જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સનો સમાપન કાર્યક્રમ યોજાયો:ભાવનગરમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અપાયા
ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર સ્થિત શિશુવિહાર સંસ્થા ખાતે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સનો સમાપન કાર્યક્રમ 25 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાયો હતો. શિશુવિહાર સંસ્થા અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી આ ત્રણ માસનો કોર્સ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી યોજાયો હતો. આ સમાપન કાર્યક્રમમાં વાઘ બકરી ફાઉન્ડેશનના સી.એસ.આર. ઓફિસર મિલનભાઈ પ્રજાપતિ અને વાઘ બકરી ચા પરિવારના સભ્યોની હાજરીમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તાલીમાર્થીઓએ કોર્સથી થયેલા ફાયદાઓ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે તાલીમાર્થીઓની માહિતી અને ત્રણ માસ દરમિયાન અપાયેલી વિવિધ પ્રવૃત્તિઓના બ્રોશરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક હોસ્પિટલના એમ.ડી. ડૉક્ટર રાજીવ ઓઝાના માર્ગદર્શન હેઠળ ભાવનગરના વયસ્ક નાગરિકોની સંભાળ માટે વિવિધ બે તાલીમો દ્વારા તૈયાર થયેલી 48 બહેનોની સેવાઓની નોંધ લેવામાં આવી હતી. આ સેવાઓ માટે વાઘ બકરી ચા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરાયો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રીતિબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેનું સંકલન હીનાબેન ભટ્ટ દ્વારા કરાયું હતું.
શહેરમાં વિકાસકાર્યો અને કાયદાકીય શિસ્ત મુદ્દે બે મોટા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. કતારગામમાં સુમન સ્કૂલના નિર્માણ સ્થળને લઈને ધારાસભ્ય વિનુ મોરડિયા અને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વચ્ચે સર્જાયેલી ખેંચતાણ હવે સ્ટેન્ડિંગ કમિટીના ઉંબરે પહોંચી છે, જ્યાં 8 મહિનાથી ખોરંભે પડેલા પ્રોજેક્ટને નવી મંજૂરી આપવા કવાયત તેજ થઈ છે. બીજી તરફ, પાલ વિસ્તારમાં મંજૂરી વગર બાંધકામ શરૂ કરનારા મિલકતદારો સામે રાંદેર ઝોને લાલ આંખ કરી કામ અટકાવવા નોટિસ ફટકારી છે. કતારગામમાં સુમન સ્કૂલનું નિર્માણ છેલ્લા 8 મહિનાથી રાજકીય વર્ચસ્વનો મુદ્દો બની ગયું છે. ટીપી સ્કીમ નં-50 (રામકથા રોડ) પર જુલાઈ 2025માં 6.26 કરોડના ખર્ચે સ્કૂલ બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હતું. જોકે, ધારાસભ્ય વિનુ મોરડિયાએ સ્થળ ફેરફારની માંગ કરી સ્કૂલને ગાયત્રી મંદિર પાસે ખસેડવા આગ્રહ રાખ્યો હતો. આ ખેંચતાણ એટલી હદે વધી કે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. નેતાઓની આ લડાઈમાં સામાન્ય જનતા અને બાળકોના શિક્ષણના ભોગે વિકાસ કાર્ય અટવાઈ પડ્યું છે. મંજૂરી વગર જ કોમર્શિયલ પ્લોટ પર બાંધકામ શરૂ કરી દેવાયુંવિવાદની ચરમસીમા ત્યારે આવી જ્યારે સત્તાવાર મંજૂરી મળે તે પહેલાં જ ટીપી-35ના એફપી-123 (ગાયત્રી મંદિર પાછળ) જે ‘સેલ ફોર કોમર્શિયલ’ હેતુનો પ્લોટ હતો, ત્યાં બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું. મંજૂરી વગર થયેલા આ બાંધકામે પાલિકાના વહીવટી તંત્રને પણ દોડતું કરી દીધું હતું. હવે આ ગેરરીતિને ‘વેરિએશન’ પ્રક્રિયા દ્વારા થાળે પાડવા માટે શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવશે, જેમાં અગાઉના ટેન્ડરને નવા સ્થળ માટે મંજૂરી આપવાની તૈયારી છે. શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીમાં થશે સુમન સ્કૂલનો આખરી ફેંસલો13 જાન્યુઆરીએ ટીપી સમિતિમાં હેતુ ફેરની દરખાસ્ત મંજૂર થયા બાદ, હવે વેરિએશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે. શાસકો સમક્ષ રજૂ કરાયેલી દરખાસ્ત મુજબ, રામકથા રોડને બદલે હવે ગાયત્રી મંદિર પાસે જ સ્કૂલ બનાવવાની સત્તાવાર મહોર મારવામાં આવશે. આ નિર્ણય સાથે જ ભાજપના બંને જૂથો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાજકીય અહમમાં પ્રોજેક્ટના ખર્ચ અને સમય બંનેનો વેડફાટ થયો છે. પાલમાં મંજૂરી વગરની ડિ-વોલ પર રાંદેર ઝોનની તરાપશહેરના વેસ્ટ ઝોન ગણાતા પાલ વિસ્તારમાં પણ પાલિકાની કડક કાર્યવાહી જોવા મળી છે. ટીપી સ્કીમ નં. 16, ફાઈનલ પ્લોટ નં. 98માં શ્રીપદ અરેના પાસેની એક મિલકતમાં પાલિકાની પૂર્વ મંજૂરી લીધા વિના જ ડિ-વોલ અને ખોદાણની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાલિકાને આ અંગેની ફરિયાદ મળતા જ રાંદેર ઝોનની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ચાલતું સિવિલ કામ અટકાવી દીધું હતું. નોટિસનો અમલ નહીં થાય તો પોલીસ બંદોબસ્ત સાથે તોડી પડાશેરાંદેર ઝોને મિલકતદારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે મંજૂરી વગર કરાયેલું ખોદાણ તાત્કાલિક પુરાણ કરવામાં આવે. જો નોટિસનો અમલ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ દૂર કરવાની અને મિલકત સીલ કરવાની કડક કાર્યવાહી હાથ ધરશે. પાલિકાની આ આક્રમકતા જોઈ ગેરકાયદે બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં કોળી ઠાકોર સમાજ નિગમ માટે ગ્રાન્ટમાં વધારો કરવા, લોન પ્રક્રિયા સરળ બનાવવા અને અલગ મંત્રાલયની રચના કરવાની માંગ કરી છે. તેમણે સમાજના સર્વાંગી વિકાસ માટે આ રજૂઆતો કરી હતી. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરાયેલા 2026-27ના બજેટ પર પોતાના વિચારો રજૂ કરતા, ધારાસભ્ય મકવાણાએ 4 લાખ 8 હજાર કરોડના ઐતિહાસિક બજેટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે નાણા મંત્રીને સૂચન કર્યું કે કોળી અને ઠાકોર સમાજના નિગમમાં લોન આપવાના નિયમો ખૂબ જ કડક છે. હાલમાં, લોન મેળવવા માટે સાતબારમાં બોજો પડાવવો ફરજિયાત છે, જે પ્રક્રિયાને મુશ્કેલ બનાવે છે. ધારાસભ્યએ આ નિયમોમાં ફેરફાર કરીને પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ કરી. આ ઉપરાંત, ધારાસભ્ય મકવાણાએ કોળી ઠાકોર સમાજ નિગમની ગ્રાન્ટમાં પણ વધારો કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે અન્ય સમાજોની સરખામણીમાં કોળી અને ઠાકોર સમાજમાં ધંધા અને શિક્ષણનું પ્રમાણ ઓછું જોવા મળે છે. તેથી, સમાજના બાળકો ઉચ્ચ અભ્યાસ કરી શકે અને યુવાનો ઉદ્યોગપતિ બની શકે તે માટે કોળી અને ઠાકોર સમાજ નિગમ માટે એક અલગ મંત્રાલય બનાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી. આનાથી યુવાનો અને મહિલાઓ શિક્ષિત બની મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકશે.
ભાવનગર LCB પોલીસે શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તાર માંથી ઘરફોડ ચોરીના મુદામાલ સાથે એક શખસને ઝડપી પાડ્યો છે. અગાઉ ચોરીના ગુન્હામાં ઝડપાઈ ચુકેલા હિસ્ટ્રીશીટર શખ્સના કબજામાંથી શંકાસ્પદ રોકડ, દાગીના કબજે લઈ પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછમાં પોતાની પાસે રહેલો મુદ્દામાલ તેણે બે દિવસ પહેલા શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીના મકાનમાં ચોરી કરી મેળવ્યો હોવાની કબુલાત આપી હતી. LCBએ શખ્સની ધરપકડ કરી બોરતળાવ પોલીસ મથકે સોંપી દેતા બોરતળાવ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતીઆ બનાવ અંગે LCB કચેરીથી મળતી માહિતી મુજબ તા.25 ફેબ્રુઆરીના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલકત સંબંધી ગુન્હાઓની તપાસમાં હતાં. તે દરમિયાન ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં વીઆઈપી રોડ પર રામાપીરના મંદીર સામે બોરતળાવ પોલિસ સ્ટેશનનો હિસ્ટ્રીશીટર અને અગાઉ ઘરફોડ ચોરીમાં પકડાયેલ કુંભારવાડા વિસ્તારનો ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ એક બેગમાં શંકાસ્પદ દાગીના તથા રોકડ સાથે ઉભો છે. તેની પાસે રહેલા દાગીના તથા રોકડા રૂપિયા તે કયાંકથી ચોરીથી અથવા છળકપટથી મેળવેલ હોવાની શંકાસ્પદ બાતમી મળી હતી. આરોપીએ 50 હજારથી વધુની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતીઆ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ઇકબાલ ઉર્ફે ચીની નામનો શખસ મળી આવ્યો હતો, પોલીસે તપાસ કરતા તેની પાસેથી પાટલા 1 જોડી કિ.રૂ.1500, માળાવાળુ મંગળસુત્ર-1 કિ.રૂ.500 અને રોકડ રૂ.8500 મળી કુલ રૂ.10,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો, જે બાદ વધુ પુછપરછ કરતાં તેણે ગઇ તા.22/02/2026 ના રોજ મોડી રાત્રીના સમયે ભાવનગર શહેરના કુંભારવાડાની ગીરનાર સોસાયટીમાં આવેલા એક મકાનમાં બારીમાંથી પ્રવેશ કરી ઘરમાંથી સોનાની બુટ્ટી જોડ-1 ,મોબાઇલ ફોન 1 તથા રોકડ 50,000ની ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇને ઝડપી લઈ તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો હતો. ભાવનગર એલસીબી પોલીસે ઝડપાયેલ શખ્સ ઇકબાલ ઉર્ફે ચીની લીયાકત હુસૈન રફાઇ ની ગુનાહિત પ્રવૃત્તિ અંગે તપાસ કરતા, શખ્સ વિરુદ્ધ અગાઉ અલગ-અલગ કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલ હોવાનું સામે આવ્યુ હતું. જેમાં બોરતળાવ પોલીસ મથકમાં 4 ગુન્હા અને નિલમબાગ પોલીસ મથકમાં 1 ગુન્હો નોંધાયેલો છે. બોરતળાવ પોલીસે ઝડપાયેલ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ થી 18 માર્ચ દરમિયાન લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાએ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે શહેરની તમામ ઇલેક્ટ્રિક સિટી બસોમાં વિદ્યાર્થીઓ હોલ ટીકીટ દેખાડી વિનામૂલ્ય મુસાફરી કરી શકશે. કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત 'PM-eBus Sewa' અંતર્ગત ભાવનગરમાં કાર્યરત તમામ ઇલેક્ટ્રિક બસોમાં બોર્ડના વિદ્યાર્થીઓ મફત મુસાફરી કરી શકશે, આ નિર્ણયનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટ્રાફિક કે વાહનની અગવડતાથી બચાવી તેમને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો છે, વિદ્યાર્થીઓએ આ સેવાનો લાભ લેવા માટે બસમાં મુસાફરી કરતી વખતે કંડક્ટરને ધોરણ 10 અથવા 12ની અસલ હોલ ટિકિટ (Admit Card) બતાવવી ફરજિયાત છે, આ સુવિધા માત્ર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે જ છે, આ ફ્રી સેવા માત્ર પરીક્ષાના દિવસો દરમિયાન જ ઉપલબ્ધ રહેશે, વિદ્યાર્થીઓ પોતાના ઘરની નજીકના બસ સ્ટોપથી પરીક્ષા કેન્દ્ર જવા અને ત્યાંથી પરત આવવા માટે આ સેવાનો ઉપયોગ કરી શકશે, મહાનગરપાલિકા દ્વારા નાગરિકો અને વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે આ સુવિધાની જાણકારી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે જેથી દરેક જરૂરિયાતમંદ વિદ્યાર્થી તેનો લાભ લઈ શકે.આગામી પરીક્ષાઓ માટે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
બોટાદમાં એસટી બસના ડ્રાઈવર અને રીક્ષાચાલક વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના ગઈકાલે શહેરના ભાંભણ રોડ પર બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, બોટાદ-ઈંગોરાળા રૂટની એસટી બસના ડ્રાઈવર હરેશભાઈ પાલજીભાઈ ચાંચિયા હાથમાં લોખંડનો પાઈપ લઈને રીક્ષાચાલકને મારી રહ્યા છે. ત્યારબાદ રીક્ષાચાલક પણ એસટી બસના ડ્રાઈવરને મારતો જોવા મળે છે. આ મારામારી દરમિયાન રીક્ષાચાલક સાથે એક મહિલા પણ બસ ડ્રાઈવર સાથે બોલાચાલી કરતી નજરે પડે છે. આ મારામારીમાં બસ ડ્રાઈવર હરેશભાઈ ચાંચિયાને ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદરમાં PGVCL દ્વારા બાકી લેણાં વસૂલવા માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના પ્રથમ દિવસે 410 ટીમોએ જિલ્લાભરમાં કુલ 2,749 વીજ જોડાણો કાપી નાખ્યા હતા. આ કડક કાર્યવાહીના પરિણામે સાંજ સુધીમાં કુલ રૂપિયા 3.3 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. આ ઝુંબેશ પોરબંદર વિભાગીય કચેરી હેઠળના કેશોદ, માંગરોળ, પોરબંદર શહેર અને ગ્રામ્ય એમ ચારેય વિભાગમાં એકસાથે શરૂ કરવામાં આવી હતી. જે ગ્રાહકોના બે કે તેથી વધુ બિલ બાકી હતા, તેમને ત્યાં ટીમોએ પહોંચીને સીધા જ કનેક્શન કાપવાની કામગીરી કરી હતી. તંત્રના આ કડક વલણને કારણે બાકીદારોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો બિલ ભરવા કચેરીએ દોડી ગયા હતા. PGVCL દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રૂપિયા 10,000 સુધીની બાકી રકમ ધરાવતા ગ્રાહકો પાસેથી સ્થળ પર જ રોકડ સ્વીકારીને રાહત આપવામાં આવી હતી. જોકે, તેનાથી વધુ રકમ માટે કડક વલણ અપનાવાયું હતું. ઉપરાંત, ગઈકાલ સાંજ સુધીમાં ઓનલાઈન બિલ ભરી દેનાર ગ્રાહકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. જિલ્લાની કેટલીક મહત્વની સરકારી કચેરીઓ જેવી કે કલેક્ટર કચેરી, એસપી ઓફિસ અને નગરપાલિકાનું પણ અંદાજે રૂપિયા 6 કરોડ જેટલું લેણું બાકી છે. આ કચેરીઓ સામાન્ય રીતે 4થી 6 મહિનાના ગાળે બિલ ભરતી હોય છે. જોકે, આ વિભાગોએ આગામી સમયમાં નિયમિત પેમેન્ટ કરવાની ખાતરી આપતા હાલ પૂરતા તેમના કનેક્શન કાપવામાં આવ્યા નથી. કુલ રૂપિયા 40 કરોડના બાકી લેણાં સામે પ્રથમ દિવસે રૂપિયા 3.3 કરોડની વસૂલાત થઈ છે. હજુ પણ 17,750 જેટલા ગ્રાહકો એવા છે જેમનું બિલ રૂપિયા 1,000 થી વધુ બાકી છે. આથી, આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેવાના સંકેત મળ્યા છે.
ગઇકાલે રાત્રે સજ્જનબેન ગોરધનભાઈ ડામોર નામની સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતાં રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અહિ રાત્રીના સમયે અધુરા માસે બાળક (પુત્ર)ને જન્મ આપ્યો હતો જો કે બાળકનું જન્મ સાથે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા નિયમ મુજબ પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા તજવીજ કરી હતી. જો કે પોલીસ કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રૂમ પહોંચી ત્યારે બાળકનો મૃતદેહ તો હતો પરંતુ તેના માતા-પિતા હાજર મળી આવ્યા ન હતા. હાલ પોલીસે બાળકના માતા પિતાની શોધખોળ શરૂ કરી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં માતા-પિતા બંને બામણબોર નજીક રોડના કામની સાઈટ ચાલુ હોઈ ત્યાં મજુરી કામ કરતાં હોવાની માહિતી પોલીસને મળી છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદી હિંમત સામતભાઇ સોલંકી (ઉ.વ.30) આજે સવારે જેલમાં હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયા ફરજ પરના તબીબે તેને જોઇ તપાસી હાર્ટએટેક આવતા મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. બનાવ અંગે જાણ થતા મોતનું ચોક્કસ કારણ જાણવા પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક હિંમત મુળ કુકાવાવના માયાપર ગામનો વતની હોવાનું હાલ શાપર વેરાવળમાં રહી મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે તેને પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા અને સંતાનમાં એક પુત્રી છે. પત્ની પૂજા હાલમાં રિસામણે હોય અને ભરણપોષણનો કેસ કર્યો હતો જેના હપ્તા ચડી જતા હિંમત ત્રણ મહિનાથી રાજકોટ જિલ્લા જેલમાં હોવાનુ જાણવા મળ્યુ છે. મારામારી કરનાર કુખ્યાત આરોપીને એક વર્ષની સજા કુવાડવા રોડ પર આવેલા નવાગામ આણંદ પર ગામે રંગીલા સોસાયટીમાં રહેતા ઘણુંબેન મનસુખભાઈ ડાભી નામની મહિલા શાકભાજીની રેકડી ચલાવતા હોય ત્યારે પાડોશી સંજય ટકો રોજાસરા નામનો શાકભાજીની રેકડી હટાવવાનું કહી અહીં રેકડી નહીં રાખવા બાબતે બોલાચાલી કરી સંજય ઉર્ફે ટકો રોજાસરા વાઘજીએ ગનુબેન ડાભીને લાકડી વડે મારતા વચ્ચે પડેલ પુત્ર લાલજીને પણ ઈજા પહોંચ્યા અંગેની કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે સંજય ઉર્ફે ટકો વાઘજી રોજાસરા સામે મારામારી અને ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જસીટ કરવામાં આવ્યું હતું બાદ કેસની સુનાવણી ચાલવા પર આવતા બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એ એમ પરમાર દ્વારા ફરિયાદી, સાહેદ, તપાસનીશ અને નજરે જોનાર સાહેદને તપાસવામાં આવેલા તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાને ધ્યાને લઈ ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ.શુકલએ આરોપી સંજય ટકો વાઘજી રોજાસરાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને દંડની સજા ફટકારી છે જેમાં દંડ ન ભરે તો વધુ એક માસની સજા નો હુકમ કર્યો છે. રિસામણે આવેલી પરિણીતાએ માવતરે આપઘાતનો પ્રયાસ કર્યો ગોંડલ ચોકડી પાસે આવેલા રોયલ પાર્ક પાસે રહેતી રુકસાના (ઉ.વ.30) નામની મહિલા કે જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે સાસરુ ધરાવે છે જેને પોતાના માવતરમાં ગઈકાલે ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રૂકસાનાબેને પોલીસને નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેમના પતિને બીજી સ્ત્રી સાથે આડા સંબંધ હોય જેનો વિરોધ કરતા તેમને માર માર્યો હતો તેમજ એકાદ વર્ષ પહેલા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
પાટડી તાલુકાના ફત્તેપુર ગામમાં આવેલા બે સોલાર પ્લાન્ટને રૂ. 2.01 કરોડના બાકી કરવેરા મુદ્દે સીલ કરવાની અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. ફત્તેપુર ગ્રામ પંચાયત દ્વારા આ નોટિસ જારી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, જો બે દિવસમાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો ત્રીજા દિવસે બંને કંપનીઓને સીલ કરવામાં આવશે. આ કાર્યવાહી MI My Solar Ltd. અને Deserts My Solar Ltd. નામની બે કંપનીઓ સામે કરવામાં આવી છે. આ કંપનીઓ છેલ્લા 12 વર્ષથી ફત્તેપુર ગ્રામ પંચાયતની કરવેરા આકારણીવાળી જમીન પર વીજળી ઉત્પાદન કરી રહી છે અને સબ-સ્ટેશન ડિવિઝનમાં પાવર સપ્લાય કરીને કમાણી કરી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા આ કંપનીઓને અગાઉ ત્રણ વખત કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ કંપનીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હતી. આ કંપનીઓ પર છેલ્લા ત્રણ વર્ષના કુલ રૂ. 2,01,11,976 ના કરવેરા બાકી છે. બાકી રકમમાં MI My Solar Ltd. ના રૂ. 71,95,732 અને Deserts My Solar Ltd. ના રૂ. 1,29,16,244 નો સમાવેશ થાય છે. ગ્રામ પંચાયત દ્વારા 12 ફેબ્રુઆરી, 2026 ના રોજ સીલ લગાવવા અંગેની નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં કંપનીઓ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. આથી, ફત્તેપુર ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી અને સભ્યો દ્વારા કંપનીઓને ફરી જાણ કરવામાં આવી છે કે જો આગામી બે દિવસમાં બાકી કરવેરાની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો ત્રીજા દિવસે કંપનીઓને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે હીરા ઉદ્યોગના કેન્દ્રબિંદુ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં વ્યાપારિક ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે SDB ખાતે મહીધરપુરા અને વરાછા વિસ્તારના અગ્રણી હીરા વેપારીઓના 'LB ગ્રુપ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં 500થી વધુ વેપારીઓએ હાજરી આપી બુર્સને ધમધમતું કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અખાત્રીજના શુભ મુહૂર્તે નવી ઓફિસોના દ્વાર ખુલશેLB ગ્રુપની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સુરતના મોટાભાગના વેપારીઓએ આગામી 'અખાત્રીજ'ના પવિત્ર દિવસે સુરત ડાયમંડ બુર્સમાં પોતાની ઓફિસો વિધિવત રીતે શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. જે વેપારીઓની ઓફિસનું ફર્નિચર કામ હજુ બાકી છે, તેઓએ પણ એક મહિનામાં કામ પૂર્ણ કરી લેવાની ખાતરી આપી છે. મે મહિના સુધીમાં બુર્સમાં વેપારીઓની મોટી સંખ્યા કાર્યરત થઈ જશે તેવી આશા સેવાઈ રહી છે. 8 માર્ચથી વધુ 75 વેપારીઓ ટ્રેડિંગ કેબિનમાં બેસશેબુર્સના વહીવટી તંત્ર દ્વારા જણાવ્યા અનુસાર ગત 18 ફેબ્રુઆરીએ 70 જેટલા વેપારીઓએ ટ્રેડિંગ કેબિનમાં પોતાનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. આ સફળતા બાદ હવે આગામી 8 માર્ચના રોજ વધુ 70થી 75 વેપારીઓ LB ગ્રુપના માધ્યમથી ડાયમંડ બુર્સમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છે. આમ, ટ્રેડિંગ કેબિનમાં પણ વેપારીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બ્રોકરોની અવરજવર 500થી વધીને 2000 પર પહોંચીSDBમાં માત્ર વેપારીઓ જ નહીં, પરંતુ બ્રોકરોની ચહલપહલમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. 18 ફેબ્રુઆરી પહેલા જ્યાં રોજના અંદાજે 500 જેટલા બ્રોકરો આવતા હતા, તે સંખ્યા હવે વધીને 2000ને પાર કરી ગઈ છે. ડાયમંડ બુર્સ હવે હીરા ઉદ્યોગ માટે એક સક્રિય, સુવ્યવસ્થિત અને ઝડપથી વિકસતું વ્યાપાર કેન્દ્ર બની રહ્યું છે, જે આગામી દિવસોમાં મુંબઈના વર્ચસ્વને સીધી ટક્કર આપશે. હર્ષ સંઘવી દ્વારા વેપારીઓને સતત માર્ગદર્શનગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરત ડાયમંડ બુર્સના પ્રોજેક્ટ પર પર્સનલ મોનિટરિંગ રાખી રહ્યા છે. તેઓ સતત વેપારીઓ સાથે સંપર્કમાં રહીને તેમને પડતી મુશ્કેલીઓ અને બુર્સમાં શિફ્ટ થવા માટે જરૂરી પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. વાઈસ ચેરમેન લાલજીભાઈ પટેલ (તુલસીભાઈ) ના જણાવ્યા મુજબ, સરકાર અને બુર્સ કમિટીના સંયુક્ત પ્રયાસોથી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની અધ્યક્ષતામાં અધિકારીઓ સાથે મળેલી રીવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં ટ્રાફિક જંકશનના ડેવલોપમેન્ટ માટેની ખાસ સુચના અધિકારીઓને આપી હતી. ગત રીવ્યુ બેઠકમાં ટ્રાફિક જંકશન ડેવલપમેન્ટ માટે અધિકારીઓને કામગીરી કરવા માટેની સૂચના આપી હતી. જે અંગેનો રિપોર્ટ કમિશનરે માંગ્યો હતો, જેથી એક પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ફોટા સાથેની કોઈ માહિતી નહોતી. જેના પગલે તાત્કાલિક ધોરણે સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ રિપોર્ટ અને ફોટા સાથે ફરીથી હાજર રહેવા માટેની સૂચના આપી હતી. ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરાઈકમિશનરે શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવાની સુચના આપી હતી. લેફ્ટ ટર્ન ફ્રી, ડિવાઈડર લગાવવા અલગ-અલગ સૂચનો કરી અને ટ્રાફિક જંકશન ડેવલોપમેન્ટ કરવા માટે ખાસ જણાવ્યું હતું. બધા રિપોર્ટ આપવા માટે કહ્યું હતું ખાલી ચહેરા જોવા માટે અહીંયા નથી આવતા એમ કહી અને આ બાબત ઉપર વધારે ધ્યાન આપવા માટે જણાવ્યું હતું. શહેરમાં આગામી દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી કરવાની હોવાને લઈને તેને લઈને પણ પબ્લિક ટોયલેટની સફાઈ અંગેની સૂચના અધિકારીઓને આપી હતી. શહેરમાં વધતા જતા પ્રદૂષણને લઈને શહેરમાં કન્સ્ટ્રક્શન થાય તો ડિમોલિશન સાઈટો પર ગ્રીન નેટ લગાવવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીને કહ્યું હતું કે- ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપોરોગચાળાના હાઈ રિસ્ક એરીયા નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં ક્લોરીન ડોઝિયર લગાવવા માટેની વાત કરવામાં આવી હતી તે અંગે પણ કમિશનરે પૂછતા 65 જગ્યાએ ક્લોરિન ડોઝિયર લગાવવામાં આવ્યા છે 15 જગ્યાએ બાકી છે, જેથી આ કેવી રીતે બધું નક્કી થાય છે તે અંગે પૂછતા હેલ્થ વિભાગના અધિકારી દ્વારા જે સ્થળ પર કહેવામાં આવે છે ત્યાં લગાવવામાં આવે છે. જેથી વોટર પ્રોડક્શન વિભાગના અધિકારીને જ નોડલ ઓફિસર બનાવી અને કામગીરી કરવા જણાવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને નાઈટ રાઉન્ડની કામગીરી સોંપવામાં આવે છે, જે અંગે પણ સમીક્ષા કરી હતી. યોગ્ય રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. બે ઢોર પકડાયા હતા તેના માટે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બેઠા બેઠા જવાબ આપ્યો હતો. જેના પગલે અધિકારીને કહ્યું હતું કે ઉભા થઈ અને વ્યવસ્થિત રીતે જવાબ આપો. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુ. કમિશનરને સુચના આપીમ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના અધિકારી રીવ્યુ બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની સામે બેઠા હતા. આ દરમિયાન મોબાઇલમાં જોઈ રહ્યા હતા ત્યારે એક રીલ ચાલુ થઈ ગઈ હતી, જેનો અવાજ કમિશનર સુધી પહોંચી ગયો હતો. જેથી, કમિશનર ગુસ્સે ભરાયા હતા અને તેમને બેઠક છોડીને તાત્કાલિક જતા રહેવા માટે કહ્યું હતું. અધિકારીને શો- કોઝ નોટીસ આપવા માટે સેન્ટ્રલ ઓફિસના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના આપી હતી. રીવ્યુ બેઠકમાં કમિશનરે ગત રિવ્યુ બેઠકના મુદ્દા જ લીધા હતા. નવા બજેટના કામગીરી પર કામગીરી શરૂ કરવા માટે જણાવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો આવતીકાલથી રાજ્યભરમાં પ્રારંભ થશે. પરીક્ષાની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે તમામ વિદ્યાર્થીઓને જિલ્લા પ્રશાસન વતી શુભેચ્છાઓ પાઠવી છે. કલેક્ટર ભારદ્વાજે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો તણાવ કે ભય રાખ્યા વિના આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપવા સૂચન કર્યું છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ છે, પરંતુ તે જીવનનું અંતિમ લક્ષ્ય નથી. આ પરીક્ષા વિદ્યાર્થીઓના જ્ઞાન, મહેનત અને સંકલ્પનું પ્રતિબિંબ છે. કલેક્ટરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિદ્યાર્થીઓએ વર્ષભર કરેલી મહેનતનું ઉત્તમ પરિણામ ચોક્કસ મળશે. તેમણે નિયમિત અભ્યાસ, સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા માટે શુભકામનાઓ પાઠવી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું કે, ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાતી આ પરીક્ષાઓમાં અમરેલી જિલ્લામાંથી ધોરણ 10 (SSC) ના કુલ 19,567 અને ધોરણ 12 (HSC) ના કુલ 12,107 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરીક્ષાઓ સુચારુ અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
સંઘના સંગઠનને તોડવા અનફેર લેબર પ્રેકટિસ અને પડતર પ્રશ્નોના નિકાલ માટે પીજીવીસીએલના 11 હજાર કર્મચારીઓ દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. જેમાં 5 માર્ચથી વર્ક ટુ રૂલ અને 10 માર્ચે ધરણા અને સુત્રોચ્ચારની ચીમકી આપવામાં આવી છે. આ માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરને લેખિતમાં 11 મુદ્દા સાથેનું અલ્ટીમેટમ આપ્યું છે. જોકે તેની સામે PGVCL દ્વારા ખુલાસો આપવામાં આવ્યો છે કે, આંતરિક રીતે તપાસ કરવામાં આવતા એક પણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી. યુનિયન દ્વારા માર્ચ માસની અસર થાય તે રીતે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે તે પ્રકારે હડતાળની ચિમકી આપી છે. અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવીઅખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે, તમામ સર્કલમાં ટેકનિકલ અને નોન ટેકનીકલ કેડર, એકાઉન્ટ ઓફિસર, જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ ત્વરીત ભરવી, વર્તુળ કચેરી દ્વારા અધિક્ષક હિસાબનિશને વધારાની કામગીરી આપવામાં આવેલ છે તે જવાબદારીમાંથી મુક્ત કરવા, બઢતી આપવી અને આ માટે પેનલ બનાવી લાયકાત ધરાવતા કર્મચારીઓનો સમાવેશ કરવો. જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતીવીજ અકસ્માતના કિસ્સામાં વર્ગ 3 અને 4 ના કર્મચારીઓની જવાબદારી બનતી ન હોવા છતાં પણ જવાબદારી ફિક્સ કરી ફરજ મોકુફ કરવામાં આવે છે.આ તમામ કર્મચારીઓ સામે કરવામાં આવેલ કાર્યવાહી પાછી ખેંચવી, કંપનીના નિયમ મુજબ કર્મચારીઓને વુલન જર્સી, રેઈન કોર્ટ ઘણા સમયથી આપવામાં આવેલ નથી. તાજેતરમાં જુનિયર આસિસ્ટન્ટના સ્વ.વિનંતીથી બદલીના હુકમ કરવામાં આવી હતી. જેમાં અમુક કર્મચારીઓને અન્યાય થયો હોવાની ફરિયાદ છે. ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓને બીએલઓ સહિતની કામગીરી આપવામાં આવતા વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કારઆ ઉપરાંત ભુજ સર્કલના મેનેજમેન્ટ દ્વારા ઘણા સમયથી કંપનીના નિયમો તોડી વારંવાર એક જ યુનિયન અને જાતિ-જ્ઞાતિના સભ્યોને લાભ આપી સંઘના સંગઠનને તોડવામાં આવતી અનફેર લેબર પ્રેકટિસ બંધ કરવા સહિતની માંગણી સાથેનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો 5 માર્ચથી વર્ક ટુ રૂલ મુજબ વધારાની કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે અને તા.10ના રાજકોટની કોર્પોરેટ કચેરીમાં ધરણા-સુત્રોચ્ચાર સહિતના કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું છે. 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છેજ્યારે આ બાબતે PGVCL તરફથી આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારાએ ખૂલાસો આપતા જણાવ્યું છે કે, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા આંદોલન અંગેની નોટીસ બાબતે જણાવવાનું કે, યુનિયન દ્વારા તા.17 જાન્યુઆરી,2026 ના પત્રથી મીટીંગ માંગવામાં આવી હતી. તે બાબતે મેનેજમેન્ટ દ્વારા તા.2 ફેબ્રુઆરી, 2026ના રોજ મીટીંગ આપવામાં આવી હતી અને તે મીટીંગમાં યુનિયન તરફથી રજૂ કરવામાં આવેલ 5માંથી 4 પ્રશ્નો બાબતે સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બાકીનો એક પ્રશ્ન કંપનીના નિયમો તથા કાયદાકીય અભિપ્રાય ધ્યાને લેતા કંપની દ્વારા યોગ્ય નિર્ણય કર્યો છે. યુનિયનની રજૂઆતના તમામ મુદ્દાઓનો વિગતવાર વિસ્તૃત જવાબ પીજીવીસીએલ દ્વારા તા.18 ફેબ્રુઆરી,2026 ના રોજ આપવામાં આવેલ છે. માર્ચ મહિનાની કામગીરીને અસર થાય એવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશજે બાદ એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા અગાઉની રજૂઆત સાથેના અન્ય 11 મુદ્દા સાથે તા.23 ફેબ્રુઆરી, 2026ના રોજ હડતાલની નોટીસ આપવામાં આવી. તે અનુસંધાને મેનેજમેન્ટ દ્વારા કંપનીના નિયમોનુસાર સકારાત્મક કાર્યવાહી કરવા અંગે વિસ્તૃત અહેવાલ સીનીયર સેક્રેટરી જનરલ -ઊંઝાને 24 કલાકમાં જ તા.24 ફેબ્રુઆરી,2026 ના રોજ આપી દેવામાં આવ્યો છે. આમ છતાં એ.જી.વી.કે.એસ. યુનિયન દ્વારા હડતાલની ચીમકી દ્વારા કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું પગલું ભરી આવનાર માર્ચ મહિનાની કામગીરીને અસર થાય તેવી પરીસ્થિતિ ઉભી કરવાની કોશિશ કરી છે તેમજ આંતરિક તપાસ કરતાં કોઇપણ કર્મચારીને અન્યાય થયો હોય તેવી રજૂઆત કંપનીને મળી નથી.
