મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 22 ફેબ્રુઆરીને રવિવારે સુરતની મુલાકાતે છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ને જીવંત નિહાળ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાત બાદ મુખ્યમંત્રીના હસ્તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળો, ફ્લાવર શો અને હોર્ટિકલ્ચર મેળાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હંમેશા જનતા માટે જાગતા એવા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કાર્યક્રમ ઊંઘતા નજરે પડ્યાં હતાં. ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળતી વખતે કાનાણીને ઝોલા આવવા લાગ્યાં હતાં. પહેલી હરોળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી ત્રીજી જ સીટમાં કુમાર કાનાણી બેઠેલા હતાં. યુનિવર્સિટીના હોલમાં PMના વિચારો સાંભળ્યામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત પહોંચતાની સાથે જ સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'મન કી બાત' કાર્યક્રમમાં હાજરી આપી હતી. VNSGUના સેમિનાર હોલમાં સવારે 11:00 વાગ્યે તેમણે અન્ય મહાનુભાવો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે બેસીને વડાપ્રધાનના સંબોધનને લાઈવ સાંભળ્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના રાષ્ટ્રનિર્માણના વિઝનને બિરદાવ્યું હતું અને આ કાર્યક્રમને જનચેતનાનું માધ્યમ ગણાવ્યું હતું. CMના હસ્તે ત્રિવેણી સંગમનું ઉદ્ઘાટનમન કી બાત કાર્યક્રમ પહેલા મુખ્યમંત્રી સીધા મેળાના મેદાનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રિબન કાપીને ‘સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો’, ‘હોર્ટિકલ્ચર મેળો’ અને ‘ફ્લાવર શો’નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર ડાયમંડ અને ટેક્સટાઈલ જ નહીં, પણ સાહિત્ય અને સંસ્કૃતિનું પણ મોટું કેન્દ્ર બની રહ્યું છે. મુખ્યમંત્રીની હાજરીમાં કુમાર કાનાણી ઊંઘતા ઝડપાયાએકતરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવો વડાપ્રધાનના ‘મન કી બાત’ કાર્યક્રમને અત્યંત એકાગ્રતાથી સાંભળી રહ્યા હતા, ત્યારે બીજી તરફ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી કેમેરામાં ઊંઘતા ઝડપાયા હતા. યુનિવર્સિટીના હોલમાં જ્યારે ગંભીરતાપૂર્વક મન કી બાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે ધારાસભ્યને ગાઢ નિદ્રામાં જોઈને ત્યાં હાજર લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. આ ઘટનાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે એક તરફ મુખ્યમંત્રી જાગૃત અવસ્થામાં રાષ્ટ્રજોગ સંદેશ સાંભળી રહ્યા છે અને બીજી તરફ તેમના જ પક્ષના ધારાસભ્ય સાર્વજનિક કાર્યક્રમમાં ઝોલા ખાઈ રહ્યા છે. 'નમો પેવેલિયન' મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્રપુસ્તક મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક ભવ્ય થીમ પેવેલિયન તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ આ પેવેલિયનની મુલાકાત લીધી હતી, જ્યાં PM મોદી દ્વારા લખાયેલા પુસ્તકો અને તેમના સુશાસન પરના સાહિત્યનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. અહીં ખાસ તૈયાર કરાયેલા ‘નમો રીડિંગ કોર્નર’માં બેસીને યુવાઓ વડાપ્રધાનના જીવનમાંથી પ્રેરણા લઈ શકશે. 11 ડોમમાં 63થી વધુ બુક સ્ટોલ્સવાંચન પ્રેમીઓ માટે આ મેળો જ્ઞાનનો ભંડાર સાબિત થશે. કુલ 11 વિશાળ ડોમમાં આયોજન કરાયું છે, જેમાં બુક ફેર માટેના 5 ડોમમાં 63થી વધુ સ્ટોલ્સ છે. મુખ્યમંત્રીએ સ્ટોલ્સ પર જઈને પ્રકાશકો સાથે વાતચીત કરી હતી. તેમણે નવી પેઢીને મોબાઈલ છોડી પુસ્તકો તરફ વળવા માટે આ એક ઉત્તમ પ્લેટફોર્મ ગણાવ્યું હતું. 800 ચોરસ મીટરમાં પથરાયો રંગબેરંગી ફ્લાવર શોપ્રકૃતિ પ્રેમીઓ માટે 800 ચોરસ મીટર વિસ્તારમાં ફ્લાવર શોનું નિર્માણ કરાયું છે. જેમાં ‘પીએમ સૂર્યઘર’ અને ‘જલશક્તિ અભિયાન’ જેવી કેન્દ્ર સરકારની યોજનાઓને ફૂલોના માધ્યમથી દર્શાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ ફૂલોની કલાત્મક પ્રતિકૃતિઓ નિહાળી હતી. હોર્ટિકલ્ચર મેળામાં ગુજરાત-મહારાષ્ટ્રની 40થી વધુ નર્સરીઓ ભાગ લઈ રહી છે. શિલ્પગ્રામ થકી લુપ્ત થતી કળાને પ્લેટફોર્મ મળ્યુંમેળામાં 1 ડોમમાં 44 સ્ટોલ્સ સાથે શિલ્પગ્રામ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ અહીં કચ્છી જ્વેલરી, શંખની વસ્તુઓ અને એમ્બ્રોઇડરી વર્કનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવા માટે મુખ્યમંત્રીએ ખાસ સૂચના આપી હતી. આ વિભાગ મુલાકાતીઓને ગુજરાતની પ્રાચીન વિરાસતનો પરિચય કરાવશે. સુરતીઓ માટે 36 સ્ટોલ્સનો ફૂડ ઝોનસ્વાદના શોખીન સુરતીઓ માટે 36 સ્ટોલ્સ સાથેનો વિશાળ ફૂડ ઝોન તૈયાર કરાયો છે. મુખ્યમંત્રીએ ફૂડ ઝોનની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરી હતી. પુસ્તકો અને ફૂલોની દુનિયામાં ફર્યા બાદ મુલાકાતીઓ અહીં વિવિધ વાનગીઓની મજા માણી શકશે. 26 વર્ષની ગૌરવશાળી પરંપરા અકબંધસુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2000 થી શરૂ થયેલી પુસ્તક મેળાની આ પરંપરા આજે 26મા વર્ષમાં પ્રવેશી છે. 22 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં લાખો મુલાકાતીઓ ઉમટી પડે તેવું આયોજન છે. મુખ્યમંત્રીની મુલાકાતથી આ આયોજનમાં એક નવો ઉત્સાહ ઉમેરાયો છે.
રાજકોટમાં ગુનાખોરીના કારણે બદનામ જંગલેશ્વર વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી મેગા ડીમોલીશન કામગીરીને લઈ ચર્ચામાં આવ્યો છે. શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજી નદીના કાંઠે આવેલ જંગલેશ્વર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. જંગલેશ્વર વિસ્તારને રાજકોટમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને આ વિસ્તાર હિસ્ટ્રીસીટરોનું હબ પણ માનવામાં આવે છે. આ વિસ્તારમાં સારા લોકો પણ વસવાટ કરે છે પરંતુ કુખ્યાત હિસ્ટ્રીસીટરોના કારણે આ વિસ્તાર બદનામ થઈ ચૂક્યો છે.હાલમાં આ વિસ્તારમાં તંત્ર દ્વારા 1489 જેટલા દબાણો દૂર કરી મેગાડીમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે દિવ્યભાસ્કર ખાસ અહીંયાના હિસ્ટ્રીસીટરોના કારણે બદનામ થયેલ વિસ્તારની ક્રાઇમ કુંડળી તપાસતા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. દારુ-જુગારથી લઈ હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદે હથિયાર મળવાના ગુનાઆ વિસ્તારમાં ગાંજો, ચરસ, અફીણ અને ડ્રગ્સના મુખ્ય પેડલરો વસવાટ કરે છે જયારે આ વિસ્તારમાં છેલ્લા એક દાયકા એટલે કે 10 વર્ષની અંદર દારૂના 276, ઘોડી-પાસના 65, 4 હત્યા અને 3 હત્યાની કોશિશના કેસ નોંધાઈ ચુક્યા છે એટલું જ નહિ છેલ્લા એક દાયકામાં અહિયાંથી 61 ગેરકાયદે હથિયારો મળી આવ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત મૂર્ઘા ગેંગના 21 શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે કારણ કે આ ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં દારૂ જુગાર સિવાયના 36 ગંભીર ગુના નોંધાયેલા છે. ડ્રગ્સ પેડલરોના રહેઠાણના કારણે ગાંજો, ચરસ અને હેરોઈનના કેસ રાજકોટ પોલીસમાં સતાવાર ચોપડે નોંધાયેલ કેસ મુજબ છેલ્લા 8 વર્ષમાં 40.65 લાખની કિંમતનો 472 કિલોગ્રામ ગાંજો, 8.13 લાખની કિંમતનું ચરસ, 5170 કિંમતના 33 ગ્રામ પોસ ડોડા, અને 3.30 લાખ કિંમતનું 33 ગ્રામ હેરોઇન મળી કુલ 52.13 લાખના માદક પદાર્થ સાથે કુલ 53 આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે જયારે પ્રોહિબિશન હેઠળ દેશી તથા વિદેશી દારૂના 276 કેસ કરી 33.18 લાખ કિંમતનો મુદામાલ કબ્જે કરી 300 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 61 ગેરકાયદેસર હથિયારો અને કાર્ટીસ સાથે કુલ 64 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ચોરી, ઘરફોડ ચોરી, લૂંટના કુલ 37 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 72 આરોપીઓની ધરપકડ કરી 19.09 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. હત્યાના કુલ 4 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યાની કોશિશના કુલ 3 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સામાન્ય મારામારીના કુલ 38 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 66 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અપહરણ અને દુષ્કર્મના કુલ 15 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 19 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગેરકાયદે મંડળી રચી ગુનો આચરવાના કુલ 12 કેસ નોંધાઈ ચુક્યા છે જેમાં 79 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વારંવાર ગુના આચરવાની ટેવ ધરાવતા આરોપીઓ સામે વર્ષ 2016થી 2023 સુધીમાં કુલ 58 આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સૌથી વધુ વર્ષ 2019માં 15 શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સમીર ઉર્ફે મૂર્ઘો પઠાણ સહીત 21 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગના 21 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં 36 ગુના નોંધાઈ ચુક્યા છે. આ 36 ગુનામાં ચોરી, જુગાર કે પ્રોહિબિશનના ગુના ધ્યાન પર લેવામાં આવ્યા નથી. આ ગેંગ ઉપર હત્યા અને હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, આર્મ્સ એક્ટ, NDPS, તેમજ મિલ્કત સંબંધિત ગુના નોંધાઈ ચુક્યા છે.
હોળી પર્વની પાવન સંધ્યાએ તા. 2 માર્ચ 2026ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના સાનિધ્યમાં વૈદિક પરંપરાનું અનોખું દૃશ્ય સર્જાવાનું છે. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંજે 8:00 કલાકે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. આ આયોજન માત્ર ધાર્મિક વિધિ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ પર્યાવરણ સંરક્ષણનો શક્તિશાળી સંદેશ પણ આપશે. દેશભરમાં સામાન્ય રીતે લાકડાના ઢગલાઓથી હોલિકા દહન કરવામાં આવે છે,જ્યારે સોમનાથ ટ્રસ્ટે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું શુદ્ધ ઘી, સમિધ કાષ્ટ, સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલ પ્રધાનમંત્રીના લાઈફ સ્ટાઇલ ફોર એન્વાર્યમેન્ટ (LiFE) અભિગમ સાથે સંકળાયેલી છે,જે જીવનશૈલીમાં પર્યાવરણમૈત્રી બદલાવ લાવવાનો સંદેશ આપે છે. શાસ્ત્રોક્ત અને આયુર્વેદિક દૃષ્ટિએ ગૌમય તથા ઔષધિઓનું દહન વાતાવરણ શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. વાત, પિત્ત અને કફ જેવા દોષોના નિવારણ માટે પણ આ પદ્ધતિને લાભદાયી માનવામાં આવે છે. હવે ઘરે બેઠા હોલિકામાં આહુતિ: સોમનાથ ટ્રસ્ટની અનોખી ડિજિટલભક્તિ પહેલ હોળી પર્વને આધ્યાત્મિકતા સાથે આધુનિક ટેક્નોલોજીનો સ્પર્શ આપતી અનોખી પહેલ તરીકે સોમનાથ મંદિર ટ્રસ્ટએ ભક્તો માટે વિશેષ ઓનલાઈન સુવિધા શરૂ કરી છે.હવે દેશ-વિદેશમાં વસતા શ્રદ્ધાળુઓ પણ ઘરે બેઠા પવિત્ર હોલિકા દહનમાં પોતાની આહુતિ અર્પણ કરી શકશે. મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, તા. 2માર્ચે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે યોજાનાર વૈદિક હોલિકા દહન પ્રસંગે ભક્તો માત્ર ₹21 ન્યોછાવર કરીને Somnath.org મારફતે હોલિકામાં ગૌમય છાણ,ગીર ગાયનું ઘી,સમિધ કાષ્ટ,સાત પ્રકારના અનાજ,કપૂર અને ઔષધિઓ જેવી પવિત્ર સામગ્રીની આહુતિ અર્પણ કરી શકશે.આ પહેલ ભક્તિભાવને ડિજિટલ યુગ સાથે જોડતી અનોખી કડી બની રહી છે. ટ્રસ્ટના આ નિર્ણયથી તે ભક્તોને વિશેષ લાભ મળશે,જેઓ કોઈ કારણસર સોમનાથ પહોંચી શકતા નથી.ઓનલાઈન સુવિધા દ્વારા તેઓ હોલિકા દહનના લાઈવ દર્શનનો પણ લાભ લઈ શકશે, જેથી ભક્તિનો ભાવ અને જોડાણ અખંડિત રહેશે. સાથે જ, પ્રત્યક્ષ ઉપસ્થિત ભક્તો માટે પણ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના સાથે આહુતિ અર્પણ કરવાનો અવસર ભક્તોને મળશે. આ પહેલ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતી નથી, પરંતુ પર્યાવરણ જાગૃતિ અને વૈદિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. પરંપરા અને ટેક્નોલોજીનું આ સુમેળ સોમનાથથી વિશ્વ સુધી ભક્તિનો પ્રસાર કરશે.
વલસાડના સુરવાળા બીચ પર ડોલ્ફિનનું હાડપિંજર અને ઝેરી દરિયાઈ સાપ મળી આવતા પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે. પ્રહરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ સંકેત દેસાઈએ વન વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે. આ ઘટના 21 ફેબ્રુઆરીની સવારે લગભગ 8:30 કલાકે બની હતી. સંકેત દેસાઈ મોર્નિંગ વોક દરમિયાન બીચ પર ડોલ્ફિનના હાડપિંજર અને 'માલાબાર સી સ્નેક' તરીકે ઓળખાતા ઝેરી દરિયાઈ સાપને જોયા હતા. આ બંને દરિયાઈ જીવો વન્યજીવ કાયદા હેઠળ રક્ષિત પ્રજાતિઓ છે અને દરિયાઈ પરિસ્થિતિ તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેસાઈએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠે આવા દુર્લભ જીવોના સંરક્ષણ અને યોગ્ય નિકાલ માટે વન વિભાગ દ્વારા વધુ સતર્કતા દાખવવી જરૂરી છે. તેમની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. સુરવાળા બીચ પ્રખ્યાત તિથલ બીચની નજીક આવેલો હોવાથી અહીં સહેલાણીઓની અવરજવર રહે છે. આવા મૃત કે ઝેરી દરિયાઈ જીવો બીચ પર પડ્યા રહેવાથી પ્રવાસીઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે વન વિભાગ બીચ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધારે, મૃત દરિયાઈ જીવોનો તાત્કાલિક અને વૈજ્ઞાનિક નિકાલ કરે, અને જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ લગાવે. સંકેત દેસાઈએ સૂચવ્યું કે જો ડોલ્ફિન, વ્હેલ કે કાચબા જેવા દરિયાઈ જીવોના અવશેષોને વૈજ્ઞાનિક રીતે સાચવીને મ્યુઝિયમ અથવા અભ્યાસ કેન્દ્ર બનાવવામાં આવે, તો તે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આનાથી દરિયાઈ જૈવવિવિધતા પ્રત્યે જાગૃતિ ફેલાશે અને સંરક્ષણ માટે પ્રેરણા મળશે. દરિયાકાંઠે મળી આવતા દરિયાઈ જીવો અંગે તાત્કાલિક પગલાં લેવાની જવાબદારી વન વિભાગની છે. સ્થાનિક નાગરિકો માને છે કે સમયસર કાર્યવાહી દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય છે.
વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં યુવકના થયેલા મોતના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સેન્ટરના બીજા માળની દીવાલ પર એક યુવક ટીંગાયેલો જોવા મળી રહ્યો છે જ્યારે નીચે કેટલાક લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. તો બીજી તરફ એક વ્યકિત યુવકનો હાથ પકડી તેને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, ત્રણેક મિનિટ સુધી હાથ પકડી રાખ્યા બાદ છૂટી જતા યુવક નીચે પટકાયો હતો અને તેનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ આ બનાવને લઈ આશંકા વ્યકત કરી છે અને તપાસની માગ કરી છે. મોતનું કારણ જાણવા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીઆ ઘટનામાં મૃતકની ઓળખ હિતેન્દ્ર પરમાર (ઉંમર 35 વર્ષ) તરીકે થઈ છે, જે નવી નગરી, સમા વિસ્તારનો રહેવાસી હતો. આ યુવક સમા પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે પણ નોકરી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે, હિતેન્દ્ર ચોરીના ઈરાદાથી આ સાઇટમાં પ્રવેશ કર્યો હતો. સ્થળ પર લોકોની હલચલ અને અવાજો સાંભળતાં તે ગભરાઈને ભાગવા માગતો હતો અને તે દરમિયાન ચોથા માળેથી કૂદી ગયો હોવાની શક્યતા છે. ઘટના બાદ મૃતદેહને તાત્કાલિક એસ.એસ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોએ કહ્યું- 'હિતેન્દ્ર ચોરી કરવા નહીં બાકી પૈસા લેવા ગયો હતો'મૃતક યુવકના ભાઈ અજીતસિંહએ જણાવ્યું હતું કે,કોન્ટ્રાકટર છેલ્લા ઘણા સમયથી મૃતક હિતેન્દ્રને કામના પૈસા અપાતો નહોતો. ગતરોજ પૈસા લેવા માટે હિતેન્દ્ર અગોરા સિટી સેન્ટરમાં પહોંચ્યો હતો. સાંજે 5 વાગ્યા આસપાસ અમને આ ઘટનાની જાણ થઈ હતી.ઘટનાની જાણ થતા અમે લોકો સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જોયું તો મારો ભાઈ મૃત હાલતમાં નીચે પડેલો હતો. પોલીસે અમને એક વીડિયો બતાવ્યો છે, જેમાં મારા ભાઈ હિતેન્દ્રને એક બાઉન્સર પકડી રાખ્યો હોય તેવું દેખાય છે. બાદમાં મારો ભાઈ ત્યાંથી નીચે પટકાય છે. અમારી માંગ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે, પોલીસેઅમને બતાવેલા વીડિયોમાં મારા ભાઈને બાઉન્સર પકડી રાખે છે અને છોડી દે છે. મારો ભાઈ ઉપર ચડવા પ્રયત્ન કરતો હતો પરંતુ પેલા ભાઈએ હાથ છોડી મૂક્યો હતો. પોલીસ મથકમાં એવું લખાવે છે કે હાથ છૂટી ગયો છે. મારા ભાઈને નાના નાના બાળકો છે. શું દેખાઈ રહ્યું છે CCTVમાં?ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં અગોસા સિટી સેન્ટરના બીજા માળે લટકાતો જોવા મળી રહ્યો છે. બૂમાબૂમ થતા એક વ્યકિત તેની પાસે આવીને હાથ પકડી લે છે. તો બીજી તરફ નીચે પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જાય છે. પરંતુ, તમામ લાચાર જોવા મળે છે. 3 મિનિટ સુધી દીવાલ અને અન્ય વ્યકિતના હાથના સહારે લટકી રહેલો હિતેન્દ્ર અચાનક જ ધડાકાભેર નીચે ખાબકે છે. આ સમયે હાજર લોકોની ચીંસ ફાટી નીકળે છે અને નાસભાગ મચી જાય છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક આજે (22 ફેબ્રુઆરી) બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્નપ્રસંગમાં પહોંચે તે પહેલાં જ માર્ગ દુર્ઘટના બની પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર સિહોર તરફથી આવી રહી હતી, જ્યારે બીજી કાર ગોપાલગ્રામથી જૂના સાવર લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. લગ્નપ્રસંગમાં પહોંચે તે પહેલાં જ માર્ગમાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, બંને કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં એકનું મોત, 10 ઘાયલ આ અકસ્માતમાં આદસંગ ગામના કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇજાગ્રસ્ત થયેલા 10 લોકોમાં આરાધના હરપાલસિંહ ચુડાસમા, શિવમ હરપાલસિંહ ચુડાસમા, ધનેશ્રી ગીરીશભાઈ ત્રિવેદી, ભાગ્યશ્રીબેન ચંપુભાઈ ખુમાણ, કનુભાઈ જીવાભાઈ જેબલિયા, રેખાબેન ચંપુભાઈ ખુમાણ, ગીતાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને વિશાલીબેનનો સમાવેશ થાય છે. તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અને કેટલાકને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. 108 સહિતની એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સેવાભાવી લોકો મદદ માટે દોડ્યા ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા પ્રયાસ કર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની અન્ય ઘટનાઓ પણ વાંચો ડાંગમાં પશ્ચિમ બંગાળની પિકઅપ પલટી, 2નાં મોત ડાંગ જિલ્લાના સોનગઢથી આહવાને જોડતા નેશનલ હાઈવે નંબર 953 પર શનિવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહાલ અને બરડીપાડા વચ્ચે આવેલા જોખમી વળાંક પર એક પિકઅપ ગાડી પલટી જતાં તેમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.સંપૂર્ણ અહેવાલ વાંચો… ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઈકો અથડાઈ, 5 લોકોના મોત ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં બે પરિવારના 5 સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) દાંતામાં બે બાઈક ટકરાયા, 4નાં મોત દાંતા તાલુકામાં ગઈકાલે (20 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) વલસાડમાં ટ્રિપલ એક્સિડન્ટમાં 7નાં મોતની ચિચિયારી ગુંજી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર 20 ફેબ્રુઆરીએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને જોરદાર ટક્કર મારતાં ઊભેલી બ્રેકડાઉન ટ્રકમાં અથડાતાં ઈકોમાં સવાર એક ગામના 5 સભ્યનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ડ્રાઈવર સહિત 2 વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે સારવાર મળે એ પહેલાં જ બંનેનાં મોત થયાં હતાં. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
વલસાડના ધરમપુરમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું:સંઘના 100 વર્ષ પૂર્ણ થતાં સમાજ પરિવર્તન પર ભાર મુકાયો
વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા ‘વિરાટ હિન્દુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજની એકતા અને સનાતન ધર્મના સંરક્ષણનો હતો, જેમાં સંઘના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમાજ પરિવર્તન પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં ઉપસ્થિત કૃણાલ હરીશભાઈ કંસારાએ જણાવ્યું કે, સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે હવે સંઘનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની અંદર જઈને કામ કરવાનો છે. તેમણે સમાજ દ્વારા જ સમાજનો ઉદ્ધારના મંત્ર સાથે પરિવર્તન લાવવાની નેમ વ્યક્ત કરી. આ માટે પાંચ મુખ્ય સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે: કુટુંબ પ્રબોધન (પરિવારના સંસ્કારો), સામાજિક સમરસતા (ઊંચ-નીચના ભેદભાવની નાબૂદી), નાગરિક કર્તવ્ય, પર્યાવરણ અને સ્વદેશી (ભારતીય સંસ્કૃતિ અને વસ્તુઓનો આગ્રહ). ગુજરાત પ્રાંત સહ-કાર્યવાહ અખિલેશજી પાંડેએ કુટુંબ પ્રબોધન પર ભાર મુકતા કહ્યું કે, આજના સમયમાં પરિવારના સભ્યો વચ્ચે સંવાદ ઘટ્યો છે. તેમણે માતા-પિતાને બાળકો સાથે દિવસમાં એકવાર ભોજન લેવા અને તેમની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવા જણાવ્યું, જેથી બાળકો કોઈ પણ ભૂલ કે સમસ્યા નિઃસંકોચ જણાવી શકે. નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી કમલેશભાઈ ચોલકરે જણાવ્યું કે, ભારત આદિકાળથી જ હિન્દુ રાષ્ટ્ર અને આર્યાવર્ત તરીકે ઓળખાય છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં રહેતો દરેક વ્યક્તિ ભારતીય છે અને દેશ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવું એ જ સાચો ધર્મ છે. આવા 1 લાખ જેટલા સંમેલનો સમગ્ર ભારતમાં યોજવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સંમેલનનો મુખ્ય સૂર એ હતો કે હિન્દુ સમાજનું સંગઠન અને સનાતન સંસ્કૃતિનું જતન એ જ આપણી તાકાત છે. પરદેશી સંસ્કારો અને વેશભૂષા છોડીને સ્વદેશી જીવનશૈલી અપનાવવી અનિવાર્ય છે.
મોરબી નજીક લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન પાસેથી ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 15 પાડા ભરેલી બોલેરો ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં પાડા ભરેલી બોલેરો અને તેનું પાયલોટિંગ કરતી અન્ય એક બોલેરો ગાડી સહિત કુલ રૂ. 10.80 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક બાળકિશોરનો પણ સમાવેશ થાય છે. પોલીસે બે આરોપીઓને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા (ઉંમર 32) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શનાવલા સોજમામદ મલીક (ઉંમર 33, રહે. મોટા સરાડા, ભુજ), અબ્બાસભાઈ રહેમાનભાઈ લાખા (ઉંમર 43, રહે. લક્ષ્મીપરા, વાંકાનેર) અને એક બાળકિશોરના નામનો ઉલ્લેખ છે. ફરિયાદ મુજબ, મોરબી-માળિયા હાઈવે રોડ પર લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન સામેથી બોલેરો પીકઅપ ગાડી (નંબર GJ 12 CT 8399) પસાર થઈ રહી હતી. તેને રોકીને તપાસ કરતા તેમાં ક્રૂરતાપૂર્વક બાંધેલા 15 પાડા મળી આવ્યા હતા. પોલીસે રૂ. 30,000 ની કિંમતના પાડા, રૂ. 5 લાખની બોલેરો ગાડી અને પાડા પહોંચાડવા માટે પાયલોટિંગ કરી રહેલી રૂ. 5.50 લાખની બોલેરો ગાડી (નંબર GJ 3 Z 7805) સહિત કુલ રૂ. 10,80,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
₹3.27 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:અમૂલ પ્રોડક્ટની આડમાં સેલવાસથી સુરત જતો જથ્થો જપ્ત
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ પ્રોહિબિશનના ગુનાઓને ડામવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. ભિલાડ તલાવપાડા રોડ પરથી અમૂલ ડેરી પ્રોડક્ટની આડમાં લઈ જવાતો ₹3.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બોલેરો પીકઅપ સહિત કુલ ₹6.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ટીમને ગુપ્ત બાતમી મળી હતી કે સેલવાસ તરફથી એક સફેદ બોલેરો પીકઅપ (નંબર GJ-16-AY-2643) દારૂ ભરીને સુરત તરફ જવાની છે. આ બાતમીના આધારે LCBના PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં ભિલાડ-નરોલી રોડ પર તળાવની બાજુમાં વોચ ગોઠવવામાં આવી હતી. LCB PSI જીવન વસાવાના નેતૃત્વમાં પોલીસ ટીમે શંકાસ્પદ વાહનને અટકાવ્યું હતું. વાહનચાલક રાજ દિનેશભાઈ કાકુલાડે (ઉં.વ. 27, રહે. પાંડેસરા, સુરત / મૂળ મહારાષ્ટ્ર) પ્રાથમિક પૂછપરછમાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. પોલીસે બંધ કેબિનનું સિલ ખોલી તપાસ કરતા તેમાંથી દારૂના 70 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાં કુલ 1980 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો, જેની કિંમત ₹3,27,600 આંકવામાં આવી છે. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹6,32,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે આરોપી રાજ દિનેશભાઈ કાકુલાડેની ધરપકડ કરી છે. આ દારૂ ભરેલી પીકઅપ ગાડી આપનાર મનોજભાઈ મારવાડીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે આ કાર્યવાહી કરી હતી. હાલ ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં દારૂના ધંધાર્થી સામે પાસા હેઠળ કાર્યવાહી:બે કેસ નોંધાતાં વડોદરા જેલમાં મોકલાયો
જામનગરમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સાહિલ ફિરોજભાઈ પિંજારા સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. નંદનવન સોસાયટી પાસે પિંજારાવાસના રહેવાસી સાહિલ પિંજારા સામે તાજેતરમાં ઇંગ્લીશ દારૂ સંબંધિત બે કેસ નોંધાયા હતા, જેના પગલે તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આ કેસોને ધ્યાનમાં રાખીને, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે સાહિલ પિંજારા સામે પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્ત જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા કલેક્ટર સમક્ષ મોકલવામાં આવી હતી, જેને મંજૂરી મળી ગઈ હતી. મંજૂરી મળ્યા બાદ, એલસીબીની ટીમે ગઈકાલે મોડી સાંજે આરોપી સાહિલ પિંજારાની અટકાયત કરી હતી. ત્યારબાદ તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આજે (22 ફેબ્રુઆરી) એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. તરસાલી બળીયાદેવ મંદિર નજીક પૂરપાટ ઝડપે દોડતા એક ડમ્પરના ચાલકે એક્ટિવા સવારને 55 વર્ષીય દોલતરામ લુહારને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અકસ્માતમાં જામ્બુવાના દોલતરામ લુહારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે રોડ પર ભારે ટ્રાફિકજાન સર્જાયો હતો. પોલીસે સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ડમ્પરનું ટાયર આધેડ પર ફરી વળતા મોતમળતી માહિતી મુજબ, તરસાલી બળીયાદેવ મંદિર પાસેના માર્ગ પરથી દોલતરામ લુહાર એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે પાછળથી આવતા બેફામ ડમ્પરના ચાલકે તેઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે, એક્ટિવા ચાલક સીધો ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગયો હતો. ડમ્પરનું ટાયર યુવક પર ફરી વળતા તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને જોતજોતામાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. તો બીજી તરફ દોલતરામ લુહારનું એક્ટિવા પણ ડમ્પરના આગળના વ્હીલમાં ફસાઈ જતાં હાજર લોકોએ મહામુસીબતે બહાર કાઢ્યું હતું. બેફામ દોડતા ભારે વાહનોને કારણે લોકોમાં રોષઅકસ્માતને પગલે આસપાસના રહીશો અને રસ્તા પરથી પસાર થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બેફામ દોડતા ભારે વાહનોને કારણે સર્જાતા અકસ્માતોને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ડમ્પરચાલક સામે ગુનો નોંધ્યોપોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માત સર્જી ભાગવા જતાં ડમ્પરચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરચક વિસ્તારમાં બેફામ ડમ્પર ચલાવનારા ચાલકે એક નિર્દોષનો જીવ લેતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ટાંકલ સબ ડિવિઝનમાં 8,160 મીટર વીજતારની ચોરી:22 ગામમાં ₹3.34 લાખના તાર ચોરાયા, DGVCLએ ફરિયાદ નોંધાવી
નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હેઠળના ટાંકલ સબ ડિવિઝન વિસ્તારમાં વીજતાર ચોરીની ઘટનાઓ સામે આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં ખેતીવાડી લાઇનમાંથી આશરે 8,160 મીટર એલ્યુમિનિયમનો વીજતાર ચોરાઈ ગયો છે, જેની કિંમત ₹3.34 લાખ આંકવામાં આવી છે. આ મામલે DGVCLના નાયબ ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. DGVCLના નાયબ ઈજનેર મુકેશકુમાર અમ્રતભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગણદેવા થી રાનવેરી કલ્લા અને કલવાચ થી મટવાડ સુધીના 22 ગામો તેમના કાર્યક્ષેત્રમાં આવે છે. 27 ઓક્ટોબર, 2025 થી 6 જાન્યુઆરી, 2026 દરમિયાન તસ્કરોએ ખેતીની જમીન પરથી પસાર થતી 8 કલાકની વીજ લાઇનને નિશાન બનાવી હતી. ચોરીની વિગતો અનુસાર, 27 ઓક્ટોબર, 2025ના રોજ વાંઝણા ગામે ખેડૂત મુકેશભાઈ નાથુભાઈ પટેલની જમીનમાંથી 1,080 મીટર તાર (કિંમત ₹44,298) ચોરાયો હતો. ત્યાર બાદ, 29 ઓક્ટોબર, 2025ના રોજ ચાસા કુંભારિયા રોડ પર જગદીશભાઈ પટેલની જમીનમાંથી 3,120 મીટર તાર (કિંમત ₹1,27,972) ની ચોરી થઈ હતી. વધુમાં, 13 ડિસેમ્બર, 2025ના રોજ ઉઢવણ (રેઠવાણીયા) ગામે ધીરુભાઈ પટેલની જમીનમાંથી 840 મીટર તાર (કિંમત ₹34,454) અને ચાસા ગામે બચુભાઈ પટેલની જમીનમાંથી 2,280 મીટર તાર (કિંમત ₹93,518) ચોરાયા હતા. છેલ્લે, 6 જાન્યુઆરી, 2026ના રોજ વાંઝણા ગામે છોટુભાઈ ઉકાભાઈ પટેલની જમીનમાંથી 840 મીટર તાર (કિંમત ₹34,454) ની ચોરી નોંધાઈ હતી. સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, તસ્કરોએ કોઈ અણીદાર સાધન વડે વીજતાર કાપીને ચોરી કરી છે. કુલ 8,160 મીટર લાંબો અને ₹3,34,696ની કિંમતનો સરકારી માલ-સામાન ચોરાતા DGVCL તંત્ર સક્રિય બન્યું છે. નાયબ ઈજનેરે આ બાબતે સ્થળ તપાસના રિપોર્ટ અને સાક્ષીઓની વિગતો સાથે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.
