ગુજરાત હાઈકોર્ટે માત્ર રૂ. 20ની લાંચના કેસમાં અમદાવાદના એક પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ જાહેર કરી તેમના પર લાગેલું કલંક દૂર કર્યું. પરંતુ આ ન્યાય મેળવવા માટે તેમને 30 વર્ષ સુધી લાંબી કાનૂની લડત આપી હતી. પરંતુ પોલીસ કોન્સ્ટેબલે વકીલને જણાવ્યું હતું કે, 'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારું' તેવી સંવેદના વ્યક્ત કરી હતી. નિર્દોષ સાબિત થયાના બીજા જ દિવસે તેમનું નિધન થયું હતું. 1996માં અમદાવાદના કોન્સ્ટેબલ વિરુદ્ધ રૂ. 20ની લાંચ લેવાનો આક્ષેપ હતોમળતી વિગત મુજબ, વર્ષ 1996માં અમદાવાદ વેજલપુરના પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમની સામે 20 રૂપિયાની લાંચ લેવાનો આક્ષેપ હતો. વર્ષ 1997માં તેમની સામે અમદાવાદની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ થઈ હતી. જ્યારે વર્ષ 2002માં તેમની સામે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો હતો. 2004માં 4 વર્ષની સખત કેદની સજા થઈ હતીસેશન્સ કોર્ટે વર્ષ 2003માં સાક્ષીઓ તપાસવાનું શરૂ કર્યું હતું અને વર્ષ 2004માં તેમને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવીને 4 વર્ષની સખત કેદ અને 3 હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. જેને પોલીસ કોન્સ્ટેબલે ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 2026માં હાઇકોર્ટે ચુકાદો આપતા પોલીસ કોન્સ્ટેબલને નિર્દોષ છોડ્યાવર્ષ 2004માં દાખલ થયેલી આ અપીલમાં 4 ફેબ્રુઆરી, 2026ના રોજ હાઇકોર્ટે ચુકાદો આપતા તેમને નિર્દોષ છોડ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ વતી એડવોકેટ નીતિન ગાંધીએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે સાહેદોની જુબાનીમાં ફેર છે. આ સાથે જ અન્ય કેટલીક દલીલો કરવામાં આવી હતી. 30 વર્ષની કાનૂની લડત ને નિર્દોષ આમ કુલ 30 વર્ષની કાનૂની લડત બાદ તેઓ નિર્દોષ સાબિત થયા હતા. પોલીસ કોન્સ્ટેબલ નિર્દોષ સાબિત થતા તેમના વકીલની ઓફિસે ગયા હતાં. વકીલે તેમને રોકાઈ ગયેલા સરકારી લાભો મેળવવા માટે અરજી કરવા માટે જણાવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ ઘરે ગયા ને બીજા જ દિવસે કુદરતી મૃત્યુંપરંતુ પોલીસ કોન્સ્ટેબલે વકીલને જણાવ્યું હતું કે, હવે જીવનનો કલંક દૂર થયો છે, ભગવાન મને લઈ લેતો સારું. જે વકીલની ઓફિસના CCTVમાં પણ રેકોર્ડ થયું હતું. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ પોતે ઘરે ગયા હતા અને બીજા જ દિવસે તેમનું કુદરતી મૃત્યુ થયું હતું. ત્રણ કોન્સ્ટેબલ ઉપર લાંચની ફરિયાદ દાખલ થઈ હતીપોલીસ કોન્સ્ટેબલના વકીલ નીતિન ગાંધીએ જણાવ્યું હતું કે, 1997માં વેજલપુર વિસ્તારમાં વિશાલા પાસે ACBની કોન્સ્ટેબલો પર ટ્રેપ થઈ હતી. જેમાં એસીબીને એવી માહિતી મળી હતી કે કોન્સ્ટેબલો ટ્રક ડ્રાઈવર પાસેથી કરપ્શન કરે છે. તે રનિંગ ટ્રેપ કરીને ત્રણ કોન્સ્ટેબલ ઉપર એસીબીએ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં 1997 પછી 2004માં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને તમામ કોન્સ્ટેબલોને કોર્ટે સજા કરી હતી. જેના ઉપર 2004માં ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ થઈ હતી. જે અપીલ તારીખ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટે એલાઉ કરી છે અને જે આરોપી હતા કોન્સ્ટેબલ એમને નિર્દોષ છોડ્યા હતાં.
સુરત શહેરના રસ્તાઓ પર રાત્રિના સમયે અન્ય વાહનચાલકોની સુરક્ષા જોખમાવતી અનધિકૃત અને ભારે તીવ્રતા ધરાવતી હેડલાઇટ સામે સુરત RTO અને ટ્રાફિક પોલીસે કમર કસી છે. સુરતના વાય જંક્શન ખાતે સ્પેશિયલ ડ્રાઈવ યોજીને મોડિફાઈડ લાઈટ ધરાવતા વાહનચાલકો સામે આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિયમભંગ કરનારાઓને મોટો ફટકોRTO અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઓપરેશનમાં અનેક વાહનચાલકો સાણસામાં આવ્યા હતા. આ ડ્રાઈવ અંતર્ગત વાહનચાલકો પાસેથી 1,000 થી લઈને 6,000 સુધીનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જો કોઈ વાહનચાલક સ્થળ પર દંડ ભરવામાં નિષ્ફળ રહે અથવા નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે, તો કાયદામાં 6 મહિના સુધીની કેદની સજાની પણ જોગવાઈ છે. કેમ લેવાયા આ કડક પગલાં?સુરતના આસિસ્ટન્ટ RTO અંકિત શાહના જણાવ્યા અનુસાર, ઘણા વાહનચાલકો કંપની ફિટિંગની હેડલાઇટ સાથે ચેડાં કરીને તેમાં વધુ તીવ્રતા ધરાવતા LED બલ્બ લગાવે છે. આવી સફેદ અને તેજ લાઈટો સામેથી આવતા વાહનચાલકોની આંખો અંજાવી દે છે, જે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. દંડની વસૂલાત અને કઈ કલમ હેઠળ કાર્યવાહી?RTO દ્વારા દંડની રકમનું વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં મોટર વાહન ધારાની કલમ 182 હેઠળ અનધિકૃત રીતે બલ્બમાં ફેરફાર કે ચેડાં કરવા બદલ 5,000 નો દંડ, રોડ સેફ્ટી જોખમને લઈને જાહેર માર્ગ પર અન્ય માટે જોખમ ઊભું કરવા બદલ વધારાનો 1,000 દંડ એમ કુલ દંડ 6,000 સુધીનો વસૂલવામાં આવ્યો હતો. 250થી વધુ વાહનો દંડાયા, ઝુંબેશ ચાલુ રહેશેછેલ્લા એક મહિના દરમિયાન ચાલેલી આ સ્પેશિયલ ડ્રાઈવમાં અત્યાર સુધીમાં અંદાજે 250 જેટલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાઈવેને જોડતા ચેકપોઈન્ટ્સ પર 24/7 (રાઉન્ડ ધ ક્લોક) ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નાગરિકોને અપીલRTO એ સુરતવાસીઓને અપીલ કરી છે કે જો તમારા વાહનમાં આવી કોઈ પણ અનધિકૃત LED લાઈટ લગાવેલી હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ કડક બનાવવામાં આવશે અને નિયમભંગ કરનારાઓને છોડવામાં આવશે નહીં.
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં રહેતો બુટલેગર ગોવામાંથી કારમાં બનાવેલી 3 ટાંકીમાં વિદેશી દારૂ ભરીને તરસાલી થઈને વડોદરા શહેરમાં આવી રહ્યો છે. તેવી બાતમીના આધારે પીસીબી પોલીસે તરસાલી શાક માર્કેટ પાસેથી દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પીસીબી ₹3.91 લાખનો વિદેશી દારૂ અને કાર મળી રૂ.9.17 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કપુરાઇ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા લાવ્યોવડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરફેરી તથા વેચાણ કરવામાં આવતું હતું. જેને લઈ પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી તરસાલી શાક માર્કેટ પાસે પહોંચી હતી. ત્યારે પીસીબીને બાતમી મળી હતી કે, દંતેશ્વર ચિત્રાનગર સોસાયટીમાં રહેતો અમિત સોલંકીએ કારમાં 3 ટાંકી બનાવી છે અને આ ટાંકીઓમાં ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવ્યો છે અને હાલ ચિખોદરા - ધનિયાવી તરફ આવી રહ્યો છે અને થોડી જ વારમાં તરસાલી થઇ વડોદરા ખાતે આવવાનો છે. કારમાં લગાવેલી ટાંકી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠીપીસીબીની ટીમે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી, ત્યારે બાતમી મુજબનો શખસ કાર લઈ આવ્યો હતો. જેથી પીસીબી પોલીસના હાથે કારચાલક અમિત મણીલાલ સોલંકી (રહે, એ-59, ચિત્રાનગર સોસાયટી, હરીઓમ સોસાયટીની બાજુમાં, દંતેશ્વર, વડોદરા) ઝડપાઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરી હતી, ત્યારે બુટલેગરે કારમાં ટાંકી બનાવી તેમાં દારૂ ભરેલો હતો. કારમાં લગાવેલી ટાંકી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પીસીબીએ રૂપિયા 3.91 લાખનો વિદેશી દારૂ, 5 લાખ રૂપિયાની કિંમતની કાર, 16 હજાર રૂપિયા રોકડ તથા બે મોબાઇલ ફોન મળીને 9.17 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો અને આ મામલે વધુ કાર્યવાહી માટે આરોપીને કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. દારૂ ભરવાની ટાંકીઓ રાજસ્થાનમાં બનાવીબુટલેગર દ્વારા કારમાં દારૂ ભરવા માટેની 3 ટાંકીઓ રાજસ્થાનમાં બનાવડાવી હતી. આ ટાંકીઓમાં દારૂ ભરવા માટેના ઢાંકણ પાછળની લાઇટમાં અને સિટની પાછળ ફીટ કરી હતી તેમજ દારૂ કાઢવા માટેના વાલ્વ પાછળના ટાયર ઉપરના ગાર્ડની અંદર છુપી રીતે ફીટ કર્યા હતો. વિદેશી દારૂ ગોવા ખાતેથી અલગ અલગ બારમાંથી ખરીદી કરી હતી અને દારૂને કારમાં બનાવેલી ટાંકીઓમાં ભરી દીધો હતો અને વિદેશી દારૂને વડોદરા ખાતે લાવી છુટક વેચાણ કરતો હતો. પોલીસે 9.17 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા પીસીબી બાદ એલસીબી ઝો-3ની ટીમને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી છે. બુટલેગર ભાવેશ રાજપૂતે મંગાવેલા દારૂનું વાઘોડિયા રોડ વિસ્તારમાં ટેમ્પોમાંથી દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી બે જણા ઝડપાઇ ગયા હતા. જ્યારે બુટલેગર સહિતના ત્રણને વોન્ટેડ જાહેર કર્યાં છે. પોલીસે વિદેશી દારૂ રૂ.19.06 લાખ, ચાર વાહનો અને બે મોબાઇલ સહિત રૂ.26.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસને સોંપ્યો છે. એલસીબી ઝોન-3ની ટીમ 6 ફેબ્રુઆરીના રોજ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, બુટલેગર ભાવેશ ચન્દ્રકાન્ત રાજપુત (રહે.વુડાના મકાન બાપોદ પાણીની ટાંકી વાઘોડીયા રોડ વડોદરા) વિદેશી દારૂનો જથ્થો બંધબોડી ટેમ્પોમાં ભરીને દારૂ મંગાવ્યો છે અને હાલમાં વાઘોડીયા રોડથી નારાયણ ફ્લેટ તરફ જવાના રોડ પર વાસ તળાવ કીનારે ટેમ્પો ઉભો રાખીને પોતાના મળતીયા દ્વારા ટેમ્પામાંથી અલગ અલગ ગાડીઓમાં દારૂના જથ્થાનું કટિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે એલસીબી ઝોન-3ની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી મીતેશ મહેશ રાજપુત (રહે. લક્ષ્મીનગર સોસાયટી દયાલનગર પાસે વારસીયા રીંગરોડ કીશનવાડી વડોદરા) તથા વિક્રમ પ્રતાપસિહ બારીયા (રહે. બી.એસ.યુ.પી આવાસ વુડાના મકાન બાપોદ પાણીની ટાંકી પાસે વાઘોડીયા રોડ વડોદરા)ને ઝડપી પાડ્યાં હતા. જ્યારે સ્થળ પરથી ભાવેશ ચન્દ્રકાન્ત રાજપુત (રહે.વુડાના મકાન બાપોદ પાણીની ટાંકી વાઘોડીયા રોડ વડોદરા), મહીન્દ્રા સ્કોર્પીયોનો ચાલક અને ટાટા ટેમ્પો લઈને આવનાર ચાલક પઠાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. પોલીસે સ્થળ પરથી રૂ.19.06 લાખનો વિદેશી દારૂ, બે મોબાઇલ રૂ.25 હજાર, ચાર વાહનો રૂ.7.50 લાખ તથા પ્લાસ્ટીકના ડ્રમ નંગ-26 મલી રૂ. 26.59 લાખનો મુદ્દામાલ કબજે કરી કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.
India MEA Statement: પાકિસ્તાનના ઇસ્લામાબાદના તરલાઈ વિસ્તારના ઇમામબર્ગમાં આજે(6 ફેબ્રુઆરી, 2026) શિયા મસ્જિદની બહાર થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 31 લોકોના મોત થઈ ગયા છે અને 170થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ આ બ્લાસ્ટનો આત્મઘાતી હુમલો ગણાવ્યો છે. જોકે, હુમલો થતાં જ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના ભારત અને અફઘાનિસ્તાન પર આરોપ લગાવ્યો છે. ત્યારે હવે આ મામલે ભારતે પાકિસ્તાનના આરોપ ફગાવતા સત્તાવાર પ્રતિક્રિયા આપી છે. ભારતે પાકિસ્તાનના આરોપો ફગાવ્યા
દુધરેજ કેનાલમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળ્યા:પરિવારને હત્યાની આશંકા, પોલીસે તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગર નજીક દુધરેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળી આવ્યા છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહોને બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, સુરેન્દ્રનગર મુખ્ય નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન PS-5 પાસે મૃતદેહ તરતા હોવાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી. ફાયર વિભાગની દેવાંગભાઈ દુધરેજીયાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી શોધખોળ કરી બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.પોલીસે મૃતદેહોની ઓળખ કરતા યુવક મફતીયાપરાના સાહીલભાઈ અલ્લાઉદ્દીનભાઈ માણેક અને યુવતી 80 ફૂટ રોડ પર રહેતી હોવાનું સામે આવ્યું છે. મૃતક સાહીલના ભાઈ ઈમરાનભાઈ માણેકે જણાવ્યું હતું કે, તેમનો ભાઈ ભાગી ગયો હતો અને યુવતીના પરિવારે દબાણ કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે ઘટનાસ્થળેથી યુવક-યુવતીના મોબાઈલ ફોન અને ચપ્પલ પણ મળી આવ્યા છે. પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે બંનેની હત્યા કરીને મૃતદેહોને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા છે અને ન્યાયની માંગ કરી છે.આ ઘટના અંગે મૃતકના સગા દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદના હડદડ ગામે મારામારી:ક્રિકેટ રમવા બાબતે બોલાચાલી થતા સાત ઈજાગ્રસ્ત, બે ભાવનગર ખસેડાયા
બોટાદ જિલ્લાના હડદડ ગામે ક્રિકેટ રમવા બાબતે થયેલી બોલાચાલી મારામારીમાં પરિણમી હતી. આ ઘટનામાં સાત જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેમાંથી બે વ્યક્તિઓને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હડદડ ગામમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ કેટલાક લોકોએ ઠપકો આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. બંને જૂથના લોકો સામસામે લાકડાના ધોકા, બેટ અને લાકડીઓ વડે મારામારી પર ઉતરી આવ્યા હતા. આ મારામારીમાં કુલ સાત વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. હડદડ ગામના સરપંચ સોમાભાઈ જમોડે બોટાદ સરકારી હોસ્પિટલ ખાતેથી આ ઘટના અંગેની માહિતી આપી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હડદડ ગામે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ નગરપાલિકાએ 1720 રખડતા પશુઓ પકડ્યા:શહેરમાં ટ્રાફિક અને અકસ્માત રોકવા ઝુંબેશ
બોટાદ નગરપાલિકાએ શહેરમાં રખડતાં ઢોરોની સમસ્યા નિવારવા કડક ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1720 રખડતાં પશુઓને પકડીને બોટાદ જિલ્લાની વિવિધ ગૌશાળાઓમાં મોકલી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી રખડતાં પશુઓને કારણે ટ્રાફિક અવરોધ, અકસ્માતોનું જોખમ અને જાહેર સલામતી અંગેની ફરિયાદો વધી રહી હતી. પકડાયેલા પશુઓમાં મોટાભાગે આખલાઓનો સમાવેશ થાય છે, જે જાહેર માર્ગો પર વધુ જોખમી સાબિત થતા હતા. નગરપાલિકાએ જણાવ્યું છે કે, આગામી સમયમાં રખડતી ગાયો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ પશુપાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના દુધાળા પશુઓને જાહેર રસ્તાઓ કે ખુલ્લા વિસ્તારોમાં છૂટા ન મૂકે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો, ટ્રાફિક વ્યવસ્થા સુધારવાનો અને શહેરને સ્વચ્છ તથા સુવ્યવસ્થિત બનાવવાનો છે. નિયમોનું પાલન ન કરનાર પશુપાલકો સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. નગરપાલિકાએ નાગરિકો અને પશુપાલકોને આ ઝુંબેશમાં સહકાર આપવા અપીલ કરી છે, જેથી બોટાદ શહેરને રખડતાં ઢોરોથી મુક્ત બનાવી શકાય.
નવસારી કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) પ્રક્રિયામાં લઘુમતીઓના નામ કમી થવાના આક્ષેપ સાથે ભારે હોબાળો થયો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, ત્યારે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તીખી તકરાર થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકારણ ગરમાયું છે. રાહ જોવાનું કહેતા કોંગ્રેસી કાર્યકરો કચેરી બહાર ધરણા પર બેસી ગયાકોંગ્રેસ દ્વારા લાંબા સમયથી SIR પ્રક્રિયા સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આજે ધારાસભ્ય અનંત પટેલ અને પ્રભારી અસલમ સાયકલવાળા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને મળવા પહોંચ્યા હતા. કલેક્ટર મિટિંગમાં વ્યસ્ત હોવાથી તેમણે રાહ જોવા જણાવ્યું હતું, જેનાથી નારાજ થઈને કોંગ્રેસી કાર્યકરો કચેરી બહાર ધરણા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર કર્યા. પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે અનંત પટેલ ઉશ્કેરાઈ ગયાધરણા દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત કરતી વખતે ધારાસભ્ય અનંત પટેલ ઉશ્કેરાઈ ગયા હતા. વાયરલ વીડિયોમાં તેઓ પોલીસને ધમકાવતા કહી રહ્યા છે કે, તમારા પટ્ટા છૂટી જશે, ઘરે બેસી જશો. આ બીજી વખત છે જ્યારે પોલીસ મને અટકાવી રહી છે. તેમણે આ મામલે એસ.પી. (SP) પાસે જવાબ માંગવાની અને આગામી 16 તારીખ પછી વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવવાની વાત કરી હતી. જનપ્રતિનિધિ સાથે આવા વર્તનને સદંતર ખોટું ગણાવ્યુંઅનંત પટેલે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, અમે અહીં શાંતિથી બેઠા છીએ અને તમારી દરેક વાત માની છે. પાંચ લોકોએ અંદર આવવું હોય તો અમે એ માટે પણ તૈયાર છીએ. આટલી મોટી ઓફિસ છે, શું અમે કોઈ લડાઈ-ઝઘડો કરવા આવ્યા છીએ? શું અમે કોઈ ગુનેગાર છીએ? તેમણે જનપ્રતિનિધિ સાથે આવા વર્તનને સદંતર ખોટું ગણાવ્યું હતું. ધારાસભ્યએ મુખ્યમંત્રી કાર્યાલયનું ઉદાહરણ આપતા કહ્યું કે જો ત્યાં 25 થી 50 લોકોને સાંભળવામાં આવતા હોય, તો કલેક્ટર શા માટે નથી મળી શકતા? તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ લોકશાહી છે અને જનતાના અવાજને દબાવી શકાય નહીં.
સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં એક બિલ્ડરને ગેરકાયદેસર બાંધકામના નામે ડરાવી, લાખો રૂપિયાની ખંડણી વસૂલવાનું કૃત્ય સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકામાં કાર્યરત એક મહિલા આસિસ્ટન્ટ ઇજનેર અને તેમના કથિત પત્રકાર પતિએ સત્તા અને પદનો દુરુપયોગ કરી બિલ્ડર પાસેથી રૂ. 2.50 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકે નોંધાઈ છે. પત્રકારની ઓળખ આપીને ધમકી આપી હતીફરિયાદ અનુસાર, ગોપીપુરા વિસ્તારમાં રહેતા અને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા અનિસુલહસન હકીમે એપ્રિલ 2021માં સગરામપુરામાં એક જૂની મિલકત ખરીદી હતી. જ્યારે તેઓ આ મિલકત તોડી નવું બાંધકામ કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે મોહમ્મદ શાકિબ મુનાફ ઝરીવાલા નામનો શખ્સ ત્યાં પહોંચ્યો હતો. શાકિબે પોતાની ઓળખ એક 'પત્રકાર' તરીકે આપી હતી અને ધમકી આપી હતી કે આ બાંધકામ ગેરકાયદેસર છે. 'રૂપિયા નહીં આપ તો પત્નીને કહીને બાંધકામ તોડાવી નાખીશ'શાકિબે બિલ્ડરને ડરાવતા કહ્યું હતું કે, મારી પત્ની રૂબિના મનપામાં મેઇન સાહેબ સાથે કામ કરે છે. જો તમે મને રૂપિયા નહીં આપો તો હું તેને કહીને તમારું બાંધકામ તોડાવી નાખીશ. ગભરાયેલા બિલ્ડરને વિશ્વાસમાં લેવા માટે શાકિબ તેને મનપાની કચેરીએ લઈ ગયો હતો અને ત્યાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતી તેની પત્ની રૂબિના સાથે મુલાકાત કરાવી હતી. 'જો પ્લાન પાસ કરાવો હોય તો 2.50 લાખ આપવા પડશે'મહિલા અધિકારી રૂબિનાએ પણ પોતાના પતિના સૂરમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે, જો પ્લાન પાસ કરાવવો હોય તો રૂ. 2.50 લાખ આપવા પડશે, અન્યથા બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આરોપી વધુ નાણાંની માંગણી કરતો રહ્યો હતોટુકડે-ટુકડે પડાવ્યા લાખો રૂપિયા બાંધકામમાં કોઈ વિઘ્ન ન આવે તે હેતુથી અનિસુલહસને શરૂઆતમાં રૂ. 25,000 આપ્યા હતાં. ત્યારબાદ, શાકિબ અવારનવાર સાઇટ પર આવી ધાકધમકી આપીને ટુકડે-ટુકડે કુલ રૂ. 2.50 લાખ ઉઘરાવી ગયો હતો. આટલી રકમ લીધા પછી પણ શાકિબની લાલચ અટકી ન હતી અને તે વધુ નાણાંની માંગણી કરતો રહ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરાયેલા બજેટ વર્ષ 2026-27 અંતર્ગત કોમનવેલ્થ ગેમ્સ 2030ને ધ્યાનમાં રાખી શહેરની એર ક્વોલિટી સુધારવા માટે રોડ ડસ્ટ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગ્રીન કવર, વેહિક્યુલર એમીશન, એર ક્વોલિટી મોનિટરિંગ સંબંધિત કામગીરીને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપિલ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેરની એર ક્વોલિટીમાં સુધારો લાવવા માટે ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) કાનપુરના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Smart Sensing and Digital Intelligence for Integrated Management” વિષય પર ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં IIT કાનપુરના પ્રતિનિધિ પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ), આરોગ્ય અધિકારીશ્રી તથા સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોફેસર સચ્ચિદાનંદ ત્રિપાઠી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં Near Real-Time રિસ્પોન્સ સિસ્ટમ વિકાસાવવા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડેટા વિશ્લેષણ તથા શહેરમાં હવાની ગુણવત્તા સુધારવા માટે હાઈપર-લોકલ સેન્સર આધારિત મોનિટરિંગ નેટવર્ક વિકસાવવા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ ગ્રિડ, મોબાઈલ લેબ અને Near Real-Time Source Apportionment Study ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રદૂષણના હોટસ્પોટ્સની ઓળખ કરી તાત્કાલિક નિયંત્રણ માટે વોર્ડ સ્તરે SOP આધારિત કાર્યવાહી શક્ય બનશે.જેથી પ્રદૂષણ નિયંત્રણ માટે ઝડપી અને વૈજ્ઞાનિક પગલા લઈ શકાશે. વર્ષ 2026થી 2030 દરમિયાન તબક્કાવાર રીતે બેઝલાઇન મેપિંગ, સેન્સર સ્થાપન, ડેટા પ્લેટફોર્મ ડેવલોપમેન્ટ, કેપિસિટી બિલ્ડીંગ અને રિયલ-ટાઈમ નિર્ણય આધારિત વ્યવસ્થાપન જેવા વિવિધ પગલાં અમલમાં મુકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરીના અમલીકરણથી શહેરના સસ્ટેનેબલ વિકાસ અને હવા ગુણવત્તા સુધારણામાં નોંધપાત્ર યોગદાન મળશે. આ યોજના અમલમાં મુકાતા આગામી વર્ષોમાં શહેરની હવા ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે તેમજ નાગરિકોના આરોગ્ય પર સકારાત્મક અસર પડશે. ટેક્નોલોજી આધારિત આ પહેલ અમદાવાદને સ્વચ્છ, સુવ્યવસ્થિત અને આરોગ્યપ્રદ શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
પાટડી હાઈવે પર એક ગંભીર અકસ્માતમાં સેંડલા ગ્રામ પંચાયતના સદસ્ય અમૃતભાઈ રઘુરામભાઈ ગેડીયાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે. પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા એક ટેન્કરે તેમની બાઈકને ટક્કર મારી હતી. આ ઘટના પાટડી આર.ટી.આઈ. પાસે, દસાડા-માલવણ હાઈવે પર બની હતી. GJ-06-TT-8756 નંબરનું આ ટેન્કર જામનગરના ગોવિંદભાઈ નામના કોન્ટ્રાક્ટરનું હોવાનું ખુલ્યું છે. અકસ્માત સર્જીને ટેન્કરનો ડ્રાઈવર રમેશભાઈ (રહે. રાજગઢ, ધ્રાંગધ્રા) ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દસાડા-પાટડી-માલવણ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, જેના કારણે છેલ્લા એક અઠવાડિયામાં કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. હાઈવે પર વધતા અકસ્માતોને કારણે સ્થાનિક પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. માલવણ-દસાડા ફોરલેન હાઈવેનું કામ લાંબા સમયથી અધૂરું છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે નાળાઓ બનાવીને મોટા ખાડાઓ ખુલ્લા છોડી દેવાયા છે. અહીં કોઈ ડિવાઈડર કે સેફ્ટી બોર્ડ ન હોવાથી રેતી, માટી અને પાણીના ઓવરલોડેડ વાહનો બેફામ ગતિએ દોડી રહ્યા છે. આ વિભાગમાં ચાલતા અનેક ટેન્કરોમાં નંબર પ્લેટ ન હોવા અથવા પાસિંગ શંકાસ્પદ હોવાની વિગતો પણ સામે આવી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ માત્ર કોન્ટ્રાક્ટરને જાણ કરીને સંતોષ માન્યો હોવાનું જાણવા મળ્યું છે.
વલસાડના પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ પટેલને દારૂના કેસમાં સંડોવણી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જિલ્લા પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ આ આદેશ કર્યો છે. આ મામલો ડિસેમ્બર 2025માં ડુંગરી પોલીસ મથકે નોંધાયેલા દારૂના કેસ સાથે સંબંધિત છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, પંચલાઈ ગામના સરપંચ રવિન્દ્ર પટેલ ગેરકાયદેસર દારૂના ધંધામાં સીધા સંડોવાયેલા હતા. ડુંગરી પોલીસે એક આંબાવાડીમાંથી દારૂ ઝડપ્યા બાદ વાહનોની તપાસ કરતા પંચલાઈ સરપંચની સંડોવણી બહાર આવી હતી. આ કેસમાં રવિન્દ્ર પટેલને બુટલેગરીના ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર કરાયા હતા. એક મહિના સુધી ફરાર રહ્યા બાદ, વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જાન્યુઆરી માસમાં તેમની ધરપકડ કરી હતી. LCBને ટેક્નિકલ પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને અન્ય દસ્તાવેજી આધાર મળ્યા હતા, જે દર્શાવે છે કે સરપંચ ગેરકાયદેસર દારૂના વહન અને સંગ્રહમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા હતા. વલસાડ પોલીસે આ ઘટના અંગે વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતને લેખિત જાણ કરી હતી. આ કેસ વલસાડ જિલ્લા પંચાયતના DDOની કોર્ટમાં ચાલ્યો હતો. DDO અતિરાગ ચપલોતે રવિન્દ્ર પટેલને દોષિત ઠેરવી, તેમને તાત્કાલિક અસરથી પંચલાઈ સરપંચ પદ પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે. આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા સરપંચો અને આવા કૃત્યો આચરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
વાપી GIDC ખંડણી કેસ:દિપક પવાર અને વિનય પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર
વાપી GIDCમાં નોંધાયેલા ખંડણી અને ધમકીના કેસમાં સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી દિપક ભગવાન પવાર અને વિનય પટેલની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલ રાકેશ ચાપાનેરીયાની દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પુષ્પા સૈનીએ આ નિર્ણય લીધો હતો. આ કેસ ઓગસ્ટ 2025માં વાપી GIDC પોલીસ મથકે નોંધાયો હતો. ફરિયાદ અનુસાર, વાપીના ચાર પત્રકારો અને અન્ય બે અજાણ્યા વ્યક્તિઓએ 21 જૂન 2025 થી 22 જુલાઈ 2025 દરમિયાન ફરિયાદીની કંપની સામે કાર્યવાહી કરી હતી. તેમણે કંપનીના ગંદા પાણીનો વીડિયો બનાવી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ -GPCBમાં ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ કંપની બંધ કરાવી દેવાની અને આજીવન કેદમાં ફસાવી દેવાની ધમકી આપી રૂ.60,000/-ની ખંડણી માંગી હતી. તેમાંથી રૂ.15,000/- બળજબરીથી વસૂલ કરવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તપાસ દરમિયાન અન્ય સહઆરોપીઓની ધરપકડ અને રિમાન્ડ બાદ ખુલાસો થયો કે ફરિયાદમાં ઉલ્લેખ કરાયેલા બે અજાણ્યા વ્યક્તિઓ દિપક પવાર અને વિનય પટેલ હતા. ફરિયાદીના જણાવ્યા અનુસાર, 22 જુલાઈ 2025ના રોજ ચારેય પત્રકારોને તેમની ઓફિસે બોલાવી ફરિયાદીને મીડિયા દ્વારા બદનામ કરવાની અને કંપની બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ UPI દ્વારા કુલ 15,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, આવી જ રીતે અન્ય અનેક કંપની માલિકોને પણ ધમકી આપી રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની જાણ થતાં, ભાગીદાર અને અન્ય ઉદ્યોગકારોની સલાહ બાદ મોડેથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સેશન્સ કોર્ટના આ હુકમથી કેસની તપાસને નવી દિશા મળી છે, જેના કારણે ઉદ્યોગજગતમાં આ મામલે ચર્ચા જાગી છે.
બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના નવનિયુક્ત પ્રમુખ અને મહામંત્રીનું સન્માન કરવામાં આવ્યું. મુસ્લિમ યુવા કમિટી દ્વારા આ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.આ પ્રસંગે મુસ્લિમ યુવા કમિટીના આગેવાનો, સમાજના જાગૃત યુવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કમિટીના હોદ્દેદારોને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. સન્માન સમારોહ બાદ લઘુમતી મોરચાના પ્રમુખ અને મહામંત્રી સાથે વાર્તાલાપ યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મુસ્લિમ યુવા કમિટી દ્વારા ભવિષ્યમાં મજબૂત સંગઠન બનાવવાની અને પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, મુસ્લિમ સમાજ યુવા કમિટી દ્વારા એક સંમેલનનું આયોજન કરવા અંગે પણ વિચારણા કરવામાં આવી હતી. આ સંમેલનમાં મુસ્લિમો પર થતા અત્યાચાર સામે કાયદાકીય અને શાંતિપૂર્ણ રીતે કેવી રીતે લડી શકાય તે અંગે યુવાનોને માર્ગદર્શન આપવાનું નક્કી કરાયું હતું.
