રાજકોટમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા કથિત ગેરકાયદે બાંધકામનો વિવાદ હવે વકર્યો છે. આ ગંભીર મુદ્દે આજે રાજકોટ શહેર અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ મેયરના બંગલે પહોંચીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મેયરના બંગલાનું ગંગાજળથી 'શુદ્ધિકરણ' કરવામાં આવ્યું હતું. જેના પગલે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે પોલીસે વિરોધ પ્રદર્શન કરતા તમામ આગેવાનોની અટકાયત કરી હતી. મેયરના બંગલાનું ગંગાજળથી 'શુદ્ધિકરણ'યુથ કોંગ્રેસના પ્રમુખ દિપ ભંડેરી અને અન્ય કાર્યકરોએ મેયરના બંગલાની બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ મેયરના બંગલા પર ગંગાજળ છાંટીને પ્રતિકાત્મક રીતે 'શુદ્ધિકરણ'નો કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે કાર્યકરોએ હાથમાં પોસ્ટરો પણ પ્રદર્શિત કર્યા હતા, જેમાં મેયરના રાજીનામાની માંગ અને ભ્રષ્ટાચાર વિરોધી સૂત્રો લખેલા હતા. દિપ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજે મેયરના બંગલા પર ગંગાજળ છાંટીને શુદ્ધિકરણનો કાર્યક્રમ યોજ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે રાજકોટમાં ગરીબ માણસોના મકાનો પર તંત્રનું બુલડોઝર ફરે છે, પરંતુ મેયરના પતિ દ્વારા જે અનઅધિકૃત બાંધકામ કરવામાં આવ્યું છે તેની સામે તંત્ર મૌન છે. રાજકોટ કલેક્ટરે ગઈકાલે જ એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે જે જમીન પર બાંધકામ કરવામાં આવ્યું છે તે 1997માં જ ખાલસા થઈ ગઈ હતી. અને હજુ સુધી રેગ્યુલરાઈઝ થઈ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, આમ છતાં, સત્તાના જોરે મેયરના પતિ દ્વારા ત્યાં બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ટીપી શાખા જાગી હતી અને બાંધકામ અટકાવ્યું હતું. શું રાજકોટનું તંત્ર અને ટીપી શાખા મેયરના પતિ સામે લાચાર છે? સામાન્ય નાગરિક જો એક ઈંચ ઓટલો પણ બહાર કાઢે તો તરત જ નોટિસ અને બુલડોઝર આવી જાય છે, તો પછી મેયરના કિસ્સામાં આટલી ઢીલ કેમ? દિપ ભંડેરીએ મેયરના રાજીનામાની માંગ કરી હતી. અને જણાવ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મેયરે નૈતિક જવાબદારી સ્વીકારી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. તેમજ સમગ્ર કૌભાંડની ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ અને જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાવા જોઈએ. જેવી રીતે ગરીબોના દબાણોને હટાવવામાં આવે છે, તેવી રીતે આ ગેરકાયદે બાંધકામ પર પણ બુલડોઝર ફેરવવું જોઈએ. આગામી દિવસોમાં જો બાંધકામ હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મેયરના બંગલાની દિવાલો પર પોસ્ટર ચોંટાડતા અને સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. જોકે કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં મેયરના પતિ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને મેયર રાજીનામું નહીં આપે, તો સમગ્ર રાજકોટમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
ગાંધીનગરના સેક્ટર-13 A વિસ્તારમાં 26 ફેબ્રુઆરીની રાત્રિ એક શખસે આતંક મચાવી આખા પ્લોટ વિસ્તારને બાનમાં લીધો હતો. ધો.10ની બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી બાળકોના અભ્યાસમાં ખલેલ ન પહોંચે તે માટે અશ્લીલ ગીતો બંધ કરાવવા ગયેલા પાડોશીઓ પર ચરસી માનસિંહ ધર્મેન્દ્રસિંહ પરમાર નામના શખસે પાળતું કૂતરો પાછળ દોડાવતા રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. એટલું જ નહીં તેણે રહીશોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઉપરાંત યુવતીની છેડતી કરી હોવાનું પણ સામે આવતા સેક્ટર 7 પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. માનસિંહે સાઉન્ડ સિસ્ટમ પર જોરજોરથી અશ્લીલ ગીતો વગાડતોગાંધીનગર સેકટર 13/એ, પ્લોટ નંબર 664/1 માં રહેતા અરવિંદભાઈ અને તેમના પડોશીઓ અનિલભાઈ, જીતેન્દ્રભાઈ, પ્રમોદરાય, પાર્થ અને હસમુખભાઈ ચોકમાં બેઠા હતા. આ દરમિયાન સામેના પ્લોટ નં-662/2 માં રહેતા માનસિંહ ધર્મેદ્રસિંહ પરમારે પોતાના ઘરે અત્યંત ઉંચા અવાજે સાઉન્ડ સિસ્ટમ પર અશ્લીલ ગીતો વગાડવાનું શરૂ કર્યું હતું. આથી અરવિંદભાઈ સહિતના વસાહતીઓ બાળકોની પરીક્ષા ચાલતી હોવાથી માનસિંહને વિનંતી કરવા ગયા હતા. રહીશો વિનંતી કરવા જતાં પાળતું કૂતરો તેમની પાછળ દોડાવ્યોરહીશોએ કહ્યું હતું કે, છોકરાઓની પરીક્ષા છે, વાંચવામાં તકલીફ પડે છે, માટે ટેપ બંધ કરો. ત્યારે આટલી વાત સાંભળતા જ માનસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં માનસિંહે પોતાના ઘરમાં બાંધેલો પાળતું કૂતરો ચોકમાં છોડી મુકતા રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. જેથી બધા જીવ બચાવવા પોતાના ઘરમાં ભરાઈ ગયા હતા. ત્યારબાદ પણ સંતોષ નહીં થતા માનસિંહ હાથમાં તીક્ષ્ણ ચપ્પુ જેવું હથિયાર લઈને જાહેરમાં ચીકમાં ધસી ગયો હતો. રહીશોને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીમાનસિંહ બૂમો પાડી ધમકી આપી હતી કે, જો ફરીથી મારા ઘરે આવ્યા તો બધાને જાનથી મારી નાખીશ અને મારા કૂતરાથી કરડાવી ફાડી ખવડાવીશ. આ ઘટનાના પગલે અત્રેના વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલો વધુ બિચકતા વસાહતી સુનિલભાઈ સાકરીયાએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. યુવતીનો હાથ પકડી છેડતી કર્યાનો ચોંકાવનારો ખુલાસોઆ હંગામા દરમિયાન પાડોશમાં રહેતી યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, બે દિવસ પહેલા જ્યારે તે નોકરીથી પરત ફરી રહી હતી, ત્યારે માનસિંહે રસ્તામાં તેનો હાથ પકડી રોકી રાખો અભદ્ર વર્તન કરી છેડતી કરી હતી. પોલીસે માનસિંહને જેલના સળિયા ગણતો કરી દીધોજોકે, માનસિંહના ઝનુની અને માથાભારે સ્વભાવને કારણે અત્યાર સુધી કોઈ તેની સામે બોલવાની હિંમત કરતું નહોતું. પરંતુ આ વખતે તેણે તમામ હદો વટાવી દેતા તમામ રહીશોએ એકઠા થઈ કડક કાર્યવાહીની માગ કરી હતી. જેના પગલે પોલીસે માનસિંહ પરમારને જેલના સળિયા ગણતો કરી દીધો છે. મનપાની ટીમે કૂતરાને પકડી લીધોઉપરાંત મનપાની ટીમ પણ તેના ખુંખાર કૂતરાને પકડી લઈ ગઈ છે. ત્યારે પોલીસ તપાસમાં માનસિંહ ચરસી હોવાની સાથે તેના વિરુદ્ધમાં હત્યાના પ્રયાસનો ગુનો અગાઉ નોંધાઈ ચૂક્યો હોવાની પણ હકીકત બહાર આવી છે. જેના વિરુધ ગુનો નોંધી પોલીસે કાયદાનો મજબૂત ગાળિયો કસવાની તૈયારીઓ કરી છે.
બેચરાજી તાલુકાના ઇન્દ્રપ ઇન્દિરાનગર ગામે સોશિયલ મીડિયામાં મેસેજ કરવા જેવી નજીવી બાબતની અદાવત રાખી ચાર શખસે એક પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવકને મગજમાં હેમરેજ થતા તેનું ઓપરેશન કરવાની નોબત આવી છે. જ્યારે અન્ય એક મહિલાને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે ચાર શખસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હથિયાર સાથે આવી શખસોએ બિભત્સ શબ્દો બોલ્યાંઇન્દ્રપ ગામે રહેતા હરીસંગ ઉર્ફે આકાશ સોલંકી ગત સાંજે તેમની માતા ઉમેદબા સાથે ગામમાં રામસંગ સોલંકીની કરિયાણાની દુકાને સામાન લેવા ગયા હતા. તે સમયે ગામના જ છત્રસિંહ બાલસંગ સોલંકી, ભરતસંગ અમુજી સોલંકી, ઉમેદસંગ બાળેલસંગ સોલંકી અને વિશાલસિંહ વાઘુજી સોલંકી હાથમાં લોખંડની પાઇપ અને લાકડીઓ જેવા હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા. આ શખ્સો કલ્પેશ સોલંકી અમારી બેનને મેસેજ કરી હેરાન કરે છે. આજે તેને પતાવી દેવો છે તેમ કહી ગાળો બોલી રહ્યા હતા. વચ્ચે પડતા મહિલાને પણ માર માર્યોઆ દરમિયાન હરીસંગના કાકાનો દીકરો રાજેન્દ્રસિંહ સોલંકી વચ્ચે પડી સમજાવવા જતા હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા. છત્રસિંહ સોલંકીએ રાજેન્દ્રસિંહના માથાના ભાગે લોખંડની પાઇપનો જોરદાર ફટકો મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. ત્યારબાદ અન્ય શખસોએ તેમને લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. વચ્ચે છોડાવવા પડેલા ઉમેદબાને પણ લાકડી મારી ઈજા પહોંચાડવામાં આવી હતી. હુમલા બાદ ચારેય શખસે જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. યુવકની હાલત ગંભીર, પોલીસ ફરિયાદ નોંધાઈગંભીર રીતે ઘવાયેલા રાજેન્દ્રસિંહને પ્રથમ બેચરાજી સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર માટે મહેસાણા સિવિલ ખસેડાયા હતા. ત્યાં તબિયત વધુ લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર યુવકને માથામાં ગંભીર હેમરેજ થયું હોવાથી તેના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને હાલ તેની હાલત ગંભીર છે. બેચરાજી પોલીસે હરીસંગ સોલંકીની ફરિયાદના આધારે ચારેય હુમલાખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના રામપરા ગામમાં ખેડૂતોએ ખાનગી સિમેન્ટ કંપનીના ટ્રકોને રોકી દીધા હતા. વહેલી સવારે એક ટ્રક વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 5 વાગ્યે એક ટ્રક ચાલકે બેફામ ગતિએ ટ્રક ચલાવી હતી, જે ખેડૂતોની વીજ લાઇનના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વીજ પોલ જમીનદોસ્ત થતાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી ગુલ થવાથી સિંચાઈ અને દૈનિક કામકાજ પર સીધી અસર પડી હતી. વીજળી બંધ થતાં રોષે ભરાયેલા ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કંપનીનું રો મટીરિયલ લઈ જતા ટ્રકોને રોકી દીધા હતા. આશરે 150થી વધુ ટ્રકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી, જેના કારણે રસ્તા પર ટ્રકોની લાંબી કતારો લાગી હતી. રામપરાના સ્થાનિક પ્રવીણભાઈ રાઠોડ અને રાજેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, કંપનીના બેફામ ડમ્પરોને કારણે ગામલોકો લાંબા સમયથી પરેશાન છે. ભારે વાહનોની અવરજવરથી રસ્તાઓ ખરાબ થયા છે અને વારંવાર જોખમી પરિસ્થિતિ સર્જાય છે. તેમણે કંપની તરફથી યોગ્ય વળતર આપવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ખેડૂતો દ્વારા ટ્રકોને રોકવાની કાર્યવાહી દરમિયાન પરિસ્થિતિ તંગ બની હતી, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. આ ઘટનાએ ગામમાં ભારે ચર્ચા જગાવી છે અને કંપની સામે ખેડૂતોનો રોષ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે નજીક ન્યુ મણિનગર, વસ્ત્રાલ, કમોડ સહિતના વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બન્યા છે, ત્યારે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેના માટે રાસ્કા ખાતે 80 કરોડના ખર્ચે 100 MLDનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે જેના માટે આજે મળેલી વોટર સપ્લાય કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. નવો પ્લાન્ટ શરૂ થતાની સાથે જ અંદાજિત પાંચથી છ લાખ જેટલી વસ્તીને પાણીનો લાભ મળી રહેશે. 100 MLD પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતુંશહેરના પૂર્વ વિસ્તારમાં વસવાટ કરતા શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવે છે જેમાં રાસ્કા ખાતે આવેલા 400 અને 200 MLD એમ બે પ્રકારના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રાસ્કા ખાતેથી શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસ્કા ખાતે 300 એમ.એલ.ડી. પાણી શુદ્ધ કરવાની ક્ષમતા અને રાસ્કાથી અમદાવાદ સુધીની 2100 મીમી વ્યાસની લાઈનમાં પાણી વહન કરવાની ક્ષમતા હોવાના પગલે વધુ 100 એમએલડીનો પ્લાન્ટ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. વોટર સપ્લાય કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈજે ટેન્ડર બહાર પાડ્યા બાદ ક્રિષ્ના કોર્પ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું. વોટર સપ્લાય કમિટીમાં જેની દરખાસ્ત મુકવામાં આવી હતી અને તેને આજે મંજૂરી આપવામાં આવી છે. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થયા બાદ વસ્ત્રાલથી લઈને કમોડ અને આસપાસના વિસ્તારના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.
પંચમહાલમાં PM શ્રી શાળાઓ પર બેઠક યોજાઈ:પ્રભારી સચિવ રાજેશ માંઝુએ શિક્ષણ સુધારણા પર ભાર મૂક્યો
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પ્રભારી સચિવ રાજેશ માંઝુના અધ્યક્ષસ્થાને પી.એમ. શ્રી શાળાઓને અનુલક્ષીને એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી પ્રભારી સચિવે નવી શિક્ષણ પદ્ધતિના 6 પિલરને અનુલક્ષીને કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શાળાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત રમતગમત અને અન્ય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવા શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રભારી સચિવ રાજેશ માંઝુએ વધુમાં ઉમેર્યું હતું કે, શિક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત સીઆરસી, બીઆરસી અને તાલુકા કેળવણી નિરીક્ષકોએ શાળાઓની મુલાકાત લઈને ભૌતિક અને શૈક્ષણિક જરૂરિયાતો અંગેના અહેવાલ તૈયાર કરી સંબંધિત વિભાગને સુપ્રત કરવા જોઈએ. આ ઉપરાંત, જિલ્લામાં બાળકો વિજ્ઞાન પ્રવાહમાં વધુ રસ દાખવે તે માટે પ્રયત્નો કરવા પણ તેમણે સૂચન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અજય દહિયાએ પણ શાળાદીઠ એક્શન પ્લાન તૈયાર કરાવીને ગુણાત્મક કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું. પી.એમ. શ્રી ડીબ્રિફિંગ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલે જિલ્લાની પી.એમ. શ્રી શાળાઓની વિગતો, તેમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે પ્રભારી સચિવને માહિતગાર કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેસાઈ, નિવાસી અધિક કલેક્ટર જે. જે. પટેલ સહિત હાલોલ અને ગોધરાના પ્રાંત અધિકારીઓ તેમજ શિક્ષણ વિભાગના સીઆરસી, બીઆરસી સહિતના વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેસેજ મોકલવામાં એક ભૂલ ને તંત્ર દોડતું થયું સુરત પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળ્યો... મેલ મળતા જ તંત્ર હરકતમાં આવ્યુ જોકે વાઢેર નામની વ્યક્તિએ ભૂલથી આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો, જેને લીધે ગેરસમજ ઉભી થઇ હતી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સતત બીજા દિવસે LTના કર્મચારીઓ ટોળે વળ્યા હજીરામાં AM/NSની ઘટના બાદ આજેફરીથી LTના અંદાજે 50થી વધુ કોન્ટ્રેક્ટ કર્મચારીઓ એકઠા થયા હતા, જો કે પ્લાન્ટ પર પહેલેથી જ તહેનાત પોલીસે તમામ કર્મચારીઓને ત્યાંથી હટાવી દીધા હતાઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 6 IPS અધિકારીઓને નવી જવાબદારી રાજ્યના 6 વરિષ્ઠ IPS અધિકારીઓને નવી જવાબદારી સોંપવામાં આવી છે .. જેમાં તરુણ દુગ્ગલને સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝમાં જ્યારે ચૈતન્ય માંડલિકને પોલીસ સુધારણા વિભાગ અને આર.ટી. સુસરાને ટેકનિકલ સેવાઓ તો મયુર પાટીલને કાયદો-વ્યવસ્થા વિભાગમાં નિયુક્ત કરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોહોળીના પર્વે વતન જતી ટ્રેનો 'હાઉસફુલ' હોળીના પર્વ પર વતન જવા માટે સુરત રેલવે સ્ટેશન પર પર પ્રાંતિય લોકોની ભારે ભીડ જામી છે... સ્પેશિયલ ટ્રોનો મુકાઈ હોવા છતાં ટ્રેનોમાં પગ મુકવાની જગ્યા નથીઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હોળી-ધૂળેટીમાં 6750 ઇમરજન્સી કોલ આવી શકે હોળી અને ધૂળેટીના પર્વ પર આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108 ઇમરજન્સી સેવાએ કમર કસી છે.અંદાજ મુજબ આ વખતે 6 હજાર 750 ઇમરજન્સી કોલ આવી શકે. જેને લીધે 1750થી વધુ એમ્બ્યુલન્સ લોકોની સેવામાં હાજર રહેશે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બીજાના ઘરે જ ભગતસિંહ જન્મે તેવી માનસિકતા છોડો પંચમહાલના ગોધરામાં યોજાયેલ 'વિરાટ હિન્દુ સંમેલન'માં મીનાક્ષી સહંરાવતે સમાજની વર્તમાન માનસિકતા પર પ્રહારો કર્યા.. કહ્યુ 'ભગતસિંહ અને શિવાજી મહારાજ બીજાના ઘરે જન્મે' એવી માનસિકતા છોડી દેશ અને ધર્મના નિર્માણ માટે સજ્જ થવુ જોઇએ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજીમાં ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ અંબાજીમાં ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ બની રહી છે.. તારંગા-અંબાજી-આબુ રોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલી ટનલની લંબાઈ 2.27 કિલોમીટર છે. જે 2 હજાર 798 કરોડ ખર્ચે તૈયાર થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાઇસ ડીન પર વિદ્યાર્થિનીને અડપલાના આક્ષેપ બરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન ડો. અમોલ ભાવે પર વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણીના આરોપ લાગ્યા છે જે બાબતે 13 વિદ્યાર્થિનીઓએ ડીનને લેખિતમાં રજુઆત કરી છે જોકે ડો. અમોલ ભાવેએ આરોપો નકાર્યા છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે પત્ની હોવા છતાં આરોપીએ યુવતીનું અપહરણ કર્યું કેશોદમાં બે પત્ની હોવા છતાં આરોપીએ યુવતીનું અપહરણ કર્યું, મંદિરે જઈ સેંથામાં સિંદૂર ભરી ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યુ... આરોપીએ યુવતીને કહ્યુ હતુ કેમારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે, તેને ધાર્મિક સ્થળે લઇ જઇ સેંથામાં બળજબરીથી સિંદૂર ભર્યુ હતુ,,, ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગરમી વધવા સાથે 3 માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ રાજ્યમાં આજે મહત્તમ તાપમાન આશરે 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તો 3 માર્ચે પૂર્ણ ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યુ છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કાંકણોલ સ્થિત સનાતન સંસ્કાર કેન્દ્ર ખાતે શુક્રવારે એક વિનામૂલ્ય તપાસ અને નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે ગર્ભાશયના મુખના કેન્સર અને સ્તન કેન્સરની મેમોગ્રાફી તથા સોનોગ્રાફી મશીન દ્વારા તપાસ કરવામાં આવી હતી. કુલ 130 મહિલાઓએ ચેકઅપ કરાવ્યું હતું, જેમાંથી 25 મહિલાઓને નિદાન બાદ વધુ તપાસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન જય સચ્ચિદાનંદ સંઘ ટ્રસ્ટ તથા જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના સહયોગથી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. સનાતન સંસ્કાર કેન્દ્ર, કાંકણોલના અક્રમ વિજ્ઞાન જ્યોતિર્ધર જ્ઞાની પુરુષ કનુ દાદાજી ચૈત્ય સ્મારક દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે ગોપાલસિંહ રાઠોડ, ઉદ્ઘાટક તરીકે શ્રેણિકભાઈ શાહ અને વિશેષ ઉપસ્થિતિમાં રોહિતભાઈ પટેલ હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કરી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. જાયન્ટ્સ હિંમતનગર સહિયર ગ્રુપના પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, પૂર્વ પ્રમુખ સોનલબેન મહેતા સહિત તમામ હોદ્દેદારો અને સહિયર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવ માટે રજૂઆત:ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં માંગ કરી
ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બટાકાના પોષણક્ષમ ભાવ મુદ્દે રજૂઆત કરી છે. તેમણે સરકાર દ્વારા બટાકા ઉત્પાદક ખેડૂતોને સહાય આપવાની માંગ કરી હતી, જેઓ હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. બનાસકાંઠા, વાવ અને થરાદ જિલ્લાના મોટાભાગના ખેડૂતો શિયાળુ સિઝનમાં બટાકાનું વાવેતર કરે છે. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને તેમના ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ મળતો નથી. ચાલુ વર્ષે પણ બટાકાના ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભા ગૃહમાં બટાકાના ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે રાજ્ય સરકારને ખેડૂતોને આ નુકસાનીમાંથી બહાર લાવવા માટે ટેકાના ભાવ નક્કી કરવા અથવા યોગ્ય સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના બટાકા ઉત્પાદક ખેડૂતોની હાલત દયનીય બની છે. સરકાર દ્વારા તાત્કાલિક ટેકાના ભાવ અથવા સહાય જાહેર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ વકર્યો છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની વરણી મુદ્દે ભારે અસંતોષ ફેલાતા રાધનપુર અને સાંતલપુરના 100 થી વધુ પદાધિકારીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામાં આપ્યા છે. સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે પરબતભાઈ આહીરની નિમણૂક કરવામાં આવતા સ્થાનિક સ્તરે વિરોધનો સૂર ઉઠ્યો હતો. કોંગ્રેસના સ્થાનિક આગેવાનોએ આ નિમણૂક સામે હાઈકમાન્ડ અને મહુડી મંડળને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. જોકે, સંગઠન દ્વારા આ રજૂઆતોને ધ્યાને ન લેવાતા અને પ્રમુખ પદે ફેરફાર ન કરાતા નારાજ નેતાઓએ આક્રમક વલણ અપનાવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે જ રાધનપુર વિધાનસભા વિસ્તારના 100 થી વધુ સક્રિય કાર્યકરો અને મુખ્ય હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો છે. રાજીનામું આપનારાઓમાં રાધનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ, સાંતલપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખ તેમજ રાધનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અને યુવક કોંગ્રેસના રાધનપુર વિધાનસભા તેમજ તાલુકા પ્રમુખે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામાં ધરી દીધા છે. સાંતલપુર તાલુકાના કાર્યકારી પ્રમુખે જણાવ્યું હતું કે, રાજીનામું આપવાનું મુખ્ય કારણ એ છે કે ભાજપ સાથે સંકળાયેલા અને 'સ્લીપર સેલ' તરીકે કામ કરતા લોકોની સાંતલપુર તાલુકાના સંગઠનમાં નિમણૂક થાય છે, જ્યારે સાચા કાર્યકરોની કદર થતી નથી. તેમણે ચેતવણી આપી હતી કે જો આ નિમણૂક બદલવામાં નહીં આવે, તો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસને મોટું નુકસાન થશે.