અમેરિકાની નાગરિકતા ધરાવતા અને મૂળ કલોલના મોખાસણ ગામના મહિલા બાળકો સાથે અમેરિકા હોવાનો ફાયદો ઉઠાવી પતિએ ગાંધીનગર સિવિલ કોર્ટના છુટાછેડાના ખોટા કાગળો બનાવી બીજી પત્ની અને તેની દીકરીના નામ કરોડોની મિલકતમાં ચડાવી દેવાતા કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધની જાણ થતાં છોડી દીધોમૂળ કલોલના મોખાસણ ગામના હાલમાં અમેરિકાની નાગરિકતા ધરાવતા સુધાબેન પટેલના લગ્ન અશોક પટેલ સાથે 1985માં થયા હતા. 1991માં અશોક ધંધા-રોજગાર માટે અમેરિકા જતા 1995માં સુધાબેન પણ ત્યાં ગયા હતા. જોકે, પતિને અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સબંધો હોવાની જાણ થતા સુધાબેન બે બાળકને લઈ અમેરિકામાં તેમના સગા-સંબંધીઓ સાથે રહેવા લાગ્યા હતા. સાસુએ વડિલોપાર્જિત જમીન ફરિયાદીના નામે લખી આપી2008માં તેમને ગ્રીનકાર્ડ મળી ગયું હતું, જેથી તેઓ ઇન્ડિયા આવતા જતા હતાં. બાદમાં સુધાબેન પોતાના સાસુ મેનાબેનને પણ અમેરિકા લઇ ગયા હતા. એ વખતે સાસુએ ડાંગરવા ખાતેની સાસરી પક્ષની વડિલોપાર્જિત જમીન સુધાબેનના નામે લખી આપી હતી. ત્યારે 2025માં સુધાબેન ભાઈના ત્યાં લગ્ન પ્રસંગે આવ્યા હતા, ત્યારે ડાંગરવા ગામના બે મકાનનો વેરો ભરવા તેમજ બન્ને બાળકોનું નામ ચડાવવા માટે તલાટીને મળ્યા હતા. આ સમયે માલુમ પડ્યું કે, અમેરિકન ગ્રીન કાર્ડ હોલ્ડર પતિ અશોકે આ મિલકમાં પત્ની દેવ્યાનીબેન તથા તેમનાથી જન્મેલી દીકરીનું નામ 30 મે, 2025 રોજ દાખલ કરાવી દીધું છે. તેમની અરજી આધારે નામ વારસાઈમાં ચડાવી દેવાયા છે. આરોપીએ રજૂ કરેલા ડોક્યુમેન્ટ કોર્ટના રેકોર્ડમાં જ નહોંતાઉપરાંત તલાટી સમક્ષ અશોકે 1996-97માં છૂટાછેડા થઈ ગયા હોવાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા. બાદમાં સુધાબેને આ બાબતે ગાંધીનગર અને અમદાવાદ કોર્ટમાં તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, જે ડિક્રી નંબર (H.M.P No 117/1996) દર્શાવવામાં આવ્યો છે, તેવો કોઈ હુકમ કોર્ટના રેકોર્ડમાં અસ્તિત્વમાં જ નથી. જે સમયે છૂટાછેડા લીધા હોવાનો દાવો કરાયો છે તે સમયે સુધાબેન ભારતમાં હાજર જ નહોતા. કલોક પોલીસમાં ફરિયાદ નોંધાઈપતિ અશોકે માત્ર બીજા લગ્ન જ કરી કાયદેસરના પુત્રનું નામ પણ પેઢીનામામાંથી જાણીજોઈને કમી કરાવવા સરકારી કચેરીઓમાં ખોટા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરી મિલકત પચાવવાનો પ્રયાસ કરાયો હોવાથી કલોલ તાલુકા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાત અને બનાવટી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના પીડિત માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો માટે મહત્વના સમાચાર છે. સંતાનો દ્વારા હેરાનગતિ, ત્યાગ કે ભરણપોષણ ન મળવાના કિસ્સામાં તેઓ કાયદાકીય મદદ મેળવી શકશે.જો સંતાનો માતા-પિતાને ઘરમાં રાખતા ન હોય, તેમની સાર-સંભાળ ન લેતા હોય, ખાધા-ખોરાકી, કપડાં કે તબીબી સારવાર પૂરી પાડતા ન હોય, અથવા તેમને હેરાન-પરેશાન કરતા હોય, તો આવા કિસ્સામાં કાર્યવાહી થઈ શકશે.આવા પીડિત માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકો 'માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ, 2007' (The Maintenance and Welfare of Parents and Senior Citizens Act 2007)ની કલમ 5 હેઠળ અરજી કરી શકે છે.આ અરજી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, ચોટીલા ખાતે કરવાની રહેશે. આ કાયદાનો લાભ લઈને પીડિતો પોતાના હક મેળવી શકશે.
સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના 2 ગંભીર ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ 15 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રાંદેર પાલનપુર પાટીયા પાસેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભંગારના વેપારની આડમાં ગુનાખોરીનું સામ્રાજ્યઆરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઉભી કરી હતી. તે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટીયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જોકે, આ ભંગારનો વ્યવસાય માત્ર એક મહોરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. ભંગાર લેવા-વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો. સ્પાના નામે દેહવ્યાપારના નાણાં વસૂલતોપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાતિર રીતે નાણાકીય વ્યવહારો કરતો હતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે 'સ્પા'નો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મહિધરપુરામાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહવ્યાપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. મહિધરપુરામાં પોલીસે રેડ કરી 6 મહિલાનું રેસ્ક્યૂ કર્યું હતુંઘટનાની વિગત મુજબ, 26, માર્ચ, 2025 અને 31, ઓગસ્ટ, 2025ના રોજ મહિધરપુરા પોલીસ અને AHTU સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પોલીસે તે સમયે કુલ 6 મહિલાઓને નરકમાંથી આઝાદ કરાવી રેસ્ક્યૂ કરી હતી. આ બંને ગુનાઓમાં શેખર સાળુંકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો. 2014થી શરૂ થયેલી ગુનાખોરીની હિસ્ટ્રીઆરોપી શેખરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ચોંકાવનારો છે. તેના પર સૌ પ્રથમ વર્ષ 2014માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખટોદરા, ઉમરા અને અડાજણ પોલીસ મથકોમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનેક કેસો નોંધાયા હતા. 2015માં જ તેણે એક પછી એક ચારથી વધુ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સતત વધતી જતી ગુનાખોરીએ પોલીસ માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. પોલીસ પર હુમલો અને જાહેરમાં રાયોટિંગશેખર માત્ર ચોરી કે દેહવ્યાપારમાં જ મર્યાદિત નહોતો, તે હિંસક મિજાજ પણ ધરાવતો હતો. 2019માં નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ જ્યારે તેને પકડવા અથવા અટકાવવા જતી, ત્યારે તે કાયદો હાથમાં લેતા પણ અચકાતો નહોતો. આ ઉપરાંત સચીન અને અડાજણ વિસ્તારમાં તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો પણ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાંચની વોચ અને અંતે ધરપકડછેલ્લા 1 વર્ષથી ફરાર શેખર સાળુંકેને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી હતી કે તે પાલનપુર પાટીયા ત્રણ રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને નાસવાની તક આપી નહોતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મહાવીરનગરથી પોલોગ્રાઉન્ડ અને બગીચા વિસ્તારને જોડતા આંબાવાડી રેલવે અન્ડરપાસની પાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી છે. ગત રાત્રિએ સાડા ત્રણ કલાકની કામગીરીમાં અન્ડરપાસને સ્વચ્છ કરવામાં આવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે બાંધકામ સમિતિના ચેરમેનની ઉપસ્થિતિમાં આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. શનિવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાથી ૨:૪૫ વાગ્યા સુધી પાણીનો મારો ચલાવીને અન્ડરપાસ પરની ગંદકી અને લખાણો દૂર કરવામાં આવ્યા હતા. આ અન્ડરપાસ શહેરમાં ખૂબ જ અવરજવર ધરાવતો મુખ્ય માર્ગ છે. આ અંગે હિંમતનગર નગરપાલિકાના બાંધકામ વિભાગના ચેરમેન ડિકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અન્ડરપાસમાં વિવિધ લખાણો અને ગંદકી જોવા મળી હતી, જેને કારણે સફાઈ જરૂરી બની હતી. તેમણે ઉમેર્યું હતું કે આ અગાઉ પણ આ અન્ડરપાસની બે વખત સફાઈ કરવામાં આવી હતી. ચેરમેન ગાંધીએ શહેરીજનો અને સ્થાનિકોને અપીલ કરી છે કે કચરો કચરાપેટીમાં નાખે અને દીવાલો પર ખોટા લખાણ ન લખે, જેથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવી શકાય.
શહેરમાં ખાનગી સોસાયટીમાં આવેલા ફ્લેટ અને મકાનોમાં વિદ્યાર્થીઓ અને નોકરી કરતા લોકોને રહેવા માટે પીજી તરીકે ભાડે આપવામાં આવતા મકાનો સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. બોડકદેવ વોર્ડમાં આવેલા પ્રેમચંદનગર સોસાયટીમાં PG મકાનો સીલ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ સોસાયટીના રહીશો દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં લઈને સીલ ખોલી આપવા માટે કરેલી રજુઆતને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં PG તરીકે ઉપયોગમાં નહીં લેવામાં આવે તેવી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાહેંધરી લઈને 8 મકાનોના સીલ ખોલી આપવામાં આવ્યા છે. AMC દ્વારા દંડ વસૂલ કરીને આ સીલ ખોલી આપવામાં આવ્યા છે. AMCએ PGના સીલ ખોલી આપતા સ્થાનિકોનો વિરોધબીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રેમચંદ નગરમાં મકાનો ખોલી આપવામાં આવ્યા હતા જેને લઈને સ્થાનિક લોકોએ પણ વિરોધ કર્યો હતો. ઢોલ નગારા વગાડી અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે પીજીના સંચાલકો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને મળીને સીલ ન કરવાની કાર્યવાહી અંગેની રજૂઆત કરી હતી જોકે નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી કરાશે એવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્પષ્ટ જણાવી દીધું હતું. જો આ રીતે પીજી સીલ કરાશે તો એક લાખ લોકો રોડ પર આવી જશે- સોહમ પંડ્યાપીજી સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળીને રજૂઆત કરવામાં આવી હતી. પીજી સંચાલક સોહમ પંડ્યાએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલમાં પીજી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે જે હોસ્ટેલના નિયમો પ્રમાણેની કાર્યવાહી કરાય છે. જો પીજી સીલ કરવામાં આવશે તો એક લાખ લોકો રોડ પર આવી જશે. જો પીજીના કારણે ક્યાંક ન્યુસન્સ થતું હોય તો તે પીજી સીલ કરવા જોઈએ પરંતુ બધા જ પીજીને આ રીતે સીલ ન મારવા માટે સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. PGને લઈ નવા કાયદા બનાવવાની માગપીજી સંચાલકો દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલને રજૂઆત કરવામાં આવી હતી કે, પીજીને લઈને નવા કાયદા બનાવવામાં આવે કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હોસ્ટેલ, લૉજ અને બોર્ડિંગને જ પીજી માન્ય ગણવામાં આવશે અને આ પ્રકારના કાયદાનું અમલ ન કરવામાં આવે તો આગામી સમયમાં પણ રહેણાંક મકાનમાં ચાલતા પીજીને સીલ મારવાની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે.
વડોદરા નજીક ગુજરાત રીફાયનરી રોડ પર બોલેરો કેમ્પરના ચાલકે દારૂના નશામાં ધૂત થઇને બેફામ રીતે કાર ચલાવી હતી અને કારને ડીવાઈડર સાથે અથડાઈ હતી. એક કારને પણ ટક્કર મારી હતી જ્યારે એક બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં નશામાં ધૂત કારનો ડ્રાઈવર પણ લોહીલુહાણ થઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ જવાહરનગર પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. પીધેલી હાલતમાં કાર દોડાવી અકસ્માત સર્જયોજવાહરનગર પોલીસને વર્ધી મળી હતી કે, ગુજરાત રીફાઈનરી રોડ, ગંગાનગર સોસાયટીના નાકે કોયલી ખાતે એક સફેદ કલરની બોલેરો કેમ્પર ગાડીનો ચાલક પીધેલ હાલતમાં છે અને ગાડી ડીવાઈડર સાથે ટક્કર મારી છે. જેથી તુરંત જ જવાહરનગર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં જઈને જોયું તો કાર ચાલકે ડીવાઈડરને ટક્કર મારી હતી અને કાર અથડાઇને ત્યાં ઊભી હતી અને કાર ચાલક પીધેલી હાલતમાં હતો. પોલીસ પૂછપરછ આરોપી અજય રાજેન્દ્રભાઈ ગોહિલ (ઉંમર 20 વર્ષ, બળીયાદેવ નગર રામપુરા ગામ તા.જી.વડોદરા) હોવાનું ખુલ્યું હતું. તે ડ્રાઈવિંગનો વ્યવસાય છે. બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ દરમિયાન તેના શરીરમાં 53 mg આલ્કોહોલનું પ્રમાણ નોંધાયું હતું. જેને પગલે જવાહરનગર પોલીસે અજય રાજેન્દ્રભાઈ ગોહિલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી. નશામાં ધૂત ડ્રાઈવર અને લોકો વચ્ચેનો સંવાદ લોકો: (ગાડી ઉભી રખાવીને) તું દારૂ પીધેલો છે ને? લોકો: અરે આ તો ફૂલ પીધેલો છે! બોલાવો પોલીસને. ક્યાંથી પીને આવ્યો છે? લોકો: ગાડી ચાલુ કેમ કરે છે. ગાડીની ચાવી લઈ લો એની પાસેથી. જો તો ખરો, આ કેવી રીતે ગાડી ચલાવે છે! લોકો: જો આને, ચાલુ ગાડીએ દારૂ પીવે છે. તારા મોઢા પર તો જો, આ બધું શું છે? ડ્રાઈવર: (હાથ હલાવીને ના પાડતા) ના ભાઈ, એવું નથી... મારવાની વાત ન કરો. લોકો: અરે તું પીધેલો છે કે નહીં? અત્યારે જો કોઈ મરી ગયું હોત તો? કોઈને કંઈ થઈ ગયું હોત તો તું શું કરત? કેટલી સ્પીડમાં ગાડી હતી તારી? તું પીધેલો છે કે નહીં? ડ્રાઈવર: કશું જ નહીં. લોકો; પીધેલો જ છે આ, પોલીસને બોલાવો. 100 નંબર પર ફોન કરો. લોકો: હું બાઈક લઈને જતો હતો, માંડ માંડ બચી ગયો છું.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 11 જેટલી ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સના વર્ગો હવે ક્રમશ: બંધ કરવા માટે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સના વર્ગો ચલાવવા માટે કેટલીક શરતી મંજૂરી આપવામાં આવી હતી. આ શરતો મુજબ, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં અલગ-અલગ આચાર્યો તેમજ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરવાની અનિવાર્યતા હતી, જેનું પાલન કરવામાં કોલેજો નિષ્ફળ રહી છે. શિક્ષણ વિભાગનો યુનિવર્સિટીને કડક શબ્દોમાં પત્રછેલ્લા કેટલાક વર્ષોથી આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબતે આંખ આડા કાન કરીને બેઠા હતા. ગ્રાન્ટેડ કોલેજોમાં નિયમ વિરુદ્ધ ચાલતી આ પ્રવૃત્તિઓ સરકારના ધ્યાને આવતા, શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીને કડક શબ્દોમાં પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે, ગ્રાન્ટેડ કોલેજોમાં ચાલતા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ હવે વધુ સમય ચલાવી શકાય નહીં અને તેને તબક્કાવાર બંધ કરવા જોઈએ, જેના પગલે નર્મદ યુનિવર્સિટીએ 11 કોલેજને નોટિસ ફટકારી છે. કોલેજ સંચાલકો દ્વારા બેઠકોની ગોઠવણના આક્ષેપોઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાંક વર્ષોથી ગ્રાન્ટેડ કોલેજોમાં એક વિચિત્ર સ્થિતિ જોવા મળતી હતી. કોલેજોમાં ગ્રાન્ટેડ વિભાગની બેઠકો ખાલી રહેતી હતી, જ્યારે તે જ કોલેજના સેલ્ફ ફાઈનાન્સ વર્ગોની બેઠકો ખૂબ જ ઝડપથી ભરાઈ જતી હતી. આક્ષેપ છે કે, ‘કોલેજ માફિયાઓ' જાણીજોઈને એવી પરિસ્થિતિ ઊભી કરતા હતા કે જેથી વિદ્યાર્થીઓને સસ્તા દરની ગ્રાન્ટેડ બેઠકો ન મળે અને તેમને ફરજિયાતપણે મોંઘીદાટ સેલ્ફ-ફાઈનાન્સ બેઠકો પર પ્રવેશ લેવો પડે. અનૈતિક ફી વસૂલાત પર કાયમી રોક લાગશે કોલેજ સંચાલકો સામેના ગંભીર આક્ષેપો મુજબ, તેઓ એક તરફ સરકાર પાસેથી મસમોટી ગ્રાન્ટ મેળવતા હતા અને બીજી તરફ સેલ્ફ ફાઈનાન્સ વર્ગોના નામે વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલીને બેવડી આવક ઊભી કરતા હતા. લાંબા સમયથી ચાલી રહેલા આ આર્થિક ખેલને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર મોટું આર્થિક ભારણ આવતું હતું. સરકારના નવા પરિપત્ર અને યુનિવર્સિટીની કાર્યવાહી બાદ હવે આ અનૈતિક ફી વસૂલાત પર કાયમી રોક લાગશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષથી નવા એડમિશન પર રોક લાગશેઃ કિશોરસિંહ ચાવડાવિદ્યાર્થીઓના હિતમાં તબક્કાવાર અમલીકરણ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આ નિર્ણયનો અમલ 'ક્રમશ:' એટલે કે તબક્કાવાર કરવામાં આવશે. હાલમાં જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ કોર્સમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમને કોઈ શૈક્ષણિક નુકસાન ન થાય તે રીતે વર્ગો બંધ કરવામાં આવશે. આ વર્ષથી નવા એડમિશન પર રોક લાગશે અને આગામી સમયમાં કોઈપણ ગ્રાન્ટેડ કોલેજને નવા સેલ્ફ ફાઈનાન્સ કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી ગ્રાન્ટેડ કોલેજોમાં ફરીથી સરકારી ફી વાળી બેઠકો ભરાશે અને શિક્ષણમાં પારદર્શિતા આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના બેરણા ગામની પ્રાથમિક શાળામાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 344 વિદ્યાર્થીઓએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરવાનો હતો. આ માતૃ-પિતૃ વંદન કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કિરીટભાઈ અસારી, સરપંચ હસમુખભાઈ પટેલ, બેરણા નૂતન કેળવણી મંડળના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પૂર્વ સરપંચ વસંતભાઈ નાયી, SMC કમિટીના અધ્યક્ષ પોપટભાઈ પટેલ, શિક્ષણવિદ જગતસિંહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા તેમના માતા-પિતાને કંકુ-ચોખા અને પુષ્પ અર્પણ કરીને આરતી ઉતારવામાં આવી હતી. સનાતન સંસ્કૃતિની વિરાસત જાળવી રાખવા માટે આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહથી યોજાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ બાળકોને શિક્ષણ સાથે સંસ્કારના સિંચન બદલ આશીર્વચન પાઠવી શાળાને અભિનંદન આપ્યા હતા. આ અંગે બેરણા પ્રાથમિક શાળાના આચાર્ય ધવલભાઈ ચીમનભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાલવાટિકાથી ધોરણ 8 સુધીના 344 વિદ્યાર્થીઓએ એકસાથે માતા-પિતાનું પૂજન-અર્ચન કરી આરતી કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ સઘન જહેમત ઉઠાવી હતી.
ભીમડાદમાં મહિલાને માર માર્યો:બાળમંદિર પાસે કચરાની બાબતે બોલાચાલી બાદ ફરિયાદ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામે બાળમંદિર નજીક કચરો સાફ કરવાની નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભીમડાદ ગામમાં રહેતી ૩૬ વર્ષીય ઇલાબેન અણીયાળીયાએ તેમના પાડોશીઓ વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવી છે. ઇલાબેનનો આક્ષેપ છે કે રંજનબેન ધીરૂભાઈ જમોડ અને તેમના દીકરા હસમુખભાઈ ધીરૂભાઈ જમોડે લાકડી વડે તેમને માર માર્યો હતો. ફરિયાદ અનુસાર, બાળમંદિર નજીક કચરો સાફ કરવાની બાબતે બોલાચાલી થઈ હતી. ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઇલાબેનને લાકડી વડે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. ઈજાગ્રસ્ત ઇલાબેનને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ નશાની હાલતમાં બેફામ સ્પીડે I-20 કાર દોડાવી અકસ્માત સર્જતા પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી છે. શહેરના ન્યૂ સમા રોડ પર નશાની હાલતમાં બેફામ સ્પીડે પોતાની કાર દોડાવી એક શાકભાજીની લારીને ઉડાવી હતી. ત્યારબાદ આગળ જતા રસ્તા પર કરાયેલા બેરીકેટમાં ધડાકાભેર ઘૂસાડી દીધી હતી. નબીરાના બેફામ ડ્રાઈવીંગનો વીડિયો જાગૃત નાગરિક દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. શાકભાજીની લારીને ઉડાવ્યા બાદ કાર બેરીકેટમાં ઘૂસાડી દીધીજાહેર માર્ગ પર બેફામ બનેલા આ કાર ચાલકનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. આ કારચાલક આગળ વધતો રહ્યો અને પાછળ જાગૃત નાગરિકે વીડિયો બનાવવાની સાથે રોકવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ તે રોકાયો ન હતો. આખરે આ નશામાં ધૂત કારચાલક કોર્પોરેશનની કામગીરી ચાલતી હોવાથી બેરીકેટ તોડી ખાડા પર ધડાકાભેર કાર ચડાવી દેતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ કારના આગળના ભાગે ભારે નુકસાન થયું છે, સ્થાનિકોએ આ ચાલકને પકડીને પોલીસને સોંપ્યો હતો. આ દરમ્યાન કાર જાણે ફિલ્મમાં શૂટિંગ ચાલતું હોય તેવી રીતે લટકતી હાલતમાં જોવા મળી હતી. શાકભાજીની લારી ચલાવતો યુવક ઈજાગ્રસ્ત થયોઆ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અનિલ રામચંદ્ર સોનકર (ઉંમર 32 વર્ષ, રણછોડનગર, હનુમાનજી મંદિરની આગળ, સમા વડોદરા,મૂળ ગામ સંખીપુર, તાલુકો: સંદર, જિલ્લો: જૌનપુર, ઉત્તર પ્રદેશ) શાકભાજીનો વેપાર કરે છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે રોજની જેમ શાકભાજીની લારી લઈને વેચાણ કરવા નીકળ્યા હતા. શાકભાજી વેચાઈ ગયા બાદ ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તેઓ વી.એસ. સાવરકર ઉદ્યાન વાળા રસ્તેથી પસાર થઈ, સી.આઈ.પી.સી.એલ. સર્કલ પાસેથી જલારામ મંદિર જવાના રસ્તા પરથી જઈ રહ્યા હતા.દરમ્યાન કાર ચાલક તરુણ નીલેશભાઈ સોની નશાની હાલતમાં શાકભાજીની લારી સાથે તેઓને ભયાનક ટક્કર મારી હતી. દરમ્યાન કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તરુણ સોની સામે પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યાઅકસ્માત સર્જયા બાદ તરુણ સોનીએ પોતાની કાર ભગાડી મૂકી હતી અને આગળ જતા સમા વિસ્તારમાં આવેલ અય્યપ્પા ગ્રાઉન્ડની સામે રોડ પર કોર્પોરેશનની કામગીરી ચાલતી હતી ત્યાં ડાયવર્ઝન તોડીને કાર ખાડામાં ચડાવી દેતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં પોલીસે બે અલગ અલગ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચોઃડિવાઈડર કૂદી બોલેરો મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ, CCTV વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બંસલ મોલ સામે ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં MGVCLની બોલેરો ગાડી ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં દિવાલ તોડી મકાનમાં ઘૂસી ગઈ હતી. આવા દ્રશ્યો તમે કદાચ ફિલ્મમાં જોયા હશે. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા બંસલ મોલની સામે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. MGVCLની બોલેરો ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે જેમાં ફિલ્મી દ્રશ્યો હોય તેવું દેખાય રહ્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. એક બાઈક ચાલકે આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મળતી માહિતી મુજબ, બે સિંહણ અને બે બાળ સિંહો મુખ્ય માર્ગ પર બિન્દાસ દોડાદોડી કરતા નજરે પડ્યા હતા. આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે. સાંઈબાબા મંદિર પાછળનો આ વિસ્તાર ગીચ રહેણાંક ધરાવે છે. રાત્રિના સમયે અચાનક સિંહો દેખાતા સ્થાનિક રહીશો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા. કેટલાક લોકોએ ઘરની છત અને બારણાંમાંથી સિંહોની હલચલ નિહાળી હતી, જ્યારે અન્યોએ તરત જ વનવિભાગને જાણ કરી હતી. સદનસીબે, કોઈ માનવજીવ સાથે ઘર્ષણની ઘટના સામે આવી નથી. જોકે, શહેરની અંદર સિંહોનું વારંવાર આગમન હવે ચિંતાનો વિષય બની રહ્યું છે. વનવિભાગના સૂત્રો જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોની સંખ્યા વધવા અને તેમના વિસ્તરણ ક્ષેત્રમાં વધારો થવાને કારણે તેઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારો તરફ પણ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના સમયે તેઓ ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડીને નજીકના ગામો અને શહેરોની સીમાઓ સુધી આવી પહોંચે છે. વેરાવળ શહેર ગીર જંગલ વિસ્તારમાંથી બહુ દૂર નથી, જેના કારણે આવી ઘટનાઓ વારંવાર નોંધાઈ રહી છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને સિંહોની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. રહીશોને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા, બાળકોને બહાર ન મોકલવા અને કોઈ પણ શંકાસ્પદ હરકત જણાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે. વેરાવળ શહેરમાં સિંહોની વધતી આવનજાવન હવે માનવ અને વન્યજીવન વચ્ચેના વધતા સંસર્ગનું જીવંત ઉદાહરણ બની રહી છે. સુરક્ષા અને સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવવું હવે તંત્ર માટે એક મોટી પડકારરૂપ બાબત બની છે.