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાસે પાર્ક કરેલું એક હોન્ડા એક્ટિવા ધોળા દિવસે ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વાહનચાલકે રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું મહેસાણાના પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહેતા અને ONGCમાં ફરજ બજાવતા વિપુલકુમાર ગણેશદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 23 ફેબ્રુઆરીના રોજ સવારે તેમની પત્ની કામીનીબેન પોતાનું સફેદ કલરનું હોન્ડા એક્ટિવા (નંબર GJ-01-SD-7585) લઈને લણવા ગામે નોકરીએ જવા નીકળ્યા હતા. તેમણે પોતાનું વાહન રાધનપુર રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે રોડની સાઈડમાં પાર્ક કર્યું હતું. વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાસાંજે સાડા પાંચ વાગ્યે નોકરી પરથી પરત ફરતા તેમને પોતાનું એક્ટિવા પાર્ક કરેલ જગ્યાએ જોવા મળ્યું નહોતું. આસપાસ તપાસ કરવા છતાં વાહન ન મળતા મંદિરના CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જાણવા મળ્યું હતું કે બપોરે આશરે 12.48 વાગ્યે એક અજાણ્યો શખ્સ આ એક્ટિવા ચાલુ કરીને ચોરી કરી જતો દેખાયો હતો.આશરે 20 હજાર રૂપિયાની કિંમતના આ એક્ટિવા અંગે વિપુલકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજ અને એક્ટિવાના ચેસીસ તથા એન્જિન નંબરના આધારે અજાણ્યા ચોરને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
'દુનિયાના એકેય ખૂણે અમેરિકનો સુરક્ષિત નહીં રહે...', ખામેનેઈની ટ્રમ્પને ખુલ્લી ધમકી!
Ayatollah Khamenei Warns Donald Trump : ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની સત્તાવાર વેબસાઈટ પર એક ઈરાની અખબારનો સનસનાટીભર્યો લેખ શેર કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકાને સીધી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે. ‘સદા-એ-ઈરાન’ અખબારના આ તંત્રીલેખમાં સ્પષ્ટ જણાવાયું છે કે, જો ભવિષ્યમાં ઈરાન વિરુદ્ધ કોઈ નવો સંઘર્ષ શરૂ થશે, તો તે માત્ર મર્યાદિત દાયરામાં નહીં રહે, પરંતુ વિશ્વના અનેક મોરચે ફેલાઈ જશે. ‘ઈરાન પર હુમલો થયો તો...
રાજકોટ ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ સ્પર્ધામાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની બહેનોની ટીમે અદભૂત કૌશલ્ય બતાવીને રમતગમતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર બહેનોની હેન્ડબોલ ટીમ શાનદાર જીત મેળવીને 'ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી' માટે ક્વોલિફાઈ થઈ છે, સતત ચાર મેચોમાં વિરોધી ટીમોને પરાજિત કરી, ફાઈનલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં અમરાવતી યુનિવર્સિટી સામે 20-14 થી વિજય મેળવીને આ ટીમે ભાવનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે,મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટીની બહેનોની હેન્ડબોલ ટીમે રમતગમત ક્ષેત્રે નવો ઈતિહાસ રચી દીધો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે તા.22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાઈ રહેલી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ (બહેનો) સ્પર્ધામાં ભાવનગરની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રથમવાર 'ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી' માટે ક્વોલિફાઈ થઈ ગૌરવ વધાર્યું છે, યુનિવર્સિટીના 15 ખેલાડીઓની ટીમે મેદાન પર શાનદાર ખેલદિલી અને ટીમ વર્ક બતાવ્યું હતું, જેમાં પ્રથમ મેચ રાજા શંકર શાહ યુનિવર્સિટી છિંદવાડા સામે 19-07 થી ભવ્ય જીત, બીજી મેચ પં.દીનદયાળ ઉપાધ્યાય શેખાવટી યુનિવર્સિટી, સીકર સામે 20-12 થી વિજય, ત્રીજી મેચ SGSU દેસર સામે 17-04 થી પ્રભુત્વશાળી વિજય, ત્યારબાદ ક્વોલીફાઈ મેચ સંત ગાડગેબાબા અમરાવતી યુનિવર્સિટી સામે 20-14 થી જીત મેળવી 'ઓલ ઇન્ડિયા'માં સ્થાન નિશ્ચિત કર્યું હતું. આ ઐતિહાસિક સફળતામાં હેન્ડબોલ કોચ જયરાજસિંહ ગોહિલનું મહત્વનું યોગદાન આપ્યું હતું, તેમણે ખાસ કોચિંગ કેમ્પ દ્વારા ખેલાડીઓની શારીરિક ક્ષમતા અને રમતની વ્યૂહરચના પર સઘન તાલીમ આપી હતી ટીમની સાથે મેનેજર તરીકે દેવર્ષભાઈ પટેલે (સીનિયર આસિસ્ટન્ટ) સેવાઓ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો, આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.બી. રામાનુજ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ તથા એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સભ્યો અને સમગ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા ટીમના ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવ્યા હતા.
ગઢડા સ્થિત પ્રસિદ્ધ ગોપીનાથજી મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે 'હરિકૃષ્ણ ભક્તિ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પવિત્ર ઘેલો નદીના કાંઠે મહાઆરતી, ઘેલો નદી મહિમા કથા અને આકર્ષક આતશબાજી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. ઉન્મત્ત ગંગાનો મહિમા અને કથામહોત્સવ અંતર્ગત ઘેલો નદીના પવિત્ર તટે નદીના માહાત્મ્ય પર વિશેષ કથાનું આયોજન કરાયું હતું. ઉપસ્થિત સંતોએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણ સ્વયં આ નદીમાં સ્નાન કરતા હોવાથી સંપ્રદાયમાં આ નદીનું વિશેષ સ્થાન છે. આ કારણોસર જ ઘેલો નદીને ‘ઉન્મત્ત ગંગા’નું બિરુદ પ્રાપ્ત થયું છે. ભક્તોએ ભક્તિભાવ સાથે આ કથાનું શ્રવણ કર્યું હતું. સંતોની પ્રેરક ઉપસ્થિતિઆ ધાર્મિક કાર્યક્રમમાં ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામી તથા વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન સ્વામી સહિતના અગ્રણી સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહોત્સવના મુખ્ય અંશો: પાટોત્સવ: હરિકૃષ્ણ મહારાજના વાર્ષિક પાટોત્સવની ઉજવણી. મહાઆરતી: ઘેલો નદીના કાંઠે હજારો દીવડાઓના પ્રકાશ વચ્ચે વિશેષ આરતી. આયોજન: ગોપીનાથજી મંદિર દ્વારા ભક્તો માટે વ્યવસ્થિત આયોજન અને માર્ગદર્શન. આ સમગ્ર મહોત્સવ અંગેની વિગતવાર માહિતી આપતા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી શ્રદ્ધાળુઓમાં ભક્તિ અને પરંપરા પ્રત્યે જાગૃતિ આવે છે.
સુરેન્દ્રનગર SOGએ હથિયાર પ્રદર્શન કરનારને પકડ્યો:સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા બદલ કાર્યવાહી
સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરનાર એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના અને માર્ગદર્શન બાદ કરવામાં આવી હતી. SOG સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભાઈ ગઢવીને મળેલી ગુપ્ત બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફોટો પ્રદર્શિત કરનાર વ્યક્તિની પૂછપરછ કરતાં તેની ઓળખ વશરામ મોરી (ઉં.વ. 26, ધંધો: પશુપાલન, રહે. થોરિયાળી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) તરીકે થઈ હતી. વશરામે કબૂલ્યું હતું કે તેણે પાંચેક વર્ષ પહેલાં આ ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે તે રણછોડ મોતીભાઈ (રહે. સુખસર, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઈસમો વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-B)a, 29(B), 30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અમરકુમાર કનુભા ગઢવી, કોન્સ્ટેબલ ફુલદિપસિંહ સામતસિંહ ગોહીલ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ કરશનભાઈ વાઘેલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
દીવાન-બલ્લુભાઈ શાળામાં ‘શેફ ડે’ની ઉજવણી:બાળકો બન્યા શેફ, વાનગીઓના સ્ટોલ ગોઠવ્યા
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પૂર્વ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ‘શેફ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં બાળવર્ગના વિદ્યાર્થીઓ શેફના વેશમાં શાળાએ આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન, બાળકો દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ વાનગીઓની તૈયારી, ગોઠવણી અને વિતરણની જવાબદારી જાતે સંભાળી હતી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ રસોઈ કળા, સ્વચ્છતા અને વ્યવસ્થાપનનો પરિચય આપ્યો. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલ, પ્રાથમિક વિભાગીય કો-ઓર્ડીનેટર તેજલબેન ડણાક અને આરતીબહેન પંચાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની મહેનત અને પ્રતિભાને બિરદાવી તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. કાર્યકારી કો-ઓર્ડીનેટર પીનલબહેન રાવળે ‘શેફ ડે’ના સફળ આયોજન બદલ ઇન્ચાર્જ શિક્ષિકા નિયતીબહેન પટેલ, વંદનાબહેન ઉપાધ્યાય, કલ્પનાબહેન ડોંગરે અને ભૂમિકાબહેન મહેતાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉજવણીનો ઉદ્દેશ્ય બાળકોમાં આત્મનિર્ભરતા, ટીમવર્ક અને વ્યવહારુ જ્ઞાનનો વિકાસ કરવાનો હતો.
સુરેલ ગામમાં પાણીની પાઈપલાઈન લીકેજ, ગંદકી:ગ્રામજનોને હાલાકી, સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત
પાટડી તાલુકાના સુરેલ ગામમાં પાણીની લીકેજ પાઈપલાઈન અને વ્યાપક ગંદકીને કારણે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. લીકેજ પાઈપલાઈનમાંથી સતત પાણી વહેવાને કારણે ગામમાં ચારેબાજુ પાણી ભરાઈ જાય છે. આ ગંદા પાણી અને કાદવના કારણે વૃદ્ધો લપસી પડવાની ઘટનાઓ બને છે, તેમજ શાળાએ જતા બાળકો અને અન્ય વડીલોને અવરજવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા આ સમસ્યા અંગે સુરેલ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ સંતોષકારક નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં ફેલાયેલી અતિશય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે વધ્યો છે. આના પરિણામે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થઈ છે, જે ગ્રામજનોની ચિંતામાં વધારો કરી રહી છે. સુરેલના ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી વ્યાપક માંગ કરી છે, જેથી તેમની દૈનિક હાલાકીનો અંત આવે અને સ્વચ્છ વાતાવરણ જળવાઈ રહે.
બોલિવૂડના જાણીતા ગાયક અને સંગીતકાર હિમેશ રેશમિયાએ આજે (તારીખ ૨૫-૦૨-૨૦૨૬, બુધવાર) તેમના પરિવાર સાથે સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરની મુલાકાત લીધી હતી. તેમણે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શન કર્યા હતા. રેશમિયાએ પરિવાર સાથે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી પોતાની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમણે ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો અને પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ વિશેષ મુલાકાત દરમિયાન સાળંગપુર મંદિર પ્રશાસન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર્શન બાદ મંદિરના પૂજારીએ હિમેશ રેશમિયાને ફૂલહાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા.
ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન:અમદાવાદ, કલોલ, વિરમગામમાં ગૌર પૂર્ણિમા નિમિત્તે ઉજવણી
અમદાવાદ, કલોલ અને વિરમગામ વિસ્તારમાં 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 દરમિયાન શ્રી ચૈતન્ય મહોત્સવ અને ફૂલોની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે. ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર ભાડજથી સંબંધિત હરે કૃષ્ણ કેન્દ્રો દ્વારા આ વિસ્તારોમાં વિશાળ સ્તરે આ મહોત્સવ યોજાશે. આ મહોત્સવ દ્વારા હરિનામ સંકીર્તન અને પ્રસાદ વિતરણ દ્વારા સમાજના આધ્યાત્મિક ઉદ્ધારનો સંકલ્પ લેવામાં આવ્યો છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વર્ણ અવતાર તરીકે પૂજનીય છે. તેમણે લગભગ 500 વર્ષ પહેલા પશ્ચિમ બંગાળના શ્રીધામ માયાપુરમાં પ્રાગટ્ય લીધું હતું. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કલિયુગના યુગધર્મ રૂપે હરિનામ સંકીર્તનનો પ્રચાર કર્યો. તેમનો જન્મ 1486માં શ્રી જગન્નાથ મિશ્ર અને શ્રીમતી સચીદેવીના પુત્ર રૂપે થયો હતો. તેમણે ભક્તિ, પ્રેમ અને એકતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસારિત કર્યો. તેમનો પ્રાગટ્ય દિવસ શ્રી ગૌર પૂર્ણિમા તરીકે ઉજવાય છે. મહોત્સવના કાર્યક્રમો 26 ફેબ્રુઆરી 2026ના રોજ બાકરાણા ગામ, વિરમગામથી શરૂ થશે. 28 ફેબ્રુઆરીએ સુરાણી ફાર્મ, સાણંદ (સાંજે 6 વાગ્યાથી) અને વાસવા ગામ, વિરમગામ તાલુકો (સાંજે 4 વાગ્યાથી) ખાતે કાર્યક્રમો યોજાશે. 1 માર્ચ 2026ના રોજ ઝોલાપુર ગામ, વિરમગામ (સવારે 10 વાગ્યાથી), અંકિત વિદ્યાલય, પંચવટી, કલોલ (સવારે 10 વાગ્યાથી), સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, મણિનગર (સાંજે 6 વાગ્યાથી) અને મંગલ પાંડે પાર્ટી પ્લોટ, જીવનવાડી, નિકોલ (સાંજે 6 વાગ્યાથી) ખાતે ઉજવણી કરવામાં આવશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતાઓમાં પાલકી ઉત્સવ, દિવ્ય મહાભિષેક, હરિનામ સંકીર્તન, મહા આરતી, હરિ કથા, ફૂલોની હોળી અને પ્રસાદ વિતરણનો સમાવેશ થાય છે. પાલકી ઉત્સવમાં ફૂલોથી સજાવેલ પાલખીમાં ભગવાનની શોભાયાત્રા નીકળશે, જ્યારે દિવ્ય મહાભિષેક પંચામૃત અને પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવશે. હરિ કથામાં શ્રી ચૈતન્ય મહાપ્રભુના જીવન અને ઉપદેશ પર પ્રવચન અપાશે, અને ફૂલોની હોળી સુગંધિત ફૂલની પાંખડીઓ સાથે ઉજવાશે.
દાહોદ જિલ્લાના ભાઠીવાડા ગામ સ્થિત કે.ટી. મેડા આશ્રમ શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારંભ યોજાયો હતો. આ સમારંભ કે.ટી. મેડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા તેમજ ઉત્તરબુનિયાદી આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે શાળાના સંચાલક કલસીંગભાઈ મેડા, આચાર્ય મહેશભાઈ અને મહેન્દ્રભાઈ, તેમજ પ્રતિષ્ઠિત શિક્ષકો અનિલભાઈ અને મયુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શાળાની ધોરણ ૧૨ની વિદ્યાર્થીની શૂરભીબેને પોતાના શાળાના અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરી હતી. આ સમારંભમાં દાહોદ જિલ્લા યુવક સહકારી શિક્ષણ વર્ગના સભ્ય કીર્તનભાઈ ભાભોર પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના અંગ્રેજી વિષયના શિક્ષક સુરેશભાઈએ કર્યું હતું.
ડો. સુભાષ મહિલા આર્ટસ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજ, જૂનાગઢના એન.એસ.એસ. યુનિટ 1-2 દ્વારા ખડિયા મુકામે યોજાયેલા વિશેષ શિબિરનો પૂર્ણાહુતિ સમારોહ આજે સંપન્ન થયો. આ કાર્યક્રમ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારોહની શરૂઆત સંસ્થાના સ્થાપક સ્વ. પેથલજીભાઈ ચાવડા (પૂજ્ય બાપુજી) ના સ્મરણાંજલિ ગાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ચેતનાબેન ચુડાસમાએ શાબ્દિક સ્વાગત કર્યું. સંસ્થાના આચાર્ય બલરામ ચાવડાએ મહેમાનોનું સ્વાગત કરતા જણાવ્યું કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સ્થાપનાના 16 વર્ષમાં પ્રથમ વખત કુલપતિ એન.એસ.એસ. કેમ્પમાં હાજર રહ્યા છે, જે કોલેજ માટે ગૌરવની વાત છે. એન.એસ.એસ.ની વિદ્યાર્થીની મિતલ માકડીયાએ શિબિર દરમિયાન કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર ડો. પરાગ દેવાણીએ અંધશ્રદ્ધા નિવારણ અને સ્વચ્છતા અભિયાન અંગે મનનીય વાતો કરી, વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પૂર્ણાહુતિ સમારોહમાં બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજના આચાર્ય ડો. આર.પી. ભટ્ટે ભારતને ભવ્ય સાંસ્કૃતિક વારસો અને ભાષા વૈવિધ્ય ધરાવતો દેશ ગણાવ્યો. તેમણે પરિવારની કલ્પના ભારતે આપી હોવાનું કહી પોતાના જીવનના અનુભવો વર્ણવ્યા. તેમણે સેનાના બજેટ અંગેના એક અનુભવનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં એક ફોજી ઓફિસરે કહ્યું હતું કે સેના બજેટથી નહીં, પણ હિંમત અને સાહસથી ચાલે છે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓના હૃદયને સ્પર્શી જાય તેવું પ્રવચન આપ્યું. તેમણે ગ્રામીણ સંસ્કૃતિને સનાતની ગણાવી અને કહ્યું કે ગ્રામીણ લોકોમાં મદદ કરવાની ભાવના હોય છે. તેમણે ભારતના જીવંત રાખવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. આ પૂર્ણાહુતિ સમારોહમાં શહેરની વિવિધ કોલેજોના આચાર્યઓ જેવા કે બહાઉદ્દીન આર્ટસ કોલેજના ડો. વાજા સાહેબ, કોમર્સ કોલેજના ડો. ત્રાડા સાહેબ, વિજ્ઞાન કોલેજના ડો. આર.પી. ભટ્ટ સાહેબ, ઇ.સી. મેમ્બર દીનાબેન લોઢિયા, પ્રા. બારસિયા સાહેબ તથા ડો. મનીષ જાની ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખડિયાના પૂર્વ સરપંચ કાળુભાઈ ભાદરકા અને ગામ અગ્રણી ભીખાભાઈ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સુંદર સંચાલન ડો. નયનાબેન ગજ્જરે કર્યું હતું, જ્યારે પ્રોગ્રામ ઓફિસર ડો. બી.એમ. પટેલે આભાર દર્શન કર્યું હતું.