અમદાવાદના દંપતીને કબરાઉ મોગલધામથી પરત ફરતી વખતે પાટડીના માલવણ હાઈવે પર અકસ્માત નડ્યો હતો. મોટી મજેઠી ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે થયેલા આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૂળ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના જોયદ ગામના અને હાલ અમદાવાદના જગતપુર રોડ પર રહેતા તેજશભાઈ મનીષકુમાર આચાર્ય તેમની પત્ની હનીબેન સાથે ટાટા અલ્ટ્રોઝ કાર (નંબર GJ-09-BJ-2056) માં કબરાઉ મોગલધામના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. માલવણ ટોલ નાકાથી અમદાવાદ તરફ મોટી મજેઠી ગામ પાસે આવેલી રાધે હોટલ પાસેથી પસાર થતી વખતે તેમની કાર આગળ ચાલી રહેલા નંબર વગરના ડમ્પર ચાલકે કોઈ પણ સાઈડ લાઈટ બતાવ્યા વગર અચાનક ડમ્પર ધીમું પાડી જમણી તરફ વાળ્યું હતું. આથી તેજશભાઈની કાર ડમ્પરની પાછળ ડાબી સાઈડથી ઘૂસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં દંપતીને ભારે ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકોએ તાત્કાલિક બંનેને કારમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. 108ની ટીમે તપાસ કરતા હનીબેનની નજર સામે જ તેમના પતિ તેજશભાઈ મનીષકુમાર આચાર્યનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે હનીબેનને બંને પગે અને સાથળના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને અમદાવાદની હોસ્પિટલમાં ICU વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી છે. આ બનાવ અંગે હનીબેને નંબર વગરના ડમ્પરના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાવ્યો છે. બજાણા પોલીસ મથકના જે.એમ. વઢેર આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં મરોલી પોલીસે માણેકપોર ટંકોલી ગામે થયેલી ઘરફોડ ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ₹1.31 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળતા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવાની સૂચના બાદ મળી છે. આ ઘટના 25 ફેબ્રુઆરી 2026ના રોજ જલાલપોર તાલુકાના માણેકપોર ટંકોલી ગામે મચકા ટેકરી ફળિયામાં બની હતી. સુમિત્રાબેન કલ્પેશભાઈ નાયકાના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરે બારી વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીનાની ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ અંગે મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ તપાસમાં જોડાઈ હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. પેટ્રોલીંગ દરમિયાન મરોલી સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ, ધર્મેન્દ્રકુમાર અને કોન્સ્ટેબલ શૈલેષકુમારને ખાનગી બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે નવસારી-મરોલી રોડ પર કોલાસણા નહેર પાસે વોચ ગોઠવી. ત્યાંથી હિરેન ઉર્ફે ખાપો નરેશભાઇ નાયકા (ઉ.વ. 24, રહે. માણેકપોર ટંકોલી) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની તલાશી લેતા ચોરીના તમામ દાગીના મળી આવ્યા હતા. પોલીસે આરોપી પાસેથી કુલ ₹1,31,050 ની કિંમતના દાગીના જપ્ત કર્યા છે. જેમાં ₹56,850 ની કિંમતની સોનાની 1 ચેઈન, ₹31,000 ની કિંમતની સોનાની 1 નાકની જડ, ₹49,500 ની કિંમતની સોનાની 2 બુટી, ₹6,330 ની કિંમતનું ચાંદીનું 1 મંગળસૂત્ર અને ₹15,270 ની કિંમતના ચાંદીના સાંકળા તથા વીંટીનો સમાવેશ થાય છે. આ અનડીટેકટ ગુનાને ઉકેલવામાં મરોલી પી.આઈ. આર.એસ. ગોહિલ, LCB પી.આઈ. એસ.વી. આહીર, PSI એમ.ડી. ગમાર સહિત સર્વેલન્સ અને LCBની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3) અને 305(એ) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના જનકસિંહ પરમાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં 2022માં અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદમાં એક બિલ્ડર દ્વારા સ્મોલ સ્ટોન મસ્જિદ જે પુરાતન બાંધકામ ધરાવે છે. તેના 100 મીટરના વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું છે. જેની મંજૂરી આપી શકાય નહીં. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે બિલ્ડર, આર્કિઓલોજીક સર્વે ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મનપા સહિતના પક્ષકારોનો જવાબ માંગ્યો હતો. નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ બિલ્ડરને મળ્યુંજવાબમાં જાણવા મળ્યું હતું કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પૂરતી તપાસ કરાવીને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ બિલ્ડરને આપવામાં આવ્યું છે. એટલે કે મસ્જિદના 100 મીટરના વિસ્તારમાં બિલ્ડર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું ન હતું. અરજદારનું કહેવું હતું કે તે એક સામાજિક કાર્યકર છે. જ્યારે બિલ્ડરના વગેરે જણાવ્યું હતું કે તેની ઓળખ શંકાસ્પદ છે. અરજદાર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છેતેને અગાઉ 2012માં એક જાહેર હિતની હતી દાખલ કરી હતી. જેમાં તે 17 વખત હાજર રહ્યો નહોતો અને અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. અરજદાર ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેની ઉપર 3 પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની ઉપર ખંડણી જેવા ગુના નોંધાયેલા છે. તેની આ અરજી પણ ખોટા આશયથી કરી છે. તેની ઉપર સિવિલ અને ક્રિમિનલ કેસ મળીને કુલ 13 કેસો થયેલા છે. તે બિલ્ડર સામે અનેક ઓથોરિટી સમક્ષ રજૂઆતો કરતો રહે છે અને RTI પણ કરતો રહે છે. 'બિલ્ડર દ્વારા જે કેસોની વાત કરાઈ, તે રદ થઈ ચૂક્યા'જેથી કોર્ટે જણાવ્યું હતું કે, જાહેર હિતની અરજીમાં અરજદાર ઉપર ક્રિમિનલ કેસ થયા હોવાનું તેને જણાવ્યું નથી. જેથી તેના ઉપર દંડ લાદીને અરજીનો નિકાલ કરવામાં આવશે. અરજદારનું કહેવું હતું કે, ગુગલ મેપ મુજબ ઐતિહાસિક બાંધકામ અને બિલ્ડર દ્વારા કરાયેલ બાંધકામ વચ્ચે 65 મીટરનું જ અંતર છે. બિલ્ડર દ્વારા જે કેસોની વાત કરવામાં આવી છે, તે રદ થઈ ચૂક્યા છે. 'જાહેર હિતની અરજી કરતી વખતે તેનો ઉલ્લેખ કરવો જરૂરી'જો કે હાઇકોર્ટે કહ્યું હતું તેમ છતાં જાહેર હિતની અરજી કરતી વખતે તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. પરંતુ અરજદારે જાણી જોઈને આ બાબત છુપાવી છે. કોર્ટ અરજદાર ઉપર બનાવટનો કેસ દાખલ કરવા નિર્દેશ આપી શકે તેમ છે. અરજદારને આવી અરજીઓ કરતા રોકવા ઉદાહરણરૂપ દંડ કરવો જરૂરી છે. હાઈકોર્ટે 10 લાખનો દંડ ફટકાર્યોબિલ્ડરના વકીલે કહ્યું હતું કે, અગાઉ આવા પ્રકારના એક કેસમાં કોર્ટે અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે હાઇકોર્ટે અરજદારને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ટકોર કરી હતી કે અરજદારે સામાજિક સેવાના નામે ખંડણી ઉઘરાવવા જેવા કાર્ય બંધ કરવ જોઈએ.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપવા માટે કમિશનર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં 1 માર્ચથી 8 માર્ચ સુધીના કાર્યક્રમોની વિગતો અને 15 થી 22 માર્ચ દરમિયાન યોજાનારી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે જણાવવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત, 1 માર્ચના રોજ સવારે 9 કલાકે સરદાર બાગ, મોરબી ખાતે યોગા અને ઝુમ્બા સેશન ફોર વુમન યોજાયું હતું. 2 માર્ચના રોજ સાંજે 7 કલાકે નગર દરવાજા ખાતે ફ્લેશ મોબનું આયોજન કરાયું હતું. જ્યારે 3 માર્ચના રોજ સાંજે 7:30 કલાકે શનાળા પટેલ વાડી ખાતે હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વધુમાં, 5 માર્ચના રોજ સવારે 10 થી 11 વાગ્યા દરમિયાન ઓમ શાંતિ વિદ્યાલય ખાતે સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ તેમજ એડલ્ટ એજ્યુકેશન અવેરનેસ કાર્યક્રમ યોજાશે. 6 માર્ચના રોજ બપોરે 3 કલાકે સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર સ્વ-નિરીક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 6 અને 7 માર્ચના રોજ સવારે 9 કલાકે મહાપાલિકાની મુખ્ય કચેરીએ 'અ ડે વિથ કમિશનર' કાર્યક્રમ યોજાશે. 7 માર્ચના રોજ સાંજે 7 કલાકે ડી-માર્ટ ખાતે નુક્કડ નાટક અને મકનસર ક્રિકેટ મેદાન ખાતે મહાપાલિકાના મહિલા સ્ટાફ માટે ક્રિકેટ મેચનું આયોજન કરાયું છે. 8 માર્ચના રોજ વિકાસ વિદ્યાલય ખાતે 'મસ્તી સ્ટ્રીટ' અને સરદાર બાગ ખાતે 'મહિલા સશક્તિકરણ અને સમાજમાં ભૂમિકા' વિષય પર સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત, 15 થી 22 માર્ચ સુધી મકનસર ક્રિકેટ મેદાન ખાતે 'ઓલ મોરબી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ'નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
4 વર્ષથી નાસતો ફરતો ઘરફોડ ચોર ઝડપાયો:જલાલપોર ચોરી કેસનો આરોપી સુરેન્દ્રનગરથી દબોચાયો
નવસારી SOGએ 4 વર્ષથી નાસતા ફરતા ઘરફોડ ચોરીના આરોપીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. જલાલપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો આ આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે. વર્ષ 2022માં જલાલપોર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 457, 380 અને 114 હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સુનીલભાઈ કરમસીંહભાઈ કામલીયા (રહે. ખડકુઇ, જી. જાંબુઆ, મધ્યપ્રદેશ) છેલ્લા ચાર વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલની સૂચના મુજબ, SOG ઇન્ચાર્જ પી.આઈ. પી.વાય. ચિત્તેના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી. દરમિયાન, SOGના પોલીસ કોન્સ્ટેબલ ધીરજભાઈ રત્નાભાઈને બાતમી મળી હતી કે આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામના દંગા પડાઉ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક વોચ ગોઠવી આરોપી સુનીલ કામલીયાને દબોચી લીધો હતો. ધરપકડ બાદ આરોપીનો કબજો વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે જલાલપોર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સફળ કામગીરીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.વાય. ચિત્તે, એ.એસ.આઇ. નઇમખાન ડોસખાન, એ.એસ.આઇ. દિનેશભાઇ ફુલસીંગભાઇ, પો.કો. ધીરજભાઇ રત્નાભાઇ અને પો.કો. રાહુલભાઇ ભવાનભાઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
ઈડરના બડોલીમાં સગીરા પર દુષ્કર્મ:આરોપીને 20 વર્ષની સજા, પીડિતાને વળતર ચૂકવવા આદેશ
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલી ગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે પીડિત સગીરાને વિક્ટીમ કોમ્પનસેશન યોજના હેઠળ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. ચાર વર્ષ અગાઉ, બડોલી ગામના મનોજ ઉર્ફે મનુભાઈ ગોવિંદભાઈ સુરતી (ઠાકોર) એ ગામની એક સગીરાને લલચાવી-ફોસલાવીને તેના વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. ઈડરના સરકારી વકીલ પ્રણવભાઈ સોનીએ આપેલી માહિતી મુજબ, આરોપી સગીરાને કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે લઈ ગયો હતો, જ્યાં તેણે ભાડાના મકાનમાં રાખીને સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે તત્કાલિન સમયે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ કર્યા બાદ ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા આધાર-પુરાવાઓને ન્યાયાધીશે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે આરોપી મનોજ સુરતીને કાયદાની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખ્ત કેદ અને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. સાથે જ, ભોગ બનનાર સગીરાને રૂપિયા 35 હજારનું વળતર તથા વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.
ગઢડામાં આહિર સમાજ દ્વારા આયોજિત દેવી ભાગવત સપ્તાહમાં ભાવનગર-બોટાદના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને ઘનશ્યામભાઈ વિરાણી સહિતના અન્ય આગેવાનોએ પણ હાજરી આપી હતી. આ દેવી ભાગવત સપ્તાહનું આયોજન ગઢડામાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ માતાજી મંદિર ખાતે કરવામાં આવ્યું છે. ગઢડા આહિર સમાજ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વરના સાબર સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત રાજ્યકક્ષાની U-14 બહેનોની ફૂટબોલ સ્પર્ધાની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ સ્પર્ધામાં જામનગર રૂરલની ટીમે વડોદરા સિટીને હરાવી વિજય મેળવ્યો હતો, જ્યારે વડોદરા સિટી રનર્સ અપ રહી હતી. અમદાવાદ રૂરલની ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ રાજ્યકક્ષાની U-14 બહેનોની ફૂટબોલ સ્પર્ધાનો પ્રારંભ 23 ફેબ્રુઆરીએ થયો હતો, જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો. લીગ મેચો રમાયા બાદ ફાઇનલ રાઉન્ડ માટે ટીમોની પસંદગી કરવામાં આવી હતી. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ રૂરલ અને રાજકોટ સિટી વચ્ચે ત્રીજા સ્થાન માટેની મેચ રમાઈ હતી, જેમાં અમદાવાદ રૂરલે વિજય મેળવી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ જામનગર રૂરલ અને વડોદરા સિટી વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી. જામનગર રૂરલે 2-0ના સ્કોરથી વડોદરા સિટીને હરાવી ચેમ્પિયનશીપ જીતી હતી. ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ વિજેતા, રનર્સ અપ અને ત્રીજા સ્થાને આવેલી ટીમોના ખેલાડીઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે સાબરકાંઠાના DSO એમ.એન. ચૌધરી અને DSDO ત્રિવેણીબેન સરવૈયા સહિત સંકુલના અધિકારીઓ અને ફૂટબોલ કોચ સુનીત આઝાદ ઉપસ્થિત રહ્યા હતા.
વલ્લભ વિદ્યાનગર સ્થિત CVM યુનિવર્સિટીએ ગ્રીસ, રોમાનિયા અને માલડોવાની યુનિવર્સિટીઓ સાથે મહત્વના સમજૂતી કરાર (MoU) કર્યા છે. આ કરારનો હેતુ યુનિવર્સિટીને વૈશ્વિક શૈક્ષણિક નકશા પર મજબૂત સ્થાન અપાવવાનો છે. આ મુલાકાત દરમિયાન રોમાનિયાની પેટ્રોલિયમ યુનિવર્સિટી અને એકેડમી ઓફ ઇકોનોમિક સ્ટડીઝ ઓફ માલડોવા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહકારના દ્વાર ખુલ્યા છે. CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે વિદેશી પ્રતિનિધિઓનું સ્વાગત કરી યુનિવર્સિટીના વૈશ્વિક દ્રષ્ટિકોણની રજૂઆત કરી હતી. આ MoU અંતર્ગત સંયુક્ત સંશોધન, વિદ્યાર્થી અને પ્રાધ્યાપક વિનિમય (એક્સચેન્જ) કાર્યક્રમો, આંતરરાષ્ટ્રીય સેમિનાર અને અભ્યાસક્રમ વિકાસ જેવા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. રજિસ્ટ્રાર ડૉ. સંદીપ વાલીયાએ પ્રતિનિધિમંડળને સંસ્થાની ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સામાજિક પ્રતિબદ્ધતાથી માહિતગાર કર્યા હતા. આ કરારથી વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ જગતના નિષ્ણાતોનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ થશે. ખાસ કરીને વિનયન (Arts) અને લલિત કલા (Fine Arts) ક્ષેત્રના વિદ્યાર્થીઓ માટે આ કરાર માઈલસ્ટોન સાબિત થશે. ફાઈન આર્ટસના ડીન કનુ પટેલના સક્રિય પ્રયાસોથી થયેલા આ MoU દ્વારા હવે કલાના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન, વર્કશોપ અને પ્રોફેશનલ પ્લેટફોર્મ મળશે. સાહિત્ય, ચિત્રકલા અને સંગીત જેવા ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને રોજગારીની નવી વૈશ્વિક તકો ઊભી થશે. ભીખુભાઈ પટેલે આ અભિગમને આવકારી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા.
ભાવનગર LCB અને પેરોલ ફ્લો ટીમે શહેરના નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરી આવતી કાર ઝડપી પાડી કાર સાથે રહેલા બે શખસની ધરપકડ કરી. કારની તપાસ કરતા કારના ડેશબોર્ડ તથા કારના ત્રણ દરવાજાના પડીયા તથા પાછળના ભાગે આવેલ બમ્પર તથા બ્રેક લાઈટોમાં છુપાવેલી વિદેશી દારૂની 113 બોટલ મળી આવી હતી. પોલીસે આ દારૂની બોટલો કાર અને મોબાઈલ મળી કુલ 6.48 લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર દારુના જથ્થા સાથે કાર અમદાવાદથી ભાવનગર આવતી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી અનુસાર ભાવનગર LCB અને પેરોલ ફ્લર્લો સ્ક્વોડનાં પોલીસ સ્ટાફ શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી કે, મારુતિ સુઝુકી રિટઝ ફોર વ્હીલ.નં. UP- 16.Y- 0076 અમદાવાદ તરફથી ભાવનગર તરફ આવી રહી છે અને તેમાં ગેરકાયદેસર ઈગ્લીશ દારૂનો જથ્થો ભર્યો છે. આ બાતમીના આધારે પોલીસ ભાવનગર-અમદાવાદ હાઈ-વે પર શીવ પેટ્રોલિયમ સામે જાહેર રોડ ઉપર વોચમાં હતા. કારના ડેશબોર્ડથી લઈને બ્રેકલાઈટમાં અલગ-અલગ વિદેશી દારુની બોટલો મળીઆ દરમિયાન ફોર વ્હીલ આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા ફોર વ્હીલની આગળના ડેશબોર્ડ તથા ત્રણ દરવાજાના પડીયા તથા પાછળના ભાગે આવેલ બમ્પર તથા બ્રેક લાઈટો ખોલી તેમાં છુપાવેલી અલગ-અલગ બ્રાન્ડની 113 વિદેશી દારૂની બોટલ કુલ 3,43,720નો મુદામાલ કબ્જે કરી કાર, વિદેશી દારૂ, એક મોબાઈલ મળી કુલ 6,48,720 નો મુદામાલ કબજે કરી કાર સાથે રહેલા ઘમંડારામ લાધુરામ ખીચડ બિશ્નોઈ ઉ.વ.28 રહે. રાજસ્થાન અને કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા ઉ.વ.29 રહે. જામનગરનો મળી આવતા બંનેની ધરપકડ કરી તેના વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમોના પાલન અને મેન પાવર અંગે ચીફ જજની બેંચ દ્વારા સુઓ મોટો અરજી લેવામાં આવી હતી. જેની ઉપર આજે સુનાવણી યોજાઇ હતી. જેમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને અમદાવાદ શહેરમાં 650 ટ્રાફિક બ્રિગેડ જવાનોની ભરતી 4 જાન્યુઆરીએ પૂર્ણ કરાઈ છે. જેઓને ગોમતીપુર પોલીસ ઓફિસે ટ્રેનિંગ આપવામાં આવી હતી. તેમાંથી 444 અપોઇન્ટ થઈ ચૂક્યા છે અને બાકીના ટ્રેનિંગમાં છે. તેઓ બોડી વોર્ન કેમેરા સાથે ટ્રાફિક જંક્શન તેમજ મહત્વના સ્થળોએ ટ્રાફિક હેન્ડલ કરશે. આ વ્યવસ્થા અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કામચલાઈ ધોરણે કરાઈ છે. ઓથોરિટીએ આગામી 5 વર્ષની જરૂરિયાતને લઈ આયોજન કરવું જોઈએકોર્ટે કહ્યું હતું કે, ટ્રાફિક પોલીસમાં સંખ્યાબળ વધારવાની જરૂરી છે, આ તો કામચલાઉ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કેટલા વર્ષથી ટ્રાફિક વિભાગમાં નવી પોસ્ટ ઊભી કરાઈ નથી. સરકારી વકીલે જણાવ્યું હતું કે ટ્રાફિક વિભાગમાં નવી 400 પોસ્ટ સેંકશન કરાઈ છે. કોર્ટે કહ્યું હતું કે, ઓથોરિટીએ આગામી 5 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. શહેરના એક એક વિસ્તારમાં ટ્રાફિકના જવાનો વધુ હોય છે, જ્યારે અમુક જગ્યાએ હોતા જ નથી. રિસર્ચ એન્ડ પ્લાનિંગ માટે AI મદદરૂપ થઈ શકે છેસરકારી વકીલે કહ્યું હતું કે, શહેરની આગામી સમયની જરૂરિયાતોને પહોંચી વળવા કેટલો મેનપાવર જોઈશે તેના ગ્રાઉન્ડ ઉપરના અભ્યાસ માટે એક્સપર્ટ બીડ મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર એક જ બીડ મળી છે. ગુજરાતની ત્રણ મોટી યુનિવર્સિટી સાથે વાત થઇ છે, પરંતુ ભવિષ્યના મેન પાવર માટે રિસર્ચની એક્સપર્ટાઈઝની ફિલ્ડ ત્યાં નથી. કોર્ટે કહ્યું હતું કે રિસર્ચ એન્ડ પ્લાનિંગ માટે AI મદદરૂપ થઈ શકે છે. સરકારી વકીલે હળવી શૈલીમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં આવતી 10 અરજીમાંથી 1 અરજી AIથી બનેલી આવે છે. આ અંગે આગામી સુનવણી 10 એપ્રિલે યોજાશે. જેમાં સરકાર ભવિષ્યના મેન પાવરની જરૂરિયાત અંગે જવાબ રજૂ કરશે. આગામી વર્ષોમાં ટ્રાફિક કેવો હશે?ગત સુનવણીમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસની જરૂરિયાત અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને આગામી 15 વર્ષ માટે શહેરનું આયોજન કેવું હશે તે માટે એક્સપર્ટ એજન્સીઓ પાસેથી ટેન્ડર મંગાવવામા આવ્યું છે. આગામી વર્ષોમાં ટ્રાફિક કેવો હશે, રોડ અને ટ્રાન્સપોર્ટ માટે વિઝન, મેનપાવર અને ટેક્નોલોજીનો ઉપયોગનો સંગમ કરવામાં આવશે. 13 નવેમ્બર સુધી ટેન્ડર ભરવાની તારીખ રાખવામાં આવી છે. જેનો રીપોર્ટ 15 સપ્તાહમાં આપવાનો રહેશે. આ માટે ચાર સિનિયર પોલીસ ઓફિસરની કમિટી બનાવવામા આવી છે. જેના ચેરમેન IGP ટ્રાફિક છે. ગૃહ વિભાગ દ્વારા મેનપાવરને લઈને ફ્રેશ એસેસમેન્ટ કરવામાં આવશે. કોર્ટે સૂચન કર્યું હતું કે, આજની અને ત્યારબાદના 5 વર્ષમાં કેટલા મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર હશે તે નક્કી કરવામાં આવે. વર્તમાનમાં અમદાવાદ શહેરના મોટા ચાર રસ્તાઓ ઉપર પણ હોમગાર્ડને મૂકવામા આવે છે. કારણ કે તમારી પાસે પૂરતો ટ્રાફિક સ્ટાફ નથી. તમે કોમનવેલ્થ અને ઓલિમ્પિક યોજવાનું આયોજન કરવા જઈ રહ્યા છો તો તે મુજબ એસેસમેન્ટ કરો. રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂરઅગાઉની સુનવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની જરૂર છે. આગામી સમયમાં આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરાશે. જેની જાહેરાત બહાર પાડવામાં આવશે. 1315 માંથી અમદાવાદમાં 200 ટ્રાફિક કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે. આગામી 15 વર્ષ માટે પોલીસની જગ્યાઓને લઈને થર્ડ પાર્ટી એક્સપર્ટ સલાહ લેવાઈ રહી છે. જો કે કોર્ટે કહ્યું હતું કે વર્તમાન સમયમાં રાજ્યમાં વસ્તીના હિસાબમાં પોલીસની જરૂરિયાત અંગે સ્પષ્ટતા નથી. આ માટે એનાલીસીસ જરૂરી છે. ટ્રાફિક પોલીસની કેટલી જરૂર છે ? ભવિષ્યમાં કેટલી જરૂર પડશે ? આ સાથે જ કોર્ટે આ મુદ્દે ગૃહ વિભાગના સેક્રેટરીને પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કરવા અગાઉ જણાવ્યું હતું. પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરેઅગાઉની સુનવણીમાં કોર્ટને જણાવ્યું હતું કે, હતું કે ટ્રાફિક પોલીસની જગ્યા બિન હથિયારધારી પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવે છે. સીધી ભરતી અંતર્ગત જ ટ્રાફિક પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. વર્તમાન ભરતી ટૂંકા અને મધ્યમ ગાળાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. ટ્રાફીક પોલીસ માટે કોઈ અલગ કેડર નથી. આમ કરવામાં આવે તો પ્રમોશન સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. જેથી રોટેશન કરીને ટ્રાફિક પોલીસમાં પોલીસને તૈનાત કરવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીને ભલે આખું જીવન ટ્રાફિક વિભાગમાં રાખવામાં ના આવે, પરંતુ પોલીસ ભરતી બોર્ડ રોટેશન અંગે નિર્ણય કરે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે બે શખસને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કિશોર સહિત બેને અટકાવ્યાંLCB સ્ટાફના માણસો જ્યારે સરકારી અને ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એ.