SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

પત્નીની આંખમાં 16 નંબરના ચશ્માની ખબર પડતા પતિએ તોડ્યા લગ્ન:લગ્ન ન થતાં પરિવારે આંખોમાં ખામીની વાત છૂપાવી, કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી છૂટાછેડા મંજૂર કર્યા

તાજેતરમાં ફેમિલી કોર્ટમાં એક એવો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્નીએ પોતાની આંખની ગંભીર બીમારી અને ચશ્માના વધુ પડતા નંબરની વાત પતિથી છુપાવી હતી. માત્ર બે જ મહિનાના ટૂંકા લગ્નજીવન બાદ જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિને શંકા જતા પત્નીને ચશ્માના નંબર અંગે પૂછ્યુંઘટનાની વિગતો એવી છે કે લગ્ન નક્કી થયા ત્યારે યુવતીના પરિવાર તરફથી તેની આંખની સમસ્યા અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. લગ્નના બીજા જ દિવસે પત્નીની તબિયત અચાનક બગડતા તેને હોસ્પિટલ લઈ જવી પડી હતી. શરૂઆતમાં પત્નીએ સામાન્ય બીમારી હોવાનું કહીને વાત ટાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જ્યારે તેની દૃષ્ટિ અંગે શંકા ગઈ ત્યારે પતિએ તેને ચશ્માના નંબર અંગે પૂછ્યું હતું. ત્યારે પત્નીએ એવું જૂઠું બોલીને વાત વાળી લીધી હતી કે તેને બંને આંખમાં માત્ર દોઢ-દોઢ નંબર છે. ડોક્ટરના ખુલાસાએ પતિના હોશ ઉડાવી દીધા હતાથોડા દિવસો બાદ જ્યારે પતિ નવી ફ્રેમ લેવા માટે પત્નીને દુકાને લઈ ગયો, ત્યારે ત્યાંના સ્ટાફને નંબર ચેક કરવામાં મુશ્કેલી પડી હતી. આ સમયે પત્નીએ સ્વીકાર્યું કે તેને દોઢ નહીં પણ ત્રણ-ત્રણ નંબર છે. જોકે, પતિને હજુ પણ કંઈક અજૂગતું લાગતા તે પત્નીને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે લઈ ગયો હતો. હોસ્પિટલમાં જ્યારે પત્નીની આંખમાં ટીપાં નાખીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે ડોક્ટરે કરેલા ખુલાસાએ પતિના હોશ ઉડાવી દીધા હતા. એક આંખમાં ક્રોસમાં અઢી નંબર અને બીજી આંખમાં 16 નંબર છેડોક્ટરે તપાસ બાદ પતિને જણાવ્યું કે પત્નીને એક આંખમાં અઢી નંબર છે જે ક્રોસ છે, જ્યારે બીજી આંખમાં પૂરા 16 નંબર છે! આટલું જ નહીં, ડોક્ટરે વધુમાં ઉમેર્યું કે, પત્નીની આંખની નસો સુકાઈ ગઈ છે અને હવે આનો કોઈ પણ પ્રકારનો ઈલાજ શક્ય નથી. આ સાંભળીને પતિ સ્તબ્ધ થઈ ગયો હતો કારણ કે આટલી મોટી શારીરિક ખામી વિશે તેને લગ્ન પહેલા સંપૂર્ણપણે અંધારામાં રાખવામાં આવ્યો હતો. દીકરીના લગ્ન માટે પરિવારે બીમારીની વાત છુપાવી હતીત્યારબાદ જ્યારે આ બાબતે પત્નીના પરિવારજનોને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સત્ય સ્વીકારતા જણાવ્યું હતું કે યુવતીને આંખની મોટી સમસ્યા હોવાને કારણે ક્યાંયથી સારા સગપણ આવતા નહોતા. પોતાની દીકરીના લગ્ન થઈ જાય તે હેતુથી તેમણે આ બીમારીની વાત છુપાવી હતી. પિયર પક્ષના આ ખુલાસા બાદ પતિએ છેતરાયા હોવાની લાગણી અનુભવી હતી અને બંને પક્ષો વચ્ચે વિવાદ વધતા તેઓ અલગ રહેવા લાગ્યા હતા. પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરીઅલગ થયા બાદ પત્નીએ સંબંધ સુધારવાને બદલે પતિ પર દબાણ લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પત્નીએ પતિને અનેક ઈમોશનલ મેસેજ કર્યા હતા અને ધમકી આપી હતી કે જો તે તેને પાછી નહીં લઈ જાય તો તે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેશે. આ માનસિક તણાવ અને છેતરપિંડીથી કંટાળીને અંતે પતિએ એડવોકેટ જીગ્નેશ હરિયાણી મારફતે ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી. પત્નીએ પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કોર્ટમાં સાબિત થયુંકોર્ટમાં કાર્યવાહી દરમિયાન પતિના વકીલે દલીલ કરી હતી કે લગ્ન એ કરાર છે જેમાં કોઈ પણ પક્ષે મહત્વની વિગતો છુપાવવી જોઈએ નહીં. અમદાવાદના ડોક્ટરે પણ સાક્ષી પુરાવામાં જણાવ્યું હતું કે આ પેશન્ટ અગાઉ પણ તેમની પાસે આવ્યું હતું અને તેમને 16 નંબર હોવાની જાણ પહેલેથી જ હતી. આમ, પત્નીએ જાણીજોઈને પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કોર્ટમાં સાબિત થયું હતું. કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી છૂટાછેડા મંજૂર કર્યાઅંતે, કોર્ટે તમામ દલીલો અને તબીબી રિપોર્ટ્સને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યું કે શારીરિક ખામી છુપાવીને લગ્ન કરવા એ ક્રૂરતા સમાન છે અને આવા કિસ્સામાં પતિ સાથે રહેવા મજબૂર નથી. પરિણામે, કોર્ટે પતિની તરફેણમાં ચુકાદો આપી છૂટાછેડા મંજૂર કર્યા હતા. આ કિસ્સો સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે કે લગ્ન જેવો પવિત્ર સંબંધ અસત્યના પાયા પર ટકી શકતો નથી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 10:26 pm

વિશ્વ કેન્સર દિવસે ભઠવાડામાં મફત આરોગ્ય શિબિર:ટોલ પ્લાઝા ખાતે કેન્સર જાગૃતિ અને તપાસ કાર્યક્રમ

વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે ભઠવાડા ટોલ પ્લાઝા ખાતે મફત આરોગ્ય તપાસ અને કેન્સર જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ગોધરા એક્સપ્રેસ હાઈવે પ્રાઇવેટ લિમિટેડ અને અપોલો ટેલિમેડિસિન નેટવર્કિંગ ફાઉન્ડેશન દ્વારા તેમની CSR પહેલ 'પ્રોજેક્ટ નિરામયા' હેઠળ આ શિબિર યોજાઈ હતી. આ પહેલનો મુખ્ય હેતુ ટ્રક ચાલકો, માર્ગ ઉપયોગકર્તાઓ તેમજ આસપાસના સ્થાનિક સમુદાયમાં કેન્સર અંગે જાગૃતિ, પ્રારંભિક ઓળખ અને નિવારક આરોગ્ય સેવાઓને પ્રોત્સાહન આપવાનો હતો. શિબિરમાં મૂળભૂત આરોગ્ય તપાસ, કેન્સર જાગૃતિ સત્રો, તબીબી માર્ગદર્શન અને ટ્રક ચાલકો માટે પેરિમેટ્રી ફંક્શન ટેસ્ટ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન આશરે 80 લાભાર્થીઓએ સંપૂર્ણ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ ઉપરાંત, 180 થી વધુ ટ્રક ચાલકો અને માર્ગ ઉપયોગકર્તાઓએ કેન્સર નિવારણ, પ્રારંભિક લક્ષણો અને સ્વસ્થ જીવનશૈલી અંગેના જાગૃતિ સત્રોમાં ભાગ લીધો હતો. આ આરોગ્ય શિબિરનું સંચાલન અપોલો ટેલિમેડિસિન નેટવર્કિંગ ફાઉન્ડેશનની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ડૉ. હિમાલય ડામોર, ગોધરા એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટ મેનેજર શ્રી આશિષ ઠીટે અને વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટના ડેપ્યુટી CSR મેનેજર શ્રી હિતેશ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સફળ રહ્યો હતો. લાભાર્થીઓને સમયસર આરોગ્ય મૂલ્યાંકન, વ્યાવસાયિક પરામર્શ અને મહત્વપૂર્ણ આરોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી, જેનાથી આરોગ્ય સંબંધિત જોખમોની વહેલી ઓળખ શક્ય બની. આ પહેલ દ્વારા વર્ટિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટએ સમુદાય આરોગ્ય અને સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ખાસ કરીને ટ્રક ચાલકો જેવા ઓછા ધ્યાનમાં લેવાતા વર્ગની આરોગ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરાયેલો આ પ્રયાસ સ્વસ્થ અને રોગમુક્ત સમાજ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 10:23 pm

ભારત-યુએસ ટ્રેડ ડીલથી ‘મેક ઇન ઇન્ડિયા’ને વૈશ્વિક પાંખો:CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારોના નવા દ્વાર ખુલશે

ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ઐતિહાસિક ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલો આ કરાર વિશ્વને નવા ભારતની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિનો પરિચય કરાવે છે. આ ડીલ માત્ર ઉદ્યોગ સુધી સીમિત ન રહી, પરંતુ બંને દેશોના નાગરિકોના હિતમાં અને નવી તકોના સર્જન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારોના નવા દ્વાર ખુલશેમુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહીઓ જ્યારે સાથે મળીને આગળ વધે છે, ત્યારે સાચા અર્થમાં વૈશ્વિક કલ્યાણની ભાવના સાકાર થાય છે. ભારત-અમેરિકા વચ્ચેની આ ટ્રેડ ડીલ દ્વિપક્ષીય સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત સમાન છે. આ કરારના પરિણામે ‘મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ના વડાપ્રધાનના વિઝનને વધુ બળ મળશે. ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર યુએસ ટેરિફ 18 ટકા થવાથી ઉત્પાદન ક્ષેત્ર, MSME, નિકાસકારો તેમજ રોજગાર સર્જન માટે નોંધપાત્ર પ્રોત્સાહન મળશે. ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટઅપ્સ માટે વૈશ્વિક બજારોના નવા દ્વાર ખુલશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર તથા MSME સહિતના વેપાર-ઉદ્યોગોને સીધો લાભમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઓળખાય છે અને ટેક્સટાઇલ, ફાર્મા, કેમિકલ, પેટ્રોલિયમ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા ક્ષેત્રોમાં રાજ્ય અગ્રેસર છે. ભારત-અમેરિકા વચ્ચે થયેલા આ ઐતિહાસિક કરારથી આ તમામ સેક્ટર્સના ઉત્પાદનોના એક્સપોર્ટને વેગ મળશે અને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ સેક્ટર તથા MSME સહિતના વેપાર-ઉદ્યોગોને સીધો લાભ થશે. આ કરારથી ભારતની ગ્લોબલ ઇકોનોમિક પ્રેઝન્સ વધુ મજબૂત બનશે તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણાયક નેતૃત્વ અને સિટિઝન-સેન્ટ્રિક ડિપ્લોમસીના પરિણામે ભારત-યુએસ સંબંધોથી વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિને પણ નવી દિશા મળશે. અંતે તેમણે ગુજરાતના તમામ નાગરિકો વતી આ ઐતિહાસિક દ્વિપક્ષીય વ્યાપાર કરાર બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 10:09 pm

ફોરેસ્ટ કર્મચારીની હત્યાનો ભેદ ઉકેલાયો:ત્રણ લાકડાચોરો ઝડપાયા, વઘઇ પોલીસે કાર્યવાહી કરી

ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાઈ ગયો છે. વઘઇ પોલીસે આ કેસમાં ત્રણ લાકડાચોરોને ઝડપી પાડ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંઘ અને ડાંગ પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કેસનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો છે. આ ઘટના 31 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના સમયે બોરીગાંવઠા ગામે બની હતી. મૃતક સનતભાઈ ગનસુભાઈ બીરારી (ઉંમર 53, રહે. વાંઝટઆંબા) ફોરેસ્ટ ખાતામાં કાયમી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. ફરજ પૂરી કરીને રાત્રે આશરે દોઢ વાગ્યે ઘરે પરત ફરતી વખતે, બોરીગાંવઠા ગામના આંબલી ફળિયામાં જાહેર રોડ પર તેમણે ત્રણ સાયકલ પર ચોરીના લાકડાં લઈ જતા ત્રણ લાકડાચોરોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ ઝઘડો કરીને વાંસના ડંડા વડે સનતભાઈના માથા અને કપાળના ભાગે ગંભીર માર માર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે વનરક્ષક હરેશકુમાર રણછોડભાઈ ચૌધરીએ વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા એલસીબી અને સ્થાનિક પોલીસની કુલ દસ ટીમો બનાવવામાં આવી હતી. તપાસમાં ડ્રોન કેમેરા, ટેક્નિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને જૂના ગુનાઓની મોડસ ઓપરેન્ડીનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આશરે 100 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ અને GRD જવાનોને શોધખોળમાં સામેલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કોસીમપાતળ ગામના ત્રણ આરોપીઓ – પ્રવિણભાઈ ઉર્ફે પરેશ પવાર, હેમંતભાઈ મોતાભાઈ અને ઋત્વીકભાઈ મંજુભાઈ પવાર – ની સંડોવણી બહાર આવી હતી. પોલીસે જંગલ વિસ્તારમાં કોમ્બિંગ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે, ગેરકાયદેસર સાગના લાકડાં કાપીને લઈ જતા પકડાઈ જવાની ભીતિથી ફોરેસ્ટ કર્મચારીની ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ સફળ કામગીરી બદલ ઉચ્ચ અધિકારીઓએ વઘઇ પોલીસ અને એલસીબીની ટીમને અભિનંદન પાઠવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:44 pm

ગાંધીનગર જિલ્લા ભાજપના હોદ્દેદારોની જાહેરાત:કલોલના લવ બારોટ યુવા મોરચાના પ્રમુખ બન્યા

ગાંધીનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકોમાં કલોલના લવ બારોટને ગાંધીનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. લવ બારોટ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમની આ નિમણૂકથી કલોલ ભાજપના કાર્યકર્તાઓમાં સંતોષ જોવા મળ્યો છે. આ પ્રસંગે તેમના નિવાસસ્થાને સમર્થકો અને મિત્રો અભિનંદન પાઠવવા પહોંચ્યા હતા. લવ બારોટે શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જિલ્લાના યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને દેશસેવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:41 pm

ખોડુ ગામમાં જર્જરીત પાણીની ટાંકી, ગ્રામજનો ભયભીત:તંત્રની બેદરકારીથી મોટી દુર્ઘટનાનો ભય, જીવ જોખમમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામમાં આવેલી પાણીની ટાંકી અત્યંત જર્જરીત હાલતમાં છે. આ વર્ષો જૂની ટાંકી ગ્રામજનો માટે જીવલેણ જોખમ બની ગઈ છે.ટાંકીમાં મોટી તિરાડો પડી ગઈ છે અને તેના લોખંડના ભાગો પણ ખવાઈ ગયા છે. આ સ્થિતિને કારણે ગામલોકોમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.જર્જરીત ટાંકી કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે મોટી દુર્ઘટના અને જાનહાની થવાની આશંકા છે. ગામજનો દ્વારા આ અંગે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો સમયસર આ પાણીની ટાંકીને જમીનદોષ કરવામાં નહીં આવે, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. મોટી જાનહાની થાય તે પહેલાં તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી ગ્રામજનોની પ્રબળ માંગ છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:39 pm

જૂનાગઢની ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશનમાં ભીષણ આગ, યુવક ભડથું થયો:સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા, યુવકના મોતને લઈને રહસ્ય; ઓફિસની અંદર અગ્નિસ્નાન કે અકસ્માત?

જૂનાગઢ શહેરના મોતીબાગ વિસ્તારમાં આવેલી 'ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન'ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં એક અજાણ્યા યુવકનું ભડથું થઈને ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે આ રહસ્યમય ઘટનાની તપાસ શરૂ કરી હાલમાં આ આગ કયા કારણોસર લાગી છે તેનું રહસ્ય અકબંધ છે, જેના કારણે અનેક તર્ક-વિતર્કો સર્જાઈ રહ્યા છે. શું આ આકસ્મિક આગ હતી કે, યુવકે ઓફિસની અંદર અગ્નિસ્નાન કરીને જીવન ટૂંકાવ્યું? પોલીસે આ રહસ્યમય ઘટનાની બે મુખ્ય પાસાઓ પર તપાસ શરૂ કરી છે, શું આ કોઈ આકસ્મિક આગ હતી અથવા યુવાને કોઈ કારણોસર ઓફિસની અંદર જઈને અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું છે. આ રહસ્યમય ઘટના પાછળના સાચા કારણો શોધવા માટે FSLની મદદ લેવામાં આવે એવી પણ શક્યતા છે. પોલીસે મૃતકની માહિતી મેળવવા વધુ તપાસ હાથ ધરી​મૃતક યુવાનનું નામ જાવિદ ગુલામઅલી કાદરી છે, હાલ મૃતકની વધુ વિગતો મેળવવા માટે પોલીસે તપાસ તેજ કરી છે. ભડથુ થયેલો અજાણ્યો યુવક એકાએક એજ્યુકેશન સંસ્થામાંથી મળી આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. પોલીસ દ્વારા ટ્રાન્સ ગ્લોબલ એજ્યુકેશન ઓફિસના સંચાલકો અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને હકીકત સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:30 pm

સરકારી કોલેજ સમીમાં સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગ-2026 શરૂ:અંકગણિતની શોર્ટકટ ટ્રિક્સ પર વિશેષ વ્યાખ્યાનથી થયો પ્રારંભ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સમી ખાતે 'ઉદિશા સમિતિ' દ્વારા 'Competitive Exam Class - 2026'નો શુભારંભ થયો છે. આ વર્ગ 4 ફેબ્રુઆરી 2026 થી 10 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. તેનો પ્રારંભ આજે સવારે 10:30 કલાકે કોલેજના સેમિનાર હોલમાં અંકગણિત વિષય પરના વિશેષ વ્યાખ્યાનથી થયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાધ્યાપક જેવતભાઈ ચૌધરીએ વિષય નિષ્ણાત શ્રી કિરણજી ઠાકોરનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના મહત્વ વિશે માહિતી આપી હતી. મુખ્ય વ્યાખ્યાનમાં કિરણજી ઠાકોરે સંખ્યા પદ્ધતિમાં 'ડિજિટ સમ' (Digit Sum)ની શોર્ટકટ ટ્રિક્સ અને તેના દ્વારા ઝડપથી દાખલા ઉકેલવાની પદ્ધતિઓ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે આ ટ્રિક્સ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમય બચાવવામાં અને ચોકસાઈ વધારવામાં મદદ કરશે. આચાર્ય ડૉ. ટેકપાલસિંહ પી. આનંદના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવામાં ઉદિશા સમિતિના કન્વીનર પ્રાધ્યાપક વિજય જી. જોષી અને IQAC કન્વીનર ડૉ. ચેતન એન. પ્રજાપતિએ યોગદાન આપ્યું. કોલેજના તમામ અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વર્ગોમાં યુપી.એસ.સી., જી.પી.એસ.સી., એસ.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો પર વ્યાખ્યાનો, પ્રેક્ટિકલ સેશન અને ડાઉટ ક્લિયરિંગનું આયોજન કરવામાં આવશે. આ પહેલ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ભાવના જગાડવા અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:19 pm

બનાસકાંઠા LCBએ ચોરીના મોટરસાયકલ સાથે એક પકડ્યો:ડીસા રૂરલના વિઠોદર ગામેથી આરોપીની ધરપકડ

બનાસકાંઠા LCBએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિઠોદર ગામમાંથી ચોરીના મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ મોટરસાયકલ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જેના આધારે, પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. LCB પોલીસ સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન વિઠોદર ગામ હાઈવે પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક ઈસમ રામાઘણી નામની ફેન્સી નંબર પ્લેટ લગાવેલું મોટરસાયકલ લઈને પસાર થયો. પોલીસે તેની પાસે મોટરસાયકલના માલિકી હકના પુરાવા માંગતા તેણે પોતાની પાસે ન હોવાનું જણાવ્યું. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ મોટરસાયકલ ભરતભાઈ (રહે. પેછડાલ, તા. ડીસા)એ તેને વેચ્યું હતું. મોટરસાયકલના એન્જિન નંબર (HA11EYLHL14776) અને ચેસિસ નંબર (MBLHAW129LHL21205) પરથી તપાસ કરતા તેનો અસલ રજીસ્ટ્રેશન નંબર UP-81-CS-6114 હોવાનું જણાયું. અસલ માલિકનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે આ મોટરસાયકલ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હતું અને તે અંગે ગુનો પણ નોંધાયેલો છે. આશરે 50,000 રૂપિયાની કિંમતના આ હિરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-106(1) મુજબ શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી જીવણભાઈ રમેશભાઈ (, રહે. છીંડીવાડી, તા. ધાનેરા, જિ. બનાસકાંઠા)ની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-35(1)E મુજબ અટકાયત કરવામાં આવી છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ભરતભાઈ (રહે. પેછડાલ, તા. ડીસા, જિ. બનાસકાંઠા) નામના અન્ય એક આરોપીને પકડવાનો બાકી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:18 pm

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા વડીલોને ફેબ્રુઆરીનું રાશન વિતરણ:એકાંકી અને શારીરિક અશક્ત વડીલોને મળ્યો આધાર

હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા એકાંકી જીવન જીવતા વડીલોને ફેબ્રુઆરી મહિનાનું રાશન વિતરણ કરવામાં આવ્યું છે. આ વડીલો ઘણીવાર પરિવારના આધારથી વંચિત હોય છે અને શારીરિક અશક્તિ, આર્થિક તંગી તેમજ એકલતાનો સામનો કરે છે. તેમને મળતું આ નિયમિત રાશન જીવનનિર્વાહ માટે મદદરૂપ થાય છે. આ રાશન વિતરણથી વડીલોની ખોરાક સંબંધિત ચિંતા ઓછી થાય છે અને તેમને પોષણયુક્ત આહાર મળે છે. અનાજ, દાળ, તેલ જેવી આવશ્યક ચીજવસ્તુઓ તેમના દૈનિક ભોજનની વ્યવસ્થાને સરળ બનાવે છે. વૃદ્ધાવસ્થામાં યોગ્ય પોષણ આરોગ્ય અને રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે મહત્વપૂર્ણ છે. આ સેવાકાર્ય દ્વારા વડીલોને માત્ર ખોરાક જ નહીં, પરંતુ માનસિક સંતોષ પણ મળે છે. આ મદદ તેમને એકલતાનો અનુભવ ઓછો કરવામાં અને સમાજ દ્વારા તેમની કાળજી લેવાઈ રહી છે તેવો ભાવ જગાવવામાં મદદ કરે છે. હેલ્પ્સ ફાઉન્ડેશનનું આ કાર્ય વડીલો પ્રત્યેની સામાજિક જવાબદારી દર્શાવે છે. એકાંકી વડીલોને સહારો આપવાથી સમાજમાં સહકારની ભાવના મજબૂત બને છે. આવા સેવા કાર્યો વડીલોને સન્માનપૂર્ણ જીવન જીવવામાં મદદરૂપ થાય છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:15 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા અમરાઈવાડીમાં રાશન કીટ, સ્વેટરનું વિતરણ:ગાંધી લેપ્રસી સેવા સંઘ કોલોનીના 35 લાભાર્થી, 52 બાળકોને ઠંડીમાં રક્ષણ

રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી ગાંધી લેપ્રસી સેવા સંઘ કોલોનીમાં સહાય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્તના 35 લાભાર્થીઓને રાશન કીટ અને કોલોનીના 52 બાળકોને ઠંડીથી રક્ષણ માટે નવા ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. વિતરણ કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ડૉ. એસ.કે. પટેલ અને પ્રીતેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તપિત્ત રોગ અંગે જાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ અને માર્કંડભાઈએ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. જ્યારે ગાંધી લેપ્રસી સેવા સંઘ કોલોની સંસ્થા તરફથી ગંગારામભાઈ, વિજયભાઈ અને પ્રમુખશ્રીએ વિતરણ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:14 pm

એસ.વી. કોલેજમાં વિશ્વ કેન્સર દિવસની ઉજવણી:NSS અને એપોલો ફાઉન્ડેશને કેન્સર જાગૃતિ સત્ર યોજ્યું

એસ.વી. કોમર્સ કોલેજના NSS વિભાગ અને બિલિયન હાર્ટ બેટિંગ (એપોલો) ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર જાગૃતિ સત્ર અને નિઃશુલ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્યલક્ષી કાર્યક્રમ દરમિયાન 135થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ભાગ લીધો હતો. આ કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), હિમોગ્લોબિન, સુગર અને મશીન દ્વારા આંખોની તપાસ જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમના સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો હતો, જેથી તેઓ શરીરમાં થતી કોઈપણ તકલીફ કે બીમારી વિશે સમયસર માહિતી મેળવી શકે. ઘણીવાર કેન્સર જેવી ગંભીર બીમારીનું નિદાન ત્રીજા કે ચોથા તબક્કે થાય છે, જેના કારણે દર્દીનો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે આયોજિત સત્રમાં વિદ્યાર્થીઓને કેન્સર અંગે અગાઉથી માહિતી કેવી રીતે મેળવવી અને આ રોગથી બચવા માટે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ઓફિસર લલિત ચુનારા દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:13 pm

અમદાવાદમાં ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસની ઉજવણી:સ્વતંત્ર દેવ સિંહે જન્મભૂમિનું ઋણ ચૂકવવા હાકલ કરી

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં ઉત્તર પ્રદેશના જળ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી સ્વતંત્ર દેવ સિંહે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના લોકોએ ગુજરાતમાં રહીને સખત મહેનત અને સમર્પણ દ્વારા પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેમણે ઉપસ્થિત લોકોને ગુજરાતને કાર્યસ્થળ અને ઉત્તર પ્રદેશને જન્મસ્થળ ગણાવીને વર્ષમાં ઓછામાં ઓછું એક વાર જન્મસ્થળની મુલાકાત લેવા અને જન્મસ્થળનું ઋણ ચૂકવવા હાકલ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે ઉત્તર પ્રદેશમાં પરિવર્તન આવ્યું છે અને રાજ્ય સતત વિકાસ કરી રહ્યું છે. રાજ્યમાં પ્રવાસન વધ્યું છે અને કાયદો તથા વ્યવસ્થામાં સુધારો થયો છે. સમારોહ દરમિયાન, મહંત અખિલેશવર્દાસ મહારાજે ઉત્તર પ્રદેશ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ પણ ઉત્તર પ્રદેશના લોકોને અભિનંદન પાઠવીને તે સ્થળ સાથેની તેમની યાદો તાજી કરી હતી. કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વારસા અને ગુજરાતમાં સ્થાયી થયેલા લોકોના ભાવનાત્મક જોડાણને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. બાપુનગરના ધારાસભ્ય દિનેશ સિંહ કુશવાહ, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય અમરજીત મિશ્રા, મુખ્ય આવકવેરા કમિશનર અજય પ્રતાપ સિંહ, મેજર અભિષેક સિંહ અને લેફ્ટનન્ટ કર્નલ બી.કે. પાંડે સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉત્તર ભારતીય વિકાસ મંચના પ્રમુખ વીરેન્દ્ર સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મંચ છેલ્લા સાત વર્ષથી ઉત્તર પ્રદેશ સ્થાપના દિવસનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં ભોજપુરી ગાયક અમર રઘુવંશીએ તેમના લોકગીતોના પ્રદર્શનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:08 pm

વી.વી.પી. કોલેજમાં GTU વેન્ચર્સ સૌરાષ્ટ્ર હબનું ઉદ્ઘાટન:રૂ. 1 કરોડના ખર્ચે ઇનોવેશન અને ટેકનોલોજી હબ બનશે

વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં જી.ટી.યુ. વેન્ચર્સ સૌરાષ્ટ્ર હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જી.ટી.યુ.) દ્વારા આ હબ માટે અંદાજે રૂપિયા ૧ કરોડના સંશોધન સાધનો પૂરા પાડવામાં આવ્યા છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સ સસ્ટેનેબિલિટી અને ઇમર્જિંગ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉદ્ઘાટન પ્રસંગે જી.ટી.યુ.ના કુલપતિ ડો. રાજુલબેન ગજ્જર, રજીસ્ટ્રાર ડો. કે.એન. ખેર, જી.ટી.યુ. વેન્ચર્સના સી.ઈ.ઓ. ડો. તુષાર પાંચાલ, શ્રુતિબેન દેશપાંડે, શ્રીમતી જ્યોતિબેન માંડલિયા, વી.વી.પી.ના ટ્રસ્ટી ડો. નરેન્દ્રભાઈ દવે, ટ્રસ્ટી અને જી.ટી.યુ.ના પૂર્વ કુલપતિ ડો. નવીનભાઈ શેઠ તથા પ્રિન્સિપાલ ડો. પિયુષભાઈ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને સંબોધતા ડો. રાજુલબેન ગજ્જરે જણાવ્યું હતું કે, સસ્ટેનેબિલિટી અને ઇમર્જિંગ ટેકનોલોજી એ આવનારા દિવસોની માંગ છે. ટેકનોલોજીના વિકાસ સાથે સસ્ટેનેબિલિટી જાળવવી અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે, વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ બેઝ્ડ લર્નિંગ અને પ્રોજેક્ટ બેઝ્ડ લર્નિંગ શીખવવું આવશ્યક છે, જેના માટે જી.ટી.યુ. દ્વારા અભ્યાસક્રમ અપગ્રેડેશનના ભાગરૂપે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. આ પદ્ધતિઓ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓના તકનીકી ભવિષ્યને સુરક્ષિત રાખશે. જી.ટી.યુ.ના રજીસ્ટ્રાર ડો. કે.એન. ખેરે જણાવ્યું કે, જી.ટી.યુ. હંમેશા ઇનોવેશનને પ્રોત્સાહિત કરવામાં અગ્રેસર રહી છે. ભવિષ્યના એન્જીનીયર સંસ્થામાંથી બેચલર્સની ડિગ્રી મેળવતી વખતે ઇનોવેશનના ઘણા પાસાઓને આવરી શકે તે માટે યુનિવર્સિટી તેમને પ્રોત્સાહન આપવા તત્પર છે. આ સેન્ટર દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની તમામ એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ લર્નિંગ, રિસર્ચ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને ઉદ્યોગ સાથે જોડાવાની ઉત્તમ તકો મળશે. આ પ્રસંગે વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા જી.ટી.યુ. પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે આવેલા એક થી આઠ સેમેસ્ટરના પ્રત્યેક વિદ્યાર્થીઓને રૂપિયા ૨૫,૦૦૦/- લેખે કુલ રૂપિયા ૧૫.૫ લાખની રોકડ શિષ્યવૃત્તિ એનાયત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:07 pm

અમદાવાદની આશિષ વિદ્યામંદિર સ્કૂલમાં વાર્ષિકોત્સવ:વિદ્યાર્થીઓએ ગરબા, દેશભક્તિ ગીતો પર ડાન્સ રજૂ કર્યા