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ગતરાત્રિએ અજાણ્યા શખસ દ્વારા એક યુવકની સરાજાહેર હત્યા નિપજાવી દેવામાં આવી છે. બાઈક પર જઈ રહેલા યુવક પર તિક્ષણ હથિયારો વડે હુમલો કરાતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. હત્યારો હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયો હોય પોલીસે આસપાસના સીસીટીવી ચેક કરી હત્યારાનું પગેરુ્ં મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. પેટ અને શરીરના અન્ય ભાગો પર તિક્ષણ હથિયારથી હુમલો કરાયોબહેરામપુરામાં રહેતો 19 વર્ષીય હિમેશ પરમાર ગઈકાલે રાત્રે તેનું બાઈક લઈને બહેરામપુરાના હીરાલક્ષ્મી ફ્લેટ પાસેથી જઈ રહ્યો હતો.આ દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ હિમેશ સાથે તકરાર કરીને હિમેશને પેટના હાથના અને શરીરના અલગ અલગ ભાગ ઉપર શિક્ષણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી.અજાણ્યો વ્યક્તિ હિમેશને તીક્ષ્ણ હથિયાર મારીને નાસી ગયો હતો જે બાદ લોહીલુહાણ હાલતમાં હિમેશ જાહેરમાં પડ્યો હતો.જેને આસપાસના લોકોએ સારવાર માટે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ અને હિમેશના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી હિમેશના પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે સારવાર દરમિયાન જ હિમેશનું મોત થયું હતું.કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.ઘટના સ્થળના આસપાસના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે. હત્યારાની ઓળખ મેળવવા પોલીસ તપાસ શરૂઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે હત્યા કોણે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી.મૃતકના પરિવારના સભ્યો અને મિત્રોના નિવેદન લેવામાં આવ્યા છે.હાલ જે શંકાસ્પદ લાગી રહ્યું છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે અત્યાર સુધી હત્યા કોણે કરી તે જાણવા મળ્યું નથી. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદમાં ચાકુના ઘા મારી યુવકની હત્યા:મહિલાના પૂર્વ પતિએ હાલના પતિને તેના ઘર બહાર જ પતાવી દીધો અમદાવાદમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે, જેમાં સરખેજ ફતેહવાડી કેનાલ RCC રોડ પર આવેલી હમીદાનગર સોસાયટીમાં રહેતા 32 વર્ષીય આમિર મુકીમ નામની વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. ચાકુના ઘા મારી યુવકની પતાવી દીધો છે. બાળકને મારવાનો પૂર્વ પતિને કોઈએ મેસેજ કર્યો ને બબાલ થઈ હતી. અફસાના બાનુના પૂર્વ પતિ દ્વારા હાલના પતિની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
પાટણમાં આયુષ્માન ભારત યોજનામાં કરોડોનો ખર્ચ:8.13 લાખ લોકોનું એનરોલમેન્ટ, 24570 ક્લેઈમ મંજૂર
પાટણ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું સંચાલન થાય છે. આયુષ્માન ભારત, મુખ્યમંત્રી અમૃતમ (MA) અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે પરિવાર દીઠ ₹10 લાખ સુધીની મફત સારવાર અપાય છે. ડિસેમ્બર 2025 સુધીમાં જિલ્લામાં 8,12,892 લોકોનું એનરોલમેન્ટ થયું છે. ઓક્ટોબર 2025 સુધીમાં 24,570 ક્લેઈમ મંજૂર થયા હતા, જે પાછળ ₹48,39,14,008નો ખર્ચ થયો છે. મહિલાઓ માટે જનની સુરક્ષા યોજના, નમોશ્રી યોજના અને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જેવી મહત્વની આરોગ્ય સેવાઓ અમલમાં છે. વર્ષ 2005થી કાર્યરત જનની સુરક્ષા યોજનાને 2024-25થી નમોશ્રી યોજના સાથે ભેળવી દેવાઈ છે. હવે પ્રથમ પ્રસૂતિ પછીની બીજી પ્રસૂતિ માટે જ જનની સુરક્ષાનો લાભ મળે છે. આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ₹700 અને શહેરી વિસ્તારમાં ₹600ની સહાય સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ મહિનામાં ચૂકવાય છે. ડિસેમ્બર 2025 સુધીમાં 5,000ના લક્ષ્યાંક સામે 2,968 લાભાર્થીઓને ₹16.95 લાખની નાણાકીય સહાય અપાઈ છે. નમોશ્રી યોજના હેઠળ પાટણ જિલ્લામાં પ્રસૂતા મહિલાઓને ₹12,000ની સહાય ચાર હપ્તામાં ચૂકવાય છે. જિલ્લામાં 9,050ના લક્ષ્યાંક સામે 6,335 લાભાર્થીઓને ₹684.6 લાખની સહાય આપવામાં આવી છે. પાટણ તાલુકામાં સૌથી વધુ 1,346 લાભાર્થીઓને ₹130.4 લાખ અને શંખેશ્વર તાલુકામાં સૌથી ઓછા 262 લાભાર્થીઓને ₹32.4 લાખની ચુકવણી થઈ છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત સરકારી કે જાહેર સાહસમાં ફરજ બજાવતી મહિલાઓ સિવાયની તમામ સગર્ભા માતાઓને પ્રથમ બાળકના જન્મ સમયે ₹5,000 બે હપ્તામાં અપાય છે. જો બીજું બાળક છોકરી હોય, તો ₹6,000 એક હપ્તામાં મળે છે. પાટણ જિલ્લામાં 7,904ના લક્ષ્યાંક સામે 5,997 લાભાર્થીઓને ₹1,95,40,000 ચૂકવાયા છે. સરસ્વતી તાલુકામાં સૌથી વધુ ₹38.20 લાખ અને સમી તાલુકામાં સૌથી ઓછી ₹11.50 લાખની સહાય અપાઈ છે. અતિ જોખમી પ્રસૂતિ ધરાવતી માતાઓ માટે જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. ડિસેમ્બર 2025 સુધીમાં આવી 1,030 પ્રસૂતિઓ નોંધાઈ હતી, જેમાં કુલ ₹52.90 લાખનો ખર્ચ થયો છે.
ભરૂચ GIDCમાં તુષાર ટ્રાન્સ કંપનીમાં આગ:ફાયર ટીમોએ તાત્કાલિક પહોંચી કાબુ મેળવ્યો
ભરૂચ GIDC વિસ્તારમાં આવેલી તુષાર ટ્રાન્સ ઇકવ્યુટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ યુનિટ 2 કંપનીમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પાલિકા ફાયર બ્રિગેડ અને GNFC ટીમના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્ર દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનાને કારણે GIDC વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે.
અમરેલીમાં લગ્ન પ્રસંગે મારામારી: કારનો કાચ ફૂટ્યો:જેસીંગપરામાં સ્થાનિકો અને આયોજકો વચ્ચે હાથાપાઈ
અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ હતી. એક કારનો કાચ તૂટવાને કારણે સ્થાનિકો અને લગ્ન આયોજકો વચ્ચે બોલાચાલી થઈ, જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ સિટી પોલીસે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો હતો. જેસીંગપરામાં આવેલી સમાજવાડી ખાતે લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો. આ દરમિયાન, નજીકની સોસાયટીમાં પાર્ક કરેલી એક કારનો કાચ તૂટ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓ અને લગ્ન પ્રસંગના આયોજકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ, જે ઝડપથી હાથાપાઈમાં પરિણમી હતી. આ મારામારી સમાજવાડીના ગેટ પાસે જાહેરમાં થઈ હતી, જેના કારણે લગ્નમાં હાજર મહેમાનોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારીની જાણ થતાં જ અમરેલી સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મામલો શાંત પાડ્યો. હાલ પોલીસે આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરી પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન મારામારીની આ બીજી ઘટના છે. અગાઉ ધારીમાં પણ એક લગ્ન પ્રસંગમાં બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ફરી એકવાર અમરેલીમાં લગ્ન પ્રસંગમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે.
વેધર રિપોર્ટ:ભાવનગરમાં તાપમાન 33.4 ડિગ્રી થતા ઉનાળાના આરંભની ગરમી
ભાવનગર શહેરમાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની અસર હેઠળ મહત્તમ તાપમાન વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. શહેરમાં હવે શિયાળાની વિદાઇનો તબક્કો આવી ગયો છે. મધ્ય ઉત્તર પ્રદેશથી પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત સુધી ટ્રફ (ભેજની પટ્ટી)ની સિસ્ટમ સક્રિય છે, જેની અસરોથી લોકોએ બપોર પછી ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતુ તે આજે 2.4 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 33.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ જેથી બપોરના સમયે થોડી ગરમીનો અનુભવ શહેરીજનોને થયો હતો. 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 22.4 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 21 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. ભાવનગર શહેરમાં આજે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા હતુ તે આજે સાંજે 37 ટકા થઇ ગયું હતુ. આજે સવારે પવનની ઝડપ 10 કિલોમીટર હતી તે ઝડપ સાંજે ઘટીને 8 કિલોમીટર જેવી નોંધાઇ હતી. જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય છે, ત્યારે ગરમી વધે છે અને પસાર થયા બાદ ઠંડકમાં વધારો થાય છે.
હુમલો:શાક માર્કેટમાં સામુ જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો
ભાવનગર શહેરના રેલવે મેડિકલ કોલોની પાસે દેસાઈ નગરમાં રહેતા રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરૂએ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ તા. 19/2 ના રોજ પોતાના મોટાભાઈ સાથે શાક માર્કેટમાં ગયા હતા જ્યાં બે શખ્સોએ માત્ર સામું જોવા જેવી નજીવી બાબતે ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગંગાજળિયા પોલીસ સ્ટેશન માં નોંધાયેલી ફરિયાદ માં જણાવ્યા અનુસાર રાજભાઈ રાજેશકુમાર રાજ્યગુરુ પોતાના મોટાભાઈ જય ભાઈ સાથે પોતાનું સ્કૂટર લઈ તળાવમાં આવેલા શાક માર્કેટમાં શાક બકાલુ લેવા ગયા હતા કૈલાશ લસ્સી ની દુકાન પાસે પોતાનું સ્કૂટર રાખી ઉભા હતા અને તેના ભાઈ શાક બકાલુ લેવા ગયા હતા. તે વેળાએ તેના સ્કૂટરની સામેની બાજુ ઉભેલા એક શખ્સ સામે ભૂલથી જોવાય જતા તે શખ્સ અને તેની સાથે આવેલો શખ્સ બંનેએ રાજ ભાઈનો કાઠલો પકડી સામે કેમ જોવે છો તેમ કહી ગાળો બોલવા લાગેલ. ત્યારે બંને શખ્સો એકબીજાનું નામ આસીબ અને ઇમરાન નામે બોલાવતા હતા અને ધોકા વડે રાજ ભાઈના હાથ અને માથાના ભાગે મારતા લોહી નીકળવા લાગ્યું હતું જ્યાં દેકારો થતાં લોકો ભેગા થઈ ગયા હતા. આ આસિબ અને ઇમરાન બંને ભાગી ગયા હતા જેથી જય ભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં પોલીસે શાક માર્કેટમાં થયેલા હુમલાની ઘટનાને લઇ પોલીસ ફરિયાદ નોંધી વધુ તજવીજ હાથ ધરી હતી.
ભાવનગર યુનિ.નો દીક્ષાંત સમારોહ યોજાયો:29 માર્ચે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે
તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આજે વાઇસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને પદવીદાન સમારંભના આયોજન અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાઈસ ચાન્સેલરના માર્ગદર્શન હેઠળ આગામી પદવીદાન સમારંભની તારીખ અને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. રાજ્યના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ના વરદ હસ્તે આગામી 29 માર્ચના રોજ આ ભવ્ય દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે. આજરોજ યોજાયેલી તમામ કો-ઓર્ડીનેટરોની બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી અને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલના આગમનને ધ્યાનમાં રાખીને સુરક્ષા, બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમની ગરિમા જળવાય તે રીતે કામગીરીની વહેંચણી કરી આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહિલા શક્તિના નેતૃત્વમાં આ કાર્યક્રમ ઐતિહાસિક અને યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બોર્ડની પરીક્ષા:ભાવનગરમાં બોર્ડની પરીક્ષામાં કુલ 123 રાઇટરને મંજૂરી આપવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો આરંભ 26 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે ત્યારે આજે ભાવનગર શહેરમાં કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા વિદ્યાનગર ખાતે દિવ્યાંગ અને વિકલાંગ પરીક્ષાાર્થીઓ માટે લઈ આ એટલે કે રાઇટર અને વાચકની મંજૂરી માટેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ મળીને 123 રાઇટરને પૂર્ણપણે તબીબી ચકાસણી કરીને મંજૂરી આપવામાં આવી હતી. આજે અંધ ઉદ્યોગ શાળા ખાતે રાઇટર માટે કેમ્પ યોજાયો તેમાં દ્રષ્ટિક્ષતિવાળા 54, બૌદ્ધિક અસમર્થતાવાળા 39, લર્નિંગ ડિસેબીલીટી ધરાવતા 10, બહુ વીકલાંગતા ધરાવતા 8, હલનચલનની અક્ષમતાવાળા 4, અકસ્માત, ઇજા કે ફ્રેકચરવાળા 2 અને સેરેબ્રલ પાલ્સીના 6 પરીક્ષાર્થી મળીને કુલ 123 પરીક્ષાર્થીને રાઇટરની સુવિધા આપવામાં આવી છે. આ વર્ષથી રાઇટર સાથેના પરીક્ષાર્થીને દર એક કલાકની પરીક્ષામાં 20 મિનિટ એટલે કે 3 કલાકની બોર્ડની પરીક્ષામાં એક કલાક વધુ મળશે. આજે ભાવનગરની રસ તખ્તસિંહજી હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.મુકેશભાઇ શાહની ડોકટરની ટીમમાં ડો.રસિક શિયાળ, ડો.જિનેશ પરમાર, ડો.સચિન મહેતા, ડો.પૂજા ગોહેલ, ડો.પૂર્ણિમા અને ડો.અધિશભાઇ ત્રિવેદીએ સવારના 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દિવ્યાંગ વિદ્યાર્થીઓની તપાસ કરી કામગીરી બજાવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના દિલીપભાઇ સોલંકી અને વિક્રમસિંહ પરમાર તેમજ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે આજના કેમ્પ દરમિયાન કુલ 123 રાઇટરને મંજૂરી આપી હતી. દિવ્યાંગો માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થાદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો ખાતે કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવશે જેમાં દિવ્યાંગ પરીક્ષાર્થી નજીક હોય તેવું પરીક્ષા સેન્ટર ફાળવાશે અને તે માટે વ્યવસ્થા કરાશે ઉપરાંત દિવ્યાંગ પરીક્ષાથી માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે, દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર જેમકે બેક ચેર ડેસ્ક ટેબલ વગેરે તેમજ સુગમ્ય શૌચાલય યુક્ત સુવિધા વાળું કેન્દ્ર હોય તેની કાળજી રાખવામાં આવશે જેથી જિલ્લામાં ભૌતિક સુવિધા ધરાવતી કાર્યરત વિશિષ્ટ શાળાઓને પણ પરીક્ષા કેન્દ્ર તરીકે રાખી શકાશે અને વિશિષ્ટ શિક્ષકોને સાંકળીને જવાબદારી સોંપી શકાશે.
મંદિરમાં ચોરી:સણોસરામાં એક જ રાતે બે મંદિરોની દાનપેટી તૂટી, રૂપિયા 22 હજારની ચોરીથી ખળભળાટ
ભાવનગર જિલ્લાના સણોસરા ગામે એક જ રાત્રી દરમિયાન બે મંદિરોની દાનપેટીના તાળા તોડી અજાણ્યા તસ્કરો દ્વારા કુલ રૂ. 22 હજારની ચોરી કરાતા ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ધાર્મિક આસ્થાના કેન્દ્રસ્થાનોમાં થયેલી આ ઘટનાથી ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે અને પોલીસ તંત્રએ સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે. સણોસરા લોકભારતી રોડ, જલારામ નગર ખાતે રહેતા નાગજીભાઈ ખોડાભાઈ ડાભીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ જણાવ્યું હતું કે ગામમાં આવેલા રામદેવપીર મંદિર ખાતે રામામંડળ કાર્યરત છે, જ્યાં મંદિરની આવક તથા આખ્યાનના રૂપિયા આવતાં હોય છે અને તેનો વહીવટ નાગજીભાઈ તથા ઉકાભાઈ કરસનભાઈ ચૌહાણ સંભાળે છે. મંદિરના ગર્ભગૃહની બહાર નાની દાનપેટી મુકવામાં આવી છે. તા. 19/02/2026ના રોજ મંદિરે રામદેવપીરની દેગ પ્રસંગે રાત્રે પોણા એક વાગ્યા સુધી આશરે 300 જેટલા શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા, ત્યારબાદ સૌ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. વહેલી સવારે ઉકાભાઈએ નાગજીભાઈને જાણ કરી કે મંદિરમાં ચોરી થઈ છે. મંદિર ખાતે પહોંચતા જાણવા મળ્યું કે કચરા-પોતા કરવા આવતા બહેનએ મંદિરનું પ્રવેશ તાજ દાનપેટી તૂટેલી હાલતમાં જોઈ હતી અને સિક્કા વેરવિખેર પડેલા હતા. તરત જ વહીવટદારોને જાણ કરવામાં આવી હતી. મંદિરના સીસીટીવી કેમેરાની તપાસ કરતા બે અજાણ્યા ઇસમો દાનપેટીમાંથી અંદાજે રૂ. 20 હજાર લઈ જતા દેખાયા હતા. ગામમાં આવેલા ખોડીયાર માતા મંદિરની દાનપેટી તોડી તેમાં રહેલા 2 હજારની ચોરી કરાયાનું ગામના ગોબરભાઈ રાણાભાઈ સાંબટે જણાવ્યું હતું. એક જ ગામમાં એક જ રાત્રે બનેલી આ બે ચોરીની ઘટનાઓને લઈ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. નાગજીભાઈ તથા ગોબરભાઈએ સણોસરા પોલીસ સ્ટેશનમાં બંને મંદિરોમાંથી રૂ. 22 હજારની ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ તંત્રએ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ માટે તપાસનો ધમધમતો ચક્ર ગતિમાન કરી ચોરો ને ઝડપવા ગામજનો એ જણાવ્યું હતું.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:રાણપરડા ગામ પાસેથી પાંચ જુગારીઓ ઝડપાઈ ગયા
મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં LCB ના પોલીસ કર્મચારીઓ પોલીસ પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ખાનગી રહે બાતમી મળી હતી કે મહુવા તાલુકાના રાણપરડા ગામે હાઇવે ઉપર આવેલ મીના હોટલ ની બાજુમાં બકાભાઇની વાડીમાં ઓરડીની પાછળ ખુલી જગ્યામાં અમુક લોકો કુંડાળો વળી હાર જીતનો પૈસાનો જુગાર રમતા હોય તેથી પોલીસે ત્યાં દરોડા પાડયા હતા. આ દરોડામાં મુનેશ નસરુભાઈ વસાઈ, સોહીલ બાબુભાઈ માવાણી, મુસ્તાક હબીબભાઈ નુરાણી, અબ્દુલ રજાકભાઈ કાળવાતર, અને રિયાઝ સલીમભાઈ ચારણીયા ને ઝડપી પાડી સ્કૂલ 17,200 ની રકમ સાથે ઝડપી પાડી પાંચે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું:પચ્છેગામના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણનું જાહેરનામું
વલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી 551 કુંડી મહા વિષ્ણુયાજ્ઞ, આગામી તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 દરમ્યાન પચ્છેગામ ખાતે શ્રી મુરલીધર ભગવાનના નીજ મંદિરમાં ભાગવત કથા તથા તા.26મી ફેબ્રુઆરી-2026ના પચ્છેગામ પધારનાર સંત લાલબાપુની નગર યાત્રા અને ભગવાનશ્રી મુરલીધર દાદાની નગર ચર્ચાના કાર્યક્રમોને લઈ ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ટ્રાફિક નિયંત્રણના ભાગરૂપે તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી લાગુ કરાયેલા જાહેરનામા અનુસાર વલભીપુરથી પચ્છેગામથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે. તેમજ સામેથી આવતા વાહનોને કંથારીયાથી પ્રવેશ પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં કંથારીયાથી વલભીપુર જવા માટે રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામથી વલભીપુર જવા ટુ વ્હિલ અને ફોર વ્હિલોને ખેતરના (ખેતર માર્ગ કાચો રસ્તો) 3 કી.મી રસ્તા પરથી થઈને લાખણકા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. પચ્છેગામ કથામાં આવતા હેવી વાહનોમાં પચ્છેગામથી વલભીપુર જવા માટે કંથારીયા-રાજપરા-જાળીયા-નવાણીયા-કાનપર ગામ થઈને અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. આ ઉપરાંત લીમડા ગામના ઢાળથી કંથારીયા તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને સામેથી આવતા વાહનોને લીમડા ગામના ઢાળ તરફ પ્રવેશ કરવો નહિ. ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને નહેર (નહેર માર્ગ કાચો રસ્તો )નો 3 કી.મી રસ્તા પર થઈને સાલપરા ગામના પાટિયા પાસે અમદાવાદ હાઈવેથી વલભીપુર જવાનું રહેશે. ઉમરાળાથી વલભીપુર હાઇવે પર રાજસ્થળી ગામના પાટીયેથી વાવડી ગામ થઈને હળીયાદ ચોકડી થઈને પચ્છેગામ તરફ જતા વાહનોને પ્રવેશ રહેશે અને પચ્છેગામ તરફથી આવતા વાહનો તેમજ વાવડી થઈને ઉમરાળાથી વલભીપુર હાઇવે થઈને જતા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. તેમજ ડાયવર્ઝન રૂટમાં ટુ વ્હિલ અને ફોર વ્હિલોને કંથારીયા-ખેતાટીંબી-નવાગામ-હળીયાદ ચોકડી-વડોદ ગામ થઈ બોટાદ હાઈવેથી જવું પડશે. ઉપરાંત ટુ વ્હિલ અને ફોર વ્હિલ માટે તથા રૂટના હેવી વાહનો માટે કંથારીયા-રાજપરા-જુનારતનપર- કાળાતળાવ-દરેડ થઈ બોટાદ હાઈવેથી જવાનું રહેશે. આ જાહેરનામામાં થી સરકારી ફરજ માટે વાહનો, ફાયર બ્રીગેડ અને એમ્બ્યુલન્સને મુક્તિ અપાઈ છે. ધાર્મિક કાર્યક્રમને લઈને એસ.ટી.બસ સુવિધાવલભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે શ્રી મોરલીધર દાદા ના નિજ મંદિર પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટે ભાવનગર એસ.ટી વિભાગ દ્વારા ખાસ વધારાની એસ.ટી.બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જેમાં પ્રવેશોત્સવ દરમિયાન તા.22મી ફેબ્રુઆરી-2026થી 1લી માર્ચ-2026 સુધી દરમિયાન કાળિયાબીડ, ભાવનગર એસ.ટી. ડેપો, તળાજા એસ.ટી. ડેપો અને મહુવા એસ.ટી. ડેપોથી ખાસ વધારાની એસ.ટી.બસ ફાળવવામાં આવી છે.
રાજકારણ ગરમાયું:વાઘાવાડી રોડ પરથી આપના બોર્ડ બેનર હટાવતા વિવાદ
ભાવનગર ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને પચ્છેગામ ખાતે ધાર્મિક કાર્યક્રમ માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય આગેવાનોના લગાવેલા હોર્ડિંગ અને બેનર કોર્પો. દ્વારા વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ સર્જાયો હતો અને સ્થળ પર આપના ધારાસભ્યએ જઈ ચડી કર્મચારીઓનો ઉધડો લીધો હતો. આવતીકાલ રવિવારે જવાહર મેદાનમાં યોજાનાર સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન અને વલભીપુર પચ્છેગામ ખાતે યોજાનાર મુરલીધરજી ભગવાનના નિજ મંદિર પ્રવેશોત્સવના સમારોહમાં ઉપસ્થિતિ માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આજે ભાવનગર આવ્યા છે. તેઓના આવકાર માટે શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જાહેર સ્થળો અને માર્ગો પર આપના નેતાના ફોટા સાથેના બોર્ડ બેનર લગાવ્યા છે. મંજૂરી વગરના લગાવેલા બોર્ડ બેનર મોડી સાંજે કોર્પો. દ્વારા શહેરના વાઘાવાડી રોડ પરથી હટાવતા વિવાદ થયો હતો. વાઘાવાડી રોડ પર આપ દ્વારા લગાવેલ બેનર હટાવતા સ્થળ પર આપના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલીયા દોડી ગયા હતા. જ્યાં ભાજપની તાનાશાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બોર્ડ બેનર ઉતારતા કર્મચારીઓનો ઉધડો લીધો હતો.
બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા નિત નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે અને તેની માટે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પણ રાજ્યમાં જુદા જુદા જિલ્લા શિક્ષણાધિકારીઓની મનમાની મુજબના નિર્ણયો લેવામાં આવતા હોય છે. દેવભૂમિ દ્વારકા અને ગાંધીનગરમાં HTAT ના મુખ્ય શિક્ષકોને બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે જ્યારે ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાના 146 મુખ્ય શિક્ષકોને જવાબદારીના હુકમ કરાયા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી એચએસસી અને એસએસસી બોર્ડ પરીક્ષામાં સામાન્ય રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને જવાબદારી સોપવામાં આવે તે યોગ્ય છે. જો તેમાં સ્ટાફની ઘટ હોય તો નગર પ્રાથમિક અને જિલ્લા પંચાયતના પ્રાથમિક શિક્ષકોને જવાબદારી સોપે તે પણ સ્વીકાર્ય છે. પરંતુ હવે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારીમાં પુરતી ભરતી થઈ ગયેલ છે અને વર્ગ-2 ની જગ્યા પણ તમામ ભરેલ હોવા છતાં ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ કોર્પોરેશનની પ્રાથમિક શાળામાંથી 44 મુખ્ય શિક્ષક (HTAT) અને જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાંથી 102 મુખ્ય શિક્ષક (HTAT)ને આગામી બોર્ડની પરીક્ષા માટે સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂકના ઓર્ડર કર્યા છે. અગાઉ પણ શિક્ષક સંઘ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત પણ કરી હતી. તેમ છતાં રજૂઆતને ધ્યાને લીધા વગર હુકમો કરવામાં આવ્યા છે. પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિની જવાબદારી સોંપવાને કારણે શાળાનો રોજિંદો વહીવટ ખોરવાઈ શકે છે, નાણાકીય અને શૈક્ષણિક નિર્ણયો તેમજ કામગીરીમાં વિલંબ થઈ શકે છે. જે બાબતે ગાંધીનગર અને દેવભૂમિ દ્વારકામાં રજૂઆતને લઈ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને સરકારી પ્રતિનિધિ માંથી મુક્તિ આપવામાં આવી છે. ભાવનગરમાં મુખ્ય શિક્ષકોને મુક્તિ માટે નિર્ણય લેવાયો નથી.
હુમલો:દિવાલના પ્લાસ્ટર મુદ્દે એક પાડોશીનો બીજા પાડોશી પર કરાયેલો હુમલો
મહુવા તાલુકાના કતપર ગામમાં પડોશી વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પરિવાર પર સામૂહિક હુમલો થયાની ઘટના સામે આવી હતી. પ્લાસ્ટર કામને લઈ થયેલી બોલાચાલી પળવારમાં અથડામણમાં ફેરવાઈ ગઈ હતી અને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ ઈંટ-પથ્થરોથી પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં એક જ પરિવારના સભ્યોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક મહુવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મળતી માહિતી અનુસાર કતપર ગામમાં રહેતા પરેશભાઈ કાળુભાઈ શિયાળ સવારના સમયે પોતાના ઘરે પરિવાર સાથે હાજર હતા, ત્યારે પાડોશમાં રહેતા ભરતભાઈ સુખાભાઈ બારૈયા તથા તેમના પરિવારજનો ઘર પાછળ આવેલી દીવાલ પર પ્લાસ્ટર કરાવવાના મુદ્દે તેમના ફળિયામાં આવ્યા હતા. પ્લાસ્ટર તો કરાવવાનું જ છે, થાય તે કરી લેજો જેવી ધમકીભરી ભાષા વાપરતાં વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. પરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરત સુખાભાઈ બારૈયા, જયાબેન ભરતભાઈ બારૈયા, વિપુલ ભરતભાઈ બારૈયા તથા ધનજી ભરતભાઈ બારૈયાએ એકજૂથ થઈ હુમલો કરી પરેશભાઈ તથા તેમના પરિવારજનોને ઇજાગ્રસ્ત કર્યા હતા. જેથી તેઓને સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસે આ બનાવની ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
સન્ડે ફોટો સ્ટોરી:શોર્ય રંગથી ઝળહળતા આકાશ નીચે મોખડાજીનો યુદ્ધ ટંકાર
જેઓના ઘડે, વગર માથાએ આઠ દિવસ સુધી લડી તુઘલકની સેનાનો કચ્ચરઘાણ વાળ્યો હતો એવા મહા વીર મોખડાજીની શૌર્યગાથા સાંભળી આજે પણ શોર્ય રસ રગોમાં વહેતો થવા લાગે છે. ત્યારે શૂરવીરતાના કેસરી રંગ ધારણ કરેલી સંધ્યા સમયે ક્લિક કરવામાં આવેલી તસવીરમાં ભાવનગરના મોખડાજી સર્કલ ખાતે સ્થિત તેની જીવંત લાગતી પ્રતિમા ઇતિહાસને ફરી જીવંત કરી રહી છે.અશ્વ પર સવાર વીર મોખડાજી તલવાર ઉગામી ચડાઈ કરવા તત્પર હોય એમ ભાસે છે.
