SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

પથ્થર, ધોકા, બૂટ-ચપલથી ધિંગાણુ,VIDEO:સુરતમાં 15 હજારની લેતીદેતીમાં બે જૂથ જામી પડ્યા, રોડ પર ફિલ્મ દૃશ્યો સર્જાયા

સુરતના અડાજણ વિસ્તારમાં હનીપાર્ક રોડ પર સાઈ સ્પોર્ટ્સ નામની દુકાનની સામે રુપિયાની લેતીદેતીમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ભીડભાડવાળા આ રસ્તા પર અચાનક જ સાતથી આઠ લોકો એકબીજા પર તૂટી પડ્યા હતા. આ મારામારી એટલી ઉગ્ર હતી કે આસપાસના વેપારીઓ અને રાહદારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાના લાઈવ વીડિયો મોબાઈલમાં કેદ કર્યાં હતા. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.સમગ્ર મુદ્દે પોલીસે બંન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે. લાકડાના ફટકા, પથ્થર અને બૂટ-ચપલ વરસાવ્યાવાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને પક્ષના લોકો હાથમાં લાકડાના ફટકા લઈને એકબીજા પર હુમલો કરી રહ્યા છે. માત્ર લાકડીઓ જ નહીં, પણ રસ્તા પર પડેલા પથ્થરો અને ચપ્પલોથી પણ એકબીજાને માર મારી રહ્યા હતા. આ હિંસક અથડામણને કારણે હનીપાર્ક રોડ પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મારામારીમાં કેટલાકને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. 15 હજાર રૂપિયા માટે ખેલાયો જંગપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ મારામારી પાછળનું મુખ્ય કારણ આર્થિક વ્યવહાર હતો. આરોપી કાર્તિક ઓમ પ્રકાશ પ્રજાપતિને ધ્રુવ યાદવ પાસેથી 15,000 રૂપિયા લેવાના નીકળતા હતા. આ રકમની ઉઘરાણી બાબતે બંને વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. શુક્રવારે આ બાબતે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં મામલો બિચક્યો હતો. સામાન્ય રકમની લેતીદેતીમાં બંને પક્ષોએ હિંસક સ્વરૂપ ધારણ કરી રસ્તા પર જંગના મેદાન જેવી સ્થિતિ સર્જી દીધી હતી. બંન્ને પક્ષ સામસામે ફરિયાદ નોંધાવીઆ ઘટના બાદ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મામલો થાળે પાડી બંને પક્ષોને પોલીસ સ્ટેશન તેડાવ્યા હતા. સમગ્ર મામલે સામસામી ફરિયાદ નોંધવામાં આવી હતી. પ્રથમ ફરિયાદ ધ્રુવ યાદવે નોંધાવી છે, જેમાં કાર્તિક પ્રજાપતિને આરોપી બનાવવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ, ઓમ પ્રકાશ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવતા ધ્રુવ યાદવ અને સની આહીર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાયોટિંગ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTV અને વીડિયોના આધારે તપાસ તેજઅડાજણ પોલીસે ઘટનાસ્થળના CCTV ફૂટેજ તેમજ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા લાઈવ વીડિયોને પુરાવા તરીકે કબજે કર્યાં છે. વીડિયોમાં દેખાતા તમામ શખ્સોની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, જાહેર રોડ પર આ પ્રકારે આતંક મચાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, પરંતુ ગુંડાગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:21 pm

'પુત્ર પ્રાપ્તિની શિવ મંદિરની માનતા રાખી હતી':ઢોસાના ખીરાથી બે બાળકીના મોત કેસમાં પત્નીની ડાયરીમાં ઘટસ્ફોટ, પૂછપરછમાં પિતાનું BP હાઇ થઈ જાય છે

અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકી(રાહા અને મિશ્રી)નાં શંકાસ્પદ મોત થવાની ઘટનામાં રોજ નવા નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકીના પિતા વિમલ પ્રજાપતિ અને માતા ભાવનાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્ત્વ મળ્યું હતું. જો કે હવે ભાવનાની એક ડાયરી મળી છે. જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. ભાવનાએ પુત્ર પ્રાપ્તિ માટે શિવ મંદિરની માનતા રાખી હતી. જેને પગલે પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં દંપતી વચ્ચે ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પારિવારિક ઝગડા,આર્થિક સંકડામણ, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા કે અન્ય કોઈ કારણ હોય શકે છે. વિમલ ઘઉમાં મૂકવાની દવા રામનગરના એગ્રો સેન્ટરમાંથી જંતુનાશક દવા લાવ્યો હતો. પૂછપરછ દરમિયાન પિતાનું BP હાઇ થઈ જાય છેપોલીસ પૂછપરછ દરમિયાન બાળકીઓના પિતાનું બીપી હાઈ થઈ જાય છે. પોલીસને પરિવાર પર જ શંકા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વર્ષ 2024માં બાળકીઓના પિતા મુંબઈ મોડેલિંગ માટે નીકળ્યો હતો. ઘર કંકાસ અને ખીરાના એંગલથી તપાસઆ અંગે ચાંદખેડા PI જયેશ મકવાણાએ જણાવ્યું કે, વિસેરાનો રિપોર્ટ આવવાનો બાકી છે. તેમજ કેડી હોસ્પિટલમાંથી માતા-પિતાના બ્લડ સેમ્પલ લઈ NFSUમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્લડમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી હતી. કયા કારણોસર તેની માત્રા વધારે છે તે બાબતે પણ ડોક્ટરનો અભિપ્રાય મેળવી આગળની તપાસ કરાશે. ઘનશ્યામ ડેરીના કર્મચારીઓ અને માલિકના નિવેદન લેવામાં આવ્યા હતા. એના ઉપરથી ફલિત થાય છે કે ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. ખીરાથી અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભર્યું છે તે બન્ને એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ઘરના સદસ્યોમાં બાળકીઓના દાદા ગૌરીશંકરજી અને દાદી કુસુમ તેમજ તેના વેવાઈ એમ તમામની પૂછપરછ ચાલુ છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મોત કયા કારણોથી થયું તે સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:19 pm

તળાજામાં શેરડીના વાવેતરમાં ગાંજાની ખેતી, 21 લીલા છોડ જપ્ત:4.16 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના કારોબાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં ખેતરમાં શેરડીના પાક વચ્ચે ગેરકાયદેસર રીતે વાવવામાં આવેલા ગાંજાના 21 લીલા છોડ ઝડપાયા છે. એસઓજીએ 16.640 કિલોગ્રામ વજનનો અને 4.16 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કરીને એક શખ્સ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. શેરડીની આડમાં ચાલતી હતી નશાની ખેતીએસઓજી કચેરીમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર SOG સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે તળાજા તાલુકાના વેજોદરી ગામે રહેતો પરશોતમ ગોવિંદભાઈ ડોડીયા નામના શખ્સે પીથલપુર રોડ પર 'જૂની વાવના કેડા' પાસે આવેલા પોતાના પ્લોટમાં શેરડીનું વાવેતર કર્યું છે અને તેની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડ્યા છે. આ બાતમીના આધારે SOG ની ટીમે ઘટનાસ્થળે અચાનક દરોડો પાડ્યો હતો. FSLની ટીમે સ્થળ પર જ કરી ખરાઈપોલીસને તપાસ દરમિયાન શેરડીના પાક વચ્ચેથી શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા. જેની સત્તાવાર ખરાઈ કરવા માટે એફએસએલ (FSL)ના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. એફએસએલની તપાસમાં આ છોડ નશાકારક ગાંજાના હોવાનું જ ફલિત થતાં, પોલીસે કુલ 21 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા. આ જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 16.640 કિલોગ્રામ થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂ. 4.16 લાખ આંકવામાં આવી છે. સાધુ-સંતો અને પોતાના માટે વાવેતર કર્યું હતુંપોલીસે આરોપી પરશોતમ ડોડીયાની સ્થળ પરથી જ ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પોતાને ગાંજો પીવાની ટેવ છે, આ ઉપરાંત સાધુ-સંતોને આપવા માટે તેણે પોતાના પ્લોટમાં ગાંજાની ખેતી કરી હતી. આ મામલે SOG ના મહિપાલસિંહ દિલુભા ગોહિલ દ્વારા દાઠા પોલીસ મથકમાં આરોપી શખ્સ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ દાઠા પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:06 pm

મહાદેવના દર્શન કરી કોંગ્રેસ ના ઉમેદવારો ફોર્મ ભરવા નીકળ્યા:કોંગ્રેસ દ્વારા 'વિજય સંકલ્પ પદયાત્રા' સાથે જાહેર થયેલા ઉમેદવારો એ નામાંકન ભરવા મહાદેવ ના દર્શન કરી નીકળ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તમામ વોર્ડના ઉમેદવારોનું ઉમેદવારી પત્ર ભરવા માટે વિજય સંકલ્પ પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડતા શહેરના માર્ગો 'પરિવર્તન'ના નાદથી ગુંજી ઉઠ્યા હતા, ​ભીડભંજન મહાદેવના આશીર્વાદ સાથે પ્રારંભ​આ પદયાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પાસે આવેલા પવિત્ર ભીડભંજન મહાદેવ મંદિર ખાતે પૂજા-અર્ચના કરીને કરવામાં આવ્યો હતો, મહાદેવના આશીર્વાદ લઈ, વિજયના સંકલ્પ સાથે કોંગ્રેસના તમામ ઉમેદવારો, પક્ષના હોદ્દેદારો, ઉમેદવાર ના ચાહકો તથા કાર્યકરો વાજતે-ગાજતે કલેક્ટર કચેરી પહોંચી ફોર્મ ભર્યા હતા, મહાનગરપાલિકા ના 1 થી 13 વોર્ડ માટે અલગ અલગ ચાર જગ્યાએ ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં વોર્ડ નંબર 1 થી 3 માટે પ્રાંત અધિકારીની કચેરી કલેકટર ઓફીસ, વોર્ડ નંબર 4 થી 6 માટે સ્ટેમ્પ ડ્યુટી અને મૂલ્યાંકન તંત્ર બહુમાળી ભવન, વોર્ડ નંબર 7 થી 10 જિલ્લા પુરવઠા કચેરી કલેકટર ઓફીસ તથા વોર્ડ નંબર 11 થી 13 માટે જિલ્લા આયોજન કચેરી કલેક્ટર કચેરી ખાતે ફોર્મ વિતરણ ભર્યા હતા, ​પદયાત્રા દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા શહેરની જનતાને પરિવર્તન માટે અપીલ કરવામાં આવી હતી, પદયાત્રામાં આવો સૌ સાથે મળી ભાવનગરમાં પરિવર્તન લાવીએ તથા ​પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ સૂત્રોચ્ચાર કર્યા હતા, ઢોલ-નગારા અને વિજયના ઉત્સાહ સાથે પદયાત્રા કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તમામ વોર્ડના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા, કોંગ્રેસના નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાવનગરની જનતા આ વખતે પાયાની સુવિધાઓ અને શહેરના વિકાસ માટે કોંગ્રેસ પર પસંદગી કરશે કે નહીં તે જોવાનું રહ્યું....? કોંગ્રેસ ના 1 થી 13 ના વોર્ડ ઉમેદવારોની યાદી વોર્ડ નં.1 મનિષાબેન કમલેશભાઈ ગોહિલવોર્ડ નં.1 કાન્તીભાઈ બી. ગોહીલવોર્ડ નં.1 પ્રવીણભાઈ ઉકાભાઈ ડોંડા વોર્ડ નં.2 કિશનભાઈ બળવંતભાઈ મેર વોર્ડ નં.3 અબ્દુલ રહીમભાઈ અમીભાઈ કુરેશી વોર્ડ નં.4 રેખાબેન હરેશભાઈ સરધારાવોર્ડ નં.4 રાકેશભાઈ લાલજીભાઈ પરમાર વોર્ડ નં.5 જસુબેન આનંદભાઈ બારૈયાવોર્ડ નં.5 શબાનાબેન અબ્દુલવાહીદ ખોખરવોર્ડ નં.5 ભરતભાઈ સાજણભાઈ બુધેલીયા વોર્ડ નં.7 ઈલાબેન પ્રભુભાઈ ડોડીયાવોર્ડ નં. 7 અનવરખાન રહીમખાન પઠાણ વોર્ડ નં.8 સોનલબેન ચંદનભાઈ પટેલવોર્ડ નં.8 હેતલબેન ભાવિનભાઈ કાછડિયા વોર્ડ નં.9 ભૂમીબેન સંદીપભાઈ ગોહિલવોર્ડ નં.9 નીતાબેન પ્રકાશભાઈ વાઘાણીવોર્ડ નં.9 જયદીપસિંહ દિલાવરસિંહ ગોહિલ વોર્ડ નં.10 મમતાબેન ભાવેશભાઈ ગોહિલવોર્ડ નં.10 વિપુલભાઈ પ્રેમજીભાઈ ખુમાણ વોર્ડ નં.12 મકવાણા નયનાબેન અશોકભાઈવોર્ડ નં.12 ભાવેશભાઈ રમેશભાઈ પટેલવોર્ડ નં.12 જયેશભાઈ રમેશભાઈ બારૈયા વોર્ડ નં.13 રેખાબેન ઘરમશીભાઈ ગોહેલવોર્ડ નં.13 કલ્પેશભાઈ અશોકભાઈ પટેલવોર્ડ નં.13 જયદેવસિંહ ભીખુભા ગોહિલ

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:04 pm

ધ્રાંગધ્રામાં 54,200નો ગાંજો ઝડપાયો:SOG સુરેન્દ્રનગરે એક આરોપીને પકડ્યો, બીજો ફરાર

સુરેન્દ્રનગર SOG ટીમે ધ્રાંગધ્રામાંથી ₹54,200ની કિંમતનો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપી ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે, ધ્રાંગધ્રાના અલ મદીના મસ્જિદ પાસે, ખાટકી વાસ વિસ્તારમાં રહેતા યાસીનભાઈ ઉર્ફે માથો ઇકબાલભાઈ બાબી (ઉંમર 38)ના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. તેના કબજામાંથી ગેરકાયદેસર રીતે રાખેલો 1 કિલો 84 ગ્રામ સૂકો ગાંજો અને ₹10,000ની કિંમતના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આરોપી યાસીનભાઈની ધરપકડ કરીને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચના મુજબ, જિલ્લામાં NDPS ગુનાઓ શોધી કાઢવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ગાંજો સપ્લાય કરનાર લીંબડીના હર્ષદભાઈ કિશોરભાઈ નામના બીજા આરોપીને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ સહિત SOGના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:39 am

બોટાદ કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી:જિલ્લા પંચાયત અને બે નગરપાલિકાની બેઠકો માટે નામો જાહેર

બોટાદ જિલ્લા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. જિલ્લા પંચાયતની 20 બેઠકો, બોટાદ નગરપાલિકાની 44 અને બરવાળા નગરપાલિકાની 24 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ગઢડા, બોટાદ, રાણપુર અને બરવાળા તાલુકા પંચાયતોના ઉમેદવારોની જાહેરાત બપોર બાદ કરવામાં આવશે. જિલ્લા પંચાયતની યાદીમાં પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેવા જૂના ચહેરાઓને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. કોંગ્રેસે પસંદગી પામેલા ઉમેદવારોના સિંગલ નામોની જાહેરાત કરી છે. કેટલાક ઉમેદવારો આજથી જ તેમના ઉમેદવારી પત્રો રજૂ કરશે, જ્યારે બાકીના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. બોટાદ જિલ્લા પંચાયત માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે:

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:23 am

ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારની સામે નયના પરમાર પડ્યાં:તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખને જિલ્લા પંચાયતની ટિકિટ મળતા ભડકો, પતિએ કહ્યું-આ લડત જનતાના હક્ક માટે

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર બળવો જોવા મળી રહ્યો છે. પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવયેલા રહેતા અંકિતા પરમારની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે આ બેઠક ઉપરથી નયના પરમારની ટિકિટ કપાતા તેઓએ હવે બળવો પોકાર્યો છે. સોશિયલ મીડિયા ઉપર તેઓના પતિએ જાહેરાત કરી દીધી છે કે, આગામી 11 એપ્રિલે તેઓ અપક્ષ તરીકે ફોર્મ ભરશે. પોર બેઠકના નયના પરમાર પ્રબળ દાવેદાર હતા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર નયના પરમારને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. તેઓના પતિ રાજેશ પરમાર ચાપડ ગામના બે ટર્મ સુધી સરપંચ રહી ચૂક્યા છે. નયના પરમારના અભ્યાસની વાત કરીએ તો તેઓ ગુજરાતીમાં એમ.એ.બીએડ, થયેલા છે. આ ઉપરાંત નર્સિંગમાં તેઓએ એમએસડબલ્યુ કર્યું છે. ઉચ્ચ શિક્ષિત નયના પરમારને જિલ્લાના એક ધારાસભ્યે સપોર્ટ પણ આપ્યો હતો. જો કે, અન્ય એક ધારાસભ્યએ એક ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા હોદ્દેદાર અને પૂર્વ હોદ્દેદાર સાથે મળીને નયના પરમારની ટિકિટ કપાવી અંકિતા પરમારનું નામ જાહેર કારવ્યું હોવાની ચર્ચા છે. ફેસબુક ઉપર અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત નયના પરમારના પતિ રાજેશ પરમાટે ટિકિટ કપાયા બાદ ફેસબુક ઉપર પોસ્ટ કરી છે. જેમાં લખ્યું છે કે, જનતાની તાકાત એ જ સાચો વિકાસ. 11 એપ્રિલના રોજ પોર જિલ્લા પંચાયત સીટ અપક્ષ ઉમેદવાર નયના પરમાર ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છે. આ લડત કોઈ પક્ષ માટે નથી, આ લડત છે જનતાના હક, વિકાસ અને ન્યાય માટે. ગામના દરેક પ્રશ્નને અવાજ આપવાનો સંકલ્પ સાથે, આપ સૌને હાર્દિક આમંત્રણ છે. ફોર્મ ભરવા સમયે હાજર રહી આશીર્વાદ આપશો. ઇન્સ્ટા ગર્લ અંકિત પરમાર અને નયના પરમારની લડાઈ રીલ બનશે કે રિયલ? તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અંકિતા પરમાર રીલ બનાવવામાં માહિર છે. તેઓના ઇન્સ્ટાગ્રામ ઉપર લાખો ફોલોઅર્સ પણ છે. તેઓ રીલ લાઈફમાં ખુબ જ સક્રિય છે, ત્યારે હવે ચૂંટણીના આ જંગમાં ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમાર અને નયના પરમાર વચ્ચેની લડાઈ રીલ એની રહે છે કે રિયલ બની રહે છે તે જોવું રહ્યું. જો કે એક જૂથ એમ પણ માની રહ્યું છે કે, ભાજપ નયના પરમાર અને રાજેશ પરમારને મનાવવાની પણ કોશિશ કરશે. અંકિતા પરમાર હાલમાં જ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ બન્યા છે પ્રદેશ સંગઠનનું તાજેતરમાં આજ ગઠન કરવામાં આવ્યું છે, જેમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે વડોદરાના યુવા સંસદ ડો. હેમાંગ જોષીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા રાજ્યમાં પોતાની નવી ટીમ નક્કી કરવામાં આવી હતી, ત્યારે તેમાં અંકિતા પરમારને ઉપપ્રમુખ તરીકેની નિમણુંક આપવામાં આવી છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, ભાજપે અંકિત પરમારને તાલુકા પંચાયતના યુવા મોરચાના ઉપપ્રમુખ બનાવ્યા ત્યારે અન્ય કાર્યકરોને પણ પ્રોત્સાહન આપવું જોઈતું હતું. ત્યારે હવે આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 11:07 am

ભરૂચમાં 6 ફૂટનો ધામણ સાપ ઝડપાયો:આશુતોષ-1 વિસ્તારના મકાનમાંથી રેસ્ક્યુ કરાયો

ભરૂચ શહેરના આશુતોષ-1 વિસ્તારમાં એક મકાનમાંથી આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ ઝડપાયો હતો. નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય હિરેન શાહે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. મકાનમાં સાપ દેખાતા મકાન માલિકો અને આસપાસના રહેવાસીઓમાં ચિંતા વ્યાપી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેન શાહનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ હિરેન શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સાવચેતીપૂર્વક ધામણ સાપને પકડી લીધો હતો. સાપને સુરક્ષિત રીતે પકડીને તેને માનવ વસાહતથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:58 am

દ્વારકાના ડો. કાનભાઈ આહીરનો ગૌ-સેવા સંકલ્પ:હોટલની કમાણીના 25% ગૌ-માતાના ઘાસચારા માટે સમર્પિત

દ્વારકામાં નોયજી હોટલના માલિક ડો. કાનભાઈ આહીરે ગૌ-સેવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે પોતાની હોટલની કુલ કમાણીના ૨૫ ટકા ગૌ-માતાના ઘાસચારા અને સેવામાં વાપરવાની જાહેરાત કરી છે. આ પહેલ દ્વારકાના રાવળા તળાવ કાંઠે શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે વેપારીઓ નફા-નુકસાનના ગણિત પર ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, ત્યારે ડો. કાનભાઈએ આર્થિક પ્રવૃત્તિને ગૌ-સેવા સાથે જોડી છે. આ નિર્ણય દ્વારા તેમણે પોતાની આજીવિકામાંથી થતી કમાણીનો ચોથો ભાગ ગૌ-માતાને સમર્પિત કર્યો છે. ભગવાન દ્વારકાધીશની નગરીમાં લેવાયેલો આ નિર્ણય સમગ્ર હાલાર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. શ્રીકૃષ્ણની ભૂમિમાં એક આહીર દ્વારા ગૌ-સેવા માટે લેવાયેલું આ પગલું વૈષ્ણવો અને ગૌ-પ્રેમીઓ માટે પ્રેરણાદાયક બન્યું છે. નોયજી હોટલ હવે માત્ર એક વ્યાપારી સંસ્થા ન રહેતા, સેવાના કાર્ય સાથે પણ જોડાઈ ગઈ છે. ડો. કાનભાઈએ સ્પષ્ટ કર્યું કે તેમની કમાણી પર ગૌ-માતાનો પ્રથમ હક રહેશે. આ જાહેરાત બાદ દ્વારકાના સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે. વેપારી આલમમાં પણ આ એક સંદેશ પહોંચ્યો છે કે લક્ષ્મીનો ઉપયોગ પરમાર્થના કાર્યોમાં થાય તે મહત્વનું છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:42 am

સોશિયલ મીડિયા પર ભય ફેલાવવો પડ્યો ભારે:હથિયાર સાથે અજય ઉર્ફે દાદા શુકલ ફોટા મૂકતો હતો; SOGએ એરગન, તલવાર અને છરી સાથે ઝડપ્યો

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સોશ્યલ મીડીયામાં સખત નજર રાખવામાં આવી રહી છે. ત્યારે સુત્રાપાડા વિસ્તારમાં હથિયારો સાથે ફોટા વાયરલ કરી લોકમાનસમાં ખોટી દહેશત ફેલાવનાર એક ઇસમને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સોશિયલ મીડિયા મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન એસ.ઓ.જી. શાખાની ટીમ સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી અજય ઉર્ફે દાદા અમુભાઈ શુકલ (ઉ.વ. 30) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હાલ સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામે ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તેનું મૂળ વતન અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી વિસ્તારમાં છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપી પોતાના હાથમાં એરગન, તલવાર અને છરી જેવા હથિયારો લઈને ફોટા પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરતો હતો, જેના કારણે લોકોમાં ભય અને ખોટી દહેશત ફેલાતી હતી. પોલીસે આરોપી પાસેથી મોટી એરગન – રૂ. 1000, નાની લાઇટર એરગન – રૂ. 100, ધાતુની તલવાર – 2 નંગ (રૂ. 1000), ધાતુની છરી – 1 નંગ (રૂ. 100) કુલ મુદામાલ કિંમત રૂ. 2200 નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી એસ.ઓ.જી. ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. કાગડા તથા પી.એસ.આઈ. આર.એચ. સુવા ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવદાનભાઈ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. ગીર સોમનાથ પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સોશ્યલ મીડીયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે અને હથિયાર સાથેના ફોટા કે વીડિયો અપલોડ કરી દહેશત ફેલાવવાનો પ્રયાસ ન કરે, નહિતર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:41 am

ગીરસોમનાથમાં ચૂંટણી પહેલાં પોલીસ એક્શનમાં:15 ચેકપોસ્ટ, 1049 સામે અટકાયતી પગલાં; 40 હિસ્ટ્રીશીટરો પર પોલીસની નજર

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સંપૂર્ણ એક્શનમાં આવી ગયું છે. તા.01 એપ્રિલ, 2026ના રોજ જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ જિલ્લામાં જિલ્લા પંચાયત-01, તાલુકા પંચાયત-06 અને નગરપાલિકા-04 માટે મતદાન તા.26 એપ્રિલે યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.28 એપ્રિલે હાથ ધરાશે. ચૂંટણી દરમિયાન એક પણ અનિચ્છનીય બનાવ ન બને અને મતદારો નિર્ભયતાપૂર્વક મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં ચુસ્ત નજર રાખવા માટે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 15 ચેકપોસ્ટથી જિલ્લામાં ચુસ્ત ચેકિંગ ચૂંટણી પૂર્વે જિલ્લામાં કુલ 15 પોલીસ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 3 આંતરરાજ્ય, 5 આંતરજિલ્લા અને 7 આંતરિક ચેકપોસ્ટનો સમાવેશ થાય છે. દરેક ચેકપોસ્ટ પર આધુનિક સાધનો સાથે સજ્જ પોલીસ ફોર્સ તૈનાત છે. બેરિકેડિંગથી લઈ બોડીવોર્ન કેમેરા અને બ્રેથ એનાલાઈઝર સુધીની વ્યવસ્થા સાથે 24 કલાક સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હથિયારો જમા કરાવવાની ઝુંબેશ તેજ જિલ્લામાં નોંધાયેલા કુલ 433 હથિયાર પરવાનાધારકોમાંથી અત્યાર સુધીમાં 322 હથિયારો જમા લેવાયા છે, જ્યારે બાકીના હથિયારો જમા કરાવવાની કાર્યવાહી યથાવત છે. ચૂંટણી દરમિયાન કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આ ઝુંબેશને ઝડપી બનાવાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પોલીસ સાથે જી.આર.ડી., એસ.આર.ડી. અને હોમગાર્ડ દળ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને સાંજ અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી વધારવામાં આવી છે, જેથી કોઇ પણ પ્રકારની અશાંતિ ફેલાવા પામે નહીં. 1049 લોકો સામે અટકાયતી પગલાં ચૂંટણી જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ 1049 લોકો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ઉપરાંત 40 હિસ્ટ્રીશીટરો પર સતત નજર રાખવામાં આવી રહી છે. બિનજામીનલાયક વોરંટની અસરકારક અમલવારી માટે પણ પોલીસ દળ સક્રિય બન્યું છે. દારૂબંધીના કડક અમલ માટે પોલીસે 91 પ્રોહીબિશન રેઇડ હાથ ધરી છે, જ્યારે જુગાર સામે 3 રેઇડ કરવામાં આવી છે. જેમાં દેશી દારૂના 587 લિટર (રૂ.1,17,409) અને ઇંગ્લિશ દારૂની ૧૯૪ બોટલ (રૂ.73,264) સહિત કુલ રૂ.5,53,389નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:33 am

AAPને ગઢમાં અસંતોષની જ્વાળા દઝાડવા લાગી:સુરત મનપાની ટિકિટ આપી છતાં ડોક્ટર પ્રીતિનું AAPમાંથી રાજીનામું, ડો.નીતાએ પણ પાર્ટી છોડી