અમદાવાદના રાયપુર વિસ્તારમાં આવેલી આશિષ વિદ્યામંદિર સ્કૂલ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ વાર્ષિક ઉજવણી દરમિયાન શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ગરબા, દેશભક્તિ ગીતો પર ડાન્સ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.બાળકોના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે શાળાના ટ્રસ્ટી કલ્પાબેન બારોટ, આશિષભાઈ બારોટ અને ભારતીય જનતા પાર્ટી (BJP) મીડિયા વિભાગના ડૉ. નિલયભાઈ શુક્લ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના સમાપન પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:05 pm

અષ્ટપ્રકારી પૂજાના બાળકોએ 150 કિલો દોરી એકત્રિત કરી:પક્ષીઓને ઈજાથી બચાવવા જીવદયાનું કાર્ય

અષ્ટપ્રકારી પૂજાના બાળકોએ જીવદયાના ઉમદા કાર્ય હેઠળ 150 કિલો જેટલી દોરી એકત્રિત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પતંગની દોરીથી પક્ષીઓને થતી ઈજાઓ અટકાવવાનો છે. એકત્રિત કરાયેલી આ દોરીને રિપ્રોસેસિંગ માટે એક ટ્રસ્ટને સોંપવામાં આવી છે. આ ટ્રસ્ટ દોરીના પુનઃઉપયોગની પ્રક્રિયા હાથ ધરે છે. આ કાર્યમાં ભાગ લેનાર દરેક બાળકને ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે ભવિષ્યમાં તેમના માટે ઉપયોગી બની શકે છે. આ સુંદર કાર્ય બદલ બાળકો અને તેમના માતા-પિતાની સરાહના કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:04 pm

એસ.વી. કોલેજમાં નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો:NSS અને અપોલો ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ-અધ્યાપકોને લાભ અપાયો

એસ.વી. કોલેજના NSS વિભાગ અને બિલિયન હાર્ટ બેટિંગ (અપોલો) ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 3 ફેબ્રુઆરી, 2026ના રોજ નિઃશુલ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને આંખોની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજહિતમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ હતી. આ આરોગ્ય કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ પ્રાથમિક તપાસ દ્વારા રોગોની વહેલી ઓળખ કરવાનો હતો. કેમ્પ દરમિયાન 150થી વધુ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં બ્લડ પ્રેશર (BP), બ્લડ શુગર (Sugar) અને હિમોગ્લોબિન (Hemoglobin) જેવી તપાસ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત, MBBS ડોકટરો દ્વારા નિઃશુલ્ક સલાહ અને જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આંખોની મશીન દ્વારા સ્ક્રીનિંગ (Eye Screening) પણ આ કેમ્પનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. અનુભવી ડોકટરો અને તબીબી સ્ટાફ દ્વારા દરેક ભાગ લેનારને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર લલિત ચુનારા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:02 pm

અમદાવાદમાં 123 વર્ષ પછી કતલખાનું બનશે:ભાજપના રાજમાં મ્યુનિ.કમિ.એ ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરી, 32 કરોડના ખર્ચે 16 હજાર સ્કવેર મીટરમાં ડેવલપ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 123 વર્ષ પછી કતલખાનું બનાવશે. 32 કરોડ રૂપિયાના ખર્ચે શાહવાડી વિસ્તારમાં અંદાજે 16 હજાર સ્કવેર મીટર એરિયામાં મોર્ડન સ્લોટર હાઉસ બનાવવામાં આવશે. ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના બુધવારે રજૂ થયેલા ડ્રાફ્ટ બજેટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદમાં છેલ્લે વર્ષ 1903માં જમાલપુરમાં કતલખાનું બનાવવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026-27નું 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે 4 ફેબ્રુઆરીના રોજ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કોમનવેલ્થને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં 32 કરોડના ખર્ચે સ્લોટર હાઉસની જાહેરાતે બધાને ચોંકાવ્યા છે. અમદાવાદના ડ્રાફ્ટ બજેટ અંગે જાણવા માગો છો એ બધું જ શાહવાડી-બહેરામપુરામાં ટીપી 32 ખાતે કતલખાનું બનાવાશેડ્રાફ્ટ બજેટમાં સમાવિષ્ટ વિગત મુજબ શહેરના દક્ષિણ ઝોનમાં શાહવાડી-બહેરામપુરામાં ટીપી 32 ખાતે કતલખાનું બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેના માટે 32 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ માટે 15882.13 સ્કવેર મીટરની જમીનની ફાળવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન સહિતના તમામ પાસા ધ્યાને લેવાશેસુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તથા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કંપોડીયમ મુજબના તમામ પાસાઓને સમાવેશ કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્લોટર હાઉસમાં પશુઓને રાખવા માટે સુવિધાયુક્ત વાડા ઉપરાંત કૂલિંગ તથા ચીલીંગ ફેસેલિટી, રેન્ડરિંગ પ્લાન્ટ સહિતની ફેસેલિટી ઉભી કરવામાં આવશે. જમાલપુર સ્લોટર હાઉસમાં રોજ 80થી 90 પશુઓની કતલ કરવામાં આવે છેઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જમાલપુર ખાતે સ્લોટર હાઉસ આવેલું છે. જેમાં રોજના 80થી 90 જેટલા નાના મોટા પશુઓની કતલ કરવામાં આવતી હોય છે. સ્લોટર હાઉસમાં પશુઓની કતલ માટે બહારથી પશુઓ લાવવામાં આવતા હોય છે અને જે વ્યક્તિ પશુ લાવે છે. તેને મંજૂરી આપવામાં આવે છે, તમામ નીતિ નિયમો પ્રમાણે પશુની કતલ કરી તેના માંસને યોગ્ય રીતે લઈ જવામાં આવતા હોય છે. મોટા પશુ દીઠ 25 રૂપિયા અને નાના પશુના 4 રૂપિયા મ્યુનિ.ની આવકમ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા મુજબ જીપીએમસી એક્ટમાં જોગવાઈઓ તેમજ તમામ નીતિ નિયમો મુજબ સ્લોટર હાઉસ ચલાવવામાં આવતું હોય છે. સ્લોટર હાઉસમાં પશુઓની કતલ માટે જે પશુ લાવવામાં આવે છે તેમાં મોટા પશુના પ્રતિ પશુ 25 રૂપિયા અને નાના પશુના 4 રૂપિયા લેખે કોર્પોરેશનમાં જમા કરાવવા પડે છે. સ્લોટર હાઉસમાં માત્ર ભેંસો, ડુક્કર અને ઘેટાની જાતના જ પશુઓની કતલ કરવાની મંજૂરી આપવામાં આવે છે. આ કામને મ્યુનિસિપલ કમિશનર પરત લે: અમિત શાહ એલિસબ્રિજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે ડ્રાફ્ટ બજેટમાં નવું સ્લોટર હાઉસ બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અંગેનો મારો વિરોધ છે. એક તરફ પશુ બચાવવાની વાત છે તો બીજી તરફ મોટું સ્લોટર હાઉસ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપમાં પણ વાત કરી છે. આ કામને મ્યુનિસિપલ કમિશનર પરત લે અથવા તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરત કરે એવી માંગણી કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 9:02 pm

દેવભૂમિ દ્વારકામાં 98 પોલીસકર્મીઓની બદલી:જિલ્લા પોલીસવડાએ આદેશ કર્યાં, તાત્કાલિક હાજર થવા સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રમાં બુધવારે મોટા પાયે બદલીઓ કરવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ કોન્સ્ટેબલ, ડ્રાઈવર અને એએસઆઈ સહિત 98 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કર્યા છે.આ બદલી કરાયેલા કર્મચારીઓ લાંબા સમયથી જુદા જુદા હોદ્દા પર ફરજ બજાવી રહ્યા હતા. આ બદલીઓ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, સાયબર ક્રાઈમ યુનિટ અને પોલીસવડા કચેરીના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને લાગુ પડે છે.બદલી કરાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી તેમના હાલના સ્થળેથી છૂટા થઈ નવા બદલીવાળા સ્થળે હાજર થવા સૂચના અપાઈ છે. સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓને આ કાર્યવાહીની જાણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:47 pm

અમદાવાદ એરપોર્ટ પરથી 1.52 કરોડના સોનાની હેરાફેરી, બેની ધરપકડ:ગોલ્ડ સ્મગલિંગ કરવા ટ્રાવેલ્સ એજન્ટને 50 હજાર રૂપિયા આપ્યા હતા

જેહાદથી અમદાવાદ આવતી અકાસા એર ફ્લાઈટમાં ચાર મહિલા પાસેથી 1.52 કરોડની કિંમતની સોનાની બંગડીઓ તથા ચેઇન કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ જપ્ત કરી હતી. આ ગુનામાં કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ્સ એજન્ટ સહિત બેની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછતાછમાં આ સોનાની હેરાફેરી કરવા એજન્ટને 50 હજાર રૂપિયા આપ્યા હતા. આ સોનાની વસ્તુઓ મૂળ બનાસકાંઠાના વતની અને હાલ મદીનામાં ડ્રાયફૂટનો ધંધો કરતાં જીઆઉદ્દીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. બંને જણાંને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના હુક્મથી બંને આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. મહિલાઓ પાસેથી 7 ચેઇન અને 7 સોનાની બંગડીઓ મળીજેદાહથી અમદાવાદ આવેલી અકાસા એર ફલાઇટમાં 1 ફ્રેબ્રુઆરીના રોજ અમદાવાદ આવેલી ચાર મહિલાના સામાનના સ્ક્રેનીંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં સામાનની ચકાસણી કરી હતી. આ ચકાસણી દરમિયાન તેમના સામાનમાંથી 7 સોનાની ચેઇન (રોડીયમ કોટેડ) અને 7 સોનાની બંગડીઓ છૂપાવેલી સ્થિતિમાં મળી આવી હતી. તેનું કુલ વજન 945.57 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. તેની બજાર કિંમત 1,52,23,677 થાય છે. મહિલાની પૂછપરછમાં ટ્રાવેલ એજન્ટે સોનું આપ્યું હતુંમહિલા મુસાફરોની કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરાયેલી પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, તેઓ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રતનપુર ખાતે રહે છે. તેમને ઉપરોક્ત સોનું એક ટ્રાવેલ એજન્ટ દ્વારા સોંપવામાં આવ્યું હતું. તે પણ તેમની સાથે મુસાફરી કરતો હતો. જેથી કસ્ટમ્સ વિભાગે કસ્ટમ્સ એક્ટ-1962 ની જોગવાઇઓ હેઠળ સોનું જપ્ત કરીને આ પાંચેય જણાંની ઝીણવટભરી તપાસ કરીને મૂળ સુધી પહોંચવાની કોશિષ કરી હતી. તે દરમિયાન સોનાની બંગડી તથા ચેઇનના બિલો રજૂ કર્યા હતા. કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ એજન્ટની ધરપકડ કરીચકાસણી કરતાં તે બોગસ બનાવી આપ્યા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સોનાની કિંમત પણ લમસમ બતાવવામાં આવી હતી. જેના આધારે કસ્ટમ્સ વિભાગે ટ્રાવેલ્સ એજન્ટ અસરફ મોહંમદભાઇ ઉમાતીયાની ઉલટતપાસ કરતાં સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી. આ સોનું રિસિવરને આપવાનું હતું. રિસિવર તેને કોલ કરશે. જેથી કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ્સ એજન્ટ અશરફ મોહંમદભાઇ ઉમાતીયા મારફતે રીસીવરને ફોન કરાવ્યો હતો. ત્યારબાદ કસ્ટમ્સ અધિકારીઓએ ટ્રાવેલ એજન્ટ અશરફ ઉમાતીયા તથા રિસિવર હકીમ યુસુફ સાલુની ધરપકડ કરી હતી. 18 યાત્રાળુઓ પાસેથી 85 હજાર રૂપિયા ભાડું લીધું હતુંઆ ધરપકડ કરાયેલાં આરોપી એજન્ટ અસરફે કસ્ટમ્સ વિભાગના અધિકારીઓ સમક્ષ આપેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠાના રતનપુર ખાતે રહેતાં 18 યાત્રાળુઓ પાસેથી 85 હજાર રૂપિયા ભાડું લીધું હતું. અને આ યાત્રીઓને મુંબઇથી ફલાઇટમાં જેદાહ ગયા હતા અને જેદાહથી ફલાઇટમાં અમદાવાદ આવ્યા હતા. ત્યારે બનાસકાંઠાના મૂળ વતની અને મક્કામાં ડ્રાયફૂટની દુકાન ધરાવતાં જીઆઉદ્દીને તેમને સોનાની ચેઇન તથા સોનાની બંગડીઓ આપી હતી. જે તેણે મહિલાઓને રાખવા આપી હતી. બંને આરોપીઓને કસ્ટમ્સ અધિકારીઓ તરફથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે બંને આરોપીઓને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુક્મ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:46 pm

વ્યસન મુક્તિ કેન્દ્રની બહાર જ MD ડ્રગ્સ વેચતી મહિલા ઝડપાઈ:મુંબઈથી સુરત ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, 65 ગ્રામ મેફેડ્રોન સાથે 31 વર્ષની રૂકસાર શેખ સાથે પકડાઈ

શહેરના ચોકબજાર વિસ્તારમાં આવેલા એક વ્યસન મુક્તિ કેન્દ્રની બિલકુલ બહાર જ ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલી એક મહિલા પેડલરને સુરત ક્રાઈમ બ્રાંચે લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધી છે. મહિલા મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવી ચોકબજાર ગાંધીબાગ સામે ડક્કા ઓવારા રોડ પર ડિલિવરી આપવા આવવાની હતી. સુરત ક્રાઈમ બ્રાંચને વિશ્વાસપાત્ર સૂત્રો પાસેથી બાતમી મળી હતી કે, મુંબઈથી એક મહિલા ડ્રગ્સનો મોટો જથ્થો લઈને સુરત આવી રહી છે. બાતમીમાં જણાવ્યા મુજબ રૂકસાર શેખ નામની આ મહિલા કાળા રંગનો બુરખો પહેરીને ચોકબજાર ગાંધીબાગની સામે ડક્કા ઓવારા તરફ જતા રોડ પર કોઈને ડ્રગ્સ આપવા આવવાની હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે સચોટ આયોજન કરી આખા વિસ્તારમાં વોચ ગોઠવી દીધી હતી. વ્યસન મુક્તિ કેન્દ્ર પાસે જ ડિલિવરીનો ખતરનાક ખેલપોલીસ જ્યારે વોચમાં હતી ત્યારે બાતમી મુજબની મહિલા 'પરિવર્તન વ્યસન મુક્તિ અને પુનઃવસન કેન્દ્ર'ના ગેટ પાસે આવીને ઉભી રહી હતી. જે સ્થળે યુવાનો નશાની લત છોડવા માટે આવતા હોય, તે જ સ્થળની બહાર ડ્રગ્સનું વેચાણ કરવાની આ હિંમત જોઈ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મહિલા ત્યાં કોઈની રાહ જોઈ રહી હતી તે જ સમયે પોલીસે તેને કોર્ડન કરી લીધી હતી અને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી હતી. તલાશી દરમિયાન લાખોનું MD ડ્રગ્સ ઝડપાયુંમહિલાની તલાશી લેતા તેની પાસેથી વાણિજ્યક માત્રામાં મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ મળી આવ્યું હતું. તેનું વજન કરવામાં આવતા કુલ 65.430 ગ્રામ જથ્થો હોવાનું બહાર આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1,96,290 થાય છે. ડ્રગ્સ ઉપરાંત પોલીસે તેની પાસેથી રૂ. 40,000ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ Rs. 2,37,330 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી મહિલાનું મુંબઈ-સુરત કનેક્શનધરપકડ કરાયેલ આરોપી મહિલાની ઓળખ રૂકસાર ઝાકિર જાફર શેખ (ઉ.વ. 31) તરીકે થઈ છે. તે મૂળ નવી મુંબઈના કોપર ખૈરાની વિસ્તારની રહેવાસી છે, પરંતુ સુરતના સલાબતપુરા વિસ્તારમાં પણ ભાડે ફ્લેટ રાખીને રહેતી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તે વારંવાર મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતના સ્થાનિક ગ્રાહકોને છૂટકમાં વેચવાનું નેટવર્ક ચલાવતી હતી. સપ્લાયર અને ગ્રાહકો સુધી પહોંચવા તપાસ તેજમહિલાની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે તે આ ડ્રગ્સ મુંબઈના એક મોટા સપ્લાયર પાસેથી લાવી હતી. ક્રાઈમ બ્રાંચ હવે આ મહિલાના મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે સુરતમાં તેના ગ્રાહકો કોણ હતા અને મુંબઈમાં તેને ડ્રગ્સ આપનાર મુખ્ય સૂત્રધાર કોણ છે તેની તપાસ કરી રહી છે. આ મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:38 pm

શુક્રવાર-શનિવારે આ વિસ્તારોમાં પાણી કાપ...જોવો આમાં તમારો વિસ્તાર છે:નાવડા હેડવર્કસમાં મેન્ટેનન્સના કારણે તા.6 અને 7 ફેબ્રુઆરીએ શહેરના 50થી વધુ વિસ્તારોમાં પાણી કાપ

ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આગામી તા.6 અને 7 ફેબ્રુઆરી દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે, જેના મહીપરીએજ (GWIL) હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે તા.6 થી 8 સુધી મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ભાવનગર શહેરને મળતા પાણીના સપ્લાયમાં બંધ રહેશે, આનાથી વર્ધમાનનગર, દિલ બહાર તથા બાલયોગીનગર ESR આધારિત સહિતના 50 થી વધુ વિસ્તારોમાં પાણી મળશે નહીં. જેમાં ​તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ આધારિત નીચે મુજબના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે, તા.6/2/2026 (શુક્રવાર) સવારે 10 વાગ્યા પછી પાણી કાપ રહેશે, જેમાં ​વર્ધમાનનગર ESR આધારિત આસ્થા ઓમ શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા (ભરતનગર), તખ્તેશ્વર રેસીડન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી- 1 થી 4, તરસમીયા ગામ અને અધેવાડા સોસાયટી સહિતના વિસ્તારો, તેમજ ​દિલબહાર ESR આધારિતમાં કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન, સાગવાડી, રામનગર, ખોડીયાર હોલ, શિવપાર્ક, KPES સ્કુલ પાછળનો વિસ્તાર, અવધનગર, ગોકુળધામ, હરિઓમનગર, નીલમણીનગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ અને શાંતિનગર વગેરે વિસ્તારોમાં, બાલયોગીનગર ESR આધારિત સુભાષનગર, રાજપૂત વાડા, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘારોડ, અકવાડા અને અખિલેશ સોસાયટી સહિત વગેરે વિસ્તારો, આગામી તા.7/2/2026 શનિવારે સવારે 4 થી 10 વાગ્યા સુધી પાણી કાપ રહેશે જેમાં ​વર્ધમાનનગર ESR ભરતનગર જુના બે માળિયા, સિંગલીયા (ભરતનગર), શિવ પાર્વતી, હરિઓમનગર, શ્રીનાથજીનગર-1 અને 2, કૌશલ્યા પાર્ક, કૈલાશનગર અને અધેવાડા ગામતળ વિસ્તાર, ​દિલબહાર ESR હિલડ્રાઈવ, સિંધુનગર, આઝાદનગર, ઇસ્કોન મેગાસીટી અને માધવબાગ., ​બાલયોગીનગર ESR ગાયત્રીનગર, ખારસી વિસ્તાર, બરસાના, સ્વપ્નશિલ્પ અને સિદ્ધિવિનાયક સોસાયટી વગેરે સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:37 pm

પત્નીની હત્યાના આરોપીની જામીન અરજી નામંજૂર:ગોધરા કોર્ટે દેવસિંગ રાઠવાની રેગ્યુલર જામીન અરજી ફગાવી

પંચમહાલ જિલ્લાની કોર્ટે પત્નીની હત્યાના આરોપી દેવસિંગ જનાભાઈ રાઠવાની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે. આ ઘટના ગોધરા તાલુકાના આંગળીયા ડુંગર ફળીયામાં 14 ઓક્ટોબર, 2025ના રોજ બની હતી. પોલીસ ફરિયાદ મુજબ, આરોપી દેવસિંગ અને તેની પત્ની સવલીબેન વચ્ચે ઘરેલુ બાબતોને લઈને અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે ઝઘડા દરમિયાન દેવસિંહે ગુસ્સામાં આવી ઘરમાં પડેલા પાળીયા વડે સવલીબેનના માથા, મોઢા અને જમણા ખભા પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી દેવસિંગની ધરપકડ કરી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન, તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોરે વિગતવાર દલીલો કરી હતી. પંચમહાલ જિલ્લાના પાંચમા એડીશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ વી.વી. મોઢેની કોર્ટે આ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:16 pm

સુત્રાપાડામાં સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ:પુરવઠા વિભાગની કાર્યવાહીમાં રૂ. 66 હજારનો મુદ્દામાલ સીઝ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામેથી સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ થયો છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયની સૂચના અને જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ભરેલી એક છકડો રીક્ષા ઝડપાઈ હતી. બાતમીના આધારે પુરવઠા વિભાગની ટીમે પ્રાંસલી વિસ્તારમાં તપાસ કરતા એક છકડો રીક્ષાને અટકાવી હતી. રીક્ષાની તપાસ કરતા તેમાંથી 74 કિલોગ્રામ ઘઉં અને 522 કિલોગ્રામ ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. આ અનાજ સરકારી હોવાની શંકા જણાતા તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યું હતું અને રીક્ષા પણ કબજે લેવામાં આવી હતી. છકડો રીક્ષા ચાલક દેવજી ટાભા ચુડાસમાની સ્થળ પર જ પૂછપરછ કરવામાં આવતા તેણે NFSA રેશનકાર્ડ ધારકો પાસેથી અનાજ ખરીદ્યું હોવાની કબૂલાત આપી હતી, તેમ પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. સરકારી રેશન અનાજની ગેરકાયદેસર હેરાફેરી થતી હોવાની ખાતરી થતા પુરવઠા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પુરવઠા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ઘઉં, ચોખા અને છકડો રીક્ષા સહિત કુલ રૂ. 66,166/-ની કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. જિલ્લા પ્રશાસન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ કે વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાભરમાં આવી આકસ્મિક તપાસો ચાલુ રાખવામાં આવશે, જેથી સાચા લાભાર્થીઓ સુધી રેશનનો લાભ પહોંચી શકે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:07 pm

અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા સામે ઠગાઈની ફરિયાદ:3 સગાભાઈ, પુત્ર રવિ પાનસુરિયા સામે 3 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ફરિયાદીને કહ્યું: તમને, તમારા પરિવારને જોઈ લઈશું, રૂપિયા મળવાના નથી. થાય એ કરી લો

અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા તેમના ત્રણ સગા ભાઈઓ તથા પુત્ર સામે વડોદરા શહેરના 3 કરોડ રૂપિયાની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે ભાજપ વર્તુળમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હરણી પોલીસે પાંચ આરોપીની શોધખોળ શરૂ કરી છે વડોદરા શહેરના અમિત નગર સર્કલ પાસે આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉંમર 42 વર્ષ) એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ડિસેમ્બર 2023માં સુરેશભાઈએ હરણી સમા લિંક રોડ પર આવેલા 'શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ' અને 'શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ' પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે 1.5 ટકા માસિક વળતરની શરૂઆતમાં અને પછી 2 ટકા વળતરની ખાતરી આપી હતી, તેમજ પ્રોપર્ટીની સિક્યોરિટી આપવાનું કહ્યું હતું. આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રકમના બદલામાં દર્શિતભાઈ અને તેમના પિતાના નામે કુલ 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા હતા. શરૂઆતમાં ફેબ્રુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી માસિક 1.5%થી 2% વળતર રોકડ/બેન્ક દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025થી વળતર બંધ થઈ ગયું. દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરતાં રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું હતું અને રૂપિયા પરત ચૂકવણીનો ભરોસો આપ્યો હતો, પરંતુ કોઈ રકમ મળી નહીં. દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની બીમારી થતાં સારવાર માટે રકમની જરૂર પડી હતી, તો પણ રૂપિયા પરત કર્યા ન હતા. આ દરમિયાન આરોપીઓએ આપેલા ચેકો બેન્કમાં બાઉન્સ થયા હતા. સપ્ટેમ્બર 2025માં ઓફિસમાં મળવા બોલાવી અસભ્ય વર્તન કરીને ધમકીઓ આપવામાં આવી કે, તમને અને તમારા પરિવારને જોઈ લઈશું, તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂપિયા મળવાના નથી. થાય એ કરી લો આ દરમિયાન પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલ્કતો પર બેંક લોન લેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોપીઓમાં સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, મનિષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા અને રવિભાઈ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)નો સમાવેશ થાય છે. હરણી પોલીસે આ ફરિયાદની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ અમરેલીમાં ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરના ત્રાસથી લાપતા થયો હતો. સુરેશ પાનસુરિયાનો પુત્ર 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ નોટ લખીને ગુમ થયો હતો. પોલીસે તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન આ કેસમાં જેની સામે આક્ષેપ થયા હતા, એ દિક્ષિત પટેલ વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજીને રવિ અને તેના પિતા સુરેશ પાનસુરીયા સામે આક્ષેપો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિક્ષિત પટેલ ગોધરાના બહુચર્ચિત NEET કાંડમાં પણ આરોપી છે અને હાલ જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાનો પુત્ર રવિ પાનસુરિયા વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયો હોવાની પોલીસમાં અરજી થઈ હતી. 31મી ડિસેમ્બરે રાત્રે સ્યુસાઈડ નોટ લખીને રવિ ગુમ થયો હતો. રવિએ ગોધરા નીટ કાંડના દિક્ષિત પટેલ સહિત 16 લોકો પાસેથી 11.25 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતાં. 4.90 કરોડની મિલકત અને 3.38 કરોડ રૂપિયા આરટીજીએસથી તેણે ચૂકવ્યા હતાં. વ્યાજખોરોએ માત્ર 2.97 કરોડની સામે 15 કરોડની ઉઘરાણી કરી હતી. વ્યાજખોરો દ્વારા થતી પઠાણી ઉઘરાણીનો વીડિયો વાયરલ થયો હતો. 31મી ડિસેમ્બરની રાત્રે રવિ ઘરેથી નીકળ્યો તે સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. ગુમ થયેલા રવિ પાનસુરિયાની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 16 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરીયા ગુમ થયો હોવાનો આરોપ લગાવાયો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 8:01 pm

તરઘરા શાળાનું રજામાં મજાનું શિક્ષણ ઈનોવેશન:સૌરાષ્ટ્ર ઝોન-1માં પ્રથમ ક્રમે પસંદગી પામ્યું

બોટાદ તાલુકાની પીપરડી કેન્દ્રવર્તી શાળાની પેટા શાળા તરઘરા પ્રાથમિક શાળાના આચાર્ય મનુભાઈ ગાબુ ઉર્ફે મનુમાસ્ટર દ્વારા રજૂ કરાયેલ ઈનોવેશન રજામાં મજાનું શિક્ષણને સૌરાષ્ટ્ર ઝોન–1 (મિડલ સ્ટેજ)માં પ્રથમ ક્રમ મળ્યો છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને સમગ્ર જિલ્લા ગૌરવ અનુભવી રહ્યા છે. મનુભાઈ ગાબુએ વર્ષ 2023, 2024 અને 2025ના ઉનાળુ વેકેશન દરમિયાન સતત 15 દિવસ માટે વિદ્યાર્થીઓને સ્વખર્ચે અને સ્વૈચ્છિક ભાવનાથી વ્યવસાયિક શિક્ષણ સાથે મનોરંજનસભર પ્રવૃત્તિઓ પૂરી પાડી છે. રજાના સમયગાળામાં બાળકોનો સર્જનાત્મક, બૌદ્ધિક અને વ્યવહારુ વિકાસ થાય તે હેતુથી આ અનોખી શૈક્ષણિક પહેલ અમલમાં મુકાઈ છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને દોરીનું ગૂંથણ કામ, સાફો બાંધવાની કળા, માથું ગૂંથવાની કળા, મહેંદી કામ, મેકઅપ, વેસ્ટમાંથી બેસ્ટ, અંધશ્રદ્ધા નિવારણના પ્રયોગો જેવી પ્રવૃત્તિઓ શીખવવામાં આવે છે. આ ઉપરાંત, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વિષયનું પ્રાથમિક વ્યાકરણ, ગણિત ગમ્મત, યોગ શિબિર, નૃત્ય, રસોઈ બનાવવી અને વેચવી, તથા વેચાણ સ્ટોલ જેવી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા અનુભવ આપવામાં આવે છે. આ તમામ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સ્વાવલંબન, સર્જનાત્મકતા અને વ્યવહારુ જીવન કૌશલ્યનો વિકાસ થયો છે. શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી, પરંતુ જીવન સાથે જોડાયેલું હોવું જોઈએ એ સંદેશને સાર્થક કરતી આ પહેલને ઝોન કક્ષાએ પ્રથમ સ્થાન મળવું એ શિક્ષણક્ષેત્ર માટે પ્રેરણાદાયી બન્યું છે. આ સિદ્ધિ બદલ આચાર્ય મનુભાઈ ગાબુ (મનુમાસ્ટર)ને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં પણ આવી નવતર શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને લાભ મળે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:59 pm

સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર:પરિવારની અંગદાનની જાહેરાત, આપઘાતનું કારણ અકબંધ; 5 ફેબ્રુઆરીના જ દીકરીના લગ્ન હતા

1 ફેબ્રુઆરીના રવિવારના રોજ સુરત શહેરના રિયલ એસ્ટેટના અગ્રણી બિલ્ડર અને 'ઘેલાણી ગ્રુપ'ના માલિક તુષાર ઘેલાણીએ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સ વાળી રિવોલ્વર વડે 9 MMની ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ બિલ્ડર તુષાર ઘેલાણીને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોક્ટરોની દેખરેખ હેઠળ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, ગોળી મગજની આરપાસ નીકળી ગઈ હોવાથી તેમની સ્થિતિ અતિ નાજુક હતી અને અંતે ડોક્ટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા છે. ઘેલાણી પરિવાર દ્વારા અંગદાનની જાહેરાતતુષાર ઘેલાણીને બ્રેઈન ડેડ જાહેર કરાતા જ પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. દીકરીના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હોવા છતાં આ અત્યંત કપરા સમયે પરિવારે એક મોટું અને પ્રેરણાદાયી પગલું ભર્યું છે. ઘેલાણી પરિવારે તુષારભાઈના અંગોનું દાન કરવાની જાહેરાત કરી છે. આ અંગદાનથી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળશે, જે તુષારભાઈની વિદાયને સાર્થક બનાવશે. 5 ફેબ્રુઆરીના જ દીકરીના લગ્ન હતા5 ફેબ્રુઆરીના રોજ તેમની દીકરીના લગ્ન નિર્ધારિત હતા. ઘરમાં મહેમાનોની હાજરી અને લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. જોકે, લગ્નના ચાર દિવસ પહેલાં જ રવિવારે જ લગ્નની કંકોતરી લેખનનો પ્રસંગ હતો, પરંતુ તે પૂર્વે જ શનિવારે રાત્રે પત્ની સાથે કોઈ બાબતે રકઝક થયા બાદ આવેશમાં આવીને તેમણે બેડરૂમમાં પોતાની જાત પર ગોળી ચલાવી હતી. જે ઘરમાં શરણાઈઓ વાગવાની હતી ત્યાં આ ઘટનાને પગલે આક્રંદ છવાઈ ગયો છે. આપઘાતનું કારણ હજુ પણ અકબંધતુષાર ઘેલાણીએ અંતિમ પગલું કેમ ભર્યું તે કારણ હજુ પણ પોલીસ અને પરિવાર માટે રહસ્ય બનેલું છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેની સામાન્ય તકરાર સામે આવી છે, પરંતુ આટલી નાની બાબતે એક સફળ બિઝનેસમેન જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે તે વાત પોલીસને ગળે ઉતરી રહી નથી. ઉમરા પોલીસે ઘટનાસ્થળેથી રિવોલ્વર કબજે કરી અને આપઘાત પાછળ કોઈ અન્ય આર્થિક કે માનસિક દબાણ હતું કે કેમ, તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરી છે. કોણ છે તુષાર ઘેલાણી?તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ હતું. તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ, ઘેલાણી ગ્રુપ અને 1990થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે. તેમની મેઈન ઓફિસ સુરતના પાર્લેપોઈન્ટ ખાતે જોલી કોમ્પલેક્ષમાં આવેલી છે. તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:59 pm

