SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
...

નિકોલમાં AMC સિવિક સેન્ટરના ધાબા પર જુગાર રમતા સાત ઝડપાયા:15 હજાર રૂપિયા રોકડ રકમ સાથે સાત લોકોની ધરપકડ કરી, કોર્પોરેશનની સિક્યુરિટી સામે સવાલ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિકોલ વિસ્તારમાં આવેલા સિવિક સેન્ટરમાં રવિવારના દિવસે ધાબા ઉપર ચાલતું જુગાર ધામ પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે 15 હજાર રૂપિયા રોકડ રકમ સાથે સાત લોકોની ધરપકડ કરી છે. રવિવારની રજા હોવા છતાં પણ સિવિક સેન્ટર ચાલુ રાખી અને ધાબા પર જુગારધામ રમવામાં આવતો હતો ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની સિક્યુરિટી સામે ખૂબ મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. પોલીસે રેડ દરમિયાન ઘટના સ્થળેથી 15 હજારથી વધુની વસ્તુઓ જપ્ત કરીપોલીસને બાતમી મળી હતીકે નિકોલ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સિવિક સેન્ટરમાં જુગારધામ ચાલી રહ્યુ છે. જેના આધારે પોલીસ સિવિક સેન્ટર ખાતે પહોંચી હતી અને સીડી વાટે ધાબા ઉપર પહોચી ત્યારે કેટલાક લોકો કુંડાળુ કરીને જુગાર રમવા માટે બેઠા હતા. પોલીસની ટીમ તરતજ જુગારીઓ પાસે પહોચી ગઈ હતી. નિતીન ધામેલીયા (રહે, બાપુનગર), વિપુલ પટેલ (રહે, નિકોલ), હાર્દિક પટેલ (રહે, નવાનરોડા), અમીત શર્મા (રહે, નિકોલ), વિશાલ સાવલીયા (રહે, નિકોલ), જયમીન ત્રિવેદી (રહે, નરોડા) અને અજય ડોબરીયા (રહે, નિકોલ)ની ધરપકડ કરી છે. પોલીસે રેડ દરમિયાનમાં ઘટના સ્થળેથી 15 હજારથી વધુની કિંમત જપ્ત કરી છે. રવિવારે સિવિક સેન્ટર બંધ હોવા છતાં પણ કેવી રીતે ચાલુ રાખવામાં આવ્યું અને આ જગ્યા ઉપર સિક્યુરિટી ગાર્ડ હતા કે કેમ તે અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:57 pm

સાપુતારામાં ગાઢ ધુમ્મસથી ખુશનુમા અને આહલાદક માહોલ:અચાનક વાતાવરણમાં પલટાંથી પ્રવાસીઓ ખુશ, ખેડૂતો પાકને લઈને ચિંતિત, ઠંડા માહોલમાં ગરમીનો પારો ઉતર્યો

ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અને તેની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારે સમગ્ર વિસ્તાર ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ જતાં લોકોને અચાનક તીવ્ર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં ગરમીનો પારો વધતો હોય છે, ત્યારે આ પ્રકારના અસામાન્ય હવામાનથી લોકોમાં આશ્ચર્ય સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ માટે મિની વિન્ટર જેવો અહેસાસવાતાવરણમાં આવેલા આ અચાનક બદલાવને કારણે સાપુતારામાં અત્યંત ખુશનુમા અને આહલાદક માહોલ સર્જાયો છે. ઠંડા પવન અને ધુમ્મસના કારણે પ્રકૃતિ ખીલી ઊઠી છે, જેણે હિલ સ્ટેશનની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. અહીં ફરવા આવેલા પ્રવાસીઓ આ અણધાર્યા ઠંડા માહોલનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. ઘણા પ્રવાસીઓએ આ પરિસ્થિતિને મિની વિન્ટર ગણાવી છે અને લોકો કુદરતી સૌંદર્ય વચ્ચે ફોટોગ્રાફી તેમજ સહેલગાહની મજા માણી રહ્યા છે. પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતામાંબીજી તરફ, આ બદલાયેલા હવામાનની નકારાત્મક અસરો પણ સામે આવી રહી છે. અચાનક છવાયેલા ધુમ્મસ અને વરસાદી માહોલને કારણે આંબાવાડી તેમજ શાકભાજીની ખેતી કરતા સ્થાનિક ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કૃષિ નિષ્ણાતો અને ખેડૂતોના મતે, આ પ્રકારનું પ્રતિકૂળ હવામાન નાજુક પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાતાવરણમાં સતત રહેતો ભેજ અને નીચું તાપમાન પાકમાં રોગચાળો ફેલાવી શકે છે. સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે, જો આ પરિસ્થિતિ આગામી થોડા દિવસો સુધી સતત ચાલુ રહેશે તો પાકના ઉત્પાદનમાં મોટો ઘટાડો થઈ શકે છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. હાલમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે વિવિધ કૃષિ ઉપાયો અજમાવી રહ્યા છે અને હવામાન વહેલી તકે સામાન્ય થાય તેવી આશા રાખી રહ્યા છે. આમ, હવામાનના આ અણધાર્યા પલટાએ એક તરફ સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગને નવી ઊર્જા આપી છે, તો બીજી તરફ જગતના તાત માટે આફત ઊભી કરી છે. હવે આગામી દિવસોમાં હવામાન કેવો વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:55 pm

રાજીવ ગાંધી ભવન પર સંવિધાન સંકલ્પ સભાનું આયોજન:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CWC સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા, બહેરામપુરામાં કાર્યક્રમની પોલીસ પરમિશન કેન્સલ થઈ હતી

પાલડીમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે CWC ના સભ્ય કનૈયા કુમાર અમદાવાદ આવ્યા છે. પહેલા બહેરામપુરા વિસ્તારમાં ખોડિયારનગર પાસે સંવિધાન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે અગાઉ પોલીસ દ્વારા પરમિશન આપવામાં આવી હતી. જેથી તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને અને નાગરિકોને સંવિધાન સંકલ્પ સભામાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવી ગયું હતું પરંતુ, અચાનક જ આજે બપોરે જાહેર કાર્યક્રમ કરવા માટે આપેલી પોલીસ પરમિશન કેન્સલ કરી દેવામાં આવી હતી. આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યુંઅચાનક જ પોલીસ પરમિશન રદ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા કારણ કે, જાહેર સભાની સાથે સાથે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આખરે રાજીવ ગાંધી ભવન પર જ સંવિધાન સંકલ્પ સભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યાં કનૈયા કુમારનું ઢોલ નગારા સાથે કોંગ્રેસના અને NSUIના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ જતા રાજકીય હલચલ પણ તેજ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર તે પહેલા જ રાષ્ટ્રીય નેતાના પ્રવાસ શરૂ થયા છે. જેથી રાજીવ ગાંધી ભવન પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:55 pm

બે મહિનાથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો:લૂંટ અને ખૂન સહિત 7 ગંભીર ગુનામાં સંડોવાયેલ રીઢો ગુનેગાર મરોલી ચાર રસ્તાથી ઝડપાયો

સચિન વિસ્તારમાં મજૂર પાસેથી ચાકુની અણીએ લૂંટ ચલાવી છેલ્લા બે મહિનાથી પોલીસને હંફાવતા રીઢા ગુનેગારને સુરત શહેર ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે મરોલી ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રાજ ઉર્ફે આર.પી. વિરુદ્ધ અગાઉ ખૂન, લૂંટ અને હથિયાર રાખવા જેવા 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રોકડ લઈ ફરારમળતી માહિતી મુજબ, તા. 29/01/2026 ના રોજ મૂળ બિહારના અને હાલ સચીનની સાંઈનાથ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય ચુન્નુ બ્રહ્મા સીંગ મજૂરીકામ માટે જઈ રહ્યા હતા. સાંજના આશરે સાડા ચારેક વાગ્યે જ્યારે તેઓ સચીન હોજીવાલા રોડ નંબર-08 પરથી પસાર થતા હતા, ત્યારે આરોપી રાજ ઉર્ફે આર.પી. સંજયભાઈ પાટીલ અને તેના સાગરીત સુબોધ રામાણીએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ ફરિયાદી ચુન્નુ સીંગને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ ડરાવી-ધમકાવીને ફરિયાદીના પેન્ટના ખિસ્સામાંથી બળજબરીપૂર્વક રોકડા રૂપિયા 8,000 કાઢી લૂંટ ચલાવી બંને શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સચીન પોલીસ સ્ટેશનમાં BNS-2023 ની કલમ 309(4), 126(2), 351(3), 54 મુજબ લૂંટનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતીસુરત શહેરમાં મિલ્કત સંબંધીત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત નાસતા ફરતા સ્કોડના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને ચોક્કસ અને આધારભૂત બાતમી મળી હતી કે, સચિન લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી મરોલી ચાર રસ્તા પાસે ઉભો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને 21 વર્ષીય આરોપી રાજ ઉર્ફે આર.પી. એસ/ઓ સંજયભાઈ પાટીલ (રહે. રાહી રેસીડન્સી, કારેલીગામ, પલસાણા; મૂળ રહે. જલગાંવ, મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો. આ આરોપીની ધરપકડ માટે નામદાર કોર્ટ દ્વારા અગાઉ BNSS ની કલમ-72 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું. આરોપીનો ગુનાહિત ઇતિહાસપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પકડાયેલ આરોપી રાજ ઉર્ફે આર.પી. અત્યંત રીઢો અને ખતરનાક ગુનેગાર છે. તેની વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની યાદી નીચે મુજબ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં તેની સામે હત્યા (IPC 302) અને હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો હતો. સચિન અને ડીંડોલી વિસ્તારમાં ચાકુ વડે ગંભીર ઈજા પહોંચાડવાના બે અલગ-અલગ ગુનાઓ તેની સામે નોંધાયેલા છે. આરોપી અગાઉ બે વખત પ્રતિબંધિત રેમ્બો ચાકુ સાથે ઝડપાઈ ચુક્યો છે. તેની સામે સચિન પોલીસમાં રાયોટીંગ અને તોડફોડનો ગુનો પણ નોંધાયેલ છે. પલસાણા પોલીસમાં લોકોમાં ભય ફેલાવવા અને ત્રાસદાયક કૃત્ય કરવા બદલ ફરિયાદ થયેલી છે. હાલમાં સુરત ક્રાઈમ બ્રાંચે આ રીઢા ગુનેગારની ધરપકડ કરી સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે અને તેના અન્ય સાગરીત અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:42 pm

રાજસ્થાન-ગુજરાત બોર્ડર પરથી 20.40 કિલો ચરસ ઝડપાયું:છાપરી ચેકપોઇન્ટ પર રિકો પોલીસે લકઝરી કારમાં કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું, 3 આરોપીની ધરપકડ

રાજસ્થાન-ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોઇન્ટ પર રિકો (RICO) પોલીસે ગેરકાયદેસર માદક દ્રવ્યો વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કડક નાકાબંધી દરમિયાન એક લક્ઝરી કારમાંથી કરોડો રૂપિયાની કિંમતનું 20.40 કિલોગ્રામ ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાતમાં સપ્લાય કરવાનો પ્લાન હતો પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ચરસનો આ જથ્થો ઉત્તર પ્રદેશના કાનપુરથી લાવીને ગુજરાતના પાલનપુરમાં સપ્લાય કરવાનો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ચરસની કિંમત કરોડો રૂપિયા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહીઆ સમગ્ર ઓપરેશન પોલીસ અધિક્ષક પુષ્પેન્દ્ર સિંહ રાઠોડના કડક નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે સ્થળ પર આ સફળ કાર્યવાહીનું નેતૃત્વ સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) લક્ષ્મણ સિંહ ચંપાવતે કર્યું હતું. પોલીસ હાલ આ ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આગળની કાયદેસરની તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:42 pm

વરતેજમાં દુકાનમાં ફોટો પાડવાના વિવાદે જુથ અથડામણ સર્જાતા પોલીસના ધાડેધાડા:એસ.પી.,એ.એસ.પી., સિટી ડિ.વાય.એસ.પી., ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ અને સ્થાનિક પોલીસ દોડી ગઈ

ભાવનગર શહેર નજીકના વરતેજ ગામમાં આજરોજ બપોરના સમય દરમિયાન એક મહિલા કરિયાણાની દુકાને વસ્તુ લેવા જતા તેનો ફોટો શખસો પાડ્યો હોવાની આશંકાને લઈ બે સમાજના લોકો આમને-સામને આવી જતા મામલો ગરમાયો હતો અને જુથ અથડામણ સર્જાવા પામી હતી. આ બનાવની જાણ થતાં પોલીસને ધાડેધાડા વરતેજ ગામમાં ઉતરી ગયા હતા. એસ.પી. ભાવનગર ગ્રામ્ય ASP, સીટી DYSP, LCB , SOG અને સ્થાનિક પોલીસે દોડી જઈ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે બનાવના પગલે વરતેજ પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારામારીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડ્યાઆ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર નજીક આવેલ વરતેજ ગામમાં આજરોજ બપોરના અરસા દરમિયાન એક મહિલા અમન પ્રોવિઝન સ્ટોરીની દુકાને વસ્તુ લેવા ગયા હતા ત્યારે એક શખસે મહિલાનો ફોટો પાડ્યો હોવાની આશંકાને લઈ બોલાચાલી થઈ હતી. બાદ મહિલાએ તેના ઘરે જઈ તેના પરિવારજનોને બનાવની જાણ કરતા પરિવારજનો શખસને ઠપકો આપવા પહોચતા સામ સામે શાબ્દિક યુદ્ધ થયા બાદ મામલો બિચક્તા બે સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થવા પામી હતી અને મારામારી-ઝપાઝપીમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બે જુથ વચ્ચે થયેલી અથડામણના પગલે ભાવનગર ગ્રામ્યના ASP, સિટી DYSP, SOG PI ,વરતેજ પોલીસ મથકના PI અને LCB PSI સહિતનો મસમોટો કાફલો વરતેજના ઘાંચી ચોકમાં દોડી ગયો હતો. અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતાઆ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશનમાં આજે બપોરના એક વાગ્યે અમન પ્રોવિઝન સ્ટોરમાં એક મહિલા આવ્યા અને તેની સાથે અમન પ્રોવિઝનમાં જે કોઈ માણસ હતા તેની સાથે બોલાચાલી થઈ. બાદમાં મહિલા છે તેના ઘરે જઈ અને આ બાબતની વાત તેઓના કુટુંબીજનોને કરતા એ લોકો આવી અને અહીંયા ઝઘડો થયો. તેમાં ત્રણ-ચાર માણસો હતા.બાદમાં વરતેજ ગામના ચોક છે, તેની પાસેના વિસ્તારમાં મુસ્લિમ સમાજનો બીજો અઘટિત પ્રસંગ હતો, જેને હિસાબે પબ્લિક ત્યાં ઘણી જમા હતી. તેઓએ આ જોતા અહીંયા ટોળા થયા હતા.આ બાબતની જાણ પોલીસને થતા વરર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારી તથા પોલીસ તેમજ LCB અને SOG પહોંચી હતી અને લોકોના ટોળાઓને સમજાવટથી દૂર કરવામાં આવ્યા હતા. ​આ વિસ્તારમાં બનાવ બન્યો છે તે અનુસંધાને ફરિયાદ લેવાનું તજવીજ વરર્તેજ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. આ અનુસંધાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવનાર છે અને બીજો કોઈ બનાવ ન બને તે માટે પોલીસને પોઈન્ટ આપી તૈનાત કરવામાં આવેલ છે.આ બનાવમાં ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલાનું હોસ્પિટલ થી જાણવા મળેલ છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથીમહિલા અમન પ્રોવિઝન સ્ટોરમાં કંઈક લેવા માટે ગયા અને એને માલુમ થયું કે ભાઈ કોઈ ફોટો ખેંચે છે, એ ટાઈમે તેની સાથે બોલાચાલી થઈ કે ભઈ તમે આ રીતે કેમ વ્યવહાર કરો છો. એ બોલાચાલીને હિસાબે તે તેના ઘરે જઈ અને પરિવારને આ બાબતની વાત કરી અને તે લોકો ઠપકો આપવા માટે આવ્યા હતા અને ઉશ્કેરાટનું કારણ છે આ રીતનું બન્યું છે. અહીંયા હિન્દુ-મુસ્લિમનો કોઈ મોટો બનાવ બનેલ નથી પણ જે સાઈડમાં પ્રસંગ હતો તે પ્રસંગમાં ઘણા વ્યક્તિઓ બેસણામાં અને હતા, એ લોકો જોવા માટે આવ્યા અને ભીડ જમા થઈ હતી. હકીકતમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ટોટલી અંડર કંટ્રોલ છે અને અહીંયા બીજો ન બનાવ બને તે સાવચેતી માટે પોલીસ તૈનાત કરવામાં આવેલ છે. વાહનો જે છે એમાં જે પ્રસંગમાં હતો તે એરિયામાંથી નીકળતા હોય અને જે છે દૂર જાઓ દૂર જાઓ એ પોઈન્ટ ઓફ વ્યુ એ વાહનને પથ્થર લાગી ગયેલો છે. પણ કોઈ એવી કોઈ લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ગંભીર કે એવી છે નહીં, સામાન્ય છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:38 pm

સાટા પદ્ધતિ બની જીવલેણ?:બહેનનું ઘર ભાંગ્યું તો સાસરિયાએ ભાઈનું ઘર ભાંગવાની ધમકી આપતા 25 વર્ષીય યુવાનનો આપઘાત

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા પાંડેસરામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ભગવાન જગદીશ ભારતી નામના 25 વર્ષીય આશાસ્પદ યુવાન રવિવારે સાંજે 5 વાગ્યે અગમ્ય કારણોસર રુમમાં પંખા સાથે રસ્સી બાંધી આત્મહત્યા કરી હતી. યુવકને પરિવારજન દ્વારા હોસ્પિટલ‌ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુંમૂળ રાજસ્થાનના દુદિયા ગામના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી નગરમાં રહેતા 25 વર્ષીય ભગવાન જગદીશ ભારતી રવિવારે સાંજે 5 વાગ્યાના સુમારે પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. ભગવાન જગદીશ વ્યવસાયે જલેબી બનાવવાનું કામ કરતા હતા અને સખત મહેનત કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારની સાંજે જ્યારે પરિવારના અન્ય સભ્યો વ્યસ્ત હતા ત્યારે ભગવાન જગદીશે અગમ્ય કારણોસર પંખા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિસૂત્રો પાસેથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ આ આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ સામ-સાટા લગ્ન પદ્ધતિ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન અને ગુજરાતના કેટલાક સમાજોમાં હજુ પણ આ પ્રથા અમલી છે, જેમાં બે પરિવારો એકબીજાના સંતાનોના લગ્ન પરસ્પર કરાવે છે. ભગવાન જગદીશના લગ્ન પણ આ જ પદ્ધતિથી થયા હતા. ભગવાનના લગ્ન જે યુવતી સાથે થયા હતા, તેની સામે ભગવાનની પોતાની સગી બહેનના લગ્ન તે યુવતીના ભાઈ સાથે થયા હતા. આ પદ્ધતિમાં એક ઘરની શાંતિ બીજા ઘરના સંબંધો પર નિર્ભર હોય છે. જો તેમની દીકરી સાસરીમાં પરત નહીં આવે તો ભગવાનની પત્નીને પણ તેડાવી લેશેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા ભગવાનની બહેનને તેના સાસરીમાં (ભગવાનના સાળા સાથે) કોઈ કારણોસર અણબનાવ થયો હતો. વિવાદ એટલો વકર્યો કે તેની બહેન સાસરી છોડીને પિયર પરત આવી ગઈ હતી. આ ઘટના બાદ સાટા પદ્ધતિનો ક્રૂર ચહેરો સામે આવ્યો. જ્યારે બહેન પિયર આવી, ત્યારે ભગવાનના સાસરી પક્ષ તરફથી વળતો પ્રહાર શરૂ થયો. સાસરી પક્ષે ભગવાન પર દબાણ લાવવાનું શરૂ કર્યું કે, જો તેમની દીકરી (ભગવાનની બહેન) સાસરીમાં પરત નહીં આવે, તો તેઓ પણ તેમની દીકરી (ભગવાનની પત્ની) ને તેડાવી લેશે અથવા સંબંધ તોડી નાખશે. માનસિક ખેંચતાણના કારણે આત્મહત્યાનો રસ્તો પસંદ કર્યોભગવાન જગદીશ અને તેની પત્ની વચ્ચે ખૂબ જ સારો તાલમેલ હતો. તેઓ એકબીજાને પ્રેમ કરતા હતા અને સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા. ભગવાન તેની પત્નીથી અલગ થવા માંગતો ન હતો પરંતુ, બીજી તરફ બહેનનું જીવન પણ જોખમમાં હતું. સાસરી પક્ષના સતત દબાણ અને તારી પત્નીને તેડી જઈશું એવી ધમકીઓએ ભગવાનના મન પર ઊંડી અસર કરી હતી. તે એક એવી કટોકટીમાં મુકાયો હતો જ્યાં એક તરફ બહેનનું ભવિષ્ય હતું અને બીજી તરફ પત્ની સાથેનો સાથ. માનસિક ખેંચતાણ અને સામાજિક દબાણ સહન ન કરી શકતા, અંતે તેણે પત્નીથી અલગ થવાના ડર અને કૌટુંબિક કલેશથી કંટાળી આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છત્રપતિ શિવાજી નગર ખાતે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:24 pm

સુરત મનપા ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો:કોંગ્રેસે 20 મુદ્દાની ભાજપ પાપ ચાર્જશીટ રજૂ કરી હવે ઘરે-ઘરે જઈ આ ચાર્જશીટ લોકોને બતાવી મત માંગશે

સુરતમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવા માંડ્યા છે. સત્તાધારી પક્ષ ભાજપને પછાડવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસે આ વખતે આક્રમક રણનીતિ અપનાવી છે. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના શાસનકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચાર અને વહીવટી નિષ્ફળતાઓને ખુલ્લી પાડવા માટે ભાજપ પાપ ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે. આ 20 મુદ્દાની ચાર્જશીટ આગામી ચૂંટણીમાં મુખ્ય પ્રચારાત્મક હથિયાર બનવા જઈ રહી છે. કોંગ્રેસે આ ચાર્જશીટમાં પહેલો પ્રહાર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પર કર્યો છે. સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે કરોડો રૂપિયાના ખર્ચે જે ડસ્ટબિન (કચરાપેટીઓ) મુકવામાં આવી હતી, તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, પર્યાવરણના નામે શરૂ કરાયેલા સાયકલ ઝોન આજે ધૂળ ખાઈ રહ્યા છે અને તેમાં થયેલું રોકાણ જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. કોંગ્રેસે શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું જણાવ્યું શહેરની સૌથી મોટી મનપા સંચાલિત હોસ્પિટલ સ્મીમેરમાં દર્દીઓને અપાતી દવાઓમાં પણ દલાલી થતી હોવાનો ચોંકાવનારો આરોપ ચાર્જશીટમાં છે. આ સાથે જ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું અને શાસકો શિક્ષણ વિરોધી માનસ ધરાવતા હોવાનું કોંગ્રેસે ભારપૂર્વક જણાવ્યું છે. મધ્યાહન ભોજનમાં બાળકોના હકનો કોળિયો છીનવી લેવા સુધીનો ગંભીર આક્ષેપ ભાજપ પર કરવામાં આવ્યો છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીના શુદ્ધિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ? એવો પ્રશ્ન આ ચાર્જશીટમાં ઉઠાવવામાં આવ્યો છે. ખાડીઓના પુરાણ કરી બિલ્ડરોને ફાયદો કરાવવો અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ભાજપના શાસકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્મીમેરમાં મેડિકલ કૌભાંડ કરવામાં આવ્યું છેધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય માંગણી ભાજપે અત્યાર સુધી જે પણ ભ્રષ્ટાચાર કર્યો છે એની ચાર્જશીટ અને ભાજપે જે સુરતની સુરત બગાડવાની કોશિશ કરી છે ખરેખર આ વિસ્તારમાં પીવાના પાણી ડોહળું મળે છે, આ વિસ્તારમાં તમે PPP ધોરણે વિકાસ કર્યો છે, આ વિસ્તારમાં સ્મીમેરમાં જે મેડિકલ કૌભાંડ કરવામાં આવ્યું છે, જે કચરાનું કૌભાંડ કરવામાં આવ્યું છે એના માટેની ચાર્જશીટ અમે રજૂ કરી છે. આવનારા દિવસમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમે આ ચાર્જશીટ લઈને જઈશું, આવનારા દિવસમાં ચૂંટણી ઢંઢેરો પણ અમે રજૂ કરીશું પરંતુ પ્રજાના પૈસાથી, પ્રજાના ટેક્સના પૈસાથી જે ભ્રષ્ટાચાર કર્યો છે અમે સુરતની પ્રજાને એ ભ્રષ્ટાચાર બતાવીશું. અમે મહેનત કરીને બધી સીટો જીતવાનો પ્રયાસ કરીશું. સુરત કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, આ માત્ર કાગળ પરની ચાર્જશીટ નથી, પરંતુ જનતાનો અવાજ છે. આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો વોર્ડ લેવલે આ 20 મુદ્દાઓની પત્રિકાઓ વહેંચશે. સોશિયલ મીડિયા પર પણ ભાજપના પાપ નામે અભિયાન ચલાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:19 pm

વલસાડમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા:56 કેન્દ્રો પર 16,500થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

વલસાડ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે જિલ્લાના 56 કેન્દ્રો પર કુલ 16,513 વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત, સરકારી કે અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરનાર અથવા RTE હેઠળ ખાનગી શાળામાં ભણેલા તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 ના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી મેરિટના આધારે 25,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. સ્વનિર્ભર (ખાનગી) શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹22,000/- અને ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹25,000/- ની સ્કોલરશીપ મળશે. ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનો માટે વાર્ષિક ₹3,000/- અને સંસ્થાને ₹6,000/- ની સહાય અપાશે. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તમામ 56 કેન્દ્રો પર સરકારી પ્રતિનિધિઓ અને બિલ્ડિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને, સ્થળ સંચાલકોને પીવાના પાણી, લીંબુ પાણી અને છાસની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે. વાલીઓ માટે પણ કેમ્પસમાં બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:19 pm

જીગ્નેશ મેવાણી ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:કહ્યું: વડોદરાની સાંસ્કૃતિકનગરી, કલાનગરી છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે.