પાલિકાની ચૂંટણી પૂર્વે આપ પાર્ટીમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ગત રોજ બપોરે વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદીયાએ રાજીનામું આપી દીધું હતું. આ વાતની તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પણ પુષ્ટી કરી હતી. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે અત્યાર સુધીમાં જારી કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાક વિવાદિત નામો હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકર્તાઓમાં અંદરખાને ભારે નારાજગી છે. ડોક્ટર પ્રીતિની સાથે 500 કાર્યકર કોંગ્રેસમાં જોડાયાપ્રીતિ સદાદિયાની સાથે સાથે જ 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામુહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ વિવાદ વચ્ચે આપે બીજી ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. તેમાં પણ વિવાદોમાં ઘેરાયેલાઓને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં ભારે નિરાશા ફેલાઇ ગઇ હતી. એટલું જ નહીં, પરંતુ ગત યાદીમાં કેટલાક નામો સામે વિરોધ ઊભા થતા બે ઉમેદવારોના નામ રદ કરી અન્ય બેને ટિકિટ આપવામાં આવી છે. ‘રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને કોંગ્રેસમાં જોડાઈ’ડોક્ટર પ્રીતિ સદાદીયાએ જણાવ્યું હતું કે, હું લગભગ રાજકારણમાં છેલ્લા છ-સાત વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલી હતી અને 2021માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી દ્વારા ઉમેદવારી કરી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આમ આદમી પાર્ટીમાં તન, મન, ધનથી મેં લોકોની સેવા કરી છે અને ડોક્ટરી સેવા પણ આપી છે. એટલે મારા વિસ્તારના જે લોકો મારા ચાહકો છે એ લોકોની એવી ઈચ્છા હતી કે એમના વિસ્તારમાંથી હું ચૂંટાઈને આવું. પરંતુ આમ આદમી પાર્ટીએ સમાનતા નહીં પરંતુ સારા લોકો સાથે દગો કર્યો છે. આજ રોજથી કોંગ્રેસ પાર્ટી, રાહુલ ગાંધીના વિચારોથી હું પ્રભાવિત થઈને જે વિચારો સમાનતાના, માનવ સેવાના વિચારો છે, તેનાથી પ્રભાવિત થઈને હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહી છું. ‘નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે’ટિકિટ મળવા છતાં રાજીનામું આપનાર પ્રીતિ સદાદિયાએ આપ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર એક ભડકતી પોસ્ટ કરતા આક્ષેપ કર્યા હતા કે, છેલ્લા કેટલાક સમયથી પાર્ટીના સ્થાનિક મોવડી મંડળ દ્વારા લેવામાં આવતા નિર્ણયો સાથે હું અત્યંત નિરાશ છું, મારા નૈતિક મૂલ્યો અને પાર્ટીની હાલની દિશા વચ્ચે સ્પષ્ટ તફાવત જણાય છે, કારણકે દિલ્હીથી આવેલા સહયોગીઓ તથા પાર્ટીના બની બેઠેલા નોન સેન્સ હોદ્દેદારો માત્ર ફંડ ઉઘરાવામાં જ માને છે. જેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ વોર્ડ બ્લોક ઇન્ચાર્જ પદ તથા ફાળવવામાં આવેલી વોર્ડ નંબર 12ની ટિકિટનો અસ્વીકાર કરી રાજીનામુ આપી રહી છું. જેની લગતા વળગતાઓ એ નોંધ લેવી. વોર્ડ નં.26ના ગત ચૂંટણી લડેલા ઉમેદવાર ડોક્ટર નીતા બલદાણીયાનું રાજીનામુંજ્યારે ડોક્ટર નીતા બલદાણીયાએ આપમાંથી રાજીનામું આપતા જણાવ્યું હતું કે, હું પાર્ટીની મૂળ વિચારધારા અને સમાજ સેવાના ઉદ્દેશ સાથે જોડાઈ હતી. પરંતુ હાલ સુરત શહેરની સ્થાનિક રાજકીય સ્થિતિ અને પાર્ટીની કાર્ય પધ્ધતિમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે મારા મૂલ્યો અને આશા ઓ સાથે મેળ ખાતી નથી. સ્થાનિક સ્તરે સંકલનનો અભાવ, કાર્યકર્તાઓ સાથે યોગ્ય સંવાદનો અભાવ અને નિર્ણયઓ લેવામાં પારદર્શિતાનો અભાવ અનુભવાયો છે. જેના કારણે કાર્યકર્તા તરીકે કાર્ય કરવું મુશ્કેલ બની રહ્યું છે. મારા માટે સેવા અને ટીમવર્ક મહત્વપૂર્ણ છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં તે મુજબ કાર્ય કરવાની તક મળી રહી નથી. આ કારણે હું પાર્ટીમાં મારી ઉપર સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ તેમજ કાર્યકર્તા તરીકે જ પદ પરથી તત્કાલ અસરથી રાજીનામુ આપી રહી છું. વોર્ડ નંબર 2ના સહ કન્વીનર અશોક બલરનું રાજીનામુંઅશોક બલરે રાજીનામુ આપતા જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 5 ની ઉમેદવાર પસંદગી સામે આંગળી ચીંધી છે. તેમના જણાવ્યા મુજબ પક્ષ દ્વારા એવા વ્યક્તિને ટિકિટ આપવામાં આવી રહી છે. જે અગાઉ ‘આપ’ના ઉમેદવાર સામે જ હાર્યા હતા. સંબંધિત વ્યક્તિ 2022ની વિધાનસભા ચૂંટણી બાદ પક્ષ છોડીને જતા રહ્યા હતા, તેમ છતાં તેમને ફરીથી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, જો પક્ષે 'નળિયાચોર' કે ચારિત્રહીન લોકોને જ ટિકિટ આપવી હોય, તો અમે આવા રાજકારણનો હિસ્સો બનવા માંગતા નથી. જ્યારે પક્ષ પોતાના મૂળ રસ્તા પરથી ભટકી રહ્યો હોય ત્યારે પદ પર વળગી રહેવાનો કોઈ અર્થ નથી. હવે પછીની રણનીતિ અને ચૂંટણી લડવી કે કેમ, તે અંગેનો નિર્ણય આગામી સમયમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જ જનતા સમક્ષ મૂકવામાં આવશે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ વિવાદમાં ઘેરાયેલી આપ પાર્ટી દ્વારા બીજી યાદીમાં બે નામો સુધારવાની ફરજ પડી હતી. પાર્ટી દ્વારા બહાર પાડવામાં આવેલી બીજી યાદીમાં વોર્ડ નંબર-4માં સેજલ માલવિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી. જયારે વોર્ડ નંબર-13માં જતીન જરીવાલાને ટિકિટ આપવામાં આવી હતી, પરંતુ કેટલાક અગ્રણીઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવતા છેલ્લી ઘડીએ સેજલ માલવિયાની જગ્યાએ કુંદન કોઠિયા અને જતીન જરીવાલની જગ્યાએ સુશાંત કાપડિયાના નામ જાહેર કરાયા હતા. લાંચ કેસના આરોપી જિતેન્દ્ર કાછડિયાને ટિકિટ આપતા વિવાદલાંચ મામલે એસીબીના કેસમાં વિવાદિત જિતેન્દ્ર કાછડિયાને ફરીથી ટિકિટ આપવામાં આવતા પાર્ટી પાસે સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારો ન હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું. વરાછા ઝોનમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટર સાથે થયેલા વિવાદમાં એસીબીમાં પણ તેમની સામે ફરિયાદ કરવામાં આવી હતી અને મોટો વિવાદ સર્જાયો હતો. આપ પાર્ટી દ્વારા આવા વિવાદિત ઉમેદવારોને ફરી મોકો અપાતા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી સંભાવના છે. પાર્ટી છોડીને ગયેલા દિનેશ કાછડિયાને ફરી ટિકિટ આપીથોડા સમય પહેલાં જ આપમાંથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને વોર્ડ નંબર-5માંથી ઉમેદવાર જાહેર કરાયા છે. અગાઉ આપ સામે જ કોંગ્રેસમાંથી લડેલા અને પછી આપમાં જોડાયેલા, હતી જતા પાછળથી રાજીનામું આપી દેનારા દિનેશ કાછડિયાને ટિકિટ અપાતા ભારે વિરોધ થઇ રહ્યો છે. ભુતકાળમાં પણ એક વિચિત્ર પ્રકરણને લઈ વિવાદમાં ફસાયા હતા. આપ પાર્ટીના ઘણાં કાર્યકરો પણ શંકાની નજરે જોઇ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:29 am

ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ:ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણના નામે યુવતીએ ₹24.40 લાખ પડાવ્યાં

અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. યુવતીએ મિત્રતા કેળવી રોકાણ કરવા કહ્યુંશાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરીને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વ્હોટ્સએપ પર મેસેજથી સાથે વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા. બે મહિનામાં 24.40 લાખનું રોકાણ કર્યુંયુવતીએ મોકલેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપીને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો અને કોઈ જવાબ પણ મળતો નહોતો. જેથી વૃદ્ધને તેમના સાથે થયેલી ઠગાઈની જાણ થઈ હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:18 am

આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ભાજપ-કોંગ્રેસમાં યાદીના ઠેકાણા નથી:માનીતાઓને ટિકિટ અપાવવા નેતાઓ જીદે ભરાયા, સુરતમાં ટિકિટ મળી છતાં રાજીનામું આપ્યું

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 10:00 am

મોડાસામાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી:મોડાસા,મોહનપુર અને બાયડ પરગણાના હજારો ભક્તો ઉમટ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ચામુંડા માતાજીનો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. મોડાસા, મોહનપુર અને બાયડ પરગણા સહિત હજારો ભક્તો આ પવિત્ર અવસરે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ મોડાસાના હિંમતનગર રોડ પર આવેલા દૂધેશ્વરી માતાજી મંદિરમાં સ્થિત ચામુંડા માતાજીના ધામે યોજાયો હતો. આ મંદિર, જે આજે હજારો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, તેની સ્થાપના વર્ષ 2025માં 108 કુંડી મહા યજ્ઞ અને ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા કરવામાં આવી હતી. અક્ષર પરિવાર યુવક મંડળ તેમજ અક્ષર પરિવાર પંચ મોડાસા, મોહનપુર અને બાયડના સહયોગથી આ પવિત્ર કાર્ય સાકાર થયું હતું. પાટોત્સવના પાવન અવસરે દૂધેશ્વરી માતાજી મંદિર સબલપુરના પૂજારી અને સમાજના ગોર રાકેશકુમાર પંડ્યા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞકુંડમાંથી ઉઠતી અગ્નિ જ્વાળાઓથી વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું. મોડાસા, મોહનપુર અને બાયડના ત્રણ પરગણાના મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા. નાનાથી લઈને વૃદ્ધ સુધીના શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મંદિર પરિસરમાં આરતી સાથે ભક્તિનો માહોલ સર્જાયો હતો અને જય માતાજીના નાદ ગુંજી ઉઠ્યા હતા. આ પ્રસંગે રાસ-ગરબા અને ભક્તિ સંગીતના કાર્યક્રમો પણ યોજાયા હતા. આ ઉપરાંત, મહાપ્રસાદનું પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી. સેવાભાવી કાર્યકરો અને યુવક મંડળના સભ્યો દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આખો કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. ભક્તોની અખૂટ આસ્થા છે કે માં ચામુંડા માતાજી દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે. આ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પ્રથમ પાટોત્સવને ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. આ પાવન પ્રસંગે મોડાસા શહેર ભક્તિમાં તરબોળ થઈ ગયું હતું અને સમગ્ર વિસ્તારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:56 am

વિનોદિનીબેન શાહ સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ-પુસ્તક અપાયા:સુરેન્દ્રનગરમાં દ્વિતીય વર્ષ દીક્ષાંત સમારોહમાં શુભેચ્છા પર્વ યોજાયો

સુરેન્દ્રનગર એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.એલ. દોશી સ્ત્રી બુનિયાદી અધ્યાપન મંદિરમાં 9 એપ્રિલના રોજ દ્વિતીય વર્ષ તાલીમાર્થી બહેનોનો શુભેચ્છા પર્વ અને દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ પ્રેમની પરબના ડાયરેક્ટર ચંદ્રકાંતભાઈ વ્યાસની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો દ્વારા સરસ્વતી વંદના કરતું પ્રાર્થના નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. દ્વિતીય વર્ષના બહેનોએ તેમના બે વર્ષના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને વિદાય ગીત રજૂ કર્યું હતું. આ ઉપરાંત, તાલીમાર્થીઓને બે વર્ષ દરમિયાન થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત શિલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. પૂજ્ય વિનોદિનીબેન શાહની પુણ્ય સ્મૃતિમાં તાલીમાર્થીઓને શિલ્ડ અને 'હરિરસ' પુસ્તક પણ અર્પણ કરાયા હતા. આદરણીય ચંદ્રકાંતભાઈ વ્યાસે કર્મયોગ અને નિષ્ઠાપૂર્વકના શિક્ષક જીવન વિશે અનેક દ્રષ્ટાંતો દ્વારા તાલીમાર્થીઓને જીવનભરનું ભાથું પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી મંડળના પારસભાઈ શાહ, મંત્રી દીપકભાઈ શાહ, આચાર્ય અલકાબેન દેવમુરારી, ડો. સુમિતાબેન મેઢા અને અધ્યાપક ઇન્દુબેન વસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સર્વે તાલીમાર્થી બહેનોને તેમના ભાવિ શિક્ષક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:40 am

ILSASS વાર્ષિક મહોત્સવમાં સપના વ્યાસનું પ્રેરક ઉદબોધન:'લીડરશિપથી વિદ્યાર્થીઓનું ઘડતર થાય છે'

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેંગ્વેજ સ્ટડીઝ એન્ડ એપ્લાઇડ સોશિયલ સાયન્સ (ILSASS) દ્વારા તેના 17મા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વલ્લભ વિદ્યાનગરના સી.વી.એમ. મલ્ટીપર્પઝ હોલ ખાતે યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે જાણીતા ફિટનેસ અને લાઈફસ્ટાઈલ કોચ સપના વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સપના વ્યાસે સંસ્થાની કાર્યપ્રણાલીના વખાણ કરતા જણાવ્યું હતું કે, જેવી લીડરશિપ હોય છે તેવા જ વિદ્યાર્થીઓનું ઘડતર થતું હોય છે. તેમણે ઉમેર્યું કે આ સંસ્થાનું નેતૃત્વ અને ફેકલ્ટી પ્રેરણાદાયી હોવાથી અહીંના વિદ્યાર્થીઓ પણ ખૂબ જ ઉત્સાહી અને તેજસ્વી જોવા મળે છે. કાર્યક્રમ દરમિયાન, વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે એવોર્ડ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ મહોત્સવની અધ્યક્ષતા સી.વી.એમ. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જિનિયર ભીખુભાઈ બી. પટેલે કરી હતી. આ અવસરે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર ડૉ. ઇન્દ્રજીત પટેલ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અર્ચના સી.એન. સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:37 am

નરોડા કોલેજમાં વાર્ષિકોત્સવ અને વિદાય સમારોહ યોજાયો:બી.એ. અને બી.કોમ સેમ 6 ના વિદ્યાર્થીઓ માટે આયોજન

નરોડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એ.પી. પટેલ આર્ટસ અને સ્વ. શ્રી એન.પી. પટેલ કોમર્સ કોલેજ દ્વારા બી.એ. તથા બી.કોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નરોડા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી પી.કે. પટેલ વિદ્યા સંકુલના ડાયરેક્ટર ડૉ. રમેશભાઈ ચૌધરી અને કારોબારી સભ્ય પૂનમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું સૂત્રમાળાથી સ્વાગત કરાયું હતું. વિદાય સમારોહ દરમિયાન, સેમેસ્ટર 6 ના પાંચ વિદ્યાર્થીઓએ કોલેજમાં તેમના ત્રણ વર્ષના અનુભવો અને વિવિધ ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓ વિશે વાત કરી હતી. અંગ્રેજી વિભાગના પ્રોફેસર જગદીશભાઈએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ઋણ સ્વીકાર રૂપે, જી.એસ. ભૂમિ ચૌહાણ અને એલ.આર. ખુશ્બુ કેવટના હસ્તે નરોડા કોલેજને સ્મૃતિ ભેટ તરીકે તિજોરી અર્પણ કરવામાં આવી હતી. વાર્ષિકોત્સવના ભાગરૂપે, કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આ પ્રસંગે, વિવિધ વિષયોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કંકુબા, જગજીવનભાઈ પટેલ, ગોરલ સુથાર, ડૉ. ગીતાબેન મહેતા, પ્રો. મયુષભાઈ પટેલ, ડૉ. રમીલાબેન ભટ્ટ અને ડૉ. રમેશભાઈ ચૌધરી શિષ્યવૃત્તિઓ એનાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટીની બી.એ. પરીક્ષામાં સંસ્કૃત અને હિન્દી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવનાર સંજના જયસ્વાલ, કરીના રાજપૂત અને સિદ્ધાર્થ સિંહને ટ્રોફી અને કવર આપી સન્માનિત કરાયા હતા. રમતગમત વિભાગમાં, ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમેલા સાત ખેલાડીઓને ટ્રોફી, ટ્રેક અને કવરથી સન્માનિત કરવામાં આવ્યા. સાંસ્કૃતિક વિભાગમાં, ઇન્ટર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન મેળવનાર ધૈર્ય જોષી અને તૃતીય સ્થાન મેળવનાર રોશની મિશ્રા, તેમજ સિટી ઝોનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રોનક મકવાણાને ટ્રોફી એનાયત કરવામાં આવી. એન.એસ.એસ. વિભાગના બે શ્રેષ્ઠ સ્વયંસેવકોને પણ ટ્રોફીથી સન્માનિત કરાયા હતા. વિદાય સમારોહ અને વાર્ષિકોત્સવનું સંચાલન ડૉ. પારુલબેન પટેલે કર્યું હતું, જ્યારે ઇનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન પ્રો. ધીરેન્દ્રભાઈ સુથારે કર્યું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ જી.એસ. ભૂમિ ચૌહાણે કરી હતી. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો, ત્યારબાદ સૌએ પ્રીતિ ભોજન લીધું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:33 am

વિશ્વ હિન્દુ પરિષદ બોટાદમાં સમરસતા યાત્રા કાઢશે:શ્રી ગોકુળિયાનાથ જગ્યાએથી શરૂઆત, 10 એપ્રિલે યોજાશે

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા બોટાદ શહેરમાં 'સમરસતા યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા 10 એપ્રિલ, 2026 (શુક્રવાર) ના રોજ સવારે 9:00 કલાકે શ્રી ગોકુળિયાનાથની જગ્યા, સાળંગપુર રોડ, બોટાદથી શરૂ થશે. આ યાત્રાનો મુખ્ય હેતુ સમાજમાં સમરસતાનો ભાવ લાવવાનો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોએ સમસ્ત હિંદુ સમાજને આ યાત્રામાં જોડાવવા માટે અપીલ કરી છે. બજરંગ દળના કાર્યકર્તાઓને તેમના ત્રિશુલ અને બેલ્ટ સાથે બાઈક પર સવારે 9:00 કલાકે નિર્ધારિત સ્થળે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:32 am

ઇન્ડસ યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ:'મંડપમ્ × માટી કી મહેક' થીમ પર ભજન ક્લબિંગ મુખ્ય આકર્ષણ બન્યું

ઇન્ડસ યુનિવર્સિટી, WIIA અને ઇન્ડસ સ્ટુડન્ટ એક્ટિવિટી સેલ (iSAC) દ્વારા 8 એપ્રિલ, 2026ના રોજ મંડપમ્ માટી કી મહેક શીર્ષક હેઠળ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનો અને ભક્તિમય થીમ પર આધારિત હતો. તેમાં સંગીત, નૃત્ય, કાવ્ય પઠન અને વિવિધ કલાત્મક પ્રસ્તુતિઓ દ્વારા સાંસ્કૃતિક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રથમ વખત ભજન ક્લબિંગ વિભાગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું. iSAC ના વિદ્યાર્થીઓ દ્વારા આ અનોખી રજૂઆત તૈયાર કરવામાં આવી હતી, જેનાથી ઉપસ્થિત સૌને એક આધ્યાત્મિક અને યાદગાર અનુભવ પ્રાપ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:31 am

જમીન બચાવવા 10 ગામના રહીશો મેદાને:મહેસાણા મનપામાં ડીપી-ટીપી સ્કીમના વિરોધમાં કુકસમાં રાત્રિ સભા; આગામી લડતની રણનીતિ ઘડાઈ

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા અમલમાં મૂકવામાં આવી રહેલી નવી ડેવલપમેન્ટ પ્લાન (DP) અને ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ સામે વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. આ સ્કીમના વિરોધમાં આસપાસના 10 જેટલા ગામોના લોકો હવે એકજૂથ થયા છે. 9 એપ્રિલની રાતે કુકસ ગામે તમામ અસરગ્રસ્ત ગામોના આગેવાનો અને ગ્રામજનોની એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં તંત્ર સામે આરપારની લડાઈ લડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જે રીતે નવી સ્કીમ દાખલ કરવામાં આવી છે તેને લઈને સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે આ સ્કીમ તેમના હિતમાં નથી અને તેનાથી સ્થાનિકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. કુકસ ગામે મળેલી સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ એકસૂરે જણાવ્યું હતું કે, તેઓ આ સ્કીમનો કોઈ પણ ભોગે અમલ થવા દેશે નહીં. વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં રોષમહેસાણા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા સૂચિત વિકાસ નકશાથી શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા હજારો ખેડૂત પરિવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે. વિકાસના નામે આવી રહેલા હાઈવે અને ડેવલપમેન્ટ પ્લાન 2047 હેઠળ આ આખા વિસ્તારને 'ઈન્ડસ્ટ્રીયલ ઝોન' જાહેર કરાતાં ખેડૂતોમાં ભારે ફ્ફડાટ અને રોષ વ્યાપ્યો છે. પોતાની માતૃ સમી જમીનો કપાતમાં જતી રોકવા માટે તાવડિયા, દેલા, ઉચરપી, રામપુરા, હેબુવા, શોભાસણ, કુકસ, લાખવડ, વિરમપુરા, દેત્રોજપુરા અને રૂપાલ સહિતના 10 ગામોએ હવે આરપારની લડાઈ લડવા જમીન બચાવો એક્શન કમિટીની રચના કરી છે. ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્રઃ ખેડૂતો આ વિકાસ નકશાથી ખેડૂતો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, જમીન જવાથી ખેડૂતનો વિકાસ થાય કે વિનાશ? પૂર્વની પટ્ટીમાં નવા આવી રહેલા હાઈવે વચ્ચે ખેતી ઘેરાઈ છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે, પૂર્વ વિસ્તારમાં માત્ર 2 કિલોમીટરના અંતરમાં ત્રણ મોટા રસ્તાઓનું આયોજન કરી ખેતીલાયક જમીનના ટુકડા કરી દેવાનું રાજકીય પડયંત્ર રચાયું છે. થરાદ-અમદાવાદ ભારતમાલા હાઈવે, મહેસાણા-ઈડર નેશનલ હાઈવે, 80 મીટરનો સૂચિત રિંગ રોડ આ પ્રોજેક્ટ્સને કારણે વર્ષોથી ખેતી અને પશુપાલન પર નભતા પરિવારો પાસે હવે જીવન નિર્વાહનું કોઈ સાધન નહીં રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનો આરોપમહાનગરપાલિકાએ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ફાંસો આપતાં ખેડૂત પોતાની જમીન પર ખેતી નહીં કરી શકે. સૌથી મોટો વિરોધ મહેસાણા ડેવલપમેન્ટ પ્લાન 2047 સામે છે. આ પ્લાન મુજબ પૂર્વ વિસ્તારને સંપૂર્ણ પણે ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે, જેનો અર્થ એ છે કે આવનારા સમયમાં ખેડૂત પોતાની જ જમીન પર ખેતી કે પશુપાલન કરી ન શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ નિર્ણય ખેડૂતોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનું ગામલોકો જણાવી રહ્યા છે. મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલનની રણનીતિ તૈયારઆ મુદ્દે સ્થાનિક આગેવાન કિરણ ચૌધરી સહિતના લોકોએ જણાવ્યું કે, તેઓએ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને કાનૂની લડત તો ચાલુ જ રહેશે. પરંતુ હવે સમય આવી ગયો છે કે તમામ 10 ગામના લોકો સંગઠિત થઈને રસ્તા પર ઉતરે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે. આ બેઠકમાં ચૂંટણી બહિષ્કાર જેવા કડક પગલાં ભરવાની પણ ચર્ચાઓ થઈ હતી.તમામ ગ્રામજનોએ એક અવાજે નિર્ણય લીધો છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રહેશે. હવે જોવાનું એ રહે છે કે ગ્રામજનોના આ ઉગ્ર રોષ સામે તંત્ર નમતું જોખશે કે વિવાદ વધુ વકરશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 9:30 am

અમરેલીમાં મધરાતે ધરા ધ્રુજી, 3.7 તીવ્રતાનો ભૂકંપ:કેન્દ્રબિંદુ મહુવા, લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા; રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં ભારે ફફડાટ ફેલાયો

અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગત (9 એપ્રિલ) મોડી રાત્રે 2:24 વાગ્યે અમરેલીના કોસ્ટલ બેલ્ટ સહિતના વિસ્તારોમાં 3.7ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાયો હતો. આ ધડાકાભેર આવેલા આંચકાને કારણે રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને લોકો ઊંઘમાંથી જાગીને રસ્તા પર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અને અસરગ્રસ્ત વિસ્તારો સીસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગર જિલ્લાના મહુવા પાસે નોંધાયું હતું. આ આંચકાની સૌથી વધુ અસર નીચે મુજબના વિસ્તારોમાં જોવા મળી હતી: ભયનો માહોલ અને મકાનોમાં તિરાડો રાજુલા શહેરમાં ભૂકંપ એટલો જોરદાર હતો કે, કેટલાક જૂના અને કાચા મકાનોની દીવાલોમાં ઝીણી તિરાડો પડી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સ્થાનિક રહેવાસી આરીફ સેલોતે જણાવ્યું હતું કે, રાત્રે 2:24 વાગ્યે એક મોટો અને ત્યાર બાદ અન્ય નાના આંચકા અનુભવાયા હતા, જેના કારણે આખું શહેર રસ્તા પર આવી ગયું હતું. પીપાવાવ રોડ પર ઉભેલા ટ્રક ડ્રાઈવર સલીમભાઈએ જણાવ્યું કે, અમે ગાડી પાર્ક કરીને સૂતા હતા ત્યારે, અચાનક ગાડી હલવા લાગી. અમને લાગ્યું કે કોઈ વાહન અથડાયું હશે, પણ બહાર જોયું તો લોકો 'ધરતીકંપ આવ્યો'ની બૂમો પાડતાં દોડી રહ્યા હતા. મુખ્ય વિગતો એક નજરે CCTVમાં કેદ થઈ ઘટના ભૂકંપના સમયે સર્જાયેલી અફરાતફરી અને ધ્રુજારીના દૃશ્યો અનેક રહેણાક વિસ્તારોના CCTV કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. છેલ્લા આઠ દિવસથી ખાંભા અને સાવરકુંડલાની વચ્ચે સતત અનુભવાઈ રહેલા આંચકાઓને કારણે સ્થાનિક તંત્ર અને ભૂસ્તરશાસ્ત્રીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મકાનોમાં તિરાડો પડવા માંડી ! સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. સદનસીબે, આ કુદરતી ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી મિલકતને નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આંચકાએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:17 am

ગુજસીટોકના આરોપીની ગુજરાત હાઇકોર્ટમાં અરજી:જામનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા છોડો, હાઇકોર્ટે કહ્યું- સંલગ્ન કોર્ટ 10 એપ્રિલ સુધીમાં નિર્ણય લે

ગુજસીટોકના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જામનગર મહાનગરપાલિકા-JMCની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા દેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજદાર અલ્તાફ ખફી વતી રજૂઆત કરાઈ હતી કે, તેને પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવે. અરજદાર હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં ન હોવાથી તે જામીન માંગી શકે તેમ નથી. જામીન મળે તો પણ ત્રીજી FIRના કારણે ધરપકડ થઈ શકેવધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર વિરુદ્ધ તાજેતરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રથમ FIRમાં તેની ધરપકડ 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જેમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે બીજી FIRમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કસ્ટોડિયલ ઇન્ટેરોગેશન હેઠળ છે. જો તેને જામીન મળે તો પણ 5 એપ્રિલના રોજ તેની સામે નોંધાયેલી ત્રીજી FIRમાં તેની ધરપકડ થઈ શકે છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી આરોપીને મુક્ત કરવા અપીલ કરીતેના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આરોપીને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે મુક્ત કરી શકાય છે. હાઈકોર્ટે નીચલી અદાલતને નિર્ણય લેવા નિર્દેશ આપ્યોસુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઉપાય માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અરજદારે નીચલી અદાલતમાંથી રાહત મેળવવા માટે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતને શુક્રવારે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક ગુજસીટોક આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભર્યું હતુંકોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે ,કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો અરજદાર સંબંધિત ફોરમમાં અરજી સાથે સંપર્ક કરે છે, તો સંબંધિત ફોરમ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પ્રાધાન્યપણે 10 એપ્રિલ, 2026 સુધીમાં તેના પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અન્ય એક ગુજસીટોક આરોપી અસલમ ખિલજીને પોલીસ જાપ્તા હેઠળ રિટર્નિંગ ઓફિસર પાસે લઈ જવામાં આવ્યા બાદ તેણે JMC ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 8:00 am

વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો ગંભીર કિસ્સો:છારીઢંઢ રામસર સાઈટમાં ઇન્ફ્લ્યુએન્સરની નોનવેજ પાર્ટીથી વિવાદ, ડ્રોનનો પણ ઉપયોગ

કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઘાસિયા મેદાન અને પક્ષીઓના સ્વર્ગ સમાન છારીઢંઢ રામસર સાઈટમાં વન્યજીવનના નિયમોના ઉલ્લંઘનનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાની લાલસામાં કેટલાક કથિત ઇન્ફ્લ્યુએન્સર દ્વારા આ સંવેદનશીલ વિસ્તારમાં નોનવેજ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને આ મામલે પકડી માફી પણ મંગાવાઈ છે . આશરે ત્રણ અઠવાડિયા જૂના વાયરલ વીડિયોની તપાસ કરતા વન વિભાગને જાણવા મળ્યું હતું કે,પાંચ જેટલા ઈસમોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી ત્યાં ડ્રોન દ્વારા શૂટિંગ કર્યું હતું અને ઘરેથી લાવેલા નોનવેજની મિજબાની માણી હતી. નખત્રાણા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિજયકુમાર મોદીએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમે આ પાંચેય શખ્સોની શોધખોળ કરી તેમને પકડી પાડ્યા હતા. વન વિભાગની કડક પૂછપરછ અને સૂચના બાદ આ તમામ ઇસમોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને વન વિભાગ સમક્ષ લેખિતમાં માફી માંગી હતી કે પ્રવાસીઓને આકર્ષવા આ પ્રકારના વિડીયો તેઓ બનાવતા હતા. માંસાહાર માટેની સામગ્રી તેઓએ શિકાર કરીને ઊભી કરી કે ઘેરથી લાવ્યા તે ચર્ચાનો અને તપાસનો વિષય છે. ડ્રોન પણ પ્રતિબંધીત હોવા છતાં બેરોકટોક ઉપયોગ કરાયાનું વીડિયોમાં દેખાય છે વનવિભાગની તપાસમાં શિકાર ન હોવાનું ખુલ્યું ; પણ જોખમ મોટુંઆર.એફ.ઓ મોદીએ જણાવ્યું કે, વન વિભાગની પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે, આ પાર્ટી દરમિયાન કોઈ વન્યપ્રાણી કે પક્ષીનો શિકાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેઓ ઘરેથી ચિકન લાવ્યા હતા. જોકે, રામસર સાઈટ જેવા અત્યંત સુરક્ષિત અને શાંત વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ શકે છે. જે રીતે ગીરના જંગલોમાં નોનવેજ પાર્ટીઓથી વન્યપ્રાણીઓ લલચાઈને માનવ વસાહત તરફ આવે છે, અને ક્યારેક શિકારનો ભોગ બને છે તેવી જ દહેશત અહીં પણ વ્યક્ત કરવામાં આવી છે. રોડ ટુ હેવન પક્ષીઓ માટે ‘હેલ’ ન બનેછારીઢંઢમાં વીડિયો દ્વારા નિયમોનું ઉલ્લંઘન દેખાતું હતું તે સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાયો છે. ડ્રોનનો ઉપયોગ અને ઘોંઘાટથી સ્થળાંતરિત પક્ષીઓને ખલેલ પહોંચે છે. સમાન સ્થિતિ રોડ ટુ હેવનમાં છે. કલેકટરનું જાહેરનામું છે, અહીં નો ડ્રોન ઝોન જાહેર કરાયો છે પણ ‘રીલ’ ના ચક્કરમાં વ્યૂ મેળવવા માટે કથિત ઇન્ફ્લ્યુએનસર અહીં શૂટ કરે છે જે સુરખાબ માટે અત્યંત જોખમી છે. આ મુદ્દે પોલીસ-વહીવટીતંત્ર અને વનવિભાગે સંયુક્ત કાર્યવાહી કરવી આવશ્યક છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:21 am

