દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આર્થિક ખેંચતાણ અને કૌટુંબિક અસમંજસના કારણે પતિ-પત્ની વચ્ચે ઊભી થયેલી એક ગંભીર સમસ્યામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે દૂધમાં સાકર ભળે તેમ સુખદ સમાધાન કરાવ્યું છે. ઘરખર્ચ અને વ્યક્તિગત જરૂરિયાતો માટે પતિ પાસે પૈસાની જરૂરિયાત પુરી નહીં કરવા જેવી બાબતે સમગ્ર મામલો અભયમ સુધી પહોંચ્યો હતો. પતિએ આવક બંધ થતાં ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરીગાંધીનગરના કુડાસણની પીડિતાને માતૃત્વની જવાબદારી નિભાવવા માટે તેણે પોતાની નોકરી છોડવી પડી હતી. અગાઉ જ્યારે તે આર્થિક રીતે આત્મનિર્ભર હતી ત્યારે દંપતી વચ્ચે કોઈ વિખવાદ નહોતો, પરંતુ જ્યારથી તેની આવક બંધ થઈ ત્યારથી પતિ દ્વારા ઘરખર્ચમાં આનાકાની અને માનસિક હેરાનગતિ શરૂ કરી હતી. જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતાઆ સ્થિતિ એટલી હદે વણસી હતી કે, બાળકી માટે ફળ કે અન્ય જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે પણ પીડિતા પાસે નાણાં રહેતા નહોતા. માંગણી કરવા છતાં પતિ સમયસર વસ્તુઓ લાવી આપતો નહોતો. જેથી ઘટનાસ્થળે પહોંચેલી અભયમની ટીમે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. ત્યારે પતિએ પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તે વસ્તુઓ લાવી આપે છે, પરંતુ કામના ભારણને કારણે ક્યારેક વિલંબ થતો હોય છે. અભયમ ટીમે બંને પક્ષોને સમજાવી સુખદ સમાધાન લાવ્યુંઅભયમની ટીમે પતિને સમજાવ્યું હતું કે, પત્ની એ ઘરની લક્ષ્મી છે અને તેની પાસે વાપરવા માટે પૂરતા નાણાં હોવા અનિવાર્ય છે .જેથી તેને નાની વાતો માટે કોઈની પાસે હાથ ફેલાવવા પડે નહીં. બીજી તરફ પીડિતાને પણ સમજાવવામાં આવ્યું કે ઘરની મોટી ખરીદી અને જવાબદારીમાં પતિનો સહકાર લેવો. આમ લાંબી સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવેથી ઘરનું કરિયાણું, શાકભાજી તેમજ બાળકીની જરૂરિયાતો સમયસર પૂરી કરવાની સાથે પત્નીને અંગત ખર્ચ માટે નિયમિત રકમ આપવાની ખાતરી આપી હતી. આમ સંસાર તૂટવાને આરે પહોંચેલા પરિવારમાં 181ની ટીમે મધ્યસ્થી બનીને ફરી ખુશીઓ લાવી દીધી છે.
વેરાવળ શહેરમાં વીજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના કારણે આગામી રવિવારે, 29 માર્ચ, 2026 ના રોજ, શહેરના અનેક વિસ્તારોમાં પાંચ કલાક માટે વીજ પુરવઠો બંધ રહેશે. શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા મળેલી માહિતી મુજબ, સવારે 09:00 વાગ્યાથી બપોરે 02:00 વાગ્યા સુધી 11 કે.વી. સટ્ટાબજાર ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. આ વીજકાપને કારણે બસ સ્ટેશન, ટાવર વિસ્તાર, સટ્ટાબજાર, મોચી બજાર, નવા પટેલ વાળા, એમ.જી. રોડ, કટલેરી બજાર, વાણંદ શેરી, રેયોન ક્વાર્ટર, લીલા શાહ નગર, અલણા નો ડેલો, રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ અને હરસિદ્ધિ ડેરી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થશે. રવિવારે બજાર વિસ્તારમાં ખરીદી-વેચાણની પ્રવૃત્તિઓ ચાલુ રહેતી હોવાથી વેપારીઓ અને નાના ઉદ્યોગકારો માટે આ સમયગાળો ખાસ કરીને અસરકારક બની શકે છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની આ કામગીરી શહેરની વીજ પુરવઠા વ્યવસ્થાને વધુ વિશ્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ કામગીરીથી લાઈન ફોલ્ટ, ટ્રિપિંગ અને વીજ વિક્ષેપ જેવી સમસ્યાઓમાં ઘટાડો થશે. PGVCL દ્વારા વિશેષ નોંધ રૂપે જણાવાયું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પૂર્વ જાણ કર્યા વિના વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે. આથી, નાગરિકોને આ સમયગાળા દરમિયાન જરૂરી તૈયારી રાખવા અને વીજ ઉપકરણોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલી આ આધુનિકીકરણ કામગીરીને નાગરિકોએ આવકારી છે અને તાત્કાલિક થતી અસુવિધાને સહન કરીને સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
પોરબંદર જિલ્લાના રાણા રોજીવડા ગામે એક કરુણ ઘટનામાં તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે. શાળા છૂટ્યા બાદ ન્હાવા ગયેલા નિખિલ હાજાભાઈ ટોરીયા (ઉં.વ. ૧૧) અને સુમિત જગદીશભાઈ સોલંકી (ઉં.વ. ૧૨) નામના કિશોરો કાળનો કોળિયો બન્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાણવડ નજીક આવેલા રાણા રોજીવડા ગામના આ બંને બાળકો શાળાએથી પરત ફર્યા બાદ ગામના 'નેસડા તળાવ'માં ન્હાવા માટે ગયા હતા. તળાવમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા બંને ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા બાળકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે બંનેને બચાવી શકાયા નહોતા અને તેમના મોત નીપજ્યા હતા. મૃતક સુમિત જગદીશભાઈ સોલંકી તેના પરિવારમાં પાંચ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. આ દુર્ઘટનાને કારણે પરિવાર પર શોકનો પહાડ તૂટી પડ્યો છે. ઘટના બાદ બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભાણવડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બગવદર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિલ્હીમાં દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં દાહોદના વિકાસલક્ષી પ્રશ્નો અને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ દાહોદમાં ચાલી રહેલા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સને ગતિ આપવાનો અને નવા આયોજનો માટે માર્ગદર્શન મેળવવાનો હતો. આદિવાસી બહુલ દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈ જેવા પાયાના વિષયો પર ગહન ચર્ચા થઈ હતી. સરકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પારદર્શક રીતે પહોંચે તે માટે સંગઠનાત્મક સ્તરે લેવાના પગલાં પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દાહોદના વિકાસના મુદ્દાઓમાં વિશેષ રસ દાખવ્યો હતો. તેમણે સંગઠનાત્મક માળખાને મજબૂત કરવા અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા માટે સૂચનો કર્યા હતા. સહકારિતા મંત્રાલય દ્વારા દાહોદના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને સ્થાનિક રોજગારી વધારવા માટેના પ્રોજેક્ટ્સ પર પણ ચર્ચા થઈ હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકથી દાહોદ સંસદીય ક્ષેત્રમાં વિકાસની નવી ગતિ જોવા મળશે. સાંસદ ભાભોર દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો પર કેન્દ્રીય મંત્રીએ હકારાત્મક પ્રતિસાદ આપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ મુલાકાતથી દાહોદના પ્રગતિશીલ કાર્યોને નવી ઊર્જા મળશે, જેનો સીધો લાભ દાહોદની જનતાને થશે. આ બેઠકને કારણે દાહોદના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. આગામી એક અઠવાડિયામાં ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની ચર્ચા જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિધિવત ચૂંટણીના બ્યૂગલ ફૂંક્યું છે. સુરતમાં સરસાણા સ્થિત પ્લેટીનમ હોલમાં દક્ષિણ ઝોન માટે ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ગોરધન ઝડફિયા, દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ સહિતના હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. ભાજપે ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યોચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં દેખાયેલા સળવળાટ વચ્ચે ભાજપ દ્વારા ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. પાછલા એક અઠવાડિયામાં મહાનગર, જિલ્લા, પ્રદેશની ચૂંટણી સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. એવામાં હવે દક્ષિણ ઝોનના 8 જિલ્લા, મહાનગર એટલે કે સુરત મહાનગર, સુરત જિલ્લો, તાપી, નર્મદા, ભરૂચ, વલસાડ, ડાંગ, નવસારીમાં આગામી ચૂંટણીલક્ષી મહત્વની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં 1 હજાર જેટલા અપેક્ષિતો હાજર રહ્યા હતા. તેમાં આઠેય જિલ્લા, મહાનગરના પ્રમુખો, મહામંત્રી, પ્રભારી, સાંસદ, પૂર્વ સાંસદો, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, મેયર, પૂર્વ મેયર, પૂર્વ પ્રમુખો, સુરત મહાનગરના જ 30 વોર્ડના પ્રભારી, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, અન્ય જિલ્લાઓના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો હાજર રહ્યા હતા. હોદ્દેદારો પાસેથી સ્થિતિ અને તૈયારીઓનો તાગ મેળવાશેપ્રદેશના હોદ્દેદારો દ્વારા બેઠકમાં ચૂંટણીને લઈને મહત્ત્વનું માર્ગદર્શન, ચર્ચા, સૂચનોની આપ લે કરવામાં આવ્યું હતું. ચૂંટણીના દિવસો નજીક છે ત્યારે આ બેઠકને રાજકીય રીતે પણ મહત્ત્વની છે. હોદ્દેદારો દ્વારા અપેક્ષિત સભ્યોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું અને ભવ્ય જીતની તૈયારી માટે તાકીદ કરવામાં આવી હતી. બીજીબાજુએ રાજ્ય સ્તરના હોદ્દેદારોની હાજરી સાથે જ મહાનગર, જિલ્લાના સ્થાનિક હોદ્દેદારો પાસેથી સ્થિતિ અને તૈયારીઓનો તાગ મેળવવામાં આવશે. ચૂંટણીના નવા સમીકરણો, સ્થિતિની બંધ બારણે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100% જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. 30એ સૌરાષ્ટ્ર અને 1લીએ ઉત્તર ઝોનની શ્રેણીમાં બેઠકનું આયોજનપ્રશાંત કોરાટ (ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી)એ જણાવ્યું હતું કે, આજે સુરત ખાતે દક્ષિણ ઝોનના પદાધિકારીઓની બેઠક માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંડળથી લઈને જિલ્લા સુધીના બધા જ કાર્યકર્તાઓને ઝોન સહ મળવાનું થાય એ પ્રકારે એમનો ગુજરાત પ્રદેશની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને આજે શરૂઆત દક્ષિણ ઝોનથી થઈ છે. બપોર પછી મધ્ય ગુજરાતની અંદર મધ્ય ઝોનની બેઠક છે. 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર છે અને પહેલી તારીખે ઉત્તર ઝોનની આ જ શ્રેણીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 'ર્યકર્તા પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય'પ્રદેશ અધ્યક્ષના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તા પ્રદેશથી લઈને બૂથ સુધી બધા કામ કરે એ ધ્યેય સાથે પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે. જે પ્રકારે આપ સૌ જાણો છો કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની અંદર કામ થઈ રહ્યું છે, દેશની અંદર છેવાડાના લોકો સુધી સરકારની યોજનાનો લાભ પહોંચી રહ્યો છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસગુજરાતની અંદર પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. સરકારની યોજનાકીય લાભાર્થીઓ સુધી પહોંચવા માટેનો પ્રયાસ, સરકારે કરેલા કામો અને સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો સ્થાનિક સ્વરાજની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ એકમના માધ્યમથી કરેલા કામો એ લોકોને યાદ અપાવીને એ પ્રકારે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી જવાના છે. આવતીકાલે PM ની 'મન કી બાત ટિફિન બેઠક'આગામી 29મી તારીખે પ્રધાનમંત્રી જે રીતે મહિનાના છેલ્લા રવિવારે 'મન કી બાત' કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી જોડાતા હોય છે, ત્યારે આ વખતે પણ એ 'મન કી બાત'ના કાર્યક્રમની અંદર 'મન કી બાત ટિફિન બેઠક' ની સાથે દરેક મંડળની અંદર, ગુજરાતની અંદર 600થી વધારે મંડળોની અંદર આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે. એની અંદર દરેક બૂથમાંથી ઓછામાં ઓછા પાંચ કાર્યકર્તાઓ જોડાવાના છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપે વિધિવત ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યુંસાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો 6ઠ્ઠી એપ્રિલે જે સ્થાપના દિવસ છે, એના આગલા દિવસે એટલે કે 5મી એપ્રિલે એક 'મહાસંપર્ક અભિયાન' ની અંદર દરેક બૂથમાં ભારતીય જનતા પાર્ટીની બૂથ સમિતિના કાર્યકર્તાઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને લોકો સુધી, જન-જન સુધી પહોંચવા માટેનો પ્રયાસ કરવાના છે, લોકોનો સંપર્ક સાધવાના છે. ત્યારે આવનારા સમયમાં પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ કાર્યકર્તાઓને ઉત્સાહિત કરવા માટે, પ્રોત્સાહિત કરવા માટે, નવી ઊર્જા અને નવી શક્તિ સાથે એ લોકો આવનારી ચૂંટણીમાં કામ કરે એ માટે થઈને પ્રદેશ અધ્યક્ષનો પ્રવાસ ચાલી રહ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા 232 ફાટક પાસેની માતૃકા રેસીડેન્સીમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકે સાતમાં માળેથી ઝંપલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અઈચ્છનિય ઘટના બને તે પહેલાં પોલીસ, ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગે બે કલાકની ભારે જહેમત બાદ યુવકનું રેસ્ક્યુ કર્યું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યુંમળતી માહિતી મુજબ, શહેરના માંજલપુર પોલીસ સ્ટેશને એક ઇમરજન્સી કોલ મળતા જ પોલીસ ટીમ તેમજ ત્રણ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ટીમ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા શખશને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. યુવકનો ટેરેસ પર ચઢી નીચે કૂદવાનો પ્રયાસલીવ ઈનમાં રહેતા યુવકે મહિલા મિત્ર સાથે અણબનાવ બનતા આપઘાત કરવાનું નાટક કર્યું હોય તેમ ટેરેસ પર ચઢી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાકની ભારે જહેમતે રેસ્ક્યુ કરાયા બાદ આ શખસને વધુ પૂછપરછ માટે માંજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ શખસનું નામ આકાશ રોહિતભાઈ પટેલ (ઉ.વ. 45) હોવાનું સામે આવ્યું છે. જે માતૃકા રેસીડેન્સી A/708 માં રહે છે. ત્રણ ફાયર સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યાઆ અંગે ફાયર ઓફિસર અમિત ચૌધરીએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગના સાતમા માળે એક યુવક ટેરેસની પેરાફિટ પર બેસીને કૂદવા માટેના પ્રયત્ન કરતો હોય એવો કોલ મળ્યો હતો. જેથી તરત જ વડોદરા ફાયર બ્રિગેડમાંથી GIDC ફાયર સ્ટેશન, ગાજરાવાડી ફાયર સ્ટેશન અને પાણીગેટ ફાયર સ્ટેશનના કર્મચારીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને સમજાવી બચાવી લેવાયો હતો. યુવકને બચાવવા બે કલાકની જહેમત ઉઠાવવી પડીરેસ્ક્યુ માટે રેસ્ક્યુ ટેન્ડર, નેટ લઇને આવ્યા હતા. જેથી કદાચ યુવક પડી જાય તો અમે નીચે તેને કેચ કરી શકીએ. આ સાથે હાઈરાઈઝ બિલ્ડિંગમાં બચાવ કામગીરી કરી શકીએ તેવું 45 મીટરનું 'બોન્ટો સ્કાય લિફ્ટ' પણ લાવવામાં આવી હતી. અત્યારે લગભગ બે કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી હતી.
વડોદરા રેલવે સ્ટેશન પર યાત્રીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અહીં રાજ્યનું પ્રથમ અને દેશનું બીજું ડિજિટલ લોન્જ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ લોન્જનું ઉદ્ઘાટન આજે 28 માર્ચે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું. હવે યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. 40થી વધુ યાત્રીઓ બેસી શકેડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે. ભારતીય રેલવેના ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ પહેલાં બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળ્યા પછી આ સુવિધા શરૂ કરવામાં આવી. કાર્યક્રમમાં વડોદરા રેલ્વે મંડળના ડી. આર. એમ રાજુ ભડકે, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં. નજીવા ચાર્જમાં ઉત્તમ સુવિધાઆ એસી લોન્જમાં માત્ર રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં મુસાફરોને ફ્રી વાઇફાઇ, ચા- કોફી, બેસવા માટે સોફા, ટીવી સહિતની સુવિધા મળી શકશે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન કોઈ મુસાફરે આરામ કરવો હોય તો રૂ. 700માં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રીંક, પાણીની બોટલ સહિતની સુવિધા મળી શકશે. અહીં લોકર સિસ્ટમ પણ ઉપલબ્ધ છે એટલે કે કોઈ મુસાફરે અહીં સામાન મૂકી કોઈ કામ અર્થે જવું હોય તો તે જઈ શકે છે અને ડિજિટલ લોકરનો રૂ. 100 પ્રતિ કલાક ચાર્જ આપી પોતાનો કિંમતી સમાન મૂકી શકે છે. કોન્ફરન્સની પણ સુવિધા ઉપલબ્ધ થશેઆ લોન્જમાં કોન્ફરન્સ હોલની પણ સુવિધા ઉપલબ્ધ છે. 1680 રૂપિયામાં ત્રણ કલાક માટે મિટિંગ હોલ મળી શકે છે, જેમાં વાઇફાઇ, ચા-કોફી, ટીવી પ્રેઝન્ટેશન સહિતની સુવિધા ઉપલબ્ધ થઈ શકશે. આ મિટિંગમાં 6 જેટલા વ્યક્તિ આરામથી મીટિંગ કરી શકે છે. સંચાલન પર રેલવે વિભાગ મોનિટરિંગ કરશેઃ DRMરેલવેના ડીઆરએમ રજૂ ભડકેએ જણાવ્યું હતું કે, આ લોન્જ દેશનું પહેલું અને ગુજરાતનું બીજુ લોન્જ છે. પહેલુ લોન્જ મુંબઈમાં છે. આ લોન્જનું સંચાલન પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવશે અને રેલવે વિભાગ તેનું સતત મોનિટરિંગ કરશે. વડોદરા એ મુસાફરોથી આવન-જાવનથી સતત ધમધમે છે, ત્યારે મુસાફરો માટે આ સુવિધા ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. ‘બિઝનેસ માટે આવતા લોકોને સૌથી મોટો ફાયદો થશે’આની પાછળનો વિચાર એ છે કે, વડોદરા જે છે, તે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ એક્ટિવિટીઝ તેમજ બિઝનેસ એક્ટિવિટીઝ માટે ખૂબ જ મહત્વનું સ્ટેશન છે. અહીં વંદે ભારત અને ઘણી ટ્રેનો દ્વારા એવા પેસેન્જર્સ આવે છે, જે બિઝનેસ માટે આવતા હોય છે. તેઓ ઘણીવાર ઓડ અવર્સમાં (વહેલી સવારે કે મોડીરાત્રે) આવે છે અને પોતાનું કામ પતાવીને પરત જવાનું હોય છે, તેમના માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સામાન્ય મુસાફરો માટે પણ આ એટલી જ ફાયદાકારક રહેશે. વિકસિત વડોદરાથી વિકસિત ભારત સુધીનું સ્વપ્નઃ સાંસદસાંસદ ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતનો મંત્ર આપવામાં આવ્યો છે, ત્યારે વડોદરા ખાતે આ અત્યાધુનિક લોન્જના ઉદ્ઘાટનથી વિકસિત વડોદરાથી વિકસિત ભારતનો સ્વપ્ન સાકાર કરવાની દિશામાં આ એક પગલું છે. જે પ્રકારે એરપોર્ટની અંદર VVIP લોન્જ હોય, તેવી જ રીતે વડોદરા રેલવે સ્ટેશનની અંદર પણ આજે ડિજિટલ લોન્જનું લોકાર્પણ કરાયું છે. મુસાફરો માટે આ નવલું નજરાણું બની રહેશે. ‘ભારતની બીજી અને ગુજરાતની પહેલી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર’વધુમાં ઉમેર્યું કે, જ્યારે મુસાફરને પોતે ચાલુ મુસાફરી દરમિયાન મીટિંગ અટેન્ડ કરવાની હોય, એમને થોડો ચા-નાસ્તો કરવો હોય કે બે-ચાર કલાક આરામ કરવો હોય, આ તમામ પ્રકારની સુવિધા એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખૂબ નજીવા ભાવે આ તમામ સુવિધા સાથે શાવર અને વોશરૂમની પણ સુવિધા આજે વડોદરા રેલવે સ્ટેશન પર ઉપલ્બધ કરાઈ છે. ઉલ્લેખનીય બાબત છે કે, સમગ્ર ભારતની અંદર બીજી આવી સુવિધા અને ગુજરાતની પહેલી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન ખાતે ઊભી થઈ છે, ત્યારે વડોદરાના તમામ મુસાફરોને અને રેલવેના અધિકારીઓને હું આ બાબતે ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. એરપોર્ટ જેવી સુવિધા હવે રેલવે સ્ટેશન પરઃ MLA રોકડિયાસયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, વડોદરા એ વેસ્ટર્ન રેલવેનું મહત્વપૂર્ણ સ્ટેશન છે. ત્યારે આ એક્ઝિક્યુટિવ લોન્જ રૂપે મુસાફરો માટે સારી સુવિધા ઉભી કરવામાં આવી છે. એરપોર્ટ જેવી સુવિધા હવે રેલવે સ્ટેશન ઉપર પણ મળશે અને તે પણ નજીવા કિંમતે, જેથી મહત્તમ મુસાફરો તેનો લાભ લઈ શકશે. 40 લોકોથી વધુ ત્યાં સીટિંગ લઈ શકે અને બાજુમાં જ કોઈને કદાચ સૂવું છે, તો એક્ઝિક્યુટિવ બેડ સાથેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હું રેલવે વિભાગ અને ભારત સરકારનો આ તબક્કે અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું અને ખરા અર્થની અંદર જે એરપોર્ટની સુવિધા છે એ વડોદરા રેલવે સ્ટેશન પર પ્રથમવાર આપણને મળવા જઈ રહી છે. ‘રેલવે સ્ટેશન પર ભવિષ્યમાં નવા ફિચર્સ ઉમેરાશે’ખરા અર્થની અંદર લોકોને માણવાનું સ્થળ, જોવાનું સ્થળ વડોદરા રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે. જે રીતે બુલેટ ટ્રેન પણ વડોદરા રેલવે સ્ટેશનની નજીક આવી રહી છે, એની સાથેની કનેક્ટિવિટી રેલવે સ્ટેશનની બને, રેલવે સ્ટેશન પર નવા ફિચર્સ ઉમેરાય, અહીંયા કાર્ગો માટે પણ અલગ ડેક બને, લોકોને જે બહાર અહીંથી પાર્સલ મોકલવું છે એનું અલગ ડેક બને, એને અલગ પેકિંગ માટેની વ્યવસ્થા આ તમામ વ્યવસ્થાઓ રેલવે સ્ટેશન પર ભવિષ્યમાં થવાની છે.
સુરત શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જયનીમ રેસિડન્સીમાં લિફ્ટ અચાનક ટેકનિકલ ખામીને કારણે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે અટકી ગઈ હતી. જેમાં સવાર બે મહિલાઓ અડધો કલાક સુધી અંધારામાં ફસાયેલી રહી હતી. અંતે ફાયર વિભાગે દરવાજો તોડી બંનેને સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. વહેલી સવારે ગ્રાઉન્ડ ફ્લોર પર જતી વખતે સર્જાઈ આફતમળતી વિગત મુજબ, વેસુ રોડ પર આવેલી જયનીમ રેસિડન્સીમાં રહેતા 35 વર્ષીય દિવ્યાબેન ગ્રોવર અને સ્વાટવીક ગ્રોવર આજે શનિવારે કોઈ કામ અર્થે બહાર જવા નીકળ્યા હતા. તેઓ લિફ્ટમાં બેસીને ગ્રાઉન્ડ ફ્લોર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને લિફ્ટ પહેલા માળ અને ગ્રાઉન્ડ ફ્લોરની બરાબર વચ્ચે જામ થઈ ગઈ હતી. બંધ લિફ્ટમાં મહિલાઓએ બૂમાબૂમ કરી, રહીશો દોડ્યાલિફ્ટ અધવચ્ચે અટકી જતાં લાઈટો ગુલ થઈ ગઈ હતી અને અંદર રહેલી બંને મહિલાઓ ગભરાઈ ગઈ હતી. ગૂંગળામણ અને ડરને કારણે મહિલાઓએ લિફ્ટની અંદરથી જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. બૂમો સાંભળીને એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડ અને અન્ય રહીશો દોડી આવ્યા હતા. લોકોએ પોતાની રીતે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લિફ્ટ લોક થઈ ગઈ હોવાથી સફળતા મળી ન હતી. ફાયર બ્રિગેડે સાધનો વડે દરવાજો તોડી જીવ બચાવ્યોસ્થિતિ ગંભીર જણાતા રહીશોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર કિશોર પટેલની ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ હાઈડ્રોલિક ટૂલ્સ અને અન્ય સાધનોની મદદથી લિફ્ટના દરવાજાને ફોર્સથી ખોલ્યો હતો. અંદાજે અડધા કલાકની જહેમત બાદ બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી. બહાર આવતા જ મહિલાઓએ હાશકારો અનુભવ્યો હતો અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી. લિફ્ટના મેઈન્ટેનન્સ સામે ઉઠ્યા સવાલોઆ ઘટનાને પગલે એપાર્ટમેન્ટમાં લિફ્ટના મેઈન્ટેનન્સને લઈને ચર્ચાઓ જાગી છે. લિફ્ટ અચાનક કેમ ખોટકાઈ અને ઈમરજન્સી એલાર્મ કેમ ન વાગ્યું તે તપાસનો વિષય છે. ફાયર વિભાગે પણ રહીશોને લિફ્ટનું નિયમિત સર્વિસિંગ કરાવવા અને ઈમરજન્સી સિસ્ટમ કાર્યરત રાખવા સૂચન કર્યું છે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જેમાં ઘર પાસે રમતા-રમતા ગુમ થઈ ગયેલી 9 વર્ષની બાળકીને પુણા પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ તેના પરિવાર સાથે મેળાપ કરાવાયો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીની મદદથી બાળકીને શોધી કાઢી સરાહનીય કામગીરી કરી છે. રમતા-રમતા દીકરી ક્યાંક ચાલી જતા પરિવારમાં દોડધામ મચી હતીપુણા વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા કિરણબેન સોનીની 9 વર્ષની દીકરી ઘરની બહાર રમી રહી હતી. રમતા-રમતા આ માસૂમ બાળકી અચાનક નજર ચૂકવીને ક્યાંક ચાલી ગઈ હતી. મોડી સાંજ સુધી દીકરી ઘરે પરત ન ફરતા પરિવારે તેની આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. આખરે હિંમત હારી ગયેલા માતા-પિતાએ પુણા પોલીસ સ્ટેશન દોડી જઈ પોલીસ ઇન્સ્પેક્ટરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. પોલીસે વોટ્સએપ ગ્રુપોમાં ફોટા શેર કર્યા અને 40 સીસીટીવી તપાસ્યાબાળકી ગુમ થયાની ગંભીરતાને સમજીને પુણા પોલીસના પીઆઈ વી.એમ. દેસાઈ અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. સૌ પ્રથમ બાળકીનો ફોટો અને વિગતો પોલીસના વિવિધ વોટ્સએપ ગ્રુપોમાં શેર કરવામાં આવી હતી. બીજી તરફ, સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી હતી. આશરે 2 કલાકની જહેમત બાદ 40 જેટલા સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસીને પોલીસે બાળકીનું લોકેશન ટ્રેસ કર્યું હતું અને તેને હેમખેમ શોધી કાઢી હતી. ગણતરીના કલાકોમાં બાળકી ઘરે પરત આવતા માતા-પિતા ભાવુક થયાપોલીસે બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢી તેના વાલીવારસને સોંપતા સોસાયટીમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું. પોતાની વહાલી દીકરીને સહીસલામત જોઈને માતા-પિતા ભાવુક થઈ ગયા હતા અને પોલીસ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈ અને આર.એચ. મોરીના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ ડી.કે. બોરાણા, પી.એલ. કળથીયા તેમજ એ.એસ.આઈ. તુષારભાઈ, કિંજલબેન અને સર્વેલન્સ સ્ટાફના 16 જેટલા પોલીસ જવાનોએ ટીમવર્કથી સફળતા મેળવી હતી.