વેપારીઓને કરવામાં આવતી હેરાનગતિ ચરમસીમાએ:CGST સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ કેન્દ્રમાંથી તપાસ
ભાવનગર સીજીએસટી કચેરી દ્વારા વ્યવસાયકારો, ઉદ્યોગકારોને નોટિસો પાઠવી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવા અંગે અલંગના અગ્રણી શિપ બ્રેકરોના સમૂહે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના લેટરહેડ તળે સભ્યોની સહી સાથે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો, તે પત્ર અન્ય માધ્યમથી વડાપ્રધાન કાર્યાલય, સીબીઆઇ, જીએસટી કાઉન્સિલ, સીબીઆઇસી સહિતનાને મળતાની સાથે જ ગુપ્તરાહે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, અને આગામી દિવસોમાં મોટા પગલાના ભણકારા વાગી રહ્યા છે. દરમિયાન ભ્રષ્ટ અધિકારીઓ પોતાના વચેટીયાઓને મોબાઇલમાંથી ડેટા, હિસ્ટ્રી નાબૂદ કરાવી રહ્યા છે. સીજીએસટી ભાવનગર કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે નવયુગ શિપબ્રેકર્સના વી.બી.તાયલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ની જનરલ બોડીની મીટિંગ જાન્યુ.માં મળી હતી અને તેમાં સીજીએસટીના અધિકારીઓના અસહ્ય ભ્રષ્ટાચાર અંગે વડાપ્રધાનને ફરિયાદ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ. આ મીટિંગમાં 27 સભ્યો હાજર હતા અને 23 સભ્યોએ ફરિયાદપત્ર પર પેઢીના નામ, મોબાઇલ નંબર સાથે સિક્કા સાથે સહી પણ કરી હતી. તંત્રના ભ્રષ્ટાચાર અંગે હું મારી વાત ઉપર અડગ છું અને કોર્ટમાં એફિડેવિટ પણ કરવા માટે તૈયાર છું. દરમિયાન એસો.ના પ્રમુખ વિશ્નુકુમાર ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, એસો. દ્વારા ફરિયાદ કરવામાં આવી નથી. એસો.ના લેટરહેડ તળે કરવામાં આવેલી ફરિયાદમાં તા.15મી થી 31મી ડિસેમ્બર 2025 દરમિયાનના ભાવનગર કમિશનર સીજીએસટી કચેરીના તમામ સીસીટીવી ફૂટેજ સલામત રીતે સાંચવી રાખવા અપીલ કરવામાં આવી છે, આ સમયગાળામાં કચેરીમાં કઇંક ભેદી હિલચાલ થઇ હોવાની શંકાઓ પણ બળવત્તર બની છે. શનિવારે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તપાસનો દોર સંભાળી અને ગુજરાતમાં ગુપ્તરાહે તપાસ શરૂ કરી છે. શનિવારે દિવસ દરમિયાન આખા ગુજરાતના જીએસટી કર્મચારીઓમાં ભાવનગરમાં બનેલી ઘટનાની તિવ્ર ચર્ચાઓ ફેલાઇ હતી. જે વેપારીઓને નોટિસો ફટકારાઇ છે તે પૈકીના મોટાભાગના વેપારીઓ પાસે ઇન્વોઇસ, બીલ-ટી, ઇ-વે બિલ, વજન કાંટા ચીઠ્ઠી, બેંક ખાતાના ઉતારા જેમાં વેચાણની રકમ જમા આવી હોય, તે રજૂ કર્યા હતા છતા અધિકારીઓ સાચા કિસ્સામાં પણ વેપારીઓની હેરાનગતિ કરી રહ્યા છે. જ્યારે કે સીજીએસટી તંત્રના કોમ્પ્યુટરમાં 5 વર્ષ દરમિયાન ક્યારે, કઇ ટ્રક નીકળી, ક્યાં ગઇ આવા ટ્રાન્સપોર્ટ ટ્રેક હિસ્ટ્રી રેકોર્ડ હોય જ છે છતા પોતાના રેકોર્ડની ચકાસણી કર્યા વિના છેલ્લા 6 માસથી ભાવનગરના વેપારીઓને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે. ભાવનગર સાથે તંત્રના સાવકા વ્યવહારનો આક્ષેપસીજીએસટીના કાયદા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં એક સરખા લાગુ પડે છે, તો માત્ર ભાવનગરમાં જ વ્યાવસાયિક પેઢીઓના નામમાં તબદીલીઓ આવવી, ભાગીદાર બદલાવા, પ્રોપરાઇટરમાંથી પ્રાયવેટ લિમિટેડ કંપની થવાના કિસ્સામાં પેઢીના પરમેનન્ટ એકાઉન્ટ નંબર નવા લેવામાં આવ્યા હોય છે. વેપારીઓ વચ્ચે જુના નંબરથી લેવડ-દેવડ, વેપાર થયેલો હોય તો જેને વેચાણ આપવામાં આવ્યુ હોય છે તેવા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી કાર્યવાહી ગુજરાતના એકપણ શહેરોમાં કરવામાં આવતી નથી, માત્ર ભાવનગરમાં જ શા માટે, અને કોના ઇશારે, કેવા અવાંતર હેતુથી આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેના અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. એસો.ના હોદ્દેદારને અધિકારીઓએ સાચવી લીધાશિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના એક હોદ્દેદારનો પણ રૂપિયા 5.25 કરોડનો ડિમાન્ડ ઓર્ડર નિકળ્યો હતો, અને સીજીએસટીના અધિકારીઓએ 4.25 કરોડની ડિમાન્ડ વીથડ્રો કરાવી નાંખી હતી, બદલામાં એસોસિએશન દ્વારા સભ્યોની કોઇ આગેવાની લેવામાં ન આવે તેવી આડકતરી ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાબતે એસોસિએશનના મોટાભાગના સભ્યોમાં પણ અસંતોષ ફાટી નિકળ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 21થી 23મી ફેબ્રુઆરી સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્સટાઈલ એક્ષ્પો–2026’નું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબીશનના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને વાડીલાલના ચેરમેન રાજેશ ગાંધીએ કહ્યું હતું કે, ‘આ પ્રદર્શન માત્ર ટેક્સટાઈલ ઉદ્યોગના વિકાસ માટે જ નહીં, પરંતુ શહેરના સર્વાંગી વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. યુરોપિયન કે જાપાનીઝ ટેકનોલોજી આધારિત મશીનરીનું ઉત્પાદન ભારતમાં જ લગભગ 80થી 90 ટકા સુધી શકય છે. ટેક્ષ્ટાઇલ મશીનરીના ક્ષેત્રમાં પણ ભારત વિશ્વ કક્ષાનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી શકે છે. ટેક્સટાઈલ ઉદ્યોગને AI સાથે સાંકળવાની દિશામાં કેટલાક પડકારો હોવા છતાં તેનો અમલ કરવામાં આવે તો ઉત્પાદનમાં એફિશિયન્સી અને સ્પીડમાં નોંધપાત્ર વધારો થશે. AIના ઉપયોગ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોથી ટેક્સટાઈલની નિકાસમાં પણ મોટો વધારો કરી શકાય છે. એક્ષ્પોમાં અદ્યતન મશીનોની શ્રેણી રજૂ કરવામાં આવી છે‘ચેમ્બર દ્વારા સીટેક્ષ એક્ઝિબિશનની 13મી આવૃત્તિ રજૂ કરાઇ છે. જેમાં વિશ્વમાં પ્રથમ વખત ચાર પનાવાળું હાઇસ્પીડ રેપિયર જેકાર્ડ મશીન સીટેક્ષ એક્ષ્પોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. સાથે જ હાઇસ્પીડ એરજેટનો પણ ડેમો રજૂ કરાયો હતો. નવી પોઝિશન પ્રિન્ટર મશીનરી અને પોઝિશન એમ્બ્રોઇડરી મશીનરી પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આ એક્ષ્પોમાં સકર્યુલર નિટિંગ મશીનની અદ્યતન શ્રેણી પણ રજૂ કરાઇ છે. > નિખિલ મદ્રાસી, ચેમ્બરના પ્રમુખ
ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો:SRKના 12માં સમૂહ લગ્નોત્સવમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ - સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સમૂહ લગ્નોત્સવમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરાવવામાં આવ્યા. ‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ હતો જેના સાક્ષી 15000થી પણ વધુ લોકો બન્યા હતા. 2015થી શરૂ કરવામાં આવેલા પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. આ સમૂહ લગ્નોત્સવ પાછળની ભાવનાનું પ્રેરણાસ્રોત SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ ગોવિંદભાઈ ધોળકિયાનું વિચાર છે. તેઓનો વિશ્વાસ છે કે, “તમારી સંપતિનો સદુપયોગ કરવો હોય તો સાચી જરૂરિયાતવાળા લોકો તમારી આજુબાજુ તમારી સામે જ છે અને તેમના માટે કંઈક સારા કામ કરીએ એ જ સાચી સેવા છે.” ‘પ્યોર વિવાહ’ની આખી સંકલ્પના આ વિચાર પર આધારિત છે. તેઓ દરેક દીકરીને SRK પરિવારની દીકરી સમાન માને છે અને તેમને માન, આનંદ અને આત્મીયતા સાથે વિદાય આપવાની ભાવનાથી આ સમારોહ આયોજિત કરવામાં આવે છે. દીકરીઓને 3 લાખથી વધુનો કરિયાવર ભેટમાં અપાયોસમારોહમાં તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થઇ હતી. SRK તરફથી દીકરીઓને 3 લાખથી પણ વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો. સમારોહના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ, લો અને જસ્ટિસ મિનિસ્ટર અર્જુનરામ મેઘવાલે હાજરી આપી હતી. મુખ્ય મહેમાન તરીકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. મેયર દક્ષેશ માવાણી, કલેક્ટર સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, નેવીના કેપ્ટન શ્યામકુમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
સારોલી પોલીસે બાતમીના આધારે સુરત કડોદરા રોડ પર નિયોલ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવીને રૂ.7.03 લાખની કિંમતના 13.868 કિલોગ્રામ ગાંજા સાથે એક ઓરિસ્સાવાસીને પકડી કાઢ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સારોલી પોલીસને બાતમી મળી હતીકે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગાંજાનો મોટો જથ્થો પસાર થનાર છે. બાતમીના આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રે દોઢ વાગ્યાના અરસામાં સાબરગામ ત્રણ રસ્તા નિયોલ ચેકપોસ્ટ પાસે આવી પહોંચેલા મંગલુ દિવાકર સેઠી (રહે,કૃષ્ણનગર ચીકુવાડી ચાર રસ્તા પાંડેસરા મુળ રહેત,સુનમ સોસાયટી આસ્કા શહેર જી.ગંજામ ઓરિસ્સા)ને પકડી પાડી તેની પાસેના કોથળાની તપાસ કરતા અંદરથી રૂ.6,93,400ની કિંમતનો 13,868 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આ ગાંજો કબજે લઇને મંગલુની ધરપકડ કરી છે. જ્યારે આ ગાંજો મોકલનાર ગંજામના રહેવાસી સંતોષ અને મંગાવનાર રંજન (રહે,સુરત)ને વોન્ટેડ જાહેર કર્યા છે.
જિલ્લા સંકલન:સરકારી જમીન-GIDCની ખાડીના દબાણો,અશાંત ધારા મુદ્દે ધારાસભ્યોએ ફરિયાદ કરી
જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. ધારાસભ્ય મુકેશ પટેલે ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવા, અરવિંદ રાણાએ મહિલા પોસ્ટ ઓફિસ બંધ ન કરવા, મનુ પટેલે જીઆઈડીસી વિસ્તારમાં ખાડીના દબાણો દૂર કરવા, સંદિપ દેસાઈએ ડીંડોલીથી કરાડવા રોડ પર ગંદકી દૂર કરી રોડ રિકાર્પેટ કરવા અને સંગીતા પાટીલે સરકારી કોલેજની જમીન અંગે રજૂઆત કરી હતી. મેયર દક્ષેશ માવાણીએ ચોમાસા દરમિયાન શહેરમાં ખાડી પુરની સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરી હતી. કલેકટરે ડ્રેનેજ અને પાલિકા અને કમ્બાઇન્ડ દરખાસ્ત પ્રાયોરીટીના ધોરણે કરવા જણાવી, ઝીંગા તળાવો દૂર કરવામાં આવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ રાણાએ રજૂઆત કરી હતી કે, ઝાંપાબજાર ખાતેની મહિલા કર્મચારીઓથી કાર્યરત ગુજરાતની એકમાત્ર વુમન પોસ્ટ ઓફીસ બંધ કરવામાં ન આવે. અશાંતધારા હેઠળ મિલ્કત ખોટી રીતે તબદીલ ન થાય તે જરૂરી છે. આ બાબતે કલેક્ટરે કહ્યું હતું કે, ‘પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય મુકેશ પટેલે રજૂઆત કરી હતી કે, ‘બરબોધનમાં તળાવ પાસે અને ઓલપાડમાં સરકારી જમીનો પર દબાણો દૂર કરવામાં આવે. ઓલપાડની પ્રાથમિક શાળાઓના બાંધકામ મંજુરી છતાં ઘણા સમયથી થતાં નથી, તેવી રજુઆત કરી હતી. કલેક્ટરે કોન્ટ્રાકટરોને બ્લેકલિસ્ટ કરવા અધિકારીને તાકીદ કરી હતી.
જમીન પચાવવાનુ રેકેટ:એક જ સાટાખત પર ખેલ, સ્ટેમ્પ વેન્ડરોની પણ ગુનાઇત ભૂમિકા
વેસુની નવા બ્લોક નંબર 311-2ની અંદાજે 200 થી 300 કરોડની જગ્યા પચાવી પાડવામાં પોલીસ ગિરફ્તમા આવેલા આરોપી વિનુ માલવિયાના સાથીદાર પ્રતુલ પટેલની પણ બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ કરાઇ હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે 24મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. મૂળ ફરિયાદી તરફે એડવોકેટ શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. રિમાન્ડના મુદ્દામાં ઉલ્લેખ કરાયો હતો કે આરોપી અમેરિકન સિટિઝન છે અને ખૂબ ચાલાક છે. રજી નં.5062વાળા એક જ સ્ટેમ્પ પેપર ઉપર જુદી જુદી તારીખથી જુદા જુદા સાટાખતો જે હાલના આરોપીના નામે હોય જે સ્ટેમ્પ ખરીદી કયાથી કરી તેની પણ તપાસ કરવાની છે. અસલ સાટાખત હજી પોલીસને મળ્યા નથી: રિમાન્ડના મુદ્દા
દ. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં જ્ઞાનના નવા સરકારી દ્વાર ખુલવા જઈ રહ્યા છે. વર્ષોની રજૂઆતો બાદ હવે શિક્ષણ વિભાગે સુરતની બે સહિત 4 નવી સરકારી કોલેજોને મંજૂરી આપી છે.અરેઠ, અંબિકા, નાના પોંઢા અને ખેરગામમાં સાયન્સ, કોમર્સ અને લો જેવા પ્રવાહો શરૂ થશે. નવા સત્રથી વિધાર્થીઓ પ્રવેશની શક્યતા છે. આદિજાતિ વિસ્તારની કોલેજોમાં મળનારી સુવિધાઓ આ આદિજાતિ વિસ્તારોમાં નવી કોલેજો શરૂ થશે નોંધ: વિદ્યાર્થીઓ માટે રૂ. 900 અને વિદ્યાર્થિનીઓ માટે માત્ર રૂ. 315 ફી રહેશે વાંસદા કોલેજને બીએસસીની મંજૂરી વાંસદાની સરકારી કોલેજમાં હાલમાં માત્ર B.A. અને B.Com. છે, પરંતુ હવે ત્યાં B.Sc. શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. યુનિવર્સિટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ નવા સત્રથી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
નોકરી ન્યુઝ:SVNITમાં AI સહિત 10 વિભાગમાં દેશના 100 વિધાર્થીને રિસર્ચની તક, મહિને 5 હજાર સ્ટાઇપેન્ડ
SVNIT દ્વારા વર્ષ 2026 માટે સમર ઇન્ટર્નશિપ પ્રોગ્રામ જાહેર કરાયો છે. જેમાં દેશની વિવિધ કોલેજોના 100 વિદ્યાર્થીઓને બે મહિના સુધી નિષ્ણાત પ્રોફેસરોની દેખરેખ હેઠળ રિસર્ચની તક મળશે. પસંદ થયેલા ઇન્ટર્ન્સને મહિને રૂ. 5 હજારનું સ્ટાઇપેન્ડ ચૂકવાશે. જે વિદ્યાર્થીઓ B.E. કે B.Tech કરી રહ્યા છે અને ઓછામાં ઓછી 5મા સેમેસ્ટરની પરીક્ષા આપી છે તેઓ અરજી કરી શકશે.ઉપરાંત, 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ M.Sc.ના વિદ્યાર્થીઓ કે જેઓ 5મા સેમેસ્ટર પછીના અભ્યાસક્રમમાં છે, તેઓ પણ આ સુવર્ણ તકનો લાભ લઈ શકશે. શૈક્ષણિક રેકોર્ડ સારો હોવો ફરજિયાત છે. ઇન્ટર્ન્સને SVNIT કેમ્પસની હોસ્ટેલમાં રહેવાની સુવિધા ચૂકવણીના ધોરણે પૂરી પાડવામાં આવશે. જ્યારે મેસ અને કેન્ટીનનો જમવાનો ખર્ચ વિદ્યાર્થીઓએ પોતે ભોગવવાનો રહેશે. આ વિભાગોમાં રિસર્ચ થશેવિદ્યાર્થીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (DoAI), કોમ્પ્યુટર સાયન્સ (DoCSE), સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને ફિઝિક્સ એમ કુલ 10 વિભાગોમાં અરજી કરી શકશે.
26મી ફેબ્રુઆરીથી ધોરણ 12 કોમર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ હાલ રિવિઝન કરવામાં લાગી ગયા છે.ધોરણ 12 કોમર્સમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર સ્કોરીંગ માટે મહત્વના સબ્જેક્ટ ગણવામાં આવે છે. અનેક વિદ્યાર્થીઓ આ બંને વિષયમાં 100માંથી 100 ગુણ મેળવતા હોય છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ માટે આ જ બંને વિષય મુશ્કેલી સર્જતા હોય છે. ત્યારે ટૂંકા સમયમાં આ બંને વિષયોમાં સફળ થવા માટે અને 80થી વધુ માર્ક લેવા માટે કઈ રીતે તૈયારી કરવી તે જાણવા દિવ્ય ભાસ્કરે વિષય નિષ્ણાંતો સાથે વાત કરી હતી. એકાઉન્ટમાં 80 પ્લસ માર્ક મેળવવા શું કરશો?એકાઉન્ટ એટલે કે નામાના મૂળ તત્ત્વો અંગે વિષય નિષ્ણાંત કુંતલ શાહે જણાવ્યું હતું કે, આપણે હોંશિયાર વિદ્યાર્થીની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાની અંદર તેઓએ સ્વાધ્યાયના ભાગ- 1અને ભાગ-2, બધા જ ચેપ્ટરના વિકલ્પો અને એક-એક વાક્યના કે જે ચોપડીની પાછળ આપ્યા છે તે તમામ તૈયાર કરી લેવાના અને વિભાગ 'E' કે જે પ્રવેશ, નિવૃત્તિ, શેરમૂડી. આ ત્રણ ચેપ્ટર એના સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી લેવા જેથી આરામથી 80 પ્લસ માર્ક મેળવી શકાય છે. જે વિધાર્થીએ પુરે પૂરા માર્ક્સ જોઈતા હોય તે આ ત્રણ ચેપ્ટરની સાથે સાથે ભાગીદારીના વાર્ષિક હિસાબો અને કંપનીના વાર્ષિક હિસાબો એ પણ સ્વાધ્યાયના દાખલા ખાસ ગણી નાખે તો એમના માટે પૂરેપૂરો માર્ક્સ મેળવી શકશે. એકાઉન્ટ વિષયની તૈયારી કરતી સમયે આટલી બાબતનું ધ્યાન રાખોવધુમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષાની અંદર મોટાભાગનું આખું પેપર માર્ચ 2026માં ચોપડીમાંથી જ પુછાવવાનું છે. એક-એક વાક્યના હોય કે વિકલ્પો હોય તે ચોપડીની સ્વાધ્યાયમાં ખૂબ જ ધ્યાન આપે અને જોડે જોડે જે વિભાગ 'E' છે એના માટે ઉદાહરણના દાખલા પણ ખાસ જોઈ જાય, તો આ વર્ષે ઉદાહરણના દાખલા પૂછાવાના પૂરા ચાન્સ છે. તો બોર્ડની પરીક્ષાની આગળ જે લોકોને એકાઉન્ટનું પેપર છે આગળ ચાર રજાઓ છે. તો ચાર રજાઓનો ઉપયોગ એ જ રીતે કરે કે પહેલી બે રજાઓ છે એની અંદર વિભાગ 'E' ના ત્રણે ત્રણ ચેપ્ટરના દાખલા ગણી નાખે અને એ જ દિવસે તેઓ વિભાગ 'F' માં જે છેલ્લા બે ચેપ્ટર હોય છે 11-11 માર્કના એનું પૂરું કરી દે અને એના પછીના જે બે દિવસ રહે છે એ થિયરી માટે રાખે અને છેલ્લા દિવસોમાં ક્યારેય રાત્રે વધારે ઉજાગરો કરશો નહીં, તો આપણે પેપર એકદમ શાંતિથી અને સરળતાથી આપી શકીશું. આ પાંચ ચેપ્ટર કરશો તો આરામથી 50 ઉપર માર્ક આવી જશે- શિક્ષકવધુમાં કહ્યું કે, જે નબળા વિદ્યાર્થીઓ છે, તે ભાગ-1ની અંદર ત્રીજું, ચોથું અને સાતમું ચેપ્ટર અને જોડે જોડે જો થાય તો પહેલું ચેપ્ટર જે 3 માર્કનું સાથે ભાગ-2ની અંદર ચોથું ચેપ્ટર કરવામાં આવે તો આરામથી વિદ્યાર્થી 35 થી 40 માર્ક દાખલામાં બેઠ્ઠા આવી જશે અને જોડે જોડે સ્વાધ્યાયના વિકલ્પો અને એક-એક વાક્યના કરશે તો એ 30 માર્ક સ્કોર કરશે તો એ પણ 60 માર્ક રમતા રમતા લઈ આવશે. એકાઉન્ટમાં ફેલ થવાની જરાય ચિંતા ના કરશો. ખાલી આ પાંચ ચેપ્ટર પૂરા કરશો તો આરામથી તમે 50 ની ઉપર માર્ક લઈ આવશો. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય- વિપુલ જોશીઆંકડાશાસ્ત્રની તૈયારી અંગે દિવ્ય ભાસ્કરે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરાવતા શિક્ષક વિપુલ જોશ સાથે વાતચીત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં તો હોશિયાર કે નબળા બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે એક સામાન્ય બાબત એ છે કે, 30 માર્ક્સ જે MCQ (વિકલ્પવાળા પ્રશ્નો) અને SQ (એક વાક્યમાં પ્રશ્નો) છે, તે માટે દરેક પ્રકરણના અંતે આપેલા વિભાગ A અને B ની તૈયારી કરો. જો હોશિયાર વિદ્યાર્થી આ 30 માંથી 30 ગુણ મેળવે તો 100 ગુણ આવવાની શક્યતા વધી જાય છે. વધુમાં કહ્યું કે, નબળા વિદ્યાર્થીઓ માટે જો 25 ગુણ પણ આ વિભાગમાંથી આવે તો પાસ થવા માટે માત્ર 10-15 ગુણ જ ખૂટે છે. તેમના માટે માત્ર બે પ્રકરણો તૈયાર કરવા પૂરતા છે: ભાગ-1 નું પ્રકરણ-2 અને પ્રકરણ-4 આ બંને પ્રકરણો વિકલ્પ સાથે કુલ 36 ગુણના હોય છે. વિભાગ Fના ચારેય દાખલાઓ આ બે પ્રકરણોમાંથી મળી રહેશે. જો આમાં 20 ગુણ અને વિભાગ A-B માંથી 30 ગુણ આવે તો કુલ 50 ગુણ આરામથી આવી શકે છે. એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ પ્રકરણો તૈયાર કરો અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે વિભાગ E પર ધ્યાન આપવું પણ જરૂરી છે જે 12 ગુણનો હોય છે. 'અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર ધ્યાન આપો'વધુમાં કહ્યું કે, ચોપડીની બહારનું કશું જ પૂછાતું નથી, રકમ પણ બેઠી જ હોય છે. તેથી કોઈ પણ અન્ય સાહિત્ય વાપર્યા વગર માત્ર પાઠ્યપુસ્તક પર જ ધ્યાન આપવું જોઈએ. પરીક્ષામાં જે વિભાગ સૌથી સહેલો લાગે તે સૌથી પહેલા લખો જેથી આત્મવિશ્વાસ વધશે. આંકડાશાસ્ત્રમાં નાપાસ થવું હવે લગભગ અશક્ય છે. હોશિયાર વિદ્યાર્થી માટે સેક્શન E 12 માર્કસનું હોય છે જે ત્રણ ચેપ્ટરમાંથી પૂછાય છે જેના પર ધ્યાન આપવામાં આવે તો પૂરેપૂરો માર્ક્સ લાવી શકે છે.
વર્ષોની સખત મહેનત, ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યો અને જ્યારે ખાખી પહેરવાના સપનાંની નજીક પહોંચ્યાં એટલે કે ઉમેદવારો ફિઝિકલ પરીક્ષા માટે ગયા ત્યારે કેટલાક ઉમેદવારોને હાઇટના કારણે બહારનો રસ્તો બતાવી દેવાયો. આવી ઘટના કદાચ જો કોઇ ઉમેદવાર પહેલીવાર ફિઝિકલ પરીક્ષા આપતો હોય અને તેની સાથે બને તો એક સમયે માની શકાય પણ ટેક્નોલોજી અને સઘન વ્યવસ્થા વચ્ચે લેવામાં આવેલી પોલીસ ભરતીની પરીક્ષામાં ઊંચાઇના માપદંડો અંગે મોટો વિવાદ છેડાયો છે.જેથી મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. આવા કિસ્સાઓ સામે આવ્યા બાદ દિવ્ય ભાસ્કરે હાઇટમાં ફેલ થયેલા ઉમેદવારો સાથે વાતચીત કરીને ખરેખર પરીક્ષા દરમિયાન શું-શું બન્યું અને કયા કારણથી ફેલ કરવામાં આવ્યાં હોવાનું કહેવાયું હતું તે જાણ્યું હતું. સાથે જ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરનારા પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. ઊંચાઇ માટે શું નિયમ છે?ગુજરાતમાં PSI અને LRDની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાયેલી ભરતીમાં રાજ્યભરમાંથી 14,28,546 ઉમેદવારોએ અરજી કરી હતી. આ પરીક્ષામાં પુરૂષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હાઇટ હોવી જરૂરી છે. જ્યારે મહિલા ઉમેદવાર માટે 155 સેન્ટીમીટર હાઇટ જરૂરી છે પણ 2019થી 2025ના વર્ષ દરમિયાન BSFથી માંડીને પોલીસ ભરતીમાં ફિઝિકલ એક્ઝામ પાસ કરીને હાઇટમાં પાસ થનારા ઉમેદવારોને 2026માં ઓછી હાઇટ નોંધાઇ હોવાથી બહાર કરાયા છે. ગયા વર્ષે પાસ, આ વર્ષે નાપાસ!મૂળ થરાદના વતની અને હાલમાં પાટણમાં રહીને કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરનાર મહિલા ઉમેદવાર પૂજા ઠાકોરે પણ ગત વર્ષે અને આ વર્ષે યોજાયેલી પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષા આપી હતી પરંતુ તેમને હાઇટ ઓછી છે તેમ કહેવામાં આવ્યું હતું. ગયા વર્ષે તેણે ગાંધીનગર સેક્ટર-27માં ફિઝિકલ એક્ઝામ આપી હતી. આ વખતે પણ તેનો ત્યાં જ નંબર આવ્યો હતો. આ વખતે જ્યારે તેની હાઇટ માપવામાં આવી તો દરેક વખતે અલગ અલગ માપ આવ્યા હતા. રજૂઆત બાદ 3 વાર ઊંચાઇ માપીપૂજા ઠાકોરે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જે ઉમેદવાર 2-2 વાર પાસ થયા હતા તેમને પણ આ વખતે હાઇટમાં ફેલ કર્યા છે. મેં રજૂઆત કરી એ પછી મારી હાઇટ 3 વાર માપવામાં આવી હતી. જેમાં ત્રણેય વાર અલગ અલગ મેજરમેન્ટ આવતા હતા. કોઇ વાર 154.3 સેન્ટીમીટર માપ આવ્યું તો કોઇ વાર 154 સેન્ટીમીટર માપ આવ્યું હતું. આના પછી પૂજાએ સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવી હતી. પૂજાએ કહ્યું કે,ગ્રાઉન્ડમાં મારી હાઇટનો પ્રોબ્લેમ આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ ચેક કરવા માટે ગઇ હતી. જ્યાં મારી હાઇટ ઓકે બતાવતાં હતા. મેં તેમને સર્ટિફિકેટ આપવા માટે કહ્યું તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે અહીંયાથી કોઇને હાઇટ બાબતનું સર્ટિફિકેટ ન આપી શકીએ. જ્યારે મેં પૂછ્યું કે કેમ ન મળે ત્યારે ત્યાંથી એવો જવાબ મળ્યો કે અમે કોઇને આપતાં જ નથી અને આપીશું પણ નહીં. આ ઘટના બાદ પૂજાએ પોલીસ ભરતી બોર્ડમાં અરજી કરી છે અને કલેક્ટર કચેરીમાં પણ આવેદનપત્ર આપ્યું છે. જો કે તેને આજ સુધી કોઇ જવાબ મળ્યો નથી. મારા ભવિષ્યનો સવાલ હતોઃ પૂજાપૂજાએ વસવસો વ્યક્ત કરતાં કહ્યું કે, આ ભરતી મારા ભવિષ્યનો સવાલ હતો. ગયા વર્ષે પાસ થઇ હતી પણ પછી રહી ગઇ હતી એટલે આ વખતે એક આશા હતી પણ હાઇટમાં જ ફેલ કરવામાં આવી. BSF અને અગાઉની પોલીસ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારનો કિસ્સોઅન્ય એક ઉમેદવાર રામદેવસિંહ ગોહિલનો કિસ્સો તો ખૂબ નવાઇ પમાડે તેવો છે. રામદેવસિંહ ભાવનગરના શેવડીવદર ગામના વતની છે. તેઓ હાલમાં BAનો અભ્યાસ કરી રહ્યાં છે અને છેલ્લાં 3 વર્ષથી આર્મી અને પોલીસમાં ભરતી થવા માટેની પરીક્ષાઓની તૈયારી પણ કરી રહ્યાં છે. 2024 માં BSFની ભરતી અને 2025માં લેવાયેલી પોલીસ કોસ્ટેબલની ભરતીની પ્રક્રિયામાં તેમની હાઇટ બરાબર હતી પણ આ વર્ષ હાઇટમાં તેમને ફેલ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે અને આ વર્ષે સેન્ટર એક જ હતુંરામદેવસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જ્યારે મેં 2025ની કોન્સ્ટેબલ માટેની પરીક્ષા આપી ત્યારે મારું સેન્ટર જૂનાગઢમાં આવ્યું હતું. જ્યાં મેં 19 મિનિટને 36 સેકન્ડમાં પરીક્ષા પાસ કરી હતી. જ્યારે મારી હાઇટ 165.9 સેન્ટીમીટર મપાઇ હતી. હાલમાં મેં જે પરીક્ષા આપી તે પણ આ જ સેન્ટર પર આપી હતી. જેમાં મેં 19 મિનિટમાં ગ્રાઉન્ડ ક્લિયર કર્યું. જેના પછી મારી હાઇટ માપવામાં આવી તો તેમાં ગયા વર્ષ કરતાં એક ઇંચ જેટલો ઘટાડો આવ્યો હતો અને મને ફેલ કરવામાં આવ્યો હતો. ફેલ કરાયા બાદ રામદેવસિંહે રજૂઆત કરી હતી કે અગાઉ જો હું આમાં પાસ થયો હોઉં તો આ વખતે કઇ રીતે મારી હાઇટ ઓછી થઇ ગઇ? આના પછી 3 વખત તેમની હાઇટ માપવામાં આવી હતી જેમાં તેમને કહેવાયું હતું કે તમારી હાઇટ નિયમ કરતાં ઓછી છે. સિવિલમાં હાઇટ માપી તો 166 સેન્ટીમીટર થઇરામદેવસિંહે દાવો કર્યો કે, મને હાઇટમાં ફેલ કરવામાં આવ્યો એ પછી હું સિવિલ હોસ્પિટલમાં હાઇટ મપાવા માટે ગયો હતો. ત્યાં મારી હાઇટ 166 સેન્ટીમીટર નોંધાઇ હતી. મને સિવિલમાંથી સર્ટિફિકેટ નથી આપ્યું. મેં માંગ્યું તો એવું કહ્યું કે જો પોલીસ ભરતી બોર્ડમાંથી માંગવામાં આવશે તો આપીશું. રામદેવસિંહે એવો પણ દાવો કર્યો કે, જ્યાં અમારી હાઇટ માપવામાં આવી ત્યાં મોટાભાગના લોકોની હાઇટમાં 2-2 ઇંચનો તફાવત આવ્યો હતો. જ્યારે સિવિલમાં હાઇટ માપવામાં આવી ત્યારે બરાબર આવતી હતી. આ બન્ને ઉમેદવારો બાદ દિવ્ય ભાસ્કરે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા સાથે વાતચીત કરી હતી. બાંભણિયાએ પોલીસ ભરતીમાં ઉમેદવારોની હાઇટ માપવામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ સરકારને કરી છે. દિનેશ બાંભણિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું, ગુજરાત સરકારના પોલીસ ભરતી બોર્ડમાં વારંવાર પ્રશ્નો ઊભા થતાં હોય છે. 2019થી 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષા દરમિયાન પુરૂષ ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર અને મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર ઊંચાઇનો નિયમ હતો. આ જ નિયમ આ વખતે પણ છે. તેમ છતાં અગાઉની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને આ વખતે ફેલ કરવામાં આવ્યાં છે. પોલીસ ભરતી બોર્ડમાં અપીલ કર્યાં પછી નવેક જેટલા ઉમેદવારોએ બાંભણિયાને રજૂઆત કરી હતી. બાંભણિયાએ કહ્યું કે, મારી પાસે આવેલા કિસ્સાઓમાંથી 2-3 મુખ્ય કિસ્સાઓ ખૂબ જ ગંભીર હતા. જેમાં તે વિદ્યાર્થીઓ અગાઉની પરીક્ષામાં હાઇટમાં પાસ થયા હતા પણ આ વખતે તેમને ફેલ કરવામાં આવ્યાં છે. બાંભણિયાએ સુરતના ઉમેદવારનો કિસ્સો કહ્યો. સુરતના ઉમેદવારે હિંમતનગર ખાતે પરીક્ષા આપી હતી. તે 2019 અને 2025માં ફિઝિકલ પરીક્ષામાં પાસ થયો હતો પણ 2026ની પરીક્ષામાં હાઇટમાં તેને ફેલ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓનું એટલું જ કહેવું છે કે અગાઉ પાસ હોઇએ તો આ વખતે કેવી રીતે નાપાસ થઇ શકીએ? હાઇટ કેવી રીતે ઘટી શકે?: બાંભણિયાબાંભણિયાએ સવાલ ઉઠાવ્યો કે જો કદાચ ટેક્નોલોજી બદલાઇ હોય પણ હાઇટમાં વધઘટ થવાનો પ્રશ્ન જ નથી આવતો. માણસનું વજન ઘટી શકે અને વધી શકે, રનિંગમાં કોઇની સ્પીડ વધી કે ઘટી શકે, પેપરમાં લખવાની સ્પીડમાં વધારો કે ઘટાડો નોંધાઇ શકે પણ હાઇટ વધધટનો પ્રશ્ન આ ઉંમરમાં બને એ શક્ય નથી. આવું થવા પાછળ બાંભણિયાએ અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા.તેમના મતે, સરકારનો અભિગમ તો સ્પષ્ટ જ છે કે પારદર્શક પરીક્ષા લેવામાં આવે પણ અમૂક અધિકારીઓના લીધે સરકાર બદનામ થઇ રહી છે અને સિસ્ટમ પણ બદનામ થઇ રહી છે. જેથી વિદ્યાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી જગ્યાએથી એવી પણ ફરિયાદો આવી છે જેમાં દીકરી પોતાની હાઇટ બાબતે ફેલ થાય અને પછી અપીલ કરે તો 3થી 4 વાર તેની હાઇટ માપવામાં આવે છે. દરેક વખતે અલગ અલગ માપ આવે છે. આ બાબતે મેં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી કે.એન.એલ રાવ અને ચેરમેન નિરજા ગોટરૂની મુલાકાત લઇને તેમને રજૂઆત કરી હતી કે જે વિદ્યાર્થીઓ અગાઉની બે પરીક્ષામાં પાસ હોય તેમને ફરી બોલાવીને તેમની હાઇટ માપવામાં આવે. તેમણે આંદોલનનો રસ્તો અપનાવીને પરીક્ષા નહીં લેવા દઇએ તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. મામલો હાઇકોર્ટમાં પહોંચ્યોઊંચાઇના મુદ્દે કેટલાક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટે દરેક અરજદારને કોર્ટ રજિસ્ટ્રીમાં 10 હજાર રૂપિયા જમા કરાવવાનો અને 19મી તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં ઊંચાઇ મપાવવાનો આદેશ કર્યો હતો. ઉમેદવારની ઊંચાઇનો રિપોર્ટ 23મી ફેબ્રુઆરીએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જો ઉમેદવારનો દાવો યોગ્ય હશે તો તેને 10 હજાર રૂપિયા પરત મળશે.
