વડોદરામાં લગ્ન કરવાની લાલચ આપીને પ્રેમિકા પર વારંવાર દુષ્કર્મ ગુજારનાર પ્રેમીએ ધંધો શરૂ કરવા માટે રૂપિયા 3.48 લાખ મહિલા પાસેથી લીધા હતા. પરંતુ પ્રેમીએ ધંધો બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. બાપોદ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ માંગતા મેજિસ્ટ્રેટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રેમીએ મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતુંમૂળ રાજસ્થાનના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા મહાશક્તિ વુડામાં રહેતા હિતેષ વાલચંદ લબાના સાથે કેટરર્સમાં પીઆરઓ તરીકે કામ કામ કરતી બાળકીની વિધવા માતાનો પરીચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ હિતેષ લબાનાએ મહિલાને લઈને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યાં હતા મહિલાને પણ તેના પર વિશ્વાસ આવી ગયો હોય ધંધો કરવા માટે ઓનલાઇન તથા રોકડા મળીને રૂપિયા 3.48 લાખ પ્રેમીને આપ્યાં હતા. પ્રેમ સંબંધ દરમિયાન પ્રેમીએ મહિલા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ મહિલાના રૂપિયા લઈને ધંધો પણ શરૂ કર્યો હતો. પરંતુ આ ધંધો થોડા દિવસ સુધી કર્યાં બાદ બંધ કરીને પરત રાજસ્થાન ભાગી ગયો હતો. જેથી મહિલા રાજસ્થાન જઇને તેના પરિવારને મળી હતી, ત્યારે હિતેશ લબાનાએ પરત આવવા માટે વાયદો કર્યો હતો પરંતુ હિતેશ લબાના પરત આવ્યો ન હતો અને 3.48 લાખ રૂપિયા પણ પરત કર્યાં ન હતા. દુષ્કર્મ તથા ઠગાઇ ને આરોપી જેલહવાલેમહિલાએ હિતેશ લબાના સામે દુષ્કર્મ તથા ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. 28 ડિસેમ્બરના રોજ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ માંગણી કરાઇ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 2 દિવસના 30 ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ ગેટ નંબર એક બંધ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં લોકોની ભીડ આજે 4થા દિવસે થઈ હોવાને લઈ ગેટ બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદના કાંકરિયા કાર્નિવલના ચોથા દિવસે પણ માનવ મહેરામણ ઊમટી પડતા સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભીડને નિયંત્રિત કરવા અને ક્રાઉડ મેનેજમેન્ટના ભાગરૂપે પુષ્પકુંજ ગેટ નંબર એકને હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે. મુલાકાતીઓની અવિરત ભીડને પગલે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પ્રશાસન દ્વારા અત્યાધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા સ્થિતિ પર સતત નજર રાખીને ભીડનું યોગ્ય નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે.ગઈકાલ 27 ડિસેમ્બરનો માહોલ જુઓ.....કાંકરિયા કાર્નિવલમાં 1-લાખથી વધુ લોકો એકત્ર થતાં તમામ ગેટ બંધ:ત્રીજા દિવસે માનવ મહેરામણ ઊમટી પડ્યો, ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમથી ભીડ નિયંત્રણઅમદાવાદના કાંકરિયા ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 માં 1 લાખથી વધારે લોકો કાંકરિયા પરિસરમાં ભેગા થતા ભીડને કાબુમાં કરવા માટે કાંકરિયા કાર્નિવલના તમામ સાત ગેટ એન્ટ્રી માટે બંધ કરવામાં આવ્યા છે. તમામ ગેટ પરથી અત્યારે હાલમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી છે કોઈપણ નાગરિકને કાંકરિયા કાર્નિવલમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 27 ડિસેમ્બરના રોજ શનિવારે કાંકરિયા કાર્નિવલ ની મજા માણવા માટે સમગ્ર અમદાવાદ અને અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો કાંકરિયા પરિસર ખાતે કાર્નિવલની મજા માણવા માટે પહોંચ્યા છે. રાતે 9.15 વાગ્યાની આસપાસ કાંકરિયા કાર્નિવલમાં 80 થી 1 લાખ જેટલા લોકો કાંકરિયા ફરતે આવેલા પરિસરમાં ભેગા થઈ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર)
પાટણ જિલ્લાના હાઈવે પર બેફામ દોડતા ટર્બો વાહનચાલકોના કારણે અકસ્માતો વધી રહ્યા છે. આવા જ એક બનાવમાં ડેરાસણા અને બાલીસણા વચ્ચે માટી ભરીને આવતા એક ટર્બોએ ડેર ગામના યુવાનને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. ડેર ગામના અરવિંદજી ઠાકોર સોલર પ્લાન્ટમાં પોતાની નાઈટ શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ડેરાસણા અને બાલીસણા વચ્ચેના માર્ગ પર, જ્યાં મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે, ત્યાં માટી ભરીને બેફામ રીતે આવી રહેલા એક ટર્બો ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનને બંને પગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તે ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્ત અરવિંદજી ઠાકોરને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમની હાલત ગંભીર જણાતા, તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ સહિતના આગેવાનોએ ઈજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને પરિવારને સાંત્વના પાઠવી હતી. સ્થાનિક આગેવાન શ્રવણજી ઠાકોરે આ મામલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ચાલતા ખોદકામ અને ટર્બો ચાલકોની મનમાની માટે પોલીસ તંત્ર તેમજ ખાણ-ખનીજ વિભાગની શિથિલતા જવાબદાર છે. તેમણે આવા વાહનો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પાટણ શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન નગરપાલિકાની ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે પકડાયેલા ચાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઘટના 24 ડિસેમ્બર, 2025ના રોજ સાંજે 5:15 વાગ્યે પાટણ શહેરના પારેવા સર્કલ પાસે આવેલા વોટર વર્ક્સ કમ્પાઉન્ડમાં બની હતી. નગરપાલિકાની ટીમ 15 થી 20 જેટલા રખડતા ઢોરોને પકડી પાંજરામાં પૂરવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન મોટરસાયકલ પર લાકડીઓ અને ધોકા સાથે આવેલા પાંચ શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી હતી. તેમણે કર્મચારીઓને ફરજ બજાવતા અટકાવ્યા અને પકડેલા ઢોરોને ભગાડવા માટે પાંજરાનો દરવાજો ખોલી નાખ્યો હતો. આ શખ્સોએ નગરપાલિકાના કર્મચારીઓને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઢોરો જાહેર રોડ પર દોડતા થતા વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાન પાલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિપુલ અમરત ભરવાડ, વિષ્ણુ મનુ ભરવાડ, રોહીત ઉર્ફે ભાણો ભરવાડ, ટીનો રબારી અને ભોપો ભરવાડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી હતી. એ-ડિવિઝન પોલીસ મથકેથી તેમનું જાહેરમાં સરઘસ કાઢી ત્રણ દરવાજા ખાતે ગાડીમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણ દરવાજાથી દોશીવટ બજાર સુધી ફેરવી પારેવા સર્કલ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. આ કાર્યવાહીનો મુખ્ય આશય એ હતો કે ભવિષ્યમાં કોઈ પણ સરકારી કામકાજમાં અવરોધ ઊભો ન કરે અને લોકોમાં રહેલો ભય દૂર થાય. આ રીકન્સ્ટ્રક્શન જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આવેલા સરકારી મગફળી ખરીદી કેન્દ્ર પર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને તેમના સમર્થકો દ્વારા દાદાગીરી અને મારામારી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં શ્રમિકની પત્નીની છેડતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરવા બદલ પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. બારદાન ભરવા બાબતે બબાલ થઈ હતીસમગ્ર મામલે વિસાવદરના એએસપી રોહિત ડાગરે જણાવ્યું હતું કે માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા. મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી. વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કરી અપમાનિત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોપાલ ઇટાલીયા સાથે વાજતે-ગાજતે પોલીસ સ્ટેશન પહોંચી 'આપ'ના કાર્યકરોનો રોષએટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ આજે વિસાવદરમાં અજીબોગરીબ દ્રશ્યો જોવા મળ્યા હતા.જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે-ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનું શક્તિપ્રદર્શન રાજકીય આલમમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસે નોટિસ ફટકારી તપાસ હાથ ધરીજૂનાગઢ નાયબ પોલીસ અધિક્ષક (SC/ST સેલ) રવિસેજસિંહ પરમાર દ્વારા આરોપીઓને BNSSની કલમ-35(3) મુજબ નોટિસ ફટકારી તપાસમાં હાજર રહેવા તાકીદ કરી છે. આ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 75(2), 115(2), 296(બી), 351(૩3), 54 અને એટ્રોસિટી એક્ટની કલમ-3(1)(આર)(એસ) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હરેશ સાવલિયા સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નાનાપોંઢા ખાતે ગુજરાત જોડો યાત્રાની એક જાહેર સભામાં સરકાર અને વન વિભાગ સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આદિવાસીઓના હકો અને જમીન મુદ્દે સરકારને ખુલ્લી ચીમકી આપતા જણાવ્યું કે, જો પરિસ્થિતિ વણસશે તો આદિવાસીઓ પરંપરાગત શસ્ત્રો સાથે રસ્તા પર ઉતરતા અચકાશે નહીં. વસાવાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, જે દિવસે આદિવાસીઓ તેમના તીર-કામઠાં, ભાલા અને પાલિયા લઈને રસ્તા પર ઉતરશે, તે દિવસે વન વિભાગ ક્યાંય નજરે નહીં પડે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ હથિયારો માત્ર ઘરના શણગાર માટે નથી, પરંતુ જરૂર પડ્યે તેનો ઉપયોગ પણ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, જો આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવશે, તો તેઓ ગાંધીનગર સુધી કૂચ કરશે અને 'નેપાળવાળી' (ક્રાંતિકારી ફેરફાર) કરવાની પણ તૈયારી દર્શાવી હતી. ચૈતર વસાવાએ ઉમેર્યું કે, તેઓ હજુ સુધી સંવાદ અને બંધારણમાં માને છે, પરંતુ જો સરકાર આદિવાસીઓને કોરિડોર કે હાઈ-ટેન્શન લાઇનના નામે પરેશાન કરવાનું બંધ નહીં કરે, તો તેઓ આરપારની લડાઈ લડશે. ગુજરાતમાં વારંવાર બદલાતા મંત્રીમંડળ અંગે કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, મંત્રીમંડળ બદલવાથી જનતાનો વિકાસ થવાનો નથી. તેમણે 2027ની વિધાનસભા ચૂંટણીમાં સીધી સરકાર જ બદલી નાખવા માટે લોકોને આહવાન કર્યું હતું. વધુમાં, તેમણે વલસાડ જિલ્લાના સાંસદ અને ધારાસભ્યને ભાજપના 'ચાવી વાળા રમકડાં' ગણાવ્યા હતા. સાથે જ, ગુજરાત પ્રદેશમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલને સમાવી લેવાની ઘટના ઉપર પણ પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન કપરાડા અને નાનાપોંઢાના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તાઓ તેમના સમર્થકો સાથે કોંગ્રેસની વિચારધારા છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ચૈતર વસાવાએ તમામ કાર્યકરોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ જાહેર સભામાં આદિવાસી સમાજની મોટી જનમેદની જોવા મળી હતી, જેઓ ચૈતર વસાવાના આ આક્રમક તેવરને વધાવી રહ્યા હતા. આ નિવેદન બાદ આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બાયપાસ રોડ પર કિફાયતનગર પાણીની ટાંકી પાસેથી LCB પેટ્રોલિંગ દરમિયાન એક શખ્સને 35 ચાઈનીઝ દોરીના ટ્રેલરો સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે બાઈક સહિત કુલ ₹28,750નો મુદ્દામાલ જપ્ત કરીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. આ અંગે સાબરકાંઠા LCB PI ડી.સી.સાકરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, LCBની ટીમ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન વિનોદભાઈને બાતમી મળી હતી કે કિફાયતનગર, પાણીની ટાંકી નજીક એક શખ્સ ચાઈનીઝ દોરીના ટ્રેલરો વેચાણ કરવા માટે ઊભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચીને મોટરસાયકલ સાથે હાજર શખ્સની પૂછપરછ કરી હતી. તેણે પોતાનું નામ મોહમદદાનિશ મયુદ્દીનભાઇ શેખ (ઉં.વ.25, રહે. હડીયોલપુલ છાપરીયા, અશરફનગર, નીચવાસ, તા. હિંમતનગર, જી. સાબરકાંઠા) જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી વિમલ કંપનીના થેલામાંથી MONO SKY કંપનીના ચાઈનીઝ દોરીના કુલ 35 ટ્રેલરો જપ્ત કર્યા હતા, જેની કિંમત ₹8,750 છે. આ ઉપરાંત, ₹20,000ની કિંમતનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ.09.AM.9921) પણ જપ્ત કરવામાં આવ્યું હતું. આમ, પોલીસે કુલ ₹28,750ના મુદ્દામાલ સાથે આરોપી મોહમદદાનિશ મયુદ્દીનભાઇ શેખને ઝડપી પાડી હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા બે ઇસમોની ધરપકડ કરી છે. આ મામલે પાણશીણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીએ પણ આ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સૂચનાઓના અનુસંધાને, SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે, સોશિયલ મીડિયા પર હથિયાર સાથે પ્રદર્શન કરનાર ઇસમની તપાસ કરવામાં આવી હતી. તપાસ અને પૂછપરછ દરમિયાન, તે ઇસમનું નામ હરીભાઈ જહાભાઈ ભુવા (ઉંમર 38, રહે. લીંબડી, હવેલીશેરી, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે તેણે એક લગ્ન પ્રસંગમાં ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. હથિયાર અંગે વધુ પૂછપરછ કરતા, તેણે જણાવ્યું કે આ હથિયાર હરજીભાઈ ધુડાભાઈ સભાડ (ઉંમર 58, રહે. ભોયકા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર)નું હતું. આ બંને ઇસમો વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ, ૨૯(બી), ૩૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પીઆઈ બી.એચ. શિંગરખીયા, પીએસઆઈ એન.એ. રાયમા, પીએસઆઈ આર.જે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ દિલુભા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઈ અંબારામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ મહમદભાઈ સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.
