SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ભાજપના સેન્સની પ્રક્રિયા પૂર્ણ, 120 બેઠકો માટે 2078 દાવેદારો:વોર્ડ-10 માં 142 કાર્યકર્તાઓની પડાપડી; મજૂરા-અલથાણમાં દાવેદારોની 'સેન્ચુરી'; પાટીદાર વિસ્તારોમાં નિરસતા

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. શહેરની 30 વોર્ડની કુલ 120 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રણ દિવસીય 'સેન્સ' પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલી આ પ્રક્રિયાના અંતે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 120 બેઠકો માટે કુલ 2078 કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે દર્શાવે છે કે સત્તાધારી પક્ષમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ થવાની શક્યતા છે. પ્રદેશ નેતૃત્વની દેખરેખ હેઠળ ચાલેલી આ પ્રક્રિયામાં હવે ટિકિટ કોને મળશે તે જોવું રસપ્રદ રહેશે. વોર્ડ નંબર 10 અડાજણ-પાલમાં દાવેદારોનો રાફડોભાજપ માટે સૌથી 'સિક્યોર' ગણાતી બેઠકો પર કાર્યકર્તાઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ-ઈચ્છાપોર) માં સૌથી વધુ 142 દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આ વિસ્તાર ભાજપનો ગઢ મનાય છે, જેના કારણે અહીં ટિકિટ મેળવવા માટે હોડ જામી છે. આ ઉપરાંત અલ્થાણ-બમરોલી (વોર્ડ 29) અને ખટોદરા-મજૂરા (વોર્ડ 20) માં પણ દાવેદારોની સંખ્યા 100 ને પાર કરી ગઈ છે. સલામત બેઠકો પર કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ છલકાઈ રહ્યો છે, જે સંગઠન માટે પસંદગીનો પડકાર ઊભો કરી શકે છે. કાપોદ્રા-વરાછા જેવા પાટીદાર વિસ્તારોમાં નિરસતાબીજી તરફ, જે વિસ્તારોમાં અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું હતું, ત્યાં ભાજપના કાર્યકર્તાઓમાં હજુ પણ થોડી નિરસતા જોવા મળી રહી છે. ખાસ કરીને વરાછા અને કાપોદ્રા જેવા પાટીદાર બહુલ વિસ્તારોમાં દાવેદારોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. વોર્ડ નંબર 4 (કાપોદ્રા) માં સૌથી ઓછી એટલે કે માત્ર 34 દાવેદારી નોંધાઈ છે. તેવી જ રીતે પુણા પૂર્વ (વોર્ડ 17) માં 37 અને ફૂલપાડા-અશ્વિનીકુમાર (વોર્ડ 5) માં માત્ર 41 દાવેદારોએ રસ દાખવ્યો છે. આ વિસ્તારોમાં રાજકીય સમીકરણો કઠિન હોવાને કારણે કાર્યકર્તાઓ સાવચેતી વર્તી રહ્યા હોય તેવું જણાય છે. ત્રણ દિવસમાં 2078 લોકોએ દાવેદારી નોંધાવીસેન્સ પ્રક્રિયાના ત્રણેય દિવસ દરમિયાન ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓથી ઉભરાયું હતું. પ્રથમ દિવસે 12 વોર્ડ માટે આશરે 800 જેટલા કાર્યકર્તાઓએ નિરીક્ષકો સમક્ષ પોતાની વાત મૂકી હતી. બીજા દિવસે પણ 12 વોર્ડ માટે 778 દાવેદારો મેદાનમાં આવ્યા હતા. જ્યારે છેલ્લા દિવસે બાકી રહેલા 6 વોર્ડ માટે 500 જેટલા કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી. આમ, કુલ 2078 લોકોએ સુરતના વિકાસમાં કોર્પોરેટર તરીકે ભાગીદાર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દરેક વોર્ડ દીઠ સરેરાશ 60 થી વધુ દાવેદારો નોંધાયા છે, જે ટિકિટ વિતરણ વખતે નેતાઓની કસોટી કરશે. ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ઉત્સાહિતશહેરના વિવિધ ઝોન મુજબ દાવેદારીની વિગતો તપાસતા માલુમ પડે છે કે રાંદેર અને અઠવા ઝોનમાં દાવેદારોની સંખ્યા નોંધપાત્ર છે. વોર્ડ નંબર 11 (અડાજણ-ગોરાટ) માં 96 અને વોર્ડ નંબર 29 (અલ્થાણ-વડોદ) માં 101 દાવેદારો છે. મધ્ય સુરતની વાત કરીએ તો વોર્ડ નંબર 13 (વાડીફળીયા-બેગમપુરા) માં 94 દાવેદારોએ ઝંપલાવ્યું છે. લિંબાયત અને ઉધના વિસ્તારમાં પણ સરેરાશ 60 થી 80 દાવેદારો દરેક વોર્ડમાં જોવા મળી રહ્યા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે કેટલા ઉત્સાહિત છે. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં સંકલન બેઠક, ટિકિટના માપદંડો પર ચર્ચાસેન્સ પ્રક્રિયા પૂર્ણ થયાના તુરંત બાદ ભાજપના સંગઠનમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. પ્રદેશ મહામંત્રી અને સુરત શહેર પ્રભારી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ, વિવિધ વિધાનસભાના ધારાસભ્યો અને પૂર્વ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ સેન્સ દરમિયાન આવેલા નામોનું સ્ક્રીનિંગ કરવાનો અને જીતી શકે તેવા ઉમેદવારોની યાદી તૈયાર કરવાનો હતો. પ્રભારીએ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષના માપદંડો મુજબ જ ઉમેદવારની પસંદગી થશે. જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પરિબળો પર ભારઆગામી દિવસોમાં ટિકિટની વહેંચણી માટે જ્ઞાતિ-જાતિના ગણિતોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. સંકલન બેઠકમાં જે-તે વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડના સામાજિક સમીકરણો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કયા વોર્ડમાં કયા સમાજનું પ્રભુત્વ છે અને કયા ઉમેદવારને ઉતારવાથી એન્ટી-ઈન્કમ્બન્સી ઓછી કરી શકાય, તે બાબતે ધારાસભ્યો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યા હતા. હવે આ નામોની પેનલ બનાવી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે, જ્યાં આખરી મહોર મારવામાં આવશે. સુરત ભાજપ હવે ટૂંક સમયમાં ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. સુરત મનપા ચૂંટણીની વોર્ડ (1થી 30) વાઈઝ દાવેદારોની યાદી

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:24 pm

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 427 દાવેદાર:વોર્ડ 9માં સૌથી વધુ 49, વોર્ડ 10માં સૌથી ઓછા 18 દાવેદારો

મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા 427 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. શુક્રવારે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં 13 વોર્ડમાંથી કુલ 427 આગેવાનોએ ટિકિટ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી. મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થતાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ચૂંટણી લડવા ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રદેશમાંથી આવેલા અમદાવાદના ધારાસભ્ય અમિતભાઈ શાહ, પુષ્પાબેન મિસ્ત્રી અને રુચિરભાઈ ભટ્ટે વોર્ડવાર આગેવાનોની સેન્સ લીધી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાના જણાવ્યા અનુસાર, 52 બેઠકો માટેની સેન્સ પ્રક્રિયામાં કુલ 427 આગેવાનોએ ભાજપની ટિકિટ માટે દાવેદારી કરી છે. વોર્ડ નં. 9 માં સૌથી વધુ 49 દાવેદારો હતા, જ્યારે વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 18 દાવેદારો નોંધાયા હતા. અન્ય વોર્ડમાં દાવેદારોની સંખ્યા આ મુજબ છે: વોર્ડ 1માં 39, 2માં 31, 3માં 35, 4માં 26, 5માં 31, 6માં 35, 7માં 44, 8માં 34, 11માં 29, 12માં 30 અને 13માં 26. દાવેદારી કરનારાઓમાં નગરપાલિકાના પૂર્વ સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યો (અથવા તેમના પતિ), સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખો અને સામાજિક આગેવાનોનો સમાવેશ થાય છે. હવે જિલ્લા ભાજપ સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં જિલ્લા પ્રભારી, જિલ્લા પ્રમુખ, મહામંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો હાજર રહેશે. આ બેઠકમાં દરેક બેઠક દીઠ ત્રણ-ત્રણ દાવેદારોના નામની પેનલ બનાવીને પ્રદેશમાં મોકલવામાં આવશે, ત્યારબાદ પ્રદેશમાંથી ઉમેદવારોના અંતિમ નામ જાહેર કરાશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 10:15 pm

BREAKING: દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ

Earthquake tremors felt in Delhi: દિલ્હી-NCR, જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે(3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધવામાં આવી છે, જેના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં તેની અસર જોવા મળી છે. ભૂકંપના કારણે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારો ધ્રૂજી ઉઠ્યા હતા અને એક પછી એક બે આંચકા આવતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

ગુજરાત સમાચાર 3 Apr 2026 10:05 pm

કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારતી હાઇકોર્ટ:આંબલીયાએ આક્ષેપ કર્યો હતો કે DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતા

કોંગ્રેસ નેતા પાલ આંબલિયા દ્વારા વર્ષ 2021 માં ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં વ્યક્તિની ધરપકડ અને તે પછીની કાર્યવાહી અંગે રજૂઆતો કરવામાં આવી હતી. DCP જયદીપસિંહ PI હિતેશ ગઢવી અને PI વિક્રમ વણઝારા સામે આંબલિયાએ અરજી દાખલ કરી હતી. જેમાં પક્ષકાર તરીકે તત્કાલીન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને પણ જોડવામાં આવ્યા હતા. DCP અને PI એ ઝાડ સાથે બાંધીને માર્યા હતાઆંબલિયાએ જણાવ્યું હતું કે, તેઓ ગુજરાત કોંગ્રેસના દેવભૂમિ દ્વારકાના ખેડૂત નેતા છે. વર્ષ 2020 માં તેમની સામે પ્રદ્યુમન નગર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાં તેમને પોલીસ સ્ટેશનથી બોલાવીને જામીન આપી દેવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે તેઓ પોલીસ સ્ટેશનથી પરત ફરતા હતા, ત્યારે તેમને અંગૂઠો લેવાનો છે તેમ કહીને ફરીથી પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેમને પોલીસ કમિશનર કચેરીએ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં DCP જયદીપસિંહ અને PI હિતેશ ગઢવીએ તેમને ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. PIએ ફરિયાદ લેવાની ના પાડી હતીતે પછી તેમની પર જુદા જુદા કેસ કરવામાં આવ્યા હતા. પાલ આંબલિયાએ આ સંદર્ભે મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોધાઇ હતી. તેઓએ પ્રદ્યુમન નગર પોલીસ મથકે DCP અને માર મારનાર PI હિતેશ ગઢવી સામે પોલીસ ફરિયાદ આપવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસ સ્ટેશનના PI વિક્રમ વણઝારાએ ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી. તેઓએ આ અંગે કમિશનરને પણ રજૂઆત કરી હતી. આ ઉપરાંત DGP ને પત્ર લખ્યો હતો. ત્યાં ગાંધીનગર સેક્ટર 21 પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા. પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતીઆંબલિયાના જણાવ્યા મુજબ તેમનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવ્યું ન હતું. આ કેસ જ્યારે પેન્ડિંગ હતો, ત્યારે પોલીસે આક્ષેપિત કર્મચારીઓ સામે FIR નોંધી હતી. પરંતુ તેમાં પણ મેજિસ્ટ્રેટ સમક્ષ આ સમરી ભરી દીધી હતી. જે મુજબ અન્ય એક DCP એ કરેલી તપાસમાં પ્રથમદર્શી રીતે કસ્ટોડિયલ માર મરાયાનું સામે આવ્યું નથી. જો કે ડોક્ટરના સારવારના પ્રમાણપત્રો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. હાઇકોર્ટે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની કન્ટેમ્પ અરજી નકારીચાર પોલીસ કર્મચારી સામે ફરિયાદ સંદર્ભે A સમરીમાં પૂરતા પુરાવા નહીં મળી આવ્યા અને ગુનો બન્યો છે, પરંતુ આરોપી ઓળખાયા નથી તે પ્રમાણેની સમરી ભરવામાં આવી છે. જ્યારે સામા પક્ષકારોના વકીલે જણાવ્યું હતું કે આ મુદ્દે JMFC કોર્ટ સમક્ષ કાર્યવાહી પેન્ડિંગ છે. આરોપીએ સામે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી. CID ક્રાઈમ બ્રાન્ચે પણ આ બાબતે તપાસ કરી હતી. આ ઘટનાના કોઈ CCTV પણ નથી. કોઈ એટ્રોસિટી આચરવામાં આવી નથી કે તેની કોઈ સાબિતી પણ નથી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ બાબતે કોઈ પ્રથમદર્શી પુરાવા નથી, JMFC કોર્ટ સમક્ષ આ મુદ્દો પેન્ડિંગ છે, ત્યારે આ અરજીને નકારવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:49 pm

કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ:સુરતમાં શાળાની બાંધકામ સાઇટ પર 8 વર્ષની માસૂમ પર બળાત્કાર, આરોપી બાળકી રમતી હતી ને રૂમમાં ખેંચી ગયો

સુરતના કતારગામ વિસ્તારમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. રામજી મંદિર પાસે નિર્માણ પામી રહેલી એક શાળાના બાંધકામ સ્થળે શ્રમિક પરિવારની 8 વર્ષની બાળકી પર પિતાની સાથે જ કામ કરતા એક મજૂરે દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. માસૂમ બાળકીએ હિંમત બતાવી માતા-પિતાને આપવીતી જણાવતા પોલીસે બિહારના આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. રમતી બાળકી પર નજર બગડીમળતી માહિતી પ્રમાણે, કતારગામ રામજી મંદિર પાસે એક સ્કૂલનું બાંધકામ ચાલી રહ્યું છે, જ્યાં બિહારના કટિહાર જિલ્લાના અનેક મજૂરો પરિવાર સાથે રહી મજૂરી કામ કરે છે. ગત 1 એપ્રિલના રોજ બપોરે 2 થી સાંજના 6:30 વાગ્યા દરમિયાન જ્યારે અન્ય મજૂરો કામમાં વ્યસ્ત હતા, ત્યારે આરોપી અલી અજંર મહમદ હબલુ આલમ (રહે. બિહાર) એ ત્યાં રમી રહેલી 8 વર્ષની બાળકીને એકલી જોઈ હતી. આરોપી બાળકીને પકડીને સાઇટ પર બનાવેલી એક રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ધમકી આપી ‘માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ’માસૂમ બાળકી કંઈ સમજે તે પહેલા જ હવસખોર અલી અજંરે તેને ડરાવવાનું શરૂ કર્યું હતું. તેણે બાળકીને ધમકી આપતા કહ્યું હતું કે, જો તે આ વાત કોઈને કરી તો તને જાનથી મારી નાખીશ. માતા-પિતાને કહીશ તો પતાવી દઈશ. આ ધમકીથી બાળકી થરથર ધ્રૂજી ઉઠી હતી. જોકે, હવસખોરના ગયા બાદ માસૂમે હિંમત એકઠી કરી આખી ઘટના માતા-પિતાને કહી સંભળાવી હતી. ગણતરીના કલાકોમાં આરોપી જેલ ભેગોબાળકીના માતા-પિતાએ તાત્કાલિક કતારગામ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાળકીની ગંભીર હાલત અને ગુનાની ગંભીરતા જોઈ તુરંત જ બળાત્કાર અને પોક્સો (POCSO) હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી અલી અજંરની શોધખોળ આદરી ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી લીધી હતી. શાળા જેવી પવિત્ર જગ્યાએ નરાધમનું પાપજ્યાં બાળકો શિક્ષણ મેળવવા આવવાના છે તેવી નિર્માણધીન શાળામાં જ આ હીન કૃત્ય આચરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે, જેથી આ કેસમાં વધુ પૂછપરછ કરી શકાય.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:37 pm

સિદ્ધપુરના ધુમ્મડ ગામે આકાશી વીજળી ત્રાટકતા ગાય-ભેંસના મોત:વિધવા મહિલાની આજીવિકા છીનવાઈ, સરકારી સહાયની માંગ

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે કમોસમી વરસાદ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ ઘટનામાં એક ગાય અને એક ભેંસનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પશુઓ એક ગરીબ વિધવા પરિવારના હતા, જેમને આર્થિક ફટકો પડ્યો છે. જિલ્લામાં વાતાવરણમાં આવેલા પલટા બાદ સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ કુદરતી આફત દરમિયાન વીજળી પડતા પશુપાલન પર નિર્ભર કાંતાબેન (સ્વ. પુંજાજી વાઘાજી ઠાકોર) ના બે પશુઓ મૃત્યુ પામ્યા હતા. બાંધેલા પશુઓને બચાવવાની કોઈ તક મળી ન હતી. કાંતાબેન અત્યંત ગરીબ પરિસ્થિતિમાં જીવન ગુજારે છે અને તેમના પરિવારમાં કમાનાર કોઈ સભ્ય નથી. આ ગાય અને ભેંસ જ તેમના ઘરનું ગુજરાન ચલાવવાનો એકમાત્ર સ્ત્રોત હતા. પશુઓના દૂધથી થતી આવક દ્વારા જ તેઓ પરિવારનું ભરણપોષણ કરતા હતા. આ દુર્ઘટના બાદ પરિવારની આજીવિકાનું સાધન છીનવાઈ જતાં કાંતાબેન અને તેમનો પરિવાર અસહાય સ્થિતિમાં મુકાઈ ગયા છે. ગ્રામજનોએ વિધવા મહિલાની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા ત્વરિત ધોરણે પશુઓના મોત અંગેનો સર્વે કરવાની માંગ કરી છે. પરિવાર પાસે હાલ આવકનું બીજું કોઈ સાધન ન હોવાથી સરકારી તંત્ર વહેલી તકે આર્થિક વળતર ચૂકવે તેવી માંગ પ્રબળ બની છે. પશુઓના અકાળે મોતથી થયેલું નુકસાન આ ગરીબ પરિવાર માટે મોટો આર્થિક ફટકો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:35 pm

વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ:વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથું મળ્યું, હનુમાન જયંતીના દિવસે નવાયાર્ડ રેલવે કોલોનીમાં અસામાજિક તત્વોની હરકત

વડોદરા શહેરમાં હનુમાન જન્મોત્સવ જેવા પવિત્ર દિવસે શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ફરી એકવાર શહેરમાં જોવા મળ્યો હતો.અસામાજિક તત્વોએ નવાયાર્ડ વિસ્તારમાં આવેલી વ્યાયામશાળાને નિશાન બનાવી તેમાં બકરાનું કપાયેલું માથું નાખીને હિન્દુ લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. વ્યાયામશાળામાં બકરાનું કપાયેલું માથુ મળ્યુંશહેરના નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલી વ્યાયામશાળામાં અસામાજિક શખ્સ દ્વારા બકરાનું કપાયેલું માથું નાખવામાં આવ્યું હોવાની ઘટના ચકચાર મચાવી છે. આ ઘટનાથી સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને વાતાવરણમાં તણાવ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ હિન્દુ યુવકો દ્વારા રેલવે પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી. જેના પગલે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા પ્રયાસપોલીસે હાલમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપાયેલું બકરાનું માથું નાખીને શહેરની શાંતિ ભંગ કરવા સાથે હિન્દુ લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો. સંગઠનોએ DRM આવેદનપત્ર આપ્યુંઆજે હિન્દુ સંગઠનો દ્વારા DRM ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આ વિસ્તારમાં બનેલી ઘટનાને લઈ ગંભીરતા દાખવી છે.આ મામલે રેલવે પોલીસે જાણાવાજોગ ફરિયાદ નોધી આ વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:29 pm

ભાજપનું ઓપરેશન ઘરવાપસી:સસ્પેન્ડેડ પૂર્વ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાને પુનઃ ભાજપનો ખેસ પહેરાવાયો, મેયર વિરુદ્ધ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરી હતી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે, ત્યારે ભાજપ દ્વારા ઓપરેશન ઘર વાપસી હાથ ધરવામાં આવ્યું છે. ભાજપના પૂર્વ મેયર નિલેશ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પત્રિકા ફરતી કરનાર ભાજપના જ સભ્ય અલ્પેશ લિંબાચિયાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા બાદ સામી ચૂંટણીએ તેઓને પાછો ભાજપનો ખેસ પહેરાવી પ્રવેશ આપવામાં આવ્યો છે, ત્યારે હવે ભાજપમાં જ આંતરિક વિખવાદ સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતાપૂર્વ મેયર નિલેશ રાઠોડ સામે ભાજપના જ કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાએ ભ્રષ્ટચારના આક્ષેપ સાથે પત્રીઓંક ફરતી કરી હોવાના આક્ષેપ હતા. આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ તેઓના સાળાનું નામ પણ ખુલ્યું હતું. સમગ્ર મામલે ભાજપે અલ્પેશ લીંબાચીયા સામે કડક રહે કાર્યવાહી કરી તેઓને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. જે તે સમયે પત્રિકાકાંડની તપાસમાં તેઓની ભૂમિકા સપાટી પર આવતાં અને પક્ષમાં કોઈ આવું કૃત્ય ન આચરે તેવો દાખલો બેસાડવા ભાજપે અલ્પેશ લિંબાચિયાને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી પક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા નિર્ણય કર્યો છે, જ્યારે અલ્પેશ લિંબાચિયાએ કહ્યું કે, પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય છે. સસ્પેન્ડ થયા બાદ પણ પાર્ટી વિરુદ્ધ કામ નથી કર્યુંઅલ્પેશ લિંબાચિયાને ભાજપે વિધિવત રીતે ખેસ પહેરાવી પુનઃ પ્રવેશ આપ્યો હતો. ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સસ્પેન્ડ થયા બાદ પણ મેં ભાજપ વિરુદ્ધ કામ નથી કર્યું. જયારે સામાન્ય સભામાં મતદાન થકી કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે મેં ભાજપની તરફેણમાં જ મતદાન કર્યું છે. ત્યારે ભાજપે મારા ઉપર પુનઃ જવાબદારી મૂકી છે તેને હું એક કાર્યકર તરીકે પરિપૂર્ણ કરીશ. ત્રણ વર્ષમાં કોર્પોરેશનમાં જ્યારે પણ મતદાનની સ્થિતિ આવી, ત્યારે તેમણે હંમેશા ભાજપની તરફેણમાં જ મત આપ્યો છે. તેમણે ક્યારેય પણ પાર્ટીની શિસ્ત વિરુદ્ધ કામ કર્યું નથી અને ભવિષ્યમાં પણ નહીં કરે તેવી ખાતરી આપી હતી. ચૂંટણી લડુ કે નહીં તે પાર્ટી નિર્ણય કરશેઆગામી સમયમાં ચૂંટણીઓ છે, ત્યારે અલ્પેશ લિંબાચિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પાર્ટી જે નિર્ણય લેશે તે પ્રમાણે હું અનુસરીશ. તેઓ એક જ વાતને વળગી રહ્યા હતા કે પાર્ટી જે આદેશ કરશે તે પ્રમાણે કરીશ. ત્યારે આગામી સમયમાં ભાજપના સમીકરણો બદલાઈ શકે છે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. સિનિયર ધારાસભ્યએ મધ્યસ્થી કરી?અલ્પેશ લીંબાચીયા ગત ટર્મમાં વોર્ડ 19માંથી જીત્યા હતા. તેઓ દ્વારા સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નજીકના મનાતા અને તેઓના આશીર્વાદથી જ મેયર બનેલા નિલેશ રાઠોડ વિરુદ્ધ પત્રિકા ફરતી કરવામાં આવી હતી. ત્યારે હાલની ચૂંટણીમાં અલ્પેશ લિંબાચિયાને ભાજપમાં પરત લેવામાં શું સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જ મધ્યસ્થી કરી કે કેમ તે અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આ અંગે યોગેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં એમ જણાવ્યું હતું કે, આ પાર્ટીનો નિર્ણય છે અને પાર્ટી કરે એ શિરોમાન્ય હશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:29 pm

આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર:શેર બજારના રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં ફરિયાદી પાસેથી 5.30 કરોડ લીધા, 2.57 કરોડ રૂપિયા પરત આપી નહીં

અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સેટેલાઈટ પોલીસ મથકે ચાલુ વર્ષે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે એક પુરુષ આરોપી અને બે મહિલા આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં પુરુષ આરોપી મિહિર પરીખના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. શેર બજારના રોકાણના નામે 5.30 કરોડ લીધાપોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શેર બજારમાં રોકાણ કરવાની સારા વળતરની લાલચ આપીને આરોપીઓએ ફરિયાદી અને તેના પરિવાર પાસેથી કુલ 5.30 કરોડ રૂપિયા લીધા હતા. જેને બેંક ખાતામાં RTGS મારફતે રૂપિયા મેળવાયા હતા. આરોપીઓએ તેનું શેર બજારમાં રોકાણ કરવાની જગ્યાએ અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. વળી ફરિયાદીને ખોટા માર્ગે દોરવા પોતાની એપમાં ખોટો ડેટા બતાવ્યો હતો. તેમ જ મોતીલાલ ઓસવાલના ખોટા એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ માત્ર 2.73 કરોડ પરત આપ્યાફરિયાદીએ આરોપીઓ પાસેથી પૈસા માંગતા તેને 2.73 કરોડ જેટલી રકમ પરત આપી હતી. જો કે 2.57 કરોડ જેટલી રકમ પરત આપી ન હતી. ત્યારે સરકારી વકીલ તુષાર.એલ. બારોટે આરોપીઓના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે આરોપીના બેન્ક ખાતાની તપાસ કરવાની છે અને પૈસાની રિકવરી મેળવવાની છે. આરોપીઓએ ખોટા એકાઉન્ટ ક્યાં અને કેવી રીતે બનાવાયા અને તેમાં કયા સાધનોનો ઉપયોગ કર્યો તે મેળવવાના છે. આરોપી સામે ચેક બાઉન્સના 21 કેસોઆરોપીઓના 47 બેંક ખાતાની તપાસ કરવાની છે. આરોપીઓ કેટલા લોકોને છેતર્યા છે, કેટલી મિલકતો વસાવી છે તેની તપાસ કરવાની છે. અન્ય આરોપીઓની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવાની છે. આરોપી સામે ચેક બાઉન્સના 21 કેસો થયેલા છે. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને રાખીને આરોપી મિહિર પરીખના બે દિવસના ડિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:25 pm

માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાના મજબૂત ઉમેદવારો પસંદ કરવા માટે કવાયત કરી રહ્યા છે. આ દરમિયાન મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા આયોજિત 'સેન્સ પ્રક્રિયા'માં એક આશ્ચર્યજનક અને અનેક સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. માળિયા મીયાણા નગરપાલિકાની 24 બેઠકો માટે ભાજપમાંથી એક પણ નેતાએ દાવેદારી નોંધાવી નથી. નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીંમોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે જ્યારે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી અર્થે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી હતી. 2જી એપ્રિલે બપોરે 2:30થી 4:30 સુધી માળિયા નગરપાલિકા માટે સેન્સ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી હતી. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો રમણભાઈ વોરા, દેવાંગભાઈ દવે અને ગૌરવભાઈ રૂપરેલીયા માળિયા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે માળિયા શહેરી વિસ્તારમાંથી એક પણ આગેવાન કે કાર્યકર ટિકિટની માંગણી કરવા માટે ફરક્યા પણ નહોતા. જિલ્લા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયાઆ અજીબોગરીબ સ્થિતિ અંગે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, માળિયા (મી) તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે અને ત્યાં પૂરતા પ્રમાણમાં દાવેદારી પણ નોંધાઈ છે. જોકે, નગરપાલિકાની 24 બેઠકો માટે કોઈ દાવેદાર ન આવતા હાલ સંકલનની કાર્યવાહી ચાલી રહી છે. માળિયા તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે સેન્સ પ્રક્રિયામાં આગેવાનોએ ભાગ લીધો છે, પરંતુ નગરપાલિકા માટે હજુ સંકલન ચાલુ છે. અમને આશા છે કે આગામી સમયમાં માળિયાથી ભાજપ માટે સારા સમાચાર આવશે. રાજકીય વર્તુળોમાં ચર્ચા અને સવાલોસત્તાધારી પક્ષ ભાજપ, જે હંમેશા સંગઠન અને શિસ્ત માટે જાણીતો છે, તેના માટે માળિયા નગરપાલિકામાં દાવેદારોનો અભાવ ચર્ચાનો વિષય બન્યો છે. શું સ્થાનિક સ્તરે કોઈ આંતરિક નારાજગી છે?શું ભાજપના કાર્યકરો ચૂંટણી લડવા માટે ખચકાઈ રહ્યા છે? કે પછી આ કોઈ ખાસ રણનીતિનો ભાગ છે? સંકલન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસહાલમાં કોઈ ઉમેદવાર સામે ન આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા માળિયાના સ્થાનિક આગેવાનો સાથે બેઠકો અને સંકલન સાધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભાજપના નેતાઓ આશાવાદી છે કે ટૂંક સમયમાં જ આ મડાગાંઠ ઉકેલાશે અને 24 બેઠકો પર સક્ષમ ઉમેદવારો મેદાને ઉતારવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે, આગામી દિવસોમાં માળિયા નગરપાલિકામાં ભાજપનું કમળ ખીલવવા માટે કયા ચહેરાઓ સામે આવે છે અને પક્ષ કઈ રીતે આ શૂન્યાવકાશ ને ભરે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:24 pm

પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો:પત્ની સાથે ઝઘડો થયા બાદ આવેશમાં આવી યુવકે ગળાફાંસો ખાધો, દીકરી જોઈ જતા જીવ બચી ગયો

રાજકોટ​ શહેરના પાંજરાપોળ પાસે આવેલા દુરાની પાર્ક વિસ્તારમાં રહેતા અને ચાંદી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેન્દ્ર ઉર્ફે શુભમ માળી (ઉ.વ.32) નામના યુવકે પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન તેમની દીકરીએ પિતાને આ હાલતમાં જોઈ બૂમો પાડતા પત્ની કિયાબેન અને આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા જેથી નીચે ઉતારી તાત્કાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં સુરેન્દ્રભાઈને પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો આ બોલાચાલી બાદ આવેશમાં આવી તેમણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું અને રૂમમાં જઈ પંખાના હૂક સાથે ગાળિયો બનાવી લટકી ગયા હતા હાલ પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પત્ની અન્ય શખસ સાથે ભાગી જતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો જૂનાગઢના કડીયાવાડ વણકરવાસમાં રહેતા વિજયભાઈ પરસોતમભાઈ ચુડાસમા (ઉં.વ.22)એ ગઈકાલે રાત્રે 3.30 વાગ્યા આસપાસ રાજકોટમાં પુનિતનગરના ટાંકા સામે વિશ્વકર્મા સોસાયટી નજીક આવેલ મેલડી માતાજીના મંદિર પાસે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને વિજયએ જણાવ્યું કે, મારી પત્નીનું નામ કિરણ છે. કિરણનાં મારી સાથે બીજા લગ્ન છે. કિરણને આગલા ઘરના દીકરો અને દીકરી છે. જ્યારે અમારા લગ્ન જીવનથી 2 દીકરા છે. હાલ ચારેય સંતાન મારી સાથે રહે છે. મારે જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ પાસે ચા ની હોટલ અને ગાદલાની દુકાન છે. મારી પત્ની અવાર નવાર ઘરેથી ચાલી જતી પણ પાછી આવી જતી. જોકે 4 મહિના પહેલા તે ઘરેથી ગઈ પછી પાછી આવી ન હતી. હું તેને શોધતો હતો. દરમ્યાન મને ઇન્સ્ટાગ્રામ રિલ્સમાં મયુર નામના યુવાનના એકાઉન્ટમાં રિલ્સ જોવા મળી. જેમાં મારી પત્ની અને તે દ્વારકામાં હતા તેવા ફોટા હતા. મેં મયુરનો કોન્ટેક કર્યો તો મયુરે ફોન પર જણાવ્યું કે બંને ખાલી ફ્રેન્ડ છે. પછી મેં હાઈલાઈટ જોતા મયુર સાથેનાં મારી પત્નીના અન્ય ફોટા જોયા. જેથી મયુર જામનગરનો હોવાની જાણ થતા હું જામનગર ગયો જ્યાં મયુરના ભાઈએ જણાવ્યું કે, મયુર રાજકોટ રહે છે. જેથી હું રાજકોટ આવ્યો પણ અહીંથી મયુર અને મારી પત્ની બંને ક્યાંક જતા રહ્યા હતા. જેથી કંટાળી મેં આ પગલું ભર્યું હતું. જામનગર રોડ ઉપર મનહરપુરમાં તસ્કરો ત્રાટકયા રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ મનહરપુર વિસ્તારમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ફરિયાદી આશીફભાઈ નુરમહમદ ઠેબાએ જણાવ્યું હતું કે તારીખ 30 માર્ચના રોજ રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના પરિવાર સાથે કરણપરા ખાતે રહેતા તેમના સાળીના ઘરે રોકાવા ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું જેનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ ઘરના મેઈન દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે એટલે કે સવારે 6 વાગ્યે જ્યારે આશીફભાઈ અને પરિવાર પરત ફર્યો, ત્યારે ઘરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતા માલુમ પડ્યું કે લોખંડના કબાટમાં રાખેલ પત્નીના બે અલગ-અલગ પર્સ ગુમ હતા. આ પર્સમાં ફરિયાદીએ પોતાની બચતના કુલ રૂ. 1.10 લાખ રોકડા રાખ્યા હતા જેની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમા મહિલા ઉપર પાડોશી પરિવારનો હુમલો નવલનગરમાં રહેતા સોનલબેન ગોપાલભાઈ પરમાર ગઈકાલે સાંજે 5.30 વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા સુરેશભાઈ, તેની પત્ની નીમુબેન, પુત્રી ગૌરીબેન અને વર્ષાબેન સહિતના શખ્સોએ ધસી આવી ઝઘડો શરૂ કર્યો હતો. દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા આ શખ્સોએ ઉશ્કેરાઈ જઈ સોનલબેન પર હોકી વડે હુમલો કરી ગંભીર માર માર્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં સોનલબેનને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​આ હુમલા પાછળનું કારણ સગીરાના અપહરણની જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી સુરેશનો નાનો ભાઈ જયેશ અગાઉ ફરિયાદી સોનલબેનની સગીર દીકરીને ભગાડી ગયો હતો. આ બાબતે સોનલબેન અને તેમના પરિવારે માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જેનો ખાર રાખીને આરોપી પરિવાર અવારનવાર ઝઘડો કરતો હતો. બનાવના દિવસે સોનલબેનની દીકરી જ્યારે આરોપીની દુકાને દૂધ લેવા ગઈ હતી, ત્યારે આરોપીઓએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. પોતાની વ્હાલસોયી દીકરીને બચાવવા માટે સોનલબેન વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. હાલ આ મામલે પોલીસે હોસ્પિટલ પહોંચી સોનલબેનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:24 pm

પેટ્રોલ પુરાવવા બાબતે મારામારી:સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મચારી સાથે મારામારી કરી, પાંચ સામે ફરિયાદ

વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠેકરનાથ મહાદેવ મંદિર સામે પેટ્રોલ પંપ પર એક કર્મચારી સાથે પેટ્રોલ પુરાવવા જેવી નજીવી બાબતે મારામારી અને ધમકીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી તાસીનખાન ઉર્ફે સમીરખાન ઉર્ફે એડા યુનુસખાન પઠાણે પોતાના પાંચ-છ મિત્ર સાથે મળીને કર્મચારીને લાકડાના ફટકા માર્યા હતા. ટાંકીમાંથી બોટલમાં પેટ્રોલ ભરવાનું કહી બબાલ કરીફરિયાદી રાહુલભાઈ નાયકા (રહે. સંગમ સ્વાદ ક્વાર્ટર્સ, આઝાદ ચોક, હરણી રોડ, વડોદરા)એ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ સાંજે પોતાની નોકરી પર હાજર હતા. આ દરમિયાન એક અજાણ્યા એક્ટિવાના ચાલકે બોટલ લઈને પેટ્રોલ લેવા આવ્યા હતા. કર્મચારીએ ના પાડતા આરોપીએ ટાંકીમાં પેટ્રોલ ભરાવીને કહ્યું કે હવે ટાંકીમાંથી પેટ્રોલ કાઢી મને બોટલમાં ભરી આપ. બોલાચાલી અને ઝપાઝપી કરીને આરોપીઓ ફરારકર્મચારીએ ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ઝપાઝપી કરી હતી. તેણે ગડદાપાટુનો માર માર્યો અને પોતાના મોબાઈલથી મિત્રોને બોલાવ્યા હતા. ત્યારબાદ આરોપીના પાંચ-છ મિત્ર ફોર-વ્હીલર કારમાં આવ્યા અને ત્યાં ગેરકાયદે મંડળી રચી હતી. મિત્રો સાથે મળીને આરોપી કર્મચારીને ડરાવવા હાથમાં લાકડાના ફટકા લઈને બોલાચાલી અને ઝગડો કર્યો હતો. આરોપીઓએ ફરીથી ગાળો આપી અને ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 9:07 pm

શંખેશ્વરના સીપુરમાં સરપંચ વિરુદ્ધ જાતિ અપમાનની ફરિયાદ:ઘરે એકલી મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના સીપુર ગામે ચૂંટણીની અદાવત રાખી મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગામના સરપંચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ સીપુર ગામના વતની અને હાલ અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા કૈલાશબેન વણકર 30 માર્ચના રોજ પિયર આવ્યા હતા. 31 માર્ચના રોજ સવારે કૈલાશબેન ઘરે એકલા હતા ત્યારે ગામના સરપંચ હરીભાઈ જાદવ ત્યાં આવ્યા હતા. મહિલાએ ઘરે કોઈ સભ્ય હાજર ન હોવાનું જણાવતા સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘હું સરપંચ છું, ગમે તેના ઘરે આવી શકું છું’ તેમ કહી બળજબરીપૂર્વક ઘરમાં પ્રવેશ કર્યો હતો. સરપંચે મહિલાને જાતિ વિષયક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે જો ભવિષ્યમાં મહિલા કે તેમનો ભાઈ વચમાં આવશે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. પોતાની પાસે પુષ્કળ પૈસા હોવાનો રોફ જમાવી સરપંચ ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભયભીત થયેલી મહિલાએ તુરંત 112 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં સામાજિક સમાધાનના પ્રયાસોને કારણે ફરિયાદમાં વિલંબ થયો હતો, પરંતુ અંતે શંખેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હરી જાદવ વિરુદ્ધ BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા) ની કલમ 173 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ ની કલમ 3(1)(r), 3(1)(s) અને 3(2)(va) મુજબ ગુનો નોંધ્યો છે. આ કેસની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:35 pm

મનપાની ચૂંટણી માટે AAP ના 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 21 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 3 માંથી 2 નામો, વોર્ડ નંબર 5 માંથી 3 નામો, વોર્ડ નંબર 6 માંથી 1 નામ, વોર્ડ નંબર 7 માંથી 1 નામ, વોર્ડ નંબર 8 માંથી 1 નામ, વોર્ડ નંબર 9 માંથી 3 નામ, વોર્ડ નંબર 10 માંથી 1 નામ, વોર્ડ નંબર 11 માંથી 4 નામો, વોર્ડ નંબર 12 માંથી 1 નામ તથા વોર્ડ નંબર 13 માંથી 3 નામ જાહેર કર્યા છે. બીજી યાદીમાં મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા જાહેર કરેલા નામો વોર્ડ.3 હર્ષદિપસિંહ યાદેજા, વોર્ડ.3 જ્યોતિબેન સાપરા, વોર્ડ.5 રાઠોડ ચંદુભાઈ, વોર્ડ.5 ભાવના ત્રિવેદી, વોર્ડ.5 રેશમાબેન સેખ, વોર્ડ.6 સલીમભાઈ આદમભાઈ મહેતા, વોર્ડ.7 કલોત્રા સુનિલભાઈ રમેશભાઈ, વોર્ડ.8 બીનાબેન ચૌહાણ, વોર્ડ.9 ધવલ અંઝારા, વોર્ડ.5 રેખાબેન મકવાણા, વોર્ડ.9 મહેન્દ્રસિંહ સરવૈયા, વોર્ડ.10 ચૌહાણ સેજલબેન પ્રદીપભાઈ, વોર્ડ.11 સરવૈયા હરેશ વિઠ્ઠલભાઈ, વોર્ડ.11 મનીષા વિજય હિરાણી, વોર્ડ.11 પ્રેરણા રામૈયા, વોર્ડ.11 અશ્વિન સિહોર, વોર્ડ.12 જાગૃતિબેન, વોર્ડ.13 સંજયભાઈ, વોર્ડ.13 માયાબેન, વોર્ડ.13 ધાસિયા જયદીપ તથા વોર્ડ.13 વાલા કૈલાસબા સહિત 21 ઉમેદવારોના નામો જાહેર કર્યા છે, પહેલી યાદીમાં મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા જાહેર કરેલા નામો વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ, વોર્ડ નં.1 પરમાર બાલાભાઈ સાદુલભાઈ, વોર્ડ નં. 1 સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, વોર્ડ નં. 1 અલગૌતર હીરાબેન હમાભાઈ, વોર્ડ નં. 10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ, વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ, વોર્ડ નં. 2 મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા, વોર્ડ નં. 2 ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ, વોર્ડ નં. 2 મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ, વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા તથા વોર્ડ નં. 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે, ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 8:24 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAPના ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર:2500થી વધુ ઉમેદવારોને તક, મનોજ સોરઠીયાએ કહ્યું- સામાન્ય અને યુવાનોને રાજકારણમાં સ્થાન

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, જેને લઈને રાજ્યમાં રાજકીય ચહલપહલ વધી છે, ત્યારે ફક્ત કામની રાજનીતિ કરતી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું બીજું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બાબતે વાત કરતાં આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, આજે ખૂબ આનંદ સાથે આમ આદમી પાર્ટીનું 2500થી વધારે ઉમેદવારોનું બીજું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તમામ યુવાનો અને સામાન્ય લોકો, જેમને અત્યાર સુધી રાજકારણમાં તક મળી નથી, તેમને આમ આદમી પાર્ટી ગર્વ સાથે તક આપી રહી છે. ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ યાદીમાં વિવિધ વિસ્તારો અને વિવિધ સમાજમાંથી યુવાનો, વડીલો અને બહેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ ઉમેદવારો આગામી સમયમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અત્યાચાર, લૂંટ અને ભ્રષ્ટાચાર સામે લડવા તેમજ લોકોના અધિકારો માટેની લડાઈને આગળ ધપાવવા મેદાનમાં ઉતરશે. તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી અને ગુજરાતની જનતાને પણ શુભેચ્છા પાઠવી કે પ્રથમ વખત આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ તરીકે ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. સૌને શુભેચ્છાઓ અને જીત માટે શુભકામનાઓ.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:59 pm

Editor's View: ટ્રમ્પની સેના પર સર્જિકલ સ્ટ્રાઇક:આર્મી ચીફની રાતોરાત હકાલપટ્ટી, તુલસી ગબાર્ડ અને કાશ પટેલ પર તલવાર લટકી, યુદ્ધ ટાણે અમેરિકામાં યાદવાસ્થળી

