4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ. આજે વાત એક એવી કેન્સર વોરિયર મહિલાની કે જેને બ્રેસ્ટ કેન્સરને હરાવી સામાન્ય જીવન જીવી રહ્યા છે. ISROમાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત રિંકુ અગ્રવાલે કેન્સરને હરાવ્યા બાદ ઈસરોના ચંદ્રયાન-3 મિશન સહિતના પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છે. કેન્સરને કઈ રીતે માત આપી તે અંગે રિંકુ અગ્રવાલે ભાસ્કર સાથે વાતચીત કરી હતી. કેન્સર બીમારીથી પીડાતી હજારો મહિલા માટે પ્રેરણાસ્ત્રોત બન્યાબ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડીને પણ પોતાના સપનાઓને જીવંત રાખનાર અને ભારતના ગૌરવરૂપ અંતરિક્ષ મિશન ચંદ્રયાન-3 પર કામ કરનાર ISROની વૈજ્ઞાનિક રિંકુ અગ્રવાલ આજે હજારો મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની છે. અમદાવાદ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં સિનિયર સાયન્ટિસ્ટ/એન્જિનિયર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે કાર્યરત 50 વર્ષીય રિંકુ અગ્રવાલ બ્રેસ્ટ કેન્સર સર્વાઈવર છે. કેન્સરની લડાઈ શરૂ થયી ત્યારે કીમોથેરાપી શું છે એ ખબર પણ નહોતી, એટલું ખબર હતું કે લોકોના કીમોથેરાપીથી માથાના વાળ જતા રહે છે. એમણે જણવ્યું કે જયારે પહેલો કીમોની ડોઝ લીધી ત્યારે આખું શરીર તૂટી ગયું હતું ,એવું લાગે કે હવે સહન નહિ થયી શકે. 21 દિવસ માં થી સાત દિવસ તો જાને કટોકટી ના હોઈ પણ બાકી ના 14 દિવસ માં કીમોની અસર થોડી ઓછી થયી યતી હતી એટલે એ ઓફિસે જતા અને બાળકોન નું પણ ધ્યાન રાખી શકતા હતા . મનોમન નક્કી કર્યું કે મારે મારા બાળકો માટે જીવવું છે- રિંકુ અગ્રવાલઆખા સફર એમણે ઘણા ફિઝિકલ અને મેન્ટલ ચેલેન્જ અનુભવ્યા હતા. શરીર ના દુખાવા થી આગળ શું થશે એની ચિંતા થી ડર લાગતું હતું . પણ ડૉક્ટરોએ ઘણો સપોર્ટ કર્યો અને એમને હોસલો આપ્યો કે સારવાર પછી એ પહેલાની જેમ જિંદગી જીવી શકશે. હોસ્પિટલમાં વહેલા નિદાન અંગેના એક કાર્યક્રમ દરમિયાન રિંકુ અગ્રવાલે પોતાની કહાની શેર કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમને કેન્સર હોવાની ખબર પડી ત્યારે તેમનો પહેલો પ્રશ્ન ISROના ડૉક્ટરને એ જ હતો કે શું કીમોથેરાપી લેવી પડશે? કારણ કે તેમને ખબર હતી કે તેનાથી વાળ જશે. એમના માટે વાળ બહુ લાગણીનો વિષય હતો એટલે એ અરીસો પણ જોતા ન હતા. તેમણે મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ કેન્સરને હરાવીને જ રહેશે. 'ટ્વિન્સ બાળકો 6 વર્ષના હતા ત્યારે કેન્સરની જાણ થઈ'તેમના નિદાનની વાત કરીએ તો, ત્રણ વર્ષ સુધી તેમણે હોર્મોન થેરાપી લીધી હતી અને 2007માં જોડકા બાળકોને જન્મ આપ્યો હતો. જૂન 2013માં, જ્યારે તેમના બાળકો માત્ર છ વર્ષના હતા, ત્યારે બંને બાળકો એમના હાથ ઉપર ઊંઘતા હતા આને એમને દુખાવો થયો એટલે લાગ્યું કે બાળકોના સુવા થી હશે. પરંતુ જ્યારે તકલીફ વધી, ત્યારે તેમણે ડૉક્ટરની સલાહ લીધી. ISROના ઇન-હાઉસ ડૉક્ટરોએ મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવાની સલાહ આપી, ત્યારબાદ અમદાવાદની હોસ્પિટલમાં તપાસ દરમિયાન બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું. આ સમાચાર તેમના માટે આઘાતજનક હતા, પરંતુ તેમણે મક્કમ સંકલ્પ કર્યો કે, મારે મારા બાળકો માટે જીવવું છે અને સાજા થવું છે. કેનસરને હરાવ્યા બાદ રિંકુ અગ્રવાલ ફરી એક વખત પોતાના કામમાં સંપૂર્ણ રીતે જોડાઈ ગયા. તેમણે ચંદ્રયાન-3 મિશન ઉપરાંત અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને NISAR જેવા અત્યંત મહત્વપૂર્ણ મિશનોના હાર્ડવેર વિભાગ પર કામ કર્યું. આજે તેઓ માત્ર વૈજ્ઞાનિક જ નહીં, પરંતુ TEDx સ્પીકર અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ માટેના સક્રિય હિમાયતી પણ છે. લોકોએ સાવચેત રહી રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ- તબીબરિંકુ અગ્રવાલની સારવાર કરનાર અપોલ હોસ્પિટલના ડોક્ટર ડૉ. અનઘા ઝોપે, લીડ કન્સલ્ટન્ટ, સ્તન તથા ઑન્કોપ્લાસ્ટિક સર્જને પણ જણાવ્યું હતું કે, દેશમાં વર્ષ 2024 માં લગભગ 2,43,905 નવા કેસ કેન્સરના નોંધાયા હતા. જેમાંથી લગભગ 1,02,377 લોકોના મોત થયા હતા. (2025 ના આંકડા હજી આવેલ નથી) ડૉ. અનઘા ઝોપે વધુમાં જણાવ્યું હતું કે, સૌથી વધુ કેન્સર બ્રેસ્ટ કેન્સર હોય છે તેથી કેન્સરનું સૌથી વધુ પ્રમાણ મહિલાઓમાં જોવા મળતું હોય છે. બ્રેસ્ટ કેન્સરમાં દુખાવો ન થતો હોવાથી કોઈ તેને તપાસ કરાવવા માટે જતું નથી. અને જ્યારે જાય ત્યારે તેનું સ્ટેજ વધી ગયું હોવાથી અઘરું પડી જતું હોય છે. દરેક કેન્સરમાં તેની સારવાર થયા બાદ પણ તેને ફરીથી કેન્સર થવાની શક્યતા વધુ હોય છે એટલે લોકોએ સાવચેત રહીને રેગ્યુલર ચેક અપ કરાવવું જ જોઈએ.
વલસાડ અતુલ કોલોનીમાં લૂંટ:સિક્યુરિટી ઓફિસર પર હુમલો કરાયો, LCBએ બે આરોપીઓને ઝડપી પાડ્યા, ત્રીજો ફરાર
વલસાડના અતુલ લિમિટેડ કંપનીની રિવર સાઈડ-1 કોલોનીમાં 30 જાન્યુઆરીની મધ્યરાત્રિએ લૂંટનો બનાવ બન્યો હતો. બંધ મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી ભાગી રહેલા ત્રણ લૂંટારુઓને પકડવા જતા કંપનીના સિક્યુરિટી વિભાગના સિનિયર એક્ઝિક્યુટિવ અમિતકુમાર પાંડે પર લાકડાના ફટકા વડે ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેમને માથામાં ગંભીર ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. વલસાડ LCB પોલીસે ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 30 જાન્યુઆરીની રાત્રે અમિતકુમાર પાંડે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન રિવર સાઈડ-1 કોલોનીમાં રહેતા નિવૃત્ત કર્મચારી ત્રિલોક કુમાર કસવાલાના બંધ મકાનનું તાળું તોડી ત્રણ અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. લૂંટારુઓએ ઘરમાંથી ₹15,000 રોકડા અને આશરે 7 ગ્રામ વજનનું ₹33,500 કિંમતનું સોનાનું મંગળસૂત્ર મળી કુલ ₹39,000ની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ટીમને જાળી કાપવાનો અવાજ સંભળાતા અમિતકુમાર અને અન્ય ગાર્ડ્સે લૂંટારુઓનો પીછો કર્યો. નદી કિનારે ઝાડીઓ પાસે એક લૂંટારુને પકડવાના પ્રયાસ દરમિયાન બીજા લૂંટારુએ પાછળથી આવી લાકડાના દંડાથી અમિતકુમારના માથા પર ફટકો માર્યો. આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઇજા અને ડાબા હાથની હથેળીમાં ફ્રેક્ચર થયું. અન્ય ગાર્ડ્સને પણ ઇજાઓ પહોંચાડી આરોપીઓ અંધારાનો લાભ લઈ ફેન્સિંગ કૂદી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ LCB ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા. ધરપકડ થયેલા આરોપીઓમાં કૃષ્ણદેવ ઉર્ફે કિશન પ્રકાશ મૌર્ય (રહે. થાણે, મૂળ ઉત્તર પ્રદેશ) અને કમલેશ ઉર્ફે કમલા ફોજદાર ચૌહાણ (રહે. મુંબઈ, મૂળ ઉત્તર પ્રદેશ)નો સમાવેશ થાય છે. બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ત્રીજા ફરાર આરોપીની શોધખોળ માટે આગળની તપાસ ચલાવી રહી છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે નારાજગી: ખેડૂતોએ કહ્યું- 'સરકારે ટ્રમ્પ સામે ઘૂંટણ ટેકવી દીધા'
India-US Trade Deal Controversy: ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સમજૂતી (Trade Deal) બાદ દેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને સરકાર અર્થતંત્ર માટે 'ગેમ-ચેન્જર' ગણાવી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂત સંગઠનોએ તેને ખેતી અને ડેરી સેક્ટર માટે વિનાશક ગણાવી વિરોધ પ્રદર્શિત કર્યો છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ: 'અમેરિકન સામ્રાજ્યવાદ સામે ઝૂકી સરકાર' 2020-21ના ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરનારા સંયુક્ત કિસાન મોરચા (SKM) એ આ સોદાની આકરી ટીકા કરી છે. સંગઠનનો દાવો છે કે અમેરિકન વસ્તુઓ પર ઝીરો ટકા આયાત ડ્યુટીની મંજૂરી આપીને સરકારે સ્થાનિક ખેડૂતોના હિતોને જોખમમાં મૂક્યા છે.
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા અને ફોર્મ નંબર-7 (મતદારનું નામ કાઢી નાખવા અંગેની અરજી) ને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલે વલસાડ કલેક્ટર કચેરી બહાર મીડિયા સાથે વાત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે લોકોના મતાધિકાર છીનવી લેવાનું સુનિયોજિત કાવતરું રચાઈ રહ્યું છે. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે વાંસદામાં મુસ્લિમ સમાજના અંદાજે 500 થી 600 આગેવાનો આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ ત્યાંના પ્રાંત અધિકારીએ આવેદનપત્ર લેવાની પણ ના પાડી દીધી હતી. તેમણે આ વહીવટને સદંતર આપખુદશાહી ગણાવ્યો હતો. પટેલે વધુમાં આક્ષેપ કર્યો કે, ભાજપ દ્વારા લોકોના મત ચોરવાનું અથવા તેમને મતદાનના અધિકારથી વંચિત રાખવાનું કાવતરું ચાલી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં 18 વર્ષની ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે, તેમ છતાં જન્મનો દાખલો કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવા છતાં અન્ય બિનજરૂરી દસ્તાવેજો માંગીને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમણે પારદર્શિતાના અભાવ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો. અનંત પટેલે કહ્યું કે, ફોર્મ નંબર-7 હેઠળ કોણે વાંધા અરજીઓ કરી છે, તેનું લિસ્ટ આપવામાં પણ તંત્ર ગભરાઈ રહ્યું છે. આ મામલે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિમાંશુ સોલંકીએ વહીવટી તંત્રનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વલસાડ જિલ્લામાં ફોર્મ નંબર-7 ની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે ચાલી રહી છે. તંત્ર દ્વારા અપાયેલી વિગતો મુજબ, અત્યાર સુધીમાં 3016 જેટલા ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કુલ 2,85,966 નોટિસ જનરેટ કરવામાં આવી હતી, જેમાંથી 2,53,431 નોટિસ મતદારોને પહોંચાડવામાં આવી છે અને તેમની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ ખાતરી આપી હતી કે કાયદાકીય જોગવાઈઓ અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચના નિર્દેશ મુજબ 13 પ્રકારના માન્ય પુરાવાઓના આધારે મતદાર યાદીમાં નામ દાખલ કે સુધારાની પ્રક્રિયા થાય છે. કોઈપણ સાચા મતદારનું નામ યાદીમાંથી બાકાત ન રહી જાય તે માટે તંત્ર પ્રતિબદ્ધ છે. અનંત પટેલે ચીમકી ઉચ્ચારી છે કે મુસ્લિમ, આદિવાસી અને અન્ય કચડાયેલા વર્ગના લોકો, જેઓ વર્ષોથી ગુજરાતમાં વસે છે પણ તેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે, તેમના ન્યાય માટે આગામી દિવસોમાં કલેક્ટરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપવામાં આવશે.
પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં શબ-એ-બરાતના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા (SP) હરેશ દુધાત અને તેમની ટીમ દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારો સહિત વિવિધ ભાગોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ સજ્જશબ-એ-બરાત દરમિયાન મુસ્લિમ સમાજના લોકો રાતભર જાગીને ખુદાની ઇબાદત કરતા હોય છે. આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી હરેશ દુધાત અને DySP બિંદ્રાબા જાડેજાની આગેવાનીમાં પોલન બજાર જેવા મુખ્ય વિસ્તારોમાં પોલીસ કાફલાએ ચક્રાવાવો લગાવ્યો હતો. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિકોમાં સુરક્ષાનો ભાવ જગાડવાનો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે જોવાનો હતો. કોમી એકતાનું ઉદાહરણઆ ફૂટ પેટ્રોલિંગની ખાસિયત એ રહી હતી કે તેમાં પોલીસ અધિકારીઓ સાથે મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા. પોલીસ અને પ્રજા વચ્ચેનો આ સમન્વય ગોધરામાં કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સ્થાનિકો સાથે સંવાદપેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક રહીશો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. અધિકારીઓએ પર્વની ગરિમા જળવાઈ રહે અને શાંતિ જળવાય તે રીતે ઉજવણી કરવા માટે જરૂરી સૂચનો આપ્યા હતા. પોલીસના આ આયોજનને સ્થાનિકોએ પણ આવકાર્યું હતું.
રાજ્ય સરકારની આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવાની છે, જેમાં રાજ્યભરના વિકાસ કામોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને હજુ અધૂરા રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા અને જૂના બજેટમાં મંજૂર થયેલી ગ્રાન્ટના ઉપયોગ અંગે ઊંડાણપૂર્વક સમીક્ષા થશે. બેઠક દરમિયાન અગાઉના બજેટની અમલવારી, વિવિધ વિભાગોમાં ખર્ચની સ્થિતિ તેમજ આગામી નવા બજેટ માટેના પ્રસ્તાવો અંગે વિગતવાર ચર્ચા થવાની છે. આ સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા નાણાં વિભાગ સાથે વિશેષ પરામર્શ પણ યોજાશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા વિકાસલક્ષી યોજનાઓને ગતિ આપવા માટે મુખ્યમંત્રી તમામ વિભાગોને સ્પષ્ટ દિશાનિર્દેશ આપશે. પ્રાથમિક સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, વીજળી અને અન્ય આવશ્યક સેવાઓના કામો નક્કી કરેલી સમયમર્યાદામાં પૂર્ણ કરવા પર ખાસ ભાર મુકવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થવાની છે. શાંતિ, સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં અંગે પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યમાં મહાનગર પાલિકાઓનું અને સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી વર્ષ 2026-27નું બજેટ રજૂ થવાનું છે. સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવશે. અંદાજિત 16 હજાર કરોડની આસપાસનું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીના વર્ષનાં બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં નવા 8 જેટલા બ્રિજ બનાવવામાં આવશે. ખાસ કરીને કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને શહેરમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા ઉપર વધુ બજેટ ફાળવવામાં આવશે. ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજની જાહેરાત કરાશેમ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રજૂ કરનારા બજેટમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ફ્લાય ઓવર અને રેલવે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવશે. ત્રણ જેટલા ફ્લાય ઓવરબ્રિજ અને પાંચ જેટલા રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે, ત્યારે હેરિટેજ વારસાની જાળવણી કરવાની હોવાથી હેરિટેજ માટે પણ અલગથી બજેટ ફાળવવામાં આવશે જેમાં હેરિટેજ સ્થળોના નવીનીકરણ સાથે અનેક જાહેરાત થઈ શકે છે. શહેરમાં વધતા જતા એર પોલ્યુશનને ધ્યાનમાં રાખીને પણ હવા પ્રદુષણ નિયંત્રિત કરવા પાછળ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકેએપ્રિલ 2026માં મહાનગરપાલિકાની ચૂંટણી હોવાના પગલે બજેટમાં કરવેરામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. શહેરીજનો માટે નવા વિસ્તારોમાં બજેટની વધુ ફાળવણી કરવામાં આવશે. નવા વિસ્તારોમાં પાણીની લાઈન, ડ્રેનેજ લાઈનો, વરસાદી પાણીના નિકાલની લાઈન, નવા ગાર્ડન, મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નવા રોડ સહિતની સુવિધાઓની ફૂલ ગુલાબી બજેટની જાહેરાત કમિશનર દ્વારા થશે. ચાલુ વર્ષે ચૂંટણી હોવાના કારણે નાગરિકો માટે કમિશનર દ્વારા બજેટમાં અનેક મોટી જાહેરાતો થઈ શકે છે જેમાં એક અઠવાડિયા બાદ ભાજપના સત્તાધીશો ચૂંટણીને ધ્યાનમાં રાખી પોતાની નવી સુવિધાઓના ઉમેરા સાથે બજેટને મંજૂરી આપશે.
લોકવાયકા છે કે જ્યારે મહિષાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રણેય લોક ધ્રૂજી ઉઠ્યા હતા. દેવોની રક્ષા કાજે આદ્યશક્તિ અંબા પ્રગટ થયા. ભગવાન શિવે પોતાના ત્રિશૂળમાંથી એક દિવ્ય અંશ કાઢી માતાજીને અર્પણ કર્યો. અને એ જ અમોઘ શસ્ત્રથી જગતજનની મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો. લોકવાયકા મુજબ વધ કર્યા બાદ માતાએ તે દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું. જે આજે પણ અડીખમ છે. ત્યારે હવે એ જ દિવ્યતાનો સાક્ષાત્કાર માઇભક્તોને મા અંબાના ધામ અંબાજી ખાતે થશે. તાજેતરમાં જ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું છે. જેને આગામી 7 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દર્શન માટે ખુલ્લુ મુકાશે. આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશૂળ 18 ફૂટ ઊંચું છે અને સ્વયંભૂ છે. લોકવાયકા મુજબ મહિષાસુરનો વધ કરીને મહિષાસુર મર્દિની માં અંબાએ તે જગ્યા પર ત્રિશૂળ પ્રસ્થાપિત કર્યું હતું. તેનો અંત ક્યાં છે અને તે શેમાંથી બનેલું છે તે પણ કોઈને ખ્યાલ નથી. આવું અદભૂત ત્રિશૂળ ક્યાંય પણ પ્રસ્થાપિત નથી થયું. આ ત્રિશૂળને એવું જ આબેહૂબ ત્રિશૂળ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. સાથે જ આધ્યાત્મિક મર્યાદાને ધ્યાને લઇ અંબાજીના ત્રિશૂળની ઊંચાઈ 16 ફૂટ રાખી છે. કારણ કે શાસ્ત્રોની મર્યાદા મુજબ મુખ્ય ત્રિશૂળ છે તેનાથી ક્યારેય મોટા ન થવાય, એટલે તેની માન-મર્યાદા જળવાય તે માટે 2 ફૂટ ઓછી ઊંચાઈ રાખાઇ છે. આ ત્રિશૂળના ઉપરના ભાગમાં ત્રણ શૂલ છે. આ શાકંભરી નવરાત્રિના મહિમાને પણ જોડે છે. તેમાં દાંતરડાનો ભાગ છે, માતાજીની તલવાર છે અને પરશુરામનો ફરસો પણ છે. એટલે કે આમાં એવું કોઈ શસ્ત્ર નથી જે નથી. આ શિવના ત્રિશૂળમાંથી નીકળેલું હોવાથી બધા જ શસ્ત્રોનો આમાં સમાવેશ થઈ જાય છે. ત્રિશૂળનું નિર્માણ અત્યંત જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને ચાર ભાગમાં કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે અમદાવાદના વટવા GIDC સ્થિત અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીના 25 કુશળ માણસોએ સતત ચાર મહિના સુધી રાત-દિવસ અથાગ મહેનત કરી હતી.જેની ડિઝાઇન કેનેડામાં આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરતા વિવેક પટેલે 5 દિવસમાં તૈયાર કરી છે. ત્રિશૂળનું મહાત્મય અને આયુષ્ય જળવાઈ રહે તે માટે તેને ખાસ એસ.એસ. 316 મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ હાઈ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ હોવાને કારણે તેના પર આજીવન ક્યારેય કાટ લાગવાની સંભાવના નથી. ભવ્ય અને દિવ્ય ત્રિશૂળના માઇભક્તો દર્શન કરી શકે તે માટે ટૂંક સમયમાં જ તેને ખુલ્લુ મુકાશે. ત્યારે આ અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તે વિચારને સાકાર કરવા માટે જય ભોલે ગ્રુપ તરફથી શું શું કરવામાં આવ્યું તે જાણવા દિવ્ય ભાસ્કરે જય ભોલે ગ્રુપના દીપેશ પટેલ સાથે વાતચીત કરી હતી. દીપેશ પટેલ કહે છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં મેં ઉત્તરકાશીમાં માતા જગદંબા પાસે અખંડ શક્તિ ત્રિશૂળ જોયું હતું. ત્યારે મનમાં થયું હતું કે ખરેખર આને જ ત્રિશૂળ કહેવાય. મેં કુતૂહલવશ ત્યાંના મહારાજને મળીને ત્રિશૂળ વિશે જાણ્યું હતું. ત્યારે મહારાજ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ભગવાન શંકરે માં જગદંબાને મહિષાસુરનો વધ કરવા માટે આ ત્રિશૂળ આપ્યું હતું. જે 1500 વર્ષ જૂનું છે. ‘મેં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે અંબાજી ત્રિશૂળિયા ઘાટ ખાતે ત્રિશૂળની સ્થાપના કરવાની વાત કરી હતી. મંજૂરી મળતાં જ અમારી ટીમ 2જી સપ્ટેમ્બરના રોજ ઉત્તરકાશી ગઈ હતી અને ત્યાં સ્કેનરથી અખંડ શક્તિ ત્રિશૂળ સ્કેન કરી તેની રેપ્લિકા તૈયાર કરી. ’ ‘આબેહૂબ બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો’ ‘પરંતુ તેમાં સફળતા ન મળી એટલે મેં કેનેડામાં રહેતો મારો પુત્ર વિવેક જે આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરી રહ્યો છે, તેને વાત કરી હતી. તેણે સતત પાંચ દિવસ મહેનત કરીને આબેહૂબ ડિઝાઇન તૈયાર કરી દીધી. આ ડિઝાઇનના આધારે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં આવેલી અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીમાં 25 લોકોની ટીમે કામ શરૂ કર્યું હતું. સતત ચાર મહિના સુધી મહેનત કરીને આ ત્રિશૂળ તૈયાર કરવામાં આવ્યું હતું.ઉત્તરકાશીના ત્રિશૂળની તેની આબેહૂબ રેપ્લિકા બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને પેટર્ન ક્રિએટ કર્યા.’ તેઓ વધુમાં જણાવે છે કે સ્ટ્રક્ચરની ડિઝાઇન મુજબ તેનું વજન આશરે 600 કિલો રાખ્યું છે. 16 ફૂટ ઊંચાઈ હોવાથી તેને કુલ ચાર ભાગમાં વેલ્ડિંગ કરીને બનાવવું પડ્યું છે. 16 ફૂટની ઊંચાઈ ધરાવતું આખું ત્રિશૂળ એકસાથે કાસ્ટ કરવું શક્ય નહોતું. તેથી અમે તેને ચાર અલગ-અલગ ભાગમાં તેની પેટર્ન બનાવીને પછી મશીનિંગ અને વેલ્ડિંગ દ્વારા જોડ્યું છે. ‘બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે’ ‘તેની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય પણ વેલ્ડિંગ દેખાશે નહીં. પૂરેપૂરું મશીનિંગ કરીને પ્રોપર રીતે અખંડ શક્તિ ત્રિશૂળ એક જ ભાગમાં હોય તેમ બનાવવામાં આવ્યું છે. નીચેનો બેઝ મોટો અને મજબૂત છે કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઊંચાઈ પર જાય ત્યારે નીચેનો બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે છે.’ 'આખેઆખું ત્રિશૂળ એસ.એસ. 316 મટીરીયલથી બનેલું છે, જે સ્ટેનલેસ સ્ટીલ હોવાથી તેના પર ક્યારેય કાટ લાગશે નહીં. અમે લાઈફ ટાઈમ ટકી રહે તેવું મટીરીયલ યુઝ કર્યું છે. તેને પી.વી.ડી. (PVD) કોટિંગ કહે છે, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. સ્ટેનલેસ સ્ટીલ પર ગોલ્ડન લુક આપવા માટે કિંમતી ઘડિયાળોમાં જેવું કોટિંગ થાય છે તેવું જ અહીં કરવામાં આવ્યું છે. તેને 20-25 વર્ષ સુધી કંઇ જ થતું નથી.' અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપિત ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપનાનો વિચાર કેવી રીતે આવ્યો આ અંગે તેમણે કહ્યું કે અમે શૃંગેરી મઠના શંકરાચાર્યજી પાસે ગયા હતા ત્યારે તેમણે પણ પૂછ્યું હતું કે અહીં જ કેમ? અમે તેમને સમજાવ્યું હતું કે ત્રિશૂળિયા ઘાટ પર ત્રિશૂળ નથી અને ત્યાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. લોકોની સુખાકારી વધે અને અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી તેમણે અમને પૂજનના અક્ષત (ચોખા) આપ્યા હતા, જે મૂકીને અમે કામ શરૂ કર્યું હતું. ‘ત્રિશૂળ બનાવ્યા પછી કલેક્ટરે ઉદ્ઘાટન કર્યું અને પાંચ દિવસ સુધી ભક્તોને દર્શન કરાવાયા હતા. ત્યારબાદ 26મી જાન્યુઆરીએ તેને આઇસર ગાડીમાં ત્રિશૂળિયા ઘાટ પર લઈ જવામાં આવ્યું. અને ક્રેઈનની મદદથી માત્ર 10થી 15 મિનિટમાં તેને ફાઉન્ડેશન પર પ્રસ્થાપિત કરી દીધું હતું.’ અમદાવાદમાં વટવા ખાતે દર્શન કરવા માટે મૂકાયેલા ત્રિશૂળની બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીન પટેલે પૂજા વિધિ કરી હતી. આ ત્રિશૂળને અંબાજીના ત્રિશૂળિયા ઘાટ ખાતે સ્થાપિત કરાયું છે અને 7મી તારીખે દર્શન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવશે. વટવા ખાતે દર્શનાર્થે આવેલા બનાસકાંઠા જિલ્લાના કલેકટર મિહિર પટેલે આ કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે, પાલનપુર અને દાંતાના રસ્તે આવતો પવિત્ર ત્રિશૂળિયા ઘાટ પગપાળા આવતા માઈભક્તો માટે ઘણો દુર્ગમ રહ્યો છે. અહીં અકસ્માતોની અડચણો આવતી હોય છે. આ સ્થળની વિશેષતા જાળવવા ઉત્તરકાશીમાં સ્થિત 1500 વર્ષથી વધુ જૂના ત્રિશૂળની પ્રતિકૃતિ અહીં પ્રસ્થાપિત કરવાનો વિચાર જય ભોલે ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આ 16 ફૂટનું ત્રિશૂળ અંબાજી શક્તિપીઠમાં શક્તિ ઉપાસકો માટે આસ્થાનું વધુ એક કેન્દ્ર બનશે. આ ગ્રુપ અંબાજી ટ્રસ્ટ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલું છે. વડાપ્રધાનના હસ્તે સ્થાપિત શ્રી યંત્ર બાદ આ તેમનું બીજું મોટું અને પ્રશંસનીય કાર્ય છે. ‘ત્રિશૂળની સ્થાપનાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે’ વટવા ખાતે દર્શનાર્થે આવેલા અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે જણાવ્યું હતું કે, આજે જ્યારે ટેકનોલોજી અને મોબાઈલનો યુગ છે, ત્યારે અંબાજીના ગૌરવશાળી ઇતિહાસ અને મહિષાસુર મર્દિનીની કથાને લોકો સુધી પહોંચાડવામાં આ નવીન પ્રકલ્પ મહત્વનો સાબિત થશે. જે સ્થળ અગાઉ 'અકસ્માત ઝોન' તરીકે જાણીતું હતું, ત્યાં હવે આ દિવ્ય ત્રિશૂળની સ્થાપના થવાથી તે એક પવિત્ર દર્શનના સ્થળ તરીકે ઉભરી આવશે. ‘અમે દરેક માઈભક્તોને આમંત્રણ આપીએ છીએ’ દીપેશભાઈ પટેલે અંતમાં ભાવુક થઈને જણાવ્યું કે અમે માતાજીનું આ કાર્ય ગ્રહો, નક્ષત્રો અને મુહૂર્તને આધીન જ કર્યું છે. જે રીતે આપણે ગાડી પણ મુહૂર્તમાં લઈએ તેમ આ પવિત્ર કાર્યમાં પણ નક્ષત્રોનું ધ્યાન રાખ્યું છે. જે ભક્તો ઉત્તરકાશી જઈ શક્યા નથી, તેમને હવે અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર તે જ શક્તિશૂળના દર્શનની અનુભૂતિ થશે. દરેકને પાપમાંથી મુક્તિ મળે અને આના દર્શન કરવાથી પુણ્યમાં વધારો થાય તેવા ભાવ સાથે અમે દરેક માઈભક્તોને આમંત્રણ આપીએ છીએ.