દિલ્હીની AI સમિટમાં કોઈએ ધાર્યું નહોતું એવું થયું. કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ પહોંચ્યા. વાતચીતથી થોડો વિરોધ કર્યો. આજુબાજુનો માહોલ જોયો ને તકનો લાભ લઈ બધા કાર્યકર્તાઓએ ટીશર્ટ ઉતારી નાખ્યા. આ મુદ્દાના કારણે દિલ્હીના રાજકારણમાં ગરમી વધી. ભાજપે કોંગ્રેસ પર પસ્તાળ પાડી. આ ઘટનાને દેશદ્રોહ ગણાવી દીધો. બરાબર છે, દેશની આબરૂ સામે સવાલ ઊભા થાય ત્યારે દેશદ્રોહ જ ગણાય. કોંગ્રેસી કાર્યકર્તાઓનું આ કૃત્ય માફીને લાયક નથી. - પણ ભાજપ સામે વિરોધ થાય તો સીધો દેશદ્રોહ બની જાય છે પણ પોતાના વાંક કેમ ભૂલી જાય છે? જનતા પણ સરકાર પર સવાલ કરવાની જ. આજ AI સમિટમાં ઉત્તરપ્રદેશની ગલગોટિયાઝ યુનિવર્સિટીએ ચાઈનીઝ રોબોટને પોતાનો ગણાવી દીધો ત્યારે સરકાર કેમ ચૂપ રહી? એપસ્ટીન ફાઈલમાં હરદીપ પુરીનું કનેક્શન નીકળ્યું તો એકલા પુરી જ બોલે છે. સરકાર મૌન છે. રાહુલ ગાંધી ને ખડગે અમેરિકાની ટ્રેડ ડીલ મામલે એટલું બોલ્યા કે અવાજ બેસી ગયો પણ સરકાર મૌન છે. સરકારનું આ મૌન સૌને અકળાવે છે. આ મૌન વચ્ચે AI સમિટમાં ટીશર્ટ ઉતર્યા તો દેશદ્રોહ થઈ ગયો. સરકારે પગલાં લેવામાં એક મિનિટ પણ ન બગાડી. નમસ્કાર... રાષ્ટ્રવાદ, એન્ટી નેશનલ, દેશભક્તિ, દેશદ્રોહ જેવા ઉપમાઓ, શબ્દો અને ઘટનાઓ અતિ ગંભીર છે. આ ભાવનાનો આજકાલના રાજકારણમાં રાજકીય શસ્ત્ર તરીકે નેરેટિવ સેટ કરવામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI સમિટ વિરોધથી ઉભેલો વિવાદ વાત જાણે એમ છે કે 20 ફેબ્રુઆરી 2026ના દિવસે વિશ્વભરના ટેક દિગ્ગજ અને દેશ વિદેશના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતે અમેરિકા સાથે કરેલી ડીલ મામલે પહેલા શાંતિથી અને પછી અર્ધ નગ્ન થઈને વિરોધ કર્યો હતો. આ વિવાદે હાલ વિવાદ છેડી દીધો છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર વિપક્ષના વિરોધને દેશ વિરોધી ગણાવી રહી છે. આવો જ વિરોધ કોમનવેલ્થ ગેમ્સમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ભાજપે કર્યો હતો. આ વાત ભાજપ ભૂલી જાય છે. ભારત જેવા લોકશાહી દેશમાં થતાં વિરોધ પર આજકાલ ગંભીર સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ સરકાર સામે આંગળી ન ઉઠાવે કે તેમને સવાલ ન પૂછે. પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડઃ યુથ કોંગ્રેસ વિપક્ષના યુવા કાર્યકર્તાઓએ દિલ્હીની AI સમિટમાં પીએમ ઈઝ કોમ્પ્રમાઈઝ્ડ અને એપસ્ટીન ફાઈલ્સ જેવા નારા લગાવ્યા હતા. સરકારે કહ્યું વિપક્ષ આવું કરીને દેશનું અપમાન કરી રહી છે. કેન્દ્ર સરકારનો તર્ક છે કે સરકાર જ્યારે વિશ્વ સામે ભારતની ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે ત્યારે વિરોધ કરીને વિપક્ષ ઈન્વેસ્ટર્સમાં ખોટી છબિ ઊભી કરીને ભારતની છબી ખરડાવે છે. વિચિત્ર વિરોધ દેશદ્રોહ ગણાય? ત્યારે સવાલ જરૂરી બની જાય કે શું વિરોધનું રૂપ વરવું એટલે કે અર્ધનગ્ન હોય તો તે ભારત જેવા લોકશાહી દેશમાં દેશદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ બની જાય છે? કોંગ્રેસની સત્તામાં ભાજપે કેવા વિરોધ કર્યા અને ભાજપની સત્તામાં કોંગ્રેસે કેવા વિરોધ કર્યા તે બધાને ખબર છે. રાષ્ટ્રવાદી નેરેટિવથી વિરોધ દમાવવાનો આરોપ છેલ્લા દસેક વર્ષોમાં સત્તા પક્ષે વિરોધ પ્રદર્શનોને ડામવા માટે રાષ્ટ્રવાદનો એક નેરેટિવ સેટ કર્યો છે. જે કોઈ વિરોધ કરે તેને રાષ્ટ્રવિરોધી ચીતરી દો એટલે મેઈન મુદ્દા પરથી ધ્યાન હટી જાય અને દેશનો મુદ્દો પહેલા આવી જાય. વિપક્ષ કોઈ પણ આંદોલન કે સરકારી નીતિઓને પડકારે છે ત્યારે તેને તરત રાષ્ટ્ર વિરોધી કે તમે પાકિસ્તાન જતા રહો તેવું કહી દેવામાં આવે છે. આ નેરેટિવ સેટ કરીને સત્તા પક્ષે વિરોધોને એવા ડામી રહી છે કે સામાન્ય લોકો વિરોધ કરતા જ ડરી જાય છે. હવે વાત કરીએ કે સત્તા પક્ષ કેવી રીતે નેરેટિવ સેટ કરી રહી છે? મુદ્દા બદલાયા નેરેટિવ એ જ નેરેટિવથી મુદ્દાઓ ડાયવર્ટ થવાનો દાવો જ્યાં રાષ્ટ્રવાદ મૌન રહ્યો અને હવે... AI સમિટ જેવા આંતરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવું કહીને વિરોધને દેશદ્રોહી કહી દેવામાં આવી રહ્યો છે. જો કે તે લોકો અમેરિકા સાથે ભારતની ડીલ થઈ છે તેમાં અમેરિકાનો વધુ ફાયદો અને ભારતનો ઓછો ફાયદો છે તે કહી રહ્યા હતા. આ મુદ્દો જ દબાવી દેવામાં આવ્યો. મુદ્દો ભટકાવવા એન્ટીનેશનલનું ટ્રમ્પ કાર્ડ આવા અનેક મુદ્દાઓના નેરેટિવ છે જે સત્તા પક્ષ સેટ કરે છે. જે સ્પષ્ટ કરે છે કે બેરોજગારી હોય કે ટ્રેડ ડિલ, જેને ખુલ્લા ચોક પર ચર્ચા કરવાની હોય તેના બદલે એન્ટીનેશનલ ચીતરીને મુદ્દાઓ જ ડાયવર્ટ કરી દેવામાં આવે છે. જ્યારે વિપક્ષ પર દેશની છબી ખરડવાનો આરોપ લાગે છે ત્યારે આપણે કેટલીક એવી ઘટનાઓ પર પણ નજર કરવી પડે કે જ્યારે ખરેખર દેશની છબી ખરડાઈ પણ રાષ્ટ્રવાદ મૌન રહ્યો. અહીં દેશદ્રોહ મૌન થયો એપ્સ્ટિન કનેક્શન પર રાજકીય સવાલો હમણા બાળકીઓની તસ્કરી કરીને સેક્સ સ્કેન્ડલ ચલાવતા અમેરિકાના જેફ્રી એપસ્ટીનના કાળા કારનામા સામે આવ્યા. જેમાં અનેક દિગ્ગજોના નામ સામે આવ્યા. એક નામ હતું આપણા કેન્દ્રીય મંત્રી અને જે તે સમયે ભારતના રાજદૂત રહેલા હરદીપ સિંહ પુરીનું. અમેરિકન કોર્ટે જાહેર કરેલા દસ્તાવેજો, વોલસ્ટ્રીટ જર્નલ અને નવેમ્બર 2025ના રિપોર્ટ્સ અનુસાર એપસ્ટીન ફાઈલ્સમાં 2014થી 2017 સુધી એપસ્ટીન અને પુરી વચ્ચેના 62 ઈમેઈલ્સ અને 14 મિટિંગ્સની વિગતો સામે આવી, ત્યારે દેશની બદનામી ન થઈ? સેક્સ સ્કેન્ડલના આરોપી સાથે કેન્દ્રીય મંત્રીનું નામ આવે ત્યારે તે દેશદ્રોહ નથી? જનતા પણ સવાલ પૂછે છે. પુલવામા તપાસ પર વિવાદ 2019ના પુલવામા એટેકની તપાસ હજુ અટકેલી છે. વિપક્ષનો દાવો છે કે જવાબદારી નક્કી કરવા માટે હાઈલેવલ તપાસ નથી કરવામાં આવી. દેશના જવાનોની સુરક્ષા મામલે આટલી મોટી ચૂક થઈ તે દેશદ્રોહ નથી? ભારતીયોની હથકડી પર દેશની છબી ન ખરડાઈ? ડોનાલ્ડ ટ્રમ્પ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા ત્યારે અમેરિકન્સને ખુશ કરવા અને પોતાની નીતિઓને સાચી ઠેરવવા તેમણે ભારતીય ઘૂસણખોરોને હાથકડી પેહરાવીને ભારત મોકલી દીધા. ત્યારે દેશની છબીને નુકસાન નહોતું થયું? ત્યારે આપણું રાષ્ટ્રપ્રત્યેનું આત્મસન્માન ક્યાં જતું રહે છે? આતંક બાદ ક્રિકેટ રમવા પર પ્રશ્ન આપણો દેશ ફૂટબોલ નહીં પણ ક્રિકેટને પ્રેમ કરે છે. પહેલગામ અને દિલ્હી હુમલા પછી આપણે તે દેશ સાથે ક્રિકેટ રમી. શું શહીદોના લોહી કરતાં ક્રિકેટની મેચ વધુ મહત્વની છે? ત્યારે રાષ્ટ્રવાદનું નેરેટિવ ક્યાં ગાયબ થઈ જાય છે? ચાઈનીઝ રોબોટ વિવાદ AI સમિટમાં વિપક્ષનો વિરોધ દેશ દ્રોહ હોય તો મેડ ઈન ઈન્ડિયાના નામે સમિટમાં ચીની રોબોટને ભારતનો ગણાવી દેવો આંતરરાષ્ટ્રીય ફજેતી નથી? શું વિરોધ જ આંતરરાષ્ટ્રીય ફજેતી છે? ગલગોટિયા યુનિવર્સિટીએ યુનિટ્રી કંપનીના રોબોટને ઓરિયન નામ આપી ભારતીય ગણાવ્યો હતો. વાત ભાજપ-કોંગ્રેસથી આગળ, લોકશાહીની છે મુદ્દો અહીં ભાજપ-કોંગ્રેસ પૂરતો સિમિત નથી, વાત અહીં ભારતની લોકશાહીની છે. સ્વસ્થ લોકશાહીમાં વિરોધને સ્થાન હોય છે અને વિરોધીઓને પોતાની વાત રાખવાનો પૂરો અધિકાર હોય છે. નેહરુજીના સમયમાં પણ તે હતું અને અટલજીના સમયમાં પણ એવું જ હતું તો હવે કેમ એવું નથી? સંવાદ બંધ થાય ત્યારે વિરોધ ઉગ્ર AI સમિટમાં અર્ધ નગ્ન થઈને જે વિરોધ થયો તેને લોકો નવું માની રહ્યા છે. પણ જ્યારે લોકશાહીમાં સંવાદના દરવાજા બંધ થઈ જાય ત્યારે સર્વસત્તાધીશોને પોતાની વાત પહોંચાડવા પ્રદર્શનકારીઓને આવા જ તુક્કા અપનાવવા પડે છે. આ મનોરંજન નથી, તંત્ર સામેનો આક્રોશ છે. અહીં આપણે દેશ અને વિદેશના પાંચ અજીબ વિરોધની પણ વાત કરીએ... ભારતના વિચિત્ર વિરોધ પ્રદર્શનો દુનિયાના વિચિત્ર વિરોધ પ્રદર્શનો ભારતમાં આવા વિરોધ થાય છે તો વિશ્વમાં કેવા કેવા વિચિત્ર વિરોધ અત્યાર સુધી થઈ ગયા છે. તે જાણીએ.. અર્ધનગ્ન થઈને વિરોધ કરવો ગુનો? ત્યારે સવાલ થાય કે ભારતમાં અર્ધ નગ્ન થઈને AI સમિટમાં વિરોધ કરવો બંધારણની દ્રષ્ટિએ કેટલો યોગ્ય છે? જુઓ, અધિકાર અને જાહેર નૈતિકતા વચ્ચે ભેદ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 294 મુજબ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય ન કરી શકાય. પણ સુપ્રીમ કોર્ટે અવીક સરકાર (બંગાળના પત્રકાર) વિરુદ્ધ સ્ટેટ ઓફ વેસ્ટ બંગાળ કેસમાં સ્પષ્ટ કર્યું કે નગ્નતા અને અશ્લીલતા વચ્ચે ફેર છે, બંને સમાન ઘટનાઓ નથી. ન્યાય, સત્ય અને રાષ્ટ્રવાદ પર ટિપ્પણી જો નગ્નતાનો હેતુ શારીરિક ઉત્તેજના નથી પણ કોઈ સામાજિક કે રાજકીય મેસેજ આપવાનો છે તો તેને બંધારણના આર્ટિકલ 19 હેઠળ અભિવ્યક્તિની આઝાદી ગણી લેવામાં આવે છે. AI સમિટમાં યુવાનોનો વિરોધ અશ્લીલતા ફેલાવવા નહીં પણ સરકારની વિદેશ નીતિ સામે હતો. યુવાનોને બેરોજગારી અને ટ્રેડ ડિલ જેવી ગંભીર બાબતો વિશે સરકારનું ધ્યાન દોરવું હતું. ટૂંકમાં જ્યારે સરકાર દરેક વિરોધને એન્ટી નેશનલ કહીને ડામી તો દીધો પણ પ્રજાના મૂળ પ્રશ્નોથી સરકાર ભાગવાનો પ્રયાસ કરે છે, એ વાતને નકારી શકાય નહીં. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ્ટ ડી. વાય. ચંદ્રચુડે એકવાર કહ્યું હતું કે, દેશની છબિ રસ્તા પર ઉતરેલા ચાર યુવાનોના કપડાંથી ખરાબ નથી થતી, પરંતુ તે ત્યારે ખરાબ થાય છે જ્યારે ન્યાયમાં વિલંબ થાય, જ્યારે સત્યને રાષ્ટ્રવાદના આવરણ હેઠળ છુપાવવામાં આવે અને જ્યારે સત્તા પક્ષ વિપક્ષને માત્ર શત્રુ તરીકે જોવા લાગે. અને છેલ્લે... નેરેટિવ હંમેશા શક્તિશાળી લોકો દ્વારા બનાવવામાં આવે છે, પણ સત્ય હંમેશા પીડિતોના અવાજમાં હોય છે. જો આપણે 2026ની AI સમિટની ઘટનાને માત્ર અર્ધનગ્ન વિરોધ તરીકે જોઈશું, તો આપણે છેતરાઈ જઈશું. લોકશાહી ત્યારે જ ધબકતી રહેશે જ્યારે આપણે નેરેટિવને બદલે રિયાલિટી પર વધુ ધ્યાન આપીશું. સાચો દેશપ્રેમ એ નથી કે આપણે ખામીઓને છુપાવીએ, પણ સાચો દેશપ્રેમ એ છે કે આપણે ખામીઓ સામે અવાજ ઉઠાવીએ જેથી દેશ વધુ મજબૂત બની શકે. વિરોધને ડામવો એ રાષ્ટ્રવાદ નથી, પણ વિરોધને સાંભળવો એ સાચી રાષ્ટ્રભક્તિ છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર (રિસર્ચ- સમીર પરમાર)
રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલા મવડી વિસ્તારના 40 ફૂટ રોડ પરની રાજદીપ સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગટરની પાઈપલાઈન નખાઈ ગયા પછી પણ લાંબા સમયથી રોડ રસ્તાનું સમારકામ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ રોડ પર બેસીને 'રામધૂન' બોલાવી હતી અને સ્થાનિક કોર્પોરેટરો તેમજ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોડ ચક્કાજામ કર્યો હતો. આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશેસ્થાનિક રહીશ ચંદ્રિકાબેનએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બિસ્માર રોડના કારણે દરરોજ અનેક અકસ્માતો થાય છે. ગઈકાલે જ મારી દીકરી સ્કૂલેથી આવતા સમયે રોડ પર પડી ગઈ હતી અને તેને ઈજા થઈ છે, જ્યારે આવતીકાલથી તેની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખરાબ રસ્તાઓને લીધે સ્કૂલ રિક્ષાઓ કે વાહનો પણ સોસાયટીમાં આવી શકતા નથી, જેના કારણે બાળકોને અભ્યાસમાં પણ મુશ્કેલી પડે છે. રહીશોએ ચીમકી આપી છે કે જો વહેલી તકે રસ્તાઓ રિપેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. કલ્યાણ સોસાયટીમાં દિવાલ ચણી લેવાતા સ્થાનિકોની મુખ્યમંત્રી સુધી રજૂઆતરાજકોટના ટાગોર રોડ પાસેની કલ્યાણ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગના વિવાદને લઈને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં 12થી વધુ પરિવારો વસવાટ કરે છે, જ્યાં જાહેર જનતા માટે ઉપયોગી એવા મુખ્ય માર્ગ પર ત્રણ મકાનધારકો દ્વારા ગેરકાયદેસર રીતે દિવાલ ચણી દેવામાં આવી છે. અગાઉ ડિસેમ્બર-2023માં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સ્થળે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, તેમ છતાં ફરીથી દિવાલ બનાવી રસ્તો સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. સોસાયટી હાલ વિસર્જિત થઈ ચૂકી હોવાથી તેનો વહીવટ કોર્પોરેશન હસ્તક છે, છતાં કેટલાક લોકો દ્વારા જાહેર માર્ગને ખાનગી પાર્કિંગ તરીકે વાપરી અરાજકતા ફેલાવવામાં આવી રહી છે. આ મામલે સ્થાનિકો દ્વારા મેયર, ધારાસભ્ય, નાયબ ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જાહેર માર્ગ બંધ થવાથી ઈમરજન્સી સેવાઓ અને અવરજવરમાં ગંભીર અડચણો ઊભી થઈ છે. છેલ્લા 2 વર્ષથી વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી નિકાલ ન આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રહીશોએ તાત્કાલિક ધોરણે આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી છે. ઝનાના હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલા બાળકનું મોતરાજકોટની ઝનાના હોસ્પિટલમાં માનવતા લજવતી એક ઘટના સામે આવી છે. જેમાં ચોંટીલા અને બામણબોર વિસ્તારમાં રોડ રસ્તાનું કામ કરતા શ્રમિક મહિલા સજનબેન ગોરધનભાઈ ડામોરને પ્રસૂતિની પીડા ઉપડતા તા. 23ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં તેઓએ મોડી રાત્રે એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મના ગણતરીની મિનિટોમાં જ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ મુદ્દે તબીબોના જણાવ્યા અનુસાર, બાળકનો જન્મ માત્ર 7 મહિને થયો હોવાથી તે શારીરિક રીતે અત્યંત નબળું હતું, જે તેના મોતનું મુખ્ય કારણ બન્યું હતું. બાળકના મૃત્યુ બાદ તેના માતા-પિતા હોસ્પિટલના સત્તાધીશોને જાણ કર્યા વગર જ મૃતદેહ મૂકીને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે હોસ્પિટલ દ્વારા તુરંત એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હોસ્પિટલના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ આ શ્રમિક દંપતીની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી મહાપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે 24 ફેબ્રુઆરી 2026ના રોજ એક સત્તાવાર હુકમ બહાર પાડીને વિવિધ મહાપાલિકાઓ માટે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી છે. આ નિમણૂકો ભારતના સંવિધાનના અનુચ્છેદ 243-K અને ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, 1949ની કલમ 14 હેઠળ મળેલી સત્તાની રૂએ કરવામાં આવી છે. ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલની સહી સાથે બહાર પડાયેલા આ હુકમ મુજબ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર જેવી મોટી મહાનગરપાલિકાઓ સહિત આણંદ, નડીઆદ, મહેસાણા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને વાપી જેવી પાલિકાઓમાં વોર્ડ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ યાદીમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાના અધિકારીઓ આગામી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે. રાજકોટ માટે ખાસ કરીને નાયબ કલેક્ટર-સ્ટેમ્પ ડ્યુટી, જિલ્લા પુરવઠા અધિકારી અને રૂડાના નાયબ કલેક્ટર જેવા અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે, જ્યારે મદદનીશ તરીકે મામલતદાર અને સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 1 થી 3ની નિમણૂક કરવામાં આવી છે. રોજેરોજ તાવ અને શરદી-ઉધરસના 500થી વધુ કેસરાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં આવેલા પલટા અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે. હાલમાં શહેરમાં કુલ કેસ પૈકી 60 ટકા કેસ માત્ર તાવ, શરદી અને ઉધરસના જોવા મળી રહ્યા છે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, દરરોજ શરદી-ઉધરસના 170થી વધુ, સામાન્ય તાવના 145થી વધુ અને ઝાડા-ઉલ્ટીના 40થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ઉપરાંત, સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં પણ રોજ 20થી વધુ કેસ માત્ર તાવ-શરદીના આવી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જ્યાં એક-એક ડોક્ટર પાસે દૈનિક 60થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે. મચ્છરોની સંખ્યા વધતા ડેન્ગ્યુ અને ટાયફોઇડના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વધતા જતા રોગચાળાને ડામવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે જેથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય. જ્યારે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાના સ્ટાફ અને દવાઓના જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા નાગરિકોને ઉકાળેલું પાણી પીવા, ખોરાકમાં સાવચેતી રાખવા અને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા અપીલ કરવામાં આવી છે.
મોડાસા GIDCમાં મોકડ્રિલ યોજાઈ:બેકવેલ બિસ્કિટ ફેક્ટરીમાં આગની ઘટનાનું સફળ નિદર્શન
અરવલ્લી જિલ્લાના મોડાસા GIDC ખાતે આવેલી બેકવેલ ઇન્ડસ્ટ્રીઝમાં એક વ્યાપક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ ઔદ્યોગિક સુરક્ષા અને આફત પ્રતિસાદ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા દ્વારા સાંજે 5 વાગ્યે આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં આગની ઘટના, રાસાયણિક પદાર્થોનું લીકેજ અને ભૂકંપ જેવી કુદરતી આફતો જેવી સંભવિત ઘટનાઓ સામે તૈયારીનું સ્તર ચકાસવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્ભવી શકે તેવી આફતો સમયે ઝડપી અને સંયોજિત પ્રતિસાદ, બચાવ કાર્યવાહી તેમજ સુરક્ષા પ્રક્રિયાઓનું વાસ્તવિક પરીક્ષણ કરવાનો હતો. આનાથી કર્મચારીઓની જાગૃતિ વધારવા ઉપરાંત સુરક્ષા અધિકારીઓ, ઔદ્યોગિક એકમો અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેના સંકલનને દૃઢ બનાવવામાં મદદ મળે છે. આ અભ્યાસમાં બેકવેલ ઇન્ડસ્ટ્રીઝના તમામ કર્મચારીઓએ ખૂબ જ સક્રિય અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમની સાથે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓએ પણ સંપૂર્ણ સહભાગિતા દર્શાવી હતી. મોકડ્રિલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને તે દરમિયાન મળેલા અનુભવો તથા નિરીક્ષણો ભવિષ્યમાં વધુ સુધારાયેલી તૈયારી અને અસરકારક પ્રતિસાદ વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ થશે. અરવલ્લી જિલ્લા વહીવટ આવા મોકડ્રિલ્સને નિયમિત અને વ્યવસ્થિત રીતે આયોજિત કરીને ઔદ્યોગિક એકમોની સુરક્ષા, કર્મચારીઓના જીવનનું રક્ષણ અને આફત વ્યવસ્થાપનની સમગ્ર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગાંધીનગર જિલ્લામાં આવતીકાલ ગુરુવારથી બોર્ડની પરીક્ષાનો મંગલ પ્રારંભ થવાનો છે. શહેર ઉપરાંત કલોલ, દહેગામ અને માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ 10ના 25,444 અને ધોરણ 12ના 19,840 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે ત્યારે આ વખતે ટ્રેકિંગ એપ અને સીલબંધ ફોટોગ્રાફીના ચક્રવ્યૂહમાં પરીક્ષા યોજાશે. 200 શિક્ષકોની નિમણૂક સરકારી પ્રતિનિધિ તરીકે કરવામાં આવીવહીવટી તંત્ર દ્વારા પરીક્ષાના સંચાલન માટે અંદાજે 3 હજાર જેટલા કર્મચારીઓને ફરજ પર લગાડવામાં આવ્યા છે. જ્યારે તમામ પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષાના ભાગરૂપે મહિલા પોલીસ સહિતના બે જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત દરેક ઝોનલની ગાડીમાં પણ પોલીસ પહેરો રાખવામાં આવશે. આ વખતે પેપર લિક રોકવા માટે ડિજિટલ કવચ અને ટ્રેકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે પ્રાથમિક વિભાગના 200 શિક્ષકોની નિમણૂક સરકારી પ્રતિનિધિ તરીકે કરવામાં આવી છે. જેઓ દરરોજ સ્ટ્રોંગરૂમમાંથી પ્રશ્નપત્રના બંડલ લેતી વખતે તે સીલબંધ હોવાની ફોટોગ્રાફી કરશે. આ પ્રક્રિયા પરીક્ષા કેન્દ્ર પર સોંપણી વખતે પણ કરાશે. જ્યારે મુખ્ય બોક્સમાં કેટલા બંડલ દેખાય તેની પણ વિગતવાર ફોટોગ્રાફી કરીને પેપર ટ્રેકિંગ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવશે. વિવિધ વિભાગોના વર્ગ-1 અને વર્ગ-2ના 50 ઉચ્ચ અધિકારીઓની નિમણૂકજેથી, દરેક પેપરની ગતિવિધિ પર નજર રાખી શકાશે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ચોરીના કિસ્સાઓ રોકવા માટે બોર્ડની ફ્લાઈંગ સ્ક્વોડ ઉપરાંત જિલ્લા કક્ષાની ખાસ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ટુકડીમાં સરકારના વિવિધ વિભાગોના વર્ગ-1 અને વર્ગ-2 ના 50 ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. આ અધિકારીઓને કયા પરીક્ષા કેન્દ્ર પર તપાસ માટે જવાનું છે તેની જાણકારી દરરોજ સવારે જ આપવામાં આવશે. પરીક્ષા માટે જિલ્લામાં વ્યાપક બેઠક વ્યવસ્થા કરવામાં આવીઆવતીકાલે 26 ફેબ્રુઆરીથી 18મી માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષા માટે જિલ્લામાં વ્યાપક બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે ઈસ્ટ અને વેસ્ટ ઝોનમાં 34 સેન્ટરના 100 બિલ્ડીંગમાં 884 બ્લોક ફાળવવામાં આવ્યા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહના 15,141 વિદ્યાર્થીઓ માટે સીટી અને રૂરલ ઝોનમાં 35 સેન્ટરના 505 બ્લોક તૈયાર કરાયા છે એવી જ રીતે વિજ્ઞાન પ્રવાહના 4,699 પરીક્ષાર્થીઓ માટે 23 સેન્ટરના 238 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 18મી માર્ચ સુધી જિલ્લા અને રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબરો પણ કાર્યરત રહેશેબીજી તરફ પોલીસ અટવાયેલા વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડશે એવી પણ વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિશેષ જાહેરાત કરી છે કે, જો કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડે અથવા વાહન બગડવા જેવી કોઈ આકસ્મિક સમસ્યા સર્જાય તો તેઓ કંટ્રોલરૂમના નંબર 079-23220314 પર સંપર્ક કરી શકશે. આવી સ્થિતિમાં પોલીસ દ્વારા તે વિદ્યાર્થીને તાત્કાલિક નિયત પરીક્ષા કેન્દ્ર પર ઝડપથી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, 18મી માર્ચ સુધી જિલ્લા અને રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબરો પણ કાર્યરત રહેશે જ્યાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓ માર્ગદર્શન મેળવી શકશે. આવતીકાલે ડૉ. પ્રદ્યુમન વાજા સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે અને રીવાબા જાડેજા એમ. બી. પટેલ ઇંગ્લીશ મીડિયમ હાઇસ્કૂલમાં હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. ધારાસભ્યો, મેયર અને કલેક્ટર સહિતના મહાનુભાવો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને અને ગુલાબનું ફૂલ આપીને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવશે.
વલસાડમાં ભારતીય મજદૂર સંઘનો વિરોધ પ્રદર્શન:બજેટમાં શ્રમિકોની અવગણના સામે કલેક્ટરને આવેદનપત્ર અપાયું
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટમાં શ્રમિકો, આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજનના કર્મચારીઓની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા વલસાડ જિલ્લામાં રોષ જોવા મળ્યો છે. આજે ભારતીય મજદૂર સંઘ (BMS) ના નેજા હેઠળ મોટી સંખ્યામાં કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોતાની માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવ્યું હતું. વલસાડ જિલ્લા મજદૂર સંઘના સંગઠન મંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ પ્રધાનમંત્રી અને ગુજરાત સરકારના મંત્રીઓ સાથે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં, બજેટમાં શ્રમિકોના પાયાના પ્રશ્નોને સ્થાન અપાયું નથી. આ વિરોધ પ્રદર્શન સમગ્ર ભારતના દરેક જિલ્લા મથકે થઈ રહ્યું છે, જેના ભાગરૂપે વલસાડમાં પણ કલેક્ટર મારફતે સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો છે. આ વિરોધ પ્રદર્શનમાં આંગણવાડી કાર્યકરો અને મધ્યાહન ભોજનના સંચાલકો પણ જોડાયા હતા. મહિલા પ્રતિનિધિઓએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટે ઓગસ્ટ 2025 થી એરિયર્સ સાથે પગાર વધારાનો આદેશ આપ્યો હોવા છતાં સરકારે તેનો અમલ કર્યો નથી. આંગણવાડીની બહેનો પર ઓનલાઇન કામગીરી અને BLO ની ફરજોનું ભારણ વધારી દેવામાં આવ્યું છે, જેની સામે પૂરતું વળતર મળતું નથી. મધ્યાહન ભોજન યોજનામાં ફરજ બજાવતી અનેક વિધવા અને ગરીબ બહેનોને કિચન શેડ અને ભોજનના બજેટમાં કાપ મુકાતા રોજગારી છીનવાઈ જવાની ભીતિ છે. એક વિરોધ કરી રહેલી મહિલા કર્મચારીએ કહ્યું, સરકાર કરોડો-અબજોના બજેટની વાતો કરે છે, પણ પાયાના સ્તરે કામ કરતી આંગણવાડીની બહેનો માટે કેમ કંઈ નથી? શું સરકારે આંખે પાટા અને કાનમાં ડૂચા માર્યા છે? આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ આંગણવાડી કાર્યકરોને ₹24,800 અને હેલ્પરને ₹20,300 નો પગાર તાત્કાલિક લાગુ કરવો, મધ્યાહન ભોજન યોજના અને કિચન શેડ રદ કરવાની હિલચાલ અટકાવવી, શ્રમિકોની સામાજિક સુરક્ષા અને વેતન વધારા અંગે બજેટમાં વિશેષ જોગવાઈ કરવી, અને વધારાની કામગીરી (BLO વગેરે) માંથી મુક્તિ આપવી અથવા યોગ્ય માનદ વેતન આપવું શામેલ છે. કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
ભરૂચ કોલેજમાં POSH એક્ટ-2013 પર સેમિનાર:મહિલા સુરક્ષા અને યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું
ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કે.જે. પોલિટેકનિક કોલેજ ખાતે POSH એક્ટ-2013 (સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વુમન એટ વર્કપ્લેસ) વિષયક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય હેતુ કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને કાયદાની જોગવાઈઓ અંગે માહિતગાર કરી સલામત અને સન્માનજનક કાર્યસ્થળ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ તકે જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશ વસાવાએ POSH એક્ટ અંગે કલમવાર વિગતવાર માહિતી આપી કાયદાના અમલ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ અધિનિયમની ગંભીરતા સમજાવતી ‘પ્રતિકાર’ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. એડવોકેટ અર્ચના વ્યાસે કાર્યસ્થળ પર જાતીય સતામણી તથા ઘરેલુ હિંસા સંબંધિત કાયદાઓ અંગે સંક્ષિપ્ત માહિતી આપી હતી. સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડાએ કેન્દ્રની કામગીરી અને મહિલાઓને મળતી સહાય અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. ડિસ્ટ્રિક્ટ હબ ફોર વુમન એમ્પાવરમેન્ટના મિશન કો-ઓર્ડિનેટર સેજલ પ્રજાપતિએ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા સ્વાવલંબન યોજના સહિતની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરો, આંતરિક સમિતિના અધ્યક્ષ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે પ્રજાલક્ષી કાર્ય કરતા 23 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 'તેરા તુઝકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આશરે ₹6,09,984/- ની કિંમતના મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાએ મોબાઈલ ચોરી અને ગુમ થવાની વધતી ઘટનાઓને ગંભીરતાથી લીધી હતી. તેમણે LCB ને આ ફોન શોધી કાઢવા માટે વિશેષ આદેશો આપ્યા હતા. આ સૂચનાના અમલીકરણ માટે, LCB ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. ગામેતીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ટેકનિકલ ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમે આધુનિક ટેકનોલોજી અને ભારત સરકારના 'સી.ઈ.આઈ.આર.' (સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર) પોર્ટલનો ઉપયોગ કરીને તપાસ તેજ કરી હતી. LCB ની ટેકનિકલ ટીમે CEIR પોર્ટલ પર ડેટા એનાલિસિસ કરીને ગુમ થયેલા મોબાઈલના IMEI નંબર ટ્રેસ કર્યા હતા. ટેકનિકલ સોર્સ અને સતત મોનિટરિંગ દ્વારા, ટીમે ગુજરાતના વિવિધ વિસ્તારો અને પડોશી રાજ્યોમાંથી 23 હેન્ડસેટ રિકવર કરવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. બારૈયા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. ભગોરા સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યારે નાગરિકોને તેમના ખોવાયેલા ફોન પરત મળ્યા ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઘણા અરજદારોએ જણાવ્યું કે તેમણે ફોન મળવાની આશા છોડી દીધી હતી. દાહોદ પોલીસે 'પોલીસ પ્રજાનો મિત્ર છે' ઉક્તિને સાર્થક કરી બતાવી છે. આ સફળતા બદલ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ LCB ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારે બજેટ 2026-27ના અમલીકરણને લઈને મોટો આદેશ જાહેર કર્યો છે. નાણાં વિભાગે પરિપત્ર બહાર પાડી તમામ વિભાગોને વહીવટી મંજૂરીની પ્રક્રિયા વેગવંતી બનાવવા સૂચના આપી છે. પરિપત્ર મુજબ 15 માર્ચ સુધીમાં તમામ વિભાગોએ પોતાની દરખાસ્તો e-Sarkar મારફતે રજૂ કરવાની રહેશે, જેથી 1લી એપ્રિલથી નવા કામો માટે ખર્ચ કરવાની મંજૂરી સમયસર મળી શકે અને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય. 5 કરોડથી વધુ ખર્ચ માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય રહેશેસરકારે નવી જગ્યાઓ, વાહનોની ખરીદી અને આઈ.ટી. સાધનો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. 5 કરોડ સુધીના આઈ.ટી. સાધનો અથવા મશીનરીની ખરીદી માટે સંબંધિત વિભાગીય સચિવ મંજૂરી આપી શકશે, જ્યારે 5 કરોડથી વધુ ખર્ચ માટે નાણાં વિભાગની પૂર્વ મંજૂરી અનિવાર્ય રહેશે. જૂના વાહનોના બદલામાં નવા વાહનો ખરીદવા માટે કડક ચકાસણી બાદ જ મંજૂરી અપાશે અને જો અધિકારીની જગ્યા ખાલી હશે તો નવું વાહન આપવામાં આવશે નહીં. ઉપરાંત ઓફિસ બિલ્ડીંગ, આરોગ્ય કેન્દ્રો અને આશ્રમશાળાઓના બાંધકામ માટે પણ વિગતવાર દરખાસ્ત કરવી ફરજિયાત રહેશે. સરકારનો દાવો છે કે, નાણાકીય વર્ષ શરૂ થતાં જ તમામ યોજનાઓ જમીન પર ઉતરી શકે તે માટે આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને તમામ વિભાગોને તાત્કાલિક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં લૂંટ, ચોરી અને ઈજા પહોચાડી બળજબરીથી પૈસા પડાવી લેતી ગેંગના બે આરોપીઓને ઝોન-7 એલસીબીએ ઝડપી પાડ્યા છે.આરોપીઓએ સોલા, બોપલ, સરખેજ, ઓઢવ, રામોલમાં કુલ 7 ગુના કર્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 12.33 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત કર્યો હોવાનો ઢોંગ કરીને 12.48 લાખની મતા ચોરી લીધીગોતામાં રહેતા અલ્પેશભાઇ પટેલ સીજી રોડ પરથી પાંચ કિલો ચાંદીના 10 ચોરસા લઇને માણેકચોક ખાતે જતા હતા. નગરી હોસ્પિટલ પાસે બાઇક પર આવેલા શખ્સોએ અકસ્માત કર્યો હોવાનો ઢોંગ કરીને અલ્પેશભાઇના વાહનની ડેકીમાંથી ચાંદીના ચોરસા મળી 12.48 લાખની મતા ચોરી લીધી હતી. આ બનાવ બાદ પોલીસે કુલ 350 સીસીટીવી તપાસ્યા હતા. આરોપીઓ હેલમેટ પહેરીને મોઢે રૂમાલ બાંધીને ગુનાને અંજામ આપવા નીકળતાઝોન-7 એલસીબીની ટીમે બાતમી આધારે સરખેજમાંથી છારા ગેંગના પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ભોગેકરને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ એલિસબ્રીજ, રામોલ, સોલા, સરખેજ, ઓઢવ અને બોપલમાં વિવિધ મોડસઓપ્રેન્ડીથી ચોરી અને લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ છે.આરોપીઓ હેલમેટ પહેરીને મોઢે રૂમાલ બાંધીને નીકળતા અને ગુનાને અંજામ આપવા અલગ કપડાં પહેરીને આંગડિયા પેઢી કે જ્વેલર્સ શોપની રેકી કરીને ગુનાને અંજામ આપતા હતા. આરોપી પ્રતિક ઉર્ફે અંધા અને શંકુલ અગાઉ પણ સાત વાર ઝડપાયા હતા. ત્યારે પોલીસે આ ગેંગના ફરાર આરોપીઓ અજય ઉર્ફે અજુબા ગાગડેકર, વિશાલ ઉર્ફે ભાવુ તનવાણી, સન્ની તમંચે અને રોજનીશ ઉર્ફે માંજરા ગુમાને ની શોધખોળ શરૂ કરી છે.