અત્યારે અમેરિકા ઈરાન પર ઓપરેશન એપિક ફ્યૂરી કરીને મિસાઈલ્સના મારા ચલાવી રહ્યું છે અને બીજી બાજુ પોતાના જ દેશમાં ઓપરેશન શુદ્ધિકરણ કરીને પોતાના જ અધિકારીઓને હટાવી રહ્યું છે. યુદ્ધની ભીષણ આગ વચ્ચે ટ્રમ્પે પોતાના જ આર્મી ચીફ જનરલ રેન્ડી જ્યોર્જને ઘરભેગા કરી દીધા છે. આટલું તો ઠીક અમેરિકાન ઈન્ટેલિજન્સ ડિપાર્ટના ડિરેક્ટર તુલસી ગબાર્ડ અને એફબીઆઈના ગુજરાતી મૂળના ડિરેક્ટર કાશ પટેલને હટાવી દેશે તેવી અફવા કે સમાચારો વહેતા થયા છે. દેશ હોય કે દુનિયા સામાન્ય રીતે ઓફિસર્સને બંધારણને સમર્પિત હોવું જોઈએ પણ ટ્રમ્પ ઈચ્છે છે કે નેતાઓ અને હવે તો અધિકારીઓ પણ તેમની જ વાત માને. આર્મી ચીફને હટાવી દેતા હવે ઈરાન સામેની જંગમાં સૈનિકોના મનોબળમાં શું અસર પડશે અને આ ઓપરેશન ક્લિનઅપથી અમેરિકામાં કેવી આંતરિક યાદવાસ્થળી થશે એની તેનાથી અમેરિકાના દુશ્મનોને કેટલો ફાયદો થઈ શકે આજે વાત કરીએ. નમસ્કાર... સૌથી પહેલા તો આપણે જે આર્મી ચીફની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમની વાત કરીએ... બહાનું સિગ્નલનું પણ હટાવાનું કારણ કંઈક બીજું? હકાલપટ્ટી તો કરી નાખી પણ કેમ થઈ તેની પણ વાત કરીએ. ઓફિશિયલ કારણ કહેવામાં આવ્યું છે તે છે સિગ્નલ એપ વિવાદ. આર્મી ચીફ પર ડિફેન્સ સચિવ પીટ હેગસેથનો આક્ષેપ છે કે તેમણે સેન્સિટિવ વાતો સિગ્નલ મારફતે શેર કરી છે. પણ આંતરરાષ્ટ્રીય બાબતોના એક્સપર્ટ્સ અને રાજકીય પંડિતો માને છે આ તો એક બહાનું છે. કહેવાય છે કે જનરલ જ્યોર્જ એ વાતના કટ્ટર રીતે માનતા હતા કે સેના અને રાજનીતિ બંને અલગ હોવું જોઈએ. રાજનીતિમાં સેના આવે તો ચાલે પણ સેનાને તો રાજનીતિથી દૂર જ રહેવું જોઈએ. ટ્રમ્પ સરકારને એવા અધિકારીઓ જોઈએ છે જે વ્હાઈટ હાઉસના આદેશોને બંધારણના ચશ્મા પહેર્યા વગર માને. સાવ સાદી રીતે સમજીએ તો ટ્રમ્પને સેના ચીફ જોડે વિચારો મેળ નહોતા ખાતા. ખાલી આટલું જ નહીં હેગસેથે તો એવું કહ્યું કે બીજા વર્લ્ડ વોરમાં ખાલી 7 જ ફોર સ્ટાર જનરલ હતા, આજે અમેરિકામાં 44 ફોર સ્ટાર જનરલ છે. હેગસેથને આમાં 20 ટકા કાપ મૂકવો છે. આ યોજનામાં યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM), યુરોપિયન કમાન્ડ (EUCOM) અને આફ્રિકા કમાન્ડ (AFRICOM) ને મર્જ કરીને એક નવું US ઇન્ટરનેશનલ કમાન્ડ બનાવવાની દરખાસ્ત પણ છે. જે કરવામાં જ્યોર્જ તેમને નડતા હતા. અંદરખાને એવી પણ વાત છે કે હેગસેથે લશ્કરમાંથી કેટલાક બ્લેક અધિકારીઓના પ્રમોશન અટકાવી રાખવા દબાણ કર્યું હતું પણ જનરલ જ્યોર્જે આનો વિરોધ કર્યો. મેરિટ વિરુદ્ધ વફાદારીમાં જ્યોર્જની હકાલપટ્ટી થઈ. આ મામલે અમેરિકાના પાંચ રિટાયર્ડ ડિફેન્સ સચિવોએ પત્ર લખીને ચેતવણી આપી છે કે આ હકાલપટ્ટીઓ પક્ષપાતી છે. તેનાથી સૈનિકોમાં સાચુ ન બોલવાનો ડર પેદા થશે. AIને આર્મીમાં અને ડ્રોનનો દુશ્મન ટેન્ક; જનરલ જ્યોર્જની દેન હવે જનરલ રેન્ડી જ્યોર્જની એવી વાતો કરીશું જેનાથી અમેરિકન આર્મીની તાકાત વધી. તેમની એક્સપર્ટી ટેક્નિકલ લેવલે છે, જેનો ફાયદો અમેરિકન આર્મીને યુદ્ધમાં પણ થયો. જનરલ જ્યોર્જના કારણે જ અમેરિકાને M1E3 અબ્રામ્સ નામનો ટેન્ક મળ્યો જેને ડ્રોન્સના હુમલાની કોઈ અસર નથી થતી, ઉપરથી આ ટેન્કમાં AI સિસ્ટમ પણ છે. જનરલ જ્યોર્જના જ કારણે અમેરિકાને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી મળી. જેના કારણે અમેરિકન આર્મી ચાલુ યુદ્ધે પણ મેદાનમાં જ સ્પરપાર્ટ્સ બનાવી શકે છે. દુશ્મનના ડ્રોન ટોળાઓને તોડી પાડવા માટે લેસર અને એન્ટી-ડ્રોન મિસાઇલ સિસ્ટમની તૈનાતી પણ જનરલ જ્યોર્જની આગેવાનીમાં જ થઈ. જનરલ જ્યોર્જની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ ક્રિસ્ટોફર લાનેવને કાર્યકારી ચીફ બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે લાનેવ હેગસેથના નજીકના સહાયક પણ રહ્યા છે. આ એપોઈન્ટમેન્ટ એક ક્લિયર મેસેજ છે કે પેન્ટાગોનમાં માત્ર એ જ ટકી રહેશે જે ટ્રમ્પ અને તેમની સરકારના નેતાઓની જી હજૂરી કરે. આ ઓપરેશન શુદ્ધિકરણમાં આર્મી ટ્રાન્સફોર્મેશન ચીફ જનરલ ડેવિડ હોડને પણ હટાવી દેવામાં આવ્યા છે. તાજા ઉદાહરણોની વાત કરી પણ હવે ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા પછી તેમણે કેટલા અધિકારીઓને હટાવ્યા તેની પણ વાત કરીએ. ટ્રમ્પને પસંદ માત્ર ચરણ-ચૂંબન અધિકારી? ટ્રમ્પનું માનવું છે કે લશ્કરમાં સામાજિક સમાનતા અને વિવિધતાના નામે સૈન્યની લડાયક ક્ષમતા સાથે બાંધછોડ કરવામાં આવી છે. એટલે તેઓ અધિકારીઓને હટાવી રહ્યા છે, પણ અંદરખાને એવી વાતો થઈ રહી છે કે ટ્રમ્પને તેના ચરણ ચૂંબન કરે તેવા જ અધિકારીઓ તેની આસપાસ જોઈએ છે. પણ દુનિયામાં અત્યારે આ જ નથી ચાલી રહ્યું. અમેરિકાના રહેમ નજર હેઠળ ઈઝરાયલ અને ઈરાનનું યુદ્ધ પણ ચાલી રહ્યું છે. અત્યારે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનને આર્થિક રીતે તોડી ભાંગવા કસમ ખાઈ ચૂક્યું છે. જો કે જમીની હકિકત એ છે કે ઈરાને હજુ હાર નથી માની. ઉલટાનું ઈરાનના સસ્તા ડ્રોન અમેરિકાની મોંઘી એર ડિફેન્સ સિસ્ટમને થકવી રહ્યા છે. આર્મી ચીફ હટતા આર્મી જવાનોનું મનોબળ ડગશે? જ્યારે આ બધુ થઈ રહ્યું હોય એવા કપરા સમયે અનુભવી સેનાપતિને હટાવી ટ્રમ્પ શું મેળવી લેવા માગે છે તે મોટો સવાલ છે કારણ કે આ સમયે તો તેમના સેનાના જવાનો આર્મી ચીફની મેન્ટલી અને ઈમોશનલી રીતે ખાસ જરૂર હોય છે. જ્યારે ચીફ કમાન્ડ બદલાય ત્યારે તેની રણનીતિ પણ નવા ચીફ મુજબ બદલાતી હોય છે. જે અમેરિકાના દુશ્મન માટે સારી વાત બની શકે છે. આ તમામ હરકતો પર રશિયા અને ચીન ચાંપતની નજર રાખીને બેઠા હશે કારણ કે અમેરિકાનો આ અંદરોઅંદરનો ઝઘડો તેમને ગ્લોબલી અને યુદ્ધમાં પણ નબળું કરી શકે તેમ છે. વિપક્ષને સાણસામાં ન લઈ શક્યાં તો હાંકી કાઢ્યાં? પેન્ટાગોનમાં જનરલોની હકાલપટ્ટી તો માત્ર હિમશિલાની ટોચ છે. વોશિંગ્ટનના સત્તાના કેન્દ્રમાં અત્યારે એક એવી શુદ્ધિકરણ ઝુંબેશ ચાલી રહી છે જેણે ટ્રમ્પના સૌથી નજીકના સાથીઓને પણ ફાળ પાડી દીધી છે. એપ્રિલ 2026ની શરૂઆત જ એક મોટા ધડાકા સાથે થઈ છે એટર્ની જનરલ પામ બોન્ડીની અણધારી વિદાય. 2 એપ્રિલ, 2026ના રોજ જ્યારે આખું અમેરિકા ઈરાન યુદ્ધના સમાચારમાં વ્યસ્ત હતું, ત્યારે અચાનક સમાચાર આવ્યા કે એટર્ની જનરલ પામ બોન્ડીને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ઓફિશિયલી કહેવામાં આવ્યું કે પામ સ્વૈચ્છિક રીતે નીકળવા માગે છે પણ પડદા પાછળ તો કંઈક બીજી જ ગેમ ચાલી રહી છે. કહેવાય છે કે બોન્ડીને હાંકી કાઢવામાં બાળ તસ્કર અને જેફરી એપ્સ્ટિન ફાઈલ્સ જવાબદાર છે. ટ્રમ્પને જેફરી એપ્સ્ટિન કેસમાં જે માહિતીઓ સામે આવી તેમાં પોતાના વિરોધીઓને ફસાવવાનો પ્લાન હતો પણ પામ આવું કરી ન શક્યાં. ટ્રમ્પ ઈચ્છતું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ ઝડપથી ટ્રમ્પની સામેના પક્ષના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરે પણ પામ બોન્ડીની રાજનીતિ ટ્રમ્પના બદલાની આગના ગિયરમાં ફિટ ન બેઠી અને તેમને હાંકી કાઢવામાં આવ્યા. ટ્રમ્પના 'તુલસી' માસ્ટરસ્ટ્રોકનું સૂરસૂરિયું? હવે વાત કરીએ તુલસી ગબાર્ડની કારણ કે કહેવાય છે કે ઈરાન યુદ્ધમાં તેમણે જે ખુલાસાઓ કર્યા તેના કારણે તેમને ટ્રમ્પ હકાલપટ્ટી કરી શકે છે. તુલસી હાલ અમેરિકાની ઈન્ટેલિજન્સ નેટવર્કના ડિરેક્ટર છે. જ્યારે 2025માં તેમને ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા ત્યારે આને ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કહેવામાં આવ્યો હતો પણ એપ્રિલ 2026 આવતા સુધીમાં તો સૂરસૂરિયું થઈ ગયું. બંનેના વિચારો મેળ ન ખાયા અને સંબંધોમાં તિરાડ પડવાની વાતો સામે આવી રહી છે. તુલસી ગબાર્ડ હિંદુ પણ ભારતીય નહીં તુલસી ગબાર્ડને શા માટે હટાવવામાં આવી શકે તેની વાત કરીએ તેના પહેલા એક વાત ક્લિયર કરી લેવી જોઈએ કે તુલસી ભારતીય મૂળના નથી. તેમના માતા ક્રિશ્યનમાંથી હિંદુ બન્યા હતા માટે તેમનું નામ તુલસી છે. હવે તુલસીની વાત કરીએ તો તે ભારત અને અમેરિકાની વિદેશ નીતિ સુધરે અને બંને દેશોના સંબંધો સારા થાય તેવી વિદેશનીતિમાં માનવાવાળા છે. આ સિવાય તે યુદ્ધ વિરોધી માનસિકતાવાળા પણ છે. તેમણે ઈરાન સામેના યુદ્ધના જસ્ટિફિકેશન સામે પણ સવાલો ઉઠાવનારા અધિકારીઓનો બચાવ કર્યો હતો. ખાસ કરીને તેમના ડેપ્યુટી જો કેન્ટના રાજીનામા પછી ગબાર્ડે જે રીતે મૌન રાખ્યું તે ટ્રમ્પને ગમ્યું ન હતું. ઈન્ટેલિજન્સ વડાં તુલસી ગબાર્ડને ઘરે બેસાડશે ટ્રમ્પ? અમેરિકાના સેનેટમાં જ્યારે ગબાર્ડે યુદ્ધ મામલે વાત મૂકી હતી ત્યારે તેમણે એક ચોંકાવનારી વાત કહી હતી કે ઈરાને હજુ પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય લીધો જ ન હતો. તેમનો પરમાણુ કાર્યક્રમ તો ક્યારનો'ય નષ્ટ થઈ ગયો હતો. આ નિવેદન ટ્રમ્પના યુદ્ધ શરૂ કરવાના દાવાને ઉઘાડો પાડે છે કે ઈરાન ન્યુક્લિયર હથિયાર બનાવી રહ્યું છે અને તેને રોકવાનું છે. ટૂંકમાં ટ્રમ્પે ખોટું બોલીને યુદ્ધ શરૂ કર્યું તે દુનિયા સામે ઉઘાડું પડી ગયું જે ટ્રમ્પને ગમ્યું નહીં. એટલે ગમે તેમ ટ્રમ્પને હવે તુલસી ગબાર્ડને હટાવવા છે કારણ કે તે ટ્રમ્પના આક્રમક યુદ્ધના વિચારો સાથે મેળ નથી ખાઈ રહ્યા. તુલસી ગબાર્ડ પર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમણે વ્હાઈટ હાઉસની મંજૂરી વગર 37 મોટા અધિકારીઓના સિક્યોરિટી ક્લિયરન્સ રદ કરી દીધા હતા જેના કારણે વહીવટમાં અંદરોઅંદરનો મૌન ઝઘડો વધ્યો હતો. FBI વડા કાશ પટેલની ગમે ત્યારે થઈ શકે હકાલપટ્ટી? બીજું નામ સામે આવે છે જેના પર પણ તલવાર લટકી રહી છે તે છે ગુજરાતી મૂળના કાશ પટેલ, જે અત્યારે FBIના ડિરેક્ટર છે. પામ બોન્ડી બાદ હવે ટ્રમ્પની નજર કાશ પટેલ પર છે. થયું કંઈક એવું છે કે 27 માર્ચે ઈરાનની હંદલા હેક ટીમે કાશ પટેલના જીમેઈલ એકાઉન્ટને હેક કરી લીધું હતું. માત્ર આટલું જ નહીં ત્યાર બાદ હેકર્સે કાશ પટેલના પર્સનલ ફોટોઝ અને અમેરિકાના સેન્સિટિવ ડેટા પબ્લિક કરી ફેલાવી દીધા હતા. યુદ્ધના સમયે એફબીઆઈ ચીફની સુરક્ષામાં આટલું મોટું ગાબડું પડે તે ટ્રમ્પ માટે મોઢા પર તમાચો કહેવાય. આ સિવાય જૂના એફબીઆઈ એજન્ટ્સે કાશ પટેલ સામે ગેરકાયદેસર રીતે તેમને બરતરફ કર્યા અને વેર રાખીને કામ કરાવ્યું તે બદલ કેસ પણ કર્યો છે. આ કેસમાં જે પુરાવાઓ સામે આવી રહ્યા છે તેનાથી પટેલની છબી અલગ રીતે ચીતરાઈને સામે આવી રહી છે. વધુ એક મુદ્દાની વાત કરીએ તો ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર્લી કિર્ક નામના ટ્રમ્પના કટ્ટર સમર્થકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે કાશ પટેલે એક્સ પર એક માહિતી શેર કરી હતી જે પછીથી ખોટી સાબિત થઈ હતી. આવી ભૂલોના કારણે કહેવાય છે કે ટ્રમ્પનો વિશ્વાસ કાશ પટેલ પરથી ડગમગ્યો છે. ટ્રમ્પના ઓપરેશન શુદ્ધિકરણના મહિલા શિકાર ટ્રમ્પના વધુ એક શિકાર બન્યા હતા હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ. ગયા મહિને તેમને હટાવીને સ્પેશિયલ એન્વોય બનાવી દીધા છે. ટ્રમ્પે પોતાની છબી અતિ રાષ્ટ્રવાદી રાખવા માટેનો સૌથી મોટો એજેન્ડા બીજા દેશથી અમેરિકા આવતા લોકોનો દેશનિકાલ કરવાનો છે. નેઓમની નબળી લીડરશીપના કારણે સરહદ પરની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે એવું ટ્રમ્પનું માનવું છે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં પૂર આવ્યું અને ICE એજન્ટ્સ દ્વારા ગોળીબારી થઈ તેમાં નાઓમ પૂરી રીતે વાતને હેન્ડલ નહોતા કરી શક્યા. જેના કારણે તેમની પાસેથી જવાબદારી છીનવી લેવામાં આવી હતી. પત્ની ખૂબસૂરત હોવાથી તમને નોકરી આપીઃ ટ્રમ્પ આ બધુ જોઈને એવો અર્થ કાઢી શકાય કે ટ્રમ્પ સરકારમાં એક પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જેમને ટ્રમ્પ સરકારમાં સારું કામ કરવું હોય તેમને બંધારણ શું કહે છે તે નહીં પણ ટ્રમ્પ શું કહે છે તે માનવું પડશે. તેમની હામાં હા અને નામાં ના કહેવું પડશે. જો તે આવું કરશે તો વફાદાર અને જો નહીં કરે તો હકાલપટ્ટી નક્કી છે. આ અંધાધૂંધી સાબિત કરે છે કે ટ્રમ્પ હવે સરકાર ચલાવવાના એ તાનાશાહ મોડમાં પહોંચી ગયા છે જ્યાં તેમને ટીકા નહીં પણ માત્ર વખાણ કરનાર લોકો જ જોઈએ છે. એક મહિલાને તો તેમણે દુનિયાની સામે જાહેરમાં એવું કહી દીધું હતું કે તમારા પતિને મેં એટલે નોકરી પર રાખ્યા છે કારણ કે તે બહુ ખૂબસૂરત છે. આ મહિલા એટલે કેથરીન બર્ગમ અને તેમના પતિ એટલે ગૃહ સચિવ ડગ બર્ગમ. ઈરાન સામેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પની સંગીત ખુરશી કેવી રીતે અમેરિકાનો બેડો પાર કરશે તે મોટો સવાલ છે. ટ્રમ્પના ફાંકાથી યુદ્ધનો હાલ અલગ આજે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને 35 દિવસ પૂરા થયા છે. તહેરાન અને ઈઝરાયલમાં બંદૂકો અને મિસાઈલ્સ ગરજી રહી છે. પણ અહીં એક વાત જોવા જેવી છે તે છે યુદ્ધ વિશે ટ્રમ્પના દાવાઓ અને જમીની હકીકત. પેન્ટાગોનથી મળતા સમાચારોને ટ્રમ્પના નિવેદનો સાથે કમ્પેર કરીએ તો યુદ્ધનું ચિત્ર કંઈક અલગ સામે આવી રહ્યું છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમણે ઈરાનની પરમાણુ શક્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને રાખ કરી દીધું છે પણ ઈરાન તરફથી હજુ પણ હુમલા ચાલુ છે અને તુલસી ગબાર્ડ મુજબ તો ન્યૂક્લિયર પ્રોગ્રામ ક્યારનો'ય નષ્ટ કરી દેવામાં આવ્યો હતો. ગઈકાલે જ અમેરિકાએ તહેરાન પાસેના બીવન બ્રિજને તોડી પાડ્યો. ટ્રમ્પે ઈરાનને ધમકી આપી કે હવે તમારા ગેસ અને પાવર પ્લાન્ટનો વારો છે. જવાબમાં ઈરાને આજે જ તેલ અવીવના રેલવે સ્ટેશન પર મિસાઈલ ફેંકી. એક રીતે ટ્રમ્પને ઈરાન સાથે યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી પણ યુદ્ધ છેડ્યું અને અમેરિકાના 15 જવાનોને શહાદત વહોરવી પડી, 500થી વધુ અમેરિકન સૈનિકો ઘાયલ છે તે અલગ વાત છે. ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકાનું લડાકુ વિમાન એફ-35 તોડી પાડ્યું છે. જો આ સાચું હોય તો આ અમેરિકા માટે બિલકુલ સારી વાત નથી. અમેરિકામાં આંતરિક યાદવાસ્થળી ઈરાને ગ્લોબલ સપ્લાય ચેઈન રોકવા હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધું છે. અનેક ધમપછાડા અને અનેક દેશોને ધમકી બાદ પણ કોઈ ટ્રમ્પ સાથે હોર્મુઝ ખોલવા સાથે ન આવ્યું તો છેલ્લે ટ્રમ્પને પોતાને મોટા બતાવવા એવું કહેવું પડ્યું કે હોર્મુઝ ખોલવું અમારી જવાબદારી નથી. આજે ગ્લોબલ લેવલે તેલના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થયો છે. અમેરિકામાં પણ ધીમે ધીમે યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે, લેબર માર્કેટ નબળુ પડી રહ્યું છે. આવા ગંભીર સમયે ટ્રમ્પ ઓપરેશન ક્લિનઅપ ચલાવે છે તો અમેરિકાના નેતાઓ અને લોકો તેને કઈ નજરે જોશે તે મોટો સવાલ છે. જે થાય તે પણ અમેરિકાના દુશ્મનોને આ આંતરિક યાદવાસ્થળીથી મજા પડી ગઈ છે. અમેરિકા આફતમાં રશિયા-ચીન મોજમાં તેલના ભાવ વધતાની સાથે જ રશિયાને અબજો ડોલરનો નફો થયો છે. દુનિયાને તેલ જોઈએ છે અને રશિયા તે વેચીને માલામાલ થઈ રહ્યું છે. કહેવાય છે કે રશિયા ઈરાનને સેટેલાઈટ ઈમેજનરી આપી રહ્યું છે જેથી ઈરાન અમેરિકા પર ચાપતી નજર રાખી શકે. ચીન આ મામલે પોતાને ન્યુટ્રલ કહે છે અને તે પણ બેફામ રૂપિયા છાપી રહ્યું છે. હોર્મુઝમાં થતા યુઆન પેમેન્ટને કારણે એક પળે તો એવી માહિતી પણ આવી ગઈ હતી કે ચીન આડકતરી રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. અમેરિકાએ યુદ્ધની ચિન્ગારીથી ભડકો પણ કરી દીધો પણ હવે યુદ્ધ રોકી નથી શકતું એટલે ચીન પાકિસ્તાન સાથે મળીને યુદ્ધ રોકવા મેદાને આવ્યું છે. જેના કારણે ચીનની ઈમેજ પણ ગ્લોબલ લેવલે સુધરી રહી છે અને અમેરિકાની ગ્લોબલ પાવરને ફટકાર મળી રહ્યો છે. અને છેલ્લે... અમેરિકાની છબી દુનિયામાં એવા દેશની છે જ્યાં લોકશાહી ટોપ લેવલે છે અને તેની સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેના છે. પણ તુલસી ગબાર્ડ, કાશ પટેલ, જનરલ જ્યોર્જના સમાચારોના કારણે અમેરિકાની આ જ છબી પર મોટો તમાચો છે. અમેરિકા અત્યારે એક નહીં બે મોરચે લડી રહ્યું છે, એક તો બહારથી ઈરાનમાં અને બીજુ અંદરથી પોતાનામાં જ. જેનો ભરપૂર લાભ તેના દુશ્મન દેશો લઈ રહ્યા છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ-સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:55 pm

પાટણ LCBએ ગેરકાયદે હથિયાર વેચનારને પાસા હેઠળ જેલમાં ધકેલ્યો:આરોપી સામે 11 ગુના, સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

પાટણ LCB પોલીસે ગેરકાયદે હથિયારોનું વેચાણ કરનાર સમી તાલુકાના અદગામના એક આરોપીને પાસા હેઠળ સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો છે. આરોપી સદ્દામ અલુ સાયબન્ના સિંધી (ડફેર) વિરુદ્ધ કુલ 11 ગુના નોંધાયેલા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થતાં જિલ્લામાં ગેરકાયદે હથિયારોની લે-વેચ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પાસા હેઠળ કાર્યવાહી કરવાની સૂચનાઓ અપાઈ હતી. આ સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરના માર્ગદર્શન હેઠળ પી.સી.સી. સેલ દ્વારા સદ્દામ સિંધી (ડફેર) વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્તને મંજૂર કરતાં LCB ટીમે આરોપીને ઝડપી પાડી સુરત મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ પાટણ જિલ્લાના શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત, ભચાઉમાં 1 અને બનાસકાંઠાના ડીસા તથા છાપીમાં 3 ગુના સહિત કુલ 11 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:49 pm

ગુજરાત ભાજપ લઘુમતી મોરચાની નવી ટીમ જાહેર:વિવિધ જિલ્લાઓને પ્રતિનિધિત્વ, સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલું, પ્રદેશ પ્રમુખની મંજૂરી બાદ 21 સભ્યોની નિયુક્તિ

ગુજરાતમાં ભાજપ દ્વારા લઘુમતી મોરચાના સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ અને સંગઠન મહામંત્રી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિયુક્તિઓ જાહેર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. નવી જાહેર કરાયેલી યાદી અનુસાર લઘુમતી મોરચામાં કુલ 21 આગેવાનોને વિવિધ હોદ્દાઓ પર જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ અને પ્રદેશ કાર્યાલય મંત્રી જેવા મહત્વના હોદ્દાઓનો સમાવેશ થાય છે. ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું પ્રદેશ ઉપપ્રમુખ તરીકે વાસિમભાઈ શેખ, હુસેનભાઇ દલ, મોહંમદ ઇલિયાસભાઈ મલેક, અબ્દુલ વહાબખાન પઠાણ સહિતના આગેવાનોને સ્થાન આપવામાં આવ્યું છે. વિવિધ જિલ્લાઓ જેમ કે ગાંધીનગર, જૂનાગઢ, વલસાડ, કચ્છ, નવસારી અને ભરૂચમાંથી પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, જે સંગઠનના વ્યાપને દર્શાવે છે. તે જ રીતે પ્રદેશ મહામંત્રી તરીકે તારિકભાઈ સોલંકી, અબ્બાસી સદાબ અબ્દુલકાદર અને અન્ય આગેવાનોની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ મંત્રીમંડળમાં પણ રાજકોટ, જામનગર, સુરત, વડોદરા સહિતના વિસ્તારોમાંથી પ્રતિનિધિઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રદેશ કોષાધ્યક્ષ તરીકે રફિકભાઈ અને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકે અલ્તાફભાઈ બુખારીની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી તેજ કરશેપાર્ટી દ્વારા જણાવાયું છે કે, આ નવી ટીમ સાથે લઘુમતી મોરચા વધુ સક્રિય બનીને રાજ્યમાં સંગઠનને મજબૂત બનાવશે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી તેજ કરશે. આ નિયુક્તિઓને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વિવિધ વિસ્તારોને સમાવીને બનાવવામાં આવેલી ટીમ ભાજપના લઘુમતી સમુદાય સુધી પહોંચ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:43 pm

'તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે?':પત્નીને મેસેજ કરવા મામલે પતિએ ઉશ્કેરાઈને વેપારી પર બેટ અને છરાથી જીવલેણ હુમલો કર્યો, ઇજાગ્રસ્તને SSGમાં ખસેડાયા

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતાં પતિએ તેની પત્નીને મેસેજ કરવાના મુદ્દે વેપારી પર બેટ અને છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી વેપારી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વેપારીને માથામાં ચાર ટકા આવ્યા છે. આ મામલે ફતેગંજ પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. કારખાનામાં આવીને તેમની પત્નીને મેસેજ કરવાના મુદ્દે ઝઘડો કર્યોવડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રહેતા અને ચિકન શોપનો વ્યવસાય કરતા 44 વર્ષીય મહોમ્મદ ફારૂક ગુલામ કાદર શેખ બપોરના સમયે પોતાના ઘરે હાજર હતા. ત્યારે તેમના કારખાનામાં કામ કરતા કારીગરનો ફોન આવ્યો હતો કે, ફૈસલ ઇફતીઆર ખાન પઠાણ કારખાનામાં આવીને તેમની પત્નીને મેસેજ કરવાના મુદ્દે ઝઘડો કરી રહ્યો છે. થોડી જ વારમાં ફૈસલ પઠાણ ફારૂકભાઈના ઘરની નીચે પહોંચી ગયો હતો અને તમારો કારીગર મારી પત્નીને મેસેજ કેમ કરે છે, તેમ કહીને ઉશ્કેરાઈને બેટ વડે તેમના માથામાં જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાથી ફારૂકભાઈને ઈજા પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે SSGમાં ખસેડવામાં આવ્યા હતાઆ હુમલા દરમિયાન તેમણે પોતાની બચાવ માટે નજીકમાં પડેલી લાકડી વડે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આરોપી દુકાનમાંથી માંસ કાપવાનો છરો લઈ આવ્યો હતો અને ફારૂકભાઈના હાથ પર હુમલો કર્યો હતો. જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્ત ફારુકભાઈને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમના માથામાં ચાર ટાંકા આવ્યા હતા. વેપારીએ આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે ફૈસલ ઇફતીઆરખાન પઠાણ (રહે. કમાટીપુરા, ફતેગંજ, વડોદરા) સામે કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:42 pm

સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી સ્ટંટ કરવો યુવકને ભારે પડ્યો:પોલીસે સ્ટંટબાજની અટકાયત કરી બાઈક કબ્જે કરી

ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ-ભાવનગર નેશનલ હાઇવે પર જોખમી બાઇક સ્ટંટનો એક કિસ્સો સામે આવ્યો છે. વેરાવળના કાજલી યાર્ડ નજીક એક યુવકે બાઇક પર જીવલેણ સ્ટંટ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મીડિયા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્ટંટ કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. વાયરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે યુવક યામાહા MT-15 બાઇક પર દોડતી વખતે સ્ટીયરિંગ પરથી બંને હાથ છોડી દે છે અને બાઇક પર ઊભો રહી સ્ટંટ કરે છે. વ્યસ્ત નેશનલ હાઇવે પર આ પ્રકારની બેદરકારી અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકી શકે છે. મીડિયામાં આ અહેવાલ પ્રસિદ્ધ થતાં જ પ્રભાસ પાટણ પોલીસ અને જિલ્લા ટ્રાફિક શાખા સક્રિય થઈ હતી. જિલ્લા ટ્રાફિક શાખાના વિજયભાઈ ગોવિંદભાઈ બારડ અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ગુજકોપના આધારે આરોપીની ઓળખ કરી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીની ઓળખ પ્રભાસ પાટણના લાલજી સોમાભાઈ બામણીયા (ઉંમર 32) તરીકે થઈ હતી. તેણે કબૂલ્યું હતું કે 2 એપ્રિલના રોજ સુત્રાપાડા હનુમાન જયંતિ પ્રસંગે જતી વખતે તેણે કાજલી બાયપાસ રોડ પર આ સ્ટંટ કર્યો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પોલીસે આરોપીની યામાહા MT-15 બાઇક (રજી. નં. GJ-32-AC-9598) કબ્જે કરી છે, જેની અંદાજિત કિંમત 50,000 રૂપિયા છે. લાલજી બામણીયા વિરુદ્ધ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો પર સ્ટંટ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:40 pm

ચાલુ ટ્રેને ચડવા જતાં મહિલા પ્લેટફોર્મ પર પટકાઈ, CCTV:ઉતાવળે કોચમાં ચડવાનો પ્રયાસ કરતા સંતુલન બગડ્યું અને પગ લપસ્યો, સુરત રેલવે સ્ટેશન પર GRP જવાનોએ મોતના મુખમાંથી ખેંચી લીધી

સુરત રેલવે સ્ટેશન પર ફરી એકવાર ખાખીનો માનવીય ચહેરો અને સતર્કતા જોવા મળી છે. પ્લેટફોર્મ પર ફરજ બજાવતા જીઆરપીના બે જવાનોએ એક મહિલા મુસાફરનો જીવ બચાવી લેતા સ્ટેશન પર હાજર સૌ કોઈએ તેમને સલામી આપી હતી. અમૃતસર વીકલી ટ્રેનમાં ચડતી વખતે પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં ફસાઈ જાય તે પહેલા જ જવાનોએ તેને ખેંચી લીધી હતી. અમૃતસર વીકલી ઉપડતી હતી ને મહિલાએ દોટ મૂકીઘટનાની વિગત મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન નંબર 12483 (અમૃતસર વીકલી એક્સપ્રેસ) ધીમી ગતિએ રવાના થઈ રહી હતી. આ સમયે એક મહિલા મુસાફરે ઉતાવળમાં ચાલુ ટ્રેને કોચમાં ચડવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, ગતિને કારણે મહિલાએ સંતુલન ગૂમાવ્યું હતું અને તેનો પગ લપસ્યો હતો. જોતજોતામાં મહિલા ટ્રેન સાથે પ્લેટફોર્મ પર ઢસડાવા લાગી હતી. એટલું જ નહીં પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં ફસાય જોય તો જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું. નિતિનભાઈ અને અનિલભાઈ દેવદૂત બનીને આવ્યાપ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત GRP હેડ કોન્સ્ટેબલ નિતિન વસાવા અને અનિલભાઈની નજર આ મહિલા પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા પારખીને બંને જવાનોએ એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના મહિલા તરફ દોટ મૂકી હતી. મહિલા ટ્રેનની નીચે ફંગોળાય તે પહેલા જ બંને જવાનોએ તેને મજબૂતીથી પકડી પ્લેટફોર્મ પર સુરક્ષિત રીતે ખેંચી લીધી હતી. CCTVમાં કેદ થઈ જવાનોની બહાદુરીઆ સમગ્ર ઘટનાને નજરે જોનારા મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મહિલાનો આબાદ બચાવ થતા સ્ટેશન પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાની જાણકારી વાયુવેગે ફેલાઈ હતી અને લોકો આ બંને જબાંઝ પોલીસકર્મીઓને 'રિયલ લાઈફ હીરો' ગણાવી રહ્યા છે. જીઆરપીના ઉચ્ચ અધિકારીઓએ પણ નિતિનભાઈ અને અનિલભાઈની કામગીરીને બિરદાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:21 pm