Explainer | ઇરાન યુદ્ધનો એક મહિનો: ટ્રમ્પ ફરી 'ટાકો' રમશે કે પછી યુદ્ધ વધશે? જાણો કોનું પલડું ભારે
Iran War 1 Month: Will Trump ‘TACO’ Again or Escalate Conflict? | ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને હવે એક મહિનો થઈ ગયો છે. આ સંઘર્ષની શરૂઆત 28 ફેબ્રુઆરીના રોજ થઈ હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અને અન્ય વરિષ્ઠ નેતાઓ હવાઈ હુમલામાં માર્યા ગયા, એ પછી ઈરાને પણ પલટવાર કરતાં સાઉદી અરેબિયા અને ઈઝરાયલમાં અમેરિકન થાણાંઓ પર હુમલા કર્યા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો, જેને લીધે વિશ્વના ઊર્જા કટોકટી સર્જાઈ. તાજેતરમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું હતું કે, અમેરિકા આ યુદ્ધમાં પોતાના મોટાભાગના લશ્કરી લક્ષ્યાંકો હાંસલ કરી ચૂક્યું હોવાથી હવે આ યુદ્ધ લાંબું નહીં ચાલે; અમેરિકા પોતાના બાકીના લશ્કરી ઓપરેશન ‘મહિનાઓ નહીં, પરંતુ અઠવાડિયાઓમાં’ પૂરાં કરી દેશે.
આગામી 31 માર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે દરમિયાન સાણંદ ખાતે અનેક વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમને લઈને ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા સરકારી પોલીટેકનિક અને ઇજનેરી કોલેજોને એક પરિપત્ર કર્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકને લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ટેક્નિકલ એજ્યુકેશન કમિશનરને સવાલ કરતા કોંગ્રેસે કહ્યું કે, સાહેબ વ્હાલા થવા માટે વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જગ્યા ખાલી પડી છે તો તે કેમ ભરવામાં આવતી નથી? ભીડ ભેગી કરી વિદ્યાર્થીઓને નુકશાન પહોંચાડાતું હોવાનો દાવોરાજ્યની અલગ અલગ સરકારી ઇજનેરી અને પોલીટેકનિક કોલેજોમાં 250થી લઈને 100 જેટલા વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. અધ્યાપકને પણ હાજર રહેવાનો આદેશ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન કમિશનર દ્વારા ભીડ ભેગી કરવા આદેશ કરી વિદ્યાર્થીઓને નુકશાન પહોંચાડાતું હોવાનો દાવો કર્યો છે. છેલ્લા ઘણા સમયથી 50 ટકા કરતા વધુ જગ્યાઓ ખાલી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. અનેક રજૂઆત છતાં ખાલી પડેલી જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી તેને લઈને પણ કોંગ્રેસે સવાલ કર્યો છે. વિદ્યાર્થીઓના હિત માટે ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી માગ કરી છે. PMનો કાર્યક્રમ હોય એટલે ફરજિયાત શિક્ષકો-અધ્યાપકોને બોલાવાય છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રધાન ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ્યારે જ્યારે પ્રધાનમંત્રી આવ્યા અથવા તો ભાજપનો કોઈ મોટો કાર્યક્રમ હોય તો શાળા અને કોલેજોમાંથી ફરજિયાત શિક્ષકો અને અધ્યાપકોને અને વિદ્યાર્થીઓને બોલાવી ભીડ એકત્ર કરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. 31મી તારીખે વડાપ્રધાન આવી રહ્યા છે. ત્યારે સરકારી 16 જેટલી ઈજનેરી કોલેજ અને 26 જેટલી સરકારી પોલીટેકનિક કોલેજમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત લાવવા માટે સૂચના અપાય છે. જેના માટે સંખ્યા અને અધ્યાપક પણ સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમજ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા આગોતરા આયોજન માટે દરેક કોલેજમાંથી 100થી લઈને 250 વિદ્યાર્થીઓ જેટલા વિદ્યાર્થીઓ લાવવા માટેનો આદેશ જારી કર્યો છે. કોંગ્રેસે ટેકનિકલ એજ્યુકેશનને ખાડે નાખવાનું વધુ એક કાવતરું ગણાવ્યુંવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભીડ ભેગી કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે તે એવું લાગે છે કે ટેકનિકલ એજ્યુકેશનને ખાડે નાખવાના વધુ એક કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો છે. એક તરફ સરકારી પોલીટેકનિક અને ડિપ્લોમા કોલેજમાં 54 ટકાથી લઈને 64 ટકા સુધી જગ્યાઓ ઘણા લાંબા સમયથી ખાલી પડી છે. વર્ગ 3 અને 4ની 64 ટકાથી 74 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે. એટલે લેબ આસિસ્ટન્ટ નથી, લાઇબ્રેરીયન નથી તેમજ અન્ય વૈકલ્પિક લેબોરેટરીના સપોર્ટિંગ સ્ટાફ ન હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે પ્રેક્ટિકલ નોલેજ મેળવશે. ખાલી પડેલી જગ્યાઓ કેમ ભરવામાં આવતી નથી?નો સવાલ ઉઠાવ્યોખાલી પડેલી જગ્યા ભરવાની માગ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, લાંબા સમય સુધી અધ્યાપક ન આપીને સામાન્ય અને મધ્યમ વર્ગના ઓછામાં ફીમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માગે છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. જેથી ટેકનિકલ કમિશનરને કહેવા માંગીએ છીએ કે ગૂગલ ફોર્મ દ્વારા સાહેબને વ્હાલા થવા માટે આદેશ જારી કરી વિદ્યાર્થી અને અધ્યાપકનું લિસ્ટ મોકલવા આદેશ કરવામાં આવે છે. તો લાંબા સમયથી મુકેલા ખાલી પડેલા અધ્યાપકોના લિસ્ટ પ્રમાણે કેમ યોગ્ય પડતી કરવામાં નથી આવતી ? અને વર્ગ ત્રણ અને ચારની કેમ ભરતી કરવામાં આવતી નથી ? જો આ રીતે જ ચાલશે તો કઈ રીતે વિદ્યાર્થીઓ ઇજનેર બની શકશે ?
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલી શારદાકુંજ સોસાયટીમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગાયત્રી પરિવારની મહિલાઓ દ્વારા પંચકુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરંપરાએ 40મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. શ્રી ગાયત્રી પરિવાર શારદાકુંજ શાખા દ્વારા છેલ્લા 39 વર્ષથી ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન ગાયત્રી અનુષ્ઠાન અને યજ્ઞ દ્વારા સનાતન ધર્મની સંસ્કૃતિને જાગૃત રાખવાનો ઉપક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિસ્તારની આશરે 70 થી 75 મહિલા સભ્યો દ્વારા ગાયત્રી મંત્રોચ્ચાર સાથે સામૂહિક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. અનુષ્ઠાન પૂર્ણ થતા શનિવારે પંચકુંડી ગાયત્રી યજ્ઞ યોજાયો, જેમાં અનુષ્ઠાન કરનાર મહિલાઓએ સામૂહિક આહુતિ અર્પણ કરી પૂર્ણાહુતિ આપી હતી. આ પ્રસંગે સુધાબેન જશવંતલાલ જોશી (હિંગવાલા) યજમાન પદે બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમના અંતે યજમાન પરિવારે મહાપ્રસાદનું આયોજન કરી સૌને પ્રસાદ વિતરણ કર્યું હતું.
વૈશ્વિક સ્તરે, ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધી રહેલા યુદ્ધના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ નજીક સર્જાયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારત માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા સ્થિત વાડીનાર પોર્ટ પર LPG ગેસથી ભરેલું વિશાળ જહાજ ‘જગ વસંત’ સુરક્ષિત રીતે પહોંચ્યું છે. આ જહાજ અંદાજે 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો લઈને આવ્યું છે. આટલી મોટી માત્રામાં ગેસનો જથ્થો આવવાથી આગામી દિવસોમાં ઘરેલુ ગેસ (LPG)ના સપ્લાયમાં સ્થિરતા જળવાઈ રહેશે અને અછતની શક્યતાઓ નહિવત બનશે. અન્ય દેશો સાથેના તણાવપૂર્ણ માહોલને ધ્યાનમાં રાખીને, આ જહાજના આગમન સાથે જ પોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. હાલમાં અત્યંત તકેદારી અને સુરક્ષા પ્રોટોકોલ સાથે જહાજમાંથી ગેસ સ્થળાંતર (Unloading) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વાડીનાર પોર્ટ ભારતની ઉર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનું છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ ‘જગ વસંત’નું સફળ આગમન એ ભારતની મજબૂત લોજિસ્ટિક્સ અને સુરક્ષા વ્યવસ્થાનો પુરાવો આપે છે.
ભરૂચમાં ગુજકેટની તૈયારીઓ પૂર્ણ:આવતીકાલે 20 કેન્દ્રો પર 3767 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ભરૂચ જિલ્લામાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલે, 29 માર્ચના રોજ, જિલ્લાના 20 કેન્દ્રો પર કુલ 3767 વિદ્યાર્થીઓ આ મહત્વપૂર્ણ પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે જિલ્લા શિક્ષણ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા 3767 વિદ્યાર્થીઓમાં 1785 ગુજરાતી માધ્યમના, 1951 અંગ્રેજી માધ્યમના અને 31 હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે જિલ્લામાં 20 કેન્દ્રો નિર્ધારિત કરાયા છે, ઉપરાંત 36 મહત્વના સ્થળો પણ ચિહ્નિત કરવામાં આવ્યા છે. પરીક્ષા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે 172 બ્લોક નિરીક્ષકો, 18 ઓબ્ઝર્વર અને 36 સેક્ટર અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન ભૌતિક વિજ્ઞાન-રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોની પરીક્ષા અલગ-અલગ સમયગાળામાં લેવાશે. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવાનો આદેશ પણ જારી કરાયો છે. ઉમેદવારોને મોબાઈલ, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર પીવાનું પાણી, આરોગ્ય સુવિધાઓ અને અન્ય જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરીક્ષાના સુવ્યવસ્થિત આયોજન માટે શિક્ષણ વિભાગના ઈનચાર્જ શિક્ષણ અધિકારી સચિન શાહના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પાટણના મીરા દરવાજા વિસ્તારમાં વિપુલભાઈના પરિવારે સ્વર્ગસ્થ પુત્ર નીલુના જન્મદિવસ નિમિત્તે અંબાજી દર્શનનો વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો. બે વર્ષ પહેલા હરિદ્વારમાં બનેલી દુઃખદ ઘટના બાદ પરિવારમાં પુત્ર રત્નની પ્રાપ્તિ થતા આ ખુશીની ઉજવણીમાં સમગ્ર વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે વિપુલભાઈનો પુત્ર હરિદ્વાર ખાતે ગંગા નદીમાં સમાઈ ગયો હતો. તે સમયે પરિવાર પર મોટી આફત આવી પડી હતી. આ કપરા સમયમાં મીરા દરવાજા વિસ્તાર અને પાટણના લોકોએ પરિવારના સભ્યની જેમ પડખે ઊભા રહી પ્રાર્થના કરી હતી. લોકોની પ્રાર્થના બાદ વિપુલભાઈના ઘરે ફરી પુત્રનો જન્મ થયો હતો. સ્વર્ગસ્થ પુત્રના જન્મદિવસ પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને નવા પુત્રના જન્મની ખુશીમાં આ અંબાજી દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વિસ્તારના લોકો સુખ-દુઃખમાં પરિવારની જેમ સાથે રહી આજે આ આનંદના પ્રસંગમાં ભાગીદાર બન્યા છે. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત મીરા દરવાજા વિસ્તારના લોકો સવારે વિલેજ પાર્ટી પ્લોટ ખાતે ભોજન લઈ અંબાજી જવા રવાના થયા હતા. આખો દિવસ અંબાજી ખાતે દર્શન અને પ્રવાસ કરી રાત્રે પરત ફર્યા બાદ ફરી અહીં ભોજન કરી છૂટા પડશે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્ય લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે મીરા દરવાજા વિસ્તાર તેમના માટે ઘર સમાન છે અને સુખ હોય કે દુઃખ, આ વિસ્તારના લોકો હંમેશા તેમની સાથે ઊભા રહ્યા છે. આજે જ્યારે પરિવારમાં આનંદનો અવસર છે ત્યારે આખો વિસ્તાર આ પ્રવાસમાં સાથે જોડાતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડૉ. મનિષાબેન વકીલના અધ્યક્ષસ્થાને સંખેડા મામલતદાર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 17 કરોડના કુલ 776 વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મંજૂર થયેલા કામોમાં 15% વિવેકાધીન (તાલુકા અને નગરપાલિકા કક્ષા) અને 5% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ કામો સરકારની માર્ગદર્શિકા મુજબ અને જનહિતને ધ્યાનમાં રાખીને મંજૂર કરાયા છે. બેઠકમાં વર્ષ 2022થી અત્યાર સુધીના પ્રગતિ હેઠળના તેમજ અપ્રારંભિત કામોની પણ તાલુકાવાર અને નગરપાલિકા વિસ્તાર મુજબ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે, પ્રાયોજના વહીવટદારની કચેરીની 'ન્યુક્લિયસ બજેટ યોજના' હેઠળ હોમ સ્ટેના લાભાર્થીઓને મંજૂરી હુકમો એનાયત કરાયા હતા. આ પહેલથી જિલ્લામાં પર્યટન અને સ્થાનિક રોજગારીને વેગ મળશે તેવી અપેક્ષા છે. બેઠકને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સાથે જોડાયેલા કાર્યોને પ્રાથમિકતા આપી સત્વરે શરૂ કરવા જોઈએ. તેમણે અગાઉના વર્ષના બાકી રહેલા કામોને પણ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા વહીવટી તંત્રને તાકીદ કરી હતી. મંજૂર થયેલા કુલ રૂ. 17 કરોડના 776 વિકાસ કામોમાં તાલુકાવાર વિતરણ નીચે મુજબ છે: છોટાઉદેપુર તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૨ કામો, કવાંટ તાલુકામાં રૂ. ૨૫૦ લાખના ૧૨૬ કામો, જેતપુરપાવી તાલુકામાં રૂ. ૨૦૦ લાખના ૧૧૯ કામો, બોડેલી તાલુકામાં રૂ. 250 લાખના 92 કામો, નસવાડી તાલુકામાં રૂ. 250 લાખના 122 કામો, સંખેડા તાલુકામાં રૂ. 250 લાખના 81 કામો અને કદવાલ તાલુકામાં રૂ. 150 લાખના 99 કામોનો સમાવેશ થાય છે. નગરપાલિકા કક્ષાએ છોટાઉદેપુર નગરપાલિકામાં રૂ. ૫૦ લાખના ૮ કામો અને બોડેલી નગરપાલિકામાં રૂ. 50 લાખના 6 કામોને મંજૂરી મળી છે. આ બેઠકમાં ધારાસભ્યો અભેસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતીભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, જિલ્લા આયોજન અધિકારી જે.જે.પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચોટીલા સબ ડિવિઝનમાં 9.50 કરોડના વિકાસ કામોનું આયોજન:ATVT કાર્યવાહક સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો
ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, મૂળી અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ માટે 9.50 કરોડ રૂપિયાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને અને ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણની ઉપસ્થિતિમાં એ.ટી.વી.ટી. (આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો) કાર્યવાહક સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ 'આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો' અભિગમ અંતર્ગત તાલુકાની સામાજિક, ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્વાંગી વિકાસ માટે તાલુકા વિકાસ યોજના બનાવવાનો છે. આ યોજના દ્વારા રાજ્યના વિકાસનો સુઆયોજિત માર્ગ નક્કી કરવામાં આવશે. આ આયોજન માટે તમામ ગામોની વિલેજ પ્રોફાઈલ માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં વસ્તી વિષયક માહિતી, સાક્ષરતા દર, બી.પી.એલ. પરિવારો, કામ કરનારાઓનું વર્ગીકરણ, ઘરોની સંખ્યા, જમીન, શિક્ષણ, પીવાના પાણી, સેનિટેશન અને આરોગ્ય જેવી વિગતોનો સમાવેશ થાય છે. આ પ્રોફાઈલનો ઉપયોગ કરીને તાલુકાની જરૂરિયાતો અને વિકાસની તકો નક્કી કરવામાં આવશે. આયોજન મુજબ, ચોટીલા તાલુકા માટે 4 કરોડ રૂપિયા, મૂળી તાલુકા માટે 2.25 કરોડ રૂપિયા અને થાનગઢ તાલુકા માટે 3.25 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આમ, કુલ 9.50 કરોડ રૂપિયાના વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ રકમનો ઉપયોગ લાઈબ્રેરી, ભોજન શેડ, પેવર બ્લોક, સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ, સેનિટેશન સંકુલ, કમ્પાઉન્ડ વોલ અને ભૂગર્ભ ગટર જેવા વિવિધ વિકાસ કાર્યો માટે કરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય શામજી ચૌહાણ ઉપરાંત ચોટીલા, થાનગઢ અને મૂળીના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, નાની સિંચાઈ પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર, એ.ટી.વી.ટી.ના નાયબ કાર્યપાલક ઈજનેર, બાળ વિકાસ અધિકારી, અધિક મદદનીશ ઈજનેર અને બિન-સરકારી સભ્યો સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી ગોરી માતા પાટિયાથી માતાજીના મંદિર સુધી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ. 75 લાખના ખર્ચે 400 મીટર લંબાઈના સીસી રોડ ગૌરવ પથનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. શનિવારે બપોરે આ કાર્યક્રમ યોજાયો હતો. નવ નિર્માણ પામનાર ગૌરવ પથનું ભૂમિપૂજન અને ખાતમુર્હુત પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના વરદ હસ્તે ગૌરી માતાના ગેટ પાસે કરાયું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, અમારું કામ રોડ મંજૂર કરાવવાનું અને બજેટ વધારવાનું હતું. હવે કામ સારું થાય તે જોવાની જવાબદારી તમારી છે. વડાપ્રધાનના વિકસિત ભારતના પ્રયાસો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં જરૂર મુજબના કામો મંજૂર કરાઈ રહ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તાલુકા પંચાયતના સદસ્ય ગેમરભાઈ દેસાઈએ કેનાલ રોડથી ઝીંઝુવાડા સુધીનો આગળનો ટુકડો તેમજ જમણપુરનો રોડ મંજૂર કરવાની રજૂઆત કરી હતી. આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયરામભાઈ દેસાઈ તેમજ અન્ય મહેમાનોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. ગામના સરપંચ કાજલબેન વ્યાસ, ચેતનભાઈ વ્યાસ, પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, પૂર્વ સરપંચો પ્રવીણભાઈ રાવલ, શૈલેષભાઈ દેસાઈ, મફાભાઈ દેસાઈ, ચંદ્રુમાણા બ્રહ્મ સમાજના પ્રમુખ સુનિલભાઈ વ્યાસ, ભરતભાઈ રાવલ, મફાભાઈ ભુવાજી, વજાજી ઠાકોર, રામાજી ઠાકોર, ભાજપના વિરેશભાઈ વ્યાસ, કમલેશભાઈ દેસાઈ, એલ ડી પટેલ, ભીખુભાઈ પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના વારસિયામાં મા અંબા મંદિરે ભક્તો ઉમટ્યા:ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ-ભંડારાનું આયોજન
વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલા સંતકંવર કોલોની ટી દસ સામેના મા અંબાના દરબારમાં ચૈત્ર નવરાત્રિ પર્વ નિમિત્તે યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર સ્થાન એક સો વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરમાં મા ભગવતી અંબા, મહાકાળી મા અને ખોડીયાર મા બિરાજમાન છે. મંદિરની સ્થાપના સદગુરુ આશારામ મિશ્રા મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી.સદગુરુના લોકકલ્યાણ બાદ, હાલમાં આચાર્ય સુનીલ મહારાજના પાવન માર્ગદર્શન હેઠળ આ ધામની સેવા અને સંચાલન ચાલી રહ્યું છે. ભક્તોની માન્યતા અનુસાર, આ પવિત્ર સ્થાને આવનાર દરેક ભક્તની મનોકામનાઓ પૂર્ણ થાય છે. મા ભગવતીની કૃપાથી સંતાન પ્રાપ્તિ, રોગોમાંથી મુક્તિ અને જીવનની સમસ્યાઓ દૂર થાય છે.આ સંસ્થામાં છેલ્લા સો વર્ષથી ભંડારા સતત ચાલતા આવ્યા છે. ખાસ કરીને ચૈત્ર અને આસો નવરાત્રિના પાવન અવસર પર યજ્ઞ અને ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવે છે.
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આશરે 8 કિલોગ્રામથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઓપરેશન દ્વારા પોલીસે નશાના કાળા કારોબારના નેટવર્ક પર પ્રહાર કર્યો છે. પોલીસે બાતમી મળતા વોચ ગોઠવીમળતી માહિતી મુજબ, રેલવે SOGને ચોક્કસ બાતમી મળી હતી કે એક ઈસમ મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો લઈને સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો છે અને તે શહેરના કોઈ મોટા સપ્લાયરને આ માલ પહોંચાડવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે SOGની ટીમે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ અને બહારના પરિસરના એક્ઝિટ પોઈન્ટ્સ પર વોચ ગોઠવી દીધી હતી. પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યોબાતમી મુજબનો શખસ જ્યારે સુરત રેલવે સ્ટેશન પાસે આવેલી સ્પીડ પાર્સલની ઓફિસ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે પોલીસની ટીમે તેને અટકાવ્યો હતો. પોલીસને જોઈને આ ઈસમ ગભરાઈ ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા આરોપી શખસ પાસેથી ગાંજો મળ્યોજ્યારે તેની પાસે રહેલા થેલાની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી કેફી પદાર્થ ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક એફએસએલની ટીમની મદદ લઈને જથ્થાનું વજન અને ચકાસણી કરાવી હતી. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ નૃશીમા સ્વાઇન તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, તે આ ડ્રગ્સ નેટવર્કમાં એક 'પેડલર' તરીકે કામ કરતો હતો. પોલીસે તેની પાસેથી 8.040 કિલોગ્રામ ગાંજાનો કુલ જથ્થો કુલ મુદ્દામાલની કિંમત આશરે રૂ. 4,03,200 થાય છે અને મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન સૌથી સુરક્ષિત માધ્યમપ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો સામે આવી છે કે, માદક પદાર્થોની હેરાફેરી માટે ટ્રેન એ સૌથી સુરક્ષિત માધ્યમ માનવામાં આવે છે, કારણ કે લાખો મુસાફરોની અવરજવર વચ્ચે પોલીસની નજર ચૂકવવી સરળ બને છે. આરોપી નૃશીમા સ્વાઇન સંભવત ઓડિશા કે આંધ્રપ્રદેશના રસ્તેથી આ જથ્થો લઈને આવ્યો હોવાની શંકા છે. તે સુરતમાં કોણ રિસીવર છે તેની રાહ જોઈ રહ્યો હતો, તે પહેલા જ પોલીસના હાથે ઝડપાઈ ગયો. અન્ય આરોપીની શોધખોળહાલમાં રેલવે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં આ ગાંજાનો જથ્થો તેને કયા રાજ્યમાંથી અને કોણે આપ્યો હતો? અને સુરતમાં આ માલ કયા વિસ્તારમાં અને કયા મોટા ડ્રગ્સ માફિયાને આપવાનો હતો? તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ કમિશનર અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા વિસ્તારોમાં બહારથી આવતા પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં સુરત પોલીસે કરોડો રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ અને ગાંજો ઝડપી પાડ્યો છે.
પોરબંદર મહાનગરપાલિકા બની ગઈ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વતન એવા આ શહેરમાં વિકાસે ગતિ પકડી છે. મનપા દ્વારા રતનપર વિસ્તારમાં આવેલા 'જન્નત બીચ'ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે ₹1.10 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પોરબંદરને ગુજરાતના પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ, વિશ્રામ માટે 10 ગઝેબો અને બીચ વોલીવોલ પર્યટનપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓઆ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા હેઠળ, 'ફર્ન હોટલ' સામેના દરિયાકાંઠાને આધુનિક પ્રવાસન કેન્દ્ર તરીકે પરિવર્તિત કરવામાં આવશે. આ વિકાસ કાર્યમાં અવનવી સુવિધાઓનો સમાવેશ થાય છે: આધુનિક ગઝેબો: પ્રવાસીઓના વિશ્રામ માટે બીચ પર અંદાજે 10 જેટલા આધુનિક ગઝેબો બનાવવામાં આવશે. લેન્ડસ્કેપિંગ અને લાઈટિંગ: બીચની સુંદરતા વધારવા માટે આકર્ષક લેન્ડસ્કેપિંગ (હરિયાળી) અને રાત્રિના સમયે પ્રવાસીઓને આકર્ષવા માટે અત્યાધુનિક લાઈટિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે. સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ: યુવાનો અને રમતપ્રેમીઓ માટે બીચ વોલીબોલ જેવી સુવિધાઓ ઊભી કરાશે, જેથી પ્રવાસન સાથે મનોરંજન અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે. વહીવટી પ્રક્રિયા અને અમલીકરણમહાનગરપાલિકા કમિશનર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓની સુવિધા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી અને સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણાના જણાવ્યા અનુસાર, આ બીચ આગામી સમયમાં શહેરની એક મહત્વપૂર્ણ ઓળખ બનીને ઉભરશે. રોજગારી અને પ્રવાસનને વેગઆ વિકાસ કાર્યથી સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો સર્જાશે. પોરબંદરમાં અત્યાર સુધી પ્રવાસીઓ માટે મુખ્યત્વે ચોપાટીનો વિકલ્પ ઉપલબ્ધ હતો, પરંતુ હવે રતનપર બીચના રૂપમાં વધુ એક શ્રેષ્ઠ પર્યટન સ્થળ મળશે. પાલિકા તંત્રના મતે, આ પ્રોજેક્ટથી પોરબંદરના પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ મળશે અને તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રી રામ મંદિર ખાતે ચૈત્ર સુદ નવમીના રોજ શ્રીરામ જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની આગેવાની હેઠળ નૂતન રામ મંદિર ખાતે દિવસભર કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શ્રીરામ પ્રભુની મહાપૂજા, ધ્વજા પૂજા અને મધ્યાહને શ્રીરામ જન્મોત્સવની મહાઆરતીનો સમાવેશ થાય છે. મંદિર પરિસર શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયું હતું. સાંજના સમયે શ્રી રામ મંદિર ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ સુંદરકાંડ પાઠનું શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત, શ્રીરામને વિશેષ અન્નકૂટ ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના દર્શન શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે શ્રીરામ પ્રભુની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ભક્તો અને બહારથી પધારેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ સાથે જ, પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મંદિરમાં પણ સાયં આરતી સમયે સોમનાથ મહાદેવને 'શ્રીરામ દર્શન શૃંગાર' કરવામાં આવ્યો હતો. આ શૃંગાર દ્વારા શ્રીરામ અને શિવજીના પરસ્પર સંબંધનું નિરૂપણ કરવામાં આવ્યું હતું, જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પુરાતન પુસ્તકો અનુસાર, પ્રભુ શ્રીરામ પિતૃ તર્પણ માટે પ્રભાસ તીર્થમાં પધાર્યા હતા. શાસ્ત્રોમાં રામ અને શિવજીના અભિન્ન સંબંધનું વર્ણન છે, જેમ કે 'રામસ્ય ઈશ્વરઃ યઃ સઃ રામેશ્વરમ્' અને 'રામઃ ઈશ્વરઃ યસ્ય સઃ રામેશ્વરમ્'. આ શૃંગાર દ્વારા શિવજીમાં શ્રીરામની છબી જોઈ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન યાર્ડ બે દિવસ બંધ:માર્ચ એન્ડિંગને કારણે, 1 એપ્રિલથી ખરીદી શરૂ થશે
માર્ચ એન્ડિંગને કારણે હિંમતનગર માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ 30 અને 31 માર્ચના રોજ બે દિવસ માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ખેત પેદાશોની ખરીદી અને વેચાણની કામગીરી સ્થગિત રહેશે. માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોને આ બે દિવસ દરમિયાન તેમની ખેત પેદાશો વેચાણ માટે ન લાવવા જાણ કરવામાં આવી છે. આ નિર્ણય માર્ચ મહિનાના અંતિમ હિસાબો અને વહીવટી કાર્યને કારણે લેવામાં આવ્યો છે. સામાન્ય ખેત પેદાશોની ખરીદી 1 એપ્રિલ, બુધવારથી રાબેતા મુજબ ફરી શરૂ થશે. ખેડૂતો તે દિવસથી પોતાની જણસી વેચાણ માટે લાવી શકશે. હિંમતનગર કોટન માર્કેટયાર્ડમાં તમાકુની ખરીદી 2 એપ્રિલ, ગુરુવારથી શરૂ થશે. તમાકુ વેચવા ઈચ્છતા ખેડૂતોએ પોતાની જણસી હિંમતનગરના સહકારી જીન પાસે આવેલા કોટન માર્કેટયાર્ડમાં લાવવાની રહેશે.