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે વાંચ્યું કે રાજકોટના રૈયા ગામ નજીક એક યુવકનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. જો કે પોલીસને શંકા હતી કે મૃતકની બાઇકને એક જીપચાલકે જાણી જોઈને ટક્કર મારી હોઈ શકે છે. સાંજ સુધીમાં પોલીસને ખબર પડી કે અન્ય કોઈક પાસેથી જીપ માગીને નાનાભાઈ મુકેશનો અકસ્માત કરીને મોટાભાઈ રાજા ગુમ થઈ ગયો હતો. દીકરાઓના પિતા પણ પોલીસ સામે પૂરી વાત કહી નહોતા રહ્યા. એટલે પોલીસે હવે બીજા સોર્સથી તપાસ શરૂ કરી, આ સાથે જ આરોપી રાજાને શોધવા માટે પણ અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ આદરી. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો.) હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસ બપોર પછીથી રાજાને શોધી રહી હતી. સગા ભાઈને હત્યાને અકસ્માતમાં ખપાવવાની તેના પર શંકા હતી. ઘટનાસ્થળે જીપ થોડીને તે નાસી છૂટ્યો હતો. એટલે પોલીસે શક્ય હોય એટલા પ્રયાસ કરીને બને એટલી ઝડપે રાજાને શોધી કાઢવા માટેના પ્રયાસ ચાલુ કર્યા હતા. મોડી રાત થઈ ગઈ હતી. પીઆઈ ઝાલા પેટ્રોલીંગ માટે જીપમાં બેસવાની તૈયારીમાં જ હતા ત્યાં જ તેમના મોબાઈલની રિંગ વાગી. ફોન મદદનીશ યોગરાજસિંહનો હતો. કોલ રિસિવ કરતા જ સામેથી યોગરાજસિંહનો ઉત્સાહભર્યો અવાજ સંભળાયો, સાહેબ, માછલી જાળમાં ફસાઈ ગઈ છે. રાજાને અમે ઉઠાવી લીધો છે પીઆઈ તરત પાછા વળ્યા અને જીપમાંથી ઉતરીને પોતાની ચેમ્બરમાં પહોંચ્યા. થોડી જ વારમાં રાજા રોજાસરાને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. આરોપીના ચહેરા પર ગભરાટ હતો. પણ હજુ જાણે તે ઘણું છૂપાવવાના પ્રયાસમાં હોય એમ મૌન સાધીને બેઠો હતો. પોલીસના સવાલના જવાબમા રાજાએ રડમસ અવાજે પોતાની નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા. બોલ્યો, સાહેબ મેં કઈ નથી કર્યું. હું તો સવારનો વાડીએ હતો. મારા ભાઈના એક્સિડન્ટની ખબર પડી ત્યારે તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પણ પોલીસ અધિકારીઓને ખબર હતી કે રાજા સફેદ જુઠ બોલી રહ્યો છે. તેની વાતો સાંભળીને પીઆઈ ઝાલા ગુસ્સે થઈ ગયા. તેમણે કડક અવાજે અને રાજાની આંખોમાં આંખ પરોવીને કહ્યું, તું જૂઠું બોલવાનું છોડી દે. એ જીપ તારા પરિચિતની છે અને સવારથી તારી પાસે હતી એના પુરાવા અમારી પાસે છે. હવે બોલ, તે તારા ભાઈને કેમ માર્યો? હવે રાજાને ખ્યાલ આવી ગયો કે પોલીસ ઘણું બધુ જાણે છે. તે થથરી ગયો. થોડીવાર સુધી ચૂપ રહ્યો. પોલીસ તેના હાવભાવ પર બરાબર નજર રાખી રહી હતી. થોડીવાર પછી રાજા બોલ્યો, સાહેબ, હું જીપ લઈને જતો હતો અને અચાનક મુકેશ આડો આવ્યો. એટલે ગાડી એના પર ચડી ગઈ. સાહેબ, હું મારા સગા ભાઈને થોડો મારું?, હું ડરી ગયો હતો એટલે ત્યાંથી નાસી છૂટ્યો. રાજાની જ્યારે ધરપકડ થઈ ત્યારે તેની પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. એક તરફ પોલીસ સ્ટેશનમાં રાજાની પૂછપરછ ચાલી રહી હતી, બીજી તરફ હેડ કોન્સ્ટેબલ યોગરાજસિંહ રાજાનો મોબાઈલ ચેક કરી રહ્યા હતા. તેમણે કોલ લોગ્સ જોયા. સવારથી અનેક ફોન થયા હતા. ફોનની ચકાસણી કરતા ખબર પડી કે રાજાના મોબાઇલમાં ઓટો કોલ રેકોર્ડિંગ એપ્લિકેશન છે. યોગરાજસિંહના એકદમ સતર્ક થઈ ગયા. તેમણે એક બાદ એક કોલ રેકોર્ડિંગ સાંભળવાનું શરૂ કર્યું. અકસ્માતના સમયની આસપાસના રેકોર્ડિંગ્સ સાંભળતા જ તેમના ભવાં ઊંચા થઈ ગયા.એક રેકોર્ડિંગમાં રાજાનો હાંફતો અવાજ સંભળાયો. યોગરાજસિંહે તરત જ પીઆઈ ઝાલા પાસે દોડ્યા. બોલ્યા, સાહેબ આ સાંભળો. હવે કોઈ સાક્ષીની જરૂર નથી. પીઆઈ ઝાલાએ હાથમાં ફોન લીધો અને કોલ રેકોર્ડિંગનું પ્લેન બટન ટચ કર્યું. રેકોર્ડિંગમાં રાજા કોઈની સાથે વાત કરી રહ્યો હતો… મેં લઘરાને ઠોકી દીધો છે... પૂરું કરી નાખ્યું એનું કામ. હવે હું શું કરું? ક્યાં જાઉં? રેકોર્ડિંગ પૂરું થતા જ ચેમ્બરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. પીઆઈ ઝાલાએ રાજાની સામે જોયું અને ફરીથી ફોનનું સ્પીકર ચાલુ કરીને એ જ રેકોર્ડિંગ વગાડ્યું. પોતાનો જ અવાજ સાંભળીને રાજાના હોશ ઉડી ગયા. તેને સમજાયું કે હવે તે ફસાઈ ગયો છે. રાજાએ બે હાથે માથું પકડી લીધું અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. હા સાહેબ... મેં જ એને માર્યો છે. મેં જ મુકેશને જીપ નીચે કચડી નાખ્યો છે. રાજાએ ડૂસકા ભરતા કબૂલાત કરી લીધી. હત્યાનો ભેદ તો ઉકેલાઈ ગયો હતો પણ સવાલ હજુ એ જ હતો કે જે ભાઈ સાથે લોહીનો સંબંધ હતો, જેની સાથે એક જ થાળીમાં જમ્યા હતા, સાથે રમતા મોટા થયા એ જ ભાઈનો જીવ લેવા પાછળ રાજાની એવી તો શું મજબૂરી કે નફરત હતી? અડધી રાત્રે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાજા હવે કોઈ રીઢા ગુનેગારની માફક નહીં પણ પસ્તાવાની આગમાં સળગતા એક લાચાર માણસની જેમ બેઠો હતો. તેને લાગ્યું કે હવે હકીકત છુપાવવાનો કોઈ અર્થ નથી. હૈયાનો ભાર હળવો કરવા તેણે બોલવાનું શરૂ કર્યું. સાહેબ, દુનિયાને એમ લાગે છે કે અમે ભાઈઓ જમીન કે પૈસા માટે લડ્યા હોઈશું, પણ ના... અમારે ભાઈ ભાગ કે મિલકતનો કોઈ જ ડખો નહોતો. અમે તો હળીમળીને રહેતા હતા. પણ મારા નસીબમાં જ કંઈક અલગ રીતે લખાયેલા છે., આટલું બોલીને રાજાએ ઊંડો શ્વાસ લીધો. થોડીવાર પછી તેણે આગળ ઉમેર્યું, મારા લગ્નજીવનમાં ઝેર ઘોળાયું હતું એને હું ચૂપ રહીને સહન કરતો હતો. પણ લઘરાએ... મુકેશે મારી જિંદગીની ખરાબી કરી નાખી. બસ એ જ વાતનું મને માઠું લાગી ગયું અને નહોતું કરવાનું એ હું કરી બેઠો. રાજા ક્યારનોય બોલી રહ્યો હતો. પરંતુ તેણે જે પણ વાત કહી એ પોલીસકર્મીઓના મગજમાં પૂરતી બેસે એવી ન હતી. આરોપીની ગોળગોળ વાતોથી કંટાળેલા પોલીસકર્મીઓની ધીરજ ખૂટી. પીઆઈ ઝાલાએ ટેબલ પર હાથ પછાડ્યો. તેમને આવી અસ્પષ્ટ વાતોમાં રસ નહોતો. એટલે બોલ્યા, રાજા… આ ગોળગોળ વાતો બંધ કર. સીધેસીધું બોલ કે અસલ ડખો શું હતો? લગ્નજીવનમાં એવી તે શું સમસ્યા હતી કે તેં સગા ભાઈનો જીવ લઈ લીધો? રાજાએ માથું નીચું કરી લીધું. કોઈની સાથે આંખ મિલાવવાની હિંમત તેનામાં રહી ન હતી. તેણે ધ્રૂજતા અવાજે અસલ હકીકત જણાવી... સાહેબ, મારી પત્ની વાસંતીને નજીકની વાડીમાં રહેતા એક યુવક સાથે આડાસંબંધો હતા. મને આ વાતની ખબર હતી. હું બધું જાણતો હતો. પણ ઘરની આબરૂ જશે અને સંસાર તૂટી જશે એ બીકે હું આંખ આડા કાન કરતો હતો. હું એને વારંવાર સમજાવતો પણ એ માનતી નહોતી. રાજાએ આગળ કહ્યું, ગામમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. લોકો આંગળી ચીંધતા હતા. મુકેશ મારો નાનો ભાઈ ખરો… અને એના માટે વાસંતી મા સમાન હતી. જ્યારે મુકેશને ખબર પડી કે તેની ભાભી આડા રસ્તે ચડી છે અને મોટો ભાઈ બધું જાણવા છતાં મૌન છે ત્યારે તેને ગુસ્સો આવ્યો હતો. મુકેશ આ સહન કરી શક્યો નહીં. તેને લાગ્યું કે જો અત્યારે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આખું ખાનદાન સમાજમાં મોઢું બતાવવા જેવું નહીં રહે. મુકેશે મનોમન નક્કી કરી લીધું કે હવે વડીલોને જાણ કરવી જ પડશે. 23 મે, 2017ના રોજ રાજકોટમાં મુકેશના પરિવારમાં લગ્ન હતા. એટલે ચોટીલાથી પણ ઘણા બધા લોકો આવ્યા હતા. મુકેશના ભાભીના ચરિત્રની વાત વડીલો સુધી પહોંચાડવાની આ તક યોગ્ય લાગી. તેણે નક્કી કર્યું કે આ વાત બીજા કોઈને નહીં તો મારા પિતાને જો કરવી જ છે, જેથી તેઓ પણ મોટા દીકરા અને પુત્રવધૂને ઠપકો આવે અને ઘરની વાત ઘરમાં રહે. કઠણ કાળજું કરીને મુકેશ તેના પિતા મોહનભાઇ પાસે ગયો અને પછી માંડીને બધી વાત કરી દીધી. તે બોલ્યો, બાપુ, ભાભી આડા રસ્તે જઈ રહ્યા છે. ગામમાં વાતો થાય છે. રાજાભાઈ બધું જુએ છે પણ કંઈ કહેતા નથી. તમે કાં તો રાજાને સમજાવો અથવા ભાભીને કંઈક કહો, નહીંતર આપણા માટે ગામમાં રહેવું મુશ્કેલ થઈ પડશે. આપણી આબરૂના લીરેલીરા ઊડી જશે. મુકેશે આ નિર્ણય પરિવારના હિતમાં લીધો હતો પણ એના પડઘાં અપેક્ષા કરતા વિપરિત પડ્યાં. પત્નીનું જે રહસ્ય રાજા દબાવીને બેઠો હતો તેને મુકેશે પિતા સામે ઉઘાડું પાડી દીધું હતું. મુકેશ અને તેના પિતા વચ્ચે થયેલી વાતચીતે જાણે કે ક્યારથીયે શાંત પડેલા જ્વાળામુખીને સળગાવી દીધો હતો. નાના દીકરાની વાત સાંભળીને પિતા મોહનભાઈનું હૈયું દ્રવી ઉઠ્યું. સમાજમાં આબરૂ જશે એ બીકે તેમણે ગુસ્સામાં આવીને મોટા દીકરા રાજાને ફોન જોડ્યો. “રાજા, આ હું શું સાંભળું છું? વહુના ચારિત્ર્ય વિશે જે વાતો સંભળાય છે એમાં શું દમ છે?”, પિતાના સવાલનું શું જવાબ આપવો એ રાજાને સમજાયું નહીં. રાજાના કાનમાં જાણે ગરમ તેલ રેડાયું હોય એવો તેને અનુભવ થયો. એ પણ ગુસ્સામાં આવી ગયો. માંડ ધૈર્ય રાખીને બોલ્યો, બાપુ… તમને આવી વાતો કોણે કરી? કોણ મારા ઘરના નળિયાં વિખે છે? પિતાએ જે બન્યું હતું એ કહી દીધું, મુકેશે મને બધી વાત કરી છે. એ કહેતો હતો કે તું બધું જાણવા છતાં ચૂપ છે. નાના ભાઈનું નામ સાંભળતા જ રાજાનો પીત્તો છટક્યો, રાખું છું અત્યારે, પછી વાત કરીશ. રાજાનો ગુસ્સો હવે જાણે કે સાતમા આસમાને પહોંચી ગયો હતો. ઘણા સમયથી પોતે પત્નીના કૃત્યો પર પડદો પાડવા પાડીને બેઠો હતો. એ પડદો તેના જ સગા ભાઈએ હટાવી દીધો હતો. એટલે રાજા માટે પત્ની પ્રત્યેના ગુસ્સા કરતા ભાઈ પ્રત્યેની નફરત વધી ગઈ. રાજા સીધો મુકેશના ઘરે પહોંચ્યો. ત્યાં મુકેશ અને તેની પત્ની મનુબેન હાજર હતા. રાજાનો ચહેરો ક્રોધથી લાલચોળ હતો. તેણે આક્રમક થઈને ધમકી આપતા કહ્યું, તમે લોકોએ બાપુજીને આવી વાતો કેમ કરી? મારી આબરૂ કાઢી નાખી ને? હવે જોઈ લેજો, હું પણ જોઈ લઈશ કે તમે કેવી રીતે સુખેથી રહો છો. નાના ભાઈ સામે ઉકળાટ ઠાલવ્યા બાદ પણ રાજાની ઊંઘ ઉડી ગઈ હતી. પત્ની વાસંતીને કંઈ કહેવાની તેની હિંમત નહોતી પણ મુકેશને સબક શીખવવાનું ઝનૂન તેના મનમાં સવાર થઈ ગયું હતું. દિવસો વિતતા ગયા. પણ તેના મનમાં ઉભરેલો ગુસ્સો હજુ સુધી શાંત થયો ન હતો. 5 જૂનની એ સવાર પડી. રાજાને ખબર હતી કે મુકેશ દરરોજ બાઈક લઈને વાડીએથી નીકળે છે. સવારના સમયે એ રસ્તો સાવ ભેંકાર ભાંસતો હોય છે, કોઈની અવરજવર હોતી નથી, એટલે “કામ પતાવવા” માટે યોગ્ય સ્થળ લાગ્યું. તેણે તરત જ એક પરિચિત પાસેથી જીપ માગી, બહાનું ધર્યું કે થોડું કામ છે, બહારગામ જવું છે. જીપ લઈને તે ઘરે આવ્યો અને પત્ની વાસંતીને કહ્યું, ચાલ, જીપમાં પાછળ બેસી જા, મારે તને ક્યાંક લઈ જવી છે. વાસંતી જીપમાં બેસી ગઈ. તેને અંદાજ પણ નહોતો કે તેનો પતિ આજે એક ભયાનક પાપ કરવા જઈ રહ્યો છે. રાજાએ જીપ રૈયા ગામ નજીક પરશુરામ મંદિર પાસે સૂમસામ કાચા રસ્તે એક ખૂણામાં ઉભી રાખી. વાસંતીએ પૂછ્યું, અહીં કેમ ઉભા રહ્યા છીએ? અહીં તો કોઈ નથી. રાજાએ સ્ટીયરિંગ પર હાથ ફેરવતા ટૂંકો જવાબ આપ્યો, બસ, થોડું કામ છે. તું બેસી રહે. પોતાના મનમાં ચાલી રહેલા ષડયંત્રનો અણસાર પણ આવવા ન દીધો. કારણ કે તેને ખબર હતી કે જો વાસંતી આ વાત જાણી જશે કે તેના દિયરની હત્યા કરવા જઈ રહ્યો છે તો તે કદાચ રોકી લેશે. રાજાની નજર સામેના વળાંક પર ટકેલી હતી. થોડી જ વારમાં બાઈકનો અવાજ સંભળાયો. રિઅરવ્યૂ મિરરમાં જોયું તો તે મુકેશ જ હતો. રાજા હવે એકદમ તૈયાર હતો. તેણે જીપનું એન્જિન ચાલુ કર્યું, પહેલા ગીયરમાં ગાડી નાખી અને એક્સિલરેટર પર પગ દબાવ્યો. મુકેશ જ્યારે જીપની બાજુમાંથી પસાર થયો ત્યારે તેણે જોયું કે મોટો ભાઈ જીપ લઈને ઉભો છે. પણ તેને એમ કે ભાઈ કોઈ કામથી ઉભા હશે, એટલે કંઈ પણ પૂછ્યા વગર તેણે પાણીના સંપ તરફ બાઈક વાળી દીધું. મુકેશ જેવો કાચા રસ્તે વળ્યો, રાજાની અંદરનો રાક્ષસ જાગી ઉઠ્યો. “આજે તારી જીભ કાયમ માટે શાંત કરી દઈશ., રાજાએ બબડાટ કર્યો અને જીપ ભગાવી. પળવારમાં જ જીપ મુકેશની બાઈકની સાવ નજીક પહોંચી ગઈ અને એક જોરદાર ટક્કર મારી દીધી. મુકેશ અને બાઈક જીપના આગલા ભાગમાં ફસાઈ ગઈ. રાજાએ બ્રેક મારવાને બદલે એક્સિલરેટર પર પગ દબાવી રાખ્યો. લોખંડ અને રોડ વચ્ચેના ઘર્ષણના અવાજમાં મુકેશની મરણચીસો જરાય ન સંભળાઈ. મુકેશ લગભગ 25 ફૂટ સુધી ઢસડાયો. અંતે બાઈકનું પાછલું ટાયર જીપના વ્હીલ નીચે આવી જતાં જીપ અટકી ગઈ. રાજા ઉતાવળે નીચે ઉતર્યો. પાછળ બેઠેલી વાસંતી તો સ્તબ્ધ થઈ ગઈ હતી. તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. રાજાએ તેને હાથ ખેંચીને નીચે ઉતારી અને પછી દોડવા લાગ્યો. પત્નીને ત્યાંથી ઘરે જવા રવાના કરી અને પોતે અલગ દિશામાં ભાગ્યો. નાસી છૂટ્યા પછી રાજાને ગભરામણ થવા લાગી. શું કરવું એ સુઝતું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે અંતે તેણે પત્નીના પ્રેમીને ફોન કર્યો. એ જ વ્યક્તિ, જેના કારણે આ આખી માથાકૂટ શરૂ થઈ હતી. મેં કામ પતાવી દીધું છે... જીપ ત્યાં જ મૂકીને નાસી છૂટ્યો છું. હવે હું ક્યાં જાઉં?, રાજા આટલું બોલતા ધ્રુજી ઉઠ્યો હતો. સામે છેડેથી પ્રેમીએ ઠંડા કલેજે સલાહ આપી, પોલીસ સ્ટેશન જતો રહે. હું માણસ મોકલું છું, તું અત્યારે ક્યાં છે? હું ભીખાબાપાની વાડી નજીક છુપાયો છું. મને લેવા બાઈક મોકલો, રાજાએ કરગરતા કહ્યું. તેને ખબર નહોતી કે તેના ફોનમાં ઓટો-રેકોર્ડિંગ એપ્લિકેશન કરતૂતની સાક્ષી બની રહી છે. જો કે રાજા પોલીસ સ્ટેશન ન ગયો અને સાંજ સુધી ભટકતો રહ્યો. પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. પોલીસે મુકેશના પત્ની મનુબેનની ફરિયાદ નોંધી. સગા જેઠ રાજા સામે હત્યાનો ગુનો દાખલ થયો. તપાસ દરમિયાન પોલીસને રાજાના મોબાઈલમાંથી મળેલી એ ઓડિયો ક્લિપ મજબૂત પુરવો સાબિત થઈ. પોલીસે વોઈસ સ્પેક્ટ્રોગ્રાફીનો રિપોર્ટ કઢાવ્યો અને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યો. રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસ દોઢેક વર્ષ ચાલ્યો. ભલે રાજાએ અકસ્માતની ઓથ લઈને બચવાનો પ્રયત્ન કર્યો પણ ફોરેન્સિક પુરાવા તેની વિરુદ્ધમાં હતા. રાજકોટ સેશન્સ કોર્ટે 16 સાક્ષી અને 46 પુરાવા ધ્યાને લીધા અને 23 જુલાઈ, 2024ના રોજ ચુદાકો સંભળાવ્યો. કોર્ટે રાજાને કલમ 302 એટલે કે હત્યાના કેસમાં નહીં પણ કલમ 304 હેઠળ બિનઇરાદે થયેલી હત્યામાં કસુરવાર ઠેરવ્યો. કોર્ટે રાજાને રોજાસરાને 10 વર્ષની સખત કેદ અને 10 હજાર રૂપિયા દંડની સજા ફટકારી.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી સાથે જોડાયેલા રહ્યા. કોર્ટે કહ્યું કે જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં છે. બીજા મોટા સમાચાર ભારત-US ડીલની અસરના રહ્યા. આના કારણે માર્કેટ વધ્યું અને રૂપિયો મજબૂત થયો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભાજપ અધ્યક્ષ નીતિન નબીન તેલંગાણાના મહેબૂબનગરમાં રેલી કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો:નરવણે પર આર્ટિકલ દેખાડ્યો, તો સ્પીકરે રોક્યા; પેપર ઉછાળનારા 8 વિપક્ષી સાંસદો સસ્પેન્ડ લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે હંગામો થયો. રાહુલે મંગળવારે બપોરે 2 વાગ્યે પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકના આર્ટિકલને સદનમાં રજૂ કર્યો અને કહ્યું- મને બોલવા દેવામાં આવે. તેમના આમ કહેતા જ NDAના સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેઓ 14 મિનિટ સુધી બોલવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાહુલે કહ્યું- 'મને પરવાનગી આપવામાં આવી રહી નથી. મને બોલવા દેવામાં નથી આવી રહ્યો. હું વિરોધ પક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. હું બસ જણાવી રહ્યો છું કે ચીન-ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા.' વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકી ટ્રેડ ડીલ પર સરકારનું પહેલું નિવેદન: કહ્યું- એન્જિનિયરિંગ, કાપડ અને જ્વેલરી ઉદ્યોગને ફાયદો; ટ્રમ્પનો આભાર, તેમણે દોસ્તીનું માન રાખ્યું અમેરિકા સાથેની ટ્રેડ ડીલ પર ભારત સરકારનું પહેલું નિવેદન આવ્યું છે. મંગળવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે મીડિયાને જણાવ્યું કે આ ડીલથી કોઈના હિતો સાથે સમાધાન કરવામાં આવ્યું નથી. બંને દેશો આ ડીલ પર ટૂંક સમયમાં સંયુક્ત નિવેદન બહાર પાડશે. આ એક એવી ડીલ છે, જેના પર દરેક ભારતીયને ગર્વ થશે. તેમણે કહ્યું કે PM મોદીએ હંમેશા કૃષિ અને ડેરી બંને ક્ષેત્રોને ટેકો આપ્યો છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે. જે લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં રોકાણ કરવા માગે છે, ખાસ કરીને એવા ક્ષેત્રો જેમાં વધુ મહેનત લાગે છે અને જે લાખો લોકોને રોજગાર આપે છે. બધા આનાથી ઉત્સાહિત છે. ગોયલે કહ્યું કે આ ડીલ કરવા બદલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર, તેમણે PM મોદીની મિત્રતાનું સન્માન કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર… 3. SCએ કહ્યું- જેમને બેટ પકડતા નથી આવડતું, તેઓ ક્રિકેટ સંઘમાં:રમતની ઓળખ માત્ર ખેલાડીઓથી; મહારાષ્ટ્ર એસોસિએશનની ચૂંટણી પરથી સ્ટે હટાવવાનો ઇનકાર સુપ્રીમ કોર્ટે ક્રિકેટ અને અન્ય રમતગમત સંઘોના સંચાલન પર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે રમતગમત સંસ્થાઓનું નેતૃત્વ એવા લોકોના હાથમાં હોવું જોઈએ, જેઓ રમતને સમજતા હોય. ક્રિકેટ સંઘોમાં નિવૃત્ત ક્રિકેટરોને સ્થાન મળવું જોઈએ, ન કે એવા લોકોને જેમને બેટ પકડતા પણ નથી આવડતું. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના તે આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો, જેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA)ની ચૂંટણી પર રોક લગાવવામાં આવી હતી. આ ચૂંટણી 6 જાન્યુઆરીએ યોજાવાની હતી, પરંતુ તેમાં ભાઈ-ભત્રીજાવાદ અને પક્ષપાતના આરોપો લાગ્યા હતા. CJIએ MCAમાં અચાનક સભ્યો વધવા પર સવાલ ઉઠાવ્યો સુનાવણી દરમિયાન CJIએ MCAની સભ્યપદમાં અચાનક થયેલા વધારા પર સવાલ ઉઠાવ્યો. કોર્ટે રેકોર્ડનો હવાલો આપતા કહ્યું કે 1986થી 2023 સુધી એસોસિએશનમાં 164 સભ્યો હતા, પરંતુ ત્યારબાદ અચાનક મોટી સંખ્યામાં નવા સભ્યો ઉમેરવામાં આવ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર… 4. યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા CM બનશે:ભાજપના ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા; રાષ્ટ્રપતિ શાસન 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના 13મા મુખ્યમંત્રી હશે. મંગળવારે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ભાજપના સૂત્રો અનુસાર, કુકી-જો સમુદાયને સંતુષ્ટ કરવા માટે 10 કુકી ધારાસભ્યોમાંથી એકને નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવી શકે છે. આ દરમિયાન મણિપુરના ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે નિયુક્ત કેન્દ્રીય નિરીક્ષકો તરુણ ચુગ, સંબિત પાત્રા અને મણિપુરના પૂર્વ સીએમ બીરેન સિંહ પણ હાજર રહ્યા હતા. મણિપુરથી NDAના લગભગ 20 ધારાસભ્યો રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા. જ્યારે અન્ય ધારાસભ્યો સોમવારે કેન્દ્રીય નેતૃત્વના નિર્દેશ પર રાજધાની પહોંચ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સેન્સેક્સમાં 2,073 પોઈન્ટની તેજી, કારણ-ટ્રમ્પે ટેરિફ ઘટાડ્યા:83,739 પર બંધ, નિફ્ટીમાં પણ 639 પોઈન્ટનો ઉછાળો; અદાણીના શેર 11% સુધી વધ્યા 3 ફેબ્રુઆરીના રોજ શેરબજારમાં તેજી રહી. સેન્સેક્સ 2073 પોઈન્ટ (2.54%) વધીને 83,739 પર બંધ થયો. નિફ્ટી પણ 639 પોઈન્ટ (2.55%) વધીને 25,728 પર બંધ થયો. ટ્રમ્પે ભારત પરના ટેરિફ 50% થી ઘટાડીને 18% કર્યા, જેના કારણે બજારમાં તેજી રહી. રિયલ્ટી, મેટલ અને ફાર્માસ્યુટિકલ શેરોમાં સૌથી વધુ ખરીદી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4.79% વધ્યો. સેન્સેક્સના 30 શેરમાંથી 28 શેરમાં તેજી રહી. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરો વધીને બંધ થયા. બજેટમાં સ્પેશિયલ ટેક્સ (STT) ટેક્સમાં વધારાની જાહેરાત થયા પછી 1 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 1,546 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. 2 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 943 પોઈન્ટ વધીને 81,666 પર બંધ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. યુવકને મોત આપ્યા બાદ પણ છરી-લાતો મારતો રહ્યો, CCTV:રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં ધોળા દિવસે છરીના 7 ઘા ઝીંકી ખૂની ખેલ, હત્યારો બાઇક પર ફરાર રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે એક લોહિયાળ હત્યાની ઘટના સામે આવી છે. આશરે 40થી 45 વર્ષની ઉંમરના એક યુવાનને છરીના અનેક ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ લાશ લોહીલુહાણ હાલતમાં જોવા મળી હતી, જેના કારણે આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યો શખસ યુવકને મારતો નજરે પડે છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : એર ઇન્ડિયા ડ્રીમલાઇનરના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ:ગઈકાલે લંડન-બેંગલુરુ વિમાનની સ્વીચ લોક થઈ રહી નહોતી; પ્લેનની ઉડાન પર પ્રતિબંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : રશિયાને ટ્રમ્પના દાવા પર વિશ્વાસ નથી:કહ્યું- ભારતે તેલની ખરીદી રોકવા અંગે કંઈ કહ્યું નથી, અમે ટ્રમ્પના નિવેદનનો અર્થ સમજી રહ્યા છીએ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ-પ્રિયંકા ખભે હાથ નાખીને સંસદ પહોંચ્યા:કોંગ્રેસના સાંસદે 'યાર' કહ્યું તો પીઠાધિકારી કૃષ્ણા પ્રસાદ ભડક્યા, વિપક્ષે બે વાર સ્પીકર પર કાગળો ફેંક્યા; મોમેન્ટ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નોર્વેની ક્રાઉન પ્રિન્સેસે જાતીય અપરાધીને સ્વીટહાર્ટ કહ્યું:એપસ્ટીન ફાઇલોમાં 1000 વખત નામ આવ્યું; દીકરો બળાત્કાર સહિત 38 કેસોમાં આરોપી વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી ફરી ચમકી, ત્રણ દી ભાવ ઘટ્યા પછી વધ્યા:કિલોએ 17,000નો વધારા સાથે 2.53 લાખ થયા, 4 લાખે પહોંચ્યા પછી જોરદાર કડાકો બોલ્યો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : T20 વર્લ્ડકપનો કેપ્ટન્સ ડે બે શહેરોમાં યોજાશે:મુંબઈમાં 12 અને કોલંબોમાં 8 ટીમના કેપ્ટન ભાગ લેશે, ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : હોળી પર દુર્લભ સંયોગ: ભદ્રા અને ચંદ્રગ્રહણ એકસાથે:ગ્રહણના 12 કલાક પહેલા સૂતક કાળ શરૂ; શુભ કાર્યો અને મંદિર દર્શન વર્જિત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગાય ખરીદવા ગયેલા શખ્સના જબરદસ્તી લગ્ન બિહારના ખગડિયામાં યુવકને ગાય ખરીદવાના બહાને બોલાવવામાં આવ્યો. ગામમાં પહોંચતા જ કેટલાક લોકોએ તેને બંધક બનાવી લીધો અને હથિયારના જોરે જબરદસ્તી લગ્ન કરાવી દીધા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય: પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા 2. મોદી જ નહીં, નહેરુના જમાનાથી સેના સાથે વિવાદ ચાલે છે: પૂર્વ એડમિરલે પુસ્તક લખ્યું ને રક્ષામંત્રીએ ખુરસી ગુમાવી; વાંચો નરવણેના પુસ્તક અને સરકાર-સેના વચ્ચેના તણાવના કિસ્સા 3. ‘બજરંગ દળથી પરિવાર ડર્યો, દીકરીની શાળા છૂટી’: મુસ્લિમ દુકાનદારને સપોર્ટ કરનારા ‘મોહમ્મદ દીપક’નું જિમ બંધ, બજરંગ દળે કહ્યું, ટાર્ગેટ પર છો 4. Editor's View: 32 મિનિટમાં જ અમેરિકા ઘૂંટણિયે: મોદી માટેના ટ્રમ્પના શબ્દો સાચા પડ્યા, એક ફોનમાં રાતોરાત ખેલ પડી ગયો, જાણો ટ્રેડ ડીલ અને તમારા નફા-નુકસાનની વાત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ: કર્ક રાશિનો દિવસ આર્થિક દૃષ્ટિએ ભાગ્યશાળી રહેશે, વૃશ્ચિક જાતકોના મિલકત સંબંધિત વિવાદો ઉકેલાશે વાંચો સંપૂર્ણ રાશિફળ
ઉત્તર ગુજરાતના 260થી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે આયોજિત ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સ્તરે પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવા સરપંચોને આહ્વાન કર્યું હતું. ગ્રામ વિકાસને દેશના વિકાસનો પાયો ગણાવી તેમણે વિકસિત ગ્રામથી વિકસિત ભારતની દિશામાં જોડવા અપીલ કરી હતી. ગાંધીનગર વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સંસદિય અભ્યાસ અને તાલીમ બ્યૂરોના ઉપક્રમે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમનો પ્રારંભ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી ના 260થી વધુ સરપંચોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે,ગામડાં દેશના વિકાસનો પાયો છે. અને સરપંચોએ સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રથી જનશક્તિને જોડવી જરૂરી છે.તેમણે જાહેરહિતના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન ચાલે તેમ સ્પષ્ટ કર્યું અને સેચ્યુરેશન એપ્રોચથી 100 ટકા લક્ષ્યાંક સાથે ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી. શંકર ચૌધરીએ ગ્રામસભામાં લોકભાગીદારી વધારવા અને ગ્રામ સચિવાલયના મંત્રને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચોને ગામડાની વિકાસ યાત્રામાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી સાથે કામ કરવાની અપીલ કરી હતી. તેમણે જાહેરહિતના કામોમાં બાંધછોડ નહીં ચાલે તે નિશ્ચિત કરવા, યુવાનોને જોડવા અને ટેક્નોલોજી દ્વારા સેવાઓ પહોંચાડવા જણાવ્યું હતું.અને સરપંચોને યોજનાઓનો લાભ ગામજનો સુધી પહોંચાડવાની જવાબદારી યાદ અપાવી.