પશુ આરોગ્ય શિબિર:કુરનમાં યોજાયેલા પશુ આરોગ્ય શિબિરમાં 98 પશુની સારવાર

કામધેનુ યુનિવર્સિટી સાથે સંકળાયેલા પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, ભુજના પશુચિકિત્સા સારવાર સંકૂલ અને એગ્રોસેલ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમથી 9 એપ્રિલે કુરન ગામે પશુ આરોગ્ય તપાસ, સારવાર શિબિર તથા માર્ગદર્શન ગોષ્ઠી યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમ્યાન કુલ 98 પશુઓની તપાસ કરીને તેમને જરૂરી સારવાર અપાઈ હતી જેમાં 20 કેસ દવાઓ દ્વારા સારવારના અને 78 કેસ પ્રજનન તંત્ર સંબંધિત સમસ્યાઓના નોંધાયા હતા. સાથે જ પશુઓને કૃમિનાશક દવા પણ અપાઈ હતી. ડૉ. કે. કે. હડીયા અને ડૉ. હરદીપસિંહ વિજયેતાએ ગાય તથા ભેંસોમાં ગર્ભાશય સંબંધિત રોગોની ઓળખ કરી યોગ્ય સારવાર આપી અને પશુપાલકોને આવી બીમારીઓથી બચવા માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય ડૉ. રાકેશ ભોજાણી, ડૉ. હિરેન બારોટ અને ડૉ. ક્રિષિ પટેલે પણ વિવિધ રોગોના નિદાન અને નિવારણ માટે સક્રિય ભાગ ભજવ્યો હતો.શિબિરમાં 26 ગાયો, 46 ભેંસો, 23 બકરાં, 1 ઘોડી અને 2 ઊંટોની સફળ સારવાર કરાઈ હતી.મહાવિદ્યાલયના આચાર્ય ડૉ. એચ. બી. પટેલે આવા ઉપયોગી પ્રયાસોની પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:06 am

ધાત્રી માતાઓ, અશક્ત શિક્ષકો, ટેટ ઉમેદવારોને મુક્તિ આપો:પ્રસૂતિ રજા અને માંદગીના કિસ્સામાં ચૂંટણી ફરજના ઓર્ડર મુદ્દે નારાજગી

આગામી 26 ડિસેમ્બરના રોજ યોજાનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારીઓ તેજ બની છે, ત્યારે ચૂંટણી કામગીરીના હૂકમોને લઈને શિક્ષકોમાં જોવા મળતી મુંઝવણો અંગે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વહીવટી તંત્ર સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા, રાજ્ય સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજા અને કોષાધ્યક્ષ કાંતિભાઈ સુથારની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ભુજ પ્રાંત અધિકારી એ.બી. જાદવને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. શિક્ષક સંઘે ખાસ કરીને એવી મહિલા કર્મચારીઓ કે જેઓ હાલ પ્રસૂતિ રજા પર છે અથવા જેઓ ધાત્રી માતાઓ છે, તેમના ચૂંટણીલક્ષી હૂકમો માનવીય અભિગમ દાખવી રદ્દ કરવા માંગ કરી છે. આ ઉપરાંત, ગંભીર બીમારીથી પીડાતા અને શારીરિક રીતે અશક્ત શિક્ષકોને પણ આ કપરી ફરજમાંથી મુક્તિ આપવા જણાવાયું છે. રજૂઆતમાં જણાવાયુ છે કે અનેક શિક્ષકોને 12 એપ્રિલના રોજ ટેટ (TET-HS) ની પરીક્ષા આપવા માટે જિલ્લા બહાર જવાનું છે. આ સંજોગોમાં જો તે જ દિવસે ચૂંટણીલક્ષી તાલીમ ગોઠવવામાં આવે તો શિક્ષકોને અન્યાય થઈ શકે તેમ છે, જેથી તાલીમની તારીખોમાં યોગ્ય ફેરફાર કરવા રજૂઆત કરાઈ છે. વધુમાં, બી.એલ.ઓ. (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રિસાઇડિંગ અધિકારીને બદલે પ્રથમ મતદાન અધિકારી તરીકે નિયુક્ત કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રાંત અધિકારી અનીલ જાદવે સંઘના હોદ્દેદારોની રજૂઆત સાંભળીને આ તમામ પ્રશ્નો પર હકારાત્મક વલણ અપનાવી યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. આ રજૂઆતમાં સવાઈસિંહ સોઢા, રાણાજી જાડેજા, અનિલ રૂપારેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા. તંત્રની ખાતરી બાદ શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:05 am

ઈરાન યુદ્ધની ભારતીયોને અસર : ગેસની અછતથી વતન વાપસી સુધી

- અમેરિકા-ઈરાન વચ્ચે 38 દિવસ ચાલેલા યુદ્ધમાં હવે ૧૪ દિવસનો યુદ્ધવિરામ આવ્યો છે પણ તેનાથી ભારત અને ખાડી દેશોમાં વસતા ભારતીયો ઉપર વ્યાપક અસર પડી છે - અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હાલમાં ઈરાન ઉપર કોઈ હુમલા કરવામાં નહીં આવે. તેના વળતરરૂપે હોર્મુઝની ખાડીનો રસ્તો ખોલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જહાજોની આવન-જાવન પહેલા જેવી જ સામાન્ય કરી દેવાની વાત કરાઈ છે. આ દિશામાં ઈરાને પણ કેટલીક શરતો મુકી છે. આ તમામ મુદ્દે 10 એપ્રિલે ચર્ચા થવાની છે : ભારતમાં સૌથી પહેલાં તો રાંધણગેસની અછત સર્જાવા લાગી.

ગુજરાત સમાચાર 10 Apr 2026 7:00 am

કોર્પોરેટરનું નામ પૂછતા જ જબરા જવાબ આપ્યા, VIDEO:'વોર્ડમાં 400 કોર્પોરેટર, કામ કર્યું હશે આપણને ખબર નથી', અમદાવાદીઓએ શું શું કહ્યું?

આગામી 26 એપ્રિલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પહેલાં દિવ્ય ભાસ્કરે શહેરના કેટલાક નાગરિકોને તેમના વોર્ડના કોર્પોરેટરોના નામ પૂછ્યા હતા. અમદાવાદીઓએ શું-શું કહ્યું જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 7:00 am

શહીદોને શ્રદ્ધાજંલિ અપાઇ:શૌર્ય દિવસની ગાથામાંથી શીખ : ‘હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારીએ’

દર વર્ષે 9 એપ્રિલે શૌર્ય દિવસના ભાગરૂપે સીઆરપીએફ કચ્છની ભારત-પાક આંતરરાષ્ટ્રીય સરહદે સરદાર પોસ્ટ ખાતે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેના ભાગરૂપે ગુરુવારે પણ શહીદોના બલિદાનને યાદ કરતાં શૌર્ય દિવસ કાર્યક્રમ યોજાયો હતો. ઉજવણી દરમિયાન બેન્ડ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ અને વીરતાની ગાથાને યાદ કરાઈ હતી. વર્ષ 1965માં પાકિસ્તાનના ડેઝર્ટ હોક ઓપરેશનનો પ્રતિકાર કરતા સરદાર પોસ્ટ ખાતે સીઆરપીએફની બટાલિયને દુશ્મનની બ્રિગેડને પીછેહટ કરવા મજબૂર કરી હતી. પરાક્રમની ગાથાને યાદ કરતા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સીઆરપીએફ મુંબઈ ક્ષેત્રના આઈજી વિરેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, એ સમયે જવાનોએ 3 હજારથી વધારે દુશ્મનોની સામે બહાદુરીપૂર્વક ટક્કર ઝીલી હતી. સાથે જ નવનિયુક્ત કેડેટ્સને પ્રેરણા આપતા જણાવ્યું કે, શૌર્ય દિવસની ગાથામાંથી શીખ મળે છે કે આપણી હાર ત્યારે થાય છે જ્યારે આપણે મનથી હારી જઈએ. મન મક્કમ રાખીને દેશસેવા કરવી જોઈએ. જવાનોની બહાદુરી અને ભારત દેશની એક ઈંચ પણ જમીન નહીં આપવા દ્ઢ નિશ્ચય સામે દુશ્મનની ફૌજની હાર થઈ હતી. ગાંધીનગર સીઆરપીએફના ડીઆઈજી ધર્મેન્દ્ર સિંહ વિસેનએ કચ્છની સરદાર પોસ્ટ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરીને શૌર્ય દિવસને વીરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું. સાથે જ શૌર્ય દિવસની ઉજવણીના સહયોગ બદલ બીએસએફનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, યુદ્ધમાં પાકિસ્તાનની 3 હજારથી વધારે સૈનિક ધરાવતી બ્રિગેડે હુમલો કર્યો હતો. ત્યારે સીઆરપીએફના જવાનો માત્ર 150ની સંખ્યામાં જ હાજર હતા છતા પણ તેઓએ વીરતાનો પરિચય આપીને દુશ્મનને પીછેહટની ફરજ પાડી હતી. વળતા પ્રહારથી પાકના 34 સૈનિકો માર્યા ગયા અને 4 જીવતા પકડાયા હતા. દુશ્મનની સાથે લડતા સીઆરપીએફની બીજી બટાલિયનના 7 જવાન શહીદ થયા હતા. કાર્યક્રમમાં બીએસએફ 90 બટાલિયનના કમાન્ડન્ટ વિજયકુમાર, નાયબ પોલીસ અધિક્ષક ડૉ. વિશ્વા શાહ,સીઆરપીએફના ઉપ-કમાન્ડન્ટ અભિજીત કાલે અને આસિસ્ટન્ટ કમાન્ડન્ટ દિનેશ ચંદ્ર ચંદેલ સહિત સીઆરપીએફ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ, સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:58 am

ભાસ્કર એક્સક્લુસિવ:પરિવારને 5, સંસ્થાને 25 લિ. કેરોસીન મળશે

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં રાંધણ ગેસ ઉપરાંત કેરોસીનની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જેના અનુસંધાને કચ્છમાં કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી જિલ્લામાં કેરોસીન વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર 36 KL (કિલો લિટર) કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. આ જથ્થાનો ઉપયોગ મુખ્યત્વે રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા (લાઇટ) માટે જ કરી શકાશે. જેમાં પરિવાર દીઠ 5 લિટર કેરોસીન અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન એક જ વખત મેળવી શકશે. જો કે કેરોસીન મેળવવા ઈચ્છતા લોકો માટે NIC દ્વારા ઓનલાઈન URL: https://ipds.gujarat.gov.in/ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. જે-તે તાલુકા સ્તરેથી જ્યારે ઓછામાં ઓછા 12,000 લિટર (1 ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી નોંધાશે, ત્યારે તાત્કાલિક અસરથી તે તાલુકાના નિયત કરેલા પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરી દેવામાં આવશે. ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક ખર્ચાઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કેરોસીનનો ભાવ પ્રતિ લિટર ₹63.26 થી ₹64.07 ની વચ્ચે રહેશે. આ 6 પેટ્રોલ પંપ પર મળશે કેરોસીન ચૂલા સળગે છે, તેવા વિસ્તારો બાકાત રખાયાકચ્છ જિલ્લામાં 6 તાલુકાઓમાં કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ આયોજનની કમનસીબી એ છે કે જેમાં અબડાસા, લખપત અને માંડવી શહેરનો સમાવેશ જ કરાયો નથી. આ એવા વિસ્તારો છે જ્યાં ગરીબી અને અંતરિયાળ ભૂગોળને કારણે હજુ પણ હજારો ગૃહિણીઓ ધુમાડાથી ભરેલા ચૂલા પર રસોઈ બનાવે છે. સરકારની ‘ઉજ્જવલા’ યોજનાના અજવાળા હજુ આ સરહદી ગામડાં સુધી પહોંચ્યા નથી. જ્યારે સૌથી વધુ જરૂરિયાત અહીંના અંતરિયાળ વિસ્તારના લોકો અને માલધારીઓને છે, ત્યારે તેમને જ આ યોજનાથી બાકાત રાખવામાં આવતા તંત્રની નીતિ સામે સવાલો ઉઠ્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:55 am

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા

કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 1867 ફોર્મનું વિતરણ થયું છે, જેની સામે માત્ર 31 ફોર્મ જ ભરાયા છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત નથી કરાઇ. કચ્છની 9 તાલુકા પંચાયતની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 31 ફોર્મ ભરાયા છે, જેમાં સૌથી વધુ લખપત તાલુકામાં 19 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત ભુજમાં 04 ફોર્મ, મુન્દ્રા 05 ફોર્મ, અબડાસામાં 02 ફોર્મ અને રાપર તાલુકા પંચાયત માટે 01 ઉમેદવારે ફોર્મ ભર્યો છે. હાલમાં માત્ર અપક્ષ અને આમ આદમી પાર્ટી સહિતના અન્ય પક્ષો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લી તારીખ 11 એપ્રિલના રોજ મોટાભાગના ઉમેદવારો ફોર્મ ભરશે. કચ્છની બેઠકવાર ફોર્મની સ્થિતિ

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:45 am

સસ્તા સોનાના નામે ઠગાઈ:ભુજના ઠગબાજોએ સસ્તા સોનાની લાલચે હવે રાજસ્થાનના વેપારીને 61 લાખનો ચુનો લગાવ્યો

શહેરના ચીટરોએ સસ્તા સોનાના નામે ઠગાઈ આચરવા દેશનો એકપણ ખુણો બાકી રાખ્યો નથી, તેવામાં રાજસ્થાનના વેપારીને બજારભાવ કરતા દસ ટકા ઓછા ભાવે સોનુ આપવાની લાલચ આપી રૂપિયા 61 લાખ પડાવ્યા બાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાનાઓ બનાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હીરાલાલ હપ્પારામજી ચૌધરીએ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ભુજના ગાંધીનગરીમાં રહેતા આરોપી રાહુલ સોની જેનું સાચુ નામ અલ્તાફ હુશેન જત અને હાજી વલીમામદ કકલ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર 2024માં ફરિયાદીના દીકરાને ફેસબુક પર રાહુલ સોની નામની આઈડી દેખાઈ હતી જેમાં વિવિધ દેશના સોનાના બિસ્કીટ બાબતે વિગતો દેખાઈ હતી. જેથી આરોપીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદી વાતચીત કર્યા બાદ 14 ઓક્ટોબર 2024ના ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીઓએ તેની સાથે મીટીંગ કરી રૂપિયા 7 લાખમાં 100 ગ્રામનું સોનાનું બિસ્કીટ આપ્યું હતું. ફરિયાદી સોનાનુ બિસ્કીટ લઈને ચાલ્યા ગયા બાદ વધુ સોનુ ખરીદવા આરોપીને કહ્યું હતું અને આંગડીયા મારફતે 500 ગ્રામ સોના માટે રૂપિયા 34 લાખ મોકલાવ્યા હતા. જે બાદ આરોપીઓએ વધુ સોનુ ખરીદવાની લાલચ આપી બીજા 34 લાખ પડાવ્યા હત. પરંતુ ફરિયાદીને બિસ્કીટ ન મળતા તેઓ ભુજ આવ્યા હતા. ત્યારે આરોપીએ વિશ્વાસ કેળવવા 1 સોનાનુ બિસ્કીટ આપી અલગ અલગ બહાના બનાવી ફરિયાદી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ આચરી હતી.જે મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઠગાઈનો ભોગ બાદ પણ લાલચ-એલસીબીના ચોપડે ચીટરો અકબંધઆરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ 75 લાખ લઇ લીધા બાદ વિશ્વાસ કેળવવા માટે રૂપિયા 14 લાખના 2 સોનાના બિસ્કીટ આપ્યા હતા. ત્યારબાદ દોઢ વર્ષ સુધી અલગ અલગ બહાના બતાવી રૂપિયા કે સોનુ આપ્યું ન હતું. આ દરમિયાન ફરિયાદી અન્ય એક ચીટર ગેંગના હાથે ઠગાઈનો ભોગ બન્યા હતા અને એ મામલે ફરિયાદ પણ કરેલી હતી. ત્યારે બન્ને આરોપીઓ બાબતે તપાસ કરતા કોઈ જાણકારી મળી ન હતી પરંતુ ત્યારબાદ આ બન્ને આરોપીના સાચા નામ જાણવા મળ્યા હતા અને એલસીબી કચેરીમાં તપાસ કરાવતા બન્ને ચીટરો ચોપડા પર ચડેલા દેખાયા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:43 am

ભાસ્કર ફોલોઅપ:બોર્ડની પરીક્ષામાં શંકાસ્પદ જણાયેલા 110 છાત્રોનું હિયરીંગ પૂર્ણ, 19 સામે લટકતી તલવાર

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હવે પેપર ચકાસણી સહિતની કામગીરી આખરી તબક્કામાં છે. આ વર્ષે પરીક્ષા દરમિયાન કચ્છ જિલ્લામાં પ્રત્યક્ષ રીતે એક પણ કોપી કેસ નોંધાયો ન હતો, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીસીટીવી ફૂટેજના નિરીક્ષણ દરમિયાન 110 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાયા હતા. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની અધ્યક્ષતામાં મળેલી કમિટીની બેઠકમાં બે દિવસ સુધી સુનાવણી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, ખંડ નિરીક્ષક અને આચાર્યોને બોલાવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા. સુનાવણીના અંતે ધોરણ 10 ના 10 અને ધોરણ 12 ના 9 વિદ્યાર્થીઓ શંકાસ્પદ જણાતા તેમનો રિપોર્ટ ગાંધીનગર બોર્ડમાં મોકલવામાં આવ્યો છે. આ 19 વિદ્યાર્થીઓએ હવે તેમના વાલીઓ, ખંડ નિરિક્ષક અને કેન્દ્ર સંચાલકો સાથે ગાંધીનગર બોર્ડ સમક્ષ હાજર થવું પડશે. બોર્ડની ઉચ્ચસ્તરીય કમિટી દ્વારા ફૂટેજની આખરી તપાસ કરવામાં આવશે. જો ચોરી સાબિત થશે તો વિદ્યાર્થીના તે વિષયનું અથવા જરૂર જણાય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ થઈ શકે છે. બેદરકારી બદલ ખંડ નિરીક્ષક અને કેન્દ્ર સંચાલક સામે પણ કડક પગલાં લેવામાં આવશે. મે મહિનામાં પરિણામ જાહેર થવાની શક્યતાસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પરીક્ષાલક્ષી મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે. બોર્ડ દ્વારા મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ધોરણ 12 સાયન્સ તે બાદ ધોરણ 12 કોમર્સ અને છેલ્લે માસના અંતે ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:43 am

વાણીયાવાડમાં ઘાતકી હત્યા:રાશનના 4 લાખ માટે બોટલ-દસ્તો ફટકારી વૃદ્ધની હત્યા

શહેરના વાણીયાવાડ વિસ્તારમાં એકાકી જીવન જીવતા અને સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના વૃદ્ધ સંચાલકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર ફેલાઈ છે. પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપીની દુકાનેથી સંસ્થા માટે રાશન ખરીદીના બાકી રહેલા રૂપિયા બાબતે બોલાચાલી બાદ આરોપીએ વૃદ્ધને માથાના ભાગે બોટલ અને દસ્તો ફટકારી મોતને ઘાટ ઉતારી દીધા બાદ 4 કલાક પછી આરોપીએ ખુદ પોલીસ સામે હાજર થઇ કબુલાત આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વાણીયાવાડ વિસ્તારમાં અસ્ટપદા બિલ્ડીંગના બીજા માળે આવેલ ફ્લેટ નંબર ૩માં રહેતા 71 વર્ષીય રશ્મીકુમાર કનકલાલ ભુલાણી(શાહ)ની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે હોસ્પિટલ રોડ પર રહેતા મૃતકના ભાઈ ફરિયાદી પંકજભાઈ કનકલાલ શાહે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકે પ્રમુખસ્વામી નગરમાં રહેતા આરોપી નીલેશ હસમુખલાલ શાહ સામે ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 8 એપ્રિલના રાત્રે દસ વાગ્યાના અરસામાં બન્યો હતો. ફરિયાદીના ભાઈ સાધનિક ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક હતા. જે સંસ્થા માટે આરોપીની દુકાન પરથી રાશનની ખરીદી કરતા હતા. જેના બાકી રહેતા રૂપિયા માટે આરોપી મૃતકને ઘરે ગયો હતો. જ્યાં બન્ને વચ્ચે બોલાચાલી થતા આરોપીએ મેટલની પાણીની બોટલ મૃતકને માથામાં ફટકારી હતી. ત્યાંથી ન અટકતા આરોપીએ મેટલના દસ્તાથી માથામાં ગંભીર ઈજા પહોચાડી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા હતા. સમગ્ર મામલે ભુજ શહેરએ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મૃતક આરોપી પાસેથી છેલ્લા ત્રણ-ચાર વર્ષથી રાશન ખરીદતા હતા, જેના રૂપિયા 4 લાખ બાકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યાના બનાવ બાદ આરોપી ખુદ પોલીસ મથકે આવ્યો હતો અને હત્યા નીપજાવી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પુરાવાનો નાશ કરવા કેમેરાનો ડીવીઆર કાઢ્યોઆરોપીએ રાત્રે 10 વાગ્યે હત્યાના બનાવને અંજામ આપી દીધા બાદ મૃતકના ઘરમાં લગાડેલ સીસીટીવી કેમેરાનો ડીવીઆર કાઢી લઇ પુરાવાનો નાશ કર્યો હતો. એક સમયે ગુનાથી બચવાનો પ્રયાસ કરનાર આરોપી હત્યાના ચાર કલાક બાદ રાત્રે બે વાગ્યે ખુદ એ ડીવીઝન પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસ મૃતકના ઘરે પહોચી હતી. ત્યારે વૃદ્ધનો લોહીલુહાણ મૃતદેહ બેડરૂમમાં પડેલો દેખાયો હતો. જોકે આરોપીએ કેમેરાનો ડીવીઆર શા માટે કાઢ્યો તે સહીતની વિગતો વધુ તપાસ દરમિયાન સામે આવશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:41 am

ભુજ વોર્ડ નં - 4:ખખડી ગયેલા માર્ગો દેખાય તો સમજવું વોર્ડ નં 4 છે

ગત પાંચ વર્ષ દરમિયાન વિકાસના કામો થયાનું ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય પૂર્વ નગર સેવકો જણાવે છે. પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જોતા આ વોર્ડમાં આવેલા વિસ્તારોમાં સ્થાનિકોના મતે કામોમાં રહેલી કચાશો સુધારવાની જરૂર ચોક્કસ છે. જેષ્ઠાનગર વિસ્તારમાં માર્ગ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓને લઈને રહેવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગણેશ ચોકથી રોનક ચોક અને લાલ ટેકરીને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જ્યારે ડીપી ચોકથી વાઘેશ્વરી ચોક સુધીનો નવો બનાવેલો રસ્તો ગટર અને પાણીની લાઈનો માટે ફરી ખોદકામ થતા ખાડાઓથી ભરાયો છે. હોસ્પિટલ રોડ પર અગાઉ સારો સીસી રોડ હોવા છતાં હવે ડામર અને પેવર બ્લોકના થિંગડાઓથી અવ્યવસ્થિત સ્થિતિ સર્જાઈ છે. કેમ્પ પોલીસ ચોકીથી રિલાયન્સ મોલ સુધીનો માર્ગ પણ વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. શેરીઓમાં સફાઈ નામમાત્ર થાય છે અને નાળાઓમાં ગંદકી ભરાઈ રહી છે. પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ ઢાળવાળા વિસ્તારમાં પાણીનો બગાડ વધુ થાય છે. અનિયંત્રિત બાંધકામ અને ઓટલાઓને કારણે રસ્તાઓ સાંકડા બની ગયા છે, જેના કારણે ઈમરજન્સી વાહનોને પણ અવરજવર મુશ્કેલ બને છે. રસ્તાઓની ખરાબ હાલત અને વધેલા સ્પીડબ્રેકરના કારણે રીક્ષા ચાલકો પણ આવવાનું ટાળી રહ્યા છે અથવા વધુ ભાડું વસૂલ કરે છે. સ્થાનિકોએ ટાઉન પ્લાનિંગ મુજબ નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવાની અને સુવિધાઓ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે તેવું જણાવ્યું હતું. 6 કરોડથી વધુના માર્ગોના કામ થયા છે !જન લોક ભાગીદારી દ્વારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી ફાળવાતી રકમ પેટે કુલ છ કરોડથી વધુના ખર્ચે સીસી રોડનું કામ થયું હોવાનું જણાવતા પૂર્વ નગર સેવક મોહમ્મદ હનીફ માંજોઠી ઉમેરે છે કે ભાવેશ્વર નગરનું પુલનું કામ હાલમાં ચાલુ છે. ભાવેશ્વર નગર જેષ્ઠા નગર વગેરે જગ્યાએ ડ્રેનેજ લાઇન પડી ગઈ છે. તો વીજપોલ ખડા કરીને સ્ટ્રીટ લાઈટ પણ વધારવામાં આવી છે. માર્ગોના કામ ઉપરાંત ઇન્ટરલોક પાથરવાનું કામ પણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સીસી રોડ બન્યા અને તૂટ્યા પણ છે જે કામની ગુણવત્તા બાજુ અંગુલી નિર્દેશ કરે છે. વિસ્તારરાજેન્દ્રનગર, કેમ્પ એરિયા, વિજયનગરનો અમુક વિસ્તાર, જેષ્ઠા નગર, શારદા સોસાયટી, નુતન સોસાયટી, આનંદ કોલોની, ઇન્દિરા નગરી, ઓરિએન્ટ કોલોની, અંબાજી મંદિર પાસેનો રહેણાંક વિસ્તાર મતદારોની સંખ્યા

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:37 am

ઓનલાઇન ફ્રોડ:એચઆરમાંથી છું કહી ઠગે બીઓબીના નિવૃત્ત મેનેજરના ₹18.95 લાખ ઠગ્યા

વાઘોડીયા રોડ પર રહેતા અને બીઓબીમાંથી નિવૃત્ત મેનેજર 72 વર્ષીય ભુપેશચંદ્ર દવે સાથે ઓનલાઇન ફ્રોડની ઘટના બની છે. 17 જાન્યુઆરીએ ઠગોએ ફરિયાદીને વોટ્સએપ કોલ કરી પોતે બીઓબી હેડ ઓફિસ, અલ્કાપુરીના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનું કહી જણાવ્યું કે, બેંકે રિટાયર્ડ કર્મચારીઓ માટે નવા પેન્શન કાર્ડ બહાર પાડ્યા છે, જેમાં મેડિક્લેમ અને ફ્યુઅલમાં 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. વિશ્વાસમાં લેવા ઠગોએ વોટ્સએપ પર ‘BOB HRMS VERIFICATIO.apk’ ફાઇલ મોકલી હતી. મેનેજરે ફાઇલ ઓપન કરી કે તરત જ તેમનો ફોન હેક થઈ ગયો હતો. ઠગે દોઢ કલાક સુધી વીડિયો કોલ ચાલુ રખાવી વિગતો ફોર્મમાં ભરાવી હતી. દરમિયાન ફરિયાદીનો ફોન અન્ય નંબર પર ફોરવર્ડ કરી OTP મેળવી લેવાયા હતા. તેમની 11 FD પર લોન લઈને નાણાં ઉપાડી લીધા હતા. કોલ કટ થયા બાદ જ્યારે ફરિયાદીએ સ્ટેટમેન્ટ ચેક કર્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના અને તેમની પત્નીના 4 ખાતામાંથી 11 એફડી પર લોન લઇ ₹18.95 લાખ 10 ટ્રાન્ઝેક્શન કરી ઉપાડી લેવાયા છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:12 am

રમતગમતમાં ઝળહળતી સિદ્ધિ:એથ્લેટિક્સમાં 5.42 મીટરની છલાંગ લગાવી મયૂરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો

છત્તીસગઢનાં જગદલપુર ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશના સર્વપ્રથમ ‘ખેલો ઈન્ડિયા જનજાતીય ખેલ-મહોત્સવ’માં એથ્લેટિક્સની સ્પર્ધા યોજાઈ હતી. તેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના એથ્લેટ મયૂરી ગામીતે એથ્લેટીક્સની સ્પર્ધામાં લાંબી કુદની ઈવેન્ટમાં 5.42 મીટરની લાંબી છલાંગ લગાવી સમગ્ર ભારતમાં તૃતીય સ્થાન મેળવી ‘બ્રોન્ઝ મેડલ’ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર પ્રો. રણછોડ રથવીએ જણાવ્યુ હતુ. મયૂરી ગામીતને સિદ્ધિ મેળવવા માટે તેના માર્ગદર્શક એથ્લેટીક્સ કોચ પિંકલ આહિર, આસી.પ્રોફેસર નિશા નાઈકોડી અને હરેશ ભવાનીએ માર્ગદર્શન આપ્યુ હતું. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુશળ એથ્લેટ મયુરી ગામીતની આવી વિશિષ્ટ અને વિરલ સિદ્ધિ મેળવવા માટે સમગ્ર ગુજરાત અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ગૌરવ અને સન્માન વધારવા બદલ સહિત સમગ્ર યુનિવર્સિટી પરિવારે અભિનંદન આપ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:11 am

‘આદ્યાક્ષર’ના વિમોચનમાં શહેરના કવિઓ રહ્યા હાજર:વિદ્યાર્થીઓના ગદ્ય-પદ્ય, લોકગીત અને કૃતિઓથી ‘આદ્યાક્ષર’નું નિર્માણ

ગુજરાત યુનિવર્સિટી ભાષા સાહિત્ય ભવનના ગુજરાતી વિભાગ દ્વારા વાર્ષિક મુખપત્ર ‘આદ્યાક્ષર’ના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી વિભાગમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓ દ્વારા સઘન અધ્યયન,વિવિધ પ્રવૃત્તિઓ,તથા સર્જનાત્મક અભિવ્યક્તિ અને વર્ષ દરમિયાન થતી અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓનું દસ્તાવેજીકરણ કરીને ‘આદ્યાક્ષર’ને એક સંદર્ભ ગ્રંથ જેવો ઘાટ આપ્યો. જેમાં વિદ્યાર્થીઓની સ્વરચિત ગદ્ય અને પદ્ય કૃતિઓ સહિત, પ્રશિષ્ટ કૃતિઓના આસ્વાદ સાથે આદિવાસી કલા ધરોહરના સંશોધક ભગવાનદાસ પંચાલ અને શોષિત-પીડિતને દલિત સાહિત્યના સર્જક બી.કેશરશિવમની મુલાકાતની વિગતસભર વાતોથી ‘આદ્યાક્ષર’નું મૂલ્ય ઘણું વધી જાય છે. જ્યા વડોદરાના કવિ નૈષધ મકવાણાએ પોતાની કવિતાની પંક્તિઓ રજૂ કરી હતી. મઝાની જિંદગી છે તો,ઉમળકા કેમ નહીં રાખું? વળી ભીતર નિરખવાનાઅભરખા કેમ નહીં રાખું? સવારે રોજ આવીને,સૂરજ ઊર્જા ભરી આપે, હવા આવે તો ગલગલિયાંઅડપલાં કેમ નહીં રાખું?

