SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

25    C
...

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:નેતન્યાહુએ મોદીને એશિયાના સિંહ ગણાવ્યા; NCERTના પુસ્તક પર CJI નારાજ; રશ્મિકા-વિજયના લગ્ન આજે; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ તેજ

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસ સાથે જોડાયેલા રહ્યા. પીએમ નેતન્યાહુએ તેમને એશિયાનો સિંહ ગણાવ્યા. બીજા મોટા સમાચાર NCERTના એક પુસ્તક પર CJIની નારાજગીને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેનેડાના વડાપ્રધાન માર્ક કર્ની ભારત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ PM મોદી સાથે મુલાકાત કરશે. 2. ગૃહ મંત્રી અમિત શાહ બિહાર પ્રવાસે રહેશે. અહીં તેઓ ભારત-નેપાળ સરહદ સુરક્ષાની સમીક્ષા કરશે. કાલના મોટા સમાચારો 1. ઇઝરાયલી સંસદમાં મોદીએ હમાસ હુમલાની નિંદા કરી:કહ્યું- અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત પણ લાંબા સમયથી આતંકવાદથી પીડાઈ રહ્યું છે PM નરેન્દ્ર મોદી બે દિવસના ઇઝરાયલ પ્રવાસે છે. ઇઝરાયલી સંસદને સંબોધતા તેમણે ઇઝરાયલ પર હમાસના હુમલાની નિંદા કરી. મોદીએ કહ્યું, 'અમે તમારું દુઃખ સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડાય છે.' તેમણે કહ્યું કે ભારત હવે અને ભવિષ્યમાં સંપૂર્ણ વિશ્વાસ સાથે ઇઝરાયલ સાથે ઉભું છે. મોદીએ કહ્યું કે કોઈપણ કારણોસર નાગરિકોની હત્યાને વાજબી ઠેરવી શકાય નહીં, અને આતંકવાદને કોઈપણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય નહીં. મોદી નેસેટને સંબોધન કરનારા પહેલા ભારતીય વડાપ્રધાન છે. સંસદમાં પહોંચ્યા પછી સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું અને મોદી, મોદી!ના નારા લગાવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'જ્યુડિશિયલ કરપ્શન' ચેપ્ટરવાળી NCERT બુકના વેચાણ પર પ્રતિબંધ:CJIએ કહ્યું હતું, કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી નથી; હું પોતે આ કેસની તપાસ કરીશ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના ભારે વાંધાને પગલે જ્યુડિશિયલ કરપ્શન ચેપ્ટરવાળી NCERT બુક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. NCERTનાં સૂત્રોએ સમાચાર એજન્સી ANIને આ વાતની પુષ્ટિ કરી. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આ વિભાગ લખવો જોઈતો ન હતો અને આવાં પાસાને પ્રકાશિત કરવાં અયોગ્ય છે. સરકારનો દાવો છે કે બાળકોનાં પુસ્તકોમાં પ્રેરણાદાયી વસ્તુ હોવી જોઈએ. CJI સૂર્યકાંતે બુધવારે આ મુદ્દા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, દુનિયામાં કોઈને પણ ન્યાયતંત્રને બદનામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ એક સારી રીતે વિચારીને લેવાયેલો નિર્ણય લાગે છે. હું આ કેસ જાતે જ સંભાળીશ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 'હું વચ્ચે પડ્યો ન હોત તો પાકિસ્તાની PM માર્યા જાત':ભારત-પાક યુદ્ધ પર ટ્રમ્પનો ઘટસ્ફોટ, કહ્યું- મેં પરમાણુ યુદ્ધ રોકાવ્યું અને કરોડો લોકોના જીવ બચાવ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદ (કોંગ્રેસ)માં પોતાના બીજા કાર્યકાળનું બીજું ‘સ્ટેટ ઑફ ધ યુનિયન’ સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે દાવો કર્યો છે કે 2025ના ભારત-પાકિસ્તાન લશ્કરી તણાવ દરમિયાન તેમના રાજદ્વારી હસ્તક્ષેપથી પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો જીવ બચ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેમણે દરમિયાનગીરી ન કરી હોત તો પરિસ્થિતિ અત્યંત ગંભીર બની શકી હોત. તેમનો દાવો છે કે એ સમયે પરિસ્થિતિ પરમાણુ સંઘર્ષ તરફ આગળ વધી રહી હતી અને તેમની વાટાઘાટોથી 35 મિલિયન લોકોના જીવ બચી ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં બરફીલા તોફાનને કારણે 11 હજાર ફ્લાઇટ્સ રદ:5 લાખ ઘરોમાં વીજળી ગુલ, 153 વર્ષમાં પહેલીવાર ન્યૂઝપેપર છપાયા નહીં અમેરિકામાં ભયંકર તેજ પવનો અને ભારે હિમવર્ષાને કારણે એરપોર્ટ પર રનવે બંધ કરવા પડ્યા અને ઘણી જગ્યાએ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવો પડ્યો છે. અહીં રવિવારથી મંગળવારની વચ્ચે 11,055થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી. માત્ર સોમવારે જ લગભગ 5,600 થી 5,700 ફ્લાઇટ્સ રદ થઈ, જે દેશભરની ફ્લાઇટ્સના લગભગ 20% હતી. આ માહિતી ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેર દ્વારા આપવામાં આવી. નેશનલ વેધર સર્વિસ અનુસાર, રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સના કેટલાક ભાગોમાં લગભગ 37 ઇંચ સુધી બરફ પડ્યો. હિમવર્ષાને કારણે ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં 6 લાખથી વધુ ઘરોની વીજળી ગુલ થઈ ગઈ. સોમવાર સાંજ સુધીમાં 5 લાખ 19 હજાર 232 ઘર અને ઓફિસો વીજળી વગરના હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. VIROSH વેડિંગ: હલ્દી સેરેમનીનો PHOTO સામે આવ્યો:મ્યૂઝિક પાર્ટીમાં કપલે હાથમાં હાથ નાખી એન્ટ્રી કરી, કપલ ડાન્સની પણ ચર્ચા; કાલે એક દિ'માં બે પરંપરાથી લગ્ન ઉદયપુરમાં એક્ટર વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદાનાની આજે મહેંદીની વિધિ થશે. સાંજે સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ ખાસ અવસર માટે 'મોમેન્ટોસ એકાયા' હોટલને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવી છે. બંને 26 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં બંને પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મહેમાનો જ હાજર રહેશે. લગ્ન કરાવવા માટે પંડિતો પણ આજે ઉદયપુર પહોંચી ગયા છે. જ્યારે ફિલ્મ-પ્રોડ્યુસર-ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા પણ પહોંચ્યા છે. તેમની તેલુગુ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'માં વિજય દેવરાકોંડા મુખ્ય ભૂમિકામાં હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ!:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ, મતદાન મથક, કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી હવે મે મહિનાના મધ્યકાળમાં યોજાઈ શકે છે તેવી શકયતા પ્રબળ બની રહી છે. અંતિમ મતદાર યાદી તૈયાર થઈ જતાં ચૂંટણી યોજવા માટેનો માર્ગ હવે લગભગ મોકળો થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા-મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મતદાન મથકોની યાદી, કર્મચારીઓની નિમણૂંક તથા ઈવીએમ મશીનોની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. એલર્ટ! ટ્રાફિક-પોલીસનાં ધાડાં રસ્તા પર ઊતર્યાં:નિયમ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે, અકસ્માતોની સંખ્યા વધતાં આજથી 10 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઇવ જો આજથી તમે હેલ્મેટ વિના, નંબરપ્લેટ વિનાની ગાડી, કાળા કાચવાળી ગાડી અથવા રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય તો પોલીસ તમારી સામે કાર્યવાહી કરશે, કારણ કે 25 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી રાજ્યમાં માર્ગ અકસ્માત ઘટાડવા માટે ખાસ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવા માટે રાજ્ય પોલીસવડા કે.એલ.એન.રાવ દ્વારા તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવી છે. જેથી આજથી ટ્રાફિક-પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમો રોડ ઉપર ઊતરી ટ્રાફિકના નિયમોના ભંગ કરનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરશે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : બોયફ્રેન્ડની સામે 7 લોકોએ મહિલા પર બળાત્કાર કર્યો:10 હજાર ટ્રાન્સફર કરાવ્યા, આસામમાં 2ની ધરપકડ; એક આરોપીના પરિવારે પત્રકાર પર હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ભારતીય સોલર પેનલ પર અમેરિકાએ 126% ડ્યુટી લગાવી:કહ્યું- ચીન ભારત દ્વાર સસ્તા ઉત્પાદનો મોકલી રહ્યું છે, ઇન્ડોનેશિયા પર 143% ટેક્સ લગાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : 30 હજારની લાંચે કરોડોના કૌભાંડનો ભાંડો ફોડ્યો:ડેપ્યુટી ડાયરેક્ટરના ઘરેથી 4.27 કરોડ રોકડા મળ્યા, સૂટકેસ-ટ્રોલી બેગ અને કબાટમાં રૂપિયા જ રૂપિયા વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાના ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયરના શૌચાલય જામ:45 મિનિટ લાઈનમાં ઊભા રહેવું પડે છે, સમારકામ મુદ્દે ટેકનિશિયન અને સૈનિકો વચ્ચે ઝપાઝપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : અનિલ અંબાણીને બે દિવસમાં બીજો ઝટકો:EDએ 17 માળનું ઘર જપ્ત કર્યું, કિંમત 3716 કરોડ રૂપિયા; 40,000 કરોડના ફ્રોડ કેસમાં કાર્યવાહી વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાનની સેમિફાઈનલમાં પહોંચવાની આશા સાવ ધૂંધળી:ક્વોલિફિકેશન માટે બીજાની હાર-જીતની પ્રાર્થના કરવી પડશે, જાણો બાકીની ટીમનાં સમીકરણો શું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : મંગળનું ગોચર, કુંભ રાશિમાં પંચગ્રહી યોગ:મેષ રાશિના લોકો પર ધનવર્ષા, તુલાના જાતકોને સફળતા; વૃષભ-કર્કના જાતકોએ 2 એપ્રિલ સુધી સાવધ રહેવું વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ચરાવવા માટે મળશે 10 હજાર રૂપિયા રાજસ્થાનમાં શિક્ષણ મંત્રી મદન દિલાવરે ‘ગામ ગ્વાલા યોજના’ની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ એક ગોવાળને આશરે 70 ગાયો ચરાવવાની રહેશે. તેના બદલામાં તેને દર મહિને 10 હજાર રૂપિયાનો પગાર આપવામાં આવશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: ઈરાન પર હુમલો કરવા ગયેલા USS જેરાલ્ડ ફોર્ડનું ટોયલેટ જામ; દુનિયાનું સૌથી મોંઘુ યુદ્ધજહાજ નકામું થઈ જશે? 2. જે રસોડામાં રસોઈ બનતી ત્યાં જ પતિની લાશ દાટી દીધી: પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું, એક ફોન આવ્યો ને ભાંડો ફૂટી ગયો 3. ભાસ્કર એક્સક્લૂસિવ : કેવું છે દેશનું સૌથી મોટું ડિટેન્શન સેન્ટર: દલાલને 6-6 હજાર આપીને ભારત આવ્યા, 34 હજારમાં વેચાઈ બાંગ્લાદેશની સૂફી 4. પારકી પંચાત : ‘કંઈ ના થાય’ બોલ્યા ને પથ્થરનો ઘા આવ્યો: જિગીષા પટેલ પર હુમલો પોલિટિકલ સ્ટંટ હતો?; બોઇલ્ડ ભાજી ખાઈ CM બોલ્યા, ‘ટેસ્ટ જાળવી રાખ્યો છે હોં’ 5. Editor's View: કોંગ્રેસના ટીશર્ટ પર 'દેશદ્રોહ'નું ટેગ: વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મેષ અને કુંભ જાતકોની મહેનત સફળતાના દ્વાર ખોલશે, વૃષભ અને મીન જાતકોનું દાંપત્ય જીવન સુખી રહેશે વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 5:00 am

કાર્યવાહી:બુટલેગર ગેંગનો ફરાર લીડર ગાંધીગ્રામના શખ્સની ધરપકડ

જૂનાગઢના ગાંધીગ્રામમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની 6 શખ્સની ગેંગ વિરુધ્ધ ક્રાઈમ બ્રાન્ચે ગઇ તા. 11 ડિસેમ્બરે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરાવ્યો હતો. રવિ ભારાઈએ તેના 5 સાગરીત સાથે દિવ દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી અને વિદેશી દારૂની આયાત માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક સહિત 65 જેટલા ગુના જૂનાગઢ સહિત 6 જિલ્લામાં આચર્યા હતા. કેસમાં તાલાલાનો વિપુલ ઉર્ફે પૂંજો રામભાઈ ઉર્ફે રમણ ખાંભલા, રૂદલપુરનો રાજુ ખેતાભાઇ કરમટા, પોરબંદરના કાટવાણા ગામનો મના કાનાભાઈ કટારા અને તાલાલાનો રામા નારણ ચોપડાની પોલીસે અટક કરી હતી. ગેંગ લીડર રવિ હમીરભાઈ ભારાઈ ગુનો નોંધાયા બાદ નાસતો ફરતો હતો. દરમ્યાન બુધવારે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ આરોપી રવિ ભારાઈની ધરપકડ કરી હતી અને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવાશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આંદોલનની ચીમકી‎:આંગણવાડી કાર્યકરોની કલેકટર કચેરી સુધી રેલી શોષણ અને વહીવટી અન્યાય સામે સૂત્રોચ્ચાર

ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ સંલગ્ન - ભારતીય મજદુર સંઘ દ્વારા આંગણવાડી કાર્યકર અને બહેનોના પડતર પ્રશ્નો બાબતે જૂનાગઢ કલેકટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં ICDS વિભાગના અધિકારીઓના શોષણયુક્ત વર્તન અને વધારાની કામગીરી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં નવા મોબાઈલ આપવાની ખાતરી આપવામાં આવી હતી, જે આજદિન સુધી પૂર્ણ થઈ નથી. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે પોષણ ટ્રેકર, પોષણ સંગમ અને અગમ જેવી એપ્લિકેશનોમાં 80 ટકા જેટલી ટેકનિકલ એરર આવે છે, તેમ છતાં અધિકારીઓ દ્વારા બહેનોને માનસિક ત્રાસ આપી રાજીનામા ધરી દેવાની ધમકી આપવામાં આવે છે. વધુમાં, લાભાર્થીઓના વજન-ઊંચાઈના ડેટામાં વિસંગતતા, નાસ્તાના બિલ અને ગેસ બિલની બાકી ચૂકવણી તેમજ એનજીઓ દ્વારા અપાતા હલકી ગુણવત્તાના નાસ્તા જેવા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સંગઠને માંગ કરી છે કે તમામ આંગણવાડીઓમાં નાસ્તો વર્કર-હેલ્પર બહેનો દ્વારા જ બનાવવામાં આવે જેથી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે. જો વહેલી તકે આ નાણાકીય અને વહીવટી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી મહામંત્રી ભાવિકા બી. ચાંઉ દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ઠગાઈ:ખરીદેલ વસ્તુ રિટર્ન કરવા જતાં યુવક સાથે 59,500ની છેતરપિંડી

શહેરમાં જલારામ સોસાયટીમાં રહેતા અને ગ્લોબલ યુનિવર્સિટી ખાતે એકાઉન્ટ ક્લાર્કની નોકરી કરતા 30 વર્ષીય રવિ શરદભાઈ રાજપુરા ગઈ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સાંજના પોતાના ઘરે હતા ત્યારે તેની માતા માટે મંગાવેલી બંગડી પસંદ ન આવતા તેને પરત કરવા માટે ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર શોધ્યો હતો. આ દરમિયાન સામેથી આવેલા એક અજાણ્યા કોલ દ્વારા ઠગબાજે પોતાની ઓળખ શોપ્સીના પ્રતિનિધિ તરીકે આપી હતી. વિશ્વાસમાં લઈને શખ્સે યુવકને તેના મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી અને ઓર્ડર રિફંડના બહાને ઓટીપી મેળવી લીધો હતો. ​ત્યારબાદ, યુવાનના બેંક ખાતા સાથે જોડાયેલા પેટીએમ મારફતે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂપિયા 59,500 ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં રવિભાઈએ તુરંત બેંકમાં જાણ કરી ખાતું બ્લોક કરાવ્યું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ફરિયાદ:પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી

અવાણીયા ગામની પરિણીતાને સાસુ-સસરાની ચડામણીથી પતિએ મારપીટ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મુકી હોવાની ફરિયાદ થતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી હતી. હાલ માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે પિયરમાં રહેતા 21 વર્ષીય અભિક્ષાબેનના લગ્ન મૂળ કેશોદ તાલુકાના કરેણી ગામના હાલ રાજકોટના શાપર વેરાવળ રહેતા ભગવાનજીભાઈ સુનીલભાઈ સોંદરવા સાથે પ્રેમલગ્ન થયા હતા. લગ્નના શરૂઆતના 4 મહિના બાદ જ સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ મિનાક્ષીબેન અને સસરા સુનીલભાઈ ઘરકામ બાબતે મેણા-ટોણા મારી પરિણીતા પર શંકા-કુશંકા કરતા હતા. પતિ ભગવાનજીને દારૂ પીવાની ટેવ હોવાથી તે અવારનવાર ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતો હતો. ગત તા. 18 જાન્યુઆરીના રોજ સાસુ-સસરાની ચડામણીથી પતિએ પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે કંટાળીને પરિણીતાએ તેના પિતાના ઘરે આશરો લીધો હતો. આ અંગે પરિણીતાએ મંગળવારે ફરિયાદ કરતા માળીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આયોજન:સાળંગપુરમાં તા. 2 અને 4 માર્ચે દીક્ષા સમારોહ: 8મી માર્ચે રંગોત્સવ યોજાશે

BAPS સ્વામિ નારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ મહંત સ્વામી મહારાજનું બુધવારે સાળંગપુર તીર્થધામ ખાતે આગમન થયુ હતુ. સાળંગપુર મંદિરે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતાં જ ઉપસ્થિત સંતો અને વિશાળ સંખ્યામાં હરિભક્તોએ જયનાદ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ ક્ષણે BAPSના યુવકો અને બાળકો દ્વારા વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરી ગુરુહરિ પ્રત્યે અનન્ય ભાવવંદના રજૂ કરવામાં આવી હતી.ઉલ લેખનીય છે કે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી તા. 18 માર્ચ સુધી સાળંગપુર મુકામે રોકાણ કરશે. આગામી 2 અને 4 માર્ચના અનુક્રમે પાર્ષદી અને ભાગવતી દીક્ષા સમારોહ યોજાશે. જેમાં ઉચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા નવયુવાનો સંસારના ભૌતિક સુખોનો ત્યાગ કરી ત્યાગા શ્રમનો પવિત્ર માર્ગ સ્વીકાર શે.તેમજ 8 માર્ચના મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવશે.. દેશ-વિદેશના હજારો હરિભક્તો આ ઉત્સવોમાં સહભાગી થઈ ધન્યતા અનુભવશે..મહંત સ્વામી મહારા આગામી 18 માર્ચ સુધી સત્સંગનો લાભ આપશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ધરપકડ:બોટાદથી ચોરાયેલા બાઈક કેસમાં 2 આરોપી બાઈક સહિત પકડાઈ ગયા

રાણપુર તાલુકાના નાગનેશ ગામનો યુવક તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવતા બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે પાર્ક કરેલ બાઈક કોઈ ચોરી કરી લઈ ગયાની બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. નાગનેશ ગામે રહેતા શૈલેશભાઇ રાજેશભાઈ બારૈયા ગત 15 ફેબ્રુઆરી નાં તેના મિત્ર સાથે બોટાદમાં ખરીદી કરવા આવ્યો હતો સવાર ના સમયે બોટાદ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસે બાઈક પાર્ક કરેલ ત્યારબાદ ખરીદી કરી પરત જવા બપોરના સાડા ત્રણેક વાગ્યે બાઈક મુકેલ હતુ તે જગ્યાએ જઈને જોતા તે જગ્યાએ બાઈક હતુ નહી જેથી આજુબાજુમા શોધખોળ કરી હતી પરંતુ બાઈક મળી આવેલ નહી જેથી GJ-13-R-3434 નંબરનુ બાઈક કોઇ ચોરી કરી લઈ ગયાની 23 ફેબ્રુઆરીના બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ આ બાઈક ચોરી કેસમાં પી.એસ.આઈ. વી.સી. ભરવાડ તથા સર્વેલન્સ ટીમની વિવિધ ટીમો સાથે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અનાર્મ. હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા તથા પ્રફુલકુમાર પટેલે આરોપી રાજેશ દેવજીભાઈ કણઝરીયા, અલ્પેશ મનજીભાઈ મકવાણા (રહે.બન્ને બોટાદ)ને એકનંબર વગરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક કબ્જે કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતાં આરોપીઓએ આ બાઈક ગત 15 ફેબ્રુઆરીએ ટાવર રોડ ઉપર પંચવટી હોટલની સામે રોડની બાજુમાં ડેલા પાસેથી ચોરી હોવાની કબુલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

કરૂણાંતિકા:મચ્છર ભગાડવા કરેલી અગરબત્તીથી ગાદલામાં આગ લાગતા વૃદ્ધનું મોત

બગસરાના મેઘાણીનગર વિસ્તારમાં એક અત્યંત કરુણ ઘટનામાં મચ્છર ભગાડવા માટે કરવામાં આવેલી અગરબતી અને બીડી પીવાની ટેવને કારણે કોઈ રીતે ગાદલામાં આગ લાગતા એક 90 વર્ષીય વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. બગસરાના મેઘાણીનગરમાં રહેતા અને મજૂરી કામ કરી જીવનનિર્વાહ કરતા 90 વર્ષીય જીવરાજભાઇ ગોકળભાઇ પોપલીયા ગઈ કાલે સવારના આશરે 08:50 વાગ્યા પહેલા પોતાના રૂમમાં હતા. વૃદ્ધને બીડી પીવાની આદત હતી અને મચ્છરોથી બચવા માટે રૂમમાં ધુમાડો કર્યો હતો. આ દરમિયાન અચાનક ગાદલામાં આગ લાગી ગઈ હતી. વય મર્યાદાને કારણે વૃદ્ધ કદાચ સમયસર બહાર નીકળી શક્યા ન હતા અને ગંભીર રીતે દાઝી જવાથી તેમનું ઘટનાસ્થળે જ અકાળે અવસાન થયું હતું. આ ઘટના અંગે મૃતકના પુત્ર કિશોરભાઇ જીવરાજભાઇ પોપલીયા દ્વારા બગસરા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક બગસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

મેગા ડીસ કનેક્શન ડ્રાઈવ:ધારીમાં વીજ તંત્ર દ્વારા 49 વીજ જોડાણો કાપી નખાયા

ધારીમાં વિજ કચેરીમાં મેગા ડીસ કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડીસ કનેક્શન ડ્રાઈવમાં કચેરી તરફથી જુદી જુદી 10 ટીમો બનાવી 99 જેટલા ગ્રાહકોના બાકી 5.94 લાખ વસુલવાની કામગીરી હાથ ધરી હતી. ધારીમાં આયોજિત મેગા ડીસ કનેકશન ડ્રાઈવમાં 49 વિજ જોડાણમાં 3.66 લાખ ભરપાઈ ન કરતા આ તમામના વિજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા. 49 લોકોના વિજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. તેમજ 50 વિજ ગ્રાહકોએ 2.03 લાખ વિજબીલની રકમ ભરપાઈ કરી દીધી હતી. ધારીમાં મેગા ડીસ કનેકશન ડ્રાઈવનું નાયબ ઈજનેર જે.એલ.સાંગાણીના સુપરવીઝન નીચે આયોજન કરવામાં આવ્યું હતું. વિજ વિભાગની આ ડ્રાઈવથી વિજબીલ ન ભરપાઈ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

બાકીદારો સામે કાર્યવાહી:વીજ કંપનીએ બાકી બિલની ઉઘરાણી શરૂ કરતા જ સાવરકુંડલા પાલિકાએ 26.56 કરોડનો ચેક આપ્યો

વિજ કંપનીએ બાકી બિલની ઉઘરાણી શરૂ કરતા જ સાવરકુંડલા પાલિકાએ 26.56 કરોડનો ચેક વિજ વિભાગને આપી દીધો હતો. સાવરકુંડલામાં વિજ બિલ બાકીદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં PGVCL દ્વારા વિજ બિલના બાકીદારો સામે મેગા કનેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 25 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા મેગાડીશ કનેક્શન ડ્રાઇમાં 19.73 લાખ બાકી હોવાથી કુલ 192 કનેક્શન કાપી નાખ્યા હતા. આ ઉપરાંત 15.25 લાખ રિકવર કરી રૂપિયા 5200નો રી કનેક્શન ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ નગરપાલિકાની રૂપિયા 26.56 કરોડનો ચેક આ ઝુંબેશમાં વિજ વિભાગને આપ્યો હતો. વીજ જોડાણ ન કપાય તેના માટે લાઈટ બિલ ભરી દેવા પીજીવીસીએલ દ્વારા અપીલ કરવામાં આવી છે. પાલિકાએ વ્યાજ અને અન્ય ચાર્જ માફ કરવાના વાંધા સાથે પાણી શાખાનું બિલ ચુકવ્યું હતું. સાવરકુંડલા પંથકમાં વિજ વિભાગે 192 લોકોના કનેકશન કાપી નાખ્યા હતા. આ કામગીરી માટે અમરેલી જિલ્લાના 29 સબ-ડિવિઝનમાં દસ-દસ માણસોની કુલ 290 ટીમો તૈનાત કરવામાં

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

કામગીરી:લુણીધારના યુવકને મરી જવા મજબૂર કરનાર ટોળકી સામે અંતે ગુનો નોંધાયો

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના લુણીધાર ગામે હનીટ્રેપ અને બ્લેકમેઇલિંગનો ભોગ બનલા એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. આ મામલે મૃતકના ભાઈ રવજીભાઇ ચાવડાએ વડીયા પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી જ્યોતીબેને મૃતક સુનીલભાઇને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ અન્ય ચાર આરોપીઓએ પણ સુનીલના લગ્ન જ્યોતી સાથે કરાવી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લીધો હતો. આ લાલચમાં આવીને સુનીલભાઇએ આરોપીઓને રૂપિયા અઢી લાખ રોકડ, સોનાનો ચેઇન તેમજ પોતાના અગત્યના ડોક્યુમેન્ટ્સ સોંપી દીધા હતા. પૈસા અને દાગીના પડાવી લીધા બાદ આરોપીઓનો અસલી ચહેરો સામે આવ્યો હતો. આ ગેંગે સુનીલભાઈ પાસે વધુ નાણાંની માંગણી શરૂ કરી હતી અને જો પૈસા ન આપે તો તેના પર બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. સતત ત્રણ વર્ષથી ચાલતા આ માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળીને સુનીલભાઇએ અંતે આઘાતમાં આવી લુણીધાર સ્થિત પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. વડીયા પોલીસે આ મામલે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ જ્યોતીબેન દવંડે, અજય દવંડે, ગોવિંદરાવ દવંડે, કિરણબેન દવંડે અને જ્યોતીબેનના માતા તમામ રહે. રાજકોટ, મૂળ મધ્યપ્રદેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આજથી ધો. 10 અને 12ની પરીક્ષા:બોર્ડની પરીક્ષામાં માર્કસ ઓછા પણ જીવનમાં સફળતા અપાર