મતદાર યાદી સુધારણા:હાલ ડોક્યુમેન્ટનહીં લેવાય,17 ફેબ્રુઆરીથી ફરી શરૂ
મતદાર યાદી સુધારણા કામગીરી હાલ મામલતદાર કચેરીમાં મતદારો માટે આટોપી લેવાઈ છે.અને સ્થાનિક તંત્ર મતદારયાદી પ્રસિદ્ધ કરવાની કામગીરીમાં લાગ્યું છે. 30 તારીખ બાદ વાંધા સૂચનો અને ડોક્યુમેન્ટ લેવાનું મામલતદાર કચેરી દ્વારા બંધ થયુ છે જે હવે 17 ફેબ્રુઆરીએ નવી મતદાર યાદી જાહેર થયા બાદ ફરી ડોક્યુમેન્ટ લેવાનું શરૂ કરાશે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના 7 હજાર લોકોને ફરી નોટિસો પાઠવી ચાર ફેબ્રુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી કામગીરી અંતર્ગત 30 તારીખ બાદ મામલતદાર કચેરી દ્વારા વાંધા સૂચનો તેમજ ડોક્યુમેન્ટ સ્વીકારવાની પ્રક્રિયા અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. હાલ મતદારો તરફથી રજૂ થતા દસ્તાવેજો લેવામાં આવતા નથી, જેને લઈને અનેક લોકોમાં ગૂંચવણ જોવા મળી રહી છે. શહેરના ઢુંઢિયાવાડી વિસ્તારમાંથી આવેલા એક સ્થાનિકે જણાવ્યું કે ડોક્યુમેન્ટ્સ મળતા નહોતા એટલે જમા કરાવવામાં વિલંબ થયો છે. આજે જ્યારે અહીં મામલતદાર કચેરીમાં.. અનુસંધાન પાન-3
ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા:વરઘોડામાં ફટાકડાના અવાજથી ઘોડો બેકાબૂ બનતાં વરરાજા નીચે પટકાયા
બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વરઘોડા દરમિયાન ફટાકડાના અવાજથી ઘોડો ભડકતા વરરાજા નીચે પટકાયા હતા. જેમને આંતરડાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઓપરેશન કરવાની ફરજ પડી હતી આ ઘટનાને પગલે લગ્ન પણ મોકૂફ રાખવામાં આવ્યા હતા. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં ધામધૂમથી લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. વરરાજા પરંપરાગત સાફા અને શેરવાની પહેરીને ઘોડે ચડીને જાન લઈને નીકળ્યા હતા. ઢોલ-નગારાના તાલે સંબંધીઓ નાચી રહ્યા હતા અને ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાના જોરદાર અવાજથી ઘોડો અચાનક ભડક્યો હતો. ઘોડાએ છલાંગ લગાવતા વરરાજા સંતુલન ગુમાવી બેઠા હતા અને સીધા નીચે પટકાયા હતા. વરરાજાને પેટના ભાગે સખત દુખાવો ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પટકાવાને કારણે આંતરડામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે આંતરિક રક્તસ્ત્રાવ થવાની ભીતિ હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાથી જે ઘરમાં ગીતો ગવાતા હતા અને મહેમાનોની ચહેલપહેલ હતી, ત્યાં હવે સન્નાટો વ્યાપી ગયો છે. જાન લઈને નીકળવાની તૈયારીઓ વચ્ચે વરરાજા હોસ્પિટલના બિછાને પહોંચતા પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. કન્યા પક્ષે પણ સમાચાર મળતા શોકનું મોજું ફરી વળ્યું હતું. બંને પક્ષોની સહમતીથી હાલ લગ્નની તમામ વિધિઓ અટકાવી દેવામાં આવી છે.
3 વર્ષમાં બનાસકાંઠા તથા વાવ-થરાદ જિલ્લાઓમાંથી 28,290 કેન્સરના દર્દીઓએ સરકારી આરોગ્ય કાર્ડ હેઠળ સારવાર લીધી હોવાનું સત્તાવાર ક્લેમ ડેટા પરથી સામે આવ્યું છે. આ સારવાર માટે સરકાર દ્વારા પાલનપુર, મહેસાણા અને અમદાવાદની વિવિધ કેન્સર હોસ્પિટલને કુલ 50.66 કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. પાલનપુર જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી વિગતો અનુસાર વર્ષ 2024માં બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 11,513 દર્દીઓ નોંધાયા હતા. પાલનપુર મહેસાણા અને અમદાવાદમાં સારવાર દરમિયાન 21.36 કરોડ રૂપિયા ચૂકવાયા છે. જ્યારે 2023માં 9,318 દર્દીઓએ કેન્સરની સારવાર લીધી હતી. જે માટે સરકારે ખાનગી હોસ્પિલોને 16.44 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. 2025માં 5,024 કેસ સામે 8.82 કરોડ, જ્યારે છેલ્લા 2 મહિનામાં જ 2,435 દર્દીઓ માટે 4.01 કરોડ રૂપિયા ખર્ચાયા છે. કુલ મળીને ત્રણ વર્ષમાં 28,290 દર્દીઓ કેન્સરના નોંધાયા છે. જેની સામે સરકાર પર 50.66 કરોડ રૂપિયાનો ભાર પડ્યો છે.આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે કેટલીક ખાનગી વીમા કંપનીઓ કેન્સર માટે અલગ કાર્ડ કે પોલિસી વેચીને લોકો પાસેથી રકમ વસૂલતી હોવાની હકીકત સામે આવી રહી છે. જ્યારે બીજી તરફ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આયુષ્માન યોજના હેઠળના કાર્ડમાં જાહેર આરોગ્ય યોજનાઓમાં કેન્સર સહિતની ગંભીર બીમારીઓનો સમાવેશ પહેલેથી જ કરવામાં આવ્યો છે. જાણકારીના અભાવે ઘણા લોકો ખાનગી કંપનીઓના લોભામણા વચનોમાં આવી બેવડો ખર્ચ કરે છે.
બસમાં અંતરિક્ષ સિદ્ધિઓનું જીવંત પ્રદર્શન:ચંદ્રયાન, મંગળયાન સિસ્ટમની રેપ્લિકાએ આકર્ષણ જમાવ્યું
વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી) ગુજરાત યુનિટ અને ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO)ના સહયોગથી સ્પેસ ઑન વ્હીલ્સ’ નામનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ એક અત્યાધુનિક બસને ફરતા વિજ્ઞાન મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવી છે, જે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાનના દ્વાર ખોલશે. આ બસની અંદર પ્રવેશતા જ વિદ્યાર્થીઓને ભારતની ગૌરવશાળી સ્પેસ જર્ની જોવા મળે છે. જેમાં મિશન મોડલ્સ : ચંદ્રયાન, મંગળયાન અને ભવિષ્યના ગગનયાન મિશનના મોડલ્સ, રોકેટ ટેક્નોલોજી : GSLV, PSLV અને HRLV જેવા લોન્ચ વ્હિકલની પ્રતિકૃતિઓ. સેટેલાઈટ સિસ્ટમ: ભારતની પોતાની GPS સિસ્ટમ નાવિક અને પ્રથમ સંચાર ઉપગ્રહ એપલની માહિતી. જેમાં શિક્ષણ અને ઊર્જાનો સમન્વય કરાયો હતો. માત્ર સ્પેસ જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની ટોય-વાન પણ આ પ્રદર્શનનો ભાગ છે, જે રમકડાં દ્વારા શિક્ષણ (Play-way method) પૂરું પાડે છે. સાથોસાથ, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી (GEDA)ની બસ દ્વારા સોલાર એનર્જી અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતોના ઉપયોગ વિશે સમજણ આપી ઉર્જા બચતનો સંદેશ ફેલાવવામાં આવે છે. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જગાડવી અને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. ગ્રામ્ય સ્તરે જ્યાં સંસાધનોની અછત છે, ત્યાં આ લેબ ઓન વ્હીલ્સ વિજ્ઞાનને સુલભ બનાવી રહી છે.
વઢવાણની જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ આર.જે.દોશી સનરાઈઝ સ્કૂલ અને ગોવિંદસિંહજી રાણા હાઈસ્કૂલ ખાતે તા. 3 ફેબ્રુઆરી-2026ને મંગળવારે માતૃ- પિતૃ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારોનું સિંચન કરવાનો હતો. યોગ વેદાંત સમિતિના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની પ્રતીતિ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંદાજે 150 થી 200 જેટલા વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે શાસ્ત્રોક્ત વિધિ અને આદરપૂર્વક માતા-પિતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. અને એલકેજીથી ધો. 9 સુધીના 85થી વધુ વિદ્યાર્થીઓએ માતા- પિતાની પરિક્રમ કરી આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી હતી. શિસ્તબદ્ધ વ્યવસ્થા અને આધ્યાત્મિક વાતાવરણને કારણે કાર્યક્રમ ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. શાળા પરિવારે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો દ્રઢ બને છે. યોગ વેદાંત સમિતિના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સમગ્ર પંથકમાં બિરદાવવમાં આવ્યો હતો. વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવ્યા હાલ મોબાઇલ-ટીવી અને દોડધામ વાળી લોકોની જીંદગી થઇ ગઇ છે. ધંધો-રોજગાર અને જવાબદારી તેમજ સમયના અભાવે માતા-પિતા અને સંતાનો વચ્ચે અંતર વધી ગયુ છે. ત્યારે ઘરમાં બાળકો માટે સમય ફાળવી તેમજ માતૃ-પિતા વંદનાની દૈનિક પ્રક્રિયાથી આ અંતર દૂર થઇ શકે છે. આથી આ શાળામાં જ્યારે સંતાનોના હસ્તે સન્માન મેળવીને અનેક વાલીઓની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. માત્ર વાલીઓ જ નહીં, પણ હાજર રહેલા શિક્ષકગણ પણ આ ક્ષણો જોઈને ગદગદિત થઈ ગયા હતા.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:હળવદ APMC ચેરમેનના નામે 50થી વધુમતદારોના નામ કમી કરવા ફોર્મ-7 ભરાયું
ૉધ્રાંગધ્રાના નરાળી, નિમકનગરના 50થી વધુ લોકોના નામે ફોર્મ 7 ભરાયા તેઓ આબાબતથી સાવ અજાણ હતા. આ મામલે નરાળી સરપંચે ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશને દાેષિતો સામે કાર્યવાહીની માંગ કરી છે. જેમાં હળવદ ભાજપના કાર્યકર્તા અને એપીએસી ચેરમેનના નામજોગ ફોજદારી ગુનો નોંધવા અરજી આપી છે. આ અંગે નરાળી સરપંચ ત્રીકમભાઇ બળદેવભાઇ મુલાડીયાએ જણાવ્યું હતું કે, હળવદ ભાજપના રજનીભાઈ સંઘાણી અમારા નરાળી અને નિમકનગરના જે મારી સાઇનથી એક પણ ફોર્મ ભરાયું નથી મારી જવાબદારી 64 વિધાનસભાના બીએલએ-1ની છે. દરેક પાર્ટીના બીએલએ-1 હોય મારા હોદ્દા જોગ એમણે આપ્યું હોય હંુ થોડુ જમા કર્યુ હોય મારી સાઇનથી ફોર્મ ભર્યા હોય, મે કોઇના ફોર્મ રદ કરવા અરજી કરી નથી. જે અરજી થઇ તો જવાબદાર હોદા જોગ ફરીયાદ કરી હશે મારી સાઇનથી એકપણ ફોર્મ ભરવામાં આવ્યુ નથી. > રજનીભાઇ સાંઘાણી, ભાજપ કાર્યકર્તા વિપક્ષનો વિરોધ : અઠવાડિયામાં ફોર્મની સંખ્યા 23098 ઘટી 1472 થઇ ગઇજિલ્લામાં તા.23 જાન્યુઆરીની સ્થિતીએ 24570 ફોર્મ 7ની સંખ્યા હતી તે 31 જાન્યુઆરીએ 1472 થઇ ગઇ હતી. આમ અઠવાડિયામાં નામ કમી કરવાની ફોર્મ વિરોધ થતા 23098 ઘટી ગયા હતા. મતદાર યાદી વિશેષ સુધારણા પ્રક્રિયા દરમિયાન BLO દ્વારા ઘેર ઘેર જાતે સ્થળ તપાસ કરી રજૂ કરેલી ડ્રાફ્ટ યાદીમાંથી વાસ્તવિક મતદારોના નામો દૂર કરવા ફોર્મ 7માં હજારોની સંખ્યામાં આશરે 5000થી 10000 એકસાથે ભર્યા છે. આ મામલે દસાડા વિધાન સભા વિસ્તાર ઇઆરઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઇ સોલંકી, દસાડા વિધાનસભા બીએલએ વિક્રમભાઇ રબારી સહિત આગેવાનોએ ફરીયાદ નોંધવા માંગ કરી છે.
HCનો સવાલ:નોટિસ વગર કાર્યવાહી કેમ ? ઇન્ચાર્જ મામલતદાર વિરુદ્ધ તપાસની નોટિસ
ચોટીલા યાત્રાધામમાં નવગ્રહ મંદિરના ડિમોલિશનને લઈને શરૂ થયેલો વિવાદ હવે હાઈકોર્ટના ઉંબરે પહોંચ્યો છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આક્રમક દબાણ હટાવવાની ઝુંબેશમાં પક્ષપાત થયો હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે હાઈકોર્ટે ચોટીલાના ઇન્ચાર્જ મામલતદારની આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસે તંત્રની કાર્યશૈલી પર લાલ આંખ કરી હતી. અદાલતે પૂછ્યું હતું કે, પૂરતી નોટિસ આપ્યા વગર અને કાયદાકીય જોગવાઈઓનું પાલન કર્યા વિના શ્રદ્ધાના કેન્દ્ર સમાન મંદિર પર ડિમોલિશન કેમ કરવામાં આવ્યું? કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવી મામલતદારને જણાવ્યું ન્યાયિક પ્રક્રિયા પર પૂરો વિશ્વાસ છેવહીવટી તંત્ર સામે સવાલ કર્યો કે વહીવટી તંત્ર દ્વારા કામગીરીમાં બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે. ન્યાયીક પ્રક્રિયા પર અમને પુરો વિશ્વાસ છે. { મનસુખગિરિ ગોસાઈ, નવગ્રહ પૂજારી પરિવાર 9મી ફેબ્રુઆરીએ સરકારી વકીલ હાઇકોર્ટમાં સોગંદનામુ સબમીટ કરાવશેડિમોલીશન અંગે કરેલ કાર્યવાહીના તમામ ડોક્યુમેન્ટ સરકારી વકીલ મારફત હાઇકોર્ટમાં સબમીટ કરેલા છે. તે નોટીસમાં તારીખ લખવાની ભૂલ મામલતદાર દ્વારા થયેલ ધ્યાને આવતા તે અંગેનું કારકુની ભૂલ અંગેનું એફિડેવિટ સરકારી વકીલ હાઇકોર્ટમાં 9મી ફેબ્રુઆરીએ સોગંદનામુ સબમીટ કરવામાં આવશે. { એચ.ટી.મકવાણા, નાયબ કલેકટર ચોટીલા
હિંસક બનાવ:એક કેદીએ બીજા કેદી પર ધારદાર હથિયારથી કર્યો હુમલો, 6 ટાંકા આવ્યા
સુરેન્દ્રનગર સબજેલની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ઘટના સામે આવી છે. જેલની અંદર બેરક નં-3 માં રહેતા એક કેદીએ બીજા કેદીના ભત્રીજા પાસેથી રૂપિયા 5000ની દાદાગીરીથી માંગણી કરી હિંસક હુમલો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા સંજયભાઈ સીહોરા નામના કેદી પર આરોપીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા તેમને ગંભીર ઈજા પહોંચી છે. જેલની અંદર ધારદાર હથિયાર ક્યાંથી આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીટી એ ડિવિઝન પોલીસ મથકે સુરેન્દ્રનગર સબજેલના કેદી સંજયભાઇ નટવરભાઇ સીહોરાએ નોંધાવી હતી. જે મુજબ અમો હાઇ સુરેન્દ્રનગર સબજેલ બેરેક નંર 3માં કાચાકામના કેદી તરીકે જોરાવરનગર પોલીસ મથકના ગુનાના કામે એક મહિનાથી છું. તા.2-2-2026નારોજ સાંજે સવા ચાર આસપાસ સુરેન્દ્રનગર સબજેલમાં જેલબંધી ખુલ્લી હોવથી માર સગાદાદાનો દીકરો ભાઇ મુનાભાઇ ભુપતભાઇ શીહરા જેલના ગ્રાઉન્ડમાં બેઠા હતા. ત્યારબાદ અમો તથા મુનાભાઇ બેરેક 3માં પહોંચતા મારો ભત્રીજો રોહીત સામેથી મારી તરફ દોડતા આવતો હતો. અમે અજીતને ઝઘડા બાબતે પૂછતા અજીતે આવેશમાં આવીને તેમની પાસે રહેલ કોઇ ધારદાર વસ્તુથી હુમલો કરી ઝપાઝપી કરી બાદમાં મુનાભાઇ દીપકભાઇ તથા રોહીત હાજર હોઇ તેઓએ છોડાવ્યા હતા. જમણા હાથે કાંડા પર વાગ્યુ હોવાથી લોહી નીકળતા તાત્કાલીક જેલ સ્ટાફને જાણ કરી હતી. આથી પોલીસ જપ્તા સાથે સૌપ્રથમ ગાંધી હોસ્પિટલ લઇ જવાયા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટીબી હોસ્પિટલ રિફર કરાયા. જ્યાં જમણા કાંડા પર 6 ટાંકા આવ્યા હતા.
ભાસ્કર એક્સપર્ટ:સુરેન્દ્રનગરમાં જાન્યુઆરીમાં પારો 30 ડિગ્રીને પાર ફેબ્રુઆરીમાં પારો 33એ જશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસુ માવઠા બાદ લંબય બાદ ઠંડીનો પારો વધ્યો નથી. જાન્યુઆરીમાં ગરમીનું તાપમાન સતત વધ્યું છે. જેના કારણે જાન્યુઆરી મહત્તમ તાપમાન એવરેજ 30 ડિગ્રી ઉપર રહ્યું હતું. આથી 2026નો જાન્યુઆરી મહિનો 10 વર્ષમાં સૌથી વધુ ગરમ માસ બન્યો છે. આ વર્ષ જિલ્લામાં ચોમાસામાં પાછોતરું, ઓક્ટોબર નવેમ્બર માસમાં કમોસમી માવઠુ પડ્યું હતું. ત્યાર બાદ સતત ઠંડીનો પારો વધ્યો નથી. જેના કારણે નવેમ્બર ડિસેમ્બર માસ બાદ જાન્યુઆરી શરૂઆતથી જ તાપમાનનો પારો ઘટવાને બદલે સતત વધી રહ્યો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન એવરેજ મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું છે. ત્યારે 10 વર્ષની સાથે જો સરખામણી કરાય તો 2026નો જાન્યુઆરી મહિનો સૌથી ગરમ મહિનો રહેવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન જિલ્લાનું તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની આગાહી છે. આ મહિના દરમિયાન શરૂઆતના દિવસોમાં લઘુતમ તાપમાન 17થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31થી 33 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર બન્સથી ભેજ વધ્યું, શુષ્કતા ઘટતા ઠંડી વધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હાલમાં વાતાવરણના ઉપરના લેવલમાં ટર્ફની ભેજની સિસ્ટમ સક્રિય થઇ છે. જે અરબી સમુદ્ર થઇને ગુજરાત સુધી લંબાય છે. જેથી અરબી સમુદ્ર પરથી ભેજ ખેંચાઇને ગુજરાત તરફ આવતો હોવાથી વાતાવરણમાં ભેજ વધતા વાદળીયું વાતાવરણ સર્જાયું. જેના કારણે વાતાવરણમાં ઠંડીને જરૂરી એવી શુષ્કતા ઓછી થઇ અને ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઇ રહ્યો છે. { રમેશભાઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદાર
ભાસ્કર વિશેષ:સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડીના 160 બાળવિદ્વાને 315 સંસ્કૃત શ્લોક કંઠસ્થ કર્યા
આજના ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને સોશિયલ મીડિયાના યુગમાં જ્યારે બાળકો પુસ્તકોથી દૂર જઈ રહ્યા છે ત્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સંસ્કૃતિના જતન માટે એક ભગીરથ સંકલ્પ કર્યો હતો. ગત વર્ષે કરેલા સંકલ્પ મુજબ, સંસ્થાના હજારો બાળકોએ માત્ર એક વર્ષમાં કઠિન સંસ્કૃત શ્લોકો મોઢે કરી બતાવ્યા છે. સંસ્થા દ્વારા 3થી 13 વર્ષના બાળકોને ઓનલાઈન ટ્રેનિંગ અને રિવિઝન ક્લાસીસ દ્વારા બાળકોને તૈયાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિએ પણ આ સિદ્ધિને વિશ્વમાં અદ્વિતીય ગણાવી છે. મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગદીક્ષા ગ્રંથમાં 315 શ્લોકો દ્વારા સદાચાર, વ્યસનમુક્તિ, રાષ્ટ્રીય ભાવના અને આધ્યાત્મિક મૂલ્યોનું વર્ણન કરાયું છે. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોએ બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો, રિવિઝન ક્યારે, કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ આપી હતી. તે માટે ઓનલાઈન મિટિંગો અને ટ્રેનિંગ ક્લાસિસનું આયોજન કર્યું હતું. આ ગ્રંથનો મુખપાઠ કરનારા બાળકો માત્ર શ્લોક જ નહીં, પણ તેના અર્થ અને વર્ગીકરણ પણ મોઢે બોલી શકે છે. આ અભિયાનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં 3 વર્ષના ભૂલકાઓ પણ જોડાયા હતા. જે બાળકો હજુ લખી કે વાંચી શકતા નથી તેમણે માત્ર સાંભળીને આ શ્લોકો યાદ રાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના 160 બાળકે આ કઠિન કસોટી પાર કરી ગુરુહરીના રાજીપાની સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું સન્માન મેળવ્યું છે. આ સિદ્ધિ પાછળ સંસ્થાના સંતો અને કાર્યકરોની તાલીમ તેમજ વાલીઓની રાત-દિવસની મહેનત રહેલી છે. મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો, બાલિકાઓ જોડાયાઆ અભિયાનમાં સંસ્થાના સંતો અને કાર્યકરોની ટીમ દ્વારા વાલીઓ અને બાળકો માટે પ્રેરણા સભાઓ યોજાઇ હતી. દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સમા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ જીવનમૂલ્યો શીખ્યારહ્યા છે. ઉદઘોષ સભાઓ દ્વારા સત્સંગદીક્ષા ગ્રંથને લગતું તમામ સાહિત્ય વિવિધ માધ્યમો દ્વારા બાળકો સુધી પહોંચાડી હતી. આ આયોજનમાં નિઃસ્વાર્થભાવે જોડાયેલા સ્વયંસેવકોને બાળકોને મુખપાઠ કઈ રીતે કરાવવો.રીવીઝન ક્યારે કેટલું અને કેવી રીતે લેવું તેની વિસ્તૃત તાલીમ માટે ઓનલાઈન મિટિંગો, ટ્રેનિંગ કલાસીસનું આયોજન કર્યું હતું. આ મુખપાઠ યજ્ઞમાં 3 વર્ષથી 13 વર્ષ સુધીનાં બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. { ધર્મચિંતનસ્વામી કોઠારી સ્વામી, બીએપીએસ મંદિર સુરેન્દ્રનગર
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે કિમો થેરાલી સેન્ટર આવેલ છે.આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી કેન્સરનું કિમો થેરાપી સેન્ટર મોટાભાગના દર્દીઓ કામ લાગતું નથી.કેન્સરના દર્દીઓને દર ચાર માસે તબીબોને દેખાડવા બહારગામ જવું પડે છે અને કિમો થેરાપી અહીં લેવા આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી તેમજ આયુષ્યમાન કાર્ડ પણ અહીંથી બહારગામ ફેરવવામાં મુશ્કેલી પડે છે. સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે અલગ અલગ થીમ પર કેન્સર અંગે જાગૃતતા માટે વિવિધ કાર્યકમોનું આયોજન કરવામાં આવે છે.હાલ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત પોરબંદર જિલ્લામાં પણ કેન્સરના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.પોરબંદર જિલ્લામાં વ્યસનનું પ્રમાણમાં વધારો થયો છે જેથી હાલ આ વ્યસનને લઈને મોઢાનું કેન્સર તેમજ ગળાનું કેન્સરમાં વધારો થયો છે.કેન્સરના ટોટલ દર્દીઓમાંથી 80 ટકા દર્દીઓ આ બંને કેન્સર હોવાનું સામે આવ્યું છે.પોરબંદર જિલ્લામાં મહિલાઓમાં પણ સ્તન કેન્સરનું પ્રમાણ વધ્યું છે જિલ્લામાં મહિલાઓમાં સૌથી વધુ સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સરગ્રસ્ત દર્દીઓને તબીબી સહાય યોજના હેઠળ સહાય આપવામાં આવે છે જેમાં કુલ 679 કૅન્સરગ્રસ્ત દર્દીઓ નોંધાયેલ છે.પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે તા 11-10-2022માં ડે કેર કિમો થેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ આ સેન્ટરમાં કેન્સર નિષ્ણાંત ડોકટર ન હોવાથી દર્દીઓમાં ભારે મુશ્કેલી વેઠવી પડેછે. કેન્સરના દર્દીઓને કિમો થેરાપી સહિતની સારવાર લખાવવા અને તપાસ કરવા બહારગામ જવું પડે છે અને બાદમાં કિમો થેરાપી લેવા પોરબંદર આવું પડે છે જેથી દર્દીઓના છેડા ભેગા થતા નથી કૅન્સરગ્રસ્ત દર્દીને કેન્સરની તપાસ માટે બહારગામની હોસ્પિટલ ખાતે જાય ત્યારે દર્દીઓને આયુષ્યમાન કાર્ડ પર સારવાર લેવામાં પણ ભારે હાડમારી વેઠવી પડે છે અને કાર્ડ પર સારવાર લેવા તેમજ કાર્ડ હોસ્પિટલમાં ચાલુ બંધ કરાવવા દર્દી અને તેમના પરિવારને કલાકો સુધી લાઇનમાં બેસવાની નોબત આવે છે. ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારોપોરબંદર જિલ્લામાં દિન પ્રતિદિન કેન્સરના દર્દીઓ વધી રહ્યા છે.ચાલુ વર્ષમાં જિલ્લામાં પાન, માવા અને ધુમ્રપાનને લીધે ગળા અને મોઢાના કેન્સરમાં 15 ટકા અને મહિલાઓમાં સ્તનકેન્સરમાં 10 ટકાનો વધારો થયો છે. કેન્સરનાં ચેતવણીરૂપ ચિહ્નો(1)આંતરડ અથવા બ્લેકર (મૂત્રાશય)ની કામગીરીમાં ફેરફાર (2) રુઝાતો ન હોય તેવા ઘા (3) અસામાન્ય રકતસ્ત્રાવ (બ્લીડીંગ) અથવા પ્રવાહી નીકળવું. (4)સ્તન અથવા અન્ય જગ્યાએ ચામડીમાં સોજો અથવા (5)અપચો અથવા વસ્તુ ગળે ઉતારવામાં મુશ્કેલી (6)મસા અથવા તલમાં દેખીતો ફેરફાર. સતત ઉધરસ અથવા અવાજમાં ધોધરાપણું સેન્ટરમાં 41 માસમાં 404 દર્દીઓને 816 ડોઝ કિમોથેરાપીના આપ્યાપોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં આવેલ કિમોથેરાપી સેન્ટર ખાતે કેન્સર ગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે.આ સેન્ટરમાં 41 માસમાં 404 કેન્સરગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવી છે.આ સેન્ટરમાં કિમો થેરાપી ઉપરાંત જરૂરી તમામ દવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.
રજૂઆત:આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા 114 પરિવાર મૂળભૂત સુવિધાઓથી વંચિત
પોરબંદરના આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં છેલ્લા 121 વર્ષથી 114 પરિવારો વસવાટ કરી રહ્યા છે. રજવાડાના સમયમાં સેવા બદલ આ પરિવારોને રહેણાંક ફાળવવામાં આવ્યું હતું. આજે આ વસાહતમાં અંદાજે 700 જેટલા સ્થાનિકો વસે છે, છતાં તેમને પીવાના પાણી, વીજળી, રસ્તા, ગટર અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રજવાડાના સમયમાં કમ્પાઉન્ડમાં કુલ 7 કૂવા હતા, હાલ કૂવાનું અસ્તિત્વ નથી. પાણીની તંગી દૂર કરવા 1955માં સ્થાનિકોએ પોતાના ખર્ચે બોર ખોદાવી પાણીની વ્યવસ્થા કરી હતી, પરંતુ 1983 બાદ બોરનું પાણી ક્ષારયુક્ત અને ખારું થયું છે. પાણીના અભાવે સ્થાનિકોને પીવાનું પાણી લેવા માટે બે કિમી દૂર જવું પડે છે. મનપા દ્વારા ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ વસ્તી પ્રમાણે તે પૂરતું નથી. આ ઉપરાંત વસાહતમાં શૌચાલયની કોઈ સુવિધા નથી, માર્ગો અત્યંત ખરાબ હાલતમાં છે અને સ્ટ્રીટલાઈટ નથી. નિયમિત રીતે હાઉસ ટેક્સ ભરવા છતાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. વહેલી તકે પીવાનું પાણી, ગટર, રસ્તા, લાઈટ અને શૌચાલય જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરી છે. પોરબંદર આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં રહેતા સ્થાનિક લોકોએ મનપા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. 55 વર્ષથી રજૂઆત પરંતુ સુવિધા નહીં આરજીટી કોલેજ કમ્પાઉન્ડના સ્થાનિકો દ્વારા પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ થાય તે માટે 55 વર્ષથી તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી. હાલ મનપા બની છે ત્યારે પણ અહીંના સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં પરંતુ હજુસુધી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી વધુ એક વખત સ્થાનિકો દ્વારા મનપા ખાતે લેખિતમાં રજૂઆત કરી છે.
કામગીરી:મનપા કચેરીમાં મહિનાથી બંધ પડેલી જૂના જન્મ મરણના દાખલ કાઢવાની કામગીરી ફરી શરૂ થઈ
પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં આવેલ જન્મ મરણ વિભાગના સર્વરમાં 2015 થી 2025 સુધીના ડેટા સર્વરમાં મર્જ ન થતા જુના જન્મ મરણના દાખલ નીકળતા ન હતા.ત્યારે હવે આ કામગીરી ધીમે ધીમેં શરૂ થઈ છે જેથી અગાઉ આવેલ અરજીઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.ત્યારે હજુ પણ 1000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. પોરબંદર સહિત રાજ્યભરમાં તાજેતરમાં જન્મ મરણ દાખલા સહિત કામગીરી માટે સર્વરમાં વર્ષો જુના ડેટા મર્જ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી દરમ્યાન દિવસો સુધી જન્મ મરણના દાખલાના રજિસ્ટ્રેશન સહિતની કામગીરી ઠપ્પ રહી હતી ત્યારે દિવસો સુધી કામગીરી ઠપ્પ રહ્યા બાદ સર્વર કાર્યરત કરવામાં આવ્યું હતું.પરંતુ પોરબંદર મહાનગરપાલિકા સહિત અન્ય શહેરમાં પણ છેલ્લા ઘણા દિવસથી જન્મ મરણના દાખલા માટેનું સર્વરમાં ખામી સર્જતાં વર્ષ 2015 થી વર્ષ 2025 સુધીના વર્ષના જુના દાખલા નીકળતા ન હતા.જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષના દાખલા માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી હતી.ત્યારે હવે જુના જન્મ મરણના દાખલ કાઢવાની કામગીરી શરૂ થતાં અગાઉ આવેલ અરજીઓની નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વાતાવરણ:પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું
પોરબંદરમાં મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રીએ પહોંચ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. પોરબંદરમાં બપોરે ગરમીનો અનુભવ થાય છે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 45 ટકા નોંધાયું હતું જેની સામે મંગળવારે મહતમ તાપમાન 2 ડિગ્રી વધીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 16 ડિગ્રી નોંધાયું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 15 ટકા ઘટીને 30 ટકા નોંધાયું છે. તાપમાનમાં વધારો થતા ઠંડીમાં રાહત મળી છે. બપોરે ગરમી અને રાત્રે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થતા લોકો મિશ્ર ઋતુનો અહેસાસ કરી રહ્યા છે.