ફાયર વિભાગમાં ફરજ દરમિયાન બેદરકારી અને નિયમોનું પાલન ન થતું હોવાની ખામી ચીફ ફાયર ઓફિસરની આકસ્મિક વિઝિટમાં સામે આવતાં તાકીદની નોંધ રજૂ કરી તંત્રએ કડક વલણ અપનાવવાની ચીમકી ઉચ્ચારી છે. તપાસ દરમ્યાન ફાયર સ્ટેશનો પર અપૂરતી હાજરીની સાથે કોલ રિસ્પોન્સ, સાધનોની તપાસ અને રજીસ્ટરની નોંધમાં ખામીઓ સામે આવી છે, જેને પગલે તમામ ફાયર સ્ટેશનો પર આકસ્મિક ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. કઈ કઈ ખામીઓ સામે આવી ફાયર વિભાગની ખામીઓ દૂર કરવા ચીફ ફાયર ઓફિસરે નોંધ મૂકીફાયર વિભાગના સૂત્રોએ કહ્યું કે, કેટલાક સ્ટેશનો પર ચાલુ શિફ્ટ દરમિયાન અધિકારીઓ ગેરહાજર મળ્યા હતા જે ગંભીર બેદરકારી સમાન છે. એટલું જ નહીં પણ ફાયર કોલ મળ્યા બાદ સ્થળ પર મોડું પહોંચવાની ફરિયાદો મળી રહી છે. ઉપરાંત ફાયર સાધનો, રેસ્ક્યૂ ટૂલ્સ અને વાહનોની સમયસર તપાસ તથા મેઇન્ટેનન્સ ન થતું હોવાની બાબત પણ નોંધાઈ છે. બેદરકારી ચલાવી લેવાશે નહીંચીફ ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું કે, તાકીદના ધોરણે નોંધ જાહેર કરી છે, તેમજ કેટલીક ચૂક મુદ્દે આગામી 48 કલાકમાં રિપોર્ટ મંગાવ્યો છે. તેમ છતાં ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસમાં બેદરકારી જણાશે તો કડક કાર્યવાહી પણ કરાશે.
ગેરકાયદે બાંધકામનું ડિમોલીશન નહીં કરવા માટે રૂ. 21 લાખની લાંચ માગી રૂ. 4 લાખની લાંચ લેવાના કેસમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ, એસીબીએ શનિવાર વિપુલ ગણેશવાલાના લોકરમાંથી રૂ. 52 લાખના દાગીના તથા પત્રકાર પરવાના પઠાણની ઓફિસમાંથી રોકડા રૂ. 80 હજાર કબજે લીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ACB દ્વારા ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઇશ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ ચાર લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો તેમાં લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાની સંડોવણી હોઈ આ અંગે સુરત શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધવામાં આવ્યો છે. એસીબી ની તપાસમાં તેમની સંડોવણી સ્પષ્ટ થતા પાલિકા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ભાસ્કર ઇનસાઇડપત્રકાર ગેરકાયદે બાંધકામની ફરિયાદ કરાવતો, પછી પાલિકા અધિકારી સાથેની મિલિભગતથી રૂપિયા પડાવતા લિંબાયત ઝોનમાં ગેરકાયદે બાંધકામોને લઈ કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને પત્રકાર પરવાના સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. વચેટીયા પરવાના અને તેના સાથીદારો દ્વારા પાલિકામાં અરજીઓ કરાવી બાદમાં સેટિંગના નામે મહિને લાખોની કમાણી કરતો હોવાનું વાત સામે આવી રહી છે. ખરેખર આ બાબતે એસીબી તપાસ કરાવે તો ઘણી બધી હકીકતો બહાર આવી શકે છે. નિષ્પક્ષ ગુજરાત પત્રિકા દૈનિક ન્યૂઝ પેપરના પત્રકાર મોહંમદ ઈસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણએ 20 માણસોની એક ટોળકી ઊભી કરેલી છે. આ ટોળકી મોટેભાગે લિંબાયત ઝોનમાં સક્રિય હતી. બાકી ઉધના ઝોનમાં પણ તેની ગેંગ કાર્યરત છે.પરવાનાની ટોળકીમાં 5 પન્ટરોનું કામ લિંબાયત ઝોનમાં નવા બંધાતા બાંધકામનું સર્વે કરવાનું કામ હતું. સર્વે કરી તેના ફોટો અને એડ્રેસ સહિતની માહિતી પરવાનાને આપી દેતા હતા. પછી પરવારના તેના અન્ય 7 પન્ટરો પાસે પાલિકામાં ગેરકાયદે બાંધકામ બાબતે અરજી કરાવતો હતો. બાકીના પન્ટરો પોલીસ અને સરકારી બાબુઓ સાથે સેટિંગનું કામ કરતા હતા. આખો ખેલ પરવાના શરૂ કરતો હતો. જેમાં અરજી બાબતે પરવાના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાને વાત કરી દેતો હતો. પછી બાંધકામ બંધ કરાવી રૂપિયા પડાવવાનો ખેલ શરૂ થતો હતો. ડે.હેલ્થ ઓફિસર ડો.અજિત ભટ્ટ ના સસ્પેન્શનને મંજુરી અપાઈડે.હેલ્થ ઓફિસર ડો.અજિત ભટ્ટ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગળ શાકમાર્કેટ ખાતે સમયસર હાજર નહીં રહી કામગીરીમાં બેદરકારી દાખવતાં સ્થળ પર પહોંચેલા કમિશનરે તેમને સસ્પેન્ડ કરતો ઓર્ડર કર્યો હતો. આ અંગે શનિવારે મળેલી સ્થાયી સમિતિમાં જાણ લેવાની દરખાસ્તને બહાલી અપાઈ હતી. લો ઓફિસર પંડ્યાનું રાજીનામુ મંજુરસ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશન કામગીરીના ઈજારો લેનાર એજન્સીને ડી-બાર કરવાના સ્થાયી સમિતિના ઠરાવના નિર્ણયને લો વિભાગના અધિકારીઓની લાપરવાહીને પગલે કોર્ટ હુકમથી ઠરાવ રદ્દ કરવાની નોંબત આવી હતી. મિતુલ પંડ્યાએ બીજા જ દિવસે રાજીનામુ ધરી દીધું હતું, જેને મંજુર કરાયું છે.
સિટી એન્કર:જાગતે રહો...પઢતે રહો...બોર્ડની તૈયારી માટે સ્કૂલમાં નાઇટ શિફ્ટ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની મુખ્ય જાહેર પરીક્ષાને હવે 5 જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે અડાજણની સરસ્વતી સ્કૂલે વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવા માટે નાઇટ સ્કૂલ શરૂ કરી છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે શિક્ષક પણ હોય છે. જ્યાં વિદ્યાર્થીઓ વિવિધ વિષયો વાંચી રહ્યા છે અને વાંચતી સમયે કોઈ પણ ડાઉટ આવે તો તરત જ તેને શિક્ષકો સોલ્વ કરી આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ ગ્રુપ ડિસ્કશન દ્વારા પરીક્ષાની જોરદાર તૈયારી કરી રહ્યા છે. જ્ઞાનની નાઈટ શિફ્ટ: આ ચાલી રહ્યું છે મિડનાઈટમાં
22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી યુનિવર્સિટી ગ્રાઉન્ડ પર રાષ્ટ્રીય પુસ્તક મેળો-ફ્લાવર શોનું મહાપાલિકા દ્વારા ભવ્ય આયોજન કરાયું છે, જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તે ઉદ્ઘઘાટન થશે. પાંચ વર્ષ બાદ આખરે મહાપાલિકાએ લોકપ્રિય બનેલા પુસ્તમેળા-ફ્લાવર શોની ધમાકેદાર ફરી શરૂઆત થશે. જેમાં, ઉડીને આંખે વળગે તે ફ્લાવર શોમાં દોઢ લાખ પ્લાન્ટ્સ ગાર્ડન ખાતા દ્વારા લગાડવામાં આવ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, જળશક્તિ અભિયાન, મુફ્ત વીજળી યોજનાઓ જાણવા મળશે. એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ફૂલોથી બનાવવામાં આવેલ ‘હાર્ટ’ નું સેલ્ફી પોઈન્ટ અનોખુ આકર્ષણ જમાવશે.
મોરબી હત્યાકાંડના પડઘા રાજકોટમાં:કોઠારિયા નાકે સોની વેપારીઓના ધરણાં તથા રામધૂન
મોરબીમાં સામાન્ય તકરારમાં સોની યુવાનની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રત્યાઘાત ઊભા કર્યા છે. રાજકોટ સહિત અનેક શહેરોમાં સોની વેપારી વર્ગમાં આક્રોશ ફેલાયો છે. ઘટનાના વિરોધમાં રાજકોટ સોની બજારમાં અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ બંધને મર્યાદિત પ્રતિસાદ મળ્યો હતો અને મોટા ભાગની દુકાનો તથા પેલેસ રોડના શો-રૂમ નિયમિત રીતે ખુલ્લા રહ્યા હતા. મોરબીની ઘટનાને લઈ રાજકોટના કોઠારિયા નાકા ખાતે સોની વેપારીઓ અને સમાજના આગેવાનો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. રામધૂન સાથે વિરોધ વ્યક્ત કરી હત્યારાઓ સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશન સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સુવર્ણકાર સંઘ, ઝાલાવાડી સમાજ અને જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન જેવા વ્યાપારી-સામાજિક સંગઠનો દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આરોપીઓ સામે સખ્ત કાયદેસર પગલાં ભરવાની માંગ સાથે સુરક્ષા વધારવા અંગે પણ રજૂઆત કરવામાં આવી છે. ધરણાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાજકોટના અંદાજે 200 જેટલા વેપારીઓ મોરબી જવા રવાના થયા હતા. તેઓ સંબંધિત તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરશે અને ઝડપી ન્યાયની માંગ ઉઠાવશે.આ ઘટનાએ સોની વેપારી વર્ગમાં ભય અને ચિંતા ઊભી કરી છે, સાથે જ એકતા અને સંઘર્ષની ભાવના પણ મજબૂત બનાવી છે.
અપહરણ:સંત કબીર રોડ પર આવેલી સોસાયટીમાં માનસિક અસ્થિર યુવતીનું અપહરણ
રાજકોટની સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે સફેદ કલરની ફોર વ્હીલમાં આવેલા અજાણ્યા શખસનું નામ આપ્યું છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી પોતાની મોટી પુત્રી સાથે બપોરના પોણા બારેક વાગ્યે ઘઉં દળાવવા ગયા હતા ત્યારે તેમની 22 વર્ષની માનસિક અસ્થિર નાની પુત્રી ઘરના ઓટલા પાસે બેઠી હતી. ત્યારબાદ ફરિયાદી પુત્રી સાથે ઘઉં દળાવીને પરત આવ્યા ત્યારે પડોશમાં રહેતા મહિલાએ સફેદ કલરની કારમાં તેમની પુત્રીને કોઇ ઉપાડી ગયાનું જણાવતા પતિને બોલાવી પોલીસ ફરિયાદ કરવા દોડી ગયા હતા. દરમિયાનમાં સોસાયટીમાં રહેતા રીક્ષાચાલક માનસિક અસ્થિર પુત્રીને શ્યામનગરમાં વાસંગીદાદાના મંદિર પાસેથી ઘેર લાવ્યા હતા. પુત્રીની પુછપરછ કરતા તેમણે એક જાડો છોકરો ગાડીમાં લઇ ગયાની અને બાદમાં રસ્તામાં ઉતારી દીધાનું જણાવ્યું હતું. પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જીવનસાથી પસંદગી મેળો:81 વર્ષના વૃદ્ધ, 78 વર્ષના વૃદ્ધા સહિત 285 સિનિયર સિટિઝન જોડાયા
શહેરની રાષ્ટ્રીય શાળા હોલ ખાતે અનુબંધ ફાઉન્ડેશન-અમદાવાદ તથા રાજકોટના બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચોથીવાર રાજકોટમાં 45થી 75 વર્ષની ઉંમરના વડીલ સ્ત્રી-પુરુષ માટે જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું હતું. જેમાં કુલ 250 પુરુષ અને 35 મહિલાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં દિલ્હી, રાજસ્થાન, યુપી, મુંબઇ, નાગપુર સહિતના રાજ્ય અને શહેરમાંથી આવ્યા હતા. આ સંમેલન સર્વજ્ઞાતિય હતું. ઉપરાંત વિશેષ વાત તો એ છે કે, વડીલોમાં સૌથી વધુ ઉંમરમાંથી 81 વર્ષના વૃદ્ધ તથા 78 વર્ષના વૃદ્ધાએ ભાગ લીધો હતો. આ તકે સંસ્થા દ્વારા જાહેરાત કરાઇ કે, 2-3 મહિના બાદ જે પાત્રની પસંદગી કરી હોય અને લગ્ન માટે સંસ્થાનો સહકાર લે તો સંસ્થા તે યુગલને 3 દિવસ આબુમાં હનીમૂન માટે મોકલશે. સંસ્થાના પ્રમુખ નટુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, આ કાર્યથી સમાજમાં એક સંદેશો પહોંચાડવો છે કે, મોટી ઉંમરે લગ્ન કરવા એ કોઇ પાપ નથી, કે કોઇ કાયદાની વિરુદ્ધ નથી તથા વિવાહ કરવાની કોઇ ઉંમર મર્યાદા હોતી નથી. મુંબઇથી પુત્રી માતાને લઇને પહોંચીઆ સંમેલનમાં મુંબઇથી પુત્રી આશાબેન વાઘેલા તેમના માતા જયશ્રીબેન માટે જીવનસાથી શોધવા આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સંમેલનમાં પુત્રી તેના પિતાને લઇને પહોંચીપુત્રીએ સુરતથી તેના પિતાને બોલાવ્યા અને સંમેલનમાં પહોંચી. પુત્રી અન્ય સંતાનો માટે પ્રેરણારૂપ બની કેમ કે, સંતાનો તેના માતા-પિતા સાથે ખૂબ ઓછો સમય વિતાવતા હોય છે.
ST વિભાગનું આયોજન:હોળી-ધુળેટીમાં એસટી રાજકોટ સહિત રાજ્યમાં 1300 એક્સ્ટ્રા બસ દોડાવશે
હોળી અને ધુળેટીના પર્વ પર પોતાના વતનમાં પરિવાર સાથે તહેવાર ઉજવવા માગતાં નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ગત વર્ષ કરતાં વધુ એટલે કે કુલ 1300 વધારાની બસ દ્વારા 7500થી વધુ ટ્રિપનું રાજકોટ સહિત રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. ડાકોરમાં સુપ્રસિદ્ધ ફૂલડોલ ઉત્સવ અને દ્વારકામાં દર્શન માટે લાખોની સંખ્યામાં ઊમટતા ભાવિકો માટે નિગમ દ્વારા 450 એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે, જે અંદાજે 3500 ટ્રિપ મારફતે ભક્તોને મુસાફરી કરાવશે. રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કરાયું છે. હોળીના તહેવારમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં મુસાફરોનો પ્રવાહ વધુ રહેતો હોય છે. કામની વાત : તા.27 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી એક્સ્ટ્રા સંચાલન થશે
સન્ડે ફોટો સ્ટોરી:ઇન્ડિયન કેટલ શોમાં નંદીઓની સ્પર્ધા
શહેરના રેસકોર્સ મેદાન ખાતે એશિયાનો સૌથી મોટો અને ભારતનો પ્રથમ ‘ઇન્ડિયન કેટલ શો’નું આયોજન કર્યું છે ત્યારે આયોજનના બીજા દિવસે નંદીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 20 કાંકરેજ અને 20 ગીર નંદીઓની સ્પર્ધામાં તેની સુંદરતા, લાક્ષણિકતા, ઉત્તમ વંશદાતા બનશે કે નહીં તે પરથી વિજેતા નક્કી કરાશે. આ ઉપરાંત આજે કાંકરેજ અને ગીર ગાયોની સ્પર્ધા યોજાશે. આજે રવિવારના રોજ 200 સ્પર્ધકમાંથી 15 ગીર અને 15 કાંકરેજ એમ કુલ 30 ગૌવંશને વિજેતા જાહેર કરાશે અને કમિટી દ્વારા ઇનામ આપવામાં આવશે.
જંગલેશ્વરમાં કાલથી ડિમોલિશન:જંગલેશ્વર ખાતે 87 હજાર ચો.મી. જમીન થશે ખુલ્લી
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે મહાનગરપાલિકા દ્વારા ઐતિહાસિક અને સંવેદનશીલ ગણાતી મેગા ડિમોલિશન કાર્યવાહી સોમવારે સવારે 8 વાગ્યાથી શરૂ થવા જઈ રહી છે. આશરે 87 હજાર ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા 1489 જેટલા ગેરકાયદેસર મકાનો અને રચનાઓને તબક્કાવાર દૂર કરવા માટે તંત્રએ છેલ્લા એક મહિનાથી વ્યૂહાત્મક આયોજન કર્યું છે. આજી નદી પટ્ટા વિસ્તારમાં અંદાજે 55 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આવેલા 992 મકાન અને ટી.પી. રોડ વિસ્તારમાં 32 હજાર ચોરસ મીટરમાં આવેલા 497 બાંધકામ દૂર કરાશે. દાયકાઓથી નદીના કુદરતી વહેણ અને ટી.પી.ના 15 મીટરના માર્ગ પર થયેલા દબાણોને કારણે વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હતી. તંત્રના મત મુજબ, આ કાર્યવાહી બાદ નદીનું વહેણ સરળ બનશે અને ભવિષ્યમાં પૂર જેવી પરિસ્થિતિ અટકાવવામાં મદદ મળશે. મનપા અને પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિ જાળવી સહકાર આપવા અપીલ કરી છે. તંત્રનું કહેવું છે કે, આ કાર્યવાહી શહેરના દીર્ઘકાલીન વિકાસ અને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી છે. ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર સુરક્ષા કારણોસર સમગ્ર રાજકોટ શહેરને “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરાયું છે.ડ્રોન, ક્વાડકોપ્ટર, પેરાગ્લાઈડર, પેરા મોટર, હોટ એર બલૂન સહિતના હવાઈ ઉપકરણો ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, 2500થી વધુ પોલીસ જવાનો, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય દળો એલર્ટ પર રહેશે. બહારના જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે. શહેરમાં કલમ-144 અમલમાંમેગા ડિમોલિશનને સંવેદનશીલ ગણાતા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા તા.23થી 26 સુધી શહેરમાં કલમ-144 લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન પરવાનગી વગર ચારથી વધુ લોકો જાહેર સ્થળે ભેગા થઈ શકશે નહીં. સરકારી ફરજ પરના કર્મચારીઓ, હોમગાર્ડ, સ્મશાનયાત્રા અને લગ્ન વરઘોડાને આ પ્રતિબંધમાંથી છૂટ આપવામાં આવી છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. 7 ઝોનમાં વિભાજન, 1130થી વધુ સ્ટાફની તૈનાતીસંપૂર્ણ વિસ્તારને 7 અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દરેક ઝોનમાં વર્ગ-1 અધિકારીઓ, તકનીકી સ્ટાફ, સુપરવાઈઝર અને ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. 64થી વધુ JCB, 84 ટ્રેક્ટર, 7 હિટાચી મશીન, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે માઇક્રો પ્લાનિંગ કરાયું છે. વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરી તમામ ઝોનમાંથી માહિતી મેળવી કામગીરીનું સતત મોનિટરિંગ કરાશે. 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા સ્થળ પર નજર રાખવામાં આવશે. ડિમોલિશન પૂર્વે તંત્રએ નોટિસ આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા અપીલ કરી હતી. અત્યાર સુધી 224થી વધુ પરિવાર પોતાના મકાન ખાલી કરી ચૂક્યા છે. મનપાએ આવા પરિવારોને સામાન પરિવહન માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી સહયોગ આપ્યો છે. કેટલાક વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો, તો કેટલાક સ્થળે પોલીસ અને રહેવાસીઓ વચ્ચે રકઝક થઇ હતી.
ડિજિટલ ગુજરાતના સંકલ્પને વધુ એક ડગલું આગળ વધારતા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા દિવ્યાંગ મુસાફરો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી એસ.ટી. બસમાં મફત મુસાફરીનો લાભ લેતા દિવ્યાંગોએ ફરજિયાતપણે પાસની હાર્ડકોપી (અસલ પાસ) સાથે રાખવાની જરૂર રહેશે નહીં. જો દિવ્યાંગ મુસાફર પોતાના મોબાઇલમાં ‘ડિજીલોકર’ એપમાં રહેલો ડિજિટલ બસ પાસ બતાવશે, તો કંડક્ટરે તેને માન્ય રાખી મુસાફરી કરવા દેવી પડશે. નવા પરિપત્ર મુજબ, હવે જો કોઈ દિવ્યાંગ મુસાફર પાસે બસ પાસની હાર્ડકોપી ઉપલબ્ધ ન હોય, પરંતુ તે પોતાના મોબાઈલમાં સુરક્ષિત રાખેલું ડિજિટલ બસ પાસનું પ્રમાણપત્ર બતાવે, તો તેને મુસાફરી માટે માન્ય રાખવું પડશે. આ વ્યવસ્થાને કારણે દિવ્યાંગજનોને વધુ સુગમ્ય અને ટેક્નોલોજી સભર વાતાવરણ પૂરું પાડવાનો ઉમદા હેતુ પાર પડશે. ડિજીલોકરમાં ઉપલબ્ધ આ ડિજિટલ બસ પાસની વિશ્વસનીયતા તપાસવા માટે તેમાં QR કોડની સુવિધા પણ આપવામાં આવી છે. બસ કંડક્ટર કે ચેકિંગ સ્ટાફ આ QR કોડ સ્કેન કરીને પાસ અસલ છે કે નહીં તેની ત્વરિત ખાતરી કરી શકશે. આ વ્યવસ્થાથી બસ પાસની છેતરપિંડી પર પણ લગામ લાગશે. પાસ ખોવાઈ જવાના, દુરુપયોગના કિસ્સા વધ્યા હતાએસ.ટી નિગમને ફરિયાદો મળી રહી હતી કે ઘણીવાર મુસાફરી દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓનો બસ પાસ ખોવાઈ જાય છે અથવા ફાટી જાય છે. આ ઉપરાંત, ડુપ્લિકેટ કે ખોટા બસ પાસના દુરુપયોગના કિસ્સાઓ પણ સામે આવતા હતા. આ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે અને દિવ્યાંગોને વધુ સુગમ્ય વાતાવરણ પૂરું પાડવાના ઉમદા હેતુથી સરકાર દ્વારા બસ પાસને ડિજીલોકરમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કંડક્ટર-ડ્રાઈવરને અપાઈ કડક સૂચના એસ.ટી.નિગમના મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપક દ્વારા રાજ્યના તમામ વિભાગીય નિયામકોને પત્ર લખીને તાત્કાલિક અમલવારી કરવા આદેશ અપાયો છે. ડેપો મેનેજર સ્તરેથી તમામ ડ્રાઈવર અને કંડક્ટર્સને આ અંગેની સમજણ આપવા અને સૂચના રજિસ્ટરમાં તેમની સહીઓ લેવા માટે પણ જણાવાયું છે, જેથી કોઈ દિવ્યાંગ મુસાફરને મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે.
વિજ્ઞાન પ્રવાહનો મોહભંગ:રાજકોટમાં 9 વર્ષમાં ધો.12માં 34% વિદ્યાર્થી ઘટી ગયા!