AAPના કાર્યકરો પર કેસ મુદ્દે રાજકીય તણાવ:કેજરીવાલે CMને પત્ર લખતા ભાજપનો પ્રતિકાર, ગોપાલ ઈટાલિયાની કટાક્ષભરી પ્રતિક્રિયા

ગુજરાતમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના 150થી વધુ કાર્યકરો અને નેતાઓ સામે ખોટી ફરિયાદો દાખલ કરાઈ હોવાનો AAPનો આરોપ છે. આ મુદ્દે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને મુલાકાત માટે સમય માંગ્યો છે. AAPની વધતી લોકપ્રિયતા જોઈને ભાજપ બૌખલાઈ ગઈ છેકેજરીવાલના આ પગલાં બાદ રાજ્યની રાજનીતિમાં હલચલ મચી ગઈ છે. ભાજપે આ આરોપોને નિરાધાર ગણાવી AAP પર રાજકીય સ્ટંટ કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના નેતાઓએ કહ્યું કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને કોઈને પણ ખાસ રાહત આપવામાં આવતી નથી. આ વચ્ચે AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, “AAPની વધતી લોકપ્રિયતા જોઈને ભાજપ બૌખલાઈ ગઈ છે અને વિરોધીઓને દબાવવા માટે ખોટા કેસોનો સહારો લઈ રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, આ મુદ્દે સત્ય બહાર લાવવા માટે AAP કાનૂની લડત લડશે અને જનતા વચ્ચે જઈને હકીકત રજૂ કરશે. રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બંને પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ તેજ બની રહી છે. હવે કેજરીવાલને મુખ્યમંત્રી તરફથી મુલાકાત માટે સમય મળે છે કે નહીં તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:19 pm

મહીસાગરમાં સાંજના સમયે વાતાવરણ પલટાયું:વાદળછાયા વાતાવરણથી ગરમીમાં આંશિક રાહત, કમોસમી વરસાદના ભયે ખેડૂતોમાં ચિંતા

મહીસાગર જિલ્લામાં ભર ઉનાળા વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જોકે, શિયાળુ પાકની કાપણી બાકી હોય તેવા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લુણાવાડા, ખાનપુર, કડાણા, સંતરામપુર, વિરપુર, બાલાસિનોર, કોઠંબા અને ગોધર સહિતના વિસ્તારોમાં દિવસભર આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા. આના કારણે ભર ઉનાળામાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. સામાન્ય જનતા માટે આ વાતાવરણ રાહતદાયક બન્યું છે, પરંતુ ખેડૂતો માટે તે ચિંતાજનક છે. જિલ્લામાં હજુ સુધી કોઈ વરસાદ નોંધાયો નથી, પરંતુ વાદળો સતત ઘેરાયેલા રહેતા હવામાનમાં અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ખેડૂતો આગામી દિવસોમાં વાતાવરણ કઈ દિશામાં વળે છે તેના પર નજર રાખી રહ્યા છે. રાજ્યમાં પણ હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં બે હવામાન સિસ્ટમ સક્રિય બની છે, જેની અસર ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સ્વરૂપે જોવા મળશે. આજે રાજ્યના કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, દિવ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે. જોકે, મહીસાગર જિલ્લા માટે હજુ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગ મુજબ, આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે ગરમીમાં વધુ રાહત મળવાની શક્યતા છે. આ ઉપરાંત, 7 એપ્રિલના રોજ ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં, ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારમાં, વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:10 pm

'હવે આ મામલામાં ન પડતો નહીંતર જાનથી મારી નાખીશું':મિત્રની પત્ની સાથેના આડા સંબંધની જાણ કરવાની આશંકામાં યુવક પર પાઈપથી હુમલો, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

ભાવનગર શહેરના મોતીતળાવ વિસ્તારમાં એક યુવકને તેના મિત્રની પત્ની સાથેના આડસંબંધની જાણ કરી હોવાની આશંકામાં ત્રણ યુવકોએ રાત્રે ઘરની બહાર બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ યુવકને પકડી રાખીને પાઈપથી ગાલ પર ઘા કર્યા અને જીવનની ધમકી આપી હતી. આરોપીઓએ શંકાના આધારે યુવકને ઢોરમાર માર્યોમોતીતળાવ વિસ્તારમાં શેરી નંબર-0, બુરાની મસ્જિદના ખાંચામાં રહેતા જુનેદભાઈ જબ્બારભાઈ ખ્વાજાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મિત્રની પત્ની અરમાન મુનાફભાઈ મલેક સાથે પ્રેમસંબંધ ધરાવે છે. જુનેદભાઈએ આ વાત તેમના મિત્ર અને પરિવારને જણાવી હોવાની આશંકા રાખીને આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. ગત રાત્રે 12.15 વાગ્યે અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી (ત્રણેય મોતીતળાવ, કુંભારવાળા)એ જુનેદભાઈને ફોન કરીને ઘરની બહાર બોલાવ્યા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયોત્યારબાદ ત્રણેયે તેમના પર હુમલો કર્યો. અરમાન અને અમને જુનેદભાઈને પકડી રાખ્યા હતા, જ્યારે નુરદીન ઉર્ફે ભુજીએ પાઈપથી તેમના ગાલ પર ઘા કર્યા હતા. આરોપીઓએ ઢીંકાપાટુનો માર પણ માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ જુનેદભાઈને ધમકી આપી હતી કે, “હવે તું આ મામલામાં નહીં પડે, નહીંતર તને જાનથી મારી નાખીશું.” ઈજાગ્રસ્ત હાલતમાં જુનેદભાઈને ભાવનગરની સરકારી ટી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરીજુનેદભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ અરમાન મુનાફભાઈ મલેક, અમન અને નુરદીન ઉર્ફે ભુજી વિરુદ્ધ BNS એક્ટની કલમ 118(1), 351(3), 352, 54, 125(A) તેમજ જીપી એક્ટની કલમ- 135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ મોતીતળાવ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 7:03 pm

રાજકોટના ચકચારી દલિત યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ:હમીર જોગરાણા અને મૃતક ભાવેશ એક યુવતીના સંપર્કમાં હતા જેના કારણે વારંવાર બોલાચાલી થતી, રૂ.5 લાખની માંગણી કરતા માથાકૂટ થઇ'તી

રાજકોટના યુનિવર્સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 16 માર્ચના રોજ થયેલ દલિત યુવકની ચકચારી હત્યા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હમીર જોગરાણાની ધરપકડ કરી છે. આરોપી હમીર અને મૃતક ભાવેશ એક યુવતીના પરિચયમાં હતા જેથી વારંવાર બોલાચાલી થતી અને મૃતક ભાવેશ દ્વારા છેલ્લે આરોપી પાસે રૂપિયા 5 લાખની માંગણી પણ કરવામાં આવતી જેથી રોષે ભરાયેલ ભરવાડ બંધુઓએ સમાધાન માટે બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી હત્યા નિપજાવી હતી આ કેસમાં અગાઉ 3 આરોપીની ધરપ બાદ આજે વધુ એક મુખ્ય આરોપીને ઝડપી પાડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં હજુ પણ બે આરોપીઓ ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 16 માર્ચના રોજ રૈયાધાર વિસ્તારમાં શાંતિનગર ગેઇટ નજીક ભાવેશ વણવી નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં આરોપીઓ દ્વારા સમાધાન અર્થે બોલાવી બાદમાં અપહરણ કરી માં મારી ભરવાડ બંધુઓએ ભાવેશની હત્યા નિપજાવી હતી. આ કેસમાં તાત્કાલિક પોલીસે પ્રથમ ત્રણ આરોપી રવિ જોગરાણા, ગોપાલ જોગરાણા અને સાગર જોગરાણાની ધરપકડ કરવામાં આવી હતી આ પછી આજ દિવસ સુધી મુખ્ય આરોપી હમીર જોગરાણા નાસ્તો ફરતો હતો જેથી તેને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અંકલેશ્વરથી ઝડપી પાડવામાં આવ્યો છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, આરોપી હમીર અને મૃતક ભાવેશ બન્ને એક યુવતીના સંપર્કમાં હતા. આ યુવતીના કારણે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા અને બોલાચાલી થતી હતી આ પછી મૃતક ભાવેશ દ્વારા રૂપિયા 5 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. આ પછી પણ બોલાચાલી થતા અંતે રોષેભરાયેલ ભરવાડ બંધુઓએ મૃતક ભાવેશને મળવા બોલાવી બાદમાં અપહરણ કરી માર મારી તેની હત્યા નિપજાવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ અર્થે DYSP SC ST સેલને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી હમીર જોગરાણા વિરુદ્ધ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આર્મ્સ એક્ટ હેઠળ એક ફરિયાદ નોંધાઈ ચુકી છે આ ઉપરાંત ગીરસોમનાથ અને રાજકોટ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે જ્યારે મૃતક ભાવેશ વિરુધ્ધ પણ અગાઉ 7 જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે અને એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો છે. પાસાંથી છુટયાના 15 દિવસ બાદ જ ભાવેશને આરોપીઓ સાથે બોલાચાલી થતા આરોપીઓ દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:40 pm

ફરી એકવાર JETની કામગીરી શરૂ થશે:અમદાવાદમાં ટ્રાફિક અને દબાણો દૂર કરવા મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને દબાણો દૂર કરવા મુદ્દે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે 4 એપ્રિલથી વિશેષ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. આ માટે ખાસ Joint Enforcement Team (JET)ની રચના કરવામાં આવી છે, જેમાં એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસના અધિકારીઓ તથા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમ શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં સંયુક્ત ડ્રાઇવ ચલાવીને ટ્રાફિક નિયમોના પાલન સાથે માર્ગો પરના દબાણો દૂર કરવા માટે કામગીરી કરશે. દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજે કામગીરી કરાશેઆ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં શિસ્તબદ્ધ વર્તન પ્રોત્સાહિત કરવો, જાહેર માર્ગોને સ્વચ્છ અને દબાણમુક્ત રાખવા અને ગેરરીતિઓને અટકાવવાનો છે. આ અભિયાન દરમિયાન રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર થતી અડચણો, અયોગ્ય રીતે મૂકાયેલા પોસ્ટર-બેનર અને અન્ય પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે. સાથે-સાથે, નાગરિકોને માર્ગો સ્વચ્છ રાખવા અને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ કામગીરી દરરોજ બે શિફ્ટમાં સવારે અને સાંજ દરમિયાન યોજાશે. બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશેશહેરના વિવિધ ઝોનમાં જરૂરી વાહનો અને સાધનો જેવી કે દબાણો દૂર કરવા માટેની ગાડીઓ, ટોઇંગ વાહનો, દબાણ ગાડીઓ અને SBM સપોર્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે કામગીરી દરમિયાન બોડી-વોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને મધ્ય ઝોનમાં પસંદ કરાયેલા મુખ્ય માર્ગો પર આ સંયુક્ત ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. નાગરિકોને આ માર્ગો પર પાર્કિંગ અને અન્ય સુવિધાઓ અંગે પૂરતી માહિતી આપવામાં આવશે. જેથી, તેઓ નિયમોનું પાલન સરળતાથી કરી શકે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:38 pm

પિસ્ટલ-કારતૂસ સાથે પકડાયેલો શખસ મર્ચન્ટ નેવીનો ઓફિસર નીકળ્યો:3 લાખનો પગાર હોવા છતાં મિત્ર માટે 'ડિલિવરી બોય' બન્યો, લક્ઝરી બસમાં કપડાંની વચ્ચે સંતાડી હેરાફેરી કરતો ઝડપાયો

ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમે તાજેતરમાં હિંમતનગર-અમદાવાદ હાઈવે ચિલોડા આગમન હોટલ સામેના નાકા પોઇન્ટથી પૂર્વ બાતમીના આધારે દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી બિહારના શખસને પિસ્ટલ અને 9 જીવતા કારતૂસ સાથે દબોચી લીધો હતો. જેના રિમાન્ડ દરમિયાન આરોપી મર્ચન્ટ નેવીમાં માસિક ત્રણ લાખ રૂપિયાના પગારે નોકરી કરતો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલી પિસ્ટલ અને કારતૂસ મળ્યાતાજેતરમાં ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ.જે. ચૌહાણની ટીમ દ્વારા ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ સામે હિંમતનગર તરફથી આવતા હાઈવે રોડ પર બેરીકેડ્સ મૂકી વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન હિંમતનગર તરફથી આવતી અમદાવાદ રૂટની બાબુ ટ્રાવેલ્સની બસને અટકાવવામાં આવી હતી. બાદમાં પોલીસ ટીમે બસની અંદર તપાસ કરતા સ્લીપિંગ કોચની સીટ નંબર R પર બેઠેલા પેસેન્જર પાસેથી કાળા કલરનો થેલો મળો આવ્યો હતો. જે થેલાની તલાસી લેતા કપડાંની વચ્ચે સંતાડેલું એક પૂંઠાનું બોક્સમાંથી એક હાથ બનાવટની પિસ્ટલ કી રૂ. 25000 અને રૂ.900ની કિંમતના નવ જીવતા કારતૂસ ઉપરાંત બે એન્ડ્રોઇડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. પકડાયેલા શખસની પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવીઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત હોવાનું જણાવ્યું હતું. તે મૂળ બિહારના સિવન જિલ્લાના ગુટની ગામનો વતની છે અને હાલ નોઈડા, ઉત્તર પ્રદેશ ખાતે રહે છે. જેના એક દિવસના રિમાન્ડ મેળવીને પૂછતાછ કરતાં ચોંકાવનારી હકીકતો પ્રકાશમાં આવી છે. યુવકે દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી શિવમસિંગ ચંદ્રભાનસિંગ રાજપુત મરચંટ નેવીમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જેની ત્રણ ચાર મહિના શીપમાં નોકરી હોય છે. શિવમનો પગાર આશરે ત્રણ લાખ રૂપિયા છે. જેને તેના એક મિત્રએ દિલ્હીથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લઈ પહોંચતી કરવા કહ્યું હતું. આથી શિવમસિંગ દિલ્હી ગયો હતો. જ્યાં તેના મિત્રએ અગાઉથી જ બધી ગોઠવણ કરી રાખી હતી. તેણે દિલ્હી પહોંચીને દિલ્હીના શખ્સ પાસેથી હથિયાર અને કારતૂસની ડિલિવરી લીધી હતી. જે આપવા માટે કચ્છ તરફ બસમાં બેસીને રવાના થયો હતો. જોકે તેના મિત્રએ હથિયાર શેના માટે મંગાવ્યું હતું એ વાતથી શિવમ સિંગ અજાણ હોવાનું રટણ કર્યું હતું. હાલમાં તેના મોબાઈલના સીડીઆર મંગાવીને ટેકનિકલ એનાલિસિસિસ થકી આગળની તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:26 pm

પાટણમાં કમોસમી વરસાદ, વીજળીના કડાકા સાથે માવઠું:ખેતીના પાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં જણસી પલળી

ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે 3 એપ્રિલે પાટણ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને તોફાની પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા માવઠાથી ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે ત્યારે હવામાનમાં અચાનક આવેલા પલટાને કારણે પાટણ જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર પછી પાટણ શહેરમાં આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેનાથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી હતી. પાટણ શહેરની સાથે આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેતીના પાક પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ખેતરોમાં ઉભેલા ઉનાળુ બાજરી અને કેરીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. જ્યારે જીરૂ સહિતના અન્ય રવિ પાકો, જે હાલ કાપણીની અવસ્થામાં છે અથવા ખળામાં પડ્યા છે, તેને પણ આ વરસાદથી નુકસાન થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. વરસાદની સીધી અસર પાટણના માર્કેટયાર્ડમાં પણ જોવા મળી હતી. યાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવેલી ખેડૂતોની જણસીઓ અને ખુલ્લામાં પડેલો માલ પલળી ગયો હતો. વરસાદ શરૂ થતા જ વેપારીઓ અને મજૂરોએ માલને બચાવવા માટે પ્લાસ્ટિકથી ઢાંકવાની ભારે મથામણ કરી હતી. અચાનક તૂટી પડેલા વરસાદે માર્કેટયાર્ડમાં કામ કરતા લોકોની દોડધામ વધારી દીધી હતી. જિલ્લાના વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ ખેતી અને વેપાર ક્ષેત્રે નુકસાનની ભીતિ યથાવત છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:23 pm

કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:રોડ ક્રોસ કરતા 'કિસ્મત'ને પૂરપાટ ઝડપે આવતી કારે ઉડાવ્યો, ડોક્ટરે મૃત જાહેર કર્યો

મહેસાણા નજીક આવેલી રામનગર સોસાયટીના નાકે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ ક્રોસ કરી રહેલા 7 વર્ષીય કિસ્મત નામના બાળકને કારચાલકે અડફેટે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ બનાવને પગલે દેવીપૂજક પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારના ચાલકે બાળકને જોરદાર ટક્કર મારી હતીમૂળ પાટણ જિલ્લાના ખોડસમ ગામના વતની અને હાલ મહેસાણાના પિલવાઈ ખાતે રહેતા રવિભાઈ દેવીપૂજકનો પરિવાર મહેસાણાના રામનગર ખાતે રહેતા તેમના ભાઈના ઘરે રોકાવવા માટે આવ્યો હતો. પાંચ દિવસના રોકાણ બાદ ગઇકાલે રવિભાઈની પત્ની અને તેમનો સાત વર્ષનો પુત્ર કિસ્મત પરત પિલવાઈ જવા માટે નીકળ્યા હતા. રામનગર સોસાયટીના નાકે રોડ ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી GJ-09-AW-1458 નંબરની કારના ચાલકે બાળકને જોરદાર ટક્કર મારી હતી. પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું આ અકસ્માતને પગલે બાળકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. માનવતા દાખવી અકસ્માત સર્જનાર કાર ચાલક જ ઈજાગ્રસ્ત બાળકને પોતાની ગાડીમાં બેસાડી તાત્કાલિક મહેસાણા સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. પોતાના વ્હાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. સમગ્ર મામલે બાળકના પિતા રવિભાઈ દેવીપૂજકે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પિતાની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:23 pm

વેરાવળના કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર જેવી મૂર્તિ:હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો, દર પૂનમે રાત્રે મહાઆરતી

વેરાવળની ભાવના સોસાયટીમાં આવેલા કાર્યસિદ્ધ હનુમાન મંદિરમાં સાળંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિરમાં દર મહિનાની પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન થાય છે. તાજેતરમાં, ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મ ઉત્સવ ઉજવાયો હતો, જેમાં બટુક ભોજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સોસાયટીના રહીશોએ ઘણા વર્ષો પહેલા સારંગપુર હનુમાનજીની આબેહૂબ મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું. આજુબાજુના રહેવાસીઓ અને વેપારીઓએ તન, મન અને ધનથી સહકાર આપીને કાર્યસિદ્ધ હનુમાન મંદિરની સ્થાપનામાં યોગદાન આપ્યું હતું. મંદિરની સ્થાપના થઈ ત્યારથી દર પૂનમે રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ મહાઆરતીમાં શહેરભરના ધર્મપ્રેમી જનતા અને શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ભક્તો અહીં માનતા રાખી પૂજા-અર્ચના કરે છે અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવે છે. મંદિરના યુવા સંચાલકો દ્વારા દરરોજ બે ટાઈમ આરતી કરવામાં આવે છે અને વાર-તહેવારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. સારંગપુર સ્થિત હનુમાનજી મહારાજની મૂર્તિની આબેહૂબ પ્રતિષ્ઠા વેરાવળ શહેરમાં આસ્થાનું કેન્દ્ર બની છે. અહીં દર્શન કરવા આવતા લોકો પોતાની આસ્થા મુજબ માનતા રાખે છે અને તેમના કાર્યો સિદ્ધ થાય છે તેવી લોકચર્ચા પણ પ્રચલિત છે. આ વર્ષે ચૈત્ર સુદ પૂનમના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સંચાલકો અને સોસાયટીના રહીશોએ પરિવારજનો સાથે ઉજવણી કરી હતી. સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ટાઈમ આરતી, હનુમાન ચાલીસાના પાઠ, રાત્રે મહાઆરતી, સાંજે બટુક ભોજન અને રાત્રે મહાપ્રસાદનો સમાવેશ થાય છે. આ માહિતી સંચાલક સેવકો દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:21 pm

પાલનપુરમાં વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ શરૂ:વહેલી સવારના ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે માવઠું

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાલનપુર શહેર ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેણે લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા.કમોસમી માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઘઉં અને જીરાં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બદલાતા હવામાનના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર થવાની શક્યતા વધી ગઈ છે.હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે પવનની આગાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ હવામાન અસ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે સાવચેતી રાખવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:11 pm

AC રિપેરિંગના બહાને ડ્રગ્સનો કાળો કારોબાર:સુરતના ગોપીપુરામાં ફ્લેટ પર દરોડો, 6.44 લાખના MD ડ્રગ્સ સાથે મિકેનિક ઝડપાયો; શાહપોરનો 'એઝાઝ બાટલા' વોન્ટેડ

સુરતના ગોપીપુરા વિસ્તારના મોમનાવાડમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં દરોડો પાડી પોલીસે લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, ઝડપાયેલો આરોપી અગાઉ AC અને ફ્રિજ રિપેરિંગનું કામ કરતો હતો પરંતુ, શોર્ટકટથી પૈસા કમાવવાની ઘેલછાએ તેને ગુનાખોરીના રસ્તે ધકેલી દીધો હતો. ગુપ્ત બાતમીના આધારે જલારામ એપાર્ટમેન્ટમાં દરોડોસુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોપીપુરા મોમનાવાડ સ્થિત જલારામ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 201માં રહેતો મોહમંદ જુબેર ગુલામરસુલ શાહ નામનો શખસ પ્રતિબંધિત નશીલા પદાર્થનો જથ્થો રાખી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પંચોની હાજરીમાં ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ઘરમાંથી શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો, જેની તપાસ કરતા તે MD ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. 214 ગ્રામ ડ્રગ્સ અને વજન કાંટો કબજે કરાયોપોલીસે સ્થળ પરથી કુલ 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 6,44,190 રૂપિયા થાય છે. ડ્રગ્સના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા ડિજિટલ વજન કાંટા અને બે મોબાઈલ ફોન પણ કબજે લેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે કુલ 6,59,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. AC રિપેરિંગમાં કમાણી ઓછી પડતા ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યુંપોલીસ પૂછપરછમાં આરોપી મોહમદ જુબેરની પ્રોફાઈલ વિશે ચોંકાવનારા ખુલાસા થયા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલો જુબેર અગાઉ એસી (AC) અને ફ્રિજ રિપેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ઘરે-ઘરે જઈને AC સર્વિસિંગનું કામ કરતો હતો. જોકે, આ મહેનતના કામમાં તેને પૂરતી આવક થતી નહોતી. વધુ રૂપિયા કમાવવાની લાલચમાં તેણે બે વર્ષ પહેલા રિપેરિંગનું કામ છોડી દીધું અને ડ્રગ્સના કાળા કારોબારમાં પગ મૂક્યો હતો. શાહપોરના 'એઝાઝ બાટલા'નું નામ ખુલ્યુંક્રાઈમ બ્રાંચની કડક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે, તે આ ડ્રગ્સનો જથ્થો સુરતના શાહપોર વિસ્તારમાં રહેતા એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર નામના શખસ પાસેથી લાવ્યો હતો. આરોપી એઝાઝ હાલ ફરાર છે અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ કરી રહી છે. પોલીસને આશંકા છે કે, આ નેટવર્ક શહેરના અન્ય યુવાનો સુધી ફેલાયેલું હોઈ શકે છે. AC રિપેરિંગના બહાને નેટવર્ક વધારવાની શંકાતપાસ અધિકારીઓએ દિશામાં પણ તપાસ કરી રહ્યા છે કે, શું આરોપી પોતાના જૂના વ્યવસાય એટલે કે AC રિપેરિંગના સંપર્કોનો ઉપયોગ ડ્રગ્સ સપ્લાય કરવા માટે કરતો હતો કે કેમ?