તરૂણીએ જાગૃતિ દાખવી:કુતિયાણા પંથકમાં 181 ટીમે બાળ લગ્ન થતા અટકાવ્યા
કુતિયાણા પંથકમાંથી એક તરૂણીએ જાગૃતતા દાખવી 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી જાણ કરી હતી કે તેની ઉંમર 18 વર્ષ પૂર્ણ થયેલી નથી, તેમ છતાં તેના માતા–પિતા તેની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવી રહ્યા છે. કેસની ગંભીરતા ધ્યાને લઈ 181 ટીમના કાઉન્સેલર મીરા માવદિયા અને કોન્સ્ટેબલ સેજલબેન પંપાળીયા સ્થળ પર પહોંચ્યા હતા. ટીમ દ્વારા તરૂણીનું કાઉન્સેલિંગ કરી લગ્નની કંકોત્રી અને ઉંમર સંબંધિત દસ્તાવેજોની તપાસ દરમિયાન તરૂણીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું તથા તેના લગ્ન આગામી તા.10/2/2026ના રોજ નિર્ધારિત કરાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે પરિવારજનોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ બાળ લગ્ન કરાવવું કાયદેસર ગુનો હોવાનું સમજાવવામાં આવ્યું હતું.અને સમાજ સુરક્ષા અધિકારી, ડીસીપીઓ અને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી તથા ચાઈલ્ડ હેલ્પલાઈનની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. તરૂણી ઘરે રહેવા ઇચ્છુક ન હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે તરૂણીના વાલીઓના લેખિત નિવેદન લેવામાં આવ્યા હતા.
સારવાર:ખાગેશ્રી ગામની સગર્ભાની હાઇવે પર 108 ટીમે એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી
પોરબંદરના ખાગેશ્રી ગામે રહેતી એક સગર્ભાની ત્રીજી ડિલિવરીની પ્રસૂતિની પીડા ઉપડતા ઉપલેટાની હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે રીફર કરી રહ્યા હતા ત્યારે હાઇવે પર એમ્બ્યુલન્સ પહોંચતા સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં 108 એમ્બ્યુલન્સ નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. ખાગેશ્રી ગામના વાડી વિસ્તારમાં રહેતા સગર્ભાને ત્રીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108ને જાણ કરી હતી જેથી 108ની સગર્ભાને ઉપલેટા રીફર કરી રહ્યા હતા તે દરમ્યાન હાઇવે પર સગર્ભાને પ્રસૂતિની પીડા વધી જતાં ઈ.એમ.ટી. યોગેશકુમાર રાઠવા અને પાયલોટ સરમણભાઈ ચાવડાએ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો રીચીના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ સગર્ભાની એમ્બ્યુલન્સમાં નોર્મલ ડીલેવરી કરાવી હતી અને પુત્રીનો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ ઉપલેટા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
બેઠક:4500 બોટોને દર વર્ષે રૂ.60થી 70 કરોડનું આર્થિક નુકસાન
પોરબંદરના સુભાષનગર સ્થિત હોલ ખાતે પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળની અધ્યક્ષતામાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનની એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખારવા સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા. અસ્માવતીઘાટ પાસે આવેલી બોટોના આવન-જાવન માટેની મુખ્ય ચેનલમાં રેતી ભરાવાનો બેઠકનો મુખ્ય મુદ્દો રહ્યો હતો. રેતી ભરાવાના કારણે બોટો 24 કલાક સરળતાથી આવન-જાવન કરી શકતી નથી અને માત્ર હાઈટાઈડના 2 થી 4 કલાક દરમિયાન જ બંદરમાં પ્રવેશ કરી શકે છે. પરિણામે બોટોને પોરબંદર જેટીની સામે ખુલ્લા સમુદ્રમાં એન્કર પોઈન્ટ પર ફરજિયાત ઊભી રાખવી પડે છે. હાઈટાઈડ દરમિયાન એકસાથે બોટો બંદરમાં પ્રવેશ કરતી હોવાથી અંદર ભારે ભરાવો સર્જાય છે, જેના કારણે માછલીઓના વેચાણ ભાવ ઘટે છે. આથી એક બોટ દીઠ વર્ષે અઢીથી ત્રણ લાખ રૂપિયાનું નુકશાન થાય છે. પોરબંદર બંદરમાં અંદાજે 4500 નાની-મોટી બોટો હોવાથી કુલ આર્થિક નુકશાન 60 થી 70 કરોડ રૂપિયાનું થાય છે. આ મુદ્દે અગાઉ અનેક વખત સરકારમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા માછીમારો દ્વારા ફરી એકજૂટ થઈ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અસ્માવતીઘાટ પાસેની મુખ્ય ચેનલમાં રેતી દૂર કરી કાયમી ડ્રેજીંગ કરવામાં આવે તેવી ખારવા સમાજના આગેવાનો દ્વારા ઉગ્ર માંગ કરી છે. બંદરમાં અન્ય અસુવિધાઓબેઠકમાં ડ્રેજિંગ ઉપરાંત બંદરની અંદર લાઈટનો અભાવ, શૌચાલય, ફાયર સેફટી, સફાઈ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું પોરબંદરના માછીમારોને થતું આર્થિક નુકશાન અટકી શકે અને બંદર પર પૂરતી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેવી માંગ ઉઠી છે.
દરોડો:ચીકાસા ગામ ભાદરપૂલ પાસે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા, 4 નાસી ગયા
પોરબંદરના નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી આધારે એલસીબીએ દરોડો પાડી આ સ્થળેથી જુગાર રમતા 5 શખ્સને ઝડપી લીધા હતા જ્યારે 4 શખ્સ નાશી છૂટ્યા હતા. પોરબંદર એલસીબી ટીમ નવીબંદર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતીકે, નવીબંદર ચીકાસા ગામ ભાદરપૂલ પાસે બાવળની કાટમાં કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમે છે, જેથી એલસીબી ટીમે આ સ્થળે દરોડો પાડી જુગાર રમતા કિરણ બાબુ પરમાર, ઉતમ ઉર્ફે ભોલો રાજેશ માકડીયા, વિપુલ કાંધા વાઢીયા, વિક્રમ લખમણ ભોગેસરા અને હાજા ભુરા ભોગેસરાને ઝડપી લીધા હતા જ્યારે દરોડા દરમ્યાન અરજણ સરમણ ખુંટી, હરસુખ ઉર્ફે અશોક કરશન પંડીત, પ્રવીણ ઉર્ફે સોપારીવાળો જીણા કારગટીયા અને રામદે પરબત ઓડેદરા નાશી છૂટ્યા હતા. પોલીસે દરોડા દરમ્યાન 5 શખ્સને ઝડપી લઇ સ્થળ પરની કુલ રકમ રૂ. 64,800નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ:પ્રેમ સંબંધના મનદુઃખથી યુવકનીહત્યા, વચ્ચે પડેલા મિત્રને પણ ઇજા
વંથલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલી ભલાયશા પીરની દરગાહ પાસે સોમવારની રાત્રે એક યુવકની 4 શખ્સે હત્યા કરતા સનસની મચી ગઈ હતી. વંથલીમાં વાલી ઝાંપા પાસે રહેતા 66 વર્ષીય મુસાભાઈ અબદલભાઈ સોઢાની ફરિયાદ અનુસાર તેના પુત્ર તાજીમ ઉ. વ. 34 અને રફીકશા કાસમશા સર્વદીની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી છેલ્લા પાંચ-છ મહિનાથી વિવાદ ચાલતો હતો. સોમવારની રાત્રે જ્યારે તાજીમ તેના મિત્ર સકીલ રજાકભાઈ જેઠવા વગેરે સાથે ભલાયશા પીરની દરગાહ પાસે હતો, ત્યારે રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશા અને ઈરફાનશા અમીનશા સર્વદીએ લોખંડના સળિયા, છરી અને લાકડાના ધોકા વડે હુમલો કરી તાજીમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું. વચ્ચે છોડાવવા પડેલા તાજીમના મિત્ર શકીલને પણ હુમલામાં ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે મૃતકના પિતા મુસાભાઈની ફરિયાદ લઈ જુદી જુદી કલમ મુજબ હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વંથલીના તાજીમ મુસાભાઈ સર્વદીની હત્યાના મામલે પીઆઇ આર. બી. ગઢવી, પીએસઆઇ જે.આર. વાજાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી રફીકશા કાસમશા સર્વદી, તેનો પુત્ર અરબાજશા, ભત્રીજો અકરમશા હનીફશાની અગતરાય ગામે મરઘા ઉછેર કેન્દ્ર પાસેથી ધરપકડ કરી ચોથો ફરાર આરોપી ઈરફાનશા અમીનશા બાનવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આત્મહત્યા:માંગરોળના આંત્રોલી ગામમાં મહિલાએ ગળાફાંસો ખાધો
માંગરોળના આંત્રોલી ગામના એક મહિલાને પતિએ દિકરાને ત્યાં આંટો દેવા જવાની ના પાડતા ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના 45 વર્ષીય મંજુબેન અરજણભાઈ કેશવાલાને તેના અમદાવાદ ખાતે રહેતા દીકરાને ત્યાં આંટો દેવા જવું હતું. પરંતુ પતિ અરજણભાઈએ જવાની ના પાડી હતી. મહિલા જીદી અને હઠીલા સ્વભાવ હોવાથી અવારનવાર ગુસ્સે થઈ જતા જેથી પોતાને લાગી આવતા મંજુબેને સોમવાર ની વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાથી મૃતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. મહિલાના આપઘાતની જાણ થતા શીલ પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને મૃતકના પુત્ર રામભાઇના નિવેદન આધારે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ભાસ્કર એક્સક્લુઝિવ:શિવરાત્રિનો મીનીકુંભ મેળો: દર વર્ષ કરતા અઢી ગણી વધુ 1340 એલઇડી ફ્લડ લાઇટ લગાવાશે
કુલદિપ માઢક આ વર્ષે શિવરાત્રિનો મેળો મીનીકુંભ તરીકે જાહેર થતા તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જેમાં આ વર્ષે દર વર્ષ કરતા અઢી ગણી વધુ લાઇટો નાખવામાં આવનાર છે. શિવરાત્રિના મેળામાં 1340 એલઇડી ફલડ લાઇટો નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મનપાના ઇલેકટ્રીક શાખાના ઇજનેર હાજાભાઇ ચુડાસમાએ જણાવ્યુ કે, આગામી તારીખ 11 થી 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો મેળો યોજાનાર છે. આ વર્ષે સરકારે આ મેળાને મીનીકુંભ જાહેર કર્યો હોવાથી વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં રવેડી રૂટ પર 350 નંગ, સાધુ-સંતોના ઉતારા- અન્નક્ષેત્ર-સરકારી સ્ટોલ મળી કુલ 450 નંગ, ભરડાવાવ ચોકથી સોનાપુરી, ગીરનાર દરવાજાથી સોનાપુરી, દામોદરકુંડથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ, મજેવડી ગેટ, દાતાર રોડ સહિતના મળી આખા શિવરાત્રિના મેળામાં કુલ 1340 એલઇડી ફલડ લાઇટથી ઝળહળી ઉઠનાર છે. ખાસ આ વખતે અઢી ગણી વધુ લાઇટો નાખીને યાત્રિકો મજેવડી ગેટ કે ગિરનાર દરવાજાએ પહોંચતા મેળો શરૂ થયો હોય તેવો માહોલ ઉભો થનાર છે. લાઇવ ટેલીકાસ્ટ આ 20 સ્થળોએએલઇડી સ્ક્રીનમાં થશેભવનાથ મંદિર અંદર બિલ્ડીંગ પર , મંગલનાથ બાપુ જગ્યા પર , મંગલનાથ બાપુની જગ્યા સામે ટોઇલેટની અગાસી પર , દત્તચોક હનુમાન મંદિર એમપી-એમએલએ સ્ટોલ સામે , દત્તચોક પાર્કિંગ બાજુ , રીંગ રોડ ડોમ સામે ટોઇલેટ બિલ્ડીંગની અગાસી પર , રીંગ રોડ શેરનાથ બાપુના આશ્રમ પાસે , રીંગ રોડ ગોવાળીયા ધામ, પાણીના પમ્પીંગ પાસે , રીંગ રોડ ભવનાથ પોલીસ સ્ટેશન , ભવનાથ મેઇન રોડ ઇન્દ્રભારતી બાપુ ગેટ પાસે , લાલ સ્વામીની જગ્યા પાસે , ભારતી આશ્રમ પાસે , જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ પર , દામોદરકુંડ મંદિર , સોનાપુરી બિલ્ડીંગ , ભવનાથ મેળાના ટેમ્પરરી એસટી બસસ્ટેન્ડ, ફર્ન હોટલ સામે , ગીરનાર દરવાજા પાસે , ભરડાવાવ ચોક , કાળવા ચોક , સરદારચોક ટાઉન હોલ કેમ્પસ , રેલ્વે સ્ટેશન, સરદાર ગેટ પાસે , એસટી બસસ્ટેન્ડની અંદર , ગાંધી ચોક સર્કલ , સરદાર બાગ ઝાંસીની રાણી સર્કલ
કામગીરી:લાંચીયા મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે પણ તપાસ
80,000ની લાંચ લેનાર મેંદરડા તાલુકા વિકાસ અધિકારીના ઘરે એસીબીની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. મેંદરડા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તુષાર વિઠ્ઠલભાઈ રાદડિયાને સોમવારે એટીવીટીના કામના વર્ક ઓર્ડર કાઢી આપવા રૂપિયા 1.5 લાખની લાંચ માગી હતી. તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે જૂનાગઢ એસીબીએ છટકું ગોઠવી જાગૃત નાગરિક પાસેથી તુષાર રાદડિયાને રૂપિયા 80 હજારની લાંચ સ્વીકારતા અને પૈસા ખીસામાં નાખે તે પહેલા ઝડપી લીધા હતા. મંગળવારે એસીબીના તપાસનીશ એસ. એન. ગોહિલે 3 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા એડ અદાલતે બુધવાર સાંજના 4 વાગ્યા સુધી 1 રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે એસીબીની ટીમ આરોપીને લઈ તેના મેંદરડામાં નાઝાપુર રોડ પર બ્રહ્માકુમારીની બાજુમાં આવેલ ટીમ ઘરે પહોંચી સર્ચ હાથ ધર્યું હતું.
વાતાવરણ:શહેરનું તાપમાન 32 ડિગ્રી
જૂનાગઢ સહિત સોરઠમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો થતા બપોરનું તાપમાન વધીને 32 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેના પરિણામે શિયાળાએ વિદાય લેવાનું શરૂ કર્યું હોવાનું અને ઉનાળાની શરૂઆતની અનુભૂતિ લોકોને થઈ હતી. સોમવારે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 13.7, શહેરમાં 18.7 ડિગ્રી રહ્યા પછી 24 કલાકમાં મંગળવારની સવારે 2 ડિગ્રી ઘટીને ગિરનાર ખાતે 11.7, જૂનાગઢમાં 16.7 ડિગ્રી નોંધાયું હતુ. જોકે સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને 69 ટકાએ પહોંચી ગયુ હતુ. જ્યારે પવનની પ્રતિ કલાકની ગતિ 6.3 કિલોમીટરની રહી હતી. બીજી તરફ બપોરની શરૂઆત થતાની સાથે મહતમ તાપમાનનો પારો 31.8 ડિગ્રીએ સ્થિર થયો હતો. જેની સાથે સતત બીજા દિવસે બપોરની હવામાં 33 ટકા ભેજ રહ્યો હતો. વાદળછાયું વાતાવરણ વચ્ચે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીના કારણે મિશ્ર હવામાન રહ્યું હતું. દરમ્યાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શિયાળાની વિદાયની શરૂઆત ધીમા પગલે થઈ ચૂકી છે અને આગામી બે દિવસમાં બપોરનું તાપમાન પણ ક્રમશઃ વધતું રહેશે. જેથી ઉનાળાના પગરણ શરૂ થઈ જશે.
તંત્ર હરકતમાં:ભાસ્કરના અહેવાલ પછી મામલતદાર કચેરીના ખૂણે-ખૂણે સફાઇ શરૂ થઇ
શહેરમાં આવેલ તાલુકા સેવા સદન કચેરી ખાતે ખુણે- ખુણે ગંદકી જોવા મળતી હતી. તમામ ખુણા પર કચરાના ઢગલા પડેલા હતા. એક તરફ સરકાર સફાઇ અભિયાનના દાવા કરી રહી હતી પરંતુ જૂનાગઢની મામલતદાર કચેરી ખાતે તે દાવા પોકળ સાબિત થયા હતા. એટલુ જ નહીં જ્યાં અધિકારીઓની ગાડીઓ પડેલી રહેતી હતી તેમજ જ્યાંથી પસાર થતી હતી તે તમામ સ્થળ પર કચરાનો નિકાલ ન થતા ઢગલા પડેલા હતા. આ સમગ્ર બાબતને લઇ ભાસ્કરે સચિત્ર અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ. અને કચેરીના ખુણે-ખુણેથી કચરાનો નિકાલ કરી સફાઇ કરવામાં આવી હતી.
કામગીરી:કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, તે દિશામાં તપાસ
કોર્ટને ક્યાં સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો તે દિશામાં એ ડિવિઝન પોલીસે એસઓજી, એલસીબી, રેન્જ સાયબર પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી છે. સોમવારે સવારે 6:30 વાગ્યે જૂનાગઢ મુખ્ય ન્યાયાલયના ઓફિસિયલ ઇ-મેઇલ આઇડી પર ખોટા નામવાળા ઇ-મેઇલ આઇડી મારફતે ઇ-મેઇલ કરી બપોરના 2:10 વાગ્યે બધી કોર્ટ, જજ ચેમ્બરમાં 3 બોંબ ફૂટવાના છેં એવો ઇ-મેઇલ કરી કોર્ટની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડી અને લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો હતો. જેની જાણ સવારે 10:30 વાગ્યે થતાની સાથે પોલીસની જુદી જુદી ટીમે કોર્ટ પર પહોંચી આવવા, જવાના રસ્તા બ્લોક કરી કોર્ટમાંથી તમામને સલામત ખસેડી 3 કલાક સર્ચ કર્યું હતું. સદનસીબે કંઇ શંકાસ્પદ મળ્યું ન હતું. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દેવાંગકુમાર કનુભાઈ દવેની ફરિયાદ લઈ એ ડિવિઝન પોલીસે અજાણ્યા ઇ-મેઇલ ધારક સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની ઓલો મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. કેસમાં પ્રો. પીઆઇ વી. જે. સાવજે કોર્ટને કયા સર્વરમાંથી ધમકીનો ઇ-મેઇલ મળ્યો, કોણે મોકલ્યો સહિતના મુદે ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, રેન્જ સાયબરની ટીમ પણ કામે લાગી છે.
જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની દીકરીના લગ્ન તેના પિતા અને દાદી દ્વારા પૈસાની લાલચથી અલગ અલગ જગ્યાએ નક્કી કરી દેવામાં આવ્યા હતા. જોકે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જૂનાગઢ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સમયસર તેના પર રોક લગાવીને પરિવારને સમજાવવામાં આવ્યો હતો. શહેરના એ ડિવિઝન વિસ્તારમાં રહેતા એક પરિવારની 14 વર્ષની કિશોરી કુમારી ટીના (નામ બદલાવેલ છે) દ્વારા રજૂ કરાયેલી અરજીના આધારે બાળલગ્નના ગંભીર મામલે કાયદેસર કાર્યવાહી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટીના હાલ તેના પિતા અને દાદી સાથે રહે છે, તેણે જણાવ્યું હતું કે, તેમના પિતા નિયમિત દારૂ પીને ઘર તેમજ બહાર તેણીને હેરાન કરે છે. તેમના લગ્ન 16 ફેબ્રુઆરી, 2026ના રોજ નક્કી કરાયાં હતા, જેના આમંત્રણ કાર્ડ પણ છપાઈ ગયા હતા. આ લગ્ન તેમની દાદી દ્વારા, તેમની સંમતિ વિના અને તેમની નાબાલિક વયમાં બળજબરીથી નક્કી કરાયાં હતા. તેણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તે આ લગ્ન કરવા માંગતી નથી અને લગ્ન પ્રક્રિયામાં આગળ વધવા ઇચ્છુક નથી. પિતા અને દાદી દ્વારા અલગ અલગ જગ્યાએ રૂપિયાની લાલચથી તેના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આ અંગે ટીનાએ અગાઉ પણ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપી હતી તથા આ મુદ્દો પરા લીગલ વોલન્ટિયરના ધ્યાન પર પણ લાવવામાં આવ્યો હતો. એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પરા લીગલ વોલન્ટિયર કુ. પ્રતીક્ષા રાઠોડ દ્વારા ટીનાના પિતા અને દાદીને સમજાવવામાં આવ્યું હતું કે 18 વર્ષથી નીચેની બાળકીના લગ્ન તેની સંમતિ વિના કરાવવા એ ગુનો છે, જેમાં 2 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ છે. આવા લગ્ન ગોઠવવામાં અથવા કરાવવામાં સામેલ તમામ વ્યક્તિ જવાબદાર બને છે. પિતા અને દાદી દ્વારા વિવિધ સ્થળોએ લગ્ન ગોઠવવાનો પ્રયાસ થતો હોવાથી તેમને એકથી વધુ વખત કાયદાની જોગવાઈઓ અને તેના ગંભીર પરિણામોની સ્પષ્ટ જાણ કરવામાં આવી હતી. પરિણામે ટીના પિતા અને દાદી બાલ્યાવસ્થામાં તેના લગ્ન ન કરાવવા બાબતે સંમત થયા હતા.
કાર્યવાહી:મધુરમમાંથી બાઈક ચોરનાર પીધેલી હાલતમાં પકડાયો
શહેરના મધુરમ વિસ્તારમાંથી બાઈક ચોરનાર શખ્સને પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી. મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ પાલાભાઈ વાળાનું જીજે 11 એલએલ 9716 નંબરનું બાઈક ગત તારીખ 31 જાન્યુઆરીના રોજ રાત્રે 9:30 વાગ્યે શેરીમાંથી ચોરાઈ ગયું હતું. રૂપિયા 15,000ની કિંમતના બાઈકની ચોરીની ફરિયાદ થતા સી ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી. સોમવારે પીઆઇ એ. બી. ગોહિલની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મધુરમ વંથલી રોડ પર આવેલ રામાપીરના મંદિર પાસે એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં નંબર પ્લેટ વગરની બાઈક લઈને આવતો જોવા મળ્યો હતો. જેથી તેને રોકી પૂછપરછ કરતા શખ્સ મધુરમ, રામાપીરના મંદિરની સામે બુધવિહારની બાજુમાં આવેલ અવિધિ નગરમાં રહેતો મૂળ ઉપલેટા તાલુકાના નાગવદર ગામનો 32 વર્ષીય શૈલેષ કિશોરભાઈ માકડીયા હોવાનું જણાવ્યું હતું. બાઈકના કાગળો નહિ હોવાનું જણાવી બાઈક શ્રીનગર સોસાયટીમાંથી ચોર્યું હોવાની કબુલાત આપી હતી. શખ્સ વિરૂધ્ધ અગાઉ સી ડિવિઝન તેમજ વંથલી પોલીસ સ્ટેશનમાં દારૂનો ગુનો નોંધાયો હતો.
આયોજન:જામજોધપુરમાં આયોજિત આયુષ મેળાનો અઢી હજારથી વધુ નાગરિકોએ લાભ લીધો
જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ 31મી ના રોજ જામજોધપુરના શ્રી કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ એવી આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધે અને લોકો કુદરતી સારવાર દ્વારા પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા હેતુથી આ પ્રજાલક્ષી મેળો યોજાયો હતો. આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કુલ 610 દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે ૨૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે જહેમત ઉઠાવી હતી.
કરૂણાંતિકા:જામનગરમાં બીડી પીતા દાઝી ગયેલા વૃદ્ધનું મૃત્યુ
જામનગર શહેરમાં પેરાલીસીસની બીમારીથી પીડાતા વૃધ્ધ ખાટલામાં બીડી પીતા હોય અને આગ લાગતા શરીરે દાઝી જતાં વૃધ્ધનું મૃત્યુ નિપજ્યું છે. શહેરના ઈન્દીરા માર્ગ જકાતનાકા આશાપુરા હોટેલની બાજુમાં વિજયનગર શેરીનં-3માં રહેતા પરબતભાઈ રાજાભાઈ ગોજીયા (ઉ.વ.65) નામના વૃધ્ધને પેરાલીસી હોય, જેથી તેમનું અડધુ શરીર કામ કરતુ ન હતું. ગત તા.21 જાન્યુઆરીના રોજ સવારના સમયે તેઓ ખાટલામાં બીડી પીતા હતા. ત્યારે બીડીમાંથી તણખો ખાટલામાં અડી જતાં સળગતા વૃધ્ધ શરીરે દાઝી ગયા હતા. તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવ અંગેની દિનેશભાઈ પરબતભાઈ ગોજીયાએ પોલીસમાં જાહેર કર્યુ છે.
દુર્ઘટના:લગ્નમાંથી ઘરે જતાં અકસ્માતમાં સગીરનું મોત, પિતા-પુત્રને ઈજા
જામનગર-રાજકોટ હાઈવે પર હાપા ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં લગ્ન પ્રસંગમાં ગયેલા 13 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. જ્યારે સાથે રહેલા પિતા-પુત્રને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વસઈમાં રહેતા કારાભાઈ ડાયાભાઈ ટારીયા (ઉ.વ.42) નામના યુવકના 13 વર્ષના પુત્ર મેઘરાજ ઉર્ફે મેઘાભાઈ નામના માતા સાથે જામનગર લગ્નમાં ગયા હતા. ગત તા.2ના મોડી રાતના કારાભાઈના સાળા મુકેશભાઈ સાથે તેમનો દિકરો મેઘરાજ અને મુકેશભાઈનો પુત્ર જીતેશભાઈ મોટર સાયકલ લઈને જામનગરથી હાપા જતા હતાં. હાપા ગામ પાસેપસાર થતા હતા. ત્યારે પુરપાટ આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્રણેયને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કારાભાઈના પુત્ર મેઘરાજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત નિવડે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે મુકેશભાઈ અને તેમના પુત્ર જીતેશને ઈજા પહોંચતા સારવારમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં પીએસઆઈ એ.આર. પરમાર સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને શોધખોળ આરંભી છે.
વાતાવરણ:લઘુતમ પારો 16.6 ડિગ્રી ટાઢોડામાંથી મુક્તિ મળી
જામનગર શહેરમાં સતત ત્રીજા દિવસે લઘુતમ તાપમાનમાં વધારો થતા 16.6 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જેના કારણે સપ્તાહના પ્રારંભથી તિવ્ર ઠંડીનુ જોર ધીમુ પડયુ છે.જોકે,રાત્રીથી સવાર સુધી ટાઢનો મુકામ બરકરાર રહયો છે. જામનગર શહેરમાં મંગળવારે પણ લઘુતમ તાપમાન આંશિક વધારા સાથે 16.6 ડિગ્રી નોંધાયુ હતુ.છેલ્લા 48 કલાકથી અવિરત પારો ઉંચકાતા તિવ્ર ઠંડીથી જનજીવને આંશિક મુકિત મેળવી હતી.જે સાથે મહતમ પારો પણ 28.5 ડીગ્રી પર સ્થિર થયો હતો.જેના કારણે બપોરે સુર્યનારાયણના આગવા મિજાજનો અહેસાસ જનજીવને કર્યો હતો.જોકે, સુર્યાસ્ત સાથે જ ફરી વાતાવરણમાં ટાઢોડુ પ્રસર્યુ હતુ.ફેબ્રુઆરી માસના પ્રારંભથી જ ઠંડીનુ જોર ક્રમશ: ઘટતા જનજીવને પણ રાહત અનુભવી હતી.ઠંડીની સાથે પવનની ઝડપમાં પણ નોંધપાત્ર્ર ઘટાડો થતા પાંચથી દશ કિ.મી.ની ઝડપ નોંધાઇ હતી.જોકે, હજુ પણ ઠંડીના એક રાઉન્ડની સભાવના જાણકારો દર્શાવી રહયા છે. શહેરમાં સવારે આકાશમાં હળવા વાદળો પણ છવાયેલા રહયા હતા.જોકે,થોડીવારમાં જ વાતાવરણ પુન: સ્વચ્છ જોવા મળ્યુ હતુ.
કાર્યવાહી:મનપા દ્વારા ડી.પી.કપાતમાં 963 દબાણોનું ડિમોલિશન, રૂ.295 કરોડની જગ્યા ખુલ્લી
જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025માં ડી.પી. કપાતમાં 963 જેટલા આસામીઓની મિલ્કતોનું ડીમોલીશન કરીને રૂ.295.66 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં 54,790 ચોરસ ફુટ અને શહેરના બચુનગરમાં 7,74,286 સ્કવેર ફુટ જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. તો રંગમતી રીવરફ્રન્ટમાં ગેરકાયદે કરાયેલા દબાણમાં 294 આસામીઓની મિલ્કતોને નોટીસો આપીને ડીમોલેશન કરવામાં આવ્યું છે. શહેરી વિકાસના કામોમાં ગેરકાયદે થયેલા દબાણો દુર કરવા માટે મ્યુ.તંત્ર દ્વારા વર્ષ 2025માં 295.66 કરોડની બજાર કિંમતની જગ્યાઓ ખુલ્લી કરાવવામાં આવી છે. જેમાં શહેરના સોનાપુરી રોડથી સ્વામીનારાયણ નગરથી ડ્રીમ સીટી થઈ નવાગામ ઘેડમાંથી પસાર થઈ ગાંધીનગર ગ્રોફેડ મીલવાળા રોડને જોડતો 30 મીટર ડી.પી.રોડ (હાલે 12 મીટર અમલીકરણ), જેમાં 331 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.21.87 કરોડની 13,547 ચોરસ મીટર જમીન મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી કરાવવામાં આવી હતી. તેમજ શહેરના ડીવાયએસપી બંગલા થઈ મીગ કોલોની સુધીનો 8 મીટર ડી.પી.રોડ મંજુર કરાયો હતો. જેમાં 8 આસામીઓને કપાતની અસર થયેલ અને તેમાં અંદાજીત રૂ.11.97 કરોડની 4,450 ચોરસમીટર જગ્યા મ્યુ.તંત્ર દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. તેમજ શહેરના જ્ઞાનશક્તિ સર્કલ (ગોકુલનગર જકાતનાકા)થી સમર્પણ સર્કલ સુધીનો 30 મીટર પહોળો ડી.પી.રોડમાં 28 આસામીઓને કપાતની અસર થયેલ હતી. તેમાં અંદાજીત રૂ.8.07 કરોડની 3,750 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના રંગમતી રીવ ફ્રન્ટમાં 294 આસામીઓ દ્વારા દબાણ કરાયેલી 33,043 ચોરસમીટર જગ્યા કે જેની અંદાજીત રૂ.53.35 કરોડ કિંમતની છે. તેમજ બચુનગર તરીકે ઓળખાતી મહાનગર પાલિકાની માલિકાની જગ્યા જેની અંદાજીત કિંમત રૂ.200.50 કરોડ થવા પામે છે તે પણ ખુલ્લી કરાવવામાં આવી હતી. જેમાં 300 આસામીઓએ અંદાજિત 7,74,286 સ્કવેર ફુટ જગ્યા હોવાનું તંત્રએ જાહેર કર્યુ હતું. મ્યુ.તંત્ર દ્વારા 4 ટી.પી. સ્કીમની અમલવારી કરાવવામાં આવીજામનગર મહાનગરપાલિકાએ મુસદારૂપ મંજુર ટી.પી.સ્કીમ નં-11, 20, 21 અને 23માં કુલ 4 ટી.પી. રસ્તાઓ (રાધિકા સ્કુલ રોડથી જામનગર-રાજકોટ બાયપાસને જોડતો તથા ઠેબા ચોકડી નજીકથી ખુલ્લા કરી કબજો મેળવે છે, જેમાં રૂ.2.80 કરોડના ખર્ચે મેટર રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ફરિયાદ:કરિયાણામાં દારૂ અંગેના વીડિયો કેમ ઉતારે છે કહી મહિલાને મારી
બાબરાના કરીયાણામાં દારૂ અંગેના વિડીયો કેમ ઉતારે છે કહી 40 વર્ષિય મહિલાને ચાર લોકોને માર માર્યો હતો. તેમજ અપશબ્દો કહ્યા હતા. આ અંગે બાબરા પોલીસ મથકમાં ચારેય સામે ગુનો નોંધાયો હતો. બાબરાના કરીયાણામાં રહેતા કૈલાસબેન અશોકભાઇ જતાપરા (ઉ.વ.40)એ ગામના જ રવિ લાલજીભાઈ રાઠોડ, ધ્રુવિબેન અશોકભાઇ જતાપરા, સંજય લાલજીભાઇ રાઠોડ, આકાશ મુન્નાભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની દિકરીએ કરીયાણા ગામના રવિ રાઠોડ સાથે મૈત્રી કરાર કર્યા છે. કૈલાસબેનને રવિ રાઠોડે મારા પિતાના દારૂ અંગેના વિડીયો કેમ ઉતારે છે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. તેમજ આકાશ રાઠોડે તેને લાકડાના ધોકાનો એક ઘા ઝીંકી દીધો હ તો. આ ઉપરાંત ધ્રુવિબેન જતાપરાએ કૈલાસબેન જતાપરાને અપશબ્દો આપી માર માર્યો હતો. આ ઉપરાંત સંજય રાઠોડે પણ તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ વાય.એચ.પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.