વડગામના કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણી આજે વડોદરાની મુલાકાતે હતા. જ્યાં તેઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 5 વર્ષોના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ વિરૂદ્ધ ચાર્જશીટ જાહેર કરી હતી અને ભાજપ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સામે ગંભીર કર્યા હતા. વડગામના કોંગ્રેસના MLA જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આજે હું ભાજપ સાથે એક ચાર્જશીટ રજૂ કરી રહ્યો છે. ગાયકવાડ શાસનથી લઈને 1995 સુધી કોંગ્રેસના શાસન દરમિયાન વડોદરાની એક ઓળખ હતી. સાંસ્કૃતિક નગરી, ઔદ્યોગિક નગરી અને કલા નગરી તરીકે વડોદરા ઓળખાતું, આ છાપને બટ્ટો લગાવવાનું કામ ભાજપના કેમ્પમાં બેઠેલા રામના નકલી ભક્તોએ કર્યું છે. હવે આ મચ્છરનગરી અને ભુવાનગરી બની ગઈ હોય એ પ્રકારે વડોદરાને ભાજપે બદનામ કરી નાખ્યું છે. વડોદરાને ખાડામાં લઈ જવાનું કામ ભાજપે કર્યું છે. ભાજપ, વડોદરા મ્યુનિસિપલ તંત્ર, બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરોના મેળાપીપળામાં ભ્રષ્ટાચારના એમના સંયુક્ત પાપના કારણે અત્યારે વડોદરા કંગાળ સ્થિતિમાં આવીને ઊભું છે. ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. એક પણ સીઝન એવી જતી નથી જેમાં વડોદરા ડૂબ્યું ન હોય, અત્યાર સુધીમાં વડોદરા 11 વખત પાણીમાં ડૂબી ચૂક્યું છે. ભાજપ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. હરણીકાંડમાં બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા, એમાં યોગ્ય તપાસ થઈ નથી. આ કેસમાં મુખ્ય સૂત્રધારો ભાજપના નેતાઓ અને અધિકારીઓ સેન્ટ્રલ જેલના સળિયા ક્યારે ગણશે. ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓમાં પરિવારોને ન્યાય મળ્યો નથી. વિપક્ષ તરીકે અમારી માંગણી છે કે હરણી દુર્ઘટનાના પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, ફરી આવી ઘટનાના બંને એ માટે નેતાઓ અને અધિકારીઓના જે માણસો હોય તેમને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના DCP સામે એક આંદોલન ચાલી રહ્યું છે. તેમણે સ્થાનિક પત્રકારને બર્બરતા પૂર્વક કથિત વ્યવહાર કર્યો, એને લઈને પીડિત પત્રકાર સુરેશ વડેચાને કોઈ મેડિકલ ઇન્જરી થઈ ન હોવાની ખોટી માહિતી બહાર આવી છે. જોકે સુરેશ વડેચાએ મને વિડિઓ મોકલીને તેની પર અત્યાચાર કર્યો હોવાની વાત મને કરી છે. જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, અત્યારે જે માહિતી મળી રહી છે તે ખરેખર ચિંતાજનક છે. આજના AI અને ગ્લોબલાઈઝેશનના જમાનામાં, 2026ના વડોદરામાં જો કોઈ નાગરિક કોલેરા જેવી બીમારીથી મૃત્યુ પામે, તો તે આપણા તંત્ર માટે શરમજનક બાબત છે. આપણે મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીની વાતો કરીએ છીએ, પણ જમીની હકીકત એ છે કે લોકોને સડેલું અને પ્રદૂષિત પાણી પીવા મળે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરામાં અત્યારે સ્થિતિ એવી છે કે ગમે ત્યારે કોઈ પણ અઘટિત ઘટના બની શકે છે. DYSPના પુત્રનું ગટરમાં પગ પડવાથી મૃત્યુ થયું, તે દર્શાવે છે કે ખુલ્લી ગટરો કેટલી જોખમી છે. 2026ના ગુજરાતમાં જો કોઈ નાગરિક ગટરમાં પડીને મરી જતો હોય, તો આનાથી વધુ દુઃખદ શું હોઈ શકે? આવી સ્થિતિની કલ્પના કોઈ પણ વડોદરાવાસીએ ક્યારેય નહીં કરી હોય. તેઓએ કહ્યું કે, વિશ્વામિત્રીમાં આવતું પૂર એ કુદરતી કરતા માનવસર્જિત આપત્તિ વધુ છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેશનના શાસકો અને બિલ્ડરોએ જે રીતે ભ્રષ્ટાચાર કરીને નદીના પટમાં દબાણો કર્યા છે, તેનું આ પરિણામ છે. 2-3 ઇંચ વરસાદ પડે તો પણ વડોદરાવાસીઓ ફફડી ઉઠે છે. અમદાવાદથી લોકો ફોન કરીને કહે છે કે વડોદરા ન આવતા, ગાડી ફસાઈ જશે. રસ્તાઓ પર મગરો રખડતા જોવા મળે છે, જે જનતાની સુરક્ષા સામે મોટો સવાલ છે. તેઓએ ઉમેર્યું હતું કે, છેલ્લા 5 વર્ષના બજેટનો સરવાળો કરવામાં આવે તો તે અંદાજે 25થી 30 હજાર કરોડ રૂપિયા થાય છે. આટલી મોટી રકમમાં તો નવું વડોદરા ઊભું કરી શકાય. વડોદરા શહેરને નીટ એન્ડ ક્લીન બનાવી શકાય, મચ્છરોનો ત્રાસ દૂર કરી શકાય. પરંતુ આ પૈસા ક્યાં ગયા? ભ્રષ્ટાચારને કારણે આજે સામાન્ય જનતા પીડાઈ રહી છે. હું વડોદરાની જનતાને અપીલ કરું છું કે, અમારી આ 'ચાર્જશીટ' ચોક્કસ વાંચે. હવે સમય આવી ગયો છે કે જનતા જાગૃત થાય. હું વડોદરાના સાંસદને કહેવા માંગુ છું કે, વડોદરાના એરપોર્ટ સાથે ગાયકવાડજીનું નામ જોડાય અને ત્યાંથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ થાય તેવા પ્રયત્નો થવા જોઈએ, તો તમારું સાંસદ બનવું લેખે લાગે.તેઓએ કહ્યું કે, અમે વધુમાં વધુ સીટો જીતવાનો પ્રયાસ કરીશું. વડોદરાની જનતાના પાયાના પ્રશ્નોનું સમાધાન લાવી શકીએ, એટલી સીટો જીતવાની અપેક્ષાઓ રાખું છું. એના માટે બેસ્ટ ઉમેદવારો પસંદ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:11 pm

વાપીમાં પૂરઝડપે આવતી કારે અન્ય કારને ટક્કર મારી:અકસ્માત થતાં કાર પાનના ગલ્લા પાસે પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

વલસાડ જિલ્લાના વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે અન્ય કારને ટક્કર મારી હતી. ટક્કર વાગ્યા બાદ બીજી કાર નજીકમાં આવેલા પાનના ગલ્લા તરફ ધસી ગઈ હતી, પરંતુ ત્યાં પાર્ક કરેલી એક બાઇક સાથે અથડાઈને અટકી જતાં મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, વાપીના હરિયા પાર્ક પાસેના મુખ્ય માર્ગ પર એક કાર ચાલક પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર જતી અન્ય એક કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બીજી કાર ફંગોળાઈને રસ્તાની સાઈડમાં આવેલા પાનના ગલ્લા તરફ ધસી ગઈ હતી. સદનસીબે, પાનના ગલ્લાની બિલકુલ આગળ એક બાઇક પાર્ક કરેલી હતી. ફંગોળાયેલી કાર સીધી આ બાઇક સાથે અથડાઈ હતી. બાઇકના કારણે કારની ગતિ અવરોધાઈ હતી અને તે ગલ્લા સુધી પહોંચતા અટકી ગઈ હતી, જેના કારણે ગલ્લાધારક અને ત્યાં ઉભેલા લોકોનો આબાદ બચાવ થયો હતો. એક સ્થાનિક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, 'જો ત્યાં બાઇક પાર્ક કરેલી ન હોત, તો કાર સીધી ગલ્લા સાથે અથડાત અને ગલ્લા પર ઉભેલા લોકો કે ગલ્લાધારક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શક્યા હોત.' અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પૂરપાટ ઝડપે વાહન ચલાવનારા ચાલકો સામે સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટનામાં વાહનોને નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:05 pm

બોલેરોની ટક્કરે 8 વર્ષના માસૂમનું મોત:​વિસાવદરમાં કાળમુખી બોલેરોએ બાળકને કચડ્યો; ખોપડી ફાટી જતાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત,અકસ્માત સર્જી ચાલક વાહન સાથે નાસી છૂટ્યો.

​જૂનાગઢ જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે વિસાવદર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના ખોડીયાર પરા વિસ્તારમાં બેફામ ગતિએ આવતી બોલેરો પીકઅપ વાનના ચાલકે માસૂમ બાળકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેની ખોપડી તૂટી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને બોલેરો ચાલક પોતાના વાહન સાથે રફુચક્કર થઈ ગયો હતો. વિસાવદરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતા પ્રફુલભાઇ ઉર્ફે વિપુલભાઇ રમેશભાઇ ગોહિલનો 8 વર્ષીય પુત્ર ધવલ તેમાં ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન રોડ પરથી પસાર થઈ રહેલી એક બોલેરો પીકઅપ વાનના ચાલકે પોતાના વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા તો અત્યંત બેદરકારીપૂર્વક વાહન ચલાવી ધવલને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર સીધી બાળકના માથાના ભાગે વાગતા લોહીની નદીઓ વહી ગઈ હતી અને સ્થળ પર જ માસૂમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ​અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળા એકઠા થતા જોઈ અને પોતાની ધરપકડના ડરથી બોલેરો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને 108 એમ્બ્યુલન્સને પણ બોલાવી હતી, પરંતુ ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે જોનારા લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા. બાળકના મૃતદેહને જોઈને પરિવારજનોના આક્રંદથી આખું વાતાવરણ ગમગીન બની ગયું હતું. ​નિર્દોષ બાળકના મોતના સમાચાર વાયુવેગે વિસાવદર શહેરમાં પ્રસરતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોમાં એવી ચર્ચા છે કે રહેણાંક વિસ્તારોમાં વાહનચાલકો ગમે તેમ વાહનો હંકારે છે, જેના કારણે આવા માસૂમ બાળકો ભોગ બની રહ્યા છે. પ્રફુલભાઇના ઘરે દીકરાના મોતના સમાચાર પહોંચતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જે બાળક થોડી વાર પહેલા ઘર પાસે રમી રહ્યો હતો, તેનું આ રીતે અચાનક મોત થતા માતા-પિતા ભાંગી પડ્યા છે. ​વિસાવદર પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપ વાનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હીટ એન્ડ રનના કિસ્સાઓ વધી રહ્યા છે. વાહનચાલકોની બેદરકારી અને ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. વિસાવદરની આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 7:04 pm

જામનગર કલેક્ટરે સખી વન સ્ટોપ સેન્ટરમાં કીટ વિતરણ કર્યું:11 દીકરીઓને દીકરી વધામણા અને એજ્યુકેશન કીટ અપાઈ

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે સરકારી ડેન્ટલ કોલેજ પાસે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે 11 દીકરીઓને દીકરી વધામણા કીટ અને આંગણવાડીની બાળકીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કર્યું હતું. કલેક્ટર ઠક્કરે બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટર ઠક્કરે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય લઈ રહેલી મહિલાઓ પાસેથી તેમની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. તેમણે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા કાર્યની પ્રશંસા પણ કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે દીકરીઓના વાલીઓને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરેક દીકરીમાં અનંત શક્તિ સમાયેલી છે અને યોગ્ય માર્ગદર્શન તથા સહયોગથી તેઓ ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી શકે છે. કલેક્ટરે સમાજના દરેક વર્ગને દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે આગળ આવવા અપીલ કરી હતી. તેમણે બાળકીઓ સાથે સમય વિતાવી તેમને જીવનમાં આગળ વધવા માટે આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી પૂજા ડોડીયા તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:52 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસે તોહતનામું જાહેર કર્યું:શહેરીજનોની હાલત બદથી બદતર થઈ ગઈ હોવાનો દાવો, કોંગ્રેસે કહ્યું-કટકી, કમિશન અને કૌભાંડ જ ચાલે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના 20 વર્ષના શાશન બાદ પણ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેને લઈને ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તે પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ જાહેર કરવામાં આવી છે. 20 જેટલી સમસ્યાઓને લઈને નાગરિકો આજે પણ હાલાકી વેઠવી રહ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષના ભાજપના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનમાં શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. ચાર્જશીટ જાહેર કરીને કોંગ્રેસે ભાજપના શાસનમાં થયેલા ભ્રષ્ટાચાર ગણાવ્યા છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવાનો દાવો પણ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યુંસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પણ ચાલી રહી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મતદારને આકર્ષવા માટે મેનિફેસ્ટો પણ નાગરિકો પાસે મંતવ્ય મંગાવ્યા બાદ નક્કી કરવામાં આવશે. પરંતુ તે પહેલા પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે બેઠક બાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તહોમતનામું જાહેર કર્યું છે. નાગરિકો હજુ પણ શું શું સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે તેને લઈને તોહમતનામું જાહેર કરવામાં આવ્યું છે. વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ અને વિધાસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે દાવો કર્યો છે કે, છેલ્લા 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું શાસન છે છતાં વિકાસના બદલે માત્ર ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કર્યો છે. રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓ આપવામાં જ સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકો હજુ પણ 20 જેટલી સમસ્યાથી પરેશાન હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. કઈ કઈ સમસ્યાથી નાગરિકો હજુ પણ હલકી વેઠવી રહ્યા છે તેની જાહેરાત પણ કરી છે. શહેરની અને શહેરીજનોની હાલત બદથી બદતર થઈ ગઈ હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથીવિધાનસભા વિપક્ષ ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને 6 મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની શાસન છે. તેમજ 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. તેમજ કેન્દ્રમાં પણ ભાજપનું શાસન છે. પરંતુ ત્રિપલ એન્જિનથી ચાલતી સરકાર કમિશન, કટકી અને કૌભાંડથી કમલમ ચાલે છે. નાગરિકને જે સુવિધાઓની જરૂર છે અને જે સુવિધાઓ આપવી જોઈએ તે અપાતી નથી. અમદાવાદ શહેરમાં 20 વર્ષથી ભાજપનો વહીવટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવા છતાં પણ યોગ્ય સુવિધા નાગરિકોને મળતી નથી. જેને સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટીનો એવોર્ડ મળેલો છે. જેથી અલગથી ગ્રાન્ટ પણ શહેરને મળતી હોય છે. 19 હજાર કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે. તેમજ છતાં અમદાવાદ શહેરમાં નાગરિકોને પૂરતું પીવાનું પાણી મળતું નથી. પીવામાં પાણીની ગુણવત્તા પણ ચોંકાવનારી છે. ડેવલોપમેન્ટ બતાવવા માટે થાય છે. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છેવધુમાં શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલ પર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે ષડયંત્ર ચાલ્યું હતું. જેમાં 300 કરોડ કરતા પણ વધુ રૂપિયાનું કૌભાડ થયું હતું. હાટકેશ્વર બ્રિજ જેટલા રૂપિયામાં બન્યો તેના કરતા વધુ રૂપિયાની કિંમતમાં તેને તોડવામાં આવ્યો છે. નાગરિકોની સેફ્ટી માટે અધિકારીઓ તમામ બ્રિજનું ચેકીંગ પણ કરાવતી નથી. વર્ષો જૂના બ્રીજની હાલત અત્યંત ખરાબ છે. SVP હોસ્પિટલમાં દર્દી કરતા તો વધુ બાઉન્સર જોવા મળે છે. SVP હોસ્પિટલ ખાલી મોટા ઉદ્યોગપતિને મેડિકલ કોલેજ બનાવવા માટે હોસ્પિટલની જરૂર પડે તે માટે બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટનું ખાતમુહુર્ત કોંગ્રેસના શાસનમાં થયું હતું. જેમાં બે-ચાર સારા પોઈન્ટ ઊભા કરીને નાગરિકોને તેનું ધ્યાન દોરવામાં આવે છે. એવો દાવો ભાજપે કર્યો હતો કે, રિવરફ્રન્ટ પરથી નીકળશો તો સિંગાપોર જેવો આભાસ થશે પરંતુ, એવું કંઈપણ અત્યારે જોવા મળતું નથી. અમદાવાદ શહેરમાં રસ્તાઓ ડિસ્કો રોડ બની જાય છે. સ્વિમિંગ પૂલ અમદાવાદ શહેર બની જાય છે. સ્ટ્રોંગ ડ્રેનેજ વોટરની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્ટ્રોંગ બેરેજનું બજેટ ક્યાં વપરાયા છે તે સૌથી મોટો સવાલ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહીપૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરનો વારસો અત્યારે લુપ્ત થઈ રહ્યો છે. પ્રજાલક્ષી સુવિધાઓ નાગરિકોને મળતી જ નથી. વ્હાઇટ ટોપિંગ રોડ સહિતના નામ આપીને સસ્તી પ્રસિદ્ધિ મેળવીને નાગરિકોને ખોટા વચન આપવામાં આવ્યા છે. જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે એક ઇંચ વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. જેના કારણે અનેક નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. રસ્તો પરથી વાહન ચલાવવા પણ મુશ્કેલ બની જાય છે. અમે 18 ટકા વ્યાજ માફી આપીને ટેક્સમાંથી રાહત આપી હતી. કોંગ્રેસે 2000થી 2005 વચ્ચે ઠરાવ કરીને સરકારને મોકલ્યો હતો. જેનો 20 વર્ષ થયા છતાં અમલ થયો નથી અને કરના દરમાં વધારો થયો છે. નાગરિકો સારવાર માટે લાખો રૂપિયાના બિલ ચૂકવી ખાનગી હોસ્પિટલમાં જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ફોન પણ ઉપાડતા નથી નાગરિકોને મળવાની વાત તો દૂર રહી. ભાજપના શાસનમાં 20 વર્ષ બાદ નાગરિકો કઇ-કઈ સમસ્યાઓથી પરેશના થઈ રહ્યા છે તે જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:45 pm

ડુમસ સી-ફેસ પ્રોજેક્ટમાં સ્થાનિકોને ફાળવણીમાં પ્રાથમિકતા આપવા માગ:લોકોની આજીવિકા બચાવવા ઝંખનાબેન પટેલની મ્યુનિ. કમિશનરને રજૂઆત, લારી-ગલ્લા હટાવતા સ્થાનિકો રોષે ભરાયા હતા

સુરત મહાનગર પાલિકા દ્વારા સાકાર થઈ રહેલા અત્યંત મહત્વકાંક્ષી 'ડુમસ સી-ફેસ' ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હવે રાજકીય અને સામાજિક ચર્ચાઓનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત થનારી અદ્યતન દુકાનો અને અન્ય વ્યાવસાયિક એકમોની ફાળવણીમાં માત્ર સ્થાનિક રહીશોને જ પ્રથમ પસંદગી આપવામાં આવે એવી માંગ પ્રબળ બની છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ઝંખનાબેન પટેલે આ ગંભીર મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી સ્થાનિકોના હિતોનું રક્ષણ કરવા માટે મક્કમપણે રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. લારી-ગલ્લા હટાવવાની કામગીરી બાદ સ્થાનિકોમાં ભારે રોષતાજેતરમાં જ સુરત મહાનગર પાલિકાના દબાણ હટાવ વિભાગ દ્વારા ડુમસ સી-ફેસ અને ગણેશ મંદિરની આસપાસના વિસ્તારોમાં આકસ્મિક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન વર્ષોથી ત્યાં નાની-મોટી લારીઓ ચલાવી ગુજરાન ચલાવતા અનેક સ્થાનિક પરિવારોની રોજગારી પર સીધી અસર પડી હતી. પાલિકાની આ કડક કાર્યવાહીના કારણે સ્થાનિકોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્રોશ પારખીને ઝંખનાબેન પટેલે મેદાનમાં આવીને સ્થાનિકોની આજીવિકા બચાવવા માટે વહીવટી તંત્ર સામે આ પ્રશ્ન ઉઠાવ્યો છે. વિકાસમાં સ્થાનિક ગ્રામજનોનો ફાળો સર્વોપરી: ઝંખનાબેનઝંખનાબેન પટેલે કમિશનરને કરેલી રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડુમસ સી-ફેસ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે ત્યારે ત્યાં ઉભી થનારી તમામ આર્થિક તકો પર પ્રથમ હક સ્થાનિકોનો હોવો જોઈએ. ડુમસ, ભીમપોર અને સુલતાનાબાદ ગામના લોકોએ વર્ષોથી આ વિસ્તારના વિકાસમાં જે સહયોગ આપ્યો છે તેને અવગણી શકાય નહીં. પ્રોજેક્ટના અમલીકરણમાં ગ્રામજનોનો ફાળો પ્રશંસનીય રહ્યો છે, તેથી વળતર સ્વરૂપે તેમને વ્યવસાયિક એકમોની ફાળવણીમાં અગ્રતા આપવી એ નૈતિક રીતે પણ ખૂબ જ અનિવાર્ય છે. આર્થિક સદ્ધરતા માટે ખાસ નીતિ ઘડવાની ઉગ્ર માંગસ્થાનિક યુવાનો અને પરિવારોને આર્થિક રીતે સધ્ધર બનાવવા માટે દુકાનોની ફાળવણીમાં 'પ્રાયોરિટી' આપવાની માંગણી કરવામાં આવી છે. ઝંખનાબેનનું માનવું છે કે કોઈપણ વિકાસલક્ષી પ્રોજેક્ટ ત્યારે જ ખરા અર્થમાં સાર્થક ગણાય જ્યારે તેમાં જે તે વિસ્તારના મૂળ રહીશોની સીધી ભાગીદારી હોય. જો બહારના લોકોને બદલે સ્થાનિકોને રોજગારી મળશે તો જ તેમનું જીવનધોરણ સુધરશે. પોતાના જ ગામની જમીન પર બનેલા પ્રોજેક્ટમાં જો સ્થાનિકોને આજીવિકા પ્રાપ્ત નહીં થાય તો વિકાસનો હેતુ અધૂરો રહી જવાની ભીતિ છે. પાલિકા હકારાત્મક નિર્ણય લેશે એવી આશાવિકાસના કામોમાં સ્થાનિકોને અવગણવાને બદલે તેમને પ્રોત્સાહન આપવા માટે ખાસ નીતિ બનાવવી જોઈએ તેવું આ રજૂઆતમાં જણાવાયું છે. ઝંખનાબેન પટેલે અંતમાં આશા વ્યક્ત કરી હતી કે સુરત મહાનગર પાલિકાના સત્તાધીશો આ સંવેદનશીલ મુદ્દે ચોક્કસપણે હકારાત્મક વલણ અપનાવશે. સ્થાનિક ગ્રામજનોના હિતમાં અને તેમની આજીવિકાના રક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર યોગ્ય નીતિવિષયક નિર્ણય લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:35 pm

ગેરકાયદેસર પિસ્તોલ સાથે ' બાબા ' પકડાયો:બાબા બોલે મેરી જાન ફેમ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શબીર ઉર્ફે બાબા શેખ પીસ્તોલ સાથે જૂનાગઢ એસઓજીના સકંજામાં: સોનરખ નદી કાંઠેથી થઈ ધરપકડ.

​જૂનાગઢમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ખાસ અદાકારી અને બાબા બોલે મેરી જાન ના ડાયલોગ્સ થી લાખો લોકોના દિલ જીતનાર ઇન્ફ્લુએન્સર હવે કાયદાના શકંજામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર ડાન્સ અને મનોરંજક વીડિયો મૂકીને ખ્યાતિ મેળવનાર આ શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે પકડાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં આ રંગીલા મિજાજ ધરાવતા ઇન્ફ્લુએન્સરની અસલી ઓળખ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે આ મોટી સફળતા હાથ લાગી છે. ​જિલ્લામાં વધતી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને હથિયારોની હેરફેર પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત એસઓજીની ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારોના સંપર્કમાં હતી. આ દરમિયાન એસઓજીના જવાનોને ચોક્કસ બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા પર જાણીતો બનેલો શબીર ઉર્ફે બાબા મહમદ શેખ પોતાની પાસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફરે છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખી હતી. બાબા તરીકે ઓળખાતો આ શખ્સ જ્યારે જાહેરમાં હથિયાર સાથે હોવાની ખાતરી થઈ ત્યારે પોલીસે તેને દબોચી લેવા માટે છટકું ગોઠવ્યું હતું. ​પોલીસને મળેલી બાતમીના આધારે શબીર ઉર્ફે બાબા મહમદ શેખ સોનરખ નદીના કાંઠે શંકાસ્પદ હાલતમાં બેઠો હતો. મજેવડી દરવાજાથી ભરડાવાવ દરવાજા તરફ જતા પ્રથમ વળાંક પાસે નદીના પટમાં પોલીસની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસને જોઈને આ ઇન્ફ્લુએન્સર ભાગવાનો પ્રયાસ કરે તે પહેલા જ જવાનોએ તેને કોર્ડન કરી લીધો હતો. તેની અંગઝડતી લેતા તેના પેન્ટના નેફાના ભાગમાંથી લોડેડ પીસ્તોલ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાહેરમાં રક્ષણ કે રુઆબ જમાવવા માટે રાખવામાં આવેલું આ હથિયાર ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ શું કરવાનો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. ​આ કામગીરીમાં ધરપકડ કરાયેલા આરોપીની વિગતવાર માહિતી જોઈએ તો, 40 વર્ષીય શબીર ઉર્ફે બાબા મહમદ શેખ જે જૂનાગઢના જમાલવાડી વિસ્તારમાં લાખાપીરની દરગાહ પાસે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 20,000 રૂપિયાની કિંમતની એક નંગ પીસ્તોલ કબજે કરવામાં આવી છે. આ ગુનામાં અન્ય એક આરોપી અલ્ફેજ મેમણ જે જૂનાગઢના સુખનાથ વિસ્તારનો રહેવાસી છે તેનું નામ પણ ખુલ્યું છે, જોકે તે હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. એ ડીવીઝન પોલીસ મથકે આ મામલે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર સફળ ઓપરેશનમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિક્રમભાઈ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મહેન્દ્રભાઈ કુવાડિયા તેમજ હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને વિક્રમભાઈ ચાવડા અને રોહિતભાઈ ધાધલને મળેલી સંયુક્ત બાતમી સફળ સાબિત થઈ હતી

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:35 pm

108ની ટીમે દર્દીનો કિંમતી સામાન પરત કર્યો:અમરેલીમાં યુવકના અકસ્માત બાદ રૂ. 3080 રોકડ, કાર્ડ, મોબાઈલ સહિતનો સામાન સ્વજનોને સોંપ્યા

અમરેલી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ટીમે અકસ્માતમાં ઘાયલ દર્દીનો કિંમતી સામાન પ્રામાણિકતાથી પરત કર્યો છે. ખાંભા-ઉના રોડ પર ચકરાવા ગામ નજીક મોટરસાયકલ સ્લીપ થતાં ઉનાના સોહિલ ઈકબાલ શેખ (ઉંમર 32) ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ, જેમાં ઈ.એમ.ટી. જીતેશ કલસરીયા અને પાયલોટ જયદીપ રેણુકાનો સમાવેશ થાય છે, તે ઘટનાસ્થળે ગણતરીની મિનિટોમાં પહોંચી હતી. ટીમે તાત્કાલિક સારવાર આપી ઘાયલ સોહિલને ખાંભાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દી સાથે કોઈ સગા હાજર ન હોવાથી, 108 ટીમે તેમની પાસે રહેલો કિંમતી સામાન સુરક્ષિત રીતે જાળવી રાખ્યો હતો. બાદમાં દર્દીના પરિવારજનોને જાણ કરી હોસ્પિટલ ખાતે અંદાજિત રૂ. 3080 રોકડ, વિવિધ બેંકના ATM અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ બે કિંમતી મોબાઇલ ફોન (આઇફોન અને એન્ડ્રોઇડ) સુરક્ષિત રીતે પરત સોંપ્યા હતા. 108 સેવાના પ્રોગ્રામ મેનેજર કપિલ સોલંકી અને અમરેલી જિલ્લાના અધિકારી અમાનતઅલી નકવીએ આ ફરજનિષ્ઠા અને પ્રામાણિકતાના કાર્ય બદલ ટીમને બિરદાવી હતી. ઘાયલના પરિવારજનોએ પણ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો, જેનાથી સેવા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:25 pm

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે ચાર્જશીટ રજૂ કરી:મનપામાં 20 વર્ષના કુશાસન અને 40% કમિશનનો આક્ષેપ

જામનગરમાં કોંગ્રેસે ભાજપ સામે 'ભાજપાપ' શીર્ષક હેઠળ ચાર્જશીટ રજૂ કરી છે. કોંગ્રેસે મહાનગરપાલિકામાં ભાજપના 20 વર્ષના કુશાસનનો આક્ષેપ કર્યો છે, જેના કારણે આગામી મનપા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જામનગર પ્રભારી લલિત વસોયાએ જણાવ્યું કે, મનપાના કચરાથી માંડીને તમામ કોન્ટ્રાક્ટમાં ભાજપની સંગઠન પાંખ 40 ટકા કમિશન ઉઘરાવી રહી છે. તેમણે ભાજપ પર શહેરના વિકાસમાં અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. વસોયાએ શહેરમાં રમતગમતના મેદાનનો અભાવ, ત્રીજા સ્મશાનની જરૂરિયાત, અપૂરતી સફાઈ અને ઘણા વિસ્તારોમાં પીવાલાયક દુર્ગંધયુક્ત પાણી જેવી સમસ્યાઓ પર ભાજપની આકરી ટીકા કરી હતી. તેમણે ઉમેર્યું કે મનપા બોર્ડમાં અનેક ઠરાવો થાય છે, પરંતુ તેનો અમલ થતો નથી. કોંગ્રેસે વચન આપ્યું છે કે જો તેઓ મહાનગરપાલિકામાં સત્તા પર આવશે, તો રમતગમતના મેદાન, ત્રીજા સ્મશાન, પાણીની સમસ્યાઓ, વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા, વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ અને સુભાષ શાકમાર્કેટ સહિતની તમામ સમસ્યાઓનો ઉકેલ લાવશે. પૂર્વ સાંસદ વિક્રમ માડમે જણાવ્યું કે ભાજપના શાસનમાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે અને ખોટા વાયદા કરીને શહેરીજનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. તેમણે ક્રિકેટ ગ્રાઉન્ડના અભાવ અને વેસ્ટ ટુ એનર્જી કંપનીના મુદ્દે પણ ભાજપ પર પ્રહારો કર્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આગામી ચૂંટણીમાં ભાજપના 'પાપ'નો પર્દાફાશ કરવાની વાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:16 pm