બોલિવુડના જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારની માતાના મોતના કેસમાં એક મહત્વનો વળાંક આવ્યો છે. સુરત સેશન્સ કોર્ટે આ કેસમાં હોસ્પિટલના મુખ્ય ડોક્ટર સહિત અન્ય સાક્ષીઓને આરોપી તરીકે જોડવાની ફરિયાદ પક્ષની બીજીવારની અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પૂરતા પુરાવા વિના કોઈને બિનજરૂરી રીતે આરોપી બનાવી શકાય નહીં. શું હતો મામલો અને કોની સામે છે ફરિયાદ?વર્ષ 2009માં સગરામપુરામાં રહેતા ઇસ્માઇલ દરબારના માતા જૈતુનબીબીને તબિયત બગડતા ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આક્ષેપ છે કે, સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી. તેમનો એક હાથ કામ ન કરતો હોવા છતાં સમયસર સારવાર ન મળી અને પીઠના ભાગે ગરમ પાણીની થેલી મૂકવાને કારણે તેઓ દાઝી ગયા હતા. ત્યાર બાદ તેઓ કોમામાં ઉતરી ગયા હતા અને અંતે તેમનું મૃત્યુ થયું હતું. અઠવાલાઇન્સ પોલીસે આ મામલે ડો. પરેશ અને નર્સ સામે આઈપીસી કલમ 304(એ) મુજબ ગુનો નોંધ્યો હતો. વધારાના આરોપીઓને જોડવાની માંગ કેમ ફગાવાઈ?ફરિયાદ પક્ષ ઈચ્છતો હતો કે મુખ્ય ડોક્ટર ગિરીશ શાહ અને અન્ય સાક્ષીઓને પણ આરોપી ગણવામાં આવે. બચાવ પક્ષના વકીલ રાકેશ મૈસુરિયાએ દલીલ કરી હતી કે તપાસ દરમિયાન આ લોકો વિરુદ્ધ કોઈ ચોક્કસ ભૂમિકા સ્પષ્ટ થઈ નથી. કોર્ટે અરજી નામંજૂર કરતા નોંધ્યું કે, કોઈપણ સાક્ષીએ પ્રસ્તાવિત વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ મજબૂત વાત રજૂ કરી નથી. ચોક્કસ આરોપ કે નોંધપાત્ર પુરાવા વિના કોઈને કાયદાકીય પ્રક્રિયામાં ખેંચીને હેરાન કરી શકાય નહીં અને માત્ર અનુમાનના આધારે કોઈ વ્યક્તિને આરોપી તરીકે ઉમેરવાનો આદેશ આપી શકાય નહીં. કેસની વર્તમાન સ્થિતિઆ અરજી નામંજૂર થવાથી હવે કેસ તેના મૂળ સ્વરૂપે જ ચાલશે, જેમાં અગાઉ જેમના નામ આરોપી તરીકે છે તેમની સામે જ કાર્યવાહી ચાલુ રહેશે. 15 વર્ષ જૂના આ કેસમાં મેડિકલ નેગ્લિજન્સના પુરાવાઓ પર હવે ટ્રાયલ કોર્ટ આગળની કાર્યવાહી ચલાવશે.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાયકવાડી વિસ્તારમાં થયેલ ચીલઝડપ કેસમાં બંટી-બબલીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વાહીદને 5 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફત જામનગરની સગીરા સાથે સંપર્ક થયો હતો અને બાદમાં બન્ને નશાના રવાડે ચડી જતા નશા રૂપિયાની જરૂરિયાત માટે બન્ને સાથે મળી ચોરી અને ચીલઝડપ સહીત ગુનાને અંજામ આપવા શરૂ કર્યું હતું. આરોપીઓ દ્વારા જામનગરમાંથી એક્ટિવા ચોરી કર્યું હતું જે પણ કબ્જે કરી જામનગરનો ચોરીના અન ડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ઉલ્લેખનીય છે કે વધુ એક ગુનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે બંટી-બબલીને ઝડપી પાડી રૂ.1.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા.29 જાન્યુઆરી 2026ના રોજ સાંજના 7 વાગ્યા આસપાસ ગાયકવાડી શેરી નંબર 2માં રહેતા ભાગશ્રીબેન અરૂણભાઇ મોરપાણી (ઉ.વ.25) તેમના પુત્રને ટ્યુશનમાંથી લઈ ચાલીને પરત ઘરે જતા હતા દરમિયાન બાઈક પર આવેલ બેલડી તેમના ગળામાંથી એક લાખની કિંમતનો આઠ ગ્રામનો સોનાનો ચેન ઝુંટવી ફરાર થઇ ગઈ હતી આ પછી પોલીસની અલગ અલગ ટિમો દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આરોપી વાહીદ સલીમભાઈ શેખ (ઉ.વ.21) અને જામનગરની એક સગીરાને જામનગર રોડ પર આવેલ પથિકાશ્રમ પાસેથી ઝડપી પાડી સોનાનો ચેઇન, પેન્ડલ, એક્ટિવા સહીત રૂ.1.85 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચીલઝડપ કેસમાં ઝડપી પાડેલ બંટી-બબલીની પુછપરછ કરતા તેને જામનગરના અંબર ચોકડી પાસેથ એકટીવા મોટર સાયકલની ચોરીને અંજામ આપ્યો હતો જે ગુનાનો ભેદ પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉકેલ્યો છે. ઉલ્લેખનીય છે કે 5 મહિના પૂર્વે આરોપી વાહીદ શેખનો ઇન્સ્ટાગ્રામ મારફત જામનગરની સગીરા સાથે સંપર્ક થયો હતો બાદમાં બંને નશાના રવાડે ચડ્યા હતા નશાના પૈસા માટે તેઓ ચોરી, ચિલઝડપ સહિતના ગુનાને અંજામ આપતા હતા. સપ્તાહ પૂર્વે ચીલઝડપ કર્યા બાદ તેઓ ફરી એકવાર શિકારની શોધમાં નીકળ્યા હતા દરમ્યાન ક્રાઈમ બ્રાન્ચની ટીમેં બંનેને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૌજન્ય મુલાકાતે ભારતમાં આયર્લેન્ડના રાજદૂત શ્રીયુત કેવિન કેલી મળ્યા હતા. ગુજરાતની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન યોજાયેલી આ બેઠકમાં ભારત અને આયર્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક સમાનતાઓ તથા ભાવિ સહયોગની વિશાળ શક્યતાઓ પર ચર્ચા થઈ હતી. સ્ટેટ કલ્ચરલ ઇવેન્ટ સિરીઝમાં ગુજરાત કેન્દ્રમાંરાજદૂત કેવિન કેલીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને આયર્લેન્ડ બંને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ પ્રદેશો છે અને પોતાની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત રાખવામાં વિશેષ મહત્વ આપે છે. તેમણે ડબલિનમાં બે વર્ષ પહેલાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત સ્ટેટ કલ્ચરલ ઇવેન્ટ સિરીઝમાં ગુજરાતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. એરક્રાફ્ટ લિઝિંગથી સેમિકન્ડક્ટર સુધી સહયોગની ચર્ચામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક દરમિયાન ગુજરાત અને આયર્લેન્ડ વચ્ચે પરસ્પર હિતના ક્ષેત્રો તરીકે એરક્રાફ્ટ લિઝિંગ, સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, ફાઇનાન્સિયલ સર્વિસીસ તથા એજ્યુકેશન સેક્ટરમાં સહયોગ વધારવા અંગે ચર્ચા-પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં વિકસતા ઇન્ડસ્ટ્રીયલ અને ટેકનોલોજીકલ ઇકોસિસ્ટમ વિશે પણ તેમણે રાજદૂતને માહિતી આપી હતી. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આયર્લેન્ડની એન્ટ્રીવાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આયર્લેન્ડ ડેલિગેશનને સહભાગી થવાનું આમંત્રણ મુખ્યમંત્રીએ પાઠવ્યું હતું, જેને રાજદૂત કેવિન કેલીએ સહર્ષ સ્વીકાર્યું હતું. આ બેઠકમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા ક્રિકેટના મહાકુંભ 'ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) સીઝન-3' નો આજે રવિવારે ભવ્ય સમાપન થયો છે. શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાયેલી હાઈ-વોલ્ટેજ ફાઈનલ મેચમાં ચેન્નઈ સિંઘમ અને ટાઇગર્સ ઓફ કોલકાતાની ટીમો આમને-સામને ટકરાઈ હતી. ટેનિસ બોલ ક્રિકેટના આ રોમાંચક જંગને નિહાળવા માટે સુરતીલાલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનું સુરતમાં ભવ્ય સ્વાગતઆ ફાઈનલ મેચનું મુખ્ય આકર્ષણ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર રહ્યા હતા. ISPLના કોર કમિટી મેમ્બર તરીકે સચિન તેંડુલકર ખાસ ફાઈનલ મેચમાં હાજરી આપવા માટે સુરત પહોંચ્યા હતા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ સેંકડો ચાહકોએ 'સચિન-સચિન'ના નારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સચિને પણ સ્મિત સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું અને ત્યારબાદ તેઓ સીધા સ્ટેડિયમ જવા રવાના થયા હતા. ચેન્નઈ vs કોલકાતા મેચમાં રસાકસીટૂર્નામેન્ટની શરૂઆતથી જ શાનદાર ફોર્મમાં રહેલી સુર્યાની માલિકીની ચેન્નઈ સિંઘમ અને સૌરવ ગાંગુલી-સૈફ અલી ખાનની માલિકીની ટાઇગર્સ ઓફ કોલકાતા વચ્ચેની આ મેચમાં રસાકસી જોવા મળી હતી. ચેન્નઈ સિંઘમ ટીમે ક્વોલિફાયર-1 માં અમદાવાદ લાયન્સને હરાવીને સીધી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ટાઇગર્સ ઓફ કોલકાતા ટીમે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 માં જીત મેળવીને મજબૂત મનોબળ સાથે મેદાનમાં ઉતરી હતી. સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની હાજરીએ ખેલાડીઓનો ઉત્સાહ બમણો કરી દીધો હતો. મેચ દરમિયાન સચિને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સુરતના ક્રિકેટ પ્રેમની પ્રશંસા કરી હતી. રૂપિયા 6 કરોડના ઈનામોની વણઝારISPL સીઝન-3 માં ઈનામોનો ધોધ વરસી રહ્યો છે. વિજેતા ટીમને રૂ. 2 કરોડ અને રનર્સ-અપ ટીમને રૂ. 1 કરોડનું ઈનામ આપવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (MVP) ને લક્ઝુરિયસ પોર્શે 911 (Porsche 911) કાર ભેટમાં આપવામાં આવશે. સુરત પહેલીવાર આ આખી લીગનું યજમાન બન્યું છે, જે શહેર માટે રમતગમત ક્ષેત્રે એક મોટી સિદ્ધિ ગણાય છે. કુલ આઠ ટીમ અને એમના માલિકના નામ
મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે પોલીસ બેડામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ એક આદેશ જારી કરીને જિલ્લામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટર અને 22 પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની તાત્કાલિક અસરથી આંતરિક બદલી કરી છે. એકસાથે 24 ની બદલી થતાં પોલીસ વિભાગમાં ખળભળાટમહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલા આ હુકમ મુજબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી સરળતા માટે જાહેર હિતમાં આ બદલીઓ કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અને કાર્યક્ષમતાના આધારે અધિકારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ બદલીઓમાં જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને શાખાઓના અધિકારીઓનો સમાવેશ થાય છે. એકસાથે 24 પોલીસ અધિકારીઓની બદલી થતાં પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે. પોલીસ અધિક્ષકના આદેશ બાદ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાના નવા નિમણૂક સ્થળ પર હાજર થવા સૂચના આપી દેવામાં આવી છે.
કચ્છ જિલ્લામાં વિદેશ જવાની તીવ્ર ઈચ્છાનો લાભ લઈ મેડિકલ રીતે અનફિટ વ્યક્તિઓને ફિટ બતાવી નકલી મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરતું એક સંગઠિત રેકેટ પશ્ચિમ કચ્છ એસઓજીની સતર્ક કાર્યવાહીથી સામે આવ્યું છે. લાંબા સમયથી ચાલતા આ ગેરકાયદે કારોબારમાં વિદેશ મોકલવાના બહાને નાગરિકોના પાસપોર્ટ અને આધાર કાર્ડ જેવા મહત્વના સરકારી દસ્તાવેજોમાં હેરફેર કરીને નકલી ઓળખ અને ખોટી મેડિકલ ફિટનેસ ઉભી કરવામાં આવતી હોવાનું તપાસમાં ખુલ્યું છે. શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યાએસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે ભુજ રેલ્વે સ્ટેશન નજીકથી સંજય કુમાર નટવરલાલ લુહાર નામના શખ્સને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ દરમિયાન તેની પાસેથી નકલી ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ સહિતના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિદેશ જવા ઇચ્છુક લોકો માટે નકલી દસ્તાવેજો તૈયાર કરી તેમને GCC માન્ય હોસ્પિટલમાંથી ફિટ બતાવવાના કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. મેડિકલ ખામી ધરાવતા ઉમેદવારોના બદલે ડમી વ્યક્તિના ફોટા લગાવી દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવતો હતો. પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યાઆ સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ એસઓજી પીઆઈ અજયસિંહ પરમાર ફરિયાદી બન્યા છે, જ્યારે આગળની તપાસ પીઆઈ પ્રશાંત સિંઘરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે તૈયાર થયા, તેમાં કયા-કયા એજન્ટો, મધ્યસ્થીઓ કે અન્ય શખ્સો સંડોવાયેલા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આવનારા દિવસોમાં વધુ ધરપકડો થવાની સંભાવનાઆ અંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના ડીવાયએસપી મિનેષ ક્રિશ્ચને જણાવ્યું હતું કે, વિદેશ જવાની લાલચમાં મેડિકલ રીતે અનફિટ વ્યક્તિઓના પાસપોર્ટ અને આધાર કાર્ડમાં ચેડા કરી ફોટા બદલવામાં આવ્યા હતા. પાસપોર્ટ અને આધાર જેવા અતિ મહત્વના સરકારી દસ્તાવેજોમાં હેરફેર કેવી રીતે શક્ય બની અને આમાં એકલા આરોપી સિવાય અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં ઝીણવટભરી તપાસ ચાલુ છે. પોલીસની આ કાર્યવાહીથી નકલી દસ્તાવેજો આધારિત વિદેશ મોકલવાના ગોરખધંધાને મોટો ફટકો પડ્યો છે, જ્યારે આવનારા દિવસોમાં વધુ ધરપકડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી કુરિયર કંપનીમાં થયેલી મોટી છેતરપિંડીનો ખુલાસો થયો છે. અહીં એક ડિલિવરી બોયે રાજસ્થાનના મિત્ર સાથે મળી મોંઘા મોબાઈલ અને ઘડિયાળ ઓનલાઈન ઓર્ડર કરીને, પાર્સલ મળ્યા બાદ તેમાંથી અસલ વસ્તુ કાઢી ડમી વસ્તુ મૂકી ઓર્ડર કેન્સલ કરવાનું કૌભાંડ ચલાવતું હોવાનું સામે આવ્યું છે. બે મોંઘા ઓર્ડર અચાનક કેન્સલ થતા શંકા ગઈ ને ભાંડો ફૂટ્યોનરોડામાં આવેલી કુરિયર અને પાર્સલ કંપનીના માલિક રિષભભાઈને કંપનીના બે મોંઘા ઓર્ડર અચાનક કેન્સલ થતા શંકા ગઈ હતી. તપાસ દરમિયાન પાર્સલના પેકિંગમાં છેડછાડ થયાનું અને બોક્સમાં અસલ મોબાઈલના બદલે ડમી તથા ડુપ્લિકેટ વસ્તુઓ મુકવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પાર્સલની ડિલિવરી કરનાર ઝડપાયોઆ મામલે રિષભભાઈએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાર્સલની ડિલિવરી કરનાર વિશાલ બાવરીની ધરપકડ કરવામાં આવી છે. ઓર્ડર કેન્સલ કરાવી બોક્સમાં ડમી માલ ભરી દેતાંપોલીસ પૂછપરછમાં ખુલાસો થયો કે વિશાલ તેના મિત્રો સાથે મળીને અલગ-અલગ આઈડી પરથી મોંઘા મોબાઈલ અને ઘડિયાળ મગાવી, તેમાંથી અસલ વસ્તુ કાઢી ડમી વસ્તુ મૂકીને ઓર્ડર કેન્સલ કરાવતો હતો. 4.35 લાખની કિંમતના મોબાઈલ અને ઘડિયાળની છેતરપિંડીપોલીસ તપાસમાં અત્યાર સુધી અંદાજે રૂપિયા 4.35 લાખની કિંમતના મોબાઈલ અને ઘડિયાળની છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. હાલ ક્રાઈમ બ્રાંચે વિશાલના અન્ય સાગરિતોની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર કૌભાંડની વધુ તપાસ ચાલી રહી છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL)ના કાર્યક્ષેત્રમાં આવતા સુરતના રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ આજે મેનેજમેન્ટની જોહુકમી અને સુરક્ષાના અભાવ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ગંભીર ઘટનાઓ બની હતી. ત્યારબાદ કર્મચારીઓમાં રોષની જ્વાળા ભડકી છે. જેના પરિણામે વેસુ સ્થિત મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે આગામી સમયમાં માંગ નહીં સ્વીકારાય તો હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. વેસુ કચેરી ખાતે વિરોધ પ્રદર્શનઆજે સવારથી જ રાંદેર અને ઓલપાડ ડિવિઝનના કર્મચારીઓએ કામકાજ ઠપ કરી દીધું હતું અને વેસુ ખાતે આવેલી કચેરીએ પહોંચ્યા હતા. કચેરીના પટાંગણમાં કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો અને મેનેજમેન્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધને પગલે કચેરીની સામાન્ય કામગીરી પર પણ અસર પડી હતી. ઈલેક્ટ્રીક ઇન્સ્પેક્ટર રાહુલ કાપુરેએ જણાવ્યું હતુ કે, અમે શાંતિથી લેખિતમાં રજૂઆત કરીએ છીએ તો ઉપરી અધિકારીઓ પોતાના ઈગો પર લઈલે છે અને ઉડાઉ જવાબ આપે છે પણ જો આ અધિકારીઓ તેમના ઈગોને સાઈડમાં મુકીને અમારી સમસ્યા પર ધ્યાન આપશે તો નિરાકરણ આવશે. માત્ર 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા'તાપ્રાપ્ત માહિતી અનુસાર, લાઈન પર કામ કરતા ફિલ્ડ કર્મચારીઓ જોખમી રીતે કામ કરતા હોય છે તેમની સિક્યુરીટી માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે માત્ર 24 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતો સર્જાયા હતા, જેમાં ફરજ પરના કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 'અકસ્માતો મેનેજમેન્ટની બેદરકારીને કારણે વધ્યા'કર્મચારીઓનો આક્ષેપ છે કે આ અકસ્માતો ટેકનિકલ ખામી કરતા મેનેજમેન્ટની બેદરકારીને કારણે વધુ થયા છે. અકસ્માત બાદ મેનેજમેન્ટ દ્વારા ઈજાગ્રસ્ત કર્મચારીઓની સંભાળ લેવાને બદલે અથવા જવાબદારો સામે પગલાં લેવાને બદલે મૌન સેવી લેવામાં આવ્યું છે, જે કર્મચારીઓના આક્રોશનું મુખ્ય કારણ બન્યું છે. પૂરતો સ્ટાફ ન હોવાને કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વિરોધ કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સુરત જેવા મહાનગરમાં વીજ વપરાશકારોની સંખ્યા સતત વધી રહી છે, પરંતુ તેની સામે ટેકનિકલ સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. રાંદેર અને ઓલપાડ જેવા મોટા ડિવિઝનમાં સ્ટાફની તીવ્ર અછત છે. પૂરતો સ્ટાફ ન હોવાને કારણે હાલના કર્મચારીઓ પર કામનું ભારણ અસહ્ય બની ગયું છે. કર્મચારીઓને 12-12 કલાક સુધી સતત ફરજ બજાવવી પડે છે, જેના કારણે શારીરિક અને માનસિક થાકને લીધે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. નિયમ વિરુદ્ધની કામગીરીનો આક્ષેપકર્મચારી યુનિયનના પ્રતિનિધિઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘણી વખત નિયમોને નેવે મૂકીને કામ કરાવવામાં આવે છે. સેફ્ટીના સાધનોની ગુણવત્તા અને તેની ઉપલ છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. 'નિયમ વિરુદ્ધનું કામ કરાવવું અને જ્યારે અકસ્માત થાય ત્યારે હાથ ઊંચા કરી દેવા એ મેનેજમેન્ટની આદત બની ગઈ છે,' તેમ એક રોષે ભરાયેલા કર્મચારીએ જણાવ્યું હતું. કર્મચારીઓએ આ માગ કરીઅકસ્માતનો ભોગ બનેલા કર્મચારીઓને ન્યાય મળે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેમજ ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક સ્ટાફની ભરતી કરવામાં આવે સાથે ફિલ્ડ પર કામ કરતા કર્મચારીઓને સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે અને કામના કલાકો નક્કી કરવામાં આવે અને નિયમ વિરુદ્ધના દબાણ બંધ થાય તે માંગો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. માંગ નહીં સ્વીકારાય તો હડતાલ પર ઉતરવાની ચીમકીજો કે કર્મચારીઓની આ પડતર માંગોનું સમાધાન કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો સુરતના પશ્ચિમ અને ઓલપાડ વિસ્તારમાં વીજ પુરવઠાને લગતી ફરિયાદોનું નિવારણ કરવામાં મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને લાઈન ફોલ્ટ કે ટ્રાન્સફોર્મરની સમસ્યા ઉભી થાય ત્યારે સ્ટાફની ગેરહાજરીમાં ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી શકે છે. હાલમાં મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે મંત્રણાના પ્રયાસો ચાલુ છે, પરંતુ કર્મચારીઓ પોતાની માંગણીઓ પર મક્કમ છે.
પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકની જૂની કોર્ટ બિલ્ડિંગમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોના ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ બિનવારસી હાલતમાં મળી આવતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, શહેરના મધ્યમાં આવેલી આ ઐતિહાસિક ઇમારતમાં ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ઉપરાંત અનેક મહત્વની સરકારી ફાઈલો અને રેકર્ડ પણ વેરવિખેર પડેલા જોવા મળ્યા હતા. જે દસ્તાવેજોને સુરક્ષિત સ્થળે રાખવા જોઈએ, તે અહીં ધૂળ ખાઈ રહ્યા છે.આ સંવેદનશીલ દસ્તાવેજો ખુલ્લી હાલતમાં હોવાથી તેની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોના મતે, બિલ્ડિંગની જાળવણીના અભાવે અહીં અવારનવાર આવારા તત્વોનો જમાવડો રહે છે અને બારી-દરવાજા જેવી કિંમતી વસ્તુઓની ચોરી પણ થઈ છે.હવે જ્યારે નાગરિકોના વ્યક્તિગત અને મહત્વના દસ્તાવેજો આ રીતે બિનવારસી મળ્યા છે, ત્યારે તેનો દુરુપયોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. જો આ કાર્ડ્સનો કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થશે તો તેની જવાબદારી કોની રહેશે તે મોટો પ્રશ્ન છે.આ ઘટના અંગે જવાબદાર વિભાગને આટલા મોટા જથ્થામાં પડેલા રેકર્ડની જાણ ન હોવા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ રેકર્ડને સુરક્ષિત સ્થળે ખસેડી, જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મામલતદાર બી. વી.સંચાણિયાએ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ ચૂંટણીકાર્ડ 1996-97ના છે. શરૂઆતમાં બે નકલમાં બનાવવામાં આવતા હતા, એક નકલ મતદારને અને બીજી નકલ કચેરીમાં O/C તરીકે રાખવામાં આવતી હતી. કચેરીમાં એકત્ર થયેલી ચૂંટણીકાર્ડની નકલોનો ટૂંક સમયમાં નાશ કરવાનો હોય છે, પરંતુ જે-તે સમયે આ થયું નથી. હવે તમામ ચૂંટણીકાર્ડ એકત્ર કરીને અત્રેની કચેરીમાં રાખવામાં આવ્યાં છે અને મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ સિવાય જૂની ફાઈલો અને જૂના 7/12ના કાગળોને એકત્ર કરી યોગ્ય જગ્યાએ રાખવામાં આવશે. જે જીર્ણ થઈ ગયેલું રેકર્ડ છે, જે બિનઉપયોગી છે તેને પણ મંજૂરી માંગી નાશ કરવામાં આવશે. આ કચેરી હાલ સ્ટેટ હસ્તક છે. જૂના ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ પેક કરીને અમારી હસ્તક લેવામાં આવ્યાં છે.
અમરેલી જિલ્લાના લીલીયા પંથકના કણકોટ ગામે એક સિંહનું કૂવામાં પડી જવાથી મોત થયું છે. આ ઘટના સીમ વિસ્તારમાં આવેલા વનવિભાગ દ્વારા બાંધવામાં આવેલા એક કૂવામાં બની હતી. મૃત સિંહની ઉંમર આશરે બે થી અઢી વર્ષ હોવાનું અનુમાન છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરીસ્થાનિક લોકોએ સિંહને કૂવામાં પડેલો જોઈ વનવિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ લીલીયા રેન્જ આરએફઓ સહિત વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગે તપાસ હાથ ધરીપ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વનવિભાગ દ્વારા બાંધવામાં આવેલા કૂવામાં સિંહ પડી ગયો હતો અને બહાર નીકળી ન શકતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વનવિભાગ દ્વારા સિંહ કૂવામાં કેવી રીતે ખાબક્યો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ સિંહણનું મોત થયું હતુંઆ જ વિસ્તારમાં અગાઉ પણ એક સિંહણનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું હતું. સિંહોના અકસ્માતે મોતની વધતી ઘટનાઓને કારણે વન્યજીવોની સુરક્ષા અને વનવિભાગની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. વનવિભાગની ટીમે સિંહના મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ક્રાંકચ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભાવનગર-સોમનાથ હાઈવે પર કારે સિંહણને અડફેટે લેતા મોત પાંચેક દિવસ અગાઉ ભાવનગર–સોમનાથ નેશનલ હાઇવે પર જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ટોલનાકા પાસે રસ્તો ક્રોસ કરી રહેલી એક સિંહણને અજાણી કારે જોરદાર ટક્કર મારતા સિંહણનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પુરપાટ ઝડપે આવતી કારે સિંહણને અડફેટે લીધી રાત્રિના સમયે સિંહણ હાઇવે ઓળંગી રહી હતી, ત્યારે ઉના તરફ જતી એક પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સિંહણને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે સિંહણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જી કાર ચાલક નાગેશ્રી ટોલનાકું પસાર કરી ઉના તરફ નાસી છૂટ્યો હતો. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો…
સાબરકાંઠા જિલ્લાના 11 કેન્દ્રો પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાઈ હતી. કુલ 985 વિદ્યાર્થીઓમાંથી 975 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 10 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. આ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન વિષયની પ્રાયોગિક પરીક્ષા 5 થી 13 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલી તાલુકાના 11 કેન્દ્રો પર આ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજે યોજાયેલી પરીક્ષામાં વિષયવાર હાજરી જોઈએ તો, રસાયણ વિજ્ઞાનમાં 362 માંથી 359 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 3 ગેરહાજર હતા. ભૌતિક વિજ્ઞાનમાં 413 માંથી 411 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 2 ગેરહાજર રહ્યા. જીવ વિજ્ઞાનમાં 210 માંથી 205 વિદ્યાર્થીઓ હાજર હતા અને 5 ગેરહાજર નોંધાયા હતા.
હિંમતનગરમાં સાબરકાંઠા SOGએ બનાવટી ચા, બીડી અને સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાયત્રી મંદિર રોડ પરની ધારેશ્વર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા એક વેપારી પાસેથી રૂ. 2.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SOGને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ તપાસ કરતા વેપારી અજીત કિરીટભાઈ શાહ પાસેથી વિવિધ કંપનીઓની બનાવટી ચા, બીડી અને સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. અજીત શાહ વિવિધ કંપનીઓની ચાની બનાવટ કરીને ડુપ્લીકેટ ઉત્પાદનો બજારમાં વેચતો હોવાનું સામે આવ્યું છે. SOGએ અજીત કિરીટભાઈ શાહ વિરુદ્ધ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી SOGના PI ડી.સી. પરમાર, PSI પી.એમ. ઝાલા અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
VB-G RAM G કાયદો ગ્રામીણ રોજગારની ગેરંટી આપશે:125 દિવસની રોજગાર સુરક્ષા, યોગેશ જોશીએ માહિતી આપી
કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ પરિવારોને સ્થાયી રોજગાર અને મજબૂત આજીવિકા સુરક્ષા પૂરી પાડવા માટે વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત VB-G RAM G ગેરંટી કાયદો–2025 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાયદો ગ્રામીણ વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું છે, જે ગ્રામીણ જનતાના જીવનસ્તરને સુધારવાની નવી આશા જગાવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ આ કાયદા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, 21 ડિસેમ્બર, 2025 ના રોજ સંસદમાં પસાર થયેલા આ અધિનિયમ દ્વારા અગાઉની 100 દિવસની રોજગાર ગેરંટીમાં સુધારો કરીને 125 દિવસની કાનૂની રોજગાર ગેરંટી આપવામાં આવી છે. આ સુધારાથી ગ્રામીણ પરિવારોને વર્ષભર વધુ આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે. કાયદાની એક મહત્વપૂર્ણ વિશેષતા સમયસર વેતન ચુકવણી પર વિશેષ ભાર છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પદ્ધતિ દ્વારા કામદારોના ખાતામાં સીધું વેતન જમા થશે, જેનાથી પારદર્શિતા વધશે અને મધ્યસ્થીઓની ભૂમિકા દૂર થશે. વેતન ચુકવણીમાં વિલંબ થાય તો વળતર ચૂકવવાની પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. જો ગ્રામ પંચાયત દ્વારા સમયસર કામ ઉપલબ્ધ ન કરાવવામાં આવે, તો લાભાર્થીને બેરોજગારી ભથ્થું ચૂકવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આનાથી રોજગારનો અધિકાર સાચા અર્થમાં અમલમાં આવશે. પંચાયતી રાજ સંસ્થાઓને સશક્ત બનાવીને, ગ્રામસભાને વિકસિત ગ્રામ પંચાયત યોજના (VGPP) અંતર્ગત કામોની પસંદગી કરવાનો અધિકાર સોંપવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ જળ સંરક્ષણ, ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા વિકાસ અને આબોહવા પરિવર્તન સંબંધિત કામોને પ્રાથમિકતા આપવામાં આવશે. આનાથી કુશળ તેમજ અકુશળ બંને વર્ગના ગ્રામીણ લોકોને રોજગારની વધુ તકો ઉપલબ્ધ થશે. VB-G RAM G કાયદો–2025 ગ્રામીણ ભારત માટે માત્ર રોજગારની યોજના નથી, પરંતુ આત્મનિર્ભર અને વિકસિત ગામોની દિશામાં એક મજબૂત આધાર બની રહ્યો છે.