દ્વારકામાં તાંત્રિક વિધિના બહાને લાખોની ઠગાઈ:'મદારી ગેંગ'ના બે સાગરીત ઝડપાયા
દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.એ અંધશ્રદ્ધાનો લાભ ઉઠાવી ભોળા નાગરિકોને છેતરતી 'મદારી ગેંગ'નો પર્દાફાશ કર્યો છે. પોલીસે તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર બે આરોપીઓને ₹9.32 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રાજકોટના નિર્મલભાઈ કાથળભાઈ ઝરૂ આ ઠગબાજોનો શિકાર બન્યા હતા. આરોપીઓએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે સોનાના દાગીના પર તાંત્રિક વિધિ કરાવવાથી ઘરની તમામ મુશ્કેલીઓ દૂર થશે અને સુખ-સમૃદ્ધિ આવશે. આ બહાને, આરોપીઓએ ફરિયાદીને દ્વારકા-નાગેશ્વર રોડ પર આવેલા ધ્રાસણવેલ ગામ પાસે બોલાવ્યા હતા. ત્યાં વિધિના નામે લાખોની કિંમતના સોનાના દાગીના પડાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, દ્વારકા પોલીસ અને એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી જાનનાથ પઢીયાર અને નેનુનાથ બામણીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹9,32,000 ની કિંમતના સોનાના દાગીના રિકવર કર્યા છે. આ ગેંગ અંધશ્રદ્ધાળુ લોકોને ધાર્મિક લાલચ આપી છેતરવામાં માહેર હોવાનું સામે આવ્યું છે. દ્વારકા પોલીસ આ શખ્સોએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં રવિવારે ગુરુ ગોવિંદસિંઘજીની 359મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા, સેહજ પાઠ અને લંગર પ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે ગુરુદ્વારાથી એક શોભાયાત્રા નીકળી હતી. જેમાં શીખ સંપ્રદાયના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો જોડાયા હતા. આ શોભાયાત્રા જી.જી. હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. જી.જી. હોસ્પિટલ ખાતે સુપરિન્ટેન્ડેન્ટ ડો. દીપક તિવારી, મેડિસિન વિભાગના વડા ડો. અજય તન્ના, આર.એમ.ઓ. પ્રમોદ સક્સેના, હોસ્પિટલ સ્ટાફ, નિવૃત્ત આર્મીમેન અને ગુરુદ્વારાની સંગતની હાજરીમાં પ્રાર્થના સભા યોજાઈ હતી. આ પ્રાર્થનામાં હોસ્પિટલના દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી પણ કામના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુરુદ્વારામાં સેહજપાઠની સમાપ્તિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ગંગાનગરના ભાઈસાહેબ ગગનદીપ સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે શબ્દ કીર્તન કર્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુદ્વારામાં હાજર રહી માથું ટેકવી શબ્દ કીર્તનનો લાભ લીધો હતો. આ પછી ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
નવસારી રૂરલ પોલીસે આમડપોર ગામની સીમમાં બુલેટ ટ્રેન બ્રિજ પાસે ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 5.67 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને બાતમી મળી હતી કે આમડપોરથી તેલાડા જતા રોડ પર બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પત્તા-પાનાનો જુગાર રમી રહ્યા છે. આ માહિતીના આધારે, પોલીસ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને શિવરાજભાઈની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી અને પોલીસે તીન પત્તીનો જુગાર રમતા 6 ખેલાડીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના સ્થળેથી કુલ 5,67,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં અંગઝડતી અને દાવ પરથી 47,550 રૂપિયા રોકડા, 30,000 રૂપિયાની કિંમતના 6 મોબાઈલ ફોન, 90,000 રૂપિયાની કિંમતના 3 મોટરસાયકલ અને 4,00,000 રૂપિયાની કિંમતની 1 અર્ટીગા કારનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપીઓમાં કલ્પેશ પ્રવિણભાઈ પ્રજાપતિ (વંદના સોસાયટી, કબીલપોર), રાવતલાલ ઉર્ફે રાહુલ ભરવરલાલ પ્રજાપતિ (ધારાનગર સોસાયટી, કબીલપોર), બનવારીલાલ ગોવિંદભાઈ પ્રજાપતિ (કાલીયાવાડી, નવસારી), ભગવાનરામ ચુનારામ પ્રજાપતિ (ટેમ્પલવ્યુ સોસાયટી, નાની ચોવીસી), ભંવરલાલ સેવારામ પ્રજાપતિ (ટેમ્પલવ્યુ સોસાયટી, નાની ચોવીસી) અને શ્રવણસિંહ મોતીસિંહ દહીયા (ધારાનગર સોસાયટી, કબીલપોર) નો સમાવેશ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ આરોપીઓ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે. નવસારી રૂરલ પોલીસે આ મામલે જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પી.એસ.આઈ. કે.એમ. પાટીલ ચલાવી રહ્યા છે.
દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું
Tharoor Supports Digvijaya Singh in RSS Controversy : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાયા છે. ત્યારે શશી થરૂરે દિગ્વિજય સિંહનો સાથ આપ્યો છે. કોંગ્રેસના 140માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થરૂર અને દિગ્વિજય સિંહ બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળ્યા. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જે બાદ થરૂરે કહ્યું, કે હા હું પણ ઈચ્છું છું કે સંગઠન મજબૂત થવું જોઈએ અને તે માટે પાર્ટીમાં શિસ્ત હોવી જોઈએ. થરૂરે કહ્યું, કે એ વાતમાં કોઈ આશંકા નથી કે સંગઠનને હજુ મજબૂત કરવાની જરૂર છે.
ઉકાઈમાં ₹3.75 કરોડનું અત્યાધુનિક ST બસ સ્ટેશન બનશે:મંત્રીઓના હસ્તે ભૂમિપૂજન: મુસાફરોને સુવિધા મળશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આશરે રૂ. 3.75 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ તથા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. સરકારે છેવાડાના માનવીની સુખાકારીને પ્રાધાન્ય આપી સરહદી ગામોમાં પણ કનેક્ટિવિટી અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે ટ્રાન્સપોર્ટ અને એસ.ટી. બસ પાસ જેવી સેવાઓ સુદ્રઢ કરી શિક્ષણને સરળ બનાવ્યું છે. રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કાર્યરત છે. ઉકાઈ ખાતે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેશન મુસાફરોની સુવિધામાં વધારો કરશે અને સ્થાનિક પરિવહન સેવાને વધુ સરળ બનાવશે. રાજ્ય સરકાર તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાય થકી સુરત એસ.ટી. વિભાગના ઉકાઈ ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળું નવીન બસ સ્ટેશન બનશે. આ બસ સ્ટેશન અંદાજિત 2400 ચો.મી. વિસ્તારમાં રૂ. 375 લાખના ખર્ચે નિર્માણ પામશે. આ નવા સંકુલમાં મુસાફરો માટે 5 પ્લેટફોર્મ, 132 ચો.મી.નો વિશાળ વેઇટિંગ એરિયા, કેન્ટીન, સ્ટોલ્સ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. મુસાફરોની સુરક્ષા માટે સમગ્ર સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. દિવ્યાંગોની સુવિધા માટે ખાસ સ્લોપિંગ રેમ્પ અને અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોની સાથે એસ.ટી. નિગમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રથમ માળ પર લાઇન ચેકિંગ રૂમ અને ડ્રાઇવર-કન્ડક્ટર માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સંકુલમાં પાર્સલ રૂમ, ટિકિટ રૂમ અને વોટર રૂમ જેવી સુવિધાઓ પણ સામેલ હશે. આ સુવિધાજનક બસ સ્ટેશન કાર્યરત થવાથી ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે. આ ભૂમિપૂજન પ્રસંગે પૂર્વ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લાના અગ્રણી સુરજભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, સુરત એસ.ટી.ના વિભાગીય નિયામક પંકજ ગુર્જર, સોનગઢ ડેપો મેનેજર બલરામ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્કારધામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનદર્શન, સંઘર્ષયાત્રા અને રાષ્ટ્ર નિર્માણના વિચારોને ઉત્સવ સ્વરૂપે ઊજવવા માટે આયોજિત 'નમોત્સવ'નો આજે કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ભવ્ય પ્રારંભ થશે. વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર અને લેખક સાઈરામ દવે દ્વારા લિખિત આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં 150થી વધુ કલાકારો અને 450 જેટલા ટેક્નિશિયનો ભાગ લઈને પ્રધાનમંત્રીના બાળપણથી લઈને 'ઓપરેશન સિંદૂર' સુધીની પ્રેરક સફરને સાંસ્કૃતિક રંગોમાં પરોવીને રજૂ કરશે. બાળપણથી વિશ્વ મંચ સુધીની સફરને વિઝ્યુઅલી અને મ્યુઝિકલી રજૂ કરશેઆ કાર્યક્રમમાં વિશાળ સ્ટેજ પર હાથી, ઘોડા, ટ્રેન અને મગરમચ્છ જેવી પ્રતિકૃતિઓ સાથે ભવ્ય ડ્રોન શોનું પણ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં લોકો આ શો નિહાળી શકે તે માટે LED સ્ક્રીન લગાવવામાં આવી છે. 'નમોત્સવ' એ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ, PMના જીવનના આદર્શોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે, જેમાં બાળપણથી વિશ્વ મંચ સુધીની સફરને વિઝ્યુઅલ અને મ્યુઝિકલ રજૂઆત દ્વારા દર્શાવવામાં આવશે. ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજનસંસ્કારધામ આયોજન સમિતિ દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં અન્ય માન્યવરોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમ દ્વારા સેવા, સંઘર્ષ અને રાષ્ટ્રનિર્માણના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. 'નમોત્સવ'ની આ રજૂઆત લોકોમાં પ્રધાનમંત્રીના જીવન પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેરણાને વધુ ગાઢ બનાવશે એવી અપેક્ષા છે.
ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડી અને વર્ષના અંતિમ દિવસોમાં નર્મદા જિલ્લો પ્રવાસીઓ માટે 'હોટ ફેવરિટ' ડેસ્ટિનેશન બનીને ઉભર્યો છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે હાલમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. નાતાલની રજાઓથી શરૂ થયેલો આ પ્રવાહ આગામી 31 ડિસેમ્બર સુધી અવિરત ચાલુ રહેવાની શક્યતા છે. આંકડાની નજરે પ્રવાસીઓનો ધસારોછેલ્લા બે દિવસમાં જ પ્રવાસીઓના આંકડાએ નવો રેકોર્ડ સર્જ્યો છે. માત્ર શનિ અને રવિવારની રજાઓમાં જ 2 લાખથી વધુ લોકોએ નર્મદાની મુલાકાત લીધી છે. 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે તડામાર તૈયારીઓવર્ષ 2025ને વિદાય આપવા અને 2026ના સ્વાગત માટે પ્રવાસીઓ ઉત્સાહિત છે. SOU સત્તા મંડળ, હોટલ ઉદ્યોગ અને ટેન્ટ સિટી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યા છે: કુદરતી સૌંદર્ય અને આકર્ષણોપ્રવાસીઓ માત્ર પ્રતિમા જ નહીં, પરંતુ વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાઓ વચ્ચે ખીલેલા કુદરતી સૌંદર્યનો પણ લ્હાવો લઈ રહ્યા છે. જંગલ સફારી, રિવર રાફ્ટિંગ, ક્રુઝ રાઈડ અને લેસર શો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રવાસીઓનો અનુભવઅરુણાચલપ્રદેશથી આવેલા પ્રવાસી ઝુનિયત બાનુંએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડથી અહીં આવીને ખૂબ જ આનંદ થયો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા અને અહીંનું વ્યવસ્થાપન ખરેખર પ્રશંસનીય છે. ઠંડા વાતાવરણમાં આ જગ્યા સ્વર્ગ સમાન લાગે છે. રાજકોટથી આવેલા પ્રવાસી નિશા ડાંગરે જણાવ્યું હતું કે, અમે રાજકોટથી સ્પેશિયલ વેકેશન માણવા આવ્યા છીએ. અહીંની સુવિધાઓ અને સફાઈ જોઈને ગર્વ થાય છે. નવા વર્ષની ઉજવણી માટે આનાથી શ્રેષ્ઠ જગ્યા બીજી કોઈ હોઈ ન શકે. નર્મદા જિલ્લો હાલ પ્રવાસન ક્ષેત્રે ધમધમી રહ્યો છે. જો તમે પણ 31 ડિસેમ્બરનું આયોજન કરી રહ્યા હોવ, તો ભીડ અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વહેલા નીકળવું હિતાવહ છે.
ભાવનગર સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ત્રિદિવસીય શ્રી બાલમુકુંદજી ક્રિકેટ ટ્રોફી ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ટુર્નામેન્ટના અંતિમ દિવસે જ્ઞાતિના તમામ સભ્યો એક સ્થળે એકત્રિત થયા હોય ત્યારે આપણે સૌ પ્રથમ ભારતીય છીએ અને ત્યારબાદ વિવિધ જ્ઞાતિઓમાં વહેંચાયેલા છીએ તેવા મેસેજ સાથે ગૌરવપૂર્ણ વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી હતી. દેશપ્રેમની ભાવના જાગ્રત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટજેમાં ભાવનગર જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અક્ષરકુમાર વ્યાસની ઉપસ્થિતમાં ભાવનગર, મહુવા, તળાજા, પાલીતાણા, મુંબઈ, સુરત, ઉનાથી વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોનીએ વંદે માતરમ્ ગીતનું ગાન કર્યું હતું. નવી પેઢીને વંદે માતરમ્ ગીતનું મહત્વ સમજાય અને દેશપ્રેમની ભાવના જાગ્રત કરવા ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે સાથે આ અનોખો ઉપક્રમ જોડવાના પ્રયોગની જિલ્લા કલેકટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સરાહના કરી હતી.