સ્વિમિંગ પુલમાં ડૂબી જતા બે માસૂમના મોત:રાજકોટના સોપાન હાઈટ્સ બિલ્ડિંગના પુલમાં સગા ભાઈ-બહેન ડૂબ્યા, બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા સોપાન હાઈટ્સ બિલ્ડીંના સ્વિમિંગ પુલ નજીક રમતાં રમતાં બે બાળકો સ્વિમિંગ પૂલમાં પડી જવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. બનાવ અંગે જાણ થતા બિલ્ડિંગમાં જ સફાઈ કરતા બંને બાળકોના માતા પિતા દોડી આવ્યા હતા અને બન્નેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે બન્ને ભાઈ બહેનના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે નેપાળી પરિવાર હજુ માત્ર 14 દિવસથી જ અહીંયા સફાઈ કામ કરવા માટે કામ પર લાગ્યો હતો. 7 અને 5 વર્ષના માસુમ બાળકોના મોતથી પરિવારમાં કલ્પાંત છવાઈ જવા પામ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:14 pm

ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇન 9 વર્ષ પછી ફરી શરૂ થશે:PM મોદી આવતીકાલે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપશે, આજે ટ્રાયલ રન

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેની રેલ લાઇન નવ વર્ષના લાંબા ગાળા બાદ ફરી શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 31 માર્ચના રોજ, ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા MEMU ટ્રેનને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લીલી ઝંડી આપશે. આ પહેલા આજે અસારવાથી હિંમતનગર થઈને ખેડબ્રહ્મા સુધી ઇલેક્ટ્રિક લોકોમોટિવનો ટ્રાયલ રન કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ દરમિયાન, ઇલેક્ટ્રિક એન્જિન હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે ત્રણ વખત દોડાવવામાં આવ્યું હતું અને પરત હિંમતનગર આવ્યું હતું. ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષમતા વિસ્તરણના વિઝનના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતમાં રૂ. 891 કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. આ મુખ્ય કાર્યક્રમ વાવ-થરાદ જિલ્લા ખાતે યોજાશે, જ્યાંથી વડાપ્રધાન વર્ચ્યુઅલી ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇન પર પ્રથમ ટ્રેનનું ઈ-લોકાર્પણ કરશે. રેલવે વિભાગ દ્વારા હજુ સુધી ઉદ્ઘાટન કાર્યક્રમના સમય કે નવી MEMU ટ્રેનના સંચાલન સમયપત્રક અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. સ્થાનિક લોકોની અપેક્ષા છે કે આ ટ્રેન અસારવાથી ખેડબ્રહ્મા અને ખેડબ્રહ્માથી અસારવા સુધી દિવસ દરમિયાન દોડે, જેથી ખેડબ્રહ્માના માતાજીના દર્શને આવતા ભક્તોને સાચા અર્થમાં લાભ મળી શકે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:09 pm

ગીર સોમનાથમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો:તંત્ર સતર્ક, અફવાઓથી દૂર રહેવા અપીલ; કાળા બજાર સામે કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા તંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી છે. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વેરાવળ પ્રાંત કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેક્ટરએ જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે માટે આગોતરું આયોજન મજબૂત બનાવવા સૂચના આપી હતી. તેમણે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર પહોંચે તે માટે તંત્રને વધુ સક્રિય બનવા જણાવ્યું હતું. ગેસ પુરવઠાની સમીક્ષા કરતાં કલેક્ટરએ પાઈપ નેચરલ ગેસ (PNG)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો અને સામાજિક સંસ્થાઓમાં PNG કનેક્શનને પ્રાથમિકતા આપવા સૂચના અપાઈ હતી. ડબલ કનેક્શન ધરાવતા નાગરિકોને વધારાના LPG સિલિન્ડર સરેન્ડર કરવા પણ અપીલ કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 21 ગેસ એજન્સીઓ કાર્યરત છે, જ્યાં 6209 સિલિન્ડર ઉપલબ્ધ છે અને 2912 સિલિન્ડરનો સ્ટોક માર્ગમાં છે. આ ઉપરાંત, 125થી વધુ પેટ્રોલપંપ અને 10થી વધુ CNG પંપ દ્વારા ઇંધણનો પુરવઠો સરળતાથી ચાલી રહ્યો છે. તંત્ર દ્વારા રોજિંદા ધોરણે સ્ટોકનું મોનીટરીંગ કરવામાં આવે છે. કલેક્ટરએ નાગરિકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને બિનજરૂરી સંગ્રહ ન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં ગભરાટ સર્જવાને બદલે તંત્ર પર વિશ્વાસ રાખવો જરૂરી છે. સંગ્રહખોરી અને કાળા બજાર સામે તંત્રે કડક વલણ અપનાવ્યું છે. 16 માર્ચથી 26 માર્ચ દરમિયાન દસ દિવસમાં કુલ 71 તપાસણીઓ હાથ ધરાઈ હતી, જેમાં રૂ. 6.14 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગેરરીતિ રોકવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિત ઓઈલ કંપનીઓ, ગેસ એજન્સીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. તંત્રની સજાગ કામગીરીને કારણે હાલ જિલ્લામાં પુરવઠાની સ્થિતિ સ્થિર છે અને નાગરિકોને ગભરાવાની કોઈ જરૂર નથી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:07 pm

દાહોદમાં ઈંધણ-ગેસના પુરવઠા અંગે કલેક્ટરની બેઠક:તમામ પેટ્રોલ પંપોએ દૈનિક રિપોર્ટ સોંપવો પડશે, ગેસ એજન્સીઓને ઈ-કેવાયસી પ્રક્રિયા ઝડપી બનાવવા અને નવા કનેક્શન સરળતાથી ઉપલબ્ધ કરાવવા કલેક્ટરનો આદેશ

દાહોદ જિલ્લામાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ જેવા જીવનજરૂરી ઈંધણનો પુરવઠો ખોરવાય નહીં અને નાગરિકોને હાલાકી ન પડે તે માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં તાજેતરમાં ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાં ઈંધણના વિતરણને વધુ સુવ્યવસ્થિત કરવા અને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં કલેક્ટરે ગેસ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ગ્રાહકોને સિલિન્ડરના વિતરણમાં કોઈપણ પ્રકારનો વિલંબ થવો જોઈએ નહીં. ખાસ કરીને ઈ-કેવાયસી (e-KYC)ની પ્રક્રિયામાં ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સ્થાનિક સ્તરે જ આ કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું. ગેસ રિફિલિંગ માટે બુકિંગ કર્યા બાદ કેટલા દિવસમાં ડિલિવરી થાય છે તેનું નિયમિત મોનિટરિંગ કરવા અને નવા કનેક્શન લેવા ઈચ્છતા નાગરિકોને કોઈપણ જટિલ પ્રક્રિયા વગર ઝડપથી કનેક્શન આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત ન સર્જાય તે માટે હવે તમામ પેટ્રોલ પંપ સંચાલકોએ તેમના સ્ટોક અંગેનો દૈનિક રિપોર્ટ વહીવટી તંત્રને ફરજિયાત મોકલવો પડશે. આ ઉપરાંત, કેરોસીનના વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરતા જણાવાયું હતું કે હવે માત્ર IOCL (ઇન્ડિયન ઓઇલ) ના પેટ્રોલ પંપો જ કેરોસીન વિતરણ માટે અધિકૃત રહેશે. તમામ તાલુકાના મામલતદારો પાસેથી જરૂરિયાત મુજબની માંગ મંગાવીને જ જથ્થો ફાળવવામાં આવશે. કલેક્ટર યોગેશ નિરગુડેએ ખાસ ભાર મૂક્યો હતો કે જિલ્લામાં ઈંધણની અછત અંગેની ખોટી અફવાઓ ફેલાવતા તત્વો સામે સતર્ક રહેવું. જો અફવાને કારણે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર બિનજરૂરી ભીડ ઉભી થાય, તો સંચાલકોએ તાત્કાલિક પોલીસ અથવા વહીવટી તંત્રને જાણ કરવાની રહેશે. આ સાથે સિટી ગેસ પ્રોજેક્ટ હેઠળ પાઇપલાઇન દ્વારા અપાતા કનેક્શનની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં જિલ્લામાં ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે અને સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આગોતરા આયોજનનો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 6:06 pm

નવસારી LCBએ ₹22.68 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો:બોરીયાચ ટોલનાકા પાસે આઈસર ટેમ્પોમાંથી 6,276 બોટલો જપ્ત

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પર બોરીયાચ ટોલનાકા પાસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે એક આઈસર ટેમ્પોમાંથી ₹22.68 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 6,276 નંગ દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. LCB ટીમે ₹12.58 લાખની કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, વ્હિસ્કી, વોડકા અને બિયરના ટીન ભરેલા 188 પૂંઠાના બોક્સ જપ્ત કર્યા હતા. દારૂના જથ્થા ઉપરાંત, ₹10 લાખનો આઈસર ટેમ્પો (નંબર MH 43 CQ 1036) અને ₹10,000નો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો. સુરત વિભાગના આઈજી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચના મુજબ, LCB પીઆઈ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન એએસઆઈ દિગ્વીજયસિંહ અને પીસી મનોજકુમારને મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની ગુપ્ત બાતમી મળી હતી. બાતમીના આધારે, પીએસઆઈ એમ.બી. ગામીત અને તેમની ટીમે બોરીયાચ ટોલનાકાથી 150 મીટર દૂર નાકાબંધી ગોઠવી વોચ રાખી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ આઈસર ટેમ્પોને અટકાવી તલાશી લેતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ઉત્તર પ્રદેશના રહેવાસી મેનુદ્દીન અકબાલ નેવાસઅલી સમાની (ઉંમર 32) ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ભીવંડી ખાતે આવેલા ઇન્ડિયન કમ્પાઉન્ડના ગોડાઉનમાંથી સુરેન્દ્રસિંગ નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો. આ જથ્થો સુરત ખાતે કોઈ અજાણ્યા ઈસમને પહોંચાડવાનો હતો. આ કેસમાં ભીવંડી, મહારાષ્ટ્રના સુરેન્દ્રસિંગ (દારૂ ભરાવી આપનાર), સુરેન્દ્રસિંગના બે અજાણ્યા માણસો અને સુરત ખાતે જથ્થો સ્વીકારનાર એક અજાણ્યા ઈસમ સહિત કુલ ચાર આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ અંગે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:59 pm

મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો:પ્રમુખ ચીખલીયાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ રમેશ રબારીને સસ્પેન્ડ કર્યા, મહામંત્રીએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા

મોરબી જિલ્લા કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશ રબારીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. સસ્પેન્શનના આદેશ બાદ રમેશ રબારીએ સોશિયલ મીડિયા પર ઓડિયો અને વીડિયો વાયરલ કરી જિલ્લા પ્રમુખ કિશોર ચીખલીયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જમીન કૌભાંડ અને ભાજપ સાથેના જોડાણના આક્ષેપોરમેશ રબારી દ્વારા વાઈરલ કરવામાં આવેલા ઓડિયોમાં ટંકારાના એક જમીન કૌભાંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વીડિયો સંદેશમાં આક્ષેપ કર્યો છે કે, પક્ષમાં રહીને થતા કૌભાંડોને ઉજાગર કરવા તે પક્ષ વિરોધી પ્રવૃત્તિ નથી. રબારીએ પ્રમુખ કિશોર ચીખલીયા પર પ્રહાર કરતા જણાવ્યું કે, ચીખલીયાના પત્ની ભાજપ સાથે જોડાયેલા છે અને તેઓ ભાજપની પ્લેટ ધરાવતી ગાડીનો ઉપયોગ કરે છે. વધુમાં, ભૂતકાળમાં જ્યારે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું, ત્યારે કિશોર ચીખલીયાએ પક્ષ સામે બળવો કરીને પ્રમુખ પદ મેળવ્યું હોવાનો દાવો પણ તેમણે કર્યો છે. શિસ્તભંગના પગલે કાર્યવાહી: જિલ્લા પ્રમુખઆ વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ જણાવ્યું હતું કે, રમેશ રબારી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર પક્ષના આગેવાનો વિરુદ્ધ અશોભનીય લખાણો લખતા હતા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હતા. મોરબી જિલ્લામાં કોંગ્રેસને નુકસાન ન થાય તે હેતુથી તેમને મહામંત્રી પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે, જોકે પક્ષમાંથી હજુ સસ્પેન્ડ કરાયા નથી. ભૂતકાળના બળવા અંગે ખુલાસોપોતાના પર લાગેલા બળવાખોરીના આક્ષેપો અંગે કિશોર ચીખલીયાએ સ્પષ્ટતા કરી હતી કે, તેમના ભૂતકાળ વિશે સ્થાનિક સ્તરથી લઈ રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વ સુધીના તમામ લોકો માહિતગાર છે. તેમના પત્ની ગત ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયા હોવાની વાત પણ જગજાહેર છે. તેમણે ઉમેર્યું કે, પક્ષમાં શિસ્ત જાળવવા માટે લીધેલા નિર્ણય સામે રમેશ રબારી હતાશામાં પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:57 pm

ધર્મના મામાએ 10 વર્ષની માસૂમને પીંખી:PM મોદી આવતીકાલે ગુજરાતમાં, 24 કલાકમાં નર્મદા કેનાલ ચારને ભરખી ગઈ, અમરેલીમાં જાનૈયા ભરેલી બસે પલટી મારી

આવતીકાલે પીએમ મોદી આવશે ગુજરાત PM મોદી આવતીકાલે ગુજરાતને 19,800કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેડિકલ રિપોર્ટમાં પેટ્રોલ નાખ્યું હોવાની પુષ્ટિ નહીં રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા પર પ્રાઈવેટ પાર્ટમાં પેટ્રોલ નાખી અત્યાચાર કરવાનો આક્ષેપ કરનાર યુવકનો મેડિકલ રિપોર્ટ આવ્યો. જેમાં આ વાતની પુષ્ટિ નથી થઈ. જો કે જીજ્ઞેશ મેવાણીએ રિપોર્ટ પર ભરોસો ન હોવાનું કહ્યું, તો ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ બાંગરવા સામે ફરિયાદ નોંધી સસ્પેન્ડ કરવાની માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં ચાર લોકો નર્મદા કેનાલમાં તણાયા ગાંધીનગરમાંથી પસાર થતી નર્મદા કેનાલે પાછલા 24 કલાકમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યો. ભાઈએ કેનાલમાં પડતું મુકતા રોકવા ગયેલો ભાઈ પણ કેનાલમાં ખાબક્યો. તો બે પિતરાઈનો પગ લપસતા તેઓ પણ કેનાલમાં ખાબક્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધર્મના મામાએ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું પાટણમાં ધર્મના મામાએ 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું.પાંચ મહિનામાં ચાર વાર શારિરિક સંબંધો બાંધતા બાળકીને 4 માસનો ગર્ભ રહ્યો. પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સિનિયર ડોક્ટર્સની મનમાનીને લઈને સિવિલ વિવાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ વિવાદમાં. લાખોનો પગાર લેતા સિનિયર ડોક્ટરો હાજરી પૂરાવીને રવાના થઈ જતા હોવાનો આક્ષેપ કરાયો છે.. આક્ષેપ કોઈ બીજાએ નહીં સિવિલના જ અન્ય ડોક્ટર્સે કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ડ્રાઈવરને ઝોકું આવતા જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ અમરેલીના લાઠી તાલુકામાં જાનૈયા ભરેલી બસ પલટી ખાઈ ગઈ.જેમાં અંદાજે 40 જાનૈયાઓમાંથી 25 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે.ડ્રાઈવરને ઝોકું આવી જતા અકસ્માત સર્જાયાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાઈકલ લઈ જઈ રહેલા વૃદ્ધને કારે કચડ્યા વડોદરાના રાજીવનગર વિસ્તારમાં કાર ચાલકે સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને કચડ્યા એટલું જ નહીં વૃદ્ધને લગભગ 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. વૃદ્ધની હાલત ગંભીર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરત પોલીસે ઝડપી હની ટ્રેપ ગેંગ સુરતમાંથી ઝડપાઈ હની ટ્રેપ ગેંગ.. કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરે ફિમેલ સર્વિસ માધ્યમથી યુવતીને ઘરે બોલાવી. જો કે નકલી પોલીસ તરત જ ત્રાટકી અને યુવક પાસેથી પાંચ લાખ રુ. ખંખેરી લીધા..પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.. સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક એલર્ટ થઈ સર્ચ ઓપરેશન શરુ કર્યું.. જો કે લાંબી તપાસ બાદ કંઈ શંકાસ્પદ વસ્તુ હાથ ન લાગતા તંત્રએ હાશકારો લીધો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 2જી એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા 2જી એપ્રિલ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર રહી શકે છે. અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:55 pm

પાલતુ અશ્વએ યુવકને છાતી પર લાત મારી:કાકણપુર-પઢિયારમાં 32 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર બાદ નિધન

ગોધરા તાલુકાના કાકણપુર-પઢિયાર ગામે પાલતુ અશ્વની લાત વાગતા 32 વર્ષીય યુવાન હિતેશ રમેશભાઈ પટેલનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે. આ ઘટના ગઈકાલે 29 માર્ચે સાંજે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાન હિતેશ તેના પાલતુ અશ્વની નજીક હતા ત્યારે અચાનક અશ્વે પાછળના ભાગેથી જોરદાર લાત મારી હતી. આ લાત સીધી યુવાનના છાતીના ભાગે વાગી હતી, જેના કારણે તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત હિતેશ પટેલને સૌ પ્રથમ કાકણપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, ત્યાંથી તેને વધુ સારવાર માટે રાત્રે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે હિતેશને મૃત જાહેર કર્યો હતો. મૃતક હિતેશ ખેતીકામ કરતો હતો. તેના પરિવારમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે. આ સમગ્ર મામલે કાકણપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:54 pm

વડોદરામાં SMCની રેડમાં 43.46 લાખનો દારૂ જપ્ત:પોલીસને જોઈને ટ્રક પરથી કૂદીને ભાગવા જતા મુખ્ય આરોપી સુનિલ ટેલર ઇજાગ્રસ્ત થયો, 6 આરોપી ઝડપાયા, 10 વોન્ટેડ, 1.40 કરોડનો મુદામાલ જપ્ત

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે વડોદરાની નંદેસરી GIDC નજીક રાધીયાપુરા ગામે ગૌતમભાઈ પઢીયારના કબ્જાની ખુલ્લી જમીનમાં વિદેશી દારૂના કટીંગ સમયે રેડ કરવામાં આવી હતી. જેમાં 43.46 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 16,669 બોટલ 8 વાહનો, 11 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 1.40 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ મામલે નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટની વિવિધ કલમો તથા ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે. રેડ દરમિયાન મુખ્ય આરોપી ઇજાગ્રસ્ત રેડ દરમિયાન મુખ્ય આરોપી સુનિલ મોતીલાલ ટેલરે પોલીસને જોઈને ટ્રક પરથી કૂદી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેના બંને પગ અને હાથમાં ઇજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી હરિયાણા તથા સેલવાસથી ટ્રક અને કન્ટેનર મારફતે મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવીને અહીં કટીંગ કરી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરોને સપ્લાય કરતા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તા. 2 ફેબ્રુઆરી 2026ના રોજ જવાહરનગર વિસ્તારમાં પણ આવી જ કાર્યવાહી કરી રૂપિયા 53.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે કેસમાં વોન્ટેડ રહેલો મુખ્ય આરોપી મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની આ રેડ દરમિયાન ઝડપાઈ ગયો છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલા તથા વોન્ટેડ આરોપીઓમાં કેટલાક સામે પ્રોહિબીશન એક્ટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલા છે. ખાસ કરીને સુનિલ મોતીલાલ ટેલર સામે 110થી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ સામે પણ અનેક પ્રોહિબીશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને તોડી પાડવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપવા માટે સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. પકડાયેલ 6 આરોપીઓ (1) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની(2) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) (3) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ (4) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ (5) વિક્રમસીંગ દિવાનસીંગ તથા (6) કીર્તિકુમાર નાનાલાલ મીણા તેમજ વોન્ટેડ 10 આરોપીઓ (1) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી (2) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી (3) મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ (4) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ (5) કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ તેલવાની (6) સેલવાસ ખાતેથી દારૂનો જથ્થો ભરી આપનાર ગઢવી (7) દિપેન દિનેશભાઈ વાળા (8) વિનોદ વિજયગીરી ગોસ્વામી (9) ગૌતમભાઈ પઢીયાર (10) ટાટા ટ્રક નં.GJ-17-XX-1877નો ડ્રાઈવર આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ :- (1) સુનિલ મોતીલાલ ટેલર (દરજી) :- પ્રોહીબીશન ધારા હેઠળના-107થી વધુ, ગુજસીટોક હેઠળનો-1, ખૂનની કોશીષ તથા આર્મ્સ એક્ટ હેઠળનો-1 તથા અન્ય મળી આશરે 110થી વધુ ગુનાઓ (2) મનોજ ઉર્ફે પાપડ શંકરભાઈ નરસીંગાની :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળનો 1 મળી કુલ-9 ગુનાઓ (3) લાલચંદ ઉર્ફે લાલુ સિંધી હેમંતદાસ ખાનાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 39 જ્યારે અન્ય હેડ હેઠળના 5 મળી કુલ-44 ગુનાઓ (4)કાલુ ઉર્ફે ટોપી સુંદરલાલ ટેલવાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 24 ગુનાઓ (5) સુનિલ ઉર્ફે અદો પ્રકાશભાઈ કેવલરામાણી :- પ્રોહીબીશન ધારા હેઠળના 8 જ્યારે અન્ય હેડ હેઠળના 2 મળી કુલ-10 ગુનાઓ (6)મોહિત ઉર્ફે બોબડો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 9 ગુનાઓ (7) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપભાઈ અગ્રવાલ :- પ્રોહીબીશન ધારા હેઠળના 8, જુગારધારા હેઠળના 2 (8) ધર્મેન્દ્ર ઉર્ફે લાલો સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના ૦૫ ગુનાઓ તથા અન્ય હેડ હેઠળના ૦૨ મળી કુલ-૧૨ ગુનાઓ (9) દિપેન દિનેશભાઈ વાળા :- પ્રોહીબીશન ધારા હેઠળના 4 ગુનાઓ (10) જીતેન્દ્ર ઉર્ફે જીતુ સંપતસિંહ ચૌહાણ :- પ્રોહીબીશન ધારા હેઠળના 3 ગુનાઓ (11) વિનોદ વિજયગીરી ગોસ્વામી :- પ્રોહીબીશન ધારા હેઠળના 2 ગુનાઓ

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:49 pm

નવસારીમાં પ્રથમવાર આદિવાસી પ્રીમિયર લીગ:ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે, વિજેતા ટીમને ₹66,666નું ઇનામ મળશે

નવસારીમાં આગામી એપ્રિલ માસમાં 'આદિવાસી પ્રીમિયર લીગ' (APL)નું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી યુવાનોની ખેલ પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને સામાજિક ઉત્થાનના હેતુથી આ લીગ યોજાશે. ગાંધી કોલેજ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આદિવાસી પ્રીમિયર લીગનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને સંગઠિત કરવાનો અને તેમના સામાજિક ઉત્થાનનો છે. ટુર્નામેન્ટના વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલે જણાવ્યું કે, આ લીગ દ્વારા પ્રાપ્ત થનાર આર્થિક લાભનો ઉપયોગ ગ્લોબલ ગ્રાસરૂટ વિકાસ ટ્રસ્ટ (GGVT) દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્લાસીસ શરૂ કરવા માટે કરવામાં આવશે. તાજેતરમાં નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું. જેમાં 320 થી 360 જેટલા ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. આ હરાજી પ્રક્રિયામાં 120 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી, જેઓ 8 ટીમોમાં વહેંચાઈને મેદાનમાં ઉતરશે. ત્રણ દિવસીય આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ₹66,666 અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. જ્યારે રનર્સ અપ ટીમને ₹44,444 અને ટ્રોફી મળશે. આદિવાસી પ્રીમિયર લીગની મેચો 10, 11 અને 12 એપ્રિલના રોજ ગાંધી કોલેજના મેદાન પર રમાશે. આ આયોજનને સફળ બનાવવા માટે ચેરમેન મનહર દોઢિયા, વાઇસ ચેરમેન ડૉ. ચિંતન પટેલ અને સેક્રેટરી (GGVT કન્વીનર) તેજસ પટેલની આગેવાની હેઠળની ટીમ કાર્યરત છે. આયોજકોએ જણાવ્યું કે, ક્રિકેટના માધ્યમથી આદિવાસી યુવાનોને રમતગમત અને શિક્ષણ બંને ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ આપવાનો તેમનો લક્ષ્ય છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:45 pm

વાડીમાં ગુપ્ત ભોંયરું બનાવી છૂપાવ્યો હતો દારૂ:સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસે ભોંયરામાંથી 42 લાખનો દારુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, મુખ્ય આરોપી વોન્ટેડ જાહેર

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથકની ટીમે બાતમીના આધારે એક મોટા દરોડામાં ₹42 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. વાડીમાં 'ખાસ ભોંયરું' બનાવી છુપાવ્યો હતો જથ્થોઆરોપીઓએ પોલીસથી બચવા માટે એક અનોખી તરકીબ અપનાવી હતી. સાંગોઇ ગામની સીમમાં આવેલી વાડીમાં આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયાએ જમીનમાં મોટો ખાડો ખોદી, ભોંયરા જેવું ગુપ્ત સ્થળ બનાવ્યું હતું. આ ભોંયરામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો મોટો સ્ટોક છુપાવવામાં આવ્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. મુદ્દામાલની વિગતધજાળા પોલીસ સ્ટેશનના PSI એસ.પી. ઝાલા અને તેમની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે: મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂરપોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે મુખ્ય આરોપી રામકુભાઈ તકમરિયા સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો. આથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સચોટ બાતમી અને પોલીસના સતર્ક પેટ્રોલિંગને કારણે લાખોની કિંમતનો નશીલો પદાર્થ બજારમાં પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:42 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:'ફીમેલ સર્વિસ' સર્ચ કરતા યુવક હનીટ્રેપમાં ફસાયો ને 5 લાખ ગુમાવ્યા, સુરતની કરોડરજ્જુ પર ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસર

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:30 pm

ટેક્સ વ્યાજ માફી યોજના 31 માર્ચે સમાપ્ત થશે:જામનગર મનપા કમિશનરે લાભ લેવા અપીલ કરી

જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ તબક્કામાં કરદાતાઓ માટે ખાસ વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. બાકી પ્રોપર્ટી ટેક્સ ધરાવતા નાગરિકો માટે આ એક સુવર્ણ તક છે, જેનો લાભ 31 માર્ચ, 2026 સુધી લઈ શકાશે. આ યોજનાને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધીમાં આશરે 19,549 કરદાતાઓએ યોજનાનો લાભ લીધો છે. આ અંતર્ગત નાગરિકોને અંદાજે રૂ. 11.89 કરોડનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાને પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 151.76 કરોડ અને વોટર વર્ક્સ પેટે રૂ. 16.67 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. મનપાના આંકડા મુજબ, હજુ પણ અંદાજે 1.90 લાખ કરદાતાઓનો પ્રોપર્ટી ટેક્સ ભરવાનો બાકી છે. આ તમામ કરદાતાઓને વ્યાજમાં રાહત મેળવવા અને ભવિષ્યની દંડનીય કાર્યવાહી કે અગવડતાથી બચવા માટે ટેક્સ ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. ટેક્સ ભરવાની અંતિમ તારીખ 31મી માર્ચ, 2026 છે, જે રાત્રે 12:00 વાગ્યા સુધી રહેશે. કરદાતાઓ પોતાની અનુકૂળતા મુજબ મહાનગરપાલિકાની કચેરી, વિવિધ સિવિક સેન્ટરો અથવા ઓનલાઇન માધ્યમથી ટેક્સ ભરી શકે છે. મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે કે, છેલ્લા દિવસની ભીડથી બચવા અને વ્યાજ માફીનો મહત્તમ લાભ લેવા માટે વહેલી તકે પોતાનો બાકી ટેક્સ ચૂકવી દેવો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:28 pm