ખાતમુહૂર્ત:સાવરકુંડલામાં સુકનરા ડેમ ઊંડો ઉતારતા આસપાસના ગામોના ખેડૂતોને ફાયદો થશે
સાવરકુંડલા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયમી જળસંચય અને જળસંકટ નિવારણ માટે સુકનરા ડેમને રૂપિયા 109.62 લાખના ખર્ચે ઊંડો ઉતારવાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજના અંતર્ગત ડેમમાંથી અંદાજે 25 હજાર મેટ્રિક ટન માટી ખોદકામ કરી ડેમને વધુ ઊંડો ઉતારવામાં આવશે. સુકનરા ડેમ સાવરકુંડલા વિસ્તારની જીવનદોરી સમાન છે. ડેમ ઊંડો ઉતારવાના કાર્ય પૂર્ણ થયા બાદ તેની પાણી સંગ્રહ ક્ષમતા નોંધપાત્ર રીતે વધશે. જેના કારણે પાણીનું સ્તર ઉપર આવશે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સિંચાઈ સુવિધા વધુ મજબૂત બનશે. આ યોજના ખેડૂતો માટે ખેતીમાં સ્થિરતા, ઉત્પાદન વૃદ્ધિ અને આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાવરકુંડલામાં સુકનરા ડેમને ભવિષ્યમાં પૂરતું પાણી ઉપલબ્ધ રહે માટે સૌની યોજના અંતર્ગત નર્મદા નદીના પાણીથી ડેમ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ દિશામાં તાજેતરમાં રૂપિયા 14 કરોડના ખર્ચે સૌની યોજના પાઈપલાઈનના કાર્યનો આરંભ થયો છે. જે સુકનરા ડેમ ઊંડો ઉતારવાની યોજના સાથે નાવલી નદીના પુનર્જીવન માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રયાસો સાવરકુંડલા વિસ્તારના સર્વાંગી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને જળસંકટ સામે લાંબા ગાળાના ઉકેલ તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમરેલીમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતેનો ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક 4 ફેબ્રુઆરીથી ટેક્નિકલ કારણોસર બંધ કરવામાં આવ્યો છે. જે આગામી સૂચના સુધી બંધ રહેશે. અમરેલી એઆરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે આવેલો ડ્રાઇવિંગ ટેસ્ટનો ટ્રેક 4 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવ્યો છે. ટેસ્ટ ટ્રેક આગામી સૂચના સુધી ટેકનિકલ કારણોસર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા ઉમેદવારો અહીં ટેસ્ટ આપી શકશે નહી. અમરેલી એઆરટીઓ કચેરી ખાતે જિલ્લાભરમાંથી અરજદારો ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા હોય છે. ત્યારે અહીં આવતા અરજદારોને આગામી સૂચના સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે ન આવવા માટે અમરેલી પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અપીલ કરી હતી.
સુખાકારી:આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ,પાણીના ક્ષેત્રમાં સુવિધા
આકાંક્ષા જિલ્લા અને આકાંક્ષા બ્લોક કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લાકક્ષાનો સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ રાજપીપલાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ઈન્ચાર્જ કલેકટર આર.વી.વાળાની અધ્યક્ષતામાં આરંભ કરવામાં આવ્યો હતો. સીડીએચઓ જનકકુમાર માઢકએ સંપૂર્ણતા અભિયાન- 1 દરમિયાનની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં છ સૂચકો પર ધ્યાન કેન્દ્રિત કરતા આરોગ્યમાં માતૃત્વ સંભાળ નોંધણી,બાળકોનું રસીકરણ, ડાયાબિટીસ અને હાયપરટેન્શન સ્ક્રીનિંગમાં નોંધપાત્ર વધારો થયા અંગે કામગીરી થઇ હોવાનું જણાવ્યું હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી ઇશ્વરભાઈ પટેલે જણાવ્યુ હતું કે, સંપુર્ણતા અભિયાન- 2 નો કાર્યક્રમ તા. 28 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવ્યો છે જે 14મી એપ્રિલ સુધી ચાલશે.ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ 2018 માં શરૂ થયો હતો, જેમાં દેશના 112 પછાત જિલ્લાઓને ઝડપી વિકાસ તરફ આગળ ધપાવવાનો હેતુથી આ સફળતાને આધારે 513 તાલુકાઓ માટે અસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને અસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પસંદ કરાયો છે. જે આરોગ્ય, પોષણ, શિક્ષણ, કૃષિ,પાણી, નાણાકીય સમાવેશ અને આધુનિક સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં સચોટ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જેનો મુખ્ય હેતુ છે કે, સૌથી પછાત વિસ્તારોમાં નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો થાય, બ્લોક સ્તરેક્ષમતા વિકસે અને સ્પર્ધાત્મક ભાવનાથી કાર્યક્ષમતા વધે તેવો છે.
વિશ્વ આદ્રભૂમિ દિવસ:નર્મદા કેનાલ પાસે 95 પ્રજાતિના 797 પક્ષી નોંધાયાં
કેવડિયા ( એકતાનગર)માં નર્મદા કેનાલ વિસ્તારમાં પક્ષી ગણતરી કરવામાં આવી હતી જેમાં 95 પ્રજાતિના 797 પક્ષીઓ નોંધવામાં આવ્યાં છે. રાજપીપળામાં આવેલી દેશની એક માત્ર બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના 45 વિદ્યાર્થીઓ અને સરદાર ઝુઓલોજી પાર્કના નિષ્ણાંતો તરફથી પક્ષીઓના ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પક્ષીઓની ગણતરીમાં ઇબર્ડ અને મર્લિન એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિશ્વ આદ્રભૂમિ દિવસની ઉજવણીના ભાગરૂપે, સ્ટેચ્યુ ઓફ યુનિટીખાતે વન્ય જીવ સંરક્ષણ અને જાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. નર્મદા કેનાલના જલપ્લાવિત વિસ્તારમાં પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવી હતી. સ્કુલ ઓફ સાયન્સના આચાર્ય ડૉ. દિગ્વિજયસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ ઝુઓલોજી વિભાગના 45 વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો ડૉ. દેવેન્દ્રકુમાર સોલંકી અને ડૉ. પ્રગતિબા ચુડાસમા આ અભિયાનમાં જોડાયા હતા. આ ગણતરીમાં ઝૂલોજીકલ પાર્કની ટીમ અને ઇન્ટર્નશિપ કરી રહેલા વન્યજીવ ઉત્સાહીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઝૂલોજીકલ પાર્કના એજ્યુકેશન એન્ડ ઓઉટરીચ ઓફિસર ડૉ. શશીકાંત શર્મા અને દર્ષિત શાહની ટીમનેે સમગ્ર કેનાલ વિસ્તારને 6 અલગ-અલગ પોઈન્ટમાં વહેંચવામાં આવ્યા હતા. અનુભવી બર્ડ વોચર્સની કેપ્ટનશીપ હેઠળ વિવિધ ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. નિરીક્ષણ દરમિયાન મુખ્યત્વે કાંસ્યપંખ, જલ માંજર, સર્પગ્રીવ, ઢોર બગલા, મોટા-નાના અને વચેટ બગલા, રાખોડી બગલો, વણ બગલો, રાત બગલો, નાનો-મોટો કાજીયો, લટોરો અને ટિટોડી જેવા પક્ષીઓ નોંધાયા હતા. આ ઉપરાંત, શિકારી પક્ષીઓમાં મોટી લરજી, ચોટીલો સાપ માર, મત્સ્યભોજ, શ્વેતનેણ ટીસો અને મધીયો બાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.પક્ષીઓની 95 પ્રજાતિઓ અને કુલ 797 પક્ષીઓ નોંધવામાં સફળ રહ્યા હતા. પક્ષીઓને ઓળખવા માટેની રીતોને જાણો પક્ષીનો આકાર અને કદ પક્ષી ગણતરી કરવા શું કરશો
સન્માન સમારોહ:પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા કન્યાઓને 8.51 લાખના સહાયના ચેકો અપાયા
શિક્ષણ અને સંસ્કારના સમન્વય સાથે પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ-પાટણ દ્વારા ભાન્ડુ સ્થિત જેઠીબા વાડી ખાતે વાર્ષિક સાધારણ સભા અને તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં વર્ષ 2024-25માં શૈક્ષણિક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધોરણ 10 અને 12ના 24 જેટલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ચાંદીના શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની જરૂરિયાતમંદ 84 દીકરીઓને ધોરણ-12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે કુલ 8,51 લાખના સહાયચેકનું વિતરણ કરાયું હતું.નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 656 દીકરીઓ આ યોજનાનો લાભ લઈ ચુકી છે. પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજ (સંડેર, વાલમ, ભાન્ડુ, મણુંદ અને બાલીસણા)ના આ સંગમમાં શિક્ષણના ઉત્થાન માટે લાખો રૂપિયાની સહાયના ચેકો અર્પણ કરી અનોખો સેવાયજ્ઞ પ્રગટાવ્યો હતો. મંડળના પ્રમુખ અમૃતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ મંડળની સ્થાપના આઝાદી પૂર્વે 1932માં કરાઈ હતી. વડીલોએ રોપેલું કેળવણીનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે.આ મંડળ આજે પણ વડીલોના એ જ કેળવણીના વિચારને આગળ ધપાવી રહ્યું છે. જેના કારણે આજે આ સમાજ દેશ-વિદેશમાં વ્યવસાય અને શિક્ષણમાં મોખરાનું સ્થાન ધરાવે છે.આ પ્રસંગે ઉદ્યોગપતિ અનિલભાઈ પટેલ (મિડાસ- મેટકોન્સ), પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ અને ભાન્ડુના સરપંચ રીકેશાબેન પટેલ,મંડળના મંત્રી ભરતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભોજન દાતા તરીકે ડાહ્યાભાઈ પટેલ પરિવારે સેવા આપી હતી.
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. શહેરમાં મહત્વના જાહેર સ્થળો જ્યાં ભારે અવરજવર રહેતી હોય એવા વિસ્તારોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNDC વિભાગ અને શહેર પોલીસ દ્વારા ‘નો કેટલ ઝોન’ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કર્યાશહેરના ગોતા, સરદારનગર, ખાડીયા, મણિનગર, કાંકરીયા, નવરંગપુરા, સ્ટેડિયમ, પાલડી, નવા વાડજ, નારણપુરા, ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં જો રોડ પર રખડતા ઢોર જોવા મળશે તો પશુમાલિક વિરુદ્ધ પોલીસ જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવશે. અમદાવાદના એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, ગાર્ડન, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, સાબરમતી આશ્રમ , સ્ટેડિયમ, શાળા-કોલેજ, યુનિવર્સિટી, બજારો, બ્રિજ, રિંગ રોડ, રેલવે ક્રોસિંગ, અંડરપાસ, ચાર રસ્તા, નેશનલ હાઇ-વે અને એસ.પી. રિંગ રોડ જેવા ભારે ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે સર્જાતી અવરોધક પરિસ્થિતિને દૂર કરવા માટે પોલીસ કમિશનર દ્વારા વિવિધ વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ પણ લગાવ્યાઆ જાહેરનામાના અસરકારક અમલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તથા પોલીસ વિભાગ સંયુક્ત ચકાસણી કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત નો-કેટલ ઝોન વિસ્તારમાં સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે-સાથે પશુઓને રાખવાના સ્થળોની ચકાસણી, લાયસન્સ-પરમિટની તપાસ, પશુ શિફ્ટીંગ અને કડક એન્ફોર્સમેન્ટ હાથ ધરવામાં આવી રહ્યું છે. 'ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ'ની સ્થિતિ જાળવવા સતત તપાસલાયસન્સ વિના અથવા લાયસન્સ મુજબની સંખ્યા કરતાં વધુ પશુઓ રાખનાર માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લાયસન્સ ધરાવતા પશુ માલિકોને પશુઓ શહેર બહાર ખસેડવાની તક આપવામાં આવે છે અને સમયમર્યાદામાં પાલન ન થાય તો પશુઓ પકડીને ઢોરવાડામાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત 'ઝીરો ટોલરન્સ ટુ કેટલ ન્યુસન્સ'ની સ્થિતિ સતત જાળવી રાખવા માટે સંયુક્ત ટીમો દ્વારા નિયમિત અને સધન ચકાસણી કરવામાં આવી રહી છે. અભિયાન અંતર્ગત 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા આ અભિયાન અંતર્ગત દક્ષિણ ઝોનના મણિનગર વિસ્તારમાં તાજેતરમાં CNCD, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, લોકલ પોલીસ, એસ.આર.પી. તથા એસ્ટેટ વિભાગની સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 19 લાયસન્સ/પરમિટ હેઠળના કુલ 94 પશુઓને શહેર બહાર ખસેડવામાં આવ્યા હતા તેમજ 19 વાડા અને 1 પાણીનો હવાડો દૂર કરવામાં આવ્યો છે. નો-કેટલ ઝોન એરિયામાં સૂચક બોર્ડ પણ લગાડવામાં આવ્યા છે. આ અભિયાનનો અમલ સ્ટેડિયમ, મોટેરા, વાડજ, નારણપુરા, નવરંગપુરા, એરપોર્ટ, સોલા, ઘાટલોડિયા, મણિનગર, કાંકરીયા, ખાડીયા અને સારંગપુર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવ્યો છે. પશુ માલિકો પાસે જો મંજૂરીથી વધારે ઢોર હશે તો કાર્યવાહી કરાશેશહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ, ઉત્તર ઝોનના સરદારનગર વોર્ડ, મધ્ય ઝોનના ખાડીયા વોર્ડ, દક્ષિણ ઝોનના મણિનગર વોર્ડ અને કાંકરીયા તથા પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડ, સ્ટેડિયમ, પાલડી વોર્ડ, નવાવાડજ વોર્ડ, નારણપુરા વોર્ડ, ચાંદખેડા વોર્ડ, મોટેરા અને સાબરમતી વિસ્તારોને ‘નો કેટલ ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઢોર પકડવાની કામગીરીમાં અડચણરૂપ થનાર પશુ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. પશુ માલિકો દ્વારા ઢોરવાડામાં લાયસન્સ વિના અથવા તો મંજૂરીથી વધારે જો ઢોર હશે તો તેમાં કાર્યવાહી કરવામાં આવશે.
લક્ષ્મી ગ્રુપ સહિત અન્ય લોકો સામે આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેરેથોન કાર્યવાહી સતત 7 દિવસ સુધી ચાલી હતી. જેમાં કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યા છે. 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સાથે ડુમ્મસ રોડ પર સૂચિત ફાઇવ સ્ટાર હોટલ પ્રોજેક્ટ શરૂ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાયો છે. આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે, આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદામાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે. ખાસ કરીને બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ સોદાએ હવે સરકારી એજન્સીઓમાં દોડધામ મચાવી દીધી છે. હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર આવકવેરા વિભાગની નજર સુરતના પોશ ગણાતા ડુમ્મસ રોડ પર ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ થાય તે પૂર્વે જ આ જમીન સોદો મોટા વિવાદમાં સપડાયો છે. આ હાઈ-પ્રોફાઈલ જમીન સોદા પર હાલ આવકવેરા વિભાગની કડક નજર છે. તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ માટે જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તેમાં મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાની પૂરેપૂરી શક્યતા છે. આ પ્રોજેક્ટ અત્યારે ડેવલપર્સ અને રોકાણકારો માટે ચર્ચાનો વિષય બન્યો છે. મુન્ના ઓલપાડીની મુખ્ય ભૂમિકા પર તપાસનો ગાળિયોઆવકવેરા વિભાગની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, આ કરોડોની જમીનનો સોદો બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડી દ્વારા પાર પાડવામાં આવ્યો હતો. આ સોદો અંદાજે 4 મહિના પહેલા કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓના ધ્યાન પર આવ્યું છે. મુન્ના ઓલપાડીની જમીન લે-વેચની પદ્ધતિ અને તેના નેટવર્ક અંગે અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે સુરતના જમીન બજારના મોટા ખેલાડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: સુરતના ફાઇનાન્સર મુન્ના ઓલપાડીની ઓફિસ-રહેણાંક પર ITનું 48 કલાક સુધી સર્ચ જમીન સોદામાં માત્ર 25 ટકા રકમ જ વ્હાઈટમાં?17,000 વારના વિશાળ ક્ષેત્રફળ ધરાવતી આ કિંમતી જમીનના સોદામાં નાણાકીય વ્યવહારોની પદ્ધતિએ શંકા જન્માવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, સોદાની કુલ રકમમાંથી માત્ર 25 ટકા રકમ જ સત્તાવાર રીતે ચેકથી અથવા 'વ્હાઈટ'માં દર્શાવવામાં આવી છે. બાકીની 75 ટકા રકમ કઈ રીતે અને કયા માધ્યમથી ચૂકવવામાં આવી છે તે શોધવા માટે અધિકારીઓ મથી રહ્યા છે. આટલા મોટા પાયે રોકડ વ્યવહાર થવો તે ગંભીર કરચોરી તરફ સ્પષ્ટ સંકેત આપે છે. અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડી પર સામૂહિક દરોડાઆવકવેરા વિભાગે ઓપરેશન દરમિયાન વ્યૂહાત્મક રીતે કાર્યવાહી કરી હતી. સૌપ્રથમ બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અનિલ બગદાણાના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના ગણતરીના મિનિટોમાં જ અધિકારીઓની બીજી ટીમ પાલ રોડ પર સ્થિત બ્રિજેશ ઠક્કર ઉર્ફે મુન્ના ઓલપાડીના નિવાસસ્થાને અને ઓફિસે ત્રાટકી હતી. આ બંને વચ્ચેના આર્થિક તાર જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. આ દરોડા દરમિયાન અધિકારીઓને અનેક વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ હાથ લાગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ પણ વાંચો: ભાજપ પર આડકતરું નિશાન સાધતા ધીરુ ગજેરાને સવાલ કરતાં ભાગ્યા 1900 કરોડના ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યાઆવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા સાત દિવસ સુધી ચાલેલી આ લાંબી કાર્યવાહીના અંતે કુલ 1900 કરોડ રૂપિયાના બેનામી ટ્રાન્ઝેકશન શોધી કાઢવામાં આવ્યા છે. આ દરોડા લક્ષ્મી ડાયમંડ ગ્રુપ, અનિલ બગદાણા અને મુન્ના ઓલપાડીને ત્યાં પાડવામાં આવ્યા હતા. તપાસના અંતે 30 કરોડ રૂપિયાની રોકડ અને સોના-ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આટલી મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળતા આગામી દિવસોમાં આ કેસ વધુ ગંભીર વળાંક લેશે અને અન્ય લોકો પણ સકંજામાં આવશે. 30થી વધુ બેંક લોકરો ટાંચમાં લેવાયાદરોડા દરમિયાન માત્ર રોકડ જ નહીં પરંતુ અન્ય સંપત્તિઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ શંકાસ્પદ વ્યક્તિઓના નામે રહેલા 30થી વધુ બેંક લોકરોને હાલ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ લોકરોને આગામી દિવસોમાં કાયદેસરની પ્રક્રિયા હેઠળ ઓપરેટ કરવામાં આવશે, જેમાં વધુ રોકડ અથવા બેનામી મિલકતના દસ્તાવેજો મળવાની પૂરેપૂરી સંભાવના છે. આ લોકરો ખુલતાની સાથે જ કરચોરીનો સાચો આંકડો અને જટિલ નેટવર્કની વધુ વિગતો સપાટી પર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો: પ્રવીણ અગ્રવાલનો PMOને પત્ર ને લક્ષ્મી ગ્રુપ પર ITની તવાઈ હવાલા નેટવર્ક અને ઈડીની સંભવિત એન્ટ્રીમુન્ના ઓલપાડી દ્વારા કરવામાં આવેલા આ જમીન સોદામાં હવાલા મારફતે નાણાંની હેરફેર કરવામાં આવી હોવાની તપાસ ચાલી રહી છે. આવકવેરા વિભાગ હવે આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મદદ લેવાનું વિચારી રહ્યું છે, કારણ કે નાણાં વિદેશ મોકલવામાં આવ્યા હોવાના સંકેતો મળ્યા છે. જો હવાલાના પુરાવા મજબૂત બનશે, તો મુન્ના ઓલપાડી અને તેના સાથીદારો પર મની લોન્ડરિંગના કાયદા હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે, જેનાથી તેમની મુશ્કેલીઓ અનેકગણી વધી શકે છે. લક્ષ્મી ડાયમંડ ગ્રુપની કરચોરીની મોડસ ઓપરેન્ડીલક્ષ્મી ડાયમંડ ગ્રુપ પરના દરોડામાં હીરાના વેપારમાં થતી ગેરરીતિઓ પણ બહાર આવી છે. ગ્રુપ દ્વારા બોગસ ખર્ચાઓ બતાવીને અને હીરાની રોકડમાં લે-વેચ કરીને મોટા પાયે ટેક્સચોરી કરવામાં આવતી હતી. અધિકારીઓએ એક ખાનગી ફ્લેટમાં છુપાવી રાખેલા લેપટોપ, પેન ડ્રાઇવ અને અગત્યના દસ્તાવેજો કબજે કર્યા છે. આ ડિજિટલ પુરાવાઓમાંથી ડાયમંડ ઉદ્યોગના અન્ય મોટા માથાઓ સાથેના વ્યવહારોની વિગતો પણ મળે તેવી શક્યતા છે, જે તપાસના વ્યાપને સુરતથી મુંબઈ સુધી વિસ્તારી શકે છે. આ પણ વાંચો: સુરતના ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર ITની રેડ મુન્ના ઓલપાડીનું રિયલ એસ્ટેટ નેટવર્કમુન્ના ઓલપાડી માત્ર જમીન દલાલ તરીકે જ નહીં પરંતુ રિયલ એસ્ટેટમાં પાવરફુલ કમાન્ડ ધરાવતો હોવાનું બહાર આવ્યું છે. પાલ અને રાંદર રોડ પર બનતા નવા પ્રોજેક્ટ્સમાં તે દુકાનો અને શો-રૂમ્સ અગાઉથી જ ખરીદી લેતો હતો અને બાદમાં તેને ઉંચા ભાવે રોકડમાં વેચતો હતો. તેની પાસે એક જાણીતી હોટલ અને કલબની કમાન પણ હોવાની માહિતી મળી છે. આ રોકડ વ્યવહારોના પાકા પુરાવા એકત્ર કરવા માટે ઇન્કમટેક્સ વિભાગની ટીમ અત્યારે દિવસ-રાત મહેનત કરી રહી છે. બોગસ લોન અને ટેક્સ ચોરીનું મોટું કૌભાંડદરોડા દરમિયાન એવા અનેક પુરાવા મળ્યા છે જેમાં કરોડપતિ કરદાતાઓએ લાખો રૂપિયાની બોગસ લોન બતાવીને ટેક્સની ચોરી કરી હતી. આ લોકોએ નકલી ખર્ચાઓ ઉભા કરીને પોતાની આવક ઓછી દર્શાવી હતી. મુન્ના ઓલપાડીના સાથીદારો અને તેની સાથે સંકળાયેલા અન્ય ગ્રુપની પણ હવે વિગતો મેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ તમામ વ્યક્તિઓને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવવામાં આવશે, જેથી ડુમ્મસ રોડની જમીન અને અન્ય બેનામી મિલકતોનું સંપૂર્ણ સત્ય બહાર આવી શકે.
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભીકડા ગામમાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ડામવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ સાથે ઘર્ષણ કરી સરકારી ફરજમાં રૂકાવટ કરી તપાસ ટીમ સાથે બોલાચાલી કરીને JCB ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટતા આ મામલે વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી, આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકે થી જણાવા મળતી વિગતો અનુસાર ભાવનગર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના ઈન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી ભરત મગનભાઈ જાલોંધરાએ ફરિયાદ નોંધાવી હતી કે, આજે મંગળવારે સર્વેયર અશ્વિનભાઈ વારોતરીયા અને સિક્યુરીટી સ્ટાફ ભીકડા ગામની પશ્ચિમ દિશામાં આવેલ ગૌચર વિસ્તારમાં તપાસ અર્થે ગયા હતા ત્યાં એક નંબર પ્લેટ વગરનું પીળા રંગનું JCB જેના કાચ પર 'Mogal' લખેલું હતું, ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ કરતું ઝડપાયું હતું, ખનીજ વિભાગની ટીમે જ્યારે ચાલક હારીતસિંહ હનુભા ગોહિલ રહે.ભીકડા પાસે પાસ-પરમિટની માંગણી કરી, ત્યારે તેની પાસે કોઈ આધાર પુરાવા નહોતા, આથી ટીમે જ્યારે JCB સીઝ કરીને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરી, ત્યારે ચાલકે ઉશ્કેરાઈ જઈને સરકારી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી અને ગેરવર્તણૂક કરી હતી, તેમજ તેણે તકનો લાભ ઉઠાવી આરોપી હારીતસિંહ પોતાનું JCB લઈને ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સિક્યુરીટી ગાર્ડ દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો છે, આ મામલે ભરત જાલોંધરાએ આરોપી વિરુદ્ધ રાજ્ય સેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ વરતેજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગો વિમાનની પાંખો વચ્ચે ટક્કર, મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
Mumbai Airport: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી, જ્યારે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એરલાઈન્સના બે વિમાનોની પાંખો એકબીજા સાથે અથડાઈ, આ ઘટના ગ્રાઉન્ડ મુવમેન્ટ દરમિયાન ઘટી હતી. એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ માટે પુશબેક પ્રક્રિયામાં હતું, જ્યારે ઇન્ડિગોનું વિમાન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું. ત્યારે બંને વિમાનની પાંખો એકબીજા સાથે ટકરાઇ હતી. રાહતની વાત એ છે કે દુર્ઘટનામાં તમામ મુસાફરો હેમખેમ છે.
પાળીયાદ વિહળધામ સદીઓથી આસ્થાનું કેન્દ્ર:અમાસ અને તહેવારોએ હજારો ભક્તો દર્શનાર્થે ઉમટે છે
બોટાદ જિલ્લામાં આવેલું પાળીયાદ વિહળધામ ગુજરાતના પ્રખ્યાત ધાર્મિક સ્થળો પૈકી એક છે. આ ધામ સદીઓથી શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. અમાસ અને વિવિધ તહેવારો દરમિયાન અહીં હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ઠાકર રઘુનાથના મંદિર ખાતે નિયમિતપણે ધ્વજારોહણ, મહાપ્રસાદ અને રક્તદાન શિબિર જેવી અનેક સામાજિક તથા ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના ખૂણેખૂણેથી ભક્તો પગપાળા ચાલીને ઠાકરના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ધન્યતા અનુભવે છે. અહીં તમામ હિન્દુ તહેવારોની ભાવપૂર્વક ઉજવણી થાય છે. ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પાળીયાદ જગ્યામાં દર્શનનો લાભ લે છે. વિહળધામની ઓળખ ટુકડો ત્યાં હરિ ઢુકડોની કહેવતને સાર્થક કરવા માટે છે, જ્યાં વર્ષોથી યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર કાર્યરત છે. આ અન્નક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ વિના સૌને ભાવપૂર્ણ ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. દૂર દૂરથી આવતા મહેમાનોને રોટલો અને ઓટલો આપી આદર સત્કાર કરવામાં આવે છે. પરમ પૂજ્ય નિર્મળાબા અને ભયલુ બાપુના સત્કાર્ય ભાવથી દુઃખી મને આવતો વ્યક્તિ પણ સુખી થાય તેવા દિવ્ય વાતાવરણની હરિભક્તો અનુભૂતિ કરે છે. વિહળધામ દ્વારા અનેક સામાજિક ઉત્થાન, શૈક્ષણિક જાગૃતિ અને અબોલ જીવો માટે સેવા કાર્યો પણ હાથ ધરવામાં આવે છે. બોટાદ જિલ્લાની મુલાકાત લેતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે વિહળાનાથની આ જગ્યાના દર્શન કરવા એક મહત્વપૂર્ણ સ્થળ છે.
ચાંદીના ભાવમાં રૂ.32000ની તો સોનામાં રૂ.6500ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ
Today Gold and Silver Rates : સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં આજે ધરખમ ઉછાળો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક જ દિવસમાં રૂ. 32,000થી વધુનો વધારો થયો છે. ચાંદીમાં રૂ.
