10 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિઃસંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી અને વેચાણની કિંમત નક્કી કરવી, નર્સિંગ હોમ સાથે મળી બાળકનું બોગસ જન્મપ્રમાણ પત્ર તૈયાર કરવા સુધીની કામગીરી અલગ અલગ લોકો કરતા હતા.જેઓ તમામ કમિશન પર કામ કરતા. આ રેકેટમાં જે દંપતી બાળક ખરીદવા ઈચ્છતુ હોય તેની પાસેથી એડવાન્સમાં જ નોન રિફંડબેલ રકમ મેળવી લેતા હોવાનું પણ સામે આવ્યું છે. કઈ રીતે ચાલતું હતું બાળ તસ્કરીનું રેકેટ?અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. રેકેટમાં સૌપ્રથમ નિસંતાન દંપતી કે જે બાળક મેળવવા ઈચ્છતા હોય તેમની પાસેથી મોટા દલાલ દ્વારા એડવાન્સ રકમ લેવામાં આવે છે. એડવાન્સ મળ્યા બાદ દલાલોની ટુકડી બાળકની શોધ શરૂ કરે છે. ગરીબ અથવા મજબૂરીમાં બાળક વેચવા તૈયાર થતા દંપતી પાસેથી બાળક ખરીદવામાં આવે છે. બાળક મળી ગયા બાદ તેને તૈયાર કરી સારા કપડાં પહેરાવી તેના ફોટા પાડવામાં આવે છે.આ ફોટા એજન્ટના ગ્રુપમાં મૂકવામાં આવે છે.આ ફોટા મૂક્યા બાદ બાળકનો ભાવ રૂ. 3 લાખથી 5 લાખ વચ્ચે નક્કી કરવામાં આવે છે. બાળકના માતા-પિતાને ચોક્કસ રકમ ચૂકવી દલાલો બાળકનો કબજો કરી લે છે. ત્યારબાદ બાળકની સંપૂર્ણ સંભાળ વંદના જેવી મહિલા દલાલો રાખતી હોય છે.મુખ્ય દલાલ દ્વારા નિસંતાન દંપતી પાસેથી પહેલેથી જ રૂ. 10 થી 15 લાખ એડવાન્સમાં લેવામાં આવે છે. એક વખત બાળકનો ફોટો મોકલાઈ જાય પછી આ રકમ નોન-રિફંડેબલ બની જાય છે. બાળક પસંદ ન આવે, દીકરો કે દીકરી અંગે વિવાદ ઊભો થાય તો પણ રૂપિયા પરત આપવામાં આવતા નથી. મોટા ભાગે સંતાનની લાલસામાં દંપતી બાળક સ્વીકારી લે છે. બાળકનું બોગસ બર્થ સર્ટિફિકેટ પણ બનાવી દે!બાળક મળ્યા બાદ શરૂ થાય તેને પોતાનું સંતાન બતાવવાના ડોક્યુમેન્ટ બનાવવાની કવાયત. દલાલોની સૂચનાથી નિસંતાન દંપતી બાળક આવવાના મહિના પહેલાં અન્ય પ્રદેશમાં રહેવા ચાલ્યા જાય છે.ત્યારબાદ દલાલો દ્વારા પેમેન્ટ આપીને સાધી રાખેલા નર્સિંગ હોમમાં ચોક્કસ દિવસે બાળકનો જન્મ થયો હોવાની ખોટી એન્ટ્રી કરાવવામાં આવે છે. તેના આધારે જન્મનો દાખલો અને અન્ય તમામ દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે. બાળ તસ્કરી મામલે કૂલ ચાર આરોપીઓની ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકની તસ્કરી કેસમાં વંદના પંચાલ, રોશન અગ્રવાલ અને સુમિત યાદવને ઝડપી લીધા હતા. તપાસમાં બનાસકાંઠાના સપ્લાયર યુનુસ સિંધીનું નામ ખુલતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. 10 દિવસ પહેલા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો હતોઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતી એટીએસને 10 દિવસ પહેલા એક સંયુક્ત બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ એરપોર્ટના કોતરપુર પાસે પોલીસે હિંમતનગરથી આવી રહેલી એક ગાડી રોકીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કારમાંથી એક 15 દિવસનું બાળક મળી આવ્યું હતું. પોલીસે કારમાં બેસેલા હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની મહિલા વંદના પંચાલની ધરપકડ કરી હતી. હિંમતનગરથી લાવવામાં આવેલું બાળક હૈદ્રાબાદ પહોંચાડવાનું હતુંપોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ત્રણેય આરોપી હિંમતનગરમાં મુન્ના નામના વ્યક્તિ પાસેથી આ બાળક 3.60 લાખમાં ખરીદીને લાવ્યા હતા, જેને અમદાવાદ લાવી હૈદરાબાદ લઈ જવાનું હતું. હૈદરાબાદમાં નાગરાજ નામના એજન્ટને આ બાળક વેચી દેવાનું હતું. વંદના અને રોશન ભૂતકાળમાં પણ બાળ તસ્કરી મામલે ઝડપાયા હતાએસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, નવજાત બાળકો સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારમાંથી જ મળી આવે છે. મુન્નો ઉર્ફે યુનુસે આ બાળકને 60 હજારમાં ખરીદ્યું હતું. બાળકને વ્યવસ્થિતિ સાચવવામાં આવતું હતું. પકડાયેલા આરોપીઓ બાળક હૈદરાબાદ આપવાનું હતું. 3 અલગ-અલગ ટીમ કામ કરી રહી છે. વંદના અને રોશન પાસેથી અગાઉ 3 બાળક હૈદરાબાદ પોલીસને મળી આવ્યા હતા, જેમાંથી એક બાળક અમદાવાદનું હતું. આ સમાચાર પણ વાંચોઃસુરતમાં 10 દિવસની માસૂમનો 'સોદો' કરવાનો પ્રયાસ અમદાવાદમાંથી બાળ તસ્કરીનો પર્દાફાશ થયા બાદ હવે સુરતમાં પણ 10 દિવસની બાળકીની તસ્કરીનો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સંભાજીનગરથી માત્ર 10 દિવસની બાળકીને સુરત લાવી વેચવાનો પ્રયાસ કરી રહેલી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. બેથી અઢી લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કરવાનો પ્લાન હતો. મહિલાઓ દ્વારા અલગ અલગ વ્યકિતઓને મોબાઈલ પર બાળકીના ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા હતા. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી કોની પાસેથી બાળકી લાવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. આ પહેલા પણ આ રીતે કોઈ બાળકનો સોદો કરાયો છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી ગાડીનો કાચ તોડી બે લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. ગણતરીની સેકન્ડોમાં જ બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. લોકોની અવરજવરની વચ્ચે આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. કારમાં આગળના ભાગે પૈસા ભરેલી બેગ રાખી હતીસાઉથ બોપલમાં રહેતા પ્રિન્સભાઈ નામના વેપારી તેમની i10 કાર લઈને સાઉથ બોપલના સફલ પરિસર રોડ પર આવેલા સાનવી સ્ટેરા ફ્લોરા બિલ્ડિંગ પાસે કાર પાર્ક કરીને બિલ્ડિંગમાં ગયાં હતાં. કારમાં આગળના ભાગે પૈસા ભરેલી બેગ રાખી હતી. બે શખ્સ હેલ્મેટ પહેરીને આવ્યા ને ખેલ પાડ્યોઆ દરમિયાન લોકોની અવર-જવર વચ્ચે એક બાઈક પર બે શખ્સ હેલ્મેટ પહેરીને આવ્યા હતા. કંઈ પણ વિચાર્યા વિના પાછળ બેઠેલા શખ્સે ગાડીમાં ડ્રાઇવરની બાજુની સીટના દરવાજાનો કાચ સેકન્ડસમાં તોડીને પૈસા ભરેલી બેગ લઈને નાસી ગયા હતા. ગાડીનો કાચ તૂટેલો ને પૈસા ભરેલી બેગ ગાયબપ્રિન્સભાઈ જ્યારે બિલ્ડીંગમાંથી નીચે આવ્યા અને કાર તરફ જોયું તો ગાડીનો કાચ તૂટેલો હતો અને પૈસા ભરેલી બેગ પણ ગાયબ હતી. આ બેગમાં બે લાખ રૂપિયા રોકડ રકમ હતી. ચોરી થયાની જાણ થતા તેમને તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરીને પોલીસને બોલાવી હતી. CCTVમાં બંને શખ્સો ચોરી કરતા દેખાયાપોલીસે સ્થળ પર પહોંચીને બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં બાઈક પર આવેલા બંને શખ્સો ચોરી કરતા દેખાતા હતાં. સમગ્ર મામલે બોપલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવેલા બ્રિજોમાં રીપેરીંગ કરવામાં આવશે. છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે 25 વર્ષથી વધુ સમયથી જુના બ્રિજોમાં બેરિંગ રીપેરીંગ અને જોઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય 6 રેલવે ઓવરબ્રિજમાં મેજર રીપેરીંગ કામ કરવામાં આવશે. બાકીના બ્રિજોમાં નાના રીપેરીંગ કરવાના છે. રૂ. 62 કરોડના ખર્ચે બ્રિજોના રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત સોમવારે મળનારી રોડ બિલ્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી છે જેને મંજૂરી આપ્યા બાદ કામગીરી આગામી મહિનામાં શરૂ થઈ જશે. બ્રિજ કન્સલટન્ટ દ્વારા જુલાઈ મહિનામાં જ રિપોર્ટ અપાયો હતોવડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તમામ બ્રિજોમાં ઇન્સ્પેક્શન કરાવવાના હતા જે અંતર્ગત અમદાવાદ શહેરના તમામ બ્રિજોના ચોમાસા પહેલા ઇન્સ્પેક્શન કરાવવામાં આવ્યા હતા જેમાં જુલાઈ મહિનામાં બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં રેલ્વે અને ફ્લાય ઓવરબ્રિજોમાં મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા અંગેના રિપોર્ટ આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં સુભાષ બ્રિજમાં પણ મોટું રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવાનું ઉલ્લેખ કરાતો જોકે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સુભાષ બ્રિજમાં રીપેરીંગ કામ શરૂ થાય તે પહેલા જ તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના સામે આવી હતી. 6 મુખ્ય રેલવે ઓવરબ્રિજમાં મેજર રિપેરિંગ કરાશેસુભાષ બ્રિજમાં તિરાડ પડવા અને સ્પાન બેસી જવાની ઘટના બાદ જુલાઈ મહિનામાં બ્રિજ ઇન્સ્પેક્શન કંપની દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે શહેરમાં મુખ્ય છ રેલવે ઓવરબ્રિજ સહિતના અલગ અલગ બ્રિજમાં નાના-મોટા રીપેરીંગ કરવામાં આવશે. શાહીબાગ ગિરધરનગર, અસારવા ચામુંડા, મણીનગર નાથાલાલ ઝઘડા, ઘોડાસર કેડીલા, સાબરમતી ચીમનભાઈ પટેલ અને ચાંદલોડિયા બ્રિજમાં મોટા રીપેરીંગ કરવામાં આવશે. બીજામાં નાના રીપેરીંગ કરવામાં આવશે જેમાં બ્રિજના 20 મીટર તથા 30 મીટર સુધીના કુલ 152 સ્પાન લીફટીંગ કરી બેરીગ રીપ્લેસમેન્ટ કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીગની મેથડોલોજ ડિઝાઈન કન્સલ્ટન્ટ પાસે ચેક કરાવી તે મુજબ કામગીરી કરાવવામાં આવશે. બ્રિજ નીચેની દુકાન-ગોડાઉન તોડી પડાશેહાલની પરિસ્થિતિ મુજબ બ્રિજ નીચે ગોડાઉનો તથા દુકાનો આવેલી છે જે બ્રિજના સુપર સ્ટ્રક્ચર સુધી બનાવવામાં આવી છે. બ્રિજના નીચેના ભાગેથી કામગીરી કરવામાં આવશે. બ્રિજ સ્પાન લિફ્ટિંગની કામગીરી કરવા માટે દુકાનો અને ગોડાઉનને તોડી પાડવામાં આવશે. જે બાદ ફરીથી દુકાનો અને ગોડાઉન કોર્પોરેશન જ બનાવી આપશે. બ્રિજ સ્પાન કામગીરી માટે હાઈડ્રોલીક રાખવા માટે જવા ન હોય તેવા સ્થાનમાં અલગથી ટેમ્પરથી સપોર્ટ સ્ટીલસ્ટ્રક્ચર તૈયાર કરી પ્રોપર સેફટી સાથે સ્પાન શીફટીંગ કરવાની કામગીરી કરાશે. બેરીંગ રીપ્લેસમેન્ટ માટે સ્પાન લીફટીંગ કર્યા બાદ હયાત બેરીંગ રીમુવ કરી નવી બેરીંગ ઈનસ્ટોલ કરવા માટે પીઅરકેપ, પેડસ્ટલ અને એબટમેન્ટના ટીપ ઉપર જરૂરીયાત મુજબ પ્રોપર સફાઈ કરી લાઈન લેવલ માટે એપોસી બેટિંગ કરવાની કામગીરી કરવામાં આવશે. નવી બેરીંગ લગાવી ફરીથી સ્પાન મૂળ સ્થાને મુકવાની કામગીરી કરી દેવાશે. રીપેરીંગ કરવાના થતા બ્રિજો ખુબ જ જુની ડિઝાઈન મુજબ હોવાથી સીરામીક એરેસ્ટર ન કોઈ, બંન્ને બાજુ ફેબ્રીકેશન સ્ટ્રક્ચરના સીરામીક સેરેસ્ટર મુકવાની કામગીરી કરવામાં આવશે. કામગીરી દરમિયાન ભારે વાહનની અવરજવર બંધ કરાશેબ્રિજ પર રીપેરીંગની કામગીરી દરમિયાન ટ્રાફીકમાં અસર ન પડે તે માટે ભારે અને મધ્યમ પ્રકારના વાહનો બ્રિજ પર અવર-જવર માટે બંધ કરવામાં આવશે. નવી ટેક્નોલોજી મુજબ ટેમ્પરરી બેલી સ્ટ્રક્ચર તથા જરૂરી સાઇનેજસ તેમજ ટ્રાફીક માર્શલ રાખી માત્ર નાના વાહનોની અવર જવર ચાલુ રાખી બેરીંગ રીપ્લેસમેન્ટની કામગીરી કરવામાં આવશે. બ્રિજને સંપૂર્ણપણે બંધ નહીં કરાય પરંતુ ચાલુ ટ્રાફિકમાં આ રીપેરીંગ કામગીરી ચાલશે નાથાલાલ ઝઘડીયા રેલ્વે ઓવરબ્રિજમાં બંન્ને બાજુની જર્જરીત થયેલી આર.સી.સી. રેલીંગ દુર કરી તેની જગ્યાએ આર.સી.સી કેશ બેરીઅર મુકવાની કામગીરી કરવામાં આવશે.બ્રિજના સ્પાન ઉતારી બેરીંગ બદલવાની કામગીરી માટે એજન્સી પાસેથી ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવ્યું છે અને નવી બેરિંગ નાખવા અંગેની 15 વર્ષની ગેરંટી લેવામાં આવી છે. જુલાઈ મહિનામાં રિપોર્ટ બાદ પણ કામગીરી ન થતા વિપક્ષે સવાલ ઉઠાવ્યોજુલાઈ મહિનામાં આપવામાં આવેલા ઇન્સ્પેક્શન રિપોર્ટમાં રીપેરીંગ કરવાની જરૂરિયાત હોવા છતાં બ્રિજોમાં રીપેરીંગ કરવાની કામગીરી કેમ ન કરવામાં આવી તેને લઈને વિપક્ષ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા ને ભાજપના સત્તાધીશોએ પણ બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા જે બાદ બ્રિજોમાં રીપેરીંગ કામ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. રેલવે અને ફ્લાય ઓવરબ્રિજમાં મોટા તેમજ નાના રીપેરીંગ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકમલ બિલ્ડર્સને ટેન્ડરની અંદાજિત રકમ કરતાં 45.12 ટકાના વધુ ભાવે રીપેરીંગ કરવા માટેની દરખાસ્ત મુકવામાં આવી છે. કયા મુખ્ય બ્રિજમાં રીપેરીંગ થશે
આખરે રાજકોટ શહેર ભાજપનું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં શહેર પ્રમુખ ડો. માધવ દવે દ્વારા પોતાની નવી ટિમ જાહેર કરી તેમાં મોટા ભાગે નો-રિપીટ થિયરી અપનાવી 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ સહીત યુવા મોરચા, મહિલા મોરચો, કિશાન મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ મોરચાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સંગઠનમાં નિમણુંક આપવામાં ધારાસભ્ય ઉદય કાનગડનું પલડું ભારે રહ્યાની ચર્ચા ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે. મહામંત્રી તરીકે સરપ્રાઈઝ નામપ્રમુખ પછીની મહત્વની મહામંત્રી તરીકે તમામ નવા નામો સાથે પાટીદાર, ક્ષત્રિય અને પ્રજાપતિ સમાજને સ્થાન આપી નવી ટિમ તૈયાર કરવામાં આવી છે જેમ વલ્લભ દુધાત્રા, લલિત વાડોલિયા, અને યોગેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે એટલે કે જૂથવાદ વચ્ચે ચર્ચાતા નામો પૈકી એક પણ નામની મહત્વના હોદા પર નિમણુંક કરવામાં આવી નથી. નવેમ્બર 2025માં લેટર બૉમ્બ સામે આવ્યો હતો રાજકોટ શહેર ભાજપમાં નવા સંગઠનની રચના કરવામાં આવે તે પહેલાં જ વર્ષ 2025ના નવેમ્બર મહિનામાં લેટર બોમ્બની ઘટના સામે આવી હતી જેમાં શહેરના સામાકાંઠા વિસ્તારના ભાજપના આગેવાનો દ્વારા એક પત્ર લખવામાં આવ્યો હતો આ લેટરમાં શહેરના નવા મહામંત્રી તરીકે દુષ્યંત સંપટના નામની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને વર્તમાન મહામંત્રી અશ્વિન મોલીયા વિરુદ્ધની લાગણી લેટરમાં વ્યક્ત કરવામાં આવી હતી. આ લેટરમાં પૂર્વ ડેપ્યુટી મેયર સહિતના આગેવાનોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જોકે, તેમાં સહી કરવામાં આવી ન હતી. અને હવે આજે સંગઠન માળખું જાહેર થતા તેમાં મહામંત્રી તરીકે વલ્લભ દુધાત્રાનું નામ જાહેર થતા ફરી એક વખત સામાકાંઠા વિસ્તારનું રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે વલ્લભ દુધાત્રા વોર્ડ નંબર 5માં વોર્ડ પ્રમુખ રહી ચુક્યા છે, શહેર ભાજપમાં અગાઉ પણ મહામંત્રી રહી ચુક્યા છે તેમજ રાજકોટ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર પણ રહી ચુક્યા છે તેઓ ચાર ટર્મ કોર્પોરેટર રહી ચુક્યા છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેની ટીમ નીચે મુજબ યુવા મોરચા પ્રમુખ મિલન લીંબાસીયા મહિલા મોરચા પ્રમુખ લીનાબેન રાવલ કિશાન મોરચા પ્રમુખ યોગેશભાઈ ભુવા બક્ષીપંચ મોરચા પ્રમુખ બાબુભાઇ માટીયા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ દિનેશભાઇ ગોહેલ અનુસૂચિત જન જાતિ પ્રમુખ મનોજભાઈ દુબલ લઘુમતી મોરચા પ્રમુખ ઇબ્રાહિમભાઈ સોની
ગુજરાતમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી 8 ફેબ્રુઆરીના ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી ક્રિકેટ ભાઈઓની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો જેનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ ક્રિકેટર અને સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટના હસ્તે કરાયુ હતુ. તેમણે આ ગ્રાઉન્ડ પર ચેતેશ્વર અને કે. એલ. રાહુલ સાથે રમેલી યાદગાર મેચના અનુભવો વર્ણવ્યા હતા જેમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ વખત રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ખેલાડીઓને સ્પોર્ટ્સ અને એજ્યુકેશન વચ્ચેનું બેલેન્સ ન બગડવા દેવાની સલાહ આપી હતી તો સ્પોર્ટ્સ ફોકસ શીખવે છે તેવું કહ્યું હતું. આ તકે વેસ્ટ ઝોનની 154 યુનિવર્સિટીઓ વચ્ચેની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ત્રીજું સ્થાન હાંસલ કરી ઓલ ઇન્ડિયા માટે ક્વોલિફાય થતા ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે 9 મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ઓલ ઇન્ડિયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં રણજી અને અન્ડર 19 તેમજ અંડર 23 રમેલા ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે ઓલ ઇન્ડિયા ક્રિકેટ ભાઈઓની ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો આ તકે ઇન્ટરનેશનલ ક્રિકેટર જયદેવ ઉનરકટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી ક્રિકેટ રમું છું અને દર વખતે હું સ્ટેજની સામેની તરફ હોવું છું પરંતુ આ વખતે પ્રથમ વખત સ્ટેજ ઉપર છું. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર રમેલી રણજી મેચ ને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હું, ચેતેશ્વર પુજારા અને કે.એલ.રાહુલ કે જેઓ કર્ણાટક ટીમ તરફથી રમી રહ્યા હતા. તે વખતે પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમને રણજી ટ્રોફીનો ક્વાટર ફાઇનલ મેચ જીત્યો હતો અને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેથી મારા કરિયરમાં આ ગ્રાઉન્ડ ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમણે વિદ્યાર્થી ખેલાડીઓને કહ્યું કે સ્પોર્ટ્સ અને એજ્યુકેશન વચ્ચેનું તમારું બેલેન્સ બગડવા ન દેતા. જોકે મેં ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે અને કોલેજ પણ પૂર્ણ કરી નથી. તેમણે કહ્યું કે તમારી પાસે પ્લાન A ની સાથે પ્લાન B પણ હોવો જોઈએ કારણ ક જો તમે ક્રિકેટમાં સફળ થતા નથી તો એકેડમીકમાં તમે સફળ થઈ શકવા જોઈએ. અહીં રમી રહેલા બે થી ત્રણ ખેલાડીઓ જ ઇન્ટરનેશનલ સુધી પહોંચશે જેથી દરેક વિદ્યાર્થી ખેલાડીઓ પાસે પોતાનું કરિયર બનાવવા માટે બે પ્લાન હોવા જોઈએ. ઇન્ટર યુનિવર્સિટી વેસ્ટ ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં 154 યુનિવર્સિટીએ ભાગ લીધો હતો જેમાં રાજસ્થાનની યુનિવર્સિટી ઓફ કોટા પ્રથમ ક્રમે રહી છે જ્યારે નાગપુરની આર. ટી. એમ. યુનિવર્સિટી બીજા ક્રમે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો છે જ્યારે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ચોથા ક્રમે રહી છે. આ ટુર્નામેન્ટ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમના કેપ્ટન આદિત્ય રાઠોડે સૌથી વધુ 26 વિકેટ ઝડપી મેન ઓફ ધ સિરીઝ જાહેર થયા છે જ્યારે બેટસમેન રામદેવ આચાર્યએ 2 સદી સાથે સૌથી વધુ 411 રન ફટકાર્યા છે. આ 9 ક્રિકેટ મેદાનો પર ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીના નેશનલ - ઈન્ટરનેશનલ ખેલાડીઓની ફટકાબાજી જોવા મળશે 1. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેદાન2. રુદ્રાક્ષ - 1, મુંજકા 3. આર. કે. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાગુદડ4. ઝાલાવાડ ગ્રાઉન્ડ, ગૌરીદડ5. ગ્રીનફિલ્ડ, જામનગર રોડ6. રુદ્રાક્ષ - 2, અટલ સરોવર7. ગ્રીન ફાર્મ, આજીડેમ ચોકડી8. અનિલ પેવેલિયન, લીમડા ચોક9. રતનપર ગ્રાઉન્ડ, રતનપર આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ કેપ્ટન આદિત્ય રાઠોડ વાઇસ કેપ્ટન રામદેવ આચાર્ય પુષ્પરાજસિંહ જાડેજા કેરવ રાવલનીલ પંડ્યા અભિષેક નિમાવત અક્ષત મકવાણા દેવાંશ ગેરેયાઅરબાઝ બુટાકશ્યપ સુવા લક્કીરાજસિંહ વાઘેલા
અમદાવાદમાં આવતીકાલે 9 ફેબ્રુઆરીના નાથુરામ ગોડસેનો 'હું નાથુરામ ગોડશે' નાટક યોજવાનું છે. આ નાટક યોજાય તે પહેલા આજે 8 ફેબ્રુઆરીએ NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રોચાર જાહેર દિવાલ ઉપર 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો' , 'ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય' લખીને વિરોધ કરવામાં આવ્યો છે. આવતીકાલે અમદાવાદ સિંધુભવન પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં યોજાનાર નાટકમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી શકે છે. સિંધુભવનના ઓડિટોરિયમમાં 'હું નાથુરામ ગોડસે' નાટકરાજકોટ બાદ અમદાવાદમાં પણ 'હું નાથુરામ ગોડસે' નામનું નાટક યોજવાનું છે. જેની ટિકિટો ઓનલાઈન પ્લેટફોર્મ પર મળી રહી છે, આવતીકાલે 9 ફેબ્રુઆરીના સિંધુભવન પાસેના દિલદાર ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આ નાટક યોજાવાનું છે. 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો'જેને લઇને અમદાવાદમાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કાર્યકરોએ ઠેર ઠેર 'ગોડસે મુર્દાબાદ ગાંધીજી અમર રહો' સહિતના અલગ અલગ સૂત્રો લખીને વિરોધ કર્યો છે. આવતીકાલના કાર્યક્રમ પહેલા અને કાર્યક્રમમાં પણ ભારે વિરોધ સર્જાય તેવી પૂરી શક્યતા છે. 'અમે આ નાટક યોજવા જ નહીં દઈએ'NSUIના નેતા ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક ચલાવી લેવામાં આવશે નહીં. આજે અમે વિરોધ કર્યો છે. જો આવતીકાલનું નાટક રદ કરવામાં નહીં આવે તો કાલે નાટક પહેલા અને નાટક દરમિયાન અમે ઉગ્ર વિરોધ કરીશું. અમે આ નાટક યોજવા જ નહીં દઈએ. આજે 8 ફેબ્રુઆરી જામનગરમાં નથુરામ ગોડસે પ્રેરિત નાટક રદજામનગરના ટાઉનહોલ ખાતે નથુરામ ગોડસે પ્રેરિત નાટકના આયોજન સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, આયોજકો દ્વારા નાટક પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ટાઉનહોલ સર્કલ ખાતે એકઠા થયા હતા. તેઓના હાથમાં મહાત્મા ગાંધીજી અને ભારત માતાના પોસ્ટર તેમજ ગાંધીજીના હત્યારા ગોડસેના પોસ્ટર હતા. કાર્યકરો ટાઉનહોલના ગેટ સુધી પહોંચ્યા હતા. ટાઉનહોલના ગેટ પાસે શહેર કોંગ્રેસના કાર્યકરોએ 'મહાત્મા ગાંધી અમર રહો', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. તેઓએ નથુરામ ગોડસે પ્રેરિત નાટકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. (વાંચો સંપૂર્ણ સમાચાર) 7 ફેબ્રુઆરી રાજકોટમાં નાથુરામ ગોડસેના નાટક પહેલાં કોંગ્રેસે તોડફોડ કરી હતીરાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે હેમુ ગઢવી હોલ ખાતે નથુરામ ગોડસે નાટક શરૂ થાય એ પહેલા જ વિરોધ નોંધાવવામાં આવ્યો અને સ્ટેજ પર પહોંચી સેટ પર તોડફોડ કરવામાં આવી હતી કોંગ્રેસનો આક્ષેપ છે કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે તેમનું અપમાન કરી ગોડસે ને ઉંચા બતાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે જે અમે ચલાવી લેશું નહિ. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ નાટક થશે તેનો અમે વિરોધ નોંધાવીશું અને નાટક થવા દેશું નહિ.. ભારે વિરોધના પગલે આયોજકો દ્વારા શો રદ કરી રિફંડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. અંતિમઘડીએ શો રદ થતા આયોજકોએ નાટક જોવા આવેલા પ્રેક્ષકોની ક્ષમા માગી હતી. પોલીસે 40 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટમાં 7 ફેબ્રુઆરીએ નથુરામ ગોડસે નાટકના પ્રોડ્યુસરે ભાસ્કરને કહ્યું કે… સેજલ પેઈન્ટર કે જેઓ નથુરામ ગોડસે નાટકના પ્રોડ્યુસર છે તેમને દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ લોકો પોતાને ગાંધીવાદી કહી રહ્યા છે અને અહીંયા આવી તોડફોડ કરી રહ્યા છે. બાપુનો પ્રિય ચરખો મારા હાથમાં હતો તેને પણ તોડવાની કોશિશ આ લોકો કરી રહ્યા હતા. ગાંધીવાદી હોય તો ચુપચાપ આવી વાત કરી શકે અમારી સાથે. આ લોકો હિંસા કરી રહ્યા છે. અમે નાટકમાં કોઈને ઉંચા નીચા દેખાડવા પ્રયાસ કર્યો નથી અમે નાટકમાં એ બતાવી રહ્યા છીએ કે આ ગોડસે એવું કહે છે કે મેં ગાંધીજીને માર્યા છે તો મારે પણ મરવું પડશે. આ લોકો આવી અને નાટક જોવે જાણે અને સમજે તો ખબર પડશે કે આ નાટકમાં ખરા અર્થમાં છે શું?
ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર આવેલા અંજનિયા વિન્ગઝે ખાતે8 ફેબ્રુઆરીના રોજ અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની ૩૫મી દીક્ષા જયંતીના અવસરે યોજાયેલા આ કેમ્પમાં 600થી વધુ લોકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોએ તેમની નિઃશુલ્ક સેવાઓ આપી હતી. જેમાં આંખ, ચામડી, સ્ત્રીરોગ, હાડકાં, દાંત, ફિઝિશિયન, ફેફસાં અને મનોચિકિત્સા જેવા વિભાગોના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. અર્હમ ડાયગનોસ્ટિક સેન્ટરના ડો. મૌલિક શાહ પણ સેવા આપવા માટે હાજર રહ્યા હતા. સેવા આપનાર તબીબોમાં ડૉ. અશેષ એચ. મહેતા (આંખ), ડૉ. સંદીપ લાઠીયા (ચામડી), ડૉ. પૂજા ધોરી લાઠીયા (ગાયનેક), ડૉ. કુશલ દોષી (ઓર્થો), ડૉ. હેતલ દેસાઈ (દાંત), ડૉ. સેજલ ચૌહાણ (ફિઝિશિયન), ડૉ. આગમ શાહ (ફેફસાં) અને ડૉ. મૈત્રેયી શાસ્ત્રી (સાંઈકિયાટ્રીસ્ટ) નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યો સમીરભાઈ, જૈનમભાઈ, નિલેશભાઈ, નિસર્ગભાઈ, જયેશભાઈ, રાજુભાઈ, પરાગભાઈ, હાર્દિકભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ, રમેશભાઈ, રાહુલભાઈ, તુષારભાઈ, જીમિતભાઈ, મેહુલભાઈ, હિતેશભાઈ, સ્વીટીદીદી, રિંકુદીદી, તૃપ્તિદીદી, કલ્પાદીદી, સેજલદીદી, ડિમ્પલદીદી, વિરાજદીદી, નિપાદીદી અને ડિમ્પલદીદી મહેતા સહિતની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. રિંકુદીદીએ કેમ્પના આયોજન અંગે માહિતી આપી હતી.
ગિરનારની પવિત્ર તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર ફરી એકવાર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠવા તૈયાર છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ આ વર્ષે જૂનાગઢનો પરંપરાગત મહાશિવરાત્રી મેળો ‘મિની કુંભ’ તરીકે આયોજિત થવા જઈ રહ્યો છે, જે મેળાની ભવ્યતા અને દિવ્યતામાં અનેકગણો વધારો કરશે. આ મેળો માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનશે. ભોજન, ભજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં નાગા સાધુઓની રવેડી અને મૃગી કુંડમાં શાહી સ્નાન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના સીધા નેતૃત્વ હેઠળ આ મેળાના આયોજન માટે છેલ્લા 2 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં 20 થી વધુ સમિતિઓ કાર્યરત કરવામાં આવી છે. આ સમિતિઓ દ્વારા મેળાના સુશોભનથી લઈને ભાવિકોની સુરક્ષા સુધીના દરેક પાસા પર બારીકાઈથી ધ્યાન આપવામાં આવ્યું છે. મેળાનો વિધિવત પ્રારંભ 11 ફેબ્રુઆરીના રોજ ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે થશે. પાર્કિંગ અને પરિવહનનું આયોજન યાત્રિકોને વાહન પાર્કિંગમાં કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા કુલ 25 જેટલા મોટા પાર્કિંગ પ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને મનપાના સંયુક્ત પ્રયાસોથી આ પાર્કિંગ સ્થળોએ ફ્લડ લાઈટ, પાણી અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. પાર્કિંગથી ભવનાથ પહોંચવા માટે ભરડાવાવ (3.1 કિમી) અને ગિરનાર દરવાજા (3.2 કિમી) એમ બે મુખ્ય પોઈન્ટ નક્કી કરાયા છે. કર્મચારીઓના પરિવહન માટે 13 મિની બસો સતત દોડશે, જ્યારે દિવ્યાંગો માટે 25 જેટલી રિક્ષાઓ નિ:શુલ્ક સેવામાં ઉપલબ્ધ રહેશે. રવેડી રૂટમાં વધારો અને શાહી સ્નાન આ વર્ષે શ્રદ્ધાળુઓની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સાધુ-સંતોની રવેડી (સરઘસ)ના રૂટમાં 500 મીટરનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ જે રૂટ 1.5 કિમીનો હતો, તે હવે 2 કિમીનો કરવામાં આવ્યો છે જેથી વધુમાં વધુ લોકો દર્શનનો લાભ લઈ શકે. મૃગી કુંડ પાસે પણ બિનજરૂરી દબાણો હટાવીને જગ્યા મોટી કરવામાં આવી છે અને શાહી સ્નાનનું લાઈવ ટેલીકાસ્ટ પણ કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમો અને કલાકારોનો જમાવડો ભવનાથ ખાતે 11 થી 14 ફેબ્રુઆરી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામશે. જેમાં મૈથિલી ઠાકુર, રાજભા ગઢવી, સુરેશ વાડકર, પાર્થ ઓઝા અને ગીતાબેન રબારી જેવા ખ્યાતનામ કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. આશરે 5000 લોકો એકસાથે બેસી શકે તેવા વિશાળ મંડપની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અન્નક્ષેત્ર અને સાધુઓ માટે વ્યવસ્થા મેળામાં આવતા ભક્તો માટે કુલ 221 અન્નક્ષેત્રો અને ઉતારા કાર્યરત રહેશે, જેમાં 136 મનપા હસ્તકની અને 85 વન વિભાગની જગ્યામાં હશે. આ ઉપરાંત, ભવનાથના દત્ત ચોક ખાતે વિશાળ યજ્ઞશાળા અને સાધુ-સંતો માટે 56 જેટલા ધુણાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જે શિવ ભક્તિનો અદભૂત માહોલ ઉભો કરશે. વીજળી અને પાણીની સુવિધા PGVCL દ્વારા વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે 20 નવા ટ્રાન્સફોર્મર અને 2 કિમીની અંડરગ્રાઉન્ડ લાઈન નાખવામાં આવી છે. કુલ 184 કર્મચારીઓ વીજ પુરવઠા પર નજર રાખશે. પાણી પુરવઠા માટે 140 સ્થળોએ શુદ્ધ પાણીના પોઈન્ટ્સ, 14 ટેન્કર અને 4 રિફિલિંગ પોઈન્ટ્સ તૈયાર છે. ભવનાથમાં આ વર્ષે 1340 જેટલી ફ્લડ લાઈટોથી ઝાકઝમાળ કરવામાં આવશે અને 20 એલઈડી સ્ક્રીન પર લાઈવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા રહેશે. આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન યાત્રિકોની સ્વાસ્થ્ય સુવિધા માટે 28 હંગામી દવાખાના અને 210 તબીબી સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક હાજર રહેશે. મેળામાં 10 સામાન્ય એમ્બ્યુલન્સ, 6 ‘108’ એમ્બ્યુલન્સ અને ભીડમાં ઝડપી પહોંચવા માટે 2 બુલેટ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. સ્વચ્છતા માટે 900 જેટલા સફાઈ કામદારો ત્રણ શિફ્ટમાં કાર્યરત રહેશે અને 118 હંગામી શૌચાલયોની સુવિધા ઉભી કરવામાં આવી છે. આધુનિક સુરક્ષા અને ડિઝાસ્ટર પ્લાન મેળામાં સુરક્ષા માટે ગિરનાર પર્વત પર 90 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કોઈ પણ ઈમરજન્સી માટે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને ફાયર ફાઈટરની 6 ટીમો તૈયાર રખાઈ છે. ‘ડમરૂ યાત્રા’ જે આ વર્ષનું નવું આકર્ષણ છે, તે 11 ફેબ્રુઆરીએ સાંજે 7 કલાકે યોજાશે, જેમાં સર્વ સમાજની દીકરીઓ કળશ લઈ સંતોનું સ્વાગત કરશે. આમ, વહીવટી તંત્ર દ્વારા આ વખતનો મહાશિવરાત્રી મેળો ભાવિકો માટે યાદગાર, સુરક્ષિત અને ભવ્ય બની રહે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
જામનગરના ટાઉનહોલ ખાતે નથુરામ ગોડસે પ્રેરિત નાટકના આયોજન સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, આયોજકો દ્વારા નાટક પહેલેથી જ રદ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો ટાઉનહોલ સર્કલ ખાતે એકઠા થયા હતા. તેઓના હાથમાં મહાત્મા ગાંધીજી અને ભારત માતાના પોસ્ટર તેમજ ગાંધીજીના હત્યારા ગોડસેના પોસ્ટર હતા. કાર્યકરો ટાઉનહોલના ગેટ સુધી પહોંચ્યા હતા. ટાઉનહોલના ગેટ પાસે શહેર કોંગ્રેસના કાર્યકરોએ 'મહાત્મા ગાંધી અમર રહો', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા. તેઓએ નથુરામ ગોડસે પ્રેરિત નાટકના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં શહેર પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષ નેતા ધવલ નંદા સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
ભાવનગર શહેર ભાજપના નવા સંગઠન અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં નવા સંગઠન માટે અગાવ ટીમોની રચના કરવામાં આવી હતી. પરંતુ ભાવનગર શહેર માટે કોઈ નિર્ણય ન લેવાતા કાર્યકરો અને પક્ષના સહયોગીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે મોડી સાંજે નવા હોદ્દેદારોની નિમણૂક યાદી જાહેર કરી છે. 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રીની નિમણૂંકનવી યાદી અનુસાર, ભાવનગર શહેર ભાજપના મુખ્ય હોદ્દેદારોમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી, યુવા મોરચા અને મહિલા મોરચાના પ્રમુખ-મહામંત્રી, કિશાન મોરચા, બક્ષીપંચ (ઓબીસી) મોરચા, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ મોરચા, લઘુમતી મોરચા સહિતના પ્રમુખ-મહામંત્રીઓનો સમાવેશ થાય છે. સાથે જ, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, આઇટી વિભાગ, મીડિયા વિભાગ અને સોસિયલ મીડિયા વિભાગના હોદ્દેદારોની પણ મોડી સાંજે યાદી જાહેર કરવામાં આવી છે. સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના સંગઠનમાં નવનિયુક્ત થયેલા તમામ હોદ્દેદારોને અભિનંદન અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી છે.
પોરબંદર: શહેરમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે કાર્યરત 'નેત્રમ' કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે ફરી એકવાર નાગરિકોને મદદ કરી છે. સુરતથી પોરબંદર આવેલા એક મહિલા પ્રવાસી રિક્ષામાં પોતાનો કિંમતી સામાન ભૂલી ગયા હતા, જે નેત્રમ સ્ટાફે સીસીટીવીની મદદથી શોધી કાઢી રિક્ષાચાલક મારફતે પરત અપાવ્યો હતો. મળતી વિગત મુજબ, સુરતના રહેવાસી અરજદાર નયનાબેન મોઢા તારીખ ૦૮/૦૨/૨૦૨૬ના રોજ સાંજે ૫:૩૦ થી ૬:૦૦ વાગ્યાના અરસામાં શહેરના લીમડા ચોકથી આરાધના ધામ સોસાયટી જવા માટે રિક્ષામાં બેઠા હતા. ઉતરતી વખતે ઉતાવળમાં તેઓ પોતાની બે બેગ, જેમાં લગ્નના કિંમતી કપડાં તથા અન્ય સામાન (કુલ અંદાજિત કિંમત રૂ. ૫૫૦૦/-) હતો, તે રિક્ષામાં જ ભૂલી ગયા હતા. પોતાનો સામાન ખોવાતા નયનાબેન તાત્કાલિક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. નેત્રમ સ્ટાફે વિલંબ કર્યા વિના 'VISWAS PROJECT' હેઠળના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું હતું. ઝીણવટભરી તપાસ દરમિયાન અરજદારે વર્ણવેલી રિક્ષા બાબુ ગોલાઇ વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી હતી. કેમેરામાં રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ25V4400 સ્પષ્ટ દેખાતા, નેત્રમ સ્ટાફે તુરંત જ રિક્ષા ચાલકનો સંપર્ક કર્યો હતો અને તેને નેત્રમ સેન્ટર ખાતે બોલાવ્યો હતો. રિક્ષા ચાલક નેત્રમ ખાતે આવતા, સામાનની ખરાઈ કરવામાં આવી હતી. ત્યારબાદ રિક્ષા ચાલક મારફતે જ નયનાબેનને તેમની બંને બેગ સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવી હતી. પોતાનો ખોવાયેલો સામાન ટૂંકા સમયમાં પરત મળતા નયનાબેન મોઢાએ પોરબંદર પોલીસ, નેત્રમ સ્ટાફ અને રિક્ષા ચાલકનો આભાર માન્યો હતો.
‘જસ્ટીસ ઇન્ડિયા’ રેન્કિંગમાં વર્ષ 2025માં ભાજપ શાસિત ગુજરાત સીધું 11માં સ્થાને પહોચી ગયું છે. આ રિપોર્ટને ટાંકીને ગુજરાત કોંગ્રેસે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેન્કરે કહ્યું કે, પોલીસ, ન્યાયપાલિકા, જેલ વ્યવસ્થા અને કાનૂની સહાય આ ચાર આધારસ્તંભો પર આધારિત આ અહેવાલ કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકૃત આંકડાઓ પરથી તૈયાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ દેશની ન્યાય વ્યવસ્થાનું તટસ્થ અને તથ્ય આધારિત મૂલ્યાંકન રજૂ કરે છે. આ અહેવાલમાં જુદા જુદા 102 જેટલા સૂચકોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પ્રથમ દસ રાજ્યોમાંય સ્થાન મેળવતું નથી. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ગુજરાત માટે આ અહેવાલ ચેતવણીની ઘંટડી સમાન છે. 'ભાજપ સત્તામાં નથી, ત્યાં ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ'આ અહેવાલ ભાજપ સરકારના “સુશાસન”ના દાવાઓને સંપૂર્ણપણે ખોટા સાબિત કરે છે. મોટા રાજ્યોમાં કર્ણાટક પ્રથમ ક્રમાંકે, આંધ્ર પ્રદેશ બીજા, તેલંગાણા ત્રીજા, કેરળ ચોથા અને તમિલનાડુ પાંચમા ક્રમાંકે છે. નાના રાજ્યોમાં સિક્કિમ પ્રથમ ક્રમાંકે, હિમાચલ પ્રદેશ બીજો ક્રમાંકે, અરુણાચલ પ્રદેશ ત્રીજા ક્રમાંકે, ત્રિપુરા ચોથા ક્રમાંકે, મેઘાલય પાંચમા ક્રમાંકે આવે છે. જે બતાવે છે કે જ્યાં ભાજપ સત્તામાં નથી, ત્યાં ન્યાય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ છે. ‘આ રેન્કિંગનો ઘટાડો નહીં પણ શાસનની નિષ્ફળતાનો પુરાવો’વર્ષ 2022માં ગુજરાત ચોથા સ્થાને હતું. જે વર્ષ 2025માં સીધું 11માં સ્થાને પહોંચી ગયું છે. આ માત્ર રેન્કિંગનો ઘટાડો નહીં, પરંતુ શાસનની નિષ્ફળતાનો પુરાવો છે. દેશભરમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી,મહિલા હેલ્પડેસ્ક જેવી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. વિવિધતા-ડાયર્વસિટી રેન્કમાં ગુજરાત માત્ર 4.81 સ્કોર સાથે 10માં સ્થાને આવે છે. આશરે 20.3 લાખ પોલીસ કર્મચારીઓમાંથી 1,000 થી પણ ઓછી મહિલાઓ ઉચ્ચ અધિકારી પદે છે. જે દર્શાવે છે કે “બેટી બચાવો” માત્ર નારા પૂરતું રહી ગયું છે. દેશભરમાં ન્યાયાધીશો અને સ્ટાફની મોટી ખાલી જગ્યા છે. ગુજરાતની રેન્કિંગમાં થયેલો ઘટાડો માત્ર આંકડો નથી,તે ભાજપ સરકારની ન્યાય વ્યવસ્થામાં માનવ સંસાધન, આયોજન અને ઈચ્છાશક્તિની નિષ્ફળતા દર્શાવે છે. ન્યાયપાલિકાનાં રેન્કિગમાં ગુજરાત 14માં ક્રમાંકેન્યાય કોઈ વિશેષાધિકાર નહીં તે દરેક નાગરિકનો અધિકાર છે ત્યારે ન્યાયપાલિકાનાં રેન્કિગમાં ગુજરાત 14માં ક્રમાંકે છે. ગરીબ માટે “ન્યાય પહેલાં સજા”ની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલ દર્શાવે છે કે કાનૂની સહાય માટે જે બજેટ ફાળવાય છે, પરંતુ તેનો પૂરતો ઉપયોગ થતો નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની ક્લિનિક અને પેરાલિગલ વોલન્ટિયરો ઘટી રહ્યા છે, પરિણામે ગરીબ નાગરિકો માટે ન્યાયના દરવાજા બંધ કરી રહ્યા છે. દેશભરમાં હાઈકોર્ટમાં માત્ર 14 ટકા મહિલા ન્યાયાધીશોમહિલાઓ, દલિતો, આદિવાસીઓ અને ગરીબ વર્ગને ન્યાય સુધી પહોંચવામાં હજુ પણ ભારે અવરોધો છે. દેશભરમાં હાઈકોર્ટમાં માત્ર 14 ટકા મહિલા ન્યાયાધીશો છે, જે દર્શાવે છે કે મહિલાઓને સમાન તક ઉપલબ્ધ નથી આ શરમજનક છે. ગુજરાતમાં હાઈકોર્ટ જજની 38.5, નીચલી કોર્ટનાં જજની 31.1 ટકા જગ્યાઓ ખાલી છે. મહિલા ન્યાયાધીશોનું પ્રમાણ આશરે 25 ટકા છે. પરંતુ નીચલી અદાલતોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ માત્ર 20 ટકા છે. હાઇકોર્ટનાં એક ન્યાયાધીશ પાસે સરેરાશ 4000થી વધુ કેસગુજરાત હાઇકોર્ટનાં એક ન્યાયાધીશ પાસે સરેરાશ 4000થી વધુ કેસ છે. મોટા પાયે ન્યાય તંત્રમાં કર્મચારીઓ- ન્યાયધીશની ઘટને કારણે ન્યાયમાં વિલંબ હવે વ્યવસ્થાગત સમસ્યા બની ગયો છે. એક દસકામાં ગુજરાતની જેલ 100 ટકાથી વધુ ભરાઈ છે. જેલોમાં ભારે ભીડ છે અને 26.2 ટકા કેદી અન્ડરટ્રાયલ છે. વર્ષો સુધી કેસ વિના જેલમાં રાખવામાં આવે છે. ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં સ્ટાફની 50 ટકા જગ્યા અને તપાસ અધિકારીઓની 35 ટકાથી વધુ જગ્યાઓ ખાલી હોવાને કારણે ગુજરાતે 20 ક્રમાંક સાથે તળિયાનું સ્થાન મેળવ્યું છે. જે રાજ્ય સરકારની અસંવેદનશીલતા દર્શાવે છે. તપાસ અધિકારીઓમાં એક પણ મહિલાને સ્થાન નથી. પોલીસ તંત્રમાં, ન્યાયપાલિકામાં અને માનવ અધિકાર આયોગમાં ખાલી જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવામાં આવે, કાનૂની સહાય વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે, ન્યાય વ્યવસ્થાને રાજકીય નિયંત્રણથી મુક્ત રાખવામાં આવે અને નાગરિકોને સરળતાથી ન્યાય મળેવી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
રાજકોટની એક મહિલા સાથે રીક્ષા ચાલકે પરિચય કેળવી બબ્બે વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. વાછકપર બેડી ગામના શખ્સે મહિલાને પોતાની રિક્ષામાં બેસાડ્યા બાદ મોબાઈલ નંબરની આપ લે કરી પ્રેમ જાળમાં ફસાવી હતી. જે બાદ પોતાના જન્મદિવસે મહિલાને ગામડે બોલાવી કેફી પીણું પાઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. જે પછી મહિલાએ સંબંધ તોડી નાખ્યા બાદ પણ આ શખ્સ ત્રણ દિવસ પહેલા મહિલાને માર મારી પિસ્તોલની અણીએ અપહરણ કરી ઇન્દોર લઈ ગયો હતો. જ્યાં પોતાના ઓળખીતાના ઘરે લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો. જે બાદ મહિલાને બગોદરા ઉતારી ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાએ હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મૂજબ, રાજકોટની એક 38 વર્ષીય મહિલા આજથી પાંચ વર્ષ પહેલા વાછકપર બેડી ગામમાં રહેતા હરેશ મોતી જાદવની રિક્ષામાં બેસી ઘરે આવી હોવાથી તેની સાથે પરિચય કેળવાયો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. ત્રણ વર્ષ પહેલા હરેશનો જન્મદિવસ હોવાથી તેને મહિલાને વાછકપર બેડી ગામે બોલાવી હતી. જ્યાં તેને પરાણે કેફી પીણું પીવડાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. જેથી મહિલાએ હરેશ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જે બાદ ત્રણ દિવસ પહેલા મહિલા રાજકોટના જુના એરપોર્ટની દિવાલ પાસે હતી ત્યારે હરેશ સફેદ કલરની ધસી આવ્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહિલાને માર મારી બળજબરીથી અપહરણ કરી ઈન્દોર લઈ ગયો હતો. જ્યાં મહિલાને પોતાના ઓળખીતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ કેફી પીણું પીવડાવી દેતા મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી. જે પછી હરેશે બીજી વખત મહિલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જ્યાંથી મહિલાને કારમાં લાવી બગોદરા ઉતારી દીધી હતી. જે સમયે આ શખ્સે મહિલાને ધમકી આપી હતી કે જો મારી સામે ફરિયાદ કરીશ તો આખા ખાનદાનને પતાવી દઈશ. જોકે આ મહિલાએ હિંમત દાખવી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરી છે.
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025–26 અંતર્ગત 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનને વેગ આપવા માટે વેરાવળના કે.સી.સી. મેદાન ખાતે 'સ્વદેશી મેળો–શોપિંગ ફેસ્ટિવલ–2026'નો પ્રારંભ થયો. કલેક્ટર એન.વી. ઉપાધ્યાય અને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે. આ સ્વદેશી મેળો તે દિશામાં એક પગલું છે. જે મહિલાઓ ઘરની બહાર જઈ પોતાના ઉત્પાદનો વેચી શકતી નથી, તેમને નિઃશુલ્ક સ્ટોલ ફાળવી બજાર સાથે સીધું જોડાણ પૂરું પાડવામાં આવ્યું છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, આ મેળામાં નાગરિકોને સ્વદેશી અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળશે. સારા ઉત્પાદનો ગ્રાહકોને આકર્ષશે અને લાંબા ગાળે કાયમી ગ્રાહકવર્ગ ઊભો થશે. આનાથી સ્વરોજગાર અને સ્થાનિક ઉદ્યોગોને મજબૂતી મળશે. નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચંદ્રિકાબહેન સિકોતરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સખી મેળા અને નારી મેળા જેવા પ્રયાસો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન મળ્યું છે. આ મેળો 08 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી 2026 સુધી સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ચાલશે. તેમાં કુલ 40 સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ગૌ આધારિત, આયુર્વેદિક અને પ્રાકૃતિક ઉત્પાદનોના 14 સ્ટોલ, હસ્તકલા-હોમ ડેકોર અને લિંપણ આર્ટના 07 સ્ટોલ, કાપડ અને વસ્ત્રોના 13 સ્ટોલ તેમજ ફાસ્ટ ફૂડના 06 સ્ટોલનો સમાવેશ થાય છે. કલેક્ટર સહિતના મહાનુભાવોએ સ્ટોલોની મુલાકાત લીધી અને સ્ટોલધારકોને પ્રોત્સાહન આપ્યું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોષી, ચીફ ઓફિસર દેવીબહેન ચાવડા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને નાગરિકો હાજર રહ્યા હતા.
ઘરેથી નીકળેલી કિશોરીનું પરિવાર સાથે મિલન:જોરાવરનગર પોલીસે SHE ટીમ, CWCની મદદથી કરાવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં 'બાળ સુરક્ષા અને POCSO અમલીકરણ' અભિયાન અંતર્ગત જોરાવરનગર પોલીસે એક કિશોરીને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. આ કામગીરી SHE ટીમ અને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (CWC)ની મદદથી પાર પાડવામાં આવી હતી. ગત 7 ફેબ્રુઆરી, 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન રતનપર રામજી મંદિર નજીક એક કિશોરી એકાંતમાં ઊભેલી મળી આવી હતી. પોલીસે તેની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે રાજકોટમાં રહેતી આ કિશોરીને તેની માતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે તે ઘરેથી નીકળી બસમાં બેસી સુરેન્દ્રનગર આવી પહોંચી હતી. સુરક્ષાના કારણોસર, પોલીસ ટીમે તાત્કાલિક કિશોરીને પોલીસ સ્ટેશન લાવી તેના માતા-પિતાનો સંપર્ક કર્યો. પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવતા, પોલીસે કિશોરી અને વાલીઓ વચ્ચે સમજાવટ કરી સુખદ સમાધાન કરાવ્યું હતું. અંતે, કિશોરીને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવી હતી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોહિલ, મહિલા હેડ કોન્સ્ટેબલ સોનલબેન અને મહિલા કોન્સ્ટેબલ મિતલબેન સહિતના સ્ટાફે ભાગ લીધો હતો.
નવસારી શહેરના વિરાવળ રીંગરોડ ચાર રસ્તા પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મારૂતિ ઓમની અને થાર ગાડી (GJ 15 CP 3893) વચ્ચે થયેલી આ ટક્કર બાદ થાર ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, વ્યસ્ત ગણાતા વિરાવળ રીંગરોડ ચાર રસ્તા પર પુરપાટ ઝડપે જતી થાર ગાડી અને મારૂતિ ઓમની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ થાર ગાડીના પાછળના ભાગમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ છુપાવેલો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નવસારી ટાઉન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને કબજે કરી પોલીસ મથકે ખસેડ્યા છે. દારૂની હેરાફેરી સ્પષ્ટ જણાતા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, તેની ડિલિવરી ક્યાં આપવાની હતી અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સામેલ છે. સ્થાનિક લોકોમાં એવી ચિંતા વ્યક્ત થઈ રહી છે કે દારૂ ભરેલા વાહનો પોલીસથી બચવા માટે બેફામ ગતિએ હંકારે છે, જે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટના નવસારી શહેરમાં થતી દારૂની હેરાફેરીનો સંકેત આપે છે. પોલીસે ફરાર થયેલા અથવા સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.