PM કિસાન સન્માન નિધિના ₹2000 મુદ્દે પરિણીતાનો આપઘાત:પંચમહાલના બોરડીમાં ખેતરમાં પડેલી ઝેરી દવા પીધી, પતિ પાછળ દોડતાં કૂવામાં ઝંપલાવ્યું,સારવાર દરમિયાન મોડી રાતે મોત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરડી ગામે PM કિસાન સન્માન નિધિ યોજનાના ₹2000ની રકમને લઈને થયેલા પારિવારિક ઝઘડામાં 26 વર્ષીય પરિણીતા કોમલબેનનું મૃત્યુ થયું છે. પતિ સાથેની તકરાર બાદ તેમણે ઝેરી દવા પી કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટના ગત 24 માર્ચના રોજ બની હતી. બોરડી ગામના પંકજભાઈ અને તેમના પત્ની કોમલબેન બેંકમાંથી PM કિસાન સહાયના ₹2000 ઉપાડીને ઘરે આવ્યા હતા. આ રકમના ઉપયોગ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામાન્ય તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારબાદ કોમલબેને સૌ પ્રથમ ઝેરી દવા પી લીધી હતી અને પછી ઘર પાસે આવેલા કૂવામાં ઝંપલાવ્યું હતું. પરિણીતાને તાત્કાલિક કૂવામાંથી બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 29 માર્ચ મોડી રાતે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.આ સમગ્ર મામલે શહેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:24 pm

દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો:પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા વિભાગ સેવા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવેલા સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી વિડીયો ફિલ્મ પણ બતાવવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા દ્વારા ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટની વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વડવાળા મંદિર દુધરેજના કોઠારી મુકુંદરામજીએ જણાવ્યું હતું કે, શિક્ષક, સંત અને સંઘ તરફ લોકો પ્રેમભાવથી જુએ છે. દેશમાં કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો સેવા કરતા જોવા મળે છે. તેમણે સનાતન હિન્દુ સમાજને એક કરવાનું કાર્ય સંઘ કરી રહ્યું હોવાનું પણ ઉમેર્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં શુદ્ધ સેવા જ હોય છે. સેવામાં અહંકાર ન આવે તે માટે સંઘના નિયમોરૂપી છાપરું માથે રાખવું જોઈએ. તેમણે સેવાના હેવા પાડવા અને 'લેના બેંક' નહીં પણ 'દેના બેંક' બનવા પર ભાર મૂક્યો હતો. ડો. ત્રિવેદીએ કહ્યું કે, આપણી ભાષા, ભૂષા, ભોજન અને ભજન ક્યારેય ન બદલાવા જોઈએ, કારણ કે આ ચાર શબ્દો ન બદલાય તો જ નિસ્વાર્થ સેવાના માર્ગ પર ટકી શકાય છે. તેમણે સ્વયંસેવકને સર્વશ્રેષ્ઠ સેવક ગણાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સેવા એ હિન્દુ સમાજનો સહજ સ્વભાવ છે. વ્યાસજીએ કહ્યું છે કે પરોપકાર એ પુણ્ય છે અને બીજાને પીડા આપવી એ પાપ છે. તેમણે સંપૂર્ણ હિન્દુ સમાજમાં કોઈ વંચિત કે પીડિત ન રહેવું જોઈએ તેવી ભાવના વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણીએ માહિતી આપી હતી કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક પૂજનીય ડોક્ટર સાહેબના જન્મ શતાબ્દી વર્ષથી સંઘમાં સેવા વિભાગની શરૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબનમાં સેવાકાર્યો કરવામાં આવે છે. દેશભરમાં 96045 સેવા કાર્યો ચાલી રહ્યા છે અને આ સેવાકીય કાર્યોનો વ્યાપ હજુ પણ વધારવો જોઈએ. સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત સદ્ભાવ કાર્યનું કામ સંભાળનાર ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સનાતન હિન્દુ ધર્મમાં આપણને ગળથૂથીમાં જ સેવાના સંસ્કાર મળે છે. તેમણે મતાંતરણ/ધર્માંતરણ કરાવ્યા વગર શુદ્ધ સાત્વિક સેવા કરવી એ આપણી પરંપરા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:23 pm

ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે IAS રવિન્દ્ર ખટાલેએ ચાર્જ સંભાળ્યો:જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું, પ્રાથમિક બેઠક યોજીને કામગીરીઓને વેગ મેળવ્યો

ગુજરાતના પાટનગર ગાંધીનગરના વહીવટી તંત્રમાં આજે એક મહત્વપૂર્ણ ફેરફાર થયો છે. આજે 2016 બેચના IAS અધિકારી રવિન્દ્ર ખટાલેએ વિધિવત રીતે ગાંધીનગર જિલ્લા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. સરકાર દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે લેવામાં આવેલા આ નિર્ણય બાદ નવા કલેક્ટરનું જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અગાઉ મહેસાણા કમિશનર તરીકે ફરજ બજાવી હતીનવ નિયુક્ત ગાંધીનગર જીલ્લા કલેકટર રવિન્દ્ર ખટાલે અગાઉ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેમની વહીવટી કુશળતા અને કાર્યદક્ષતાને ધ્યાને રાખીને સરકારે તેમને પાટનગરની મહત્વની જવાબદારી સોંપી છે. આજે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા ત્યારે વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં તેમણે સત્તાવાર રીતે ચાર્જ ગ્રહણ કર્યો હતો. પુષ્પગુચ્છ સાથે જિલ્લા કચેરી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુંઆ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાંત અધિકારીઓ અને અન્ય વિભાગીય વડાઓએ પણ નવા કલેક્ટર સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. પ્રાથમિક બેઠક યોજીને કામગીરીઓને વેગ મેળવ્યો ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગાંધીનગર કલેક્ટર તરીકેનો વધારાનો હવાલો જે.એન. વાઘેલા સંભાળી રહ્યા હતા.જેમને હવે આ વધારાની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ પદભાર સંભાળ્યા બાદ કલેકટર ખટાલેએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી.અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ તેમજ વહીવટી પારદર્શિતા પર ભાર મૂક્યો હતો. પાટનગર હોવાના નાતે ગાંધીનગરમાં અનેક મહત્વના પ્રોજેક્ટ્સ કાર્યરત છે.ત્યારે નવા કલેક્ટરના આગમનથી આ કામગીરીઓને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:21 pm

સોફ્ટવેર મેઇન્ટેનન્સના કારણે મનપાની તમામ ઓનલાઇન સેવાઓ બંધ:તા.1 અને 2 એપ્રિલના રોજ મિલકત વેરો નહીં ભરી શકાય, 3 એપ્રિલથી કામગીરી રાબેતા મુજબ થશે

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે સોફ્ટવેર મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે આગામી 1 અને 2 એપ્રિલ દરમિયાન મહાનગરપાલિકાની મિલકત વેરાની કામગીરી અને ઓનલાઇન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશે​મિલકત વેરો તા.1/4/2026 અને 2/4/2026ના રોજ મિલકત વેરાના સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી કેશ કલેક્શન વિન્ડો (બારી) તેમજ ઓનલાઇન પેમેન્ટની સુવિધા સંપૂર્ણપણે બંધ રહેશે. આ સુવિધા તા.3/4/2026થી રાબેતા મુજબ શરૂ થશે. ​અન્ય ઓનલાઇન સેવાઓ તા.1/4/2026ના રોજ મનપાના તમામ સોફ્ટવેરનું મેઇન્ટેનન્સ હોવાથી અન્ય તમામ ઓનલાઇન સુવિધાઓ પણ બંધ રહેશે, જે તા.2/4/2026થી ફરી કાર્યરત થશે. જો ટેક્નિકલ કામગીરી નિર્ધારિત સમય કરતા વહેલી પૂર્ણ થશે તો ઓનલાઇન સુવિધાઓ વહેલા શરૂ કરી દેવામાં આવશે. નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડે​મહાનગરપાલિકાના કોમ્પ્યુટર વિભાગના ઈ.ડી.પી. મેનેજર દ્વારા શહેરના તમામ નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, જેથી નાગરિકોએ વેરો ભરવા કે અન્ય કામકાજ માટે ધક્કો ન ખાવો પડે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:15 pm

કપરાડાના એકલેરા ગામની સરકારી શાળાનું નવું ભવન ટૂંક સમયમાં તૈયાર:DEOએ સ્પષ્ટતા કરતાં કહ્યું - ગ્રામપંચાયત કચેરીમાં વિદ્યાર્થીઓ ભણતા ફોટા વાયરલ કરી વાલીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના એકલેરા ગામની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ગ્રામપંચાયત કચેરીના મકાનમાં અભ્યાસ કરતા હોવાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ફોટામાં વિદ્યાર્થીઓ પંચાયત કચેરીના ટેરેસ પર ભણતા જોવા મળ્યા હતા, જેના કારણે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી હતી. આ મામલે વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ડો.રાજેશ્રી ટંડેલે સ્પષ્ટતા કરી છે. DEO ડો.રાજેશ્રી ટંડેલે જણાવ્યું કે એકલેરામાં સરકારી માધ્યમિક શાળાનું અત્યાધુનિક મકાન નિર્માણાધીન છે. તેનું કામ અંતિમ તબક્કામાં છે અને આગામી એક-બે મહિનામાં શિક્ષણ વિભાગને તેનો કબજો મળી જશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સુવિધાજનક જગ્યાએ ભણાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે શાળાનું મકાન બનવામાં સમય લાગે છે, જે હવે લગભગ તૈયાર છે. કેટલાક તત્વો દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા તેમજ સરકારની છબી ખરડવા માટે આવા ફોટા વાયરલ કરવામાં આવ્યા હોઈ શકે છે. નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓ અત્યાધુનિક સુવિધા ધરાવતા નવા મકાનમાં અભ્યાસ કરશે. DEOના જણાવ્યા અનુસાર, શાળાનું મકાન ન હોવાની વાત ખોટી છે. નવું બિલ્ડિંગ નિર્માણ હેઠળ હોવાથી કામચલાઉ વ્યવસ્થા કરાઈ છે. જૂન મહિનાના નવા શૈક્ષણિક સત્રથી વિદ્યાર્થીઓને નવા ઓરડા મળશે. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાઈટેક સુવિધાઓ સાથે શિક્ષણ આપવા કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:14 pm

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના દીદાર માટે ભરૂચમાં ભીડ:સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના આગમન પર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કાચની કેબિન નજીક દેખાતા જ હાજર ભીડે ‘મૌલા મૌલા’ના નારા લગાવ્યા હતા અને તેમના દીદાર માટે પડાપડી કરી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:11 pm

સાબરકાંઠા જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રોડ, ફ્લાયઓવર, સ્કૂલની ગ્રાન્ટ સહિત વિવિધ મુદ્દે ચર્ચા થઈ

હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાએ મોતીપુરાથી સહકારી સુધીના સર્વિસ રોડને પહોળો કરવા, મેડી ટીંબા માધ્યમિક શાળાની જમીન અને મકાનની ગ્રાન્ટ, દેરોલ બ્રિજ, નેશનલ હાઈવે ગાંભોઈ ખાતે ફ્લાયઓવર, શહેરમાં ટ્રાફિક સમસ્યા અને કડોલી ખાતે સાબરમતી નદી પર બ્રિજ જેવા મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તેમણે ખેડતસિયા રોડ પર રેલવે ફાટક, નવા રોડ પર સાઈન બોર્ડ અને રોડને ચાર માર્ગીય બનાવવા અંગે રજૂઆત કરી હતી. પુરાલ, રણાસન, નવલપુર માર્ગના કામો તેમજ ઘોરવાડા અને કાણીયોલ માઈનોર સિંચાઈ કેનાલ સહિતના લોકહિતના પ્રશ્નો પણ તેમણે રજૂ કર્યા હતા. બેઠકના ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ અને સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટરે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી બચાવવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર કિષ્ના વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક કે.પી. પાટીદાર, પ્રાંત અધિકારી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 5:08 pm

બાપ રે, હાર્દિકે દોઢ મહિનામાં કરોડો ઉડાવી દીધા:વાનખેડેમાં સુહાના અને સારા આમને સામને; RRની ટીમે વૈભવને બાટલીમાં ઉતારી દીધો

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા.’

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:57 pm

કાર્ડ વગર ઓપરેશનની ના પાડતા ગરીબ મહિલા રઝળ્યા.:'આયુષ્માન કાર્ડ નથી તો ઓપરેશન નહીં થાય', ફ્રેક્ચર સાથે પાંચ દિવસ સુધી શાંતિબેન ધક્કા ખાતા રહ્યા, વિપક્ષના હસ્તક્ષેપ બાદ તંત્ર જાગ્યું.કાર્ડ સિસ્ટમ માનવતા પર ભારે

રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં ગરીબોને મફત અને ત્વરિત સારવાર મળે તે માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં માનવતા નેવે મૂકાઈ હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ગરીબ મહિલા દર્દીને હાથમાં ગંભીર ફ્રેક્ચર હોવા છતાં માત્ર 'આયુષ્માન કાર્ડ' ન હોવાના બહાને ઓપરેશન કરવાની ના પાડી દેવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પીડામાં કણસતા દર્દીની વહારે જ્યારે રાજકીય નેતાઓ આવ્યા ત્યારે જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. કાર્ડ હોત તો સરકારીમાં શું કામ આવત ?:શાંતાબેન ​આ સમગ્ર ઘટનાના કેન્દ્રમાં રહેલા પીડિત દર્દી શાંતિબેને પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, હું પડી ગઈ હોવાથી મારા હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ઓપરેશન કરાવવા માટે હું આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી હતી. શનિવારે મારો કેસ કાઢવામાં આવ્યો અને મને ખાતરી અપાઈ કે દાખલ કરી દેવામાં આવશે. બે દિવસ સુધી મને હોસ્પિટલમાં રાખવામાં આવી અને કહેવાયું કે બુધવારે ઓપરેશન થશે. પરંતુ જ્યારે બુધવારે હું ઓપરેશન માટે તૈયાર થઈ ત્યારે હોસ્પિટલના સ્ટાફે મને સ્પષ્ટ કહી દીધું કે 'તમારું આયુષ્માન કાર્ડ લઈ આવો તો જ ઓપરેશન થશે'. મારી પાસે કાર્ડ નહોતું, એટલે જ તો હું સરકારી હોસ્પિટલમાં આવી હતી! જો મારી પાસે કાર્ડ કે પૈસા હોત તો મારે અહીં ધક્કા ખાવાની જરૂર જ શું હતી ? ઓપરેશન જેવી કટોકટીની સ્થિતિમાં પણ હોસ્પિટલ તંત્રએ સંવેદના બતાવવાને બદલે માત્ર કાગળ અને કાર્ડનો આગ્રહ રાખ્યો હતો. પાંચ દિવસ સુધી તેઓ અસહ્ય પીડા સાથે હોસ્પિટલના ઉંબરા ઘસતા રહ્યા હતા. ​વિપક્ષ નેતા લલિત પરસાણાના આકરા પ્રહાર ​જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ આ મામલે હોસ્પિટલ પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે બની છે, છતાં અહીં ડોક્ટરોની મનમાની ચાલે છે. એક ગરીબ બહેનને ફ્રેક્ચર હોવા છતાં કાર્ડ વગર ઓપરેશન ન કરવાની જીદ પકડવી એ શરમજનક છે. સરકારના નિયમ મુજબ સરકારી હોસ્પિટલમાં કોઈ પણ કાર્ડ વગર મફત સારવાર મળવી જોઈએ. આયુષ્માન કાર્ડની જરૂરિયાત ખાનગી હોસ્પિટલોમાં હોવી જોઈએ સરકારીમાં નહીં.જ્યારે અમે હોસ્પિટલના જવાબદાર અધિકારી અગ્રાવત સાહેબને પૂછ્યું કે શું કાર્ડ વગર ઓપરેશન ન કરવાનો કોઈ સરકારી પરિપત્ર (GR) છે ? ત્યારે તેમણે સ્વીકાર્યું કે આવો કોઈ નિયમ નથી. આ તો માત્ર ગરીબોને હેરાન કરવાની અને જવાબદારીમાંથી છટકવાની ડોક્ટરોની રીત છે. આધાર કાર્ડ કે કૂપનમાં નાની ભૂલ હોય તો પણ ગરીબ દર્દીઓને સારવાર આપવાને બદલે ધક્કા ખવડાવવામાં આવે છે. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભૂલ સ્વીકારવાના બદલે PMJAY ના ફાયદા કહ્યા ​આ વિવાદ વકરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પીએમજેવાય (PMJAY) યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ પરિવાર દીઠ વાર્ષિક 10 લાખ સુધીની મફત સારવાર મળે છે, જેનો લાભ સિવિલમાં વધુમાં વધુ લેવામાં આવે છે. આ કાર્ડથી આવતા ફંડનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે. જોકે કાર્ડ ન હોય તેવા દર્દીઓ માટે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ દર્દી પાસે કાર્ડ ન હોય તો તેની સારવાર રોકવામાં આવતી નથી. આવી સ્થિતિમાં 'રોગી કલ્યાણ સમિતિ' (RKS) કાર્યરત છે. આ સમિતિ પાસે વિશેષ સત્તા છે કે ગરીબ દર્દીને માનવતાના ધોરણે મફત સારવાર પૂરી પાડવી. દસ્તાવેજોના અભાવે કોઈ પણ દર્દીનું ઓપરેશન અટકવું જોઈએ નહીં. આ કિસ્સામાં પણ અમે હવે ઓપરેશન કરવાની ખાતરી આપી છે અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. ગરીબો માટે ' તંત્રની મનમાની' કે 'વહીવટી અરાજકતા'? ​આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સરકારી કાગળ પરની યોજનાઓ અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે. ઓપરેશન જેવી ઈમરજન્સી સેવાઓમાં શું કાર્ડ માનવતા કરતા વધુ કિંમતી બની ગયા છે? જ્યારે રાજકીય દબાણ આવે ત્યારે જ વહીવટી તંત્ર કેમ જાગે છે ? ​શાંતિબેન જેવા અસંખ્ય દર્દીઓ આજે પણ સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર માટે વલખા મારી રહ્યા છે. જૂનાગઢ સિવિલની આ ઘટના વહીવટી અરાજકતાનો જીવતો જાગતો પુરાવો છે. જો વિપક્ષના નેતાઓએ દરમિયાનગીરી ન કરી હોત, તો કદાચ શાંતિબેન હજુ પણ પોતાના ભાંગેલા હાથે હોસ્પિટલના પગથિયાં ગણતા હોત. સરકારી હોસ્પિટલોમાં 'કાર્ડ' એ સારવારનો માર્ગ હોવો જોઈએ, અવરોધ નહીં. સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ભલે રોગી કલ્યાણ સમિતિના બણગા ફૂંકતા હોય, પણ ગ્રાઉન્ડ લેવલ પર તો ગરીબ દર્દીએ સારવાર માટે સંઘર્ષ જ કરવો પડે છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:48 pm

ગાંધીનગરમાં જાણીતા જ્વેલરી શોરૂમમાં કર્મચારીએ જ 5.04 લાખના દાગીના ચોર્યા:સિનિયર ફેશન કન્સલટન્ટે વિશ્વાસઘાત કર્યો, ઓડિટ દરમિયાન ભાંડો ફૂટ્યો

ગાંધીનગર શહેરના કુડાસણ વિસ્તારમાં આવેલી એક જાણીતી જ્વેલરી શોરૂમમાં ઘરના જ દીવાએ ઘર બાળ્યું જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શોરૂમમાં સિનિયર ફેશન કન્સલટન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ વિશ્વાસઘાત કરીને રૂ.5.04 લાખની કિંમતના સોનાના દાગીના અને સિક્કાઓની ચોરીને અંજામ આપ્યો હોવાનું ઓડિટ દરમિયાન બહાર આવતા ઇન્ફોસિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. જાણીતા જ્વેલરી શોરૂમમાં કર્મચારીએ જ દાગીના ચોર્યામળતી માહિતી અનુસાર, અમદાવાદ ખાતે રહેતો સુનીલ મોચી જીવા સિલ્વર એન્ડ ગોલ્ડ ડાયમન્ડ ઝવેલરી (ઇન્ડી.ઝવેલસ પ્રાઇવેટ લિમિટેડ ઝવેલરી)નામની કુડાસણ પ્રમુખ એવન્યુ કોમ્પલેક્ષ ખાતે આવેલમાં સિનિયર સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત 26 માર્ચ 2026ના રોજ તેમના દ્વારા સ્ટોકનું ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ કરતા શોરૂમના કર્મચારીનો ભાંડો ફૂટ્યોઆ ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે, સ્ટોરમાંથી 18 અને 24 કેરેટના સોનાના દાગીના તેમજ સિક્કાઓ ગાયબ છે. જેની તપાસ કરતા ગત 18 ફેબ્રુઆરીથી 26 માર્ચ વચ્ચેના સમયગાળામાં કુલ 5,04,000 રૂપિયાની કિંમતની મિલકતની ચોરી થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. થેલામાંથી સોનાની બુટ્ટી અને પેન્ડન્ટ મળ્યુંજેના પગલે શંકાના આધારે શોરૂમમાં જ કામ કરતા અને કુડાસણ પીજીમાં રહેતા અભિકુમાર અશોકકુમાર પ્રજાપતિના રૂમની તલાશી લેવામાં આવી હતી. જેના થેલામાંથી કુલ 64 હજારની કિંમતની 1.22 ગ્રામની હીરા જડિત સોનાની બુટ્ટી અને 1.54 ગ્રામનું સોનાનું પેન્ડન્ટ મળી આવ્યું હતું. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધ્યોમૂળ મધ્યપ્રદેશના ગ્વાલિયરનો વતની અભિ પ્રજાપતિએ સિનિયર ફેશન કન્સલટન્ટ તરીકે નોકરી કરતો હોવાનો ફાયદો ઉઠાવી ઉક્ત ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવતા ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:44 pm

અંકલેશ્વરમાં CETP પ્રોજેક્ટ પરવાનગીમાં વિલંબ:ગાંધીનગરમાં ઉદ્યોગકારોનું વિરોધ પ્રદર્શન, અનિશ્ચિતકાળ ઉપવાસ આંદોલન શરૂ

અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં અનિશ્ચિતકાળ માટે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. આ આંદોલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સામે CETP પ્રોજેક્ટની પરવાનગીમાં વિલંબના મુદ્દે કરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક ઉદ્યોગકારો જોડાયા છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, આધુનિક તકનીકોથી સજ્જ CETP પ્રોજેક્ટ માટે CCA મંજૂરી મેળવવા છેલ્લા એક વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. તેમ છતાં, GPCB દ્વારા પરવાનગી આપવામાં લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરાયો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબને કારણે કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, અને પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે. આના પગલે ગાંધીનગરના સેક્ટર-10/Aમાં આવેલા GPCB હેડ ઓફિસ, પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. આ ઉપવાસ આંદોલનમાં અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના રમેશ ગાબાણી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ મહેશ પટેલ, હિંમત સેલડીયા, અમુલક પટેલ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો જોડાયા છે. ઉદ્યોગકારોએ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી CETP પ્રોજેક્ટને તાત્કાલિક પરવાનગી આપવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:32 pm

બુરખાધારી મહિલાઓ કટલેરીની દુકાનમાંથી ચોરી કરતી ઝડપાઈ:વાપીના ગુંજન વિસ્તારની ઘટના, CCTV ફૂટેજ વાયરલ

વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક કટલેરીની દુકાનમાં ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનાઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રથમ ઘટનામાં, બુરખાધારી મહિલાઓ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશી હતી. તેમણે દુકાનદારની નજર ચૂકવીને કટલેરીના સામાનની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. અન્ય એક વીડિયોમાં, એક પુરુષ અને એક સ્ત્રી પણ આ જ દુકાનમાંથી ચોરી કરતા જોવા મળ્યા હતા. બંનેએ પોતાના ચહેરા છુપાવવા માટે માસ્ક પહેર્યા હતા. તેમણે પણ દુકાનદારનું ધ્યાન ભટકાવીને ચોરીને અંજામ આપ્યો હતો. આ બંને ચોરીની ઘટનાઓ એક જ દુકાનમાં બની છે અને તેના સીસીટીવી ફૂટેજ હાલ વાયરલ થઈ રહ્યા છે. જોકે, પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દુકાનદાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:28 pm

ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા:મોંઘા યાર્ન અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વીજ દરમાં 50% રાહતની માંગ

વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક અને રાજકીય અસ્થિરતાની સીધી અસર હવે સુરતના આર્થિક કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ધરખમ ઉછાળો આવતા ટેક્સટાઇલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ કપરા સમયમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા DGVCLના મેનેજિંગ ડિરેક્ટર અને રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગકારોએ વીજળીના ફિક્સ ચાર્જમાં 50% સુધીની રાહત આપવા ભારપૂર્વક માંગ કરી છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને કાચા માલના ભાવમાં તોતિંગ વધારોટેક્સટાઇલ ઉદ્યોગમાં વપરાતું યાર્ન મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાંથી બને છે. હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે યાર્નના ભાવમાં 30થી 35% જેટલો મોટો વધારો નોંધાયો છે. સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અગ્રણી મહેન્દ્ર રામોલિયાના જણાવ્યા અનુસાર કાચા માલના ભાવ વધ્યા છે પરંતુ, તેની સામે ફિનિશ્ડ ગુડ્સ એટલે કે કાપડના વેચાણ ભાવમાં એક રૂપિયાનો પણ વધારો મળતો નથી. આ વિસંગતતાને કારણે પ્રોડક્શન કોસ્ટ એટલી વધી ગઈ છે કે એકમો ચલાવવા આર્થિક રીતે પોસાય તેમ નથી. ઉદ્યોગ માટે અસ્તિત્વનો સવાલમાત્ર મોંઘવારી જ નહીં, પરંતુ અન્ય પાયાની જરૂરિયાતોના અભાવે પણ ઉદ્યોગ મુશ્કેલીમાં છે. ટેક્સટાઇલ યુનિટોમાં કામ કરતા હજારો શ્રમિકોને રાંધણ ગેસના બોટલ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉદ્યોગ મંદીમાં હોય અને ઉત્પાદન ખર્ચ વધે ત્યારે સૌથી મોટી અસર રોજગારી પર પડે છે. હાલની સ્થિતિમાં સુરતમાંથી કારીગરો મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આગામી દિવસોમાં કુશળ શ્રમિકોની ભારે અછત સર્જાશે, જે ઉદ્યોગ માટે લાંબા ગાળે ઘાતક સાબિત થઈ શકે છે. DGVCLના ફિક્સ ચાર્જનું ભારણ, નાના એકમો પાયમાલઉદ્યોગકારોની મુખ્ય ફરિયાદ DGVCL દ્વારા વસૂલવામાં આવતા ફિક્સ ચાર્જ સામે છે. હાલમાં 99 કિલો વોલ્ટના જોડાણ સામે અંદાજે 12,000 રૂપિયા અને 500 કિલો વોલ્ટના કનેક્શન સામે અંદાજે 62,000 રૂપિયા જેટલો માતબર ફિક્સ ચાર્જ વસૂલવામાં આવે છે. ભલે કારખાનું ઓછું ચાલે કે બંધ રહે, આ ચાર્જ તો ચૂકવવો જ પડે છે. ઉદ્યોગકારોની માંગ છે કે જ્યાં સુધી વૈશ્વિક યુદ્ધની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી LT (લો ટેન્શન) અને HT (હાઈ ટેન્શન) બંને પ્રકારના કનેક્શનના ફિક્સ ચાર્જમાં 50% ની માફી આપવામાં આવે. ઉત્પાદન ખર્ચ ઘટાડવા સરકારના હસ્તક્ષેપની જરૂરિયાતસુરત અને તેની આસપાસના જિલ્લાઓમાં ટેક્સટાઇલના હજારો એકમો કાર્યરત છે. જો સરકાર વીજ દરમાં રાહત જાહેર કરે તો ઉત્પાદન ખર્ચમાં થોડો ઘટાડો થઈ શકે છે. આ રાહત મળવાથી જે એકમો હાલ સંપૂર્ણ બંધ થવાના આરે છે, તેઓ ઓછામાં ઓછી એક પાળી (શિફ્ટ) પણ ચલાવી શકશે. જો એકમો ચાલુ રહેશે તો કારીગરોને કામ મળતું રહેશે અને તેમની હિજરત અટકાવી શકાશે. આ રીતે ઉદ્યોગને સંપૂર્ણ પાયમાલ થતો બચાવવા માટે સરકારી સ્તરે તાત્કાલિક હસ્તક્ષેપ અનિવાર્ય બન્યો છે. ઉદ્યોગકારોની આશા અને અપેક્ષામહેન્દ્ર રામોલિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, અમે સરકાર પાસે માત્ર સર્વાઇવલ (અસ્તિત્વ ટકાવી રાખવા) માટે મદદ માંગી રહ્યા છીએ. જો અમને આ 50% વીજ રાહત મળે, તો અમે આર્થિક નુકસાનીના ખાડામાંથી બહાર આવી શકીએ તેમ છીએ. ટેક્સટાઇલ માર્કેટમાં હાલ જે મંડીનો માહોલ છે, તેને જોતા આર્થિક પેકેજ કે રાહત વગર ઉદ્યોગ ફરી ગતિ પકડે તેવી શક્યતાઓ નહિવત દેખાઈ રહી છે. સુરતની અર્થવ્યવસ્થા સીધી રીતે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલી હોવાથી આ પ્રશ્ન માત્ર ઉદ્યોગકારોનો જ નહીં પણ સમગ્ર શહેરનો બની ગયો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:28 pm