શહેરના આશ્રમ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરે બારીનો કાચ કાઢીને તીક્ષ્ણ હથિયારથી સળિયો કાપીને બેંકમાં ઘૂસ્યો હતો. જોકે કોઇ કિંમતી સામાન ન હોવાથી ચોરી થઇ ન હતી માત્ર નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટના બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ મામલે ચીફ મેનેજરે અજાણ્યા ચોર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. કેશરૂમની અંદર ત્રણ ચેમ્બરોના ડ્રોવરો ખુલ્લા હતાઆ અંગેની વિગત એવી છે કે, મોટેરામાં રહેતા પ્રહલાદભાઇ પંડિત આશ્રમ રોડ પર આવેલા બેંક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે નોકરી કરે છે. 2 ફ્રેબ્રુઆરીએ સવારે તેમના સ્ટાફના કર્મીએ ફોન કરીને જણાવ્યું કે બેંકના દરવાજાનું લોક ખોલીને બેંકમાં જતા ટોયલેટ તરફની તિજોરીઓ ખુલ્લી હતી. તેમજ લોબીમાં રહેલ બારીનો કાચ અને સળિયો તૂટેલી હાલતમાં હતો. જેથી કર્મીએ બેંકમાં તપાસ શરૂ કરી હતી. જેમાં કેશરૂમની અંદર ત્રણ ચેમ્બરોના ડ્રોવરો પણ ખુલ્લી હાલતમાં હતા. મેનેજરની અજાણ્યા ચોર સામે ફરિયાદબેંકમાં લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોડી રાત્રીના 2.26 વાગ્યે એક યુવકે ગળામાં મફલર લપેટીને અને હાથમાં મોજા પહેરીને આવ્યો હતો. તેને હેક્સા બ્લેડ જેવા હથિયારથી બારીનો કાચ કાઢીને સળિયો કાપીને બેંકમાં ઘૂસ્યો હતો અને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેંકમાંથી કોઇ વસ્તુ ચોરીને લઇ ગયો હોય તેમ જણાતું ન હતું. ચોરે માત્ર નુકસાન કર્યુ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મેનેજરે અજાણ્યા ચોર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું વર્ષ 2026-27નું રૂ. 991 કરોડનું ડ્રાફ્ટ બજેટ ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં AMTS કમિટીના ભાજપના ચેરમેન ધરમશી દેસાઈ દ્વારા રૂ. 20 કરોડના સુધારા સાથે રૂ. 1011 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂપિયા 9 કરોડ મેળવી વધુ 4 ઇલેક્ટ્રીક ડબલ ડેકર બસો ખરીદવામાં આવશે. ઘરમાં રૂમમાં શુદ્ધ હવા રહે તેના માટે રૂમ ફ્રેશનર-પ્યોરિફીકેશન હોય એવી રીતે બસમાં પણ પ્યોરીફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. વર્ષ 2026-27માં 1600 બસો સંચાલનમાં મૂકાશેAMTS કમિટીના ચેરમેન ધર્મસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરીજનોને સ્થળેથી બીજા સ્થળે જવા માટે બસોની સુવિધા પૂરી પાડે છે જે અંતર્ગત બજેટ વર્ષ 2026-27 દરમિયાન 1600 જેટલી બસો સંચાલનમાં મૂકવામાં આવશે. તમામ રૂટનું વિગતવાર એનાલિસિસ કરી જરૂરીયાત મુજબ બસોની ફ્રિકવન્સી વધારવામાં આવશે જેના માટે ટેકનોલોજીનો પણ ચાલુ વર્ષે ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ડાયનામિક શિડ્યુલિંગ સોફ્ટવેર ઓપ્ટિમાઇઝેશન કરવામાં આવશે જેની પાછળ ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સિસ્ટમ લગાવવાના કારણે કયા રૂટ ઉપર વધારે બસોની જરૂરિયાત છે તેની જાણકારી મળશે. હવા શુદ્ધ રાખવા બસમાં એર પ્યોરીફિકેશન સિસ્ટમવધુમાં તેમણે જણાવ્યું હતું કે 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી દરેક ઝોનમાં પાંચ ટ્રી બસ શેલ્ટર બે કરોડ રૂપિયાના ખર્ચે, પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન પ્રોજેક્ટ પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને રેટ્રોફિટ તૈયાર પ્યોરીફિકેશન સિસ્ટમ લગાવવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 3 કરોડના ખર્ચે 70 એસી બસોમાં લગાવવામાં આવશે. વર્ણી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જમાલપુર ડેપો ખાતે 50 વર્ષ જૂની જર્જરીત હાલતમાં રહેલી સ્ટોર બિલ્ડિંગ નવી બનાવવામાં આવશે. સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ કરાશેબસમાં મુસાફરી કરનારા મુસાફરો સાથે કંડકટર અને ડ્રાઇવર દ્વારા યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવે તેના માટે સ્ટાફ બિહેવિયર ટ્રેનિંગ પ્રોગ્રામ પણ કરવામાં આવશે જેના માટે 20 લાખ રૂપિયાનો ખર્ચ એમટીએસ રેવન્યુ બચતમાંથી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અને તેની આસપાસના ગામો જેવા કે કુંજાડ, ઉન્દ્રેલ, હલદરવાસ, મહેમદાવાદ, દહેગામ, કરોલી, વામજ કલોલ, મોતીપુરા, સાણંદ, માધવનગર, બાવળા, કાસીન્દ્રા અને બારેજા સુધી બસ સુવિધાઓ આપવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં 47.98 લાખ રૂપિયાના હેરોઈન ડ્રગ્સ કાંડમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. રાતડાની બદલી કરવામાં આવી છે. વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ મુજબ તેમને લીવ રિઝર્વમાં મોકલવામાં આવ્યા છે. આ કાંડમાં SOGના જવાન લક્ષ્મીકાંત દેસાઈની પણ ધરપકડ થઈ હતી, જેના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ ટીમે તાજેતરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ કરીપોલીસે આરોપી લક્ષ્મીકાંત દેસાઈના ઘરમાંથી નાણાકીય તપાસ માટે બેંક એકાઉન્ટની વિગતો કબજે કરી છે. આ ઉપરાંત વિવિધ બેંક ટ્રાન્ઝેક્શનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીને લઈને ડ્રગ્સ કાંડની તપાસમાં નવી દિશા મળી શકે છે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં SOGના જવાન લક્ષ્મીકાંત દેસાઈની ધરપકડ બાદ પોલીસે તેના ઘરમાં તપાસ કરી હતી, જે દરમિયાન નાણાકીય વ્યવહારોના પુરાવા મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ટ્રાન્ઝેક્શનની વિગતવાર તપાસ શરૂ કરી દીધી છે, જેથી ડ્રગ્સના વેપારી નેટવર્ક અને તેના સંબંધોની વધુ માહિતી મેળવી શકાય. આ કાંડની તપાસ હવે ડ્રગ્સના વેચાણ સાથે જોડાયેલા આર્થિક વ્યવહારો અને સંભવિત અધિકારીઓની ભૂમિકા પર કેન્દ્રિત થઈ ગઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓની પૂછપરછ તેમજ નાણાકીય પુરાવાઓના આધારે આગળની તપાસ ઝડપથી આગળ ધપાવવાની તૈયારી કરી છે. લક્ષ્મીકાંત દેસાઇને સીમકાર્ડ વાપરવા આપનાર સાગરની SMC દ્વારા પૂછપરછઆરોપી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી તેના રેગ્યુલર નંબર સિવાય અન્ય એક મોબાઇલ બીજુ સિમકાર્ડ મળ્યું હતું. તે સિમકાર્ડની વિગત કંપની પાસે પોલીસે માંગી હતી. જેમાં આ વ્યક્તિનું નામ સાગર પાટોડે હોવાનું બહાર આવ્યું હતું. જેથી એસએમસીની ટીમે વડોદરા આવી હતી અને આ સીમકાર્ડ કેમ લક્ષ્મીકાંત દેસાઇ આપ્યું હતું. તેની પૂછપરછ કરતી હતી ત્યારે સાગરે ડાઇરેક્ટ નહી પરંતુ અન્ય એક મિત્ર દ્વારા મુલાકાત એએસઆઇ સાથે થયા બાદ વાપરવા માટે આપ્યું હોવાનુ જણાવ્યું હતું. પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેઈલ કઢાવી હતીઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેલડર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સરવણસીંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેઈલ કઢાવી હતી. વડોદરા શહેર SOG બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, સુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ SMC દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),222(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ASI લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતીSMCની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત તમામ આધાર કેન્દ્રો આગામી તારીખ 6 ફેબ્રુઆરીને શુક્રવારના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે તમામ આધાર કેન્દ્રો ખાતે ફરજ બજાવતા ઓપરેટરો અને સુપરવાઈઝરો માટે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. UIDAI દ્વારા આયોજિત Universal client for master trainers વિષય હેઠળની આ તાલીમ કલેક્ટર કચેરી ખાતે યોજાનાર છે. તમામ સ્ટાફ માટે આ તાલીમમાં હાજર રહેવું અનિવાર્ય હોવાથી એક દિવસ માટે જાહેર જનતા માટેની સેવાઓ સ્થગિત રહેશે. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આધાર પ્રક્રિયાને વધુ સચોટ અને આધુનિક બનાવવાનો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાલીમ પૂર્ણ થયા બાદ બીજા દિવસથી તમામ કેન્દ્રો પર રાબેતા મુજબ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. રાજકોટના નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા અને તે મુજબ પોતાના કામનું આયોજન કરવા વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે લોકો નં. 0281-2221640 પર સંપર્ક કરી શકે છે. જોકે મનપાનાં તમામ આધારકાર્ડ કેન્દ્રો શુક્રવારે આખો દિવસ બંધ રહેતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડશે. રાજકોટમાં અનધિકૃત રીતે જાહેરાતનાં બોર્ડ,બેનર અને પોસ્ટર લગાડનારા 10ને નોટિસ રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ વગેરે જગ્યાઓ પર અનધિકૃત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત દબાણ હટાવ શાખાએ જાન્યુઆરીમાં કુલ ૧૦ આસામીઓને નોટીસ ફટકારી છે. જેમાં હેતલ હેપી હોમ, આત્મન પ્રી સ્કુલ, હરિકૃષ્ણ સીટી, હોટલ વીબી ઈન, જે.જે.ટુટોરીયલ્સ, સેન્ચુરી રીગાલીયા, જય ગણેશ ટોયોટા, અર્બન વિવાહ, જે. ડી.મોલ અને જતન ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ સાથે જ મનપાએ જાહેર કર્યું છે કે, રાજકોટ શહેરના મુખ્ય માર્ગો, સર્કલો, ડીવાઈટર, પોલ ઉપર કોઈપણ પ્રકારની અનધિકૃત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્ટર લગાવવા નહિ.રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર અનઅધિકૃત રીતે આવા બોર્ડ કે બેનર લગાવનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી 9 ટીપી સ્કીમ માટે એજન્સીની નિમણૂક કરાશે, ટેન્ડર જાહેર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા ભળેલા વિસ્તારોના ઝડપી વિકાસ માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મનપાએ નવી 9 ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમ તૈયાર કરવા માટે એજન્સી રોકવા ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે. અત્યાર સુધીમાં મનપાએ કુલ 59 ટીપી સ્કીમનો ઇરાદો જાહેર કર્યો છે, જેમાંથી 40 સ્કીમને પ્રારંભિક મંજૂરી મળી છે અને 19 સ્કીમના ડ્રાફ્ટ મંજૂર થઈ ચૂક્યા છે. હવે બાકી રહેલી સ્કીમો અને નવા વિસ્તારોમાં સર્વે તથા માપણીની કામગીરી વેગવંતી બનાવવા માટે આ નિર્ણય લેવાયો છે. કામગીરી હેઠળ પસંદ થનાર એજન્સીને 5 વર્ષ જવાબદારી સોંપવામાં આવશે. જેમાં ડીજીપીએસ મશીન દ્વારા માપણી કરવી, નગરરચના યોજનાઓ માટે બેઝમેપ તૈયાર કરવા, રેકોર્ડ પ્રમાણિત કરવા, ડિમાર્કેશન જેવી મહત્વની કામગીરીનો સમાવેશ થાય છે. ખાસ કરીને વાવડી, કોઠારીયા અને મવડી જેવા વિસ્તારોમાં ડ્રાફ્ટની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે અન્ય ગામોમાં આ પ્રક્રિયા શરૂ કરાશે. આ પ્રોજેક્ટ માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શક આયોજન કરવામાં આવશે. શહીદ સુખદેવ ટાઉનશિપમાં નબળા બાંધકામનો આક્ષેપ, આંગળીના ટેરવે ઉખડી રહી છે લાદી રાજકોટના શીતલ પાર્ક નજીક આવેલી શહીદ સુખદેવ ટાઉનશિપમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે. વર્ષ 2022 માં તૈયાર થયેલા આવાસ યોજનામાં અત્યારથી જ નબળા બાંધકામની પોલ ખુલી રહી હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ ટાઉનશીપમાં કુલ 448 જેટલા ફ્લેટ ધારકો વસવાટ કરે છે, જેમાંથી અનેક મકાનોમાં ફ્લોરિંગની લાદીઓ ઉખડી ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે બાંધકામ દરમિયાન લાદી ફિટિંગમાં સિમેન્ટનો બહુ ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે માત્ર આંગળીઓના ટેરવે અડવાથી પણ લાદીઓ આખી ઉખડી રહી છે. આ મામલે રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ માંગ કરી છે કે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે. માત્ર 4 વર્ષના ગાળામાં મકાનોની હાલત બિસ્માર થવા લાગતા લોકોના જાન-માલના જોખમ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ નાણાં ખર્ચીને ઘર લેનારા મધ્યમ વર્ગના પરિવારો આ નબળા બાંધકામને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા સરકારી વસાહતમાં આઠમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે પરિવારજનો બહાર નીકળવા લાગ્યા હતા. જોકે, દસ વર્ષની બાળકી રૂમમાં ફસાઈ ગઈ હતી જેથી ફાયર બ્રિગેડના જવાનોએ બાળકીને રૂમાંથી કાઢી બચાવી લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સરકારી વસાહતમાં આઠમા માળે આગ લાગીમળતી માહિતી મુજબ વસ્ત્રાપુર સરકારી લાયબ્રેરી સામે આવેલી સરકારી વસાહતમાં આજે 3 ફેબ્રુઆરીના રોજ 8મા માળે આવેલા મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગે તાત્કાલિક રવાના થઈ ઝડપી કામગીરી હાથ ધરી હતી. સ્થળ પર એક વોટર બાઉઝર (20 KL), એક ફાયર ફાઇટર, ચાર ફર્સ્ટ રિસ્પોન્ડર અને એક H.P.L. સહિત કુલ 7 ફાયર વાહનો મોકલવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં આગ અને ધુમાડો વધુ થયો હતો જેથી પાણીનો મારો ચલાવ્યો હતો. રૂમમાં 10 વર્ષની બાળકી આગની વચ્ચે ફસાઈ હતીઆગ લાગતાની સાથે જ ઘરમાં પરિવારજનો બહાર નીકળી ગયા હતા. જોકે રૂમમાં એક 10 વર્ષની બાળકી આગની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને ફાયરના જવાનોએ તરત જ બહાર કાઢી લીધી હતી. આસપાસના રહેવાસીઓએ પણ ફાયર વિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી મળી હતી. અંદાજે રૂ.50 હજાર જેટલી માલમત્તાનું નુકસાન થયું છે. લાંભા-નારોલ હાઇવે ઉપર ટ્રકમાં આગ લાગી હતીજ્યારે શહેરના લાંભા-નારોલ હાઇવે ઉપર એક ટ્રકમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે રોડ ઉપર ટ્રકમાં આગ લાગી હતી જેને લઈને લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી.
ગોધરા શહેરની મેસરી નદીના કાંઠે આવેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ 200થી વધુ અસરગ્રસ્ત પરિવારોએ 3 ફેબ્રુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયા સમક્ષ રજૂઆત કરી હતી. ગોધરા નગરપાલિકાએ 200થી વધુ દબાણકર્તાઓને સાત દિવસમાં દબાણ દૂર કરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસને કારણે મોટી સંખ્યામાં પરિવારો અચાનક બેઘર થવાની ભીતિ અનુભવી રહ્યા છે. રજૂઆત દરમિયાન રહીશોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી મેસરી નદીકાંઠે વસવાટ કરી રહ્યા છે. અચાનક આપવામાં આવેલી નોટિસને કારણે તેમના માટે વૈકલ્પિક રહેઠાણ શોધવું મુશ્કેલ બન્યું છે. રહીશોએ દબાણ દૂર કરવાની કાર્યવાહી માટે વધુ સમય આપવાની માંગ કરી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયાએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રમઝાન માસ બાદનો સમયગાળો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી. આ ખાતરીથી અસરગ્રસ્ત પરિવારોમાં રાહતની લાગણી પ્રસરી છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે મંગળવારે સાંજે એક અઢી વર્ષના બાળકને રખડતી ગાયે હુમલો કરી ઘાયલ કર્યો હતો. ગામમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તાત્કાલિક બાળકને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ ઘટના સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી.ચંદ્રુમાણા ગામના ગોગા વાળા વાસમાં અરવિંદજી ઠાકોરનો બે વર્ષનો દીકરો રૂદ્ર શેરીમાં રમી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાયે બાળકને શિંગડા વડે હુમલો કર્યો હતો, જેના કારણે બાળક નીચે પટકાયો હતો.બાળકને મોઢા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ગાયના હુમલાથી તે ઘાયલ થયો હતો. આ સમયે ગામમાં બંદોબસ્ત માટે નીકળેલી પાટણ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ત્યાંથી પસાર થઈ રહી હતી. પોલીસકર્મીઓએ તાત્કાલિક બાળકને ગાયથી છોડાવી પોતાની સરકારી ગાડીમાં બેસાડી હોસ્પિટલ જવા રવાના થયા હતા. રસ્તામાં 108 ઈમરજન્સી વાનને ફોન કરતા, અડિયા ખાતેથી 108 વાન મળી હતી અને બાળકને વધુ સારવાર માટે પાટણ ખાતે લઈ જવાયો હતો.બાળકને બચાવવાના પ્રયાસમાં પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમભાઈ શંકરભાઈને પણ ઈજાઓ થઈ હતી.
જામનગર પૂર્વ વિરોધપક્ષ નેતા પર હત્યા પ્રયાસનો મામલો:આરોપી અલ્તાફ ખફીના આગોતરા જામીન રદ
જામનગરમાં એક કોર્પોરેટર પર થયેલા હુમલાના પ્રયાસ કેસમાં આરોપી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી છે. આ ઘટના લગભગ સવા મહિના પહેલા બની હતી. ગત 29 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 7:30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અસલમભાઈ ખીલજી (જેઓ તાજેતરમાં કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા) JMCમાંથી નીકળી રહ્યા હતા. ભીડભંજન મંદિર પાસે તેઓ પોતાની મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ફોર-વ્હીલ કારે પાછળથી ટક્કર મારી તેમને પાડી દીધા હતા. કારમાંથી જુનેદ ઉર્ફે પાવડરીયો (તલવાર સાથે), ઇસ્તિયાક (લોખંડના પાઇપ સાથે) અને સમીર ઉર્ફે ચોટલી (લાકડાના ધોકા સાથે) બહાર આવ્યા હતા. તેઓએ અસલમભાઈ ખીલજીને જણાવ્યું કે તેમને કોર્પોરેટર અલ્તાફભાઈ ખફીએ મોકલ્યા છે અને પૂછ્યું કે તેઓ અલ્તાફભાઈ ખફી સામે કેમ થાય છે. હુમલાખોરોએ તેમને પતાવી દેવાની ધમકી આપી તલવાર, લોખંડના પાઇપ અને ધોકા વડે આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન રાહદારીઓએ 108ને જાણ કરતા અસલમ ખીલજીને સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમના ભત્રીજા શાહનવાઝ મોહમદ ખીલજીએ જામનગર પોલીસ સ્ટેશનમાં જુનેદ ઉર્ફે પાવડરીયો રજાક ચૌહાણ, સલીમ વલીભાઈ ખીલજી, ઇસ્તિયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલભાઈ ચૌહાણ અને અલ્તાફભાઈ ખફી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ કેસમાં આરોપી અલ્તાફભાઈ ગફારભાઈ ખફીએ જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. તેમના વકીલે રજૂઆત કરી હતી કે અલ્તાફભાઈ સમાજમાં આગેવાન અને સામાજિક કાર્યકર છે, ચાર ટર્મથી કોર્પોરેટર છે અને ઘટનાસ્થળે હાજર ન હતા. તેમણે અન્ય સ્થળે હાજર હોવાના ફોટોગ્રાફ્સ પણ રજૂ કર્યા હતા. વકીલે દલીલ કરી હતી કે ઇજાગ્રસ્ત અસલમભાઈ ખીલજી અલ્તાફભાઈની રાજકીય કારકિર્દીનો વિકાસ જોઈ ઈર્ષ્યાથી પ્રેરાઈને ખોટી રીતે તેમને આ કેસમાં સંડોવી રહ્યા છે, તેથી તેમને આગોતરા જામીન પર મુક્ત કરવા જોઈએ. આ દલીલો સામે સરકારી વકીલ રાજેશ વસિયરે સરકાર પક્ષે રજૂઆત કરી હતી કે આ સમગ્ર કાવતરું અલ્તાફભાઈ ખફી દ્વારા જ કરવામાં આવ્યું હતું. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે અલ્તાફભાઈ ખફીની આગોતરા જામીન અરજી રદ કરી હતી. અસલમભાઈ ખીલજીને મલ્ટીપલ ફેકચર કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા જાહેર સ્થળ ઉપર કોઈપણ જાતનાં ભય વગર ઈજા પામનાર ને જાન થી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે.તેમજ અસલમભાઈ ખીલજી ઉપર હુમલો કલાક 19:45વાગ્યા આસપાસ થયેલ તે પહેલા 19:40વાગ્યે આરોપી જુનેદ અને અલ્તાફભાઈ ખફી દ્વારા વોટએપ કોલ દ્વારા વાતચીત થયેલ હતી. અને અલ્તાફભાઈ ખફી વિરુધ્ધ અગાઉ પણ 5 જેટલા ગુન્હા નોંધાયેલ હતા.તેમજ અલ્તાફભાઈ ખફી દ્વારા ગુજરાત હાઈકોર્ટ માંથી પણ કવોશીંગ પીટીશન વિથડ્રો કરેલ છે.જે તમામ દલીલો ઘ્યાને લઈ સેશન્સ જજ વિ.પી.અગ્રવાલ દ્વારા કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી ની આગોતરા જામીન અરજી રદ કરેલ છે.ઉપરોકત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર તથા મુળ ફરીયાદી તરફે હર્ષદ એમ. ભટ રોકાયેલ હતા તેમજ સમગ્ર જામીન અરજી ડી.જી.પી જમનકુમાર ભંડેરી નાં માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી.
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે આહીર સમાજ દ્વારા આયોજિત 7મો સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન થયો હતો. આ પ્રસંગે 34 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે વૈવાહિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આહીર સમાજ લોઢવા સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ મેરૂભાઈ વાળા અને અગ્રણી વિજાનંદભાઈ વાળાએ જણાવ્યું હતું કે, સમાજમાં લગ્ન પાછળ થતા બિનજરૂરી ખર્ચને અટકાવવા અને તે રકમનો ઉપયોગ દીકરા-દીકરીઓના શિક્ષણ તથા ઉજ્જવળ ભવિષ્ય માટે થાય તે હેતુથી વર્ષોથી સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ 7મો સમૂહલગ્ન સમાજના દરેક વર્ગના લોકોના સહકારથી સફળ બન્યો છે. આ કાર્યક્રમમાં આર્થિક સ્થિતિના કોઈ ભેદભાવ વિના તમામ પરિવારો સમાન ગૌરવ સાથે જોડાયા હતા, જે સમાજની સંગઠનશક્તિ અને સમાનતાની ભાવના દર્શાવે છે. સમૂહલગ્ન પ્રસંગે આહીર સમાજના જિલ્લાભરના આગેવાનો, સાધુ-સંતો, વરિષ્ઠો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ ઉપસ્થિતિ આપી નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભવ્ય સમારંભમાં અંદાજે 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમાજના એકત્વના સાક્ષી બની એકસાથે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. વ્યવસ્થિત આયોજન અને શિસ્તબદ્ધ વ્યવસ્થાને કારણે સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે પાર પડ્યો. આ વિશાળ સામાજિક કાર્યક્રમને સફળ બનાવવા માટે લોઢવા ગામના યુવાનોની નિષ્ઠાપૂર્વકની મહેનત અને સેવાભાવ પ્રશંસનીય રહ્યો. આયોજનથી લઈને વ્યવસ્થા, સ્વાગત, ભોજન અને સંચાલન સુધી યુવાનોએ જવાબદારીપૂર્વક કામગીરી કરી હતી. આહીર સમાજ દ્વારા યોજાતા આવા સમૂહલગ્નો માત્ર લગ્ન પ્રસંગ નથી, પરંતુ સમાજને સાચી દિશામાં આગળ લઈ જતું એક પ્રેરણાદાયક આંદોલન છે, જે આવનારી પેઢીને સાદગી, સંસ્કાર અને એકતાનું મૂલ્ય શીખવે છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે ખાસ કન્ફેક્શનરી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં કન્ફેક્શનરી ફૂડ કેટેગરીમાં આવતી ચોકલેટ, કેન્ડી અને ટ્રીફલ્સ જેવી ચીજવસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પ્રીમિયમ ક્વોલિટીની ગણાતી અને આકર્ષક પેકિંગમાં વેચાતી કુલ 14 જેટલી વિદેશી અને સ્વદેશી બ્રાન્ડની મોંઘીદાટ ચોકલેટ તથા અન્ય વસ્તુના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તેમાં વપરાતા રંગો અને અન્ય ઘટકો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ તેની ખાતરી કરી જો ભેળસેળ સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગે લીધેલા નમૂનાઓની વિગત - NYRA ELENZA COLOURFUL CHOCOLET MIX (262.5 G. PACK): રામનાથપરા મેઇન રોડ પર આવેલ લક્ષ્મી સ્ટોરમાંથી આ નમૂનો લેવામાં આવ્યો હતો. - NYRA VALENTINE TRUFFLES MILK CHOCO (275 G. PACK): લક્ષ્મી સ્ટોર, રામનાથપરા મેઇન રોડ પરથી તપાસ અર્થે સેમ્પલ લેવાયું. - CHOCOTOWN DUBAI CHOCOLET CENTER FILL MILK BAR (300 G. PACK): લક્ષ્મી સ્ટોર ખાતેથી જ આ ત્રીજો નમૂનો લેવામાં આવ્યો હતો. - T-CON GOLD CELEBRATION PACK (300 G. PACK): જૂના મોરબી રોડ પર આવેલ ગુરુકૃપા સિઝન સ્ટોરમાંથી આ પેક લેવામાં આવ્યું. -KEVIN GOLD DARK STYLE (100 UNITS PACK): ગુરુકૃપા સિઝન સ્ટોર, જૂનો મોરબી રોડ પરથી ડાર્ક ચોકલેટનું સેમ્પલ લેવાયું. - DAZZY TORNUTTE COCONUT FILL BAR (450 G. PACK): ગુરુકૃપા સિઝન સ્ટોર ખાતેથી કોકોનટ બારના નમૂના લેવાયા. - FUNBON CHOCO ORANGE CREAMY CHOCOFILLED CANDY (608 G. PACK): મોચી બજારમાં આવેલ તુલસી એન્ટરપ્રાઇઝમાંથી આ નમૂનો લેવાયો. - FUNBON ECLAIRS CREAMY CHOCOFILLED CANDY (608 G. PACK): તુલસી એન્ટરપ્રાઇઝ, મોચી બજારમાંથી સેમ્પલ મેળવાયું. - SUMMY MAZEDAR MANGO CENTER FILLED CANDY (700 G. PACK): તુલસી એન્ટરપ્રાઇઝ ખાતેથી મેન્ગો કેન્ડીનો નમૂનો લેવાયો. - SUMMY MANGO TONE LOVE CANDY (700 G PACK): આ નમૂનો પણ તુલસી એન્ટરપ્રાઇઝ, મોચી બજારમાંથી જ લેવામાં આવ્યો છે. - NYRA VALENTINE TRUFFLES MILK CHOCO (275 G PACK): તુલસી એન્ટરપ્રાઇઝમાંથી આ બ્રાન્ડનું વધુ એક પેક ચેકિંગમાં લેવાયું. - T-CON DREAMLAND PREMIUM MILK CHOCO (325 G PACK): તુલસી એન્ટરપ્રાઇઝ ખાતેથી પ્રીમિયમ મિલ્ક ચોકલેટનો નમૂનો લેવાયો. - CANDYLAKE TRU LUX TRUFFLE (200GM. PKD.): રામનાથપરા શેરી નં. 01 માં આવેલ શ્રી લક્ષ્મી સિઝન સ્ટોરમાંથી આ સેમ્પલ લેવાયું. - CINTU ROSELLA ROASE FLAVOURED CHOCO HEARTS (325GM PKD.): શ્રી લક્ષ્મી સિઝન સ્ટોર ખાતેથી ગુલાબના ફ્લેવરવાળી આ ચોકલેટના નમૂના લેવાયા. જીવરાજ પાર્ક વિસ્તારમાં 20 ધંધાર્થીઓની તપાસ નમૂના લેવાની કામગીરીની સાથે સાથે ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW (ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ) વાન સાથે શહેરના જીવરાજ પાર્ક મેઇન રોડ વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન કુલ 20 ખાદ્ય પદાર્થના ધંધાર્થીઓના સ્થળ પર જઈને સ્વચ્છતા અને કાયદેસરતાની ચકાસણી કરવામાં આવી હતી.તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે અનેક વેપારીઓ પાસે યોગ્ય ફૂડ લાઈસન્સનો અભાવ છે. આ બાબતે ફૂડ વિભાગે કડક વલણ અપનાવીને કુલ 11 ધંધાર્થીઓને વહેલી તકે લાઈસન્સ મેળવી લેવા માટે સૂચના આપી નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત, મોબાઈલ ટેસ્ટિંગ લેબ દ્વારા સ્થળ પર જ વિવિધ ખાદ્ય ચીજોના કુલ 15 નમૂનાઓની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી.
પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે આ ત્રણ જિલ્લાઓ માટે ₹5490 કરોડની નર્મદા આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના સતત પ્રયાસોના પરિણામે આ યોજનાને મંજૂરી મળી છે. ડૉ. જશવંતસિંહ પરમારે ડિસેમ્બર-૨૦૨૪ થી આ યોજના માટે સતત રજૂઆતો કરી હતી. તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓ, ટેક્નિકલ નિષ્ણાતો અને રાજ્યના ઉચ્ચ નેતૃત્વ સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ કરી હતી. આ પ્રયાસોના ફળસ્વરૂપે ખેડૂતોના હિતમાં આ મોટો સંકલ્પ વાસ્તવિકતા બનવા જઈ રહ્યો છે. આ મહાયોજના અંતર્ગત નર્મદા નદીના પાણીને છેવાડાના ગામડાંઓ સુધી પહોંચાડવાનું આયોજન છે. અંદાજે ૧,૭૪૭ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા ગામડાંઓ સુધી પાણી પહોંચાડવામાં આવશે. પાણીના વહન માટે નહેર પર ૧૦ આધુનિક પમ્પિંગ સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે. આ યોજના દ્વારા ૧૯૬.૫૫ એમ.સી.એમ. (મિલિયન ક્યુબિક મીટર) નર્મદા જળનો ઉપયોગ કરવામાં આવશે. આ યોજનાથી વિસ્તારના ૯૧૨ તળાવો, ૩ મોટા ડેમ અને ૧,૨૩૨ ચેકડેમોને નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આ યોજના કાર્યરત થવાથી પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે. તેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે અને કૃષિ ઉપજમાં નોંધપાત્ર વધારો થશે. આ આર્થિક સમૃદ્ધિ આદિવાસી અને પછાત વિસ્તારોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ગીર સોમનાથ પોલીસે શિક્ષણના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ બેંગ્લોર (કર્ણાટક) ખાતે નર્સિંગના જી.એન.એમ. કોર્સમાં પ્રવેશ અપાવવાના બહાને 60થી 70 વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા અને અસલ દસ્તાવેજો પડાવી લીધા હતા. વેરાવળ સિટી પોલીસે આ કાર્યવાહી કરી છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.એન. ગઢવી અને પો.સ.ઈ. આર.આર. રાયજાદાની દેખરેખ હેઠળ ડી-સ્ટાફ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. ફરિયાદી ભાવિકભાઈ વિનોદભાઈ બોરખતરિયાની ફરિયાદના આધારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી જયસુખગીરી જસમતગીરી અપારનાથી વિરુદ્ધ બી.એન.એસ. કલમ 316(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ વિદ્યાર્થીઓને બેંગ્લોરમાં નર્સિંગના જી.એન.એમ. કોર્સમાં પ્રવેશ અપાવવાનું વચન આપીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીએ વિદ્યાર્થીઓ પાસેથી અસલ માર્કશીટ, પ્રમાણપત્રો સહિતના મહત્વના દસ્તાવેજો અને મોટી રકમ લીધી હતી. જોકે, તેણે ન તો પ્રવેશ અપાવ્યો, ન પરીક્ષા અપાવી, અને આજદિન સુધી રૂપિયા કે અસલ દસ્તાવેજો પરત કર્યા નથી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવીને તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. પોલીસ છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય વિદ્યાર્થીઓની વિગતો એકત્ર કરી રહી છે અને તેમના અસલ દસ્તાવેજો પાછા મેળવવા પ્રયાસ કરી રહી છે. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારના પ્રવેશ માટે બિનઅધિકૃત દલાલો કે અજાણ્યા વ્યક્તિઓના ભરોસે ન રહે. શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.