એક સમય હતો જ્યારે ધોરણ 10 પછી તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ‘સાયન્સ’ લેવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાતો હતો, પરંતુ આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. રાજકોટ જેવા એજ્યુકેશન હબ ગણાતા શહેરમાં છેલ્લા 9 વર્ષના આંકડાઓ શિક્ષણ જગત માટે લાલબત્તી સમાન છે. વર્ષ 2018માં જ્યાં રાજકોટમાં 10,627 વિદ્યાર્થી 12 સાયન્સમાં નોંધાયા હતા, તે વર્ષ 2026 સુધીમાં ઘટીને માત્ર 7,934 થઈ ગયા છે. આ 34% જેટલો જંગી ઘટાડો દર્શાવે છે કે વિજ્ઞાન પ્રવાહ પ્રત્યેનો આકર્ષણનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે જઈ રહ્યો છે. આ ઘટાડા પાછળ માત્ર એક કારણ જવાબદાર નથી, પરંતુ અનેક આર્થિક અને સામાજિક પરિબળોનું મિશ્રણ છે. મધ્યમ વર્ગના પરિવારો માટે વિજ્ઞાન પ્રવાહ હવે આર્થિક રીતે ‘અસહ્ય’ બની રહ્યો છે. શાળાની ઊંચી ફીથી માંડીને NEET, JEE અને GUJCET જેવી પ્રવેશ પરીક્ષાઓની મોંઘી કોચિંગ ફી અને ત્યારબાદ મેડિકલ કે એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ વાલીઓની કમર તોડી રહ્યો છે. બીજી તરફ, 5 વર્ષના લાંબા અને ખર્ચાળ અભ્યાસ બાદ પણ ડિગ્રી મેળવ્યા પછી બજારમાં પૂરતી રોજગારીનો અભાવ અને બેરોજગારીનો ડર વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પો શોધવા મજબૂર કરી રહ્યો છે. ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા સરકારી નોકરી મેળવવાની ઘેલછાને કારણે હવે વિદ્યાર્થીઓ સાયન્સને બદલે ગ્રેજ્યુએશન માટે આર્ટસ ફેકલ્ટી તરફ વળી રહ્યા છે.રાજકોટમાં જોવા મળતો આ ટ્રેન્ડ સૂચવે છે કે, શિક્ષણ હવે માત્ર જ્ઞાન મેળવવાનું સાધન નથી રહ્યું, પરંતુ તે એક મોટું રોકાણ બની ગયું છે. જ્યારે આ રોકાણ સામે વળતર (પગાર/નોકરી) મળવાની ખાતરી ઘટે છે, ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોખમ લેવા તૈયાર થતા નથી. પરિણામે સાયન્સ જેવી પ્રતિષ્ઠિત શાખા પણ આજે સંઘર્ષ કરી રહી છે. ધોરણ-12 સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાના આ રહ્યા 10 મુખ્ય કારણો ગુજરાતમાં 15,176 વિદ્યાર્થી ઘટી ગયા!ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળેલો ઘટાડો શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. વર્ષ 2018માં જ્યાં 1,34,439 વિદ્યાર્થી નોંધાયા હતા, ત્યાં વર્ષ 2026માં આ આંકડો ઘટીને 1,19,263 પર પહોંચી ગયો છે. છેલ્લા 9 વર્ષમાં કુલ 15,176 વિદ્યાર્થી ઘટ્યા છે. આ આંકડાકીય ઘટાડો અંદાજે 11.29% જેટલો થાય છે. રાજકોટમાં 9 વર્ષમાં આટલા વિદ્યાર્થી ઘટ્યા ભાસ્કર એક્સપર્ટ: મોંઘું શિક્ષણ, અનિશ્ચિત ભવિષ્યના ડરે સાયન્સનો ગ્રાફ નીચે લાવી દીધો હાલમાં બોર્ડના પરિણામ કરતા NEET/JEE જેવી એન્ટ્રન્સ ટેસ્ટનું મહત્ત્વ વધ્યું છે. આ પરીક્ષાઓ પાસ કરવા સ્કૂલ ઉપરાંત લાખોની ફી ભરી અલગ કોચિંગ લેવું પડે છે. આ બેવડી મહેનત અને આર્થિક તણાવને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ અન્ય પ્રવાહ પસંદ કરી રહ્યા છે. સાયન્સના અભ્યાસ બાદ મેડિકલ કે એન્જિનિયરિંગમાં વાર્ષિક રૂ. 80 હજારથી રૂ. 18 લાખ સુધીની ફી મધ્યમ વર્ગ માટે અસહ્ય છે. લાખોના રોકાણ અને 5 વર્ષના લાંબા અભ્યાસ સામે નોકરીમાં શરૂઆતી પગાર ઘણો ઓછો હોવાથી વાલીઓ હવે આ ‘મોંઘા સોદા’થી બચી રહ્યા છે. ડિગ્રી મેળવ્યા બાદ આશરે માત્ર 15% ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને જ સારી જોબ મળે છે. આના કારણે વિદ્યાર્થીઓ સાયન્સના બદલે પ્રોફેશનલ કોમર્સ કે આર્ટસ તરફ વળ્યા છે. રાજકોટ જેવા શહેરોમાં સાયન્સ ભણવા માટે માત્ર ટ્યુશન જ નહીં, પણ હોસ્ટેલ અને અન્ય ખર્ચાઓ સામાન્ય પરિવારના બજેટને ખોરવી નાખે છે. — સંજય પંડ્યા, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ
સોમવારે ફાગણ સુદ આઠમથી હોળાષ્ટક બેસી જશે અને 2 માર્ચ ફાગણ સુદ પૂનમ સુધીના આઠ દિવસ રહેશે. એટલે 2 માર્ચ ને સોમવારે હોળી મનાવાશે અને 3 માર્ચ ને મંગળવારે ધુળેટી. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે સોમવારે સાંજે 6.40 વગ્યાથી રાત્રે 09.08 વાગ્યા સુધી હોળી પ્રગટાવાશે. આ સમયે પ્રદોષ કાળ હોવાથી શાસ્ત્રસંમત પણ છે. 2 માર્ચે સાંજે 5.58થી પૂનમ બેસશે અને બીજા દિવસે, 3 માર્ચે સાંજે 6.52 સુધી રહેશે. સ્કંદ પુરાણ અને ભવિષ્ય પુરાણના વર્ણન તથા જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળાષ્ટકમાં સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ - આ 8 ગ્રહની પ્રતીકાત્મક ઉગ્રતા મનાય છે. આ કારણે લગ્ન, ચૌલકર્મ, ગૃહપ્રવેશ કે નવા વેપારનો આરંભ કરવાનું વર્જિત ગણાય છે. ભક્ત પ્રહ્લાદની 8 દિવસની યાતના એટલે હોળાષ્ટકદૈત્યરાજ હિરણ્યકશિપુના પુત્ર પ્રહ્લાદ ભગવાન વિષ્ણુના પરમ ઉપાસક હતા. એટલે હિરણ્યકશિપુએ નાનકડા પ્રહ્લાદને અનેક યાતનાઓ આપી અને કથા અનુસાર ફાગણ સુદ આઠમથી પૂનમ સુધી પ્રહ્લાદે અનેક યાતના સહી અને પૂનમના દિવસે પ્રહ્લાદને જીવતા જ ભસ્મ કરવાનો આદેશ કરાયો. આથી આ 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હોળાષ્ટકમાં ગ્રહદશા અનુસાર આ ઉપાયો કરી શકાય
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ટ્રમ્પ સંબંધિત રહ્યા. અમેરિકન રાષ્ટ્રપતિએ વધુ એક ટેરિફ બોમ્બ ઝીંક્યો છે. ટ્રમ્પે 24 કલાકમાં ગ્લોબલ ટેરિફ 10થી વધારીને 15% કર્યો. બીજા સમાચાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સંબંધિત રહ્યા. તેમના પર બાળકોના યૌન શોષણનો કેસ દાખલ થશે⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી મેરઠમાં 12,930 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ શરૂ કરશે. 2. સુપર-8 માં ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે અમદાવાદમાં રમાશે. 3. પ્રધાનમંત્રી મોદી રેડિયો ઉપર 'મન કી બાત' કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમનો 131મો એપિસોડ છે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે 24 કલાકમાં ગ્લોબલ ટેરિફ વધારીને 15% કર્યો: અમેરિકી સુપ્રીમ કોર્ટે ટેરિફ રદ કર્યા, પછી નારાજ ટ્રમ્પે 10% ટેરિફ લગાવ્યો હતો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્લોબલ ટેરિફ 10%થી વધારીને 15% કરવાની જાહેરાત કરી છે. તેમણે શનિવારે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી. આ પહેલા ટ્રમ્પે શુક્રવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ દેશો પર 10% ટેરિફ લગાવવાની વાત કહી હતી. ખરેખરમાં, અમેરિકી સુપ્રીમ કોર્ટે શુક્રવારે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે 6-3ના બહુમતીથી ચુકાદો આપતા કહ્યું કે ટ્રમ્પને IEEPA કાયદાનો ઉપયોગ કરવાનો અધિકાર નથી. આ અધિકાર રાષ્ટ્રપતિને નહીં, ફક્ત સંસદને છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અવિમુક્તેશ્વરાનંદ પર બાળકોના યૌન શોષણનો કેસ દાખલ થશે:પ્રયાગરાજ કોર્ટે આદેશ આપ્યો; રામભદ્રાચાર્યના શિષ્યે કોર્ટમાં 2 પીડિત બાળકો રજૂ કર્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ નાના બાળકોના યૌન શોષણની FIR નોંધવાના આદેશ શનિવારે પ્રયાગરાજની પોક્સો કોર્ટે આપ્યા. જગદ્ગુરુ રામભદ્રાચાર્યના શિષ્ય આશુતોષ બ્રહ્મચારી મહારાજે કોર્ટમાં 2 બાળકોને રજૂ કરીને આ આરોપો લગાવ્યા હતા. કેમેરા સામે કોર્ટમાં બાળકોના નિવેદનો નોંધાયા હતા. સ્પેશિયલ જજ પોક્સો એક્ટ વિનોદ કુમાર ચૌરસિયાની કોર્ટે પ્રયાગરાજ પોલીસ કમિશનરના તપાસ રિપોર્ટ બાદ કેસ નોંધવાના આદેશ જારી કર્યા. ફરિયાદી આશુતોષ બ્રહ્મચારીએ કહ્યું, “અમે ઘરે ઘરે ભટકતા હતા. અમે પોલીસ પાસે જઈ રહ્યા હતા. અમારી વાત સાંભળવામાં આવી રહી ન હતી. તેથી જ અમે ન્યાયના મંદિરમાં આવ્યા. આજે, અમને લાગે છે કે ન્યાય હજુ પણ જીવંત છે.” વાંચો સંપૂર્ણ સમાચાર 3. SIRમાં રાજસ્થાન-MP સહિત 4 રાજ્યોમાં 99.58 લાખ નામ રદ થયા:7 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની અંતિમ યાદી પ્રકાશિત; બંગાળમાં 28 ફેબ્રુઆરીએ યાદી આવશે દેશના 12 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો બીજો તબક્કો તેના અંતિમ ચરણમાં છે. ચૂંટણી પંચે શનિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને કેરળની અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરી. એમપીમાં 5.39 કરોડ, રાજસ્થાનમાં 5.15 કરોડ, કેરળમાં 2.69 કરોડ અને છત્તીસગઢમાં 1.87 કરોડ નામ અંતિમ મતદાર યાદીમાં છે. આ ચાર રાજ્યોમાં કુલ 99 લાખ, 58 હજાર 398 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. SIR પ્રક્રિયામાં એમપીમાં 34.25 લાખ, રાજસ્થાનમાં 31.36 લાખ, છત્તીસગઢમાં 24.99 લાખ અને કેરળમાં 8.97 લાખ લોકોના નામ કાપવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. પોલીસનો દાવો- AI સમિટમાં પ્રદર્શન નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત:કોંગ્રેસ વિરુદ્ધ ભાજપનું દેશભરમાં વિરોધ પ્રદર્શન, મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીને કાળા ઝંડા બતાવ્યા દિલ્હીમાં ભારત મંડપમમાં AI સમિટમાં હંગામો કરનાર કોંગ્રેસના ચારેય કાર્યકર્તાઓને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. પોલીસે કહ્યું કે પ્રદર્શન કરનારા નેપાળના Gen-Z આંદોલનથી પ્રેરિત હતા. આ પ્રદર્શન એક મોટા ષડયંત્રનો ભાગ હતો. હંગામા દરમિયાન ઘણા ગ્લોબલ લીડર્સ અને ટેક ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો ત્યાં હાજર હતા. પોલીસે કહ્યું કે અમારે તપાસ કરવાની છે કે આરોપીઓએ PM મોદીના ચહેરાવાળી ટી-શર્ટ પહેરી હતી, તેને કોણે પ્રિન્ટ કરાવી હતી. આ બધાના મોબાઈલ રિકવર કરવાની પણ જરૂર છે. આ પછી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રવિએ તમામ ચાર આરોપીઓને 5 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા. BJP દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં પ્રદર્શન કરી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભાજપના ધારાસભ્ય 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા:કર્ણાટક લોકાયુક્ત પોલીસે પ્લાન બનાવીને પકડ્યા, કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયા માંગ્યા હતા કર્ણાટક લોકાયુક્ત પોલીસે શનિવારે ભાજપના ધારાસભ્ય ચંદ્રુ લામાણીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ પકડ્યા. આ કાર્યવાહી ગદગ લોકાયુક્ત પોલીસે એક કોન્ટ્રાક્ટરની ફરિયાદના આધારે જાળ બિછાવીને કરી હતી. લોકાયુક્ત અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લાંચની માગ લઘુ સિંચાઈ વિભાગના કામો સાથે સંબંધિત હતી, જેમાં રસ્તાની બાજુમાં રિટેનિંગ વોલ બનાવવાનું કામ સામેલ હતું. આરોપ છે કે ધારાસભ્યએ કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી 11 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જાળ બિછાવવાની કાર્યવાહી દરમિયાન 5 લાખ રૂપિયા લેતી વખતે તેમને પકડવામાં આવ્યા. શિરહટ્ટી વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્ય સાથે તેમના અંગત સહાયક મંજુનાથ વાલ્મીકિ અને ગુરુ નાયકને પણ આ મામલે અટકાયતમાં લેવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. બિલ્ડર તુષાર ઘેલાણીને 'મહિલામિત્ર'એ મરવા મજબૂર કર્યાની ફરિયાદ:બિઝનેસમેનની ઓફિસમાં પૂનમ એક સમયે રિસેપ્શનિસ્ટ હતી, 2025માં બિલ્ડરે 1 કરોડની બે દુકાન તેના નામે કરી હતી સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં ઉમરા પોલીસે તેમની મહિલા મિત્ર પૂનમ ભાદોરિયા સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. તુષાર ઘેલાણીના પરિવારે પૂનમ ભાદોરિયા વિરુદ્ધ અરજી કરી આક્ષેપ કર્યો હતો કે તે તુષાર ઘેલાણીને બ્લેકમેલિંગ કરતી હતી. પૂનમ ભાદોરિયાએ બિલ્ડર પાસેથી દુકાનથી માંડીને અમુક મિલકતો પણ પડાવી લીઘી હતી. તુષાર ઘેલાણી પૂનમ ભાદોરિયાથી છુટકારો મેળવવા માગતા હતા, પરંતુ તે પીછો છોડતી ન હતી. વળી, દીકરીના લગ્નમાં આ પૂનમ ભાદોરિયાએ હોબાળો કરવાની પણ ધમકી આપી હતી, આથી તુષાર ઘેલાણીએ બદનામી થવાના ડરને કારણે આપઘાત કર્યાનું જણાવ્યું હતું, જોકે સામે પક્ષે પૂનમ ભાદોરિયા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 7. કીર્તિ પટેલના ત્રાસથી યુ ટ્યૂબર 'જિદ્દી બોય'એ ફિનાઇલ પીધું:20 લાખની ખંડણી માગી, દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી, 12 કલાક બાદ કીર્તિની ફ્રેન્ડ દિવ્યાએ પણ ઝેર ગટગટાવ્યું વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢના યુ ટ્યૂબર યુવકે કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઈલ પી લેતાં કીર્તિ, દિવ્યા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૃગીકુંડમાં સ્નાન કરી કીર્તિ પટેલે વિવાદ સર્જતાં જૂનાગઢના યુ ટ્યૂબર અબજલ સીડાએ યુ ટ્યૂબ પર લાઈવ કર્યું હતું. જેના કારણે કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટી ગયા હોવાનું કહી અબજલ પાસે રૂપિયા 20 લાખની ખંડણી અને ખોટા દુષ્કર્મના કેસમાં ફિટ કરવાની ધમકી આપી હતી, જેના કારણે અબજલ સીડાએ બેવાર ફિનાઈલ ગટગટાવી લેતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે કીર્તિ પટેલ સામે છેલ્લા સાત દિવસમાં જૂનાગઢમાં આ ત્રીજો ગુનો નોંધાયો છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : અજિત પવારના ભત્રીજાનો આરોપ- પ્લેન ક્રેશ મોટું ષડયંત્ર:અકસ્માત સમયે ઘણા વિસ્ફોટ થયા હતા, વિમાનમાં પેટ્રોલના ડબ્બા રાખવામાં આવ્યા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : હાશ ! ભારતનો 18% ટેરિફ પણ ખતમ:હવે માત્ર 10% ટેરિફ જ ભરવો પડશે; US સુપ્રીમ કોર્ટે જૂના બધા ટેરિફ રદ કરી નાખ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી:ભારત-બ્રાઝિલ વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ સમજૂતી, મોદીએ કહ્યું- 5 વર્ષમાં 20 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : લિક્વિડ ગેસ લઈ જતી ટ્રક પલટી, VIDEO:ચિલીની રાજધાનીમાં વિસ્ફોટથી ભારે તબાહી, રસ્તા પર આગની જ્વાળાઓ; 4નાં મોત, 17 ઘાયલ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : 1 એપ્રિલથી રોકડમાં ટોલ ચૂકવી શકાશે નહીં:ફાસ્ટેગ કે UPIથી જ થશે પેમેન્ટ, રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન-ન્યૂઝીલેન્ડ સુપર 8 મેચ વરસાદને કારણે ધોવાઈ:બન્ને ટીમને એક-એક પોઇન્ટ મળ્યો, સેમિફાઈનલમાં પહોંચવા માટે બધી મેચ જીતવી જરૂરી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વિનાયક ચતુર્થી:માતા પાર્વતીને રીઝવવા શિવજીએ કર્યું હતું ગણેશજીનું વ્રત, જાણો પર્વનું મહત્ત્વ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ફ્લાઈંગ કિસ આપવા બદલ યુવકને 3 વર્ષની જેલ મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે એક છોકરીને ફ્લાઈંગ કિસ આપવાના આરોપમાં એક યુવકને 3 વર્ષની જેલની સજા સંભળાવી છે. ત્યારે છોકરી 16 વર્ષની અને આરોપી 19 વર્ષનો હતો. મહોલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન આરોપીએ છોકરીને ફ્લાઈંગ કિસ આપી હતી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઈન્ટરવ્યૂ : 'હનુમાન ચાલીસા માટે ગમે ત્યાં ઊભા રહી જઈશું': પ્રવીણ તોગડિયાએ કહ્યું, હિન્દુ શૌર્યવાન હોવા છતાં લૂંટાઇ ગયા, શંકરાચાર્ય-યોગી વિવાદ પર શું બોલ્યા? 2. આજનું એક્સપ્લેનર: ટ્રમ્પના ટેરિફ કેમ રદ થયા, શું ભારત ટ્રેડ ડીલ અટકશે? અમેરિકા હજારો કરોડ પરત આપશે? 7 સવાલમાં જાણો બધું જ 3. '18 કરોડ લોકોને બરબાદ કર્યા, ભારત હસીનાને પરત મોકલે': PM રહેમાનના નજીકના સાંસદે કહ્યું, દિલ્હી ભૂલ સુધારે ત્યારે જ સંબંધો સુધરશે 4. સંઘર્ષ, ટ્રોમા-રિજેક્શનમાં તપીને ભૂમિ પેડનેકર 'હિરો'ઇન બની!: ઝીરો સાઈઝના વહેમને તોડી એક્ટિંગના દમ પર બોલિવૂડમાં સામ્રાજ્ય ઊભું કર્યું; એક્ટ્રેસની 'ફેટ ટુ ફિટ' સુધીની સફર 5. પારકી પંચાત : પંખા ફાસ્ટ થયા ને નેતાઓના કુર્તા ઊડ્યા: ભાજપનાં ધારાસભ્ય મેડમનો ધમાકેદાર ડાન્સ વાઇરલ, AMCની સભામાં ‘I LOVE YOU’, ચેરમેન શરમાયા ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ: મેષ રાશિના જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે, વૃશ્ચિક અને મકર જાતકોને લગ્નનો યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
લ્યો બોલો!:ગટર સફાઈ માટે વર્ષે 27 કરોડ ચૂકવાયા પણ સ્થિતિ ઠેરની ઠેર
શહેરમાં જ્યાં સાંકડા રસ્તાઓ ચાલી, પોળ કે તેવા સ્થળે મશીનોથી ગટરની સફાઈ થઈ શકતી નથી તેવા વિસ્તારોમાં મ્યુનિ. વિવિધ મંડળીઓ મારફતે સફાઈ કરાવે છે. છેલ્લા એક વર્ષમાં 795 સોસાયટીને રૂ. 26.96 કરોડ રકમ ચૂકવી દેવાઈ છે, તેમ છતાં ગટરો ઊભરાવાની સમસ્યા યથાવત્ છે. મ્યુનિ. વિપક્ષી નેતા નેતા શહેજાદખાન પઠાણે કહ્યું કે, ખાસ કરીને ચોક્કસ વિસ્તારમાં ગટરો ઉભરાવી, પાણીજન્ય રોગચાળો ફેલાવવો જેવી સમસ્યા ઊભી થાય છે. શહેરમાં ઉત્તર ઝોનમાં સૌથી વધુ 195 મંડળી છે તેમને 7 કરોડની રકમ ચૂકવાઈ છે. ઝોન પ્રમાણે ચૂકવાયેલી રકમ
સરકારની પોલિસીનો ફિયાસ્કો:9 માસમાં વાહન સ્ક્રેપ માટે કોઈએ નોંધણી ન કરાવી
અમદાવાદ સહિત રાજ્યમાં જૂના વાહનોના સ્ક્રેપ માટે જાહેર કરાયેલી સરકારી પોલિસીનો ફિયાસ્કો થયો હોય તેવું લાગે છે. છેલ્લા 9 મહિનામાં અમદાવાદ આરટીઓ ખાતે એક પણ ખાનગી વાહનમાલિકે સ્ક્રેપ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. લોકોને સ્ક્રેપ માટે વળતરની જે રકમ આપવામાં આવે છે તે વાસ્તવિક કિંમત કરતાં ઘણી ઓછી હોવાથી લોકો વાહન સ્ક્રેપમાં આપવા માટે નોંધણી કરાવતા નથી. સરકાર કરતાં કબાડી માર્કેટમાં વાહન આપે તો પાર્ટ્સના રૂ.500થી 1 લાખ સુધીની કિંમત મળે છે. અમદાવાદ સહિત રાજ્યમાં 5થી 6 સ્ક્રેપ સેન્ટર છે. આમ વાહન વ્યવહાર વિભાગે બનાવેલી પોલિસીનો ફિયાસ્કો થયો છે. 17 વર્ષ જૂનાં વાહનના ખાનગી કંપનીએ સ્ક્રેપ માટે 50 હજારની વાત કરી તો કબાડીમાં 70 હજાર મળશેઅમદાવાદ આરટીઓ ખાતે એક અરજદાર 17 વર્ષ જૂનું વાહન લઈને આવ્યું હતું. સ્ક્રેપ માટે ખાનગી એજન્સીએ તેમને રૂ.50 હજાર આપવાની કરી, કબાડી માર્કેટમાં પૂછ્યું તો 70 હજાર આપવાની વાત કરી હતી. પોલિસીના સફળ અમલ માટે ભાવ સરખી રીતે નક્કી કરોઅમદાવાદના આરટીઓએ જણાવ્યું કે વાહન સ્ક્રેપ કરાવવા માટે કેટલાક લોકો આવ્યા હતા, પરંતુ જે રકમ અપાતી હતી તેનાથી વધુ રકમ ભંગારમાં મળતી હતી. સ્ક્રેપ પોલિસી સફળ થાય તે માટે વાહનની કિંમતના ભાવ સરખી રીતે નક્કી કરવામાં આવવા જોઈએ.
કોમનવેલ્થ અને ઓલિમ્પિકની વાતો વચ્ચે મ્યુનિ.એ જુદા જુદા વિસ્તારમાં વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિ માટે બનાવેલા એકમોમાંથી મોટાભાગના જાળવણીના અભાવે ધૂળ ખાતાં હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષના ઉપનેતા નીરવ બક્ષીએ કર્યો છે. તેમણે કહ્યું કે, સરદાર પટેલ સ્ટેડિયમને નવું બનાવવાની વાતો કરાય છે પણ હજુ સુધી તેમાં કોઈ પ્રગતિ નથી. ક્રિકેટ માટે 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર થઇ રહ્યા છે. તમામ ઝોનમાં એક એમ 7 મિની સ્પોર્ટ્સ કોમ્પ્સેક્સ તૈયાર થઇ રહ્યા છે. તે સિવાય 47 જિમ, 6 સ્કેટિંગ રિંગ, 5 સ્પોર્ટ્સ સેન્ટર, 7 ટેનિસ કોર્ટ અને 5 રિક્રિએશન સેન્ટર સહિત 70 જેટલી સ્પોર્ટ્સ સુવિધા ઊભી કરાઇ છે. મ્યુનિ.એ 731 કરોડના ખર્ચે બનાવેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં નાગરિકોને હજુ લાભ મળતો નથી. મ્યુનિ આ બિલ્ડિંગનો સફાઇ ખર્ચ ઉઠાવી રહી છે. સ્પોર્ટ્સ સુવિધા ઊભી કરી 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટરને આપવાની નીતિ અપનાવી છે. 731 કરોડના ખર્ચે બનેલા નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લોકોને મળતો નથી સરદાર પટેલ સ્ટેડિયમ : 18 કોરિડોરમાં RCCના પોપડા પડે છે
છેલ્લા કેટલાક દિવસોથી પીજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે પશ્ચિમ વિસ્તારની 80થી વધુ સોસાયટીઓએ પીજી બંધ કરાવવા લેખિત ફરિયાદો કરી છે. જોકે મ્યુનિ.ના હોસ્ટલ-લોજિંગને લગતાં નિયમો લગભગ એકપણ પીજી પૂર્ણ કરી શકે તેમ નથી. ખરેખર તો કડક નિયમોને કારણે એક પણ પીજી સંચાલકે પોતાનું પીજી તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. પીજી રજિસ્ટ્રેશન માટે સોસાયટીના ચેરમેન અને પોલીસનું એનઓસી લેવું ફરજિયાત છે, જેથી કોઈ રજિસ્ટ્રેશન કરાવતું નથી. કેટલાક પીજી સંચાલકો વ્યક્તિદીઠ 12થી 18 હજાર લઈ લક્ઝરી સુવિધા આપે છે. જ્યારે મોટા ભાગના પીજીમાં રૂ. 6 હજારથી 10 હજાર સુધીની રકમમાં રહેવા-ખાવાની સુવિધા અપાય છે. જે વિદ્યાર્થીઓ અને સામાન્ય નોકરી કરનારને પોષાય તેમ હોય છે. નિયમ: હોસ્ટેલ તરીકે નોંધણી થઈ શકે પીજી મુદ્દે સ્પષ્ટ માર્ગદર્શિકાનો અભાવસોસાયટીમાં ચાલતી પીજી માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા નથી. કાયદેસર બાંધકામ કેવી રીતે કરવું તેની માર્ગદર્શિકા એટલે CGDCRમાં પણ ‘પીજી’નો ઉલ્લેખ નથી. માત્ર હોસ્ટેલ માટે રોડ પહોળાઈ, બાંધકામ, પાર્કિંગ, ફાયર, પોલીસ એનઓસી ફરજિયાત જણાવાઈ છે. વર્ષે સરેરાશ હોસ્ટેલના પાંચથી છ પ્લાન મંજૂર થાય છે. મહારાષ્ટ્ર-કર્ણાટકની જેમ લાઇસન્સથી પીજીની મંજૂરી આપવી જોઈએપીજી માટે અલગ નીતિ બનાવવી જોઈએ, જ્યાં સુધી સરકાર દ્વારા સ્પષ્ટ નીતિ ન બને ત્યાં સુધી કોઈ પણ પીજીને સીલ ન કરવાં જોઈએ. મહારાષ્ટ્ર, કર્ણાટકની જેમ લાઇસન્સથી પીજી. ચલાવવાની મંજૂરી હોવી જોઇએ. - સોહમ પંડ્યા પ્રમુખ, ગુજરાત પીજી ઓનર્સ વેલ્ફેર એસો. સોસાયટીમાં લિફ્ટને નુકસાન કરવું, ખુલ્લી મૂકી દેવી. મોડી રાત્રે 1 વાગ્યે મગાવાતાં ફૂડ પાર્સલ ડિલવરી બોય ખોટા દરવાજા ખખડાવે અને લોકોની ઊંઘ ખરાબ થાય. પાર્કિંગની પણ સમસ્યા ઊભી કરે છે, ત્યારે ગેરકાયદે ચાલતાં પીજી બંધ કરો - કપિલ બારોટ ચેરમેન, આનંદવિહાર સોસા., ત્રાગડ પીજીમાં રહેતા લોકોની ફરિયાદો સોસાયટીના રહીશોની ફરિયાદો અત્યાર સુધીમાં 116 પીજીને નોટિસ, 8 સીલ
શહેરની જે.જી.કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાં બે દિવસીય રાષ્ટ્રીય ફિઝિયોથેરાપી કોન્ફરન્સ જે.જી. ફિઝિયોકોન યોજાઈ હતી, જેમાં 2500થી વધુ વિદ્યાર્થી, ડોક્ટરો જોડાયા હતા. દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કુલ 588 રિસર્ચ પેપર રજૂ અને પ્રકાશિત કરાયાં હતાં, જેમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. રિસર્ચ પેપર: 1 મોબાઇલ સ્માર્ટફોન એડિક્શન અને માઇન્ડફુલનેસ170 કોલેજ વિદ્યાર્થીઓ પર કરાયેલા અભ્યાસમાં નોંધપાત્ર નેગેટિવ સંબંધ જોવા મળ્યો, જે દર્શાવે છે કે સ્માર્ટફોનનો વધતો વપરાશ વિદ્યાર્થીઓની એકાગ્રતા અને ધ્યાનક્ષમતા ઘટાડે છે. વધુ સ્ક્રીન એક્સ્પોઝર ધરાવતા વિદ્યાર્થીઓમાં માઇન્ડ ફુલનેસનો સ્તર ઓછો નોંધાયો. સતત નોટિફિકેશન, સોશિયલ મીડિયાનો ઉપયોગ અને લાંબા સમય સુધી મોબાઇલ પર રહેવાની આદત માનસિક જાગૃતિને અસર કરે છે અને શૈક્ષણિક કાર્યક્ષમતામાં ઘટાડો લાવી શકે છે. (ફાઇનલ યરની વિદ્યાર્થિની કશિશ ચંપાવતનું રિસર્ચ) રિસર્ચ પેપર: 2 ઓનલાઇન ગેમિંગ અને હાથની સમસ્યા80 વિદ્યાર્થી પર કરાયેલા અભ્યાસમાં 60 ટકા વિદ્યાર્થીઓએ હાથ અથવા કોણીમાં દુખાવાની ફરિયાદ નોંધાવી. દરરોજ સરેરાશ 3.6 કલાક મોબાઇલ ગેમિંગ કરતા વિદ્યાર્થીઓમાં તકલીફો વધુ પ્રમાણમાં જોવા મળી. લાંબા સમય સુધી એકસરખી સ્થિતિમાં મોબાઇલ પકડી રાખવો અને વારંવાર આંગળીઓની હલનચલનને મુખ્ય કારણ તરીકે ઓળખાયું. યુવાવયે જ મસ્ક્યુલોસ્કેલેટલ (સ્નાયુના દુખાવાની) સમસ્યાઓ વધી રહી હોવાનું તારણ સામે આવ્યું. (થર્ડ યરની વિદ્યાર્થિની સીમા પરવીન ખાનનું રિસર્ચ પેપર) રિસર્ચ પેપર: 3 સ્ક્રીન ટાઇમ અને માનસિક થાક વચ્ચેનો સંબંધવિદ્યાર્થીઓમાં સ્ક્રીન ટાઇમ વધતા માનસિક થાક અને યાદશક્તિ સંબંધિત સમસ્યા નોંધાઈ. સરવેમાં 78 ટકા વિદ્યાર્થીઓએ માનસિક થાકની ફરિયાદ કરી, જ્યારે 62 ટકામાં યાદશક્તિ અને ધ્યાનમાં ઘટાડો જોવા મળ્યો. સ્ક્રીન ટાઇમ અને માનસિક થાક વચ્ચે સીધું કનેક્શન સામે આવ્યું, જે દર્શાવે છે કે લાંબા સમય સુધી ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ મગજની કાર્યક્ષમતાને સીધી અસર કરે છે. એકાગ્રતા, યાદશક્તિ, દૈનિક કાર્યક્ષમતા ઘટતી હોવાનું તારણ મળ્યું. (ફાઇનલ યરની વિદ્યાર્થિની હેતવી શાહનું રિસર્ચ પેપર)
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:દાહોદમાં 700 કરોડનો ખર્ચ છતાં 200 ગામમાં એક ટીપું પાણી પહોંચ્યું નથી!
દાહોદ જિલ્લામાં છેવાડાના ગામ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા માટે સરકાર દ્વારા ‘નળ થી જળ’ યોજના હેઠળ રૂ.700 કરોડનો ખર્ચ કરાયો છે, પરંતુ તંત્રની બેદરકારી અને જાળવણીના અભાવે આ કરોડોનો ખર્ચ અત્યારે ‘પાણીમાં’ ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આંકડાકીય વિગતો મુજબ, જિલ્લાના 200 ગામો એવા છે જ્યાં હજુ સુધી સંપ કે ટાંકી સુધી પાણી પહોંચી શક્યું નથી. જિલ્લાની 460 પંચાયતોમાં માંડ સંપ સુધી પાણી પહોંચ્યું છે, પરંતુ ચિંતાજનક બાબત એ છે કે 200 ગામોમાં હજુ સુધી પ્રાથમિક સોર્સ એટલે કે સંપ કે ટાંકી સુધી પાણીનું ટીપું પણ આવ્યું નથી. આ ગામોમાં પાઈપલાઈન નાખી દેવામાં આવી છે. પરંતુ તેની જાળવણીના અભાવે અને અધૂરી કામગીરીને કારણે ગ્રામજનો ઘરઆંગણે પાણી મેળવવાથી વંચિત છે. જિલ્લાના વિવિધ ગામોમાં આશરે 7000 જેટલી બ્રાન્ચ લાઈનો એવી છે જ્યાં ટેકનિકલ સમસ્યાઓ અથવા લીકેજને કારણે વિતરણ વ્યવસ્થા ખોરવાયેલી છે. સંપથી નીકળતા ફાંટાઓમાં યોગ્ય લિંકિંગ ન હોવાથી અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે. કોઈ ગામમાં બે ફળિયામાં પાણી મળે છે જ્યારે બાજુમાં જ આવેલું ત્રીજું ફળિયું ફાંટાઓની ખામીને કારણે પાણી વગર તરસ્યું રહે છે. રસ્તાઓ પર રઝળતી પાઈપો અને ખોરવાયેલી જાળવણી તંત્રની ઉદાસીનતા સાબિત કરે છે.જિલ્લાની દરેક પંચાયતમાં સરેરાશ એક થી સવા કરોડ રૂપિયા જેવી માતબર રકમ આ યોજના પાછળ ફાળવવામાં આવી છે. આમ છતાં દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવો પડે છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ 200 ગામો અને 7000 જેટલી બ્રાન્ચ લાઈનોનું સમારકામ કરવામાં નહીં આવે તો ઉનાળાની શરૂઆતમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કેટલીક જગ્યાએ પાઇપ જ નાખવામાં આવી નથીઅમારા ગામમાં નલ સે જલ યોજનાની ત્રણ વર્ષ અગાઉ પાઇપલાઇન નાખવામાં આવી હતી. પરંતુ આજ દિન સુધી આ નળમાં પાણી આવ્યું નથી.અમારા ગામમાં કેટલીક જગ્યાએ પાઇપલાઇન નાખી છે,જ્યારે કેટલીક જગ્યાએ પાઇપ જ નાખવામાં આવી નથી. અમોએ ગ્રામ પંચાયત તથા અન્ય જગ્યાએ અનેક વાર રજૂઆત કરી પણ કોઈ જોવા આવતું નથી કે કોઈ જવાબ આપતા નથી.સરકારે આ યોજના અમલમાં મૂકી કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે ત્યારે અમોને પાણી મળવું જોઇએ.-વિક્રમભાઈ કનુભાઈ બારીયા, હિંદોલીયા આજ દિન સુધી ટીપુ પાણી આવ્યુ નથીઅમારા ડબલારા ગામના ઘાટી ફળિયામાં જે સંપ અને ટાંકી બનાવવામાં આવેલી છે. તેમાં આજ દિન સુધી પાણીનું ટીપું આવ્યું નથી. સરકારના નાણાનો ખોટો વેડફાટ થયો છે. અમારા ગામને જો ટાંકીમાંથી પાણી આપવામાં આવે તો ગામમાં અમારા ઘર-ઘર સુધી પાણી પહોંચી શકે છે. > મહેશભાઇ બરજોડ, ડબલારા, ઘાટી ફળિયું DDOનો 630 ગામના સરપંચ-તલાટીને પત્ર: પીવાના પાણી માટે જરૂરી પાણી વેરો નક્કી કરોજિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ નલ સે જલ યોજના ધરાવતા 630 ગામના સરપંચ અને તલાટીને પત્ર લખ્યો છે.તેમાં પાણી સમિતિ અને સરપંચની જવાબદારી નક્કી કરવામાં આવી છે. તેમાં મંજૂર થયેલા પાણીના કામોના અમલીકરણ સાથે કામો સમયસર અને ગુણવત્તા સભાર પૂર્ણ કરવાની તકેદારી રાખવાની ટકોર કરાઇ છે. આ સાથે પીવાના પાણી માટે જરૂરી પાણી વેરો નાખી તેની વસુલાત કરવા સાથે પાણી વેરાના દરો નિયમિત સુધારવા અને તેની ગ્રામ સભામાં મંજુરી લેવી. તેમજ ગેરકાયદે કનેક્શનો દૂર કરવાનું પણ પત્રમાં લખ્યું છે. 15મા નાણાપંચની ટાઇડ ગ્રાન્ટમાંથી રિપેરિંગનો ખર્ચ કરવાનો આદેશદાહોદ જિલ્લાના તમામ ગામોમાં નલ સે જલ યોજનામાં નાનાથી માંડીને ગંભીર પ્રશ્નો ઉભા છે. ત્યારે યોજનાના નાના-મોટા ફોલ્ટ, લીકેજ, વાલ્વ બદલવા કે ઓપરેટર પગાર જેવા ખર્ચ પાણીવેરાની આવક સાથે 15મા નાણાપંચ ટાઇડ ગ્રાન્ટમાંથી નિયમોનુસાર ખર્ચ કરવાની તાલુકા વિકાસ અધિકારીઓ સાથે સરપંચ અને તલાટીઓને લેખિત આદેશ કરવામાં આવ્યો છે.