Editor's View: ચીનનો ત્રિપાંખિયો ગાળિયો:આફ્રિકાને ગળી જશે ડ્રેગન, 60 જેટલા દેશો પાયમાલ, જાણો લોનનું ડેડલી મિકેનિઝમ

માની લો કે તમારો જ કોઈ જીગરજાન દોસ્ત તમારી લાચારીનો ફાયદો ઉઠાવીને તમારું આખું ઘર જ હડપી લે તો? તમે જેને મદદ સમજી રહ્યા હતા, તે હકિકતમાં તમને પાયમાલ કરવાની એક ખતરનાક સોપારી પણ હોય શકે છે! બસ, આ જ કિસ્સો અત્યારે વૈશ્વિક સ્તરે આકાર લઈ રહ્યો છે, અને તેનો મેઈન વિલન છે ચીન. જે રીતે 17મી સદીમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપારના બહાને આવી અને ભારતને ગુલામ બનાવ્યું, બરાબર એવી જ રીતે 21મી સદીમાં ચીન રૂપિયા અને દેવાના જોરે દુનિયાના 60થી વધુ દેશોને પોતાની આર્થિક ગુલામી તરફ ધકેલી રહ્યું છે. પણ શું આ ખેલ માત્ર પૈસાનો છે? ના! ચીનની વિસ્તારવાદી ભૂખ હવે રસ્તાઓ અને બંદરોથી આગળ વધીને ભારત-ભૂતાનની પવિત્ર જમીનો સહિત દુનિયાના બીજા દેશોની જમીન પણ પચાવી પાડવા અને તમારા હાથમાં રહેલા સ્માર્ટફોનથી લઈને અમેરિકાના ફાઈટર જેટ્સના મગજ સમાન રિસોર્સિઝ પર પણ કબજો કરવા સુધી પહોંચી છે. આજે વાત કરીશું ચીનની વિસ્તારવાદી નીતિનાં એ ત્રણ કારણોની 1) કેવી રીતે ચીન દેવાની જાળ બીછાવે છે? 2) કેવી રીતે જમીનો પર કબજો જમાવે છે? 3) કેવી રીતે રિસોર્સ વેપનાઈઝેશન કરે છે? સાથે જ વાત કરીશું કે કેવી રીતે અમેરિકા ચીનના સંસાધનો પરના કન્ટ્રોલથી ડરે છે અને કેટલા પાડોશી દેશોના ભાગોને ચીને પોતાનો કહીને આડકતરી રીતે પડાવી લીધા છે. નમસ્કાર... તમને જાણીને ઝટકો લાગશે કે વર્ષ 2000 પછી ચીને દુનિયાના 60થી વધુ જેટલા દેશોને 2 ટ્રિલિયનથી વધુનું દેવું આપ્યું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને સંસાધનોની હરાજી ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ ચીન અત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના બહાને દેશો પર દેવું આપીને કબજો કરી રહી છે. આને ડેબ્ટ ફોર ઈક્વિટી સ્વેપ કહેવાય છે. જ્યારે દેશ પૈસા ન આપી શકે ત્યારે તે જમીન કે પ્રોજેક્ટમાં હિસ્સો આપી દે છે. અથવા તો જે તે દેશની બંદર, એરપોર્ટ, ખાણ વગેરે જેવી સંપત્તિઓ હડપી લે. અથવા 99 જેટલા વર્ષ સુધી ભાડાપટ્ટા પર લઈ લે છે. યુરોપથી એશિયા સુધી ચીની અજગરનો ભરડો યુરોપનો દેશ મોન્ટેનેગ્રો પણ ચીની લોન લેવામાં એટલો ફસાયો હતો કે તેણે હાઈવે બનાવવા માટે પોતાની જમીન ગીરવે મૂકવી પડી હતી. લાઓસમાં પાવર ગ્રીડ પર હવે ચીનનો કબજો છે. આ છે ચીનની ડેબ્ટ ટ્રેપ પોલિસી. હવે જાણીએ ચીને કેટલા દેશોને કેટલી લોન આપી છે... લોહી રેડાયાં વગરનું મોડર્ન યુદ્ધ ચીન તે જ નીયો કોલોનિલિઝમ એટલે 21મી સદીમાં આર્થિક ગુલામી કરાવી રહ્યું છે. જેના કારણે તે પોતાના BRI એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પૂરો કરી પોતાનો વેપારી હિત સાધી શકે અને દેશોના રાજકીય મામલાઓમાં ડબકા ડોળી શકે. પણ આપણને એક સવાલ થાય કે દેશો તો ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ કે વર્લ્ડ બેંક પાસેથી પણ ફંડ લઈ શકે અને એ પણ ઓછા વ્યાજે તો પણ દેશો કેમ વધુ વ્યાજ હોવા છતા ચીન પાસે જાય છે? બધું જાણીએ પણ પહેલા ચીનની લોન કે વ્યાજે આપવાની મેકેનિઝમ સમજી લઈએ. ચીની લોનમાં ચાર બાબતો હોય છે કેમ ચીની જાળમાં જાણી જોયને ફસાય છે દેશો? ચીની બેંક્સ જે પણ દેશને લોન આપે છે તેને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં મોટાભાગે રિપોર્ટ નથી કરતું. જેના કારણે દેશોને ખબર જ નથી હોતી કે તેમના પર દેવું કેટલું છે. આ લોન દેશના સત્તાવાર બજેટમાં દેખાતી જ નથી કારણ કે ચીન સરકારની જગ્યાએ ખાનગી કંપનીઓને લોન આપે છે પણ તેની ભરપાઈ કરવાની જવાબદારી સરકાર લે છે. હાર્વર્ડ અને વિલિયમ એન્ડ મેરી કોલેજના રિપોર્ટ્સ મુજબ, આ રકમ અબજો ડોલરમાં છે. ચીની લોનનું ડેડલી મેકેનિઝમ લોન ભરપાઈ કરવાની ગેરંટી તરીકે ચીન કુદરતી સંસાધનો પર તરાપ મારે છે. જેમ કે અંગોલા અને ગિનીમાં તેલ અથવા ખનીજથી લોન ચૂકવવાની શરતો છે. ટૂંકમાં દેશ નાદાર થાય તો પણ મિનરલ્સથી ચીન રૂપિયા માગી શકે. સિક્રેટ શરતોથી ડેમોક્રેસીનું ગળું ટૂપવાની નીતિ ચીન જેને લોન આપે તેના પર શરતો મૂકે છે પણ શરતો જાહેર કરવાની મનાહી છે. એટલે ચીન સિવાય દેશોને કે તેની વિપક્ષી પાર્ટીઓને પણ ખબર નથી પડતી કે જે તે દેશ કેટલો દેવામાં છે. ચીન જ્યારે લોન આપે છે ત્યારે એન્ટી પેરિસ ક્લબ ક્લોઝ રાખે છે. એટલે કે, જો જેતે દેશ દેવાળિયું ફૂંકે, તો તે યુરોપ સહિતના શક્તિશાળી બીજા દેશો સાથે મળીને દેવું રિસ્ટ્રક્ચર નથી કરી શકતો. લોન અને મજૂર પણ ચીનના મોટાભાગે ચીન લોન આપીને જે ડેવલોપમેન્ટ કરાવે તેમાં પોતાના મજૂરો અને મશીનરી જ રખાવે છે. એટલે લોનનું વ્યાજ પણ ચીનમાં જાય, મજૂરી પણ ચીનમાં જાય. દેવાદાર દેશને મળે છે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને દેવું. હવે જાણીએ વર્લ્ડ બેંક અને ચીનના દેવામાં ફેર શું હોય છે? તમને જાણીને નવાઇ લાગશે બીજી બેંક કરતા ચીનના વ્યાજદર, ગ્રેસ પિરિયડ, ચૂકવણીનો સમયગાળો, અને ઉદ્દેશ્ય બધુ જ અલગ અને મોંઘું છે. વર્લ્ડ બેંક અને ઈન્ટરનેશનલ મોનિટરી ફંડમાં આટલો ફાયદો હોય તો પણ દેશો ચીન પાસે જાય છે જેનાં કારણો છે ચીન પાસે જવાનાં કારણ ભ્રષ્ટાચારની છૂટ અને ચીનનો ફાયદો ચીની પ્રોજેક્ટમાં દેશો ભ્રષ્ટાચાર કરી શકે છે. IMF અને વર્લ્ડ બેંકમાં એવું નથી. સામેની બાજુ આ બંને ફોરમ લોકશાહીની શરતો અને સરકારમાં દખલગીરીની માગ રાખે છે. હિટલરશાહીવાળા દેશોને લોકશાહી કે પોતાની સરકારમાં દખલગીરી પસંદ નથી એટલે તેઓ ચીન બાજુ વળવાનું પસંદ કરે છે. આફ્રિકા ગળી જશે ચીન? આપણે જાણીએ છીએ કે કંબોડિયા કે લાઓસ આંતરરાષ્ટ્રીય મંચ પર ચીન વિરુદ્ધ બોલી શકતા નથી. કારણ કે તે ચીનથી દબાયેલા છે. ચીને આફ્રિકન દેશોને એટલી લોન આપી છે કે હવે તે ભરપાઈ કરવાની પરિસ્થિતિમાં જ નથી. સવાલો એવા પણ ઉઠે છે કે શું ચીન આફ્રિકાને ગળી જશે? વર્લ્ડ બેંક અને બોસ્ટન યુનિવર્સિટીના ડેટા મુજબ આફ્રિકાના દેશોના દેવામાં ચીનનો હિસ્સો માત્ર 12-13 ટકા જ છે. 43 ટકા હિસ્સો ખાનગી પશ્ચિમી બોન્ડધારકો કે ક્રેડિટર્સનો છે. ચીનનું દેવું ઓછા હોવા છતાં શરત વગરનું હોવાના કારણે આફ્રિકા પર ખતરો છે કે ચીન તેના પેટ્રોલ, ડીઝલ, માઈનિંગ, પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન વગેરે પણ કબજો મેળવી શકે છે. માટે હિસ્સો ઓછો હોવા છતાં ખતરાથી ભરેલો છે. શ્રીલંકા: ચીની દેવાનું જીવતું જાગતું સ્મશાન હવે જેના પર વિતી છે તે શ્રીલંકાની વાત કરીએ. શ્રીલંકા ચીનના દેવાના ભરડામાં ફસાઈ ચૂક્યું છે. ચીનની ડેબ્ટ ટ્રેડ ડિપ્લોમસીનું લેટેસ્ટ ઉદાહરણ શ્રીલંકાનું હંબનટોટા બંદર છે. ચીને પહેલા શ્રીલંકાને એટલી લોન આપી કે તે ભરપાઈ જ ન કરી શકે. અંતે હંબનટોટા બની તો ગયું પણ ત્યાં કોઈ જહાજો ન આવ્યા. અંતે ચીનને હંબનટોટાનો 70 ટકા ભાગ 99 વર્ષની લીઝ પર લઈ લીધો. દુનિયાનું સૌથી મોટું ખાલી એરપોર્ટ મટ્ટાલા એરપોર્ટ પણ શ્રીલંકામાં બનાવાયેલો ચીનનો પ્રોજેક્ટ જ છે. હવે શ્રીલંકા એ દુવિધામાં છે કે ચીનનું દેવું ચૂકવવું કે વિશ્વનું. ક્રેડિટ રેટિંગ ઘટ્યું અને શ્રીલંકા નાદાર જાહેર થયું. હવે તેવો હાલ આફ્રિકાનો પણ થઈ શકે એમ છે. ખનીજ ભંડારો પર ચીનની બાજ નજર જેની પાસે ખનીજ, તેલ જેવા સંસાધનો છે તેવા દેશોને ચીને વધુ લોન આપી છે જેથી તે કુદરતી સંસાધનો પર તરાપ મારી શકે. એમાં પણ કોંગોમાં કોપર અને કોબાલ્ટ બંને છે જે ઈલેક્ટ્રોનિક કાર અને મોબાઈલ-કોમ્પ્યુટર જેવી વસ્તુઓમાં પણ કામ લાગે છે. આફ્રિકાના કયા દેશને ચીને કેટલી લોન આપી છે તે આંકડાઓથી સમજી શકાય છે. આફ્રિકાના અમુક વિસ્તારો ચીન કબજે કરે તેવી અફવાઓ ચાલી રહી છે આ પ્રોજેક્ટ્ હડપવા ચીનની નજર પાકિસ્તાન: 30 બિલિયન ડોલરનો ચીની ફાંસો જ્યારે ચીનના દેવાની વાત થઈ રહી હોય અને પાકિસ્તાનનો ઉલ્લેખ ન થાય એવું બને નહીં. પાકિસ્તાન માટે ગેમ ચેન્જર કહેવાતો ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે સીપેક હવે પાકિસ્તાન માટે 30 બિલિયન ડોલરનો દેવાનો ફાંસો બની ગયું છે. પાકિસ્તાની બંદર પર ચીનનો કબજો પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પર પણ ચીને 40 વર્ષ માટે કબજો જમાવી લીધો છે. તેમાંથી થતી 91 ટકા કમાણી ચીન રાખે છે અને પાકિસ્તાનને મળે છે માત્ર 9 ટકા. પાકિસ્તાનને અમેરિકા સાથે સારા સંબંધો છે માટે તે પૈસા તો માગી લે છે પણ અમેરિકા સહિત બીજા પણ દેશો શરત લગાવે છે કે તેના રૂપિયાનો ઉપયોગ ચીનના દેવા ચૂકવવા પાછળ ન થવો જોઈએ. અને આ બધુ જ જે થઈ રહ્યું છે તે ક્યાંકને ક્યાંક ભારત સાથે જોડાયેલું છે. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવના કારણે ભારતના વેપારી હિતો અને મોદીના સાગર પ્રોજેક્ટને ખતરો છે. ભારતને ચીનથી ખતરો ચીને બધા’ય પાડોશી સાથે ડખો કર્યો પણ ચીનની ટેક્નિક માત્ર દેવું આપીને કબજો જમાવવાની નથી, તે ધીમેધીમે પાડોશી દેશની જમીનના ટુકડાઓ કાપીને તેના પર કબજો કરે છે અને પછી માહોલ જમાવે છે કે આ ટુકડો તો તેનો ઐતિહાસિક ભાગ છે અને તે ચીનનો છે. ચીને પોતાના 14 પાડોશીઓમાંથી રશિયા અને ભારત સહિત બધા સાથે ઝઘડા કરી લીધા છે. ચીનની વિસ્તારવાદી નીતિ લદ્દાખથી અરુણાચલ: ભારત સાથે નકશા યુદ્ધ ભારત સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ નામની બોર્ડર લાઈન પર ચીન વારંવાર ઘૂસણખોરી કરતું આવ્યું છે. તમે માનશો નહીં, પણ હજુ ગયા વર્ષે જ મે મહિનામાં ચીને ભારતના અરુણાચલ પ્રદેશના 27 સ્થળોના નામ બદલીને તેને પોતાનું ઝંગનાન ગણાવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો હતો. પર્વતો હોય કે નદીઓ, ચીન નકશામાં છેડછાડ કરીને ભારતની સંપ્રભુતાને પડકારે છે અને ભારતના ભાગોને પોતાના ગણાવે છે. જોકે, ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને ગયા વર્ષે ઓક્ટોબરમાં બોર્ડરના ઝઘડા ઘટાડવા બેઠકો કરી હતી. પણ ચીન પર ભરોસો કરવો જોખમી છે. ચીને ભૂતાનની દોઢા અમદાવાદ જેટલી જમીન હડપી ભૂતાન અને નેપાળના પણ એવા જ હાલ છે. નાના એવા ભૂતાનના 825 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર એટલે કે દોઢ ગણા અમદાવાદ (AMC વિસ્તાર આશરે 500 ચો.કિમી છે) જેટલો વિસ્તાર પડાવી પાડ્યો છે. ચીને ભૂતાનની જમીન પર 22 જેટલા ચીની ગામડાઓ વસાવી લીધા છે. નેપાળની વાત કરીએ તો હુમલા જિલ્લામાં ચીને વાડ અને રસ્તાઓ બનાવીને નેપાળની જમીન હડપી લીધી છે. ચીનની સાગરમાં પણ સીનાજોરી જમીનથી હવે સાગર પર આવીએ. ઓગસ્ટ 2023માં ચીને નવો નકશો જાહેર કર્યો હતો, જેમાં તેણે આખા'ય દક્ષિણ ચીન સાગરને પોતાનો ગણાવ્યો હતો. ફિલિપાઈન્સ અને વિયેતનામ જેવા નાના દેશોના સમુદ્રી વિસ્તારમાં ચીને ટાપુઓ વસાવી મિલેટરી બેઝ બનાવી લીધા છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય કાયદા ચીન માટે માત્ર કાગળના ટુકડા જ છે. ચીની સંસાધનોની મોનોપોલી ત્રીજો સૌથી મહત્વનો અને AI ટેક્નોલોજીવાળો ડિજિટલ ભવિષ્યનો વિષય છે. હવે વાત કરીએ ચીનની મોનોપોલીની. ચીન દુનિયાની સપ્લાય ચેઈન પર પણ કબજો જમાવીને બેઠું છે. ચીન રેર અર્થ મિનરલ્સ સહિત બીજા સંસાધનોનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે. જેમાં ચીને અમેરિકાને પણ ઘૂંટણીએ લાવી દીધું છે. સ્માર્ટફોનથી મિસાઈલ સુધી: ચીની બ્લેકમેલિંગ સ્માર્ટ ફોનથી લઈને મિસાઈલ્સ બનાવવા માટે જરૂરી 17 જેટલા રેર અર્થ મિનરલ્સની રિફાઈનિંગ પ્રોસેસિંગમાં ચીને 90 ટકાથી વધારાનો કબજો જમાવી લીધો છે. સાદી રીતે સમજવું હોય તો સ્માર્ટફોન, કોમ્પ્યુટર વગેરેનું મગજ હોય તેને સેમિકન્ડક્ટર અને ચીપ કહેવાય છે. ચીને ગેલિયમ અને જર્મનિયમ જેવી ધાતુઓ પર પણ કડક કન્ટ્રોલ જમાવી લીધો છે. ડિસેમ્બર 2024માં ચીને અમેરિકાને ગેલિયમ, જર્મેનિયમ, એન્ટિમની સહિતની ધાતુઓ આપવાની જ ના પાડી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાના અત્યાધુનિક F-35 ફાઈટર જેટ બનાવવા માટે પણ જે મેગ્નેટ જોઈએ છે, તેની સપ્લાય પણ ચીન જ કન્ટ્રોલ કરે છે. તમારી EVની ચાવી ચીનના હાથમાં આટલું તો ઠીક, રસ્તાઓ પર તમે જે લીલા નંબર પ્લેટવાળી ઈલેક્ટ્રિક ગાડીઓ જુઓ છો. તેની બેટરીમાં જે ગ્રેફાઈટ વપરાય છે. વિશ્વનું 65-70 ટકા ગ્રેફાઈટનું પ્રોડક્શન ચીન કરે છે. વિશ્વના 90 ટકાથી વધુ ગ્રેફાઈટના રિફાઈનિંગ પર ચીનની માલિકી છે. બદલાતા સમય મુજબ કયો દેશ કારમાં બેટરી વાપરશે તે પણ મહદ અંશે ચીન જ કન્ટ્રોલ કરે છે. અહીં એક વસ્તુ ધ્યાનમાં લેવી કે ચીન પાસે સૌથી વધુ રેર અર્થ મિનરલ્સ તો છે જ પણ તેને ઉપયોગ કરવા માટે જે રિફાઈનિંગ કરવામાં આવે છે તેની રિફાઈનિંગ મોનોપોલી ચીન પાસે છે. ટૂંકમાં દુનિયામાં સૌથી વધુ સેમિકન્ડક્ટર તાઈવાન બનાવે છે પણ સેમિકન્ડક્ટર બનાવવા માટે જે પ્રોસેસ કરવા માટે તે તો ચીન જ કરી શકે છે. ટૂંકમાં સેમિકન્ડક્ટરનું રસોડું તાઈવાન છે તો ચીન મરી મસાલા અને શાકભાજી છે. શાકભાજી કે મસાલા વગર જમવાનું જ ન બનાવી શકાય. ચીનનું રિસોર્સ વેપનાઈઝેશન ષડયંત્ર આપણને થાય કે ચીન પાસે કુદરતી સંસાધનો પર કન્ટ્રોલ કેવી રીતે છે. તો તેનો જવાબ પણ દેશોને મોટી અપાતી લોન પર જ આધાર રાખે છે. જે દેશ લોનના બદલામાં રૂપિયા નથી ચૂકવી શકતું ચીન તેની ખાણો જડપી લે છે અને તેમાં ખનન કરીને દુનિયાની ટેક્નોલોજી પર મોનોપોલી બનાવી લે છે. જો કોઈ દેશ, જેમાં અમેરિકા પણ આવી જાય તે ચીન સામે બોલે તો ચીન તરત આ રેર અર્થ મિનરલ્સ સપ્લાય રોકી દે છે. આ ચીનનો મોટો પેંતરો રિસોર્સ વેપનાઈઝેશન તરીકે ઓળખાય છે. અને છેલ્લે... તમને જાણીને નવાઈ લાગશે પણ ચીનની ડેબ્ટ ટ્રેપ ડિપ્લોમસીનો શબ્દ સૌથી પહેલા 2017માં ઉપયોગમાં લેવાયો હતો. અને આ શબ્દ ભારતના વિદ્વાન બ્રહ્મા ચેલાણીએ આપ્યો હતો કે ચીન કેવી રીતે દુનિયાના દેશોને દેવાના ડુંગર તળે દબાવી તે દેશના સંસાધનો પર તરાપ મારે છે. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:57 pm

ગાંધીનગર બનશે ગ્રીન કેપિટલ:કેન્દ્રની યોજના હેઠળ 100 હાઈટેક પ્રદૂષણમુક્ત ઈ-બસો માટેના કરાર સંપન્ન, શહેરના 17 રૂટ્સ પર ઇલેક્ટ્રિક બસો દોડશે

પાટનગર ગાંધીનગરને પ્રદૂષણમુક્ત પરિવહનની દ્રષ્ટિએ વધુ આધુનિક બનાવવાના હેતુથી ગાંધીનગર મહાનગરપાલિકાએ વડાપ્રધાનની અત્યંત મહત્વકાંક્ષી 'પીએમ ઈ-બસ સેવા' યોજના હેઠળ મેસર્સ JBM ઇકોલાઇફ પ્રાઇવેટ લિમિટેડ સાથે 100 જેટલી ઇલેક્ટ્રિક બસો માટેના સત્તાવાર કરાર કરવામાં આવ્યા છે. આ કરાર મુજબ હવે ગાંધીનગરના માર્ગો પર પ્રદૂષણ ફેલાવતી બસોના સ્થાને ઈ-બસો દોડતી જોવા મળશે. 100 નવી ઇલેક્ટ્રિક બસોના સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યાકેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળ ઓક્ટોબર 2025માં 100 ઇલેક્ટ્રિક બસ દોડાવવાની જાહેરાત કરાઈ હતી. જે અંતગર્ત ગાંધીનગર મહાનગરપાલિકા અને મેસર્સ JBM વચ્ચે 100 નવી ઇલેક્ટ્રિક બસોના સપ્લાય, સંચાલન અને જાળવણી માટેના સત્તાવાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા તંત્રના વડા એવા મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભગીરથ આહીરે JBM ગ્રુપના અધિકારીઓ સાથે મળીને આ પ્રક્રિયાને આખરી ઓપ આપ્યો હતો. જે અવસરે મેયર મીરાબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ પણ હાજર રહ્યા હતા. ગાંધીનગરવાસીઓને ધૂળ અને અવાજના પ્રદૂષણથી મુક્ત મુસાફરીનો અનુભવ થશેઆ પ્રોજેક્ટ અંતર્ગત કંપની માત્ર બસો પૂરી પાડવા ઉપરાંત તેના સંચાલન અને લાંબા ગાળાની જાળવણીની જવાબદારી પણ નિભાવશે. જેથી, નાગરિકોને અવિરત સુવિધા મળતી રહે. આગામી સમયમાં આ 100 ઇલેક્ટ્રિક બસો શહેરના અંદાજીત 17 જેટલા અલગ-અલગ રૂટ્સ પર દોડાવવાનું આયોજન છે. જે ગાંધીનગરના દરેક મુખ્ય વિસ્તારોને આવરી લેશે ત્યારે બસોના ચાર્જિંગ માટે જરૂરી માળખાગત સુવિધાઓ અને ચાર્જિંગ ડેપો તૈયાર કરવાની કામગીરી પણ હાલ અંતિમ તબક્કામાં હોવાથી ટૂંક સમયમાં જ ગાંધીનગરવાસીઓને ધૂળ અને અવાજના પ્રદૂષણથી મુક્ત એવી શાંત અને આરામદાયક મુસાફરીનો અનુભવ થશે. વિદ્યાર્થીઓ માટે પણ અલગથી ખાસ સ્માર્ટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશેમહાનગરપાલિકાની આ પહેલથી શહેરમાં કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને જાહેર પરિવહનનો ઉપયોગ કરતા મધ્યમ વર્ગના મુસાફરોને સસ્તી સેવા મળી રહેશે. આ બસ સર્વિસની સૌથી મોટી વિશેષતા તેની ટિકિટિંગ સિસ્ટમ હશે. મેટ્રો ટ્રેનની જેમ આ બસોમાં પણ ઓટો ફેર કલેક્શન સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. મુસાફરો માટે ખાસ સ્માર્ટ કાર્ડ અમલી બનાવાશે. વિદ્યાર્થીઓ માટે પણ અલગથી ખાસ સ્માર્ટ કાર્ડ ઇશ્યૂ કરવામાં આવશે. જ્યારે મુસાફરોએ કંડક્ટરની રાહ જોવાને બદલે ડિજિટલ માધ્યમથી જાતે જ ટિકિટ લેવાની રહેશે.દરેક બસમાં અત્યાધુનિક જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે, જે સીધી મહાનગરપાલિકાના સ્માર્ટ સિટી કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે. મહાનગરપાલિકાએ બસોના સંચાલન માટે ખાસ SVPની રચના કરીઆ ઉપરાંત બસ કયા સ્ટોપ પર પહોંચી અને કેટલી મોડી છે તેનું ચોક્કસ લાઇવ મોનિટરિંગ થશે.જો કોઈ ડ્રાઈવર નક્કી કરેલા સ્ટોપ પર બસ ઊભી નહીં રાખે તો કંટ્રોલ રૂમમાંથી તેની જાણ થઈ જશે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય કયા રૂટ પર કેટલા પેસેન્જર છે અને કેટલી આવક થઈ રહી છે તેનો તમામ ડેટા રિયલ ટાઈમમાં ઉપલબ્ધ રહેશે. મહાનગરપાલિકાએ બસોના સંચાલન માટે ખાસ SVPની રચના કરી છે. આ બસો શહેરના તમામ મેટ્રો સ્ટેશનો, એસટી ડેપો, રેલવે સ્ટેશન અને મુખ્ય રહેણાંક વિસ્તારોને આવરી લેશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:55 pm

ગુજરાતમાં 18 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી:અધિકારીઓને નવા સ્થાને તાત્કાલિક હાજર થવા આદેશ, શહેરી વહીવટમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં કાર્યરત ચીફ ઓફિસરોની બદલીનો મહત્વનો હુકમ બહાર પાડ્યો છે. તા. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ મંજૂર થયેલા આ આદેશ મુજબ કુલ 18 ચીફ ઓફિસરોને હાલની નગરપાલિકામાંથી બદલી કરીને નવી નગરપાલિકા/કોર્પોરેશનમાં નિયુક્તિ આપવામાં આવી છે. ચીફ ઓફિસરોને નવા સ્થાને હાજર થવા આદેશઆ આદેશ અનુસાર કેટલાક અધિકારીઓને નગરપાલિકામાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાબદારી સોંપાઈ છે, જ્યારે કેટલાક અધિકારીઓને જિલ્લા અંદરની કે અન્ય જિલ્લાની નગરપાલિકાઓમાં બદલી કરાઈ છે. બદલી કરાયેલા ચીફ ઓફિસરોને તરત જ નવા સ્થાને હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચાર્જ હેન્ડઓવર પ્રક્રિયા મામલતદારની હાજરીમાં પૂર્ણ કરાશેવિભાગીય હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, SDM, ભૂજ ખાતે ચીફ ઓફિસર-ભુજ નગરપાલિકાના પદનો હવાલો મુક્ત કરવામાં આવશે. તેમજ ધાનેરા સહિતની કેટલીક નગરપાલિકાઓમાં ચાર્જ હેન્ડઓવર પ્રક્રિયા મામલતદારની હાજરીમાં પૂર્ણ કરાશે. શહેરી વહીવટમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસરાજ્ય સરકારના આ પગલાંથી શહેરી વહીવટમાં વધુ કાર્યક્ષમતા લાવવાનો પ્રયાસ હોવાનું માનવામાં આવે છે. શહેરી વિકાસના કામોને ગતિ આપવા અને વહીવટી સુવ્યવસ્થા મજબૂત બનાવવા માટે આ બદલીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:54 pm

શહેરનો AQI સુધારવા રેતી-કપચીના વાહનોને 10 હજારનો દંડ:પ્રદૂષણ અટકાવવા ગાંધીનગર મનપાનું જાહેરનામું, કન્સ્ટ્રક્શન મટીરીયલના વાહનોને ફરજિયાત તાડપત્રી ઢાંકવી