સુરતવાસીઓના આરોગ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ વિરુદ્ધ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ડેપ્યુટી કમિશનર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) અને હેલ્થ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કડક તપાસમાં શહેરની 3 મોટી ખાણી-પીણીની સંસ્થાઓના નમૂના 'ફેલ' જાહેર થયા છે. આ નમૂનાઓમાં ભેળસેળ અને હાનિકારક તત્વો મળી આવતા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમુલ પ્યોર ઘીમાં વનસ્પતિ તેલની ભેળસેળસુરતના વરાછા રોડ પર સરદાર સ્મૃતિ ભવનની સામે આવેલી ગોપાલ ટ્રેડર્સ નામની પેઢીમાંથી અમુલ પ્યોર ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ નમૂનાનું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથક્કરણ કરવામાં આવતા તેમાં 'Beta-Sitosterol'ની હાજરી મળી આવી છે. ફૂડ એનાલિસ્ટના જણાવ્યા અનુસાર, શુદ્ધ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ જન્ય તેલની ભેળસેળ કરવામાં આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 મુજબ આ નમૂનો સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે. દૂધના માવામાં ફેટની ઉણપસીમાડા વિસ્તારમાં પ્લોટ નં. 8, વાલમ નગર સોસાયટી-બી ખાતે કાર્યરત વરના દૂધ - ગુરુકૃપા ટ્રેડિંગમાંથી દૂધના માવાનો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરી રિપોર્ટમાં આ નમૂનો પણ ધોરણ મુજબનો જોવા મળ્યો નથી. રિપોર્ટ અનુસાર, આ માવામાં ફેટ (ચરબી)નું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતા ઓછું મળી આવ્યું છે. મિઠાઈઓમાં વપરાતો આ માવો ગુણવત્તા વિહીન હોવાનું સાબિત થતા તેને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કરી વેપારી સામે કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શ્રીજી ઘી પાર્લરનું ઘી 'અનસેફ'સૌથી ગંભીર કિસ્સો ભટાર વિસ્તારના અશોકા પેલેડિયમમાં આવેલી શ્રીજી ઘી પાર્લરમાં જોવા મળ્યો છે. અહીંથી પ્યોર ઘી ઓફ દેશી કાઉ વલોણું ઘીનો નમૂનો લેવામાં આવ્યો હતો. તપાસમાં આ નમૂનો માત્ર સબ-સ્ટાન્ડર્ડ જ નહીં પરંતુ 'અનસેફ' (આરોગ્ય માટે જોખમી) જાહેર થયો છે. આ ઘીમાં TRANS-FATનું પ્રમાણ નિયત મર્યાદા કરતા ઘણું વધારે મળી આવ્યું છે. ટ્રાન્સ-ફેટ હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓ માટે જવાબદાર માનવામાં આવે છે, જેના કારણે આ સંસ્થા વિરુદ્ધ કડક પગલાં લેવાશે. દોષિત સંસ્થાઓ વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહીસુરત મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે જણાવ્યું છે કે, ફૂડ સેફ્ટી એક્ટ-2006ના નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરનારા આ ત્રણેય એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઈરાનના વડાપ્રધાનની ઓફિસમાંથી ચીફ આર્મી કમાન્ડરને કોલ જાય છે. વી આર ઓન એલર્ટ... તરત જ ચીફ આર્મી કમાન્ડર તેની સેનાને સૂચના આપે છે. પોતે પણ અંડરગ્રાઉન્ડ મિસાઈલ રૂમમાં પહોંચે છે અને 35 ફૂટ લાંબી મિસાઈલોને અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાંથી બહાર કાઢવામાં આવે છે. આવી તો ઘણી મિસાઈલો કાઢવાની તૈયારી ચાલી રહી છે... આનો એક વીડિયો ઈરાનના મીડિયામાં દેખાયો, પછી તરત ડિલિટ થઈ ગયો. આના પરથી અંદાજ લગાવી શકાય કે ઈરાન અમેરિકા સામે યુદ્ધ માટે સંપૂર્ણ તૈયાર છે. બીજું, ઓમાનની રાજધાની મસ્કતમાં અમેરિકા અને ઈરાન વચ્ચે 6 ફેબ્રુઆરી, શુક્રવારે બપોરે બે વાગ્યે મિટિંગ થઈ. ચાર વાગ્યે સમાચાર આવ્યા કે મિટિંગ નિષ્ફળ રહી છે. આ મિટિંગ શરૂ થવાની હતી તેના થોડા કલાકો પહેલાં જ ટ્રમ્પે જાહેરાત કરી કે, ઈરાનમાં જેટલા અમેરિકન નાગરિકો છે તે ઈરાનમાંથી નીકળી જાય... એનો મતલબ એ થયો કે હવે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નમસ્કાર, અમેરિકા-ઈરાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ છે. અમેરિકા આટલું મોટું પગલું ભરે તો દુનિયાની મહાસત્તાઓને પેટમાં દુ:ખે એ સ્વાભાવિક છે. પણ આ તો ટ્રમ્પ છે. પાક્કા બિઝનેસમેન. એક્શન લેતાં પહેલાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વીડિયો કોલ પર એક કલાક વાત કરી. જિનપિંગને કહી દીધું, ટ્રમ્પે કહ્યું છે કે અમે ઇરાન વિશે શી જિનપિંગ સાથે વાત કરી છે. ટૂંકમાં ટ્રમ્પે કહી દીધું હશે કે અમે ઈરાન પર એક્શન લેવા જઈ રહ્યા છીએ, તમારે વચ્ચે પડવાનું નથી. સામે જિનપિંગે પણ કહ્યું હશે કે મિસ્ટર ટ્રમ્પ, અમે પણ ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરીને કબજો કરી લઈએ તો તમારે ય વચ્ચે પડવાનું નહીં. સાથેસાથે જિનપિંગને મમરો મૂકી દીધો કે તમે પુતિન સાથે વાત કરો ને તેને પણ સમજાવી દો. જિનપિંગે પુતિન સાથે વીડિયો કોલ પર દોઢ કલાક વાતચીત કરી. મૂળ, તો ટ્રમ્પે એવો મેસેજ આપ્યો હશે કે રશિયા-યુક્રેન વોરમાં અમેરિકા કાંઈ બોલશે નહીં. રશિયાએ પણ ઈરાનમાં વચ્ચે નહીં પડવાનું. તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ… મિટિંગના લોકોશનમાં અમેરિકા ઝૂક્યું પણ હવે ઝૂકશે નહીં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની તૈયારીઓ વચ્ચે મિટિંગ થવાની હતી. અમેરિકાએ કહ્યું કે, મિટિંગ કરવા તૂર્કીમાં મળીએ. પણ ઈરાન અને તૂર્કીને મનમેળ નથી. એટલે ઈરાને ત્યાં મિટિંગ ગોઠવવાની ના પાડી. ઈરાને ઓમાનની રાજધાની મસ્કતમાં મળવાની વાત કરી. અમેરિકા સંમત થયું. ઓમાનના મસ્કતમાં 6 ફેબ્રુઆરીની બપોરે મિટિંગ થઈ. અમેરિકા તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જારેડ કુશનર હાજર હતા.આ તરફ ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચી મસ્કત પહોંચ્યા. બંને દેશો વચ્ચે યુદ્ધ પહેલાંની ફાઈનલ મિટિંગ થઈ. આ મિટિંગમાં અમેરિકાએ 3 શરતો મૂકી. 1. ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ કરવા ઈરાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ અમેરિકા માટે ચિંતાનો વિષય છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન યુરેનિયમનો સંગ્રહ કરવાનું બંધ કરે. યુરેનિયમમાંથી ન્યૂક્લિયર વેપન બને છે. 2. મિસાઈલ પ્રોગ્રામ બંધ કરવા ઈરાનની સૈન્ય તાકાતનો સૌથી મોટો આધાર તેની બેલેસ્ટિક અને હાયપરસોનિક મિસાઈલ છે. ફતેહ, ખોર્રમશહર-4 જેવી ખતરનાક મિસાઈલ ઈરાને બનાવી છે. આ મિસાઈલ એવી છે જે મિડલ ઈસ્ટમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ઉડાવી શકે છે. 3. હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિ જેવા ગ્રુપોને મદદ બંધ કરવી અમેરિકાએ શરત મૂકી કે, તમે મિડલ ઈસ્ટના આતંકવાદી સંગઠનો હિઝબુલ્લાહ, હમાસ અને હૂતિ જેવા ગ્રુપને ફંડ અને હથિયાર આપવાનું બંધ કરો. સાથે ઈરાનમાં જે પ્રદર્શન કરી રહ્યા છે તેમને મારવાનું બંધ કરો. ઈરાને અમેરિકાની ત્રણેય શરત ફગાવી દીધી જો તમને યાદ હોય તો, થોડા સમય પહેલાં અમેરિકાએ ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ પર એટેક કર્યો હતો. પછી ઈરાને કહ્યું હતું કે અમેરિકાએ જ્યાં હુમલો કર્યો ત્યાં અમારો ન્યૂક્લિયર પ્રોજેક્ટ હતો જ નહીં. બીજી જગ્યાએ છે. ત્યારે ઈરાને કબૂલ્યું હતું કે તે ન્યૂક્લિયર બોમ્બ બનાવે છે. અમેરિકાએ વારંવાર ધમકી આપી કે ન્યૂક્લિયર પ્રોજેક્ટ બંધ કરી દો. પણ ઈરાને અમેરિકાને દાદ આપી નહીં. ઓમાનના મસ્કતમાં જ્યારે મિટિંગ થઈ ત્યારે પણ અમેરિકાએ 3 શરતો મૂકી, તેમાં પહેલી શરત આ જ હતી કે ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ કરો. અલબત્ત, ઈરાને કહી દીધું કે ન્યૂક્લિયર પ્રોગ્રામ બંધ નહીં થાય. અને બાકીની બે શરત એવી છે જેના પર ઈરાન વાત કરવા જ નથી માગતું. ઈરાન-અમેરિકાને એકબીજાનો ડર છે આ પરિસ્થિતિ અવિશ્વાસની રાજનીતિના કારણે બની છે. બંને પક્ષો વાતચીત ઇચ્છે છે કારણ કે યુદ્ધ બંનેના હિતમાં નથી. પ્રતિબંધોથી ઈરાનની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત છે - મોંઘવારી અને બેરોજગારી ચરમસીમાએ છે. અમેરિકા મિડલ ઈસ્ટમાં નવું યુદ્ધ ફાટી નીકળે તેમ ઇચ્છતું નથી, જેનાથી તેલના ભાવમાં વધારો થશે અને તેના મિડલ ઈસ્ટના રાજકારણ પર અસર પડશે. પરંતુ વાત અવિશ્વાસ અને અહંકારની છે. અત્યારે અમેરિકા અને ઈરાનનો ઈગો ટકરાય છે. અહંકાર એટલો છે કે બંને દેશો પીછેહટ કરવા તૈયાર નથી. ઈરાનને ડર છે કે અમેરિકા ગમે ત્યારે હુમલો કરી શકે છે. અમેરિકાને ડર છે કે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ બોમ્બ બનાવી લેશે. જોકે ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે અમને હુમલાથી ડર નથી લાગતો પણ ટ્રમ્પના મિસ કેલ્ક્યુલેશનથી ડર લાગે છે. એ કોઈ તર્ક કે ગણતરી વગર નિર્ણયો લે છે. અમેરિકાએ ઈરાનને ઘેર્યું, ઈરાને પણ મિસાઈલો આકાશ તરફ તાકી યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાએ ઈરાનને ચારેય તરફથી ઘેરી લીધું છે. ઈરાન નજીક અમેરિકાનું પહેલું એરક્રાફ્ટ કેરિયર USS અબ્રાહમ લિંકન તહેનાત છે. અમેરિકાનું બીજું એરક્રાફ્ટ કેરિયર પણ જલ્દી આ વિસ્તારમાં પહોંચી શકે છે. બીજા એરક્રાફ્ટ કેરિયરનું નામ છે USS થિયોડોર રૂઝવેલ્ટ. આ બે એરક્રાફ્ટ કેરિયરની સાથે ઈઝરાયલ અને જોર્ડનમાં બનેલા લશ્કરી ઠેકાણાઓથી ઈરાન પર એટેક કરી શકે છે. એમેરિકાના એક એરક્રાફ્ટ કેરિયરમાં 65 ફાયટર જેટ તહેનાત છે જેમાં સૌથી આધુનિક, ખતરનાક F-35 ફાયટર જેટ પણ છે. એકક્રાફ્ટના કાફલામાં આધુનિક વોર શિપ્સ પણ છે. અમેરિકાના એક એરક્રાફટ કેરિયરની કિંમત 1 લાખ કરોડ રૂપિયા છે. તેના કાફલાનું રોજનું મેઈન્ટેનન્સ 72 કરોડ રૂપિયા છે. આ કરોડો રૂપિયા અમેરિકા શોખથી ખર્ચ નથી કરતું. તેનો હેતુ જ છે કે ઈરાનને પાડી દેવું. ટ્રમ્પે મીડિયાને કહ્યું કે ઈરાનને બરાબરનો પાઠ ભણાવવો પડશે 29 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહેલું કે, અત્યારે ઈરાન તરફ અમેરિકાના પાવરફૂલ જહાજો આગળ વધી રહ્યા છે. સાચું કહું તો સારું એ થશે કે અમારે તેનો ઉપયોગ ન કરવો પડે. મીડિયાએ જ્યારે ટ્રમ્પને પૂછ્યું કે તમે ઈરાનને શું મેસેજ આપ્યો? ત્યારે ટ્રમ્પે કહ્યું- મેં એને બે વાત સ્પષ્ટ કહી દીધી છે. એક તો એ કે ઈરાન પરમાણું બોમ્બ નહીં બનાવે. બીજું, પ્રદર્શનકારીઓને મારવાનું બંધ કરો. કારણ કે ઈરાન મોટી સંખ્યામાં પ્રદર્શન કરનારાઓને મારી રહ્યું છે. મેં બે સપ્તાહ પહેલાં જ 837 લોકોને ફાંસીના માંચડે ચડતાં બચાવ્યા છે. પણ ઈરાન સુધરતું નથી એટલે લાગે છે કે કાંઈક કરવું જ પડશે, એવું કાંઈક જે પહેલાં ક્યારેય જોયું ન હોય. અમેરિકાએ તેના એક ડઝન જેટલા F-35 પ્લેન જોર્ડનના સૈન્ય ઠેકાણામાં તહેનાત રાખ્યા છે. એવું પણ મનાઈ રહ્યું છે કે અમેરિકાના હુમલા પછી ઈરાન પણ ચૂપ નહીં બેસે અને અમેરિકાના કતાર અને ઈઝરાયલ ખાતેના અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર મિસાઈલથી હુમલો કરશે. ઈરાન પાસે હાયપરસોનિક મિસાઈલ છે જેનું નામ છે- ફતેહ. હાઈપરસોનિકનો અર્થ એ છે કે આ મિસાઈલ 6 હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હુમલો કરી શકે છે અને એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ હાથતાળી આપી શકે છે. રોઈટર્સનો રિપોર્ટ કહે છે કે ઈરાનની સેનાને 1 હજાર નવા ડ્રોન્સ આપવામાં આવ્યા છે. ઈરાન મોટી સંખ્યામાં આવા ડ્રોન્સ લોન્ચ કરીને અમેરિકાની શિપ પર એટેક કરી શકે છે. અત્યારે કતાર, બહેરિન, યુએઈ, સાઉદી અરબ અને ઈરાક સહિત મિડલ ઈસ્ટના અલગ અલગ સૈન્ય ઠેકાણા પર અમેરિકાના લગભગ 40 હજાર સૈનિક તહેનાત છે. ઈરાને ટાંકણે જ ખોર્રમશહર-4 મિસાઈલનું ટેસ્ટિંગ કર્યું ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ તેની તદ્દન નવી લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ ખોર્રમશહર-4નું મિલિટરી બેઝ પરથી ટેસ્ટિંગ કર્યું. આવી જ બીજી મિસાઈલો તહેનાત કરી છે. ખોર્રમશહર-4ની રેન્જ 2,000 કિલોમીટર (લગભગ 1,200 માઇલ) છે અને તે 1,500 કિલોગ્રામ (લગભગ 3,300 પાઉન્ડ) સુધીનો દારૂગોળો લઈ જવા સક્ષમ છે. મિડલ ઈસ્ટમાં ઈરાન આસપાસ જ્યાં જ્યાં અમેરિકાના સૈન્ય ઠેકાણા છે ત્યાં આ મિસાઈલ ત્રાચકવા સક્ષમ છે. ઈરાન પાસે ફતેહ મિસાઈલ છે, તેની રેન્જ તો 6 હજાર કિલોમીટર છે. ઈઝરાયલ સિવાયના મિડલ ઈસ્ટના દેશો ઈરાનની પડખે મિડલ ઈસ્ટના દેશો ઈચ્છતા નથી કે ગાઝા પછી મિડલ ઈસ્ટમાં લાંબા સમય માટેનું કોઈ યુદ્ધ થાય. સંયુક્ત આરબ અમિરાત, સાઉદી અરબ અને ઓમાન યુદ્ધનો વિરોધ કરે છે. સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ઈરાનને આશ્વાસન આપ્યું છે કે તે ઈરાન વિરુદ્ધ તેની એરસ્પેસનો ઉપયોગ અમેરિકાને નહીં કરવા દે. આ વખતે ઈરાન પણ આક્રમક છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે ઈરાન આ વખતે ઝૂકશે નહીં. આ વખતે તો લડી જ લેવું છે. ઈરાન એટલે જોરમાં છે કે મિડલ ઈસ્ટના કેટલાક દેશો તેના સપોર્ટમાં છે. આ વખતે ઈરાન એકલું નથી. ઈઝરાયલને એમ છે કે મિડલ ઈસ્ટમાં દબદબો વધારવા ઈરાન પર હુમલો થાય તે જરૂરી છે. રોઈટર્સ લખે છે કે ટ્રમ્પ પ્રદર્શનકારીઓના સમર્થનમાં ઈરાનના સૈન્ય ઠેકાણા અને સરકારી ઈમારતો પર હુમલા કરશે. ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનમાં તખતાપલટ થાય. પણ ટ્રમ્પના મનમાં શું ચાલે છે તે ટ્રમ્પ જ જાણે... EUએ ઈરાની સેનાને આતંકવાદી સંગઠનના લિસ્ટમાં નાખી દીધી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડને EUએ આતંકવાદીના લિસ્ટમાં નાખી દીધા છે. કહે છે કે ઈરાનની સેના નિર્દોષ લોકોની હત્યા કરી રહી છે. ઈરાને નારાજગી વ્યક્ત કરી છે. કહ્યું- ઈઝરાયલે ગાઝામાં નરસંહાર કર્યો તો તેની સેના કેમ આતંકવાદી નહીં? ઈરાન પર હુમલો કરીને તેને કબજે કરવાનો મૂળ પ્લાન નેતન્યાહૂનો છે. ઈરાને ન્યૂક્લિયર બોમ્બ બનાવી લીધો છે તેવું કહે છે પણ હજી સુધી બનાવ્યો નથી. જો અમેરિકા હુમલો કરશે તો ઈઝરાયલ પણ જોડાઈ જશે. ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે કે ખામેની ઈરાનથી ભાગીને મોસ્કો ચાલ્યા ગયા છે, સાચું-ખોટું તો ખોમેની જાણે, પણ આવી બધી વાતો થઈ રહી છે. ટ્રમ્પે જિનપિંગ અને પુતિનને સાનમાં સમજાવી દીધું 4 ફેબ્રુઆરીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વીડિયો કોલમાં વાત કરી. બંને વચ્ચે દોઢ કલાક વાત ચાલી. તેના થોડા કલાકો પછી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વીડિયો કોલ કર્યો. બંને વચ્ચે એક કલાક વાત ચાલી. આ પત્યું. પછી થયું એવું કે ફરીથી જિનપિંગે પુતિનને ફોન કોલ લગાવ્યો. બંને વચ્ચે 25 મિનિટ વાત થઈ. જિનપિંગે પુતિનનો ફોન મૂકીને ફરી ટ્રમ્પને લગાવ્યો. બંને વચ્ચે વીસ મિનિટ વાત થઈ. ત્રણ મહાસત્તાઓ વચ્ચે સતત ફોન રણકતાં રહ્યા. એનો સીધો અર્થ એવો છે કે ત્રણેયે અંદરો અંદર એવું નક્કી કરી લીધું કે, કોઈ એકબીજામાં માથું નહીં મારે. ચીન, રશિયા અને અમેરિકા. દુનિયાના શક્તિશાળી દેશોના વડા એક જ દિવસે સતત ફોનમાં વાત કરતા રહે તે નાની ઘટના નથી. જિનપિંગ સાથે વાતચીત થયા પછી મીડિયાને જણાવ્યું કે, મેં શી જિનપિંગ સાથે ત્રણ મુદ્દે વાત કરી. ટ્રેડ ડિલ, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન. ટ્રેડ ડિલમાં ચીને 20 મિલિયન ડોલર સુધી સોયાબિનની ખરીદી વધારવાનું નક્કી કર્યું છે. શી જિનપિંગે ટ્રમ્પને કહ્યું કે, તમે જો ઈરાન પર એટેક કરો છો તો અમે વચ્ચે નહીં પડીએ. પણ અમારી બે શરત છે. એક, તમે તાઈવાનને હથિયાર આપવાનું બંધ કરો. બીજું, જ્યારે અમે તાઈવાન પર હુમલો કરીને કબજો કરીએ તો અમેરિકાએ વચ્ચે નહીં પડવાનું. આ વાતચીતથી તાઈવાન ચિંતામાં પડી ગયું છે. ત્રીજી અને સૌથી મહત્વની વાત. ચીનના આર્મી ચીફ ઝાંગ યુક્શિયાએ ચીનના ન્યૂક્લિયર પ્રોગ્રામની માહિતી અમેરિકા સુધી પહોંચાડી દીધી હતી. આ બાબતે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે કાંઈક વાતચીત થઈ હોવી જોઈએ. અમેરિકા ગમે ત્યારે ઈરાન પર હુમલો કરવાની તૈયારીમાં છે ત્યારે જ ત્રણેય મહાસત્તાઓના ફોન રણકવા એ ટાઈમિંગ મહત્વનું છે. છેલ્લે, 1997થી 2005 સુધી ઈરાનના રાષ્ટ્રપતિ રહેલા સુધારાવાદી ધર્મગુરુ મોહમ્મદ ખાતામીએ એકવાર અયાતુલ્લા ખામેનીને કહેલું કે ઈરાનને મજબૂત બનાવવા આપણે અમેરિકા જેવા દુશ્મનની જરૂર છે. આજે એ ધર્મગુરૂની વાત સાચી પડી છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
ગાંધીનગરના આંગણે આયોજિત વિશ્વની પ્રથમ ‘પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા’એ આધ્યાત્મિકતા સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપીને વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે. આજે કથાના છઠ્ઠા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કથાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ભાગવત કથાની આરતીનો લાભ લઈ આત્મિક ધન્યતા અનુભવી હતી. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો સંબંધ નેચર ફર્સ્ટ’ના વિચાર સાથે યોજાયેલી આ ભાગવત કથામાં પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના અવિભાજ્ય સંબંધ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભાગવતના પ્રસંગો દ્વારા પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદના અને સંરક્ષણની ભાવનાને જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા આ અવસરે જગદીશ ત્રિવેદી તેમજ નગેન્દ્ર વિજય પણ ઉપસ્થિત રહ્યા હતા. કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિ અને પ્રકૃતિપ્રેમના રંગે રંગાયું હતું. આવતીકાલે પ્રકૃતિ પ્રેમ ભાગવત કથાની પૂર્ણાહુતિ યોજાનાર છે. આયોજનકારોએ જણાવ્યું કે આ કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ પ્રકૃતિ સંરક્ષણ માટે જનજાગૃતિનું મજબૂત મંચ બની છે, જે સમાજને ‘પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ’નો સંદેશ આપે છે.
રાજકોટમાં છેલ્લ 24 કલાકમાં વધુ 3 આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતા એક શ્રમિક અને એક કેટરર્સના ધંધાર્થીનો સમાવેશ થાય છે. પ્રથમ બનાવમાં શંતકબીર રોડ પર અઢી મહિના પહેલા જ લગ્ન થયેલ પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જયારે માંડાડુંગર વિસ્તરામાં આવેલ કારખાનામાં રહી મજૂરી કામ કરતા શ્રમીકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે અને મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટરર્સના ધંધાર્થીએ આર્થિક ભીંસથી કંટાળી આપઘાત કરી લેતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત આજે સવારે 11.30 વાગ્યા આસપાસ શહેરના સંત કબીર રોડ અને પેડક રોડ વચ્ચે મારુતિ મધરલેન્ડ સ્કૂલની પાછળ આવેલ કૈલાસ ધામ મેઈન રોડ પર રહેતી કૃપાલી રોહન ઢોલરીયા (ઉં.વ.27) નામની નવોઢાએ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતા 108માં જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી તેને મૃત જાહેર કરી બનાવ અંગે પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા પરિવારની પૂછપરછ કરતા મૃતકના હજુ અઢી મહિના પહેલા જ લગ્ન થયા હતા અને પતિ કરિયાણાની દુકાન ચલાવતા હતા. જો કે આપઘાત ક્યાં કારણે કર્યો તે જાણવા ન મળતા પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. કારખાનામાં મજૂરનો આપઘાત રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાં પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરીયા શેરી નં.4માં આવેલા કારખાનામાં રહેતો વિકાસ શેષરાજ કેવત (ઉં.વ.29) ગઈકાલે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન થઈ જતા 108ના ઈએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. પોલીસ તપાસમાં વિકાસ મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું અને અહીં તેમના સબંધી સાથે કારખાનામાં મજૂરી કરતો તેમજ ત્યાં કારખાનામાં જ રહેતો હતો. જો કે વિકાસએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા ન મળતા આજીડેમ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસથી કંટાળી કેટરર્સ ધંધાર્થીનો આપઘાત બીપીનભાઈ લક્ષ્મણભાઈ પાંભર (ઉં.વ.46) ગઈકાલે બપોરે મોટા વડા ગામની સીમમાં ખોડીયાર માતાજીના મંદિર પાસે હતા ત્યારે તેને ઝેરી દવા પી લીધી હતી બાદમાં પરિવારજનોને બનાવ અંગે ફોન મારફત જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક પરિવારજનો દોડી ગયા હતા અને બીપીનભાઈને બેભાન હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જો કે ટૂંકી સારવાર દરમિયાન આજે તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં બીપીનભાઈ કેટરર્સનું કામ કરતા હોવાનું અને તેમને સંતાનમાં 1 પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસથી કંટાળી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. કણકોટ ચોકડી પાસે હિટ એન્ડ રન પરસોતમભાઈ રવજીભાઈ સોરઠીયા (ઉં.વ.78) ગઈકાલે બપોરે 2 વાગ્યાની આસપાસ શુભ મંગલ પાર્ટી પ્લોટ કણકોટ ચોકડી પાસે ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક હડફેટે લઈ નાસી ગયો હતો જેથી પરસોતમભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ પૂછપરછમાં પરસોત્તમભાઈ પોતાની વાડીએ ગયા હતા અને ત્યાંથી પરત ઘરે આવતા હતા ત્યારે અજાણ્યો કારચાલક તેમને હડફેટે લઈને નાશી છૂટ્યો હતો. પરસોત્તમભાઈને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે. તેઓ માનસિક અસ્વસ્થ હતા. હાલ રાજકોટ તાલુકા પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની શોધખોળ હાથ ધરી છે. પુત્રવધુને મરવા મજબુર કર્યાની ખોટી ફરિયાદ નોંધાયાના આક્ષેપ સાથે સાસુએ આપઘાતનો પ્રયાસ કર્યો મીનાબેન ઉપેનભાઈ વેગડા (ઉં.વ.44) ગઈકાલે સાંજના 6.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઇલ પી જતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મીનાબેને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેના દીકરા પિયુષભાઈ વેગડાએ 26 વર્ષીય નિકિતા સાથે પ્રેમ લગ્ન કર્યાં હતા. તેઓ દિનેશ એપાર્ટમેન્ટમાં અલગ રહેતા હતા. ગઈ તા.3ના રોજ નિકિતાએ તેના ફ્લેટમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે અંગે નિકિતાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, દહેજ માંગી દીકરીને હેરાન કરવામાં આવતી હતી એટલે આપઘાત કર્યો હતો જેથી પોલીસે પુષ્પાબેન બાબુભાઈ રાઠોડની ફરિયાદ પરથી નિકિતાના પતિ પિયુષ વેગડા, સસરા ઉપેનભાઈ વેગડા, સાસુ મીનાબેન વેગડા, દાદાજી સસરા દાનાભાઈ વેગડા, દાદીજી સાસુ ભાણીબેન વેગડા સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ ખોટા છે અને તેમની વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાઈ એટલે મીનાબેને ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું હાલ માલવીયાનગર પોલીસે મીનાબેનનું નિવેદન નોંધી વળગુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના અમરોલી-છાપરાભાઠા વિસ્તારમાં રહેતી એક 47 વર્ષીય મહિલાએ માનસિક બીમારીથી કંટાળી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. વહેલી સવારે ઘરેથી નીકળ્યા બાદ મહિલાનો મૃતદેહ અમરોલી તાપી બ્રિજ નીચેથી મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગંભીર માનસિક બીમારીથી પીડાતી મહિલાનો આપઘાતમળતી માહિતી મુજબ, મૂળ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના વતની અને હાલ સુરતના અમરોલી છાપરાભાઠા રોડ પર આવેલા પાર્થ કોમ્પ્લેક્સ (વિભાગ-બી) માં રહેતા ચંદ્રિકાબેન કિશોરભાઈ પરમાર (ઉં.વ. 47) છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા. ચંદ્રિકાબેનના પતિનું અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ તેમના ત્રણ પુત્રો સાથે સુરતમાં રહેતા હતા. છેલ્લા 3-4 મહિનાથી તેઓ ગંભીર માનસિક બીમારીથી પીડાતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. પુત્રએ જ માતાનો મૃતદેહ શોધ્યોઆજે વહેલી સવારે ચંદ્રિકાબેન પરિવારના સભ્યોને જાણ કર્યા વગર ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. માતા ઘરે ન દેખાતા ગભરાયેલા પુત્રોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તેમનો મોટો પુત્ર સાગર શોધતા-શોધતા અમરોલી તાપી બ્રિજ પાસે પહોંચ્યો હતો, જ્યાં નદીના પાણીમાં તેને માતાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોબનાવની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં પરિવારે જણાવ્યું હતું કે, સતત રહેતી માનસિક બીમારીથી કંટાળી જઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. હાલ કતારગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ બાદ બરોડા ડેરી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.18 માર્ચના રોજ બરોડા ડેરીની ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બરોડા ડેરીની ચૂંટણીની તારીખ જાહેર થતાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરનાર નિયામક મંડળ હતું. આ ચૂંટણી વહેલી આવે અને વહીવટદાર ડેરીના વહીવટ માં ના આવે એવી ઈચ્છા એટલા માટે રાખતા હતા, જો ચૂંટણી કદાચ વહીવટદાર આવી જાય અને વહીવટદારના અંડરમાં ચૂંટણી પ્રોસેસ થાય તો નિયામક મંડળે કરેલા જે પ્લાન છે એ સફળ ન થાય, એટલે એમને ચૂંટણી જીતવી અઘરી બની જાય. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, 18 માર્ચના બરોડા ડેરીની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી થતાં કોર્ટે સહકાર ડિપાર્ટમેન્ટને ફટકાર લગાવી હતી. સહકાર ડિપાર્ટમેન્ટ એ બરોડા ડેરીના અધિકારીઓને કારણે ચૂંટણી મોડી થઈ હોવાનું કારણ પણ રજૂ કર્યું હતું. ત્યારબાદ જાહેર થયેલી ચૂંટણીને હું આવકારું છું. નિયમક મંડળે એ PIL કરી હતી. કારણ કે વહીવટદાર આવે તો એમના પ્લાન નિષ્ફળ જાય અને તેમની ચૂંટણી જીતવી અઘરી પડી જાય. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કાચી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા માટે જે ઠરાવ મંગાવ્યા છે, જેના માટે કમિટીની મીટીંગો કરી નથી. સભાસદોને જાણ કરી નથી. માત્ર પ્રોસિજર બતાવી દેવામાં આવ્યો છે અને મનમાની કરવામાં આવી છે. મતદાર યાદીમાં જે વાંધા હોય તેમાં ચૂંટણી અધિકારી કડક નિર્ણય લે. ચૂંટણીમાં પેટા નિયમોનો ભરપૂર દૂરઉપયોગ થશે. જેના કારણે ઘણી મંડળીઓમાં ઉમેદવારો બિન હરીફ થશે. આ નિયમો એટલા માટે લાવ્યા છે કારણે કે, એ લોકોને ડર છે કે, ચૂંટણી થશે તો એ લોકો જીતી નહીં શકે અને જીવનભર ચૂંટણી જીતવું સપનું બની જાય. તેઓએ કહ્યું હતું કે, કાચી મતદાર યાદીમાં આવતા વાંધાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. ત્યારબાદ જ પાકી મતદાર યાદી તૈયાર કરવામાં આવે. આ માત્ર ચૂંટણી નહીં પરંતુ લાખો પશુપાલકોનું હિત છે, તેમની આજીવીકા છે. ચૂંટણી પ્રક્રિયા પર અમારી પૂરેપૂરી નજર રહેશે. ચૂંટણી તટસ્થ થાય તે માટે અમારી આગ્રહ અને નજર રહેશે.