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:08 am

ચૂંટણી ઇફેક્ટ:યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા પાછળ ઠેલાઇ

એમ.એસ. યુનિ.ની પરીક્ષાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નડશે. યુનિ.ની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીની એફવાય બીકોમની પરીક્ષા 24 એપ્રિલની જગ્યાએ 1લી મેના રોજ શરૂ થશે. આ ઉપરાંત એમકોમની પરીક્ષા પણ પાછી ઠેલવી પડે તેવી શક્યતાઓ છે. યુનિ.ની મોટાભાગની ફેકલ્ટીમાં પરીક્ષાઓ મે મહિના પહેલા પૂરી કરવાનું આયોજન હતું. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે પરીક્ષાઓ પાછી ઠેલવાનો વારો આવ્યો છે. એફવાય બીકોમની 24 એપ્રિલના રોજ શરૂ થવાની પરિક્ષા હવે 28 એપ્રિલ કે 1લી મેના રોજ શરૂ કરવામાં આવશે. એસવાય બીકોમની પરીક્ષા 17 એપ્રિલથી શરૂ થઈ જે 23 એપ્રિલના રોજ પૂર્ણ થશે.આર્ટસની 21 તારીખથી શરૂ થઈ રહેલી એમએ સેમેસ્ટર 1-2 તથા ટીવાય બીએની પરીક્ષાઓ હવે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાશે. હજી આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ નવી તારીખોની રજૂ કરી નથી. પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશેપરીક્ષાઓ મોડી થવાથી પેપર તપાસવાની પ્રક્રિયામાં વિલંબ થશે. જેની સીધી અસર નવા શૈક્ષણિક સત્રના એડમિશન પર પડી શકે છે. મે મહિનામાં અધ્યાપકોના વેકેશન પ્લાન પર કાતર ફરી શકે તેવી શકયતાઓ છે. મે મહિનાના વેકેશનમાં પણ અધ્યાપકોએ 15 થી 20 દિવસ કામગીરી કરવી પડશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:04 am

ચાલુ પરીક્ષામાં અધ્યાપકોની ચૂંટણીની કામગીરી સોંપાઇ:હોમ સાયન્સ, લો ફેકલ્ટીના ડીન સહિત અધ્યાપકોને ચૂંટણીના ઓર્ડર, રજિસ્ટ્રારે ફરજમુક્તિનો પત્ર લખ્યો

મ.સ.યુનિ.ના 500થી વધુ અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવી છે. હોમ સાયન્સ અને લો ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પણ ચૂંટણી ફરજના ઓર્ડર અપાયા છે. જોકે, યુનિ.માં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી રજિસ્ટ્રારે અધ્યાપકોને આ ફરજમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. અધ્યાપકો ઉપરાંત તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી ઓર્ડર કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પગલે યુનિ.ના અધ્યાપકોને ચૂંટણીની કામગીરી સોંપાઈ છે. તમામ ફેકલ્ટીઓમાં ઓર્ડરની કોપી મળતાની સાથે જ તે કેન્સલ કરાવવા માટે અધ્યાપકો ડીન પાસે દોડી ગયા હતા. અગાઉની ચૂંટણીઓના ડેટાના આધારે આ ઓર્ડર કરવામાં આવ્યા છે. હોમ સાયન્સ ફેકલ્ટીના ડીન સહિતના સિનિયર અધ્યાપકોને પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની જવાબદારી અપાઈ છે. મહિલા અધ્યાપકોને પોલિંગ એજન્ટનું કામ સોંપાયું છે. નોન-ટીચિંગ સ્ટાફને ઝોનલ અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની કામગીરી સોંપાઈ છે. રજિસ્ટ્રાર કે.એમ. ચુડાસમાએ ચૂંટણી અધિકારીને પત્ર લખીને અધ્યાપકોને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે. તેમજ જે-તે ફેકલ્ટીના ડીને પણ વ્યક્તિગત રીતે પત્ર લખીને પ્રક્રિયામાંથી મુક્તિ આપવા વિનંતી કરી હતી. સંસ્કૃત મહાવિદ્યાલયના 2 અધ્યાપકને 2 ડ્યૂટીના ઓર્ડર અપાયાસંસ્કૃત મહાવિદ્યાલયના બે અધ્યાપકોને ઝોનલ અને પ્રિસાઇડિંગ એમ બંને ડ્યુટીના ઓર્ડર અપાયા છે. એક સાથે બે કામગીરી સોંપાતા અધ્યાપકો મૂંઝવણમાં મુકાયા છે કે કઈ ફરજ બજાવવી. સંસ્કૃત મહાવિદ્યાલયના કુલ 3 કાયમી અધ્યાપકોમાંથી 2ને ચૂંટણી ઓર્ડર મળતા હવે કોલેજનું સંચાલન કેવી રીતે કરવું તે પ્રશ્ન પણ ઊભો થયો છે. મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો પરીક્ષા ખોરવાશેયુનિ.માં હાલ પરીક્ષાઓને સમય છે. જો આટલી મોટી સંખ્યામાં સ્ટાફ ચૂંટણીમાં જશે તો શૈક્ષણિક કાર્ય ખોરવાશે. અમે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પત્ર લખીને શૈક્ષણિક હિતમાં સ્ટાફને મુક્ત કરવા રજૂઆત કરી છે. > કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર, મ.સ.યુનિ. કોન્ટ્રાક્ટ કર્મીને પણ ઓર્ડર, હવે પટાવાળા પણ નહીં મળેયુનિ.ની આર્ટસ અને કોમર્સ ફેકલ્ટીમાં વહીવટી કામકાજ સંભાળતા તમામ બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઓર્ડર આપી દેવાયા છે. આમાં 11 મહિનાના ફિક્સ પગાર પર કામ કરતા પટાવાળાઓનો પણ સમાવેશ થાય છે. આ સ્ટાફ વગર, વહીવટી સંચાલન કોણ કરશે?

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:03 am

'અમારો આશરો છીનવાયો હવે ક્યાં જવું':'મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું', વોર્ડ-1ના રહીશોએ કહ્યું 'સારું કામ કરશે એને મત આપીશું'

ભાવનગર મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 (ચિત્રા-ફુલસર-નારી) માં સ્થાનિકોની મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, મતદારો સફાઈ, ગટર, પાણી અને ડિમોલિશન બાદ સર્જાયેલી આવાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના પ્રતિનિધિઓ વિકાસના દાવા અને આક્ષેપબાજીમાં વ્યસ્ત છે. 'સમસ્યા દૂર કરે તો મત આપીએ, બાકી દેવો નથી'આ અંગે સ્થાનિક અસ્મિતાબેને જણાવ્યું હતું કે, નિયમિત રીતે પાણી આવે છે, પણ એમાં ગટરની વાસ બહુ આવે છે. જેનાથી અમારા બાળકો બિમાર પડે છે. મત લેવા હોય ત્યારે તો ઘડીએ-ઘડીએ બધા આવો છો, અત્યારે અમારે મત દેવો કે ન દેવો કોઈને એ વિચાર આવે છે અમને. બધી સમસ્યા આ દૂર કરી દે એને મત આપીએ અમે, નકર અમારે કોઈને મત દેવો જ નથી. 'ગટરની લાઈન કે કોઈ સુવિધા નથી મળી'સ્થાનિક કંચનબેન કંટોલીયાએ જણાવ્યું હતું કે, કાંગસીયા વિસ્તારમાં અમારે ગટર લાઈન નથી આવી, કોઈ પણ સુવિધા નથી અને કોઈ પણ વાહન મોટું લાવવું હોય તો અમારે બહુ મુશ્કેલી પડે છે. દવાખાનાનું કામ હોય તો એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી. અમે વેરો રેગ્યુલર ભરી દઈએ છીએ. મત દઈએ છીએ તો પણ કોઈ કામ થતું નથી. કોઈ સારું કામ કરે તો એને અમે મત દઈએ. થોડા ઉંચાઈ ઉપર રહીએ છીએ તો ત્યાં કોઈ સુવિધા મળી નથી. 'મત જોઈએ ત્યાં સુધી સફાઈ થાય'સ્થાનિક ભાવનાબેનએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં સફાઈ નથી થતી અને નથી કચરાવાળો આવતો. જ્યારે મત જોઈએ તો સાહેબો બધા દોડ્યા આવે. મત અમારે શું કામ દેવાના? સફાઈ તો થતી નથી તો શું કામ આ બધું કરવાનું? જ્યારે મત જોતા હોય ત્યાં સુધી સફાઈ થાય. મોંઘવારી વધતી જાય છે તો અમારે મહિલાઓને શું મરવાનું? મત લઈ લે અને પછી ડોકાતાય નથી, આ વખતે અમારે જે કંઈક સારું કામ કરશે એને મત દેવાનો, બાકી કોઈનું જોવાનું જ નથી. '82 મકાન પાડ્યા, અમારો આશરો છીનવાયો'ફુલસરના સ્થાનિક બાલાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, 82 મકાનમાં અમે ભાજપના કાર્યકર્તા છીએ. એમની પાછળ અમે ત્રણથી ચાર વખત ગયા. એમણે એવું કહ્યું કે તમારા મફતનગરને કાંઈ નહીં થાય. હવે અમે એમના આધારે ઉભા રહ્યા. અમારા 82 મકાન પાડવા આવ્યા ત્યારે અમને કોઈ આશરો દીધો નહીં અને અમારો સામાન બધો ભાંગી નાખ્યો. હવે અમારે કોઈ રહેવાનો આશરો નથી. તો અમારે હવે જવાનું કઈ ઠેકાણે. આ કોઈ દીવસ કોઈ ભાજપનો એક કાર્યકર પણ આવ્યો નથી. જેની પાછળ ગયા એને કીધું 'ના કાંઈ નહીં થાય, તમે એવી ઉપાધિ કરો માં. 'ગરીબ માણસનું કામ કરે એમને લાવીશું' સવારમાં 7 વાગ્યામાં આવીને બુલડોઝર ફેરવી દીધું. તો અમારે કઈ ઠેકાણે જવાનું અમારા 82 મકાન પાડ્યા અને મેલડી માતાજીના મંદિર પાસે 22 મકાન પાડ્યા. તો અમે બધા નિરાધાર થઈ ગયા છીએ. કોઈને કાંઈ આશરો છે નહીં. અમારે ગરીબ માણસનું કામ કરે એવા માણસોને રાખવા માંગીએ છીએ. બાકી આવા લુખ્ખા લફંગાનું કાંઈ કામ નથી. અને અહીંયા મત માટે આવતા જ નહીં? અમારે તમારી કાંઈ જરૂરી નથી, તમે અમારું કાંઈ કાર્ય કર્યું નથી. અમે હાવ નિરાધાર છીએ અત્યારે. 'ચૂંટણી પછી કોઈ દેખાતું નથી'કૌશિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અત્યારે ફૂલસરમાં આંગણવાડીઓ તો ઘણી છે. પણ અત્યારે મધુવન સોસાયટી, ખારા વિસ્તાર, રાધાકૃષ્ણ સોસાયટી અને કર્મચારીનગર, આ ચારેય વિસ્તારની થઈને એક આંગણવાડી છે એ પણ ભાડે છે. એની અંદર પણ છોકરાઓની સંખ્યા એટલી બધી છે પણ આ એક રૂમની અંદર આ છોકરાઓ યોગ્ય રીતે બેસી પણ નથી શકતા. જેની અવારનવાર અમે રજૂઆતો કરી છે છતા કોઈ નિરાકરણ આવતું નથી. હવે તો અમને વિચાર આવે છે કે મત આપી અમે ખુરશી ઉપર બેસાડીએ છીએ પણ હવે આનું કાંઈ કામકાજ તો થતું નથી, તો હવે અમે કોને મત આપવો. વધુમાં જણાવ્યું કે ચૂંટાઈ જાય પછી અહીંયા કોઈ કાંઈ દેખાતું નથી અને કોઈ કાંઈ ભલામણ કરતું નથી. 30-30 વર્ષથી માત્ર વાયદા કર્યાં છે:કાંતિ ચૌહાણકોંગ્રેસના ઉમેદવાર કાંતિ ચૌહાણે સત્તાધારી પક્ષ પર 'વાલા-દવલા'ની નીતિ રાખવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે સફાઈ અભિયાન અને ટેમ્પલ બેલની વ્યવસ્થા અનિયમિત છે, જેના કારણે કચરાના ઢગલા થાય છે. પાણીની નવી ટાંકીઓ છતાં લોકોએ મોટર મૂકવી પડે છે અથવા ટેન્કર મંગાવવા પડે છે. આપણે વિકાસ વિકાસ કહીએ, વિકાસ આવો અમારે ચિત્રા ફુલસરમાં જુઓ કે કઈ પ્રકારનો વિકાસ છે. રોડ રસ્તાથી વિકાસ નથી થતો સામાન્ય માણસ ગરીબ માણસને રોજી રોટી આપે એ વિકાસ સાચો કહેવાય. 100 ટકા અમે આ સમસ્યાનું નિરાકરણ લાવશું. કાંતિ ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે, લોકો અમારી ઉપર વિશ્વાસ મુકે અને અમારી પેનલને જિતાડશે, અમે 100 ટકા લોકોના સંપૂર્ણ કામને વાચા આપી અને આ કામ પૂર્ણ કરાવશું એવી ખાતરી આપીએ છીએ. અને આ લોકો આજે 30-30 વર્ષથી વાયદા કરતા હોય છે, તો પણ એ કામ પૂર્ણ નથી કરી શક્યા. અને કરોડો રૂપિયાની જાહેરાતો કરે છે કે આટલું કરશું અને આટલું કરીશું, ચૂંટણી આવે ત્યારે જ કામ કરવાના. રોડ રસ્તાના ખાતમુહર્ત તાત્કાલિક કરવામાં આવે છે, કા પહેલા નથી કરતા? આ 30-30 વર્ષથી લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે. '5 વર્ષમાં 200 કરોડથી વધુના કામ થયા'ભાજપના પૂર્વ કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં આ વિસ્તારમાં 200 કરોડથી વધુના કામો થયા છે. તેમણે પાણીની વ્યવસ્થામાં સુધારો થયો હોવાનું જણાવી ચાર નવા વોટર સોર્સ ઉભા કર્યા હોવાનો દાવો કર્યો છે. તેમણે કોંગ્રેસના કોર્પોરેટર પર ગ્રાન્ટનો દુરુપયોગ માત્ર બાંકડા અને પીંજરા મૂકવામાં કર્યો હોવાનો વળતો પ્રહાર કર્યો છે. ગમે તે સોસાયટીમાં જઈને કહો કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીએ શું કામ કર્યું છે? જો તમને સોસાયટીમાંથી મિનિમમ એક કામ અથવા ત્રણ કામથી વધારે ગણાવી દે. તમે ગમે તે સોસાયટીમાં ઈન્ટરવ્યુ લઈ શકો છો. વાત થાય કે પાંચ વર્ષમાં એમે ક્યાં ગ્રાન્ટ વાપરી? લોકભાગીદારીમાં અમને દર વર્ષે 30 લાખની ગ્રાન્ટ મળે એટલે પાંચ વર્ષની દોઢ કરોડની ગ્રાન્ટ થાય. અમે 8થી 9 કરોડના કામ લોકભાગીદારીથી કર્યાં. ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે આવા આવાસ પાડી દીધા, લોકોને ઘરવિહોણા કરી દીધા. તો મારે કાંતિભાઈને કહેવું છે કે જેની પાસે આધાર હતા નગરના, તેઓને માત્ર 1 લાખ રૂપિયામાં આવાસ આપવામાં આવ્યા. આખા ભાવનગર મહાનગરપાલિકામાં જ્યાં ડિમોલિશન થયું છે ત્યાં આ એક જ એવી જગ્યા છે કે જેમને ઘરવિહોણા કોઈને કરવામાં નથી આવ્યા. સરકારની રોડ ઉપરની જગ્યા પર હતા. રોડ-રસ્તા કરવા પણ ખૂબ જરૂરી છે, ત્યારે એમને માત્ર 1 લાખ રૂપિયામાં (આવાસ આપ્યા) અને જે 1 લાખ રૂપિયા પણ નહોતા પહોંચી શકતા તેમને બેંક દ્વારા કે અન્ય સંસ્થા દ્વારા 1 લાખ રૂપિયા પણ ફાઇનાન્સ કરાવીને એમને રહેણાંક માટેની સુવિધા કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:00 am

'ચૂંટણી આવે એટલે પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે':ગટર અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત લોકોએ નેતાઓ પર તડાપીટ બોલાવી

રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. અમે પહોંચ્યા છીએ વડોદરા શહેરના વોર્ડ નં-11માં, જ્યાં કેવો વિકાસ થયો છે, સમગ્ર વિસ્તારની શું પરિસ્થિતિ છે. અહીંના લોકો શું ઇચ્છી રહ્યા છે. અહીં લોકોનો શું છે મિજાજ અને આક્રોશ તે આ રિપોર્ટમાં જાણીશું. દિવાળીપુરામાં નળમાં ગટર મિશ્રિત પાણી આવેસૌથી પહેલા અમે વોર્ડ નંબર 11ના દિવાળીપુરા ગામમાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. અહીં ગટર મિશ્રીત પાણી આવે છે. અહીં અંબિકાનગર, રંગ અવધૂત વસાહત અમે અનંત પાર્ક સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. અહીં પાણી અને ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. પીવાનું પાણી તો રૂપિયા ખર્ચીને બહારથી લાવવુ પડે છે. અને વાપરવા માટે પણ ઘણીવાર પાણીના ટેન્કર મંગાવવા પડે છે. દિવાળીપુરા ગામમાં આવેલ અંબિકાનગર વસાહતમાં રહેતા કપિલાબેને જણાવ્યું હતું કે, જુઓ ભાઈ, આ અમારી પીવાની પાણીની ટાંકી છે. અહીં ગટરનું બધું ગંદુ પાણી ભેગું થાય છે. અમે આ સમસ્યા ઉકેલવા માટે 40,000 રૂપિયા ખર્ચ્યા છે, રોજ સિમેન્ટની થેલીઓ નાખીને કામ કરાવ્યું, પણ પાણી પાછું આવે છે. હવે તો અમે ટાંકી ભરવાનું જ બંધ કરી દીધું છે. અમારી તકલીફ તો પૂછો જ નહીં! ઘરમાં માણસો વધારે છે અને પાણી ઓછું આવે છે, તેમાંય આવું ગટરનું ગંદુ પાણી આવે તો વાપરવું કેવી રીતે? આ જુઓ, અહીં પથરા પણ ઊંચા-નીચા થઈ ગયા છે, ગંદકી ફેલાય છે અને ઉંદરોનો પણ ત્રાસ વધી ગયો છે. છ-છ મહિના સુધી ખાડા ખોદેલા રહે છે, જે અમે જાતે પુરાવ્યા છે. શું તમે આ બાબતે તમારા સ્થાનિક કોર્પોરેટરને જાણ કરી છે? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, અહીં કોઈ આવતું નથી ભાઈ! જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે જ લાઈનો લાગે છે. અમારું કામ કરવા કોઈ તૈયાર નથી. અમે રાત્રે બે-બે વાગ્યા સુધી જાગીને મજૂરો બોલાવી કામ કરાવ્યું છે, પણ તંત્ર તરફથી કોઈ મદદ મળતી નથી. 'ગટરની ફરિયાદ કરીએ તો નામ પૂરતી કામગીરી કરી જતા રહે છે'અંબિકાનગર વસાહતમાં રહેતા તેજસભાઈ ધોબીએ જણાવ્યું હતું કે, અહીં ગટર સતત ભરેલી જ રહે છે. જ્યારે પણ અમે ફરિયાદ કરીએ ત્યારે કોર્પોરેશનના માણસો આવે છે, ફક્ત એક સળિયો મારીને ગટર ખોલવાનો પ્રયત્ન કરે છે અને પછી જતા રહે છે. તેઓ અમને કહે છે કે તમે મશીનવાળાને બોલાવો કે ટેમ્પાવાળાને બોલાવો. પાંચ મિનિટમાં સળિયો મારીને સહી કરાવીને તેઓ નીકળી જાય છે અને ચાર દિવસ પછી ગટર ફરી ભરાઈ જાય છે. પીવાના પાણીમાં પણ ગટરનું પાણી ભળે છે. ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ રહી છે. નાના છોકરાઓ જ્યારે હાથ-મોઢું ધોવા જાય છે ત્યારે આવું ગંદુ પાણી શરીરમાં જવાથી તેમને પેટમાં દુખાવો અને વાયરસની સમસ્યાઓ થાય છે. આ સમસ્યા છેલ્લા બે-ત્રણ વર્ષથી છે. ગટરની લાઈન આખી નીચે બેસી ગઈ છે. જ્યાં સુધી નવી લાઈન નાખવામાં નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા ઉકેલાશે નહીં. અમે ઓનલાઈન અને રૂબરૂ ઘણી ફરિયાદો કરી છે, પણ કાયમી સોલ્યુશન આવતું નથી. ચોમાસામાં તો અમારે ઘર છોડી બીજે રહેવા જવું પડે છેઃ ગીતાબેનદિવાળીપુરા ગામની રંગ અવધૂત વસાહતમાં રહેતા ગીતાબેન વઢવાઈએ જણાવ્યું હતું કે, અમારે ચોમાસામાં તો અમારે ઘર છોડીને બીજે રહેવા જવું પડે છે. મારું ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય છે. ઘરનો બધો સામાન પલળી જાય છે અને ભારે નુકસાન થાય છે. ગત ચોમાસે તો અમારે એક મહિનો ઘરની બહાર રહેવું પડ્યું હતું. અધિકારીઓ અને નેતાઓ આવે છે પણ જોઈને જતા રહે છે, કોઈ નક્કર કામગીરી થતી નથી. કોઈ ઉકેલ આવતો જ નથી. જો તેઓ રૂબરૂમાં આવીને જુએ તો તેમને ખબર પડે કે અમે કેટલી તકલીફમાં જીવીએ છીએ. શાસનમાં કોઈપણ આવે અમારે અમારું કામ થવું જોઈએ- મુકેશ નાયકદિવાળીપુરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, સાહેબ, અહીં ઘણા સમયથી ગટર લાઈનની ગંભીર સમસ્યા છે. ગટરો ઉભરાવવાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વધી ગયો છે. આને લીધે વિસ્તારના ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને અમારે વારંવાર ડોક્ટર પાસે જવું પડે છે. અહીં વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જનરેટર અને પાઇપલાઇનો મૂકી રાખવામાં આવી છે, પરંતુ તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી. કોઈ જોવા પણ આવતું નથી. અમે વેરો ભરીએ છીએ, લાઈટ બિલ ભરીએ છીએ, છતાં અમને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. ચોમાસામાં અહીં ભુવા પડે છે, ખાડાઓ થાય છે અને લોકોના હાથ-પગ ભાંગે છે. જો કામ નહીં થાય તો અમારો મત આપવાનો કોઈ ઈરાદો નથી. કોઈ પણ સરકાર હોય ભાજપ કે કોંગ્રેસ અમને કામ જોઈએ છે. જનતાને અત્યારે બહુ તકલીફ છે. પ્રેશરથી પાણી ન મળતા પૈસા ખર્ચી ટેન્કર મંગાવવું પડે છે- વિભૂતિ પટેલદિવાળીપુરાની અનંત પાર્ક સોસાયટીમાં રહેતા વિભૂતિ પટેલે જણાવ્યું હતું કે, અમારી મુખ્ય સમસ્યા પાણીની છે. છેલ્લા ઘણા સમયથી અમને પૂરતું પાણી મળતું નથી. જ્યારે પણ પાણી આવે છે ત્યારે તેનું પ્રેશર એટલું ઓછું હોય છે કે ઘરકામ પણ માંડ પૂરું થાય. એમાંય ઉનાળામાં તો હાલત વધુ ખરાબ થઈ જાય છે. અમે ઘણી વાર રજૂઆતો કરી, પણ કોઈ સાંભળતું નથી. અમારે 600 રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવુ પડે છે. છેલ્લા દસ વર્ષથી પાણીની આ સમસ્યા છે. સાથે સાથે ગટર અને રસ્તાની પણ હાલત ખરાબ છે. અમે ટેક્સ ભરીએ છીએ, તો અમને સુવિધા કેમ નથી મળતી? કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆતો કરે છે પરંતુ કઈ રિઝલ્ટ મળ્યું નથી. 10 વખત કમ્પ્લેન કરીએ તો એકવાર આવે છે. અમારા વિસ્તારના કોર્પોરેટરને તો અમે ક્યારેય જોયા જ નથી. મારા વિસ્તારના ડેપ્યુટી મેયર છે, પણ અમે એમને ઓળખતા નથી. અહીંથી અમને ગદાપુરા વિસ્તારમાં પહોંચ્યા, જ્યાં લોકોના ઘરોમાં ગટર ઉભરાઈ રહી છે અને વુડાના મકાનમાં તો જીવવું દુષ્કર બની ગયું છે. અહીં ગટર લાઇનો ઉભરાઈ ગઈ છે અને પીવાનું પણ બહારથી લાવવું પડે છે. 'નેતાઓને 50 વાર રજૂઆત કરી પણ થઈ જશેના વાયદા જ આપે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા મહિલા રમીલાબેન માળીએ જણાવ્યું હતું કે, હું તો અહીં વર્ષોથી રહું છું. પહેલા પરિસ્થિતિ આવી નહોતી, પણ હવે તો હદ થઈ ગઈ છે. અમારી ગટર ઉભરાઈ જાય છે. કોર્પોરેશનમાં અને સ્થાનિક નેતાઓને 50 વખત રજૂઆત કરી છે. દરેક વખતે એ લોકો 'થઈ જશે, થઈ જશે' કહીને વાયદા આપે છે, પણ કામ કોઈ કરતું નથી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ કંઈ કામ કરવાની ના પાડે છે. કોર્પોરેશનના કર્મચારીઓ આવીને પૈસા લઈને કામ કરે છે. તેમ છતાં સરખું કરીને જતા નથી. 'ચૂંટણી આવે એટલે સાડી, પૈસા અને પોટલીઓ આપીને મત ખરીદી લે છે'ગદાપુરા વિસ્તારમાં રહેતા અમરસિંહભાઈએ જણાવ્યું હતું કે, અમે ઘણી વાર રજૂઆતો કરી છે. પણ વૉર્ડ વાળા એવું કહે છે કે આ તો તમારે લાગે છે, તમારે સાફ-સફાઈ કરવાની. હવે તમે જ કહો, અમે વેરો તો બધો જ ભરીએ છીએ, ગટર વેરો પણ ભરીએ છીએ, તો પછી સફાઈ અમારે કેમ કરવાની? તેઓ અમારી પાસેથી પૈસા લે છે પણ કામ નથી કરતા. સફાઈ કામદારો આવે છે ખરા, પણ ઉપર ઉપરથી જોઈને જતા રહે છે. તેઓ પૈસા માંગે છે, અને પૈસા આપ્યા પછી પણ બરાબર કામ નથી કરતા. મેં પોતે 60 વર્ષની ઉંમરે 15 ફૂટ ઊંડી ચેનલમાં ઉતરીને ગટર સાફ કરી છે. જે કામ સફાઈ કામદારો નથી કરી શકતા, તે મારે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓ તો માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે. ચૂંટણી નજીક આવે ત્યારે સાડીઓ, પૈસા અને પોટલીઓ આપીને મતો ખરીદી લે છે. ડેપ્યુટી મેયર ચિરાગભાઈ પણ આ વિસ્તારના છે, પણ તેઓ પણ કંઈ કરતા નથી. અમે અરજીઓ આપી આપીને થાકી ગયા છીએ, પણ બધું જ ઠપ્પ છે. કોઈ સાંભળવા તૈયાર નથી. અમે તો એટલું જ ઇચ્છીએ છીએ કે જે ગટર અને ગંદકીની સમસ્યા છે તેનું કાયમી નિરાકરણ આવે. ગરીબોને માત્ર 2000 રૂપિયા આપીને કે પેન્શન આપીને તમે તેમને ખરીદી ન શકો. અમને સુવિધાઓ જોઈએ છે, જેનો અમે વેરો ભરીએ છીએ. ગટરો એટલી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો- ભરત ભગતિયાગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા ભરતભાઈ ભગતિયાએ જણાવ્યું હતું કે, અમે વુડાના મકાનોમાં જ્યારથી અહીં રહીએ છીએ ત્યારથી જ આ ગંભીર સમસ્યાઓ છે. અહીં કોઈ જોવા પણ નથી આવતું. ગટરો એટલી બધી ભરાઈ જાય છે કે વાત જ ન પૂછો! પરિસ્થિતિ એટલી ખરાબ છે કે નાના છોકરાઓ બહાર રમવા પણ નથી નીકળી શકતા. તમે જોઈ શકો છો આ ગંદકી ચારેબાજુ ફેલાયેલી છે. પીવાનું પાણી તો આવે છે પણ તે સાવ ગટરવાળું જ હોય છે. અંદર ગટરનું પાણી ભળેલું આવે છે. અમારે રોજ બહારથી પાણી ભરી લાવવું પડે છે. અમે ભાથુજીના મંદિરેથી પાણી ભરી લાવીએ છીએ. બધું પાણી અમારે ઊંચકીને લાવવું પડે છે કોઈ નેતા કે અધિકારી આવતું નથી, કોઈ જોવા પણ તૈયાર નથી. અહીંના નેતા ચિરાગભાઈ (ડેપ્યુટી મેયર) છે. પણ તેઓ અહીં ક્યારેય દેખાતા નથી. જો કોઈ નેતા અહીં રહેતા હોય તો તેમને ખબર પડે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તમે આખા વિસ્તારમાં ફરીને જુઓ તો જ અંદાજ આવશે કે અહીં કેટલી ગંદકી અને સમસ્યાઓ છે. ગદાપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા રમીલાબેન જણાવ્યું હતું કે, અહીં સૌથી મોટી તકલીફ એ જ છે કે અમારા છોકરાઓને નિશાળે મૂકવા જઈએ ત્યારે રસ્તામાં બધે જ ગંદું પાણી ભરાઈ જાય છે. આ બધું જ પાણી ગંદું અને વાસ મારતું હોય છે. આ કાયમી સમસ્યા છે. ખાસ કરીને ચોમાસામાં તો એટલું બધું પાણી ભરાઈ જાય છે કે છેક ઘર સુધી આવી જાય. રસ્તાઓ કાદવ-કીચડથી ભરાઈ જાય છે. બાળકો બિચારા આટલા પાણીમાં કેવી રીતે ભણવા જાય? એટલે વારંવાર એમની રજાઓ પડી જાય છે. એમના સ્કૂલના ટીચર પણ અમને બોલે છે, પણ આમાં અમારો શું વાંક? ભણતર પણ બગડે છે અને બીમારીનો ડર પણ રહે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સમસ્યા જોવા માટે કોઈ જ નથી આવતું. કેટલીય વાર રજૂઆત કરી પણ કોઈ ફરક પડ્યો નથી. જ્યારે ચૂંટણી આવે અને મત લેવાના હોય ત્યારે બધા જ નેતાઓ અહીં આંટા મારશે, પણ પછી કોઈ ગરીબ લોકોની હાલત જોવા નથી આવતું કે અમને કેટલી તકલીફ પડે છે. અમારી એક જ માંગણી છે કે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને રસ્તાઓ સરખા કરવામાં આવે જેથી અમારા બાળકો સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે અને અમારે આવી ગંદકીમાં જીવવું ન પડે. આખા વિસ્તારમાં લોકો પાયાની સુવિધાના અભાવથી ત્રાહિમામ છે- પ્રતાપસિંહ ચાવડાવડોદરા કોંગ્રેસના વોર્ડ નંબર 11ના પ્રમુખ પ્રતાપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમારા વોર્ડના વિવિધ વિસ્તારો જેવા કે અંબિકાનગર વસાહત, રંગઅવધૂત વસાહત અને અનંત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ, ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ છે. ખાસ કરીને ચોમાસામાં તો આખા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. લોકો આ બધી પાયાની સુવિધાઓના અભાવે ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોનું કહેવું છે કે કોઈ પણ વહીવટદારો તેમની વાત સાંભળતા નથી. પાણી અને ગટરની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવતો નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંના લોકોના મતે તો તેમણે આ કોર્પોરેટરોને ક્યારેય જોયા જ નથી અને કોઈ તેમને ઓળખતું પણ નથી. લોકોમાં ભારે રોષ છે કે આટલા પ્રતિનિધિઓ હોવા છતાં તેમના પ્રશ્નો વણઉકેલ્યા છે. છેલ્લા 30 વર્ષના શાસન પછી પણ વડોદરામાં રસ્તાઓની હાલત દયનીય છે. ઠેર-ઠેર રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને પાયાની સુવિધાઓમાં કોઈ સુધારો થયો નથી. આખા વડોદરામાં અત્યારે આ જ પરિસ્થિતિ છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે- ચિરાગ બારોટવડોદરા વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 11 આમ તો પહેલેથી જ એક ડેવલપ થયેલો વિસ્તાર છે, કારણ કે તે અન્ય મહત્વના વોર્ડની વચ્ચે આવેલો છે. તેમ છતાં, છેલ્લા 5 વર્ષમાં અમે અહીં ઘણા મોટા કામો કર્યા છે. અમે વોર્ડમાં 24 મીટર અને 30 મીટરના નવા પહોળા રોડ બનાવ્યા છે. અત્યારે બે મોટા બ્રિજ બનાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. એક વાસણા બ્રિજ અને બીજો સનફાર્મા રોડ પર કેનાલ પાસે બ્રિજ બની રહ્યો છે. આ ઉપરાંત, સુભાનપુરામાં લોકોની સુવિધા માટે 10 કરોડના ખર્ચે નવું અતિથિગૃહ તૈયાર કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ અને જ્ઞાન માટે ઉત્કર્ષ સ્કૂલ પાસે 4 કરોડના ખર્ચે એક અદ્યતન લાઇબ્રેરી પણ બની રહી છે. આ રીતે રોડ-રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ માટે કરોડો રૂપિયાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ વિસ્તાર હોય ત્યાં સમસ્યાઓ સંપૂર્ણપણે ક્યારેય નાબૂદ થતી નથી, તે તો રહેવાની જ. પરંતુ અમારો મુખ્ય હેતુ તેના ઉકેલ માટે ઝડપથી કામ કરવાનો છે. અમે સતત કામગીરી કરી રહ્યા છીએ અને જ્યાં પણ આવી તકલીફો હશે ત્યાં હજુ પણ વધુ તીવ્રતાથી અને આયોજનબદ્ધ રીતે કામ કરીશું, જેથી લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:00 am