આજના સોશિયલ મીડિયાના યુગમાં લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની લ્હાયમાં લોકો કાયદાનું ઉલ્લંઘન કરતા જરા પણ અચકાતા નથી. પરંતુ જૂનાગઢના માંગરોળમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પિતાએ પોતાના સગીર સંતાનને બાઇક ચલાવવા આપી કાયદાનો ભંગ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ માંગરોળ પોલીસે ત્વરિત એક્શન લીધા છે અને સગીરના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં એક નાનો સગીર બાળક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તા પર પુરપાટ ઝડપે બાઇક ચલાવતો નજરે પડતો હતો. આ વીડિયો પોલીસના ધ્યાન પર આવતા માંગરોળ પોલીસ હરકતમાં આવી હતી. વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવે છે કે સગીર વયના બાળકોને વાહન ન આપવું, તેમ છતાં આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા હતા. વાયરલ વીડિયોના આધારે માંગરોળ પોલીસ દ્વારા ઊંડી તપાસ શરૂ કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસે બાઇક નંબર અને બાળક સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, જે બાળક બાઇક ચલાવી રહ્યો હતો, તેને તે બાઇક તેના પિતાએ જ ચલાવવા માટે આપી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરતા સગીરના પિતાને ઝડપી પાડ્યા હતા. પોલીસે કાયદાકીય જોગવાઈઓ મુજબ ગુનો નોંધી પિતા સામે લાલ આંખ કરી છે. સગીરને વાહન આપવું એ માત્ર ટ્રાફિક નિયમનો ભંગ નથી, પરંતુ બાળકના અને રસ્તા પર ચાલતા અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકવા સમાન છે. ધરપકડ બાદ પોલીસે સગીરના પિતાને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સગીર વયના બાળકો પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોતું નથી અને તેઓ માનસિક કે શારીરિક રીતે મોટા વાહનો ચલાવવા માટે સક્ષમ હોતા નથી. આવા કિસ્સામાં અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. નવા ટ્રાફિક નિયમો મુજબ, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાય, તો વાહન માલિક અથવા વાલી સામે કડક દંડ અને જેલની સજાની જોગવાઈ છે.માંગરોળની આ ઘટના વાલીઓ માટે એક ચેતવણી સમાન છે. અનેક વાલીઓ પોતાના બાળકને વહેલું વાહન શીખવાડવાના મોહમાં કે વટ પાડવા માટે બાઇક કે કાર આપી દેતા હોય છે, પરંતુ આ ભૂલ કાયદાના સંઘર્ષમાં લાવી શકે છે અથવા ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં માર્ચના અંતિમ દિવસોમાં જ મે મહિના જેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં ગઈકાલે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આજે તાપમાનમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે, પરંતુ ઉકળાટ અને ગરમ પવનો લોકોની મુશ્કેલી વધારશે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આજે આકાશ ચોખ્ખું રહેશે અને તાપમાન 34.5C થી 36C વચ્ચે રહેવાની શક્યતા છે. જિલ્લામાં દરિયાકાંઠાના વિસ્તારોની સરખામણીએ ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તારોમાં ગરમી વધુ તીવ્ર રહેવાની સંભાવના છે. વલસાડ શહેરમાં 35C, વાપીમાં 36C, પારડીમાં 35C, ધરમપુરમાં 37C, કપરાડામાં 37C અને ઉમરગામમાં 34C તાપમાન રહેવાનો અંદાજ છે. ગરમીમાં વધારા પાછળ મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા સૂકા પવનો જવાબદાર છે. રાત્રિનું તાપમાન પણ 23-24C આસપાસ રહેતા ગરમીનો અહેસાસ યથાવત્ રહે છે. હવામાન વિભાગે ખાસ કરીને બપોરે 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. લોકોને વધુમાં વધુ પાણી, છાશ અને અન્ય પ્રવાહી પદાર્થોનું સેવન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગત દિવસોમાં લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પાણી, લીંબુ શરબત, શેરડીનો રસ અને બરફ ગોળા જેવા પીણાંનો આશ્રય લેતા જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ ઊંચો જવાની શક્યતાઓ છે. વધતી ગરમીના કારણે કેરીના પાક પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને 'ખરણ' (ફળ ખરી પડવું) વધવાની શક્યતા હોવાથી વાડી માલિકોમાં ચિંતા જોવા મળી રહી છે.
ગુજરાતના રંગીલા શહેર રાજકોટમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયા છે. રાજકોટના એક જાગૃત નાગરિક મુકુંદ રાવલ દ્વારા પૂર્વ મેયર અને તેમના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કમિશનર અને કલેક્ટરને લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં પૂર્વ મેયર દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામને હટાવી અને લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે. મુકુંદ રાવલ દ્વારા કરવામાં આવેલી અરજી મુજબ, પૂર્વ મેયર નયનાબેન પેઢડિયાએ વર્ષ 1997 થી સરકારી જમીન પર દબાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિકનો દાવો છે કે આ મામલે પૂર્વ મેયર અગાઉ 3 વાર કોર્ટમાં કેસ હારી ચૂક્યા છે, તેમ છતાં પણ કોઈપણ પ્રકારની મંજૂરી વગર તે જમીન પર બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું છે. આ મામલો અત્યારે સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અરજદાર મુકુંદ રાવલે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, તેમણે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને લેન્ડ ગ્રેબિંગ એક્ટની વિવિધ કલમો જેવી કે 3, 4, 5 અને BNS ની કલમ 260, 267, 329 હેઠળ ગુનો દાખલ કરવા વિનંતી કરી છે. રાવલનો આરોપ છે કે સામાન્ય જનતાના ગેરકાયદે દબાણો પર તંત્ર દ્વારા તાત્કાલિક બુલડોઝર ફેરવી દેવામાં આવે છે, પરંતુ જ્યારે સત્તાધારી પક્ષના પૂર્વ હોદ્દેદારની વાત આવે છે ત્યારે તંત્ર કેમ મૌન સેવી રહ્યું છે? મુકુંદ રાવલે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મારી સોસાયટીમાં પણ ગેરકાયદે બાંધકામ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી દ્વારા રાજકીય દબાણ હેઠળ પગલાં લેવામાં આવતા નથી. ધારાસભ્યો દ્વારા પણ પત્રો લખવામાં આવ્યા છે, છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે ગરીબ માણસો 15-15 વર્ષથી રહેતા હોય અને વેરો ભરતા હોય તેમના ઝૂંપડાં તોડી પાડવામાં આવે છે, પરંતુ 'બાઘડબિલ્લા' જેવા આવા અમીરો સામે તંત્ર કેમ લાચાર છે? મુકુંદ રાવલે સ્પષ્ટ કર્યું છે કે જો વારંવાર નોટિસ આપવા છતાં અધિકારીઓ પગલાં નહીં લે, તો તે અધિકારીઓ વિરુદ્ધ પણ BNS ની કલમ 198 મુજબ ગુનો દાખલ થઈ શકે છે. રાજકીય દબાણ હેઠળ ફાઈલો દબાવી રાખવી એ પણ શિક્ષાપાત્ર ગુનો છે. હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર આ ગંભીર ફરિયાદ પર ક્યારે અને કેવા પગલાં લેશે. હાલ તો ચૂંટણી પૂર્વે થયેલી આ રજુઆત ચર્ચાનો વિષય બની છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સાંસદ ચંદુ શિહોરાએ લોકસભામાં રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્ર સરકારને અગરિયાઓને ખેડૂતોની જેમ 'PM કિસાન સન્માન નિધિ' અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ આપવા વિનંતી કરી હતી. સાંસદે નુકસાનીનો તાકીદે સર્વે કરાવવા બદલ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, તાજેતરમાં ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, કચ્છના નાના રણ વિસ્તારમાં વાવાઝોડાને કારણે અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર સાથે અગરિયા પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુ દેગામા અને પ્રહલાદ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ટ્રક ચાલકોની બેદરકારીને કારણે દંપતી સહિત એસ.ટી. બસના કંડક્ટરને ઈજાઓ પહોંચી છે. આ બંને મામલે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રથમ ઘટના:ડી-માર્ટ સર્કલ પાસે દંપતીને ટ્રકે અડફેટે લીધાગાંધીનગરના છત્રાલ બિલેશ્વરપુરા ખાતે રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા રમેશભાઈ ભગવાનદાસ શ્રીમાળી અને તેમના પત્ની જ્યોત્સનાબેન ગત સાંજે પોતાના વતન કામલીથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહેસાણા બાયપાસ ડી-માર્ટ સર્કલ પાસે ઊંઝા તરફથી આવી રહેલા એક ટ્રક નંબર: RJ GF 9009ના ચાલકે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દંપતી રોડ પર પટાકાયું હતું, જેમાં રમેશભાઈને જમણા પગે ફેક્ચર અને તેમની પત્ની જ્યોત્સનાબેનને ડાબા પગે ગંભીર ફેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. 108 મારફતે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી ઘટના: પાંચોટ ચોકડી પાસે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતનો બીજો બનાવ વહેલી સવારે પાંચોટ ચોકડી પાસે બન્યો હતો. વાપી ડેપોની વાપી-ચાણસ્મા સ્લીપર કોચ બસ નંબર GJ-18-Z-8701 જ્યારે મહેસાણા રાધનપુર ચોકડીથી ચાણસ્મા તરફ જઈ રહી હતી ત્યારે પાંચોટ ચોકડી પાસે એક અજાણ્યા ટ્રક ચાલકે પૂરઝડપે આવી બસના આગળના ભાગે ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર કંડક્ટર પંકજકુમાર રાધુભાઈ મુનિયાને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. બસના ડ્રાઈવર અરવિંદકુમાર અસોડાએ આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.
પ્રેમલગ્નના પવિત્ર બંધનને જ્યારે લાલચ અને દગો ઘેરી લે છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો મહેસાણા પંથકમાં સામે આવ્યો હતો. જે યુવક સાથે જીવવા-મરવાના સોગંદ ખાઈને મહિલાએ સંસાર માંડયો હતો, એ જ પતિ હવે બીજી યુવતીના મોહમાં પત્નીને ‘દસ લાખ આપી છૂટાછેડા' લેવા દબાણ કરી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પત્નીને છોડી પતિ અન્ય યુવતીના પ્રેમમાં પડ્યો મહેસાણા પંથકની આ મહિલાની બહેને અગાઉ અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યા હતા.તે જ ગામના એક અન્ય જ્ઞાતિના યુવક સાથે મહિલાને પ્રેમ થતા બંનેએ લગ્ન કર્યા હતા. સુખદ દામ્પત્ય જીવનના દસ વર્ષ વીતી ગયા હતા અને તેમને આંગણે પાંચ વર્ષની માસૂમ દીકરી પણ રમી રહી હતી. જોકે, દસ વર્ષના આ મજબૂત ગણાતા સંબંધોમાં ત્યારે તિરાડ પડી જ્યારે પતિને પોતાના જ સમાજની એક અન્ય યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા જ ઘરમાં પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૂ કરી દેવાયું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે સાસુ અને પતિએ સાથે મળીને પરિણીતાને આજીજી કરવાને બદલે ધમકાવવાનું શરૂ કર્યું. સાસુ અને પતિએ પત્નીને સ્પષ્ટ કહી દીધું કે, 'અમારે ઘરમાં પ્રેમિકાને લાવવી છે, તું આ ઘર છોડી દે. અમે તને 10 લાખ રૂપિયા આપીશું, બસ તું છૂટાછેડા આપી દે.' પોતાના જ ઘરમાં પારકી બની ગયેલી મહિલાએ હિંમત હાર્યા વગર 181 અભયમ હેલ્પલાઇન અને 112 ની મદદ માંગી હતી. 181ની સમજાવટ બાદ પણ સાસરિયાઓ ટસના મસ ન થયાઅભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે સાસરિયાઓને કાયદાનું ભાન કરાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે પત્નીને આ રીતે કાઢી મૂકવી એ ગુનો છે. અભયમ ટીમની લાંબી સમજાવટ છતાં પતિ અને સાસુ પોતાની જિદ પર અડગ રહ્યા હતા અને પત્નીને સ્વીકારવા તૈયાર નહોતા. અંતે, કોઈ રસ્તો ન જણાતા અભયમની ટીમે મહિલાને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડયું હતું. બાદમાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જ્યાં મહિલાએ પોતાના જ પતિ અને સાસુ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ ગુજરાત સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ એ આજે વહેલી સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક બોલાવી જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે રાજ્યમાં જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ અફવાઓ પર ધ્યાન આપવું નહીં. સપ્લાય ચેન વધુ મજબૂત બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગેસ,. ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરુરી વસ્તુની કોઈ તંગી નથી- સંઘવીરાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેસ, ખાતર, પેટ્રોલ અને ડીઝલ જેવી જરૂરી વસ્તુઓની કોઈ તંગી નથી. ગુજરાતમાં 1.28 કરોડ LPG ગ્રાહકોને સતત ગેસ પુરવઠો આપવામાં આવશે. ગેસ કનેક્શન આપવા માટે 50થી વધુ ટીમો કાર્યરત છે અને CNG સ્ટેશનો પણ નિયમિત રીતે કાર્યરત છે. તે ઉપરાંત કોમર્શિયલ કનેક્શનને PNGમાં રૂપાંતરિત કરવા દિશામાં પણ ઝડપી કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યમાં પહેલેથી જ 23 ટકા PNG ગેસ વિતરણ થઈ રહ્યું છે. સરકાર દ્વારા અફવાઓ ફેલાવનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કાળા બજાર અને અફવા ફેલાવવાના કેસમાં 17 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતી પર સતત મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. શ્રમિકોને ધ્યાનમાં રાખીને પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકમોને પગાર વહેલો આપવા અને કામદારો માટે જમવાની સુવિધા સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા અને મહાનગરપાલિકામાં સંકલન સમિતિઓ રચવામાં આવશે. LPG ગેસ સંબંધિત અંદાજે 10 હજાર ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેના નિવારણ માટે તંત્ર કાર્યરત છે. અંતમાં સરકારે નાગરિકોને અપીલ કરી છે કે “લોકડાઉન જેવી અફવાઓથી ડરશો નહીં અને અફવા ફેલાવનારાઓનો સામાજિક બહિષ્કાર કરો.”
જૂનાગઢ જિલ્લા માટે ગત શુક્રવાર જાણે કાળમુખો સાબિત થયો હોય તેમ અલગ-અલગ ત્રણ તાલુકાઓમાં બનેલી દુખદ ઘટનાઓએ સમગ્ર પંથકને હિબકે ચડાવ્યો છે. વિસાવદરના હસનાપુરમાં એક માસૂમ બાળકનું પાણીના કુંડામાં ડૂબી જવાથી, માણાવદરના જીંજરી ગામે પિતાને પાણી પાવા ગયેલા યુવાનનું વીજ કરંટથી અને બાંટવાના પાજોદ ગામે અન્ય એક 2 વર્ષના બાળકનું પાણીના ટાંકામાં પડી જવાથી મૃત્યુ નિપજતા ભારે શોક વ્યાપી ગયો છે. આ ત્રણેય બનાવોમાં આશાસ્પદ જીંદગીઓ અકાળે હોમાઈ ગઈ છે,અકસ્માતો અને અણધાર્યા વીજ કરંટના આ બનાવોએ અનેક પરિવારોના કુળદીપકો બુઝાવી દીધા છે, જેના પગલે સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. વિસાવદર તાલુકાના હસનાપુર ગામની સીમમાં બનેલી પ્રથમ ઘટનાએ પિતૃત્વ અને વાત્સલ્યને હચમચાવી દીધું છે. હસનાપુર ગામમાં રામ મંદિર પાસે રહેતા નિલેશભાઈ પારડીયા ઉનાળુ સીઝનમાં પોતાના ખેતરમાં તલનું નિંદામણ કરવા માટે ગયા હતા. તેમની સાથે તેમનો માત્ર 2 વર્ષનો વહાલસોયો પુત્ર અંશ પણ ખેતરમાં રમવા માટે ગયો હતો. પિતા જ્યારે ખેતીકામમાં મગ્ન હતા, ત્યારે નાનો અંશ ખેતરમાં આસપાસ રમી રહ્યો હતો. કમનસીબે રમતા-રમતા આ માસૂમ બાળક ખેતરમાં જ આવેલા પાણીના સંગ્રહ માટેના કુંડા પાસે પહોંચી ગયો હતો. કોઈનું ધ્યાન ન હોવાથી અચાનક અંશનું સંતુલન બગડ્યું અને તે સીધો પાણી ભરેલા કુંડામાં ખાબક્યો હતો. પિતા જ્યારે પોતાના કામમાંથી પરવારીને જોયું ત્યારે તેમનો લાડકવાયો કુંડામાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માસૂમ અંશના અકાળે અવસાનથી હસનાપુર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વિસાવદર પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ જ દિવસે બીજી એક કરુણ ઘટના માણાવદર તાલુકાના જીંજરી ગામે બની હતી, જ્યાં પિતાની તરસ છિપાવવા ગયેલા પુત્રને કાળ આંબી ગયો હતો.જીંજરી ગામના વતની ચંદ્રકાંતભાઈ ગેડા ગામમાં એક મકાનની અગાશી પર મજૂરી કામ કરી રહ્યા હતા. ઉનાળાના બપોરે પિતાને પાણીની જરૂર પડતા તેમનો 18 વર્ષનો પુત્ર તુષાર ગેડા પાણીનો લોટો લઈને અગાશી પર પહોંચ્યો હતો. તેને જરા પણ અંદાજ નહોતો કે અગાશીની અત્યંત નજીકથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજ લાઈન તેના માટે જીવલેણ સાબિત થશે. તુષાર જેવો અગાશી પર પહોંચ્યો કે તરત જ તેનો સંપર્ક વીજ લાઈન સાથે થઈ ગયો હતો અને જોરદાર કરંટ લાગતા તે ફંગોળાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા અને ઇલેક્ટ્રિક શોક લાગેલા તુષારનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જુવાનજોધ દીકરાના અકાળે અવસાનથી ગેડા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જીંજરી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જિલ્લામાં ત્રીજો બનાવ બાંટવા પોલીસ મથક હેઠળના પાજોદ ગામની વાડીમાં બન્યો હતો, જેમાં અન્ય એક 2 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે. મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વતની રવિભાઈ સૂર્યવંશી પાજોદમાં ખેતમજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. શુક્રવારે જ્યારે બાળકના મામા ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમનો ૨ વર્ષનો ભાણેજ અરવિંદ નજીકમાં રમી રહ્યો હતો. રમતા-રમતા અરવિંદ અચાનક વાડીમાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયો હતો. ટાંકામાં પાણી વધુ હોવાથી માસૂમ અરવિંદ ગૂંગળાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રથી રોજીરોટી માટે આવેલા આ ગરીબ પરિવારનો માસૂમ પુત્ર આ રીતે અકાળે અવસાન પામતા વાડી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે. બાંટવા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે. એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ જગ્યાએ સર્જાયેલી આ દુર્ઘટનાઓએ રક્ષણ અને સાવચેતીના પાઠ ભણાવ્યા છે. પાણીના ખુલ્લા ટાંકા, કુંડા અને રહેણાંક મકાનોની નજીકથી પસાર થતી જોખમી વીજ લાઈનો ગમે ત્યારે જીવલેણ બની શકે છે તે આ બનાવો પરથી સ્પષ્ટ થાય છે. ખેતરમાં કે ઘર પાસે રમતા નાના બાળકો પર સતત નજર રાખવી કેટલી જરૂરી છે તે પણ આ હૃદયદ્રાવક કિસ્સાઓ શીખવે છે. આ ત્રણેય પરિવારોમાં જે ખોટ પડી છે તે ક્યારેય પુરી શકાય તેમ નથી. જિલ્લામાં બનેલા આ કાળમુખા શુક્રવારે ત્રણ પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા (ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ) શાખા દ્વારા માંજલપુર પાણીની ટાંકી ખાતે નવું ફલો મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે જેના કારણે આગામી 30 માર્ચના રોજ સાંજના સમયે પાણી પુરવઠો નહી મળી શકે. મુખ્ય ફીડર લાઇન ઉપર ફલો મીટર લગાવાશેમાંજલપુર પાણીની ટાંકી પર આવતી 600 મી.મી. વ્યાસની મુખ્ય ફીડર લાઈન ઉપર નવું ફ્લોમીટર બેસાડવાની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકનિકલ કામગીરીને પરિણામે નિર્ધારિત સમયગાળા દરમિયાન સંબંધિત વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે અથવા અનિયમિત રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર વિસ્તારના લોકોએ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે. 30 માર્ચે સાંજે અને 31 મી સવારે અસરઆ કામગીરી તારીખ 30 માર્ચ, 2026 ના રોજ સવારના ઝોનનું પાણી વિતરણ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. આ મેન્ટેનન્સ કાર્યને કારણે તારીખ 30 માર્ચના રોજ સાંજના સમયે માંજલપુર ટાંકી હેઠળ આવતા વિવિધ ઝોનમાં પાણી પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. ખાસ કરીને સાંજે 5:30 થી 6:30 અને રાત્રે 7:00 થી 8:00 વાગ્યાના સ્લોટમાં જે વિસ્તારોમાં પાણી આપવામાં આવે છે, ત્યાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આથી, ગૃહિણીઓ અને સ્થાનિક રહેવાસીઓએ સાંજની જરૂરિયાતો માટે અગાઉથી આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. માત્ર સાંજ જ નહીં, પરંતુ બીજા દિવસે એટલે કે તારીખ 31 માર્ચ, 2026 ના રોજ પણ પાણી વિતરણમાં તેની અસર જોવા મળશે. કામગીરી લાંબી ચાલવાની શક્યતાને જોતા 31 તારીખે સવારના સમયે પાણી વિતરણમાં વિલંબ થઈ શકે છે. આ ઉપરાંત, ટેકનિકલ સંતુલન જાળવવા માટે પાણી ખૂબ જ હળવા દબાણથી (Low Pressure) આપવામાં આવશે. પાલિકા તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ અગવડતા બદલ સહકાર આપે અને પાણીનો અગાઉથી પૂરતો સંગ્રહ કરી રાખે જેથી દૈનિક કાર્યોમાં કોઈ વિક્ષેપ ન પડે.
હીરાનગરી સુરતના નાગરિકોને આગામી 1 અને 2 એપ્રિલના દિવસે પાણી કાપની સમસ્યાનો કરવો પડશે. સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા શહેરની મુખ્ય જળ વિતરણ લાઈનમાં મોટા પાયે રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી ગેટ પાસે આવેલી 1524 મી.મી. વ્યાસની વિશાળ એમ.એસ. લાઈનમાં સર્જાયેલા લીકેજને રિપેર કરવા માટે પાલિકાએ 36 કલાક સુધીનો પાણી કાપ જાહેર કર્યો છે. આ કામગીરીને કારણે સેન્ટ્રલ, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ અથવા નહિવત રહેશે. લીકેજ રિપેરીંગ કરવા માટે પાણી સપ્લાય બંધ રહેશેસુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, કતારગામ જળ શુદ્ધિકરણ પ્લાન્ટથી આવતી 1524 મી.મી. વ્યાસની મુખ્ય લાઈન કે જે શહેરના દક્ષિણ અને મધ્ય ભાગોને પાણી પહોંચાડે છે, તેમાં દિલ્હી ગેટ પાસે ગંભીર લીકેજ જોવા મળ્યું છે. જો આ લીકેજને સમયસર રિપેર કરવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અથવા હજારો ગેલન પાણીનો વ્યય થઈ શકે છે. કયા વિસ્તારમાં ક્યારે પાણી વિતરણ બંધ રહેશેઆ કામગીરી 1 એપ્રિલ 2026 બુધવારના રોજ સવારે 09:30 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ સવારે 08:00 વાગ્યા સુધી સતત ચાલશે. આ સમયગાળા દરમિયાન સંબંધિત જળ વિતરણ મથકોની ટાંકીઓ ભરી શકાશે નહીં, જેના પરિણામે લાખો લોકોના નળ સુકા રહેશે. સાઉથ ઝોન ઉધના-એને સૌથી વધુ અસર થશેઉ ધના ઝોનમાં ત્રણ મુખ્ય જળ વિતરણ મથકો - ચીકુવાડી, પાંડેસરા અને ખટોદરા પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય જુના બમરોલીના અપેક્ષા નગર, હરીઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી તેમજ ગોવાલક વિસ્તારના અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર અને કરશન નગરમાં પાણી નહીં આવે. 2 એપ્રિલ સવારનો સપ્લાય પાંડેસરા ગામતળ, આવિર્ભાવ સોસાયટી, કૈલાશ નગર, ભેસ્તાન અને પાંડેસરા GIDC વિસ્તારમાં સંપૂર્ણ પાણી કાપ રહેશે. ખટોદરા જળ વિતરણ મથક હેઠળના ગાયત્રીનગર, શાંતિનગર, હરીનગર અને ઉધના ગામ તળ વિસ્તારમાં પણ પાણી બંધ રહેશે. સાઉથ-ઈસ્ટ ઝોન લિંબાયત વિસ્તારના મધ્યમ અને શ્રમજીવી વર્ગના વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ શકે છે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય ભાઠેના વિસ્તાર, સલીમનગર, EWS કવાર્ટ્સ, જવાહરનગર, નહેરૂનગર, લો-કાસ્ટ કોલોની, ચીમનીનો ટેકરો અને ઇસ્લામપુરામાં પાણી પુરવઠો ખોરવાશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય ભાખડ માહોલ, રાહત કોલોની અને પમ્પિંગ સ્ટેશનની આજુબાજુની ગલીઓમાં પાણી આવશે નહીં. સેન્ટ્રલ ઝોન શહેરના હૃદય સમાન ગણાતા કોટ વિસ્તારમાં પણ લાલ દરવાજા જળ વિતરણ મથકથી અપાતો પુરવઠો પ્રભાવિત થશે. 1 એપ્રિલ સાંજનો સપ્લાય દિલ્હી ગેટથી ચોક બજાર સુધીનો ઉત્તર વિભાગ, મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા અને નાણાંવટ વિસ્તારમાં પાણી અલ્પ માત્રામાં અથવા ઓછા પ્રેશરથી મળશે. સુમુલ ડેરી અને રેલ્વે સ્ટેશન જેવા મહત્વના સ્થળોએ પણ અસર થશે. 2 એપ્રિલ સવારનો સપ્લાય બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા અને નાનપુરા જેવા દક્ષિણ વિભાગના વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાય તેવી શક્યતા છે. સાઉથ વેસ્ટ ઝોન અઠવા ઝોનમાં અઠવા જળ વિતરણ મથકથી આપવામાં આવતો સવારનો પુરવઠો (સમય 05 થી 08) ખાસ કરીને ઉધના મગદલ્લા રોડ, ભટાર રોડ અને રૂપાલી કેનાલ વિસ્તારમાં પ્રેશરની સમસ્યા રહેશે. નાગરિકોને બે દિવસ માટે જરુરી પાણીનો સંગ્રહ કરી લેવા અપીલસુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગે નાગરિકોને અગાઉથી જાણ કરી છે કે તેઓ આ બે દિવસ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. ઉનાળાની શરૂઆત થઈ રહી હોવાથી પાણીનો વપરાશ વધ્યો છે, ત્યારે આ કાપ નાગરિકો માટે કપરો સાબિત થઈ શકે છે. નાગરિકોએ 31 માર્ચની રાત સુધીમાં ઘરની ટાંકીઓ સંપૂર્ણ ભરી લેવી. નહાવા, કપડાં ધોવા કે સફાઈમાં બિનજરૂરી પાણીનો બગાડ ટાળવો. આ રિપેરીંગ કામગીરી 2 એપ્રિલની સવાર સુધીમાં પૂર્ણ થવાની આશા છે, ત્યારબાદ ધીમે ધીમે પાણીનું પ્રેશર સામાન્ય થશે. શહેરના પૂર્વ અને ઉત્તર ઝોન વરાછા, કતારગામમાં આ કાપની અસર નહીંવત રહેશે.