સમગ્ર અમરેલી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 અને12ની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. જિલ્લામાં ધોરણ 10ના 28 કેન્દ્ર પર 94 બિલ્ડીંગમાં પરીક્ષા છે. જ્યારે ધોરણ 12ના બંને પ્રવાહમાં 20 કેન્દ્ર પર 62 બિલ્ડીંગમાં પ્રવાસ છે. ધોરણ 10માં કુલ 19648 છાત્ર પરીક્ષા આપશે. જ્યારે ધોરણ 12માં 12297 છાત્ર પરીક્ષા આપશે. બંને ધોરણના મળી કુલ 31945 છાત્રો પરીક્ષા આપશે. જો કે જીવનમાં આ પરીક્ષાના માર્કસ જ બધુ નથી. અભ્યાસ દરમિયાન સાધારણ પરિણામ મેળવનારા અનેક લોકો આગળ જતા જીવનની પરીક્ષામાં સફળ થયા છે અને પરીક્ષામાં ઓછા ગુણ મેળવવા છતાં પોત પોતાના ક્ષેત્રમાં ટોચ પર બેઠા છે. અનિલ વેકરીયા ધો.10માં 60 ટકા (આચાર્ય મેઘાણી હાઇસ્કૂલ) વિનોદભાઇ જેઠવા હિતેષભાઇ પરમાર ધો. 12 માં પાસ(સૌરાષ્ટ્ર શરાફી મંડળીના ચેરમેન) ધો.12માં નાપાસ ( કુંડલાના વજન કાંટાના ઉદ્યોગકાર) ધોરણ 12ની પરીક્ષા દરમિયાન માર્ચ 98માં ઈકોનોમિક વિષયમાં માત્ર 47 માર્કસ મેળવ્યા હતા. પરંતુ અર્થશાસ્ત્રનો વિષય નબળો હોવા છતાં નામાંકિત નાણાંકીય સંસ્થાનો સફળ વહિવટ સંભાળ્યોઆગળ પીટીસી કરી 23 વર્ષ સુધી આચાર્ય તરીકે કામ કરી સ્વૈચ્છીક નિવૃતિ લીધી'ને 12 વર્ષથી 550 કરોડનું ટર્નઓવર ધરાવતી સૌરાષ્ટ્ર શરાફી સહકારી મંડળીનું સુકાન સંભાળે છે. સંદેશ : મારા જેવા અનેક લોકો હશે. જેની માર્કસીટ નબળી હશે. પરંતુ જીવનમાં બોર્ડની પરીક્ષાના માર્કસનું જ મહત્વ નથી. જીવનમાં અનેક પરીક્ષા અને તક આવવાની હોય છે. જેમાં સફળતા મળે જ. ધોરણ 10માં માત્ર 60 ટકા માર્કસ હતા અને ગુજરાતી વિષયમાં તો માત્ર 37 માર્કસ મળ્યા હતા. પરંતુ બાદમાં બીએ, બીએડ કરી આજે તે મેઘાણી હાઈસ્કૂલના પ્રિન્સીપાલ બન્યા ધોરણ 10,12નું પરીણામ ભલે નબળુ રહ્યું પણ બીએડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રથમ ક્રમાકે હતા. 2009માં શિક્ષક તરીકે અને 2019થી આચાર્ય તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. સંદેશો: આ પરીક્ષા માત્ર ભણતરની છે. જીવનના ગણતરની નથી. એટલે છાત્રોએ પરીક્ષાનો ડર રાખ્યા વગર કે નિરાશ થયા વગર પરીક્ષા આપવી. માર્કસ ઓછા મળે તો પણ નિરાશ એટલા માટે ન થવું કે કદાચ જીવનમાં વધુ સારી સફળતા તમારી રાહ જોઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

કાર્યવાહી:નવા ઉજળાના શખ્સને પાસા હેઠળ પાલનપુરની જેલમાં ધકેલી દેવાયો

વડીયાના નવા ઉજળા ગામે રહેતા રણજીત કાંતીભાઈ વાઘેલા સામે વડીયા, રાજુલા અને તળાજા પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયેલા હતા. તેમજ મિલકત સબંધીત ગુનાઓ આચરવાની ટેવ ધરાવે છે. વડીયાના પીઆઈ એ.એન.ગાંગણાએ રણજીત કાંતીભાઈ વાઘેલા (ઉ.વ.22) વિરૂદ્ધ જરૂરી પુરાવા એકત્રીત કરી મેજીસ્ટ્રેટ સમક્ષ પાસાની દરખાસ્ત રજુ કરી હતી. જિલ્લા મેજીસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજ દ્વારા રણજીત વાઘેલાને પાસા હેઠળ પાલનપુર જિલ્લા જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. અમરેલી જિલ્લા પોલીવડા સંજય ખરાતની સૂચનાથી એલસીબી ટીમે રણજીત વાઘેલાને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

કાર્યક્રમ:પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પાયાના તત્વો‎અંગે ખેડૂતોને સમજણ આપવામાં આવી‎

અમરેલી પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમનું આયોજન કરવામાં આવે છે. અમરેલીના મોટા આંકડીયામાં અંજીર ફાર્મ ખાતે ખેડૂતો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા આંકડીયા, માલવણ, દહીડા અને પીપળીયા ગામના 150 થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી મેળવી હતી. રાસાયણિક ખેતી થકી જમીનની ફળદ્રુપતા નાશ પામી રહી છે. પેસ્ટીસાઈડ્સના કારણે વિવિધ ઉત્પાદિત પાકની ગુણવત્તા ઘટી રહી છે સાથે માનવીય આરોગ્ય પરનો ખતરો સતત વધી રહ્યો છે. તાલીમ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને અંજીર ફાર્મ ખાતે મુલાકાત કરાવવામાં આવી હતી. સાથે પ્રાકૃતિક કૃષિના પાયાના તત્વો જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, વાપ્સા, મિશ્ર પાક પદ્ધતિ સહિતના વિવિધ આયામો વિષયક માહિતી પુરી પાડવામાં આવી હતી. ખેડૂતોએ અંજીરની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનું જીવંત નિરીક્ષણ કર્યું હતુ. આ તકે તાલુકાના વિસ્તરણ અધિકારી રાહુલભાઈ શેખવા અને આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર મહેશ ઝીડ, માસ્ટર ટ્રેનર વૈશાલીબેન ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

રજુઆત:ચૈત્રી નવરાત્રિમાં સા. કુંડલાથી કનકાઈ એસટી બસ શરૂ કરો

સાવરકુંડલાના સેવાભાવી અને સિનિયર સીટીઝન અગ્રણી નયનભાઈ ગાંધી અને તેમની ટીમ દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજરને પત્ર પાઠવી સાવરકુંડલાથી કનકાઈ સુધીની લોકલ બસ ચૈત્રી નવરાત્રી દરમિયાન ચાલુ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. સાવરકુંડલા ડેપોની સાવરકુંડલાથી આગામી ચૈત્ર માસ તારીખ 19 માર્ચ 2026થી 27 માર્ચ દરમિયાન સાવરકુંડલા કનકાઈ માતાજીની બસ સુવિધા શરુ કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી. ગીર મધ્યે આવેલ કનકાઈ માતાજી મંદિરમાં માતાજીની ભક્તિ અને આરાધના માટે ચૈત્રી નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવાના આવે છે. બધા હિન્દૂ ભક્તો માટે એક અનેરો અવસર હોય છે અને દરેક ધાર્મિક પ્રજા કનકાઈ માતાજીના દર્શન કરવા માટે તત્પર હોય છે. સામાન્ય સંજોગોમાં ત્યાં જવા માટે કોઈપણ બસ સુવિધા સાવરકુંડલાથી નથી પરંતુ જો આ સમય દરમિયાન સ્પેશ્યલ બસ 10 દિવસ માટે દોડાવવામાં આવે તો સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો તેમજ ચલાલા, ધારી વિસ્તારની ધર્મપ્રેમી જનતાને કનકાઈ માતાજીના દર્શનનો બહોળો લાભ મળી રહે તેમ છે. કનકાઈ માતાજીનું મંદિર પ્રાચીન સમયથી આવેલું છે અને ઘણા કુટુંબોના કુળદેવી પણ છે જેથી ચૈત્રી નવરાત્રી દરમિયાન બસ સુવિધા આપવા માંગ કરવામાં આવી હતી. આમ, બસ શરૂ કરાઇ તો લોકોને ફાયદો થશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

વિવાદ:ગીદરડી ગામમાં બળદગાડું, બાઇક અથડાતા બોલાચાલી થતા મહિલા પર કુહાડી વડે હુમલો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. મહેમાનના મોટરસાયકલ સાથે બળદગાડું અથડાવા બાબતે ઠપકો આપતા, ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ એક મહિલા પર જીવલેણ હુમલો કરી મારી નાખવાની ધમકી આપી છે. ગીદરડી ગામે રહેતા રાબીયાબેન ઇકબાલભાઇ અવાદી (ઉ.વ. 35)ના ઘરે મહેમાન આવ્યા હતા. આ મહેમાનનું મોટરસાયકલ ઘરની બહાર પાર્ક કરેલું હતું. તે દરમિયાન ગામના જ જસુભાઇ ઉર્ફે જયસુખભાઇ કણસાગરા પોતાનું બળદગાડું લઇને ત્યાંથી નીકળતા મોટરસાયકલ સાથે અથડાવ્યું હતું. જ્યારે રાબીયાબેનના પતિએ આ બાબતે જસુભાઇને ઠપકો આપ્યો, ત્યારે આ વાતનું મનદુઃખ રાખી જસુભાઇ, અફસાનાબેને અને આરતીબેન સહિત ત્રણ લોકો હથિયારો સાથે ધસી આવ્યા હતા. ત્રણેય જણાએ મહિલા સહિત બે પર હુમલો કર્યો હતો. અને ઢીકાપાટુનો માર મારી પાઈપ અને કુહાડીથી મહિલાને ડાબા ગાલ ઉપર તેમજ ગળાના ભાગે ઇજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓએ ગાળો આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાબતે ખાંભા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી રાબીયાબેનની ફરિયાદના આધારે ત્રણે વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ફરિયાદ:અમરેલીના દહીડા ગામમાં પ્રેમ લગ્નના મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારીમાં 6ને ઇજા

અમરેલી જિલ્લાના દહીડા ગામે રાત્રિના સમયે પ્રેમલગ્નની અદાવતમાં હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. દીકરાએ કરેલા પ્રેમલગ્નનો ખાર રાખીને એક જૂથ દ્વારા લાકડી અને પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ હુમલામાં મહિલાઓ સહિત બંને પક્ષોમાં કુલ 18 જેટલા લોકો ઉપર સામાસામી ફરિયાદ દાખલ કરાઇ છે. અમરેલીના દહીડા ગામના રવજીભાઇ ખીમાભાઇ ધાધલના દીકરાએ અમરશીભાઈની ભાણકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમસંબંધોના લગ્ન પરિવારને મંજૂર નહોતા, જેનું મનદુઃખ તેઓ લાંબા સમયથી રાખી રહ્યા હતા. જેને લઈ ગઈકાલે રાત્રિના આશરે 11 વાગ્યાના અરસામાં, અમરશીભાઈએ અગાઉથી કાવતરું રચી, ગેરકાયદેસર રીતે રવજીભાઇના મકાનમાં પ્રવેશ કર્યો હતો.અને સાથે દિનેશભાઈ, પાલભાઈ ગોરધનભાઇ સહિત 14 જેટલા લોકોએ લાકડીઓ, લોખંડના પાઇપ અને અન્ય હથિયારો વડે પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં માત્ર પુરુષો ઉપરજ નહીં, પરંતુ ઘરની મહિલાઓ પર પણ ઢીકાપાટુ અને હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થયાનું જાણવા મળ્યું છે. તો સામા પક્ષે રવજીભાઈ ધાધલ અને તેમના પત્ની ગીતાબેન સાથે દીકરા દિકરીએ પણ લાકડી અને ઢીકાપાટુનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની 4 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ બંને પક્ષોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આત્મહત્યા:પતિ સાથે બોલાચાલી બાદ પત્નીએ ગળેફાંસો ખાઇ લીધો

અમરેલી શહેરના જેસીંગપરા વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 30 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે. અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય દર્શનાબેન અને તેમના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. આ રકઝક બાદ આવેશમાં આવી જઈને દર્શનાબેને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ કમનસીબે દર્શનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પતિ દિપકભાઈ ભુરાભાઈ બાવળીયા ઉ.વ. 40એ અમરેલી સીટી પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ફરિયાદ:મજૂરીના બાકી પૈસા માંગતા યુવકને ધોકા વડે માર માર્યો

અમરેલી જિલ્લાના બાબાપુર ગામે મજૂરીના બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરવા ગયેલા એક દલિત યુવક પર બે શખ્સોએ હિંસક હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસે આ મામલે પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ બાબાપુર ગામના રહેવાસી ઉમેશભાઈ હીરાભાઈ ચાવડા નામના યુવકે મુકેશભાઈ ભીમજીભાઈ સાંબડીયા પાસે પોતાની મજૂરીના રૂ. 4,200 લેવાના બાકી હતા. ગઈ કાલે બપોરે ઉમેશભાઈ ગામમાં અક્ષય રીબડીયાના ઘરે તે પૈસા લેવા માટે ગયા હતા. પૈસા માંગતા જ મુકેશભાઈ અને તેમના પુત્ર કૌશિક ઉશ્કેરાઈ ગયા હતા અને તારા પૈસા અમે ન આપીએ તો શું કરી લઈશ? તેમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. તકરાર વધતા બંને પિતા પુત્રએ લાદીના તીક્ષ્ણ ટુકડા વડે ઉમેશભાઈના બંને હાથે ગંભીર ચીરા પાડી દીધા હતા. તેમજ પુત્રએ બાજુમાં પડેલો લાકડાનો ધોકો લઈ ઉમેશભાઈના વાંસાના ભાગે ફટકા મારી તેમને નીચે પાડી દીધા હતા. ત્યારબાદ બંને આરોપીઓએ ભેગા મળીને યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને જો હવે પછી પૈસા માંગવા આવીશ તો મારી નાખીશું તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઉમેશભાઈએ આ અંગે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

સન્માન:સાવરકુંડલાના કરજાળા ગામનો યુવાન ફૌજમાંથી નિવૃત થઈ વતન આવતા ભવ્ય સ્વાગત કરાયું

સાવરકુંડલાના કરજાળા ગામના યુવાન અને નિવૃત્ત ફૌજી જવાનનું સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન કરવામા આવ્યું હતું. સમગ્ર કરજાળા ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું. આ તકે રેલી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાપ્રસાદ રખાયો હતો. સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામમાં તાજેતરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગામના વતની અને દેશની સરહદો પર અડીખમ રહીને ભારતમાતાની સેવા કરી નિવૃત્ત થયેલા ફૌજી જવાન જીગ્નેશભાઈ વિઠ્ઠલભાઈ ચાંદગઢીયાનો વતનમાં ભવ્ય અને યાદગાર સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનોમાં ગૌરવ અને હર્ષની લાગણી છવાઈ ગઈ હતી. કાર્યક્રમની શરૂઆત એક ભવ્ય રેલી દ્વારા કરવામાં આવી હતી. નિવૃત્ત જવાનના માનમાં આખું ગામ ઉમટી પડયું હતું અને બેન્ડવાજાના તાલે નીકળેલી આ રેલીએ લોકઉત્સવનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ તકે માત્ર ફૌજી જવાન જ નહીં પરંતુ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ગામનું નામ રોશન કરનાર કરજાળાના અન્ય સરકારી કર્મચારીઓનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. કરજાળા ગામની પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સુરત અને અમદાવાદ ખાતે વસતા ગામના અગ્રણીઓ અને મહેમાનોએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમના પૂર્ણાહુતિ બાદ શેલ કાંઠા હનુમાનજી મહારાજના મંદિરે સમસ્ત ગ્રામજનો માટે ધુમાડાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

એસટી બસોના સુચારૂ સંચાલન માટે ખાસ સૂચના‎:નર્મદામાં આજે 14,580 છાત્રો બોર્ડ પરીક્ષાની કસોટીની એરણે

નર્મદા જિલ્લામાં ધોરણ 10 (એસ.એસ.સી) બોર્ડની પરીક્ષામાં જિલ્લાના 16 પરીક્ષા કેન્દ્રો ખાતે 8719 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે 27 પરીક્ષા બિલ્ડીંગોમાં 303 બ્લોક નક્કી કરાયા છે. જ્યારેધોરણ- 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 6 પરીક્ષા કેન્દ્રો ખાતે 4836 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થશે. જેના માટે 15 બિલ્ડીંગમાં 166 બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે કેન્દ્રો ખાતે 1025 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે માટે 5 બિલ્ડીંગમાં ૫૩ બ્લોક નક્કી કરાયા છે. આમ નર્મદા જિલ્લામાં ધોરણ- 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 24 કેન્દ્રો ખાતે 522 બ્લોકમાં કુલ 14,580 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એસ.ટી. બસોનું નિયમિત સંચાલન થાય, વીજ પ્રવાહ સતત જળાઈ રહે, પરીક્ષા કેન્દ્રોમાં પીવાના પાણીની પુરતી સુવિધા ઉપલબ્ધ થાય, આરોગ્યલક્ષી સુવિધા તુંરત મળી રહે તે માટેની ઉપલબ્ધતાની ચકાસણી કરીલેવા સાથે પરીક્ષાના સમય દરમિયાન અધિકૃત કરાયેલા અધિકારી- કર્મચારીઓ સિવાય અય કોઈ વ્યક્તિ કેમ્પસમાં પ્રવેશ ન કરે તેની કાળજી રાખવી અને વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી ન પડે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ભાસ્કર એનાલીસીસ:નવા સિમાંકન મુજબ નવા અસ્તિત્વમાં આવેલા નાનાપોંઢા તાલુકાને જિલ્લા પંચાયતની 4 બેઠક

વલસાડ જિલ્લા પંચાયતની આગામી વર્ષની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જોરદાર કવાયત શરૂ કરી દેવામાં આવી છે.આયોગે જાહેર કરેલી અનામત ફાળ‌વણીમાં જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે જાતિ વર્ગના આધારે બેઠકો ફા‌ળ‌વાઇ છે.જેમાં ST,SC ,OBC અ્ને સામાન્ય વર્ગના મતદારોના આધારે બેઠકો નિર્ધારિત કરવામાં આવતાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના રાજકારણમાં ચહલપહલ સર્જાઇ છે. આ વખતે જિલ્લામાં કપરાડા તાલુકાનું વિભાજન થયું હતું.જેમાંથી નાનાપોંઢાને છુટું પાડી તેને તાલુકો દરજ્જો અપાતાં નાના પોંઢા તાલુકા પંચાયત અસ્તિત્વમાં આવી છે.જેમાં કપરાડા અને પારડી તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ કરી નવુ સિમાંકન થયું છે.જેને ધ્યાને લઇ નાનાપોંઢાને જિલ્લા પંચાયતની 4 બેઠકો ફાળવવામાં આવી છે.આ જાહેરનામા બહાર પડ્યા બાદ અનેક નેતાઓની બેઠકના વિસ્તાર બદલાઇ ગયા હોય નેતાઓ મુંજવણમાં જણાઇ રહ્યા છે. જિલ્લા પંચાયતની કુલ 36 પૈકી કઇ બેઠકો પર કઇ અનામતઆંબતલાટ તા.ધરમપુર એસટી સીટ, આસલોણાં તા.કપરાડા,એસટી, અંભેટી એસટી,તા.નાનાપોંઢા,અટ ગામ તા.વલસાડ એસટી સ્ત્રી,આવધા તા. ધરમપુર,એસટી સ્ત્રી,બામટી તા.ધરમપુર એસટી,ચણવઇ તા.વલસાડ એસટી,ડહેલી તા.ઉમરગામ ,એસટી,ડુંગરી તા.વલસાડ સામાન્ય સ્ત્રી,ફણસા તા.ઉમરગામ એસટી,હનમતમાળ તા.ધરમપુર એસટી, કકવાડી દાંતી તા.વલસાડ એસટી, કપરાડા તા.કપરાડા એસટી સ્ત્રી, ખતલવાડ તા.ઉમરગામ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, કોસંબા તા.વલસાડ સા.શૈ.પછાતવર્ગ સ્ત્રી, માકડબન તા.ધરમપુર એસટી સ્ત્રી, માંડવા તા.નાનાપોંઢા એસટી સ્ત્રી,મરોલી તા.ઉમરગામ, એસટી,મેઘવા ળ તા.કપરાડા એસટી બેઠક, મોહનગામ તા.ઉમરગામ એસટી સ્ત્રીબેઠક, મોટાપોંઢા,તા.નાનાપોં ઢા સા.શૈ.પછાતવર્ગ,નનકવા ડા તા.વલસાડ સા.શૈ.પછાત વર્ગ બેઠક, નાના પોંઢા તા.નાનાપોંઢા સામાન્ય સ્ત્રી બેઠક, પારડીસાંઢપોર તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, પરિયા તા.પારડી,એસટી સ્ત્રી બેઠક, પારનેરા તા.વલસાડ બિન અનામત સામાન્ય બેઠક, સંજાણ તા.ઉમરગામ બિન અનામત સામાન્ય, સરીગામ તા.ઉમરગામ,સામાન્ય સ્ત્રી, સિલધા તા.કપરાડા એસટી સ્ત્રી, સોળસુંબા તા.ઉમરગામ એસસી સ્ત્રી,સુખેશ તા.પારડી એસટી, તસ્કરીતલાટ ધરમપુર,એસટી સ્ત્રી,ટુકવાડા તા.પારડી એસટી સ્ત્રી, ઉમરસાડી તા.પારડી, બિન અનામત સામાન્ય બેઠક, વડોલી,તા.કપરાડા,એસટી સ્ત્રી બેઠક, વાંકલ તા.વલસાડ એસટી સ્ત્રી બેઠક

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ધરપકડ:આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોને લૂંટતી ટોળકીના 2 પકડાયા

આંગડિયા પેઢીમાંથી પૈસા કે દાગીના લઈને નીકળતા લોકોનો પીછો કરી થોડે દૂર અકસ્માત થયો હોવાનું કહીને ઝગડો કરી લૂંટી લેતી છારા ગેંગના 2 સાગરિત પકડાયા છે. 6 સભ્યની આ ટોળકીએ 4 જ મહિનામાં આ રીતે 7 લૂંટ કરીને રૂ. 40થી 50 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. મહત્ત્વનું છે કે આ ટોળકી સીજી રોડ પરના ઇસ્કોન આર્કેડની પેઢીમાં આવનારા લોકોને જ ટાર્ગેટ કરતા હતા. નગરી હૉસ્પિટલ પાસેથી 4 ફેબ્રુઆરીએ એક્ટિવામાં 5 કિલો ચાંદીને જઈ રતા શખ્સે અકસ્માત કર્યાનું કહીને રૂ. 12.48 લાખની ચાંદી લૂંટીને ટોળકી ભાગી ગઈ હતી. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. દરમિયાનમાં ઝોન-7 એલસીબી પીઆઇ વાય. પી. જાડેજાએ ટીમ સાથે સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું. 350 ફુટેજ જોયા બાદ વાહનના નંબર તેમજ લોકેશનના આધારે પોલીસે પ્રતીક ઉર્ફે અંધો પ્રવિણ રાયલાલ પાનવેકર (28) અને શંકુલ યોગેશભાઈ રસીકભાઈ ભોગેકર (32) (કુબેરનગર, સરદારનગર)ને ઝડપી લીધા હતા. તેમની પાસેથી ચાંદીના 2 ચોરસા, રોકડા રૂ. 8 લાખ, બાઈક, 2 ફોન મળીને રૂ. 12.33 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો જ્યારે અજય ગાગડેકર, વિશાલ તનવાણી, સન્ની તમંચે અને રોજનીશ ગુમાને પકડવા તજવીજ શરૂ કરી હતી. આ ટોળકીએ 4 મહિનામાં એલિસબ્રિજ, રામોલ, સોલા, સરખેજ, ઓઢવ અને બોપલમાં આ જ રીતે 7 લૂંટ કરીને રૂ.50 લાખ જેટલો મુદ્દામાલ લઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ફરિયાદ:ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ કરી યુવતીએ 7.49 લાખ પડાવ્યા

સ્પામાં નોકરી કરતી યુવતી અને તેના 2 સાગરિતે ક્રાઇમ બ્રાંચના માણસ તરીકે ઓળખ આપીને સ્પાના સંચાલક પાસેથી રૂ. 7.49 લાખ પડાવી લીધા હતા. ઘાટલોડિયાના વિનોદભાઈ દરજી (65)એ વર્ષ પહેલાં વસ્ત્રાપુર હિંડોલા કોમ્પ્લેક્સમાં શિવાની નામથી સ્પા-મસાજ પાર્લર શરૂ કર્યું હતું. તેમના સ્પામાં નોકરી કરતી યુવતી સાથે તેઓ 5મીએ કઢંગી હાલતમાં હતા ત્યારે યુવતીના 2 સાગરીત ક્રાઇમ બ્રાંચના માણસ બનીને આવ્યા હતા અને કેસ કરવાની ધમકી આપીને રોકડા 1.50 લાખ તેમજ સ્કેન કરીને 49 હજાર લઈ ગયા હતા. પછી 14મીએ બંનેે દારૂ પીતા હતા ત્યારે પણ 5 લાખ પડાવ્યા હતા. આ અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

વિવાદ:GUએ NSUIના કાર્યકરોના પ્રવેશ રદ કર્યો, કોંગ્રેસે આંદોલનની ચીમકી આપતાં ફરી ગઈ

ગુજરાત યુનિવર્સિટીમાં સંઘના કાર્યક્રમ મુદ્દે એનએસયુઆઈના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પછી વિવાદ સર્જાતાં યુનિવર્સિટીએ એનએસયુઆઇના કાર્યકરોનાં એડમિશન રદ કરીને કેમ્પસમાં પ્રવેશબંધીનો નિર્ણય કર્યો હતો. આ સમગ્ર વિવાદમાં ભાજપ સમર્થિત વિદ્યાર્થી સંગઠન એબીવીપીએ ઝંપલાવીને એનએસયુઆઈના બેનર્સ તોડી નાખતાં વિવાદ વકર્યો છે, તેવામાં કોંગ્રેસ પક્ષે એનએસયુઆઇના સમર્થનમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેના અનુસંધાને યુનિવર્સિટીએ યુ ટર્ન લઈને એડમિશન રદ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. અલબત્ત આ કાર્યકરો સામે એફઆઇઆર કરવાની જાહેરાત કરી છે. દરમ્યાન બુધવારે કોંગ્રેસ પક્ષે કુલપતિ અને રજિસ્ટ્રાર ભાજપ અને સંઘના ઘૂંટણીયે પડી ગયા છે, રબર સ્ટેમ્પની જેમ વર્તે છે તેવો આક્ષેપ કરતાં વિવાદ વકરવાની સંભાવના છે. બુધવારે બપોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થિવરાજ સિંહે આક્ષેપ કર્યો હતો કે ‘કુલપતિ અને રજિસ્ટ્રાર ફરીથી સત્તા અને પદ ટકાવી રાખવા માટે હવાતિયાં મારી રહ્યાં છે. વિદ્યાર્થીઓને આપેલી નોટીસો તાત્કાલિક પાછી નહીં ખેંચાય તો કેમ્પસમાં હલ્લાબોલ કાર્યક્રમ યોજાશે. તાનાશાહી, અરાજકતા અને નિર્દોષ વિદ્યાર્થીઓને લક્ષ્યાંક બનાવાયા છે. યુનિવર્સિટીના સત્તાવાળાઓ એવો આક્ષેપ કર્યો છે કે વિદ્યાર્થીઓએ ગાંધીજીનું અપમાન કર્યું છે, પરંતુ હકીકત એ છે કે આ જ વિદ્યાર્થીઓએ ગોડસેના નાટકનો વિરોધ કર્યો હતો. તો શું આ વિદ્યાર્થીઓ ખરેખર ગાંધીજીનુ અપમાન કરી શકે ખરા? આ વિદ્યાર્થીઓ ગોડસેના વિરોધમાં અને ગાંધીજીના પક્ષમાં વાત કરી રહ્યા છે. કોંગ્રેસના ઓલ ઇન્ડિયા માઈનોરીટી વિભાગના વાઇસ ચેરમેન શાહનવાઝ શેખે જણાવ્યું કે ‘કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો અને વિરોધ પક્ષના અવાજને દબાવવા માટે સીસીટીવી ફૂટેજમાં છેડછાડ કરાયા છે.’

