SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

રાજકોટના કોર્પોરેટરનું 'ધૂમ મચાલે ધૂમ':BJPના ધારાસભ્યે એસ.ટી બસ ચલાવી, મહિલા MLAથી નારિયેળ ના ફૂ્ટ્યું, જુઓ VIDEO

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 6:00 am

‘ગુજરાતનો ટોપર પોક્સોના કેસમાં ફસાઈ ગયો’:સાબરમતીના બે શિક્ષિત કેદીઓની કરમકથની, ‘આર્મીમાં હતો, પરિવારમાં મર્ડર થયું, ને મને આજીવન કેદ થઈ’

'એ દિવસ મને ક્યારેય નહીં ભૂલાય. અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો મારા પર ફોન આવ્યો. મને ઇલેક્શન ડ્યૂટી સોંપવામાં આવી હતી. ચાર-પાંચ જણાએ આવી મને પકડી લીધો ને એક ગાડીમાં બેસાડી દીધો. થોડી જ વારમાં આગળ પોલીસની પ્લેટ મૂકી એટલે સમજી ગયો કે, એ ફ્રી ડ્રેસમાં આવેલી પોલીસ હતી. મને કહેવામાં આવ્યું કે, તમારા પર બાળકીને અડપલાં કરવા બદલ POCSOનો કેસ છે...' આ શબ્દો છે, સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સુજિતના. ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની એવી સાબરમતી જેલમાં આજીવન કેદ જેવી લાંબી સજાઓ કાપી રહેલા કેદીઓનાં ઇન્ટરવ્યૂ અને જેલમાં તેમના જીવન પર આધારિત દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે, કેવી રીતે બીજાની દારૂના લતના કારણે બે લોકો જેલમાં સજા ભોગવી રહ્યા છે. આજે મળીશું, આજીવન કેદની સજા ભોગવી રહેલા એવા બે કેદીઓને જેમને વર્ષો જેલમાં વિતાવ્યા બાદ આજે પણ ખ્યાલ જ નથી કે, તેઓને કયા ગુનાની સજા મળી રહી છે. હજુ પણ તેઓ પોતાની જાતને નિર્દોષ જ માને છે. આજે મળીએ સુજિત અને રામજીને. *** સાબરમતીઃ માત્ર જેલ નહીં, એક બિઝનેસ હાઉસ પણ ખરુંએ પહેલાં આજે પણ આપણે સાબરમતી જેલનું એક ચક્કર મારીએ. અગાઉના બે એપિસોડમાં આપણે સાબરમતી જેલ પરિસરની રચના અને તેના અંદરના માળખા વિશે જાણ્યું. જેલની અંદર આપણે જોયું કે, દરેક આરોપી કોઈ ને કોઈ કામ કરે છે, તો એ કામના એમને પૈસા મળે ખરા? જો હા, તો કેટલા હોય? તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે? એ માટે આપણે જેલની કામગીરી અને પેમેન્ટ સિસ્ટમ સમજવી પડે. બેકરીથી રેડિયો જોકીઃ જેવી સ્કિલ, એવું પેમેન્ટજેલમાં અનેક પ્રકારનાં કામોની વ્યવસ્થા સતત ચાલતી રહે છે, જેમાં દરજી કામ, સુથારી કામ, વણાટ કામ, કેન્ટીન, બેકરી, રેડિયો જૉકી, રસોઈ કામ, વાળંદ કામ, બગીચા નર્સરી, ધોબીકામ અને બુક બાઇન્ડિંગ વિભાગ સહિતના ઘણા વિભાગો ચાલે છે. જે દરેકમાં કામ કરવા બદલ એમને પેમેન્ટ મળે, જો બગીચાકામ જેવું કોઈ કામ હોય તો ₹110/દિવસ, જો વધારે બૌદ્ધિક કામ હોય તો ₹140/દિવસ અને જો એનાથી પણ વધારે મહેનતુ કામ હોય તો ₹170/દિવસનું પેમેન્ટ; એમાં પણ રવિવારની રજા, એટલે મહિને 26 દિવસનું પેમેન્ટ મળે. જ્યારે નવા કેદીઓ, જેમને હજુ કામે નથી લગાડ્યા, તે એમના ઘરેથી પૈસા મંગાવી શકે. જેલમાં બેસી પુણ્યનું ભાથું બાંધવાનાં કામહવે સવાલ એ થાય કે આ બધું કામ કરાવી એનો ઉપયોગ શું કરવાનો? તો એ માટે બધી જ પ્રોડક્ટને ક્યાંક સેવામાં તો ક્યાંક વેચાણ માટે મોકલવામાં આવે. દાખલા તરીકે, રેડિયો વિભાગના કેદીઓ દ્વારા અલગ અલગ બુક્સને ઓડિયો બુક તરીકે રેકોર્ડ કરી અંધજન મંડળના વિદ્યાર્થીઓ માટે મોકલવામાં આવે છે, જેથી તેઓ સુધી પણ પુસ્તક પહોંચે. જ્યારે બેકરીમાં રોજની ટનબંધ બ્રેડ બનાવી અસારવા સિવિલ અને સોલા સિવિલના દર્દીઓ માટે મોકલવામાં આવે છે. સાબરમતી જેલના વિવિધ બિઝનેસ, કરોડોનો વકરો!કેદીઓ માટે જેલની અંદર ચાલતા કેન્ટીન વિભાગના ઇન્ચાર્જ સાથે વાત કરી તો ખબર પડી કે અહીં મહિને 55થી 60 લાખ રૂપિયા જેટલો બિઝનેસ જાય છે! જેમાં શિયાળો હોય તો થોડો વધારે થાય ને ઉનાળો હોય તો ઓછો, પણ ₹50 લાખ તો મિનિમમ વકરો ખરો જ. તેમાંથી મળતા ₹3.5થી 4 લાખના પ્રોફિટને કેદી વેલફેર ફંડમાં આપવામાં આવે છે. જ્યારે બેકરી વિભાગે વર્ષ 2024-25માં 1 કરોડ 40 લાખ 54 હજાર 276 રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી ₹1.37 કરોડનું વેચાણ કરી ₹13,84,609નો નફો કર્યો હતો. આ ફક્ત એક વિભાગની વાત થઈ, આમાં દરજી વિભાગ, સુથારી વિભાગ એ બધા વિભાગનો બિઝનેસ હજુ અલગ! અરે, જેલની વાતો કરવા બેસીશું તો આજનો એપિસોડ અહીં જ પૂરો થઈ જશે. આપણે હવે કેદીઓ સાથે વાત કરીએ, જેલ જીવનની હજુ વધારે માહિતી આવતી કાલે મેળવીશું. *** આખા ગુજરાતનો ટોપર, પણ જેલનો બંદીવાન‘બંદીવાન’ સિરીઝના ત્રીજા એપિસોડમાં આજે વાત કરીશું ‘સુજિત’ અને ‘રામજી’ની. અરવલ્લીના ભિલોડા પાસે કુંડલપાલ ગામે રહેતો સુજિત 31 વર્ષની ઉંમરે જેલમાં આવ્યો હતો, જે સજા કાપતાં કાપતાં અત્યારે 34 વર્ષની ઉંમર થઈ છે. ન પતલો, ન જાડો, એકદમ પર્ફેક્ટ બાંધો; વ્યવસ્થિત કાપેલી દાઢી. બોલવામાં આદર અને સજ્જનતા. સ્પષ્ટ બોલી ને ગહન વાતો. હોય જ ને, કેમ કે બહારની દુનિયામાં સુજિત કોઈ જેવો તેવો ગુનેગાર નહિ, પણ શિક્ષક હતો! એમાંય વર્ષો સુધી તૈયારી કરીને સરકારી એક્ઝામનો ટોપર. પૂરા ગુજરાતની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક મેળવી જોબ લીધી હતી. એ દિવસે તો સુજિતને ડબલ લોટરી લાગી હતી. કારણ કે જે દિવસે સરકારી શિક્ષક તરીકેનો અપોઇન્ટમેન્ટ લેટર આવ્યો, એ જ દિવસે ભાઈ પોલીસ ભર્તી પરીક્ષામાં પણ પાસ થઇ ગયા અને તેનો અપોઇન્ટમેન્ટ લેટર પણ આવ્યો! બંનેમાંથી સુજીતે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પણ અત્યારે? જેલમાં બેસી જ્યુડિશિયલ વિભાગમાં કામ કરે છે. એની વે, આપણે સુજિત સાથે વાત ચાલુ કરીએ, રૂમમાં આવી સુજિત સજ્જતાથી સામે બેઠો ને અદબ વાળી ગુડ આફ્ટરનૂન કર્યું. એક જ દિવસે શિક્ષક અને પોલીસ બંને નોકરીના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા!શું થયું હતું તમારી સાથે? સુજીતે વાતની શરૂઆત કરી, ‘12મા ધોરણ સુધી ગામમાં જ સરકારી સ્કૂલમાં ભણી B.A. કર્યું ને પછી PTC કરી સરકારી શિક્ષકની તૈયારી શરૂ કરી. અમારા ઘરે મોટા ભાગના બધા સરકારી ટીચર જ છે. હું શિક્ષક, મારી વાઈફ શિક્ષક, મારા ભાઈ પણ શિક્ષક; મારા અને વાઈફના બંનેના પરિવારમાં મળી 10થી વધુ સરકારી શિક્ષક છે. આ સરકારી નોકરી મારી પહેલી નહોતી, આ પહેલાં મેં પોલીસમાં ASI અને કોન્સ્ટેબલની એક્ઝામ પણ ક્લિયર કરી છે. શિક્ષકની જોબમાં તો મારો ઓલ ગુજરાત ફર્સ્ટ રેન્ક હતો. એટલે મને સ્કૂલ પસંદ કરવાની છૂટ મળી, તો મેં અમદાવાદની નવી બનેલી સરકારી શાળા સિલેક્ટ કરી.’ ‘મને એ દિવસ બરાબર યાદ છે’શિક્ષક મહોદયે વાત ચાલુ રાખી, ‘પણ નવી સ્કૂલમાં નિયમ હોય કે, જે પહેલાં પહોંચે એ સિનિયર ગણાય. પાંચ નવા શિક્ષકોને શાળા ફાળવવામાં આવી હતી. તેમાંથી સવારે અમે ત્રણ લોકો એક સાથે પહોંચ્યા. જો બે લોકો સાથે આવ્યા હોય તો પછી ઉંમર જોવામાં આવે. એમાં મારી ઉંમર સૌથી વધુ હતી એટલે હું સિનિયર બન્યો. પછી તો મસ્ત લાઈફ ચાલતી હતી. મારાં લગ્ન પણ થઈ ગયાં ને મારી પત્ની પણ શિક્ષક હતી. હજુ લગ્નને દોઢ મહિનો જ થયો હતો ત્યાં એ ઘટના બની, મને બરાબર યાદ છે એ દિવસ…’ ‘તમારી ઇલેક્શન ડ્યુટી છે’16 સપ્ટેમ્બર 2017એ દિવસ મને ક્યારેય નહીં ભૂલાય. મારાં લગ્નના હજુ પાંચ મહિના જ થયા હતા. એટલે દર અઠવાડિયે હું ઘરે જતો રહેતો. એ દિવસે પણ શનિવારનું કામ પતાવી હું અમદાવાદથી પ્રાંતિજ જવા નીકળ્યો. હજુ અમદાવાદની બહાર નીકળ્યો ત્યાં અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો મારા પર ફોન આવ્યો. એ ટાઈમે અમારા પ્રિન્સિપાલ રજા પર હતા, એટલે બાજુની સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલ ઇન્ચાર્જમાં હતાં. મને કહે, ‘ઇલેક્શનમાં તમારી ડ્યુટી મૂકવામાં આવી છે. તો ભુયંગદેવ પાસે આવીને તમારો કૉલ લેટર લઈ જાઓ.’ જોકે દૂર દૂર સુધી ઇલેક્શન ડ્યુટીનો તો કોઈ ચાન્સ પણ નહોતો, તો મારું નામ કેવી રીતે આવ્યું? પણ ઓર્ડર હતો એટલે જવું પડે. ઘરે ફોન કર્યો કે, હું આજે નહીં આવી શકું. મારે અહીં કામ આવી ગયું છે.’ ‘ચાર-પાંચ લોકોએ મને પકડીને ગાડીમાં બેસાડી દીધો’પછી શું થયું? સુજિત કહે, ‘ગાડીનો યુટર્ન માર્યો ને નીકળી પડ્યો અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં જવા. ત્યાં એક કવરમાં મને લેટર આપ્યો ને એ તરત જ એ નીકળી ગયા. બીજી બાજુ હજુ તો જેવો લેટર ઓપન કરું ત્યાં ચાર-પાંચ જણાએ આવી મને પકડી લીધો ને એક ગાડીમાં બેસાડી દીધો. કોઈ કશું કહે નહીં, કશું બોલે નહીં, ક્યાં લઈ જાય છે, કશી જ ખબર નહિ. થોડી જ વારમાં આગળ પોલીસની પ્લેટ મૂકી એટલે સમજી ગયો કે, એ ફ્રી ડ્રેસમાં આવેલી પોલીસ હતી. રસ્તામાં મેં ઘણું પૂછ્યું કે, મેં કર્યું છે શું? પણ કોઈ જ જવાબ ન મળ્યો ને સીધા જ પોલીસ સ્ટેશન લઈ ગયા.’ ‘કોઇએ પોક્સો હેઠળ મારી સામે ફરિયાદ કરી હતી’પણ ગુનો શું હતો? સુજિત કહે, ‘હું બહાર બેન્ચ પર બેઠો હતો ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમારા પર અડપલાંનો કેસ છે. મારી આંખો ફાટીને ચાર થઈ ગઈ કે, મેં કોને અને ક્યારે અડપલાં કર્યાં? પરંતુ FIR થઈ હતી, એટલે ‘POCSO’ (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ) હેઠળ મને જેલ થઈ ને સાત મહિના સુધી જેલમાં રાખ્યો.’ ‘મારો નાર્કો ટેસ્ટ પણ થયો’સાત મહિના પછી? સુજિત કહે, ‘મારા ઇન્વેસ્ટિગેશન દરમિયાન મારો નાર્કો ટેસ્ટ પણ થયો હતો. બાદમાં કેસ ચાલતાં સાત મહિના પછી મને જામીન મળી ગયા. હું જામીન પર બહાર આવ્યો એટલે તરત જ મને ફરી નોકરીનો ઓર્ડર પણ મળી ગયો અને ફરી સરકારી શિક્ષકની નોકરી શરૂ થઈ ગઈ.પરંતુ ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ને સાત વર્ષ બાદ મારે ફરી જેલમાં જવું પડ્યું. અત્યારે હું POCSOના ગુનામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું.’ ‘બસ, કોર્ટ કેસ હાથમાં લે એટલી વાર…’તો હવે અત્યારે તમારા કેસનું સ્ટેટસ શું છે?‘મારો કેસ ચાલે જ છે, દર મહિને તારીખ પડે છે. દર મહિને હું કોર્ટમાં જઉ છું, પણ મારો કેસ ચાલતો જ નથી. જે દિવસની તારીખ પડી હોય, એ દિવસે જો વારો ન આવે તો આગળના મહિનાની તારીખે ફરી જવું પડે. એમ કરતાં કરતાં હું જેલમાં છેલ્લા 38 મહિનાથી છું. 38 મહિનામાં 38 જેટલી તારીખો ભરી હશે. જો કેસ હાથમાં લઈ લેશે તો હું તરત જ છૂટી જઈશ.’પરિવારજનો તમને જેલમાં મળવા આવે છે? સુજિત કહે, ‘શરૂઆતમાં આવતા. હવે હું જ નથી બોલાવતો. મુલાકાતના દિવસે વીડિયો કોલથી જ વાત કરી લઉં છું. મારી વાઈફ પણ બહારગામ સરકારી શિક્ષક છે. ત્યાંથી એને બિચારીને શા માટે અહીં ધક્કા ખવડાવવા?’ ‘અહીં પણ મારું વાંચન ને અભ્યાસ ચાલુ જ છે’જેલમાં ભણેલા ગણેલા કેદીઓ બહુ ઓછા હોય છે, એટલે સુજિતને અહીં જ્યુડિશિયલ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે. સુજિત કહે, ‘રોજે આખા દિવસનું કામ પતાવી રોજ સાંજે છાપાં-બુક્સ વાંચવાનું આજે પણ ચાલુ છે.’ ‘સહન કરતાં શીખ્યો છું’અહીં આવીને કોઈ નવી કામગીરી શીખ્યા? સુજિતે અદબ ખોલી બંને હાથ બંને બાજુ નીચે મૂક્યા, ‘અહીં નવું તો શું શીખું? હા, ખાસ તો સહન કરતાં શીખ્યો છું. ‘ઠોકર ઇન્સાન કો ચલના સિખાતી હૈ’ બસ આ એક ઠોકર છે, કંઈક તો શીખવું જ પડશે ને.’આ પહેલાં ક્યારેય કોઈ ગુનો કર્યો હતો? સુજિત હળવા સ્મિત સાથે બોલ્યો , ‘મારા પપ્પા આર્મીમાં હતા. ફેમિલીમાં મોટાભાગના બધા શિક્ષક જ છે. એટલે નાનપણથી જ ફુલ ડિસિપ્લિનવાળી લાઈફ રહી છે. પરંતુ કર્મની કઠણાઇ હતી તો અહીં આવવું પડ્યું. હું મારી લાઈફમાં ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી ચડ્યો, ખબર નહીં અહીં કેમ આવવાનું થયું.’ ‘પરિવાર સાથે ન રહી શક્યાનું દુઃખ છે’બહાર લોકો વાતો કરી ફેમિલીને કશું સંભળાવે છે? સુજિત કહે, ‘મને આખો સમાજ અને ગામના લોકો ઓળખે જ છે, એટલે સામે આંગળી ઊંચી કરવાનો સવાલ જ નથી. કોઈ ક્યારેય કશું નથી બોલતું. એમ પણ બોલે તો સાંભળવા કોઈ નવરું પણ નથી. મારી વાઈફ તો બહારગામ નોકરી કરે છે, મારો ભાઈ દાહોદમાં છે અને મમ્મી ગામડે ખેતી સંભાળે છે. દુઃખ એક જ વાતનું છે કે, મારી વાઇફે એકલા હાથે દીકરીને ઉછેરવી પડી. અત્યારે એની સાથે રહી ત્યાં જ સરકારી સ્કૂલમાં ભણે છે. પણ હું સાથે ન રહી શક્યો એનું દુઃખ છે.’ ‘કોરોનામાં પણ મેં સૌથી વધુ બાળકોને ભણાવ્યાં હતાં’શિક્ષક તરીકે કરિયર કેવું ચાલતું હતું? સુજિતે આંખો પહોળી કરી હાસ્ય સાથે વાત આગળ વધારી, ‘એકદમ ક્લીન. ક્યારેય કોઈ ફરિયાદ પણ નથી ગઈ કે કોઈ સજા પણ નથી થઈ. ઇવન કોરોનામાં પણ મેં સૌથી વધુ ક્લાસ લઈ બાળકોને ભણાવ્યા હતા. શિક્ષણ મંડળનો પણ મને ઘણો સપોર્ટ રહ્યો છે.’ ‘બસ, થોડા દિવસોની જ વાત છે’‘જીવનમાં બધાં દુઃખ જોયાં હતાં, પણ આવું ક્યારેય નથી જોયું. જ્યારે પણ સમય મળે એટલે અહીંયા બધા કેદીઓનાં દુઃખ સાંભળું છું. મને જે રીતે સજા મળી છે, એ જોઈ હું અહીં જેલમાં પણ કોઈને કેદીની નજરથી નથી જોઈ શકતો. મને કોર્ટ પર વિશ્વાસ છે કે મારો કેસમાં હાથ લેશે એટલે હું નિર્દોષ છૂટી જ જઈશ. બસ, થોડા દિવસોની વાત છે. હમણાં આ તારીખ પડે એટલે છૂટી જ જવાનો છું.’બહાર સૂરજ આથમવા નજીક હતો, પણ જેલના અંધારા વચ્ચે ય સુજિતનું આશાનું કિરણ ચમકતું હતું. અડગ મન સાથે સુજિત ઊભો થયો ને બીજા કેદીએ રૂમમાં પ્રવેશ કર્યો. *** આર્મીમાંથી રિટાયર થયા, તો જેલના આજીવન કેદી થયાઆજના દિવસનો બીજો કેસ પણ કંઈક એવો જ છે. તેમાં પણ આરોપી પોતાને નિર્દોષ જ માને છે. તેનું નામ છે રામજી. રામજીના કહેવા મુજબ, એ તો ગુનાના સમયે ક્રાઇમ સીન પર હાજર પણ નહોતો, છતાં સજા ભોગવી રહ્યો છે. વેઇટ, પહેલાં તમને રામજીને મળાવીએ. રામજી એટલે એકદમ પર્ફેક્ટ હટ્ટોકટ્ટો માણસ. તમારી સાથે ખાલી હાથ મિલાવે તો પણ તમને એની મજબૂત પકડનો અનુભવ થઇ જાય. આ હાથ આજુબાજુના દુશ્મનો માટે નહીં, પણ દેશના દુશ્મનો માટે તૈયાર થયેલા હતા. યસ, રામજી એટલે રિટાયર્ડ આર્મીમેન. વર્ષો સુધી દેશની સેવા કરી, પરંતુ હાલ મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. ‘મેરે સે હિન્દી મેં બાત કરના…’લાંબી હાઇટ, મીડિયમ બાંધો, ગઠ્ઠેદાર સ્નાયુઓ, આંખે બ્લેક ફ્રેમવાળાં ચશ્માં ને કાનમાં હિયરિંગ એઇડ પહેરેલાં રામજીની વાત કરવાની સ્ટાઈલ જૂની ફિલ્મોના સંજુબાબા જેવી. બોલે એટલે ડોકથી ઉપરનું માથું હલ્યે રાખે. હથેળીને આંગળીઓની શરૂઆત પાસેથી 90 ડિગ્રી વાળી છાતી પાસે આગળ પાછળ કરે રાખે. એમાં ય રામજી મૂળ ઉત્તર પ્રદેશનો એટલે હિંદીભાષી. રૂમમાં આવી સામેના ટેબલ પર એકદમ ટટ્ટાર બેસી રામજી જોરથી બોલ્યો, ‘ગુડ ઈવનિંગ સર’. એક મિનિટ માટે તો અમે પણ ઝબકી ગયા. સામે બેસી પહેલાં જ કહી દીધું. ‘સર, મેરે સે ના આપ પ્લીઝ હિન્દી મેં બાત કરના, મુજે ગુજરાતી ઉતના નથી આતા.’ મેં કહ્યું, ‘સારું, આપણે હિન્દીમાં જ વાત કરીશું.’ રામજીએ આંખો ઝીણી કરી, નકારમાં મોઢું હલાવતાં હલાવતાં કાનમાં લાગેલાં હિયરિંગ એઇડ પાસે હાથ લઈ જઈ કહે, ‘પ્લીઝ, થોડું મોટેથી બોલજો ને, મને ઓછું સંભળાય છે.’ ‘પરિવારમાં કોઇ ડખો થયો હતો, હું મદદ માટે ગયો ને ફસાઈ ગયો’શું થયું હતું તમારી સાથે? પાંચ વર્ષથી સજા કાપી રહેલા 49 વર્ષના રામજી સાથે અમે વાતની શરૂઆત કરી, ‘શું ગુનો કર્યો હતો તમે?’ રામજી કહે, ‘એ જ તો મને નથી ખબર. મેં કોઈ ગુનો જ નથી કર્યો.’‘હેં? તો તમે જેલમાં કેમ છો?’‘એમાં થયું એવું કે, હું જ્યારે આર્મીમાં હતો ત્યારે UPમાં મારી ડ્યૂટી હતી. એ વખતે અહીં મારા પરિવારમાં કોઈ ડખો થયો હતો. મને ફોન આવ્યો કે, આપણા પરિવારને આજુબાજુવાળા સાથે બહુ મોટો ઝઘડો થયો છે. મેં એ જ દિવસે રજા લીધી અને દોડતો ઘરે આવી ગયો. ઘરે જેવો આવ્યો, ત્યાં આજુબાજુના લોકો કહે, તમારે અહીં ઘરે આવવાનું જ નહોતું. મેં કહ્યું એમ થોડું ચાલે? મારા પરિવારનો ઝઘડો છે, તો હું આવું જ ને. ત્યાં બીજા દિવસે પોલીસ આવી ને મને પકડી લીધો.’પણ શા માટે પકડી ગયા? રામજી કહે, ‘એ ઝઘડામાં સામેવાળા એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું હતું. એ ગુનામાં અમને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા. પણ હું તો નિર્દોષ હતો. એટલે ત્યાંથી ભાગીને સીધો હું મારી નોકરી પર જતો રહ્યો.’ ‘US, જાપાન, દુબઈ… આખી દુનિયા ફર્યો, હવે જેલમાં છું’પછી? રામજી કહે, ‘એ પછી તો 36 વર્ષની ઉંમર સુધી નોકરી કરી ને પછી રિટાયર્ડ થઈ મારી પોતાની સિક્યોરિટી કંપની શરૂ કરી. જાપાન, મલેશિયા, USA, દુબઈ, સાઉદી અરબ, વિયેતનામ, ભૂતાન બધા દેશો ફરી બિઝનેસ કર્યો. એ બધા વચ્ચે હમણાં પાંચેક વર્ષ પહેલાં મારા જ ગામના મારા એક આર્મી મિત્રને સરકાર તરફથી જમીન મળી. અમે બંને સાથે જ રિટાયર્ડ થયા હતા. એને જમીન મળી, પણ મને ન મળી. મેં બધી પ્રોસેસ પણ તપાસી અને છેલ્લે કલેક્ટર પાસે ફરિયાદ કરવા ગયો.’ ‘તમારા પર કેસ બોલે છે, જમીન નહીં મળે’રામજીએ વાત ચાલુ રાખી, ‘કલેક્ટરે મને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે, તમારા પર એક કેસ બોલે છે. તમે પોલીસ સ્ટેશન જઈ એ સોલ્વ કરી એ ક્લિયર કરતા આવો એટલે તમને જમીન મળી જશે. હું તો ત્યારે જ નીકળ્યો પોલીસ સ્ટેશન જવા. જેવો ત્યાં પહોંચી ડોક્યુમેન્ટ કર્યા, ત્યાં મને અરેસ્ટ કરી લીધો. મારા પર જે તે વખતનો મર્ડરનો કેસ હતો. મને કોર્ટમાં લઈ ગયા ને સજા થઈ. અત્યારે કલમ 302ના ગુનામાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું.’ ‘દીકરો યુનિ.માં પ્રોફેસર છે, ઘરની જમીનો છે’તમારા ફેમિલીમાં કોણ કોણ છે? રામજી કહે, ‘અમે રહીએ છીએ મહેસાણામાં, પણ અમે મૂળ UPથી. એટલે ત્યાં અમારી જમીનો પણ છે. અત્યારે અહીં ઘરે વાઈફ એકલી જ છે. 24 વર્ષનો મોટો દીકરો બેંગલોરની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને 18 વર્ષનો નાનો દીકરો મેરઠમાં રહી કોલેજ કરે છે. અમારી ખેતીમાંથી મારા ભાગનું અનાજ ને પૈસા મારા ભાઈઓ ઘરે મોકલે અને મારા પેન્શનના પૈસા પણ આવે, એમાંથી મારી વાઈફ અત્યારે ઘર ચલાવે છે. મારી વાત કરું તો હું 18 વર્ષનો હતો ત્યારથી આર્મીમાં લાગ્યો હતો ને હમણાં 36 વર્ષની ઉંમરે રિટાયર્ડ થયો. એ પછી બિઝનેસ કર્યો.’ ‘ઝઘડામાં સામેલ હતા, એમને તો જામીન મળી ગયા’અહીં જેલમાં તમે શું કરો છો? રામજી કહે, ‘અહીં હું કેન્ટીન વિભાગમાં કામ કરું છું. એ સિવાય સમય હતો તો દરજી કામ પણ શીખ્યો છું. પણ દુઃખ એક જ છે કે, મારા દીકરાઓએ મારા વિના જીવવું પડ્યું. દર પંદર દિવસે મારી પત્ની મળવા આવે છે, પણ હું બહુ નથી બોલાવતો.’‘પરિવારના જે લોકો ઝઘડામાં ઇનવોલ્વ હતા એ ક્યાં છે?’‘મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જેવું સરેન્ડર કર્યું ને એ પછી મને સજા થઈ, એના દસ જ દિવસમાં તો એ લોકો છૂટી ગયા.’‘બહાર જવાનો ચાન્સ મલે તો શું કરશો?’‘હવે તો બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારી સિક્યોરિટી કંપનીને ફરી આગળ વધારીશ.’ ઉચ્ચ શિક્ષણ, ઉજ્જવળ કરિયર, પણ જેલના કેદી થયારામજી સાથે વાત પૂરી થતાં અમારી સામેથી ઊભો થયો ને એ જ ટટ્ટાર ચાલ સાથે રૂમની બહાર નીકળી ગયો. આજના બંને આરોપીઓમાં સામ્યતા એ જ હતી કે, બંને પોતાને દોષી માનતા જ નથી. બંને એજ્યુકેટેડ છે, સારા પરિવારથી આવે છે, સારું જીવન હતું, સારું કરિયર હતું, છતાં આજે જેલમાં સજા ભોગવી રહ્યા છે. પણ બંને હજુ પોતાની જાતને નિર્દોષ જ માને છે. હવે એ બંનેની વાતોમાં કેટલું તથ્ય એ તો કોર્ટ જ નક્કી કરશે. હજુ ડાયરીમાં આ બધાની છેલ્લી લાઇન લખાઈ રહી હતી ત્યાં, નવો એક કેદી ચહેરા પર હળવા સ્મિત સાથે રૂમમાં આવ્યો ને સામેના ટેબલ પર બેઠો. (નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિેશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ એમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 6:00 am

સમલૈંગિક સંબંધનો ભાંડો ફૂટતા જ પાર્ટનરને કુહાડી મારી હત્યા કરી:વાડીમાં ખાડો ખોદી મીઠું નાખીને લાશ દાટી દીધી, પોલીસને ગેરમાર્ગે દોરવા બાઇક નર્મદા કેનાલ પાસે મૂકી આવ્યો

ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે પંચમહાલ જિલ્લાના એક ચોંકાવનારા કેસ વિશે વાંચ્યું. જેમાં રાજ નામના યુવકના રણછોડ સાથે સમલૈંગિક સંબંધો હતા. રાજથી કંટાળીને એક દિવસ રણછોડે ઘરે આવીને રાજના મોટાભાઇ સહિત આખા પરિવાર સામે ભાંડો ફોડી દીધો. ત્યાર બાદ મોટો ઝઘડો થયો હતો. આ ઘટનાના બીજા દિવસે રાજ ભેદી રીતે ગુમ થઇ ગયો હતો. પોલીસે જ્યારે તપાસ કરી તો ત્રીજા દિવસે નર્મદા કેનાલ પાસેથી તેનું બાઇક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. જો કે નર્મદા કેનાલમાં તરવૈયાઓની મદદથી શોધખોળ પણ હાથ ધરવામાં આવી. તેમ છતાં રાજની ડેડબોડી ન મળી. રાજના ગુમ થયાના લગભગ અઠવાડિયા બાદ અચાનક એક દિવસ તેનો મોબાઇલ એક્ટિવ થયો. પરિવારના એક સભ્ય પર ફોન એક્ટિવ થયાનો મેસેજ આવ્યો એટલે તેના પર કોલ કર્યો. સામા છેડે રણછોડ કોઇ અન્ય વ્યક્તિ સાથે વાત કરતો હોય એમ સંભળાયું. એટલે કે ફોન ભૂલથી ઉપડી ગયો હતો. આ જ કારણે પોલીસ રાતોરાત ફરીથી રણછોડને ઉપાડી લાવી અને પૂછપરછ શરૂ કરી. પહેલો પાર્ટ વાંચવા અહીં ક્લીક કરો હવે આગળનો ઘટનાક્રમ વાંચો… પોલીસ સ્ટેશનના એક ખૂણામાં લેમ્પના પ્રકાશ નીચે રણછોડ બેઠો હતો. શરૂઆતમાં તો દરેક પાકા ગુનેગારની જેમ તેણે એ જ રટણ ચાલુ રાખ્યું, સાહેબ, મને કંઇ ખબર નથી. હું તો મારા ઘરે હતો. રાજ ક્યાં છે એની મને શું ખબર? કલાકો સુધી પૂછપરછ ચાલી. રણછોડની આંખોમાં ડર હતો પણ જીભ હજુ સત્ય બોલવા તૈયાર હોય એમ લાગતું નહોતું. તે વારંવાર એક જ વાત રિપીટ કરતો હતો કે તે નિર્દોષ છે. પોલીસને પણ એક ક્ષણ માટે એવું લાગ્યું કે કદાચ રણછોડ ખરેખર અજાણ છે અને મોબાઇલની વાતમાં કોઇ ટેકનિકલ ભૂલ હોઇ શકે. રણછોડ પોલીસની કસ્ટડીમાં નીચું જોઇને બેઠો હતો. ટેબલ પર રાજનો એ ગુમ થયેલો મોબાઇલ પડ્યો હતો, જે રણછોડ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. પીએસઆઇ ચુડાસમા ખૂબ અનુભવી હતા. તેમણે જોયું કે સીધી આંગળીએ ઘી નીકળે તેમ નથી. રણછોડ સાથે કડકાઇ છોડીને યુક્તિ વાપરવાનું નક્કી કર્યું. તેમણે રણછોડને વિશ્વાસમાં લીધો. જાણે તેઓ તેને બચાવવા માંગતા હોય તેવી રીતે વાતચીત શરૂ કરી. મનોવૈજ્ઞાનિક દબાણ અને પોલીસની એ ચતુર ચાલમાં રણછોડ આખરે ફસાઇ ગયો. તેના ચહેરા પર પરસેવો વળવા લાગ્યો. તેનું મૌન તૂટ્યું અને તે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યો. પોલીસે રણછોડને બોલવાનો આદેશ આપ્યો. 54 વર્ષના એ આધેડ વ્યક્તિના અવાજમાં ધ્રૂજારી હતી પણ શબ્દોમાં કચવાટ હતો. સાહેબ, રાજ મને છોડતો નહોતો. તે અવારનવાર મને સજાતીય સંબંધો બાંધવા દબાણ કરતો. હું થાકી ગયો હતો એટલે જ એ સાંજે હું એના ઘરે ફરિયાદ કરવા ગયો હતો પણ એ વાતથી રાજ ભડકી ગયો પછી એણે મને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી. રણછોડે આગળ જણાવ્યું, 8મી જાન્યુઆરીની બપોરે રાજ પાવાગઢના નવાગામમાં આવેલી વાડીએ આવ્યો. એ બરાબરનો ગુસ્સે થયેલો હતો. એણે મને કહ્યું કે 'તેં મારા ઘરે જઇને આપણા સંબંધોની વાત કેમ કરી? હવે તારે મારું જ કહ્યું કરવાનું, ક્યાંય પણ જાય તો મને પૂછીને જવાનું, નહીં તો તને મારી નાખીશ અને તારા નગ્ન ફોટા દુનિયાને બતાવી દઇશ.' સાહેબ, એની પાસે મારા વાંધાજનક વીડિયો અને ફોટા હતા. મેં ડરમાં ને ડરમાં એનો મોબાઇલ ઝૂંટવી લીધો. એ પછી રાજ બાઇક લઇને ત્યાંથી જતો રહ્યો. મેં ડરના માર્યા એ ફોન પાવાગઢના ગાઢ જંગલમાં છૂપાવી દીધો હતો. એ મોબાઇલ ફોન ખોલીને તપાસ્યો તો પોલીસ પણ ચોંકી ઉઠી. એ ફોન ગંદી તસવીરો અને વીડિયોથી ભરેલો હતો. રાજ માત્ર રણછોડ જ નહીં, પણ અન્ય કેટલાય પુરુષો સાથે સજાતીય સંબંધો ધરાવતો હોવાના પુરાવા તેમાં મળ્યા. રાજનું એક બીજું જ પાસું દુનિયા સામે આવી રહ્યું હતું. પરંતુ, પોલીસની નજર રણછોડના નિવેદનમાં રહેલી ખામીઓ પકડી રહી હતી. પીએસઆઇ ચુડાસમાએ ટેબલ પર હાથ પછાડતા પૂછ્યું, રણછોડ… જો તે ફોન ઝૂંટવી લીધો અને રાજ બાઇક લઇને જતો રહ્યો તો એની બાઇક કેનાલ પાસે બિનવારસી હાલતમાં કેમ મળી? અને રાજ પોતે ક્યાં છે? જો તે આત્મહત્યા કરી હોય તો લાશ કેમ નથી મળતી? રણછોડ પાસે આ વાતનો કોઇ જવાબ નહોતો. તે ફરી એ જ વાતનું રટણ કરવા લાગ્યો કે રાજ ત્યાંથી નીકળી ગયો હતો. જે તે સમયે પોલીસ પણ રણછોડ પાસેથી વધારે વિગતો કઢાવી ન શકી એટલે તેને જવા દેવામાં આવ્યો. આમ ને આમ એક અઠવાડિયું વિતી ગયું હતું. રાજ ગુમ થયાને 8 દિવસ થયા હોવા છતાં પોલીસ હજુ પણ અંધારામાં હતી. રણછોડની કબૂલાત કાયદાકીય રીતે માત્ર મોબાઇલ ચોરી સુધી સિમિત હતી પણ રાજનો પત્તો ક્યાંય નહોતો. રાજના ભાઇ અજયની આશા હવે તૂટી રહી હતી. પોલીસને લાગતું હતું કે રણછોડ હજુ પણ ઘણું છૂપાવી રહ્યો છે. પીઆઇ જાડેજા અને પીએસઆઇ ચુડાસમાની અનુભવી નજરો રણછોડના ચહેરા પરના બદલાતા હાવભાવને પકડી રહી હતી. રણછોડ જે રીતે વારંવાર નિવેદન બદલતો હતો તેનાથી સ્પષ્ટ હતું કે સત્ય અત્યંત બિહામણું છે. પોલીસે હવે રણછોડના પરિવારની પણ ગુપ્ત તપાસ કરી અને તેને એવો વિશ્વાસ અપાવ્યો કે જો તે સાચું કહી દેશે તો કદાચ કોઇ રસ્તો નીકળશે. અંતે, રણછોડની ધીરજ ખૂટી. તેના મન કેટલાક દિવસથી ગોંધાઇ રહેલા પાપનો ભાર હવે તે ખમી ન શક્યો. તેણે જે ઘટસ્ફોટ કર્યો તે સાંભળીને પોલીસ સ્ટેશનમાં સોંપો પડી ગયો. સાહેબ, છેલ્લા એક વર્ષથી હું નરકમાં જીવતો હતો... રણછોડે માંડીને આખી વાત શરૂ કરી. રણછોડે કબૂલાત કરી કે રાજ સાથે તેને છેલ્લા એક વર્ષથી સજાતીય સંબંધો હતા. રાજનો અતિરેક અને તેની જીદ રણછોડ માટે માનસિક ત્રાસ બની ગઇ હતી. સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો ડર અને રાજની સતત વધતી માંગણીઓથી કંટાળીને રણછોડે અજયના ઘરે જઇને વાત કરી હતી. પણ આ વાતથી રાજ આ હદે ગુસ્સે થઇ જશે એવી રણછોડને કલ્પના નહોતી. 8 જાન્યુઆરી, 2023 રવિવારનો બપોરનો એ રક્તરંજિત સમય. બપોરના બારેક વાગ્યા હતા. રણછોડ નવાગામમાં પોતાની વાડીમાં હતો. રાજ ત્યાં રાતોચોળ થઈને આવ્યો. બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. ગાળાગાળી અને ધમકીઓના દોર બાદ રાજ થાકીને વાડીમાં આવેલી ઝૂંપડીમાં આડો પડ્યો. તેને ખબર નહોતી કે તે કાળની ગોદમાં માથું મૂકી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં થયેલા બે મોટા ઝઘડાના કારણે રણછોડના મનમાં વેર અને બીકનું ઝેર ચડ્યું હતું. રણછોડને લાગ્યું કે જો આજે રાજને ખતમ નહીં કરે તો તેને જીવવા નહીં દે. રણછોડ આસપાસ જોયા વગર ઝૂંપડીમાં પડેલી ધારદાર કુહાડી ઉપાડી અને રાજ પર તૂટી પડ્યો. રણછોડે એક પછી એક ઘા રાજના ગળા અને કપાળ પર ઝીંકી દીધા. એક ક્ષણ પહેલાં જીવતો-જાગતો રાજ હવે લોહીથી રંગાઇ ગયો હતો અને તરફડી રહ્યો હતો. ગળામાંથી નીકળતા લોહીના ફૂવારાથી ઝૂંપડાની જમીન લાલ-લાલ થઇ ગઇ હતી. થોડી જ વારમાં રાજનો દેહ શાંત થઇ ગયો પણ રણછોડનો ફફડાટ વધી ગયો. રણછોડે હવે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. તેને ભાન થયું એટલામાં તો ઘણું મોડું થઇ ચૂક્યું હતું. હવે રણછોડે આ લાશનો નિકાલ કરવાનું નક્કી કર્યું. તે લોહીલુહાણ લાશને એક જૂની ગોદડીમાં લપેટીને ખભે ઊંચકીને બાજુના ખેતર તરફ ચાલવા લાગ્યો. પડોશીના ખેતરમાં વરિયાળીનો પાક લહેરાતો હતો ત્યાં પૂર્વ દિશાએ આવેલા એક ઘટાદાર ખેરના ઝાડ નીચે ખાડો ખોદ્યો પછી પુરાવા નાશ કરવા માટે તે મીઠું લઇ આવ્યો. તેણે લાશ પર મીઠું નાખ્યું જેથી દેહ જલ્દી ઓગળી જાય. લાશને દાટી દીધા પછી તેણે રાજના ચપ્પલ અને પાકીટ પણ અલગ-અલગ જગ્યાએ જમીનમાં ધરબી દીધા. તે પાછો પોતાની ઝૂંપડીએ આવ્યો અને જમીન પર પડેલા રાજના લોહી પર માટી નાખી દીધી. જાણે ત્યાં કંઇ બન્યું જ ન હોય. આ સાંભળીને પોલીસકર્મીઓ પણ સ્તબ્ધ હતા. જેને તેઓ કેટલાક દિવસથી નર્મદા કેનાલમાં શોધી રહ્યા હતા તેની લાશ તો પાવાગઢની એક વાડીમાં ઝાડ નીચે દફન હતી. રણછોડની કબૂલાતે હાલોલ પોલીસને ચોંકાવી દીધી હતી પરંતુ કાયદો માત્ર શબ્દો નહીં, પુરાવા જુએ છે. રણછોડ સાચું બોલે છે કે પોલીસને ભટકાવે છે, તેની ખાતરી કરવા માટે પીઆઇ આર.એ.જાડેજા અને પીએસઆઇ ચુડાસમાએ તાત્કાલિક ઘટનાસ્થળે જઈને ચકાસણી કરવાનું નક્કી કર્યું. 15 જાન્યુઆરી, 2023ના રોજ બપોરના સમયે પોલીસનો કાફલો રવાના થયો. વળી ઘટનાસ્થળ પાવાગઢ પોલીસની હદમાં હોવાથી તેમને પણ જાણ કરવામાં આવી. એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટ અને પંચોની હાજરીમાં રણછોડને પાવાગઢમાં આવેલા નવાગામની વાડીમાં વરિયાળીના ખેતર પાસે લઇ જવામાં આવ્યો. રણછોડના પગ ધ્રૂજતા હતા પણ આજે તે ભાગી શકે તેમ નહોતો. તેણે ખેતરના શેઢા પાસે આવેલા ખેરના ઝાડ તરફ આંગળી ચીંધી. પોલીસે ખોદકામ શરૂ કરાવ્યું. જેમ-જેમ માટી હટતી ગઇ, તેમ-તેમ વાતાવરણમાં એક અસહ્ય દુર્ગંધ પ્રસરવા લાગી. થોડી જ વારમાં ગોદડીમાં લપેટાયેલી એક ડેડબોડી દેખાઇ. લાશ પર મીઠું નાખેલું હોવાઓથી ઘણા અંશે ડિકમ્પોઝ થઇ ગઇ હતી પરંતુ કપડાં હજુ એવાને એવા જ હતા. લાલ, સફેદ અને કાળા રંગનું બનિયાન અને ટ્રેક પેન્ટ જોઇને અજયની ચીસ નીકળી ગઇ…. આ જ મારો ભાઇ રાજ છે રાજના કપાળ અને ગળા પર કુહાડીના એ ઘા હજુ પણ રણછોડની ક્રૂરતાની સાક્ષી પૂરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી લોહીવાળી માટી, કુહાડી, રાજના પાકીટ-ચપ્પલ અને લોહીના ડાઘાવાળા લાકડાના ટુકડા જપ્ત કર્યા. ફોરેન્સિક તપાસ માટે બ્લડ સેમ્પલ અને કપડાં પણ કબજે લેવાયા. જ્યાં ગુનો બન્યો તે સ્થળ પાવાગઢ પોલીસની હદમાં હોવાથી આ ગુનાની આગળની તપાસ પાવાગઢ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર આર.જે. જાડેજાએ હાથ ધરી હતી. તેમણે રણછોડની ધરપકડ કરી. તપાસના અંતે 13 એપ્રિલ, 2023ના રોજ હાલોલની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. કેસની ગંભીરતા જોતા તેને સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો. હાલોલની એડિશનલ સેશન્સ કોર્ટમાં જ્યારે આ કેસ ચાલ્યો ત્યારે વાતાવરણ ભાવુક અને ગંભીર હતું. એક તરફ સમાજની મર્યાદાઓ તોડતા સજાતીય સંબંધોનો વિવાદ હતો તો બીજી તરફ એક મિત્રએ જ કરેલી મિત્રની નિર્મમ હત્યા હતી. એડિશનલ સેશન્સ જજ સંજયકુમાર સી. ગાંધી સામે તમામ સાંયોગિક પુરાવાઓ, મેડિકલ રિપોર્ટસ અને સાક્ષીઓની જુબાનીઓ રજૂ કરવામાં આવી. રણછોડના વકીલે બચાવમાં દલીલ કરી હતી પરંતુ પુરાવાઓ કંઇક અલગ જ કહી રહ્યા હતા. હત્યા કરીને લાશને મીઠું નાખી દાટી દેવી એ ઘટના પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારો કરતી હતી. 6 ઓક્ટોબર, 2025ના રોજ એ સમય આવ્યો જ્યારે કોર્ટે આ કેસમાં ચુકાદો સંભળાવ્યો. કોર્ટ રૂમમાં પિન-ડ્રોપ સાયલન્સ હતું. 56 વર્ષના રણછોડના ચહેરા પર પસ્તાવો હતો કે નહીં તે કહેવું મુશ્કેલ હતું પરંતુ કાયદાનો હાથ તેના ગળા સુધી પહોંચી ગયો હતો. જજે ચુકાદો સંભળાવ્યો… આરોપી રણછોડને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ તકસીરવાન ઠેરવવામાં આવે છે અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. કોર્ટના આ હુકમ સાથે જ પંચમહાલના એ રહસ્યમયી મર્ડર કેસનો અંત આવ્યો. રાજની હત્યાના લોહીના ડાઘા ભલે મીઠા અને માટીમાં ભળી ગયા પણ કાયદા સામે સત્ય બહાર આવી જ ગયું. એક ભૂલ ભૂલામણી જેવા સંબંધોનો કરુણ અને રક્તરંજિત અંજામ જેલના સળિયા પાછળ જઇને અટક્યો. (નોંધ- પાત્રોના નામ બદલેલા છે)

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 6:00 am

ભારતીય ક્રિકેટરોએ પેંચમાં જંગલ સફારીની મજા માણી

નાગપુરમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ પહેલા સચિન તેન્ડુલકર અવારનવાર ટાઇગર સફારીમાં જાય છે ઃ રિલેક્સ થયેલા ખેલાડીઓનો આજે મુકાબલો મુંબઇ- ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતી કાલે નાગપુરમાં પહેલી ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચ રમાવાની છે એ પૂર્વે ભારતીય ક્રિકેટરોએ પેંચનાં જંગલમાં જઇ વાઘ-દર્શનનો આનંદ માણ્યો હતો. નાગપુરના વી.સી.

ગુજરાત સમાચાર 21 Jan 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:હવે નીતિન મારા બોસ: PM મોદી, શેરબજારમાં મોટો કડાકો, અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- રાષ્ટ્રપતિ પણ શંકરાચાર્ય નક્કી ન કરી શકે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બીજા મોટા સમાચાર પ્રયાગરાજમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદના હતા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાહુલ ગાંધી હરિયાણાના પ્રવાસે રહેશે. કુરુક્ષેત્રમાં પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 2. અરવલ્લી રેન્જ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. અવિમુક્તેશ્વરાનંદે કહ્યું-સુપ્રીમ કોર્ટના ખભા પર બંદૂક ના મુકો:તમે ક્યાં સુધી આ રીતે છટકી શકશો? વહીવટીતંત્રે તેમના શંકરાચાર્ય દરજ્જાના પુરાવા માંગ્યા હતા પ્રયાગરાજમાં પાલખી રોકવા મામલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે માઘ મેળા પ્રશાસન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના ખભા પર બંદૂક રાખીને પ્રશાસનથી જે ભૂલ થઈ છે, તેને આ લોકો છુપાવવા માગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટનો ખોટો હવાલો આપીને આ લોકો ક્યાં સુધી બચી શકશે? ખુદ સરકારે મહાકુંભમાં એક પત્રિકા છાપી હતી, તેમાં મને શંકરાચાર્ય તરીકે નામ છાપવામાં આવ્યું હતું. આ પહેલા ધરણા પર બેઠેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને માઘ મેળા પ્રશાસને નોટિસ જારી કરી હતી. મેળા પ્રાધિકરણે તેમને 24 કલાકમાં એ સાબિત કરવા કહ્યું છે કે તેઓ જ અસલી શંકરાચાર્ય છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. PM મોદીએ કહ્યું, હું ભાજપનો કાર્યકર્તા ને નીતિનજી મારા બોસ:નીતિન નબીનની પીઠ થપથપાવી, હાથ પકડીને BJP અધ્યક્ષની ખુરશી પર બેસાડ્યા; દીકરીને ખોળામાં લઈને રમાડી ભારતીય જનતા પાર્ટીમાં નીતિન નબીન યુગની શરુઆત થઈ છે. નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ હેડક્વાર્ટર ખાતે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું, ભાજપે શૂન્યથી લઈને શિખર સુધીની યાત્રા જોઈ છે. ભાજપના એક સંસ્કાર છે, એક પરિવાર છે અને સભ્યપદ કરતાં સંબંધો વધુ મહત્ત્વપૂર્ણ છે. ભાજપ એક પરંપરા છે, જે પદથી નહીં, પરંતુ પ્રક્રિયાથી ચાલે છે. આપણી પાસે એક કાર્ય વ્યવસ્થા છે, જીવનભરની જવાબદારી. અહીં અધ્યક્ષ બદલાય છે, પણ આદર્શ બદલાતા નથી. નેતૃત્વ બદલાય છે, પણ દિશા બદલાતી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. શેરીમાં કૂતરાંને બિસ્કિટ આપતાં પહેલાં બેવાર વિચારજો:સુપ્રીમ કોર્ટે કહ્યું, રખડતાં કૂતરાં કોઈને કરડે તો ખવડાવનાર પણ જવાબદાર; અમારી ટિપ્પણીઓને મજાક ન સમજો, અમે ગંભીર છીએ સુપ્રીમ કોર્ટે મંગળવારે રખડતાં કૂતરાંના હુમલાઓ પર સખત ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું, 'રખડતાં કૂતરાંના કોઈ હુમલામાં ઈજા કે મૃત્યુ થાય તો નગરપાલિકાની સાથે ડોગ ફીડર્સની જવાબદારી પણ નક્કી કરી શકાય છે.' કોર્ટે કહ્યું- અગાઉની સુનાવણીની ટિપ્પણીઓને મજાક સમજવી ખોટી હશે. અમે ગંભીર છીએ. કોર્ટ જવાબદારી નક્કી કરવામાં પાછળ નહીં હટે, કારણ કે વર્તમાન વ્યવસ્થામાં સ્થાનિક તંત્રની નિષ્ફળતા સામે આવી છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે કહ્યું- કોર્ટ ખાનગી પક્ષોની દલીલો પૂરી કરીને આજે જ સુનાવણી સમાપ્ત કરવા માગે છે. આ પછી રાજ્યોને એક દિવસનો સમય આપવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. એક જ ઝાટકે રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા!:સેન્સેક્સ 1000 પોઇન્ટ તૂટ્યો, શું ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની જીદની અસર? ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તબાહીનો મંજર જોવા મળ્યો. મંગળવારે સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટીને 82,180.47 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25,232.50 પર બંધ થયો. નિફ્ટી બેંકમાં 487 પોઈન્ટનો ઘટાડો નોંધાયો, જોકે ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ 1200 પોઈન્ટ અને નિફ્ટી 400 પોઈન્ટ સુધી ગગડી ગયા હતા. આટલા મોટા કડાકાને કારણે મંગળવારે રોકાણકારોના 10.12 લાખ કરોડ રૂપિયા એક ઝટકામાં સ્વાહા થઈ ગયા. BSEના ટોપ 30 શેરોમાં માત્ર HDFC બેંકને બાદ કરતાં બાકીના તમામ 29 શેર ઘટાડા સાથે બંધ રહ્યા. સૌથી વધુ ઘટાડો Zomatoના શેરમાં (4%થી વધુ) રહ્યો. આ સિવાય બજાજ ફાઈનાન્સ, સનફાર્મા, ઇન્ડિગો, રિલાયન્સ અને TCS જેવા દિગ્ગજ શેરો પણ ધરાશાયી થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ટ્રમ્પની ફ્રેન્ચ વાઈન પર 200% ટેરિફ લગાવવાની ધમકી:મેક્રોનનો પ્રાઈવેટ મેસેજ લીક કર્યો, તેમણે ગાઝા મુદ્દે સાથ આપવાનો ઈનકાર કર્યો હતો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી છે. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ પણ કરવા માંગતા નથી, કારણ કે ખૂબ જ જલ્દી તેમની ખુરશી છીનવાઈ જવાની છે. તેમણે કહ્યું, 'જો મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે.’ વાંચો સંપૂર્ણ સમાચાર 6. GPSCની પરીક્ષાઓના કોલલેટરની તારીખો જાહેર:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી સાત ભરતીની હોલ ટિકિટ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. 'હવે મારે મરવા સિવાય કોઈ રસ્તો નથી':મારી પત્ની બીજા સાથે ભાગી તોપણ મેં સાચવી, હવે છૂટાછેડાના બે લાખ માગે છે; પત્ની-સાસરિયાંના ત્રાસથી યુવકની આત્મહત્યા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા યુવકે પત્ની અને સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવીને સાસરિયાં પર આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ પુત્રના મોતનું કારણ તેનાં સાસરિયાં હોવાનું જણાવ્યું છે. આ અંગે હાલ પોલીસે એ.ડી. નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા ધનાભાઈ સોંદરવા મોટા પુત્ર ગોપાલના પહેલા લગ્ન ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા, જોકે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ ગોપાલના બીજા લગ્ન 11 મહિના પહેલાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામે રૂપલ નામની યુવતી સાથે થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : DGPના ‘ડર્ટી પિક્ચર’થી કર્ણાટક સરકાર હચમચી:અશ્લીલ વીડિયો કાંડમાં રામચંદ્ર રાવ સસ્પેન્ડ; DGP બોલ્યા- આ વીડિયો 8 વર્ષ જૂનો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : વિશ્વયુદ્ધના ભણકારા? ગ્રીનલેન્ડ પર કબજા માટે ટ્રમ્પની જીદ:અમેરિકાએ મિલિટરી એરક્રાફ્ટ મોકલ્યું, જર્મની, ફ્રાન્સ સહિત 7 દેશે સૈનિકો મોકલ્યા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : BMC મેયર પદ- શિવસેનાએ ફરી દાવેદારીના સંકેત આપ્યા:શિંદેએ કહ્યું- કાર્યકરોની ઈચ્છા, બાળ ઠાકરેની જન્મશતાબ્દી પર શિવસૈનિક મેયર બને વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેના PMએ કહ્યું- નોબેલ સરકાર નહીં, કમિટી આપે છે:ટ્રમ્પની ફરિયાદ પર જવાબ આપ્યો; ટ્રમ્પે કહ્યું- હવે ઇનામ નહીં દેશનો ફાયદો વિચારી રહ્યો છું વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹10,888 વધીને ₹3.05 લાખની ઓલટાઇમ હાઇ પર:20 દિવસમાં કિંમત ₹74 હજાર વધી, સોનું ₹2,429 વધીને ₹1.46 લાખ પર પહોંચ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : શું રોહિત-કોહલીને કરોડોનો ફટકો પડશે?:અજિત અગરકરે નવું ગતકડું કાઢ્યું, ગિલને પ્રમોશન નક્કી; સેન્ટ્રલ કોન્ટ્રેક્ટનું માળખું બદલાયું તો RO-KOને ડિમોશન મળશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતે રાજાના અહંકારનું આભરણ તોડ્યું:જીવનનો બોધપાઠ આપતા કહ્યું- 'પરિસ્થિતિ ગમે તે હોય, સંતોષ જ સાચું સુખ છે' વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ 25,00,000 રૂપિયામાં બન્યું લગ્નનું કાર્ડ જયપુરમાં એક પિતાએ પોતાની દીકરીના લગ્ન માટે 3 કિલો ચાંદીમાંથી વેડિંગ કાર્ડ તૈયાર કરાવ્યું છે. તેમાં 65 દેવી-દેવતાઓની કોતરણી છે. આ કાર્ડની કિંમત અંદાજે ₹25 લાખ રૂપિયા છે. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: UP પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને કહ્યું- 'તમે શંકરાચાર્ય જ નથી, 24 કલાકમાં જવાબ આપો'; આખરે શું છે શંકરાચાર્ય બનવાની પ્રક્રિયા 2. Editor's View: ધર્મયુદ્ધ Vs. સત્તાયુદ્ધ: અસલી શંકરાચાર્ય કોણ? નોટિસે બળતામાં ઘી હોમ્યું, જાણો અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વિવાદની કહાની 3. ભાસ્કર એક્સક્લૂસિવ : ઝીરો સેલરી લઈને સૌથી અમીર પાર્ટી સંભાળશે નીતિન નબીન: એકાઉન્ટમાં 10,000 કરોડ, 772 જિલ્લામાં પ્રોપર્ટી-ઓફિસ, ખર્ચ માટે FD સિસ્ટમ 4. એક્સક્લૂસિવ : નોકરી માટે બેલારુસ ગયેલી મહિલા અને એજન્ટ આમને સામને: મહિલાએ કહ્યું, મારી સાથે ફ્રોડ થયું, એજન્ટનો દાવો- બેદરકારી બદલ કંપનીએ કાઢી મૂક્યા 5. 'ટ્રમ્પની નવી નીતિથી ગુજરાતીઓને મોટો ફટકો પડશે': વિઝાની તારીખ મેળવવા માટે પણ ફાંફાં, એક્સપર્ટે કહ્યું, વિદ્યાર્થીઓ અમેરિકા સિવાયનો બેકઅપ પ્લાન તૈયાર રાખે 6. બંદીવાન-2 : ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’: દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA ને બની ગયો હત્યારો’ 7. ગે પાર્ટનર સાથેનો ઝઘડો ઘર સુધી પહોંચ્યો, યુવક ગુમ થયો: અઠવાડિયા બાદ ભૂલથી ફોન ઉપાડ્યો ને ભાંડો ફૂટ્યો, જેને નિર્દોષ સમજી છોડ્યો એ જ હત્યારો નીકળ્યો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: મિથુન રાશિના અટકેલા કામ પૂરા થશે, મકર જાતકોને ભાગ્યનો સાથ મળશે, કર્ક જાતકો સાથે છેતરપિંડી થવાની શક્યતા વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 5:00 am

ભાસ્કર ગાઈડ:4 જ દિવસમાં 66 હજાર મતદારોના નામ રદ્દ

કચ્છ જિલ્લામાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમ્યાન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા 1 ઓક્ટોબર 2025થી 15 જાન્યુઆરી સુધીના અંદાજે 100 દિવસમાં કાચબા ગતિએ ચાલતી કામગીરીમાં અચાનક ભારે ઉછાળો નોંધાયો છે. 1 ઓક્ટોબરથી 15 જાન્યુઆરી સુધીમાં જ્યાં માત્ર 2,397 મતદારોએ નામ કમી કરવા માટે ફોર્મ 7 ભર્યા હતા, ત્યાં માત્ર ચાર દિવસમાં જ 66,440 મતદારોએ ફોર્મ-7 ભરી પોતાના નામ મતદાર યાદીમાંથી રદ કરાવવા અરજી કરી છે. માત્ર 96 કલાકમાં આવેલી આ અચાનક ‘સુનામી’એ અનેક તર્ક-વિતર્કને જન્મ આપ્યો છે. લાંબા સમય સુધી ધીમી ગતિએ ચાલતું તંત્ર અચાનક મોટી સંખ્યામાં અરજીઓ કેવી રીતે એકત્ર કરી શક્યું, તે પ્રશ્ન ચર્ચાના કેન્દ્રમાં છે. સૌથી વધુ ચોંકાવનારી સ્થિતિ અબડાસા વિધાનસભા વિસ્તારમાં જોવા મળી છે. અહીં છેલ્લા ચાર દિવસમાં જ 13,705 મતદારોએ પોતાના નામ કમી કરવા માટે અરજી કરી હોવાનું સામે આવ્યું છે, જે જિલ્લાની કુલ સંખ્યામાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. કચ્છ જિલ્લામાં એક તરફ 100 દિવસમાં માત્ર 2,397 ફોર્મ મળ્યા અને બીજી તરફ ચાર દિવસમાં 66,440 અરજીઓનો ઢગલો થઇ ગયો છે. મતદાર યાદીમાંથી નામ કમી નથી થયું ને? આ રીતે કરો ચેકકચ્છ જિલ્લામાં છેલ્લા 4 જ દિવસમાં 66 હજાર જેટલા નામો કમી થવાની ચોંકાવનારી વિગતો બાદ સામાન્ય મતદારોમાં ચિંતા જોવા મળી રહી છે. જો તમે પણ તમારો મતાધિકાર સુરક્ષિત રાખવા માંગતા હોવ, તો ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ voters.eci.gov.in પર જઈને તુરંત ચકાસણી કરી શકો છો. આ પોર્ટલ પર ‘Search in Electoral Roll’ વિકલ્પમાં જઈ તમે તમારા EPIC (ચૂંટણી કાર્ડ) નંબર અથવા નામ અને વિગત દ્વારા યાદીમાં તમારું નામ છે કે નહીં તેની ખાતરી કરી શકો છો. આ ઉપરાંત, પ્લે સ્ટોર પર ઉપલબ્ધ ‘Voter Helpline App’ અને ટોલ-ફ્રી નંબર 1950 પર SMS કરીને પણ વિગતો જાણી શકાય છે. જાણો વિવિધ ફોર્મનું શું છે મહત્વમતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ફોર્મ 6, 7 અને 8 મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફોર્મ-6 નવા મતદારોનું નામ ઉમેરવા ભરવામાં આવે છે, 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે આ ફોર્મ ઉપયોગી છે. ફોર્મ-7 મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે છે, જેમ કે મતદારનું મૃત્યુ થયું હોય, સ્થળાંતર થયેલું હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. જ્યારે ફોર્મ-8 મતદારની વિગતોમાં સુધારા માટે ભરાય છે, જેમ કે નામ, સરનામું, ઉંમર કે અન્ય માહિતીમાં ભૂલ સુધારવા માટે. આ ફોર્મ્સથી મતદાર યાદી વધુ ચોક્કસ અને પારદર્શક બને છે. ચૂંટણી પંચે મુદતમાં વધારો કર્યોભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની સુવિધા અને કોઈપણ પાત્ર મતદાર રહી ન જાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે, દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે મતદારો 30 જાન્યુઆરી, 2026 સુધી પોતાની વિગતો અપડેટ કરાવી શકશે. 4 દિવસમાં નામ રદ્દ કરવા આવેલી અરજીઓ

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:50 am

જિલ્લામાં ભારે ઠંડી વચ્ચે પણ રાજકીય ગરમાવો વધવાની શક્યતા:કચ્છની 7 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર કરાયું

કચ્છ જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીને પગલે રાજ્ય સરકાર દ્વારા અનામત બેઠકોનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે. ભુજ, રાપર, લખપત, અબડાસા, મુન્દ્રા, માંડવી અને ભચાઉ તાલુકા પંચાયતો માટે કયા વર્ગને કેટલી બેઠકો મળશે તેનો વિગતવાર આદેશ પ્રસિદ્ધ થતા જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સૌથી વધુ 32 બેઠકો ધરાવતી ભુજ તાલુકા પંચાયતમાં સામાન્ય વર્ગ માટે 18 બેઠકો ફાળવવામાં આવી છે. જેમાં પુરુષ/બિન અનામત: અનુસૂચિત જાતિ - 4, અનુસૂચિત જનજાતિ - 1, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ - 9. મહિલા અનામત: SC - 2, ST - 0, SEBC - 5 અને સામાન્ય મહિલા માટે 9 બેઠકો ફાળવાઈ છે. રાપર તાલુકા પંચાયતની 24 બેઠકોમાં SC - 3, ST - 1, SEBC - 6 અને સામાન્ય માટે 14 બેઠકો, જયારે મહિલાઓ માટે SC - 2, SEBC - 3 અને સામાન્ય મહિલા માટે 7 બેઠકો અનામત રહેશે. લખપત તાલુકા પંચાયતની 16 બેઠકો માટે SC- 2, ST - 1, SEBC - 4 અને બિન અનામત માટે 9 બેઠકો. મહિલાઓ માટે SC - 1, ST - 0, SEBC - 2 અને સામાન્ય મહિલા માટે 5 બેઠકો નક્કી કરાઈ છે. અબડાસા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે સામાન્ય ફાળવણીમાં SC - 2, ST - 1, SEBC - 5 અને બિન અનામત માટે 10 બેઠકો. તો મહિલાઓ માટે ST-1, SEBC - 3 અને સામાન્ય મહિલા માટે 5 બેઠકો ફાળવવામાં આવી છે. મુન્દ્રા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે SC - 3, ST - 1, SEBC - 5 બેઠકો ફાળવાઈ છે. જેમાં મહિલાઓ માટે SC - 1, ST - 1 અને SEBC - 2 બેઠકો અનામત રહેશે. માંડવીની 20 બેઠકોમાં SC-૩, ST-1, SEBC-5 અને સામાન્ય બિન અનામત માટે 11 બેઠકો છે. મહિલાઓ માટે - 1, ST - 1 અને SEBC - 2 બેઠકો ફાળવાઈ છે. ભચાઉની 20 બેઠકોમાં સામાન્ય ફાળવણીમાં SC -2, ST - 1, અને SEBC -5 અને સામાન્ય બિન અનામત માટે 12 બેઠકો ફાળવવામાં આવી છે. મહિલાઓ માટે SC - 1, ST - 1 અને SEBC - 2 અને સામાન્ય બિન અનામત માટે 6 બેઠકો અનામત રહેશે. આ રોટેશન જાહેર થતા જ સ્થાનિક સ્તરે મુરતિયાઓની પસંદગી અને જ્ઞાતિગત સમીકરણો ગોઠવવા માટે રાજકીય પક્ષોએ કમર કસવાની શરૂઆત કરશે. મહિલા અનામત બેઠકોને કારણે અનેક બેઠકો પર નવા ચહેરાઓ ચુંટણીમાં દેખાય તેવી શક્યતા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી નજીક છે ત્યારે આ જાહેરનામા બાદ આંતરિક તૈયારીઓ તેજ બની છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:31 am

ભાસ્કર એક્સક્લૂસિવ:કચ્છમાં ગત વર્ષે 21 હજાર દીકરીનો જન્મ, સરકારની ‘વ્હાલી દીકરી યોજના’નો લાભ માત્ર 1300એ લીધો

દીકરીઓ માટે સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મુકવામાં આવી છે તેમાં વ્હાલી દીકરી યોજના ખૂબ ઉપયોગી છે જેમાં દિકરીના જન્મના એક વર્ષમાં આધાર પુરાવા સાથે અરજી કરવામાં આવે તો સરકાર દ્વારા 1.10 લાખની સહાય આપવામાં આવે છે. કચ્છમાં ગત વર્ષે ફ્રેબ્રુઆરીથી ડિસેમ્બર દરમ્યાનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 21,574 દીકરીનો જન્મ થયો છે જે લાભ લેવા હક્કદાર બને છે પણ અત્યારસુધી માત્ર 1300 દિકરીના વાલીઓ આગળ આવ્યા છે.કચ્છમાં વધુમાં વધુ દીકરીઓ સુધી વ્હાલી દીકરી યોજનાનો લાભ પહોંચાડવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. આ યોજના અંતર્ગત પ્રથમ 3 સંતાનો પૈકીની દીકરીઓને લાભ મળવાપાત્ર છે. દીકરીના જન્મથી એક વર્ષની અંદર અરજી કરવાની રહેશે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને કુલ રકમ 1.10 લાખની સહાય 3 હપ્તામાં આવવામાં આવે છે. પ્રથમ હપ્તો દિકરીને પ્રથમ ધોરણમાં પ્રવેશ સમયે રૂ.4 હજાર મળવાપાત્ર રહેશે.બીજો હપ્તો દિકરીને નવમાં ધોરણમાં પ્રવેશ સમયે રૂ.6 હજાર મળવાપાત્ર રહેશે. ત્રીજો/છેલ્લો હપ્તો દિકરી 18 વર્ષની ઉમરે પહોંચે ત્યારે ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે 1 લાખ સહાય મળવાપાત્ર રહેશે. જે ગામમાં 10 થી વધારે લાભાર્થી હોય ત્યાં ગામમાં આવીને ફોર્મ ભરી અપાશેજે ગામમાં 10 થી વધારે લાભાર્થી હોય ત્યાં આ યોજનાના ફોર્મ ગામમાં આવીને પણ ભરી આપવામાં આવશે તેવી તૈયારી પણ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દર્શાવાઇ છે ત્યારે ગામના સરપંચ સહિત આગેવાનો આગળ આવે તે પણ જરૂરી બન્યું છે. ઓનલાઈન- ઓફલાઈન ફોર્મ ભરી શકાશેવ્હાલી દીકરી યોજના અંતર્ગત અરજદાર પોતે http://emahilakalyan.guj.gov.in/ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે ઉપરાંત યોજનાનો લાભ લેવા સંબંધીત વિસ્તારની મામલતદાર કચેરી ખાતે વિધવા સહાયની કામગીરી સંભાળતા ઓપરેટર તેમજ ગ્રામ્ય કક્ષાએ વીસીઈ અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચેરી પાસેથી અરજી ફોર્મ મેળવી શકાશે. હેલ્પલાઇન નંબર જાહેર કરાયાવ્હાલી દિકરી યોજના અંગે વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ ખાતે તથા નંબર 02832 230010, 95103 06197 પર સંપર્ક સાધી શકાશે તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ જણાવ્યું છે. લાભ લેવા માટે આ પુરાવા જરૂરીઅરજી સાથે લાભાર્થી દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, માતા-પિતાનું લગ્નનું નોંધણી પ્રમાણપત્ર, માતા-પિતાનું આધાર કાર્ડ, રેશનકાર્ડ (લાભાર્થી દીકરીનું રેશનકાર્ડમાં નામ હોવું જરૂરી) નિયત નમૂના મુજબ સ્વ ઘોષણાપત્રક (ફોર્મ સાથે ઉપલબ્ધ છે), વાલીનું કુલ વાર્ષિક આવક પ્રમાણપત્ર (બે લાખથી ઓછી), નિયત નમૂનામાં એકરારનામું, લાભાર્થી દીકરી અથવા માતા-પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ સહિતના આધાર પુરાવા રજૂ કરવાનાં રહેશે. અત્યાર સુધી 10,395 દીકરીને લાભગુજરાતમાં દીકરીઓના કલ્યાણ માટે સરકાર કટીબદ્ધ છે. આ કટીબદ્ધતાને સાર્થક કરવા, દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા, સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, સ્ત્રી શિક્ષણના દરમાં વધારો કરવા તેમજ સમાજમાં સ્ત્રીના સ્થાનને વધુ મજબૂત બનાવના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019થી વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. કચ્છમાં અત્યારસુધીમાં 10,395 દીકરીઓને આ યોજનાનો લાભ મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:30 am

ભાસ્કર એક્સક્લૂસિવ:મુસાફરોના સંતોષમાં વધારો : ભુજ એરપોર્ટ 30માંથી 24મા સ્થાને પહોચ્યું

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના હવાઈમથકો પર મુસાફરોને મળતી સુવિધા અને પ્રવાસીઓને મળતા સંતોષ અંગે દર છ મહિને કસ્ટમર સેટિસ્ફેક્શન સર્વે કરવામાં આવે છે. તાજેતરના સર્વેના પરિણામોમાં ભુજ એરપોર્ટના ક્રમમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. AAI દ્વારા સંચાલિત દેશના કુલ 62 એરપોર્ટમાં ગુજરાતના વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભુજ, ભાવનગર અને કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. વર્ષ 2024ના જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરાયેલા સર્વેમાં ભુજ એરપોર્ટ 20મા ક્રમે હતું. ત્યારબાદ જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળામાં ભુજ એરપોર્ટ 30મા સ્થાને ખસક્યું હતું. જોકે, જુલાઈથી ડિસેમ્બર દરમિયાન કરાયેલા તાજેતરના સર્વેમાં ભુજ એરપોર્ટ ફરી એકવાર સુધારો દર્શાવી 24મા ક્રમે પહોંચ્યું છે. આ સર્વેમાં મુસાફરો પાસેથી કુલ 33 પેરામીટર્સ પર અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ સુધીની પરિવહન સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રોલીની ઉપલબ્ધતા, ચેક-ઇનમાં લાગતો સમય, સ્ટાફ અને સુરક્ષા સ્ટાફનું વલણ, ચેકિંગ પ્રક્રિયા, એરપોર્ટની અંદર માર્ગદર્શક સુવિધા, ફ્લાઈટ માહિતી દર્શાવતી સ્ક્રીનો, ટર્મિનલના વૉકિંગ એરિયા, શોપિંગ સુવિધા, ઈન્ટરનેટ સેવા, શૌચાલયોની સ્વચ્છતા, એરપોર્ટ પરિસરની સફાઈ, વાતાવરણ તેમજ બેગ ડિલિવરી સેવાનો સમાવેશ થાય છે. જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળામાં ભુજ એરપોર્ટને 5માંથી 4.34 પોઇન્ટ પ્રાપ્ત થયા હતા, જ્યારે જુલાઈથી ડિસેમ્બર સમયગાળામાં સ્કોર વધીને 5માંથી 4.63 પોઇન્ટ થયો છે. પોઇન્ટ્સમાં થયેલા આ વધારાનો સીધો અસર એરપોર્ટના રેન્કિંગમાં થયો હોવાનું સામે આવ્યું છે. ભુજ એરપોર્ટ અગાઉ 30મા ક્રમે હતું, જે હવે ક્રમ સુધારી 24મા સ્થાને પહોંચ્યું છે. મુસાફરોના સંતોષમાં થયેલો આ વધારો ભવિષ્યમાં એરપોર્ટને વધુ ઉચ્ચ ક્રમે લઈ જવાની આશા જગાવે છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:28 am