મહેસાણાના મગપરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વેપારીની અર્ટિગા કાર ભાડે રાખ્યા બાદ વિશ્વાસ કેળવી બારોબાર અન્ય વ્યક્તિને ગીરો પેટે પધરાવી દઈ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે ભાડે ગાડી રાખનાર બે શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભાડા પર કાર મેળવીને ગીરો મૂકી દીધીમહેસાણાના મગપરામાં રહેતા કનુજી મગાજી ઠાકોર રાધનપુર રોડ પર 'ખોડિયાર ટ્રાવેલ્સ' નામની એજન્સી ચલાવે છે. ગત નવેમ્બર માસમાં તેમના ડ્રાઈવર સંજયભાઈ પટેલ મારફતે ગોસ્વામી ભાવિકકુમાર (રહે. નુગર) અને અરવિંદભાઈ રમણભાઈ પ્રજાપતિ (રહે. બાયડ) એ સંપર્ક કર્યો હતો. આ બંને શખ્સોએ પોતાની જરૂરિયાત બતાવી વેપારી પાસેથી અર્ટિગા ગાડી નંબર GJ-02-DM-7876 રોજના રૂ 2,500 લેખે ભાડે લીધી હતી. શરૂઆતમાં બંનેએ સમયસર ભાડું ચૂકવીને વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. ભાડાની મુદત પૂરી થયા બાદ પણ કાર પરત ન મળતા ભાંડો ફૂટ્યોજોકે ભાડાની મુદત પૂરી થવા છતાં ગાડી પરત ન આવતા વેપારીએ તપાસ શરૂ કરી હતી. તા 11 ડિસેમ્બર 2025 ના રોજ ગાડી પરત લેવા માટે વેપારી હિંમતનગર પહોંચ્યા ત્યારે આરોપીઓએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વેપારીએ ગાડીમાં લાગેલા જીપીએસ GPS ટ્રેકરની મદદથી તપાસ કરતા ગાડી વડાલી તાલુકાના મેધ ગામે હોવાનું જાણવા મળ્યું હતું. વેપારી ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે આરોપી અરવિંદ પ્રજાપતિએ આ ગાડી પોતાની માલિકીની હોવાનું જણાવી વનરાજસિંહ ભાટી નામના શખ્સને રૂ 3,00,000 માં ગીરો વેચાણ દસ્તાવેજ કરી પધરાવી દીધી હતી. ભાડે રાખેલી ગાડી બારોબાર પધરાવી દઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનું જણાતા કનુજી ઠાકોરે આખરે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસમાં ભાવિકકુમાર ગોસ્વામી અને અરવિંદભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીના સિંધી કેમ્પ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર આંદોલનના અગ્રણી ડો. પ્રવિણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે સેંકડો યુવક-યુવતીઓને ત્રિશૂળ અને કટાર અર્પણ કરીને દીક્ષા આપવામાં આવી હતી. સંમેલન દરમિયાન સંબોધન કરતા ડો. પ્રવિણ તોગડિયાએ જમ્મુની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જમ્મુમાં વૈષ્ણોદેવી મંદિરે આવતા હિન્દુઓના દાનથી બે વર્ષ પહેલા એક મેડિકલ કોલેજ શરૂ કરાઈ હતી. આ કોલેજની 50 બેઠકોમાંથી 44 બેઠકો પર કાશ્મીરી મુસ્લિમોને પ્રવેશ અપાયો હતો. રાષ્ટ્રીય બજરંગ દળે આ અન્યાયનો વિરોધ કરીને મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી, જેને તેમણે હિન્દુઓની મોટી જીત ગણાવી. ડો. તોગડિયાએ ‘વીર હિન્દુ, વિજેતા હિન્દુ’ના સૂત્ર સાથે દેશભરમાં ત્રિશૂળ અને કટાર ધારણ કરવા, સ્વરક્ષણની તાલીમ આપવા અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમો તેજ કરવાની હાકલ કરી હતી. આ ઉપરાંત, તેમણે દરેક જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા અને હિન્દુઓની જનસંખ્યા વધારવા માટે પણ આહ્વાન કર્યું હતું. મોહન ભાગવતના જાતિવાદ અંગેના નિવેદન પર ટિપ્પણી કરવાનું ટાળતા ડો. તોગડિયાએ ભારપૂર્વક કહ્યું કે, આપણે સૌ હિન્દુ એક છીએ અને એક જ રહીશું. રામ મંદિર આંદોલન વખતે પણ આપણે એક હતા અને ભવિષ્યમાં પણ અખંડ રહીશું. તેમણે ગૌમાતાને વહેલી તકે 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ પણ દોહરાવી હતી. ડૉ. પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે, જમ્મુમાં હિંદુઓનું તીર્થ છે, જ્યાં એક કરોડ હિંદુઓ જાય છે. તે હિંદુઓના પૈસાથી બે વર્ષ પહેલાં એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી. આ કોલેજમાં મેડિકલની 50 બેઠકોમાંથી 44 બેઠકો પર કાશ્મીરના મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય બજરંગ દલે આનો વિરોધ કરીને મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી. આ હિંદુઓનો ઘણો મોટો વિજય છે.અમારો સંકલ્પ છે - 'વીર હિંદુ, વિજેતા હિંદુ'. આ સંકલ્પ હેઠળ સમગ્ર દેશમાં ત્રિશૂળ ધારણ, કટાર ધારણ, સ્વરક્ષણની તાલીમ અને શસ્ત્ર પૂજન જેવા કાર્યક્રમો યોજીને વીર હિંદુને વિજેતા બનાવવાનું અભિયાન રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આજે પણ ત્રિશૂળ અને કટાર ધારણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. મોહન ભાગવતજીના જાતિવાદ અંગેના નિવેદન પર હું કોઈ ટિપ્પણી નહીં કરું. હું માત્ર એટલું જ કહીશ કે 'હમ સબ હિન્દુ એક હૈ'. આપણે એક છીએ અને એક જ રહીશું. રામ મંદિર વખતે પણ આપણે એક હતા અને આગળ પણ એક જ રહીશું - પ્રવીણ તોગડિયાનું બસ આટલું જ કહેવું છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે વહેલી તકે જાહેર કરવી જોઈએ.
મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાલીયાસણા ગામની સીમમાં સફળ દરોડો પાડી નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે, બાલીયાસણા ગામની સીમમાં ભાસરીયા ચોકડી નજીક આવેલા કૌહવાળા આંટા વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ થઈ રહ્યું છે, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ખેતરના છાપરા ગાંજાનો જથ્થો રાખી તેનો વેપાર કરતોમહેસાણા એસ.ઓ.જી.ના પો.કો મહેશકુમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ઠાકોર મહેશજી જવાનજી નામનો શખ્સ પોતાના કબજા હેઠળના ખેતરમાં બનાવેલા કાચા છાપરામાં ગાંજાનો જથ્થો રાખી તેનો વેપાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એન.આર. વાઘેલાની ટીમ અને પંચોના માણસોએ બાલીયાસણાની સીમમાં બાતમીવાળી જગ્યાએ ઓચિંતી રેડ પાડી હતી. ગાંજાના જથ્થા સાથે શખ્સનો ઝડપ્યોપોલીસની તપાસ દરમિયાન ખેતરમાં આવેલા છાપરામાંથી 0.579 કિલોગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેની બજાર કિંમત આશરે 28,950 થતા પોલીસે 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન અને ગાંજો મળી કુલ 33950નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે આરોપી ઠાકોર મહેશજી જવાનજી વિરુદ્ધ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં એમેઝોનમાં ડિલિવરી કરતા ડિલિવરી બોયે પાર્સલમાં ડમી મોબાઇલ મૂકીને 2 આઇફોન આઇફોન 17 પ્રો અને એપલ કંપનીના એરપોડ્સ ચોરી કરી લીધા હતાં. આ મામલે લક્ષ્મીપુરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ડિલિવરી બોયની ધરપકડ કરી છે અને તેની પાસેથી એક આઈફોન મોબાઈલ જપ્ત કર્યો છે. જ્યારે જ્યારે બીજો આઇફોન અને એપલ કંપનીના એરપોડ્સ તેના મિત્રને આપ્યા છે. લક્ષ્મીપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારની સહકાર સોસાયટીમાં રહેતા અશોક ગોરધનભાઈ પરમાર (ઉંમર 47)એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ લક્ષ્મીપુરા રોડ પર આવેલા નંદીશ પેલેશ ખાતે 'રોયલ ગ્રાફિક્સ ડિઝાઇન' નામની દુકાન ચલાવે છે. આ ઉપરાંત તેઓ એમેઝોન કંપનીના સંકલનમાં રહીને ડિલિવરી સ્ટોર પણ ચલાવે છે. તેમની ઓફિસમાંથી લક્ષ્મીપુરા, સુભાનપુરા તેમજ ન્યુઅલકાપુરી વિસ્તારમાં એમેઝોનના પાર્સલની ડિલિવરી કરવામાં આવે છે. તેમની સાથે મનોજભાઈ શાહ અને મનોજકુમાર સોલંકી નામના બે અન્ય વ્યક્તિઓ પણ આ કામમાં જોડાયેલા છે. ડિલિવરી બોય સવારે ઓફિસે આવીને ઓનલાઇન પાર્સલ લઈ જાય છે અને એમેઝોનની 'એમેઝોન ફ્લેક્સ' એપ્લિકેશન દ્વારા ડિલિવરી કરે છે. તા. 02/02/2026ના રોજ એમેઝોન કંપનીના એસ.એલ.પી. રાહુલ જાપડા અને સી.ટી.એલ. કમલેશ મેઘા તેમની ઓફિસે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ઓફિસમાં કામ કરતા મનોજ સોલંકીએ એમેઝોનના ત્રણ ઓર્ડરની ડિલિવરી કરી નથી. આ ઓર્ડરના પાર્સલ એમેઝોન અધિકારીઓની રૂબરૂમાં મોબાઇલ બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાં ડમી (ડુપ્લિકેટ) મોબાઇલ મળી આવ્યા હતા. એમેઝોનના સોફ્ટવેર દ્વારા જનરેટ થયેલા બિલની તપાસમાં જાણવા મળ્યું હતું કે, 27,101 રૂપિયાની કિંમતના એરપોડ્સ, 1,14,322 રૂપિયા ની કિંમતનો આઇફોન 17 પ્રો અને 1,14,322 રૂપિયાની કિંમતનો આઇફોન 17 પ્રોના પાર્સલ મનોજકુમાર સોલંકી (રહે. એફ.સી.આઇ. ગોડાઉન પાછળ, ઝાલોર સીટી, રાજસ્થાન) દ્વારા ડિલિવરી માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેનો સંપર્ક કરતાં તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. આ ઘટનામાં મનોજકુમાર સોલંકીએ એમેઝોનના મૂળ પાર્સલને બદલે ડમી/નકલી વસ્તુઓ ડિલિવર કરીને છેતરપિંડી કરી હતી. લક્ષ્મીપુરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આરોપી મનોજ સોલંકીની લક્ષ્મીપુરા પોલીસને ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં રાષ્ટ્રીય શતાબ્દી વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું આ સંમેલનમાં ભારે સંખ્યામાં હિન્દુ યુવકો એકત્ર થયા હતા આ સંમેલનનો મુખ્ય હેતુ સમગ્ર હિન્દુ સમાજને એક કરવા અને સામાજિક સમરસતા આવે તેના પ્રયાસો કરવા અને હિન્દુ સમાજના યુવાનો કુસંગતે ના ચઢી જાય તેમ જ આ દેશના ર્યાવરણનુ જતન કરવું અને આપણી સંસ્કૃતિને વધુ મજબૂત કરવાનો હતો. '500થી વધુ સંમેલનો કરવામાં આવશે'RRSના વક્તા હરે ક્રિષ્ના શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, અહીં જે રીતે વિરાટ હિન્દુ એકતા સંમેલન આયોજન કરવામાં આવ્યું છે. આવા સંમેલન આખા સુરતમાં 500થી વધુ કરવામાં આવશે. આ સંમેલનો આર્થિક અને સામાજિક રીતે પસ્તા પછાત વિસ્તારમાં કરવામાં આવી રહ્યા છે. કારણ કે, અત્યારે સામાજિક સમરસતાની ખૂબ જ જરૂરિયાત છે અને લોકો તે તરફ આગળ વધે અને સાથે આવા વિસ્તારોમાં વ્યસનો અને કુટેવથી લોકો પીડાતા હોય છે. જેમને આ પીડામાંથી મુક્ત કરાવા મહિલાઓ દ્વારા 170 કેન્દ્ર ચાલુ કરી હિન્દુ ધર્મના મૂલ્યને સાચવી રાખે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજના યુવાનો વીરતાને બદલે વ્યસન તરફ જાય છે અથવા તો મહાસંયમને બદલે મોબાઈલ અને સોશિયલ મીડિયાના અસંયમ તરફ જાય છે તે બધા આ બધી વસ્તુથી દૂર થાય તેવા સામાજિક સુધારણા કાર્યક્રમો કરવા તે આ સંમેલનનો હેતુ હતો. લવજેહાદ વિશે શાસ્ત્રીજી શું બોલ્યાં?લવ જેહદ વિશે વાત કરતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, લવ જેહાદ માટે પણ આરએસએસ દ્વારા ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. તેમાં કોઈની સાથે વહી મનુષ્ય રાખીને કાર્યવાહી કરવામાં આવતી નથી. પરંતુ પીડિત મહિલાના પરિવારની ફરિયાદને ધ્યાને લઈ આરએસએસ દ્વારા તેમને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ‘ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવા સમયે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી’ધર્મ પરિવર્તન વિશે વાત કરતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, લોકોને પોતાની મરજીથી જે ધર્મ સ્વીકારવો હોય તે પોતાનો સંવિધાનિક અધિકાર છે. પરંતુ જ્યારે કોઈ લાલચ આપી લોભ આપી અથવા તો જે લોકોને કોઈ હિન્દુત્વનું કે પછી કોઈ બીજું જ્ઞાન નથી તે લોકોને ધર્મ પરિવર્તન કરાવતા હોય તેવા સમયે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે.
હિંમતનગરમાં કારનું ટાયર ફાટતા પલટી:સ્વામી વિવેકાનંદ સર્કલ પર અકસ્માત, એકને ઈજા
હિંમતનગરના મહેતાપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ પર આજે બપોરના સમયે એક કારનું ટાયર ફાટતા તે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, વિજાપુર તરફથી હિંમતનગર આવી રહેલી કારનું ચાલક તરફનું આગળનું ટાયર સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે ફાટ્યું હતું. કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પલટી ગયેલી કારને ક્રેન વડે હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ટાઉન પોલીસે ગેરકાયદેસર શંકાસ્પદ ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોડાસાથી ગોધરા તરફ જતી એક સ્વીફ્ટ કારમાંથી આશરે 459 કિલો માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, કારચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન (IPS) દ્વારા પ્રોહીબીશન અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એસ. વળવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ વોચ ગોઠવી રહી હતી. આ દરમિયાન ASI વિરેન્દ્રસિંહને ખાનગી બાતમીદારથી માહિતી મળી હતી કે, GJ-06-HL-7361 નંબરની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ગાડીમાં મોડાસાથી ગેરકાયદેસર માંસ ભરીને ગોધરા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે ટાઉન પોલીસ ટીમ રાત્રિના સમયે લીમ્બોદ્રા ગામે મોડાસાથી લુણાવાડા તરફ આવતા હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈશારો કર્યો હતો. પરંતુ સ્વીફ્ટ ગાડીના ચાલકે ગાડી ધીમી પાડી એકદમ ઝડપથી મોડાસા રોડ તરફ ભગાવી દીધી હતી. પોલીસે તેનો પીછો કરતા, લીમ્બોદ્રા સુધી પહોંચતા સ્વીફ્ટ ગાડી મહીસાગર નદી તરફ જતા આર.સી.સી. રોડની સાઈડમાં ઉતારી દઈ ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલીસે પંચોને સાથે રાખીને ગાડીને ટોઈંગ કરીને લુણાવાડા પોલીસ સ્ટેશન લાવી હતી. પશુ દવાખાના લુણાવાડાના વેટરનરી અધિકારી કૃષ્ણરાજસિંહ ચૌહાણને બોલાવીને તપાસ કરતા, અલગ અલગ મીણીયા થેલીઓમાં ભરેલો 459 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 91,800 રૂપિયા છે. આ ઉપરાંત, 1,50,000 રૂપિયાની કિંમતની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ગાડી (GJ-06-HL-7361), 3,000 રૂપિયાની કિંમતનો એક ઓપ્પો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન (બંધ હાલતમાં), 100 રૂપિયાની કિંમતના લાકડાના હાથામાં ફીટ કરેલા 2 કુહાડા અને એક કાળા કલરની પ્લાસ્ટિકની તાડપત્રી મળી કુલ 2,44,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. લુણાવાડા પોલીસે આ અંગે જાણવાજોગ જાહેરાત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં આવેલી સર્વોતમ ડેરીના પાર્કિંગમાં એક આધેડ મોડી રાત્રે ઘરેથી બહાર નીકળી ગયા બાદ પાર્કિંગમાં સુતા હતાં. તે દરમિયાન લક્ઝરી બસના ચાલકે તેમને અડફેટે લેતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં વરતેજ પોલીસ તેમજ મૃતકના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યારે આ બનાવ અંગે વરતેજ પોલિસે અજાણ્યા લકઝરી બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આધેડ ઘરેથી નીકળીને હોટલે ગયા ને જીવ ગયોમળતી વિગત અનુસાર, ભાવનગર શહેર નજીકના સીદસર ગામે વાળુકડ રોડ પર 25 વારીયામાં રહેતા અનિલ બાવભાઈ પરમારે અજાણ્યા લક્ઝરી બસના ચાલક સામે ફરીયાદ નોંધાવી છે. તેના (બાપુજી) બાવભાઈ વલ્લભભાઈ પરમાર ગત મોડી રાત્રીના એકાદ વાગ્યાના અરસા દરમિયાન ઘરેથી નીકળી તેના ઘર પાસે આવેલી ધીરુભાઈની ચામુંડા હોટલે ગયા હતાં. સૂતેલા આધેડને અડફેટે લેતાં ઘટનાસ્થળે મોત થયુંત્યારબાદ સિદસર રોડ પર આવેલી સર્વોતમ ડેરી પાસે હાઈવે ઉપર પાર્કિંગવાળી જગ્યામાં આધેડ સુઈ ગયા હતાં. તે નિંદ્રાધિન હતા તે સમયે કોઈ અજાણ્યા લક્ઝરી બસના ચાલકે પોતાની બસ બેફિકારઈ પુર્વક અને ગફલત ભરી રીતે બસ ચલાવીને આધેડને અડફેટે લીધા હતાં. જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જે મોત થયું હતું. મૃતદેહને પીએમમાં ખસેડાયોઆ બનાવની જાણ વહેલી સવારે થતા મૃતકના પરિવારજનો અને વરતેજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. અને પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બસચાલક સામે ગુનો નોંધાયોજ્યારે ફરીયાદ અનુસંધાને વરતેજ પોલીસે અજાણ્યા લકઝરી બસના ચાલક સામે બીએનએસ એક્ટ 106(1), 281, 125(a), 125(b), મોટર વાહન અધિનિયમ 177, 184, 134, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 21 લોકોને રૂ. 8.18 લાખ પરત અપાવ્યા છે. આ કાર્યવાહી દ્વારા પીડિતોને મોટી રાહત મળી છે. જૂન મહિનામાં બોટાદ જિલ્લાના કુલ 21 લોકો સાથે રૂ. 20.81 લાખની સાયબર છેતરપિંડી થઈ હતી. આ ગુનાઓમાં એટીએમ, લોન, લોટરી, જોબ ફ્રોડ, શોપિંગ ફ્રોડ અને આર્મીના નામે કરાયેલા ફ્રોડનો સમાવેશ થાય છે. બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે સક્રિયતા દાખવીને આ કેસોમાં તપાસ હાથ ધરી હતી. પોલીસની સમયસર કાર્યવાહીને કારણે ગુમાવેલા નાણાંનો મોટો હિસ્સો પરત મેળવવામાં સફળતા મળી છે. સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકોને પોતાના રૂપિયા પરત મળતા તેમણે બોટાદ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર માન્યો હતો.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ખાતે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ ઉત્સવ ઉજવાયો હતો. શીલ આઈટીઆઈ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ અંદાજે રૂ. 99 લાખના ખર્ચે સાકાર થનારા 44 જેટલા વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં જનસુખાકારી માટે રૂ. 22.77 લાખના 11 કામોના ખાતમુહૂર્ત અને રૂ. 76.51 લાખના ખર્ચે પૂર્ણ થયેલા 33 કામોના લોકાર્પણનો સમાવેશ થાય છે. સેવા સેતુ અને મેડિકલ કેમ્પ દ્વારા જનસેવા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રસંગે સેવા સેતુ કાર્યક્રમ અને વિશાળ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું, જેનો શીલ, સાંગાવાડા, લોએજ અને બામણવાડા સહિતના 10 જેટલા ગામોના નાગરિકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સ્થળ પર જ 1,830 જેટલા લાભાર્થીઓને 56 જેટલી વિવિધ સરકારી સેવાઓનો લાભ પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ યોજનાઓની જાણકારી આપતા 15 જેટલા માહિતી સ્ટોલ્સ પણ ઊભા કરાયા હતા. સરકારી યોજનાઓથી સામાન્ય માનવીનું જીવન બદલાયું કેન્દ્રીય મંત્રીએ આ તકે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની સંવેદનશીલ નીતિઓને કારણે સામાન્ય માનવીના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે આયુષ્યમાન ભારત, ઉજ્જવલા યોજના, પીએમ-કિસાન અને મત્સ્ય સંપદા યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી માછીમારો અને ખેડૂતોની આર્થિક સુરક્ષા પર ભાર મૂક્યો હતો. તેમણે તાજેતરની અતિવૃષ્ટિ બાદ ખેડૂતો માટે જાહેર કરાયેલા 10,000 કરોડના પેકેજની પ્રશંસા કરતા કહ્યું કે, સરકાર કર્તવ્ય ભાવથી જનતાની સેવા કરી રહી છે. ખેલાડીઓ અને લાભાર્થીઓનું સન્માન કાર્યક્રમ દરમિયાન મંત્રીના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને હુકમ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર સ્થાનિક ખેલાડીઓને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, દેવાભાઈ માલમ, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, આસિસ્ટન્ટ કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતના રમતગમત ક્ષેત્રને પાયાથી મજબૂત કરવાના હેતુ સાથે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ 2026-27 માટે 'જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ' (DLSS) માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ જૂનાગઢના સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ ખાતે આગામી 10 અને 11 February ના રોજ વિશેષ ‘બેટરી ટેસ્ટ’ યોજાશે. રમતગમત પ્રત્યે રુચિ ધરાવતા નાના બાળકોને નાનપણથી જ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે આ એક મહત્વનું કદમ છે. કોણ ભાગ લઈ શકશે?ખેલ મહાકુંભ-2025 માં Under-9 અને Under-11 વયજૂથમાં વિજેતા થયેલા ખેલાડીઓ આ કસોટીમાં ભાગ લઈ શકશે. જૂનાગઢ જિલ્લાના 9 તાલુકા અને મહાનગરપાલિકાના 8 ઝોનમાંથી 30 meter દોડ, 50 meter દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ જેવી સ્પર્ધાઓમાં 1 થી 8 ક્રમાંક મેળવનાર ભાઈઓ-બહેનો આ ટેસ્ટ માટે પાત્ર ઠરે છે. શિડ્યુલ મુજબ, 10 February 2026 ના રોજ બહેનો માટે અને 11 February 2026 ના રોજ ભાઈઓ માટે ટેસ્ટ લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયા અને આકર્ષક સુવિધાઓજિલ્લાકક્ષાની આ ટેસ્ટમાં મેરિટમાં આવનાર ખેલાડીઓને રાજ્યકક્ષાએ કૌશલ્ય બતાવવાની તક મળશે. અંતિમ પસંદગી પામેલા રમતવીરોને નિષ્ણાત કોચ દ્વારા સવાર-સાંજ વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવશે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે પસંદ થયેલા ખેલાડીઓને નિવાસી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ, પૌષ્ટિક ભોજન, રહેઠાણ, પુસ્તકો અને સ્ટેશનરી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટ, ગણવેશ અને વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેનું એક્સપોઝર પણ વિનામૂલ્યે મળશે. જિલ્લા રમત વિકાસ અધિકારી ભૂષણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, વધુ માહિતી માટે ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંપર્ક નંબર 78599 46984 પર સંપર્ક કરી શકે છે.
નવસારી જિલ્લાના ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી 50 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ ઝડપી પાડી છે. મુંબઈથી અમદાવાદ જઈ રહેલા એક આઈશર ટેમ્પોમાંથી આ રકમ મળી આવી હતી, જે સુરત, અમદાવાદ અને રાજકોટ મોકલવાની હતી. ચીખલી પોલીસ સ્ટેશનના PSI એફ.એચ. પટેલ અને તેમની ટીમ નેશનલ હાઈવે નંબર-48 પર પ્રોહિબિશન પેટ્રોલિંગ કરી રહી હતી. ચીખલી ચાર રસ્તા હાઈવે ઓવરબ્રિજ પાસે વલસાડ તરફથી આવતો TS-11-UC-7630 નંબરનો એક અશોક લેલન ટેમ્પો શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક ગૌરીશંકર શ્યામસિંઘ પરમાર અને ક્લીનર પ્રમોદસિંહ પરમારની પૂછપરછ કરી ટેમ્પોની તલાશી લીધી હતી. તપાસ દરમિયાન, ટેમ્પોમાં ભરેલા પાર્સલો પૈકી ચાર મીણીયા થેલામાંથી ભારતીય ચલણી નોટોના બંડલો મળી આવ્યા હતા. ડ્રાઈવરે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે તે 'સૂર્યા લોજીસ્ટિક્સ' મુંબઈમાં નોકરી કરે છે અને આ પાર્સલો સુરત, અમદાવાદ અને રાજકોટની ઓફિસે પહોંચાડવાના હતા. પોલીસે ટેમ્પોમાંથી મળેલા આશરે 30 જેટલા નાના-મોટા પાર્સલો ખોલીને ગણતરી કરતા કુલ 50 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ રકમમાં 10 રૂપિયાના દરની 2.28 લાખ નોટો (22.80 લાખ રૂપિયા), 20 રૂપિયાના દરની 1.16 લાખ નોટો (23.20 લાખ રૂપિયા) અને 50 રૂપિયાના દરની 8,000 નોટો (4 લાખ રૂપિયા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 2,000 રૂપિયાના દરની 18 બંધ થયેલી નોટો પણ મળી હતી. આ રોકડ અંગે ટ્રાન્સપોર્ટ મેનેજર કનુભાઈ પરસોત્તમદાસ પટેલ (રહે. વાપી) પાસે કોઈ દસ્તાવેજી પુરાવા ન હોવાથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ-106(1) હેઠળ રોકડ જપ્ત કરી છે. પોલીસે આ મામલે ઇન્કમ ટેક્સ (આયકર) વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. હાલ ટેમ્પો અને અન્ય સામાન શરતી રીતે મુક્ત કરવામાં આવ્યો છે, જ્યારે ડ્રાઈવર, ક્લીનર અને મેનેજરને તપાસમાં સહકાર આપવા સૂચના અપાઈ છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
જૂનાગઢના આંગણે યોજાનાર ભવ્ય મહાશિવરાત્રિ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ગિરનાર રોપ-વે મેનેજમેન્ટે ખુશખબર આપી છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ, મેળા દરમિયાન યાત્રિકોને રોપ-વેની ટિકિટમાં ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઓફર અંતર્ગત ભાવિકો માત્ર 630 (GST સહિત) રૂપિયાના રાહત દરે ગિરનારની યાત્રા કરી શકશે, જે સુગમ અને સુરક્ષિત પ્રવાસની તક પૂરી પાડશે. સમય અને તારીખની મર્યાદા આ વિશેષ ઓફર 11 to 15 February 2026 દરમિયાન માન્ય રહેશે. યાત્રિકો દરરોજ સવારે 07:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકશે. જોકે, સાંજે 04:00 વાગ્યા પછી માત્ર એક તરફની ટિકિટ જ આપવામાં આવશે. આ પાવન પર્વ પર મહત્તમ ભક્તો ગિરનારની ટોચે બિરાજતા દેવાધિદેવના દર્શન કરી શકે તે હેતુથી આ આકર્ષક યોજના અમલમાં મૂકવામાં આવી છે.