વેરાવળ PGVCLનું વીજ ચેકિંગ, 122 ગેરરીતિ ઝડપાઈ:35 ટીમોએ 580 જોડાણ તપાસ્યા, ₹38.60 લાખના બિલ ફટકાર્યા
વેરાવળ PGVCL વિભાગ દ્વારા વીજ ચોરી અને ગેરકાયદેસર વીજ ઉપયોગ અટકાવવાના હેતુથી વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 580 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 122 ગેરરીતિઓ ઝડપાઈ હતી. વીજ વિભાગે ગેરરીતિ આચરનારા ગ્રાહકોને કુલ ₹38.60 લાખના દંડરૂપ વીજ બિલો ફટકાર્યા છે. જૂનાગઢ અધિક્ષક ઈજનેર એસ. એચ. રાઠોડ અને વેરાવળ કાર્યપાલક ઈજનેર જી. બી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ માટે કુલ 35 ટીમો અને 160 કર્મચારીઓને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ઝડપાયેલી ગેરરીતિઓમાં મીટર ટેમ્પરિંગ, અનધિકૃત લોડનો ઉપયોગ, સીધી લાઇન દ્વારા વીજ ચોરી અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતો વીજ ઉપયોગ સામેલ હતો. આ વિશેષ વીજ ચેકિંગ વેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામો અને શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરેઠી, માલઝીંઢવા, જેપુર, બકુલા, ધનેજથોરડી, સિંગસર, લોધવા, બરેવલા, પ્રસ્નવદા, જામ્બુર, સવની, મોરાજ, ઇનાજ, ગોવિંદપરા, વાવડી આદ્રી, ઉમરાળા, ઉંબા, ઉકડિયા, મલોંધા, ખેરાલી, દેડા, ચમોડા, આંબલિયાળા, ટોબરા, મહોબતપરા, ખાંભા, વાંસવડ, પ્રાંસલી, સુંદરપારા, નાખાડા, કુક્રાસ, બોલાસ, થારેલી, પદ્રુકા, મોરાસા, કડસાલા, ચાગીયા, બારૂલા, આરબ ચોક, ત્રુક ચોરા, ભરકોટ, મોચી બજાર, ખારવા વડ, ગુલાબનગર, ઘંચીવાડા, કોલીવાડા, પઠાણવાડા, મેઇન બજાર અને શાંતિનગર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. વીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી ઈમાનદાર વીજ ગ્રાહકોને ન્યાય મળ્યો છે અને વીજ ચોરી સામે કડક સંદેશો ગયો છે. વિભાગે વીજ ચોરી સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી છે અને આવાં વિશેષ ચેકિંગ અભિયાન ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે. ગ્રાહકોને નિયમ મુજબ વીજ ઉપયોગ કરવા અને ગેરરીતિથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
મોદી સરકારનું બજેટ ગરીબ-યુવા-અન્નદાતા કેન્દ્રિત:જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજી વિશેષતાઓ સમજાવી
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ અંગે જનજાગૃતિ લાવવા માટે ડિસ્ટ્રીક્ટ બેંકના સભાખંડ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે જણાવ્યું હતું કે, નાણાંમંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલું બજેટ 2047ના વિકસિત ભારતના રોડમેપ સમાન છે. તેમણે બજેટને સર્વગ્રાહી અને વિકાસલક્ષી ગણાવી કૃષિ, મહિલા સશક્તિકરણ, ટ્રાન્સપોર્ટેશન, સેમીકન્ડક્ટર અને AI જેવા ક્ષેત્રોને પ્રાધાન્ય અપાયું હોવાનું ઉમેર્યું હતું. પ્રદેશ પ્રવક્તા CA મહાવીર જૈને MSME માટેની જોગવાઈઓ, કેમિકલ પાર્ક અને નવા ઇન્કમટેક્સ કાયદાથી ભરૂચ સહિતના ઔદ્યોગિક વિસ્તારોને લાભ થવાની આશા વ્યક્ત કરી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં ગુજરાતને વિશેષ સ્થાન મળ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્ય ફાર્મા અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે હબ બનશે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ બજેટને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી કેન્દ્રિત ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ અને જીગ્નેશ મિસ્ત્રી સહિતના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાલપુરમાં ખેડૂતની વાડીમાંથી 2.43 લાખની મગફળી ચોરાઈ:174 મણ મગફળીની ચોરી: પોલીસે તપાસ શરૂ કરી
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના દલતુંગી ગામમાં એક ખેડૂતની વાડીમાંથી રૂ. 2,43,600 ની કિંમતની 174 મણ મગફળીની ચોરી થઈ છે. ખેડૂત ઘેલાભાઈ કરસનભાઈ વકાતરે આ અંગે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ઘેલાભાઈએ પોતાની વાડીમાં મગફળીનો પાક તૈયાર કરીને 87 અલગ-અલગ બેગમાં કુલ 174 મણ મગફળીનો જથ્થો ઓરડીમાં રાખ્યો હતો. આ મગફળી 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરીને લઈ ગયા હતા. લાલપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પી.એસ.આઇ કે. એલ. ગળચર અને તેમની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ચોરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ માટે મહત્વપૂર્ણ પગલાંરૂપે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ અમદાવાદ શહેરે આજે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળના કેસોમાં ઓનલાઈન ચુકવણી સુવિધા સફળતાપૂર્વક અમલમાં મૂકી છે. આ નવી પ્રણાલી હેઠળ પ્રથમ ઓનલાઈન ચુકવણી આજે જ પ્રાપ્ત થઈ છે અને સંબંધિત કેસનો આજે જ નિકાલ કરવામાં આવ્યો છે, જે ગુજરાતમાં આ સુધારાની ઔપચારિક શરૂઆત દર્શાવે છે. સમન્સના તબક્કે આરોપીને ચેકની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાનો વિકલ્પઆ પહેલ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના એક ચુકાદા અનુસાર હાથ ધરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લા અદાલતોને સમન્સના તબક્કે જ આરોપીને ચેકની રકમ ઓનલાઈન ભરપાઈ કરવાનો વિકલ્પ આપવા સૂચના આપવામાં આવી હતી. જેથી વહેલી સમજૂતી અને કેસોના ઝડપી નિકાલને પ્રોત્સાહન મળી શકે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરમાં આ પ્રણાલીની અમલવારી હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ, હાઇકોર્ટના ન્યાયાધીશ ઇલેશ વોરા વગેરેના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ છે. કોર્ટના નિર્ધારિત બેંક ખાતામાં સીધી ચેકની રકમ જમા કરાવી શકશેઆ પ્રણાલી હેઠળ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના કેસમાં આરોપી SBI Collect મારફતે કોર્ટના નિર્ધારિત બેંક ખાતામાં સીધી ચેકની રકમ જમા કરાવી શકે છે. રકમ પ્રાપ્ત થતાં જ કોર્ટ બેંકની પ્રણાલી મારફતે તરત જ લેવડદેવડની ચકાસણી કરી શકે છે અને કેસનું સમાધાન તથા નિકાલ અંગે યોગ્ય આદેશ પસાર કરી શકે છે. NI એક્ટના 4 લાખથી વધુ પેન્ડિંગ કેસોહાલમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ શહેરમાં NI એક્ટના 4 લાખથી વધુ પેન્ડિંગ કેસો છે અને દર મહિને અંદાજે 10થી 15 હજાર નવા કેસો દાખલ થાય છે. આ નવી ઓનલાઈન ચુકવણી પ્રણાલી આરોપી દ્વારા રકમ ભરપાઈ કરવામાં આવે તેવા કેસોમાં વહેલી સમજૂતી અને તાત્કાલિક નિકાલ શક્ય બનાવીને પેન્ડન્સી ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે. તમામ લેવડદેવડ કોર્ટના બેંક ખાતા મારફતે થાય આ પ્રણાલી પારદર્શિતા, સુરક્ષા અને ઓડિટ ક્ષમતાની પણ ખાતરી આપે છે, કારણ કે તમામ લેવડદેવડ કોર્ટના બેંક ખાતા મારફતે થાય છે અને કાનૂની રજિસ્ટરો તથા કોર્ટ ખાતાઓમાં નોંધાય છે. નાણાકીય સંસ્થાઓ, કંપનીઓ તથા પક્ષકારોને પણ લાભ મળશે, કારણ કે ચુકવણીઓ સીધી કોર્ટ સુધી પહોંચશે અને પ્રક્રિયાત્મક વિલંબ વિના કેસો બંધ થઈ શકશે. આ સુધારો ટેકનોલોજી આધારિત ન્યાય વિતરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે અને ન્યાયિક પ્રક્રિયાને વધુ ઝડપી, કાર્યક્ષમ અને કોર્ટ વપરાશકર્તાઓ માટે વધુ સુલભ બનાવવા માટે માનનીય સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટની વ્યાપક દ્રષ્ટિ સાથે સુસંગત છે.
અમદાવાદ શહેરનો વિકસતો વિસ્તાર એટલે ઘુમા ગામ નજીક દુકાનો અને ફ્લેટોની સ્કીમની જાહેરાત કરી લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર પ્રિવિલોન બીલ્ડકોન એલએલપી કંપનીના જયદીપ કોટક અને હિરેન કારીઆ વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બે જગ્યાઓ પર લોકોને દુકાનો અને ફ્લેટ આપવા માટે એમઓયુ કરી અને તેમની પાસેથી પૈસા પડાવી લીધા હતા બાદમાં તેમને કાચી ચિઠ્ઠી આપી હતી. બે વર્ષ સુધી કોઈપણ બાંધકામ કરવામાં આવ્યું નહીં. જેથી લોકો છેતરાયા હોવા અંગેની જાણ થતા આ મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં બંને વિરુદ્ધ બે અલગ અલગ જગ્યા પર લોકો સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રીવીલોન ગ્રુપની રીચમંડ બાય 22 નામની સાઈટ નામે છેતરપિંડીમૂળ ધંધુકાના રહેવાસી શાંતિભાઈ જાદવે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અમદાવાદમાં તેમને દુકાન લેવાની હોવાથી વર્ષ 2023માં તેમના જમાઈને વાત કરતા ઘુમા ગામમાં પ્રીવીલોન ગ્રુપની રીચમંડ બાય 22 નામની સાઈટ ચાલતી હોવાથી તેઓ ત્યાં ગયા હતાં. જયદીપ કોટક નામના વ્યક્તિ ત્યાં હાજર હતા અને આ જમીન વેચાણ રાખી છે ત્યાં તેમણે 3 અને 2 બીએચકે મકાન તેમજ દુકાનો બનાવતા હોવાની વાત કરી હતી. ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર ઉપર દુકાન બનાવવાની છે અને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દુકાન લેવાની વાત કરી હતી. સાઇટ ઉપર ગયા ત્યારે કામ ચાલુ નહોતું થયુંપ્રીવીલોન ગ્રુપ દ્વારા સાઇટ બનાવવામાં આવતી હોવાના બ્રોસર અને સાઈન બોર્ડ બતાવ્યા હતા, ત્યારબાદ દુકાન લેવાનું નક્કી કરવામાં આવતા તેમની ભાગીદારી પેઢીનું કામ ચાલુ છે જેના કારણે બંસી ડેવલોપરના નામે ચેક આપ્યો હતો. જે બાદ તેમણે છ લાખ રૂપિયા કેસ આપ્યા હતા અને તેમાં એક ડાયરીમાં નોંધ કરી અને 6000 તેમાં લખી આપ્યા હતાં. ત્યારબાદ વર્ષ 2024માં જ્યારે તેઓ સાઇટ ઉપર ગયા ત્યારે કામ ચાલુ નહોતું થયું અને હિરેન કારિઆએ જલ્દી કામ ચાલુ થઈ જશે તેમ કહ્યું હતું. દુકાનો આપવાના નામે પૈસા પડાવી લીધાજગ્યા ઉપર માત્ર બોર્ડ મારેલા હતા જોકે થોડા સમય બાદ તે બોર્ડ નીકળી ગયેલા હતા અને સાઇટ ઉપરની ઓફિસ પણ બંધ થઈ ગઈ હતી. જે બાબતે તપાસ કરતા કોઈ પણ પ્રકાર ની જમીન ખરીદી અને કોઈ વેચાણ કરાર કરવામાં આવેલા નહોતા. આ ઉપરાંત અન્ય કેટલાક લોકોને પણ ફ્લેટ અને દુકાનો આપવાના નામે પૈસા પડાવી લીધા હતા. અલગ અલગ લોકો પાસેથી ફ્લેટ આપવાના નામે પૈસા પડાવ્યાઘુમા વિસ્તારમાં જ પ્રિવિલોન ગ્રુપ દ્વારા સેલેસ્ટીયલ બાય 14 સ્ટોરી નામની બાંધકામ ટીમના બોર્ડ લગાવેલા હતા જેમાં 2 અને 3 બીએચકે મકાન બનવાના હતા તેના માટે પણ અલગ અલગ લોકો પાસેથી ફ્લેટ આપવાના નામે પૈસા પડાવી લીધા હતા. ફ્લેટ વેચાણના નામે પૈસા પડાવ્યા બાદ પ્રિવિલોન ગ્રુપ દ્વારા મિલકત વેચાણના એમઓયુ કરી આપવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારના જમીનના દસ્તાવેજ કરાયા નહોતાપરંતુ ત્યારબાદ જાણવા મળ્યું હતું કે કોઈપણ પ્રકારના જમીનના દસ્તાવેજ કરવામાં આવ્યા નથી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે જે સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ એફઆઇઆર નોંધવામાં આવી છે અને લોકો સાથે રૂપિયા બે કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરીયાદના આધારે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા આગામી 10 ફેબ્રુઆરી, 2026ના રોજ 39મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. આ પ્રસંગે કુલ 24 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સામાજિક ખર્ચ ઘટાડવા અને સમૂહ ભાવના વધારવાના ઉમદા હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્ન મહા વદ-8 (10-02-2026) ના રોજ મોરબી-2 ખાતે એસ્ટ્રોન સિરામિકની પાછળ, રિવેરા સિરામિકની બાજુમાં યોજાશે. કાર્યક્રમની શરૂઆત સવારે ગણેશ સ્થાપના સાથે થશે, ત્યારબાદ સામૈયા અને જાનનું સ્વાગત કરવામાં આવશે. સમારંભમાં પધારેલા મહેમાનો અને સંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવશે અને હસ્તમેળાપની મુખ્ય વિધિ સંપન્ન થશે. બપોરે નવદંપતીઓને કરિયાવર ભેટ આપી વિદાય આપવામાં આવશે. આ મંગલ પ્રસંગે પ.પૂ. મેહુલદાસ બાપુ અને યોગીશ્રી જ્યોતનાથજી બાપુ આશીર્વાદ આપવા ખાસ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નાથાભાઈ સવાડિયા અને સહ-અધ્યક્ષ તરીકે માવજીભાઈ વારેવડીયા સેવા આપશે. જ્ઞાતિના ઉદાર દાતાઓ દ્વારા નવદંપતીઓને નવો ઘર-સંસાર વસાવવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ ભેટમાં આપવામાં આવી છે. જેમાં સોના-ચાંદીના દાગીના, સ્ટીલના વાસણો, કબાટ, પલંગ, ગાદલાં, મિક્સર, ઇસ્ત્રી, ગેસ સ્ટવ અને રસોડાની નાની-મોટી 120થી વધુ વસ્તુઓનો સમાવેશ થાય છે. લગ્નની સાથે જ્ઞાતિમાં શિક્ષણ અને વાંચનનો વ્યાપ વધે તે માટે આ વખતે ખાસ પુસ્તક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આ લગ્નોત્સવનું વિશેષ આકર્ષણ બની રહેશે. વરિયા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ મોરબીના પ્રમુખ ગોકળભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ પ્રવિણભાઈ વારનેશીયા અને સમગ્ર સમિતિ આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની પ્રક્રિયા હાલમાં ચર્ચામાં છે. આ મામલે કલેક્ટર તંત્રની કાર્યવાહી સામે હાઇકોર્ટે 3 મહિનાનો સ્ટે આપ્યો છે, ત્યારે રાજકોટ મહાનપાલિકા પણ સતર્ક બની છે. વોર્ડ નં. 16, TP-6 માં 15 મીટરના રોડ પર આવેલા 1500 થી વધુ ગેરકાયદે રહેણાંક અને ધંધાકીય દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસો અપાઈ હતી. આ મામલે દબાણ કર્તાઓ કોર્ટમાંથી સ્ટે ન મેળવે તે હેતુથી મહાપાલિકાએ રજીસ્ટ્રાર મારફત જનરલ કેવિએટ નં. 329/2025 દાખલ કરી છે. મનપા દ્વારા આજી નદીના પટમાં આવેલા જંગલેશ્વર વિસ્તારના 50 ફૂટના ટી.પી. રોડ પરના દબાણો સામે સ્પીકિંગ ઓર્ડર અને કારણ દર્શક નોટિસો પાઠવવામાં આવી છે. કોર્પોરેશનને આશંકા છે કે રહેવાસીઓ આ પ્રોસીડિંગ્સ અટકાવવા માટે મનાઈ હુકમની માંગ કરી શકે છે. આ કેવિએટ દાખલ થવાથી હવે અદાલત મનપાનો પક્ષ સાંભળ્યા વિના એકતરફી સ્ટે આપી શકશે નહીં. હાલમાં કલેક્ટર તંત્રની કાર્યવાહી અટકી હોવા છતાં, મનપા પોતાની જગ્યા ખાલી કરાવવા માટે કાયદાકીય મજબૂતી લાવી રહી છે. જોકે મનપાનાં અધિકારીએ પખવાડિયા અગાઉ જ આ કેવિયેટ દાખલ કરી હોવાનું જણાવ્યું હતું. ફેસ ડિટેક્શન મશીન છતાં હાજરીમાં ગોલમાલ, સોલીડ વેસ્ટનાં 45 કર્મચારીઓને કારણદર્શક નોટિસ રાજકોટ મહાનગરપાલિકામાં શિસ્ત અને સમયપાલન જળવાઈ રહે તે માટે ફેસ ડિટેકશન મશીન દ્વારા હાજરી પૂરવાની વ્યવસ્થા અમલમાં છે. જોકે, સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના નિયત કાર્યસ્થળને બદલે અન્ય વોર્ડ ઓફિસે હાજરી પૂરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જાન્યુઆરી 2026ના રિપોર્ટના આધારે પર્યાવરણ ઇજનેરે ફરજમાં બેદરકારી દાખવનાર 45 જેટલા એસ.ઓ. (SO), એસ.આઈ. (SI) અને એસ.એસ.આઈ. (SSI) ને શો-કોઝ નોટિસ પાઠવી છે. મ્યુ. કમિશ્નરની સૂચનાથી લેવાયેલા આ પગલામાં તમામ અધિકારીઓને 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. આ કર્મચારીઓ સવારે 6 વાગ્યે રિપોર્ટિંગ કરવાને બદલે ઘરની નજીક પડતી અન્ય ઓફિસોમાં ડિજિટલ હાજરી પૂરાવી ગેરરીતિ આચરતા હતા. બીજી તરફ, મનપાની કચેરીઓમાં બપોરે 2:30 થી 3:00 ના લંચ ટાઈમનો દુરુપયોગ કરી કર્મચારીઓ કલાકો સુધી ગાયબ રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે. નાગરિકોની હાલાકી જોતા હવે ઇન્ડોર સ્ટાફના સમયપાલનની પણ સઘન તપાસ થાય તેવી માગ પ્રબળ બની છે. સુરતની ટીમને હરાવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વેસ્ટઝોન ક્રિકેટ ટુર્નામેન્ટનાં ફાઇનલમાં પ્રવેશ રાજકોટમાં રમાતી વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શાનદાર પ્રદર્શન કરતા સુરતની મહાવીર યુનિવર્સિટીને પરાજય આપી ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. સેમી ફાઇનલના મહત્વના મુકાબલામાં સુરતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ સૌરાષ્ટ્રના બોલરો સામે સુરતની ટીમ લાંબુ ટકી શકી નહોતી અને માત્ર 135 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. 136 રનનો લક્ષ્યાંક પીછો કરવા ઉતરેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે 8 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. ટીમની જીતમાં અભિષેક નિમાવતે 44 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં આદિત્યસિંહ રાઠોડે ધારદાર પ્રદર્શન કરી 3 વિકેટ ઝડપી હતી, જેના કારણે તેમને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા. આવતીકાલે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મુકાબલો મહારાષ્ટ્રની અમરાવતી યુનિવર્સિટી સામે થશે. રાજકોટમાં રૂ. 2.77 કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કરાયું રાજકોટના સામાકાંઠે આર્યનગરમાં રૂ. 2.77 કરોડના ખર્ચે તૈયાર થયેલી શ્રી સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા નં. 72ના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું કે, મ્યુનિસિપલ શાળાઓ હવે ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી 'સ્માર્ટ સ્કૂલ' બની રહી છે. આ નવું બિલ્ડિંગ પણ 10 હવા ઉજાસવાળા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ શિક્ષણની સુવિધા, પ્રાર્થના હોલ અને મિટિંગ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે સામાન્ય પરિવારના બાળકોના સપના સાકાર કરવામાં મદદરૂપ થશે. ધારાસભ્ય ઉદય કાનગડે આ અવસરે જણાવ્યું કે, ટૂંકા ગાળામાં નવીનીકરણ પામેલી આ ચોથી શાળા છે. વડાપ્રધાન મોદીની વિવિધ યોજનાઓ થકી સરકારી શાળાઓ હવે ટેક્નોલોજી આધારિત અને વિશાળ બની રહી છે, જેથી આર્થિક નબળાઈ શિક્ષણમાં અવરોધ ન બને. આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના સભ્યો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. રાજકોટમાં આવતીકાલે કેન્દ્રીય બજેટ સંદર્ભે ‘સંવાદ’ કાર્યક્રમ યોજાશે, મંત્રી રીવાબા જાડેજા આપશે માહિતી સ્વતંત્ર ભારતનું 80મું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટના પ્રચાર-પ્રસાર માટે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી પ્રચાર અભિયાન 2026 અંતર્ગત રાજકોટમાં વિશેષ કાર્યક્રમ યોજાશે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે અને પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરીયાની અધ્યક્ષતામાં આવતીકાલે 7 ફેબ્રુઆરી 2026, શનિવારે સાંજે 4:00 કલાકે રૈયા રોડ પર આવેલા પ્રમુખ ઓડિટોરીયમ ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સંયોજક પરિમલ પરડવા અને સહસંયોજક શૈલેષ જાની તેમજ અમૃત ગઢીયા છે. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે મંત્રી રીવાબા જાડેજા ખાસ હાજર રહી બજેટથી મહિલાઓને થનારા લાભો વિશે વિસ્તૃત સમજ આપશે. આ સાથે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી પણ સંબોધન કરશે. આ બેઠકમાં શહેરની પ્રબુદ્ધ મહિલાઓ જેવી કે ડોક્ટર, વકીલ, સીએ અને સામાજિક કાર્યકરોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
• દુઃખ દર્દ દૂર કરવા બહાને અમદાવાદના વેપારી પાસેથી રૂ.24.23 લાખ પડાવ્યા'તા રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા ઢોંગી બાબા સતીષ ધામીએ અમદાવાદના વેપારીનું દુઃખ દર્દ દૂર કરવા બહાને રૂ.24.23 લાખ પડાવી લીધા બાદ જો વધારે રૂપીયા નહીં આપો તો માતાજી કોપાયમાન થશે તેમ ધમકી આપી છેતરપીંડી આચરતાં ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી સતીષ ધામીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પકડાયેલા ઢોંગી બાબાએ અમદાવાદ રહેતાં વેપારી પરિવારનું દુઃખ દર્દ દૂર કરવા માટે ઓસ્ટ્રેલિયા રહેતા વેપારી પુત્ર પાસેથી રૂપિયા પડાવી લીધા હતા આ પછી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતા પરિવારને છેતરપિંડી થયા અંગે જાણ થઇ હતી. ઉલ્લેખનીય છે કે આરોપીએ છેતરપિંડીના પૈસામાંથી 19 લાખની ક્રેટા, એક લાખનો આઈફોન ખરીદ કર્યો હતો જે સહીત કુલ 12.40 લાખનો મુદામાલ કબ્જે કરી તેનું બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે અને હાલ આરોપીને રિમાન્ડ ન મળતા જેલહવાલે કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર એસીપી ભાવેશ જાધવએ જણાવ્યું હતું કે, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં જજીસ બંગલા રોડ પર રહેતાં જયંતિલાલ ભુરાજી પરમાર (ઉ.વ.55)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સતીષ રામજી ધામીનું નામ આપતા છેતરપિંડીના ગુના હેઠળ આરોપી સતીષ ધામીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેને દુઃખ દર્દ દૂર કરવા બહાને ફરિયાદી પાસેથી મેળવેલ 24.23 લાખ રૂપિયામાંથી 19 લાખ રૂપિયાની ક્રેટા કાર ખરીદ કરી હતી અને એક લાખ રૂપિયાનો આઈફોન ખરીદ કર્યો હતો. જે કબ્જે કરી પોલીસ 12 લાખની ક્રેટા અને 40,000નો મોબાઈલ મળી 12.40 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીનું બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યું છે જેમાં 1.95 લાખ હોવાનું સામે આવ્યું છે. આરોપીના રિમાન્ડ ન મળતા પોલીસે તેને જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જો અન્ય કોઈ લોકો આ ઢોંગી બાબા પાસે છેતરાયા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. ફરિયાદીનો પુત્ર અંકીત વર્ષ 2019થી ઓસ્ટ્રેલીયા રહી નોકરી કરે છે. અંકીતની એકવાર સગાઈ થઇ હતી અને તે સગાઈ તુટી ગઈ હતી જેના કારણે અંકિત ચિંતામાં રહેતો હતો દરમિયાન અંકિતે તેમના મીત્ર પાર્થ ચોવટીયાને વાત કરતાં પાર્થ ચોવટીયાએ કહ્યું કે, તેઓને પણ તેમના ઘરમા કંકાસ રહેતો જેથી તે રાજકોટ રહેતા ચમત્કારી સતીષ ધામી પાસે ચમત્કારી કામ કરાવી ઘરમા કંકાસ ન થાય તે માટે સતીષ ધામીને પૈસા આપે છે. જેથી પુત્ર અંકિત ઘરની અને પોતાની સમસ્યાઓથી કંટાળી મીત્ર પાર્થને કહ્યું કે, તુ મને આ ચમત્કારી સતીષ ધામીનો સંપર્ક કરાવી આપ મારે પણ તેમની પાસે મારુ કામ કરાવવુ છે. આ પછી ઓકટોબર 2022માં પાર્થ ચોવટીયાએ વિડીયો કોલથી આ સતીષ ધામી સાથે અંકિતને વાત કરાવી હતી અને સતીષ ધામીએ વિડીયો કોલમાં કહ્યું કે, કોઈ કામ હોય તો કયો, હું તમારી તમામ સમસ્યાઓ દુર કરી આપીશ. અંકિત આ વાતમા આવી અને અવાર-નવાર સતીષ ધામી સાથે વોટસએપ કોલથી વાતચીત કરતો હતો અને અત્યાર સુધીમાં કુલ રૂ.24.23 લાખ અલગ અલગ સમયે દુઃખ દર્દ દૂર કરવા બહાને પડાવ્યા હતા જો કે આમ છતાં પરિવારને શુખ સમૃધ્ધિ નહિ મળતા છેતરાયા હોવાની જાણ થઇ હતી.
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલી એટીએસ કચેરી સામે મોડી રાત્રે એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરવાની ઘટનામાં સોલા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ એકલદોકલ લોકોને લૂંટી લેતા અને જો કોઈ પ્રતિકાર કરે તો તેના પર હુમલો કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ડિલિવરી બોય તરીકે કામ કરતાં શખ્સ પર હુમલોમૂળ હરિયાણાનો અને હાલ ઝુંડાલમાં રહેતો 28 વર્ષીય સંદીપ મેઘવાલ ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. ગત રવિવારે રાત્રે સંદીપ તેના મિત્ર સાથે ગોતા તરફ જમવાનું લેવા નીકળ્યો હતો. બંને વૈષ્ણવદેવી સર્કલથી રોંગ સાઇડ સર્વિસ રોડ પરથી ગોતા તરફ જઈ રહ્યા હતા. પેટના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયારાત્રે અંદાજે 12 વાગ્યાના સમયે ગુજરાત એટીએસ કચેરીની સામે સંદીપ ઊભો રહી લઘુશંકા કરતો હતો, ત્યારે અચાનક ત્રણ શખ્સોએ આવી ગાળાગાળી કરી અને સંદીપના પેટના ભાગે છરીનો ઘા મારીને ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંદીપને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા સોલા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્રણ યુવકને પોલીસે દબોચ્યાસીસીટીવી ફૂટેજ અને આરોપીઓના વાહનના નંબરના આધારે પોલીસે દિનેશ ઉર્ફે કાવા ડામોર, સુરજ ડામોર અને પંકજ ડામોરની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા હતા. આરોપીઓ અવાવરૂ જગ્યાઓ પર લૂંટ કરતાંપોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ અવાવરૂ જગ્યાઓ પર ઉભા રહી એકલદોકલ આવતા રાહદારીઓને રોકી તેમની પાસેથી રોકડ અને મોબાઈલ લૂંટી લેતા હતા. તેમજ કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો તેના પર જીવલેણ હુમલો કરવાની ટેવ ધરાવતા હતા. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિધાર્થિનીએ આપઘાત કર્યો છે. NSS કેમ્પમાં આવેલી 21 વર્ષની વિધાર્થિનીએ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. મૃતક વિધાર્થીની NSSના કેમ્પમાં બોટાદથી અમદાવાદ આવી હતી. બનાવની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોચી છે. વિધાર્થિનીએ ક્યાં કારણથી આપઘાત કર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ…
દેવાયત ખવડે ગુજરાત હાઇકોર્ટમાં વિવિધ અરજીઓ દાખલ કરી છે. જે પૈકી તેની સામે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અને તાલાલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે અરજી કરી છે. જે સંદર્ભે ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ કરવાની અરજી ફરિયાદી અને આરોપીની સહમતિથી થઈ છે. હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે દેવાયત ખવડ સામે કુલ 06 ગુના નોંધાયેલા છે. જેમાંથી 03 ગુનામાં તે નિર્દોષ છૂટ્યો છે અને બે ગુનામાં સમાધાન થયું છે. જ્યારે એક બાકી છે. હાઇકોર્ટે દેવાયત ખવડની ફરિયાદ રદ કરવાની અરજી સંદર્ભે તપાસ અધિકારીને રિપોર્ટ આપવા માટે હુકમ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે અરજદાર પ્રખ્યાત નહીં, પરંતુ કુખ્યાત છે અને માથાભારે છે. બીજી તરફ ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. જો કે તાલાલામાં તેને એક વ્યક્તિ પર હુમલો કરતા, આ જામીન રદ કરવામાં આવ્યા હતા. આથી પોલીસ તેને કસ્ટડીમાં લે તે પહેલા તેને ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે તેને 09 ફેબ્રુઆરી સુધીનું રક્ષણ આપ્યું છે. દેવાયત ખવડના આ કેસો ઉપર આગામી સમયમાં હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાશે. ચાંગોદર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના ઘટનાક્રમને જોઈએ તો ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જેને માર્ચ મહિનામાં શરતો સાથે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. જે શરતો મુજબ દેવાયત ખવડે કોઈ પણ ક્રિમીનલ કેસમાં સંડોવવવુ નહીં, પરંતુ તાલાલામાં દેવાયત ખવડે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કરતા તેને દેવાયત ખવડના આગોતરા જામીન રદ કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને દેવાયત ખવડને 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવા હુકમ કર્યો હતો. આરોપી તરફે રજૂઆત કરાઈ હતી કે એક વખત જામીન અપાયા બાદ અસામાન્ય સંજોગો સિવાય જામીન રદ કરી શકાય નહીં. જો કે કોર્ટે નોંધ્યું હતું કે આરોપીએ આગોતરા જામીન પર છૂટ્યા બાદ પણ ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે. તેને મારી નાખવાની કોશિશ કરી છે. તેને ધમકી આપીને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ સંદર્ભે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. દેવાયત ખવડે 30 દિવસની અંદર ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર કરવું પડશે. ચાંગોદરમાં નોંધાયેલી ફરિયાદમાં ફરિયાદીએ લખાવ્યું હતું કે 20 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવ્યા હતા. તેના માટે લોક સાહિત્યકાર દેવાયત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને 08 લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ફરિયાદીના ભત્રીજાએ રોકડા 8 લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા. પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા નહોતા. આમ દેવાયત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજર ના થઈને ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે દેવાયત ખવડ આવવાનો હોવાથી તેમણે અનેક જગ્યાએ બેનરો લગાવ્યા હતા. તેમ જ સ્ટેજ પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. દેવાયત ખવડે ફરિયાદીના ફાર્મ હાઉસ ઉપર સાથે ભોજન પણ લીધું હતું અને પ્રોગ્રામની જગ્યા પણ જોઈ હતી. પ્રોગ્રામની રાત્રે 11:30 કલાક સુધી દેવાયત ખવડ આવ્યા નહોતા. દેવાયત ખવડ અને તેમનો PA પણ ફોન ઉપાડતો ન હતો. તેઓ બે વાગ્યા સુધી આવ્યા ન હતા. રાત્રે ત્રણ વાગે ફરિયાદી ઉપર દેવાયત ખાવડનો સામેથી ફોન આવ્યો હતો. બેનરો લાગી ચૂક્યા હોવાથી અને રૂપિયા લઈ લીધા હોવા છતાં દેવાયત ખવડ ન આવવાથી સમાજમાં પોતાની બદનામી થઈ હોવાનું ફરિયાદીએ જણાવી દેવાયત ખવડે ગુસ્સે થઈને તેમને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી. જેમાં તેમના ડ્રાઇવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું.