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:11 pm

5 એપ્રિલે ગુજરાતનો સૌથી મોટો ક્રિએટર્સ ફેસ્ટ:રાજ્યમાંથી 1400 લોકોએ નોમિનેશન કર્યું, અમદાવાદી મેનથી લઈ એસપી ઇન્ડિયા સહિતના ફેમસ ક્રિએટર્સ માર્ગદર્શન આપશે

સોશિયલ મીડિયાના યુગમાં ક્રિએટીવ કન્ટેન્ટ થકી રાષ્ટ્ર અને સમાજને નવી દિશા મળી રહી તે હેતુથી વિશ્વ સંવાદ કેન્દ્ર ગુજરાત દ્વારા ગુજરાતનો સૌથી મોટો ક્રિએટિવ ફેસ્ટ ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. 5 એપ્રિલ, 2026 રવિવારે સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટીના માધ્યમથી યોજાનાર આ સોશિયલ મીડિયા ક્રિએટિવ ફેસ્ટમાં પહેલીવાર ગુજરાતભરમાંથી 1400થી વઘુ ક્રિએટર્સે એક મંચ પર ભેગા થશે. વિવિધ 16 કેટેગરીમાં ક્રિએટર્સ નોમિનેશન કરી શકશેઉભરતા ક્રિએટર્સને પણ એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને પણ મંચ મળી રહે તે માટેનો વિચાર કરવામાં આવ્યો છે. જેથી આ ફેસ્ટમાં 10 હજાર કે તેનાથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે 16 અલગ અલગ કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે. જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સે પણ 16 કેટેગરીમાં પોતાનું નોમિનેશન કર્યું છે. નાના ક્રિએટર્સને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળશેઆ આયોજન અંગે માહિતી આપતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસ પટેલે જણાવ્યું હતું કે, આજનો યુગ ડિજિટલ ક્રાંતિનો છે. એટલા માટે અમારો ઉદ્દેશ્ય માત્ર પ્રખ્યાત ચહેરાઓને સ્ટેજ આપવાનો નથી, પરંતુ એવા નાના અને ઉભરતા ક્રિએટર્સને પણ પ્રોત્સાહન આપવાનો છે.જેઓ પાયાના સ્તરે અદભૂત કામ કરી રહ્યા છે. 10 હજારથી વધુ ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સને આ પ્લેટફોર્મ આપીને અમે તેમનામાં રહેલી કળાને પ્રોત્સાહન આપી એક સારા ક્રિએટર તરીકે ઉભરે તેવો પ્રયાસ કરી રહ્યાં છીએ,એટલું જ નહીં અમે બે કેટેગરી પણ રાખી છે જેમાં 10 હજારથી 1 લાખ ફોલોવર્સ ધરાવતા ક્રિએટ્સને “રાઈઝિંગ ક્રિએટ્સ” તરીકે નામ આપ્યું છે જ્યારે 1 લાખથી વધુ ફોલોવર્સ ધરાવતા ક્રિએટર્સને “સ્ટાર ક્રિએટર્સ” નામ આપ્યું છે. આ બંને કેટેગરીમાં 16-16 મળીને કુલ 32 ક્રિએટર્સને સન્માનિત કરવામાં આવશે. 'ફેમસ ક્રિએટર્સ માર્ગદર્શન આપશે'પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જય થડેશ્વરે જણાવ્યું કે, એક પોડકાસ્ટર તરીકે હું ખૂબ જ ખુશી વ્યક્ત કરું છું કે, ગુજરાતમાં પહેલીવાર આ પ્રકારનો આટલા મોટા સ્કેલ પર ક્રિએટર્સ માટે કાર્યક્રમ થઈ રહ્યો છે. આ ફેસ્ટ માત્ર ક્રિએટર્સને એવોર્ડ આપીને સન્માનિત કરવા પૂરતો સિમિત નહીં રહે તેની સાથે સાથે ગુજરાત અને દેશના ફેમસ ક્રિએટર્સ દ્વારા ખાસ વર્કશોપ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવશે. જેમાં રિલ્સના વાઈરલથી લઈને મોનિટાઈઝેશન સુધી, કન્ટેન્ટ ક્રિએશનથી કારકિર્દી બનાવવા સુધીનું જ્ઞાન આપવામાં આવશે. જ્યારે યંગ ઈન્ડિયન ડાયલોગ્સ વિષય પર માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 5 એપ્રિલ 2026ના રોજ સવારે 9 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા દરમિયાન ડૉ. આંબેડકર યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર ઉપસ્થિત રહેશે. સાથે જ પ્રફુલ ગર્ગ, મિનાક્ષી શહેરાવત, નિખિલ ચંદવાની, જય થડેશ્વર, કુશલ મિસ્ત્રી (અમદાવાદી મેન), કુલદીપ કલેર (પોઝીટીવ પાજી), સિડ પ્રજાપતિ (એસપી ઈન્ડિયા), વિશાલ પારેખ (વિશાલ ડીઓપી) જેવા દિગ્ગજ કલાકારો ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:06 pm

6 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ:અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો, મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ, કડીમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર હુમલો

સ્થાનિક સ્વરાજ માટે સેન્સ પ્રક્રિયા તેજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમદાવાદમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટે દાવેદારી નોંધાવી તો ખાડિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા. આ તરફ વડોદરામાં ‘જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં’ના બેનર લાગ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવનિત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા. તક મળ્યે ચૂંટણી લડવાની પણ વાત કરી..લોકસાહિત્યકાર માયા આહીરના દીકરા પર તેમણે હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો ઇરાન-ઇઝરાયલ વોરને પગલે અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50નો વધારો.સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60રુ જેટલો મોંઘો થયો છે. આ ભાવવધારાની સીધી અસર રિક્ષા ચાલકોને થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલીની સામે સરકારનો એક્શન પ્લાન સુરતમાં બનાવાશે હાઈ ટેક લેબ. જે નકલી દૂધ અને દવાઓમાં થયેલી ભેળસેળનો રિપોર્ટ ગણતરીના સમયમાં આપી દેશે,.ઘણા સમયથી દૂધ,દવા અને ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેટને અટકાવવા સરકારે આ પગલું લીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ ડાકોરના એક ફેરિયાને IT વિભાગે ₹19.84 કરોડની નોટિસ ફટકારી.. પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી પેટીયું રળતો ફેરિયાએ કહ્યું કે આટલો આંકડો પણ જોયો નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઇકોર્ટે GPSCની ઝાટકણી કાઢી 1 માર્કે રહી જતા વિદ્યાર્થિનીનો કાયદાકીય જંગ... હાઈકોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગામની સીમમાં ઝાડ પર લટકી સજોડે આપઘાત કર્યો થરાદના મોરીલા ગામની સીમમાં ઝાડ પર યુવક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા..બંને કોણ હતા અને કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમલગ્ન કરનાર યુવતી પર જીવલેણ હુમલો કડીના કાસ્વા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર તેના મોટા બાપૂએ તલવાર અને ધોકાના ફટકા મારી હુમલો કર્યો. ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે મોટાબાપૂ અને તેના સાગરીત સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અકસ્માતની ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ સુરતમાં બે ભયાનક અકસ્માત સર્જાયા. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું જ્યારે પરવત પાટીયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરઉનાળે ત્રીજી વખત નોંધાયો કમોસમી વરસાદ પાટણ-બનાસકાંઠામાં ભરઉનાળે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વેરાવળ 20 મિનિટમાં જળબંબાકાર.. હવામાન વિભાગે ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 6:02 pm

ભરૂચમાં મુસ્લિમ સમાજે UCC બિલનો વિરોધ કર્યો:હાથ પર કાળી પટ્ટી બાંધી શાંતિપૂર્ણ પ્રદર્શન

ભરૂચ જિલ્લામાં શુક્રવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમોએ હાથ પર કાળી પટ્ટી બાંધીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચની અમન મસ્જિદ, લુકમાન પાર્ક સ્થિત મસ્જિદ સહિત શહેરની અનેક મસ્જિદોમાં જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે UCC બિલને કાળો કાયદો ગણાવી, હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ વ્યક્ત કર્યો. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ગુજરાત સરકારને આ બિલ રદ કરવાની માંગ કરી હતી. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રહ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, આ વિરોધ લોકશાહી અધિકારના ભાગરૂપે કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:58 pm

'આજે બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રે':ઝઘડાની દાઝ રાખી રત્નકલાકાર યુવક પર ત્રણ શખસોનો છરી-ફરશીથી હુમલો, બાઈકમાં પણ તોડફોડ કરી

ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં એક મહિના પહેલાના ઝઘડાની દાઝ રાખીને એક રત્નકલાકાર યુવકને ગૌશાળા પાસેના મેલડી માતાના મંદિરે બેઠેલો હતો ત્યારે ત્રણ યુવકોએ છરી અને ફરશીથી હુમલો કરીને ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ યુવકની બાઈકમાં પણ તોડફોડ કરીને જીવનની ધમકી આપી હતી. ત્રણ શખસોએ છરી-ફરશીથી હુમલો કરી ઢીંકાપાટુનો માર માર્યોઘોઘારોડ વિસ્તારના લક્ષ્મીનગર, શેરી નંબર-૨માં રહેતા મનોજભાઈ દિલીપભાઈ ચૌહાણ (રત્નકલાકાર) એક મહિના પહેલા તેમના મિત્ર મુકેશભાઈની રિક્ષા સાથે અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયાના બાઈકના અકસ્માતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાની દાઝ રાખીને ગત તા.1 એપ્રિલના રોજ બપોરના સમયે મનોજભાઈ ગૌશાળા પાછળ આવેલા મેલડી માતાના મંદિર પાસે બેઠા હતા. આ દરમિયાન અમીત ઉર્ફે ચોટી અશ્વિનભાઈ બારૈયા, મેહુલ અશ્વિનભાઈ બારૈયા અને ઉજ્વલ ઉર્ફે ચુચો (તમામ ભાવનગરના) એક્સેસ રોડ પર આવીને મનોજભાઈને અપશબ્દો કાઢ્યા. વિરોધ કરતા યુવકને ઉશ્કેરાઈને હુમલો કર્યો. અમીતે ફરશીથી, મેહુલે છરીથી ઘા કર્યા અને ઉજ્વલે ઢીંકાપાટુથી માર માર્યો. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યોહુમલો કર્યા બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી કે “આજે તો તું બચી ગયો, બીજી વાર મળીશ તો જીવતો નહીં રહેવા દઈએ.” તેમણે મનોજભાઈની બાઈકમાં પણ તોડફોડ કરી હતી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મનોજભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS એક્ટની કલમ 115(2), 118(1), 117(2), 352, 351(3), 54, 324(4) તેમજ જીપી એક્ટની કલમ-135 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:53 pm

ABVPએ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ગેરરીતિઓ મુદ્દે રજૂઆત કરી:પરીક્ષાના પ્રશ્નપત્રોમાં ભૂલો અને વિલંબનો આક્ષેપ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ અંગે કુલપતિને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગોધરા ખાતે ABVP દ્વારા આ મુદ્દે ગંભીર આક્ષેપો કરાયા છે. ABVP દ્વારા કરાયેલી રજૂઆત મુજબ, 30 માર્ચના રોજ લેવાયેલી B.Com સેમેસ્ટર-4ની બિઝનેસ મેનેજમેન્ટ વિષયની પરીક્ષામાં સેમેસ્ટર-2ના અભ્યાસક્રમમાંથી પ્રશ્નો પૂછાયા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. આ ઉપરાંત, M.Com સેમેસ્ટર-4ના Advance Cost Management Accountingના પેપરમાં 20 ગુણના પ્રશ્નો અભ્યાસક્રમની બહારના પૂછાયા હોવાનો પણ આક્ષેપ છે. આ બંને કિસ્સાઓમાં વિદ્યાર્થીઓને ખોટા પ્રશ્નપત્રો મળ્યા હોવાની ફરિયાદ છે. B.Sc Microbiology કોર્સમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શરૂઆતમાં ગુજરાતી ભાષામાં પ્રશ્નપત્ર આપવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર પર જ તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લીધે વિદ્યાર્થીઓને અંદાજે 15 મિનિટ મોડું પેપર મળતું હોવાની ફરિયાદ પણ ABVPએ કરી છે. ABVPએ જણાવ્યું કે આ ઘટનાઓ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી દર્શાવે છે અને હજારો વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. આવેદનપત્રમાં અગાઉ પણ આ પ્રકારની ગેરરીતિઓ સામે આવી ચૂકી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે કે યુનિવર્સિટીમાં મોડરેટર સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવામાં આવે અને આ ગેરરીતિઓ માટે જવાબદાર વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય. પ્રશ્નપત્રોની ક્રોસ-વેરિફિકેશન પ્રક્રિયાને પણ મજબૂત બનાવવાની માંગ કરાઈ છે. ABVPએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે ત્વરિત અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી પ્રશાસનની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:44 pm

તાંદલજા મસ્જિદમાં UCC કાયદાનો મૌન વિરોધ:જુમ્માની નમાઝ દરમિયાન યુવાનો, બાળકો અને વૃદ્ધોએ કાળી પટ્ટી બાંધી કર્યો વિરોધ

ગુજરાત વિધાનસભામાં UCCનો કાયદો મંજૂર કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. નમાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીકેન્દ્ર સરકાર દ્વારા વિચારાધીન યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCCના વિરોધમાં તાંદલજાની મસ્જિદ-એ-નુઝુલ ઈસ્લામ ખાતે મુસ્લિમ સમાજના નાગરિકોએ કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. આજે જુમ્માની નમાજ હોવાથી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. મસ્જિદમાં પ્રવેશતા પહેલા તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના હાથ પર અથવા ખભા પર બ્લેક પટ્ટી બાંધી હતી અને આ રીતે પક્ષ કે સંગઠનથી ઉપર ઉઠીને એક સામૂહિક વિરોધ દર્શાવ્યો હતો. આ કાયદો ધાર્મિક અને અંગત કાયદા પર તરાપ સમાનવિરોધ કરી રહેલા નાગરિકોનું માનવું છે કે, UCC તેમના ધાર્મિક અને અંગત કાયદા પર તરાપ સમાન છે. આ કાયદાના કારણે ઇસ્લામ ધર્મના કેટલાક કાયદાઓ ઉપર તરાપ લાગી શકે છે એવું મુસ્લિમોનું માનવું છે ત્યારે શહેરમાં શાંતિમય રીતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મૌન રીતે સરકાર સુધી સંદેશ પહોંચાડવાનો પ્રયાસઆ પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. જેમાં કોઈપણ પ્રકારના સૂત્રોચ્ચાર વગર માત્ર કાળી પટ્ટી દ્વારા જ પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો, બાળકો અને વૃદ્ધો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:44 pm

સુરેન્દ્રનગરમાં બોર્ડ પરીક્ષામાં 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા:CCTV ફૂટેજથી ખુલાસો, વાલીઓની હાજરીમાં સુનાવણી યોજાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન 36 વિદ્યાર્થીઓ ગેરરીતિ આચરતા પકડાયા છે. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ વિદ્યાર્થીઓ ચોરી કરતા જણાયા હતા, જેના પગલે વાલીઓની હાજરીમાં તેમની સુનાવણી કરવામાં આવી હતી. ગેરરીતિ કરતા જણાયેલા કુલ 36 વિદ્યાર્થીઓમાંથી 17 ધોરણ 10ના અને 19 ધોરણ 12 સામાન્ય પ્રવાહના છે. નોંધનીય છે કે, એચ.એસ.સી. વિજ્ઞાન પ્રવાહમાં સી.સી.ટી.વી. ફૂટેજ દ્વારા એક પણ કોપી કેસ નોંધાયો નથી. જિલ્લામાં 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાયેલી બોર્ડની પરીક્ષાના તમામ કેન્દ્રોના 100 ટકા સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગરના માળોદ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝાના માર્ગદર્શન હેઠળ કુલ 2700 ડીવીડીની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. આ તપાસ એસએસસી સુપરવાઇઝર રેખાબેન પરમાર અને એચએસસી સુપરવાઇઝર જયેશભાઈ પઢારિયાના સુપરવિઝન હેઠળ થઈ હતી. આ તપાસના આધારે, 1 એપ્રિલના રોજ જિલ્લા પરીક્ષા સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા શંકાસ્પદ ગેરરીતિ કરતા જણાયેલા 36 વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, સ્થળ સંચાલકો અને ખંડ નિરીક્ષકોને રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. આ સુનાવણીમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, અમીનભાઈ ઘેસાણી અને ભરતભાઈ પરમાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા આ 36 વિદ્યાર્થીઓનો વિગતવાર અહેવાલ બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે. હવે બોર્ડ આ વિદ્યાર્થીઓ સામે શું કાર્યવાહી કરવી તે અંગેનો અંતિમ નિર્ણય લેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:35 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અદાણીએ CNGમાં રૂ.1.50 વધારતા રિક્ષાનું ભાડું વધશે, ટાટા હેરિયરમાંથી શેર માર્કેટના વ્યવસાયીનો મૃતદેહ મળ્યો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:35 pm

પાન પાર્લર માલિક વિરુદ્ધ ફરિયાદ:જમીનના સોદામાં વચ્ચે રહેલા વ્યક્તિને 8 કરોડની લેતીદેતીમાં માર માર્યો, સગીરને સિગરેટ વેચતા પોલીસ ફરિયાદ

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા પોપ્યુલર ડોમેનમાં રહેતા પ્રતિકભાઈ કેજરીવાલને જમીનના સોદામાં વચેટિયા તરીકે કામ કરવા બદલ પૈસાની ઉઘરાણીના વિવાદમાં માર મારવામાં આવ્યો હતો. વચેટિયા પાસેથી જ પૈસાની ઉઘરાણી શરૂ કરીનવેમ્બર 2024માં કડી તાલુકાના અગોલ ગામ પાસે 13 વીઘા જમીનનો સોદો વિપુલભાઈ ગાંગાણી અને રોનક કોની વચ્ચે થયો હતો. આ સોદામાં પ્રતિકભાઈ કેજરીવાલ વચેટિયા તરીકે સામેલ હતા. ખરીદનાર પંકજભાઈ સોનીએ કુલ 8.39 કરોડ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ વિપુલ અને રોનક વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાતા તેઓ જેલમાં ગયા હતા. પંકજભાઈએ પોતાના પૈસા પરત માંગ્યા પરંતુ, વિપુલ અને રોનક જેલમાં હોવાથી પૈસા પરત આપી શકાયા નહોતા. તેમણે વચેટિયા પ્રતિકભાઈ પાસેથી જ પૈસાની ઉઘરાણી શરૂ કરી. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી આ વિવાદમાં પંકજભાઈ સોની અને તેમના બે દીકરાઓ દક્ષિલ તથા વિશ્મય સોનીએ પ્રતિકભાઈના ઘરે જઈ સોસાયટીમાં બુલા-ચાલી કરીને ઝપાઝપી કરી અને તેમને લાફો માર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. પ્રતિકભાઈએ મમલેશ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સગીરને સિગારેટ વેચવા બદલ પાન પાર્લર ધારક વિરુદ્ધ કેસઅમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં સગીરને સિગરેટ વેચવા બદલ પાન પાર્લરના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. આ કાર્યવાહી COTPA 2003 (સિગરેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ) હેઠળ કરવામાં આવી છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ-સિગરેટ વેચવા પર પ્રતિબંધ છે. વી.એસ. હોસ્પિટલ પાસે નીલધારા કોમ્પ્લેક્સની નજીક આવેલા બ્રિજ પાન પાર્લરમાં સગીર વયના યુવકોને સિગરેટ અને તમાકુ વેચાતા હોવાની માહિતી મળતા પોલીસે એક 16 વર્ષના સગીરને સિગરેટ ખરીદવા મોકલ્યો હતો. દુકાનદાર જીતેન્દ્ર પ્રજાપતિએ સગીરને સિગરેટ વેચી દીધી હતી. પોલીસે તરત જ સ્થળ પર પહોંચીને દુકાનદાર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આવી કાર્યવાહીથી પાન-સિગરેટના વેપારીઓને સગીરોને વેચાણ ન કરવા માટે સખત સંદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:33 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પરવત પાટીયામાં MP રોડવેઝની બસે ટક્કર મારતા આધેડનું માથું ફાટ્યું, LPGની અછતથી વેપારીઓએ રેસ્ટોરન્ટને તાડા માર્યા

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:30 pm

ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી:ન્યુ ચાંદખેડામાં ઢોંસાની દુકાનના કિચનમાં આગ લાગવાની ઘટના, માર્જિનની જગ્યામાં શેડમાં બનાવ બન્યો

અમદાવાદના ન્યુ ચાંદખેડા વિસ્તારમાં આવેલા કે.બી. રોયલ એલમ કોમ્પ્લેક્સમાં કાંચીપુરમ ઢોંસાની દુકાનના માલસામાન રાખવાની જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે. સદનસીબે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લઈ લીધી હતી. રસોડામાં માલ-સામાન મૂક્યો હતો ત્યાં જ આગ ભભૂકીઢોંસાની દુકાનની બાજુમાં સોસાયટીની માર્જિન જગ્યામાં એક શેડ જેવું બનાવવામાં આવ્યું હતું. આ શેડમાં ઢોસા બનાવવા માટેનો માલસામાન (રસોડાનો સામાન) રાખવામાં આવ્યો હતો. આ જ જગ્યામાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક સૂત્રો અનુસાર, આ જગ્યા રસોડાના કામ માટે વપરાતી હતી અને ત્યાં માલસામાન રાખવામાં આવતો હતો, જેના કારણે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે ત્વરિત પગલાં લઈને આગને ફેલાતી અટકાવી અને તેને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી હતી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ અને ફાયર અધિકારીઓ ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:19 pm

ઘોડાસરમાં હનુમાન જન્મોત્સવે સુન્દરકાંડ પાઠ યોજાયો:ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભક્તો ઉમટ્યા

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી સુન્દરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમકાર ગ્રુપ દ્વારા આયોજિત આ ધાર્મિક કાર્યક્રમ હિરેનકુમારના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો. આ કાર્યક્રમમાં અંદાજે 500થી વધુ ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ ભક્તિભાવપૂર્વક સુન્દરકાંડ પાઠમાં ભાગ લીધો હતો. સમગ્ર સ્થળ 'જય શ્રી રામ' અને 'જય હનુમાન'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. આ આયોજનનો ઉદ્દેશ્ય સમાજમાં ધાર્મિક ભાવના, એકતા અને સદભાવનાનો સંદેશ ફેલાવવાનો હતો. ઓમકાર ગ્રુપના સભ્યો અને સેવાભાવી કાર્યકરોને કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:17 pm

જીવાપુરા શાળાના શિક્ષક રૂમાલ ડામોર નિવૃત્ત:વિદાય સમારંભમાં શાળા વિકાસ માટે ₹10,000નું દાન

બાવળા તાલુકાની જીવાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક રૂમાલભાઈ રાયસિંગભાઈ ડામોરનો વિદાય સમારંભ યોજાયો. તેઓ વયનિવૃત્ત થતાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારંભ ગામના વડીલ દાદામિયા બાપુ કાદરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. બાવળા તાલુકા BRC Co. દિગ્વિજયસિંહ મોરી સાહેબ, લાલુભાઇ ડયા, અજીતભાઇ, મનીષભાઈ પ્રજાપતિ અને બીપીનભાઇ પ્રજાપતિ પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, તેમના વતન ચિતવા અને જીવાપુરા ગામના લોકો તેમજ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત્ત થનાર શિક્ષક રૂમાલભાઈ ડામોરે શાળાના વિકાસ અર્થે ₹10,000નું દાન આપવાની જાહેરાત કરી હતી. શાળા પરિવારે શિક્ષકશ્રીના આ યોગદાન અને સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:16 pm

આસ્ટોડિયામાં હનુમાન જયંતિ:શ્રી બાલા હનુમાન મંદિરે ભક્તોએ દર્શન કરી પ્રસાદનો લાભ લીધો

આસ્ટોડિયા સ્થિત શ્રી બાલા હનુમાન મંદિરે ગુરુવાર, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના પૂજારી દ્વારા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. ઉજવણીના ભાગરૂપે, પૂજારી દ્વારા શ્રી હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તોને બુંદીના લાડુ અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. માણેક ચોકના વેપારીઓ સવાર-સાંજ શ્રી હનુમાનજીના દર્શન કરવા નિયમિતપણે આવે છે. આ મંદિરમાં લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે બાધા રાખે છે અને મનોકામના પૂર્ણ થતાં દર્શન કરી પ્રસાદ ચડાવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:13 pm

કાલુપુર ટંકશાળમાં હનુમાન જયંતિ ઉજવાઈ:જહાંપનાની પોળના રહીશોએ મંદિરે આરતી કરી, પ્રસાદ વહેંચ્યો

કાલુપુર ટંકશાળ સ્થિત જહાંપનાની પોળમાં શ્રી હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ, 2026, ગુરુવારના રોજ હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. પોળના રહીશો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પોળના ભાઈઓ અને બહેનોએ સાથે મળીને શ્રી હનુમાનજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ ઉપસ્થિત ભાવિક ભક્તોને બૂંદી અને ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં પોળના અનેક રહીશો તેમજ સ્થાનિક વ્યાપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:11 pm

બાપુનગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી:પ્રમુખ એવન્યુ સોસાયટીમાં મારુતિ યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી પ્રમુખ એવન્યુ સોસાયટીમાં આવેલા શ્રી સવાયા હનુમાન દાદા ના મંદિર માં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. દાદાનો આ 19 મો પાટોત્સવ હતો. આ પ્રસંગે સોસાયટીમાં હનુમાનદાદાનો મારુતિ યજ્ઞ યોજાયો હતો. યજ્ઞ બાદ ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:10 pm

વૃંદાવન-6 બંગ્લોઝમાં હનુમાન જયંતિની ઉજવણી:સોસાયટીના સભ્યોએ ભજન અને ચાલીસા ગાન કર્યું

અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા વૃંદાવન-6 બંગ્લોઝ સોસાયટીમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના સેક્રેટરી વિપુલભાઈ પટેલે ભજન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સોસાયટીના સભ્યો, બાળકો અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌએ સાથે મળીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને હનુમાનજી તથા ભગવાન રામના ભજનો ગાયા હતા. કાર્યક્રમના અંતે, સોસાયટીના સભ્ય અપૂર્વભાઈ પટેલે સૌ સભ્યો માટે નાસ્તાની વ્યવસ્થા કરી હતી, જેનો સૌએ આનંદ માણ્યો હતો. ત્યારબાદ સૌ સભ્યો પોતાના ઘરે પરત ફર્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:08 pm

હનુમાન જન્મોત્સવે મોટા વરાછામાં નશામુક્તિ અને ભંડારો:માતૃ પ્રવાહ ટ્રસ્ટ અને રાકેશ પટેલે આયોજન કર્યું