વલસાડ બ્રિજ નીચેથી વ્યક્તિનો મૃતદેહ મળ્યો:JCBની મદદથી બહાર કઢાયો, પોલીસે તપાસ શરૂ કરી
વલસાડના પારનેરા હાઇવે પર આવેલા ચંદ્રમોલેશ્વર બ્રિજ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા રવિવારે ચકચાર મચી ગઈ હતી. 8 ફેબ્રુઆરીના રોજ વલસાડ રૂરલ પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બ્રિજના પિલરમાં ઘર બનાવી રહેલા યુવકની લાશ કુદરતી રીતે મૃત્યુ પામેલી હાલતમાં મળી હતી. સ્થાનિક યુવકો કિરણ પટેલ અને પ્રતીક પટેલે વલસાડ રૂરલ પોલીસને આ અંગે જાણ કરી હતી. મૃતદેહ ઊંડાણવાળા અને મુશ્કેલ સ્થળે હોવાથી તેને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. આથી, વલસાડ રૂરલ પોલીસે JCB મશીનની મદદ લીધી હતી. લગભગ ત્રણ કલાકની જહેમત બાદ JCBની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકનું નામ વિરન પટેલ છે. તેઓ છેલ્લા સાત વર્ષથી એક મહિલા સાથે ચંદ્રમોલેશ્વર બ્રિજ નીચે રહેતા હતા. ગત રાત્રે સૂઈ ગયા બાદ સવારે તેઓ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી ચાલુ છે. વલસાડ રૂરલ પોલીસ દ્વારા અકસ્માતજન્ય કે અન્ય કારણોસર મૃત્યુ થયું છે કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 12 February 2026 ના રોજ રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે એક ભવ્ય ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સરદારપરા સ્થિત માતૃશ્રી જે.એસ.ગોધાણી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. આ મેળામાં 18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા અને SSC, ITI, ડિપ્લોમા, સ્નાતક કે અનુસ્નાતક થયેલા ઉમેદવારો ભાગ લઈ શકશે. નામાંકિત કંપનીઓ લેશે ઇન્ટરવ્યૂ આ ભરતીમેળામાં દાવત બેવરેઝીસ, સીનોવા ગીયર્સ, અદિતી ટોય્ઝ, એચ.ડી.એફ.સી. લાઇફ ઇન્સ્યુરન્સ અને એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યુરન્સ જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ હાજર રહેશે. આ ઉપરાંત રિલાયન્સ નિપ્પોન, સ્ટાર હેલ્થ અને પરફેક્ટ ઓટો સર્વિસ જેવી સંસ્થાઓ પણ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેશે. રાજકોટ અને જૂનાગઢના અનેક નોકરીદાતાઓ એક જ સ્થળે ઉપસ્થિત રહીને યુવાનોને કારકિર્દી ઘડવાની તક પૂરી પાડશે.
લીમખેડા તાલુકાના ઝેરજીતગઢ ગામ પાસે આવેલા એક અંડરપાસમાં આજે એક બોરવેલની ગાડી ફસાઈ ગઈ હતી. આ ઘટનાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ અંડરપાસ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોરના નિર્માણ સમયે ફુલપરીથી ઉસરા ગામને જોડતા નેશનલ હાઇવે પર સ્થાનિકો માટે બનાવાયો હતો. ગામમાં પાણીની સુવિધા માટે બોલાવાયેલી બોરવેલની ગાડી અંડરપાસમાંથી પસાર થતી વખતે તેની ઊંચાઈ વધુ હોવાથી છતના ભાગે અથડાઈને ફસાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, અંડરપાસની ઊંચાઈ ટેકનિકલ માપદંડો કરતાં ઓછી હોવાને કારણે આ દુર્ઘટના બની હતી. ગાડી ફસાવાને કારણે અંડરપાસની ઉપરની છતના સ્લેબને પણ નુકસાન થયું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ અંડરપાસની ઊંચાઈ ઓછી હોવાથી મોટા વાહનો વારંવાર ફસાય છે. અકસ્માતની જાણ કરાયા બાદ પણ બે કલાકથી વધુ સમય સુધી હાઇવે ઓથોરિટીનો કોઈ કર્મચારી કે અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા નહોતા. આ અંગે ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી. આ સમસ્યા અંગે ગ્રામજનો દ્વારા અગાઉ સ્થાનિક નેતાઓ અને જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. ગ્રામજનોએ માંગ કરી છે કે અંડરપાસની ઊંચાઈ તાત્કાલિક વધારવામાં આવે અથવા મોટા વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તો પૂરો પાડવામાં આવે.
ગોધરા વોર્ડ 7 મેદા પ્લોટમાં ગટરના પાણીનો ભરાવો:મસ્જિદ નજીક ગંદકીથી નમાજીઓ અને સ્થાનિકો પરેશાન
ગોધરા નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓ વચ્ચે શહેરના વોર્ડ નંબર 7 માં આવેલા મેદા પ્લોટ વિસ્તારમાં ગટર લાઈનની ગંભીર સમસ્યા સર્જાઈ છે. મુખ્ય માર્ગ પર ભૂગર્ભ ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેદા પ્લોટમાં આવેલી મહેબૂબ મસ્જિદ પાસેના મુખ્ય રોડ પર છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. ગટરનું દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર ફરી વળતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ છે. આ ગંદકી મહેબૂબ મસ્જિદની બિલકુલ નજીક હોવાથી, ઇબાદત માટે આવતા નમાજીઓને પવિત્રતા જાળવવામાં અને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર સ્થાનિક રહીશો જ નહીં, પરંતુ અહીંથી પસાર થતા વાહનચાલકો પણ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિને કારણે અકસ્માત અને રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા નગરપાલિકાને આ ગટર લાઈનનું વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ગંદકી અને તેનાથી થતી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે.
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચે કડી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમો જ્યારે જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે શિવાલા સર્કલ પાસેથી એક શંકાસ્પદ કાર સાથે વડોદરાના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલી કાર સહિત કુલ 2,50,150નો મુદ્દામાલ કબજે કર્યો છે. કારની તપાસ કરતા ચોર કરવાનો સામાન મળ્યોએલ.સી.બી.ના પીએસઆઈ એન.પી. પરમાર,એ.ડી. કાકરેચા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, એક બ્લ્યુ કલરની ફોર્ડ ફિગો ગાડી નંબર GJ-06-FC-4048 નંદાસણ તરફથી મહેસાણા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે શિવાલા સર્કલ પાસે વોચ ગોઠવી ગાડીને અટકાવવામાં આવી હતી. જેમાં બેઠેલા નયનકુમાર વિઠ્ઠલભાઈ માળી (રહે. વડોદરા)ની તપાસ કરતા તેના ખિસ્સામાંથી 50,000 રોકડા મળી આવ્યા હતા. ગાડીની તલાશી લેતા અંદરથી ચોરી કરવા માટે વપરાતા લોખંડના સળિયા, કોશ અને હાથના મોજા મળી આવ્યા હતા. ઓળખ છુપાવવા માટે માથા પર 'વિગ' પહેરીને ઘરફોડ ચોરી ઝડપાયેલા આરોપીની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેણે અન્ય ચાર સાગરીતો ગુરમુખસીંગ બાવરી, તારાસિંગ બાવરી (બંને રહે. વડોદરા) અને દિલેરસિંગ સરદાર તથા કરણસિંહ ટાંક (બંને રહે. કલોલ) સાથે મળીને દોઢ મહિના અગાઉ કડીમાં એક બંધ મકાનનું તાળું તોડી ચોરી કરી હતી. આ ટોળકી અત્યંત શાતિર હોવાનું બહાર આવ્યું છે. તેઓ રાત્રિના સમયે મોઢા પર રૂમાલ બાંધી હાથમાં મોજા પહેરી અને ઓળખ છુપાવવા માટે માથા પર 'વિગ' પહેરીને ઘરફોડ ચોરી કરવાની ટેવવાળા છે. અન્ય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાનમહેસાણા પોલીસે હાલ નયનકુમાર માળીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ ગુનામાં સામેલ અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટમાંથી ચાર દિવસ પહેલા થયેલી 125 કિલો ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મહેસાણાથી એક શખસને 40 કિલો ચાંદી સાથે ઝડપી પાડ્યો છે. ચોરીનો અન્ય માલ અન્ય આરોપી પાસે હોય ક્રાઈમ બ્રાંચની એક ટીમે સુરત-વડોદરા તરફ તપાસ હાથ ધરી છે. ચાર દિવસ પહેલા રાજકોટના ચંપકનગરમાંથી 125 કિલો ચાંદીની ચોરી થઈ હતીપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાજકોટના સોના-ચાંદીના વેપારી અતુલ પટેલે પોતાના મિત્ર બીપીનભાઈના ઘરમાં સવાસો કિલો ચાંદી સુરક્ષિત રાખી હતી. આ ઘર રાજકોટના ચંપકનગર વિસ્તારમાં આવેલું છે. જોકે તસ્કરોને ચાંદી હોવાની માહિતી મળતાં તેમણે બીપીનભાઈના ઘરમાં ઘુસી સવાસો કિલો ચાંદીની ચોરી કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચનું મહેસાણામાં ઓપરેશનઆ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરી કરેલી ચાંદીનો જથ્થો મહેસાણા ખાતે વેચવા માટે લઈ જવામાં આવી રહ્યો છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે માર્ગમાં ચેકિંગ ગોઠવી કાર્યવાહી કરી હતી અને 40 કિલો ચાંદી સાથે એક આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. ચોરીમાં ગયેલો અન્ય માલ નાસતા ફરતા આરોપી પાસે હોવાની શક્યતાપોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ફરાર છે. જેને પકડવા માટે સુરત અને વડોદરામાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ચોરીના કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.પોલીસે પ્રદીપ અને કમલેશ ને ઝડપી લીધા છે
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ કોડીનાર તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે ખાટલા બેઠકોના માધ્યમથી ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો, જે સરકારના ગામડાં સુધી પહોંચવાના સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડે છે. સરખડી, વેલણ, છારા અને અરણેજ સહિતના ગામોમાં આ ખાટલા બેઠકો યોજાઈ હતી. મંત્રી વાજાએ આ બેઠકોમાં સરકારની ગ્રામીણ કલ્યાણ નીતિઓ અને વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અંતર્ગત વીબી-જી રામજી અધિનિયમ–2025 વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોના પ્રશ્નો, સૂચનો અને અપેક્ષાઓ ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા. મંત્રી ડૉ. વાજાએ જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીના સ્વરાજનો મૂળ વિચાર ગામડાંના સશક્તિકરણ સાથે સંકળાયેલો છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ના વિઝનને સાકાર કરવા માટે દરેક ગામ આત્મનિર્ભર અને રોજગારક્ષમ બને તે અત્યંત જરૂરી છે. આ દિશામાં વીબી-જી રામજી કાયદો ગ્રામીણ ભારત માટે ઐતિહાસિક સાબિત થશે. આ કાયદા હેઠળ, ગ્રામીણ પરિવારો માટે રોજગારીની મર્યાદા 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે આજીવિકાની મજબૂત ગેરંટી પૂરી પાડે છે. કાયદામાં બેરોજગારી ભથ્થું, વિલંબિત ચુકવણી માટે વળતર, અને ખેતીકામના મોસમ દરમિયાન બે મહિના માટે કામ સ્થગિત રાખવાની જોગવાઈ પણ સામેલ છે, જે તેને વધુ વ્યવહારુ બનાવે છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકાર જળ સંરક્ષણ, ગ્રામીણ માળખાગત વિકાસ, આજીવિકા વધારતા કામો અને આબોહવા પરિવર્તન સામેના સુધારાત્મક કાર્યોને પ્રાથમિકતા આપીને ગામડાંને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા દ્રઢ સંકલ્પબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીના ખાતામાં સીધી ચુકવણી અને પંચાયતી રાજ સંસ્થાઓને વધુ અધિકાર આપીને લોકશાહીના મૂળિયાં મજબૂત બનાવવાની પણ સરકારની સ્પષ્ટ નીતિ છે. આ મુલાકાત દરમિયાન પૂર્વ સાંસદ દિનુ સોલંકી, કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકી, વિવિધ સરપંચો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોમાં એવી લાગણી જોવા મળી હતી કે ખાટલા બેઠકો દ્વારા સરકાર અને જનતા વચ્ચેનું અંતર ઘટ્યું છે.
અનંત નેશનલ યુનિવર્સિટીની ‘અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શન’ (ASCA) અને કેનેડાની પ્રતિષ્ઠિત ‘યુનિવર્સિટી ઓફ વિન્ડસર’ વચ્ચે એક મહત્વપૂર્ણ એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લાયમેટ એક્શન, સંશોધન અને શૈક્ષણિક વિનિમયમાં પરસ્પર સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આગામી 5 વર્ષ સુધી ચાલનારો આ કરાર જોઈન્ટ રિસર્ચ ઇનિશિએટીવ્સ, સ્ટુડેન્ટ્સ એક્સચેન્જ અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે નવા માર્ગો મોકળા કરશે. આ સહયોગમાં ખાસ કરીને આબોહવા પરિવર્તન, સસ્ટેનેબિલિટી અને ડિઝાઇન-આધારિત શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવશે. સંશોધન અને નવીનતા પર વિશેષ ધ્યાન આ ભાગીદારી અનંત સ્કૂલના વ્યવહારુ ક્લાયમેટ સોલ્યુશન્સ અને યુનિવર્સિટી ઓફ વિન્ડસરની પર્યાવરણીય નવીનતાને એક પ્લેટફોર્મ પર લાવે છે. વિન્ડસરે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. બંને સંસ્થાઓ હવે સાથે મળીને કાર્બન કેપ્ચર, સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ ટેકનોલોજી જેવા જટિલ વિષયો પર સંશોધનને વેગ આપશે. આ કરાર હેઠળ સહ-નિર્મિત અભ્યાસક્રમો, ટૂંકા ગાળાના ઇમર્સન પ્રોગ્રામ્સ અને વૈશ્વિક ટકાઉપણુંની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. શૈક્ષણિક આદાન-પ્રદાન અને તકોઆ કરારથી બંને સંસ્થાઓના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન કરવાની તક મળશે. એમઓયુ હસ્તાક્ષર સમારોહમાં યુનિવર્સિટી ઓફ વિન્ડસરના પ્રેસિડેન્ટ અને વાઇસ-ચાન્સેલર ડૉ. જે. જે. મેકમર્ટ્રી, એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. ક્રિસ બુશ અને પ્રિન્સિપાલ એડવાઇઝર નિહારિકા ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. મેકમર્ટ્રીએ જણાવ્યું હતું કે, અનંતના ડિઝાઇન-આધારિત અભિગમ અને વિન્ડસરની મજબૂત સંશોધન પ્રણાલીનો સમન્વય આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકારોનો ઉકેલ લાવવામાં મદદરૂપ થશે. ભવિષ્યના લીડર્સ તૈયાર કરવાનું વિઝન અનંત સ્કૂલ ફોર ક્લાયમેટ એક્શનના ડાયરેક્ટર ડૉ. રોહન દત્તાએ જણાવ્યું કે, આ ભાગીદારીથી વિદ્યાર્થીઓને વિવિધ આબોહવા પરિસ્થિતિઓ સમજવા અને સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે સુસંગત ઉકેલો વિકસાવવામાં મદદ મળશે. અનંત નેશનલ યુનિવર્સિટી અગાઉ પણ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા (USA), સાયન્સિસ પો (ફ્રાન્સ), અને યુનિસેફ (UNICEF) જેવી સંસ્થાઓ સાથે વૈશ્વિક જોડાણો ધરાવે છે. આ નવી ભાગીદારી ડિઝાઇન અને સસ્ટેનેબિલિટી દ્વારા ભવિષ્ય માટે સજ્જ લીડર્સ તૈયાર કરવાના તેમના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
'ભાજપના નેતાઓએ મતદારોના નામ કમી કર્યા' વડોદરા શહેર કોંગ્રેસે એસઆઈઆરની કામગીરીને ઓપરેશન સરકાર ચોરી નામ આપ્યું. ભાજપના નેતાઓએ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચ્યાના આક્ષેપ કરી પુરાવાઓ રજુ કર્યા. તો આ માટે રાષ્ટ્રદોહનો ગુનો નોંધવાની પણ માગ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોકોંગ્રેસનો આંતરિક જૂથવાદ ફરી સપાટીએ આવ્યો રાજકોટમાં કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ફરી જાહેર થયો. પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોમાણીએ સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસને ઝીરો સીટ મળવાની ભવિષ્યવાણી કરી.. એટલું જ નહી ઈન્દ્રનીલ રાજ્યગુરુને ભાજપ સાથે સાંઠગાઠ હોવાનો પણ દાવો કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંડર -19 વર્લ્ડકપ વિજેતા ગુજ્જુ ખેલાડીઓનું સ્વાગત અંડર -19 વર્લ્ડકપ વિજેતા ટીમના ગુજ્જુ ખેલાડીઓ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા. વેદાંગ ત્રિવેદી અને ખિલાન પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. તો પરિવારે પણ ઘરમાં સેલિબ્રેશનની તૈયારીઓ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રસ્ટે રસ્તા બંધ કરતા ગામ સાથેનો સંપર્ક તૂટ્યો સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલ્કર નિર્મિત જુના સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ ગામને જોડતા જાહેર રસ્તાઓને સિમેન્ટની દિવાલો અને આડશો ઉભી કરી બંધ કરી દેવાયા..પ્રભાસ પાટણ અને મંદિર પરિસર વચ્ચે સંપર્ક તૂટતા લોકો રોષમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખેડામાં 24 કલાકમાં બે ગૌવંશની હત્યાની આશંકા ખેડામાં છેલ્લા 24 કલાકમાં બે ગૌવંશની હત્યાની આશંકા..નડિયાદના જાણીતા માઈમંદિર પાસેના ગરનાળા નજીકથી અત્યંત ક્રૂર હાલતમાં એક વાછરડાનો મૃતદેહ મળી આવ્યો હતો.તો ગઈકાલે રાત્રે પણ મહુધા કેનાલમાંથી ગૌમાંસના 50 પોટલા મળતા સ્થાનિકોમાં રોષ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈકોર્ટના વકીલે રીઢા ગુનેગારો સાથે મળી ચોરી કરી દિલ્હી હાઈકોર્ટના વકીલે રીઢા ગુનેગારોની ગેંગ સાથે મળીને 3.02 કરોડથી વધુનું જીરુ ચોર્યું.. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન ચોરી કરવામાં આવી હતી. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી સુરતના પુણા વિસ્તારના નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી.. બેઝમેન્ટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જાણે આખું માર્કેટ સળગ્યું હોય તેવો ધુમાડો ફેલાયો..ફાયરની 20થી વધુ ગાડીઓએ બે કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકોના ઝઘડાનું સમાધાન લોહિયાળ બન્યુ સુરતમાં બાળકોના ઝઘડાનું સમાધાન કરવા ગયેલા પિતા-પુત્ર પર પાડોશીઓનો હુમલો.. હુમલામાં પિતાની નજર સામે જ 30 વર્ષના પુત્રનું મોત થયું, જ્યારે પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ ખોલાવવા ફરી દેખાવો અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી જતા રોડ પર હોટલ હિલ્લોક પાસેનો ડિવાઈડર કટ ખોલાવવા સ્થાનિકોએ આજે ફરી દેખાવો કર્યો. સાંસદ નરહરી અમીનની રજૂઆત બાદ કટ બંધ કરી દેવાતા લોકોને 3 થી 4 કિમીનો એક્સ્ટ્રા ફેરો ફરવો પડે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાલતુ શ્વાનને પરિવારના સભ્યની જેમ આપી અંતિમ વિદાય સુરતમાં એક પરિવારે પોતાના પેટ ડોગને માણસની જેમ અંતિમ વિદાય આપી..માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લેનાર શેરુને પરિવારની દીકરીઓએ છેલ્લી વાર રાખડી બાંધી.. 11 વર્ષથી શેરુ પરિવારનો હિસ્સો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
બોટાદ LCB પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતેથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી પોલીસને લાંબા સમયથી વોન્ટેડ આરોપીને પકડવામાં સફળતા મળી છે. બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં આ આરોપી છેલ્લા છ માસથી નાસતો ફરતો હતો. LCB દ્વારા તેની સઘન શોધખોળ ચાલી રહી હતી. LCB PI એમ.જી. જાડેજાના સુપરવિઝન હેઠળ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે, આરોપી વરજાંગભાઈ નાનુભાઈ પરમાર (ઉંમર ૨૫, રહે. શીહોર, હાલ અમદાવાદ ગ્રામ્ય, માંડલ) ને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના ડભોડા-પાલજ ઓવરબ્રિજ પાસે કેનાલ નજીક રહેતા પશુપાલકના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂપિયા 8 લાખ 80 હજારની મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના બની ત્યારે પરિવાર રાત્રિના સમયે ઘરને તાળું મારી બાજુમાં આવેલા કાચા છાપરામાં ગાઢ નિદ્રામાં સૂતો હતો. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિલા ચા બનાવવાનો સામાન લેવા જતાં ચોંકી ઉઠ્યાંગાંધીનગરના ડભોડાના બુટકીયા વિસ્તારમાં રહેતા જીવણભાઈ રૂખાભાઈ ભરવાડ ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં પરિવાર સાથે ઘરને તાળું મારી બાજુમાં બનાવેલા છાપરામાં સૂવા ગયા હતા. આજે (8 ફેબ્રુઆરી) વહેલી સવારે 5 વાગે જ્યારે તેમના પત્ની રામીબેન ચા બનાવવા માટે સામાન લેવા ઘરે ગયા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો અને અંદરના રૂમનો નકુચો તૂટેલી હાલતમાં જોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં તપાસ કરતા દાગીના ગાયબ હતાંબાદમાં ઘરની અંદર જોઈને જોતા પતરાનો પટારો ખુલ્લો હતો અને કપડાં વેરવિખેર પડ્યા હતા. આ જાણીને જીવણભાઈ પણ સફાળા જાગી ઉઠ્યા હતા. ત્યારે ઘરનું દૃશ્ય જોઈ પરિવારના હોશ ઉડી ગયા હતા. આ ચોરીમાં તસ્કરો 4.20 લાખનો ત્રણ તોલાનો સોનાનો હાર, રૂ.3.50 લાખના અઢી તોલાના સોનાના જવલા તેમજ 300 ગ્રામ ચાંદીનો જુડો અને પચાસ હજાર રૂપિયાની રોકડ રકમ મળીને કુલ રૂ.8.80 લાખની મત્તા ચોરી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરીઆ અંગે જીવણભાઈના પુત્રએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ડભોડા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસના રહીશોની પૂછપરછ છતાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળી નહોતી. જીવણભાઈએ ડભોડા પોલીસ મથકે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ વલસાડની મુલાકાત લીધી હતી. અહીં આયોજિત કાર્યકર્તા સંમેલનમાં તેમણે હિન્દુ સુરક્ષા અને સમૃદ્ધિના મુદ્દાઓ પર ભાર મૂકતા અનેક મહત્વની જાહેરાતો કરી હતી. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વધી રહેલા ધર્માંતરણને અટકાવવા માટે તેમણે હનુમાન ચાલીસા કેન્દ્રોનું અભિયાન તેજ બનાવવાનું આહવાન કર્યું હતું. ગામડે-ગામડે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરાશેસંમેલનને સંબોધતા ડો. તોગડિયાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના પ્રત્યેક ગામ અને વિસ્તારમાં દર મંગળવાર તથા શનિવારે સાંજે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. દેશભરમાં અત્યારે આવા હજારો કેન્દ્રો કાર્યરત છે અને હવે વલસાડમાં પણ તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવશે. આ કેન્દ્રો હિન્દુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ અને સન્માન જાળવવામાં પાયાની ભૂમિકા ભજવશે. ધર્માંતરણ રોકવા હનુમાન ચાલીસા સબળ માધ્યમઆદિવાસી પંથકમાં થતા ધર્માંતરણ અંગે પૂછવામાં આવતા તેમણે સ્પષ્ટતા કરી હતી કે, જો હનુમાન ચાલીસા કેન્દ્રો સક્રિય રીતે ચાલશે, તો ધર્માંતરણની પ્રવૃત્તિઓ આપોઆપ અટકી જશે. તેમના મતે, આ કેન્દ્રો હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવાનું અને લોકોને પોતાની સંસ્કૃતિ તથા મૂળ સાથે જોડી રાખવાનું સબળ માધ્યમ સાબિત થશે. હિન્દુ પરિવારોની આર્થિક ઉન્નતિ પર ભારમાત્ર ધાર્મિક જાગૃતિ જ નહીં, પરંતુ હિન્દુ પરિવારોની આર્થિક અને સામાજિક ઉન્નતિ માટે પણ ડો. તોગડિયાએ નવો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, હિન્દુ ઘર સુખી કેવી રીતે બને, તે શીખવવાનું કાર્ય સંગઠને હાથ ધર્યું છે. હિન્દુ પરિવારો સશક્ત અને સમૃદ્ધ બને તે માટે સંગઠન દ્વારા વિવિધ પ્રયાસો તેજ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. કાર્યક્રમના અંતે તેમણે 'હિન્દુ હી આગે' નો નારો આપી કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભર્યો હતો. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરા સ્ટેશને ચાલુ ટ્રેનમાંથી મહિલા પટકાઈ:રેલવે પોલીસે જીવ જોખમે ખેંચી બચાવી
પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર 8 ફેબ્રુઆરી, રવિવારના રોજ એક મહિલા મુસાફર ચાલુ ટ્રેનમાંથી પટકાઈ હતી. જોકે, ગોધરા રેલવે પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટના હરિદ્વારથી મુંબઈ જતી એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન ગોધરા સ્ટેશન પર ઊભી હતી ત્યારે મહિલા વડાપાઉં લેવા માટે પ્લેટફોર્મ પર ઉતરી હતી. ટ્રેન ઉપડવાની શરૂઆત થતાં જ મહિલાએ ફરીથી ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તેણે સંતુલન ગુમાવ્યું અને ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગઈ હતી. આ ઘટના બનતા જ આસપાસના મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. તે જ સમયે, ફરજ પર હાજર ગોધરા રેલવે પોલીસના જવાન સુજેલભાઈ રાવજીભાઈની નજર આ દ્રશ્ય પર પડતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે પોતાના જીવના જોખમની પરવા કર્યા વિના મહિલાને હાથ પકડીને બહાર ખેંચી લીધી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે, મહિલાને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાય છે અને રેલવે પોલીસના જવાનો ત્વરિત કાર્યવાહી કરીને તેનો જીવ બચાવે છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે અને લોકો રેલવે પોલીસની પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટનાના પગલે રેલવે તંત્ર દ્વારા મુસાફરોને ફરી એકવાર અપીલ કરવામાં આવી છે કે ચાલુ ટ્રેનમાં ચઢવા કે ઉતરવાનો પ્રયાસ ન કરવો. તેમજ ખોરાક કે અન્ય સામગ્રી લેવા માટે ટ્રેનમાંથી ઉતરતી વખતે ખાસ સાવચેતી રાખવી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, થોડી ક્ષણની બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પશુ ક્રૂરતાનો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક પોલીસકર્મીની પત્નીએ નિર્દોષ શ્વાનને લાકડી વડે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં શ્વાનને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસ હેડક્વાર્ટર્સના રિઝર્વ પોલીસ ઇન્સપેક્ટર એસ.એમ. નિસરતાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ૫ ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેઓ સીપીસી કેન્ટીન ખાતે હાજર હતા, ત્યારે તેમને આ ઘટનાની જાણ થઈ હતી. બ્લોક નં. B/9, રૂમ નં. ૦૭માં રહેતા પોલીસકર્મી નિતિનકુમાર પાંડોરની પત્ની શીતલબેન પાંડોરે એક દેસી શ્વાનને લાકડીથી માર માર્યો હતો. આ શ્વાન અગાઉથી જ હેડક્વાર્ટર્સમાં રહેતું હતું અને તેની સંભાળ રાખવામાં આવતી હતી. માર મારવાને કારણે શ્વાનને ગંભીર ઇજાઓ થઈ છે અને તે લંગડાતું ચાલે છે. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં શીતલબેન શ્વાનને મારતા અને સીડીઓ પરથી નીચે ઉતારતા સ્પષ્ટપણે દેખાય છે. આ ઘટનાને પગલે શીતલબેન પાંડોર વિરુદ્ધ પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોડીનાર હાઈવે પર છકડો રીક્ષા પલટી:CCTVમાં કેદ દ્રશ્યો, દોરડાથી ખેંચતી વખતે અકસ્માત, જાનહાનિ ટળી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ફાટક નજીક સોમનાથ-ઉના હાઈવે પર એક છકડો રીક્ષા પલટી મારી ગઈ હતી. આ ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક છકડો રીક્ષા રસ્તામાં બંધ પડી ગઈ હતી. તેને બીજી છકડો રીક્ષા સાથે દોરડા વડે બાંધીને ખેંચવામાં આવી રહી હતી. હાઈવે પર ચાલતી વખતે અચાનક દોરડાથી ખેંચાઈ રહેલી રીક્ષા અસંતુલિત થઈ પલટી મારી ગઈ. રીક્ષા પલટતાની સાથે જ તેનો ડ્રાઈવર પણ નીચે પટકાયો હતો. આ ઘટના હાઈવે પર બની હતી જ્યાં વાહનોની અવરજવર વધુ હતી. સદભાગ્યે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. CCTV દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દોરડા વડે રીક્ષાને ખેંચતી વખતે સલામતીના પૂરતા પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે આ અકસ્માત સર્જાયો. હાઈવે પર આ રીતે દોરડા વડે વાહન ખેંચવું જોખમી સાબિત થઈ શકે છે. આવા કિસ્સાઓમાં યોગ્ય ટો-વાહન અને સુરક્ષા વ્યવસ્થાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે.