સિટી એન્કર:રણોત્સવ : પ્રવાસીઓની પરમિટ ફીથી તંત્રને પોણા બે કરોડની આવક

ધોરડો રણોત્સવમાં આવતા પ્રવાસીઓ પાસેથી લેવાતી પરમીટ ફી થકી અત્યાર સુધીમાં જિલ્લા તંત્રને પોણા બે કરોડ જેટલી આવક થઈ છે, જેનો ઉપયોગ માત્ર ધોરડો વિસ્તારમાં પ્રવાસન સુવિધાના વિકાસ માટે કરવામાં આવી રહ્યો છે. ધોરડો રણોત્સવમાં પ્રવેશ માટે પ્રવાસીઓ પાસેથી રૂ. 140 પરમીટ ફી લેવામાં આવે છે. ભીરંડિયારા નજીક કાઉન્ટર છે, જ્યારે ધોરડો સબરસ બસ સ્ટેશન પાસે ટિકિટ બારી કાર્યરત છે. પ્રવાસીઓને રૂ. 140 ભરીને પરમિટ લેવાની હોય છે, જેમાં પ્રવાસીઓ માટે એસટી બસની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ છે, જેના માધ્યમથી સહેલાણીઓ ગેટ નંબર બે તેમજ વોચ ટાવર સુધી જઈ શકે છે અને ફરી પરત આવી શકે છે. આંકડાઓ પર નજર કરીએ તો 23 નવેમ્બરથી 18 જાન્યુઆરી સુધી સફેદ રણમાં આશરે 1.54 લાખ પ્રવાસીઓ આવ્યા છે, પરમિટ ફી પેટે તિજોરીમાં પોણા બે કરોડ જેટલી રકમ જમા થઈ છે. બહારથી આવતા ઘણા પ્રવાસીઓ ટેન્ટસિટીમાં રોકાઈ રણમાં પ્રવેશ કરે છે. ટેન્ટસિટીમાં રોકાતા પ્રવાસીઓની પરમિટ ફી સીધી ગાંધીનગર પ્રવાસન વિભાગમાં ચુકવાતી હોવાથી તેની નોંધ જિલ્લા વહીવટીતંત્રના આંકડામાં થતી નથી. તમામ આંકડાઓ ભેગા કરીએ તો પ્રવાસીઓની સંખ્યા લાખોમાં પહોંચે તેમ છે. 3 દિવસનો રણોત્સવ,4 મહિના સુધી પહોંચ્યોભૂકંપ પહેલા કચ્છ દુકાળીયો મુલક કહેવાતો અને ભૂકંપમાં બધું ધ્વસ્ત થઈ જતા જાણે કચ્છએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હોય તેવું લાગ્યું હતું પણ પડ્યા પછી બમણી તાકાતથી ઉભું થવાનું સામર્થ્ય કચ્છીઓ જાણે છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2005માં વેકરિયાના રણ પાસે 3 દિવસના રણ ઉત્સવની શરૂઆત કરાઈ. ગુજરાત પ્રવાસન વિભાગના પ્રયાસોથી જોત જોતામાં આ રણોત્સવ લોકઉત્સવ બની ગયો અને હવે તો દિવાળી થી માર્ચના પહેલા પખવાડિયા સુધી સરેરાશ 4 મહિના સુધી રણોત્સવ ચાલે છે. લાખો પ્રવાસીઓ કચ્છના નમક આચ્છાદિત સફેદ રણની ચાંદની પર ફિદા થયા છે. 26 જાન્યુઆરીના પણ સહેલાણીઓ ઉમટશેઆગામી દિવસોમાં શનિ, રવિ અને સોમવારે રજા છે ત્યારે ઘણા પ્રવાસીઓ સરહદી કચ્છમાં આવી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના આયોજન ઘડી રહ્યા છે જેથી ખાસ કરીને 26 જાન્યુઆરી, પૂનમ સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ધોરડો પહોંચશે. રણોત્સવ આગામી 28 ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. હવે પાણી સુકાઈ જતા સફેદ રણની સફેદી વધુ સ્પષ્ટ દેખાવા લાગી છે, જેના કારણે દેશભરમાંથી પ્રવાસીઓનો ઉત્સાહ વધ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:26 am

પોક્સો કોર્ટે નોટિસ ફટકાર્યા બાદ બંધ કવરમાં જવાબ કર્યો રજૂ:બાળકીની સારવાર મુદ્દે અદાણી મેડિકલ કોલેજના ડીન સહિતનાએ આપ્યો ખુલાસો

મુન્દ્રા વિસ્તારમાં 6 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટના બાદ તેને યોગ્ય સારવાર ન મળવા મામલે પોક્સો કોર્ટે નોટીસ ફટકારતા મંગળવારે અદાણી મેડીકલ કોલેજના ડીન સહીતના છ જવાબદાર અધિકારીઓ અને તબીબો કોર્ટમાં હાજર થઇ આ મામલે પોતાનો ખુલાસો રજુ કરતા કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ મુન્દ્રા વિસ્તારની દુષ્કર્મ પીડિત બાળકીની યોગ્ય સારવાર ન થઇ હોવા મામલે રીપોર્ટ રજુ કર્યો હતો. આરોપીએ એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવતા બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી હતી. જેને ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્ર, મુન્દ્રાની સિવિલ હોસ્પિટલ અને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પરંતુ બાળકીની યોગ્ય સારવાર કરવામાં આવી ન હતી. તેમજ જી.કે.જનરલ હોસ્પિટલમાં 12 કલાક સુધી બાળકીને તેડી તેની માતા રઝળી હતી. ગંભીર બેદરકારી મામલે પોક્સો કોર્ટમાં રીપોર્ટ બાદ કોર્ટે જવાબદારોને નોટીસ ફટકારી આ મામલે ખુલાસો આપવા 20 જાન્યુઆરીના કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો હતો. આ મામલે સોમવારે પોક્સો કોર્ટ ખાતે અદાણી મેડીકલ કોલેજના ડીન, જિલ્લા સિવિલ સર્જન, ભદ્રેશ્વર આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર, મુન્દ્રા સિવિલના મેડીકલ ઓફિસર, જી.કે.જનરલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર અને ગાયનેક તબીબ કોર્ટમાં હાજર રહ્યા હતા. તમામ જવાબદાર અધિકારી અને તબીબોએ બાળકીની સારવાર મામલે પોતાની ખુલાસો લેખિતમાં રજુ કર્યો હતો.આ મુદ્દે કોર્ટે ફેસલો સુરક્ષિત રાખ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:24 am

કચ્છ યુનિ.માં ડ્રગ ડિજોલ્યૂશન સ્ટડી ઉપર માર્ગદર્શન અપાયું:દવાઓની શરીરમાં કઈ રીતે અસર થાય તે માટે છાત્રોએ કર્યો અભ્યાસ

કચ્છ યુનિવર્સિટીમાં ચાલી રહેલા છ દિવસીય રાષ્ટ્રીય વર્કશોપમાં મંગળવારે ફાર્માસ્યુટિકલ કંપની અને રોજિંદા જીવનમાં તેના મહત્વ પર વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આપણે કોઈપણ ફાર્મા ડ્રગ જેમકે ટેબ્લેટ, કેપસ્યુલ વગેરે ખાઈએ છીએ તે શરીરમાં કઈ રીતે અસર દેખાડશે તેનો અભ્યાસ કરવો જરૂરી હોય છે જેને ઈન વિટ્રો સ્ટડી કહેવામાં આવે છે. આ વિષય ઉપર વર્કશોપના બીજા દિવસે ઇલેકટ્રોલેબ કંપનીના ઉમંગ પટેલે કાર્યોની રૂપરેખા આપી હતી. એપ્લિકેશન સાયન્ટિસ્ટ કોમલ ચંદ્રાએ ઓનલાઇન જોડાઈને ડિઝોલ્યુશન ટેસ્ટિંગ જેવી અઘરી લાગતી પદ્ધતિઓને સમજાવી હતી. ડીજોલ્યૂશન સ્ટડીમાં થઇ રહેલા મોર્ડનાઇઝેશન વિષય ઉપર પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું.સ્પેક્ટ્રોલેબના જોય દશને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના નવા પ્રવાહો વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી.બપોર પછીના સત્રમાં વિદ્યાર્થીઓને ડિઝોલ્યુશન ટેસ્ટર પ્રત્યક્ષ શીખવવાનો મોકો મળ્યો હતો. કોમલ ચંદ્રા અને સ્વપ્નીલ ઘોલાપે ઓનલાઇન માધ્યમથી ડિઝોલ્યુશન ટેસ્ટર કેવી રીતે કામ કરે છે તેનું જીવંત પ્રદર્શન આપ્યું હતું. ઉમંગ પટેલ અને શિલ્પ પરમારે વર્ચ્યુઅલ પ્રિન્ટર દ્વારા લેબના ડેટાને કેવી રીતે ડિજિટલ બનાવી શકાય તેનું લાઈવ ડેમો બતાવ્યું હતું.રસાયણશાસ્ત્ર વિભાગના આ પ્રયાસથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોમાં કેવા મશીનો વપરાય છે અને ત્યાં કેવી રીતે કામ થાય છે, તેની પ્રેક્ટિકલ સમજ મળી હતી. વર્કશોપના બીજા દિવસે પણ તાલીમાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા સાધનોની થિયરી અને પ્રેક્ટિકલ સ્કિલ વિદ્યાર્થીઓને નોકરી મેળવવા તથા સંશોધન કરવા માટે ઉપયોગી થશે તેવું નેશનલ વર્કશોપના કોઓર્ડીનેટર ડો.વિજય રામ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:23 am

નોટિસ:સડકની મધ્ય રેખાથી 20 મી. દબાણ હટાવવાની નોટિસથી ફફડાટ

રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં રાજ્ય ધોરીમાર્ગોની સુધારણા તથા પંચાયતના માર્ગોને રાજ્ય ધોરીમાર્ગમાં રૂપાંતરિત કરવાની કામગીરી કરવામાં આવે છે. ગત વર્ષે ખાસ કિસ્સામાં ભુજ શહેરના 18 રીંગ રોડને પણ પહોળા અને આધુનિક બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શહેરના વધતા ટ્રાફિક ભારણ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ માર્ગોના વિસ્તૃતિકરણ માટે જ્યુબિલી સર્કલથી પ્રિન્સ રેસીડેન્સી સુધી સડકની મધ્ય રેખાથી 15 મીટર અને ત્યારબાદ પ્રિન્સ રેસીડેન્સીથી સુખપર ત્રિભેટા સુધી 20 મીટર પહોળાઈ સુધીમાં આવતા અનધિકૃત બાંધકામો દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ દિવસની નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ અખબારમાં પ્રસિદ્ધ થતા જ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં કેબિન, ફ્રુટ સ્ટોલ જેવા નાના વેપારીઓ ઉપરાંત કેટલાક મોટા શોપિંગ મોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ દ્વારા ફૂટપાથ સુધી સિમેન્ટના પાકા પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. માર્ગ વિસ્તૃતિકરણ દરમિયાન આવા અનધિકૃત પાર્કિંગ અને બાંધકામો તોડવામાં આવશે જેથી ફૂટપાથ અને માર્ગ બંને ખુલ્લા અને સુરક્ષિત બની શકે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કલ્પેશ નાઈએ જણાવ્યું હતું કે હાલ સડકની મધ્યરેખાથી દેખાતી 15 અને 20 મીટર સુધીની હદમાં આવેલા દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. પ્રિન્સ રેસીડેન્સી સર્કલ પાસે 15 મીટર પહોળા માર્ગ બને છે આરટીઓ સર્કલ તરફ આવતો ટ્રાફિક નાગોર રેલવે ઓવરબ્રિજ થઇને એરપોર્ટ રીંગરોડ તરફ ડાયવર્ટ થતા ભારે વાહનોનો ટ્રાફિક વધ્યો છે. ટ્રાફિકના ભારણને ધ્યાનમાં રાખીને પ્રિન્સ રેસીડેન્સી સર્કલ પાસેથી 15 મીટર પહોળાઈના અંદાજે 100 મીટર લાંબા માર્ગનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ ભુજના એરપોર્ટ રીંગ રોડ પર વાહન વ્યવહાર વધુ સુગમ અને સલામત બનશે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:22 am

ફોર્મ ચકાસણી:બીસીએમાં પરાગ પટેલ-ચેતન પવારનાં ફોર્મ રદ કિરણ મોરે રિવાઇવલના પ્રમુખ પદના ઉમેદવાર

મંગળવારે સવારથી ચૂંટણી અધિકારીઓએ બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ની ચૂંટણીના ફોર્મની સ્ક્રૂટિની કરી હતી. આ સ્ક્રુટિનીમાં બે ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયાં હતા. બીજી તરફ આ ચૂંટણીમાં રિવાઇવલ ગ્રૂપે પૂર્વ ઇન્ટરનેશનલ ક્રિકેટર કિરણ મોરેને પ્રમુખના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. બીસીએએ જાહેર કરેલા શિડ્યુઅલ મુજબ મંગળવારે સવારે 11 વાગ્યાથી સ્ક્રૂટિની શરૂ થઇ હતી. પહેલા પ્રમુખ માટેના ફોર્મની સ્ક્રુટિની કરાઇ હતી. જેમાં સત્યમેવ જયતે ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર ડો.દર્શન બેંકર ગેરહાજર રહ્યાં હતા. જોકે આ માટે તેમણે પુત્રીનું ગોવામાં લગ્ન હોવાથી કોર્ટની વિશેષ મંજૂરી લીધી હતી. બીસીએની ચૂંટણીના નિયમ મુજબ ઉમેદવારે સ્ક્રુટિનીમાં રૂબરૂ ફરજિયાત હાજર રહેવાનું હોય છે. જોકે ત્યારબાદ વાઇસ પ્રેસિડેન્ટ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી સહિતની 9 પદો માટેની સ્ક્રુટિની થઇ હતી. સ્ક્રુટિની દરમિયાન સત્યમેવ જયતે ગ્રૂપના પરાગ પટેલ અને રિવાઇવલ ગ્રૂપના ચેતન પવારના ફોર્મ રિજેક્ટ થયા હતા. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીજંગ માટે સૌથી વધુ સત્યમેવ જયતે ગ્રૂપના 78 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે રોયલ ગ્રૂપના 41 અને રિવાઇવલ ગ્રૂપે 45 ફોર્મ ભર્યા હતા. આ ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પૂર્વ ચીફ સેક્રેટરી વરેશ સિન્હા ઉપરાંત મ.સ.યુનિ.ના પૂર્વ પ્રાધ્યાપક ડો.આઇ.આઇ.પંડ્યા અને ડેપ્યૂટી કલેકટર ડીઆર પટેલ કાર્યરત રહ્યાં છે. મોડી સાંજ સુધી કાર્યવાહી ચાલી હતી. પરાગ પટેલ સસ્પેન્ડેડ હોવાથી, ચેતન પવાર સરકારી કર્મચારી હોવાને કારણે રિજેક્ટ થયાં બીસીએના સૂત્રોના જણાવ્યા મુજબ આજે સ્ક્રૂટિમાં સભ્યોએ પરાગ પટેલની ઉમેદવારી રદ કરી હતી. ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની સામે ગંભીર આક્ષેપની તપાસ હતી અને તાજેતરમાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે નહીં. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, પરાગ પટેલે દલીલ કરી હતી કે મને ચૂંટણીની જાણ કરતો કાગળ મળ્યો છે અને પોસ્ટમાં મને સસ્પેન્શનનો કાગળ મળ્યો નથી. પણ સસ્પેન્શનની જાણ કરતો સત્તાવાર કાગળ મળ્યો હોવાનું સ્વીકાર્યું હતું. બીજી તરફ 11મીની ભારત-ન્યૂઝિલેન્ડની મેચના પાસ મળ્યા હતા કે નહીં તેના જવાબમાં પરાગ પટેલે નન્નો ભણ્યો હતો. ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, આ બીસીએના સિસ્ટમની ખામી છે. જેથી તમે સસ્પેન્ડ નથી એવું ન કહી શકાય. ઉલ્લેખનીય છે કે, ભારત-ન્યૂઝિલેન્ડ મેચ ના થાય તે માટે પણ બીસીસીઆઇમાં રજૂઆત કરીને માગણી પણ તેઓ કરી ચૂક્યા હોવાની વાત પણ ફેલાઇ હતી. ચેતન પવાર સીજીએસટીમાં હોદ્દો ધરાવતા હોવાથી તેઓ સરકારી કર્મી છે, જે એપેક્સના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે નહીં. જોકે તેમણે સામી દલીલ કરી હતી કે, ચૂંટણી 15મી ફેબ્રુઆરીએ છે અને પોતે 31મી જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થાય છે. આ સ્થિતિમાં તેમને નિવૃત્ત જ ગણવામાં આવે. સાંજ સુધી તેમની ઉમેદવારી માટે મંડાગાઠ સર્જાઇ હતી. જોકે તેઓ એપેક્સ માટે ઉમેદવારી નોંધાવી શકે નહીં. જ્યારે તેમણે દલીલ કરી હતી કે, હાઇકોર્ટનો એક ઓર્ડર છે, જેના આધારે ચૂંટણીમાં ઉમેદવારીની મંજૂરી મળવી જોઇએ. ચૂંટણી અધિકારીઓએ તેમને બુધવાર સુધીમાં હાઇકોર્ટનો ઓર્ડર લાવવાનો સમય આપ્યો છે. જો તેઓ લઇ આવે તો તેમના વિશે નિર્ણયની ફેરવિચારણા કરાશે. રિવાઇવલ ગ્રૂપમાં મેરેથોનનાં ચેરપર્સન તેજલ અમીન, યુનાઇટેડ વેના મિનેશ પટેલ સામેલએજ્યુકેશનાલિસ્ટ અને બરોડા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીને રિવાઇલ ગ્રૂપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, વડોદરા ક્રિકેટની વધુ પ્રગતિ કરાવવાની છે. ડબલ્યુપીએલ પણ વડોદરામાં આવી છે. વડોદરા ક્રિકેટને વધુ મજબૂત બનાવવા આ પ્રસંગે અપિલ કરી હતી. આ ઉપરાંત યુનાઇટેડ વેના મિનેશ પટેલે પણ રિવાઇવલ ગ્રૂપાંથી ઉમેદવારી નોંધાવી છે એક કરતાં વધુ પદ માટે ફોર્મ ગઠબંધન માટે ભરાયાં કે આત્મવિશ્વાસની કમી!કેટલાક ઉમેદવારોએ એક કરતા વધુ પદ માટે ફોર્મ ભર્યા છે. આ ફોર્મ ભરાવા પાછળનું ગણિત રોયલ અને સત્યમેવજયતે ગ્રૂપનો જરૂર જણાયે હાથ મિલાવવાની ગણતરીની શક્યતાની ચર્ચા છે. જ્યારે કેટલાક ઉમેદવારોએ બે કે તેથી વધુ પદ માટે ફોર્મ ભરતાં આત્મવિશ્વાસની કમી હોવાની પણ ચર્ચા હતી.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:19 am

ભાસ્કર ઈનસાઈડ:જમીનોના વિવાદો ઉકેલવાના કરોડો ખંખેરતો નકલી પીએસઆઇ મોબિન સોદાગર ઝડપાયો

નકલી પીએસઆઇ બની કરોડોની ઠગાઇ કરનારને શહેર એસ.ઓ.જીએ ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી પોલીસનો યુનિફોર્મ, આઈ કાર્ડ, લેપટોપ, મોબાઇલ ફોન, 2 કાર સહિત 26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તાંદલજા રહેતો મોબિન ઈકબાલભાઈ સોદાગર નકલી પીએસઆઇ બનતો હતો. જમીનોના વિવાદમાં નાણાં પડાવતો હોવાની બાતમી એસ.ઓ.જીના પીઆઇ એસ.ડી.રાતડાને મળી હતી. તાંદલજા ઝમઝમ ટાવર પાછળ અલ કબીર બંગલા નં-3માં દરોડો પાડી મોબિન ઈકબાલભાઈ સોદાગરને ઝડપી પાડ્યો હતો. જ્યાંથી નંબર પ્લેટ વગરની પોલીસ લખેલી ક્રેટા તેમજ આર્ટિગા કાર, પીએસઆઇના ગણવેશ, નકલી આઈકાર્ડ, સિક્કા મળ્યાં હતા. આરોપીએ નકલી પીએસઆઇ બની રોડ પર ઊભા રહી નાણાં ઠગ્યા હોવા ઉપરાંત જમીન વિવાદો ઉકેલવા નાણાં ઠગ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે જે.પી.રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મોબિને નકલી પીએસઆઇ બની કેટલી ઠગાઈ કરી એની તપાસ હાથ ધરાઇ છે. રુ 30 કરોડની જમીનના વિવાદમાં ઓર્ડર લાવવા એનઆરઆઇ પાસે રુ 1.05 કરોડ પડાવ્યા હતાનકલી પીએસઆઇ મોબિન સોદાગરે ભરૂચની મોકાની ~30 કરોડની જમીનના એસ.આઈ.ટીમાં ચાલતા વિવાદમાં ઓર્ડર લાવવા ~1.05 કરોડ પડાવ્યા હતા. એનઆરઆઇ વૃદ્ધ અને મહિલા પાસે પ્રથમ 5 લાખ બાદમાં હાઈવે પર પેટ્રોલ પંપ પાસે ~75 લાખ અને કોર્ટમાં તારીખના સમયે 25 લાખ એક્સપ્રેસ હાઈવે પર લીધા હતા. વૃદ્ધ અને મહિલા સાથે મોબિનનો સંપર્ક ભરૂચના મુક્તેશ બારોટે કરાવ્યો હતો. જેથી ભરૂચમાં સંજય બેલિફ સહિત 3 સામે ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:14 am

શહેર કોંગ્રેસમાં ભડકો:હરણી બોટકાંડ બાદ અમી રાવત પીડિતો સાથે ન રહ્યાંનો આક્ષેપ

બોટકાંડ બાદ પાર્ટીએ કરેલા વિરોધ કાર્યક્રમમાં અમી રાવત ગેરહાજર રહ્યાં અને પાર્ટીના આદેશ વિરુદ્ધ ઊભાં રહ્યાં છે, તેવા આક્ષેપ શહેર કોંગ્રેસના મહામંત્રીએ કર્યા છે. જેમ ભાજપે પાર્ટીના વિચાર વિરુદ્ધ બોટકાંડના પીડિતો સાથે રહેનારા આશિષ જોશીને સસ્પેન્ડ કર્યા તેમ પાર્ટીની સામે ઊભાં રહેનારને કાઢી ન મૂકવા જોઈએ? તેવો પ્રશ્ન કર્યો હતો. શહેર કોંગ્રેસ મહામંત્રી સાંઈ ઢેકાણેએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી વિપક્ષનાં પૂર્વ નેતા અમી રાવત સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે, બોટકાંડમાં ભાજપ સાથે વિપક્ષના કોર્પોરેટર ભળી ગયાં છે. બોટકાંડ બાદ તેઓ મૃતકના પરિવારને સાંત્વના આપવા ગયાં નથી. 14 ફેબ્રુઆરી,2024માં સભામાં વળતરની માગ સાથે વિરોધ કરીશું તેવું નક્કી થયું હતું, એ સભામાં અમી રાવત ગેરહાજર હતાં. 6 મહિના બાદ ભારતીય કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ પરિવારને મળવાનું નક્કી કર્યું હતું. તે સમયે તેમણે કોલ રિસીવ કર્યો ન હતો. જ્યારે રાહુલ ગાંધીને પરિવારને મળવા લઈ જવાના હતા ત્યારે આગળ રહ્યા હતા. પહેલી વરસી વેળાએ મારે કામ છે, કહી નીકળી ગયાં હતાં. બોટકાંડ બાદ અમે દરેક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાંહરણી બોટકાંડ બાદના દરેક કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યાં હતાં અને સૌથી વધુ સ્ટેટમેન્ટ અમે આપ્યાં છે. આ રીતે સાંઈ ઢેકાણેએ પાર્ટી વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો તેને સસ્પેન્ડ કરવો જોઈએ. > અમી રાવત, પૂર્વ વિપક્ષી નેતા

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:12 am

સિટી એન્કર:દાંપત્યજીવનનાં 35 વર્ષ બાદ 67 વર્ષિય પતિએ 65 વર્ષની પત્નીને કહ્યું, તારી પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા,હવે તું કામની નથી, ઘરમાંથી નીકળી જા

ગોરવામાં રહેતાં 65 વર્ષીય વૃદ્ધાને લગ્ન જીવનના 35 વર્ષીય બાદ પતિએ જણાવ્યું હતું કે, મેં તારી પાછળ ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, પણ હવે તું મારા કોઈ કામની નથી રહી. મારા ઘરમાંથી નીકળી જા. વૃદ્ધાને આંખે તકલીફ થતાં પતિની માગણી સંતોષી ન શકતાં તેણે પત્નીને ઘરમાંથી નીકળી જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ 67 વર્ષિય પતિએ પત્નીની આંખનું ઓપરેશન કરાવ્યું હતું. વૃદ્ધાએ અભયમની મદદ લેતાં ટીમે વૃદ્ધને સમજાવીને દંપતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. અભયમની ટીમ વૃદ્ધાના ઘરે પહોંચી ત્યારે તેઓએ જણાવ્યું કે, મારા લગ્નને 35 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને હું પુત્રવધૂ અને પતિ સાથે રહું છું. હાલમાં જ મારી આંખનું આપરેશન કરવામાં આવ્યું છે, જેમાં 3 લાખ જેટલો ખર્ચ થયો હતો. જે બાદ મારા પતિ મને ધમકી આપે છે કે, તારી પાછળ મેં ખૂબ રૂપિયા ખર્ચ્યા છે, હવે હું તારું પૂરું નહીં કરી શકું, તું મારા કોઈ કામની નથી, તું ઘરમાંથી નીકળી જા. આ ઉપરાંત વૃદ્ધાની પુત્રવધૂએ જણાવ્યું હતું કે, મારા પતિ વિદેશમાં નોકરી કરે છે. મારા સસરા મને અપશબ્દો બોલે છે. મને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી હું ચાલી નથી શકતી. છતાં મારા સસરા મને પિયર ચાલી જવા કહે છે. મારા સસરા 2 દિવસથી સાસુ સાથે મારઝૂડ કરે છે અને તેમને પણ તેમના ભાઈના ઘરે ચાલ્યા જવાનું કહે છે. ટીમે તમામ હકીકત સાંભળ્યા બાદ વૃદ્ધાના પતિનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા કે, તમારી પત્ની બીમાર છે. આવી હાલતમાં તેમના પર અત્યાચાર ન કરી શકો. તમારી પત્નીનું આંખનું ઓપરેશન છે, જોવામાં તકલીફ પડે છે, તેનો મતલબ એવો નથી કે, તેમને ઘરમાંથી કાઢી મૂકો. તમારી જવાબદારી બને છે કે, તમે તેઓની કાળજી લો. ઉપરાતં જો દીકરો ઘરમાં ન હોય તો પુત્રવધૂનું ધ્યાન રાખવું એ પણ તમારી ફરજ છે. જેથી વૃદ્ધાના પતિએ ભૂલ સ્વીકારી બાંહેધરી આપતાં સમાધાન કરાયું હતું. તમને દીકરો રૂપિયા આપે છે, તમારું કરી લે જોઃવૃદ્ધવિદેશમાં રહેતો વૃદ્ધાનો દીકરો તેની માતા અને પત્ની માટે ખર્ચના રૂપિયા મોકલતો હતો. જેથી વૃદ્ધાનો પતિ ધમકી આપતો હતો કે, તમારો દીકરો તમને રૂપિયા મોકલી જ આપે છે. તમે તમારું કરી જ લો છો એટલે આ ઘરમાંથી નીકળી જાવ.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:10 am

વડોદરાથી અમદાવાદ તરફ સર્ફેસિંગ કરાશે, ટોલનાકે પહોંચતાં 2 કલાક લાગશે:એક્સપ્રેસ વે પર 39 કિમી રોડનું રિપેરિંગ થશે, અમદાવાદ જવા અડધો કલાક વહેલાં નીકળજો

વડોદરાથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર જવાના હોવ તો વહેલાં નીકળવું પડશે. નેશનલ હાઇવેએ જાહેર કરેલી સૂચના મુજબ કાલથી વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ વે પર 39 કિમી સુધી સમારકામ શરૂ થશે. જેને પગલે 25 હજાર વાહનચાલકોને તકલીફ થઈ શકે છે. એનએચઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ વડોદરાથી અમદાવાદ ટોલનાકાનું અંતર કાપતાં 2 કલાક લાગી શકે છે. એનએચએઆઇ અધિકારીએ કહ્યું કે, આ કામગીરી એપ્રિલ સુધી ચાલે તેવી શક્યતા છે. એક્સપ્રેસ વે પર ઓવર સર્ફેસિંગ કામગીરી કરવામાં આવશે. રોડ સર્ફેસના ચેકિંગમાં રોડ વધુ ખરબચડો જણાતાં અને ખાડાઓની ફરિયાદને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં આ રસ્તો ઠેર ઠેર ખરબચડો થયો હતો. રોડ રિસર્ફેસિંગ કામગીરીમાં વેર, ડમ્પર, રોલર અને મિલિંગ મશીન જેવાં સાધનોનો ઉપયોગ કરાશે. આ ઉપરાંત 40થી 50 શ્રમિકો અને એન્જિનિયરોની ટીમ આ કામગીરીમાં જોડાશે. લેન મુજબ કામગીરી થશે, સૌથી મુશ્કેલ વચ્ચેની લેનચાલુ ટ્રાફિકમાં કામ પડકારજનક હોય છે. આ કામ લેન મુજબ થાય છે. અધિકારીના જણાવ્યા મુજબ 2 લેન 3.75-3.75 મીટરની હોય છે. જ્યારે સર્વિસ લેન 2.50 મીટરની હોય છે. સૌથી વધુ મુશ્કેલ મિડલ લેન હોય છે. કારણ બંને તરફ વાહન હોય છે. પિરિયોડિક સરવેમાં પ્રતિ કિમી 1800 મિમી રસ્તો રફ આવે ત્યારે આ કામ કરાય છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:09 am

ચેકિંગ:દિવાળીપુરા, ફતેગંજ, ડભોઇ રોડ ઉપર ખોરાક શાખા ત્રાટકી,વાસી ખોરાક બદલ 10 દુકાન સીલ

માંજલપુરના ધારાસભ્યની કડક સૂચના બાદ વર્ષોથી માત્ર નમૂના લેતી ખોરાક શાખાની ટીમે એકાએક દુકાનો સીલ કરવાનું શરૂ કર્યું છે. સતત બીજા દિવસે ડભોઇ રોડ, ગણેશનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન ચાર રસ્તા, સયાજીગંજ, ફતેગંજ અને દિવાળીપુરામાં 49 યુનિટમાં ચેકિંગ કરી 873 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે 10 દુકાનો સીલ કરવા સાથે બે યુનિટોને તાત્કાલિક બંધ કરાવ્યાં હતાં. પાલિકાની ખોરાક શાખાની ટીમે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 5 હોકર, 5 રિટેલર, 17 ફુટ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 3 ઉત્પાદક પેઢી મળી કુલ 49 યુનિટોપ પર ચેકિંગ કર્યું હતું. જેમાં પાઉં અને રો મટિરિયલ, મેદાનો બાંધેલો લોટ, બિરયાનીનો 20 કિલો અખાદ્ય જથ્થો, 30 કિલો ચિકન અને ગ્રેવી, 2 કિલો મન્ચુરિયન, 2 કિલો નૂડલ્સ, 20 કિલો સોફ્ટ ડ્રિંક્સ, બટાકાનો મસાલો અને ચટણી મળી 873 કિલો જથ્થાનો નાશ કર્યો હતો. તદુપરાંત 35 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક મળતાં 58 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 7 દુકાનો પાસે લાઈસન્સ પણ નહોતું

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:08 am

બેદરકારી:છાણીના 21 કરોડના ગૌરવ પથમાં વીજ કંપનીએ 2 સ્થળ પર ખાડા ખોદી નાખ્યા

મુખ્યમંત્રીએ રોડની ક્વોલિટી અને નવો રોડ બન્યા બાદ તેને ન ખોદવા માર્મિક ટકોર કરી હતી. જોકે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ શહેરમાં નવા રોડ તોડવામાં આવી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી રૂા.21 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ગૌરવપથને વીજ કંપનીએ 2 જગ્યાએ ખોદી નાખતાં કાઉન્સિલરોએ નારાજગી વ્યક્ત કરી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, ત્રણ જગ્યાએ મસમોટા ખાડા ખોદ્યા હોવા છતાં રોડ પ્રોજેક્ટ વિભાગે માત્ર 1 લાખની પેનલ્ટી ફટકારતાં વિભાગ કેટલો ગંભીર છે તે સ્પષ્ટ જણાય છે. છાણી પ્રવેશદ્વારથી છાણી જકાતનાકા સુધી પાલિકાએ કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સને ગૌરવપથ બનાવવા માટેનું કામ સોંપ્યું હતું. હજી રોડની કામગીરી અધૂરી છે. તેવામાં વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે છાણી જકાતનાકા નજીક રોડ પર 2 મોટા ખાડા ખોદી નાખતાં ભારે વિવાદ સર્જાયો હતો. સ્થાનિક કાઉન્સિલર જહા ભરવાડે સ્થળ પર પહોંચી પાલિકાના તંત્ર અને વીજ કંપનીની આકરી ટીકા કરી હતી. બીજી તરફ રોડ પ્રોજેક્ટ વિભાગને આ અંગેની જાણ થતાં તેઓએ વીજ કંપનીનું કામ રોકાવી 1 લાખની પેનલ્ટી વસૂલવા નોટિસ ફટકારી છે. જોકે નવો બનેલો રોડ તોડનાર વીજ કંપનીને માત્ર 1 લાખની જ પેનલ્ટી ફટકારતાં પાલિકા તંત્ર સામે સવાલો ઊભા થયા છે. માંજલપુરમાં મોતની ઘટના પરથી વીજ કંપનીએ પાઠ ભણ્યો, ખાડાઓ પાસે બેરિકેડ ન મૂક્યાંછાણી જકાતનાકા નજીક વીજ કંપનીએ કાર ખાબકી જાય તેટલા મોટા ખાડા ખોદ્યા છે. આ ખાડા પાસે બેરિકેડ મૂકવાને બદલે માત્ર ભયજનક લખેલી પ્લાસ્ટિકની પટ્ટી મારી હતી. બેરિકેડના અભાવે વાહન ખાડામાં ખાબકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. માંજલપુર ખુલ્લી ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાનું મોત થયું હતું. આ ઘટના બની હોવા છતાં વીજ કંપનીએ બેરિકેડ ન મૂકવાની ગંભીર બેદરકારી દાખવી હતી. ખાડાઓનું ગૌરવ લેવા રોડ બનાવ્યો હોય તેમ લાગે છેહજી આ રોડ અધૂરો બન્યો છે, તેની પાછળ 21 કરોડ ખર્ચાશે. જોકે રોડ બને તે પહેલાં જ 2 સ્થળે ખોદી નાખ્યો છે. આસપાસ બેરિકેડ પણ નથી મૂક્યાં એટલે બીજો વિપુલસિંહ ઝાલા જેવો કોઈ યુવક ખાબકે અને તંત્રના પાપે મૃત્યુ પામે. વીજ કંપની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી મારી માગ છે. > જહા ભરવાડ, કાઉન્સિલર, વોર્ડ 1 ફૂટપાથ પર ખોદવાની મંજૂરી હતી અને કોન્ટ્રાક્ટરે રોડ ખોદી નાખ્યોપાલિકાના રોડ પ્રોજેક્ટ વિભાગ અને વોર્ડ 2 દ્વારા વીજ કંપનીના કોન્ટ્રાક્ટરને ફૂટપાથ પર કામગીરી કરવા માટેની મંજૂરી આપી હતી. જોકે કોન્ટ્રાક્ટરે ફૂટપાથની જગ્યાએ રોડ ખોદી નાખ્યો હતો. કાઉન્સિલરે ધ્યાન દોરતાં પાલિકાનું તંત્ર દોડતું થયું હતું. રોડ પ્રોજેક્ટ વિભાગે પરવાનગી વિના રોડ ખોદી નાખતાં વોર્ડને ખાડા ખોદવાની પરવાનગી રદ કરવાની સૂચના આપી છે. જોકે માત્ર 1 લાખના દંડ સાથે ખાડાનું પુરાણ કરાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:08 am

વૈકલ્પિક વ્યવસ્થાની માગ:સરકારી જમીન પર 39 વર્ષથી દબાણો, 14 ગોડાઉન તોડ્યાં, 21 મકાનનો આજે નિર્ણય

સરસિયા તળાવ પાસે સરકારી જમીન પર 39 વર્ષથી કરાયેલાં દબાણો પર તંત્રે બૂલડોઝર ફેરવ્યું હતું. તંત્રે 35 બિલ્ડિંગમાંથી 14 ગોડાઉન તોડ્યાં હતાં, બાકીનાં 21 મકાનોના રહીશોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવતાં બુધવારે નિર્ણય કરાશે. બીજી તરફ સ્થાનિકોનો આક્ષેપ હતો કે, તેઓ 60 વર્ષથી રહે છે. 60 હજાર ચો.ફૂટ જગ્યામાંથી 20 હજાર ચો.ફૂટ જગ્યા ખુલ્લી હતી, જ્યારે અન્ય 40 હજાર ચો.ફૂટમાંથી 25 હજાર ચો.ફૂટ જમીન ખુલ્લી કરાઈ છે. સરસિયા તળાવ પાસે મગર સ્વામી આશ્રમની આસપાસની જમીન, ગોસ્વામી સમાજનું સ્મશાન, શિવજી અને હનુમાનજીના મંદિર સહિતની જમીન પર 1987થી દબાણ થયાં હતાં. કલેક્ટરે 3 માસ પૂર્વે 35 બિલ્ડિંગને નોટિસ આપી હતી. 6 જાન્યુઆરીએ ઉત્તર મામલતદારની કચેરીએ 39 લોકોને સામાન ખસેડી લેવા કહ્યું હતું. નોટિસ બાદ કલેક્ટર તંત્ર, પાલિકા અને પોલીસનો સ્ટાફે પહોંચી દબાણો તોડવાનું શરૂ કર્યું હતું. દબાણો તોડાય તે પૂર્વે સોમવારે રહીશોએ કલેક્ટરને આવેદન આપી વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી. રહીશે સવારે 10:30 વાગે હાઈકોર્ટમાંથી સ્ટે લીધોમકાન તોડવાનું શરૂ કરાય તે પૂર્વે સવારે 10:30 વાગે 1 રહીશે હાઈકોર્ટમાં અર્જન્ટ હીયરિંગ કરી સ્ટે લીધો હતો. હાઈકોર્ટે બુધવારે નિર્ણય લેવાનું જણાવ્યું હતું. જેથી ઘરોને મંગળવારે તોડ્યાં નહતાં. પોલીસે વિસ્તારને કોર્ડન કર્યો, ડ્રોનથી નજર રાખીપોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરવાની સાથે ડ્રોનથી નજર રખાતી હતી. ડિમોલિશન સમયે 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, 16 પીએસઆઈ, 180 એસઆરપી અને પોલીસ જવાનોનો બંદોબસ્ત હતો. દબાણો દૂર કરવા મહિલા મંત્રીએ રજૂઆત કરી હતીયાકુતપુરામાં સરસિયા તળાવની પાસે મગર સ્વામી આશ્રમની આસપાસ અને ગોસ્વામી સમાજના સ્મશાનમાં થયેલાં દબાણો હટાવવા રાજ્ય સરકારનાં મંત્રી મનીષાબેન વકીલે રજૂઆત કરી હતી. જે બાદ કલેક્ટર કચેરીએ દબાણો હટાવવા જણાવ્યું હતું. 70 ટકા જમીન ખાલી થઈમગર સ્વામી આશ્રમની આસપાસના વિસ્તારમાં કુલ 35 યુનિટ આવેલાં છે, જેમાંથી 14 જેટલાં કોમર્શિયલ યુનિટને તોડી દેવામાં આવ્યાં છે, જેથી 70 ટકા જમીન ખાલી થઈ ગઈ છે. જ્યારે બાકીનાં 21 મકાનોને હાઈકોર્ટના આદેશ બાદ તોડાશે. > વી.કે. સાંબળ, પ્રાંત અધિકારી સાસુ ચાલી નથી શકતાં, રોડ પર પલંગમાં સૂવડાવ્યાં17મીએ નોટિસ અપાઈ હતી. મારું ઘર 2 માળનું છે. કોર્ટમાં કેસ ચાલે છે. મારાં સાસુ ચાલી નથી શકતાં, જેથી રોડ પર પલંગ લાવી સૂવડાવ્યાં છે. મારા ભાઈને દેખાતું નથી. આવી હાલતમાં બાળકોને લઈ ક્યાં જઈશું. અમને વિકલ્પ તો આપવો જોઈએ. શું અહીં શાળા-દવાખાનું બનાવાશે? ખોટું કામ થઈ રહ્યું છે. > રીવાન તસ્લીમ દીકરીની બોર્ડની પરીક્ષા છે,કેવી રીતે તૈયારી કરશેઅમે 60 વર્ષથી રહીએ છીએ. આજે બાળકોની પરીક્ષા છે, તેઓ તૈયારી નથી કરી શકતાં. મોટી દીકરીની બોર્ડની પરીક્ષા છે. રમઝાન મહિનો આવશે, ઘર નહીં હોય તો અમે કેવી રીતે રમઝાન ઊજવીશું. ઘરના બદલામાં ઘર અપાશે કે કેમ તેની જાણકારી અપાઈ નથી. > સાહેદાબાનુ સૈયદ

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:06 am

અનુ.જાતિની 40%થી વધુ વસ્તીના ગામની ભારત સરકાર દ્વારા પસંદગી:સતલાસણાના ઉમરેચા ગામમાં 20 લાખના ખર્ચે વિકાસના કામો કરાશે

ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા ચાલુ વર્ષ માટે 40 ટકાથી વધુ અનુસૂચિત જાતિની વસ્તી ધરાવતા સતલાસણા તાલુકાના ઉમરેચા ગામને પ્રધાનમંત્રી આદર્શ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ ગામમાં કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 20 લાખ રૂપિયાના ફંડ દ્વારા અલગ અલગ વિકાસના કામો કરવામાં આવનાર છે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક કમિટીની પણ રચના કરવામાં આવી છે.અધિક કલેક્ટર જશવંત જેગોડાની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગામમાં થનારા વિકાસના કામોને લઈ મંગળવારના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્ય કક્ષાની વીએલસીસી કમિટી દ્વારા સૂચવવામાં આવેલા વિકાસના કામોની ચર્ચા કરાઇ હતી. જે અંતર્ગત 4 લાખના ખર્ચે સીસી રોડ, કોમ્યુનિટી હોલની આગળ પેવર બ્લોક, બે લાખના ખર્ચે મેન ગટર લાઇનથી બીજી ગટર લાઈન, રોહિતવાસમાં જાહેર ચોકમાં બે લાખના ખર્ચે અધૂરા પેવર બ્લોક, પરમાર વાસથી મેઇન રોડ સુધીનો 2 લાખના ખર્ચે સીસી રોડ સહિત રૂ.20 લાખના 9 વિકાસના કામો કરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 4:00 am

કરોડોની છેતરપિંડીમાં બિલ્ડર ભૂપેન્દ્ર ઉર્ફે ટીના શાહની ધરપકડ:વડોદરામાં સોનાની લગડી જેવી જમીનના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપિંડી થતા જમીન માલિક અમેરિકા દોડી આવ્યા, 4 સામ સામે ફરિયાદ કરી

વડોદરા શહેરમાં રિયલ એસ્ટેટ અને જમીન લે-વેચના નામે નિર્દોષ રોકાણકારો અને જમીન માલિકોને ચૂનો લગાવતી ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડોની છેતરપિંડીના ગુનામાં વડોદરા શહેરના કુખ્યાત બિલ્ડર ભુપેન્દ્ર શાંતિલાલ ઉર્ફે ટીનો શાહ અને તેના સાગરીત વિજય પંચાલની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે 4 સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ફરીયાદી સાથે છેતરપિંડી થતા તેઓ અમેરિકાથી દોડી આવ્યા હતા અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક જમીન સોદામાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપીઓએ ખોટા દસ્તાવેજો બનાવી, જમીન માલિકોને અંધારામાં રાખી અને રોકાણકારો સાથે વિશ્વાસઘાત કરીને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઓપરેશન હાથ ધરી, માંજલપુર ખાતે રહેતા ભુપેન્દ્ર ઉર્ફે ટીનો શાહ અને છાણી વિસ્તારમાં રહેતા તેના સાગરીત વિજય પંચાલને દબોચી લીધા હતા. આ ઉપરાંત મયુરીકા પટેલ અને પી કે મારે સામે પણ ફરિયાદ નોંધાઈ છે. તેમની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. વડોદરા નજીકના ગોત્રી ગામમાં જમીન વેચાણને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. ફરિયાદી અને તેમના સાક્ષીઓએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓએ મળીને ખોટા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેમની જમીન પર કબજો કરવાનું કાવતરું રચ્યું છે. આ મામલે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપો મુકવામાં આવ્યા છે. ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદી અને તેમના સાક્ષીઓએ 7 ડિસેમ્બર 2000ના રોજ ગોત્રી ગામના રેવન્યુ સર્વે નંબર 249 (ક્ષેત્રફળ 8701 ચોરસ મીટર) અને તેની સાથે જોડાયેલા રેવન્યુ સર્વે નંબર 292 (ક્ષેત્રફળ 12849 ચોરસ મીટર)ની જમીન મૂળ માલિકો ભરત મોહનભાઈ પટેલ અને અન્ય 14 વ્યક્તિઓ પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (રજિસ્ટ્રેશન નંબર 7569) દ્વારા ખરીદી હતી. આ જમીનનું ટાઇટલ ક્લિયર કરવા માટે ફરિયાદીઓએ આરોપી ભૂપેન્દ્ર શાહને જવાબદારી સોંપી હતી અને તેને પાવર ઓફ એટર્ની પણ આપી હતી. ટાઇટલ ક્લિયર થયા બાદ ફરિયાદીઓએ જમીનનો વિકાસ કરવાની યોજના બનાવી હતી. જોકે, આરોપી ભૂપેન્દ્ર શાહ, વિજય પંચાલ અને પી કે મોરેએ 4 સાથે મળીને આ જમીનને લઈને ખોટું અને બનાવટી 'બાનાખત' (વેચાણ કરાર) તૈયાર કર્યું હોવાનો આરોપ છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 12:07 am

AMCના ગાર્ડનમાં રમતગમત-જીમના સાધનોની વિવાદાસ્પદ દરખાસ્ત મંજૂર:6 કરોડના ખર્ચે ફીટ કરાયેલા સાધનો 3 વર્ષમાં ખખડી જતા હવે 10 કરોડના ખર્ચે નવા ફીટ કરાશે!

અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનમાં બાળકોની રમતગમત માટેના સાધનો અને જીમના સાધનો મૂકવામાં આવેલા છે. ત્રણ વર્ષ પહેલા જ વિવિધ ગાર્ડનમાં આ સાધનો પાછલ 6 કરોડનો તોતિંગ ખર્ચ કરાયો હતો. હવે ફરી ત્રણ વર્ષમાં જ નવા સાધનો માટે 10 કરોડના ખર્ચની દરખાસ્ત સવાલોના ઘેરામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રીક્રિએશન એન્ડ કલ્ચરલ કમિટી દ્વારા આ દરખાસ્ત મંજૂર કરી દેવાતા હવે સ્ટેન્ડીંગ કમિટી અને બાદમાં જનરલ બોર્ડ દ્વારા મંજૂર કરાશે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ એજન્સીને કામ સોંપાયુંક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલા 300થી વધુ ગાર્ડનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા અલગ અલગ જગ્યાએ નવા સાધનો મુકવા માટે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બંને જગ્યાએ અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જે પણ બગીચામાં રમતગમતના અને ઓપન જીમના સાધનો જર્જરી અથવા તૂટી ગયા હશે ત્યાં નવા લગાવવામાં આવશે. હીચકા લપસણી જેવા સાધનો બદલવામાં આવશે. જે ટેન્ડર કરવામાં આવ્યું છે તેમાં નવા અલગ અલગ 22 પ્રકારના સાધનો પણ લગાવવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ આ જ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રમત ગમતના સાધનો લગાવવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું હતું. જો કે તેમાં સાધનોના મેન્ટેનન્સની શરત રાખવામાં આવી નહોતી. આ ટેન્ડરમાં મેન્ટેનન્સ ની શરત રાખવામાં આવી છે જેથી કોઈપણ સાધન ખરાબ થાય તો જે તે એજન્સી દ્વારા તેને રીપેરીંગ કરવાનું રહેશે. ત્રણ વર્ષ પહેલા રૂ. 5.73 કરોડના ખર્ચ કરાયો, હવે 10 કરોડનો ખર્ચ થશેશહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા બગીચાઓમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે નાના બાળકો બગીચામાં રમવા માટે આવતા હોય ત્યારે બગીચાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓપન જીમ અને રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં જ શહેરના અલગ અલગ બગીચાઓમાં રમત ગમતના સાધનો અને ઓપનજી તેમજ દિવ્યાંગો માટેના સાધનો મૂકવા માટે બગીચા ખાતા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્રણ વર્ષ પહેલા જ રૂ. 5.73 કરોડ રૂપિયાનો ખર્ચ કરી અને અલગ અલગ જગ્યાએ આવા સાધનો મૂકવામાં આવ્યા હતા. બગીચા ખાતા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ જેટલી એજન્સીઓ આવી હતી જેમાં એક એજન્સી વિવાદાસ્પદ રીતે ડિસ્કવોલીફાય થઈ હતી જેના માટેનું કારણ ભાજપના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર ભરવા માટે જે ટેન્ડર ફી ભરવી પડે છે તે ભરવામાં આવી નહોતી જેના કારણે તેને ડીસ્ક્વોલીફાય કરવામાં આવી છે. બગીચા ખાતા દ્વારા જે ટેન્ડરની શરત કરવામાં આવી હતી તે ચોક્કસ કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે મુજબ કરાઈ હતી જેમાં શરત મૂકવામાં આવી હતી કે પાંચ ઝોનમાં જો એક જ કોન્ટ્રાક્ટર કંપની ક્વોલિફાય થાય તો સત્તા ની મંજૂરીએ બંને કંપનીઓને કામગીરીની વહેંચણી કરવી. બે એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મંજૂરમ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા શહેરના 101 જેટલા બગીચાઓમાં રૂ. 14.43 કરોડના ખર્ચે રમત ગમત અને જીમના સાધનો મૂકવા માટેની ટેન્ડર ત્યાં હતા જેમાં શરતો મૂકી હતી. આ ટેન્ડરમાં હની ફન એન્ડ થ્રીલ કંપની અને સેન્સન ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની બંને કંપનીઓ ક્વોલીફાઈ થઈ હતી. ને કંપનીઓએ રમતગમત ના સાધનો અને ઓપન જીમના સાધનો મૂકવા માટે થઈને કામગીરી મેળવવા 10- 15 ટકા નહીં પરંતુ 30કાથી ઓછા ભાવ આપ્યા હતા. અલગ-અલગ ઝોનમાં બે કરોડથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીના સાધનો મૂકવા માટે આ બંને કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેની દરખાસ્ત રીક્રીએશનલ કમિટીમાં મૂકવામાં આવી હતી જેને ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી હતી. ભૂતકાળમાં બગીચા ખાતાએ વર્ષ 2022-23માં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બગીચાઓમાં રમતગમતના સાધનો અને ઓપન જીમના સાધનો મુકવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં જે ભાવનો અંદાજ મૂકવામાં આવ્યો હતો તેના કરતાં આઠ ટકા વધુ ભાવે એટલે કે રૂ. 5.73 કરોડના ખર્ચે અલગ અલગ જગ્યાએ સાધનો મૂકવાને મંજૂરી આપવામાં આવી હતી. બગીચા ખાતાના ઉચ્ચ અધિકારીઓએ માત્ર ત્રણ વર્ષમાં જ ફરીથી નવા સાધનો મુકવા માટે થઈને એક સાથે રૂ. 9.88 કરોડના ખર્ચે સાધનો મૂકવા માટે ટેન્ડર કર્યું અને તેને મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના ચેરમેને મંજૂરી આપી દેતા પણ વિવાદ થયો છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 12:05 am

6 કરોડની કિંમતના કોબ્રાના 6.5 ML ઝેરની 9 કરોડમાં ડીલ:અમદાવાદના સોનીએ વડોદરાના વેપારીને ઝેર વેચવા આપ્યું, 10 લાખનું દેવૂ ચૂકવવા ને કરોડપતિ બનવા ઝેર વેચવા નીકળ્યા

સુરત SOGએ 19 જાન્યુઆરીના રોજ 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં અમદાવાદના ઘનશ્યામ સોની અને વડોદરાના પ્રશાંત શાહ વચ્ચેની જૂની મિત્રતા આ ગુનાનું મૂળ બની છે. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા હતા. આ 10 લાખનું દેવૂ ચૂકવવા અને શોટકટમાં કરોડપતિ બનવા પ્રશાંત અને મકરંદ કોબ્રા સાપનું ઝેર વેચવા તૈયાર થયા અને એક પછી એક લોકો જોડાતા ગયા હતા. જોકે, આ મામલે સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 લાખ ઉછીના લઈ ધંધો કર્યો પણ સફળતા ન મળીઘનશ્યામ સોની પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પ્રશાંત અને મકરંદે વડોદરાના પોર GIDC વિસ્તારમાં પ્લાસ્ટિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, આ ધંધામાં સફળતા મળી નહીં અને ટૂંક સમયમાં જ ભારે આર્થિક ખોટનો સામનો કરવો પડ્યો હતો. ધંધો સંપૂર્ણ ઠપ થઈ જતાં તેઓ ધનશ્યામ પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કરી શક્યા નહોતા. જેના કારણે તેમની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ હતી. દેવું ચુકવવા પ્રશાંત અને મકરંદ ગુનાખોરી તરફ વળ્યાજોકે, ધંધામાં નુકસાની જતાં ઘનશ્યામ સોનીએ ઉછીના આપેલા 10 લાખ રૂપિયા પરત માગ્યા હતા અને કડક ઉઘરાણી શરૂ કરી હતી. અવારનવાર ફોન કરીને કે રૂબરૂ મળીને નાણા પરત માગતો હતો. પ્રશાંત અને મકરંદ પાસે આવકનું કોઈ સાધન બચ્યું નહોતું છતાં ઘનશ્યામ સતત દબાણ કરતો જેના કારણે પ્રશાંત અને મકરંદ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. 10 લાખ ચૂકવવા માટે તેઓ કોઈપણ માર્ગ અપનાવવા તૈયાર થઈ ગયા હતા અને જે અંતે તેમને ગુનાખોરી તરફ લઈ ગઈ હતી. ઘનશ્યામે બંનેને દેવુ ચૂકતે કરવા સાપનું ઝેર વેચવા કહ્યુંજ્યારે ઘનશ્યામ સોની મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે પ્રશાંત અને મકરંદ સાથે તેની એક નિર્ણાયક મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ઘનશ્યામ સોનીએ સ્વીકાર્યું કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે માટે હું તમને સાપનું ઝેર આપું છું. તેણે દાવો કર્યો હતો કે આ ઝેર વેચવાથી કરોડો રૂપિયા મળશે તેનાથી તેમનું 10 લાખનું દેવું અને અન્ય તમામ આર્થિક બોજ સરળતાથી દૂર થઈ જશે. કરોડોની કિંમતનું સાપનું ઝેર વેચવા બંને તૈયાર થયાઘનશ્યામ સોનીએ તે મુલાકાત સમયે પ્રશાંતને કોબ્રા સાપના ઝેરની બોટલ સોંપી હતી. ઘનશ્યામે પ્રશાંતને કહ્યું હતું કે, આ ઝેરની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોમાં કિંમત છે અને તેના ગ્રાહક શોધવા મુશ્કેલ નથી. પ્રશાંત અને મકરંદે પણ પોતાના 10 લાખના દેવામાંથી મુક્તિ મેળવવા અને રાતોરાત કરોડપતિ બનવા આ ઝેર પોતાની પાસે રાખી લીધું હતું. ગ્રાહકોની શોધમાં બે પરિચિતને કામે લગાવ્યાસાપનું ઝેર હાથમાં આવ્યા પછી પ્રશાંતે તેના પરિચિત સમીર અને પ્રવીણને આ માલ વેચવા માટે ગ્રાહક શોધવાની જવાબદારી સોંપી હતી. પ્રવીણે વડોદરાના જાણીતા સિવિલ વકીલ કેતન શાહનો સંપર્ક કર્યો હતો. વકીલ પણ આર્થિક ફાયદામાં ભાગીદાર બનવા તૈયાર થયો હતો. આ તમામ લોકોનું એક જ લક્ષ્ય હતું કે, ગમે તે રીતે આ ઝેર વેચીને ઘનશ્યામ સોનીના 10 લાખ પરત કરવા અને બાકીના કરોડો રૂપિયા અંદરોઅંદર વેચી લેવા જેથી તેમની ગરીબી દૂર થાય. કોબ્રાના ઝેરની 9.10 કરોડમાં ડીલ ફાઈનલ કરીકેતન શાહના મિત્ર મનસુખ જે સુરતમાં મેરેજ બ્યુરો ચલાવે છે તેણે આ કિંમતી ઝેર માટે ગ્રાહક શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ આ કોબ્રાના ઝેરનો સોદો કુલ 9.10 કરોડમાં નક્કી કર્યો હતો. ડીલ નક્કી થતા જ તમામ આરોપીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓને લાગ્યું કે, હવે ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા ચૂકવવામાં કોઈ વાંધો આવશે નહીં. ડીલ માટે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી મનસુખની ઓફિસને મુખ્ય મંથક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. રૂપિયાની વહેંચણીનો અગાઉથી જ પ્લાન તૈયાર કર્યોઆ 9.10 કરોડની રકમની વહેંચી માટે આરોપીઓએ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો. નક્કી થયા મુજબ 5 કરોડ રૂપિયા પ્રશાંત, મકરંદ અને ઘનશ્યામ સોનીને લેવાના હતા. જેમાંથી ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા અને વ્યાજની પતાવટ કરવાની હતી. બાકીના 4.10 કરોડ રૂપિયા વકીલ કેતન શાહ, સમીર, પ્રવીણ અને મનસુખ વચ્ચે કમિશન તરીકે વહેંચવાના હતા. નાણાની હેરાફેરી માટે આંગડિયા મારફતે હવાલો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય લોકોની મદદ લેવાઈ હતી. ડમી ગ્રાહક મોકલી SOGએ સાત આરોપીને ઝડપી પાડ્યાસુરત SOGના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, તા. 19 જાન્યુઆરીના રોજ લસકાણાના સહજાનંદ હબમાં જ્યારે આ તમામ આરોપીઓ ડીલ કરવા માટે ભેગા થયા હતા, ત્યારે સુરત SOG પોલીસની ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 5.85 કરોડની બજાર કિંમતનું કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું અને સાત આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા પરત મેળવવાના ચક્કરમાં વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ અને વેપારીઓ સહિતની આખી ટોકળી પોલીસના સકંજામાં ફસાઈ હતી. વન વિભાગે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યોઝડપાયેલા આરોપીઓમાં વકીલ કેતન શાહ, વેપારી મકરંદ અને પ્રશાંત સહિત કુલ 7 લોકોનો સમાવેશ થાય છે. સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીની સઘન શોધખોળ કરી રહી છે, જેણે 10 લાખના દેવા પેટે આ ઝેર આપ્યું હતું. આ કેસમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે આટલું કિંમતી ઝેર ક્યાંથી આવ્યું તે રહસ્ય અકબંધ છે. કયો સાપ નશા માટે વપરાય છે?નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના રિપોર્ટ અનુસાર, ભારતમાં નશાના વ્યસનીઓ દ્વારા નશા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સાપના નામ નાજા નાજા એટલે કે કોબ્રા, બંગરસ કેરુલિયસ એટલે કે કોમન ક્રેટ અને ઓફિઓડ્રિસ વર્નાલિસ એટલે કે ગ્રીન સ્નેક છે. આ સિવાય જે લોકો ઓછા ઝેરી સાપનો નશો ઈચ્છે છે તેઓ દારૂ સાથે રેટ સ્નેક અને ગ્રીન બેલ સ્નેકનું ઝેર લેશે. નશામાં શા માટે સાપના ઝેરનો ઉપયોગ થાય છે?નશા માટે સાપના ઝેરના ઉપયોગ વિશે બહુ ચર્ચા નથી. જોકે એના કેસ પહેલાં પણ આવતા રહ્યા છે. નિષ્ણાતો માને છે કે એનો ઉપયોગ એવા લોકો કરે છે જેઓ મોર્ફિન અને કોકેન જેવી નિયમિત દવાઓથી કંટાળી ગયા છે. જર્નલ ઓફ સાઇકોલોજિકલ મેડિસિન અનુસાર, જો સાપનું ઝેર ઓછી માત્રામાં લેવામાં આવે તો એની સાઇકોએક્ટિવ અસર થાય છે. એનો અર્થ એ કે એ માનવ ચેતાતંત્રને ધીમું કરે છે. કેટલાક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોબ્રાના ઝેરમાં મોર્ફિન ડ્રગ જેવો નશો હોય છે. જ્યારે સાપનું ઝેર શરીરમાં પ્રવેશે છે ત્યારે સક્રિય ચયાપચય, એટલે કે ખોરાકના પાચન પછી બનેલા પદાર્થો લોહીમાં મુક્ત થાય છે. એમાં સેરોટોનિન, બ્રેડિકિનિન, પેપ્ટાઇડ્સ, પ્રોસ્ટાગ્લાન્ડિન્સ અને અન્ય સમાન પદાર્થો છે. આ માનવ શરીરમાં ઊંઘ અને શાંત પ્રતિક્રિયાઓનું કારણ બને છે. સાપનું ઝેર બજાર કેવી રીતે કામ કરે છે?એક સમાચાર અનુસાર, એક ગ્રામ કોબ્રા ઝેરની કિંમત 4 હજાર રૂપિયાથી લઈને 26 હજાર રૂપિયા સુધીની છે. આ કિંમત નક્કી કરવા માટે વપરાયેલા માપદંડ એ છે કે કોબ્રા કેટલું ઝેરી છે. જેનું ઝેર વધુ ઝેરી હોય એની કિંમત વધારે હશે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમતો વધુ વધે છે. ઉદાહરણ તરીકે, એક ગ્રામ સાપનું ઝેર 150 ડોલરથી વધુ એટલે કે લગભગ 10 હજાર રૂપિયામાં વેચાય છે. જ્યારે કિંગ કોબ્રા ઝેરના એક ગેલનની કિંમત લગભગ 1 લાખ 53 હજાર ડોલર છે. આ તમામ કિંમતો ગેરકાયદે રીતે દાણચોરી કરાયેલા સાપના ઝેરની છે. સાપના ઝેરનો વેપાર સમગ્ર વિશ્વમાં કાયદેસર અને ગેરકાયદે બંને રીતે ચાલે છે. કાયદેસર રીતે, સાપના ઝેરનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. ચીનમાં સાપની ખેતી અને વેપાર થાય છે. જિસિકિયાઓ નામનું એક ગામ છે, જ્યાં તેમનો ઉછેર થાય છે. એનું ઝેર પછી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વેચવામાં આવે છે. ચીન ઉપરાંત ભારત, મલેશિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં સાપના ઝેરનો ગેરકાયદે વેપાર મોટા પાયે થાય છે. સાપની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે દેશમાં બે કાયદા છે… નશો કરવા માટે સાપ કેવી રીતે કરડાવવામાં આવે છે, એનો નશો કેટલો સમય ચાલે છે અને આ બજાર કેટલું મોટું છે? સૌથી પહેલા તો વાંચો અલગ-અલગ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા આ 3 કેસ રિપોર્ટ, જેમાં નશા માટે સાપના ડંશનો ઉપયોગ કરવામાં આવ્યો હતો... કેસ સ્ટડી 1: જ્યારે બ્રાઉન શુગર બિનઅસરકારક બની ગયું, ત્યારે મેં સાપ પાસે દંશ મરાવવાની શરૂઆત કરી22 વર્ષનો મુસ્લિમ યુવક, જેણે આઠમા પછી અભ્યાસ છોડી દીધો હતો. ખાનગી હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે કામ કરતો હતો. તેને બ્રાઉન શુગરની લત લાગી ગઈ. શરૂઆતમાં એ દરરોજ બ્રાઉન શુગરના બે સેચેટ વાપરતો હતો. ધીમે ધીમે તેણે દિવસમાં 4થી 5 સેચેટ લેવાનું શરૂ કર્યું. તેણે નશા માટે કફ સિરપનો ઉપયોગ પણ શરૂ કર્યો. આ હોવા છતાં તેને વધુ દવાઓની જરૂર લાગતી હતી. એક વર્ષમાં તેણે નશામાં આવવા માટે સાપના ડંશનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે એક બોટલમાં લીલો સાપ હતો. જ્યારે સાપ તેના માથા પર ટેપ કરતો હતો ત્યારે તે અંગૂઠા અથવા જીભને ડંશ મારતો હતો. એક સાપ કરડવાની કિંમત 2500 રૂપિયા હતી. સાપે ડંખ માર્યા પછી તેની દૃષ્ટિ ધૂંધળી થવા લાગી, તે બેભાન થવા લાગ્યો અને તેની ઉત્તેજના વધે છે. આ પછી તે 18થી 20 કલાક સુધી ગાઢ ઊંઘમાં જતો હતો. ધીરે ધીરે સાપ કરડવા છતાં એની અસર ઓછી થવા લાગી અને તે માત્ર 10થી 12 કલાક સુધી મર્યાદિત હતી. કેસ સ્ટડી 2: નશામાં આવવા માટે સાપનો વપરાશ જીભને કરડાવવા માટે થાય છે22 વર્ષનો મુસ્લિમ છોકરો, 10મું પાસ અને વ્યવસાયે સફાઈ કામદાર. બ્રાઉન શુગરની લતને કારણે હોસ્પિટલમાં દાખલ. તે 4 વર્ષથી બ્રાઉન શુગર લેતો હતો. ધીમે ધીમે એનો વપરાશ વધીને દરરોજ 5 સેચેટ થઈ ગયો. એકવાર તે તેના મિત્રો સાથે મુંબઈમાં એક રેવ પાર્ટીમાં ગયો હતો. ત્યાં બધાને બ્રાઉન શુગર લીધા પછી સાપ કરડતો હતો. તેણે પણ આ કર્યું. એક બોક્સમાં એક સાપ હતો, જેના છિદ્રમાં જીભ મૂકવી પડી. સાપ તેને કરડતો હતો. બ્રાઉન શુગર લીધા પછી વ્યક્તિએ તેની જીભ છિદ્રમાં મૂકી અને સાપે ડંશ માર્યો. આ સાપના ડંશ પછી તે 12થી 14 કલાક સુધી સૂતો રહ્યો. આ પછી તેને સાપનાં દંશની આદત પડી ગઈ અને આવી પાર્ટીઓમાં અવારનવાર જવાનું શરૂ કર્યું. કેસ સ્ટડી 3: સાપનો નશો એક અઠવાડિયા સુધી ચાલ્યોરાંચીમાં રહેતો 28 વર્ષનો સાપ ચાર્મર રોજ દારૂ પીતો હતો. અનેક વખત પ્રયાસ કરવા છતાં 15 વર્ષ જૂનું વ્યસન છૂટતું ન હતું. એકવાર તેને સાપ કરડ્યો. તે 6થી 7 દિવસ સુધી નશામાં રહ્યો. ધીમે-ધીમે તેને દારૂની લતમાંથી મુક્તિ મળવા લાગી, પરંતુ સાપ કરડવાની તેની લત વધતી ગઈ. દારૂના નશામાં સાપ કેવી રીતે કરડ્યો?જુદા જુદા કિસ્સાઓમાં નશામાં આવવા માટે સાપ કરડાવવાની વિવિધ પદ્ધતિઓ છે... આ સિવાય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સાપના ઝેરથી બનેલો પાઉડર છે. એને પીણાં સાથે મિશ્રિત કરીને પીવામાં આવે છે. આ પાઉડરને સર્પદંશ પાઉડર કહેવામાં આવે છે. આમાં પણ કોબ્રા ઝેરનો સૌથી વધુ ઉપયોગ થાય છે. નાર્કોટિક્સ અધિકારીઓનું કહેવું છે કે નશો અમુક કલાકોથી લઈને આખા દિવસ સુધી રહી શકે છે. એ નશો કરવા માટે લેવામાં આવેલા ઝેરની માત્રા પર આધાર રાખે છે.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 12:05 am

'વર્લ્ડ કપ બાદ જીવન બદલાયું, લોકો મહિલા ક્રિકેટરોને ઓળખતા થયા':હાર્દિક પંડ્યા-વિરાટ કોહલી GGની ખેલાડીઓના રોલ મોડલ, અનુષ્કાએ કહ્યું- રજત પાટીદારે બેટિંગમાં ખૂબ મદદ કરી

વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની મેચો હાલ વડોદરામાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત જાયન્ટ્સ(GG) ટીમ પણ વડોદરાની મહેમાન બની છે. ગઈકાલે(20 જાન્યુઆરીએ) ટીમના કેપ્ટન એશ્લે ગાર્ડનર કેપ્ટન પ્લેયર સોફી ડિવાઇન, રેણુકા ઠાકુર, અનુષ્કા શર્મા, કાશ્વી ગૌતમ, ⁠ભારતી ફુલમાલી, હેડ કોચ માઈકલ ક્લિંગર, ફિલ્ડિંગ કોચ સારાહ ટેલર અને બોલિંગ કોચ પ્રવિણ તાંબેએ મીડિયા સાથે વાત કરી હતી અને આગામી મેચો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત જાયન્ટ્સ ટીમની બોલર રેણુકા ઠાકુરે જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ બાદ જીવન બદલાયું, લોકો મહિલા ક્રિકેટરોને ઓળખતા થયા. હવે દરેક પ્લેયરને રિસ્પેક્ટ મળે છે અને લોકો સામેથી આવીને અભિનંદન આપે છે. ઓલરાઉન્ડર અનુષ્કા શર્માએ કહ્યું, મારા સૌથી પહેલા રોલ મોડલ વિરાટ કોહલી છે, રજત પાટીદારે બેટિંગમાં ખૂબ મદદ કરી છે. જ્યારે ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમે જણાવ્યું હતું કે, મારા રોલ મોડેલ હાર્દિક પંડ્યા છે, તેઓ આ વડોદરાથી જ છે. 'જે મેચો હાર્યા છીએ,તેના પર ટીમમાં ચર્ચા થઈ રહી છે'ગુજરાત જાયન્ટ્સ ટીમની બોલર રેણુકા ઠાકુરે જણાવ્યું હતું કે, અમે હાલ બહુ લાંબુ વિચારી રહ્યા નથી. જે મેચો હાર્યા છીએ, તેમાં કઈ કઈ ભૂલો થઈ છે તેના પર ટીમમાં ચર્ચા થઈ રહી છે. શરૂઆતમાં અમે સારું ક્રિકેટ રમ્યા છીએ, તેથી પોઝિટિવ માઈન્ડસેટ સાથે આગળ વધવું જરૂરી છે. અલગ-અલગ પિચ પર રમવાની રણનીતિ બદલાતી હોય છે, એક મેચ રમ્યા પછી હવે અમને અહીંની પિચનો થોડો અંદાજ આવી ગયો છે. 'મારી સફળતા પાછળ મારી મમ્મીનો સૌથી મોટો સપોર્ટ'તેઓએ કહ્યું કે, મારી સફળતા પાછળ મારી મમ્મીનો સૌથી મોટો સપોર્ટ રહ્યો છે. તેમની મહેનત અને આશીર્વાદથી જ હું આજે અહીં છું. આ ઉપરાંત અલગ-અલગ જગ્યાએ મને જે કોચ અને લોકોનો સાથ મળ્યો છે, તે બધાનો આમાં મહત્વનો ફાળો છે. કોઈ એક વ્યક્તિને કારણે નહીં પણ અનેક લોકોના સપોર્ટથી હું આ સ્તરે પહોંચી શકી છું. 'ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ વચ્ચેના અંતરને આ લીગ પૂરે છે'ગુજરાત જાયન્ટ્સ ટીમની યુવા ક્રિકેટર ઓલરાઉન્ડર અનુષ્કા શર્માએ જણાવ્યું હતું કે, WPL યુવા ખેલાડીઓ માટે એક શાનદાર પ્લેટફોર્મ છે. ખાસ કરીને એવા ખેલાડીઓ માટે જેમને સીધી ભારતીય ટીમમાં તક નથી મળતી. ડોમેસ્ટિક ક્રિકેટ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ વચ્ચેના અંતરને આ લીગ પૂરે છે. હું ગુજરાત જાયન્ટ્સના મેનેજમેન્ટની ખૂબ આભારી છું કે તેમણે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને આ તક આપી છે. જોકે, છેલ્લી બે ઇનિંગ્સમાં હું મોટો સ્કોર નથી કરી શકી, પણ હવે પછીની મેચોમાં ટીમ માટે વધુમાં વધુ યોગદાન આપવાનો મારો પ્રયત્ન રહેશે. 'બધું જ તમારા 'માઈન્ડસેટ' પર નિર્ભર છે'હું મારી જાતને ક્રિકેટના ત્રણેય ફોર્મેટની ખેલાડી માનું છું. રમત તો એક જ હોય છે, બોલર બોલ ફેંકે છે અને બેટર બેટિંગ કરે છે. બધું જ તમારી 'માઈન્ડસેટ' (માનસિકતા) પર નિર્ભર છે. ટેસ્ટમાં તમારે લાંબો સમય ટકીને રમવાનું હોય છે, વન-ડેમાં બંનેનું મિશ્રણ હોય છે અને T20 થોડી ઝડપી રમત છે. એટલે બધો ખેલ માઈન્ડસેટનો જ છે. મારું અત્યારનું મુખ્ય લક્ષ્ય એ જ છે કે અમારી જે બાકીની ત્રણ મેચો છે, તે અમે સારા માર્જિનથી જીતીએ અને ગુજરાત જાયન્ટ્સને ટ્રોફી જીતાડીએ. 'લોકો એકંદરે 'વુમન્સ ક્રિકેટ'ને ઘણો સપોર્ટ આપી રહ્યા છે'ગુજરાત જાયન્ટ્સ ટીમના ઓલરાઉન્ડર કાશ્વી ગૌતમે જણાવ્યું હતું કે, વડોદરાનું ક્રિકેટ સ્ટેડિયમ ખરેખર ખૂબ જ સરસ છે. અહીં મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવી રહ્યા છે. કોઈ એક ચોક્કસ ટીમને સમર્થન આપવાને બદલે, લોકો એકંદરે 'વુમન્સ ક્રિકેટ'ને ઘણો સપોર્ટ આપી રહ્યા છે, જે જોઈને ખૂબ આનંદ થાય છે. ગઈકાલે બધા સ્ટેન્ડ ભરેલા હતા અને લોકો જે રીતે અમને પ્રોત્સાહિત કરે છે તે અદ્ભુત છે. 'બંને ઇનિંગ્સમાં થોડો 'સ્વિંગ' જોવા મળી રહ્યો છે'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીંનું વાતાવરણ ખૂબ જ ઉત્સાહજનક છે કારણ કે લોકો મોટી સંખ્યામાં આવે છે. જો પિચની વાત કરીએ તો, હાલમાં અહીંની મેચોમાં બંને ઇનિંગ્સમાં થોડો 'સ્વિંગ' જોવા મળી રહ્યો છે. મને લાગે છે કે આ ઠંડા વાતાવરણ અને ઝાકળના કારણે હોઈ શકે છે. આ એક મુખ્ય તફાવત મને અહીં જોવા મળ્યો છે. 'આપણે વ્યૂહાત્મક થવું પડે છે તો ક્યારેક આક્રમક બનવું પડે'કાશ્વી 'એગ્રેસિવ' પ્લેયર છે કે 'ટેક્ટિકલ તેના જવાબમાં તેઓએ કહ્યું કે, હું કહીશ કે, બંને તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. ક્યારેક રમત દરમિયાન આપણે વ્યૂહાત્મક થવું પડે છે તો ક્યારેક આક્રમક બનવું પડે છે. એક જ મેચમાં પણ બંને પ્રકારની રમતની જરૂર પડી શકે છે. મારું વિઝન એ છે કે આગામી ઓસ્ટ્રેલિયા સીરીઝમાં હું સારું પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં મારું સ્થાન પાકું કરું. મારું મુખ્ય લક્ષ્ય ભારત માટે T20માં ડેબ્યૂ કરવાનું પણ છે. 'રેણુકા 'સ્વિંગ ક્વીન' છે, ભારત માટે ઘણી વિકેટો લીધી'તેઓએ વધુમાં કહ્યું કે, રેણુકા સિંહ મારી બોલિંગ પાર્ટનર છે. તેઓ પહેલી ઓવર નાખે છે અને હું બીજી ઓવર નાખું છું. તેમની પાસેથી મને ઘણું શીખવા મળે છે, જેમ કે બોલ કેટલો સ્વિંગ થઈ રહ્યો છે, મારે કઈ લાઇન અને લેન્થ પર બોલ નાખવો જોઈએ જેથી વિકેટ મળી શકે. રેણુકા 'સ્વિંગ ક્વીન' છે અને ભારત માટે ઘણી વિકેટો લીધી છે, તેથી હું તેમની પાસેથી જેટલું બને એટલું શીખવાનો પ્રયત્ન કરું છું. 'સેન્ટ્રલ ઝોનની ટુર્નામેન્ટમાં મારી પસંદગી નહોતી થઈ'ગુજરાત જાયન્ટ્સ ટીમની બેટ્સમેન ભારતી ફુલમાલીએ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ક્રિકેટમાં મને લગભગ 16થી 17 વર્ષ થઈ ગયા છે. મેં ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. આ લાંબી સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. હમણાં જ ડોમેસ્ટિક ક્રિકેટમાં મેં સારું પ્રદર્શન કર્યું હતું, છતાં સેન્ટ્રલ ઝોનની ટુર્નામેન્ટમાં મારી પસંદગી નહોતી થઈ, જેનાથી મને ઘણું દુઃખ થયું હતું. પરંતુ WPLના માધ્યમથી મને એક પ્લેટફોર્મ મળ્યું અને મારા પ્રદર્શનના આધારે આજે મારી પસંદગી ઇન્ડિયા ટીમમાં થઈ છે. 'WPL શરૂ થયા પછી છોકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે 'તેઓએ કહ્યું કે, જો 6-7 વર્ષ પહેલાની વાત કરીએ, તો ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે કોમ્પિટિશન ઓછી હતી, એટલે થોડું સરળ લાગતું હતું. પરંતુ 2017ના વર્લ્ડ કપ પછી મહિલા ક્રિકેટમાં મોટો બદલાવ આવ્યો છે. હવે ઘણી છોકરીઓ આગળ આવી રહી છે અને વાલીઓ પણ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ખાસ કરીને WPL શરૂ થયા પછી છોકરીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ હવે ક્રિકેટને પ્રોફેશન તરીકે અપનાવી રહી છે. મારા પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે. તેઓ વર્ષોથી આ જ ઈચ્છતા હતા. હવે તેમની ઈચ્છા છે કે હું દેશ માટે સારું રમીને ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરું.