અમીરગઢ તાલુકામાં રસ્તાઓના ખાતમુહૂર્તને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મંત્રી પ્રવીણ માળીના હસ્તે ખાતમુહૂર્ત થાય તે પહેલાં દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ વહેલી સવારે અંધારામાં જ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરી નાખ્યું હતું. જોકે, બાદમાં મંત્રી પ્રવીણ માળીએ કપાસિયા ખાતે ત્રણ બાળાઓના હસ્તે ફરીથી રસ્તાઓનું મુહૂર્ત કરાવ્યું હતું. આજે અમીરગઢ તાલુકામાં કુલ 46 કિલોમીટરના અને અંદાજે 49 કરોડના ખર્ચે બનનારા ત્રણ જેટલા રસ્તાઓનું ખાતમુહૂર્ત નિર્ધારિત હતું. વહેલી સવારે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ અંધારામાં જ ખાતમુહૂર્ત કરી દીધું હતું. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું કે, આખા ગુજરાતના ધારાસભ્યો પોતપોતાના વિસ્તારમાં ખાતમુહૂર્ત કરતા હોય છે, કોઈ મંત્રી આવીને બીજાના વિસ્તારમાં ખાત મુહૂર્ત નહોતા કરતા પણ મારા વિસ્તારની અંદર નવરા બેઠેલા મંત્રી પ્રવિણ માળી એમને બીજું કઈ કામ નહીં એટલે અહીંયા કપાસિયાથી સૂર્ય રસ્તાનું ખાત મૂર્હત કર્યું. વધુમાં જણાવ્યું કે, કપાસિયા 60 વર્ષ જૂનું ગામ છે ત્યાં રસ્તો ઓલરેડી એક વખત નહીં 20 વખત રિસર્ફેસ થયેલા રસ્તા અને રૂટિંગમાં 2 વર્ષે 3 વર્ષે રૂટિંગ કામગીરી કરવાની ડામર કામની હોય જ છે એટલા માટે નવરા મંત્રી કહું છું. નવેસરથી ખાતમુહૂર્ત કરાવ્યું હોત તો હું સાથે જોડાયો હોત. સ્થાનિક ધારાસભ્યને સીએમ પોતે આવતા હોય ને તોય યાદ કરે પણ આ તો મંત્રી, ધારાસભ્યને પણ નઈ બોલાવવાના. વિચારધારા એમની અલગ છે, સ્થાનિક ધારાસભ્યને નઈ લાવવાના ભેગા. વધુમાં જણાવ્યું કે, પૈસા સરકારના છે, ગ્રાન્ટ સરકારની છે અને હું સરકારમાં બેઠેલો એક પક્ષ તરીકે ધારાસભ્ય તરીકે મારી નૈતિક ફરજ હતી. એ આજે આવવાના હતા પણ મને યાદ નતા કર્યા. એ આજે 10 વાગે ખાતમુહૂર્ત કરવાના હતા મેં સાડા છ વાગે જઈને સવારમાં અહીંના ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં જઈને ખાતમુહૂર્ત કરીને આવ્યો છું, પણ એમને શરમ નઈ હોય. કેમ કે સવારમાં વહેલું મેં ખાતમુહૂર્ત કર્યું છે અને ફોટા વીડિયો વાયરલ કર્યાં છે. ધારાસભ્યના ખાતમુહૂર્ત બાદ બપોરના સમયે મંત્રી પ્રવીણ માળી કપાસિયા પહોંચ્યા હતા. તેમણે ચાર રસ્તાઓનું ખાતમુહૂર્ત ત્રણ બાળકોના હસ્તે કરાવ્યું હતું. કપાસિયા ખાતે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સભા દરમિયાન મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, હું રસ્તામાં આવતો હતો ત્યારે ક્યાંક રોડ ઉપર કંકુ પડ્યું હતું. મને કોઈએ કહ્યું કે કોઈ ખાતમુહૂર્ત કરીને ગયું છે. બૂટ પહેરેલા ભાઈ અને માત્ર બે જણા ખાતમુહૂર્ત કરીને ગયા છે. તેમણે ઉમેર્યું કે, અત્યારે અહીંયા કોણે મુહૂર્ત કર્યું હતું? પ્રવીણભાઈ માળીએ મુહૂર્ત નથી કર્યું, આ મુહૂર્ત આદિવાસી સમાજની દીકરીઓ તેમજ માલધારી સમાજની દીકરીઓએ કર્યું છે. મંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં કાળ પડતો અને સુવિધાઓ ન હતી. હવે ગામમાં સુવિધાઓ છે એટલે દીકરીઓ શિક્ષણ મેળવી શકે છે. કોંગ્રેસે ગુજરાતમાં 60 વર્ષ સુધી 1000 કરોડનું બજેટ નથી ફાળવ્યું, જ્યારે ભાજપ સરકારે વનવાસી ક્ષેત્ર માટે 30,000 કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કળિયુગમાં કોંગ્રેસનો નાશ કરવાનો છે. કોઈપણ વિકાસના કામો હશે, તમારા વિસ્તારમાં તમારો ધારાસભ્ય હું છું એમ સમજીને કહેજો, હું વિકાસના કામો કરી આપીશ. જે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમાં (1) ડાભેલા-અમીરગઢ-અંબાજી રોડ (11 કિલોમીટર, રૂ. 10 કરોડ), (2) નેશનલ હાઈવેથી સરોત્રા-કપાસિયા રોડ (17.5 કિલોમીટર, રૂ. 15 કરોડ), (3) ઈકબાલગઢ-ખારા રોડ (13.5 કિલોમીટર, રૂ. 14 કરોડ) અને (4) અમીરગઢ-ખાપા રોડ (6 કિલોમીટર, રૂ. 3.75 કરોડ)નો સમાવેશ થાય છે. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળી સહિત ભાજપના મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ અને કપાસિયા ગામ સહિત આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ- અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગત મોડી રાત્રે વડોદરા પાસે તરસાલીથી કપુરાઈ તરફ 2 ટ્રક અને એક લક્ઝરી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો. બીજી તરફ અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે ટ્રિપલ અકસ્માતમાંમુંબઈથી દિલ્હી જઈ રહેલા ટ્રક ચાલકનો પગ કપાઈ ગયો હતો. જ્યારે લક્ઝરી બસમાં બેઠેલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વડોદરા જિલ્લામાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે નેશનલ હાઈવે પર પણ વાહનચાલકો માટે જોખમ વધતું જઈ રહ્યું છે. હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો ગભરાટભરી સ્થિતિમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાઇવે પર અકસ્માતમાં મહિલાનું મોતઅમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર વડોદરા પાસે સુંદરપુરા પાટીયા નજીક આજે એક દંપતીની બાઇક સ્લિપ ખાઈને રોડ પર પટકાઈ હતી. આ સમયે પાછળથી આવતા અજાણ્યા વાહનચાલકે પુરઝડપે ચલાવીને મહિલા પર ટાયર ચઢાવી દીધા હતા. આ અકસ્માતમાં મહિલા જયશ્રીબેન યજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 50)નું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ફરિયાદી યજ્ઞેશભાઇ પટેલ (ઉ.વ. 55, રહે. અંકલેશ્વર) અને તેમનાં પત્ની જયશ્રીબેન વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી હોન્ડા ડ્રીમ યુગા બાઇક (નં. GJ-16-CD-6124) પર અંકલેશ્વર જઈ રહ્યાં હતાં. આગળ કૂતરું આવી જતાં બ્રેક મારતાં બાઇક જમણી બાજુએ સ્લિપ ખાઈ ગઈ હતી અને બંને રોડ પર પડી ગયાં. તે જ વેળાએ પાછળથી આવેલા અજાણ્યા વાહનચાલકે બેદરકારીથી વાહન ચલાવી જયશ્રીબેન પર ચઢી જવાથી તેમને પેટ અને સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. આરોપી વાહનચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
પીએમશ્રી ચંદ્રુમાણા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન પ્રિન્સિપાલ ગણેશભાઈ ડોડીયાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સાહસ, સંસ્કૃતિ અને ભૌગોલિક જ્ઞાનનો વિકાસ કરવાનો હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રવાસની શરૂઆત જોગણીનારના દર્શનથી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભારતના સૌથી મોટા ખાનગી મુન્દ્રા બંદરની મુલાકાત લીધી હતી. અહીં તેમણે વિશાળ જહાજો, કન્ટેનર ટર્મિનલ અને આયાત-નિકાસની પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. માંડવી ખાતે ક્રાંતિ તીર્થની મુલાકાત દરમિયાન, વિદ્યાર્થીઓએ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકને નિહાળી દેશભક્તિના ઇતિહાસ વિશે જાણકારી મેળવી. દિવસના અંતે, દરિયાકિનારે બાળકોએ રેતીમાં રમીને અને સૂર્યાસ્તનો નજારો માણીને આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રવાસના બીજા દિવસે, વિદ્યાર્થીઓએ કચ્છની પશ્ચિમ સરહદે આવેલા અંબેધામ (ગોધરા) ખાતે મા અંબાના ભવ્ય મંદિરની મુલાકાત લીધી અને આસપાસના સેવાકાર્યો વિશે માહિતી મેળવી. ત્યારબાદ, ભારતના પાંચ પવિત્ર સરોવરોમાંના એક એવા નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. અહીંથી વિદ્યાર્થીઓએ સમુદ્રની પેલે પાર પાકિસ્તાનની સરહદનો અહેસાસ કર્યો હતો. માતાના મઢ ખાતે કચ્છના કુળદેવી માં આશાપુરાના દર્શન કરી બાળકોએ આશીર્વાદ મેળવ્યા. સાંજે, ધોરડોના સફેદ રણની મુલાકાત લીધી, જ્યાં પૂનમની નજીકના દિવસોમાં મીઠાના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યો અને 'રણ ઉત્સવ'ની ઝલક પણ નિહાળી. પ્રવાસના ત્રીજા દિવસે, ભુજ શહેરના ઐતિહાસિક આઈના મહેલ અને પ્રાગ મહેલની મુલાકાત લેવામાં આવી. અહીં વિદ્યાર્થીઓએ યુરોપિયન અને કચ્છી સ્થાપત્યકળાનો અનોખો સંગમ જોયો, તેમજ જૂની કલાકૃતિઓ, ઝુમ્મરો અને હથિયારો નિહાળ્યા. ત્યારબાદ, સફેદ આરસપહાણમાંથી બનેલા સ્વામિનારાયણ મંદિરમાં બારીક કોતરણી નિહાળી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો. કચ્છની હસ્તકલાના કેન્દ્ર સમાન ભુજોડીની મુલાકાત લઈ, વિદ્યાર્થીઓએ વણાટકામ અને હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જોઈ કારીગરોની મહેનત વિશે જાણકારી મેળવી. પ્રવાસના અંતિમ ચરણમાં, વિદ્યાર્થીઓએ માં મોગલના ધામ કબરાઉ ખાતે દર્શન કર્યા. અહીંના શિસ્તબદ્ધ વાતાવરણ અને શ્રદ્ધાએ બાળકોના મન મોહી લીધા. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન, વિદ્યાર્થીઓએ સમૂહમાં રહેવાની ભાવના, શિસ્ત, સમયપાલન અને ભારતની ભવ્ય વિરાસત વિશે જ્ઞાન મેળવ્યું. પ્રવાસ દરમિયાન ભોજન અને નિવાસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આંજણા ચૌધરી સેવા મંડળ, ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, સાધુ સંતો અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સમાજમાંથી આવતા ઉચ્ચ સરકારી અધિકારીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી વિપુલભાઈ ચૌધરીએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સમાજ સાથે રહીને પરસ્પર સહયોગ કરવા હાકલ કરી હતી. પ્રમુખ ભગવાનભાઈ ચૌધરીએ સમાજના દરેક સભ્યને સમાન ગણાવીને કાર્યક્રમમાં સૌના સહયોગની પ્રશંસા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે પોતાના ઉદ્બોધનમાં સમાજ શબ્દની વ્યાખ્યા આપતા જણાવ્યું હતું કે, સમત્વ અને મમત્વની ભાવના સાથે ત્યાગ કરવાની દિલેરી હોવી એ જ સાચો સમાજ છે. આંજણા ચૌધરી સેવા મંડળના ઉપપ્રમુખ નટવરભાઈ ચૌધરીએ સમાજના અગ્રણીઓ અને સભ્યોનું અભિવાદન કર્યું હતું. જનકભાઈ દેસાઈ અને રમેશભાઈ ચૌધરી સહિતના કાર્યકરોએ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન પ્રયાસો કર્યા હતા.
સુરતની પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો મામલો હવે સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આ વિવાદમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે આરતીએ તેના પિતાની અપીલને ફગાવીને સમાજની વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા. સવારે આરતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને બપોર બાદ રડતા રડતા વેદના ઠાલવી હતી. આ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે, હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? તો બીજી તરફ આરતીના આ પ્રકારના એક બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવતા સમાજના આગેવાન વિજય માંગુકીયાએ નારાજગી વ્યકત કરી હતી. સાથે કહ્યું હતું કે, છોકરાની ઉંમર 21 વર્ષથી ઓછી હોવાથી લગ્ન શક્ય નથી. જ્યારે મૈત્રી કરારમાં રહેતા હોય ત્યારે મંગળસૂત્ર અને સેથો પૂરી વીડિયો બનાવી સમાજ પર આગળી ચીંધવી યોગ્ય નથી. દીકરી પાછી આવે તો પિતા અપનાવવા તૈયારઆરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કરતા પરિવારમાં ભારે નારાજગી જોવા મળી હતી. જોકે, પિતાના હૃદયમાં દીકરી પ્રત્યેની લાગણી અકબંધ હોવાથી, તેમણે જાહેરમાં અપીલ કરી હતી કે જો આરતી ભૂલ સુધારીને પાછી આવે, તો તેઓ તેને ફરીથી સ્વીકારવા અને અપનાવવા માટે તૈયાર છે. પિતાની આ વાતને સમાજના લોકોએ આવકારી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) આરતીની વિવાદાસ્પદ પોસ્ટ: રિયાલિટી ઓફ સોસાયટીપિતાની ભાવુક અપીલ બાદ આશા રાખવામાં આવતી હતી કે મામલો થાળે પડશે, પરંતુ આરતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. આરતીએ પોતાની સ્ટોરીમાં લખ્યું કે, હજારો બળાત્કાર સહન કરવા વાળો સમાજ એક પ્રેમ લગ્ન સહન કરી શકતો નથી - રિયાલિટી ઓફ સોસાયટી માત્ર લખાણ જ નહીં, આરતીએ ત્રણ અલગ-અલગ વીડિયો પણ અપલોડ કર્યા છે. આ વીડિયોમાં તેણે પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું છે કે તેને અને તેના જીવનસાથીને હેરાન કરવામાં આવી રહ્યા છે. જોકે, આ વીડિયોમાં તેની બોલવાની રીત અને સમાજ પ્રત્યેનો અભિગમ જોઈને નેટીઝન્સ દ્વારા તેની આકરી ટીકા કરવામાં આવી રહી છે. હાલ તો આરતી સાંગાણી અને તેના પરિવાર વચ્ચેની આ ખાઈ વધુ ઊંડી થતી જઈ રહી હોય તેમ લાગે છે. એક તરફ પિતાની સ્વીકારવાની ભાવના છે અને બીજી તરફ આરતીનો સામાજિક વ્યવસ્થા સામેનો બળવો. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ શાંત પડે છે કે હજુ વધુ વકરે છે. આરતીએ અલગ અલગ ત્રણ વીડિયો બનાવી સવાલો ઉઠાવ્યાઆરતી સાંગાણીએ સોશિયલ મીડિયામાં ત્રણ વીડિયો મૂકીને જણાવ્યું હતું કે, મારે કંઈ જ બોલવું નથી પણ મને લાગે છે કે લોકો મોઢામાં આંગળી નાખી-નાખીને મને બોલાવશે. હાલમાં મારા પપ્પાનો એક વિડિયો વાયરલ કર્યો છે, જેની અંદર મારા પપ્પા રડે છે અને કહે છે કે ભાઈ મારી દીકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. તો શું તમે લોકોને ખબર છે કે જે દિવસે હું ઘરેથી નીકળી, તે દિવસે હું ઘરે કહીને નીકળી હતી કે હું જાઉં છું? મેં ઘરે મેસેજ છોડ્યો હતો કે મેં આ નિર્ણય લીધો છે મારા જીવન માટે. મેં મારી બહેનો સાથે વાત કરી હતી, મેં મારા પપ્પા સાથે વાત કરી હતી અને બે-ચાર દિવસ પછી તમે રૂબરૂ મળ્યા હતા આ વાતનો નિર્ણય લાવવા માટે—મારો ફેમિલી અને અહીંયાથી ફેમિલી. અને નિર્ણય આવ્યો હતો. મારા પપ્પાએ રાજીખુશીથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા હતા અને કીધું હતું કે ‘તું ખુશ રહે, હું તને અપનાવીશ નહીં પણ ક્યારેય તારે આડે નહીં આવું’. અને એવું તો છે નહીં ને કે હું દુનિયાની પહેલી એવી દીકરી છું કે જેણે લવ મેરેજ કર્યા? તો હું જ કેમ ચર્ચાનો વિષય? કેટલી પટેલ સમાજની એવી દીકરીઓ છે કે જે ભાગીને બીજી જ્ઞાતિમાં જાય છે, કેટલાય એવા દીકરાઓ છે પટેલ સમાજના જે બીજી જ્ઞાતિની દીકરીઓ લઈ આવે છે ત્યારે તો કોઈને કેમ ચર્ચા નથી થતી? ત્યારે કેમ કોઈને વાંધો નથી? ત્યારે તો બહિષ્કાર નથી થતો? આજે તો મને જીવવા જેવી નથી રહેવા દીધી તમે લોકોએ. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને, તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી? કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરી-મરીને જીવે એ પોસાય છે પણ દીકરી ખુશ ના હોવી જોઈએ! આજે હું ખુશ છું તો દુનિયાથી જોવાતું નથી- આરતી સાંગાણીઆજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું હોય એવું લાગે છે મને તમને, કે આરતી સાંગાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ, આ વાત ભૂલવી નહીં. જ્યારે તમારા ઘરેથી દીકરી જશે અને એની વેદના તમને થશે ને, ત્યારે તમને ખબર પડશે. અને પુરુષને તો આ વાત સમજાવવાની જ નથી, કારણ કે તમને તો આ વાત ક્યારેય ખબર નહીં પડે કે દીકરીની વેદના શું હોય. દીકરી તો પપ્પાના ઘરે પણ પારકી અને સાસરાના ઘરે પણ પારકી છે. અત્યારે તમને બધાને મારાથી આટલો વિરોધ છે, મારી જાતથી... હું જે જ્ઞાતિમાં આવી છું તેનાથી તમને બહુ વિરોધ છે. તમે લોકોએ ક્યારેય વિચાર્યું છે કે કોરોના જેવો કોરોના આવ્યો ત્યારે શું કોઈએ ડોક્ટરની જાત પૂછી હતી? જ્યારે અકસ્માત થાય અને લોહીની જરૂર પડે ત્યારે તમે પૂછો છો કે ભાઈ તું કઈ જાતનો છે? કયા સમાજનો છે? તું પટેલ જ હોવો જોઈએ. ભાઈ લોહીનો પણ કલર અલગ નથી તો આપણે કોણ છીએ આ રીતે જાતિના આધારે ભેદભાવ કરવાવાળા? તમે લોકો એમ કહો છો કે અમે તમને સુરતમાં નહીં આવવા દઈએ, આ દીકરીનો બહિષ્કાર કરો. જ્યાં સુધી મેં તમારા સમાજની માન-મર્યાદા રાખી, મારા બાપની ઇજ્જત રાખી, રમવાની ઉંમરે કામ કર્યું, રાત-ઉજાગરા કર્યા ત્યારે હું બધાને સારી લાગતી હતી. અને આજે જ્યારે હું મોટી થઈ છું, મેં મારા માટે કંઈક વિચાર્યું છે તો હું લોકોને ડાકણ લાગુ છું. આવો તે કેવો સમાજ છે તમારો અને આવા તે કેવા વિચારો છે? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ તમને વાંધો છે. જ્યાં બાળ લગ્ન થાય છે અને આજે પણ ઘણી જગ્યાએ બાળ લગ્ન ચાલુ છે ત્યાં જઈને વિરોધ કરો ને. હું ચર્ચા કરવાનો વિષય નથી. હું જે જ્ઞાતિમાંથી આવું છું એ પણ નીચી નથી અને જે જ્ઞાતિમાં હું ગઈ છું એ પણ નીચી નથી. કોઈ પણ જ્ઞાતિ નીચી નથી હોતી, માણસ માણસ હોય છે. હું પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું સમાજ જવાબદારી લેશે?તમે લોકોએ મારા પપ્પા પર પણ પ્રેશર કર્યું અને એના પુરાવા પણ છે. હું કઈ ખોટું નથી બોલતી બસ તમે સ્વીકારી નથી શકતા એટલો જ ફરક છે. હું આજે કોઈ પ્રેશરમાં આવીને કદાચ આપઘાત કરી લઉં તો શું આ સમાજ જવાબદારી લેશે? મારા પપ્પાને કોણ જવાબ આપશે? મારા જીવનને તમે તમારું જીવન સમજી લીધું છે. હું હસી પણ ન શકું, બોલી પણ ન શકું. તમે કહો ત્યાં પરણું અને તમે ના કહો તો ના પરણું. આના કરતાં તો ભગવાન કોઈને દીકરી જ ના આપે અને આવા સમાજમાં તો ક્યારેય ના આપે જ્યાં દીકરીને પોતાનું જીવન જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમને લાગે છે કે મેં મારા બાપનું નથી વિચાર્યું પણ યાર તમે ઘરમાં એવો માહોલ તો આપો કે દીકરી તમને પ્રેમથી કહી શકે કે પપ્પા હું આને પ્રેમ કરું છું અને મારે ત્યાં લગ્ન કરવા છે. આજે મારી ખુશી મારા ઘરના જ નથી જોઈ શકતા તો મને સમાજનું કોઈ દુઃખ નથી. મને એવું હતું કે મને મારું ઘર અપનાવશે કારણકે મેં આવડી થઈ, મેં મારા ઘર માટે જે કર્યું છે એ કર્યું છે. અને જ્યાં સુધી આ સમાજને સમાજ માટે મેં ગીતો ગાયા, સમાજ ના ગીતો ગાયા ત્યાં સુધી હું બધાને વ્હાલી રહી ગઈ, ત્યાં સુધી બધાને મારા જેવું કોઈ સારું નહોતું લાગતું. અને આજે જ્યારે એક દીકરી પોતાના માટે કંઈક વિચારે છે, એવી એક દીકરી પોતાના... મારા ઘરમાં નથી એવો માહોલ એટલે મેં ઘરે ન કીધું અને મારે આ પગલું ભરવું પડ્યું. પણ આ જે લોકો આ બધું સમજે છે એ લોકોને કહું છું કે ઘરમાં એવો માહોલ બનાવો કે દીકરી ભાગે નહીં અને દીકરી તમને સામેથી કહી શકે કે મને પ્રેમ છે. પ્રેમ કરવો એ કંઈ ગુનો નથી. જો મારા બાપનો જીવ બળતો હોય તો હું પણ એક દીકરી છું અને મારામાં પણ જીવ છે, મારો જીવ પણ બળ્યો છે. આજે તમે આખા સમાજે થઈને મને ચર્ચાનો વિષય કરી નાખી છે. જે લોકોથી થોડીક ઉમ્મીદ હોય છે એ લોકો પણ આજે... જે લોકોને આ વાતની ખબર જ નથી એવી એવી વાતો કરે છે. જ્યારે હું પટેલ સમાજમાં પરણીને ગઈ હોત અને એ દીકરો મને હેરાન કરત તો પટેલ સમાજ આવત? પટેલ સમાજના દીકરાને તમે લોકો આવી રીતે જ વાતો કરત? કેટલી દીકરીઓ એવી છે જે પટેલ સમાજની અંદર પણ હેરાન થાય છે, ત્યાં જઈને વાતો કરો. હું ખુશ છું અને મારું જીવન છે, આખી દુનિયાનું નથી. દરેક વ્યક્તિનું પોતાનું જીવન હોય છે. મને તો એવું લાગે છે કે મારું જીવન લોકોનું જીવન થઈ ગયું છે હવે. આવી ઉમ્મીદો પટેલ સમાજથી નહોતી મને. બની શકે તો કોઈ પણ દીકરીને આવી રીતે હેરાન ન કરતા તમે, તમારા ઘરે પણ દીકરી છે. સિંદૂર પૂરી, મંગળસૂત્ર પહેરી વીડિયો બનાવી સમાજ સામે આંગળી ચીંધવી યોગ્ય નથી- વિજય માંગુકીયાપાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સાંગાણીનો વિવાદ સર્જાયો છે અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન-યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વીડિયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે ત્યારે આરતી સંગાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે, જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવનની ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર. પરંતુ, આ સમાજની સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું અને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વીડિયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. ઉપરાંત, જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એની સામે વાંધો છે. હા ચોક્કસ, સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને જાહેર કરે છે અને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પણ કહેવાય છે અને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે. ક્યારેય બળાત્કારીઓને કોઈપણ સમાજ સ્વીકારતો નથી અને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે. પરંતુ આ બંધારણની સામે, સમાજ સરકારની સામે લડી રહ્યો છે જેથી કરીને આવી દીકરીઓ માવતરો સાથે, માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હશે રાત-દિવસ જોયા વગર જ્યારે એમના પિતા, કોઈપણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે, ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે, તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે. અને વીડિયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન-યુવતીઓને શું આની અંદરથી પ્રેરણા મળશે? અને યુવાન-યુવતી હંમેશા તેમના જીવન માટે સ્વતંત્ર હોય છે પણ એ સ્વતંત્રતા સમાજને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી.
ગઢડામાં કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ ઉજવાયો:કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું, અનેક અગ્રણીઓ હાજર રહ્યા
ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો 141મો સ્થાપના દિવસ ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આઝાદીની લડાઈમાં મહત્વનું યોગદાન આપનાર આ પક્ષના સ્થાપના દિવસની ઉજવણીમાં શહેર અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, ગઢડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઈ જેબલિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ અને ગઢડા નગરપાલિકા સદસ્ય અજયભાઈ ઝાલા, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ કમલેશભાઈ ચૌહાણ, બોટાદ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભાનુભાઈ બોરીચા, બોટાદ જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ અગ્રણી ચાવડાભાઈ વકીલ, કોંગ્રેસ અગ્રણી રાઘવભાઈ કેવડીયા, હરેશભાઈ પાટગીર, રમેશભાઈ ભીંગરાડીયા, ટીનાભાઈ ચાવડા, ગઢડા નગરપાલિકા સદસ્ય ગોરાભાઈ ગોહિલ, રમેશભાઈ રાઠોડ, ગઢડા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ ખોખર, વસનભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ, ગઢડા શહેર કોંગ્રેસ ઓબીસી પ્રમુખ પરેશભાઈ મકવાણા, ગઢડા શહેર કોંગ્રેસ લઘુમતી પ્રમુખ ઈકબાલભાઈ ચૌહાણ, ગઢડા તાલુકા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ હરદેવસિંહ વાઢેલ, ગઢડા શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ યોગેશભાઈ યાદવ, ગઢડા શહેર કોંગ્રેસ અગ્રણી પ્રદીપભાઈ ખાચર અને રામજીભાઈ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
હિંમતનગરમાં જ્વેલર્સમાંથી 8.20 લાખના દાગીનાની ચોરી:શટર તોડી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ
હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલ સહજાનંદ ડી એપાર્ટમેન્ટમાં વિજયા જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી થઈ છે. ગત શનિવાર રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું શટર તોડી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 8.20 લાખની મત્તાની ચોરી કરી હતી. આ ઘટના અંગે દુકાન માલિક મયુર હનુમંત રાક્ષેએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસ અને એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, એફએસએલ (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની ટીમે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ પુરાવા એકત્ર કર્યા હતા. ફરિયાદ મુજબ, તસ્કરોએ દુકાનમાંથી આશરે રૂ. 2.20 લાખના સોનાના દાગીના અને આશરે રૂ. 6.00 લાખના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સોનાના દાગીનામાં 10 કાનની બુટ્ટી (આશરે 1 તોલા), 6 મિક્સ બુટ્ટી (આશરે 0.5 તોલા) અને 4 નાકની નથણી (આશરે 0.5 તોલા)નો સમાવેશ થાય છે. ચાંદીના દાગીનામાં નાના-મોટા છત્ર, નાગ, ગણપતિજી, લક્ષ્મીજી, મહાકાળી માતાની મૂર્તિઓ, મંગળસૂત્ર, કડું, વીંટી, કંકાવટી, હિંચકા, શિવલિંગ સ્ટેન્ડ, નાની ડિસો, વાટકીઓ, ચમચીઓ, પરણાયા અને દીવીઓ સહિત આશરે 2.50 કિલોગ્રામ ચાંદીનો સમાવેશ થાય છે. તસ્કરો ચોરી દરમિયાન દુકાનમાંથી સીસીટીવીનું ડીબીઆર પણ ચોરી કરીને લઈ ગયા હતા.
અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સની દુકાનમાંથી નજર ચૂકવીને ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલી ટોળકીએ બાળકને સાથે રાખી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેથી જ્વેલર્સ દ્વારા આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. જ્વેલર્સની દુકાનમાં ટોળકીએ બાળક પાસે ચોરી કરાવીઅમદાવાદના આનંદનગર વિસ્તારમાં શ્રી લક્ષ્મી જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન આવેલી છે જેમાં વેજલપુર વિસ્તારમાં રહેતા ભાવેશ માળી દુકાનમાં નોકરી કરે છે. તેમની સાથે સુરેશભાઈ નામના વ્યક્તિ પણ નોકરી કરે છે. ગત નવેમ્બર મહિનામાં બપોરના સમયે સુરેશભાઈ જમવા માટે ગયા હતા ત્યારે ભાવેશભાઈ તેમની દુકાન ઉપર હાજર હતા. મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે આવ્યાબપોરના સમયે એક અજાણી મહિલા અને પુરુષ નાના 12 વર્ષના બાળક સાથે દુકાનમાં આવ્યા હતા. કાનમાં અને નાકમાં પહેરવાની સોનાની કાંટીઓ બતાવવાની વાત કરી હતી. બે મિનિટ બાદ અન્ય એક મહિલા અને પુરુષ દુકાનમાં આવ્યા હતા અને ચાંદીનું છતર જોવા માંગ્યું હતું. પરંતુ ભાવેશભાઈએ તેમને બતાવ્યું નહીં જેથી તેઓ ત્યાંથી જતા રહ્યાં હતાં. ત્રણ લાખની સોનાની કાંટીઓ ગાયબનાના બાર વર્ષના બાળક સાથે આવેલી મહિલા અને પુરુષને ભાવેશભાઈ દ્વારા સોનાની કાંટીઓ બતાવવામાં આવી રહી હતી. બાદમાં તેઓ કોઈપણ ખરીદી કરાવી ના જતા રહ્યા હતાં. જે બાદ તેઓએ સોનાની કાંટીઓની ગણતરી કરતા તેમાંથી ત્રણ લાખ રૂપિયાની સોનાની કાંટીઓ ગાયબ હતી. બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતીસીસીટીવી ફૂટેજમાં જોતા મહિલા અને પુરુષ સોનાની કાંટીઓ જોઈ રહ્યાં હતા. ક્યારે વાતચીતમાં વ્યસ્ત રાખીને નાના છોકરાને ઈશારો કરતા 12 વર્ષના બાળકે સોનાની કાંટીઓ ભરેલી થેલી લઈ લીધી હતી. જેથી આ મામલે દુકાન માલિકને જાણ કરતા તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું કહેતા આનંદનગર પોલીસે ગુનો નોધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. કમરમાં ચપ્પુ-હાથમાં ટોર્ચ સાથે ચોરી, CCTVસુરત શહેરમાં તસ્કરો હવે નવા-નવા પેંતરા અજમાવી રહ્યા છે. ઉધના વિસ્તારમાં આવેલી એક આઈસ્ક્રીમ પાર્લરમાં માત્ર અડધો ફૂટ પહોળા અને ત્રણ ફૂટ લાંબા શટરના ગાબડાંમાંથી બે તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) વડોદરાના મકરપુરા GIDCની બે કંપનીમાં ચોરી, CCTVવડોદરા શહેરના મકરપુરા GIDCમાં આવેલી બે કંપનીમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીમાં બે તસ્કરો 1.68 લાખની કિંમતના કોપરના 16 નંગની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) 90 હજારની વીંટી બેગમાં નાખી ફરાર, CCTVગોતાના જ્વેલર્સ શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના જોવાના બહાને 6.40 ગ્રામની વીંટી ચોરી હતી. ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બનીને આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે. દાગીના ખરીદવાના બહાને આવેલી 50 વર્ષની એક અજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવીને આ ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના શોરૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ, વડોદરા દ્વારા ગોધરાના સરદાર નગર ખંડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, નિવૃત્ત અને નવનિયુક્ત સરકારી કર્મચારીઓ તેમજ રમતગમત, કલા અને રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ઉપસ્થિત રહી તમામ પ્રતિભાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બાળાઓએ સ્વાગત ગીત રજૂ કરી આમંત્રિતોને આવકાર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજી ઉપરાંત પંચમહાલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી દેવા સોલંકી, પાલિકા ઉપપ્રમુખ સુનિલ લાલવાણી, કાઉન્સિલર જીતુ સાવલાણી, દીવા પરમાર અને સવિતા ભુચ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ એપીએમસી ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, ખુમાનસિંહ ચૌહાણ, ચંદ્રસિંહ રાઉલજી, રામ ગઢવી તેમજ ગુજરાતના 26 ગામના તીરગર સમાજના આગેવાનો અને 200થી વધુ સમાજજનો હાજર રહ્યા હતા. ધારાસભ્ય સી.કે. રાઉલજીએ તેજસ્વી વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવતા ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. તેમણે સમાજની પ્રગતિને બિરદાવી ખાતરી આપી હતી કે, સામાજિક ઉત્થાનના કાર્યોમાં તેઓ હંમેશા તત્પર અને મદદરૂપ રહેશે. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન તીરગર સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ જેઠા તીરગર, મહામંત્રી ભાનુપ્રસાદ પરમાર, કન્વીનર ડૉ. મનુ પરમાર તેમજ મહેશ પરમાર, જેઠા પરમાર, વિઠ્ઠલ પરમાર અને હસમુખ મકવાણા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના અગીયોલ ગામે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે નેશનલ હાઈવે 48થી ગામ ચોક સુધીના ડામર રોડનું ઉદ્ઘાટન કરાયું હતું. આશરે એક કિલોમીટરથી વધુ લાંબા આ ડામર રોડના લોકાર્પણ ઉપરાંત, ધારાસભ્ય વી.ડી. ઝાલા દ્વારા અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું. જેમાં અગીયોલ ગામના મઠ વિસ્તારમાં રૂ. 4 લાખના ખર્ચે બનનારા સીસી રોડ, હાઈસ્કૂલથી નવી વસાહત સુધીના રૂ. 5 લાખના સીસી રોડ અને અનુસૂચિત જાતિ ફળિયામાં રૂ. 3 લાખના ગટરના કામોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ ચંદનસિંહ રહેવર, દેસાસણના સરપંચ ભાવિકભાઈ દેસાઈ, અગીયોલ ગામના સરપંચ સુજાનભાઈ ગૌસ્વામી સહિત ગામના અગ્રણીઓ, મહિલાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિકાસકામોના કાર્યક્રમ બાદ, ધારાસભ્ય વી.ડી. ઝાલાએ અગીયોલ ગામના સરપંચના નિવાસસ્થાને સ્થાનિકો અને કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 129મા 'મન કી બાત' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી સિટી બસ સેવા વિવાદનું કેન્દ્ર બની છે. આ નવી બસ સેવાને કારણે શહેરના આશરે 2500 થી 3000 રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની હોવાના આક્ષેપો થયા છે. રિક્ષા એસોસિએશને આ અંગે ચિંતા વ્યક્ત કરી સરકાર પાસે યોગ્ય નિવારણ લાવવા માંગ કરી છે. રિક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ બસ સેવાનો વિરોધ કરતા નથી, પરંતુ તેના સંચાલનથી રિક્ષા ચાલકોને મોટો ફટકો પડ્યો છે. પહેલા જે ચાલકો દિવસના 400 થી 500 રૂપિયા કમાતા હતા, તેમની કમાણી હવે ઘટીને માંડ 150 થી 200 રૂપિયા થઈ ગઈ છે. આના કારણે રિક્ષા ચાલકોને ઘરનું ભાડું, બેંકના હપ્તા અને બાળકોની સ્કૂલ ફી ભરવામાં મુશ્કેલી પડી રહી છે. રિક્ષા ચાલકોની મુખ્ય માંગણીઓમાં બસનું લઘુત્તમ ભાડું વધારીને 10 રૂપિયા કરવું અને બસો ગમે ત્યાં ઊભી રાખવાને બદલે દર એક કિલોમીટરે નિશ્ચિત સ્ટોપ પર જ ઊભી રહે તે સામેલ છે. તેમણે સમાન નિયમો લાગુ કરવાની પણ માંગ કરી છે. રિક્ષા ઊભી રહે તો ટ્રાફિક નડતરના નામે ડિટેઈન કરવામાં આવે છે, જ્યારે બસો ગમે ત્યાં ઊભી રહે છે તેના પર તંત્ર કેમ મૌન છે તેવો સવાલ ઉઠાવ્યો છે. રિક્ષા ચાલક નીલમ સનસે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, રોડ પર કોઈ પણ વ્યક્તિ હાથ બતાવે એટલે બસ ઊભી રહી જાય છે, જેના કારણે મુસાફરો રિક્ષામાં બેસવાનું ટાળે છે અને તેમનો ધંધો 50 ટકાથી પણ નીચે જતો રહ્યો છે. રિક્ષા ચાલકોનો આક્ષેપ છે કે, સિટી બસોના અનિયમિત સ્ટોપને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. જો તંત્ર દ્વારા વહેલી તકે આ મામલે મધ્યસ્થી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રિક્ષા ચાલકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી શક્યતા છે.
છોટા ઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં 13 વર્ષીય સગીરાની રહસ્યમય રીતે હત્યા કરાયેલી લાશ ઘરની બાજુના ખેતરમાંથી મળી આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, સગીરા દિવસ દરમિયાન ઘરે એકલી હતી ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારો સગીરાના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં લઈ ગયો હતો. બપોરના સમયે સગીરાની માતા ખેતરેથી ઘરે પરત ફરતા દીકરી જોવા ન મળતાં તેમણે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘરની બાજુના ખેતરમાંથી દીકરીનો લોહીલુહાણ મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ કદવાલ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કદવાલ પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હત્યારાને પકડવા અને હત્યાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. સગીરાના પરિવારજનો સવારે 8 વાગ્યે ખેતરે ગયા હતા. સગીરાએ તેની માતાને ભૂંડના ત્રાસને કારણે પિતા સાથે ખેતરે જવા કહ્યું હતું. જેથી માતા પણ ખેતરે ગઈ હતી. તે સમયે ઘરમાં વૃદ્ધ દાદી અને સગીરા જ હાજર હતા, ત્યારે હત્યારાએ આ કૃત્યને અંજામ આપ્યો હતો. મૃતક સગીરાના પરિવારમાં કુલ પાંચ સ છે, જેમાં પિતા, માતા, દાદી, સગીરા પોતે અને એક પરણાવેલી મોટી બહેનનો સમાવેશ થાય છે. આ પરિવાર ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવે છે. હત્યારા દ્વારા સગીરાની આબરૂ લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોઈ શકે છે. સગીરાની હત્યા ઘરે કરવામાં આવી હતી અને ત્યાર બાદ તેના મૃતદેહને ઢસડીને બાજુના ખેતરમાં મૂકી દેવાયો હતો. મૃતકની માતાએ જણાવ્યું કે જ્યારે તેમણે દીકરીનો મૃતદેહ જોયો ત્યારે તેના શરીર પર એકપણ કપડું ન હતું. મૃતદેહ જે ખેતરના છેડે મૂકવામાં આવ્યો હતો, ત્યાં એક ઝાડ પર સગીરાનો મોબાઈલ ફોન લટકતો મળી આવ્યો હતો. આના પરથી એવી પણ આશંકા સેવાઈ રહી છે કે સગીરાએ હત્યારાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે 'ઘર ઘર સંપર્ક અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનની શરૂઆત બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં રામજી મંદિરથી થઈ હતી. આ અભિયાન અંતર્ગત ગામની તમામ શેરીઓ અને મહોલ્લાઓમાં ઘરે ઘરે સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં 'પાંચ પરિવર્તન'ના વિષયને રજૂ કરતી પત્રિકાઓ અને શુલ્કવાળા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પાંચ પરિવર્તનોમાં 'આપણને ન ગમતો વ્યવહાર બીજા સાથે ન કરવો', 'પ્રકૃતિનું જતન કરવું', 'આપણી સંસ્કૃતિમાં સામાજિક સમરસતા', 'સ્વદેશીનો ઉપયોગ વધારવો' અને 'પરિવાર પ્રબોધન' (બાળકો સહિત પરિવાર સાથે બેસીને સમાજ અને પરિવારની બાબતો વિશે રચનાત્મક ચર્ચા કરવી) જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઘર ઘર સંપર્ક અભિયાનમાં મહેસાણા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ, પાટણ તાલુકા સંઘચાલક રમેશભાઈ સોની, જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ વ્યાસ અને આનંદભાઈ દેસાઈ સહિતના કાર્યકરો જોડાયા હતા.ચંદ્રુમાણા ગામના વાલ્મિકી સમાજના મીઠાભાઈ, જગદીશભાઈ અને મંગાભાઈએ તેમના સમાજ વતી કાર્યકરોને શાલ અને ખેસ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા.
પાટણ શહેરના સંતોકબા હોલ ખાતે જિલ્લા સહકારી સંઘ, કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીઓ અને પાટણ નાગરિક સહકારી બેંક દ્વારા એક દિવસીય શૈક્ષણિક સેમિનારનું આયોજન કરાયું હતું. આ સેમિનારમાં સહકારી ક્ષેત્રના આધુનિક સુધારાઓ અને મંડળીઓનો વ્યાપ વધારવા અંગે તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પાટણ જિલ્લાના સહકારી આગેવાનો અને કાર્યકરોને સહકાર ક્ષેત્રના બદલાતા પ્રવાહોથી માહિતગાર કરવાનો હતો. સેમિનારમાં વહીવટી પારદર્શિતા અને કાયદાકીય જટિલતાઓ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો. કેન્દ્રીય સહકાર મંત્રાલયના નવા સુધારાઓ મુજબ, સેવા સહકારી મંડળીઓ હવે માત્ર ધિરાણ પૂરતી મર્યાદિત નહીં રહે. તેઓ કોલ્ડ સ્ટોરેજ, ગ્રામ્ય સ્તરે મોલ, પેટ્રોલ પંપ અને વિવિધ ખાદ્ય વસ્તુઓના વેચાણ જેવા વ્યવસાયો સાથે જોડાઈ શકશે. આ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ટેકનિકલ સત્રમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગના સચિવ સુનિલ ચૌધરી અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેન્કના પૂર્વ CEO મનકોડીએ નવા નિયમો અને વહીવટી કુશળતા વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પાટણ APMC ચેરમેન સ્નેહલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખો, મંત્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ સેમિનારમાં ભાગ લીધો હતો. સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી માળખાને વધુ મજબૂત અને વ્યવસાયિક રીતે સજ્જ કરવાનો હતો.