બજરંગ દળના કાર્યકર પર લઘુમતી સમાજના ટોળાનો હુમલો:મંદિરથી દર્શન કરી જતા સમયે વાહન અડી જતા માર માર્યો, પોલીસ ટોળું આવતા નાસી ગયાનો આક્ષેપ

અમદાવાદ શહેરના દૂધેશ્વર પાસે બજરંગ દળના કાર્યકર્તા પર લઘુમતી સમાજના લોકોએ હુમલો કર્યો છે.બજરંગ દળનો કાર્યકર્તા મંદિરથી દર્શન કરીને જઈ રહ્યો હતો ત્યારે વાહન અથડવાની બાબતે એક વૃદ્ધ સાથે તકરાર થઈ હતી.આ દરમિયાન સ્થાનિક લઘુમતી સમાજના લોકોએ બજરંગદળના કાર્યકર્તાને માર માર્યો હતો.બજરંગ દળના કાર્યકર્તાએ અન્ય કાર્યકર્તાઓને જાણ કરતા અન્ય કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા ત્યારે લઘુમતી સમાજના ટોળાએ બજરંગ દળના અન્ય કાર્યકર્તાને પણ તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. બજરંગ દળના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે, બનાવ સમયે પોલીસ હાજર હતી છતાં પોલીસે પગલા લીધા નહોતા અને ટોળું ભેગુ થતા પોલીસ ત્યાંથી નાસી ગઈ હતી. રસ્તા પર ચાલી રહેલા એક અજાણ્યા વૃદ્ધને એક્ટિવા પાછળથી અડી ગયું હતુંઅમરાઈવાડી વિસ્તારમાં રહેતો 21 વર્ષે આશિષ નાગોરા બજરંગ દળમાં જોડાયેલો છે. રવિવારના રાતના સમયે આશિષ તેના મિત્ર અમન સાથે દૂધેશ્વર મહાકાળી માતાના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને આશિષ ઘરે જવા નીકળ્યો ત્યારે રસ્તા પર ચાલી રહેલા એક જ અજાણ્યા વૃદ્ધને આશિષને એક્ટિવા પાછળથી અડી ગયું હતું. આ દરમિયાન બોલાચાલી થઈ ત્યારે આસપાસના કેટલાક સ્થાનિક લઘુમતી સમાજના લોકો ભેગા થયા હતા,જેમણે આશિષને પકડીને માર માર્યો હતો.આશિષના ખીસામાં રહેલા પૈસા પણ ટોળાએ લઈ લીધા હતા.આશિષ આગળ ભાગીને ગયો જે બાદ બજરંગ દળના અન્ય કાર્યકરોને ફોન કરીને બોલાવ્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. આ મામલે પોલીસે એક આરોપીની અટકાયત હાથ ધરીપોલીસની ગાડી આવતા બજરંગ દળના કાર્યકર્તા અને આશિષ ઘટના સ્થળે ગયા હતા. ઘટના સ્થળે પહોંચતા ફરી એક વખત લઘુમતી સમાજનું મોટું ટોળું ભેગું થયું અને બજરંગદળના કાર્યકરોને ગાળો બોલવા લાગ્યા હતા. આ દરમિયાન લઘુમતી સમાજના ટોળામાંથી કોઈએ સુનીલ શર્મા નામના બજરંગ દળના કાર્યકર્તાને ધારદાર વસ્તુથી પીઠ પાછળ માર મારતા લોહી નીકળી ગયું હતું. પોલીસ બજરંગ દળના કાર્યકર્તા અને બેસાડીને લઈ ગયા હતા. આ સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગુનો નોધી એક આરોપીની અટકાયત કરી છે. બજરંગ દળના કાર્યકર્તા સુનિલ શર્માએ જણાવ્યું હતું કે, મારા મિત્રનો ફોન આવતા અમે સ્થળ પર ગયા હતા ત્યારે ટોળાએ અમારી પર હુમલો કર્યો હતો, જેમાં મને ઇજા પહોંચી છે.આ બનાવ બન્યો ત્યારે પોલીસ હાજર હતી પરંતુ પોલીસ પણ ત્યાંથી જતી રહી હતી. ACP વાણી દુધાતે જણાવ્યું હતું કે, આ બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. ટોળું ભેગું થતાં પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ જ ફરિયાદીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈને આવી હતી. હાલ એક શકમંદની અટકાયત કરી છે, પૂછપરછના આધારે અન્ય આરોપીની ધરકકડ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:21 pm

વન વિભાગમાં એકસાથે 365 RFOની બદલી:વડોદરા, ગાંધીનગર, મહેસાણા, અમરેલી સહિતની વિવિધ રેન્જના RFOની નવી જગ્યાઓ પર નિમણૂક, જુઓ લિસ્ટ

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યભરમાં એકસાથે 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) ની મોટા પાયે બદલી કરવામાં આવી છે. તા. 30 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આ આદેશથી વન વિભાગમાં વ્યાપક પ્રશાસનિક હલચલ જોવા મળી છે. વિવિધ રેન્જના RFOને નવી જગ્યાઓ પર નિમણૂકઆ બદલી આદેશ હેઠળ ગાંધીનગર, સાબરકાંઠા, વડોદરા, મહેસાણા, અમરેલી સહિતના વિવિધ જિલ્લાઓ અને રેન્જમાં ફરજ બજાવતા RFOને નવી જગ્યાઓ પર નિમણૂક આપવામાં આવી છે. ઘણા અધિકારીઓને સામાજિક વનવિભાગ, પ્રોટેક્શન સર્કલ, તેમજ ખાસ પ્રોજેક્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીનું જુઓ લિસ્ટ કાર્યક્ષમતામાં વધારો લાવવા નિર્ણય કરાયોવિભાગના સૂત્રો મુજબ, લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અધિકારીઓને બદલવાના તેમજ કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે વન સંરક્ષણ, વનવિસ્તાર અને પ્રોજેક્ટ અમલીકરણને વધુ ગતિ મળે તેવો હેતુ પણ રહેલો છે. હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચનાઆદેશમાં તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવા અને હાલની ફરજનો ચાર્જ સોંપવા સૂચના આપવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે આ મોટા પાયે થયેલી બદલીથી કાર્યપદ્ધતિમાં પારદર્શિતા વધશે અને મેદાન સ્તરે કામકાજ વધુ અસરકારક બનશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:15 pm

નવસારી મહાનગરપાલિકાના બોટલ ક્રશિંગ મશીનને સારો પ્રતિસાદ:શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને વેગ મળ્યો

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે શરૂ કરાયેલું 'સ્વચ્છતા અભિયાન' નિર્ણાયક તબક્કે પહોંચ્યું છે. પર્યાવરણ માટે જોખમી ગણાતા પ્લાસ્ટિકના નિકાલ માટે પાલિકાએ શહેરમાં વિવિધ સ્થળોએ 'પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન' મૂક્યા છે, જેને સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ મશીનો દ્વારા પ્લાસ્ટિક બોટલોનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય છે, જે પર્યાવરણના જતન માટે એક ક્રાંતિકારી પગલું છે. લોકો દ્વારા પાણી પીધા પછી ગમે ત્યાં ફેંકી દેવાતી બોટલોથી થતી ગંદકી અને પર્યાવરણીય નુકસાનને અટકાવવામાં આ મશીનો મદદરૂપ થશે. ઉત્કર્ષ મંડળ, નવસારીના પ્રમુખ હરેશભાઈ વશીએ પાલિકાની આ કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા ચલાવવામાં આવતું સ્વચ્છતા અભિયાન સુવ્યવસ્થિત છે. પ્લાસ્ટિક વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહીને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી તેના નિકાલ પર વિશેષ ભાર મૂકવો એ સમયની માંગ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઉત્કર્ષ મંડળ છેલ્લા 16 અઠવાડિયાથી પદયાત્રા દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવવા માટે જનજાગૃતિ ફેલાવી રહ્યું છે. પાલિકા દ્વારા પણ આ દિશામાં નક્કર પગલાં લેવામાં આવી રહ્યા હોવાથી, આ કાર્યમાં સહભાગી થવું એ ગૌરવની બાબત છે. સ્થાનિક રહેવાસી વિમલકુમાર પ્રકાશચંદ્ર શાહએ પણ આ પહેલને આવકારી હતી. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનથી કચરાના નિકાલની સમસ્યા હળવી થશે. પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થતું નુકસાન ઘટશે અને શહેર વધુ સ્વચ્છ બનશે. પાલિકાની આ પદ્ધતિ ખૂબ જ પ્રશંસનીય છે. નવસારી મહાનગરપાલિકાના આ આયોજનથી શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધી રહી છે અને 'પ્લાસ્ટિક મુક્ત નવસારી'ના સંકલ્પને વેગ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:08 pm

સંગ્રહખોરી રોકવા મોનિટરિંગના આદેશો અપાયા:કલેક્ટરની અધ્યક્ષતામાં આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા જાળવણી અંગે બેઠક

સુરેન્દ્રનગર જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓ, ઇંધણ અને ગેસનો પુરવઠો અવિરત મળી રહે તે હેતુથી કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ જિલ્લા સ્તરીય સમિતિની બેઠકમાં સપ્લાય ચેઈન અવિરત રહે અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે જરૂરી દિશાનિર્દેશો અપાયા હતા. બેઠક દરમિયાન, કલેક્ટરએ ઇંધણ અને ગેસના પુરવઠાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. એલપીજી સિલિન્ડરના બિનજરૂરી 'પેનિક બુકિંગ'ને રોકવા માટે એજન્સીઓના મોનિટરિંગ વધારવાના આદેશ અપાયા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી (PNG) નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત પીએનજી વિસ્તારોમાં વધારાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરાવવા પણ સૂચના અપાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરે ખેતી અને ખાદ્ય પુરવઠા અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે જિલ્લામાં યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો પૂરતો સ્ટોક છે. આ ઉપરાંત, સરકારી ગોડાઉનો અને વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. કલેક્ટરએ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરી હતી કે કોઈપણ ચીજવસ્તુનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવામાં આવે. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર દ્વારા જનતાને સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા અપીલ કરાઈ હતી. નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, હર્ષદીપ આચાર્ય, મેહુલ ભરવાડ, કુલદીપ દેસાઈ, જિલ્લા સ્તરીય સમિતિના અધિકારીઓ અને વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:07 pm

જગદીશ વિશ્વકર્માની સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ સાથે બેઠક:MLA, પ્રમુખ-ઉપપ્રમુખ અને પ્રભારીઓને તમામ બેઠક પર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે કામ કરવા સૂચના

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે સરપંચથી સાંસદ સુધીના સુરતની માફક નગરપાલિકાથી લોકસભા સુધી ભાજપનું કમળ ખીલવવા માટે આવનાર ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજ રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં રાજકોટ શહેર ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર તેમજ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના પદાધિકારી અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ બેઠક પર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે કામ કરવા સૂચનાસૌરાષ્ટ્ર ઝોનની મહત્વપૂર્ણ બેઠકમાં તમામ ધારાસભ્ય ઉપરાંત પ્રમુખ ઉપપ્રમુખ અને પ્રભારીઓને પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં તમામ કાર્યકર્તાઓને એક સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાઈ જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. કારણ કે આગામી એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની છે. ગામે ગામે દરેક ઘર સુધી પહોંચી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ અને સરકારે કરેલા કામો જન જન સુધી પહોંચાડી તમામ બેઠક પર ભવ્ય જીત મેળવવા માટે લક્ષ્યાંક રાખી કામ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યુંગુજરાતમાં સૌરાષ્ટ્ર એ હંમેશા રાજનીતિની પાઠશાળા માનવામાં આવે છે, ત્યારે આજ રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજી તમામ પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમયે પ્રભારી અનિરુધ્ધ દવેએ સૌરાષ્ટ્રની તમામ ચૂંટણીઓમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તમામ બેઠક પર ભાજપ ભવ્ય જીત મેળવી જીતનું એક એક કમળ દિલ્હી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કરવાનો દાવો કર્યો હતો. સેન્સ પ્રક્રિયા પણ યોગ્ય રીત કરવામાં આવશેઆગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની અંદર ભાજપમાં જૂથવાદ અંગે પૂછતાં તેઓએ કોઈ જૂથવાદ ન હોવાનું અને ભાજપના સિનિયર નેતાઓ વડીલો બની નવી ટીમને ખભે હાથ મૂકી માર્ગદર્શન પૂરું પાડી આગળ વધવા પ્રેરણા આપતા હોવાની સ્પષ્ટતા કરી હતી અને બધાએ સાથે મળી ચૂંટણીઓ માટે કામે લાગી ગયાનો દાવો કર્યો હતો. જો કે ચૂંટણીમાં ઉમેદવારો માટે ક્રાઈટ એરિયા અંગ કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને આગામી દિવસોમાં પાર્ટીનો નિર્ણય ઉમેદવારો માટે જે હશે તે જાહેર કરવામાં આવશે અને સેન્સ પ્રક્રિયા પણ યોગ્ય રીત કરવામાં આવશે તેવો ઉલ્લેખ કર્યો હતો. પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ BAPS મંદિરમાં દર્શન કર્યાઉલ્લેખનીય છે કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં આવેલ સભાગૃહ ખાતે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રભારી અનિરુધ્ધભાઈ દવે, ગોરધનભાઈ ઝડફિયા, બાબુભાઇ બોખીરીયા, પ્રશાંત કોરાટ અને હિતેન્દ્રસિંહ ચૌહાણ સહીત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ પહોંચી પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મંદિરમાં દર્શન કર્યા હતા અને બાદમાં સંતો દ્વારા તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સભાગૃહ ખાતે સૌરાષ્ટ્રના પદાધિકારીઓ સાથે બેઠક શરૂ કરી તમામને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 4:03 pm

બનાસકાંઠામાં સેવાસેતુ કાર્યક્રમોથી 1.25 લાખથી વધુ લાભાર્થીઓને લાભ:10 તાલુકા, 4 નગરપાલિકા વિસ્તારોમાં 75 કાર્યક્રમોનું સફળ આયોજન, સરકારી સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવાઈ

બનાસકાંઠા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમો દ્વારા 1.25 લાખથી વધુ લાભાર્થીઓને સરકારી સેવાઓનો લાભ મળ્યો છે. 07 માર્ચથી 20 માર્ચ દરમિયાન જિલ્લાના 10 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તારોમાં કુલ 75 કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમો અંતર્ગત નાગરિકોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આધારકાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્ડ અને હેલ્થ વેલનેસ કાર્ડ જેવી વિવિધ સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગોની વિવિધ યોજનાઓ હેઠળના વ્યક્તિગત લાભો પણ આપવામાં આવ્યા હતા. સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) અને નિરાધાર વૃદ્ધ સહાય જેવી સેવાઓ પણ ઉપલબ્ધ હતી. જમીનમાં નવી હક્કનોંધ દાખલ કરવા સહિત કુલ 55 જેટલી સેવાઓ માટે અરજીઓ સ્વીકારી સ્થળ પર જ તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સેવાસેતુ કાર્યક્રમો થકી જિલ્લાના આશરે 1.25 લાખ જેટલા નાગરિકોએ સીધો લાભ મેળવી સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:57 pm

મવડી કણકોટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના:એપીએમસી ચેરમેન લખેલી કારે બાઈકને ઠોકર મારતા વૃદ્ધનું મોત, અકસ્માત સર્જનાર કાર જયેશ બોઘરાની હોવાનું ખુલ્યું

રાજકોટ શહેરમાં ટ્રાફિક અને બેફામ ડ્રાઇવિંગના કારણે અકસ્માતોની હારમાળા યથાવત રહી છે. આજે સવારે રાજકોટના મવડી કણકોટ રોડ પર ગણેશ ચોક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી કારે બાઇક સવાર આધેડને હડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. ઘટના બાદ કાર ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો, જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને પોલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અકસ્માત સર્જનાર કાર ઉપર એપીએમસી ચેરમેન લખેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ કાર રાજકોટ યાર્ડનાં ચેરમેન જયેશ બોધરાની હોવાનું ખુલ્યું છે. રાજકોટના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા ફ્લોરા નેસ્ટમાં રહેતા 65 વર્ષીય સંજયભાઈ સવજીભાઈ કાલરીયા આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી નિત્યક્રમ મુજબ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. સંજયભાઈ પાન હેલ્થ કેર કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જ્યારે મવડી કણકોટ રોડ પર હીલસ્ટોન અરીસ્ટો પાસે આવેલા ગણેશ ચોકમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે ધસી આવેલી અજાણી કારે તેમના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સંજયભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ગંભીર રીતે ઘાયલ સંજયભાઈને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ફરજ પરના તબીબોએ તેમને તપાસ્યા બાદ મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક સંજયભાઈને સંતાનમાં 2 દીકરીઓ અને 1 દીકરો છે. ઘરના મોભી અને જવાબદાર પિતાની છત્રછાયા ગુમાવતા સંતાનો અને પત્નીની હાલત કફોડી બની છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટેલા કાર ચાલકને પકડવા માટે મવડી અને કણકોટ રોડ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હેલ્થ કેર કંપનીના મેનેજર જેવા જવાબદાર પદ પર કાર્યરત વ્યક્તિનું અચાનક મોત થતા તેમના મિત્રવર્તુળ અને સાથી કર્મચારીઓમાં પણ શોકની લાગણી જોવા મળી છે. પ્રાથમિક તપાસમાં જે વિગતો બહાર આવી છે તે અત્યંત ચોંકાવનારી છે. અકસ્માત સર્જનાર સફેદ રંગની કાર નં. જીજે 03 એલએમ 9201ના ડેસબોર્ડ પર ચેરમને એપીએમસીનું બોર્ડ લાગેલું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ કાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાની છે. અકસ્માત સમયે કાર કોણ ચલાવી રહ્યું હતું અને ચેરમેન પોતે હાજર હતા કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ અંગે સાચી હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં માર્કેટિંગ યાર્ડ ચેરમેન જયેશ બોધરાએ જણાવ્યું હતું કે, મારા પિતા આ કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક બાઇક વચ્ચે આવી જતા તેમણે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. જોકે હાલ મારા પિતા નિયમ અનુસાર પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. અને પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, વારંવાર થતા અકસ્માતો અને ટ્રાફિક નિયમનની નબળી કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારે ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો અને પોલીસ વચ્ચે આ બાબતે બોલાચાલી પણ થઈ હતી.આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી લેવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને હિટ એન્ડ રનના આ કેસમાં કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. જોકે આ બનાવમાં હાઈપ્રોફાઈલ વ્યક્તિની કાર સંડોવાયેલી હોવાથી આ કેસમાં પોલીસની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:51 pm

GSHEB વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી જાહેર:4 એપ્રિલ સુધી વાંધા નોંધાવવાની તક, પ્રશ્ન દીઠ ₹500 ફી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHEB) દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026ની ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની પ્રોવિઝનલ આન્સર કી સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે પોતાના જવાબોની ચકાસણી કરી શકે છે અને જો કોઈ પ્રશ્ન અંગે શંકા હોય તો વાંધા નોંધાવી શકે છે. આન્સર કી અંગે રજૂઆત કરવી હોય તો માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆતબોર્ડના જણાવ્યા મુજબ આન્સર કી અંગે કોઈ રજૂઆત કરવી હોય તો ઉમેદવારે વેબસાઇટ પર મુકાયેલા નિયત નમૂનામાં વિષયવાર અને માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ રજૂઆત કરવી રહેશે. રજૂઆત ફક્ત ઈ-મેઇલ મારફતે જ સ્વીકારવામાં આવશે અને તે Email ID: gshebsciencekey@gmail.com પર તા. 4 એપ્રિલ 2026 સાંજે 6:00 વાગ્યા સુધીમાં મોકલવાની રહેશે. ત્યારબાદ મોકલાયેલી રજૂઆતો માન્ય ગણાશે નહીં. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ વાંધો નોંધાવવા માટે પ્રશ્નદીઠ રૂ. 500/- ફી ભરવાની રહેશે, જે SBI બેંકમાં ચલણ દ્વારા જમા કરાવવાની રહેશે. ચલણનો નમૂનો બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉમેદવારે રજૂઆત સાથે ભરેલ ચલણની નકલ પણ ઈ-મેઇલ દ્વારા મોકલવી ફરજિયાત રહેશે. બોર્ડે વધુમાં જણાવ્યું છે કે જો ઉમેદવાર દ્વારા કરાયેલ રજૂઆત યોગ્ય અને સાચી ઠરશે તો સંબંધિત પ્રશ્ન માટે ભરેલ ફી ઉમેદવારને પરત આપવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા જાળવવા અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:50 pm

કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગરમાં બેઠક:આવશ્યક ચીજવસ્તુઓ, પેટ્રોલિયમ પુરવઠો જાળવી રાખવા મોનિટરિંગના આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલિયમ પેદાશો અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા માટે કલેક્ટર કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સ્તરીય સમિતિ દ્વારા ચીજવસ્તુઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સંગ્રહખોરી અટકાવવા માટે મોનિટરિંગના આદેશો આપવામાં આવ્યા છે. આ બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી, જેમાં જિલ્લામાં સપ્લાય ચેઈન જાળવી રાખવા અને બજારમાં કૃત્રિમ અછત ન સર્જાય તે માટે કલેક્ટર દ્વારા જરૂરી દિશાનિર્દેશો અપાયા હતા. બેઠક દરમિયાન ઇંધણ અને ગેસના પુરવઠાની સમીક્ષા કરતા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. એલપીજી સિલિન્ડરના કિસ્સામાં જોવા મળતા બિનજરૂરી 'પેનિક બુકિંગ' પર રોક લગાવવા માટે એજન્સીઓનું મોનિટરિંગ વધારવા આદેશ અપાયા છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પીએનજી (PNG) નેટવર્કને પ્રાથમિકતા આપવા અને કાર્યરત પીએનજી વિસ્તારોમાં વધારાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જરે ખેતી અને ખાદ્ય પુરવઠા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં યુરિયા, ડીએપી અને એનપીકે ખાતરનો પૂરતો સ્ટોક છે. તેમજ સરકારી ગોડાઉનો અને વાજબી ભાવની દુકાનો (FPS) પર ખાદ્ય અન્નનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. કલેક્ટરે પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને તાકીદ કરતા કહ્યું હતું કે, કોઈપણ ચીજવસ્તુનું ડાયવર્ઝન કે કાળાબજારી ન થાય તે માટે ફિલ્ડમાં સતત ચેકિંગ હાથ ધરવું. ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા પરપ્રાંતીય મજૂરોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે. વધુમાં, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ખોટી અફવાઓ પર જનતાએ વિશ્વાસ ન કરવો અને માત્ર સત્તાવાર માહિતીને જ અનુસરવા જણાવાયું હતું. નાગરિકોને પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં સર્વે પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણા, હર્ષદીપ આચાર્ય, મેહુલ ભરવાડ, કુલદીપ દેસાઈ, જિલ્લા સ્તરીય સમિતિના અધિકારીઓ તથા વિવિધ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:48 pm

'સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી':ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડીયાનો શાબ્દિક હુમલો, કહ્યું- મહુઆનું નિવેદન હલકી કક્ષાનું”

ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’માં યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયાએ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતીઓનું યોગદાન નથી” એવું નિવેદન બેબુનિયાદ, તથ્યહિન અને હલકી કક્ષાનું છે. ગુજરાતીઓના યોગદાનને નકારવું માત્ર ગુજરાતનું નહીં સ્વતંત્રતા સેનાનીઓનું અપમાનગૌતમ ગેડીયાએ કહ્યું કે, આઝાદીની લડત દેશવ્યાપી આંદોલન હતું, જેમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરૂપ સુધીના લોકોએ ભાગ લીધો હતો અને લાખો લોકોએ બલિદાન આપ્યું હતું. આવા સમયમાં ગુજરાતીઓના યોગદાનને નકારવું માત્ર ગુજરાતનું નહીં પરંતુ, તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને હુતાત્માઓનું ઘોર અપમાન છે. સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસન સામે લડત આપીતેમણે વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને વીર સાવરકર જેવા મહાનુભાવોને આઝાદીની લડતમાંથી દૂર ગણાવવું એ માનસિક વિકૃતિ દર્શાવે છે. ખાસ કરીને સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ દ્વારા બ્રિટિશ શાસન સામે લડત આપી અને સ્વતંત્રતા પછી 562 રજવાડાઓને એકત્ર કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસીઓએ શહીદી આપી હતીગેડીયાએ માનગઢ હિલની ઘટના યાદ કરાવી હતી, જ્યાં ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500થી વધુ આદિવાસીઓએ શહીદી આપી હતી, જે ગુજરાતના બલિદાનનો જીવંત પુરાવો છે. તેમણે ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ અને વિદેશમાં તિરંગો લહેરાવનાર મેડમ કામા જેવા અનેક ક્રાંતિવીરોના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. કોંગ્રેસ અને યુપીએને ખુલ્લો પડકાર આપ્યો ભાજપા નેતાએ કોંગ્રેસ અને યુપીએ ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું અને જણાવ્યું કે, તેમની માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે. તેમણે કોંગ્રેસ અને યુપીએને ખુલ્લો પડકાર આપ્યો કે તેઓ મહુઆ મોઇત્રાના નિવેદન સાથે સહમત છે કે કેમ તે સ્પષ્ટ કરે. શું આ નિવેદન પણ કોઈ સ્વાર્થ માટે આપવામાં આવ્યું છે?અંતમાં ગેડીયાએ કટાક્ષ કરતા કહ્યું કે, મહુઆ મોઇત્રા ભૂતકાળમાં સંસદમાં સવાલ પૂછવા માટે રૂપિયા લેવાના આરોપોમાં ઘેરાઈ ચૂકી છે ત્યારે શું આ નિવેદન પણ કોઈ સ્વાર્થ માટે આપવામાં આવ્યું છે? તેમણે ઉમેર્યું કે ચૂંટણી સમયે પ્રાંતવાદ અને ભાષાવાદના નામે દેશની એકતા પર પ્રહાર કરવાની માનસિકતાને જનતા ચોક્કસપણે જવાબ આપશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:47 pm

20 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો:રાજકોટ રેન્જ ટીમે ભરૂચના અંકલેશ્વરથી દબોચ્યો

રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચનાના આધારે, રેન્જ ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા ૨૦ વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ આરોપીને ભરૂચના અંકલેશ્વરથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી ઇમ્તયાઝ ઉર્ફે ભોલો નુરમામદ દરમદા જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના (IPC કલમ ૪૦૬, ૪૨૦) ગુનાઓમાં છેલ્લા બે દાયકાથી કાયદાની પકડથી દૂર હતો. તે મૂળ ભરૂચના અંકલેશ્વર સ્થિત હવા મહેલ, ઓપેરા બાજુમાં રહેતો હતો. રાજકોટ રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ, PSI પી.એન. મોરી, બી.સી. મીયાત્રા અને તેમની ટીમે આ આરોપીને પકડવા માટે સતત વોચ રાખી હતી. સ્ટાફના સંદિપસિંહ ઝાલા, મિતેશભાઈ પટેલ અને કમલેશભાઈ રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર ખાતે દરોડો પાડી ઇમ્તયાઝને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે જામનગર સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ પોલીસની આ કામગીરીની સરાહના થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:42 pm

​​જૂનાગઢ સિવિલમાં ડોક્ટરો ગેરહાજરી મુદ્દે વિવાદ:સિનિયર ડોક્ટરો હાજરી પૂરીને રવાના થઈ જતાનો આક્ષેપ; ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો મેદાને ઉતર્યા