સુરતમાં જૈન સમાજમાં એક મોટો વિવાદ ગરમાયો છે. એક જૈન મુનિ દ્વારા સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે મોટી સંખ્યામાં જૈન સમાજની મહિલાઓ રોડ પર ઉતરી આવી હતી. આક્રોશિત મહિલાઓએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મુનિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે PM મોદી પાસે CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. સાધ્વીજી અને શ્રાવિકાઓના શારીરિક શોષણનો આક્ષેપમહિલાઓ અને સમાજના અગ્રણીઓ દ્વારા મુનિ સામે નીચે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આક્ષેપ છે કે સંબંધિત જૈન મુનિ છેલ્લા ઘણા વર્ષોથી સાધ્વીજીઓ અને શ્રાવિકાઓનું શારીરિક શોષણ કરી રહ્યા છે. મુનિ પર સંઘના લાખો-કરોડો રૂપિયાની ઉચાપત કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આટલા ગંભીર આક્ષેપો અને ફરિયાદો હોવા છતાં સંઘના ટ્રસ્ટીઓ કે શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જૈન સમાજની સર્વોચ્ચ સંસ્થા 'તપાગચ્છિય પ્રવર સમિતિ' દ્વારા આ મુનિને અગાઉ જ સંઘમાંથી બહાર (બહિષ્કૃત) કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં તેઓ હજુ પણ વિવિધ સંઘોમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગઆજે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલી મહિલાઓએ માંગ કરી હતી કે, હાલ આ મુનિ સુરતમાં જ હોવાથી તેમને તાત્કાલિક ઉપાશ્રયમાંથી બહાર લાવવામાં આવે. તેમને જૈન મુનિના પદ પરથી હટાવી (દીક્ષા મુકાવી) સામાન્ય કપડાં પહેરાવવામાં આવે. તેમની સામે અગાઉ થયેલી બે પોલીસ ફરિયાદો પર ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુનિ સાધ્વીજીઓ અને સમાજની બહેન-દીકરીઓ માટે મોટો ખતરો છે. થોડા દિવસો પહેલા જ્યારે સમાજના લોકો વિરોધ કરવા ગયા ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓએ પણ ગેરવર્તન કર્યું હતું. હવે અમને માત્ર કાયદાકીય ન્યાય જોઈએ છે. સમગ્ર જૈન શાસનની છબી ખરડાઈથોડા દિવસો પહેલા જ્યારે મુનિના રોકાણના સ્થળે વિરોધ કરવા લોકો ગયા હતા, ત્યારે ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરવર્તનને કારણે મામલો વધુ બિચક્યો છે. સમાજના લોકોનું કહેવું છે કે આવા તત્વોને કારણે સમગ્ર જૈન શાસનની છબી ખરડાઈ રહી છે. હાલમાં પોલીસ આ મામલે રજૂઆતો સાંભળી રહી છે અને આગામી સમયમાં આ જૈન મુનિ સામે કયા પ્રકારના કાયદાકીય પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાણી છે. બોલતા પણ શરમ આવે છે: મહિલાનિકિતા નામની મહિલાએ જણાવ્યું હતું કે, એમનું વર્તન તો કયા શબ્દોમાં બોલવુંને, એ બોલતા પણ મને શરમ આવે છે. પહેલી વસ્તુ તો એ સુરતમાં પગ કેવી રીતે મૂક્યો? એ અમારા પોતાના સાધ્વીજી મહારાજ સાહેબ જે અમારા માટે એક સન્માનનીય વ્યક્તિ કહેવાય એમની સાથે એ દુષ્કર્મ કરીને આવ્યા. એને સુરતમાં પહેલા તો પગ જ નહોતો મૂકવા દેવો જોઈતો. એ સુરતમાં પગ મૂક્યો, અમારા ભાઈઓ શું કરે છે ખબર નથી, અમારે લેડીઝોએ, છોકરીઓએ, જૈન ધર્મની શ્રાવિકાઓએ આગળ આવવું પડ્યું છે. 'વેશ પરિવર્તન કરાવીને સંસારમાં હમણાં ને હમણાં જ લાવી દો'એ સુરતમાં ધાનેરા નિવાસે ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કરવા માટે આવ્યા છે. એ પ્રતિષ્ઠા તો એમને કેવી રીતે કરાવી શકાય? એ અમારા ભગવાનને ટચ પણ ન કરી શકે. એ વ્યક્તિ અમારા શાસનની શોભા શોભાવી શકે એમ જ નથી. એ વ્યક્તિને ગમે તેમ કરીને વેશ પરિવર્તન કરાવીને સંસારમાં હમણાં ને હમણાં જ લાવી દેવો જોઈએ. સુરતમાં તાત્કાલિક કમિટી બેસાડીને ગમે તે કરીને એને હમણાં ને હમણાં રવાના જ કરવો જોઈએ. 'સંસારના કપડાં પહેરાવી સંસારમાં મોકલી દો'મોના નામની મહિલાએ જણાવ્યું હતું કે, અમારો વિરોધ એ જ છે કે આવા પાખંડી વ્યક્તિઓ જ્યારે જૈન ધર્મને બદનામ કરી રહ્યા હોય ત્યારે તેમને સંસારના કપડાં પહેરાવી સંસારમાં મોકલી દો, બસ બીજી કોઈ જ માંગ નથી. અમને યૂટ્યૂબના માધ્યમથી, ઘણી બધી વાર ન્યૂઝપેપરમાં પણ આવ્યું છે, પેપર કટિંગ્સ પણ છે અમારી પાસે. એ માધ્યમથી અમને આ વસ્તુઓ ખબર પડી છે. બહેન-દીકરીઓ ઉપાશ્રયમાં જશે કેવી રીતે?હું જ્યારે એક સ્ત્રી છું ત્યારે સ્ત્રી સાથે કોઈ બદતમીઝી કરે કે કોઈ દુરાચાર કરે તો એ કેમ ચલાવી લેવું? એ વસ્તુ વ્યાજબી જ નથી ને! છેલ્લા ઘણા ટાઈમથી આ વિરોધ ચાલુ છે. પહેલા ભાઈઓ કરતા હતા પણ એમ લાગ્યું કે જ્યારે ભાઈઓથી હવે કાંઈ થઈ રહ્યું નથી, ત્યારે એમ થયું કે ના.. સ્ત્રી સશક્તિકરણનું એક સજ્જડ ઉદાહરણ આપણે ઉભું જ રહેવું પડશે. જો અમે નહીં કરીએ તો અમારી બહેન-દીકરીઓ ઉપાશ્રયમાં જશે કેવી રીતે? જૈન સાધુ ક્યારેય પૈસાને અડે નહીં તો આ લોકોના નામની જે પણ પ્રોપર્ટી હોયમાંગ એક જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, કે તમે ધર્મના ચાહક છો, જૈન ધર્મ પ્રેમી છો, તો તમે આના માટે કડકમાં કડક પગલાં લો. અમારા જૈન સાધુ ક્યારેય પૈસાને અડે નહીં તો આ લોકોના નામની જે પણ પ્રોપર્ટી હોય એ તમે જોઈ લો જે કરવું હોય એ... અને બીજું કે એમના માટે કડકમાં કડક પગલાં લઈ એમને આ વેશ પરિવર્તન કરાવી સંસારમાં મોકલી દો, કપડાં બદલાવી દો. CBI માં ઈન્વેસ્ટિગેશન કરાવોજીનલ નામની મહિલાએ જણાવ્યું કે, અમારો વિરોધ એક જ છે કે એ સાધુ સુરતના વેસુમાં પ્રતિષ્ઠા માટે આવ્યો છે પણ દુરાચારના હાથે ક્યારેય અમારા ભગવાનની પ્રતિષ્ઠા થવી જ ના જોઈએ. એમના વિરુદ્ધ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાત કરીને CBI માં ઈન્વેસ્ટિગેશન કરાવો અને આ દુષ્કૃત્ય જે થાય છે એના માટે એને સંસારમાં લાવી દો અને એના કપડાં બદલાવીને એને સંસાર ભેગો કરો બાકી આ દુષ્કૃત્યો તો નહીં જ ચાલે.
છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા વહીવટી પાંખ વચ્ચે સૌહાર્દ અને ટીમ સ્પિરિટ વધારવાના હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મહિલા ટીમો પણ મેદાનમાં ઉતરી છે. પ્રારંભ સમારોહ દરમિયાન જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રમતગમત માત્ર શારીરિક તંદુરસ્તી માટે જ નહીં, પરંતુ ટીમવર્ક, નેતૃત્વ અને સંકલનના ગુણો વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ છે. કલેક્ટરે ભાગ લેનાર તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ ટુર્નામેન્ટમાં વિવિધ વહીવટી વિભાગોની ટીમો ભાગ લઈ રહી છે. ખાસ કરીને, પ્રથમ વખત વિવિધ વિભાગોની મહિલા ટીમો પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે, જે એક નોંધપાત્ર પહેલ છે. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીસીએફ રૂપક સોલંકી, એસીએફ ફતેસિંહ મીના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સેજલ સંગાડા સહિત જિલ્લા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને રમતપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાને મોટી સફળતા મળી છે. મોરવા (હડફ) તાલુકાના સંતરોડ પાસે હાઈવે પર નાકાબંધી દરમિયાન, મકાઈની બોરીઓની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રક સહિત કુલ ₹39.96 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. પંચમહાલ ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને એસ.પી. ડૉ. હરેશ દૂધાતના માર્ગદર્શન હેઠળ LCB ઇન્ચાર્જ પી.આઈ. આર.એ. પટેલની ટીમે પેટ્રોલિંગ સઘન બનાવ્યું હતું. આ દરમિયાન ASI નાદીરઅલી નિઝામુદ્દીનને ચોક્કસ બાતમી મળી હતી કે, એક એલ.પી. ટ્રક (GJ-05-AT-1848) માં મકાઈની આડમાં દારૂનો જથ્થો દાહોદથી ગોધરા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે સંતરોડ ગામે આદ્યા હોટલ સામે હાઈવે પર નાકાબંધી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા ઉપરના ભાગે મકાઈની બોરીઓ ભરેલી હતી, પરંતુ તેની નીચે તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ ₹39,49,084/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં ૯૩૬૦ નંગ વિદેશી દારૂ અને બીયર (કિંમત ₹28,69,584/-), એક ટાટા એલ.પી. ટ્રક (કિંમત ₹10,00,000/-), ૧૦૦ નંગ મકાઈની બોરીઓ (કિંમત ₹70,000/-) અને ₹9,500/- રોકડ તથા મોબાઈલનો સમાવેશ થાય છે. આ ગુનામાં પોલીસે ઈરફાનખાન સલીમખાન (રહે. નપાવલી, જિ. ચિત્તોડગઢ, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 29 માર્ચે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા યોજાશે. કુલ 3071 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રો પર આ પરીક્ષા આપશે, જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. પરીક્ષાને લઈને તમામ 16 કેન્દ્રો પર બ્લોકમાં બેઠક નંબર લખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યાં શનિવારે બેઠક નંબર લખવામાં આવ્યા હતા. આચાર્ય દ્વારા શિક્ષકો સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન લેવાશે. પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં ગ્રુપ-A માં 914, ગ્રુપ-B માં 2145 અને ગ્રુપ AB માં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માધ્યમ મુજબ, 2506 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમમાં અને 564 વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપશે. તમામ 16 પરીક્ષા કેન્દ્રોના 157 બ્લોક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે.
સિંહ બાળનું માતા સાથે મિલન:વેરાવળના રામપરા ગામે કૂવામાંથી સિંહ બાળાને બચાવાયું
ગીર સોમનાથ વન વિભાગે વેરાવળના રામપરા ગામે કૂવામાંથી બચાવેલા સિંહ બાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક મિલન કરાવ્યું છે. આ સિંહ બાળને આજે સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યું હતું. બે દિવસ અગાઉ, વેરાવળ રેન્જ હેઠળના રામપરા ગામમાં ખેડૂત સરમણભાઈ લખમણભાઈ રાઠોડના કૂવામાં આશરે 1 વર્ષની ઉંમરનું એક સિંહ બાળ અકસ્માતે પડી ગયું હતું. વન વિભાગને જાણ થતાં જ વનપાલ, વનરક્ષકો અને ટ્રેકર્સની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સુરક્ષિત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સિંહ બાળને તાત્કાલિક સારવાર અર્થે જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં તેની જરૂરી સારવાર કરવામાં આવી હતી. ગીર સોમનાથ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ સિંહ બાળ બે દિવસ અગાઉ વેરાવળના રામપરા ગામે કૂવામાં પડ્યું હતું. સારવાર અને દેખરેખ બાદ તેને તેની માતા સાથે ફરીથી ભેળવી દેવામાં આવ્યું છે.
SOGએ ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ કર્યો:વિદ્યાર્થીઓને નશાના દુષણથી બચાવવા સમજ અપાઈ
જામનગર SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) દ્વારા શહેરની ડી.કે.વી. કોલેજમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને નશાના દુષણથી બચાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો હતો. આ સેમિનારમાં ડી.કે.વી. કોલેજના આશરે 70 વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ જોડાયા હતા. SOG ટીમે તેમને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) કાયદા વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને અફીણ, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર અને હેરોઈન જેવા નાર્કોટિક્સ પદાર્થોના જોખમો વિશે સમજાવવામાં આવ્યું. તેમને નશાની બદીથી દૂર રહેવા અને તેનાથી થતા વ્યક્તિગત તેમજ પારિવારિક પતનને રોકવા માટે જાગૃત કરાયા. SOG ટીમે ભારપૂર્વક જણાવ્યું કે આવા કેફી દ્રવ્યોનો એક-બે વારનો ઉપયોગ પણ વ્યક્તિને આજીવન બંધાણી બનાવી શકે છે, જેના પરિણામે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ પણ ધકેલાઈ શકે છે. આ ઉપરાંત, સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી બાબતો અંગે પણ જાગૃતિ લાવવામાં આવી હતી. ટીમે વિદ્યાર્થીઓને જાગૃત નાગરિક તરીકેની તેમની ફરજ સમજાવી. તેમને અપીલ કરવામાં આવી કે નશાના બંધાણીઓ ઘણીવાર આર્થિક લાભ માટે નવા વિદ્યાર્થીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે. આવા માદક દ્રવ્યોનું વેચાણ કરતા અસામાજિક તત્વોને ખુલ્લા પાડવા અને કોલેજ કેમ્પસ કે આસપાસ થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તાત્કાલિક પોલીસને કરવી. પોલીસ દ્વારા માહિતી આપનાર નાગરિકની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
રાજ્યમાં ખેડૂતોના પ્રશ્નોને લઈ અસંતોષ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. સરકાર દ્વારા 3 મહિના પહેલા ખેડૂતોની 14 માંગણીઓ સ્વીકારીને તેને ઉકેલવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિએ માત્ર એક જ માંગણીનો અમલ થયો છે, જ્યારે બાકી 13 માંગણીઓ હજુ પણ વણઉકેલાયેલી છે. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આક્ષેપ કર્યો છે કે સરકારની ખાતરીઓ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. અનેક રજૂઆતો છતાં ખેડૂતોના મૂળ પ્રશ્નો હજી યથાવત છે. હવે ખેડૂતો સીધા વડાપ્રધાન સુધી મુદ્દો લઈ જવાની તૈયારીમાં છે. સરકારે સ્વીકારેલી ખેડૂતોની માંગણીઓ નીચે મુજબ છે, પરંતુ તેમાં અમલ ન થતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. (1) વડીલોપાર્જીત મિલકતમાં આડી લીટીના વારસદારોને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુક્તિ આપવી – આ માંગણી પર સરકારે જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેનો વ્યાપક લાભ હજી જમીન સ્તરે મળતો નથી. (2) ગૌચર અને સરકારી જમીનની માપણી કરીને દબાણો દૂર કરવી, ફેન્સીંગ કરાવવી તથા નગરપાલિકા-તાલુકા પંચાયત દ્વારા ડેવલોપમેન્ટ માટે ગ્રાન્ટ આપવી અને રી-સર્વેના પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવવો. (3) સૌની યોજના, સુજલામ સુફલામ અને અન્ય પાઈપલાઈન દ્વારા વધુમાં વધુ તળાવો ભરવા, હાઈકંટ્રોલ કેનાલને આગળ વધારવી, કચ્છના નખત્રાણા, લખપત, અબડાસા જેવા વિસ્તારોમાં પાણી પહોંચાડવું, મંજૂર થયેલા એમ.એફ. પાણીના કામમાં ગતિ લાવવી અને બાકી પાણીની વહીવટી મંજૂરી આપવી, તેમજ નદીઓ પર ચેકડેમ બનાવવો (જેમ કે બનાસ નદી પર દર 10 કિ.મી.). (4) ટોલટેક્સ બૂથ નજીક રહેતા લોકોને થતી હેરાનગતિ દૂર કરવી. (5) ફુવારા અને ડ્રીપ ઈરીગેશનમાં 80% સબસીડી આપવી. (6) ટ્રેક્ટરની ટ્રોલીને 5 વર્ષ સુધી પાસીંગમાંથી મુક્તિ આપવી. (7) વીજ ટાવર લાઈનના પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવી જમીન માટે યોગ્ય વળતર ચૂકવવા પોલિસી બનાવવી. (8) રાસાયણીક ખાતરની વિતરણ વ્યવસ્થામાં સુધારા માટે નવી પોલિસી અમલમાં મૂકવી. (9) તાર ફેન્સીંગ સબસીડીમાં વધારો કરી વધુ ખેડૂતોને લાભ મળે તેવું કરવું. (10) દેશી બીજ અને દેશી કપાસના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજનાઓ જાહેર કરવી. (11) વન વિભાગ દ્વારા રેવન્યુ જમીનને વનમાં સમાવેશ કરવાની પ્રક્રિયા અટકાવવી, ગીર સોમનાથના 14 સેટલમેન્ટ ગામોને રેવન્યુમાં સમાવેશ કરવો અને જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના ઈકોઝોન વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા બેઠક યોજવી. (12) ખાનગી કૃષિ કોલેજોમાં આઈ.સી.આર.ના નિયમોનું કડક પાલન કરાવવું અને નિયમોનું ઉલ્લંઘન કરતી કોલેજો બંધ કરવી. (13) 3 થી 5 લાખ સુધીના ધિરાણનો અમલ કેન્દ્ર સરકારની યોજના લાગુ થયા બાદ તાત્કાલિક કરવો. (14) બટાકાના કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ અને ખેડૂતો વચ્ચેના ભાવ વિવાદ અંગે ઉચ્ચ કક્ષાએ બેઠક કરીને ઉકેલ લાવવો. ખેડૂતોનું કહેવું છે કે, એકાદ જાહેરાતોથી પ્રશ્નો હલ થતા નથી. બાકી રહેલી માંગણીઓ પર તાત્કાલિક અમલ જરૂરી છે, નહીં તો આંદોલન વધુ ઉગ્ર બનશે. ખેડૂતો હવે રાહ જોવાના મૂડમાં નથી. સરકાર સમયસર પગલાં નહીં ભરે તો આ મુદ્દો રાજ્યમાંથી કેન્દ્ર સુધી ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે.
1 લાખ સામે 4.88 લાખ ચૂકવ્યા:મોરબીના ટાઇલ્સ વેપારીને વ્યાજખોરની જાનથી મારી નાખવાની ધમકી
મોરબીમાં એક ટાઇલ્સ વેપારી વ્યાજખોરના ચુંગાલમાં ફસાયા છે. તેમણે 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેની સામે કુલ 4.88 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા વધુ પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ મામલે વેપારી અને તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે. આ અંગે મોરબીના દલવાડી સર્કલ પાસે શિવ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે દલવાડી સર્કલ પાસે રહેતા પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ સામે આ ફરિયાદ કરી છે. ભરતભાઈએ પોલીસને જણાવ્યું કે, વર્ષ 2022માં તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતાં પ્રકાશભાઈ પાસેથી 8 ટકાના વ્યાજે 1 લાખ રૂપિયા લીધા હતા. તે સમયે આરોપીએ વધુ પૈસા પડાવવાના ઇરાદે તેમની પાસેથી 3 લાખ રૂપિયાનું નોટરી લખાણ અને IDBI બેંકના ત્રણ ચેક બળજબરીપૂર્વક લઈ લીધા હતા. ફરિયાદીએ વ્યાજ અને પેનલ્ટી સહિત કુલ 4,88,000 રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, પ્રકાશભાઈ તેમની પાસેથી વધુ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે. પ્રકાશભાઈએ ભરતભાઈના દીકરા ભવ્યને ફોન કરીને ગાળો આપી હતી અને વ્યાજ નહીં ભરે તો માર મારવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ભરતભાઈને પણ વ્યાજ સહિત મૂળ રકમ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી પ્રકાશભાઈ પીઠમલ વિરુદ્ધ ગુનો નોંધીને તેમને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં હાલમાં જ ગાજેલા બળાત્કારના એક કિસ્સાએ નવો વળાંક લીધો છે. પૂર્વ શિક્ષિકા અને કથિત પ્રેમિકા દ્વારા જેની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે આરોપી ધ્રુવલ દેસાઈએ વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈ અને તેના પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી જઈ રજૂઆત કરી છે અને સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે. પત્ની સાક્ષી દેસાઈએ પોતાના પતિ ધ્રુવલ દેસાઈ પર થયેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું છે કે શિક્ષિકા અર્ચના જોશીએ નોંધાવેલી ફરિયાદ તદ્દન ખોટી છે અને આ બદનામીના કારણે જ ધ્રુવલે વારાણસીમાં ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની હાલત ગંભીર હોવાનું અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, અર્ચના જોશીએ લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા હતા જે પાયાવિહોણા છે, કારણ કે અર્ચના જોશી પોતે પરિણીત અને ડિવોર્સી છે તથા તેમને 17 વર્ષનો દીકરો પણ છે. વધુમાં તેણીએ આક્ષેપ કર્યો હતો કે અર્ચના જોશીની માંગણી મુજબ નાણાંની ચૂકવણી પણ કરી હતી, તેમ છતાં સોશિયલ મીડિયામાં આ વિગતો વાયરલ કરીને પરિવારને બદનામ કરવામાં આવ્યો હતો. આ માનસિક દબાણ હેઠળ જ પતિ 2 દિવસથી લાપતા હતા અને અંતે આત્મઘાતી પગલું ભર્યું છે. તેમણે પોલીસ કમિશનરને વિનંતી કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે અને આ સમગ્ર ઘટના માટે જવાબદાર અર્ચના જોશી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. નાણાકીય લેતીદેતીના પુરાવા પરિવારે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે તેમના પક્ષના પુરાવાઓ પણ ધ્યાને લેવામાં આવે. સાક્ષી દેસાઈએ જણાવ્યું કે તેમણે અગાઉ અર્ચના જોશીને રૂ. 4,00,000 અને અન્ય એક સમયે રૂ. 40,000 એમ ઓનલાઇન પેમેન્ટ પણ કર્યું હતું. પરિવારે દાવો કર્યો છે કે તેમણે સમાધાનના અનેક પ્રયાસો કર્યા હતા અને પોલીસની હાજરીમાં પણ વાતચીત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર એફ.આઈ.આર. કરવામાં જ રસ દાખવ્યો હતો. હાલમાં પોલીસે આ રજૂઆતને ધ્યાને લઈ આગળની તપાસ હાથ ધરી છે. એક તરફ બળાત્કારના આક્ષેપો છે તો બીજી તરફ આરોપી દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ પરિવારે લગાવેલા વળતા આક્ષેપોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ-જૂનાગઢ બાયપાસ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. શહેરના વ્યસ્ત ગણાતા બાયપાસ વિસ્તારમાં એક કાર ચાલકે મોટરસાઈકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે 80 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. છગનભાઈ ગજેરા (ઉંમર વર્ષ 80) પોતાના બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક કારના ચાલકે તેમને હડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતા જ વૃદ્ધ ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવી એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ કમનસીબે વયોવૃદ્ધ છગનભાઈએ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. આ કરુણ ઘટના અંગે મૃતક છગનભાઈના પુત્રએ કેશોદ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક વિરૂદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ કાર ચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો અને તેમના પિતાનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ કેશોદ પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. હાલમાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 80 વર્ષીય વૃદ્ધના અકાળે અવસાનથી ગજેરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય મિત્રને બતાવતા ભાંડો ફૂટ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે. આરોપી સગીરાની બહેનપણીનો ભાઈ હોવાનું હાલમાં જાણવા મળ્યું છે. સગીરા સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ બનાવી લીધોમળતી માહિતી અનુસાર, ઈદ પહેલાં સગીરા પોતાની બહેનપણીના ઘરે ગઈ હતી. આ દરમિયાન બહેનપણીના ભાઈએ તેની સાથે અશ્લીલ કૃત્ય આચર્યું અને તેનો વીડિયો પણ મોબાઇલમાં બનાવી લીધો હતો. ઘટનાને કેટલાક દિવસો બાદ આરોપીએ આ વીડિયો પોતાના એક મિત્રને બતાવ્યો હતો. બાદમાં આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. આરોપીએ અન્ય મિત્રને વીડિયો દેખાડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યોવીડિયો જોતાં જ મિત્રને ખ્યાલ આવ્યો કે વીડિયોમાં દેખાતી બાળકી તેના મિત્રની બહેન છે. તેણે તરત જ આ સમગ્ર ઘટનાની જાણ ભોગ બનેલી સગીરાના ભાઈને કરી હતી. બાદમાં સગીરાના ભાઈએ તેની બહેન પાસેથી વિગતો જાણીને માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતાં જ પોલીસ તરત હરકતમાં આવી અને આરોપીને અટકાયતમાં લીધો હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાવવા માટે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે પહોંચ્યા હતા. માંજલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીદુષ્કર્મ આચરનાર આરોપી કોલેજમાં અભ્યાસ કરે છે. પાડોશમાં રહેતી સગીરા વારંવાર તેના ઘરે આવતી હોવાથી તે તેના પર નજર રાખતો હતો અને આખરે તેને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. માંજલપુર પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ગોરવા વિસ્તારમાં આજે એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના સામે આવી છે. સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1ના ઈ-ટાવરના 11મા માળે રહેતી 35 વર્ષીય પરિણીતા સંગીતાબેન પ્રિતેશભાઈ થાપાએ પોતાની ગેલરીમાંથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. લાંબા સમયથી ગંભીર બીમારીથી પીડાતી સંગીતાબેનને પેટમાં અસહ્ય ચાંદા પડી ગયા હતા, જેનાથી કંટાળીને આજે સવારે તેણીએ આ પગલું ભર્યું હતું. પરિણીતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લક્ષ્મીપુરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોત તરીકે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પરિણીતા 9 મહિનાથી પેટમાં ચાંદા પડ્યાની બીમારીથી પીડાતી હતીલક્ષ્મીપુરા રોડ સમતા પાસે આવેલ સ્વામી વિવેકાનંદ હાઈટ્સ-1 માં ઈ ટાવરમાં 11માં માળે રહેતી સંગીતાબેન પ્રિતેશભાઈ થાપા ( ઉંમર વર્ષ 35) ઘણા સમયથી બીમારીથી પીડાતા હતા. તેઓને પેટમાં ગંભીર રીતે ચાંદા પડી ગયા હતા અને અસહ્ય બીમારીથી પીડાતા હતા. આજે સવારે તેઓએ પોતાની ગેલરીમાંથી પડતું મૂક્યું હતી. ગંભીર ઇજાઓને લઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ લક્ષ્મીપુરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ પરિણીતાના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહી નજર હટાવતા જ આ પગલું ભર્યુંઆ અંગે મૃતકના પરિવારજને જણાવ્યું કે, તે છેલ્લા નવ મહિનાથી બીમારીથી પીડાતી હતી. અવારનવાર અમે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા હતા. નવ મહિનાથી તે ઘરમાં છે અને મારો દીકરો પણ નોકરી છોડી ઘરે રહેતો હતો. સવારે તડકામાં બેસવાનું દીકરાએ કહેતા તે ગેલરીમાં બેસી અને મને જોવાનું કહ્યું હતું. હું ગઈ એટલામાં તો તેણે આ પગલું ભરી દીધું હતું.