સુરતના શૈક્ષણિક જગતમાં એક નવીન પહેલ જોવા મળી છે, જ્યાં આજના આધુનિક યુગમાં પણ યુવા પેઢીએ પશ્ચિમી સંસ્કૃતિને બાજુ પર મૂકી ભારતીય લોકકલાનો સાથ પકડ્યો છે. સુરત શહેરમાં ડાન્સ મ્યુઝિક અને ડી.જે. પાર્ટીઓના ક્રેઝ વચ્ચે એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. શહેરના ડિ.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ અને સી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસ દ્વારા આયોજિત 'ધ વિન્ટર' ફેસ્ટમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિનો લ્હાવો લીધો હતો. આ સાથે મુખ્ય મહેમાન તરીકે રાજ્યના ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે-સાથે ઓસમાણ મીર અને આમીર મીર દ્વારા ગુજરાતી ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. જેથી, 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓએ ગરબે ઘૂમ્યા હતા. સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો: હર્ષ સંઘવીહર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઈ પણ યુવાન, કોઈ પણ મિત્ર તમારો ગમે તેટલો અંગત મિત્ર હોય જો એ ડ્રગ્સના રવાડે ચડે તો એની માહિતી પોલીસ સ્ટેશન સુધી આપશો તો એ મિત્રોને ડ્રગ્સના કેસમાં અમે અંદર નહિ કરીશું પરંતુ, એને ડ્રગ્સમાંથી બહાર લાવવા માટે અમે પ્રયત્ન કરશો અને તમે સાચા મિત્ર બનીને તમે મિત્રતા નિભાવો એવી હું આપને શુભકામનાઓ આપું છું. ફરી એક વાર મારા સૌ યુવાન સાથીઓને આજની આ સાંજ તમે સૌ લોકો સાચા અર્થમાં મિત્રતાની મજા કઈ રીતે લઈ શકાય તે દિશામાં આગળ વધો એવી શુભકામનાઓ. જ્યારે સી.આર પાટીલે કહ્યું હતું કે, હાલ દેશમાં અનેક લોકોને પાણીની સમસ્યા થઈ રહી છે ત્યારે આપણે પાણી બચાવવું જોઈએ. ઓસમાણ મીર અને આમિર મીરની જમાવટઆ કાર્યક્રમની મુખ્ય વિશેષતા ખ્યાતનામ લોકગાયક ઓસમાણ મીર અને આમિર મીરની જોડી રહી હતી. તેમની બુલંદ અવાજમાં ગવાયેલા લોકગીતો અને ડાયરાની રમઝટે વાતાવરણમાં એક અલગ જ ઉર્જા ભરી દીધી હતી. સામાન્ય રીતે ડીજેના તાલે ઝૂમનારી આજની યુવા પેઢીએ આ કાર્યક્રમમાં લોકસાહિત્ય અને પરંપરાગત ગુજરાતી ધુનો પર ગરબા અને ડાંડિયાની રમઝટ બોલાવી હતી. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિઆ ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. મુખ્ય અતિથિ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને વિશેષ ઉપસ્થિતિ: ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હતી. બંને મહાનુભાવોનું કેમ્પસ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે યુવા પેઢીમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેની આ રુચિ જોઈને આનંદ વ્યક્ત કર્યો હતો. 20 હજારથી વધુની જનમેદની ઊમટી પડી હતીસી.બી. પટેલ સ્પોર્ટ્સ કેમ્પસના વિશાળ પ્રાંગણમાં આયોજિત આ ઉત્સવમાં આશરે 20,000થી વધુ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉમટી પડ્યા હતા. કેમ્પસનું મેદાન માનવ મહેરામણથી ઉભરાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ડીજેમાં માત્ર ઘોંઘાટ હોય છે, પરંતુ ઓસમાણ મીરના ગીતોમાં આપણી માટીની સુગંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે, તો આજની પેઢી પણ પોતાની પરંપરા અને સંસ્કૃતિને દિલથી અપનાવવા તૈયાર છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંસ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણીની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકાભિમુખ ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ મોટી ખાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘ધીરુભાઈ અંબાણી ગર્લ્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ’નું આયોજન કરાયું હતું. આ ટૂર્નામેન્ટમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5 થી 8 ની વિદ્યાર્થિનીઓની 12 ટીમોએ ભાગ લીધો હતો. આ રમતોત્સવ વિદ્યાર્થિનીઓ માટે ઉત્સાહભર્યો અને સશક્તિકરણથી ભરેલો સાબિત થયો હતો. ટૂર્નામેન્ટમાં મેઘપર તાલુકા શાળાની ટીમ વિજેતા બની હતી, જ્યારે મોટી ખાવડી કન્યા શાળાની ટીમ રનર અપ રહી હતી. વિજેતા અને રનર અપ ટીમોને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા શિલ્ડ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગ્રામ્ય સ્તરે ક્રિકેટને પ્રોત્સાહન આપવા તેમજ દીકરીઓમાં આત્મવિશ્વાસ અને રમતગમતના ઉત્સાહને વધારવાના ઉમદા હેતુ સાથે આ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેઘપર ક્લસ્ટરમાંથી મેઘપર, પડાણા ગામ, પડાણા પાટિયા, જોગવડ ગામ, જોગવડ પાટિયા અને નવાણીયા એમ છ શાળાની ટીમો જોડાઈ હતી. તેવી જ રીતે, મોટી ખાવડી ક્લસ્ટરમાંથી મોટી ખાવડી, નાની ખાવડી, શાપર, ગાગવા, ગાગવા વાડી અને મુંગણી સહિતની શાળાની ટીમોએ ભાગ લીધો હતો. નોકઆઉટ ફોર્મેટમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચો યોજાઈ હતી. તમામ મેચોના અંતે મેઘપર અને મોટી ખાવડી ક્લસ્ટરની વિજેતા ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ચેમ્પિયન ટીમ નક્કી કરવામાં આવી હતી. આ ટૂર્નામેન્ટ માટે ગામના શિક્ષકો અને યુવા સભ્યોએ સ્વૈચ્છિક રીતે સમય આપીને દૈનિક પ્રેક્ટિસ દરમિયાન ગર્લ્સ ક્રિકેટ ટીમને તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજકો દ્વારા ટૂર્નામેન્ટના સુચારુ સંચાલન માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મેદાન પર ખેલાડીઓ માટે પ્રાથમિક સારવારની સુવિધા, ઠંડા પાણીની વ્યવસ્થા, અનુભવી અમ્પાયર અને સ્કોરર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી. ઉપરાંત, તમામ 12 ટીમોની ખેલાડીઓને સ્પોર્ટ્સ શૂઝ, ખેલાડીના નામ સાથેની કસ્ટમાઇઝ્ડ ટીમ ટી-શર્ટ અને પ્રોત્સાહક મેડલ આપવામાં આવ્યા હતા. ટૂર્નામેન્ટના અંતે પ્લેયર ઓફ ધ મેચ, પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, શ્રેષ્ઠ બેટર, શ્રેષ્ઠ બોલર, શ્રેષ્ઠ ફિલ્ડર, શ્રેષ્ઠ વિકેટકીપર અને શ્રેષ્ઠ ટીમને પ્રોત્સાહિત કરી ખેલાડીઓની ખેલ ભાવનાને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. ટૂર્નામેન્ટ બાદ તમામ ટીમોને બેટ, બોલ અને સ્ટમ્પ ધરાવતી ટેનિસ બોલ ક્રિકેટ કિટ પણ ભેટ આપવામાં આવી હતી, જેથી ટીમો ટૂર્નામેન્ટ બાદ પણ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી શકે. આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ રમતોત્સવનું આયોજન કરીને સ્થાનિક ખેલકૂદ સંસ્કૃતિને મજબૂત કરવાની સાથે કન્યાઓ રમતગમતમાં મહત્તમ સહભાગી બને તે માટે પરિવારજનોને પ્રોત્સાહિત કરવાનો હતો, જે સફળ રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કાલવાણી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ૩૦ વર્ષીય યુવાન ભાવસિંગ ઉર્ફે મયુર અમુભાઈ ધાનાએ ભૂમાફિયાના માનસિક ત્રાસથી કંટાળીને ગત ૨૭ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક યુવાનના પિતાએ ગામના જ અનિરુદ્ધસિંહ જખીયા નામના શખ્સ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વીડિયો વાયરલ કરી ત્રાસની વ્યથા ઠાલવી હતીઆત્મહત્યા કરનાર મયુરે જીવ ટૂંકાવતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેણે અનિરુદ્ધસિંહ જખીયા તેને સતત ત્રાસ આપતો હોવાનું જણાવ્યું હતું. મૃતક મયુરના પિતા અમુભાઈ ધાનાએ જણાવ્યું હતું કે, આ શખ્સ અવારનવાર ધમકીઓ આપતો હતો. બનાવના દિવસે સાંજે 5 વાગ્યાના અરસામાં તેણે બાપ-દીકરા બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે અમુભાઈ કેશોદથી પરત ઘરે પહોંચ્યા ત્યારે તેમનો દીકરો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસની નિષ્ક્રિયતા સામે પિતાના આક્ષેપોમૃતકના પિતાનો આક્ષેપ છે કે ભૂમાફિયાના ત્રાસથી કંટાળીને તેમણે પોતે પણ ત્રણ મહિના પહેલા ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે પણ પોલીસ ફરિયાદ કરવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે તેમની ફરિયાદ નોંધવાને બદલે સામા પક્ષે તેમના દીકરા પર જ ફરિયાદ નોંધી દીધી હતી. અમુભાઈએ રોષ સાથે જણાવ્યું કે જો તે સમયે પોલીસે અમારી વાત સાંભળી હોત અને ન્યાય આપ્યો હોત, તો આજે મારો દીકરો જીવતો હોત. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા દીકરાનો મૃતદેહ સ્વીકારીશ નહીં. આ મામલે કેશોદ એસપી બી.સી. ઠક્કરે જણાવ્યું હતું કે કાલવાણી ગામે આપઘાત માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અમુભાઈની રજૂઆતના આધારે આરોપી અનિરુદ્ધસિંહ જખીયા વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ વાયરલ થયેલા વીડિયો અને અન્ય પુરાવાઓને આધારે પોલીસ હવે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
વડોદરા જિલ્લાના પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ(દિનુ મામા) પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મામલે દિનુ મામા આક્રમક મૂડમાં જોવા મળ્યા. તેઓએ જણાવ્યું હતું કે, અત્યારે વિરોધ પક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ, દારૂ મીટાઓ પણ ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો ? પાદરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) એ જણાવ્યું હતું કે, અત્યારે વિપક્ષના નેતાઓ અને જાગૃત ધારાસભ્યો બૂમો પાડે છે કે, ડ્રગ્સ મીટાઓ દારૂ મિટાઓ, હું આપ સર્વેને પૂછું છું કે, ગુજરાતના કયા ગામડામાં દારૂ નથી મળતો? આ સામાજિક બદીને રોકવાની જવાબદારી માત્ર જીજ્ઞેશ મેવાણી, ગોપાલ ઈટાલિયા કે ચૈતર વસાવાની જ નથી, શું સાધુ-સંતોની જવાબદારી નથી? જો સાધુ-સંતો ધારે તો આ દૂષણને માત્ર એક મહિનામાં નિયંત્રિત કરી શકાય છે. મારી વાત કરવાની શૈલી હંમેશા આવી જ રહી છે. હું કોઈ પણ પ્રકારના તોડ-મરોડ કરેલા નિવેદનોને સ્વીકારતો નથી. આ પહેલા તાજેતરમાં જ ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા) નો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓએ કહેતા જોવા મળ્યા હતા કે, હમણાં પ્રવીણસિંહભાઈએ કહ્યું કે, મુઝે પીને કા શોખ નહીં, ગમ ભુલાને કો પીતા હું. આ વાત બરોબર છે પણ જો મગજ જ બંધ થઈ જાય તો કામ કંઈ ન થાય. દારૂબંધી માટે ઋષિઓ, મુનિઓ, સંતો અને અક્ષર સ્વામી પણ ઘણું મોટું જ્ઞાન આપીને ગયા છે, પણ અહીં બેઠેલા 80 ટકા લોકો વ્યસનીઓ છે. એટલે 'મુખ મેં રામ ઔર બગલ મેં છુરી' વાળા લોકોનું ક્યારેય ભલું થતું નથી. દિનેશ પટેલ (દિનુ મામા) એ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે અપક્ષ ચૂંટણી લડીને મોરચો માંડ્યો હતો. જોકે તેઓ ચૂંટણી હારી ગયા હતા. આ ઉપરાંત તેઓ ભાજપ સામે અને ભાજપના ધારાસભ્ય અને નેતાઓ સામે નિવેદનો લઈને સતત ચર્ચામાં રહે છે.
ભરૂચમાં 2 અને 5 કિમી મેરેથોનનું આયોજન:435થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો, વિજેતાઓને ઇનામ અપાયા
ભરૂચના મકતમપુર ખાતે 27 ડિસેમ્બરના રોજ 2 અને 5 કિલોમીટરની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રવણ વિદ્યામંદિર, હરિઓમ આશ્રમ, બટુકનાથ વ્યાસ શાળા અને જલારામ પાતરાના સહયોગથી આ દોડ યોજાઈ હતી. આ મેરેથોનમાં વિવિધ વય જૂથોના કુલ 435 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડનો પ્રારંભ મકતમપુર સ્થિત શ્રવણ વિદ્યામંદિરથી થયો હતો. આ દોડ બોરભાથા બેટ, નર્મદા બંગલો, દુબઈ ટેકરી, નિઝામવાડી અને ઝાડેશ્વર પંચાયત વિસ્તારમાંથી પસાર થઈ પરત શ્રવણ વિદ્યામંદિર ખાતે પૂર્ણ થઈ હતી. ગ્રુપ એકમાં ભાઈઓમાં હરેશ વસાવા પ્રથમ, કુશ વસાવા બીજા અને પિયુષ વસાવા ત્રીજા સ્થાને રહ્યા હતા. બહેનોમાં માનસી પ્રજાપતિ પ્રથમ, ઉતમવંશી સોલંકી બીજા અને પ્રિયાંશી વસાવા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ બેમાં 103 ભાઈઓ અને 71 બહેનોએ ભાગ લીધો હતો. બહેનોમાં પ્રિશા વસાવા પ્રથમ, અંજલી સંગાડા બીજા અને તાનિયા પાટણવાડિયા ત્રીજા સ્થાને રહ્યા. ભાઈઓમાં વિકેશ સંગાડા પ્રથમ, અભી વસાવા બીજા અને સુમિત ભુરીયા ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ત્રણમાં ભાઈઓમાં હર્ષિલ સોલંકી પ્રથમ, અર્થ રાણા બીજા અને વીર વસાવા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં સનાયા વસાવા પ્રથમ, માહી વસાવા બીજા અને પાવની પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ ચારમાં કુલ 22 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. મોટા ભાઈઓમાં યોગી મહાવીર પ્રથમ, અક્ષત વસાવા બીજા અને ઇન્દ્ર ગોડ ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં લીના બાંગડે પ્રથમ, મનીષા વસાવા બીજા અને ચેતના પવાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. ગ્રુપ પાંચમાં કુલ 27 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં પ્રવિણ વસાવા પ્રથમ, દિનેશ વસાવા બીજા અને પ્રવિણ આહિર ત્રીજા સ્થાને રહ્યા. મહિલાઓમાં નરગીશ પરમાર પ્રથમ, જ્યોત્સના મોરી બીજા અને સુપ્રિયા પરમાર ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. 61 વર્ષથી ઉપરના વર્ગમાં કુલ 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભાઈઓમાં ભુલા વસાવા પ્રથમ, રસિક રાવલ બીજા અને બચુ પાનવાલા ત્રીજા સ્થાને રહ્યા. બહેનોમાં મંજુ પરમાર વિજેતા બન્યા હતા. કાર્યક્રમમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,સેવાસદન પ્રમુખ વિભૂતિબા યાદવ,મારુતિસિંહ અટોદરીયા,હરિઓમ આશ્રમ સુરતના ટ્રસ્ટી જીમીતભાઈ,કારમિલબેન, પંકજભાઈ,જગજીવનભાઈ,આરોગ્ય વિભાગના ડૉ. ઉન્નતિબેન અને ડૉ.સુનીલભાઈ,બટુકનાથ વ્યાસ, શાળા પ્રમુખ પિનાકી રાજપૂત તેમજ અર્જુન રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.મહેમાનો દ્વારા વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ સંગઠનમાંથી નવસારીની બાદબાકી:સી.આર. પાટીલના ગઢમાંથી એક પણ કાર્યકરને નવી ટીમમાં તક નહીં
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તેમની નવી ટીમની જાહેરાત કરી છે. આ નવી ટીમમાં નવસારી જિલ્લાને સ્થાન ન મળતા રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું છે. અગાઉની ટર્મમાં પ્રદેશ સ્તરે પ્રતિનિધિત્વ ધરાવતા નવસારીમાંથી આ વખતે એક પણ કાર્યકરને સંગઠનમાં સ્થાન મળ્યું નથી. નવસારી જિલ્લો પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ગઢ ગણાય છે. ગત ટર્મમાં નવસારીના શીતલ સોનીને પ્રદેશ સંગઠનમાં મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, આ વખતે જાહેર થયેલી યાદીમાં નવસારીના એક પણ કાર્યકરનું નામ ન હોવાથી સ્થાનિક કાર્યકરોમાં નિરાશા જોવા મળી રહી છે. આસપાસના જિલ્લાઓ જેવા કે સુરત, વલસાડ અને તાપીમાંથી કાર્યકરોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ નવસારીને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. આ બાબત કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે પૂર્વ પ્રદેશ મંત્રી શીતલબેન સોનીએ જણાવ્યું હતું કે, નવા પ્રદેશ પ્રમુખે તેમની રણનીતિ અને વિચારધારા મુજબ ટીમની પસંદગી કરી છે. આગામી સમયમાં ચૂંટણીલક્ષી રણનીતિ માટે નવી ટીમ ખૂબ જ જરૂરી છે. ગત ટર્મમાં મને તક મળી હતી, હવે નવા ચહેરાઓને તક મળી છે જે પક્ષના હિતમાં છે. કોઈ કાર્યકર નારાજ નથી, આ એક સંગઠન પ્રક્રિયાનો ભાગ છે. નવસારી જેવા ગઢ ગણાતા જિલ્લાની અવગણના થતા કાર્યકરોમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે.
