફાતિમાના પતિ 2024માં અલ્લાહને પ્યારા થઈ ગયા. છેલ્લા 1 વર્ષથી નાનકડી દુકાન ચલાવીને પેટનો ખાડો પૂરતી ફાતિમા માનસિક અને આર્થિક રીતે પૂરેપૂરી ભાંગેલી હતી. એવામાં એક દિવસ બપોરે એના પર આ બાબાનો વીડિયો આવ્યો ને ફાતિમા ભોળવાઈ ગઈ. *** ‘તારા ઘરમાં કોઇએ તાંત્રિક વિદ્યા કરી છે’6 માર્ચ 2025 રાતના 9:30 વાગ્યેસમય કાઢી રાત્રે મહિલાએ એ બાબાને કોલ કર્યો. સામે છેડે બાબાએ સહેજ સહાનુભૂતિ દાખવી કે ફાતિમાએ પોતાના જીવનમાં રહેલી તમામ મુશ્કેલીઓનો પોટલો ઠલવી દીધો. ફાતિમાના દુઃખમાં બાબાને કમાણીની ભરચક તક દેખાઈ એટલે બાબાએ શિકાર સમજી ધીમે ધીમે પૈસા સેરવવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં બાબાએ ફાતિમાને વિશ્વાસમાં લીધી. કહ્યું કે, તારા ઘરમાં કોઈએ તાંત્રિક વિદ્યા કરેલી છે, એટલે તારા પર એક પછી એક દુઃખો આવ્યા કરે છે. તેને હટાવવા માટે 10 હજાર રૂપિયાની એક વિધિ કરવી પડશે. ફાતિમાને વિશ્વાસ બેઠો, એટલે એ તરત જ તૈયાર થઈ ગઈ. ફાતિમાએ પૈસા આપવાની હા પાડી તો બાબાએ પોતાનું UPI ID આપ્યું. પૈસાની આપ-લે થઈ અને કાળા જાદુની વિધિ થઈ. 15 દિવસ જેટલો સમય વીતી ગયો હતો, પણ હજુ કોઈ રિઝલ્ટ નહોતું આવ્યું ને ફાતિમાના જીવનમાં કોઈ દેખીતો ફેરફાર નહોતો દેખાતો. એટલે ફાતિમા થોડા થોડા દિવસે ફોન કરતી હતી. ત્યાં 21મી માર્ચે બાબાએ ફરી પોતાની માયાજાળ પાથરી. તમારે હજુ એક વિધિ કરવી પડશે, પણ એ માટે ત્રણ હજારનો ખર્ચ થશે. કંટાળેલી ફાતિમા એ માટે પણ તૈયાર થઈ ગઈ. ફરી UPI મોકલ્યું ને આ વખતે ત્રણ હજાર મોકલ્યા. હવે બાબો હળી ગયો હતો. જોઈતું મળી જતાં પૈસાની માગ થોડા થોડા દિવસે ચાલુ રાખી. 30મીએ ફરી સાત હજાર માગ્યા. ફાતિમાએ એ પણ મોકલ્યા. આ સિલસિલો ચાલુ ને ચાલુ રહ્યો. ‘મેલી અઘોરી વિદ્યા દૂર કરવા માટે એક માણસનો બલિ ચડાવવો પડશે’દિવસો વીતતા ગયા પણ કોઈ સમસ્યાનું નિવારણ દેખાતું જ નહોતું. મહિલા ધીરજ રાખતી ગઈ ને લેભાગુ બાબો લૂંટતો ગયો. એમ કરતાં કરતાં એક દિવસ બાબાએ પોતાની સૌથી મોટી અને સૌથી જોખમી માયાજાળ પાથરી. આ વખતે કહ્યું કે, ‘તારા પર કોઈએ સાધારણ નહિ, પણ અઘોરી વિદ્યા કરી છે. એ હટાવવા માટે આપણે સ્મશાનમાં વિદ્યા કરવી પડશે. એ માટે ગુરુમાતાની જરૂર પડશે અને એક નરબલિ ચડાવવો પડશે, જીવતા માણસને કાપવો પડશે! હું તને ગુરુમાતાનો નંબર આપું છું, તું એમની સાથે વાત કરી લે.’ *** ‘સ્મશાનની વિધિ નહીં કરાવે તો તારું મોત નજીક છે’05 એપ્રિલ 2025મહિલાએ ગુરુમાતાના નંબર પર ફોન કર્યો તો સામેથી થોડી જ વારમાં ધમકી આપતા હોય એવા અવાજે ગુસ્સામાં ગુરુમાતા બોલવા માંડ્યાં કે, ‘તારા પર કોઈએ કાળો જાદુ કર્યો છે. તારે સ્મશાનની વિધિ કરવી જ પડશે. તને કોઈ મારી નાખવા માગે છે. તું વિધિ કરાવી મુક્ત નહીં થાય તો થોડા મહિનામાં તું મરી જઈશ.’ ફાતિમા ગભરાઈ ગઈ અને ભાંગી પડી. સામેથી પેલી મહિલા ફરી બોલી, ‘એ માટે તારે 1.73 લાખ રૂપિયા આપવા પડશે. જો એ નહીં આપે તો તારું મોત નજીક જ છે.’ ફાતિમાએ પોતાના જીવનમાં બે મોત જોયાં હતાં. હવે પોતે મરવા નહોતી માગતી, એટલે ગુરુમાતાએ કહ્યું એ પ્રમાણે પૈસાની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. એકલી રહેતી ફાતિમાએ પોતાની મરણમૂડી સહિતની બધી જ સંપત્તિ ભેગી કરી ને પૈસાનું સેટિંગ કર્યું. બાબાને ફરી ફોન કર્યો તો જવાબ આવ્યો કે, ‘હું તને એક આંગડિયા પેઢીનું સરનામું મોકલું છું, ત્યાં આંગડિયા પેઢીથી તું પૈસા મોકલી દે.’ ફાતિમા એ વાત પણ માની ગઈ અને પૈસા મોકલી દીધા. દિવસોના દિવસો વિતતા ગયા પણ ફાતિમાના જીવનમાં કોઈ ફરક ન પડતાં ફાતિમાએ ફરી ફોન કર્યો કે, હજુ કેમ કોઈ ફરક નથી પડતો? તાંત્રિકે ફરી નવું પાસું ફેંક્યું. ‘સ્મશાનની વિધિમાં 9 લાખ રૂપિયાનો ખર્ચો થશે’આ વખતે ફાતિમાને કહ્યું કે, ‘તારી વિધિમાં મુશ્કેલીઓ વધતી જાય છે. હવે આ અઘોરી વિધિ માટે મહારાષ્ટ્રના નાસિક પાસે સ્મશાનમાં એક માણસની નરબલિ આપવી પડશે. ફાતિમા સાંભળતાવેંત જ ગભરાઈ ગઈ કે, ના ના, એ મારાથી નહીં થાય. મારી પાસે બલિ આપવા માટે કોઈ માણસ નથી. તો નફ્ફટ તાંત્રિક સામે કહે, ‘જો તમારે માણસની બલિ ન આપવી હોય તો બીજી ચાર વિધિ કરવી પડશે. જેમાં એક વિધિનો ખર્ચ 2.3 લાખ થશે. એટલે તમારે ટોટલ 9.2 લાખ રૂપિયા આંગડિયાથી મોકલવા પડશે.’ ‘કબ્રસ્તાનમાં તારા પતિ અને તારા દીકરાના આત્મા બોલાવવા પડશે’ફાતિમા પાસે હવે પૈસા ખલાસ થઈ ગયા હતા, પણ જેને એકવાર પણ નહોતી મળી, અને જેની સાથે માત્ર ફોન પર જ વાત થયેલી તે કહેવાતા તાંત્રિક પર અને તેની કથિત વિધિ પર પૂરેપૂરો ભરોસો હતો! ફાતિમા અંધશ્રદ્ધાની માયાજાળમાં કરોળિયાના જાળામાં ફસાયેલા જંતુની જેમ બરાબરની ફસાઈ ગઈ હતી. હવે ફાતિમાએ વ્યાજે પૈસા લેવાનું શરૂ કર્યું, પતિની બધી જ મૂડી ઉપાડી લીધી ને અંતે પૈસા ભેગા કરી 22 એપ્રિલે 9.2 લાખ રૂપિયા આંગડિયાથી મોકલાવ્યા. આટઆટલા પૈસા લીધા પછી પણ એ નફ્ફટ તાંત્રિક તો ધરાતો જ નહોતો. હવે એણે ફરી નવી વાત ઊખેળી, ને કહ્યું કે, ‘હું ને ગુરુમાતા હવે તારી વિધિ કબ્રસ્તાનમાં કરીશું. એ વિધિ માટે કબ્રસ્તાનમાં કાળા નાગને માટલામાં મૂકી તારા પતિ અને તારા દીકરાના આત્માને બોલાવવા પડશે. એ માટે 15 હજાર રૂપિયા તો તારે હવે આપવા જ પડશે, નહિતર તારો નાશ થઈ જશે. ફાતિમાએ ફરી આંગડિયાથી 15 હજાર રૂપિયા મોકલ્યા. સ્વાભાવિક રીતે જ કોઈ રિઝલ્ટ ન આવ્યું. ‘14 લાખ રૂપિયાની વિધિ કરાવી, તોય કેમ ફરક પડતો નથી?’હવે ફાતિમાની ધીરજ ખૂટી. સમાજના વડીલોને મળી અને વાત કરી કે, 14 લાખ રૂપિયાની વિધિ કરી તો પણ કોઈ ફરક નથી પડતો, હવે શું કરવું જોઈએ? વડીલો તરત સમજી ગયા કે, ફાતિમાને એકલી સમજી આ બાબાઓ છેતરે છે. તેમણે ફાતિમાને સમજાવી કે આ ફ્રોડ છે, આપણે તાત્કાલિક પોલીસ પાસે જવું પડશે. ફાઇનલી 5 એપ્રિલે ફાતિમાએ સમજદારી બતાવી અને તાત્કાલિક વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી. PI આર. એમ. ચૌહાણને વાત કરી એટલે PI તરત જ સમજી ગયા કે, મામલો ફ્રોડનો છે. તરત જ ફરિયાદ નોંધી અને DCP અમદાવાદ ઝોન-7 IPS શિવમ વર્માને વાત કરી. શિવમ વર્માએ તાત્કાલિક બે-ત્રણ ટીમ બનાવી તપાસ ચાલુ કરાવી. લાખો રૂપિયાની મત્તા ગઈ ક્યાં?હવે પોલીસે જાળ બિછાવી. વેશપલટો કર્યો ને પોતે ગ્રાહક બનીને એ બાબાને વિધિ માટે ફોન કર્યો. એ નફ્ફટ તો ફરી ખુશ થઈ ગયો કે, વાહ, નવો શિકાર મળ્યો! પણ અહીં શિકારી પોતે જ શિકાર બનવાનો હતો. પોલીસે વાત ચાલુ રાખી ટેક્નિકલ સર્વેલન્સથી એ ઢોંગીનું લોકેશન કઢાવ્યું તો એ રાજસ્થાનના બિકાનેરનો નીકળ્યો! પોલીસ તાત્કાલિક અમદાવાદથી રવાના થઈ અને લોકેશન પરથી બિકાનેરની પાસેના ગામડે જઈ 9 ઓક્ટોબરે એ ઢોંગીની ધરપકડ કરી. તપાસ શરૂ કરી અને એકાઉન્ટ તપાસ્યું તો એમાં તો માત્ર 10 હજાર જ નીકળ્યા! બાકીના લાખો રૂપિયા એ બાબાએ સગેવગે કરી નાખ્યા હતા. મહિલાનું એકાઉન્ટ ચેક કર્યું તો એમાંથી પણ ફક્ત ₹31 હજાર જ મોકલેલા, કેમ કે બાકીના પૈસા તો આંગડિયાથી મોકલ્યા હતા. પોલીસે આંગડિયાનું લિસ્ટ તૈયાર કર્યું ને તપાસ શરૂ કરી. જેનું આજ દિન સુધી સોલ્યુશન નથી આવ્યું. આજની તારીખે એ કહેવાતો તાંત્રિક, એની ગુરુમાતા બંને જામીન પર બહાર ફરે છે, અને ફાતિમાને પોતાનો એક પણ રૂપિયો પરત નથી મળ્યો. હવે એના જીવનમાં પતિ અને દીકરા ઉપરાંત લાખો રૂપિયાની મરણમૂડી ગુમાવ્યાનું પણ દુઃખ છે. *** લોકો કેમ આવા લેભાગુઓની જાળમાં ફસાઈ જાય છે?