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આયોજન:મા ભદ્રકાળી ઐતિહાસિક પોળોના ભક્તોને દર્શન દેશે, સાબરમતીની આરતી ઉતારશે

ગુરુવારે અમદાવાદનો 616મો જન્મદિવસ છે. વર્ષ 1411માં જે ભૂમિ પર અહમદશાહ બાદશાહે શહેરનો પાયો નાખ્યો હતો, તે નગરનાં રક્ષક દેવી મા ભદ્રકાળી ગુરુવારે ભક્તોને દર્શન આપવા રાજમાર્ગો પર નીકળશે. 616 વર્ષ સુધી આ પરંપરા લુપ્ત હતી પરંતુ ગત વર્ષથી આરંભાયેલી આ ભક્તિમય પ્રથા આજે દિવ્ય સ્વરૂપ ધારણ કરશે. આજની યાત્રામાં માત્ર ધર્મ નહીં, પણ ટૅક્નોલોજી અને પરંપરાનો સુમેળ જોવા મળશે. સવારે નિજ મંદિરથી પૂજા-અર્ચના બાદ મા ભદ્રકાળીની ચલિત મૂર્તિ સુવર્ણ જડિત રથમાં બિરાજમાન થશે. આ વખતે યાત્રાના રૂટમાં ખાસ ફેરફાર કરાયા છે, જેમાં હેરિટેજ પોળોનો સમાવેશ કરીને અમદાવાદની અસલ સંસ્કૃતિને જોડવાનો પ્રયાસ થયો છે. રસ્તામાં હજારો ભક્તો, અખાડા અને ભજન મંડળીઓ માનું સ્વાગત કરશે. આ યાત્રા માણેકચોક અને રતનપોળ થઈને જગન્નાથ મંદિર પહોંચશે, જ્યાં શક્તિ અને ભક્તિના બે પ્રતીકોનો મિલાપ થશે. યાત્રાનું નવું આકર્ષણ, ‘ટેબ્લો ઓફ હેરિટેજ’?આ વર્ષની યાત્રામાં પહેલી વાર 15થી વધુ વિશેષ ટેબ્લો જોડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 615 વર્ષના ઈતિહાસની ઝાંખી રજૂ કરાશે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યારે યાત્રા પહોંચશે ત્યારે 11 ભૂદેવો દ્વારા નદીની શાસ્ત્રોક્ત વિધિથી આરતી કરવામાં આવશે, જે કાશીની ગંગા આરતીની યાદ અપાવશે. સ્ટુડન્ટ ફ્રેન્ડલી યાત્રા, પરીક્ષાર્થીઓને નો-ટેન્શનગુરુવારે બોર્ડની પરીક્ષા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ પ્રશાસને ખાસ પ્લાનિંગ કર્યું છે. યાત્રા જે શાળાઓ પાસેથી પસાર થશે ત્યાં ‘સાયલન્ટ ઝોન’ જાહેર કરાયો છે. લાઉડ સ્પીકર બંધ રખાશે અને પરીક્ષાર્થીઓને ટ્રાફિક ન નડે તે માટે સ્વયંસેવકો ‘માનવ સાંકળ’ બનાવીને રસ્તો ક્લિયર રાખશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

નોટિસ:સિસોદ્રા (ગ)ની મેઘદૂત સોસા.ના 30 પરિવારો પર બેઘર થવાનું સંકટ ઘેરાયું

નવસારી તાલુકાના સિસોદ્રા (ગણેશ) ગામે આવેલી મેઘદૂત સોસાયટી (રબારીવાસ)ના રહીશોએ પોતાનું આશિયાણું બચાવવા માટે કલેક્ટરને ભાવુક રજૂઆત કરી છે. છેલ્લા 55 વર્ષથી સર્વે નં. 146 વાળી જમીન પર કાચા-પાકા મકાનો બનાવી રહેતા 30 જેટલા પરિવારો અત્યારે ઘરવિહોણા થઈ જવાની ભીતિ સેવી રહ્યાં છે. રહીશોએ કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, આ જમીન પર વર્ષોથી તેમના તબેલા અને મકાનો આવ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા મિલકત આકારણી થઇ છે, વેરા બીલો ભરાય છે અને વીજ કનેક્શન પણ ધરાવે છે. ચૂંટણીમાં પણ તેઓ અહીંથી જ મતદાન કરે છે. જો અત્યારે તેમને અહીંથી હટાવવામાં આવશે, તો 30 પરિવારો અને પશુધન સાથે તેઓ નિરાધાર થઈ જશે. પોતાની જિંદગીભરની મૂડી મકાન બનાવામાં ખર્ચી નાંખનાર આ શ્રમજીવી પરિવારોએ કલેક્ટરને ન્યાય અપાવવા અને માનવતાના ધોરણે તેમને બેઘર ન કરવા વિનંતી કરી છે. હાલ જમીનના માલિકે નોટિસ પાઠવી દબાણ દૂર કરવા તાકીદ કરી છે. જેથી સ્થાનિકો દ્વારા કલેકટરને રાવ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

મહારાણા પ્રતાપની પ્રતિમા:વિજલપોરમાં હલ્દીઘાટી અને કુંભલગઢની માટીથી બનેલી મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરાશે

નવસારીના વિજલપોર વિસ્તારમાં ટૂંક સમયમાં મેવાડના તેજસ્વી સૂર્ય ગણાતા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત થવા જઈ રહી છે. આશાપુરી મંદિર પાસે આવેલા સર્કલ પર આ પ્રતિમાના ફાઉન્ડેશનમાં રાજસ્થાનના હલ્દીઘાટી અને કુંભલગઢથી ખાસ મંગાવવામાં આવેલી પવિત્ર માટી અર્પણ કરવામાં આવી છે, જે સમગ્ર પંથકમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની છે. વિજલપોર વિસ્તારમાં વસતા વિવિધ પ્રાંતના લોકોમાં આ સ્મારકને લઈને ભારે ઉત્સાહ છે. પછી તે ઉત્તર ભારતીય હોય, બિહારી હોય, મહારાષ્ટ્રીયન હોય કે સૌરાષ્ટ્રના રાજપૂત હોય, તમામ ક્ષત્રિય સમાજના લોકો એકઠા થઈને આ ભવ્ય કાર્યમાં સહભાગી બની રહ્યા છે. આ પ્રતિમા જયપુરમાં તૈયાર કરવામાં આવશે. જયપુરમાં પ્રતિમાનો ફાઈનલ ઓર્ડર આપી દેવાયો છે. જયપુરના કુશળ કારીગરો દ્વારા આગામી 2 મહિનામાં પ્રતિમા તૈયાર કરી દેવામાં આવશે. સંપૂર્ણ સર્કલનું કામકાજ અને ઉદઘાટન વિધિ આગામી 3 થી 4 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. આવનાર પેઢીને પ્રેરણા આપવાનો પ્રયાસમહારાણા પ્રતાપના શૌર્યની સાક્ષી રહેલી હલ્દીઘાટીની રણભૂમિ અને તેમના જન્મસ્થળ કુંભલગઢની માટી આ પ્રતિમાના પાયામાં નાંખવામાં આવી છે. આ પહેલ પાછળનો હેતુ આવનારી પેઢીઓને મહારાણા પ્રતાપના ત્યાગ, સમર્પણ અને ગૌરવશાળી ઇતિહાસની સતત પ્રેરણા મળતી રહે તેવો છે.> રમેશભાઈ જાદવ, રાજપૂત અગ્રણી

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

જન્મદિન સંભારણું:વેસ્મા ગામના હોવા છતાં મનમોહન દેસાઇની મૂળવતન નવસારી પંથકમાં કોઈ સ્મૃતિ નહીં

મૂળ વતન નવસારી વેસ્માના અને બોલિવૂડમાં લગભગ એક દશક રાજ કરનાર મનમોહન દેસાઇની કોઈ સ્મૃતિ તેમના વતનમાં નથી. 26 ફેબ્રુઆરીનો દિવસ બોલિવૂડના જાણીતા નિર્માતા, દિગ્દર્શક મનમોહન દેસાઈનો જન્મ દિવસ છે. 1937માં તેમનો જન્મ થયો હતો. જન્મ તો મુંબઇમાં થયો હતો પણ તેમનું મૂળ વતન નવસારીનું વેસ્મા હતું. વેસ્મા છોડી બાદમાં તેમના પૂર્વજો બાજુના ગામ નવસારીના જ સંદલપોરમાં જમીન રાખી સ્થાયી થયા હતા, જ્યાં તેમના કુટુંબીઓની આજે પણ જમીન છે. આમ તો મનમોહન દેસાઈએ સક્રિય રીતે 25થી વધુ વર્ષ બોલિવૂડમાં નિર્માતા દિગ્દર્શક તરીકે કામ કર્યું પણ 1975થી 85નો લગભગ એક દશકો તેમનો અને અમિતાભ બચ્ચનનો કહેવાતો હતો. આ સમય દરમિયાન અમર અકબર એન્થની, ધર્મવીર, નસીબ, પરવરીશ, કુલી સહિત અનેક બ્લોક બસ્ટર ફિલ્મો આપી, જેણે તે સમયે કમાણીમાં બોલિવૂડમાં તે સમયના રેકર્ડ તોડ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી વતન નહીં હોય તેવા અનેક વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, મહાનુભાવોની શહેરમાં રોડ નામકરણ, પ્રતિમા યા અન્ય રીતે સ્મૃતિ જળવાઈ છે પણ મનમોહન દેસાઇ મૂળતઃ નવસારી પંથકના હોય અને દેશના ટોચના ફિલ્મ વ્યક્તિ હોવા છતાં કોઈ સ્મૃતિ નથી. અહીં ઉલ્લેખનીય છે કે, વાંસદામાં ત્યાંના સુપુત્ર જયકિશનની સ્મૃતિ સચવાઇ છે. કુળદેવીના દર્શને અવારનવાર આવતામનમોહન દેસાઈના દીકરા કેતન દેસાઇ તો મોટાભાગે મુંબઈ રહે છે પણ તેમના કુંટુંબના યતીન દેસાઈ વેસ્મા નજીકના સંદલપોરમાં રહે છે, જમીન પણ છે. તેઓ જણાવે છે કે મનમોહનજી પલસાણા સ્થિત તેમની કુળદેવી ઘરડી માતાના દર્શને આવતા હતા. તુફાન ફિલ્મ ટાણે તો હેલીકોપ્ટરમાં આવ્યા હતા. તેમનો દીકરો કેતન પણ મારી સાથે વતન કુળદેવીના દર્શને આવે છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

સેવા કેમ્પનું આયોજન:કેસરા હનુમાન મંદિરે ડાકોર સંઘ માટે સૌથી મોટો 100 ફૂટનો સેવા કેમ્પ શરૂ

ડાકોર ધામની પદયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિ અને સેવાભાવથી ધબકી રહ્યું છે. શહેરના ત્રિવેદી પરિવાર દ્વારા કેસરા હનુમાન મંદિર ખાતે ડાકોર જતાં સંઘો માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અગિયારસથી પૂનમ સુધી ચાલનાર આ કેમ્પ યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન બનશે. અમદાવાદથી ડાકોર સુધી આશરે 150થી વધુ સંઘો પગપાળા યાત્રા કરશે. કેમ્પમાં લગભગ 1500 યાત્રાળુઓ આરામથી રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ભોજન, પાણી, આરામ, તબીબી મદદ સહિત 24 કલાક વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. દરેક સંઘના આગમન સમયે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત અને દર્શન-આરતીનું આયોજન કરવામાં આવશે, જે યાત્રાળુઓમાં આધ્યાત્મિક ઉર્જા વધારશે. કેમ્પ ખાતે સેવા સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે જેથી યાત્રાળુઓને માર્ગદર્શન અને સહાય સરળતાથી મળી રહે. જાગૃતિ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સેવા યાત્રાળુઓને સુવિધા આપવાનો માત્ર પ્રયાસ નથી, પરંતુ ભક્તિ સાથે માનવસેવાનો સંકલ્પ છે. આ આયોજન અમદાવાદના લોકો માટે સેવા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. દર વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, પરતું આ વર્ષે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મંદિર તેમ જ 5 વીઘા જગ્યામાં આ પ્રકારના કેમ્પ યોજાશે, આ કાર્ય માટે ત્રિવેદી પરિવાર તથા ટ્રસ્ટના 50થી વધુ લોકો સેવાનો લાભ આપશે. દિવસ દરમિયાન 3 સમય ભોજન વિતરણ કરવામાં આવશે. કેમ્પની મુખ્ય સુવિધાઓ • ડાકોર જનારા 1500 યાત્રાળુઓ માટે રોકાણ વ્યવસ્થા • ડાકોર પદયાત્રીઓ માટે 24 કલાક ભોજન, પાણી અને આરામ સુવિધા • તબીબી સહાય અને માર્ગદર્શન કેન્દ્ર •ઢોલ-નગારા સાથે સ્વાગત અને આરતી કાર્યક્રમ • અગિયારસથી પૂનમ સુધી સતત સેવા •સેવા સેન્ટર દ્વારા સહાય અને માહિતી

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:ઓલિમ્પિક સિટી બનાવવા અમદાવાદ માટે નવું હાઉસિંગ મોડેલ, ત્રણથી વધુ પોલિસી તૈયાર થશે

અમદાવાદના આંગણે વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સ યોજવા માટેની દાવેદારીને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપ શહેરના આયોજનને ધ્યાનમાં રાખી વિકાસ કરવામાં આવી રહ્યો છે. શહેરને સ્માર્ટ અને સસ્ટેનેબેલ ઓલિમ્પિક સિટી તરીકે વિકસાવવા રાજ્ય સરકાર ખાસ હાઉસિંગ પોલિસી બનાવવા જઈ રહી છે, જેમાં 2036 સુધી દર ચાર વર્ષે પોલિસીમાં તબક્કાવાર ફેરફાર સાથે રિડિઝાઈન થશે. જેથી ઓલિમ્પિક માત્ર એક ઇવેન્ટ ન બને અને ઘોસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ સ્માર્ટ, સસ્ટેનેબેલ, અફોર્ડેબલ અને ઇન્કલુસિવ અમદાવાદ બનાવવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે. નવી પોલિસીમાં FSI (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) સહિત મ્યુનિસિપલ ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં રાહતો આપવામાં આવશે. ગ્રીન કવરને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત જમીનના ભાવ, રહેઠાણની માંગ, સ્થળાંતરણ, ગેરકાયદેસર વસાહતો અને પ્રોપર્ટી બજારને સંતુલિત રાખવા હાલની પોલિસીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં આવશે. હાઉસિંગ પોલિસીમાં સુધારાનો ડ્રાફ્ટ તૈયાર કરાશે પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિતના શહેરો માટેની હાઉસિંગ પોલિસીમાં સુધારા વધારા સાથેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 10% જમીન નબળા વર્ગ માટે રાખવાની રહેશે. સાથોસાથ આપવામાં આવતી સુવિધાઓને 7 વર્ષ સુધી મેન્ટેઇન કરવાની જવાબદારી ડેવલપર કે બિલ્ડરની રહેશે. વધારાની FSIના સાથે FSIમાં રાહતો પણ ચોક્કસ ધારાધોરણ પ્રમાણે જ રહેશે. પ્રથમ નવી પોલિસીના મુખ્ય મુદ્દાઓ શું હશે? ભાસ્કર એક્સપર્ટ | ‘સરકાર કોમનવેલ્થ-ઓલમ્પિક માટે ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી બનાવી શકે છે’ગેમ્સના અનુસંધાનમાં સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પોલિસી જાહેર થઈ શકે છે. નવી હાઉસિંગ પોલિસી માટે સરકાર ચર્ચા માટે બોલાવશે તો અમે જરૂર સલાહ સુચન આપીશું. શહેરમાં ઘોસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બને તે સરકાર મલ્ટીપલ આયોજન કરી રહી છે, ખાસ કરીને ટ્રેનિંગ સેન્ટર, હોસ્ટેલ સહિતની કાયમી વ્યવસ્થા કરાશે. ગાહેડ-ક્રેડાઈ દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા પ્રોપર્ટી ઓલિમ્પિયડમાં પણ અમદાવાદનો દસકો થીમ સાથે પ્રોપર્ટી શો યોજાયો હતો. > અંકુર દેસાઈ, સેક્રેટરી, ક્રેડાઈ ઓલમ્પિક વિલેજ ખંડેર ન બને માટે આયોજનજ્યાં ઓલિમ્પિક્સ યોજાઈ હતી તેમાંથી કેટલાક દેશોમાં ઈવેન્ટ બાદનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ ખંડેર થઈ ગયું હતું. અમદાવાદમાં પણ ઓલમ્પિક માટે તૈયાર થનારા ઓલિમ્પિક વિલેજ રીયુઝ પ્લાન તૈયાર કરવો જોઈએ. જેમકે ઓલિમ્પિક વિલેજને વિદ્યાર્થી હોસ્ટેલ, ઓછા ખર્ચાળ ભાડાના રહેણાંક, સરકારી કર્મચારી હાઉસિંગ, આઈટી પાર્ક/ સ્ટાર્ટઅપ લિવિંગ ઝોનમાં ફેરવવાની યોજનાઓ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

રિબેટ યોજના:9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ ભરશો તો 15% સુધી રિબેટ

આગામી 9 એપ્રિલથી 31 મે સુધી મ્યુનિ. ટેક્સ વિભાગે એડવાન્સ ટેક્સ ચૂકવનાર નાગરિકોને મહત્તમ 15 ટકા સુધી રિબેટ યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ યોજના હેઠળ મહત્તમ 13 ટકા સુધી રિબેટ મળતું હતું, જ્યારે આ વર્ષે બજેટમાં 2 ટકા રિબેટમાં વધારો કરવાનો નિર્ણય કરાયો હતો, જે અમલી બનાવાયો છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડે. ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું કે, ગયા વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના હેઠળ 845.35 કરોડની આવક થઈ હતી. કુલ 6 લાખ મિલકતધારકોએ એડવાન્સ ટેક્સ ભર્યો હતો. આ વખતે એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને પણ આ વર્ષે 15 ટકા સુધી લાભ મળી રહે તેવું આયોજન કરાયું છે. તેમાં ગયા વર્ષે એડવાન્સ ટેક્સ ચૂકવનારને 10 ટકા રિબેટના સ્થાને આ વર્ષે 12 ટકા રિબેટ આપવા નિર્ણય કરાયો છે. અબોલ જીવોને પાળતી સંસ્થાઓને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશેહવે જીવદયા સંસ્થાઓ માટે ટેક્સ માફી યોજના અમલી બનાવાઈ છે. આ સંસ્થાઓ અબોલ પશુ-પક્ષીઓ માટે નિ:શુલ્ક સેવા, સારવારકરતી હોવી જોઇએ. આ સંસ્થા ચેરિટી કમિશનર સમક્ષ અથવા તો રજિસ્ટ્રાર ઓફ કંપનીમાં કલમ 8 હેઠળ નોંધાયેલી હોવી જોઈએ અને નિયમિત હિસાબો ઓડિટ કરાવતી હોવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

મ્યુનિ.ની સ્કૂલનાં બાળકોને ફ્રી કોચિંગ:વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ PPP ધોરણે અપાયું, સ્વિમિંગની માસિક ફી રૂ. 600

મ્યુનિ.ના વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સને પીપીપી ધોરણે ચલાવવા આપવાનો નિર્ણય કરાયો છે. તે માટે કોન્ટ્રાક્ટર મ્યુનિ.ને મહિને 2 લાખ ચૂકવશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં મ્યુુનિ. સ્કૂલનાં બાળકો નિ:શુલ્ક પ્રવેશ અપાશે તથા સ્વિમિંગની કોચિંગ ફી પણ લેવાશે નહિ. તાજેતરમાં જ ખુલ્લા મુકાયેલા 61.67 કરોડના ખર્ચે બનેલા વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સને ચલાવવા માટે કરાયેલા ટેન્ડરિંગમાં પીપીપી ધોરણે 10 ‌વર્ષ માટે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ચલાવવા સોફ્ટ ટેનિસ એસોસિયેશન ઓફ ગુજરાતને આપવાનો નિર્ણય કરાયો છે. આ એજન્સી દ્વારા સૂચવવામાં આવતાં નવી કેટેગરી ઉમેરી સેમી એડવાન્સ, એડવાન્સ અને હાઈ પર્ફોર્મન્સ ઉમેરવામાં આવી છે, જેને આધારે ફીનું ધોરણ પણ નક્કી કરાયું છે. નક્કી કરાયેલા દરમાં મ્યુનિ. દ્વારા અત્યારે અન્ય સ્થળે લેવાતી ફી જેટલું જ ધોરણ રાખવામાં આવ્યું છે. તેમાં સ્વિમિંગમાં શિખાઉ માટે રૂ. 600 જ્યારે એડવાન્સ અને હાઈ પર્ફોર્મન્સ માટે 3 માસના રૂ. 5100 જ્યારે જાણકાર સ્વીમર માટે મહિને રૂ.300 નક્કી કરાયા છે. તે રીતે ક્રિકેટમાં શિખાઉ માટે રૂ. 500 પ્રતિમાસ અને સેમી એડવાન્સ હાઈ પર્ફોમન્સ માટે 2 હજારથી 2750 સુધીની ફી નક્કી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

બોર્ડની પરીક્ષાનો પ્રારંભ:ભરૂચ જિલ્લામાં આજથી 143 પરીક્ષા કેન્દ્રો‎પર ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ‎

ભરૂચ જિલ્લામાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે જેમાં પહેલા દિવસે છાત્રોને અધિકારીઓ તરફથી ફૂલ આપીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. પરીક્ષા ને લઈને ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. તેથી છાત્રો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા દિવસે ધો-10 નું ગુજરાતીનું અને ધો-12 ભોતિક વિજ્ઞાન અને કોમર્સના અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાશે. ભરૂચ જિલ્લામાં 143 પરીક્ષા બિલ્ડીંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જે પૈકી એસએસસીમાં 22,796 અને એચએસસીમાં સામાન્ય પ્રવાહમાં 9,774 અને વિજ્ઞાન પ્રવાહમાં 3259 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાથે સંસ્કૃત માધ્યમના 32 વિદ્યાર્થીઓને પરીક્ષા આપશે . સમગ્ર પરીક્ષામાં 153 જેટલા સરકારી પ્રતિનિધિ 143 જેટલા સ્થળો પર સુપરવાઇઝર 1282 જેટલા ખંડ નિરીક્ષક 331 જેટલો પોલીસ સ્ટાફ પરીક્ષા દરમિયાન હજાર રહેશે. પરીક્ષા દરમિયાન પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ટ્રાન્સપોર્ટેશન માટે રીક્ષા એસોસિએશનની મદદથી બાળકોને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આમ પરીક્ષા કેન્દ્ર અંદર વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ કે ઇલેક્ટ્રિક સાધન લઈ જઈ શકશે નહીં. પરીક્ષા દરમિયાન આસપાસના 100 મીટર રેજમાં ઝેરોક્ષ મશીન તેમજ લાઉડસ્પીકર વગાડવા માં પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરીક્ષા આપવા જતી વેળાએ આટલું ધ્યાન રાખો ઓરિજનલ રિસીપ્ટ સાચવો જેમાં સંપૂર્ણ ચકાસી ભૂલ હોય તો જલદી આચાર્યનો સંપર્ક કરો. રિસીપ્ટની એક નકલ વડીલોને આપી રાખો. એક નકલ પરીક્ષા વખતે ઓરીજનલ રિસીપ્ટની સાથે જ પણ અલગ ખિસ્સામાં રાખો. પરીક્ષા ખંડમાં ઊંડો શ્વાસ લો અને આખું પેપર વાંચો તેમજ સમયાંતરે પાણી પીઓ અને ન આવડો પ્રશ્ન છોડી લખવાનું ચાલુ રાખો. સમય મળે ત્યારે તેને લખવાનું રાખો. તેમજ કોઇની સાથે સરખામણી ના કરો તેમજ અફવાઓથી સાવધાન રહો, છ કલાક પૂરી સળંગ ઊંઘ લો, હળવું ભોજન લો.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ભરૂચથી 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી બસ સુવિધા:દાહોદ-ગોધરા તરફ વધારાની 100 બસ દોડાવાશે‎

ભરૂચ જિલ્લામાં આગામી હોળીના તહેવારને લઈને શ્રમીકોને તેમના વતન સુધી જવા માટે ભરૂચ એસટી વિભાગ 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી 100 બસ વધારાની દોડાવશે. ભરૂચ શહેરી વિસ્તારમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીના તહેવારે પોતાના વતનમાં પાછા ફરતા હોય છે. જેને લઈને ભરૂચ ડેપો દ્વારા હોળી ધુળેટીના તહેવાર ને ધ્યાને રાખી પંચમહાલ બાજુના મજૂરી કરતા કર્મયોગી ને તેના વતન તરફ જવા માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપોએ વધારાની બસના સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ, પંચમહાલ અને ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં 27 ફેબ્રુઆરી થી 3 માર્ચ સુધી 100 વધારાની એસટી બસની સુવિધા કરવામાં આવી છે. તેમજ વધુ ટ્રાફિક જણાશે તો વધારાની બસની પણ સુવિધા કરવામાં આવશે. તેમજ જે સ્થળે 50 થી વધુ શ્રમીકો તેમના વતન જવા તૈયાર હશે તેમના માટે તેઓના સ્થળ સુધી બસની સુવિધા આપવામાં આવશે. ઉલેખનીય છે કે, ગત વર્ષે ભરૂચ એસટી વિભાગે હોળી તહેવાર દરમિયાન 92 જેટલી વધારાની બસ ફાળવીને અંદાજે રૂપિયા 13.05 લાખની આવક કરી હતી. આમ વધારાની બસ સુવિધાને કારણે શ્રમિકોને તહેવાર દરમિયાન તેમના વતનમાં જવામાં સરળતા રહેશે. ચાર સ્થળેથી વધારાની બસોનું સંચાલન થશેભરૂચ જિલ્લામાં હોળીના તહેવારને ધ્યાને લઈને 100 વધારાની બસ ફાળવવામાં આવી છે. જેનું સંચાલન અંકલેશ્વર જીઆઇડીસી, ભરૂચ જીએનએફસી, અને ભોલાવ બસ ડેપો થી બસ નું સંચાલન કરવામાં આવે. તેમજ આ ડેપોમાં 50 થી વધુ શ્રમીકો થશે તો આ નજીકના ડેપોએ સંપર્ક કરીને બસ સુવિધા તેમના કામના સ્થળે બોલાવી શકે તેવું આયોજન કરાયું છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા:આજે નગરયાત્રાનો આખો રૂટ વાહનચાલકો માટે બંધ, બોર્ડના વિદ્યાર્થીઓને રસ્તામાં રોકાશે નહિ

નગરદેવી ભદ્રકાળી માની ગુરુવારે નીકળનારી સાડા છ કિમીની નગરયાત્રા 5 હજારથી વધુ લોકો, માતાજીનો 1 રથ, 3 છોટા હાથી, અખાડાના 50 કલાકાર, નાસિક ઢોલનું 1 ગ્રૂપ, જેમાં 26 માણસ, સાધુની 6 ધજા, 1 ડીજે ટ્રક, 3 ભજન મંડળી, 50 કાર, ટ્રસ્ટની 5 જીપ, પ્રસાદી માટેની ગાડી સાથે નીકળશે. જોકે આ યાત્રામાં ડીસીપી, એસીપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ કર્મચારી અને હોમગાર્ડ જવાન મળીને 1550 અધિકારી - કર્મચારી તહેનાત રહેશે. જ્યારે આ યાત્રાનો આખો રૂટ વાહનચાલકો માટે બંધ રહેશે, જેની સામે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ યાત્રાના રૂટ પર બોર્ડની પરીક્ષાનાં 32 કેન્દ્ર આવેલાં છે, જેમાં 7732 વિદ્યાર્થી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રસ્તામાં ક્યાંય રોકવામાં આવશે નહીં. તેમને આ જાહેરનામું લાગુ પડશે નહીં. જ્યારે પરીક્ષા કેન્દ્ર આવતાની સાથે જ ડીજે અને લાઉડ સ્પીકર બંધ કરવાની પણ બાંહેધરી મંદિર ટ્રસ્ટી મંડળ દ્વારા આપવામાં આવી છે. વૈકલ્પિક રૂટ આ રસ્તા બંધ રહેશે ત્રણ દરવાજા, માણેકચોક, ફ્રૂટ માર્કેટ, માણેકનાથ મંદિર, ગાંધીરોડ, ખાડિયા ગેટ, સારંગપુર ચકલા, છબીલા હનુમાન, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, એએમસી કાર્યાલય, ખમાસા, જમાલપુર થઈ રિવરફ્રન્ટ પૂર્વ થઈ મહાલક્ષ્મી મંદિર, શિવાજી ચોક, વસંત ચોક, વીજળી ઘરથી બહુચરાજી મંદિરથી ભદ્રકાળી મંદિર., રિવરફ્રન્ટ (પૂર્વ) પર સોમનાથ ભુદરના આરાથી ગુજરી સર્કલ સુધીનો એક રસ્તો. બંદોબસ્ત 1 ડીસીપી 2 એસીપી 15 પીઆઈ 65 પીએસઆઈ 750 પોલીસ કર્મચારી 700 હોમગાર્ડ જવાન

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આજે મેચ:જનપથ ટીથી મોટેરા ગામ રોડ વાહનો માટે બંધ રહેશે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝ અને સાઉથ આફ્રિકા વચ્ચે ગુરુવારે બપોરે 3 વાગ્યે ટ્વેન્ટી 20 વર્લ્ડ કપની મેચ રમાશે, જેથી સેલિબ્રિટી, વીવીઆઈપી મોટી સંખ્યામાં મેચ જોવા આવવાના હોવાથી જનપથ ટીથી મોટેરા ગામ સુધીનો રસ્તો તથા સ્ટેડિયમ પાસેના કેટલાક રોડ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવશે. વૈકલ્પિક રૂટ આ રૂટ બંધ રહેશે

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આજે અમદાવાદનો 616મો સ્થાપના દિવસ:0.03 ચોરસ કિમીથી શરૂ થયેલું ‘આશાવલ’ 480 ચોરસ કિમીનું ‘અમદાવાદ’ બન્યું, 2050 સુધીમાં 600 ચોરસ કિમીનું થઈ જશે