સાપુતારામાં આંતરરાજ્ય ઘરફોડ ગેંગ ઝડપાઈ:20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે, ત્રણ આરોપી પકડાયા
સાપુતારા પોલીસે 31 ડિસેમ્બરની ડ્રાઇવ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સક્રિય આંતરરાજ્ય ઘરફોડ ચોર ગેંગને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે. સઘન વાહન ચેકિંગ દરમિયાન હુન્ડાઇ ક્રેટા કારમાં આવેલા શંકાસ્પદ ઇસમોને અટકાવતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. મહારાષ્ટ્ર તરફથી આવતી સફેદ રંગની હુન્ડાઇ ક્રેટા કાર (GJ-20-CB-2646)ને રોકવામાં આવી હતી. વાહન ચેકિંગ દરમિયાન પોલીસને શંકા જતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. આ સમયે એક ઇસમ પાસેથી ઘરફોડ માટે વપરાતું લોખંડનું ગણેશીયું મળી આવ્યું હતું. પોલીસની કાર્યવાહી દરમિયાન કાર ચાલક અને અન્ય બે ઇસમો વાહન લઈને ભાગી ગયા હતા. પોલીસે તાત્કાલિક પીછો કરીને માલેગામ નજીક કાર મૂકીને જંગલમાં ભાગેલા આરોપીઓમાંથી એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 20,36,680નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં રૂ. 5,13,180 રોકડ, બે ચાંદીની ચેન, એક જોડ ચાંદીના સાંકળા, હુન્ડાઇ ક્રેટા કાર, ત્રણ મોબાઇલ ફોન અને લોક તોડવાના સાધનોનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલુજ તાલુકામાં આવેલી એક કન્સ્ટ્રકશન ઓફિસમાં ઘરફોડ ચોરી કરી હતી. આ અંગે અકલુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પકડાયેલા આરોપીઓમાં અનિલભાઇ રેવાભાઇ ભાભોર, વકીલ તેરસિંગ ભાભોર અને મિથુનભાઇ મનુભાઇ ભાભોરનો સમાવેશ થાય છે. કમલેશભાઇ દિપાભાઇ ભાભોર અને કાંતી તેરસિંગ ભાભોરને વોન્ટેડ જાહેર કરાયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગના સભ્યો સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અગાઉથી અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા તત્પરતા, સતર્કતા અને સંકલિત કાર્યવાહી દાખવીને આંતરરાજ્ય ચોર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં માત્ર સિગરેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં વિવાદ સર્જાયો હતો, જેમાં દુકાનદાર અને ગ્રાહક વચ્ચે સામસામે મારામારી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ભાઈપુરાની વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે થયેલા આ ઝઘડામાં દુકાનદારનો આક્ષેપ છે કે, મોન્ટુ કોસ્ટી નામના શખ્સે પૈસા માંગતા ઉશ્કેરાઈને તેમને લાફા માર્યા હતા અને પોલીસની હાજરીમાં તેમની દીકરી પર પણ હુમલો કર્યો હતો. સામા પક્ષે મોન્ટુએ વળતો આક્ષેપ કર્યો છે કે, દુકાનદારે ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી હતી અને તેમની પત્નીએ ચપ્પુ વડે હુમલો કરતા તેને દાઢીના ભાગે ઈજા થઈ હતી. હાલ ખોખરા પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની હાજરીમાં મોન્ટુએ દીકરી ઉપર હુમલો કર્યોખોખરાના ભાઈપુરા વિસ્તારમાં આવેલા વિશ્વાસ પાર્ક સોસાયટી પાસે જય અંબે ફાસ્ટ ફૂડની દુકાનમાં મોન્ટુ કોસ્ટી અને તેના બે મિત્રોએ શનિવારે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આવીને દુકાન પર સિગરેટ માંગી હતી અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. મોન્ટુ પાસે સિગરેટ ના રૂપિયા માંગતા તેણે કહ્યું કે, તું હમારે પાસ પૈસા માંગેગા? તેમ કહી એકદમથી ઉશ્કેરાઈને ગંદી બિભસ્ત ગાળો બોલી અને દુકાનદારને મોઢા ઉપર ત્રણ ચાર લાફા મારી દીધા હતા. આટલેથી ન અટકાઈ પોલીસની હાજરીમાં પણ મોન્ટુએ રાજેશભાઈની દીકરી ઉપર પણ હુમલો કર્યો હતો. બાદમાં પોલીસ મોન્ટુ તેના સાથે રાહુલ અને અન્ય સાગરીતોને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં પોલીસે રાજેશભાઈની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુકાનદારની પત્નીએ ગાળો બોલી ચપ્પુ વડે હુમલો કર્યોઆ બનાવના સંદર્ભે સામે મોન્ટુએ પણ દુકાન માલિક રાજેશભાઈ સામે FIR દાખલ કરાવી છે. જેમાં ફરિયાદ અનુસાર લખાવ્યું છે કે, મેં તેમની દુકાન પર જઈને સિગરેટ અને મસ્કાબનનો ઓર્ડર આપ્યો હતો. ત્યાં રાજેશભાઈએ સિગરેટના રૂપિયા માંગતા મેં કહ્યું હતું કે, હજી તો હું ઉભો છું જતો નથી રહેવાનો પૈસા આપું છું. આવું કહેતા રાજેશ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ગંદી ગાળો બોલીને ઝપાઝપી કરીને લાતો અને ફેટો મારી હતી. આ દરમિયાન તેમની પત્ની વચ્ચે આવી ગઈ હતી અને તે પણ ગંદી ગાળો બોલવા લાગી હતી. તેમની પત્નીએ રાજેશભાઈનું ઉપરાણું લઈને મને ગંદી ગાળો બોલી હતી અને મને ચપ્પુ કાઢીને મારવા જતા અમે હાથ ઊંચો કરીને બચાવ કર્યો હતો. જોકે દાઢીના ભાગે થોડો ઘસારો વાગી જતા આજુબાજુના માણસો ભેગા થઈ ગયા હતા અને વચ્ચે પડીને મને છોડાવ્યો હતો. હાલમાં પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાજપના નવા સંગઠન માળખામાં વલસાડ જિલ્લાનું વર્ચસ્વ:અરવિંદ પટેલ અને સોનલ સોલંકીને મહત્વની જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં પ્રદેશ સંગઠનના નવા માળખાની જાહેરાત કરી છે. આ નવા માળખામાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ સંગઠનમાં વલસાડ જિલ્લાના બે અગ્રણી નેતાઓને સ્થાન મળ્યું છે. અરવિંદ પટેલને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખ સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકસભાના દંડક ધવલ પટેલે આ નિમણૂકો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારોને સમાન પ્રતિનિધિત્વ આપ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ઇતિહાસમાં પ્રથમવાર પ્રદેશ માળખામાં 4 આદિવાસી નેતાઓને મંત્રી અને ઉપપ્રમુખ જેવા પદો પર સ્થાન મળ્યું છે. આ નિર્ણય ભાજપની આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટેની કટિબદ્ધતા દર્શાવે છે. ધવલ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં વલસાડ જિલ્લો અને સમગ્ર દક્ષિણ ગુજરાત 'કોંગ્રેસ મુક્ત' બનશે. પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ વિશ્વની સૌથી મોટી લોકશાહી પાર્ટી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. આ નવી ટીમ સાથે ભાજપ આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવી સરકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સક્રિય બનશે.
ગાંધીનગર શહેર અને જિલ્લાના વિવિધ રાજપૂત સંગઠનોના સંયુક્ત ઉપક્રમે આજે રવિવારના રોજ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર-12 સ્થિત શ્રી રાજપૂત સમાજ ભવન ખાતે યોજાશે. સમાજના ઉત્કર્ષ અને સંગઠનને મજબૂત કરવાના આશય સાથે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના અનેક દિગ્ગજ મહાનુભાવો હાજરી આપશે. શંકરસિંહ વાઘેલા સહિતના રાજકીય આગેવાનો હાજર રહેશેઆ સમારોહના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાજર રહેશે.જ્યારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિજાપુરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી સમાજને માર્ગદર્શન પૂરું પાડશે.આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે વિવિધ રાજપૂત મંડળોના પ્રમુખો, આઈઆરએસ અને આઈએએસ અધિકારીઓ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહેશે. શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર, રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ, સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં સામાજિક વિકાસ માટે ચર્ચાઓ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે તમામ આમંત્રિતો માટે સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જેના દાતા બલરામસિંહજી ભવાનસિંહજી ચાવડા છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા આજે 28 ડિસેમ્બરના રોજ નિકોલ ખાતે આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં સમસ્ત લેઉવા પટેલ સમાજ અમદાવાદનું મહા સંમેલન અને નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ લેઉવા પટેલ સમાજના મંત્રીઓ સન્માન સમારોહ યોજાશે. મહાસંમેલન અને સન્માન સમારોહની સાથે મા ખોડલ - મા અન્નપૂર્ણાની ભવ્ય આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લેઉવા પટેલ સમાજ અમદાવાદના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉપસ્થિત રહેશે. મહાસંમેલનમાં 25000 લોકો ઉપસ્થિત રહેશેલેઉવા પટેલ સમાજ અમદાવાદ દ્વારા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલા સમસ્ત લેઉવા પટેલ સમાજના મહાસંમેલન કાર્યક્રમમાં અમદાવાદમાં રહેતા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત કુલ 25000 જેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે. લેઉવા પટેલ સમાજનો ખૂબ મોટો વર્ગ શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, વસ્ત્રાલ સહિતના અલગ અલગ વિસ્તારમાં રહેલો છે. આગામી સમયમાં રાજકારણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદના સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજનું યોગદાન વધે તેને લઈને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવી રહ્યું છે. કયા મુખ્ય મહેમાનો ઉપસ્થિત રહેશે
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા અંદાજિત 2 વર્ષ પહેલાં શહેરમાં આવેલ બોરતળાવ અને સીદસરને જોડતો 2 કિ.મી. લાંબો આઈકોનીક બ્રિજ અંદાજે રૂા.100 કરોડના ખર્ચે સાકાર થવાની વાતો હતી. પરંતુ આજદિન સુધી આ પ્રોજેકટ માત્ર કાગળ ઉપર છે અને જો આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હોત તો સીદસર અને આજુબાજુના 20થી વધુ ગામોના લોકોના પરિવહન ને લાભ મળત પરંતુ આ પ્રોજેકટ માત્ર કાગળ પરજ રહેતા શાસક અને વિપક્ષ એકબીજાને પ્રહારો કરી રહ્યા છે. 100 કરોડના ખર્ચે બનનારો આઈકોનિક બ્રિજ કાગળ પર ભાવનગર શહેરમાં હાલ સુવિધાથી સજ્જ ધજ્જ કરવા માટે ભાવનગર મહાનગરપાલિકા તેમજ પાલિકાના શાસકપક્ષ દ્વારા રોડરસ્તા,પાણી,ડ્રેનેજ જેવા વિકાસના કામો ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે બે વર્ષ પૂર્વ ઇસ્કોનથી બોરતળાવ સીદસર સુધી આઇકોનીક ઓવરબ્રિજ બનાવવા માટે શાસકપક્ષ દ્વારા આર્કિટેક પાસે આ આઇકોનીક બ્રિજ માટે સ્કેચ તૈયાર કરવા માટે રોકવામાં આવેલ જેમાં મોટી રકમ આ બાબતે ચુકવવામાં આવેલ તેમ છતાં આજદિન સુધી આ બ્રિજ માત્ર કાગળ પર જ રહેતા પાલિકાના વિરોધપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ શાસકપક્ષ દ્વારા આ બ્રિજ બાબતે નમતું જોખી અને આ બ્રિજ માટે થોડી નાની મોટી મુશ્કેલીઓ જે આવી રહી છે તેને દૂર કરવા માટે પ્રયાસો હાલ ચાલી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે આ બ્રિજ જો તૈયાર થઈ ગયો હોત તો ભાવનગરના આજુબાજુના ઘણાખરા ગામોને આ બ્રિજનો સીધો લાભ મળત. માત્ર ડીપીઆર તૈયાર કરી કન્સલ્ટન્ટને ફી ચૂકવાય છે, કામ થતું નથી- જયદીપસિંહ ગોહિલઆ અંગે મહાનગરપાલિકાના વિપક્ષ કોર્પોરેટર જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકામાં બે વર્ષ પહેલા બોરતળાવની અંદર ઇસ્કોન થી સીદસર સુધીનો પુલ બનાવવાની વાત હતી, જેમાં કન્સલ્ટ નિમ્યા. કન્સલ્ટને ફી વસુલ કરાવવવાની એટલે ખરેખર જે વસ્તુ કરવાની છે એ વસ્તુ કરતા નથી, છતાં તેને ઇસ્કોન થી સીદસર સુધી રોડ બનાવવાનું સૂજે છે. ખરેખર થાય તો અમે વિપક્ષ તરીકે એને વધાવશું, પણ આવા ડીપીઆર તૈયાર કરાવીને કન્સલ્ટને મોટી મોટી ફી ચૂકવાઈ છે. અમે સામાન્ય સભામાં કહ્યું કે કન્સલ્ટને ચૂકવવા માટે આ લોકો કંઈ પણ કરી શકે અને આ લોકો કાલ સવારે તખ્તેશ્વર થી સીધાજ ચંદ્રમાં જવાનો ડીપીઆર તૈયાર કરાવશે. કામ કરવું નથી, માત્ર ડીપીઆર તૈયાર કરાવી કન્સલ્ટને મોટી ફી ચુકવવામાં આવે છે. આ બોરતળાવની અંદર પુલ બનાવવાનો છે, પણ મારું એવું માનવું છે કે બોરતળાવની અંદર પ્રથમ બાંધકામની પરમિશન જ ન મળે. ખરેખર આવી પ્રાથમિકતા બધી પૂરી કરી ત્યારબાદ આવા ફતવા અને આયોજન કરવાની જરૂર છે. ન કરવાના કામ ખોટી વાહ વાહ, ચૂંટણી આવે એટલે ભાવનગરના શહેરીજનોને આવી ચોકલેટો આપશે, પછી ક્યારે ક્યાં પૂલ જશે, ક્યાં ભૂલ થશે એ ખબર નથી. એટલે હું નથી માનતો કે ભાવનગર મહાનગરપાલિકા 100 થી 150 કરોડ રૂપિયા ખર્ચી આવા પુલ બનાવી શકે. પગારના ફાફા છે, ક્યાંથી પૈસા કાઢશે. માત્ર વાતો કરી કન્સલ્ટને ચૂકવવાના અને આ ચૂંટણી લક્ષી જાહેરાત હમણાં આવશે એટલે કરશે, એવું ચોક્કસ અમારું માનવું છે. શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન?આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર બોરતળાવ એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન છે.