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવી નહી અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું. આ અંગે અમરાઈવાડી પોલીસે માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી છે. પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઅમરાઈવાડી વિસ્તારમાં આવેલા સિધ્ધેશ્વરી નગર બાગે ફિરદોસ પોલીસ લાઈનની સામે રહેતા દિપક મકવાણાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પત્ની મોનીકા મકવાણા વિરૂદ્ધ બદઈરાદે હત્યાની ફરિયાદ કરી છે. દિપક મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના અખિયાણા ગામના રહેવાસી છે અને માતા-પતિ અને પત્ની મોનીકા સાથે રહે છે. દિપક લેથ મશીનના કારખાનામાં ઓપરેટર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. દિપક અને મોનીકાને બે દીકરીઓ છે. જેમાં એક સાત વર્ષની છે જ્યારે બીજી દીકરી અઢી મહિનાની છે. ગેસના બાટલાની લાઇનમાં ઉભો હતો ત્યાં પડોશીનો ફોન આવ્યોદિપક રાબેતા મુજબ નોકરી જવા માટે નીકળ્યો હતો ત્યારે તેની પત્ની મોનીકા અને બે દીકરી ઘરે હાજર હતી. દિપકને ગેસનો સિલિન્ડર બુક કરવાનો હોવાથી તે અમરાઈવાડી લાઈનમાં ઉભો હતો ત્યારે તેમના પડોશી હંસાબેનનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતું કે ફટાફટ ઘરે આવી જાઓ. દિપક તરત જ ઘરે પહોંચતા લોકોનું ટોળુ જોયુ હતું. લોકો બાળકીની પીઠ થાબડતા હતા જેથી દિપક ચિંતામાં આવી ગયો હતો. દિપકે પૂછ્યુ તો આસપાસના લોકોએ જણાવ્યુ કે તમારી દીકરી પાણીમાં પડી ગઈ છે. પત્નીએ રડતાં-રડતાં કહ્યું મારીથી ભૂલ થઈ ગઈદિપક તેની પત્ની મોનીકા પર ગિન્નાયો હતો અને કહેવા લાગ્યો હતો કે તુ શું ધ્યાન રાખે છે તે કેવી રીતે પડી ગઈ. આસપાસના લોકોએ દિપકને કહ્યુ કે તુ ગુસ્સો ના કરીશ શાંતિ રાખ દીકરીને દવાખાને લઈ જઈએ છે. દિપક મોનીકા તેની દીકરીને હોસ્પિટલ લઈ ગયા જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોત બાદ મોનીકાએ રડતા રડતા દિપકને કહ્યુ કે મારાથી ભુલ થઈ ગઈ છે. મોનીકાએ જણાવ્યુ કે આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા માટે નીચે ગઈ હતી ત્યારે દીકરી મારી સાથે હતી. પોતાના પર આરોપ ના આવે તે માટે ઉપર તગારું મૂકી દીધુંમોનીકાનો પગ પોતા ઉપર આવતા દીકરી તેના હાથેથી છટકી ગઈ હતી અને સીધી પાણીની ટાંકીમાં પડી હતી.મોનીકાએ દીકરીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અંદર સુધી જતી રહી હતી જેથી તે ગભરાઈ ગઈ હતી. મોનીકા ઉપર આરોપ આવે નહી તેવા ડરથી તેણે ટાંકીનું ઢાંકણુ બંધ કરી દીધુ હતું અને તેની ઉપર તગારૂ મુકી દીધુ હતું. પોલીસે આ મામલે ગુનો નોંધીને મોનીકાની ધરપકડ કરી છે.
રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા જેટલી બેઠક પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. જે માટે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. અમદાવાદ શહેરમાં 14 હજાર કરતા વધુ બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વાલી આવક છુપાવી પોતાના બાળકને ખોટી રીતે પ્રવેશ અપાવશે તો ફોજદારી ગુનો દાખલ થશે અને RTE હેઠળ પ્રવેશ રદ કરવાની પણ જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશેઅમદાવાદ શહેરની 1343 જેટલી સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ પર એટલે કે 14177 જેટલી બેઠકો પર RTE હેઠળ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવશે. RTE હેઠળ પ્રવેશ માટે 6 લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે બાળકો સ્વનિર્ભર શાળામાં ધોરણ 1થી 8 સુધી મફત શિક્ષણ લઈ શકે છે. પરંતુ કેટલાક વાલીઓ પોતામાં બાળકોને RTE હેઠળ પ્રવેશ અપાવવા માટે રજીસ્ટ્રેશન વખતે ખોટી વિગતો ભરતા હોય છે. આવક ઓછી બતાવી ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરીને પોતાના બાળકને પ્રવેશ અપાવી દેતા હોય છે. જો ખોટો આવકનો દાખલો બતાવી પ્રવેશ અપાવ્યો તો પ્રવેશ રદ્દ થશેજોકે, કેટલીક શાળાઓ ચાલુ સત્રમાં વાલીઓએ ખોટી વિગત આપી હોવાનું સામે આવતા તેમના બાળકનો RTE હેઠળ પ્રવેશ રદ કરવામાં આવતો હોય છે. જેના કારણે તે બેઠક પર 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓના દીકરાઓ પ્રવેશથી વંચિત રહી જતા હોય છે. જેથી આ વર્ષે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થાય તે પહેલા જ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓને ચેતવણી આપી દીધી છે. જો આવક 6 લાખથી વધુ હશે અને ઓછી બતાવી ખોટો આવકનો દાખલો અપલોડ કરી પોતાના બાળકને પ્રવેશ અપાવ્યો હશે તો RTE હેઠળ તેમના બાળકનો પ્રવેશ રદ કરવામાં આવશે. તેમજ ખોટા ડોક્યુમેન્ટ સબમિટ કરી અન્ય વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખવા બદલ વાલી સામે ફોજદારી ગુનો દાખલ કરવાની પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તૈયારી દર્શાવી છે. 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલશેઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓમાં 25 ટકા જેટલી સીટ RTE ના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવતી હોય છે. મફત અને ફરજિયાત શિક્ષણ હેઠળ ગરીબ બાળકો સ્વનિર્ભર શાળાઓમાં પ્રવેશ લઈ શકે તે માટે RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે. આ વર્ષે 4 એપ્રિલથી લઈને 17 એપ્રિલ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન ચાલવાનું છે. 6 લાખથી ઓછી આવક ધરાવતા વાલીઓ છે અને 13 પ્રકારના અગ્રતાક્રમ પ્રમાણે વાલીઓએ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશેવાલીઓને ચેતવણી આપતા રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 1343 જેટલી શાળાઓમાં સ્વનિર્ભર શાળાઓના 14177 જેટલી સીટ પર RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ડિસેબલ વિદ્યાર્થીઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી હોય છે. 6 લાખ સુધીની મર્યાદા હોવાથી આવકનો દાખલો અને ઈન્કમટેક્સ રિટર્નના પુરાવા હોવા પણ જરૂરી છે. તેમજ જો વાલી કોઈ ખોટી માહિતી ભરશે તો તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ RTEમાંથી તેમના બાળકનો પ્રવેશ પણ રદ કરવામાં આવશે. અવારનવાર સ્પષ્ટતા કરવા છતાં વાલીઓ ઇન્કમટેક્સ રિટર્નના આધારો છુપાવતા હોય છે. જો કોઈ વાલી ખોટી વિગત ભરશે તો ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ એક વખત શાળા પસંદ કર્યા બાદ અન્ય કોઈ શાળામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
ગુજરાતમાં GST સંબંધિત પ્રક્રિયાઓમાં ગંભીર ખામીઓ સામે આવી છે. તાજેતરમાં CAG (Comptroller and Auditor General) ના ઓડિટ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે કે નોંધણી રદ (Cancellation of GST Registration) કરવાની પ્રક્રિયામાં નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નથી, જેના કારણે સરકારને આવકમાં નુકસાન થવાની શક્યતા ઊભી થઈ છે. 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરાઈ નહોતીCAGના અહેવાલ મુજબ, કુલ 35 કેસોના પરીક્ષણ દરમિયાન 11 કેસોમાં નોંધણી રદ કરવાની અસરકારક તારીખ નિયમો મુજબ નક્કી કરવામાં આવી નહોતી. કેટલાક કેસોમાં યોગ્ય અધિકારી દ્વારા નક્કી કરાયેલ તારીખ કરતાં પહેલાની તારીખથી નોંધણી રદ કરવામાં આવી હતી, જે નિયમ 22 હેઠળના પ્રાવધાનોનું ઉલ્લંઘન છે. નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયોઆ ઉપરાંત, નોંધણી રદ પ્રક્રિયામાં 24 દિવસથી 115 દિવસ સુધીનો વિલંબ નોંધાયો હતો, જે વિભાગીય કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા કરે છે. ફોર્મ્સ યોગ્ય રીતે ભર્યા નહોતાઓડિટમાં વધુમાં જાણવા મળ્યું કે જરૂરી ફોર્મ્સ જેમ કે GST REG-16 અને GST REG-19 યોગ્ય રીતે ભરવામાં અથવા પ્રક્રિયા કરવામાં આવ્યા નહોતા. કેટલાક કેસોમાં GSTN પોર્ટલ પર સંબંધિત આદેશો ઉપલબ્ધ નહોતા, જેના કારણે પારદર્શિતાની ખામી સ્પષ્ટ થાય છે. નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતીCAG રિપોર્ટમાં આ પણ બહાર આવ્યું છે કે કેટલીક જગ્યાએ નોંધાયેલ વ્યક્તિઓએ નોંધણી રદ કરતા પહેલા સ્ટોક પર લાગતી ટેક્સ જવાબદારી ચૂકવી નહોતી. એક કેસમાં ₹61.16 લાખની કરપાત્ર રકમ જાહેર થયા છતાં વસૂલાત કરવામાં આવી નહોતી. જ્યારે બીજા એક કેસમાં ₹19.79 લાખ ટેક્સ, ₹9.79 લાખ વ્યાજ અને ₹1.99 લાખ દંડ નક્કી થયા છતાં યોગ્ય કાર્યવાહી અધૂરી રહી હતી. વાર્ષિક રિટર્ન ભર્યા વિના જ નોંધણી રદ કરાવી હતીવધુમાં, કેટલીક નોંધાયેલ વ્યક્તિઓએ વાર્ષિક રિટર્ન (GSTR-4) ભર્યા વિના જ નોંધણી રદ કરાવી દીધી હતી, જે નિયમોના સીધા ભંગ સમાન છે. CAGએ નોંધ્યું છે કે સતત ત્રણ સમયગાળા સુધી રિટર્ન ન ભરનારાઓ સામે નોંધણી રદ કરવાની કાર્યવાહી કરવામાં પણ વિલંબ થયો હતો. યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ અપાતા હતાઅહેવાલમાં એ પણ જણાવાયું છે કે વિભાગ દ્વારા આંતરિક ચકાસણી, રિટર્ન સ્ક્રુટિની અને ઓડિટ પ્રક્રિયામાં પૂરતી કડકાઈ દાખવવામાં આવી નથી. Compliance સિસ્ટમ હેઠળ યોગ્ય પાત્રતા ચકાસણી કર્યા વિના લાભ આપવામાં આવતા હોવાના સંકેતો પણ મળી આવ્યા છે. CAG દ્વારા મુખ્ય ભલામણો નીચે કેટલાક મુખ્ય કેસોમાં થયેલી ગેરરીતિઓ દર્શાવવામાં આવી છે આ તમામ કેસોમાં સ્પષ્ટ છે કે રદ કરવાની તારીખ અરજી કરતાં પહેલાની રાખવામાં આવી હતી, જે નિયમોનું સીધું ઉલ્લંઘન છે. GST સિસ્ટમ માટે ચિંતાજનક ખુલાસાCAG રિપોર્ટમાં થયેલા આ ખુલાસાઓ GST સિસ્ટમ માટે ચિંતાજનક છે. પારદર્શિતા અને નિયમિતતા માટે બનાવાયેલી આ વ્યવસ્થામાં આવી ગેરરીતિઓ સિસ્ટમની વિશ્વસનીયતા પર અસર કરે છે. હવે જોવાનું રહ્યું કે રાજ્યનો કર વિભાગ આ મુદ્દે કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે.
રાજકોટની સાધના સોસાયટીમાં ગતરોજ અચાનક બે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાની ભયાનક ઘટના સામે આવી છે. અશોક રૈયાણીના રહેણાંક મકાનની પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આખી સોસાયટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિઓ દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં પાર્કિંગ વિસ્તારમાંથી 40 ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા કેરબા અને ગેસ રિફિલિંગની મોટર પણ કબજે કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગેસ રિફિલિંગ અને કાળાબજારીના આરોપમાં ફરિયાદ નોંધવામાં આવવાની તૈયારી ચાલી રહી છે. ફાયર વિભાગે બિલ્ડિંગને BU પરમિશન સહિતના જરૂરી દસ્તાવેજો આપવા માટે નોટિસ પણ ફટકારી છે. આ ઘટનાનો લાઇવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં આગ અને ધુમાડાનું ભયાનક દૃશ્ય સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ લાઈવ વીડિયોમાં એક વ્યક્તિ પાણીની પાઈપ લઈને ગેઈટ પાસેથી આગ ઠારવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. તેની આસપાસ બીજા લોકો પણ તેમની મદદ કરવા માટે ઊભા હોય છે એટલામાં જ એકાએક ઘરમાંથી બે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આસપાસમાં અફરાતફરીનો માહોલ મચી જાય છે. વીડિયોમાં કોઈ બાળક તેના પપ્પા માટે બૂમો પાડતુ પણ સંભળાય છે કહે છે કે, 'મમ્મી પપ્પા જો, એ મારા પપ્પા.' બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતાશહેરના સહકાર મેઈન રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેણાક મકાનમાં કેટરર્સનો સામાન પડ્યો હતો. જ્યાં 40 જેટલા ગેસના બાટલા પડ્યા હતા. જેમાંથી 2 બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે 20 વર્ષનો યુવાન દાઝી ગયો હતો. આ દરમિયાન બાજુમાં 5 ડીઝલના કેરબા પણ પડ્યા હતા. જોકે તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયાનું ફાયર બ્રિગેડ વિભાગનું અનુમાન છે. જોકે, મકાન માલિકના કહેવા પ્રમાણે પાણી ગરમ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો છે. જોકે, હાલ ફાયર બ્રિગેડ દ્વારા અહીં રહેણાંક મકાનમાંથી ગેસના બાટલા અને ડીઝલના કેરબા સહિતનો સ્ટોરેજ ખાલી કરી BU પરમિશન સહિતના માન્યતા ડોક્યુમેન્ટ આપવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે. પાર્કિંગમા 40 સિલિન્ડર અને ડીઝલના 5 કેરબા પણ પડ્યા હતારાજકોટ ફાયર બ્રિગેડમાં થયેલી નોંધ મુજબ, 27 માર્ચના બપોરે 12.55 વાગ્યે સહકાર મેઈન રોડ ઉપર સાધના સોસાયટી શેરી નંબર 2/5ના ખૂણે રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના બનતા કોઠારીયા ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ગાડી સાથે ફાયર ફાઇટર ત્યાં પહોંચી ગયા હતા અને તાત્કાલિક આગ બૂઝાવી નાખી હતી. આગ લાગી તે રહેણાક એપાર્ટમેન્ટમાં (G+2) બિલ્ડીંગમાં નીચે પાર્કિંગમા અંદાજે 40 જેટલા ભરેલા LPG સીલીન્ડર તેમજ અંદાજે ડીઝલના 5 કેરબા તેમજ કેટરર્સ સામગ્રીનો જથ્થો હતો. આ ઉપરાંત કાર, એકટીવા, વાસપા પડેલું હતુ. પાણી ગરમ કરતા આગ લાગી હતીજેમાં 2 LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતા. જોકે ફાયર જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા રહેવાશીઓ તેમજ આજુબાજુ વિસ્તારનાં લોકોની જાનહાનિ થતા અટકી હતી. આગમાં 20 વર્ષીય મોહિતભાઈ ગોહિલ દાઝી ગયા હતા. મકાન માલિક અશોકભાઈ રૈયાણીનાં જણાવેલ મુજબ પાણી ગરમ કરતા આગ લાગી હતી પરંતુ ઘટના સ્થળે LPG સિલિન્ડરનો ગેસ ટ્રાન્સફર કરવાની ઈલેક્ટ્રીક મોટર જોવા મળી હતી. આગને કારણે ચોક્કસ નુકસાનીનો આકડો જાણવા મળ્યો નથી. જોકે આગની ઘટના બનતા મકાન માલિકને રહેણાંક મકાનમાંથી તમામ સામગ્રીનો સ્ટોરેજ ખાલી કરવા અને તમામનાં માન્યતા ડોક્યુમેન્ટ, BU પરમિશન સર્ટીફીકેટ અને મંજુર પ્લાન ફાયર સ્ટેશને રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી છે. આગની ઘટના બનતા ભક્તિનગર પી.આઈ સરવૈયા સહિતના પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. પુરવઠા વિભાગે 40 ગેસ સિલિન્ડર, ડીઝલના બેરલ કબ્જે કર્યારાજકોટની સાધના સોસાયટીમાં લાગેલ આગ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ એન્ટ્રી દાખલ કરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા 40 જેટલા ગેસ સિલિન્ડર, ડીઝલ ભરેલા બેરલ કબજે કરવામાં આવ્યા છે.બ્લાસ્ટના પગલે પાર્કિગમાં રહેલ સાધન સામગ્રીને પહોચ્યું નુકશાન પહોંચ્યું છે. જેમાં બે વ્યક્તિઓને સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બિલ્ડર, TRB જવાન દાઝ્યારાજકોટ શહેરના સહકાર નગર મેઈન રોડ નજીક આવેલી સાધના સોસાયટીમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા અશોકભાઈના મકાનમાં અચાનક ગેસનો બાટલો ફાટતા ભયાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 55 વર્ષીય બિલ્ડર શામજીભાઈ લાખાભાઈ પટેલ અને 20 વર્ષીય TRB જવાન મોહિત દીપકભાઈ ત્રિવેદી ગંભીર રીતે દાઝી ગયા હતા.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે(28 માર્ચ) રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના હસ્તે ગરીબોને 1010 આવાસો સોંપવા સહિત મનપા તંત્રના રૂ. 751 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત નવનિર્મિત અત્યાધુનિક બોર્ડિંગ ભવનનું લોકાર્પણ તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મુખ્યમંત્રી કરશે. સાથે જ ભક્તિનગર સર્કલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ તેમના હસ્તે કરાશે. અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ આયોજિત અભિવાદન કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી હાજરી આપશે. આ સાથે જ મુખ્યમંત્રીનાં હસ્તે RTOનાં નવા ટેસ્ટ ટ્રેક તેમજ કચેરીનું લોકાર્પણ કરાશે. જંગલેશ્વરમાં ડિમોલિશન કરાયું તે રસ્તે પાણી ભરાયેલુ ન રહે તે માટે રૂ.1 કરોડથી વધુના ખર્ચે સ્લેબ કલ્વર્ટ બનાવવાનાં કામનું ખાતમુહૂર્ત પણ કરાશે. RMCનાં રૂ. 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્તરાજકોટ શહેરના વિકાસને માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસકામો કરવામાં આવી રહ્યા છે. આ પૈકીનાં પૂર્ણ થયેલા કામોનું લોકાર્પણ અને કેટલાક નવા કામોનું ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. જેમાં ગરીબોને ઘરનું ઘર મળી રહે તે આશયથી બનેલા 1010 આવાસોનું લોકાર્પણ કરી સીએમ 1000 જેટલા પરિવારોને ઘરના ઘરની ભેંટ આપશે. તેમજ રૈયાધારનાં અને ઘંટેશ્વરનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગોનું નવીનીકરણ કરવાનાં તેમજ નવા ભળેલા વિસ્તારોમાં પાણીનું વિતરણ યોગ્ય રીતે કરી શકાય તે માટે બનનારા 150 MLDનાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત અલગ-અલગ 40 વિકાસકામોનું ખાતમુહૂર્ત સીએમનાં હસ્તે કરાશે. આમ મહાપાલિકાનાં રૂ. 751.19 કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ બપોરે 03:00 કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાશે. લોકાર્પણ થનારા પ્રકલ્પો 1) રેલનગર આવાસ યોજના (EWS-II) અને દુકાનો: ખર્ચ: રૂ. 119.05 કરોડ વિગત: ટી.પી. સ્કીમ નં.19 (રાજકોટ)માં 25071.15 ચો.મી. ક્ષેત્રફળમાં 1010 આવાસો અને 47 દુકાનો તૈયાર કરવામાં આવી છે. સુવિધાઓ: દરેક આવાસમાં 40.00 ચો.મી. કાર્પેટ એરિયા, હોલ, બેડરૂમ અને રસોડું છે. આ ઉપરાંત રૂફટોપ સોલાર સિસ્ટમ, ઓટો ડોર લિફ્ટ, ડીજી જનરેટર સેટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, ચિલ્ડ્રન પ્લે એરિયા અને આંગણવાડી જેવી અત્યાધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. 2) રૈયાધાર ખાતે નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP): ખર્ચ: રૂ. 33.30 કરોડ ક્ષમતા: 23 MLD વિગત: રૈયાધાર ખાતે કાર્યરત 56 MLD પ્લાન્ટની બાજુમાં જ આ નવો પ્લાન્ટ તૈયાર થયો છે, જે વિસ્તારની સુએજ ટ્રીટમેન્ટ ક્ષમતામાં વધારો કરશે. 3) ઘંટેશ્વર વિસ્તાર માટે નવો STP: ખર્ચ: રૂ. 30.85 કરોડ ક્ષમતા: 15 MLD વિગત: આ નવા પ્લાન્ટ સાથે 5 વર્ષ સુધીના ઓપરેશન અને મેન્ટેનન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનાથી ઘંટેશ્વર અને આસપાસના વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા હલ થશે. 4) ઘંટેશ્વર સીવેજ પમ્પિંગ સ્ટેશન અને પાઈપલાઈન: ખર્ચ: રૂ. 15.81 કરોડ વિગત: આ પ્રકલ્પમાં બે પમ્પિંગ સ્ટેશન (SPS-1 અને SPS-2) તેમજ રાઈઝિંગ મેઈન પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 5) રેલનગર હેડવર્ક્સ ખાતે GSR: ખર્ચ: રૂ. 8.27 કરોડ ક્ષમતા: 139 લાખ લીટર વિગત: પાણીના સંગ્રહ માટે ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોઇર (GSR) બનાવવામાં આવ્યું છે, જેનાથી રેલનગર વિસ્તારના નાગરિકોને પાણી પુરવઠો વધુ સુવ્યવસ્થિત મળશે. 6) રાજકોટની મુલાકાતે આવી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાધુનિક એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક અને નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ કરશે. આ કચેરી કુલ 4150 ચોરસમીટરમાં રૂ. 9.78 કરોડના ખર્ચે અને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રૂ. 81.02 લાખના ખર્ચે તૈયાર કરાયો છે. જેનો લાભ વાર્ષિક 89,950 અરજદારોને મળશે. વિગત : આ નવી વ્યવસ્થાથી ડ્રાઈવિંગ ટેસ્ટમાં માનવીય હસ્તક્ષેપ સંપૂર્ણપણે નાબૂદ થશે. બપોરે 3 કલાકે પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી આ હાઈટેક સુવિધા રાજકોટની જનતાને સમર્પિત કરશે. નવા એઆઈ ટ્રેકની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કુલ 17 હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા અને સેન્સર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ દરમિયાન વાહનચાલક ક્યાંય પણ લાઈન ટચ કરે, રિવર્સમાં ભૂલ કરે કે ટ્રાફિક નિયમ ચૂકે તો સેન્સર તરત જ તે ડેટા કેપ્ચર કરી લેશે. આ ડેટાનું વિશ્લેષણ એઆઈ સોફ્ટવેર દ્વારા થશે અને કોઈપણ અધિકારીની સહી વગર સીધું જ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝલ્ટ જનરેટ થશે. જો તમારી ડ્રાઈવિંગ સ્કિલ પરફેક્ટ નહીં હોય તો સિસ્ટમ તમને તરત જ ‘ફેઈલ’ જાહેર કરી દેશે. અત્યાર સુધી ડ્રાઈવિંગ ટેસ્ટમાં વચેટિયાઓ દ્વારા ‘સેટિંગ’ થતું હોવાની ફરિયાદો હતી, પરંતુ હવે મશીન સામે કોઈની ભલામણ ચાલશે નહીં. જે અરજદાર ખરેખર ગાડી ચલાવતા જાણતો હશે તેને જ લાઇસન્સ મળશે. ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરતા પહેલા ઉમેદવારોને એક વીડિયો ટ્યુટોરિયલ બતાવવામાં આવશે. જેમાં ટેસ્ટ કેવી રીતે આપવી તેની સંપૂર્ણ સમજ હશે. ટેસ્ટ પૂરી થયા બાદ ઉમેદવારને એક ‘કોમ્પ્રિહેન્સિવ રિપોર્ટ’' આપવામાં આવશે જેથી તેને ખબર પડે કે તેણે કયા પોઈન્ટ પર ભૂલ કરી છે. ખાતમુહૂર્ત થનારા નવા પ્રકલ્પો 1) બાંધકામ વિભાગ (રૂ. 368.01 કરોડ): આ વિભાગ દ્વારા કુલ 29 કામો શરૂ થશે. જેમાં શહેરના મુખ્ય માર્ગોનું મજબૂતીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને નવી જાહેર ઈમારતોના નિર્માણનો સમાવેશ થાય છે, જે ટ્રાફિક અને માર્ગ સુવિધાઓમાં સુધારો લાવશે. 2) વોટર વર્ક્સ પ્રોજેક્ટ વિભાગ (રૂ. 173.17 કરોડ): પાણી પુરવઠાને લગતા 7 મહત્વપૂર્ણ કામો હાથ ધરાશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા શહેરના નવા ભળેલા વિસ્તારો અને જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં નેટવર્ક વિસ્તૃત કરવામાં આવશે. 3) ડ્રેનેજ વિભાગ (રૂ. 1.96 કરોડ): શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગટર વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે 3 નવા કામો શરૂ કરવામાં આવશે. 4) રોશની વિભાગ (રૂ. 75 લાખ): માર્ગો પર પ્રકાશ વ્યવસ્થા (Street Lights) મજબૂત કરવા માટેનાં એક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 5) રાજકોટ મનપા દ્વારા જંગલેશ્વરનાં બાપુનગરથી શરૂ કરી નાડોદાનગરમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણ તોડી પાડ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે રોડ બનાવવાના કામનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવશે.ઉપરાંત અત્યાર સુધી અહીં રસ્તો ન હોવાથી પાણી ભરાયેલા રહેતા હતા જો કે રસ્તો ખુલ્લો થઈ જવાથી હવે અહીં પાણી સરળતાથી પસાર થઈ શકે તે માટે ઉપર રસ્તો અને નીચે પાણીનું વહેણ યથાવત રહે તે પ્રકારે સ્લેબ કલ્વર્ટ બનાવવામાં આવશે. આ માટે મનપા દ્વારા એક કરોડથી વધુના ખર્ચનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનાં આજના કાર્યક્રમની વિગતવાર માહિતી બપોરે 12.30 કલાકે: અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે આનંદનગર હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ દ્વારા આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિતિ. બપોરે 3.00 કલાકે: પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતેથી રાજકોટ મહાપાલિકાના રૂ. 207.31 કરોડના 5 પ્રકલ્પોનું લોકાર્પણ અને રૂ. 543.89 કરોડના કુલ 40 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં EWS-II પ્રકારના 1,010 આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. અને 1,000 પરિવારોને ઘરના ઘરની ભેંટ અપાશે. સાંજે 4.15 કલાકે: મેઘાણી રંગભવન, ભક્તિનગર સર્કલ ખાતે ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ હેઠળ લાભાર્થી વડીલોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે કરાશે. સાંજે 4.30 કલાકે: બાલાજી હોલ નજીક લેઉવા પટેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ મુખ્યમંત્રી કરશે.