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. આ વખતે એવા તબીબો પર આંગળી ઉઠી છે, જેઓ સરકાર પાસેથી લાખો રૂપિયાનો પગાર મેળવે છે, પરંતુ ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ખાનગી હોસ્પિટલોમાં પોતાની તિજોરીઓ ભરવામાં મશગૂલ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં ડોક્ટરોની અનિયમિતતાને કારણે છેવાડાના ગામડાઓથી આવતા દર્દીઓ હાલ બેહાલ થઈ રહ્યા છે. કેટલાક ડોક્ટરો સવારે હાજરી પૂરી રફુચક્કર થઈ જતાના આક્ષેપતાજેતરમાં કરવામાં આવેલા એક નિરીક્ષણ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ખાસ કરીને મેડિસિન વિભાગમાં ડોક્ટરોની ગેરહાજરીને લઈને અવારનવાર ઘર્ષણના દૃશ્યો સર્જાય છે. નિયમ મુજબ, રેસિડેન્ટ ડોક્ટર અને આસિસ્ટન્ટ પ્રોફેસરોને ઓપીડીની જવાબદારી સોંપવામાં આવે છે, પરંતુ આક્ષેપ છે કે ઘણા ડોક્ટરો માત્ર સવારે હાજરી પુરીને રફુચક્કર થઈ જાય છે. આ વિવાદમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે, ખુદ સિવિલના જ અન્ય ડોક્ટરો હવે આ અનિયમિતતા સામે મેદાને આવ્યા છે. દર્દીઓ કલાકોથી લાઈન, છતાં ડોક્ટરના 'દર્શન' દુર્લભજૂનાગઢ સિવિલમાં દરરોજ જૂનાગઢ શહેર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લાના અંદાજે 492 ગામડામાંથી હજારો દર્દીઓ ભાડું ખર્ચીને સારવારની આશાએ આવે છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ જ્યારે ઓપીડીમાં ડોક્ટર હાજર નથી હોતા, ત્યારે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. એવો આક્ષેપ છે કે, ડો. ભાવેશ સુરેજા જેવા આસિસ્ટન્ટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. કક્ષાના અધિકારીઓ હોસ્પિટલમાં હાજર રહેવાને બદલે પોતાની ખાનગી પ્રેક્ટિસમાં વધુ રસ દાખવે છે. જ્યારે સરકારી ચોંપડે તેમની હાજરી બોલાતી હોય છે, ત્યારે વાસ્તવિકતામાં તેઓ પોતાની ખાનગી કેબિનેટમાં વ્યસ્ત હોવાની ફરિયાદો ઉઠી છે. ​રેસિડેન્ટ ડોક્ટરનો આક્રોશ, ‘એકલા હાથે 400 દર્દીઓ તપાસવા પડે છે’હોસ્પિટલના જ એમ.ડી. મેડિસિન રેસિડેન્ટ ડોક્ટર આકાશ કોરાટે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, એચ.ઓ.ડી. એટલે કે હેડ ઓફ ડિપાર્ટમેન્ટના ડોકટર અમને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને ફરજ સોંપી છે. અમારા સિનિયર ડોક્ટરો તો ખાલી રાઉન્ડ લેવા પૂરતા જ આવે છે અને રાઉન્ડ લઈને તરત જ નીકળી જાય છે. અહીં ઓપીડીમાં તો અમારા જેવા જે નવા લાગેલા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો છે, તેમને જ બેસવાનું હોય છે. બાકીના વિભાગોમાં એ.પી. (આસિસ્ટન્ટ પ્રોફેસર), એસોસિએટ પ્રોફેસર અને એચ.ઓ.ડી. બધા આવતા જ હોય છે, પરંતુ અહીં અમુક ડોક્ટરો કેમ નથી આવતા, તે અમને કેવી રીતે ખબર પડે? તેઓ કઈ જગ્યાએ છે, તેની અમને જાણકારી હોતી નથી. અમે સીનિયર રેસિડેન્ટ એટલે કે નાના કર્મચારી કહેવાઈએ, અમે તેમને એમ ન કહી શકીએ કે તમે કેમ નથી આવતા? ‘જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહેતા કામનું ભારણ વધી જાય’ ડોક્ટરોની ગેરહાજરીના લીધે ઓપીડીમાં આવતા દર્દીઓને ચોક્કસપણે તકલીફ પડે છે. નિયમ મુજબ ઓપીડીમાં બધાએ આવવાનું જ હોય છે, છતાં પણ ઘણા આવતા નથી. જોકે, બે-ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરો નિયમિત આવે પણ છે, પરંતુ જ્યારે અન્ય જવાબદાર ડોક્ટરો ગેરહાજર રહે છે, ત્યારે દર્દીઓની સંખ્યા વધવાથી કામનું ભારણ વધી જાય છે. જ્યારે ઉપર લેવલના ડોક્ટરો સમયસર ન આવે અને માત્ર હાજરી પુરાવીને જતા રહે, ત્યારે તેની અસર કામ કરતા અન્ય ડોક્ટરો પર પણ પડે છે. આવી પરિસ્થિતિમાં કામ કરવાનો કંટાળો આવે અને માનસિક રીતે પણ અસર થાય છે. કારણ કે જે જગ્યાઓ ભરાયેલી છે, તે ડોક્ટરો જો હાજર ન રહે તો પછી છેવટે તો દર્દીઓ અને હોસ્પિટલના વહીવટને જ નુકસાન થાય છે. ‘એચ.ઓ.ડી.ને રજૂઆત કરતા મદદ ન કરી’મેડિસિન વિભાગમાં સવારે 9થી 1 અને સાંજે 4થી 6ની ડ્યુટી હોય છે. અહીં 15થી 17 ડોક્ટરોની નિમણૂક હોવા છતાં કાયમી ડોક્ટરો સમયસર આવે છે કે નહીં? તે મોટો પ્રશ્ન છે. સોમ અને મંગળવારે જ્યારે 400થી વધુ દર્દીઓની ભીડ હોય છે, ત્યારે મારે એકલાએ તપાસ કરવી પડે છે. જ્યારે મેં આ બાબતે એચ.ઓ.ડી. ડો. ભાવેશ સુરેજાને રજૂઆત કરી, ત્યારે તેમણે મદદ કરવાને બદલે સુપ્રિટેન્ડેન્ટ પાસે જવા કહી દીધું હતું. ​બે પ્રકારના કોન્ટ્રાક્ટ અને પગારનું ગણિતડોક્ટરોની અછતને પહોંચી વળવા સરકાર દ્વારા બે પ્રકારના કરાર કરવામાં આવે છે, જેમાં વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ (WPP) અને વિધાઉટ પ્રાઇવેટ પ્રેક્ટિસ. જે ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ નથી કરતા તેમનો પગાર ખૂબ ઊંચો હોય છે. જ્યારે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો પગાર ઓછો હોય છે. જોકે, બંને કિસ્સામાં નક્કી કરેલા સરકારી કલાકો દરમિયાન હોસ્પિટલમાં હાજર રહેવું ફરજિયાત છે. આક્ષેપ છે કે, ઘણા ડોક્ટરો લાખોનો પગાર લેવા છતાં માત્ર રાઉન્ડ લઈને પ્રાઇવેટ હોસ્પિટલે દોડી જાય છે. ​તબીબોનો બચાવ, આક્ષેપો પાયાવિહોણા છેસામે પક્ષે ડો. ભાવેશ સુરેજા અને ડો. જીગ્નેશ કરંગીયાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. ડો. સુરેજાએ જણાવ્યું કે, અમારી જવાબદારી માત્ર ઓપીડી પૂરતી નથી. પ્રોફેસર અને એચ.ઓ.ડી. તરીકે અમારે એકેડેમિક, એડમિનિસ્ટ્રેટિવ અને વોર્ડ ડ્યુટી પણ સંભાળવાની હોય છે. 200 વિદ્યાર્થીની બેચને ભણાવવાની જવાબદારી પણ અમારી છે. ક્યારેક ઓપીડીમાં હાજર ન હોઈએ તેનો અર્થ એ નથી કે, અમે કામ નથી કરતા. અમે તમામ પુરાવા આપવા તૈયાર છીએ. ​તંત્રએ કહ્યું બાયોમેટ્રિક અને લોકેશન બેઝ્ડ હાજરીની સિસ્ટમમેડિકલ કોલેજના ડીન ડો. હનુમંત આમનેના જણાવ્યા મુજબ, હાલમાં 110 તબીબો કાર્યરત છે. તબીબોની હાજરી પર સીધું મોનિટરિંગ નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા લોકેશન બેઝ્ડ મોબાઈલ એપ અને બાયોમેટ્રિક દ્વારા કરવામાં આવે છે. જો કોઈ તબીબ વિરુદ્ધ લેખિત ફરિયાદ મળશે તો ચોક્કસ પગલાં લેવામાં આવશે. બીજી તરફ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મેડિસિન વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવે છે અને ઇન્ટર્ન ડોક્ટરોની ટર્મ પૂરી થવાને કારણે કામગીરીમાં થોડો વિક્ષેપ પડ્યો હતો, જેનું નિરાકરણ લાવી દેવાયું છે. ​જનતામાં રોષ: શું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે?સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની આવી મનમાની જોઈને સામાન્ય જનતામાં ભારે રોષ છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ ડોક્ટરોને કોઈ રાજકીય પીઠબળ છે? સફેદ કોટ પહેરીને ફરતા આ ડોક્ટરોની નિયમિતતાની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજ કેમ તપાસવામાં આવતા નથી? ગરીબ દર્દીઓના હક માટેની આ લડાઈ હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:40 pm

થાનગઢમાં ખનીજ રોયલ્ટી કૌભાંડ પકડાયું:કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી 78.80 લાખના મુદ્દામાલ સાથે 774 ગેરકાયદેસર પાસ જપ્ત

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગુગલીયાણા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝની ઓફિસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ખનીજ રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ગુગલીયાણા ખાતેથી ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર દર્શાવવા માટે રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા. દરોડા દરમિયાન, ઓફિસમાંથી કુલ 774 ગેરકાયદેસર રોયલ્ટી પાસ મળી આવ્યા હતા, જે તમામ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ રોયલ્ટી પાસ સ્વર્ગસ્થ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે થાનગઢમાં સર્વે નંબર 209 પૈકીમાં આવેલી લીઝના કાઢવામાં આવતા હતા. મહત્વપૂર્ણ છે કે હસમુખભાઈનું પાંચ વર્ષ પહેલાં, એટલે કે 2021માં અવસાન થયું હોવા છતાં, કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના નામવાળી લીઝ પર રોયલ્ટી પાસ ઇસ્યુ કરવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. આ રીતે ગેરકાયદેસર કોલસાને કાયદેસર સ્વરૂપ આપવામાં આવતું હતું. વધુમાં, એવી પણ માહિતી મળી છે કે સાયલા તાલુકાના ચોરવીરા, ઈશ્વરીયા અને ચિત્રલાંક જેવા ગામોમાંથી ગેરકાયદેસર કુવામાંથી કોલસાનું ખનન કરવામાં આવતું હતું. આ ગેરકાયદેસર કોલસાને કાયદેસર બનાવવા માટે ઉપરોક્ત રોયલ્ટી પાસનો ઉપયોગ થતો હતો. આ સમગ્ર રેકેટ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિકો કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ દ્વારા આ ઓફિસમાંથી ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન સ્થળ પરથી એક જેસીબી, એક લોડર મશીન, ચાર ચારણા, એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો અને 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિતની મશીનરી અને મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 78,80,000 (અઠ્યોતેર લાખ એંસી હજાર) આંકવામાં આવી છે. આ અંગે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:38 pm

50 મહિલાઓએ મેમોગ્રાફી, 42એ પેપ્સમિયર ટેસ્ટ કરાવ્યો:વઢવાણ રોટરી ક્લબ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન

વઢવાણ સિટી રોટરી ક્લબ દ્વારા શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી.યુ. શાહ મેડિકલ કોલેજના સહયોગથી મહિલાઓ માટે નિઃશુલ્ક પેપ્સમીયર અને મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 50 મહિલાઓએ મેમોગ્રાફી અને 42 મહિલાઓએ પેપ્સમીયર ટેસ્ટનો લાભ લીધો હતો.કેમ્પનું ઉદ્ઘાટન એક લાભાર્થી મહિલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના ડાયરેક્ટર ડો. શ્યામ શાહ, ડો. અશ્વિન ગઢવી, ડો. અનિરુધ ગઢવી, ડો. રીનાબેન ગઢવી સહિત અન્ય ડોક્ટર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.મેમોગ્રાફી એ સ્તન કેન્સરની વહેલી તપાસ માટે અત્યંત મહત્વપૂર્ણ વિશેષ એક્સ-રે સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જ્યારે પેપ્સમીયર ટેસ્ટ ગર્ભાશયના મુખના કેન્સરના નિદાન માટે કરવામાં આવે છે. આ ટેસ્ટના વહેલા નિદાનથી સારવારની સફળતાની શક્યતા ઘણી વધી જાય છે.ઘણી મહિલાઓ જાગૃતિના અભાવ અથવા આર્થિક કારણોસર આવા મહત્વપૂર્ણ ટેસ્ટ કરાવતી નથી. તેમને જાગૃત કરવા અને મદદ કરવાના ઉદ્દેશ્યથી રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી દ્વારા દર વર્ષે નિયમિતપણે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સભ્યો તેમજ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:30 pm

મોરબીમાં ₹25 લાખની લેતીદેતીમાં ઉદ્યોગપતિના ખૂનનો પ્રયાસ:કેમ વારંવાર પૈસા માંગે છે? કહી ભાજપના પૂર્વ સદસ્યએ 2ને લોખંડના ખીલાવાળા ધોકા માર્યા, એ ડિવિઝનમાં ફરિયાદ

મોરબીમાં 25 લાખ રૂપિયાની લેતીદેતીના મામલે ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા એક સિરામિક ઉદ્યોગપતિ અને તેમના મિત્ર પર હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં ઉદ્યોગપતિ અને તેમના મિત્રને ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના રવાપર રોડ પર રહેતા સિરામિક ઉદ્યોગપતિ શેખરભાઈ રતિલાલભાઈ આદ્રોજા (ઉં.વ. 46) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજયભાઈ મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. શેખરભાઈએ જણાવ્યું કે તેમણે ઘણા સમય પહેલા અજયભાઈ લોરીયાને હાથ ઉછીના 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ પૈસા પાછા મેળવવા માટે શેખરભાઈએ અજયભાઈને ફોન કર્યો હતો. ત્યારબાદ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે અજયભાઈએ તેમને સરદાર બાગ પાસે આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવ્યા હતા. શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયા સાથે પોતાની ઇનોવા ગાડી લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં અજયભાઈ લોરીયા અને તેમની સાથે એક અજાણ્યો વ્યક્તિ હાજર હતા. અજયભાઈએ પોતાની મર્સિડીઝ ગાડી (નંબર 1414)માંથી નીચે ઉતરીને લોખંડની ખીલીવાળો ધોકો કાઢ્યો હતો. તેમણે શેખરભાઈને ગાળો ભાંડી કેમ પૈસા માંગ માંગ કરે છે તેમ કહી ધોકા વડે શરીર પર આડેધડ માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા મિત્ર જયેશભાઈને પણ માથામાં અને શરીર પર લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમને માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. જયેશભાઈ ગાડીમાં બેઠા ત્યારે તેમને કાંઠલો પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા, અને આ દરમિયાન તેમનો સોનાનો ચેન અને સોનાનું પેન્ડલ પડી ગયું હતું. જયેશભાઈને હાથ-પગ, છાતી અને માથાના ભાગે મૂઢમાર વાગ્યો હતો. હુમલામાં ઇજા પામેલા શેખરભાઈ અને જયેશભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. સારવાર બાદ શેખરભાઈ આદ્રોજાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજયભાઈ લોરીયા વિરુદ્ધ ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:29 pm

બે અકસ્માતમાં બે ઇજાગ્રસ્ત:વડોદરાના ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી, સયાજીગંજમાં બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ઇજાગ્રસ્ત

વડોદરા શહેરના નીલાંબર સર્કલ અને સયાજીગંજ વિસ્તારમાં બે બાઇક અકસ્માતની ઘટનાઓ બની હતી. જેમાં ગોત્રી વિસ્તારમાં નશામાં ધૂત થઈને બાઈક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ પંડ્યા બ્રિજથી વડોદરા રેલવે સ્ટેશનના રોડ પર બાઈક ચાલક સ્લીપ ખાઇ હતી, જેમાં બાઈક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. બીજી ઘટના વડોદરા શહેરના નીલામ્બર સર્કલ પાસે બની હતી, જ્યાં નશામાં ધૂત બાઇકચાલકે કારને ટક્કર મારી હતી. બનાવ બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક (નંબર GJ-06-QR-2630) કબ્જે લીધી હતી. બાઇક ચાલક આકાશ અશ્વિનકુમાર ત્રિવેદી (ઉંમર 35, રહેવાસી. વાસણા ભાયલી રોડ, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. તેની બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરતાં દારૂના નશામાં હતો. ગોત્રી પોલીસે આરોપી સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મુજમહુડા વિસ્તારમાં રહેતા કિશનભાઈ બુધાભાઈ માળીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના સાળા લાલાભાઈ કાળીદાસ માળીનો પંડ્યા બ્રિજ નજીક અકસ્માત થયો હતો. લાલાભાઈ પોતાની બાઇક પર પંડ્યા બ્રિજથી બસ સ્ટેશન તરફ જતા હતા ત્યારે ગફલતભરી અને પૂરઝડપે વાહન ચલાવતા વાહન પરનો કાબૂ ગુમાવી બાઈક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને S.S.G. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ આઈસીયુ વોર્ડમાં બેભાન હાલતમાં સારવાર હેઠળ છે. આ મામલે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:23 pm

GPCBની લાલિયાવાડીનો ભોગ બનતું અંકલેશ્વરનું ઉદ્યોગ જગત:100 કરોડનો સીઈટીપી પ્રોજેક્ટ સરકારી મંજૂરીના ચક્રવ્યૂહમાં ફસાયો, ધરણા યોજી ઉધોગકારોની રજૂઆત

અંકલેશ્વરના 530 જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પર્યાવરણીય અને આર્થિક હિતોના રક્ષણ માટે તૈયાર કરાયેલો 100 કરોડનો 10 MLD ક્ષમતા ધરાવતો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વહીવટી વિલંબનો ભોગ બન્યો છે. એક વર્ષ બાદ પણ અંતિમ પરવાનગી ન મળતા આર્થિક નુકસાનના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગકારોએ આજે ગાંધીનગર કલેક્ટરને આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત સાથે ધરણા યોજી આ બાબતનું સત્વરે નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક વર્ષ બાદ પણ મંજૂરી નહિઅંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 10 MLD ક્ષમતાનો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટને ઓપરેશનલ મંજૂરી આપવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષથી અનાવશ્યક વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ઉદ્યોગપતિ રમેશ દેવજીભાઈ ગાબાણી સહિતના એસોસિએશનના સભ્યોએ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, વહીવટી વિલંબને કારણે ઉદ્યોગકારોને આર્થિક ફટકો પડી રહ્યો છે અને સરકારની છબી ખરડાઈ રહી છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે ખાતમુહૂર્ત થયું હતુંઃ એસો.આ અંગે એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે કે, આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ઇઝરાયેલની પેટન્ટેડ ઓટોમેટેડ કેમોસ્ટેટ બાયોરિએક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પરંપરાગત શુદ્ધિકરણ પદ્ધતિઓ કરતા ઘણી સસ્તી અને અસરકારક છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે જ જેનું ખાતમુહૂર્ત થયું હતું. તે પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગકારોની મૂડી ઉપરાંત 70 કરોડની બેંક લોનનો સમાવેશ થાય છે. હાલમાં લોનના હપ્તા શરૂ થઈ ગયા હોવા છતાં પ્લાન્ટ કાર્યરત ન થઈ શકતા આર્થિક નુકસાન વધી રહ્યું છે. પ્લાન્ટથી અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને રાહત મળી શકેએસોસિએશનના જણાવ્યા અનુસાર, માર્ચ 2025થી મંજૂરી મેળવવા માટેની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ એકવાર બોર્ડ દ્વારા અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તમામ ક્ષતિઓ પૂર્ણ કરી ઓક્ટોબર 2025માં ફરીથી અરજી કરવામાં આવી હતી, જે હજુ પણ વિચારણા હેઠળ છે. આ વિલંબને કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ પર્યાવરણ પર પણ ગંભીર અસર પડી રહી છે. જો આ પ્લાન્ટ શરૂ થાય તો અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને વાર્ષિક 700 કરોડની બચત થઈ શકે તેમ છે અને 1400 મેટ્રિક ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય તેમ છે. અધિકારીઓ દ્વારા થતાં વિલંબથી સરકારની છબી ખરડાઈઉદ્યોગકારોની રજૂઆત છે કે, તમામ જરૂરી દસ્તાવેજો અને ફી જમા કરાવ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવતા સરકારની છબી ખરડાઈ રહી છે. આવેદનપત્ર દ્વારા માગ કરવામાં આવી છે કે, જીપીસીબીને યોગ્ય માર્ગદર્શન આપીને આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે, જેથી નાના એકમોને આર્થિક રાહત મળે અને વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો લાવી શકાય.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:17 pm

રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપ:કડીમાં યુવાન પર જીવલેણ હુમલા મામલે ક્ષત્રિય સમાજનો રોષ, મહેસાણામાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર

કડીમાં 25 દિવસ અગાઉ એક યુવાન પર થયેલા હિંચકારા અને અમાનવીય હુમલાના વિરોધમાં સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસમાં થઈ રહેલી વિલંબ અને રાજકીય દબાણ હેઠળ ગુનેગારોને બચાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે 30 માર્ચે મહેસાણા ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી બાદ મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની ગુહાર લગાવાઈ હતી. પીડિત પક્ષ અને ક્ષત્રિય સમાજનો આરોપ છે કે, રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અથવા તેમને છાવરવામાં આવી રહ્યા છે. યુવક પર જીવલેણ હુમલોમળતી માહિતી અનુસાર, આશરે 25 દિવસ પહેલા કડીમાં મનીષભાઈના પુત્ર યુવરાજ પર કેટલાક તત્વોએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે યુવાનના શરીરમાં 40 જેટલા ફ્રેક્ચર થયા હતાં. નામ FIRમાંથી બાકાત રાખ્યાનો આક્ષેપપીડિત પક્ષ અને ક્ષત્રિય સમાજનો આરોપ છે કે, ઘટનાના આટલા દિવસો વીતવા છતાં મહેસાણા પોલીસ દ્વારા તપાસ યોગ્ય દિશામાં કરવામાં આવી રહી નથી. સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, રાજકીય માથાઓના ઈશારે વાસ્તવિક ગુનેગારોના નામ FIRમાંથી બાકાત રાખવામાં આવી રહ્યા છે અથવા તેમને છાવરવામાં આવી રહ્યા છે. ક્ષત્રિય સમાજ ન્યાયની માંગ સાથે એકઠો થયોઆ અંગે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે જણાવ્યું હતું કે, મહેસાણા અને અમદાવાદ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો આજે ન્યાયની માંગ સાથે એકઠા થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આ વિરોધ કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમાજ સામે નથી, પરંતુ જે ગુનેગારોએ આ અમાનવીય કૃત્ય કર્યું છે અને જે લોકો તેમને આશ્રય આપી રહ્યા છે તેમની સામે છે. પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકીક્ષત્રિય સમાજની મુખ્ય માંગ છે કે, આ કેસમાં કલમ 307 મુજબ ગુનો નોંધવામાં આવે અને કોઈ પણ રાજકીય વગ ધરાવતા શખ્સના દબાણમાં આવ્યા વગર સાચા ગુનેગારોની ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં પોલીસ દ્વારા સંતોષકારક કામગીરી કરવામાં નહીં આવે, તો સમાજ દ્વારા આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. કલેક્ટર અને ડીએસપીને અપાયેલા આવેદનપત્રમાં ન્યાયિક તપાસની માગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:15 pm

નંદેલાવ પંચાયતમાં 80 ટકા વેરા વસૂલાત પૂર્ણ:ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોનું વેરા વસૂલાત માટે વિશેષ અભિયાન તેજ

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતોમાં વેરા વસૂલાત વધારવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામ વિકાસ માટે આવકમાં વધારો કરવાનો છે. હાલમાં, ભરૂચ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં અંદાજે 60 ટકાથી વધુ વેરા વસૂલાત પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. આ અભિયાન હેઠળ તલાટીઓને સક્રિય બનાવી ગામ સ્તરે લોકોને સીધી પહોંચ બનાવવામાં આવી રહી છે. તલાટીઓ દ્વારા ઘરે ઘરે જઈને વેરાના માંગણા બિલ મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, ડોર-ટુ-ડોર ટેમ્પોમાં એનાઉન્સમેન્ટ કરીને પણ લોકોને સમયસર વેરો ભરવા અપીલ કરવામાં આવી રહી છે. વેરાથી મળતી આવક ગામોમાં રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય આધારભૂત સુવિધાઓના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. આ ભંડોળ સીધું ગ્રામીણ કલ્યાણ અને માળખાકીય સુવિધાઓના સુધારણામાં ફાળો આપે છે. આ અંગે નંદેલાવ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી નિલેષ પટેલે જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા વેરા વસૂલાત માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. માંગણા નોટિસો પાઠવી તેમજ ઘરે ઘરે જઈ લોકોને વેરો ભરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. નંદેલાવ પંચાયતમાં અત્યાર સુધીમાં લગભગ 80 ટકા વેરા વસૂલાઈ ચૂક્યો છે. વધુમાં, રજાના દિવસોમાં પણ પંચાયત કચેરી ચાલુ રાખી વસૂલાત વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી બે દિવસમાં વધુમાં વધુ વસૂલાત થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ, ગ્રામજનોને બાકી રહેલો વેરો સમયસર ભરવા અપીલ પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:09 pm

AMTSના ડ્રાઈવરને માર મારી બસમાં તોડફોડ:ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે રિક્ષાચાલક સાથેની બોલાચાલી ઉગ્ર બની, ટોળાએ પથ્થરમારો કર્યો

શહેરમાં જાહેર રોડ ઉપર મારામારી અને તોડફોડ હવે સામાન્ય બની ગયું છે. પોલીસનો ડર ન હોય તેમ લોકો ખુલ્લેઆમ મારામારી કરે છે. શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે આસપાસના લોકોએ ભેગા મળીને પેસેન્જર ભરેલી AMTS બસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ કરી હતી. બસચાલકે રિક્ષાચાલક ધીમી રિક્ષા ચલાવતો હોવાથી તેને ટોક્યો હતો અને બાદમાં તેણે રિક્ષા ઉભી રાખી હતી, જે બાબતે બોલા ચાલી થઈ હતી. તેમાં સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તેઓએ ડ્રાઇવરને ઉતારી માર મારવા લાગ્યા હતા. ડ્રાઇવર ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને લોકોએ બસના કાચમાં તોડફોડ કરી હતી. આ મામલે કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રિક્ષા ધીમી ચલાવતા ડ્રાઈવરે હોર્ન માર્યોવટવા વિસ્તારમાં આવેલી કુતબેઆલમ કોલોનીમાં જહરુદીન શેખ પરિવાર સાથે રહે છે અને AMTS બસમાં કોન્ટ્રાકટ બેઝ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેઓ રૂટ નંબર 40/1 વિનોબા ભાવેનગરથી ઇસ્કોન ક્રોસ રોડમાં બસ ડ્રાઇવર તરીકે હાલ નોકરી કરે છે. 29 માર્ચના રોજ બસ કંડક્ટર યુવરાજ સાથે તેઓ સવારે 9 વાગ્યે બસ રૂટ પર નીકળ્યા હતા. રાત્રિના આશરે 9.40 વાગ્યે છેલ્લા ફેરામાં મણીનગર ટર્મિનલ જવા નીકળ્યા હતા. રાતે 10 વાગ્યે ભુલાભાઈ ચાર રસ્તા પાસે તેઓ પહોંચ્યા, ત્યારે તેમની આગળ એક રિક્ષા જતી હતી. ચાલક રીક્ષા ધીમે ચલાવતો હતો, તેથી બસ ડ્રાઈવરે હોર્ન માર્યો હતો. લોકોએ બસમાં તોડફોડ કરી, પોલીસ આવતા ફરારત્યારબાદ ચાલકે રિક્ષા કોઈ કારણસર ઉભી રાખી દેતા સામાન્ય બોલાચાલી થઈ હતી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા, જેમાં કેટલાક લોકો બસ ડ્રાઇવરને ઉતારી માર મારવા લાગ્યા હતા, જેથી તેઓ ત્યાંથી ભાગ્યા હતા. દરમિયાનમાં કેટલાક લોકોએ બસ પર પથ્થર અને પ્લાસ્ટીકનુ ક્રીકેટ બેટ લઈ બસના આગળમાં મેઇન કાચ (ફ્રન્ટ વિન્ડશિલ્ડ ગ્લાસ) ઉપર તથા ડાબી બાજુના વિન્ડો ગ્લાસ ઉપર મારી અને કાચ ફોડી નાખ્યા હતાં. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી, ત્યારે તોડફોડ કરનારા લોકો ત્યાંથી ભાગી ગયા હતાં. સમગ્ર મામલે બસ ડ્રાઇવરની પોલીસે ફરિયાદ લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:06 pm

ગેસ એજન્સી ધારકોનું ગ્રાહકો સાથે તોછડાઈ વર્તન:કેટરિંગ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું,એસોસિયેશન પ્રમુખે કહ્યું કે ગેસ એજન્સી ધારકોના તોછડાય ભર્યા જવાબો,પુરવઠા અધિકારીએ તપાસની આપી ખાતરી.