આણંદ ખાતે 8 February 2026, રવિવારની ઠંડી સવારમાં પર્યાવરણ સંરક્ષણના હેતુથી VNC ગ્રીનાથોન 10 km દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં 1,000 થી વધુ ઉત્સાહી દોડવીરો અને સાઇકલિસ્ટ્સે ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટનેસની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો. વડોદરાના દોડવીરોની શાનદાર સિદ્ધિ આ દોડમાં વડોદરાના RunRide2Fit જૂથના કલાકારોએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. કોચ પ્રગ્નેશ પટેલએ 10 km ની દોડ માત્ર 42 minutes માં પૂર્ણ કરી પોતાના વર્ગમાં 2nd સ્થાન હાંસલ કર્યું હતું. તેવી જ રીતે, શિક્ષિકા નિમૃત અરોરાએ 53 minutes માં દોડ પૂર્ણ કરી પોતાના વયજૂથમાં 1st સ્થાન મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું હતું. હરિયાળા ભવિષ્ય માટે અનોખી ભેટ આ ઇવેન્ટની ખાસિયત એ રહી કે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે દરેક ફિનિશરને મેડલની સાથે એક લીલો છોડ ભેટમાં આપવામાં આવ્યો હતો. આ પહેલ દ્વારા આયોજકોએ લોકોને સ્વસ્થ અને હરિયાળું ભવિષ્ય ઘડવાની પ્રેરણા આપી હતી.
ભારતની સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિના સફળ મોડેલને વૈશ્વિક સ્તરે સમજવાના હેતુથી રવિવારે શ્રીલંકાના જનતા વિમુક્તિ પેરમુના (JVP)ના જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પાંચ સભ્યોના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે આણંદ સ્થિત અમૂલ ડેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, ડેરીના મેનેજમેન્ટ દ્વારા પ્રતિનિધિમંડળને એક વિશેષ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુતિ બતાવવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં સહકારી ચળવળનો ઇતિહાસ, તેનો ક્રમિક વિકાસ અને ભવિષ્યના સંભવિત લક્ષ્યાંકો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પ્રેઝન્ટેશનના માધ્યમથી શ્રીલંકાના પ્રતિનિધિઓને અમૂલના વહીવટી માળખા, માર્કેટિંગ વ્યૂહરચના, મજબૂત સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને ગ્રામીણ સ્તરે પશુપાલકોના આર્થિક તથા સામાજિક ઉત્થાનની કાર્યપદ્ધતિથી માહિતગાર કરાયા હતા. જનરલ સેક્રેટરી તિલવિન સિલ્વા અને પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો, જેમાં સેન્ટ્રલ કમિટી મેમ્બર જનક અધિકારી, સંસદ સભ્ય કિતનન સેલવરાજ, સંસદ સભ્ય કરુણાનાન્થન હંકુમારન, મીડિયા યુનિટ હેડ હેમાથિલાકા ગામેગે, ઇન્ટરનેશનલ રિલેશન્સ કમિટીના સભ્ય બી.આર. કલ્પના મધુભાષિની અને કોલંબો સ્થિત ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલર ડો. રામબાબુ સી.એ અમૂલના આધુનિક પ્લાન્ટ સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે એશિયાની સૌથી મોટી ડેરીની ટેકનોલોજી અને પ્રોસેસિંગ પદ્ધતિ નિહાળી હતી. મુલાકાતના અંતે, તિલવિન સિલ્વાએ વિઝિટર બુકમાં નોંધ કરી હતી કે, “અમૂલનું સહકારી મોડેલ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાસ્ત્રોત છે. આ મોડેલ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનધોરણને ઊંચું લાવવા માટે અત્યંત પ્રશંસનીય છે.”
ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બે ગૌવંશની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. આજે વહેલી સવારે નડિયાદ શહેરના જાણીતા માઈમંદિર પાસે આવેલા ગરનાળા નજીકથી અત્યંત ક્રૂર અને લોહીલુહાણ હાલતમાં એક વાછરડાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને પશુપ્રેમીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ ગત રાત્રે જ મહુધાની કેનાલમાંથી ગૌ માંસના 50 પોટલાં મળતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. હિન્દુ સેનાના અગ્રણીઓ દોડી આવ્યાઆ સમગ્ર મામલે જાણ થતા હિન્દુ સેનાના અગ્રણી રાજન ત્રિપાઠી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગૌવંશ પર અત્યાચાર અને કતલની ઘટનાઓ સતત વધી રહી છે. આજની ઘટનામાં જે રીતે વાછરડું મળી આવ્યું છે તે માનવતાને શરમાવે તેવી ક્રૂરતા છે. એફ.એસ.એલ. તપાસ કરવાની માંગઘટનાસ્થળની પરિસ્થિતિ વર્ણવતા રાજન ત્રિપાઠીએ ઉમેર્યું કે, વાછરડાનું શરીર અત્યંત ખરાબ હાલતમાં હતું. શરીરના અંગોને તીક્ષ્ણ હથિયાર કે છરાથી ચીરી નાખવામાં આવ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. જોકે, સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે કદાચ કૂતરાઓએ વાછરડાને ફાડી ખાધુ હોય. આ બાબતે તાત્કાલિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી છે અને પશુ ચિકિત્સકોની મદદથી એફ.એસ.એલ. તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ગુનેગારોના પુરાવા મળી શકે. મહુધામાં માંસના 50 પોટલાં મળ્યાગત રાત્રિએ જ મહુધાના વડતાલ કેનાલમાંથી ગૌવંશના માંસથી ભરેલા 50થી વધુ પોટલાં મળી આવ્યા હતા. હાલમાં હિન્દુ સંગઠનો અને પશુપ્રેમીઓ દ્વારા આ મામલે કડક તપાસ કરી દોષિતોની ધરપકડ કરવાની માંગણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આકરા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અત્યારે સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને પોલીસ પુરાવા એકત્ર કરી તપાસમાં જોતરાઈ છે. આ પણ વાંચો: હળવદ GIDCમાં કારખાનાની અગાસી પર ગૌમાંસ રાંધતા 8 ઝડપાયા આ પણ વાંચો: મોડાસામાંથી 250 કિલો ગૌમાંસ સાથે ચાર કસાઈ ઝડપાયા
અમદાવાદના ઐતિહાસિક ભદ્રકાલી મંદિરના પ્રાંગણમાં 'નમસ્તે વર્લ્ડ ઇન્ડિયા - 2026' આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવનો ભવ્ય નજારો જોવા મળ્યો હતો. ગુજરાત ટુરિઝમ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઈવોક એક્સપિરીયન્સના સહયોગથી આયોજિત આ ફેસ્ટિવલમાં ભારત સહિત 12 દેશના 250 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. ભદ્રકાલી મંદિર ખાતે પ્રસ્તુતિ પહેલા આ કલાકારોએ અટલ બ્રિજ પર પણ પોતાના કૌશલ્યના કામણ પાથર્યા હતા. વૈશ્વિક કલાકારોની અદભૂત પ્રસ્તુતિ આ કાર્યક્રમમાં પોલેન્ડ, મેક્સિકો, ઈજીપ્ત, બલ્ગેરિયા, સાઉથ આફ્રિકા, ઈન્ડોનેશિયા, રોમાનિયા, તુર્કી, નેપાળ, કિર્ગીસ્તાન અને સ્લોવેકિયાના કલાકારોએ પોતપોતાના દેશના પારંપરિક નૃત્ય અને સંગીત રજૂ કર્યા હતા. આ વૈશ્વિક કલાકારોની આગવી શૈલી અને સંગીતના લયે ઉપસ્થિત પ્રેક્ષકો તેમજ મહાનુભાવોના મન મોહી લીધા હતા. મહાનુભાવો દ્વારા કલાકારોનું સન્માન ઉત્સવની પૂર્ણાહુતિ પર મેયર પ્રતિભાબેન જૈન દ્વારા તમામ વિદેશી કલાકારોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સામા પક્ષે વિદેશી કલાકારોએ પણ પોતાના દેશની ખાસ ભેટ આપી મેયર તેમજ આયોજક અંકુરભાઈ પઠાણ, રાજુભાઈ પટેલ અને રવિભાઈ બારોટનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રમાં 11મી ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીના મિની કુંભમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. મેળાના આયોજનને લઈને તંત્ર મોટા-મોટા દાવાઓ કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. મેળામાં ભાગ લેવા આવેલા સાધુ-સંતોએ અત્યારથી જ પાયાની સુવિધાઓના અભાવે આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને પીવાના પાણી અને શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી સાધુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ધુણી ધખાવતા સાધુઓના પીવાના પાણી માટે વલખાધુણો ધખાવી બેઠેલા ઓમકારપુરીએ જણાવ્યું હતું કે, શિવરાત્રીના મેળામાં સાધુઓ માટે 'ધુણો' અત્યંત પવિત્ર અને મહત્વનો હોય છે. ભવનાથ ક્ષેત્રમાં આવેલા સાધુ-સંતોએ પોતાની ધુણી ધખાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ કાળઝાળ ગરમીમાં તેમને પીવા માટે શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. સાધુઓએ આક્ષેપ કર્યો છે કે મેળાના મેદાનમાં ક્યાંય પણ તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. હાલમાં સાધુઓએ 30 થી 40 રૂપિયા ખર્ચીને પાણીની બોટલો વેચાતી લેવી પડે છે. ગંભીર બાબત એ છે કે આ વેચાતી બોટલો પણ ઘણીવાર સીલપેક હોતી નથી, જે સાધુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા સમાન છે. પ્લાસ્ટિક પ્રતિબંધ અને તંત્રની વિમાસણભવનાથ ક્ષેત્ર અને ગિરનાર પર્વત ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ છે. તંત્ર દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે શેરડીના કૂચામાંથી બનેલી બોટલો કે અન્ય પર્યાવરણ ફ્રેન્ડલી પેકિંગની વાતો કરવામાં આવે છે, પરંતુ કઈ બોટલ વેચવી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ અનિશ્ચિતતાનો ભોગ ભોળા સાધુઓ અને ભાવિકો બની રહ્યા છે, જેમને મનફાવે તેવા ભાવે પાણી ખરીદવું પડે છે. ચાર દિવસથી કોઈ વ્યવસ્થા નથીમુંબઈથી આહવાન અખાડાના રૂક્ષ્મણીગીરી માતાજીએ પોતાની પીડા ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા ચાર દિવસથી અહીં આવી છું, પરંતુ તંત્ર દ્વારા સાધુઓ માટે કોઈ છાંયાની કે પાણીની વ્યવસ્થા કરવામાં આવી નથી. સાધુઓ તડકામાં ધુણી ધખાવીને બેઠા છે. સરકાર આને 'મિની કુંભ' કહે છે, પણ સુવિધાઓના નામે મીંડું છે. જો સાધુઓને પાયાની સુવિધાઓ જ ન મળે તો આને વ્યવસ્થા કેમ કહેવાય ? શૌચાલયના અભાવે ગંદકી ફેલાવાની ભીતિસાધુઓએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર પાણી જ નહીં પણ યોગ્ય શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. જો તંત્ર દ્વારા સમયસર વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સાધુઓને અને આવનારા લાખો ભાવિકોને ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડશે, જેનાથી મેળામાં ગંદકી ફેલાશે. મિની કુંભમેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે તંત્રની આવી બેદરકારી ગંભીર સાબિત થઈ શકે છે. તંત્રના દાવા અને વાસ્તવિકતા વચ્ચે મોટું અંતરબીજી તરફ વહીવટી તંત્ર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે મેળાના વિસ્તારમાં 140 સ્થળોએ પીવાના પાણીની પરબ અને 30 જેટલા પોઈન્ટ પર RO નું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવશે. પરંતુ મેદાનમાં ઉતરેલા સાધુઓના મતે આ બધું માત્ર કાગળ પર છે. ધુણી સળગાવવા માટે લાકડાની કે રહેવાની કોઈ સુવિધા હજુ સુધી પૂરતી મળી નથી. હવે જોવાનું એ રહ્યું કે મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના કુંભમેળા જેવી વ્યવસ્થાના દાવા કરતું જૂનાગઢનું તંત્ર સાધુઓની આ રજૂઆતને ગંભીરતાથી લે છે કે પછી આ વર્ષનો મેળો માત્ર 'સરકારી મેળો' બનીને રહી જશે. જો સાધુ-સંતો સંતુષ્ટ નહીં હોય તો મિની કુંભની ગરિમા જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં આવેલા પ્રાચીન વૈજનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગામના યુવાનો અને કારીગરો દ્વારા 25 ફૂટ ઊંચી મહાકાલની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે એક અનોખી ગુફાનું પણ નિર્માણ કરાયું છે, જેમાં ભક્તોને ભગવાન વિષ્ણુના દશાવતારના દર્શન થશે. આ ગુફા કંતાન, વાંસના બાંબુ, પીઓપી અને વિવિધ કલર સહિતની ચીજવસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. કારીગરો અને આર્કિટેક્ટ દ્વારા તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુફાના નિર્માણ માટે 21,250 કિલો પીઓપી, 500 વાંસ અને આશરે 3,500 મીટર કંતાનનો ઉપયોગ થયો છે. ગુફામાં ભગવાનના અવતારો ચણાના લોટ વડે બનાવવામાં આવી રહ્યા છે. આમાં દશાવતાર, મહાકાળી માતાજી અને ખાટુશ્યામ સહિતના વિવિધ સ્વરૂપોના દર્શન ભક્તોને થશે. શિવરાત્રિના દિવસે બ્રહ્મમુહૂર્તમાં આ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. આયોજક અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે, વૈજનાથ દાદાના મંદિર પરિસરમાં દર વર્ષની જેમ આ વખતે પણ વૈજનાથ યુવક મંડળ દ્વારા અનોખું આયોજન કરાયું છે. કુદરતી ગુફા જેવું જ વાતાવરણ મંદિરના પ્રાંગણમાં ઊભું કરવામાં આવ્યું છે, જેનો લાભ ભક્તોને મહાશિવરાત્રિએ મળશે. રાયગઢ ગામના વૈજનાથદાદાના ભક્ત દિયા પંડ્યાએ જણાવ્યું હતું કે, વૈજનાથ દાદાના મંદિરે મહાશિવરાત્રિની ઉજવણી હંમેશા અનોખી રીતે થાય છે. આ વખતે મહા ગુફા અને 25 ફૂટ ઊંચા મહાકાલની પ્રતિમા સાથે ચણાના લોટમાંથી બનેલા દશાવતારના દર્શન એકસાથે થશે. તેમણે ઉમેર્યું કે, વૈજનાથ દાદાના મંદિરે દર અમાસે ભક્તો આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.
14 વર્ષની યશસ્વી ચરકે કરાટે ચેમ્પિયનશિપ જીતી:રાજકોટમાં સિનિયર ખેલાડીઓને હરાવી ઇતિહાસ રચ્યો
રાજકોટ ખાતે યોજાયેલી Battle Beast Clash–2 કરાટે ચેમ્પિયનશિપમાં જામનગરની યશસ્વી ચરકે ચેમ્પિયનશિપ ટ્રોફી જીતીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. યશસ્વી રિલાયન્સ ટાઉનશીપ, જામનગરની રહેવાસી છે. આ સ્પર્ધા WWF-સ્ટાઈલ ફાઇટ્સ પર આધારિત હતી, જેમાં ગુજરાતભરના 18 વર્ષથી ઉપરના ટોચના 20 સિનિયર કરાટે ખેલાડીઓએ ભાગ લીધો હતો. માત્ર 14+ વર્ષની ઉંમર ધરાવતી યશસ્વી આ સ્પર્ધાની સૌથી નાની સ્પર્ધક હતી. યશસ્વીએ પોતાની અદમ્ય હિંમત, કુશળતા અને આત્મવિશ્વાસ સાથે તમામ સિનિયર ખેલાડીઓને પરાજય આપ્યો. સ્પર્ધાના અંતિમ તબક્કામાં, તેણે પોતાથી લગભગ 10 વર્ષ મોટા અને ગુજરાતના ટોચના સિનિયર કરાટે ખેલાડીને હરાવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી. યશસ્વીની આ અદ્વિતીય સફળતા બદલ પરિવારજનો, મિત્રો, રમતપ્રેમીઓ અને શુભેચ્છકો તરફથી અભિનંદન મળી રહ્યા છે. આ સિદ્ધિ પાછળ તેમના કોચ શ્રી ઉમાકાંત સેનાપતિ અને ઉત્કલ કરાટે સ્કૂલનું માર્ગદર્શન મહત્વનું રહ્યું છે. યશસ્વીની આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ગુજરાતના કરાટે જગતમાં નવી ઊર્જાનો સંચાર કરશે.
ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે 8 ફેબ્રુઆરીના રોજ એમ.એફ. તંબોલી વ્યાખ્યાનમાળા (મણકો-૩) યોજાઈ હતી. આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ દ્વારા આયોજિત આ શ્રેણી અંતર્ગત ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ વક્તવ્ય આપ્યું હતું. સંસ્થાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) નિમિતા મેહતાએ જણાવ્યું હતું કે, આ વ્યાખ્યાનમાળા સંસ્થાના પૂર્વ પ્રમુખ, ફાઉન્ડ્રી ઉદ્યોગના અગ્રણી અને અનૌપચારિક શિક્ષણના હિમાયતી મનમોહનભાઈ એફ. તંબોલીની સ્મૃતિમાં શરૂ કરવામાં આવી છે. જાણીતા શિક્ષણ મર્મજ્ઞ, સંશોધક, લેખક અને લોકપ્રિય વક્તા ડૉ. ભદ્રાયુ વચ્છરાજાનીએ રાજકોટથી આવી 'શિક્ષણ આજે અને આવતીકાલે' વિષય પર તેમની પ્રવાહી શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્યનો મુખ્ય હેતુ આર.ડી. ગાર્ડી ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ સાથે છેલ્લા 100 વર્ષથી જોડાયેલા શિક્ષકોને આજના અને આવતીકાલના શિક્ષણ વચ્ચેના મુખ્ય તફાવતો સમજાવવા અને ભવિષ્યના પડકારો માટે સજ્જ કરવાનો હતો. શિક્ષણના બદલાતા પ્રવાહ અને ભાવિ દિશા અંગે શિક્ષકો સાથેનો આ સંવાદ અત્યંત પ્રસ્તુત રહ્યો હતો.
અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર ગુજરાતના બે તેજસ્વી ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલ, આજે 8 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. આ બંને વિજેતાને આવકારવા માટે તેમના પરિવારજનો અને રમતપ્રેમીઓ દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને વેદાંત ત્રિવેદીના ઘરે અત્યારથી જ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને સેલિબ્રેશનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે આ સફળતાએ સમગ્ર ગુજરાત અને પરિવાર માટે ગૌરવની ક્ષણ લાવી છે. ખિલન પટેલના સ્વાગતમાં મોડાસામાં કાર્યક્રમઅરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત યાત્રા મોડાસાના APMC સર્કલથી શરૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે.
ગુજરાતમાં હાલ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા દરમિયાન ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં એક ગંભીર વિવાદ સર્જાયો છે. કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લઘુમતી સમાજના હજારો મતદારોના નામ યાદીમાંથી દૂર કરવા માટે ખોટી રીતે 'ફોર્મ-7' ભરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. મુસ્લિમ સમાજના 6700થી વધુ મતદારોના નામ કમી કરવાનો આક્ષેપ કરાયો છે. ખોટી અરજી કરનાર 47 સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. 400થી વધુ લોકોની લેખિત રજૂઆતઆ મુદ્દે લઘુમતી સમાજના સેંકડો લોકોએ એકજૂથ થઈ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. કોડીનારના ઇતિહાસમાં પ્રથમ વખત લઘુમતી સમાજની ફરિયાદો માટે પોલીસ સ્ટેશનમાં અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારના 400થી વધુ લોકોએ લેખિતમાં પોતાની રજૂઆત કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર વણારકાને રૂબરૂ કરી હતી. સમગ્ર વિવાદ શું છે ?સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, જે મતદારો હયાત છે, વર્ષોથી જે-તે ગામમાં જ વસવાટ કરે છે અને જેમણે ક્યારેય સ્થળાંતર કર્યું નથી, તેવા લોકોના નામ સામે અજાણી વ્યક્તિઓ દ્વારા ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે. 6,722થી વધુ મતદારો: આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારોના નામ સામે ફોર્મ-7 (નામ કમી કરવા માટેનું ફોર્મ) ભરાયા હોવાનું સામે આવ્યું છે. 47 શંકાસ્પદ અરજદારો: ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 47 જેટલી વ્યક્તિઓએ જ આ હજારો ફોર્મ ભર્યા હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગકોડીનાર મુસ્લિમ સમાજના અગ્રણી મહેંદી હસન નકવીએ જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયામાં ફોર્મ-7નો દુરુપયોગ કરી લઘુમતી સમાજના મતાધિકાર પર તરાપ મારવાનો આ પ્રયાસ છે. જે લોકો વાસ્તવિક રીતે ત્યાં જ વસે છે અને ખેતીની જમીન ધરાવે છે, તેમના નામ કઈ રીતે કમી થઈ શકે? અમે તંત્ર પાસે માત્ર નિષ્પક્ષ તપાસ અને ન્યાયની માંગ કરીએ છીએ. સુનિયોજિત કૌભાંડનો આક્ષેપલઘુમતી સમાજના આગેવાનોએ આ પ્રક્રિયાને વહીવટી ભૂલને બદલે એક 'સુનિયોજિત કૌભાંડ' ગણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે ચોક્કસ સમુદાયને મતદાનથી વંચિત રાખી તેમના બંધારણીય અધિકારો છીનવી લેવાનું આ ષડયંત્ર છે. સમાજની માગ ઉગ્ર આંદોલનની ચીમકીજો તંત્ર દ્વારા ત્વરિત અને યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હાલમાં આ મામલાએ સમગ્ર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. ચૂંટણી પંચની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થતા હવે વહીવટી તંત્ર આ બાબતે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે સાંતેજથી વડસર જતા રોડ પર ગીરનારી આશ્રમ પાછળ આવેલા એક ખેતરમાં મંદિરની આડમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કરી 2 લાખ 66 હજારથી વધુની કિંમતની 470 જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસની આ રેઇડ દરમિયાન મુખ્ય સૂત્રધાર સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યો હતો. મંદિરની આડમાં વિદેશી દારૂનો અડ્ડોગાંધીનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાંતેજ પોલીસે બાતમીના આધારે વડસર રોડ પર આવેલા એક ખેતરમાં રેઇડ પાડી વિદેશી દારૂના મોટા જથ્થાનો પર્દાફાશ કર્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઇ એસ. આર. મૂછાળ પોતાની ટીમ સાથે નાઇટ પેટ્રોલિંગ માં નિકળ્યા હતા. કાચા છાપરામાં વિદેશી દારૂનો મોટો સ્ટોક હતોઆ દરમિયાન બાતમી મળી હતી કે સાંતેજ ગામના પેદાજી તરીકે ઓળખાતા કમલેશજી ભવાનજી ઠાકોરે પોતાના ખેતરમાં ગોગા મહારાજના મંદિરની સામે આવેલા કાચા છાપરામાં વિદેશી દારૂનો મોટો સ્ટોક ઉતાર્યો છે અને તે ત્યાંથી જ છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસ કાફલાએ બાતમીવાળા ખેતરમાં દરોડો પાડ્યો હતો. 470 પ્રીમિયમ દારૂની બોટલો જપ્તજોકે બુટલેગર સ્થળ પર હાજર નહોતો. બાદમાં પોલીસે કાચા છાપરામાં પ્રવેશ કરતા ખાખી રંગના બોક્સનો મોટો થપ્પો લાગેલો હતો. જેથી મોબાઈલ ફોનની લાઈટના અજવાળે પોલીસે એક પછી એક બોક્સ ખોલતા તેમાંથી પંજાબ અને રાજસ્થાનમાં વેચાણ માટે માન્ય હોય તેવી પ્રીમિયમ વ્હિસ્કીની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા 2 લાખ 66 હજારથી વધુની કિંમતની 470 જેટલી અલગ અલગ બ્રાન્ડની બોટલો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે 'ઓપરેશન સરકાર ચોરી' શિર્ષક હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજીને SIRની કામગીરીમાં ફોર્મ-7 ભરીને ભાજપના નેતાઓ અને કોર્પોરેટરોએ મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચ્યું હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જેમાં ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. વડોદરા શહેરમાં 47,000 જેટલા વાંધા ઉઠાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અનેક નેતાઓએ વાંધા ઉઠાવ્યા હોવાના પુરાવા રજૂ કર્યા હતા. આ મામલે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા કોંગ્રેસે માંગ કરી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દેવેશ પટેલ નામના વ્યક્તિના 25 એપિક આઈડી આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. જ્યારે સીએન માછી નામના વ્યક્તિના 20 એપિક આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. એક વ્યક્તિના આટલા બધા એપિક(EPIC) કેવી રીતે હોઈ શકે તે તપાસનો વિષય છે. આ ઉપરાંત અનેક લોકો એવા છે, જેના એકથી વધારે એપીક આઈડી પરથી વાંધા ઉઠાવવામાં આવ્યા છે. ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યાકોંગ્રેસે કરેલા આક્ષેપમાં જણાવવામાં આવ્યું છે કે, ભાજપના કોર્પોરેટર અજીત દધીચે 122 વાંધા ઉઠાવ્યા છે. આ ઉપરાંત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન આદિત્ય પટેલે 30 વાંધા ઉઠાવ્યા છે. કોર્પોરેટર જાગૃતિ કાકા અને કોર્પોરેટર જ્યોતિ પટેલ સહિતના નેતાઓ સહિતના અનેક નેતાઓના નામ છે જેઓએ ખોટા વાંધા લીધા છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, SIRની પ્રક્રિયામાં ષડયંત્ર કરીને, છબરડા કરીને સત્તા પક્ષ ભાજપ અને ચૂંટણી પંચના મેળાપીપળાથી સાચા મતદારોના નામ ડીલીટ કરીને કોંગ્રેસની ચૂંટણીમાં હરાવવાનું કાવતરું રચ્યુ છે તેનો પર્દાફાશ અમે આજે કર્યો છે. ‘મહિલા મંત્રી સહિતના 5 વિધાનસભા વિસ્તારમાં ખોટું કામ કર્યું’વડોદરા શહેર વિધાનસભામાં ગુજરાત સરકારના મહિલા મંત્રી(મનીષા વકીલ)ના વિસ્તારમાં કોર્પોરેટરોએ ખોટા વાંધા લીધા છે. આ પ્રકારે વડોદરા શહેરની પાંચ વિધાનસભામાં આ પ્રકારનું ખોટું કામ કર્યું છે અને 47 હજાર મતદારો સામે વાંધા લીધા છે. આ મામલે અમે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટરને 10થી 12 વખત રજૂઆત કરી છે. આ ઉપરાંત લેખિતમાં આવેદનપત્રો પણ આપ્યા છે. તેમ છતાં આ મુદ્દે કોઈ કાર્યવાહી થઈ નથી. ‘વડોદરા કલેક્ટર અમે આપેલા પુરાવાને ખોટા સાબિત કરી બતાવે’તેઓએ વધુમાં જણાવ્યું હતું, હું વડોદરા કલેકટરને ચેલેન્જ કરું છું કે, અમે આપેલા પુરાવાને ખોટા સાબિત કરી બતાવે. વડોદરાની જનતાને પણ ખબર પડી ગઈ છે કે ભાજપને વોટ ચોરી કરીને સત્તામાં આવવું છે. બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણામાં વોટ ચોરી કરીને ભાજપ સત્તામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે. આ બધા પુરાવા અમે શોધ્યા છે અને પોલીસ ફરિયાદ કરવા માટેના ફોર્મ પણ ભર્યા છે. તેમ છતાં કાર્યક્રમ કચેરી દ્વાર ખોટા વાંધા કરનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ‘એવું કહે છે કે તમે મતદાર છો એવું સાબિત કરો’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 4ના કોર્પોરેટર અજીત દધીચ, વોર્ડ નંબર 13ના કોર્પોરેટર જાગૃતિ કાકા અને કોર્પોરેટર જ્યોતિ પટેલ સહિતના નેતાઓ સહિતના અનેક નેતાઓના નામ છે જેઓએ ખોટા વાંધા લીધા છે. ભાજપના રાજમાં શંકરાચાર્ય ને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, એ સાબિત કરો, મતદારને એવું કહે છે કે તમે મતદાર છો એવું સાબિત કરો,. આ લોકોને સત્તાનું જે અભિમાન ચડ્યું છે એને અમે ઉતારીશું.
પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામ નજીક ખાંડિયા-અમાદર વળાંક પર મોડી રાત્રે દીપડાએ બાઇક સવાર માતા-પુત્ર પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૩૨ વર્ષીય યુવાનના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી છે. પાવીજેતપુરની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ ફુલસિંગભાઈ રાઠવા (ઉં.વ. ૩૨) અને તેમના માતા કીર્તિબેન લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યા હતા. રાત્રે આશરે ૯ વાગ્યાના સુમારે તેઓ બાઇક પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે ઉમરવા ગામના બસ સ્ટેન્ડ પાસેના વળાંક પર દીપડાએ તેમના પર હુમલો કર્યો. દીપડાએ સીધો જીજ્ઞેશભાઈના ચહેરા પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમનો પંજો યુવાનની દાઢીના ભાગે વાગ્યો હતો. હુમલાને લીધે જીજ્ઞેશભાઈએ બાઇક પરથી કાબૂ ગુમાવ્યો અને માતા-પુત્ર બંને રોડ પર પટકાયા. જીજ્ઞેશભાઈને દાઢીના ભાગે ઊંડો ઘા પડ્યો હતો, જ્યારે કીર્તિબેનને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. હુમલા બાદ દીપડો અંધારામાં ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પાવીજેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે બોડેલી ખસેડવામાં આવ્યા. રહેણાંક વિસ્તારો નજીક અને મુખ્ય માર્ગો પર વન્ય પ્રાણીઓના વધતા હુમલાઓને કારણે પાવીજેતપુર પંથકના ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ વિસ્તારમાં પાંજરું ગોઠવી વન્ય પ્રાણીઓને પકડીને જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-ગાંભોઈ નેશનલ હાઈવે 48 પર કરણપુર ગામ પાસે બપોરના સમયે એક ડમ્પરની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ગાંભોઈથી હિંમતનગર તરફ જઈ રહેલા ડમ્પરના ચાલકે બચાવવાનો પ્રયાસ કરતા તે રોડ સાઈડમાં વળ્યું હતું. આ ઘટનામાં સામેથી આવતા અને રોડ પર પાર્ક કરેલા કુલ 10 જેટલા વાહનોને નુકસાન થયું હતું. અકસ્માતમાં સાત લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ વિસ્તારમાં શ્રી અડસઠ બારીશ પ્રણામી વણકર સમાજ અને મોઢ સમાજના અગિયારમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સ્થળોએ પાર્કિંગ ભરાઈ જવાને કારણે ઘણા વાહનો સર્વિસ રોડ અને નેશનલ હાઈવે પર આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના PSI પી.એચ. ડોડીયાએ જણાવ્યું હતું કે, ડમ્પર ચાલકે પોલીસને કહ્યું કે તેની આગળ એક ઇકો કાર જઈ રહી હતી અને રોડ પર લોકો હતા. બ્રેક મારતા તે ફેલ થઈ ગઈ હતી. લોકો અને વાહનોને બચાવવા માટે તેણે ડમ્પરને ટર્ન માર્યો, જેના કારણે તે સામેના રોડ પર જઈને હિંમતનગર તરફથી આવતી એક કાર અને પીકઅપ ડાલા સાથે અથડાયું. ત્યારબાદ પાર્ક કરેલા વાહનો સાથે પણ ટકરાયું હતું. ચાલકે એવો પણ દાવો કર્યો હતો કે અકસ્માત બાદ લોકોએ તેને માર માર્યો હતો. ગાંભોઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ડમ્પર ચાલકને કસ્ટડીમાં લીધો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. ચાલકે નશો કર્યો છે કે કેમ તે જાણવા માટે તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોલીસે આ અકસ્માત અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓના સન્માન અને તેમના અનુભવોનો લાભ લેવા માટે એક વિશેષ સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું. જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલી આ બેઠક પંચમહાલ પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની અધ્યક્ષતામાં સંપન્ન થઈ. બેઠકની શરૂઆતમાં, ઉપસ્થિત તમામ નિવૃત્ત પોલીસ કર્મચારીઓનો પરિચય મેળવવામાં આવ્યો હતો અને તેમની વર્ષોની સેવાઓને બિરદાવવામાં આવી હતી. ડો. હરેશ દુધાતે નિવૃત્ત કર્મચારીઓને જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવવા અને સમાજલક્ષી કાર્યોમાં સક્રિય ભાગીદારી રાખવા પ્રોત્સાહિત કર્યા. આ બેઠકમાં, નિવૃત્ત કર્મચારીઓએ પોલીસ વિભાગમાં વિતાવેલા લાંબા સમયના અનુભવો દ્વારા વર્તમાન પોલીસ પરિવારને વધુ સુદૃઢ, કાર્યક્ષમ અને અસરકારક કેવી રીતે બનાવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિ પછી પણ પોલીસ પરિવાર સાથે જોડી રાખવાનો હતો, જેથી તેમના બહોળા અનુભવનો લાભ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમજ સામાજિક સુધારણામાં મળી શકે.
પાટણનો 1281મો સ્થાપના દિવસ ઉજવાયો:મહાકાળી મંદિરથી શોભાયાત્રાને મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું
પાટણ શહેરનો 1281મો સ્થાપના દિવસ રવિવારે મહાવદ સાતમના રોજ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે શહેરમાં મહાકાળી માતાજીના મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ બગવાડા દરવાજા ખાતે જાહેર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઐતિહાસિક નગર પાટણના સ્થાપના દિવસની ઉજવણી પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિ, રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે થઈ હતી. મહાકાળી માતાજીના મંદિર ખાતે પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, પૂર્વ મંત્રી કીર્તિસિંહ વાઘેલા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત રાજપૂત સમાજના આગેવાનોએ કાલિકા માતાજીની આરતી ઉતારી હતી. મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરાવી હતી. આદ્યશક્તિ શ્રી કાલિકા માતાજીના મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પાટણ શહેરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના નગરસેવકો, રાજકીય પક્ષના અગ્રણીઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. શોભાયાત્રામાં નિશાન ડંકો, કુકડ ધ્વજ, ઘોડેસવારો, વિવિધ શાળાઓની ઝાંખીઓ, બે બગીઓ અને નગરપાલિકાની સ્વચ્છતાનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સિદી ધમાલ નૃત્યનું ગ્રુપ પણ જોડાયું હતું. કરણી સેનાના યુવાનો પણ વિશેષ પોશાકમાં અને વિવિધ ટેબ્લો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે પાટણ નગર સ્થાપના દિવસ ઉજવણી સમિતિના મુખ્ય કન્વીનર યતિનભાઈ ગાંધી, સહ કન્વીનર મદારસિંહ ગોહિલ, મુકેશભાઈ દે.સાઈ, મહાસુખભાઈ મોદી, જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી અને જિલ્લા રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીના અધિકારી બાબુભાઈ ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશ પાનસુરીયા સહિત તેમના પરિવારના 5 સભ્યો સામે વડોદરાના વેપારી દર્શિત શાહે હરણી પોલીસ સ્ટેશનમાં રૂ. 3 કરોડની રોકાણ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને આજે સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપે પ્રેસ કોન્ફરન્સ યોજીને એમને સુરેશ પાનસુરીયા સાથે કોઇ ધંધાકીય કનેકશન ન હોવાનું જણાવ્યું હતું. સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના એમડી શૈલેષ ગોલવિયાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, એસ.પી. ગ્રુપ અને અમારું સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપ બંને સંપૂર્ણપણે અલગ છે. એસ.પી. ગ્રુપનું નામ 'સિદ્ધેશ્વરાય ગ્રુપ' છે. અમારા લોગોનો ખોટી રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. અમારે એસ.પી. ગ્રુપ સાથે કોઈપણ પ્રકારની લેવાદેવા નથી. અમારું નામ ખરાબ કરવાનો પ્રયાસ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારે ત્યાં દર્શિતભાઈના બે ફ્લેટ બુક કરાવેલા છે, એટલે અમે તેમને ઓળખીએ છીએ. તેઓના પૈસા કઢાવવા માટે અમારા નામનો કરાયો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર 2010માં એક જ પ્રોજેક્ટમાં ભાગીદારી હતી. સુરેશ પાનસુરીયા અમારા પિતરાઈ ભાઈ છે, પરંતુ તેમની સાથે કોઈ ધંધાકીય કે નાણાકીય વ્યવહાર નથી. અમારા સિદ્ધેશ્વર ન્યાલકરણ ગ્રુપના લોગોના ખોટા ઉપયોગ બદલ નોટિસ પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના અમિત નગર સર્કલ પાસે આવેલ મંગલ પાર્ક સોસાયટીમાં રહેતા દર્શિતભાઈ કમલેશભાઈ શાહ (ઉંમર 42 વર્ષ)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2023માં સુરેશભાઈએ હરણી સમા લિંક રોડ પર આવેલા 'શ્રી સિદ્ધેશ્વર પેરેડાઇઝ' અને 'શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસ' પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેમણે 1.5 ટકા માસિક વળતરની શરૂઆતમાં અને પછી 2 ટકા વળતરની ખાતરી આપી હતી તેમજ પ્રોપર્ટીની સિક્યોરિટી આપવાનું કહ્યું હતું. આ વિશ્વાસ પર દર્શિતભાઈ અને તેમના પિતા કમલેશભાઈ શાહે કુલ 3 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રકમના બદલામાં દર્શિતભાઈ અને તેમના પિતાના નામે કુલ 6 મિલ્કતો (ફ્લેટ અને દુકાનો)ના રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા હતા. શરૂઆતમાં ફેબ્રુઆરી 2024થી ડિસેમ્બર 2024 સુધી માસિક 1.5%થી 2% વળતર રોકડ/બેન્ક દ્વારા ચૂકવવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025થી વળતર બંધ થઈ ગયું. દર્શિતભાઈએ વારંવાર પૂછપરછ કરતાં રિયલ એસ્ટેટમાં તકલીફનું બહાનું કાઢ્યું હતું અને રૂપિયા પરત ચૂકવણીનો ભરોસો આપ્યો હતો પરંતુ, કોઈ રકમ મળી નહીં. દર્શિતભાઈના પિતાને લીવર કેન્સરની બીમારી થતાં સારવાર માટે રકમની જરૂર પડી હતી તો પણ રૂપિયા પરત કર્યા ન હતા. આ દરમિયાન આરોપીઓએ આપેલા ચેકો બેન્કમાં બાઉન્સ થયા હતા. સપ્ટેમ્બર, 2025માં ઓફિસમાં મળવા બોલાવી અસભ્ય વર્તન કરીને ધમકીઓ આપવામાં આવી કે, તમને અને તમારા પરિવારને જોઈ લઈશું, તમે પોલીસ ફરિયાદ કરી છે, હવે રૂપિયા મળવાના નથી. થાય એ કરી લો આ દરમિયાન પ્રોજેક્ટમાં બાંધકામ અધૂરું છે અને બાનાખતવાળી મિલ્કતો પર બેંક લોન લેવાઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. આરોપીઓમાં સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા, મનિષભાઈ ભાદાભાઈ પાનસુરીયા, પ્રવીણભાઈ ભાદાભાઈ પાનસુરીયા, કિશોરભાઈ ભાદાભાઈ પાનસુરીયા અને રવિભાઈ સુરેશભાઈ પાનસુરીયા (પુત્ર)નો સમાવેશ થાય છે. હરણી પોલીસે આ ફરિયાદની તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ડોગ લવરનું એક હૃદયસ્પર્શી ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં સુરતના બખીયા પરિવારે તેમના લાડકવાયા શ્વાન 'શેરૂ'ના નિધન પર તેને મનુષ્યની જેમ સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી હતી. માલિકના ખોળામાં જ અંતિમ શ્વાસ લેનારા શેરૂના વિયોગમાં પરિવારની આંખો છલકાઈ આવી હતી અને બહેનોએ તેને છેલ્લી રાખડી બાંધી ભાવુક વિદાય આપી હતી. કહેવાય છે કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેનો પ્રેમ શબ્દોનો મહોતાજ નથી હોતો. સુરતના ભટાર વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે સાબિત કરી દીધું કે વફાદારી અને પ્રેમમાં પ્રાણી પણ પરિવારનો અવિભાજ્ય અંગ બની શકે છે. ભટારના બખીયા પરિવારે તેમના 11 વર્ષ જૂના સાથી અને પાલતુ શ્વાન 'શેરૂ' ના નિધન બાદ મનુષ્યની જેમ જ તેની અંતિમવિધિ કરી સમાજમાં અનોખો દાખલો બેસાડ્યો છે. 11 વર્ષનો અતૂટ સાથ અને 'શેરૂ' ની વફાદારીઆજથી 11 વર્ષ પહેલાં જર્મન શેફર્ડ બ્રીડનો માત્ર 10 દિવસનો નાનકડો 'શેરૂ' બખીયા પરિવારમાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ તેને પ્રાણી નહીં પણ ઘરના સભ્ય તરીકે અપનાવ્યો હતો. ધીરે ધીરે શેરૂ આખા પરિવારનો લાડકો બની ગયો. તેની લોકપ્રિયતા એટલી હતી કે આખી સોસાયટીમાં આ પરિવાર પોતાના નામથી નહીં, પણ શેરૂ વાળું ઘર તરીકે ઓળખાવા લાગ્યું હતું. ઠંડુ પાણી પીધા બાદ માલિકના ખોળામાં અંતિમ શ્વાસ લીધા ગતરોજ શેરૂએ પોતાની 11 વર્ષની સફર પૂર્ણ કરી. અંતિમ ક્ષણોમાં પણ શેરૂએ તેના માલિક પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો હતો. માલિકના હાથે ઠંડુ પાણી પીધા બાદ તેમના જ ખોળામાં શેરૂએ શાંતિથી અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી પરિવારમાં જાણે માતમ છવાઈ ગયો હતો અને સભ્યોની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી હતી. ચાર બહેનોનો એક ‘ભાઈ’, દર વર્ષે બહેનો શેરૂને રાખડી બાંધતી હતીબખીયા પરિવારમાં ચાર બહેનો અને એક ભાઈ છે, પરંતુ બહેનોએ હંમેશા શેરૂને પોતાનો બીજો ભાઈ માન્યો હતો. દર વર્ષે બહેનો શેરૂને રાખડી બાંધતી હતી. દીકરીઓ સાસરે ગયા પછી પણ પોતાના સગા ભાઈની સાથે શેરૂ માટે ખાસ રાખડી મોકલવાનું ચૂકતી નહોતી. શેરૂના નિધન બાદ મોટી દીકરીએ રડતી આંખે પોતાના નાના ભાઈ જેવા શેરૂને છેલ્લી રાખડી બાંધીને હૃદયસ્પર્શી વિદાય આપી હતી. પરિવારે મનુષ્યની જેમ આપી અંતિમ વિદાયપરિવારના સભ્યોએ નિર્ણય કર્યો કે શેરૂની વિદાય કોઈ સામાન્ય પ્રાણીની જેમ નહીં, પણ પરિવારના સભ્યની જેમ જ થવી જોઈએ. શેરૂના દેહને ફૂલહારથી સજાવવામાં આવ્યો હતો. પાડોશીઓ અને પરિવારજનોએ ભેગા મળીને ભગવાનનું નામ લેતા તેની અંતિમ યાત્રા કાઢી હતી. મનુષ્યની અંતિમવિધિમાં જે રીતે રીત-રિવાજો પાળવામાં આવે છે, તે જ રીતે ભાવપૂર્ણ રીતે શેરૂને પંચતત્વમાં વિલીન કરવામાં આવ્યો હતો.
સરદાર પટેલ યુનિવર્સિટીના નવધારા (SSIP), સ્પસેક (SPSEC), વી.પી. સાયન્સ કોલેજ અને એસ.એમ. પટેલ હોમ સાયન્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે તથા KCG, ગાંધીનગરના સહયોગથી વલ્લભ વિદ્યાનગરમાં ‘બડિંગ ઇનોવેટર્સ મીટઅપ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યસ્તરીય સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 80 ટીમોના 150થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના નવતર વિચારો અને મોડેલ્સ રજૂ કર્યા હતા. સીવીએમના ચેરમેન અને સીવીએમયુના પ્રમુખ ભીખુભાઈ પટેલ તથા એસપીયુના કુલપતિ પ્રો. નિરંજન પટેલે કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણમાં યોગદાન આપવા તેમજ નવીન વિચારોને સ્ટાર્ટઅપમાં ફેરવવા પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સત્રમાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલે વિજેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. આંતર-મહાવિદ્યાલય સ્પર્ધામાં આરોગ્ય, કૃષિ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, સામાજિક કલ્યાણ અને વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર પ્રોજેક્ટ્સ રજૂ કરાયા હતા. 20 જ્યુરી સભ્યોના પેનલ દ્વારા નિષ્પક્ષ મૂલ્યાંકન બાદ કુલ 19 ટીમોને વિજેતા અને રનરઅપ તરીકે પુરસ્કૃત કરવામાં આવી હતી. આ ઉપરાંત, નવધારાના ગ્રાન્ટી સ્ટાર્ટઅપ્સ દ્વારા એક પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં નવીન ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સમગ્ર આયોજન ડૉ. નિકુંજ ભટ્ટ, ડૉ. ભાવના ચૌહાણ અને પ્રો. સુનિલ ચાકીના માર્ગદર્શન હેઠળ સફળ રહ્યું હતું. ડૉ. વિપુલ કટારિયા, ડૉ. મિનલ ચૌહાણ, નીરવ પટેલ અને પ્રિયા સોનીએ સુસંયોજનની જવાબદારી સંભાળી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને સંશોધનની ભાવના મજબૂત બની હતી.
ઇડર તાલુકાના મુડેટી ખાતે આવેલ ઈશ્વરપુરા માર્ગ પરના ગોપીચંદની ગુફા પાછળના વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના નવીન સંકુલમાં ત્રિદિવસીય વાસ્તુ શતચંડીયાગ મહોત્સવ યોજાયો હતો. ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા આયોજિત આ મહોત્સવ 6 ફેબ્રુઆરી, શુક્રવારે શરૂ થઈ 8 ફેબ્રુઆરી, રવિવારે સંપન્ન થયો હતો. શતચંડીયજ્ઞના પ્રધાન હોમ અને ચંડીપાઠના હોમ સાથે તેની પૂર્ણાહુતિ થઈ હતી. આ વાસ્તુકર્મનું આયોજન શ્રી યાજ્ઞવલ્ક મુડેટી પાઠશાળાના નવનિર્માણ નિમિત્તે કરાયું હતું. પાઠશાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર વેદના ઘન પાઠ કર્યા હતા અને અનેક પૂજન પણ કરવામાં આવ્યા હતા. આ યજ્ઞ કર્મમાં આસપાસના ગામડાઓના લોકો પણ જોડાયા હતા, જેમાં પત્રાસાદન પૂજા અને વિશિષ્ટ રાજપચાર પૂજા પણ કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા એકસાથે સપ્તશતીના પાઠ કરવામાં આવ્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રનું કલ્યાણ અને દિન-પ્રતિદિન દેશનો વિકાસ થાય તે હતો. નવીન સંકુલમાં વિદ્યાર્થીઓના રહેવા અને ભણવા માટે ક્લાસરૂમ તેમજ બહારથી આવતા મુલાકાતીઓ માટે વિશેષ અતિથિગૃહ પણ બનાવવામાં આવ્યા છે. યાજ્ઞવલ્ક પાઠશાળાના મુખ્ય ટ્રસ્ટીઓ અને ગુરુજીઓની ઉપસ્થિતિમાં સંપૂર્ણ વૈદિક અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સહિત આ ત્રિદિવસીય કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ અંગે ટ્રસ્ટી ડૉ. અશ્વિની શુક્લએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાંચ એકર જમીનમાં નવીન વિદ્યાલય સંકુલ, ઋષિકુમાર છાત્રાલય, અન્નપૂર્ણા ભવન, પ્રાર્થનાસભા ભવન, યોગ ભવન, સાંસ્કૃતિક ભવન, જલ વ્યવસ્થા, શૈક્ષણિક કર્મચારી અને સહકર્મચારી નિવાસસ્થાન, તેમજ અતિથિ નિવાસનું નિર્માણ થયું છે. તેમણે ઉમેર્યું કે, શિવશક્તિ સહિત દશ મહાવિદ્યા મંદિર અને યજ્ઞશાળાનું નિર્માણ આગામી સમયમાં થશે. મુડેટી ખાતે હાલમાં 100 થી વધુ વિદ્યાર્થીઓ પ્રથમાથી આચાર્ય સુધીનો અભ્યાસ સંસ્કૃત પાઠશાળામાં કરે છે. આ નવીન પાઠશાળાના નિર્માણ માટે 2 એપ્રિલ, 2024 ના રોજ દ્વારકાપીઠાધીશ શંકરાચાર્યના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ, શંકરાચાર્યએ જ તેના સમર્પણ માટે કહ્યું હતું. આથી, 2 એપ્રિલ, 2026 ના રોજ હનુમાન જયંતિના દિવસે પાઠશાળાનું સમર્પણ થશે અને નવા સત્રની શરૂઆત થશે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ ગત 4 ફેબ્રુઆરીના રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નાણાકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યા બાદ, હવે સમગ્ર શહેરની નજર આગામી મંગળવાર પર ટકેલી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો તલસ્પર્શી અભ્યાસ પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને મંગળવારે ફાઇનલ બજેટ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને આગામી મે માસમાં મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે, ત્યારે વર્તમાન શાસકો મતદારોને રીઝવવા માટે બજેટમાં મોટી રાહતોની જાહેરાત કરી શકે છે. મહાપાલિકાની કથળતી જતી આર્થિક સ્થિતિ અને લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે આ વખતે વ્યાજ માફીની યોજના (એમ્નેસ્ટી સ્કીમ) લાવવા માટેની હિલચાલ તેજ બની છે. છેલ્લા બે વર્ષથી અમલમાં રહેલી વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમને ધાર્યો પ્રતિસાદ ન મળતા હવે શાસકો વ્યાજ માફીનું હથિયાર અજમાવી તિજોરી ભરવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ઉપરાંત મ્યુ. કમિશ્નરે લાદેલો વધારાનો કરબોજ હટાવી લોકઉપયોગી નવી યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન આર્થિક સ્થિતિ અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ ચલાવવા અને કર્મચારીઓના પગાર ચૂકવવા માટે પણ ટેક્સની આવક પૂરતી ન હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિ એવી છે કે વિકાસકાર્યો અને વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે મહાપાલિકાએ રૂ. 200 કરોડની લોન લેવી પડે તેવી નોબત આવી છે. ટેક્સ વિભાગ દ્વારા અગાઉ જે વન ટાઈમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ અમલમાં મૂકવામાં આવી હતી, તેમાં આસામીઓએ ખાસ રસ દાખવ્યો નથી. આ સંજોગોમાં, જો વ્યાજ માફી જાહેર કરવામાં આવે તો મોટા પ્રમાણમાં જૂનો વેરો જમા થઈ શકે તેમ છે. અગાઉ 2018માં જ્યારે નોટબંધીના સમયે વ્યાજ માફીની સ્કીમ લાવવામાં આવી હતી, ત્યારે કોર્પોરેશનની તિજોરી છલકાઈ ગઈ હતી. આ ઈતિહાસને દોહરાવીને આર્થિક સ્થિતિ સધ્ધર કરવા અને ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માટે શાસકો મક્કમ દેખાઈ રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીનાં સુત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર આ વખતે વ્યાજ માફી માત્ર ફ્લેટ રેટ પર નહીં પરંતુ અલગ-અલગ સ્લેબ મુજબ આપવાનું આયોજન છે. જેમાં નાના કરદાતાઓને વધુ ફાયદો થાય તેવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. સંભવિત જાહેરાત મુજબ, જેમનો રૂ. 25000 સુધીનો વેરો બાકી છે તેમને 100 ટકા વ્યાજ માફી આપવામાં આવી શકે છે. જ્યારે રૂ. 25000 થી રૂ. 50000 સુધીના બાકીદારોને 50 ટકા, રૂ. 50000 થી રૂ. 100000 સુધીના બાકીદારોને 25 ટકા અને રૂ. 100000 થી વધુની બાકી રકમ પર 15 ટકા સુધીની વ્યાજ માફી મળવાની શક્યતા છે. આ સ્લેબ સિસ્ટમથી મધ્યમ અને ગરીબ વર્ગના કરદાતાઓ પરનો બોજ ઘટશે અને તેઓ મુખ્ય પ્રવાહમાં વેરો ભરતા થશે તેવી ગણતરી રાખવામાં આવી છે. સંભવિત વ્યાજ માફીનાં સ્લેબ ક્રમ બાકી વેરાની રકમ મળવાપાત્ર વ્યાજ માફી 1 0થી 25,000 વ્યાજ 100% માફી2 25થી 50000 વ્યાજ 50% માફી3 50,000થી 1 લાખ વ્યાજ 25% માફી4 1,00,000થી વધુ વ્યાજ 15% માફી મહત્વની વાત એ છે કે, આ વ્યાજ માફી યોજના નવા નાણાકીય વર્ષના પ્રારંભથી એટલે કે એપ્રિલ મહિનાથી જ અમલમાં મૂકવામાં આવી શકે છે. જેનો મુખ્ય હેતુ 'અર્લી બર્ડ સ્કીમ' સાથે સાંકળવાનો છે. જે કરદાતાઓ જૂનો વેરો વ્યાજ માફી સાથે ભરશે અને નવા વર્ષનો વેરો એપ્રિલ કે મે માસમાં એડવાન્સ ભરશે, તેમને વ્યાજ માફીની સાથે નવા વેરામાં પણ 10 થી 15 ટકા વળતરનો બેવડો લાભ મળી શકે છે. આ યોજના માત્ર એપ્રિલ અને મે એમ બે મહિના માટે મર્યાદિત રાખવા પણ વિચારણા છે જેથી ત્વરિત આવક ઉભી કરી શકાય. આ ઉપરાંત, મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં સૂચવેલા વધારાના કરબોજને પણ સ્ટેન્ડિંગ કમિટી ફગાવી શકે છે અથવા તેમાં મોટો ઘટાડો કરીને જનતાને રાહત આપી શકે છે. ઉલ્લેખનીય છે કે મહાપાલિકાએ અગાઉ 2011માં પણ વ્યાજ માફી આપી હતી અને ત્યારબાદ 2018માં સ્લેબવાઈઝ રાહત આપી હતી. 2020માં કોરોનાકાળ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં રાહત આપવામાં આવી હતી, તેને ધ્યાને રાખીને રાજકોટના શાસકો આ વર્ષે મિલકત વેરાની સાથે વ્યવસાય વેરામાં પણ કોઈ રાહત જાહેર કરે છે કે કેમ તેના પર વેપારી આલમની મીટ મંડાયેલી છે. બજેટમાં નવી લોકઉપયોગી યોજનાઓ, ગ્રીન સિટી પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના મોટા પ્રોજેક્ટ્સની જાહેરાત સાથે આ એમ્નેસ્ટી સ્કીમ શાસક પક્ષ માટે ચૂંટણી જીતવાનો માસ્ટરસ્ટ્રોક સાબિત થઈ શકે છે.
ગોધરામાં ગંદકી કરનારાઓ પર નજર:સાયન્સ કૉલેજ વિસ્તારમાં CCTV કેમેરા લાગ્યા; શહેરભરમાં કેમેરાની માગ
ગોધરા નગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પહેલ કરી છે. નગરપાલિકા દ્વારા સાયન્સ કૉલેજ નજીકની સોસાયટીઓના વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યાં લોકો જાહેરમાં કચરો ફેંકી ગંદકી કરતા હતા. આ કેમેરા દ્વારા હવે જાહેરમાં કચરો નાખનારા વ્યક્તિઓ પર નજર રાખવામાં આવશે. સીસીટીવી ફૂટેજના આધારે આવા લોકો વિરુદ્ધ કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો અને ગંદકી ફેલાવતા અટકાવવાનો છે. આ પહેલને પગલે શહેરના યુવા અગ્રણી ફરહાન ઝભાએ નગરપાલિકા સમક્ષ માંગ કરી છે. તેમણે જણાવ્યું છે કે, માત્ર અમુક વિસ્તારો જ નહીં, પરંતુ શહેરના તમામ મુખ્ય માર્ગો અને અન્ય સોસાયટી વિસ્તારોમાં પણ CCTV કેમેરાનું નેટવર્ક ઊભું કરવું જોઈએ. ફરહાન ઝભાના મતે, જો આખા ગોધરા શહેરમાં મુખ્ય માર્ગો અને સોસાયટીના નાકે કેમેરા લગાવવામાં આવે, તો કચરો નાખનારાઓ પર રોક લગાવી શકાશે. આનાથી તંત્રને દેખરેખ રાખવામાં સરળતા રહેશે અને ગોધરા સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બની શકશે. નગરપાલિકાના આ પગલાથી સ્થાનિક રહીશોમાં વર્ષોથી ચાલતી ગંદકીની સમસ્યાના કાયમી ઉકેલની આશા જાગી છે. આગામી સમયમાં પાલિકા આ કેમેરાનું નેટવર્ક આખા શહેરમાં કેટલું ઝડપથી વિસ્તારે છે તે જોવું રહ્યું.