ઉમરગામ તાલુકાના ખતલવાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યાઓમાં ઝેરી કેમિકલ યુક્ત કચરો ઠાલવવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે ખતલવાડા ગ્રામ પંચાયતે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્ર નટવરલાલ ટંડેલે આપેલી ફરિયાદ મુજબ, છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા ઉદ્યોગકારો કે ઇસમો દ્વારા રાત્રિના અંધકારમાં ખતલવાડાની હદમાં આવેલા મેદાનો અને જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર રીતે કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યો છે. આ ઝેરી કચરાના કારણે આસપાસના રહીશોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. તે ઉપરાંત, જમીન, પાણી અને હવા પ્રદૂષિત થવાથી પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે, અને પશુ-પક્ષીઓના જીવ પણ જોખમમાં મુકાયા છે. આ કેમિકલના કારણે ભવિષ્યમાં આગ, વિસ્ફોટ કે ઝેરી ગેસ ગળતર જેવી મોટી દુર્ઘટનાઓ સર્જાવાની શક્યતા પણ નકારી શકાતી નથી, જે જાહેર સુરક્ષા માટે મોટો ખતરો છે. સરપંચે આ કૃત્યને જાહેર સ્વાસ્થ્ય સાથેના ચેડાં ગણાવી ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 278, 285 અને 326-જી તેમજ એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરવાની વિનંતી કરી છે. ગ્રામ પંચાયતે પોલીસ અને સંબંધિત વિભાગો સમક્ષ કેટલીક મુખ્ય માંગણીઓ મૂકી છે. જેમાં ઘટના સ્થળ પર પંચનામું કરી કેમિકલના નમૂના સીલ કરવા, જવાબદાર ઉદ્યોગ કે વ્યક્તિઓની તાત્કાલિક ઓળખ કરી ધરપકડ કરવી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરાવી વિસ્તારમાં તાત્કાલિક 'ડી-કન્ટામિનેશન' (શુદ્ધિકરણ)ની પ્રક્રિયા શરૂ કરવાનો સમાવેશ થાય છે. આ ગંભીર મામલે ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ અને પ્રદૂષણ વિભાગ આ મામલે કેટલી ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
મહેસાણા શહેરની પાલાવાસણા ચોકડી પાસે આવેલી એક હોટલ બહાર પૈસાની જૂની અદાવત રાખીને ત્રણ શખસોએ એક યુવક પર લોખંડની પાઈપ અને બેઝબોલના ધોકા વડે હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવકને માથાના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા છ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતોવડોસણ ગામના આથમણા વાસમાં રહેતા અને ખાનગી નોકરી કરતા અમિતકુમાર ઉદેસિંહ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે એક વર્ષ અગાઉ સુખપુરડા ગામના વિશાલજી સોહમજી ઠાકોર પાસેથી ઉછીના પૈસા લીધા હતા, જે સમયસર પરત કરી દીધા હતા તેમછતાં વિશાલજી અવારનવાર વધુ પૈસાની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ બાબતે છેલ્લા છ મહિનાથી તેમની વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. જમીને હોટલની બાજુમાં ઉભા હતા ને આરોપીએ લોખંડના પાઈપથી હુમલો કર્યોગત 23 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે અમિતકુમાર તેમના પિતરાઈ ભાઈ કિરણજી સાથે પાલાવાસણા ચોકડી પાસે આવેલા સન પેટ્રોલ પંપની સામે 'અપના ફ્રાય સેન્ટર' ખાતે જમવા ગયા હતા. જમીને હોટલની બાજુમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક વિશાલજી સોહમજી ઠાકોર લોખંડની પાઈપ લઈને ધસી આવ્યા હતા અને અમિતકુમારના માથાના પાછળના ભાગે ફટકો માર્યો હતો. હુમલા બાદ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાઆ હુમલા દરમિયાન વિશાલજીની સાથે અન્ય બે શખ્સો, વિશાલ અને રોહિતજી ઠાકોર પણ લોખંડની પાઈપ તથા બેઝબોલના ધોકા સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અમિતકુમારને જમણા પગના ઢીંચણ નીચે ધોકા મારતા તેમને ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી. જ્યારે રોહિતજીએ બરડાના ભાગે પાઈપના ફટકા માર્યા હતા. હુમલા બાદ યુવકે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા જેને જોઈ ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના વ્સત્રાપુરમાં ચાલતા સ્પાના સંચાલક અને મહિલા કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી નકલી પોલીસે 7.49 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં પહેલી વખત સંચાલક ને કઢંગી હાલતમાં પકડી 2.49 લાખ પડાવ્યા હતા. જ્યારે બીજી વખત દારૂ-બીયરની બોટલ સાથે ઝડપી પાડી 5 લાખ પડાવ્યા હતા. આ મામલે ભોગ બનનાર સ્પાના સંચાલકે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વસ્ત્રાપુરમાં દુકાન બરોબર ન ચલતાં મસાજ પાર્લર શરૂ કર્યુંપ્રભાતચોક ખાતે રહેતા આધેડ નવરંગપુરામાં લેડીઝ ટ્રેલર્સની દુકાન ધરાવે છે. તેમના પિતાએ આ દુકાન 50 વર્ષ પહેલાં ભાડે રાખી હતી. હાલમાં આધેડ ત્યાં બેસે છે. જ્યારે તેમની બીજી દુકાન વસ્ત્રાપુરમાં છેલ્લા 25 વર્ષથી છે. જોકે, આ દુકાન બરાબર ન ચાલતી હોવાથી ત્યાં મસાજ પાર્લર શરૂ કરવામાં આવ્યું હતું. આ મસાજ પાર્લર અગાઉ બે મહિલાઓ સંભાળતી હતી પરંતુ છેલ્લા ચાર-પાંચ મહિનાથી એક મહિલા સ્પા ચલાવતી હતી અને જે આવક થાય તેનો અડધો ભાગ આધેડને આપતી હતી. સંચાલક કઢંગી હાલતમાં ઝડપાતા 2.49 લાખ પડાવ્યાફરિયાદ મુજબ ગત 5 ફેબ્રુઆરીના રોજ તેઓ સ્પામાં મહિલા સાથે કઢંગી હાલતમાં હતા, ત્યારે ત્યાં બે યુવાનો આવ્યા હતા. જે પોલીસ જેવા લાગતા હતા. તેમણે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી તરીકે આપી અને સ્પામાં શું ગેરકાયદેસર ધંધો ચાલે છે તે કહી બંનેને ધમકાવ્યા હતા. જોકે, બંને આરોપીઓએ મામલો પતાવવા અઢી લાખની માગ કરી હતી. ડરી ગયેલા આધેડે દોઢ લાખ રોકડા અને 49 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા મુકેશ પ્રજાપતિના ખાતામાં જમા થયા હતા. બીજા દિવસે તેમણે મહિલા પાસે બાકીના 50 હજાર માગ્યા હતા. જે મહિલાએ આધેડ પાસેથી લઈને તેમને પહોંચાડ્યા હતા. દારૂ-બીયરના કેસમાં ફસાવાનું કહી 5 લાખ પડાવ્યાઆ ઘટના બાદ 14 ફેબ્રુઆરીના રોજ આધેડ સ્પા પર દારૂની બોટલ અને બીયર લઈને મહિલા સાથે બેઠા હતા. ત્યારે ફરીથી તે બે કથિત પોલીસવાડા આવી ગયા હતા અને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 5 લાખની માગણી કરી હતી. આધેડે ઘરે રૂપિયા હોવાનું કહેતા એક કથિત પોલીસવાળો તેમને બાઈક પર તેમના ઘરે લઈ ગયો. જ્યાંથી 4.50 લાખ રૂપિયા લીધા હતા અને બાકીના 50 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ રૂપિયા સજ્જાદહુસૈન મોહમ્મદરફીક શેખના ખાતામાં જમા થયા હતા. તપાસ કરતા ખબર પડી બંને યુવાનો પોલીસકર્મી નહોતાકુલ 7.49 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ આધેડે તપાસ કરતા જણાવા મળ્યું કે, આ બંને યુવાનો પોલીસકર્મચારી નહોતા. બીજી તરફ મહિલા પણ આ દિવસ બાદ સ્પામાં આવતી બંધ થઈ ગઈ હતી. જેથી તેણેએ જ પોતાના બે મળતિયાઓ મારફતે આ ખેલ ખેલ્યો હોવાની શંકા આધેડે વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયા નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સુધી લિફ્ટ આપવાના બહાને 72 વર્ષીય વૃદ્ધાની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી બાઈક પર બેસાડી ગાંધીનગરના દહેગામ તાલુકાના કડજોદરા ગામની સીમમાં રાતના અંધકારમાં રેપ વિથ લૂંટનાં ગુનાને અંજામ આપનાર 50 વર્ષીય સેક્સ મેનીયાકને ગાંધીનગર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. શર્માએ 10 વર્ષની સખત કેદ અને ભોગ બનનારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. અજાણ્યો શખસ બાઈક લઈને તેમની પાસે ગયોઅમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી પાંચ સંતાનોની 72 વર્ષીય વિધવા માતા તા. 14મી સપ્ટેમ્બર, 2023ના રોજ ખેડા ખાતે મોટા દીકરાના ઘરે રહેવા માટે ગયા હતા અને 21મીએ એકલા પરત અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. જેઓ ઈકો ગાડીમાં બેસી કઠલાલ ચોકડી બપોરના સમયે ઉતર્યા હતા. એ વખતે આશરે 50 વર્ષની ઉંમરનો અજાણ્યો શખસ બાઈક લઈને તેમની પાસે ગયો હતો અને વૃદ્ધાને નામથી બોલાવી કયા જવાનું પુછ્યું હતું. પોતાને બાઈક ચાલક ઓળખતો હોવાનું માનીને વૃદ્ધા બાઈક પર બેસી ગયાઆથી વૃદ્ધાએ અમદાવાદ નાના દીકરાને ઘરે જવાનું કહેતા શખસે અમદાવાદ ઉતારી દેવાનું કહ્યું હતું. આમ પોતાને બાઈક ચાલક ઓળખતો હોવાનું માનીને વૃદ્ધા બાઈક પર બેસી ગયા હતા. પરંતુ બાઈક ચાલક વૃદ્ધાને અજાણ્યા ગામમાં લઈ ગયો હતો. જેથી વૃદ્ધાએ બૂમાબૂમ કરી હતી. આ સાંભળીને ગામનો એક વ્યક્તિ દોડી આવતાં વૃદ્ધાએ તેમને પોતાના દીકરાનો મોબાઈલ નંબર જણાવ્યો હતો. જેથી બાઈક ચાલકે વૃદ્ધાના દીકરા સાથે વાત કરીને પોતે આ વૃદ્ધાને સારી રીતે ઓળખતો હોવાનું જણાવીને ઘરે મૂકી જવાની ખાતરી આપી હતી. રખીયાલ પોલીસ મથકમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતોબાદમાં રાતના આઠ વાગ્યાના અરસામાં બાઈક ચાલકે અવાવરુ જગ્યાએ બાઈક ઊભું રાખી વૃદ્ધાને ખેંચીને ઝાડીમાં લઈ જઈ ધમકીઓ આપી બળાત્કાર ગુજાર્યો હતો. રાત્રિ દરમ્યાન અવાર-નવાર બળાત્કાર ગુજારીને સવારે સોના-ચાંદીના દાગીના લૂંટી બાઈક લઈને ભાગી ગયો હતો. બાદમાં વૃદ્ધા જેમ-તેમ કરીને મુખ્ય રોડ સુધી આવીને દીકરાનો સંપર્ક કર્યો હતો અને કઠલાલ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. પરંતુ કઠલાલ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધવાનું ટાળી ગાંધીનગર મોકલી આપતાં રખીયાલ પોલીસ મથકમાં રેપ વિથ લૂંટનો ગુનો નોંધાયો હતો. ગ્રામજનોની પૂછપરછ દરમિયાન આરોપીના બાઈક નંબર મળી ગયાઆ બનાવની ગંભીરતા જાણીને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એલસીબી પીઆઈ ડી બી વાળા, તત્કાલીન સર્કલ પીઆઈ વી જી રાઠોડ તેમજ સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમોએ સંયુક્ત તપાસનો દોર શરૂ કર્યો હતો. જે અન્વયે પોલીસ કડજોદરા પહોંચી હતી અને ગ્રામજનોની પૂછપરછ દરમિયાન આરોપીનું વર્ણન - બાઈક નંબર પણ મળી ગયા હતા. અગાઉ આરોપીએ 18 વર્ષીય યુવતી પર પણ દુષ્કર્મ આચર્યું હતુંબાદમાં ટેકનિક સોર્સનાં માધ્યમથી પોલીસે ગોવિંદ ગિરીશભાઈ અરજણભાઈ ઝાલા (રહે, દક્ષેશ્વર ગામ, તા. બાયડ. જી. અરવલ્લી) ઉઠાવી લીધો હતો. જેની પૂછતાંછમાં તેણે ઉક્ત ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. આ અગાઉ 50 વર્ષીય આરોપીએ 18 વર્ષીય યુવતી પર પણ દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનામાં વર્ષ - 2003 થી 2013 સુધી જેલની સજા ભોગવી ચૂક્યો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેની ગામમાં સેક્સ મેનિયાક જેવી ઇમેજ હોવાથી તેના બે પુત્રોએ પણ બહિષ્કાર કર્યો છે. એટલે ગોવિંદ કઠલાલ વિસ્તારમાં રખડતો હતી અને કોઈ રીતે વૃદ્ધાનું નામ જાણી ગયો હતો. બાદમાં તેમને નામથી બોલાવીને લિફ્ટ આપવાના બહાને બાઈક પર બેસાડી ગાંધીનગર આવી ગુનાને અંજામ આપ્યો હતો. કોર્ટે સેકસ મેનિયાકને 10 વર્ષની સખત કેદ ફટકારી હતીજે કેસ ગાંધીનગર કોર્ટ બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.વી. શર્માની સમક્ષ ચાલી જતા ભોગ બનનારના બાળકો, પંચો અને સ્કેચ બનાવનાર સાક્ષીની જુબાની મહત્વની રહી હતી. તો સરકારી વકીલ પ્રીતેશ વ્યાસે ધારદાર દલીલો કરી હતી કે,આરોપીએ પોતાની માતાની ઉંમરની મહિલા સાથે આવું કૃત્ય કર્યું છે, જે અત્યંત વિકૃત માનસિકતા દર્શાવે છે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે સેકસ મેનિયાક ગોવિંદને 10 વર્ષની સખત કેદ અને ભોગ બનનારને બે લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયા મુજબ પી.એસ.આઈ. કેડર અને લોકરક્ષક કેડરના વર્ગમાં રાજ્યભરમાં મોટી સંખ્યામાં ઉમેદવારો શારીરિક કસોટીમાં જોડાયા હતા. બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી, જે રાજ્યના 15 ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. 1.10 લાખ ઉમેદવારો ક્વોલિફાય થયાકસોટી પૂર્ણ થયા બાદ પી.એસ.આઈ. તેમજ લોકરક્ષક બંને માટે નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોની શારીરિક કસોટી હાથ ધરવામાં આવી હતી. તેમાંમાંથી 1,10,665 ઉમેદવારો શારીરિક પરીક્ષા પાસ કરવામાં સફળ રહ્યા છે. પાસ થયેલા ઉમેદવારોમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. 19 એપ્રિલે લેખિત પરીક્ષા યોજાવાની સંભાવનાભરતી બોર્ડ દ્વારા આજે જ પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. હવે શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષા આવનાર તા. 19 એપ્રિલ, 2026ના રોજ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં આ વખતે ભવ્ય પ્રતિસાદ જોવા મળ્યો છે, જેના કારણે સ્પર્ધા વધુ કઠિન બનવાની શક્યતા છે. ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે તૈયારીમાં લાગી ગયા છે. ક્વોલિફાય ઉમેદવારોનું નામ ચેક કરવા માટે આ લિંક પર ક્લિક કરો
મહેસાણા શહેરમાં હાલમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યા અને આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને પત્ર લખી મહત્વની રજૂઆત કરી છે. તેમણે વિદ્યાર્થીઓના હિતમાં રાધનપુર ચોકડી અને શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા ટ્રાફિક સિગ્નલના પ્રાયોગિક પરીક્ષણ ટ્રાયલ ને હાલ પૂરતું સ્થગિત રાખવા માંગ કરી છે. ટ્રાફિક સિગ્નલના ટ્રાયલના કારણે ચોકડી પર ટ્રાફિકજામ સર્જાઈ શકેધારાસભ્યએ પત્રમાં જણાવ્યું છે કે, હાલમાં CBSE બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ પણ શરૂ થવાની છે.મહેસાણાના વ્યસ્ત એવા રાધનપુર ચોકડી અને મોઢેરા ચોકડી વિસ્તારમાં હાલ ટ્રાફિક સિગ્નલના ટ્રાયલ ચાલી રહ્યા છે. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિને લીધે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિગ્નલ ટ્રાયલ બંધ રાખવા રજૂઆતમુકેશભાઈ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓના જીવનનો અત્યંત મહત્વનો પડાવ હોય છે. આવા સંવેદનશીલ સમયે ટ્રાફિક વ્યવસ્થાના પ્રયોગોને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક દબાણ વધે તે યોગ્ય નથી. આથી હજારો વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખીને જ્યાં સુધી બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી સિગ્નલ ટ્રાયલ બંધ રાખી ટ્રાફિકનું સંચાલન મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવે એવી ભલામણ તેમણે કલેક્ટરને કરી છે.
ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ અને અંદાજપત્રની ચર્ચા દરમિયાન ગૃહમાં એક તરફ આંકડાકીય માહિતી જોવા મળી તો બીજી તરફ સત્તા-વિપક્ષ વચ્ચે તીખી ટકરાવ અને ટિપ્પણીઓથી વાતાવરણ ગરમાયું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારએ મંત્રી કુબેર ડિંડોર સામે ટોણો મારતા પૂછ્યું કે, “તમે એવા કેવા કામ કર્યા કે તમારે પાછળ બેસવાનો વારો આવ્યો?” આ નિવેદનથી ગૃહમાં તણાવ સર્જાયો અને અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજકીય ટિપ્પણી ન કરવાની ટકોર કરી. અંદાજપત્રની ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્ય અમિત શાહએ કોંગ્રેસના સમયના કરફ્યુ અને તોફાનોની યાદ અપાવીને કટાક્ષ કર્યો અને લતીફ પ્રકરણનો ઉલ્લેખ કરતાં IPS અધિકારી ગીતા જોહરીની બહાદુરીનો ઉલ્લેખ કર્યો. ગુજરાત હાઈકોર્ટમાં 560 જગ્યા ખાલીગૃહમાં રજૂ થયેલા આંકડાઓ મુજબ ગુજરાત હાઇકોર્ટમાં ગ્રુપ-Aની 30, ગ્રુપ-Bની 33, ગ્રુપ-Cની 341 અને ગ્રુપ-Dની 156 જગ્યાઓ ખાલી છે, જેમાંથી ગ્રુપ A અને Bની 12 જગ્યાઓ એક વર્ષથી અને 22 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે. ગ્રુપ Cમાં 138 જગ્યાઓ એક વર્ષથી અને 203 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે જ્યારે ગ્રુપ Dમાં 72 જગ્યાઓ એક વર્ષથી અને 84 જગ્યાઓ બે વર્ષથી ખાલી છે. ગુજરાતમાંથી બે વર્ષમાં 43,604 કિલો ગૌમાંસ ઝડપાયાનો સ્વીકારગૌ માંસ મુદ્દે સરકારે જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 43604 કિલો ગૌ માંસ અને 1272 કિલો ગૌ વંશનું માંસ પકડાયું છે, 1235 આરોપીની ધરપકડ થઈ છે અને હજુ 107 આરોપી ફરાર છે. પંચમહાલ જિલ્લામાં સૌથી વધુ 21871 કિલો ગૌ માંસ અને 292 કિલો ગૌ વંશ પકડાયું છે, જ્યાં 409 ધરપકડ અને 50 આરોપી ફરાર હોવાનું બહાર આવ્યું. કચ્છના રણોત્સવમાંથી સરકારને બે વર્ષમાં 17 કરોડની આવકકચ્છમાં યોજાતા રણોત્સવમાં પ્રવાસીઓનો રેકોર્ડ નોંધાયો છે. વર્ષ 2024માં 855565 અને 2025માં 941637 પ્રવાસીઓએ મુલાકાત લીધી, જ્યારે બે વર્ષમાં કુલ 170635667 રૂપિયાની આવક થઈ છે. અંબાજીમાં આદિવાસી-પોલીસ ઘર્ષણ બાબતે સરકારની સ્પષ્ટતાઅંબાજીના પાડલીયા વિસ્તારમાં આદિવાસી અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ અંગે સરકારે સ્પષ્ટતા કરી કે કોઈ ફાયરિંગ થયું નહોતું. અંબાજી વિસ્તારમાં ઘટના સમયે 2 સરકારી વાહન અને 30 પોલીસકર્મી બંદોબસ્તમાં હતા, 14 ટિયર ગેસ સેલ છોડાયા અને 17 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. શંકર ચૌધરીએ સભ્યોના હાર્ટબીટ ચેક કરાવવનું કહેતા જ ગૃહમાં હાસ્ય રેલાયું!પ્રશ્નકાળ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ ધારાસભ્યોને ગીરનાર પર્વતની મુલાકાતે લઈ જવાની અપીલ કરી અને કહ્યું કે ગીરનાર તળેટીની મુલાકાતથી આરોહણ-અવરોહણ થશે. અધ્યક્ષ શંકર ચૌધરીએ રમૂજમાં કહ્યું કે મુલાકાત પહેલા સભ્યોના હાર્ટબીટ ચેક કરાવવા જોઈએ, જેના કારણે ગૃહમાં હાસ્યનું વાતાવરણ સર્જાયું. થાનગઢ દલિત હત્યાકાંડ કેસમાં કાર્યવાહી મામલે સરકારનો જવાબથાનગઢ દલિત હત્યાકાંડ કેસ અંગે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સવાલ પર સરકારે જણાવ્યું કે 01-05-2013ના રોજ તપાસ સમિતિએ અહેવાલ સોંપ્યો હતો અને જવાબદારો સામે કાર્યવાહી વિચારણા હેઠળ છે. મંત્રી સંજય મહીડાને અધ્યક્ષે નિયમની યાદ અપાવવી પડીગૃહ દરમિયાન મંત્રી સંજયસિંહ મહીડા સભ્યના ભાષણ દરમિયાન બહાર જતા હતા ત્યારે અધ્યક્ષે તેમને નિયમ યાદ અપાવી રોક્યા અને જણાવ્યું કે અધ્યક્ષ અને સભ્યની વચ્ચેથી પસાર થઈ શકાતું નથી, ત્યારબાદ તેઓ ફરી પોતાની બેઠક પર બેઠા. અમદાવાદમાં 13 પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન ભાડાના મકાનમાં કાર્યરત!અમદાવાદ શહેરમાં 13 પોલીસ ચોકી અને સ્ટેશન વર્ષોથી ભાડે ચાલી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું, જેમાં નાગોરીવાડ 55 વર્ષથી, હાટકેશ્વર 54 વર્ષથી, ચારોડિયા 46 વર્ષથી, ચમનપુરા 38 વર્ષથી અને ઓઢવ GIDC 32 વર્ષથી ભાડે છે. છેલ્લા બે વર્ષમાં રૂ. 3866 ભાડું બાકી હોવાનું જવાબમાં જણાવાયું. હેલિકોપ્ટર જોય રાઈડ માટે સરકારે ત્રણ વર્ષમાં 1 કરોડથી વધુનું ફંડ મજૂર કર્યુંસાબરમતી રિવરફ્રન્ટ ખાતે હેલિકોપ્ટર જોય રાઈડ મામલે સાબરમતી રિવરફ્રન્ટ માટે સરકારે Aero Trans Services Pvt Ltdને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. વર્ષ 2022માં રૂ. 12 લાખ પ્રતિ માસ વાયબિલિટી ગેપ ફંડિંગ મંજૂર થયું હતું. વર્ષ 2024માં રૂ. 87.19 લાખ અને 2025માં રૂ. 16.40 લાખ ચૂકવાયા હોવાનું ગૃહમાં જણાવાયું. ગૃહ પૂર્ણ થયા બાદ દિવસભરની તીખી ચર્ચા છતાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો હેતથી મળતા જોવા મળ્યા. શૈલેષ પરમાર સભ્યોને ચિઠ્ઠી મોકલવાની ચર્ચા કરતા હતા. કિરીટ પટેલે કહ્યું કે જો હું ખોટો હોઉં તો રાજીનામું આપું, ત્યારે ઋષિકેશ પટેલે હાસ્યમાં જવાબ આપ્યો કે રાજીનામું ન આપશો, અહીં આવવું હોય તો જગ્યા ખાલી છે. દિવસભરની ગરમાગરમ ચર્ચા વચ્ચે અંતે મિત્રતાનો ભાવ દેખાતા વિધાનસભાનું સત્ર રાજકીય તીખાશ અને હળવી ગોસિપ બંને માટે યાદગાર રહ્યું.
વાપી મનપાએ 137 મિલકતોને તાળાં માર્યાં:એક માસમાં રૂ. 1.08 કરોડની સ્થળ પર વસૂલાત કરી
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે ફેબ્રુઆરી માસ દરમિયાન 137 મિલકતોને સીલ કરીને સ્થળ પર રૂ. 1.08 કરોડની વસૂલાત કરી છે. કુલ રૂ. 1.93 કરોડનો વેરો વસૂલવામાં આવ્યો હતો. વાપી મનપા કમિશનર યોગેશ ચૌધરીએ વેરો ન ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. માર્ચ માસ સુધીમાં લક્ષ્યાંક પૂર્ણ કરવા ઘરવેરા વિભાગ ઝુંબેશ ચલાવી રહ્યું છે. નોટિસો આપવા છતાં વેરો ન ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી. આ અંતર્ગત વાપીના નહેરૂ સ્ટ્રીટમાં એક ગેરેજ, ચલામાં બેંકની હોમલોન શાખા, ગોલ્ડન પોઈન્ટમાં ક્લિનિક, નીલકંઠ આશીર્વાદમાં 7 દુકાનો, અશ્વમેઘમાં 3 દુકાનો, સહારા માર્કેટમાં 11 ઓફિસો અને ખડકલા રોડ પર 6 દુકાનો સહિત કુલ 137 મિલકતોને તાળા મારવામાં આવ્યા હતા. હાલમાં લાંબા સમયથી વેરો ન ભરનારા 3200 જેટલા મિલકતધારકોને નોટિસો આપવામાં આવી છે અને સીલિંગની કાર્યવાહી ચાલુ છે. મિલકતધારકોની સુવિધા માટે vapicity.in વેબસાઇટ પર ઓનલાઈન વેરો ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. માર્ચ મહિનામાં જાહેર રજાના દિવસોમાં પણ મહાનગરપાલિકાની કચેરીઓ પર વેરો સ્વીકારવામાં આવશે. મનપાની અખબારી યાદીમાં જણાવાયું છે કે, માર્ચ-2026 થી 6% મુજબ દંડનીય વ્યાજ લાગશે. જો 31 માર્ચ સુધીમાં વેરો ભરવામાં નહીં આવે તો બાકી રકમ ઉપર 12% વ્યાજ લાગશે. વેરો નહીં ભરનાર સામે મિલકત જપ્તીની કાર્યવાહી પણ થઈ શકે છે, તેથી મિલકતધારકોને સમયસર પ્રોપર્ટી ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે.