'ભારત દેશમાં રહીએ છીએ એ મોટો અપરાધ કર્યો છે':'કોણીએ ગોળ લગાવીને જતા રહે', ગુસ્સા સાથે વોર્ડ-13ના રહીશોની કમાન છટકી

નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ વખત મહેસાણા મનપાના 13 વોર્ડની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 13ના લોકોની સમસ્યા જાણવા દિવ્ય ભાસ્કર ટીમ ઋષિનગર અને રાણા વાસમાં પહોંચી હતી. જ્યાં રહીશો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો અને સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો. શહેરની દિવસ રાત સફાઈ કરતા સફાઈકર્મીઓ જે વોર્ડમાં રહે છે, એવા ઋષિનગર વિસ્તારમાં ભાસ્કરની ટીમ પહોંચી હતી. આ વિસ્તારમાં જ્યારથી પ્રજા વસવાટ કરે છે ત્યારથી આજ સુધી ન તો ગટર લાઈન આવી કે ન તો પાકા રસ્તા બનાવવામાં આવ્યા. મોટા ભાગના મકાનોમાં ખાર કુવા જોવા મળે છે. જે અવારનવાર ઉભરાઈ જતા ગટરના ગંદા પાણી લોકોના ઘરની આજુબાજુ ફેલાયેલા જોવા મળ્યા હતા. રાણાવાસમાં વીજળી અને રખડતા ઢોરની સમસ્યાસ્થાનિકોએ અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. તેમ છતાં આ વિસ્તારની સમસ્યા ઠેરના ઠેર રહી છે. થોડા સમય પહેલા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઈન નાખવામાં આવી હતી. પરંતુ તેમાંથી ઋષિનગર વિસ્તારને બાકાત રાખવામાં આવ્યો હતો. ત્યારે બાજુમાં અડીને આવેલા ગણેશ રેસિડેન્ટમાં ગટર લાઇન નાખવામાં આવી છે. બીજી બાજુ રાણા વાસમાં રખડતા ઢોર અને વીજળીની સમસ્યાથી રહીશો પરેશાન છે. અમે બહુ ત્રાસી ગયા છીએ:નરસિંહ વાઘેલાનરસિંહ વાઘેલાએ ભાસ્કરને જણાવ્યું હતું કે અમારે રોડનો અને ગટર લાઈનનો મોટો પ્રશ્ન છે. અમે વાલ્મિકી સમાજના છીએ આખા ગામની ગંદકી સાફ કરીયે છીએ. છતાંય અમારા પ્રશ્નને સરકાર હલ કરી નથી શકતી. અમને લાગે છે કે 'ભારત દેશમાં રહીએ છીએ એ મોટો અપરાધ કર્યો છે'. વર્ષ 2012થી અમે આ સમસ્યાને લઈ સંઘર્ષ કરી રહ્યા છીએ. અમે બહુ ત્રાસી ગયા છીએ. છેલ્લા 40 વર્ષથી અહીંયા વસવાટ કરીએ છીએ અને 110 ઘર આવેલા છે. દરેકના ઘરના ખાર કુવા ઉભરાય છે અને કુવા ખોદાવીને થાકી ગયા છીએ. 'અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ'નરસિંહભાઈએ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા વસવાટ કરતા લોકો કોર્પોરેશનના સફાઈ કર્મીઓ છે જે સાત આઠ હજારમાં નોકરી કરે છે. અમે ટેક્સ પણ ભરીયે છીએ અને આ બાબતે પાલિકામાં બુમો પાડી પાડી થાકી ગયા. 25 લોકો અરજી કરવા ગયા હતા. તેમ છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ. અમારે ચૂંટણીમાં વોટિંગ જ નથી કરવું. આ લોકોને વોટ આપી કરવાનું શુ? આખા મહેસાણામાં વિકાસ થાય છે પરંતુ ઋષિનગરનો કોઈ વિકાસ નથી સાહેબ. અહીંયા સમસ્યાના હલ માટે આવે છે, જોવે છે અને જતા રહે છે. અમને કોણીએ ગોળ લગાડે છે બસ. અમારી તો ક્યાંય ગણતરી જ નથી. ‘ખાર કૂવો ખાલી કરવા રુપિયા આપવા પડે’તરુણ કુમાર વાઘેલાએ જણાવ્યું હતું કે, અમારે ઘણા સમયથી ગટર લાઈનની સમસ્યા છે. ખાર કૂવો ખાલી કરાવવાના ટેન્કર વાળાને 1000-1000 રૂપિયા આપવા પડે છે. અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે આવા પૈસા આપી શકીએ. અમારી સોસાયટીમાં જે ગટર લાઇન આવી છે એ પુરી કરી આપે એવી માગ છે. સોસાયટીમાં રોડ રસ્તા પણ અધૂરા જ આવ્યા છે. અત્યાર સુધી અમારા વિસ્તારમાં કોઈ જોવા આવ્યું નથી. ‘આ વખતે વોટ આપવો જ નથી’સ્થાનિક મનીષાબેને જણાવ્યું કે અહીંયાના 90 ટકા લોકો સફાઈ વ્યવસ્થામાં જોડાયેલા છીએ. અમારા જ વિસ્તારનો પ્રશ્ન સાંભળવામાં આવતો નથી. ઋષિનગર સોસાયટીના લોકોએ એટલે કે અમે તો હવે વિચારી લીધું છે કે વોટ આપવો જ નથી. ‘નેતા વોટ લેવા આવે જોવા આવતા નથી’તો સ્થાનિક કે.બી.રાઠોડએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં ક્યારે કોઈ નેતા કે કોર્પોરેટર જોવા પણ આવતા નથી, વોટ લઈ જતા રહે છે. મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. ‘5 વર્ષમાં કોઈ વિકાસના કાર્યો થયા નહીં’સતીશ રાણાએ જણાવ્યું હતું કે, અમારા કસબા વિસ્તારમાં જે પાણીની ટાકી બની છે એ લીકેજ થઈ છે. ખારી નદીમાં ગંદા પાણી છોડવામાં આવે છે, આ બાબતે અરજી આપી છે પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. વર્ષ 2021માં જે ચાર કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા એ અમારા વિસ્તારમાં ક્યારેય જોવા આવ્યા નથી. પાંચ વર્ષ દરમિયાન અમારા વિસ્તારમાં કોઈ પણ વિકાસ થયો નથી. અમારા ટેક્ષના પૈસા પાણીમાં ગયા છે એવું લાગી રહ્યું છે. ‘અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ’પરમાર રજનીએ જણાવ્યું હતું કે રોડ બનાવ્યો છે પણ બાજુમાં બ્લોક નાખ્યા નથી. જેના કારણે પાણી ભરાઈ રહે છે અને મચ્છર બહુ આવે છે. નાના છોકરા રમતા હોઈ એમને બહુ તકલીફ પડે છે. રાણાવાસમાં 40 ઘર છે. એમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારું બહુ રહે છે. કોઈ વીજપોલ કે લાઈટની સુવિધા નથી. વધુમાં જણાવ્યું કે આ સમસ્યાનું નિરાકરણ લાવો ત્યારબાદ અમે વોટનું વિચારીશું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:00 am

તો હવે રાજુ બન ગયા જેન્ટલમેન?:ખેડૂત નેતાએ BJPનો ખેસ પહેરતા જ જુની સ્પીચ વાઇરલ; સરકારી ઓફિસમાં લાઈટ ગઈ, સાહેબોના પરસેવા છૂટ્યા

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:00 am

માલ્ટાના વડાપ્રધાનના પત્ની ગુજરાતી યુવાનને ભેટી પડ્યા:ચાલીને 20 દેશમાં ફરી 12 હજાર કિલોમીટર કાપશે, ઇટલીમાં ડ્રગ્સ એડિક્ટ પાછળ પડ્યાં ત્યારે શું થયું?

ભાવનગરનો એક ખેડૂત પુત્ર જે ક્યારેક CA બનવાના સપના જોતો હતો પણ હવે માલ્ટા નામના દેશથી ચાલીને નીકળ્યો છે અને દિલ્હી સુધી 12 હજાર કિલોમીટરનો રસ્તો કાપીને ઇતિહાસ રચશે. સાથે બેબી વોકર છે, ખભા પર 15 કિલો કચરો એકઠો કરી શકાય તેવી બેગ છે, મનમાં ક્લાયમેટ ચેન્જ સામે લડવાનો મક્કમ નિર્ધાર છે. આ યુવાન એટલે જયદીપ લાખણકિયા. કરિયર બનાવવા ગયેલા જયદીપ સાથે માલ્ટામાં એવું તો શું બન્યું જેના કારણે તેણે આ મિશન શરૂ કર્યું? ચાલીને દિલ્હી સુધી સફર કરવા પાછળનો તેનો ઉદ્દેશ શું છે? આખા દિવસનું શિડ્યુલ શું છે? કેવી-કેવી મુશ્કેલીઓનો સામનો કર્યો? જ્યારે ઇટલીની પોલીસે રોક્યો ત્યારે શું બન્યું હતું? આવા અનેક સવાલો અંગે તેણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી. જયદીપ જ્યારે માલ્ટા ગયો ત્યારે ગ્રીસમાં યોજાયેલી 26 દિવસીય કોન્ફરન્સમાં ગેસ્ટ અને પાર્ટિસિપન્ટ તરીકે જવાનો મોકો મળ્યો હતો. કોન્ફરન્સમાં ક્લાયમેટ ચેન્જ સહિતના ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. આ ચર્ચાએ જ જયદીપના મનમાં ક્લાયમેટ ચેન્જ વિશે જાગૃતિ લાવવા માલ્ટાથી ચાલીને ભારત આવવાના મિશનનો પાયો નાખ્યો હતો. હવે તે 18 મહિનામાં 20 દેશોની મુલાકાત લઇ 12 હજાર કિલોમીટરની સફર ખેડીને ભારતમાં તેની યાત્રા પૂર્ણ કરશે. 21મી ફેબ્રુઆરીએ મિશનની શરૂઆતમાલ્ટાના વડાપ્રધાન રોબર્ટ અબેલાના પત્ની લીડિયાએ 21મી ફેબ્રુઆરીએ જયદીપના મિશનની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન ભારતીય કોમ્યુનિટી અને ત્યાંના મોટા મોટા એથ્લિટ્સ પણ જોડાયા હતા. જે દિવસે જયદીપના મિશનની શરૂઆત થવાની હતી એ દિવસે સવારે વડાપ્રધાનના પત્નીએ જયદીપને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અમે તમારા ફ્લેગઓફમાં જોડાઇશું પણ બહું નહીં રોકાઇએ. જ્યારે તેઓ આવ્યા ત્યારે 45 મિનિટ સુધી ત્યાં રોકાયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્લાયમેટ ચેન્જ માટે આ પ્રકારની ઝુંબેશ પહેલીવાર થઇ રહી છે. આ માટે અમે ગર્વ અનુભવીએ છીએ કે તમે માલ્ટાને પસંદ કર્યું. જ્યારે પણ ઇતિહાસમાં નામ લેવાશે ત્યારે માલ્ટાને પણ લોકો યાદ કરશે. આટલું કહીને વડાપ્રધાનના પત્ની જયદીપને ભેટી પડ્યા હતા. બિલાડી સાથે ક્રૂરતા જોઇ આંસુ આવી ગયાજયદીપ જ્યારે ઇટલીના વીબો મરિના નામના શહેરમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે તેણે એક જગ્યાએ જાળીમાં બિલાડીને ફસાયેલી જોઇ હતી. જયદીપ જ્યારે તેને બચાવવા માટે ગયો ત્યારે તેને આંચકો લાગ્યો કેમ કે બિલાડી જાળીમાં ફસાઇ નહોતી પણ કોઇએ જાણી જોઇને ક્રૂરતાપૂર્વક તેને બાંધી દીધી હતી. જયદીપે બિલાડીને ત્યાંથી કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ રહ્યાં. જયદીપે સ્થાનિકોની મદદ લેવાની પણ કોશિષ કરી પણ ભાષાની સમસ્યા નડી. એક ટ્રક ડ્રાઇવર તેની મદદે આવ્યો અને તેની પાસે રહેલા પક્કડથી બિલાડીને છોડાવી તો લીધી પણ થોડી જ વારમાં તે તરફડીને મૃત્યુ પામી. આ ઘટનાથી જયદીપ રડી પડ્યો. જયદીપ ત્યાં 5 કલાક સુધી રોકાયો હતો અંતે તેણે મૃત બિલાડીને 17 કિલોમીટર દૂર લઇ જઇને સુરક્ષિત સ્થળે દફનાવી દીધી હતી. તેણે પોતાની 2 દિવંગત બહેનાના નામ પરથી આ બિલાડીનું નામ ક્રિતા પાડ્યું હતું. યાત્રા દરમિયાન જયદીપે તસવીરો કેટલીક તસવીરો પાડીને ભાસ્કરને મોકલી હતી. કેવી રીતે સફરની શરૂઆત થઇ?જયદીપે હાલમાં 42 દિવસથી વધુની સફર પૂરી કરી છે. તેણે પોતાના મિશન વિશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લાયમેટ ચેન્જ મોટો વિષય છે. મેં આ બાબતે ભણવાનું અને રિસર્ચ કરવાનું અને મોટા સાયન્ટિસ્ટને સાંભળવાનું શરૂ કર્યું. દરમિયાન એક શબ્દ મારી સામે આવ્યો ક્લાયમેટ ઇનજસ્ટિસ. એ પણ ધ્યાને આવ્યું કે ક્લાયમેટ ચેન્જમાં ભારતનો કોઇ ફાળો નથી છતાં ભારતીયોઓ જ વધુ ભોગવવાનું છે એટલે મેં નક્કી કર્યું કે માલ્ટામાં મારું કરિયર અને બધું છોડીને ભારત પાછો આવીશ. આ રીતે સફરની શરૂઆત કરી. યાત્રા પહેલાં અનેક ગડમથલ ચાલતી હતીયાત્રા શરૂ કરતાં પહેલાં જયદીપના મનમાં અનેક ગડમથલ ચાલતી હતી. તેણે જણાવ્યું કે, ભલે મને માલ્ટામાં સ્કોલરશિપ મળી હોય છતાં પાંચેક લાખ જેટલો ખર્ચો થયો હતો. સામાન્ય પરિવારમાંથી આવતો હોવાના કારણે સૌથી પહેલાં તો એ જ નક્કી કર્યું કે આ પાંચ લાખ રૂપિયા રિકવર કરવા પડશે કેમ કે હું મારા માતા-પિતાને પ્રેશર નહોતો આપવા માંગતો. 'બીજી સૌથી વધારે મથામણ જર્નીનો રૂટ નક્કી કરવાની હતી. આપણો દેશ સારો છે પણ આપણો પાસપોર્ટ એટલો સ્ટ્રોન્ગ નથી એટલે આટલા બધા દેશમાંથી વિઝા કેવી રીતે મેળવીશ તેની ચિંતા હતી.' 'માલ્ટાથી ભારતની આ સફરમાં એવી કોઇ કંપની પાસેથી હેલ્પ લેવા નહોતો માંગતો જે ક્લાયમેટને નુકસાન કરતી હોય એટલે પૈસા ક્યાંથી લાવવા એ પણ ચિંતા હતી. રૂટ ફાઇનલ થઇ ગયો પણ એ પછી પાછો એક પ્રશ્ન આવ્યો કે હવે સાયકલ સફર કરૂં કે ચાલતાં ચાલતાં કરું પણ પછી મેં ચાલતાં ચાલતાં જ સફર પૂર્ણ કરવાનું નક્કી કર્યું.' પદયાત્રાની અસર થશેજયદીપે ચાલીને જ યાત્રા કરવા પાછળનું કારણ જણાવ્યું. તેણે કહ્યું કે, ગાંધીજીએ પણ ક્રાંતિ લાવવા માટે પદયાત્રા કરી હતી. ઘણાં એવા સત્યાગ્રહો પદયાત્રા થકી થયાં હતા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા પણ હતા એ પછી તેની ઇમ્પેક્ટ પણ આવી હતી. જેથી મેં નક્કી કર્યું કે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે પણ હવે આ યાત્રા ચાલીને જ પૂરી કરવી છે. રસ્તામાંથી કચરો એકઠો કરી જાગૃતિ લાવેમાલ્ટાથી નીકળતી વખતે જીબેલ નામની એક NGOએ જયદીપને બેગ આપી હતી. જેમાં અંદાજે 15 કિલો સુધી કચરો એકઠો થઇ શકે છે. જયદીપ જ્યાંથી પસાર થાય ત્યાંથી કચરો ઉપાડે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવો પ્રયાસ કરે છે. 'મેં મારી સાથે ઓછા કપડાં અને ખાસ ટેન્ટ અને સ્લીપિંગ બેગ લીધી છે. થોડી ઘણી ખાવાની વસ્તુઓ લીધી છે. બાકી તો જે ખાવા મળે એ ખાઇ લેવાનું. બાકી ફ્રૂટ્સ તો મળી જાય છે.હું પાણી પીવા પર ખૂબ ભાર આપું છું, બાકી કોઇ ફિક્સ શિડ્યુલ નથી કેમ કે અહીંયા વાતાવરણ ખૂબ જ ખરાબ છે. એટલું તો નક્કી છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય મારે રોજનું એવરેજ 30 કિલોમીટર તો ચાલવાનું છે તેવો મેં ટાર્ગેટ બનાવ્યો છે.' ઇરાન-પાકિસ્તાન થઇને ભારત આવશેઆ રૂટ અને દેશોની પસંદગી કેવી રીતે કરી એ અંગે પૂછતાં તેણે કહ્યું, મેં જ્યારે આ રૂટ પસંદ કર્યો ત્યારે ઇરાનમાં યુદ્ધ નહોતું ચાલતું. એટલે મેં ઇરાનનો રૂટમાં સમાવેશ કર્યો હતો. આ રૂટ પરથી જઉં તો મારે બહું ફરવા નહોતું જવું પડતું. રૂટમાં મેં પાકિસ્તાનની પણ પસંદગી કરી છે પણ હાલમાં એ અંગે કંઇ વિચાર નથી કર્યો. પાકિસ્તાની એમ્બેસી સાથે વાત થઇ હતી. જેમાં તેમણે મને કહ્યું હતું કે જો તમે 18 દેશ સફળ પૂર્ણ કરશો તો પછી અમારી ઉપર પણ પ્રેશર બનશે અને અમારે તમને વિઝા આપવા પડશે. અમે 99.9% તો વિઝા આપીશું જ. આટલો લાંબો રસ્તો પાર કરવાનો છે ત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરનેટ ન પણ હોય. આવા સમયે રસ્તો ભટકી ન જવાય તે માટે જયદીપે પ્લાન B પણ તૈયાર રાખ્યો છે.તેણે કહ્યું કે, મેં માલ્ટાથી ભારત સુધીના બધા જ રૂટની PDF બનાવીને રાખી છે એટલે જે જગ્યાએ ઇન્ટરનેટ નહીં હોય ત્યાં પણ હું સરળતાથી મારા રૂટ પર ડેસ્ટિનેશન સુધી પહોંચી શકીશ. ઇટલીમાં પોલીસે રોકીને ફોટો પડાવ્યોઅત્યાર સુધીની યાત્રામાં જયદીપને સારા અને નરસા એમ બન્ને પ્રકારના અનુભવો થયા છે. આ અનુભવો તેણે શેર કર્યા.તેણે કહ્યું, ઇટલીમાં જ્યારે હું રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે મને ત્યાંની પોલીસે રોક્યો હતો. એ પછી મારી પાસે રહેલું એક બેનર પોલીસે જોયું તો તરત જ તેમણે મને કંઇપણ પૂછપરછ કર્યા વગર મારી સાથે ફોટો પડાવ્યો અને મારી પહેલને બિરદાવી હતી. આવું લગભગ પાંચેક વાર મારી સાથે બન્યું હતું. આજ સુધી ક્યારેય કોઇપણ પોલીસે મારો પાસપોર્ટ કે બીજા કોઇ ડોક્યુમેન્ટ ચેક નથી કર્યા. 'થોડા દિવસો પહેલાં વાતાવરણ ખૂબ જ ખરાબ હતું. રેડ એલર્ટ જાહેર કરાયું હતું એટલે કોઇ સુરક્ષિત જગ્યા નહોતી મળી. હું જે એરિયામાં હતો તે અવાવરું હતો. કેટલાક લોકો ત્યાં નશાની હાલતમાં પડ્યાં હતા તો કેટલાક ડ્રગ્સ એડિક્ટ હતા. અંધારું થવા લાગ્યું એટલે એ લોકોએ મારો પીછો કરવાનું શરૂ કર્યો. મને થોડો ડર લાગ્યો એટલે મેં ચાલવાની સ્પીડ વધારી. થોડા સમય પછી લાઇટવાળો વિસ્તાર આવ્યો એટલે થોડી હાશ થઇ. રહેવા માટે કંઇ નહોતું. મારી નજર એક ખંડેર ઘર પર પડી ત્યાં જઇને મારે રોકાણ કરવું પડ્યું કેમ કે ખૂબ પવન સાથે વરસાદ પડતો હતો.' માતાને ખબર પડી તો ભાવુક થઇ ગયાજ્યારે મારી માતાને ખબર પડી કે મારે આવી સ્થિતિમાં રોકાવું પડ્યું છે ત્યારે તેનો મને કોલ આવ્યો હતો. તે ખૂબ જ ઇમોશનલ થઇ ગયા કે તારે આવું બધું કરવાની ક્યાં જરૂર છે? પાછો આવી જા પણ ત્યારે મેં મારા સંકલ્પ વિશે વાત કરી અને કહ્યું કે હજુ આનાથી ખરાબ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે. જયદીપ પોતાની સાથે એક બેબી વોકર લઇને નીકળ્યો છે. જેનો પણ રસપ્રદ કિસ્સો છે. તેણે કહ્યું કે, હું જ્યારે આ બેબી વોકર લેવા ગયો ત્યારે ત્યાંના વેપારીએ મને પૂછ્યું કે તમે આ શેના માટે લઇ જાઓ છો. મેં તેને મારો ઉદ્દેશ્ય જણાવ્યો તો તેમણે મને એ વોકર ડોનેશનમાં આપી દીધું. અત્યાર સુધીમાં વોકરમાં 5 થી 6 વાર પંચર પડ્યું હતું. સદભાગ્યે દરેક વખતે ગેરેજ મળી જતું હતું પણ થોડા દિવસ પહેલાં જ્યારે પંચર પડ્યું ત્યારે મને ગેરેજ ન મળ્યું. મારે હજુ 15 કિલોમીટર ચાલવાનું હતું. આવા સમયે મારો પહાડી અનુભવ કામ લાગ્યો. મેં ટાયર ખોલીને તેમાં કચરો ભર્યો અને પાછું ફિટ કરી દીધું. એક યાત્રાએ દ્રષ્ટિકોણ બદલી નાખ્યોસ્કૂલથી માંડીને કોલેજના અભ્યાસ દરમિયાન જયદીપ ટોપર રહ્યો હતો. તેણે કોમર્સનો અભ્યાસ કરીને CAમાં જવાની તૈયારી કરી હતી પણ પછી તેણે તેને લાગ્યું કે મને CAમાં રસ નથી. આના પછી તેણે ટૂર એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો.તેણે કહ્યું કે, મારે રિયલ અને રૂરલ ઇન્ડિયા જોવું હતું. એ સમયે મારી ઉંમર 21 વર્ષની હતી. હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચાલતો પહોંચ્યો હતો. આ દરમિયાન હું નાના ગામડાંઓમાં જઇ નાના-નાના લોકોને મળીને ત્યાંની પરિસ્થિતિ જાણતો હતો. આ યાત્રાએ મારો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો. ‘જ્યારે કોઇ યુવાન કોલેજમાં આવે ત્યારે તેના સપનાં મોટા હોય છે કે એક સારું ઘર ખરીદવું છે, મોંઘી ગાડીમાં ફરવું છે, દુનિયા જોવી છે. આ ટ્રિપ પછી મને સમજાયું કે જિંદગી જીવવા માટે આટલી બધી જરૂરિયાત નથી. સાદી જિંદગી જ આપણાં માટે સારી છે એટલે મારા સપનાં પણ બદલાઇ ગયા હતા.’ અભ્યાસ માટે માલ્ટા ગયોજયદીપને ધીરે ધીરે સ્પોર્ટસ અને એડવેન્ચરમાં રસ વધતો ગયો. તેણે કહ્યું કે, મેં અમદાવાદની ઇન્વિન્સીબલ NGO જોઇન કરીને ટ્રેકિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે અંદાજે પાંચેક વર્ષ કામ કર્યું હતું. હું લોકોને એડવેન્ચર અને ટ્રેકિંગ કરાવતો હતો. એક સમય આવ્યો કે જ્યારે મને સામેથી માલ્ટા જવાની તક મળી અને એ પણ માત્ર પાંચેક લાખ રૂપિયા, એટલે હું ભણવા માટે માલ્ટા આવ્યો હતો. અંતે પરિવારને મનાવી જ લીધોપરિવારને આ મિશન માટે કેવી રીતે મનાવ્યો તેની વાત કરતા તે કહે છે કે, મેં પરિવારના સભ્યોને આ માટે સમજાવ્યાં કેમ કે દીકરો આવું કંઇ કરતો હોય ત્યારે સ્વાભાવિક છે કે પરિવારના સભ્યોને તેની ચિંતા થાય જ. માલ્ટામાં હું ખૂબ સારી રીતે રહે હતો જ્યારે આ સફરમાં ક્યાં રહીશ, ભોજનમાં શું મળશે તેનું કંઇ નક્કી નથી હોતું પણ અંતે મેં પરિવારને મનાવી લીધો અને તેમણે મને સંમતિ આપી. ક્લીન ભારતનું સપનુંમિશન પૂર્ણ કર્યા બાદ આગળ શું કરવું છે તે અંગે તેણે કહ્યું કે, આ મિશન પૂર્ણ થશે એ પછી હું મારા ગામડેથી ક્લાયમેટ ચેન્જ બાબતે એક ઝુંબેશ શરૂ કરવા માંગુ છું. હું આ અંગે બધાને જાગૃત કરવા માંગુ છું. હું લોકોને સમજાવીશ કે આપણે કચરો કેમ ન કરવો જોઇએ. મારે વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચવું છે કેમ કે તેમને સમજાવવા ખૂબ સરળ છે. જો એક વાર તે સમજી જશે તો એદાક દાયકા પછી ક્લીન ભારત જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 6:00 am

‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ હટાવાયા:અકોટા-તાજ હોટેલ રોડ પરથી 30 હોર્ડિંગ્સ-પાકા ઓટલા દૂર કરાયાં

પાલિકા દ્વારા શહેરના માર્ગોને મોકળા કરવા માટે ‘વન ડે વન રોડ’ અંતર્ગત દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં. 12માં અકોટા બ્રિજ ઉતરતા રામપુરાથી તાજ હોટેલ સુધીના માર્ગ પર 10 થી વધુ ઓટલાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. શહેરમાં વન વોર્ડ વન વોર્ડ અંતર્ગત પાલિકાની ટીમે અકોટા રોડ પર કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં દબાણ હટાવવાની કામગીરીમાં TDO વિભાગ, કોમર્શિયલ વિભાગ, એન્જિનિયરિંગ અને ગાર્ડન વિભાગની ટીમોએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું હતું. માર્ગની બંને બાજુએ નડતરરૂપ અંદાજે 15 થી 30 જેટલા હોર્ડિંગ બોર્ડ અને 8થી 10 જેટલા ગેરકાયદેસર ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. રોડ પર અડિંગો જમાવી ઉભેલી એક ફોર વ્હીલર કાર અને એક પાકું કેબિન પણ દૂર કરી 5 ટ્રક સામાન જપ્ત કરાયો હતો. અકોટા સાથે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, મેયર ગેટ પાસેના ફૂલના પથારા તેમજ સરદાર એસ્ટેટ અને તરસાલી બસ સ્ટેન્ડ પાસે પણ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:57 am

નવકાર મંત્ર દિવસ ઊજવાયો:નવકાર મંત્ર દિવસની 3 સ્થળે ઉજવણી, 16 હજાર જૈનોએ 17.28 લાખ જાપ કર્યા

જિતો દ્વારા વિશ્વ શાંતિના હેતુથી 3 સ્થળે નવકાર મંત્ર દિવસ ઊજવાયો હતો. આ પ્રસંગે આત્મીયધામ, માંજલપુરમાં ગચ્છાધિપતિ પદ્મશ્રી આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે નિશ્રા પ્રદાન કરી હતી. ત્રણેય સ્થળે મળી 17.28 લાખ જાપ કરાયા હતા. આત્મીય ધામમાં આયોજિત કાર્યક્રમમાં કન્વીનર પ્રશાંત શાહ અને જિતોના પ્રમુખ પોખરાજ દોશીએ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો. આ પ્રસંગે ગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસૂરીશ્વરજી મહારાજે માંગલિક વચન ફરમાવ્યા હતા. જ્યારે મોક્ષાનંદજી મહારાજે વલ્લભસૂરી મહારાજનો સંદેશ પાઠવી તમામ જૈનોને એક થવા હાકલ કરી હતી. ​સવારે લાભાર્થી પ્રકાશ શાહ પરિવાર દ્વારા નવકાર કુંભની શોભાયાત્રા કઢાઈ હતી અને સભા સ્થળે કુંભની સ્થાપના કરાઈ હતી. જિતોના વિમલ બોકડિયાએ કહ્યું કે, કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં નવકાર મંત્રનું આયોજન કરાયું હતું. વલ્લભસૂરી સમુદાયના તત્વદર્શન મહારાજે માંગલિક સંભળાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ​ બીજી તરફ સર સયાજીરાવ નગરગૃહમાં આચાર્ય આગમરત્ન મહારાજની નિશ્રામાં જાપ યોજાયા હતા, તેમ શંકર મહેતાએ જણાવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે કહ્યું કે, ત્રણેય સ્થળોએ મળી 16 હજારથી વધુ જૈન શ્રાવકો મહાજાપમાં જોડાયા હતા. પદ્મશ્રી એવોર્ડી જૈનાચાર્યનું આગમનગચ્છાધિપતિ આચાર્ય નિત્યાનંદસુરી મહારાજ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર પ્રથમ આચાર્ય છે. તેઓ 1800 કિમી વિહાર કરી પધાર્યા હતા. મંત્રનાં મૂલ્યો વિશે જાગૃતિ લવાશે​ચૈત્ર સુદ આઠમને નવકાર દિવસ જાહેર કરાયો છે. નવકાર મંત્ર એ માત્ર મંત્ર નથી, પણ પંચ પરમેષ્ઠી ભગવંતોને કરાતું નમસ્કારનું સૂત્ર છે. નવકાર દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં આ મંત્રનાં મૂલ્યો અને તેના પ્રભાવ વિશે જાગૃતિ લાવવાનો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:53 am

પાલિકાની ચૂંટણી:4 દિવસમાં 939 ઉમેદવારી ફોર્મનું વિતરણ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 11મી સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેમાં પાલિકાની ચૂંટણીમાં 19 વોર્ડમાં 4 દિવસમાં 939 ફોર્મનું વિતરણ થયું છે. જેમાંથી આમ આદમી પાર્ટીના 3, કોંગ્રેસના 3, ભાજપમાંથી 1 અને અપક્ષના ઉમેદવાર 1 મળીને 8 ઉમેદવારોએ ફોર્મ ભરી પરત કર્યાં છે. જ્યારે 4 દિવસમાં નગર પાલિકામાં 1657 ફોર્મ, જિલ્લા પંચાયતમાં 280 ફોર્મ અને તાલુકા પંચાયતમાં 950 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 11 એપ્રિલ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તેવામાં ભાજપ શહેરના ઉમેદવારોનું લિસ્ટ 10મીએ રોજ આવી શકે છે. જ્યારે શુક્ર-શનિવારે ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા માટે પહોંચશે. કલેક્ટર કચેરી સહિતનાં સ્થળો પર ઉમેદવારોની ભીડ જોવા મળશે. 9 એપ્રિલે કુલ 851 ફોર્મનું વિતરણ થયું ફોર્મ ભરનાર ઉમેદવાર વોર્ડ નંબર 19: તાલુકા પંચાયત:

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:48 am

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 મુક્ત પ્રતીકો જાહેર કરાયાં:ચૂંટણીમાં અપક્ષ માટે એસી,બેબી વોકર, ફૂગ્ગો, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 144 જેટલાં મુક્ત ચૂંટણી પ્રતીકો જાહેર કરાયાં છે. જેમાં એસી, બેબી વોકર, ફૂગ્ગો, બિસ્કિટ, બ્રેડ ટોસ્ટર, કોબી ફ્લાવર સહિત 144 પ્રતીકો અપક્ષ ઉમેદવાર મેળવી શકે છે. રાજકીય પક્ષોની નોંધણી ભારતના ચૂંટણી પંચમાં કરાય છે. જોકે જે તે પક્ષને મળેલી બેઠકો, વોટશેરના આધારે તેને માન્યતા અપાય છે. રાજ્ય કક્ષાના પક્ષ તરીકેની માન્યતા માટે વિધાનસભાની કુલ બેઠકોની 2 ટકા બેઠકો અથવા લઘુતમ 3 બેઠકો પર પક્ષના ઉમેદવારો વિજેતા થયા હોવા જોઇએ. એક લોકસભાની બેઠક મળેલી હોવી જોઇએ. છેલ્લી ચૂંટણીમાં માન્ય મતોના 8 ટકા મળેલા હોવા જોઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો માટે ચૂંટણી પ્રતીક અનામત રાખવામાં આવે છે. જ્યારે પક્ષ 40 સ્ટાર કેમ્પેનેર રાખી શકે છે, જેનો ખર્ચ ઉમેદવારને બદલે પક્ષના ખાતામાં નોંધવામાં આવે છે. બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવાં મુક્ત પ્રતીકો માટે ડ્રો કરાતો હતોગુજરાતમાં એક સમય હતો કે, બેટ, ઊગતો સૂરજ, ખેડૂત જેવા મુક્ત પ્રતીકોની ઉમેદવારોમાં માગ રહેતી હતી. આવાં પ્રતીકોના ડ્રો કરાતા હતા. જોકે હવે આવાં પ્રતીકો અનામત થઇ ગયાં છે અથવા યાદીમાંથી દૂર કરવામાં આવ્યાં છે. ઘર-રસોડાની વસ્તુનાં 14, સાધનો-વેપારને લગતાં 18 પ્રતીકોનો સમાવેશપ્રતીકોમાં ઘર અને રસોડાને લગતી વસ્તુઓનાં 14 પ્રતીકો, સાધનો અને વેપારને લગતાં 18 પ્રતીકો, ખાદ્ય અને ખેતીને લગતાં 14 પ્રતીકો, વીજળી ઉપકરણો 13, રમત-ગમતનાં 10 અને વાહનોને લગતાં 8 પ્રતીકો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:44 am

રોડ સેફ્ટી માટે 6 મુદ્દાનો એજન્ડા:ગોલ્ડન સહિતની 4 ચોકડીનાં દબાણનો સફાયો થશે

ગોલ્ડન ચોકડી, આજવા-વાઘોડિયા ચોકડી સહિતની ચોકડીની આસપાસનાં દબાણોનો સફાયો થાય તેવી શક્યતા છે. એનએચ-48 સહિતના રસ્તા પર માર્ગ સલામતી માટે પોલીસ કમિશનર કચેરી, એનએચએઆઇ અને અન્ય રોડ સેફ્ટી એક્સપર્ટ્સની માર્ગ સલામતી બેઠક બુધવારે યોજાઇ હતી. જેમાં વડોદરાની આસપાસના 7 બ્લેક સ્પોટ સહિતના માર્ગ સલામતી વિશેના 6 મુખ્ય મુદ્દાની ચર્ચા કરાઇ હતી. એસટીને બસ સ્ટોપ નક્કી કરવા સૂચના, વૃક્ષોની ટ્રિમિંગ કરાશે, રખડતાં ઢોર દૂર કરાશે દબાણ હટાવવા માટે 3 સત્તામંડળે જોડાવું પડશેએનએચએઆઇ નહીં અન્ય સત્તામંડળે પણ દબાણ દૂર કરવા જોડાવું પડશે. આજવા ચોકડી પર શહેર તરફથી બ્રિજ પહેલાંનો ભાગ પાલિકાનો અને ચોકડી નીચે અને રોડ એનએચએએઆઇ અને ચોકડી બાદ આજવા તરફનો રોડ આરએન્ડબીનો છે. દબાણ હટાવવા તમામે કાર્યવાહી કરવી પડશે. મ. પોલીસ કમિશનર જગદીશ વસાવાએ કહ્યું કે, ગોલ્ડન, આજવા, જાંબુઆ બ્રિજ સહિત 7 બ્લેક સ્પોટ ઓળખ્યા છે. દેણા-કોટાલી નજીકનો કટ બ્લેક સ્પોટમાંથી દૂર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:43 am

પાર્લામેન્ટરી બોર્ડની ધારાસભ્યોને તાકીદ:‘તમારી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી ગુપ્તતા રાખજો નહીં તો તે પણ કપાઈ જશે’

ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના દાવેદારોની ચર્ચા કરી અંતિમ યાદી તૈયાર કરાઇ છે. જે યાદી શુક્રવારે સવારે જાહેર કરાશે. બોર્ડની બેઠકમાં પ્રદેશ મોવડી તરફથી ધારાસભ્યોને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે, તમે આપેલી યાદીમાંથી નામ આવે તે જરૂરી નથી, પણ ગુપ્તતા જાળવજો. યાદી જાહેર થવાની દિવસભર ચાલેલી ચર્ચા પર સાંજે પૂર્ણવિરામ મુકાયું હતું. ગાંધીનગરમાં સવારથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં અમદાવાદ, સુરત, વડોદરા સહિત પાલિકાના દાવેદારોની યાદી પર ચર્ચા થઈ હતી. જેમાં સાંસદ, મંત્રી, વિધાનસભાના મુખ્ય દંડક, ધારાસભ્યો અને નિરીક્ષકોની હાજરી હતી. બપોરે 1 વાગે શરૂ થયેલી બેઠક દોઢ કલાક ચાલી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ બેઠકમાં હાજર ધારાસભ્યોને ગુપ્તતા જાળવવા સ્પષ્ટ સૂચના આપી હતી. આધારભૂત સૂત્રો મુજબ ધારાસભ્યોને કહેવાયું છે કે, તમે જે યાદી મૂકી છે તેમાંથી નામ આવે પણ ખરા કે ના પણ આવે. માહિતી લીક થશે તો નામ કપાઈ શકે તેવી ગર્ભિત ચીમકી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉમેદવારોનાં ફોર્મ ભરવા ભાજપમાં 10 નોટરી-10 ટાઇપિસ્ટ સહિત 50 વકીલોની ફોજ તૈયારઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ફોર્મ ભરવા દોડાદોડ થાય છે. ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવા વકીલોની ફોજ તૈયાર કરી છે. ધારાશાસ્ત્રી નેહલ સુતરિયાએ કહ્યું કે, ફોર્મ ભરવા શુક્રવારે કાર્યાલયમાં 50થી વધુ વકીલોની ફોજ તૈયાર છે. 10 નોટરી, 10 ટાઇપિસ્ટ, બેથી ત્રણ સ્ટેમ્પ વેન્ડર તૈયાર રખાયા છે. અંદાજ મુજબ 1 ફોર્મ ભરી અને તેને પૂર્ણ કરી રવાના કરતાં 30 મિનિટથી એક કલાકનો સમય થાય છે. બળવાખોરી ડામવા ભાજપ-કોંગ્રેસે ગુરુવારે યાદી જાહેર ન કરી!જાણકારોના મતે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો ગુરુવારે સાંજે યાદી જાહેર કરે તેવી શક્યતા હતી. જોકે યાદી જાહેર થાય તો જેમનાં નામ કપાયાં છે તેઓ અપક્ષ ઉમેદવારી કરી શકે તેવી શક્યતાઓ હતી. બળવાખોરીને ખાળવા માટે બંને પક્ષે યાદી જાહેર કરી નથી. બીજી તરફ ભાજપમાં 4 વોર્ડમાં કોકડું ગૂંચવાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘરમાં શૌચાલય હોવાના દાખલા માટે લાઈનો લાગીફોર્મ ભરવા માટે ઘરનો વેરો ભરેલો હોય તેની પાવતી, શૌચાલયનો દાખલો અને સોગંદનામાની જરૂર પડે છે. જેથી 19 વોર્ડમાં શૌચાલયનો દાખલો લેવા દાવેદારોની લાંબી લાઈનો લાગી હતી. ચૂંટણી શાખામાંથી મતદાર યાદીમાં હોવા અંગેનાં 1500 પ્રમાણપત્ર ઇશ્યૂ કર્યા છે. કાઉન્સિલરે દિવસભર એકબીજાને ફોન કર્યા, તમને કોઈ કોલ આવ્યો? પ્રદેશમાંથી ફોન આવ્યાનાં પડીકાં સવારથી વહેતાં થયાં હતાં. પશ્ચિમ વિસ્તારના વોર્ડ પ્રમુખને તૈયારી કરવા કહ્યું હોવાની વાતો વહેતી થઈ હતી. જ્યારે દક્ષિણ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરે દસ્તાવેજોની તૈયારી શરૂ કરતાં અન્યના ફોન ગયા હતા. સુરેન્દ્રનગર-અરવલ્લીની યાદી જાહેર થતાં દાવેદારોમાં ઉત્સુકતા વધી ગઈયાદી માટે ઉમેદવારોમાં આતુરતા જોવા મળી હતી. સાંજે સુરેન્દ્રનગર અને અરવલ્લીમાં યાદી જાહેર થતાં શહેરના પૂર્વ કાઉન્સિલરો અને દાવેદારોએ યાદી માટે પ્રદેશ અને શહેરના નેતાઓને ફોન કરી પૃચ્છા કરી કે, યાદી જાહેર થઈ ગઈ?

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:40 am

સિટી એન્કર:KYC માટે બેંકોના ધક્કા ખાવા નહીં પડે,સીકેવાયસી પોર્ટલમાં દસ્તાવેજ અપલોડ કરતાં 14 આંકડાનો નંબર મળશે, જેનાથી કેવાયસી થઈ જશે

બેંક સહિત નાણાકીય સંસ્થામાં વારંવાર કેવાયસીની પ્રક્રિયા લોકો માટે માથાના દુખાવા સમાન બનતી હોય છે. જોકે હવે જીવનભર કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. સરકારે સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી સિસ્ટમ લાગુ કરી છે. સીકેવાયસી પોર્ટલ પર કેવાયસીમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. તે પછી રજિસ્ટર મોબાઈલ નંબર કે ઈ-મેલ આઈડી પર 14 નંબરનો આંકડો મળશે. જે આપતાં જ કેવાયસી થઈ જશે. આ સિસ્ટમ પેન્શનરો, પીએફના ખાતાધારકો માટે રાહતરૂપ છે. ગુજરાતની કન્વીનર બેંક અને પ્રધાન કાર્યાલય બેંક ઓફ બરોડાએ CERSAI સાથે મળી 2 એપ્રિલે વડોદરામાં સેન્ટ્રલ કેવાયસી રેકોર્ડ્સ રજિસ્ટ્રી (CKYCRR) જાગૃતિ સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં 150 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરવા પડશે 1. CKYC પોર્ટલ પર પોતાના KYC દસ્તાવેજોની નોંધણી કરાવી તેને અપલોડ કરવાના રહે છે. 2. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 આંકડાનો CKYC નંબર જનરેટ થાય છે. 3. આ નંબરની જાણ ગ્રાહકને મોબાઈલ પર SMS અને ઈ-મેલ દ્વારા કરવામાં આવે છે. 4. આ નંબરનો ઉપયોગ નાણાકીય સંસ્થામાં કરી શકાય છે, જેથી વારંવાર દસ્તાવેજો આપવા નહીં પડે. જીવનભર દસ્તાવેજો આપવાની જરૂર નહીં રહેસીકેવાયસી હેઠળ 14 આંકનો નંબર આપ્યા બાદ બેંક કે નાણાકીય સંસ્થામાં કેવાયસી માટે દસ્તાવેજો આપવાની જરૂર નથી. 14 આંકડાનો નંબર આપતાં કેવાયસી થઈ જશે. ધારો કે તમે આધારકાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું, તો કોઈ પણ બેંકમાં અપડેટ કરાવશો તો સીકેવાયસીમાં અપડેટ થઈ જશે. > લોકેશ ગુપ્તા, ચીફ મેનેજર, બેંક ઓફ બરોડા કેવાયસી ન કરાવો તો શું અસર થશે?

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:36 am

કાર્યવાહી:જામનગરમાં રૂ.60 લાખના ચીટીંગમાં આપ સૌરાષ્ટ્ર પ્રભારી સહિત બેની ધરપકડ

જામનગર શહેરના બ્રાસપાર્ટના વેપારીના જીએસટી એકાઉન્ટમાં રૂ.60 લાખ ભરવા માટે મેળવી લઈને આપના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી સહિત બે શખસોએ ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જામનગરના રાજકિય વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે. શહેરના રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરીનં-11માં રહેતા ભાવેશભાઈ અમૃતભાઈ પરસોત્તમભાઈ તરાવિયા (ઉ.વ.37) નામના વેપારી શ્રી કલ્પ એન્ટરપ્રાઈ નામની બ્રાસ સ્ક્રેપની પેઢી ચલાવે છે. વેપારીને વર્ષ 2025માં જીએસટી વિભાગ દ્વારા નોટીસ મળી હતી. તેઓનું જીએસટી એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ હોવાથી ફરી પોતાનું જીએસટી એકાઉન્ટ ચાલુ કરવા માટે જગદિશભાઈ રમેશભાઈ રામોલીયાનો સંપર્ક કર્યો હતો. આરોપી જગદીશ રામોલિયાએ આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રના પ્રભારી પ્રકાશભાઈ ધીરૂભાઈ દોંગાને વકીલ તરીકે વેપારી સાથે મળાવ્યા હતા. જેથી વેપારીએ તેઓ ઉપર વિશ્વાસ મુકીને વર્ષ 2025ના ઓકટોબર માસના 17 તારીખે રૂ.60 લાખ જીએસટી એકાઉન્ટમાં ભરવા માટે આપ્યાહતા. જીએસટી એકાઉન્ટ બંધ થયેલ હોય તે ચાલુ કરાવવા સહિતની કામગીરી માટે ફી પણ ચુકવવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓએ રૂપિયા વેપારીના જીએસટી એકાઉન્ટમાં નહીં ભરી પોતાના અંગત ઉપયોગમાં લઈ ઓળવી ગયા હતા. આજદીન સુધી રૂપિયા પણ પરત ન આપતા વેપારીએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગેની પીઆઈ જે.વી.રાઠોડએ તપાસ હાથ ધરી છે અને જગદીશ રામોલીયા અને પ્રકાશ દોંગાની ધરપકડ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

જાહેરનામુ:શૈક્ષણિક, ધાર્મિક સ્થળની આસપાસ ચૂંટણી કાર્યાલય ખોલવા પર પ્રતિબંધ

જામનગર મહાનગરપાલિકા, સિક્કા નગરપાલિકા તથા જામનગર જિલ્લા પંચાયત તેમજ જામનગર જિલ્લાની કુલ 6 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.26/04/2026ને રવિવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/ હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આદેશમાં જણાવ્યા મુજબ ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી 200 મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થળ કે તેના પરિસરની લગોલગ ખોલવા માટે પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આદેશનું પાલન થાય તે રીતે ખોલવામાં આવેલા ચૂંટણી કાર્યાલયમાં પાર્ટી સિમ્બોલ/ ફોટોગ્રાફ વાળા ફકત એક જ પાર્ટી ફલેગ અને બેનર લગાવી શકાશે. કોઈપણ જાહેર કે ખાનગી મિલકતમાં અનધિકૃત કબજો/દબાણ કરીને ચૂંટણી કાર્યાલય ખોલી શકાશે નહી. સ્થાનિક સતા મંડળના જે કોઈ નિયંત્રણો લાગુ પડતા હશે તેનું પાલન કરવાનું રહેશે. ચૂંટણીના સંદર્ભમાં અમલમાં રહેલી આદર્શ આચાર સંહિતા અને ખર્ચ સબંધી નિયંત્રણોનું પાલન થાય તે જોવાનું રહેશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ આદેશમાં જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

અકસ્માત:તાલાળી- સનાળી રસ્તા પર હિટ એન્ડ રનમાં સુરતના યુવાનનું મોત

તાલાળી ગામથી સનાળી ગામે જવાના રોડ પર થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં સુરત નિવાસી એક યુવાનનું મોત થતાં વિસ્તારમાં શોક છવાયો છે. બનાવ અંગે વાડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો છે. ગઈ કાલે સાંજના આશરે આઠ વાગ્યાના સમયે સુરત પંચામૃત સોસાયટી ખાતે રહેતા નયનભાઈ શંભુભાઈ ગોળકિયા (ઉ.વ.34)ના ભાઈ GJ-05-PB-7598 નંબરનું બાઇક લઈને સણોસરા ગામેથી સનાળી તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન તાલાળીથી સનાળી જવાના રસ્તે, સનાળી ગામની હદ નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જી ફરાર થઈ ગયો છે. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે ફરિયાદના આધારે વાડિયા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ફરિયાદ:રાજુલાની યુવતીએ સાસરિયા સામે દહેજ માટે ત્રાસ આપ્યાની રાવ કરી

રાજુલાની એક યુવતીને તેના પતિ અને સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવારનવાર દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપતા પતિ સહિત 5 સામે ગુન્હો નોંધાયો છે. હાલ રાજુલાના ફ્રેન્ડ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્રિષ્નાબેન ગૌરાંગભાઈ મકવાણા (ઉ.વ.30) એ પોતાના પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા સહિત સાસરીયા પક્ષના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. કે, તેઓના લગ્ન બાદ તા.17 માર્ચ 2025થી તા.7 જૂન દરમિયાન અમદાવાદ નિર્ણયનગર વિસ્તારમાં આવેલી માધવબાગ સોસાયટી તથા રાજુલા ખાતે રહેતી વખતે પતિ, સાસુ, સસરા, નણંદ અને દિયર દ્વારા દહેજ માટે અવારનવાર માંગણી કરવામાં આવતી હતી. દહેજ ન લાવવાના મુદ્દે સાસરિયા પક્ષ દ્વારા ક્રિષ્નાબેનને મારપીટ કરવામાં આવતી, અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી તેમજ વારંવાર મેણા-ટોણા મારી માનસિક અને શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. આ સમગ્ર મામલે પતિ ગૌરાંગ નરસિંહભાઈ મકવાણા, હંસાબેન નરસિંહભાઈ મકવાણા, ચેતનાબેન જયેશકુમાર ટાંક, મયુર નરસિંહભાઈ મકવાણા અને નરસિંહ ભગવાનભાઈ મકવાણા સામે ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ધરપકડ:યુવકનો બિભત્સ વીડિયો ઉતારી 5 લાખની ખંડણી માંગનાર મહિલા સહિત ત્રણ શખ્સ ઝડપાઇ ગયા

જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી 5 શખ્સોએ તેનો બિભત્સ વિડીયો ઉતારી મારમારી રોકડ તથા મોબાઈલની લૂંટ કરી પાંચ લાખની ખંડણી માંગવાના કેસમાં પોલીસે મહિલા સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ખંડણી અને લૂંટ અંગેની ફરિયાદ ગઈકાલે રાજુલા પોલીસ મથકમાં નોંધાઈ હતી. વારાસ્વરૂપ ગામના યુવકને રાજુલાના હિંડોરણા નજીક બાવળની કાંટમાં બોલાવી 5 શખ્સોએ આ કૃત્ય આચર્યું હતું. રાજુલાની સમીનાબેન સબીરભાઈ સેલોત, જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને હિંડોરણાના કરણ દંતુભાઈ પટાટ સહિત પાંચ શખ્સોએ આ યુવકને અવાવરૂ જગ્યાએ બોલાવી ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં મહિલા સાથેનો તેનો વિડીયો ઉતારી ધમકી આપી 1950ની રોકડ અને મોબાઈલની લૂંટ કરી હતી. ઉપરાંત 5 લાખની ખંડણી પણ માંગી હતી. રાજુલાના પીઆઈ વી.એમ.કોલાદરા તથા સ્ટાફે આજે આ બારામાં સમીના ઉપરાંત કરણ અને જીતેન્દ્રની ધરપકડ કરી હતી. તેની પાસેથી રોકડ, પાંચ મોબાઈલ અને બાઈક મળી રૂપિયા 77,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

કામગીરી:દોલતી ગામમાં જાગૃત નાગરિકે 10 વીઘા ગૌચરની જમીન ખુલ્લી કરાવી

સાવરકુંડલા તાલુકાનાં દોલતી ગામમાં ગૌચરની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દોલતી ગામની દસ વીઘા જમીન ઉપર દબાણ ખુલ્લુ કરવા જાગૃત નાગરિકે રજુઆત કરી હતી. જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે 10 વીઘા ગૌચર જમીન ખુલી કરાવેલ છે. દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાદુએ સરકારમાં રજૂઆત કરતા દોલતી ગામના સરપંચ કાળુભાઈ વાઘમશી, પંચાયતના સભ્ય નરસિંહભાઈ કાછડ, ભરતભાઈ બલદાણીયા, દાદાભાઈ ચાંદુ તેમજ દોલતી ગામના આગેવાનોએ રમેશભાઈ અને તેમના બે ભાઈઓ પાસેથી 10 વીઘા ગૌચરણ જમીન ખાલી કરી આપેલ હતી. સાવરકુંડલા તાલુકાના દોલતી ગામના જાગૃત નાગરિક શૈલેષભાઈ નાથાભાઈ ચાંદુ દ્વારા આર.ટી.આઈ. કરવામાં આવેલ હતી. તેમાં હજુ દોલતી ગામના 42 જેટલાં દબાણો ગૌચરમાં કરવામાં આવેલ છે. આગામી સમયમાં પંચાયત દ્વારા તમામ દબાણો દુર કરવામા આવશે તેમ જાણવા મળેલ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ગેસ ધારકોની હાલત કફોડી:સાવરકુંડલામાં ગેસ સિલિન્ડર મેળવવા સવારે 6 વાગ્યેથી લોકોની લાઈનો લાગી

સાવરકુંડલા શહેરના દેવળા ઝાંપા વિસ્તારમાં આવેલી ઈન્ડેન ગેસ એજન્સીમાં હાલ ગેસ ધારકોની હાલત કફોડી બની છે. છેલ્લા ઘણા સમયથી અહીં ગ્રાહકોની સમસ્યાઓ અને વ્યથા સાંભળનાર કોઈ નથી જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હિરાણી અને સંયોજક બિપીનભાઈ પાંઘી તથા ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યો વહેલી સવારે સ્થળ પરની રૂબરૂ મુલાકાત લેતાં ગ્રાહકોની સમસ્યા, વ્યથા અને હાલાકી જોવા મળી હતી. વહેલી સવારથી જ ગેસ ધારકો પોતાનું કામ ધંધો તથા દુકાનો બંધ રાખીને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહે છે. કલાકોની પ્રતીક્ષા બાદ પણ ઘણીવાર સર્વર ડાઉન હોવાના બહાના અથવા સ્ટોક પૂરો થઈ ગયા હોવાનું કહી ગ્રાહકોને પરત મોકલવામાં આવે છે. અમુક ગ્રાહકો તો ચાર પાંચ દિવસથી ધક્કા ખાય છે અને છેલ્લે સિલિન્ડર વગર પરત ફરે છે. ઘણી બધી મહિલાઓ રસોડામાં ગેસનો બાટલો પૂરો થઈ ગયો હોવાથી ચૂલા દ્વારા રસોઈ કરવા માટે મજબૂર થઈ રહ્યા છે. ઘણા બધા લોકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન થયેલ અને ઓટીપી આવી જવા છતાં ગેસ એજન્સીએ પહોંચે ત્યારે રસોઈ ગેસના સિલિન્ડર ખલાસ છે એવો જવાબ પણ મળે છે. સાવરકુંડલામાં ભાઈઓ અને બહેનો વહેલી સવારે આવીને ઈન્ડેન ગેસની ઓફિસે આવી જાય છે છતાં ગેસ સિલિન્ડર મેળવવામાં નિષ્ફળ રહે છે. વૃદ્ધો અને મહિલાઓને કાળઝાળ ગરમીમાં ઊભા રહેવું પડે છે જે તેમની વ્યથામાં વધારો કરે છે. ગ્રાહકોના સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