વેરાવળ-સોમનાથ બાયપાસ પર LCBની રેડ:1032 વિદેશી દારૂની બોટલો સાથે 4 ઝડપાયા, 1 ફરાર
ગીર સોમનાથ જિલ્લામાં એલ.સી.બી. પોલીસે વેરાવળ-સોમનાથ બાયપાસ પર સીગડી હોટેલ પાસે દરોડો પાડી વિદેશી દારૂની 1032 બોટલો જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક ફરાર છે. પોલીસે કુલ રૂ. 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, એલ.સી.બી.ના પો.ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત, પો.સબ ઇન્સ્પેક્ટર એ.સી. સિંધવ અને પો.સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. જેબલીયાની રાહબરી હેઠળ પોલીસ ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પો.કોન્સ્ટેબલ અશોક મોરી, કરણસિંહ ચૌહાણ અને રવિ ગોહીલ દ્વારા વેરાવળ-સોમનાથ બાયપાસ રોડ પર સીગડી હોટેલ પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની 180 એમ.એલ.ની કુલ 1032 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂ. 3,31,200/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, રૂ. 10,00,000/- ની કિંમતનું બોલેરો પીકઅપ વાહન (રજી. નં. GJ-03-BT-2829), રૂ. 20,000/- ના બે મોબાઇલ ફોન અને રૂ. 800/- ના ચાર પ્લાસ્ટિક કેરબા સહિત કુલ રૂ. 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કેસમાં સની મનુભાઈ ચારીયા (ઉં.વ. 23), કૈલાશ વેલજીભાઈ માલમડી (ઉં.વ. 30), વિપુલ વિભાભાઈ ધોળકીયા (ઉં.વ. 37) અને નિલેશ વિભાભાઈ ધોળકીયા (ઉં.વ. 33) એમ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રોહિત ઉર્ફે રેમ્બો રમેશભાઈ બારીયા (રહે. વેરાવળ કોળીવાડા) ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્ર. પાટણ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઇ), 81, 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 111(2)બી, 111(3) અને 111(4) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે જણાવ્યું છે કે જિલ્લામાં પ્રોહિબિશન સહિતની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
ગોધરા તાલુકાના રતનપુર રેલીયા ગામે માન્ય ડિગ્રી કે લાયસન્સ વગર એલોપેથીક તબીબી પ્રેક્ટિસ ચલાવવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. પંચમહાલ SOG પોલીસે આ મામલે કાર્યવાહી કરીને વેજલપુર પોલીસમથકે ગુનો નોંધ્યો છે. પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ જે.એ. પરમાર અને આરોગ્ય વિભાગની ટીમે 5 ફેબ્રુઆરીના રોજ રતનપુર રેલીયા ગામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દીપકકુમાર ચંપકલાલ શાહ નામનો વ્યક્તિ નાનું દવાખાનું ચલાવી ગેરકાયદેસર રીતે એલોપેથીક સારવાર આપતો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે તબીબી પ્રેક્ટિસ માટેની કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે એલોપેથીક દવાઓ રાખવાનું લાયસન્સ નહોતું. પોલીસે તેના દવાખાનામાંથી વિવિધ પ્રકારની એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂ. 57,783.12 કિંમતનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સમગ્ર મામલે દીપકકુમાર ચંપકલાલ શાહ વિરુદ્ધ ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરવા અને એલોપેથીક દવાઓ ગેરકાયદેસર રીતે રાખવા બદલ વેજલપુર પોલીસમથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઉભરતી કારકિર્દી ધરાવતી યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક્સ્ટર્નલ બીકોમ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના આ પગલાથી પરિવાર ઘેરા શોકમાં ડૂબી ગયો છે. વહેલી સવારે બાલ્કનીમાં જીવન ટૂંકાવ્યુંપ્રાપ્ત વિગતો અનુસાર, અલથાણ વિસ્તારમાં રહેતી ખુશી અગ્રવાલ નામની 21 વર્ષીય યુવતીએ વહેલી સવારે પોતાના જ ફ્લેટની બાલ્કનીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખુશી એક્સ્ટર્નલ માધ્યમથી TY B.Com નો અભ્યાસ કરી રહી હતી. વહેલી સવારના સમયે જ્યારે પરિવારના અન્ય સભ્યો નિદ્રાધીન હતા અથવા દૈનિક કાર્યોમાં વ્યસ્ત હતા, ત્યારે ખુશીએ બાલ્કનીમાં જઈ આ અંતિમ પગલું ભર્યું હતું. પરિવાર દરવાજો તોડી અંદર પ્રવેશ્યો ને દીકરી લટકતી મળીસવારે 8 વાગ્યા સુધી ખુશીએ પોતાના રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. લાંબા સમય સુધી અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા પરિવારજનો ગભરાઈ ગયા હતા. અંતે દરવાજો તોડીને અંદર પ્રવેશતા જ પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ખુશી બાલ્કનીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા અલથાણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીના આપઘાતનું કારણ અકબંધપોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં પોલીસને રૂમમાંથી કે ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. ખુશી ભણવામાં તેજસ્વી હતી અને તેની જિંદગીમાં એવી કઈ મુસીબત આવી કે તેણે મોતને વહાલું કર્યું, તે પ્રશ્ન હાલ પોલીસ અને પરિવાર માટે કોયડો બન્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવતીનો મોબાઈલ FSLમાં મોકલાયોઆપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે અલથાણ પોલીસે ખુશીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પોલીસનું માનવું છે કે મોબાઈલના ડેટા, કોલ લોગ્સ અથવા સોશિયલ મીડિયા ચેટ્સમાંથી કોઈ કડી મળી શકે છે. હાલ આ મોબાઈલને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આત્મહત્યા પાછળ માનસિક તણાવ, પ્રેમ પ્રકરણ કે અન્ય કોઈ અંગત કારણ જવાબદાર છે. પોલીસ દ્વારા પરિવારની પૂછપરછઅલથાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના સભ્યોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ખુશી છેલ્લા કેટલાક દિવસોથી કોઈ તણાવમાં હતી કે કેમ, તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. એક તરફ એફએસએલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, તો બીજી તરફ યુવાન દીકરીના આકસ્મિક નિધનથી અગ્રવાલ પરિવાર સ્તબ્ધ છે.
પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલા એ-ડિવિઝન જૂના પોલીસ સ્ટેશનમાં જર્જરિત વાયરલેસ ટાવર ઉતારવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેસ કટિંગથી ટાવર કાપતી વખતે તે અચાનક ધરાશાયી થઈ રહેણાંક મકાન પર પડતા એક શ્રમિક ગંભીર રીતે ઘાયલ થયો છે, જ્યારે વીજ પોલ તૂટતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આખો બનાવ શું છે?જૂના પોલીસ સ્ટેશનમાં રહેલા ભયજનક વાયરલેસ ટાવરને ઉતારવા માટે શ્રમિકો કામે લાગ્યા હતા. કામદારો જ્યારે ટાવર પર ચઢીને ગેસ કટિંગ કરી રહ્યા હતા, ત્યારે ટાવર મધ્યમાંથી બે ભાગમાં તૂટી પડ્યો હતો. ટાવરનો ઉપરનો ભાગ સામે આવેલા ઝાકિરના ઘરની ધાર પર પડ્યો હતો. આ સમયે ઊંચાઈ પર કામ કરી રહેલો મોનુ સિંહ નામનો શ્રમિક નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તેને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વીજ પુરવઠો ખોરવાયો અને જનતામાં ફફડાટટાવર પડવાને કારણે ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)ના 2 વીજ પોલ પણ ધરાશાયી થયા છે. રસ્તા પર વીજળીના લાઈવ વાયરો ખુલ્લા પડી જતાં સ્થાનિક રહીશોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીજ પુરવઠો ખોરવાઈ જતાં મામલતદાર કચેરી અને નગરપાલિકા સહિતના વિસ્તારોમાં સરકારી કામકાજ પર માઠી અસર પડી છે. તંત્રની બેદરકારી સામે રોષસ્થાનિક રહીશ સંધ્યાબેન પ્રધાને તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે 4 મહિના પહેલા વાવાઝોડા દરમિયાન પણ ટાવરની સીડી મકાન પર પડતા નુકસાન થયું હતું. તે સમયે પોલીસને આ જર્જરિત ટાવર હટાવવા અપીલ કરાઈ હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. દુર્ઘટના બાદ 100 કે 112 નંબર પર સંપર્ક કરવા છતાં તંત્ર માત્ર ઈન્કવાયરી કરી રહ્યું છે, કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. રસ્તા પર પડેલા ખુલ્લા વાયરોને કારણે બાળકો કે પશુઓના જીવ જવાની ભીતિ સેવાઈ રહી છે.
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્રાંતિજમાંથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશન હેઠળના સલાલ ગામની સીમમાં રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ્સ નામની ફેક્ટરીમાં માનવ જિંદગી સાથે ચેડા કરતું નકલી દૂધ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. સાબરકાંઠા LCBએ 71લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓની અટકાયત કરી છે, ક્યારે ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે. LCBએ કાયદેસરની કાર્યવાહી કરી ફેક્ટરીને સીલ કરી દીધી છે. આ રીતે બનાવવામાં આવતું હતું નકલી દૂધપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ફેક્ટરીમાં દૂધની માત્રા અને ગુણવત્તા દેખાડવા માટે અત્યંત જોખમી પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હતો. દૂધમાં પ્રોટીનનું પ્રમાણ વધુ બતાવવા અને ફીણ લાવવા માટે યુરિયા ખાતર અને ડિટર્જન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. દૂધની ખટાશ છુપાવવા અને એસિડિટી સંતુલિત કરવા કોસ્ટિક સોડાનો ઉપયોગ થતો હતો. મિલ્ક ફેટના સસ્તા વિકલ્પ તરીકે અને દૂધને ઘટ્ટ-ક્રીમી બનાવવા માટે પામોલીન અને સોયાબીન તેલનો ઉપયોગ થતો હતો. દૂધની ઘનતા વધારવા અને લેબ ટેસ્ટમાં દૂધ અસલી દેખાય તે માટે SMP અને વ્હે પ્રોટીન પાવડર ભેળવવામાં આવતો હતો. રોજ 1800 લીટર નકલી દૂધ બનાવી વેચતા હતા : જિલ્લા પોલીસવડાઆ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જીતેન્દ્રકુમાર વિઠ્ઠલભાઇ પટેલ પ્લાન્ટ ઓપરેટર તરીકે અને સચિનભાઈ, કરણભાઈ, અજયસિંહ કર્મચારી તરીકે કામ કરતા હતા. LCBએ આશરે 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા યુરિયા, સોયાબીન અને પામોલિન તેલ, વે પ્રોટીન પાવડર અને કોષ્ટિક સોડાથી રોજનું રોજ 1800 લીટર નકલી દૂધ બનાવવામાં આવતું હતું. ફેકટરીમાંથી મળી આવેલા રોકોર્ડસની ખરાઈ કરતા સામે આવ્યું છે કે આશરે 300 લીટર અસલી દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેમાં ભેળસેળ કરીને 1800 લીટર નકલી દૂધ બનાવી આસપાસના ગામોમાં વેચવામાં આવતું હતું. 71લાખથી વધુનો મુદ્દામાલ જપ્તLCB એ FSL અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹71,28,960ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં મશીનરી, 4 મિની ટ્રક, રોકડ રકમ, અને હજારો લિટર ભેળસેળયુક્ત દૂધ-છાશનો સમાવેશ થાય છે. 5 આરોપીઓની અટકાયત, ફેક્ટરીના માલિક ફરાર પોલીસે આ 5 આરોપીઓની અટકાયત કરી છે : 1. જીતેન્દ્રકુમાર વિઠ્ઠલભાઇ પટેલ -પ્લાન્ટ ઓપરેટર 2. સચિનકુમાર રમણજી મકવાણા - કર્મચારી 3. કરણકુમાર કાળાજી પરમાર - કર્મચારી 4. અજયસિંહ રામસિંહ પરમાર - કર્મચારી 5. એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર જ્યારે ફેક્ટરીના માલિક રાકેશભાઇ ઉર્ફે ધમો નારાયણભાઇ પટેલ હાલ ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની વિવિધ કલમો (જેવી કે 123, 125, 274 વગેરે) તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે ખોરાકમાં થતી મિલાવટ એ ધીમું ઝેર છે. જો કોઈ પણ સ્થળે આવી શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતી હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવી.
ગોધરામાં જીમખાના પાસેથી ટાટા હેરીયર કાર ચોરાઈ:CCTV ફૂટેજ આધારે પોલીસે તપાસ શરૂ કરી
ગોધરા શહેરમાં કળશ સર્કલ નજીક જીમખાના પાસેથી ટાટા હેરીયર કારની ચોરી થઈ છે. આ ઘટના બાબજી એવન્યુ કોમ્પ્લેક્સ વિસ્તારમાંથી સામે આવી છે. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી યુસુફ અબ્બાસ પીપવાલા, જેઓ કરિયાણાની દુકાન ચલાવે છે, તેમણે જણાવ્યું કે ૪ ફેબ્રુઆરીના રોજ સાંજે તેઓ બાર ગામથી પરત ફરીને પોતાની ટાટા હેરીયર કાર ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. ૫ ફેબ્રુઆરીના રોજ સવારે જ્યારે તેઓ ધંધા માટે નીકળ્યા ત્યારે કાર પાર્કિંગમાંથી ગાયબ હતી. આજુબાજુ અને મિત્રોમાં પૂછપરછ કરવા છતાં કારનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચોરાયેલી સફેદ રંગની ટાટા હેરીયર કાર વર્ષ ૨૦૨૩માં ખરીદવામાં આવી હતી અને તેની અંદાજિત કિંમત રૂ. ૧૦ લાખ છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2026ના રોજ વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા રજૂ કરાયેલા આ બજેટને ભાવનગર શહેર ભાજપે આવકાર આપ્યો છે. શહેર કાર્યાલય સહિત તમામ વોર્ડમાં કાર્યકર્તાઓ અને આગેવાનોએ બજેટ નિહાળ્યું હતું. નાણામંત્રી સીતારમણે સળંગ નવમી વાર કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. વૈશ્વિક અસ્થિરતા છતાં દેશનો વિકાસ દર જળવાઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, નોકરિયાત, મહિલા, યુવા અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. તેમાં બાયોફાર્મ માટે 10 હજાર કરોડ, સેમીકન્ડક્ટર માટે 40 હજાર કરોડ, આત્મનિર્ભર ભારત માટે ૨ હજાર કરોડ, ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે 40 હજાર કરોડ અને એમ.એસ.એમ.ઇ. માટે 10 હજાર કરોડની ફાળવણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મેગા ટેક્સટાઇલ પાર્કના નિર્માણ, નવી નોકરીઓની તકોનું સર્જન, કૃષિ ક્ષેત્રનો વિકાસ, કન્ટેનર ઉત્પાદન, મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના, દેશની ૨૦૦ વિરાસતોનો કાયાકલ્પ, સી-પ્લેનનું ઉત્પાદન અને એ.આઈ. ટેકનોલોજીને પ્રોત્સાહન જેવા પ્રકલ્પો પણ બજેટમાં સામેલ છે. આગામી પાંચ વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. આરોગ્ય ક્ષેત્રે, કેન્સર અને ડાયાબિટીસ સહિતની ગંભીર બીમારીઓની દવાઓ તેમજ ઇમ્યુનિટી વધારતી દવાઓ સસ્તી થશે. આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ, મહિલા, યુવા, વિદ્યાર્થી, નોકરિયાત, અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગ તેમજ ખેડૂતોલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા દેશહિતને સર્વોપરી ગણીને રજૂ કરાયું છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, મેયર ભરતભાઈ બારડ, પૂર્વ શહેર અધ્યક્ષ રાજીવભાઇ પંડ્યા, પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો-મહામંત્રીઓ, વોર્ડના હોદ્દેદારો, આઈ.ટી. સેલના કન્વીનર પ્રાંજલભાઈ દેસાઈ, ભાવનગર પૂર્વ વિધાનસભા આઈ.ટી. સેલ ઇન્ચાર્જ પાર્થભાઈ વાજા, ભાવનગર નાગરિક બેંકના ડિરેક્ટરો અને સ્ટાફ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ બજેટને આવકાર્યું હતું.
દાહોદ જિલ્લામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આવતીકાલે તારીખ 7 ફેબ્રુઆરીના રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાનારી આમ આદમી પાર્ટીની 'પરિવર્તન સભા'ને વહીવટી તંત્ર દ્વારા મંજૂરી ન અપાતા વિવાદનો વંટોળ સર્જાયો છે. સભાના માત્ર 24 કલાક અગાઉ જ પ્રાંત અધિકારીએ મંજૂરીની અરજી નામંજૂર કરી દેતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લાલઘૂમ થયા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દાહોદ પ્રાંત કચેરીના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા છે. ગૌચરની જમીન અને સરપંચનો વિરોધ બન્યો વિવાદનું કેન્દ્રઆ સમાચારની વિગતો મુજબ, ગરબાડાના અભલોડ ગામે આવેલા સરવાઈ મેદાન (સરવે નંબર 444/1) પર આ પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી રેકોર્ડ મુજબ આ જમીન ગૌચર હેઠળ આવતી હોવાથી પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ પંચાયતનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. જોકે, અભલોડ ગામના સરપંચે આ સભાથી ગામમાં શાંતિ અને સુલેહનો ભંગ થઈ શકે છે તેવો નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. સરપંચના આ રિપોર્ટને આધારે પ્રાંત અધિકારી મિલીંદ દવેએ મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે, જેને પગલે ‘આપ’ના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે મંજૂરી આપી પણ તંત્રએ રોક લગાવી: કેતન બામણીયાઆમ આદમી પાર્ટીના અગ્રણી કાર્યકર્તા કેતન બામણીયાએ તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમે 10 દિવસ અગાઉ તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી હતી. શરૂઆતમાં સરપંચે મૌખિક સંમતિ આપી હતી, પરંતુ હવે રાજકીય દબાણ હેઠળ તેઓ શાંતિ ભંગનું કારણ આગળ ધરી રહ્યા છે. કાયદા મુજબ શાંતિ અને સુલેહનો રિપોર્ટ આપવાનો અધિકાર માત્ર પોલીસનો છે, અને પોલીસ વિભાગે આ સભા માટે હકારાત્મક અભિપ્રાય આપ્યો છે. આમ છતાં, પ્રાંત અધિકારીએ સભાનો મંજુરી પત્ર આપ્યો નથી, જે લોકશાહીની હત્યા સમાન છે. ચૈતર વસાવાના વધતા વર્ચસ્વથી સત્તાપક્ષમાં ફફડાટદાહોદ જિલ્લામાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની લોકપ્રિયતા સતત વધી રહી છે. તાજેતરમાં જ ડુંગરી અને કતવારા ખાતે યોજાયેલી સભાઓમાં ઉમટેલી હજારોની જનમેદનીએ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 'આપ'ના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, અભલોડની સભામાં પણ હજારો લોકો ઉમટી પડવાના હતા, જે જોઈને ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે અને સત્તાનો દુરુપયોગ કરી સભા અટકાવવા 'ધમ પછાડા' કરી રહ્યા છે. તંત્રનો તર્ક: પંચાયત હા પાડે તો જ મંજૂરી શક્યઆ સમગ્ર મામલે દાહોદ પ્રાંત અધિકારી મિલીંદ દવેએ જણાવ્યું હતું કે, સભા માટે જે જગ્યા પસંદ કરવામાં આવી છે તે ગ્રામ પંચાયતના હસ્તકની ગૌચર જમીન છે. પંચાયતે તેમના અભિપ્રાયમાં નકારાત્મકતા દર્શાવી હોવાથી અમે હાલ મંજૂરી આપી શકીએ નહીં. જો ગ્રામ પંચાયત ફરીથી હકારાત્મક અભિપ્રાય આપે, તો અમે ચોક્કસપણે વિચારણા કરી શકીએ છીએ. જો આયોજકો મંજૂરી વગર કાર્યક્રમ કરશે, તો તેની તમામ કાયદાકીય જવાબદારી આયોજકોની જ રહેશે. મંજૂરી મળે કે ન મળે, સભા તો યોજાશે જ: કાર્યકરોની ચીમકીબીજી તરફ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કોઈ પણ સંજોગોમાં નમતું જોખવા તૈયાર નથી. પ્રાંત કચેરી બહાર ધરણા પર બેઠેલા કાર્યકર્તાઓએ જાહેરાત કરી છે કે, ભૂતકાળમાં આ જ મેદાન પર અનેક રાજકીય પક્ષોની સભાઓ થઈ છે અને ત્યારે ક્યારેય કોઈ ઝઘડા કે શાંતિ ભંગ થયો નથી. તો માત્ર 'આપ'ની સભા વખતે જ આવો રિપોર્ટ કેમ? કાર્યકરોએ મક્કમતા સાથે જણાવ્યું છે કે વહીવટી પ્રક્રિયામાં અમે સાચા છીએ, તેથી મંજૂરી મળે કે ન મળે, આવતીકાલે નિર્ધારિત સમયે પરિવર્તન સભા યોજાઈને જ રહેશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકીય ઘમસાણપરિસ્થિતિની ગંભીરતાને જોતા દાહોદ પ્રાંત કચેરીની બહાર પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એક તરફ કાર્યકર્તાઓના સૂત્રોચ્ચાર અને બીજી તરફ તંત્રની કડક વલણ વચ્ચે દાહોદનું રાજકારણ ગરમાયું છે. આગામી ચૂંટણીઓ પૂર્વે આ ઘટના ‘આપ’ અને ભાજપ વચ્ચેના સીધા જંગના એંધાણ આપી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે અભલોડ ગામમાં સભા યોજાય છે કે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
પાલનપુરના કાણોદરમાં 'પોષણ સંગમ' કાર્યક્રમ યોજાયો:13 આંગણવાડીના બાળકોનું હેલ્થ ચેકઅપ, પોષણ કિટ અપાઈ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-1 ઘટક અંતર્ગત કાણોદર ગામમાં 'પોષણ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા ICDS ઘટક-1 દ્વારા કુપોષણ મુક્ત અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ તથા જિલ્લા પ્રોગ્રામ અધિકારીના માર્ગદર્શન હેઠળ, કુલ 13 આંગણવાડી કેન્દ્રોના બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. સી.ડી.પી.ઓ. ડીમ્પલ કે. પંચાલ, મેડિકલ ઓફિસર, મુખ્ય સેવિકા અને આંગણવાડી કાર્યકર બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગામના અતિ ગંભીર કુપોષિત (SAM), મધ્યમ કુપોષિત (MAM) અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરાયું. નિષ્ણાતો દ્વારા બાળકોના વજન, ઊંચાઈ અને BMI (બોડી માસ ઇન્ડેક્સ) માપી તેમના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. 'મહિલા કલ્યાણ-નિધિ ટ્રસ્ટ, કાણોદર'ના સહયોગ અને 'પરીખ ફાઉન્ડેશન, મુંબઈ'ના સૌજન્યથી તમામ કુપોષિત બાળકોને વિશેષ પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ કિટ્સનો ઉદ્દેશ બાળકોના આહારમાં પૂરતા પોષક તત્વો પૂરા પાડવાનો છે. કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને સંબોધતા સી.ડી.પી.ઓ. ડીમ્પલ કે. પંચાલે બાળકોના સર્વાંગી વિકાસ માટે યોગ્ય આહાર અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું. આરોગ્ય ટીમે વાલીઓને આરોગ્ય પોષણ શિક્ષણ (HNE) અને વ્યક્તિગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. આ તકે ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા.
નવસારી જિલ્લા કોંગ્રેસે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (SIR) માંથી લઘુમતીઓના નામ કમી કરવાના વિવાદ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રભારી અસલમ સાયકલવાલાની આગેવાની હેઠળ કાર્યકરોએ કલેક્ટર ઓફિસ બહાર ધરણા કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે કલેક્ટર ક્ષિપ્રા આગ્રે મીટિંગમાં હોવાનું જણાવાયું. વહીવટી તંત્રએ નેતાઓને ૧૦ મિનિટ રાહ જોવા કહ્યું, જેનાથી કોંગ્રેસી નેતાઓ અકળાયા. રાહ જોવાને બદલે ધારાસભ્ય અનંત પટેલ અને અસલમ સાયકલવાલા સહિતના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ જમીન પર બેસી ગયા અને ધરણા શરૂ કર્યા હતા. ધરણા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ 'હપ્તાખોર પોલીસ' અને 'ચૂંટણી પંચ હાય હાય' જેવા નારા લગાવ્યા. તેમણે કલેક્ટર, ચૂંટણી પંચ અને જિલ્લા પોલીસ વિરુદ્ધ પણ નારેબાજી કરી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો કે વહીવટી તંત્ર બિલ્ડરો અને ધંધાદારીઓને ખોળે બેસાડે છે. તેમણે કહ્યું કે જો ભાજપના કાર્યકર પ્રેમચંદ લાલવાણી આવ્યા હોત તો કલેક્ટર મેડમ મીટિંગ છોડીને તેમને મળ્યા હોત, પરંતુ તેઓ ગરીબ હોવાથી તેમને રાહ જોવડાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે SIR માંથી નામ કમી કરવાના મુદ્દે કોંગ્રેસ છેલ્લા એક અઠવાડિયાથી આંદોલન ચલાવી રહી છે. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
શહેરના રાણીપ ડી માર્ટ ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર કારચાલકે ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી હોવાની ઘટના સામે આવી છે. સિગ્નલ તોડવાના મેમોની અદાવત રાખીને કારચાલકે રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિક પોલીસને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપતા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારચાલકનો ટ્રાફિક પોલીસ સાથે ઝઘડોબી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મહેશકુમાર માળી ગત તારીખ 3 ફેબ્રુઆરીના રોજ રાણીપ ડી માર્ટ ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા. તે દરમિયાન એક ફોર્ચ્યુનર કારના ચાલકે સિગ્નલ ભંગ કરતા પોલીસે તેને અટકાવી રૂ. 500 નો ઈ-મેમો આપ્યો હતો. આ ઘટનાની અદાવત રાખીને કારચાલક બીજા દિવસે રાત્રે ફરી ડી માર્ટ ચાર રસ્તા પર આવ્યો હતો. તેણે અચાનક રસ્તા વચ્ચે કાર ઉભી રાખી ટ્રાફિક પોલીસ સાથે ઝઘડો શરૂ કર્યો હતો. મારી કારનો ફોટો પાડીને મેમો આપ્યો છે, હવે તને સસ્પેન્ડ કરાવી નાખીશ, તેવી ધમકી આપી પોતે વાડજનો મહેશ ભરવાડ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યોપોલીસે તેને શાંત રહેવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, છતાં કારચાલક ઉશ્કેરાઈને હંગામો કરતો રહ્યો અને રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જી હતી. બાદમાં તે ધમકી આપીને કાર લઈને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક મહેશ ભરવાડ સામે ગુનો નોંધ્યો છે અને તેને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે.
ટી-20 વર્લ્ડ કપનો 7 ફેબ્રુઆરીથી ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા આ મહાકુંભમાં વિશ્વના 20 દેશો ભાગ લઈ રહ્યા છે. આ વખતે આ સ્પર્ધા સાથે સુરતનું એક વિશિષ્ટ જોડાણ સામે આવ્યું છે. આખા વિશ્વની નજર જ્યારે મેદાન પર હશે, ત્યારે ખેલાડીઓની પાછળ લહેરાતા વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ સુરતની ધરતી પર તૈયાર થયેલા જોવા છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગે પોતાની ક્ષમતા સાબિત કરતા સાબિત કરી દીધું છે કે તે માત્ર કાપડ જ નહીં, પણ રાષ્ટ્રીય ગૌરવના પ્રતીકો બનાવવામાં પણ મોખરે છે. વર્લ્ડ કપમાં ભાગ લેનારા તમામ 20 રાષ્ટ્રો માટે વિશ્વના સૌથી મોટા કદના ધ્વજ સુરતની જાણીતી કંપની 'પ્રવીણ ઓવરસીઝ' ના માલિક પ્રવીણ ગુપ્તાએ આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. તેમણે જણાવ્યું કે, તેમની કંપનીએ વર્લ્ડ કપમાં ભાગ લેનારા તમામ 20 રાષ્ટ્રો માટે વિશ્વના સૌથી મોટા કદના ધ્વજ બનાવ્યા છે. આ સફળતા માત્ર એક ઓર્ડર નથી, પરંતુ સુરત માટે ગૌરવની ક્ષણ છે. અગાઉ આવા મોટા ધ્વજ બનાવવા માટે ભારતને વિદેશો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ સુરતે આ મહારથ હાંસલ કરી લીધી છે. 35 મીટર લાંબો અને 150 કિલો વજન ધરાવતો ધ્વજદરેક ધ્વજનું માપ 35 મીટર બાય 20 મીટર રાખવામાં આવ્યું છે. તેનું વજન એટલું વધારે છે કે તેને મેદાન પર લાવવા કે લહેરાવવા માટે 54 શક્તિશાળી લોકોની જરૂર પડે છે. અંદાજે 150 કિલોગ્રામ વજન ધરાવતા આ ધ્વજ તેની વિશાળતાને કારણે સ્ટેડિયમમાં આકર્ષણનું કેન્દ્ર બનશે. આટલા મોટા કદના ધ્વજનું સંતુલન અને તેની ગુણવત્તા જાળવવી એ એન્જિનિયરિંગ અને ટેક્સટાઈલ કલાનો ઉત્તમ નમૂનો છે. રિસાઈકલ પ્લાસ્ટિકનો અનોખો પ્રયોગપર્યાવરણ જાળવણીનો સંદેશ આપતા પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે, આ તમામ ધ્વજ 100% રિસાઈકલ કરેલા પ્લાસ્ટિક કચરામાંથી બનાવવામાં આવ્યા છે. એક ધ્વજ બનાવવા માટે અંદાજે 11,000 વપરાયેલી PET બોટલોનો ઉપયોગ થયો છે. કુલ 600 મીટર કાપડમાંથી તૈયાર થયેલા આ ધ્વજ એ વાતનો પુરાવો છે કે ટેકનોલોજીની મદદથી કચરાને પણ કિંમતી બનાવી શકાય છે. આ પ્રયોગ દ્વારા સુરતે સમગ્ર વિશ્વને ગ્રીન એનર્જી અને રિસાઈકલિંગનો મહત્વનો સંદેશ આપ્યો છે. વર્લ્ડ કપને કારણે સુરતના ઉદ્યોગને 100 કરોડનો બૂસ્ટવર્લ્ડ કપ માત્ર રમત નથી, પણ સુરતના વેપારીઓ માટે દિવાળી જેવો માહોલ લઈને આવ્યો છે. એક અંદાજ મુજબ, આ વર્લ્ડ કપને કારણે સુરતના ટેક્સટાઈલ માર્કેટને 100 કરોડ રૂપિયાથી વધુનો વેપાર મળશે. માત્ર રાષ્ટ્રધ્વજ જ નહીં, પરંતુ ટી-શર્ટ, સ્પોર્ટ્સવેર, કેપ અને અન્ય એસેસરીઝ માટે પણ સુરતને મબલખ ઓર્ડર મળ્યા છે. સ્પોર્ટ્સ ટેક્સટાઈલ ક્ષેત્રે સુરતની આ લાંબી ફાળ ગણી શકાય, જે આવનારા સમયમાં રોજગારીની નવી તકો ઉભી કરશે. 50 કારીગરોની બે મહિનાની રાત-દિવસની મહેનતઆ પ્રોજેક્ટ પાછળ છેલ્લા બે મહિનાથી 50 જેટલા કુશળ કારીગરો રાત-દિવસ મહેનત કરી રહ્યા હતા. કાપડના પ્રોસેસિંગથી લઈને ડિજિટલ પ્રિન્ટિંગ અને ત્યારબાદ મજબૂત સ્ટીચિંગ સુધીની પ્રક્રિયા અત્યંત ચોકસાઈપૂર્વક કરવામાં આવી છે. રાષ્ટ્રધ્વજ એ કોઈ પણ દેશનું સન્માન છે, તેથી તેના રંગો અને અશોક ચક્ર કે અન્ય પ્રતીકોમાં સહેજ પણ ખામી ન રહી જાય તે માટે વિશેષ કાળજી લેવામાં આવી હતી. પેકિંગ અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. રાષ્ટ્રગીત સમયે અનુભવાશે ગૌરવપ્રવીણ ગુપ્તા કહે છે કે, જ્યારે ટીવી પર કે સ્ટેડિયમમાં રાષ્ટ્રગીત વાગશે અને સુરતમાં બનેલા આ ધ્વજ લહેરાશે, ત્યારે તે ક્ષણ દરેક સુરતી માટે અત્યંત ગૌરવશાળી હશે. ભારતનું પ્રતિનિધિત્વ કરતા આ ધ્વજ જોતી વખતે એક અનોખી શક્તિ અને ગર્વનો અનુભવ થાય છે. આ સફળતા બાદ હવે સુરત આગામી દિવસોમાં વિશ્વની અન્ય મોટી રમતગમતની સ્પર્ધાઓ માટે પણ પોતાના દ્વાર ખોલી રહ્યું છે.