હનુમાન જન્મોત્સવ નિમિત્તે મોટા વરાછાના આકડીયા હનુમાન રામચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના રસિકભાઈ ધામેલીયા અને સામાજિક કાર્યકર રાકેશભાઈ પટેલ દ્વારા નશામુક્તિ અભિયાન, સુંદરકાંડ પાઠ અને ભંડારાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સંસ્થા દ્વારા જણાવાયું હતું કે ઘણા વ્યસની વ્યક્તિઓ દોરા-ધાગા કે દવાઓ લેવા છતાં વ્યસન છોડી શકતા નથી, કારણ કે જ્યાં સુધી તેમનું માનસિક પરિવર્તન ન થાય ત્યાં સુધી નશો છૂટતો નથી. સંસ્થા આવા વ્યક્તિઓનું સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માનસિક પરિવર્તન કરાવીને તેમનું વ્યસન છોડાવે છે. માતૃ પ્રવાહ ચેરીટેબલ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં તેમણે અનેક વ્યસની વ્યક્તિઓને નશો છોડાવીને તેમના પરિવારમાં પાછા મોકલ્યા છે. આ વ્યક્તિઓ હાલમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે અને પોતાના પરિવાર તથા સમાજને મદદરૂપ થઈ રહ્યા છે. આજના સમયમાં ખરાબ ખાવા-પીવાની જીવનશૈલી અને ઘટતી શારીરિક શક્તિને કારણે વ્યસનો ઝડપથી હાવી થઈ રહ્યા છે. તમાકુ અને બીડી જેવા વ્યસનોથી થતા ભયંકર કેન્સરના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. યુવાનોમાં વધતા વ્યસનો પરિવારોને બરબાદ કરી રહ્યા છે. આથી, હનુમાન જન્મોત્સવ નિમિત્તે, ઉપસ્થિત લોકોએ પોતાના તમામ પ્રકારના વ્યસનો છોડવા માટે પ્રાર્થના કરી અને શપથ લીધા. સંસ્થાનો ખાસ નિયમ છે કે નશો છોડાવવા આવનાર વ્યક્તિની કોઈ જ્ઞાતિ કે જાતિનો ભેદભાવ રાખ્યા વિના સારવાર કરવામાં આવે છે. તેમની ગોપનીયતા જાળવવામાં આવે છે અને તેમનું નામ-સરનામું ક્યાંય જાહેર કરવામાં આવતું નથી. વધુ માહિતી માટે 9879394125 અને 9913199183 નંબર પર સંપર્ક કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:07 pm

ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસ ઉજવાયો:વાંચન પ્રત્યે જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલમાં યોજાયો હતો. તેનો મુખ્ય હેતુ બાળકોમાં વાંચન પ્રત્યેનો જુસ્સો વધારવાનો અને તેમને પુસ્તકો વાંચવાની ટેવ પાડવાનો હતો. કાર્યક્રમમાં ધર્મજાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. જેમાં મીરામબિકા સ્કૂલના ટ્રસ્ટી જીગીશાબેન પટેલ, સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય અને શ્રી વિદ્યા એજ્યુકેશન એકેડેમીના ડાયરેક્ટર મોટિવેશનલ સ્પીકર ધવલભાઇ વાળા, સફળ બાળ વિદ્યાવિહારના નિયામક દિનેશભાઈ શાહ, અનમોલ મોતી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી પાયલબેન શાહ અને રાહી ફાઉન્ડેશનના ટ્રસ્ટી જયેશભાઈ પરીખનો સમાવેશ થાય છે. આ વક્તાઓએ વિદ્યાર્થીઓને વાંચનનું મહત્વ, જીવનમાં પુસ્તકોનું સ્થાન અને કારકિર્દી ઘડતરમાં પુસ્તકોનો ફાળો વિગતવાર સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મજાગૃતિ કેન્દ્ર સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:05 pm

મૌઝા ગામમાં હનુમાન જયંતિનું ભવ્ય આયોજન:નેત્રંગ પાસેના મંદિરે હજારો ભક્તો ઉમટ્યા

નેત્રંગ નજીક આવેલા મૌઝા ગામના પવનપુત્ર હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારો ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. મંદિરના પૂજારી બાબુ દાદા વર્ષોથી સેવા આપી રહ્યા છે. ભક્તોમાં એવી શ્રદ્ધા પ્રવર્તે છે કે અહીં માનતા રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકો લાડુ, શ્રીફળ, ચોકલેટ કે પેંડા જેવી વસ્તુઓની માનતા રાખે છે. મંદિરમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ મંદિરે દેશ-વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ઘણા શ્રદ્ધાળુઓ દર મહિને દાદાના દર્શન કરવા આવે છે. દર પૂનમના દિવસે અહીં હવન અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન થાય છે. હનુમાન જયંતિના દિવસે વિશેષ હવન યોજાય છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:04 pm

ગઢડામાં પશુને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ:વિંછીયા પરાના રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસ તપાસ

ગઢડા શહેરના વિંછીયા પરા વિસ્તારમાં પશુઓને મારવા મુદ્દે બે કોમ વચ્ચે બબાલ થઈ હતી. આ ઘટનામાં ત્રણ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક શખ્સો પશુઓને માર મારી રહ્યા હતા, જેનો વિંછીયા પરાના રહીશોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ બબાલ શરૂ થઈ હતી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખ્સોએ લોખંડની પાઈપ અને લાકડીઓ વડે તેમને માર માર્યો હતો. ઘટના બાદ વિંછીયા પરા વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રહીશ કાજલબેન સહિતના લોકોએ પશુઓને માર મારનારા અને રહીશો પર હુમલો કરનારા શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવાની માંગ કરી હતી. ગઢડા VHP પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ પણ પશુઓને માર મારનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:04 pm

શ્રી મહાવીર બી.એડ્. કોલેજમાં દીક્ષાંત સમારોહ:ભાવિ શિક્ષકોએ રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ લીધો

શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત બી.એડ્. કોલેજ, પાંડેસરા ખાતે 1લી એપ્રિલના રોજ સેમેસ્ટર-4ના તાલીમાર્થીઓ માટે દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ભાવિ શિક્ષકોને રાષ્ટ્ર નિર્માણની જવાબદારી સ્વીકારવા માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતના ઉપાધ્યક્ષ રમણિકભાઈ ઝાપડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ સુધાકરજી માસ્ટર અને વ્યવસ્થાપક ચંદ્રકાંતભાઈ શાહ પણ હાજર રહ્યા હતા. સવારે 10.30 કલાકે દીપ પ્રજ્વલન અને ગણેશ વંદના સાથે સમારોહનો પ્રારંભ થયો હતો. ડૉ. બિન્ની મહેતાએ મહેમાનોનો પરિચય આપ્યો હતો, જ્યારે ડૉ. અમીત સુરતીએ તાલીમાર્થીઓને દીક્ષાંત સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કોલેજ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. વર્ષ 2025-26 માટે કાયસ્થ પ્રિયા વિનયકુમારને ‘બેસ્ટ કોલેજ સ્ટુડન્ટ ઓફ ધી યર’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ સંસ્થાના વાર્ષિક સામાયિક 'સાર્થક'નું વિમોચન પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન રમણિકભાઈ ઝાપડીયાએ પોતાના 36 વર્ષના શૈક્ષણિક અનુભવો વહેંચતા જણાવ્યું હતું કે, 'શિક્ષક બનવું એ માત્ર નોકરી નથી, પણ ઈશ્વરે આપણને કોઈનું જીવન રંગીન બનાવવાનું માધ્યમ બનાવ્યા છે.' તેમણે તાલીમાર્થીઓને શિક્ષણની ગુણવત્તા પર ધ્યાન આપવા અને પૂર્વ તૈયારી વગર વર્ગખંડમાં ન જવા ભારપૂર્વક જણાવ્યું હતું. સંસ્થાના પ્રમુખ સુધાકરજી માસ્ટરે જણાવ્યું કે, 'ધરતી પરનો સૌથી મોટો કલાકાર શિક્ષક છે, જે અજ્ઞાનરૂપી પથ્થરને કંડારીને જ્ઞાનરૂપી મૂર્તિ બનાવે છે. ભારતને 'વિશ્વગુરુ' બનાવવાનું સામર્થ્ય આ ભાવિ શિક્ષકોના હાથમાં છે.' કાર્યકારી પ્રધાનાચાર્યા ડૉ. જયશ્રી કાનાણી અને પ્રા. ભાવિકા પટેલે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રા. સાગર ગાંધીએ કર્યું હતું અને આભારવિધિ પ્રા. ખુશ્બુ પટેલે કરી હતી. સમગ્ર આયોજન ડૉ. બિન્ની મહેતા અને પ્રા. ખુશ્બુ પટેલએ કર્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ સામૂહિક ‘કલ્યાણમંત્ર’ના ગાન સાથે થઈ હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 5:01 pm

ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન અપાયું હતું. આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વધુમાં, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, SVEEP હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, એસએમએસ મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ્ડ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વીડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:59 pm

વડોદરામાં ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ધાટન:ભાજપ 3 અને 4 એપ્રિલે 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરશે, 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસી

વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનાત્મક સ્તરે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેની રાહ જોયા વિના જ તમામ 19 વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કરવાનું આયોજન હાથ ધર્યું છે. બે દિવસીય ઉદ્ઘાટન સમારોહઆજે 3 એપ્રિલ અને આવતીકાલ 4 એપ્રિલ એમ બે દિવસ દરમિયાન શહેરના તમામ વોર્ડમાં કાર્યાલયોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે ભાજપના શહેર પ્રમુખ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિતના અગ્રણી નેતાઓ હાજર રહી પ્રચાર કાર્યને વેગ આપશે. પ્રથમ દિવસે 14 વોર્ડમાં ધમધમાટઆજે શુક્રવારના રોજ પ્રથમ તબક્કામાં 19 પૈકી 14 વોર્ડના કાર્યાલયો ખુલ્લા મૂકવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 2, 3, 5, 7, 9, 10, 11, 13, 14, 15, 16, 17, 18 અને 19નો સમાવેશ થાય છે. જ્યારે બાકીના પાંચ વોર્ડમાં આવતીકાલે ઉદ્ઘાટન વિધિ સંપન્ન થશે. 76 બેઠકો સામે 1434 દાવેદારોની ટિકિટ માટે રસાકસીવડોદરાને ભાજપનો ગઢ માનવામાં આવે છે, જેના કારણે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મનપાના 19 વોર્ડની કુલ 76 બેઠકો માટે ભાજપમાંથી અધધ 1434 કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી છે. હવે પ્રદેશ મોવડી મંડળ માટે આટલી મોટી સંખ્યામાંથી યોગ્ય અને સક્ષમ ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળવો એ એક પડકારજનક કાર્ય બની રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:59 pm

ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા બાળ પુસ્તક દિનની ઉજવણી:ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે પ્રમોદ શાહના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયો

ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મ જાગૃતિ કેન્દ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય બાળ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ ખાતે સંસ્થાના પ્રમુખ પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાયો હતો. બાળ સાહિત્ય અને કેળવણી ક્ષેત્ર સાથે સંકળાયેલા જયેશ પરીખ, જિગીષાબેન પટેલ, દિનેશભાઈ શાહ, પાયલબેન શાહ અને ધવલભાઈ વાળા અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શહેરની વિવિધ શાળાઓના બાળકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોટાદના તેજસ્વી બાળ સાહિત્ય લેખિકા કુમારી ઈશાની નાગરનું સન્માન સંસ્થાના પ્રમુખ પ્રમોદ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:59 pm

પ્રીતિએ કાંગારૂ પાસે બોલાવ્યું, ‘જય બજરંગ બલી’:પ્રેક્ટિસમાં CSKના પ્લેયર્સે કેચ છોડ્યા; પંત અને ગોએન્કા વચ્ચે ઝઘડો શાંત થઈ ગયો?

IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:59 pm

વલસાડના સાંસદ ધવલ પટેલનો 'આપ' પર પ્રહાર:કહ્યું-ચૂંટણી સમયે નૌટંકી કરવા નેતાઓ ગુજરાત આવે છે; ભાજપમાં ઉમેદવાર પસંદગી માટે ત્રણ સ્તરીય સ્ક્રુટિની પ્રક્રિયા તેજ

વલસાડના સાંસદ ધવલ પટેલે અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રીને લખાયેલા પત્ર મુદ્દે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, દિલ્હીથી આવેલા એક નેતાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. ચૂંટણી નજીક આવે ત્યારે આમ આદમી પાર્ટીના આયાતી નેતાઓ આવી નાટકીય હરકતો કરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો. ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવા નૌટંકી: ધવલ પટેલધવલ પટેલે વધુમાં કહ્યું કે, સર્જિકલ સ્ટ્રાઈક સમયે પણ પુરાવા માંગનાર આ નેતાઓ અર્બન નક્સલ વિચારધારાને પ્રોત્સાહન આપે છે. ચૂંટણી દરમિયાન સહાનુભૂતિ મેળવવા માટે શાહી ફેંકવી, લાફા મારવા જેવી નૌટંકી કરવામાં આવે છે. ટેન્કર સ્કીમ અને મહોલ્લા ક્લિનિક જેવા પ્રોજેક્ટને પણ તેમણે ‘ડ્રામા’ ગણાવ્યા. ‘77 જેટલા આરોપીઓ AAP સાથે જોડાયેલા’તેમણે આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પંજાબમાં તેમના નેતા ડ્રગ્સ કેસમાં પકડાયા હતા, જ્યારે ગુજરાતમાં પણ અનેક AAP નેતાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. 77 જેટલા આરોપીઓ AAP સાથે જોડાયેલા છે. ઈડર, બોટાદ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ખૂનના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓમાં નેતાઓના નામ જોડાયા હોવાના તેમણે દાવા કર્યા. ‘ગુજરાતના લોકોનો PM મોદી પર વિશ્વાસ છે’ધવલ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે, આવા અરાજકતા ફેલાવતા તત્વો સામે કાયદો લાગુ કેમ નથી થતો? બહારથી આવીને ગુનાઓ કરનાર તત્વોને રાજકીય આશ્રય આપવામાં આવે છે તે ગંભીર બાબત છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતના લોકોનો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર છે અને રાજ્યમાં આવી “ડ્રામા પોલિટિક્સ” ક્યારેય ચાલશે નહીં. સેન્સ પૂર્ણ થયા બાદ ત્રણ સ્તરની સ્ક્રુટિનીગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. પ્રદેશ મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે, રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા અને મનપા સ્તરે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણ તબક્કામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સંકલન સમિતિમાં ચર્ચા-વિચારણા કરવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારોની પેનલ તૈયાર કરીને ચૂંટણી સમિતિ સમક્ષ મુકવામાં આવશે. ઉમેદવાર પસંદગી દરમિયાન સામાજિક, રાજકીય અને સેવાકીય પૃષ્ઠભૂમિને મહત્વ આપવામાં આવશે. સાથે સાથે અરજી કરનાર ઉમેદવારો અંગે ફીડબેક મેળવી અંતિમ નામ નક્કી કરવામાં આવશે. ઉમેદવારી પ્રક્રિયાને લઈ અનિલ પટેલનું નિવેદનઅનિલ પટેલે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારી માટેના માપદંડો ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. અંતે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો દ્વારા સામૂહિક ચર્ચા કરીને અંતિમ ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:58 pm

મણિનગર બારગામ દશાનાગર સમાજે હાટકેશ્વર જયંતિ ઉજવી:450થી વધુ પરિવારજનોએ મહાપ્રસાદનો લાભ લીધો

મણિનગર સ્થિત બારગામ દશાનાગર વણિક સમાજ દ્વારા હાટકેશ્વર જયંતિ ઉજાણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 450થી વધુ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પરિવારજનોએ આ ઉજાણી પર્વમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જે આયોજનનો મુખ્ય ભાગ હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:57 pm

રાહી ફાઉન્ડેશને વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવ્યો:લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકોને ભોજન અને ભેટ અપાઈ

રાહી ફાઉન્ડેશન દ્વારા લર્નિંગ ક્લિનિક સ્કૂલના દિવ્યાંગ બાળકો સાથે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને મનભાવન ભોજન પીરસવામાં આવ્યું હતું, જેમાં લાડુ, ફૂલવડી, રોટલી, શાક, દાળ અને ભાતનો સમાવેશ થતો હતો. ભોજન ઉપરાંત, તેમને કેડબરી અને બિસ્કિટના પેકેટ પણ ભેટમાં આપવામાં આવ્યા હતા. બાળકોના મનોરંજન માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને નિહારિકા પરીખે કાર્યક્રમનું સંકલન કર્યું હતું. લર્નિંગ ક્લિનિક સ્કૂલના કુસુમબેન અને તેમના સેવાભાવી સ્ટાફ દ્વારા આ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સહયોગી દાતાઓનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:57 pm

સીમાડા ચાર રસ્તાનું નામ બદલાયું:હવે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' તરીકે ઓળખાશે, સમિતિની મંજૂરી

સુરતના સીમાડા નાકા ચાર રસ્તાનું નામ બદલીને 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક' કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આજે શ્રી વ્રજવિલાસ હવેલીના ૧૦મા પાટોત્સવ નિમિત્તે આ નામકરણ સમારોહ યોજાયો હતો. વરાછા રોડ પર મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો વસવાટ કરે છે અને સીમાડા નાકા ખાતે છેલ્લા ૧૦ વર્ષથી શ્રી વ્રજવિલાસ હવેલી આવેલી છે. આ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના નામ પરથી ચોકનું નામ રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી આ નામકરણનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયો હતો, જેને મંજૂરી મળી હતી. નામકરણ સમારોહમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, વૈષ્ણવાચાર્ય પુરુષોત્તમલાલજી મહારાજ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે 'જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક'નું અનાવરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આ નામકરણથી શ્રી વ્રજવિલાસ હવેલીના જયેશ લાખાણી, જીતુ ભીમાણી, રજની ચાંચડ, મુકેશ લાખાણી, વિશ્વાસ વેકરિયા, કિશન ગજેરા, અશ્વિન લીંબાસિયા, અજય સોંડાગર સહિત કમિટીના સભ્યો અને સુરતમાં વસતા લાખો વૈષ્ણવોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:56 pm

મનોદિવ્યાંગ સૈયદ રેહાનના ચિત્રોનું પ્રદર્શન:શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું

શારદા સ્પેશિયલ સ્કૂલ, બી.એમ. ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ખાતે 2 એપ્રિલ, 2026 ના રોજ વર્લ્ડ ઓટીઝમ અવેરનેસ ડે નિમિત્તે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાના મનોદિવ્યાંગ વિદ્યાર્થી સૈયદ મોહમ્મદ રેહાન દ્વારા બનાવેલા ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગ બાળકોની સર્જનાત્મકતા, કલાત્મક ક્ષમતા અને આત્મવિશ્વાસને સમાજ સમક્ષ રજૂ કરવાનો હતો. રેહાને વિવિધ વિષયો પર રંગબેરંગી ચિત્રો બનાવી પોતાની કલ્પનાશક્તિ અને પ્રતિભાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદના જાણીતા કલાકારો કુલીનભાઈ પટેલ, દિલીપભાઈ દવે, મનહરભાઈ કાપડિયા અને હંસાબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રેહાનના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકોમાં નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે. પ્રદર્શન દરમિયાન વાલીઓ, શિક્ષકો અને શહેરના અનેક પ્રતિષ્ઠિત નાગરિકોએ હાજરી આપી રેહાનને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સંસ્થાના સંચાલકશ્રીએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:53 pm

અમરોલીમાં કચરાની ગાડી ગટરમાં ગરકાવ:ઢાંકણું તૂટતા ટાયર ફસાયું અને ગાડી હવામાં અધ્ધર થઈ ગઈ; ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢી, કોઈ જાનહાનિ નહીં

સ્માર્ટ સિટી સુરતના અમરોલી વિસ્તારમાં આજે સવારે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરો ઉપાડતી ગાડી સોસાયટીમાં કામગીરી દરમિયાન ગટરના ઢાંકણામાં ફસાઈ ગઈ હતી. ગટરનું ઢાંકણું અચાનક તૂટી પડતા ગાડીનું પાછળનું ટાયર અંદર ગરકાવ થઈ ગયું હતું, જેના કારણે આખું વાહન એક તરફ નમી પડ્યું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ગટરના ઢાંકણા પર ગાડીનું ટાયર આવતા જ ઢાંકણું તૂટી ગયુંમળતી માહિતી મુજબ, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં દરરોજની જેમ સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કચરો એકત્રિત કરતી ગાડી સવારે કચરો લેવા માટે પ્રવેશી હતી. સોસાયટીના આંતરિક રસ્તા પરથી જ્યારે આ ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, ત્યારે રસ્તાની સાઇડમાં આવેલા ગટરના ઢાંકણા પર ગાડીનું ટાયર આવતા જ ઢાંકણું તૂટી ગયું હતું. ગાડી ફસાઈ જવાથી ડ્રાઈવર અને હેલ્પર મુશ્કેલીમાં મુકાયાજોતજોતામાં ગાડીનું પાછળનું જમણી બાજુનું ટાયર ગટરની અંદર ઉતરી ગયું હતું. વાહન કચરાથી ભરેલું હોવાથી તેનું વજન વધારે હતું, જેના કારણે ગાડી આગળથી ઊંચી થઈ ગઈ હતી અને એક ટાયર પર હવામાં અધ્ધર ઊભી રહી ગઈ હતી. ગાડી ફસાઈ જવાથી ડ્રાઈવર અને હેલ્પર મુશ્કેલીમાં મુકાયા હતા. જેક અને અન્ય સાધનોની મદદથી ગાડીને બહાર કાઢીશરૂઆતમાં ગાડીને જાતે બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વાહન ભારે હોવાથી અને ગટરનું પોલાણ વધારે હોવાથી સફળતા મળી નહોતી. અંતે સ્થાનિક રહીશોની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ જેક અને અન્ય સાધનોની મદદથી ફસાયેલી કચરાની ગાડીને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે, આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા પહોંચી નથી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:51 pm

મહેસાણામાં પિકઅપ ડાલાની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત:રાધનપુર ચોકડીથી મોઢેરા સર્ક્લ વચ્ચે હાઈવે પર ગમખ્વાર અકસ્માત

મહેસાણા શહેરના રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ વચ્ચેના હાઈવે પર ગત બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા પિકઅપ ડાલાએ એક્ટિવાને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલા ખાનગી કંપનીના સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પિકઅપ ડાલા એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતીમૂળ ભાન્ડુ ગામના વતની અને હાલ મહેસાણા કસ્બા પોલીસ ચોકી સામે રહેતા રાધેશ્યામ વિશ્વકર્મા (સુથાર) વિમલ ડેરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ગત બપોરે તેઓ પોતાનું એક્ટિવા (નંબર: GJ-02-AM-0790) લઈને રાધનપુર ચોકડીથી મોઢેરા સર્કલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર પિકઅપ ડાલા (નંબર: GJ-15-AX-7484) ના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યોઅકસ્માતમાં રાધેશ્યામભાઈને માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતા જ પુત્ર શિવકુમાર સહિતના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા. ઇજાગ્રસ્તને મહેસાણા સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરીઆ બનાવ અંગે મૃતકના પુત્રએ પિકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:50 pm

મહીસાગર LCBએ પ્રોહીબિશન ગુનાનો આરોપી ઝડપ્યો:વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં ફરાર જગપાલસિંહ ઉર્ફે જોની ચુંડાવત પકડાયો

મહીસાગર LCBએ વિરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન ગુનાના ફરાર આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવતને ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી પકડાયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના નિર્દેશ બાદ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે LCB દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB સ્ટાફના મહીપાલસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, વિરપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ 65(એ)(એ), 98(2), 81, 116(2) અને BNS-2023 ની કલમ 111(2)બી હેઠળ નોંધાયેલા ગુનાનો આરોપી જગપાલસિંહ ઉર્ફે જોની તેના ઘરે હાજર છે. બાતમીના આધારે, LCB સ્ટાફે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સરથુણા (તા. સીમલવાડા) ખાતે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. મૂળ પરદા ચુંડાવત, તા. સાબલા, જી. ડુંગરપુર (રાજસ્થાન) નો રહેવાસી જગપાલસિંહ ઉર્ફે જોની લાલસિંહ ચુંડાવત ત્યાંથી મળી આવતા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:45 pm

નવસારીના સિટી બસચાલકનો વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ:સામાન્ય અકસ્માત બાદ પાઇપ કાઢી મારવા દોડ્યો, રાહદારીઓએ બચાવ્યા

નવસારી શહેરમાં સિટી બસના ચાલકે નજીવા અકસ્માત બાદ વૃદ્ધ રિક્ષાચાલક પર લોખંડના પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. દરજી પંચ વાડી પાસે બનેલી આ ઘટનામાં રાહદારીઓએ સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને એક રિક્ષા વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. બસ રિક્ષા સાથે સહેજ અડી જતાં બંને ચાલકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા સિટી બસનો ચાલક ગુસ્સે ભરાયો હતો. તેણે બસમાંથી લોખંડનો પાઇપ કાઢી જાહેરમાં વૃદ્ધ રિક્ષાચાલકને મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવરે વૃદ્ધે તેને ગાળો આપી હોવાનું કહીને રસ્તા વચ્ચે હંગામો મચાવ્યો હતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર રાહદારીઓ તાત્કાલિક વચ્ચે પડ્યા હતા અને ડ્રાઈવરને અટકાવ્યો હતો. લોકોએ સમજાવટ કરતા ડ્રાઈવર બસ લઈને ત્યાંથી રવાના થયો હતો, જેના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેક સવાલો ઉભા થયા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં હથિયાર ન કાઢવા અંગેનું જાહેરનામું અમલમાં છે. ત્યારે બસમાં પાઇપ રાખવા અને તેનો જાહેરમાં ઉપયોગ કરવા સામે પોલીસ કાર્યવાહીની અપેક્ષા રાખવામાં આવી રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે સિટી બસમાં ડ્રાઇવરોને આ રીતે લોખંડના પાઇપ રાખવાની છૂટ કોણે આપી? નવસારી પોલીસ આવા હિંસક વ્યવહાર કરતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ? આ ઉપરાંત, નવસારી મહાનગરપાલિકા આ ઘટના બાદ સિટી બસના ઇજારદાર સામે કોઈ દંડનાત્મક પગલાં ભરશે કે નહીં તે અંગે પણ ચર્ચાઓ ચાલી રહી છે. મુસાફરોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:43 pm

બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:બનાસ કમલમ કાર્યાલય પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોનો ધસારો

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પાલનપુરના ચડોતર સ્થિત બનાસ કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઈચ્છુક ઉમેદવારો ઉમટી પડ્યા હતા. રાજ્યભરમાં આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, જેમાં બનાસકાંઠા જિલ્લાનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાં જિલ્લા પંચાયતની 48 બેઠકો, 10 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓ માટે મતદાન થશે. ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો દ્વારા ઈચ્છુક ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. નિરીક્ષકોએ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી તેમની રજૂઆતો સાંભળી હતી. આ તમામ વિગતો પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવશે. ભાજપની આ સેન્સ પ્રક્રિયાને કારણે જિલ્લાના રાજકીય માહોલમાં વધુ ગરમાવો આવ્યો છે. હવે ભાજપ કોને ટિકિટ આપે છે તેના પર સૌની નજર રહેશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:40 pm