ગાંધીનગર શહેરની હવાની ગુણવત્તા એટલે કે AQI જાળવી રાખવા અને વધતા પ્રદૂષણને અટકાવવા માટે મહાનગરપાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અન્વયે હવે રેતી, કપચી કે અન્ય કન્સ્ટ્રક્શન મટીરીયલનું વહન કરતા વાહનોને ફરજિયાતપણે તાડપત્રી કે યોગ્ય કવરથી ઢાંકવાના રહેશે નહીં તો 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. ડે.મ્યુ કમિશનરની વેપારી અને ટ્રાન્સપોર્ટર્સ સાથે સમીક્ષા બેઠક ગાંધીનગર શહેરની હવાની ગુણવત્તા એટલે કે AQI ને સુરક્ષિત સ્તર પર જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વાતાવરણમાં ભળતા સૂક્ષ્મ રજકણો અને ધૂળની ડમરીઓને અટકાવવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનરે શહેરના તમામ રેતી, કપચી અને બિલ્ડિંગ મટીરીયલ્સના વેપારીઓ તેમજ ટ્રાન્સપોર્ટર્સ સાથે એક ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. કન્સ્ટ્રક્શન મટીરીયલના વાહનોને ફરજિયાત તાડપત્રી ઢાંકવીઆ બેઠકમાં સૂચના આપવામાં આવી કે વિકાસના કામોની સાથે પર્યાવરણ અને જાહેર આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. બેઠક દરમિયાન નાયબ મ્યુનિસિપલ કમિશનરે વેપારીઓને કડક સૂચના આપી જણાવ્યું હતું કે, બિલ્ડિંગ મટીરીયલ્સનું પરિવહન કરતી વખતે ઉડતા રજકણો વાયુ પ્રદૂષણ વધારવા માટે મુખ્યત્વે જવાબદાર હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવેથી કોઈપણ વાહનમાં રેતી કે કપચી ભરીને પરિવહન કરવામાં આવે ત્યારે તેને ચારેબાજુથી અને ઉપરથી યોગ્ય રીતે ઢાંકવું ફરજિયાત રહેશે. પર્યાવરણને નુકસાન પહોંચાડનારને 5થી 10 હજારનો દંડઉપરાંત મટીરીયલ નિર્ધારિત સ્થળે ખાલી કર્યા બાદ વાહનના પૈડા અને બોડી પર ચોંટેલી ધૂળ કે રજકણો રસ્તા પર ન ફેલાય તે માટે વાહનને સંપૂર્ણ રીતે વોશ કર્યા પછી જ જાહેર માર્ગો પર લાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગે વર્ષ 2026-27નું સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામાના અમલીકરણમાં જો કોઈ પણ વેપારી, કોન્ટ્રાક્ટર કે વાહન ચાલક બેદરકારી દાખવશે તો તેમની સામે પબ્લિક હેલ્થ બાઇલોઝ-2017 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ બદલ જી.પી.એમ.સી. એક્ટની કલમ-458(19) ની જોગવાઈઓ હેઠળ તંત્ર દ્વારા 5 થી 10 હજાર સુધીનો દંડ પણ વસૂલવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:36 pm

કાલોલ MLA ફતેસિંહ ચૌહાણે સમાજ સુધારણા પર ભાર મૂક્યો:પોતાની રાજકીય સફળતાનો શ્રેય સમાજને આપ્યો

કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કાંટુ ગામે યોજાયેલા બારીયા કોળી સમાજના પ્રથમ મહા સંમેલનમાં સમાજ સુધારણા અંગે મહત્વપૂર્ણ ટકોર કરી હતી. ચૌહાણે પોતાની રાજકીય સફળતાનો શ્રેય સમાજની ઉજળી પરંપરાઓને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, સમાજ ઉજળો હતો, એટલે જ મારા જેવો મંજીરા વગાડવા વાળો ત્રણ-ત્રણ વાર ધારાસભ્ય બની શક્યો. જો સમાજ જાગૃત ન હોત, તો કોઈ પીવા વાળા વ્યક્તિને ધારાસભ્ય બનાવતા. તેમણે સમાજને આગળ લાવવા માટે રાજકીય પક્ષાપક્ષી બાજુએ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ચૌહાણે કહ્યું કે જો નિયમ ભંગ થાય, તો સૌથી પહેલા દંડ આગેવાનને કરવો જોઈએ. ધારાસભ્યએ પણ સમાજના નિયમોનું પાલન કરવું પડશે તેમ તેમણે સ્વીકાર્યું. તેમણે ઉમેર્યું કે, જો ધારાસભ્ય પોતે નિયમોનું પાલન કરશે, તો જ સમાજ તેનું અનુસરણ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:35 pm

ગીર સોમનાથમાં 9 કરોડની સરકારી જમીન દબાણમુક્ત:3 દબાણદારો સામે FIR, કલેક્ટર અધ્યક્ષસ્થાને કમિટીની બેઠક

ગીર સોમનાથ જિલ્લામાં સરકારી અને ગૌચરની જમીન પરના દબાણો હટાવવા માટે કાર્યવાહી તેજ બની છે. જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રૂ. 9 કરોડની જમીન દબાણમુક્ત કરવામાં આવી અને 3 દબાણદારો સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો. બેઠકમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકારી અને ગૌચરની જમીન પરના દબાણોની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓની તપાસના આધારે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ–2020 હેઠળ કુલ 11 સુઓ-મોટો અરજીઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી અને કાયદાકીય કાર્યવાહી બાદ 11 દબાણદારોમાંથી 8 દબાણદારોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લીધું હતું. આ રીતે કુલ 1,37,185 ચોરસ મીટર સરકારી અને ગૌચરની જમીન ફરી સરકારના કબજામાં લેવામાં આવી છે. પ્રશાસન દ્વારા આ જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 9 કરોડ આંકવામાં આવી છે. બાકીના 3 દબાણદારોએ વારંવાર નોટિસ અને તક આપવા છતાં દબાણ દૂર ન કરતા, તેમની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ–2020 હેઠળ FIR દાખલ કરવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં લેવાયો હતો. જિલ્લા કલેક્ટર એન. વી. ઉપાધ્યાયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સરકારી અને ગૌચરની જમીન જાહેર સંપત્તિ છે અને તેના પર ગેરકાયદેસર દબાણ સહન કરવામાં આવશે નહીં. દબાણદારો સામે કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રહેશે અને ભવિષ્યમાં પણ કોઈપણ ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવશે. જિલ્લા પ્રશાસનની આ કાર્યવાહીથી સરકારી જમીનો મુક્ત થવાની સાથે ભૂમાફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો છે, જેનાથી સામાન્ય નાગરિકોના હિતોનું રક્ષણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:35 pm

દીકરીના મોતના 2 વર્ષ બાદ માતાને ન્યાય મળ્યો:ચાંદખેડામાં પત્નીને આપઘાત માટે મજબૂર કરનાર દારૂડિયા પતિને કોર્ટે 5 વર્ષની કેદ ફટકારી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે વર્ષ પૂર્વે પોતાની પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પતિને ગાંધીનગર ત્રીજા એડિશનલ ડિસ્કટ્રીક્ટ જજ પી. એમ. ઉનડકટે તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. દારૂના પૈસા બાબતે ઝઘડો કરી ઢોર માર મારતોઅમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા સ્નેહલતાબેન સોલંકીની 26 વર્ષીય પુત્રી આરતીના લગ્ન ફેબ્રુઆરી 2022માં ચાંદખેડાના કિર્તન ટેનામેન્ટમાં રહેતા વિશાલ સોમાભાઇ પરમાર સાથે થયા હતા. જોકે, લગ્નના થોડા જ સમય બાદ વિશાલની અસલિયત સામે આવી હતી. વિશાલ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને કોઈ કામધંધો કરતો નહોતો. ઘરખર્ચ અને દારૂના પૈસા બાબતે તે અવારનવાર આરતી સાથે ઝઘડો કરી તેને ઢોર માર મારતો હતો. પત્નીને માર મારી મધરાતે ઘરની બહાર કાઢી મુકી હતીજે અંગે આરતી અવારનવાર ફોન પર માતા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતી હતી. જેને એક દિવસ વિશાલે માર મારી મધરાતે ઘરની બહાર કાઢી મુકી હતી. જોકે સામાજિક મર્યાદા અને ઘર તૂટે નહીં તે હેતુથી આરતીને ફરી સાસરીમાં મોકલવામાં આવી હતી. પરંતુ વિશાલના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. તે ઘણીવાર તેની માતાને કહેતી કે હું આ ત્રાસથી કંટાળીને મરી જઈશ. દીકરીએ આપઘાત કરી લેતા પરિવારે ફરિયાદ નોંધાવી હતીબાદમાં ગત 3 માર્ચ 2024ની રાત્રે આશરે પોણા અગિયાર વાગે પરિવારને જાણ થઈ હતી કે, આરતીએ આપઘાત કરી લીધો છે. જે અંગે ચાંદખેડા પોલીસે આરોપી પતિ વિશાલ પરમાર વિરુદ્ધ માનસિક શારીરિક ત્રાસ અને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો દાખલ કરયો હતો. કોર્ટ આરોપી વિશાલને 5 વર્ષની સખત કેદની સજા ફટકારીજે કેસ ગાંધીનગરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ પી. એમ. ઉનડકટની સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પ્રીતેશ વ્યાસે દલીલ કરેલી કે, આરોપીએ લગ્નના બે મહિનાના ટૂંકા ગાળામાં જ પત્નીને ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી. આથી સમાજમાં દાખલો બેસે એવી સજા આરોપીને મળવી જોઈએ. જે દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી કોર્ટ આરોપી વિશાલ પરમારને 5 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:25 pm

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી:EDએ જમીન NA કરવાના કેસમાં મની લોનડરિંગ એક્ટ અંતરગત ધરપકડ કરી હતી, આવતીકાલે સુનાવણી

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA (બિનખેતી) કરાવવાના કૌભાંડમાં પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેકટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેકટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જેની ઉપર આવતીકાલે સુનાવણી યોજાશે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈઅગાઉ ED વતી રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો. સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો. આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. જમીન NA કરવા 65 લાખ રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યુંઆરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેકટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:18 pm

વલસાડમાં બાઇક ચોર ગેંગનો પર્દાફાશ:સુરતના બે શખ્સો 10 બાઇક સાથે ઝડપાયા, ડુપ્લીકેટ RC બુક બનાવતા

વલસાડ મામલતદાર કચેરી બહારથી ઉત્તરાયણના દિવસે થયેલી બાઇક ચોરી ડુંગરી પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન બાઇક સાથે યુવકને ઝડપી પાડ્યો હતો. તે કેસમાં વલસાડ સીટી પોલીસ મથકના PI દિનેશ પરમારના માર્ગદર્શન હેઠળ સીટી પોલીસની ટીમે આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. વલસાડ શહેરમાં બાઇક ચોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં મોટી સફળતા મળી છે. વલસાડ સિટી પોલીસે આંતરજિલ્લા બાઇક ચોર ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 10 મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગ ચોરી કરેલા બાઇકની ડુપ્લીકેટ RC બુક બનાવીને વેચતી હતી. વલસાડ પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓમાં સરફરાઝ મિયા ઉસ્માન ભંડોલિયા અને મોહમ્મદ ઇસ્માઇલ મૂસાજીનો સમાવેશ થાય છે, જે બંને સુરતના સલાબતપુરાના રહેવાસી છે. સરફરાઝ બાઇકની ચોરી કરતો હતો અને ત્યારબાદ તે મોહમ્મદ ઇસ્માઇલને સોંપતો હતો. પોલીસ તપાસમાં આ ગેંગની કાર્યપ્રણાલી સામે આવી છે. સરફરાઝ જુદા-જુદા શહેરોમાંથી બાઇકની ચોરી કરતો હતો. ચોરી કરેલા બાઇક મોહમ્મદ ઇસ્માઇલને આપવામાં આવતા હતા. ઇસ્માઇલ આ બાઇક 'અજય રાણા' નામના શખ્સને આપતો, જે તેની ડુપ્પ્લીકેટ RC બુક તૈયાર કરતો હતો. નકલી દસ્તાવેજો તૈયાર થયા બાદ આ બાઇક નિર્દોષ લોકોને સસ્તા ભાવે વેચી દેવામાં આવતી હતી. DySP ભાર્ગવ પંડ્યાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ ગેંગ માત્ર વલસાડ જ નહીં, પરંતુ વડોદરા, નવસારી, ભરૂચ અને સુરત જેવા વિસ્તારોમાં પણ સક્રિય હતી. પોલીસે અત્યાર સુધીમાં ₹3.70 લાખની કિંમતની 10 બાઇક રિકવર કરી છે. આ કેસમાં ડુપ્લીકેટ RC બુક બનાવનાર અજય રાણા સહિત અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. DySP ભાર્ગવ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં 10 બાઇક મળી છે, હજુ તપાસ ચાલુ છે અને અન્ય આરોપીઓ પણ જલ્દી જ જેલના સળિયા પાછળ હશે.”

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:14 pm

જામનગરમાં યુવાન પર છરી હુમલો, 1800ની લૂંટ:એલસીબીએ બે લૂંટારુ ઝડપ્યા, ત્રીજાની શોધખોળ ચાલુ

જામનગરમાં એક યુવાન પર છરી વડે હુમલો કરી ₹1800ની લૂંટ ચલાવવાના કેસમાં એલસીબીએ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી લેવાયો છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. યાદવ નગર વિસ્તારમાં રહેતા વાણંદ રમેશ દિનેશભાઈ જગતિયા ગઈકાલે રાત્રે આશરે 11:30 વાગ્યે મયુર નગર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ તેમને માર મારી છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમના ખિસ્સામાંથી ₹1800 રોકડા અને પાકીટ ઝૂંટવી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે, એલસીબીએ કાલાવડ નાકા બહાર રહેતા અલબાઝ ફારુકભાઈ કટારીયા અને વાઘેર વાસમાં રહેતા મોઈન સબીરભાઈ નામના બે આરોપીઓની અટકાયત કરી છે. આ ગુનામાં સંડોવાયેલો ત્રીજો આરોપી મિતેષ સાગઠીયા ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીએ પકડાયેલા બંને આરોપીઓ પાસેથી લૂંટાયેલી ₹1800ની રોકડ રકમ, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી છરી કબજે કરી છે. પકડાયેલા આરોપીઓ પૈકી અલબાઝ ફારુકભાઈ કટારીયા સામે જામનગરના વિવિધ પોલીસ મથકોમાં લૂંટ અને ચોરી સહિતના નવ જેટલા ગુના નોંધાયેલા છે. પોલીસ ફરાર મિતેષ સાગઠીયાને ઝડપી પાડવા વધુ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:12 pm

બાળ તસ્કરી મામલે મુખ્ય એજન્ટ ઝડપાયો:ક્રાઈમ બ્રાન્ચે બાળક સાથે ઝડપેલા ત્રણ આરોપીઓને બાળક આપનાર મુખ્ય આરોપી યુસુફ ઝડપાયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે થોડા દિવસ અગાઉ બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરીને વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવ નામના ત્રણ આરોપીઓને ઝડપીને બાળકને મુક્ત કરાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓને બાળક આપનાર મુખ્ય એજન્ટ યુસુફની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં યુસુફ પણ એક વ્યક્તિ પાસેથી બાળક ખરીદીને લાવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, યુસુફની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થાય એવી શક્યતા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુસુફની ધરપકડ માટે પહોંચી હતીક્રાઈમ બ્રાન્ચે ગુજરાતથી હૈદરાબાદ સુધી ચાલી રહેલા બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કરીને એક નવજાત બાળકને વેચવા હૈદરાબાદ લઈ જતા એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી ત્યારે આરોપીઓ આ બાળક હિંમતનગરમાં યુસુફ નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ યુસુફની ધરપકડ માટે પહોંચી હતી. ત્રણેય આરોપીઓ બાળક લઈને હૈદરાબાદ રવાના થયા હતાક્રાઈમ બ્રાન્ચે આ કેસના મુખ્ય આરોપી અને એજન્ટ યુસુફની ધરપકડ કરી હતી. યુસુફની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ બાળક ગોવિંદ નામના વ્યક્તિ પાસેથી 3.60 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું. યુસુફે બાળક ખરીદીને અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓને આપ્યું હતું. આ ત્રણેય આરોપીઓ બાળક લઈને હૈદરાબાદ રવાના થયા હતા. અગાઉ પણ બાળતસ્કરીમાં ઝડપાયો હતોયુસુફ અગાઉ પણ કાલુપુર રેલવે પોલીસના બાળ તસ્કરીના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. યુસુફને અગાઉ બાળ તસ્કરીમાં પકડાયો ત્યારથી વંદનાને ઓળખતો હતો. રોશન અગ્રવાલ મેરેજ બ્યુરો ચલાવે છે. યુસુફ આ બાળક ક્યાંથી લાવતો અને આગળ કોણે આપવાનો હતો? તે તમામ બાબતની તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 7:11 pm

'વેરો નહીં તો વેપાર નહીં':લિંબાયતમાં 107 કોમર્શિયલ મિલકતોને મનપાએ જડ્યા તાળા, સ્થળ પર જ 43.74 લાખની વસૂલાત

સુરત મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાઉથ ઈસ્ટ (લિંબાયત) ઝોનમાં વહીવટી તંત્રએ આક્રમક અભિગમ અપનાવી એક જ દિવસમાં 107 જેટલી કોમર્શિયલ દુકાનોને સીલ કરી દીધી છે. લાંબા સમયથી વેરો ન ભરતા કરદાતાઓમાં આ કડક કાર્યવાહીને પગલે ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મુખ્ય માર્કેટોમાં ત્રાટક્યું મનપાનું તંત્રલિંબાયત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર નિલેશભાઈ એચ. પટેલની સૂચના અને આસિસ્ટન્ટ કમિશનર દીપક એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આકારણી અધિકારી એ.વી. જગતાપ અને તેમની ટીમે શહેરના જાણીતા વ્યાપારી સંકુલો જેવા કે, ધ પલેસ માર્કેટ, રાજહંસ માર્કેટ, આશીર્વાદ માર્કેટ અને પોલારીસ માર્કેટ તથા અન્ય માર્કેટોમાં સપાટો બોલાવ્યો હતો. આ મિલકતો પર અંદાજે 14,02,34,235 જેટલી રકમનો વેરો બાકી હતો. વારંવારની સૂચના છતાં વેરો ન ભરાતા તંત્રએ આખરે સીલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. સ્થળ પર જ લાખોની વસૂલાત અને કામગીરીના આંકડામનપાની આ કડક કાર્યવાહીની અસર તુરંત જોવા મળી હતી. દુકાનો સીલ થવાની શરૂઆત થતાં જ અનેક કરદાતાઓ સફાળા જાગ્યા હતા અને દંડથી બચવા માટે સ્થળ પર જ બાકી રકમ ચૂકવવાની તૈયારી બતાવી હતી. ટીમ દ્વારા સ્થળ પર જ 43,74,000ની વસૂલાત કરવામાં આવી હતી. આખા દિવસ દરમિયાન લિંબાયત ઝોન દ્વારા કુલ 87,50,000નો વેરો વસૂલવામાં આવ્યો હતો. જો અત્યાર સુધીના આંકડાની વાત કરીએ તો લિંબાયત ઝોન દ્વારા કુલ 337.21 કરોડની ડિમાન્ડ સામે અત્યાર સુધીમાં 208.37 કરોડ એટલે કે 61.79%ની વસૂલાત પૂર્ણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રીયલ અને રહેણાંક વિસ્તારોમાં કાર્યવાહીમનપાના અધિકારીઓએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, આ ઝુંબેશ અહીં અટકશે નહીં. આગામી દિવસોમાં લિંબાયત ઝોનના તમામ ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ વિસ્તારોમાં જે કરદાતાઓએ લાંબા સમયથી વેરો નથી ભર્યો, તેમની મિલકતો ટાંચમાં લેવામાં આવશે.વધુમાં, રહેણાંક વિસ્તારોમાં પણ બાકીદારો સામે કડક પગલાં લેવાની તૈયારી કરી લેવામાં આવી છે. રહેણાંક મિલકતોના કિસ્સામાં મનપા દ્વારા નળ કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:53 pm

પોરબંદર હોસ્પિટલમાં રાત્રિ સ્ટાફની બેદરકારી:સ્ટાફ ઊંઘમાં-દર્દીઓની સારવાર વિના હેરાનગતિ, તંત્રએ તપાસની ખાતરી આપી

પોરબંદરની મુખ્ય સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન સ્ટાફની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જાગૃત નાગરિકોના આક્ષેપો મુજબ, હોસ્પિટલનો સ્ટાફ ફરજ પર હાજર રહેવાને બદલે આરામ કરતો જોવા મળ્યો હતો, જેના કારણે દર્દીઓને સારવાર વિના રહેવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને સ્થાનિકોની રજૂઆત અનુસાર, હોસ્પિટલનો રાત્રિ સ્ટાફ માત્ર હાજરી પૂરાવીને પોતાની ચેમ્બરમાં ગાદલા પાથરીને સૂઈ જાય છે. જ્યારે દર્દીઓ સારવાર માટે આવે છે, ત્યારે તેમને કોઈ મદદ કરનાર હોતું નથી. હોસ્પિટલના કેઝ્યુઆલિટી વિભાગ અને OPD એરિયામાં વર્ગ-4 નો સ્ટાફ ડોક્ટરોના ટેબલ પર સૂતો હોવાના ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાથી હોસ્પિટલની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે. આ મામલે જ્યારે હોસ્પિટલના સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે ટેબલ પર સૂવું યોગ્ય નથી. સત્તાધીશોએ જણાવ્યું કે આ ઘટના રાત્રિના સમયની છે જ્યારે કોઈ દર્દીઓ હાજર નહોતા. તેમણે સેનિટરી ઇન્સ્પેક્ટરને બોલાવીને સ્ટાફને કડક સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ તંત્રએ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની પૂરતી તકેદારી રાખવાની ખાતરી આપી છે. જોકે, સ્થાનિકોનો આક્ષેપ છે કે આ હોસ્પિટલ રાજકીય ઈશારે ચાલી રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે. આ મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીને રાજ્ય કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે, જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:50 pm

નવસારીમાં કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા':જળ મંત્રીના મતવિસ્તારમાં પાણીની સમસ્યા, ભાજપ પર પ્રહારો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત 'જન આક્રોશ યાત્રા' આજે નવસારી પહોંચી હતી. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરી રહેલી આ યાત્રામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિશાળ જનમેદનીને સંબોધી હતી. નેતાઓએ શાસક પક્ષ ભાજપ પર જળ સમસ્યા, ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય અનંત પટેલે મંચ પરથી જણાવ્યું હતું કે, નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને હાલના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું ઘર તેમજ કલેક્ટરની ઓફિસ હોવા છતાં આ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. તેમણે આ સ્થિતિને વિરોધાભાસી ગણાવી હતી. પટેલે વધુમાં કહ્યું કે, નવસારીમાં ચોમાસા દરમિયાન અડધું શહેર પાણીમાં ડૂબી જાય છે, જ્યારે ઉનાળામાં લોકો પીવાના પાણી માટે વલખાં મારે છે. તેમણે પાલિકાના વહીવટ પર કટાક્ષ કરતા પ્રશ્ન કર્યો કે, મહાનગરપાલિકા બનવાની ખુશીમાં ફ્લાવર શો પાછળ લાખોનો ખર્ચ કરાયો, પરંતુ શું તેમાંથી જનતાને પાણી મળ્યું? તેમણે કોંગ્રેસને સત્તા સોંપવામાં આવે તો પાણી અને જળનિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નવસારીના સાંસદ દેશના જળ મંત્રી હોવા છતાં તેમના જ મતવિસ્તારમાં મહિલાઓ પીવાના પાણી માટે સંઘર્ષ કરી રહી છે. ચાવડાએ વિકાસના નામે લોકોના જૂના ઘરો તોડી પાડવાની નોટિસો આપવાનો અને પાકા મકાનો ન આપવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અમિત ચાવડાએ ભ્રષ્ટાચાર અને સુવિધાના અભાવ અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ફ્લાવર શો પાછળ કરોડોનો ખર્ચ થાય છે, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. તેમણે નશાબંધીના ફિયાસ્કાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દારૂ અને ડ્રગ્સના કારણે યુવા પેઢી બરબાદ થઈ રહી છે, અને મહિલાઓ આ બદી બંધ કરવાની માંગ કરી રહી છે. શહેરમાં ભ્રષ્ટાચાર અને પોલીસની દાદાગીરીની ફરિયાદો પણ વધી રહી હોવાનું તેમણે ઉમેર્યું. ઉલ્લેખનીય છે કે, 'જન આક્રોશ યાત્રા'ની શરૂઆત વલસાડના કપરાડાથી થઈ હતી. નવસારીના રૂટ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકોએ જોડાઈને પોતાની ફરિયાદો અને પાયાની સુવિધાઓના અભાવ અંગે રોષ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેઓ નિયમિત ટેક્સ ભરે છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:47 pm

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સરની મફત સારવાર:PMJAY હેઠળ ભરૂચ જિલ્લાના દર્દીઓને લાભ મળ્યો

ભરૂચ જિલ્લામાં કેન્સરના દર્દીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ, જે જિલ્લાનું એકમાત્ર કેન્સર સારવાર કેન્દ્ર છે, ત્યાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ પાત્ર દર્દીઓને મફત સારવાર આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત, લાભાર્થી દર્દીઓને કેન્સર સંબંધિત તમામ જરૂરી તપાસ, સારવાર, સર્જરી અને હોસ્પિટલની આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આનાથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને સારવાર માટે મોટી રાહત મળી રહી છે. ખાસ કરીને ભરૂચ જિલ્લો અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તે કેન્સરની સારવાર માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે કાર્યરત છે. વર્લ્ડ કેન્સર દિવસના અવસરે, નાગરિકોને કેન્સર અંગે જાગૃત રહેવા, સમયસર તપાસ કરાવવા અને પાત્ર લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના હેઠળ ઉપલબ્ધ મફત સારવારનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. નિષ્ણાતોના મતે, કેન્સર સામેની લડતમાં સમયસર નિદાન અને યોગ્ય સારવાર અત્યંત મહત્વપૂર્ણ છે. ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ યોજનાનો વ્યાપ વધારવા અને વધુમાં વધુ દર્દીઓને તેનો લાભ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:46 pm

વલસાડમાં બોર્ડ પરીક્ષા આયોજન માટે બેઠક:જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમિતિની બેઠક યોજાઈ

વલસાડ જિલ્લામાં આગામી ધોરણ SSC અને HSC બોર્ડ પરીક્ષાઓના સુચારુ, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલે પરીક્ષા સંબંધિત તમામ તૈયારીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા SSC અને HSC (વિજ્ઞાન પ્રવાહ – પ્રાયોગિક અને મુખ્ય, તેમજ સામાન્ય પ્રવાહ)ની પ્રાયોગિક પરીક્ષાઓ 5 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે. મુખ્ય થિયરી પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન લેવાશે. જિલ્લામાં કુલ 57 પરીક્ષા કેન્દ્રો પર 154 બિલ્ડિંગના 1854 બ્લોકમાં SSC અને HSCના કુલ 52,564 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા, વિદ્યાર્થી સંખ્યા અને બ્લોક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ કેન્દ્રો પર હવા-ઉજાસવાળા વર્ગખંડો, લાઈટ-પંખા અને પીવાના પાણી સહિતની ભૌતિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ હતી. ઉપરાંત, તમામ કેન્દ્રો પર CCTV કેમેરા વ્યવસ્થા કાર્યરત રાખવા પર ભાર મુકાયો હતો. પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓની સુરક્ષિત હેરફેર માટે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે સંકલન કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષા દરમિયાન સતત વીજ પુરવઠો, વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસોની વ્યવસ્થા અને દરેક પરીક્ષા બિલ્ડિંગ પર આરોગ્ય ટીમ કાર્યરત રાખવા પણ સૂચનાઓ અપાઈ હતી. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે પરીક્ષા કેન્દ્રોના લોકેશન દર્શાવતા QR કોડ સાથેની પુસ્તિકાનું અનાવરણ કલેક્ટરના હસ્તે કરાયું હતું. આ QR કોડ દરેક શાળાના નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્રનું લોકેશન મેળવી શકે. પરીક્ષા સંબંધિત તણાવ ઘટાડવા અને માર્ગદર્શન આપવા માટે ‘આત્મવિશ્વાસ હેલ્પલાઇન’ પણ શરૂ કરવામાં આવી છે. બેઠકના અંતે, જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ તમામ સંબંધિત વિભાગોને સંકલિત રીતે કાર્ય કરીને પરીક્ષાઓ સુચારુ અને પારદર્શક રીતે યોજાય તે માટે સૂચના આપી હતી. આ બેઠકમાં ડાયેટના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી એ.કે. સિંગ સહિત અન્ય અધિકારીઓ અને વિવિધ સંઘોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:45 pm

નવસારીના બહેજમાં 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો:બાળકી ઇજાગ્રસ્ત, વન વિભાગે પાંજરું ગોઠવ્યું; ગ્રામજનોમાં ભય

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના બહેજ ગામમાં એક દીપડાએ ચાર વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. આ ઘટના ગામના જરા ફળિયામાં ધોળા દિવસે બની હતી. સ્થાનિકોની સતર્કતાને કારણે બાળકીનો જીવ બચી ગયો હતો. માહિતી અનુસાર, જરા ફળિયામાં રહેતી ચાર વર્ષની બાળકી ઘરના આંગણે રમી રહી હતી ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો. બાળકીની બૂમો સાંભળીને આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોનું ટોળું જોઈને દીપડો બાળકીને છોડીને ખેતરો તરફ ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ બહેજ ગામે પહોંચી હતી. હુમલામાં બાળકીને ઇજાઓ થતાં તેને તાત્કાલિક વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. વન વિભાગે હુમલાખોર દીપડાને પકડવા માટે ગામમાં પાંજરું ગોઠવવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમણે ગ્રામજનોને સાવચેત રહેવા પણ અપીલ કરી છે. સ્થાનિકોના મતે, શેરડીના ખેતરો ખાલી થઈ રહ્યા હોવાથી તેમાં છુપાયેલા દીપડાઓ હવે રહેણાંક વિસ્તારો નજીક જોવા મળી રહ્યા છે. દીપડાઓની વધતી હાજરીને કારણે ખેતમજૂરો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગ્રામજનો વહેલી તકે દીપડાને પકડવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:44 pm

રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત:પત્નીના ઓપરેશન માટે વ્યાજે પૈસા લેનાર રિક્ષાચાલકને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી માર માર્યો