સુરેન્દ્રનગરને 500 કરોડના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગરની મુલાકાતે..સીએમએ અહીં 500 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્ણ અને ખાતમુહુર્ત કર્યું. ભોગાવો નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'કેરળને તોડવાના અનેકવાર પ્રયાસો કરાયા' કેરળના પૂર્વ ગવર્નર આરિફ મોહમ્મદ ખાને સુરતમાં ધ કેરાલા સ્ટોરી 2 અને લવજેહાદ પર નિવેદન આપ્યું . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થી પર હુમલો અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી.. સાતમાં ધોરણના વિદ્યાર્થીને ત્રણ વિદ્યાર્થીઓએ માર મારી,બ્લેડથી શર્ટના બટન ફાડી નાખ્યા. મોનિટર હોવાથી ભોગબનનારે અન્ય વિદ્યાર્થીઓને લાઇનમાં આવવા કહ્યું હતું.જેની અદાવત રાખીને માર માર્યો હતો.. નયન સંતાનીની હત્યા બાદ સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક હતો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છરીના 30 ઘા મારી હત્યા કરનાર વિદ્યાર્થીને આજીવન કેદ વડોદરામાં વિદ્યાર્થીને છરીના 30 ઘા મારી હત્યા કરનાર વિદ્યાર્થીને આજીવન કેદની સજા ફટકારાઈ. વર્ષ 2018માં સ્કૂલ બંધ કરાવવાના ઈરાદાથી નવું નવું એડમિશન લીધેલા 9માં ધોરણના વિદ્યાર્થિની કરપીણ હત્યા કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કચરાગાડીએ સગીરાઓને હવામાં ફંગોળી નીચે પટકી અમદાવાદના વસ્ત્રાલમાં કચરાગાડીએ એક્ટિવા પર જતી બે સગીરાઓને ટક્કર મારી.. ટક્કર એટલી ભયાનક હતી કે બંને હવામાં ઉછળીને 20 ફૂટ દૂર ફંગોળાઈ.. પોલીસે ગાડી ચાલકની અટકાયત કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ બાદ થયો પ્રચંડ વિસ્ફોટ વલસાડના ઉમરગામની સરીગામ જીઆઈડીસીમાં કેમિકલ કંપની સિનેક્સ મેટકેમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થયો. દુર્ઘટનામાં સંચાલક સહિત ત્રણથી વધુ કામદારો ઈજાગ્રસ્ત થયા છે. જે હાલ સારવાર હેઠળ છે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસે ડીટેઇન કરેલા વાહનોમાં આગ અમદાવાદના ખાડિયામાં એએમસીના પ્લોટમાં આગ લાગી. આ પ્લોટમાં પોલીસે ડિટેન કરેલા વાહનો મુકવામાં આવ્યા હતા, તમામ વાહનો બળીને રાખ થઈ ગયા છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતા-પુત્રએ ભેગા મળી પિતાની હત્યા કરી નાખી અમરેલીના મોટા મુંજીયાસર ગામમાં માતા-પુત્રએ ભેગા મળી પિતાની હત્યા કરી નાખી. ચા પીવા જેવી નજીવી બાબતે માતા-પુત્રએ સિમેન્ટનો ચૂલો મોઢા પર ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા.પુત્રીએ તેની માતા અને ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભદ્રકાળી દેવી 26 ફેબ્રુઆરીએ નગરયાત્રાએ નીકળશે 26મી ફેબ્રુઆરીએ એટલે કે અમદાવાદના સ્થાપના દિવસે ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે.. આ વર્ષે ખાડિયા-રાયપુરનો પણ સમાવેશ થતા યાત્રા ત્રણ ગણી મોટી થઈ શકે; અખાડા-ભજનમંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મંદિર પરિસરમાંથી યુવક યુવતીની લાશ મળી આવી બગોદરામાં એકલ માતાના મંદિર પરિસરમાંથી અજાણ્યા યુવક યુવતીની લાશ મળી આવી..પોલીસે બંનેની ઓળખ કરવાની તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તેને લઈને તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જિલ્લાને 539.26 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતેથી મુખ્યમંત્રીએ 457.21 કરોડના ખર્ચે 25 જેટલા નવા કામોનું ખાતમુહૂર્ત અને 82.05 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું છે. હેરિટેજ સિટી સુરેન્દ્રનગરની કાયાપલટ થશેમુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગના રૂ. 63.17 કરોડના 5 કામો અને પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ વિભાગના રૂ. 18.88 કરોડના 3 કામોનું લોકાર્પણ કર્યું છે. જ્યારે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રૂ. 233.34 કરોડના 23 કામો તેમજ માર્ગ અને મકાન વિભાગના રૂ. 223.87 કરોડના 2 મહત્વપૂર્ણ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. વિકાસના આ કાર્યોથી હેરિટેજ સિટી સુરેન્દ્રનગરની કાયાપલટ થશે. 5.70 કરોડના ખર્ચે બનેલા રસ્તા ખુલ્લા મુકાયામૂળી તાલુકામાં 2.49 કરોડના ખર્ચે સેકન્ડરી સ્કૂલનું બાંધકામ, સાયલા તાલુકાના શાપર ગામે 5.98 કરોડના ખર્ચે 150ની ક્ષમતા ધરાવતી કેજીબીવી અને ટીટોડા ગામે 10.41 કરોડના ખર્ચે 350ની ક્ષમતા ધરાવતી કેજીબીવીનું બાંધકામ, વઢવાણ શહેરમાં અમૃત 2.0 યોજના અંતર્ગત 42.26 કરોડના ખર્ચે નલ સે જલ યોજના, 8.57 કરોડના ખર્ચે બસ સ્ટેન્ડ પાછળ રિવરફ્રન્ટનું કામ તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 5.70 કરોડના ડામર રસ્તા અને 4.64 કરોડના ખર્ચે બનેલા સી.સી. રસ્તા ખુલ્લા મુકવામાં આવ્યા છે. વઢવાણમાં 56 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ એક્સટેન્શન83.65 કરોડના ખર્ચે વઢવાણ-ખોલડીયાદ-ફુલગ્ રામરોડનું મજબૂતીકરણ તેમજ 140.22 કરોડના ખર્ચે સુરેન્દ્રનગરમાં કેટેગરી-સીટાઈપના 168 ક્વાર્ટર્સ અને બીટાઈપના 156 ક્વાર્ટર્સ સહિત કુલ 324 ક્વાર્ટર્સનું નિર્માણ થશે. વઢવાણમાં 55.78 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ એક્સટેન્શન, 55.27કરોડના ખર્ચે પાણી પુરવઠાના કામો, 10.79 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને 15.95 કરોડના ખર્ચે વઢવાણ હેરિટેજ સિટીફેઝ-1નું કામ, મનપા વિસ્તારમાં 11.93 કરોડના ખર્ચે રંભાબેન ટાઉનહોલ અને લાઇબ્રેરીનું નવિનીકરણ, 3 કરોડના ખર્ચે નોલેજ સેન્ટર અને ઇ-લાઇબ્રેરી, 9.70 કરોડના ખર્ચે ફાયરના સાધનોની ખરીદી, 10.01કરોડના ખર્ચે નોર્થ ઝોનમાં ફૂડપાર્ક અને 5.46 કરોડના ખર્ચે સાઉથ ઝોનમાં શાક માર્કેટ હોકર્સઝોન બનશે. રમતગમત માટે 1.33 કરોડના ખર્ચે પ્લે-ગ્રાઉન્ડ બનશેઆ ઉપરાંત પર્યાવરણ અને મનોરંજન માટે બોડા તળાવના વિકાસ માટે 7.70 કરોડ, ખેરાળી અને મૂળચંદ ગામે તળાવ ડેવલપમેન્ટ માટે અનુક્રમે 1.12 કરોડ અને 1.12 કરોડ, 1.50 કરોડના ખર્ચે મિયાવાકી થીમ ફોરેસ્ટ તૈયાર કરાશે. રમતગમત માટે માળોદ ગામે 1.33 કરોડના ખર્ચે પ્લે-ગ્રાઉન્ડ અને 53 લાખના ખર્ચે કડિયા નાકા બનાવવાનું કામપણ કરાશે. શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ માટે 9 કરોડના ખર્ચે ડેકોરેટિવ પોલ અને લાઇટિંગ, 6 કરોડના ખર્ચે સ્ટ્રીટલાઇટ મેન્ટેનન્સ, 3.75 કરોડના ખર્ચે રોડરિ-સર્ફેસિંગ, 2 કરોડના ખર્ચે ચારકોમ્યુનિટી હોલનું રિનોવેશન, 12.40 કરોડના ખર્ચે ખમીસાણા ડમ્પિંગ સાઇટ ખાતે વેસ્ટ નિકાલ, 2 કરોડના ખર્ચે ઓફિસ ફર્નિચર અને 6 કરોડના ખર્ચે ઝોનલ મેશનરી કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ અનુરાગ ઠાકુરની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રીય બજેટ 2026-27 અંગે માહિતી આપી હતી. આ અંગે આજે શહેરના સનફાર્મા રોડ ખાતે આવેલા ICAI ભવન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. આ ઉપરાંત પ્રધાનમંત્રી પર હુમલાની ઘટના અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ મામલે નિવેદન આપ્યું હતું. લખપતી દીદી યોજના હેઠળ 3 કરોડ મહિલાઓને લાભપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. જે 43.17 લાખ કરોડ રૂપિયાનું છે. આ બજેટમાં મહિલાઓના સશક્તિકરણ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. લખપતી દીદી યોજના હેઠળ 2 કરોડના બદલે હવે 3 કરોડ મહિલાઓને લખપતી બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિલાઓ માટે શી-માર્ટની સ્થાપના કરવામાં આવશે. 60 વર્ષ શાસન કરનાર ભારતની જમીનનું રક્ષણ ન કરી શક્યાઅનુરાગ ઠાકુરે ઉમેર્યું કે, સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે તમામ ઉત્પાદનો 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ બને અને સેક્ટરને આગામી 5 વર્ષમાં 20 લાખ કરોડ રૂપિયાની સહાય મળશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હુમલાના કથિત ષડયંત્ર અંગે પણ અનુરાગ ઠાકુરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, આ દેશ માટે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. જે પક્ષે 60 વર્ષ સુધી દેશ પર શાસન કર્યું છે. તેમણે ભારતની જમીનનું રક્ષણ કરી શક્યા નહીં અને ચીને કબ્જો કરી લીધો હતો ત્યારે આ લોકો ચૂપ રહ્યા હતા. રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડતા આવ્યાવધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ચીન સાથે બંધ બારણે બેઠકો કરી હતી. જ્યારે ડોકલામમાં ભારતીય સેનાએ ચીનને સબક શીખવાડ્યો ત્યારે મોદીજીએ સરહદ પર જઈને જવાનોનું મનોબળ વધાર્યું હતું. પરંતુ રાહુલ ગાંધી સેનાનું મનોબળ તોડતા આવ્યા છે. એવા લોકો પાસેથી સલાહની કોઈ જરૂર નથી. અગાઉ તેમની સરકારમાં સૈનિકોના માથા કાપી લઈ જવાતા હતા, પરંતુ આજે ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરે છે. આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાન સુરક્ષાની વાત કરે છેપાકિસ્તાનની ક્રિકેટ ટીમ અંગે અનુરાગ ઠાકુરે કડક નિવેદન આપતા જણાવ્યું હતું કે, દુનિયાભરમાં ક્રિકેટ જગતમાં ભારત મોટું યોગદાન આપે છે. આજે કોઈ બહાનું બનાવીને ભારત ન આવે અને તેના પર રાજનીતિ કરે તો તેની સામે આઈસીસી એ કડક કાર્યવાહી કરવી જોઈએ. તેઓની બ્રાન્ડ બંધ કરવી જોઈએ અને કેટલાક વર્ષો સુધી બેન પણ કરી દેવું જોઈએ. પાકિસ્તાનનું ક્રિકેટ બોર્ડ પણ દેવામાં છે. આજે ભારત જેટલું સુરક્ષિત છે, એટલું કોઈ નથી. પાકિસ્તાન પોતે આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને સુરક્ષાની વાત કરે છે. અટલાદરા ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં હાજરી આપીઆ પ્રેસ કોન્ફરન્સ પહેલા કેન્દ્રીય પૂર્વ મંત્રી અને સાંસદ અનુરાગ ઠાકુર વડોદરાના અટલાદરા ખાતે સ્કૂલમાં પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. ત્યાં ચા ન મળતા વડોદરાના સાંસદ ડો હેમાંગ જોશીને તેઓએ ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે, હેમાંગજી કહેતા હતા કે કડક ચાય પીવડાવીશ. પરંતુ સ્કૂલ ગયા ત્યાં તો હતી નહીં. ખબર નહીં અહીંયા છે કે કેમ? તેવું કહી મજાક કરી હતી.
જૂનાગઢના અતિ પ્રાચીન અને સનાતન ધર્મના આસ્થા કેન્દ્ર એવા ગીરનાર પર્વત પર ફરી એકવાર શિખરો પરના હક-દાવાને લઈને વિવાદ વકર્યો છે. શ્રી ગોરખનાથ શિખર અને શ્રી ગુરુ દત્તાત્રેય શિખરની વચ્ચે આવેલા પવિત્ર 'ઓઘડ શિખર' પર જૈન ધર્મના લોકો દ્વારા અનઅધિકૃત રીતે ધજા લગાડવામાં આવી હોવાના અને ખડકો પર લખાણો કરીને હક સ્થાપિત કરવાના પ્રયાસોના ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. આ ઘટનાને પગલે ગીરનારના સાધુ-સંતો અને સનાતન ધર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે નાથ સંપ્રદાયના સંતોએ જૂનાગઢ ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. નાથ સંપ્રદાયના સ્થાનો પર અતિક્રમણનો આક્ષેપશ્રી ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંત પીર યોગી સોમનાથજી ગુરુ રાજનાથજીએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ઓઘડ શિખર પર ઓઘડનાથજીની પ્રાચીન ચરણ પાદુકા આવેલી છે, જે ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકની શ્રેણીમાં આવે છે. આ જગ્યા ગોરખનાથજીના દલીચાની જગ્યા તરીકે રજીસ્ટર્ડ છે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે જૈન ધર્મના લોકો દ્વારા ગીરનાર પર આવેલી નાથ સંપ્રદાયની જગ્યાઓમાં વર્ષોથી પોતાના દેવી-દેવતાઓની જગ્યા હોવાના ખોટા હક-દાવા કરવામાં આવે છે, જેના કારણે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ રહ્યું છે. આચાર્ય સુનીલ સાગરજી પર ઉશ્કેરણીનો આરોપભવનાથ ક્ષેત્રના યોગી અવંતિકાનાથજીએ એક વીડિયો સંદેશ મારફતે ગંભીર આક્ષેપો કર્યા છે કે, દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય સુનીલ સાગરજીના ઉશ્કેરણીજનક નિવેદનો બાદ અમુક લોકોએ ઓઘડ ટૂંક પર જઈને ઉપદ્રવ કર્યો છે. નાથ સંપ્રદાયની આ પ્રાચીન જગ્યા સોમનાથ બાપુના હસ્તગત હોવા છતાં ત્યાં ધજાઓ લગાવવી, નારાબાજી કરવી અને સંરક્ષિત પથ્થરો પર લખાણો અને ચિન્હો બનાવીને સ્થાનની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. આ હીન કૃત્યથી લાખો સનાતનીઓની લાગણી દુભાઈ છે. મહાશિવરાત્રીના મેળા પૂર્વે અશાંતિનો ભયઆગામી સમયમાં ગીરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. આ સમયે આવી વિવાદાસ્પદ પ્રવૃત્તિઓથી ગીરનારની શાંતિ જોખમાય તેવી ભીતિ સંતોએ વ્યક્ત કરી છે. મહંત યોગી ત્રિલોકનાથજીએ જણાવ્યું કે, સદીઓથી અહીં સનાતન ધર્મની પરંપરા મુજબ પૂજાવિધિ ચાલી રહી છે, પરંતુ સમયાંતરે અસામાજિક તત્વો દ્વારા અતિક્રમણ કે નવનિર્માણની કોશિશ કરવામાં આવે છે. શિખરો પર કરવામાં આવેલું કોઈપણ નવું બાંધકામ સરકાર દ્વારા પ્રતિબંધિત છે, છતાં અહીં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગસાધુ-સંતોએ વહીવટી તંત્ર અને પોલીસ પાસે માંગ કરી છે કે, જૈન ધર્મના જે લોકોએ આ કૃત્ય કર્યું છે અને જે આચાર્યોએ તેમને ગેરમાર્ગે દોર્યા છે, તેમની સામે એન.ડી.પી.એસ. કે અન્ય કાયદેસરની જોગવાઈઓ અને પુરાતત્વ વિભાગના નિયમોના ભંગ બદલ FIR નોંધવામાં આવે. મહાશિવરાત્રીના મેળામાં કોઈ અપ્રિય ઘટના ન ઘટે તે માટે સરકાર અને પોલીસ તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને ગીરનારના પવિત્ર સ્થાનોની ગરિમા જળવાય તેવા પગલાં ભરે તેવી રજૂઆત કરવામાં આવી છે. હાલ આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે.
વિકાસની મોટી મોટી વાતો વચ્ચે મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા હેડુવા હનુમંત ગામની પ્રાથમિક શાળાના દ્રશ્યો શિક્ષણ વ્યવસ્થાની વરવી વાસ્તવિકતા છતી કરી રહ્યા છે. આ શાળાના ભૂલકાઓ છેલ્લા એક વર્ષથી ખુલ્લા આકાશ નીચે અને છાપરાંઓ નીચે બેસીને અક્ષરજ્ઞાન મેળવવા મજબૂર બન્યા છે. હેડુવા હનુમંત ગામની 35 વર્ષ જૂની પ્રાથમિક શાળાને જર્જરિત હાલતના કારણે એક વર્ષ પૂર્વે 'નોન-યુઝ' જાહેર કરી બંધ કરી દેવામાં આવી હતી. શાળાના મકાનને બિનઉપયોગી જાહેર કર્યા બાદ તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા ધોરણ 1થી 8ના કુલ 162 વિદ્યાર્થીઓનું ભણતર જોખમમાં મુકાયું છે. ક્યાંક ખુલ્લા મેદાનમાં, ક્યાંક કામચલાઉ છાપરા નીચે ભણવા મજબૂરહાલમાં આ વિદ્યાર્થીઓ ક્યાંક ખુલ્લા મેદાનમાં, ક્યાંક કામચલાઉ છાપરા નીચે તો ક્યાંક ગ્રામજનો દ્વારા આપવામાં આવેલા એક મકાનના રૂમમાં ગીચતાપૂર્વક બેસીને અભ્યાસ કરી રહ્યા છે. મર્યાદિત જગ્યાના કારણે એક જ રૂમમાં બેથી ત્રણ ધોરણના બાળકોને સાથે બેસાડીને ભણાવવાની ફરજ પડી રહી છે. એક વર્ષ વીતી જવા છતાં તંત્ર કેમ નિંદ્રામાં છે ?આ કપરી પરિસ્થિતિ અંગે શાળાના ઉપશિક્ષિકા મનીષા પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે.જર્જરિત મકાનને કારણે બાળકોને ખુલ્લામાં બેસાડવા પડે છે.જેનાથી તેમના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. એક તરફ સરકાર 'ભણશે ગુજરાત' ના નારા લગાવે છે. ત્યારે બીજી તરફ જિલ્લાના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં જ બાળકોને માથે છત ન હોવી તે અનેક સવાલો ઊભા કરે છે. એક વર્ષ વીતી જવા છતાં તંત્ર કેમ નિંદ્રામાં છે અને આ 162 બાળકોને ક્યારે નવી શાળાનું મકાન મળશે તે હવે જોવાનું રહ્યું. 9 ક્લાસરૂમાંથી 8 જર્જરિત હાલતમાંકમલેશ ભાઈ પરમાર શાળાના મુખ્ય શિક્ષકે જણાવ્યું કે, અમારી શાળાનું આઠ માસ પહેલા ડેમેજ સર્ટી આવ્યું છે. અમારે કુલ 9 ઓરડા છે બે સીંટેક્ષના અને બીજા પતરા વાળા રૂમ છે એમાંથી આઠ રૂમ ડેમેજ છે.એણે ઉતારવાની પક્રિયા થઈ ગઈ છે.નવી શાળા માટે ઉપલ લેવલે રજુઆત કરેલ છે.હાલમાં બે પાળી માં 8 શિક્ષકો 160 બાળકો ને અભ્યાસ કરાવી રહ્યા છે. 'નવા ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયા ચાલું છે'પ્રાથમિક શિક્ષણાધિકારી કૌશિક દેસાઈએ જણાવ્યું કે, હેડુઆ હનુમંત ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હોવાથી નવા ઓરડા માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે. નવા ઓરડા માટે ટેન્ડર પ્રક્રિયામાં છે. હાલ બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. એક મંદિરના હોલમાં અને એક મકાનમાં બે પાલીમાં બાળકોને બોલાવી ભણવામાં આવી રહ્યા છે. આ તકલીફ આઠ મહિનાથી આવી રહી છે.
સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસમાં આજે એક અત્યંત ચોંકાવનારી પણ રાહત આપનારી ઘટના સામે આવી છે. રામ રાખે તેને કોણ ચાખે એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળી છે, જ્યાં પાંચમા માળેથી નીચે પટકાયેલી એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનો આબાદ બચાવ થયો છે. પાંચમા માળેથી ત્રણ વર્ષની બાળકી નીચે પટકાઈમળતી માહિતી મુજબ, ઉન સ્થિત ભેસ્તાન આવાસમાં રહેતા શ્યામનાથ પંડિતની ત્રણ વર્ષની પુત્રી નિકી અચાનક રમતા-રમતા પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. અંદાજે 50 ફૂટ જેટલી ઊંચાઈએથી બાળકી નીચે પડતા જ આસપાસના રહીશોમાં ફાળ પડી ગઈ હતી. બાળકી નીચે પટકાતા જ ગભરાયેલા પરિવારજનો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી નિકીને પરિવારે જરા પણ સમય ગુમાવ્યા વગર સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. ચમત્કારિક બચાવ અને વર્તમાન સ્થિતિ સ્થિરસામાન્ય રીતે આટલી ઊંચાઈએથી પડ્યા બાદ જીવ બચવો મુશ્કેલ હોય છે, પરંતુ નિકીનો ચમત્કારિક બચાવ થયો છે. હાલમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં તબીબોની દેખરેખ હેઠળ બાળકીની સઘન સારવાર ચાલી રહી છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકીને ઇજાઓ પહોંચી છે પરંતુ તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સોઆ ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારો માટે લાલબત્તી ધરી છે. નાના બાળકો રમત-રમતમાં ક્યારે ગેલેરી કે બારી પાસે પહોંચી જાય છે તેની ખબર પડતી નથી. ઉંચા માળે રહેતા લોકોએ બારી અને બાલ્કનીમાં મજબૂત સેફ્ટી ગ્રીલ લગાવવી અનિવાર્ય છે. બાળકો જ્યારે ગેલેરીમાં રમતા હોય ત્યારે વાલીઓએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. નસીબજોગ નિકીનો જીવ બચી ગયો છે, પરંતુ આ અકસ્માત અન્ય વાલીઓ માટે મોટો બોધપાઠ છે કે નાનકડી બેદરકારી કેટલી ભારે પડી શકે છે. માતા કપડા લેવા ગઈ ને રમતા રમતા બાળકી પડી ગઈબાળકીની માતા મુસ્કાને જણાવ્યું હતું કે, મારી દીકરી રમતી હતી, એમ જ રમતી હતી. હું કપડાં લેવા ગઈ હતી, કપડાં લાવીને પરત આવતા પગ લપસી ગયો અને પાંચમાં માળેથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક નીચે દોડી ગઈ અને હોસ્પિટલ લઈને આવી છું પણ તેનો જીવ બચી ગયો છે.
નેશનલ હાઈવે 48 પર પારડી મામલતદાર કચેરી નજીક આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકની ઓવરટેક કરવાની લ્હાયમાં એક કન્ટેનર રોડ કિનારે આવેલા મકાન પર પલટી મારી ગયું હતું. આ કરુણ દુર્ઘટનામાં ઘરમાં જમવા બેઠેલા એક વ્યક્તિનું દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. 17 વર્ષીય વિપુલ શોમસિંગ ડીદોરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે છેલ્લા 2 મહિનાથી મામા-મામી સાથે અહી રહેતો હતો. પરંતુ બપોરે એક વાગ્યે જમતાં જમતાં જ કાળ બનીને કન્ટેનર પડ્યું હતું અને તેનો જીવ લીધો હતો. આખો બનાવ કેવી રીતે બન્યો?પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે 48 પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનરને કાર ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા પૂરપાટ ઝડપે જતું કન્ટેનર હાઈવેની સાઈડમાં આવેલા એક રહેણાંક ઘર પર ખાબક્યું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કન્ટેનર સીધું ઘરની છત તોડીને અંદર પડ્યું હતું. જમવા બેઠેલા વ્યક્તિનું મોતજે સમયે આ અકસ્માત થયો, તે સમયે ઘરનો સભ્ય જમવા માટે બેઠો હતો. અચાનક કન્ટેનર ઘર પર પડતા તે નીચે દબાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. હાઈવે પર ટ્રાફિક જામ અને પોલીસ કાર્યવાહીઅકસ્માતની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કન્ટેનર પલટી જવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવી કન્ટેનરને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચનાથી એસ.ઓ.જીની ટીમ સતત કાર્યરત છે. આ દરમિયાન જૂનાગઢ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીને એસ.ઓ.જી.એ ₹1,87,500ની કિંમતના ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પેટ્રોલ પંપ પાસે વોચ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા અને પો.કોન્સ. રોહિતભાઇ ધાધલને સચોટ બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી સ્મિત ઉર્ફે ભુરો દિનેશભાઈ કાપડી રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લઈને વડાલથી જૂનાગઢ વચ્ચે આવેલ મહાસાગર પેટ્રોલ પંપ નજીક ઉતરવાનો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી.ના પી.આઈ. આર.કે. પરમારના નેતૃત્વમાં ટીમે સુખપુર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. મુદ્દામાલ અને આરોપીની ધરપકડ વોચ દરમિયાન બાતમી મુજબનો આરોપી સ્મિત કાપડી (ઉંમર વર્ષ 24, રહે. બગડુ) નજરે પડતા પોલીસે તેને કોર્ડન કરી તલાશી લીધી હતી. તેની પાસેથી કાળા કલરના લાલ પટ્ટાવાળા થેલામાંથી 3.750 કિલોગ્રામ ગાંજો (કેનાબીસ) મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત ₹5000ની કિંમતનો મોબાઈલ અને ₹1100ની રોકડ મળી કુલ ₹1,93,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસ.ઓ.જી.ના પી.આઈ. આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ અને રોહિતભાઇ ધાધલ સહિતના સ્ટાફના સભ્યો જોડાયા હતા. આરોપી આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં હવે પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે મુલાકાત લીધી હતી. તેમણે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા.આ મુલાકાત દરમિયાન, મંત્રીએ વન વિભાગ દ્વારા નિર્મિત અને સંવર્ધિત હરસિદ્ધિ સાંસ્કૃતિક વનનું નિરીક્ષણ કર્યું હતું.
VIDEO : તંત્રના પાપે ખાડામાં પડવાથી યુવકનું મોત, આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર
Delhi Bike Accident : ઉત્તર પ્રદેશના નોઈડામાં તંત્રના પાપે એન્જિનિયર યુવરાજનું મોત થયા બાદ હવે દિલ્હીમાં પણ ‘મોતના ખાડા’માં બાઈક સાથે પડી જવાથી એક યુવાનનું મોત થયું છે. કમલ નામનો યુવક ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું બાઈક એક ઊંડા ખાડામાં પડી જતા તેનું મોત થયું છે. પરિવારજનોએ પુત્રના મોતને લઈને તંત્ર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે.
વાંકાનેરમાં પરિણીતાનો આપઘાત:સાસુના આડા સંબંધની જાણ થતાં પતિ-સાસુએ ત્રાસ આપ્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેરના ઠીકરીયાળા ગામે સાસુના આડા સંબંધોની જાણ થતા એક પરિણીતાએ આપઘાત કરી લીધો છે. મૃતક મહિલાના માતાએ પતિ અને સાસુ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઠીકરીયાળા ગામમાં રહેતા શીતલબેન હરેશભાઈ સોરાણીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતક શીતલબેનના માતા પ્રભાબેન રાઘુભાઈએ તેમના જમાઈ હરેશ ગોવિંદભાઈ સોરાણી અને વેવાણ લીલાબેન ગોવિંદભાઈ સોરાણી (રહે. ઠીકરીયાળા) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, શીતલબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા હરેશ સાથે થયા હતા. શીતલબેનને તેમના સાસુના આડા સંબંધોની જાણ થઈ હતી, જે અંગે તેમણે પોતાના પતિને વાત કરી હતી. આ પછી, સાસુ અને પતિ દ્વારા શીતલબેનને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. છેલ્લા બે વર્ષથી શીતલબેનને નાની નાની વાતોમાં મેણાં-ટોણાં મારવામાં આવતા હતા અને મારકૂટ પણ કરવામાં આવતી હતી. તેમને પિયરમાં ફોન પર વાત પણ કરવા દેવામાં આવતી ન હતી. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ આ અંતિમ પગલું ભર્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઈકોર્ટમાં આજે કન્ટેમ્પ બેંચ સમક્ષ સરકારના અધિકારીઓ વર્ચ્યુઅલ ઉપસ્થિત થયા હતા. જેમાં નાણા વિભાગના સેક્રેટરી સંદીપ કુમાર, વન વિભાગના સેક્રેટરી અને ડાયરેક્ટર, વડોદરા કલેક્ટરનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે નાણા વિભાગના સેક્રેટરીને કહ્યું હતું કે, કોર્ટના હુકમોનું પાલન કરવું તમારી અગ્ર ફરજમાં આવે છે. મોટા પાયે કન્ટેમ્પ અરજી સરકાર વિરૂદ્ધ હોય છે. જેમાં નાણા વિભાગ નિયત સમય મર્યાદામાં હાઈકોર્ટે હુકમ કરી પક્ષકારના ફેવરમાં ચૂકવણી નહીં કરતા કન્ટેમ્પ અરજી કરવામાં આવે છે. કોર્ટના હુકમોનું નિયત સમયમર્યાદામાં પાલન થાયનાણાં વિભાગના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, સંલગ્ન વિભાગમાંથી આવતી ફાઇલોમાં કેટલીક વિગતો ખૂટતી હોય છે. જે પૂર્ણ થતા વિલંબ થાય છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે તે વહીવટી તંત્રનો અંદરનો વિષય છે. તમે એક એવું ફ્રેમવર્ક બનાવો કે જેથી કોર્ટના હુકમોનું નિયત સમય મર્યાદામાં પાલન થાય. કારણ કે કોર્ટ એક વાર હુકમ થઇ ગયા બાદ પણ આવી બાબતોમાં સુનાવણી કરીને સમયનો વ્યય કરી શકાય નહીં. કોર્ટ પાસે અનેક ન્યાયિક કાર્યો હોય છે. સેક્રેટરીએ 15 દિવસનો સમય માંગતા કોર્ટે તે સમય આપ્યો હતો. અરજદારે કોર્ટના હુકમના તિરસ્કારની અરજી કરી હતીઉલ્લેખનીય છે કે, વન વિભાગ સાથે સંકળાયેલા વ્યક્તિને કોર્ટમાં થયેલી અરજી સંદર્ભે પગારનો ડિફરન્સ, નિવૃતિ લાભ વગેરે આપવાના હુકમ કર્યા છત્તા હાઇકોર્ટના હુકમનું પાલન થયું નહોતું. જે સંદર્ભે અરજદાર દ્વારા કોર્ટના હુકમના તિરસ્કારની અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કોર્ટના હુકમનું જાણી જોઈને પાલન થયું નથી. કોર્ટના હુકમ છત્તા તેઓને કોઈ રકમ અપાઈ નથી. અરજદારને હક્કના પૈસા આપતા તમારું હૃદય કેમ બળે છે?કોર્ટે કહ્યું હતું કે, ફાયનાન્સ વિભાગ 2 મહિના કરતા વધુ સમય આપ્યો છતાં કોર્ટના હુકમનું પાલન નથી થયું. કોર્ટે ફાયનાન્સ વિભાગના સેક્રેટરીને જેલ ના મોકલવા પડે. તમે હાઈકોર્ટના હુકમ સામે કોઈ સ્ટે નથી મેળવ્યો છતાં હુકમનું પાલન કેમ નથી કર્યું? બધા ઓફિસરોના કોર્ટમાં હાજર કરાશે. ફાયનાન્સ વિભાગ સુપ્રીમ કોર્ટ પણ ઉપર છે? ફાયનાન્સ વિભાગના અધિકારીઓ ખિસ્સામાંથી પૈસા આપે છે? જો કોર્ટના હુકમનું પાલન નહીં થાય તો નાણા વિભાગના અધિકારીઓ પોતાના ખિસ્સામાંથી પૈસા આપશે. કોર્ટના હુકમથી અરજદારને હક્કના પૈસા આપતા તમારું હૃદય કેમ બળે છે? કોર્ટના હુકમને પ્રાથમિકતા આપો. સેક્રેટરીઓ કોર્ટમાં વર્ચ્યુઅલ હાજર રહેબીજી અન્ય એક આવો કેસ કન્ટેમ્પ બેન્ચ સમક્ષ આવતા કોર્ટે કહ્યું હતું કે, દરેક અધિકારીને ખબર પડવી જોઈએ કે કેવા લોકો હેરાન થાય છે! કોર્ટ હુકમ કરશે તો તમારે દોડીને કામ કરવું પડશે. સમય આપ્યા છત્તા કામ થતું નથી. 100માંથી માત્ર 10 હુકમમાં પાલન થાય છે, જ્યારે 90 ટકા કેસમાં કામ થવું જોઈએ, 10 કેસમાં તકલીફ હોય તેમ માની શકાય. જ્યારે જુઓ ત્યારે પ્રસ્તાવની વાત કરો છો, બધા સામે ચાર્જ ફ્રેમ કરવાના? બે મહિનાથી આવું ચાલે છે, હવે ચલાવવાનો નહીં. તમારા દોડવાનો સમય છે. એક વખત ઓર્ડર થાય પછી શા માટે અરજદારે ફરી કોર્ટમાં આવવું પડે. અરજદારો કોર્ટમાં ખાનગી વકીલ રોકીને તેઓ પૈસા ખર્ચીને આવે છે. પોતાના હક્ક માટે, આવું શું કરવા થાય છે? છેલ્લા બે મહિનાથી આવું જોવા મળે છે. જે સેક્રેટરીઓ હોય કોર્ટમાં વર્ચ્યુઅલ હાજર રહે.