ખમાસામાં આશાભીલના ટેકરાથી શરૂ થયેલું ‘આશાવલ’ આજે 480.88 ચોરસ કિમીનું અમદાવાદ બની ગયું છે. હજુ 2047 સુધીમાં તેનું ક્ષેત્રફળ 600થી 700 ચો. કિમી થવાની સંભાવના છે, જેમાં સાણંદ, કલોલ, મહેમદાવાદ અને દહેગામને આવરી લેવાશે. જોકે અમદાવાદ શહેરનો આગામી વિકાસ ‘વર્ટિકલ’ વધારે રહેશે એટલે કે હાઈરાઇઝ બિલ્ડિંગો વધશે. હાલના આશાભીલના ટેકરા વિસ્તારને જોઈએ તો તે માંડ 0.03 ચોરસ કિ.મી. જેટલો વિસ્તાર થાય છે. અમદાવાદ શહેર આ સ્થળેથી વિસ્તરી બંને રિંગ રોડને ઓળંગી ગયું છે અને આગામી 2050 સુધીમાં સાણંદ, કલોલ, દહેગામ કે મહેમદાવાદ પણ અમદાવાદ શહેરનો હિસ્સો બની શકે છે. મ્યુનિ.એ કરેલા સરવે અને અંદાજ પ્રમાણે 2035માં અમદાવાદ શહેરમાં 1.29 કરોડની વસતી તેમ જ 2047માં 1.57 કરોડની વસતી હોવાનો અંદાજ છે. આ સિવાય શહેરમાં અનેક નવા રસ્તા બનશે. શહેરને ગ્રીન અમદાવાદ અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડા માટે કામગીરી આરંભવામાં આવી છે. અમદાવાદના વિસ્તરણ માટેનો માસ્ટર પ્લાન બનાવવા સરવે ચાલી રહ્યો છે. ...આંકડામાં સમજો અમદાવાદની આજ-કાલ 1411માં અહમદશાહ બાદશાહે તેના ધર્મગુરુ શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુના માર્ગદર્શન હેઠળ માણેક બુરજ પરથી શહેરના કિલ્લાનો પાયો ચણવાની શરૂઆત કરી હતી. માન્યતા છે કે અમદાવાદ શહેરની પહેલી ઇંટ અહીં મૂકવામાં આવી હતી. 17 ચાર રસ્તા, 80 શેરી બજારઃ 13મી સદીમાં 17 ચાર રસ્તા, 80 શેરી માર્કેટ હતા, આજે હજારથી વધુ ચાર રસ્તા અને જૂજ શેરી માર્કેટ. 11 હજાર વિમાની મુસાફરોથી 1.25 કરોડઃ 1960માં માત્ર 11 હજાર લોકો વર્ષમાં વિમાની મુસાફરી કરતાં, આજે 1.25 કરોડથી વધુ. 61 બેન્કથી 1700થી વધુ બેન્કઃ 1961માં શહેરમાં 61 બેન્ક હતી, આજે 1738થી વધુ બેન્ક શાખા છે. સિટી બસમાં મુસાફરો એટલા જઃ 1966માં એએમટીએસની 371 બસમાં દૈનિક 4 લાખ લોકો મુસાફરી કરતા, આજે પણ એટલા મુસાફર. 10 હજાર ટેલિફોનથી શૂન્યઃ 1966માં અમદાવાદમાં 10 હજાર ટેલિફોન કનેક્શન હતા, આજે 100થી ઓછા, 50 લાખ મોબાઇલ. 9 મોટા મેળાઃ 1960ના દશકમાં વર્ષે 9 મોટા મેળાનું આયોજન થતું, દરેકમાં 5 હજાર લોકો આવતા. સાંરગપુરમાં પુરી પકોડી મેળો વગેરે. પહેલી વન-ડે મેચઃ અમદાવાદમાં દેશની પ્રથમ ક્રિકેટ વન-ડે મેચ 1981માં સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાઇ હતી. અમદાવાદીઓની બચત 4 લાખ કરોડઃ શહેરમાં લોકોની બેન્ક ડિપોઝિટ રૂ.4 લાખ કરોડ, NRI ડિપોઝિટ 25 હજાર કરોડ છે. 1.73 લાખથી 15 લાખ પરિવારઃ 1966માં અમદાવાદમાં કુલ 1.73 લાખ પરિવાર રહેતા હતા, આજે 15 લાખથી વધુ પરિવાર છે. 92 હજાર કરોડની નિકાસઃ અમદાવાદમાંથી વર્ષે 92 હજાર કરોડની નિકાસ, રાજ્યના જીડીપીમાં યોગદાન 20%થી વધુ છે. આશાભીલનો ટેકરોઆશાભીલનો ટેકરો શહેરના ઇતિહાસ સાથે જોડાયેલું સ્થળ છે. શહેરની સ્થાપના પહેલાં અહીં રાજા આશા ભીલે વસવાટ કર્યો હતો. આથી આ સ્થળને ‘આશાભીલનો ટેકરો’ કહેવાય છે. આ વિસ્તારમાં હાલ મ્યુનિ.નો બગીચો છે અને આગળની તરફ ગીતામંદિર બસ મથક છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આયોજન:પાલજની ઐતિહાસિક હોળી સાથે 2 માર્ચે ભવ્ય કાર્યક્રમ

ગાંધીનગરના પાલજ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતી ગુજરાતની સૌથી મોટી હોળીના પર્વ માટે આ વર્ષે વિશેષ આયોજન કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા આ ઐતિહાસિક પરંપરામાં જોડાઈ છે. 2 માર્ચે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. લોકડાયરાનું પણ આયોજન કરાયું છે. મહોત્સવમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. કલાપ્રેમીઓ પણ મોટી સંખ્યામાં આવશે. પાલજની હોળી ભવ્યતા માટે જાણીતી છે જે ગુજરાતની સૌથી મોટી હોળી ગણાય છે સાથે વર્ષો જૂની આસ્થા માટે પણ પ્રખ્યાત છે. આ વર્ષે પરંપરાગત હોલિકા દહન થશે. સાથે જનતાના મનોરંજન માટે ખાસ આયોજન કરાયું છે. સાંસ્કૃતિક વારસો જીવંત રાખવા મહાનગરપાલિકાએ પહેલ કરી છે. કાર્યક્રમની શરૂઆતમાં હોલિકા દહનનું પૌરાણિક મહત્વ રજૂ થશે. ભક્ત પ્રહલાદની કથા પર આધારિત વિશેષ નાટક રજૂ કરાશે. કલાકારો આ કથાને જીવંત કરશે. નાટકથી નવી પેઢીને ભારતીય સંસ્કૃતિનો સંદેશ મળશે. અનિષ્ટ પર ઇષ્ટના વિજયની વાત પણ પહોંચશે. મુખ્ય આકર્ષણ તરીકે લોકગાયક બ્રિજરાજ ગઢવી લોકડાયરો રજૂ કરશે. ડાયરામાં શૌર્યરસ હશે. ભક્તિ સંગીત હશે. લોકસાહિત્યની વાતો પણ હશે. ગાંધીનગર મહાનગરપાલિકાએ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાલજમાં વર્ષોથી પરંપરાગત હોળીની ઉજવણી કરાય છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

પર્દાફાશ:શેરથા ટોલટેક્ષ પાસે ખાતરની આડમાં છુપાવેલો ₹રૂ. 53 લાખનો દારૂ ઝડપાયો

રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB-2) ની ટીમે એક મોટી સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવીને મહેસાણા તરફથી અમદાવાદ મોકલવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે શેરથા ટોલટેક્ષ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી કરોડોના દારૂના કારોબારનો પર્દાફાશ કર્યો છે. જેમાં મહેસાણા તરફથી આવી રહેલી એક આઈસર ટ્રક નંબર GJ-08-AU-8727 ને અટકાવવામાં આવી હતી. જ્યારે પોલીસે આ ટ્રકની તપાસ કરી ત્યારે શરૂઆતમાં તેમાં પશુઓના ગોબરમાંથી બનાવેલા ખાતર (ભુટ્ટા) ભરેલી 50 જેટલી કોથળીઓ જોવા મળી હતી, પરંતુ આ કોથળીઓ હટાવતા જ પોલીસ ચોંકી ઉઠી હતી કારણ કે તેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 361 પેટીઓ ઝડપી પાડી છે, જેમાં રોયલ ચેલેન્જર અને મેકડોઅલ નં-૧ વ્હીસ્કીની બોટલો તેમજ અલ્ટ્રા મેક્સ બીયરના ટીન મળી કુલ 6,876 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત ₹53,72,400 થાય છે. દારૂના આ જથ્થાની સાથે પોલીસે ₹15,00,000 ની કિંમતની આઈસર ટ્રક અને ₹5,000 ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹68,77,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી પકડાયેલા ચાલક ભુપેન્દ્રસિંઘ ઉર્ફે નરેશ માંગીલાલ બિશ્નોઈની પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના સાંચોરના ગોપાલ પુનમારામ બિશ્નોઈએ લુધિયાણાથી ભરાવ્યો હતો અને તેને અમદાવાદ રિંગ રોડ ટોલટેક્ષ પાસે કોઈને પહોંચાડવાનો હતો. હાલમાં પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય સૂત્રધાર ગોપાલ બિશ્નોઈને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

આક્ષેપ:શહેર ભાજપ પ્રમુખ રૂપારેલીયાએ બાંધકામ શાખામાં પોતાના ચાર માણસો મુકી દીધા '

જૂનાગઢ શહેર ભાજપમાં લાંબા સમયથી ધગધગતી આંતરિક જૂથબંધી હવે સ્મશાનના ઓટલેથી બહાર આવી છે. પૂર્વ યુવા ભાજપ ઉપપ્રમુખ તેજસ જોષીના સનસનાટીભર્યા આક્ષેપોએ પક્ષની 'શિસ્તબદ્ધ' છબીના લીરેલીરા ઉડાડી દીધા છે. આક્ષેપ છે કે શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા સંગઠન ચલાવવાને બદલે કરોડો રૂપિયાનું વ્યાજવટાવનું કાળું સામ્રાજ્ય ચલાવી રહ્યા છે. આ વ્યાજચક્રમાં શહેરના નાના વેપારીઓ પાયમાલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, સંગઠનમાં પણ પક્ષના વફાદાર કાર્યકરોને બદલે પોતાના અંગત વહીવટદારો અને એક્ટિવિસ્ટોને ગોઠવી દઈને સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આરોપ છે. જ્યારે નેતાઓ જ વ્યાજખોરી અને કમિશનખોરીમાં વ્યસ્ત હોય, ત્યારે સામાન્ય જનતાની સુખાકારી માત્ર કાગળ પર જ રહી જાય છે. વ્યાજખોરી જ નહીં, પણ જૂનાગઢ મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવવાનો પણ આક્ષેપ છે. તેજસ જોષીના જણાવ્યા મુજબ, પૂર્વ પ્રમુખ પુનિત શર્માએ નીતિ-નિયમોને નેવે મૂકીને શહેરમાં ગેરકાયદે બિલ્ડિંગોનો ખડકલો કરી દીધો છે. ફોર્ચ્યુન પ્લાઝા જેવા અનેક પ્રોજેક્ટ્સમાં ગેરરીતિઓની ગંધ આવી રહી છે. મહાનગર પાલિકાની વિકાસ ગ્રાન્ટમાં પણ ફિક્સ 'ટકાવારી' લેવાતી હોવાના આક્ષેપે વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે. રાયજી બાગમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટના છતાં, સત્તાધારી નેતાઓ માત્ર પોતાની ધારાસભ્ય બનવાની મહત્વાકાંક્ષા સંતોષવા માટે કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભાજપનો ખેસ પહેરીને ભ્રષ્ટાચારનું લાઇસન્સ મેળવી લેનારા આવા નેતાઓને કારણે આજે જૂનાગઢનું રાજકારણ સ્મશાન જેવું ભયાનક અને ગંદું બની ગયું છે. શહેર પ્રમુખે આક્ષેપોના જવાબના બદલે આરતી જોશીનું ગાણુ ગાયુંતેજસ જોશી કે જે પહેલા હોદ્દેદાર હતા અત્યારે તેમના પરિવારમાંથી આરતીબેન જોશી મહિલા મોરચાના અધ્યક્ષ છે. તેમના એક પરિવાર માંથી બે હોદ્દા ન આપી શકાય. આક્ષેપો પાયા વિહોણા છે. > ગૌરવ રૂપારેલીયા પ્રમુખ શહેર ભાજપ

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ભાસ્કર એનાલિસીસ:CBSE, ખર્ચાળ ટ્યુશન ફીને કારણે 12 સાયન્સના વિદ્યાર્થી ઘટ્યા CA-CS, સ્પર્ધાત્મક પરીક્ષાના વિકલ્પથી સામાન્ય પ્રવાહના વધ્યા

જીએસઈબીની ગુરુવારથી શરૂ થતી બોર્ડ પરીક્ષામાં કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થી બેસશે. ધો. 10-12 (સાયન્સ-સા. પ્રવાહ)ની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. કેટલાંક વર્ષોમાં નોંધાયેલા નિયમિત વિદ્યાર્થીઓમાં 12 સાયન્સમાં અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઘટ્યા છે જ્યારે 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ વધ્યા છે. જિલ્લામાં કુલ મળીને 99555 વિદ્યાર્થીઓ ધોરણ 10માં અને ધોરણ 12 સાયન્સમાં કુલ 14,258 જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 58,947 વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયેલા છે. 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ ઘટવા પાછળનાં કારણો • સીબીએસઈ બોર્ડ સાથે સંકળાયેલી સ્કૂલોની સંખ્યામાં વધારો, જેના પરિણામે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો સીબીએસઈ તરફનું વલણ વધતાં સંખ્યામાં ઘટાડો નોંધાયો. • ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સમાં સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોની તોતિંગ ફી તેમજ ફિઝિક્સ, કૅમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી મુખ્ય વિષયોની ટ્યુશન ફી પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા માટે જવાબદાર છે. • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ઇજનેરી કૉલેજોની ફી અને મેડિકલ કૉલેજોની ફી પણ છેલ્લાં 2 વર્ષોમાં ખૂબ જ વધવાને કારણે મધ્યમ વર્ગના વાલીઓને પડી રહેલી આર્થિક મુશ્કેલી પણ જવાબદાર છે. • ધોરણ 12 સાયન્સ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે જેઈઈ, નીટ, ગુજસેટના વધુ પડતા તણાવના કારણે સાયન્સ તરફનું વલણ ઓછું થયું છે. ધોરણ 10ના નોંધાયેલા નિયમિત વિદ્યાર્થીઓ વર્ષ વિદ્યાર્થીઓ 2018 7,95,528 2019 8,28,944 2020 8,04,268 2021 1,07,264 2022 7,81,702 2023 7,41,411 2024 7,06,370 2025 7,62,485 2026 7,69,994 12 સા. પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વિદ્યાર્થીઓ 2022 3,35,145 2023 4,77,392 2024 3,78,268 2025 3,62,506 2026 4,37,279 9 વર્ષના 12 સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ વિદ્યાર્થીઓ 2018 1,34,352 2019 1,23,860 2020 1,16,494 2021 1,07,264 2022 95,361 2023 1,10,042 2024 1,11,132 2025 1,00,575 2026 1,11,294 12 સા.પ્ર.માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા પાછળના જવાબદાર કારણો • સીએ, સીએસ, આઈસીડબલ્યુ, ઈન્ટીગ્રેટેડ એમબીએ, એમએસસી આઈટી જેવા વિકલ્પોને કારણે વિદ્યાર્થીઓ રુચિ અનુસાર કારકિર્દી પસંદ કરી શકે છે. • ધોરણ 10 પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવાનો વિકલ્પ.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ વધ્યું:સરકારને જિલ્લે-જિલ્લે વ્યસન મુક્તિ કેન્દ્રો ખોલવા પડશે, બજેટમાં જોગવાઇ

ગુજરામાં 2024 અને 2025ના બે વર્ષના ગાળા દરમિયાન 3,727 કરોડની કિંમતના 41 હજાર કિલોથી વધુના નશીલા પદાર્થો જપ્ત કરાયાં છે. ડ્રગ્સનું દુષણ રાજ્યમાં એટલું વધ્યું છે કે, ગુજરાત સરકારે યુવાનોને ડ્રગ્સ સહિતના નશીલા દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવા માટે નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં જિલ્લે-જિલ્લે વ્યસન મુક્તિ સારવાર કેન્દ્રો ખોલવાની જોગવાઇ કરવી પડી છે. વિધાનસભામાં ગૃહ વિભાગને લગતા પ્રશ્નો પરના જવાબ આપતી વખતે મંત્રી કૌશિક વેકરિયાએ આ માહિતી આપી હતી. માત્ર જામનગર અને કચ્છ જિલ્લામાંથી જ 244.59 કરોડની કિંમતના ગાંજો,ચરસ, હેરોઇન, કોકેઇન, અફીણ, એમ.ડી.ડ્રગ્સ, પોષડોડા જેવા નશીલા પદાર્થો પકડાયા હોવાનું પ્રશ્નના જવાબમાં જણાવાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે કહ્યું હતું કે, પેડલરોને પકડવામાં આવે છે, પરંતુ સેવન કરતા યુવાનોની ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેનું કાઉન્સેલિંગ કરાવવામાં આ‌વે છે અને તેમની જિંદગી સુધારવાના પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત ડ્રગ્સ માફિયાઓની આખી સર્કિટ તોડવા માટે વિદેશમાંથી ડ્રગ્સ મોકલનારા, ભારતમાં મગાવનારા, ખેપ મારનારા અને ગ્રાહકો એમ તમામ ટોચથી લઇને તળિયા સુધીના તબક્કે તપાસ થાય છે. કચ્છમાં ડ્રગ્સ માફિયાઓની 32.20 કરોડની સંપત્તિ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરાયો હતો. ઓડિશાના ડ્રગ્સ માફિયાની સંપત્તિ પણ જપ્ત કરી તેની હરાજી કરાઇ છે. ગુજરાતમાં ત્રાસવાદ વિરોધી દળ ઉપરાંત નાર્કોટિક્સ વિરોધી દળની રચના કરાઇ છે. આ એજન્સીઓએ અત્યાર સુધીમાં 1,647 ગુના નોંધી ડ્રગ્સ માફિયાને જેર કર્યા છે. અમદાવાદમાં 2 વર્ષમાં કાયદેસર 26.75 લાખ લીટર દારૂ પિવાયોગુજરાત વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોના જવાબમાંથી મળેલી વિગત અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં 2 વર્ષમાં 32 હોટલોને દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. સરકાર અરજી કરનારી હોટલોને પરમિટ લિકર શોપનો પરવાનો આપે છે અને તેમાં વેચાતા દારૂમાંથી સરકારને ડ્યૂટી અને વેરા સ્વરૂપે બે વર્ષમાં 116.32 કરોડની આવક થઇ. હાલ નિયમ અનુસાર એક લીટર વિદેશી દારૂના વેચાણ પર એકસાઇઝ ડ્યૂટી પેટે 300 રૂપિયા અને સ્પેશિયલ ફી પેટે 135 રૂપિયા મળીને 435 રૂપિયા વેરો લેવાય છે. બે વર્ષમાં સરકારને આ વેરા પેટે થયેલી કુલ આવકની દષ્ટિએ કુલ 26.75 લાખ લીટર દારૂનું વેચાણ થયું હોવાનું માની શકાય. જો કે આ આંકડો માત્ર કાયદેસર પરમિટ લિકર શોપ પર પરવાનો ધરાવતા લોકોએ ખરીદેલા દારૂનો જ છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

સાધુ ફરી સંસારી બન્યા!:કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના રામ સ્વામીએ ભગવો ઉતાર્યો, જીન્સ- ટીશર્ટ પહેરી સંસારી બન્યા

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતનો વિવાદ સામે આવ્યો છે. તાજેતરમાં અમદાવાદના કોટેશ્વર ગુરુકુળનો વહીવટ સંભાળતા અને કાલુપુર સંપ્રદાયના મુખ્ય કથા વક્તા સ્વામી રામકૃષ્ણ (રામ સ્વામી)એ સાધુ જીવન છોડીને સાંસારિક જીવન શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે, સોમવરે સંતે ગુરુના આશીર્વાદ લઈને સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. જો કે હરિભક્તો અને સોશિયલ મીડિયામાં એક મહિલા સાથે હોટેલમાં જોવા મળ્યાની અફવા પણ ચાલી રહી છે. ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ છે રામ સ્વામીનો જીવન કાળ સંપ્રદાય સાથે હવે કોઈ લેવાદેવા નથીકાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા જાહેર કરાયું હતું કે સંપ્રદાયના કોઠારી અને કથાકાર સંત રામ સ્વામી (સાધુ રામકૃષ્ણ દાસજી) દ્વારા સાંસારિક જીવન અપનાવી લેવામાં આવ્યું છે. સાધુ રામકૃષ્ણદાસ મહિલા સાથે હોવાની વહેતી થયેલી વાતો બાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંપ્રદાય તરફથી સત્તાવાર રીતે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. 2 દિવસ પહેલા જ તેમણે ગુરુની આજ્ઞા લઈ અને પોતાનું સાંસારિક જીવન શરૂ કર્યું છે. મહિલા સાથેના રંગરલિયાના સમાચાર તદ્દન ખોટા છે. સંપ્રદાય સાથે હવે તેમને કોઈ લેવાદેવા નથી એવી સ્પષ્ટતા મંદિર તરફથી કરવામાં આવી છે. રંગરેલિયાના અહેવાલો પાયાવિહોણાસંપ્રદાયના સંતના જણાવ્યા અનુસાર 23 ફેબ્રુઆરીએ સંસારી જીવન જીવવા સંપ્રદાયમાંથી વિદાય લીધી છે. સોશિયલ મીડિયામાં રંગરલિયાના સમાચાર ખોટા છે. બે ફોટા વાયરલ છે તે સંપ્રદાયનો ત્યાગ કર્યા બાદના છે. તેમની સાથે હવેથી સંપ્રદાયના નામથી કોઈપણ વ્યક્તિએ વ્યવહાર, રાખવો નહીં, તે બાબતની સંપ્રદાયની જવાબદારી રહેશે નહીં. મંદિર ટ્રસ્ટે જાહેરમાં સ્પષ્ટતા કરી અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 4:00 am

ગૂંગળામણથી માતા-પુત્રનું મોત:રાજકોટના મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે લાગી ભીષણ આગ, ચોક્કસ કારણ જાણવા FSLની મદદ લેવાશે

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે જેના કારણે ફ્લેટની અંદર હોલ તેમજ કિચનમાં સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ છે જયારે ઘરની અંદર રૂમમાં સુતેલા વૃદ્ધ માતા-પુત્ર ગૂંગળામણના કારણે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો અને પોલીસે આંગણું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ મેળવી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી.વી.બોરીસાગરએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર શેરી નંબર 8માં આવેલ મન મંદિર એપાર્ટમેન્ટમાં ચોથા માળે બ્લોક નંબર સી-402માં રાત્રીના 12 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી જેના કારણે ફ્લેટમાં હોલ તેમજ કિચનની અંદર સામગ્રી બળીને ખાખ થઇ ગઈ છે. આગ લાગી ત્યારે ઘરની અંદર રૂમમાં વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા (ઉ.વ.92) અને પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા જેમની ઉંમર આશરે 62 વર્ષ છે જેમને કોઈ બર્ન ઇન્જરી થવા પામી નથી પરંતુ ગુંગળામણ થવાના કારણે બેભાન હાલતમાં બન્નેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક રીતે આ બનાવમાં આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું મામવામાં આવી રહ્યું છે પરંતુ આંગણું ચોક્કસ કારણ જાણવા માટે FSL ટીમની પણ મદદ લેવામાં આવશે. FSL રિપોર્ટ આવ્યા બાદ આંગણું ચોક્કસ કારણ જાણી શકાશે. બનાવ અંગેની જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવમાં બન્ને માતા-પુત્રના મોત થતા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવેલ પૌત્ર બનાવ સમીર ઘરે હાજર ન હોવાથી તેમનો જીવ બચી ગયેલ છે માટે પોલીસ દ્વારા તેમનું પણ નિવેદન નોંધી પુછપરછ હાથ ધરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 1:49 am

જકુઝી, સ્ટીમ-સોના બાથની સુવિધા સાથેનું વસ્ત્રાલ સ્પોર્ટસ કોમ્પલેક્સ તૈયાર:જીમ, સ્વિમિંગ પુલ સહિતની 20 રમતો રમી શકાશે, જાણો કઈ રમતની કેટલી ફી?

આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરા આયોજનને લઈ શહેરના પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ ખાતે અધ્યતન એસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું છે. વસ્ત્રાલમાં તૈયાર થયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સમાં જકુઝી, સ્ટીમ બાથ, સોના બાથ, જીમ જેવી સુવિધા ઉપરાંત અલગ અલગ 20 રમતો રમી શકાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ રમતો માટેની ફી પણ નક્કી કરી લેવામાં આવી છે. આવતા મહિને લોકો માટે આ કોમ્પલેક્સ ખુલ્લું મૂકવામાં આવી શકે છે. સ્પોર્ટસ કોમ્પલેક્સમાં વિવિધ રમતો માટેની ફી નક્કી કરવામાં આવીબુધવારે મળેલી કમિટીમાં વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટેબલ ટેનિસ, ફૂટબોલ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, જિમ્નેશિયમ, યોગા, બોક્સિંગ, ચેસ, સ્કેટિંગ વગેરે જેવી રમતો રમાડવામાં આવશે. જેના માટે માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક ફી પણ નક્કી કરવામાં આવી છે. 150 રૂપિયાથી લઈને અલગ અલગ ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કિડ્સ ઝોન માટે પણ ₹50 ફી નક્કી કરવામાં આવી છે જેથી પૂર્વ વિસ્તારના નાગરિકો આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ શકશે. અલગ અલગ રમતો અને સુવિધાની ફી નક્કી કરવામાં આવી છે તે નીચે મુજબ છે. સોફ્ટ ટેનિસ એસોસિએશનને માસિક 2 લાખ રૂપિયાના ભાડે સ્પોર્ટસ કોમ્પલેક્સ ચલાવવા અપાયું રૂ. 61.67 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાતને ચલાવવા માટેની મંજૂરી આજે 25 ફેબ્રુઆરીના રોજ મળેલી રીક્રિએશનલ કમિટીમાં આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને દર મહિને બે લાખ રૂપિયા આપવામાં આવશે. જોકે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા માટે એજન્સી ઉપર અધિકારીઓને ભાજપના સત્તાધીશોએ મહેરબાન થઈ આર્થિક રીતે સ્થાયી થવા માટે એક મહિનાનું ભાડું આપવાનું માફ કર્યું છે અને લાઇટ બીલમાં પણ 50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવિધ રમતો માટેના દર મહિનાની ફી પણ નક્કી કરી દેવામાં આવી છે. રીક્રીએશનલ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી અને ડેપ્યુટી ચેરમેન સ્નેહાબા પરમારે જણાવ્યું હતું કે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નવું બનાવવામાં આવ્યું છે જેને પીપીપી ધોરણે ચલાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જે ટેન્ડર સિંગલ બિડર સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા ભરવામાં આવ્યું હતું. ઓનલાઇન પ્રાઈઝ બીડમાં 1.25 લાખ રૂપિયા ભાડું આપવાનું નક્કી કરાયું હતું જોકે બાદમાં નેગોશિએશન કરીને દર મહિને બે લાખ રૂપિયા ભાડું મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવામાં આવશે. 10 વર્ષ માટે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આગામી મહિને સ્પોર્ટસ કોમ્પલેક્સનું લોકાર્પણ થઈ શકેસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું મહિનાનું લાઈટ બિલ સંચાલક એજન્સી દ્વારા ભરવાનું રહેશે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ત્રણ મહિને લાઈટ બિલમાં 50 ટકા રાહત આપવા અંગેની પણ મંજૂરી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલના બાળકોને મફતમાં કોચિંગ અને રમવા માટે પ્રવેશ આપવાનો રહેશે. બીજી તરફ સંચાલક એજન્સીને આર્થિક રીતે સ્થાયી થવા માટે એક મહિનાનું ભાડું લેવામાં આવશે નહીં. બીજા મહિનાથી ભાડું જીએસટી સાથે ભરવાનું રહેશે. સેન્ટ્રલ્ય એસી સુવિધા અને લાઇબ્રેરી સાથેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે. એરીયા અને અલગ અલગ સુવિધાઓ સાથેનું આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આગામી મહિને નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Feb 2026 12:05 am

શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડની જીતથી પાકિસ્તાન સેમિ ફાઈનલમાંથી આઉટ ! જાણો ગણિત

ICC T20 World Cup 2026, New Zealand vs Sri Lanka : ટી20 વર્લ્ડકપ-2026ના સુપર-8 તબક્કાના રસાકસીભર્યા મુકાબલામાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રને પરાજય આપીને સેમિફાઈનલની રેસમાં મજબૂત પકડ બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 168 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 107 રન જ બનાવી શકી હતી. કીવી ટીમ તરફથી કેપ્ટન મિશેલ સેન્ટનરે સૌથી વધુ 47 રન ફટકાર્યા હતા અને રચિન રવીન્દ્રએ 4 વિકેટ ઝડપી વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ જીત સાથે જ પાકિસ્તાન માટે સેમિફાઈનલનું ગણિત અત્યંત ગૂંચવાળા જેવું બની ગયું છે, કારણ કે ન્યૂઝીલેન્ડનો રન રેટ હવે ઘણો ઊંચો થઈ ગયો છે જે પાર કરવો પાકિસ્તાન માટે અશક્ય સમાન જણાય છે. સેન્ટનર અને મેકકોન્ચીએ ન્યૂઝીલેન્ડને જીત અપાવી

ગુજરાત સમાચાર 25 Feb 2026 11:32 pm

જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સનો સમાપન કાર્યક્રમ યોજાયો:ભાવનગરમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અપાયા

ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર સ્થિત શિશુવિહાર સંસ્થા ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સનો સમાપન કાર્યક્રમ 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. શિશુવિહાર સંસ્થા અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી આ ત્રણ માસનો કોર્સ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી યોજાયો હતો. આ સમાપન કાર્યક્રમમાં વાઘ બકરી ફાઉન્ડેશનના સી.એસ.આર. ઓફિસર મિલનભાઈ પ્રજાપતિ અને વાઘ બકરી ચા પરિવારના સભ્યોની હાજરીમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાલીમાર્થીઓએ કોર્સથી થયેલા ફાયદાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓની માહિતી અને ત્રણ માસ દરમિયાન અપાયેલી વિવિધ પ્રવૃત્તિઓના બ્રોશરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક હોસ્પિટલના એમ.ડી. ડૉક્ટર રાજીવ ઓઝાના માર્ગદર્શન હેઠળ ભાવનગરના વયસ્ક નાગરિકોની સંભાળ માટે વિવિધ બે તાલીમો દ્વારા તૈયાર થયેલી 48 બહેનોની સેવાઓની નોંધ લેવામાં આવી હતી. આ સેવાઓ માટે વાઘ બકરી ચા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેનું સંકલન હીનાબેન ભટ્ટ દ્વારા કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 11:07 pm

મંજૂરી વિના ખોદાણ કરનારા મિલકતદારને નોટિસ:નેતાઓના વિવાદમાં અટવાયેલી સ્કૂલને લીલી ઝંડી અપાશે, સુમન સ્કૂલનું ભાવિ 8 મહિનાથી ટલ્લે ચઢ્યું; હવે સ્ટેન્ડિંગમાં જશે દરખાસ્ત

શહેરમાં વિકાસકાર્યો અને કાયદાકીય શિસ્ત મુદ્દે બે મોટા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કતારગામમાં સુમન સ્કૂલના નિર્માણ સ્થળને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયા અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વચ્ચે સર્જાયેલી ખેંચતાણ હવે સ્ટેન્ડિંગ કમિટીના ઉંબરે પહોંચી છે, જ્યાં 8 મહિનાથી ખોરંભે પડેલા પ્રોજેક્ટને નવી મંજૂરી આપવા કવાયત તેજ થઈ છે. બીજી તરફ, પાલ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામ શરૂ કરનારા મિલકતદારો સામે રાંદેર ઝોને લાલ આંખ કરી કામ અટકાવવા નોટિસ ફટકારી છે. કતારગામમાં સુમન સ્કૂલનું નિર્માણ છેલ્લા 8 મહિનાથી રાજકીય વર્ચસ્વનો મુદ્દો બની ગયું છે. ટીપી સ્કીમ નં-50 (રામકથા રોડ) પર જુલાઈ 2025માં 6.26 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હતું. જોકે, ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્થળ ફેરફારની માંગ કરી સ્કૂલને ગાયત્રી મંદિર પાસે ખસેડવા આગ્રહ રાખ્યો હતો. આ ખેંચતાણ એટલી હદે વધી કે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. નેતાઓની આ લડાઈમાં સામાન્ય જનતા અને બાળકોના શિક્ષણના ભોગે વિકાસ કાર્ય અટવાઈ પડ્યું છે. મંજૂરી વગર જ કોમર્શિયલ પ્લોટ પર બાંધકામ શરૂ કરી દેવાયુંવિવાદની ચરમસીમા ત્યારે આવી જ્યારે સત્તાવાર મંજૂરી મળે તે પહેલાં જ ટીપી-35ના એફપી-123 (ગાયત્રી મંદિર પાછળ) જે ‘સેલ ફોર કોમર્શિયલ’ હેતુનો પ્લોટ હતો, ત્યાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. મંજૂરી વગર થયેલા આ બાંધકામે પાલિકાના વહીવટી તંત્રને પણ દોડતું કરી દીધું હતું. હવે આ ગેરરીતિને ‘વેરિએશન’ પ્રક્રિયા દ્વારા થાળે પાડવા માટે શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે, જેમાં અગાઉના ટેન્ડરને નવા સ્થળ માટે મંજૂરી આપવાની તૈયારી છે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં થશે સુમન સ્કૂલનો આખરી ફેંસલો13 જાન્યુઆરીએ ટીપી સમિતિમાં હેતુ ફેરની દરખાસ્ત મંજૂર થયા બાદ, હવે વેરિએશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શાસકો સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ, રામકથા રોડને બદલે હવે ગાયત્રી મંદિર પાસે જ સ્કૂલ બનાવવાની સત્તાવાર મહોર મારવામાં આવશે. આ નિર્ણય સાથે જ ભાજપના બંને જૂથો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકીય અહમમાં પ્રોજેક્ટના ખર્ચ અને સમય બંનેનો વેડફાટ થયો છે. પાલમાં મંજૂરી વગરની ડિ-વોલ પર રાંદેર ઝોનની તરાપશહેરના વેસ્ટ ઝોન ગણાતા પાલ વિસ્તારમાં પણ પાલિકાની કડક કાર્યવાહી જોવા મળી છે. ટીપી સ્કીમ નં. 16, ફાઈનલ પ્લોટ નં. 98માં શ્રીપદ અરેના પાસેની એક મિલકતમાં પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના જ ડિ-વોલ અને ખોદાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકાને આ અંગેની ફરિયાદ મળતા જ રાંદેર ઝોનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ચાલતું સિવિલ કામ અટકાવી દીધું હતું. નોટિસનો અમલ નહીં થાય તો પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાશેરાંદેર ઝોને મિલકતદારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે મંજૂરી વગર કરાયેલું ખોદાણ તાત્કાલિક પુરાણ કરવામાં આવે. જો નોટિસનો અમલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ દૂર કરવાની અને મિલકત સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરશે. પાલિકાની આ આક્રમકતા જોઈ ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 10:09 pm

બોટાદ MLA ઉમેશ મકવાણાએ વિધાનસભામાં માંગ કરી:કોળી ઠાકોર સમાજ માટે નિગમમાં ગ્રાન્ટ વધારવા, લોન પ્રક્રિયા સરળ કરવા, અલગ મંત્રાલયની રજૂઆત

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ નિગમ માટે ગ્રાન્ટમાં વધારો કરવા, લોન પ્રક્રિયા સરળ બનાવવા અને અલગ મંત્રાલયની રચના કરવાની માંગ કરી છે. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે આ રજૂઆતો કરી હતી. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા 2026-27ના બજેટ પર પોતાના વિચારો રજૂ કરતા, ધારાસભ્ય મકવાણાએ 4 લાખ 8 હજાર કરોડના ઐતિહાસિક બજેટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાણા મંત્રીને સૂચન કર્યું કે કોળી અને ઠાકોર સમાજના નિગમમાં લોન આપવાના નિયમો ખૂબ જ કડક છે. હાલમાં, લોન મેળવવા માટે સાતબારમાં બોજો પડાવવો ફરજિયાત છે, જે પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. ધારાસભ્યએ આ નિયમોમાં ફેરફાર કરીને પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરી. આ ઉપરાંત, ધારાસભ્ય મકવાણાએ કોળી ઠાકોર સમાજ નિગમની ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં કોળી અને ઠાકોર સમાજમાં ધંધા અને શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેથી, સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે અને યુવાનો ઉદ્યોગપતિ બની શકે તે માટે કોળી અને ઠાકોર સમાજ નિગમ માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી. આનાથી યુવાનો અને મહિલાઓ શિક્ષિત બની મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 10:08 pm

કુંભારવાડાના હિસ્ટ્રીશીટરને પોલીસે દબોચ્યો:LCB પોલીસે શંકાસ્પદ રોકડ-દાગીના સાથે પૂછપરછમાં 50 હજારથી વધુની ચોરીની કબૂલાત કરી

ભાવનગર LCB પોલીસે શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તાર માંથી ઘરફોડ ચોરીના મુદામાલ સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. અગાઉ ચોરીના ગુન્હામાં ઝડપાઈ ચુકેલા હિસ્ટ્રીશીટર શખ્સના કબજામાંથી શંકાસ્પદ રોકડ, દાગીના કબજે લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછમાં પોતાની પાસે રહેલો મુદ્દામાલ તેણે બે દિવસ પહેલા શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીના મકાનમાં ચોરી કરી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. LCBએ શખ્સની ધરપકડ કરી બોરતળાવ પોલીસ મથકે સોંપી દેતા બોરતળાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓની તપાસમાં હતાં. તે દરમિયાન ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં વીઆઈપી રોડ પર રામાપીરના મંદીર સામે બોરતળાવ પોલિસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર અને અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ કુંભારવાડા વિસ્તારનો ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ એક બેગમાં શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે ઉભો છે. તેની પાસે રહેલા દાગીના તથા રોકડા રૂપિયા તે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતી. આરોપીએ 50 હજારથી વધુની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતીઆ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ મળી આવ્યો હતો, પોલીસે તપાસ કરતા તેની પાસેથી પાટલા 1 જોડી કિ.રૂ.1500, માળાવાળુ મંગળસુત્ર-1 કિ.રૂ.500 અને રોકડ રૂ.8500 મળી કુલ રૂ.10,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે બાદ વધુ પુછપરછ કરતાં તેણે ગઇ તા.22/02/2026 ના રોજ મોડી રાત્રીના સમયે ભાવનગર શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીમાં આવેલા એક મકાનમાં બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી સોનાની બુટ્ટી જોડ-1 ,મોબાઇલ ફોન 1 તથા રોકડ 50,000ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇને ઝડપી લઈ તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. ભાવનગર એલસીબી પોલીસે ઝડપાયેલ શખ્સ ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇ ની ગુનાહિત પ્રવૃત્તિ અંગે તપાસ કરતા, શખ્સ વિરુદ્ધ અગાઉ અલગ-અલગ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં બોરતળાવ પોલીસ મથકમાં 4 ગુન્હા અને નિલમબાગ પોલીસ મથકમાં 1 ગુન્હો નોંધાયેલો છે. બોરતળાવ પોલીસે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 10:03 pm

વિદ્યાર્થીઓ માટે ખુશખબર...બોર્ડની પરીક્ષા દરમિયાન સિટી બસમાં મળશે ‘ફ્રી રાઈડ’:શહેરની તમામ ઇલેક્ટ્રિક સિટી બસોમાં વિદ્યાર્થીઓ હોલ ટીકીટ દેખાડી વિનામૂલ્ય મુસાફરી કરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ થી 18 માર્ચ દરમિયાન લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાએ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે શહેરની તમામ ઇલેક્ટ્રિક સિટી બસોમાં વિદ્યાર્થીઓ હોલ ટીકીટ દેખાડી વિનામૂલ્ય મુસાફરી કરી શકશે. ​​કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત 'PM-eBus Sewa' અંતર્ગત ભાવનગરમાં કાર્યરત તમામ ઇલેક્ટ્રિક બસોમાં બોર્ડના વિદ્યાર્થીઓ મફત મુસાફરી કરી શકશે, આ નિર્ણયનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટ્રાફિક કે વાહનની અગવડતાથી બચાવી તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો છે, ​વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લેવા માટે બસમાં મુસાફરી કરતી વખતે કંડક્ટરને ધોરણ 10 અથવા 12ની અસલ હોલ ટિકિટ (Admit Card) બતાવવી ફરજિયાત છે, આ સુવિધા માત્ર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે જ છે, આ ફ્રી સેવા માત્ર પરીક્ષાના દિવસો દરમિયાન જ ઉપલબ્ધ રહેશે, વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીકના બસ સ્ટોપથી પરીક્ષા કેન્દ્ર જવા અને ત્યાંથી પરત આવવા માટે આ સેવાનો ઉપયોગ કરી શકશે, મહાનગરપાલિકા દ્વારા નાગરિકો અને વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આ સુવિધાની જાણકારી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે જેથી દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે.​આગામી પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 9:49 pm

બોટાદમાં ST બસ ડ્રાઈવર-રીક્ષાચાલક વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ:ડ્રાઈવરને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ભાંભણ રોડ પર બની ઘટના

બોટાદમાં એસટી બસના ડ્રાઈવર અને રીક્ષાચાલક વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલે શહેરના ભાંભણ રોડ પર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બોટાદ-ઈંગોરાળા રૂટની એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા હાથમાં લોખંડનો પાઈપ લઈને રીક્ષાચાલકને મારી રહ્યા છે. ત્યારબાદ રીક્ષાચાલક પણ એસટી બસના ડ્રાઈવરને મારતો જોવા મળે છે. આ મારામારી દરમિયાન રીક્ષાચાલક સાથે એક મહિલા પણ બસ ડ્રાઈવર સાથે બોલાચાલી કરતી નજરે પડે છે. આ મારામારીમાં બસ ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયાને ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 9:46 pm

પર્યાવરણના ભોગે વિકાસ:સુરત નજીકના સુલતાનાબાદ-ભીમપોર ખાતે TP સ્કીમના કારણે 100થી 400 વર્ષ જૂનાં 4 લાખ વૃક્ષો અને હેરિટેજ ઇમારતોનો વારસો ભૂંસાઇ શકે

સુરત નજીકના સુલતાનાબાદ અને ભીમપોર ખાતે ટીપી સ્કીમના કારણે 100થી 400 વર્ષ જૂનાં 4 લાખ વૃક્ષો અને હેરિટેજ ઇમારતોનો વારસો ભૂંસાઇ શકે છે એવી ફરિયાદ કરતી જાહેરહિતની અરજી હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે ફગાવી કાઢી છે. હાઈકોર્ટે એવું અવલોકન કર્યું છે કે, આ જાહેર હિતની અરજીમાં કરવામાં આવેલા વ્યાપક આરોપોને ધ્યાને લઇ શકાય એમ નથી. કેમ કે જો એવું કરવામાં આવશે તો સંબંધિત વિસ્તારના એકંદર વિકાસ પર ગંભીર અસર પડી શકે છે. હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલસુલતાનાબાદ ભીમપોર સોશિયલ એન્ડ એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન ટ્રસ્ટ તરફથી હાઇકોર્ટ સમક્ષ એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ હેઠળ સુલતાનાબાદ ગામના સ્થાનિકોને પાઠવવામાં આવેલી નોટિસોને પડકારવામાં આવી હતી. અરજદારે એવો દાવો કર્યો હતો કે, તે એક રજીસ્ટર્ડ સોસાયટી છે અને એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન, ફોરેસ્ટ ડેવલપમેન્ટ અને વૃક્ષોની વાવણી જેવા પર્યાવરણના સંરક્ષણ અને જાળવણી માટેના કાર્યો કરે છે. વર્ષ 2014માં એક ચુકાદા મારફતે રદ કરવામાં આવી હતીઆ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે જો સુલતાનાબાદ-ભીમપોર ખાતેની ટીપી સ્કીમ નંબર 79 અને 80 અમલમાં આવશે તો એનાથી સ્થાનિક પર્યાવરણ અને હેરિટેજને ભારે નુકસાન થઇ શકે છે. તમામ તથ્યો અને દલીલો બાદ હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે આ ટીપી સ્કીમ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012માં મંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2013માં અરજદારોએ હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી હતી. જે વર્ષ 2014માં એક ચુકાદા મારફતે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને તેમાં નોટિસ મુજબની કાર્યવાહી પહેલાં ગ્રામજનોએ દાખલ કરેલા વાંધાનો નિર્ણય કરવા કહેવામાં આવ્યું હતું. આ અરજીમાં કોઇ દાદ આપવાનું ઉચિત જણાતું નથીહાઈકોર્ટે નોંધ્યું છે કે, આ આદેશ મુજબની કાર્યવાહી થઇ હતી અને 15 ફેબ્રુઆરી, 2022ના એક આદેશ કરવામાં આવ્યો હતો. જેમાં અરજદારોને સુનાવણીની તક પણ આપવામાં આવી હતી. અલબત્ત જો એ આદેશથી અરજદારોને વાંધો હતો તો તેઓ આટલા વર્ષો ચુપ કેમ રહ્યા અને ફરીથી 2025માં એવી જ દાદ માટે અરજી કેમ દાખલ કરી. આ કોર્ટનું માનવું છે કે, ટીપી સ્કીમના અમલ દ્વારા હયાત પ્લોટ્સને રિ-ઓર્ગેનાઇઝ કરવાના રહે છે. જાહેર માળખાગત સુવિધાઓ ઊભી કરવાની હોય અને જાહેર રસ્તા વગેરે સહિતની સુવિધાઓ આપવાની હોય છે. જેથી કરીને નાગરિકોને વધુ સુવિધાઓ મળી શકે. આ સ્કીમ અંતે તો સ્થાનિકોના હિત અને કલ્યાણ માટે જ છે. તેથી આ અરજીમાં કોઇ દાદ આપવાનું ઉચિત જણાતું નથી.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 9:44 pm

ભરણપોષણના કેસમાં જેલમાં રહેલા કેદીનું હાર્ટએટેકથી મોત:જનાના હોસ્પિટલમાં અધુરા માસે જન્મેલા બાળકનું મોત નીપજતાં માતા-પિતા મૃતદેહ મુકીને ભાગી ગયા, સગર્ભાને ગત રાતે જ રાજકોટમાં ડિલીવરી થઇ'તી

ગઇકાલે રાત્રે સજ્જનબેન ગોરધનભાઈ ડામોર નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના સમયે અધુરા માસે બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો જો કે બાળકનું જન્મ સાથે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિયમ મુજબ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી. જો કે પોલીસ કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રૂમ પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તો હતો પરંતુ તેના માતા-પિતા હાજર મળી આવ્યા ન હતા. હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા-પિતા બંને બામણબોર નજીક રોડના કામની સાઈટ ચાલુ હોઈ ત્યાં મજુરી કામ કરતાં હોવાની માહિતી પોલીસને મળી છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી હિંમત સામતભાઇ સોલંકી (ઉ.વ.30) આજે સવારે જેલમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી હાર્ટએટેક આવતા મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ થતા મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક હિંમત મુળ કુકાવાવના માયાપર ગામનો વતની હોવાનું હાલ શાપર વેરાવળમાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે તેને પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પૂજા હાલમાં રિસામણે હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેના હપ્તા ચડી જતા હિંમત ત્રણ મહિનાથી રાજકોટ જિલ્લા જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે. મારામારી કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે રંગીલા સોસાયટીમાં રહેતા ઘણુંબેન મનસુખભાઈ ડાભી નામની મહિલા શાકભાજીની રેકડી ચલાવતા હોય ત્યારે પાડોશી સંજય ટકો રોજાસરા નામનો શાકભાજીની રેકડી હટાવવાનું કહી અહીં રેકડી નહીં રાખવા બાબતે બોલાચાલી કરી સંજય ઉર્ફે ટકો રોજાસરા વાઘજીએ ગનુબેન ડાભીને લાકડી વડે મારતા વચ્ચે પડેલ પુત્ર લાલજીને પણ ઈજા પહોંચ્યા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સંજય ઉર્ફે ટકો વાઘજી રોજાસરા સામે મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યું હતું બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ એમ પરમાર દ્વારા ફરિયાદી, સાહેદ, તપાસનીશ અને નજરે જોનાર સાહેદને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ.શુકલએ આરોપી સંજય ટકો વાઘજી રોજાસરાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને દંડની સજા ફટકારી છે જેમાં દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો છે. રિસામણે આવેલી પરિણીતાએ માવતરે આપઘાતનો પ્રયાસ કર્યો ગોંડલ ચોકડી પાસે આવેલા રોયલ પાર્ક પાસે રહેતી રુકસાના (ઉ.વ.30) નામની મહિલા કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સાસરુ ધરાવે છે જેને પોતાના માવતરમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રૂકસાનાબેને પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેનો વિરોધ કરતા તેમને માર માર્યો હતો તેમજ એકાદ વર્ષ પહેલા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:47 pm

ફત્તેપુરમાં બે સોલાર પ્લાન્ટને સીલ કરવાની અંતિમ નોટિસ:રૂ.2.01 કરોડના બાકી કરવેરા ન ભરતા પંચાયતની કાર્યવાહી

પાટડી તાલુકાના ફત્તેપુર ગામમાં આવેલા બે સોલાર પ્લાન્ટને રૂ. 2.01 કરોડના બાકી કરવેરા મુદ્દે સીલ કરવાની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. ફત્તેપુર ગ્રામ પંચાયત દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, જો બે દિવસમાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો ત્રીજા દિવસે બંને કંપનીઓને સીલ કરવામાં આવશે. આ કાર્યવાહી MI My Solar Ltd. અને Deserts My Solar Ltd. નામની બે કંપનીઓ સામે કરવામાં આવી છે. આ કંપનીઓ છેલ્લા 12 વર્ષથી ફત્તેપુર ગ્રામ પંચાયતની કરવેરા આકારણીવાળી જમીન પર વીજળી ઉત્પાદન કરી રહી છે અને સબ-સ્ટેશન ડિવિઝનમાં પાવર સપ્લાય કરીને કમાણી કરી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા આ કંપનીઓને અગાઉ ત્રણ વખત કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કંપનીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. આ કંપનીઓ પર છેલ્લા ત્રણ વર્ષના કુલ રૂ. 2,01,11,976 ના કરવેરા બાકી છે. બાકી રકમમાં MI My Solar Ltd. ના રૂ. 71,95,732 અને Deserts My Solar Ltd. ના રૂ. 1,29,16,244 નો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ સીલ લગાવવા અંગેની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કંપનીઓ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. આથી, ફત્તેપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા કંપનીઓને ફરી જાણ કરવામાં આવી છે કે જો આગામી બે દિવસમાં બાકી કરવેરાની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો ત્રીજા દિવસે કંપનીઓને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:42 pm

ડાયમંડ બુર્સમાં તેજીનો કરંટ:અખાત્રીજના શુભ મુહૂર્તે સેંકડો વેપારીઓ ઓફિસોના શ્રીગણેશ કરશે, LB ગ્રુપના 500થી વધુ વેપારીઓની બેઠક યોજાઈ

ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે હીરા ઉદ્યોગના કેન્દ્રબિંદુ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વ્યાપારિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે SDB ખાતે મહીધરપુરા અને વરાછા વિસ્તારના અગ્રણી હીરા વેપારીઓના 'LB ગ્રુપ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 500થી વધુ વેપારીઓએ હાજરી આપી બુર્સને ધમધમતું કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અખાત્રીજના શુભ મુહૂર્તે નવી ઓફિસોના દ્વાર ખુલશેLB ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સુરતના મોટાભાગના વેપારીઓએ આગામી 'અખાત્રીજ'ના પવિત્ર દિવસે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો વિધિવત રીતે શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. જે વેપારીઓની ઓફિસનું ફર્નિચર કામ હજુ બાકી છે, તેઓએ પણ એક મહિનામાં કામ પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે. મે મહિના સુધીમાં બુર્સમાં વેપારીઓની મોટી સંખ્યા કાર્યરત થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. 8 માર્ચથી વધુ 75 વેપારીઓ ટ્રેડિંગ કેબિનમાં બેસશેબુર્સના વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર ગત 18 ફેબ્રુઆરીએ 70 જેટલા વેપારીઓએ ટ્રેડિંગ કેબિનમાં પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. આ સફળતા બાદ હવે આગામી 8 માર્ચના રોજ વધુ 70થી 75 વેપારીઓ LB ગ્રુપના માધ્યમથી ડાયમંડ બુર્સમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છે. આમ, ટ્રેડિંગ કેબિનમાં પણ વેપારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રોકરોની અવરજવર 500થી વધીને 2000 પર પહોંચીSDBમાં માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ બ્રોકરોની ચહલપહલમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. 18 ફેબ્રુઆરી પહેલા જ્યાં રોજના અંદાજે 500 જેટલા બ્રોકરો આવતા હતા, તે સંખ્યા હવે વધીને 2000ને પાર કરી ગઈ છે. ડાયમંડ બુર્સ હવે હીરા ઉદ્યોગ માટે એક સક્રિય, સુવ્યવસ્થિત અને ઝડપથી વિકસતું વ્યાપાર કેન્દ્ર બની રહ્યું છે, જે આગામી દિવસોમાં મુંબઈના વર્ચસ્વને સીધી ટક્કર આપશે. હર્ષ સંઘવી દ્વારા વેપારીઓને સતત માર્ગદર્શનગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ પર પર્સનલ મોનિટરિંગ રાખી રહ્યા છે. તેઓ સતત વેપારીઓ સાથે સંપર્કમાં રહીને તેમને પડતી મુશ્કેલીઓ અને બુર્સમાં શિફ્ટ થવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલ (તુલસીભાઈ) ના જણાવ્યા મુજબ, સરકાર અને બુર્સ કમિટીના સંયુક્ત પ્રયાસોથી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:38 pm

અધિકારી બેઠકમાં રીલ જોતા AMC કમિશનર ગુસ્સે:શહેરમાં ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટનું પ્રેઝન્ટેશન તૈયાર કરવા DYMCને સૂચના, નાઈટ રાઉન્ડમાં કામગીરી કરો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ટ્રાફિક જંકશનના ડેવલોપમેન્ટ માટેની ખાસ સુચના અધિકારીઓને આપી હતી. ગત રીવ્યુ બેઠકમાં ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે અધિકારીઓને કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. જે અંગેનો રિપોર્ટ કમિશનરે માંગ્યો હતો, જેથી એક પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ફોટા સાથેની કોઈ માહિતી નહોતી. જેના પગલે તાત્કાલિક ધોરણે સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટ અને ફોટા સાથે ફરીથી હાજર રહેવા માટેની સૂચના આપી હતી. ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરાઈકમિશનરે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવાની સુચના આપી હતી. લેફ્ટ ટર્ન ફ્રી, ડિવાઈડર લગાવવા અલગ-અલગ સૂચનો કરી અને ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવા માટે ખાસ જણાવ્યું હતું. બધા રિપોર્ટ આપવા માટે કહ્યું હતું ખાલી ચહેરા જોવા માટે અહીંયા નથી આવતા એમ કહી અને આ બાબત ઉપર વધારે ધ્યાન આપવા માટે જણાવ્યું હતું. શહેરમાં આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરવાની હોવાને લઈને તેને લઈને પણ પબ્લિક ટોયલેટની સફાઈ અંગેની સૂચના અધિકારીઓને આપી હતી. શહેરમાં વધતા જતા પ્રદૂષણને લઈને શહેરમાં કન્સ્ટ્રક્શન થાય તો ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીને કહ્યું હતું કે- ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપોરોગચાળાના હાઈ રિસ્ક એરીયા નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં ક્લોરીન ડોઝિયર લગાવવા માટેની વાત કરવામાં આવી હતી તે અંગે પણ કમિશનરે પૂછતા 65 જગ્યાએ ક્લોરિન ડોઝિયર લગાવવામાં આવ્યા છે 15 જગ્યાએ બાકી છે, જેથી આ કેવી રીતે બધું નક્કી થાય છે તે અંગે પૂછતા હેલ્થ વિભાગના અધિકારી દ્વારા જે સ્થળ પર કહેવામાં આવે છે ત્યાં લગાવવામાં આવે છે. જેથી વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીને જ નોડલ ઓફિસર બનાવી અને કામગીરી કરવા જણાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને નાઈટ રાઉન્ડની કામગીરી સોંપવામાં આવે છે, જે અંગે પણ સમીક્ષા કરી હતી. યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. બે ઢોર પકડાયા હતા તેના માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બેઠા બેઠા જવાબ આપ્યો હતો. જેના પગલે અધિકારીને કહ્યું હતું કે ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપો. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુ. કમિશનરને સુચના આપીમ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના અધિકારી રીવ્યુ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની સામે બેઠા હતા. આ દરમિયાન મોબાઇલમાં જોઈ રહ્યા હતા ત્યારે એક રીલ ચાલુ થઈ ગઈ હતી, જેનો અવાજ કમિશનર સુધી પહોંચી ગયો હતો. જેથી, કમિશનર ગુસ્સે ભરાયા હતા અને તેમને બેઠક છોડીને તાત્કાલિક જતા રહેવા માટે કહ્યું હતું. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હતી. રીવ્યુ બેઠકમાં કમિશનરે ગત રિવ્યુ બેઠકના મુદ્દા જ લીધા હતા. નવા બજેટના કામગીરી પર કામગીરી શરૂ કરવા માટે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:35 pm

અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજની વિદ્યાર્થીઓને શુભેચ્છા:ભયમુક્ત, આત્મવિશ્વાસ અને શાંતિથી પરીક્ષા આપવા અપીલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આવતીકાલથી રાજ્યભરમાં પ્રારંભ થશે. પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા પ્રશાસન વતી શુભેચ્છાઓ પાઠવી છે. કલેક્ટર ભારદ્વાજે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વિના આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપવા સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આ પરીક્ષા વિદ્યાર્થીઓના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે. કલેક્ટરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી મહેનતનું ઉત્તમ પરિણામ ચોક્કસ મળશે. તેમણે નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે શુભકામનાઓ પાઠવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાતી આ પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ 10 (SSC) ના કુલ 19,567 અને ધોરણ 12 (HSC) ના કુલ 12,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાઓ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:32 pm

PGVCLના 11 હજાર કર્મચારીઓ લડતના માર્ગે:પડતર પ્રશ્નોને લઈ યુનિયનની 5 માર્ચથી વર્ક ટુ રૂલ, 10મીએ ધરણાની ચીમકી; કોઈ કર્મીઓને અન્યાય ન થયાનો વીજ તંત્રનો ખૂલાસો