એસ.આઈ પિયુષકુમાર અને હેડ કોન્સ્ટેબલ રમેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે, રાજપુર કલાપી હોટેલ પાસેથી શંકાસ્પદ વાહનો પસાર થવાના છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે ઠાકોર દીપક જીવણજી હજુજી (ઉં.વ. 19, રહે. ઈરાણા, તા. કડી) તથા તેની સાથેના એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને અટકાવ્યા હતા. તપાસમાં બાઈક ચોરીના હોવાનું સામે આવ્યુંપોલીસે તેમની પાસેથી નંબર પ્લેટ વગરના બે મોટરસાયકલ કબજે કર્યા હતા, જેમાં એક બજાજ કંપનીનું વિક્રાંત V12 અને બીજું હીરો કંપનીનું HF ડિલક્સ સામેલ છે. પોલીસ તપાસમાં એન્જિન અને ચેસીસ નંબરના આધારે વિગતો મેળવતા જાણવા મળ્યું હતું કે આ બંને બાઈક અમદાવાદ જિલ્લાના નારણપુરા પોલીસ સ્ટેશન અને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયા હતા. આ અંગે ફેબ્રુઆરી 2026માં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબ ગુનાઓ નોંધાયેલા હતા. બાળ કિશોરના વાલીને નોટિસપોલીસે અંદાજે રૂ. 35000ની કિંમતના બંને બાઈક ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ કબજે કર્યા છે. આ મામલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરના વાલીને નોટિસ આપવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી દીપક ઠાકોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને આગળની તપાસ અર્થે નંદાસણ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રવિવારે એક મહિનામાં ત્રીજો પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. જેમાં રાજકોટનાં જુદા-જુદા 7 વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે. વોટર મેનેજમેન્ટ યુનીટ દ્વારા શહેરના જળ વિતરણ માળખાને સુદ્રઢ બનાવવા અને સ્વચ્છ પાણી પૂરું પાડવાના આશયથી સમયાંતરે હેડવર્કસ પર આવેલા ગ્રાઉન્ડ સ્ટોરેજ રિઝર્વોયર (GSR) ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. આ શુદ્ધિકરણની પ્રક્રિયાના ભાગરૂપે આગામી રવિવાર, તા. 01-03-2026 ના રોજ રવિવારે પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે રવિવારે રજાના દિવસે જ હજારો પરિવારોએ પાણી વિના મુશ્કેલી વેઠવી પડશે. મહાનગરપાલિકાનાં વિતારવર્ક્સ વિભાગના ઈજનેરનાં જણાવ્યા મુજબ, આજી-30 ઇંચની પાઇપલાઇન આધારિત વિસ્તારો અને ચંદ્રેશનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરાશે. આ કારણે વોર્ડ નં. 4, 5, 6, 8, 11, 13 અને 15નાં આંશિક (પાર્ટ) વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે કોર્પોરેશન દ્વારા પાણીના ટાંકા તેમજ સંપની સફાઈનાં બહાને અવારનવાર આવા પાણીકાપ ઝીંકવામાં આવે છે. ગત 31 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રીજો પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. ત્યારે રવિવારે રજાના દિવસે પાણી નહીં મળવાને કારણે ગૃહિણીઓ અને નોકરીયાત વર્ગમાં રોષ જોવા મળી શકે છે. કયા વોર્ડના કયા વિસ્તારોમાં પાણી નહીં આવે? વોર્ડ નંબર 4 (આજી 30 લાઈન આધારિત):રીધી સીધી, ગાંધી સ્મૃતિ, મહાકાળી સોસાયટી, શિવમ પાર્ક 1 થી 6, ગાંધી સોસાયટી 1 થી 5, જય નંદ નગર, વિજય વંત 1 થી 3, બેડીપરા (પાર્ટ), બોરીચા સોસાયટી, ત્રિમૂર્તિ ચોક, સીતારામ રોડ (પાર્ટ), બેચાર મારાજ શેરી, આયસબાપીર રોડ, વાંઢા પીપળ વારી શેરી, કાબા કુંભાર વારી શેરી, નંદ નગર, લંગડા હનુમાન વારી શેરી, ભલા ભરવાડ શેરી, ગંગેશ્વર મહાદેવ મેઈન રોડ, નંદનવન, મીયાનાવાસ, મહાત્મા ગાંધી પ્લોટ 1 થી 12, ખોડીયાર પરા 1 થી 3, લાતી પ્લોટ 1 થી 17, ધરમ નગર 1 થી 4, ભગવતીપરા 1 થી 22, શાંતિ નગર અને શ્રમજીવી સોસાયટી. વોર્ડ નંબર 5 (આજી 30 લાઈન આધારિત):આર્યનગર, બ્રાહ્મણીયાપરા-10 થી 21, ગધીયાનગર-2, ન્યુ ગાંધી સોસા., કૈલાશધારા સોસા., કેયુંરપાર્ક, મોતીબાગ, નન્દુબાગ, ન્યુ શક્તિ સોસા., રણછોડનગર, રત્નદીપ સોસા. (પાર્ટ) અને ત્રિવેણી સોસા.વોર્ડ નંબર 6 (આજી 30 લાઈન આધારિત):શ્રી રણછોડનગર, ચંપક નગર, બ્રહમણિયાપરા, શીંગળા પ્લોટ, ગઢીયા નગર, શક્તી સોસા. (ફાયર બ્રિગેડ), ગીરનારી શેરી, સીતારામ રોડ, સેફી કોલોની, ફકરી પાર્ક, બદ્રી હાઉસ, પાંજળાપોલ, મનહરપરા, બેડીપરા શ્રમજીવી, ચુનારાવાડ, સીતારામ નગર, મયુર નગર, મયુર નગર મફ્તીયા પરા, સિલ્વરનેસ્ટ સોસા. અને શક્તી ઈન્ડસ્ટ્રી. વોર્ડ નંબર 15 (આજી 30 લાઈન આધારિત):આંનદનગર, આજી જી.આઈ.ડી.સી., ભરતનગર, પોલીટેકનીક, આઈ.ટી.આઈ., ખોડીયારપરા સંપૂર્ણ (શે.ન.-1 થી 40), આજી વસાહત સંપૂર્ણ (શે.ન.-1 થી 6), આંબેડકરનગર સંપૂર્ણ (શે.ન.-1 થી 14), ન્યુ સર્વોદય સંપૂર્ણ (શે.ન.-1 થી 13), અવધપાર્ક સંપૂર્ણ (શે.ન.-1 થી 4), ક્રિષ્ના પાર્ક 1 તથા 2, સર્વોદય સોસા. સંપૂર્ણ (શે.ન.-1 થી 5), રામનગર સંપૂર્ણ (શે.ન.-1 થી 10), આરાધના સોસા., નવા થોરાળા, ગોકુલપરા, વણકરવાસ સંપૂર્ણ (શે.ન.-1 થી 6), કસ્તુરબા હરીજનવાસ, વિનોદનગર, કુબલીયાપરા, બાપા સીતારામનગર, લાખાજીરાજ ઉદ્યોગનગર સંપૂર્ણ (શે.ન.-1 થી 14), ગંજીવાડા શે.ન.-1 થી 18, 41, 42, 43, 65, 69, 70, 76 તથા 77, મેરામબાપાની વાડી સંપૂર્ણ (શે.ન.-1 થી 4), મનહર સોસા. સંપૂર્ણ (શે.ન.-1 થી 7), શિવાજીનગર પાર્ટલી શે.ન.-1 થી 12 અને વર્ધમાન ઇન્ડસ્ટ્રીયલ એરિયા. વોર્ડ નંબર 8 (ચંદ્રેશનગર હેડવર્કસ):લક્ષ્મીસનગર, નંદ કિશોર સોસા., રાધાનગર, પટેલ પાર્ક, પુર્ણિમા સોસા., જયશકિત સોસા., દાસીજીવણપરા, કરણ પાર્ક, વિદ્યુતનગર, ભકિતધામ, દેવનગર અને મેધમાયાનગર. વોર્ડ નંબર 11 (ચંદ્રેશનગર હેડવર્કસ):માયાણીનગર આવાસ યોજના, માયાણીનગર-પાર્ટ, વિશ્વનગર આવાસ યોજના, વિશ્વનગર-પાર્ટ, સિલ્વકર હાઇટસ એપા., વિરલ સોસા., નહૈરૂનગર સોસા., નહેરૂનગર અધાટ, પટેલ પાર્ક, આદિત્યગ પાર્ક, ગીરનાર સોસા., સરદારનગર, ચામુંડાનગર-પાર્ટ, અલ્કાર સોસા.-પાર્ટ, ઉદયનગર-1, પુનમ સોસા.-પાર્ટ અને ઓમનગર-પાર્ટ-(બી). વોર્ડ નંબર 13 (ચંદ્રેશનગર હેડવર્કસ):અલ્કા સોસા., ચંદ્રેશનગર, અમરનગર, ઉદ્યોગનગર, મવડી પ્લોટ, નવરંગ પરા, મણીનગર, મહાદેવ વાડી, પરમેશ્વર કોલોની, રામેશ્વર પાર્ક, પટેલવાડી, એમ.પી. પાર્ક, જમુના પાર્ક, દીવાન પાર્ક, પૂજા પાર્ક અને શોભાના પાર્ક. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાપાલિકાએ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સફાઈની આ કામગીરી અનિવાર્ય હોવાથી પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવો અને સહકાર આપવો જરૂરી છે. ઉનાળામાં લોકોને સમયસર પાણી મળી રહે તે માટે અત્યારથી સફાઈ કામગીરી થઈ રહી છે. જે અંતર્ગત રવિવારે પાણી વિતરણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. સોમવારથી પાણી વિતરણ રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા છે, પરંતુ રવિવારના કાપને કારણે સોમવારે પાણીનું દબાણ ઓછું રહેવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગ દ્વારા 'શ્રી આઈ.એ. શેરથા લેક્ચર સિરીઝ' અંતર્ગત 'ભારતમાં ડિજિટલ સાર્વભૌમત્વ અને એઆઈ (AI) ગવર્નન્સ' વિષય પર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હ્યુમેનિટીઝ બિલ્ડિંગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. હિમાબિંદુ એમ. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટેક્નોલોજીના યુગમાં ભારતની સુરક્ષા અને નીતિવિષયક પડકારો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. હિમાબિંદુએ તેમના વ્યાખ્યાનમાં ભારતના ડિજિટલ ગવર્નન્સ માળખા, IT નિયમો (2021) અને ડિજિટલ ઇન્ડિયા જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ડિજિટલ ક્ષેત્રે સ્વતંત્રતા મેળવવા માટે ભારતે ટેક્નોલોજીમાં સ્વનિર્ભર બનવું પડશે. આ સંદર્ભે તેમણે ઝોહો સૂટ (Zoho suite) અને મેપ-માય-ઈન્ડિયા (Mappls) જેવા સ્વદેશી પ્લેટફોર્મ્સના ઉદાહરણો આપ્યા હતા. વક્તાએ એઆઈ (AI) ના વિકાસમાં પારદર્શિતા, જવાબદારી અને વપરાશકર્તાઓની પ્રાઈવસી જાળવવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે માત્ર કાનૂની માળખાં બનાવવાથી ડિજિટલ સાર્વભૌમત્વ સુરક્ષિત થઈ શકતું નથી. ડૉ. હિમાબિંદુએ જણાવ્યું કે ડિજિટલ સાર્વભૌમત્વની સુરક્ષા માટે કુશળ સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ અને એઆઈ એન્જિનિયર્સની પણ એટલી જ જરૂર છે. આ કાર્યક્રમમાં વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. વસંત પટેલ અને ડૉ. બળદેવ આગજા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. પ્રિયંકા પટણીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું, જ્યારે ડૉ. અર્પિત પાટડિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. અંતમાં, ધવલ ચૌહાણે વ્યાખ્યાનનો સારાંશ રજૂ કરી આભારવિધિ કરી હતી.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસરે આણંદની એકતા શાહે અંતરિક્ષમાં છ નવા આકાશગંગા સમૂહો શોધી કાઢ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, ડેવિસ ખાતે સંશોધન કરી તેમણે આ સિદ્ધિ મેળવી છે. એકતાએ આ નવા સમૂહોને 'દ્રષ્ટિ, શ્રવણ, સુરભિ, રુચિ, સ્પર્શ અને સ્મૃતિ' જેવા ભારતીય નામો આપ્યા છે. 32 વર્ષીય એકતા શાહ આણંદના એક સામાન્ય સેલ્સમેન અર્જુનભાઈ અને સીવણકામ કરતા લત્તાબેનની પુત્રી છે. તેમનો પરિવાર આણંદમાં એક NRI બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાં 13x13ની ઓરડીમાં રહે છે. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર એકતાએ સાબિત કર્યું છે કે વૈજ્ઞાનિક બનવા માટે ભાષા કે આર્થિક સ્થિતિ અવરોધ બનતી નથી. આણંદની સામાન્ય શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ તેમણે એમ.એસ. યુનિવર્સિટી અને આઈઆઈટી-મુંબઈ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ અમેરિકાની રોચસ્ટર યુનિવર્સિટીમાં એસ્ટ્રોફિઝિક્સમાં પીએચડી માટે પસંદ થયા. સમાજ અને જ્ઞાતિજનોની મદદથી વિદેશ પહોંચેલી એકતાએ નાસા (NASA) અનુદાનિત પ્રોજેક્ટમાં કાર્ય કરી આ સિદ્ધિ મેળવી છે. પોસ્ટડોક્ટરલ રિસર્ચ દરમિયાન એકતાએ નોંધપાત્ર સંશોધન કર્યું કે બ્રહ્માંડના પ્રારંભિક સમયમાં સમૂહમાં રહેતી ગેલેક્સીઓમાં શક્તિશાળી બ્લેકહોલનું પ્રમાણ એકલી ગેલેક્સીઓ કરતા ચાર ગણું વધારે હતું. તેમણે હવાઈ ખાતેના અત્યંત મોંઘા ટેલિસ્કોપ સેન્ટરમાં કાર્ય કરી બ્રહ્માંડના પ્રારંભિક રહસ્યો ઉકેલ્યા છે. હાલમાં એકતા નાસાની 'સબજેક્ટ એક્સપર્ટ પેનલ'માં સામેલ છે. અમેરિકામાં શ્રેષ્ઠ તકો હોવા છતાં, તેઓ ભારત પરત ફર્યા છે અને હાલ આણંદથી જ પોતાનું રિસર્ચ કાર્ય ચાલુ રાખ્યું છે. તેમના સંશોધનમાં ગેલેક્સી અથડામણ બાદ નવા તારાઓના સર્જનની પ્રક્રિયા પર પણ નવો પ્રકાશ પાડવામાં આવ્યો છે.
કરમસદ-આણંદ મનપાની ઝુંબેશ:પ્રતિબંધિત ચાના કપ વેચતા 7 એકમોને ₹27 હજારનો દંડ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ચાના કપના વેચાણ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. મનપાની ટીમે નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આકસ્મિક તપાસ દરમિયાન પ્રતિબંધિત ચાના કપ વેચતા 7 એકમોને ઝડપી પાડ્યા હતા. આ એકમો પાસેથી કુલ ₹27,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કમિશનરની સૂચના મુજબ, વિવિધ વિભાગોની ટીમે આ ઝુંબેશ હાથ ધરી હતી. સેનિટેશન વિભાગ દ્વારા કરાયેલી આ તપાસમાં જાણવા મળ્યું કે રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલા પ્લાસ્ટિકના ચાના કપનો ઉપયોગ અને વેચાણ હજુ પણ ચાલુ છે. તંત્ર દ્વારા ઝડપાયેલા તમામ એકમો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. મનપાના સેનિટેશન વિભાગે શહેરના તમામ ચા વિક્રેતાઓ અને વેપારીઓને પ્રતિબંધિત વસ્તુઓનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવા ચેતવણી આપી છે. જો ભવિષ્યમાં કોઈ એકમ પ્રતિબંધિત પ્લાસ્ટિક કે કપનો ઉપયોગ કરતું જણાશે, તો તેમની સામે વધુ કડક દંડ અને કાયદેસરના પગલાં લેવામાં આવશે.
એક તરફ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ આજે 27 ફેબ્રુઆરીના રોજ રાજપીપલા શહેરની સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજપીપલા સ્થિત પાસપોર્ટ ઓફિસ અને મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો. શું છે સમગ્ર ઘટના?આજે વહેલી સવારે પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ પ્રાપ્ત થયો હતો. આ ઈમેલમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે આ પ્રકારનો ઈમેલ માત્ર રાજપીપલા જ નહીં, પરંતુ ગુજરાતની અનેક પોસ્ટ ઓફિસોમાં મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ત્વરિત કાર્યવાહીઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ અને SOG PI ની સૂચના મુજબ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. તુરંત જ પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસની કચેરીઓને ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા ખૂણેખૂણાની તપાસ કરવામાં આવી. ઓફિસના તમામ રૂમો, અગાસી અને પાર્કિંગ એરિયામાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અફવા કે મોટું ષડયંત્ર?DySP પી. આર. પટેલે જણાવ્યું કે વડોદરાથી મળેલા ઇમેલ બાદ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અમે તમામ કચેરીઓ તપાસી છે. અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે આર્ટિકલ મળી આવ્યા નથી. તપાસના અંતે હાલ પૂરતું કંઈ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી પોલીસ કોઈપણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. હાલમાં આ ફેક ઈમેલ મોકલનાર શખ્સની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
ગઢડા ખાતે દિવ્યાંગજનો માટે એક સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કેમ્પમાં 315 દિવ્યાંગજનોને રૂ. 44 લાખથી વધુની કિંમતના 629 સહાયક ઉપકરણોનું વિતરણ કરાયું હતું. આ કેમ્પ પી.ટી.સી. કોલેજમાં યોજાયો હતો. Indian Oil Corporation Limitedના ગુજરાત રાજ્ય કાર્યાલય દ્વારા CSR યોજના અંતર્ગત આ સાધનો નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. વિતરણ કરાયેલા ઉપકરણોમાં મોટરાઈઝ ટ્રાઈસાયકલ, વ્હીલચેર, બૈસાખી અને શ્રવણ યંત્ર જેવા વિવિધ સાધનોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ, ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી ટુડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, સુરેશ ગોધાણી, મહામંત્રી વનરાજ ડાભી, જયરાજ પટગીર, ધીરુ ગઢવી, ગઢડા નગરપાલિકાના પ્રમુખ કિશોર ખાચર, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભી, શહેર ભાજપ પ્રમુખ વિક્રમ બોરીચા, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ દિવ્યાંગજનોને સહાય પૂરી પાડવા અને તેમને સશક્ત બનાવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે.
અમદાવાદમાં LJ ઇન્ટિગ્રેટેડ MBA - 5 વર્ષના કાર્યક્રમ દ્વારા પર્યાવરણ મિત્ર નામની NGO સાથે મળીને હેકાથોન 7.0નું આયોજન કરવામાં આવ્યું હતું. આ NGO પર્યાવરણ સંરક્ષણ, જાગૃતિ અને ખાસ કરીને અમદાવાદ શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે સક્રિયપણે કાર્યરત છે. હેકાથોન 7.0નું મુખ્ય ધ્યાન અમદાવાદ શહેરમાં ઉત્પન્ન થતા ઘન કચરાની સમસ્યા પર કેન્દ્રિત હતું. વિદ્યાર્થીઓને 'Reduce, Reuse અને Recycle' ના સિદ્ધાંતો પર આધારિત નવીન ઉત્પાદનો અને સેવાઓ ડિઝાઇન કરવા પ્રોત્સાહિત કરાયા હતા, જે ઘન કચરો ઘટાડવામાં મદદરૂપ થાય. આ ઉપરાંત, દરેક ટીમે તેમના વિચારો માટે વિગતવાર બિઝનેસ પ્લાન અને માર્કેટિંગ વ્યૂહરચના પણ તૈયાર કરવાની હતી, જેથી ઉકેલો વ્યવહારુ અને આર્થિક રીતે ટકાઉ બની શકે. આ પ્રકારનો પ્રાયોગિક અભ્યાસ વિદ્યાર્થીઓને વર્ગખંડના સિદ્ધાંતોને વાસ્તવિક જીવનની સમસ્યાઓ સાથે જોડવામાં મદદરૂપ થાય છે. સેમેસ્ટર-6 અને સેમેસ્ટર-8 ના વિવિધ વિદ્યાર્થી જૂથોએ આ હેકાથોન 7.0માં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.હેકાથોન 7.0ના વિજેતાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિએ વિદ્યાર્થીઓમાં નવીનતા, ટીમવર્ક, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સામાજિક જવાબદારી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
રાહી ફાઉન્ડેશન દ્વારા ગોતા સ્થિત ગોકુળ આશ્રમ શાળાને બાળ સાહિત્યના 325 નવા પુસ્તકોનું પુસ્તકાલય ભેટ આપવામાં આવ્યું છે. બાળકોમાં વાંચનની અભિરુચિ વધારવાના ઉદ્દેશ્યથી આ પહેલ કરવામાં આવી છે. આ શાળા 30 વર્ષ જૂની છે અને તેમાં ૧૪૦થી વધુ બાળકો નિવાસી રહીને અભ્યાસ કરે છે. પુસ્તકાલયના ઉદ્ઘાટન પ્રસંગે બાળકો દ્વારા ગીતાના ૧૨મા અને ૧૫મા અધ્યાયના શ્લોકોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન, જયેશ પરીખ લિખિત પ્રેરણાત્મક ચાર પુસ્તકોનો એક સેટ પણ શાળાને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, સમિત શાહ, નિકિતા સોની અને વિરલબેન ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા તરફથી આચાર્ય ભાવેશભાઈ પ્રજાપતિ અને શિક્ષક ગણે કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.
પાટણ સરકારી ઇજનેરી કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટ દ્વારા કતપુર ગામે 'ડિજિટલ સાક્ષરતા અને સાયબર સુરક્ષા જાગૃતિ' અભિયાન યોજાયો હતો. આ અભિયાન કોલેજની સાત દિવસીય વિશેષ શિબિરના ભાગરૂપે હાથ ધરવામાં આવ્યું હતું. શિબિરના ત્રીજા દિવસે રાજપુર ગામમાં પ્રભાત ફેરી યોજી ગ્રામજનોમાં નવી ઉર્જાનો સંચાર કરાયો હતો. આ અભિયાન અંતર્ગત NSS સ્વયંસેવકોએ કતપુર ગામના ઘરે-ઘરે જઈને ગ્રામજનોને આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ સાધનોના ઉપયોગ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે સ્માર્ટફોનનો ઉપયોગ, ઓનલાઈન બેંકિંગ અને સરકારી એપ્લિકેશન્સ જેવી કે UMANG અને DigiLocker વિશે વિસ્તૃત સમજ આપી હતી. સાયબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવા માટે સ્વયંસેવકોએ શેરી નાટકનું આયોજન કર્યું હતું. આ નાટક દ્વારા OTP શેર ન કરવા, અજાણી લિંક પર ક્લિક ન કરવા અને ફેક કોલ્સથી સાવધ રહેવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોતાના નામે કેટલા સિમ કાર્ડ ચાલુ છે તે જાણવાની અને ખોવાયેલા મોબાઈલને બ્લોક કરવાની પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.જો કોઈ પણ પ્રકારની ઓનલાઈન છેતરપિંડી થાય, તો તાત્કાલિક 1930 પર કોલ કરવા અથવા www.cybercrime.gov.in વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવા માટે ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી.
ચુંવાળ વઢિયાળ રામી-માળી જ્ઞાતિનો ૧૪મો સમૂહ લગ્ન મહોત્સવ કડી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગે છ દંપતીઓએ વૈદિક વિધિ અનુસાર પોતાના નવા વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો. આ સમૂહ લગ્ન મહોત્સવના સંપૂર્ણ દાતા તરીકે કલોલના ગીતાબેન સુભાષચંદ્ર રામીએ સેવા આપી હતી. તેમણે તમામ નવદંપતીઓને શુભાશિષ પાઠવ્યા અને કન્યાદાનની પવિત્ર વિધિ નિભાવી. તેમના આ યોગદાનથી સમાજના પરિવારોને મોટી રાહત મળી. આ પવિત્ર પ્રસંગે પરમ પૂજ્ય ગૌભક્ત કાલિદાસ જી મહારાજ (શિવશક્તિ સદગુરુ ધામ) અને ઉર્વશીબા (રાજ રાજેશ્વરી પીઠમ)ની પાવન ઉપસ્થિતિ રહી હતી. તેમના આશીર્વચનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ રસિકભાઈ પ્રહલાદભાઈ રામી અને સચિવ શ્રી મહેશભાઈ રામીના માર્ગદર્શન હેઠળ સમિતિના તમામ સભ્યો અને સેવકોના સમર્પિત પ્રયાસોથી આ મહોત્સવ સફળ રહ્યો. આ સમૂહ લગ્ન મહોત્સવે સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા. અંતે, તમામ નવદંપતીઓને સુખમય, સમૃદ્ધ અને આનંદમય દાંપત્ય જીવન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
સુરત શહેરમાં હાલમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે આકરો તડકો પડવાને કારણે વાતાવરણમાં વાયરસનું પ્રમાણ વધ્યું છે. આ બદલાતા હવામાનની સીધી અસર સુરતીઓના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. સુરતની મજૂરા ગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 300થી વધુ દર્દીઓ શરદી, ખાંસી અને તાવની સારવાર કરાવવા લાંબી લાઈન લગાવી રહ્યા છે. રોજના 300થી વધુ દર્દીઓની સારવારસિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ, દરરોજ આશરે 300 જેટલા દર્દીઓ માત્ર શરદી, ઉધરસ અને તાવના લક્ષણો સાથે નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં બાળકો અને વૃદ્ધોની સંખ્યા સૌથી વધુ છે. સીઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં અચાનક આવેલો આ ઉછાળો આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો લાંબા સમય સુધી રહે છેઃ ડોક્ટરસામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં ઉનાળાની શરૂઆત થતી હોય છે. તાપમાનમાં આવતા અચાનક ફેરફારને કારણે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, જેનાથી વાયરસ ઝડપથી ફેલાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ વખતે વાયરલ ઇન્ફેક્શનના લક્ષણો લાંબા સમય સુધી રહે છે. દર્દીઓને 3થી 5 દિવસ સુધી તીવ્ર તાવ અને ગળામાં દુખાવો રહેવાની ફરિયાદો વધુ જોવા મળી રહી છે. અતિશય ઠંડુ પીણા ગળાના ઇન્ફેક્શનનું મુખ્ય કારણસુરત શહેરમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ નાગરિકોને કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી. જેમાં બપોરની ગરમીમાં લોકો શેરડીના રસ, ઠંડા પીણાં કે ગોળાનું સેવન કરે છે. ડોક્ટરોના મતે બહારનો બરફ અને અતિશય ઠંડા પીણાં ગળાના ઇન્ફેક્શનનું મુખ્ય કારણ બને છે. લારી-ગલ્લા પર વેચાતા ખુલ્લા ખાદ્યપદાર્થો અને વાસી ખોરાકથી દૂર રહેવા જણાવવામાં આવ્યું હતું. લોકોને તપાસ વગર દવા ન લેવા અપીલઘણીવાર લોકો સામાન્ય શરદી સમજીને મેડિકલ સ્ટોરમાંથી પોતાની મેળે દવાઓ લેતા હોય છે, જે જોખમી સાબિત થઈ શકે છે. જો તમને સતત તાવ આવતો હોય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય કે અશક્તિ લાગતી હોય, તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી દવાખાને અથવા સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવી લેવી જોઈએ.