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરાઈ આવતીકાલે આઠ મહિના બાદ ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે, ભાવનગર -નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભ આવતીકાલે રવિવાર ના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર.નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફ કરાવશે, સવારે 8:35 અને સાંજે 8:50 આસપાસ બંને ફ્લાઈટ ઉડાન ભરશે અને આ ટ્રીપ માટે 3400 થી 7000 સુધી ભાડું રાખવામાં આવ્યું છે. ભાવનગરની બંધ થયેલી હવાઈ સેવા ફરી શરૂ કરાવવા માટે સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ સતત પ્રયત્નો કર્યા હતા, તેમના અથાગ પ્રયાસોને ભાવનગરના વતની અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે આ સંયુક્ત પ્રયાસોના પરિણામરૂપે ભાવનગર એરપોર્ટ ફરીથી નિયમિત હવાઈ સેવા સાથે જોડાઈ રહ્યું છે, આવતીકાલ રવિવારે સવારે 8:35 કલાકે ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈ માટે પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરશે, જેને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુ દ્વારા ફ્લેગ ઑફ કરવામાં આવશે,આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી પરષોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડયા, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્ય શીવાભાઈ ગોહિલ અને ભીખાભાઈ બારૈયા તેમજ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિવિધ એસોસિયેશન ઉપસ્થિત રહેશે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટર તપનકુમાર નાયક એ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈન્ડિગો એરલાઇન્સ ની બે ફ્લાઈટ સવાર સાંજ ભાવનગર થી નવી મુંબઈ સુધી ની બે ટ્રીપ થશે જેમાં સવારે 8:30 કલાક આસપાસ અને સાંજે 8:50 કલાક આસપાસ સમય રહેશે, એન આ એક કલાકના સમયગાળામાં નવી મુંબઈ એરપોર્ટ પર પહોંચશે, તેમજ આ ટ્રીપ માટે લોકોએ 3400 થી 7000 સુધી નું ભાડું રાખવામાં આવ્યું છે જેમાં આ વિશેષ પહેલરૂપે પ્રથમ ફ્લાઇટમાં 30 દિવ્યાંગજન અને શિક્ષકોને મુંબઈ આવવા-જવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને આવતીકાલથી જ લોકો હવાઈ મુસાફરીનો લાભ લઈ શકશે. ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ભાવનગર (TAAB) એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઇન્ડિગો દ્વારા એકસાથે બે ફ્લાઈટ સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે આ માત્ર મુંબઈ પૂરતું સીમિત નથી, પરંતુ ભાવનગરના પ્રવાસીઓને હવે મદુરાઈ, ચેન્નાઈ, બેંગ્લોર, ગોવા અને નોર્થ-ઈસ્ટ જેવા સ્થળો માટે 'સેમ-ડે કનેક્ટિવિટી' મળશે, પ્રવાસીઓ હવે 4 થી 8 કલાકમાં ભારતના કોઈપણ છેડે પહોંચી શકશે, ભાવનગર થી નવી મુંબઈ અને નવી મુંબઈ થી ભાવનગરની ડેઈલી ફ્લાઈટ, હેરિટેજ, કોસ્ટલ અને એજ્યુકેશનલ ટુરિઝમમાં વધારો થવાની આશા, TAAB દ્વારા મેમ્બરશીપ વધારીને ભાવનગરના પ્રવાસન નકશાને મજબૂત બનાવવાની નેમ, ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા ભાવનગર-નવી મુંબઈ રૂટ પર સવાર અને સાંજ એમ દિવસમાં બે ટ્રિપ સંચાલિત થવાની છે, આ હવાઈ સેવા શરૂ થવાથી ભાવનગરના વેપાર-ઉદ્યોગને નવી દિશા મળશે અને પ્રવાસન ક્ષેત્રે પણ વિકાસને વેગ મળશે, નવી મુંબઈ મારફતે દેશના અન્ય મહાનગરો માટે સરળ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનવાથી હવાઈ પરિવહન ક્ષેત્રે ભાવનગર માટે મહત્વપૂર્ણ સુવિધા ઉભી થશે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસી રહેલા વૈશ્વિક તણાવની સીધી અને માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર જોવા મળી રહી છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અંદાજે 77 જેટલા ખલાસીઓ હાલ ઈરાનમાં ફસાઈ ગયા છે. યુદ્ધ જેવી સ્થિતિને કારણે દરિયામાં ફિશિંગ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ઠપ થઈ જતાં આ માછીમારો આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાયા છે. દરિયાઈ સુરક્ષા જોખમાતા બોટો કિનારે લાંગરી દેવાઈનવસારીના બીગરી, ભાટ અને ગણદેવી સહિતના વિસ્તારોના ખલાસીઓ વર્ષોથી ઈરાનમાં ફિશિંગ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જાય છે. હાલની અશાંતિને કારણે દરિયાઈ સુરક્ષા જોખમાતા તમામ બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યોઈરાનમાં ફસાયેલા કેટલાક મુખ્ય ખલાસીઓના નામ આ મુજબ છે:મૈસકુમાર રામદાસભાઈ ટંડેલ – ભાટ, નવસારીમનોજકુમાર શાણીયાભાઈ ટંડેલ – ભાટ, નવસારીનવીનકુમાર રવજીભાઈ ટંડેલ – નવસારીહેમંતકુમાર નરોત્તમભાઈ ટંડેલ – સાલાબત, નવસારીમહેશકુમાર આનંદજી બારીયા – મરોલીરતિલાલ હરિભાઈ ટંડેલ – નાની દાંતીમુકેશભાઈ ડાહ્યાભાઈ પટેલ – બીગરી (મસ્કારા ફળિયા), ગણદેવીઆ ખલાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા પરિવારનો સંપર્ક કરી ભારત પરત આવવા માટે મદદ માંગી છે. એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા રજૂઆતહિન્દુ માછી સમાજના અગ્રણી બલવીરભાઈ રામભાઈ ટંડેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના માછીમારો પોતાની દક્ષતાને કારણે ઈરાનમાં ભાગીદારીમાં અથવા બોટ પર કામ કરે છે. હાલ અંદાજે 700 જેટલા ભારતીયો પરત આવવા મથામણ કરી રહ્યા છે. આ મામલે વિદેશ મંત્રી એસ. જયશંકર અને નવસારીના સાંસદ સી. આર. પાટીલ સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે. તેમજ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે પણ ચર્ચા કરી માછીમારોને વહેલી તકે સુરક્ષિત રીતે એરલિફ્ટ કરવા અથવા અન્ય માર્ગે પરત લાવવા વિનંતી કરવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગ્રામજનોને અરણીટીંબા ગામની સીમમાં લોહીલુહાણ હાલતમાં એક બાળકીનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ અજાણી મહિલાએ તાજી જન્મેલી બાળકીને ખુલ્લામાં ત્યજી દીધી હતી, જેના કારણે તે શ્વાનોનો શિકાર બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી બાળકીની ઓળખ કરવા અને તેની માતાને શોધી કાઢવા માટે વધુ કાર્યવાહી શરૂ કરી છે.
થરાદ-સાંચોર હાઈવે પર અકસ્માત, એક યુવકનું મોત:કાર-ઇકો અથડામણમાં અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત
થરાદ-સાંચોર હાઈવે પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં થરાદના એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણથી ચાર લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક મળતી માહિતી અનુસાર, એક કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર અથડામણ થતાં આ અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી તીવ્ર હતી કે તેમાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદથી ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન થરાદના યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણથી ચાર લોકોની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ભરૂચમાં નિરાધાર મહિલાને પતિ-નણંદે ઘરમાંથી કાઢી મૂકી:181 અભયમ ટીમે સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં એક પીડિત મહિલા સહાય માટે પહોંચી હતી. મહિલાને તાત્કાલિક સુરક્ષા અને આશ્રયની જરૂર હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ભવિષ્યમાં ઘરે પરત ન આવવાની પણ ધમકી આપવામાં આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેને રોજિંદા મજૂરી કામે મોકલવામાં આવતી હતી. તેની કમાણી પતિ અને નણંદ લઈ લેતા હતા. પૈસા આપવાનો ઇનકાર કરતાં તેની સાથે શારીરિક હિંસા કરવામાં આવતી હતી. ઉપરાંત, મહિલાને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો ન હતો. મહિલાને સંતાન નથી અને માતા-પિતાનો સહારો પણ ન હોવાથી તે સંપૂર્ણપણે નિરાધાર બની ગઈ હતી. મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો કે તેના પતિએ તેના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સળગાવી દીધા છે. આ કારણે તેની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બાકી રહ્યો નથી. હાલ તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન નથી. મહિલાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝઘડિયા પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. 181 અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સેલિંગ કર્યું અને તેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે હેન્ડઓવર કરી. ત્યાં તેના રહેવા તેમજ જરૂરી સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અમરેલી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો:આરોપી મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપાયો
અમરેલી તાલુકા પોલીસે કુકાવાવ રોડ પર આવેલ નારાયણ મીલની કોલોનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ અંગે ફરિયાદી રાહુલભાઈ ઇશ્વરપ્રસાદી કુસ્વાહા (રહે. નારાયણ મીલ કોલોની, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) એ ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતાના મકાનને તાળું મારી વતન ગયા હતા, તે દરમિયાન અજાણ્યા આરોપીએ તાળું તોડી સોના-ચાંદીના દાગીના સહિત આશરે રૂ. 1,51,500/- નો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાજુલા પીઆઇ ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. સઘન તપાસ અને પૂછપરછ બાદ પોલીસે અભિષેક ભરતસિંહ કુસ્વાહા (રહે. નારાયણ મીલ ક્વાર્ટર, અમરેલી; મૂળ વતન ફિરોજાબાદ, ઉત્તરપ્રદેશ) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 1,12,000/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં સોનાની ચેઇન (8 ગ્રામ, રૂ. 55,000), સોનાનો ટીકો (4 ગ્રામ, રૂ. 32,000), સોનાની વીંટી (રૂ. 15,500), ચાંદીની ગાય (રૂ. 2,000), ચાંદીનો કંદોરો (રૂ. 5,000), ચાંદીનો સિક્કો (રૂ. 1,000) અને સોનાટા કંપનીની ઘડિયાળ (રૂ. 1,500) નો સમાવેશ થાય છે. એસપી સંજય ખરાત દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન અને સૂચનાઓને કારણે અમરેલી તાલુકા પોલીસે આ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં અને આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પશુ ચોર ગેંગનો આતંક યથાવત હોય તેમ કોઠા અને મોખાસણ ગામની સીમમાંથી રાત્રિના અંધકારનો લાભ લઈ અજાણ્યા શખ્સો ચાર પશુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ મામલે કલોલ તાલુકા પોલીસે કુલ 40 હજારના પશુઓની ચોરીનો ગુનો વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ઘરની પાછળ વાડામાં સૂતા હતા ત્યારે ચોરી થઈકલોલ તાલુકાના કોઠા ગામે રહેતા અને પશુપાલન કરી ગુજરાન ચલાવતા કાનજીભાઈ બળદેવભાઈ રબારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 26 માર્ચ, 2026ના રોજ રાત્રિના સમયે તેઓ પોતાના ઘરની પાછળ આવેલા ખુલ્લા વાડામાં 45 જેટલી ગાયો દોહીને સૂઈ ગયા હતા. વહેલી સવારે ગાયો દોહવા ગયા ત્યારે ગાયો ગુમ હતીઆ દરમિયાન કોઈ પશુ ચોર ટોળકીએ વાડામાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો વાડામાં બાંધેલા પશુઓ પૈકી 30 હજારની કિંમતની એક લાલ રંગની દેશી ગાય અને એક કાળી શંકર ગાયની સાંકળ ખોલી ચોરી કરી ગયા હતા. વહેલી સવારે જ્યારે કાનજીભાઈ પશુઓ દોહવા માટે વાડામાં ગયા ત્યારે ગાયો ગુમ જણાતા તેમણે આસપાસના ખેતરોમાં શોધખોળ હાથ ધરી હતી. મોખાસણમાં પણ બે વાછરડી ચોરાઈત્યારે જાણવા મળ્યું હતું કે મોખાસણ ગામની સીમમાં રહેતા ગગાભાઈ માલુભાઈ ભરવાડની પણ 10 હજારની કિંમતની બે વાછરડીઓ ચોરાઈ છે. આમ તસ્કરોએ એક જ રાત્રિમાં બે અલગ અલગ પશુપાલકોને નિશાન બનાવી કુલ 40,000ની કિંમતના ચાર પશુઓની ચોરીને અંજામ આપતા કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ટેક્સટાઈલ સિટી સુરતમાં ફરી એકવાર આગની મોટી ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલા સિલ્વર ચોક નજીક એક ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગના ચોથા માળે આવેલા સાડીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખા માળને લપેટમાં લઈ લીધો હતો. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ચોથા માળે સાડીનો જથ્થો હોવાથી આગ ઝડપથી પ્રસરીપુણા ગામના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અર્જુન પાર્ક સોસાયટી આવેલી છે. આ સોસાયટીના એક બિલ્ડિંગના ચોથા માળે સાડીનું મોટું ગોડાઉન આવેલું છે. આજે અચાનક આ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોમાં ફાળ પડી હતી. સાડીઓમાં કાપડ અને કેમિકલયુક્ત મટીરિયલ હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળેઆગની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પુણા, વરાછા અને કાપોદ્રા સહિતના 5 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરે તે પહેલા કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અંદાજે એક કલાકની જહેમત બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું હતું. કરોડોનું નુકસાન, જાનહાનિ ટળીઆ દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન માલસામાનને થયું છે. ગોડાઉનમાં રાખેલો સાડીઓનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સીઝન હોવાને કારણે ગોડાઉનમાં મોટો સ્ટોક હતો, જેના કારણે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે, આગ લાગી ત્યારે ગોડાઉનમાં કોઈ હાજર ન હતું જેથી મોટી જાનહાનિ ટળી હતી. શોર્ટ સર્કિટની આશંકા, તપાસ તેજઆગ કયા કારણોસર લાગી તે હજુ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા 'કુલિંગ'ની પ્રક્રિયા ચાલુ છે અને આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસ કરવામાં આવશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલ્લો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી આ 2 દિવસ દરમિયાન 30થી 40 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ પણ સમગ્ર ગુજરાત ઉપર અસર કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણીઆગામી 7 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે. કોસ્ટલ દિશામાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશામાં પવન ફૂંકાશે. માછીમારો માટે હવામાન વિભાગે ચેતવણી આપી છે. આગામી 28 અને 29 માર્ચ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આજે સૌથી વધારે રાજકોટ 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદ 37.6 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગર 37 ડિગ્રી તાપમાન નોંધાયું. લઘુતમ તાપમાન સૌથી ઓછું કંડલામાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું. આ પણ વાંચો: 6 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા આગામી 29 અને 30 માર્ચ આ બે દિવસ યલો એલર્ટ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદમાં, મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે આવેલા સદભાવના ગ્રાઉન્ડમાં એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનના રહેવાસી 25 વર્ષીય વિષ્ણુ પ્રજાપતિ નામના યુવકે વડલા સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિષ્ણુ પ્રજાપતિ સોમનાથ વિસ્તારમાં આઈસ્ક્રીમની વેનમાં કામ કરતો હતો અને રોજગાર માટે અહીં રહેતો હતો. આ ઘટના સદભાવના ગ્રાઉન્ડ નજીક બનતા, તેની જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા યુવક જ્યાં નોકરી કરતો હતો તે આઈસ્ક્રીમ વેનના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછનો હેતુ આપઘાત પાછળના કારણો સુધી પહોંચવાનો છે. હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. જોકે, પોલીસ વ્યક્તિગત, આર્થિક કે અન્ય કોઈ કારણો જવાબદાર હોઈ શકે તેવી તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે. સોમનાથ જેવા ધાર્મિક અને પ્રવાસન સ્થળે બનેલી આ ઘટના લોકોમાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે જ હકીકત સામે આવશે તેવી અપેક્ષા છે.
રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક બિલ્ડર સાથે સાયબર ગઠિયાઓએ 76 લાખથી વધુની છેતરપિંડી કરી છે.ગઠિયાઓએ બિલ્ડરને સેબીનો લેટર મોકલીને રોકાણ કરવાથી વધુ નફો આપવાની લાલચ આપીને 76.85 લાખ રૂપિયા પડાવ્યા હતા.બિલ્ડરે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે. રોકાણની ટીપ્સ આપી હતીમેમનગરમાં રહેતા બિલ્ડર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ રહ્યા હતા ત્યારે શેર બજારની એડ જોઈને બિલ્ડરે લિંકમાં ક્લિક કરતા ગ્રુપમાં એડ થયા હતા.બિલ્ડરે ગ્રુપમાં શેરબજારના રોકાણને લગતી ટિપ્સ જોઈ હતી. બિલ્ડરને એક યુવતીનો મેસેજ આવ્યો હતો જેને પોતાની ઓળખ આદિત્ય બિરલા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે આપી હતી જે બાદ યુવતીએ બિલ્ડરને રોકાણ માટેની ટીપ્સ આપી જે રોકાણ કરવાથી બિલ્ડરને ફાયદો થતો હતો. નફો ઉપાડવા જતા સર્વિસ ચાર્જ ભરવા જણાવ્યુંબિલ્ડરને યુવતી પર વિશ્વાસ આવતા યુવતીની વાતોમાં આવીને વધુ નફો મેળવવા યુવતીના કહ્યા મુજબ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.આ એપ્લીકેશનમાં યુવતીના કહ્યા મુજબ ટુકડે ટુકડે 76.95 લાખ રૂપિયા ભર્યા હતા જેની સામે 8.86 કરોડ નફો બતાવતા હતા.બિલ્ડરે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે 15 ટકા સર્વિસ ચાર્જના નામે 1.32 કરોડ ભરવાનું જણાવ્યું હતું જેથી બિલ્ડરને શંકા જતા સાયબર ક્રાઇમમાં છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવી છે.
ખોટા બિલ રજૂ કરનાર વોન્ટેડ આરોપી ઝડપાયો:ગોચનાદ ખીલાસરી ચોરી કેસમાં દોઢ વર્ષ બાદ કાર્યવાહી
સમી પોલીસે ગોચનાદ ખાતે દોઢ વર્ષ પહેલાં થયેલી ખીલાસરી ચોરીના કેસમાં વોન્ટેડ આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી)ની ધરપકડ કરી છે. આ આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલને છોડાવવા માટે પોલીસ અને કોર્ટ સમક્ષ ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ઘટના સમી તાલુકાના ગોચનાદ ગામે રામદેવ હોટલ પાસે 25 જાન્યુઆરી, 2025 થી 27 જાન્યુઆરી, 2025 દરમિયાન બની હતી. પાંચ જેટલા શખ્સોએ કાવતરું રચીને એક ટ્રેલરમાં ભરેલી રૂ. 1,74,000ની કિંમતની 3490 કિલો ખીલાસરીની ચોરી કરી હતી. પાટણ એસ.ઓ.જી. પોલીસે 25 જાન્યુઆરી, 2025ના રોજ આ ખીલાસરીનો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે, આરોપીઓએ આ જથ્થો છોડાવવા માટે પોલીસ અને સમી કોર્ટ સમક્ષ ખીલાસરીના ખોટા બિલો રજૂ કર્યા હતા. આ ખોટા બિલોના આધારે કોર્ટમાં મુદ્દામાલ પરત મેળવવા અરજી કરીને તેને છોડાવી લેવાયો હતો. આ ગુનામાંથી છૂટી જવા અને આર્થિક લાભ મેળવવાના હેતુથી ખોટા બિલ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને કોર્ટ અને પોલીસ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે સમી પોલીસે 14 એપ્રિલ, 2025ના રોજ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, આ કેસમાં નાસતા ફરતા આરોપી રાવતારામ દુર્ગારામ જાટ (ચૌધરી), રહે. નોખડા, ગુરુઓં કા તલા, તા. નોખડા, જી. બાડમેરની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદમાં તેનું નામ સામેલ હતું. રાવતારામની ભૂમિકા એવી હતી કે, તેનો સાથી અમરતજી ઠાકોર તેની સાથે નોકરી કરતો હતો. અમરતજીએ રાવતારામને ખીલાસરીની જરૂર હોવાથી ટ્રેલરમાં ખીલાસરી ભરાય અને રાધનપુર જવાનું થાય ત્યારે જાણ કરવાનું કહ્યું હતું. 24 જાન્યુઆરી, 2025ના રોજ રાવતારામ બીજા ડ્રાઈવર અને ક્લીનર સાથે ભાવનગરથી રાધનપુર જવા નીકળ્યો હતો. 25 જાન્યુઆરી, 2025ના રોજ સમીથી રાધનપુર જતી વખતે અમરતજીએ ખીલાસરીને સમીના ગોચનાદ ગામ પાસેની રામદેવ હોટલ પાસે ઉતારવાનું કહ્યું હતું. ત્યાં તેમણે લગભગ ચાર ટન ખીલાસરી ઉતારી હતી, જ્યારે બાકીનો જથ્થો રાધનપુરમાં ઉતાર્યો હતો. પોલીસે આ જથ્થો પકડ્યા બાદ તેને કોર્ટમાંથી છોડાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરીને કોર્ટમાં રજૂ કરાયા હતા. જોકે, તપાસમાં તેમની પોલ ખુલ્લી પડી જતાં ગુનો નોંધાયો હતો અને આ નાસતો ફરતો આરોપી હવે ઝડપાઈ ગયો છે.
હિંમતનગરમાં ચૈત્ર નવરાત્રીનું સમાપન:હરસિદ્ધિ માતાજી મંદિરે માંડવી ઉત્થાપન સાથે પૂર્ણાહુતિ
હિંમતનગર શહેરના દેવીપૂજકનગર વિસ્તારમાં આવેલા હરસિદ્ધિ માતાજી મંદિરે નવ દિવસીય ચૈત્ર નવરાત્રીનું સમાપન થયું છે. નવરાત્રીના નવમા દિવસે શુક્રવારે રાત્રે શુભ મુહૂર્તમાં માંડવીનું વિધિવત્ ઉત્થાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરમાં પૂજન-અર્ચન સાથે માંડવી ઉત્થાપન વિધિ સંપન્ન થઈ હતી. ત્યારબાદ જવારાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તોએ ભક્તિભાવપૂર્વક માતાજીની આરતી ઉતારી હતી. નવ દિવસીય ચૈત્ર નવરાત્રી દરમિયાન મંદિરમાં ભજન-કીર્તન, આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.
શામળાજીના જંગલોમાં ભીષણ આગ:વનરાજી બળીને ખાખ, આગનું કારણ અકબંધ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના જંગલોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. હોળી પછીના સમયમાં અરવલ્લીના જંગલ વિસ્તારોમાં દર વર્ષે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે, ત્યારે આ ઘટના બની હતી. યાત્રાધામ શામળાજી અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. રાત્રી દરમિયાન અચાનક લાગેલી આ આગ શરૂઆતમાં ધુમાડા સ્વરૂપે દેખાઈ હતી, પરંતુ જોતજોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખા જંગલ વિસ્તારમાં પ્રસરી ગઈ હતી, જેના કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં બીજી વખત આગ લાગી છે.
વેરાવળમાં તંત્રની ઉદાસીનતા સામે જનાક્રોશ:વોર્ડ નં. 5માં શ્વાનોના આતંકથી રહીશો ભયભીત
વેરાવળ શહેરના વોર્ડ નંબર 5 માં રખડતા શ્વાનોનો આતંક વધ્યો છે. સ્થાનિક રહીશો રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરે છે. શ્વાનોના કરડવાના અનેક બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી. રહીશોનો આક્ષેપ છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને લોકોની સુરક્ષા પ્રત્યે બેદરકાર બન્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે શ્વાનોના ટોળા રસ્તાઓ પર દોડધામ મચાવે છે. જેના કારણે નોકરી પરથી પરત ફરતા લોકો, વૃદ્ધો અને બાળકો માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. કેટલાક પરિવારોએ તો પોતાના સભ્યોને રાત્રે બહાર ન નીકળવા ચેતવણી આપવી પડી છે. આ વિસ્તારમાં શ્વાનોના હુમલાથી અનેક લોકો ઘાયલ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ પરિસ્થિતિને કારણે વોર્ડ નં. 5ના રહીશોમાં ભય અને અસુરક્ષાની લાગણી પ્રવર્તી રહી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્રને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં લાવવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. હવે જોવું રહ્યું કે વેરાવળનું તંત્ર લોકોની આ વાજબી માંગણીને કેટલી ગંભીરતાથી લે છે.
વડોદરામાં નવચંડી મહાયજ્ઞ સંપન્ન:નવદુર્ગા પંચ યુવક મંડળે કર્યો સફળતાપૂર્વક આયોજન
વડોદરામાં ચૈત્રી સુદ નવમીના પવિત્ર અવસરે શ્રી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા પંચ યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માતાજીની આરાધના, હવન અને વિવિધ ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ હતી. આ મહાયજ્ઞ ન્યૂ વી.આઈ.પી. રોડ સ્થિત સુશીલ સોસાયટી, ગોપાલધામ સોસાયટી, શાસ્ત્રીનગર, યોગીનગર અને ચોપન ક્વાર્ટર્સ – આ પાંચ પોળના યુવાનોના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પાંચ પોળના યુવાનોને ગોહિલ વસંતભાઈ, મકવાના રાજુભાઈ અને માછી અરવિંદભાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ઉપસ્થિત સૌ ભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો.
ખેડા નેશનલ હાઇવે પર ભગુપુરા અન્ડરપાસ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક લોડિંગ ટ્રકે પૂરપાટ ઝડપે આવીને અન્ડરપાસમાંથી પસાર થઈ રહેલા આઇસર કન્ટેનરને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સામેથી આવી રહેલો એક બાઇક સવાર પણ તેની અડફેટે આવી ગયો હતો. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ ટ્રક અને આઇસર કન્ટેનરના ચાલકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં સાઈડના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી રહી છે. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થતા આગ લાગ્યાનું અનુમાનઅચાનક લાગેલી આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મારવાડી ફાયનાન્સ ઓફિસમાં બિલ્ડિંગમાં પેનલ બોર્ડમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગ દ્વારા આગનું ચોક્કસ કારણ જાણવા આગળની તપાસ હાથ ધરવામાં આવશે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યોમેજર કોલ જાહેર કરી 5 ફાયર ફાઈટરની મદદથી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. આગ લાગવાની જાણ થતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ આગ સંપૂર્ણ કાબુમાં છે અને કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના નારણપુરા જિલ્લાના સોલા રોડ પ્રખંડ દ્વારા રામનવમીના પાવન અવસર પર રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શુક્રવાર, 27 માર્ચ, 2026ના રોજ સોલા રોડ પ્રખંડમાં આવેલા ચિત્રકૂટ એપાર્ટમેન્ટ ખાતે યોજાયો હતો. આ રામોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ અપાયું હતું. ઉપસ્થિત સૌ લોકોએ સાથે મળીને સામૂહિક રામધૂન અને આરતી કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં રામોત્સવના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય સહમંત્રી અને સત્સંગ પ્રમુખ દાદા વૈદિકજી હાજર રહ્યા હતા. આ ઉપરાંત, નારણપુરા જિલ્લાના સહયોજિકા હેતલબેન, જયશ્રીબેન અને નીતાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપેન્દ્રભાઈ, પરાગભાઈ, જિમ્મીભાઈ અને ચિંતનભાઈ સહિત અન્ય અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
મોરબીના રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા કેન્સરની સારવાર પૂર્ણ થયા બાદ પ્રથમ વખત મોરબી પધાર્યા હતા. તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાથીની અંબાડી પર રેલી યોજાઈ હતી અને બાદમાં બાપાસીતારામ ચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે રાજકીય અને પોલીસના નામે દાદાગીરી કરનારાઓને કડક ચેતવણી આપી હતી. મંત્રી અમૃતિયાની કેન્સરની સફળ સારવાર પૂર્ણ થતાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. મોરબીના દરબારગઢથી બાપાસીતારામ ચોક સુધી તેમની રેલી યોજાઈ હતી, જેમાં તેમને હાથીની અંબાડી પર બેસાડવામાં આવ્યા હતા. મોરબીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્ય મંત્રી તરીકે તેઓ ફરીથી સક્રિય થયા છે. જાહેર સભાને સંબોધતા મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની શાંતિ અને સલામતી પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજકીય કે પોલીસના સંબંધોનો ઉપયોગ કરીને દાદાગીરી અને લુખ્ખાગીરી કરનારાઓને સાંખી લેવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કાંતિભાઈ અમૃતિયાની કેન્સરની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમના ટેકેદારો અને શહેર ભાજપની ટીમે જુદા જુદા મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ અને ખોખરા હનુમાન મંદિરે યજ્ઞનું આયોજન કર્યું હતું. આશીર્વાદ અને સમર્થન બદલ તેમણે પોતાના ટેકેદારો, ટીમ અને મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સભાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ પણ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, કાંતિભાઈની સારવાર દરમિયાન કેટલાક લોકો દ્વારા કુપ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ અનેક લોકોના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી તેઓ સ્વસ્થ થઈ ગયા છે. તેમણે પરોક્ષ રીતે વિરોધીઓ પર પણ પ્રહાર કર્યા હતા.
રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો:1 એપ્રિલથી સવારના સત્રમાં શરૂ થશે વર્ગો
રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે વધતી ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લા સહિત રાજ્યભરની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનો સમય બદલવામાં આવ્યો છે. આગામી 1લી એપ્રિલ, 2026 થી શાળાઓ સવારના સત્રમાં કાર્યરત રહેશે, જેથી બાળકોને બપોરની આકરી ગરમીનો સામનો ન કરવો પડે. આ નવા સમયપત્રક મુજબ, શાળાઓ સવારે 7:00 થી બપોરના 12:00 વાગ્યા સુધી ચાલશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) બી.ડી. વસાવાએ જણાવ્યું હતું કે, વધતી જતી ગરમીને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર ન થાય અને પીવાના પાણીની સમસ્યા જેવી સ્થિતિમાં રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 6ઠ્ઠી એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. પરીક્ષા દરમિયાન બાળકો શાંત અને ઠંડા વાતાવરણમાં પેપર લખી શકે તે માટે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) ના નિયમો અને બાળકોના હિતને સર્વોપરી ગણીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે વાતાવરણ ઠંડુ હોવાથી બાળકો અભ્યાસમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. શાળાના સમયમાં થયેલા આ ફેરફારને વાલીઓએ પણ આવકાર્યો છે. બપોરના સમયે ઊંચા તાપમાનને કારણે બાળકોને ઘરે પરત ફરતી વખતે લૂ લાગવાનો ભય રહેતો હતો, જે હવે સવારની શાળાઓને કારણે ઓછો થશે.
ગાંજો ઝડપાયો:કાઠડા ત્રણ રસ્તા પાસેથી 66 હજારના ગાંજા સાથે 1 પકડાયો
માંડવી-નલિયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા પાસેથી એસઓજીએ કારમાં રૂપિયા 66 હજારની કિંમતના 1.321 કિલો ગાંજાનો જથ્થો લઇને જતા માંડવીના આરોપીને ઝડપી લીધો હતો. એસઓજીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,માંડવીમાં રહેતો આરોપી સાગર શાંતિલાલ મોતીવરસ સફેદ કલરની કાર નંબર 7688 વાળીમાં ગાંજાનો જથ્થો લઇને શીતલા મંદિર વિસ્તારમાં હેરાફેરી કરે છે. બાતમીને આધારે પોલીસે વોચમાં રહેતા કાઠડા ત્રણ રસ્તા પાસે આરોપીની કાર દેખાઈ હતી.જેને કોર્ડન કરી ઝડપી લેવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની કારમાં તપાસ કરતા ખાલી સાઈડની સીટ નજીકથી કેસરી કલરની થેલીમાં રાખેલ રૂપિયા 66,050 ની કિંમતનો 1.321 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા મામલે પૂછપરછ કરતા પોતે પાંચેક દિવસ પહેલા ગાંધીધામથી અભિષેક કુમાર નામના વ્યક્તિ પાસેથી રૂપિયા 48 હજારમાં ૩ કિલો ગાંજાનો જથ્થો ખરીદી આવ્યો હતો અને બાકીનો જથ્થો પોતે છુટકમાં વેચાણ કરી દીધો હોવાની કબુલાત આપી હતી.પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
હીરા અને ટેક્સટાઈલ ઉદ્યોગમાં વિશ્વભરમાં ડંકો વગાડનાર સુરત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ અત્યારે ગંભીર સંકટના મોરચે આવીનું ઉભ રહ્યું છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની સીધી અસર સુરતના સોલાર ઉદ્યોગ પર પડી રહી છે. સુરતના ઉદ્યોગપતિઓ પાસે અત્યારે 25,000 કરોડના ઓર્ડર પેન્ડિંગ છે, પરંતુ યુદ્ધને કારણે બદલાયેલા વૈશ્વિક સમીકરણોએ આ ઓર્ડર પૂરા કરવા લોઢાના ચણા ચાવવા જેવું કામ બનાવી દીધું છે. દેશના કુલ ઉત્પાદનમાં 55% સુરતનો સિંહફાળો હિસ્સોભારતમાં સોલાર એનર્જી ક્ષેત્રે સુરત એક હબ તરીકે ઉભરી આવ્યું છે. સોલાર પેનલના અગ્રણી ઉદ્યોગપતિ ચેતન શેઠે જણાવ્યું હતું કે, ભારતમાં જેટલું પણ સોલાર મેન્યુફેક્ચરિંગ થાય છે, તેમાંથી 50 થી 55 ટકા જેટલું ઉત્પાદન માત્ર સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં થાય છે. આ આંકડો દર્શાવે છે કે જો સુરતના ઉદ્યોગને આંચકો લાગે તો તેની અસર આખા દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો પર પડી શકે છે. યુદ્ધને કારણે આ વિશાળ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી અત્યારે અનિશ્ચિતતાના વાદળો નીચે ઘેરાયેલી છે. સપ્લાય ચેઈન ખોરવાતા રો-મટીરિયલની અછતયુદ્ધની સૌથી મોટી અને તાત્કાલિક અસર સપ્લાય ચેઈન પર પડી છે. સોલાર પેનલ બનાવવા માટે જરૂરી મહત્તમ રો-મટીરિયલ ચીન, વિયેતનામ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગો પર જોખમ વધ્યું છે, જેના કારણે કાચા માલની આવક અનિયમિત થઈ ગઈ છે. ફેક્ટરીઓમાં કામ ચાલુ રાખવા માટે જરૂરી મટીરિયલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડી ગઈ છે. કન્ટેનરના ભાડામાં 400%નો તોતિંગ વધારોવૈશ્વિક અશાંતિને કારણે શિપિંગ ઉદ્યોગમાં ભાવવધારો આસમાને પહોંચ્યો છે. અગાઉ જે કન્ટેનરનું ભાડું 600 થી 900 ડોલરની આસપાસ રહેતું હતું, તે યુદ્ધના કારણે વધીને 3,500 થી 4,000 ડોલર સુધી પહોંચી ગયું છે. આ ચાર ગણા વધારાએ સુરતના મેન્યુફેક્ચરર્સની ગણતરીઓ ઊંધી પાડી દીધી છે. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં થયેલો આ અસાધારણ વધારો સોલાર પેનલની અંતિમ કિંમત પર સીધી અસર કરી રહ્યો છે. ડોલર સામે રૂપિયો ગગડતા ઉત્પાદન ખર્ચમાં વધારોઆંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતી અને રૂપિયાનું અવમૂલ્યન સુરતના ઉદ્યોગકારો માટે પડ્યા પર પાટુ સમાન સાબિત થયું છે. હાલમાં ડોલર 94-95 રૂપિયાની રેન્જમાં પહોંચી જતાં આયાત થતા રો-મટીરિયલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. 25,000 કરોડના ઓર્ડર અને 'ફિક્સ પ્રાઈસ'નો ફાંસોસુરતના સોલાર ઉદ્યોગ પાસે હાલમાં 25,000 કરોડના ઓર્ડર છે જે આગામી ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ કરવાના છે. સૌથી મોટી મુસીબત એ છે કે આ ઓર્ડર 'ફિક્સ પ્રાઈસ' એટલે કે અગાઉ નક્કી કરેલા ભાવે લેવામાં આવ્યા છે. હવે કાચા માલ અને ટ્રાન્સપોર્ટના ભાવ વધવા છતાં, ગ્રાહકો જૂના ભાવે જ માલ માંગશે. આ પરિસ્થિતિમાં ઉત્પાદકોએ પોતાની ખિસ્સામાંથી નુકસાન ભોગવીને ઓર્ડર પૂરા કરવા પડશે. નફાને બદલે 20% નુકસાન વેઠવાની નોબતઉદ્યોગપતિઓના મતે, વર્તમાન પરિસ્થિતિમાં દરેક ઓર્ડર પર અંદાજે 20 ટકા જેટલી વધારાની પડતર બેસી રહી છે. લાખો-કરોડોના ઓર્ડરમાં આ 20 ટકાનો બોજો ઉદ્યોગકારોની કમર તોડી નાખે તેવો છે. જે પ્રોજેક્ટમાં નફો થવાની આશા હતી, તેમાં હવે મૂડી બચાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. સુરતના નાના અને મધ્યમ કદના સોલાર એકમો માટે આ અસ્તિત્વની લડાઈ સમાન બની ગયું છે. એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડોસુરત માત્ર દેશમાં જ નહીં, પણ મિડલ ઈસ્ટ, આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ સોલાર પેનલ્સ એક્સપોર્ટ કરે છે. યુદ્ધની સ્થિતિ પશ્ચિમી દેશોમાં વધુ ગંભીર હોવાથી ત્યાંની શિપિંગ લાઈન્સ અવેલેબલ નથી. જે શિપિંગ લાઈન્સ ચાલુ છે તે ખૂબ જ લેટ ચાલી રહી છે. ઉંચા શિપિંગ રેટને કારણે વિદેશી ગ્રાહકોને માલ મોકલવો હવે પરવડે તેમ નથી, જેના કારણે એક્સપોર્ટ ઓર્ડરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જૂનથી સપ્ટેમ્બર મહિનાના નવા ઓર્ડર પર 'બ્રેક'આગામી જૂનથી સપ્ટેમ્બર મહિનાના ગાળા માટે અત્યારથી જ ચિંતા ફેલાઈ ગઈ છે. ભાવ એટલા બધા વધી ગયા છે કે કોઈ પણ નવો ઓર્ડર ક્લોઝ થઈ રહ્યો નથી. ગ્રાહકો ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ઉત્પાદકો ઉંચા ભાવ વગર ઓર્ડર લેવા તૈયાર નથી. જો આ સ્થિતિ લાંબી ચાલશે તો આગામી ચાર મહિનામાં સુરતની ફેક્ટરીઓ કેટલા ટકા ચાલશે અને શ્રમિકોને કામ મળશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. સુરતના અર્થતંત્ર પર મોટું જોખમજો સોલાર ઉદ્યોગમાં આ મંદી લાંબી ચાલશે, તો તેની અસર સુરતના એકંદર અર્થતંત્ર પર જોવા મળશે. હજારો પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે આ વૈશ્વિક કટોકટીમાં તેમને કોઈ રાહત મળે અથવા ઇમ્પોર્ટ ડ્યુટી જેવા વિષયો પર વિચારણા કરવામાં આવે. હાલમાં તો દરેકની નજર યુદ્ધના મેદાન પર છે, કારણ કે ત્યાં શાંતિ સ્થપાશે તો જ સુરતના કારખાનાઓમાં 'સોલાર' ચમક પાછી આવશે.
અમદાવાદ માત્ર વેપારનું શહેર નથી રહ્યું, પરંતુ લક્ઝુરીયસ લાઇફસ્ટાઇલનું નવું હબ બની રહ્યું છે. શહેરમાં ઊંચી ઇમારતો સાથે સાથે મોંઘી અને પ્રીમિયમ ગાડીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. કોરોના બાદ લોકોના માઇન્ડસેટમાં બદલાવ આવ્યો છે, જ્યાં બચત કરતા લાઇફસ્ટાઇલ પર ખર્ચ કરવાની વૃત્તિ વધી છે. માત્ર એક વર્ષમાં જ 50 લાખથી વધુ કિંમતની 1400થી વધુ ગાડીઓનું રજિસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. જે દેશ અને વિદેશમાંથી લાવીને લોકો અમદાવાદના રસ્તાઓ પર દોડાવી રહ્યા છે, જ્યારે ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ હવે ઝડપથી બદલાતું અને સમૃદ્ધિ તરફ આગળ વધતું શહેર બની રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં લક્ઝુરીયસ ઊંચી ઊંચી બિલ્ડિંગ બની રહી છે. અમદાવાદીઓ હવે લક્ઝુરીયસ લાઇફ જીવી રહ્યા છે. એક સમય હતો જ્યારે કાર ખરીદવી માત્ર જરૂરિયાત હતી, પરંતુ હવે લક્ઝુરીયસ કાર ખરીદવી સ્ટેટસ બની ગયું છે. શહેરના રસ્તાઓ પર પ્રીમિયમ ગાડીઓની સંખ્યા સતત વધી રહી છે. કોરોના બાદ અમદાવાદીઓની લાઇફસ્ટાઇલ બદલાઈકોરોના કાળ પછી લોકોનો માઇન્ડસેટ બદલાઈ રહ્યો છે. પૈસા બચાવવાની જગ્યાએ અમદાવાદીઓ લક્ઝુરીયસ લાઇફ સ્ટાઇલ જીવી રહ્યા છે. કોરોના બાદ આ ટ્રેન્ડમાં ખૂબ જ વધારો થયો છે. પહેલા જ્યાં લોકો બચત અને રોકાણ પર વધુ ભાર મૂકતા હતા, હવે તે લોકો પોતાની કમાણીનો એક ભાગ લક્ઝુરીયસ લાઇફ જીવવા પર ખર્ચ કરવા લાગ્યા છે. કરોડો રૂપિયાના ફ્લેટ અમદાવાદમાં બની રહ્યા છે અને તેનું વેચાણ પણ એટલું જ થઈ રહ્યું છે. તો બીજી તરફ લક્ઝુરીયસ લાઇફ હવે જરૂરિયાત પૂરતી નથી રહી, તે એક સ્ટેટસ સિમ્બોલ અને કમ્ફર્ટનો ભાગ બની ગઈ છે. પહેલા ગાડી ખરીદતા સમયે અમદાવાદીઓ વિચાર કરતા હતા, પરંતુ હવે 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ખરીદી સતત વધી રહી છે. 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છેઅમદાવાદમાં રિયલ એસ્ટેટ અને બિઝનેસ ક્ષેત્રમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોની આવકમાં વધારો થયો છે. સાથે જ સોશિયલ મીડિયા અને શો ઓફ કલ્ચરે પણ લોકોને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ જીવવા તરફ દોરી દીધા છે. જેથી 50 લાખથી વધુની કિંમતની ગાડીઓની ડિમાન્ડ સતત વધી રહી છે. ઘણી એવી ગાડીઓ છે કે જે ગુજરાત અને ઈન્ડિયામાં મળી શકતી નથી. અમદાવાદીઓએ એક વર્ષમાં 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદીમાત્ર એક વર્ષમાં જ અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 1463 ગાડીઓ ખરીદી છે. આ તમામ ગાડીઓ દેશ અને વિદેશમાંથી લાવવામાં આવી છે, જેનું રજીસ્ટ્રેશન અમદાવાદમાં થયું છે. BMWની 577 કાર ખરીદીપેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના કારણે ઇલેક્ટ્રિક ગાડીઓ બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જેથી દરેક કંપની ઇલેક્ટ્રિક ગાડીઓમાં પણ લક્ઝુરીયસ સુવિધાઓ આપી રહી છે. જેના કારણે મોંઘી ઇલેક્ટ્રિક ગાડીઓ પણ અમદાવાદના રસ્તાઓ પર દોડતી જોવા મળી રહી છે. એક આંકડા પ્રમાણે 50 લાખથી વધુ કિંમતની કારમાં BMW સૌથી આગળ છે. એક જ વર્ષમાં અમદાવાદીઓએ 50 લાખથી વધુની કિંમતની 577 જેટલી BMW કંપનીની કાર ખરીદી છે, જેમાં મોટા ભાગની ગાડીઓ વિદેશમાંથી લાવવામાં આવી છે. ‘BYD ગાડીનું ઇન્ટિરિયર યંગસ્ટર્સને આકર્ષે છે’BYD કંપનીના ગુજરાતના ડિસ્ટ્રીબ્યુટર નિહલ દવેએ જણાવ્યું હતું કે, BYD માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ જ બનાવે છે. જે ઇલેક્ટ્રિક સાથે સાથે લક્ઝુરીયસ સેગમેન્ટ પણ પૂરું પાડે છે. તેમજ સરકાર પણ ઇલેક્ટ્રિક ગાડીઓને પ્રમોટ કરી રહી છે. તેમજ BYDની ગાડીઓમાં સૌથી સેફ બેટરી હોવાથી લોકો તેની ખરીદી વધારે કરી રહ્યા છે. ગમે તેટલી ગરમીમાં પણ બેટરી ફૂલતી નથી. BYDની તમામ ગાડીઓ ચાઇનામાં બને છે. જે બાદ ચેન્નઈના પોર્ટ પર ઉતરે છે અને તે બાદ ગુજરાતમાં લવાય છે. રજિસ્ટ્રેશનથી લઈને તમામ પ્રોસેસ અમારા પાસે જ થાય છે. તેમજ ગાડીમાં રોટેડેડ સ્ક્રીન, એટ્રેક્ટિવ ઇન્ટિરિયર આપવામાં આવે છે. અત્યારે યંગસ્ટરને એટ્રેક્ટિવ ઇન્ટિરિયર વધારે પસંદ આવતું હોય છે. ગુજરાતનો ઇકોનોમિકલ ગ્રોથ વધી રહ્યો છે. માણસ હવે એવું સમજે છે કે જે આપડે કમાઈએ છીએ તે આપડે વાપરીએ. જેથી હવે લોકો લક્ઝુરીયસ સેગમેન્ટમાં વધારે રસ રાખી રહ્યા છે. તેમજ એટ્રેક્ટિવ હોવાથી લોકો હવે લક્ઝુરીયસ ગાડીઓની ખરીદી વધુ કરી રહ્યા છે.
પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર દ્વારા આ વર્ષે નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓને કેવી આસ્થા છે અને કેવી વ્યવસ્થા છે? તે અંગેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો. આખા મહિના દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અંદાજે 22,700 ડગલાંની 21 કિમીની નર્મદા પરિક્રમા કરે છે. નર્મદા જિલ્લાના રામપુરાથી પરિક્રમાનો આરંભ થાય છે. આ વર્ષે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયુંપવિત્ર યાત્રાધામ દ્વારા આ વર્ષે પરિક્રમાવાસીઓ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. ઓનલાઇન રજિસ્ટ્રેશન થકી જ પરિક્રમાવાસીઓને આગળ જવા દેવામાં આવે છે. રાજપીપળાથી રામપુરાના માર્ગ ઉપર જઈએ તો ત્યાં જ પોલીસ રોકશે અને ત્યાં રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવે છે. બાદમાં જ પરિક્રમા માટે રામપુરા પહોંચી શકાય છે. ઉત્તરવાહીની પરિક્રમાનું માહાત્મ્યનર્મદા નદી સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે, પરંતુ નર્મદાના સમગ્ર પટમાં અમુક જ સ્થાનો એવા છે જ્યાં નદી દક્ષિણથી ઉત્તર તરફ વહે છે. નર્મદાના આ સ્વરૂપને ઉત્તરવાહિની નર્મદા કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના તિલકવાડા અને રાજપીપળા નજીક રામપુરા પાસે નર્મદા નદી ઉત્તર તરફ વળતી હોવાથી આ 21 કિલોમીટરના પટમાં પરિક્રમા કરવાનું વિશેષ પુણ્ય માનવામાં આવે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં આ પરિક્રમાનું મહત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆતનર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ખાતેથી પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે. ત્યાંથી માંગરોળ, તપોવન આશ્રમ અને ગોપાલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ પરિક્રમા આગળ ધપે છે. ગોપાલેશ્વર મંદિરથી સીતારામ મંદિર અને ત્યારબાદ નર્મદા નદીના પટમાં ચાલવાનું હોય છે. નર્મદા નદીને પાર કરી તિલકવાડા ખાતે પહોંચી શકાય છે. પરિક્રમા સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુંનર્મદા પરિક્રમાના માર્ગ ઉપર સ્વચ્છતાને વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. દર 50 મીટરના અંતરે કચરા પેટીઓ મૂકવામાં આવી છે. નદીમાં પ્લાસ્ટિક કચરો ન નાખવો તે અંગેના બોર્ડ ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. માર્ગ ઉપર મુકાયેલી કચરાપેટીઓ પરિક્રમાવાસીઓને જ્યાં ને ત્યાં કચરો ન નાખવા માટે પ્રેરે છે. સ્થાનિક સખી મંડળોને રોજગારીનર્મદા પરિક્રમાના મધ્ય પડાવ સમાન સીતારામ બાદ જ્યાંથી નર્મદા નદી પગદંડી મારફતે પાર કરવાની છે, ત્યાં સ્થાનિક સખી મંડળની બહેનોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપવામાં આવ્યા છે. અહીં આ બહેનો દ્વારા ચા- નાસ્તાના સ્ટોલ કરવામાં આવ્યા છે. લોકોને વ્યાજબી ભાવે અહીંથી ચીજવસ્તુઓ મળે છે. સખી મંડળના સંગીતા બહેને જણાવ્યું હતું કે, અહીં સરકારે અમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી આપ્યા છે. અમે અહીં સખી મંડળની બહેનો રોજી-રોટી કમાઈએ છે. અમે નજીવી કિંમતે ચીજ-વસ્તુઓનું વેચાણ કરીએ છે. પગદંડી વાળા માર્ગે સુરક્ષા વ્યવસ્થાજ્યાંથી પગદંડી મારફતે નર્મદા નદી પાર કરવાની હોય છે, ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પગદંડી ઉપર બંને તરફ નેટ લગાવવામાં આવી છે. પરિક્રમા કરતા લોકો તેના ઉપરથી સહેલાઈથી પસાર થઈ શકે તેવી પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. માર્ગ ઉપર સેવાની ધૂણીપરિક્રમાના માર્ગ ઉપર આસપાસના ગામના લોકો દ્વારા સેવાની ધૂણી ધખાવવામાં આવી રહી છે. આખી રાત લોકો દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થાનિક લોકો શ્રદ્ધાળુઓની ખૂબ સેવા કરે છે. કેટલાક સ્થળોએ નાસ્તો તો કેટલાક સ્થળોએ સંપૂર્ણ ભોજનની પણ વ્યવસ્થા છે. ગ્રામજનો દ્વારા કોઈ પણ અપેક્ષા વગર સેવાની ધૂણી ધખાવવામાં આવી છે. મણિનાગેશ્વર મંદિર સુધી અને બાદનો માર્ગ પરિક્રમામાં રોમાંચ પૂરે છેતિલકવાડા નજીક પહોંચ્યા બાદ મણિનાગેશ્વર મંદિર આવે છે, જ્યાં દર્શન કર્યા બાદ આસપાસ ખેતરોની વચ્ચેથી પગદંડી પરિક્રમા માર્ગમાં રોમાંચ પૂરે છે. પરિક્રમા કરનારા લોકો માટે આ માર્ગ ઉપર અદ્ભુત અનુભૂતિ કરે છે. અહીં પરિક્રમાવાસીઓ માટે લાઇટિંગની પણ સારી સુવિધા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને અહીં અગવડતા નથી પડતી. શ્રદ્ધાળુઓ માટે આરામ માટેની પણ વ્યવસ્થાશ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં બેસવા તેમજ સૂવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાટલા અને તેના ઉપર ગાદલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ અહીં આરામ કરી શકે છે. અહીં માત્ર ગુજરાત જ નહી, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે, જેઓ અહીંની વ્યવસ્થાની સરાહના કરી રહ્યા છે. પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુએ અહીંની વ્યવસ્થા અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. પરિક્રમા દરમિયાન લોકોએ ગરબાની મજા લીધીપરિક્રમાના માર્ગ ઉપર સાઉન્ડ સિસ્ટમ ઉપર સતત નર્મદાષ્ટકમ અને ધાર્મિક ગીતો વગાડવામાં આવી રહ્યા છે. આ સિસ્ટમ ઉપર ગરબા વગાડતા સાથે જ શ્રદ્ધાળુએ ત્યાં જ ગરબાની શરૂઆત કરી દીધી હતી. ગુજરાતીઓની ઓળખ એવા ગરબા પરિક્રમામાં પણ જોવા મળ્યા હતા. પરિક્રમા પૂર્ણ કરતા પાંચથી સાત કલાકનો સમય લાગે નર્મદા પરિક્રમા પૂર્ણ કરતા અંદાજે પાંચથી સાત કલાકનો સમય લાગે છે. એક સ્વસ્થ વ્યક્તિ આ પરિક્રમા 5 કલાકમાં પૂર્ણ કરી શકે છે અને વૃદ્ધ વ્યક્તિને પરિક્રમા પૂર્ણ કરતા સાત કલાક જેટલો સમય લાગે છે. સામાન્ય દિવસોમાં બોટમાં ભીડ નથી હોતી, પરંતુ રજાના દિવસોમાં બોટમાં બેસવા કતારમાં રહેવું પડે છે. બોટમાં લાઇફ જેકેટની વ્યવસ્થાઆ વખતે નર્મદા પરિક્રમા માટે નદી પાર કરી રામપુરા પરત પહોંચવા માટે વિશેષ બોટ મંગાવવામાં આવી છે. આ બોટમાં તમામ લોકો માટે લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. 50 રૂપિયા ખર્ચીને બોટમાં બેસવું પડે છે અને લાઇફ જેકેટ વગર બોટમાં બેસવા દેવામાં આવતા નથી. રામપુરા ખાતે આ પરિક્રમા પૂર્ણ થાય છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
માનસ મુકુરાષ્ટક રામકથાનો 7મો દિવસ:જગત કલ્યાણ અને મંગલકાર્યો માટે પ્રભુ રામે જન્મ લીધો
માધાપરમાં મોરારીબાપુના વ્યાસપીઠે અને યજમાન ધીરેન મનજી દબાસિયા પરિવાર દ્વારા ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથાની ભક્તિગંગામાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો લાભ લે છે. કથાના સાતમા દિવસે બાપુએ માધાપર અને કચ્છની ભૂમિની સરાહના કરતા જણાવ્યું હતું કે માધાપર ગામમાં ભક્તિની ગંગા વહે છે. કચ્છડો લીલુંછમ અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખજો. જ્યાં પણ પશુ બલી થતી હોય એમાંથી બહાર આવજો. સાથે ઉમેર્યું કે અમુક પ્રકારનું ખોરાક ભોજન ન કરવું તેમજ અમુક પ્રકારનું પીણું પણ ન પીવું જોઈએ. માતૃભાષા અને પરિવારનું જતન કરજો. ધ્રુવ જેવું વિશ્વાસ રાખશો તો ક્યારેય મન પણ ભટકશે નહીં. સનાતન ધર્મની અવગણના કરે એવા લોકોથી દૂર રહેવું. જગતના કલ્યાણ માટે અને એમના મંગલ કાર્યો માટે ભગવાન શ્રીરામે જન્મ લીધું છે. ભગવાન રામ આદિ અનાદી છે. વિશિષ્ઠ મુનીએ ચારે રાજકુમારોનું નામકરણ કરી મંગલકામના કરી હતી. લોકો ભક્તિભાવમાં તરબોળ થયા હતા. કથામાં જયશ્રી માતાજી, જયદેવ ગોસાઈ, જગદીશ ત્રિવેદી, બાબુભાઈ આહિર, કાનજી સેજપાલ, શિવરામભાઈ, દિનેશ સાધુ, દાદુભા ચોહાણ વગેરે સંતો, મહંતો હાજર રહ્યા અને રામ નામની ભક્તિમાં લીન બન્યા હતા. સમગ્ર માધાપર રામમય બન્યું હતું. રામકથામાં મોરારીબાપુએ જીવન ઉપયોગી વિવિધ ધાર્મિક તેમજ પ્રાસંગિક ઉપદેશો ભાવિકોને આપ્યા હતા. જેને શ્રોતાઓએ ભાવપૂર્વક ગ્રહણ કર્યા હતા. ‘40 વર્ષ પહેલાની રામકથાનું હું પાકેલું ફળ’ : સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી રામનવમીના માધાપર આર્ષ અધ્યયન કેન્દ્રની રામકથાકાર મોરારીબાપુએ મુલાકાત લીધી હતી. અધ્યક્ષ સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ વિનમ્રતા અને આદર સાથે બાપુનું અભિવાદન કર્યું હતું. આ મુલાકાત માત્ર એક શિષ્ટાચાર ન બની રહેતા જ્ઞાન અને ભક્તિના સંગમ સમાન સાબિત થઈ હતી. ભૂતકાળના સ્મરણો વાગોળતા સ્વામીજીએ હૃદયસ્પર્શી વાત કરી કે, તેઓ 40 વર્ષ પહેલાં મોરારીબાપુની સાંભળેલી રામકથાનું પાકેલું ફળ છે. તેમણે જણાવ્યું કે, દાયકાઓ પૂર્વે બાપુની વાણીમાં વહેતી રામકથાના શ્રવણથી જ તેમના જીવનમાં વૈરાગ્ય અને અધ્યાત્મના બીજ રોપાયા હતા. એક યુવાન શ્રોતા તરીકે કથા સાંભળ્યા બાદ તેમની જીવનયાત્રા બદલાઈ હતી, જે આજે તેમને એક સમર્થ સંત તરીકે સ્થાપિત કરી શકી છે. મોરારીબાપુનું દક્ષિણામૂર્તિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કિરણભાઈ ગણાત્રા, ગુલાબભાઇ ગજ્જર અને વેલજીભાઇ આહીરેઅભિવાદન કર્યું હતું. આ વેળાએ ગણેશનગરના સીતારામ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. ભુજોડીમાં મોરારી બાપુએ રામદેવપીર મંદિરે દર્શન કર્યા ભુજોડી ગામે રામનવમીના મોરારી બાપુ રામદેવપીર મંદિરે પધારીને ભગવાન રામદેવપીરના દર્શન કરી ભક્તોજનોને આશીર્વાદ આપ્યા હતા. બાપુ રામદેવપીર પાટ ઉત્સવે વિશેષ મુલાકાતે આવ્યા હતા, જેના કારણે સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. મોરારી બાપુ ભુજોડી ગામને પહેલાથી ઓળખે છે અને અહીંની પરંપરાગત કળા, હસ્તકલા, શાલ, કાપડ, અન્ય ઉત્પાદનો અંગે સારી જાણકારી છે. જેને તેઓ હંમેશા પ્રોત્સાહન આપતા રહ્યા છે. આ પ્રસંગે મંદિરના પૂજારી અરજણ ગાંગાજી ગરવા મારાજ દ્વારા ધાર્મિક વિધિ અને પૂજન કરાયું હતું. સરપંચ શિવજી આલા મંગારિયા દ્વારા બાપુનું સ્વાગત અને સંબોધન કરાયું હતું. વિશ્રામ વાલજી સીજુ, વેલા રાજા મંગારિયા, વિરજી આલા મંગારિયા, દેવજી વાલજી સીજુ, રાજા સુમાર ભાટિયા તથા સુમાર કારા મંગારિયા દ્વારા ગામની તરફથી ભુજોડીની પરંપરાગત ઓર્ગેનિક કાલા કોટનમાંથી હાથથી બનાવાયેલું કુર્તા બાપુને સન્માનરૂપે ભેટ અપાયું હતું, જે ભુજોડીની જૂની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક છે.