વર્ષ 2021માં ગોડાદરા વિસ્તારમાં ચકચાર જગાવનાર આદિત્યસિંહ રાજપૂત હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પૂરતા પુરાવા ન મળતા તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ કર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ ગુનો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. મોટરસાયકલને કટ મારવા જેવી સામાન્ય બાબતે થઈ હતી હત્યાઆ ઘટનાની વિગત મુજબ 17 સપ્ટેમ્બર, 2021ના રોજ મોટરસાયકલને કટ મારવા બાબતે સામાન્ય ઝઘડો થયો હતો. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેની અદાવત રાખીને 19 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મણનગર સોસાયટી પાસે આદિત્યસિંહ પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ છરા અને ઇંટ વડે જીવલેણ હુમલો કરી આદિત્યસિંહનું મોત નીપજાવ્યું હોવાનો આરોપ સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી જેલભેગા કર્યા હતાઆદિત્ય રાજપૂતની હત્યાના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા રીતુરાજ પાસવાન, અમિત યાદવ અને રોહિત યાદવ નામના ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. તે સમયે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ અને ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ખૂનનો ગુનો દાખલ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી કાનૂની કાર્યવાહી ચાલી હતી. બચાવ પક્ષના વકીલોની ધારદાર દલીલો માન્ય રખાઈઆ કેસમાં બચાવ પક્ષના વકીલ પી.ટી. રાણા અને જીત એચ. પટેલવાલાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ આરોપીઓને ગુનેગાર સાબિત કરવા માટે પૂરતા નથી. સાક્ષીઓની જુબાની અને સંજોગોવસાત પુરાવાઓમાં રહેલી ક્ષતિઓ તરફ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. કોર્ટે શંકાનો લાભ આપી ત્રણેયને જેલમુક્ત કર્યાસુરત સેશન્સ કોર્ટે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું કે ફરિયાદ પક્ષ આરોપીઓ વિરુદ્ધનો ગુનો નિઃશંકપણે સાબિત કરી શક્યો નથી. કાયદાકીય જોગવાઈ મુજબ, જ્યારે ગુનો સાબિત ન થાય ત્યારે આરોપીને શંકાનો લાભ મળવો જોઈએ. આથી કોર્ટે રીતુરાજ, અમિત અને રોહિતને નિર્દોષ જાહેર કરી તાત્કાલિક જેલમુક્ત કરવાનો હુકમ કર્યો છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજનું સાળંગપુર ખાતે આગમન થયું છે. તેમનું હેલિકોપ્ટર દ્વારા આગમન થતાં 400થી વધુ સંતો અને હજારો હરિભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ભક્તોએ જયનાદ સાથે ગુરુહરિનું અભિવાદન કર્યું. આ પ્રસંગે યુવકો અને બાળકોએ વિશેષ નૃત્યાંજલિ અર્પણ કરીને ગુરુહરિ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મહંત સ્વામી મહારાજ 18 માર્ચ સુધી સાળંગપુરમાં વિરાજમાન રહેશે અને હરિભક્તોને સત્સંગનો લાભ આપશે. આ સમયગાળા દરમિયાન, 2 અને 4 માર્ચે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, 8 માર્ચે ભવ્ય રંગોત્સવ પણ યોજાશે. આ તમામ કાર્યક્રમોમાં દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવશે.
પંચમહાલ પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા કુલ 31 મોબાઈલ ફોન શોધી કાઢી, તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. આ ફોનની અંદાજિત કિંમત ₹6.84 લાખ છે. આ કામગીરી 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પ્રજાભિમુખ કામગીરીના ભાગરૂપે પોલીસે આ સફળતા મેળવી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ CEIR પોર્ટલ પર નાગરિકોએ પોતાના મોબાઈલ ગુમ થયા અંગેની ઓનલાઈન અરજીઓ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, આ અરજીઓના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલ.સી.બી. સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ રિસોર્સિસ અને સર્વેલન્સની મદદથી ટૂંક સમયમાં જ આ 31 મોબાઈલ ફોન ટ્રેસ કરી લીધા હતા. પોલીસની આ કામગીરીથી અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પોતાના મોંઘા ફોન પરત મળતા નાગરિકોએ પંચમહાલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે જો તેમનો મોબાઈલ ફોન ગુમ થાય કે ચોરી થાય, તો તુરંત જ સરકારના CEIR પોર્ટલ પર તેની વિગતો નોંધાવવી જોઈએ, જેથી ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેને શોધી શકાય.
બોટાદમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં 21મા અખિલ ભારતીય અધિવેશનના ઠરાવોને ધ્યાનમાં રાખીને કુલ આઠ પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી હતી. વડાપ્રધાન પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના હેઠળ રાજ્યની 32,000 શાળાઓમાં સેવા આપતા કર્મચારીઓના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કર્મચારીઓને સૌથી ઓછું વેતન મળતું હોવાથી તેમની અનેકવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આ માંગણીઓમાં કિચન ગેસ અને જરૂરી સ્ટાફ પૂરો પાડવો, મધ્યાહન ભોજન સંચાલકોને નિશ્ચિત માનદ વેતન આપવું, તેમને શાળા સહાયક તરીકેનો દરજ્જો આપવો, અકસ્માતની ઘટનામાં વળતર અને સારવારની જોગવાઈ કરવી તેમજ અન્ય લાભો આપવાનો સમાવેશ થાય છે. ભારતીય મજદૂર સંઘે બોટાદ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ઉપરાંત આશા વર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, શિક્ષણ, શ્રમ અને રોજગાર તેમજ આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોને લઈને પણ આવેદનપત્ર આપ્યું હતું. ખાસ કરીને, સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને માત્ર યોજનાઓ પૂરતા મર્યાદિત રાખીને વર્ષોથી તેમનું ભવિષ્ય અનિશ્ચિત રાખવામાં આવ્યું હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા તેમજ એજન્સીઓ દ્વારા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ની ફેકલ્ટી ઓફ કોમર્સ હેઠળના વાણિજ્ય અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા HR સ્કિલ્સ પર નિષ્ણાત વ્યાખ્યાન શ્રેણી અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Employee Engagement: Beyond Pizza Parties and Paychecks વિષય પર વ્યાખ્યાન યોજાયું, જેમાં વિદ્યાર્થીઓને HR ક્ષેત્રની ઊંડી સમજ અને કારકિર્દી માર્ગદર્શન મળ્યું. ડીન પ્રોફેસર ડૉ. પ્રગ્નેશ શાહે પ્રારંભિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વિદ્યાર્થીઓએ બહુપરિમાણીય કૌશલ્યો વિકસાવવા જરૂરી છે. તેમણે HR ક્ષેત્રને અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું અને સંસ્થાની પ્રગતિમાં માનવ સંસાધનના મહત્વ પર ભાર મૂક્યો. આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે 19 વર્ષથી વધુનો વૈશ્વિક અનુભવ ધરાવતા ટેલેન્ટ એક્વિઝિશન સ્ટ્રેટેજિસ્ટ શ્રી પ્રદીપ તલરેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત Infosys સાથે કરી હતી અને ત્યારબાદ Apidel Technologies ને સ્ટાર્ટઅપથી મલ્ટી-મિલિયન ડોલર ગ્લોબલ સ્ટાફિંગ સંગઠન તરીકે વિકસાવવામાં યોગદાન આપ્યું હતું. તલરેજાએ પોતાના પ્રવચનમાં સમજાવ્યું કે કર્મચારી જોડાણ (Employee Engagement) માત્ર પગારચુકવણી અથવા પ્રતીકાત્મક ઉજવણીઓ પૂરતું મર્યાદિત નથી. સાચું કર્મચારી જોડાણ ત્યારે બને છે જ્યારે સંસ્થા કર્મચારી સંતોષ, સતત શીખવાની તક, પ્રેરણા અને સકારાત્મક કાર્યસ્થળ સંસ્કૃતિ પર ભાર મૂકે. તેમણે વૈશ્વિક ભરતી, નેતૃત્વ વિકાસ અને વર્કફોર્સ સ્ટ્રેટેજી સંબંધિત પોતાના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા. આ કાર્યક્રમમાં સોમ્યા અદલખાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કાર્યસ્થળ પર સંવાદ, સહકાર અને માનવીય મૂલ્યોના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને HR ક્ષેત્રની વાસ્તવિક અને પ્રાયોગિક સમજ પ્રાપ્ત થઈ. તેમને ઉદ્યોગની અપેક્ષાઓ, કર્મચારી જોડાણના મૂળ તત્ત્વો અને કારકિર્દી વિકાસ માટે જરૂરી કૌશલ્યો વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન મળ્યું, જે તેમના ભવિષ્યના વ્યાવસાયિક જીવન માટે દિશાદર્શક બન્યું.
મોરબી લીલાપર રોડના વિકાસ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ:₹13.31 કરોડના ખર્ચે સર્વાંગી બ્યુટીફીકેશન કરાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા લીલાપર રોડના સર્વાંગી વિકાસ અને બ્યુટીફીકેશન માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ₹13.31 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય શહેરની ઓળખને નવી દિશા આપવાનો છે. આશરે 4.75 કિલોમીટર લંબાઈ અને 12 મીટર પહોળાઈ ધરાવતા આ મુખ્ય માર્ગને શહેરી કોરિડોર તરીકે વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટથી નગરજનોને આધુનિક સુવિધાઓ સાથેનું નવું સ્થળ મળશે, જે શહેરની સુંદરતામાં વધારો કરશે. રોડની બંને બાજુએ સુવિધાસભર ફૂટપાથ, મજબૂત અને આકર્ષક પેવર બ્લોક ફ્લોરિંગ, પ્રીકાસ્ટ કર્બ સ્ટોન વ્યવસ્થા, માર્ગ કિનારે વૃક્ષારોપણ અને આધુનિક ડેકોરેટિવ સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ ઉપરાંત, નાગરિકો માટે સીટિંગ એરિયા, સ્વચ્છતા જાળવવા માટે પૂરતી સંખ્યામાં ડસ્ટબિન, દિશાસૂચક સાઈનેજ અને માર્ગ સલામતી માટે સ્પષ્ટ ઝેબ્રા ક્રોસિંગ સહિતની વ્યવસ્થાઓ પણ આ પ્રોજેક્ટમાં સામેલ છે.
મોરબી જિલ્લામાં વધતી જતી વ્યાજખોરી, રોમિયોગીરી, છેતરપિંડી અને આત્મહત્યા જેવી ઘટનાઓમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. આ મુદ્દે મોરબી પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ પીડિત પરિવારોએ DYSP કચેરી ખાતે ધસી જઈ ન્યાયની માંગ કરી હતી. મુખ્ય રજૂઆતો અને પોલીસની ખાતરીપાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાની આગેવાનીમાં બુધવારે 8થી 10 પીડિત પરિવારો DYSP કચેરી પહોંચ્યા હતા. DYSP જે.એમ. આલ સાથેની મુલાકાતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જિલ્લામાં હનીટ્રેપ, સાયબર ક્રાઇમ અને લુખ્ખાગીરીના બનાવો વધી રહ્યા છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. DYSP એ તમામ પીડિતોની રજૂઆતો સાંભળી ખાતરી આપી હતી કે, નવી ફરિયાદો તાત્કાલિક નોંધવામાં આવશે.જૂના કેસોમાં તપાસ તેજ કરી કડક કાર્યવાહી કરાશે.કોઈપણ ડર વગર નાગરિકોએ પોલીસનો સંપર્ક કરવો. 11 કરોડની જમીન પચાવી પાડ્યાનો આક્ષેપરજૂઆત દરમિયાન મનસુખ જેતપરિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે માતાની સારવાર માટે અક્ષય ઘેટિયા મારફતે કિશોર ચાવડા પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. આ વ્યવહારના બદલામાં 11 કરોડની કિંમતની જમીનનો સોદાખત કરાવી લેવાયો હતો. વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં જમીન પરત સોંપવામાં આવતી નથી અને પોલીસ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં આનાકાની કરી રહી હતી. જોકે, DYSP એ આ પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી છે. ચાર્જશીટમાં વિલંબ મુદ્દે નારાજગીમહેન્દ્રનગર ગામે થોડા સમય પહેલા એક યુવાને આત્મહત્યા કરી હતી. આ કેસમાં ફરિયાદ નોંધાયાને લાંબો સમય થયો હોવા છતાં પોલીસે હજુ સુધી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી નથી. મૃતક યુવાનના પિતાએ આ મામલે તપાસમાં ઢીલાશ હોવાની રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી. આગેવાન મનોજ પનારાએ કહ્યું કે, રાજકીય વગ કે ભલામણ રાખ્યા વગર ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. જો પોલીસ તટસ્થતાથી કામ કરશે તો જ મોરબીમાં ગુનાખોરી અટકશે.
વેરાવળના બાદલપરા ગામે નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:મૃતક યુવક કાજલી ગામનો, પોલીસ તપાસ શરૂ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના બાદલપરા ગામે એક યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. સવારના સમયે ગામ નજીક વહેતી નદીમાં અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વેરાવળ ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ પ્રભાસ પાટણ પોલીસને જાણ કરાતા પોલીસ દળ સ્થળ પર પહોંચ્યું હતું. પોલીસે મૃતદેહનું પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ કાજલી ગામના સેફુલ યુસુફ સુમરા તરીકે થઈ છે. યુવક અહીં કેવી રીતે પહોંચ્યો અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. યુવકે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યો છે, તે દિશામાં તપાસ ચાલી રહી છે. આસપાસના લોકો અને યુવકના પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ ઘટનાને પગલે બાદલપરા અને આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ છે. પોલીસે ઝડપી અને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.
રાજકોટ ડિવિઝન હેઠળ આવતા લાખાબાવળ રેલવે સ્ટેશન પરથી પસાર થતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે તંત્ર દ્વારા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે નવા ફૂટ ઓવર બ્રિજ (FOB) બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ નિર્માણ કાર્યને કારણે સલામતીના ભાગરૂપે લાખાબાવળ સ્ટેશન પર બે જોડી ટ્રેનોના સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કઈ ટ્રેનોને અસર થશે? રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કુલ 2 જોડી ટ્રેનો હવે નિર્ધારિત સમયગાળા દરમિયાન લાખાબાવળ સ્ટેશન પર ઉભી રહેશે નહીં. ટ્રેન નંબર 19209/19210: ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 59552/59551: ઓખા–રાજકોટ–ઓખા લોકલ ટ્રેન આ બંને ટ્રેનો અપ અને ડાઉન એમ બંને દિશામાં લાખાબાવળ સ્ટેશન પર પોતાનું સ્ટોપેજ લેશે નહીં. આ વ્યવસ્થા 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ, 2026 સુધી અમલમાં રહેવાની છે. મુસાફરો માટે જરૂરી સૂચના વિકાસલક્ષી કાર્યને કારણે લેવાયેલા આ નિર્ણયથી સ્થાનિક મુસાફરોને થોડી અસુવિધા થઈ શકે છે. રેલવે વિભાગે મુસાફરોને નમ્ર અપીલ કરી છે કે તેઓ પોતાની મુસાફરીનું આયોજન કરતા પહેલા આ ફેરફારની નોંધ લે. ટ્રેનોના સમય અને સંચાલન અંગેની સચોટ અને લેટેસ્ટ માહિતી મેળવવા માટે મુસાફરો રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજનું કામ પૂર્ણ થતા જ મુસાફરોને રેલવે ટ્રેક ઓળંગવા માટે વધુ સુરક્ષિત અને આધુનિક સુવિધા પ્રાપ્ત થશે. ત્યાં સુધી મુસાફરોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ મે મહિનામાં વાગશે ચૂંટણીના ઢોલ!..સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ તેજ થઈ.. મતદાન મથક, કર્મચારી નિમણૂંક અને EVMની ચકાસણી સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉઘરાણીથી કંટાળી પરિવારનો સામુહિક આપઘાત સુરતના વેસુ વિસ્તારમાં પરિવારે સામુહિક આપઘાત કર્યો.. પતિ-પત્ની અને દીકરીનાં મોત નીપજ્યા..બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે.. પૈસાની ઉઘરાણીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન આજથી 10 માર્ચ સુધી રાજ્યમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાશે. હેલ્મેટ વગર, નંબર પ્લેટ વગર, બ્લેક ફિલ્મવાળી કાર કે રોંગ સાઈડમાં વાહન ચલાવવા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસ કાર્યકર્તાઓએ પીએમ મોદીના પોસ્ટર સળગાવ્યા રાજકોટમાં કોંગ્રેસે પીએમ મોદીના પોસ્ટર સળગાવ્યા.AI ઈમ્પૅક્ટ સમિટ તોફાન મામલે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ધરપકડના વિરોધમાં કોંગી આગેવાનોએ વિરોધ કર્યો. જો કે પોલીસે તમામની અટકાયત કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 15% નો ફાયદો થશે અમદાવાદીઓને પ્રોપર્ટી ટેક્સમાં 15 ટકાનો ફાયદો.. વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રીબેટ યોજનામાં ઓનલાઇન પેમેન્ટ સહિત કુલ 15 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોવિરોધ કરનારા NSUIના કાર્યકર્તાઓની પ્રવેશબંધી ગુજરાત યુનિ.માં RSSના કાર્યક્રમનો વિરોધ કરનારા વિદ્યાર્થીઓનું એડમિશન રદ થશે..વિરોધ કરનારા NSUIના કાર્યકર્તાઓને કેમ્પસમાં પ્રવેશવા પર પ્રતિબંધ.. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરાશે.. તો કોંગ્રેસે કહ્યું કે યુનિ.ને આરએસએસનો અડ્ડો બનાવી દીધો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાંચ જ સેકન્ડમાં જ રફ્તારે યુવકનો ભોગ લીધો વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં બાઈકસવારનો ખતરનાક અકસ્માત સર્જાયો..યુવક બેફામ સ્પીડે બાઇક હંકારતો આવ્યો, પેટ્રોલ પંપ પાસે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી હવા ભરવાના મશીન સાથે અથડાતાં મોત નીપજ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આસારામ આશ્રમ સામે હાલ નહીં લેવાય નકારાત્મક પગલાં આસારામ આશ્રમની અપીલ પર ચૂકાદો અનામત રાખવામાં આવ્યો છે. ચુકાદો ના આવે ત્યાં સુધી આશ્રમ વિરુદ્ધ નકારાત્મક પગલા નહીં લેવા ડબલ જજની બેન્ચે આદેશ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફાર્મહાઉસમાં ઝાડ પર લટકાવેલી લાશ મળી આવી ગાંધીનગરના રાયસણમાં આંબાવાડી ફાર્મ હાઉસમાં 40 વર્ષીય મજૂરની ઝાડ પર લટકાવેલી લાશ મળી આવી,,હાથ પાછળના ભાગે બાંધેલા હોવાથ હત્યાની આશંકા છે.. પોલીસે 6 થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી રાજ્યમાં ઉનાળો શરુ થાય તે પહેલા આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.અમરેલી-ભાવનગર જિલ્લામાં હળવા ઝાપટાંની શક્યતા છે. તો અન્ય જીલ્લાઓમાં ત્રણ ઋતુઓ એકસાથે અનુભવાઈ રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ઈડરમાં કોલ સેન્ટર ઝડપાયાનો મામલો:21 સામે ફરિયાદ, 10 ઝડપાયા, તપાસ SOGને સોંપાઈ; SITની રચના
ઈડરના બરવાવ રોડ પર આવેલા એક મિનરલ પ્લાન્ટના બિલ્ડિંગમાં ચાલતા બોગસ કોલ સેન્ટર પર બે દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કોલ સેન્ટર સાથે સંકળાયેલા 21 લોકોની અટકાયત કરવામાં આવી હતી. SMC ટીમે પૂછપરછ બાદ આશરે રૂ. 20.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મંગળવારે, પકડાયેલા 21 લોકો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના ભરતભાઈ પીઠાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ કોલ સેન્ટર આશરે આઠ મહિનાથી કાર્યરત હતું. આરોપીઓ અમેરિકામાં સામાન્ય નામો ધારણ કરીને લોકોને ફોન કરતા હતા. તેઓ અમેરિકાના નાગરિક ન હોવા છતાં, લોન આપવાની લાલચ આપીને લોકોને ફસાવતા હતા. લોન મેળવવા ઈચ્છુક લોકોને 'વેરિફિકેશન ફી', 'લોન પ્રોસેસિંગ' અને 'એગ્રીમેન્ટ' ના નામે 50 થી 200 ડોલર પડાવી લેવામાં આવતા હતા. SMC ને મળેલી ચોક્કસ બાતમી અને પુરાવાના આધારે ટીમે દરોડો પાડી 15 કલાકની મહેનત બાદ 21 લોકોના નિવેદન લીધા હતા. આધારભૂત માહિતી મુજબ, 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 11 ફરાર છે. તેમની વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 316(2), 319(2), 3, 18(4) અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(સી), (ડી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. SMC દ્વારા ઝડપાયેલા આ કોલ સેન્ટરની તપાસ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ને સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે આ મામલે તપાસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) ની રચના કરી છે. આ SIT માં હિંમતનગર વિભાગીય કચેરીના DYSP એ.કે. પટેલ, SOG PI ડી.સી. પરમાર અને સાયબર પોલીસ સ્ટેશનના PI બી.પી. ડોડિયાનો સમાવેશ થાય છે. દરોડા દરમિયાન જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 2.25 લાખના 12 લેપટોપ, રૂ. 7.45 લાખના 40 મોબાઈલ ફોન, રૂ. 40,590 રોકડ, રૂ. 10 લાખની એક કાર, રૂ. 1,600 ના 8 માઉસ, રૂ. 12,000 ના 12 લેપટોપ ચાર્જર, રૂ. 1,000 ના 10 મોબાઈલ ચાર્જર અને રૂ. 4,000 ના 8 હેડફોનનો સમાવેશ થાય છે. આ 21 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ1.ગુલામગોશ ઉર્ફે રાઈડર સાબીરભાઈ કુરેશી (રહે.શાહપુર, અમદાવાદ)2.મોહમ્મદમુજાહિદ ઉર્ફે રોમન ઈનાયતહુસેન મલેક (રહે.મિરઝાપુર, અમદાવાદ)3.સાહીરખાન ઉર્ફે એલેક્ષ બીસ્મીલ્લાખાન પઠાણ (રહે.શાહીબાગ, અમદાવાદ)4.શાહરૂખ ઉર્ફે જેસન મુજીબરહેમાન શેખ (રહે.સરખેજ, અમદાવાદ)5.ફરહાજ ઉર્ફે ગાર્સિયા જીયાઉદ્દીન શેખ (રહે.વેજલપુર, અમદાવાદ)6.પાર્થ ઉર્ફે સોન ભરતભાઈ ચૌહાણ (રહે.હાથીજણ, અમદાવાદ)7.અઝહર ઉર્ફે રોય ગફુરખાન પઠાણ (રહે.શાહખાલમ, અમદાવાદ)8.રાજેશ ઉર્ફે ડેનિયલ ઠાકુરદાસ ભાવનાની (રહે.સાબરમતી, અમદાવાદ)9.નિકુંજ ખોડાભાઈ પટેલ (રહે.સરસપુર, અમદાવાદ)10.નિસર્ગ અજયભાઈ બારોટ (રહે.કૃષ્ણનગર, અમદાવાદ)ફરાર1.બાબા (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)2.પેટ્રિક (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)3.જેકની ટીમ (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)4.વોલ્ટર (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)5.રમીઝ મલિક (અમેરિકન નાગરિકના ડેટાની માહિતી પુરી પાડનાર)6.સની (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)7.ડેન (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)8.યોરી (એપલ ગિફટ કાર્ડ અને વોલમાર્ટ ગિફટ કાર્ડને યુએસડીટીમાં કન્વર્ટ કરનાર)9.એલેક્સ (યુએસડીટી એકસ્ચેન્જર અને આંગડીયા પેઢીમાં નાણાં મોકલનાર)10.જહોન ફેનરિચ (યુએસડીટી એકસ્ચેન્જર અને આંગડીયા પેઢીમાં નાણાં મોકલનાર)11.સાદિક ઉર્ફે રાજા કુરેશી (રહે.મિરજાપુર, અમદાવાદ)
કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં બજેટમાં શ્રમિકોની માંગણીઓ સંતોષવામાં ન આવતા આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેકટર કચેરી ખાતે એકદિવસીય ઘરણાં પ્રદર્શન કરી વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવ્યું હતું, આ અંગે ભારતીય મજુદર સંઘના અધ્યક્ષ રાજેશ મંડળીએ જણાવ્યું હતું કે, જગન્નાથપુરી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશનના નિર્ણય અનુસાર આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં શ્રમિકોએ એકઠા થઈ ધરણા યોજ્યા હતા અને આવેદન પત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ તાકીદે પૂર્ણ કરવા સરકારને ચીમકી આપી હતી, મજદૂર સંઘે કેન્દ્ર અને રાજ્ય સરકારો સમક્ષ નીચે મુજબની મુખ્ય માંગણીઓ રજૂ કરી છે જેમાં EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન રૂ.1 હજાર થી વધારીને રૂ.7,500 કરવાની સાથે મોંઘવારી રાહત આપવી, 'અંત્યોદય'ની ભાવના સાથે તમામ ક્ષેત્રોમાં શ્રમ કાયદાઓનું સાર્વત્રિક અમલીકરણ કરવું, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક સુરક્ષા અંગેની શ્રમ સંહિતાઓમાં કામદારોની ચિંતાઓનું ત્વરિત નિરાકરણ લાવવું, ભારતીય શ્રમ પરિષદ (ILC) તાત્કાલિક બોલાવવી અને વિવિધ ત્રિપક્ષીય સમિતિઓની પુનરચના કરવી, યોજના કામદારો અને કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કરવા તથા ભરતી પરનો પ્રતિબંધ હટાવવો, ESI, EPF અને બોનસ એક્ટ હેઠળની પાત્રતા મર્યાદામાં તાત્કાલિક વધારો કરવો સહિતની માંગણીઓ આવેદનપત્ર પાઠવી જણાવી હતી.
ભરતી મેળામાં 230 યુવાનોને મળી નોકરીની તકો:પાલનપુરમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં 230 યુવાનોને નોકરીની તકો મળી છે. જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ. પાલનપુર દ્વારા આયોજિત આ મેળામાં કુલ 543 ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ ભરતી મેળો જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને આઈ.ટી.આઈ. પાલનપુર ખાતે યોજાયો હતો. પ્રાથમિક ઇન્ટરવ્યુ પ્રક્રિયા બાદ 230 ઉમેદવારોને સ્થળ પર જ વિવિધ કંપનીઓ દ્વારા નોકરીની ઓફર આપવામાં આવી હતી. મેળામાં એમ.આર.એફ. ટાયર્સ લિ. (ભરૂચ), અરવિંદ મિલ્સ લિ. (ખાત્રેજ), જે.એન.સી. પ્રા.લિ. (વિઠલાપુર), મુજાલ પ્રા.લિ. (વિઠલાપુર), ઇનોવા ટેક પ્રા.લિ. (વિઠલાપુર) અને યાઝાકી ઇન્ડિયા પ્રા.લિ. (બેચરાજી) સહિત કુલ 13 નામાંકિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ યુવાનોને નિયમિતતા, પ્રામાણિકતા અને હકારાત્મક અભિગમ જેવા ગુણો કેળવવા પ્રેરણા આપી હતી. તેમણે યુવાનોને 'કમ્ફર્ટ ઝોન'માંથી બહાર નીકળી વર્તમાન ટેકનોલોજી અને પરિવર્તનોને સ્વીકારી ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધવા જણાવ્યું હતું. જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રોજગાર ભરતી મેળાઓ સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવામાં મદદરૂપ થાય છે. રોજગાર કચેરી યુવાનોને ઘરઆંગણે નોકરીની તકો ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નશીલ છે. તેમણે ઉમેદવારોને સરકારની વિવિધ બિઝનેસ સહાય યોજનાઓ અને કૌશલ્ય વિકાસના કાર્યક્રમોનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે આઈ.ટી.આઈ.ના નોડલ આચાર્ય આર.જી. ચૌધરીએ કૌશલ્ય (સ્કીલ) ના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ડિપ્લોમા, ડિગ્રી અને ઉચ્ચ અભ્યાસના વિકલ્પો તથા ઉદ્યોગોમાં રહેલી વર્તમાન માંગ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ ભરતી મેળાને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ. પાલનપુરના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અને આગામી સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના ભાગરૂપે એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.એમ.સી. ટાઉનહોલ ખાતે સવારે 10:30 થી સાંજના 4:00 વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં સેંકડો સફાઈ કર્મયોગીઓને શહેરને સંપૂર્ણ 'ઝીરો વેસ્ટ' બનાવવાના હેતુથી કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને આધુનિક ટેકનિકો અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ પ્રયાસ દ્વારા નવસારીને સ્વચ્છતામાં દેશમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય છે. આ શિબિરમાં 'ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેંટ'ના નિષ્ણાત પ્રશિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સફાઈ કર્મયોગીઓને કચરાનું વર્ગીકરણ (Segregation), રિસાયક્લિંગ પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. ખાસ કરીને પ્લાસ્ટિક, કાગળ, ધાતુ અને ઇ-કચરા જેવી વસ્તુઓને કેવી રીતે અલગ કરવી અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કેવી રીતે કરવો તે અંગે પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં સફાઈ સાથીઓને પ્લાસ્ટિકના વિવિધ પોલિમર ઓળખવાની વિશેષ તાલીમ અપાઈ હતી, જેમાં PETE (પીઈટી બોટલો), HDPE (દૂધ અને શેમ્પૂની બોટલો), PVC (પાઈપો), LDPE (કેરિયર બેગ) અને PP PS (માઇક્રોવેવ ટ્રે) જેવા પ્રકારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કાગળ, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ, બાયો-મેડિકલ વેસ્ટ, ઈ-કચરો અને બાંધકામ ક્ષેત્રના કચરાના નિકાલ માટે 'Reduce, Reuse, Recycle' (3R) ના સિદ્ધાંત પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓ આ જ્ઞાનને પોતાની રોજિંદી કાર્યશૈલીમાં ઉતારે તે અત્યંત જરૂરી છે. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કર્મચારીઓને સંબોધતા કહ્યું કે, તેમના સમર્પણ અને મહેનતથી જ નવસારી સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં ઉત્કૃષ્ટ સ્થાન મેળવશે. શહેરને ઝીરો વેસ્ટ બનાવવામાં દરેક કર્મયોગીની ભૂમિકા મહત્વની છે. નવસારી મહાનગરપાલિકાના આ સક્રિય પ્રયાસથી આગામી સમયમાં શહેરની સ્વચ્છતામાં મોટો સુધારો જોવા મળે તેવી શક્યતા છે.