રાજકોટ શહેરના રૈયા ટેલીફોન એકસચેન્સ પાસે તુલસી એપાટમેન્ટમાં રહેતા કમલેશ રમેશભાઇ જેઠાણી (ઉ.વ.37) પોતાના ઘરે પાણી પીવા ઉભા થાય બાદ અચાનક ઢળી પડતા તેમને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા તેમને ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કમલેશ નાઇટ ડ્રેસનો વેપાર કરતો હોવાનું અને બે ભાઇમાં નાનો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે પ્રાથમિક તબીબી રિપોર્ટ મુજબ યુવકનું હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે. પત્નીના ઓપરેશન માટે વ્યાજે પૈસા લેનાર રિક્ષાચાલકને વ્યાજખોરોએ માર માર્યો મિલનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 6 મહિના પહેલાં પત્નીનાં ઓપરેશન માટે પૈસાની જરૂરીયાત પડતાં આફતાબ પાસેથી રૂ.25 હજાર 20% વ્યાજે લીધા હતા. અત્યાર સુધી વ્યાજ અને પેનલ્ટી મળી રૂ.55 હજાર ભરી દીધા છે. બીજા આરોપી અસલમ પાસેથી રૂ.35000 20% વ્યાજે લીધા હતા તેને પણ વ્યાજ અને પેનલ્ટી સહિત રૂ.45000 આપી દીધા છે. આમ છતાં પઠાણી ઉઘરાણી કરે છે. ગઈ તા.02.02.2026ના રોજ બપોરે પેસેન્જરને મુકવા રેલવેસ્ટેશને ગયા હતા ત્યારે આફતાબનાં ભાઈ સદામ અને અજાણ્યા શખ્સે જેમ ફાવે તેમ બોલી, ગડદા-પાટુનો માર માર્યો હતો. સાથોસાથ ધમકી આપી હતી કે પૈસા આપી દેજે બાકી પાછા પકડીને મારશુ. આ રીતે અવાર-નવાર હેરાન કરતા હોવાથી ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સદામ અને અસલમ ભગવતીપરામાં સુખસાગર હોલ પાસે રહે છે. હાલ પ્રદ્યુમનનગર પોલીસે મનીલેન્ડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છૂટાછેડાના રૂ.13.75 લાખ માતાને સાચવવા આપ્યા બાદ પરત ન આવતા ત્યકતાએ ફિનાઇલ પીધુ વાવડી ગામે રહેતી 20 વર્ષીય વૈશાલી વીનોદભાઇ ગોહીલએ ગઇકાલે સાંજના સમયે તેમના માતાના ઘરે કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડના કવાર્ટરે હતી ત્યારે ફિનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને કરતા પોલીસે યુવતીનુ નિવેદન નોંધવા તજવીજ શરૂ કરી હતી. પોલીસ પુછપરછમાં યુવતીએ આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, તેમના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા તેમને સંતાનમાં એક દીકરો છે. પતિ સાથે અણબનાવ થતા છ મહિના પહેલા છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા અને ભરણપોષણના કેસમાં આવેલા રૂ.13.75 લાખ જેતે સમયે માતાને સાચવવા આપ્યા હતા ત્યારબાદ થોડા દિવસ પહેલા પૈસાની જરૂર પડતા માતા પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તેમણે પૈસા આપવાની ના પાડી દેતા વૈશાલીએ આ પગલુ ભરી લીધુ હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધનું પડધરી બાયપાસ પાસે ઈકો કારની હડફેટે મોત રાજકોટના માધાપર ચોક નજીક નવી કોર્ટ સામે સીંધી સોસાયટીમાં રહેતા સતીષભાઇ મોહનભાઇ ચાવલા (ઉ.વ.75) ગત તા.02.02.2026ના રોજ બપોરે પોતાનુ બાઇક લઇ જતા હતા ત્યારે પડધરી બાયપાસ નજીક ઇકો કારના ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં વૃધ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેમનુ સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજ્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પડધરી પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનુ સામે આવ્યું છે. તેઓ કપડાનો વેપાર કરતા હોવાથી પડધરીમાં ભરાતી સોમવારી બજારમાં કપડા વેચવા જતા હતા ત્યારે અકસ્માત નડતા તેમનુ મોત થયુ હતુ. રૈયાધારમાં માવતરના ઘરે સમૃદ્ધિનગરની નવોઢાનો આપઘાત રાજકોટની સમૃદ્ધિનગર આવાસ ક્‍વાર્ટર નં.48/9માં રહેતી દિવ્‍યા રણજીતભાઇ સોલંકી (ઉ.વ.23) ગઇકાલે રૈયાધરા બાપા સિતારામ ગૌશાળા પાછળ રહેતાં પોતાના માવતરના ઘરે હતી ત્‍યારે દૂપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ અહિ તેનું મોત નિપજતા યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં આપઘાત કરનાર દિવ્‍યાના લગ્ન આઠ મહિના પહેલા જ થયા હોવાનું અને પતિ રણજીત ઓટો ગેરેજ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. ઉતરાયણનો તહેવાર કરવા પોતે માવતરે આવ્‍યા બાદ અહિ જ રોકાઇ હતી. ગઇકાલે પિતા, ભાઇ તેના કામે હતાં અને માતા પણ કામ કરવા ગયા ત્‍યાંથી તે દિકરીને ફોન કરતા હતાં પરંતુ તે રિસીવ કરતી ન હોઇ જેથી પોતાના ભાઇ નજીકમાં રહેતાં હોવાથી તેને તપાસ કરવાનું કહેતાં મામા ઘરે પહોંચ્‍યા ત્‍યારે ભાણેજ લટકતી હાલતમાં મળી હતી. હાલ યુનિવર્સીટી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. મિત્રના ઘરે આવેલા ધો.11ના છાત્રને ‘તુ મારા ઘરે શુ કરે છે’? કહી હુમલો નવાગામ હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતો સગીર આજે સવારે કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આદીત્ય સોસાયટીમાં તેના મિત્રના ઘરે હતો ત્યારે મિત્રએ હથોડી વડે માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સગીર ધો.11માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપી અંશ તેનો મિત્ર છે જેને આજે સગીરને ફોન કરી અમારે પતિ, પત્ની વચ્ચે ઝઘડો થયો છે તુ ઘરે આવ તેમ કહેતા સગીર તેના મિત્રના ઘરે ગયો હતો ત્યારે અંશ ઘરે ન હતો બાદમાં તે ઘરે આવતા સગીરને ‘તુ મારા ઘરે શુ કરે છે’ ? તેવી શંકા કરી માર માર્યો હોવાનુ જાણવા મળતા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:43 pm

વિજાપુર સગીરા દુષ્કર્મ કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો:લગ્નની લાલચ આપી કુકર્મ કરનારને 25 વર્ષની સજા ફટકારી, પીડિતાને 3 લાખનું વળતર આપવા હુકમ

વિજાપુર તાલુકાની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી સંકેતજી ઉર્ફે શંભુ પોપટજી ઠાકોરને તકસીરવાન ઠેરવી 25 વર્ષની સખત કેદની સજા અને કુલ 1.03 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ કોર્ટે માનવીય અભિગમ અપનાવી ભોગ બનનાર કિશોરીને 3 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. આરોપી કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતોમળતી માહિતી પ્રમાણે 9 જૂન, 2025ના રોજ આરોપી સંકેતજી ઠાકોર 17 વર્ષ અને 10 દિવસની વય ધરાવતી કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ લઈ જઈ કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર કે. દવે દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી અને પુરાવા રજૂ કરાયા હતા. આરોપીને 25 વર્ષ જેલમાં વીતાવવા પડશેબંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી મહેસાણાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એફ. ખત્રીએ આકરો ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, સગીરા સામેનો આવો ગુનો સમાજ માટે ઘાતક છે. જેથી આરોપીને 25 વર્ષ જેલમાં વિતાવવા પડશે. જો આરોપી દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેણે વધુ કેદની સજા ભોગવવી પડશે. કોર્ટના આ ચુકાદાથી આવા ગુના આચરતા તત્વોમાં ફફડાટ પેસી ગયો છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:42 pm

24 પશુઓને કતલખાને જતા બચાવાયા:વડનગર પોલીસે ડીસાથી અમદાવાદ જતું પીકઅપ ડાલુ પકડી પાડ્યું, 4 શખસો વિરુદ્ધ ગુનો નોંધાયો

વડનગર પોલીસે સિપોર ગામેથી પસાર થતા એક શંકાસ્પદ વાહનની રોકી તપાસ કરતા 24 જેટલા પશુઓને કતલખાને જતા બચાવી લેવાયા હતા. કુલ 3.32 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની અટકાયત કરાઈ હતી. જયારે 2 વોન્ટેડ રહેતા કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ પિકઅપ ડાલુ ઝડપી પાડ્યુંડીસાથી પશુઓને કુરતાપૂર્વક વાહનમાં ભરી અમદાવાદ ખાતે લઈ જવાતા હોવાની બાતમી વડનગર પોલીસને મળી હતી. જેને આધારે PSI ડી.એ.પરમાર અને તેમની ટીમે સિપોર ગામ પાસે વોચ ગોઠવી હતી. જયાંથી પસાર થતું એક શંકાસ્પદ પિકઅપ ડાલુ ઝડપી પાડવામાં આવ્યું હતું. જે ડાલામાં જોતા પાડા અને પાડી મળી કુલ 24 જેટલા નાના-મોટા પશુઓને થાસચારા અને પાણી સહિતની વ્યવસ્થા વગર ક્રૂરતાથી ભરેલા મળી આવ્યા હતા. કુલ 2.32 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતોજેથી પોલીસે પશુઓને મુક્ત કરાવતા 72 હજારની કિંમતના પશુઓને પાંજરાપોળ ખાતે મોકલી, GJ-08 AY 2319 નંબરનું પિકઅપ ડાલુ, 2 મોબાઈલ મળી કુલ 2.32 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ડાલા ચાલક શોએબ અનવરખાન પઠાણ ઉ.વ.22 અને આમિર ઉર્ફે મુંત્રો અનવરખાન પઠાણ ઉ.વ.24, બન્ને રહે.બીડી કામદાર સોસાયટી, નવાડીસા વાળાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે તેમની પ્રાથમિક પૂછતાજમાં ડીસાના સમીર કાલુભાઈ કુરેશીએ ભરી આપી અમદાવાદના ભોલા કુરેશીને પહોંચાડવાના હોવાની વિગતો સામે આવી હતી. જે બન્ને વોન્ટેડ હોઈ પોલીસે કુલ 4 શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:35 pm

ગાંધીનગરમાં પ્રકૃતિપ્રેમ ભાગવત કથાનો પ્રારંભ:પ્રકૃતિના જતન માટે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્રકૃતિ પ્રેમ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથા પ્રકૃતિ પ્રેમીઓમાં વિશેષ આકર્ષણ જમાવી રહી છે, જ્યાં પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર 6 ખાતે આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જાણીતા કથાકાર રમેશભાઈ ઓઝા વ્યાસપીઠ પરથી પ્રકૃતિના જતન અને સંરક્ષણ અંગે વચનામૃત આપી રહ્યા છે. 'નેચર ફર્સ્ટ' સંસ્થા દ્વારા આયોજિત આ કથા અંગે સંસ્થાના ટ્રસ્ટી એન. પી. પટેલે જણાવ્યું કે, જો આપણે પ્રકૃતિના જતન માટે સમય નહીં ફાળવીએ, તો પ્રકૃતિ આપણું રક્ષણ કરવામાં અસમર્થ બનશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હજારો વર્ષોથી આપણે પ્રકૃતિ પર નિર્ભર છીએ, અને હવે જ્યારે પ્રકૃતિનો વિનાશ થઈ રહ્યો છે, ત્યારે લોકોમાં જાગૃતિ લાવવી એ સમયની માંગ છે. 'નેચર ફર્સ્ટ'ના અગ્રણી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન મહેન્દ્ર ત્રિવેદીએ 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિશ્વની વસ્તીની સરખામણીમાં આપણે પ્રકૃતિના જતનમાં પાછળ છીએ. તેમણે ઉમેર્યું કે, પ્રકૃતિના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાના આશયથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેન્દ્રભાઈ ત્રિવેદીએ ભાર મૂક્યો કે, જ્યારે પૃથ્વી સહિત પંચમહાભૂતોનું શોષણ થઈ રહ્યું છે, ત્યારે વિશ્વભરના લોકોએ પ્રકૃતિને બચાવવા માટે પોતાના સ્તરે પ્રયાસો કરવા અનિવાર્ય છે. આ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથામાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આયોજકોએ જણાવ્યું કે, પાણી પણ પ્લાસ્ટિકની બોટલમાં લાવવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:35 pm

ગઢડામાં ભાજપ કિસાન મોરચાનો સંવાદ કાર્યક્રમ:કેન્દ્રીય બજેટના ખેડૂતલક્ષી નિર્ણયો પર ચર્ચા કરાઈ

બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 80મા કેન્દ્રીય બજેટના અનુસંધાને ખેડૂતો અને કાર્યકરો સાથે કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી નિર્ણયો પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આયોજિત કરાયો હતો. સંવાદ કાર્યક્રમ દરમિયાન, 80મા કેન્દ્રીય બજેટમાં ખેડૂતોને લાભ થાય તેવા વિવિધ પ્રાવધાનો, સરકારની નીતિઓ અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો વિશે માહિતી આપવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ અને આવક વધારવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી ખેડૂત વર્ગને સીધો લાભ મળશે. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, ઘનશ્યામભાઈ વિરાણી, બોટાદ APMC ચેરમેન મનહરભાઈ માતરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી વનરાજભાઈ ડાભી, વિજયભાઈ ધલવાણીયા, ઉપપ્રમુખ ધીરુભાઈ ગઢવી, APMC ચેરમેન સુભાષભાઈ હુમલ, શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, મહામંત્રી અશોકભાઈ ડેરવાળીયા સહિત જિલ્લાના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:24 pm

મહાશિવરાત્રિ મેળા પહેલાં ભવનાથમાં 57 એકર જમીનને લઈ વિવાદ:સ્થાનિકો અને સાધુ-સંતોનો દબાણો ખડકાયાના આક્ષેપ, તંત્રએ કહ્યું- મેળા બાદ જમીનનો સર્વે કરાશે

તા. 11 ફેબ્રુ.થી 15 ફેબ્રુઆરી સુધી જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં મહા શિવરાત્રિના મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ મહાકુંભ યોજાય તે પહેલા જ મેળાની જગ્યાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. વર્ષો પહેલા ભવનાથ તળેટીમાં મેળાના આયોજન માટે 57 એકર જમીન ફાળવવામાં આવી હતી, પરંતુ સમય જતાં આ જમીન પર રહેણાંક અને વ્યાપારી બાંધકામો ખડકાઈ ગયા છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે તંત્રને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે વિવિધ વિભાગો એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભવનાથનો સમાવેશ થયા બાદ પાકા દબાણો વધ્યા હોવાના ગંભીર આક્ષેપો સાધુ-સંતો અને જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવ્યા છે. નવાબના સમયમાં આખું ક્ષેત્ર ખુલ્લું હતું, પરંતુ આજે 25 એકરથી વધુ જમીન પર ગેરકાયેદ દબાણો થઈ ગયા હોવાનું મનાય છે. એક તરફ મહાનગરપાલિકા તંત્ર કહી રહ્યું છે કે, ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલી જમીન તેમના હસ્તક આવતી નથી તો બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા જ આ વિસ્તારમાંથી ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને ભવનાથ મેળા દરમિયાન જે જગ્યા આપવામાં આવે છે તેનું ભાડું પણ વસૂલવામાં આવે છે. તો શાસક પક્ષના નેતાએ તો કહી દીધું કે, આ જમીન પર ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને અતિ ભવ્ય મેળો યોજાશે. આ સમગ્ર મામલે અધિકારીએ કહ્યું કે, મેળા બાદ આ વિસ્તારની જમીનનો સર્વે કરાશે. પરંતુ જાગૃત નાગરિકો દ્વારા ગંભીર આક્ષેપો કરતા કહેવામાં આવ્યું છે કે, આ વર્ષે મેળામાં અઘટીત ઘટના બને તો જવાબદારી કોણ લેશે? 'તંત્રએ ભૂલ સુધારીને મેદાનો રિઝર્વ કરી દબાણો દૂર કરવા જોઇએ'જાગૃત નાગરિક ભાવેશ વેકરીયાએ જણાવ્યું હતું કે, શિવરાત્રિનો મેળો આગામી 11થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. જેનું આયોજન સરકાર દ્વારા ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહ્યું છે. જોકે, એક ચિંતા મને વર્ષોથી કોરી ખાય છે કે મેળા માટેની જગ્યાઓ ઘટી રહી છે અને ભાવિકોની સંખ્યા વધી રહી છે. મેળા માટે જે જમીન રિઝર્વ રાખવાની હતી ત્યાં હવે રેગ્યુલેશન થઈ રહ્યું છે. તંત્રએ આ ભૂલ સુધારીને આજુબાજુના મેદાનો રિઝર્વ કરવા જોઇએ અને દબાણો દૂર કરવા જોઇએ. લાખો લોકો જ્યારે એકત્ર થતા હોય ત્યારે સનાતનીઓની સુરક્ષા અને માન-સન્માન જળવાય તે માટે ગૃહમંત્રીની સૂચના મુજબ યોગ્ય વ્યવસ્થા કરવી અત્યંત અનિવાર્ય છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, મનપા અને વહીવટી તંત્ર દ્વારા સર્વે કરાયોજૂનાગઢ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા મનન અભાણીએ જણાવ્યું હતું કે, ભવનાથ વિસ્તારની 57 એકર જમીન રેવન્યુ વિભાગ હસ્તક છે. આ વર્ષે મહાશિવરાત્રિના મેળાના વિશેષ આયોજન માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આગામી સમયમાં અધિકારીઓ સ્થળ પર જઈ અભ્યાસ પણ કરશે. ભવનાથ વિસ્તારમાં લાઈટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવે છે. જેના બદલામાં હાઉસ ટેક્સ વસૂલવામાં આવે છે. અગાઉ આ વિસ્તાર ગ્રામ્ય પંચાયત હેઠળ હતો, હવે મનપા હસ્તક હોવાથી અમે તમામ સુવિધાઓ પૂરી પાડીએ છીએ. કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સરકાર ખુલ્લી જગ્યાની વ્યવસ્થા કરી આપેઅગ્નિ અખાડાના મહંત જયદેવ મહારાજે જણાવ્યું હતું કે, આ વર્ષે શિવરાત્રિ મેળામાં ભાવિકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી શકે છે. અગાઉ 10થી 12 લાખ લોકો આવતા હતા, જે આ વખતે 20 લાખને પાર કરી શકે છે. તેની સામે મેળાની જગ્યા ખૂબ જ ઓછી પડી રહી છે. 57 એકર જમીનમાં ઠેર-ઠેર દબાણો થઈ ગયા છે. જેને કારણે બહારથી આવતા ઉતારા મંડળોને શૌચાલય અને પાણી જેવી સુવિધાઓ આપવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ શિવારત્રિના મેળામાં કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સરકારને પ્રાર્થના કરીએ છીએ ખુલ્લી જગ્યાની વ્યવસ્થા કરી આપે. મામલતદાર કે પ્રાંત અધિકારી પાસે નકશા અને સર્વે નંબરની માગણી કરીજૂનાગઢના જાગૃત નાગરિક અરવિંદ રાબડિયાએ જણાવ્યું હતું કે, અત્યારે કોઈને ખ્યાલ જ નથી કે, 57 એકર જમીન ખરેખર ક્યાં આવેલી છે. જ્યારે મેં રોપવે કંપનીને આપવામાં આવેલી જમીન અંગે મનપાને પૂછ્યું ત્યારે તેમણે લેખિતમાં જણાવ્યું હતું કે, આ જમીન તો ઠીક પરંતુ ભવનાથ વિસ્તારમાં આવેલી 57 એકરની જમીન તેમની માલિકીની નથી. જો આ જમીન મામલતદાર કે પ્રાંત અધિકારી હસ્તક હોય તો અમે તેમના પાસે નકશા અને સર્વે નંબરની માગણી કરી છે. જ્યાં સુદી સત્તાવાર નકશા સામે ન આવે ત્યાં સુધી કેટલી જમીન ખુલ્લી છે અને કેટલી જગ્યામાં દબાણ છે તે કહેવું મુશ્કેલ છે. ભવનાથમાં ચારેબાજુ બિલ્ડિંગો ખડકાઈ ગઈ છે જેની તપાસ થવી જરૂરી છે. મેળાના પૂર્ણાહુતિ બાદ સત્તાવાર માપણી કરાશેપ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કલેકટરના માર્ગદર્શન હેઠળ મેળાનું આયોજન હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. હાલમાં તંત્રની પ્રાથમિક મેળામાં નડતરરૂપ બનતા સ્ટ્રક્ચર્સને દૂર કરવાનું છે. 57 એકર જમીનમાં કેટલું દબાણ છે તેની સત્તાવાર માપણી મેળાના પૂર્ણાહુતિ બાદ કરવામાં આવશે. આ જમીન સરકાર હસ્તકની છે અને તેની જાળવણીની જવાબદારી મનપા સાથે સંયુક્ત રીતે નિભાવવામાં આવે છે. હાલમાં ધારાધર દરવાજા પાસે પાર્કિંગની જગ્યાઓ ખુલ્લી કરવામાં આવી છે. આ ઉપરાંત રોડ ઉપર દેખીતા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાર્કિંગ પ્લાન અને ઇમરજન્સી મેનેજમેન્ટ પ્લાન તૈયાર છે જેથી યાત્રિકોને કોઈ તકલીફ ન પડે. જમીનની માલિકી બાબતે કમિશનર અને રેવન્યુ વિભાગ વચ્ચે વિસંગતતાઉલ્લેખનીય છે કે, ભવનાથમાં કોઈપણ બાંધકામની મંજૂરી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે અને વધારાના બાંધકામ માટે 'ઇમ્પેક્ટ ફી' પણ વસૂલે છે. તેમ છતાં જમીનની માલિકી બાબતે કમિશનર અને રેવન્યુ વિભાગ વચ્ચે વિસંગતતા જોવા મળે છે. એક તરફ મનપા મેળાના પ્લોટ અને સ્ટોલનું ભાડું વસૂલે છે તો બીજી તરફ જમીન પોતાની ન હોવાનું કહે છે. આ અસ્પષ્ટતાને કારણે દબાણકર્તાઓને મોકળું મેદાન મળી રહ્યું છે. જો મેળા દરમિયાન ગીચતાને કારણે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની? તે સવાલ જૂનાગઢની જનતામાં ચર્ચાઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:19 pm

જીટીયુ પરિણામમાં રાજકોટની વીવીપી કોલેજનો રાજ્યમાં દબદબો:સંસ્થાની વિદ્યાર્થિની કામદાર માનસીએ રાજ્ય કક્ષાએ ટોપ 10 માં સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું

રાજકોટની વી.વી.પી. ઈજનેરી કોલેજે તાજેતરમાં જાહેર થયેલા જી.ટી.યુ. સેમેસ્ટર 5 ના પરિણામોમાં શાનદાર પ્રદર્શન કરી સમગ્ર ગુજરાતમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. આ પરિણામોમાં સંસ્થાની વિદ્યાર્થિનીએ રાજ્ય કક્ષાએ ટોપ 10 માં સ્થાન મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે રાજ્ય સ્તરે ઝળકતી સિદ્ધિજી.ટી.યુ. દ્વારા જાહેર કરાયેલા સેમેસ્ટર 5 ના પરિણામોના એનાલીસીસ મુજબ, કુલ 72 એન્જિનિરીંગ કોલેજોના 16102 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી વી.વી.પી. એન્જિનિરીંગ કોલેજે સમગ્ર ગુજરાતમાં સાતમો રેન્ક પ્રાપ્ત કર્યો છે. ખાસ કરીને કોમ્પ્યુટર વિભાગની વિદ્યાર્થીની કામદાર માનસી સંજયભાઈએ 10 માંથી 9.68 સી.પી.આઈ. મેળવીને સમગ્ર ગુજરાતમાં તમામ બ્રાંચમાં સાતમો રેન્ક હાંસલ કર્યો છેસૌરાષ્ટ્ર રીજીયનમાં પ્રથમ સ્થાનેએસ.પી.આઈ. અને ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પરિણામોમાં વી.વી.પી. કોલેજે સૌરાષ્ટ્ર રીજીયનમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનના એનાલીસીસ મુજબ, વી.વી.પી. ના 461 વિદ્યાર્થીઓમાંથી 351 પાસ થતા 76.14% પરિણામ સાથે તે ટોચ પર છે.પરિણામનું આંકડાકીય વિશ્લેષણ જી.ટી.યુ. સેમેસ્ટર 5 નું ઓવર ઓલ પરિણામ નીચે મુજબ રહ્યું છે: કુલ પરીક્ષાર્થી: 16102 પાસ થનાર: 10627 નાપાસ થનાર: 5475 ઝોન મુજબની ટકાવારીમાં અમદાવાદ 73.73% સાથે પ્રથમ, ગાંધીનગર 66.17% સાથે બીજા અને સૌરાષ્ટ્ર (રાજકોટ) 64.62% સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. અભિનંદનની વર્ષા આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ડો. નરેન્દ્રભાઈ દવે, ડો. નવિનભાઇ શેઠ તેમજ આચાર્ય ડો. પિયુષભાઇ વણઝારા અને તમામ વિભાગીય વડાઓએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:18 pm

બોટાદમાં સાયબર જાગૃતિ દિવસની ઉજવણી:એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓને સાયબર ક્રાઈમ અંગે માહિતી અપાઈ

ગૃહ વિભાગ ગુજરાત સરકાર અને ગૃહ મંત્રાલય ભારત સરકારના નિર્દેશ મુજબ રાજ્યમાં દર માસના પ્રથમ બુધવારે સાયબર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એલ.જે. ગર્લ્સ હાઈસ્કૂલ, પાળીયાદ રોડ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 4 ફેબ્રુઆરી,2026ના રોજ બપોરે 3 થી 4 વાગ્યા દરમિયાન યોજાયો હતો. જેમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અરવિંદભાઈ વિશ્રામભાઈ સુવેરા, પો.કોન્સ. મનોજભાઈ પાંચાભાઈ મેર અને અના.પો.કોન્સ. મનિષાબેન ગોરધનભાઈ જીડીયા હાજર રહ્યા હતા. તેમની સાથે 181 મહિલા અભયમ ટીમ પણ જોડાઈ હતી. શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી સુકન્યાબેન રામાનુજ અને શિક્ષકો સહિત આશરે 200 વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને ઓનલાઈન ફ્રોડ, સાયબર ક્રાઈમ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ, ડિજિટલ એરેસ્ટલ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા બનાવો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આવા ગુનાઓથી કેવી રીતે બચી શકાય તે અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. વધુમાં, સાયબર સંબંધિત કોઈ બનાવનો ભોગ બનનાર વ્યક્તિએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ટોલ ફ્રી નંબર 1930 પર સંપર્ક કરવા જણાવાયું હતું. સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ લાવવા માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:16 pm

ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમ રોડ સ્થિત ફાર્મા માલિકની અરજી:કંપનીના નામ, લોગો અને ખોટા બેચ નંબરથી અન્ય કંપનીએ નાઇજીરીયામાં દવાઓ મોકલી, યોગ્ય તપાસની માંગ

ગુજરાત હાઇકોર્ટમાં આશ્રમ રોડ સ્થિત એક ફાર્મા કંપનીના માલિક દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં તેના વકીલે જણાવ્યું હતું કે, નાઈજીરીયામાં ભારતીય કંપનીઓના કફ સીરપ પીવાથી 40 લોકોના મોત થયા બાદ વર્ષ 2023માં કેન્દ્ર સરકારે 220 જેટલી ફાર્મા કંપનીઓને ચેતવી હતી. અરજદાર પોતે દવાઓના ઉત્પાદક છે. જોકે, તેમની દવાઓથી કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ, સાવચેતી રાખવા તેઓએ કોને કેટલી દવા મોકલી છે તે અંગે તપાસ હાથ ધરી હતી. આશ્રમ રોડની ફાર્મા કંપનીએ તેમના નામનો ઉપયોગ કરી નાઈજીરીયા દવા મોકલીત્યારે તેમના ધ્યાને આવ્યું હતું કે, આશ્રમ રોડ સ્થિત એક ફાર્મા કંપની દ્વારા તેમના જ નામ, લોગોનો ઉપયોગ કરીને કરીને નાઈજીરીયામાં એજન્ટ મારફતે દવાઓ મોકલવામાં આવી છે. આ અંગે તેઓએ સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીને ફરિયાદ કરી છે તેમજ નાઇજીરીયા સાથેના સંપર્કમાં પણ આ વાત કન્ફર્મ થઈ છે પરંતુ, જે દવાઓના બેચ નંબર બતાવાઈ રહ્યા છે એવી કોઈ દવા તેમની ફાર્મા કંપનીમાં ઉત્પાદિત થઈ નથી. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી દ્વારા ગુજરાત સરકારને આ સંબંધે જાણ કરવામાં આવી હતી. જેની પોલીસ ફરિયાદ નવરંગપુરા પોલીસમાં મથકે નોંધવામાં આવી છે પરંતુ, ફરિયાદમાં સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટી જ તપાસ કરી શકે છે. તેની એક સ્પેશિયલ કોર્ટ હોય છે તેમછતાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આવા કેસમાં ફ્રોડ, ચીટીંગ જેવી બાબતમાં પોલીસ તપાસ કરી શકે છે પરંતુ, પોલીસ અઢી વર્ષથી કોઈ કાર્યવાહી કરતી નથી. પોલીસ તરફે કોઈ કોર્ટમાં કોઈ વાંધો લેવામાં આવ્યો નથીમળતી માહિતી મુજબ આ કેસમાં ચાર્જશીટ થઈ ચૂકી છે અને બધા આરોપીઓને આગોતરા જામીન પણ મળી ચૂક્યા છે. જેમાં પોલીસ તરફે કોઈ કોર્ટમાં કોઈ વાંધો લેવામાં આવ્યો નથી. જેથી, આ કેસમાં ફ્રોડ, બનાવટ અને ચીટીંગ જેવી બાબતોને ધ્યાને લઈને રાજ્યના ઉચ્ચ તપાસ એજન્સીને તપાસ સોંપવામાં આવે. જો કોઈ ફ્રોડ ન થયો હોય તો આ કેસમાં સમરી ફાઇલ થાય તેમાં પણ તેમણે વાંધો નથી. આ સંબંધે કોર્ટે સંલગ્ન ઓથોરિટીને નોટિસ પાઠવીને વધુ સુનાવણી આગામી સમયમાં રાખી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:06 pm

સુરતમાં કારના નકલી સ્પેરપાર્ટ્સનું મોટું કૌભાંડ ઝડપાયું:મારુતિ-હ્યુન્ડાઈ, ફોક્સવેગનના નામે ડુપ્લીકેટ માલ વેચતું ગોડાઉન ઝડપાયું, 3ની ધરપકડ કરી 18.77 લાખનો મુદ્દામાલ જપ્ત, 8 વર્ષથી ચાલતો હતો વેપલો

સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે ડુપ્લીકેટ ચીજવસ્તુઓ વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ઝોન-1 LCB અને સરથાણા પોલીસની ટીમે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં દરોડો પાડી મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ જેવી નામી કંપનીઓના નકલી સ્પેરપાર્ટ્સનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. આ કામગીરીમાં પોલીસે કુલ 18.77 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ડુપ્લીકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી અહીં ચાલી રહ્યો હતો. સ્વાગત સોસાયટીમાં 'મધર ઓટો એજન્સી' પર દરોડો પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર આલોક કુમારની સૂચના મુજબ ઝોન-1 LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ અને કરણસિંહને સચોટ બાતમી મળી હતી કે સરથાણા સ્વાગત BRTS બસ સ્ટેશનની સામે આવેલી સ્વાગત સોસાયટીમાં 'મધર ઓટો એજન્સી' નામના મકાનમાં ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. પોલીસે મકાન નં- 73, 74 અને 56 પર દરોડો પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કઈ રીતે ચાલતું હતું નેટવર્ક? પકડાયેલા આરોપીઓ બ્રાન્ડેડ કંપનીઓના લોગો અને પેકિંગનો ઉપયોગ કરી ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ અસલી તરીકે પધરાવી દેતા હતા. પોલીસે સ્થળ પરથી 18,27,609ની કિંમતના ડુપ્લીકેટ સ્પેરપાર્ટ્સ અને 50,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ 18,77,609નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે સરથાણા પોલીસે જાણવાજોગ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ સાગરભાઈ શિવાભાઈ નાકરાણી (40): રહે- શુભ રેસીડેન્સી, પાસોદરા (મૂળ- અમરેલી). ગૌત્તમભાઈ ભરતભાઈ ખુંટ (31): રહે- અનમોલ પાર્ક, સરથાણા (મૂળ- બાબરા, અમરેલી). અનિલભાઈ છગનભાઈ વઘાસીયા (46): રહે- અયોધ્યાપુરમ, લસકાણા. ડુપ્લીકેટ પાર્ટ્સ દિલ્હીથી મંગાવીને અહીં સસ્તા ભાવે વેચવામાં આવતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્વાગત સોસાયટી-1 માં 'મધર ઓટો એજન્સી' નામથી એક દુકાન છે. જ્યાં દેશની સ્ટાન્ડર્ડ કંપનીઓ જેવી કે મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ફોક્સવેગન, ટાટા, ફોર્ડ અને ટોયોટા - આ કંપનીઓના સ્પેરપાર્ટ્સના ડુપ્લીકેટ પાર્ટ્સ દિલ્હીથી મંગાવીને અહીં સસ્તા ભાવે વેચવામાં આવતા હતા. સંબંધિત કંપનીઓની ઓથોરાઈઝ્ડ એજન્સીઓને ઈમેલ કર્યો આ ડુપ્લીકેટ પાર્ટ્સનો વેપાર છેલ્લા 8 વર્ષથી અહીં ચાલી રહ્યો હતો. અમારી ટીમે ત્યાં જઈને રેડ પાડી છે અને ત્યાંથી કુલ રૂ. 18,77,609 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેના આધારે અમે અત્યારે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે અમે જે-તે સંબંધિત કંપનીઓની ઓથોરાઈઝ્ડ એજન્સીઓને ઈમેલ કર્યો છે. તેઓ અહીં આવીને જેમના પાસે પાવર ઓફ એટર્ની હશે, તેઓ અહીં આવીને કોપીરાઈટ એક્ટ અને અન્ય કાયદાકીય જોગવાઈઓ મુજબ ફરિયાદ દાખલ કરાવશે. દૂધ, પનીર, શેમ્પૂ અને હાર્પિક પણ ડુપ્લીકેટ આ એક સોશિયલ ઇનિશિયેટિવ હેઠળ અમે કામ કરી રહ્યા છીએ, જેથી સામાન્ય જનતા સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી ન થાય. આ પહેલા પણ અમે દૂધ, પનીર, શેમ્પૂ અને હાર્પિક પર પણ કેસો કર્યા છે. આ રીતે પોલીસનો હેતુ એ જ છે કે લો એન્ડ ઓર્ડર સિવાય સામાજિક બાબતોમાં પણ પોલીસ પોતાની ભૂમિકા ભજવે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 6:05 pm