ખેતીવાડી ખાતા દ્વારા વર્ષ 2026-27 માટે ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તા. 27 માર્ચથી 26 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો પોર્ટલ પર જઈને પોતાની અરજી કરી શકશે. આ યોજનાઓ હેઠળ કુલ 42 જેટલા વિવિધ ઘટકો માટે સહાય આપવામાં આવશે. જેમાં કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પાવર ટીલર, પમ્પ સેટ, પાક સંરક્ષણ સાધનો, તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ માટે ગોડાઉન, માલ વાહક વાહન તેમજ સ્માર્ટફોન ખરીદી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ તમામ સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અરજી કરતા પહેલાં ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના આધારકાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર મળતા OTP દ્વારા અથવા બાયોમેટ્રિક પદ્ધતિથી આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અગાઉથી નોંધાયેલા તેમજ નવા બંને પ્રકારના ખેડૂતો માટે આ પ્રક્રિયા જરૂરી છે. આ યોજનાઓથી ખેડૂતોને આધુનિક ખેતી સાધનો સબસિડી દરે ઉપલબ્ધ થશે, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો થશે અને ઉત્પાદન ક્ષમતા વધશે. સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ જેવી સુવિધાઓથી વીજળી અને પાણીની સમસ્યામાં રાહત મળશે. ગોડાઉન અને સંગ્રહ સુવિધાઓથી પાકનું નુકસાન ઓછું થશે અને યોગ્ય ભાવ મળવાની શક્યતા વધશે.
વહીવટી માળખામાં મહત્વનો ફેરફાર થયો:કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે IAS રાજકુમાર બેનીવાલની નિમણૂક
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી માળખામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. વિવિધ અધિકારીઓને જિલ્લામાં પ્રભારી સચિવને નિમણુક આપવામાં આવી છે. જેમાં કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ IAS અધિકારી રાજકુમાર બેનીવાલની વરણી કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલ હાલમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની લિમિટેડ ભરૂચ ખાતે વહીવટી નિયામક (MD) તરીકે કાર્યરત છે. સરકારના આ નવા આદેશ બાદ હવે તેઓ પોતાની વર્તમાન જવાબદારીઓની સાથે કચ્છ જિલ્લાના વિકાસ કાર્યો, સરકારી યોજનાઓનું અમલીકરણ અને વહીવટી સંકલનની દેખરેખ રાખશે. કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને વ્યૂહાત્મક મહત્વ ધરાવતા જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે અનુભવી અધિકારીની નિમણૂકથી વહીવટી પ્રક્રિયામાં વધુ વેગ આવવાની શક્યતા છે. ખાસ કરીને ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રે તેમનો બહોળો અનુભવ કચ્છના વિકાસ માટે પથદર્શક સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વહીવટી કારણોસર અને જિલ્લાઓમાં કામગીરીના સુદ્રઢીકરણ માટે કુલ 15 જેટલા જિલ્લાઓના પ્રભારી સચિવોની બદલી અથવા નવી નિમણૂક કરવામાં આવી છે. રાજકુમાર બેનીવાલએ ડિસેમ્બર 2010 થી સપ્ટેમ્બર 2012 દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી હતી. તેમના સમયમાં કચ્છમાં પંચાયતી રાજના માળખાને મજબૂત કરવા અને ગ્રામીણ વિકાસની યોજનાઓના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પ્રજાના પૈસાનો વેડફાટ:શહેરમાં ગત ચોમાસે વરસાદી પાણી વહન માટેની કેનાલ બની ગઈ ખુલ્લી ડ્રેનેજ સિસ્ટમ
શહેરમાં માળખાકીય સુવિધાઓ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો હેતુ લોકોને સગવડતા પૂરી પાડવાનો હોય છે, પરંતુ યોગ્ય આયોજન અને અમલના અભાવે કેટલીક યોજનાઓ લોકો માટે અગવડરૂપ બની જાય છે. આવી જ એક નિષ્ફળ યોજનાનો દાખલો મંગલમ ચાર રસ્તા વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલ આજે ગંદા પાણીના સ્ટોરેજનું કેન્દ્ર બની ગઈ છે. કૈલાશનગરથી મંગલમ સર્કલ સુધી અંદાજે 50 લાખથી વધુના ખર્ચે બનેલી સિમેન્ટ કેનાલનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન વરસાદી પાણી સરળતાથી હમીરસર સુધી પહોંચાડવાનો હતો. પરંતુ હકીકતમાં આ કેનાલ પાણી વહન કરવામાં નિષ્ફળ રહી છે. તેના બદલે તેમાં સતત ગંદા પાણી ભરાયેલા રહે છે, જેનાથી આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સંસ્કારનગર અને પડદાપીઠ વિસ્તારમાંથી આવતા ડ્રેનેજ કનેક્શન તેમજ મંગલમ પાસેની મુખ્ય ગટર લાઇનમાં લીકેજ હોવાને કારણે આ કેનાલ ગંદા પાણીના જળાશયમાં ફેરવાઈ ગઈ છે. મચ્છર અને રોગચાળાનો ભય પણ વધ્યો છે. ઉપરાંત, રઘુવંશી સર્કલ તરફથી આવતાં વહેણને અવરોધ વિના પસાર કરવા માટે એક કરોડથી વધુના ખર્ચે નવા પ્રોજેક્ટની વિચારણા કરાઈ હતી. ગત ચોમાસા બાદ લાખો રૂપિયાનો ખર્ચ કરીને કામ પણ કરાયું, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી. સ્થાનિક રહેવાસીઓ આ સમસ્યાથી પરેશાન થઈ અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. હવે લોકો મુખ્ય અધિકારી પાસેથી આ નિષ્ફળ પ્રોજેક્ટ અંગે તાત્કાલિક અને અસરકારક નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી શહેરમાં સચોટ અને કાર્યક્ષમ વિકાસના દાવા હકીકતમાં સાબિત થઈ શકે.
કચ્છના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટી રાહત:હવે ખેડૂતોની જેમ MSME અને ઉદ્યોગોને પણ મળશે ડિઝલનો જથ્થો
પશ્ચિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસરોને કારણે ઈંધણના પુરવઠા પર અસર પડી છે. આ સ્થિતિમાં પેટ્રોલ-ડિઝલની અછત ન સર્જાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તાજેતરમાં ખેડૂતોને 200 લિટર ડિઝલ આપવાની જોગવાઈ બાદ, હવે ઉદ્યોગો માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતને પગલે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, રાજ્યમાં કાર્યરત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ ડિઝલનો જથ્થો ફાળવવામાં આવશે. આ ફાળવણી માટે સરકાર દ્વારા શરતો પણ જારી કરાઈ છે. જેમાં જે તે કંપનીના છેલ્લા છ માસના સરેરાશ ડિઝલ વપરાશને ધ્યાનમાં લેવામાં આવશે. છ માસ પૂર્વે અને હાલની સાધનો તથા કામદારોની સંખ્યાના આધારે જરૂરિયાત નક્કી કરાશે. જે ભારે મશીનરી કે સાધનો પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ નથી, તેમને સ્થળ પર ડિઝલ પહોંચાડવા માટે ખાસ વ્યવસ્થા અને મંજૂરી આપવામાં આવશે.જે એકમો પાસે પોતાના પર્સનલ ‘કન્ઝ્યુમર ડિઝલ પંપ’ નથી, તેઓ હવે રિટેલ પેટ્રોલ પંપ પરથી ડિઝલની ખરીદી કરી શકશે. સરકારના આ નિર્ણય અંગે તમામ જિલ્લા કલેક્ટર, જિલ્લા પુરવઠા અધિકારીઓ તેમજ IOCL, BPCL, HPCL, Jio-BP અને નાયરા જેવી ખાનગી કંપનીઓના સ્ટેટ હેડ અને ઝોનલ હેડને જાણ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી કચ્છના અર્થતંત્રને વેગ મળશેકચ્છમાં MSME, મોટા ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો મોટી સંખ્યામાં આવેલા છે. સરકાર દ્વારા સૌ પ્રથમ સંગ્રહખોરી રોકવા માટે બેરલમાં ઇંધણ આપવાની મનાઈ ફરવામાં આવી હતી. જેથી કચ્છના MSME અને અન્ય ઉદ્યોગો પર ડિઝલની કટોકટીનું જોખમ તોળાઈ રહ્યું હતું. આ અંગે ‘ફોકિયા’ની રજૂઆત બાદ સરકારના આ હકારાત્મક નિર્ણયથી હવે નાના ઉદ્યોગો અને પ્રોજેક્ટ્સ પુરતું ઇંધણ મળવાથી કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે.
રમતગમતના શોખીનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો:ભુજમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની ઓફિસર્સ ક્લબ બંધ
ભુજમાં રમતગમતની સુવિધાઓના અભાવે શારીરિક તાલીમ અને રમતગમતના શોખીનોમાં અસંતોષ જોવા મળે છે. રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા આયોજનોથી યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે, છતાં મેદાન સ્તરે જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં ઉદાસીનતા દેખાઈ રહી છે. આશરે ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ભુજમાં આજદિન સુધી એક પણ સરકારી સ્વિમિંગ પૂલ ઉપલબ્ધ નથી, જ્યારે રનિંગ ટ્રેક, ટેનિસ, ટેબલ ટેનિસ અને ફૂટબોલ જેવી રમતો માટે પૂરતી વ્યવસ્થા પણ નથી. હિલ ગાર્ડન પાસે નિર્માણાધીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને પૂર્ણ થવામાં હજુ છથી આઠ મહિના લાગી શકે છે. બીજી તરફ, કલેક્ટર નિવાસ પાસે આવેલા ઓફિસર્સ ક્લબમાં બેડમિન્ટન સિવાયની અન્ય રમતો, જેમ કે સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ટેબલ ટેનિસ હાલ બંધ હાલતમાં છે. આ પરિસ્થિતિમાં રમતગમત પ્રત્યે રસ ધરાવતા યુવાઓને યોગ્ય માર્ગદર્શન અને પ્રેક્ટિસ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ મળી રહી નથી. ભુજમાં રનિંગ ટ્રેક માટે લાંબા સમયથી લડત આપતા સુનિલ ગોરના જણાવ્યા અનુસાર, પોલીસ ભરતીમાં મહિલાઓ માટે 1600 મીટર અને પુરુષો માટે 5 કિલોમીટર દોડ ફરજિયાત હોય છે, પરંતુ પ્રેક્ટિસ માટે યોગ્ય સ્થળ ન હોવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે છે. શહેરમાં સિન્થેટિક 400 મીટરનો એકપણ રનિંગ ટ્રેક ન હોવું આશ્ચર્યજનક છે. શહેરમાં સરકારી જમીનનો અભાવ નથી. વ્યાયામશાળા, ખારસરા મેદાન, પોલિટેકનિક, એન્જિનિયરિંગ કોલેજ તેમજ કચ્છ યુનિવર્સિટીમાં વિશાળ જમીન ઉપલબ્ધ છે, જેને રમતગમત માટે વિકસાવવામાં આવી શકે છે. તેમ છતાં, આયોજન અને ઇચ્છાશક્તિના અભાવે આ સંભાવનાઓ સાકાર થઈ રહી નથી. લાલન કોલેજ ખાતે ટ્રેક છે, પણ જાળવણી નથીભુજમાં એકમાત્ર લાલન કોલેજમાં દોડની પ્રેક્ટિસ કરવા માટે મેદાન હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. ટીનસીટીમાં ધાર્મિક કે કોઈ અન્ય સામાજિક મેળાવડા કાર્યક્રમો દરમિયાન આ મેદાન પાર્કિંગ તરીકે વપરાય છે અને તેની જાળવણી પણ યોગ્ય રીતે થતી નથી. સ્થાનિક નેતૃત્વ અને વહીવટી તંત્ર આ મુદ્દે ગંભીરતા દાખવે તો ભુજ તથા સમગ્ર કચ્છમાંથી અનેક યુવાઓ સુરક્ષા એજન્સીઓમાં જોડાઈ શકે છે. હાલમાં, માળખાકીય સુવિધાઓના અભાવે પ્રતિભાશાળી યુવાઓ પાછળ રહી જવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
મુસાફરોની સુવિધાઓમાં થશે વધારો:વડોદરા રેલવે સ્ટેશને રાજ્યની બીજી ડિજિટલ લાઉન્જ શરૂ થશે
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે. વડોદરા રેલવે સ્ટેશન પર પશ્ચિમ રેલવેનું પ્રથમ અને ભારતીય રેલવેનું બીજા ક્રમનું ડિજિટલ લાઉન્જ તૈયાર કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ડિજિટલ લાઉન્જનું ઉદઘાટન 28 માર્ચે સાંસદ ડો.હેમાંગ જોશીના હસ્તે કરવામાં આવશે. વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેમાં આ પ્રકારનું આ બીજું ડિજિટલ લાઉન્જ છે. આ લાઉન્જ આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેનો મુખ્ય હેતુ મુસાફરોને આરામદાયક અને પ્રિમિયમ સુવિધા આપવાનો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. લાઉન્જમાં ઉપલબ્ધ સુવિધા
બુટલેગર હેરી સિંધીએ અગાઉ માનવ કારડાની કારને આગ ચાંપી હતી, હવે માનવે હેરી સિંધી સહિતનાનું નામ લીધા વગર સોશિયલ મીડિયા પર ધમકી ભરી રિલ મુકી ઘટનાને અંગે માફી માગી લેવા જણાવતાં વારસીયા પોલીસે તેની અટકાયત કરી છે. વારસીયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રિલ મુકીને અપશબ્દો લખ્યા હતા. તેને તેમાં ફાયરિંગનો વીડિયો પણ જોડ્યો હતો. સાથે તેની કાર સળગતી હોવાના વીડિયો સાથે જે હાથે કાર સળગાવી છે તે જ હાથને કાપી પરિવારને ઈનામ સ્વરૂપે મોકલશે, અમારી કોમ્યુનિટીની માફી માગી લો, નહીં તો અમે અમારી રીતે કાર્યવાહી કરીશું તેમ પણ લખ્યું હતું. રિલમાં જુદા-જુદા ચપ્પુ, એરગન પણ બતાવવામાં આવી હતી અને દારૂની બોટલો સાથે પણ માનવે પોતાના ફોટો મુક્યા હતા. બૂટલેગર હેરીનું નામ આપ્યા વગર ધમકીભરી રિલ મુકી હતી. જુના ઝઘડાની અદાવતે જ હેરીએ સાગરીતો સાથે મળી 4 મહિના અગાઉ માનવની કારને આગ ચાંપી હતી. તે મામલે ગુનો નોંધાયો હતો. બીજી બાજુ માનવ અલ્પુ સિંધીની ગેંગના સાગરીત સાથે સંપર્ક ધરાવતો હોવાનું સુત્રોએ કહ્યું હતું. માનવે માણસો સાથે જઇને વિવેક ઉર્ફે બન્નીને ધમકી આપી હતીમાનવ કારડાની કાર સળગાવવાના મામલે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીનું નામ સામે આવ્યું હતું. તેની અદાવતે માનવ વિવેક ઉર્ફે બન્ની પાસે ગયો હતો અને સાથે 5-6 માણસોને પણ લઈ ગયો હતો. તેણે વિવેકને ધમકી આપી હોવાની જાણવા મળ્યું હતું. મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. ગુજસિટોકના આરોપી ધર્મેશ ઉર્ફે ગોલુના પણ ફોટો મૂકાયારિલમાં અલ્પુ સિંધી ગેંગનો ધર્મેશ ઉર્ફે ગોલુ સચદેવ પણ દેખાય છે. ધર્મેશ સામે તાજેતરમાં જ ગુજસિટોકનો ગુનો નોંધાયો હતો. તે હાલ જેલમાંથી બહાર છે. જોકે રિલમાં તેની કોઈ સંડોવણી પોલીસને મળી આવી નહોતી. પોલીસ દ્વારા ધર્મેશની કોઈ સંડોવણી હતી કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ગર્વની વાત:નેશનલ ફેસ્ટ માટે ઓપરેશન સિંદૂર વિશે વડોદરાની શોર્ટ ફિલ્મ પસંદ થઇ
વડોદરાની એક શોર્ટ ફિલ્મને નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલગામના નિર્દોષ ભારતીય સહેલાણીઓ પરના જીવલેણ હુમલા બાદ તેના બદલારૂપે પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ આગામી મહિને ગોવામાં આયોજિત નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં રિલિઝ કરાશે. આ વિશે ફિલ્મના ડિરેક્ટર અને ફોટોગ્રાફર, મોડેલ સંદીપ રાઠોડે જણાવ્યું કે, ફિલ્મના કથાનક મુજબ ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદીઓ બદલો લેવા માટે ભારતને ધમકી આપે છે. ત્યારબાદ ભારતમાં બે સ્થળોએ બ્લાસ્ટ પણ કરે છે. જેનો ભારતીય સેના બદલો પણ લે છે. આ ફિલ્મમાં પહેલગામ એેટેક બાદ પાકિસ્તાન પર કરેલા હુમલા પછી જાણીતા થયેલા આર્મી ઓફિસર સોફિયા કુરેશીના બહેન સાન્યા કુરેશીએ અભિનય કર્યો છે. સોફિયા કુરેશી દ્વારા પણ આ શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી છે. આ ફિલ્મમાં વડોદરાના 10 કલાકારોએ કામ કર્યું છે.
RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા:આરટીઇમાં 338 સ્કૂલોમાં 4400 બેઠક, ગત વર્ષથી 400નો ઘટાડો
રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવી હતી. રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનું જાહેરનામું જિલ્લા શિક્ષણાધિકારી પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. મધ્યમ વર્ગના પરિવારના બાળકો આરટીઇ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ મેળવતા હોય છે. ચાલુ વર્ષે આરટીઇમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત મોડી કરવામાં આવી છે. એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થઇ રહી છે. જયારે ગત વર્ષે માર્ચ મહિનામાં જ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી. 2025-26ની રાઇટ ટુ એજ્યુકેશન એકટની પ્રક્રિયા 16 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે 4 એપ્રિલ થી 17 એપ્રિલ 13 દિવસ પ્રક્રિયા કરાશે. ચાલુ વર્ષે શહેરની 338 સ્કૂલોમાં 4400 જેટલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. નોંધનિય છે કે, ગત વર્ષની તુલનામાં માત્ર 400 બેઠકોનો ઘટાડો નોંધાયો છે. ભાસ્કર નોલેજકયા દસ્તાવેજો આપવા પડશે ગત વર્ષ આંકડાઓ
તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસાલી વિસ્તારમાં આવેલી પૂ. રવિશંકર કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ભોજન યોગ્ય નથી, સિક્યુરિટી સહિત પાણીના ધાંધિયા છે અને રસોઈ અંગે પણ સ્વચ્છતાનો અભાવ છે. રસોઈ બનાવવાનો પણ કોઈ ચોક્કસ સમય નક્કી નથી હોતો. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારા થતા નથી. રસોઈ મોડી બનતી હોવા અંગે કહેવા જતા સિલિન્ડર લઈ આવો પછી જ રસોઈ બનશે તેવો જવાબ મળ્યાના પણ આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા હતા. વિદ્યાર્થીઓના હંગામાના પગલે પૂર્વ મેયર નિલેશ રાઠોડ છાત્રાલય ખાતે પહોંચી ગયા હતા અને રસોડામાં જઇને ભોજનની ગુણવત્તા જોઇ ચોકીં ઉઠયા હતા. પાણી વાળી કઢી કાચો ભાત જોઇને તેમણે કર્મચારીઓને ટકોર કરી હતી. તાત્કાલિક અસરથી તેમણે મોડી રાત્રે વિદ્યાર્થીઓ માટે રોટલી અને શાક બનાવડાવ્યું હતું. હોસ્ટેલમાં માત્ર બે જ કર્મચારીઓ હતા જેમાં પણ 24 કલાક સુધી એક માત્ર વોર્ડન તરીકે કોન્ટ્રાકટર કામ કરતો હતો. અન્ય એક કર્મચારી પણ ત્યાં ફરજ બજાવતો હતો તે વોચમેન સહિતની અન્ય કામગીરી કરતો હતો. માત્ર બે જ કર્મચારીઓના ભરોસે સમગ્ર હોસ્ટેલ ચાલી રહી હતી. કોઇ પણ અધિકારીઓ ત્યાં શું પરિસ્થિતિ છે તે જોવા આવતા ના હોવાનું પણ બહાર આવ્યું હતું. કોન્ટ્રાક્ટરે મેસનો ઇજારો લઇ સબ કોન્ટ્રાક્ટરને આપી દીધોતરસાલી વિસ્તારમાં આવેલી રવિશંકર કુમાર છાત્રાલયમાં જે મેસ ચાલી રહી છે તે સબ કોન્ટ્રાક્ટ પર ચાલી રહી છે. કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય ગુણવત્તાવાળું ભોજન ન બનાવાતું હોવાના આક્ષેપો બાદ માજી મેયરે હોસ્ટેલની મુલાકાત કરી હતી. મેસનો કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે તેણે કોઇ બીજાને કોન્ટ્રાક્ટ આપી દિધો હોવાનું જણાયું હતું. વિદ્યાર્થીઓ તકલીફમાં છે, મંત્રી મનીષાબેનને રજૂઆત કરીશુંસરકાર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની લાપરવાહીને પગલે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યાં છે. ગાદલાં અને ઓશીકા રૂમોમાં બંધ હતા જે પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ના હતા. જેને રૂમ ખોલાવીને વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. મંત્રી મનીષાબેન વકીલને યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે. > નિલેશ રાઠોડ, પૂર્વ મેયર
શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં વન વોર્ડ વન રોડ અંતર્ગત પાલિકાના સેનેટરી અને એસ્ટેટ વિભાગ દ્વારા 1 માર્ચથી 26 માર્ચ દરમિયાન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળે ગંદકી ફેલાવનારાઓ પાસેથી ₹9.30 લાખ અને રાત્રી ચેકિંગ દરમિયાન ₹9.47 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, પર્યાવરણને નુકસાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરી ₹3.19 લાખનો દંડ વસૂલાયો છે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ભીના અને સૂકા કચરાને અલગ કરી ‘સ્વચ્છ વડોદરા’ના લક્ષ્યમાં સહભાગી બને. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાની સરખામણીએ અમલીકરણ વધુ કડકપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત રોજ એક વૉર્ડના એક રોડની સફાઇ કરી રહી છે. તંત્રે જાન્યુઆરી-2026માં ₹34.61 લાખનો દંડ ફટકર્યો છે. જ્યારે ફેબ્રુઆરીમાં ₹31.02 લાખનો દંડ વસૂલ્યો હતો. પાલિકાએ પંચશીલ ફ્લેટ પાસે 7 ઓટલા, 6 શેડના દબાણ દૂર કર્યા હતા. પંચમુખી હનુમાનજીથી આરાધના, કોઠી ચાર રસ્તા સુધીમાં 1 ટ્રક સામાન જપ્ત કર્યો છે.
કરંટથી મોત:ચાલુ કૂલરને અડતાં કરંટ લાગ્યો, એરફોર્સ અધિકારીનાં પત્નીનું મોત
ખોડીયાર નગરની કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતા એરફોર્સ અધિકારીના પત્ની ચાલુ કુલરને અડી જતાં કરંટ લાગ્યો હતો. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અધિકારીના પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યા હોવાને કારણે તેમનું શરીર ભીનું હતું, તેઓ કુલરને અડી જતા તેઓને કંરટ લાગ્યો હતો. વી.એમ કરુઅપ્પા એરફોર્સમાં ફરજ બજાવે છે. શુક્રવારે સવારે 8 વાગે તેઓના 25 વર્ષીય પત્ની મુથ્થુલક્ષ્મી બાથરૂમમાંથી સ્નાન કરી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન રૂમમાં કુલર ચાલુ હતું અને મુથ્થુલક્ષ્મીનું શરીર કુલરને અડી ગયું હતું. જેના કારણે તેઓને એકાએક કરંટ લાગતા તેઓ ઢળી પડ્યા હતા. કરુઅપ્પા તાત્કાલિક તેમના પત્નીને લઈને સયાજી હૉસ્પિટલમાં ગયા હતા. ત્યાં તબીબે મથ્થુલક્ષ્મીને મૃત જાહેર કર્યા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે, તેમને કરંટ લાગતા મોત થયું છે. જોકે પોલીસ આ બાબતે વધારે તપાસ હાથ ધરી હતી. ભાસ્કર નોલેજકૂલરનો પ્લગ સીધો સ્વીચબોર્ડમાં ન નાખો, થ્રી પિનનો ઉપયોગ કરો

31 C