વર્ષ 2021માં દાણીલીમડા પોલીસ મથકે આરોપીઓ રાજુ સોલંકી, ઇમરાન હુસેન અને શકીલ સામે IPC ની કલમ 302, 376A, 376D, 377, 354A(1)1, 366, 342, 328, 120B અને 114 મુજબ ગુનો નોંધાયો હતો. તેમની સામે અમદાવાદ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે 42 સાહેદ અને 52 પુરાવા તપાસીને આરોપીઓ પૈકી રાજુ સોલંકી અને શકીલ પઠાણને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે આરોપી ઇમરાન હુસેન ભાગેડુ છે. પરિણીતાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુંબનાવને વિગતે જોતા ત્રણે આરોપીઓએ 24 વર્ષીય મૂળ નેપાળની પરિણીતાનું ચંડોળા તળાવ પાસેથી રિક્ષામાં અપહરણ કર્યું હતું. ત્યાંથી પીડિતાને અલ્પ્રાઝોલમ નામની નશાકારક દવાઓ ખવડાવીને રાજુ સોલંકીના દાણીલીમડા ખાતે આવેલા ઘરે લઈ ગયા હતાં. જ્યાં આરોપીઓએ પીડિતા સાથે વારાફરથી દુષ્કર્મ આચરીને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. પીડિતાનું મોત થતાં આરોપીઓ ભાગી ગયા હતાપીડિતા બૂમો ના પાડે તે માટે તેના મોઢા ઉપર ડુચો મારી દિધો હતી. પીડિતા આરોપીઓની હવસનો શિકાર બનીને મૃત્યુ પામી હતી. પીડિતા મૃત્યુ પામતા તેને અર્ધનગ્ન હાલતમાં છોડીને આરોપી ભાગી ગયા હતા. પીડિતાને એક બાળક પણ હતું. પતિ-પત્ની તેના બાળકના ઉછેર માટે મજૂરી કરતા હતા. આ ઘટનાનો સમય ચૈત્રી નવરાત્રિનો સમયગાળો હતો. આરોપી CCTV માં કેદ થયા હતા અને DNA ટેસ્ટમાં પણ ઝડપાઈ ગયા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે દુકાનના બાકી પૈસાની ઉઘરાણી બાબતે થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઢડા પોલીસે આ કેસમાં કુલ 8 આરોપીઓ પૈકી 7ની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. ગત 20 ફેબ્રુઆરીના રોજ લાખણકા ગામે અમિત રણજીત વઢેળ નામના યુવક પર 8 શખ્સોએ લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં અમિતને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાના મૂળમાં દુકાનના બાકી પૈસાની ઉઘરાણી હોવાનું સામે આવ્યું છે. પોલીસ કાર્યવાહી અને રીકન્સ્ટ્રક્શનબનાવ અંગે ગુનો નોંધાયા બાદ ગઢડા પોલીસે તપાસ તેજ કરી હતી અને ટૂંકા ગાળામાં જ 7 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીઓ પોલીસે આ સાતેય આરોપીઓને લાખણકા ગામે હુમલાના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો પણ જપ્ત કર્યા હતા. ગ્રામજનોમાં ભારે કુતૂહલજ્યારે પોલીસ આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને મહિલાઓ પણ આ રીકન્સ્ટ્રક્શનની કામગીરી જોવા માટે એકત્રિત થઈ હતી. પોલીસે આ કાર્યવાહી દ્વારા ગુનેગારોમાં કાયદાનો ડર અને પ્રજામાં વિશ્વાસ બેસાડવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં પોલીસ ફરાર એક આરોપીની શોધખોળ કરી રહી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ભાવનગરમાં ત્રણ મહિના પૂર્વે થયેલા ત્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલા સામે ચાર્જશીટ ફાઈલ કરાયા બાદ આજે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ કમિટી કરાયો હતો. પુત્ર, પુત્રી અને પત્નીની હત્યા કેસના આરોપી શૈલેષ ખાંભલાને આજે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસ દ્વારા 12 ફેબ્રુઆરીએ શૈલેષ સામે 1500 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પુત્ર, પુત્રી અને પત્નીની હત્યા નિપજાવી સરકારી ક્વાર્ટરમાં દાટી દીધા હતાત્રણ મહિના પહેલા ACF શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયનાબેન, દીકરી પ્રુથા અને દીકરા ભવ્યને મોતને ઘાટ ઉતારી દફનાવ્યો હતો. જેમાં તા.6/11/25ના રોજ ગુમની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ તા.16/11/25ના રોજ ખોદકામ દરમિયાન ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. જે ચકચારી ત્રિપલ હત્યા કેસમાં પોલીસે 17/11/25ના રોજ શૈલેષ ખાંભલાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 18/11/25ના રોજ તેને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં તા.25/11/25 ના રોજ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તા.12/2/2026 ના રોજ પોલીસે સીસીટીવી ફૂટેજ, એફએસએલ રિપોર્ટ અને સાહેદોની પૂછપરછથી 1500 થી વધુ સજ્જડ પુરાવા એકત્ર કરીને શૈલેષ ખાંભલા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. શૈલેષ ખાંભલાને ફાસ્ટટ્રેક કોર્ટમાં રજૂ કરાયોઆજરોજ જેલ એન્ટ્રીના 92 દિવસ બાદ શૈલેષ ખાંભલા ને ફાસ્ટ્રેક કોર્ટમાં રજૂ કરવામાં આવો હતો. કોર્ટ એ આ કેસને કમિટ કર્યો છે. અને મળતી માહિતી મુજબ પોલીસે ચાર્જશીટ કરેલ તે જજ સમક્ષ આપવામાં આવ્યું છે. તા.16 નવેમ્બર 2025ના રોજ ભાવનગરમાં કાળજું કંપાવતી ત્રિપલ માર્ડરની ઘટના બની હતી.જે બનાવની પોલીસે તપાસ પૂર્ણ કરી તા.12 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. પોલીસને 90 દિવસની અંદર (3 મહિના)માં ચાર્જશીટ કરવાનું હોય 85માં દિવસે સાંયોગિક પુરાવાના આધારે 1500 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ દરમિયાન 90 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા, જેમાં પંચો, ફોરેસ્ટ કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, આજુબાજુના લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. કોર્ટ સમક્ષ 164 મુજબ 3 ફોરેસ્ટ અધિકારી અને 1 ફોરેસ્ટ મહિલા વનકર્મીના નિવેદનો લેવામાં આવ્યા હતા. શૈલેશ ખાંભલાની ઓળખ પરેડ કરવામાં આવી હતી. સાથે સીસીટીવી ફૂટેજ, એફએસલ રિપોર્ટ સાથે ચાર્જશીટ રજૂ કર્યું હતું. જ્યારે પોલીસે આ બનાવમાં નજરે જોનાર કોઈ વ્યક્તિ ન હોય ત્યારે સાયોગિક પુરાવાના આધારે પોલીસે કેસને સજ્જડ કરી ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ બનાવ અંગે રબારી સમાજના પ્રમુખ ગોવિંદભાઇ આલે જણાવ્યું હતું કે, આજે જે રાક્ષસની ફાસ્ટટ્રેક કોર્ટમાં મુદ્દત હતી, એ અમને અગાવથી ખબર હતી. એટલે સમાજના આગેવાનોને બધા કોર્ટે પહોંચ્યા હતા. આજે અમને જાણવા મળ્યું કે, એના તરફથી સુરતથી વકીલ આજે આવેલા હતા.આ કેસ ઝડપી ચાલે અને આરોપીને ફાંસીની સજા મળે એવી અમારી માગ છે. આ કેસ 6 મહિનાની અંદર પૂર્ણ થાય એવી અમે માગણી કરવાના છીએ. ફાંસીની સજા મળે એવી અમારી માંગણી છે. અને આવતી મુદતે સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજ હાજર રહેશે. અને આની અમે તાત્કાલિક 3 મહિના કે 6 મહિના માં કેશ પૂરો થાય તેવી અમે માંગણી કરવાના છીએ.
ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ, ખેતીવાડી આણંદ ખાતે શિક્ષણ જગતમાં એક નવતર પ્રયોગ જોવા મળ્યો હતો. 25 ફેબ્રુઆરી 2026 ના રોજ શાળા પરિસરમાં Easy English Fair અને પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં અંગ્રેજી વિષય પ્રત્યેની રુચિ વધારવી અને ગ્રામરના જટિલ નિયમોને રમતા-રમતા શીખવવાનો હતો. આ પ્રદર્શનની ખાસિયત એ હતી કે તેમાં ધોરણ 11 ના આર્ટસ, કોમર્સ અને સાયન્સ ત્રણેય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગ્રુપ બનાવીને અંગ્રેજી ગ્રામરના વિવિધ મુદ્દાઓને આવરી લેતા 200 થી વધુ લેંગ્વેજ લર્નિંગ ટૂલ્સ (TLM) તૈયાર કર્યા હતા. સામાન્ય રીતે વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ગ્રામરનો જે ભય જોવા મળે છે, તેને દૂર કરવા માટે આ પ્રદર્શન એક સચોટ માધ્યમ બન્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલમાં આ પ્રયોગ છેલ્લા 4 વર્ષથી સતત કરવામાં આવી રહ્યો છે. ઉચ્ચતર માધ્યમિક વિભાગના અંગ્રેજી શિક્ષક સ્ટીવન્સન રોયના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આ મેળો યોજાય છે. શિક્ષણમાં માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓ જાતે સંશોધન કરે અને પોતાની કળાનો ઉપયોગ કરીને વિષયને સમજતા થાય તેવો પ્રયાસ સ્ટીવન્સન રોય દ્વારા કરવામાં આવે છે. એકસાથે એક જ સ્થળે અંગ્રેજી વિષયની 200 થી વધુ શૈક્ષણિક સામગ્રી જોવા મળે તેવું ઉદાહરણ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. આ પ્રદર્શન માત્ર એક મેળો નહોતો, પરંતુ નવી શિક્ષણ નીતિ (NEP 2020) ના પાયાના સિદ્ધાંતોનું પ્રતિબિંબ હતું. પ્રદર્શનના આયોજન પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ તાર્કિક અભિયોગ્યતા, સમસ્યા ઉકેલવાની ક્ષમતા અને આર્ટ ઇન્ટિગ્રેટેડ લર્નિંગના ગુણો વિકસાવવાનો હતો. વિદ્યાર્થીઓએ જે રીતે મોડેલ્સ અને ચાર્ટ્સ તૈયાર કર્યા હતા, તેમાં તેમનું રિસર્ચ અને ક્રિએટિવિટી સ્પષ્ટપણે દેખાતી હતી. પ્રદર્શનમાં રજૂ થયેલા 200 જેટલા પ્રોજેક્ટ્સમાંથી શ્રેષ્ઠ કાર્યને બિરદાવવા માટે સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. જેમાં પ્રથમ 5 ક્રમાંકના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સોમુભાઇ સાહેબ, પાર્થ સાહેબ અને રિંકલબેને નિષ્પક્ષ રીતે ભૂમિકા ભજવી હતી. તેમણે વિદ્યાર્થીઓની મહેનત અને તેમની સમજણશક્તિના ખૂબ વખાણ કર્યા હતા. શાળાના આચાર્ય યોગેશભાઈ પટેલે આ સફળ આયોજન બદલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ ગોખણપટ્ટી છોડીને વિષયને મૂળભૂત રીતે સમજતા થાય છે. આનંદમય રીતે અંગ્રેજી શીખવાનો આ પ્રયોગ ચરોતર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સુરત શહેરમાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે પોલીસ અને મનપાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. સુરત શહેર SOGએ પુણાગામ વિસ્તારમાં આવેલી ‘એ વન ડેરી ફુડસ’ પર દરોડા પાડી વેચાણ થાય તે પહેલા જ 329 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ પનીર સાથે પેકિંગ મશીનરી સહિત કુલ 95,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીએ પનીર 200માં લાવી 220માં વેચતો હતો. અંદાજે આરોપીએ અઢી વર્ષમાં હજારો લોકોના પેટમાં શંકાસ્પદ પનીર પધરાવી દીધું છે. પુણાગામની એ વન ડેરી પર દરોડો બાતમીના આધારે SOGની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર ડી. બી. મકવાણાને સાથે રાખી પુણાગામ મારુતિનગર સોસાયટી વિભાગ-2 ના પ્લોટ નં. 97 પર કાર્યરત ‘એ વન ડેરી ફુડસ’માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ડેરીના માલિક સત્યવીર તારાસિંગ ધાકરે (ઉ.વ. 28) હાજર મળી આવ્યો હતો, જે મૂળ રાજસ્થાનના ધોલપુરનો વતની છે અને હાલ ગોડાદરામાં રહે છે. 329 કિલો શંકાસ્પદ પનીર અને પેકિંગ મશીનરી જપ્તદરોડા દરમિયાન ડેરીમાંથી કોઈ પણ બ્રાન્ડ વગરનું 329 કિલોગ્રામ લૂઝ પનીર મળી આવ્યું હતું. જેની કિંમત આશરે ₹65,800 થાય છે. આ ઉપરાંત, પનીર પેકિંગ કરવા માટેની પ્લાસ્ટિકની કોથળીઓ અને 30,000ની કિંમતનું એક સીલિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે કુલ 95,800નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. 200માં લાવી 220માં પધરાવી દેતા હતાપકડાયેલા સંચાલકની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તે કડોદરાથી માત્ર 200 પ્રતિ કિલોના ભાવે આ શંકાસ્પદ પનીર મંગાવતો હતો. ત્યારબાદ પોતાની દુકાને પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરી તે 220માં છૂટક અને અન્ય ડેરીઓમાં જથ્થાબંધ વેચતો હતો. સુરત શહેરમાં શુદ્ધ પનીરનો ભાવ અત્યારે 400ની આસપાસ છે, ત્યારે આટલા નીચા ભાવે પનીરનું વેચાણ ગુણવત્તા સામે મોટા સવાલો ઊભા કરે છે. અઢી વર્ષથી દરરોજ 100 કિલો પનીરનું વેચાણ કરતોઆરોપી સત્યવીરે કબૂલાત કરી છે કે તે છેલ્લા અઢી વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે. નવાઈની વાત એ છે કે તે દરરોજનું સરેરાશ 100 કિલોગ્રામ જેટલું પનીર સુરતના વિવિધ વિસ્તારોમાં વેચી દેતો હતો. અઢી વર્ષમાં તેણે હજારો કિલો શંકાસ્પદ પનીર લોકોના પેટમાં પધરાવી દીધું હોવાની આશંકા સેવાઈ રહી છે. શંકાસ્પદ પનીરના સેમ્પલને લેબોરેટરીમાં મોકલાયાSOG દ્વારા જપ્ત કરાયેલા આ પનીરના જથ્થાને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ સીલ કરવામાં આવ્યો છે. પનીર શુદ્ધ છે કે હાનિકારક કેમિકલયુક્ત, તે જાણવા માટે જરૂરી સેમ્પલો લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જો પનીર નકલી કે સબ-સ્ટાન્ડર્ડ જણાશે તો સંચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રશ્ન- નકલી પનીર કેવી રીતે બને છે?જવાબ: નકલી પનીર બનાવવા માટે બગડેલું દૂધ, લોટ, ડિટર્જન્ટ પાઉડર, પામ ઓઈલ, ગ્લિસરોલ મોનોસ્ટેરેટ પાઉડર જેવી વસ્તુઓ મિક્સ કરવામાં આવે છે. આ સિવાય નકલી પનીરમાં સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી એને અસલી પનીર જેવો આકાર મળે. આ બધી વસ્તુઓ શરીર માટે હાનિકારક છે. પ્રશ્ન- તમે નકલી પનીર કેવી રીતે ઓળખી શકો?જવાબ- સામાન્ય લોકો પાસે અસલી પનીર કે નકલી પનીર ઓળખવા માટે કોઈ લેબ કે મશીનરી નથી. આ જ કારણ છે કે દેશમાં નકલી પનીરનું બજાર ફૂલીફાલી રહ્યું છે, પરંતુ તમે ઘેરબેઠાં પણ વાસ્તવિક પનીર ઓળખી શકો છો. આનો સૌથી સહેલો રસ્તો એ છે કે એને તમારા હાથથી કચડી નાખો. આમ કરવાથી નકલી અને ભેળસેળવાળું પનીર પાઉડર બનશે, કારણ કે એ પાઉડર દૂધમાંથી બનાવવામાં આવે છે, જ્યારે વાસ્તવિક ચીઝ વધુ નરમ હોય છે. પ્રશ્ન- પનીર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?જવાબ- પનીર ખરીદતી વખતે દુકાનદાર પાસેથી સેમ્પલ તરીકે અમુક પનીર ચોક્કસથી મગાવો. આ પછી આ મુદ્દાઓને ધ્યાનમાં રાખો. વાસ્તવિક પનીર નરમ અને સ્પંજી હોય છે, તેથી ખરીદતી વખતે ખાતરી કરો કે ચીઝને થોડું દબાવો. જો એની રચના સખત હોય તો એ નકલી ચીઝ હોઈ શકે છે. વાસ્તવિક પનીર માત્ર દૂધમાંથી જ બનાવવામાં આવે છે, ેમાં દૂધ સિવાય અન્ય કોઈ ગંધ કે સ્વાદ નથી. જો પનીર ખાધા પછી તમને દૂધ સિવાય અન્ય કોઈ સ્વાદ લાગે તો પનીરમાં ભેળસેળ થઈ હોઈ શકે છે. વાસ્તવિક પનીર રબરની જેમ ખેંચાતું નથી. એ નરમ અને કોમળ રહે છે. આ વાંચો: સુરતીઓ રોજ 200 કિલો નકલી પનીર ઝાપટતાં, સુરભિ ડેરીનો ભાંડો-ફૂટ્યો
રાહુલ ગાંધીના નિવેદન સામે વેરાવળમાં વિરોધ:ભાજપ મહિલા મોરચાએ સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કર્યા
ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વેરાવળના ટાવરચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. દિલ્હીમાં યોજાયેલી AI સમિટ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કરાયેલા નિવેદનને લઈને આ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના નિવેદનોને ગેરજવાબદાર અને હાસ્યાસ્પદ ગણાવીને દેશની વૈશ્વિક છબીને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે તીખા સૂત્રોચ્ચારો સાથે રાજકીય માહોલ ગરમાવ્યો હતો. જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન સુયાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં મહિલાઓ ટાવરચોક ખાતે એકત્ર થઈ હતી. તેમણે હાથમાં પક્ષના ઝંડા અને બેનરો સાથે રાહુલ ગાંધી હાય હાય અને કોંગ્રેસ પાર્ટી હાય હાય જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા. કાર્યકર્તાઓએ રેલી સ્વરૂપે આગળ વધીને ટાવરચોક ખાતે ધરણા કાર્યક્રમ યોજી વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલાઓનો જુસ્સો અને આક્રમકતા સ્પષ્ટ દેખાઈ આવતી હતી. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાળ, વેરાવળ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા હતા. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહી હતી. મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ મંજુલાબેન સુયાણીએ જણાવ્યું હતું કે, વિદેશી મંચ પર દેશની છબીને નુકસાન પહોંચાડતા નિવેદનો દેશદ્રોહ સમાન છે. ભારતની પ્રગતિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને ખોટી રીતે રજૂ કરવું દેશવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા નિવેદનોને ક્યારેય સહન કરવામાં આવશે નહીં. દેશના ગૌરવ અને સન્માનની રક્ષા માટે ભાજપ મહિલા મોરચા હંમેશા મજબૂતીથી ઊભું રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં આ વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનોની જંગ તેજ બની શકે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષકો અને વિદ્યાસહાયકોને શિક્ષણ સિવાયની કામગીરીમાંથી મુક્ત રાખવા બાબતે શિક્ષણ વિભાગે ફરી એકવાર કડક શબ્દોમાં સૂચના જાહેર કરી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને નગર શિક્ષણ સમિતિઓને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રીય હિત માટે અનિવાર્ય હોય તે સિવાય કોઈપણ બિન-શૈક્ષણિક કામમાં શિક્ષકોને જોડવામાં ન આવે. RTE Act-2009ની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાતવિભાગના ધ્યાન પર આવ્યું છે કે, સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેક કામગીરીને ‘રાષ્ટ્રહિત’ના નામે ગણાવી શિક્ષકોને અન્ય કામોમાં લગાડવામાં આવે છે. જેના કારણે અગાઉ જાહેર કરાયેલા પરિપત્રનો વાસ્તવિક અમલ થતો નથી અને શાળાઓના શૈક્ષણિક કાર્ય પર અસર પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિયામક કચેરીએ ફરી કડક શબ્દોમાં યાદ અપાવી છે કે શિક્ષણ વિભાગના અગાઉના પરિપત્ર અને RTE Act-2009ની જોગવાઈઓનું પાલન કરવું ફરજિયાત છે. શિક્ષકોને અન્ય કામગીરી સોંપાશે તો સંબંધિત અધિકારીઓની જવાબદારીસુપ્રીમ કોર્ટના માર્ગદર્શનો અનુસાર શિક્ષકોને તેમના મુખ્ય શૈક્ષણિક કાર્ય માટે પૂર્ણ સમય ફાળવવો જરૂરી છે. નવી સૂચનામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે અનાવશ્યક રીતે શિક્ષકોને અન્ય કામગીરી સોંપવામાં આવશે તો જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. જિલ્લા અને નગર સ્તરે આ આદેશનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે હેતુથી લેવાયેલા આ પગલાને શિક્ષકવર્ગે મહત્વપૂર્ણ ગણાવ્યું છે.
'યાદવજી કી લવ સ્ટોરી' ફિલ્મનો વિરોધ:ભરૂચ યાદવ સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રતિબંધની માંગ કરી
આગામી 27 ફેબ્રુઆરી 2026 ના રોજ રિલીઝ થનારી ફિલ્મ 'યાદવજી કી લવ સ્ટોરી' સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ યાદવ-આહીર સમાજ સંઘે ફિલ્મના નામ અને કથાવસ્તુ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. સમાજે ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમાજના અગ્રણીઓ અને સભ્યોએ હાથમાં બેનરો સાથે ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવકો સાથેના સંબંધોમાં દર્શાવી 'લવ જેહાદ' જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે, આ ફિલ્મ દ્વારા યાદવ સમુદાયની છબીને કલંકિત કરવાનો પ્રયાસ થયો છે અને બહેન-દીકરીઓના ગૌરવ પર પ્રશ્નાર્થ ઊભો થાય તેવી રજૂઆત કરાઈ છે. સદીઓથી કૃષિ, પશુપાલન અને દેશસેવા સાથે જોડાયેલા ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવ્યું હોવાનો પણ રોષ વ્યક્ત કરાયો છે. આવેદનમાં ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની સાથે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મની ફરી તપાસ કરી વાંધાજનક દ્રશ્યો દૂર કરાવવા તેમજ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સમાજના આગેવાનોએ જણાવ્યું છે કે જો તેમની માંગણીઓ સંતોષાશે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.
ગોધરા રેલવે સ્ટેશન પર ગટર લાઇન લીકેજ:મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદુ પાણી, મુસાફરો દુર્ગંધથી પરેશાન
ગોધરા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલા જાહેર શૌચાલયની ડ્રેનેજ લાઇન તૂટી ગઈ છે. આને કારણે માનવ મળ-મૂત્રવાળું ગંદુ પાણી સીધું સ્ટેશનના મુખ્ય માર્ગ પર ફરી વળ્યું છે. માર્ગ પર ગંદા પાણીના ભરાવાને કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આનાથી રાહદારીઓ અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશનનો મુખ્ય પ્રવેશદ્વાર હોવાથી અહીં લોકોની સતત અવરજવર રહે છે. ગંદા પાણીના કારણે લોકોને ચાલવામાં મુશ્કેલી પડી રહી છે અને આરોગ્ય જોખમાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. આ મામલે ગોધરા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રમેશભાઈ મેહતાએ જણાવ્યું હતું કે, ગટર લીકેજ અંગેની ફરિયાદ મળતા જ તાત્કાલિક ધોરણે જવાબદાર એજન્સીને રીપેરીંગ કામગીરી કરવા સૂચના આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SPRERI) ખાતે બુધવારે 17મા બે દિવસીય ‘ઓપન-હાઉસ’નો પ્રારંભ થયો. પ્રથમ દિવસે 1,200 જેટલા મુલાકાતીઓએ SPRERITECH મોડલ્સ અને સિસ્ટમ્સની મુલાકાત લઈ રિન્યુએબલ ટેકનોલોજી વિશે જીવંત માહિતી મેળવી હતી. DMAPRના નિયામક ડૉ. મનીષ દાસના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ ફ્લેગશિપ ઇવેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે CVM અને SPRERI બોર્ડના અધ્યક્ષ ભીખુભાઇ પટેલે વિદ્યાર્થીઓને સૌર ઉર્જા, બાયો ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજન જેવી ભાવિ ટેકનોલોજી અપનાવવા આહવાન કર્યું. ઉદ્ઘાટન સત્રમાં ડૉ. મનીષ દાસે ઔષધીય પાકોની ખેતીમાં સૌર ઉર્જા આધારિત ડ્રાયિંગ અને ડિસ્ટિલેશન ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો, જેથી ખેડૂતોની આવક વધી શકે. SPRERI ના નિયામક ડૉ. અનિલકુમાર દુબેએ સંસ્થાની વાર્ષિક ઉપલબ્ધિઓ રજૂ કરી હતી. CVM ના જોઇન્ટ સેક્રેટરી વિશાલ પટેલ પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આશરે 300 જેટલા વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા. વિદ્યાર્થીઓ માટે આયોજિત ‘ગ્રીન સ્પાર્ક ઇન્ટર સ્કૂલ ક્વિઝ કોમ્પિટિશન’માં વિદ્યાનગરની 6 શાળાઓએ ભાગ લીધો હતો. રસાકસી બાદ આઈ.બી. પટેલ સ્કૂલની ટીમ વિજેતા બની હતી. આ ઉપરાંત, સંશોધક વિદ્યાર્થીઓ માટે યોજાયેલી પોસ્ટર સ્પર્ધામાં 25 રિસર્ચ પોસ્ટર્સ રજૂ કરાયા, જેમાંથી શ્રેષ્ઠ 3 ગ્રુપને પુરસ્કૃત કરાયા. પ્રદર્શનમાં 8 જેટલા વ્યવસાયિક એકમોએ પણ પોતાના સ્ટોલ્સ દ્વારા રિન્યુએબલ એનર્જીના સાધનો પ્રદર્શિત કર્યા હતા. આ પ્રદર્શન ગુરુવારે, 26 ફેબ્રુઆરીએ પણ તમામ મુલાકાતીઓ અને જિજ્ઞાસુઓ માટે ખુલ્લું રહેશે.
ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું: PM મોદીના ઈઝરાયલ પ્રવાસ અને નેતન્યાહૂના નિવેદનથી પાકિસ્તાનમાં ફફડાટ
Pakistan Reaction On PM Modi Israel Visit And Benjamin Netanyahu Statement : પાકિસ્તાને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓંક્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયલ પ્રવાસ, બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતા અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવેદનના કારણે પાકિસ્તાન ફફડી ગયું છે, જેના કારણે પાક. મીડિયા અને નેતાઓએ ઝેરીલી નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પાકિસ્તાની સરકાર નવી દિલ્હી અને તેલ અવીવના વધતા વ્યૂહાત્મક સંબંધોના કારણે ચિંતામાં મુકાઈ ગઈ છે. આ કારણે પાકિસ્તાની સિનેટમાં નેતન્યાહૂની ટીકા કરતો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં યુવકે બહેનના પ્રેમી પર ફાયરિંગ કર્યું હતું. આરોપીની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો જેની અદાવત રાખીને પગમાં ફાયરિંગ કર્યું હતું. બનાવ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને સોલા પોલીસે ઝડપી પાડ્યા છે. ત્રણ શખ્સોએ હુમલો કર્યો ને એક્ટિવાને ટક્કર મારીસોલામાં રહેતો પ્રકાશ દેસાઈ નામનો યુવક 15 ફેબ્રુઆરીના રોજ એકટીવા લઈને ચાણક્યપુરી ઉગતી બંગલોઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પ્રકાશ પર મોન્ટુ દેસાઈ, અંકુર ઠાકોર અને પીન્ટુ નાઈ નામના ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. બે રાઉન્ડ ફાયરિંગ ને જેમાં એક ગોળી પગમાં વાગીપ્રકાશને ગાડી વડે ટક્કર મારતા પ્રકાશ એક્ટિવા પરથી નીચે પટકાયો હતો. જે બાદ પ્રકાશ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક રાઉન્ડ પગમાં ગોળી વાગી હતી. પ્રકાશ પર લાકડી અને બેઝબોલથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. ત્રણેય આરોપીઓની ધરપકડ પોલીસે તપાસ કરતા પ્રકાશ દેસાઈના મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન સાથે પ્રેમ સંબંધ હતો. જેની અદાવત રાખીને મોન્ટુએ તેના સાગરીતો સાથે મળીને પ્રકાશ પર હુમલો કર્યો હતો. સોલા પોલીસે બાતમીના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. બે ત્રણ દિવસ રેકી કરીને મોકો મળતા જ ગોળી ધરબીઆરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, ત્રણેય આરોપીઓએ પ્રકાશની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને હત્યાના ઇરાદેથી જ ફાયરિંગ પણ કર્યું હતું. ત્રણેય આરોપીઓ બે ત્રણ દિવસથી પ્રકાશની રેકી કરી રહ્યા હતા અને મોકો મળતા જ પ્રકાશના પગમાં ફાયરિંગ કર્યું હતું. આ પણ વાંચો પિતરાઈ ભાઈએ પાટણના યુવક પર ફાયરિંગ કર્યું, 3 દિવસમાં 4 રાઉન્ડ ફાયરિંગ; શું કરે છે અમદાવાદ પોલીસ?અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે પાટણના યુવાનને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પાટણના યુવકને પગમાં ગોળી ધરબી દીધી છે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
રાજકોટમાં 80,507 વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો 26 મી ફેબ્રુઆરીથી શુભારંભ થઈ રહ્યો છે. જેમાં ધોરણ 10 માં 46705, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 25875 તો વિજ્ઞાન પ્રવાહમાં 7927 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 101 વિદ્યાર્થીઓ રાઇટર એટલે કે લહિયાની મદદથી પરીક્ષા આપવાના છે. જેઓને મોં મીઠું કરી આવકારવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીની સાથે કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સહિતના મહાનુભાવો જશે અને કોઈ પણ જાતના ડર વિના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે પ્રોત્સાહિત કરશે. જોકે આ દરમિયાન આજે 25 ફેબ્રુઆરીએ વિદ્યાર્થીઓને જે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે તે સ્કૂલ નિહાળવા માટે વાલી સાથે પહોંચ્યા હતા. જેમાં બોર્ડના વિદ્યાર્થીઓને તેમની શાળાથી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં જ પરીક્ષા કેન્દ્ર ફાળવવાની ગુલબાંગો ખોટી સાબિત થઈ છે કારણકે અહીંના કોઠારીયા ગામના વિદ્યાર્થીઓને 10 થી 12 કિલોમીટર દૂર પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવતા તેઓમાં આંતરિક રોસ ફેલાયો છે. જેમાંના એક વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને પરીક્ષા આપવા માટે કોઈ એક સ્કૂલ નહીં પરંતુ ત્રણ ત્રણ સ્કૂલમાં જવાનું અને એ પણ 10 કિલોમીટર દૂર. ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મેહુલ વાઢેરે જણાવ્યુ હતુ કે, હું શહેરના કોઠારીયા ગામમાં શિવસાગર પાર્કમાં રહું છું અને ત્યાં જ આવેલી ઓમ સાંઈ સ્કૂલમાં ભણું છું. 26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં મારે ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં પરીક્ષા આપવાનું થયુ છે. જેમાં પણ એક નહીં પરંતુ ત્રણ સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું છે. ચૌધરી હાઈસ્કૂલ, આઈ. પી. મિશન અને રમેશભાઈ છાયા સ્કૂલમાં પરીક્ષા આપવા જવાનું છે. પરીક્ષાની તૈયારી સારી છે અને આગળ BVOC ની ડિગ્રી મેળવવાની સાથે બિઝનેસ કરવાની ઈચ્છા છે. આ વિદ્યાર્થીને ધોરણ 12 કોમર્સમાં પ્રથમ અર્થશાસ્ત્રનું પેપર સદર વિસ્તારમાં આવેલી રમેશભાઈ છાયા સ્કૂલમાં છે. બીજું વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સિવિલ હોસ્પિટલ ચોક પાસે આવેલી આઈ.પી.મિશન સ્કૂલમાં છે. જ્યારે ત્રીજું અંગ્રેજીનું પેપર ચૌધરી હાઈસ્કૂલમાં છે. આ ઉપરાંત ચોથુ આંકડાશાસ્ત્રનું પેપર આઈ.પી.મિશન સ્કૂલમાં તો પાંચમુ ગુજરાતીનું પેપર ચૌધરી હાઈસ્કૂલમાં છે. જ્યારે છઠ્ઠું SPCC અને સાતમું એકાઉન્ટનું પેપર આઈ. પી. મિશન સ્કૂલમાં છે. ત્રણેય સ્કૂલ ઘરથી 10 કિલોમીટર દૂર થાય છે. આ બાબતે રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વિદ્યાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેની 3 કિલોમીટરની ત્રિજ્યામાં બોર્ડની પરીક્ષા કેન્દ્ર ફાળવવાનું હોય છે પરંતુ કોઠારીયા ગામની શાળાઓ છે તેની નજીક બોર્ડનો ઝોન ન હોવાથી તેઓને ત્રંબા સુધીના પરીક્ષા કેન્દ્ર ફાળવવા પડ્યા છે. કઈ સ્કૂલમાં કયા મહાનુભાવ વિદ્યાર્થીઓને આવકારશે? કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ - ન્યુ એરા સ્કૂલ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા - મહાત્મા ગાંધી સ્કૂલ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર - વિરાણી હાઈસ્કૂલ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા - બારદાનવાલા સ્કૂલ DDO અનંદુ સુરેશ ગોવિંદ - સ્વામિનારાયણ ગુરુકુળ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા - વી. જે. મોદી સ્કૂલ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.ઝાંપડા - જી. કે. ધોળકિયા સ્કૂલ
ગુજરાત હાઇકોર્ટે AI દ્વારા જનરેટ થયેલા ખોટા કાયદાકીય સાઇટેશનના ઉપયોગ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. અરજદાર મેસર્સ મરહબા ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ કમિશનર ઓફ CGSTના સપ્ટેમ્બર, 2025ના હુકમને પડકારવામાં આવ્યો હતો. CGST કમિશનરના આ ઓર્ડરમાં એવા ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો હતો જે અસ્તિત્વમાં નથી અથવા તો જે-તે કેસ સાથે બિલકુલ સુસંગત નથી. વળી ઓર્ડર જે કોર્ટના ટાંકવામાં આવ્યા હોય તે કોર્ટના નહીં, પરંતુ બીજી કોર્ટે આપેલા હોય તેવું પણ સામે આવ્યું હતું. વળી તે અરજદારની વિરુદ્ધમાં હોય તેવું પણ નહોતું. અરજદારનો મુદ્દો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ઉલ્લંઘન અંગેનો હતોએક કિસ્સામાં મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરાયો હતો, જે હકીકતમાં અસ્તિત્વમાં જ નથી. અરજદારના વકીલ દ્વારા સંશોધન કરતા જાણવા મળ્યું કે, તે ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો હતો અને તે પણ અરજદારની તરફેણમાં હતો. અન્ય ટાંકવામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ક્લાસિફિકેશન અથવા રિફંડ સાથે સંબંધિત હતા, જ્યારે અરજદારનો મુદ્દો કુદરતી ન્યાયના સિદ્ધાંતોના ઉલ્લંઘન અંગેનો હતો. જ્યારે એક ચુકાદો ગુજરાત હાઈકોર્ટનો હોવાનું જણાવાયું હતું, જે વાસ્તવમાં સુપ્રીમ કોર્ટનો હતો. કોર્ટે અરજદારને વચગાળાની રાહત આપીહાઈકોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીએ ચુકાદાઓ વાંચ્યા વગર જ AI દ્વારા જનરેટ થયેલા સંદર્ભો વાપર્યા છે, જે અત્યંત ચિંતાજનક છે. કોર્ટે જણાવ્યું હતું કે અર્ધ-ન્યાયિક સત્તાધિશોએ જ્યારે ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ટાંકે ત્યારે કયા માપદંડો પાળવા તે માટે માર્ગદર્શિકા નક્કી કરવાની જરૂર છે. કોર્ટે અરજદારને વચગાળાની રાહત આપી છે અને આ મામલે વધુ સુનાવણી 12 માર્ચ, 2026 ના રોજ નિયત કરી છે.
આણંદમાં આવતીકાલથી બોર્ડ પરીક્ષા શરૂ:50,966 વિદ્યાર્થીઓ આપશે કસોટી, 178 બિલ્ડિંગ CCTVથી સજ્જ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ આવતીકાલ, 26 ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં કુલ 50,966 વિદ્યાર્થીઓ આ કસોટી આપશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને પારદર્શક માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, તમામ બ્લોક અને 178 બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા કાર્યરત કરી દેવાયા છે. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આણંદ, પેટલાદ અને આંકલાવ ઝોનમાં ચુસ્ત સુરક્ષા આયોજન કરાયું છે. જિલ્લામાં ધોરણ-10ના 31,914 વિદ્યાર્થીઓ 40 કેન્દ્રો અને 112 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 4,159 વિદ્યાર્થીઓ 5 કેન્દ્રો પર જ્યારે સામાન્ય પ્રવાહના 14,893 વિદ્યાર્થીઓ 21 કેન્દ્રોની 45 બિલ્ડિંગમાં પરીક્ષા આપશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કુલ 59 દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયાની મંજૂરી પણ અપાઈ છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ફોન નંબર 02692-264153 સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. માનસિક તણાવ અનુભવતા વિદ્યાર્થીઓ માટે બોર્ડનો ટોલ ફ્રી નંબર 1800 233 5500 અને 24 કલાક કાર્યરત 'જીવન આસ્થા' હેલ્પલાઇન 1800-233-3330 ની સુવિધા પણ ઉપલબ્ધ છે. વહીવટી તંત્રએ પરીક્ષાર્થીઓને નિર્ભય અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે, જેમાં દેશવ્યાપી 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ, ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપ-લે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડઅત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ મોટાભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા કારણ કે, એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ આશાનીથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે. આ કેસમાં પોલીસ અગાઉ 6 આરોપીની ધરપકડ કરી હતી, જયારે આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કુલ 1500 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, ઓપરેશન મ્યુલ હંટ એકાઉન્ટ તપાસ અંતર્ગત દેશવ્યાપી 400 કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ રાજકોટ ગ્રામ્યની સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું હતું જેમાં અગાઉ 6 આરોપી બાદ આજ રોજ મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયા સહીત વધુ ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવતા આ કૌભાંડમાં કુલ 1500 કરોડનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આ ઉપરાંત પોલીસ તપાસમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ ગેમિંગ અને GST કૌભાંડની પણ રકમ આરોપીઓના એકાઉન્ટમાં જમા થતી હોવાનું સામે આવ્યું છે. 15 બેન્ક એકાઉન્ટ પર 180 જેટલી ફરિયાદ સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈઆ કેસમાં સંડોવાયેલ આરોપીઓના કુલ 15 બેન્ક એકાઉન્ટ પર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 નંબર પર કુલ 180 જેટલી ફરિયાદ નોંધાયેલ છે, જેમાં 2.94 કરોડની કુલ 21 ફરિયાદ ગુજરાત રાજ્યમાંથી અને 20.20 કરોડની કુલ 159 ફરિયાદ ગુજરાત બહાર ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડની કુલ 23 કરોડથી વધુ રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું છે જયારે બાકીની રકમ ઓનલાઇન ગેમિંગ અને GST કૌભાંડની હેરાફેરીમાં પણ જમા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વર્ષ 2025માં હૈદરાબાદ DGCI કેસમાં મુખ્ય આરોપી તેલંગાણાના આદિલુદીન મહમદની ધરપકડ કરવામાં આવી હોવાથી આ મામલે રાજકોટ પોલીસ દ્વારા સંલગ્ન વિભાગો સાથે પણ સંપર્ક કરી ઊંડાણપૂર્વક કામગીરી હાથ ધરવામાં આવશે. પોલીસની અત્યાર સુધીની તપાસમાં આરોપી મનીષ કમાણી, જય નાદપરા, મિહિર રંગાણી, આદિલુદીન મહમદ અને લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયાના કુલ 15 એકાઉન્ટમાં 1500 કરોડની રકમની લેવડ-દેવડ થઇ હોવાનું સામે આવ્યું છે, જેમાં મનીષ કમાણીના એકાઉન્ટમાં 539 કરોડ, જય નાદપરાના એકાઉન્ટમાં 383 કરોડ, મિહિર રંગાણીના એકાઉન્ટમાં 87 કરોડ, લાલો ઉર્ફે યાજ્ઞિક ઝાલાવડીયાના એકાઉન્ટમાં 493 કરોડ અને આદિલુદીન મોહમદના એકાઉન્ટમાં 23 કરોડની લેવડ-દેવડ થવા પામી છે જે પૈકી મુખ્ય આરોપી આદિલુદીન મોહમદને બાદ કરતા બાકીના ચારેય આરોપીઓના 10 એકાઉન્ટ સાયબર ફ્રોડની કુલ 23 કરોડની રકમ જમા થઇ હોવાનું સામે આવ્યું છે. આંગડિયા પેઢીના બે લોકોની પણ ધરપકડ કરવામાં આવી છેઆરોપી જય નાંદપરા, મનીષ કમાણી અને પ્રવિણસિંહ પરમાર દેશભરમાં થતી સાયબર ફ્રોડની રકમ પોતાના એકાઉન્ટમાં લેતા હતા અને બાદમાં તેમને એક લાખ રૂપિયા પર 200થી 400 રૂપિયા સુધી કમિશન મળતું હતું. પોલીસ તપાસ દરમિયાન એકાઉન્ટ હોડલર ઉપરાંત ગોંડલના ઋષિત રૈયાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો જે પોતે મિડિયેટર હતો અને પોતે એકાઉન્ટ ખોલાવી આપવાનું તેમજ એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો જયારે આરોપીઓ સાથે સંડોવાયેલ આંગડિયા પેઢીના બે માણસો મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજાની પણ ધરપકડ કરવામાં આવી હતી કારણ કે તેઓ આ ગુનામાં આરોપીઓ સાથે મળી સાયબર ફ્રોડની રકમ હોવાનું જાણવા છતાં મિડિયેટર મારફત આરોપીઓના સંપર્કમાં રહી ફ્રોડની રકમ આવ્યા બાદ રોકડ ઉપાડ કરી અન્ય જગ્યાએ રૂપિયા ટ્રાન્સફર કરી આપતા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવતાં હતા યસ બેંકમાં જ એકાઉન્ટ ખોલાવવાનું કારણ આપતા આરોપીઓએ જણાવ્યું હતું કે, યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચની જેમ જ કામ કરે છે માટે તેમાં રિસ્ટ્રિક્શન ઓછા રહે છે અને આરોપીઓ પોતાના બેન્ક એકાઉંટ માર્કેટિંગ યાર્ડની પેઢી સાથે લિંક કરાવતા હતા કારણ કે, ત્યાં TDS કાપવામાં આવતું નથી. લિબર્ટી હોવાથી TDS કાપવામાં આવતું નથી માટે ટેક્સ એજન્સીના ધ્યાનમાં આ એકાઉન્ટ આવતા હોતા નથી. હૈદરાબાદનો આરોપી આદિલ મુખ્ય આરોપી છે જે આખું નેટવર્ક ઓપરેટ કરતો હતોઅત્યાર સુધીમાં પોલીસે ગોંડલના આરોપી જય નાંદપરા, રાજકોટના આરોપી મનીષ કમાણી, પ્રવિણસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વાઘેલા, ગોંડલના ઋષિત રૈયાણી, હૈદરાબાદના આદિલુદીન મોહમદ, મિહિર રંગાણી અને હિરેન લીંબાસીયાની ધરપકડ કરવામાં આવી છે જયારે બાકી આરોપીઓમાં પોલીસ તપાસ દરમિયાન લાલાભાઇ ઝાલાવડીયાનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તમામ આરોપીઓ એકાઉન્ટ રાજકોટમાં જ ખોલાવતાં હતા જેમાં અન્ય રાજ્યમાંથી સાયબર ફ્રોડની રકમ આવતી હતી બાદમાં તેને ઉપાડી આંગડિયા પેઢી મારફત તેમજ બેન્ક મારફત દેશના અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનો આરોપી આદિલ મુખ્ય આરોપી છે જે આખું નેટવર્ક ઓપરેટ કરતો હોવાનું સામે આવ્યું છે જેમાં ગુનાહિત ઇતિહાસની પણ તપાસ હાલ કરવામાં આવી રહી છે.
પાલનપુરમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન:નગરપાલિકા પ્રમુખે રામલીલા મેદાન ખાતે કર્યો પ્રારંભ
પાલનપુર નગરપાલિકા દ્વારા રામલીલા મેદાન ખાતે સ્વદેશી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી”ના સંદેશ સાથે આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો તથા સ્થાનિક સખી મંડળો અને વેપારીઓને મજબૂતી આપવાનો છે. આ મેળાનું ઉદ્ઘાટન પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, એન.યુ.એલ.એમ.ના ચેરમેન ગીતાબેન પટણી સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ ચીમનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ‘હર ઘર સ્વદેશી’ના નારાને સાર્થક કરવા આ મેળાનું આયોજન કરાયું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને નાના ઉત્પાદકોને યોગ્ય મંચ પૂરો પાડી તેમની રોજગારીમાં વધારો કરવાનો છે. આ મેળામાં વિવિધ સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં સ્થાનિક લોકો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ આયોજનથી સ્થાનિક ઉત્પાદનો સીધા જ લોકો સુધી પહોંચશે અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વધુ મજબૂતી મળશે. આ સ્વદેશી મેળામાં વિવિધ પ્રકારના આકર્ષક સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલો મૂકવામાં આવ્યા છે, જે સ્થાનિક ઉદ્યોગકારો અને વેપારીઓને તેમના ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. આનાથી “આત્મનિર્ભર ભારત”ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે. નગરપાલિકા દ્વારા શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક વ્યવસાયને પ્રોત્સાહન આપવા અપીલ કરવામાં આવી છે.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદા શાસ્ત્ર વિભાગ દ્વારા 'હ્યુમન રાઈટ્સ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ' વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું 24 ફેબ્રુઆરીએ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં ગુજરાત સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશનના ચેરપર્સન ડૉ. કૌશલ ઠાકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અધિકારો પહેલા કર્તવ્યોનું પાલન અનિવાર્ય છે. ડૉ. ઠાકરે તેમના સંબોધનમાં કહ્યું કે, ભારતમાં નાગરિકોને મળતા અધિકારો જન્મસિદ્ધ છે, પરંતુ તેની સાથે મૂળભૂત ફરજોનું પાલન પણ એટલું જ જરૂરી છે. તેમણે ભાર મૂક્યો કે નાગરિકોએ પહેલા દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવવી જોઈએ અને ત્યારબાદ અધિકારો માટે જાગૃત થવું જોઈએ. તેમણે સ્વચ્છ પર્યાવરણ અને શુદ્ધ પાણીને પણ પાયાના માનવ અધિકાર ગણાવ્યા હતા. કુલપતિ પ્રો. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં માનવ અધિકારોને ભારતીય સંસ્કૃતિના 'વસુધૈવ કુટુંબકમ'ના સિદ્ધાંત સાથે જોડીને સમજાવવામાં આવ્યા હતા. કુલપતિએ જણાવ્યું હતું કે, માનવતા વિના અધિકારોનું કોઈ અસ્તિત્વ સંભવ નથી અને વિકાસની સાથે અસમાનતા ન વધે તે જોવાની જવાબદારી સમાજની છે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય મહિલા આયોગના મેમ્બર સેક્રેટરી ધવલ શાહ પણ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં જર્મની, રાજસ્થાન અને ગુજરાતના નિષ્ણાતો દ્વારા કુલ પાંચ ટેકનિકલ સેશન ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી લેવામાં આવ્યા હતા. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા સંશોધકોએ 40 જેટલા સંશોધન પત્રો રજૂ કર્યા હતા. વિભાગના વડા પ્રો. પરેશ આચાર્યના પ્રોત્સાહનથી યોજાયેલા આ કાર્યક્રમમાં 125 વિદ્યાર્થીઓ અને અનેક યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. દ્વિતી વ્યાસ અને ડૉ. સ્નેહા મરાઠે દ્વારા કરવામાં આવ્યું હતું.
પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વિધાનસભાની કાર્યવાહી નિહાળી અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલના સહયોગથી વિવિધ જાણકારી મેળવી હતી. શાળાના આચાર્ય ગણેશભાઈ ડોડીયા દ્વારા ધોરણ 8ના વિદ્યાર્થીઓ રાજ્યની સર્વોચ્ચ લોકશાહી સંસ્થા વિધાનસભાની કાર્યપદ્ધતિથી પરિચિત થાય તે હેતુથી આ એક દિવસીય ફિલ્ડ વિઝિટનું આયોજન કરાયું હતું. પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને વિધાનસભા સંકુલમાં પ્રવેશ તેમજ અન્ય વ્યવસ્થા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓએ પ્રેક્ષક ગેલેરીમાં બેસીને ગૃહની જીવંત કાર્યવાહી નિહાળી હતી. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેમણે ધારાસભ્યો દ્વારા પ્રજાના પ્રશ્નોની રજૂઆત, અધ્યક્ષ દ્વારા ગૃહનું સંચાલન અને શિસ્તનું પાલન પ્રત્યક્ષ જોયું. પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવતા 'ધારાસભા' અને 'કારોબારી' જેવા વિષયોને બાળકોએ જીવંત અનુભવ્યા હતા. આ મુલાકાતથી બાળકોએ ગુજરાત વિધાનસભા તેમજ અન્ય રાજ્યોમાં વિધાન પરિષદના કામકાજ, રચના અને તફાવત વિશે જાણકારી મેળવી. વિદ્યાર્થીઓએ મહાત્મા મંદિર અને ગાંધીનગરના અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષકો પણ આ શૈક્ષણિક પ્રવાહમાં જોડાયા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા તાજેતરમાં એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના એસોસિએટ પ્રોફેસર ડૉ. વિપુલ શ્રીમાળીએ 'સંશોધનની સૈદ્ધાંતિક પદ્ધતિ' વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. શ્રીમાળીએ સંશોધન કાર્યમાં પ્રાચીન અને આધુનિક પદ્ધતિઓ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કર્યો હતો. તેમણે સંશોધન સમાજ માટે કેવી રીતે ઉપયોગી બની શકે તે અંગે પણ ચર્ચા કરી હતી. વ્યાખ્યાન દરમિયાન, ડૉ. વિપુલ શ્રીમાળીએ સંશોધન પ્રપોઝલ, સિનોપ્સિસ તૈયાર કરવાની રીત, સંદર્ભ ગ્રંથોનો ઉપયોગ, પાદટીપ અને પરિશિષ્ટ જેવી સૈદ્ધાંતિક બાબતો પર ભાર મૂક્યો હતો. તેમણે વિષય પસંદગીની પ્રક્રિયા અને સંશોધન દરમિયાન આવતી વ્યાવહારિક મુશ્કેલીઓના ઉકેલ અંગે પણ માહિતી આપી હતી. આ માર્ગદર્શન એમ.એ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે પાયાનું સાબિત થયું. વિભાગના કાર્યકારી અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાયીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં કુલ 80 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. વક્તાએ સંશોધનને જ્ઞાનની અવિરત યાત્રા ગણાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણો દૂર કરી હતી.
ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના સર્વાંગી વિકાસ માટે આધુનિક પ્રાર્થના હોલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. આ સમારોહ 19 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો, જેમાં કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ અને માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાર્થના હોલ માત્ર એક ઇમારત નહીં, પરંતુ જ્ઞાન, સંસ્કૃતિ અને શ્રદ્ધાના સુમેળભર્યા સમન્વયનું પ્રતીક બનશે. તેનો મુખ્ય હેતુ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કાર્યરત સ્ટાફમાં ચિંતન, આંતરિક શક્તિ અને સકારાત્મકતાનો સંચાર કરવાનો છે. આ પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે દાતા દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) અને અમેરિકા સ્થિત દાતા મગનભાઈ પટેલ (પીપળાવ) ખાસ હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને વધુ ગૌરવવંતો બનાવ્યો હતો. ભૂમિપૂજન પ્રસંગે સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ અને પ્રોવોસ્ટ અતુલ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. આ આયોજન યુનિવર્સિટીની મૂલ્યો અને પરંપરા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સમારોહમાં રજિસ્ટ્રાર બિનીત પટેલ, મંત્રી ડો. એમ.સી. પટેલ, અશોકભાઈ પટેલ, મધુબેન પટેલ, ધીરુભાઈ પટેલ અને ગીરીશભાઈ પટેલ સહિત વિવિધ કોલેજોના ડીન અને પ્રિન્સિપાલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં તૈયાર થનાર આ પ્રાર્થના હોલ કેમ્પસમાં કાયમી શાંતિ અને સમૃદ્ધિ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાઈવે પેટ્રોલિંગ દરમિયાન એક મોટી સફળથા હાંસલ કરી છે. દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી કાર ચોરી કરી મુંબઇમાં વેચાણ કરતી એક રીઢા ગુનેગારોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે નાગલપુર કોલેજ ત્રણ રસ્તા પાસેથી બે આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી ચોરીની ત્રણ કાર સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પોલીસે બાતમીના આધારે બે શખસોને ઝડપી પાડ્યાLCBના પીએસઆઇ એન.પી. પરમાર અને એ.ડી. કાકરેચાની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, નાગલપુર કોલેજ પાસે એક સફેદ સ્વિફ્ટ ડિઝાયર કારમાં બે શંકાસ્પદ હિન્દીભાષી શખસો ઉભા છે. પોલીસે તુરંત કાર્યવાહી કરી સલીમ નાનું યામીન પઠાણ (રહે. ઉત્તરાખંડ) અને સૈયદ ઈફાજુલ હસન (રહે. મુંબઇ)ને ઝડપી લીધા હતા. સઘન પૂછપરછ દરમિયાન તેમની પાસેથી ચોરીની અન્ય બે બલેનો કાર પણ મળી આવી હતી. પાંચ ચોપડી ભણેલા શખસની ટેક્નોલોજીની મદદથી ચોરીઆ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. મુખ્ય આરોપી સલીમ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલો છે અને અગાઉ દિલ્હી NCRમાં મારૂતિ સુઝુકી કંપનીમાં લેબર તરીકે કામ કરતો હતો. ત્યાંથી કામ શીખ્યા બાદ તેણે એમેઝોન પરથી હાઈટેક ઓટેલ કંપનીનું ટેબલેટ મગાવ્યું હતું. આ ટોળકી રાત્રિના સમયે સોસાયટીઓમાં પાર્ક કરેલી કારના લોક ખાસ પ્રકારના પાનાથી તોડી, ટેબલેટને કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી સ્ટેરિંગ અનલોક કરી દેતા હતા. આ રીતે તેઓ પરભરમાં કાર ચાલુ કરીને ફરાર થઈ જતા હતા. આરોપીના જણાવ્યા પ્રમાણે તે 2017 અને 18ના વર્ષથી ઉપરના મોડેલની જ ગાડીઓ ચોરી કરતો હતો. પોલીસે રૂપિયા 15.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી દિલ્હી અને ગાઝિયાબાદથી ચોરાયેલી એક સ્વિફ્ટ ડિઝાયર અને બે બલેનો કાર કબ્જે કરી છે. આ ઉપરાંત તેમની પાસેથી 10 માસ્ટર ચાવીઓ, લોક તોડવાના સાધનો, વાઈફાઈ રાઉટર, હાઈટેક ટેબલેટ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 15,43,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક સ્વિફ્ટ ડિઝાયર સહિત કુલ ત્રણ કાર જપ્ત કરીઆ હાઇટેક ચોરી અંગે માહિતી આપતા DySP હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ શખસો પાસેથી એક સ્વિફ્ટ ડિઝાયર અને બે બલેનો કાર મળી કુલ ત્રણ ફોરવ્હીલર જપ્ત કરવામાં આવી છે. સાથે જ 4 મોબાઈલ ફોન, ગાડીઓની અલગ અલગ 10 ચાવીઓ, વાઈફાઈ રાઉટર અને કાર હેક કરવા માટે વપરાતું 5000 રૂપિયાની કિંમતનું ટેબલેટ મળી કુલ 15 લાખથી વધુ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. દિલ્હી અને ગાઝિયાબાદથી કાર ચોરી કરી મુંબઇમાં વેચતાપોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, આ વાહનો દિલ્હી અને ગાઝિયાબાદથી ચોરી કરી આરોપીઓ તેને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વેચવા જઈ રહ્યા હતા. આ અગાઉ પણ તેઓ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાંથી 10થી વધુ કારની ચોરી કરી ચૂક્યા છે. આ આખી સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર દિલ્હીનો રહેવાસી સરફરાજ છે, જે હાલ વોન્ટેડ છે. સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ દિલ્હીનો સરફરાજ વોન્ટેડ જાહેરટેક્નોલોજીનો વિકાસ આમ તો માણસની સુવિધા માટે થયો છે. પરંતુ જ્યારે આવા ભેજાબાજ ગુનેગારો આ જ ટેક્નોલોજીનો હથિયાર તરીકે ઉપયોગ કરવા લાગે ત્યારે પોલીસ માટે પણ મોટો પડકાર ઊભો થાય છે. જોકે મહેસાણા પોલીસની સતર્કતાને કારણે લાખો રૂપિયાની કારને ડિજિટલી હેક કરી ચોરતી આ આંતરરાજ્ય ટોળકી આજે જેલના સળિયા પાછળ છે. હવે જોવું એ રહેશે કે વોન્ટેડ આરોપી સરફરાજ ક્યારે પોલીસના સકંજામાં આવે છે અને આ માસ્ટરમાઇન્ડ ગેંગના તાર અન્ય કયા રાજ્યો સાથે જોડાયેલા છે. તે તો આવનારી પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે.
આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 18 માર્ચ સુધી ચાલવાની છે. જેના માટે અમદાવાદ શહેરમાં તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 347 બિલ્ડિંગમાં 95 હજાર કરતા પણ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેથી તંત્ર દ્વારા પેપર મંગાવીને સ્ટ્રોંગ રૂમમાં રાખી સીલ કરવામાં આવ્યા છે. શહેરના તમામ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષાની અને સમયસર પેપર સેટ પરીક્ષા સેન્ટર સુધી પહોંચી જાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. ઝોનલ અધિકારી દ્વારા 24 કલાક સ્ટ્રોંગ રૂમની CCTV દ્વારા મોનીટરીંગગુજરાત બોર્ડની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓની હાજરીમાં પેપર સ્ટ્રોંગરુમમાં મૂકવામાં આવ્યા છે. સ્ટ્રોંગ રૂમ સીલબંધ કરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ ઝોનલ અધિકારી દ્વારા 24 કલાક સ્ટ્રોંગ રૂમની CCTV દ્વારા મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા સમયે પેપર સેટ વહેલા સેન્ટર પર પહોંચી જાય તે માટેની સૂચના પણ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ આપી છે. ટ્રાફિકની ચિંતા કરી પેપર સેટ પોલીસ બંદોબસ્ત સાથે સેન્ટર પહોંચી જાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નગરદેવીની યાત્રા હોવાથી તેવા સેન્ટરના વિદ્યાર્થીઓને સેન્ટર પર વહેલા પહોંચવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સરકારી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે પેપર સેટ સેન્ટર પર પહોંચાડવામાં આવશેઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, શહેરના તમામ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તેમજ પોલીસ અને સ્ટાફના મોનિટરિંગની કામગીરી કરવામાં આવી છે છતાં કોઈ પ્રશ્ન હોય તો તેનું નિરાકરણ આવે તે માટે મુલાકાત લેવામાં આવી હતી. આવતીકાલે ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે તો સમયસર પેપર સેટ સેન્ટર પર પહોંચી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દૂરના સેન્ટર પર પેપર પહોંચાડવા માટે ટ્રાફિકની ચિંતા કરી તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી અધિકારી અને પોલીસ બંદોબસ્ત સાથે પેપર સેટ સેન્ટર પર પહોંચાડવામાં આવશે. સેન્ટરના નિયામકને સેન્ટર પર એક કલાક વહેલા આવવા માટે સૂચના આપવામાં આવીવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 347 બિલ્ડીંગમાં બોર્ડની પરીક્ષા યોજવાની છે. જેમાં ધોરણ-10માં 191 બિલ્ડિંગમાં પરીક્ષા યોજવાની છે. તેથી,તમામ બિલ્ડીંગ માટે ટ્રાફિકને લગતી બાબતોને ધ્યાનમાં રાખીને પેપર પહોંચાડવાની સૂચના આપવામાં આવી છે. દરેક બિલ્ડિંગમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. નગરદેવીની જે યાત્રા છે તે માટે કલેકટર અને પોલીસ કમિશનરનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. 32 જેટલા સેન્ટર યાત્રાના વિસ્તારમાં આવે છે. જેથી સેન્ટરના નિયામકને સેન્ટર પર એક કલાક વહેલા આવવા માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ ને પણ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓ હોલ ટિકિટ બતાવે તો તેમને રસ્તો આપીને સેન્ટર પર જવા દેવામાં આવે તેવી પણ સૂચના આપવામાં આવી છે.
રાધનપુરમાં નર્મદા કેનાલમાંથી પાણીની ચોરી:કુંતાસરી નજીક બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીનો દુરુપયોગ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુંતાસરી ગામ નજીકથી પસાર થતી નર્મદા વિભાગની બ્રાન્ચ કેનાલમાંથી સિંચાઈના પાણીની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. રાધનપુરથી જવાહરનગર ગામને જોડતા નવા માર્ગના નિર્માણ કાર્યમાં એક કોન્ટ્રાક્ટર દ્વારા આ પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોન્ટ્રાક્ટર નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વિના સિંચાઈના પાણીનો દુરુપયોગ કરી રહ્યા છે. માર્ગ નિર્માણ માટે પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે, તેમ છતાં સરકારી પાણીની ચોરી કરવામાં આવી રહી છે. નર્મદા વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે 24 કલાક સિંચાઈનું પાણી છોડવામાં આવે છે. કેનાલમાંથી થતી આ પાણીચોરીને કારણે ખેડૂતોને સિંચાઈના પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ઘણા ખેડૂતોને પૂરતું પાણી ન મળતા મુશ્કેલીનો અનુભવ થાય છે. મહત્વની વાત એ છે કે, નર્મદા વિભાગ પાસેથી કોઈ મંજૂરી લીધા વિના પાણીની ચોરી થઈ રહી હોવા છતાં, વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે નર્મદા વિભાગ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.
સૌરાષ્ટ્ર અને કચ્છના વીજ ગ્રાહકો માટે આજે અમંગળ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. લાંબા સમયથી વીજ બિલ ન ભરનારા ગ્રાહકો સામે તવાઈ બોલાવતા આજે 25 ફેબ્રુઆરીના રોજ સમગ્ર ઝોનમાં ‘મેગા ડિસકનેક્શન ડ્રાઈવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સ્થિત મુખ્ય કચેરીના આદેશ અનુસાર, જે ગ્રાહકોએ છેલ્લા બે થી છ મહિનાથી પોતાના વીજ બિલોની ચુકવણી કરી નથી, તેઓના ઘર કે એકમના વીજ જોડાણો કોઈપણ શેહશરમ રાખ્યા વગર કાપી નાખવાની સૂચના આપવામાં આવી છે. માર્ચ મહિનો એટલે કે નાણાકીય વર્ષનો અંત નજીક આવી રહ્યો છે ત્યારે વીજ કંપની પોતાના લક્ષ્યાંકો પૂરા કરવા માટે એક્શન મોડમાં આવી ગઈ છે. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના 12 સર્કલમાં અંદાજે 28.68 લાખ જેટલા ગ્રાહકો એવા છે જેમણે નિયત સમયમર્યાદામાં બિલ ભર્યા નથી. આ ગ્રાહકો પાસેથી કંપનીએ કુલ 652.99 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વસૂલવાની બાકી નીકળે છે. આટલી મોટી રકમ બાકી હોવાને કારણે કંપનીની આર્થિક સ્થિતિ પર અસર પડતી હોવાથી આજે ‘ડિસકનેક્શન ડે’ની ઉજવણીના ભાગરૂપે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં રહેણાંક, ઔદ્યોગિક અને ખેતીવાડી ત્રણેય કેટેગરીના બાકીદારોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો, જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ આવતા વિસ્તારોમાં પણ આજે વહેલી સવારથી જ વીજ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો રસ્તા પર ઉતરી આવ્યો છે. જૂનાગઢ PGVCLના સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર એસ. એચ. રાઠોડે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, બાકીદારો પાસેથી કડક હાથે વસૂલાત કરવા માટે ગઈકાલથી જ આખું આયોજન અને માઈક્રો પ્લાનિંગ તૈયાર કરી લેવામાં આવ્યું હતું. જૂનાગઢ વર્તુળમાં કુલ 5062 ગ્રાહકો એવા છે જેમના નામ ‘ટોપ ટુ બોટમ’ લિસ્ટમાં સામેલ છે, એટલે કે આ ગ્રાહકોના લેણાં સૌથી વધુ અને લાંબા સમયથી બાકી છે. આ મેગા ઓપરેશનને સફળ બનાવવા માટે જૂનાગઢ વર્તુળમાં અલગ-અલગ 230 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સવારના 8 વાગ્યાથી જ પોતપોતાના નિર્ધારિત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. જૂનાગઢમાં અંદાજે 436 લાખ રૂપિયા (4 કરોડ 36 લાખ) જેટલી રકમ વસૂલવાની બાકી છે. આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. દરેક ટીમની સાથે ટેકનિકલ સ્ટાફ અને ક્લેરિકલ સ્ટાફની સાથે સાથે સુરક્ષા કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિક પોલીસ, GUVNL પોલીસ અને એક્સ-આર્મી મેનનો સમાવેશ થાય છે જેથી કોઈ ગ્રાહક કર્મચારીઓ સાથે ગેરવર્તન ન કરે.જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ડ્રાઈવની વ્યાપક અસર જોવા મળી રહી છે. જૂનાગઢ શહેર વિભાગ, જૂનાગઢ ગ્રામ્ય-1, જૂનાગઢ ગ્રામ્ય-2 અને વેરાવળ વિભાગીય કચેરી હેઠળના કુલ 22 સબ-ડિવિઝનમાં એકસાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. જે ગ્રાહકો સ્થળ પર જ બિલની રકમ ભરી દેવા તૈયાર હોય તેમની પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે અને જેઓ નાણાં ભરવામાં અસમર્થ છે અથવા આનાકાની કરી રહ્યા છે, તેમના કનેક્શન તાત્કાલિક અસરથી કાપીને વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત નથી. માર્ચ મહિનાના અંત સુધી એટલે કે આગામી 31 માર્ચ સુધી સમયાંતરે આવી મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવશે. જોકે, આ આખી પ્રક્રિયામાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને આંશિક રાહત મળી છે. પાલિકાઓનું પણ કરોડો રૂપિયાનું વીજ બિલ બાકી છે, પરંતુ પાણી પુરવઠા અને સ્ટ્રીટ લાઈટ જેવી સેવાઓ ‘આવશ્યક સેવાઓ’માં આવતી હોવાથી સામાન્ય જનતાને હાલાકી ન પડે તે હેતુથી હાલમાં આ ડ્રાઈવમાંથી સરકારી તંત્રોને બાકાત રાખવામાં આવ્યા છે. વીજ કંપનીએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાકી લેણાં સત્વરે ભરી દે જેથી કરીને અંધારપટ જેવી સ્થિતિનો સામનો ન કરવો પડે. એકવાર કનેક્શન કપાઈ ગયા બાદ ફરીથી જોડાણ મેળવવા માટે ગ્રાહકોએ બાકી રકમ ઉપરાંત વધારાનો રી-કનેક્શન ચાર્જ પણ ચૂકવવો પડશે, જે ગ્રાહકો માટે આર્થિક બોજ સમાન બની શકે છે. આમ, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વીજ કંપનીના કડક વલણને કારણે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ-બાયડ હાઇવે પર રખિયાલ પોલીસે પૂર્વ બાતમીના આધારે અરવલ્લી તરફથી આવતી દારુ ભરેલી કારને ઝડપી પાડવા ફિલ્ડિંગ ગોઠવી હતી. એજ કાર અંગે પણ લોકલ ક્રાઈમને બાતમી મળતા પોલીસે સંયુક્ત રીતે નાકાબંધી કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જોકે આ ચેઝ દરમિયાન કાર પલટી જતા રૂ.6.20 લાખનો દારૂ બિયરનો જથ્થો મુકીને બૂટલેગરો અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા હોવાની ફરિયાદ રખિયાલ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. ફોર્ચ્યુનર કારમાં દારૂની હેરાફેરીગાંધીનગર રખિયાલ પોલીસ મથકના પીઆઇ એન્ડરસન અસારીની ટીમને પેટ્રોલિંગ દરમ્યાન ડુમેચા ગામના પાટીયા ખાતે પહોંચતા બાતમી મળી હતી કે, ફોર્ચ્યુનર ગાડીમા વિદેશીદારૂ તથા બીયરનો જથ્થો ભરી બાયડથી દહેગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જેથી રખિયાલ પોલીસ ડુમેચા નાકા પોઇન્ટ પર ઊભી રહી ગઈ હતી. એ વખતે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.પી. પરમારની ટીમને પણ ઉપરોક્ત ગાડીની બાતમી મળી હતી. જેના પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દારૂ ભરેલી ફોર્ચ્યુનર કારને પકડવા ડુમેચા ગામના પાટીયા ખાતે પહોંચી હતી. બાદમાં સંયુક્ત રીતે પોલીસે અત્રેના વિસ્તારમાં વોચ ગોઠવી વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસે કાર રોકવાનો પ્રયાસ કર્યો પણ રોકી નહીંદરમ્યાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકાઈ જવાની સૂચના અપાઈ છતાં ચાલકે પોલીસ ઘેરો તોડીને કાર ભગાડી મૂકી હતી. જેથી પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. ત્યારે આગળ કંડજોદરા ગામના પાટીયા નજીક પોલીસ ચોકી પાસે હાઇવે રોડ ઉપર રખીયાલ પોલીસ તથા એલસીબી ટીમ હાજર ટીમે પણ દારુ ભરેલી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં બુટલેગરે ફિલ્મી રીતે કારને પાછી હંકારી મુકી હતી. આમ પોલીસ અને બુટલેગર વચ્ચે ચેઝ શરૂ થઈ હતી. બાયડ રોડ પર કાર પલટી, ડ્રાઈવર નાસી છૂટ્યોદરમિયાન દારૂ ભરેલી ગાડી બાયડ રોડ પર પલટી મારી ગઈ હતી. અને પોલીસ ટીમો નજીક પહોંચે એ પહેલા જ બૂટલેગરો અંધારાનો લાભ લઈ ઓગળી ગયા હતા. બાદમાં પોલીસે ગાડીની તલાશી લેતા 6 લાખ 20 હજારની કિંમતનો દારુ બિયર નો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે રૂ.16.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ભાઈકાકા સર્કલ અને મોગરી વિસ્તારમાંથી 10 લારી અને 3 ટેમ્પા જપ્ત
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના બાદ એસ્ટેટ વિભાગે જાહેર માર્ગો પરથી દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે (24 ફેબ્રુઆરી) વિદ્યાનગરના ભાઈકાકા સર્કલ પાસેથી રસ્તા પર અડચણરૂપ ઊભી રહેતી 10 લારીઓ અને 3 ટેમ્પા જપ્ત કરવામાં આવ્યા છે. મનપાની ટીમે માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ ગત રાત્રિએ પણ મોગરી વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. મોગરીની મહાત્મા ગાંધી વિદ્યાલય પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 5 લારીઓ અને અન્ય પરચુરણ સામાન જપ્ત કરાયો હતો. કમિશનરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને અવરજવરમાં મુશ્કેલી પડે તેવા દબાણો કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.એસ્ટેટ ઇન્સ્પેક્ટરે આ અંગે કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે લોકો જાહેર રસ્તા પર ગેરકાયદેસર કેબિન કે લારી-ગલ્લા ઊભા રાખશે, તેમની સામે આગામી દિવસોમાં પણ આવી જ કાર્યવાહી ચાલુ રહેશે. દબાણ કરનારાઓ સામે લારી જપ્તી ઉપરાંત કાયદેસરની દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.તંત્ર દ્વારા શહેરના મુખ્ય સર્કલો અને ભીડભાડવાળા વિસ્તારોને ટ્રાફિક મુક્ત રાખવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
નાણાકીય વર્ષ 2025-26ના અંતિમ મહિનામાં જ્યારે તમામ વેપારીઓ પોતાના હિસાબો પૂર્ણ કરવામાં વ્યસ્ત છે, ત્યારે સુરત ઇન્કમટેક્સ વિભાગે શહેરના રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. બુધવારે વહેલી સવારે મિરીખ ગ્રુપ અને ઓપેરા ગ્રુપ પર શરૂ થયેલી તપાસનો સીધો સંબંધ માર્ચ એન્ડિંગના ટેક્સ ટાર્ગેટ અને બેહિસાબી રોકડ વ્યવહારો સાથે હોવાનું મનાય છે. આ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં સન્નાટો છવાઈ ગયો છે. રિયલ એસ્ટેટમાં રોકડમાં વ્યવહાર થયા હોવાની માહિતી બાદ તપાસસામાન્ય રીતે માર્ચ મહિનો આવકવેરા વિભાગ માટે વસૂલાતનો સૌથી મહત્વનો સમય હોય છે. વિભાગ પાસે પહેલેથી જ ડેટા એનાલિટિક્સ દ્વારા એવી માહિતી હતી કે, અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં બુકિંગ દરમિયાન મોટી માત્રામાં રોકડ લેવામાં આવી છે. મિરીખ અને ઓપેરા ગ્રુપ પરના દરોડા એ સાબિત કરે છે કે વિભાગ આ વર્ષે ટેક્સ ચોરી રોકવા માટે કોઈ કચાસ રાખવા માંગતું નથી. 80 અધિકારીઓની ટીમે કરેલી આ કાર્યવાહી માર્ચ એન્ડિંગ પહેલાની સૌથી મોટી રેડ માનવામાં આવે છે. નવસારી અને ધોલેરાના પ્રોજેક્ટ્સ તપાસના ઘેરામાંઓપેરા ગ્રુપ દ્વારા નવસારીમાં ચાલી રહેલા મોટા પાયે પ્લોટિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ તેમજ મિરીખ ગ્રુપના ધોલેરા SIR સ્થિત પ્રોજેક્ટ્સમાં થયેલા રોકાણો શંકાના દાયરામાં છે. માર્ચ એન્ડિંગ નજીક હોવાથી ઘણા રોકાણકારો પોતાના કાળા નાણાંને રિયલ એસ્ટેટમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે. આઇટી વિભાગે આ બંને ગ્રુપ્સના પાછલા ત્રણ વર્ષના સેલ્સ રજિસ્ટર અને કાચા હિસાબો જપ્ત કર્યા છે, જેની સરખામણી હવે ફાઈલ થયેલા ઇન્કમટેક્સ રિટર્ન સાથે કરવામાં આવશે. જમીન દલાલો દ્વારા થતા ‘કેશ’ વ્યવહારો પર તપાસના દાયરામાંઆ તપાસમાં રિયલ એસ્ટેટના મુખ્ય સૂત્રધાર ગણાતા જમીન દલાલો - વિશાળ રાવ અને આગમ બડેચાના સ્થળો પર પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીનના સોદામાં ઘણીવાર સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે જંત્રી કરતા વધુ રકમ રોકડમાં લેવામાં આવતી હોય છે. માર્ચ એન્ડિંગમાં આવા વ્યવહારોનું સેટલમેન્ટ થતું હોય છે, જેની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ દરોડા પાડ્યા છે. દલાલોના ઘરેથી મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યા છે. ડિજિટલ ડેટા અને ‘કોડેડ’ ડાયરીઓનું રહસ્યદરોડા દરમિયાન ટેકનિકલ ટીમે સર્વર અને ક્લાઉડ સ્ટોરેજમાંથી અનેક ડિજિટલ પુરાવા કબજે કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ એન્ડિંગના ક્લોઝિંગ સ્ટોક અને વેચાણના આંકડાઓમાં ગેરરીતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જપ્ત કરાયેલી કેટલીક ડાયરીઓમાં કોડવર્ડમાં લખાયેલા વ્યવહારો મળ્યા છે, જે ઉકેલવા માટે એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. આ ડેટાના આધારે આગામી દિવસોમાં સુરતના અન્ય મોટા માથાઓની પણ પૂછપરછ થઈ શકે છે. તપાસના અંતે મોટી કરચોરી સામે આવવાની શક્યતાઆવકવેરા વિભાગની આ કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને લોકર્સ ખોલવાની પ્રક્રિયા બાકી છે. માર્ચના અંત સુધીમાં આ તપાસના આધારે કરોડો રૂપિયાની અઘોષિત આવક બહાર આવવાની પૂરેપૂરી શક્યતા છે. વિભાગનો ઉદ્દેશ્ય માત્ર ટેક્સ વસૂલવાનો જ નહીં, પણ રિયલ એસ્ટેટમાં ચાલતા બિનહિસાબી નાણાંના પ્રવાહને રોકવાનો પણ છે. આ દરોડાએ સુરતના અન્ય ઉદ્યોગપતિઓને પણ સાવચેત કરી દીધા છે.
ગીર સોમનાથ જિલ્લામાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ પોતાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં બહેનો જિલ્લા સેવાસદન ખાતે એકઠી થઈ હતી અને નિવાસી અધિક કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ રજૂ કરી હતી. આશા વર્કર બહેનોએ જણાવ્યું કે તેમની મુખ્ય સમસ્યા મહેનતાણાની સમયસર ચુકવણી ન થવાની છે. મહિનાઓ સુધી મહેનતાણું ચૂકવાતું ન હોવાથી તેમને ઘરખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડે છે. કોરોનાકાળથી લઈને ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. બહેનોનો આરોપ છે કે સરકાર દ્વારા વિવિધ ઓનલાઈન રિપોર્ટિંગ અને એપ આધારિત કામગીરી માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ ઘણી આશા વર્કર પાસે સ્માર્ટ એન્ડ્રોઇડ મોબાઈલ નથી. ટેકનોલોજી અને ઇન્ટરનેટની યોગ્ય સુવિધા વિના કાર્ય કરવાનું કહેવું અન્યાયી છે. આ ઉપરાંત, લાંબા સમયથી યુનિફોર્મ આપવામાં આવ્યું નથી, તેમ છતાં ફરજ દરમિયાન યુનિફોર્મમાં હાજર રહેવા માટે દબાણ કરવામાં આવે છે. આ મુદ્દે પણ આશા વર્કર બહેનોમાં નારાજગી પ્રવર્તી રહી છે. સરકાર સમક્ષ તેમની મુખ્ય માંગણીઓમાં મહેનતાણું સમયસર ચૂકવવું, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો પૂરા પાડવા, બાકી રહેલું યુનિફોર્મ વહેલી તકે આપવું, અને આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનોને યોગ્ય માન-સન્માન અને સુરક્ષા પૂરી પાડવાનો સમાવેશ થાય છે. આશા વર્કર બહેનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવતી આશા વર્કર બહેનોનો આ વિરોધ સરકાર માટે એક મહત્વપૂર્ણ મુદ્દો બન્યો છે.
ગોધરા શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને એક યુવકે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટના શહેરની યોગેશ્વર સોસાયટીમાં બની હતી. યુવકની ઓળખ યોગેશ્વર સોસાયટીના કરણ નામવાણી તરીકે થઈ છે. તેણે તેની માતાની સારવાર માટે શિવ જીતુભાઈ પારવાણી પાસેથી રૂ. 1.26 લાખ વ્યાજે લીધા હતા. કરણનો દાવો છે કે તેણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. 5 લાખ ચૂકવી દીધા છે. આટલી મોટી રકમ ચૂકવી દીધા બાદ પણ, વ્યાજખોર શિવ પારવાણી દ્વારા મૂળ રકમની વસૂલાત માટે કરણ પર સતત દબાણ કરવામાં આવતું હતું, જેના કારણે તે માનસિક ત્રાસ અનુભવી રહ્યો હતો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા કરણ નામવાણીએ એક વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેણે જણાવ્યું હતું કે, મેં મારી માતાના ઈલાજ માટે પૈસા લીધા હતા, જેની સામે અનેકગણું વ્યાજ ચૂકવી દીધું છે. તેમ છતાં શિવ પારવાણી દ્વારા સતત માનસિક ત્રાસ આપી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે, જેનાથી કંટાળીને હું આ અંતિમ પગલું ભરી રહ્યો છું. ઘટનાની જાણ થતાં જ પરિવારજનોએ યુવકને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હાલ તેની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. એમ.વી. વસૈયાએ જણાવ્યું હતું કે, વ્યાજખોર શિવ પારવાણી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપતો મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. આ નિર્ણયથી શિક્ષકોને હવે વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સંબંધિત ફરજો સિવાયની અન્ય તમામ બિન-શૈક્ષણિક કામગીરીમાંથી રાહત મળશે. લાંબા સમયથી શિક્ષકો ફરિયાદ કરી રહ્યા હતા કે બિન-શૈક્ષણિક કામગીરીના ભારણને કારણે તેઓ બાળકોના શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ મુદ્દે સુપ્રીમ કોર્ટના હુકમ અને RTE એક્ટ-2009 ના અસરકારક અમલીકરણ માટે આ પગલું લેવાયું છે. શિક્ષણ વિભાગે વર્ષ 2011ના પરિપત્રની કડક અમલવારી કરવાનો આદેશ આપ્યો છે. આ મુજબ, શિક્ષકોને માત્ર ત્રણ જ બિન-શૈક્ષણિક કામગીરી સોંપવામાં આવશે: ચૂંટણી પ્રક્રિયા, વસ્તી ગણતરી અને આપત્તિ વ્યવસ્થાપન. આ સિવાયની તમામ આનુષંગિક કામગીરીઓમાંથી તેમને મુક્તિ આપવામાં આવી છે. આ મામલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલો આ પરિપત્ર વર્ષ 2011ના ઠરાવ અને સુપ્રીમ કોર્ટના આદેશોનું કડક પાલન સુનિશ્ચિત કરશે. આ નિર્ણયથી શિક્ષકો શાળાઓમાં શિક્ષણ કાર્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. બિન-શૈક્ષણિક ભાર ઓછો થવાથી સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ સુદ્રઢ બનશે અને બાળકોના શિક્ષણની ગુણવત્તામાં સુધારો થશે તેવી અપેક્ષા છે. તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને આ ઠરાવનો ચુસ્ત અમલ કરવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ નિર્ણય શિક્ષકોને બાળકોના શિક્ષણ પાછળ વધુ સમય ફાળવવા સક્ષમ બનાવશે.
અમદાવાદના ટેક્સ ભરવા પ્રત્યે જાગૃત નાગરિકો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજનામાં ઓનલાઇન પેમેન્ટ સહિત સાથે કુલ 15 ટકા વ્યાજ માફી આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી એડવાન્સ ટેક્સ રિબેટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. 12 ટકાથી લઈ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. ઓનલાઇન પેમેન્ટ પર એક ટકા જેટલી વધુ રાહત આપવામાં આવશે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2026-27 માટે એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે. ગત વર્ષે એડવાન્સ ટેક્સ રિબેટની યોજનામાં રૂ. 845.35 કરોડની આવક થઈ હતી. જેથી ચાલુ વર્ષે પણ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના લાગુ કરવામાં આવી છે. સળંગ ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12 અને 2 ટકા તથા ચાલુ નાણાંકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરનારને 12 ટકા તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે એક ટકાની વધુ રાહત આપવામાં આવશે. આમ કુલ 15 ટકા સુધી રાહત આપવામાં આવશે. 9 એપ્રિલથી 31 મે સુધી આ રીબેટ સ્કીમ ચાલુ રહેશે. આભ જેટલો લાભની યોજનાનો લોકો ફાયદો મેળવી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 26 લાખ જેટલા ટેક્સ પેયર્સ છે. જેમાં 6.50 લાખ કોમર્શિયલ અને 19.50 લાખ રહેણાંક પેયર્સ છે. એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ ગત વર્ષે પણ લોકોએ લીધો હતો. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષમાં એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો 6 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો. કુલ 845.35 કરોડની આવક થઈ હતી. રૂ. 89.90 કરોડની રિબેટ આપવામાં આવી હતી. લોકો પોતાનો સમયસર ટેક્સ ભરે અને વધુમાં વધુ આ યોજનાનો લાભ એના માટે આ યોજના જાહેર કરી છે.
વસ્ત્રાપુર વિસ્તારમાં બે યુવક પર 10 થી 15 લોકોના ટોળા ભેગા થઈને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાંથી એક યુવકને પીઠના ભાગે છરીના ઘા મારવામાં આવ્યા હતા.બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે બનાવના 10 દિવસ બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે આરોપીઓને બરાબરનો પાઠ ભણાવી ઘટના સ્થળે લઈ જઈ સરભરા કરી હતી. ઘુવડ ગેંગના 10 થી 15 લોકોએ 14મી ફેબ્રુઆરીએ હુમલો કર્યો હતોવસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ શક્તિ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં મહાવીરસિંહ મોરી ગાડી લે વેચનો ધંધો કરે છે.14 ફેબ્રુઆરી 2025ની રાત્રે તેઓ બાંકડા પર બેઠા હતા ત્યારે ઘુવડ ગેંગના 10 થી 15 લોકોએ અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરેલા એક કેસની અદાવત રાખીને છરા ,લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો.હુમલામાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે ઘુવડ ગેંગના પાંચ આરોપીઓને દબોચી લીધાઆ બનાવ બાદ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે ઘોડાસર તરફથી નંબર પ્લેટ વગરની ક્રેટા કારમાં ભાગી રહેલા આરોપીઓનો પીછો કર્યો હતો.વિશાલા બ્રિજ પાસે પોલીસે કારને કોર્ડન કરી રોકી હતી અને કારમાં બેઠેલા પાંચેય આરોપી પરેશ દેસાઈ ,સુનિલ રબારી ,ટાઇગર દેસાઈ,જયેશ રબારી,મોન્ટુ ભરવાડની ધરપકડ કરી છે.જોકે હજુ ફરાર આરોપીઓની તપાસ ચાલી રહી છે. એસીપી જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ફરિયાદી સિંધુ ભવન રોડ પર જઈ રહ્યા હતા ત્યારે હોર્ન મારવા અને પાર્ક કરવા બાબતે આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી.જે બાદ બંને વચ્ચે સમાધાન પણ થયું હતું.પરંતુ બીજા દિવસે આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી પર હુમલો કર્યો હતો.
સુરત શહેરના વરાછા વિસ્તારને અડીને આવેલા લસકાણામાં આજે વહેલી સવારે એક ભયાનક દુર્ઘટના ઘટી હતી. લસકાણાના રોડ નંબર 4 પર આવેલા રામદેવ નગરમાં એક જર્જરિત મકાનનું છજ્જું અને શૌચાલયનો ભાગ અચાનક ધરાશાયી થતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મોત બનીને તૂટી પડ્યું છજ્જુંમળતી માહિતી મુજબ, લસકાણા રોડ નં. 4 પર આવેલા રામદેવ નગરમાં મજૂર વર્ગ મોટી સંખ્યામાં ભાડે રહે છે. અહીં ભાડાની આવક ઉભી કરવા માટે ટૂંકા ગાળામાં મસમોટા મકાનો બાંધી દેવામાં આવ્યા છે, જેમાં નાની-નાની રૂમો અને નીચે દુકાનો બનાવવામાં આવી છે. આજે જ્યારે એક શ્રમિક ગૌતમ મકાનના ખૂણા પર બનાવેલા શૌચાલયમાં ગયો હતો, ત્યારે અચાનક મકાનનું છજ્જું અને શૌચાલયનો આખો ભાગ ધડાકાભેર નીચે ખાબક્યો હતો. શૌચાલયમાં બેઠેલો ગૌતમ કાટમાળ સાથે નીચે પટકાતા અને છજ્જા નીચે દબાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બહાર ઉભેલી અન્ય એક વ્યક્તિને હાથ-પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાઘટનાની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ જાગેલા તંત્રએ આસપાસના અન્ય ભયજનક અને જર્જરિત છજ્જાઓને તોડી પાડવાની કામગીરી તાબડતોબ શરૂ કરી દીધી છે. અધિકારીઓની ઊંઘ ક્યારે ઉડશે?આ ઘટનાએ અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે કે, ભાડાની લાલચમાં મજબૂતી વગર ઉભા કરી દેવાયેલા આ મકાનો સામે અત્યાર સુધી કેમ કોઈ પગલાં ન લેવાયા? શું દર વખતે કોઈનો જીવ જાય પછી જ પાલિકાના અધિકારીઓની આંખ ખુલશે. લસકાણા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ અનેક આવા જર્જરિત મકાનો ઉભા છે, જેમાં સેંકડો શ્રમિકો જીવના જોખમે રહે છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા માત્ર આ એક મકાન પૂરતી કામગીરી કરીને સંતોષ માનશે, કે પછી આખા વિસ્તારના જોખમી બાંધકામો સામે કડક ઝુંબેશ ચલાવશે? જો ફરી આવી કોઈ ઘટના બનશે, તો તેનો જવાબદાર કોણ રહેશે?

27 C