સ્વામિનારાયણ ગુરુકુળમાં નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ:223 મહિલાઓએ લેબ ટેસ્ટિંગ સાથે નિષ્ણાત ડોક્ટરો પાસે મેળવ્યું સચોટ માર્ગદર્શન અને સારવાર

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે સુરતના વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ ધર્મજીવન ક્લિનિકલ લેબોરેટરી ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈન તેરાપંથ અને સ્વામિનારાયણ ગુરુકુલના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં 223 મહિલાઓએ નિઃશુલ્ક નિદાન અને લેબ ટેસ્ટિંગનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. સજાગતા અને હિંમત છે કેન્સરનો ઈલાજ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ડો. અમી દિયોરાએ કેન્સરની પીડા અને તેનાથી બચવા માટેના ઉપાયો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્સરના કોઈપણ નાના લક્ષણને નજરઅંદાજ ન કરવા જોઈએ. હિંમત, સજાગતા અને પોઝિટિવ એટિટ્યુડ રાખવાથી આ ગંભીર બીમારીને ચોક્કસપણે માત આપી શકાય છે. કેન્સરથી બચવા માટેની જીવનશૈલી નિષ્ણાત ડોક્ટરોએ કેન્સરથી બચવા માટે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ સૂચવી હતી: તમાકુ અને આલ્કોહોલનું સેવન સંપૂર્ણપણે ટાળવું જોઈએ. વધુ ચરબીવાળો ખોરાક અને પ્લાસ્ટિક પેકેજિંગમાં આવતા ગરમ ફૂડથી દૂર રહેવું. ફ્રુટ પણ 3 વાર ધોઈને જ ઉપયોગમાં લેવા. દરરોજ 45 મિનિટ શારીરિક કસરત, પૂરતી ઊંઘ અને મેડિટેશનને દિનચર્યાનો ભાગ બનાવવો. સેવાભાવીઓનું સન્માન આ પ્રસંગે સેવા આપનાર ડોક્ટરોનું સ્વામિનારાયણ ગુરુકુલ અને તેરાપંથ મહિલા મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રતિક્ષાબેન, જ્યોતિબેન પટેલ, ગીતાબેન પટેલ, જિગ્નાબેન સુતરીયા, નયનાબેન સુતરીયા, રીટાબેન લખાણી, અરવિંદભાઈ ઠેસિયા, ધર્મેશભાઈ સલીયા અને ભગવાનજીભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા. ડો. ડીમ્પલ ગધેસરીયા, ડો. અમી દિયોરા, ડો. વિધિ કાકડીયા અને ડો. નાવડીયા તેમજ લેબોરેટરી સ્ટાફે સરાહનીય સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:58 pm

સરકારમાં બમ્પર ભરતી:કાલથી અપ્લાય કરી શકાશે, આવકનો દાખલો-જાતિનું પ્રમાણપત્ર ઓનલાઇન મળશે, વિધર્મીએ નશીલાં ઇન્જેક્શન આપી યુવતીને પિંખી નાખી

કોમનવેલ્થ પહેલા થશે અમદાવાદની કાયાપલટ કોર્પોરેશને અમદાવાદ માટે 17,018 કરોડનું બજેટ મંજૂર કર્યું.નહેરુનગરથી ઇસ્કોન સુધી 4 કિમીનો એલિવેટેડ કોરિડોર બનાવાશે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવાશે. 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટ મનપાએ 3595 કરોડનું બજેટ રજૂ કર્યું તો રાજકોટ મનપાએ 3595 કરોડનું બજેટ રજૂ કર્યું..ડોર ટુ ડોર ગાર્બેજ કલેકસન અને વોટરચાર્જમાં 50 થી 120 ટકાનો વધારો સૂચવાયો તો સાયકલની ખરીદી પર લોકોને 1,000ની સહાય અપાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-3ની કુલ 5,370 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી.. સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક જેવી 2,365 જગ્યાઓ, જ્યારે જુનિયર ક્લાર્કની 3,005 જગ્યાઓ ભરાશે..આવતીકાલથી 20 ફેબ્રુઆરી સુધી અપ્લાય કરી શકાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવક, જાતિનો દાખલો ઓનલાઈ જ મળી જશે કેબિનેટની બેઠકમાં વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય.. વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર સહિત કુલ 18 જરૂરી પ્રમાણપત્રો માટે ધક્કા નહી ખાવા પડે.. પહેલી એપ્રિલથી આ બધા ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અને ફેસલેસ રીતે મળી જશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વેપારીના ઘરમાંથી 100 કિલો ચાંદીની ચોરી રાજકોટના વેપારીના ઘરમાંથી 100 કિલો ચાંદીની ચોરી થઈ .. સતત વધતી કિંમતો વચ્ચે આ ચોરીથી વેપારીને 3 કરોડનું નુક્શાન થયું છે. .ઘટનાને પગલે શહેર પોલીસ કમિશનરથી લઈને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશીલા ઈન્જેક્શન આપી યુવતી પર દુષ્કર્મ સુરતમાં બે યુવકોએ નશીલા ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું.. મોહમંદ તોહીદુલે હિન્દુ નામ ધારણ કરી કોટાની યુવતી સાથે મિત્રતા કરી, તેને બર્થડે સેલિબ્રેટ કરવા સુરત બોલાવી હતી, અને તેની સાથે બર્બરતા આચરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફ્લેટના ધાબા પરથી કૂદી યુવતીનો આપઘાત વડોદરાના મકરપુરામાં 20 વર્ષીય યુવતીએ ફ્લેટના ટેરેસ પરથી કૂદીને આપઘાત કર્યો. આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસે પરિવારજનો અને મિત્રોની પૂછપરછ હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મેટ્રો ટનલની કામગીરીએ મુસીબત ઉભી કરી સુરતમાં મેટ્રો ટનલની કામગીરી જોખમ બનતા ક્રાઈમબ્રાંચની બિલ્ડિંગમાં લોખંડની ગડર સાથેના મજબૂત ટેકા ગોઠવી દીધા છે.. ડીસીપી સહિત 300 કર્મચારીઓનું તાત્કાલિક સ્થળાંતર કરવું પડયું .. તો બીજી બાજુ શાહપોર માછલીપીઠ વિસ્તારમાં 22 ફૂટ ઉંડો ખાડો પડ્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કૂતરાઓએ 41 ઘેટાંને મોતને ઘાટ ઉતાર્યા બોટાદના જોળીલામાં મોડી રાત્ર 7થી 8 શિકારી કૂતરાઓએ 41 ઘેટા બકરાને મોતને ઘાટ ઉતાર્યા. મોડી રાત્રે વાડામાં ઘૂસી આવીને કૂતરાઓએ લોહિયાળ ખેલ ખેલ્યો.પશુમાલિકને મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો JCBના ‘સૂપડા’માં સાતથી આઠ લોકોને ઉભા રાખ્યા વડોદરામાં જેસીબી ચાલકની બેદરકારી..જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકો બેસાડ્યા.વીડિયો વાયરલ થતા ACPએ તપાસના આદેશ આપ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:58 pm

ખંભાળિયામાં રિલાયન્સ દ્વારા અત્યાધુનિક હાઈસ્કૂલ કાર્યરત:સાંસદ પરિમલ નથવાણીના હસ્તે 1.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા બે માળના ભવનનું ભવ્ય લોકાર્પણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે જામખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં નવનિર્મિત વી.એચ. અને વી.એચ. હાઈસ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના હસ્તે શાળાભવનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતૃભૂમિ પ્રત્યે ઋણસ્વીકારનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું હતું. શૈક્ષણિક સુવિધાઓમાં નોંધપાત્ર વધારો રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ ભવનથી ખંભાળિયા શહેરની શૈક્ષણિક સુવિધાઓમાં મોટો વધારો થયો છે. સને 1986માં બનેલી આ શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતું. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે માટે ટ્રસ્ટીમંડળની રજૂઆત બાદ રિલાયન્સે આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. રૂ. 1.50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ આશરે 10,000 ચોરસ ફૂટના પ્લોટ પર 8,100 ચોરસ ફૂટના બિલ્ટ-અપ વિસ્તારમાં આ બે માળનું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. રૂ. 1.50 કરોડના ખર્ચે બનેલી આ શાળામાં નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ છે: આધુનિક ક્લાસરૂમ, આચાર્યની ઓફિસ અને શિક્ષક રૂમ. એન.સી.સી. ઓફિસ, કોમ્પ્યુટર લેબ અને લાઈબ્રેરી. સી.સી.ટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી અને સોલાર સિસ્ટમ. જળ સંરક્ષણ વ્યવસ્થા અને રમત-ગમતનું મેદાન. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે અલગ-અલગ સેનીટેશન બ્લોક. વધુમાં, બાળકોના સર્વાંગી વિકાસ માટે સંગીતના સાધનો પણ પૂરાં પાડવામાં આવ્યા છે. પરિમલ નથવાણીનું સંબોધન આ પ્રસંગે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ રિફાઈનરીની આસપાસના વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સતત કાર્યરત છે. તેમણે પોતાના વતન ખંભાળિયામાં શિક્ષણની સુવિધા વધારવાની તક મળી તે બદલ ગૌરવ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે રિલાયન્સનું યોગદાન ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ માહિતી આપી હતી કે રિલાયન્સ દ્વારા અગાઉ કાના ચીકારી, મોટી ખાવડી, પીપળી, નવાણીયા અને જામનગરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓનું નિર્માણ કરાયું છે. સિક્કા અને ચોરવાડ બાદ ખંભાળિયાની આ ચોથી હાઇસ્કૂલ છે જેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારંભમાં સ્થાનિક પદાધિકારીઓ, ટ્રસ્ટીગણ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:51 pm

સાબરકાંઠામાં રવિ સિંચાઈ માટે 17 પાણ પૂર્ણ:પાંચ જળાશયોમાંથી 30 પાણ આપવાનું આયોજન, 20,800 હેક્ટરને લાભ

સાબરકાંઠા જિલ્લામાં રવિ સિંચાઈ માટે પાંચ જળાશયોમાંથી કુલ 30 પાણ આપવાનું આયોજન કરાયું છે. જાન્યુઆરી 2026 સુધીમાં તેમાંથી 17 પાણ પૂર્ણ કરી દેવાયા છે. આ સિંચાઈથી 20,800 હેક્ટર જમીનને સીધો અને આડકતરો લાભ મળે છે. સિંચાઈ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ચોમાસું પૂર્ણ થયા બાદ ખેડૂતોની પાણીની માંગણીને ધ્યાનમાં રાખીને રવિ સિંચાઈ માટે આયોજન કરવામાં આવે છે. નક્કી કરાયેલા પાણની શરૂઆત નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. હાથમતી જળાશયમાં હાલમાં 85 ટકા પાણીનો સંગ્રહ છે. આ જળાશયમાંથી પાંચ પાણ આપવાનું નક્કી કરાયું હતું, જેમાંથી ચાર પાણ પૂર્ણ થઈ ગયા છે. હિંમતનગરના 33, પ્રાંતિજના 43, ગાંધીનગરના 9 અને દહેગામના 5 ગામોના 6,000 હેક્ટર વિસ્તારને આનાથી સિંચાઈનો લાભ મળે છે. પાંચમું પાણ ટૂંક સમયમાં શરૂ થશે. ધરોઈ જળાશયમાં 77 ટકા પાણીનો સંગ્રહ છે. અહીંથી ડાબા કાંઠા નહેર દ્વારા છ પાણ આપવાનું આયોજન હતું, જેમાંથી ત્રણ પાણ પૂર્ણ થયા છે. વડાલીના 13, હિંમતનગરના 15 અને ઈડરના 65 ગામોના 8,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ચોથું પાણ હાલ ચાલી રહ્યું છે. ગુહાઈ જળાશયમાં 83 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. આ જળાશયમાંથી સાત પાણ આપવાનું નક્કી કરાયું હતું, જેમાંથી ત્રણ પાણ પૂર્ણ થયા છે. હિંમતનગરના 31 ગામોના 4,000 હેક્ટર વિસ્તારને આ સિંચાઈનો લાભ મળે છે. ચોથું પાણ શરૂ થવાની તૈયારીમાં છે. ખેડવા જળાશયમાં 52.95 ટકા પાણીનો સંગ્રહ છે. અહીંથી છ પાણ આપવાનું આયોજન હતું, જેમાંથી ચાર પાણ પૂર્ણ થયા છે. ખેડબ્રહ્માના 11 ગામોના 1,000 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. પાંચમું પાણ શરૂ થશે. હરણાવ જળાશયમાં 81 ટકા પાણીનો સંગ્રહ છે. આ જળાશયમાંથી છ પાણ આપવાનું નક્કી કરાયું હતું, જેમાંથી ત્રણ પાણ પૂર્ણ થયા છે. વિજયનગરના 12 અને ખેડબ્રહ્માના 12 ગામોના 1,800 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. ચોથું પાણ હાલ ચાલી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:44 pm

પંચમહાલમાં ઓરીના પ્રકોપ સામે મેગા વેક્સિનેશન ડ્રાઈવ:આરોગ્ય વિભાગના 242 કર્મચારીઓની ટીમ દ્વારા ગોધરામાં 11,000 બાળકોને રસી અપાઈ

પંચમહાલ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં ઓરીનો પ્રકોપ જોવા મળ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગોધરા શહેરી વિસ્તારમાં કુલ 11,000 બાળકો માટે મેગા વેક્સિનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં ગોધરા અર્બન વિસ્તારમાં 80% રસીકરણ પૂર્ણ થયું છે. આ કામગીરીમાં આરોગ્ય વિભાગના 242 કર્મચારીઓની ટીમ સક્રિય રીતે જોડાયેલી છે. જિલ્લામાં ઓરીના કુલ 10 કેસ નોંધાયા છે, જેમાં ગોધરા અર્બનમાં 6, હાલોલમાં 3 અને વેજલપુરમાં 1 કેસનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરે-ઘરે જઈને બાળકોનું હેલ્થ સર્વે પણ કરવામાં આવી રહ્યું છે. સાતપુલ, ગોધરા શહેરના ખાડી ફળિયા અને પટેલવાડા જેવા વિસ્તારોમાં રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારીએ પંચમહાલના નાગરિકોને અપીલ કરી છે કે જે બાળકોને હજુ રસી લેવાની બાકી હોય, તેઓ તાત્કાલિક નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને રસી મુકાવી લે. 0 થી 5 વર્ષના બાળકોની સુરક્ષા સૌની જવાબદારી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:26 pm

ગોધરાની પરમાર શરવીએ નર્સિંગ કોલેજમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો:શ્રી શામળાજી કોલેજના ટ્રસ્ટી દ્વારા સન્માન કરાયું

ગોધરાની શ્રી શામળાજી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી પરમાર શરવીએ ત્રીજા વર્ષમાં પ્રથમ રેન્ક મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કોલેજના ટ્રસ્ટી દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી શામળાજી નર્સિંગ કોલેજ, ગોધરા ખાતે GNM કોર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોધરા શહેરની પરમાર શરવી ધર્મેન્દ્ર કુમારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને આ ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો છે. કોલેજના વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી ડો. વિશાલ કુમાર સોની દ્વારા કોલેજના એન્યુઅલ ડેની ઉજવણી નિમિત્તે શરવી પરમારને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સન્માન મળતા પરમાર શરવીએ પોતાના માતા-પિતા, સમાજ અને કોલેજનું નામ રોશન કર્યું છે. તેની આ સિદ્ધિ બદલ સૌ કોઈએ તેને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:24 pm

'ભાજપને વોટ આપવો એટલે ઘરમાં અબ્દુલ કલામ-સાનિયા મિર્ઝા પેદા કરવા':સુરતમાં આંગણવાડીઓના લોકાર્પણમાં વિજય ચૌમાલનું વિવાદિત નિવેદન, મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો

સુરતમાં આગામી મહાનગરપાલિકા ચૂંટણી પૂર્વે રાજકીય પારો ગરમાયો છે. વોર્ડ નંબર-19 (આંજણા-દુંભાલ)માં બનેલી આંગણવાડીઓના લોકાર્પણ પ્રસંગે ભાજપના કોર્પોરેટર વિજય ચૌમાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. દેશનું નામ રોશન કરનારી દીકરીઓ મારા મુસ્લિમ સમાજમાંથી પેદા થઈ છેકાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોને સંબોધતા વિજય ચૌમાલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો મતલબ તમારા ઘરમાં અબ્દુલ કલામ પેદા કરવા. તમારા ઘરમાં સાનિયા મિર્ઝા પેદા કરવી, જે દેશનું નામ રોશન કરનારી દીકરીઓ મારા મુસ્લિમ સમાજમાંથી પેદા થઈ છે. અશફાક ઉલ્લા ખાન કોઈ બહારનો નહોતો. મારા દેશના મુસલમાનના ઘરમાં પેદા થયો અને ભારત માતાની જય બોલતા રાષ્ટ્ર માટે સમર્પિત થયો. તેમણે ઉમેર્યું કે, આ છે ભારતીય જનતા પાર્ટી. અમે લોકો તમારા વિકાસમાં, તમે લોકોએ અમને વોટ આપ્યો, ચારેય કોર્પોરેટર જીતીને આવ્યા. પાર્ટીએ વિકાસ કર્યો. આજે તમે લોકોએ જોયું હશે, કોઈ મહારાષ્ટ્રનું રહેવાસી છે, કોઈ યુપીનું રહેવાસી છે, કોઈ રાજસ્થાનનું રહેવાસી છે. ત્યાં કોઈ જન્મેલા બાળકની કોઈ ચિંતા કરે છે કે શું? કોઈ ચિંતા નથી કરતું. આ વિધાન વોટબેંક અને ચૂંટણીના સમીકરણો તરફ ઈશારો કરે છેવિજય ચૌમાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, મને ખબર છે કે તમે તાળીઓ વગાડીને મને ખુશ કરી દેશો પણ વોટ નહીં આપો. આ વિધાન વોટબેંક અને ચૂંટણીના સમીકરણો તરફ ઈશારો કરે છે. તેમણે મતદારોને જાગૃત કરતા ઉમેર્યું કે, ભાજપને વોટ આપવાનો અર્થ તમારા ઘરમાં અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રભક્તો પેદા કરવા સમાન છે. ભાજપના કાર્યકર્તાઓમાં આ વિધાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો મહિલા સુરક્ષાના મુદ્દે વિજય ચૌમાલે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ સાથે ભારતની સરખામણી કરી હતી. તેમણે દાવો કર્યો કે, પાકિસ્તાનના મુસલમાનો પણ હવે મોદીજી પાસે ભારત સાથે ભળી જવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કારણ કે ત્યાં દીકરીઓ સુરક્ષિત નથી. ભાજપ શાસનમાં દીકરી ભલે કોઈપણ ધર્મની હોય, તેની સામે નજર ઉઠાવનાર સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા તેમણે 'દીકરી ભારત માતાની છે' કહીને મહિલા સુરક્ષા પર ભાર મૂક્યો હતો. આ નિવેદનને લઈને વિરોધી પાર્ટીઓએ તીખી પ્રતિક્રિયા આપી છે અને તેને વોટબેંકની રાજનીતિ ગણાવી છે તેમછતાં ભાજપના કાર્યકર્તાઓમાં આ વિધાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:24 pm

કોરિયન એરફોર્સના વિમાનો જામનગરમાં ઉતર્યા:વિશ્વ સંરક્ષણ શો માટે સાઉદી અરેબિયા જતા હતા

કોરિયા રિપબ્લિક એરફોર્સની એક ટુકડીએ જામનગર એરફોર્સ સ્ટેશન પર ટૂંકા રોકાણ માટે ઉતરાણ કર્યું હતું. આ ટુકડી સાઉદી અરેબિયામાં 31 જાન્યુઆરીથી 01 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાનાર વર્લ્ડ ડિફેન્સ શોમાં ભાગ લેવા જઈ રહી હતી. આ ટુકડીમાં બ્લેક ઇગલ્સ એરોબેટિક ટીમના નવ T-50B વિમાન અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાનનો સમાવેશ થાય છે. આ વિમાનોએ જામનગર એરફોર્સ રનવે પર લેન્ડિંગ કર્યું હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરિયન ટુકડીને લેન્ડિંગ અને ટેકનિકલ સુવિધાઓ માટે પરવાનગી આપવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ તેમને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો. આ ઉપરાંત, જામનગર એરપોર્ટ ખાતે કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેથી તેમનું ટ્રાન્ઝિટ સરળ બની શકે. ટૂંકા રોકાણ બાદ તેમને સલામત ઉડાન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:22 pm

SPU મટિરિયલ્સ સાયન્સ વિભાગે સર્ટિફિકેટ કોર્સનું આયોજન કર્યું:વિવિધ મટિરિયલ્સ માટે એડવાન્સ્ડ કેરેક્ટરાઇઝેશન ટેકનિક્સ પર તાલીમ અપાઈ

સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) ના મટિરિયલ્સ સાયન્સ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે એક વિશેષ સ્કિલ બેઝ એડ-ઓન સર્ટિફિકેટ કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોર્સ Advanced Characterization Techniques for Different Materials વિષય પર કેન્દ્રિત હતો. આ કોર્સ જાન્યુઆરી મહિના દરમિયાન સંપૂર્ણપણે ઓફલાઇન મોડમાં યોજાયો હતો. તેની કુલ અવધિ 30 કલાકની હતી, જેમાં ચાર અઠવાડિયા સુધી દર શુક્રવાર અને શનિવારે બપોરે 2 થી 6 વાગ્યા સુધી સત્રો યોજવામાં આવ્યા હતા. કોર્સમાં કુલ 42 પીએચ.ડી. અને એમ.એસસી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, મટિરિયલ્સ સાયન્સ અને બાયોસાયન્સ જેવા વિવિધ શૈક્ષણિક પ્રવાહોમાંથી આવ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટી ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. આ કોર્સનું આયોજન કુલપતિ પ્રોફ. ડૉ. નિરંજનભાઈ પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. ભાઈલાલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિભાગાધ્યક્ષ ડૉ. જીગ્નેશ વાળંદ, મટિરિયલ્સ સાયન્સ વિભાગના ફેકલ્ટી સભ્યો અને બાહ્ય તજજ્ઞોએ તેના સફળ આયોજનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સંશોધકોને આધુનિક Material Characterization પદ્ધતિઓ અંગે વ્યાવહારિક અને સિદ્ધાંતિક જ્ઞાન પૂરું પાડવાનો હતો. SEM, FT-IR, UV-Vis, BET, UTM, DSC, Raman અને Particle Size Analyzer (PSA) જેવા અદ્યતન સાધનો પર ડાયરેક્ટ હેન્ડ્સ-ઓન તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ક્રિસ્ટેલોગ્રાફી, માઇક્રોસ્કોપી, થર્મલ એનાલિસિસ અને સ્પેક્ટ્રોસ્કોપિક ટેકનિક્સના મૂળભૂત સિદ્ધાંતોનું વિસ્તૃત માર્ગદર્શન પણ અપાયું હતું.સંશોધન માટે ઉપયોગી CasaXPS અને Density Functional Theory (DFT) સોફ્ટવેર અંગે પણ પરિચય અને પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. ભાગ લેનાર વિદ્યાર્થીઓના પ્રતિભાવ મુજબ, આ કોર્સ તેમને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને ઉદ્યોગ ક્ષેત્ર માટે જરૂરી પ્રાયોગિક કુશળતાઓ વિકસાવવામાં અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રવૃત્તિ દ્વારા મટિરિયલ્સ સાયન્સ વિભાગે વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવાનો ઉદ્દેશ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:20 pm

SMCની રેડ બાદ વાઘોડિયાના તત્કાલીન PI જાડેજા સસ્પેન્ડ:9 ડાયરીમાં લખેલા હિસાબમાં કરોડોની લેવડદેવડ અને પોલીસકર્મીઓના ફોન નંબરો હોવાનો ઘટસ્ફોટ

વડોદરાના વાઘોડિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ વાઘોડિયાના તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ જ્યારે વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે ત્રાટકીને ₹17 લાખનો દારૂ જપ્ત કર્યો હતો અને સ્થળ પરથી બુટલેગર તથા સપ્લાયર સહિત 9 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે 10 વાહનો સહિત કુલ ₹41 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ તપાસમાં મળેલી 9 ડાયરીઓ (ચોપડા) માંથી થયો છે, જેમાં કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબોની સાથે અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો પણ મળી આવ્યા છે. વાઘોડિયા ગામમાં બસ સ્ટેન્ડ પાછળ વિદેશી દારૂના કટીંગ સમયે જ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડયો હતો. જેમાં વડોદરામાં સ્ટેટ મોનિટરીંગ રેડ બાદ વાઘોડિયાના તત્કાલીન PI પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દરોડામાં ઝડપાયેલા 9 ચોપડામાં લખેલા હિસાબમાં કરોડોની લેવડદેવડ અને પોલીસકર્મીઓના ફોન નંબરો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મામલો રાજ્યના પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં જ પી.આઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની વાઘોડિયા પોલીસ સ્ટેશનમાંથી સિનોર પોલીસ સ્ટેશનમાં બદલી થઈ હતી, ત્યારબાદ હવે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે. 9 જાન્યુઆરીના રોજ રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ આવેલા આનંદ નગરી વિસ્તારમાં દરોડો પાડયો હતો. જ્યાં દારૂનો મોટો જથ્થો લાવી કારોમાં ભરવામાં આવતો હતો. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 6129 બોટલો કિંમત 17.72 લાખ જપ્ત કરી હતી. જ્યારે કટીંગના સ્થળ ઉપરથી 9 આરોપીઓ જેમાં બુટલેગર અને દારૂના જથ્થાનો સ્પ્લાયર સહિત 9ને ઝડપી પાડવામાં આવ્યા હતા. SMC દ્વારા દરોડા દરમ્યાન વૈભવી કારો સહિત 10 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. 12 મોબાઈલ, રોકડ રકમ મળી 41.92 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પકડાયેલ આરોપીઓનાં નામ (1) કરણ પુંજાભાઈ બારીયા-વાઘોડિયા (2) વિનોદ ભગવાનભાઈ વસાવા-છત્રાલય પાછળ વાઘોડિયા (૩) બકા પંકજ હરિકૃષ્ણ મોટકા - દેવડિયા, વાઘોડિયા (4) નવનીત મહેશભાઈ તડવી —ભાટપુર સંખેડા, (5) અજય રમેશભાઈ વસાવા જુના મોજધા, ડેડીયાપાડા (6) કંચન હરિસિંહ બામણીયા-જારોલી, અલીરાજપુર (7) દિનેશ હર્ષિભાઈ બામણીયા-અલીરાજપુર, (8) પરેશ નરેશભાઈ નાયકા છોટાઉદેપુર (9) જૈમીન હરેશભાઈ બારીયા છાત્રાલય પાછળ વાઘોડિયા છત્રાલય પાછળ.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:14 pm

વડોદરામાં મહિલા ક્રિકેટર્સના ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન:ઇન્ટરનેશનલ કક્ષાએ હાર્દિક-કૃણાલ જેવા ખેલાડી આપ્યા, મહિલા ક્રિકેટમાં રાધા-યસ્તિકા નામ રોશન કરી રહી છે: BCA પ્રમુખ

વડોદરા શહેરમાં એલેમ્બિક સિટી ખાતે સ્પેસ સ્ટુડિયો ખાતે ઇન્ટરનેશનલ મહિલા ક્રિકેટર્સના 150 ફોટોગ્રાફનું એક્ઝોબિશન યોજાયુ હતું. જેમાં સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલ દ્વારા ક્લિક કરવામાં આવેલી મહિલા વર્લ્ડકપ અને WPLની તસવીરો રજૂ કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં મેં અંદાજે 4 લાખ જેટલા ફોટા ક્લિક કર્યા છે. જો માત્ર છેલ્લા મહિલા વર્લ્ડ કપની વાત કરું તો તેમાં જ લગભગ 70થી 80 હજાર ફોટા પાડ્યા છે. ભારતમાં મહિલા ક્રિકેટરોની લોકપ્રિયતા ખૂબ જ વધીBCAના પ્રમુખ પ્રણવ અમીને જણાવ્યું હતું કે, વડોદરા અને સમગ્ર ભારતમાં મહિલા ક્રિકેટનો વ્યાપ અને લોકપ્રિયતા ખૂબ જ વધી રહી છે. BCCI દ્વારા શરૂ કરાયેલી WPL (Women's Premier League) પણ હવે IPL જેટલી જ લોકપ્રિયતા મેળવી રહી છે. અમને આનંદ છે કે BCCI એ વડોદરાને સતત બીજી વખત WPLના યજમાન તરીકે તક આપી છે. ગયા વર્ષે પબ્લિક સપોર્ટ અને અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને BCCI ખૂબ પ્રભાવિત થયું હતું. આ વર્ષે પ્લે-ઓફ અને ફાઈનલ મેચોની યજમાની મળીતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે આપણને પ્લે-ઓફ અને ફાઈનલ મેચોની પણ યજમાની મળી છે. અમે નવા સ્ટેડિયમનું નિર્માણ કર્યું છે. છેલ્લા 5-6 વર્ષમાં BCCI સાથે મળીને અમે ઘણા સુધારા કર્યા છે. ભારતની ન્યુઝીલેન્ડ સામેની વન ડે મેચ અને મહિલાઓની ઘણી ઇન્ટરનેશનલ મેચો પણ અહીં રમાઈ છે. અમે અમ્પાયર અને કોચિંગ માટે ખાસ કેમ્પ પણ આયોજિત કરીએ છીએ. અમે સતત નવા ટેલેન્ટેડ ખેલાડીઓને શોધી રહ્યા છીએરોયલ સત્યમેવ જયતે ગ્રુપના આક્ષેપોનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વડોદરાએ હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ક્રિકેટર આપ્યા છે. આ ઉપરાંત મહિલા ક્રિકેટમાં રાધા યાદવ અને યસ્તિકા ભાટિયા પણ વડોદરાનું નામ રોશન કરી રહી છે. આ એક લાંબી પ્રક્રિયા છે અને અંડર 19માં પણ કેટલાક ક્રિકેટર્સ રમી રહ્યા છે. અમે સતત નવા ટેલેન્ટેડ ખેલાડીઓને શોધી રહ્યા છીએ. મેં એવો સમય પણ જોયો છે જ્યારે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને લાવવા મુશ્કેલ હતા'ડ્રીમ ચેઝર્સ' ફોટો એક્ઝિબિશનના આયોજક અને સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અભિલાષા અગ્રવાલે જણાવ્યું હતું કે, મેં એવો સમય પણ જોયો છે જ્યારે સ્ટેડિયમમાં પ્રેક્ષકોને લાવવા મુશ્કેલ હતા, અને હવે મેં ડીવાય પાટિલ સ્ટેડિયમમાં હાઉસફુલ પ્રેક્ષકો વચ્ચે તેમને ફાઈનલ રમતા અને જીતતા પણ જોયા છે. આ પ્રદર્શન મહિલા ખેલાડીઓની એ જ શાનદાર જર્નીને રજૂ કરવાનો મારો એક નાનો પ્રયાસ છે. મહિલા વર્લ્ડ કપના લગભગ 70થી 80 હજાર ફોટા પાડ્યાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષમાં મેં અંદાજે 4 લાખ જેટલા ફોટા ક્લિક કર્યા છે. જો માત્ર છેલ્લા મહિલા વર્લ્ડ કપની વાત કરું તો તેમાં જ લગભગ 70થી 80 હજાર ફોટા પાડેલા છે. અહીં મેં 150 થી વધુ ફોટા પ્રદર્શિત કર્યા છે. જેમાં વર્લ્ડ કપની ક્ષણો અને હાલમાં ચાલી રહેલી WPL (વુમન્સ પ્રીમિયર લીગ) ના ફોટાઓનો પણ સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:04 pm