અમેરિકામાં સવારનો સૂરજ હજુ ઊગ્યો નહોતો, લોકોના હાથમાં ટૂથબ્રશ હતું અને કોફીના મગમાંથી ધુમાડા નીકળતા હતા. પણ સાત સમંદર પાર દિલ્હીમાં રાતના 10 વાગી રહ્યા હતા, આખું ભારત સોશિયલ મીડિયા સ્ક્રોલ કરીને સૂવાની તૈયારીમાં હતું. બરાબર એ જ વખતે વડાપ્રધાન આવાસમાં સ્પેશિયલ ફોન રણક્યો. સામેથી અવાજ આવ્યો... હેલો માય ફ્રેન્ડ મોદી, હું ટ્રમ્પ બોલું છું... અને બસ, એ એક ફોન કોલે રાતોરાત જીઓપોલિટિક્સના ઈતિહાસને પલટી નાખ્યો. ટ્રમ્પ જેમને ટેરિફ કિંગ કહીને ડરાવતા હતા, આજે એ જ ટ્રમ્પ ભારત સામે ઝૂકીને ડીલની ઓફર કરી રહ્યા હતા. ટ્રમ્પે ભારત સામે નમતું જોખીને ટેક્સનો દર 25%થી સીધો 18% કરી નાખ્યો છે! આપણે રશિયાનું તેલ લેવાનું બંધ કરવાની શરત માની છે એટલે 25%નો પનિશમેન્ટ ટેરિફ પણ ટ્રમ્પ દૂર કરી દેશે. બદલામાં મોટાભાગની અમેરિકન બજારની ચાવી આપણા હાથમાં આવી ગઈ છે. શું છે આ આખું નફા-નુકસાનનું ગણિત અને તમારા ધંધા પર તેની કેવી અસર પડશે? ચાલો, આજે વાત કરીએ ભારત અને અમેરિકાની ટ્રેડની નવી નક્કોર ડિલ વિશે, અને જોઈએ કે કેવી રીતે ભારતના વધતા કદને મદદ કરશે... નમસ્કાર... ટ્રમ્પનું ટેરિફની હથિયાર આખરે બુઠ્ઠું સાબિત થયું છે. આજે અમેરિકામાં બેઠેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન ઘુમાવ્યો, જેનો પડઘો દુનિયા સહિત ગુજરાતમાં પણ સંભળાયો. છેલ્લા ઘણા વર્ષોથી સુરતનો હિરા ઉદ્યોગ મંદીમાં હતો તે પાછો ધમધમશે તેવી આશા છે. કેમ? કારણ કે અમેરિકાએ ભારતીય માલ પરનો ટેરિફ 25 ટકા ઘટાડીને 18 ટકા કરી દીધો છે. આ 7 ટકાના ગેપથી ભારતના એક્સપોર્ટર્સને નફામાં નુકસાન ઘટશે. અંતે ટ્રમ્પે થૂંકેલું ચાટવું પડ્યું આ આખી વાતમાં વિલન છે અમેરિકામાં બેઠેલા ટ્રમ્પની ટેરિફ નીતિ અને એક અનસિન વિલન છે અમેરિકાના પીટર નવારો. વાત જાણે એમ છે કે ટ્રમ્પને થૂંકેલું ચાટવું પડ્યું છે. અમેરિકાએ ભારત પર ટેરિફનો વરસાદ કર્યો હતો તેના પર હવે પોતે જ પીછેહઠ કરવી પડી છે. ટ્રમ્પને સમજાયું ભારત વિના ઉદ્ધાર નથી આ મુદ્દાને સાવ સાદી રીતે સમજવો હોય તો કલ્પના કરો કે એક દુકાનદાર તમને જે વસ્તુ વેચતો હતો તેના ભાવ વધારી દે. સ્વાભાવિક છે તમે તે દુકાનની જગ્યાએ બીજી દુકાનેથી વસ્તુ લેશો કારણ કે ત્યાં તમને વસ્તુઓ મોંઘી મળી રહી છે. છેલ્લે કંટાળીને તે જ દુકાનદાર તમને ફોન કરીને કહે કે ભાઈ મારે તમારી જરૂર છે, ભાવ સસ્તો કરી દઉં છું. બસ ઓગસ્ટ 2025 અને ફેબ્રુઆરી 2026માં ભારત અમેરિકા વચ્ચે આવું જ કંઈક થયું છે. અમેરિકાએ ભારત પર આર્થિક ઘેરાબંધી કરી હતી તે હવે ઓછી થઈ ગઈ છે. કારણ કે આપણે અમેરિકાના દબાણમાં ન આવીને રશિયા પાસેથી તેલ ખરીદ્યું, યુરોપ સાથે રાતોરાત ડિલ પાડી દીધી અને આ બધું થયું તો ટ્રમ્પને તેમના જ લોકોએ સમજાવ્યું કે સાહેબ કે ભારત વગર આપણો ઉદ્ધાર નથી. મોદી અને ટ્રમ્પની જાહેરાતોમાં ફરક ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે તેમાં કહ્યું છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. પરંતુ નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વિટ કરી તેમાં રશિયાના રનો પણ ઉલ્લેખ નથી. ટ્રમ્પે લખ્યું કે ભારત અમેરિકન સામાન પર ટેરિફ શુન્ય સુધી લઈ જશે, જો કે નરેન્દ્ર મોદીએ આ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું છે કે ભારત 500 અરબ ડોલરની અમેરિકન વસ્તુઓ ખરીદશે. જો કે નરેન્દ્ર મોદીએ 500 અરબ ડોલરનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. બસ આટલામાં બીટવિન ધ લાઈન્સ ઘણી વિગતોની ખબર પડી જાય છે. ટ્રમ્પના ટેરિફને સરળ રીતે સમજો વાત જાણે એમ છે કે ટ્રમ્પે ભારત પર 2025માં બે પ્રકારના ટેક્સ નાખ્યા હતા. એક રેસીપ્રોકલ ટેરિફ (25%) એટલે કે તમે ટેક્સ લગાવો તો અમે પણ લગાવીશું અને બીજો રશિયન ઓઈલ ખરીદી પર પનિશમેન્ટ ટેરિફ (25%) કારણ કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ લેતું હતું તે અમેરિકાને મંજૂર ન હતું. 25% અને 25% એમ કૂલ મળીને આપણા પર અમેરિકાએ 50 ટકાનો ટેરિફ નાખ્યો. જેના કારણે ભારતના માલની અમેરિકામાં કિંમતો વધી અને ભારતથી અમેરિકામાં માલ ઓછો પહોંચ્યો. પણ આજે ભારતે રશિયન ઓઈલ ખરીદવાની અમેરિકાની શરત સ્વિકારી લીધી અને બદલામાં અમેરિકાએ ટેરિફની પેનલ્ટી ઓછી કરી દીધી છે. એક ગુજરાતી તરીકે આપણું વેપારી મગજ સવાલ પૂછે કે, આમાં આપણને શું લેવાદેવા? તો ચાલો ડેટાથી સમજીએ... આનો સીધો મતલબ એ થયો કે અમેરિકાના મોલમાં ભારતનું ટી-શર્ટ વિયેતનામ, બાંગ્લાદેશ કે ચીન કરતા સસ્તું વેચાશે. સીધી વાત છે જેટલો માલ સસ્તો એટલો વધારે વેપાર... US-ભારત ડિલથી રશિયા રૂઠી જશે? આમાં આપણને એવું લાગે કે રશિયા તો આપણું જૂનું અને પાક્કું દોસ્ત છે તો તેની પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દઈએ તો તેને ક્યાંક ખોટું નહીં લાગી જાયને? પણ સામેની બાજુ રશિયા પણ જાણે છે ભારતની વિદેશનીતિ તટસ્થ અને કોઈના દબાણમાં ન આવે એવી છે. રશિયા ભારતના મામલામાં દખલ નથી કરતું કારણ કે તે આપણા સાર્વભૌમત્વનું માન જાળવે છે. રશિયા જાણે છે કે ભારત પોતાના નાગરિકોનું હિત પહેલા જોશે જે કોઈ પણ દેશ સ્વાભાવિક છે એવું જ વિચારે. ભારતે રશિયાના બદલામાં અમેરિકા પાસેથી એનર્જી સેક્ટરમાં ખરીદી કરવાની શરતો મૂકી છે. એટલે આપણે રશિયા પાસેથી તેલ પણ ખરીદીશું અને અમેરિકાના બજારની ચાવી પણ આપણી પાસે જ રહેશે. અમેરિકાએ વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના પ્રતિબંધો હળવા કરીને ભારતને ત્યાંથી તેલ ખરીદવાની મંજૂરી આપી છે. પણ જીઓગ્રાફિની દ્રષ્ટિએ રશિયાથી તેલ મગાવવું લોજિસ્ટિક્સની નજરે સસ્તું છે જ્યારે ભારતને પેલેપાર રહેલા વેનેઝુએલાથી તેલ ખરીદવામાં ભારતને ખોટ થઈ શકે છે. વેપાર 100 અરબ પણ નથી તે 500 અરબે પહોંચશે? ટ્રમ્પની વાત માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને 500 બિલિયન ડોલરનું કમિટમેન્ટ આપ્યું છે. ટૂંકમાં આ વાત ખાલી ટેક્સ ઘટાડવા સુધીની જ નથી પણ અમેરિકા પાસેથી એનર્જી, ટેક્નોલોજી અને ખેત પેદાશો ખરીદવાની પણ છે. આના કારણે અમેરિકાના ખેડૂતોને સસ્તી વસ્તુઓ મળશે અને તે ખુશ થશે. પણ બદલામાં અમેરિકા ભારતના IT અને ફાર્મા સેક્ટર માટે દરવાજા ક્યારે ખોલશે તે મોટો સવાલ છે. બીજી મહત્વની એ વાત છે કે વર્ષ 2024માં ભારતે અમેરિકા પાસેથી 41.5 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો અને અમેરિકાએ ભારત પાસેથી 41.8 અરબ ડોલરનો સામાન ખરીદ્યો હતો. બંનેનો કુલ વેપાર 83 અરબ ડોલર છે, 100 અરબ ડોલર પણ નથી. તેમાં ભારત એકલું 500 અરબ ડોલરની અમેરિકન માલની ખરીદી કેવી રીતે કરશે તે એક મોટો ગેપ છે. ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થયો મંગળવારે સવારે શેરબજારના આંકડામાં જ વધારો નથી જોવા મળ્યો. ડોલર સામે રૂપિયાની તાકાતમાં પણ સુધારો જોવા મળ્યો છે. ડિલ પહેલા રૂપિયો ડોલર સામે 91 પર હતો જે હવે 90 પર આવી ગયો છે. જેના કારણે ભારતના જે વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવા ગયા છે તેમને ફાયદો થશે અને આપણને દુનિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવામાં ખૂબ જ મોટો ફાયદો થશે. હવે ગુજરાત આ ડિલમાં ક્યાં છે અને આપણને શું ફાયદો થશે તેની વાત કરીએ. કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અમેરિકા ચીન પાસે 34 ટકા ટેક્સ વસૂલે છે અને હવે ભારત પાસેથી 18 ટકા વસૂલશે જેના કારણે દહેજ સહિત ગુજરાતની કેમિકલ કંપનીઓને ઓર્ડર બૂક કરવામાં ફાયદો થશે. બાંગ્લાદેશમાં અત્યારે રાજકીય સ્થિરતા નથી જેના પર અમેરિકા 20 ટકા ટેરિફ વસૂલે છે અને ભારત પર હવે 18 ટકા જ ટેક્સ વસૂલશે એટલે કાપડ વેપારમાં ફાયદો થઈ શકે અને ભારત ટેક્સટાઈલ માર્કેટમાં અમેરિકાનો નંબર વન સપ્લાયર બની શકે. લેબગ્રોન ડાયમંડ, હિરાની આયાત અને અમેરિકાના ટેરિફના કારણે વર્ષોથી સુરતના રસ્તનકલાકારોના ચૂલા ઠરેલા છે. હવે ટેરિફ 18 ટકા થતા સુરતના હિરા ઉદ્યોગની ડિમાન્ડ ન્યૂયોર્કની જ્વેલરી શોપમાં વધી શકે છે. કારણ કે અમેરિકામાં આજની પરિસ્થિતિએ પણ રશિયન હિરા પર બેન છે. સૌથી મોટો ફાયદો રૂપિયાની આંશિક પણ નાની મજબૂતીમાં છે. આ રિયલટાઈમ ફાયદો છે, બાકી ટેરિફ અને ફ્રી ટ્રેડ ડિલ સમય લઈ લે છે. હવે વાત કરીએ કે ભારત યુરોપની મધર ઓફ ઓલ ડિલ્સ અને અમેરિકાની ડિલમાં શું ફેર છે? આ ડિલ સરખી લાગતી હોય તો એવું નથી. બંને ડિલમાં ફરક છે. ભારત યુરોપ, અમેરિકા, રશિયા વચ્ચે બ્રિજ આ ડિલને જીઓપોલિટિક્સની નજરે જોઈએ તો યુરોપ અને અમેરિકાની કિટ્ટા થઈ ગઈ છે અને બીજી બાજુ અમેરિકાને રશિયા અને ચીન સામે થોડો વાંધો છે. બે ભાગમાં વહેંચાયેલી દુનિયામાં એક બાજુ અમેરિકા છે, બીજી બાજુ યુરોપ, રશિયા ચીન જેવા દેશો છે. આમાં ભારત ચીન છોડીને બધા વચ્ચે બરોબર બ્રિજ બનીને બેઠું છે. જયશંકર મોટી ડીલ પાર પાડી શકે વાણિજ્ય મંત્રીએ આજે સ્પષ્ટ કર્યું કે ભારત તેના ડેરી અને ખેતી સેક્ટરના હિતો સાથે કોઈ બાંધછોડ નહીં કરે. ટ્રમ્પ ભલે ઝીરો ટેરિફ કહેતા હોય, પણ ભારત પોતાના ખેડૂતોનું રક્ષણ કરશે. મંત્રી ગોયલે કહ્યું કે આ સોદો તેના પડોશીઓની તુલનામાં ‘ભારતને મળેલો શ્રેષ્ઠ સોદો’ છે. બીજી બાજુ એસ. જયશંકર અત્યારે વોશિંગ્ટનમાં જ છે. સમાચાર છે કે આવતીકાલે તેઓ અમેરિકાના માર્કો રૂબિયો સહિતના ટોચના નેતાઓ સાથે ક્રિટિકલ મિનરલ્સ પર મોટી ડીલ કરી શકે છે. આજે 3 ફેબ્રુઆરીએ સવારે નોંધાયેલા વધારા બાદ દિવસના અંતે શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો કારણ કે રોકાણકારો હવે આ ડીલની ફાઈન પ્રિન્ટ એટલે કે ઝીણી વિગતોની રાહ જોઈ રહ્યા છે. વિલન નવારોની સૂડી વચ્ચે સોપારી યાદ કરો સપ્ટેમ્બર 2025માં અમેરિકાના વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત વિશે અપમાનજનક વાતો કહી હતી. તેણે ભારતને મહારાજા ઓફ ટેરિફ કહ્યું હતું, રશિયન તેલને બ્લડ મની કહ્યું હતું, ભારતની આર્થિક પ્રગતિને વેમ્પાયર જેવી કહી હતી, કાસ્ટ સિસ્ટમ પર પણ કમેન્ટ કરી બ્રાહ્મણો નફાખોરી કરી રહ્યાનો આરોપ મૂક્યો હતો. હવે વારેઘડીએ નિવેદનોની ફેરફદુરડી ફરતા ટ્રમ્પના આ નિર્ણય વિશે તેમના ઈકોનોમિક એડવાઈઝર નવારો શું કહેશે તે મોટો સવાલ છે. આજ એ જ અમેરિકા ઘૂંટણ ટેકવીને સમજી ગયું છે કે 140 કરોડનું માર્કેટ અમેરિકન કંપનીઓ માટે ઓક્સિજન છે. જો શ્વાસ નહીં લે તો પતી જશે. અને છેલ્લે... થોડું કડવું છે પણ સત્ય છે. આપણે માનીએ છીએ કે ભારત રાજકીય અને આર્થિક લેવલે વિશ્વમાં મોટું થઈ રહ્યું છે પણ ટેરિફ લગાવવાનો નિર્ણય અને હટાવવાનો નિર્ણય પણ ટ્રમ્પ જ લઈ રહ્યા છે. આટલું જ નહીં જાહેરાત પણ તેઓ જ કરી રહ્યા છે. બજારમાં વાતો થઈ રહી છે કે ભારતનું શેરમાર્કેટ વધે-ઘટે કે રૂપિયાનું જોર ડોલર સામે વધે-ઘટે તે પણ ટ્રમ્પના નિવેદનો જ ડિસાઈડ કરી રહ્યા છે. જે જાહેરાત ભારતને કરવાની હોય તે દુનિયા આગળ ટ્રમ્પ કરી રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ગીરગઢડામાં ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો:36 ઉમેદવારોની વિવિધ રોજગાર માટે પ્રાથમિક પસંદગી
ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ગીરગઢડાની સરસ્વતી કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાયો હતો. આ ભરતીમેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નોકરીદાતાઓ અને રોજગારવાંચ્છુઓ વચ્ચે સેતુરૂપ બનવાનો હતો, જેમાં 36 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી. આ ભરતીમેળા માટે ગીર સોમનાથ જિલ્લાના 574થી વધુ ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 83 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ભરતીમેળામાં ટેલિકોસ્પેસ કન્સલટન્સી વેરાવળ, ક્વિસ ક્રોપ લિમિટેડ અમદાવાદ અને પેટીએમ સર્વિસ અમદાવાદ જેવી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ નોકરીદાતાઓએ તેમના એકમ/સંસ્થામાં ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા. ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ અને આવડતના આધારે 36 રોજગારવાંચ્છુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પસંદ કરાયેલા ઉમેદવારોને બીજા રાઉન્ડ માટે ફરીથી બોલાવવામાં આવશે.આ ઉપરાંત, રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોડેલ કેરિયર સેન્ટર તેમજ એન.સી.એસ. પોર્ટલ વિશે પણ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યું હતું.
ગઈકાલે રાજકોટમાં રીલ બનાવવાના ચક્કરમાં 2 લોકોના મોત થયા હતા. આજકાલ સોશિયલ મીડિયા પર પ્રચલિત થવા માટે યુવાનો અને ઈન્ફ્લુએન્સર્સ જોખમી સાહસો કરતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો સચિન રેલવે સ્ટેશન પર સામે આવ્યો છે, જ્યાં 1995ની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે (DDLJ)ના ‘કૈસા હૈ વો કોન હૈ જાને કહાં હૈ..’સોંગ પર જીવના જોખમે ટ્રેક પર ઊભા રહી રીલ બનાવનાર મહિલા વિરુદ્ધ વલસાડ રેલવે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો શું છે?આ ઘટના 14 જાન્યુઆરીના રોજ બપોરે 14:30 કલાકે સચિન રેલવે સ્ટેશનની ઉત્તર દિશામાં આવેલા રેલવે ટ્રેક પર બની હતી. ઇન્સ્ટાગ્રામ પર 3,33,000થી વધુ ફોલોઅર્સ ધરાવતી એક મહિલાએ રેલવે ટ્રેક પર જોખમી રીતે ડાન્સ કરી રીલ શૂટ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. પોલીસના મતે, આવા વીડિયો જોઈને અન્ય યુવાનો પણ જોખમી સાહસો કરવા પ્રેરાઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. પોલીસ એક્શન અને કાયદાકીય કાર્યવાહીતાજેતરમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 વ્યક્તિઓના મોતની ઘટના બાદ RPF અને GRP દ્વારા સોશિયલ મીડિયા અને રેલવે ટ્રેક પર સતર્કતા વધારવામાં આવી છે. વલસાડ રેલવે પોલીસની મિશન સેફ સ્ટેશન ઝુંબેશ અંતર્ગત આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક અભય સોની અને નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ. ગોરના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી મહિલા વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. BNSની કલમ 126 તથા રેલવે એક્ટની કલમ 145 (બી) અને 147 સામેલ છે મહિલાએ ભૂલ સ્વીકારી માફી માગીતપાસ દરમિયાન મહિલાએ કબૂલાત કરી હતી કે રેલવે ટ્રેક પર રીલ બનાવવી ગેરકાનૂની છે તેની તેને જાણ નહોતી. તેણે પોતાની ભૂલ બદલ લેખિતમાં માફી માંગી છે અને ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવાની ખાતરી આપી છે. વલસાડ GRPએ આ મામલે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રેલવે ટ્રેક એ મનોરંજનનું સ્થળ નથી અને સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પત્નીએ નવું બાઈક લેવાની ના પાડતા યુવકની આત્મહત્યા:ટંકારાના જબલપુરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
ટંકારાના જબલપુર ગામ પાસે એક યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પત્નીએ નવું બાઈક લેવાની ના પાડતા યુવાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલા વિઝન બીલટેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા બદિયાભાઈ હુજીભાઈ ભુરીયા (ઉંમર 37) મજૂરી કામ કરતા હતા. તેમણે રાત્રિના લગભગ ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બાથરૂમ જવાનું કહીને બહાર નીકળ્યા બાદ આત્મહત્યા કરી હતી. બદિયાભાઈએ લેબર ક્વાર્ટરની પાછળના ભાગમાં આવેલા નગરપાલિકાના કચરા નાખવાના શેડમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક યુવાનની પત્ની વેસ્તિબેન ભુરીયાએ ટંકારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ લીધી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, બદિયાભાઈને નવું બાઈક લેવું હતું, પરંતુ તેમની પાસે પૈસા ન હોવાથી અને દીકરાના લગ્ન બાકી હોવાથી પત્નીએ તેમને બાઈક લેવાની ના પાડી હતી. આ બાબત તેમને મનોમન લાગી આવતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
વડનગરમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ:વન વિભાગની ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ
વડનગર તાલુકાના ઊઢાઈ, શોભાસણ, કરબટીયા, પીપળદર અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડો દેખાયો હોવાના સમાચાર અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને આ અંગે બાતમી મળતા જ તંત્ર હરકતમાં આવ્યું છે અને માનવ-વન્યજીવ સંઘર્ષની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામજનોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. રાત્રિના સમયે ખેતર કે અવાવરુ વિસ્તારમાં સમૂહમાં જવુંવન વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે, હાલના સંજોગોમાં રાત્રિના સમયે કોઈએ પણ ઘરની બહાર ખુલ્લામાં સુવું નહીં તેમજ કુદરતી હાજતે જવાનું ટાળવું. જો રાત્રિના સમયે ખેતર કે અવાવરુ વિસ્તારમાં જવું અનિવાર્ય હોય તો એકલા જવાને બદલે સમૂહમાં જવું અને સાથે ટોર્ચ, ફાનસ કે લાકડી રાખવી તથા મોટેથી વાતો કરતા જવું જેથી વન્ય પ્રાણી નજીક ન આવે. આ ઉપરાંત ઘરની આસપાસ સતત પ્રકાશ રહે તે રીતે લાઈટ અથવા તાપણું રાખવા પણ જણાવાયું છે. બાળકોને વહેલી સવારે કે રાત્રે એકલા ન મૂકવાદીપડાની હાજરીને ધ્યાને રાખી નાના બાળકોને વહેલી સવારે કે રાત્રે એકલા ન મૂકવા તેમજ બાળકોને પશુ ચરાવવા માટે અવાવરુ જગ્યાએ ન મોકલવા તાકીદ કરાઈ છે. પશુપાલકોએ પોતાના ઢોર-ઢાંખરને સુરક્ષિત જગ્યાએ બાંધવા અને રાત્રિના સમયે પશુઓની સાથે ન સુવા માટે સૂચના અપાઈ છે. સાથોસાથ ઘરની આસપાસની ગંદકી દૂર કરી સાફ-સફાઈ રાખવા અને માંસાહારનો એઠવાડ ઘરથી દૂર જમીનમાં દાટી દેવા માટે જણાવાયું છે જેથી દીપડો ઘરની નજીક ન આવે. દીપડાની હાજરી જણાય તો વન વિભાગનો સંપર્ક કરવોવન વિભાગે જણાવ્યું છે કે, દીપડાને પકડવા માટે વિભાગનો સ્ટાફ સતત પ્રયત્નશીલ છે. જેમાં ગ્રામજનોએ પૂરતો સહકાર આપવો. જો કોઈ વિસ્તારમાં દીપડાની હાજરી જણાય તો તુરંત વન વિભાગનો સંપર્ક કરવો અને હિંસક પ્રાણીની નજીક જવાને બદલે સલામત અંતરે ખસી જવું. ઘરના દરવાજા અને બાકોરા વ્યવસ્થિત બંધ રાખવા જેથી વન્ય પ્રાણી ઘરમાં પ્રવેશ ન કરી શકે. વન વિભાગની આ ગાઈડલાઈનનું પાલન કરવાથી જાન-માલનું નુકસાન અટકાવી શકાશે. લોકેશન મળે તો દીપડાને પકડવા પાંજરા મૂકીએવડનગર આર.એફ.ઓ બી જે ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં દીપડાનો વીડિયો વાઇરલ થયો હતો. અમારા સ્ટાફ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. પરંતુ પગ માર્ક પરથી ઝરખ હોઈ એવું લાગી રહ્યું છે. ગઈ સાલ ડિસેમ્બર માસમાં પણ દીપડો દેખાયો હતો. શિયાળાની સિઝન દરમિયાન દર વર્ષે ડિસેમ્બર માસમાં આવા મેસેજ મળતા હોય છે. એમ છતાં સાવચેતીના ભાગરૂપે લોકોને સૂચના આપવામાં આવી છે. અમને હજુ પરફેક્ટ લોકેશન મળ્યું નથી. લોકેશન મળે તો દીપડાને પકડવા પાંજરા મૂકીએ. અમે સરપંચ સાથે મળી લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.
ટેકનોલોજીનો ઉપયોગ લોકોની સુવિધા માટે થવો જોઈએ, પરંતુ આજકાલ શિક્ષિત યુવાનો તેનો ઉપયોગ ગુનાખોરી માટે કરી રહ્યા હોય તેવા કિસ્સાઓ વધી રહ્યા છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક એવા જ હાઈ-પ્રોફાઈલ કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીનો ફોન હેક કરી તેમના બે ક્રેડિટ કાર્ડમાંથી લાખો રૂપિયાની ઓનલાઇન ખરીદી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી B.Tech ના એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. નિવૃત્ત સરકારી કર્મચારી બન્યા શિકારઆ સમગ્ર કેસની વિગત એવી છે કે, સુરતમાં રહેતા એક નિવૃત્ત સરકારી કર્મચારીના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી તેમની જાણ બહાર ટુકડે-ટુકડે કુલ રૂ. 6,05,390 ઉપડી ગયા હતા. અચાનક મોટી રકમ કપાઈ જતાં ફરિયાદી ચોંકી ઉઠ્યા હતા. તેમને અહેસાસ થયો કે તેમની સાથે કોઈ મોટી છેતરપિંડી થઈ છે, તેથી તેમણે તુરંત સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. ડિજિટલ લિંક મોકલી ફોન કર્યો હેકપોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ કોઈ સામાન્ય ઠગાઈ નહોતી, પણ એક વ્યવસ્થિત આયોજિત સાયબર હુમલો હતો. આરોપીઓએ ફરિયાદીને એક શંકાસ્પદ લિંક મોકલી હતી. જેવી ફરિયાદીએ તે લિંક પર ક્લિક કર્યું, કે તુરંત જ તેમનો આખો મોબાઈલ ફોન હેકરોએ પોતાના કબજામાં લઈ લીધો હતો. મોબાઈલનું એક્સેસ મળી જતાં આરોપીઓ ફરિયાદીના ક્રેડિટ કાર્ડની વિગતો અને ઓટીપી (OTP) સરળતાથી મેળવી શકતા હતા. B.Tech ના વિદ્યાર્થીની મુખ્ય ભૂમિકાસુરત સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને છેક મધ્યપ્રદેશના ગ્વાલિયર સુધી પહોંચી હતી. ત્યાંથી પોલીસે વિષ્ણુ ઉર્ફે બાબુ સૂર્યવંશી (ઉં.વ. 21) નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે વિષ્ણુ B.Tech માં અભ્યાસ કરે છે. તે ભણવામાં તેજસ્વી હોવા છતાં ટૂંકા રસ્તે પૈસા કમાવાની લાલચમાં આ સંગઠિત ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. iPhone 17 Pro અને ગોલ્ડ કોઈનની ઓનલાઇન ખરીદીતપાસમાં ખૂલ્યું છે કે, આરોપીઓએ ફરિયાદીના ફ્લિપકાર્ટ એકાઉન્ટનો ઉપયોગ કરી તેમા સેવ કરેલા ક્રેડિટ કાર્ડ દ્વારા Iphone 17 Pro (કિંમત રૂ. 1.35 લાખ) નો ઓર્ડર આપ્યો હતો. આ ફોનની ડિલિવરી કોલકત્તામાં લેવામાં આવી હતી અને બાદમાં તેને રૂ. 95,000 રોકડમાં વેચી દેવાયો હતો. આ ઉપરાંત, આ ટોળકીએ એપલ મેકબૂક, સ્માર્ટવોચ અને સોનાના સિક્કા જેવી કિંમતી વસ્તુઓની પણ ખરીદી કરી હતી, જેની ડિલિવરી દિલ્હી અને કોલકત્તા જેવા શહેરોમાં મેળવવામાં આવી હતી. આંતરરાજ્ય ગેંગની સંડોવણીઆ ગુનામાં માત્ર વિષ્ણુ જ નહીં, પરંતુ અમિત મંડલ અને અન્ય સાથીદારો પણ સામેલ છે. આરોપીઓ ટેલિગ્રામ અને અન્ય એપ્સ દ્વારા સંપર્કમાં રહીને આખા ભારતમાંથી નિવૃત્ત કર્મચારીઓને ટાર્ગેટ કરતા હતા, જેમને ટેકનોલોજીની ઓછી જાણકારી હોય. હાલ પોલીસ અન્ય નાસતા ફરતા આરોપીઓને પકડવા અને આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ કરી રહી છે. અધિકારી સાથે 6,05,000ની છેતરપિંડીડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, નિવૃત્ત સરકારી અધિકારી સાથે છેતરપિંડીનો કિસ્સો સાયબર ક્રાઈમ સેલમાં એક નિવૃત્ત સરકારી અધિકારી સાથે થયેલી છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ અધિકારી સાથે કુલ 6,05,000ની છેતરપિંડી કરવામાં આવી હતી. ગુનેગારોએ ભોગ બનનારના એક્સિસ બેંક અને ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો અનધિકૃત એક્સેસ મેળવ્યો હતો. આ માટે છેતરપિંડી કરનારાઓએ અધિકારીને એક વણચકાસાયેલી લિંક પર ક્લિક કરાવી હતી, જેનાથી તેમનો ફોન હેક થઈ ગયો હતો. હેકર્સે અંદાજે દોઢ મહિના સુધી તેમના ફોન પર નજર રાખી હતી. વધુમાં જણાવ્યું હતું કે, નિવૃત્તિના ભંડોળનો દુરુપયોગ જ્યારે ભોગ બનનાર અધિકારીને તેમના પેન્શનના 6 લાખ મળ્યા, ત્યારે આ છેતરપિંડી આચરવામાં આવી હતી. ખાતામાં રકમ જમા થતાં જ ગુનેગારોએ અનધિકૃત ખરીદી શરૂ કરી દીધી હતી. અન્ય છેતરપિંડીની પ્રવૃત્તિઓઆઇફોન ઉપરાંત આ ટોળકીએ પીડિતના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મેકબુક અને સોનાના સિક્કા પણ ખરીદ્યા હતા. આ એક સંગઠિત સાયબર ક્રાઈમ નેટવર્ક છે. આ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ દ્વારા એકબીજા સાથે સંપર્કમાં રહે છે. હેકિંગ માટે વપરાતી APK ફાઈલો ભારત બહારના લોકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેઓ એક ફાઈલના $50 થી $60 ચાર્જ વસૂલે છે. ત્યારબાદ આ ફાઈલો ભારતમાં ખાસ કરીને હરિયાણા અને અન્ય પ્રદેશોના લોકો દ્વારા સાયબર હુમલા કરવા માટે વાપરવામાં આવે છે. આ ગેંગના બાકીના સભ્યોને ઓળખવા અને પકડવા માટે તપાસ ચાલુ છે. પીડિતનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.
બનાસકાંઠાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલી ૬૯મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય-ગઢની ખેલાડી ખરાડી સુગ્ના દિતાભાઇએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ સુગ્ના ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે કલેક્ટર દ્વારા વિમળા વિદ્યાલય-ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે રૂ.10 લાખની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભાવનગર ખાતે યોજાયેલી અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય-ગઢની દીકરીઓએ મેદાન માર્યું છે. જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઇ અને દેવુ યસ્વી પરબતભાઇએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. કલેક્ટરએ આ બંને ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીએ કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રના સહયોગ અને પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઊર્જા મળશે. વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ ખાતે આયોજિત અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં તેમની શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગ્નાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તે ગર્વની ક્ષણ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ અભિયાનને સાર્થક કરતા દીકરીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ થઈ રહી છે. આ કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે સર્વવ્યાપી હિન્દુત્વ: એસ્ટાબ્લિશિંગ ધ હિન્દુ નેરેટીવ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. વર્લ્ડ એસોશિયેશન ઓફ હિંદુ એકેડેમીસીયન્સ (વાહા) અને યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સેમિનારમાં દેશભરના શિક્ષણવિદો અને સંશોધકોએ હિન્દુત્વને જીવનશૈલી, જ્ઞાનનો મહાસાગર અને માનવતાના પથ તરીકે વર્ણવ્યું હતું. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર આર. એન. દેસાઈએ સેમિનારને આવકારતા જણાવ્યું હતું કે, હિન્દુ એ માત્ર ધર્મ નથી, પરંતુ સંસ્કાર, જીવનશૈલી અને વ્યાપક જીવન દ્રષ્ટિ છે. 'વાહા' ના કો-કન્વીનર મીરા ચતવાનીએ હિન્દુત્વની સર્વવ્યાપકતા પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, વિકાસ માત્ર આર્થિક બાબત નથી, પરંતુ નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક ચેતના અને આધ્યાત્મિક સ્થિરતા એ હિન્દુ જીવન દર્શન છે જે માનવતા પ્રગટાવે છે. IIT કાનપુરના પ્રોફેસર અને 'વાહા' ના રાષ્ટ્રીય સંયોજક નચિકેતા તિવારીએ હિન્દુત્વને જ્ઞાનના મહાસાગર સાથે સરખાવ્યું હતું. તેમણે કહ્યું કે, હિન્દુ એટલે જ્ઞાન, અને વૈદિક, બૌદ્ધ, જૈન તથા શીખ પરંપરાઓ પણ હિન્દુ જ્ઞાન પર જ આધારિત છે. તેમણે ભારતની સંસ્કૃતિને એકાત્મતાની સંસ્કૃતિ ગણાવી હતી. યુનિવર્સિટીના કુલપતિ અને કાર્યક્રમના અધ્યક્ષ કે. સી. પોરિયાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની શ્રેષ્ઠ વિરાસત છે જે કર્મદર્શન પર આધારિત છે. તેમણે રામાયણને જીવન દર્શન, મહાભારતને ધર્મ દર્શન અને ગીતાને કર્મના દર્શન તરીકે ઓળખાવ્યા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અનેક હુમલાઓ છતાં આ સંસ્કૃતિ અકબંધ રહી છે કારણ કે તેણે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર અન્યનો સ્વીકાર કરીને સર્વવ્યાપી બનવાનું શીખવ્યું છે. સાધના સાપ્તાહિકના તંત્રી ભાનુભાઈ ચૌહાણે સનાતનને પ્રાચીન સભ્યતા અને માનવતાનો પથ ગણાવતા 'વસુદૈવ કુટુમ્બકમ'ની ભાવના પર ભાર મૂક્યો. કેશવ આણેરાવે ગાંધીજીના અવતરણ સાથે જણાવ્યું કે હિન્દુ એ સત્યની અવિરત શોધ છે, જે આચરણનો વિષય છે. આ ઉપરાંત, વૃશાલી જોશી, શૈલજા આંધરે અને રાધિકાએ નારીશક્તિ પર વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમમાં દેશભરના સંશોધકોએ શોધપત્રો રજૂ કર્યા હતા અને અંતે કે. કે. પટેલે આભાર વિધિ કરી હતી.