સારવાર:અમરેલી તાલુકાના બાળકને હૃદયનું‎વિનામૂલ્યે ઓપરેશન કરી અપાયું‎

રાજ્ય સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકો માટે આરોગ્ય તપાસ અને જરૂરી સારવાર સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાના ભાગરૂપે અમરેલી તાલુકામાં એક બાળકે હૃદયરોગની સારવાર મેળવી સફળ ઓપરેશન કરાવ્યું છે. અમરેલી તાલુકાની RBSK ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન બાળકની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હૃદય સંબંધિત સમસ્યા હોવાનું જણાતા એક બાળકને વધુ સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર.એમ. જોષી, RCHO ડૉ. સિંઘ અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. જાટના માર્ગદર્શન હેઠળ RBSK ટીમના ડૉ. વસીમ ભટ્ટી, ડૉ. સુનેહરા કુરેશી, ઉર્વશી સોલંકી અને દર્શના ગરેજા દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી બાળકને સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. જેનું તા. 26 જુલાઈ 2025ના રોજ હૃદયનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ બાળક સ્વસ્થ છે અને નિયમિત ફોલોઅપ કરવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

અકસ્માત:લીલીયામાં સનાળીયાના રસ્તા પર અન્ય રિક્ષાનું મીલર ભટકાતા છકડો રિક્ષા પલ્ટી મારી: 1નું મોત

લીલીયાના સનાળીયા માર્ગ પર છકડો રીક્ષાનો અક્સ્માત થયો હતો. અહીં અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર છકડો રીક્ષા સાથે ભટકાતા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. લીલીયાથી ખારા ગામ જતી છકડો રીક્ષા સાથે અન્ય રીક્ષામાં લગાવવામાં આવેલ મીલર અથડાવાથી અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષામાં 8 મુસાફરો સવાર હતા. રીક્ષા પલ્ટી મારી ખાળીયામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ખારા ગામના દેવાભાઈ કાનાભાઈ બતાડા (ઉ.વ.60) નું મોત થયું હતું. જ્યારે ખારાના દેવુંબેન અરવિંદભાઈ પરમાર (ઉ.વ.16), યસ્વી મનુભાઈ ગોંડલિયા (ઉ.વ.15) અને પુનાભાઈ શવશીભાઈ માણસુરીયા (ઉ.વ.70)ને ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ભયનો માહોલ:મિતિયાળા ગામ 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ધ્રુજ્યું : રાત્રે વધુ 7 વખત કંપન

સાવરકુંડલા તાલુકાના વીરકાથાના મિતિયાળા પંથકમાં ધરતીના પેટાળમાં 10 કિ.મી ની ઊંડાઈ પર સતત હલચલ થઈ રહી છે જેને પગલે ભૂકંપના હળવા આંચકા આવી રહ્યા છે એક પખવાડિયા દરમિયાન બે વખત ભૂકંપ આવ્યા હતા ત્યારબાદ ગઈકાલથી ફરી એકવાર હળવા ભૂકંપનો ચાલુ થયો છે. ગઈકાલ રાતથી આજે સવાર દરમિયાન ભૂકંપના સાત આંચકા અનુભવાયા હતા ગઈકાલે પણ રાતના સમયે સાત આંચકા અનુભવાયા હતા આમ અહીં માત્ર 30 કલાકના ગાળામાં 14 વખત ધરતીકંપ આવ્યો હતો જો કે દરેક વખતે ધરતી કંપની માત્રા હળવી જોવા મળી હતી. રાત્રે 1:14 મીનીટે 3ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો આવ્યો હતો. બાદમાં રાત્રે 1.37 મીનીટ 1.1 ની તિવ્રતાનો, સવારે 8.58 મીનીટે આવ્યો 1.5 ની તિવ્રતાનો આંચકો આવ્યો હતો મીતીયાળા સાથે ભાડ, વાંકિયા, ધજડી, સાકરપરા, ઈંગોરાળા સહિતના ગામોમાં આંચકાનો અનુભવ થયો હતો. ગાંધીનગર સિસમોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ આપી હતી. મકાનોમાં તિરાડો પડવા માંડી !મીતીયાળામાં સતત આવી રહેલા ધરતીકંપના કારણે કેટલાક મકાનોમાં તિરાડો પણ પડી રહી હોવાનું સ્થાનિક ગામ લોકો જણાવી રહ્યા છે. જોકે અહીં મોટી તીવ્રતાના આંચકા આવતા ન હોય કોઈ મોટું નુકસાન થઈ રહ્યું નથી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

કાર્યવાહી:જાફરાબાદમાંથી શંકાસ્પદ પશુનું 16 કિલો માંસ ઝડપાયું

જાફરાબાદ ખાતે લાઈટ હાઉસ રોડ પર આવેલી ફિશરીઝ ઓફિસની સામે શંકાસ્પદ પશુનું માંસ મળી આવતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઈકાલે સવારે અંદાજે 11:45 કલાકે ફિશરીઝ ઓફિસ સામે એક એક્ટીવા સ્કૂટરમાંથી આશરે 16 કિલો જેટલું શંકાસ્પદ પશુનું માંસ મળી આવ્યું હતું. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ મોહનભાઈ શિયાળે જાણ કરી હતી. રૂપિયા 3200નું માસ કબ્જે કરવામાં આવ્યું છે. સાથે જ કિંમત રૂ.20,000નું GJ-14-BC-4682 નંબર વાળું મરૂન કલરનું સ્કૂટર પણ કબજે કરી લેવામાં આવ્યું છે. આ મામલે પોલીસ દ્વારા જાણવાજોગ નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

DLSS શાળાના છાત્રો ઝળક્યા:અમરેલીના 2 વિદ્યાર્થીએ સુવર્ણ, રજત પદક જીત્યા

અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અનેક રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને સંસ્થાનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. અમરેલી ખાતે તા. 4 એપ્રિલના રોજ ઇન્વીઝન ઓર્ગેનાઈઝેશન દ્વારા જિલ્લા કક્ષાની મેરેથોન સ્પર્ધાનું આયોજન સ્પર્ધાની 5 કિલોમીટર દોડમાં શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા, DLSS શાળાના પ્રતિભાશાળી ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જેમાં દીપાલી મેર શાનદાર દોડ સાથે પ્રથમ સ્થાન મેળવી સુવર્ણ પદક જીત્યો હતો, જ્યારે એંજલ કુકડિયાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રજત પદક પોતાના નામે કર્યો હતો. બંને ખેલાડીઓની આ સિદ્ધિ તેમની દૃઢ મહેનત, નિયમિત તાલીમ અને નિષ્ઠાનું પરિણામ ગણાય છે. અનુભવી કોચ અને ટ્રેનરોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને સતત તાલીમ આપવામાં આવતી હોવાથી તેઓ વિવિધ સ્પર્ધાઓમાં સફળતા મેળવી રહ્યા છે. આ પ્રસંગે બ્રહ્માકુમારી સેન્ટરના રાજ્યોગીની કિંજલદીદી તેમજ બ્રહ્માકુમારી બહેનોની હાજરીમાં વિજેતા ખેલાડીઓ અને કોચ-ટ્રેનરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

છેતરપીંડી:ધારીના જીરા ગામના ખેડૂત સાથે પીએમ‎યોજનાના નામે રૂા. 5.99 લાખની ઠગાઈ‎

ધારી તાલુકાના જીરા ગામના એક વ્યક્તિ સાથે મોબાઈલ હેકિંગ દ્વારા ઓનલાઈન છેતરપીંડી થયાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ વોટ્સએપ હેક કરીને અને પીએમ યોજનાના નામે APK ફાઈલ ડાઉનલોડ કરાવી બેંક ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ધારી તાલુકાના જીરા ગામના રહેવાસી અને નોકરી કરતા કનુભાઈ જેરામભાઈ નાકરાણી (ઉ.વ.54)એ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.23 ડિસેમ્બર બપોરથી 29 ડિસેમ્બર સાંજ દરમિયાન અજાણ્યા કોઈ શખ્સોએ તેમના મોબાઈલ ફોનમાં રહેલી વોટ્સએપ એપ્લિકેશન હેક કરી હતી. તેઓએ વોટ્સએપ મારફતે પીએમ યોજના નામની APK ફાઈલ ડાઉનલોડ કરાવી તેને મોબાઈલમાં બેકગ્રાઉન્ડમાં ચાલુ રાખી હતી. ત્યારબાદ કનુભાઈના મોબાઈલમાં આવતા તમામ ટેક્સ્ટ મેસેજ અને OTP મેસેજ પોતાની પાસે ટ્રાન્સફર કરી લીધા હતા. બાદ અજાણ્યા શખ્સો દ્વારા બેંકની એપ્લિકેશન મારફતે રૂપિયા 5,04,000ની લોન મંજુર કરાવી હતી. લોનની રકમ તેમજ ખાતામાં રહેલી અન્ય રકમ મળીને કુલ રૂપિયા 5,99,990 ત્રણ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી ઉપાડી લેવામાં આવી હતી. આ અંગે ધરી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

યુવાનનું ભેદી સંજોગોમાં થયું મોત:નર્મદા પંચકોશી પરિક્રમા માટે આવેલાં‎ અમદાવાદના યુવાનનું ભેદી રીતે મોત‎

નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા કરવા માટે આવેલાં અમદાવાદના યુવાનનું ભેદી સંજોગોમાં મોત થયું છે. અમદાવાદથી ત્રણ મિત્રો પરિક્રમા માટે આવ્યાં હતાં. રણછોડજીના મંદિર પાસે ત્રણેય બેઠા હતાં ત્યારે એક મિત્ર લઘુશંકા કરવા માટે પાર્કિંગમાં ગયો હતો અને બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે સ્થળ પર તપાસ કરતાં શંકાસ્પદ પાવડર, ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. અમદાવાદ ઘાટલોડિયા વિસ્તારમાં સીમળાજ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા 41 વર્ષીય દેવલ મહેન્દ્ર સુથાર તેના મિત્રો જોડે નર્મદા પરિક્રમા કરવા ગત રાત્રીના આવ્યા હતા. અગાઉ તે 4 એપ્રિલને શનિવારના રોજ પરિક્રમા કરીને અમદાવાદ પરત ફર્યા હતા.બીજીવાર નર્મદા પરિક્રમા કરવા આવ્યા હોય નર્મદા પરિક્રમા કરીને રણછોડજી મંદિર પાસે મિત્રો સાથે બેઠા હતા. બાદમાં લઘુશંકા કરવાની કહી પાર્કિંગ વિસ્તારમાં ગયો બહુ સમય થયો ત્યારે આ દેવલ સુથાર પરત નહિ આવતા તેને શોધતા પાર્કિંગ એરિયામાં બેભાન હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ જતા જ્યા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તેની સાથેના મિત્રો અને ફરિયાદી એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કોઈએ બુંદી સેવ ખવડાવી હતી અને બાદમાં આ ઘટના બની હતી. પોલીસે પંચનામું કર્યું અને સીસીટીવી ફૂટેજ જોતા દેવલ સુથાર કોઈ સફેદ પાઉડરનો ફાંકો માર્યો અને પાણી પીધું હોય તેમ દેખાય રહયો છે. પાર્કિંગમાં લઘુશંકાના બહાને ગયેલાં દેવલને ઉલટી પણ થઇ હતી. સ્થળ પરથી સફેદ રંગનો પાવડર પણ મળી આવ્યો હતો. આ પાવડર અને ફોન સહિતની વસ્તુઓને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી છે. મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. રાજપીપલા ટાઉન પોલીસે હાલ અકસ્માત મોત ની ફરિયાદ લીધી છે. દેવલની હત્યા કરવામાં આવી છે કે તેણે ઝેરી પાવડર ખાઇને આપઘાત કર્યો છે તે તપાસનો વિષય બન્યો છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

મારામારી:સેલવાસમાં ટિકિટબારી નજીક યુવાનો વચ્ચે ખુલ્લેઆમ મારામારી

સેલવાસના નરોલી રોડ પર શહીદચોક સ્થિત રેલવે ટિકિટ કાઉન્ટર પાસે ટિકિટ બુકિંગ બાબતે યુવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે હાથાપાઈના દ્રશ્યો સર્જાયા હતા. વેકેશનની સીઝન હોવાથી ઉત્તર પ્રદેશ, બિહાર અને રાજસ્થાન તરફ જનારા લોકોની કાઉન્ટર પર લાંબી કતારો જોવા મળે છે. કલાકો સુધી લાઈનમાં ઉભેલા મુસાફરોનો આક્ષેપ છે કે એજન્ટો સીધા અંદર ઘુસી ટિકિટો કઢાવે છે, જેના કારણે અવારનવાર ઘર્ષણ થાય છે. આજે પણ આ બાબતે વિવાદ વકરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જેને પગલે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે, પોલીસના આગમન સાથે જ લડતા યુવાનો પોતપોતાના વાહનો પર સવાર થઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મારામારીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેણે સ્થાનિક સ્તરે સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ભાસ્કર વિશ્લેષણ:વલસાડમાં પ્રથમ કમોસમી વરસાદ કેરી પાક માટે ઘાતક

વલસાડ જિલ્લાના ખેડૂતોના વાર્ષિક આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા કેરી, ચીકુ, શેરડી અને ડાંગરના પાકને સાચવવો ખેડૂતો માટે ઘાતક થઇ રહ્યું છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વારંવાર બદલાતું હવામાન ખેત ઉત્પાદન લેતાં ખેડૂતોનું બ્લડ પ્રેશર વધારી રહ્યું છે. વલસાડ જિલ્લામાં 38 હજારથી વધુ હેકટરમાં કેરીનો પાક આંબાવાડીમાં હતો. બે માસ અગાઉ વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે 65 ટકા મોરવા કાળા પડી ગયા હતા. ગત રાત્રિએ હવામાન બદલાતાં તેજ ઠંડા પવન સાથે આકાશમાં વાદળો છવાઇ ગયા બાદ હળવો કમોસમી વરસાદ શરૂ થઇ ગયો હતો. વલસાડના ચણવઇ, રબડા, બીનવાડા, ઓઝર , પારનેરાપારડી, પારનેરા ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદના છાંટણા ઝાપટા થયા હતા. જો કે દિવસે કાળઝાળ ગરમીના કારણે ત્રસ્ત લોકોને જો કે ઠંડક મળતાં રાહત અનુભવાઇ હતી પરંતું કેરીના પાક લેતા ખેડૂતોની ઉંઘ બગડી હતી. હજી 1 માસ પાકની પરિપક્વતા સાથેની સિઝન માટે બાકી છે ત્યારે વાતાવરણ પર ખેડૂતોના પાકનું ભાવિ નિર્ભૅર રહેશે તેવું જાણવા મળ્યું છે. આ વર્ષે પ્રથમ ફાલ નિષ્ફળ હતું જિલ્લામાં કેરીના પાક માટે સૂર્ય પ્રકાશ, ઠંડી ગરમીનું સંયોજિત અનુકૂળ હવામાન અનિવાર્ય બને છે. શરૂઆતમાં તીવ્ર ગરમી અને અને કાતિલ ઠંડીના વાતાવરણથી આંબાવાડીઓમાં 60 ટકા મોરવા કાળા પડી ગયા હતા. જેના કારણે પ્રથમ ફાલમાં નિષ્ફળતા મળી હતી. બીજા ફાલમાં ફ્લાવરિંગ ઓછું થયું અને પહેલા બચી ગયેલા પાકને હવે કમોસમી વરસાદથી બચાવવો પડે તેની ચિંતા છે. સવાથી દોઢ માસ સિઝનને બાકી છે ત્યારે વાતાવરણ સારુ રહે તે અનિવાર્ય છે. > મહેશ પટેલ, ખેડૂત પાકને બચાવવા કિટનાશક દવાનો બોજ‎વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેનાથી મોટું જોખમ નથી પણ વાડીઓમાં તૈયાર થઇ રહેલા પાક પર વરસાદ પડતાં ખેડૂતો કોઇ જોખમ ખેડવા તૈયાર નથી. જંતુનાશક દવાના ખર્ચા કરવા પડે તો પણ કોઇ ચિંતાના બદલે દવાનો વપરાશ કરવા આર્થિક વધારાનો બોજ પડ્યો છે. વાતાવરણ સ્વચ્છ થતાં પાક સુરક્ષિત‎‎વલસાડ જિલ્લામાં કેરીના‎‎પાકનો વિકાસ થઇ રહ્યો છે‎‎ અને આગામી મેના બીજા‎‎સપ્તાહ સુધીમાં પાક‎પુખ્તપણે તૈયાર થઇ જશે. દરમિયાન રાત્રિથી મળસ્કે દરમિયાન હવામાન‎ બદલાતાં કમોસમી વરસાદ કેટલાક ગામોમાં પડયો હોવાની જાણકારી થઇ‎ હતી. જો કે આંબાવાડીઓમાં ફળ મોટુ થઇ ગયું હોવાના કારણે મોટી અસર‎નહિ પડે. દરમિયાન ગુરૂવારે સવારે સૂર્યોદય સુધીમાં વાતાવરણ સ્વચ્છ થઇ‎ જતાં સૂર્ય પ્રકાશને લઇ કેરીનો પાક સુરક્ષિત છે.‎

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

જનગણનામાં પારદર્શિતા અને ચોકસાઈ લાવવાનો પ્રયાસ:પ્રશાસક પ્રફુલભાઈએ સ્વગણના કરી,‎નાગરિકોને સહભાગી થવા અપીલ‎

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જનગણના 2027 અંતર્ગત સ્વ-ગણના પ્રક્રિયામાં ભાગ લઈ, પોતાની જાણકારી જાતે દાખલ કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રસંગે તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે જનગણના એ એક અત્યંત મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેમાં પ્રત્યેક નાગરિકની સક્રિય સહભાગિતા અનિવાર્ય છે. તેમણે દરેકને આગ્રહ કર્યો કે નાગરિકો સ્વ-ગણનાની સુવિધાનો મહત્તમ લાભ ઉઠાવે અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની સટીક જાણકારી પોતે જ ઓનલાઇન દાખલ કરે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ પ્રક્રિયા અત્યંત સરળ અને સુવિધાજનક છે, જેનાથી ડેટામાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત થાય છે. નાગરિકો દ્વારા આપવામાં આવેલી સાચી અને પૂર્ણ જાણકારી સરકારને ભવિષ્યની જનકલ્યાણકારી યોજનાઓ અને નીતિઓના નિર્માણમાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. પ્રશાસકની આ પહેલ સામાન્ય જનતા માટે પ્રેરણાદાયી છે, જેનાથી લોકોમાં જાગૃતિ આવશે અને વધુમાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાં જોડાશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

વાડામાં સફાઇ કરતી વેળા દીપડો ધસી આવ્યો‎:છરવાડામાં દીપડાનો મહિલા પર હુમલો, બુમો પાડતાં ભાગ્યો

વલસાડના છરવાડા ગામે લાંબા સમય બાદ દીપડો ફરી ગામમાં આવી ચઢતાં ડરનો માહોલ સર્જાયો છે. એક મહિલા પર દીપડાએ હુમલો કરી ઇજા પહોંચાડી ભાગી છુટ્યો હતો. વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના ડુંગરી નજીક આવેલા છરવાડા ગામમાં ઘણા સમય અગાઉ દીપડો દેખાયો હતો. બાદમાં દીપડાનો કોઇ પત્તો ન હતો. પરંતું મોડી સાંજ દરમિયાન ગામમાં એક દીપડો આંટો મારતા આવી પહોંચ્યો હતો ત્યારે રહેઠાણ વિસ્તારમાં એક મહિલા પોતાના ઘર પાછળ વાડામાં સાફ સફાઇનું કામકાજ કરી રહી હતી ત્યારે અચાનક એક ખૂંખાર દીપડાએ મહિલાને નિશાન બનાવી હુમલો કર્યો હતો. જેનાથી મહિલાને માથાના ભાગે તેમજ પ્રતિકાર કરતા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જો કે બુમાબુમ થતાં દીપડો ઇજા કરીને વિજળીક ગતિએ ત્યાંથી ઝાડીના ખેતર વિસ્તારમાં ભાગી છુટ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

સ્લેબ તૂટવાની ઘટના બાદ વેપારીઓની માંગ:વલસાડ પાલિકાની જર્જરિત ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરને દુર્ઘટના પહેલા રિપેર કરો

વલસાડ શહેરમાં નગરપાલિકાની માલિકીના સરકારી પ્રોપર્ટી ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની જર્જરિત થઇ જતાં બુધવારે બાલ્કનીનો સ્લેબ તૂટી પડવાની ઘટના બાદ વેપારીઓએ ગુરૂવારે મોરચો માડી પાલિકા સમક્ષ તાત્કાલિક મરામતની માગ કરી છે. વલસાડ સ્ટેશન રોડ ઉપર ગાંધી લાયબ્રેરી નજીક આવેલા ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરના ઉપલાં માળે મોડી સાંજે બાલકનીના છેડાના ભાગે સ્લેબનો ટૂકડો ધરાશાઇ થઇ જતાં નીચે પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન પહોચ્યું હતું.જો કે મોડી સાંજના કારણે અવરજવર ન હોવાથી જાનિહાનિ ટળી ગઇ હતી. આ દરમિયાન નગરપાલિકાના સ્ટાફે આવી દૂકાનો બંધ કરાવી દીધી હતી.આ જર્જિરત શોપિંગ સેન્ટરની બાલકની,પાળી અત્યંત ખખડી ગઇ છે.જેને વર્ષોથી યથાવત સ્થિતિમા જ છોડી દેવાતાં સ્થિતિજોખમી બની રહી છે. જેના કારણે વેપારી અગ્રણી કેતન શાહની આગેવાની હેઠળ વેપારીઓએ નગરપાલિકા ખાતે મોરચા રૂપે પહોંચી સત્તાધીશોને મરામતની રજૂઆત કરી હતી.જેમાં વેપારીઓ દ્વારા જૂના શોપિંગ સેન્ટરોની મરામત કરાવવા અથવા માલિકી ધોરણે આપી દે તો વેપારીઓ મરામત કરાવી દેશે તેવી દલીલો કરાઇ હતી. ઇન્દીરા ગાંધી શોપિંગ સેન્ટરની વહેલી તકે મરામત કરવામાં નહિ આવશે તો આમરણાંત ઉપવાસ સાથે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. બીજી તરફ પાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોની માલિકી હક્ક પણ વેપારીઓને ન આપતા આક્રોશ જોવા મળી રહ્યો છે. ભવિષ્યમાં મોટી ઘટનાના અણસારને લઇ વેપારીઓમાં ડરનો માહોલ છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

વલસાડમાં સ્થાનિક ચૂંટણીને લઇ જાહેરનામું‎:ચૂંટણી પ્રચાર માટે રાત્રીએ લાઉડ સ્પીકર ઉપર પ્રતિબંધ

રાજકીય પક્ષો, ઉમેદવારો ચુટણી પ્રચાર ઝુંબેશ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ કરે છે. જે ફક્ત નિયત મંચ કે સભા સ્થળ ઉપરાંત ચુંટણી પ્રચાર માટે ફરતા વાહનો ઉપર પણ લગાવી શહેર, મહોલ્લા, ગામો, ગલીઓમાં ફેરવવામાં આવે છે. જેનાથી અવાજનું પ્રદુષણ, ઘોંઘાટના કારણે વિદ્યાર્થીઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓને ત્રાસરૂપ થાય છે. આગામી સામાન્ય ચૂંટણીમાં લાઉડ સ્પીકરના વ્યાપક ઉપયોગ ઉપર નિયંત્રણો રાખવા જરૂરી હોવાનું જણાવી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આદેશો કરાયા છે. જે આદેશોને અનુસરીને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માએ સમગ્ર વલસાડ જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવાર કે તેના કાર્યકરો કે સમર્થકોએ, ચુંટણી પ્રચારના કામે યોજાતી સભા અને સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો સવારના 8.00 કલાક પહેલા અને રાત્રિના 10.00 કલાક પછી ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. ચૂંટણી દરમિયાન રાજકીયપક્ષો અને ઉમેદવારો દ્વારા જાહેરમાર્ગની બંને તરફ શેરી,નાકા, જાહેર માલિકીના મકાનો ઉપર વિશાળ પોસ્ટરો, બેનરો કે, રાજકીય નેતાના કટઆઉટ ઉભા કરવામાં આવે છે. જેના ઉપર જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ મુક્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય એમ છે. આ ઉપરાંત ચૂંટણીને લઇને 30 એપ્રિલ સુધી સભા-સરઘસ પણ કાઢી શકાશે નહીં.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

શિક્ષણ કાર્ય‎ ખોરવાયું:રાનકૂવામાં શિક્ષકો તાલીમમાં જતા અન્ય શાળાના શિક્ષકે પરીક્ષા લીધી

ચીખલી તાલુકામાં વાર્ષિક પરીક્ષાઓ વચ્ચે શિક્ષકોને ચૂંટણીલક્ષી તાલીમમાં બોલાવાતા શિક્ષણ કાર્ય ખોરવાયું છે, જેના કારણે અનેક શાળાઓમાં માત્ર એક જ શિક્ષકના ભરોસે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની નોબત આવતા અગવડતા સર્જાઇ હતી. ચીખલી તાલુકાની 177 પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને ખાનગી શાળાઓમાં 6 એપ્રિલના રોજથી વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. આગામી 26 એપ્રિલના રોજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે અને તેના માટે ગુરૂવારના રોજ સવારના 10:30 વાગ્યેથી જ ઝોનલ અધિકારીઓ, પ્રિસાઇડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ રાખવામાં આવી હતી. જેને પગલે ચાલુ વાર્ષિક પરીક્ષા દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ચાલુ પરીક્ષા છોડીને ચૂંટણીલક્ષી તાલીમ લેવા જવાની ફરજ પડી હતી. ચીખલીના રાનકૂવા પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા 2 શિક્ષકો પૈકી બન્નેનો ગુરૂવારના રોજ ચૂંટણીની તાલીમ માટે ઓર્ડર કરાયો હતો. શાળામાં ધોરણ-3થી 5ની ચાલતી વાર્ષિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે રાનકૂવા મુખ્ય પ્રાથમિક શાળામાંથી જે શિક્ષકોનો ચૂંટણીની તાલીમનો ઓર્ડર ન હતો તેને તાત્કાલિક અસરથી પટેલ ફળિયા વર્ગ પ્રા. શાળામાં પરીક્ષા લેવા મોકલવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ખાણ ખનીજ વિભાગની ડિજિટલ ક્રાંતિ:QR કોડથી જ થશે ખનીજનું વહન, કાગળના પાસનો હવે આવશે અંત

ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજના વહન માટે ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમ અમલમાં મુકવામાં આવી છે ત્યારે ચીખલી તાલુકામાં ધમધમતા કવોરી ઉદ્યોગમાં લીઝ હોલ્ડરો, ડ્રાઇવરોને સુગમતા સાથે સમગ્ર વહીવટ પેપરલેસ થવા જઈ રહ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ વહનની પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા, ખનીજ ચોરી પર લગામ કસવા માટે કાગળના રોયલ્ટી પાસના સ્થાને ક્યુઆર કોડ બેઇઝ સિસ્ટમ 1 એપ્રિલથી અમલમાં મુકવામાં આવી છે અને ક્યુઆર કોડ પાસ અને વીટીએમએસ (હિકલ ટ્રેડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ)ના ડેટાને એક જ પ્લેટફોર્મ પર લીંક કરવામાં આવી છે. જેનાથી કોઈ વાહન પરમીટ વિના અથવા પરમીટનો સમય પૂરો થયા પછી પણ ખનીજનું વહન કરતું જણાશે તો આ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક એલર્ટ જનરેટ થશે. વધુમાં કાગળના પાસમાં છેડછાડ કરી એક જ પાસ પર અનેક ફેરા મારવામાં આવતા હતા તે અશક્ય બનશે. એકવાર ઉપયોગ થયેલ પાસ બીજી વાર ઉપયોગ કરી શકાશે નહીં. ક્યુઆર કોડ આધારિત રોયલ્ટી પાસની સિસ્ટમમાં ખનીજ વહન કરતા હજારો ડ્રાઇવરોને પણ રાહત થશે, કારણ કે તેઓને હવે કાગળનો પાસ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. ડ્રાઇવરના મોબાઇલ પર સીધો એસએમએસ આવે અને લીંક પર ક્લિક કરતાની સાથે જ ક્યુઆર કોડવાળો પાસ જોવા મળશે. આ ઉપરાંત લીઝ હોલ્ડરો, સ્ટોક હોલ્ડરોને પણ પાસ માટે ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. હવેથી તેઓ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી એક રૂપિયાના નજીવા ચાર્જમાં રોયલ્ટી પેડ જનરેટ કરી શકશે. આજ રીતે આ સિસ્ટમમાં રેકર્ડ સાચવવાની ઝંઝટમાંથી મુક્તિ મળવા સાથે મોનિટરિંગની પ્રક્રિયા પણ વધુ સરળ થતા કર્મચારીઓને પણ રાહત થશે. નોંધનીય છે કે ચીખલી તાલુકામાં અંદાજે 100ની આજુબાજુ લીઝ ધારકો છે અને તાલુકામાં મોટાપાયે ખનીજના વિવિધ ઉત્પાદનો થાય છે અને તેની સરળ ખનીજ વહનમાં પણ દોઢ થી બે હજાર જેટલા વાહનો સંકળાયેલા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર દુર્ઘટના:ટાયર ચેક કરવા ઉતરેલા ચાલકને અન્ય ટેમ્પોએ અડફેટે લેતા મોત