ભાસ્કર બ્રેકિંગ:એમડી, એમએસ ડૉક્ટરો સ્ટાઇપેન્ડ સરકારી મેળવે છે પણ પ્રેક્ટિસ ખાનગી હોસ્પિટલમાં!
ગ્રામ્ય આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલા ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ (DRP) અંગે ગુજરાતમાં ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. રાજ્ય સરકાર એમ.ડી. (ડૉક્ટર ઓફ મેડિસિન) અને એમ.એસ. (માસ્ટર ઓફ સર્જરી) ના બીજા વર્ષના પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગ્રામ્ય તથા સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપવા સ્ટાઈપેન્ડ ચૂકવે છે, પરંતુ યોજનાપૂર્વક 15થી 20 ટકા વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પોસ્ટિંગ અપાય છે, જે બિલકુલ નિયમ વિરુદ્ધ છે. પરિણામે ટેક્સ પેયરના કરોડો રૂપિયા ખર્ચાયા છતાં તેનો સીધો લાભ સરકારી આરોગ્ય વ્યવસ્થાને મળતો નથી. ગુજરાતમાં વર્ષ 2021થી અમલમાં આવેલા DRP અંતર્ગત દર વર્ષે આશરે બે હજાર એમ.ડી. અને એમ.એસ. ના વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા સિવાયના આરોગ્ય કેન્દ્રોમાં ત્રણ મહિનાની ફરજીયાત પોસ્ટિંગ અપાય છે. સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી દર મહિને એક લાખ રૂપિયાથી વધુ સ્ટાઈપેન્ડ ચૂકવાય છે, જેથી જિલ્લા, ઉપજિલ્લા હોસ્પિટલો અથવા જ્યાં રેસિડન્ટ ડૉક્ટરોની અછત હોય તેવા કેન્દ્રોમાં પીજી ડૉક્ટરો સેવા આપી શકે. સમગ્ર મામલે મુખ્યમંત્રી કાર્યાલયમાં અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ મળ્યું નથી. એડિશનલ ડાયરેક્ટર મેડિકલ એજ્યુકેશન અને કમિશનર ઓફ હેલ્થના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાઈડલાઈનનું મનસ્વી અર્થઘટન કરીને વર્ષ 2021, 2022 અને 2023 દરમિયાન આશરે 7 હજાર વિદ્યાર્થીઓમાંથી 1500 જેટલા વિદ્યાર્થીઓને ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં DRP પોસ્ટિંગ અપાયું છે. વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ખાનગી મેડિકલ કોલેજના આ વિદ્યાર્થીઓને આશરે 45 કરોડ રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવાયું છે. એટલે કે સરકાર દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડનો પરોક્ષ લાભ ખાનગી મેડિકલ સંસ્થાઓને મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લા એવા છે જ્યાં ગાયનેક, એનેસ્થેટિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશ્યન, ફિઝિશિયન નથી અથવા એક જ છે. આ ડૉક્ટરો રજા પર હોય ત્યારે દર્દીઓને જોનાર કોઈ હોતું નથી. DRPની અમલવારી અંગે તાત્કાલિક સમીક્ષા કરવાની જરૂર છે. ખાનગી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં DRP પોસ્ટિંગ અપાયું છે. વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ખાનગી મેડિકલ કોલેજના આ વિદ્યાર્થીઓને આશરે 45 કરોડ રૂપિયા સ્ટાઈપેન્ડ ચૂકવાયું છે. એટલે કે સરકાર દ્વારા ચૂકવાતા સ્ટાઈપેન્ડનો પરોક્ષ લાભ ખાનગી મેડિકલ સંસ્થાઓને મળી રહ્યો છે. ગુજરાતના ઘણા જિલ્લા એવા છે જ્યાં ગાયનેક, એનેસ્થેટિસ્ટ, સર્જન, પીડિયાટ્રિશ્યન, ફિઝિશિયન નથી અથવા એક જ છે. આ ડૉક્ટરો રજા પર હોય ત્યારે દર્દીઓને જોનાર કોઈ હોતું નથી. DRPની અમલવારી અંગે તાત્કાલિક સમીક્ષા કરવાની જરૂર છે. અનન્યા- સ્વામિનારાયણ જેવી મેડિકલ કોલેજોમાં પોસ્ટિંગની શરૂઆતખાનગી મેડિકલ કોલેજમાં ડીઆરપી પોસ્ટિંગનો કોઈ નિયમ નથી. તેમ છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાનગી મેડિકલ કોલેજો સાથે મળી નિયમનું ખોટું અર્થઘટન કરીને ખાનગી મેડિકલ કોલેજમાં ડીઆરપી પોસ્ટિંગની શરૂઆત કરાવી છે. અનન્યા અને સ્વામિનારાયણ મેડિકલ કોલેજો જેવી ખાનગી સંસ્થાઓએ ડીઆરપી કોર્સ માટે સરકારમાં ડિમાન્ડ કરી હતી અને આશ્ચર્ય વચ્ચે આરોગ્ય વિભાગ તેની મંજૂરી પણ આપી રહ્યાં છે. ઉચ્ચ અધિકારીઓએ પ્રોગ્રામનો રિવ્યુ કરવાની જરૂર છે. સુવ્યવસ્થિત આયોજન થાય તો ગ્રામ્ય સ્તરે માતા-શિશુ મૃત્યુદરમાં ઘટાડો થઈ શકે છેDRP માર્ગદર્શિકા મુજબ ડૉક્ટરોને એવા સરકારી સેન્ટરો પર મોકલવાના છે, જ્યાં પીજી કોર્સ ઉપલબ્ધ ન હોય. ખાસ કરીને ગ્રામ્ય અને ટ્રાયબલ વિસ્તારોમાં ગાયનેકોલોજિસ્ટ જેવા નિષ્ણાતોની અછતને કારણે માતા અને શિશુ મૃત્યુદર (MMR અને IMR) જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓ ઊભી થાય છે. આવા વિસ્તારોમાં DRP ડૉક્ટરોની સેવાઓ ઉપલબ્ધ થાય તો આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થઈ શકશે. ડીઆરપી પોસ્ટિંગમાં કામ ઓછું કરવું પડે એવા સેન્ટરની પહેલી પસંદગીવિદ્યાર્થીઓ માટે ડીઆરપી પોસ્ટિંગનો ત્રણ મહિનાનો ગાળો વેકેશન સમાન બને છે. વિદ્યાર્થીઓ સિનિયર વિદ્યાર્થીઓ પાસેથી જાણકારી મેળવી એવા જ સેન્ટરો પસંદ કરતા હોય છે, જ્યાં ઓછું કામ કરવું પડે. એક વખત જાતે સેન્ટર પસંદ કર્યું હોવા છતાં 25 ટકા વિદ્યાર્થીઓ બદલી કરવાની માગણી કરે છે. બીજી તરફ વિદ્યાર્થીઓને ભણવું હોય, પરંતુ તેમના સેન્ટર ઉપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ઉપલબ્ધ નથી હોતા, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન છે.
શરદ પવારની રાષ્ટ્રવાદી પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે શનિવારે ફરી એક વાર રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે કેન્દ્રમાં મોદી સરકારને ટેકો આપતી ટીડીપી પર વીએસઆર એરલાઇન્સ સાથે સાઠગાંઠનો આરોપ લગાવ્યો હતો અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુના રાજીનામાની માગણી કરી હતી. ટીડીપી અને વીએસઆર વચ્ચે ખૂબ જ ગાઢ નાણાકીય સંબંધો છે. એક જ પાર્ટીના સાંસદ કેન્દ્રમાં ઉડ્ડયન મંત્રી હોવાથી, અજિત પવારના વિમાન દુર્ઘટનાની તપાસ પારદર્શક રહેશે નહીં. આ મંત્રી ડીજીસીએ દ્વારા દસ્તાવેજોમાં છેડછાડ કરી શકે છે. તેથી, તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, એમ તેમણે કહ્યું. વીએસઆર કંપનીને ઘણા શક્તિશાળી લોકોનો ટેકો હોવાથી, રોહિત પવારે પણ માગણી કરી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતે આ બાબત પર ધ્યાન આપે. રોહિત પવારે કહ્યું, ભારતના ઉડ્ડયન મંત્રી ટીડીપીના છે. તે પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુના પરિવારના એક સભ્યની એક નાણાકીય સંસ્થા છે. આ નાણાકીય સંસ્થાએ વીએસઆર કંપનીમાં રોકાણ કર્યું છે. જો તમારા પોતાના પરિવારના સભ્યો વીએસઆરમાં પૈસા રોકાણ કરી રહ્યા છે, જો તમે રોહિત સિંહ (વીએસઆરના ડિરેક્ટર)ના લગ્નમાં જાઓ છો, જો તમારા તેમની સાથે નાણાકીય સંબંધો છે, તો આ બાબતની નિષ્પક્ષ તપાસ કેવી રીતે થશે?VSR કંપનીમાં મહારાષ્ટ્રના કેટલાક લોકો પણ સામેલ છે. આ લોકો ખૂબ જ શક્તિશાળી છે. તેથી જ અમે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી તપાસની માગણી કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું. VSR કંપની માટે DGCA નું રેડ કાર્પેટરોહિત પવારે કહ્યું, અજિત પવારના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પછી પણ, VSR કંપનીનો વ્યવસાય સારો ચાલી રહ્યો છે. હું કહી શકતો નથી કે તેમનાં વિમાનોનો ઉપયોગ કોણ અને કયા હેતુ માટે કરી રહ્યા છે. આ કંપની ડરતી નથી, કારણ કે તેની પાછળ ખૂબ મોટા લોકોની શક્તિ છે. આ કંપની માટે DGCA દ્વારા લાલ જાજમ બિછાવવામાં આવી છે.’’
ઠાકરે બંધુઓ વચ્ચે મતભેદ:નોમિનેટેડ નગરસેવકોને મુદ્દે હવે ઠાકરે બંધુઓ વચ્ચે ફરીથી અંતર વધી ગયું
રાજ્યમાં મહાપાલિકાની ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં ભેગા થયેલા ઠાકરે બંધુઓ હવે ફરી અલગ દિશામાં જઈ રહ્યા હોવાની ચર્ચા છે. ચૂંટણીની પૂર્વસંધ્યાએ હાથ મિલાવીને કાર્યકરોમાં ઉત્સાહ જગાડનારા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે મતભેદો સ્પષ્ટ થઈ રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. ખાસ કરીને, રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે રાજ ઠાકરેની મુલાકાત વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પહેલાં શિંદેની ટીકા કરનારા રાજ ઠાકરે હવે શહેરમાં મુદ્દાઓ ઉઠાવવા માટે તેમની પાસે ગયા છે. તેથી, એવી ચર્ચા છે કે ઠાકરે બંધુઓનું સમીકરણ બદલાઈ ગયું છે. રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન 'નંદનવન' ખાતે થયેલી મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. મહાપાલિકાની ચૂંટણી પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી સત્તાવાર મુલાકાત હતી. વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની માહિતી બહાર આવી હતી, પરંતુ આ મુલાકાતથી ઠાકરે બંધુઓ વચ્ચેના સંકલન પર પ્રશ્નો ઊભા થયા હતા. આ પૃષ્ઠભૂમિમાં, માહિતી સામે આવી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ મહાપાલિકામાં મંજૂર નગરસેવકો અંગે મોટો નિર્ણય લીધો છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, ઠાકરે જૂથ દ્વારા સાઈનાથ દુર્ગે, માધુરી માંજરેકર અને કૈલાશ પાઠકનાં નામોને નોમિનેટેડ નગરસેવક તરીકે પુષ્ટિ આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નામોની સત્તાવાર જાહેરાત 28 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનસેએ એક નોમિનેટેડ નગરસેવક પદની માગણી કરી હતી. મનસે જૂથના નેતા યશવંત કિલ્લેદારે ખુલ્લેઆમ આ માગણી ઉઠાવી હતી. જોકે, એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરેએ તેમના ક્વોટામાંથી ત્રણેય બેઠકો નક્કી કરી હોવાથી મનસેને સ્થાન મળશે નહીં. આ દરમિયાન, મનસે નેતા સંદીપ દેશપાંડેએ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને ઠાકરેની પાર્ટીની આડકતરી રીતે ટીકા કરી હતી, જેને લઈ બંને પક્ષો વચ્ચેના તણાવ વધ્યો છે. બીજી તરફ, ઠાકરે જૂથના નેતા કિશોરી પેડણેકરે સંયમનું વલણ અપનાવ્યું. તણાવ આગળ કયા તબક્કે જશે?મહાપાલિકાની ચૂંટણીઓ પછી રાજ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત, ત્યાર બાદ આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરેનું એકત્ર થવું, અને તે જ સમયે ઉદ્ધવ ઠાકરે દ્વારા નોમિનેટેડ નગરસેવકોનાં નામોને અંતિમ સ્વરૂપ આપવું, આ બધી ઘટનાઓએ રાજકીય વાતાવરણને વધુ ગરમાવ્યું છે. ઠાકરે બંધુઓમાં આ તણાવ આગળ ક્યાં જશે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.
સિટી એન્કર:મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર અકસ્માત ટાળવાના અભ્યાસ માટે સમિતિ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ગેસ ટેંકરના થયેલા અકસ્માત બાદ હાઈવેની સુરક્ષા બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવે છે. તેમ જ પરિવહન વ્યવસ્થાપન પર પણ ટીકા થઈ રહી છે. એ ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે વિશેષ સાત સભ્યોની સમિતિની સ્થાપના કરી છે. ઈંડિયન રોડ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાર્વજનિક બાંધકામ વિભાગના ભૂતપૂર્વ સચિવ સી.પી. જોશીની અધ્યક્ષતા હેઠળ આ સમિતિ કામ કરશે. સમિતિ આગામી 60 દિવસમાં વિગતવાર અહેવાલ રજૂ કરશે. એ પછી અહેવાલની ભલામણો અનુસાર ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવશે. રાજ્યમાં અત્યંત ટ્રાફિકવાળા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 3 ફેબ્રુઆરીના સાંજે લગભગ 5 વાગ્યાના સુમારે ગેસ ટેંકર પલટી થયું હતું અને ટેંકરમાંથી અત્યંત જ્વલનશીલ પ્રોપિલિન ગેસનું ગળતર શરૂ થયું. ગળતર બંધ કરવું અને ટેંકર સુરક્ષિત રીતે હટાવવું એ મોટો પડકાર સંબંધિત યંત્રણા સમક્ષ હતો. આ પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી વાહનવ્યવહાર પૂર્વવત શરૂ કરવા 32 કલાક જેટલો સમય લાગ્યો.આ સમયમાં હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્ણપણે ખોરવાયો અને મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ નિર્માણ થયો. આ અકસ્માત પછી હાઈવે પર અકસ્માત કેવી રીતે રોકી શકાય અને પ્રવાસ વધુ સુરક્ષિત કેવી રીતે કરી શકાય એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા સમિતિ તૈયાર કરવામાં આવ્યાની માહિતી એમએસઆરડીસીના વ્યવસ્થાપકીય સંચાલક અનિલકુમાર ગાયકવાડે આપી. સમિતિના સભ્યો: સી.પી. જોશીની અધ્યક્ષતા હેઠળની સમિતિમાં ભૂતપૂર્વ સહપોલીસ આયુક્ત (પરિવહન) અને કોકણ વિભાગના ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક એસ. મોહિતે ઉપાધ્યક્ષ તરીકે કાર્યરત છે. તેમ જ રાજ્ય પરિવહન વિભાગના ભૂતપૂર્વ સહઆયુક્ત જિતેન્દ્ર પાટીલ અને એસ. દેશપાંડે, સુરક્ષા અને ટેકનિકલ કાયદા નિષ્ણાત મિલિંદ કુલકર્ણી, સેવ લાઈફ ફાઉન્ડેશનના અધ્યક્ષ પિયુષ તિવારી સભ્યો છે. મહામંડળના પુણે વિભાગના અધિક્ષક એન્જિનિયર રાહુલ વસઈકર સભ્ય સચિવ તરીકે કામ જોઈ રહ્યા છે.
મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે થાણે-કલ્યાણ-ભિવંડી મેટ્રો-5 રૂટ માટે 22 ટ્રેનની ખરીદી કરવા ફેબ્રુઆરી 2024માં ટેંડર મગાવ્યા હતા. આખરે દોઢ વર્ષ પછી એમએમઆરડીએએ ટ્રેનની ખરીદી માટે કોન્ટ્રેક્ટરની નિયુક્તી કરી છે. આ માટે 2 હજાર 640 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને 22 ટ્રેનની ખરીદી કરવામાં આવશે. એમએમઆરડીએ મુંબઈ મહાનગર પ્રદેશમાં 337 કિલોમીટર લાંબુ મેટ્રોનું જાળુ તૈયાર કરે છે. એમાંથી 24.45 કિલોમીટર લાંબા મેટ્રો-5 રૂટનું કામ એમએમઆરડીએ બે તબક્કામાં કરે છે. અંદાજે 8500 કરોડ રૂપિયાના ખર્ચ અને 17 સ્ટેશનના સમાવેશવાળો આ રૂટનું કામ વહેલાસર પૂરું કરીને મેટ્રો-5 પ્રવાસીઓ માટે શરૂ કરવાનું નિયોજન છે. આ રૂટમાં કાપૂરબાવડીથી ધામણકર નાકા દરમિયાનના પહેલા તબક્કાનું કામ ચાલુ છે. આ કામ 90 ટકા પૂરું થયું છે. ધામણકર નાકાથી કલ્યાણના બીજા તબક્કાનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ રૂટ માટે 22 ટ્રેનની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનની ખરીદી માટે એમએમઆરડીએએ ફેબ્રુઆરી 2024માં ટેંડર જારી કર્યા હતા પણ અંતિમ કરવામાં આવ્યા નહોતા.
મહાલક્ષ્મી રેસકોર્સની 300 એકર જમીન પર સરકારના માધ્યમથી આંતરરાષ્ટ્રીય દરજ્જાનું સેંટ્રલ પાર્ક ઊભો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે અહીં રમતગમતની સુવિધા, પારંપારિક દેશી રમત અને 5 હજાર વાહન માટે પાર્કિંગ લોટ ઊભો કરવામાં આવવાનો છે. તેથી પાકું બાંધકામ કરવું પડશે. આ સુવિધા પાર્ક અપગ્રેડ તરીકે રજૂ કરવામાં આવી છે છતાં પુનર્વિકાસમાં પાયાભૂત સુવિધા ઊભી થવાથી આ મેદાનને નુકસાન થશે. તેથી મહાલક્ષ્મી રેસકોર્સના પુનર્વિકાસના વિરોધમાં 102 આર્કિટેક્ટ, ડીઝાઈનર્સ અને શહેર નિયોજક એક થયા છે. મહાલક્ષ્મી રેસકોર્સ અને કોસ્ટલ રોડ સાઈટ્સને ભેગા કરીને 300 એકરમાં સેંટ્રલ પાર્ક બનાવવાની જાહેરાત પહેલાં જ કરવામાં આવી છે. મુંબઈ આર્કિટેક્ટ કલેક્ટિવ અંતર્હત આ 102 આર્કિટેક્ટ, નિયોજકોએ પુનર્વિકાસનો વિરોધ કરતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને પત્ર લખ્યો છે. અંડરગ્રાઉન્ડ સહિત કોઈ પણ પ્રકારના બાંધકામના કારણે ખુલ્લી જગ્યાનું કાયમીસ્વરૂપે નુકસાન થશે એમ તેમણે પત્રમાં નોંધ્યું છે. તેથી આ સાર્વજનિક જગ્યા નાગરિકોના ફરવા માટે, વ્યાયામ માટે જ રાખવી જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરી છે. રેસકોર્સની જગ્યા કુદરતી છિદ્રાળુ જમીન છે જે વરસાદી પાણીને શોષવા, ભૂર્ગભના જળને રીચાર્જ કરવા અને પુરનું જોખમ ઘટાડવા ઘણી મહત્વપૂર્ણ છે. આ જમીન પર કોંક્રિટ નાખવાથી મેદાનનું કુદરતી સ્વરૂપ નાશ પામશે. અંડરગ્રાઉન્ડ બાંધકામ કરીને કોંક્રિટનો સ્લેબ નાખવાથી અહીં વૃક્ષો ઊગી શકશે નહીં. કુદરતી ઈકોસિસ્ટમનો નાશ થશે. મોટા પાયે થનારા બાંધકામથી ધુળનું સ્તર વધશે અને શહેરમાં પ્રદૂષણની સમસ્યામાં વધારો થશે. પ્રસ્તાવિત અંડરગ્રાઉન્ડ ટનલના લીધે ટ્રાન્ઝિટ ઓરિયેન્ટેડ ડેવલપમેંટ નિયમ અનુસાર આસપાસની ઈમારતોની એફએસઆઈ વધી શકે છે. તેથી આ પ્રકલ્પ પાર્કના સુધારા માટે નહીં પણ રિયલ એસ્ટેટના એટલે કે બિલ્ડરોના ફાયદા માટે થઈ રહ્યો છે એવો આરોપ કરવામાં આવી રહ્યો છે.
મુંબઈ મહાપાલિકાનું બજેટ:મુંબઈ મહાપાલિકાનું બજેટ 25 ફેબ્રુઆરીના રોજ સ્થાયી સમિતિની સભામાં રજૂ થશે
મુંબઈ મહાપાલિકાનું બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં રજૂ થાય છે. જો કે મેયર ચૂંટણી, સ્થાયી સમિતિ અને અન્ય સમિતિ અધ્યક્ષ તેમ જ સભ્ય ચૂંટણી પ્રક્રિયાના કારણે આ વર્ષે બજેટમાં વિલંબ થયો છે. આખરે આ બજેટ 25 ફેબ્રુઆરીના રજૂ થશે. નવી સ્થાયી સમિતિ અધ્યક્ષ સાથે મહાપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓની થયેલી બેઠકમાં એના પર મંજૂરીનો સિક્કો મારવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિની સભામાં બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતના બજેટમાં વિવિધ પ્રકલ્પો માટે મસમોટી જોગવાઈ કરવામાં આવી હોવાની શક્યતા છે. 2025-26માં 74 હજાર 427 કરોડ 41 લાખ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2024-25ની સરખામણીએ આ રકમમાં 14.19 ટકાનો વધારો થયો હતો. આ વખતનું બજેટ 80 હજાર કરોડ રૂપિયા કે એનાથી વધુ મોટું હોવાની શક્યતા છે. 2025-26ના બજેટમાં ખર્ચ માટે 43 હજાર 162 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. મહેસૂલ ખર્ચ 31 હજાર 204 કરોડ 53 લાખ રૂપિયા હતો. મુંબઈ મહાપાલિકાએ મોટા પ્રમાણમાં પ્રકલ્પ હાથમાં લીધા છે. આ પ્રકલ્પોનો ખર્ચ ઉઠાવવા મહાપાલિકાને ભંડોળની જરૂર છે. 2024-25માં મહાપાલિકાએ 12 હજાર 119 કરોડ 47 લાખ રૂપિયા કરજ લેવું પડ્યું હતું. ગયા વર્ષના બજેટમાં કરજનો આંકડો 16 હજાર 699 કરોડ 41 લાખ રૂપિયા હતો. ફિકસ્ડ ડિપોઝીટમાંથી આ રૂપિયા કાઢવા પડ્યા હતા એમ પ્રકાશમાં આવ્યું હતું. કર સંકલનમાં ગેરવ્યવહારમુંબઈ મહાપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ પદે પ્રભાકર શિંદેની પસંદગી થયા પછી તેમણે પહેલા ભાષણમાં મહાપાલિકા કર સંકલન અને નિર્ધારણની કમીઓ અને ગેરવ્યવહાર પર આંગળી મૂકી હતી. કર નિર્ધારણ માટે માલમતાના વાસ્તવિક એરિયા કરતા ઓછો એરિયા વિચારમાં લેવામાં આવે છે. ક્યારેક કર નિર્ધારણની તારીખ ઠેલીને એ વર્ષના કરની રકમ બચાવવામાં આવે છે. કર નિર્ધારણમાં આવા વિવિધ પ્રકારના ગેરવ્યવહાર પર અંકુશ મૂકવા મહાપાલિકાના વિજિલન્સ વિભાગે અને મહાપાલિકાના એકાઉન્ટન્ટે ચુસ્તતાથી ચકાસણી કરવી એમ તેમણે સૂચવ્યું છે.
શ્રમિકોની પણ મુસાફરી બનશે સુખદ:નવી તૈયાર થનારી 12 અને 15 ડબ્બાની AC લોકલમાં લગેજનો ડબ્બો પણ AC
મહામુંબઈની ઉપનગરીય રેલવેના મુખ્ય ઘટક શ્રમિકો માટે પણ હવે એસી પ્રવાસ ઉપલબ્ધ થશે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી બાંધવામાં આવતી 12 અને 15 ડબ્બાની નવી એસી લોકલમાં લગેજ ડબ્બા પણ એસી હશે. તમામ ઉપનગરીય લોકલ એસી થયા પછી લગેજ ડબ્બાનું શું થશે એવો સવાલ ઉપસ્થિત થયો હતો. જો કે હવે લગેજ ડબ્બા પણ એસી હોવાથી શ્રમિકો માટે સુખદ આંચકો છે. એમઆરવીસી તરફથી બાંધવામાં આવનારી 12 અને 15 ડબ્બાની એસી લોકલના એસી લગેજ ડબ્બાની વાસ અન્ય ડબ્બાઓમાં ન ફેલાય એ માટે સ્વતંત્ર ડબ્બા અને સ્વતંત્ર એસી સિસ્ટમની વ્યવસ્થા હશે. મુંબઈ લોકલના આધુનિકીકરણ માટે એમઆરવીસીએ 2856 પૂર્ણ એસી વંદે મેટ્રો ડબ્બાની ખરીદી કરવાનો નિર્ણય લીધો છે. એના દ્વારા 12 અને 15 ડબ્બાની લોકલ તૈયાર કરવામાં આવશે. 18 ડબ્બાની લોકલની વ્યવહારિકતા તપાસવામાં આવશે. આ બધા માટે ટેંડર પ્રક્રિયા ચાલુ છે. નવી એસી લોકલમાં લગેજ ડબ્બાની વિશેષ વ્યવસ્થા હશે. આ લોકલમાં એકમાંથી બીજા ડબ્બામાં જવાની વ્યવસ્થા હશે અને એ સાથે લોકલની આગળ અને પાછળ લગેજ ડબ્બો હશે. એના લીધે લગેજ ડબ્બાની વિવિધ વસ્તુઓની વાસ બીજા ડબ્બાઓમાં ફેલાશે નહીં. અત્યારે વપરાતા ડબ્બા પ્રમાણે જ એની રચના હશે. તાપમાન નિયંત્રિત રાખવા સ્વતંત્ર એસી સિસ્ટમ હશે. નવી લોકલ કલાકના 130 કિમી સ્પીડથી દોડવા સક્ષમ હશે. ડબ્બામાં ગાદીવાળી સીટ, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, મનોરંજન અને માહિતી સિસ્ટમ જેવી સુવિધાઓ હશે. આધુનિક સુવિધાઓ સાથે એમઆરવીસી લાખો પ્રવાસીઓ સાથે શ્રમિકોનો દૈનિક પ્રવાસ સુખરૂપ અને સુરક્ષિત કરશે એમ મહામંડળના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક વિલાસ વાડેકરે જણાવ્યું હતું
બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારની જુદી જુદી યોજનાનો લાભ લેતી ટોળકીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. મુંબઈના દિંડોશી પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. દિંડોશી પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. લગભગ 350 બનાવટી રેશનકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. છેલ્લા અનેક દિવસથી આ ટોળકી બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારની વિવિધ યોજનાનો લાભ લેતી હતી. આખરે આ ષડયંત્ર પ્રકાશમાં આવ્યું હતું. મુંબઈના દિંડોશી પોલીસે બનાવટી રેશનકાર્ડ તૈયાર કરીને સરકારી યોજનાની છેતરપિંડી કરનારી ટોળકી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. બનાવટી રેશનકાર્ડ તૈયાર કરનારા સાત આરોપીઓની ટોળકીની દિંડોશી પોલીસે ધરપકડ કરી હતી. આ આરોપીઓ પાસેથી લગભગ 350 બનાવટી રેશનકાર્ડ સાથે એ તૈયાર કરવા જરૂરી સામગ્રી જપ્ત કરી છે. આ આરોપીઓની ટોળકીમાં રેશનકાર્ડ કાર્યાલયમાં કામ કરતા કર્મચારીઓનો પણ સહભાગ છે.આ આરોપીઓ તરફથી બનાવટી રેશનકાર્ડનો ઉપયોગ બાંગલાદેશી નાગરિકો સાથે મહાત્મા જ્યોતિબા ફૂલે જનઆરોગ્ય યોજના અને વડાપ્રધાન જન આરોગ્ય યોજનાનો લાભ મેળવી આપવાના નામ હેઠળ છેતરપિંડી ચાલુ હતી. આરોપીઓ પાસેથી 350 બનાવટી રેશનકાર્ડ, અન્ય દસ્તાવેજો, 9 લેપટોપ, 2 પ્રિન્ટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ધરપકડ થયેલા આરોપીઓમાં દયાલ (29), રાકેશ સિંહ (43), દિનેશકુમાર કેસારવાડી (40), એડવર્ડ ઉર્ફે સોનુ ડીસોઝા (43), મણીશંકર શર્મા (39), બિપિનકુમાર પાંડે (42), વીરુ ગુપ્તા (31)નો સમાવેશ છે.