અમદાવાદ શહેરમાં સાયબર ઠગો દિવસેને દિવસે વધુ સક્રિય બની રહ્યા છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા 59 વર્ષીય નિવૃત્ત વ્યક્તિ સાથે ક્રેડિટકાર્ડ અપાવવાના બહાને 2.37 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ફરિયાદીએ એચ.એસ.બી.સી બેન્કનું ક્રેડિટ કાર્ડ મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ અજાણ્યા શખ્સે બેંક અધિકારી બની સંપર્ક કર્યો હતો. ટેક્નિકલ ઈશ્યૂના બહાને દસ્તાવેજો મંગાવી અને પછી લિંક મોકલી વીડિયો કોલ દ્વારા ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી બે અલગ ટ્રાન્ઝેક્શનમાં કુલ 2.37 લાખ ટ્રાન્સફર કરી લીધા હતાં. બીજી તરફ નિકોલ વિસ્તારમાં લગ્ન ફોટોગ્રાફીના ઓર્ડરના બહાને 33 વર્ષીય યુવક સાથે 10 હજાર રૂપિયાની ઠગાઈ થઈ છે. રાજકોટથી કનુભાઈ વાઘેલા તરીકે ઓળખ આપનાર શખ્સે સિનેમેટિક ફોટોગ્રાફી માટે એડવાન્સ રૂપિયા લઈ લીધા હતા. પરંતુ લગ્નના દિવસે ફોન બંધ કરી ગાયબ થઈ ગયો હતો. બંને ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ક્રેડિટકાર્ડ આપવાના બહાને 2.37 લાખની છેતરપિંડીઆંબાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત જીવન ગુજારતા 59 વર્ષીય વ્યક્તિ સાથે સાયબર ઠગીયાઓએ છેતરપિંડી આચરી છે. 59 વર્ષીય ફરિયાદીએ એચ.એસ.બી.સી. બેંકનું ક્રેડિટ કાર્ડ મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. ત્યારબાદ ડિસેમ્બરમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને એચ.એસ.બી.સી બેન્કમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી. ક્રેડિટકાર્ડની એપ્લિકેશનમાં ટેક્નિકલ ઈશ્યૂમાં કારણે એરર આવતી હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીને ઇમેઇલ પર પાનકાર્ડ, પે સ્લીપ મોકલવા કહ્યું હતું. લિંક પર ક્લિક કર્યું ત્યારે સીધો વીડિયોકોલ જનરેટ થઈ ગયો જે બાદ ફરિયાદીએ સ્નેહા પાઠક નામના ઇમેઇલ આઇડી પર ડોક્યુમનેટ મોકલી આપ્યા હતા. 5 ડિસેમ્બરના ફરી ફરિયાદીને ફોન કરીને ઇમેઇલ આઈડી પર લિંક મોકલવામાં આવી હતી. ફરિયાદીને લિંક પર ક્લિક કર્યું ત્યારે સીધો વીડિયોકોલ જનરેટ થઈ ગયો હતો. વીડિયોકોલમાં અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી સાથે વાતો કરીને ક્રેડિટકાર્ડ નંબર લઈ લીધો હતો. જે બાદ પરત જ ફરિયાદીના ક્રેડિટ કાર્ડમાંથી 1,10,217 અને 1,27,980 રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનો મેસેજ ફરિયાદીને મળ્યો હતો. જે બાદ ફ્રોડ થયું હોવાનું સામે આવતા ફરિયાદીએ એ.યુ બેંકના કસ્ટમર કેરમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ 30 દિવસ સુધી રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ અજાણ્યા શખ્સો સામે 2,37,197 રૂપિયાની છેતરપિંડીની સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નિકોલમાં ફોટોગ્રાફર પાસેથી શખ્સ એડવાન્સ રૂપિયા લઈ ફરાર થયોનિકોલમાં રહેતા 33 વર્ષીય રવિરાજ સાથે પણ અજાણ્યા શખ્સોએ છેતરપિંડી આચરી છે. રવિરાજ લગ્નમાં ફોટોગ્રાફીનું કામ કરે છે. 7 અને 8 ફેબ્રુઆરીના ફોટોગ્રાફીનો ઓર્ડર બુક કર્યો હતો. જેમાં સિનેમેટિક ફોટોગ્રાફી કરવાની હોવાથી અન્ય ફોટોગ્રાફરની જરૂર પડી હતી. જેથી ફરિયાદીએ ફોટોગ્રાફરના ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરી હતી. જે બાદ ફોન્ટ કરીને એક વ્યક્તિએ પોતે કનુભાઈને વાઘેલા રાજકોટથી બોલતા હોવાની ઓળખ આપી હતી. પોતે સિનેમેટિક ફોટોગ્રાફર હોવાનું કહ્યું હતું. સરનામું ખોટું હોવાનું સામે આવ્યું ને ભાંડો ફૂટ્યોજેથી ફરિયાદીને તેનું કામ જોયા બાદ ફોટોગ્રાફી માટે કન્ફર્મ કરવા માટે એડવાન્સ 10,000 રૂપિયા આપ્યા હતા. જે બાદ ફરિયાદીએ લગ્નના દિવસે ફોન કરતા ફોન નંબર બંધ આવી રહ્યો હતો. તેમજ લગ્ન પૂરા થયા છતાં એડવાન્સ રૂપિયા લીધા બાદ ફોટોગ્રાફી આવ્યો નહીં. ઓર્ડર લેતા સમયે સરનામું આપ્યું હતું ત્યાં જઈને તાપસ કરતા સરનામું ખોટું હોવાનું સામે આવ્યું હતું. જેથી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવતા ફરિયાદીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સરકારી ઇજનેરી કોલેજ, કતપુર, પાટણ ખાતે 26 ફેબ્રુઆરી, 2026ના રોજ એન.એસ.એસ. સ્પેશિયલ કેમ્પના ત્રીજા દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો સહિત કુલ 27 લોકોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં GMERS મેડિકલ કોલેજ, ધારપુરની ડોકટરોની ટીમ હાજર રહી હતી. એન.એસ.એસ. ટીમે શિબિરનું સંચાલન કર્યું હતું.ડોકટરોની ટીમે કોલેજના આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યક્રમની સફળતા બદલ કોલેજને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સમાજસેવા અને રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલી શક્તિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અખબાર નગર, નવા વાડજ સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમના તમામ વડીલોને ભેટ અર્પણ કરી હતી. તેમણે વડીલોના આશીર્વાદ લીધા અને તેમની સાથે વાતચીત કરી. વૃદ્ધાશ્રમના વડીલોએ બાળકોને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા. તેમણે સમજાવ્યું કે માતા-પિતાને હંમેશા માન-સન્માન આપવું જોઈએ, તેમના કહ્યામાં રહેવું જોઈએ અને મોટા થઈને ઉજ્જવળ કારકિર્દી બનાવીને તેમની સારી રીતે સંભાળ રાખવી જોઈએ. આ મુલાકાત દરમિયાન બાળકોનો વડીલો પ્રત્યેનો પ્રેમ અને વડીલોનો બાળકો પ્રત્યેનો સ્નેહ સ્પષ્ટપણે જોવા મળ્યો. પોતાના પરિવારથી અલગ થયેલા વૃદ્ધો માટે આ ક્ષણો ભાવનાત્મક અને કરુણામય બની રહી. શક્તિ શાળાએ શિક્ષણ કાર્યની સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાના ઉદ્દેશ્યથી આ અનોખો પ્રયાસ કર્યો છે. ટ્રસ્ટી પ્રજ્ઞેશભાઈના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને આ ઉત્તમ કાર્ય કર્યું, જેથી વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંત સામાજિક જ્ઞાન પણ પ્રાપ્ત થાય.
અમદાવાદના 615મા સ્થાપના દિવસની ઉજવણી:માણેકબુર્જ ખાતે પૂજા, કેક કટિંગ અને હેરિટેજ વોક યોજાઈ
અમદાવાદના 615મા સ્થાપના દિવસ નિમિત્તે આર.સી. કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા એલિસબ્રિજ સ્થિત ઐતિહાસિક માણેક બુર્જ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અમદાવાદ શહેરની સ્થાપનાના ઐતિહાસિક સ્થળ, જ્યાં પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી, ત્યાં પરંપરાગત પૂજા-અર્ચના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કેક કાપીને અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહેરના ઐતિહાસિક ગૌરવ પ્રત્યે યુવાનોમાં ગર્વની ભાવના વિકસાવવાનો હતો. ઉજવણી બાદ વિદ્યાર્થીઓને અમદાવાદના સમૃદ્ધ ઐતિહાસિક વારસાથી પરિચિત કરાવવા માટે માણેકથી માણેક સુધીની હેરિટેજ વોકનું આયોજન થયું. આ હેરિટેજ વોકને મેયર દ્વારા ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. ધ દૂરબીન સંસ્થા દ્વારા આ વોકનું સંચાલન કરાયું હતું. સંસ્થાના માર્ગદર્શક પાર્થ શર્માએ વિદ્યાર્થીઓને અમદાવાદના ગૌરવપૂર્ણ ઇતિહાસની વિસ્તૃત માહિતી આપી હતી. આ વોક દરમિયાન માણેક બુર્જ, રોયલ મોસ્ક, ભદ્ર કિલ્લો, નગર દેવીનું મંદિર, વાડીલાલની પ્રથમ આઉટલેટ, જામા મસ્જિદ, દલપતરામનો ઓટલો અને રાણીનો હજીરો જેવા વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાઈ. દરેક સ્થળના ઇતિહાસ, સ્થાપત્ય અને સાંસ્કૃતિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી અપાઈ. આ પ્રસંગે કોલેજના પ્રા. ડૉ. પરિમલ ઉપાધ્યાયે જણાવ્યું કે અમદાવાદને વિશ્વ હેરિટેજ સિટી તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું છે,ત્યારે વિદ્યાર્થીઓને શહેરના ઐતિહાસિક ગૌરવ અને વારસાની જાણકારી આપવી અત્યંત આવશ્યક છે. આવા કાર્યક્રમો દ્વારા યુવા પેઢીમાં પોતાના શહેર પ્રત્યે લાગણી અને જવાબદારીની ભાવના વિકસે છે. પ્રા. ડૉ. ચિંતન પંડ્યાએ ઉમેર્યું કે વિદ્યાર્થીઓ પોતાની શહેરની સ્થાપનાની કથા અને મૂળ સ્થળ વિશે જાણે અને તે જ સ્થળે જઈ ઉજવણી કરે, તેનાથી વધુ અર્થસભર કાર્યક્રમ આજના દિવસે બીજો કોઈ હોઈ શકે નહીં. આ કાર્યક્રમમાં કોલેજના પ્રા. ભરત ભાટી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન કોલેજના આચાર્ય સાગર દવે દ્વારા આપવામાં આવ્યું હતું.આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓને અમદાવાદના ઐતિહાસિક વારસાનો જીવંત અનુભવ મળ્યો અને પોતાના શહેર પ્રત્યે ગૌરવની ભાવના વધુ મજબૂત બની.
ઊંઝાની વિ.મ. પટેલ પ્રાથમિક શાળા દ્વારા તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે પિકનિક અને શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલમંદિરથી ધોરણ 4ના વિદ્યાર્થીઓએ APMC ગાર્ડનની મુલાકાત લીધી હતી, જ્યારે ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ ગાંધીનગરના સાયન્સ સિટી અને અક્ષરધામ મંદિરના પ્રવાસે ગયા હતા. 19 ફેબ્રુઆરી, 2026ના રોજ ગુરુવારે, બાલમંદિરથી ધોરણ 4ના બાળકોને ઊંઝાના APMC ગાર્ડન ખાતે પિકનિક માટે લઈ જવામાં આવ્યા હતા. વાલીઓના સહયોગથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 10:30 કલાકે બાળકો ગાર્ડન પહોંચ્યા હતા. શિક્ષકોની દેખરેખ હેઠળ બાળકોએ હિંચકા, લપસણી અને વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો. ત્યારબાદ બટાકા પૌવા અને વાલી કિરણભાઈ પરમાર તરફથી બિસ્કિટનો નાસ્તો કરવામાં આવ્યો હતો. બપોરે 3:30 કલાકે બાળકો શાળામાં પરત ફર્યા હતા. 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંગળવારે, ધોરણ 5 થી 8ના બાળકોને ગાંધીનગરના સાયન્સ સિટી અને અક્ષરધામ મંદિરના શૈક્ષણિક પ્રવાસ માટે લઈ જવામાં આવ્યા હતા. સવારે 6:30 કલાકે ઊંઝાથી પ્રવાસની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ, વિદ્યાર્થીઓએ ત્રિમંદિરના દર્શન કરી ચા-નાસ્તો કર્યો હતો. ત્યારબાદ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. બપોરના ભોજન બાદ દાંડીકુટીર (ગાંધીનગર) અને અક્ષરધામ મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. સાંજે ભોજન લીધા બાદ રાત્રે 11 કલાકે તેઓ ઊંઝા પરત ફર્યા હતા. આ સમગ્ર પિકનિક અને પ્રવાસના આયોજનમાં શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ અને સમસ્ત સ્ટાફ પરિવારે સહયોગ આપ્યો હતો. બાળકોએ આખો દિવસ ખૂબ આનંદ માણ્યો હતો.
ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDXથી ઉડાવવાની ધમકી:ભરૂચ હેડ પોસ્ટ ઓફિસમાં ખળભળાટ, બોમ્બ સ્ક્વોડની તપાસ
સમગ્ર ગુજરાતની પાસપોર્ટ કચેરીઓને RDXથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા સુરક્ષા તંત્ર સક્રિય બન્યું છે. ભરૂચ શહેરની હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને પણ સમાન ઈ-મેઈલ મળતા ખળભળાટ મચી ગયો હતો. ધમકીભર્યો ઈ-મેઈલ હેડ પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડન્ટના અધિકૃત ઈ-મેઈલ આઈડી પર પ્રાપ્ત થયો હતો. આ ઈ-મેઈલ મળતા જ કચેરીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તાત્કાલિક સુરક્ષાના પગલાં રૂપે કચેરી ખાલી કરાવી તમામ કર્મચારીઓ અને હાજર અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ બી-ડિવિઝન પોલીસ, SOG અને અન્ય પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યારબાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમે કચેરી તેમજ આસપાસના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ધમકીભર્યો ઈ-મેઈલ કોણે અને કયા સ્થળેથી મોકલ્યો તેની દિશામાં સાયબર ક્રાઈમ શાખાએ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને ધમકી મળવાના બનાવો સામે આવ્યા હતા. હાલની ઘટનાના કારણે પાસપોર્ટ માટે પૂર્વનિયોજિત એપોઇન્ટમેન્ટ ધરાવતા વિવિધ જિલ્લાઓમાંથી આવેલા અરજદારોને અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો, ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાઓને કારણે. પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે અને પ્રાથમિક તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
SKP ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડાકોરના પદયાત્રીઓ માટે નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ફાગણ સુદ પૂનમના પવિત્ર અવસરે, તારીખ 1 માર્ચ 2026 સુધી રાધે એલીગન્સ મહેમદાવાદ રોડ હાથીજણ સર્કલ, હાથીજણમાં કેમ્પ રાખવામાં આવ્યો છે. પદયાત્રીઓ માટે 24 કલાક સતત સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવી. એટલું જ નહીં ચા-નાસ્તો, શુદ્ધ પીવાનું પાણી, બપોરે અને રાત્રે પાકું ભોજન (પ્રભુ પ્રસાદ ભંડારો) નો સમાવેશ થાય છે.આ ઉપરાંત, મેડિકલ સેવા, આરામ માટે વિશ્રામની સુવિધા અને એમ્બ્યુલન્સ સેવા પણ સતત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવાઓ રણછોડરાયજીના દર્શનાર્થે જતા તમામ પદયાત્રીઓ માટે છે.
સુરત શહેરના પોશ ગણાતા પીપલોદ વિસ્તારમાં આજે એક ગંભીર રોડ એક્સિડન્ટની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક લક્ઝરી કાર અચાનક કાબૂ બહાર જઈ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને જોતજોતામાં હવામાં 180 ડિગ્રી સુધી ફંગોળાઈને પલટી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના રૂંવાડા ઉભા કરી દે એવા લાઈવ દૃશ્યો નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયા છે. ક્ષણવારમાં જ કારનો કચ્ચરઘાણ બોલી ગયોવાયરલ થયેલા CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કાળા રંગની હોન્ડા કાર (નંબર DL 03 CCR 3988) રસ્તા પરથી પસાર થઈ રહી હતી. અચાનક ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર ધડાકાભેર રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે, કાર હવામાં ફંગોળાઈ અને પલટી મારી ગઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે કાર તરફ દોડી આવ્યા હતા. સ્કૂલના ફંકશનમાંથી પરત ફરતી વખતે સર્જાઈ દુર્ઘટનાઉમરા પોલીસ સ્ટેશન પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ કારમાં વેપારીની પત્ની મનીષા અગ્રવાલ સવાર હતા. તેઓ ડુમસ રોડ પર આવેલી એક શાળામાં ફંકશન પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પીપલોદ વિસ્તારમાં આ અકસ્માત નડ્યો હતો. કાર પહેલા ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ત્યાં રોપેલા ઝાડ સાથે અથડાતા તે ફંગોળાઈને રસ્તાની વચ્ચે પલટી ખાઈ ગઈ હતી. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવઆ ગંભીર અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અકસ્માત સમયે કાર ડ્રાઈવર સમીરકુમાર મિશ્રા ચલાવી રહ્યો હતો. સદનસીબે સમીરકુમારને કોઈ મોટી ઈજા પહોંચી નથી પરંતુ, પાછળની સીટ પર બેઠેલા મનીષા અગ્રવાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત થયો હોવાનું અનુમાનઆ ઘટના બની ત્યારે આસપાસના દુકાનદારો અને વાહનચાલકો માનવતા દાખવીને તાત્કાલિક કાર પાસે દોડી ગયા હતા અને પલટી ગયેલી કારમાંથી ઈજાગ્રસ્ત મહિલાને બહાર કાઢવામાં મદદ કરી હતી. ઉમરા પોલીસે CCTV ફૂટેજ કબજે કરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા અચાનક કશુંક આડું આવવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેઇલ મળતાની સાથે જ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવતા તાત્કાલિક એ ડિવિઝન પોલીસ, SOG, બૉમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટિમો દ્વારા કચેરીને ખાલી કરાવી આખી ઓફિસનું સર્ચ કરવામાં આવ્યું હતું જો કે બૉમ્બ અથવા અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટમાં કોર્ટ બિલ્ડીંગ અને જિલ્લા કલેકટર કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવા ધમકી અવારનવાર મળી હતી. હાલ ઇમેઇલ અંગે સાયબર ક્રાઇમ પોલીસને તપાસ સોંપવામાં આવી છે. રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પીઆઇ બી.વી.બોરીસાગરએ જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ કંટ્રોલ તરફથી જાણ કરવામાં આવી હતી કે ગોંડલ રોડ પર આવેલ શિવાલિક બિલ્ડિંગમાં પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવા ધમકી મળી છે જેના આધારે અમારી સ્થાનિક પોલીસ, બૉમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની અલગ અલગ ટિમો તાત્કાલિક પહોંચી આખી કચેરી ખાલી કરાવી બાદમાં આખી ઓફિસની તલાસી લેવામાં આવી હતી જો કે તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ કે બૉમ્બ ન મળી આવતા ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને બાદમાં રાબેતા મુજબ પાસપોર્ટ ઓફિસ પર કામગીરી શરૂ કરી દેવા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવા ધમકી ઇમેઇલમાં લખવામાં આવી હોવાથી રાજકોટ શહેર SOG, એ ડિવિઝન પોલીસ, અને ડોગ સ્ક્વોડ તેમજ બૉમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી જો કે અહીંયા પણ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ઓફિસ પર મળેલા ધમકી ભર્યા મેઈલની તપાસ પણ સાયબર ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવી છે.
હારીજ-પાટણ હાઈવે પર અકસ્માત, વ્યક્તિ ઘાયલ:GRD અને પોલીસે ત્વરિત મદદ કરી, હોસ્પિટલ ખસેડ્યા
હારીજ-પાટણ હાઈવે પર કુણઘેર ગામ પાસે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિને GRD સભ્યો અને પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. તેમને પોલીસ વાન દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કુણઘેરથી આગળના હાઈવે પર બનેલી આ ઘટનામાં, ત્યાંથી પસાર થઈ રહેલા GRD સભ્યો નરેશભાઈ પરમાર, નીતિનભાઈ દેસાઈ અને જગદીશભાઈ પરમાર સહિતના મિત્રોએ ઘાયલ વ્યક્તિને જોયા હતા. તેમણે તાત્કાલિક મદદની જરૂરિયાત પારખીને સમયસૂચકતા વાપરી હતી. GRD સભ્યોએ તે જ સમયે પસાર થઈ રહેલી પોલીસ વાનને રોકીને અકસ્માત વિશે જાણ કરી હતી. પોલીસે પણ કોઈ વિલંબ કર્યા વિના ઘાયલ વ્યક્તિને પોતાની વાનમાં બેસાડી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોલીસ વાનનો ઉપયોગ કરીને દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની આ કામગીરીની સ્થાનિકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. પોલીસ અને GRD જવાનોના સંકલનથી ઘાયલ વ્યક્તિને 'ગોલ્ડન અવર'માં સારવાર મળી શકી હતી.
મોરબીમાં 28 ફેબ્રુઆરીથી HPV રસીકરણ અભિયાન શરૂ:9500 કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ અપાશે
મોરબી જિલ્લામાં આવતીકાલથી 'HPV રસીકરણ' અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાનનો મુખ્ય હેતુ કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર (સર્વાઇકલ કેન્સર) સામે રક્ષણ પૂરું પાડવાનો છે.આ જિલ્લાવ્યાપી ઝુંબેશ અંતર્ગત 14 વર્ષ પૂર્ણ કરનાર અંદાજિત 9500 દીકરીઓને રક્ષણાત્મક રસી આપવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ અભિયાન ગુજરાત રાજ્ય અને સમગ્ર દેશ સાથે સુસંગત છે. આ રસીકરણ ઝુંબેશને સફળ બનાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક સુદ્રઢ કાર્ય યોજના તૈયાર કરવામાં આવી છે. આશા કાર્યકરો દ્વારા હેડ કાઉન્ટ સર્વે કરીને 14 વર્ષની તમામ દીકરીઓની ઓળખ કરવામાં આવશે. શાળામાં અભ્યાસ કરતી તેમજ શાળા બહારની તમામ દીકરીઓને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અથવા સબ ડિસ્ટ્રિક્ટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ રસી નિઃશુલ્ક આપવામાં આવશે. આ રસી સંપૂર્ણપણે સલામત છે અને ગર્ભાશયના મુખના કેન્સરથી દીકરીઓને સુરક્ષિત કરે છે. રસી મેળવવા માટે દીકરીના માતા-પિતા કે વાલીનું સંમતિ પત્રક અનિવાર્ય રહેશે.
મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના સહયોગથી 26 ફેબ્રુઆરીના રોજ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગૃહની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી, ચર્ચા અને નીતિ નિર્માણ જેવી લોકશાહી પ્રક્રિયાઓને નજીકથી નિહાળી હતી. આનાથી તેમને રાજ્યવ્યવસ્થાની કાર્યપ્રણાલી વિશે ઊંડી સમજ પ્રાપ્ત થઈ. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, સામાજિક ન્યાય અને અધિકારિતતા મંત્રી પ્રદ્યુમ્નસિંહ વાજા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ વિદ્યાર્થીઓ સાથે ફોટો સેશન કરાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે આવી શૈક્ષણિક મુલાકાતો યુવાનોને જાગૃત, જવાબદાર અને સક્રિય નાગરિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોલેજના પ્રિન્સિપાલ નિલેશ મિરાણી અને વહીવટી અધિકારી પ્રકાશ ગૂગડિયાએ આ શૈક્ષણિક પ્રવાસના સફળ આયોજન અને માર્ગદર્શનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
એસટી બસમાંથી 100 લીટર ડીઝલ ચોરાયું:શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાંથી ટેલિફોન કેબલની ચોરી
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોન્ટમેન્ટમાંથી ટેલીફોન વાયરના કેબલની ચોરી થઈ હોવાની ઘટના બની છે. સૌથી સુરક્ષિત ગણાતા એવા આર્મી વિસ્તારમાંથી ચોરી થતાં આર્મીના જવાન દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી કેબલ ચોરી કરનાર આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. આર્મી કેન્ટોનમેન્ટમાંથી કેબલની ચોરીશાહીબાગ વિસ્તારમાં આવેલા આર્મી કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા હવાલદાર વિજયભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 24 ફેબ્રુઆરીના રોજ બપોરે તેઓ આર્મી એક્સચેન્જ ખાતે નોકરી ઉપર હાજર હતા. સાંજે છ વાગ્યાની આસપાસ રિપોર્ટિંગ કરવાનું હોવાના કારણે લેન્ડલાઈન ફોનથી આર્મી કેમ્પના મેન ગેટ ઉપર ફોન કરવા લાગ્યા હતા, પરંતુ ફોન લાગતો નહોતો. જેથી ગેટ પર આર્મી એક્સટેન્ડ તરફના કેબલ ચેક કરવા ગયા હતા, ત્યારે પંજાબ નેશનલ બેંક પાસે ટેલીફોન કેબલ હતો નહીં. આસપાસમાં તપાસ કરતાં ક્યાંય પણ મળી આવ્યો નહોતો, જેથી આ બાબતે તેમણે અધિકારીને જાણ કરી હતી અને કેબલ ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધવાનું કહેતા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. લાલ ગેબી આશ્રમ ખાતે બસમાંથી ડીઝલની ચોરી શહેરમાં બોપલ વિસ્તારમાં આવેલા લાલ ગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં આવેલી એસટી બસની ડીઝલની ટાંકી અને તેના સેન્સરનું ઢાંકણ તોડીને 100 લીટર જેટલા ડીઝલની ચોરી કરી હોવા અંગેની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. સુરતથી બોપલના રૂટની બસ 21 ફેબ્રુઆરીના રોજ ડ્રાઇવર પરસોત્તમભાઈ લઈને આવ્યા હતા અને રાત્રે 9:00 વાગ્યાની આસપાસ લાલ ગેબી આશ્રમ ખાતે બસ પાર્કિંગ કરી સૂઈ ગયા હતાં. વહેલી સવારે 4:00 વાગ્યે જ્યારે તેવો ઊઠ્યા અને ટાયર ચેક કરવા ગયા ત્યારે બસની ડીઝલની ટાંકીનું ઢાંકણ ખુલ્લું હતું અને સેન્સરનું ઢાંકણ પણ ખુલ્લું હતું, જેથી તપાસ કરતા ડીઝલ ઢોળાયેલું હતું. ડીઝલનો કાંટો તપાસ કરતા અંદાજિત 100 લીટર જેટલું ડીઝલ ઓછું હતું, જેથી ડીઝલ ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે સાણંદ ડેપો ખાતે જાણ કરી અને બાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મરોલીના બોરસીમાં કપિરાજનો આતંક:શાળાની વિદ્યાર્થિની પર હુમલો, વન વિભાગે તેને પાંજરે પૂર્યો
નવસારી જિલ્લાના મરોલી ગામના બોરસી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા કપિરાજના આતંકનો અંત આવ્યો છે. તાજેતરમાં બોરસી માછીવાડ પ્રાથમિક શાળાની એક વિદ્યાર્થિની પર વાંદરાએ હુમલો કરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બાદ વન વિભાગ અને વાઈલ્ડ વેલફેર ફાઉન્ડેશન નવસારીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાંદરાને સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. ઘટનાની વિગત મુજબ, ગત 25 ફેબ્રુઆરીના રોજ બોરસી માછીવાડ પ્રાથમિક શાળામાં સાંજે 4 વાગ્યે બાળકોની રિસેસ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક એક વાંદરો શાળાના કમ્પાઉન્ડમાં ઘૂસી આવ્યો હતો. વાંદરાને જોઈને બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી. ધોરણ 6માં અભ્યાસ કરતી સૃષ્ટિબેન નામની વિદ્યાર્થિની વોશરૂમથી ક્લાસરૂમમાં જઈ રહી હતી, ત્યારે વાંદરાનો ધક્કો લાગતા તે નીચે પડી ગઈ હતી. પડવાને કારણે વિદ્યાર્થિનીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, પ્રાથમિક સારવાર માટે બાળકીને પીએસસી ડિપ્લા લઈ જવામાં આવી હતી, પરંતુ વધુ તપાસ અને સીટી સ્કેન માટે તેને ઓરેન્જ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોની સલાહ મુજબ એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ હાલ વિદ્યાર્થિનીને રજા આપી દેવામાં આવી છે અને તેની તબિયત સુધારા પર છે. વિદ્યાર્થિની પર થયેલા હુમલાની ઘટના બાદ સ્થાનિકોમાં રોષ અને ભય જોવા મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વન વિભાગની સુપા રેન્જ અને નવસારીના વાઈલ્ડ વેલફેર ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી હતી. ટીમે સુરક્ષાના તમામ સાધનો સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને ભારે જહેમત બાદ કપિરાજને કાબૂમાં લીધો હતો. આ રેસ્ક્યુ ઓપરેશન બાદ ગ્રામજનો અને શાળાના વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.
રાજકોટ જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વેની અંતિમ સામાન્ય સભા આજે ભારે તોફાની બની હતી. સભાની શરૂઆતથી જ સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી તકરાર જોવા મળી હતી, જેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો અને વળતા આક્ષેપોને કારણે વાતાવરણ ગરમાયું હતું. લોકશાહીના પર્વ સમાન સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે પક્ષપાત અને વ્યક્તિગત આક્ષેપોનું જોર વધુ જોવા મળ્યું હતું. જેને લઈ શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. આજની સભામાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા પણ આવી પહોંચ્યા હતા. જોકે સાંસદ આવતાની સાથે જ કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો. જેને લઈને સાંસદ રૂપાલાએ જણાવ્યું કે, દિલ્હી હોય કે રાજકોટ વિપક્ષને ડીંડક કરવામાં રસ છે ભ્રષ્ટાચારના આક્ષેપો અને ગંભીર બોલાચાલીઆજની સામાન્ય સભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ભાજપના એક સભ્યના પ્રથમ પ્રશ્ન દરમિયાન વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન વાતાવરણ ત્યારે વધુ તંગ બન્યું જ્યારે પૂર્વ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ દ્વારા વિપક્ષી નેતા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો. તેમણે જાહેરમાં જણાવ્યું કે, વિપક્ષી નેતાએ સિંચાઈ વિભાગના અધિકારી પાસે રૂ. 5 લાખની લાંચ માંગી હતી, જેમાંથી રૂ. 2.50 લાખની ચુકવણી થઈ ચૂકી હોવાનો દાવો કરાયો હતો. આ આક્ષેપને પગલે સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. આવું કહીને ભાજપના પૂર્વ કારોબારી અધ્યક્ષે સભામાં સ્વીકાર્યું હતું કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જેનાથી સત્તાધારી પક્ષ માટે ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષી નેતાએ જ્યારે પોતાના સવાલો પૂછવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમને બોલતા અટકાવવામાં આવતા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના સભ્યોએ પણ વિરોધ કર્યો હતો. અને વિપક્ષને બોલવા ન દઈને શાસક પક્ષ લોકશાહીનું અપમાન કરતું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા ભારે વિરોધની અવગણના કરીને કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી. દરમ્યાન સાંસદ રૂપાલા આવી પહોંચ્યા હતા. સભામાં પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અંતે સાંસદ રૂપાલાનાં આગમન બાદ કોંગ્રેસના સભ્યોએ સભાનો ત્યાગ (વોકાઉટ) કર્યો હતો. વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ પોતે સામાન્ય સભામાં પૂછેલા પ્રશ્નોનું બેનર શરીર પર લગાવી અનોખો વિરોધ કર્યો હતો. અને આરોપ લગાવ્યો હતો કે શાસકો પાસે પ્રજાના પ્રશ્નો સાંભળવાનો સમય નથી અને તેઓ માત્ર સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવવાનું કામ કરી રહ્યા છે. આમ, ચૂંટણી પહેલાની અંતિમ સભા કોઈ પણ નક્કર પરિણામ વગર આક્ષેપબાજીમાં જ પૂર્ણ થઈ હતી. આ સામાન્ય સભામાં ખાસ ઉપસ્થિત રહેલા સાંસદ પરસોતમ રૂપાલાએ વિપક્ષના વર્તનને સખત શબ્દોમાં વખોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિલ્હીમાં જે રીતે વિપક્ષ વિશ્વ ફલક પર ભારતની પ્રસિદ્ધિ જોઈ શક્યું નહોતું. અને અશોભનીય વિરોધ કર્યો હતો. તેવી જ રીતે રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ વિપક્ષ પ્રગતિ જોઈ શકતું નથી. પ્રજાના પ્રશ્નો ઉઠાવવાને બદલે વિપક્ષને માત્ર ડિંડક કરવામાં જ રસ છે. તેણે વધુમાં ઉમેર્યું કે કેશુભાઈ પટેલના સમયથી ગ્રામ્ય સ્તરે સરપંચોને વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે, જે ભાજપ સરકારની સફળતા છે. સામે પક્ષે, વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ આક્રમક વલણ અપનાવતા જણાવ્યું કે, જિલ્લા પંચાયતમાં ભાજપના શાસકો દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જ્યારે અમે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા પ્રશ્નો પૂછીએ છીએ, ત્યારે અમારો અવાજ દબાવવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવે છે. અહીં લોકશાહીનું સરેઆમ ખૂન થઈ રહ્યું છે. વિપક્ષને બોલવા દેવામાં આવતો નથી. શાસકોને પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં જરાય રસ નથી. મેં ઉઠાવેલા પ્રશ્નો મારા વિસ્તારના લોકો અને ખેડૂતોના છે. જિલ્લા પંચાયતનાં રૂ. 1193.68 કરોડના બજેટને મંજૂરી રાજકોટ જિલ્લા પંચાયતની વર્તમાન ટર્મની મુદત 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે, તે પૂર્વે પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની અધ્યક્ષતામાં આજે વર્ષની અંતિમ ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં નવા નાણાકીય વર્ષ માટે રૂ. 1193.68 કરોડના અંદાજપત્રને બહુમતીથી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. બજેટની સાથે ગર્ભાશયના કેન્સર વિરોધી રસી નિઃશુલ્ક આપવાની મહત્વની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ સભામાં ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે પ્રમુખના નિવાસસ્થાને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, આજે સભા દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં ભારે હંગામો જોવા મળ્યો હતો. કુલ 32 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાં શાસક પક્ષના સભ્યોના 13 અને વિપક્ષી નેતા મનસુખ સાકરીયાના 19 પ્રશ્નો હતા. જોકે, વિપક્ષી નેતા પ્રશ્નો પૂછે તે પહેલા જ બજેટની ચર્ચાનું કારણ આપી પ્રશ્નોત્તરી બંધ કરી દેવાતા વિવાદ સર્જાયો હતો. મનસુખ સાકરીયાએ રૂ. 84 લાખના સ્થળાંતર ખર્ચ અને સફાઈના ટેન્ડરોમાં ગેરરીતિ અંગે સવાલો ઉઠાવતા પ્રમુખે તેમને કડક ભાષામાં ઠપકો આપી બેસી જવા જણાવાયું હતું. આમ અંતિમ સભા પણ પ્રજાના પ્રશ્નોની ચર્ચાને બદલે વાદ-વિવાદ વચ્ચે પૂર્ણ થઈ હતી.
જૂનાગઢથી વેરાવળ રેલવે લાઈનને 'ફાટક મુક્ત' કરવાના અભિગમ સામે વંથલી તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા કાજલીયાળા, થાણાપીપળી અને બંધડા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઈન પરના ફાટક નંબર 90 પાસે જો અંડરબ્રિજ બનાવવામાં આવે, તો ચોમાસામાં ખેતરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સાથે આજે 8 થી વધુ ગામના સરપંચો અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી. ખેડૂત અગ્રણી હમીરભાઈ દેસાભાઈ માળીયાએ જણાવ્યું હતું કે થાણાપીપળી ગામ પાસેથી પસાર થતું 'ખારાહોકરૂ' વોકળાનું પાણી સીમાસી, બરવાળા, ખોરાસા અને લુશાળા જેવા ઉપરવાસના ગામોમાંથી આવે છે. હાલમાં રેલવે ફાટકની બાજુમાં પંચાયત માર્ગ પર 20 મીટરના ત્રણ બોક્સ કન્વર્ટ (નાળા) બનાવેલા છે, જે પાણીને મધુવતી નદીમાં લઈ જાય છે.જો રેલવે અહીં અંડરબ્રિજ બનાવે, તો આ કુદરતી વહેણ અવરોધાશે અને વરસાદી પાણી સીધું મોટા કાજલીયાળા અને થાણાપીપળીના ખેડૂતોના ખેતરમાં ઘૂસી જશે. જેના કારણે અંદાજે 200 એકર જમીન નદીમાં ફેરવાઈ જશે અને સેંકડો ખેડૂતો પાયમાલ થશે. આ રસ્તો માત્ર ખેતરનો રસ્તો નથી, પરંતુ પંચાયત હસ્તકનો મુખ્ય માર્ગ છે જે મેંદરડા તાલુકાને જોડે છે. મોટા કાજલીયાળા, થાણાપીપળી, નગડીયા, સીમાસી, મજાદર, બોડીકા, ભાટિયા અને વસાવડા જેવા ગામોના લોકો માટે આ મુખ્ય અવરજવરનો માર્ગ છે. જો યોગ્ય ઊંચાઈ ધરાવતો ઓવરબ્રિજ ન બને અથવા અંડરબ્રિજમાં પાણી ભરાય તો 500 જેટલા ખેડૂતોને પોતાની જમીન સુધી પહોંચવું પણ અશક્ય બની જશે. આગાઉ ઓગસ્ટ-2025 માં ખેડૂતોએ કલેક્ટર અને મામલતદારને પત્ર લખીને અગાઉ પણ જાણ કરી હતી.રેલવે દ્વારા ફાટક નં. 91 અને 92 બંધ કરવા અને ફાટક નં. 90 પર ઓવરબ્રિજ બનાવવા બાબતે ખેડૂતોની સહમતી માંગવામાં આવી હતી, જેના પર ખેડૂતોને કોઈ વાંધો નથી. આજે ફરી મોટી સંખ્યામાં ખેડૂતો વંથલી પ્રાંત કચેરીએ ઉમટી પડ્યા હતા. વંથલી પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆતને શાંતિપૂર્વક સાંભળી હતી. તેમણે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપી છે કે, આ ટેકનિકલ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવા માટે તેઓ રેલવે વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરશે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા પૂરો પ્રયાસ કરશે.
ભારતીય સમાજ સુધારણાના પથદર્શક, મહિલા શિક્ષણના પ્રણેતા અને પછાત વર્ગના મસીહા એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે તથા માતા સાવિત્રીબાઈ ફૂલેને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન'થી નવાજવાની માંગ સમગ્ર દેશમાં જોરશોરથી માંગ ઉઠી છે આ માંગણીના સમર્થનમાં ભાવનગરના માળી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પોતાનું સમગ્ર જીવન શોષિત, વંચિત અને દબાયેલા વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું હતું,ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ માનતા હતા, સાવિત્રીબાઈ ફૂલેએ વિષમ પરિસ્થિતિઓમાં પણ મહિલા શિક્ષણનો પાયો નાખી અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું તેમણે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળહત્યા નિષેધ ગૃહ, અનાથ આશ્રમ અને રાત્રિ શાળાઓ જેવી અનેક સંસ્થાઓ દ્વારા સમાજમાં ક્રાંતિકારી બદલાવ લાવ્યા હતા. આ અંગે ભાવનગર માળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, ફૂલે દંપતીનું પ્રદાન અમૂલ્ય છે મહિલાઓને શિક્ષણના અધિકાર અપાવવા અને સામાજિક સમાનતા સ્થાપવા માટે તેમણે જે સંઘર્ષ કર્યો છે, તેને ભારત સરકાર દ્વારા સન્માન મળવું જ જોઈએ. જો ભારત સરકાર ફૂલે દંપતીને મરણોત્તર 'ભારત રત્ન' એનાયત કરશે, તો તે દેશના કરોડો પછાત અને શોષિત વર્ગના લોકો માટે સાચા અર્થમાં ન્યાય હશે, આ સન્માન માત્ર એક એવોર્ડ નહીં, પરંતુ ફૂલે દંપતી દ્વારા કરવામાં આવેલા માનવતાવાદી કાર્યોની સાચી ઓળખ અને રાષ્ટ્ર તરફથી શ્રદ્ધાંજલિ ગણાશે.
મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું 2,454 કરોડનું સર્વગ્રાહી અંદાજપત્ર આજે બોર્ડ રૂમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં આશરે 544 કરોડની પુરાંત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સ્વ-ભંડોળનું કુલ બજેટ 80.56 કરોડનું છે. જેમાંથી અંદાજે 48.50 કરોડના ખર્ચ બાદ પુરાંત રહેવાનો અંદાજ સેવવામાં આવ્યો છે. 'સ્વચ્છતા મિત્ર' ટીમોની રચના માટે 10 લાખની અલગ જોગવાઈ કરવામાં આવીઆ વર્ષના બજેટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ ભારત' વિઝનને અનુસરીને સ્વચ્છતા અભિયાન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, જિલ્લામાં સ્વચ્છતા જાળવવા અને શ્રેષ્ઠ કામગીરી કરતી ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર તેમજ 'સ્વચ્છતા મિત્ર' ટીમોની રચના માટે 10 લાખની અલગ જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લાના સર્વાંગી વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યોગ્રામીણ સ્તરે વેસ્ટ મેનેજમેન્ટની તાલીમ, ઘન કચરો અને પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થિત નિકાલ માટે જનજાગૃતિના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે. આ બજેટમાં ગ્રામીણ વિકાસ અને સ્વચ્છતાના સુમેળ દ્વારા જિલ્લાના સર્વાંગી વિકાસનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વડગામના મુક્તેશ્વર ડેમ પર SDRF-NDRFની મોકડ્રીલ:પૂર સામે તંત્રની સજ્જતા ચકાસવા સંયુક્ત કવાયત યોજાઈ
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા મુક્તેશ્વર ડેમ ખાતે પૂર જેવી આપત્તિનો સામનો કરવા તંત્રની સજ્જતા ચકાસવા માટે SDRF અને NDRF દ્વારા સંયુક્ત રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ યોજાઈ હતી. આ કવાયતનો મુખ્ય હેતુ માનવજીવન અને સંપત્તિની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો હતો. આ મોકડ્રીલ દરમિયાન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરાયું હતું. જેમાં પાણીના તેજ પ્રવાહને કારણે એક બોટમાં સવાર ચાર વ્યક્તિઓ બોટ ઊંધી પડતાં ફસાયા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં NDRF અને SDRFની ટીમોએ ઝડપી અને સુસંગઠિત બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમણે ફસાયેલા તમામ ચાર વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. આ ઉપરાંત, નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખી સ્થળાંતર (Evacuation) અને બચાવ અંગેનું સંપૂર્ણ આયોજન અમલમાં મૂકી સફળ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર કવાયત દરમિયાન તમામ વિભાગો વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું. વ્યવસ્થિત આયોજન અને વ્યૂહાત્મક રીતે હાથ ધરાયેલી આ મોકડ્રીલ દ્વારા પૂરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ હતી. મોકડ્રીલના અંતે તમામ સંબંધિત વિભાગોની હાજરીમાં ડી-બ્રીફિંગ સેશન યોજાયું હતું, જેમાં કામગીરીની ચર્ચા અને ખામીઓ અંગે વિચારવિમર્શ કરાયો હતો, જેથી ભવિષ્યમાં સુધારા કરી શકાય. આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ ભવિષ્યમાં આવી કોઈ પણ કુદરતી હોનારત સમયે તંત્રની પૂર્વ તૈયારીમાં કોઈ કચાસ ન રહે અને માનવજીવન તથા સંપત્તિને ઓછામાં ઓછું નુકસાન થાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ મોકડ્રીલ દ્વારા બનાસકાંઠા જિલ્લો કોઈપણ પ્રકારની પૂર જેવી આપત્તિનો સામનો કરવા સંપૂર્ણપણે સજ્જ હોવાનું સાબિત થયું છે.
અફઘાનિસ્તાને પણ ઈસ્લામબાદ સુધી હવાઈ હુમલા કર્યા, પાકિસ્તાનના 4 સૈન્ય બેઝ લીધા નિશાને
Pakistan Afghanistan War: દુનિયામાં વધુ એક યુદ્ધ ભડકી ગયું છે. છેલ્લા 24 કલાકથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પાકિસ્તાનના 55 સૈનિકોને માર્યા બાદ અફઘાનિસ્તાને હવે શહેરોમાં મિલિટ્રી ઠેકાણાને ટાર્ગેટ કર્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ આજે શુક્રવારે સવારે 11 કલાકે અફઘાન એરફોર્સે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાનના મિલિટ્રી કેમ્પ ટાર્ગેટ
ભારતના સમાજ સુધારણાના ઈતિહાસમાં જેમનું નામ છે તેવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત કરવાની માંગ સાથે આજે સુરત ખાતે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ-ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફૂલે દંપતીએ રૂઢિચુસ્ત સમાજ સામે લડીને મહિલાઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યાઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પોતાનું સમગ્ર જીવન શોષિત, વંચિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. સ્ત્રી શિક્ષણના પ્રણેતા એવા આ દંપતીએ તે સમયના રૂઢિચુસ્ત સમાજ સામે લડીને મહિલાઓ માટે શિક્ષણના દ્વાર ખોલ્યા હતાં. સાવિત્રીબાઈ ફૂલેએ અનેક મુશ્કેલીઓ વેઠીને પણ દેશની પ્રથમ મહિલા શિક્ષિકા બની સ્ત્રી સશક્તિકરણનો પાયો નાખ્યો હતો. 'બાળકીઓને કોઈ ભણાવતું નહોતું, ત્યારે 17 શાળાઓ શરૂ કરી હતી'સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના સંગઠન મંત્રી ચિરાગ નટવરભાઈ માળીએ જણાવ્યું હતું કે, સમસ્ત ભારતમાં જેમને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધ પહેલા પણ મહાત્માનું બિરુદ મળ્યું હતું એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે કે જેમને અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા પ્રત્યે સખતમાં સખત કાયદાઓ ઘડીને ભારત દેશમાં એક ચળવળ શરૂ કરી હતી. અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમને દીકરીઓને ભણાવવા માટે વર્ષો પહેલા શાળાઓ શરૂ કરી હતી. જ્યારે બાળકીઓને કોઈ ભણાવતું નહોતું, એ સમયે એમને 17 શાળાઓ શરૂ કરી હતી. બંનેને 'ભારત રત્ન' આપવા માળી સમાજની માગચિરાગ માળીએ વધુમાં કહ્યું કે, તો આ બંને, જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે, અમારા માળી સમાજના જ પૂર્વજો છે. આ બંને દંપતીને અમારી એવી માંગ છે કે આ બંને દંપતીઓને મરણોત્તર 'ભારત રત્ન' અપાવવો જોઈએ. 34 જિલ્લામાં કલેક્ટરોને આવેદન પત્રચિરાગ માળીએ જણાવ્યું હતું કે, તેના અનુસંધાને, સમગ્ર ગુજરાતના 34એ 34 જિલ્લાઓમાં અમે કલેક્ટરોને આવેદન પત્ર આપ્યું છે. તેના ભાગરૂપે આજે સુરત શહેરમાં અમે કલેક્ટરને આવેદન પત્ર આપીને અમારી માંગણી સંતોષાવી જોઈએ, એવી નમ્ર વિનંતી કરી છે. 'સન્માન મળે તે પછાત અને વંચિત વર્ગો માટે ન્યાય સમાન 'માળી સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને તેમના મરણોત્તર યોગદાન બદલ 'ભારત રત્ન' થી સન્માનિત કરવામાં આવે અને ડૉ. બાબાસાહેબ આંબેડકરે પણ જેમને પોતાના ગુરુ માન્યા હતાં, તેવા મહામાનવોને યોગ્ય સન્માન મળે તે સમગ્ર દેશના પછાત અને વંચિત વર્ગો માટે ન્યાય સમાન ગણાશે.ગુજરાતના દરેક જિલ્લા મથકે કલેક્ટરને આવેદનપત્ર આપી આ માંગને વધુ બુલંદ બનાવવામાં આવી રહી છે. ફૂલે દંપતીએ સ્ત્રીઓના અધિકારો માટે સંઘર્ષ કર્યોસમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ ભાવિકભાઈ રામીની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જશોદાબેન ગેલોત મહામંત્રી અને પ્રતાપભાઈ કનાડા ખજાનચી સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આવેદનપત્રમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે ફૂલે દંપતીએ માત્ર એક જ જ્ઞાતિ માટે નહીં પરંતુ સમગ્ર માનવજાત અને ખાસ કરીને સ્ત્રીઓના અધિકારો માટે જે સંઘર્ષ કર્યો છે.
દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાન માલને નુકશાન થતું હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને હાઇકોર્ટમાં અગાઉ સુઓમોટો પિટિશન દાખલ થઈ હતી. આ પિટિશન સુપ્રિમકોર્ટના 2019ના નિર્દેશો પ્રમાણે લેવામાં આવી હતી. જેમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી, પોલીસને ટ્રેનિંગ આપવી, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સરઘસોની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી, સુપ્રિમકોર્ટ દ્વારા અપાયેલા નિર્દેશોનું પાલન કરવું સભા માટે પોલીસ પરવાનગી અનિવાર્ય બનાવવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. 9724 કોન્સ્ટેબલની અપોઇન્ટમેન્ટ મંજૂરીઆ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. જેમાં આજે (27 ફેબ્રુઆરી) સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં વર્તમાન ભરતીમાં 2,47,803 શારીરિક કસોટીમાં પાસ થયા હતા, તેની લેખિત પરીક્ષા 15 જૂને યોજાઇ હતી. ગત ભરતીમાં 11,899 કોન્સ્ટેબલની અને જેલ સિપાઈની પોસ્ટનું સિલેકેટેડ લિસ્ટ 12 ડિસેમ્બર બહાર પડાયું હતું. 9724 ઉમેદવારોને એપાઈન્ટમેન્ટ આપવા 29 જાન્યુઆરી, 2026ના રોજ જણાવ્યું હતું. 10,902 કોન્સ્ટેબલ પોસ્ટમાંથી 9724 અપોઇન્ટમેન્ટને મંજૂરી મળી, બાકીનું કાસ્ટ સર્ટિફિકેટનું વેરિફિકેશન બાકી છે. ઉત્તરવહીનું રિચેકિંગ માર્ચ સુધીમાં પતી જશે472 PSI પરીક્ષામાં 86,727 લેખિત પરિક્ષામાં બેઠા હતા. પેપર 2, 13 એપ્રિલે લેવાયું અને પરિણામ 26 ડિસેમ્બરે જાહેર કરાયું. 50 હજાર ઉત્તરવહીઓ ચકાસાઈ, 10 જાન્યુઆરીએ રિચેકિંગની અરજીઓ માંગવાઇ અત્યારે રિચેકિંગ ચાલુ છે. માર્ચ, 2026 સુધીમાં પતી જશે. 16 મહિનામાં PSIની 12,350 જગ્યા પ્રમોશનથી ભરાઈફેઝ-2ની ભરતી 3 ડિસેમ્બર, 2025 જાહેરાત બહાર પડાઈ હતી, જેમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાયા હતાં. 13,591 કર્મચારીઓ માટેની ભરતીમાં PSI પણ સામેલ છે. ફિઝિકલ ટેસ્ટ અત્યારે રાજ્યના 15 ગ્રાઉન્ડ ઉપર ચાલુ છે, જે જાન્યુઆરી મહિનાથી માર્ચ મહિના સુધી યોજાશે. છેલ્લા 16 મહિનામાં 12,350 જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. દર મહિને પ્રમોશનથી જગ્યાઓ ભરવામાં આવે છે. આગામી સુનાવણી મેમાં યોજાશેહાઈકોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, ફેઝ-2ની પોલીસ ભરતીમાં 10 લાખથી વધુ ફોર્મ ભરાયા ત્યારે કેટલી બેરોજગારી પ્રવર્તી રહી છે. સરકારી વકીલે કહ્યું હતું કે, યુવાનોને પોલીસમાં જવા મહત્વાકાંક્ષી હોય છે. પોલીસ ભરતીના પહેલા ફેઝમાં 15 લાખ અને બીજામાં ફેઝમાં 10 લાખ ફોર્મ ભરાયા હતા. ગુજરાતના પણ અમુક ભાગોમાં ઉત્તર પ્રદેશની જેમ પોલીસમાં નોકરી મેળવવાની પહેલી ચોઇસ હોય છે. આ અંગે વધુ સુનાવણી આગામી મે મહિનામાં યોજાશે. કોર્ટે સરકારને ભરતી ચાલુ રાખવાનું કહી આગળની પ્રક્રિયા પૂરી કરવા જણાવ્યું હતું.