કોઈ દુઃખી અને લાચાર વ્યક્તિનો ગેરલાભ ઉઠાવી, તેને અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાવી લાખોની છેતરામણી થયાનો આ વધુ એક કેસ હતો. પરંતુ વારંવાર આવા કેસ બનવા છતાં, મીડિયામાં તે ભરપૂર ચર્ચાવા છતાં લોકો ચેતતા કેમ નથી? કેમ આટલી સરળતાથી લેભાગુઓની જાળમાં ફસાઈ જાય છે? આ સવાલોનો જવાબ મેળવવા છેલ્લાં 33 વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે ફરી આવા ઢોંગીઓનો પર્દાફાશ કરતાં જયંત પંડ્યા સાથે અમે વાત કરી. જયંતભાઈ અત્યારે સુધીમાં હિન્દુ-મુસ્લિમ મળી ધાર્મિક અંચળો ઓઢીને લોકોને છેતરતા લગભગ 10 હજારથી વધુ ઢોંગીઓનો પર્દાફાશ કર્યો છે. ‘ધર્મની વાત આવે એટલે કોઈ નેતા કે આગેવાન આગળ નથી આવતા’જયંતભાઈ આ જવાબદારી મુખ્યત્વે સમાજના આગેવાનોની છે, તો એ લોકો કેમ આ બાબતે કશું બોલતા નથી? જયંતભાઈ કહે, ‘કેમ કે આ કામ ઘણું મુશ્કેલ છે, તમારા પર હુમલાઓ પણ થઈ શકે છે અને રોકવાવાળા હજારો છે. અમે જ્યારે ‘ભારત જન વિજ્ઞાન જાથા’ની સ્થાપના કરી ત્યારે આખા દેશમાં 400 લોકો હતા. જેમાંથી હવે માત્ર ગુજરાતનું એક જ સેન્ટર ચાલુ છે. આ પ્રવૃત્તિ આડકતરી રીતે ધર્મને જ અસર કરે છે, અને કહેવાતા ધાર્મિક આગેવાનો ધર્મને વેપાર સમજીને બેઠા છે. એમનો પ્રચાર પણ ખૂબ જ શક્તિશાળી છે, એટલે અમારી પ્રવૃત્તિની પણ ધારી અસર નથી પડતી. મારા પર પણ કેટલીય વાર જીવલેણ હુમલા થાય છે, પણ ધર્મની બાબત હોવાથી કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન ક્યારેય મદદ નથી કરતા. એ લોકો તો બોલતા પણ ડરે છે, કેમ કે જો બોલે તો એમની વોટબેંક પર અસર થાય.’ ‘પાખંડીઓની સામે પડતા લોકો સામે જીવનું જોખમ હોય છે’દાણા નાખવા, બલિ ચડાવવી, આવી બધી બાબતોને કારણે થતા બળાત્કાર, ફ્રોડ જેવા કેસ કેમ ઓછા થતા નથી? લોકો કેમ સમજવા તૈયાર નથી કે, આવું ન હોઇ શકે. આ બધુ ખોટું છે! જયંતભાઈ કહે, ‘એ લોકો પણ વિજ્ઞાનના કોઈ ને કોઈ ટોટકા યૂઝ કરીને જ લોકોને ઉલ્લુ બનાવે છે, પણ એમની સાથે ઘણા માફિયાઓ જોડાયેલા હોય છે, એટલે જો કોઈ વ્યક્તિ એમની સામે પડે તો એમનો કસ કાઢી લેવા સુધી એ લોકો મંડી પડે છે. જેના કારણે આવા પાખંડીઓનું જોર વધતું જાય છે, કેમ કે કોઈ રોકવાવાળું નથી અને એમના કાંડ બહાર આવતા રોકાઈ જાય છે. આવા લોકો સામે ઘણાએ વિરોધ કરવો હોય છે, પણ કોઈને ક્યાંયથી સપોર્ટ નથી મળતો, એટલે વાત અટકી પડે છે. લોકોને વિજ્ઞાન જાથાનું કામ ગમે છે, પણ ધર્મનું નામ પડતાં લોકો એક શબ્દ પણ ઉચ્ચારતા ડરે છે અને કશું બોલતા નથી.’ અંધશ્રદ્ધા સમૂળગી નાબૂદ થઈ શકે ખરી?તો અંધશ્રદ્ધાને સાવ નાબૂદ થઇ શકે ખરી? એ માટે શું કરી શકાય? જયંતભાઈ કહે, ‘આ માટે તો ધાર્મિક અગ્રણીઓ આગળ આવે તો જ પોસિબલ થાય. પછી એ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે કોઈ પણ ધર્મ હોય! જો ધાર્મિક આગેવાનો આગળ આવી અંધશ્રદ્ધાની નાબૂદી માટે કામ કરે તો હું માનું છું કે સમાજ આ બદીથી મુક્ત થઈ શકે. હું તો માનું છું કે રાજકીય નેતાઓ પણ નાબૂદી ઈચ્છે છે, પણ ધાર્મિક બાબતને કારણે એ લોકો મૂકપ્રેક્ષક બની રહે છે.’ દુઃખી અને જરૂરિયાતમંદ વ્યક્તિ, પાખંડીઓનાં સોફ્ટ ટાર્ગેટપરંતુ ભૂવાઓ એવી તો કેવી સાયકોલોજી વાપરી લોકોને ઉલ્લુ બનાવે છે અને લોકો કેમ આ લોકોની વાતોમાં ફસાઈ જાય છે? એ બાબતે ઊંડાણથી સમજવા અમે અમદાવાદના જાણીતા સાઇકાયટ્રિસ્ટ ડૉ. શેમલ પટેલ સાથે વાત કરી. તેઓ છેલ્લાં નવ વર્ષથી આ ફિલ્ડમાં સક્રિય રીતે જોડાયેલા છે. ડૉ. શેમલ કહે, ‘એ લોકોની છેતરવાની રીત બહુ જ સિમ્પલ છે. એ બાબાઓ જરૂરિયાતમંદોને ફક્ત આશા આપે છે. લોકોને ગેરંટી મળે એટલે પછી એ સાચા કે ખોટાની દિશામાં વિચારતા જ નથી. દુઃખી વ્યક્તિને ફક્ત એટલું જ કહે છે, ‘જો તું મારા શરણમાં આવીને આટલું કરીશ તો હું તારી બધી જ તકલીફો દૂર કરી દઇશ.’ સામે રહેલી વ્યક્તિ પરેશાનીથી થાકેલી હોય છે, એટલે સોલ્યુશનની ભૂખના કારણે એ જલ્દી ભોળવાઈ જાય છે. માણસ જ્યારે ક્યાંક ફસાઈ ગયો હોય ત્યારે એ રસ્તાઓ શોધવા મરણિયો બન્યો હોય છે. એને કોઈ નાનકડી ખોટી આશા આપશે તો પણ એ જતો રહેશે. જ્યારે એ માનસિક કે આર્થિક તણાવમાં હશે ત્યારે જ એ છેતરાશે.’ ‘સાચો ધર્મ ક્યારેય પૈસાની વાત કરે નહીં’શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખા કેમ ઓળખવી? ડૉ. શેમલ મીઠા કટાક્ષ સાથે સમજાવતાં કહે, ‘હું ક્યારેય ધર્મની વિરુદ્ધ નથી. દુ:ખ-ચિંતા કે કોઈ મુશ્કેલી દૂર કરવા આપણે ધર્મનો રસ્તો અપનવવો જ પડે છે. ધર્મ હશે તો જ આપણને જીવનનો સાચો-ખોટો રસ્તો ખબર પડશે, પણ જ્યારે કોઈ પણ ધર્મગુરુ એમની વાતમાં પૈસાનો ઉલ્લેખ કરે તો તમારે થોડું ચેતી જવું જોઈએ. ધર્મમાં ક્યારેય પૈસાની વાત આવતી જ નથી.’ ‘અંધશ્રદ્ધાના કેસ વધ્યા છે, કારણ કે જાગૃતિ પણ વધી છે’તમારી પાસે આવતા અંધશ્રદ્ધાના કેસમાં સમય જતાં શું ફરક પડ્યો? ડૉ. શેમલ કહે, ‘એમ જોવા જઈએ તો કેસમાં વધારો થયો છે, પણ હું માનું છું કે એ જાગૃતિના કારણે. સમાજમાં એવી પ્રવૃત્તિઓ ઘટી છે, પણ જ્યાં જ્યાં આવા કેસ થાય તો લોકો જલ્દીથી ડૉક્ટર પાસે આવતા થયા છે. આ પ્રકારના આર્ટિકલ જો વધારે લોકો પાસે પહોંચશે તો લોકોમાં અવેરનેસ પણ વધશે કે, ધૂણવું કે કોઈ પંડમાં આવવું એ એક પ્રકારની માનસિક બીમારીનાં લક્ષણ હોઇ શકે. એટલે આપણે ભૂવા-તાંત્રિક પાસે જઈએ એ કરતાં ડૉક્ટર પાસે જઈએ તો થોડું જલ્દી ચોક્કસ સોલ્યુશન આવશે. હું તમને એક કેસ કહું….’ ‘ચીસાચીસ કરતી છોકરીને ખાટલામાં બાંધીને ટ્રકમાં લાવ્યા’‘છ મહિના પહેલાં એક આખો ટેમ્પો ભરી લોકો અમારી પાસે હોસ્પિટલે આવી ગયા. એમાંથી 12-13 લોકો નીચે ઊતર્યા. ટેમ્પોમાંથી બહુ જ અવાજ આવતો હતો. અવાજ સાંભળી અમે બધા બહાર આવ્યા કે, શું થયું હશે? કોઈ મોટું એક્સિડેન્ટ થયું કે શું? ત્યાં તો અંદરથી એક પથારી ઉતારી. જેના પર 18 વર્ષની એક યુવાન છોકરીને દોરડાથી કચકચાવીને બાંધીને લઈ આવ્યા હતા. છોકરી બિચારી બૂમાબૂમ કરે ને ચીસાચીસ ચાલુ. સદનસીબે એ લોકો અમારી પાસે જ આવ્યા હતા. તો અમે પહેલાં તો છોકરીને છોડાવી અને બધું પૂછ્યું તો ખબર પડી કે, એ લોકો 100 કિમી દૂરથી અમદાવાદ સુધી એ છોકરીને ખાટલામાં બાંધીને અમારી પાસે લઈને આવ્યા હતા.’ ‘છોકરી અચાનક આંખો કાઢીને બધાને શ્રાપ આપવા માંડેલી’કારણ કંઈક એવું હતું કે, છેલ્લા દસેક દિવસથી ઘરમાં ઝઘડા થયા તો છોકરી જોર જોરથી રડવા માંડી હતી ને બે-ત્રણ દિવસ રાત્રે સૂતી જ નહિ. પણ છેલ્લા સાતેક દિવસથી તો એનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયેલું, જાણે કે એનામાં કોઈ માતાજી આવ્યા હોય. છોકરી એકદમ ડાહી અને શાંત હતી, પણ જ્યારથી આવું થયું ત્યારથી પોતે કાલી માતા હોય એમ મોટી મોટી વાતો કરવા માંડી હતી. લોકો સામે આંખો કાઢે, માતા-પિતાને તુંકારે બોલાવે, અજાણ્યા લોકોને પણ ધમકાવે કે હું તમને શ્રાપ આપીશ તો આવું થઈ જશે. એટલે પરિવાર પછી કંટાળીને તેને અમારી પાસે લઈને આવ્યો.’ ‘મગજ અસહ્ય દુઃખની પરિસ્થિતિ સ્વીકારી ન શકે ત્યારે…’પણ એ પાછળનું કારણ શું? ડૉ. શેમલ કહે, ‘અસહ્ય ટેન્શન! જ્યારે કોઈ એવું દુ:ખ આવી પડે કે જેને માણસનું મગજ સ્વીકારી ન શકે. ત્યારે આપણું મગજ એ સમસ્યામાંથી છુટકારો મેળવવાને બદલે ભાગવાનું કામ કરે છે. એના જ ભાગરૂપે આપણું મન આપણને આવું વર્તન કરાવડાવે છે. તમે ‘અપરિચિત’ ફિલ્મ જોઈ છે? એમાં જેમ હીરો ટેન્શનમાં હોય અને એ પોતે સામનો ન કરી શકે એટલે એનું મગજ જ બીજું સ્વરૂપ ધારણ કરી લે. ફિલ્મમાં તો થોડા મરી-મસાલા છાંટીને બતાવ્યું હોય, પણ આ પ્રકારની પરિસ્થિતિ એ માનસિક બીમારી છે જ, અને અમારી પાસે આવા કેસ આવતા જ રહે છે. અમે આ યુવતીની દસેક દિવસની સારવાર કરી ને એ પછી ક્યારેય એણે એવું વર્તન નથી કર્યું.’ ‘મગજ પોતે માથાભારે પર્સનાલિટી અખત્યાર કરી લે’આવા કેસ પાછળના કારણ કે સાયકોલોજી શું હોય છે? ડૉ. શેમલ કહે, ‘હાલની સાઇકાયટ્રિક ભાષા પ્રમાણે અમે એને ડિસોસિએટિવ ડિસઓર્ડર કહીએ છીએ. મતલબ કે જ્યારે કોઈ મોટું ટેન્શન આવી જાય ત્યારે પોતાનામાંથી કશું છૂટું પડી જવું. ધારો કે હું શાંત અને ડાહ્યો વ્યક્તિ હોઉ, જે કોઈ વાતનો પ્રતિકાર ન કરી શકે. તો મારું મન અજાણતા જ કોઈ એવી પર્સનાલિટી ધારણ કરી લે, જે દાદાગીરીથી વાત કરી શકે અને શક્તિશાળી હોય. જેમ આપણી આંખ પાસે કશું આવતું આવતું હોય, તો આંખ બંધ થઈ જાય એમ આપણને માનસિક રીતે બચાવવા માટે મન આવું કોઈ બીજું રૂપ ધારણ કરી લે. આ ડબલ કેરેક્ટર ક્યારેય માણસ જાણીજોઈને નથી કરતો, પણ એનું મન જ અજાણતાં આવું કરી લે છે. આ બચાવનો શોર્ટકટ છે, પણ એ હેલ્ધી નથી.’ ‘હું જિન્નાત છું, આ છોકરીના શરીરને ખાઈ જઇશ’ડૉ. શેમલ પટેલ પોતાની પાસે આવેલા બીજા એક કેસ વિશે વાત કરતાં કહે, ‘અમારી પાસે એક મુસ્લિમ યુવતીનો કેસ આવ્યો હતો. જેમાં એ વ્યક્તિને એવું લાગતું હતું કે, એનામાં જિન્નાત આવે છે. જ્યારે પણ એ મુશ્કેલીમાં હોય કે ઘરેથી પપ્પા ભણવાનું કહે તો એનામાં જિન્નાત આવી જાય. જિન્નાત દાદાગીરીથી ધમકાવે અને એ જ રીતે વાત કરે. ‘હું આ છોકરીના શરીરને ખાઈ જઈશ, હું બધું તબાહ કરી નાખીશ’ એવું જ બોલે રાખે. એટલે પેરેન્ટ્સ સ્વાભાવિક રીતે એને મુસ્લિમ ધર્મગુરુ પાસે લઈ ગયા. પણ ધર્મગુરુએ જ સામેથી કીધું કે, આ બાળકને જે થાય છે, એ ધાર્મિક નથી પણ ટેન્શનના કારણે છે, તમે એને ડૉક્ટર પાસે લઈ જાઓ. કેસ અમારી પાસે આવ્યો અને અમે ઈલાજ કર્યો. એટલે જો ધર્મગુરુઓ સાચા હશે તો એ પણ લોકોને અંધશ્રદ્ધા તરફ જતાં રોકશે.’ ડૉ. શેમલ આગળ વાત કરતાં કહે, ‘આ પ્રકારની બીમારીમાં તમારા શરીરમાં એ જ આવશે, જેને તમે માનતા આવ્યા છો. હિન્દુ હશે તો માતાજી આવશે, મુસ્લિમ હશે તો જિન્નાત કે શેતાન આવશે, ક્રિશ્ચન હશે તો ડેવિલ આવશે. પણ મૂળ આ ડિસોસીએશન જ હોય છે. પણ જે લોકો સારી અને વ્યવસ્થિત રીતે ધાર્મિક પ્રવૃતિઓ કરતાં હોય છે, એ હંમેશા કહેશે કે, દુ:ખને સ્વીકારવું પડે, દુ:ખને પચાવવું પડે. દુ:ખ સાથે થોડો સમય પસાર કરવો પડે, એ જ એક રસ્તો છે. પણ જે લોકો આર્થિક સ્વાર્થ કે કોઈ આશાથી ધર્મ સાથે જોડાયેલા હોય એ જલ્દીથી આવી ખોટી ગેરંટીઓમાં ફસાઈ જાય છે. દુ:ખ સમયે આવા પ્રલોભનોમાં ફસાવું ન જોઈએ અને મજબૂત રહેવું જોઈએ, તો આપણે ક્યાંય ફસાઈશું નહિ.’
“હું કોઈનાથી ડરતો નથી. જ્યારથી આ પ્રકરણ શરૂ થયું ત્યારથી હું મારું કફન સાથે લઈને જ ફરું છું. આટલો મોટો ભ્રષ્ટાચાર બહાર આવતો હોય ત્યારે એ લોકોને પણ પેટમાં દુખશે ખરું! જો કોઈએ આપણા બે-પાંચ હજાર રૂપિયા પચાવી પાડ્યા હોય તો પણ આપણને લાગે કે રૂપિયા આપી દે તો સારું. જ્યારે આ વ્યક્તિ 800 કરોડનો પ્લાન્ટ માગી રહ્યો છે, તેમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે. છતાં હું ડરતો નથી.” સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કૃષ્ણનગર ગામમાં રહેતા એક ખેડૂતના આ શબ્દો છે. નામ છે અશ્વિન માલવણીયા. છેલ્લા એક અઠવાડિયાથી સુરેન્દ્રનગર જિલ્લો ચર્ચાનો મુદ્દો બન્યો છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઈ કલેક્ટર અને નાયબ મામલતદારના ઘરે EDના દરોડા પડ્યા છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી થઈ ગઈ છે અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને રિમાન્ડ પર દિલ્હી લઈ જવામાં આવ્યા છે. ત્યારે ભ્રષ્ટાચારનો વધુ એક ઘટસ્ફોટ અશ્વિન માલવણીયાએ કર્યો છે. હરિયાણાની એક કંપની કેવી રીતે સરકારને ચૂનો ચોપડ્યો?, આ બધું અધિકારીઓની નજર સામે થયું તેમ છતાં તેમણે કેમ આંખ આડા કાન કર્યા? અને પોલ કેવી રીતે ખુલ્લી પડી તેનો આ નમૂનો છે. પાંચ મહિના પહેલાં આ મામલે અશ્વિન માલવણીયાએ છેક વડાપ્રધાન કાર્યલય સુધી ફરિયાદ કરી હતી. ઘુડખર સહિત અન્ય વન્યપ્રાણીઓનું રહેઠાણ છતાં મંજૂરી આપી દેવાઈકૃષ્ણનગર ગામ પાસે એનેસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની દ્વારા 2000થી 2200 વીઘામાં એક સોલાર પ્લાન્ટ બન્યો છે. અશ્વિન માલવણીયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું, આ સોલાર પ્લાન્ટ માટે ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અમારા ગામની નજીક ઘુડખર અભ્યારણ્ય છે અને ઇકો સેન્ટેટિવ ઝોનમાં આવે. આ વિસ્તારમાં બાંધકામ કરવું હોય તો વનવિભાગ NOC આપે તો જ થાય. પ્રોજેક્ટ કોસ્ટ 14 ગણી ઓછી બતાવવામાં આવીતેમણે આગળ જણાવ્યું, અહીંયાં સોલાર પ્લાન્ટ નાખવો હોય તો આ વિસ્તારમાં રહેતા પશુ-પક્ષીઓ અને ખાસ કરીને ઘુડખરના સંવર્ધન માટે, તેના ખોરાક અને પાણી માટે કુલ પ્રોજેક્ટના 1 ટકા રૂપિયા વન વિભાગમાં જમા કરાવવા પડે. એટલે આ કંપનીએ 60 કરોડ રૂપિયાના કુલ પ્રોજેક્ટ કોસ્ટ બતાવીને 60 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવી દીધા. જો કે 60 કરોડ રૂપિયાની પ્રોજેક્ટ કોસ્ટ એ એક રીતે આંકડાની માયાજાળ હતી. હકીકત તો આનાખી કંઈક અલગ જ હતી. માલસામાન આવતા જ ગામલોકોને શંકા ગઈ કે આ પ્રોજેક્ટ માત્ર 60 કરોડનો ન હોઈ શકેવનવિભાગની મંજૂરી મળી ગયા પછી એનેસી સોલાર પ્રાઇવેટ લિમિટેડે ધડાધડ કામ શરૂ કરી દીધું. લગભગ સવા વર્ષ પહેલાં આ પ્રોજેક્ટ માટે મરિટિયલ આવવાનું શરૂ થયું અને જોતજોતામાં જ જમીન કોર્ડન કરીને સોલાર પ્લાન્ટ બનાવવાનું ચાલું થયું. અહીંયાં કામ કરતા મોટાભાગના લોકો પણ બહારના હતા અને તમામ મંજૂરી કેન્દ્રસ્તરેથી મળી ગઈ હોવાના દાવા કરવામાં આવતા હતા. અશ્વિન માલવણીયાએ કહ્યું, આ પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ ઓનપેપર 60 કરોડ રૂપિયા બતાવાઈ હતી. આજથી સવા વર્ષ પહેલાં સોલાર પ્લન્ટનું મટિરિયલ આવવા લાગ્યું ત્યારે અમને લાગ્યું કે 60 કરોડ રૂપિયા આટલી વસ્તુ જ ન આવે. એટલે આમાં ગેરરીતિ હોવાની અમને શંકા ગઈ. કંપની કલેક્ટર પાસે દાદ માગવા ગઈ અને ભોપાળુ બહાર આવ્યુંકંપનીએ નક્કી કરેલા વિસ્તારમાં સોલર પેનલ લગાવવાનું કામ તો ચાલુ કર્યું જ. એ સાથે જ સોલારથી પેદા થયેલી વિજળીને વેચવા માટે મોટા-મોટા ઇલેક્ટ્રીક થાંભલાની લાઇન નાખવાની પણ શરૂઆત કરી દેવામાં આવી. નવેમ્બર, 2024માં જ્યારે ખાનગી જમીની પર અને ખેડૂતોના ખેતરમાં ઇલેક્ટ્રીક પોલ નાખવામાં આવ્યા ત્યારે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. આ પ્રોજેક્ટના કારણે ભારે વાહનોની અવરજવર વધી અને રસ્તા ખરાબ થઈ ગયા, ખેતરોમાં સિંચાઈ માટે નાખવામાં આવેલી પાઇપો પણ તુટી ગઈ હતી. અશ્વિન માલવણીયા કહે છે, અમે તાલુકા કક્ષાએથી માંડીને પાંચ વખત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તેમજ બે વખત મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં અમારી રજૂઆત કરી. જો કે અમને મુખ્યમંત્રીને મળવા ન દેવાયા. અમને કહેવામાં આવ્યું કે સુરેન્દ્રનગરના અધિક કલેક્ટરને મળો. એટલે અમે અમારી રજૂઆત લઈને અધિક કલેક્ટર પાસે પહોંચ્યા હતા. અધિક કલેક્ટરે અમને જણાવ્યું, અમે ખેડૂતો અને કંપનીના પ્રતિનિધિને બોલાવીશું. એટલે ઉકેલ આવી જશે. આ મિટિંગના અઢીથી ત્રણ મહિના પછી પણ કોઈ નિવારણ આવ્યું નથી. જો કે ખેડૂતોએ વિરોધ કર્યો એટલે મોટા વીજ પોલનું કામ અટકાવી દેવામાં આવ્યું. તેમ છતાં સોલાર પ્લાન્ટની અંદર તો કામ ચાલુ જ રહ્યું. અધિક કલેક્ટર સમક્ષ મામલો પહોંચ્યા પછી કોઈ નિરાકરણ ન આવ્યું એટલે એનેસી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની સુરેન્દ્રનગરના કલેક્ટર સુધી પહોંચી. 