સંઘના સંગઠનને તોડવા અનફેર લેબર પ્રેકટિસ અને પડતર પ્રશ્નોના નિકાલ માટે પીજીવીસીએલના 11 હજાર કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં 5 માર્ચથી વર્ક ટુ રૂલ અને 10 માર્ચે ધરણા અને સુત્રોચ્ચારની ચીમકી આપવામાં આવી છે. આ માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરને લેખિતમાં 11 મુદ્દા સાથેનું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે તેની સામે PGVCL દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે, આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એક પણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી. યુનિયન દ્વારા માર્ચ માસની અસર થાય તે રીતે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે પ્રકારે હડતાળની ચિમકી આપી છે. અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવીઅખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, તમામ સર્કલમાં ટેકનિકલ અને નોન ટેકનીકલ કેડર, એકાઉન્ટ ઓફિસર, જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ત્વરીત ભરવી, વર્તુળ કચેરી દ્વારા અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવેલ છે તે જવાબદારીમાંથી મુક્ત કરવા, બઢતી આપવી અને આ માટે પેનલ બનાવી લાયકાત ધરાવતા કર્મચારીઓનો સમાવેશ કરવો. જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતીવીજ અકસ્માતના કિસ્સામાં વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની જવાબદારી બનતી ન હોવા છતાં પણ જવાબદારી ફિક્સ કરી ફરજ મોકુફ કરવામાં આવે છે.આ તમામ કર્મચારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી પાછી ખેંચવી, કંપનીના નિયમ મુજબ કર્મચારીઓને વુલન જર્સી, રેઈન કોર્ટ ઘણા સમયથી આપવામાં આવેલ નથી. તાજેતરમાં જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતી. જેમાં અમુક કર્મચારીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ છે. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને બીએલઓ સહિતની કામગીરી આપવામાં આવતા વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કારઆ ઉપરાંત ભુજ સર્કલના મેનેજમેન્ટ દ્વારા ઘણા સમયથી કંપનીના નિયમો તોડી વારંવાર એક જ યુનિયન અને જાતિ-જ્ઞાતિના સભ્યોને લાભ આપી સંઘના સંગઠનને તોડવામાં આવતી અનફેર લેબર પ્રેકટિસ બંધ કરવા સહિતની માંગણી સાથેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે અને તા.10ના રાજકોટની કોર્પોરેટ કચેરીમાં ધરણા-સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે આ બાબતે PGVCL તરફથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારાએ ખૂલાસો આપતા જણાવ્યું છે કે, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે જણાવવાનું કે, યુનિયન દ્વારા તા.17 જાન્યુઆરી,2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવી હતી. તે બાબતે મેનેજમેન્ટ દ્વારા તા.2 ફેબ્રુઆરી, 2026ના રોજ મીટીંગ આપવામાં આવી હતી અને તે મીટીંગમાં યુનિયન તરફથી રજૂ કરવામાં આવેલ 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બાકીનો એક પ્રશ્ન કંપનીના નિયમો તથા કાયદાકીય અભિપ્રાય ધ્યાને લેતા કંપની દ્વારા યોગ્ય નિર્ણય કર્યો છે. યુનિયનની રજૂઆતના તમામ મુદ્દાઓનો વિગતવાર વિસ્તૃત જવાબ પીજીવીસીએલ દ્વારા તા.18 ફેબ્રુઆરી,2026 ના રોજ આપવામાં આવેલ છે. માર્ચ મહિનાની કામગીરીને અસર થાય એવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશજે બાદ એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા અગાઉની રજૂઆત સાથેના અન્ય 11 મુદ્દા સાથે તા.23 ફેબ્રુઆરી, 2026ના રોજ હડતાલની નોટીસ આપવામાં આવી. તે અનુસંધાને મેનેજમેન્ટ દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત અહેવાલ સીનીયર સેક્રેટરી જનરલ -ઊંઝાને 24 કલાકમાં જ તા.24 ફેબ્રુઆરી,2026 ના રોજ આપી દેવામાં આવ્યો છે. આમ છતાં એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા હડતાલની ચીમકી દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું પગલું ભરી આવનાર માર્ચ મહિનાની કામગીરીને અસર થાય તેવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરી છે તેમજ આંતરિક તપાસ કરતાં કોઇપણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:28 pm

ધોળા દિવસે એક્ટિવાની ચોરી, CCTVમાં કેદ:રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલા વાહનની તસ્કરી, ચાલકે મંદિરના ફૂટેજ ચેક કર્યા

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાહનચાલકે રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું મહેસાણાના પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહેતા અને ONGCમાં ફરજ બજાવતા વિપુલકુમાર ગણેશદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ સવારે તેમની પત્ની કામીનીબેન પોતાનું સફેદ કલરનું હોન્ડા એક્ટિવા (નંબર GJ-01-SD-7585) લઈને લણવા ગામે નોકરીએ જવા નીકળ્યા હતા. તેમણે પોતાનું વાહન રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાસાંજે સાડા પાંચ વાગ્યે નોકરી પરથી પરત ફરતા તેમને પોતાનું એક્ટિવા પાર્ક કરેલ જગ્યાએ જોવા મળ્યું નહોતું. આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે બપોરે આશરે 12.48 વાગ્યે એક અજાણ્યો શખ્સ આ એક્ટિવા ચાલુ કરીને ચોરી કરી જતો દેખાયો હતો.આશરે 20 હજાર રૂપિયાની કિંમતના આ એક્ટિવા અંગે વિપુલકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ અને એક્ટિવાના ચેસીસ તથા એન્જિન નંબરના આધારે અજાણ્યા ચોરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:28 pm

'હા, મારે રશિયન મહિલા સાથે અફેર હતું...', એપસ્ટિન ફાઈલ્સ વિવાદ વચ્ચે બિલ ગેટ્સની કથિત કબૂલાત, માફી માંગી

Bill Gates Epstein Files: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ એક વાર ફરી એપસ્ટિન ફાઈલ્સ સાથે જોડાયેલા વિવાદોથી ચર્ચામાં છે. આ મામલે ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે કથિત રીતે કબૂલાત કરી છે કે બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધ હતા. હાલમાં આવેલા નવા દસ્તાવેજો બાદ વકરેલા વિવાદ પછી બિલ ગેટ્સે માફી સાથે પ્રતિક્રિયા આપી છે. 'એપસ્ટિન સાથે સમય ગાળવો ભૂલ'

ગુજરાત સમાચાર 25 Feb 2026 8:22 pm

ભાવનગર યુનિવર્સિટીની દીકરીઓએ રચ્યો ઇતિહાસ:સૌપ્રથમવાર 'ઓલ ઇન્ડિયા' હેન્ડબોલ સ્પર્ધા માટે ક્વોલિફાઈ, સળંગ ચાર મેચ જીતી

રાજકોટ ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની બહેનોની ટીમે અદભૂત કૌશલ્ય બતાવીને રમતગમતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બહેનોની હેન્ડબોલ ટીમ શાનદાર જીત મેળવીને 'ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી' માટે ક્વોલિફાઈ થઈ છે, ​સતત ચાર મેચોમાં વિરોધી ટીમોને પરાજિત કરી, ફાઈનલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં અમરાવતી યુનિવર્સિટી સામે 20-14 થી વિજય મેળવીને આ ટીમે ભાવનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે,​મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીની બહેનોની હેન્ડબોલ ટીમે રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચી દીધો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે તા.22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ (બહેનો) સ્પર્ધામાં ભાવનગરની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમવાર 'ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી' માટે ક્વોલિફાઈ થઈ ગૌરવ વધાર્યું છે, યુનિવર્સિટીના 15 ખેલાડીઓની ટીમે મેદાન પર શાનદાર ખેલદિલી અને ટીમ વર્ક બતાવ્યું હતું, જેમાં ​પ્રથમ મેચ રાજા શંકર શાહ યુનિવર્સિટી છિંદવાડા સામે 19-07 થી ભવ્ય જીત, ​બીજી મેચ પં.દીનદયાળ ઉપાધ્યાય શેખાવટી યુનિવર્સિટી, સીકર સામે 20-12 થી વિજય, ​ત્રીજી મેચ SGSU દેસર સામે 17-04 થી પ્રભુત્વશાળી વિજય, ત્યારબાદ ​ક્વોલીફાઈ મેચ સંત ગાડગેબાબા અમરાવતી યુનિવર્સિટી સામે 20-14 થી જીત મેળવી 'ઓલ ઇન્ડિયા'માં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ​આ ઐતિહાસિક સફળતામાં હેન્ડબોલ કોચ જયરાજસિંહ ગોહિલનું મહત્વનું યોગદાન આપ્યું હતું, તેમણે ખાસ કોચિંગ કેમ્પ દ્વારા ખેલાડીઓની શારીરિક ક્ષમતા અને રમતની વ્યૂહરચના પર સઘન તાલીમ આપી હતી ટીમની સાથે મેનેજર તરીકે દેવર્ષભાઈ પટેલે (સીનિયર આસિસ્ટન્ટ) સેવાઓ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, ​​આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.બી. રામાનુજ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યો અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા ટીમના ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:09 pm

ગઢડા ગોપીનાથજી મંદિરે હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ:ઘેલો નદીના કાંઠે મહાઆરતી અને ભવ્ય આતશબાજી, સંતો-હરિભક્તો ઉમટી પડ્યા

ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે 'હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પવિત્ર ઘેલો નદીના કાંઠે મહાઆરતી, ઘેલો નદી મહિમા કથા અને આકર્ષક આતશબાજી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. ઉન્મત્ત ગંગાનો મહિમા અને કથામહોત્સવ અંતર્ગત ઘેલો નદીના પવિત્ર તટે નદીના માહાત્મ્ય પર વિશેષ કથાનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ નદીમાં સ્નાન કરતા હોવાથી સંપ્રદાયમાં આ નદીનું વિશેષ સ્થાન છે. આ કારણોસર જ ઘેલો નદીને ‘ઉન્મત્ત ગંગા’નું બિરુદ પ્રાપ્ત થયું છે. ભક્તોએ ભક્તિભાવ સાથે આ કથાનું શ્રવણ કર્યું હતું. સંતોની પ્રેરક ઉપસ્થિતિઆ ધાર્મિક કાર્યક્રમમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામી તથા વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન સ્વામી સહિતના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહોત્સવના મુખ્ય અંશો: પાટોત્સવ: હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવની ઉજવણી. મહાઆરતી: ઘેલો નદીના કાંઠે હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે વિશેષ આરતી. આયોજન: ગોપીનાથજી મંદિર દ્વારા ભક્તો માટે વ્યવસ્થિત આયોજન અને માર્ગદર્શન. આ સમગ્ર મહોત્સવ અંગેની વિગતવાર માહિતી આપતા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી શ્રદ્ધાળુઓમાં ભક્તિ અને પરંપરા પ્રત્યે જાગૃતિ આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:06 pm

સુરેન્દ્રનગર SOGએ હથિયાર પ્રદર્શન કરનારને પકડ્યો:સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા બદલ કાર્યવાહી

સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરનાર એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અને માર્ગદર્શન બાદ કરવામાં આવી હતી. SOG સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભાઈ ગઢવીને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફોટો પ્રદર્શિત કરનાર વ્યક્તિની પૂછપરછ કરતાં તેની ઓળખ વશરામ મોરી (ઉં.વ. 26, ધંધો: પશુપાલન, રહે. થોરિયાળી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) તરીકે થઈ હતી. વશરામે કબૂલ્યું હતું કે તેણે પાંચેક વર્ષ પહેલાં આ ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે રણછોડ મોતીભાઈ (રહે. સુખસર, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઈસમો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)a, 29(B), 30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભા ગઢવી, કોન્સ્ટેબલ ફુલદિપસિંહ સામતસિંહ ગોહીલ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:03 pm

દીવાન-બલ્લુભાઈ શાળામાં ‘શેફ ડે’ની ઉજવણી:બાળકો બન્યા શેફ, વાનગીઓના સ્ટોલ ગોઠવ્યા

કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ‘શેફ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળવર્ગના વિદ્યાર્થીઓ શેફના વેશમાં શાળાએ આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન, બાળકો દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ વાનગીઓની તૈયારી, ગોઠવણી અને વિતરણની જવાબદારી જાતે સંભાળી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ રસોઈ કળા, સ્વચ્છતા અને વ્યવસ્થાપનનો પરિચય આપ્યો. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, પ્રાથમિક વિભાગીય કો-ઓર્ડીનેટર તેજલબેન ડણાક અને આરતીબહેન પંચાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે ‘શેફ ડે’ના સફળ આયોજન બદલ ઇન્ચાર્જ શિક્ષિકા નિયતીબહેન પટેલ, વંદનાબહેન ઉપાધ્યાય, કલ્પનાબહેન ડોંગરે અને ભૂમિકાબહેન મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય બાળકોમાં આત્મનિર્ભરતા, ટીમવર્ક અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવાનો હતો.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:01 pm

સુરેલ ગામમાં પાણીની પાઈપલાઈન લીકેજ, ગંદકી:ગ્રામજનોને હાલાકી, સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત

પાટડી તાલુકાના સુરેલ ગામમાં પાણીની લીકેજ પાઈપલાઈન અને વ્યાપક ગંદકીને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. લીકેજ પાઈપલાઈનમાંથી સતત પાણી વહેવાને કારણે ગામમાં ચારેબાજુ પાણી ભરાઈ જાય છે. આ ગંદા પાણી અને કાદવના કારણે વૃદ્ધો લપસી પડવાની ઘટનાઓ બને છે, તેમજ શાળાએ જતા બાળકો અને અન્ય વડીલોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા આ સમસ્યા અંગે સુરેલ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ફેલાયેલી અતિશય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે વધ્યો છે. આના પરિણામે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે, જે ગ્રામજનોની ચિંતામાં વધારો કરી રહી છે. સુરેલના ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વ્યાપક માંગ કરી છે, જેથી તેમની દૈનિક હાલાકીનો અંત આવે અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:01 pm

હિમેશ રેશમિયાએ સાળંગપુરમાં કષ્ટભંજન દેવના દર્શન કર્યા:પરિવાર સાથે હનુમાનજી મંદિરે માથું ટેકવી આશીર્વાદ લીધા

બોલિવૂડના જાણીતા ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ આજે (તારીખ ૨૫-૦૨-૨૦૨૬, બુધવાર) તેમના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. રેશમિયાએ પરિવાર સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ વિશેષ મુલાકાત દરમિયાન સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન બાદ મંદિરના પૂજારીએ હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 8:00 pm

ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન:અમદાવાદ, કલોલ, વિરમગામમાં ગૌર પૂર્ણિમા નિમિત્તે ઉજવણી

અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી સંબંધિત હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા આ વિસ્તારોમાં વિશાળ સ્તરે આ મહોત્સવ યોજાશે. આ મહોત્સવ દ્વારા હરિનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણ દ્વારા સમાજના આધ્યાત્મિક ઉદ્ધારનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ણ અવતાર તરીકે પૂજનીય છે. તેમણે લગભગ 500 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના શ્રીધામ માયાપુરમાં પ્રાગટ્ય લીધું હતું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કલિયુગના યુગધર્મ રૂપે હરિનામ સંકીર્તનનો પ્રચાર કર્યો. તેમનો જન્મ 1486માં શ્રી જગન્નાથ મિશ્ર અને શ્રીમતી સચીદેવીના પુત્ર રૂપે થયો હતો. તેમણે ભક્તિ, પ્રેમ અને એકતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસારિત કર્યો. તેમનો પ્રાગટ્ય દિવસ શ્રી ગૌર પૂર્ણિમા તરીકે ઉજવાય છે. મહોત્સવના કાર્યક્રમો 26 ફેબ્રુઆરી 2026ના રોજ બાકરાણા ગામ, વિરમગામથી શરૂ થશે. 28 ફેબ્રુઆરીએ સુરાણી ફાર્મ, સાણંદ (સાંજે 6 વાગ્યાથી) અને વાસવા ગામ, વિરમગામ તાલુકો (સાંજે 4 વાગ્યાથી) ખાતે કાર્યક્રમો યોજાશે. 1 માર્ચ 2026ના રોજ ઝોલાપુર ગામ, વિરમગામ (સવારે 10 વાગ્યાથી), અંકિત વિદ્યાલય, પંચવટી, કલોલ (સવારે 10 વાગ્યાથી), સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, મણિનગર (સાંજે 6 વાગ્યાથી) અને મંગલ પાંડે પાર્ટી પ્લોટ, જીવનવાડી, નિકોલ (સાંજે 6 વાગ્યાથી) ખાતે ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતાઓમાં પાલકી ઉત્સવ, દિવ્ય મહાભિષેક, હરિનામ સંકીર્તન, મહા આરતી, હરિ કથા, ફૂલોની હોળી અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે. પાલકી ઉત્સવમાં ફૂલોથી સજાવેલ પાલખીમાં ભગવાનની શોભાયાત્રા નીકળશે, જ્યારે દિવ્ય મહાભિષેક પંચામૃત અને પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. હરિ કથામાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશ પર પ્રવચન અપાશે, અને ફૂલોની હોળી સુગંધિત ફૂલની પાંખડીઓ સાથે ઉજવાશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:59 pm

સિલ્વર ઓક યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય પરિષદમાં બે પ્રથમ પુરસ્કાર:બાયોટેકનોલોજી વિભાગે સંશોધન કાર્ય માટે ગૌરવ વધાર્યું

સિલ્વર ઓક યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગે કચ્છ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પરિષદમાં બે પ્રથમ પુરસ્કાર જીતીને ગૌરવ વધાર્યું છે. આ પરિષદ વિઝન ઇન્ડિયામાં જીવન વિજ્ઞાનની ભૂમિકા - ૨૦૪૭ વિષય પર કેન્દ્રિત હતી. ડૉ. ચેતના રોટના માર્ગદર્શન હેઠળ, પીએચડી સ્કોલર શ્રીમતી દ્રષ્ટિ મહેતાએ પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો. તેમણે નેચર મીટ્સ ન્યુરલ નેટ્સ: આઇડેન્ટિફિકેશન ઓફ એન્ટી-કેન્સર ડ્રગ ફોર ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર વિષય પર ૭૦ થી વધુ સ્પર્ધકો વચ્ચે પોતાનું સંશોધન રજૂ કર્યું હતું. આ ઉપરાંત, બાયોટેકનોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શ્રીસ્તી બિશ્વાસે પણ મૌખિક પ્રસ્તુતિમાં પ્રથમ પુરસ્કાર જીત્યો. તેમનું સંશોધન કાર્ય પ્રોટીન સ્ટ્રક્ચર, ફંક્શન અને કેન્સર સંવેદનશીલતા પર RAD50 C.2647 જર્મલાઇન વેરિઅન્ટ ઇમ્પેક્ટ ઓફ સિલિકો મૂલ્યાંકન પર આધારિત હતું. આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), ગુજરાત શિક્ષણ વિભાગ અને બોટનિકલ એડવાન્સ્ડ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પ્રાયોજિત હતી.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:58 pm

ડૉ. સુભાષ મહિલા કોલેજનો NSS કેમ્પ સંપન્ન:ખડિયા ખાતે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો

ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, જૂનાગઢના એન.એસ.એસ. યુનિટ 1-2 દ્વારા ખડિયા મુકામે યોજાયેલા વિશેષ શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ આજે સંપન્ન થયો. આ કાર્યક્રમ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારોહની શરૂઆત સંસ્થાના સ્થાપક સ્વ. પેથલજીભાઈ ચાવડા (પૂજ્ય બાપુજી) ના સ્મરણાંજલિ ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ચેતનાબેન ચુડાસમાએ શાબ્દિક સ્વાગત કર્યું. સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપનાના 16 વર્ષમાં પ્રથમ વખત કુલપતિ એન.એસ.એસ. કેમ્પમાં હાજર રહ્યા છે, જે કોલેજ માટે ગૌરવની વાત છે. એન.એસ.એસ.ની વિદ્યાર્થીની મિતલ માકડીયાએ શિબિર દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણીએ અંધશ્રદ્ધા નિવારણ અને સ્વચ્છતા અભિયાન અંગે મનનીય વાતો કરી, વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પૂર્ણાહુતિ સમારોહમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. આર.પી. ભટ્ટે ભારતને ભવ્ય સાંસ્કૃતિક વારસો અને ભાષા વૈવિધ્ય ધરાવતો દેશ ગણાવ્યો. તેમણે પરિવારની કલ્પના ભારતે આપી હોવાનું કહી પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા. તેમણે સેનાના બજેટ અંગેના એક અનુભવનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં એક ફોજી ઓફિસરે કહ્યું હતું કે સેના બજેટથી નહીં, પણ હિંમત અને સાહસથી ચાલે છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓના હૃદયને સ્પર્શી જાય તેવું પ્રવચન આપ્યું. તેમણે ગ્રામીણ સંસ્કૃતિને સનાતની ગણાવી અને કહ્યું કે ગ્રામીણ લોકોમાં મદદ કરવાની ભાવના હોય છે. તેમણે ભારતના જીવંત રાખવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. આ પૂર્ણાહુતિ સમારોહમાં શહેરની વિવિધ કોલેજોના આચાર્યઓ જેવા કે બહાઉદ્દીન આર્ટસ કોલેજના ડો. વાજા સાહેબ, કોમર્સ કોલેજના ડો. ત્રાડા સાહેબ, વિજ્ઞાન કોલેજના ડો. આર.પી. ભટ્ટ સાહેબ, ઇ.સી. મેમ્બર દીનાબેન લોઢિયા, પ્રા. બારસિયા સાહેબ તથા ડો. મનીષ જાની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખડિયાના પૂર્વ સરપંચ કાળુભાઈ ભાદરકા અને ગામ અગ્રણી ભીખાભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. નયનાબેન ગજ્જરે કર્યું હતું, જ્યારે પ્રોગ્રામ ઓફિસર ડો. બી.એમ. પટેલે આભાર દર્શન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:55 pm

Editor's View: કોંગ્રેસના ટીશર્ટ પર 'દેશદ્રોહ'નું ટેગ:વિરોધને દબાવ્યો તો વિસ્ફોટ થયો, એપસ્ટીન મુદ્દે સરકારનું મૌન; લોકશાહીને લાંછન લગાવતી ઘટનાનું ઈનડેપ્થ એનાલિસિસ