હાલમાં જ્યારે વિશ્વના બે મોટા પ્રદેશોમાં યુદ્ધની જ્વાળાઓ ભભૂકી રહી છે, ત્યારે તેની સીધી અને આડકતરી અસર છેક ગિરનારની તળેટીમાં વસેલા જૂનાગઢના વેપાર-રોજગાર પર જોવા મળી રહી છે. ખાસ કરીને રશિયા-યુક્રેન અને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલતા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ છે, જેની માઠી અસર પેટ્રોલિયમ પેદાશો અને ગેસના પુરવઠા પર પડી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે જૂનાગઢના કેટરિંગ વ્યવસાયીઓએ ગેસ સિલિન્ડરના બુકિંગમાં પડતી મુશ્કેલીઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રના દ્વાર ખખડાવ્યા છે. આધુનિક યુગમાં યુદ્ધ માત્ર સરહદો પૂરતું સીમિત નથી રહેતું, પરંતુ તે આર્થિક યુદ્ધ બનીને સામાન્ય માણસના ઘર સુધી પહોંચે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના લાંબા સમયથી ચાલતા સંઘર્ષ અને ઈઝરાયેલ-હમાસ વચ્ચેની તંગદિલીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં અસ્થિરતા લાવી દીધી છે. ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરતું હોવાથી, જ્યારે પણ વૈશ્વિક સ્તરે અશાંતિ સર્જાય છે, ત્યારે સ્થાનિક સ્તરે ગેસના પુરવઠામાં કાપ અથવા ભાવવધારો ઝીંકાય છે. જૂનાગઢમાં હાલમાં જોવા મળી રહેલી ગેસની કૃત્રિમ અછત પાછળ પણ ક્યાંક આ વૈશ્વિક અસ્થિરતા જવાબદાર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ​જૂનાગઢ કેટરિંગ એસોસિએશનના પ્રમુખ બિપીનભાઈ કામદારના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે રજૂઆત કરી હતી કે હાલમાં લગ્નસરા અને સામાજિક પ્રસંગોની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સ્થાનિક ગેસ એજન્સીઓ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું બુકિંગ લેવામાં ગલ્લાતલ્લા કરી રહી છે.બજારમાં ગેસનો પુરતો જથ્થો હોવા છતાં એજન્સીઓ સંતોષકારક જવાબ આપતી નથી અને તોછરાઈ ભર્યું વર્તન કરે છે.આના કારણે એક કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ છે. જો સમયસર ગેસ નહીં મળે તો સામાજિક પ્રસંગોમાં ભોજન બનાવવામાં વિલંબ થશે અને કેટરિંગ સંચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે. ​આવેદનપત્ર સ્વીકાર્યા બાદ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરસરે જણાવ્યું હતું કે, કેટરિંગ એસોસિએશનની રજૂઆત ગંભીર છે. અમે ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે દરેક એજન્સી દીઠ એક મહેસૂલી કર્મચારીની જવાબદારી પહેલેથી જ નક્કી કરેલી છે. તેમ છતાં જો વેપારીઓને બુકિંગમાં તકલીફ પડતી હશે, તો અમે ફરીથી તપાસ કરાવીશું અને નિયમોનુસાર દરેકને સમયસર બાટલા મળી રહે તેવો પ્રયાસ કરીશું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વહીવટી પ્રક્રિયામાં જ્યાં પણ અવરોધ હશે તેને સત્વરે દૂર કરવામાં આવશે. જૂનાગઢ કેટરિંગ એસોસિએશને પોતાની માંગણીઓ સીધી સરકાર સુધી પહોંચાડવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ઓલ ગુજરાત કેટરિંગ એસોસિએશનને પણ નકલ રવાના કરી છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં મોંઘવારી અને પુરવઠાનું સંકટ હજુ ઘેરું બની શકે છે. આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્ર ગેસ એજન્સીઓ પર કડક નિયંત્રણ રાખે અને કાળાબજાર અટકાવે તે અત્યંત અનિવાર્ય છે.કેટરિંગ સંચાલકોએ આશા વ્યક્ત કરી છે કે પુરવઠા વિભાગના હકારાત્મક અભિગમથી તેમને જલ્દી ન્યાય મળશે અને સામાજિક પ્રસંગોમાં ગેસની તંગીના કારણે કોઈ વિઘ્ન નહીં આવે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:04 pm

મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો:આકાશમાં વાદળો છવાયા, વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી

રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ઉનાળાની ગરમી વચ્ચે આગામી 5 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. આજે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે. ત્યારે મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંધી, તોફાન અને વીજળીના કડાકા સાથે વરસાદ થઈ શકે છે. આ વાતાવરણીય બદલાવ સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઇન અને સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ, મહિસાગર જિલ્લામાં પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આકાશમાં વાદળો છવાયા છે, જેને પગલે વરસાદની સંભાવનાને લઈ ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 3:04 pm

મિતેશકુમાર રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળ્યું:ગઢડા મામલતદાર કચેરીમાંથી વિદાય, બોટાદમાં સન્માન સમારોહ યોજાયો

ગઢડા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મિતેશકુમાર ડાહ્યાભાઈ રાઠોડને નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મળતા તેમનો વિદાય સમારોહ બોટાદમાં યોજાયો હતો. તેમને મહિસાગર જિલ્લામાં બદલી સાથે પ્રમોશન મળ્યું છે. બોટાદ શહેરની વિનાયક પાર્ક સોસાયટી ખાતે રાત્રિના સમયે તેમના મિત્રો અને સોસાયટીના રહીશો દ્વારા આ ભવ્ય સ્વાગત અને વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.મિતેશકુમાર રાઠોડ તેમના સરળ સ્વભાવ અને અરજદારોના પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે સાંભળીને કામનો ઝડપી નિકાલ કરવા માટે જાણીતા છે. આ પ્રસંગે સમતા બુદ્ધ વિહાર બોટાદના પ્રમુખ બોધિરાજ બૌદ્ધ ઉર્ફે પરેશભાઈ રાઠોડ દ્વારા મિતેશકુમાર રાઠોડને પંચશીલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પુસ્તક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિનાયક સોસાયટીના રહીશો અને મિત્રોએ ઉત્સાહભેર તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં ડાયાભાઈ ચાવડા, ગીરીશભાઈ પરમાર, જીતુભાઈ કારેલીયા, મુળજીભાઈ સાગઠીયા, મૌલેશભાઈ સોલંકી, સહદેવભાઈ પરમાર, ભાવિનભાઈ સોલંકી, રાહુલભાઈ ચાવડા, મહેશભાઈ ચાવડા સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ તેમને નવી જવાબદારી માટે શુભકામનાઓ પાઠવી વિદાય આપી હતી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:57 pm

ઘોઘંબાનો લિસ્ટેડ બુટલેગર પર ‘પાસા’ હેઠળ કાર્યવાહી:વિનોદ બારીઆને જૂનાગઢ મધ્યસ્થ જેલ મોકલાયો

પંચમહાલ જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના લિસ્ટેડ બુટલેગર વિનોદ દોલતભાઈ બારીઆને પાસા (PASA) હેઠળ અટકાયત કરીને જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. વિનોદ બારીઆ, જે ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના ભગત ફળિયાનો રહેવાસી છે, તેની સામે રાજગઢ અને કાલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર જથ્થો રાખવાના કુલ ચાર ગુના નોંધાયેલા છે. આ શખ્સની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલ દ્વારા તેની વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયાએ આ દરખાસ્તને મંજૂરી આપતા, આરોપી વિનોદ બારીઆને પાસા ધારા હેઠળ અટકાયત કરવાનો આદેશ કર્યો હતો. આ આદેશના આધારે, LCB સ્ટાફે ખાનગી બાતમીદારોની મદદથી અને વોચ ગોઠવીને આરોપીની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:56 pm

કટ્ટીધામ-સપ્તેશ્વરને જોડતા બ્રિજનું ખાતમુહૂર્ત:ડેભોલ નદી પર 13.99 કરોડના ખર્ચે મેજર બ્રિજ બનશે, ભક્તો અને સ્થાનિકોને અવરજવરમાં રાહત થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કડોલી ખાતે ડેભોલ નદી પર કટ્ટીધામથી સપ્તેશ્વરને જોડતા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ બ્રિજ રૂપિયા 13.99 કરોડના ખર્ચે બનશે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સોમવારે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ 108 મીટર લાંબો બ્રિજ 13 કરોડ 99 લાખ 78 હજાર 100 રૂપિયાના ખર્ચે નિર્માણ પામશે. તેમાં 18 મીટરના છ ગાળા, 48 પાઈલ અને 6 પિયર હશે, જે 11 મીટર ઊંચો બનશે. સુરતની સી.આર.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા 11 મહિનામાં તેનું નિર્માણ પૂર્ણ થશે. આ બ્રિજના નિર્માણથી કટ્ટી મંદિર અને સપ્તેશ્વર મંદિર વચ્ચેનો સંપર્ક વધુ સુગમ બનશે. ભક્તો અને સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળશે, જેનાથી ધાર્મિક સ્થળો પર પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે. આ પુલના નિર્માણથી વિસ્તારના અનેક ગામોને સીધી કનેક્ટિવિટી મળશે, જે ધાર્મિક, સામાજિક અને આર્થિક વિકાસને નવી દિશા આપશે. ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન થતી મુશ્કેલીઓનો અંત આવશે અને લોકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત બનશે. ધારાસભ્ય વી.ડી. ઝાલાએ આ પ્રસંગે વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો ચાલુ રાખવાની ખાતરી આપી હતી. આ ખાતમુહૂર્ત પ્રસંગે પૂર્વ જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા, તાલુકા મહામંત્રી ભગીરથસિંહ ઝાલા, સેવા સહકારી ચેરમેન કનુ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હિતેષ પટેલ, કડોલી સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, શરાફી મંડળીના ચેરમેન પ્રહલાદ સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:55 pm

ચંદ્રુમાણામાં શ્રી સિકોતર માતાની રમેલ યોજાઈ:ચંદ્રુમાણીયા પરિવારો દ્વારા આયોજન, એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઘંટીવાસ ઠાકોરવાસમાં આવેલા શ્રી સિકોતર માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે રવિવારે રાત્રે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમેલ ચંદ્રુમાણીયા ઠાકોર પરિવારો દ્વારા યોજાઈ હતી. આ પ્રસંગે અલગ અલગ ગામના દેવ દેવી ઉપાસકોએ ઉપસ્થિત રહી એકતા અને વ્યસનમુક્તિનો સંદેશ આપ્યો હતો. તેમણે લોકોને એક માળાના મણકા બનીને રહેવા અને પ્યાલાના વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું. આ રમેલનું આયોજન મૂળ ચંદ્રુમાણાના અને હાલ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ રહેતા સ્વ. રવાજી કાળાજી, સ્વ. સોમાજી ઓખાજી, સ્વ. હજુરજી વનાજી, સ્વ. ચતુરજી વનાજી, સ્વ. રામચંદજી ઉગરાજી, સ્વ. રામજીજી ઉગરાજી અને સ્વ. તલાજી કાળાજીના પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું. શક્તિ ઉપાસકો ગોવિંદજી, દશરથભાઈ, રાવતાભાઈ, ચંદુજી, હમીરજી, પ્રિતેશજી, કડવાજી અને લાલાજી સહિત અન્યોએ આખી રાત માતાજીની આરાધના કરી હતી. તેમણે કુળદેવી પર શ્રદ્ધા રાખવા અને સંશય ન રાખવા જણાવી આશીર્વાદ આપ્યા હતા. માતાજીની આરાધના જૂની શૈલી મુજબ ડાકલાના તાલે કરવામાં આવી હતી. આ મહોલ્લામાં ચંદ્રુમાણા ગામના વિખ્યાત વીરા વસાની વહાણવટી માં સિકોતર માતા બિરાજમાન છે. આ પ્રસંગે ભરતભાઈ રાવલ, જગદીશ ઠક્કર, મફાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ સહિત અનેક શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:51 pm

ઉમા આર્ટ્સ કોલેજમાં ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થિનીઓએ વિશ્વના મહાનુભાવોના પત્રો રજૂ કર્યાં

ગાંધીનગર સ્થિત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ અને નાથીબા કોમર્સ મહિલા કોલેજમાં અંગ્રેજી વિભાગ દ્વારા 28 માર્ચ, 2026ના રોજ ‘The World of Letters’ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં અંગ્રેજી વિષયની 17 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. તેમણે વિશ્વના મહાનુભાવો દ્વારા લખાયેલા પત્રોનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. પ્રિન્સિપાલ ડો. લલિતકુમાર પટેલે પોતાના વક્તવ્યમાં અંગ્રેજી વિભાગને વિદ્યાર્થીનીઓને તેમની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પત્રોના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ‘અભિજ્ઞાનશાકુન્તલ’માં શકુંતલાએ દુષ્યંતને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને પત્રલેખનની પ્રાચીન પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો.પ્રણવ જોશીપુરા, IQAC કોઓર્ડિનેટર ડો. હરીતભાઈ પટેલ અને ડો. તેજસ શાહે માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીનીઓ દેવયાની રહેવર, જીયા ભાટી, હેતાંશીબા વાઘેલા, વિધિ સરવૈયા અને શ્રેયાંશીએ સંયુક્ત રીતે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:50 pm

રાંધેજા વિદ્યાપીઠમાં હેલ્ધી લાઈફસ્ટાઈલ વર્કશોપ યોજાયો:વિદ્યાર્થીનીઓને સ્વસ્થ આહાર અને જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું

ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત આશ્રમ વિનય મંદિર, રાંધેજા ખાતે “Healthy Food and Healthy Lifestyle” વિષયક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં પોષણયુક્ત અને ગુણવત્તાસભર આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જેમાં સારા સ્વાસ્થ્યને આર્થિક સમૃદ્ધિના પ્રતીક તરીકે રજૂ કરાયું. આ વર્કશોપ પ્રકૃતિ ઈકો ક્લબ અને ગીર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આચાર્ય વિલસુબેન ટાંકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓને દૈનિક જીવનમાં યોગ્ય પોષણ, સંતુલિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી વિશે માહિતગાર કરવામાં આવી. વર્કશોપ દરમિયાન, વિદ્યાર્થીનીઓને ચિત્રો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી. તેમને શીખવવામાં આવ્યું કે પોષક તત્વોથી ભરપૂર ખોરાકના નિયમિત સેવનથી તંદુરસ્ત અને સકારાત્મક જીવન જીવી શકાય છે. કાર્યક્રમના અંતે, વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:49 pm

વલસાડમાં ₹6.50 કરોડના દારૂનો બુલડોઝરથી નાશ:પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ હેઠળ દારૂબંધી ભંગ કરનારાઓને કડક સંદેશ આપ્યો

વલસાડ જિલ્લા પોલીસે ‘ઓપરેશન વાઈન ક્લીન’ અંતર્ગત ₹6.50 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કર્યો છે. 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન વિવિધ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલા આ દારૂના જથ્થા પર સોમવારે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્રણ પોલીસ મથકોનો 1.99 કરોડના દારૂનો નાશવલસાડ સિટી, રૂરલ અને ડુંગરી સહિત જિલ્લાના અનેક પોલીસ સ્ટેશનોમાંથી જપ્ત કરાયેલા દારૂનો જથ્થો એકત્રિત કરીને નિર્ધારિત સ્થળે નિકાલ કરવામાં આવ્યો. માત્ર ત્રણ પોલીસ મથકોનો જ અંદાજે ₹1.99 કરોડના દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી બાદ કાર્યવાહીઆ કાર્યવાહી કોર્ટની મંજૂરી બાદ કરવામાં આવી હતી. એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તમામ પોલીસ મથકોને પડતર મુદ્દામાલના નિકાલ માટે કોર્ટની મંજૂરી લેવાના આદેશ અપાયા હતા. મંજૂરી મળ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયુક્ત સમિતિની દેખરેખ હેઠળ જેસીબી અને બુલડોઝરથી બોટલોનો નાશ કરાયો. દારૂબંધીનો ભંગ કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિદારૂના આ મોટા જથ્થાના વિનાશને જોવા માટે સ્થળ પર સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. આ પ્રસંગે વલસાડના એસપી યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, “કોર્ટની મંજૂરી બાદ પારદર્શક રીતે કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં દારૂબંધીનો ભંગ કરનારા તત્વો સામે ઝીરો ટોલરન્સની નીતિ રહેશે.” જિલ્લા પોલીસની આ કાર્યવાહી દારૂબંધીના કાયદાને કડક રીતે અમલમાં લાવવા સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોને સ્પષ્ટ ચેતવણીરૂપ બની છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:48 pm

ડૉ. અજય રાવલને ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન:ગાંધીનગરના ડૉ. રાવલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું

ગાંધીનગરના નિવાસી ડૉ. અજય રાવલે આંતરરાષ્ટ્રીય ગીતા ઓલમ્પિયાડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. કુરુક્ષેત્ર ખાતે ગીતા પ્રાકટ્ય સ્થળ પર યોજાયેલા “સહસ્ર ગીતા કંઠનાદ કાર્યક્રમ” દરમિયાન તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 1000થી વધુ ગીતાવ્રતીઓએ સમગ્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠસ્થ કરી સામૂહિક પાઠ કર્યો હતો. યોગર્ષિ બાબા રામદેવજી, ગોવિંદદેવગીરી સ્વામી અને પૂજ્ય જ્ઞાનાનંદજીની ઉપસ્થિતિમાં ડૉ. રાવલને 51,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ગીતા ઓલમ્પિયાડમાં ભારતીય સંસ્કૃતિ આધારિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેને ઉંમર મુજબ અલગ-અલગ જૂથોમાં વિભાજિત કરવામાં આવી હતી. ડૉ. અજય રાવલે 20થી 40 વર્ષના અર્જુન ગ્રુપમાં ભાગ લીધો હતો. તેમણે સેમિફાઇનલમાં પ્રથમ સ્થાન મેળવી ગ્રાન્ડ ફિનાલેમાં પ્રવેશ મેળવ્યો હતો. અંતિમ તબક્કામાં ઉત્તમ પ્રદર્શન સાથે તેમણે દ્વિતીય સ્થાન હાંસલ કર્યું. વિશ્વભરમાંથી 50,000થી વધુ સ્પર્ધકો વચ્ચે તેમણે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:47 pm

15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું:સુરત હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યા બાદ શખ્સ સામે ફરિયાદ, આરોપીની અટકાયત

સુરત શહેરમાં સગીરાઓ સુરક્ષિત ન હોવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડાજણ વિસ્તારમાં રહેતી એક 15 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી, નશીલો પદાર્થ પીવડાવી દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી છે. આ અત્યાચારના કારણે કિશોરી ગર્ભવતી બની હતી અને હાલમાં જ તેણે એક બાળકને જન્મ આપ્યો છે. આ મામલે પીડિતાની માતાએ અડાજણ પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લગ્નની લાલચ આપીને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યુંપીડિત કિશોરીની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, સમગ્ર ઘટના ઓગસ્ટ 2025માં બની હતી. કિશોરી એક કટલરીની દુકાનમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ થતી હતી. આ દરમિયાન નજીકમાં જ ફ્રુટની લારી ચલાવતા આરોપીએ તેની સાથે ઓળખાણ વધારી હતી. આરોપીએ કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી તેને વિશ્વાસમાં લીધી હતી. ઓગસ્ટ માસની એક રાત્રે આરોપી તેને લલચાવી ફોસલાવીને પાલનપુર કેનાલ રોડ પર લઈ ગયો હતો, જ્યાં તેણે કિશોરીને ઠંડા પીણામાં કેફી પદાર્થ ભેળવી પીવડાવી દીધો હતો. ત્યારબાદ સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. કોઈને કહીશ તો જાનથી મારી નાખીશની ધમકી આપીઆરોપીએ માત્ર એક વાર નહીં, પરંતુ ત્યારબાદ પણ અવારનવાર કિશોરીને ડરાવી-ધમકાવી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. ભોગ બનનાર કિશોરી જ્યારે આ વાતનો વિરોધ કરતી અથવા પરિવારને જણાવવાનું કહેતી, ત્યારે આરોપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.આરોપીએ ઘમકી આપતા કહ્યું કે, 'જો તું આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ' તેમ કહીને આરોપીએ કિશોરીનું મોઢું બંધ રાખ્યું હતું. લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ ચાલુ રહ્યો હતો, જેના કારણે ડરના માર્યા કિશોરીએ આ વાત કોઈને જણાવી નહોતી. ગર્ભવતી બન્યા બાદ લગ્નની ના પાડી આરોપી ફરાર થઈ ગયોશારીરિક સંબંધોના કારણે કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે કિશોરીએ પોતે ગર્ભવતી હોવાની વાત આરોપીને કરી અને લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે આરોપીએ અસલી રૂપ બતાવ્યું હતું. લગ્નના વાયદા કરીને દિવસો કાઢ્યા બાદ, અંતે જ્યારે કિશોરીએ બાળકને જન્મ આપવાનો સમય આવ્યો ત્યારે આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પીડિતાની માતાના જણાવ્યા મુજબ, તેમની દીકરીને ગર્ભવતી બનાવી અને બાળકની માતા બનાવી આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. સગીરાએ બાળકને જન્મ આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યોપીડિત કિશોરીને પ્રસૂતિની પીડા ઉપડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ત્રણ દિવસ પહેલા તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે. સગીર વયે માતા બનેલી કિશોરીની હાલત જોઈ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. અંતે, હિંમત ભેગી કરી કિશોરીની માતાએ અડાજણ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. અડાજણ પોલીસે આરોપીની અટકાયત કરીફરિયાદ નોંધાયાના ટૂંક સમયમાં જ અડાજણ પોલીસ એક્શન મોડમાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે નાસી છૂટેલા ફ્રુટ વિક્રેતા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. તાજેતરની વિગતો મુજબ, અડાજણ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. હાલ હોસ્પિટલમાં સગીરા અને નવજાત બાળકની સારવાર ચાલી રહી છે, જ્યારે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:28 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ આવી મેદાનમાં:ભાવનગરમાં ભાજપના 31 વર્ષના શાસન સામે 'ભાજપાપ' ચાર્જશીટ જાહેર

આગામી દિવસોમાં 'ટીમ કોંગ્રેસ' દરેક વોર્ડમાં જશે અને લોકોની સમસ્યાઓ સંભાળશે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, આ અંગે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 31 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચાર, ભેદભાવ અને વહીવટી નિષ્ફળતાના ગંભીર આક્ષેપો કર્યા હતા, ​ચૂંટણીમાં વિલંબ અને ભાજપ-ચૂંટણી પંચની મિલીભગતનો આક્ષેપ પણ કર્યો હતો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની સમય મર્યાદા ક્યારની પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ, ભારતીય ચૂંટણી પંચ અને ભાજપની સંયુક્ત ટીમ વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ અને ભાજપની અનુકૂળતાની રાહ જોઈ રહી હોય તેમ લાગે છે જોકે, કોંગ્રેસ પક્ષ આ ચૂંટણીઓ માટે સંપૂર્ણ રીતે સજ્જ બની છે ત્યારે ​'ભાજપાપ' ચાર્જશીટ ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર પ્રહાર કર્યો હતો, ​ભાવનગરમાં 1995 થી ભાજપનું શાસન છે, તેમ છતાં જનતાને માત્ર ગંદકી, ટ્રાફિક અને ભ્રષ્ટાચાર જ મળ્યા હોવાનો દાવો કરતા કોંગ્રેસે 'ભાજપાપ' નામની ચાર્જશીટ રજૂ કરી હતી જેના મુખ્ય મુદ્દાઓ ​જમીન કૌભાંડ સિદસર ટીપી સ્કીમ પાસે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, સિદસર વિસ્તારમાં માનીતા બિલ્ડરોને રોડ ટચ જમીન માત્ર રૂ.57,000ના ભાવે અપાઈ છે, જ્યારે સરકારી આવાસ માટે કોર્પોરેશન પાસેથી રૂ.89,100 વસૂલવામાં આવ્યા છે આમાં પ્રતિ ચોરસ મીટર રૂ.30,000નું માર્જિન રાખી અબજોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેમજ બોરતળાવની આસપાસના દબાણો દૂર કરવામાં ભાજપના મળતિયાઓને છાવરવામાં આવે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં અશાંતધારા કે રાજકીય કિન્નાખોરી રાખીને ડિમોલિશન કરવામાં આવે છે, તેમજ ફ્લાયઓવરના કામોમાં જાણીજોઈને વિલંબ કરી ટેન્ડરની રકમમાં 'એક્સેસ' બતાવી ભ્રષ્ટાચાર આચારવામાં આવે છે, આ ઉપરાંત વેસ્ટ ટુ એનર્જી અને આવાસ યોજનાઓમાં પણ ગેરરીતિના આક્ષેપો કરાયા છે, ગલીઓમાં વારંવાર સીસી રોડ તોડી પેવર બ્લોક નાખવા અને ફરી રોડ બનાવવા જેવી કામગીરી માત્ર ભાજપના નાના કાર્યકરોને આર્થિક ફાયદો કરાવવા માટે થતી હોવાની રજૂઆત કરાઈ હતી, વધુમાં જણાવ્યું હતું કે, ​કોંગ્રેસે ભાવનગરના પ્રજાવત્સલ રાજવી પરિવારના સુશાસનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્તમાન ભ્રષ્ટ શાસનમાંથી મુક્તિ અપાવી ફરીથી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે, આગામી દિવસોમાં 'ટીમ કોંગ્રેસ' દરેક વોર્ડમાં જશે અને લોકોની સમસ્યાઓ સાંભળી મજબૂત વિકલ્પ પૂરો પાડશે....

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:24 pm

વરસાદી કાસમાં પડેલ ગાયનું રેસ્ક્યુ:કારેલીબાગમાં સ્કૂલ પાછળ વરસાદી ચેમ્બરના ઢાંકણા ખુલ્લા, બાળક કે કોઈ નાગરિક પડે તો જવાબદાર કોણ?