નવસારી કોંગ્રેસમાં 20 કાર્યકરોના રાજીનામા બાદ સમાધાન:ટિકિટ વહેંચણી માટે સંકલન સમિતિની રચના કરાઈ

નવસારી શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. નવનિયુક્ત શહેર પ્રમુખની નિમણૂક સામે નારાજ થયેલા 20થી વધુ કાર્યકરો અને અગ્રણીઓના રાજીનામા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ હસ્તક્ષેપ કર્યો હતો. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણીમાં પક્ષપાત ટાળવા માટે ખાસ 'સંકલન સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ વિવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણૂક બાદ શરૂ થયો હતો. નારાજ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે નવનિયુક્ત શહેર પ્રમુખ ટિકિટ વહેંચણીમાં પોતાના અંગત લોકોને પ્રાધાન્ય આપશે. આ મુદ્દે 20થી વધુ સક્રિય કાર્યકરોએ સામૂહિક રાજીનામા આપી દીધા હતા, જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષની છબીને નુકસાન થયું હતું. વિવાદનો ઉકેલ લાવવા માટે પ્રદેશ કોંગ્રેસે સુરતના અગ્રણી નેતાઓ અસલમ સાયકલવાળા અને ધનસુખ રાજપૂતને નવસારીના નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા. આ બંને નેતાઓએ તાત્કાલિક નવસારી પહોંચી નારાજ જૂથના આગેવાનો સાથે બેઠકો યોજી હતી. લાંબી ચર્ચાઓ અને સમજાવટ બાદ, રિસાયેલા કાર્યકરોને મનાવી લેવામાં આવ્યા હતા. તેમણે પક્ષમાં ફરી સક્રિય થવા માટે સંમતિ દર્શાવી છે, જેનાથી કોંગ્રેસમાં એકતાનું વાતાવરણ પુનઃસ્થાપિત થયું છે. ટિકિટ વહેંચણીમાં કોઈ એક વ્યક્તિનો પક્ષપાત ન થાય તે સુનિશ્ચિત કરવા માટે હવે 'સંકલન સમિતિ'ની રચના કરવામાં આવી છે. આ સમિતિ નવસારી નગરપાલિકાના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરશે. આ સમિતિમાં સુરતથી અસલમ સાયકલવાળા અને ધનસુખ રાજપૂતનો સમાવેશ થાય છે. નવસારીમાંથી શહેર પ્રમુખ દીપક બારોટ અને કાર્યકારી પ્રમુખ રાજન જોશી પણ સમિતિના સભ્યો છે. આ ઉપરાંત, નારાજ જૂથમાંથી પૂર્વ શહેર પ્રમુખ ધર્મેશ માળી, નીરવ નાયક અને પ્રવીણ દેસાઈને પણ સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. નવસારીમાં ભાજપ અત્યંત સક્રિય છે, જ્યાં 52 બેઠકો માટે 347 જેટલા કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. તેની સામે કોંગ્રેસ અત્યાર સુધી આંતરિક વિવાદોમાં અટવાયેલી હતી. જોકે, હવે સમાધાન થતા અને ધર્મેશ માળી, નીરવ નાયક, પ્રવીણ દેસાઈ જેવા કદાવર કાર્યકરો ફરી મેદાનમાં આવતા કોંગ્રેસમાં નવો જોમ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:36 pm

દ્વારકાનો ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વર્ષે 30-35 લાખ કમાય છે:સુરતનો ધરતીપૂત્ર દર ત્રીજા દિવસે 80-90 કિલો રીંગણ ઉતારે છે, તિરૂપતિ ઋષિવનમાં પ્રાકૃતિક કૃષિ સંમેલન

મહેસાણા જિલ્લાના વિજાપુર પાસે આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ તિરુપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તથા અસ્મિતા ફાઉન્ડેશનના આયોજનમાં ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને મહાનુભાવોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ખેડૂતો અને મહાનુભાવોને સન્માનઆ સંમેલન દરમિયાન રાજ્યના દરેક જિલ્લામાંથી ઉત્કૃષ્ટ પ્રાકૃતિક ખેતી કરતા એક-એક ખેડૂતની પસંદગી કરી તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનાર મહાનુભાવોને પણ એવોર્ડ અને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસારમાં આચાર્ય દેવવ્રતજીના અમૂલ્ય યોગદાનને ધ્યાને લઈ પદ્મભૂષણ સંત સ્વામી સચ્ચિદાનંદ મહારાજના વરદ હસ્તે રાજ્યપાલને પ્રાકૃતિક કૃષિના ભીષ્મ પિતાનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થા અને ખેડૂતોએ રાજ્યપાલને સ્મૃતિચિહ્ન અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને તેમની ઉત્કૃષ્ટ રાજકીય સેવાઓ બદલ'રાજકીય સેવા સન્માન ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સામાજિક ઉત્તરદાયિત્વ અને પુસ્તક વિમોચનઆ કાર્યક્રમમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રાજ્યપાલના હસ્તે ગંગા સ્વરૂપા બહેનોના બચત મંડળને પ્રોત્સાહન આપવા માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર જીતુભાઈ દ્વારા લેખિત પાંચ પુસ્તકોનું વિમોચન પણ રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. ખેડૂતોના અનુભવો અને સફળતાની વાતો 'પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી નથી અને હેલ્થ પણ સારી રહે છે'પ્રાકૃતિક ખેતી કરતા દ્વારકાથી આવેલા નકુલ નયનભાઈએ જણાવ્યું હતું કે, “મારી પાસે 80 વીઘા જમીન છે. તેમાં 22 પ્રકારના પાકો (ફળ, શાકભાજી, અનાજ, કઠોળ વગેરે) વાવું છું. વર્ષે 30થી 35 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીન બગડતી નથી, શરીર અને વાતાવરણ બંને સ્વસ્થ રહે છે. રાસાયણિક ખાતરના ભાવ વધે તોપણ અમને કોઈ અસર નથી, કારણ કે અમે ગાયના છાણ અને સ્થાનિક વનસ્પતિમાંથી જ ખાતર બનાવીએ છીએ. વેલ્યુ એડિશન કરીને સીધું વેચાણ કરું છું, માર્કેટ યાર્ડમાં વેચતો નથી.” 'રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો થાય છે'મોરબી જિલ્લાના નારણકા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત અશોકભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે, 4 એકરમાં પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરું છું. વર્ષે 4થી 5 લાખની આવક થાય છે. રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો થાય છે. ખેડૂતોને અપીલ છે કે, પ્રાકૃતિક ખેતી તરફ વળો, તે શરીર, મન અને ધન ત્રણેય માટે ફાયદાકારક છે. 'ખેડૂતોએ સદ્ધર બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું'ભાવનગરના પ્રાકૃતિક ખેતી કરતા નરસિંગભાઈ મોરીએ જણાવ્યું કે,10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. એક પણ યુરિયા કે રાસાયણિક ખાતર વાપર્યું નથી, છતાં ઉત્પાદન ડબલ થયું છે. 10 વીઘામાં 1 એકર પંચસ્તરીય જંગલ મોડલ છે, જેમાં વર્ષે 4થી 6 લાખની આવક થાય છે. માત્ર મજૂરીનો જ ખર્ચ લાગે છે. ખેડૂતોએ સદ્ધર બનવું હોય તો પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જ જોઈએ. ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતભાઈઓને અપીલસુરત જિલ્લાના હાડી ગામના કિરીટભાઈ રતિલાલભાઈ પટેલે જણાવ્યું કે, 10 એકરમાંથી 3 એકર અને 20 ગુંઠામાં પ્રાકૃતિક ખેતી કરું છું. હાલ ગુલાબી ચોકલેટી રીંગણનું સારું ઉત્પાદન મળી રહ્યું છે. દર ત્રીજા દિવસે 80-90 કિલો ઉતરે છે અને મૂલ્યવર્ધન કરીને વેચું છું. મોદી સાહેબના 'આવક ડબલ'ના લક્ષ્ય કરતાં પણ ચાર ગણી આવક છે. ખેડૂતોને અપીલ છે કે, પોતાના પરિવાર માટે પણ એક એકરમાં ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી અપનાવો. 'ગાય આધારિત ખેતીથી ખર્ચ નહિવત્ અને નફો વધુ'મહેસાણાના તળેટી ગામના હરેશકુમાર શંકરલાલ પટેલે જણાવ્યું કે, પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ગાય આધારિત ખેતીથી ખર્ચ નહિવત્ છે અને નફો વધુ મળે છે. 9 વીઘામાં વર્ષે 4થી 5 લાખની આવક થાય છે. રાસાયણિક ખેતી કરતાં ત્રણ ગણો વધુ ફાયદો છે. આ સંમેલને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપવા અને ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:34 pm

હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:મેગ્નેટ લેવીસમાં ગુંજ્યો હનુમાન ચાલીસા નાદ, વૈષ્ણોદેવી વિસ્તારની સોસાયટીમાં દર શનિવારે રાત્રે 9:30 વાગે નિયમિત સત્સંગ

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે, સરદાર ધામની પાછળ આવેલી મેગ્નેટ લેવીસ સોસાયટીમાં હનુમાન જયંતીના પાવન અવસર પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. આ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા હનુમાન ચાલીસાના 11 પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પાઠની પૂર્ણાહુતિ બાદ સમૂહ આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં રહીશોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો. સમગ્ર આયોજન દરમિયાન શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ સભ્યોએ એકબીજાને પૂરતો સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શનિવારીય સત્સંગની અવિરત પરંપરામેગ્નેટ લેવીસ સોસાયટીની ખાસિયત એ છે કે અહીં માત્ર તહેવારો જ નહીં, પરંતુ આધ્યાત્મિકતાને જીવનશૈલીનો ભાગ બનાવવામાં આવ્યો છે. સોસાયટીમાં દર શનિવારે રાત્રે 9:30 વાગે નિયમિતપણે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. આ સાપ્તાહિક સત્સંગમાં સોસાયટીના તમામ વયના લોકો ઉત્સાહભેર ભાગ લે છે. એકતા અને ભક્તિના સંગમ સમાન આ પ્રવૃત્તિમાં રહીશોનો સહકાર પ્રશંસનીય રહ્યો છે, જે સામાજિક સમરસતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:32 pm

ભરૂચના અંણખી ગામે ખેતી વચ્ચે લટકે છે વીજ વાયર:વીજલાઈનથી ખેડૂતોમાં રોષ, અકસ્માતનો ભય; તંત્રને રજૂઆત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અંણખી ગામના ખેડૂતો વિદ્યુત વિભાગ પ્રત્યે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેતરોમાંથી પસાર થતી જોખમી વીજ લાઈનો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. ગામના ખેડૂત કરણસિંહ સિંધાના જણાવ્યા અનુસાર, તેમના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ઘણી જગ્યાએ લટકતી હાલતમાં છે. કેટલાક સ્થળોએ લાઈનો અત્યંત નીચી ઊંચાઈએ હોવાથી ખેતી કામ દરમિયાન જીવલેણ જોખમ ઊભું થાય છે. ખાસ કરીને ટ્રેક્ટર ચલાવતી વખતે, હળ ચલાવવાની પ્રક્રિયા તેમજ અન્ય કૃષિ સાધનોના ઉપયોગ દરમિયાન અકસ્માતની શક્યતા સતત વધતી રહે છે. આ સ્થિતિ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે. ખેડૂતોએ આ ગંભીર સમસ્યા અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો વિદ્યુત વિભાગને કરી છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ મળતો નથી અને જવાબદાર અધિકારીઓ સમસ્યાને અવગણી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં આ જોખમી વીજ લાઈનોને કારણે કોઈ દુર્ઘટના સર્જાશે, તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યુત વિભાગની રહેશે. તેઓ તાત્કાલિક અસરથી તમામ જોખમી વીજ લાઈનોનું નિરીક્ષણ કરી જરૂરી મરામત અને સુધારણા કરવાની માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:31 pm

ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં મહીસાગર જિલ્લો રાજ્યમાં પ્રથમ:જિલ્લાની 206 ગ્રામ પંચાયતોએ 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યો

મહીસાગર જિલ્લાએ ગ્રામ પંચાયત વેરા વસુલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આ સિદ્ધિ નોંધાઈ છે. જિલ્લામાં કુલ 88.30 ટકા જેટલી નોંધપાત્ર વેરા વસુલાત થઈ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ સિદ્ધિને કારણે મહીસાગર જિલ્લો ગૌરવ અનુભવી રહ્યો છે. વિગતો મુજબ, જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતોમાંથી 206 ગ્રામ પંચાયતોએ 100 ટકા વેરા વસુલાતનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. આ કામગીરી ગ્રામ્ય સ્તરે મજબૂત વહીવટ અને આયોજન દર્શાવે છે. આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે જિલ્લા પંચાયત ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં થયેલી આ સિદ્ધિ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:31 pm

ગીર સોમનાથમાં કોંગ્રેસે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ કર્યો:પ્રદેશ નિરીક્ષકો દાવેદારોને સાંભળી, પેનલ હાઈકમાન્ડને મોકલશે

ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. કોંગ્રેસ પક્ષે ઉમેદવારી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ કર્યો છે. પ્રદેશ નિરીક્ષકો દિનેશભાઈ મકવાણા અને રાજેશભાઈ જોષીની ઉપસ્થિતિમાં લોઢવા ખાતેથી દાવેદારોને સાંભળવાની શરૂઆત થઈ છે. લોઢવા અને કોડીનાર ખાતે યોજાયેલી પ્રથમ બેઠકોમાં સુત્રાપાડા અને કોડીનાર તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દાવેદારોએ પોતાની સામાજિક કાર્યક્ષમતા, લોકસંપર્ક અને જીતની સંભાવનાઓ અંગે રજૂઆતો કરી હતી. નિરીક્ષકોએ તમામ દાવેદારોને ધ્યાનપૂર્વક સાંભળીને નોંધ લીધી હતી. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આગામી ચૂંટણીમાં લોકોના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓને મુખ્ય મુદ્દા બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પક્ષ પાસે અનુભવી અને જનઆધાર ધરાવતા કાર્યકરોની મજબૂત ટીમ છે, જે ચૂંટણીમાં ભાજપને ટક્કર આપશે. ઉમેદવારી પ્રક્રિયાના આગામી તબક્કા હેઠળ, આવતીકાલે સવારે 9 વાગ્યે તાલાલા ખાતે તાલાલા તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના દાવેદારોને સાંભળવામાં આવશે. બપોરે 3 વાગ્યે વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વેરાવળ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારો રજૂઆત કરશે. સાંજે 5 વાગ્યે વેરાવળ નગરપાલિકા માટેની સાંભળણી યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તાલુકા અને જિલ્લા ચૂંટણી સમિતિ દ્વારા તમામ નામો પર વિસ્તૃત ચર્ચા કરાશે. પસંદગીના આધારે પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાંથી અંતિમ ઉમેદવારોની જાહેરાત થશે. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા કોંગ્રેસે ગ્રાઉન્ડ લેવલે સક્રિયતા વધારી છે. પક્ષ ઉમેદવારોની પારદર્શક પસંદગી પ્રક્રિયા દ્વારા આંતરિક જૂથબંધી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસની આ ગતિશીલ કામગીરી આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં કેવા ફેરફારો લાવે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:31 pm

સાબરકાંઠામાં રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંમેલન:રાસાયણિક ખેતીના જોખમો પર ચિંતા, ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દેરોલ ગામ સ્થિત તિરૂપતિ ઋષિવન ખાતે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેતી અને પર્યાવરણના જતન માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના મહાઅભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે પરિવર્તનની દિશામાં એક મોટું કદમ છે. આ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત જનમેદનીને આશીર્વચન પાઠવ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્વામી સચ્ચિદાનંદજી દ્વારા રાજ્યપાલનું પ્રાકૃતિક કૃષિના 'ભીષ્મ પિતા' નો ખિતાબ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોના કારણે વધતા જતા કેન્સર, હાર્ટ અટેક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર જેવા રોગો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક વૈજ્ઞાનિક સંશોધનનો હવાલો આપતા જણાવ્યું હતું કે, 105 માતાઓના દૂધના પરીક્ષણમાં યુરિયા અને આર્સેનિક જેવા ઝેરી તત્વો મળી આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. રાસાયણિક ખેતીને વિદેશી પદ્ધતિ ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, યુરિયાના લીધે બનતો નાઈટ્રસ ઓક્સાઈડ ગેસ કાર્બન ડાયોક્સાઈડ કરતા 312 ગણો વધુ ખતરનાક છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે ધરતી માતા ઝેરી બની છે અને ભૂગર્ભ જળમાં પણ નાઈટ્રેટનું પ્રમાણ ભયજનક રીતે વધ્યું છે ત્યારે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂકતા રાજ્યપાલે વૃક્ષોને 'દેવતા' સમાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ ત્રણ વર્ષ સુધી વૃક્ષનું જતન કરે છે, તે વૃક્ષ તેને આજીવન પાળે છે. કાર્યક્રમ દરમિયાન એક ઉમદા નિર્ણય લેતા રાજ્યપાલે પ્રાકૃતિક ખેતી મિશન માટે મળેલી રૂ. 1,11,111 ની રાશી સ્થળ પર જ 'ગંગા સ્વરૂપા' વિધવા બહેનોના કલ્યાણ અને તેમના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને તિરુપતિ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જળ સંરક્ષણ અને પર્યાવરણના કાર્યોની પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા તિરૂપતિ ઋષિવન ખાતે લગાવવામાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે માસ્ટર ટ્રેનર્સ અને કૃષિ સખીઓને ગામડે-ગામડે જઈને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા આહવાન કર્યું હતું જેથી ગુજરાત સમગ્ર દેશ માટે કૃષિ ક્ષેત્રે રોલ મોડેલ બની શકે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:28 pm

નવસારી મનપાની 52 બેઠક માટે ભાજપમાં રસાકસી:13 વોર્ડમાં 347 દાવેદારો, 26 એપ્રિલે ભાવી નક્કી થશે

નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. 13 વોર્ડની 52 બેઠકો માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કુલ 347 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. નિરીક્ષકોની ત્રણ અલગ-અલગ ટીમો દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન વોર્ડ નંબર 5, 6 અને 13માં સૌથી વધુ રસાકસી જોવા મળી હતી. આ ત્રણેય વોર્ડમાં 33-33 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. નવસારીમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી પક્ષના જૂના અને અનુભવી કાર્યકરોએ પણ ચૂંટણી લડવામાં સક્રિય રસ દાખવ્યો છે. ચૂંટણી વિશ્લેષકોના મતે, વોર્ડ નંબર 13 સૌથી વધુ રસપ્રદ રહેશે. આ વોર્ડમાં આદિવાસી અને ઉજળિયાત બંને જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ છે, જેના કારણે કોઈપણ પક્ષ માટે આ બેઠક જીતવી પડકારજનક બની રહેશે. આ વોર્ડના મતદારો ઉમેદવાર કે પક્ષના વિજયમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. આગામી 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના કુલ 1,87,875 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 52 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. નિરીક્ષકોની ટીમે માત્ર મહાનગરપાલિકા જ નહીં, પરંતુ તાલુકા અને જિલ્લા પંચાયતના દાવેદારોના પણ ફોર્મ સ્વીકારી પ્રક્રિયા હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:19 pm

અમરેલીમાં હથિયાર જમા કરાવવા કલેક્ટરનો આદેશ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પરવાનેદારોને 7 દિવસમાં હથિયાર જમા કરવા ફરજિયાત

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે હથિયારો જમા કરાવવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. આ આદેશનો હેતુ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો તથા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, જિલ્લાની 17 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ – નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ 1959ની કલમ-2 હેઠળ આવતું કોઈ પણ હથિયાર ધારણ કરી શકશે નહીં. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં રહેતા અને જિલ્લા બહારથી પરવાના મેળવેલા તમામ હથિયાર પરવાનેદારોએ જાહેરનામું અમલમાં આવ્યાના 7 દિવસની અંદર તેમના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરજિયાત રહેશે. જમા કરાયેલા હથિયારો શસ્ત્ર નિયમો-2016ના નિયમ 47 અને 48 હેઠળ પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને ચૂંટણી આચારસંહિતા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત કરવામાં આવશે. જોકે, આ આદેશમાંથી કેટલાક વર્ગોને મુક્તિ આપવામાં આવી છે. જેમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ફરજ પર રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, સરકારી સુરક્ષા એજન્સીના સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ અને રાષ્ટ્રીયકૃત બેંકોના અધિકૃત સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. જિલ્લા બહાર વસવાટ કરતા હથિયાર પરવાનેદારો ચૂંટણી હેઠળના વિસ્તારોમાં હથિયારો લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, જામીન પર છૂટેલા વ્યક્તિઓ, ફોજદારી ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, હુલ્લડના ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ, ગંભીર ગુનામાં સંડોવાયેલા વ્યક્તિઓ અને ચૂંટણી પ્રક્રિયામાં કાયદો વ્યવસ્થામાં અવરોધરૂપ બની શકે તેવી વ્યક્તિઓ જો હથિયારનો પરવાનો ધરાવતા હોય, તો જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તેમના હથિયારોની સમીક્ષા કરીને જમા લેવામાં આવશે. આ જાહેરનામું 1 એપ્રિલ, 2026 થી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 અને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-25 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમરેલી જિલ્લાના સંબંધિત પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓને આ હુકમનો ભંગ કરનાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:18 pm

જલાલપોરમાં મહિલાનું વોટ્સએપ હેક:'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' કહી સગા-સંબંધીઓ પાસે પૈસા માંગ્યા,અજાણ્યા ઠગ સામે ગુનો

નવસારીના જલાલપોરમાં એક મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક કરીને તેમના સગા-સંબંધીઓ પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અજાણ્યા શખ્સે 'સાહિલ' તરીકે ઓળખ આપીને મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો અને ત્યારબાદ આ છેતરપિંડી આચરી હતી. નવસારી જિલ્લામાં સાયબર ક્રાઈમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં, જલાલપોર પોલીસ મથકે ઓનલાઈન ફ્રોડની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર રોડ પર આવેલી સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા એક મહિલાના વોટ્સએપ એકાઉન્ટને હેક કરીને તેમના પરિચિતો પાસેથી નાણાંની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જલાલપોર વિસ્તારની બી-16, સ્મૃતિ કુંજ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પ્રવીણાબેન સુરેશભાઈ વાડદોરિયા ગત 30 માર્ચ, 2026ના રોજ સાંજે 6:30 થી 7:00 વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ પર એક અજાણ્યા શખ્સનો સંપર્ક થયો હતો. આ શખ્સે પોતાની ઓળખ 'સાહિલ' તરીકે આપીને પ્રવીણાબેન પાસેથી વાતોમાં ભળાવીને ઓ.ટી.પી. (OTP) મેળવી લીધો હતો. જેવો પ્રવીણાબેને ઓટીપી આપ્યો કે તરત જ ઠગબાજે તેમનું વોટ્સએપ એકાઉન્ટ પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. ત્યારબાદ આ ઠગ શખ્સે પ્રવીણાબેનના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા સગા-સંબંધીઓ અને મિત્રોને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. 'મારે તાત્કાલિક પૈસાની જરૂર છે' તેમ કહીને પ્રવીણાબેનના નામે નાણાંની માંગણી કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે છેતરાયા હોવાનો અહેસાસ થતાં પ્રવીણાબેને તાત્કાલિક જલાલપોર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે અજાણ્યા મોબાઈલ ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં જલાલપોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન. આઈ. રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI દ્વારા આ કેસની ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:16 pm

સુરતમાં બે અકસ્માતના ભયાનક CCTV:બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત

સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને અકસ્માતના CCTV વિડીયો સામે આવ્યાં છે. બારડોલીમાં ટ્રકે રિક્ષાને અડફેટે લઈ 50-60 મીટર સુધી ઢસડીબારડોલીમાં આજે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. શહેરની જૂની કોર્ટ સામેના માર્ગ પર એક નંબર પ્લેટ વગરના માટી ભરેલા ટ્રકે રિક્ષાને અડફેટે લઈ રસ્તા પર દૂર સુધી ઢસડતા રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે ધ્રુજારી લાવી દે તેવા છે. પલસાણાના તાતીથૈયા ગામે રહેતા અને મૂળ અયોધ્યાના વતની રામઅવતાર તુલસીરામ મોર્ય (ઉ.વ. 48) પોતાની રિક્ષા નંબર: GJ 05 AZ 6506 લઈને પત્ની નાનકાબેન અને સંતાન સાથે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મિઢોળા નદીથી લીનીયર બસ સ્ટેન્ડ તરફ આવતા રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા માટી ભરેલા એક હાઈવા ટ્રકે રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. રિક્ષાચાલકનું ઘટનાસ્થળે જ મોત અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લીધા બાદ ઉભી રાખવાને બદલે તેને રસ્તા પર આશરે 50થી 60 મીટર સુધી ઢસડી હતી. રિક્ષામાં સવાર રામઅવતાર ટ્રકના વ્હીલ નીચે આવી જતાં તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સદનસીબે, તેમની પત્ની અને બાળકનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતીઆ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ટ્રક ચાલક કેટલી બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ટ્રક પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નહોતી. નંબર પ્લેટ વગરના વાહનો શહેરમાં આ રીતે બેફામ દોડતા હોવાથી પોલીસ અને તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર, ગુનો નોંધાયો ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મૃતકની પત્ની નાનકાબેનની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- 281, 106(1) તથા એમ.વી.એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો. હાલ પોલીસે ટ્રક કબજે કરી ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. દિન-પ્રતિદિન વધતા જતાં ભારે વાહનોના આતંક સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરવત પાટિયામાં MP રોડવેઝની બસે ટક્કર મારતા કેમિકલ વેપારીનું કરુણ મોતસુરત શહેરના પરવત પાટિયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે મોપેડ પર બેસેલા અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ, પરવત પાટિયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને ઘરનો સામાન લેવા અથવા કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટિયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356) ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 4:04 pm