જેટ્ટી ઊભી કરવાનું કામ ચાલુ કરાયું:વસઈની ખાડી પર નાગલા બંદર અને ઉત્તન ડોંગરીથી ભવિષ્યમાં રો-રો સેવા
વસઈની ખાડી પરના નાગલા બંદર અને પશ્ચિમ કિનારા પર ઉત્તન ડોંગરી ખાતે ભવિષ્યમાં રો-રો સેવા શરૂ કરવાની દષ્ટિએ મહારાષ્ટ્ર સાગરી મંડળે હિલચાલ શરૂ કરી છે. એના અંતર્ગત બંને ઠેકાણે જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. એને સીઆરઝેડ સંબંધી મંજૂરી મળી ગઈ છે. રાજ્યના કિનારાપટ્ટીના પ્રવાસીઓ માટે સમુદ્રમાર્ગ જોડવાનું ધોરણ રાજ્ય સરકારે તૈયાર કર્યું છે. આ ધોરણની અમલબજાવણી મહારાષ્ટ્ર સાગરી મંડળ કરે છે. એના અંતર્ગત કિનારાપટ્ટી પર જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. એમાં જ ઉત્તન ડોંગરી અને નાગલા બંદર ખાતે રો-રો સેવાની દષ્ટિએ જેટ્ટી ઊભી કરવા સીઆરઝેડ સંબંધી મહત્વની મંજૂરી મળી છે. આ અંતર્ગત નાગલા બંદર અને ઉત્તન એમ બંને ઠેકાણે 143 મીટર લાંબી અને 10 મીટર પહોળી જેટ્ટી ઊભી કરવામાં આવી રહી છે. આ જેટ્ટી સૌથી લાંબી હોવાથી રો-રો જેવા મોટા જહાજ ત્યાં ઊભા રહી શકશે. એ સાથે જ આ બંને ઠેકાણે મહારાષ્ટ્ર સાગરી મંડળ તરફથી જળપ્રવાસની દષ્ટિએ મોટું કેન્દ્ર ઊભું કરવામાં આવશે. એના માટે જ જેટ્ટી ઉપરાંત પાર્કિંગ લોટ, બોટમાં ચઢવાનો માર્ગ, સંરક્ષક ભીંતનું પણ બાંધકામ થશે. એમાં નાગલા બંદર ખાતે 2025 સ્કવેર મીટર તો ઉત્તન ડોંગરી ખાતે 7200 સ્કવેર મીટર એરિયાનું પાર્કિંગ લોટ, નાગલા બંદર ખાતે 45.42 મીટર ઉંચી અને ઉત્તન ડોંગરી ખાતે 60 મીટર ઉંચી સંરક્ષક ભીંત બાંધવામાં આવશે. આ બધા બાંધકામને મહારાષ્ટ્ર કિનારાપટ્ટી ક્ષેત્ર નિયમ પ્રાધિકરણે સીઆરઝેડ સાથે મેનગ્રોવ્ઝ સંબંધી ઉપાયયોજના કરવા સહિતની મંજૂરી આપી છે. તેમ જ અંતિમ મંજૂરી માટે કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયના સંબંધિત પ્રાધિકરણને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. થાણે-નવી મુંબઈમાં પણ નિયોજનમહારાષ્ટ્ર સાગરી મંડળે થાણે અને નવી મુંબઈ પરિસરમાં પણ ચાર જેટ્ટી બાંધવાનું નિયોજન કર્યું છે. એમાં વાશી, ઐરોલી, મુલુંડ મીઠાગર પરિસર અને થાણેના ચેંદણી કોલીવાડા નજીક મીટબંદરનો સમાવેશ છે. આ ઠેકાણે વન વિભાગની પરવાનગી ન હોવાથી એ પ્રસ્તાવ એમસીઝેડએમએએ હજી મંજૂર કર્યો નથી. આ પ્રસ્તાવ મંજૂર થશે તો થાણે, નવી મુંબઈ, વસઈથી મુંબઈની ઉત્તર-પશ્ચિમ કિનારાપટ્ટી એકબીજા સાથે જળમાર્ગ પ્રવાસી પરિવહનથી જોડી શકાશે. મંત્રાલયના સંબંધિત પ્રાધિકરણને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.
ટાટાના અધ્યયનમાં નવું પ્રમાણ:તમાકુ છોડવાથી મોઢાના કેન્સરનું જોખમ ઘટે છે
ટાટા મેમોરિયલ સેન્ટર, મુંબઈના કેન્સર મહામારી વિજ્ઞાન કેન્દ્રના એક અધ્યયને તમાકુ છોડવાના દીર્ઘકાલીન લાભો વિશે નવું પ્રમાણ પ્રસ્તુત કર્યું છે. ખાસ કરીને બુક્કલ મ્યુકોસા (ગાલના અંદરના ભાગમાં) કેન્સરનું જોખમ ઓછું થઈ શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત આ નવી શોધથી જણાય છે કે ધૂમ્રપાન અને તમાકુ ચગળવાની આદત છોડવા પર નિરંકર ઉપયોગ કરનારની તુલનામાં મોઢા કેન્સરનું જોખમ ઓછું થાય છે. અધ્યયનમાં પહેલી વાર એવું જણાયું છેક તમાકુ છોડવાના 10 વર્ષ પછી વર્તમાન ઉપયોગકર્તાઓની તુલનામાં ધૂમ્રપાન કરનારમાં મોઢાના કેન્સરનું જોખમ 61 ટકા અને તમાકુ ચગળનારમાં 42 ટકા સુધી ઓછું થઈ જાય છે. જોકે જોખમની આ ઓછપ ક્યારેય તે લોકોના સ્તર સુધી નથી પહોંચતી જેમણે જીવનમાં ક્યારેય તમાકુનો ઉપયોગ નહીં કર્યો હોય. આનો અર્થ વર્તમાન તમાકુ ઉપયોગકર્તાઓને તમાકુ છોડવાથી લગભગ 50 ટકા સુધી જોખમમાં ઓછુપનો લાભ મળી શકે છે. જોકે તેમનું જોખમ તે લોકોની તુલનામાં વધુ રહેશે, જેમણે ક્યારેય તમાકુવું સેવન નહીં કર્યું હોય. આ નિષ્કર્ષ દર્શાવે છે કે તમાકુ છોડવાનું પ્રભાવશાળી છે, પરંતુ તમાકુનું સેવન ક્યારેય શરૂ નહીં કરવાનું સૌથી મહત્ત્વપૂર્ણ છે. પહેલી વાર તમાકુ ચગળવાની આદત છોડવાના લાભોને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરાયું છે. ભારતમાં વર્તમાનમાં તમાકુ ચગળવનારની સંખ્યા વધુ (લગભગ 30 ટકા) છે. આથી તમાકુ રોકથામ સંબંધી નીતિઓ સાથે તમાકુ છોડવાની રણનીતિઓ પણ આવશ્યક છે, જેનાથી વર્તમાનમાં ઉપયોગકર્તાઓના જીવનને બચાવી શકાય છે. ટાટા મેમોરિયલ સેન્ટરના ડાયરેક્ટર ડો. સુદીપ ગુપ્તાએ જણાવ્યું કે આ અધ્યયનના નિષ્કર્ષનો ઉપયોગ તમાકુ નિવારણ સાથે સંબંધિત સરકારી કાર્યક્રમો અને ક્વિટલાઈન સેવાઓમાં કરાઈ શકે છે. તમાકુ ચગળવું મોઢાના કેન્સરનું સૌથી મોટું રોકી શકાતું કારણ છે અને પ્રભાવશાળી તમાકુ નિયંત્રણ નીતિઓના માધ્યમથી 80 ટકાથી વધુ મોઢાના કેન્સરને રોકી શકાય છે. તમાકુનો ઉપયોગ કેન્સરનું જોખમ વધારે: કેન્સર ઉપચાર, સંશોધન અને શિક્ષણનું પ્રગતિશીલ કેન્દ્ર (એક્ટ્રેક)ના ડાયરેક્ટર ડો. પંકજ ચતુર્વેદીએ જણાવ્યું કે કોઈ પણ રીતે તમાકુનો ઉપયોગ મોઢાના કેન્સરના વિકાસ માટે એક મુખ્ય જોખમ કારક છે. તમાકુનો ઉપયોગ રોકવા માટે સર્વ પ્રયાસો કરવા જોઈએ અને જેમને આ વ્યસન છે તેમને માટે તમાકુ છોડવાનું અત્યંત આવશ્યક છે, કારણ કે તેનાથી જોખમ ઓછું થાય છે. કેન્સરનું જોખમ 60 ટકા ઘટી શકે છે:કેન્સર મહામારી વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર અને અધ્યયનના લેખક ડો. રાજેશ દીક્ષિતે જણાવ્યું કે આ નિષ્કર્ષ તમાકુ છોડવાની ઉપયોગિતા દર્શાવનારું પ્રથમ પ્રમાણ છે. તમાકુ છોડવાથી 10 વર્ષ પછી મોઢાના કેન્સરનું જોખમ લગભગ 60 ટકા સુધી ઓછું થઈ જાય છે, પરંતુ આ જોખમ ક્યારેય એ લોકોને સ્તરની નજીક નથી પહોંચતું, જેમણે ક્યારેય તમાકું સેવન કર્યું નહીં હોય. મોટિવેશનલ કાઉન્સેલિંગ માટે ઉપયોગવૈજ્ઞાનિક અધિકારી અને અધ્યનનાં મુખ્ય લેખિકા ડો. શરાયુ મ્હાત્રેએ જણાવ્યું હતું કે આ નિષ્કર્ષોનો ઉપયોગ મોટિવેશનલ કાઉન્સેલિંગ માટે કરાઈ શકે છે. સર્વ પ્રકારના તમાકુ હાનિકારક છે, પરંતુ તમાકુ છોડવાના જોખમમાં ઓછું સંભવ છે. આ પરિણામ ભવિષ્યના સરકારી દિશાનિર્દેશો અને હસ્તક્ષેપ નીતિઓના વિકાસમાં સહાયક બની શકે છે અને તમાકુ નિવારણ પર વધુ જોર આપવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.
ગાંધીનગરના ઉવારસદ ગામે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં સંતાનોની મંચુરિયન ખાવાની નાનકડી જીદ પૂરી કરવા નીકળેલા પિતાની નજર સામે જ તેમના બે માસૂમ દીકરાઓ કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ બનેલી આ ઘટનામાં મોટા પુત્રની લાશ મળી આવી છે, જ્યારે નાનો પુત્ર હજુ પણ લાપતા છે. ઉવારસદ ગામમાં રહેતા અને GIDCમાં નોકરી કરતા રાજુભાઈ ઠાકોર ગત બુધવારે સાંજે સાડા છ વાગ્યાના અરસામાં તેમના બે પુત્રો યશ (10 વર્ષ) અને મનદીપ (7 વર્ષ)ને બાઈક પર બેસાડી પાંઉભાજી અને મંચુરિયન લેવા નીકળ્યા હતા. બાળકોએ લાંબો આંટો મારવાની જીદ કરતા રાજુભાઈ ટ્રાફિકથી બચવા અંબાપુર કેનાલના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક કુતરું આડું આવતા રાજુભાઈએ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને પિતા-પુત્રો બાઈક સાથે સીધા જ કેનાલના ઊંડા પાણીમાં ખાબક્યા હતા. કેનાલમાં પડ્યા બાદ રાજુભાઈ પાણીના તેજ પ્રવાહમાં આશરે 7 કિલોમીટર સુધી તણાતા રહ્યા હતા. છેક અડાલજ વોટર સાઈટ પાસે કેનાલમાં બાંધેલું દોરડું પકડી લેતા તેમનો જીવ બચી ગયો હતો. ત્યાં હાજર સિક્યોરિટી જવાનોએ તેમને બહાર કાઢ્યા હતા, જ્યાં રાજુભાઈએ રડતા રડતા પોતાના બંને બાળકો પણ પાણીમાં ડૂબી ગયા હોવાની આપવીતી સંભળાવી હતી. બનાવની જાણ થતા જ પોલીસ અને તરવૈયાઓની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ગુરુવારે કેનાલમાંથી બાઈક તો મળી આવ્યું હતું, પણ બાળકોનો પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, શુક્રવારે કડીની કરણનગર કેનાલમાંથી મોટા પુત્ર યશનો મૃતદેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જ્યારે 7 વર્ષના મનદીપની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. આ હૃદયદ્વાવક ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે. હાલ નાના પુત્રની શોધખોળ ચાલું છે.
ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી સંબંધિત કાયદામાં થયેલા સુધારાને લઈને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે રાજ્યકક્ષાએ આભાર વ્યક્ત કર્યો છે. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે નવા નિયમોથી માતા-પિતાને સમયસર જાણ થશે અને ગેરમાર્ગે થતા લગ્નોમાં ઘટાડાની શક્યતા છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું કે રાજ્ય સરકારના નિર્ણયથી પરિવારોને વધુ સુરક્ષા મળશે. સમાજના મુખ્ય કન્વીનર ડૉ. યજ્ઞેશ દવે અને અધ્યક્ષ ડૉ. અશ્વિન ત્રિવેદીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કડકાઈ લાવવામાં આવશે તો માતા-પિતાને સમયસર જાણ થશે. તેના કારણે ફરજીયા અથવા ભ્રામક રીતે થતા લગ્નોને અટકાવવામાં મદદ મળશે.
જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:સંકલન બેઠકમાં માત્ર એક ધારાસભ્ય હાજર રહ્યા
જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય છે જેમાં ધારાસભ્યોએ ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારના લોક પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કરી તેના નિકાલ માટેના પ્રયાસ કરવાના હોય છે પરંતુ શનિવારે યોજાયેલી જિલ્લા સંકલન બેઠક જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જિલ્લામાં કુલ 5 ધારાસભ્યો છે પરંતુ આ બેઠકમાં એકમાત્ર માણસાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા. જેથી માત્ર માણસાના પ્રશ્નો તેમણે રજૂ કર્યા હતા જેના ઉકેલ માટે ડીડીઓ દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. સંકલન બેઠકમાં અધ્યક્ષસ્થાનથી ડીડીઓ બી.જે. પટેલ દ્વારા સરકારી વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જળવાય અને વહીવટી કામગીરીમાં ગતિશીલતા આવે તે બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો તથા બાકી રહેલા પેન્શન કેસો, વહીવટી મંજૂરીઓ અને નાગરિકોની સુખાકારીને લગતા પ્રશ્નોને અગ્રતા આપી પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. સંકલનની બેઠક યોજાય ત્યારે ધારાસભ્ય પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરીને તેનો યોગ્ય ઉકેલ આવે તેવી રજૂઆત કરતા હોય છે. પરંતુ માણસા સિવાયના તમામ 4 ધારાસભ્યોના વિસ્તારમાં લોકોને સ્પર્શે તેવા કોઇ પ્રશ્નો ન હોય તેમ યોજાયેલી બેઠક પરથી લાગી રહ્યું છે. કેમ કે અન્ય કોઇ હાજર નહોતું.
ગેરરીતિ અને કાળાબજાર રોકવા મોનિટરીંગ શરૂ:મહિનામાં વ્યાજબી ભાવની 90 દુકાનોમાં ઓચિંતી તપાસ કરાઇ
ગાંધીનગરમાં ગરીબો માટે ચાલતી અનાજના જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળની સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ અને કાળા બજાર રોકવા માટે જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. એક મહિનામાં જ ગાંધીનગર જિલ્લાની વ્યાજબી ભાવની 90 દુકાનોની તપાસ કરવામાં આવી હતી. જોકે, આ સમયગાળામાં માત્ર એક પેટ્રોલ પંપ પર જ તપાસ કરવામાં આવી હતી. આ દુકાનોમાં ગ્રામ્ય અને શહેરી કક્ષાની તકેદારી સમિતિના સભ્યોની વિગતો જેમ કે નામ, આધાર અને મોબાઈલ નંબર ‘’ipds’’ પોર્ટલ પર તાત્કાલિક અપડેટ કરવા સૂચના પણ આપવામાં આવી હતી. કલેક્ટર કચેરીમાં યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા જિલ્લા તકેદારી સમિતિની બેઠકમાં તોલમાપ વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રાહકોને પુરેપુરો જથ્થો મળે અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. જિલ્લામાં NFSA -નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના રેશનકાર્ડ ધારકોમાં 99.98 % જેટલી આધાર સીડીંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. તથા NFSA હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં સમાવેશ કરવા માટે મળેલી કુલ 274 અરજીઓનો જાન્યુઆરી માસમાં નિકાલ કરવામાં આવ્યો છે. જાન્યુઆરી માસ દરમિયાન જિલ્લાના કુલ 1.63 લાખ રેશનકાર્ડ ધારકો પૈકી 1.55 લાખ કાર્ડધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠાની સ્થિતિ, વિતરણ વ્યવસ્થા અને ગ્રાહક સુરક્ષાના વિવિધ પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને સમયસર પુરવઠો મળી રહે અને દુકાનના માલિક કોઇ ગફલો કાળાબજાર તો નથી કરી રહ્યા ને તે તપાસવા માટે જિલ્લા પુરવઠા તંત્ર નજર રાખી રહ્યું છે.
ભાસ્કર એક્સક્લુસિવ:સિવિલ અને યુએન હોસ્પિટલ વચ્ચે 1 જ MRI, એ પણ 9થી 5 સુધી થાય
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં MRI કરાવવા જતા દર્દીઓ હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એમઆરઆઇ ટેસ્ટ કરાવવા માટે હાલ સિવિલમાં 15 દિવસનું વેઇટિંગ ચાલે છે. એટલે કે કોઇ દર્દીને સમસ્યા હોય અને ડોક્ટર એમઆરઆઇ રિપોર્ટની ભલામણ કરે તો ટેસ્ટ કરાવવામાં 15 દિવસની રાહ જોવી પડે છે. સંખ્યાની દ્રષ્ટીએ રોજના દર્દીઓ બહુ વધારે નથી, સિવિલમાં એક MRI મશીન કાર્યરત પણ છે પરંતુ વ્યવસ્થાના અભાવે દર્દીને બે અઠવાડિયા કે તેના પછીની તારીખ આપવામાં આવે છે. તપાસ કરતા જણાયું કે સિવિલમાં MRI મશીન એક જ શિફ્ટમાં એટલે કે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવાય છે અને ત્યાં સુધીમાં થાય તેટલા ટેસ્ટ કરાય છે. ક્યારેક તો ટેક્નિશિયન વહેલા જતા રહે તો વહેલું પણ બંધ કરી દેવાય છે. એક દર્દીનો MRI ટેસ્ટ કરવામાં અંદાજે 45 થી 50 મિનિટનો સમય લાગે છે. પરિણામે દિવસ દરમિયાન મર્યાદિત સંખ્યામાં જ તપાસ થઈ શકે છે. રોજ સરેરાશ 13 થી 15 નવા દર્દીઓ MRI માટે આવે છે. સિવિલમાં ઇનડોર એટલે કે દાખલ થયેલા દર્દીઓના MRIને પ્રાથમિકતા અપાય છે જોકે તેમાં પણ બેથી ત્રણ દિવસનું વેઇટીંગ ચાલે છે. જો બે કે ત્રણ શિફ્ટ કાર્યરત કરવામાં આવે તો આ વિલંબ નિવારી શકાય તેમ છે પરંતુ સિવિલ સત્તાતંત્ર દ્વારા આ મામલે કોઇ દરકાર લેવામાં આવતી નથી. રેડિયોલોજી વિભાગની મનસુફી પર સમગ્ર તંત્ર ચાલી રહ્યું છે. મણકાની સમસ્યા, બ્રેઇન સ્ટ્રોક, અકસ્માત સહિતની ગંભીર સમસ્યા વખતે MRI કરાવવાનું રહેતું હોય છે પરંતુ 15 દિવસનું વેઇટીંગ હોવાથી દર્દીઓને નાછૂટકે ખાનગી સેન્ટરો પર હજારો રૂપિયા ખર્ચવા પડે છે. જોકે, ઇમરજન્સી અને ગંભીર અકસ્માતના કેસમાં તાત્કાલિક MRI કરી દેવાય છે પરંતુ સિવિલમાં આવતાં ગરીબ દર્દીઓ માટે સરકારે લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી સુવિધા યોગ્ય વ્યવસ્થાના અભાવે યોગ્ય ઉપયોગમાં આવી શકતી નથી. રેડિયોલોજી વિભાગમાં પૂરતો સ્ટાફ છતાં વેઇટિંગની સ્થિતિસિવિલના રેડિયોલોજી વિભાગમાં 3 આસિસ્ટન્ટ પ્રોફેસર અને 4 રેસિડેન્ટ ડોક્ટરોનો સ્ટાફ ઉપલબ્ધ છે. આટલો સ્ટાફ હોય તો 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં MRI મશીન ચલાવી શકાય છે. પરંતુ તપાસ દરમિયાન જણાયું કે મોટાભાગની કામગીરી ટેકનિશિયનોના ભરોસે ચાલી રહી છે. ટેસ્ટ થયા બાદ તરત જ રીપોર્ટ પણ તૈયાર થવો જોઇએ પરંતુ રેડિયોલોજીસ્ટ પોતાની અનુકુળતા પ્રમાણે રીપોર્ટ લખતા હોવાથી રીપોર્ટ પણ સમયસર તૈયાર થતો નથી. આ બાબતનો ખ્યાલ હોવા છતાં સિવિલના સત્તાતંત્ર દ્વારા કોઇ પગલાં લેવાતા નથી. ઉચ્ચકક્ષાએથી નોંધ લઇને આ પ્રકારે દર્દીઓને હેરાન થતી હેરાનગતિ અટકાવવા યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. ટેસ્ટ થાય તો પણ રિપોર્ટ 5 દિવસ પછી મળે છેમાત્ર તપાસ માટે જ નહીં, પણ MRI થયા પછી રિપોર્ટ મેળવવા માટે પણ દર્દીઓને 5 દિવસ સુધી રાહ જોવી પડે છે. ગંભીર હાલતમાં આવેલા દર્દીઓ માટે આ વિલંબ વધુ ચિંતાજનક સાબિત થઈ રહ્યો છે, કારણ કે સમયસર રિપોર્ટ ન મળતા સારવારમાં વિલંબ થાય છે. દર્દીઓ વધે પણ શિફ્ટ વધારાતી નથીમળતી માહિતી મુજબ, સિવિલ અને યુએન મહેતા કાર્ડિયાક સેન્ટર વચ્ચે એક જ MRI મશીનનો ઉપયોગ થાય છે. યુએન મહેતા હોસ્પિટલના દર્દીઓના ટેસ્ટ પણ આ જ સેન્ટરમાં થાય છે જેથી દર્દીઓની સંખ્યા વધી છે. છતાં સિવિલ દ્વારા શિફ્ટ વધારવામાં આવતી નથી.
ભાસ્કર યુટિલિટી:ધારી આઇટીઆઇમાં 25મીએ રોજગાર ભરતી મેળો યોજાશે
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમો માટે 18 થી 45 વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ 10, ધો.12, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, બી.એસ.સી, એમ.એસ,સી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો. 10 (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરના કોર્સ કરેલા ઉમેદવાર માટે ધારી આઈટીઆઈ ખાતે 25મીએ રોજગાર ભરતી મેળો યોજાશે. કેશીયરની જગ્યા માટે- બી.કોમ, એમ.કોમ, સ્ટોક મેનેજર-ફ્લોર મેનેજરની જગ્યા માટે બી.બી.એ, એમ.બી.એ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદારો માટે રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. 25ના રોજ સવારે 11 કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધારી ખાતે રોજગાર મેળો યોજાશે.
ગામડાની દીકરીનો રાજ્ય કક્ષાએ લલકાર:ભુવા ગામની છાત્રા આંગળીથી સૂર રેલાવી ઝોન કક્ષાએ પ્રથમ આવી
અમરેલી -તાજેતરમાં યોજાયેલા ઝોન કક્ષાના કલા ઉત્સવમાં અમરેલી જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન થયું છે. ધારી તાલુકાની ચલાલા ગામની ભુવા કન્યા શાળાની તેજસ્વી વિદ્યાર્થીની રાઠોડ સેજલ મગનભાઈએ હાર્મોનિયમ વાદન સ્પર્ધામાં પોતાની અદભૂત કલાનું પ્રદર્શન કરી ઝોન કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. સેજલની આ ભવ્ય સફળતાએ માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતી આ દીકરીએ પોતાની મહેનત અને સંગીત પ્રત્યેની રુચિને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ ગૌરવશાળી સફળતાને બિરદાવવા માટે ભુવા કન્યા શાળા ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્ય હરેશભાઈ જેબલિયા તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ સફળતામાં માર્ગદર્શક શિક્ષક નિમાવત સુરેશભાઈ તથા સાદીયા પારુલબેનનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઝોન કક્ષાએ વિજેતા થયા બાદ હવે છાત્રા આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તેજસ્વી વિદ્યાર્થીની રાજ્ય કક્ષાએ પણ પોતાની કલાનો જાદુ વિખેરે અને વિજેતા બનીને પરત ફરે તે માટે શાળાના આચાર્ય, શિક્ષકો અને ગ્રામજનો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
દૈનિક સ્પેશિયલ ટ્રેન દોડાવવા રેલવેનો નિર્ણય:ચલાલા જૂનાગઢ વચ્ચે 23મીથી ફરી ટ્રેન દોડતી થશે
પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં વિશેષ ભાડા પર જૂનાગઢ અને ચલાલા સ્ટેશનો વચ્ચે 23 ફેબ્રુઆરી સોમવારથી દૈનિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રોડગેજ લાઈનના કારણે અહીં ટ્રેન વ્યવહાર બંધ કરાયો છે. પરંતુ એક વર્ષ બાદ ફરી આ રૂટ પર ચલાલાથી ટ્રેન દોડતી થશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી મુજબ જૂનાગઢથી ચલાલા જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10 વાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ જતી દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે. હાલમાં અમરેલીથી ખીજડીયા વચ્ચે બ્રોડગેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે જુનાગઢ અને વેરાવળની ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ હવે ચલાલાથી જુનાગઢની દૈનિક ટ્રેન શરૂ કરવા નિર્ણય લેવાયો છે. અલબત્ત હજુ વેરાવળની ટ્રેન શરૂ કરવા કોઈ નિર્ણય લેવાયો નથી. વળી આ સ્પેશ્યલ ટ્રેન શરૂ કરાય છે અને ખાસ ભાડા પર દોડાવવામાં આવશે. આ ટ્રેન ફરી શરૂ કરવા માટે અમરેલી જિલ્લામાંથી ચલાલા અને ધારી પંથકમાંથી સતત માંગણી ઉઠી રહી હતી. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ મુસાફરોને આ ટ્રેનનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે. આ ટ્રેન કયા કયા સ્ટેશન પર ઉભી રહેશે ?ચલાલા જૂનાગઢ વચ્ચે દોડનારી આ ટ્રેન માર્ગમાં તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
અમરેલી તાલુકાના મોટા ગોખરવાળા ગામના એક મહિલા ખેડૂતે ગુજરાત પાણી પુરવઠા બોર્ડની બેદરકારી સામે લાલ આંખ કરી છે. વારંવાર પાણીની લાઇન તૂટવાને કારણે ખેતીના પાકને થતા આર્થિક નુકસાન બદલ મહિલાએ વિભાગને રૂપિયા 10 લાખના વળતરની માંગણી કરતી કાનૂની નોટિસ મોકલી છે. અમરેલીના મોટા ગોખરવાળા ગામના રહેવાસી ભાવનાબેન સતીષભાઈ કથીરીયાએ કાર્યપાલક ઈજનેર ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અમરેલી વિભાગને સંબોધીને આ નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ છેલ્લા અંદાજે 25 વર્ષથી તેમની ઉપજાઉ જમીન પરથી પાણી પુરવઠા બોર્ડની મુખ્ય લાઇન પસાર થાય છે. આ લાઇન વારંવાર તૂટતી હોવાથી ખેતરમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઉભો પાક ખાસ કરીને કપાસ સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે. લાઇન રિપેરિંગ દરમિયાન પણ મશીનરી અને મજૂરો દ્વારા ઉભા પાકને દબાવીને કે કાપીને ભારે નુકસાન પહોંચાડે છે. આ બાબતે અનેકવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સતત થતા આ નુકસાનને કારણે મહિલા ખેડૂતની આજીવિકા પર ગંભીર અસર પડી છે. જેને લઈ મહિલા અરજદારે નોટિસમાં સ્પષ્ટપણે માંગ કરી છે કે, બોર્ડની બેદરકારીને કારણે તેમને અંદાજે 10 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. આ રકમ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર ચૂકવી આપવી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી વ્યવસ્થા કરવી. જો નિર્ધારિત સમયમાં વળતર નહીં મળે તો આ મામલે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તંત્રની આ ઢીલી નીતિ સામે મહિલાએ કાયદાકીય માર્ગ અપનાવી હવે પાણી પુરવઠા વિભાગને કાયદાનું ભાન કરાવ્યું છે.
પ્રખ્યાત લોકસાહિત્યકાર પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગનાં જીવનદર્શન પર આધારિત પુસ્તક ''વાણી તો અમરત વદાં''નું 23 વર્ષ બાદ અમરેલી જિલ્લાના કાગધામ મજાદર ખાતે સુપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે પુન:વિમોચન થયું હતું. રાજ્યનાં માહિતી ખાતાએ તૈયાર કરેલી નવી આવૃત્તિનું કવિ કાગની 49મી પુણ્યતિથિ નિમિત્તે ''કાગના ફળિયે કાગની વાતુ'' કાર્યક્રમના ૨૫માં મણકા નિમિતે અમરેલી જિલ્લામાં આવેલા કાગધામ મજાદરમાં વિમોચન કરવામાં આવ્યુ હતુ. આ પુસ્તકનું વિમોચન મોરારીબાપુ સાથે વી.એસ. ગઢવી, પુસ્તકના સંપાદક, અંબાદાન રોહડીયા, ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ, જયેશ દવે, રામભાઈ જામંગની ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ પુસ્તકમાં જાણીતા લેખક અને હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ, જાણીતા કવિ અને નિવૃત્ત સનદી અધિકારી ભાગ્યશ જહા, વી.એસ.ગઢવી, લક્ષ્મણ પિંગળશી ગઢવી સહિતના સમર્થ લેખકો દ્વારા લખાયેલા 43 ચેપ્ટરો કાગ સાહિત્ય પ્રેમીઓ માટે ઉપયોગી પુરવાર થશે. ગ્રંથમાં મુકાયેલ QR કોડ મોબાઇલની મદદથી સ્કેન કરવાથી કાગબાપુના કંઠે રજૂ થયેલ લોકરામાયણ, મહાભારત અને અન્ય કૃતિઓ આકાશવાણીના પ્રસંગો સાંભળી શકાશે.
અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચે લીલીયા તાલુકાના કુંભનાથ-આંબા રોડ પરથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 411 બોટલો અને વાહન સહિત કુલ રૂ. 3.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેતરા ઉર્ફે જેતુ ઈન્દ્રસિંહ ભુરીયા, સંજયભાઈ કુંવરસિંગ માવી અને રાયસીંગ કિશનભાઈ બંડેરીયા નામના ત્રણ પરપ્રાંતીય શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ભુસરસીંગ ઉર્ફે બચુ ભુરીયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમરેલી LCBની ટીમ લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આંબા રોડ પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન એક કારમાં ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતો 411 બોટલોનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

32 C