ચીખલીના ખાંભડામાં આતંક મચાવનાર દીપડી પાંજરે પુરાઈ:બે દિવસ અગાઉ 73 વર્ષીય વૃદ્ધ પર હુમલો કર્યો હતો
ચીખલી તાલુકાના ખાંભડા ગામમાં બે દિવસ અગાઉ 73 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરનાર દીપડી આખરે પાંજરે પુરાઈ છે. વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડી ફસાઈ જતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાંભડા ગામના 73 વર્ષીય ખેડૂત નટુભાઈ પટેલ બે દિવસ પહેલા પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. તે સમયે ઝાડીઓમાં છુપાયેલી દીપડીએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. દીપડીએ નટુભાઈના પેટ અને થાપાના ભાગે પંજા મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નટુભાઈની બૂમાબૂમ સાંભળી દીપડી ત્યાંથી નાસી છૂટી હતી. આ ઘટના બાદ ગંભીર રીતે ઘાયલ નટુભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ખાંભડાની ભવાની વડ પાસે નદી કિનારે આવેલા સીમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરા વધી ગયા હતા. એક સપ્તાહ અગાઉ પણ આ વિસ્તારમાં બાઈક પર સવાર ત્રણ યુવકો પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. દીપડો સતત પશુઓનું મારણ કરી રહ્યો હતો અને માનવ પરના હુમલા વધતા ખેડૂતો ખેતરમાં જતાં પણ ડરી રહ્યા હતા. આ હુમલાની જાણ વન વિભાગને કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલિક પાંજરું ગોઠવી દીપડાને પકડવાની માંગ કરવામાં આવી હતી. ઘટનાના એક દિવસ બાદ જ દીપડી પાંજરે પુરાતા વિસ્તારમાં ભયનો માહોલ ઓછો થયો છે.
પાટણની શેઠ એમ. એન. સાયન્સ કોલેજ ખાતે 'ઇન્ડિયન નોલેજ સિસ્ટમ' વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય સંશોધન વર્કશોપ યોજાયો હતો. નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દેશભરમાંથી 523 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વર્કશોપમાં પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આયોજન કોલેજના આંતરિક ગુણવત્તા નિરીક્ષણ સેલ (IQAC) દ્વારા “Indian Knowledge System — Contribution to Science through Traditional Practices, Ancient Texts and Holistic Approaches” વિષય પર મ્યુઝિયમ હોલ ખાતે થયું હતું. કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે અને સીડીઓ-એનજીઈએસ ડો. જય ધ્રુવ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ પ્રિન્સિપાલ ડો. પીયુષ વ્યાસે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે કન્વીનર ડો. એન. કે. પટેલે વર્કશોપના ઉદ્દેશ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે 'એબસ્ટ્રક્ટ બૂક' અને ડો. ડી.એ. પાટિલ લિખિત 'બોટની ઇન એનસીએંટ' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કુલ 523 પ્રતિનિધિઓમાં 324 સ્નાતક (UG) વિદ્યાર્થીઓ (61.9%), 76 અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓ (14.5%), 45 સંશોધન વિદ્વાનો (8.6%) અને 78 ફેકલ્ટી સભ્યો (14.9%) નો સમાવેશ થતો હતો. શૈક્ષણિક સક્રિયતાના ભાગરૂપે 152 પ્રતિનિધિઓએ પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા પોતાના સંશોધન કાર્ય રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાંથી પણ પ્રતિનિધિઓ જોડાયા હતા. કુલપતિ કે.સી. પોરિયાએ તેમના ઉદ્વબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય પરંપરાગત જ્ઞાન વિશ્વમાં સૌથી પ્રાચીન છે, જેનો ઇતિહાસ 15,000 વર્ષથી વધુ જૂનો છે. તેમણે રાણીની વાવ, વડનગરના કીર્તિસ્તંભ, અજંતા-ઇલોરાની ગુફાઓ અને અશોકના શિલાલેખોને આપણી વૈજ્ઞાનિક વિરાસત ગણાવ્યા હતા. તેમણે શૂન્યની શોધને ભારતની દેણ ગણાવી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે પ્રાચીન જ્ઞાનને વૈજ્ઞાનિક ઢબે સ્વીકારીશું, તો જ 2047 સુધીમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાશે. આ બે દિવસીય કાર્યક્રમમાં ડો. ડી.એ. પાટીલ, ડો. એ.કે. શાહ, ડો. સ્મૃતિ સિંહ અને ડો. રમેશ્વર આમેટા સહિતના નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાનો આપ્યા હતા. એનજીઈએસ મેનેજમેન્ટના હોદ્દેદારો તનીલ રામદાસ કિલાચંદ, નિર્મલ પ્રતાપ ભોગીલાલ, જિગ્નેશ અરવિંદ શાહ અને રાજ્ય મંત્રી રમેશ કટારા તરફથી શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોલેજ સ્ટાફ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. અંતે વેલેડિક્ટરી સમારંભમાં પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં એક રીઢા ગુનેગારે યુવતીને ડરાવી-ધમકાવી તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી ભરત ઉર્ફે ભૂરાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટનાની વિગત એવી છે કે ગત 18 ફેબ્રુઆરીના રોજ ભોગ બનનાર યુવતી તેના કાકાના ઘરે હતી. આ દરમિયાન આરોપી ભરત ઉર્ફે ભૂરો કાંતિભાઈ ચાંચિયા ત્યાં ધસી આવ્યો હતો. તેણે યુવતીને માનસિક રીતે તોડી પાડવા માટે એક ભયાનક જૂઠું બોલ્યું હતું. આરોપીએ કહ્યું કે, “મારી ગાડીમાં તારા ભાઈ અને કાકાની લાશ પડી છે, તારે જોવું હોય તો આવીને જોઈ લે.”પોતાના સ્વજનોના મોતના સમાચાર સાંભળી યુવતી હેબતાઈ ગઈ હતી અને સત્ય જાણવા માટે દોડતી ગાડી પાસે ગઈ હતી. જોકે, ત્યાં કોઈ લાશ નહોતી. યુવતી કંઈ સમજે તે પહેલા જ આરોપીએ તેને બળજબરીથી ગાડીમાં બેસાડી દીધી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે યુવતીના કાકી તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા. પરંતુ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ તેમને જોરદાર ઝાપટ મારી દીધી હતી અને યુવતીને લઈને ગાડી હંકારી મૂકી હતી. પરિવાર કંઈ કરે તે પહેલા જ આરોપી નજર સામેથી ગાયબ થઈ ગયો હતો.અપહરણ કર્યા બાદ આરોપી યુવતીને મરડા સોનલધામ લઈ ગયો હતો. ત્યાં તેણે ધાર્મિક સ્થળની મર્યાદા લોપીને મંદિરના ગેટ પાસે જ યુવતીના સેંથામાં બળજબરીથી સિંદૂર ભરી દીધું હતું. આટલું જ નહીં, તેણે આ દ્રશ્યોની ફોટોગ્રાફી પણ કરી હતી જેથી ભવિષ્યમાં યુવતીને બ્લેકમેલ કરી શકાય. ત્યારબાદ આરોપી યુવતીને પંચાળા અને મેંદરડા નજીક આવેલા એકાંત ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ તેની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું,યુવતી પર અત્યાચાર ગુજાર્યા બાદ, બીજા દિવસે સવારે તે યુવતીને કેશોદ ઉતારીને ફરાર થઈ ગયો હતો. જતી વખતે તેણે ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કહી છે તો તારા આખા પરિવારને પતાવી દઈશ. કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી. એ. જાદવે જણાવ્યું હતું કે, ફરિયાદ મળતાની સાથે જ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ તેજ કરવામાં આવી હતી. પોલીસે આરોપી ભરત ઉર્ફે ભૂરાને દબોચી લીધો છે. તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે આરોપી અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે.તેની સામે અગાઉ હત્યા (મર્ડર) નો ગુનો નોંધાયેલો છે. કલમ 306 હેઠળ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપવાનો ગુનો પણ નોંધાયેલો છે.પારિવારિક વિગતો મુજબ તેને બે પત્નીઓ અને માતા છે, તેમ છતાં તેણે આ હીન કૃત્ય આચર્યું હતું.હાલ કેશોદ પોલીસે આ મામલે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના અન્ય કોઈ સાગરીતો આમાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે
સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા વધુ વસૂલેલી 2 કરોડ જેટલી ફી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવી છે કે નહીં? તેની તપાસ કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. FRCએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી દીધી હતી. જે બાદ FRCએ ફીમાં ઘટાડો કર્યો હતો, જેથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ વસૂલેલી ફી પરત આપવા માટે FRC કમિટીએ સૂચના આપી છે. જો કે હજુ સુધી વિદ્યાર્થીઓને ફી પરત આપવામાં ન આવી હોવાની વાલીઓએ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ નિરીક્ષકને તપાસ કરી રિપોર્ટ આપવા માટે સૂચના આપી છે. રિવિઝન કમિટીએ સ્કૂલની અરજી ફગાવી હતીસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ધોરણ-1થી 8ની ફી માટે અમદાવાદ ઝોનની કમિટી સમક્ષ દરખાસ્ત કરી હતી. વર્ષ 2024-25 માટે કમિટી સમક્ષ 39,359ની ફી માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે અમદાવાદ ઝોનની FRC કમિટીએ 33 ટકાનો કાપ મૂકીને 26,250 રૂપિયા ફાઈનલ ફી મંજૂર કરવામાં આવી હતી. તેમ છતાં સ્કૂલોએ મંજૂર કરેલી ફી કરતા દરખાસ્ત કરેલી ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી હતી. જો કે તે બાદ સ્કૂલએ રિવિઝન કમિટીમાં અરજી કરી હતી, પરંતુ રિવિઝન કમિટી દ્વારા સ્કૂલની અરજી ફગાવી દીધી હતી. 15 દિવસમાં ફી પરત કરવા આદેશ કરાયો હતોતેમજ સ્કૂલને FRCના આદેશનું પાલન કરવા પણ સૂચના આપી હતી. તેમજ 2 કરોડ જેટલી વધારાની ફી વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવી છે તે 15 દિવસમાં વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો હતો. તેમજ વાલીઓને ફી પરત કરી તેના પુરાવા FRCમાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સ્કૂલે આદેશોનું પાલન ન કર્યું હોવાની વાલીઓએ DEOને રજૂઆત કરી હતી. જેથી હવે શિક્ષક નિરીક્ષક સ્કૂલ ફી પરત કરી છે કે નહીં તેની તપાસ કરી રિપોર્ટ સબમિત કરશે. સ્કૂલ ફી પરત કરવા મામલે તપાસ શરૂઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલનો ફી ઘટાડો કરવામાં આવે છે. જેનું સ્કૂલ દ્વારા પાલન કરવામાં આવ્યું ન હોવાની કચેરીને ફરિયાદ મળી હતી. જેને ધ્યાને લઈને શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા જે પણ ફી વધારે લેવામાં આવી છે તે સત્વરે સરભર કરવામાં આવે અથવા પરત આપવામાં આવે તેમજ જે વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડી દીધી છે, તેમને પણ ફી પરત કરવામાં આવી છે કે નહીં? તેની તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સામે હકીકત સામે આવશેવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અંદાજે બે કરોડ જેટલી રકમ પરત આપવાની થાય છે. જે વિદ્યાર્થીઓ પાસેથી મંજૂર થયેલી ફી કરતા વધારે ફી વસૂલીને ઉઘરાવવામાં આવી હતી. FRCના ઓર્ડરમાં પણ લખવામાં આવ્યું હતું કે સત્વરે આદેશનો પાલન કરવામાં આવે, જેથી સ્કૂલને જાણ કરીને વધારે વસૂલેલી ફી પરત આપવાની સૂચના આપવામાં આવી છે. વાલીઓ પાસેથી રજૂઆત મળતા શિક્ષણ નિરીક્ષક પાસે તપાસ કરી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે કેટલા વિદ્યાર્થીઓને ફી પરત કરવામાં આવી છે અથવા સરભર કરવામાં આવી છે. તેમજ સ્કૂલેથી સરભર કરવાની પણ કચેરીને ખાતરી આપી હતી.
મોરબી તાલુકામાંથી ત્રણ યુવતીઓ ગુમ:પરિવારોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ
મોરબી તાલુકાના ઘુટુ, જાંબુડીયા અને પ્રેમજીનગર ગામમાંથી ત્રણ યુવતીઓ ગુમ થઈ ગઈ છે. પરિવારો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ગુમસુદા ફરિયાદો નોંધાવવામાં આવી છે. પોલીસે ગુમ થયેલી યુવતીઓને શોધવા માટે તપાસ શરૂ કરી છે. પ્રથમ બનાવમાં, મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા રસીલાબેન દિનેશભાઈ ચાવડા (ઉંમર 45)એ તેમની 19 વર્ષીય દીકરી ભૂમિકાબેન દિનેશભાઈ ચાવડા ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. બીજા બનાવમાં, મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોલંકી (ઉંમર 67)એ તેમના ભાઈની 22 વર્ષીય દીકરી હેતલ સુરેશભાઈ સોલંકી ઘરેથી ગુમ થઈ હોવાની ફરિયાદ આપી છે. ત્રીજા બનાવમાં, મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ ચામુંડા સોસાયટીમાં રહેતા કાંતાબેન ખીમજીભાઇ ભંખોડીયા (ઉંમર 50)એ તેમની 19 વર્ષીય દીકરી સોનલબેન ખીમજીભાઇ ભંખોડીયા નવા જાંબુડીયા ગામે ભાઈના ઘરે જવાનું કહીને ગુમ થઈ હોવાનું જણાવ્યું છે. આ ત્રણેય ગુમસુદા ફરિયાદોના આધારે મોરબી તાલુકા પોલીસે ગુમ થયેલી યુવતીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
બાલાસિનોર પોલીસે બિહારના ગુમ કિશોરને પરિવાર સાથે મિલાવ્યો:માનસિક અસ્વસ્થ કિશોર એક મહિનાથી ગુમ હતો
મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા બાળકોને તેમના વાલીવારસ સાથે મિલાવવા માટે સંવેદનશીલતાપૂર્વક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના ભાગરૂપે, 25 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બાલાસિનોરના હુસેનીચોક વિસ્તારમાંથી એક માનસિક રીતે અસ્વસ્થ કિશોર મળી આવ્યો હતો. પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી શી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કર્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં તે બિહાર રાજ્યનો હોવાનું જાણવા મળ્યું. પોલીસ સ્ટેશનના આઈ.ટી. એક્સપર્ટ સંકેતભાઈ પટેલની મદદથી બિહાર રાજ્યના બસ્તીપુર જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો. ફોટા અને વીડિયો કોલ દ્વારા કિશોરની ઓળખ તેના પિતાએ કરી હતી. તેનું નામ રવિ ઉર્ફ કલ્લુ દશરથભાઈ ચંદ્રવંશી (ઉંમર 20, રહે. દેહરી ઓન સોન, જિ. રોહતાસ, બિહાર) હોવાનું સામે આવ્યું. કિશોરના બનેવી મનોજભાઈ સુરેન્દ્રભાઈ માતો ઓળખપત્ર સાથે બાલાસિનોર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા બાદ તેની ઓળખની પુષ્ટિ કરવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે કિશોર 3 જાન્યુઆરી, 2026ના રોજ પોતાના મોસાળથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો અને ત્યારબાદ બાલાસિનોરમાં મળી આવ્યો હતો. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામા, શી ટીમ ઇન્ચાર્જ એએસઆઈ ગંગાબેન, હેડ કોન્સ્ટેબલ વિનોદભાઈ, કોન્સ્ટેબલ મયંકકુમાર અને આઈ.ટી. એક્સપર્ટ સંકેતભાઈ પટેલનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો.
વડોદરા શહેરમાં અવાર નવાર ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આજે શહેરના ઝોન-3 હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના 1 કરોડ ઉપરાંતના વિદેશી દારૂમાં જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચીખલોદરા ગામના સ્મશાન પાસે કરોડના દારૂ પર બુલડોઝર ફરી વળ્યુંપોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આજે શહેર નજીક આવેલા ચીખલોદરા ગામના સ્મશાન પાસે, ધનિયાવી રોડ ખાતે આ કામગીરી કરવામાં આવી હતી. દારૂના જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા સમિતિના અધ્યક્ષ અને નાયબ પોલીસ કમિશનર (ઝોન-3) અભિષેક ગુપ્તા, નાયબ કલેક્ટર વી.કે. સાંભડ, મદદનીશ પોલીસ કમિશનર (જી-ડિવિઝન) જી.ડી. પલસાણા, મદદનીશ પોલીસ કમિશનર (એફ-ડિવિઝન) પ્રણવ કટારીયા તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓની પ્રત્યક્ષ હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝોન 3ના પોલીસ સ્ટેશમાં આ મુદ્દામાલ 69 કેસમાં જપ્ત કરાયો'તો શહેરના ઝોન ત્રણમાં આવતા કપુરાઈ, મકરપુરા, પાણીગેટ અને માંજલપુર પોલીસ મથકમાં પકડાયેલ કુલ 69 કેસ કરવામાં આવ્યા હતા. કુલ નાશ પામેલ મુદ્દામાલની કિંમત રૂપિયા 1,31,68,311 થાય છે.આ કાર્યવાહીમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મધ્યાહન ભોજન સંચાલકોનો ખાનગીકરણ સામે વિરોધ:કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમણે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકારની 'પી.એમ. પોષણ યોજના' અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવાના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંચાલકોના મતે, આ નિર્ણય હજારો પરિવારોની રોજીરોટી પર સંકટ લાવી શકે છે. સંચાલકોએ જણાવ્યું કે જો ભોજન પૂરું પાડવાનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે, તો જિલ્લાના અંદાજે 3,600 જેટલા સંચાલકો, રસોયા અને હેલ્પરો સીધા બેરોજગાર બનશે. તેઓ વર્ષોથી નજીવા માનદ વેતનથી બાળકોને પૌષ્ટિક આહાર પીરસી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળની સ્પષ્ટ માંગ છે કે સરકાર ખાનગીકરણનો આ નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે અને સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લે.આ માંગણી સુરેન્દ્રનગર જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ ડાયાભાઈ પરમાર, મહામંત્રી રઘુવીરસિંહ ઝાલા, વઢવાણ તાલુકા પ્રમુખ મનોજભાઈ અલગોતર, લક્ષ્મણભાઈ સાયલા, વિપુલભાઈ વ્યાસ અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી.જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી રામેશ્વરની ચાલી નિવાસી ધર્મેશ ઉર્ફે રાહુલ પાટીલ પર મોડી રાત્રે જૂની અદાવતને કારણે ત્રણ યુવાનોએ મળીને ચપ્પુ હુમલો કર્યો હતો. આ , જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તન્મય ઉર્ફે સન્નીએ કહ્યું હતું કે, હું એક વર્ષથી પીસ્તોલ લઇને તારુ કામ તમામ કરવા ફરી રહ્યો છુ. તુ આજે ઘાટમાં આવ્યો છે. આજે તને પતાવી દેવાનો છુ. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજનભાઈ પાટીલે (ઉંમર 25) નોંધાયેલી ફરિયાદમાં ધર્મેશ પાટીલે જણાવ્યું છે કે, તે સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરીને ગુજરાન ચલાવે છે. 26 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 12 વાગ્યે તેનો મિત્ર યશવંત શર્મા ઉર્ફે કાળુ નેપાલી તેના ઘરે આવ્યો હતો અને પત્ની સાથે ઝઘડો થયો હોવાનું જણાવી તેને સમજાવવા માટે બોલાવ્યો હતો. ધર્મેશ તેની સાથે ગયો અને ઝઘડો શાંત કર્યો હતો. ત્યારબાદ બંને મિત્રો રેલવે સ્ટેશન પર ગયા હતા અને નાસ્તો કરીને લગભગ દોઢ-બે વાગ્યે ઘરે પરત ફર્યા હતા અને ધર્મેશ ઊંઘી ગયો હતો. મોડી રાત્રે આશરે સાડા ચાર વાગ્યે કાળુ નેપાલી ફરીથી આવ્યો હતો અને પત્ની સાથે ફરી ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું. ધર્મેશે તેને શાંત રહેવા કહ્યું હતું અને બંને નિઝામપુરા એસ.ટી. ડેપો પર ચા પીવા માટે મોટરસાયકલ લઈને ગયા હતા. ત્યાં પહોંચ્યા ત્યારે સવારે પાંચ વાગ્યાનો સમય હતો. ત્યાં અગાઉથી હાજર તન્મય ઉર્ફે સન્ની રવિભાઈ જાદવ, જે.ડી. ઉર્ફે ચિરાગ સોલંકી અને વિરાજસિંહ પરમાર હતા. આ ત્રણેય યુવાનો સાથે ધર્મેશને આશરે બે વર્ષ પહેલાં ઝઘડો થયો હતો અને અદાવત હતી. તેઓએ ધર્મેશને જોઈને ગાળો બોલવાનું શરૂ કર્યું. તન્મય ઉર્ફે સન્નીએ કહ્યું હતું કે, તે એક વર્ષથી પિસ્તોલ લઈને તેનું કામ તમામ કરવા ફરી રહ્યો છે અને આજે તેને પતાવી દેશે. તેણે ચિરાગ અને વિરાજસિંહને ધર્મેશના હાથ પકડી રાખવા કહ્યું હતું. બંનેએ તેના હાથ પકડી રાખ્યા અને તન્મયે એસ.ટી. બસના બોર્ડ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. મારતા-મારતા ધર્મેશની ટી-શર્ટ નીકળી ગઈ અને તેને કેન્ટીનની બહાર લઈ જઈ ટિકિટ બારી પાસે ખેંચી લઈને તન્મયે ચપ્પુ વડે છાતીના ડાબા ભાગે ઘા માર્યો હતો. જેથી લોહી વહેવા લાગ્યું હતું. આ ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ધર્મેશને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલુ છે. હુમલા દરમિયાન તેની પહેરેલ સોનાની ચેઈન અને કાનની કડી ક્યાંક પડી ગઈ છે.