પંચમહાલ જિલ્લાના એક પરિવાર પર મધ્યપ્રદેશમાં ચાલુ ટ્રેને હુમલો થયો હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. ગોધરા તાલુકાના ટીંબા ગામથી પોતાની દિવંગત પુત્રીના અસ્થિ વિસર્જન માટે ઉજ્જૈન જઈ રહેલા પરિવારની સગીર પુત્રીની છેડતી કરી અસામાજિક તત્વોએ મારપીટ કરી હતી. આ મામલે રતલામ GRP (રેલવે પોલીસ) દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે પીડિત પરિવારના ઘરે દિવ્યભાસ્કરની ટીમ પહોંચી હતી. હુમલા બાદ ડરેલા પીડિત પરિવારે જણાવ્યું હતું કે, પોલીસ પ્રોટેક્શનમાં તેમણે અસ્થિ વિસર્જન કરવું પડ્યું હતું. સમગ્ર ઘટના શું હતી ?મળતી વિગતો અનુસાર, ટીંબા ગામના રહેવાસી નરેશ મનોજભાઈ તેમના પરિવાર સાથે ટ્રેન નંબર 69183 મારફતે ઉજ્જૈન જઈ રહ્યા હતા. તેઓ તેમની સ્વર્ગસ્થ પુત્રી રેશ્માના અસ્થિ વિસર્જન માટે જઈ રહ્યા હતા ત્યારે રતલામ અને ખાચરોદ સ્ટેશન વચ્ચે કેટલાક અસામાજિક તત્વોએ તેમની નાની પુત્રીની છેડતી કરી હતી. તત્વોએ સગીરાને બીભત્સ ઈશારા કરી, હાથ પકડીને જબરદસ્તી લઈ જવાનો પ્રયાસ કરતા ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવાર પર હુમલો અને ઈજાજ્યારે સગીરાએ બૂમાબૂમ કરી ત્યારે પરિવારના સભ્યો તેને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ પરિવાર પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં નરેશભાઈના હાથના ભાગે અને સગીર દીકરીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડરી ગયેલા પરિવારે તાત્કાલિક પોલીસની મદદ માંગી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસે સુરક્ષા પૂરી પાડી પરિવારની અસ્થિ વિસર્જનની વિધિ સંપન્ન કરાવી હતી. પોલીસ કાર્યવાહી અને કલમોઆ મામલે રતલામ GRP પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. BNSની કલમ 296, 115(2), 351(2), 3(5), અને 74 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આ કેસની પ્રાથમિક તપાસ નાગદા અને રતલામ રેલવે પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કલમ 296: અશ્લીલ કૃત્યો અને ગીતો માટે. કલમ 115(2): સ્વેચ્છાએ ઈજા પહોંચાડવા બાબત. કલમ 351(2): ગુનાહિત ધમકી માટે. કલમ 3(5): સમાન ઈરાદાથી કરવામાં આવેલું કૃત્ય. કલમ 74: મહિલાની મર્યાદા ભંગ કરવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો પ્રયોગ.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી, જિલ્લામાં પ્રોહિબિશનની બદીને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત, લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગરની ટીમે ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પર આવેલા સાંગાણી ગામની સીમમાં ગોપાલ હોટલના પાર્કિંગમાંથી LCB ટીમે એક ટાટા કંપનીના ટ્રક (રજી. નં. RJ.52.GA.4575)ને અટકાવ્યો હતો. આ ટ્રકમાં ખાતરની બોરીઓની આડમાં છુપાવીને વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ 11,496 નંગ નાની-મોટી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત ₹85,66,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, 225 નંગ ખાતરની કોથળીઓ (₹67,500), એક મોબાઈલ ફોન (₹500), એક ફાસ્ટેગ, એક સિમ કાર્ડનું કવર અને ₹20,00,000ની કિંમતનો ટ્રક-ટ્રેલર પણ કબજે કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ ₹1,06,34,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટ્રકના ચાલક, માલિક, દારૂ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ટ્રકનો ચાલક, ટ્રકનો માલિક, ઇંગ્લિશ દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો ઇસમ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના આરોપીઓ હજુ ફરાર છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરી LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, અજયવીરસિંહ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, વજાભાઇ સાનીયા, ચંદ્રવિજયસિંહ રાણા, ગીરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મકવાણા, વિજયસિંહ બોરાણા અને યુવરાજસિંહ વાઘેલા સહિતની ટીમે પાર પાડી હતી.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનું બીમારીના કારણે અવસાન થયા બાદ જરૂરી તબીબી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મૃતદેહ બે કલાક સુધી હોસ્પિટલમાં રઝળ્યો હતો. તબીબે મૃત્યુ બાદ રીટ્રોગેટ MLC (મેડિકો લીગલ કેસ) જાહેર કર્યો હતો, પરંતુ આ પછી પોલીસ ચોકીએ જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નહીં આવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો. જો કે બાદમાં આરએમઓએ અન્ય ડોક્ટરને મોકલી MLC કરાવતા મામલો થાળે હતો. સમગ્ર મામલે સિવિલનાં મીડિયા કો-ઓર્ડીનેટરે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મોડા આવેલા ડોક્ટર અન્ય ઇમરજન્સીમાં હોવાનો લુલો બચાવ કર્યો હતો. એટલું જ નહીં તેનું નામ પણ જાહેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ, શહેરની હુડકો ચોકડી પાસે રહેતા 73 વર્ષીય મહેશભાઇ ચુનીલાલ જોબનપુત્રાને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી શ્વાસની તકલીફ અને ડાયાબિટીસની સારવાર હેઠળ હતા. આજે વહેલી સવારે 5 વાગ્યે સારવાર દરમિયાન તેઓ અચાનક બેભાન થઈ ગયા હતા અને ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સામાન્ય રીતે જે કેસ શરૂઆતમાં MLC ન હોય, તેમાં મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે તબીબ દ્વારા રીટ્રોગેટ MLC કરવામાં આવે છે. આ પ્રક્રિયા મુજબ, જે તબીબે આ નિર્ણય લીધો હોય તેમણે પોતે જ પોલીસ ચોકીએ જઈને ફાઈલ પર હસ્તાક્ષર કરવાના હોય છે. બાદમાં આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. પરિવારજનોનો આક્ષેપ છે કે, જ્યારે તેઓ ફાઈલ લઈને પોલીસ ચોકીએ પહોંચ્યા, ત્યારે ફરજ પરના તબીબે ત્યાં આવવાનો ઈનકાર કરી દીધો હતો. તેઓએ એવું બહાનું આગળ ધર્યું હતું કે તેમનો અન્ય દર્દીઓનો રાઉન્ડ ચાલુ છે અને તેઓ અત્યારે આવી શકશે નહીં. આ સાંભળીને શોકગ્રસ્ત પરિવારજનોના સંયમની મર્યાદા તૂટી હતી અને તેઓએ ઇમરજન્સી વિભાગ પાસે એકઠા થઈને હોબાળો મચાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તંત્રની આવી લાપરવાહીને કારણે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં મોડું થતા વાતાવરણ ગરમાયું હતું. જોકે આ મામલો વધુ બિચકતા તાત્કાલિક અસરથી હોસ્પિટલના RMOને પણ જાણ કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતિની ગંભીરતા પારખીને RMO એ અન્ય સિનિયર તબીબ ડોક્ટર હેમાંગ કુંગશીયાને તાત્કાલિક સિવિલ ચોકીએ મોકલ્યા હતા. અને ડોક્ટર કુંગશીયાએ આવીને રીટ્રોગેટ MLC ની ફાઈલ પર જરૂરી સહી-સિક્કા કરી આપતા કાનૂની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો, અને મામલો શાંત પડ્યો હતો. જોકે હોસ્પિટલના તંત્ર અને તબીબોના આવા વલણને કારણે સિવિલ હોસ્પિટલની છબી ફરી એકવાર ખરડાઈ છે. સમગ્ર મામલે દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન મીડિયા કો-ઓર્ડીનેટર ડો. કમલ ડોડીયાએ આડકતરી રીતે બેદરકાર અને બેજવાબદાર ડૉક્ટરની સામે પગલાં લેવાને બદલે તેમનો બચાવ કરતા હોય તેવું નિવેદન આપ્યું હતું. ડો. ડોડીયાએ જણાવ્યું કે, MLC જાહેર કર્યા બાદ એ ડોક્ટર પાસે અન્ય ઇમરજન્સી કેસ આવ્યો હતો. જેના કારણે તે ડોક્ટર આવી શક્યા નહોતા દિવ્યભાસ્કર દ્વારા બેદરકારી રાખનાર ડૉક્ટરનું નામ પૂછવામાં આવતા તે જણાવવાનો પણ તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં તરત અન્ય ડોક્ટર શા માટે ફાળવવામાં આવ્યા નહીં ? તે સવાલનો કોઈપણ જવાબ જ તેમણે આપ્યો નહોતો. આમ સિવિલનાં સત્તાધીશો બેજવાબદાર ડૉક્ટર્સ સહિતના કર્મચારીઓને બચાવતા હોવાને કારણે હવે આવા લોકોને કોઈપણ પ્રકારનો ડર નહીં હોવાનું અને આ કારણે પ્રજા હેરાન થતી હોવાનું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.
આગામી ચોમાસા પહેલાં જ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય તે માટે રાજ્યભરમાં જળસંચયના કામોનું આગોતરું આયોજન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને આહ્વાન કર્યું છે. રાજ્યમાં ચાલી રહેલા ‘જળસંચય જન ભાગીદારી 2.0’ અભિયાનની સર્વગ્રાહી સમીક્ષા માટે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, વરસાદી પાણીના સંચય-સંગ્રહથી જળ સુરક્ષા મજબૂત બને અને ગુજરાત જળસંચય ક્ષેત્રે પોતાની અગ્રેસરતા જાળવી રાખે તે માટે સૌએ મિશન મોડમાં કામ કરવું જરૂરી છે. આ વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી. આર. પાટીલ દિલ્હીથી જોડાયા હતા, જ્યારે ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેક્ટરો સહિત અન્ય જિલ્લાઓએ પોતાના વિસ્તારમાં જળસંચય જન ભાગીદારી 2.0ની પ્રગતિ અને આગામી આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા. 'ગુજરાતને વધુમાં વધુ લાભ મળે તે આપણો મુખ્ય ફોકસ': CMમુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપના માર્ગદર્શન હેઠળ ‘કેચ ધ રેઈન’ જેવી રાષ્ટ્રવ્યાપી પહેલનો ગુજરાતને વધુમાં વધુ લાભ મળે તે આપણો મુખ્ય ફોકસ હોવો જોઈએ. તેમણે જળસંચયના કામોને લોકહિતના કાર્ય ગણાવી જણાવ્યું કે, આવા કામો કરવાથી ફરજની સંતોષ સાથે આત્મસંતોષ પણ મળે છે. રાજ્યના જિલ્લાઓમાં જળસંચયના કામોમાં હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં કામગીરી ઓછી છે ત્યાં વધુ ગતિ મળે તેવું વાતાવરણ ઊભું કરવાની પણ મુખ્યમંત્રીએ હિમાયત કરી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને જળસંચય-જળસંગ્રહ માટે ફાળવેલી રૂ. 50 લાખની ગ્રાન્ટનો પણ અસરકારક ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. સાથે જ કેન્દ્ર સરકાર તરફથી ફાળવાયેલા રૂ. 553 કરોડની ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-2026 પહેલાં થાય તે માટે કામો ઝડપથી હાથ ધરવાની તાકીદ કરી. જળસંચય ક્ષમતામાં સતત વધારો કરવામાં આવે: સી.આર. પાટીલકેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, જળસંચય અને જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશ માટે મોડેલ બની છે. જૂના બોર રિચાર્જ માટે 90 ટકા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા મોટા ફાયદા થયા હોવાનું તેમણે કહ્યું. ઉપરાંત, જળસંચયના કામોમાં NGOsને વધુ જોડવા માટે યાદી બનાવી તેમને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો. તેમણે વધુમાં જણાવ્યું કે, વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) હેઠળ મળનારા ફંડમાંથી 40 ટકા રકમ જળસંચય-જળસંગ્રહ માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદાર જોગવાઈ કરવામાં આવી છે. સાયન્ટિફિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચરો બનાવીને જળસંચય ક્ષમતામાં સતત વધારો કરવામાં આવે તો વડાપ્રધાનનો જળ સુરક્ષા અને જળ આત્મનિર્ભરતાનો સંકલ્પ સાકાર કરી શકાય તેમ તેમણે ઉમેર્યું. જળસંચય જન ભાગીદારી 2.0 અભિયાન અંતર્ગત દેશમાં 31 મે 2026 સુધીમાં એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતે આગામી ચોમાસા પહેલાં મહત્તમ કામો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. અગાઉના જળસંચય જન ભાગીદારી 1 અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 કામો પૂર્ણ થયા છે, જેના કારણે ભૂગર્ભ જળ રીચાર્જમાં નોંધપાત્ર લાભ થયો હોવાનું પણ બેઠકમાં નોંધાયું હતું. તમામ જિલ્લા કલેક્ટરોને મિશન મોડમાં કાર્યરત થવા સૂચનામુખ્ય સચિવ એમ. કે. દાસે તમામ જિલ્લા કલેક્ટરોને જળસંચય જન ભાગીદારી 2.0ની સફળતા માટે મિશન મોડમાં કાર્યરત થવાની સૂચના આપી હતી. બેઠકમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન પર નવા પાયલટોની તાલીમ શરૂ:‘સર્વ ધર્મ પૂજા’ સાથે તાલીમ કાર્યક્રમનો પ્રારંભ
દમણ કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન ખાતે નવા પાયલટો માટે વિવિધ ફ્લાઈંગ તાલીમ કોર્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે ‘સર્વ ધર્મ પૂજા’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી પાયલટો અને એરક્રુએ સુરક્ષિત તથા સફળ તાલીમ માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં દેશની વિવિધ પ્રતિષ્ઠિત ફ્લાઈંગ સંસ્થાઓમાંથી કુલ 16 ટ્રેની પાયલટો ભાગ લઈ રહ્યા છે. તેમાં AFA ડુંડીગલમાંથી 3, IGRUA ફુરસતગંજમાંથી 8 અને BFTS (બેઝિક ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલ)માંથી 5 તાલીમાર્થીઓનો સમાવેશ થાય છે. તાલીમાર્થીઓ માટે ડોર્નિયર વિમાન અને ચેતક હેલિકોપ્ટરના ઓપરેશનલ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે ત્રણ પ્રોફેશનલ કોર્સ યોજાશે, જેમાં DOFT (ડોર્નિયર ઓપરેશન ફ્લાઈંગ ટ્રેનિંગ), DCOFT (ડોર્નિયર કન્વર્ઝન અને ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ) તેમજ COCC (ચેતક ઓપરેશનલ કન્વર્ઝન કોર્સ)નો સમાવેશ થાય છે. આ કોર્સો દ્વારા તાલીમાર્થીઓને આધુનિક ઉડ્ડયન તકનીક, ઓપરેશનલ પ્રક્રિયાઓ અને સલામતી ધોરણોની વ્યાપક તાલીમ આપવામાં આવશે. સૈન્ય ઉડ્ડયન ક્ષેત્રે ‘સર્વ ધર્મ પૂજા’ વર્ષોથી ચાલી આવતી એક પવિત્ર પરંપરા છે. આ પ્રસંગે તમામ ધર્મના અધિકારીઓ, ટ્રેનર્સ અને સ્ટાફ એકસાથે પ્રાર્થનામાં જોડાઈ ભારતીય સશસ્ત્ર દળોની એકતા, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું દર્શન કરાવે છે. આ કાર્યક્રમ દ્વારા ભાવિ એવિયેટર્સમાં પરસ્પર સન્માન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ તાલીમાર્થી પાયલટોના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
BREAKING: મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય
Manipur CM: દિલ્હીમાં યોજાયેલી મણિપુર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. આજે સાંજે લગભગ 5 વાગ્યે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે મણિપુરના ભાજપ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી.
આજથી એકાદ વર્ષ પૂર્વે સામાન્ય બાબતને લઈને નવયુવાન પર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા સામે આવેલ ઇન્દિનગર વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને એક વર્ષ પૂર્વે પ્રકાશ ઉર્ફે પકાએ કિશનને છરીના ઘા ઝીંકી દેતા યુવાને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી, આ કેસ ભાવનગર એડિશનલ સેશન કોર્ટમાં ચાલતા કોર્ટે હત્યારા ને દંડ તથા આજીવન કેદની સજા ફટકારી હતી, આ બનાવ અંગે મળતી માહિતી મુજબ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં આજથી લગભગ એક વર્ષ પહેલા એક યુવાન પર સામાન્ય બાબતને લઈને આ જ વિસ્તારમાં રહેતા શખ્સે તિક્ષણ હથિયાર વડે હુમલો કરતા યુવાને સારવાર દરમિયાન અંતિમશ્વાસ લીધો હતો જેમાં બનાવ એવા પ્રકારે બનવા પામ્યો હતો કે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ મકવાણા નો 18 વર્ષીય પુત્ર કિશન એ આજ વિસ્તારમાં રહેતા પ્રકાશ ઉર્ફે પકો કાનજી બોરીચા ને સામાન્ય બાબતે ઠપકો આપ્યો હતો, આ વાતની પ્રકાશે દાઝ રાખી કિશન પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત કિશનને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અને બનાવો હત્યામાં પરિણમ્યો હતો જે અંગે મૃતકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ આધારે પોલીસે હત્યારા પ્રકાશ ઉર્ફે પકો કાનજી બોરીચાને ઝડપી લીધો હતો, આ કેસ ભાવનગર એડિશનલ સેશન કોર્ટમાં ચાલતા જજ એચ.એસ મૂળિયાએ સરકારી વકીલની તર્કબદ્ધ દલીલો દસ્તાવેજી પુરાવા લેખિત મૌખિક જુબાની અને સમગ્ર કેસને ગંભીરતાથી ધ્યાનમાં લઇ હત્યારા પ્રકાશ ઉર્ફે પકાને દંડ તથા આજીવન કેદની સજા ફટકારી હતી.
જામજોધપુરમાં આયુષ મેળા યોજાયો:2500થી વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથી સારવારનો લાભ લીધો
જામનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા જામજોધપુરના કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે ભવ્ય ‘આયુષ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો મુખ્ય હેતુ પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ જેવી કે આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધારવાનો અને લોકોને કુદરતી સારવાર દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પણ ઉપલબ્ધ હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન કુલ 610 દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે 2500 થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા માટે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે સઘન જહેમત ઉઠાવી હતી.
મહેસાણા શહેરની ઐતિહાસિક ધરોહર સમાન તોરણવાળી માતાના ચોકને હેરીટેજ લુક આપવાના પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ આ બાબતે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી કોઈ પણ પ્રકારના રાજકીય દબાણને વશ થયા વિના આ પ્રોજેક્ટની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરની અસ્મિતા સાથે જાડોયેલો છે તોરણવાળી માતાનો ચોકકમલેશ સુતરિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, તોરણવાળી માતાનો ચોક અને તેની આસપાસનો વિસ્તાર મહેસાણાની સ્થાપના સાથે જોડાયેલી ઐતિહાસિક ધરોહર છે. અહીં જ તોરણ બાંધીને માતાજીની સ્થાપના કરવામાં આવી હતી અને શહેર વસાવવામાં આવ્યું હતું. આ ચોક મહેસાણા શહેરનું 'હાર્ટ' ગણાય છે, જેની સાથે શહેરની અસ્મિતા જોડાયેલી છે. 1 જાન્યુઆરીએ મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતુંનોંધનીય છે કે, આ વિસ્તારને હેરીટેજ બનાવવા માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત ગત 1 જાન્યુઆરી 2026 ના રોજ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ માટે એજન્સીને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હતો. જોકે પૂર્વ વિપક્ષ નેતાનો આક્ષેપ છે કે પ્રોજેક્ટ શરૂ થયા બાદ કોઈ અજ્ઞાત રાજકીય દબાણના કારણે હાલ આ કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, જો આ હેરીટેજ પ્રોજેક્ટ યોગ્ય કાળજી અને ઉચ્ચ ગુણવત્તાવાળા મટીરીયલ સાથે પૂર્ણ કરવામાં આવે તો મહેસાણા શહેરની શોભામાં અનેરી વૃદ્ધિ થશે અને સમગ્ર રાજ્યમાં શહેરની એક આગવી ઓળખ ઉભી થશે. જનહિત અને શહેરના વિકાસને ધ્યાને રાખી વિલંબમાં પડેલી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે.
જામનગરની વિશાલ હોટલના એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલાના ચકચારી કેસમાં ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા સહિત અનિલ ભદ્રા અને અર્જુન ભદ્રાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં અગાઉ પણ નવ આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ ઘટના થોડા મહિનાઓ પહેલા બની હતી. વિશાલ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા પર લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે મિલન હંજડા, અનિલ ભદ્રા, ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા અને અન્ય અજાણ્યા સહિત કુલ 12 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ મુજબ, આ હુમલો હોટલના ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ ભદ્રા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે થયો હતો. હુમલા પહેલા કર્મચારી અમિત ચુડાસમાને ફોન કરીને નોકરી પર ન આવવાની ધમકી આપવામાં આવી હતી. જ્યારે તેમણે કારણ પૂછ્યું, ત્યારે તેમને સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસે બોલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ગુનામાં નાસતા-ફરતા ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્રા, અનિલ વિનોદભાઈ ભદ્રા અને અર્જુન દીપકભાઈ ભદ્રાની ગઈકાલે મોડી સાંજે ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે રદ થતાં તેમની ધરપકડનો માર્ગ મોકળો બન્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાખોરોએ કિરીટભાઈ ભદ્રાના કહેવાથી હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું, જેના આધારે હોટલ કર્મચારીએ ફરિયાદમાં તેમનું નામ પણ લખાવ્યું હતું.
સિવિલ એવિએશન ક્ષેત્રે ગુજરાતે ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. 28 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલા ‘વિંગ્સ ઇન્ડિયા-2026’ કાર્યક્રમમાં ગુજરાતને ‘બેસ્ટ સ્ટેટ ફોર પ્રમોશન ઓફ એવિએશન ઇકોસિસ્ટમ’નો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુના હસ્તે આપવામાં આવ્યો હતો. ગુજરાત સાથે તેલંગાણા અને ઉત્તરાખંડને સંયુક્ત વિજેતા પસંદ કરાયાગુજરાતના સિવિલ એવિએશન કમિશનર કે.એલ. બચાણીએ જણાવ્યું કે આ સન્માન રાજ્યમાં ઉડ્ડયન ક્ષેત્રની મજબૂત માળખાકીય સુવિધાઓ, મેન્ટેનન્સ-રીપેર-ઓવરહોલ (MRO) અને એરક્રાફ્ટ લીઝિંગ જેવા ક્ષેત્રોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિનો પુરાવો છે. આ શ્રેણીમાં ગુજરાતની સાથે તેલંગાણા અને ઉત્તરાખંડ રાજ્યોને પણ સંયુક્ત વિજેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે એવિએશન ક્ષેત્રને આર્થિક વિકાસનું મહત્વપૂર્ણ એન્જિન બનાવવાની દિશામાં સતત પ્રયાસો કર્યા છે. સાથે જ, છેવાડાના વિસ્તારો સુધી એર કનેક્ટિવિટી પહોંચાડવાની દૃષ્ટિ પણ આ સિદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ગુજરાતની વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓ અને હવાઈ મુસાફરીને સામાન્ય નાગરિક માટે વધુ સુલભ બનાવવા પ્રત્યેની કટિબદ્ધતા આ એવોર્ડ દ્વારા વધુ મજબૂત બની છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતને અગાઉ ‘વિંગ્સ ઇન્ડિયા-2022’માં “Best State with a Dedicated Outlook for the Sector” અને ‘વિંગ્સ ઇન્ડિયા-2024’માં “Best State with a Dedicated Lookout for Aviation Sector” જેવા એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. સતત ત્રીજી વખત મળેલ આ સન્માન ગુજરાતના ઉડ્ડયન ક્ષેત્રમાં વધતી શક્તિ અને વિશ્વસનીયતાનું પ્રતિબિંબ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે બાકી વેરા અને ભાડા વસૂલાત માટે આક્રમક વલણ અપનાવ્યું છે. લાંબા સમયથી પાલિકાના લેણાં દબાવીને બેઠેલા બાકીદારો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે એસટી ડેપોની પાછળ સેક્ટર-11માં આવેલી માઈક્રોશોપિંગના 43 વેપારીઓ ને કુલ રૂ. 50.07 લાખના બાકી ભાડા અંગે અંતિમ નોટિસ ફટકારવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. 43 દુકાનદારોનું 50 લાખથી વધુનું ભાડું વસૂલવાનું બાકીગાંધીનગર શહેરના હાર્દ સમાન સેક્ટર-11 સ્થિત એસટી ડેપોની પાછળ માઇક્રો શોપીંગના એકમો આવેલા છે. આ એકમો મૂળભૂત રીતે સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તૈયાર કરી ભાડાપટ્ટે ફાળવવામાં આવ્યા હતા. જોકે આ મિલકતોનું સંચાલન અને ભાડું વસૂલવાની સત્તા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તક છે. છેલ્લા ઘણા સમયથી અહીંના કેટલાક વેપારીઓ ભાડું ભરવામાં ઘોર બેદરકારી અને અનિયમિતતા દાખવતા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. એસ્ટેટ વિભાગના સત્તાવાર આંકડા મુજબ આ 43 શોપિંગ એકમો પાસે પાલિકાનું કુલ રૂા. 50,07,256 જેટલું તોતિંગ ભાડું બાકી નીકળે છે. વારંવારની મૌખિક રજૂઆતો અને સૂચનાઓ છતાં બાકીદારો રકમ જમા ન કરાવતા આખરે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. 3 દિવસમાં ચૂકવણી નહીં કરે તો મિલકત સીલ કરાશેમહાનગરપાલિકાએ આ વખતે કોઈ પણ પ્રકારની ઢીલ મૂકવાના મૂડમાં નથી. જારી કરાયેલી નોટિસમાં સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરવામાં આવી છે કે,બાકી નીકળતી તમામ રકમ આગામી ત્રણ કામકાજના દિવસોમાં ફરજિયાત જમા કરાવવી પડશે. જો નિયત સમયમર્યાદામાં નાણાં જમા નહીં થાય તો એસ્ટેટ વિભાગ દ્વારા મિલકત સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ પણ રકમ ન ભરાય તો કાયદેસરની અન્ય કડક કાર્યવાહી અને ભાડાપટ્ટો રદ કરવા સુધીના પગલાં લેવાશે. ગાંધીનગર મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, માત્ર સેક્ટર-11 જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જે સરકારી મિલકતો ભાડાપટ્ટે અપાયેલી છે અને જ્યાં મોટું ભાડું બાકી છે ત્યાં પણ આગામી દિવસોમાં આ જ પ્રકારે નોટિસો ફટકારીને કડક વસૂલાત કરવામાં આવશે. જોકે પાલિકાની આ કડક કાર્યવાહીથી અન્ય ડિફોલ્ટરોમાં પણ દોડધામ મચી ગઈ છે.
વર્ષ 2013માં નડિયાદ સેશન્સ કોર્ટમાં આરોપી કનુ પરમાર સામે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના કેસમાં IPC 376 ની કલમ અંતર્ગત કેસ દાખલ થયો હતો. જેમાં કોર્ટે ચુકાદો આપતા આરોપીને 7 વર્ષ કેદની સજા ફટકારી હતી. આ સજાને વધારવા માટે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેને હાઇકોર્ટે નકારી નાખી છે. ખેતરમાં બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુંકેસની વિગતે જોતા ફરિયાદીની પિતરાઈ બહેન તેના પડોશમાં રહેતા કાકાને ત્યાં રહેવા આવી હતી. સાથે જ ફરિયાદીની 5 વર્ષીય ભાણી પણ હતી. ફરિયાદી જ્યારે સાંજના સમયે રામપુરા લાટ તરફ જઈ રહ્યા હતા. ત્યારે તેમને બાળકના રડવાનો અવાજ ખેતરમાંથી આવતા સંભળાયો હતો. જ્યારે તેઓ ખેતર તરફ ગયા ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને ચોકી ગયા હતા. ખેતરમાં એક બાળકી જમીન ઉપર પડી હતી અને આરોપી તેની બાજુમાં પોતાના પેન્ટની ચેઇન ફિટ કરી રહ્યો હતો. આરોપી ગામમાં જ રહેતો હતો. જ્યારે છોકરી તેની સગામાં ભાણી થતી હતી. આ જ સમયે ગામની બે મહિલાઓ રોડ ઉપર સામે ચાલીને આવતી હતી. જેથી ફરિયાદીએ બાળકી મહિલાઓને સોંપીને આરોપીને પકડવા દોડ્યો હતો, પરંતુ આરોપી ભાગી ગયો હતો. મહિલાઓ સાથે બાળકીને તેના ઘરે પહોંચાડવામાં આવી હતી. જ્યાં ઘરની મહિલાઓએ ચેક કરતા બાળકીની ચડ્ડી લોહી લુહાણ હાલતમાં હતી. તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળતુ હતું. આથી 108 ને બોલાવી બાળકીને કઠલાલા ખાતે આવેલ સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. તેમજ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ કરતા, પોલીસે આરોપીની અટકાયત કરી હતી. નડિયાદ કોર્ટે ફટકારેલી સજા વધારવા રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતીનડિયાદની કોર્ટે 15 સાહેદ અને 27 પુરાવા તપાસ્યા હતા. જેમાં આરોપીનું કહેવું હતું કે પૈસાની લેતી દેતીમાં તેની સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે. બાળકીની જુબાની લેવાઈ નથી. જ્યારે ફરિયાદી પક્ષનું કહેવું હતું કે આરોપી સોપારી આપવાની લાલચ આપીને બાળકીને તેની દાદી પાસેથી મામા કહીને લઈ ગયો હતો. હાઇકોર્ટમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે આરોપીને 5 વર્ષની બાળકી સાથે હિન કૃત્ય કર્યું છે. સેશન્સ જજે સજા સંભળાવતા ઘટનાની ગંભીરતાને ધ્યાને લીધી નથી. આરોપીને લઘુત્તમ સજા કરવામાં આવી છે, તેને મહતમ સજા થવી જોઈએ. જો કે હાઇકોર્ટે સરકારની અપીલ ગ્રાહ્ય ન રાખતા સેશન્સ કોર્ટના ચુકાદામાં હસ્તક્ષેપ ના કરતા અરજી ફગાવી દીધી હતી.
સાબરકાંઠા પોલીસે 83 નાસતા ફરતા આરોપીઓને ઝડપ્યા:એક મહિનાની ખાસ ડ્રાઈવમાં જેલ હવાલે કર્યા
સાબરકાંઠા પોલીસે છેલ્લા એક મહિનામાં નાસતા ફરતા 83 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલના આદેશ બાદ LCB અને SOG ટીમો દ્વારા આ ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. LCB ના PI ડી.સી.સાકરીયા અને SOG PI ડી.સી.પરમારે જણાવ્યું કે, જિલ્લામાં પોલીસ પકડથી દૂર રહેલા આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસવડાએ LCB ને સૂચના આપી હતી. આ સૂચના બાદ LCB અને SOG ટીમોએ પુરાવા અને ઓળખના આધારે તપાસ તેજ કરી હતી. આ ડ્રાઈવ દરમિયાન ઝડપાયેલા 83 આરોપીઓમાં, 0 થી 1 વર્ષના સમયગાળાથી નાસતા ફરતા 46 આરોપીઓનો સમાવેશ થાય છે. જ્યારે 1 થી 5 વર્ષથી ફરાર 15, 5 થી 10 વર્ષથી ફરાર 2 અને 10 વર્ષથી વધુ સમયથી પોલીસ પકડથી દૂર રહેલા 20 આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ 83 આરોપીઓ વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. LCB ના PI ડી.સી.સાકરીયા, PSI કે.સી બ્રહ્મભટ્ટ, કે.યુ.ચૌધરી સહિત LCB અને SOG ના સ્ટાફે આ કામગીરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SOG ટીમે આમાંથી 27 આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી.

25 C