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી વડોદરા ફાયર એન્ડ ઇમર્જન્સી વિભાગને કોલ મળ્યો હતો કે એક ગાય વરસાદી ચેમ્બરમાં પડી છે. તાત્કાલિક ફાયર વિભાગની ટીમ પહોચી ભારે જહેમત ગાયને જીવતી બહાર કાઢી હતી. વરસાદી કાંસમાં ગાય પડતા ફાયરે રેસક્યુ કર્યુંકારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્કૂલની પાછળના ભાગે આવેલ વરસાદી કાંસ (ગટર ચેમ્બર)માં ગાય પડી જવાની ઘટના બની હતી. આ અંગેનો કોલ બદામડી બાગ ફાયર બ્રિગેડની ટીમને મળતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ગાયનું રેસ્ક્યુ કર્યું હતું. 'ત્યાંના તમામ ગટર ચેમ્બર ખુલ્લા પડેલા હતા'આ અંગે બદામડીબાગ ફાયર ટીમના ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો કે શહેરના કારેલીબાગમાં આવેલ ખાનગી પાસે પાછળના વિસ્તારમાં નાગેશ્વર મંદિરની પાછળ એક નાના ચેમ્બરમાં ગાય પડી ગઈ હતી. ત્યાંના તમામ ગટર ચેમ્બર ખુલ્લા પડેલા હતા. અમારી ટીમે તાત્કાલિક પહોંચીને ગાયને વ્યવસ્થિત રીતે બહાર કાઢી અને સુરક્ષિત સ્થળે મૂકી દીધી હતી. કોઈ નાગરિક પડે તો જવાબદાર કોણ?ફાયર ઓફિસરે વધુમાં કહ્યું, આ વિસ્તારમાં બધા જ ચેમ્બર ખુલ્લા છે. પાસે જ ખાનગી સ્કૂલ આવેલી છે અને બાળકોનું રમતગમતનું ગ્રાઉન્ડ પણ છે. કોઈ પણ સમયે બાળક અહીં રમતાં રમતાં અંદર પડી શકે છે. તેથી આ ભારે જે તે વિભાગને જાણ કરી વહેલી તકે આ તમામ ખુલ્લા ચેમ્બરના ઢાંકણા લગાવી દેવામાં આવે, જેથી કોઈ અકસ્માત ન બને.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:20 pm

બોડી સેન્સર ડિટેક્ટરનો ઉપયોગ કરીને ફાયરે લાશ બહાર કાઢી:શિનોરના ટિંગલોદ ગામે તળાવમાં પગ લપસી જતાં આધેડ ડૂબ્યા, મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયો

વડોદરા જિલ્લના શિનોર તાલુકાના ટિંગલોદ ગામના રહેવાસી રાજેશભાઈ પરષોત્તમભાઈ વસાવા (ઉંમર: 55 વર્ષ) માછીમારી કરવા તળાવ કિનારે ગયા હતા. ત્યારે અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ તળાવમાં પડી ગયા અને ડૂબી ગયા હતા. બોડી સેન્સર ડિટેક્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી લાશ બહાર કઢાઈઘટનાની જાણ થતાં સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. જો કે, રાત્રે અંધારું વધુ હોવાના કારણે શોધખોળમાં અસુવિધા પડતાં, ટીમે વહેલી સવારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં બોડી મળતું ન હોવાથી ફાયર વિભાગે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. જેમાં બોડી સેન્સર ડિટેક્ટર અને રેસ્ક્યુ બોટની મદદથી દોઢ કલાકની ભારે મહેનત પછી રાજેશભાઈ વસાવાનું શબ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. માછીમારી કરવા તળાવે ગયા લપસતાં ડૂબી ગયાનું અનુમાનપ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજેશભાઈ માછીમારી કરવા તળાવે ગયા હતા, ત્યારે આ દુર્ઘટના બની હતી. શિનોર પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:11 pm

પાટણ LCB PI, યુનિવર્સિટી કુલપતિએ પદ્મનાભ મંદિરે દર્શન કર્યા:ટ્રસ્ટ અને સમાજ શ્રેષ્ઠીઓએ બંને મહાનુભાવોનું સન્માન કર્યું

પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગર અને પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ શ્રી પદ્મનાભ ભગવાન, શ્રી ગોપેશ્વર મહાદેવ અને શ્રી સમેળા માતાજી મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેઓએ સાંધ્ય આરતીમાં ભાગ લઈને દર્શનનો લાભ લીધો હતો. પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવના મંદિરે પધારેલા આ બંને મહાનુભાવોને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તો દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમની પ્રશંસનીય કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, મંત્રી કલ્પેશ સ્વામી સહિત સમાજ આગેવાનો શાંતિભાઈ સ્વામી, કમલેશ સ્વામી, સચિન પ્રજાપતિ, રાજુભાઈ (ખન્નાભાઈ) અને નગરસેવિકા પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિ સહિતના ભક્તો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને બુકે, શાલ અને ભગવાનના પ્રસાદ સ્વરૂપ રેવડી અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી. પોરિયાએ પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, સમયની સાથે સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવી રહ્યું છે અને સમાજ સંગઠનની ભાવના પણ મજબૂત બની રહી છે. માટી સાથે જોડાયેલા સમાજ દ્વારા વ્યક્તિ વિશેષોનું સન્માન કરીને જે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે તે ખરેખર વંદનીય છે. પાટણ LCB PI રાકેશભાઈ ઉનાગરે પણ પાટણમાં તેમની સવા ચાર વર્ષથી વધુની ફરજ દરમિયાન સમાજના લોકો તરફથી મળેલા પ્રેમ અને સહકાર બદલ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સન્માન બદલ સૌનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 2:07 pm

વિજયરાજસિંહ ઝાલાને ડોક્ટરેટની પદવી એનાયત:સામાજિક સેવાઓ બદલ કર્મણીય ફાઉન્ડેશન દ્વારા સન્માન

સુરેન્દ્રનગરના વિજયરાજસિંહ દિલુભા ઝાલાને તેમની 24 વર્ષની સામાજિક અને ધાર્મિક સેવાઓ બદલ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાત સરકારના કર્મણીય ફાઉન્ડેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા આ સન્માન અપાયું હતું. આ પદવી નામદાર કોર્ટના જજ પ્રજ્ઞાબેન પ્રજાપતિ અને ફિલ્મ કલાકાર ભાવિનીબેન જાનીના હસ્તે વિજયરાજસિંહ ઝાલાને મોમેન્ટો અને પ્રમાણપત્ર અર્પણ કરીને એનાયત કરાઈ હતી. આ સન્માન ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સહિત સમગ્ર ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે. શ્રી હર શક્તિ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો દ્વારા વી.ડી. ઝાલાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટરેટ પદવી માટે કુલ 7 ઉમેદવારોમાંથી 4ની પસંદગી થઈ હતી, જેમાં વિજયરાજસિંહ ઝાલાની બીજા ક્રમાંકે પસંદગી થઈ હતી. મૂળ લીંબડી તાલુકાના મોટા ટિંબલા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગરમાં દાળમીલ રોડ પર આવેલા શ્રી શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા વિજયરાજસિંહ ઝાલાની આ સિદ્ધિથી સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધ્યું છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:56 pm

તાપીમાં ₹1600 કરોડથી વધુની 2 સિંચાઈ યોજનાઓ:મુખ્યમંત્રીએ ઉકાઈ આધારિત ઉદ્વવહન અને બોરીસવરનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

તાપી જિલ્લાના ખેડૂતો માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લામાં ₹1600 કરોડથી વધુના ખર્ચે બે મોટી ઉદ્વવહન સિંચાઈ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજનાઓથી આદિજાતિ વિસ્તારના ખેડૂતોની વર્ષો જૂની પાણીની સમસ્યાનો અંત આવશે. મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉકાઈ જળાશય આધારિત ઉદ્વવહન સિંચાઈ યોજનાનું ઈ-લોકાર્પણ કર્યું. આ સાથે, બોરીસવર ઉદ્વવહન યોજનાનું પણ વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રકલ્પોથી તાપી જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ કદમ છે. આ યોજનાઓનો સીધો લાભ તાપીના સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા અને વ્યારા તાલુકાના અંદાજે 165 જેટલા ગામોને મળશે. જે વિસ્તારો અત્યાર સુધી પિયત માટે વરસાદ પર નિર્ભર હતા, ત્યાં હવે ઉકાઈ અને તાપી નદીનું પાણી પહોંચતા ખેતી સમૃદ્ધ બનશે. પ્રથમ યોજના, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા ઉદ્વવહન સિંચાઈ યોજના, ઉકાઈ જળાશય આધારિત છે. આ યોજના હેઠળ કુલ પાંચ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે. તેના દ્વારા 136 ગામોની 86,000 એકર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. બીજી યોજના, બોરીસવર ઉદ્વવહન સિંચાઈ યોજના, તાપી નદી આધારિત છે. આ યોજના ખાસ કરીને સોનગઢ અને વ્યારા તાલુકાના ડાબા કાંઠાના વિસ્તારો માટે તૈયાર કરવામાં આવી છે, જ્યાં ચોમાસા બાદ પાણીની તીવ્ર અછત સર્જાય છે. આ યોજનામાં અત્યાધુનિક SCADA (OMS) સિસ્ટમનો ઉપયોગ થશે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય. આનાથી સોનગઢના 26 અને વ્યારાના 3 મળી કુલ 29 ગામોની 20,603 એકર જમીનને સિંચાઈ સુવિધા મળશે, જેનાથી અંદાજે 22,213 ખેડૂત પરિવારોને ફાયદો થશે. આ યોજનાઓ માત્ર પાણી જ નહીં, પરંતુ આધુનિક ખેતીની દિશામાં પણ માર્ગ મોકળો કરશે. પાઇપલાઇન નેટવર્ક દ્વારા ખેતરોમાં માઇક્રો ઇરિગેશન (ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિ) માટે આયોજન કરવામાં આવ્યું છે. આનાથી ખાતર અને પાણી બંનેની બચત થશે અને પાક ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:53 pm

પાટણ યુનિં.માં સ્નાતક કક્ષાની સેમ-6, અનુસ્નાતક કક્ષાની સેમ-4ની પરીક્ષા શરૂ:પેપર લીક રોકવા ડિજિટલ વિતરણ, ગેરરીતિ માટે પ્રથમ વખત મહિલા સ્ક્વોડ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનો આજથી પ્રારંભ થયો છે. ત્રણ તબક્કામાં યોજાનારી આ પરીક્ષામાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાં પ્રથમ તબક્કામાં 1 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે QPDS સિસ્ટમ અને પ્રથમ વખત મહિલા સ્ક્વોડ સહિતની આધુનિક વ્યવસ્થાઓ અમલમાં મૂકી છે. પ્રથમ તબક્કામાં સ્નાતક કક્ષાની સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષાની સેમેસ્ટર 4ની પરીક્ષાઓ શરૂ થઈ છે, જે 9 એપ્રિલ સુધી ચાલશે. આ તબક્કામાં આશરે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કુલ 2.50 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમના માટે યુનિવર્સિટી સંલગ્ન 6 જિલ્લાઓમાં વિવિધ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને સુરક્ષાના હેતુથી યુનિવર્સિટી પ્રશાસને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કર્યો છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો QPDS (Question Paper Delivery System) અને ERP માધ્યમથી સોફ્ટ કોપીમાં મોકલવામાં આવે છે. નિર્ધારિત સમય પહેલા પ્રશ્નપત્રો ડિજિટલી પહોંચાડવાની આ પદ્ધતિથી પેપર લીક જેવી ઘટનાઓ પર રોક લગાવી શકાશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો પર દેખરેખ રાખવા માટે જનરલ અને ફ્લાઈંગ સ્ક્વોડની સાથે પ્રથમ વખત વિશેષ 'મહિલા સ્ક્વોડ'ની રચના કરવામાં આવી છે. કુલપતિના આદેશ મુજબ મહિલા સ્ક્વોડની 2 ટીમો તમામ જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કરશે, જેથી પરીક્ષાઓ કોઈ પણ ખલેલ વગર સંપન્ન થઈ શકે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:50 pm

રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ:શિક્ષણ મંત્રીએ 122 પ્રતિભાઓને ગીતાભૂષણ-શતસુભાષિત પંડિતની ઉપાધિ આપી, 500 સંસ્થાઓને અનુદાન

ગુજરાતની સાંસ્કૃતિક અને શૈક્ષણિક ધરા પર સંસ્કૃત ભાષાના પુનરુત્થાનનો એક નવો અધ્યાય આલેખાયો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના તત્વાવધાનમાં લોકભવન, ગાંધીનગર ખાતે 28 માર્ચ, 2026ના રોજ એક ગરિમામય રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો મર્યાદિત ન રહેતા, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના વિકાસને વેગ આપતો એક ઐતિહાસિક અવસર બની રહ્યો હતો. સંસ્કૃત એ વારસાનો આત્મા છે: શિક્ષણ મંત્રીસમારોહને સંબોધતા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ સંસ્કૃતના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” તેમણે ઉમેર્યું કે આ પ્રાચીન ભાષાને જાળવી રાખવી અને તેને જન-જન સુધી પહોંચાડી આગળ વધારવી એ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. આ પ્રકારના આયોજનો યુવા પેઢીને તેમના મૂળિયા અને ભવ્ય ઇતિહાસ સાથે જોડવામાં સેતુ સમાન ભૂમિકા ભજવે છે. મંત્રીએ રાજ્યમાં સંસ્કૃતના પ્રસાર માટે સરકારની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. 122 પ્રતિભાઓનું ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’થી સન્માનઆ પ્રસંગના મુખ્ય આકર્ષણ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યવ્યાપી સ્પર્ધાઓમાં હજારો સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી કડક રાજ્ય સ્તરીય સમીક્ષા બાદ પસંદગી પામેલા 122 પ્રતિભાવાન વિદ્યાર્થીઓ અને વિદ્વાનોને મંત્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. આ વિજેતાઓને ‘ગીતાભૂષણ’ અને ‘શતસુભાષિત પંડિત’ જેવી પ્રતિષ્ઠિત ઉપાધિઓથી વિભૂષિત કરી તેમનું મનોબળ વધારવામાં આવ્યું હતું. 500 થી વધુ સંસ્થાઓને ‘સંસ્કૃત કક્ષ’ યોજના હેઠળ પ્રોત્સાહનસંસ્કૃત શિક્ષણને પાયાના સ્તરે મજબૂત કરવા માટે રાજ્ય સરકારની “સંસ્કૃત કક્ષ” યોજના અંતર્ગત ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. આ સમારોહ દરમિયાન રાજ્યભરની 500 થી વધુ શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓને સંસ્કૃત અભ્યાસના વ્યાપ અને ગુણવત્તા વધારવા માટે આર્થિક અનુદાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગીતા પાઠ અને સંસ્કૃત જ્ઞાનની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાઓને પણ બિરદાવવામાં આવી હતી. મહાનુભાવોની ગરિમામય હાજરીઆ ઐતિહાસિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ્યેશ ઝા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિશેષ અતિથિ તરીકે લોકભવનના મુખ્ય સચિવ અશોક શર્મા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. સુકાન્તકુમાર સેનાપતિ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ સહિત મોટી સંખ્યામાં સંસ્કૃત પ્રેમીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ સંસ્કૃતના શ્લોકો અને જ્ઞાનની સરવાણીથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:49 pm

ભરૂચમાં ટેટુની દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો:પોલીસે એક આરોપીની ધરપકડ કરી, રૂ. 2.56 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસે આવેલી “શિવા ટેટુ” નામની દુકાનમાંથી પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશનના પીઆઈ એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે શિવા ટેટુ દુકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 252 બોટલ અને પાઉચ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 2,51,175 છે, તેમજ રૂ. 5,000ની કિંમતનો એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 2,56,175નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં દીપક ઉર્ફે બોબી જેસીંગ વિરાસ (ઉંમર 45, રહેવાસી ફાટા તળાવ, રાણા પંચની વાડી, ભરૂચ)ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:41 pm

રાજકોટમાં કોંગ્રેસે ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવ્યુ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ ઘરે ઘરે જઈ લોકોની સમસ્યા સાંભળી ઉજાગર કરશે, કોર્પોરેશનમાં 2015 માં 4 સીટની ચૂક હવે પૂર્ણ કરવાનો નિર્ધાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ચાર્જશીટ ભાજપાપ - ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવવામાં આવ્યુ હતુ. રાજકોટ એ હવે સૌરાષ્ટ્રનું ભ્રષ્ટાચારનું પાટનગર બન્યું હોવાનો આક્ષેપ કરાયો હતો. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ગેરકાયદેસર બાંધકામનો ઉલ્લેખ થયો હતો. જેથી રસ્તા અને ડ્રેનેજના પ્રશ્નો, વધતી જતી ગુનાખોરી તેમજ શૈક્ષણિક કેમ્પસની આસપાસ ડ્રગ્સના વેચાણ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવશે. રાજકોટમાં સુશાસન કઈ રીતે લાવી શકાય તે માટે કોંગ્રેસની ટીમ જનતાના દરબારમાં જશે અને તેમના પ્રશ્નો ઉજાગર કરી સાચું લોકશાહી શાસન લાવવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ વર્ષ 2015 માં 4 સીટની ચૂક રહી ગઈ હતી તે પૂર્ણ કરી કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં ભાજપ સરકાર સંગીત કરે છે તે રાજકોટને રોમ બનાવશું અને સુરતની શાંઘાઈ બનાવશુ પરંતુ રાજ્યના શહેરોની વાસ્તવિક સ્થિતિ ખૂબ જ દયાજનક છે. જે અંગે એક તહોમતનામુ કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. રાજકોટમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે માહિતગાર કરવા માટે આવ્યા છીએ. અહીં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં વહીવટીતંત્ર દ્વારા પરવાનગી આપવાની હોય તેમાં ચૂક થઈ. જેથી 500 ડિગ્રી તાપમાનમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. જેઓના પરિવારજનો આજે પણ ન્યાય માંગી રહ્યા છે પરંતુ તેઓને ન્યાય મળતો નથી. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં સુશાસન લાવવાની જેમની જવાબદારી છે તેવા નગરસેવકો ભ્રષ્ટાચાર કરવા સિવાય કંઈ કરતા નથી. કોર્પોરેટરો દ્વારા કઈ કઈ જગ્યાએ લાંચ માંગવામાં આવી તેને રાજકોટના મીડિયાએ જ ઉજાગર કર્યુ છે. અહીં ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો સૌથી મોટો છે. સરકાર દ્વારા સામાન્ય નાગરિકોને દબાણના નામે બેઘર કરવામાં આવે છે પરંતુ ભાજપના નેતાઓના દબાણો સામે સરકાર કોઈ કાર્યવાહી કરતી નથી. શહેરના મેયર નયનાબેન પેઢડીયા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરના ગેરકાયદેસર દબાણનો મુદ્દો પણ તાજેતરમાં પ્રકાશમાં આવ્યો હતો. જોકે તેમની સામે કોઈ કાર્યવાહી ન કરી ગરીબ માણસોના મકાનો પર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. જેથી રાજકોટ શહેરને લોકો સૌરાષ્ટ્રનું સૌરાષ્ટ્રનું ભ્રષ્ટાચારનું હેડ ક્વાટર તરીકે ઓળખી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં રસ્તાઓની ખેતી ખૂબ જ ખરાબ છે થોડા વરસાદમાં પણ ખાડા પડી જાય છે. નબળુ બાંધકામ, કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત અને કમિશન રાજના કારણે શહેરના રસ્તાઓની હાલત દયાજનક બની ગઈ છે. જેને લીધે અનેક નગરજનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. ભાજપ ઠેર ઠેર ગંદકીનું બ્રાન્ડ એમ્બેસેડર બન્યું છે. જેને લીધે લોકો રોગચાળામાં સપડાય છે અને ત્યારબાદ સારી આરોગ્ય સુવિધા પણ મહાનગરપાલિકા આપી શકતું નથી. આ સાથે જ તેમણે જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકામાં ટીપરવાનના કોન્ટ્રાક્ટમાં રૂ.1100 કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ અને સુરતના તક્ષશિલા કાંડ બાદ પણ સરકાર જાગતી નથી અને તેથી ફાયર સેફ્ટીના નામે મોટો ગેરવહીવટ ચાલી રહ્યો છે. પૈસાના જોરે સ્થળ તપાસ વિના સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે. અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે. જાહેર રસ્તા ઉપર ગમે ત્યારે કોઈપણ વ્યક્તિનું મર્ડર થઈ જાય છે. જોકે ગુનાખોરીને ડામવા આ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણવા માટે જાય છે પરંતુ આ કેમ્પસની આસપાસ ડ્રગ્સ ખુલ્લેઆમ મળી રહ્યુ છે. થોડા દિવસો પહેલા NSUI દ્વારા રાજ્યમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસની ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા કે ડ્રગ્સની સામે લડાઈ લડશું. કોંગ્રેસ દ્વારા રાજકોટમાં સુશાસન કઈ રીતે લાવી શકાય તે માટેની કેટલીક નિબંધ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેથી આગામી સમયમાં રાજકોટ કોંગ્રેસની ટીમ જનતાની અદાલતમાં જશે અને રાજકોટ શહેરમાં સુશાસન લાવવાનું વચન આપશે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:38 pm

LIVE : ઇઝરાયલના હુમલામાં IRGCના નેવી કમાન્ડર તંગસીરીનું મોત, 50000 અમેરિકન સૈનિકોની મિડલ ઈસ્ટમાં હાજરીથી ટેન્શન વધ્યું

Iran vs Israel and USA War Updates : અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન આડેધડ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. ત્રણેય દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ચૂક્યો છે. ત્યારે દુનિયાભરમાં અનિશ્ચિતતા ફેલાઈ ગઇ છે. Iran vs Israel and USA War Updates LIVE :

ગુજરાત સમાચાર 30 Mar 2026 1:34 pm

કાળમુખી કેનાલ ચારને ગળી ગઈ, બેની લાશ મળીને બે લાપતા:ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ, ગાંધીનગરના વલાદ અને રાયપુર પાસેનો બનાવ

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરુણાંતિકાનું કેન્દ્ર બની છે. છેલ્લા 24 કલાકમાં કેનાલમાં ડૂબવાના બે અલગ-અલગ બનાવોમાં કુલ ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ બંને ઘટનાઓમાં કરુણતા એ વાતની છે કે એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધીની શોધખોળમાં બે યુવકોના મૃતદેહ હાથ લાગ્યા છે, જ્યારે અન્ય બેની શોધખોળ હજુ પણ ચાલુ છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથપગ ધોવા જતાં પગ લપસ્યો ને ડૂબ્યાપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ બનાવ લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસે બન્યો હતો. મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા કેનાલ કાંઠે ગયા હતા. આ દરમિયાન હાથપગ ધોવા જતાં એક યુવકનો પગ લપસી ગયો હતો. તેને ડૂબતો જોઈ બીજો યુવક બચાવવા માટે પાણીમાં પડ્યો હતો. એક ભાઈની લાશ મળીને એકની શોધખોળપરંતુ પાણીના જોરદાર પ્રવાહમાં બંને યુવકો લાપતા થઈ ગયા હતા. ફાયર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની હજુ પણ શોધખોળ ચાલી રહી છે. ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવબીજી ઘટના દહેગામ નરોડા હાઈવે પર રાયપુર નજીક બની હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતો નિખિલ જયંતિભાઈ વાઘેલા કોઈ કારણસર પરિવારથી રિસાઈને ઘરેથી નીકળી ગયો હતો અને રાયપુર પાસેની કેનાલમાં ઝંપલાવી દીધું હતું. તેને રોકવા અને બચાવવા પાછળ આવેલો તેનો ભાઈ પણ તેને બચાવવાની લ્હાયમાં કેનાલમાં પડ્યો હતો. નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી જ્યારે એકનો પત્તો લાગ્યો નથીજોતજોતામાં બંને ભાઈઓ આંખના પલકારે પાણીમાં અદ્રશ્ય થઈ ગયા હતા. આ મામલે ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી નિખિલ વાઘેલાની લાશ શોધી કાઢી છે, જ્યારે તેના ભાઈનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. 'તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ ઘરેથી નીકળી ગયા હતા'આ બંને ઘટનાની તપાસ કરનાર ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિકુલભાઈએ જણાવ્યું કે, નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં સંયુક્ત પરિવારમાં રહેતા જયંતીભાઈ વાઘેલાના બે પુત્રો નિખિલ અને નીરજ વચ્ચે રવિવારે બપોરના સમયે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ આવેશમાં આવીને ઘરેથી નીકળી ગયા હતા અને દહેગામ રોડ તરફ આવેલી નર્મદા કેનાલ પર પહોંચ્યા હતા. જેમાં એક ભાઈએ કેનાલમાં છલાંગ લગાવતા બીજો તેણે બચાવવા અંદર કૂદી ગયો હતો. શોધખોળ દરમિયાન મેદરા ગામ પાસેની કેનાલમાંથી નિખિલ જયંતીભાઈ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથીજ્યારે અન્ય ઘટનામાં ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા બંને પિતરાઈ ભાઈઓ છે. જેઓ એક્ટિવા લઈને કેનાલ તરફ આવ્યા હતા. ગરમી વધુ હોવાથી કેનાલમાં બન્ને હાથપગ ધોવા નીચે ઉતર્યા હતાં. અને બંને ઊંડા પાણીમાં ગરકાવથી ગયાં હતા. આ ઘટનામાં સુનિલ આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે અન્ય બે યુવકોનો હજી પત્તો લાગ્યો નથી.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:27 pm

દ્વારકામાં શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીનો ભવ્ય લગ્નોત્સવ:રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં મોડી રાત સુધી ઉજવણી, ભક્તોના જયઘોષ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ ભક્તિમય

યાત્રાધામ દ્વારકામાં ચૈત્રી સુદ તેરસના પાવન અવસર પર ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણીનો પરંપરાગત લગ્નોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ મંગલ પ્રસંગે હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને પવિત્ર ક્ષણોના સાક્ષી બન્યા હતા. ધર્મનગરીના પ્રસિદ્ધ રૂક્ષ્મણી મંદિરના વિશાળ પટાંગણમાં સાંજે 7 વાગ્યાથી ધાર્મિક વિધિઓ સાથે આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોડી રાત્રી સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજનઉજવણીના ભાગરૂપે સાંજીના પરંપરાગત ભક્તિગીતો, સંગીત સંધ્યા, રૂક્ષ્મણીનો આકર્ષક વરઘોડો તેમજ અન્નકૂટ મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોના જયઘોષ અને મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ આધ્યાત્મિક બની ગયું હતું. વૈદિક પરંપરા મુજબ લગ્નવિધિરવિવારે યોજાયેલા મુખ્ય લગ્નોત્સવમાં સંપૂર્ણ વૈદિક પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું. પૂજારી અરૂણ દવેના માર્ગદર્શન હેઠળ અને યજમાન પરિવારની હાજરીમાં લગ્નવિધિ સંપન્ન થઈ હતી. મંત્રોચ્ચાર, પૂજન અને હવન સાથે આ પાવન પ્રસંગ પૂર્ણ થયો હતો. ભક્તો માટે વિશેષ સુવિધાઆ પ્રસંગે મંદિર પરિસરને વિશેષ રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દૂર-દૂરથી આવતા ભક્તો માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉજવાતો આ પરંપરાગત લગ્નોત્સવ રાજ્યભરના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. આવા આયોજનો દ્વારા પ્રાચીન ધાર્મિક પરંપરાઓનું સંવર્ધન થાય છે અને નવી પેઢીમાં સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ મજબૂત બને છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:24 pm

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ડોગ-બોમ્બ સ્ક્વોડનું સર્ચ ઓપરેશન શરૂ

રાજકોટની કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની નનામી ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા કોર્ટ પરિચરમાં તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવા અંગેનો એક ધમકીભર્યો મેઇલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કોર્ટ પરિસરમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યા છે અને તેને ગમે ત્યારે ઉડાવી દેવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસધમકી મળતાની સાથે જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે અને આવતા-જતા લોકોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સાયબર ક્રાઈમનો તપાસનો ધમધમાટપોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ધમકી કોણે અને કયા હેતુથી આપી છે. સાયબર ક્રાઈમની ટીમ પણ મેઈલના સોર્સને ટ્રેસ કરવા માટે સક્રિય થઈ છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 1:11 pm

ઉમરેઠ બેઠક માટે ભાજપના ઉમેદવાર જાહેર, હર્ષદ પરમારને ટિકિટ:વિધાનસભા પેટા ચૂંટણીમાં ગોવિંદ પરમારના પુત્ર પર ભાજપે વિશ્વાસ મૂક્યો

ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ ઉમરેઠ બેઠક માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. પાર્ટીના હાઈ કમાન્ડે ઉમરેઠ (111) બેઠક પરથી હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને સત્તાવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ મતદાન અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે. ગોંવિદભાઈનો મોત બાદ પેટા ચૂંટણી, ને પુત્રને ભાજપની ટિકિટઉલ્લેખનીય છે કે ઉમરેઠ બેઠક ભાજપના તત્કાલીન ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી થઈ હતી, જેને કારણે અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. સહાનુભૂતિ અને સ્થાનિક જોડાણને ધ્યાનમાં રાખીને ભાજપે ગોવિંદભાઈના પુત્ર હર્ષદ પરમાર પર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેની સત્તાવાર જાહેરાત નવી દિલ્હીમાં આવેલા કેન્દ્રીય કાર્યાલયમાંથી કરવામાં આવી છે. વિરોધ પક્ષ કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે રસપ્રદરાજકીય વિશ્લેષકોના મતે, ભાજપનો આ નિર્ણય સહાનુભૂતિ લહેર સાથે સંગઠન શક્તિનું સંયોજન ઉભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હવે વિરોધ પક્ષો કયા ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તે જોવું રસપ્રદ રહેશે, પરંતુ ઉમરેઠ બેઠક પર ટક્કર કઠિન બનવાની સંભાવના સ્પષ્ટ દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 30 Mar 2026 12:51 pm