નિર્ધાર ટ્રસ્ટ દ્વારા 1429 વિધવા બહેનોને નિઃશુલ્ક તાલીમ અપાઈ:પ્રજ્ઞાચક્ષુ રાજેશ રાવલના નેતૃત્વમાં વિનામૂલ્યે નિસ્વાર્થ ભાવે તાલીમ સેવા પૂર્ણ

સુરેન્દ્રનગરમાં છેલ્લા અઢી દાયકાથી 'નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ' વિધવા બહેનોના ઉત્થાન માટે કાર્યરત છે. સરકારી નિવૃત્ત કર્મચારી અને સમાજસેવક રાજેશભાઈ રાવલ આ ટ્રસ્ટના સૂત્રધાર છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં સર્વજ્ઞાતિની 1429 વિધવા બહેનોને વિનામૂલ્યે સામાજિક અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં, રાજેશભાઈ રાવલની સેવાકીય પ્રવૃત્તિઓ વ્યાપક છે. તેમની નિઃસ્વાર્થ સેવાને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે બિરદાવવામાં આવી છે. તેમને તત્કાલીન રાજ્યપાલ શ્રીમતી કમલા બેનીવાલના હસ્તે 'ધરતી રત્ન' એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, રાજકોટ ખાતે 'દીપચંદ ગાર્ડી સેવા રત્ન' એવોર્ડ પણ તેમને મળ્યો છે. તાજેતરમાં, કુંડળધામ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે સંસ્થાના વિકાસ માટે રૂ. 5 લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સંસ્થા ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 'ગંગા સ્વરૂપા યોજના' હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 785 વિધવા બહેનોને માસિક રૂ. 1250ની સહાયનો લાભ અપાવવામાં આવ્યો છે. વધુમાં, 'રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના' હેઠળ 365 મહિલાઓને રૂ. 20,000ની સહાય અપાવવામાં પણ સંસ્થા નિમિત્ત બની છે. સ્વાવલંબન અને આત્મસન્માન વધારવાના ઉદ્દેશ્યથી 'નિર્ધાર ટ્રસ્ટ' વિવિધ કૌશલ્ય વર્ધન કેન્દ્રો પણ ચલાવે છે. જેમાં ચંદ્રાબેન મધુસુદન શાહ સિવણ તાલીમ કેન્દ્ર, હર્ષાબેન પ્રકાશ કુંવરજી શાહ બ્યુટી પાર્લર તાલીમ કેન્દ્ર, અને રાધેશ્યામ કમ્પ્યુટર તાલીમ કેન્દ્ર (CCC અને Tally કોર્સ માટે) નો સમાવેશ થાય છે. આ તાલીમ કેન્દ્રો દ્વારા અત્યાર સુધીમાં 365થી વધુ મહિલાઓએ તાલીમ મેળવી સ્વરોજગારી પ્રાપ્ત કરી છે, જે તેમને આત્મનિર્ભર જીવન જીવવા સક્ષમ બનાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 5:01 pm

CVM યુનિવર્સિટીના 'જ્ઞાનોત્સવ-2026'માં હજારો મુલાકાતીઓ ઉમટ્યા:પાંચ દિવસીય શૈક્ષણિક મહોત્સવનો ભીખુભાઈ પટેલના હસ્તે પ્રારંભ

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત CVM યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય શૈક્ષણિક મહોત્સવ ‘જ્ઞાનોત્સવ-2026’નો 4 ફેબ્રુઆરીના રોજ સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે પ્રારંભ થયો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળના પદાધિકારીઓ મનીષભાઈ પટેલ, એસ.જી. પટેલ, મેહુલભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ સહિત યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને રજિસ્ટ્રાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ભીખુભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા દર વર્ષે જ્ઞાનોત્સવનું આયોજન કરાય છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય માત્ર ડિગ્રી આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓની વાસ્તવિક કારકિર્દી (Real Careers) બનાવવાનો છે. આ મહોત્સવ ગુજરાતના ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા તરફનું એક મહત્વનું પગલું છે. CVM યુનિવર્સિટીના માનદ સહમંત્રી મેહુલભાઈ પટેલે આયોજનની વિશેષતાઓ વર્ણવતા જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમવાર ઇસરો (ISRO) અને ઇન્ડિયન પ્લાઝમા રેસર્ચ (IPR) દ્વારા મહોત્સવમાં ભાગ લેવામાં આવ્યો છે, જે યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્ઞાનોત્સવ 2026 રેકોર્ડબ્રેક સાબિત થશે, કારણ કે આ વખતે 30થી વધુ સ્પર્ધાઓ અને 35થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી છે. જ્ઞાનોત્સવ 2026ની મુખ્ય વિશેષતાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 140થી વધુ સાયન્સ અને ટેકનોલોજીના પ્રોજેક્ટ્સનું પ્રદર્શન, 20થી વધુ વર્કશોપ, અને 20થી વધુ રમતગમતનું આયોજન સામેલ છે. સમગ્ર મહોત્સવ દરમિયાન 1.50 લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. આ મહોત્સવમાં પ્રિન્સિપાલ કોન્ફ્લેવ (આચાર્ય સંમેલન) અને પેનલ ડિસ્કશન દ્વારા નિષ્ણાંતો એક જ મંચ પર આવશે. પ્રોવોસ્ટ ડૉ. ઇન્દ્રજીત પટેલે જણાવ્યું હતું કે, જ્ઞાનોત્સવ એ શિક્ષણ, સંશોધન અને નવીનતાનો ત્રિવેણી સંગમ છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ નોલેજ મેળવી ઉદ્યોગ જગતના પ્રવાહોથી વાકેફ થશે. મહોત્સવના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડતા શાસ્ત્રી મેદાનમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:54 pm

સુરતમાં 'ગેલેક્સી ઈન્ફ્રાકોન'ના ભાગીદારોએ મહિલાને ભોળવી 1.30 કરોડ ખંખેર્યા:ઊંચા નફાની લાલચ આપી પૈસા ઈન્વેસ્ટ કરાવ્યા, ફ્લેટનો વાયદો આપી બીજાને વેંચી નાખ્યો; બિલ્ડરની ધરપકડ

સુરત શહેરમાં બિલ્ડરો દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પાલ વિસ્તારમાં 'ગેલેક્સી ઈન્ફ્રાકોન' પેઢીના ભાગીદારોએ એક મહિલા રોકાણકાર સાથે 1,30,00,000ની ઠગાઈ આચરતા ઈકોસેલે એક આરોપી બિલ્ડર પિંકેશ સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. આ ટોળકીએ રોકાણના નામે પૈસા પડાવી, જે ફ્લેટ આપવાનો વાયદો કર્યો હતો તે અન્ય વ્યક્તિને વેચી મારી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે. લોભામણી લાલચ આપી રોકાણ કરાવ્યુંફરિયાદી રંજનબેન પટેલને વર્ષ 2011માં આરોપી પિંકેશ પટેલ અને તેના 6 ભાગીદારોએ પોતાની પેઢી 'ગેલેક્સી ઈન્ફ્રાકોન' માં રોકાણ કરવા માટે લલચાવ્યા હતા. બિલ્ડરોએ વિશ્વાસ અપાવ્યો હતો કે, આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં મોટો નફો મળશે. આ વિશ્વાસમાં આવી રંજનબેને પેઢીના ખાતામાં 85,00,000 અને પિંકેશ પટેલના વ્યક્તિગત ખાતામાં 15,00,000 મળી કુલ 1,00,00,000નું રોકાણ કર્યું હતું. ફ્લેટ આપવાનો વાયદો અને આઈટી રિટર્નનો ખેલજ્યારે વર્ષ 2014માં ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ રોકડ આપવાને બદલે પાલ ખાતેના 'ગેલેક્સી એવેન્ચ્યુરા' પ્રોજેક્ટમાં ફ્લેટ નં. D-1101 આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીને પૂરો વિશ્વાસ બેસે તે માટે આરોપીઓએ પોતાની પેઢીના ઈન્કમ ટેક્સ રિટર્નમાં પણ આ રકમ ફ્લેટના એડવાન્સ પેટે બતાવી તેની નકલ ફરિયાદીને આપી હતી. આ રીતે કાયદાકીય દસ્તાવેજોનો દુરુપયોગ કરી ભરોસો કેળવવામાં આવ્યો હતો. બંગલાના નામે વધુ 30 લાખની ઠગાઈછેતરપિંડીનો આ સિલસિલો અહીં જ ન અટક્યો. 2016માં પિંકેશ પટેલે ફરિયાદીને જહાંગીરપુરા ખાતેના 'ગેલેક્સી બંગ્લોઝ'માં મકાન નંબર-39 સસ્તામાં અપાવવાની લાલચ આપી વધુ 30,00,000 રૂપિયા પડાવ્યા હતા. આમ, ફરિયાદી પાસેથી કુલ 1,30,00,000 રૂપિયા મેળવી લીધા હોવા છતાં, આરોપીએ ન તો મકાનનો દસ્તાવેજ કરી આપ્યો કે ન તો નાણાં પરત કર્યા. રંજનબેનને જે ફ્લેટ (D-1101) આપવાનું વચન અપાયું હતું, તે ફ્લેટ આરોપીઓએ ફરિયાદીને અંધારામાં રાખી 17/10/2019ના રોજ અન્ય વ્યક્તિઓને વેચી દીધો હતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ ઈકોસેલે તપાસ હાથ ધરી આરોપી પિંકેશ પટેલ (ઉંમર 49 વર્ષ) ને રોજ ઝડપી પાડ્યો હતો. આરોપીનો ગુનાહિત ઈતિહાસ અને પોલીસ તપાસપકડાયેલ આરોપી પિંકેશ સુરેશભાઈ પટેલ (રહે. A-301, કેલી રેસીડેન્સી, પાલ) રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ તેની સામે પાલ પોલીસ સ્ટેશનમાં 3,22,00,000ની છેતરપિંડીનો ગુનો નોંધાયેલ છે. હાલ પોલીસ આ કેસમાં સામેલ અન્ય ભાગીદારોની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે, આ ટોળકીએ અન્ય ઘણા લોકો સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ આચરી હોઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:50 pm

વલસાડ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાનો મામલો:કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, યુથ કોંગ્રેસની ભૂખ હડતાળ

વલસાડના કલ્યાણબાગ ખાતે નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ અને શટરિંગનો ભાગ ધરાશાયી થયા બાદ વિવાદ સર્જાયો છે. યુથ કોંગ્રેસે આ કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ટેસ્ટિંગમાં વિલંબ થતા યુથ કોંગ્રેસના કાર્યકરોએ ઘટનાસ્થળે ભૂખ હડતાલ શરૂ કરી છે. યુથ કોંગ્રેસના નેતા મિત દેસાઈએ જણાવ્યું હતું કે, ટાંકીનો ભાગ પડ્યા બાદ GUDCના અધિકારીઓએ બીજા જ દિવસે 'કોર કટિંગ' અને 'રિબાઉન્ડ હેમરિંગ' ટેસ્ટ કરવાની ખાતરી આપી હતી. જોકે, ૨૪ કલાક વીતી જવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વિલંબ ભ્રષ્ટાચારની શંકા ઉપજાવે છે. સુરતના તડકેશ્વર ખાતે પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ હતી અને તેના મટીરીયલ સેમ્પલ ફેલ ગયા હતા. આ ઘટનાને ટાંકીને વલસાડ યુથ કોંગ્રેસે માંગ કરી છે કે આ ટાંકીના સેમ્પલ પણ કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં લેવામાં આવે. આજે જ્યારે કોંગ્રેસના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, ત્યારે અધિકારીઓએ 'ક્રેન નથી' તેવું બહાનું રજૂ કર્યું હતું. મિત દેસાઈએ આક્ષેપ કર્યો કે ક્રેનની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવવા છતાં અધિકારીઓ ગોળ-ગોળ વાતો કરી રહ્યા છે. દેસાઈએ વધુમાં જણાવ્યું કે આ કામમાં M-30 ગ્રેડના કોંક્રિટનો ઉપયોગ થવો જોઈતો હતો, પરંતુ તેમને હલકી ગુણવત્તાનું મટિરિયલ વપરાયું હોવાની શંકા છે. યુથ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની હાજરીમાં પારદર્શક રીતે લેબ ટેસ્ટ અને રિબાઉન્ડ હેમરિંગ ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય, ત્યાં સુધી તેઓ ભૂખ હડતાલ ચાલુ રાખશે. રાત્રિ સુધીમાં અન્ય મોટા નેતાઓ પણ આ આંદોલનમાં જોડાય તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:49 pm

કામરેજના ઉભેળ ગામે તાપીના 22 વર્ષીય યુવકે કરી આત્મહત્યા:ખેતરમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

કામરેજ તાલુકાના ઉભેળ ગામે એક 22 વર્ષીય યુવકે ખેતરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ આશીષ જીવાભાઈ કાથોડા (ઉં.વ. 22) છે, જે મૂળ તાપી જિલ્લાના આમકુટી ગામનો વતની હતો. તે હાલ કામરેજના ઉભેળ ગામની સીમમાં બ્લોક નંબર 520 માં આવેલા કિરણભાઈ મનુભાઈ પટેલના નીલગીરીના ખેતરમાં આવેલી બંગલીમાં રહેતો હતો. આશીષે એકલતાનો લાભ લઈ ખેતરમાં આવેલા ખોખરના ઝાડની ડાળખી સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ હજુ અગમ્ય છે. ઘટનાની જાણ થતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આશીષે કયા સંજોગોમાં આત્મહત્યા કરી તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:45 pm

કોપર વાયર વેચવા જતા બે તસ્કરો ઝડપાયા:મહેસાણાની પાલાવાસણા ચોકડી પાસેથી કોપર વાયરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને વણઉકેલાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે એલ.સી.બી. પોલીસ સતત પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજીને મળેલી સંયુક્ત ખાનગી બાતમીના આધારે પાલાવાસણા ચોકડી પાસેથી લોડિંગ રિક્ષામાં શંકાસ્પદ રીતે કોપર વાયર વેચવા નીકળેલા બે રીઢા તસ્કરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ચાર મહિના અગાઉ કંપનીમાં ઘૂસી કોપર વાયર ચોરી કર્યામહેસાણા એલ.સી.બી.ની ટીમે બાતમીવાળી અતુલ શક્તિ લોડિંગ રિક્ષાને અટકાવી તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કંતાનમાં ભરેલા કોપર વાયરના ચાર મોટા ગુચડા મળી આવ્યા હતા. પોલીસે રિક્ષામાં સવાર સુનીલભાઈ ચંદુભાઈ દંતાણી અને પંકજભાઈ જુગાભાઈ દંતાણી બંને રહે. કલોલ, જી. ગાંધીનગર ની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારી કબૂલાત સામે આવી હતી. આરોપીઓએ સ્વીકાર્યું હતું કે, આશરે ચાર મહિના પહેલા તેઓએ મહેસાણાના તેમના મિત્ર સનુ સાથે મળીને રાજપુર હાઈવે નજીક આવેલી એક કંપનીની દીવાલ કૂદી, બારીનો સળિયો તોડી અંદરથી આ વાયરની ચોરી કરી હતી. પોલીસે બંને આરોપીની ધરપકડ કરીપોલીસે આરોપીઓ પાસેથી 100 કિલો વજનનો કોપર વાયર કિંમત રૂ. 1,00,000 અને ગુનામાં વપરાયેલી લોડિંગ રિક્ષા કિંમત રૂ. 50,000 મળી કુલ 1,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ચોરી અંગે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 305(ક), 331(4) મુજબ ગુનો નોંધાયેલ છે.હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મહેસાણાના 'સનુ' નામના અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મહેસાણા તાલુકા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:38 pm

દ્વારકામાં શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ:સ્વામી અશોકાનંદજી દ્વારા કથા, ગૌસેવા અર્થે 2026 સુધી ચાલશે

ભગવાન શ્રીકૃષ્ણની પાવન લીલાભૂમિ દ્વારકામાં આધ્યાત્મિક ઉલ્લાસનું વાતાવરણ સર્જાયું છે. હરિદ્વાર સ્થિત શ્રી કૃષ્ણાયન દેશી ગૌ રક્ષા સમિતિ અને ભાગીરથીધામ આશ્રમના સંયુક્ત આયોજન હેઠળ દિવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભિક દિવસોમાં જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ કથા આગામી 8 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. ઉત્તરાખંડની પ્રસિદ્ધ ગૌશાળા ‘શ્રી કૃષ્ણાયન ગૌરક્ષા શાળા’ના સેવાકાર્યના લાભાર્થે આ જ્ઞાનયજ્ઞ યોજાયો છે, જ્યાં પચ્ચીસ હજારથી વધુ ગૌમાતાઓની સેવા થાય છે. દ્વારકાના નાગેશ્વર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ આશ્રમ ખાતે આયોજિત આ કથામાં હરિદ્વાર-ઋષિકેશથી પધારેલા પ્રખ્યાત કથાવક્તા ગુરુદેવ સ્વામી અશોકાનંદજી (સ્વામી અમૃત પ્રકાશજી) દરરોજ સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી શ્રીમદ્ ભાગવત કથાનું અમૃતપાન કરાવી રહ્યા છે. કથા દરમિયાન શ્રીકૃષ્ણના જીવન સાથે સંકળાયેલી અનેક દિવ્ય લીલાઓનું ભાવપૂર્ણ વર્ણન થઈ રહ્યું છે. 5 ફેબ્રુઆરીએ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, 6 ફેબ્રુઆરીએ બાળલીલા, પૂતના ઉદ્ધાર અને ગોવર્ધન લીલા, 7 ફેબ્રુઆરીએ ગોપીગીત, રાસલીલા તથા કંસ ઉદ્ધાર અને 8 ફેબ્રુઆરીએ રૂકમણી વિવાહ તથા ભક્ત સુદામા ચરિત્રનું રસપાન ભક્તોને કરાવવામાં આવશે. કથામાં ઉપસ્થિત ભક્તો માટે ભોજન પ્રસાદની પણ સુવ્યવસ્થા રાખવામાં આવી છે. બહારગામથી આવનારા ભક્તો માટે રહેવા તથા ભોજનની યોગ્ય વ્યવસ્થા સમિતિ દ્વારા કરવામાં આવી છે. ગૌમાતાની રક્ષા, સંતસેવા અને ધર્મપ્રચારના પવિત્ર હેતુ સાથે યોજાયેલા આ આધ્યાત્મિક મહોત્સવમાં જોડાઈ ગૌસેવામાં સહભાગી થવા આયોજકો દ્વારા ભક્તોને અપીલ કરવામાં આવી છે. સાથે જ દ્વારકાવાસીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા ખુલ્લું આમંત્રણ પાઠવાયું છે. કથાની સાથે રાત્રિના સમયે ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. 5 ફેબ્રુઆરીએ સાંજે 5.00 કલાકે ધ્યાની દવે દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુતિ સાથે નૃત્ય-ભક્તિનો કાર્યક્રમ અને 6 ફેબ્રુઆરીએ રાત્રે 9.00 કલાકે જયશ્રી દાસ માતાજીના મધુર સ્વરે ભજન-સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદથી પરિપૂર્ણ કરશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:38 pm

મોરારી બાપુએ સોમનાથમાં વિશેષ બિલ્વ પૂજા કરી:મહાશિવરાત્રિ પૂર્વે ₹25ની પૂજામાં નોંધણી કરાવી

મહાશિવરાત્રિ પૂર્વે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો. પૂજ્ય કથાકાર મોરારી બાપુએ સોમનાથ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ અવસરે તેમણે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે શરૂ કરાયેલી ₹25ની વિશેષ બિલ્વ પૂજામાં નોંધણી કરાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી ભક્તોને સરળ અને સુલભ રીતે ભગવાન શિવની આરાધનાનો અવસર પૂરો પાડવા માટે વિશેષ બિલ્વ પૂજાનું આયોજન કરી રહ્યું છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં દેશભરના 13 લાખથી વધુ ભક્ત પરિવારોએ આ પૂજાનો લાભ લીધો છે. આ ઓછી રકમની પૂજા દ્વારા દરેક ભક્ત સુધી મહાદેવની ઉપાસનાનો લાભ પહોંચાડવાનો ટ્રસ્ટનો ઉદ્દેશ્ય છે. આ વર્ષ સોમનાથ માટે ઐતિહાસિક મહત્વ ધરાવે છે, કારણ કે સોમનાથના વિસર્જન અને સર્જનની સ્વાભિમાનગાથાને 1000 વર્ષ પૂર્ણ થયા છે. રાષ્ટ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ પાવન અવસરે દેશ-વિદેશના ભક્તોને મહાશિવરાત્રિના દિવસે પોતાના નામે શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનો દિવ્ય અવસર મળશે. વિશેષ બિલ્વ પૂજામાં નોંધણી કરાવનાર ભક્તોના નામે મહાશિવરાત્રિના દિવસે શ્રી સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવામાં આવશે. આ સાથે, ભક્તોના સરનામે રુદ્રાક્ષ, ભસ્મ અને નમન પ્રસાદ ભારતીય પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. ભક્તો somnath.org ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ દ્વારા સરળતાથી નોંધણી કરાવી શકે છે. આ ભક્તિપૂર્ણ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા પૂજ્ય મોરારી બાપુને મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરારી બાપુએ ટ્રસ્ટના આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે, “જનજન સુધી સોમનાથ મહાદેવની ઉપાસનાનો લાભ પહોંચે અને ભક્તિને નવી દિશા મળે, તે ટ્રસ્ટનું પ્રશંસનીય કાર્ય છે.” મહાશિવરાત્રિના પાવન પર્વની પૂર્વસંધ્યાએ સોમનાથમાં સર્જાયેલો આ ભક્તિ, શ્રદ્ધા અને સ્વાભિમાનનો સંગમ દેશભરના ભક્તોને આધ્યાત્મિક રીતે જોડતો એક પ્રેરણાદાયી પ્રસંગ બન્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:37 pm

નસવાડીના 120 ખેડૂતોની જમીનમાંથી 'શ્રીમંત સરકાર' હટાવવા માંગ:ખાતેદારના નામ દાખલ કરવા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

નસવાડી તાલુકાના પાલા, પોચંબા, ખોડિયા અને ઇટાલિયા ગામના 120 જેટલા ખેડૂતોએ આજે છોટા ઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરીને તેમની જમીનમાંથી 'શ્રીમંત સરકાર' શબ્દ હટાવીને ખાતેદાર તરીકે તેમના નામ દાખલ કરવાની રજૂઆત કરી હતી. આ ખેડૂતોની જમીન ગાયકવાડ સ્ટેટના સમયથી તેમને ફાળવવામાં આવી હતી. વર્ષ 1946માં ખેડૂતોએ રૂ. 4500/- ભરીને આ જમીન ખરીદી હતી. જમીનના ચૂકવણા માટે 1951માં ખોડિયા પોચંબા ગણોતિયા ખેત સહકારી મંડળીની રચના કરવામાં આવી હતી. આ જમીનના ચૂકવણા 1994 સુધીમાં પૂર્ણ થઈ ગયા હોવા છતાં, કોઈ કારણોસર જમીનના રેકોર્ડમાં હજુ પણ 'શ્રીમંત સરકાર' લખેલું છે. જ્યારે ખેડૂતોના નામ બીજા નંબરે ખાતેદાર તરીકે દર્શાવવામાં આવે છે. આ સમસ્યાના નિરાકરણ માટે, નસવાડી તાલુકાના ઉપરોક્ત ચાર ગામોના 120 જેટલા ખેડૂતો આજે છોટા ઉદેપુર ખાતે અધિક કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ અગાઉ પણ આ અંગે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ સંતોષકારક પરિણામ મળ્યું ન હતું. તેથી, આજે ફરીથી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપીને જમીનમાં તેમના નામ દાખલ કરવાની માંગણી દોહરાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:35 pm

ભરૂચ પાલિકાની વેરા વસૂલાત તેજ:8,280 મિલકતધારકોને નોટિસ, 31 માર્ચ બાદ 18% વ્યાજ

ભરૂચ નગરપાલિકાએ મિલકતવેરાની વસૂલાતની કામગીરી ઝડપી બનાવી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકતધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો બાકીદારો 31મી માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો 18 ટકા વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલકતવેરા પેટે રૂપિયા 17.16 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. અત્યાર સુધીમાં રૂપિયા 12.19 કરોડની વસૂલાત થઈ છે, જ્યારે રૂપિયા 4.93 કરોડનો વેરો હજુ બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.05 ટકા વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે 29 ટકા વસૂલાત બાકી છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ, વર્ષોથી બંધ મકાનો અથવા આર્થિક તંગી જેવા કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ રૂપિયા 20 હજારથી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા અને મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ અંગે પાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે. સીવીક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવે છે, તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર-ટુ-ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે. તેમણે બાકી મિલકતધારકોને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:32 pm

જમીન-મિલકતનું ઈ-રજિસ્ટ્રેશન હવે મોંઘું બનશે:દસ્તાવેજ દીઠ રૂ.100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે, રાજ્યના મહેસૂલ વિભાગનું નોટિફિકેશન જાહેર

રાજ્ય સરકારે જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજોના ઈ-રજિસ્ટ્રેશન માટે નવી ફી લાગુ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઈ-રજિસ્ટ્રેશન કરાવતા દરેક દસ્તાવેજ પર હવે ₹100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન અધિનિયમ, 1908 હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા અગાઉ 3 ઓગસ્ટ 1987ના રોજ જાહેર કરાયેલા ફી ટેબલમાં સુધારો કરીને આ નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે ₹100 ફી વસૂલાશેનવી સૂચના મુજબ ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે “ઈ-રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી” નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઈ-રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે ₹100 ફી વસૂલવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવશે. નોટિફિકેશનને ગુજરાત સરકારના એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા તેમજ ઈ-પબ્લિશ કરવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતીમાં અનુવાદ થયા બાદ તેની આવૃત્તિ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઓનલાઈન દસ્તાવેજ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં હવે વધારાનો ખર્ચ લાગુ પડશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:31 pm

ભારતના એરોસ્પેસ ક્ષેત્રને મજબૂત બનાવશે:ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે સસ્ટેનેબલ એરોસ્પેસ સંશોધન ચલાવવા માટે એરબસનું સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ

એરબસ કંપનીએ વડોદરામાં આવેલી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ખાતે સસ્ટેનેબલ એરોસ્પેસ સંશોધન માટે સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ ટકાઉ ઉડ્ડયન બળતણ અને ભવિષ્યની અદ્યતન એરોસ્પેસ ટેક્નોલોજી પર સંશોધન કરવાનો છે. વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ અહીં નવીન વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે, જે ભારતના એરોસ્પેસ ક્ષેત્રને મજબૂત બનાવશે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભારતની પ્રથમ અને અનોખી કેન્દ્રીય યુનિવર્સિટી છે, જે પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર કેન્દ્રિત છે અને ઉદ્યોગ-સંચાલિત છે. એરબસ અને આ યુનિવર્સિટી વચ્ચેના આ સહયોગને દેશના એરોસ્પેસ ઇકોસિસ્ટમને વિસ્તારવાના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન એરબસ ઇન્ડિયા અને દક્ષિણ એશિયાના પ્રમુખ તથા મેનેજિંગ ડિરેક્ટર જુર્ગન વેસ્ટરમીયર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટી કોર્ટના સભ્ય રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. (ડૉ.) મનોજ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે જુર્ગન વેસ્ટરમીયરે જણાવ્યું કે, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયમાં આ સેન્ટર ઓફ એક્સેલન્સની શરૂઆત કરવી એ ભારતમાં મજબૂત એરોસ્પેસ ઇકોસિસ્ટમ વિકસાવવાની અમારી પ્રતિબદ્ધતાનો એક અગત્યનો ભાગ છે. અહીં મ્યુનિસિપલ કચરાને ટકાઉ ઉડ્ડયન બળતણમાં પરિવર્તિત કરવા જેવી નવીન ટેક્નોલોજી પર સંશોધન કરવામાં આવશે. આ સહયોગ વિદ્યાર્થીઓને ભવિષ્યના ઉડ્ડયન ક્ષેત્રમાં નેતૃત્વ કરવા માટે તૈયાર કરશે અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં મદદરૂપ બનશે. રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડે એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને આ મહત્વપૂર્ણ ભાગીદારી માટે અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. મનોજ ચૌધરીએ કહ્યું કે, કુલાધિપતિ અશ્વિની વૈષ્ણવના માર્ગદર્શન હેઠળ અમારી યુનિવર્સિટી ઉદ્યોગ સાથે જોડાયેલી શિક્ષણ અને સંશોધન પદ્ધતિ વિકસાવી રહી છે. એરબસ સાથેની આ ભાગીદારી દેશ માટે એક આદર્શ મોડેલ બની છે. આ સેન્ટર ઓફ એક્સેલન્સ, એરબસ ચેર પ્રોફેસરશીપ અને શિષ્યવૃત્તિ જેવી પહેલો ભારતના એરોસ્પેસ ક્ષેત્રના વિકાસમાં ક્રાંતિકારી ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024થી એરબસ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય વચ્ચે વ્યાપક ભાગીદારી ચાલી રહી છે. આ અંતર્ગત 45 પ્રતિભાશાળી અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિષ્યવૃત્તિ પ્રદાન કરવામાં આવી રહી છે, જેમાંથી એક તૃતીયાંશ શિષ્યવૃત્તિ મહિલાઓ માટે અનામત છે. વધુમાં, એરબસે યુનિવર્સિટીમાં એરોસ્પેસ અભ્યાસ માટે ચેર પ્રોફેસરશીપ પણ સ્થાપી છે. બંને સંસ્થાઓ વચ્ચે ટકાઉ ઉડ્ડયન ઉકેલો વિકસાવવા માટે સંયુક્ત સંશોધન કરાર પણ કરવામાં આવ્યો છે. આ સંશોધનનું મુખ્ય કેન્દ્ર મ્યુનિસિપલ કચરામાંથી ટકાઉ ઉડ્ડયન બળતણ ઉત્પાદિત કરવા પર છે, જેથી ભારતમાં ઉડ્ડયન ઇંધણ માટે સ્થાનિક અને પર્યાવરણમૈત્રી વ્યવસ્થા વિકસાવી શકાય. આ પગલું ભારતને આત્મનિર્ભર અને ટકાઉ ઉડ્ડયન ક્ષેત્ર તરફ આગળ વધારશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:26 pm