વડોદરા શહેરના કપુરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા વડદલા રોડ પર રહેતા ડ્રાઇવર યુવકને વ્યાજખોરે રૂપિયા 14 લાખ વ્યાજે આપ્યા હતાં. જેમાં યુવકે ઓનલાઇન તથા રોકડા મળીને પૂરેપૂરી રકમ ચૂકવી દીધી હતી. વ્યાજખોર આતો માત્ર વ્યાજ ચૂકવ્યું છે હજુ રૂપિયા 14 લાખ લેવાના બાકી નીકળે છે તેમ કહી વધુ વ્યાજ અને નાણાંની માંગણી કરી પઠાણી ઉઘરાણી કરતો હતો. જો રૂપિયા નહીં આપે તો તારા સિક્યુરિટી પેટે લીધેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવી ફરિયાદ નોંધાવીશ. ઉપરાંત યુવકને ગાળો ભાંડી ધમકી આપતા વ્યાજખોર વિરુદ્ધ યુવકે ફરિયાદ નોંધાવી છે. 14 લાખ ટુકડે ટુકડે રોકડા અને ઓનલાઈન લીધાવડોદરા શહેરમાં વડદલા રોડ પર આવેલી બાલાજી રેસીડેન્સીમાં રહેતા વિનીત દિનેશભાઈ મસ્કે એ ફરિયાદ નોંધાવી છે કે ટ્રાવેલ્સમાં છુટ્ટક ડ્રાઇવર તરીકે કાર ફેરવી ગુજરાન ચલાવું છું. અમારી વડદલા રોડ પર શ્રી સાંઈ શ્રદ્ધા સલૂન આવેલી છે, ત્યા વર્ષ 2021માં જૈમિન પરશોતમ પટેલ હેર કટીંગ આવતા હોય અને જૈમિન પટેલ અમારી બાલાજી રેસીડેન્સી વડદલા રોડ ખાતે અમારી પાડોશમાં રહેતા હોય સારી રીતે ઓળખતો હતો. તેઓએ મને જણાવ્યું હતું કે પૈસાની જરૂર હોય તો મને કહેજો જેથી વર્ષ 2023માં હુ આર્થીક સંકળામણની પરિસ્થિતીના કારણે રૂપિયાની જરૂર પડતા મે જૈમિન પટેલને વાત કરી હતી. તેઓ પાસેથી વર્ષ 2023થી 2024 દરમ્યાન રૂ.14 લાખ ટુકડે ટુકડે રોકડા અને ઓનલાઈન લીધા હતા. 14 લાખ જૈમિન પટેલને ચુકવી દીધા હતા છતાં ઉઘરાણી ચાલુ રાખીઆ સમયે તેઓએ મને વ્યાજ માટેની કોઈ વાત કરી બ ન હતી. આ દરમ્યાન જૈમિન એ મને જણાવેલ કે હું તને આટલી મોટી રકમ આપુ છુ. તે માટે તુ મને સીકયુરીટી પેટે તારા બેંક એકાઉન્ટના કોરા ચેક આપ તેમ કહેતા મારી પાસે કોઈ રસ્તો ન હોવાથી મારા ત્રણ ચેક કોરા મારી સહી કરીને તેમજ મારા મોટા ભાઈ પીયુષ મસ્કેના ચેક પણ રકમ લખ્યા વગર સહી કરીને સીક્યુરીટી પેટે આપ્યા હતાં. ત્યારબાદ લીધેલ રૂપીયા પૈકી રૂ.11,53,690 મારા ગુગલ પેથી ઓનલાઈન તેમજ રૂ.2, 31, 410 રોકડા મળી કુલ રૂ. 14 લાખ જૈમિન પટેલને ચુકવી દીધા હતા અને મે જૈમિન પટેલ પાસેથી લીધેલ રૂપીયા તેઓને પરત ચૂકવી આપ્યા હોવા છતા આ જૈમિન પટેલ મારી પાસે વધુ રૂપીયા તથા વ્યાજની માંગણી કરતો હતો. સિકયુરીટી પેટે આપેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવીને ફસાવાની ધમકી આપીદરમ્યાન આરોપી કહેતો હતો કે, તમે જે રૂ.14 લાખ મને આપ્યા છે તે વ્યાજના છે. મારે હજુ તમારી પાસે રૂ.14 લાખ લેવાના બાકી છે તેમ કહી વધુ વ્યાજ, તેમજ નાણાની માંગણી મોબાઇલ ફોનમાં વોટસએપમાં કરી હતી. જો વધુ નાણા કે વ્યાજ નહી આપો તો તમે સીકયુરીટી પેટે આપેલા ચેક બેંકમાં બાઉન્સ કરાવી તારા વિરુધ્ધ ફરીયાદ કરીશ તેમ કહી ગાળાગાળી કરી તને જોઈ લઈશ તેવી ધમકી પણ આપી હતી. જેથી પોલીસે વ્યાજખોર જૈમીન પટેલ (ઉ.વ. 54 રહે, નંદ આઇકોન , નારાયણ વાડી પાછળ અટલાદરા વડોદરા શહેર)ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
લાંબા સમયથી નિમણૂકની રાહ જોઈ રહેલા આઈપીએસ અધિકારીઓને અંતે જવાબદારી સોંપાતા ગુજરાત પોલીસ તંત્રમાં ચહલપહલ જોવા મળી રહી છે. પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ મુજબ 6 વરિષ્ઠ અધિકારીઓને તેમના નવા કાર્યભાર માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. નિમણૂકની રાહ જોઈ રહેલા 6 IPSને વિભાગ સોંપાયોરાજ્યના પોલીસ મહાનિદેશકની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ અનુસાર, નિમણૂકની રાહ જોઈ રહેલા (Waiting for Posting) 6 IPS અધિકારીને તાત્કાલિક અસરથી વિવિધ વિભાગોમાં 'એટેચ' (જોડાણ) તરીકે ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, કેટલીક જગ્યાઓ લાંબા સમયથી ખાલી હોવાને કારણે વહીવટી કામકાજ પર અસર પડી રહી હતી. હવે આ નિમણૂકો થતા વિભાગીય કામગીરીને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. નિમણૂક માટે રાહ જોઈ રહેલા અધિકારીઓમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે, જેમને હવે પોલીસ મહાનિદેશક કચેરી તથા વિવિધ શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે. જાણો કોને ક્યો વિભાગ મળ્યોતાજેતરમાં 6 IPS અધિકારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત તરુણ દુગ્ગલને સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝમાં, ચૈતન્ય આર. માંડલિકને પોલીસ સુધારણા વિભાગમાં અને આર. ટી. સુસરાને ટેકનિકલ સેવાઓ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, સુધા એસ. પાંડે અને સુજાતા મઝુમદાર બંને અધિકારીઓની પોલીસ મહાનિદેશકની કચેરી (તાલીમ) ખાતે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે મયુર ગુલાબરાવ પાટીલને કાયદો અને વ્યવસ્થા તથા જનસંપર્ક કાર્યાલય ખાતે ફરજ બજાવવા આદેશ કરવામાં આવ્યો છે. આ તમામ અધિકારીઓ હાલ ગાંધીનગર સ્થિત કચેરીઓમાં પોતાની સેવાઓ આપશે.
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ઈમેલ મળતા કામગીરી બંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક ઈમેલ દ્વારા આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી. ધમકી મળતાની સાથે જ, ફરજ પર હાજર તમામ કર્મચારીઓને બિલ્ડીંગની બહાર સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. કામગીરી બંધ થવાને કારણે પોસ્ટ ઓફિસ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. આ ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. પોસ્ટ ઓફિસ પરિસરમાં સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ અને સુરક્ષાની ખાતરી મળ્યા પછી જ પોસ્ટ ઓફિસની કામગીરી ફરીથી શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન ડો. અમોલ ભાવે દ્વારા વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરી હોવાની ડીન સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે વાઇસ ડીને પોતાના પર લગાવવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. જોકે ડીન પ્રો.ડો. રંજન ઐયરે તપાસ ચાલુ હોવાથી કઈ પણ ટિપ્પણી ન કરવાની વાત કરી છે. બરોડા મેડિકલ કોલેજમાં બીજા વર્ષના પ્રેક્ટિકલ-વાઇવા દરમિયાન આ ઘટના બની હતી. આ મુદ્દે 13થી વધુ વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી છે. બરોડા મેડિકલ કોલેજના બીજા વર્ષની વિદ્યાર્થિનીઓએ ફાર્મેકોલોજી વિભાગના સિનિયર પ્રોફેસર અને વાઇસ ડીન ડો.અમોલ ભાવે સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વિદ્યાર્થિનીએ કહ્યું કે, અનેક વિદ્યાર્થિની સાથે અશ્લીલ કહેવાય તેવી હરકત કરી છે. તેમણે વિદ્યાર્થિનીઓનો હાથ પકડી ‘મને ક્રીમ અહીં લગાવે છે તો કેવું લાગે છે’ કહી પોતાના શરીરે વિદ્યાર્થિનીઓની આંગળીઓ ઘસાવી હતી. ફરિયાદ બાદ ડો.અમોલને વાઇસ ડીનના પદેથી ઉતારાયાવિદ્યાર્થીઓની ફરિયાદ બાદ ડો.અમોલને વા.ડીન પદેથી ઉતારી મૂક્યા છે. સાથે પરીક્ષાને લગતું કામ આંચકી લેવામાં આવ્યું છે. મેડિકલ કોલેજના સત્તાધીશો 9 સભ્યની વિમેન્સ હેરેસમેન્ટ કમિટી સમક્ષ મુદ્દો લઇ ગયા છે, જેની બેઠક આવતા સપ્તાહે મળશે. આવી કોઈ ઘટના બની નથી, ગેરસમજ થઈ હશે: ડૉ. અમોલ ભાવેબરોડા મેડિકલ કોલેજના વાઇસ ડીન ડૉ. અમોલ ભાવેએ આ મામલે જણાવ્યું હતું કે, આવી ઘટના ક્યારેય બની જ નથી. વાયવામાં હાથ પકડ્યો. ખરેખર આવી કોઈ ઘટના બની નથી. કોઈ ગેરસમજ થઈ હશે. વાતને વધારીને જ કશું કરવામાં આવ્યું છે. 10થી 15 લોકો ઉભા થાય તો જ કોઈ ભરોસો કરે, એટલા માટે આટલી મોટી સંખ્યામાં લોકો ગયા હશે અને અમારી સામે ફરિયાદ કરી હશે. આ તો મારી બાળકોની ઉંમરના છે, મારો દીકરો અને મારી દીકરી આ ઉમરના છે. આવો કોઈ ઇન્ટેન્શન જ નથી. ‘વિશ કરીએ, શેક હેન્ડ કરીએ તેને સતામણી કહેતા હોય તો વાત અલગ છે’તેઓએ કહ્યું કે, કોઈને વિશ કરીએ અને શેક હેન્ડ કરીએ એને જો સતામણી કહેતા હોય તો વાત અલગ છે, બાકી સતામણી શબ્દ તો ખૂબ વધારે લાગે છે. જો વિદ્યાર્થીને એવું લાગતું હોય, તો હું માફી માંગુ છું. આ મામલે કમિટીની નિમણૂક કરવામાં આવી છે મને એકવાર બોલાવવામાં આવ્યો હતો. કમિટીના ચેરપર્સન એક અઠવાડિયું હાજર નથી. જેથી હમણાં પ્રોસેડિંગ થયું નથી. ‘28 વર્ષથી ફરજ બજાવું છું, ક્યારેય આક્ષેપો થયા નથી’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, એવું કહેવામાં આવ્યું છે કે, મારી પોસ્ટના કારણે છોકરીઓ મારાથી ડરે છે, પરંતુ કોઈ મારાથી ગભરાય છે તે જાણી મને નવાઈ લાગે છે. મેં મારું એમબીબીએસ અને એમડી આ કોલેજમાંથી જ કર્યું છે અને 28 વર્ષથી અહીં ફરજ બજાવું છું. ક્યારેય મારી પર આવા આક્ષેપો થયા નથી. વિદ્યાર્થીઓ ફેલ થાય તો મારી પાસે રડતા આવતા હોય છે, પરંતુ પરીક્ષા વિભાગની મારી પાસે કોઈ જવાબદારી નથી. બધુ યુનિવર્સિટી નક્કી કરતી હોય છે.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હવે નમો પાર્ક પણ બનશે. શહેરીજનોને મનોરંજક પ્રવૃત્તિઓ માટે વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્પેસ મળી રહે તે માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં નમો ગૌરવ પાર્ક બનાવાશે. ગુજરાત બજેટ 2026-27માં નમો ગૌરવ પાર્ક માટે રાજ્ય સરકારે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ગુજરાતના શહેરી વિસ્તારોમાં વિવિધ ઉંમરના લોકો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સ્થળોની માંગ હવે વધી રહી છે. ઝડપી શહેરીકરણને કારણે શહેરી વિસ્તારમાં વસતા લોકો માટે મનોરંજક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરવા માટે ખુલ્લી જગ્યાઓ ઓછી થઇ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની મહાનગરપાલિકાઓમાં થીમ-આધારિત નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાનો નિર્ણય કર્યો છે. આવા થીમ આધારિત પાર્ક વિકસિત કરવા માટે સરકારે ગુજરાત બજેટ 2026-27માં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ 20 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. થીમ આધારિત પાર્કમાં રમત-ગમત, ફિટનેસ પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઇકોલોજી, ટેક્નોલોજી આધારિત સુવિધાઓ વગેરેનો સમાવેશ કરાશે. નમો ગૌરવ પાર્કમાં કયા ઝોન હશે?આ પાર્કમાં ચિલ્ડ્રન પ્લે ઝોન્સ, થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોન, ફિટનેસ એન્ડ સ્પોર્ટસ એરિયા, રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસ, વૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફિચર્સ, પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટી તેમજ સ્માર્ટ પાર્ક ફિચર્સનો સમાવેશ થાય છે. ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો માટે રમત-ગમતના સાધનો હશે તો થીમ-બેઝ્ડ લેન્ડસ્કેપિંગ એન્ડ ગ્રીન ઝોનમાં સ્થાનિક વૃક્ષોનું વાવેતર અને ફૂલોની ક્યારીઓ, થીમ આધારિત શિલ્પો અને કલાકૃતિઓનું સ્થાપન તેમજ બટર ફ્લાય ગાર્ડન, હર્બલ ગાર્ડન વગેરે હશે. ફિટનેસ એન્ડ સ્પોર્ટસ એરિયામાં ઓપન જીમ, જોગિંગ અને વૉકિંગ ટ્રેક્સ તેમજ બેડમિન્ટન, વૉલીબોલ જેવી રમતો માટેનો એરિયા હશે. રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ એક્ટિવિટી સ્પેસમાં ઓપન એર એમ્ફિથિયેટર અથવા પર્ફોર્મન્સ માટેના સ્ટેજ, યોગ અને મેડિટેશન માટે લૉન બનાવવામાં આવશે. વૉટરબોડી અને ઇકો ફ્રેન્ડલી ફિચર્સમાં નાનકડા તળાવ, ફૂવારાઓ, હરિત વિસ્તારો માટે ટપક સિંચાઇ, વરસાદી પાણીના સંગ્રહ માટેની સિસ્ટમ વગેરે વિકસિત કરવામાં આવશે. પબ્લિક એમેનિટીસ અને યુનિવર્સલ એક્સેસેબિલિટીમાં પીવાના પાણીની સુવિધા, સ્વચ્છ જાહેર શૌચાલયો, બેસવા માટે બેન્ચીસ અને ગઝેબો તેમજ દીવ્યાંગો માટે સુવિધાજનક રસ્તાઓ બનાવવામાં આવશે. જ્યારે સ્માર્ટ પાર્ક ફિચર્સમાં ગાર્ડનને સૌર ઊર્જાથી સંચાલિત કરવા, વાઇ-ફાઇની સુવિધા, સેન્સર આધારિત લાઇટિંગ સિસ્ટમ, ડિજિટલ ઇન્ફોર્મેશન સાઇનેજિસ વગેરેનો સમાવેશ કરવામાં આવશે. નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાના ઉદ્દેશ શું છે?થીમ આધારિત નમો ગૌરવ પાર્ક વિકસિત કરવાનો ઉદ્દેશ શહેરીજનોની મનોરંજન અને સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરવા વાઇબ્રન્ટ કોમ્યુનિટી સ્થળોનું નિર્માણ કરવાનો છે. આ પહેલથી બાળકો, યુવાનો અને વરિષ્ઠ નાગરિકો એમ તમામ ઉંમરના લોકોને આધુનિક અને આકર્ષક મનોરંજન સુવિધા પૂરી પાડવામાં આવશે. સાથે સાથે આ પાર્કમાં વિવિધ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ માટેના ઝોન્સ બનાવવામાં આવશે જે શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપશે. વધુમાં આ પાર્ક વિકસિત કરવાનો એક ઉદ્દેશ સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે. વિવિધ વૃક્ષો અને છોડવાંઓના વાવેતર, થીમેટિક ગ્રીન લેન્ડસ્કેપ્સ અને પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ દ્વારા શહેરી ઇકોલોજીમાં વધારો કરવામાં આવશે.
અમરેલી શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ અને તેના પરિસરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ-મેલ દ્વારા મળ્યા બાદ તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ધમકીભર્યો ઈ-મેલ મળતા જ સુરક્ષાના હેતુસર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસનો સમગ્ર પરિસર ખાલી કરાવવામાં આવ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે સઘન તપાસ અને શોધખોળ હાથ ધરી હતી. શંકાસ્પદ વસ્તુઓ માટે પરિસરની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. તેમ છતાં, સાવચેતીના ભાગરૂપે તપાસ કામગીરી યથાવત રાખવામાં આવી હતી. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી હતી. અમરેલી પોસ્ટ ઓફિસના સુપરિન્ટેન્ડન્ટ ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, 'અમારી વડી કચેરી મારફતે અમને સૂચના મળી હતી કે પોસ્ટ ઓફિસમાં આવેલ પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ સંદર્ભે અમે પાસપોર્ટ કેન્દ્ર સહિત ઓફિસ ખાલી કરવાની સૂચના આપતા તે ખાલી કરવામાં આવી હતી. ફાયર ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલમાં તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને આ ઓફિસ સુરક્ષિત છે.'
અમરેલીમાં દેશી બંદૂક સાથે એક ઝડપાયો:માંડવડા ગામ નજીક SOG દ્વારા કાર્યવાહી
અમરેલી તાલુકાના માંડવડા ગામ નજીક સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા એક વ્યક્તિને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય, અમદાવાદ દ્વારા એ.ટી.એસ. ચાર્ટર મુજબ ગંભીર ગુનાઓ અટકાવવા અને ગેરકાયદેસર હથિયારો ધરાવતા ઇસમો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. આ અંતર્ગત અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમો વિરુદ્ધ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એસ.ઓ.જી. પીઆઇ આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખાનગી બાતમી મળી કે માંડવડા ગામે રહેતો સાયરભાઈ ગોરી નામના ઈસમ પાસે માંડવડાથી સનાળીયા જવાના રસ્તા પર સીમ વિસ્તારમાં આવેલ વાડીની ઓરડીમાં હાથ બનાવટની દેશી જામગરી બંદૂક રાખેલી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળને કોર્ડન કરી રેઇડ કરતાં આરોપી સાયરભાઈ કાળુભાઈ ગોરી (ઉ.વ. 45, ધંધો – ખેતી, રહે. માંડવડા, તા. જિ. અમરેલી) ને એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક (અંદાજિત કિંમત રૂ. 1,000) સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમરેલીના હથિયારબંધી જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ કુલ 15 પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. આ કામગીરી એસ.ઓ.જી. પીઆઇ આર.ડી. ચૌધરી, એસ.ઓ.જી. ટીમના એ.એસ.આઈ. યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઈ પરમાર, જયરાજભાઈ વાળા, અને પોલીસ કોન્સ્ટેબલ જનકભાઈ કુવાડિયા દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા આજરોજ સભાખંડ ખાતે મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં શિક્ષણ સમિતિ અને મનપાનું બજેટ એકસાથે ચર્ચા માટે મુકવામાં આવ્યું હતું. જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નું અંદાજપત્ર 170 કરોડનું બજેટ ચર્ચા-વિચારણા કર્યા બાદ મંજુર કરવામાં આવ્યું હતું, જ્યારે ભાવનગર મહાનગરપાલિકા નું વર્ષ 2026-27નું 425.31 કરોડની પુરાંતવાળું વર્ષ બજેટ સાધારણ સભામાં ચર્ચા શરૂ કરવામાં આવી છે, મનપા ના સાધારણ સભા માં શાસક અને વિપક્ષ વચ્ચે ભારે ગરમાવો થયો હતો, જેમાં સભા દરમ્યાન કોંગ્રેસ ના પૂછ્યા વગર કોઈ સભામાંથી અંદર -બહાર જઈ રહ્યા હતા, તેમાં ભાજપ ના સભ્ય એ કોંગ્રેસ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી અને મેયર ભરતભાઈ બારડ એ વિશેષ અધિકારથી તેઓ એ કોંગ્રેસ ના સાતએ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવતા મામલો ગરમાયો હતો, અને જેમાં મેયર ભરતભાઈ બારડ અને પૂર્વ વિરોધ પક્ષ ના નેતા ભરતભાઈ બુધેલીયા એ સામસામી હાથ લાંબા થયા હતા, અને સભા માં ભારે ગરમાવો થયો હતો અને મેયર એ ફાયર સિક્યુરિટી ને સૂચના આપતા કોંગ્રેસના સભ્યોને બાવળા પકડીને સભા બહાર કાઢવામાં આવ્યા હતા, ત્યારબાદ ભાવનગર શહેર પ્રમુખ કુમાર શાહ એ મેયરને રિક્વેસ્ટ કરતાં રદ કર્યું હતું સભામાં બેસવા દેવામાં આવ્યો હતો ત્યારબાદ ફરી વખત સભા શરૂ કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિનું રૂ.170 કરોડનું બજેટ મંજુરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન નિકુંજભાઈ મહેતા ના અધ્યક્ષસ્થાને ગત તા 8 જાન્યુઆરીના રોજ વર્ષ 2026-27નું 170 કરોડ રૂપિયાનું બજેટ અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી, આ બજેટ મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને ચર્ચા વિચારણા કર્યા બાદ સાધારણ સભામાં મોકલી આપવામાં આવ્યું હતું, શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 69 શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમની -66, અંગ્રેજી માધ્યમની-2 અને ઉર્દૂ માધ્યમની -1 શાળાઓનો સમાવેશ થાય છે, આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર-ભથ્થા 5954.08 હજાર, શિક્ષકો અને વિદ્યાસહાયકોના પગાર ભથ્થા 1588915.34 હજાર, ચોથા વર્ગના કર્મચારીઓ પગાર ભથ્થા 32832.98 લાખ, શેક્ષણિક અને શાળાકીય હેતુ 61669 હજાર, કાયમી પ્રોજેકટ 500 હજાર, સમિતિ વહીવટી કાર્યભાર 1957 હજાર, કચેરી વહીવટી ભાર 2280 હજાર, માહિતી અને સંદેશા 1800 હજાર, લોન-એડવાન્સીસ તથા એલ.ટી.સી 1200 હજાર, વિવિધ લક્ષી હેડ 4276 હજાર તથા સમિતિ માટે આઉટસોસીંગ સ્ટાફ ખર્ચ હેડ 4846 હજાર ના ખર્ચાઓ મળી કુલ 1706230.40 લાખ બજેટ માં ચર્ચાઓ કરવામાં આવશે,વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, આ બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે, જેમાં કુલ બજેટ 1,70,62,30,400 (એકસો સિત્તેર કરોડ બાસઠ લાખ ત્રીસ હજાર ચારસો) રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ચાર શાળાઓને આદર્શ (મોડેલ) શાળા તરીકે વિકસાવવામાં આવશે, ભાવનગર પૂર્વ: પ્રભાશંકર પટ્ટણી શાળા નં-66 (અકવાડા) અને ચંદ્રમોલી પ્રાથમિક શાળા નં-67 જ્યારે ભાવનગર પશ્ચિમમાં ગિજુભાઈ બધેકા શાળા નં-75 (સિદસર) અને પ્રમુખ સ્વામી મહારાજ શાળા નં-53, વિદ્યાર્થીના આકસ્મિક અવસાનના કિસ્સામાં અપાતી મરણોત્તર સહાય 20,000 થી વધારીને 40,000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, શાળાઓમાં પ્રથમવાર સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ પૂરા પાડવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓની હાજરી માટે ફેસ રેકગ્નિશન અને QR કોડ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે જે આજરોજ સાધારણ સભામાં આ બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન એલસીબી અને પીસીબીની ટીમે દરોડા પાડી મોંઘો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાંદલોડિયામાં પીસીબીની ટીમ અને સોલામાં ઝોન એલસીબીની ટીમે વિદેશી દારૂનું કટીંગ અને જથ્થો ઝડપી પાડ્યો હતો. સોલા ગામમાં ઘોડાના તબેલામાં બે શખ્સ વિદેશી દારૂનું ગાડીમાં કટીંગ કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા. તો પીસીબીની ટીમે ચાંદલોડિયાના રાજીવનગરમાં ઘરમાં મોંઘી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી. એક જ દિવસમાં અલગ અલગ બે એજન્સીઓએ સોલા પોલીસની જાણ બહાર દરોડા પાડી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂનો જથ્થો સગેવગે કરે તે પહેલાં જપ્તપીસીબીની ટીમને બાતમી મળી હતી કે શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાંદલોડિયામાં રાજીવનગર ગલી નંબર 4 ખાતે ગુલાબસિંહ વાઘેલાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે અને તેને સગેવગે કરવામાં આવનાર છે. જેના આધારે પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને મકાન પર પહોંચતા તાળું માર્યું હતું જેથી મકાનને તાળું તોડી ખોલતા ઘરમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં બિયર સહિત અલગ અલગ મોંઘી વિદેશી દારૂની બોટલો ઘરમાંથી મળી આવી હતી. 95 મોંઘી વિદેશી દારૂની બોટલ મળીપોલીસે ગણતરી કરતા અલગ અલગ મોંઘી વિદેશી દારૂની બોટલ સહિત 95 જેટલી બોટલ રૂપિયા 1.62 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મોંઘો વિદેશી દારૂનો જથ્થો ઘરમાં મૂકી રાખ્યો હતો. સોલા અને આસપાસના વિસ્તારમાં દારૂની બોટલો ગ્રાહકોને આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આ તમામ બોટલો કબજે કરી આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે. ઘોડાના તબેલામાં દારૂનું કટિંગબીજી તરફ ઝોન વન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સોલા ગામ ખાતે રબારીવાસમાં ચેહર નગરમાં એક ઘોડાનો તબેલો આવેલો છે જેમાં ગાડીમાં કેટલાક લોકો વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા છે જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો, ત્યારે ગાડીમાં બે વ્યક્તિ મળી આવ્યા હતા. અશોક રાવળ અને ફેનીલ શર્મા નામના બે યુવક હાજર હતા ત્યારે ગાડીમાં તપાસ કરતા દારૂ અને બિયરની અલગ અલગ બોટલો મળી આવેલી હતી. કુલ 211 જેટલી દારૂની અને બીયરની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેઈલ દ્વારા ધમકી મળી હતી. આ ધમકી મળતા જ પોલીસ તંત્ર સતર્ક બન્યું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી. માહિતી મળતાની સાથે જ બી-ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એસઓજી (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) અને બીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ)ની ટીમોને પણ બોલાવીને વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી હતી. તકેદારીના ભાગરૂપે, પાસપોર્ટ ઓફિસ સાથે સંકળાયેલી પોસ્ટ ઓફિસ અને આસપાસની દુકાનોને ખાલી કરાવવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી. આપત્કાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ફાયર બ્રિગેડની બે ટીમો પણ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વસ્તુઓની તપાસ ચાલી રહી છે, અને ધમકીભર્યો ઈમેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને વધુ તપાસ ચાલુ છે.