સ્વામિનારાયણ ગોકુલધામ, નાર ખાતે આજે અષ્ટમ પાટોત્સવ અને 24 મો સમૂહ લગ્ન સમારંભ અત્યંત ભવ્ય રીતે સંપન્ન થયો છે. આ મહોત્સવમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને કરુણાના અદભૂત દર્શન થયા હતા. આ પાવન પ્રસંગે દિવ્યાંગ અને માતા-પિતા વિહોણી 51 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી નવજીવનની શરૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગોકુલધામ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 23 સમૂહ લગ્ન યોજીને કુલ 684 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે, જે તેમની દીર્ઘકાલીન સેવાભાવના દર્શાવે છે. મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબન કાર્યક્રમ દરમિયાન માત્ર લગ્ન જ નહીં, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે પણ મહત્વનું પગલું લેવામાં આવ્યું હતું. આ પ્રસંગે 25 વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારીના સાધન તરીકે સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાનો આ અભિગમ વંચિત મહિલાઓના પુનર્વસન અને આર્થિક પગભરતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. ધાર્મિક મહોત્સવ અને મહાનુભાવોની હાજરી પાટોત્સવ નિમિત્તે ગોકુલધામમાં જળયાત્રા, અન્નકૂટ અને મહાયજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ કાર્યક્રમમાં સંતો અને રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. ગુરુવર્ય મોહનસ્વામી, નૌતમ સ્વામી, સંતવલ્લભદાસ સ્વામી, હરિપ્રકાશદાસજી સ્વામી, શુકદેવપ્રસાદદાસજી સ્વામી અને હરિકેશવદાસજી સ્વામી સહિતના સંતોએ નવયુગલોને સુખી અને સંસ્કારી જીવન માટે આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત, ગુજરાત રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકી, કમલેશભાઈ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દેશ-વિદેશથી આવેલા મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આ મહોત્સવમાં ભાગ લીધો હતો. ઉપસ્થિત સંતોએ સંસ્થા દ્વારા કરવામાં આવતી દિવ્યાંગ સેવા, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રવૃત્તિઓની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી
ભરૂચ જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા (SIR) કામગીરી બાદ ગંભીર વિવાદ સર્જાયો છે. મતદાર યાદીમાંથી નામ કાપવા માટે સામૂહિક રીતે ફોર્મ-7 ભરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે, જેના કારણે રાજકીય અને સામાજિક સ્તરે ચકચાર મચી છે. તંત્રને મળેલી માહિતી મુજબ, જિલ્લામાં કુલ અંદાજે 89 હજાર જેટલી નામ કાપવા માટેની અરજીઓ પ્રાપ્ત થઈ છે, જેની સુનાવણી પ્રક્રિયા હાલ ચાલુ છે. આ મોટી સંખ્યામાં ફોર્મ-7 એકસાથે ભરીને ચોક્કસ સમાજના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. આ મામલો વધુ ગંભીર બનતા 'દિવ્ય ભાસ્કર'ની ટીમે થામ ગામની મુલાકાત લીધી હતી, જ્યાં મેદાની હકીકત જાણવાનો પ્રયાસ કરાયો. ગામજનોના જણાવ્યા મુજબ, થામ ગામમાં અંદાજે 150 જેટલા લોકોના નામ મતદાર યાદીમાંથી કાપવા માટે ખોટી સહીઓ સાથે અરજીઓ કરવામાં આવી છે. મતદાર અબ્દુલ મુસ્તફા ગોરજીએ આક્ષેપ કર્યો કે કોઈ સંજય નામના વ્યક્તિએ તેમને મૃત દર્શાવી નામ કાપવાની અરજી કરી છે, જ્યારે તેઓ સંપૂર્ણ હયાત છે. તેમણે ઉમેર્યું કે તેઓ સંજય નામના વ્યક્તિને ઓળખતા પણ નથી. બીજી તરફ, સલીમ અહમદ પટેલે જણાવ્યું કે ગામના દાઉદભાઈનું નામ કાપવા માટે અરજી કરવામાં આવી છે. જોકે, અરજીકર્તા તરીકે દર્શાવવામાં આવેલા અહમદ આદમ પટેલનું 24 માર્ચ 2024ના રોજ અવસાન થઈ ચૂક્યું છે. ફોર્મ-7માં કરવામાં આવેલી સહી ખોટી હોવાનું જણાયું છે. મૃત્યુ પામેલા વ્યક્તિના નામે અરજી થવી એ ગંભીર ગેરરીતિ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ગામના ઉપસરપંચ ઇસ્માઇલભાઈએ દાવો કર્યો કે SIR કામગીરી દરમિયાન 150થી વધુ શંકાસ્પદ ફોર્મ-7 ભરાયા છે. જેમાં જીવિત લોકોને મૃત બતાવવાના અને મિત્રો-ઓળખાણવાળાના નામ લખી ખોટી અરજીઓ કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે ભરૂચ મામલતદારને લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્યું. આ ઘટનાને લઈને ગામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ખોટી અરજીઓ કરનાર તત્વો સામે કડક કાયદેસર કાર્યવાહી થાય અને સાચા મતદારોના નામ સુરક્ષિત રહે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સામૂહિક માંગ ઉઠી છે.
રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા આજે જૂનાગઢ જિલ્લાના શૈક્ષણિક પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી હતી અને શિક્ષણની ગુણવત્તા, ચાલી રહેલી પ્રવૃત્તિઓ તથા શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. મંત્રીના આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ પીએમ શ્રી કન્યા શાળા નંબર–4 (પ્રાથમિક શાળા)ની મુલાકાત રહી હતી, જ્યાં તેમણે એક મંત્રી તરીકે નહીં પરંતુ એક વાલી અને માર્ગદર્શક તરીકે બાળકો સાથે સમય વિતાવ્યો હતો. શિક્ષણ અને સંસ્કારનો સમન્વય શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આજે જૂનાગઢની મુલાકાત દરમિયાન પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 માં શિક્ષણનું સ્તર જોઈને ખૂબ આનંદ થયો. અહીં માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ મૂલ્યો અને સંસ્કાર આધારિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી તેમને સમાજમાં સક્ષમ નાગરિક બનાવવા માટેની શિક્ષણ પદ્ધતિ અહીં સરાહનીય છે. વિદ્યાર્થીઓ સાથે આત્મીયતા અને મધ્યાહન ભોજન મંત્રીએ શાળામાં ચાલી રહેલી શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતની સૌથી પ્રેરણાદાયી ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે મંત્રી રિવાબા જાડેજાએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને વિદ્યાર્થીનીઓ સાથે જમીન પર બેસીને મધ્યાહન ભોજન લીધું હતું. તેમણે ભોજનની ગુણવત્તા ચકાસી હતી અને જણાવ્યું હતું કે શાળામાં પીરસવામાં આવતો તાજો અને પૌષ્ટિક ખોરાક બાળકોના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ભોજન દરમિયાન તેમણે બાળકો સાથે હળવાશથી વાતચીત કરી તેમની શાળાકીય જરૂરિયાતો વિશે પણ જાણકારી મેળવી હતી. બાળ સાહિત્યકાર પ્રીતિની પ્રશંસા અને પુસ્તક વિમોચન શાળાની ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રીતિબેન દ્વારા લખાયેલ બાળવાર્તાઓનું પુસ્તક “મારી બાળા વાર્તાઓ” નું વિમોચન શિક્ષણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીએ પ્રીતિની સર્જનાત્મકતાની પ્રશંસા કરતા કહ્યું કે, 'નિપુણ ભારત મિશન' અંતર્ગત બાળકોના કૌશલ્ય વર્ધનની આ ઉત્તમ સાબિતી છે. પ્રીતિએ ઝોન કક્ષાથી રાજ્ય કક્ષા સુધી પોતાનું કૌશલ્ય સાબિત કરી અવલ નંબર મેળવ્યો છે, જે સમગ્ર જૂનાગઢ માટે ગૌરવની વાત છે. વાલીઓને ખાસ અપીલ: મોબાઈલ છોડો, મેદાન પકડો વધતા જતા ટેકનોલોજીના યુગમાં બાળકોમાં વધતા મોબાઈલના વપરાશ અંગે મંત્રીએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાલીઓને સંબોધતા એક ખાસ અપીલ કરી હતી કે, આજનું બાળક મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં કેદ થઈ રહ્યું છે. વાલીઓએ જાગૃત થઈને બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ અને તેમને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. રમતગમતથી બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપી બને છે. આ હેતુથી તેમણે પોતે પણ શાળાની બાળાઓ સાથે ખો-ખોની રમત રમીને રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું. મંત્રીએ જણાવ્યું કે તાજેતરમાં જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 12 લાખ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવી છે.આગામી સમયમાં રમતગમત માટે ખાસ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેથી શાળાઓમાં ખેલકૂદ પ્રવૃત્તિઓ વેગવંતી બને.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્ત્રી પહેલેથી જ સશક્ત છે, માત્ર તેને યોગ્ય તક અને શિક્ષણની જરૂર છે.વિદ્યાર્થીઓને સલાહ આપી કે શિક્ષણને બોજ ન ગણતા તેને રમત સમજીને અભ્યાસ કરશો તો તે ક્યારેય અઘરું નહીં લાગે. આ મુલાકાત દરમિયાન જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, શહેરના મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ શિક્ષણ વિભાગની ટીમ અને એસ.એમ.સી. (SMC) કમિટીના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક પણ યોજી હતી અને શાળામાં ખૂટતી સુવિધાઓ વહેલી તકે પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી.
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે, નવસારીના ચીખલી પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મુંબઈથી અમદાવાદ તરફ જતી એક ટાટા ટ્રકમાંથી ₹20 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ અને બિયરના ટીન સહિત કુલ ₹30.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા છે. ચીખલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.વી. ચાવડા અને પી.એસ.આઈ. એચ.એચ. ફડદુની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને વિજયભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક ટાટા ટ્રકમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે બલવાડા ઓવરબ્રિજ ઉતરતા મુંબઈ-અમદાવાદ ટ્રેક પર વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, પોલીસે શંકાસ્પદ ટાટા LPT ટ્રક (નંબર- GJ-12-AT-9325) ને અટકાવી તેની તલાશી લીધી હતી. ટ્રકના ડાલાના ભાગે ખાસ બનાવેલા ચોરખાનાઓમાંથી 167 પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને બિયરના ટીન સહિત કુલ 5,004 નંગ (1607.16 લીટર) વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં ₹20,06,160/- નો વિદેશી દારૂ/બિયર, ₹10,00,000/- ની ટાટા ટ્રક અને ₹3,000/- રોકડ તથા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આમ, કુલ ₹30,09,160/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક રયાભાઇ ભીખાભાઇ ઇંદરીયા (રહે. વણકી, તા. સાયલા, જી. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ જથ્થો સુરેન્દ્રનગરના હરેશ માનસિંગ માથાસુરીયા નામના શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે હરેશ માથાસુરીયા અને અન્ય એક અજાણ્યા શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં ચીખલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.વી. ચાવડા, પી.એસ.આઈ. એચ.એચ. ફડદુ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ, વિજયભાઈ, હરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગણપતભાઈ, જયપાલસિંહ અને અલ્પેશભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા મોટા મુંજીયાસર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી અને ચા બનાવવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પુત્રએ પોતાના જ પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. હત્યાની આ ઘટનામાં પુત્રની માતાએ મદદગારી કરી હતી. મૃતકની પુત્રીએ માતા અને ભાઈ સામે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર મૂળ દાહોદ જિલ્લાના ફતેહપુરા તાલુકાના સુખસર ગામનો વતની છે અને પરિવારના સભ્યો મુંજીયાસર ગામે કિશોરભાઈ મનજીભાઈ પટોળિયાની વાડીએ ખેતમજૂરી કરતાં હતા. ચા બનાવવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો આ કેસની વિગતો મુજબ, મૃતક રમણભાઇ વાલકાભાઇ કટારા (ઉ.વ. 46) તેમની પત્ની સીતાબેનને ઘરે ચા બનાવવા દેતા ન હતા અને તેમની સાથે બોલાચાલી કરતા હતા. આ બાબત સીતાબેનને ન ગમતા, તેઓએ વાડીમાં કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછારને આ અંગે જાણ કરી અને રમણભાઇને માર મારવા માટે ઉશ્કેર્યો હતો. માતાના કહેવાથી ઉગ્ર બનેલા પુત્ર સુરેશે ઘરે જઈ આજે તો તને મારી નાખવો છે તેમ કહી પિતા રમણભાઇ પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. જ્યારે રમણભાઇની પુત્રી અસ્મીતાને તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે સુરેશે તેને પણ જમણા હાથના બાવડાના ભાગે લાકડું મારી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિમેન્ટનો ચૂલો માથા પર ઝીંકી દીધો ઝઘડો એટલો વધ્યો હતો કે આરોપી સુરેશે ક્રૂરતાની હદ વટાવી પિતા રમણભાઇના માથાના ભાગે સિમેન્ટનો આખો ચૂલો ઉંચકીને માર્યો હતો. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે રમણભાઇનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતક રમણભાઈના મૃતદેહને પીએમ અર્થે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે અને ઝઘડામાં ઈજાગ્રસ્ત માતા-પુત્રને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુત્રીએ માતા-ભાઈ વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદઆ ઘટના અંગે મૃતકની પુત્રી અસ્મીતાબેને બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપી સુરેશ મછાર અને મદદગારી કરનાર માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
પાટડી તાલુકાના જોરાવરપુરા અને સૂરજપુરા ગામમાં કુલ ₹2.10 કરોડના ખર્ચે રોડ નિર્માણ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જોરાવરપુરા ગામે ₹1.60 કરોડના ખર્ચે જોરાવરપુરા એપ્રોચ રોડના રિસર્ફેસિંગનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પંકજભાઈ પટેલ, રમેશભાઈ ચાવડા અને ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. તેવી જ રીતે, સૂરજપુરા ગામે ₹50 લાખના ખર્ચે સૂરજપુરા-જરવલા રોડ પર સુવિધા પથ (સી.સી. રોડ)ના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાટડી તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઠાકોર, પંકજભાઈ પટેલ, રમેશભાઈ ચાવડા, ઈશ્વરભાઈ પટેલ, લાલજીભાઈ રબારી, પરબતભાઈ રબારી અને ગામના સરપંચ સહિતના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈના બોરીવલી સ્થિત પોલીસર જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 3, 4 અને 5 ફેબ્રુઆરી 2026ના રોજ ઇન્ટર સ્ટેટ સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું અને સમગ્ર ટુર્નામેન્ટમાં ત્રીજા સ્થાને રહી હતી. મુંબઈની એમ.સી.એફ. - બી.બી. માસ્ટર ટીમ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને વડોદરાની ટીમો સહિત મહારાષ્ટ્રની 6 ટીમો મળીને કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. સુરેન્દ્રનગરની ટીમે ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી. તેમની પ્રથમ મેચ અમદાવાદ સામે રમાઈ હતી, જેમાં અશોકભાઈ રાવલના અણનમ 34 રન અને કેપ્ટન જે.પી. રાણાના અણનમ 25 રન તથા તેમના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે ટીમે વિજય મેળવ્યો હતો. અશોકભાઈ રાવલને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. બીજી મેચમાં સુરેન્દ્રનગરનો મુકાબલો મુંબઈની એમ.સી.એફ. - બી.બી. જ્વેલર્સ ટીમ સાથે થયો હતો. આ મેચમાં કેપ્ટન જે.પી. રાણાએ ઘાતક બોલિંગ કરતા બે ઓવરમાં માત્ર આઠ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી અને 15 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 19 રન પણ બનાવ્યા હતા. કમલેશભાઈ બારૈયાએ પાંચ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 25 બોલમાં 39 રન ફટકાર્યા હતા, જ્યારે ભગીરથસિંહે બે ઓવરમાં 23 રન આપીને બે વિકેટ લીધી હતી. આ સહિયારા પ્રયાસથી ટીમે વિજય હાંસલ કર્યો હતો. ત્રીજી મેચમાં સુરેન્દ્રનગરની ટીમે મુંબઈની જાણીતી દાદાજી ડેરિંગ ટીમ સામે વિજય મેળવ્યો હતો. આ મેચમાં અશોકભાઈ રાવલે શાનદાર 36 રન બનાવ્યા હતા અને અન્ય ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન થકી ટીમે સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. સમગ્ર ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની ટીમે ત્રીજા નંબર પર રહીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિ બદલ સુરેન્દ્રનગરના ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
નવસારીમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, લોકો પરેશાન:પાલિકાના ફોગિંગ છતાં નિયંત્રણમાં નિષ્ફળતા
નવસારી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે વધ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા મચ્છર નિયંત્રણ માટે 13 ફોગિંગ મશીનોથી ધુમાડાનો છંટકાવ કરવામાં આવતો હોવા છતાં, પરિસ્થિતિમાં સુધારો થયો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોનો ત્રાસ એટલો વધી ગયો છે કે લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. શહેરના પશ્ચિમ ભાગમાં આવેલા જલાલપોર અને વિજલપોર વિસ્તારોમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. આ ઉપરાંત, બંદર રોડ, શાંતાદેવી, રૂસ્તમ વાડી, મિથિલા નગરી, માતાફળિયા, દાંડીવાડ અને કાશીવાડી જેવા ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં પણ મચ્છરોનો ત્રાસ વ્યાપક છે. સાંજે 5 વાગ્યા પછી મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચે છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું તો દૂર, ઘરમાં બેસવું પણ મુશ્કેલ બન્યું છે. લોકો મચ્છરોથી બચવા માટે બારી-દરવાજા બંધ રાખવા મજબૂર છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મહિનાઓથી ફોગિંગ કરવામાં આવતું હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ ઘટતો ન હોવાથી નાગરિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે શું પાલિકાનું ફોગિંગ માત્ર દેખાવ પૂરતું છે? શું વપરાતી મચ્છરનાશક દવાની અસરકારકતા ઓછી થઈ ગઈ છે? અને શું 13 ફોગિંગ મશીનો આખા શહેરને આવરી લેવા માટે પૂરતા છે? આ મામલે નવસારી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, મેલેરિયા વિભાગ દ્વારા મચ્છર નિયંત્રણ માટે સઘન કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું કે, દર શુક્રવારે 'ડ્રાય-ડે' ઉજવવામાં આવે છે, જેમાં પાણી ભરેલા પાત્રો ખાલી કરાવવામાં આવે છે જેથી મચ્છરના પોરાનો નાશ કરી શકાય. તંત્ર દ્વારા 13 વોર્ડમાં ફોગિંગ માટે અલગ ટીમો બનાવી દરરોજ કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત, જ્યાં પાણી ભરાયેલું રહે છે તેવી ખાડીઓની સફાઈ કરીને એમ.એલ. ઓઈલ (મેલેરિયા લાર્વીસીડલ ઓઈલ)નો છંટકાવ કરવામાં આવે છે. કાયમી પાણી ભરાતા સ્થળો પર ઓઈલ-બોલ ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં મિશ્ર ઋતુ (ઠંડી-ગરમી)ના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરંતુ શહેરમાં મેલેરિયા કે ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી તે રાહતની વાત છે. તંત્ર દ્વારા પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
ભારતીય શહેરો હાલમાં વધતા જતા પૂર, આબોહવાની ચરમસીમાઓ અને માળખાકીય તણાવ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિમાં, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 05 ફેબ્રુઆરી 2026 ના રોજ ‘AI રીઝિલિયન્સ એન્ડ કમાન્ડ સેન્ટર’ (ARC) લોન્ચ કરીને શહેરી સુરક્ષાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભર્યું છે. IIT ગાંધીનગર રિસર્ચ પાર્કમાં કાર્યરત આ સેન્ટર આપત્તિ પછીના પ્રતિભાવને બદલે પૂર્વાનુમાન અને ડેટા-સંચાલિત વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભૌતિકશાસ્ત્ર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સંગમ ARC સેન્ટર વરસાદથી સ્થિતિસ્થાપકતા સુધી ના બિંદુઓને જોડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે પૂરની આગાહી, ગતિશીલતા અસરો અને ઓપરેશનલ નિર્ણય પ્રક્રિયાને એક જ ફ્રેમવર્કમાં એકીકૃત કરે છે. આ સેન્ટર ફિઝિક્સ-સુસંગત મોડેલિંગ અને એઆઈનો ઉપયોગ કરીને શહેરોની જટિલ સિસ્ટમ માટે વાસ્તવિક સમયના પૂર મૂલ્યાંકન અને દૃશ્ય વિશ્લેષણ પૂરું પાડે છે. આ ટેકનોલોજીને કારણે ભારે વરસાદ જેવી આત્યંતિક ઘટનાઓ દરમિયાન વહીવટી તંત્રનો પ્રતિભાવ સમય ઘટશે અને આર્થિક નુકસાનમાં ઘટાડો થશે. નિષ્ણાતોના મતે ટેકનોલોજીની અસરકારકતા IIT ગાંધીનગરના એક્સટર્નલ રિલેશન્સના ડીન પ્રોફેસર અમિત પ્રશાંતે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં સમુદાયોને સેવા આપવાની મજબૂત ક્ષમતા છે. ગયા વર્ષે તેના સફળ અમલીકરણને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી હતી. પ્રોફેસર ઉદિત ભાટિયાએ ભાર મૂકતા કહ્યું કે, શહેરી આયોજનમાં પાણીની ભૂમિકા અત્યંત મહત્વની છે. જો આપણે પાયાના સ્તરે ફેરફાર લાવવો હોય તો પાણી અને પૂર વ્યવસ્થાપનથી શરૂઆત કરવી અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે જનરેટિવ એઆઈનું સાચું મૂલ્ય ત્યારે જ ગણાશે જ્યારે તે લોકોના જીવનની ગુણવત્તામાં માપી શકાય તેવા સુધારા લાવશે. ડેટા-આધારિત નિર્ણય પ્રક્રિયા અને જવાબદારી ગુજરાત સરકારના ભૂતપૂર્વ સચિવ ડૉ. વિવેક કાપડિયાએ પુરાવા-આધારિત નિર્ણય લેવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે એડહોક અભિગમને બદલે હવે આપણે એવા સાધનો તરફ વળવાની જરૂર છે જે પ્રક્રિયાઓને મહિનાઓને બદલે મિનિટોમાં પૂર્ણ કરી શકે. આ સેન્ટરના વિકાસમાં IIT ગાંધીનગર દ્વારા ઇન્ક્યુબેટેડ ડીપ-ટેક કંપની AIResQClimSols Pvt. Ltd. ના અદ્યતન સાધનોનો મહત્વનો ફાળો છે, જે ‘શું-જો’ (What-if) જેવી જટિલ પરિસ્થિતિઓનું પૂર્વાનુમાન કરવામાં મદદરૂપ થાય છે. સરકારી અધિકારીઓ અને નીતિ નિર્ધારકોનો સહયોગ ઉદઘાટન સમારોહમાં ગુજરાતના વિજિલન્સ કમિશનર ડૉ. સંગીતા સિંહ, જળ સંસાધન વિભાગના સચિવ પી. સી. વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયા અને વિશેષ સચિવ એમ. દે. પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, સરકાર અને ટેકનોલોજી પ્રદાતાઓ વચ્ચેના સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઐરાવત ફાઉન્ડેશનના સીઈઓ અમર નાથે જણાવ્યું કે, એઆઈ ટકાઉ શહેરો માટે વ્યવહારુ અને જમીન-સ્તરીય ઉકેલો પૂરા પાડવામાં પરિવર્તનકારી ભૂમિકા ભજવશે.
ગોધરા શહેરી તાલુકા સ્વાગત કાર્યક્રમ 25 ફેબ્રુઆરીએ:અરજદારો 10 ફેબ્રુઆરી સુધી પ્રશ્નો મોકલી શકશે
ગોધરા (શહેરી) તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 25 ફેબ્રુઆરી, બુધવારના રોજ સવારે 11:00 કલાકે યોજાશે. આ કાર્યક્રમમાં નાગરિકો, અરજદારો અને પ્રજાજનો તેમના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નીતિવિષયક તથા આક્ષેપો કરતી અરજીઓ સિવાયના પ્રશ્નો રજૂ કરી શકશે. અરજીઓ લેખિતમાં 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં મામલતદાર કચેરી, ગોધરા (શહેર) ખાતે રૂબરૂ અથવા ટપાલ દ્વારા મોકલી આપવાની રહેશે. અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ અથવા પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજીના કવર તેમજ અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખવું ફરજિયાત છે. અરજીમાં અરજદારનું નામ, સરનામું અને ટેલિફોન કે મોબાઇલ નંબર અથવા સંપર્ક નંબર અવશ્ય લખવાનો રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોએ લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવી. તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સંબંધિત જવાબદાર અધિકારીશ્રીને અગાઉ કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી અનિવાર્ય છે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની રજૂઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરાવી શકાશે નહીં. 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં મળેલ અરજીઓનો જ ચાલુ માસના સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. આ માહિતી મામલતદાર, ગોધરા (શહેરી) દ્વારા એક યાદીમાં જણાવાઈ છે.