દિલ્હીની AI સમિટમાં કોઈએ ધાર્યું નહોતું એવું થયું. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા. વાતચીતથી થોડો વિરોધ કર્યો. આજુબાજુનો માહોલ જોયો ને તકનો લાભ લઈ બધા કાર્યકર્તાઓએ ટીશર્ટ ઉતારી નાખ્યા. આ મુદ્દાના કારણે દિલ્હીના રાજકારણમાં ગરમી વધી. ભાજપે કોંગ્રેસ પર પસ્તાળ પાડી. આ ઘટનાને દેશદ્રોહ ગણાવી દીધો. બરાબર છે, દેશની આબરૂ સામે સવાલ ઊભા થાય ત્યારે દેશદ્રોહ જ ગણાય. કોંગ્રેસી કાર્યકર્તાઓનું આ કૃત્ય માફીને લાયક નથી. - પણ ભાજપ સામે વિરોધ થાય તો સીધો દેશદ્રોહ બની જાય છે પણ પોતાના વાંક કેમ ભૂલી જાય છે? જનતા પણ સરકાર પર સવાલ કરવાની જ. આજ AI સમિટમાં ઉત્તરપ્રદેશની ગલગોટિયાઝ યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબોટને પોતાનો ગણાવી દીધો ત્યારે સરકાર કેમ ચૂપ રહી? એપસ્ટીન ફાઈલમાં હરદીપ પુરીનું કનેક્શન નીકળ્યું તો એકલા પુરી જ બોલે છે. સરકાર મૌન છે. રાહુલ ગાંધી ને ખડગે અમેરિકાની ટ્રેડ ડીલ મામલે એટલું બોલ્યા કે અવાજ બેસી ગયો પણ સરકાર મૌન છે. સરકારનું આ મૌન સૌને અકળાવે છે. આ મૌન વચ્ચે AI સમિટમાં ટીશર્ટ ઉતર્યા તો દેશદ્રોહ થઈ ગયો. સરકારે પગલાં લેવામાં એક મિનિટ પણ ન બગાડી. નમસ્કાર... રાષ્ટ્રવાદ, એન્ટી નેશનલ, દેશભક્તિ, દેશદ્રોહ જેવા ઉપમાઓ, શબ્દો અને ઘટનાઓ અતિ ગંભીર છે. આ ભાવનાનો આજકાલના રાજકારણમાં રાજકીય શસ્ત્ર તરીકે નેરેટિવ સેટ કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સમિટ વિરોધથી ઉભેલો વિવાદ વાત જાણે એમ છે કે 20 ફેબ્રુઆરી 2026ના દિવસે વિશ્વભરના ટેક દિગ્ગજ અને દેશ વિદેશના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતે અમેરિકા સાથે કરેલી ડીલ મામલે પહેલા શાંતિથી અને પછી અર્ધ નગ્ન થઈને વિરોધ કર્યો હતો. આ વિવાદે હાલ વિવાદ છેડી દીધો છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર વિપક્ષના વિરોધને દેશ વિરોધી ગણાવી રહી છે. આવો જ વિરોધ કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપે કર્યો હતો. આ વાત ભાજપ ભૂલી જાય છે. ભારત જેવા લોકશાહી દેશમાં થતાં વિરોધ પર આજકાલ ગંભીર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ સરકાર સામે આંગળી ન ઉઠાવે કે તેમને સવાલ ન પૂછે. પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડઃ યુથ કોંગ્રેસ વિપક્ષના યુવા કાર્યકર્તાઓએ દિલ્હીની AI સમિટમાં પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડ અને એપસ્ટીન ફાઈલ્સ જેવા નારા લગાવ્યા હતા. સરકારે કહ્યું વિપક્ષ આવું કરીને દેશનું અપમાન કરી રહી છે. કેન્દ્ર સરકારનો તર્ક છે કે સરકાર જ્યારે વિશ્વ સામે ભારતની ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે ત્યારે વિરોધ કરીને વિપક્ષ ઈન્વેસ્ટર્સમાં ખોટી છબિ ઊભી કરીને ભારતની છબી ખરડાવે છે. વિચિત્ર વિરોધ દેશદ્રોહ ગણાય? ત્યારે સવાલ જરૂરી બની જાય કે શું વિરોધનું રૂપ વરવું એટલે કે અર્ધનગ્ન હોય તો તે ભારત જેવા લોકશાહી દેશમાં દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ બની જાય છે? કોંગ્રેસની સત્તામાં ભાજપે કેવા વિરોધ કર્યા અને ભાજપની સત્તામાં કોંગ્રેસે કેવા વિરોધ કર્યા તે બધાને ખબર છે. રાષ્ટ્રવાદી નેરેટિવથી વિરોધ દમાવવાનો આરોપ છેલ્લા દસેક વર્ષોમાં સત્તા પક્ષે વિરોધ પ્રદર્શનોને ડામવા માટે રાષ્ટ્રવાદનો એક નેરેટિવ સેટ કર્યો છે. જે કોઈ વિરોધ કરે તેને રાષ્ટ્રવિરોધી ચીતરી દો એટલે મેઈન મુદ્દા પરથી ધ્યાન હટી જાય અને દેશનો મુદ્દો પહેલા આવી જાય. વિપક્ષ કોઈ પણ આંદોલન કે સરકારી નીતિઓને પડકારે છે ત્યારે તેને તરત રાષ્ટ્ર વિરોધી કે તમે પાકિસ્તાન જતા રહો તેવું કહી દેવામાં આવે છે. આ નેરેટિવ સેટ કરીને સત્તા પક્ષે વિરોધોને એવા ડામી રહી છે કે સામાન્ય લોકો વિરોધ કરતા જ ડરી જાય છે. હવે વાત કરીએ કે સત્તા પક્ષ કેવી રીતે નેરેટિવ સેટ કરી રહી છે? મુદ્દા બદલાયા નેરેટિવ એ જ નેરેટિવથી મુદ્દાઓ ડાયવર્ટ થવાનો દાવો જ્યાં રાષ્ટ્રવાદ મૌન રહ્યો અને હવે... AI સમિટ જેવા આંતરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું કહીને વિરોધને દેશદ્રોહી કહી દેવામાં આવી રહ્યો છે. જો કે તે લોકો અમેરિકા સાથે ભારતની ડીલ થઈ છે તેમાં અમેરિકાનો વધુ ફાયદો અને ભારતનો ઓછો ફાયદો છે તે કહી રહ્યા હતા. આ મુદ્દો જ દબાવી દેવામાં આવ્યો. મુદ્દો ભટકાવવા એન્ટીનેશનલનું ટ્રમ્પ કાર્ડ આવા અનેક મુદ્દાઓના નેરેટિવ છે જે સત્તા પક્ષ સેટ કરે છે. જે સ્પષ્ટ કરે છે કે બેરોજગારી હોય કે ટ્રેડ ડિલ, જેને ખુલ્લા ચોક પર ચર્ચા કરવાની હોય તેના બદલે એન્ટીનેશનલ ચીતરીને મુદ્દાઓ જ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. જ્યારે વિપક્ષ પર દેશની છબી ખરડવાનો આરોપ લાગે છે ત્યારે આપણે કેટલીક એવી ઘટનાઓ પર પણ નજર કરવી પડે કે જ્યારે ખરેખર દેશની છબી ખરડાઈ પણ રાષ્ટ્રવાદ મૌન રહ્યો. અહીં દેશદ્રોહ મૌન થયો એપ્સ્ટિન કનેક્શન પર રાજકીય સવાલો હમણા બાળકીઓની તસ્કરી કરીને સેક્સ સ્કેન્ડલ ચલાવતા અમેરિકાના જેફ્રી એપસ્ટીનના કાળા કારનામા સામે આવ્યા. જેમાં અનેક દિગ્ગજોના નામ સામે આવ્યા. એક નામ હતું આપણા કેન્દ્રીય મંત્રી અને જે તે સમયે ભારતના રાજદૂત રહેલા હરદીપ સિંહ પુરીનું. અમેરિકન કોર્ટે જાહેર કરેલા દસ્તાવેજો, વોલસ્ટ્રીટ જર્નલ અને નવેમ્બર 2025ના રિપોર્ટ્સ અનુસાર એપસ્ટીન ફાઈલ્સમાં 2014થી 2017 સુધી એપસ્ટીન અને પુરી વચ્ચેના 62 ઈમેઈલ્સ અને 14 મિટિંગ્સની વિગતો સામે આવી, ત્યારે દેશની બદનામી ન થઈ? સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે કેન્દ્રીય મંત્રીનું નામ આવે ત્યારે તે દેશદ્રોહ નથી? જનતા પણ સવાલ પૂછે છે. પુલવામા તપાસ પર વિવાદ 2019ના પુલવામા એટેકની તપાસ હજુ અટકેલી છે. વિપક્ષનો દાવો છે કે જવાબદારી નક્કી કરવા માટે હાઈલેવલ તપાસ નથી કરવામાં આવી. દેશના જવાનોની સુરક્ષા મામલે આટલી મોટી ચૂક થઈ તે દેશદ્રોહ નથી? ભારતીયોની હથકડી પર દેશની છબી ન ખરડાઈ? ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે અમેરિકન્સને ખુશ કરવા અને પોતાની નીતિઓને સાચી ઠેરવવા તેમણે ભારતીય ઘૂસણખોરોને હાથકડી પેહરાવીને ભારત મોકલી દીધા. ત્યારે દેશની છબીને નુકસાન નહોતું થયું? ત્યારે આપણું રાષ્ટ્રપ્રત્યેનું આત્મસન્માન ક્યાં જતું રહે છે? આતંક બાદ ક્રિકેટ રમવા પર પ્રશ્ન આપણો દેશ ફૂટબોલ નહીં પણ ક્રિકેટને પ્રેમ કરે છે. પહેલગામ અને દિલ્હી હુમલા પછી આપણે તે દેશ સાથે ક્રિકેટ રમી. શું શહીદોના લોહી કરતાં ક્રિકેટની મેચ વધુ મહત્વની છે? ત્યારે રાષ્ટ્રવાદનું નેરેટિવ ક્યાં ગાયબ થઈ જાય છે? ચાઈનીઝ રોબોટ વિવાદ AI સમિટમાં વિપક્ષનો વિરોધ દેશ દ્રોહ હોય તો મેડ ઈન ઈન્ડિયાના નામે સમિટમાં ચીની રોબોટને ભારતનો ગણાવી દેવો આંતરરાષ્ટ્રીય ફજેતી નથી? શું વિરોધ જ આંતરરાષ્ટ્રીય ફજેતી છે? ગલગોટિયા યુનિવર્સિટીએ યુનિટ્રી કંપનીના રોબોટને ઓરિયન નામ આપી ભારતીય ગણાવ્યો હતો. વાત ભાજપ-કોંગ્રેસથી આગળ, લોકશાહીની છે મુદ્દો અહીં ભાજપ-કોંગ્રેસ પૂરતો સિમિત નથી, વાત અહીં ભારતની લોકશાહીની છે. સ્વસ્થ લોકશાહીમાં વિરોધને સ્થાન હોય છે અને વિરોધીઓને પોતાની વાત રાખવાનો પૂરો અધિકાર હોય છે. નેહરુજીના સમયમાં પણ તે હતું અને અટલજીના સમયમાં પણ એવું જ હતું તો હવે કેમ એવું નથી? સંવાદ બંધ થાય ત્યારે વિરોધ ઉગ્ર AI સમિટમાં અર્ધ નગ્ન થઈને જે વિરોધ થયો તેને લોકો નવું માની રહ્યા છે. પણ જ્યારે લોકશાહીમાં સંવાદના દરવાજા બંધ થઈ જાય ત્યારે સર્વસત્તાધીશોને પોતાની વાત પહોંચાડવા પ્રદર્શનકારીઓને આવા જ તુક્કા અપનાવવા પડે છે. આ મનોરંજન નથી, તંત્ર સામેનો આક્રોશ છે. અહીં આપણે દેશ અને વિદેશના પાંચ અજીબ વિરોધની પણ વાત કરીએ... ભારતના વિચિત્ર વિરોધ પ્રદર્શનો દુનિયાના વિચિત્ર વિરોધ પ્રદર્શનો ભારતમાં આવા વિરોધ થાય છે તો વિશ્વમાં કેવા કેવા વિચિત્ર વિરોધ અત્યાર સુધી થઈ ગયા છે. તે જાણીએ.. અર્ધનગ્ન થઈને વિરોધ કરવો ગુનો? ત્યારે સવાલ થાય કે ભારતમાં અર્ધ નગ્ન થઈને AI સમિટમાં વિરોધ કરવો બંધારણની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે? જુઓ, અધિકાર અને જાહેર નૈતિકતા વચ્ચે ભેદ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 294 મુજબ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય ન કરી શકાય. પણ સુપ્રીમ કોર્ટે અવીક સરકાર (બંગાળના પત્રકાર) વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ કેસમાં સ્પષ્ટ કર્યું કે નગ્નતા અને અશ્લીલતા વચ્ચે ફેર છે, બંને સમાન ઘટનાઓ નથી. ન્યાય, સત્ય અને રાષ્ટ્રવાદ પર ટિપ્પણી જો નગ્નતાનો હેતુ શારીરિક ઉત્તેજના નથી પણ કોઈ સામાજિક કે રાજકીય મેસેજ આપવાનો છે તો તેને બંધારણના આર્ટિકલ 19 હેઠળ અભિવ્યક્તિની આઝાદી ગણી લેવામાં આવે છે. AI સમિટમાં યુવાનોનો વિરોધ અશ્લીલતા ફેલાવવા નહીં પણ સરકારની વિદેશ નીતિ સામે હતો. યુવાનોને બેરોજગારી અને ટ્રેડ ડિલ જેવી ગંભીર બાબતો વિશે સરકારનું ધ્યાન દોરવું હતું. ટૂંકમાં જ્યારે સરકાર દરેક વિરોધને એન્ટી નેશનલ કહીને ડામી તો દીધો પણ પ્રજાના મૂળ પ્રશ્નોથી સરકાર ભાગવાનો પ્રયાસ કરે છે, એ વાતને નકારી શકાય નહીં. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ્ટ ડી. વાય. ચંદ્રચુડે એકવાર કહ્યું હતું કે, દેશની છબિ રસ્તા પર ઉતરેલા ચાર યુવાનોના કપડાંથી ખરાબ નથી થતી, પરંતુ તે ત્યારે ખરાબ થાય છે જ્યારે ન્યાયમાં વિલંબ થાય, જ્યારે સત્યને રાષ્ટ્રવાદના આવરણ હેઠળ છુપાવવામાં આવે અને જ્યારે સત્તા પક્ષ વિપક્ષને માત્ર શત્રુ તરીકે જોવા લાગે. અને છેલ્લે... નેરેટિવ હંમેશા શક્તિશાળી લોકો દ્વારા બનાવવામાં આવે છે, પણ સત્ય હંમેશા પીડિતોના અવાજમાં હોય છે. જો આપણે 2026ની AI સમિટની ઘટનાને માત્ર અર્ધનગ્ન વિરોધ તરીકે જોઈશું, તો આપણે છેતરાઈ જઈશું. લોકશાહી ત્યારે જ ધબકતી રહેશે જ્યારે આપણે નેરેટિવને બદલે રિયાલિટી પર વધુ ધ્યાન આપીશું. સાચો દેશપ્રેમ એ નથી કે આપણે ખામીઓને છુપાવીએ, પણ સાચો દેશપ્રેમ એ છે કે આપણે ખામીઓ સામે અવાજ ઉઠાવીએ જેથી દેશ વધુ મજબૂત બની શકે. વિરોધને ડામવો એ રાષ્ટ્રવાદ નથી, પણ વિરોધને સાંભળવો એ સાચી રાષ્ટ્રભક્તિ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:55 pm

થાળી વગાડી રામધૂન બોલાવી વિરોધ:રાજકોટના વોર્ડ નં-11ની રાજદીપ સોસાયટીમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલા મવડી વિસ્તારના 40 ફૂટ રોડ પરની રાજદીપ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગટરની પાઈપલાઈન નખાઈ ગયા પછી પણ લાંબા સમયથી રોડ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ રોડ પર બેસીને 'રામધૂન' બોલાવી હતી અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોડ ચક્કાજામ કર્યો હતો. આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશેસ્થાનિક રહીશ ચંદ્રિકાબેનએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિસ્માર રોડના કારણે દરરોજ અનેક અકસ્માતો થાય છે. ગઈકાલે જ મારી દીકરી સ્કૂલેથી આવતા સમયે રોડ પર પડી ગઈ હતી અને તેને ઈજા થઈ છે, જ્યારે આવતીકાલથી તેની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખરાબ રસ્તાઓને લીધે સ્કૂલ રિક્ષાઓ કે વાહનો પણ સોસાયટીમાં આવી શકતા નથી, જેના કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે. રહીશોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાઓ રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કલ્યાણ સોસાયટીમાં દિવાલ ચણી લેવાતા સ્થાનિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆતરાજકોટના ટાગોર રોડ પાસેની કલ્યાણ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગના વિવાદને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં 12થી વધુ પરિવારો વસવાટ કરે છે, જ્યાં જાહેર જનતા માટે ઉપયોગી એવા મુખ્ય માર્ગ પર ત્રણ મકાનધારકો દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ ચણી દેવામાં આવી છે. અગાઉ ડિસેમ્બર-2023માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્થળે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તેમ છતાં ફરીથી દિવાલ બનાવી રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. સોસાયટી હાલ વિસર્જિત થઈ ચૂકી હોવાથી તેનો વહીવટ કોર્પોરેશન હસ્તક છે, છતાં કેટલાક લોકો દ્વારા જાહેર માર્ગને ખાનગી પાર્કિંગ તરીકે વાપરી અરાજકતા ફેલાવવામાં આવી રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા મેયર, ધારાસભ્ય, નાયબ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જાહેર માર્ગ બંધ થવાથી ઈમરજન્સી સેવાઓ અને અવરજવરમાં ગંભીર અડચણો ઊભી થઈ છે. છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહીશોએ તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે. ઝનાના હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકનું મોતરાજકોટની ઝનાના હોસ્પિટલમાં માનવતા લજવતી એક ઘટના સામે આવી છે. જેમાં ચોંટીલા અને બામણબોર વિસ્તારમાં રોડ રસ્તાનું કામ કરતા શ્રમિક મહિલા સજનબેન ગોરધનભાઈ ડામોરને પ્રસૂતિની પીડા ઉપડતા તા. 23ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓએ મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મના ગણતરીની મિનિટોમાં જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ મુદ્દે તબીબોના જણાવ્યા અનુસાર, બાળકનો જન્મ માત્ર 7 મહિને થયો હોવાથી તે શારીરિક રીતે અત્યંત નબળું હતું, જે તેના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. બાળકના મૃત્યુ બાદ તેના માતા-પિતા હોસ્પિટલના સત્તાધીશોને જાણ કર્યા વગર જ મૃતદેહ મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે હોસ્પિટલ દ્વારા તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ આ શ્રમિક દંપતીની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી મહાપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243-K અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલી સત્તાની રૂએ કરવામાં આવી છે. ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડાયેલા આ હુકમ મુજબ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સહિત આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવી પાલિકાઓમાં વોર્ડ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓ આગામી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે. રાજકોટ માટે ખાસ કરીને નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડ્યુટી, જિલ્લા પુરવઠા અધિકારી અને રૂડાના નાયબ કલેક્ટર જેવા અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે મદદનીશ તરીકે મામલતદાર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1 થી 3ની નિમણૂક કરવામાં આવી છે. રોજેરોજ તાવ અને શરદી-ઉધરસના 500થી વધુ કેસરાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. હાલમાં શહેરમાં કુલ કેસ પૈકી 60 ટકા કેસ માત્ર તાવ, શરદી અને ઉધરસના જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, દરરોજ શરદી-ઉધરસના 170થી વધુ, સામાન્ય તાવના 145થી વધુ અને ઝાડા-ઉલ્ટીના 40થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત, સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ રોજ 20થી વધુ કેસ માત્ર તાવ-શરદીના આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જ્યાં એક-એક ડોક્ટર પાસે દૈનિક 60થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. મચ્છરોની સંખ્યા વધતા ડેન્ગ્યુ અને ટાયફોઇડના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વધતા જતા રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. જ્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાના સ્ટાફ અને દવાઓના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:49 pm

મોડાસા GIDCમાં મોકડ્રિલ યોજાઈ:બેકવેલ બિસ્કિટ ફેક્ટરીમાં આગની ઘટનાનું સફળ નિદર્શન

અરવલ્લી જિલ્લાના મોડાસા GIDC ખાતે આવેલી બેકવેલ ઇન્ડસ્ટ્રીઝમાં એક વ્યાપક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ ઔદ્યોગિક સુરક્ષા અને આફત પ્રતિસાદ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા સાંજે 5 વાગ્યે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં આગની ઘટના, રાસાયણિક પદાર્થોનું લીકેજ અને ભૂકંપ જેવી કુદરતી આફતો જેવી સંભવિત ઘટનાઓ સામે તૈયારીનું સ્તર ચકાસવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્ભવી શકે તેવી આફતો સમયે ઝડપી અને સંયોજિત પ્રતિસાદ, બચાવ કાર્યવાહી તેમજ સુરક્ષા પ્રક્રિયાઓનું વાસ્તવિક પરીક્ષણ કરવાનો હતો. આનાથી કર્મચારીઓની જાગૃતિ વધારવા ઉપરાંત સુરક્ષા અધિકારીઓ, ઔદ્યોગિક એકમો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેના સંકલનને દૃઢ બનાવવામાં મદદ મળે છે. આ અભ્યાસમાં બેકવેલ ઇન્ડસ્ટ્રીઝના તમામ કર્મચારીઓએ ખૂબ જ સક્રિય અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની સાથે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓએ પણ સંપૂર્ણ સહભાગિતા દર્શાવી હતી. મોકડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને તે દરમિયાન મળેલા અનુભવો તથા નિરીક્ષણો ભવિષ્યમાં વધુ સુધારાયેલી તૈયારી અને અસરકારક પ્રતિસાદ વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ થશે. અરવલ્લી જિલ્લા વહીવટ આવા મોકડ્રિલ્સને નિયમિત અને વ્યવસ્થિત રીતે આયોજિત કરીને ઔદ્યોગિક એકમોની સુરક્ષા, કર્મચારીઓના જીવનનું રક્ષણ અને આફત વ્યવસ્થાપનની સમગ્ર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:48 pm

બોર્ડની પરીક્ષાનો કાલથી મંગલ પ્રારંભ:45 હજારથી વધુ વિદ્યાર્થીઓ ધો.10 અને 12ની પરીક્ષા આપશે, ટ્રેકિંગ એપ અને સીલબંધ ફોટોગ્રાફીના ચક્રવ્યૂહમાં પરીક્ષા યોજાશે

ગાંધીનગર જિલ્લામાં આવતીકાલ ગુરુવારથી બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ થવાનો છે. શહેર ઉપરાંત કલોલ, દહેગામ અને માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 10ના 25,444 અને ધોરણ 12ના 19,840 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે ત્યારે આ વખતે ટ્રેકિંગ એપ અને સીલબંધ ફોટોગ્રાફીના ચક્રવ્યૂહમાં પરીક્ષા યોજાશે. 200 શિક્ષકોની નિમણૂક સરકારી પ્રતિનિધિ તરીકે કરવામાં આવીવહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના સંચાલન માટે અંદાજે 3 હજાર જેટલા કર્મચારીઓને ફરજ પર લગાડવામાં આવ્યા છે. જ્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાના ભાગરૂપે મહિલા પોલીસ સહિતના બે જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત દરેક ઝોનલની ગાડીમાં પણ પોલીસ પહેરો રાખવામાં આવશે. આ વખતે પેપર લિક રોકવા માટે ડિજિટલ કવચ અને ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે પ્રાથમિક વિભાગના 200 શિક્ષકોની નિમણૂક સરકારી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી છે. જેઓ દરરોજ સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રના બંડલ લેતી વખતે તે સીલબંધ હોવાની ફોટોગ્રાફી કરશે. આ પ્રક્રિયા પરીક્ષા કેન્દ્ર પર સોંપણી વખતે પણ કરાશે. જ્યારે મુખ્ય બોક્સમાં કેટલા બંડલ દેખાય તેની પણ વિગતવાર ફોટોગ્રાફી કરીને પેપર ટ્રેકિંગ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે. વિવિધ વિભાગોના વર્ગ-1 અને વર્ગ-2ના 50 ઉચ્ચ અધિકારીઓની નિમણૂકજેથી, દરેક પેપરની ગતિવિધિ પર નજર રાખી શકાશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ચોરીના કિસ્સાઓ રોકવા માટે બોર્ડની ફ્લાઈંગ સ્ક્વોડ ઉપરાંત જિલ્લા કક્ષાની ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ટુકડીમાં સરકારના વિવિધ વિભાગોના વર્ગ-1 અને વર્ગ-2 ના 50 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ અધિકારીઓને કયા પરીક્ષા કેન્દ્ર પર તપાસ માટે જવાનું છે તેની જાણકારી દરરોજ સવારે જ આપવામાં આવશે. પરીક્ષા માટે જિલ્લામાં વ્યાપક બેઠક વ્યવસ્થા કરવામાં આવીઆવતીકાલે 26 ફેબ્રુઆરીથી 18મી માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષા માટે જિલ્લામાં વ્યાપક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 34 સેન્ટરના 100 બિલ્ડીંગમાં 884 બ્લોક ફાળવવામાં આવ્યા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના 15,141 વિદ્યાર્થીઓ માટે સીટી અને રૂરલ ઝોનમાં 35 સેન્ટરના 505 બ્લોક તૈયાર કરાયા છે એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહના 4,699 પરીક્ષાર્થીઓ માટે 23 સેન્ટરના 238 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 18મી માર્ચ સુધી જિલ્લા અને રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબરો પણ કાર્યરત રહેશેબીજી તરફ પોલીસ અટવાયેલા વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે એવી પણ વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિશેષ જાહેરાત કરી છે કે, જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડે અથવા વાહન બગડવા જેવી કોઈ આકસ્મિક સમસ્યા સર્જાય તો તેઓ કંટ્રોલરૂમના નંબર 079-23220314 પર સંપર્ક કરી શકશે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા તે વિદ્યાર્થીને તાત્કાલિક નિયત પરીક્ષા કેન્દ્ર પર ઝડપથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, 18મી માર્ચ સુધી જિલ્લા અને રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબરો પણ કાર્યરત રહેશે જ્યાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્ગદર્શન મેળવી શકશે. આવતીકાલે ડૉ. પ્રદ્યુમન વાજા સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે અને રીવાબા જાડેજા એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધારાસભ્યો, મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને અને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:46 pm

વલસાડમાં ભારતીય મજદૂર સંઘનો વિરોધ પ્રદર્શન:બજેટમાં શ્રમિકોની અવગણના સામે કલેક્ટરને આવેદનપત્ર અપાયું

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શ્રમિકો, આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા વલસાડ જિલ્લામાં રોષ જોવા મળ્યો છે. આજે ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું. વલસાડ જિલ્લા મજદૂર સંઘના સંગઠન મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ પ્રધાનમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં, બજેટમાં શ્રમિકોના પાયાના પ્રશ્નોને સ્થાન અપાયું નથી. આ વિરોધ પ્રદર્શન સમગ્ર ભારતના દરેક જિલ્લા મથકે થઈ રહ્યું છે, જેના ભાગરૂપે વલસાડમાં પણ કલેક્ટર મારફતે સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો છે. આ વિરોધ પ્રદર્શનમાં આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજનના સંચાલકો પણ જોડાયા હતા. મહિલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2025 થી એરિયર્સ સાથે પગાર વધારાનો આદેશ આપ્યો હોવા છતાં સરકારે તેનો અમલ કર્યો નથી. આંગણવાડીની બહેનો પર ઓનલાઇન કામગીરી અને BLO ની ફરજોનું ભારણ વધારી દેવામાં આવ્યું છે, જેની સામે પૂરતું વળતર મળતું નથી. મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતી અનેક વિધવા અને ગરીબ બહેનોને કિચન શેડ અને ભોજનના બજેટમાં કાપ મુકાતા રોજગારી છીનવાઈ જવાની ભીતિ છે. એક વિરોધ કરી રહેલી મહિલા કર્મચારીએ કહ્યું, સરકાર કરોડો-અબજોના બજેટની વાતો કરે છે, પણ પાયાના સ્તરે કામ કરતી આંગણવાડીની બહેનો માટે કેમ કંઈ નથી? શું સરકારે આંખે પાટા અને કાનમાં ડૂચા માર્યા છે? આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને ₹24,800 અને હેલ્પરને ₹20,300 નો પગાર તાત્કાલિક લાગુ કરવો, મધ્યાહન ભોજન યોજના અને કિચન શેડ રદ કરવાની હિલચાલ અટકાવવી, શ્રમિકોની સામાજિક સુરક્ષા અને વેતન વધારા અંગે બજેટમાં વિશેષ જોગવાઈ કરવી, અને વધારાની કામગીરી (BLO વગેરે) માંથી મુક્તિ આપવી અથવા યોગ્ય માનદ વેતન આપવું શામેલ છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:23 pm

ભરૂચ કોલેજમાં POSH એક્ટ-2013 પર સેમિનાર:મહિલા સુરક્ષા અને યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કે.જે. પોલિટેકનિક કોલેજ ખાતે POSH એક્ટ-2013 (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ) વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને કાયદાની જોગવાઈઓ અંગે માહિતગાર કરી સલામત અને સન્માનજનક કાર્યસ્થળ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ તકે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશ વસાવાએ POSH એક્ટ અંગે કલમવાર વિગતવાર માહિતી આપી કાયદાના અમલ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ અધિનિયમની ગંભીરતા સમજાવતી ‘પ્રતિકાર’ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. એડવોકેટ અર્ચના વ્યાસે કાર્યસ્થળ પર જાતીય સતામણી તથા ઘરેલુ હિંસા સંબંધિત કાયદાઓ અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડાએ કેન્દ્રની કામગીરી અને મહિલાઓને મળતી સહાય અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટના મિશન કો-ઓર્ડિનેટર સેજલ પ્રજાપતિએ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સ્વાવલંબન યોજના સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો, આંતરિક સમિતિના અધ્યક્ષ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:21 pm

સુરેન્દ્રનગર પાલિકાએ વેરા બાકીદારોની મિલકતો સીલ કરી:વેરા વિભાગે લાખોની વસૂલાત કરી, કાર્યવાહી ચાલુ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગે વેરા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે અને વેરાની વસૂલાત પણ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી દરમિયાન, પટેલ વિપુલભાઈ અને અન્ય (હાલ સિગ્નેચર રેસ્ટોરન્ટ)ની ડ્રીમ ૨ ફ્લેટ સામે, બીજા માળે આવેલી દુકાન નંબર ૧ સીલ કરવામાં આવી હતી, જેના પર રૂ 4,34,072નો વેરો બાકી હતો. આ ઉપરાંત, સર્વોદય સોસાયટી કો. ઓ. હા. સોસાયટીની મિલકત પણ સીલ કરાઈ હતી, જેના પર રૂ 2,21,360નો વેરો બાકી હતો. સીલ કરવાની કાર્યવાહી દરમિયાન, ચાર અન્ય બાકીદારો પાસેથી લાખો રૂપિયાના વેરાની વસૂલાત કરવામાં આવી હતી. નટ આયાન ઇન્ડસ્ટ્રીઝ પાસેથી રૂ 2,43,219, હર્ષદભાઈ જોશી ગેસ્ટ હાઉસ (હાલ ડૉ. પરિમલ દોશી) પાસેથી રૂ.3,45,187, ભગીનીબેન ગુણવંતરાય પાસેથી રૂ1,06,376 અને ખંભલા નિલેશભાઈ મોહનલાલ પાસેથી રૂ64,256 નો વેરો સંપૂર્ણપણે વસૂલ કરવામાં આવ્યો હતો. વેરા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ જે વેરા બાકીદારોએ હજુ સુધી વેરો ભરપાઈ કર્યો નથી, તેમની મિલકતોને સીલ કરીને વેરા વસૂલાતની કાર્યવાહી નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:20 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બજેટ અમલીકરણ પર સરકાર સક્રિય:15 માર્ચ સુધી દરખાસ્તો મોકલવાનો આદેશ, 1લી એપ્રિલથી નવા કામોને મળશે લીલી ઝંડી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે બજેટ 2026-27ના અમલીકરણને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડી તમામ વિભાગોને વહીવટી મંજૂરીની પ્રક્રિયા વેગવંતી બનાવવા સૂચના આપી છે. પરિપત્ર મુજબ 15 માર્ચ સુધીમાં તમામ વિભાગોએ પોતાની દરખાસ્તો e-Sarkar મારફતે રજૂ કરવાની રહેશે, જેથી 1લી એપ્રિલથી નવા કામો માટે ખર્ચ કરવાની મંજૂરી સમયસર મળી શકે અને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય. 5 કરોડથી વધુ ખર્ચ માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય રહેશેસરકારે નવી જગ્યાઓ, વાહનોની ખરીદી અને આઈ.ટી. સાધનો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. 5 કરોડ સુધીના આઈ.ટી. સાધનો અથવા મશીનરીની ખરીદી માટે સંબંધિત વિભાગીય સચિવ મંજૂરી આપી શકશે, જ્યારે 5 કરોડથી વધુ ખર્ચ માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય રહેશે. જૂના વાહનોના બદલામાં નવા વાહનો ખરીદવા માટે કડક ચકાસણી બાદ જ મંજૂરી અપાશે અને જો અધિકારીની જગ્યા ખાલી હશે તો નવું વાહન આપવામાં આવશે નહીં. ઉપરાંત ઓફિસ બિલ્ડીંગ, આરોગ્ય કેન્દ્રો અને આશ્રમશાળાઓના બાંધકામ માટે પણ વિગતવાર દરખાસ્ત કરવી ફરજિયાત રહેશે. સરકારનો દાવો છે કે, નાણાકીય વર્ષ શરૂ થતાં જ તમામ યોજનાઓ જમીન પર ઉતરી શકે તે માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તમામ વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:15 pm

ચોરી-લૂંટ કરી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ:પોલીસે 2 આરોપીઓને ઝડપીને 7 ગુનાનો ભેદ ઉકેલ્યો, 12.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ શહેરમાં લૂંટ, ચોરી અને ઈજા પહોચાડી બળજબરીથી પૈસા પડાવી લેતી ગેંગના બે આરોપીઓને ઝોન-7 એલસીબીએ ઝડપી પાડ્યા છે.આરોપીઓએ સોલા, બોપલ, સરખેજ, ઓઢવ, રામોલમાં કુલ 7 ગુના કર્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 12.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત કર્યો હોવાનો ઢોંગ કરીને 12.48 લાખની મતા ચોરી લીધીગોતામાં રહેતા અલ્પેશભાઇ પટેલ સીજી રોડ પરથી પાંચ કિલો ચાંદીના 10 ચોરસા લઇને માણેકચોક ખાતે જતા હતા. નગરી હોસ્પિટલ પાસે બાઇક પર આવેલા શખ્સોએ અકસ્માત કર્યો હોવાનો ઢોંગ કરીને અલ્પેશભાઇના વાહનની ડેકીમાંથી ચાંદીના ચોરસા મળી 12.48 લાખની મતા ચોરી લીધી હતી. આ બનાવ બાદ પોલીસે કુલ 350 સીસીટીવી તપાસ્યા હતા. આરોપીઓ હેલમેટ પહેરીને મોઢે રૂમાલ બાંધીને ગુનાને અંજામ આપવા નીકળતાઝોન-7 એલસીબીની ટીમે બાતમી આધારે સરખેજમાંથી છારા ગેંગના પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ભોગેકરને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એલિસબ્રીજ, રામોલ, સોલા, સરખેજ, ઓઢવ અને બોપલમાં વિવિધ મોડસઓપ્રેન્ડીથી ચોરી અને લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે.આરોપીઓ હેલમેટ પહેરીને મોઢે રૂમાલ બાંધીને નીકળતા અને ગુનાને અંજામ આપવા અલગ કપડાં પહેરીને આંગડિયા પેઢી કે જ્વેલર્સ શોપની રેકી કરીને ગુનાને અંજામ આપતા હતા. આરોપી પ્રતિક ઉર્ફે અંધા અને શંકુલ અગાઉ પણ સાત વાર ઝડપાયા હતા. ત્યારે પોલીસે આ ગેંગના ફરાર આરોપીઓ અજય ઉર્ફે અજુબા ગાગડેકર, વિશાલ ઉર્ફે ભાવુ તનવાણી, સન્ની તમંચે અને રોજનીશ ઉર્ફે માંજરા ગુમાને ની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:13 pm