25 માર્ચ, 2025ના રોજ કંપનીએ કલેક્ટર પાસે સોલાર પ્લાન્ટના કામ માટે મંજૂરી માગી. જેમાં કંપનીએ રજૂઆત કરી કે જો અમને સોલાર પ્લાન્ટની મંજૂરી નહીં આપો તો અમારે ઇનવેસ્ટ કરેલા 850 કરોડ રૂપિયાની નુકસાની ભોગવવી પડશે. કલેક્ટરે કામચલાઉ મંજૂરૂ આપી અને કંપની લાખો રૂપિયા છાપવા લાગીઅશ્વિન માલવણીયાએ જણાવ્યું, કંપનીની અરજી પર સુરેન્દ્રનગરના કલેક્ટરે 3 એપ્રિલ, 2025ના રોજ મંજૂરી આપી દીધી. જો કે આ મંજૂરી કામચલાઉ છે એટલે કે માત્ર સ્ટ્રક્ચર જ ઉભું કરવાનું હતું. પરંતુ આ પ્રક્રિયામાં અમને ભ્રષ્ટાચાર થયો હોવાની ખબર પડી. પ્રોજેક્ટ કોસ્ટની પોલ ખુલી તો વનવિભાગે કંપનીને હપ્તાની વ્યવસ્થા કરી આપીનોંધવા જેવી વાત એ છે કે એનેસી સોલાર પ્રાઇવેટ લિમિટેડે પ્રાથમિક તબક્કે અગાઉ જ્યારે વનવિભાગ પાસે મંજૂરી માગી ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ 60 કરોડ રૂપિયા બતાવી હતી અને તેના 1 ટકા લેખે 60 લાખ રૂપિયા જમા કરાવી પણ દીધા હતા. પરંતુ કલેક્ટર સામે આ જ પ્રોજેક્ટનો ખર્ચ 850 કરોડ રૂપિયા બતાવ્યો. એટલે પ્રોજેક્ટની કિંમત 14 ગણા વધારે બતાવવામાં આવી. ખેડૂત આગેવાન અશ્વિન માલવણીયાએ આરોપ લગાવતા કહ્યું, કોઈ અધિકારની રહેમનજર વગર આ શક્ય નથી. એ લોકોએ પ્રોજેક્ટ કોસ્ટ ઓછી બતાવી અને મંજૂરી મળી પણ ગઈ. અમે વનવિભાગને અરજી કરી કે કંપનીએ ગેરરીતિ કરી છે એટલે ફરિયાદ દાખલ કરો કે પછી NOC રદ કરો અથવા પેનલ્ટી સાથે રૂપિયા વસૂલ કરો. ત્યારે 850 કરોડની પ્રોજેક્ટ કોસ્ટમાંથી વનસંરક્ષણ માટે ભરવાના થતાં રૂપિયા 8 ભાગમાં વસૂલવાનો નિર્ણય લીધો. એટલે કે 8 કરોડની રકમ દર વર્ષે 1-1 કરોડના હપ્તામાં આપવાની. આટલા સમયગાળામાં તો ઘુડખર પલાયન કરી જશે. અત્યારે ઘુડખરે અભ્યારણ્યનો વિસ્તાર છોડીને રહેણાક વિસ્તારમાં આવી રહ્યા છે. કૃષ્ણનગર ગામથી ધ્રાંગધ્રાં વચ્ચે 73 પોલ નાખવામાં આવ્યા છે. અહીંયાં ખેડૂતોને પૂરું વળતર નથી આપ્યું અને મંજૂરી પણ નથી લીધી. સ્કૂલ પાસેથી લાઇન કાઢી, એની પણ મંજૂરી ન લીધી હોવાનો આરોપ લાગી રહ્યો છે. તેમણે બળાપો ઠાલવતા કહ્યું, જો રસ્તા પાસે ચાની લારી ઉભી હોય તો પણ દબાણશાખા હટાવી દેતી હોય તો જ્યારે સરકારી કંપની પર કંપનીએ 48 પોલ વગર મંજૂરીએ ઉભા કર્યા છે તો કાર્યવાહી કેમ નહીં? અશ્વિન માલવણીયા જણાવ્યું, કલેક્ટરે શરત રાખી હતી કે આખરી મંજૂરી મળ્યા પછી તમારે વીજ ઉત્પાદન શરૂ કરવું. છતાં આ લોકોએ 24 એપ્રિલ, 2025થી પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે એટલે વીજળી ચોરીની ગણાય. પ્લાન્ટમાં નોકરી કરતા કર્મચારીઓ કહે છે કે અમે દિવસના 30થી 40 લાખની વીજળી વેચી રહ્યા છીએ. શાળાની નજીક હાઈટેન્શન વીજલાઇનસેન્ટ્રલ ઇલેક્ટ્રીસિટી ઓથોરિટીના નિયમ પ્રમાણે ધાર્મિકસ્થળે તેમજ શાળા હોય ત્યાંથી ઓછામાં ઓછા 100 મીટર દૂરથી જ હાઇટેન્શન વીજલાઇન પસાર થઈ શકે. જો કે કૃષ્ણનગરની પ્રાથમિક શાળાથી માત્ર 27 મીટર અંતરેથી જ આ લાઇન પસાર થાય છે. જેના કારણે બાળકો પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની અસર થઈ શકે છે. એટલું જ નહીં અત્યારે પણ લગભગ 200 મિટર દૂરથી વીજપ્રવાહનો અવાજ સંભળાય છે. વીજલાઇનના જોખમ અને મંજૂરીમાં આંખ આડા કાન કરી દીધા હોવાનો દાવો કરતા અશ્વિન માલવણીયાએ કહ્યું, જ્યાંથી વીજલાઇન પસાર થાય છે ત્યાં નર્મદાની બે કેનાલ છે. જો તાર તુટી જાય અને કેનાલ પર પડે તો મોટી જાનહાનિ થઈ શકે છે. કંપનીએ નર્મદા વિભાગની મંજૂરી નથી લીધી. અહીંયા રેલવેલાઇન હોવાથી રેલવે વિભાગની મંજૂરી પણ લેવી પડે પણ નથી લેવામાં આવી. ગૌચર અને સરકારી ખરાબાની જમીન પણ વગર મંજૂરીએ ઉપયોગમાં લીધી છે. ખાનગી જમીન માલિકોમાંથી પણ અડધાની જ મંજૂરી લીધી છે. તેમણે આગળ કહ્યું, ક્યાંય પણ જળસ્ત્રોત હોય તેને તોડી શકતા નથી. સુપ્રીમ કોર્ટની આવી ગાઈડલાઇન હોવા છતાં તેનો ઘોળીનો આ લોકો પી ગયા છે. આ રજૂઆત પણ અમે ઓનલાઇન કરી હતી કે તળાવ તોડીને ત્યાં વીજપોલ ઉભા કરી દીધા છે. જો તપાસ થાય તો ગોલમાલ બહાર આવી શકે છે. અશ્વિન માલવણીયા પર બે વાર ગાડી ચડાવવાનો પ્રયાસ કોણે કર્યો?સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને નાયબ મામલતદારને ત્યાં પડેલા દરોડા અંગે તેમણે જણાવ્યું, આ દરોડા અમારા કારણે પડ્યા હોવાની બાબતમાં હું ના કે હા નથી પાડી રહ્યો. મેં અંદાજે પાંચેક મહિના અગાઉ PMO ઓનલાઇન ફરિયાદ દાખલ કરી હતી. અમે ગુજરાત તકેદારી આયોગમાં પણ ફરિયાદ કરીને લખ્યું હતું કે અહીં મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જો તપાસ કરવામાં આવે તો ઘણું મોટું નીકળશે. કદાચ આ અનુસંધાને પણ EDની રેડ પડી હોઈ શકે છે. જ્યારે ગાંધીનગરથી અહીંયાં વનઅધિકારીઓ અભિપ્રાય માગવા મોકલ્યો ત્યારે ધ્રાંગધ્રાની ઓફિસેથી એવો અભિપ્રાય આપ્યો કે આ પ્લાન્ટ બને તો અમને વાંધો નથી. આ બાબતે RTI કરીને અશ્વિન માલવણીયાએ 16 મુદ્દે માહિતી માગી હતી. 19 જૂન, 2025ના રોજ વનવિભાગે મોટાભાગના સવાલના જવાબમાં લખ્યું કે સરવે સેટલમેન્ટ પ્રગતિમાં હોવાથી અહેવાલ ફાઇનલ થયા પછી માહિતી મળી શકે. તો સવાલ એ ઉભો થાય છે કે જો જૂન મહિના સુધી સરવે જ નહોતો થયો તો પછી અધવચ્ચેથી અભિપ્રાય કેવી રીતે આપી દીધો? અશ્વિન માલવણીયાએ કહ્યું, મારી ઉપર એક-બે વખત ગાડી ચડાવવાનો પ્રયાસ થયો. પણ મારી પાસે આ બાબતના પુરાવા નથી. એટલે હું કોઈનું નામ ન જણાવી શકું. આ લડતનો અંત ત્યારે થશે જ્યારે અમને ન્યાય મળશે. જો પગલા લેવામાં નહીં આવે તો અમે હાઇકોર્ટમાં રજૂઆત કરીશું. જેસડા ગામના રહેવાસી લાખાભાઇએ સોલાર પ્લાન્ટથી પશુપાલકોને તકલીફ થતી હોવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, અમારા ઢોરને ક્યાં ઊભા રાખવા? પાણીની તકલીફ પણ છે કેમ કે તળાવો પૂરી દીધા છે. અમારા ખેતરમાં પણ થાંભલા નાખી દીધા છે. અહીં સોલાર પ્લાન્ટ ન થવો જોઇએ. મને લાગે છે કે આમાં કૌભાંડ કર્યું છે. અન્ય એક રહેવાસી પોપટભાઇએ પણ આ આક્ષેપમાં સૂર પૂરાવ્યો. તેમણે કહ્યું કે, અમારા પૂર્વજો અહીંયા 50 વર્ષોથી રહેતા હતા. હાલમાં અમને અહીં તકલીફ પડી રહી છે. અમારા પર ખોટા આરોપ નાખવામાં આવે છે. અમને અહીંથી સ્થળાંતર કરવા માટે કહેવાય છે. ગોવિંદ ભરવાડ સજ્જનપુર ગામના રહેવાસી છે. તેમના ગામથી આ પ્લાન્ટ ત્રણેક કિલોમીટર દૂર આવેલો છે. ગોવિંદ ભરવાડે કહ્યું કે, અમારા અને આજુબાજુના 3થી 4 ગામના પશુપાલકો આ પ્લાન્ટ જે જમીન પર બન્યો છે તેના પર નિર્ભર હતા. આ પ્લાન્ટ બનવાથી પશુપાલકોને હાલાકી પડી રહી છે. સોલાર પ્લાન્ટના તારથી પણ અમારા પર જોખમ છે. પશુ ચરાવતી વખતે જો તાર તૂટીને પડે અને કોઇ દુર્ઘટના સર્જાય તો તેનું જવાબદાર કોણ? રાજાશાહી વખતથી અહીં આવેલું ગામ તળાવ પૂરી દીધું છે આટલું જ નહીં પ્લાન્ટમાં અવર જવર કરવા માટે ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો છે. વન અધિકારીએ કહ્યું, રૂપિયા એક સાથે લેવા કે હપ્તેથી એનો કોઈ નિયમ નથીઆ મુદ્દે અમે ગાંધીનગર સ્થિતિ અધિક મુખ્ય વન સંરક્ષક ડૉ.જયપાલ સિંઘને પણ કેટલાક સવાલો કર્યા. તેમણે ખુલાસો આપતા જણાવ્યું, આ પ્રોજેક્ટ માટે NOC તો ઘણા સમય પહેલાં જ આપી દેવામાં આવી હતી. અગાઉ 60 લાખ રૂપિયાની જ વાત નક્કી થઈ હતી. પછી તેમણે (કંપનીએ) કહ્યું કે અમે આટલા રૂપિયા નહીં આપીએ. જો કે બાદમાં 1 ટકા રકમ આપવા માટે તૈયાર થયા. એ વખતે તેમણે હપ્તેથી રકમ આપવાની તૈયારી દર્શાવી અને સમય પણ વધુ માગ્યો હતો. જો કે અમે સમયસીમા ઓછી રાખી. હવે 850 કરોડના હિસાબે એ લોકોએ 40થી 50 ટકા રકમ જમા પણ કરાવી દીધી છે. એ લોકો રૂપિયા જમા કરાવ્યા વગર પણ પ્લાન્ટ શરૂ કરી શકે છે. એક સવાલના જવાબમાં ડૉ.જયપાલ સિંઘે કહ્યું, સોલાર પાર્ક પણ અભ્યારણ્યની જમીન પર નથી અને વીજલાઇન જંગલ વિસ્તારમાં નથી, એ તો રેવન્યૂ વિભાગ હેઠળ આવે. જો કે કલેક્ટરે આપેલી હંગામી મંજૂરીમાં લખ્યું છે કે આ જમીન ઇકોસેન્સેટિવ ઝોનમાં આવે છે.

21 C