દિવ્ય ભાસ્કર 21 Jan 2026 12:05 am

એલ.જે. યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં 4,386 વિદ્યાર્થીઓને પદવી એનાયત:48ને ગોલ્ડ મેડલ; બિહારના રાજ્યપાલે કહ્યું, પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ

અમદાવાદની એલ.જે યુનિવર્સિટીમાં ત્રીજા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દીક્ષાંત સમારોહ દરમિયાન અંદાજે 4 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. 12 જેટલા અલગ અલગ કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી અને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ પીએચડી કરેલા વિદ્યાર્થીઓને પણ પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા છે. 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત દીક્ષાંત સમારોહ દરમિયાન અલગ અલગ અભ્યાસક્રમો જેમ કે ફાર્મસી, MCA, B.Sc., M.Sc., MBA, એન્જિનિયરિંગ, IMBA, કોમર્સ, ઇન્ટિગ્રેટેડ MCA, MLT, આર્કિટેક્ચર, પ્લાનિંગ તેમજ ડિપ્લોમા એન્જિનિયરિંગ સહિતના વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કોર્સના 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયતઆ સાથે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન બદલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાનના હસ્તે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 48 વિદ્યાર્થીઓને સુવર્ણ પદક, 1157 વિદ્યાર્થીઓ પોસ્ટગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટના 2100 અને ડિપ્લોમાના 1129 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. 'પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ'દીક્ષાંત સમારોહના સંબોધન દરમિયાન બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાને જણાવ્યું હતું કે, એલ.જે યુનિવર્સિટીની માનવીય, સંવેદનશીલ અને સામાજિક રીતે જવાબદાર નાગરિક ઘડવાની વિચારધારાને બિરદાવી હતી. સાથે જ યુનિવર્સિટીના સંશોધન, નવીનતા, રમતગમત, સંસ્કૃતિ અને સર્વાંગી વિકાસ પર પ્રશંસા કરી હતી. આજે આનંદ થાય છે કે આટલા બધા પ્રતિભાશાળી વ્યક્તિઓને મળવાની તક મળી હતી. વિદ્યાર્થીઓ જે પણ ઉપાધિ પ્રાપ્ત કરી છે તેની શુભકામનાઓ પાઠવીએ છીએ. શિક્ષણ ગુણવત્તા ધરાવતું હોવું જોઈએ અને કોઈની પૈસાના કારણે શિક્ષણ પ્રાપ્ત ન કરી શકે તેવું ન થવું જોઈએ. જેના માટે તમામ લોકોએ કામ કરવું ખૂબ જ જરૂરી છે. 'સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી અપાઈ'એલ.જે યુનિવર્સિટીના વાઇસ ચાલ્સલર દિનેશ અવસ્થિએ જણાવ્યું હતું કે, આ વર્ષે 4000 કરતાં વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. ફાર્મસી એન્જિનિયરિંગ પોલિટેકનિક સહિતના અલગ અલગ કોર્સના વિદ્યાર્થીઓને આજે પદવી આપવામાં આવી છે. સૌથી વધુ પોલિટેકનિકના વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:55 pm

વન કર્મચારીઓ માટે મડાસણામાં મેડિકલ કેમ્પ:સામાજિક વનીકરણ વિભાગે આરોગ્ય તપાસ શિબિર યોજી

મોડાસા તાલુકાના મડાસણા બળીયાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ, સાબરકાંઠાની વિસ્તરણ રેન્જ મોડાસા દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અરવલ્લી જિલ્લા ડી.સી.એફ.ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મોડાસા વિસ્તરણ રેન્જના RFO પી.વી. આંજણા, મેઢાસણ ગ્રામ પંચાયતના સરપંચ, વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં મોડાસા રેન્જમાં ફરજ બજાવતા વનપાલ, વનરક્ષક, રોજમદાર કર્મચારીઓ, વન વિભાગના શ્રમિકો તેમજ ગ્રામજનોના આરોગ્યનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. PHC સરડોઈના મેડિકલ સ્ટાફ દ્વારા બ્લડ પ્રેશર, સુગર અને એચ.આઈ.વી. સહિતના પરીક્ષણો કરાયા હતા. આ ઉપરાંત, તાવ, ઉધરસ, શરદી જેવી સામાન્ય બીમારીઓ માટે જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 100 જેટલા વન કર્મચારીઓ અને ગ્રામજનોએ આ મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:36 pm

ઉધના રેલવે યાર્ડ પાસે 66-કરોડના ખર્ચે નવો ફોર-લેન ઓવરબ્રિજ બનશે:સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે રોડ બનશે, સ્વચ્છ સર્વેક્ષણ માટે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે

સુરત મહાનગરપાલિકા આગામી દિવસોમાં શહેરના પાયાના માળખાકીય સુધારા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા જઈ રહી છે. ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ટ્રાફિક, સ્વચ્છતા અને રસ્તાના કામો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવશે. 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂરસુરતના ગીચ રહેણાક ધરાવતા લિંબાયત વિસ્તારમાં ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાએ કમર કસી છે. ઉધના રેલવે યાર્ડ નજીક નિલગીરી અને સંજયનગર સર્કલ પર 66 કરોડના ખર્ચે નવો ફોર-લેન ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. આ વિસ્તારમાં રેલવે યાર્ડને કારણે સિમેન્ટના ભારદારી વાહનોની સતત અવરજવર રહે છે, જેને લીધે ભૂતકાળમાં શાળાઓમાં જતા માસૂમ વિદ્યાર્થીઓના અકસ્માતે જીવ ગયા છે. આ નવા બ્રિજના નિર્માણથી હાઈવે કનેક્ટિવિટી સીધી મળશે, જેનાથી લિંબાયત, ગોડાદરા અને પરવત પાટિયાનો આંતરિક ટ્રાફિક હળવો થશે અને સ્થાનિક લોકો તેમજ વિદ્યાર્થીઓની માર્ગ સલામતીમાં મોટો વધારો જોવા મળશે. 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશેદેશભરમાં સ્વચ્છતા ક્ષેત્રે સુરતનો દબદબો જાળવી રાખવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે પ્રોફેશનલ એપ્રોચ અપનાવી રહ્યું છે. આગામી 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26' માં પણ નંબર-1 નું સ્થાન ટકાવી રાખવા અને શહેરને સંપૂર્ણ 'ગાર્બેજ ફ્રી' બનાવવા માટે 1.71 કરોડના ખર્ચે સ્પેશિયલ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે. આ માટે એક ખાસ ‘પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન યુનિટ’ બનાવવામાં આવશે, જે ગાર્બેજ ફ્રી સિટીના રેટિંગ સુધારવા અને કચરાના નિકાલની પદ્ધતિઓને આધુનિક બનાવવા માટે કાર્ય કરશે. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનના બીજા તબક્કા હેઠળ શહેરના દરેક ખૂણાને સ્વચ્છ રાખીને સુરતના ગૌરવવંતા તાજને જાળવી રાખવા પાલિકા તજજ્ઞોની મદદથી ટેકનિકલ વ્યૂહરચના તૈયાર કરી રહી છે. સીમાડા નાકાથી મોટા વરાછા સુધી 15 કરોડના ખર્ચે મજબૂત સીસી ઓવરલે રોડ બનશેવરાછા અને મોટા વરાછા વિસ્તારના નાગરિકોને દર ચોમાસે રસ્તા પર પડતા ખાડાઓ અને કાદવના ટેન્શનમાંથી મુક્તિ આપવા પાલિકાએ એક ટકાઉ માર્ગ બનાવવાનું આયોજન કર્યું છે. સીમાડા નાકાથી સવજી કોરાટ બ્રિજ થઈ મોટા વરાછા સ્વામીનારાયણ મંદિર સુધીના વ્યસ્ત માર્ગને 14.98 કરોડના ખર્ચે સીસી ઓવરલે ટેકનોલોજીથી નવો બનાવવામાં આવશે. ડામરના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જવાની સમસ્યાનો આ એક મજબૂત વિકલ્પ છે, જે હાઈવે જેવી ટકાઉક્ષમતા પૂરી પાડશે. આ પ્રોજેક્ટ આગામી 18 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ અદ્યતન રસ્તાથી હજારો વાહનચાલકોનો સમય બચશે અને મુસાફરી વધુ સુખદ બનશે, જે માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 10:01 pm

માણેકચોકમાં બંગાળી યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો:આર્થિક તંગીમાં સુસાઈડ કર્યું હોવાની શક્યતા, ખાડિયા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આપઘાતની એક ઘટના સામે આવી છે. માણેકચોક સ્થિત રૂગનાથ બમ્બાની પોળમાં આવેલા ઓમકાર ફ્લેટના એક મકાનમાં રહેતા બંગાળી યુવકે પંખે લટકી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતાં આસપાસના રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ હતી. આર્થિક તંગીમાં સુસાઈડ કર્યું હોવાની શક્યતાપ્રાપ્ત માહિતી મુજબ મૃતક છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીમાં હતો અને દેવું વધી જતાં માનસિક દબાણમાં રહેતો હતો. દેવાના ભારને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોજો કે આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ખાડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મકાનમાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. ખાડિયા પોલીસે તપાસ શરૂ કરીપોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી છે, તેમજ મૃતકના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે ખાડિયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:43 pm

યુવાનની હત્યા કરનાર શખ્સને આજીવન કેદ:સામાપક્ષની મહિલા આરોપીને બે વર્ષની કેદ, સાડા ત્રણ વર્ષ પહેલાના બુધેલ ગામ હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો

ભાવનગર નજીકના વરતેજ તાબેના બુધેલ ગામે સાડા ત્રણ વર્ષ પુર્વે માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નીપજ્યુ હતું. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે સામાપક્ષે થયેલી મારામારીમાં સંડોવાયેલી એક મહિલા આરોપીને પણ કોર્ટ બે વર્ષની સજા ફટકારી હતી. ત્રણ વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદઆ અંગે જાણવા મળતી વિગતો મુજબ આ કામના ફરીયાદી નીતાબેન બુધાભાઈ મેરે પોતાના મરણજનારના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણાને આ બનાવના આરોપી કાના પોપટભાઈ રાઠોડના માતાને વર્ષ પહેલા એક દિવસ માટે ભગાડીને લઈ ગયેલ હોય જેની દાઝ રાખી આરોપીએ તેના ઘરે આવી તેને તથા મરણજનારને ગાળો દઈ ફરીયાદીના ભાઈ કાળુ રવજીભાઈ મકવાણાને છાતીમાં છરીના બે ઘા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાયોલા કાળુભાઈનું મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આજીવન કેદની સજા અને 25 હજારનો દંડઆ બનાવની વરતેજ પોલીસ મથકમાં ગત 20 જુલાઈ 2022ના રોજ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી કાના પોપટભાઈ રાઠોડ સામે આઈ.પી.સી. કલમ 302, 504, 447, તથા જી.પી.એક્ટ 136 મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ ભાવનગરના જીલ્લા સરકારી વકિલ મનોજભાઈ જોષીની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી કાના પોપટભાઈ રાઠોડની સામે ઈ.પી.કો. કલમ 302 સહિતનો ગુનો સાબિત માની આરોપીને તક્સીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડ રૂપીયા 25 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો. સામા પક્ષની આરોપી મહિલાને પણ બે વર્ષની કેદની સજાજ્યારે સામાપક્ષે મારા મારી થતા મરણજનાર કાળુભાઈ તથા તેમના બહેન આરોપી નીતાબેન તથા નીતાબેનના સાસુ આરોપી કમુબેન પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ પણ આજે ચાલી જતા ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા સાહેબએ સરકારી વકિલ મિતેષ મહેતાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતાબેનને બે વર્ષની કેદની સજા અને રોકડ દંડ કોર્ટે ફટકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:33 pm

NIAએ AQIS ઓનલાઈન રેડિકલાઈઝેશન કેસમાં ચાર્જશીટ દાખલ કરી:અલકાયદા સાથે સંકળાયેલા 5 આરોપીઓ સોશિયલ મીડિયા પોસ્ટથી ભોળા યુવાનોને ગેરમાર્ગે દોરતા હતા

NIA એ ગુજરાતમાં અલ-કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આતંકી સંગઠન દ્વારા સંવેદનશીલ યુવાઓને ઓનલાઈન રીતે રેડિકલ બનાવવા સંબંધિત કેસમાં પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. મોહમ્મદ ફરદીન, કુરેશી સેફુલ્લા, મોહમ્મદ ફૈક, ઝીશાન અલી અને શમા પરવીન સામે UAPA એક્ટ, BNS એક્ટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. AQISના ભારત વિરોધી વિચારોનું પ્રચાર, સમર્થન અને પ્રસારNIAની તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને પ્રતિબંધિત AQISના ભારત વિરોધી વિચારોનું પ્રચાર, સમર્થન અને પ્રસાર કર્યો હતો. તેમણે વિવિધ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મારફતે ઉશ્કેરણીજનક પોસ્ટ્સ, જેમાં વીડિયો, ઓડિયો અને ફોટોગ્રાફ્સ મૂક્યા હતા. ભોળા યુવાઓને રેડિકલ બનાવવાનો પ્રયાસ કર્યોNIAએ વધુમાં જાણવા મળ્યું કે, આ પોસ્ટ્સ દ્વારા આરોપીઓએ લોકશાહી રીતે ચૂંટાયેલી ભારતીય સરકાર સામે સશસ્ત્ર બળવો કરવાની અપીલ કરી હતી. તેમજ શરિયત કાયદા આધારિત ખિલાફતની સ્થાપનાની માંગ કરી હતી. તેમણે અન્ય પ્રતિબંધિત આતંકી સંગઠનોના અતિરેકવાદી વિચારોનું પણ પ્રચાર કરીને ભોળા યુવાઓને રેડિકલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પાસેથી પિસ્તોલ, કારતૂસો અને તલવાર પણ કબ્જે કરીઆ તપાસ ATS ગુજરાત પાસેથી NIAએ લીધી હતી. તપાસ દરમિયાન ATS ગુજરાતે કાગળ અને ડિજિટલ સ્વરૂપમાં અનેક આપત્તિજનક સામગ્રી જપ્ત કરી હતી. તેમજ પાંચમાંથી બે આરોપીઓ પાસેથી સેમી-ઓટોમેટિક પિસ્તોલ, કારતૂસો અને તલવાર જેવા ઘાતક હથિયારો પણ કબ્જે કર્યા હતા. NIAએ આગળની તપાસ દરમિયાન ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરી આરોપીઓ સામેના પુરાવાઓને વધુ મજબૂત બનાવતા આપત્તિજનક પોસ્ટ્સ ઓળખી કાઢ્યા હતા. સમાજના એક વર્ગ સામે હિંસા ઉશ્કેરતી સામગ્રી શેર કરીNIAના તારણ મુજબ જૂના દિલ્હીના રહેવાસી મોહમ્મદ ફૈકે સાજિશમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે જિહાદ, ગઝવા-એ-હિંદ અને સમાજના એક વર્ગ સામે હિંસા ઉશ્કેરતી સામગ્રી શેર કરી હતી. તેણે AQIS અને જૈસ એ મોહમ્મદના નેતાઓની વિચારધારા પ્રચારતી અતિરેકવાદી સાહિત્યના અંશો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમજ ખાસ આ હેતુ માટે બનાવેલા ગ્રુપ મારફતે ફેલાવ્યા હતા. અન્ય આરોપીઓ સાથે મળીને હિંસક વિચારધારા અને સામગ્રી વ્યાપક રીતે ફેલાવવાના ષડયંત્રમાં પણ તે સામેલ હતો. ભારતીય સરકાર સામે બળવો ઉશ્કેરતી પોસ્ટ્સ કરતાઅમદાવાદના શેખ મોહમ્મદ ફરદીન, ગુજરાતના મોડાસાના કુરેશી સેફુલ્લા અને ઉત્તર પ્રદેશના નોઇડાના ઝીશાન અલી પર પણ પ્રતિબંધિત આતંકી સંગઠનોનું પ્રચાર કરતી ઓડિયો, વીડિયો અને અન્ય સામગ્રી ફેલાવવાના ષડયંત્રમાં સક્રિય રીતે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. તેઓ નિયમિત રીતે જિહાદ, ગઝવા-એ-હિંદ અને લોકશાહી રીતે ચૂંટાયેલી ભારતીય સરકાર સામે બળવો ઉશ્કેરતી પોસ્ટ્સ પર લાઈક, ટિપ્પણી અને સહકાર આપતા હતા તેમજ ખિલાફત અને શરિયત કાયદાની વકાયત કરતા હતા. ફોનમાંથી વીડિયો અને પાકિસ્તાની સંપર્ક નંબરો મળી આવ્યાઆગળની તપાસમાં જાણવા મળ્યું કે, કર્ણાટકના બેંગલુરુની શમા પરવીને પોતાના સોશિયલ મીડિયા મારફતે AQISના વીડિયો પ્રસારિત કર્યા હતા અને પહલગામ હુમલા તથા ઓપરેશન સિંદૂર બાદ અતિરેકવાદી સામગ્રી પ્રચાર કરતી ગ્રુપ્સમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. તે પાકિસ્તાની નાગરિક સુમેર અલી સાથે નિયમિત સંપર્કમાં હતી અને તેને સ્ક્રીનશોટ્સ મોકલતી હતી તેમજ પ્રતિબંધિત સાહિત્ય અને કામગીરી અંગે ચર્ચા કરતી હતી. તેની મોબાઇલ ફોનમાંથી અતિરેકવાદી વિચારકો દ્વારા લખાયેલા આપત્તિજનક પુસ્તકો, વીડિયો અને પાકિસ્તાની સંપર્ક નંબરો મળી આવ્યા હતા, જે તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં તપાસ હજુ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:27 pm

BMW બાઇકચાલકે મજૂરને જોરદાર ટક્કર મારી:કર્ણાવતી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ શ્રમિકને અડફેટે લેતા મોત, ગુનો નોંધાયો

સાઉથ બોપલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા મજૂરનું અકસ્માત થતા મોત નિપજ્યું છે. પુરઝડપે આવી રહેલી કર્ણાવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર bmw બાઇક ચાલકે મજૂરને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇકચાલકને પણ ઇજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોપલ પોલીસે બાઇકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. BMW બાઇકચાલકે મજૂરને જોરદાર ટક્કર મારીમૂળ બિહારના અને હાલ સાઉથ બોપલમાં રહેતા 40 વર્ષીય સુરેન્દ્ર શહાની મજૂરી કામ કરતા હતાં. સોમવારે સવારે તેઓ સેવન ક્લબ રોડ પર આવેલી ધ ગેલેક્સી સાઈટ પર કામ કરવા ગયા હતા. બપોરે આશરે ચાર વાગ્યાની આસપાસ કામ પૂર્ણ કર્યા બાદ તેઓ રેઈન ફોરેસ્ટની સામે આવેલા વીઆઈપી રોડ પર કોલોની તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન પુરઝડપે આવી રહેલી બીએમડબલ્યુ બાઇકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ફંગોળાઈને રોડ પર પટકાયા બાદ મોતટક્કરના કારણે સુરેન્દ્ર શહાની ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી યુવક કર્ણાવતી યુનિવર્સિટીનો વિદ્યાર્થીપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બાઇકચાલકનું નામ વેદ નીરવકુમાર ભાવસાર છે, તેની ઉંમર 18 વર્ષ છે અને તે સનાથળ તાલુકાના સાણંદમાં આવેલી ગોકુલધામ સોસાયટીમાં રહે છે. આરોપી કર્ણાવતી યુનિવર્સિટીમાં બી.ટેકનો અભ્યાસ કરે છે અને તેના પિતા સોફ્ટવેર બનાવવાનું કામ કરે છે. બોપલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:24 pm

ગોધરામાં કાર-કન્ટેનર અકસ્માતમાં એક મહિલાનું નિધન:બામરોલી ચોકડી પાસે અકસ્માત, ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો

ગોધરા તાલુકાની બામરોલી ચોકડી પાસે કાર અને કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં અર્ચના સ્કૂલ પાસે રહેતા અને મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની ઉદયલાલ કિશનલાલ પ્રજાપતે આ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગત 19 જાન્યુઆરીના રોજ તેમના પરિવારના સભ્યો સુરતથી ઉદયપુર ગયા હતા અને ત્યાંથી કાર લઈને પરત સુરત આવી રહ્યા હતા. પરિવાર ઈકો કારમાં સુરત પરત ફરી રહ્યો હતો તે દરમિયાન ગોધરા તાલુકાની બામરોલી ચોકડી પાસે તેમની કાર અચાનક આગળ જઈ રહેલા કન્ટેનરની પાછળ અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર અમરતભાઈ અને ખમાણીબેનને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે નવલીબેન અમરતભાઈ પ્રજાપતને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરાયા હતા. જોકે, હાલોલ નજીક નવલીબેનનું મૃત્યુ નિપજ્યું હતું. ગોધરા તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:19 pm

ત્રાસ અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં પતિને નિર્દોષ છોડ્યો:હાઈકોર્ટે કહ્યું- પરિણીતાને સાસરીમાં ત્રાસ અપાતો હોય તો માતા-પિતા દીકરીને સાસરે મોકલવા દબાણ કરે નહીં

વર્ષ 2003માં વલસાડ સેશન્સ કોર્ટે નિરંજન કુમાર મહેતાને ઘરેલુ હિંસા અને આપઘાત દુષ્પ્રેરણાના ગુનામાં સાત વર્ષની સજા ફટકારી હતી. જેની સામે તેને ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેની રજૂઆતો ગ્રાહ્ય રાખતા હાઇકોર્ટે અરજદારને નિર્દોષ છોડ્યો છે. પતિના ત્રાસથી પત્નીએ રેલવે ટ્રેક પર બાળક સાથે આપઘાત કર્યોકેસને વિગતે જોતા અરજદારના લગ્ન 1994માં થયા હતા. પતિ દારૂ પીને પત્નીને મારતો હતો. જેથી એક દિવસ કંટાળી જઈને પત્નીએ રેલવે ટ્રેક ઉપર એક વર્ષના બાળક સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. આ ઘટના માત્ર લગ્નના બે વર્ષમાં ઘટી હતી. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતોઅરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીને જ્યારે જામીન અરજી દાખલ કરી હતી, ત્યારે પત્નીના ઘરના લોકોએ કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. બાળકી અને પત્નીને પતિએ જ અગ્નિદાહ આપ્યો હતો અને બંનેના પરિવારો એકબીજાના ઘરે લૌકિક ક્રિયાઓમાં પણ ગયા હતા. નશાની હાલતમાં પતિ જો પત્નીને માર પણ મારતો હોય તો તેનો ઈરાદો તેને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગણી શકાય નહીં. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની ફરિયાદ કરી નથીઆ કેસમાં કોઈ સ્વતંત્ર સાહેદો તપાસવામાં આવ્યા નથી. મૃતક મહિલાએ પતિ દ્વારા અત્યાચાર થતો હોવાની કોઈ ફરિયાદ કરી નથી. તેની પાસેથી દહેજ કે કોઈ પૈસા માગ્યા હોવાની ફરિયાદ તેને કરી નહોતી. તેને બે વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિએ માર માર્યો હોય અને મેડિકલ સારવાર લેવી પડી હોય તેવા પણ કોઈ પુરાવા નથી. તેને છૂટાછેડા પણ માગ્યા ન હતા. રેલવે ટ્રેક ઉપર પડી જતા આસક્મિક મૃત્યુ થયું હતુંપત્ની જ્યારે ઘટનાના એક મહિના પહેલા પિયરમાં ગઈ હતી. ત્યારે પતિ તેને સામે ચાલીને તેડી આવ્યો હતો. આ લગ્ન પરિવારની ઓળખાણમાં થયા હતા. પત્ની જ્યારે ગાયબ થઈ ત્યારે પતિ તેને શોધવા નીકળ્યો હતો અને તેના પિયરમાં પણ તેના અંગે પૂછપરછ કરી હતી. પત્ની ખરેખરમાં છત્રી લઈને બાળકને લઈને પિયર જવા નીકળી હતી. પરંતુ તે રેલવે ટ્રેક ઉપર પડી જતા આ આસક્મિક મૃત્યુ થયું હતું. વળી રેલવેમાંથી કોઈ સાહેદ તપાસાયા નથી. પત્ની જ્યારે પોતાના પિયર જતી ત્યારે તેના ઘરના લોકોને પતિ શરાબ પીને માર મારતો હોવાની વાત કરી હતી. વળી તેની નાની બહેન જ્યારે તેના ઘરે રહેવા ગઈ ત્યારે તેને પણ ઘરે પરત ફરીને માતા પિતાને આ અંગે જાણ કરી હતી. દીકરીને પિયરીયાઓએ સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીંહાઇકોર્ટે નોંધ્યું હતું કે, લગ્ન પછી જ્યારે મહિલાને તેની સાસરીમાં ત્રાસ મળતો હોય ત્યારે દીકરીએ ક્યાં રહેવું કે નહીં તે સાસરીવાળા કે પિયર વાળા નક્કી કરે નહીં. તે દીકરીએ સ્વતંત્ર નક્કી કરવું જોઈએ. વળી દીકરી પિયર આવે તો પિયરીયાઓએ તેને સાસરીમાં જવા દબાણ કરવું જોઈએ નહીં. હાઇકોર્ટે આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યોઆરોપીના વકીલે કહ્યું હતું કે મહિલાએ બાળકનો જીવ લેવાનો અધિકાર નથી. આવા કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાયાના કેસો જોવા મળ્યા છે. જ્યાં મહિલાએ બાળકને લઈને આપઘાત કર્યો હોય. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકતા આરોપી પતિને નિર્દોષ જાહેર કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:17 pm

'હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભારતમાં ન પ્રસરે તે જરૂરી':રાજકોટમાં સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું - ઝેન જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવી પડશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના અગ્રણી લોકો સાથે વિચારગોષ્ઠી યોજી હતી. સેવાભારતી ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ભારતમાં ન પ્રસરે તે જરૂરી છે. આ ઉપરાંત ઝેન જી સાથે દેશહિતની વાત કરવાની કળા વિકસાવવાની વાત કરી હતી. ‘અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો’હિન્દુ સમાજને જ સૌથી મોટો ગણાવતા ડૉ. મોહનજીએ કહ્યું હતું કે, અનેક ઉપેક્ષા, વિરોધ, પ્રતિબંધો છતાં સંઘ આગળ વધ્યો છે અને સ્વીકૃતિ વધી છે, તે હિન્દુ સમાજના આશીર્વાદથી જ થયું છે. જે લોકો દેશહિતમાં કામ કરે છે. તે સંઘ સાથે જોડાયેલા હોય કે ના હોય તેઓ સંઘના સ્વયંસેવકો જ છે. તેવું સંઘ માને છે. ‘સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી’તેમણે વધુમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, સંઘના સ્વયંસેવકો સંઘમાં તેમજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. સંઘ કોઈને રિમોટથી કંટ્રોલ કરતો નથી, કરવા માગતો નથી. શુદ્ધ સાત્વિક પ્રેમ, આત્મીયતાના આધારે સંઘનું કાર્ય ચાલે છે. સંઘ શાખાના માધ્યમથી સંસ્કાર આપીને સ્વયંસેવકને તૈયાર કરે છે. પછી સ્વયંસેવક પોતાના વિવેક અનુસાર કાર્ય કરે છે. આ લોકો દેશ માટે જીવે અને જરૂર પડ્યે દેશ માટે સમર્પણ આપવા તૈયાર રહે છે. સંઘની આ મેથડોલોજી છે. સંઘ શું નથી તેની ભૂમિકા સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, સંઘ પ્રતિક્રિયા, વિરોધ કે સ્પર્ધા માટે નથી શરૂ થયો પરંતુ સ્વતંત્રતા સંગ્રામના કાળમાં એક સમયે દેશહિત માટે ચાલતી તમામ વિચારધારાઓ અને કાર્યોનો સમન્વય સંઘમાં છે. દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત….સંઘના સ્થાપક ડૉ. હેડગેવારજીના જીવન પ્રસંગોના ઉલ્લેખ સાથે ભાગવતે કહ્યું હતું કે, ડૉક્ટરજીએ આ જન્મમાં માત્ર દેશહિત માટે કામ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. દેશની આઝાદી માટે અનેક મહાનુભાવો કાર્યરત હતા, પરંતુ ડૉક્ટરજીએ ઈતિહાસનું મંથન કર્યું અને દેશ ફરી ગુલામ ન બને તે માટે સમાજના દોષો દૂર કરીને સંગઠિત, આત્મગૌરવયુક્ત અને શક્તિશાળી સમાજના નિર્માણ માટે સંઘની શરૂઆત કરી હતી. આ માટે તેમણે પહેલા 10 વર્ષ સમાજ જીવનમાં પ્રયોગો કર્યા. બાદમાં 1925માં સંઘની સ્થાપના કરી. એ પછી સતત 14 વર્ષ સુધી વિરોધ, ઉપેક્ષા વચ્ચે ધરાતલ પર કામ કરતાં-કરતાં સંઘની કાર્યપદ્ધતિ તૈયાર થઈ છે. ‘ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો’હિન્દુત્વની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વ એ જીવન પદ્ધતિ છે. જે વિચારમાંથી સંવિધાન તૈયાર થયું છે, સંઘ એ જ પદ્ધતિથી કામ કરે છે. હિન્દુ એ ગુણ અને સ્વભાવ દર્શાવે છે, તે ભારતનો જવાબદાર સમાજ છે. તેમણે કહ્યું કે, દુનિયાના દેશો શક્તિશાળી બન્યા પછી ક્યા માર્ગે ચાલે છે, તે બધા જુએ છે. પરંતુ ભારત જ એવો દેશ છે, જે શક્તિશાળી બન્યા પછી પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી કામ કરે છે. ભારત વિશ્વગુરુ બનીને દુનિયાનું માર્ગદર્શન કરશે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોએ પોતાને ચોક્કસ મત-પંથના દેશો ગણાવ્યા અને દુનિયાના અન્ય દેશો પણ પોતાને ચોક્કસ મત-પંથના દેશ કહે છે. ભારત એ હિન્દુ રાષ્ટ્ર છે અને એટલા માટે જ ક્યારેય પોતાને હિન્દુ દેશ નથી કહ્યો, કારણકે હિન્દુ સૌ મત-સંપ્રદાય-પંથનું સ્વાગત કરે છે. ભારત ભૂમિમાંથી અલગ પડેલા દેશોના લોકો સાથે પણ સંવાદિતાથી કામ થાય તેવો વિચાર રાષ્ટ્રહિત માટે કાર્ય કરતા લોકોના મનમાં ચાલી રહ્યો છે. ‘મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે’સંઘની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં સર સંઘચાલકે કહ્યું કે, સંઘે પ્રારંભથી જ નક્કી કર્યું હતુ કે, સંઘ વોટબેન્કની રાજનીતિમાં નહીં પડે. સંઘ રાજનીતિ સાથે સંબંધ નથી રાખતો. મેન, મની, મિશનમાં સંઘ પહેલાથી જ સ્વાવલંબી રહ્યો છે. આજે અનુકૂળતાના માહોલમાં પણ સંઘ વિરક્તિ-ભાવ, સાદગીના ગુણને વળગીને આગળ વધી રહ્યો છે અને સમાજના જ કામને આગળ વધારી રહ્યો છે. હજુ પણ દરેક ગ્રામ અને નગર સુધી શાખા પહોંચાડવાની છે. હજુ પણ કાર્યનો વિસ્તાર અને દ્રઢિકરણ કરવાનું છે. ‘ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે’આ તકે પ્રમુખજનો સાથે પ્રશ્નોત્તરી પણ યોજાઈ હતી. જેમાં એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, ઝેન-જી કોરી સ્લેટ છે. તે ખૂબ પ્રામાણિક છે. તેમને સાંભળો અને પછી માર્ગદર્શન કરો. ઝેન-જી સાથે દેશહિત માટે વાત કરવાની કળા વિકસાવવી પડશે. વૈશ્વિકિકરણમાં સંઘ અને ભારતની ભૂમિકા અંગે તેમણે જણાવ્યું કે, ભારતના વસુધૈવ કુટુંબકમનો ભાવ જ સાચું ગ્લોબલાઈઝેશન છે. અન્ય દેશોના ગ્લોબલાઈઝેશનનો વિચાર દુનિયાને માર્કેટ બનાવે છે અને જો ઉપયોગમાં ના રહે તો ફેંકી દે છે. આપણે ગ્લોબલ પરિવારમાં માનીએ છીએ. આ બાબતે ભારત વિશ્વગુરૂ છે. પડોશી દેશના તોફાનો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે, મુસ્લિમો અને હિન્દુઓ સાથે ન રહી શકે તેવા વિચારને ત્યાં ફરી બળ અપાઈ રહ્યું છે. ભારતમાં આ વિચાર ન પ્રસરે તે જરૂરી છે, તે માટે સમાજની જાગૃતિ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 9:09 pm

વાહન ચાલકો સાવધાન... જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો

FASTag New Rule : કેન્દ્ર સરકારે હાઈવે પર ટોલની ચોરી રોકવા અને વસૂલાતને વધુ પારદર્શક બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે જો તમારા વાહન પર હાઈવેનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમે ગાડીને લગતા જરૂરી દસ્તાવેજી કામો કરી શકશો નહીં. સરકારે આ માટે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ'માં મહત્વના સુધારા કરીને નવા નિયમો લાગુ કરી દીધા છે. કયા કામો પર લાગશે રોક? નવા નિયમો મુજબ, જો ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં તમારા વાહન પર ટોલની રકમ બાકી બોલતી હશે, તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ સર્ટિફિકેટ, નેશનલ પરમિટ સુવિધાઓ અટકાવી દેવામાં આવશે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 9:04 pm

મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશનથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન

Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ? પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 9:04 pm

કલેકટરના હસ્તે બે અનાથ બાળકોને મળ્યો મુંબઈના બેંકર્સનો સાથ:બેંકની નોકરી અને હવે માતા-પિતાની જવાબદારી, મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યું

સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ના હસ્તે જ્યારે પ્રી-એડોપ્શન ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારે બેંક કર્મચારીઓના ચહેરા પર લાખોના વ્યવહાર કરતા પણ વધુ મોટી ખુશી જોવા મળી હતી. 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિએ વિધિવત રીતે દત્તક લીધાસંતાન સુખની ઝંખના રાખતા સચિન સુરેશ શાહ (બેંક કર્મચારી) અને તેમના પત્ની અશ્વિની શાહે સુરત આવીને એક બાળકને વિધિવત રીતે દત્તક લીધું હતું. તેવી જ રીતે, અભિષેક મોહન પાટીલ અને લીના પાટીલ, જેઓ બંને બેંકમાં કર્મચારી તરીકે કાર્યરત છે, તેઓ પણ સુરતના એક માસૂમ બાળકને દત્તક લઈને હવે મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના આ હાઈ-પ્રોફાઈલ બેંકિંગ પરિવારોમાં હવે બાળકની કિલકારીઓ ગુંજશે, જે સુરત માટે ગર્વની વાત છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે. 'નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન'જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન થયું છે. એડોપ્શન રેગ્યુલેશન-2022 ના નિયમો મુજબ તમામ કાયદેસરની તપાસ પૂર્ણ કર્યા બાદ, રવિવારના પવિત્ર દિવસે આ બાળકોને નવા માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યા હતા. કલેકટરે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે બેંક કર્મચારી દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યુંજોકે, તંત્રએ આ પ્રસંગે એક મહત્વની ચેતવણી પણ આપી છે. બાળક દત્તક લેવાની ઈચ્છા રાખતા દંપતીઓએ માત્ર કેન્દ્ર સરકારની ‘મિશન વાત્સલ્ય’ (CARA) વેબસાઇટ પર જ નોંધણી કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિ પાસેથી સીધું કે બિનકાયદેસર રીતે બાળક દત્તક લેવું એ ગંભીર અપરાધ છે. સુરતની વિશિષ્ટ દત્તક સંસ્થા 0થી 6 વર્ષના બાળકો માટે આ કાયદેસરના સેતુ તરીકે કામ કરી રહી છે, જેથી કોઈ માસૂમ બાળક ફરી ક્યારેય અનાથ ન રહે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:36 pm

લેબ પણ પકડી ન શકે એવું નકલી સોનું બનાવ્યું:દંપતીએ 15 રાજ્યના 56 શહેરના સોનીઓને નકલી સોનું પધરાવ્યું, જુનાગઢ પોલીસે વડોદરામાંથી દબોચી લીધા