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગણદેવા ગામની હદમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં અન્ય ટેમ્પો ચાલકની ગફલતને કારણે પંચમહાલના ચાલકે જીવ ગુમાવ્યો છે. મૂળ પંચમહાલના ઘોઘંબાના રહેવાસી હરીશકુમાર પ્રભાતસિંહ પરમાર (ઉ.વ. 47) પોતાના ટેમ્પો (નં. GJ-24- V-4594)માં પ્લાસ્ટિકના દાણા ભરી હાલોલથી દમણ જઈ રહ્યાં હતા. તા. 8 એપ્રિલના રોજ સવારે 6.30 કલાકે ગણદેવા ગામ પાસે તળાવના વળાંક નજીક તેમણે ટેમ્પો સાઈડમાં ઉભો રાખ્યો હતો. હરીશકુમાર નીચે ઉતરી પાછળના ટાયર ચેક કરી રહ્યાં હતા, તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા અન્ય ટેમ્પો (નં.DD-01-F-9216)ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હરીશકુમારને શરીરે અને જમણા જાંઘના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. મૃતકના સંબંધી હરેન્દ્રસિંહ ખેરની ફરિયાદને આધારે ગણદેવી પીએસઆઇ એન.એ. પટેલે ગુનો નોંધ્યો છે. પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાની હદમાં એક્સપ્રેસ વે પર છેલ્લા કેટલાય સમયથી અકસ્માત સર્જાવાની ઘટના અવારનવાર બની રહી છે. આ ઘટના પર બ્રેક લાગે તેવો પ્રયાસ કરાય તેવી માગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ફરાર આરોપી પકડાયો:મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપી દબોચાયો

નવસારી પોલીસ અધિક્ષક રાહુલ પટેલની સૂચના મુજબ, જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા માટે એલસીબી પીઆઇ વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત નવસારી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નિઝામપુર પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી સતીષ રાજુભાઈ પટેલ (ઉ.વ. 34, રહે. વાઘલધરા, વલસાડ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી પોલીસને થાપ આપી ફરાર હતો. નવસારી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો નિઝામપુર પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એસ.વી. આહીર, પીએસઆઇ વાય.જી. ગઢવી અને એમ.બી. ગામીત સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

બીસીએ U-19 ટુર્નામેન્ટ:ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિ. વન-ડે ટુર્નામેન્ટમાં બીલીમોરા વેટરનને હરાવી RDCA ચેમ્પિયન

બરોડા ક્રિકેટ અસોસિએશન દ્વારા આયોજીત U-19 ઇન્ટર ક્લબ સાઉથ ડિસ્ટ્રિક વન-ડે ટુર્નામેન્ટ 2026-27નું આયોજન વી.એસ.પટેલ કોલેજ ગ્રાઉન્ડ, ચીખલી કોલેજ ગ્રાઉન્ડ, અગ્રવાલ કોલેજ ગ્રાઉન્ડ, નારણલાલા કોલેજ ગ્રાઉન્ડમાં 23 મેચ રમાઇ હતી. જેમાં 10 ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટુનામેન્ટ દરમિયાન બેટ્સમેનોએ 6 સદી અને બોલરોએ 7 વખત 5 વિકેટ લઈ સુંદર દેખાવ કર્યા હતા. ફાઇનલ મેચમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન અને R.D ક્રિકેટ એકેડમી વચ્ચે રમાઈ હતી. જેમાં બીલીમોરા વેટરન ક્રિકેટ એસો.એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 159 રનમાં ઓલઆઉટ થઇ હતી. જેમાં વિવેક યાદવના 60 રન, વંશ મહેતાએ 50 રન કર્યા હતા. નિલ પટેલે 3 વિકેટ, ફ્રેન્ક પટેલે 2 વિકેટ લીધી હતી. આરવ ભક્તાએ 37 રન, રૂદ્ર પટેલે 26 રન આપી 4 વિકેટ લીધી હતી. આરડીસીએ 160 રન 7 વિકેટે કરી ચેમ્પિયન બની હતી. સમગ્ર ટુર્નામેન્ટ બેસ્ટ બેટ્સમેન આરવ ભકતા, બેસ્ટ બોલર જસ નાયક,પ્લેપર ઓફ ધ ટુર્નામેન્ટ વિવેક યાદવ, રનર્સઅપ બીલીમોરા વેટરન ક્રિકેટ એસોસિએશન, આરડીસીએને ચેમ્પિયન ટ્રોફી જુનિયર સિલેકશન કમિટીના ચેરમેન ખગેશ અમીન, સિલેક્ટર અતુલ પંડ્યા, હેડ ડિસ્ટ્રિક્ટ સંજીવ સાવંત, ડો.મયુર પટેલ, નંદન સાવંત, બી.સી.એ બીલીમોરાના કોચ અને એડમિન અરવિંદ પટેલે ટુર્નામેન્ટનું સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

નવસારીની દીકરી દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન:ફર્સ્ટ ટ્રાયબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં નવસારીની પાયલ રાઠવાએ જીત્યો બ્રોન્ઝ મેડલ

છત્તીસગઢમાં તા. 23 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન યોજાયેલ ફર્સ્ટ ટ્રાયબલ ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સમાં નવસારીની પાયલ રાઠવા એ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જલાલપોરના મીઠાકૂવા વિસ્તારમાં રહેતી પાયલ રાઠવાએ 100 મીટર હર્ડલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. આ ઉપરાંત 200 મીટર દોડમાં પણ તેમણે ઓલ ઇન્ડિયા સ્તરે પાંચમો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. આ સિદ્ધિ નવસારી માટે રમતગમત ક્ષેત્રે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે. પાયલની મહેનત, સમર્પણ અને લગનથી યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ ઉભું થયું છે.પાયલ રાઠવાએ પોતાની સફળતા માટે પરિવાર, કોચ અને મિત્રોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘નવસારી જિલ્લામાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તમામ લોકો માટે આ સિદ્ધિ ગર્વનો વિષય બની છે. 5 વર્ષથી સતત મહેનત કરી મેળવી સિદ્ધી સ્પોર્ટ્સની સિદ્ધિ માટે મેં છેલ્લા ચારથી પાંચ વર્ષથી સતત મહેનત અને પ્રેક્ટિસ કરી છે. ભવિષ્યમાં વધુ સારા પ્રદર્શન માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને મારા દેશ અને રાજ્યનું પણ ગૌરવ વધારીશ.> પાયલ રાઠવા, ખેલાડી

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

ગર્વની વાત:વુમન્સ વન ડે ક્રિકેટમાં નવસારીની 4 ખેલાડી પોતાનુ કૌશલ દાખવશે

10 એપ્રિલથી દહાણુમાં શરૂ થઈ રહેલ મુંબઈ ક્રિકેટ એસોસિએશન આયોજિત વેસ્ટ ઝોન અંડર-17 વુમન્સ વન ડે ક્રિકેટ 40 ઓવર્સ મેચમાં મુંબઈ, મહારાષ્ટ્ર, બરોડા, ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ટીમો ભાગ લઈ રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન ની ટીમમાં નવસારી સ્થિત એસ.એસ. અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીની ચાર ખેલાડીઓ મૈત્રી મણિયાર (વાઇસ કેપ્ટન), આધ્યા પટેલ,નિયા પટેલ અને વૃત્તિ નાયકની પસંદગી થઈ છે. એકેડેમીની એક સાથે ચાર ખેલાડીઓ પસંદગી પામતા એકેડેમી પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. એટલું જ નહીં નવસારી જિલ્લા માટે પણ આ ગૌરવપ્રદ ઘટના છે. જે માટે અગ્રવાલ એકેડેમીના હેડ કોચ કાંતિ પટેલ, કોચ હિતેશ પટેલ, ચેતન પટેલ, દિવ્યેશ ગામીત,ડો. સંજય પટેલ તથા ટ્રસ્ટી મુકેશ અગ્રવાલ અને અગ્રવાલ એકેડેમી પરિવાર તરફથી ચારેય ખેલાડીઓને અભિનંદન સાથે મેચમાં પ્રસંશનીય દેખાવ કરે એ માટે શુભેચ્છા પાઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

એસટી તંત્રની બેદરકારી સામે આવી:નવસારીથી સુરત રૂટની બસમાં હજુ પણ સરકારી પ્રચારના સ્ટીકરો યથાવત

રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને આખા વહીવટી તંત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જાહેર માર્ગો અને સરકારી મિલકતો પરથી રાજકીય નેતાઓના ફોટાવાળા બેનરો અને પોસ્ટરો હટાવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે, એસટી નિગમની બસોમાં આ નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેમ જણાય છે. નવસારીથી સુરત રૂટ પર ચાલતી એસટી બસમાં આશ્ચર્યજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. બસની અંદર મુસાફરોને પકડવાના હેન્ડલ હોલ્ડર્સમાં હજુ પણ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા તેમજ સરકારી યોજનાના પ્રચાર કરતા સ્ટીકરો યથાવત છે. જ્યારે તંત્ર દ્વારા શહેરના મોટા હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે ત્યારે બસની અંદરના આ સ્ટીકરો હટાવવામાં એસટી વિભાગ કેમ પાછળ રહી ગયું તે એક સવાલ છે. મુસાફરોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે કે શું એસટી વિભાગને આચારસંહિતાના નિયમો લાગુ પડતા નથી? શું આ તંત્રની આળસ છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલી અવગણના? બસ ડેપોમાં જતી હોવા છતાં જવાબદાર અધિકારીઓની નજર આ સ્ટીકરો પર કેમ નથી પડી? ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે જોવાની જવાબદારી વહીવટી તંત્રની છે. તંત્ર બેધારી નીતિ દર્શાવે છે એક તરફ તંત્ર મોટા દાવા કરે છે કે આચારસંહિતાનું કડક પાલન થઈ રહ્યું છે, તો બીજી તરફ હજારો મુસાફરો જેનો ઉપયોગ કરે છે તેવી બસમાં હજુ પણ રાજકીય પ્રચાર ચાલુ છે. આ તંત્રની બેધારી નીતિ દર્શાવે છે. > રમેશભાઇ શાહ, જાગૃત મુસાફર

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

સુવિધા નહીં તો NOTA:નવસારીના રેલવે‎‎મુસાફરોનો તંત્ર-નેતાઓને ખુલ્લો પડકાર‎‎

નવસારી રેલવે સ્ટેશનની અને મુસાફરોની સમસ્યા માટે ડીઆરયુસીસીના મેમ્બર દ્વારા મુંબઇમાં મુલાકાત લઈ પ્રશ્નો થી અવગત કરાયા અને રેલવે અધિકારીઓ પણ સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. નવસારી રેલવે સ્ટેશન અને મુસાફરોની ટ્રેન અંગેની સમસ્યા બાબતે ગંભીરતા સમજીને ડીઆરયુસીસી અને એક્સ-ઝેડઆરયુસીસી મેમ્બર સંજય શાહે તાકીદે મુંબઇમાં ડીઆરએમ પંકજ સિંહની મુલાકાત લીધી હતી. તેમણે નવસારી સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર-2 અને 3 પર મુસાફરોની હાલાકી દૂર કરવા એસ્કેલેટર અથવા લિફ્ટની સુવિધા આપવા દબાણપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ડીઆરએમ એ તાત્કાલિક અન્ય અધિકારીઓને બોલાવી લિફ્ટ સુવિધા માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે. ડીઆરએમ પંકજ સિંહે આ તમામ બાબતોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે અને મહત્વની ટ્રેનોના સ્ટોપેજ માટે સ્થાનિક નેતાઓને પણ દિલ્હી રેલ મંત્રાલયમાં રજૂઆત કરવા સૂચન કર્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિક નેતાઓ જાગશે કે મુસાફરોએ હેરાનગતિ ભોગવવી જ પડશે. ભાસ્કર ઇનસાઇડપ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજકીય પક્ષોને અસર વર્તાશેઆગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જો આ પ્રશ્નો નહીં ઉકેલાય તો રોજ અપડાઉન કરતા 50,000થી વધુ મુસાફરો અને તેમના પરિવારોમાં ફાટી નીકળેલો રોષ રાજકીય પક્ષો માટે મુશ્કેલી સર્જી શકે છે મતને બદલે રાજકીય પક્ષોને નોટાનું બટન દબાવી પોતાનો રોષ વ્યક્ત કરવાની ચીમકી આપી ચૂક્યા છે. મુસાફરોએ સોશ્યલ મીડિયામાં પણ તેનો ખૂબ પ્રચાર કર્યો છે. જેથી કોઇપણ વિસ્તારમાં આ મુદ્દો રાજકીય સ્વરૂપ લઇ શકે તેવી શક્યતાઓ પણ હાલના તબક્કે વર્તાઇ રહી છે. 20 દિવસ પહેલા નવસારીની મુલાકાતે DRM આવ્યા ત્યારે નેતાઓ ન ફરક્યા નવસારી રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટ માટે અંદાજે 20 દિવસ પૂર્વે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલના ડીઆરએમ પંકજ સિંહ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. જોકે, આશ્ચર્ય અને દુઃખની બાબત એ રહી કે, નવસારીના હજારો મુસાફરોની વર્ષો જૂની ટ્રેન સ્ટોપેજ અને સુવિધાની સમસ્યાઓ રજૂ કરવા માટે કોઈ સ્થાનિક રાજકીય અગ્રણી કે નેતા હાજર રહ્યા નહતા. નેતાઓની આ ઉદાસીનતા સામે નગરજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અધિકારીઓ સમક્ષ આ બાબત ધ્યાને લવાઇ હતી

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

દંડનીય કાર્યવાહી કરાઈ:બંબુસરથી ઝનોરમાં 19 જોડાણમાં વીજ ચોરી, ગ્રાહકોને 11.55 લાખનો દંડ કરાયો

ભરૂચ તાલુકાના બંબુસર અને ઝનોર ની આસપાસના વિસ્તારમાં વહેલી સવારે સુરતની ટીમે દરોડો પાડીને 19 વીજ જોડાણમાં ક્ષતિ જણાય આવતા રૂપિયા 11.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ વિભાગ તરફથી વીજ ચોરી રોકવા માટે અવાર નવાર આકસ્મિક તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને ગુરુવારે વહેલી સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા દરમિયાન સુરત ડીજીવીસીએલની 16 જેટલી ટીમે ભરૂચ તાલુકાના બંબુસર અને ઝનોર ની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ટીમના કર્મચારીઓએ વીડિયોગ્રાફી સાથે 738 ઘરોમાં વીજ મીટર અને વાયરોની સઘન તપાસ કરી હતી. ચેકિંગ દરમિયાન 19 ઘરોમાં વીજ ગેરરીતિઓ અને ગેરકાયદેસર વીજ જોડાણો મળી આવ્યા હતા. આ જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા હતા અને સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેઓને રૂપિયા 11.55 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. દર મહિને ફીડરના લોસીસના આધારે વીજ ચોરી પકડી‎‎વીજ વિભાગ જો 100 યુનિટ આપે‎‎તો તેની સામે બિલ કેટલા થયા જો‎100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તે‎વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાં‎આવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તે‎વિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનાર‎તત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે.‎

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

લોકશાહીનું પર્વ:ભરૂચમાં 600 કર્મચારીને ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ

ભરૂચ જિલ્લામાં આવનારી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુચારૂ રીતે યોજાય તે માટે આજે ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ બે સેશનમાં યોજાઈ હતી, જેમાં અંદાજે 600 જેટલા પોલિંગ ઓફિસરો અને આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો હાજર રહ્યા હતા. પ્રથમ સેશન સવારે 11 થી 1 વાગ્યા સુધી અને બીજું સેશન બપોરે 3 થી 5 વાગ્યા સુધી યોજાયું હતું. તાલીમ દરમિયાન અધિકારીઓ દ્વારા મતદાન મથકની કામગીરી, ઈવીએમ મશીનના ઉપયોગ અને ચૂંટણી દરમ્યાન પાલન કરવાની માર્ગદર્શિકાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તંત્રનો ઉદ્દેશ મતદારોને કોઈ મુશ્કેલી ન પડે અને ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. આ અંગે ભરૂચ શહેર મામલતદાર નિકુંજ સાલવેએ પાલિકાના તમામ મતદારોને 26 મી એપ્રિલના રોજ મતદાનના દિવસે સવારે 7 થી સાંજના 6 સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

તસ્કરો ત્રાટક્યા:અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે પરિવારની હાજરીમાં ચોરોનો હાથફેરો

અંકલેશ્વરના નવાગામ કરારવેલ ખાતે પરિવાર ની હાજરી માં તસ્કરોનો હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. તસ્કરો ઘર ના પાછળ ના ભાગે આવેલ દરવાજો તોડી ઘર માં પ્રવેશ્યા હતા. પરિવાર મકાનના આગળ ના ભાગમાં સૂતું હતું ત્યારે તસ્કરોએ ચોરી ને અંજામ આપ્યો હતો. અંકલેશ્વર તાલુકાના નવાગામમાં ચોરીના બનાવ સામે આવ્યો છે. ગામની મસ્જિદ ફળિયામાં રહેતા ઈસ્માઈલ માયતના પરિવાર સાથે આગળ ના ભાગે સુતા હતા તે દરમિયાન ઘરના પાછળના ભાગમાં થી અજાણ્યા ચોર ઘરનો દરવાજો તોડી ઘર માં પ્રવેશ કર્યો હતો. કબાટમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે બે લાખ રૂપિયા ની માલમત્તા પર હાથફેરો કરી ફરાર થઇ ગયા હતા. ચોરી માં રૂ. એક લાખ રોકડ પણ ચોરી થઇ હોવાનું સામે આવી રહ્યું છે. ઘટના અંગે ઘરના માલિક ઈસ્માઈલ યુસુફભાઈ માયતના એ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને એફ.એસ.એલ , ડોગ સ્કોર્ડ અને ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ ની મદદ થી તપાસ શરુ કરી હતી. પોલીસે પરિવાર ની ફરિયાદ આધારે ગુનો નોંધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

વાતાવરણ:રવિવારથી ગરમીનો રાઉન્ડ, તાપમાન 40 ડિગ્રી પહોંચશે

ચાલુ વર્ષે હજુ ઉનાળાની જમાવટ થઈ નથી સવારે અને રાત્રે એકંદરે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. જોકે આગામી રવિવારથી ગરમીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો હોવાનું અને તાપમાન 40 ડિગ્રી પહોંચી શકે છે. જૂનાગઢ હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ ભાસ્કરને જણાવ્યું હતું કે, હજુ શનિવાર સુધી જૂનાગઢ, સોરઠ સહિતના વિસ્તારોમાં સામાન્ય તાપમાન રહેશે. જોકે રવિવારથી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો જોવા મળશે અને પારો 40 ડિગ્રી પાર થવાની શક્યતા છે. એપ્રિલના અંત સુધી આકરી ગરમીનો સામનો કરવાની માનસિક તૈયારી રાખવી પડશે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 5:30 am

₹3.86 કરોડ છેતરપિંડીનો મુખ્ય આરોપી 8 વર્ષે ઝડપાયો:ગીર સોમનાથ પોલીસે વડોદરામાંથી દબોચ્યો, 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત

ગીર સોમનાથ પોલીસે 8 વર્ષથી ફરાર ₹3.86 કરોડની છેતરપિંડીના મુખ્ય આરોપીને વડોદરામાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ 355 રોકાણકારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આરોપીએ રીયલ ઈન્ડિયા ઈન્ફાવેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની બનાવી હતી. આ કંપની દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નોકરીયાત અને મજૂર વર્ગના લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને મોટી રકમની છેતરપિંડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. જુનાગઢ રેન્જના ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ સૂચના અપાઈ હતી. મીસિંગ સેલની ટીમને મળેલી સચોટ બાતમીના આધારે, આરોપી ધ્રુવ ઉર્ફે મનીષકુમાર રામસમુજ નિષાદ (ઉંમર 53)ને વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો. આરોપી છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું નામ અને રહેઠાણ બદલીને ફરાર હતો. આરોપી સામે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 86/2018 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) અને ઉના પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 12/2019 (IPC કલમ 406, 409, 420, 120B તથા GPID એક્ટ કલમ 3) હેઠળ ગુના નોંધાયેલા છે. મીસિંગ સેલના ઈન્ચાર્જ પીએસઆઈ જે.આર. ડાંગર, એએસઆઈ શૈલેષભાઈ ડોડીયા, હેડ કોન્સ્ટેબલ પરેશભાઈ ગોહિલ અને કોન્સ્ટેબલ અજીતસિંહ વાળા સહિતની ટીમે આ સફળ કામગીરી કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:36 am

સોલા પોલીસના કોન્સ્ટેબલે 70 હજારની લાંચ માંગી:ચિટિંગ કેસમાં વહેલી ચાર્જશીટ કરી બીજો ગુનો ન નોંધવા કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો

અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં જેલમાં રહેલા આરોપીને વધુ હેરાન ન કરવા અને નવો ગુનો દાખલ ન કરવાના બદલામાં ₹70 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી વતી વચેટિયો બ્રિજેશ શ્રીમાળી ₹50 હજાર લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. એસીબીએ સરખેજ સર્કલ પાસે છટકું ગોઠવી વચેટિયાની ધરપકડ કરી છે, જ્યારે આરોપી કોન્સ્ટેબલ હાલ ફરાર થઈ ગયો છે. ગુનો દાખલ ન કરવાના બહાને ₹1.20 લાખની માંગ કરીઘટનાની વિગતો મુજબ, સોલા પોલીસ સ્ટેશનમાં નાણાકીય છેતરપિંડીના એક ગુનામાં આરોપીની ધરપકડ કરી તેને સાબરમતી જેલ મોકલી દેવામાં આવ્યો હતો. આ કેસમાં તપાસ કરી રહેલા કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરીએ આરોપીના ભાઈ પાસે ચાર્જશીટ ઝડપથી ફાઇલ કરવા, જામીન અપાવવામાં મદદ કરવા અને અન્ય કોઈ ગુનો દાખલ ન કરવાના બહાને કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. અંતે રકઝક બાદ ₹70 હજાર આપવાનું નક્કી થયું હતું. ₹20,000 ફોન પે મારફતે વચેટિયાને ચૂકવ્યા આ સોદાબાજીના ભાગરૂપે આરોપીના ભાઈએ અગાઉ ₹20,000 ફોન પે (PhonePe) મારફતે વચેટિયા બ્રિજેશ શ્રીમાળીને ચૂકવી દીધા હતા. બાકીના ₹50,000 આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ ફરિયાદના આધારે સરખેજ સર્કલ નજીક આવેલા 'ઉપસરપંચ ટી સ્ટોલ' પર છટકું ગોઠવ્યું હતું. કોન્સ્ટેબલ વતી ₹50,000 સ્વીકારવા બ્રિજેશ ઝડપાયોબ્રિજેશ શ્રીમાળી જ્યારે કોન્સ્ટેબલ વતી બાકીના ₹50,000ની રોકડ રકમ સ્વીકારવા આવ્યો ત્યારે એસીબીએ તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ કાર્યવાહીની ગંધ આવી જતાં મુખ્ય આરોપી કોન્સ્ટેબલ લક્ષ્મણ મોરી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. હાલ એસીબીએ વચેટિયા વિરુદ્ધ કાર્યવાહી કરી ફરાર કોન્સ્ટેબલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:05 am

ઢોલ-નગરા સાથે પહોંચ્યા ભાજપના નેતા ને સ્થાનિકોએ અટકાવ્યા:બોડકદેવમાં લાઈટ, રોડ અને પાણી મુદ્દે પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને લોકોએ કહ્યું પાંચ વર્ષે દેખાયા છો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે નીકળેલા ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓને સ્થાનિક લોકોના ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પૂર્વ કોર્પોરેટર વાસંતીબેન પટેલ અને ધનરાજ દેસાઈ સહિતના નેતાઓ જ્યારે ઢોલ-નગારા સાથે ડોર-ટુ-ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે રહીશોએ છેલ્લા પાંચ વર્ષથી પેન્ડિંગ રોડ, ગટર અને લાઈટના પ્રશ્નો મુદ્દે તેમને અટકાવીને ભારે રોષ ઠાલવ્યો હતો. જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવ્યાચૂંટણીનો માહોલ જામતા જ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ કમળને મત આપવાની અપીલ સાથે વિવિધ સોસાયટીઓમાં પહોંચી રહ્યા છે. જોકે, બોડકદેવ વિસ્તારમાં પ્રચારમાં નીકળેલા નેતાઓને જોતા જ એક જાગૃત નાગરિકે ઢોલ વગાડતા કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્થાનિક વ્યક્તિ નેતાઓને પૂછી રહ્યો છે કે, પાંચ વર્ષમાં કોઈ દેખાયું નથી, તો અત્યારે અહીં ક્યાંથી આવ્યા? રોડ તોડી નાખતા રહીશો પરેશાનસ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટરો સમક્ષ વિસ્તારની દુર્દશા વર્ણવતા જણાવ્યું હતું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં લાઈટના થાંભલા બદલવામાં આવ્યા નથી અને રોડ તોડી નાખવામાં આવ્યા હોવાથી રહીશો પરેશાન છે. આ ઉપરાંત, ગટરો ઉભરાવાની સમસ્યા અને તંત્ર દ્વારા અપાતા નકારાત્મક પ્રતિસાદને લઈને પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. નેતાઓ મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યારહીશોએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે, પાંચ વર્ષ સુધી પ્રજાના કામોમાં ગેરહાજર રહેલા નેતાઓ હવે મતો માટે વિકાસનો પ્રચાર કરવા નીકળ્યા છે જે અસ્વીકાર્ય છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને મતદારો હવે પાયાની સુવિધાઓના અભાવે નેતાઓ સામે સવાલો ઉઠાવતા થયા છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:05 am

યુવકને નિર્વસ્ત્ર કરી મહિલા સાથે વીડિયો ઉતાર્યો:5 લાખની ખંડણી માંગી, રાજુલામાં હનીટ્રેપ કેસમાં મહિલા સહિત 3ની ધરપકડ

રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. યુવકનું પેન્ટ ઉતરાવી મહિલા સાથેનો બીભત્સ વીડિયો ઉતાર્યો મળતી માહિતી મુજબ, વારાસ્વરૂપ ગામના યુવકને આ ગેંગના જ એક સભ્ય સાથે અગાઉથી ઓળખાણ હતી. આ ઓળખાણનો લાભ ઉઠાવી અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. યુવકને રાત્રિના સમયે હિંડોરણા ગામ નજીક બાવળની કાંટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ઢીકાપાટુનો માર મારી, ડરાવી-ધમકાવીને એક મહિલા સાથે તેનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ, આરોપીઓએ યુવકનું પેન્ટ ઉતરાવી તેને નિર્વસ્ત્ર કરી મહિલા સાથેનો બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઈલ અને ખિસ્સામાં રહેલી ₹1950ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. 5 લાખની ખંડણી અને ધમકી ટના બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો તે 5 લાખ રૂપિયા નહીં આપે તો આ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તેને જાનથી મારી નાખવામાં આવશે. ગભરાયેલા યુવકે આખરે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડઘટનાની ગંભીરતાને જોતા DYSP નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા PI વી.એમ. કોલાદરા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે કુલ 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓના નામ1. સમીનાબેન સબીરભાઈ સેલોત (રાજુલા)2. જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ (રાજુલા)3. કરણ દંતુભાઈ પટાટ (હિંડોરણા) શોધખોળ હેઠળના અન્ય આરોપીઓ1. લખમણભાઈ વાલેરાભાઈ પટાટ2. દેસુરભાઈ વાલેરાભાઈ પટાટ પોલીસે 77,000નો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલ રોકડ, 5 મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ ₹77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે અને પોલીસ અન્ય બે આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે. રાજુલા પોલીસે આ હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ કરી ગણતરીની કલાકોમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:05 am

સુરત બનશે સ્પોર્ટ્સ અને કલ્ચરલ હબ:જહાંગીરપુરામાં ઓલમ્પિક સાઇઝ પૂલ અને વેસુમાં રાજ્યનું પ્રથમ સીનર્જી અરેના બનશે

સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને શહેરના સર્વાંગી વિકાસ માટે જહાંગીરપુરા અને વેસુ વિસ્તારમાં બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં આયોજિત આ પ્રોજેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સવલતો પૂરી પાડવાનો અને નાગરિકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અત્યાધુનિક મંચ આપવાનો છે. આ સુવિધાઓ થકી સુરત હવે રમતગમત અને કળાના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જહાંગીરપુરામાં આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સજહાંગીરપુરામાં આશરે 17,000 ચોરસ મીટરના પ્લોટ પર એક ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવશે. આ સંકુલમાં ઓલમ્પિક માપદંડ મુજબનો સ્વિમિંગ પૂલ અને શિખાઉ લોકો માટે 'લર્નર્સ પૂલ' તૈયાર કરાશે. ઇન્ડોર સુવિધાઓમાં અત્યાધુનિક જિમ, બેડમિન્ટન કોર્ટ અને ટેબલ ટેનિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આજના યુવાનોની પસંદગીને ધ્યાને રાખીને પિકલબોલ, વોલીબોલ અને બોક્સ ક્રિકેટ માટે ખાસ મેદાનો બનાવવામાં આવશે. મુલાકાતીઓ માટે કેફેટેરિયા અને સ્પોર્ટ્સ યુટિલિટી શોપની વ્યવસ્થા પણ અહીં ઉપલબ્ધ રહેશે. ગુજરાતનો પ્રથમ 'સીનર્જી અરેના' પ્રોજેક્ટવેસુમાં શહીદ સ્મારક પાસે 25,000 ચોરસ મીટરની જગ્યામાં 'સીનર્જી અરેના' આકાર લેશે, જે રાજ્યનો પ્રથમ 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ અને આર્ટ્સ ફેસિલિટી' પ્રોજેક્ટ હશે. આ સંકુલમાં 1500 લોકોની ક્ષમતા ધરાવતું આધુનિક ઓડિટોરિયમ અને એક્ઝિબિશન કે સેમિનાર માટે 1200 લોકોની ક્ષમતા ધરાવતો કન્વેન્શન હોલ બનાવવામાં આવશે. સામાજિક પ્રસંગો માટે બેન્ક્વેટ હોલ અને બહારથી આવતા કલાકારો કે મહેમાનોના રોકાણ માટે 15 થી 20 હાઈ-એન્ડ હોટેલ રૂમ્સની સુવિધા પણ આ પ્રોજેક્ટનો ભાગ છે. PPP મોડલ અને આધુનિક સંચાલનઆ બંને પ્રોજેક્ટ્સનું સંચાલન પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે કરવામાં આવશે, જેથી પાલિકા પર આર્થિક બોજ ઓછો રહે અને ખાનગી એજન્સીઓના અનુભવનો લાભ મળે. કમિશનરે ડિઝાઇનમાં પાર્કિંગ, ફાયર સેફ્ટી અને દિવ્યાંગો માટેની સુવિધાઓ પર ખાસ ભાર મૂક્યો છે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે એન્જિનિયરિંગ વિભાગને ટેન્ડરિંગ પ્રક્રિયા વેગવંતી કરવા સૂચના આપી દેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 10 Apr 2026 12:05 am