કુમકુમ મંદિરે ચૈત્રી પૂર્ણિમાએ સત્સંગ સભા યોજાઈ:અબજીબાપાશ્રીની 11 પારાયણ, પ્રેમવત્સલદાસજીએ ધાર્મિક ચિહ્ન ધારણ કરવા પર ભાર મૂક્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ, હિરાપુર ખાતે ચૈત્રી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સત્સંગ સભાનું આયોજન થયું હતું.ઉજવણીના ભાગરૂપે શ્રી અબજીબાપાશ્રીની વાતોની ૧૧ પારાયણ કરવામાં આવી હતી. ત્યારબાદ ધૂન-કીર્તન યોજાયા હતા.આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના અંતે સંતો અને હરિભક્તોએ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની છત્રી સ્થાન ઉપર સામૂહિક આરતી ઉતારી હતી. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ ચૈત્રી પૂનમના દિવસે ઉજવાતી હનુમાનજી જયંતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે હનુમાનજીનું જીવન અત્યંત પ્રેરણાદાયી છે.તેમણે હનુમાનજીના સિંદૂર ધારણ કરવાના પ્રસંગનું વર્ણન કરતા કહ્યું કે, સીતાજી પાસેથી જાણ્યા બાદ કે શ્રી રામચંદ્રજીને સિંદૂર ખૂબ પ્રિય છે, હનુમાનજીએ પોતાના સમગ્ર શરીર પર સિંદૂર લગાવ્યું હતું.આ પ્રસંગમાંથી પ્રેરણા લઈને દરેક હિન્દુએ પોતાની સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવા માટે ધાર્મિક ચિહ્ન અવશ્ય ધારણ કરવું જોઈએ, તેમ પ્રેમવત્સલદાસજીએ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દરેક સત્સંગીને કપાળમાં ઊર્ધ્વપુન્ડ્ર તિલક-ચાંદલો કરવાની આજ્ઞા કરી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે.ધાર્મિક ચિહ્ન ધારણ કરવાથી હિન્દુ સંસ્કારો સચવાઈ રહે છે, નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. તે આપણને પવિત્ર આચરણ જાળવવા માટે પણ યાદ અપાવે છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:56 pm

કલોલના નારદીપુરમાં 3 ગૌવંશની ક્રૂર હત્યા:અજાણ્યા શખસોએ ગાયોને વાડામાંથી ચોરી ખેતરમાં લઈ જઈ રહેંસી નાખી; અવશેષો મળતા પશુપાલકોમાં રોષ

કલોલ તાલુકાના નારદીપુર ગામમાં પશુ પ્રત્યેની અત્યંત ક્રૂરતાની હચમચાવનારી ઘટના સામે આવી છે. અત્રેના ગામના સીમ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ત્રણ ગાયોની ચોરી કરી તીક્ષ્ણ હથિયારો વડે તેની કતલ કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે FSL રીપોર્ટ આધારે કલોલ તાલુકા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. ત્રણ પશુપાલકોની ગાયો વાડામાંથી ઓચિંતા ગાયબ થઈ ગઈપ્રાપ્ત વિગતો મુજબ, કલોલ તાલુકાના નારદીપુર ગામના લાલદાસ વાસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આયુષ લલ્લુભાઈ રબારીની એક કાળી ગાય ગત તા. 27 માર્ચના રોજ વહેલી સવારે વાડામાંથી ગુમ હતી. આથી પશુપાલકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેમની ગાયની સાથે પડોશમાં રહેતા જીતુભાઈ રબારી અને કાનજીભાઈ રબારીની પણ એક એક ગાય મળી કુલ ત્રણ ગાયો ગાયબ હતી. ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળતા ગ્રામજનો સ્તબ્ધપશુપાલકોએ દિવસભર શોધખોળ કરવા છતાં પશુઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન સાંજના સમયે નારદીપુરથી ડીંગુચા રોડ પર આવેલા ONGC વેલ પાસેના એક પડતર ખેતરમાં પશુઓના કપાયેલા અવશેષો મળી આવતા ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખી હોવાનું બહાર આવ્યુંઆ ઘટનાના પગલે પશુપાલકો અને ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં લોહીથી ખરડાયેલી જગ્યા પર ગાયના શિંગડા અને શરીરના અન્ય ભાગો વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પશુપાલકોએ સ્થળ પરથી મળી આવેલા કોટીયુ અને દોરડા પરથી પોતાની ગાયોની ઓળખ કરી હતી. અંદાજે 1.45 લાખની કિંમતની ત્રણેય ગાયોને ક્રૂરતાપૂર્વક રહેંસી નાખવામાં આવી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યોઆ ઘટનાની જાણ થતાં જ કલોલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડોક્ટર દ્વારા જરૂરી નમૂના લઈ FSL તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં પણ આ અવશેષો ગૌવંશના હોવાનું પુરવાર થયું છે. જેથી પશુપાલક આયુષ રબારીની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:53 pm

હિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં લાગી આગ:પરિવારનો સમયસર બચાવ, ફાયર વિભાગે આગ બુઝાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કાંકરોલથી બેરણા બાયપાસ રોડ પર આજે બપોરે એક ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાંથી ધુમાડો નીકળતા જ પરિવાર સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો, જેથી તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના શુક્રવારે બપોરના સમયે રોટરી સરસ્વતી સ્કૂલ પાછળ, હસ્તિનાપુર વિસ્તારમાં બની હતી. હસ્તિનાપુરના અતુલભાઈ ફલજીભાઈ પટેલ પોતાની સેન્ટ્રો કાર (નંબર GJ 09 AG 5744) માં પરિવાર સાથે ઈડરના જુમસર જઈ રહ્યા હતા. બાયપાસ રોડ પર પહોંચતા જ કારના આગળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ જોઈને અતુલભાઈ અને તેમનો પરિવાર તરત જ કારના દરવાજા ખોલીને બહાર નીકળી ગયો હતો. થોડી જ વારમાં કાર સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી. આગની જાણ થતા જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. હિંમતનગર ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંકભાઈ પટેલે આ માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:48 pm

સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં સર્વિસના નામે કરોડોના કૌભાંડનો આક્ષેપ:અમદાવાદનું વાહન તલોદમાં સર્વિસ કરાવી GST વગરના લાખોના બિલ પાસ કરાયા, કોંગ્રેસની CM પાસે તપાસની માંગ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેન્કના વાહનોમાં કરોડો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. લીકર પરમિટના કૌભાંડ બાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક કૌભાંડનો પુરાવો કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. અમદાવાદના વાહન સર્વિસ માટે તલોદમાં જતા હોવાનું સામે આવ્યું છે. જ્યા સર્વિસ થયા બાદ GST નંબર વગરના લાખો રૂપિયાનો બિલ રજૂ થયા અને પાસ થઈ જતા કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ગેરરીતિ કરવા માટે તલોદમાં વાહન સર્વિસ કરાવીને ખોટા બિલ રજૂ લાખો રૂપિયાનું કૌભાંડ ચાલતું હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી નહીકોંગ્રેસે દાવો કર્યો છે કે, માત્ર સામાન્ય સર્વિસ માટે પણ બ્લડ બેંકના વાહનો તલોદ સર્વિસ માટે મોકલવામાં આવે છે. જેમાં લાખોમાં બિલ GST નંબર વગરના રજૂ કરીને કૌભાંડ કરવામાં આવતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. તમામ જિલ્લા અને તાલુકાની હોસ્પિટલમાં પણ તપાસ કરવા માટે કોંગ્રેસે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે એવો દાવો પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગને જાણ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છેગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, એશિયાની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે ગેરવર્તન કરવામાં આવે, દર્દીને સમયસર સારવાર મળે નહીં, સિક્યુરિટી બેહુદુ વર્તન કરે એવા અનેક બનાવ જોયા છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં જે રીતે ખરીદીના કૌભાંડ ચાલે છે. વાહનોની ચકાસણી અને સમારકામ માટે નાણાકીય મોટા વ્યવહાર કરવામાં આવે છે, જેને જોઈને એવું લાગે છે કે, આના કરતા મોટું કૌભાંડ બીજું કોઈ હોય શકે નહીં તેમજ લીકર પરમિટના નામે પૈસાની પણ ઉચાપત કરવામાં આવે છે. જો તપાસ કરવામાં આવે તો લીકર પરમિટ સિવાય જુદા-જુદા પ્રકારના પૈસાની ઊંચાઈનો કિસ્સો સામે આવી શકે છે. 5 હજારથી વધુનો આંકડો હોય તો GST બિલ હોવું જરુરીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના સત્તાધિશો અને આરોગ્ય વિભાગ દ્વારા ઢાંકપીછોડો કરીને બે-ત્રણ રસીદ પૂરતું સીમિત કરી દીધું છે. તેવી જ એક પ્રકારની સૌથી મોટી નાણાકીય ગેરરીતિ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં બ્લડ બેંકના જે વાહન છે, તે વાહનમાં તલોદના બિલ રજૂ કરવામાં આવ્યા છે. વાહન અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અને તેનું રિપેરિંગ તલોદમાં કરવામાં આવે છે. જેમાં 18 હજાર રૂપિયાનો વાલ રિપેરિંગ કરવા માટે આપવામાં આવે છે. આ આખા બિલમાં GST નંબર પણ નથી. 5 હજાર કરતા વધુની રકમ થાય તો GST બિલ હોવું જરૂરી છે. યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશેમુખ્યમંત્રી પાસે તપાસની માંગ સાથે ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, તે બાદ પણ GST નંબર ન હોવા છતાં સત્તાધિશોએ બિલની ચુકવણી પણ કરી દીધી છે. વિશેષ પ્રેમના કારણે આવું કર્યું હોય તેવું સમજી શકાય છે. આવા અનેક બિલ છે જેમાં નાણાકીય ઉચાપત, ગેરરીતિ થતું હોવાનું સામે આવી શકે છે. જેથી સમગ્ર બાબતની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જો યોગ્ય તપાસ થશે તો સિવિલ હોસ્પિટલમાં અનેક પ્રકારના કૌભાંડ સામે આવશે. જેથી અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય વિભાગ પાસે બધી વિગત છે પરંતુ મુખ્યમંત્રીએ રસ લઈને સિવિલ હોસ્પિટલમાં ગેરરીતિ થતી હોવાની યોગ્ય તપાસ કરવામાં આવે. નાગરિકોમાં નાણાં યોગ્ય ખર્ચમાં વપરાય તો જ નાગરિકોને સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધા મળી શકશે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:47 pm

પંચમહાલ LCB દ્વારા બુટલેગરની પાસા હેઠળ અટકાયત:મોરવા હડફના ગિરીશ ઉર્ફે કીરાને સુરત મધ્યસ્થ જેલમાં મોકલાયો

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા હડફ તાલુકાના વિરેનિયા ગામના લિસ્ટેડ બુટલેગર ગિરીશ ઉર્ફે કીરો રાઠોડની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરવામાં આવી છે. તેને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર, પ્રોહીબિશનની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે LCB ટીમે આ ઓપરેશન હાથ ધર્યું હતું. ગિરીશ ઉર્ફે કીરો રાઠોડ વિરેનિયા ગામનો રહેવાસી છે અને લાંબા સમયથી ગેરકાયદેસર દારૂના વેપારમાં સક્રિય હતો. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પંચમહાલ LCB દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આરોપી ગિરીશ ઉર્ફે કીરા રાઠોડ વિરુદ્ધ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના બે ગુના નોંધાયેલા છે. તેની સતત ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેના વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીને કારણે તાલુકાના અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:46 pm

મહીસાગરના સરસવા ગામે બે બાઇક અથડાઈ:એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં સારવાર હેઠળ

મહીસાગર જિલ્લાના સરસવા ગામે ગત સાંજે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, જેને હાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ગત ૨ એપ્રિલની સાંજે સુખાભાઈ વાદી નામના યુવક પોતાની બાઇક લઈને ડોરી ગામે જઈ રહ્યા હતા. સરસવા ગામ પાસેથી પસાર થતી વખતે સામેથી આવતી અન્ય એક બાઇક સાથે તેમની બાઇક અથડાઈ હતી. આ અકસ્માતમાં સુખાભાઈ વાદીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે મોરા ખાતેની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ઇજાઓની ગંભીરતાને જોતા, પ્રાથમિક સારવાર બાદ ગત રાત્રે તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હાલ સુખાભાઈ વાદી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:43 pm

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવાનગરની મુલાકાત લીધી:પ્રાકૃતિક ખેતી, સોમ સરોવરનું નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે સંવાદ કર્યો

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નવાનગર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતની સોમણી ગૌશાળાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યું હતું. રાજ્યપાલે શુક્રવારે નવાનગર સ્થિત 'સોમણી ગૌશાળા'ની મુલાકાત લઈને ગૌ-પૂજન કર્યું હતું. આ તબક્કે તેમણે ગૌશાળામાં રહેલી ૩૧૦ જેટલી દેશી ગાયોના આરોગ્ય અને દૂધ ઉત્પાદન ક્ષમતા અંગે પશુપાલન અધિકારીઓ સાથે તકનીકી ચર્ચા કરી હતી. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલનને વધુ નફાકારક બનાવવા માટે દેશી ગાયોમાં 'બ્રીડ ઇમ્પ્રૂવમેન્ટ' (નસલ સુધારણા) પર ધ્યાન આપવું જરૂરી છે. તેમણે પશુપાલકોને પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સુધારા કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બ્રીડ તૈયાર કરવા સૂચન કર્યું હતું. નવાનગરના ગ્રામજનો દ્વારા જનભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા 'સોમ સરોવર'ની મુલાકાત લેતા રાજ્યપાલ પ્રભાવિત થયા હતા. આ સરોવર થકી સમગ્ર ગામની ખેતીલાયક જમીનને ડ્રીપ ઇરિગેશન (ટપક પિયત પદ્ધતિ) સાથે જોડીને પાણીનો જે કરકસરભર્યો ઉપયોગ કરવામાં આવે છે, તેને રાજ્યપાલે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. સ્થાનિક ખેડૂતો સાથેના સંવાદમાં રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિના ફાયદા સમજાવતા કહ્યું હતું કે, રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે ખેડૂતોને પ્રાયોગિક ધોરણે ખેતરના એક નાના ભાગમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, જેથી જમીનનું સ્વાસ્થ્ય જળવાય અને લોકોને શુદ્ધ આહાર મળી રહે. આ મુલાકાત દરમિયાન હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, પ્રાંત અધિકારી વિમલ ચૌધરી સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:40 pm

4 વર્ષીય માસૂમનો પગ લપસ્યો ને ઊંડા પાણીમાં ખાબકી:સુરતના સચિન GIDCમાં ઘર પાસે રમતા-રમતા આરાધ્યા નહેરમાં પડી, હોસ્પિટલમાં દમ તોડ્યો

સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી એક માસૂમ બાળકી અચાનક નજીક આવેલી નહેરમાં પડી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. સચિન GIDC વિસ્તારમાં આવેલી ઓમ ઓમ સાઈ સોસાયટીમાં પ્રદીપભાઈ વર્મા પોતાના પરિવાર સાથે રહે છે. તેમની 4 વર્ષની લાડકવાયી પુત્રી આરાધ્યા આજે સવારના સમયે ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન તેની માતા ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતી. રમતા-રમતા આરાધ્યા ઘરની નજીકથી પસાર થતી નહેર પાસે પહોંચી ગઈ હતી અને અચાનક પગ લપસતા તે ઉંડા પાણીમાં ખાબકી હતી. બાળકી પાણીમાં ગરકાવ થતા જ ચીસાચીસ જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ બાળકીને બહાર કાઢી સિવિલ ખસેડીબાળકી નહેરમાં પડી હોવાની જાણ આસપાસના લોકોને થતા જ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક યુવાનોએ ભારે જહેમત બાદ બાળકીને નહેરમાંથી બહાર કાઢી હતી. આ સમયે બાળકી બેભાન અવસ્થામાં હતી. પરિવારજનો અને સ્થાનિકોએ સમય ગુમાવ્યા વગર તેને તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ આરાધ્યાને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુંમાસૂમ આરાધ્યાના અચાનક મોતથી વર્મા પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો છે. માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. ઘર આંગણે રમતી દીકરી થોડી જ વારમાં કાળનો કોળિયો બની જશે એવી કલ્પના પણ પરિવારે કરી ન હતી. આ ઘટનાએ ફરી એકવાર નાના બાળકો ધરાવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રજૂ કર્યો છે કે, બાળકો જ્યારે ઘરની બહાર રમતા હોય ત્યારે તેમના પર સતત દેખરેખ રાખવી કેટલી અનિવાર્ય છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઆ સમગ્ર મામલે સચિન GIDC પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા સોસાયટી અને નહેર આસપાસના વિસ્તારમાં પંચનામું કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:38 pm

આધેડ 5 ફૂટ દૂર ઉછળીને પટકાયા, CCTV:પરવત પાટીયામાં MP રોડવેઝની બસનો કહેર, કેમિકલ વેપારીનું કરુણ મોત; અન્ય એક ઈજાગ્રસ્ત

સુરતના પરવત પાટીયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેમની સાથે સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ઘટનાના કંપારી છૂટી જાય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મધ્યપ્રદેશ પરિવહનની બસ અડફેટે લેતા અકસ્માત સર્જાયોમળતી માહિતી મુજબ, પરવત પાટીયાની સમ્રાટ ટાઉનશીપમાં રહેતા અને કેમિકલનો વ્યવસાય કરતા ગજેન્દ્રકુમાર હુકમીચંદ જૈન (ઉં.વ. 60) બે દિવસ પહેલા પોતાની હીરો મેસ્ટ્રો મોપેડ (નંબર GJ-05-SN-4798) લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેમની સાથે મોપેડ પર તેમના મિત્ર ચંદ્રપ્રકાશ ચંપકલાલ જૈન પણ સવાર હતા. જ્યારે તેઓ પરવત પાટીયા હનુમાન મંદિર પાસે મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતી મધ્યપ્રદેશ પરિવહનની બસ (નંબર MP-46-ZE-4356)ના ચાલકે મોપેડને અડફેટે લીધું હતું. CCTVમાં કેદ થયા ભયાનક દૃશ્યોઅકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્રકુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા હતા અને રોડ પર પટકાયા હતા. તેમને માથાના ભાગે અને ડાબા કાનમાંથી પુષ્કળ લોહી નીકળવા લાગ્યું હતું. જ્યારે તેમની મોપેડ બસના આગળના ટાયર પાસે ફસાઈ ગઈ હતી. હોસ્પિટલમાં દમ તોડ્યો, મિત્ર સારવાર હેઠળઘટના બાદ તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે ગજેન્દ્રકુમાર જૈનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના મિત્ર ચંદ્રપ્રકાશ જૈનને આંખ નીચે, માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે આઈ.એન.એસ (INS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત હજુ ગંભીર હોવાનું જાણવા મળે છે. પુણા પોલીસે ગુનો નોંધ્યોમૃતકના પુત્ર તન્મય ગજેન્દ્રકુમાર જૈન (વ્યવસાયે CA)ની ફરિયાદના આધારે પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1), 281, 125(a), 125(b) અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પીએસઆઈ વી.સી. મસાણી આ કેસની વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:37 pm

પાટીદારોના ગઢ વોર્ડ નં-2માં પતિ-પત્ની વચ્ચે થશે જંગ?:ભાજપમાંથી ધાર્મિક માલવિયાની દાવેદારી, પત્ની મોનાલી હીરપરાએ AAPમાંથી દાવેદારી કર્યાંનો ધર્મેશ ભંડેરીનો દાવો

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટા વરાછા-અમરોલી - કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ એક જ ઘરમાંથી બે અલગ-અલગ વિચારધારા અને પક્ષો સાથે જોડાયેલા પતિ-પત્નીની રાજકીય દાવેદારી છે. પાટીદાર અગ્રણી અને ભાજપના નેતા ધાર્મિક માલવીયા અને તેમના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. બંનેએ અલગ-અલગ પક્ષોમાંથી એક જ વોર્ડ માટે દાવેદારી નોંધાવતા ઘરની લડાઈ હવે મેદાનમાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ધાર્મિક માલવીયાની ભાજપમાંથી દાવેદારીપાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) ના પૂર્વ કન્વીનર અને જાણીતા પાટીદાર અગ્રણી ધાર્મિક માલવીયાએ તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી હતી. તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપની ટિકિટ માટે પ્રબળ દાવેદારી નોંધાવી છે. પૂર્વ કોર્પોરેટર મોનાલી હિરપરાની AAPમાંથી દાવેદારી!બીજી તરફ, ધાર્મિક માલવીયાના પત્ની એડવોકેટ મોનાલી હિરપરા જેઓ આમ આદમી પાર્ટી (AAP) ના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, તેમણે ફરી એકવાર મેદાનમાં ઉતરવાની તૈયારી બતાવી છે. તેમણે આમ આદમી પાર્ટીની સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને પ્રદેશ પ્રભારી સમક્ષ વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિરોધાભાસી નિવેદનો અને વિવાદઆ સમગ્ર મામલે ત્યારે વળાંક આવ્યો જ્યારે ધાર્મિક માલવીયા અને આપના શહેર પ્રમુખના નિવેદનો સામસામે આવ્યા છે.આપ શહેર પ્રમુખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, મોનાલી હિરપરા છેલ્લા પાંચ વર્ષથી પાર્ટીમાં સક્રિય છે અને તેમણે વોર્ડ નંબર 2 માટે ઉમેદવારીની ઈચ્છા વ્યક્ત કરી છે. બહેન પોતે આવીને સેન્સ આપી ગયા છે.એમણે કહ્યું છે કે વોર્ડ નંબર-2ના લોકો માટે કામ કરવા માંગુ છું.પાર્ટી મને ઉમેદવાર તરીકે પસંદ કરશે તો ફરીથી કોર્પોરેટર બનવા માંગુ છું અને કોર્પોરેટર બનીશ. તો આ તરફ ધાર્મિક માલવીયાએ ભાજપમાંથી દાવેદારી કરી છે. એ સાથે તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સ્પષ્ટ જવાબ આપ્યો કે, તેમના પત્ની આમ આદમી પાર્ટીમાં સક્રિય નથી અને રાજકીય ક્ષેત્રમાં હવે આગળ વધવા નથી માંગતા. શું પતિ-પત્ની વચ્ચે થશે ચૂંટણી જંગ?જો ભારતીય જનતા પાર્ટી ધાર્મિક માલવીયા પર પસંદગી ઉતારે અને આમ આદમી પાર્ટી મોનાલી હિરપરાને ટિકિટ આપે, તો સુરતના ઈતિહાસમાં આ એક દુર્લભ કિસ્સો બની રહેશે. એક જ ઘરના બે સભ્યો, એક જ વોર્ડમાં, બે વિરોધી પક્ષો તરફથી સામસામે ચૂંટણી લડતા જોવા મળી શકે છે.અત્યારે તો બંને પક્ષોમાં આંતરિક પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જો બંનેને ટિકિટ મળે તો વોર્ડ નંબર 2 ની ચૂંટણી માત્ર વિકાસના મુદ્દે નહીં, પણ પારિવારિક વિરુદ્ધ રાજકીય વિચારધારાના જંગ તરીકે જોવામાં આવશે. સવાલ એ છે કે, જો આવું થાય તો મતદારો કોના પર કળશ ઢોળશે? અલ્પેશ કથીરિયાની પત્નીએ પણ દાવેદારી નોંધાવીતો આ તરફ પાસના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયાના સ્થાને હવે તેમના પત્ની કાવ્યા કથીરિયાએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું છે. કાવ્યા કથીરિયાએ આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પોતાની દાવેદારી નોંધાવી છે, જેમાં તેમણે સુરતના વોર્ડ નંબર 3 માટે ફોર્મ ભર્યું છે. ખાસ વાત એ છે કે, આ દાવેદારી માટેનું ફોર્મ અન્ય એક જાણીતા પાસ નેતા ધાર્મિક માલવિયા દ્વારા ભરવામાં આવ્યું હતું, જે આ ફેરબદલ અને રાજકીય સમીકરણોમાં નવી ચર્ચા જગાવી રહ્યું છે. પાટીદોરાના ગઢમાં આપનો દબદબોવોર્ડ નંબર 2માં સૌથી વધુ પાટીદાર વસ્તી છે. આ સાથે જ સુરત શહેરનો સૌથી વધુ વસ્તી ધરાવતો વોર્ડ છે. 2021માં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવાર અહીંથી જીત્યા હતા.ત્યારબાદ ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા.જ્યારે રાજેશ મોરડીયાને આમ આદમી પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.આ વોર્ડમાં માત્ર એક જ કોર્પોરેટર એડવોકેટ મોનાલી હિરપરા રહ્યા હતા.પાટીદારોના ગઢ ગણાતા આ વોર્ડમાં આપનો પણ દબદબો રહ્યો છે. ત્યારે હવે ભાજપ પણ પાટીદાર ને જ ઉભો રાખીને આપને ટક્કર આપે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જોકે ભાજપમાં જ દાવેદારી કરનાર ધાર્મિક માલવયાની પત્ની એડવોકેટ મોનાલી હિરપરાએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા ચર્ચાનો વિષય બન્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:21 pm

રાજ્યપાલના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને PhD ડિગ્રી એનાયત:ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડૉ. અર્જુન નિમાવતને પીએચ.ડી. (P.H.D.) ની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ પદવીદાન સમારોહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જે યુનિવર્સિટીનો ૧૦મો પદવીદાન સમારોહ હતો. ડૉ. અર્જુન નિમાવતએ ઇતિહાસ વિષયક્ષેત્રમાં બોટાદ શહેર પર ઐતિહાસિક સંશોધન કર્યું છે. તેમના આ મહત્વપૂર્ણ સંશોધનને શૈક્ષણિક જગતમાં મૂલ્યવાન યોગદાન તરીકે ઓળખવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડૉ. નિમાવતને ડિગ્રી એનાયત કરતી વખતે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે પદવી આપવી એ માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી, પરંતુ પરિશ્રમનું પરિણામ છે. આ પદવીદાન સમારોહમાં ભાવનગર મહારાણી સંયુક્તા કુમારી, સંસદ નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ભાવેશભાઈ જાની સાહેબ અને વિવિધ વિભાગોના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Apr 2026 3:20 pm