પાટણમાં નકલી પોલીસ બનીને એક ખેડૂત પાસેથી રૂ. 3.25 લાખ પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે. જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા ખેડૂતને અફીણના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પાટણના બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પાટણ શહેરની પાર્થ નગર સોસાયટીમાં રહેતા 61 વર્ષીય વસંતભાઈ કાન્તીભાઇ પટેલ ગત 6 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના સંબંધી ગોવિંદભાઈ સાથે જમીન જોવા નીકળ્યા હતા. તેમની સાથે વામૈયા ગામનો બળદેવ ઠાકોર અને એક અજાણ્યો શખ્સ પણ હતો. પુનાસણ ગામ નજીક નદીના પુલ પાસે એક સફેદ રંગની નંબર વગરની ગાડીમાં આવેલા બે શખ્સોએ પોતાને પોલીસ તરીકે ઓળખાવી વસંતભાઈનું એક્ટિવા રોકાવ્યું હતું. આ શખ્સોએ એક્ટિવાની ડેકી ખોલાવી તેમાંથી અફીણ જેવો પદાર્થ કાઢી વસંતભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કેસ પતાવવા માટે શરૂઆતમાં રૂ. 20 લાખની માંગણી કરી અને માર મારવાની ધમકી પણ આપી. ગભરાઈ ગયેલા વસંતભાઈએ તે સમયે પોતાની પાસે રહેલા રૂ. 25,000 આપી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ વસંતભાઈને ગાડીમાં બેસાડી પાટણ રેલવે સ્ટેશન લાવ્યા હતા. અહીં વસંતભાઈએ પરિચિતો પાસેથી ઉછીના મેળવીને વધુ રૂ. 3 લાખ આપ્યા, આમ કુલ રૂ. 3,25,000 પડાવી લેવામાં આવ્યા. આ સમગ્ર કાવતરામાં વસંતભાઈ સાથે આવેલો બળદેવ ઠાકોર પણ સામેલ હોવાનું જણાઈ આવતા, વસંતભાઈએ બળદેવ ઠાકોર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે આ મામલે BNSS ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલમાં એક યુવતીની સાથે ડમી ગ્રાહક મોકલી પાલ પોલીસે સેક્સ રેકેટ ઝડપી પાડયું હતું. ગ્રાહકોને વોટ્સએપ પર કોલગર્લના ફોટો અને હોટલનું લોકેશન મોકલી સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. પોલીસે ઓનલાઈન ગ્રાહકો સેટ કરનારા એક દલાલને ઝડપી પાડ્યો છે. જ્યારે યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો મળેલી બાતમીના આધારે પાલ પોલીસે એક દલાલનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને તેની સાથે વ્હોટ્સએપ ઉપર વાત કરી એક યુવતીનો ફોટો મંગાવી તેની સાથે રૂ.7 હજાર ભાવ નક્કી કરી ડમી ગ્રાહકને શરીરસુખ માટે લોકેશન મોકલવા કહ્યું હતું. દલાલે પાલ ગૌરવપથ સ્થિત બેલીઝીમો હબની બેલીઝીમો હોટલનું લોકેશન મોકલતા ડમી ગ્રાહક ત્યાં પહોંચ્યો હતો અને યુવતી સાથે રૂમમાં જતા પોલીસે રેઈડ કરી હતી. યુવતીને હોટલ પર મોકલનાર શખસની ધરપકડ, દલાલની શોધખોળપોલીસની તપાસમાં ત્યાં હાજર હોટલ મેનેજર અને માલિકની કોઈ સંડોવણી નહીં મળતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી નહોતી. પોલીસે ડમી ગ્રાહક સાથે મળેલી મુંબઈની 25 વર્ષીય યુવતીને બચાવી તેની પુછપરછ કરી તેની પાસેથી ચાર કોન્ડોમ અને રોકડા રૂ. 2 હજાર કબજે કર્યા હતા. પોલીસે યુવતીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણના કહેવાથી અહીં આવી હતી અને તેને દલાલે સંર્પક કરાવ્યો હતો. પાલ પોલીસે સાહિલ ઉર્ફે અયાન ચૌહાણને ઝડપી પાડ્યો હતો અને દલાલને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓ ગ્રાહક પાસેથી રૂ. 7000 વસૂલતા હતાસાહિલ ઉર્ફે અયાન અને અજાણ્યો દલાલ બંને ગ્રાહકોને કોલગર્લના ફોટા મોકલીને ભાવતાલ નક્કી કરતા હતા. એ પછી હોટલનું મોબાઇલ ફોન પર લોકેશન મોકલતા હતા. દીઠ રૂ. 7000ની વસૂલાત કરીને આધુનિક ફુટણખાનું ચલાવવા હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યભરમાં આંગણવાડી કેન્દ્રોને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે 'આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ' ભરૂચ જિલ્લામાં ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળકોને અભ્યાસ, પોષણ અને બાળ-સ્નેહી વાતાવરણ પૂરું પાડવાના હેતુથી વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં પોતાના મકાન ધરાવતા કુલ 906 આંગણવાડી કેન્દ્રોને 'આકર્ષક આંગણવાડી' તરીકે વિકસાવવાનું આયોજન છે. પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાળવણી સુનિશ્ચિત કરવા માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી 210 કેન્દ્રોમાં કલરકામ, બાલા પેઇન્ટિંગ, વોટરપ્રૂફિંગ અને ગ્રીલ બેસાડવા જેવી કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે 164 કેન્દ્રોમાં કામ પ્રગતિમાં છે. મોટા મરામતની જરૂરિયાત ધરાવતા 171 કેન્દ્રો માટે પ્રતિ કેન્દ્ર રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાંથી 134 કેન્દ્રોના કામ પૂર્ણ થયા છે અને બાકીના 37 કેન્દ્રોનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએથી TSP ગ્રાન્ટ હેઠળ 130 અને અન્ય ગ્રાન્ટમાંથી 80 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ હળપતિ ઉત્કર્ષ યોજના, ડીએમએફ, 15મું નાણાપંચ, મનરેગા અને એટીવીટી સહિતની યોજનાઓ મારફતે 72 આંગણવાડીના કામો પ્રગતિમાં છે. સાથે જ, પ્રતિષ્ઠિત કંપનીઓના CSR ભંડોળમાંથી રૂ. 20 લાખના ખર્ચે 19 ભવનોના કામો ચાલી રહ્યા છે. નવીનીકરણ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને હવે સરકારી આંગણવાડીઓમાં પ્લે-સ્કૂલ જેવી સુવિધાઓ મળી રહી છે. આકર્ષક પેઇન્ટિંગ્સ, રમતગમતના સાધનો, બેસવાની સુવિધા અને સુધારેલા માળખાને કારણે બાળકો તથા કિશોરીઓમાં આંગણવાડીમાં આવવાનો ઉત્સાહ વધ્યો છે. સ્વચ્છ અને સલામત વાતાવરણ ઊભું થતા વાલીઓનો વિશ્વાસ પણ મજબૂત બન્યો છે. આ પ્રોજેક્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો મર્યાદિત ન રહેતા બાળ વિકાસ, પોષણ અને મહિલા સશક્તિકરણને વેગ આપતું મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડી કેન્દ્રો હવે શિક્ષણ અને આરોગ્ય સેવાઓના કેન્દ્રબિંદુ તરીકે વિકસી રહ્યા છે.
પાટણ નગરના 1281મા સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 26મો વીરાંજલિ સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેરની જૂની શિશુમંદિર શાળાના મેદાન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત દીકરીઓ અને દીકરાઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જેણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ 26મા વીરાંજલિ સમારોહમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ અને સમાજના વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત રાજવી પરિવારના સભ્યો અને અન્ય મહાનુભાવોના હસ્તે આ સન્માન કરાયું હતું. પ્રવચન આપતા રાજ રાજેશ્વર યોગીરાજ રુખડનાથજી બાપુએ ક્ષત્રિય (રાજપૂત) સમાજની એકતા અને ગૌરવશાળી ઇતિહાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રાજપૂત સમાજે દરેક ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે અને કોઈ પણ ક્ષેત્ર એવું નથી જ્યાં તેમણે સફળતા ન મેળવી હોય. બાપુએ 'અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ' દ્વારા છેલ્લા 26 વર્ષથી સમાજને એક તાંતણે બાંધવાના પ્રયત્નોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે જે સમાજ પોતાના પૂર્વજો અને ઇતિહાસને ભૂલી જાય છે અથવા એક થતો નથી, તેનો ઇતિહાસ માત્ર પુસ્તકોના પાના સુધી સીમિત રહી જાય છે. રાજપૂતોનું એક સાથે આવવું એ આવનારી પેઢી માટે 'સુવર્ણકાળ' સમાન છે. પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ જણાવ્યું હતું કે સમાજનો ઇતિહાસ જાળવી રાખવો એ આપણી સૌની ફરજ છે. તેમણે ધર્મના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે ધર્મ આપણી સાથે હશે તો દરેક કાર્યમાં સફળતા મળશે. તેમણે બાળકોને ભણાવવા અને પૈસા કમાવવા સાથે સમાજની શક્તિ અને ધર્મ જાળવી રાખવા પણ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે યોગીરાજ રુખડનાથજી બાપુ (ધીણોજ), પૂર્વ મંત્રી હકુભા જાડેજા, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ડો. જયેન્દ્રસિંહ જાડેજા, દીપકસિંહ ઝાલા, કીર્તિસિંહ વાઘેલા, બલભદ્રસિંહ રાજપૂત સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા સ્થિત વેલનાથબાપાની જગ્યા ખાતે પાટડી-દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ સંમેલનમાં પાટડી, દસાડા, શંખેશ્વર, માંડલ અને બેચરાજી સહિતના વિસ્તારોમાંથી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સામાજિક સુધારા પર ભારબેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના બંધારણને મજબૂત બનાવવાનો અને પ્રવર્તતા કુરિવાજો નાબૂદ કરવાનો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ વિવિધ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો: વ્યસનમુક્તિ: સમાજમાંથી દારૂ અને અન્ય નશાના દૂષણને દૂર કરવા માટે આહવાન કરવામાં આવ્યું. કરકસર: પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ અને દેખાડા બંધ કરી શિક્ષણ પાછળ ધ્યાન કેન્દ્રિત કરવા ચર્ચા થઈ. સામાજિક બંધારણ: સમાજની એકતા અને શિસ્ત જાળવવા માટે નવા નિયમોના અમલીકરણ અંગે વિચારણા કરવામાં આવી. વાલેવડા પ્રકરણ અંગે નેતાઓની આક્રમક રજૂઆતઆ કાર્યક્રમ દરમિયાન વાલેવડા ગામમાં બનેલી દારૂ સંબંધિત એક ઘટનાનો મુદ્દો ગાજ્યો હતો. વાવ-થરાદના સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ તંત્રને અપીલ કરતા જણાવ્યું હતું કે, વ્યસનમુક્તિના નામે નિર્દોષ યુવાનો પર ખોટા કેસ ન કરવા જોઈએ અને પોલીસે બૂટલેગરોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ. બીજી તરફ, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે હુંકાર કરતા જણાવ્યું હતું કે, વાલેવડા પ્રકરણમાં જે નિર્દોષ લોકો સામે ખોટી ફરિયાદો થઈ છે તે તાત્કાલિક પાછી ખેંચવી જોઈએ. વધુમાં તેમણે આ મામલે દસાડા પીઆઈ (PI)ની તાત્કાલિક બદલી કરવાની માગ પણ મંચ પરથી કરી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિઆ સંમેલનમાં સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર તેમજ પાટડી-દસાડા વિસ્તારના સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં સમાજની ઉન્નતિ અને એકતાના સંકલ્પો લેવામાં આવ્યા હતા.
ભાવનગર ખાતેના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં આવેલી દુકાનની સામે બટેટાનો થડો પાથરવાના મુદ્દે વિવાદ થયો હતો, જેમાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં થડો ધરાવતા ઈસમે વેપારી પર છરા સાથે હુમલો કરવાની કોશિશ કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફરિયાદ નોંધાતા બોરતળાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વેપારી પર હુમલાનો પ્રયાસ કરાતા અન્ય લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યોઆ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ ચિત્રા માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ચંદન રણજીતભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ચિત્રા માર્કેટ યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા સવારના સમયે ચિત્રા માર્કેટીંગ યાર્ડ ખાતેની દુકાને શાકભાજીનો વેપાર કરવા માટે આવ્યા ત્યારે દુકાનની બહાર ચંદન રણજીતભાઈ નામનો શખ્સ બટેટા નો થડો પાથરીને બેઠો હતો, જેથી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ તેને દુકાનની સામેથી બટેટા લઈ લેવાનું કહેતા ચંદન રણજીતભાઈએ ઉશ્કેરાઈ જઈ જેમફાવે તેમ ગાળો દીધી હતી, એટલું જ નહિ મારે અહિયા જ ધંધો કરવાનો છે અને તારે જે થાય તે કરી લે તેમ કહી છરો લઈને મારવા દોડ્યો હતો, જેથી આજુબાજુમાં ઉભેલા વેપારી મિત્રોએ વચ્ચે પડી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, તેમજ બનાવ અંગે પોલીસને જાણ કરતા ચંદન રણજીતભાઈ ત્યાથી ભાગી ગયો હતો, અને જતા જતા ધમકી આપતો ગયો કે આજે તો રહી ગયો હવે બીજી વાર મળીશ તો જીવતો નહિ રહેવા દવ. જે બનાવ ના પગલે રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજાએ ફરિયાદ નોંધાવતા પોલિસે ચંદન રણજીતભાઈ નામના ઈસમ સામે BNS 352,351(3), તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે. વેપારીઓએ બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માગ કરીમળતી માહિતી મુજબ આજે સવારે એક પરપ્રાંતીય કે જે ઘણા વર્ષોથી યાર્ડમાં ધંધો કરે છે. જે રાજેન્દ્રસિંહ જાડેજાની જગ્યામાં ઘૂસપેઠ કરતો હતો, જેના પગલે આજે રાજેન્દ્રસિંહે પોતાની જગ્યામાં બેસવા માટે ના પાડી હતી, જે બાબત ને લઈને ચંદન રણજીતભાઇ નામના શખ્સે ઉગ્ર થઈ જેમ તેમ બોલવા લાગ્યો હતો, જેની બે પાંચ મિનિટ પછી તે અચાનક છરી લઈને ધસી આવ્યો હતો અને રાજેન્દ્રસિંહ જાડેજાને મારવાની કોશિશ કરી હતી. એ સમયે આજુબાજુના વેપારી મિત્રોએ ચંદન રણજીતભાઈ નામના ઈસમને પકડી છરી મારતા અટકાવ્યો હતો. જેથી જતા જતા હજુ હું તને છોડીશ નહીં એવી ધમકી આપતો ગયો હતો. જે બાદ રાજેન્દ્રસિંહ જાડેજાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, હાલ વેપારીઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે મીટીંગ બોલાવી ચેરમેન ને અરજી આપી રજૂઆત કરી છે. જેમાં વેપારીઓને જાનનું જોખમ હોય આવા પરપ્રાંતીયો યાર્ડમાં ન પ્રવેશે, તેમજ કોઈને હેરાન ન કરે, એ માટે શું મદદ થાય એવી યાર્ડ ખાતે રજુઆત સાથે અરજી કરી છે. માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માથાકૂટ સર્જાઈ હતીઆ બનાવ અંગે માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે સવારના માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગમાં માર્કેટિંગ યાર્ડના વેપારી રાજેન્દ્રભાઈની બાજુમાં જે પોતાનો માલ વેચતો હતો, માલ વેચાણમાં જગ્યામાં કંઈ નાની મોટી તકરાર થતા બોલાચારી થઈ હતી, અને બોલાચાલી બાદ સીધો હુમલો કરવા છરો લઈને મારવા આવ્યો હતો. પરંતુ સદનસીબે બીજા વેપારીઓ ત્યાં હાજર હોય, જેમણે ચંદનને પકડી લીધો હતો, અને કોઈ મોટી ઘટના ઘટતા પહેલા અટકી ગઈ છે. પરંતુ આ વિષયને લઈને શાકભાજીનો વેપાર કરતાં દરેક વેપારીઓમાં ખૂબ મોટો અસંતોષ અને રોષ ફેલાયો છે. જે હિસાબે માર્કેટિંગ યાર્ડના ચેરમેન સેક્રેટરી સાથે અત્યારે મીટીંગ બોલાવી છે, અને વારંવાર માર્કેટિંગ યાર્ડના શાકભાજી વિભાગની અંદર પરપ્રાંતિય લોકો દ્વારા આવા હિંસક હુમલાઓ થતા રહે છે, તો ફરી આવું દુષણ ન થાય એની રજૂઆત કરવા માટે શાકભાજીવાળા વેપારીઓ આવ્યા છે, અને તેની સાથે અત્યારે મીટીંગ ચાલુ છે.
શેરબજારમાં રાતોરાત અમીર બની જવાની લાલચ અને નકલી ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતી ટોળકીઓ હાલ સોશિયલ મીડિયા પર માયાજાળ ફેલાવીને બેઠી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા આવી જ એક ટોળકીનો શિકાર બની હતી. જોકે, સુરત સાયબર ક્રાઈમ સેલે આ મામલે ગંભીરતા દાખવી તપાસ હાથ ધરતા આ કેસના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા હતા અને મુંબઈથી બે રીઢા ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી. ઠગોએ મહિલાને શેરબજારમાં મોટા નફાની લાલચ આપીઆ અંગની મળતી માહિતી મુજબ, જહાંગીરપુરામાં વૈષ્ણોદેવી સ્કાય ખાતે રહેતા 27 વર્ષીય કોમલબેન શાહને ગત 4 ફેબ્રુઆરીના રોજ ઠગબાજોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. ઠગબાજોએ 'niftystock.in' નામની એક નકલી વેબસાઈટ બનાવી તેને 'સેબી (SEBI) રજિસ્ટર્ડ' કંપની તરીકે ઓળખાવી હતી. આ ગેંગના સભ્યોએ 'વિજય સિંગ' અને 'અનીશ' તરીકે ખોટી ઓળખ આપી કોમલબેનનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ કોમલબેનને વિશ્વાસમાં લીધા હતા કે, જો તેઓ તેમની કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરશે, તો તેમને ટૂંકા સમયમાં મોટો નફો મળશે. એટલું જ નહીં, ઠગબાજોએ તેમને 'ફંડેડ એકાઉન્ટ' ખોલાવી આપવાના બહાને આકર્ષક પેકેજોની ઓફર કરી હતી. ટુકડે-ટુકડે 20 લાખથી વધુ પડાવ્યાશરૂઆતમાં નફાની લાલચમાં આવીને કોમલબેને વિશ્વાસ મૂક્યો હતો. આરોપીઓએ વિવિધ પ્રોસેસિંગ ફી, ટેક્સ અને રોકાણના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટુકડે-ટુકડે કુલ રૂ. 20,67,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. જ્યારે કોમલબેને પોતાના નફાની રકમ કે મુદલ પરત માંગી ત્યારે આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરપિંડી થઈ હોવાનુ માલુમ થતાં તેમણે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈથી બે આરોપીની ધરપકડસુરત સાયબર ક્રાઈમ સેલના ડીસીપી બીશાખા જૈનની સૂચના મુજબ ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, છેતરપિંડીના પૈસા મહારાષ્ટ્રના અલગ-અલગ બેંક ખાતાઓમાં જમા થયા છે, જેના આધારે સુરત પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી અને બે શખસને દબોચી લેવામાં આવ્યા હતા. એક મુખ્ય સૂત્રધાર, 10 ટકા કમિશન પર બેંક ખાતા ભાડે લેતોપકડાયેલ આરોપીઓમાં અજય વિજય શરણપ્પા મહિલ (ઉં.વ.25) તે મૂળ કર્ણાટકનો વતની છે અને હાલ નવી મુંબઈમાં રહે છે. તેના એક્સિસ બેંકના ખાતામાં છેતરપિંડીના 2.67 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. અજરોદ્દીન ખસિમ અજમેર જમાદાર (ઉં.વ.34) થાણેનો રહેવાસી આ શખ્સ મુખ્ય સૂત્રધાર અને નાસતા ફરતા આરોપીઓ વચ્ચેની કડી હતો. તે ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ મેળવી, તે એકાઉન્ટ્સ સાયબર ઠગોને ભાડે આપતો હતો અને તેના બદલામાં 10 ટકા કમિશન મેળવતો હતો. હાલમાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમને સુરત લાવી વધુ તજવીજ હાથ ધરી છે અને આ ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
રાજ્યની ટેકનિક્લ શિક્ષણ કમિશ્નરની કચેરી અને એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ (ACPC) દ્વારા ડિપ્લોમા પછી સીધા બીજા વર્ષના ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા DDCET-2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલે એટલે કે 9 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. વિદ્યાર્થીઓ 30 માર્ચ 2026ના રોજ સાંજે 5 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ માટે ઉમેદવારે રૂ. 250 (નોન-રિફંડેબલ) રજીસ્ટ્રેશન ફી ઓનલાઈન ભરવાની રહેશે. 36,212 બેઠકો પર પ્રવેશ મળશેઆ વર્ષે રાજ્યની 16 સરકારી, 3 ગ્રાન્ટેડ અને 120 પ્રાઇવેટ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કુલ મળીને આશરે 36,212 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે, જેમાં સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 2068 બેઠકોનો સમાવેશ થાય છે. DDCET-2026 પરીક્ષા કુલ 200 ગુણની રહેશે અને તેના માટે અઢી કલાકનો સમય ફાળવવામાં આવશે. એન્જિનિયરિંગમાં બે પેપર રહેશે. બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. જ્યારે ફાર્મસીમાં બે પેપર રહેશે. બેઝિક ઓફ ફાર્મસી અને એપ્ટિટ્યુડ ટેસ્ટ. ફોર્મ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન રહેશેઓનલાઈન પ્રક્રિયા માટે રજીસ્ટ્રેશન માટે ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની જરૂર નથી, સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે. જરૂરી દસ્તાવેજમાં હાલના તબક્કે ઉમેદવારો પાસપોર્ટ સાઈઝ ફોટો, સહી અને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે. 26 એપ્રિલે ઓફલાઇન માધ્યમથી પરીક્ષાઅવેરનેસ કાર્યક્રમ જેમાં વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે રાજ્યભરમાં ૫૨ જેટલા ઓફલાઈન અવેરનેસ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. આ પરીક્ષા 26 એપ્રિલ 2026ના રોજ ઓફલાઇન માધ્યમથી લેવામાં આવશે. જેનું પરિણામ મે 2026માં પહેલા અથવા બીજા અઠવાડિયે ડિક્લેર કરવામાં આવશે.