ખતલવાડામાં રાત્રે કેમિકલ કચરો ઠલવાયો:ગ્રામ પંચાયતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી, કડક કાર્યવાહીની માગ

ઉમરગામ તાલુકાના ખતલવાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યાઓમાં ઝેરી કેમિકલ યુક્ત કચરો ઠાલવવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ખતલવાડા ગ્રામ પંચાયતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્ર નટવરલાલ ટંડેલે આપેલી ફરિયાદ મુજબ, છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા ઉદ્યોગકારો કે ઇસમો દ્વારા રાત્રિના અંધકારમાં ખતલવાડાની હદમાં આવેલા મેદાનો અને જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે. આ ઝેરી કચરાના કારણે આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. તે ઉપરાંત, જમીન, પાણી અને હવા પ્રદૂષિત થવાથી પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે, અને પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. આ કેમિકલના કારણે ભવિષ્યમાં આગ, વિસ્ફોટ કે ઝેરી ગેસ ગળતર જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જે જાહેર સુરક્ષા માટે મોટો ખતરો છે. સરપંચે આ કૃત્યને જાહેર સ્વાસ્થ્ય સાથેના ચેડાં ગણાવી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 278, 285 અને 326-જી તેમજ એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. ગ્રામ પંચાયતે પોલીસ અને સંબંધિત વિભાગો સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં ઘટના સ્થળ પર પંચનામું કરી કેમિકલના નમૂના સીલ કરવા, જવાબદાર ઉદ્યોગ કે વ્યક્તિઓની તાત્કાલિક ઓળખ કરી ધરપકડ કરવી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરાવી વિસ્તારમાં તાત્કાલિક 'ડી-કન્ટામિનેશન' (શુદ્ધિકરણ)ની પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ગંભીર મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને પ્રદૂષણ વિભાગ આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 7:10 pm

પાલાવાસણા ચોકડી પાસે પૈસાની જૂની અદાવતમાં યુવક પર હુમલો:પેટ્રોલ પંપની સામે યુવક જમીને હોટલની બાજુમાં ઊભો ને આરોપીએ લોખંડના પાઈપથી હુમલો કર્યો

મહેસાણા શહેરની પાલાવાસણા ચોકડી પાસે આવેલી એક હોટલ બહાર પૈસાની જૂની અદાવત રાખીને ત્રણ શખસોએ એક યુવક પર લોખંડની પાઈપ અને બેઝબોલના ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા છ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતોવડોસણ ગામના આથમણા વાસમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અમિતકુમાર ઉદેસિંહ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે એક વર્ષ અગાઉ સુખપુરડા ગામના વિશાલજી સોહમજી ઠાકોર પાસેથી ઉછીના પૈસા લીધા હતા, જે સમયસર પરત કરી દીધા હતા તેમછતાં વિશાલજી અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ બાબતે છેલ્લા છ મહિનાથી તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જમીને હોટલની બાજુમાં ઉભા હતા ને આરોપીએ લોખંડના પાઈપથી હુમલો કર્યોગત 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે અમિતકુમાર તેમના પિતરાઈ ભાઈ કિરણજી સાથે પાલાવાસણા ચોકડી પાસે આવેલા સન પેટ્રોલ પંપની સામે 'અપના ફ્રાય સેન્ટર' ખાતે જમવા ગયા હતા. જમીને હોટલની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક વિશાલજી સોહમજી ઠાકોર લોખંડની પાઈપ લઈને ધસી આવ્યા હતા અને અમિતકુમારના માથાના પાછળના ભાગે ફટકો માર્યો હતો. હુમલા બાદ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાઆ હુમલા દરમિયાન વિશાલજીની સાથે અન્ય બે શખ્સો, વિશાલ અને રોહિતજી ઠાકોર પણ લોખંડની પાઈપ તથા બેઝબોલના ધોકા સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અમિતકુમારને જમણા પગના ઢીંચણ નીચે ધોકા મારતા તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. જ્યારે રોહિતજીએ બરડાના ભાગે પાઈપના ફટકા માર્યા હતા. હુમલા બાદ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જેને જોઈ ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:55 pm

ક્રાઈમ બ્રાન્ચના નામે નકલી પોલીસે 7 લાખ પડાવ્યા:મહિલા સાથે કઢંગી હાલતમાં મળતા 2.49 લાખ ને દારૂ-બીયરના કેસમાં 5 લાખ પડાવ્યા, સ્પા સંચાલકની ગઠિયાઓ સામે ફરિયાદ

શહેરના વ્સત્રાપુરમાં ચાલતા સ્પાના સંચાલક અને મહિલા કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી નકલી પોલીસે 7.49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં પહેલી વખત સંચાલક ને કઢંગી હાલતમાં પકડી 2.49 લાખ પડાવ્યા હતા. જ્યારે બીજી વખત દારૂ-બીયરની બોટલ સાથે ઝડપી પાડી 5 લાખ પડાવ્યા હતા. આ મામલે ભોગ બનનાર સ્પાના સંચાલકે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં દુકાન બરોબર ન ચલતાં મસાજ પાર્લર શરૂ કર્યુંપ્રભાતચોક ખાતે રહેતા આધેડ નવરંગપુરામાં લેડીઝ ટ્રેલર્સની દુકાન ધરાવે છે. તેમના પિતાએ આ દુકાન 50 વર્ષ પહેલાં ભાડે રાખી હતી. હાલમાં આધેડ ત્યાં બેસે છે. જ્યારે તેમની બીજી દુકાન વસ્ત્રાપુરમાં છેલ્લા 25 વર્ષથી છે. જોકે, આ દુકાન બરાબર ન ચાલતી હોવાથી ત્યાં મસાજ પાર્લર શરૂ કરવામાં આવ્યું હતું. આ મસાજ પાર્લર અગાઉ બે મહિલાઓ સંભાળતી હતી પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી એક મહિલા સ્પા ચલાવતી હતી અને જે આવક થાય તેનો અડધો ભાગ આધેડને આપતી હતી. સંચાલક કઢંગી હાલતમાં ઝડપાતા 2.49 લાખ પડાવ્યાફરિયાદ મુજબ ગત 5 ફેબ્રુઆરીના રોજ તેઓ સ્પામાં મહિલા સાથે કઢંગી હાલતમાં હતા, ત્યારે ત્યાં બે યુવાનો આવ્યા હતા. જે પોલીસ જેવા લાગતા હતા. તેમણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી તરીકે આપી અને સ્પામાં શું ગેરકાયદેસર ધંધો ચાલે છે તે કહી બંનેને ધમકાવ્યા હતા. જોકે, બંને આરોપીઓએ મામલો પતાવવા અઢી લાખની માગ કરી હતી. ડરી ગયેલા આધેડે દોઢ લાખ રોકડા અને 49 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા મુકેશ પ્રજાપતિના ખાતામાં જમા થયા હતા. બીજા દિવસે તેમણે મહિલા પાસે બાકીના 50 હજાર માગ્યા હતા. જે મહિલાએ આધેડ પાસેથી લઈને તેમને પહોંચાડ્યા હતા. દારૂ-બીયરના કેસમાં ફસાવાનું કહી 5 લાખ પડાવ્યાઆ ઘટના બાદ 14 ફેબ્રુઆરીના રોજ આધેડ સ્પા પર દારૂની બોટલ અને બીયર લઈને મહિલા સાથે બેઠા હતા. ત્યારે ફરીથી તે બે કથિત પોલીસવાડા આવી ગયા હતા અને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરી હતી. આધેડે ઘરે રૂપિયા હોવાનું કહેતા એક કથિત પોલીસવાળો તેમને બાઈક પર તેમના ઘરે લઈ ગયો. જ્યાંથી 4.50 લાખ રૂપિયા લીધા હતા અને બાકીના 50 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા સજ્જાદહુસૈન મોહમ્મદરફીક શેખના ખાતામાં જમા થયા હતા. તપાસ કરતા ખબર પડી બંને યુવાનો પોલીસકર્મી નહોતાકુલ 7.49 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ આધેડે તપાસ કરતા જણાવા મળ્યું કે, આ બંને યુવાનો પોલીસકર્મચારી નહોતા. બીજી તરફ મહિલા પણ આ દિવસ બાદ સ્પામાં આવતી બંધ થઈ ગઈ હતી. જેથી તેણેએ જ પોતાના બે મળતિયાઓ મારફતે આ ખેલ ખેલ્યો હોવાની શંકા આધેડે વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયા નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:50 pm

વૃદ્ધા સાથે રેપ વિથ લૂંટના ગુનામાં આરોપીને 10 વર્ષની કેદ:બાઈક ચાલકે અવાવરુ જગ્યાએ બાઈક ઊભું રાખી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું

અમદાવાદ સુધી લિફ્ટ આપવાના બહાને 72 વર્ષીય વૃદ્ધાની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી બાઈક પર બેસાડી ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં રાતના અંધકારમાં રેપ વિથ લૂંટનાં ગુનાને અંજામ આપનાર 50 વર્ષીય સેક્સ મેનીયાકને ગાંધીનગર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. શર્માએ 10 વર્ષની સખત કેદ અને ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અજાણ્યો શખસ બાઈક લઈને તેમની પાસે ગયોઅમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી પાંચ સંતાનોની 72 વર્ષીય વિધવા માતા તા. 14મી સપ્ટેમ્બર, 2023ના રોજ ખેડા ખાતે મોટા દીકરાના ઘરે રહેવા માટે ગયા હતા અને 21મીએ એકલા પરત અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. જેઓ ઈકો ગાડીમાં બેસી કઠલાલ ચોકડી બપોરના સમયે ઉતર્યા હતા. એ વખતે આશરે 50 વર્ષની ઉંમરનો અજાણ્યો શખસ બાઈક લઈને તેમની પાસે ગયો હતો અને વૃદ્ધાને નામથી બોલાવી કયા જવાનું પુછ્યું હતું. પોતાને બાઈક ચાલક ઓળખતો હોવાનું માનીને વૃદ્ધા બાઈક પર બેસી ગયાઆથી વૃદ્ધાએ અમદાવાદ નાના દીકરાને ઘરે જવાનું કહેતા શખસે અમદાવાદ ઉતારી દેવાનું કહ્યું હતું. આમ પોતાને બાઈક ચાલક ઓળખતો હોવાનું માનીને વૃદ્ધા બાઈક પર બેસી ગયા હતા. પરંતુ બાઈક ચાલક વૃદ્ધાને અજાણ્યા ગામમાં લઈ ગયો હતો. જેથી વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. આ સાંભળીને ગામનો એક વ્યક્તિ દોડી આવતાં વૃદ્ધાએ તેમને પોતાના દીકરાનો મોબાઈલ નંબર જણાવ્યો હતો. જેથી બાઈક ચાલકે વૃદ્ધાના દીકરા સાથે વાત કરીને પોતે આ વૃદ્ધાને સારી રીતે ઓળખતો હોવાનું જણાવીને ઘરે મૂકી જવાની ખાતરી આપી હતી. રખીયાલ પોલીસ મથકમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતોબાદમાં રાતના આઠ વાગ્યાના અરસામાં બાઈક ચાલકે અવાવરુ જગ્યાએ બાઈક ઊભું રાખી વૃદ્ધાને ખેંચીને ઝાડીમાં લઈ જઈ ધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો હતો. રાત્રિ દરમ્યાન અવાર-નવાર બળાત્કાર ગુજારીને સવારે સોના-ચાંદીના દાગીના લૂંટી બાઈક લઈને ભાગી ગયો હતો. બાદમાં વૃદ્ધા જેમ-તેમ કરીને મુખ્ય રોડ સુધી આવીને દીકરાનો સંપર્ક કર્યો હતો અને કઠલાલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. પરંતુ કઠલાલ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાનું ટાળી ગાંધીનગર મોકલી આપતાં રખીયાલ પોલીસ મથકમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતો. ગ્રામજનોની પૂછપરછ દરમિયાન આરોપીના બાઈક નંબર મળી ગયાઆ બનાવની ગંભીરતા જાણીને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઈ ડી બી વાળા, તત્કાલીન સર્કલ પીઆઈ વી જી રાઠોડ તેમજ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ સંયુક્ત તપાસનો દોર શરૂ કર્યો હતો. જે અન્વયે પોલીસ કડજોદરા પહોંચી હતી અને ગ્રામજનોની પૂછપરછ દરમિયાન આરોપીનું વર્ણન - બાઈક નંબર પણ મળી ગયા હતા. અગાઉ આરોપીએ 18 વર્ષીય યુવતી પર પણ દુષ્કર્મ આચર્યું હતુંબાદમાં ટેકનિક સોર્સનાં માધ્યમથી પોલીસે ગોવિંદ ગિરીશભાઈ અરજણભાઈ ઝાલા (રહે, દક્ષેશ્વર ગામ, તા. બાયડ. જી. અરવલ્લી) ઉઠાવી લીધો હતો. જેની પૂછતાંછમાં તેણે ઉક્ત ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. આ અગાઉ 50 વર્ષીય આરોપીએ 18 વર્ષીય યુવતી પર પણ દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં વર્ષ - 2003 થી 2013 સુધી જેલની સજા ભોગવી ચૂક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેની ગામમાં સેક્સ મેનિયાક જેવી ઇમેજ હોવાથી તેના બે પુત્રોએ પણ બહિષ્કાર કર્યો છે. એટલે ગોવિંદ કઠલાલ વિસ્તારમાં રખડતો હતી અને કોઈ રીતે વૃદ્ધાનું નામ જાણી ગયો હતો. બાદમાં તેમને નામથી બોલાવીને લિફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડી ગાંધીનગર આવી ગુનાને અંજામ આપ્યો હતો. કોર્ટે સેકસ મેનિયાકને 10 વર્ષની સખત કેદ ફટકારી હતીજે કેસ ગાંધીનગર કોર્ટ બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. શર્માની સમક્ષ ચાલી જતા ભોગ બનનારના બાળકો, પંચો અને સ્કેચ બનાવનાર સાક્ષીની જુબાની મહત્વની રહી હતી. તો સરકારી વકીલ પ્રીતેશ વ્યાસે ધારદાર દલીલો કરી હતી કે,આરોપીએ પોતાની માતાની ઉંમરની મહિલા સાથે આવું કૃત્ય કર્યું છે, જે અત્યંત વિકૃત માનસિકતા દર્શાવે છે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સેકસ મેનિયાક ગોવિંદને 10 વર્ષની સખત કેદ અને ભોગ બનનારને બે લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:49 pm

PSI ભરતીની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ જાહેર:1.10 લાખ ઉમેદવારો ક્વોલિફાય, 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાવાની સંભાવના; જુઓ સંપૂર્ણ લિસ્ટ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયા મુજબ પી.એસ.આઈ. કેડર અને લોકરક્ષક કેડરના વર્ગમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીમાં જોડાયા હતા. બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી, જે રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. 1.10 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયાકસોટી પૂર્ણ થયા બાદ પી.એસ.આઈ. તેમજ લોકરક્ષક બંને માટે નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી હાથ ધરવામાં આવી હતી. તેમાંમાંથી 1,10,665 ઉમેદવારો શારીરિક પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. પાસ થયેલા ઉમેદવારોમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાવાની સંભાવનાભરતી બોર્ડ દ્વારા આજે જ પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આવનાર તા. 19 એપ્રિલ, 2026ના રોજ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં આ વખતે ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો છે, જેના કારણે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે. ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે. ક્વોલિફાય ઉમેદવારોનું નામ ચેક કરવા માટે આ લિંક પર ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:47 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:બેકાબૂ હોન્ડાસિટી બંગલોનો ગેટ તોડી ઘુસી ગઈ, શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં બખ્ખાં

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:40 pm

'રાધનપુર ચોકડીના ટ્રાફિક સિગ્નલ ટ્રાયલને સ્થગિત કરો':MLA મુકેશ પટેલની કલેક્ટરને રજૂઆત, કહ્યું- 'જો ટ્રાફિકજામ થશે તો પરીક્ષાર્થીઓ મુશ્કેલીમાં મૂકાશે'

મહેસાણા શહેરમાં હાલમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં રાધનપુર ચોકડી અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા ટ્રાફિક સિગ્નલના પ્રાયોગિક પરીક્ષણ ટ્રાયલ ને હાલ પૂરતું સ્થગિત રાખવા માંગ કરી છે. ટ્રાફિક સિગ્નલના ટ્રાયલના કારણે ચોકડી પર ટ્રાફિકજામ સર્જાઈ શકેધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે.મહેસાણાના વ્યસ્ત એવા રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી વિસ્તારમાં હાલ ટ્રાફિક સિગ્નલના ટ્રાયલ ચાલી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને લીધે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિગ્નલ ટ્રાયલ બંધ રાખવા રજૂઆતમુકેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનનો અત્યંત મહત્વનો પડાવ હોય છે. આવા સંવેદનશીલ સમયે ટ્રાફિક વ્યવસ્થાના પ્રયોગોને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધે તે યોગ્ય નથી. આથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને જ્યાં સુધી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિગ્નલ ટ્રાયલ બંધ રાખી ટ્રાફિકનું સંચાલન મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવે એવી ભલામણ તેમણે કલેક્ટરને કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:37 pm

રાજ્યમાંથી 2 વર્ષમાં 43,604 કિલો ગૌમાંસ ઝડપાયાનો સરકારનો સ્વીકાર:હાઈકોર્ટમાં 560 જગ્યા ખાલી, મંત્રી સંજય મહિડા ચાલુ ભાષણે ઉભા થતા અધ્યક્ષે નિયમની યાદ અપાવી

ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ અને અંદાજપત્રની ચર્ચા દરમિયાન ગૃહમાં એક તરફ આંકડાકીય માહિતી જોવા મળી તો બીજી તરફ સત્તા-વિપક્ષ વચ્ચે તીખી ટકરાવ અને ટિપ્પણીઓથી વાતાવરણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારએ મંત્રી કુબેર ડિંડોર સામે ટોણો મારતા પૂછ્યું કે, “તમે એવા કેવા કામ કર્યા કે તમારે પાછળ બેસવાનો વારો આવ્યો?” આ નિવેદનથી ગૃહમાં તણાવ સર્જાયો અને અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટિપ્પણી ન કરવાની ટકોર કરી. અંદાજપત્રની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત શાહએ કોંગ્રેસના સમયના કરફ્યુ અને તોફાનોની યાદ અપાવીને કટાક્ષ કર્યો અને લતીફ પ્રકરણનો ઉલ્લેખ કરતાં IPS અધિકારી ગીતા જોહરીની બહાદુરીનો ઉલ્લેખ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 560 જગ્યા ખાલીગૃહમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ગ્રુપ-Aની 30, ગ્રુપ-Bની 33, ગ્રુપ-Cની 341 અને ગ્રુપ-Dની 156 જગ્યાઓ ખાલી છે, જેમાંથી ગ્રુપ A અને Bની 12 જગ્યાઓ એક વર્ષથી અને 22 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે. ગ્રુપ Cમાં 138 જગ્યાઓ એક વર્ષથી અને 203 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે જ્યારે ગ્રુપ Dમાં 72 જગ્યાઓ એક વર્ષથી અને 84 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે. ગુજરાતમાંથી બે વર્ષમાં 43,604 કિલો ગૌમાંસ ઝડપાયાનો સ્વીકારગૌ માંસ મુદ્દે સરકારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 43604 કિલો ગૌ માંસ અને 1272 કિલો ગૌ વંશનું માંસ પકડાયું છે, 1235 આરોપીની ધરપકડ થઈ છે અને હજુ 107 આરોપી ફરાર છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 21871 કિલો ગૌ માંસ અને 292 કિલો ગૌ વંશ પકડાયું છે, જ્યાં 409 ધરપકડ અને 50 આરોપી ફરાર હોવાનું બહાર આવ્યું. કચ્છના રણોત્સવમાંથી સરકારને બે વર્ષમાં 17 કરોડની આવકકચ્છમાં યોજાતા રણોત્સવમાં પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો છે. વર્ષ 2024માં 855565 અને 2025માં 941637 પ્રવાસીઓએ મુલાકાત લીધી, જ્યારે બે વર્ષમાં કુલ 170635667 રૂપિયાની આવક થઈ છે. અંબાજીમાં આદિવાસી-પોલીસ ઘર્ષણ બાબતે સરકારની સ્પષ્ટતાઅંબાજીના પાડલીયા વિસ્તારમાં આદિવાસી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે સરકારે સ્પષ્ટતા કરી કે કોઈ ફાયરિંગ થયું નહોતું. અંબાજી વિસ્તારમાં ઘટના સમયે 2 સરકારી વાહન અને 30 પોલીસકર્મી બંદોબસ્તમાં હતા, 14 ટિયર ગેસ સેલ છોડાયા અને 17 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. શંકર ચૌધરીએ સભ્યોના હાર્ટબીટ ચેક કરાવવનું કહેતા જ ગૃહમાં હાસ્ય રેલાયું!પ્રશ્નકાળ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને ગીરનાર પર્વતની મુલાકાતે લઈ જવાની અપીલ કરી અને કહ્યું કે ગીરનાર તળેટીની મુલાકાતથી આરોહણ-અવરોહણ થશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ રમૂજમાં કહ્યું કે મુલાકાત પહેલા સભ્યોના હાર્ટબીટ ચેક કરાવવા જોઈએ, જેના કારણે ગૃહમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું. થાનગઢ દલિત હત્યાકાંડ કેસમાં કાર્યવાહી મામલે સરકારનો જવાબથાનગઢ દલિત હત્યાકાંડ કેસ અંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સવાલ પર સરકારે જણાવ્યું કે 01-05-2013ના રોજ તપાસ સમિતિએ અહેવાલ સોંપ્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહી વિચારણા હેઠળ છે. મંત્રી સંજય મહીડાને અધ્યક્ષે નિયમની યાદ અપાવવી પડીગૃહ દરમિયાન મંત્રી સંજયસિંહ મહીડા સભ્યના ભાષણ દરમિયાન બહાર જતા હતા ત્યારે અધ્યક્ષે તેમને નિયમ યાદ અપાવી રોક્યા અને જણાવ્યું કે અધ્યક્ષ અને સભ્યની વચ્ચેથી પસાર થઈ શકાતું નથી, ત્યારબાદ તેઓ ફરી પોતાની બેઠક પર બેઠા. અમદાવાદમાં 13 પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં કાર્યરત!અમદાવાદ શહેરમાં 13 પોલીસ ચોકી અને સ્ટેશન વર્ષોથી ભાડે ચાલી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું, જેમાં નાગોરીવાડ 55 વર્ષથી, હાટકેશ્વર 54 વર્ષથી, ચારોડિયા 46 વર્ષથી, ચમનપુરા 38 વર્ષથી અને ઓઢવ GIDC 32 વર્ષથી ભાડે છે. છેલ્લા બે વર્ષમાં રૂ. 3866 ભાડું બાકી હોવાનું જવાબમાં જણાવાયું. હેલિકોપ્ટર જોય રાઈડ માટે સરકારે ત્રણ વર્ષમાં 1 કરોડથી વધુનું ફંડ મજૂર કર્યુંસાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઈડ મામલે સાબરમતી રિવરફ્રન્ટ માટે સરકારે Aero Trans Services Pvt Ltdને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. વર્ષ 2022માં રૂ. 12 લાખ પ્રતિ માસ વાયબિલિટી ગેપ ફંડિંગ મંજૂર થયું હતું. વર્ષ 2024માં રૂ. 87.19 લાખ અને 2025માં રૂ. 16.40 લાખ ચૂકવાયા હોવાનું ગૃહમાં જણાવાયું. ગૃહ પૂર્ણ થયા બાદ દિવસભરની તીખી ચર્ચા છતાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો હેતથી મળતા જોવા મળ્યા. શૈલેષ પરમાર સભ્યોને ચિઠ્ઠી મોકલવાની ચર્ચા કરતા હતા. કિરીટ પટેલે કહ્યું કે જો હું ખોટો હોઉં તો રાજીનામું આપું, ત્યારે ઋષિકેશ પટેલે હાસ્યમાં જવાબ આપ્યો કે રાજીનામું ન આપશો, અહીં આવવું હોય તો જગ્યા ખાલી છે. દિવસભરની ગરમાગરમ ચર્ચા વચ્ચે અંતે મિત્રતાનો ભાવ દેખાતા વિધાનસભાનું સત્ર રાજકીય તીખાશ અને હળવી ગોસિપ બંને માટે યાદગાર રહ્યું.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:35 pm

વાપી મનપાએ 137 મિલકતોને તાળાં માર્યાં:એક માસમાં રૂ. 1.08 કરોડની સ્થળ પર વસૂલાત કરી

વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે ફેબ્રુઆરી માસ દરમિયાન 137 મિલકતોને સીલ કરીને સ્થળ પર રૂ. 1.08 કરોડની વસૂલાત કરી છે. કુલ રૂ. 1.93 કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો. વાપી મનપા કમિશનર યોગેશ ચૌધરીએ વેરો ન ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. માર્ચ માસ સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ઘરવેરા વિભાગ ઝુંબેશ ચલાવી રહ્યું છે. નોટિસો આપવા છતાં વેરો ન ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી. આ અંતર્ગત વાપીના નહેરૂ સ્ટ્રીટમાં એક ગેરેજ, ચલામાં બેંકની હોમલોન શાખા, ગોલ્ડન પોઈન્ટમાં ક્લિનિક, નીલકંઠ આશીર્વાદમાં 7 દુકાનો, અશ્વમેઘમાં 3 દુકાનો, સહારા માર્કેટમાં 11 ઓફિસો અને ખડકલા રોડ પર 6 દુકાનો સહિત કુલ 137 મિલકતોને તાળા મારવામાં આવ્યા હતા. હાલમાં લાંબા સમયથી વેરો ન ભરનારા 3200 જેટલા મિલકતધારકોને નોટિસો આપવામાં આવી છે અને સીલિંગની કાર્યવાહી ચાલુ છે. મિલકતધારકોની સુવિધા માટે vapicity.in વેબસાઇટ પર ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. માર્ચ મહિનામાં જાહેર રજાના દિવસોમાં પણ મહાનગરપાલિકાની કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. મનપાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ-2026 થી 6% મુજબ દંડનીય વ્યાજ લાગશે. જો 31 માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ ઉપર 12% વ્યાજ લાગશે. વેરો નહીં ભરનાર સામે મિલકત જપ્તીની કાર્યવાહી પણ થઈ શકે છે, તેથી મિલકતધારકોને સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:33 pm

2021ના ગોડાદરા હત્યા કેસમાં આરોપીઓને રાહત:કોર્ટે ત્રણેયને જેલમુક્ત કર્યા, બાઈકની કટ મારવા જેવી સામાન્ય અદાવતમાં છરા અને ઇંટના હુમલાનો હતો આરોપ

વર્ષ 2021માં ગોડાદરા વિસ્તારમાં ચકચાર જગાવનાર આદિત્યસિંહ રાજપૂત હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. મોટરસાયકલને કટ મારવા જેવી સામાન્ય બાબતે થઈ હતી હત્યાઆ ઘટનાની વિગત મુજબ 17 સપ્ટેમ્બર, 2021ના રોજ મોટરસાયકલને કટ મારવા બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની અદાવત રાખીને 19 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મણનગર સોસાયટી પાસે આદિત્યસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ છરા અને ઇંટ વડે જીવલેણ હુમલો કરી આદિત્યસિંહનું મોત નીપજાવ્યું હોવાનો આરોપ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી જેલભેગા કર્યા હતાઆદિત્ય રાજપૂતની હત્યાના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા રીતુરાજ પાસવાન, અમિત યાદવ અને રોહિત યાદવ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. તે સમયે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કાનૂની કાર્યવાહી ચાલી હતી. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો માન્ય રખાઈઆ કેસમાં બચાવ પક્ષના વકીલ પી.ટી. રાણા અને જીત એચ. પટેલવાલાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતા નથી. સાક્ષીઓની જુબાની અને સંજોગોવસાત પુરાવાઓમાં રહેલી ક્ષતિઓ તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે શંકાનો લાભ આપી ત્રણેયને જેલમુક્ત કર્યાસુરત સેશન્સ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી. કાયદાકીય જોગવાઈ મુજબ, જ્યારે ગુનો સાબિત ન થાય ત્યારે આરોપીને શંકાનો લાભ મળવો જોઈએ. આથી કોર્ટે રીતુરાજ, અમિત અને રોહિતને નિર્દોષ જાહેર કરી તાત્કાલિક જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Feb 2026 6:30 pm