RTO-ટ્રાફિક પોલીસે વેરાવળ નજીક ચેકિંગ ડ્રાઇવ યોજી:સોમનાથ-ભાવનગર હાઈવે પર દસ્તાવેજોની સઘન ચકાસણી કરાઈ
ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે વેરાવળ નજીક RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર કાજલી ગામ નજીક આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તાજેતરમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને તંત્ર સક્રિય બન્યું છે. હાઈવે પર ભારે વાહન વ્યવહાર વચ્ચે સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અધિકારીઓએ સઘન ચકાસણી કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન વાહનચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક, ઇન્સ્યોરન્સ અને PUC પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત, વાહનોમાં ઓવરલોડિંગ, માન્ય નંબર પ્લેટ, રિફ્લેક્ટર અને અન્ય સલામતી માપદંડોની પણ કડક ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન અનેક વાહનચાલકો નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાયા હતા. હેલ્મેટ વગર બાઈક ચલાવતા યુવાનો, સીટબેલ્ટ વગર કાર ચલાવતા ચાલકો અને જરૂરી દસ્તાવેજો વગર વાહન ચલાવતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમ ભંગ કરનારાઓ પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોનું મુખ્ય કારણ બેદરકારી અને ટ્રાફિક નિયમો પ્રત્યેની ઉદાસીનતા છે. આવા અભિયાનોનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. RTO અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને હંમેશા હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા, તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ગતિમર્યાદાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. તંત્રે સ્પષ્ટ કર્યું છે કે માર્ગ સુરક્ષાને લઈને આવી સંયુક્ત ચેકિંગ ડ્રાઇવ ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે. આ કાર્યવાહીથી હાઈવે પર શિસ્ત અને સુરક્ષા વધારવાનો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
કહેવાય છે કે સેવા એ જ પરમો ધર્મ છે આ ઉક્તિને ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરે સાર્થક કરી બતાવી છે. ગત તાજેતરમાં એક 25 વર્ષીય માનસિક અસ્વસ્થ મહિલા પોતાના એક વર્ષના બાળક સાથે શહેરમાં રસ્તો ભટકી ગઈ હતી. જોકે સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી વિખૂટો પડેલો પરિવાર ફરી એક થયો છે. માનસિક અસ્વસ્થ મહિલા બાળક સાથે શહેરમાં રસ્તો ભટકી ગઈ પ્રાપ્ત વિગતો મુજબ, 24 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા એક અજાણી મહિલા અને તેના બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સેન્ટર પર લાવવામાં આવ્યા હતા. મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાનું નામ કે સરનામું જણાવી શકતી નહોતી.જે સેન્ટરના સ્ટાફ માટે મોટો પડકાર હતો. જોકે સેન્ટરના કાઉન્સેલરોએ હાર માન્યા વગર મહિલા સાથે ધીરજપૂર્વક વાતચીત શરૂ કરી હતી. અને વારંવારના વાર્તાલાપ બાદ મહિલાએ એક મહત્વની માહિતી આપી કે તેનું મોટું બાળક દાહોદ જિલ્લાના પિયરના ગામની સરકારી શાળામાં ધોરણ-1 માં ભણે છે. સખી વન સ્ટોપ સેન્ટરે કાઉન્સેલિંગ કરીને બંનેને પરિવારને સોંપ્યાઆ કડી મળતા જ સ્ટાફે તુરંત એક્શનમાં આવી દાહોદની શાળાના આચાર્યનો સંપર્ક સાધ્યો હતો. બાદમાં ફોટો દ્વારા ઓળખની ખાતરી થતા જ પરિવારનો સંપર્ક થઈ શક્યો હતો. જેના કારણે મહિલાનો પતિ અને ભાઈ સિવિલ દોડી આવ્યા હતાં. જેઓ અમદાવાદમાં મજૂરી કામ કરે છે, તેમણે જણાવ્યું હતું કે મહિલા છેલ્લા બે દિવસથી ગુમ હતી અને તેની સારવાર ચાલુ હતી. ત્યારે પોતાના સ્વજનોને હેમખેમ જોઈ પરિવાર ભાવુક થઈ ગયો હતો. ત્યારે સેન્ટર દ્વારા મહિલાની નિયમિત દવાઓ બાબતે પણ પરિવારને યોગ્ય સમજણ આપી વિદાય આપવામાં આવી હતી.
વલસાડ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી:સાયનાઈડ બોમ્બના ઈમેલથી સુરત-વલસાડમાં હાઈએલર્ટ
વલસાડ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત અને વલસાડમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસ (RPO) ને એક ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ સમગ્ર દક્ષિણ ગુજરાતનું પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ ઈમેલમાં વલસાડ સહિતની પાસપોર્ટ ઓફિસોમાં સાયનાઈડ ભરેલા સિલિન્ડર અને RDXથી બ્લાસ્ટ કરવાની ચીમકી આપવામાં આવી હતી. સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા ઈમેલમાં જણાવાયું હતું કે, પાસપોર્ટ ઓફિસોમાં ખતરનાક ઝેરી ગેસ 'સાયનાઈડ' ભરેલા સિલિન્ડરો ગોઠવવામાં આવ્યા છે. આ સિલિન્ડરો બપોરે 12:10 વાગ્યે બ્લાસ્ટ થશે તેવી ધમકી આપવામાં આવી હતી. સુરત ઓફિસે તાત્કાલિક વલસાડ પાસપોર્ટ ઓફિસને આ અંગે જાણ કરી હતી. ધમકી મળતા જ વલસાડ પોલીસ હરકતમાં આવી હતી. DySP એ.કે. વર્મા અને વલસાડ પોલીસ મથકના ઇન્ચાર્જ PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં વલસાડની હેડ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોની મદદથી કચેરીમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ પોલીસના ઉચ્ચ અધિકારી એ.કે. વર્માએ જણાવ્યું હતું કે, 'સુરતથી મળેલી માહિતી મુજબ તકેદારીના ભાગરૂપે વલસાડ પાસપોર્ટ ઓફિસ અને આસપાસના સરકારી બિલ્ડિંગો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.' વલસાડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ જે.આર. વસીએ માહિતી આપી હતી કે, ઈમેલમાં બપોરે 12 વાગ્યા પહેલા ઓફિસ ખાલી કરી દેવાની સૂચના હતી. સુરક્ષાના કારણોસર તાત્કાલિક સ્ટાફ અને કામ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. જે અરજદારોની આજે એપોઈન્ટમેન્ટ હતી, તેમની કામગીરી અંગે હવે પછી નિર્ણય લેવામાં આવશે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઈમેલ કોઈની ટીખળ છે કે ખરેખર કોઈ મોટું કાવતરું છે. પાસપોર્ટ ઓફિસ અને આસપાસના વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં આશાપુરી વસ્તી હિન્દુ સંમેલન સમિતિ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનની શરૂઆત વિરાટ વાહન રેલીથી થઈ હતી, ત્યારબાદ બાળકો દ્વારા દેશભક્તિના નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આયોજનમાં કાન્તીભાઈ પટેલ, અશ્વિવનભાઈ દેસાઈ, જગદીશભાઈ પ્રજાપતિ અને શૈલેષભાઈ પટેલે મહત્વનું યોગદાન આપ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈ-બહેનો આ સંમેલનમાં જોડાયા હતા. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મ સત્ય અને માનવતાના પાયા પર ઊભેલો છે. તેમણે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને સોમનાથ મંદિરના રક્ષણ માટે બલિદાન આપનાર લાઠીના હમીરજી ગોહિલ જેવા મહાપુરુષોના ઉદાહરણો આપ્યા હતા. સાધુ પ્રેમવત્સલદાસજીએ વધુમાં કહ્યું કે, સિંહની ડણક અને હિન્દુની હલક બંને ભયાનક હોય છે, જેનાથી કાળ પણ પાછો પડે છે. જ્યારે સિંહ અને હિન્દુ ગર્જના કરે છે, ત્યારે ઇતિહાસ બદલાઈ જાય છે. તેમણે હિન્દુઓને શિવાજી અને મહારાણા પ્રતાપના વારસદાર ગણાવ્યા હતા, જેઓ ધર્મ માટે શીશ આપતા શીખ્યા છે અને ક્યારેય ઝૂકતા નથી. તેમણે હિન્દુઓને જાગૃત થવા અને અન્યોને જાગૃત કરવા હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દરેક હિન્દુએ એક-નેક અને ટેકીલા બનવાની જરૂર છે, જેથી કોઈ તેમને વિભાજિત ન કરી શકે. ધર્મનું રક્ષણ કરવાથી ધર્મ આપણું રક્ષણ કરશે, તેમ તેમણે ઉમેર્યું. સાધુ પ્રેમવત્સલદાસજીએ દરેક હિન્દુ ઘરમાં નિત્ય દીપ પ્રાગટ્ય, નિત્ય પ્રાર્થના, રામાયણ, ગીતા અને શિક્ષાપત્રી જેવા ગ્રંથોના પાઠ, સમૂહ ભોજન અને ભજન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આવા સંસ્કારોથી ભક્ત પ્રહ્લાદ અને નચિકેતા જેવા સંતાનો જન્મશે, જેઓ ભવિષ્યમાં હિન્દુ ધર્મનું રક્ષણ કરશે. તેમણે આજના બાળકો અને યુવાનોને રામની મર્યાદા, પરશુરામનું શૌર્ય, હનુમાનજી અને દાદાખાચર જેવી ભક્તિ શીખવવાથી હિન્દુ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે તેમ જણાવ્યું હતું.
જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસને મળેલા ઈ-મેલમાં સ્પષ્ટપણે પોસ્ટ ઓફિસમાં બોમ્બ હોવાનો અને તેને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ મેલ મળતાની સાથે જ જામનગર પોલીસ સક્રિય બની હતી અને ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ચાંદી બજાર ખાતે ધસી ગયો હતો. સાવચેતીના ભાગરૂપે, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. સમગ્ર પોસ્ટ ઓફિસ બિલ્ડિંગને ખાલી કરાવીને ખૂણેખૂણાની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાંદી બજાર જામનગરનું એક વ્યસ્ત વ્યાપારી કેન્દ્ર હોવાથી, બોમ્બની ધમકીના સમાચારને પગલે આસપાસના વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર આસપાસના વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ ઈ-મેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે અંગે સાયબર ક્રાઈમની મદદથી ટેકનિકલ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની તોફાની હરકત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા માંગતી નથી અને તપાસ ચાલુ છે.
રાજ્યભરમાં જ્યારે હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે, ત્યારે 108 ઇમરજન્સી સેવાએ પણ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કમર કસી છે. અગાઉના વર્ષોના ડેટાના આધારે આ વર્ષે ઇમરજન્સી કેસમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં એમ્બ્યુલન્સ અને સ્ટાફની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે ધૂળેટીએ 6750 ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા108 સેવાના CEO જસવંત પ્રજાપતિના જણાવ્યા અનુસાર, હોળીના દિવસે કેસમાં 12% અને ધૂળેટીના દિવસે 44% જેટલો મોટો વધારો થવાનું અનુમાન છે. સામાન્ય દિવસોમાં આવતા 4680 કોલની સામે આ વર્ષે ધૂળેટીએ 6750 જેટલા ઇમરજન્સી કોલ્સ આવવાની શક્યતા છે. ખાસ કરીને માર્ગ અકસ્માત અને અન્ય ઇજાઓમાં મોટો ઉછાળો જોવા મળે છે. ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં ડૂબવું, મારામારીના કિસ્સાઓ અને ઝેર પીવાના કેસોમાં ધૂળેટીના પર્વ પર નોંધપાત્ર વધારો થતો હોય છે. સુરત શહેરમાં ઇમરજન્સી કેસમાં 53%નો વધારો જોવા મળી શકેસૌથી વધુ સુરત શહેરમાં ઇમરજન્સી કેસમાં 53%નો વધારો જોવા મળી શકે છે. આ ઉપરાંત દાહોદ, પંચમહાલ, આણંદ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં પણ ઇમરજન્સીની સંખ્યા વધવાની શક્યતા છે. રાજ્યભરમાં હાલ 800 જેટલી 108 એમ્બ્યુલન્સ, 38 ICU ઓન વ્હીલ્સ, 2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોની 500થી વધુ એમ્બ્યુલન્સ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. કુલ મળીને 1750થી વધુ એમ્બ્યુલન્સ લોકોની સેવામાં હાજર રહેશે. ઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગૂગલ મેપ્સથી 'હોટસ્પોટ' નક્કી કરાયાઇમરજન્સી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા માટે ગૂગલ મેપ્સ દ્વારા 'હોટસ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે, જેથી એમ્બ્યુલન્સને વ્યૂહાત્મક સ્થળોએ તહેનાત કરી શકાય અને ગોલ્ડન અવરમાં દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. આમ, હોળી-ધૂળેટીના તહેવારોમાં લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે 108 તંત્ર સજ્જ છે. નાગરિકોને પણ વિનંતી છે કે સાવચેતીપૂર્વક તહેવાર ઉજવે અને કોઈપણ કટોકટીમાં તાત્કાલિક 108 પર સંપર્ક કરે.
ગુજરાતની સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા એક અજ્ઞાત ધમકીભર્યા ઈમેલના કારણે સમગ્ર રાજ્યના પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં ખળભળાટ મચી ગયો છે. સુરત ઓફિસને મળેલા આ મેઈલમાં રાજ્યના પાસપોર્ટ કેન્દ્રોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જેના પગલે જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પણ તાકીદે સુરક્ષા સઘન બનાવી દેવામાં આવી છે. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસે બૉમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળેધમકીના પગલે રાજ્યભરના તમામ પાસપોર્ટ કેન્દ્રોને એલર્ટ કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જૂનાગઢ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને એસ.ઓ.જી. (SOG) ની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર બિલ્ડિંગમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસમાં સઘન ચેકીંગ સુરક્ષાના ભાગરૂપે કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર વિભાગનો કાફલો પણ સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને પાસપોર્ટ કેન્દ્રની આસપાસ સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું છે. આ ધમકી કોણે અને કયા હેતુથી આપી તે દિશામાં સુરત પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે, જ્યારે જૂનાગઢ પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસમાં સઘન ચેકીંગ હાથ ધરી દરેક સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
સુરતમાં પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીને પગલે મહેસાણા પોસ્ટ ઓફિસને એલર્ટ કરવામાં આવી છે. વિસનગર રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી.આ ગંભીર જાણકારી મળતા જ સાવચેતીના ભાગરૂપે મહેસાણા પોસ્ટ ઓફિસને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. મહેસાણાના હેડ પોસ્ટ માસ્ટર આર.એમ.રબારીએ જણાવ્યું કે,અમને અમારી હેડ ઓફિસમાંથી 10.58 વાગ્યે મેઈલ આવ્યો કે, સુરત પાસપોર્ટ હેડ ઓફિસ ખાતે મેઇલ આવ્યો છે કે, બોમ્બથી ઉડાવવાની ધમકી આવી છે. તેના અનુસંધાને અમે પોલીસ કંટ્રોલ મહેસાણાને જાણ કરી છે. જેને પગલે પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી. સ્થાનિકો અને કસ્ટમરમાં ફફડાટ ફેલાયોઆ એલર્ટને પગલે મહેસાણા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સુરક્ષાને ધ્યાને રાખીને એસઓજી (SOG), એલસીબી (LCB) અને ડોગ સ્ક્વોડની ટીમોએ પોસ્ટ ઓફિસના ખૂણેખૂણામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરાવાતા અને પોલીસનો કાફલો ઉતરી આવતા સ્થાનિકો અને ગ્રાહકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર પરિસરની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
વેરાવળ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી:ઈમેલ મળતા પોલીસ એલર્ટ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું
વેરાવળ શહેરમાં આવેલી ઇન્ડિયા પોસ્ટની પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકી એક ઈમેલ દ્વારા આપવામાં આવી હતી, જેના પગલે ગીર સોમનાથ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સક્રિય બની હતી. ધમકીભર્યો ઈમેલ મળતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક એલર્ટ થઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર, પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. આસપાસના વિસ્તારને કોર્ડન કરીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. BDDS ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગ અને પરિસરનું ઝીણવટભરી રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકી ખોટી હોવાની શક્યતા છે. તેમ છતાં, પોલીસ ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા માટે સાયબર સેલની મદદથી વધુ તપાસ કરી રહી છે. શહેરમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે, પરંતુ આ ઘટનાને કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં લઈ રહી છે.
જામનગરમાં રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન ટ્રેનની અડફેટે એક યુવાનનું મૃત્યુ થયું છે. આ ઘટના શહેરના ધરાનગર વિસ્તારમાં આવેલા સાત નાલા નજીક બની હતી. પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત જામનગર-લાખાબાવળ (10 કિમી) સેક્શન વચ્ચે એન્જિનની ટ્રાયલ ચાલી રહી હતી. ગઈકાલે સાંજે આ દરમિયાન યુવાન ટ્રેનની હડફેટે ચડી ગયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ હુસેન નૂરમામદ પતાણી તરીકે થઈ છે, જે મૂળ ખંભાળિયા તાલુકાના મોવાણા ગામનો વતની હતો અને હાલ જામનગરના ધરાનગર વિસ્તારમાં રહેતો હતો. ઘટના બાદ 108ની ટીમે સ્થળ પર પહોંચી યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકની પત્ની હસીનાબેન હુસેનભાઇ પતાણીએ પોલીસને જાણ કરતા સિટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ. મકવાણા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ ઘટનાના એક દિવસ પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં મૃતક યુવાન રેલવે પાટા પાસે હરતો-ફરતો જોવા મળે છે. તે સમયે ત્યાં હાજર લોકોએ તેને પાટાથી દૂર રહેવા પણ કહ્યું હતું. શરૂઆતમાં, આ અકસ્માતમાં એકથી વધુ વ્યક્તિઓના ભોગ બન્યા હોવાની અફવા ફેલાઈ હતી. જોકે, તપાસ બાદ અન્ય કોઈ જાનહાનિ ન હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસ આ એક વ્યક્તિના મૃત્યુ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:ગોધરામાં ફફડાટ, ઈમેલ બાદ પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવાઈ
રાજ્યની વિવિધ પાસપોર્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ધમકીના પગલે પંચમહાલના ગોધરા શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, રાજ્યની મુખ્ય પાસપોર્ટ ઓફિસોને નિશાન બનાવતો એક ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો, જેમાં વિસ્ફોટ કરવાની વાતનો ઉલ્લેખ હતો. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ગોધરાના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર પણ ખાલી કરાવી દેવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી હતી. હાલમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ઓફિસ પરિસરમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોણ છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતની પોસ્ટ ઓફિસોમાં બોમ્બની ધમકીના ઇમેલ:નવસારી સહિત અનેક શહેરોમાં પોલીસ તંત્ર દોડતું થયું
ગુજરાતના અનેક શહેરોમાં પોસ્ટ ઓફિસ સહિત જાહેર ઇમારતોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ ધમકીઓને પગલે રાજ્યભરનું પોલીસ તંત્ર દોડતું થયું છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નવસારીની હેડ પોસ્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. નવસારી ટાઉન, વિજલપુર પોલીસ, એલસીબી, એસઓજીની ટીમ, બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી હતી. સાવચેતીના ભાગરૂપે સાંઢકુવાથી વિજલપુર જતો માર્ગ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. નવસારી ફાયર વિભાગની ટીમ અને 108 એમ્બ્યુલન્સને પણ સંભવિત અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તૈનાત કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં અગાઉ પણ જાહેર ઇમારતોમાં બોમ્બ મુકાયા હોવાની ધમકીઓ મળી હતી, પરંતુ તેમાંથી ક્યાંય બોમ્બ મળ્યો ન હતો. આજે ફરી એકવાર આવા ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
જુનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ વેચાતા હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી હતી. પરંતુ આ ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલનો ગોરખ ધંધો સ્થાનિક પોલીસની નજરે ન ચડતા સ્ટેટ મોનેટરીંગ સેલ ખડીયામાં બાયોડીઝલના ગોરખધંધા પર ત્રાટકી હતી.ત્યારે સ્ટેટ મોનેટરીંગ સેલે જુનાગઢ જિલ્લામાં વેચાતા બાયોડીઝલના ધંધાર્થીઓને તેની લાલિયાવાડી સંકેલી લેવા સંકેત આપ્યો છે. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ધમધમતા બાયોડીઝલના વેચાણ અને જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. જૂનાગઢ તાલુકાના ખડીયા ગામ પાસે 'શિવ મરીન સર્વિસ' નામની જગ્યાએ કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર ચાલી રહેલા બાયોડીઝલના કૌભાંડ પર SMC ના PSI જે.એચ. સિસોદિયા અને તેમની ટીમે ઓચિંતા દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ 8 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે અને લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જૂનાગઢ-મેંદરડા રોડ પર ખડીયા ગામની સીમમાં એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલા શિવ મરીન સર્વિસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અહીં માનવ જીવનને જોખમમાં મૂકીને સુરક્ષાના કોઈ પણ સાધનો વગર જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હતું. અહીં ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા ડિસ્પેન્સર મશીન દ્વારા ટ્રકોમાં ઈંધણ ભરવાનું કામ પૂરજોશમાં ચાલતું હતું, જે સમયે પોલીસ ત્રાટકી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નીચે મુજબના 8 શખ્સોની ધરપકડ કરી છે, • વિપુલ ધીરુભાઈ ચોવટિયા: રહેવાસી- મોટી મારડ, તાલુકો- ધોરાજી, જિલ્લો- રાજકોટ. • જયરાજ તાભાભા ભાટી: રહેવાસી- માંડલીપુર ગામ, તાલુકો- જૂનાગઢ, જિલ્લો- જૂનાગઢ. • રહીમ ભીખુભાઈ સોઢા (ટ્રક ડ્રાઈવર): રહેવાસી- કોઠારીયા રોડ, રસુલપર સોલવંત શેરી નં. 17, જિલ્લો- રાજકોટ. • મુન્નાભાઈ સાર્દુલભાઈ ઠેસા (ટ્રક ડ્રાઈવર): રહેવાસી- ડુંગરપુર ગામ, તાલુકો- જૂનાગઢ, જિલ્લો- જૂનાગઢ. • યુવરાજભાઈ જીકાભાઈ આરતીયા (ક્લીનર/હેલ્પર): રહેવાસી- ડુંગરપુર ગામ, તાલુકો- જૂનાગઢ, જિલ્લો- જૂનાગઢ. • વિજય કારુભાઈ ઝાપડા (ટ્રક ડ્રાઈવર): રહેવાસી- તોરી ગામ, તાલુકો- કુકાવાવ, જિલ્લો- અમરેલી. • દિનેશભાઈ જીનાભાઈ ચૌહાણ (ટ્રક ડ્રાઈવર): રહેવાસી- ડુંગરપુર ગામ, તાલુકો- જૂનાગઢ, જિલ્લો- જૂનાગઢ. • દેવાભાઈ આભુભાઈ ઓડેદરા (મુખ્ય આરોપી): રહેવાસી- ખડીયા ગામ, તાલુકો- જૂનાગઢ, જિલ્લો- જૂનાગઢ. આ કેસમાં મુખ્ય સંચાલક અને કૌભાંડનો સૂત્રધાર હસમુખભાઈ આભુભાઈ ઓડેદરા (રહે. ખડીયા, જૂનાગઢ) પોલીસ દરોડા સમયે હાજર મળી આવ્યો ન હતો. SMC એ તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કુલ ₹35,08,750/- ની મત્તા કબજે લેવામાં આવી છે. જેમાં સૌથી મોટો હિસ્સો વાહનોનો છે, જ્યાં ઇંધણ ભરાવવા આવેલા અને સ્થળ પર હાજર રહેલા 4 ટ્રકો સીઝ કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹32,00,000/- થાય છે. આ ઉપરાંત, ગેરકાયદેસર વેચાણ માટે રાખવામાં આવેલ આશરે 2840 લીટર જ્વલનશીલ પ્રવાહી (બાયોડીઝલ) પણ જપ્ત કરાયું છે, જેની બજાર કિંમત ₹1,98,800/- આંકવામાં આવી છે. વધુમાં, પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹11,450/- અને અંદાજે ₹31,500/- ની કિંમતના 09 મોબાઈલ ફોન પણ કબજે લીધા છે. કૌભાંડમાં વપરાતી મશીનરીની વાત કરીએ તો, ₹30,000/- ની કિંમતની 01 મોટી સ્ટોરેજ ટેન્ક અને ₹25,000/- ની કિંમતનું 01 ડિસ્પેન્સર મશીન જપ્ત કરવામાં આવ્યું છે. અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોમાં ₹10,000/- ની 01 ઇલેક્ટ્રિક મોટર અને પુરાવા રૂપે સીસીટીવી ફૂટેજ માટે વપરાતી ₹2,000/- ની 01 DVR સિસ્ટમ પણ પોલીસે પોતાના હસ્તક લીધી છે. આમ, આ દરોડામાં કુલ ₹35,08,750/- નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Supreme Court on Loan Guarantor: સામાન્ય રીતે આપણે મિત્રો કે સંબંધીઓની મદદ કરવા માટે લોનમાં ગેરંટર બની જતા હોઈએ છીએ, પરંતુ સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો ગેરંટર બનનારા લોકો માટે લાલબત્તી સમાન છે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સ્પષ્ટ કર્યું છે કે, 'ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ'(IBC) હેઠળ જો કોઈ લોન ડિફોલ્ટ થાય, તો બેન્ક મુખ્ય લેણદાર(ઉધાર લેનાર) અને કોર્પોરેટ ગેરંટર બંને સામે એકસાથે વસૂલાતની પ્રક્રિયા(CIRP) શરૂ કરી શકે છે. કોર્ટે જણાવ્યું કે ભારતીય કરાર અધિનિયમની કલમ 128 મુજબ, લોન ચૂકવવાની જવાબદારી જેટલી ઉધાર લેનારની છે, તેટલી જ જવાબદારી ગેરંટરની પણ છે. હવે ગેરંટરો સામે એકસાથે શરૂ થઈ શકશે કાર્યવાહી અગાઉના નિયમ મુજબ, જો એક જ લોન માટે બે ગેરંટર હોય, તો બેન્ક એક સમયે માત્ર એક જ વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરી શકતી હતી.
વાહન ચાલકો માટે મોટા સમાચાર, પેટ્રોલમાં 20% ઇથેનોલ બ્લૅન્ડિંગ ફરજિયાત, કેન્દ્રનો મહત્ત્વપૂર્ણ નિર્ણય
File Photo

29 C