મહેસાણા જિલ્લામાં એસટી બસમાં સવાર મહિલાની એસઆરપી જવાન દ્વારા છેડતી કરવામાં આવી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે એસઆરપી જવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસટી બસમાં બાજુમાં બેસેલા SRP જવાને છેડતી કર્યાનો આરોપભોગ બનનાર મહિલા પોતાના સાસરેથી પિયર જવા માટે બસમાં નીકળી હતી.આ દરમિયાન તેની બાજુની સીટ પર બેઠેલા વિરમગામ F-20 SRP ગ્રુપના જવાન ગેનજી ઠાકોરે ચાલુ બસે મહિલાની છેડતી કરી હતી. જવાનની આ હરકતથી ગભરાવાને બદલે મહિલાએ હિંમત દાખવી તાત્કાલિક '112' નંબર પર કોલ કરીને પોલીસની મદદ માંગી હતી. મહિલાની ફરિયાદ બાદ પોલીસે ચાલુ બસમાંથી જ જવાનને ઝડપી પાડ્યોઘટનાની જાણ થતા જ મોઢેરા પોલીસ એક્શનમાં આવી હતી. મોઢેરા પી.આઈ.એ ચાલુ બસમાંથી જ આરોપી જવાન ગેનજી ઠાકોરને દબોચી લીધો હતો. આ મામલે મહિલાની ફરિયાદના આધારે મોઢેરા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ જવાન દ્વારા આચરવામાં આવેલા આ કૃત્યને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ગોધરામાં કેન્સર જાગૃતિ માટે વોલ્કેથોન યોજાઈ:આરોગ્યમ હોસ્પિટલ દ્વારા આયોજન, ધારાસભ્યએ ફ્લેગ ઓફ કર્યું
આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ગોધરા તાલુકાના નંદાપૂરા નજીક 'આરોગ્યમ વોલ્કેથોન–2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોલ્કેથોનનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગ અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ગોધરા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ તેમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વોલ્કેથોનની શરૂઆત ગોધરા શહેરના પોલીસ હેડ ક્વાર્ટર પરથી કરવામાં આવી હતી. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવીને તેને ફ્લેગ ઓફ કરી હતી. આ વોલ્કેથોન પાંજરાપોળ, વિશ્વકર્મા ચોક, રામસાગર તળાવ અને અટલબાગ જેવા મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. અંતે, તે ફરી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સમાપ્ત થઈ હતી. કાર્યક્રમ દરમિયાન, આરોગ્યમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ દ્વારા ઉપસ્થિત લોકોને કેન્સરના લક્ષણો, સમયસર નિદાન અને તેની સારવારના મહત્વ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના હરદીપ શુક્લા દ્વારા ભારતીય સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. આ ટિપ્પણીના વિરોધમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા ગુનો દાખલ કરવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખારાપાટ યુવા વિકાસ પરિષદ, માંડલ, પાટડી અને વિરમગામના સંગઠને આ આવેદનપત્ર પાઠવીને હરદીપ શુક્લા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આવા મહાન વ્યક્તિ વિશે અભદ્ર ટિપ્પણી કરવી અયોગ્ય છે. ભવિષ્યમાં આવા મહાપુરુષોનું અપમાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે કડક કાર્યવાહી જરૂરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. પૂર્વ કોર્પોરેટર અને હાલના મહિલા નગરસેવકના પતિ પ્રવીણ સોરાણીએ અત્યંત સ્ફોટક નિવેદન આપતા જણાવ્યું છે કે, આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને 0 (ઝીરો) સીટ મળશે. સોરાણીના આ દાવાએ રાજકીય આલમમાં ભૂકંપ સર્જ્યો છે. પક્ષના નેતૃત્વ સામે ખુલ્લો મોરચો માંડતા સોરાણીએ આક્ષેપ કર્યો છે કે શહેર કોંગ્રેસ હાલમાં માત્ર અમુક નેતાઓની પેઢી બની ગઈ છે અને પાયાના કાર્યકરોને હડધૂત કરવામાં આવી રહ્યા છે. આ નિવેદનના જવાબમાં શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ તેને પક્ષની છબી ખરાબ કરવાનું ષડયંત્ર ગણાવીને કડક શિસ્તભંગના પગલાં લેવાની ખાતરી આપી છે. પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિવાદાસ્પદ અને આક્રમક પોસ્ટ મૂકીને શહેર કોંગ્રેસના સંગઠન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ હાલમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલી રહી છે અને પક્ષને એક ખાનગી પેઢીની જેમ ચલાવવામાં આવી રહ્યો છે. સોરાણીએ પોસ્ટમાં લખ્યું છે કે, શહેર પ્રમુખ જ્યાં મિટિંગો બોલાવે છે ત્યાં જૂના, પીઢ અને પાયાના કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. તેમણે સીધું જ નિશાન સાધતા જણાવ્યું કે, જો શહેર પ્રમુખમાં સંગઠન ચલાવવાની શક્તિ ન હોય તો તેમણે તુરંત જ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો સીટ આવશે: પ્રવીણ સોરાણીપ્રવીણ સોરાણીએ મીડિયા સામે આવીને પણ પક્ષના વર્તમાન માળખા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ભવિષ્યવાણી કરી છે કે જે રીતે હાલમાં શહેર કોંગ્રેસનું સંચાલન થઈ રહ્યું છે, તે જોતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષનો સફાયો થઈ જશે અને કોંગ્રેસના ફાળે માત્ર 0 (ઝીરો) સીટ આવશે. આ નિવેદન માત્ર એક ભવિષ્યવાણી નથી પરંતુ પક્ષના કાર્યકરોમાં વ્યાપેલી હતાશાનું પ્રતિબિંબ પણ માનવામાં આવે છે. ‘સંગઠન ચલાવવાની ક્ષમતા ન હોય તો પ્રમુખ રાજીનામું આપી દે’સોરાણીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને નિશાન બનાવતા કહ્યું કે, તમે જ્યાં મિટિંગો બોલાવો છો ત્યાં જૂના અને પીઢ કોંગ્રેસી કાર્યકરો આવવા જરાય રાજી નથી. જો પ્રમુખમાં સંગઠન ચલાવવાની કે કાર્યકરોને સાથે રાખવાની ક્ષમતા ન હોય, તો તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. આ પ્રકારના આકરા નિવેદનોથી રાજકોટ કોંગ્રેસના બે ભાગલા પડી ગયા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. ‘ઇન્દ્રનીલ રાજ્યગુરુ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે’આ વિવાદમાં માત્ર શહેર પ્રમુખ જ નહીં, પણ કોંગ્રેસના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નામ પણ ઉછળ્યું છે. પ્રવીણ સોરાણીએ ગંભીર આરોપ લગાવ્યો છે કે રાજકોટ શહેર કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુના ઈશારે ચાલે છે અને તેઓ પક્ષને પોતાની ખાનગી માલિકીની પેઢી સમજી રહ્યા છે. સોરાણીએ જણાવ્યું કે, અમે કોંગ્રેસના સૈનિક છીએ, કોઈ વ્યક્તિના માણસ નથી, પરંતુ હાલની કાર્યપદ્ધતિ પક્ષને વિનાશ તરફ લઈ જઈ રહી છે. ‘અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા’સૌથી વધુ ચોંકાવનારી બાબત એ રહી કે સોરાણીએ પક્ષના કાર્યાલયને લઈને પણ જૂના ઘા ઉખેડ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, અમને કોંગ્રેસ કાર્યાલયથી હડધૂત કરીને કાઢવામાં આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો કે અતુલ રાજાણી જ્યારે પ્રમુખ હતા ત્યારે પણ કાર્યાલય બદલવાની માગ કરવામાં આવી હતી કારણ કે હાલનું કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની વ્યક્તિગત મિલકત છે અને ત્યાં સામાન્ય કાર્યકરોનું સન્માન જળવાતું નથી. જો રાજદીપસિંહ જાડેજા નવું કાર્યાલય ન બનાવી શકતા હોય તો તેમણે નૈતિકતાના ધોરણે સત્તા છોડવી જોઈએ. ‘મારી ટિકિટ કાપવા ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી’ચૂંટણીલક્ષી આક્ષેપો કરતા પ્રવીણ સોરાણીએ જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં મારી ટિકિટ કાપવા માટે ઇન્દ્રનીલ રાજ્યગુરુની ટોળકી ધોકા લઈને નીકળી છે. જોકે, તેમણે મક્કમતાથી કહ્યું કે તેઓ લડશે તો કોંગ્રેસમાંથી જ, પરંતુ જો પક્ષ તેમની અવગણના કરશે તો તેઓ ભવિષ્યમાં સ્વતંત્ર નિર્ણય લેવા માટે મજબૂર થશે. તેમણે શહેર પ્રમુખને આડે હાથ લેતા કહ્યું કે કાર્યકરોની લાગણી સમજવાને બદલે સંગઠન માત્ર અમુક લોકોના ઈશારે જ નિર્ણયો લઈ રહ્યું છે. પ્રવીણ સોરાણીના આક્ષેપો પાયાવિહોણા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો ભાગ: રાજદીપસિંહ જાડેજાપ્રવીણ સોરાણીના આક્ષેપોનો શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જાડેજાએ જણાવ્યું કે, પ્રવીણ સોરાણી કદાચ ભાજપના નેતાઓ સાથે વધુ પડતી ઉઠક-બેઠક ધરાવતા હોવાથી તેમને કોંગ્રેસની હારના અને ઝીરો સીટના સપના આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સોરાણી જે આક્ષેપો કરી રહ્યા છે તે તદ્દન પાયાવિહોણા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિનો એક ભાગ છે. આવી પક્ષવિરોધી પ્રવૃત્તિ કોઈ આગેવાન કે કાર્યકર કરે તે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમ મુજબ પ્રવીણભાઈ સામે પણ પગલાં લેવામાં આવશે. ‘એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી’કાર્યાલયના મુદ્દે જાડેજાએ સ્પષ્ટતા કરી કે, આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટીનું છે. તેમજ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનાં અનેક નેતાઓ આ કાર્યાલયમાં આવી ચૂક્યા છે અને અહીં ઘણી મિટિંગો પણ થઈ છે. પ્રવીણભાઈ જેવા એકલ-દોકલ વ્યક્તિના ન આવવાથી કોંગ્રેસને ફેર પડતો નથી. જે વાત તેમણે શીર્ષ નેતૃત્વને કરવી જોઈએ તે મીડિયા મારફત કરી શિસ્તભંગ કર્યો છે. પક્ષની શિસ્તનો ભંગ કરનાર અને જાહેરમાં પક્ષને બદનામ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને જડબાતોડ જવાબ આપશે અને ઝીરો સીટની વાતો કરનારાઓને પ્રજા યોગ્ય જવાબ આપશે. કોંગ્રેસની આંતરિક લડાઈ શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચીઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોંગ્રેસની આ આંતરિક લડાઈ હવે શેરીઓ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી ગઈ છે. એક તરફ પક્ષના પાયાના કાર્યકર હોવાનો દાવો કરતા સોરાણી પક્ષના પતનની આગાહી કરી રહ્યા છે, તો બીજી તરફ સંગઠન તેમને શિસ્તના નામે બહારનો રસ્તો બતાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેવા નેતાઓ પર થતા આક્ષેપો પક્ષ માટે ચિંતાનો વિષય છે, કારણ કે આ વિખવાદનો સીધો ફાયદો સત્તારૂઢ ભાજપને મળી શકે છે. ત્યારે આગામી દિવસોમાં પ્રદેશ નેતૃત્વ આ મામલે ક્યારે અને કેવા પગલાં લેશે તેનાં પર સૌની નજર છે. હાલ તો પ્રવીણ સોરાણીનું ઝીરો સીટ વાળું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઉનાવા હાઇવે પાસે ડિસેન્ટ હોટેલ પાછળ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં મુકેલા 3 કરોડના જીરાની ચોરી અજાણ્યા તસ્કરોએ કરી હતી. 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન આ ચોરી ની ઘટના બની હતી. વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13,14 અને 15ના તાળા ખોલી તસ્કરોએ રાત્રિના અંધારામાં હજારોની સંખ્યામાં જીરાની બોરીઓ ટ્રક મારફતે સાફ કરી દીધી ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ગણાતા ઊંઝામાં થયેલી રૂ 3.02 કરોડના જીરાની ચોરીનો મામલો હવે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો વળાંક લઈ રહ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં પરંતુ હાઈકોર્ટના વકીલ, દિલ્હીના ડુપ્લીકેટ ચાવી બનાવવાના એક્સપર્ટ અને રીઢા ગુનેગારોની એક ગેંગ હોવાનું મહેસાણા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લાખોની રોકડ સહિત કુલ રૂ 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દિલ્હીથી ઊંઝા સુધી રચાયું ષડયંત્રઆ ચોરીનું આયોજન અત્યંત શાતિર રીતે કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં રહેતા વોન્ટેડ આરોપી ઈમરાન જમીલે પાટણના અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈકરામ મેમણનો સંપર્ક કર્યો હતો. ઈમરાનને ઉનાવા પાસેના ખોડીયાર એસ્ટેટના ગોડાઉનમાં રહેલા જીરાના જથ્થાની સચોટ માહિતી હતી. વકીલ ઈકરામનું કામ ચોરી કરવા માટે સ્થાનિક સ્તરે મજબૂત ટોળકી તૈયાર કરવાનું હતું. આ માટે તેણે સાદીક મેમણનો સંપર્ક કર્યો. જે અગાઉ બળાત્કારના ગુનામાં સંડોવાયેલો હતો અને હાઈકોર્ટમાં કામકાજ અર્થે આવતો હોવાથી વકીલના સંપર્કમાં હતો. આ રીતે કાયદાનો જાણકાર જ આ ચોરીનો માસ્ટરમાઇન્ડ બન્યો હતો. ચોરી કરવા માટે આરોપી ઈમરાન જમીલે જે ચાવી બનાવવાનો એક્સપર્ટ છે. ગોડાઉનના તાળા જોઈ તેની ડુપ્લીકેટ ચાવીઓ તૈયાર કરી હતી. સ્થાનિક મદદ માટે આરોપી ગૌરવ પટેલને સામેલ કરાયો હતો, જેનું કામ પોલીસ કે અન્ય કોઈ હિલચાલ પર નજર રાખી ગેંગને સાવચેત કરવાનું હતું. ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન રાત્રિના સમયે ડુપ્લીકેટ ચાવીથી તાળા ખોલી, મજૂરો અને ટ્રકો લાવીને 8 થી 10 ફેરા કરીને કરોડોનું જીરું સાફ કરવામાં આવ્યું હતું. ચોરેલું જીરું ખેડૂત બનીને બજારોમાં વેચ્યુંચોરી કર્યા બાદ આરોપી વજાહત ખાન અને શાહનવાઝ ઉર્ફે ટીપુ ખેડૂત બનીને આ જીરું બજારમાં વેચવા જતા હતા. તેમણે ડીસાની એક પેઢીમાં રૂ 3200ના ભાવે અંદાજે 1 કરોડનું જીરું વેચ્યું હતું. આ ઉપરાંત ઊંઝા અને ચાણસ્મા પંથકમાં પણ ચોરીનો માલ વેચીને રોકડી કરી લેવામાં આવી હતી. આ ચોરીના નેટવર્કમાં જુમ્મા ખાન નામના શખ્સે ટ્રક અને મજૂરોની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદરસપ્રદ વાત એ છે કે આ ચોરીની ફરિયાદ નોંધાય તે પહેલા જ મહેસાણા એલ.સી.બી.ને એક શંકાસ્પદ નંબરની માહિતી મળી હતી જે ઊંઝામાં સસ્તા ભાવે જીરું વેચવા માટે સંપર્ક કરી રહ્યો હતો. ત્યારબાદ 4 જાન્યુઆરીએ જ્યારે ઉનાવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. સીસીટીવીમાં દેખાયેલી ટ્રકના ડ્રાઈવરની પૂછપરછમાં જુમ્મા ખાનનું નામ ખુલ્યું અને કડી દર કડી જોડાતા આખી ગેંગનો પર્દાફાશ થયો. મુદ્દામાલની રિકવરીપોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી 30 લાખ, વજાહત ખાન પાસેથી 9.50 લાખ, સાદીક મેમણ પાસેથી 5 લાખ અને ગૌરવ પટેલ પાસેથી 50 હજાર સહિતની રોકડ રકમ રિકવર કરી છે. આ ઉપરાંત 11.50 લાખની કિંમતની 110 બોરી જીરું પણ જપ્ત કરવામાં આવ્યું છે.હાલમાં પોલીસ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને શાહનવાજને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.
રાજકોટમાં પ્રૌઢને સગા સાઢુભાઈએ દગો દીધો હોવાની ઘટના સામે આવી છે. ખારચિયા ગામના રહેવાસી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ભુવા પાસે સાઢુભાઈ સુરેશ તાલપરાએ સોપારીના ધંધામાં નુકસાન પહોંચ્યું હોવાથી નાણાંની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામની ખેતીની જમીન પર લોન લેવડાવી આપવા કહ્યુ હતુ અને તેના નાણા 6 માસમાં ભરી દેશે તેવી બાંયધરી આપી હતી. જોકે તે બાદ ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ અન્યના નામે કરાવી નાખ્યા. જેથી પ્રૌઢે ખેતીની જમીન પરત માગતા વ્યાજ સહિત રૂ.1 કરોડની માંગણી કરવામાં આવતા પ્રૌઢે સાઢુભાઈ સહિત 4 શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગૂનો નોંધી છેતરપિંડી કરતા શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના ખારચિયા ગામે રહેતા અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા 55 વર્ષીય રમેશભાઇ ભુવાએ આજી ડેમ પોલીસ મથકમાં સુરેશભાઈ તાલપરા (ઉ.વ.45, ધંધો-મજુરી રહે.પિતૃ કૃપા મકાન, સીતારામ સોસાયટી શેરી નં.૩, મોરબી રોડ, રાજકોટ), અલ્પેશ દોંગા (રહે. આર.કે. વર્લ્ડ ટાવર, ત્રીજો માળ, શીતલ પાર્ક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ),ધર્મેન્દ્ર ઠેસીયા (ઉ.વ.50, ચાંદીકામ રહે.મારૂતીનગર-3 શેરી નં.1, કુવાડવા રોડ, રાજકોટ, મુળ- પાતા મેઘપર તા. કાલાવડ જી.જામનગર), પરસોતમભાઈ લુણાગરીયા (ઉ.વ.50, ચાંદીકામ, રહે.આર.કે. બંગ્લોઝ, બંગલો નં-સી, કુવાડવા રોડ, 80 ફુટ રોડ, રાજકોટ) તથા તપાસમાં ખુલે તે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તા.21/04/2023 થી તા.02/05/2023 દરમિયાન સાઢુભાઈ સુરેશભાઇ તાલપરાને સોપારીના ધંધામાં નુકશાની થતા નાણાની માંગણી કરી હતી. જોકે નાણા ન હોવાથી ખારચિયા ગામે આવેલી ખેતીની જમીન પર લોન કરાવી આપવા કહ્યું હતું અને 6 માસમાં લોનના નાણા ભરી દેશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જે બાદ લોનના બહાને પીપરવાડી ખાતેની જમીનનો ધર્મેન્દ્ર ઠેસિયાના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી છેતરપિંડી કરી હતી. જે બાદ ફરિયાદી રમેશભાઈએ બેઠક પણ કરી હતી. તે વખતે જમીન ઉપર વ્યાજે લીધેલા રૂપીયાના વ્યાજ સહીત કુલ રૂ.1 કરોડની માંગણી કરવામાં આવી હતી અને જો વ્યાજ સહીત રૂપીયા નહી આપો તો જમીન ભુલી જવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે આઇ.પી.સી. કલમ 420, 120(બી) તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારાઓ બાબત અધિનીયમ – 2011 ની કલમ 5,40,42 મુજબ ગૂનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજના આધુનિક યુગમાં જેટલી ઝડપે ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેટલી જ ઝડપે સાયબર અપરાધીઓ પણ સક્રિય થયા છે. નિર્દોષ નાગરિકો, ખાસ કરીને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઈમ સેલે પર્દાફાશ કર્યો છે. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવી ભયાનક મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી વૃદ્ધોને માનસિક ત્રાસ આપી લૂંટતી આ ટોળકીના વધુ એક સાગરીત જીગ્નેશ શાહને પોલીસે અમદાવાદથી દબોચી લીધો છે. શું હતી સમગ્ર ઘટના?આ ઘટનાની વિગત એવી છે કે, એપ્રિલ 2025માં સુરતના એક વયોવૃદ્ધ નાગરિક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયા હતા. ઠગબાજોએ સીબીઆઈ (CBI) ઓફિસર હોવાનો સ્વાંગ રચી વૃદ્ધને વીડિયો કોલ કર્યો હતો. આરોપીઓએ અત્યંત વ્યવસ્થિત રીતે ડરનું વાતાવરણ ઊભું કર્યું અને જણાવ્યું કે, “નરેશ ગોયલ મની લોન્ડરિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયા છે. તમારી સામે ગુનો નોંધાયો છે અને તમારી ધરપકડ થઈ શકે છે.” આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને ઠગોએ એક અઠવાડિયા સુધી ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. એટલે કે, તેમને સતત વીડિયો કોલ પર દેખરેખ હેઠળ રાખી કોઈને પણ જાણ ન કરવા દબાણ કર્યું હતું. આ માનસિક દબાણ હેઠળ વૃદ્ધે પોતાની મરણમૂડીમાંથી 22 લાખ રૂપિયાથી વધુની રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. ત્યાર બાદ વૃદ્ધને છેતરપિંડીનો અહેસાસ થતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ આ કેસમાં અમદાવાદના કૃણાલસિંહ સિસોદિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. કૃણાલસિંહની સઘન પૂછપરછમાં જીગ્નેશ સુનિલકુમાર શાહનું નામ સામે આવ્યું હતું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અમદાવાદમાં જાળ બિછાવી જીગ્નેશ શાહને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે જીગ્નેશ ગ્રેજ્યુએટ થયેલો છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. કેવી રીતે બેન્ક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા?પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે જીગ્નેશ શાહ આ ગેંગ માટે ‘બેંક એકાઉન્ટ પ્રોવાઈડર’ તરીકે કામ કરતો હતો. તે કમિશનના લાલચે સાયબર ફ્રોડના પૈસા મેળવવા માટે ભાડે અથવા ડમી બેંક એકાઉન્ટની વ્યવસ્થા કરી આપતો હતો. ઠગબાજો જે રકમ પડાવતા, તે રકમ જીગ્નેશે પૂરા પાડેલા ખાતાઓમાં જમા થતી હતી, જેમાંથી તે પોતાનું કમિશન કાપી લેતો હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, “કોઈપણ સરકારી એજન્સી ક્યારેય વીડિયો કોલ પર કોઈની ધરપકડ કરતી નથી કે પૈસાની માંગણી કરતી નથી. ‘ડિજિટલ એરેસ્ટ’ જેવો કોઈ કાયદેસરનો શબ્દ નથી, તે માત્ર ઠગાઈ કરવાની એક રીત છે. હાલ તો સુરત સાયબર ક્રાઈમ સેલ જીગ્નેશ શાહની વધુ પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ ટોળકીએ અન્ય કેટલાય લોકો સાથે પણ લાખોની છેતરપિંડી કરી હોઈ શકે છે. આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ગાંધીનગરના કોલવડા ગામના ચામુંડાપુરા વિસ્તારમાં રહેતા બે મિત્રો રાત્રિના સમયે જમીને ચાલવા નીકળ્યા હતા. ત્યારે કાળ બનીને આવેલા એક મોટરસાઈકલ ચાલકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રણજીત પ્રજાપતિ નામના 27 વર્ષીય યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મિત્રને સામાન્ય ઇજાઓ પહોંચી છે. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચાલીને જતા બે મિત્રોને અડફેટે લીધા હતાગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બેફામ વાહન ચાલકોનો આતંક સતત વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ કોલવડા ગામનો 27 વર્ષીય યુવક બન્યો છે.ગાંધીનગરના કોલવડાનો આનંદ અજમલજી ઠાકોર તેના મિત્ર રણજીત હરિભાઈ પ્રજાપતિ સાથે ગઈકાલે રાત્રે આઠેક વાગે કોલવડાથી સોનીપુર રોડ પર ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી બાઇક ચાલકે (નં.GJ27E4532) પૂરઝડપે અને ગફલતભરી રીતે બાઇક હંકારી બંને મિત્રોને પાછળથી અડફેટે લીધા હતા. રણજીત પર આખું બાઇક ચઢાવી દીધુંઆ ટક્કર એટલી જોરદાર હતી કે રણજીતભાઈ પર આખું બાઈક ચડી ગયું હતું. આ અકસ્માત બાદ ગંભીર રીતે ઘવાયેલા રણજીતને માથાના પાછળના ભાગે લોહી નીકળતું હોવાથી તે બેભાન થઈ ગયો હતો.જેના પગલે 108 એમ્બ્યુલન્સ થકી બંને મિત્રોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓ થવાથી ફરજ પરના ડોક્ટરે રણજીતને મૃત જાહેર કર્યો હતો.આ અંગે આનંદ ઠાકોર ની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Major Deals Signed Between India Malaysia : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમની હાજરીમાં ભારત અને મલેશિયા વચ્ચે છ મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કુઆલાલંપુરમાં યોજાયેલી આ દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન બંને દેશોએ સાંસ્કૃતિક, આર્થિક અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા સંમતિ દર્શાવી હતી. PM મોદી હાલ મલેશિયાના પ્રવાસે વડાપ્રધાન મોદીની બે દિવસીય મલેશિયા મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારત-મલેશિયાની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.
વસ્તડીના શખ્સનો રીક્ષામાં ભૂલાયેલો થેલો મળ્યો:નેત્રમની મદદથી સુરેન્દ્રનગર પોલીસે પરત કર્યો
સુરેન્દ્રનગર: વઢવાણ તાલુકાના વસ્તડી ગામના ગોવિંદભાઈ ઈશ્વરભાઈનો રીક્ષામાં ભૂલાઈ ગયેલો થેલો 'નેત્રમ' પ્રોજેક્ટની મદદથી પરત કરવામાં આવ્યો છે. આ થેલામાં રૂ. 3,000ની કિંમતનો સામાન હતો.સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ તથા 'નેત્રમ'ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયાની સૂચનાથી તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત કરવામાં આવે છે. અરજદાર ગોવિંદભાઈ ઈશ્વરભાઈ 6 ફેબ્રુઆરી, 2026ના રોજ ધ્રાંગધ્રાથી રીક્ષામાં બેસી સુરેન્દ્રનગર ટી.બી. હોસ્પિટલ ખાતે ઉતર્યા હતા. તેઓ પોતાનો સામાન ભરેલો થેલો રીક્ષામાં જ ભૂલી ગયા હતા.આ અંગે 'નેત્રમ' ખાતે જાણ કરવામાં આવતા, 'નેત્રમ'ના સીસીટીવી કેમેરાની મદદથી ગોવિંદભાઈ જે રીક્ષામાં બેઠા હતા તેનો રજીસ્ટ્રેશન નંબર GJ-01 TH-5325 ઓળખી કાઢવામાં આવ્યો. ત્યારબાદ રીક્ષાચાલકનો સંપર્ક કરીને ગોવિંદભાઈનો થેલો તેમને પરત કરવામાં આવ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલી ખાતે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં દેશ-વિદેશના આશરે 15 હજાર દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ દોડમાં 1 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીનો સમાવેશ થતો હતો. મેરેથોનની શરૂઆત વહેલી સવારે લગભગ 6 વાગ્યે બોડેલી સેવા સદન નજીકના ગ્રાઉન્ડથી થઈ હતી. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ફ્લેગ ઓફ કરીને આ દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. આ મેરેથોનમાં વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 1 કિલોમીટરની દોડમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 5-5 હજાર, 5 કિલોમીટરની દોડમાં રૂ. 11-11 હજાર અને 10 કિલોમીટરની દોડમાં રૂ. 25-25 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં પુરુષ અને મહિલા વિભાગના પ્રથમ વિજેતાને રૂ. 50-50 હજારનું ઇનામ અપાયું હતું. આ મેરેથોનમાં એક 7 વર્ષીય બાળકીએ પણ 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં ભાગ લઈને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે લગભગ ત્રણ કલાકમાં આ દોડ પૂરી કરી હતી. બાળકીના આ સાહસ બદલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તેને વિશેષરૂપે સન્માનિત કરવામાં આવી હતી.
ભરૂચમાં હજ યાત્રિકો માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન:આશરે 500 હાજીઓએ રસીકરણનો લાભ લીધો
ભરૂચમાં આ વર્ષે હજ યાત્રાએ જનાર યાત્રિકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ હજ યાત્રીઓને જરૂરી રસીકરણ પૂરું પાડવાનો હતો. હજ કમિટી દ્વારા આયોજિત આ કેમ્પ તાજેતરમાં 8મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના કોલેજ ઓડિટોરિયમ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કેમ્પ દરમિયાન આશરે 500 જેટલા હજ યાત્રિકોએ ઉપસ્થિત રહી રસીકરણનો લાભ લીધો હતો. આયોજકોએ યાત્રિકોની સુવિધા અને આરોગ્ય સલામતીને પ્રાથમિકતા આપી હતી. સમગ્ર કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામગીરીને સફળ બનાવવા માટે ભરૂચ સિવિલ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફ તેમજ ભરૂચ જિલ્લા આરોગ્ય કેન્દ્રના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો. કેમ્પ દરમિયાન ડો. કિરણ સી. પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ડૉ. ગોપિકા મેખીયા, ઇન્ચાર્જ સિવિલ સર્જન ડૉ. અભિનવ શર્મા, ડૉ. રૂહીના શેખ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર મુકીમ મન્સૂરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર કામગીરીની દેખરેખ રાખી હતી. કેમ્પના સમાપ્તિએ, ભરૂચ જિલ્લા હજ ખાદીમ દ્વારા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મોરબીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં બે વ્યક્તિના અપમૃત્યુ થયા છે. સોખડા ગામ પાસે એક કારખાનામાં લિફ્ટ પડતા 52 વર્ષીય આધેડનું મોત થયું હતું, જ્યારે ધુતારી વાડી વિસ્તારમાં 22 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલા સોખડા ગામ નજીક પીરવોન લેમિનેટ નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા લલનભાઈ ગણેશભાઈ પ્રસાદ (ઉંમર 52) કારખાનામાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર લિફ્ટ પડતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત લલનભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટનામાં, મોરબીના બાયપાસ રોડ પર નેક્સેસ સિનેમા સામેના ધુતારી વાડી વિસ્તારમાં રહેતા કિશનભાઈ વાલજીભાઈ વાઘેલા (ઉંમર 22) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ યુવાનનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'યુવા સંવાદ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય બજેટ 2026 પર યુવાનો સાથે વિસ્તૃત ચર્ચા થઈ હતી, જેમાં વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી ભરતભાઈ વાળાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ઉદબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રજૂ થયેલું કેન્દ્રીય બજેટ 2026 યુવા ભારતની આકાંક્ષાઓ પૂર્ણ કરનારું છે. આ બજેટ આવનારા વર્ષોમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો મજબૂત પાયો નાખશે. વાળાએ વધુમાં જણાવ્યું કે, બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા, કૌશલ્ય વિકાસની નવી યોજનાઓ, સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન અને રોજગાર સર્જન માટેના નિર્ણયો યુવાનોને આત્મનિર્ભર બનાવશે. તેમણે યુવાનોમાં નવીન વિચારશક્તિ અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવા માટેના બજેટ પ્રાવધાનોને દેશની આર્થિક વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવાનોએ બજેટ સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને ખુલ્લા મનથી સંવાદ કર્યો હતો. યુવાનોમાં દેશના ભવિષ્ય પ્રત્યે આશા અને આત્મવિશ્વાસની ભાવના જોવા મળી હતી. શિક્ષણ, રોજગાર અને સ્ટાર્ટ-અપ અંગેની ચર્ચાએ યુવાનોને નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર, મહામંત્રી અનિલ જેઠવા સહિત જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, યુવા મોરચાના હોદ્દેદારો, પાર્ટીના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો, જેમાં 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં યુવાનોની સક્રિય ભાગીદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટર પદો માટે આજે મતદાન ચાલી રહ્યું છે. કુલ 9 ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 3 ડિરેક્ટરો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. બાકીના 6 પદો માટે મોડી રાત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતા છે. બેંકના 9 ડિરેક્ટરોની મુદત પૂર્ણ થતાં નવી વરણી માટે ચૂંટણી યોજાઈ રહી છે. આમાં 6 સામાન્ય બેઠકો, 2 મહિલા અનામત બેઠકો અને 1 SC/ST અનામત બેઠકનો સમાવેશ થાય છે. મહિલા અનામત બેઠકો પર જ્યોતિબેન વિરાણી અને હંસાબેન ઠાકર બિનહરીફ વિજેતા બન્યા છે. જ્યારે SC/ST અનામત બેઠક પર વિજયભાઈ વાઘેલા ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. સામાન્ય કેટેગરીની 6 ડિરેક્ટર બેઠકો માટે કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉમેદવારો બે અલગ-અલગ પેનલમાંથી આવ્યા છે. મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટયાર્ડ ખાતે મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી અધિકારી ડી.એમ. બાવરવા પાસેથી મળતી માહિતી મુજબ, કુલ 6,596 સભાસદો મતદાન કરીને 12 ઉમેદવારોમાંથી 6 ડિરેક્ટરોની પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ભાગ લેનાર તમામ 12 ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવા છતાં બંને પેનલ જીત માટે સઘન પ્રયાસો કરી રહી છે. મતદાન સાંજના 5 વાગ્યા સુધી ચાલશે. વધુમાં વધુ મતદાન થાય તે માટે બંને પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. મતગણતરી આજે મોડી રાત સુધીમાં પૂર્ણ કરીને પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

27 C