ડિમોલિશનમાં મકાન પડી જવા મામલે પત્નીનો પતિ પર હુમલો:પીડિત પતિએ પત્ની, સાસુ, સસરા અને સાળા સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરેલું ઝઘડો ગંભીર રૂપ લેતા પતિએ તેની પત્ની, સાસુ, સસરા અને સાળા સામે ફરિયાદ નોંધાવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન દરમિયાન જૂનું મકાન તોડી પાડવા મુદ્દે થયેલા વિવાદમાં પત્ની દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ, જાહેરમાં મારામારી, ગાળાગાળી અને ધમકીઓ આપવાનો આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. આ મામલે બોરતળાવ પોલીસે પત્ની, સાસુ, સસરા અને સાળા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મનપાના ડિમોલિશનમાં જૂનું મકાન પડી ગયુંઆ બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી આવાસ યોજના ચિત્રા ફુલસર ખાતે રહેતા દિલીપભાઈ મેરિયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા. 25 માર્ચ 2025ના રોજ સવારના સમયે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, ત્યારે હું મારી નોકરી ઉપર હતો અને અમારૂં જૂનું મકાન ડિમોલિશનમાં પડી ગયું હતું. કોની સાથે ફરવા ગયા હતા? કહી ઝઘડો કર્યો હતોબપોરે બે વાગ્યાના સમયે ઘરે કુંભારવાડા, મોક્ષ મંદિર પાછળ, વિરમેઘનગર, શેરી નં-9 પ્લોટ નં. 81/D ભાવનગર ખાતે જતા મારી પત્ની મમતા મને કેમ આજે રજા નો રાખી? અને કોની સાથે ફરવા ગયા હતા? એમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગી હતી. મેં તેને સમજાવ્યું હતું કે, હું હાજર હોત તો પણ ડિમોલિશન તો થવાનું જ હતું. મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યોમારી માતાને અભદ્ર શબ્દો કહી મને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરી કપડા સીવવાની કાતરનો ઘા પણ મારી લેત. ફરિયાદી દિલીપ મેરિયાની જૂના મકાનની બાજુમાં રહેતા શાંતુબેન કાટરિયા તેમજ દિલીપભાઈની દીકરી ગુપ્તી બંનેએ પકડી રાખી હતી. જાહેરમાં પત્નીએ ઈટો-પથ્થરના ઘા મારી બીભસ્ત શબ્દો કહેવા લાગી અને ફરિયાદીના કપડાં ફાડી નાખ્યા હતા અને કહ્યું કે, તારા મા-બાપ તમામને જેલના સળીયા ગણાવી દઈશ. 10 વર્ષથી મને અને મારા પરિવારને માનસિક હેરાન-પરેશાન કરે છેજાનથી મારી નાખવાની ધમકી આપી અને અવારનવાર છેલ્લા 10 વર્ષથી મને તથા મારા પરિવારને માનસિક રીતે હેરાન પરેશાન કરે છે અને મરી જવાની ધમકી આપે છે. મારી પત્ની મમતાને મારા સસરા કેશભાઈ મકવાણા તથા મારી સાસુ અમરતબેન કેશાભાઈ મકવાણા તથા મારો મોટો સાળો રાહુલ કેશાભાઈ મકવાણા મદદગારી કરે છે. આ બનાવ અંગે પત્ની, સાસુ, સસરા, સાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પત્ની સહિત ચારેય વિરૂદ્ધ ગુનો દાખલ કર્યોઆ બનાવ અંગે બોરતળાવ પોલીસે પત્ની મમતા મેરિયા, સસરા કેશાભાઈ મકવાણા, સાસુ અમરતબેન મકવાણા, સાળો રાહુલ મકવાણા વિરુદ્ધ BNS 115(2), 125(b), 352, 351(3), 54 કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:21 pm

વડોદરામાં JCBના ચાલકે ટ્રાફિક નિયમનના લીરેલીરા ઉડાવ્યા, VIDEO:JCBમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડીને જીવ જોખમમાં મુક્યા

વડોદરા શહેરમાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી અને કેટલાક ચાલકો અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક જેસીબીમાં સંખ્યા બંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. જો કોઈ અકસ્માત સર્જાત તો જવાબદાર કોણ તેવા સવાલો પણ આ દ્રશ્યો પરથી ઉઠવા પામ્યા છે. JCBના ‘સૂપડા’માં સાતથી આઠ લોકોને ઉભા રાખ્યાવડોદરા શહેર અને હાઈવે પર અકસ્માતોના બનાવોમાં ધરખમ વધારો થયો છે. ટ્રાફિક નિયમોને નેવે મૂકી વાહનો હંકારતા ચાલકોના પાપે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આજે પણ ક્યાંકને ક્યાંક ચાલકો , પોલીસ વિભાગ અને આરટીઓની બેદરકારી જોવા મળી રહી છે. કેટલાક લોકો પોતાના અને બીજાના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. તેવા એક જોખમી સવારીનો વીડિયો આજે વાયરલ થયો છે. વડોદરા શહેરના ખોડિયાર નગર ચાર રસ્તાથી દરજીપૂરા હાઈવે તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલા એક જેસીબીમાં આગળ અને પાછળ સંખ્યાબંધ શ્રમિકોને બેસાડી જોખમી સવારી કરવામાં આવી હતી. જેનો વીડિયો નજીકમાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો હતો. આટલા બધા શ્રમિકોને જેસીબીમાં બેસાડી પસાર થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કર્મીની આની પર નજર ના પડી એ એક મોટો પ્રશ્ન છે. આ જેસીબીથી કોઈ અકસ્માત કે દુર્ઘટના સર્જાત તો જવાબદાર કોણ ? અગાઉ પણ ઘણી વખત આવી જોખમી સવારીના વીડિયો વાયરલ થયા છે. જોકે પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવતા આજે પણ આ જોખમી સવારીનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. વડોદરા પોલીસે વાઈરલ વીડિયોના આધારે તપાસ હાથ ધરીઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે, જેમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ખાસ કરીને ભારદારી વાહનો બેફામ રીતે વાહનો હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકી છે. રોજે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં અનેક પરિવારોના કુળદીપક બુઝાય છે. તેમ છતાં વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકે તે રીતે લોકોને વાહનોમાં બેસાડે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસને કઈ દેખાતું નથી. વડોદરા પૂર્વ ACP જે આઈ વસાવાએ જણાવ્યું હતું કે, JCBમાં આટલા લોકોને બેસાડવાના મામલે વિડિઓના આધારે તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:09 pm

SOG અને સ્થાનિક પોલીસના નાક નીચેથી SMCએ ઝડપ્યું ડ્રગ્સનું નેટવર્ક:રાજસ્થાનના 'ડ્રગ્સ નેક્સસ'નો પર્દાફાશ, જોધપુરના પૂર્વ રેસ્ટોરન્ટ માલિક મુખ્ય સપ્લાયર

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે એક મોટી કાર્યવાહી કરીને ડ્રગ્સના કાળા કારોબારને ખુલ્લો પાડ્યો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડિંડોલી પોલીસના નાક નીચેથી આ નેક્સસ પર ગાંધીનગરની SMC ટીમે ત્રાટકીને લાખોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડિંડોલીના રીજન્ટ પ્લાઝાના એક ફ્લેટમાં ચાલી રહેલા આ અડ્ડા પરથી અંદાજે 1 કિલોથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. રેસ્ટોરન્ટ માલિકથી ડ્રગ્સ સપ્લાયર બનેલો ઓમપ્રકાશઆ સમગ્ર કેસમાં સૌથી ચોંકાવનારી વિગત આરોપીઓની પ્રોફાઇલમાંથી સામે આવી છે. મુખ્ય આરોપી ઓમપ્રકાશ રૂપારામ જાટ, જે રાજસ્થાનના જોધપુરનો વતની છે, તે ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર હોવાનું ખૂલ્યું છે. માહિતી મુજબ ઓમપ્રકાશ અગાઉ રાજસ્થાનમાં પોતાની રેસ્ટોરન્ટ ચલાવતો હતો પરંતુ, ધંધામાં નુકસાન જતાં અને રેસ્ટોરન્ટ બંધ થઈ જતાં તે ડ્રગ્સના રવાડે ચડ્યો હતો અને ટૂંકા સમયમાં મોટો સપ્લાયર બની ગયો હતો. જમીન દલાલીની આડમાં આશરો આપતો મહેન્દ્ર જોશીપકડાયેલા અન્ય આરોપીઓમાં મહેન્દ્ર સોહનલાલ જોશીનું નામ પણ મોખરે છે. મહેન્દ્ર મૂળ રાજસ્થાનના ઉદયપુરનો વતની છે પરંતુ, સુરતમાં વર્ષોથી રહી જમીન દલાલીનું કામ કરે છે. તે સુરતની ભૌગોલિક સ્થિતિથી વાકેફ હોવાથી, તેણે જ ડિંડોલીના રીજન્ટ પ્લાઝામાં ફ્લેટ ભાડે રાખીને રાજસ્થાનથી આવતા સપ્લાયરોને આશરો આપ્યો હતો. જમીન દલાલીની આડમાં તે આ ડ્રગ્સ નેટવર્કને સુરક્ષિત રાખવાનું કામ કરતો હતો. લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યોSMCની રેડ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સ: 1053.65 ગ્રામ (કિંમત 31.60 લાખ), વાહનો: બે લક્ઝરી ગાડીઓ (કિંમત 8 લાખ) અને અન્ય: 4 મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ 41,17,050નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ઓમપ્રકાશ જાટ, મહેન્દ્ર જોશી અને ચૈલસિંહ પુરોહિતની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા છે. વોન્ટેડ આરોપીઓ અને રાજસ્થાનનું જોડાણઆ કેસમાં હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેમાં અમિત કાબા, રાજેશ પાટીદાર અને કંવર પાલ સિંહના નામ સામે આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ પણ રાજસ્થાનના રહેવાસી છે. તપાસમાં ખૂલ્યું છે કે રાજસ્થાનના ઝાલાવાડ અને જોધપુરથી આ ડ્રગ્સનો જથ્થો સુરત મોકલવામાં આવતો હતો. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતો અમિત કાબા આ નેટવર્કના લોકલ ડિસ્ટ્રિબ્યુશનમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. આ રેડ કરનાર SMC નાઅધિકારી સી.એચ. પાનારા (PI) , આર.જી. વસાવા (PSI) હતા. તમામ આરોપીઓ રાજસ્થાનના: સુરત સોફ્ટ ટાર્ગેટ?પોલીસ તપાસમાં જે સૌથી મહત્વની વાત સામે આવી છે તે એ છે કે, પકડાયેલા અને વોન્ટેડ તમામ આરોપીઓ રાજસ્થાનના વતની છે. સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં પરપ્રાંતીયોની મોટી સંખ્યાનો લાભ ઉઠાવીને આ આરોપીઓએ અહીં પોતાનું જાળ બિછાવ્યું હતું. SMC ના અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આ ડ્રગ્સ સુરતમાં કયા પેડલરો સુધી પહોંચાડવાનું હતું અને આ અગાઉ કેટલા જથ્થાની હેરાફેરી થઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:06 pm

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં નર્સિંગ શિક્ષણ પરિસંવાદ યોજાયો:'એલિવેટ એન્ડ એજ્યુકેટ' થીમ પર 24 કોલેજોના 503 પ્રતિનિધિઓ જોડાયા

ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં નર્સિંગ શિક્ષણ પર એક રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. 'એલિવેટ એન્ડ એજ્યુકેટ: ટ્રાન્સફોર્મિંગ નર્સિંગ એજ્યુકેશન' થીમ પર આયોજિત આ એક દિવસીય પરિસંવાદ નર્સિંગ શિક્ષણમાં આધુનિક અભિગમ અને નવીનતા પર કેન્દ્રિત હતો. આ પરિસંવાદનું આયોજન બાલાજી કોલેજ ઓફ નર્સિંગ (તરસાલી-વડોદરા) દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને 'ધ નર્સિંગ સ્કોલર સોસાયટી, ઈન્ડિયા'ના સહયોગથી કરાયું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નર્સિંગ શિક્ષણમાં આધુનિક અભિગમ, શૈક્ષણિક નવીનતા અને ભવિષ્યના પડકારો અંગે વિચાર-વિમર્શ કરવાનો હતો. આ કાર્યક્રમમાં ભારતના વિવિધ વિસ્તારોમાંથી 24 નર્સિંગ કોલેજોના કુલ 503 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ફેકલ્ટી અને PhD સ્કોલર્સ દ્વારા કુલ 21 સંશોધન પત્રો રજૂ કરાયા હતા, જેમાં 3 ઓનલાઇન અને 18 ઓફલાઇન મોડમાં હતા. કાર્યક્રમની શરૂઆત શ્રી ગોવિંદ ગુરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરીભાઈ કાતરીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ આઈ.એ. કડીવાલા અને રજીસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પરિસંવાદ નર્સિંગ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે માર્ગદર્શક સાબિત થયો. બાલાજી ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન ડૉ. ધર્મેશ જે. પટેલ દ્વારા આ સફળ આયોજન બદલ સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:06 pm

ભારતમાં દર વર્ષે 18 લાખ નવા કેન્સર કેસ:નિરાલી હોસ્પિટલ આદિવાસી વિસ્તારોમાં મફત તપાસ કરશે

વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દેશમાં કેન્સરના વધતા વ્યાપ અંગે નિરાલી કેન્સર હોસ્પિટલના સિનિયર કેન્સર સર્જન ડૉ. મંદાર ત્રૈલોક્યએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે અને દર વર્ષે અંદાજે 15 થી 18 લાખ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ વર્ષે વર્લ્ડ કેન્સર ડેની થીમ 'યુનાઈટેડ ઈન યુનિકનેસ' રાખવામાં આવી છે. ડૉ. ત્રૈલોક્યના જણાવ્યા અનુસાર, હોસ્પિટલનો હેતુ દરેક દર્દીને વિશિષ્ટ ગણીને તેની જરૂરિયાત મુજબ પર્સનલાઇઝ્ડ સારવાર આપવાનો છે. કેન્સર સામેની લડાઈમાં માત્ર સારવાર જ નહીં, પરંતુ રોગની અટકાયત (પ્રિવેન્શન) પર ભાર મૂકવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કેન્સરનું વહેલું નિદાન થાય તે માટે નિરાલી હોસ્પિટલ દ્વારા વિશેષ પ્રોજેક્ટ શરૂ કરાયા છે. આધુનિક સુવિધા સજ્જ મોબાઇલ વેન દ્વારા ગામડે-ગામડે જઈ તપાસ કરવામાં આવે છે. મહિલાઓમાં સ્તન કેન્સરના સ્ક્રીનિંગ માટે થર્મોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે, જ્યારે ગર્ભાશયના કેન્સરના નિદાન માટે VIA ટેસ્ટની મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, વંચિત વિસ્તારોમાં ઘરઆંગણે જ નિદાન શિબિરો યોજી વહેલું નિદાન કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ડૉ. મંદારે વધુમાં ઉમેર્યું કે, વાંસદા, સેલવાસ અને નવસારીના અંતરિયાળ વિસ્તારોમાં કેન્સરની સ્થિતિ ગંભીર છે. જાગૃતિના અભાવ અને અંતરિયાળ વિસ્તાર હોવાથી દર્દીઓ સમયસર હોસ્પિટલ પહોંચી શકતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે હોસ્પિટલે પેરિફેરલ OPDs શરૂ કરી છે. તેઓ સ્થાનિક કોટેજ અને સિવિલ હોસ્પિટલોમાં જઈને દર્દીઓને મફત સલાહ અને માર્ગદર્શન આપે છે, જેથી તેઓ સમયસર સારવાર મેળવી શકે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:04 pm

પતિએ પત્નીના બિભત્સ મોર્ફ ફોટા વાયરલ કર્યા:પારડી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

વલસાડ જિલ્લાના પારડીમાં પત્નીના બિભત્સ મોર્ફ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ પતિની ધરપકડ કરવામાં આવી છે. પારડી પોલીસે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના કલ્યાણ વિસ્તારના યુવક સામે કડક કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વર્ષ 2022માં યુવકનો ઈન્સ્ટાગ્રામ દ્વારા યુવતી સાથે સંપર્ક થયો હતો. તેમની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી અને ત્યારબાદ બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર પણ છે. જોકે, યુવકના શંકાશીલ સ્વભાવને કારણે પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ પરિસ્થિતિથી કંટાળીને મહિલા છેલ્લા બે વર્ષથી પારડીના મોટી વારિયા વિસ્તારમાં આવેલા પોતાના પિતાના ઘરે રહેવા આવી ગયા હતા. પત્નીના પિયર જવાથી ઉશ્કેરાયેલા પતિએ બદનામ કરવાનું કાવતરું ઘડ્યું. તેણે પત્નીના ચહેરાનો ઉપયોગ કરીને અન્ય મહિલાના બિભત્સ ફોટા સાથે મોર્ફિંગ કર્યું હતું. આ મોર્ફ કરેલા ફોટા તેણે વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા. આ ઉપરાંત, તેણે આ ફોટા મહિલાના અને તેમના સગા-સંબંધીઓને પણ મોકલી આપ્યા હતા. આ કૃત્યથી પરેશાન થઈને મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી સિદ્ધાર્થની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન સ્પષ્ટ થયું કે આરોપીએ જાણી જોઈને પત્નીની છબી ખરડવાના ઈરાદે આ ગુનો કર્યો હતો. પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે DySP ભાર્ગવ પંડ્યાએ જણાવ્યું હતું કે, “પત્નીના બિભત્સ ફોટા બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપી સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને જેલભેગો કરવામાં આવ્યો છે.”

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:03 pm

‘મિની કુંભ’મેાંએ મંત્રીઓ-તંત્રના વાહનો પર પણ પ્રવેશબંધી:ઇન્દ્રભારતી બાપુએ કહ્યું વયોવૃદ્ધ અને અશક્ત વ્યક્તિઓ માટે ઇલેક્ટ્રિક રિક્ષાની સુવિધા વચ્ચે તંત્રની નવી વ્યવસ્થા કેટલી ફળદાયી નીવડશે ? આ મેળામાં ત્રણ અખાડા મુખ્ય

​આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવશે. આ વર્ષે ગુજરાત સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને સુવિધાને સર્વોપરી રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મેળાના સુચારુ સંચાલન માટે આજે ભવનાથના પટાંગણમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન અને સાધુ-સંતો વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ આ વખતે મેળાના રૂટ અને વ્યવસ્થામાં ઘણા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ખાસ કરીને ટ્રાફિક અને ભીડને નિયંત્રિત કરવા માટે પાર્કિંગની વ્યવસ્થામાં મોટો બદલાવ કરાયો છે. દર વર્ષે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં થતું બસોનું પાર્કિંગ હવે ગિરનાર દરવાજા પાસે રાખવામાં આવ્યું છે, જ્યારે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડનો ઉપયોગ સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કરવામાં આવશે. ​ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ આ બેઠકમાં બાદ મીડિયાને જણાવ્યું હતું કે આ વર્ષે મેળામાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ આઈ.પી.એસ. અધિકારીઓ અને મંત્રીઓના વાહનો માટે પણ પ્રવેશબંધી રહેશે. જોકે, વૃદ્ધો, અશક્ત સાધુ-સંતો અને વરિષ્ઠ નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે કલેક્ટર દ્વારા ઇલેક્ટ્રિક રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રિક્ષાઓની સંખ્યા અને અન્ય સુવિધાઓ અંગે હજુ સરકાર સાથે વધુ ચર્ચા કરવામાં આવશે. બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મેળામાં શ્રી પંચ જૂના અખાડો, આહવાન અખાડો અને અગ્નિ અખાડાની પ્રાચીન પરંપરા મુજબ રવેડી નીકળશે. વર્ષો પહેલા સૂર્યપ્રકાશ ભારતીજી અને હાથીગીરીજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે અને આ ત્રણ મુખ્ય અખાડાઓ જ રવેડીમાં જોડાશે. ચોાપરડાના મહાંત મુક્તાનંદ બાપુએ પણ આયોજન અંગે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ આ વખતે ખૂબ જ ધ્યાનપૂર્વક કામગીરી કરી રહ્યા છે. મેળાનો પ્રારંભ 11 ફેબ્રુઆરીએ સવારે 9 વાગ્યે ભવનાથ મહાદેવના મંદિરે ધ્વજારોહણ સાથે થશે. આ વખતે એક વિશેષ આકર્ષણ 'ડમરુ યાત્રા' રહેશે, જે ગિરનાર દરવાજા પાસેથી શરૂ થઈને ભવનાથ મંદિર પહોંચશે. આ યાત્રા બાદ ભવ્ય આરતી અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહેશે. પત્રકારોના પ્રશ્નોના જવાબમાં બાપુએ જણાવ્યું હતું કે, મેળા દરમિયાન સ્થાનિકોને જરૂરી રેશનિંગ, ગેસ સિલિન્ડર અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જેથી રસ્તાઓ બંધ હોવા છતાં સામાન્ય જનજીવન પ્રભાવિત ન થાય. ​જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે ભવનાથના આ મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, જેના કારણે વહીવટી તંત્ર માટે મુખ્ય પડકાર ભવનાથ તરફ આવવા-જવાનો એકમાત્ર રસ્તો છે, જ્યાં વાહનો અને લોકોની ભીડ વધતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ગિરનાર અને ભૈરવનાથ દરવાજાની બહાર 25 જેટલા પાર્કિંગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં વાહનો મૂકીને યાત્રિકોએ ચાલતા ભવનાથ પહોંચવાનું રહેશે,સમગ્ર રૂટ પર યાત્રિકો માટે પીવાનું શુદ્ધ પાણી, શૌચાલયો, છાસ-લીંબુ પાણીના વિતરણ કેન્દ્રો અને સુંદર સુશોભન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ઉતારા મંડળો માટે કરિયાણું અગાઉથી ભરી લેવાનું આયોજન કરાયું છે, જ્યારે દૂધ, શાકભાજી અને ગેસ સિલિન્ડર જેવી રોજિંદી જરૂરિયાતો માટે ભવનાથમાં જ પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે અને ટ્રાફિકની અગવડ ન પડે તે માટે રાત્રિના સમયે સામાનની હેરફેર માટેની જરૂરી મંજૂરી અને પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધીના રવેડી રૂટનું પગપાળા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મેળાના રૂટ પર પાણીના પોઈન્ટ, મોબાઈલ શૌચાલય, સફાઈ વ્યવસ્થા અને સુશોભનના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. રવેડીનો જે રૂટ લંબાવવામાં આવ્યો છે તેનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરાયું છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ડમરુ યાત્રામાં જોડાનાર સાધુ-સંતોનું નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તમામ નવી વ્યવસ્થાઓ ભવિષ્યમાં મેળાના આયોજન માટે એક મોડેલ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે લાખોની સંખ્યામાં ઉમટી પડતા ભાવિકો વચ્ચે તંત્રની આ 'નો વ્હીકલ ઝોન' અને અન્ય નવીન વ્યવસ્થાઓ કેટલી ફળદાયી નીવડે છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:03 pm

બોટાદમાં કરિયાણાવાળાએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ:12 વર્ષીય બાળકી દુકાને વસ્તુ લેવા પહોંચી તો ઘરમાં લઈ જઈ કુકર્મ કર્યુ, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવાની શરમનાક ઘટના સામે આવી છે. કરિયાણાવાળાએ તેની દુકાને આવેલી સગીરાને હવસનો શિકાર બનાવી હતી. આ મામલે પાળીયાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાની ધરપકડ કરી લીધી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી જેરામ ભાલાળા ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે. ભોગ બનનાર સગીરા તેની દુકાને વસ્તુ લેવા માટે ગઈ હતી, ત્યારે આરોપીએ તેને પકડી લીધી હતી અને બળજબરીપૂર્વક દુકાનની બાજુમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સઘન સર્ચ ઓપરેશન કરી પકડ્યોઆ ઘટના અંગે સગીરાના પરિવારે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. કેસની ગંભીરતાને જોતા બોટાદના DYSP મનીષા દેસાઈએ આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરી હતી. પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી જેરામ ઈશ્વર ભાલાળાને દબોચી લીધો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 4:00 pm

1 વર્ષ બાદ મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડી

Manipur News: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું છે. ગૃહ મંત્રાલયે આ મામલે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય, 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2022 ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે.

ગુજરાત સમાચાર 4 Feb 2026 3:57 pm

હિંમતનગરના મોતીપુરામાં પથ્થર ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું:સર્વિસ રોડ પર ગટરનો સ્લેબ તૂટતા ટ્રાફિક જામ

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પરના સર્વિસ રોડ પર બુધવારે બપોરના સમયે એક પથ્થર ભરેલું ડમ્પર ગટરમાં ખાબક્યું હતું. ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ બાજુમાં આવેલી ગટરનો સ્લેબ તૂટી જતાં આ દુર્ઘટના બની હતી, જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનથી પથ્થર ભરીને હિંમતનગર આવી રહેલું આ ડમ્પર મહેતા સર્વિસ સ્ટેશન તરફથી મોતીપુરા સર્વિસ રોડ પર આવી રહ્યું હતું. તે દરમિયાન ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડ પર ગટરનો સ્લેબ અચાનક તૂટી ગયો હતો, અને ડમ્પરનો પાછળનો ભાગ ગટરમાં ધસી પડ્યો હતો. આ ઘટનાને પગલે રોડ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ જેસીબી દ્વારા ડમ્પરને ગટરમાંથી બહાર કાઢવાની કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 3:49 pm

પૂર્વ જનરલ નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- 'PM મોદી આવશે તો ગિફ્ટ કરીશ'

MM Naravane Book Controversy: લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દેશના પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેના પુસ્તકને સતત મુદ્દો બનાવી કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. પુસ્તકમાં ચીન સાથે સરહદ વિવાદથી જોડાયેલા પ્રકરણને રાહુલ ગાંધીએ જ્યારે સંસદમાં ઉઠાવ્યો તો તેમને બોલવાની મંજૂરી અપાઈ ન હતી. હવે સંસદ બહાર રાહુલ ગાંધીએ મોરચો માંડ્યો છે, પૂર્વ સેના પ્રમુખના પુસ્તક સાથે પ્રદર્શન કર્યું હતું તેને હવામાં લહેરાવીને કહ્યું હતું કે, 'આ પુસ્તક વિદેશમાં ઉપલબ્ધ છે, આજે જ્યારે વડાપ્રધાન મોદી સંસદમાં આવશે ત્યારે તેમણે આ પુસ્તક ભેટ આપીશ.' નરવણેનું પુસ્તક બતાવી મોદી સરકાર પર પ્રહાર રાહુલ ગાંધીએ પુસ્તક બતાવી દાવો કર્યો કે, મને લાગે છે કે નરવણેનું આ પુસ્તક વિદેશમાં મળે છે, તે વિદેશમાં પબ્લિશ થઈ ચૂક્યું છે, જ્યારે સરકાર અહીં તેને પબ્લિશ કરવા દેતી નથી.

ગુજરાત સમાચાર 4 Feb 2026 3:45 pm

પોરબંદર મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વર્કશોપ યોજ્યો:કર્મયોગી પોર્ટલથી કર્મચારીઓને કચરાના વૈજ્ઞાનિક નિકાલની તાલીમ અપાઈ

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા સુધારવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગે એક તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં 'કર્મયોગી પોર્ટલ'નો ઉપયોગ કરીને કર્મચારીઓને કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને વર્ગીકરણ વિશે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ વિશેષ તાલીમ કાર્યક્રમ મહાનગરપાલિકાના સભાખંડ ખાતે સેનિટેશન શાખા દ્વારા યોજવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ શહેરની સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાનો હતો. કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કચરાના સંગ્રહથી લઈને તેના અંતિમ નિકાલ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. વર્કશોપમાં વોર્ડ નંબર ૧ થી ૧૩ના તમામ સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો, સુપરવાઇઝરો અને એપ્રેન્ટીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ડોર-ટુ-ડોર કચરા કલેક્શન, સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ (સેગ્રીગેશન), તેમજ કચરાના વૈજ્ઞાનિક પ્રોસેસિંગ અને નિકાલ જેવી પદ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. 'કર્મયોગી પોર્ટલ'ના માધ્યમથી ડિજિટલ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની આધુનિક પદ્ધતિઓ અને સ્વચ્છતા જાળવવામાં કર્મચારીઓની ભૂમિકા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પોરબંદર શહેરમાં કચરા વ્યવસ્થાપનને વધુ અસરકારક અને સુવ્યવસ્થિત બનાવવાનો છે. આનાથી શહેરની સ્વચ્છતામાં વધારો થશે અને પર્યાવરણનું જતન થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 3:45 pm

હિંમતનગરના આધેડે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો:ગાંભોઈ પોલીસે આરોપી વ્યાજખોરને ઝડપી પાડ્યો, ₹15 હજાર પરત કર્યા છતાં કાર પડાવી લીધી હતી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક આધેડે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં ગાંભોઈ પોલીસે આરોપી વ્યાજખોરને તેના ઘરેથી ઝડપી પાડ્યો છે. મૃતકના પુત્રની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક રમેશચંદ્ર પરમાર (આધેડ) સરવણા ગામના રહેવાસી હતા અને ઇકો કાર ચલાવી ગુજરાન ચલાવતા હતા. તેમણે પોતાના મિત્ર દિલીપ પરમાર પાસેથી રૂપિયા પંદર હજાર વ્યાજે લીધા હતા. રમેશચંદ્ર પરમારે ટુકડે ટુકડે મૂળ રકમ પરત કરી દીધી હોવા છતાં, દિલીપ પરમાર દ્વારા વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વ્યાજખોરે રમેશચંદ્રની ઇકો કાર પણ પડાવી લીધી હતી, જેના કારણે તેઓ ભારે માનસિક તણાવમાં હતા. વ્યાજખોરના ત્રાસ અને રકઝકથી કંટાળીને રમેશચંદ્ર પરમારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન છ દિવસ પહેલા તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ રમેશચંદ્ર પરમારના પુત્ર નરેન્દ્રકુમાર પરમારે ગાંભોઈ પોલીસ મથકે વ્યાજખોર દિલીપકુમાર શનસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાંભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી દિલીપકુમાર શનસિંહ પરમારને ગાંભોઈમાં તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Feb 2026 3:38 pm