અમદાવાદ શહેરના ખાડિયા પોલીસ સ્ટેશનની બાજુમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં પડેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની છે. પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવેલા વાહનોમાં આગ લાગી હોવાના પગલે ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળ ઉપર રવાના કરવામાં આવી છે. ખાડિયા પોલીસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ડીટેઇન કરેલા અને મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલાના વાહનો મૂકી દેવામાં આવ્યા હતા. અમે આ સમાચાપ અપડેટ કરી રહ્યા છીએ……
બોટાદ શહેરના સાળંગપુર રોડ વિસ્તારમાં લોન ઉઘરાણીના બહાને આવેલા શખસોએ મકાનમાં ઘૂસી પરિવાર પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. કાર લોનના હપ્તા વસૂલવાના નામે આવેલા 3 અજાણ્યા શખસોએ ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરી મારપીટ કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ હિંસક ઘટનામાં પરિવારના 4 સભ્યોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘરમાં ઘૂસીને પરિવાર સાથે બબાલમળતી માહિતી મુજબ, સાળંગપુર રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારના ઘરે 3 અજાણ્યા શખસો કાર લોનના હપ્તાની ઉઘરાણી માટે આવ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને આ શખસોએ ઘરમાં ઘૂસીને પરિવાર સાથે બબાલ શરૂ કરી હતી. આક્ષેપ છે કે રિકવરી માટે આવેલા શખસોએ ઘરમાં રહેલી મહિલાઓ સાથે હાથાપાઈ કરી દુર્વ્યવહાર કર્યો હતો. 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્તઆ હુમલામાં પરિવારના નીચે મુજબના સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ધનીબેન મંગાભાઈ બથવાર, કનુભાઈ મંગાભાઈ બથવાર, છગનભાઈ હમીરભાઈ બથવાર અને હીનાબેન સચીનભાઈ બથવારને ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક બોટાદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે નીતાબેન કનુભાઈ બથવારે હોસ્પિટલ ખાતેથી વિગતો આપી હતી. પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ લોન રિકવરીના નામે થયેલી આ ગુંડાગીરીની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે અને હુમલો કરનાર 3 અજાણ્યા શખસોની ઓળખ મેળવવા તપાસ તેજ કરી છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું 1903.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં શહેરના નાગરિકો પર કોઈપણ પ્રકારનો નવો વેરો લાદવામાં આવ્યો નથી. જે મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર છે. ગત વર્ષના 1718.03 કરોડના બજેટની સરખામણીએ આ વર્ષે કુલ કદમાં 10.77%નો વધારો સૂચવવામાં આવ્યો છે. આ બજેટમાં 62% રકમ માત્ર આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચાશે. જે અંતર્ગત રિલાયન્સ સર્કલે ટ્રાફિકના ભારણને ઘટાડવા નવો ફ્લાયઓવર બ્રિજ, સેક્ટર 11માં બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ જેવી મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરાઈ છે. મ્યુનિ. કમિશનરે વર્ષ 2026-27નું 1903 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુંગાંધીનગરના સર્વાંગી વિકાસને વેગ આપવા અને વિકસિત ભારત, વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેનું 1903.08 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 1186 કરોડ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ ખર્ચાશેઆ બજેટ પર નજર કરીએ તો કુલ ખર્ચના સૌથી વધુ 62 ટકા એટલે કે 1186.71 કરોડ ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ માટે ફાળવવામાં આવ્યા છે. જેમાં નવા રસ્તાઓ, ડ્રેનેજ નેટવર્ક અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ફ્લાયઓવર બ્રિજ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને રિલાયન્સ ચોકડી અને પંડિત દીનદયાળ સર્કલ ખાતે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત સેક્ટર 22-23 ખાતે અન્ડરપાસ અને સેક્ટર-11માં બિઝનેસ કોરિડોર ડેવલપમેન્ટ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ હાથ ધરવામાં આવશે. શહેરના જળ સ્તરને જાળવી રાખવા 24 તળાવોનું આયોજનપર્યાવરણની જાળવણી માટે મનપાએ 10 લાખથી વધુ વૃક્ષોના વાવેતરનો અને 1000 રિચાર્જ વેલ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શહેરના જળ સ્તરને જાળવી રાખવા માટે શૂન્ય જળ ભરાવ કાર્યક્રમ હેઠળ 19 તળાવોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અન્ય 24 તળાવોનું આયોજન છે. નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજી દ્વારા પાણીની ગુણવત્તા અને લીકેજનું મોનિટરિંગ કરવામાં આવશે. 100 નવી પી.એમ. ઇ-બસનું લોકાર્પણ કરાશેશહેરીજનોની સુવિધા માટે 100 નવી પી.એમ. ઇ-બસનું લોકાર્પણ કરવામાં આવશે, જે પ્રદૂષણ મુક્ત પરિવહનને પ્રોત્સાહન આપશે. આરોગ્ય ક્ષેત્રે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને પબ્લિક હેલ્થ સેન્ટરને પીપીપી મોડલ પર લઈ જવાની યોજના છે. શિક્ષણ માટે પણ 16.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
આજ કાલ નાના નાના બાળકોને કોઈ ને કોઈ ચીજવસ્તુ મોઢામાં નાખવાની આદત હોય છે. ત્યારે ક્યારેક નાના બાળકો માટે તે જીવલેણ સાબિત થતું હોય છે. આવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. વડોદરાના ગોત્રી ખાતે આવેલ GMERS હોસ્પિટલમાં આણંદ જિલ્લાના માલસર ગામનું એક વર્ષનું માસૂમ બાળક LED બલ્બ ગળી જાય છે. દોઢ માસ સુધી તેની અન્ય હોસ્પિટલોમાં ન્યુમોનિયાની સારવાર કરવામાં આવે છે. છતાં બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્યારે આ બાળકને વધુ સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યાં ENT વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ બાદ એક સેન્ટીમીટરનો LED બલ્બ ફેફસામાં હોવાનું સામે આવે છે. ત્યારબાદ સર્જરી કરીને બલ્બ બહાર કઢાયો છે. છેલ્લા દોઢ માસથી દર્દથી પીડાતા બાળકને તકલીફ દૂર કરાઈઆ બાબતે ગોત્રી મેડીકલ કોલેજના ENT વિભાગના વડા ડૉ હિરેન સોનીએ આ બાળકની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવે છે. કારણ કે મોઢાના ભાગેથી LED બલ્બ શ્વાસનળીમાંથી ફેફસામાં ફસાઈ જાય છે. અત્યાધુનિક સાધનો વડે સફળ સર્જરી કરી બાળ દર્દીને સફળતા પૂર્વક આ બલ્બ બહાર કાઢવામાં આવે છે અને છેલ્લા દોઢ માસથી દર્દથી પીડાતો બાળકને તબીબ દ્વારા નવજીવન આપવામાં આવે છે. આ બાળકને ઓપ્ટિકલ બ્રોન્કોસ્કોપી સિસ્ટમ દ્વારા સર્જરી અડધો કલાક સુધી ચાલે છે અને તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસરની પ્રાથમિક વિગતઆ અંગે GMERS ગોત્રી મેડીકલ હોસ્પિટલના ENT વિભાગના હેડ ડો.હિરેન સોનીએ જણાવ્યું હતું કે, અમારી પાસે એક વર્ષનું બાળ દર્દી આવ્યું હતું. જેને પ્રથમ તપાસ કરતા જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાની અસર જણાતી હતી. તેના માટે ઘણી બધી હોસ્પિટલમાં બતાવી સારવાર કરવામાં આવી હતી. અમારી પાસે દર્દી આવતા તેને શ્વાસનળીમાં કંઈક પ્રોબ્લેમ છે અને ત્યારબાદ તેનો અક્સરે કરવામાં આવે છે. ત્યાર બાદ બોડીમાં કોઈ મેટલનો ટુકડો હોય તેવું જણાતું હતું. શ્વાસનળીમાં દૂરબીન ઉતારી જોતા મેટલની ટુકડો હોય તેવું દેખાયું વધુમાં કહ્યું કે, ત્યારબાદ બીજા દિવસે અમે ઓપરેશનની તૈયારી કરી હતી. જેમાં શ્વાસનળીમાં દૂરબીન ઉતારી જોતા મેટલની ટુકડો હોય તેવું દેખાયું હતું. છેલ્લા દોઢ માસથી આ બાળકને પ્રોબ્લેમ હતો જેથી તેના પર પણ ચામડી આવી ગઈ હતી. ખાંસીની તફલીક થઈ, નિમોનિયાની અસર થઈ અને તાવ આવ્યોવધુમાં કહ્યું કે, બાળકના મોઢામાંથી LED બલ્બ શ્વાસનળીમાં પોહચી ગયો હતો જેના કારણે મુશ્કેલીમાં મુકાયો હતો. શરૂઆતમાં બાળકને ખાંસીની તફલીક થઈ હતી અને ત્યારબાદ નિમોનિયાની અસર થઈ અને તાવ આવ્યો હતો. જ્યારે આવા કોઈ લક્ષણ જણાય તો ચોક્કસ આ બાબતે વાલીએ ધ્યાન આપવું જોઈએ. 'મારી ત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં આ પ્રકારનો કિસ્સો અમારા માટે પહેલો'ડો.હિરેન સોનીએ વધુમાં કહ્યું કે, આ માત્ર એક વર્ષનું બાળક છે કે આ પ્રકારની સફળ સર્જરી કરી જેમાં LED બલ્બ મળી આવ્યો છે મારી ત્રીસ વર્ષની પ્રેક્ટિસમાં આ પ્રકારનો કિસ્સો અમારા માટે પહેલો છે. તેઓએ જણાવ્યું કે આટલા નાના બાળકને નાની નાની ચીજવસ્તુઓથી દૂર રાખવું જોઈએ. 'બાળકો સ્ક્રૂ, મેટલની વસ્તુઓ પણ ગળી જાય છે'બોપલની ચાઇલ્ડહૂડ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન ડૉ.મેહુલ શાહ કહે છે, 'મોટેભાગે બાળકો સિંગદાણા, ફ્રૂટ્સના દાણા, વટાણા, તુવેરના દાણા, દાડમના દાણા ગળી જતાં હોય છે. ઘણીવાર બાળકો મોંને બદલે નાકમાં પણ આ દાણા નાખી દેતાં હોય છે. ઘણીવાર આપણને ખ્યાલ ન હોય, પરંતુ રમકડાંમાં એવી નાની નાની વસ્તુઓ હોય છે, એને પણ બાળકો મોંમાં નાખી દેતાં હોય છે. કેટલીકવાર તો બાળકો ઓલઆઉટની રિફિલ, કેરોસિન અને ઝેરી કેમિકલ પણ પી જતાં હોય છે. ઘણીવાર એવું બને છે કે અમે બાળકોને શરદી-ઉધરસ માટે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા લખી આપીએ. ઘરમાં ઘણીવાર પેરેન્ટ્સથી સિરપનું ઢાંકણું ખુલ્લું રહી જાય તો બાળકો એ ગટગટાવી જાય છે. આ પ્રકારના કેસ રોજ-બરોજ આવતા હોય છે. ઘણીવાર બાળકો રમકડાંથી રમતાં હોય અને એમાં મણકા કે અન્ય નાની નાની વસ્તુ હોય તો એ તોડીને મોંમાં નાખે તો ગળી જવાનો કે ફસાઈ જવાનો ભય રહે છે. ઘણીવાર બાળકો સિક્કા, મેટલની વસ્તુઓ કે સ્કૂ... વગેરે જેવી જોખમી વસ્તુઓ પણ ગળી જતાં હોય છે. કઈ ઉંમરનાં બાળકોમાં વસ્તુ ગળી જવાના કિસ્સા વધારે બને છે?આ અંગે વાત કરતાં 'ગુજરાત એકેડેમી ઑફ પીડિયાટ્રિશિયન'ના પ્રમુખ ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'અમારી પાસે મોટેભાગે અંદાજે બે વર્ષની ઉંમરનાં બાળકોના ફોરેન બૉડી (વસ્તુઓ મોંમાં ફસાઈ જતી હોય, એને મેડિકલની ભાષામાં ફોરેન બૉડી કહેવાય) કેસ વધારે આવતા હોય છે. સામાન્ય રીતે 9 મહિનાથી લઈ ચાર-પાંચ વર્ષની ઉંમરનાં બાળકોનાં મોંમાં વસ્તુ ફસાઈ ગઈ હોય એવા કિસ્સાઓ બનતા હોય છે.' તો ડૉ. મેહુલ શાહ જણાવે છે, 'ઉંમરની રીતે વિચારીએ તો લગભગ છ મહિનાની ઉંમરનાં બાળકોથી લઈ બે વર્ષની ઉંમરનાં બાળકોમાં વસ્તુઓ ગળી જવાના કિસ્સાઓ વધુ બને છે. આ ઉંમરનાં બાળકો કુતૂહલવશ નવી નવી બાબતો એક્સ્પ્લોર કરવા માગે છે અને એને કારણે અન્નનળી કે શ્વાસનળીમાં આવી વસ્તુઓ ફસાઈ જવાના કે પછી ગળી જવાના ચાન્સ વધી જાય છે. આ વયજૂથનાં બાળકોમાં 'ફોરેન બૉડી'ના કેસ સૌથી વધુ જોવા મળતા હોય છે. ઘણીવાર બે વર્ષથી વધુ ઉંમરવાળાં બાળકોના કેસ પણ આવતા હોય છે, પરંતુ મોટેભાગે છ મહિનાથી 2 વર્ષની ઉંમરનાં બાળકોના કેસ વધુ આવે છે. પેટમાં દુખાવો, વૉમિટિંગ થવાની શક્યતાબાળકોમાં બીમારી અંગે વાત કરતાં ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'બાળક ખાવા સિવાયની વસ્તુઓ મોંમાં નાખે છે, આથી પેટનું ઇન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. બાળક ઘણીવાર રેતી, માટી, ચોક, રબર સહિતની વસ્તુઓ ખાતું હોય છે. આ બધી વસ્તુ પેટમાં જાય અને પેટમાં દુખાવો કરી શકે છે. ઘણીવાર બાળકને વૉમિટિંગ થાય છે, તો ઘણીવાર વસ્તુ ફસાઈ જાય ત્યારે બાળકના મોંમાંથી એ કાઢવી પડતી હોય છે.' તો ડૉ. મેહુલ શાહ કહે છે, 'બાળક ખાવા સિવાયની કોઈ વસ્તુ મોંમાં નાખે તો ઝાડા અને વૉમિટિંગ થવાનું જોખમ વધી જાય છે. ઘણીવાર બાળક ઝેરી વસ્તુઓ, જેવી કે ફિનાઇલ, કેમિકલ, સિરપ, કેરોસિન કે અન્યની દવાઓ પી જાય તો એને પોઇઝનિંગ જેવી ગંભીર અસર પણ થાય છે.' 'બટન બેટરી સૌથી જોખમી'ડૉ. ચેતન ત્રિવેદી બટન બેટરીની ગંભીરતા અંગે વાત કરતાં કહે છે, 'ખાવા સિવાયની વસ્તુમાં બટન બેટરી ઘણી જ જોખમી છે. જો બટન બેટરી બાળક મોંમાં નાખે અને જો એ અન્નનળીમાં ફસાઈ જાય તો બે કલાકની અંદર એ બહાર કાઢવી પડે. જો આમ ન કરવામાં આવે તો બટન બેટરી એટલો ભાગ બાળી નાખે અને ત્યાં કાણું પણ પડી શકે છે. બટન બેટરીમાં રહેલા ઘાતક કેમિકલ શરીરમાં ચાંદું પાડી શકે છે. જો બાળક બટન બેટરી ગળી ગયું હોય તો અમે થોડી પણ રાહ જોતા નથી. આમાં ટાઇમ ઘણો જ મહત્ત્વનો છે.' 'બાળક સમયસર હૉસ્પિટલ પહોંચે તો જ જીવ બચાવી શકીએ'ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'દાડમનો દાણો ગળી જવાના કિસ્સા બહુ જ કોમન બને છે. સિંગ, ચણા પણ આ જ કેટેગરીમાં આવે છે. વસ્તુ ફસાઈ ગઈ હોય અને તે બાળક તાત્કાલિક હૉસ્પિટલ સુધી પહોંચી શકે છે તો તે નસીબદાર છે, કારણ કે બાળકની શ્વાસનળી ઘણી જ સાંકડી હોય છે. સાંકડી શ્વાસનળીમાં જો કોઈ વસ્તુ ફસાઈ જાય તો ગૂંગળામણ થવા લાગે અને આ જ કારણે તે શ્વાસ લઈ શકે નહીં. આ પરિસ્થિતિ બાળકમાં બે કે ચાર મિનિટ પણ રહે તો તેના જીવને જોખમ થઈ શકે છે, જોકે ઘણા કિસ્સામાં એવું પણ બને છે કે શ્વાસનળીમાં કોઈ વસ્તુ ફસાઈ હોવા છતાં થોડીક જગ્યા રહે છે. આ જ કારણે બાળકો શ્વાસ લઈ શકે છે. આ બાળકો જો સમયસર હૉસ્પિટલ પહોંચી જાય તો અમે તેનો જીવ બચાવી શકીએ છીએ.' ડૉ. મેહુલ શાહ કહે છે, 'બાળકના ગળામાં જે-તે વસ્તુ કઈ જગ્યાએ ફસાઈ છે એના પરથી ગોલ્ડન અવર્સ નક્કી થતા હોય છે. જો વસ્તુ શ્વાસનળીમાં ભરાઈ હશે તો 2-4 મિનિટમાં હૉસ્પિટલ આવે એ જરૂરી છે. જો બાળક ભૂરું પડે કે બેભાન થાય તો સમજી લો કે તેનામાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે અને તે ગંભીર છે. આ સ્થિતિમાં પેરેન્ટ્સે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને બાળકને હૉસ્પિટલ પહોંચાડવું. જો બાળકને ઑક્સિજન નથી મળતો અને હૃદયના ધબકારા સતત ઓછા થતા હોય તો CPR આપવો જોઈએ.' 'ગમે તે રીતે મોંમાં આંગળી ફેરવો નહીં'ડૉ. ચેતન ત્રિવેદી કહે છે, 'જો બાળક એક વર્ષથી નાનું હોય અને ચૉકિંગ થઈ ગયું હોય ત્યારે તે રડી કે બોલી શકતું નથી. તેનું શરીર ભૂરું પડવા લાગે છે. આ સમયે જો બાળકના મોંમાં કંઈ દેખાય અને એ ખેંચી શકાય એમ હોય તો જ ખેંચો. ગમે તેમ આંગળી નાખીને કાઢવાનો પ્રયાસ બિલકુલ ન કરો.' ડૉ. મેહુલ શાહ જણાવે છે, 'જો બાળક કંઈક ગળી જાય છે તો તેના મોંમાં એ દેખાય તો પેરેન્ટ્સ સોફ્ટ કોટન કપડું લઈને આંગળીની મદદથી તરત જ કાઢી શકે છે.' ઘરે સારવાર કેવી રીતે આપવી?ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'આવા સમયે તે બાળકને હથેળીમાં ઊંધું સૂવડાવો. તેની પીઠ પર બીજા હાથની હથેળીથી પાંચવાર ધબ્બા મારો. પછી બાળકને સીધું કરીને તેની ચેસ્ટ પર પાંચવાર ધબ્બા મારો. આમ કરવાથી એમ થશે કે જે વસ્તુ ફસાઈ હશે એ સીધી મોં વાટેથી બહાર નીકળી જશે. આ મેથડને હેમલિચ રિમૂવર મેથડ (heimlich maneuver) કહેવામાં આવે છે. જો પેરેન્ટ્સને કંઈ ન ફાવે તો તેઓ પીઠ પર પાંચ ધબ્બા મારશે તોપણ એ નીકળી જશે.' ડૉ. મેહુલ શાહ જણાવે છે, 'નાનું બાળક હોય તો ખોળામાં ઊંધું રાખીને તેને બેક થ્રસ્ટ અને પછી ચેસ્ટ થ્રસ્ટ આઠથી દસવાર આપવા. મોટા ભાગના કિસ્સામાં મોંમાં ફસાયેલી વસ્તુ નીકળી જતી હોય છે અને શ્વાસનળી ખૂલ્લી થઈ જાય છે, પરંતુ જો આમ કરવાથી પણ મોંમાં ફસાયેલી વસ્તુ ન નીકળે અને બાળક બેભાન થઈ જાય, શરીર ભૂરું પડી જાય તો તાત્કાલિક હૉસ્પિટલ પહોંચવું. જો પેરેન્ટ્સને બેઝિક CPR આવડે તો બાળકને તરત જ આપવાનું શરૂ કરી દેવું જોઈએ.' મોટું બાળક હોય તો શું કરશો?ડૉ. ચેતન ત્રિવેદી કહે છે, 'હવે જો બાળક ચાર-પાંચ વર્ષ કે એનાથી મોટું છે અને તેના ગળામાં કંઈક ફસાઈ જાય તો તે તરત જ બંને હાથથી ગળું પકડી લેશે. સામાન્ય રીતે નાના કે મોટા કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે વ્યક્તિના ગળામાં કંઈક ફસાઈ જાય તો તે આ રીતે જ બિહેવ કરે છે. આમ કરવાનું કારણ એ છે કે તે બોલી શકતું નથી અને આમ કરીને તે ઈશારો આપે છે કે તેના ગળામાં કંઈક ફસાઈ ગયું છે. આ માટે બાળકને ઊભું રાખો. આપણે તેની પાછળ જઈને ઊભા રહેવાનું. આપણા એક હાથની મુઠ્ઠી વાળવી અને બાળકની નાભિના લેવલ પર મૂકવી અને પાછળથી તેને ધબ્બા મારવા. આમ કરવાથી બાળકના મોંમાંથી એ વસ્તુ નીકળી જશે. આ મેથડ બધાં જ બાળકોના પેરેન્ટ્સે શીખવા જેવી વાત છે. નાભિ અને પાંસળીનો ભાગ પૂરો થાય ત્યાં આપણી મુઠ્ઠી મૂકીને પ્રેસ કરવાની હોય છે. નીચેથી આ રીતે પ્રેશર આવશે તો મોંમાં ફસાયેલી વસ્તુ તરત જ બહાર નીકળી જશે.' ડૉ. મેહુલ શાહ કહે છે, 'આ બહુ જ બેઝિક વસ્તુ છે અને દરેક પેરેન્ટ્સે આ શીખવું જોઈએ. આ મેથડને કારણે બાળકનો જીવ બચી શકે છે.' ઘરે આ યુક્તિ અજમાવવા છતાં ન નીકળે તો શું?ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'જ્યારે બાળક અમારી પાસે આવે ત્યારે મોટા ભાગના કિસ્સામાં ફસાયેલી વસ્તુ શ્વાસનળીમાં જતી રહી હોય છે. ત્યાં ફસાયેલી વસ્તુ આ મેથડથી કાઢી ન શકાય એ પરિસ્થિતિમાં અમે એન્ડોસ્કોપી કરીને વસ્તુ કાઢી લઈએ છીએ. અમારી પાસે સિંગદાણા, ઇયર બડ, શ્વાસનળીમાં ફસાઈ ગયા હોય એવા કિસ્સાઓ આવેલા છે. જો શ્વાસનળીમાં થોડી જગ્યા રહી ગઈ છે તો એવા સંજોગોમાં બાળક હૉસ્પિટલ સુધી આવી શકે છે અને તેને બચવાના ચાન્સ સ્વાભાવિક રીતે જ વધી જાય. આમાં કેસ ટુ કેસ વેરિયેશન જોવા મળે છે. દરેક કેસમાં એકસરખું જોવા મળે નહીં.' 'વસ્તુ પેટમાં હોય તો થોડી રાહ જોવાનું કહીએ છીએ'ડૉ. ચેતન ત્રિવેદી જણાવે છે, 'ખાવાની વસ્તુ, બિયાં, બોર, બુટ્ટી, લોકેટ કે સિક્કા ગળામાં ફસાઈ ગયા હોય એવા કેસ આવતા હોય છે. ગળીને વસ્તુ પેટમાં જતી રહી હોય એવા અસંખ્ય કિસ્સા અમારી પાસે આવે છે. મારી પાસે થોડા મહિના પહેલાં બાળક ઝાંઝરી ગળી ગયાનો કેસ આવ્યો હતો. એરપોડ પણ ગળી જવાના કેસ આવે છે. જો બાળકના પેટમાં વસ્તુ જતી રહી હોય તો અમે એગ્રેસિવ મોડમાં આવી જતા નથી. અમે એક્સરે કરાવીએ અને અમને લાગે કે વસ્તુ પેટની નીચેના ભાગમાં જતી રહી છે તો અમે 48-72 કલાકની રાહ જોવાનું કહીએ છીએ. બાળકના મળ વાટે તે વસ્તુ નીકળી જવાના ચાન્સ વધુ હોય છે. બહુ જ રેર કેસમાં ઑપરેશન કરવાની જરૂર પડે છે.' આ પણ વાંચો 5 માસના બાળકની અન્નનળીમાંથી બટન સેલ કાઢ્યો, VIDEOઅમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ પાંચ મહિનાના અયાનનું જીવન બચાવ્યું છે. રમતાં રમતાં અયાન ભૂલથી બટન સેલ ગળી ગયો હતો. આ સેલ અન્નનળીમાં ફસાઈ જતાં તેની તબિયત બગડી રહી હતી. તે સતત ઉધરસ ખાતો રહેતો હોવાથી માતા-પિતાએ ખાનગી હોસ્પિટલમાં તેનો એક્સ-રે કરાવ્યો હતો. એક્સ-રેમાં અન્નનળીમાં કંઈક ગોળ વસ્તુ ફસાઈ હોવાનું દેખાતાં તેમને યાદ આવ્યું કે બાળક બટન સેલથી રમતો હતો. તેઓ તરત જ બાળકને સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં.(વાંચો સંપૂર્ણ સમાચાર)
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, સુરત ખાતે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની 125 મી જન્મજયંતીના ઉપલક્ષમાં 'સદવિદ્યા મહોત્સવ 2.0' ની ઉજવણી થઈ રહી છે. આ મહોત્સવના ભાગરૂપે 05-02-2026 ના રોજ ધોરણ 10 અને 12 ના બોર્ડ પરીક્ષાર્થીઓ માટે એક ભવ્ય સમૂહ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવમુક્ત રહી એકાગ્રતા સાથે શ્રેષ્ઠ દેખાવ કરી શકે તેવા ઉમદા હેતુથી આ વિધિ સંપન્ન થઈ હતી. સંતોના આશીર્વાદ અને પૂજન વિધિ સુરત ગુરુકુલના મહંત સદગુરુ પુરાણી ધર્મવલ્લભ દાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા. ઠાકોરજીની શાસ્ત્રોક્ત પૂજનવિધિ શાસ્ત્રી મંગલસ્વરૂપ દાસજી સ્વામી તથા શાસ્ત્રી નીલકંઠચરણ દાસજી સ્વામી દ્વારા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્વેતવૈકુંઠદાસજી સ્વામીએ ભગવાન પાસે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વ કલ્યાણની મંગળ કામના કરી હતી. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ આ મહાપૂજામાં દિવ્યસ્વરૂપ દાસજી સ્વામી, શાસ્ત્રી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી, નિર્મલજીવન દાસજી સ્વામી સહિત આચાર્ય અરવિંદભાઈ ઠેસીયા અને ધર્મેશભાઈ સલિયા ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઈઝર અને શિક્ષકો સહિત અંદાજે 750 જેટલા લોકોએ આ દિવ્ય વાતાવરણમાં ભાગ લઈ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-2026” નું ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ ગામે ઉષ્માભર્યું આગમન થયું છે. ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને CISF ભાવનગર યુનિટના જવાનોએ સાયકલ યાત્રીઓનું કુમ કુમ તિલક અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. દેશભક્તિના રંગે રંગાયું ગોપનાથ ગોપનાથ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોએ 'વંદે માતરમ' અને 'ભવતું ભારતમ' જેવા દેશભક્તિના ગીતો પર સાંસ્કૃતિક પ્રસ્તુતિ આપી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. CISF ના જવાનો અને ગ્રામજનો વચ્ચે વિવિધ રમતો પણ યોજવામાં આવી હતી. 06 ફેબ્રુઆરી 2026 ના રોજ આ યાત્રા ગોપનાથ મહાદેવ મંદિરથી તળાજા, કોબડી, નારી ચોકડી અને ધોલેરા થઈ વટામણ ચોકડી તરફ આગળ પ્રસ્થાન કરી હતી. લખપતથી કોચી: 6,500 કિમીની સફર ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક યાત્રા 28 જાન્યુઆરીએ કચ્છના લખપત કિલ્લાથી શરૂ થઈ હતી અને 22 ફેબ્રુઆરીએ કેરળના કોચી ખાતે સંપન્ન થશે. અંદાજે 6,500 કિમી લાંબી આ સાયકલોથોનમાં 50 ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારી 'નારી શક્તિ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ અભિયાન દ્વારા સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં રાષ્ટ્રીય સુરક્ષા અંગેની સમજ વધારવામાં આવી રહી છે. મહાનુભાવોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી જે. આર. સોલંકી, CISF કમાન્ડન્ટ હરેન્દ્ર, સિનિયર કમાન્ડન્ટ બી.સી. યાદવ, ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવર્તી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શિવાંગી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી પી. એન. ચૌધરી અને મામલતદાર એન. ડી. જાની સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં એક ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ભાભીએ પોતાના પ્રેમી સાથે મળી દિયરની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આ મામલે ભાભી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. હત્યા કરી લાશ ફેંકી દીધીપ્રાંતિજ પોલીસે જણાવ્યું કે, મૃતક વિષ્ણુસિંહ મકવાણાને લગ્ન માટે છોકરી બતાવવાના બહાને ઇકો કારમાં લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં તેમનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ મૃતદેહને પ્રાંતિજના કાલીપુરાથી લવારી જવાના માર્ગ પર જેટકો વીજ કંપનીની દીવાલ પાસે કચરાના ઢગલામાં ફેંકી દેવાયો હતો. પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા4 ફેબ્રુઆરીએ વિષ્ણુસિંહ ગુમ થયા હોવાની ફરિયાદ પ્રાંતિજ પોલીસમાં નોંધાઈ હતી. બાદમાં પોલીસને લાશ મળતા સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે સાદોલીયામાંથી ત્રણ અને માણસા તાલુકાના અનોડિયા ગામના એક આરોપી સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધ હોવાની શંકા હત્યા કરાવી હતીપોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક વિષ્ણુસિંહ મકવાણાને તેમની ભાભી કોકીલાબેન મકવાણા અને ગામના દોલતસિંહ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. આથી કોકીલાબેને દિયરને રસ્તામાંથી દૂર કરવા માટે કાવતરું રચ્યું હતું. કોકીલાબેને દોલતસિંહને રૂ. બે લાખની સોપારી આપી હત્યા કરાવી હતી. દોલતસિંહે સાદોલીયાના વિક્રમસિંહ મકવાણા અને માણસા તાલુકાના અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડને હત્યાની જવાબદારી સોંપી હતી. આ ત્રણેયે મળીને વિષ્ણુસિંહની હત્યા કરી હતી. પોલીસે ઝડપેલા આરોપીઓપોલીસે પકડેલા આરોપીઓમાં કોકીલાબેન નવલસિંહ મકવાણા (ઉં.વ. 46), દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉં.વ. 50), વિક્રમસિંહ કાળુંસિંહ મકવાણા (ઉં.વ. 45) અને રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ (ઉં.વ. 45)નો સમાવેશ થાય છે. મૃતકનું નામ વિષ્ણુસિંહ નવલસિંહ મકવાણા (ઉં.વ. 40) છે.
વડોદરા SOG પોલીસે વડોદરાથી 1600 કિમી દૂર છત્તીસગઢના નકસલી વિસ્તારમાં આવેલ જંગલોમાં જઈને 27 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના મુખ્ય સપ્લાયર આરોપીને ઝડપી પાડ્યો છે. SOG પોલીસની ટીમ છતીસગઢના 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં ફરી હતી અને ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા આરોપીને દબોચી લીધો હતો અને તેને લઈને તે વડોદરા આવી હતી. આજે આરોપીને વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. ગત તા. 22 એપ્રિલ 2025ના રોજ હરણી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી કમ્ફર્ટ ઈન હોટેલ પાસે રેડ કરી હતી. ત્યાં એક બિનવારસી ટ્રક મળી આવ્યો હતો. ટ્રકની ઝડતી દરમિયાન કેબિનની પાછળ બનાવેલા ખાનામાંથી 45 પેકેટમાં 270 કિલો 50 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. હરણી પોલીસે મુદ્દામાલ કબજે કરીને NDPS અંતર્ગત હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો. અને 27 લાખ રૂપિયાની કિંમતનો 279 કિલો 50 ગ્રામ ગાંજાનો વિપુલ જથ્થો જપ્ત થયો હતો અને ટાટા ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 35.05 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો.આ દરમિયાન તા.23 મે 2025ના રોજ બાલોતરા (રાજસ્થાન) ખાતેથી પ્રથમ આરોપી સુરતાનખાન ઉર્ફે નીનીયા અમીનખાનને પકડવામાં આવ્યો હતો. તા.29 જાન્યુઆરી 2026ના રોજ ગાંજાના ભરાવનાર આરોપી પુખરાજ રામપ્રતાપ બિશ્નોઇ (રહે. હેમનગર, જોધપુર, રાજસ્થાન)ને રાજસ્થાનમાંથી ધરપકડ કરીને 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.આ તપાસ દરમિયાન ગુનાના મુળ સુધી પહોંચવા માટે SOG ઇન્ચાર્જ પી.આઈ. સી.બી. ટંડેલના માર્ગદર્શન હેઠળ PSI આર.એન. સીસોદીયા તથા તેમની ટીમે રિમાન્ડ હેઠળના આરોપી પુખરાજ બિશ્નોઇને સાથે રાખીને તપાસ આગળ વધારી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે મુખ્ય સપ્લાયર રમેશ પેમારામ ડારા (બિશ્નોઇ)નું સ્થાન છત્તીસગઢના ધમતરી તેમજ નક્સલવાદી પ્રભાવિત કલ્લેમેટા ગામના જંગલી વિસ્તારમાં ખેતરોમાં છુપાયેલો હોવાનું ખુલ્યું હતું. SOG પોલીસની ટીમે નક્સલી વિસ્તારમાં જીવના જોખમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં તેને શોધવામાં આવ્યો હતો. PSI આર.એન. સીસોદીયા અને તેમની ટીમ જંગલમાં અડધો કિલોમીટર સુધી ચાલતા ચાલતા ગઈ હતી અને છત્તીસગઢના નક્સલી એરિયામાં આવેલા કલ્લેમેટા ગામ પાસેના જંગલ વિસ્તારમાંથી રમેશ પેમારામ ડારા ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા મળી આવ્યો હતો. જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેને વડોદરા લાવવામાં આવ્યો હતો.આરોપીનું નામરમેશ પેમારામ ડારા (બિશ્નોઇ), મૂળ રહેઠાણ: હેમનગર ગામ, જોલીયાલી, પો. પુનીયા કી પ્યાંઉ, થા. ઝંવર, તા. લુણી, જિ. જોધપુર (રાજસ્થાન), હાલનું રહેઠાણ: નગરી, જિ. ધમતરી, છત્તીસગઢ
ગાંધીનગરના સુઘડ ખાતે આવેલી આનંદ નિકેતન શાળામાં ‘પરીક્ષા પે ચર્ચા’ના નવમા સંસ્કરણ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાત્મક સંદેશને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ઝીલ્યો. મુખ્યમંત્રીએ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, પરીક્ષા એ જીવનની અંતિમ કસોટી નથી, પરંતુ મહેનતનું પ્રતિબિંબ છે અને સ્ટ્રેસને સક્સેસમાં ફેરવવાનું પ્લેટફોર્મ છે. મોબાઇલ ફોનની વધતી લત અંગે ચિંતા વ્યક્ત કરીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને ડિપ્રેશનથી દૂર રહી જીવનમાં સંતુલન જાળવવાની શિખ આપતાં કહ્યું કે, કોઈ પણ પરિસ્થિતિનો સ્વસ્થ મનથી સામનો કરવો એ જ સાચી સફળતા છે. તેમણે મોબાઇલ ફોનની વધતી લત અંગે ચિંતા વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો કે, જેમ અભ્યાસ, વાંચન અને રમત-ગમત માટે સમય નક્કી કરો છો તેમ મોબાઇલ અને ટીવી જોવાનો પણ ચોક્કસ સમય નક્કી કરો. વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે આગળ વધવાનો સંદેશ આપ્યોઆ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત-2047ના સંકલ્પને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને જવાબદાર નાગરિક તરીકે આગળ વધવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ‘પરીક્ષા પે ચર્ચા’ હવે માત્ર કાર્યક્રમ નહીં પરંતુ દેશભરના વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ મંચ બની ગયું છે, જે પરીક્ષાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. વાલીઓને બાળકો સાથે સમજણભર્યો વ્યવહાર રાખવા અપીલકાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, શિક્ષણ માત્ર પરીક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. પરીક્ષા અંતિમ લક્ષ્ય નથી, તે આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રક્રિયા છે. તેમણે વાલીઓને પણ બાળકો સાથે સંવેદનશીલ અને સમજણભર્યો વ્યવહાર રાખવા અપીલ કરી. આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાંબેન પટેલ, ધારાસભ્યો, જિલ્લા અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, શાળા ટ્રસ્ટી, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘પરીક્ષા પે ચર્ચા’ દ્વારા વિદ્યાર્થીઓને તણાવમુક્ત, સકારાત્મક અને સંતુલિત જીવન તરફ પ્રેરણા મળતી હોવાનો અનુભવ કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ જોવા મળ્યો.
એશિયાના સૌથી મોટા ગણેશાકાર મંદિર તરીકે ખ્યાતિ પામેલા સિદ્ધિ વિનાયક દેવસ્થાન, દેવનગરી-મહેમદાવાદ ખાતે આગામી 08 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન ગણનાથ મહારાજની અસીમ કૃપાથી આ દિવસે મંદિરના 108 ફૂટ ઊંચા ધજાદંડ પર વિધિવત રીતે ધજાઆરોહણ કરવામાં આવશે. આ પ્રસંગે સવારે 10:30 વાગ્યે ધજા પૂજન અને ત્યારબાદ 11:00 વાગ્યે ધજા ચઢાવવાનો મંગલ વિધિ સંપન્ન થશે. સંતો અને રાજવીઓની પ્રેરક ઉપસ્થિતિ આ પવિત્ર અવસરે અનેક મહાનુભાવો અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે. જેમાં ખાસ કરીને મહામંડલેશ્વર 108 લલિતકિશોરશરણજી મહારાજ, મહંત વિશ્વેશ્વરજી મહારાજ અને દયામૂર્તિ ગુરુ મા સહિતના સંતોની ગરિમામય હાજરી રહેશે. આ ઉપરાંત, મુખ્ય મહેમાન તરીકે છોટા ઉદેપુર સ્ટેટના જયપ્રતાપસિંહજી ચૌહાણ, ચોટીલા સ્ટેટના મહાવીરસિંહજી ખાંગર, યશવંતસિંહજી ડાભી, મહાવીરસિંહજી મહીડા અને બ્રિજેશસિંહજી ચૌહાણ જેવા રાજવી મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ભક્તોને હાર્દિક આમંત્રણ સિદ્ધિ વિનાયક દેવસ્થાન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિત દ્વારા તમામ ભક્તજનોને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થવા અને દર્શન-પ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રાષ્ટ્રપ્રેમ અને શ્રદ્ધાના સંગમ સમાન આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સકારાત્મકતાનો સંદેશ ફેલાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

28 C