જૂનાગઢ પોલીસે નકલી સોનું પધરાવી સોની વેપારીઓને છેતરતું બંગાળી દંપતીને વડોદરા પાસેથી ઝડપી પાડ્યું છે. આ આરોપી દંપતી વેપારી પાસેથી અસલી સોનાના દાગીના લઈ લેતું અને ત્યાર બાદ તેમને સોનાનું વરખ ચડાવેલા પંચધાતુના દાગીના પધરાવી દેતું હતું. આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. શું છે સમગ્ર મામલો?કેશોદના સોની બજારમાં આવેલી 'પાલા પ્રિયમ જ્વેલર્સ'ના માલિક નરેન્દ્ર પાલાએ પોતાની સાથે થયેલી આપવીતી જણાવતા કહ્યું કે, 10 તારીખે સાંજે 6 વાગ્યે તેમની દુકાને એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ સોનાના દાગીના એક્સચેન્જ કરવાની વાત કરી હતી. તેઓએ વેપારી પાસેથી બે સોનાના ચેઈન પસંદ કર્યા અને તેનું બિલ બનાવડાવ્યું હતું. ત્યાર બાદ પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું. ​નકલી હાર પધરાવી રોકડ અને અસલી દાગીના લૂંટ્યા​આ કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી ₹2,62,000ની કિંમતના બે સોનાના ચેઈન અને ઉપરથી ₹22,000 રોકડા મેળવી લીધા હતા. કુલ ₹2,85,000નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. વેપારીને શંકા જતા અને અન્ય ન્યુઝ દ્વારા માહિતી મળતા તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા હતા. સીસીટીવી ફૂટેજમાં આ કપલ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ​પંચધાતુ પર સોનાનો વરખ ચડાવવાની છેતરતા​જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતો હતો. આ દાગીના પ્રથમ દૃષ્ટિએ કે લેબ ટેસ્ટમાં પણ સોનાના જ જણાઈ આવતા હતા, પરંતુ જ્યારે તેને ઓગાળવામાં આવે ત્યારે તેમાંથી માત્ર 30% જ સોનું નીકળતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાસેથી આરોપીઓને દબોચ્યા​વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પી.આઈ. કુનાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી સ્ત્રી અને પુરુષ બંનેને હસ્તગત કર્યા હતા. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. ​પટના અને બનારસથી સંચાલિત થતું હતું આખું નેટવર્કપકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આ માસ્ટરમાઈન્ડ દ્વારા કપલને તૈયાર નકલી દાગીના આપવામાં આવતા હતા. આ કપલને દરેક સફળ છેતરપિંડીના બદલામાં ₹7,000નું કમિશન મળતું હતું. તેઓ અત્યંત સાવચેતી રાખતા અને એક શહેરમાં માત્ર એક જ વેપારીને નિશાન બનાવી તરત જ બીજું શહેર પકડી લેતા હતા જેથી સ્થાનિક પોલીસ તેમને પકડી ન શકે. ​દેશના 15 રાજ્યોમાં 56 મોટી છેતરપિંડી આચરીપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ કપલે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના 15 અલગ-અલગ રાજ્યોના 56 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી છે. અત્યાર સુધીની કબૂલાત મુજબ તેઓએ અંદાજે 900 ગ્રામ જેટલા સોનાના અસલી દાગીના વેપારીઓ પાસેથી પડાવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે કારણ કે તપાસ ચાલુ છે. જૂનાગઢ જિલ્લામાં જ 10થી 12 સોની વેપારીઓ આ ગેંગનો ભોગ બન્યા હોવાની શક્યતા છે. ભોગ બનનાર વેપારીઓને પોલીસનો સંપર્ક કરવા અપીલ​હાલમાં પકડાયેલા બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. જૂનાગઢ પોલીસે અન્ય રાજ્યોની પોલીસને પણ આ અંગે મેસેજ દ્વારા જાણ કરી છે. જે કોઈ વેપારી આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા હોય તેમને આગળ આવીને ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી છે, જેથી આ ગુનેગારો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:26 pm

રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ:10 શખ્સોએ 10 વર્ષમાં કુલ 34 ગુનાને અંજામ આપ્યો, હત્યા સહીતના 15 ગંભીર ગુના આચર્યા'તા

રાજકોટની કુખ્યાત ઓડિયા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવેશ અયુબભાઇ ઓડિયા સહીત 10 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં હાલ પોલીસે 9 આરોપીની અટકાયત કરી મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી બાદ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ, આર્મ્સ એક્ટ મારામારી જેવા ગંભીર 15 સહીત કુલ 34 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બે મહિનામાં ચોથી ગેંગ સામે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરી છે. ખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોરાજકોટ શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દૂધસાગર રોડ પર આતંક મચાવનાર કુખ્યાત ઓડિયા ગેંગ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 9 આરોપી ઝડપાયારાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી અરબાઝ રાઉમાં, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા, ઈમ્તિયાઝ ઓડિયા, નયન દાફડા, આબીદ ઓડિયા, અનીશ ઓડિયા, અબ્દુલ દલ, શાહિદ ઓડિયા, અને મિત પરમારની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ જયારે મુખ્ય આરોપી અવેશ ઓડિયા પાસા હેઠળ ભાવનગર જેલમાં બંધ હોય જેથી તેનો કબ્જો મેળવી ગુજસીટોક હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ આ તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસઆરોપી અરબાઝ રાઉમાં વિરુધ્ધ 4 ગુના, સબ્બીર ઉર્ફે બોદું ઓડિયા વિરુધ્ધ 5 ગુના, ઈમ્તિયાઝ ઓડિયા વિરુધ્ધ 4 ગુના, નયન દાફડા વિરુધ્ધ 4 ગુના, આબીદ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અનીશ ઓડિયા વિરુધ્ધ 3 ગુના, અબ્દુલ દલ વિરુધ્ધ 2 ગુના, શાહિદ ઓડિયા વિરુધ્ધ 2 ગુના, મિત પરમાર વિરુધ્ધ 3 ગુના અને મુખ્ય આરોપી અવેશ ઓડિયા વિરુધ્ધ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:25 pm

પાલનપુર નગરપાલિકાએ ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરી:છેલ્લા 20 દિવસમાં ₹66,100નો દંડ વસૂલ્યો, છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ

પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત જાહેર સ્થળોએ ગંદકી કરનાર, કચરો ફેંકનાર અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. નગરપાલિકાએ આ સમયગાળા દરમિયાન કુલ ₹66,100નો દંડ વસૂલ કર્યો છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે સેનિટેશન ટીમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સતત તપાસ હાથ ધરી હતી. જાહેર રસ્તાઓ, બજારો, દુકાનોની આસપાસ તેમજ ભીડભાડવાળા વિસ્તારોમાં ગંદકી કરનાર લોકોને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ વસૂલ કર્યા બાદ સંબંધિત વ્યક્તિ પાસેથી નાખેલા કચરાની સફાઈ પણ કરાવવામાં આવી હતી, જેથી અન્ય લોકો માટે પણ ચેતવણીરૂપ સંદેશ પહોંચે. નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરના વેપારીઓમાં જાગૃતિ જોવા મળી રહી છે. ઘણા વેપારીઓએ પોતાની દુકાનની આજુબાજુ સફાઈ રાખવાનું શરૂ કર્યું છે, જ્યારે કેટલાકે કચરાપેટી મૂકીને નિયમોનું પાલન કરવાનું સ્વીકાર્યું છે. નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે સ્વચ્છ પાલનપુરના નિર્માણ માટે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને નિયમ ભંગ કરનાર સામે કોઈ ઢીલાશ રાખવામાં આવશે નહીં. આ અંગે ચીફ ઓફિસર જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 'વિઝિબલ ક્લીનલીનેસ' જળવાય તે માટે સ્વચ્છતા અભિયાન, લોકજાગૃતિ અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, જાન્યુઆરી માસમાં ₹66,100નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને ગંદકી કરતા ઇસમો પાસે નાખેલા કચરાની સફાઈ કરાવી દંડ વસૂલવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:19 pm

હળવદ મંદિરમાં તોડફોડનો કેસ: સમજાવવા ગયેલા આધેડને મારી નાખવાની ધમકી:મોરબીમાં દારૂની 3 રેડ, 19 બોટલ સાથે 3 ઝડપાયા

હળવદ તાલુકાના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાન મંદિરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં નુકસાની કરનાર શખ્સને સમજાવવા ગયેલા એક આધેડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે વેગડવાવ ગામના લાલજીભાઈ લવજીભાઈ પીપળીયા (ઉંમર 55) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ગામમાં રહેતા રામજીભાઈ ચતુરભાઈ સુરેલાએ ખીજડીયા હનુમાનજીના મંદિરમાં વસ્તુઓની તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે ફરિયાદી અને અન્ય સાહેદો રામજીભાઈને આ બાબતે સમજાવવા ગયા, ત્યારે આરોપીએ તેમને ગાળો ભાંડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ લાલજીભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં રામજીભાઈ સુરેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ, મોરબી જિલ્લામાં પોલીસે દારૂબંધી ભંગના ત્રણ જુદા જુદા દરોડા પાડી કુલ 19 નાની-મોટી દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે કુલ 6536 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પ્રથમ દરોડામાં, મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે હળવદ રોડ પર આવેલ આઈટીઆઈ સામેની ઓમ શિવમ એન્ટરપ્રાઈઝ નામની દુકાનમાંથી પોલીસે દારૂની 16 નાની બોટલો જપ્ત કરી હતી. પોલીસે રૂ. 2240 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી આરોપી નરેન્દ્રભાઈ કાંતિલાલભાઈ ગોટી (ઉંમર 40, રહે. પ્રભુ કૃપા બાલાજી હોમ્સ-2, બ્લોક નં-704, મહેન્દ્રનગર, મોરબી) ની ધરપકડ કરી હતી. બીજા દરોડામાં, મહેન્દ્રનગર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલા વિક્રમભાઈ ઉર્ફે ઢીંગો વેલજીભાઈ ધામેચા (ઉંમર 19, રહે. મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે, શીતળામાતા વિસ્તાર, મોરબી) ને રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 3600 ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. ત્રીજા દરોડામાં, મોરબીની રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા રવિભાઈ શામજીભાઈ ડંડેયા (ઉંમર 30, રહે. હાલ હોલો સેનેટરી સિરામિક કારખાનામાં, ઘુટુ રોડ, મોરબી) ને પોલીસે રોકીને તપાસ કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 696 ની કિંમતની દારૂની બોટલ સાથે તેની ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:17 pm

જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગઢડામાં યોજાશે:તૈયારીઓ માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

બોટાદ જિલ્લામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગઢડા ખાતેના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં યોજાશે. આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓના ભાગરૂપે ગઢડા ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં એક આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ વિભાગોને સમયસર અને શિસ્તબદ્ધ આયોજન સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન વિકાસલક્ષી થીમ આધારિત ટેબ્લો, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ વિભાગની માર્ચપાસ્ટ પરેડ મુખ્ય આકર્ષણના કેન્દ્રો રહેશે. જિલ્લા પ્રશાસન દ્વારા બોટાદ જિલ્લાના નાગરિકોને આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:13 pm

પાટણની માહી મોદીએ બોસીમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ જીત્યો:હિંમતનગરમાં યોજાયેલ સ્પર્ધામાં શાળા-જિલ્લાનું ગૌરવ વધાર્યું

સ્પેશિયલ મનો દિવ્યાંગ ખેલ મહાકુંભ–2025 અંતર્ગત હિંમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સ્પર્ધામાં પાટણની સરકારી શ્રીમતી કે.કે. કન્યા વિદ્યાલયની મનોદિવ્યાંગ વિદ્યાર્થીની માહી નીતિનકુમાર મોદીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. માહી મોદીએ બોસી (Bocce) રમતમાં 16 થી 21 વર્ષની વયજૂથ (બહેનો) શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ દ્વારા તેણે પાટણ જિલ્લા અને તેની શાળાનું નામ રાજ્યમાં રોશન કર્યું છે. આગામી સમયમાં માહી મોદી નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સફળતા અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ડૉ. દિનેશકુમાર પ્રજાપતિ સહિત સમગ્ર શિક્ષકમિત્રો અને શાળા પરિવારે માહી મોદીને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:13 pm

મોરબી સિરામિક કારખાનામાં યુવાનનું મોત:એલિવેટર મશીનમાં ગળું આવી જવાથી ગંભીર ઇજા

મોરબીના ઘુટુ રોડ પર આવેલા એક સિરામિક કારખાનામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. એલિવેટર મશીનમાં આવી જવાથી એક યુવાન શ્રમિકનું ગળામાં ઇજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનની ઓળખ રાકેશકુમાર દેવનારાયણ શર્મા (ઉંમર 29) તરીકે થઈ છે. તે સિલ્ક સિરામિક નામના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આ ઘટના ગઈકાલે સાંજના સમયે બની હતી. કારખાનામાં મશીન પર કામ કરતી વખતે રાકેશકુમાર અચાનક એલિવેટર મશીનમાં આવી ગયો હતો. જેના કારણે તેને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ બાદ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:12 pm

રાણપુરમાં વૃદ્ધા સાથે લૂંટ, સોનાની બુટ્ટી ખેંચી ફરાર:અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી, પછી કાનમાંથી બુટ્ટી લૂંટી

રાણપુર તાલુકાના ઉમરાળા ગામ નજીક એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. બોડી ગામથી ઉમરાળા જઈ રહેલા અમુબેન જીવણભાઈ મકવાણાને એક અજાણ્યા બાઈક ચાલકે લિફ્ટ આપી હતી. ઉમરાળા ગામની હદમાં પહોંચતા જ બાઈક ચાલકે બાઈકને રોડ પરથી નીચે ઉતારી બાવળની કાંટમાં લઈ ગયો હતો. ત્યાં તેણે વૃદ્ધાના બંને કાનમાંથી સોનાની બુટ્ટીઓ ખેંચી લીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી અમુબેન મકવાણા થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. તેમણે બુમો પાડતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વૃદ્ધાના બંને કાનમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા રાણપુર પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 8:05 pm

વાડજ પોલીસે FIRમાં બાતમીદારના નામ-નંબર જાહેર કરી દીધા!:માહિતી આપનારે કહ્યું- મારા જીવને જોખમ થાય તો જવાબદાર કોણ રહેશે?

અમદાવાદની વાડજ પોલીસ દ્વારા એક બાતમીદારનું નામ અને નંબર FIRમાં જાહેર કરી દેતા વિવાદ સર્જાયો છે. પોલીસને માહિતી પૂરી પાડનાર વ્યકિતએ કહ્યું હતું કે, પોલીસની આ બેદરકારીના કારણે મારા જીવને જોખમ ઉભું થશે તો જવાબદાર કોણ રહેશે? પોલીસે પોતાની જાણ બહાર જ પોતાના નામ નંબરનો એફઆઈઆરમાં ઉલ્લેખ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ચાઈનીઝ દોરીના ઉપયોગ અંગેની બાતમી પોલીસને આપી હતીવાસી ઉતરાયણના દિવસે વાડજ વિસ્તારમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા વ્યક્તિની માહિતી યુવકે (બાતમીદાર) પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી.યુવક પોતે જીવદયા પ્રેમી તરીકે NGO પણ ચલાવે છે.પોલીસ કંટ્રોલરૂમ દ્વારા આ અંગે વાડજ પોલીસને જાણ કરવામાં આવી હતી.વાડજ પોલીસને મેસેજ મળતા તાત્કાલિક પોલીસની એક ટીમ યુવકે આપેલી માહિતીના સ્થળે પહોંચી હતી.યુવક અને તેમની ટીમના માણસો પણ હાજર હતા. વાડજ પોલીસે ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવનાર વ્યક્તિની ધરપકડ કરી હતી.આ અંગે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી તેમાં માહિતી આપનાર વ્યક્તિ તરીકે યુવક (બાતમીદાર)નું નામ લખ્યું હતું સાથે જ તેનો મોબાઇલ નંબર પણ લખ્યો હતો. મારી જાણ બહાર પોલીસે મારા નામ-નંબરનો ઉલ્લેખ કર્યો- યુવકયુવકે ભાસ્કરને જણાવ્યું હતું કે વાડજ પોલીસ દ્વારા મારી મરજી વિના મેં ના પાડી હોવા છતાં મારું નામ ફરિયાદમાં લખવામાં આવ્યું છે.બનાવના દિવસે મને પોલીસે જબરદસ્તી પોલીસ સ્ટેશન નિવેદન લખવા માટે બોલાવ્યો હતો.હકીકતમાં મેં માહિતી આપી અને મારું નામ ગુપ્ત રાખવા જણાવ્યું હતું છતાં મારું નામ જાહેર કરવામા આવ્યું છે.આ અંગે મેં ડીજીપી અને પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે.મારી માંગણી છે કે ફરિયાદમાંથી મારુ નામ હટાવી લેવામાં આવે.મારા જીવને જોખમ થશે તો જવાબદાર કોણ રહેશે.મારા કર્મચારીની રેકી પણ કરવામાં આવી રહી છે. પોલીસે યુવકના આક્ષેપોને ફગાવ્યાઆ અંગે પોલીસે ખુલાસો આપતા જણાવ્યું છે કે, યુવકનો નામ જોગ મેસેજ કર્યો હતો.આરોપીને પોલીસ સ્ટેશન લાવ્યા ત્યારે યુવક (બાતમી આપનાર) પણ હાજર હતા.યુવકે જાતે જ સાક્ષી તરીકે રહેવા ઇચ્છતા હોવાથી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.યુવક ખોટા આક્ષેપ કરવાની ટેવ ધરાવે છે,અગાઉ પણ તેમને પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપ કર્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:57 pm

હિંમતનગરમાં શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા:પોલોગ્રાઉન્ડ ખાતે માઘ સુદ બીજે પ્રજાપતિ સમાજ જોડાયો

હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આરતી અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમો બાદ મંગળવારે શોભાયાત્રા નીકળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન તેમજ યુવાનોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:57 pm

Editor's View: ધર્મયુદ્ધ Vs. સત્તાયુદ્ધ:અસલી શંકરાચાર્ય કોણ? નોટિસે બળતામાં ઘી હોમ્યું, જાણો અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના વિવાદની કહાની

જ્યારે જગતગુરુ આદિ શંકરાચાર્યએ ભારતની ચારેય દિશામાં ચાર મઠો સ્થાપ્યા, ત્યારે તેમનો ઉદ્દેશ્ય હિંદુ ધર્મને સંગઠિત કરવાનો હતો. ઈતિહાસ સાક્ષી છે કે મુઘલ કાળ હોય કે બ્રિટિશ શાસન, શંકરાચાર્યના પદને હંમેશા રાજગુરુ જેવું સન્માન મળતું આવ્યું છે. આ વાત આપણે અત્યારે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જ્યોતિષપીઠ શંકરાચાર્યને મૌની અમાવસ્યા પર સંગમ સ્નાન કરતા પાલખીથી જવા પર રોકવામાં આવ્યા હતા. આ સમયે પોલીસ અને શંકરાચાર્યના શિષ્યો વચ્ચે ઘર્ષણ પણ થયું અને હવે ધર્મ વિરુદ્ધ સત્તાનું આ યુદ્ધ બની ગયું છે. એકબાજુ શંકરાચાર્ય અપમાનના કારણે ભૂખ હડતાળ પર બેઠા છે બીજી બાજુ પ્રસાશને તે કયા આધારે પોતાના નામ આગળ શંકરાચાર્યનું બિરુદ લગાવે છે તેનો પુરાવો માગ્યો છે. શું છે આખો મામલો આજે તેની વાત કરીએ. નમસ્કાર.... ઉત્તરપ્રદેશમાં જાન્યુઆરીની કડકડતી ઠંડી હતી, સંગમનો પવિત્ર કિનારો અને લાખો લોકોનો શંખનાદ સાથે મૌની અમાવસ્યાનો પવિત્ર દિવસ હતો. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પોતાની ભવ્ય પાલખી અને 200 શિષ્યોના કાફલા સાથે ગંગા સ્નાન માટે નીકળે છે. હવામાં હર હર મહાદેવના નારા છે. અચાનક, બ્રિજ નંબર 2 પાસે પોલીસની એક મોટી ટુકડી ઉભી રહી જાય છે. લોખંડના બેરિકેડ્સ મુકાય છે. પોલીસ કહે છે, તમારી પાસે પાલખી લઈ જવાની મંજૂરી નથી. વાતાવરણમાં તણાવ વ્યાપી જાય છે. એક બાજુ વહીવટીતંત્રની લાઠીઓ છે અને બીજી બાજુ શંકરાચાર્યનો પવિત્ર દંડ. શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી શરૂ થાય છે. આ કોઈ સામાન્ય ઝઘડો નહોતો, પણ રાજદંડ અને ધર્મદંડ વચ્ચેનો સંગ્રામ હતો. શંકરાચાર્યની પાલખીને જે રીતે રોકવામાં આવી, તે દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. અંતે, સ્નાન કર્યા વગર પરત ફરેલા શંકરાચાર્ય જ્યારે ભૂખ હડતાળ પર બેઠા, ત્યારે દિલ્હી સુધી તેના પડઘા પડ્યા. દરમિયાન, માઘ મેળા વહીવટીતંત્રે તેમને શંકરાચાર્યના પદના ઉપયોગ પર સવાલ ઉઠાવતી નોટિસ ફટકારી છે. જેણે બળતામાં ઘી હોમ્યું. માઘ મેળા સત્તામંડળના ઉપાધ્યક્ષ દ્વારા જારી કરાયેલી આ નોટિસમાં જ્યોતિર્પીઠ શંકરાચાર્યના પદ અંગે ચાલી રહેલા કેસનો ઉલ્લેખ છે. મેળા અધિકારીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને શંકરાચાર્યનો પ્રોટોકોલ ન મળવા અંગે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જો કે તેમની શંકરાચાર્યની પદવી પર પણ વિવાદ છે. એ સમજવા માટે પહેલા આપણે સમજીએ કે શંકરાચાર્ય કોણ બની શકે? હવે આપણે એ વિવાદની વાત કરીએ જે આપણે સમજવો ખૂબ જ જરૂરી છે. ઉત્તરાખંડ જ્યોતિર્મઠના શંકરાચાર્ય પદ માટે દાયકાઓથી કાયદાકીય લડાઈ ચાલી રહી છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના પટ્ટાભિષેક પર પણ સુપ્રીમ કોર્ટે 2022માં સ્ટે આપ્યો હતો. જેનો જ ટેક્નિકલ ફાયદો ઉઠાવીને ઉત્તરપ્રદેશ વહીવટી તંત્રએ એવી દલીલ કરી છે કે તેઓ શંકરાચાર્ય જ નથી. તેમણે નોટિસ પાઠવી છે કે 24 કલાકમાં સાબિત કરો કે તમે શંકરાચાર્ય છો. જેનો જવાબ આપતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, ત્રણમાંથી બે પીઠ અમને શંકરાચાર્ય કહે છે, પણ શંકરાચાર્યનો નિર્ણય શંકરાચાર્ય જ કરશે. ભારતના રાષ્ટ્રપતિને પણ એ અધિકાર નથી. સુપ્રીમ કોર્ટમાં સિવિલ અપીલ નંબર 3010/2020 અને 3011/2020 હેઠળ ઉત્તરાખંડ જ્યોતિર્મઠના આદ્યાત્મિક વડાના હકદાર કબજેદાર મામલે કાનૂની લડાઈ ચાલી રહી છે. એક બાજુ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી જૂથ હતું અને બીજી બાજુ સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી જૂથ હતું. અલ્હાબાદ હાઈકોર્ટે અગાઉ બંનેના દાવાઓને 1941ના વસિયતનામા મુજબ ખામીયુક્ત ગણાવ્યા હતા. સપ્ટેમ્બર 2022માં જ્યારે સ્વામી સ્વરૂપાનંદનું નિધન થયું ત્યારબાદ તેમના અનુયાયીઓએ અવિમુક્તેશ્વરાનંદને જ્યોતિષ પીઠના નવા શંકરાચાર્ય તરીકે જાહેર કર્યા. જોકે, આ નિર્ણય સામે વાસુદેવાનંદ સરસ્વતી જૂથ તરત જ સુપ્રીમ કોર્ટમાં ગયું હતું. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે અને કેન્દ્ર સરકારની નજીક માનવામાં આવે છે. ટૂંકમાં કોર્ટનો આદેશ છે કે જ્યાં સુધી મુખ્ય કેસનો (3010/2020 અને 3011/2020) ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈ નવો રાજ્યાભિષેક ન થઈ શકે. આ જ મામલે ઉત્તર પ્રદેશ વહીવટી તંત્રએ સ્ટેનો ઉપયોગ કરીને દલીલ કરી છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ દ્વારા અપીલો પેન્ડિંગ છે ત્યાં સુધી શંકરાચાર્યની પદવીનો ઉપયોગ કરવો સુપ્રીમ કોર્ટનું અપમાન છે. વહીવટી તંત્રના પક્ષ મુજબ તેમને સાડા ચાર કરોડની ભીડને સંભાળવાની હોય છે. તેમાં પાલખીના કારણે ભાગદોડ મચી શકે તો જાનમાલને અકલ્પનીય નુકસાન થઈ શકે. વહીવટી તંત્રનો પક્ષ છે કે તે જાણ કર્યા વગર આવ્યા હતા, તેમના તરફથી શિસ્તનું પાલન કરવું અનિવાર્ય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ ભારતમાં શંકરાચાર્ય ધર્મના સર્વોચ્ચ સત્તાધીશ છે. બીજી બાજુ બંધારણમાં શંકરાચાર્યનો હોદ્દો નથી. પણ ધાર્મિક પરિપેક્ષથી શંકરાચાર્ય સૌથી ઉપર છે, રાષ્ટ્રપતિથી પણ. જો કે ભારત એ બિનસાંપ્રદાયીક દેશ હોવાથી ધાર્મિક હોદ્દાઓને કોઈ બંધારણીય દરજ્જો મળ્યો નથી. બંધારણના વોરન્ટ ઓફ પ્રીસેડેન્સમાં રાષ્ટ્રપતિથી લઈને અધિકારીઓ છે, શંકરાચાર્ય કે કોઈ ધર્મગુરુનો ઉલ્લેખ નથી. આથી આવા પવિત્ર કાર્યક્રમોમાં રાજ્ય સાધુ સંતો અને શંકરાચાર્યને સ્ટેટ ગેસ્ટનો દરજ્જો આપે છે. જેથી ધાર્મિક માન્યતાઓ જળવાઈ રહી. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવના મુખ્યમંત્રી સમયગાળામાં 2013ના કુંભ મેળામાં શંકરાચાર્યને સ્ટેટ ગેસ્ટ તરીકે સુવિધાઓ આપી હતી. હવે 2026માં શું બદલાવ આવી ગયો તે પણ જાણવા જેવું છે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હાલની કેન્દ્ર સરકારના અમુક ધાર્મિક નિર્ણયોના કડક ટીકાકાર રહ્યા છે. સીધી વાત છે આ મામલે રાજનીતિ તો થવાની જ હતી. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે આ મામલે લખ્યું. આ પરિસ્થિતિ માટે ભાજપનું કુશાસન અને નિષ્ફળ વ્યવસ્થાઓ સંપૂર્ણપણે જવાબદાર છે. તો કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, આ શરમજનક ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તક્ષેપ કરવો જોઈએ. હિંદુ ધર્મમાં માઘ મેળા અને સ્નાનનું મહત્ત્વ હિન્દુ પંચાગમાં માઘ એટલે કે મહા મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને ગંગા, યમુના અને સરસ્વતીના સંગમના કારણે તીર્થરાજ કહેવાય છે. કુંભનું લઘુ સ્વરૂપ કહેવાતો માઘ મેળો 45 દિવસનો હોય છે. માઘ મેળાનું સૌથી મોટું આકર્ષણ કલ્પવાસ છે, જ્યાં લાખો-કરોડો ભક્તો એક મહિના સુધી ગંગા કિનારે તંબુઓમાં રહીને સંયમિત જીવન જીવે છે, દિવસમાં એકવાર ભોજન લે છે અને સતત ભજન-કીર્તનમાં લીન રહે છે. અહીં શાહી સ્નાન પણ કરવામાં આવે છે. પદ્મ પુરાણ અને મહાભારતમાં પણ માઘ સ્નાનનું પવિત્ર મહત્વ સમજાવાયું છે. એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ઋષિ મુનીનો જન્મ થયો હતો. આ દિવસે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમા હોવાા કારણે આદ્યાત્મિક ઊર્જા માટે પણ આ સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ એક જ દિવસે કરોડો શ્રદ્ધાળુઓ સંગમમાં ડૂબકી લગાવે છે. ભાજપ-સંઘ અને સનાતન ભાજપ અને સંઘ પરિવાર માટે, સનાતન રાષ્ટ્રીય ઓળખ છે જે રામ મંદિર જેવા પ્રતીકોથી વ્યક્ત થાય છે. અવિમુક્તેશ્વરાનંદ જેવા પરંપરાવાદીઓ માટે, સનાતન શાસ્ત્રોનું કડક પાલન છે. બંનેનો ધ્યેય એક જ છે પણ વિચારધારાઓ અલગ નજરે પડી રહી છે. પણ આ સંઘર્ષમાં માઘ મેળામાં, રાજકીય સનાતન એ શાસ્ત્રીય સનાતન પર વિજય મેળવ્યો છે એવું લાગી રહ્યું છે. અને છેલ્લે... ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. પણ હાલ રાષ્ટ્રમાં એક હિંદુત્વની લહેર ચાલી રહી છે. આ કેસની જ વાત કરીએ તો આયરની તો જુઓ, જે રાજ્યના મુખ્યમંત્રી ખુદ હિંદુ ધર્મ અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર અને અનુકરણ કરનાર ભગવાધારી જ છે. તેમના જ સમયમાં અને તેમના જ રાજ્યમાં હાલ હિંદુ ધર્મના સર્વૌચ્ચ સત્તાધીશ એવા શંકરાચાર્ય સાથે આવું વર્તન કરવામાં આવી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:55 pm

દાવોસ WEF 2026માં ગુજરાતનું વૈશ્વિક પ્રદર્શન, ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન:હર્ષ સંઘવીએ કહ્યું, AI, ડિફેન્સથી લઈને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સુધી નવી તકોની શોધ

સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની 56મી વાર્ષિક બેઠક 19થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ વૈશ્વિક મંચ પર ગુજરાત તરફથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્યનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ હાજર છે. WEF 2026 અંતર્ગત ઇન્ડિયા પેવેલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં ભારતના 10 રાજ્યોના પ્રતિનિધિમંડળો વૈશ્વિક રોકાણકારો સાથે ભારતના રોકાણ અવસર રજૂ કરી રહ્યા છે. રાજ્યોના પ્રતિનિધિમંડળોની રોકાણકારો સાથે સક્રિય બેઠકોઆ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત શરૂઆતથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વનો લાભ મેળવનાર રાજ્ય રહ્યું છે. 2014 બાદ સમગ્ર દેશ વિકાસના માર્ગે આગળ વધ્યો છે અને WEF 2026માં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને મજબૂત ડેલિગેશન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારે સમગ્ર વિશ્વ આરામમાં હોય ત્યારે પણ ભારતના રાજ્યોના પ્રતિનિધિમંડળો રોકાણકારો સાથે સક્રિય બેઠકો કરી રહ્યા હતા, જે ભારતની કાર્ય સંસ્કૃતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. 'વાઈબ્રન્ટમાં 11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ'ગુજરાતની રોકાણ ક્ષમતાને ઉજાગર કરતા સંઘવીએ જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન રાજ્યમાં ₹45 લાખ કરોડના એમઓયુ થયા હતા. તે ઉપરાંત છેલ્લા ત્રણ મહિનામાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મારફતે રાજ્યમાં ₹11 લાખ કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરેસ્ટ પ્રાપ્ત થયા છે. ગુજરાતનું પ્રતિનિધિમંડળ અહીં માત્ર રોકાણ આકર્ષવા નહીં પરંતુ નવી વૈશ્વિક પ્રવૃત્તિઓ શીખવા અને નવી તકો શોધવા માટે આવ્યું છે. 'એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ'નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, દાવોસમાં આપણે અલગ-અલગ રાજ્યો તરીકે નહીં પરંતુ એક દેશ, એક એજન્ડા સાથે હાજર છીએ. આપણા કૌશલ્ય, ક્ષમતાઓ અને મજબૂત ગવર્નન્સ મોડલને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો આ અવસર છે. ગુજરાત રાજ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, ટેક્સ્ટાઇલ પાર્ક્સ, ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCCs) અને ઇનોવેટિવ ફાઇનાન્સિંગ જેવા ક્ષેત્રોમાં નવી તકોનું સક્રિય રીતે અન્વેષણ કરી રહ્યું છે, જે આગામી સમયમાં રાજ્યના વિકાસને નવી ઊંચાઈ આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:45 pm

વાંકાનેર રોડ પર બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા:વાહનોને નુકસાન, લોકોએ ભારે જહેમત બાદ છૂટા પાડ્યા

વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટિયા યુદ્ધે ચડ્યા હતા. આ ઘટનાને કારણે રસ્તા પર થોડીવાર માટે કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા. યુદ્ધે ચડેલા આ ખૂંટિયાઓએ ત્યાં ઉભેલા લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ મહામુસીબતે તેમને છૂટા પાડ્યા હતા, ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લે છે અને વાહનોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે હાઈકોર્ટ પણ આ બાબતે ગંભીર ટિપ્પણી કરી ચૂકી છે. લોકોની માંગણી છે કે, આવા જીવલેણ અકસ્માતો સર્જાય તે પહેલા સ્થાનિક તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે નક્કર કામગીરી કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:40 pm

ચાર વર્ષથી ફરાર લુટેરી દુલ્હનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી:લગ્નના 4 જ દિવસમાં દાગીના-રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી, ઉંમરલાયક છોકરાને કરતી ટાર્ગેટ કરતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. લગ્નના માત્ર ચાર દિવસમાં જ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થતીમાનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. પહેલાં ટોળકીના 3ને પોલીસે દબોચ્યા હતાજેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઈપી મિશન ચર્ચ પાસેમાંથી લૂંટેરી દૂલ્હનને ઝડપી લેવાઈલાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેમાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે. નિર્દોષને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નવા ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો સામે આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:29 pm

વક્તાપુરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો:જી-રામ-જી યોજનાના અમલીકરણ અને લાભો પર ચર્ચા કરી

હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગામી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જી-રામ-જી યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, ગામડાના વિકાસ કાર્યોને ગતિ, પરિવારોની આવકમાં વધારો અને સ્થિરતા, સ્થાનિક કુશળતા અને કામદારીનો ઉપયોગ, સ્થળાંતરમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાનો આધાર સ્તંભ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, રાજુભાઈ પંચાલ, જયેશભાઇ બારોટ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:24 pm

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત કીટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:15 મહિનાથી ફરાર અઝહર કીટલીને જુહાપુરાથી દબોચ્યો, એક ગાડી, રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્કોડ અને વેજલપુર પોલીસની સંયુક્ત રીતે ધરપકડ કરી છે. જુહાપુરા -વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ગાડી, રોકડ, વિદેશી ચલણી નોટો સહિત 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અઝહરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની ધરપકડજુહાપુરા વિસ્તારમાં ટપોરીથી માંડીને અનેક કુખ્યાત ગેંગનું વર્ચસ્વ હોવાથી પોલીસે આ ગેંગની કમર તોડી નાખવા અનેક ગુના નોંધી સકંજો કસ્યો હતો. જે દરમિયાન જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની વધુ એક વખત પોલીસે ધરપકડ કરી છે. અઝહર કિટલી પર 21 ગુના નોંધાયાઅઝહર કિટલીએ હત્યાની કોશિષ, હથિયાર, ખંડણી, મારામારી, ચોરી લૂંટ જેવા 21 ગુના નોંધાયા હતા. આરોપી અઝહર કિટલી સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં શરતી જામીન રદ્દ થતાં તે દોઢેક વર્ષથી ભરૂચ અને ખેડામાં રહેતો હતો. અઝહર કીટલી તેના અમદાવાદ ખાતેના ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી દોઢેક વર્ષથી ફરાર હતોઅનેક ગેંગ પૈકીની કિટલી ગેંગ પર પોલીસે ગુના નોંધી સકંજો કસ્યો હતો. કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલી સામે વર્ષ 2021માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ તેણે શરતી જામીનના હુકમનો ભંગ કરતા તેના જામીન રદ્દ થયા હતા. જેથી તે દોઢેક વર્ષથી ફરાર રહેતો હતો. તેવામાં અઝહર કીટલી તેના ઘરે આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા જ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુખ્યાત આરોપી અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે. 6.50 લાખ રોકડા અને વિદેશી કરન્સી મળી આવીઆરોપી છેલ્લા ઘણા સમયથી ખંડણી, લૂંટ, ખુનની કોશિષ, ધમકી, જમીન પચાવી પાડવી, હથિયાર રાખવા જેવા કુલ 21 ગુનાને અંજામ આપી ચૂક્યો હતો. આરોપી દોઢ વર્ષથી ભરૂચ અને ખેડામાં ફાર્મ હાઉસમાં રહેતો હતો. પોલીસે આરોપી પાસેથી 16.50 લાખ રોકડા અને 51 જેટલી સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, નેપાળની વિદેશી ચલણી નોટો કબ્જે કરી તે બાબતે પૂછપરછ હાથ ધરી છે. આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતોઆરોપી દોઢ વર્ષથી ફરાર હોવાથી પોલીસ સતત તેને ટ્રેસ કરવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે સાદા ફોનનો ઉપયોગ કરતો હતો. ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરતો ન હોવાથી પોલીસ તેને પકડી શકતી નહોતી. પરંતુ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસપોલીસે આરોપી પાસેથી રૂ.16.50 લાખ રોકડા અને વિદેશી ચલણી નોટો કબ્જે કરી છે. રોકડા 16.50 લાખ માતાના દાગીના વેચ્યા હોવાની રકમ હોવાની આરોપી કબૂલાત કરી રહ્યો છે. જ્યારે માતા હજ પઢવા ગઇ હતી ત્યારની વિદેશી ચલણી નોટો તેની પાસે રાખી હોવાની કહાની સંભળાવી રહ્યો છે. પરંતુ તેની પાસેથી નેપાળ સહિતની ચલણી નોટો મળતા તે વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તેના મુળ સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:16 pm

NDPSના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.:​માંગરોળ ડ્રગ્સ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો: જૂનાગઢ SOGએ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી સમદ શેખને દબોચ્યો.

​જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ઝડપાયો છે. આ આરોપી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 2,39,900 ના કેસમાં પોલીસને થાપ આપી ફરાર હતો. ​જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રમેશભાઇ માલમ અને જીતેન્દ્રસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે આરોપી સમદ શેખ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એસપીની મંજૂરી મેળવી એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. ​એસ.ઓ.જી.ની ટીમે નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં પ્લોટ નં. 105, સેક્ટર 21 ખાતે દરોડો પાડી આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખને હસ્તગત કર્યો હતો. પોલીસ તેને જૂનાગઢ લઈ આવી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ રમેશભાઇ માલમ, જીતેન્દ્રસીંહ ચૌહાણ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ બકોત્રા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:13 pm

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ:ભરૂચમાં બે મહિના ચાલશે, અધિકારીઓએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું

ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન અને છાતી માપ સહિતની કસોટીઓ લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ અને ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા,વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ઉમેદવારોને કોઈ અડચણ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં આગામી બે મહિના સુધી ચાલનારી આ શારીરિક કસોટીમાં અંદાજિત 60 હજાર ઉમેદવારો ભાગ લેશે. દરરોજ આશરે 1,600 ઉમેદવારો કસોટી આપી શકશે. ઉમેદવારોની સલામતી અને આરોગ્ય માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બહારથી આવનાર ઉમેદવારોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે, જેમની પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તેવા ઉમેદવારો માટે પોલીસ દ્વારા રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:13 pm

60 લાખની 'કિયા કાર્નિવલ'કાર બળીને ખાખ, VIDEO:સુરતના ખટોદરામાં ચાલુ ગાડીમાં ભીષણ આગ, ચાલકનો ચમત્કારિક બચાવ

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં આજે એક ચાલુ લક્ઝુરિયસ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ખટોદરા કોમ્યુનિટી હોલ પાસે આવેલા ચોસઠ જોગણી માતા મંદિર રોડ પરથી પસાર થઈ રહેલી 60 લાખની 'કિયા કાર્નિવલ' ગાડીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગમાં સંપૂર્ણ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે આગમાં કાર ચાલકનું આબાદ બચાવ થયો હતો. લોકોએ એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યોમળતી માહિતી મુજબ, કાર જ્યારે રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના આગળના બોનેટના ભાગમાંથી ધુમાડા નીકળવાનું શરૂ થયું હતું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી સમય સૂચકતા વાપરીને ડાઈવર બહાર નીકળી ગયો હતો. આગ લાગતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ પોતાના સ્તરે ફાયર એક્સટિંગ્યુંશર વડે આગ પર કાબૂ મેળવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ હોનારત ટળી હતી. મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈઆ ભીષણ આગમાં 60 લાખની કિયા કાર્નિવલ જેવી મોંઘીદાટ કાર બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગઈ છે. સદનસીબે, કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, કારમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:11 pm

મહેસાણામાં હોમિયોપેથી મહિલા ડોક્ટર પર સસરાની છેડતી:પતિ દારૂ પીને મારપીટ કરતો, સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, સસરાએ તેની છેડતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 'પતિ પિયરમાંથી પૈસા લાવવા કહેતો અને દારૂ પીને મારપીટ કરતો'સમગ્ર બાબતે ભોગ બનનાર મહિલા હોમિયોપેથિક ડોક્ટર છે અને તેણે ડિસેમ્બર 2022માં ભાડે દુકાન રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિક માટેનો તમામ ખર્ચ મહિલાએ પોતે ભોગવ્યો હોવા છતાં, ક્લિનિકની માસિક આશરે રૂ. 35,000ની આવક સાસરિયાં લઈ લેતા હતાં. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તેના પતિએ ધંધા પર રૂ. 70 લાખની લોન લીધેલી છે. જેના હપ્તા ભરવા માટે પતિ અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો અને દારૂ પીને મારપીટ કરતો હતો. સસરાએ છેડતી કરી હોવાનો મહિલા ડોક્ટરનો આક્ષેપમહિલા ડોક્ટરે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, માર્ચ 2025માં જ્યારે તે તેના સસરાને જમવાનું પીરસવા ગઈ હતી. ત્યારે સસરાએ તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આ બાબતે પતિને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ આવવાને બદલે ઘરકંકાસ વધ્યો હતો. મહિલાના ક્લિનિક પર તાળાં મારી દીધા હતાસામાજિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી દારૂ પીને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પીડિતાના મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વધતા જતા ત્રાસથી કંટાળી મહિલા 12 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તેના ક્લિનિક પર સાસરિયાઓએ બીજા તાળાં મારી દીધા હતા. પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા ને ગાળાગાળી કરી15 ડિસેમ્બરના રોજ જ્યારે મહિલા તેના ભાઈ અને માતા સાથે ક્લિનિકે પહોંચી ત્યારે તેના પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અંતે મહિલાએ પોલીસને બોલાવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:05 pm

સંતોના અપમાન સામે ગૌરક્ષકોનો વિરોધ:ઝાલાવાડમાં રક્તથી પત્ર લખી PMને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા દરમિયાન મૌની અમાસના પવિત્ર દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય હિન્દુ સનાતની સાધુ-સંતો સાથે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અપમાનના પ્રત્યાઘાત રૂપે હતો. આક્રોશ વ્યક્ત કરવા માટે, ગૌરક્ષકોએ રક્તથી લખેલા પત્ર દ્વારા સંતોના સન્માનની રક્ષા કરવાની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન' ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું અપમાન એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે. યુપી પ્રશાસન અને સરકાર દ્વારા સંતો પ્રત્યે દાખવવામાં આવેલી આ ઉપેક્ષા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમની મુખ્ય માંગણીઓમાં પ્રયાગરાજમાં સંતો સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા, ધાર્મિક કાર્યક્રમોમાં સંતોની ગરિમા જળવાય તે માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને સનાતની પરંપરાઓ તથા સાધુ-સંતોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. ગૌરક્ષકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સંતોના સન્માનમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે કલેક્ટરને આ મામલે તાત્કાલિક વડાપ્રધાન કચેરી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:04 pm

દંપતી પર ધારિયા-ધોકાથી હુમલો કરનારા લંગડાતા ચાલ્યાં:3 દિવસ પહેલા પતિ-પત્નીને માર મારનાર આઠમાંથી ચારની ધરપકડ, પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ભાવનાગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી પર 17 જાન્યુઆરીએ હુમલાની ઘટના સામે આવી હતી. હેબતપુર ગામે લગ્ન પ્રસંગમાં પૈસા બાબતે બોલાચાલી કર્યા બાદ અક્ષર પાર્ક વિસ્તારમાં પોલીસ સ્ટેશને અરજી આપી આવી રહેલા પતિ-પત્નીને ઉભા રાખી 8 શખસે ધોકા, ધારીયા, પાઇપ જેવા હથિયારોથી માર માર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા આજે (20 જાન્યુઆરી) બોરતળાવ પોલીસે ચાર શખસને ઝડપી પાડી પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે આરોપીઓ લગડાતા ચાતલા જોવા મળ્યાં હતાં. જૂની અદાવતમાં લગ્નપ્રસંગે ફરી ઝઘડો થયોઆ અંગેની મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષયપાર્ક સોસાયટીમાં રહેતા અજીત લખમણભાઈ રાહાણી બોરતળાવ પોલીસ મથકમાં નીતિન ગંગાભાઈ રાહાણી, મનીષ ગંગાભાઈ રાહાણી, ભરત ગંગાભાઈ રાહાણી, કુબેર ગંગાભાઈ રાહાણી, વિક્રમ ગંગાભાઈનો દીકરો અને અજાણ્યા 3 શખસ મળી કુલ 8 શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસમાં અરજી આપતા હુમલોતેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે નવીન રાહાણી સાથે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી ગત 17 જાન્યુઆરીના રોજ હેબતપુર ગામે સંબંધીને ત્યાં તેના પત્ની મુક્તાબેન બન્ને લગ્નમાં ગયા હતા. ત્યા નવીન રાહાણી સાથે પૈસા બાબતે અગાવ બોલાચાલી થઈ હતી, જે મારી સામે કાતર મારતો હોવાથી, મેં તેને કહ્યું કે, કેમ મારી સામે કતરાશ?. તેમ કહેતા અમારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈ મેં ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે નવીન વિરુદ્ધ અરજી આપી હતી. દંપતીને હાથ-પગ, મોઢા-માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી બાદમાં હું અને મારા પત્ની બંને ભાવનગરના દસનાળા ખાતે પહોંચતા મારા મોબાઈલ ફોનમાં અવાર-નવાર ફોન આવતા ફોન પર નવીન રાહાણી સાથે બોલાચાલી કરી હતી. જેથી હું અને મારી પત્ની સાંજે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપીને આવી રહ્યા હતા, તે સમયે શહેરના અક્ષર પાર્ક પાસે પહોંચતા આરોપીઓએ ધોકા, પાઈપ, ધારીયા લઈ આવી મારી અને પત્ની ઉપર હુમલો કર્યો હતો. હથીયાર અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ચારેય આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈઆ ફરિયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે બીએનએસ એકટ 118(1), 117(2), 115(2), 352, 351(3), 125(b), 189(2), 191(2), 190 અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આજે ભરત ગંગારામ રાહાણી, મનીષ ગંગારામ રાહાણી, કુબેર ગંગારામ રાહાણી, પિયુષ રમેશભાઈ રાહાણીને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા તમામને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ઘટના સમયના સમાચાર માટે ક્લિક કરો…કુંભારવાડામાં દંપતી પર ધોકા-ધારિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર સાથે માથા-આંખના ભાગે ઈજા, હોસ્પિટલમાં દાખલ

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:02 pm

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:વોટ ચોરી મુદ્દે રજૂઆત કરવા જતા પોલીસે અટકાવ્યા, ગેટ બહાર ધરણા કરી ભાજપ હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, કલેક્ટર કચેરીમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગેટ બહાર બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગેટ બહાર ધરણા કરી કલેકટર પ્રશાસન મુર્દાબાદ અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા અને કાર્યક્રતાઓની કલેક્ટરને રજૂઆતકોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચને પત્ર લખી રજૂઆત કરી હતી. SIRની કામગીરી દરમિયાન વોટ ચોરી થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસર પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયોSIRની કામગીરી દરમિયાન મતદારોની જાણ બહાર ફોર્મ 7 BLO દ્વારા બરોબર જમા કરી દેવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં 17 લાખ જેટલા ફોર્મ 7 રાતોરાત જમા થઈ ગયા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી તેને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ કલેકટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણકોંગ્રેસના નેતાઓને કલેકટર કચેરીની અંદર જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના નેતાઓ સહિત તમામ કાર્યકર્તાઓ ગેટની બહાર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. ધરણા પ્રદર્શન પર બેસી કલેકટર પ્રશાસન મુર્દાબાદ તેમજ ભાજપ હાય હાયના નારા પણ કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા હતા. જોકે અનેક રજૂઆત બાદ પણ કલેકટર કચેરીમાં રજૂઆત કરવા માટે જવા ન દેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ બાદ માત્ર પાંચ લોકોને જ કલેકટરને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા રજૂઆતઅમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વોટ ચોરી થતી હોવાનો અમે આક્ષેપ કરી રહ્યા છીએ, પરંતુ બે-ત્રણ દિવસમાં તે સાબિત પણ થઈ ગયું છે. છેલ્લી ઘડીએ લાખો ફોર્મ 7 ભરીને તેમના મતદાન રદ કરવા માટે માગ કરી હતી. દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. કોઈપણ વ્યક્તિનો મત કપાઈ ન જાય તે માટે અમે પૂરેપૂરી લડત લડવાના છીએ. જેથી આજે કલેકટરને રજૂઆત કરી છે. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા માટે રજૂઆત કરી છે. કોઈપણ ખોટું ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી અમારી માગ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:51 pm

પોસ્ટ માસ્ટરને પાંચ વર્ષની કેદ:બોરસદ કોર્ટે 7940 રૂપિયાની ઉચાપત બદલ સજા ફટકારી, 5 હજારનો દંડ

બોરસદ કોર્ટે બનેજડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરને 5 વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. પૂર્વ પોસ્ટ માસ્ટરને 7,940 રૂપિયાની ઉચાપત બદલ કોર્ટે સજા ફટકારી છે. ઘટનાની વાત કરીએ તો બનેજડા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમાસ્ટર શાંતિલાલ રોહિતે 5 ડિસેમ્બર 2004 થી 28 જાન્યુઆરી 2005 દરમિયાન ખાતેદારો પાસેથી નાણાં લીધા હતા અને પાસબુકમાં નોંધ પણ કરી હતી. પરંતુ નાણાં ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હતા. ઘટના સામે આવતા પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને પોલીસે પુરાવા એકઠા કરીને બોરસદ કોર્ટમાં રજૂ કર્યા. જેના આધારે કોર્ટે પોસ્ટમાસ્ટરને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી છે

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:49 pm

ગાંધીનગરમાં આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી:માર્ગો પર લારીઓનો અડિંગો અને ટ્રાફિક સમસ્યા વકરી, 30થી વધુ વાહનોને મેમો ફટકારતા ફફડાટ

ગાંધીનગર શહેરમાં એક તરફ પાર્કિંગ પોલિસીની સુફિયાણી વાતો વહેતી થઈ છે ત્યારે બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. પાટનગરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે આડેધડ પાર્કિંગની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. આ સ્થિતિને ડામવા માટે ગાંધીનગર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરવામાં આવતા વાહન માલિકો ફફડી ઉઠ્યા હતાં. ઘ-0થી રિલાયન્સ સર્કલ સુધી દબાણ હટાવાયાગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ સર્કલ સુધીનો માર્ગ કરોડોના ખર્ચે 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્રના સંકલનના અભાવે આ માર્ગ હવે ગેરકાયદે લારીઓનું હબ બની ગયો છે. અગાઉ એસ્ટેટ શાખાએ પોલીસ ને આગળ રાખીને ઘ-0થી રિલાયન્સ સર્કલ સુધી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. નોનવેજની લારીઓ લાઈનસર રાતે ગોઠવાઈ જવાથી ટ્રાફિક થાય છેપરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ 'જૈસે થે' થઈ ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ રોડ પર નોનવેજ અને ઈંડાની લારીઓ લાઈનસર ગોઠવાઈ જાય છે. જેના કારણે અહીં આવતા ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરી દે છે. જેના લીધે નાના મોટા અકસ્માતોની પણ ભીતિ ઉભી થઈ છે. દુકાનો અને કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગની સમસ્યાએ માઝા મૂકીબીજી તરફ શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ માટે ખોલવામાં આવતા નથી. પરિણામે ખરીદી માટે આવતા નાગરિકો અને ખુદ દુકાનદારો પણ રોડ પર કે સર્વિસ રોડ પર વાહનો ખડકી દે છે. ભાઈજીપુરાથી પીડીપીયુ રોડ પર આવેલી દુકાનો અને કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગની સમસ્યાએ માઝા મૂકી છે. આ અંગે ટ્રાફિક પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પાર્કિંગના નિયમો તોડવામાં ગ્રાહકો સાથે વેપારીઓ પણ સામેલ છે. 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો ફટકારાયોઆજે ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણની ટીમે ભાઈજીપુરા, PDPU રોડ પરના કોમર્શિયલ વિસ્તાર અને સર્વિસ રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અને અડચણરૂપ પાર્ક કરેલા 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો ફટકારવામાં આવ્યા હતા. પોલીસની આ આકસ્મિક કામગીરીથી આડેધડ પાર્કિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો વાહનો લઈને દોડતા થઈ ગયા હતા. ત્યારે ટ્રાફિકથી પરેશાન જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરી સતત ચાલુ રાખવા માંગ પણ કરી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ આગળ વાહનો ખડકાયેલા હશે તો ડિટેઈન થશેઆ અંગે ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણે જણાવ્યું હતું કે, આડેધડ પાર્કિંગની સમસ્યા પર અંકુશ મેળવવા માટે હાલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વાહન માલિકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમ છતાં જો સ્થિતિમાં સુધારો નહીં આવે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ આગળ આજ રીતે વાહનો ખડકાયેલા જોવા મળશે તો આગામી દિવસોમાં વાહનો સીધા ડિટેન કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:42 pm

ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી

રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી AC સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે AC સીટર બસનો પ્રારંભરાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની પ્રિમિયમ બસ સેવા અંતર્ગત વોલ્વો બસ ચાલી રહી છે. હવે તેમાં એસી સીટર બસનો ઉમેરો થયો છે. આજથી એસી સીટર બસનો પ્રારંભ કરાયો છે. જેનું ભાડુ વોલ્વો બસ કરતા ઓછું રહેશે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસના સ્ટીયરીંગ પર હાથ અજમાવ્યોએસી સીટર બસના પ્રારંભ સમયે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર હાલ 4 વોલ્વો બસ છે અને હવે એસી સીટર બસ શરૂ થઈ છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે. ગાંધીનગરથી સવારે 7-30 કલાકે અને રાજકોટથી બપોરે 4 કલાકે બસ ઉપડશેરાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ - ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ - ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે. વોલ્વોની સરખામણીએ એસી સીટર બસમાં રૂ. 163નો ફાયદોજ્યારે આ બસમાં મુસાફરી કરતી યુવતી જીલે જણાવ્યું હતું કે હું અમદાવાદમાં જોબ કરું છું અને રાજકોટ છે ઘણીવાર અમદાવાદ એસટી બસમાં જાઉં છું મને ખ્યાલ ન હતો કે આ પ્રથમ એસી સીટર બસ છે. જોકે બુકિંગ કરાવતા માલૂમ પડ્યું કે વોલ્વો કરતા આ બસનું ભાડું ઓછું છે. રાજકોટથી અમદાવાદ વોલ્વો ભાડું રૂ.562 છે. જ્યારે આ એસી સિટર બસનું અમદાવાદ સુધીનું ભાડું રૂ.399 છે. જેથી રૂ.163 નો ફાયદો થાય તેમ છે. સૌરાષ્ટ્ર માટે અલગ ઈન્કવાયરી બારીનો પ્રારંભ કરાયોરાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના લોકો અને પદાધિકારીઓની માંગણી હતી કે રાજકોટ થી ગાંધીનગરની સાંજની એસી સીટર બસ શરૂ કરવામાં આવે. જેથી આ બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને શનિ - રવિવારે કે અન્ય કોઈ દિવસે ગાંધીનગર સાંજના સમયે જવું હોય તો તેઓ જઈ શકશે. આ સાથે જ રાજકોટનું હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે અલગ ઇન્ક્વાયરી બારી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજકોટ સેન્ટ્રલ બસપોર્ટ ખાતે 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. જેની ઇન્કવાયરી ઓફિસ પ્લેટફોર્મ નં.1/2 ની સામે સંયુક્ત રીતે કાર્યરત હોવાથી પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી મુસાફરી કરતા મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નં.1/2 સુધી આવવું પડતું હતુ. જેના કારણે મુસાફરોને અસુવિધા અનુભવાતી હતી. આ મુસાફરોની અગવડતા દૂર કરવા હેતુસર હવે પ્લેટફોર્મ નં. 17ની સામે અલાયદી પૂછપરછ બારી ઉભી કરવામાં આવી છે. આ નવી પૂછપરછ બારી ઉપર પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી ચાલતી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાઓ જેમ કે અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા, ઝાલોદ, મંડોર, પીટોલ વગેરે સ્થળોની કુલ આશરે 650 ટ્રિપની ઇન્કવાયરી થવા પામશે. આ વ્યવસ્થાના અમલથી મુસાફરોને પડતી અસુવિધા દૂર થવા પામશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:38 pm

જૂનાગઢના મેંદરડામાં કુદરતનો બેવડો માર:મેંદરડા પંથકમાં રવિ પાક પર 'પીળિયા' રોગનો કહેર, ખેડૂતો ચિંતાતુર,અતિવૃષ્ટિ બાદ હવે રવિ પાકમાં ભેદી રોગચાળો, ઘઉં-ચણાનો પાક સુકાતા ધરતીપુત્રો દેવાના ડુંગર નીચે દબાયા.

​જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ધરતીપુત્રો પર આ વર્ષે કુદરત રૂઠી હોય તેમ લાગી રહ્યું છે. ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાકો સદંતર નિષ્ફળ ગયા બાદ, ખેડૂતોને આશા હતી કે શિયાળુ એટલે કે રવિ સીઝનમાં તેઓ આ નુકસાનની ભરપાઈ કરી શકશે. જોકે નવી આશા સાથે મોંઘાદાટ બિયારણ,ખાતર અને દવાઓનો ખર્ચ કરીને વાવેલા ઘઉં, ચણા, ધાણા અને ડુંગળીના પાક પર હવે ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે. ખાસ કરીને ઘઉંના પાકમાં જોવા મળતા 'પીળિયા' રોગને કારણે ઉભો મોલ સુકાઈ રહ્યો છે, જેનાથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. ​મેંદરડાના ખેડૂત પરસોત્તમ ઢેબરિયાના જણાવાયું હતું કે કમોસમી વરસાદથી ખરીફ સીઝન પલળી ગયા બાદ ખેડૂતોએ હિંમત હાર્યા વગર રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હવે ઘઉંના પાકમાં પહેલીવાર એવો રોગ જોવા મળ્યો છે કે જેમાં શરૂઆતમાં પાક સારો દેખાય છે, પણ થોડા દિવસો બાદ તેનો વિકાસ અટકી જાય છે. ઘઉંનો કુદરતી લીલો પોપટી કલર બદલાઈને પીળો પડી જાય છે અને છોડ સુકાવા લાગે છે. ખેડૂતોએ એગ્રોમાંથી મોંઘી દવાઓ લાવીને છંટકાવ કરવા છતાં કોઈ રિઝલ્ટ મળતું નથી,જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે ડબલ ફટકો પડી રહ્યો છે. ખેડૂતોની માંગ છે કે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો આ રોગની તપાસ કરે અને સચોટ દવાની ભલામણ કરે. ​હેસિયત નરેન્દ્રભાઈ ખૂંટે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે વર્ષોથી ખેતી કરવા છતાં આવો અનુભવ ક્યારેય થયો નથી. બે પાણી પાયા બાદ અચાનક જ પાક પીળો પડવા માંડ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ અને જંતુનાશકો વાપર્યા છે, છતાં મહેનત પાણીમાં જતી દેખાય છે. ખેડૂતોનો અનુરોધ છે કે સરકાર કૃષિ નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી લેબોરેટરી તપાસ કરાવે અને રાહત દરે દવાઓ ઉપલબ્ધ કરાવે, જેથી દેવાના ડુંગર નીચે દબાઈ રહેલા જગતના તાતને થોડી રાહત મળી શકે. જો સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બનશે. ​હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું છે કે, હાલ ઠંડીનું પ્રમાણ વધતા પાક ઉત્પાદન પર તેની સીધી અસર જોવા મળશે. ઘઉં અને ચણાના પાકમાં હાલ દાણા ભરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે નીચું તાપમાન આ પ્રક્રિયાને ધીમી કરી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડી જળવાઈ રહેશે તો પાક મોડો આવશે, જેની અસર ઉનાળુ પાકના વાવેતર પર પણ પડશે. ઠંડીના કારણે પાકના મૂળની કાર્યપદ્ધતિ ધીમી પડતી હોવાથી ખેડૂતોને આ સમયે વધુ પડતું ખાતર ન આપવાની સલાહ આપવામાં આવી છે. વધુમાં ખેડૂતોને ઠંડીથી પાક બચાવવા માટે સવાર-સાંજ હળવું પિયત આપવાની પદ્ધતિ અપનાવવા સૂચન કરાયું છે. ફુવારા પદ્ધતિથી પિયત આપવાથી પાકની આસપાસનું તાપમાન જળવાઈ રહે છે અને નુકસાન અટકાવી શકાય છે. તેમજ પાકની આસપાસ કચરો સળગાવીને ધુમાડો કરવાથી પણ તાપમાન જાળવવામાં મદદ મળે છે. મેંદરડા પંથકના ખેડૂતો અત્યારે વહીવટી તંત્ર અને સરકાર સામે આશાભરી નજરે જોઈ રહ્યા છે કે તેમને આ આર્થિક સંકટમાંથી ઉગારવા માટે કોઈ વિશેષ પેકેજ કે માર્ગદર્શન આપવામાં આવે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:33 pm

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના હોદ્દેદારોની વરણી:શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલ બેઠકમાં 25 જેટલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને મહત્ત્વની જવાબદારી સોંપાઈ

મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠક યોજાઈ હતી, જેમાં બજરંગ દળ સહિત વિવિધ પ્રખંડના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠક શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આગામી કાર્યક્રમો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના મોરબી પ્રખંડ માટે નીચે મુજબના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી: જીતુભાઈ રાજેશભાઈ સેતા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, નિલેશભાઈ સામતભાઈ ડાંગર - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઇ સીતાપરા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ સહમંત્રી, કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ - બજરંગ દળ મોરબી પ્રખંડ સંયોજક, પંકજભાઈ દિનેશભાઈ નકુમ - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, વિશાલભાઈ સુરેશભાઈ ડોડીયા - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, મેહુલભાઈ રમેશભાઈ ડોડીયા - મોરબી પ્રખંડ સામાજીક સમરસતા સંયોજક, યશભાઈ પ્રફુલભાઈ પરમાર - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક, ગૌરાંગભાઈ વિક્રમભાઇ દવે - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સહસંયોજક, જયદીપભાઈ રાયધનભાઇ સોઢિયા - મોરબી પ્રખંડ ધર્મ પ્રસાર સંયોજક, હિતરાજસિંહ હરૂભા પરમાર- મોરબી પ્રખંડ ગૌ રક્ષા પ્રમુખ, યશભાઈ ગિરીશભાઈભાઈ વાઘેલા - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, સંદીપભાઈ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, નિકુંજભાઈ પટેલ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, રાજેશભાઈ રમેશચંદ્ર શાહ - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સંયોજક, અનિલભાઈ મેઘજીભાઈ દુદકિયા - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક, જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ - મોરબી પ્રખંડ સેવા પ્રમુખ, ગુંજનભાઈ જયંતભાઈ ઠાકર - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ, ભરતભાઈ ભગવાનજીભાઈ જિંજુવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, સનિભાઈ રતિલાલભાઈ કલોલા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, ભાવેશભાઈ કુંભારવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, કિશનભાઇ રાકેશભાઈ વરસડા - મોરબી પ્રખંડ બજરંગ દળ સાપ્તાહિક મિલન કેન્દ્ર સહ પ્રમુખ, હરિભાઈ લવજીભાઈ ઉભડિયા - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં પ્રમુખ, અભયભાઈ ભરતભાઈ રામાનુજ - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં સહપ્રમુખ, દેવાંશભાઈ દિપકભાઈ હિરાણી - મોરબી પ્રખંડ બજરંગ દળ કોલેજીયન પ્રમુખ. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

આણંદમાં રૂ. 1.63 કરોડની છેતરપિંડી:તાંત્રિક વિધિના બહાને ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોજીત્રાના એક વેપારી પાસેથી રૂ. 1.63 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડને આણંદના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત સોજીત્રાના હામી સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવતા કામિલભાઈ ઇકબાલભાઈ વ્હોરા સાથે થઈ હતી. ગત 5 જાન્યુઆરી, 2024ના રોજ કામિલભાઈના શોરૂમ પર તેમના ફળિયામાં રહેતા જાવેદભાઈ ઐયુબભાઈ વ્હોરા આવ્યા હતા. તેમણે પોતાના બનેવી સફીમહંમદભાઈ સબુરભાઈ વ્હોરા માટે ભાડાનું મકાન શોધવા કહ્યું હતું. કામિલભાઈએ સમીરપાર્ક સોસાયટીમાં મિત્ર મોહસીનભાઈ અબ્દુલજબ્બાર વ્હોરાનું મકાન સફીમહંમદભાઈને ભાડે અપાવ્યું હતું. બે દિવસ પછી, સફીમહંમદભાઈ તેમના પુત્ર સાહિલ, પત્ની ઇમરાબાનેબ, સિરાજભાઈ મહોમદસઈદભાઈ વ્હોરા (રાજુ ઉર્ફે કચી) અને અયાન સિરાજભાઈ વ્હોરા સાથે કામિલભાઈની દુકાને આવ્યા. તેમણે જણાવ્યું કે મુંબઈમાં ONGCનો તેમનો ટેન્ડર બે મજૂરોના મૃત્યુને કારણે અટકી ગયો છે અને તેને ફરી શરૂ કરવા માટે ONGC અધિકારીને 8 લાખ રૂપિયા આપવાના છે. બેંક એકાઉન્ટ બ્લોક હોવાનું કહી, તેમણે 7 દિવસમાં પરત કરવાની બાંહેધરી સાથે 8 લાખ રૂપિયા ઉછીના લીધા. આ પછી, ટોળકીએ કામિલભાઈને બે મોઢાવાળા સાપ, શેરવો અને બાર નખવાળો કાચબો બતાવીને તાંત્રિક વિધિ દ્વારા આખા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી. આ ધમકીઓ આપીને તેમણે કામિલભાઈ પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવી લીધા. પરિવારને તાંત્રિક વિધિથી બચાવવાના બહાને, ટોળકીએ એક દિવસના 21 હજાર રૂપિયા લેખે 60 દિવસના કુલ 12.60 લાખ રૂપિયા પણ કામિલભાઈ પાસેથી લીધા. આ ઉપરાંત, હીરા છોડાવવા, સોનાના બિસ્કિટ લેવા, મકાન વેચાણ રાખવા, મિત્રના બીમાર દીકરાની સારવાર, તાંત્રિક વિધિનો સામાન ખરીદવા અને મુંબઈના સ્ક્રેપ માટે રૂપિયા છોડાવવા જેવા અનેક બહાના હેઠળ કામિલભાઈ પાસેથી કુલ 1,63,33,511 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ કરી રહેલી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલા રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડ (રહે. દહેમી, તા. બોરસદ) ને ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે સોજીત્રા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

મવડી વિસ્તારમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોની હરરાજી કરાશે, રૂ. 15.80 લાખથી અપસેટ કિંમત શરૂ થશે

રાજકોટ મહાપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરરાજી આવતીકાલ 21 જાન્યુ.નાં રોજ સવારે 9:00 કલાકે યોજાશે. મવડી ટી.પી. સ્કીમ 27ના પ્લોટ નં. 51 B ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલી આ મોકાની દુકાનો માટેની અપસેટ કિંમત રૂ. 15,80 લાખથી રૂ. 25,70 લાખ સુધી રાખવામાં આવી છે. ટાઈટલ ક્લિયર અને 100% દસ્તાવેજ સાથેની આ દુકાનો માટે કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકાશે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય મિની સુપર માર્કેટ, ડેરી, ક્લિનિક તેમજ સલૂન જેવા વ્યવસાયો માટે ઉત્તમ છે. આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ રૂ. 2,00,000 ની ડીપોઝીટનો ચેક કે ડીડી 'રાજકોટ મહાનગરપાલિકા' ના નામે જમા કરાવવાનો રહેશે. બોલીની શરૂઆત રૂ. 10,000 ના ગુણાંકમાં કરવાની રહેશે. જેની બોલી મંજૂર થાય તેણે કુલ કિંમતના 25% રકમનો ચેક સ્થળ પર જ આપવાનો રહેશે, જ્યારે બાકીના 75% રકમ મંજૂરી મળ્યાના 60 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. હરરાજી અંગેની વધુ વિગતો અને ડીપોઝીટ માટે એસ્ટેટ શાખા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આ બાબતે આખરી ગણાશે. મનપાનાં ફૂડ વિભાગે, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 7 ધંધાર્થીઓને નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નાના મવા રોડ પર ભીમનગર ચોક પાસે આવેલી કિંગ ઓફ ફૂડ નામની પેઢીમાંથી 8 કિ.ગ્રા. વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી અને મંચુરિયન જેવો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ઉપરાંત, મવડી રોડ પર આવેલી બાલાજી ઢોસા અને શ્રી રેસ્ટોરેન્ટ ને હાઈજેનિક કન્ડિશન તેમજ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા જય ભીમ ચોક અને રેસકોર્ષ વિસ્તારમાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વેપાર કરતા 07 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં મારુતિ જનરલ સ્ટોર, મેલડી કૃપા પ્રોવિઝન, જેનીલ કાવો અને શ્રી રાજલ ઘૂઘરા સહિતના એકમોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રેલનગર હેડ વર્કસમાં મેઇન્ટેનન્સ અને પાઇપલાઇન જોડાણની કામગીરી પૂર્ણ થતા પાણી વિતરણ ફરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડ વર્કસ ખાતે તા. 17/01/2026ના રોજ પાણી વિતરણ બંધ રાખીને વિવિધ વિભાગો દ્વારા જાળવણી અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મિકેનીકલ વિભાગ દ્વારા સંપની અંદર ખરાબ થયેલી સક્શન પાઇપલાઇન બદલાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા ટુ પોલ સ્ટ્રકચરની સર્વિસ અને એલ.ટી. પેનલનું ક્લીનિંગ તથા પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિવિલ વિભાગ દ્વારા નવા GSRનું જુના GSR અને પાઇપલાઇન સાથે જોડાણ કરવાની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને OM વિભાગ દ્વારા જુના સંપની સફાઈ કરવામાં આવી હતી. આ તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતા તા. 18/01/2026થી રેલનગર હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:31 pm

વડોદરામાં ભાઈ બહેનની દાદાગીરી:રાજરાણી તળાવ પાસે MGVCLની કચેરી પર ભાઈ બહેને આવી હંગામો મચાવ્યો, વીજ કનેક્શન કાપી મીટર લઈ જનાર કર્મચારીઓને ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી 11 હજાર રૂપિયા વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચારીઓને ગાળો બોલવા સાથે તમને હું ઓળખું છું બહાર નીકળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી લાઈન મેને ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતાં દશ્વતભાઇ અબ્બાસભાઈ શેખ પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા જી.ઈ.બી. સબ ડીવિઝન ઓફીસમા છેલ્લા 22 વર્ષથી લાઈનમેન તરીકે નોકરે કરે છે.19 જાન્યુઆરીના રોજ અધિકારી તરફથી વીજ બીલ બાકી હોય તેમને વીજ બીલ ભરવા જાણ કરવી અને વીજ બીલ ના ભરે તો બીજા દિવસે વીજ કનેક્શન કાપવાની સાથે મીટર કાઢી લાવવાની સુચના મળી હતી. જેથી સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ પાણીગેટ જીઈબી સબ ડીવીઝનમાથી ઈંચાર્જ નાયબ ઇજનેર પંકજ એમ. પાટીલે ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ સંદિપભાઈ જયંતીભાઈ રાણા તથા રામસીંગભાઈ રાઠોડને રાજારાણી તળાવ જીઈબીની બાજુનો વિભાગ ફાળવ્યો હતો અને જેમના વીજ બીલ ભરેલ ન હોય તેઓના કનેક્શન કાપી નાખવા તેવી સૂચના આપી હતી.જેના આધારે આ વીજ કર્મચારીઓ ગ્રાહક સૈયદખાન નિઝામખાન પઠાણના ઘરે જઈને તપાસ કરી હતી. ગ્રાહકે છેલ્લા ચાર માસથી અનિયમીત બિલ ભરતા હોય તથા તેઓનુ રૂપિયા 11,312 બીલ બાકી હોય તેમને જાણ કરાઈ હોવા છતાં તેઓ બિલ ભર્યું ન હતું. લાઈનમેન સહિતના કર્મચારી સવારના દસેક વાગ્યાની આસપાસ તેઓનુ મીટર કાપીને પાણીગેટ જીઈબી ઓફીસ લઈને આવ્યા હતા.દરમિયાન બપોરના ત્રણેક વાગ્યા આસપાસબધા કર્મચારી હાજર હતા. ગ્રાહક સૈયદખાન ઉર્ફે રાજુ પઠાણ જીઈબી ઓફીસ પર આવ્યો હતો અને મીટર કાપવા બાબતે ત્યા હાજર જીઈબી ના કર્મચારીઓને બિભત્સ ગંદી ગાળો આપવા સાથે તેણે બધાને ઓળખુ છુ તમે બહાર આવો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. થોડી જ વારમાં ગ્રાહક ચાકુ હાથમા ચપ્પુ લઈને આવ્યો હતો અને ત્યા બહાર ઉભો રહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમિયાન તેની બહેન જુબેદા મલેક ત્યા આવી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગી હતી. જેથી સરકારી કર્મચારીને ધમકી આપવા બદલ પોલીસે ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:30 pm

ગોધરામાં પતંગ ચગાવતો બાળક ધાબા પરથી પટકાયો:આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, વડોદરા રિફર કરાયો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે પતંગ ચગાવતી વખતે 8 વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિંઝોલ ગામનો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ક્રિષ્નાને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક કાકણપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ વધુ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સઘન સારવાર માટે વડોદરા રિફર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:28 pm

મોરબીમાં સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા:સતવારા સહકાર મંડળે 11મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજ્યો

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી રામકો રેસીડેન્સી ખાતે શ્રી સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ સવારે મંડપ મુહૂર્તથી થયો હતો. ત્યારબાદ સવારે 9.15 કલાકે જાન આગમન, 9.55 કલાકે સામૈયા અને 10.45 કલાકે હસ્તમેળાપ વિધિ સંપન્ન થઈ હતી. બપોરે ભોજન સમારોહ બાદ ૨ કલાકે આશીર્વચન કાર્યક્રમ અને કન્યા વિદાય યોજાઈ હતી. નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નીલ ખરે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી આશાબેન નકુમ સહિતના રાજકીય અગ્રણીઓએ પણ ખાસ હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ લલિતભાઈ કણઝારીયા, ઉપપ્રમુખ જયંતિલાલ ડાભી અને મનસુખભાઈ નકુમ, મંત્રી વિજયભાઈ પરમાર, કન્વીનર વિનોદભાઈ પરમાર, પ્રભુભાઈ ડાભી, હિતેશભાઈ હદીયાદ, સહ-કન્વીનર વિજય ડાભી અને અનિલ પરમાર સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:23 pm

શાળામાં માતૃ-પિતૃ પૂજન:મોરબીની શાળામાં 400થી વધુ વિદ્યાર્થિનીઓએ કર્યું પૂજન, મૂલ્ય શિક્ષણ અને સંસ્કાર સિંચનનો પ્રયાસ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાને હાર પહેરાવી, આરતી ઉતારી અને પ્રદક્ષિણા ફરીને વિશેષ પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર અને પ્રેમની ભાવના દ્રઢ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મૂલ્યશિક્ષણ આપવાનો, માતા-પિતાના પ્રેમને સમજાવવાનો અને જીવનમાં તેમના મહત્વને સમજાવવાનો હતો. આનાથી બાળકોમાં સંસ્કાર સિંચન થાય અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બને. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અને વિભક્ત થતા પરિવારોને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમોનું મહત્વ ઘણું વધી જાય છે. આવા આયોજનો દ્વારા બાળકોમાં પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ, જયેશભાઈ, રસીલાબેન, નયનાબેન તથા શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:22 pm

દાહોદમાં આંગણવાડી વિઝિટ ટ્રેકર એપનો પ્રારંભ:બાળકોના ગ્રુપ ફોટામાં દેખાતી સંખ્યા મુજબ જ જથ્થો નક્કી કરતી પારદર્શક AVT એપ્લિકેશન

દાહોદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘આંગણવાડી વિઝિટ ટ્રેકર’ (AVT) એપ્લિકેશનનો દેવગઢ બારિયા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની સૂચના અનુસાર, દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આ એપ્લિકેશન અમલમાં મૂકાઈ છે. અગાઉ દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકરો ‘સુપોષિત દાહોદ’ પોર્ટલ પર લાભાર્થીઓની એન્ટ્રી કરતી હતી. હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓનું વધુ સઘન અને પારદર્શક મોનીટરીંગ સુનિશ્ચિત કરવા AVT એપ્લિકેશનમાં “Automatic Beneficiary Count” નામની નવી સુવિધા શરૂ કરાઈ છે. આનાથી આંગણવાડી કેન્દ્રોમાં સેવાઓ લેતા લાભાર્થીઓની હાજરી અને લાભની ચોકસાઈ વધશે. આ એપ્લિકેશન અંતર્ગત, આંગણવાડી કાર્યકરોએ સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા દરમિયાન કેન્દ્રમાં હાજર બાળકોના ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. અપલોડ કરાયેલા ફોટોગ્રાફમાં દર્શાવાયેલી સંખ્યાના આધારે સરકાર તરફથી ફાળવાતો અનાજનો જથ્થો નક્કી થશે. આ વ્યવસ્થાથી ખોટી ગણતરી અટકશે અને સાચા લાભાર્થી સુધી યોગ્ય પ્રમાણમાં પોષણ સામગ્રી પહોંચશે. સરકારે AVT એપ્લિકેશનનું Advanced Version પણ અમલમાં મૂક્યું છે. આ સંસ્કરણમાં, આંગણવાડી કેન્દ્ર પર લાભ લેતા તમામ લાભાર્થીઓના ફોટોગ્રાફ કાર્યકર દ્વારા અપલોડ કરવાના રહેશે. તેના આધારે લાભાર્થીઓ ખરેખર 100% સેવાઓનો લાભ લઈ રહ્યા છે કે નહીં તેનું મોનીટરીંગ સીધું ગાંધીનગરથી કરવામાં આવશે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોમાં વપરાતા મસાલાના બીલોની ચુકવણી પણ આ એપ્લિકેશનમાં થયેલી એન્ટ્રીના આધારે કરવામાં આવશે. આનાથી નાણાકીય પારદર્શિતા વધશે અને સેવાઓ વધુ અસરકારક બનશે. આ સમગ્ર વ્યવસ્થાનો હેતુ વધુમાં વધુ લાભાર્થીઓ આંગણવાડી સેવાઓનો લાભ લે તે સુનિશ્ચિત કરવાનો છે, જેના માટે મુખ્ય કચેરી દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:14 pm

AMCએ ફાયર સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા રદ કરી:આજે પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયાનો ઉમેદવારોનો આક્ષેપ, આગામી 11 ફેબ્રુઆરીના ફરી પરીક્ષા લેવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા લેવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. ‘પ્રશ્નો સિલેબસ બહારના પૂછાતા પરીક્ષાને રદ કરી’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લિમિટ પરીક્ષા લેવા માટે કામગીરી આપવામાં આવી હતી. પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પૂછવામાં આવ્યા હોવાના પગલે હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. 8 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારોઅમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની ભરતી કરવામાં આવનાર હતી, જેને લઈને જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 8 જેટલા ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. આજે સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યોઆ ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે 20 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી. સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં સિલેબસ બહારના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને પરીક્ષા લેવા માટે એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશેસમગ્ર બાબત સામે આવતાની સાથે જ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. એ બાદ પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:07 pm

પૂર્વ ધારાસભ્યના પુત્રએ જન્મદિવસની ઉજવણી કરી:1200થી વધુ વિદ્યાર્થીઓને 600 કિલો ચિક્કીનું વિતરણ કર્યું

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્યું હતું. આ ઉજવણી અંતર્ગત, વઢવાણની શાળા નં. 13, શાળા નં. 17, ડાંગશિયા વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચિક્કી આપવામાં આવી હતી. કુલ અંદાજે 600 કિલોગ્રામ ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નરેશભાઈએ દરેક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે સંવાદ સાધ્યો અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમને સ્વહસ્તે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ પણ અર્પણ કર્યા હતા. નરેશભાઈ વર્ષોથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવે છે. પૌષ્ટિક આહારના મહત્વને સમજાવતા આ કાર્યક્રમથી શાળાઓમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ પણ આ પહેલની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:05 pm

આણંદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં બે ઝડપાયા:નડિયાદના ઉત્તરસંડામાં મિત્રએ ઘર બંધ કરી આપ્યું અને તુષારે રાધમ કૃત્ય આચર્યું , બન્ને જેલહવાલે

આણંદ શહેરના સાંગોળપુરા વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા તુષાર બારૈયાએ 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગુનામાં મદદગારી કરનાર તેના મિત્ર સહિત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગત મુજબ, આરોપી તુષાર બારૈયાએ સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. ગત 1 જાન્યુઆરીના રોજ 'તને મારી માતા સાથે મુલાકાત કરાવું' તેમ કહી સગીરાને એક્ટિવા પર બેસાડી નડિયાદના ઉત્તરસંડા ખાતે તેના મિત્ર કિશન તડવીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કિશન ઘરને બહારથી તાળું મારી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તુષારે સગીરાને બદનામ કરવાની અને મેસેજો ઘરે બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે એટલેથી ન અટકીને સગીરાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હોવાની અને તેને વાયરલ કરવાની ધમકી આપી ગ્રીડ ચોકડી પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો. ગભરાયેલી સગીરાએ ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS ની વિવિધ કલમો અને પોકસો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ગત રાત્રે મુખ્ય આરોપી તુષાર અને તેના મિત્ર કિશનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:04 pm

મહારાષ્ટ્રની આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:નવસારી LCBએ 9 ચોરીનો ભેદ ઉકેલ્યો, ₹3.69 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધ ફ્લેટોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સોનાની લગડી, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹3.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીઓને રોકવા માટે રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલની સૂચનાથી LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે PSI એમ.બી. ગામીત અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે, ચોરી કરનાર ગેંગ મહારાષ્ટ્રથી બાઈક પર દાગીના વેચવા સુરત તરફ જઈ રહી હતી. પોલીસે સીસોદ્રા બ્રિજ પાસે વોચ ગોઠવી સર્વિસ રોડ પરથી બે રીઢા તસ્કરોને પકડી પાડ્યા હતા. આ ગેંગની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે પોલીસે માહિતી આપી હતી. આરોપીઓ મહારાષ્ટ્રના નાલાસોપારા અને વિરારથી બાઈક પર નીકળતા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ બાઈક પર ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાવતા હતા. દિવસ દરમિયાન તેઓ એપાર્ટમેન્ટ્સમાં રેકી કરતા હતા અને બંધ ફ્લેટોના તાળા-નકુચા તોડી ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તે જ દિવસે તેઓ પરત મહારાષ્ટ્ર ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં શાવેઝ દુલારે અનવર ખાન (ઉંમર 39, રહે. નાલાસોપારા, પાલઘર) અને મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ ચૌધરી (ઉંમર 36, રહે. વિરાર, પાલઘર) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સાજીદ અકબરઅલી શેખ (રહે. વિરાર વેસ્ટ) અને જતીન ઉર્ફે જીતુચુરી રમેશ પાટીલ (રહે. નાલાસોપારા) વોન્ટેડ છે. LCB પી.આઈ. વી.જે. જાડેજા, એસ.વી. આહીર, PSI એમ.બી. ગામીત, વાય.જી. ગઢવી તથા એલ.સી.બી. નવસારીનો અન્ય સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલી હતો. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કુલ 9 ચોરીઓની કબૂલાત કરી છે. આ ચોરીઓ નવસારી (રુરલ, જલાલપોર, બિલીમોરા, ટાઉન), સુરત (રાંદેર, ભેસ્તાન), આણંદ (ભગતસિંહ ચોક પાસે) અને ભરૂચ (અંકલેશ્વર) જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:57 pm

212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપીની ધરપકડ:ધો.8થી 10 પાસ ભેજાબાજોએ ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવ્યા, બેંકર્સને છેતરવા નકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કર્યું

સુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે આ ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટમાં ઉદ્યમ સર્ટિફિકેટથી લઈને GSTના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેઓએ કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ પર બનાવી દીધા અને બેંકના કર્મચારીઓને કાનોકાન ખબર પણ પડી નહીં. હાલમાં બેંક કર્મચારીઓની આ નેટવર્કમાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?આ સમગ્ર પ્રકરણની શરૂઆત ગત 9 ઓક્ટોબર 2025 ના રોજ થઈ હતી. જ્યારે સાયબર સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી પ્રવીણ ધાંધલ પકડાયો હતો, જેની પાસેથી મોટી માત્રામાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીના કબ્જામાંથી 132 જેટલી કોરી ચેકબુક, 19 પાસબુક, 12 ડેબિટ કાર્ડ અને 35 ક્યુઆર કોડ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 54 સિમકાર્ડ કવર અને 7 રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ બોગસ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન સુરત સાયબર સેલને કુલ 154 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. જ્યારે આ ખાતાઓની બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ખાતાઓમાં અત્યાર સુધીમાં કુલ 212,87,97,974 (212.87 કરોડ) રૂપિયાના ટ્રાન્જેક્શન થઈ ચૂક્યા હતા. સાયબર ફ્રોડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડઆ રેકેટમાં પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓ આ મસમોટા રેકેટમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. આ આરોપીઓ પૈકી મોટાભાગના માત્ર ધોરણ 8 અને 10 સુધી જ ભણેલા છે, છતાં તેઓએ બેંકિંગ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવીને હજારો કરોડોના વ્યવહાર ધરાવતા એકાઉન્ટ્સ ઊભા કર્યા હતા. આરોપી અંકિતપરી ગૌસ્વામીધરપકડ કરાયેલો પ્રથમ આરોપી અંકિતપરી ગોરધનપરી ગૌસ્વામી છે. જેની ઉંમર 28 વર્ષ છે. તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનો વતની છે અને હાલ સુરતના પુણા ગામ વિસ્તારમાં રહે છે. અંકિતપરી નોકરી કરીને પોતાનું જીવન ગુજારતો હતો, પરંતુ વધુ પૈસાની લાલચમાં તે આ સાયબર ગેંગમાં જોડાઈ ગયો હતો. તેની મુખ્ય ભૂમિકા ગેંગને પોતાના નામના બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવાની હતી. અંકિતપરી માત્ર ધોરણ 8 સુધી જ ભણેલો છે. આટલું ઓછું શિક્ષણ હોવા છતાં તેણે HDFC, RBL અને DCB જેવી બેંકોમાં 3 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેણે આ એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યા હતા. દરેક એકાઉન્ટ દીઠ તેણે 30,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું. તેના ખાતાઓમાં અંદાજે 88,32,054 રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે, જેના આધારે તેની સામે 5 જેટલી ફરિયાદો દેશભરમાં નોંધાયેલી છે. આરોપી ચેતન લિંબાણીબીજો મહત્વનો આરોપી ચેતન પ્રફુલભાઇ લિંબાણી છે. જેની ઉંમર 32 વર્ષ છે. તે સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને મૂળ ગીર સોમનાથના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામનો વતની છે. ચેતન પોતે વેપાર સાથે સંકળાયેલો હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. તેની ધરપકડ બાદ સાયબર ક્રાઈમની મોટી કડીઓ પોલીસના હાથે લાગી છે. તે પ્રવીણ ધાંધલના સીધા સંપર્કમાં રહીને કરંટ એકાઉન્ટ્સ મેનેજ કરતો હતો. ચેતન લિંબાણી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવે છે. તેણે Indian Bank, Bank of Maharasthra અને IDFC First Bank માં 3 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે વ્યવસાયના પુરાવા જરૂરી હોય છે, જે તેણે બોગસ બનાવ્યા હતા. તેણે એકાઉન્ટ દીઠ 1,00,000 રૂપિયા લેખે કુલ 3,00,000 નું કમિશન લીધું હતું. તેના ખાતાઓમાંથી 7,52,28,940 થી વધુના ટ્રાન્જેક્શન થયા છે. આરોપી બીપીન સાવલીયાત્રીજો આરોપી બીપીન અશોકભાઇ સાવલીયા છે, જેની ઉંમર 32 વર્ષ છે. બીપીન મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામનો વતની છે અને સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. તે વ્યવસાયે મજૂરી કામ કરતો હતો. એક સામાન્ય મજૂર તરીકે કામ કરતો વ્યક્તિ આટલા મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયબર ફ્રોડમાં સામેલ હોય તે પોલીસ માટે પણ આશ્ચર્યની વાત હતી. તેની આર્થિક નબળાઈનો લાભ ગેંગે ઉઠાવ્યો હતો. બીપીન સાવલીયાએ પણ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેણે HDFC, RBL, YES Bank અને Kotak Bank માં કુલ 4 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. મજૂરી કામ કરનાર બીપીને આ એકાઉન્ટ્સ કમિશનના બદલામાં ગેંગને સોંપી દીધા હતા. તેણે કુલ 1,20,000 રૂપિયા કમિશન તરીકે મેળવ્યા હતા. તેના એકાઉન્ટ્સમાં 40,34,359 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેમાં 2 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી અજય ગૌસ્વામીચોથો આરોપી અજય ગોરધનપરી ગૌસ્વામી છે, જે 31 વર્ષનો છે. તે અંકિતપરીનો ભાઈ છે અને ભાવનગરના મોટા ખુંટવડા ગામનો વતની છે. અજય સુરતના સીતાનગર સોસાયટી વિસ્તારમાં રહે છે અને નોકરી કરતો હતો. આ ટોળકીમાં અજયની ભૂમિકા કરંટ એકાઉન્ટ્સ ખોલાવીને મોટા ટ્રાન્જેક્શનને સરળ બનાવવાની હતી. તે પોતાના ભાઈ સાથે મળીને આ નેટવર્કને સુરતમાં મજબૂત કરવામાં મદદ કરતો હોવાનું જણાયું છે. આ આખી ટોળકીમાં અજય ગૌસ્વામી સૌથી વધુ ભણેલો છે, તેણે B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. કોમર્સના સ્નાતક હોવાથી તેને બેંકિંગ પ્રક્રિયાઓની સારી જાણકારી હતી. તેણે IDBI અને Bank of Baroda માં 2 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ માટે તેણે બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2,00,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું અને તેના ખાતામાંથી 2,64,73,866 ના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આરોપીઓએ બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ પણ ઉભી કરી હતીડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ માત્ર નકલી આધાર કાર્ડ કે પાન કાર્ડ જ નહોતા બનાવતા, પરંતુ કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબર પણ બોગસ ઉભા કરતા હતા. જ્યારે બેંક કર્મચારીઓ સ્થળ તપાસ માટે આવે, ત્યારે આ આરોપીઓ કામચલાઉ ધોરણે બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ જેવું વાતાવરણ ઉભું કરી દેતા હતા, જેથી બેંક કર્મચારીઓને શંકા ન જાય.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:51 pm

દારુની હેરફેર માટે સ્કૂલના વિદ્યાર્થીને બનાવ્યો હાથો:અમદાવાદ- વડોદરામાં મેગા ડિમોલીશન, બેલારુસમાં નોકરીના નામે મહિલા સાથે ઠગાઈ, રાજ્ય પર મંડરાયું માવઠાનું સંકટ

વિદેશમાં નોકરીની લાલચે મહિલા સાથે ઠગાઈ બેલારુસમાં નોકરી આપવાના બહાને નવસારીની મહિલા સાથે ઠગાઈ.. મહિલાને બેલારુસથી 300-400 કિમી દૂર મોકલી, એજન્ટે તેનો નંબર બ્લોક કરી દીધો છે. મહિલા ત્રણ સંતાનોને નવસારી મુકી, દેવું કરી બેલારુસ ગઈ હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાંદરવટ તળાવમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું અમદાવાદના વટવામાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું.3 કલાકમાં 450 દબાણ હટાવાયા..24 મીટરના 2 TP રોડ અને 18 મીટરનો રોડ ખોલાયો.. તો ઘર તૂટતાં મહિલા રડી પડી..વિસ્થાપિત પરિવારોને આશ્રયગૃહમાં ખસેડાયા. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યાકુતપુરાના મદાર મહોલ્લામાં ડિમોલીશન હાથ ધરાયું વડોદરાના યાકુતપુરામાં મદાર મહોલ્લામાં ડિમોલીશન હાથ ધરાયું.. આ વિસ્તાર સંવેદનશીલ ગણાતો હોવાથી તેને કોર્ડન કરી, ડ્રોન સર્વેલન્સ સાથે કામગીરી હાથ ધરાઈ. વર્ષ 1995થી પ્રોસેસ ચાલતી હતી જેનીઆજે અમલવારી થઈ. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બજરંગદળના કાર્યકર્તાઓએ બે યુવકોને ફટકાર્યા વિરાટનગર બ્રિજ નીચે બજરંગદળના કાર્યકર્તાઓએ લઘુમતી યુવકો સાથે મારામારી કરી. યુવકો યુવતીઓની રેકી કરતા હોવાની શંકા રાખી માર માર્યો હતો.કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ ધક્કો મારી રવાના કરી દીધી હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લેડી કોન્સ્ટેબલની સૂઝબઝથી પકડાઈ ગેંગ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાઈ UPની રીઢા ગુનેગારોની ગેંગ. આ ગેંગને પકડવા લેડી કોન્સ્ટેબલ ડોક્ટરનું એપ્રન પહેરીને ચેકઅપના બહાને રુમમાં ગયા, ને ટીમે આખી ગેંગને પકડી લીધી.. ગેંગ એટીએમ કાર્ડ બદલી લોકોને લૂંટતી હતી.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુની હેરફેર માટે બાળકને બનાવ્યો હાથો સુરેન્દ્રનગરમાં દારુની હેરફેર માટે સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ.. બાળકની સ્કૂલબેગમાંથી દારુની પોટલી મળી આવતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી, જો કે મહિલા બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તાપી નદીમાં ઝંપલાવી યુવકે આત્મહત્યા કરી સુરતમાં તાપી નદીમાં ઝંપલાવી યુવકે આત્મહત્યા કરી.. બે કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો. પરિવારે કામ કરવાની બાબતે ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GPSCની પરીક્ષાઓના કોલલેટરની તારીખો જાહેર GPSCની વિવિધ પ્રિલિમનરી તેમજ મેઈન્સ માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરાઈ છે. GPSCની ઓફિશિયલ વેબસાઇટ પરથી કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાહીબાગ અંડરબ્રિજ પાંચ દિવસ માટે બંધ અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ 23 થી 28 જાન્યુઆરી સુધી બંધ રહેશે. અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની કામગીરીને કારણે પાંચ દિવસ બંધ રહેશે.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક વાર માવઠાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. એક અઠવાડિયામાં ત્રણ ત્રમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે છે. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:50 pm

બાવકા PHC ખાતે ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ:અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી; ગ્રામજનોએ સેવાઓનો લાભ લીધો

બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાના હેતુથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા તેમજ મેડિકલ ઓફિસર ડૉ. પન્ના ડામોર અને ડૉ. વિકાસ રાવલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર, ચાંદાવાડા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનમાં ગ્રામ્ય જનતાને આરોગ્યના તમામ ક્ષેત્રોમાં લાભ મળે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાન્ય આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ, પીએમજેએવાય (PMJAY) કાર્ડ બનાવટ, ABHA ID નોંધણી, નવી ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન નોંધણી, તેમજ નવી સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી લોકો નિયમિત તપાસ અને સારવાર તરફ પ્રોત્સાહિત થાય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ આરોગ્ય સ્ટાફના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા, સમયબદ્ધતા અને સંવેદનશીલતા જાળવવાની ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ ગ્રામ્ય આરોગ્ય મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:47 pm

સગીરાનું અપહરણ કરી આચર્યું દુષ્કર્મ.:​કેશોદની મગફળી મિલમાંથી સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર શખ્સ ઝડપાયો: પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી.

​ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. કેશોદમાં આવેલી એક મગફળીની મિલમાં કામ કરતા સાગર મનસુખભાઈ મોરબીયા નામના શખ્સે તેની સાથે જ કામ કરતી એક સગીરાને લલચાવી-ફોસલાવી ગત 7 જાન્યુઆરીના રોજ અપહરણ કર્યું હતું. આ મામલે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી અને સગીરા મળી આવ્યા હતા. સગીરાની પૂછપરછ દરમિયાન તેણે પોતાની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો કરતા પોલીસે ગુનામાં પોક્સો એક્ટ અને બળાત્કારની કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરી છે. ​કેશોદ પીઆઈ જાદવે જણાવ્યું હતું કે 7 જાન્યુઆરીના રોજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો દાખલ થયો હતો. માળિયાના ભાખરવડનો વતની આરોપી સાગર મોરબીયા મિલમાં જ કામ કરતી સગીર બાળાને બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. તપાસ દરમિયાન ભોગ બનનાર અને આરોપી મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ભોગ બનનાર સગીર હોવાથી આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આ કૃત્યમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:33 pm

રેલવેની મંજૂરીના અભાવે સાંઢિયા પુલની કામગીરી ખોરંભે ચડી:જામનગર રોડ પર ચાલી રહેલા બ્રિજનું કામ હવે એપ્રિલના અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા

રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવાથી માર્ચ-2026ની ડેડલાઇનનાં બદલે હવે આ કામ એપ્રિલ-2026નાં અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા મેયર નયનાબેન પેઢડીયાએ વ્યક્ત કરી છે. હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ છે. આ સમસ્યા એક મહિનો વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. ત્યારબાદ માર્ચ અંતમાં કામ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે હવે કામ એપ્રિલનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે. માર્ચ 2026 સુધીમાં સાંઢિયા પુલની કામગીરી પૂર્ણ કરવાની હતીપ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને ગત તા. 14-3-2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી હતી. અને બાદમાં માર્ચ-2026નાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ પોર્શનમાં સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી બાકીમેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે પુલની કામગીરી અંદાજે 80%થી વધુ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ પુલના સેન્ટ્રલ પોર્શનમાં, એટલે કે રેલવે ટ્રેક ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાનું મહત્ત્વનું કામ બાકી છે. આ કામ માટે રેલવે દ્વારા બ્લોક આપવો ફરજિયાત છે, કારણ કે અહીં તોતિંગ ગર્ડરનું લોન્ચિંગ રેલવેની મંજૂરી અને સહકાર વગર શક્ય નથી. મનપા દ્વારા ગર્ડર લોન્ચિંગની મંજૂરી માટે છ મહિના પૂર્વે રેલવે વિભાગને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને ભલામણ પણ કરાઈ હતી. આ મંજૂરી મલવામાં સામાન્ય રીતે 6-7 મહિના લાગતા હોય છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનની હદમાં આવતું પુલનું અન્ય તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રેલવેના ટ્રેક પરના ભાગની મંજૂરીમાં જ વિલંબ થઈ રહ્યો છે, જે રેલવેનાં નિયમોને કારણે ધીમું છે. આ પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોની અસુવિધા દૂર થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે. રેલવે દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે અને બાકીના બે બ્લોકનું કામ ઝડપથી થાય, તે માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. અને કામમાં કોઈ કચાશ ન રહે તેના માટે પુલના કામકાજની સ્થિતિની સમયાંતરે વિઝીટ પણ કરવામાં આવે છે. 2026માં ડેડલાઈન મુજબ કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલઉલ્લેખનીય છે કે, અગાઉ સ્ટે. ચેરમેને જાન્યુઆરીનાં અંત સુધી એટલે કે મનપાની ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરવા માટેની ખાતરી આપી હતી. જોકે ત્યારે રેલવેની મંજૂરી મળી જશે તેમ માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મંજૂરી ન મળતા હાલ કામગીરી ધીમી થઈ છે. જેના કારણે હવે બ્રિજનું કામ માર્ચ 2026ની ડેડલાઇન સુધીમાં પણ પૂરું કરવું મુશ્કેલ છે. અગાઉ બ્રીજનું લોકાર્પણ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તેવી સંભાવના હતી. જે હવે શક્ય લાગતું નથી. મેયરે પણ કામગીરી પૂર્ણ કરવાની નિયત સમયમર્યાદા એટલે કે આગામી માર્ચ-2026ને બદલે એકાદ મહિનો વધુ કામ ચાલે તેવી શક્યતા દર્શાવી છે. ત્યારે હજારો વાહન ચાલકોએ 1 મહિનો વધુ હેરાન થવું પડશે તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:30 pm

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગાંજો મળ્યો:NSUIએ રેડ કરતા કેટલાક શખસો ભાગ્યાં, ગાંજો, દારૂની ખાલી બોટલો અને ગોગોપેપર મળ્યાં; કુલપતિનો લૂલો બચાવ

એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરી હતી. આહીં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અવાવરું સ્થળ પર તપાસ કરતા દારૂ-ગાંજાનો નશો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન સ્થળ પર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું વેશન કરતા હતાં. જ્યારે NSUI સ્થળે પહોંચ્યું તો નશો કરનારા નાસી છૂટ્યા હતાં. તપાસ દરમિયાન એક બાઈકમાંથી અંદાજિત 150/200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. તે સ્થળેથી 20થી વધુ દારૂની ખાલી બોટલો, તેમજ નશીલા પદાર્થનું સેવન કરવા વપરાતા ગોગોપેપર સહિતની વસ્તુઓ મળી આવી હતી, સમગ્ર બનાવ અંગે NSUI દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં નશીલા પદાર્થનો પ્રવેશ કેમ થયો? એ સોથી મોટો સવાલ ઉભો થયો છે. જ્યારે આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બનાવને સ્વીકારી સાથે બચાવ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ માહિતી આપી હતી કે નશો થાય છેઃ નરેન્દ્ર સોલંકીઅંગે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્તના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં છે, તેના માધ્યમથી આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટ્રકશનનો પ્રોગ્રામ હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લેઆમ દારૂ-ગાંજાનું સેવન થઈ રહ્યું છે. ‘રેડમાં અમને 150થી 200 ગ્રામ જેટલો ગાંજો મળ્યો’આજે NSUI દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક રેડ પાડવામાં આવી હતી. કેમ્પસની આજુબાજુમાં હોસ્ટેલો છે, કેમ્પસમાં સ્પોટ ગ્રાઉન્ડ છે, જ્યાં વિદ્યાર્થીઓને નશાનું સેવન કરી રહ્યા હતા ત્યારે NSUIએ જનતા રેડ કરી હતી. આ રેડમાં 150થી 200 ગ્રામ જેટલો ગાંજો, કફ સીરપ જેનાથી નસો થાય, ગોગો પેપર, દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે અહીંયા આવીને એવું થાય કે, આ શું બાર છે કે નશાનું સેવન કરનારું કેમ્પસ છે કે શિક્ષા નું કેમ્પસ છે. ‘આ દુષણને રોકવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે’આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે, મોટી-મોટી વાતો કરનારા આ શિક્ષાના ધામમાં આવડી માત્રામાં નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો? આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ તો આવું ને આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે. આપણે આપણા યુવા પેઢીને બરબાદ ન થવા દેવા હોય તો આ ડ્રગ્સ માફિયાઓ આવા દારૂ માફિયાઓ ઉપર કડક પગલાં લેવા જોઈએ. અન્યથા આવનાર દિવસોમાં આવી જ રીતે ક્યાંક કેમ્પસો અથવા તો યુનિવર્સિટીમાં આવા પ્રકારના કાર્યો થતા હશે તો NSUI જનતા રેડ કરીને ખુલ્લા કરશે. સિક્યુરિટી 24 કલાક એક જગ્યાએ ઉભી હોય એવું શક્ય ન બનેઃ કુલપતિઆ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ભરત રામાનુજએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે, એ આપણા સૌ માટે ગંભીર બાબત છે. આવું ન થવું જોઈએ. એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય જ્યાં નિયમિત અવરજવરની વ્યવસ્થા ન રહેતી હોય. 24 કલાકની અંદર સિક્યુરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં અમે એની કાળજી રાખીશું. ‘હવે આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું’મને માહિતી મળી છે કે, કોઈ જગ્યા એ કોઈ વિદ્યાર્થી સ્કૂટર ઉપર બેઠો હશે અને એક યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા. એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ બનવા જોગ છે અને બન્યું પણ હોય અને સાચી વાત પણ હોય. પણ કોઈ આવીને આ કેમ્પસની અંદર સ્કૂટર લઈને બેઠું હોય તો નજર પણ ન હોય, સિક્યુરિટીનું ધ્યાન પણ ન હોય. આમ છતાં જેવી જ આ ખબર પડી, એટલે અમે તાત્કાલિક તે આખો વિસ્તારમાં સાફ-સફાઈ થાય અને સિક્યુરિટીને કડક ધ્યાન રાખવાની સૂચના તાત્કાલિક આપી દીધી છે. ફરીવાર યુનિવર્સિટીનો જે કંઈ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સિક્યુરિટી વધારી અને આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:28 pm

ભાદરોલી ગ્રામજનોએ મનરેગા કામોના આરોપો નકાર્યા:કોંગ્રેસના નેતાઓ પર પંચાયતને બદનામ કરવાનો આક્ષેપ

કાલોલ તાલુકાના ભાદરોલી ગામના ગ્રામજનોએ મનરેગા યોજના હેઠળ થયેલા કામો અંગેના આરોપોને નકારી કાઢ્યા છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગામમાં થયેલા તમામ કામો સ્થળ પર ૧૦૦ ટકા પૂર્ણ થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી અને શૈલેષભાઈ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને કામો સ્થળ પર ન થયા હોવા અને ખોટા બિલ ઉપાડી લેવાયા હોવાના કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઉપલી કક્ષાએથી આવેલી ટીમે આ કામોની તપાસ કરી લીધી છે અને પંચાયતને ક્લીનચીટ પણ મળી ચૂકી છે. તમામ કામો યોગ્ય રીતે પૂર્ણ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ગામમાં અત્યાર સુધી સારો વિકાસ થયો છે અને સરપંચ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પંચાયતની જૂની અદાવત રાખીને પંચાયત અને ભાજપના આગેવાનોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ભાદરોલી ગામના મેઘરાજસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:25 pm

બોટાદના તુરખામાં ઘર્ષણનો મામલો:વધુ બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું; ધરપકડનો આંક છએ પહોંચ્યો

બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓની આ ઘટનામાં શું ભૂમિકા હતી તે અંગે પોલીસે વિગતવાર માહિતી મેળવી હતી. આ હુમલો 15 જાન્યુઆરીના રોજ થયો હતો, જેનો મૂળ કારણ 12 જાન્યુઆરીએ એક સગીરાને ભગાડી જવા અંગે પરિવારે કરેલી ફરિયાદની દાઝ હતી. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં 13 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સહિત કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં દાખલ હતો. આજે વધુ બે આરોપીઓની ધરપકડ થતા, 15 આરોપીઓ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:16 pm

બાલાસર પોલીસે 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટ આપ્યા:મહિલા સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. બાલાસરના પીએસઆઈ વી.એ. ઝા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોઢમે ઉપસ્થિત મહિલાઓને સશક્તિકરણ અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કર્યા હતા. તેમને વિવિધ સાયબર ફ્રોડ અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ટુ-વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે 300 જેટલા બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએસઆઈ વી.એ. ઝા, વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડો. અનંત હોંગલ અને સંયોજક ડો. સંજય પટેલ સહિત બાલાસર પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:06 pm

ચાર અને એક વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદ-ધ્રાંગધ્રાથી પકડ્યા

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજુભાઈ ગાંડાજી પરમાર (રહે. દેવનંદન એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ)ને નરોડા આઈકોન રીંગરોડ, અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની કાયદેસરની કાર્યવાહી બાદ સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ફીરોજશા સલીમશા ફકીર (રહે. જૂની મોચીવાડા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રાના દિલ્હી દરવાજા પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:04 pm

પોરબંદરમાં કરોડોની જમીન છેતરપિંડીનો પર્દાફાશ:કૌટુંબિક વિવાદનો લાભ લઈ આરોપીઓએ કૌભાંડ આચર્યું

પોરબંદરના ખાપટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નાયરા પેટ્રોલ પંપની પાછળ રહેતા રાંભીબેન વેજા કાના ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પતિના દાદાની રાતડા સીમ, ખાપટ ગામે આવેલી ૨૫ વીઘા જમીનના હિસ્સા બાબતે પતિ અને તેમના બે ભાઈઓ વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો લાભ ઉઠાવી આરોપી લાખા અરજન કેશવાલાએ ફરિયાદીના પતિનો વિશ્વાસ કેળવી તેમના હિસ્સાની જમીન પરત અપાવવાની લાલચ આપી સહીઓ મેળવી લીધી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, જમીનની માપણી વખતે આરોપીઓ રાજો મેર, વજશી આલાભાઈ ઓડેદરા ઉર્ફે વજશીમામા અને ઈબ્રાહીમ લાખાની હાજરીમાં ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. ફરિયાદીના પતિને ૩.૫ વીઘા જમીન મળ્યા બાદ, તેમની જાણ બહાર અને સહમતી વિના ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ જમીન રૂ. ૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજારની કિંમતમાં કિશોર હાજાભાઈ આંત્રોલીયા અને આયુષ વિરમભાઈ કારાવદરાને વેચી દેવામાં આવી હતી. જમીન વેચાયા બાદ, તેનો કબજો કિશોર આંત્રોલીયા, આયુષ કારાવદરા અને દિલીપ હરભમભાઈ રાણાવાયાને સોંપવા માટે ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જમીન વેચાણની કુલ રકમમાંથી ફરિયાદીના પતિના બેન્ક ખાતામાં માત્ર રૂ. ૫૪,૯૪,૯૯૯ જમા કરાવવામાં આવ્યા હતા. બાકીની મોટી રકમ આરોપીઓએ પોતાના હિસ્સામાં વહેંચી લીધી હોવાનો આક્ષેપ છે. આરોપી લાખા કેશવાલાએ ફરિયાદીના પતિના ખાતામાંથી રૂ. ૨૬.૫૦ લાખ ચેક દ્વારા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા, તેમજ અન્ય રકમ ATM મારફતે ઉપાડી લીધી હતી. વધુમાં, ફરિયાદમાં જણાવાયું છે કે જમીનના માલિક ન હોવા છતાં, આરોપી લાખા કેશવાલાએ નોટરી સમક્ષ ખોટું લખાણ કરી રૂ. ૩૦ લાખની રકમ મેળવી હતી. આ લખાણમાં દિલીપ રાણાવાયા અને ઈબ્રાહીમ લાખાએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ સમગ્ર કિસ્સામાં તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પતિ અને તેમના પરિવાર સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે દસ્તાવેજો, બેન્ક ટ્રાન્ઝેક્શન્સ અને આરોપીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:53 pm

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી:મંદિરના વિકાસ માટે ટિકિટો વેચી, 606 વિનરને 5 દિવસે થયાં છતાં કંઈ ન મળ્યું, એક કરોડથી વધુની છેતરપિંડી બાદ આયોજક ફરાર

હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા પર આવેલા મામાદેવ મંદિરના વિકાસ માટે આ ઇનામી ડ્રોનું આયોજન કરાયું હતું. ગત તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ મામાદેવ મંદિર ખાતે આ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોની ટિકિટો વિશુભાઈ રાજપુત (મામાદેવના ભુવા), મેહુલભાઈ આચાર્ય, ક્રિપાલસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, અર્જુનસિંહ ટાંક, યશપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ ડોડીયા અને જશુભા ડોડીયા સહિતનાઓએ બહાર પાડી હતી. ડુંગરપર ગામના રમેશભાઈ સોમાભાઇને 11 લાખનું ઇનામ લાગ્યું હોવા છતાં તેમને કંઈ મળ્યું નથી. આ જ રીતે અન્ય 605 વિજેતાઓને પણ તેમના ઇનામો કે રોકડ રકમ આપવામાં આવી નથી. સાપકડા ગામના રતભાઈ ભરવાડના ભત્રીજાને 2.51 લાખનું ઇનામ લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે ડ્રોમાં 40,000 સુધીની સિરીઝના નંબર જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આયોજકોએ અંદાજે 40,000 ટિકિટો વેચી હતી. એક ટિકિટનો દર 299 રૂપિયા હતો, જેથી આયોજકોએ લોકો પાસેથી અંદાજે 1.20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણમાંથી વધેલી રકમનો ઉપયોગ મંદિરના વિકાસ અને સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે. જોકે, ડ્રો થયાના બીજા દિવસથી જ આયોજકોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવે છે અને તેઓ ગુમ થઈ ગયા છે. આ ઘટનાને કારણે લોકોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની લાગણી પ્રવર્તી રહી છે, અને આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં છેતરપિંડીનો ભોગ બનેલ હળવદના રહેવાસી મહેશભાઇ કુપેણીયા સહિતના લોકોના કહેવા મુજબ ધર્મ અને સેવાકીય કામ કરવાના બહાને ઇનામી ડ્રો ની ટિકિટો બહાર પાડવામાં આવી હતી. જેથી ધર્મનું કામ કરે છે તેવું સમજીને લોકોએ એક નહીં પરંતુ 20 થી 25 જેટલી ટિકિટો આયોજકો પાસેથી ખરીદી કરી હતી અને ઇનામી ડ્રો થયા બાદ પીડીએફમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પછી જુદી જુદી વસ્તુઓના વિજેતાઓને આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ ઇનામી ડ્રો પૂરો થયા બાદ આયોજક વિશુભાઈ રાજપુતનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે. અને હાલમાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગતો નથી જેથી ટિકિટ ખરીદનારાઓ તેમજ જે લોકોને ઈનામી ડ્રોમાં ઇનામ લાગેલ છે તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ છે. જેથી આ મામલો ભવિષ્યમાં પોલીસ મથક સુધી પહોંચે તો નવાઈ નથી. મોરબી જિલ્લામાં મામાધણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ ઇનામી ડ્રો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર પણ આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. અને જે રીતે ડ્રો સમયે 40,000 જેટલા નંબર સુધીની ટિકિટ બોક્સમાં નાખવામાં આવી હતી તે જોતાં આયોજકો દ્વારા 1.20 કરોડ રૂપિયા ભેગા કરીને વિજેતા બનેલા લોકો કશું જ આપવામાં આવ્યું નથી અને મંદિરનો પણ વિકાસ કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલ લોકો દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ થયેલ નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:44 pm