આ બોરતળાવ વિસ્તારમાં જે જૂનું બોરતળાવથી સીદસર ગામનો કેડો હતો, એના ઉપર આઇકોનિક બ્રિજ બનાવવા માટે અમે છેલ્લા બે વર્ષથી મથામણ કરી રહ્યા છીએ. આની અંદર આર્કિટેક રાખીને એનો કોન્સેપ્ટ તૈયાર કરવામાં આવેલો હતો. તે કોન્સેપ્ટની અંદર મોટાભાગે બોર તળાવમાં પાણીનો પ્રવાહ છે, એ કેનાલ સ્વરૂપે રહે અને વધારાના ભાગનું પોસન છે, એ પુરાતો હોય એવું અમને લાગ્યું. એટલે એ કોન્સેપ્ટની અમે ના પાડી છે. આખો બ્રિજ બને એના માટેનો નવો કોન્સેપ્ટ કરાવવા માટેની અત્યારે કાર્યવાહી શરૂ છે. આગામી દિવસોમાં નવો કોન્સેપ્ટ સિલેક્શન કરી અને બોર તળાવના પાણીને ક્યાંય પણ અવરોધ ન થાય એ માટેની તૈયારીઓ થઈ રહી છે. આના માટેના જરૂરી NOC લેવાના હોય છે. એની પ્રોસેસ એકવાર કરી ચૂક્યા છીએ અને એમાં પર્યાવરણનું NOC લેવાનું હોય. આ NOC માટે થઈને આગળની ગતિવિધિ શરૂ છે અને આ બ્રિજથી આજુબાજુના 20 ગામડાઓને ફાયદો થવાનો છે. અને અમારો મક્કમ નિર્ધાર છે. આ બ્રિજ અમારે બનાવવો છે, પરંતુ ટેકનિકલ જે પ્રોસેસ કરવાની છે તે પ્રગતિમાં છે અને આગામી દિવસોમાં આ પુલ કરવામાં આવશે. અને અમે બ્રિજ માટે કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ. એની માટે અલગથી રાજ્ય સરકારમાં બજેટની માંગણી કરી ચૂક્યા છીએ. પરંતુ કોન્સેપ્ટ તૈયાર થયા પછી આખી ડિઝાઇન બને અને ડીપીઆર બને પછી એનું બજેટ નક્કી કરી શકીએ. અગાઉ જે કન્સલ્ટ ફી ચૂકવવામાં આવી છે તે અંગે જણાવ્યું હતું કે કન્સલ્ટસી ફી ચૂકવવાનું જે કોન્સેપ્ટ તૈયાર કર્યો હોય એની ફી કાયમ માટે કોઈના કોઈ પ્રોજેક્ટ માટે કરવાની થતી હોય છે. ત્યારે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેની કોસ્ટ હોય, તેની ચુકવણી કરી હશે, પણ મને ખ્યાલ નથી. એ નીચેના વિભાગથી ચૂકવતી હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાના હસ્તે લીંબડી ખાતે રૂ. 6.11 કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. ડેપો અને વર્કશોપનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ તકતીનું અનાવરણ કરીને વિકાસકાર્યનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, ભૌગોલિક દ્રષ્ટિએ લીંબડી સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર અને પ્રવેશદ્વાર છે. આ અત્યાધુનિક વર્કશોપ 100 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી, આ વિસ્તારની બસોના મેઈન્ટેનન્સ અને જાળવણી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તેમણે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની પ્રશંસા કરતા કહ્યું કે, સમયસર ખાતમુહૂર્ત અને સમયસર લોકાર્પણ એ જ સરકારની કાર્યપદ્ધતિ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એસ.ટી. નિગમનો કાયાકલ્પ થઈ રહ્યો છે. ખાસ કરીને અભ્યાસ અર્થે આવ-ગમન કરતી દીકરીઓ અને વિદ્યાર્થીઓને ફ્રી પાસની સુવિધા આપી સરકાર તેમના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી રહી છે. જૂની બસોના સ્થાને આજે રાજ્યમાં અત્યાધુનિક વોલ્વો બસો દોડી રહી છે, જે મુસાફરોની સુવિધા અને સલામતીમાં નોંધપાત્ર વધારો કરે છે. લીંબડીના ભૌગોલિક મહત્વ અંગે વાત કરતા સાંસદ ચંદુ શિહોરાએ જણાવ્યું હતું કે, લીંબડી નેશનલ હાઈવે પર સ્થિત 'સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર' હોવાથી અહીં વાહનવ્યવહારની સતત ભારે અવરજવર રહે છે. આ વિસ્તારની જરૂરિયાતોને સમજીને આ અત્યાધુનિક વર્કશોપનું નિર્માણ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં મુસાફરોની સુખાકારીમાં વધારો કરશે અને એસ.ટી. નિગમની કાર્યક્ષમતા માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવીને રાજ્ય સરકાર વિકાસકાર્યોને નવી ગતિ આપી રહી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારની ત્વરિત કાર્યપદ્ધતિની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં એક એવી નવી પ્રણાલી સ્થાપિત કરી છે કે જેમાં જે વિકાસકામનું ખાતમુહૂર્ત થાય છે, તેનું લોકાર્પણ પણ નિર્ધારિત સમયમર્યાદામાં જ પૂર્ણ કરવામાં આવે છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ત્વરિત નિર્ણયશક્તિને કારણે વિકાસકાર્યો ખૂબ જ ઝડપથી સાકાર થઈ રહ્યા છે, જેનો સીધો લાભ સામાન્ય જનતાને મળી રહ્યો છે. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સરકારની વિકાસલક્ષી નીતિઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, અગાઉ નગરપાલિકાઓ આર્થિક તંગી અનુભવતી હતી, પરંતુ આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને અઢળક ગ્રાન્ટ ફાળવી વિકાસકાર્યોને નવી ગતિ આપવામાં આવી રહી છે. લીંબડીના વિકાસ માટે કરાયેલી રજૂઆતોનો હકારાત્મક પ્રતિસાદ મળતા જ આજે અહીં તમામ સુવિધાઓથી સજ્જ અદ્યતન બસ સ્ટેન્ડ અને વર્કશોપ સાકાર થઈ રહ્યા છે. માત્ર ગ્રાન્ટ મંજૂર કરવાના બદલે સમયમર્યાદામાં ખાતમૂહૂર્તથી લોકાર્પણ સુધીની કાર્યપદ્ધતિમાં સરકાર વિશ્વાસ ધરાવે છે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ વિભાગીય નિયામક એચ.એસ. જોષી દ્વારા શાબ્દિક સ્વાગત તેમજ લીંબડી ડેપો મેનેજર મનોજકુમાર મહંત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. લીંબડી ડેપોના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પ્રફુલકુમાર સ્વામી, પાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, અગ્રણી હરપાલસિંહ રાણા, શંકરભાઈ દલવાડી સહિતના જિલ્લા- તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતના અધિકારીઓ તેમજ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. લીંબડી ડેપો વર્કશોપ: નવિન સુવિધાજનક બાંધકામની રૂપરેખારાજ્ય સરકાર તરફથી નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી રાજકોટ એસ.ટી. વિભાગના લીંબડી મુકામે બાંધવામાં આવનાર આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત નવિન ડેપો વર્કશોપમાં 35005.00 ચોરસ મીટર કુલ જમીન વિસ્તારમાં 6.11 કરોડ રૂપિયાની કુલ આખરી અંદાજિત કિંમતે વિવિધ સગવડતાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં 1368.98 ચોરસ મીટરના બાંધકામ વિસ્તારમાં 20.63 ચોરસ મીટરની ડેપો મેનેજર ઓફિસ, 27.0000 ચોરસ મીટરનો એડમીન રૂમ, 26.04 ચોરસ મીટરનો ટાયર રૂમ, 26.04 ચોરસ મીટરનો બેટરી રૂમ, 52.74 ચોરસ મીટરનો સ્ટોર રૂમ, 25.02 ચોરસ મીટરનો ઓઈલ રૂમ, 20.09 ચોરસ મીટરનો ઈલેક્ટ્રીક રૂમ, મેઈન્ટેનન્સ માટે 2 નંગ લોન્ગ પીટ તથા 1 નંગ યુ પીટ, 8.06 ચોરસ મીટરનો વોટર રૂમ અને સરક્યુલેશન વિસ્તારમાં 4830.85 ચોરસ મીટરનું સી.સી. ટ્રી-મીક્ષ ફ્લોરીંગ કરવામાં આવશે, તેમજ પ્રથમ માળ પર 52.74 ચોરસ મીટરનો વર્કર રૂમ, 18.66 ચોરસ મીટરનો રેકોર્ડ રૂમ, 18.88 ચોરસ મીટરનો લેડીઝ રેસ્ટ રૂમ અને 17.93 ચોરસ મીટરનો ડિસ્પેન્સરી રૂમ બનાવવામાં આવશે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ‘સોફ્ટ કમ્પ્યુટિંગ એન્ડ ઇટ્સ એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ’ વિષય પર 7મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ (icSoftComp2025) હનોઈ, વિયેતનામમાં યોજાઈ હતી. આ કોન્ફરન્સ કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સંશોધકો, શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તેમના સંશોધન, જ્ઞાન, નવા વિચારો અને નવીનતાઓ રજૂ કરવા માટે એક આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે. icSoftComp2025 ને સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા ટેકનિકલી સ્પોન્સર કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) દ્વારા ફાઈનાન્સિયલી કો-સ્પોન્સર કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 43 દેશોના સંશોધકોએ 12 ટેકનિકલ સેશનમાં તેમના 114 સંશોધન પેપર્સ રજૂ કર્યા હતા. તેમાંથી પસંદ કરાયેલા અને રજૂ કરાયેલા સંશોધન પેપર્સ સ્પ્રિંજર, યુ.એસ.એ. દ્વારા તેમની પ્રતિષ્ઠિત કોમ્યુનિકેશન્સ ઈન કમ્પ્યુટર એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (CCIS) સીરીઝ, ISSN: 1865-0929 માં પ્રોસીડીંગ્સ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. 354 થી વધુ પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સના જનરલ ચેર તરીકે ડૉ. અતુલ પટેલ (પ્રોવોસ્ટ, ચારુસેટ, ચાંગા), ડૉ. ડી. કે. પ્રતિહાર (IIT ખડગપુર, ભારત) અને ડૉ. પવન લિંગરાસ (પ્રોફેસર, સેન્ટ મેરી યુનિવર્સિટી, કેનેડા) હતા. ડૉ. કે. કે. પટેલ (ચારુસેટ, ચાંગા) આ કોન્ફરન્સના TPC ચેર હતા. ડૉ. આશિષ ઘોષ (ISI, કોલકત્તા, ભારત), ડૉ. કે. સી. સંતોષ (યુનિવર્સિટી ઓફ સાઉથ ડાકોટા, યુ.એસ.એ.), ડૉ. ગાયત્રી ડોક્ટર (CEPT યુનિવર્સિટી, અમદાવાદ), ડૉ. ગેબ્રિયલ ગોમ્સ ડી ઓલિવેરા (યુનિવર્સિટી ઓફ કેમ્પિનાસ, બ્રાઝિલ) અને ડૉ. આશિષ જલોટે પરમાર (NTNU, નોર્વે) આ કોન્ફરન્સના કો-ચેર્સ હતા. icSoftComp2025 માં અગ્રણી સંશોધકો અને ઉદ્યોગના નેતાઓના ઉચ્ચ ગુણવત્તાવાળા વિશેષ સત્રો, ત્રણ કી-નોટ લેકચર અને છ નિષ્ણાત વાર્તાલાપ યોજાયા હતા. મુખ્ય વક્તા ડૉ. હોંગ ન્હુંગ ન્ગુયેન (ગાચોન યુનિવર્સિટી, સિઓલ, દક્ષિણ કોરિયા) હતા. જ્યારે ડૉ. એડગર વેઈપલ (યુનિવર્સિટી ઓફ વિયેના, વિયેના, ઑસ્ટ્રિયા), ડૉ. માર્કો ડોરિગો (યુનિવર્સિટી લિબ્રે ડી બ્રુક્સેલ્સ, બ્રસેલ્સ, બેલ્જિયમ), ડૉ. અહમદ બાઝી (ન્યૂ યોર્ક યુનિવર્સિટી અબુ ધાબી, યુએઈ), ડૉ. તાતીઆના કાલગાનોવા (બ્રુનેલ યુનિવર્સિટી ઓફ લંડન, યુકે), ડૉ. ઉન્નતી શાહ (યુટિકા યુનિવર્સિટી, યુટિકા, એનવાય, યુએસએ), અને ડૉ. ડોનાટેલા ફિરમાની (સેપિએન્ઝા યુનિવર્સિટી ઓફ રોમ, ઇટાલી) દ્વારા નિષ્ણાત વાર્તાલાપ આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ અટકવાનું નામ લઈ રહ્યો નથી. શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓના કારણે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે ફરી એકવાર ખોડિયાર નગર વિસ્તારમાં રખડતી ગાયે બે યુવકને અડફેટે લીધા હતા. જેમાંથી એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. વડોદરા શહેરના ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલાઇટ ફ્લેટ પાસે રખડતી ઢોરે અચાનક તોફાન મચાવ્યું હતું. ગાયે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નિર્દોષ નાગરિકોને અડફેટે લીધા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગાયની અડફેટે આવતા બંને વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ભોગ બનેલા બે વ્યક્તિઓ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. વધુ ઇજાગ્રસ્ત વ્યક્તિને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સ્થાનિક રહીશોમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં નિષ્ફળતા મળી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. સામાજિક કાર્યકર અતુલ ગા જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતી ગાયોના ત્રાસને દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓ પર ગાયોનો ખતરો યથાવત છે. આજે ખોડિયાર નગર ચાર રસ્તા પાસે આવેલ પંચમ ઇલિઈટ પાસે એક ગાયની અડફેટે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પશુપાલકો ગાયોને રસ્તા પર રઝળતી મૂકી દે છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. મારી પશુપાલકોને વિનંતી કરી છે કે, જ્યારે ગાયોને બહાર કાઢવામાં આવે ત્યારે તેમની સાથે રહેવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકાને પણ કડક કામગીરી કરવી જોઈએ અને રખડતા પશુઓને ડબ્બે પૂરી ટેગિંગ કરવી જોઈએ, જેથી સામાન્ય નાગરિકો સુરક્ષિત રહી શકે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે, જેને કારણે અવારનવાર રખડતા ઢોરને કારણે લોકોના મોત પણ થાય છે, જોકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા વડોદરા વાસીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
દિવ્ય ભાસ્કર દ્વારા બનાસકાંઠા અને થરાદ-વાવ જિલ્લાના પ્રજાલક્ષી અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનારા સરપંચોના સન્માન માટે પાલનપુર ખાતે 'દિવ્ય સરપંચ એવોર્ડ - 2025' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતના એવા સરપંચોને નવાજવામાં આવ્યા જેમણે પંચાયતી રાજના માધ્યમથી ગામડાઓના વિકાસમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. કાર્યક્રમની શરૂઆતમાં દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દિવ્ય ભાસ્કર છેલ્લા 23 વર્ષથી લોકોની મરજીનું અખબાર બનીને ઉભર્યું છે. દૈનિક ભાસ્કર ગ્રુપ આજે 12 રાજ્યોમાં 55 લાખથી વધુ સર્ક્યુલેશન સાથે સત્ય અને સારી બાબતોને લોકો સમક્ષ લાવવાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. દિવ્ય ભાસ્કરના 'દિવ્ય સરપંચ એવોર્ડ' કાર્યક્રમમાં ઉપસ્થિત વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ સરપંચોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સરપંચ એ ગામનો 'વડાપ્રધાન' છે અને તેમની જવાબદારી અત્યંત ગંભીર હોય છે. તેમણે આહવાન કર્યું હતું કે, સરપંચોએ કોઈપણ જાતના જાતિવાદ વગર તમામ ગ્રામજનોને સમાન ગણીને કાર્ય કરવું જોઈએ. મંત્રીએ ખાસ ભાર મૂક્યો હતો કે, ગામમાં વ્યક્તિગત કામો કરવાને બદલે સામે ચાલીને જનકલ્યાણના કામો કરવા જોઈએ. વિશેષ કરીને વૃદ્ધોની દરકાર લેવી અને વિધવા બહેનોને પેન્શન જેવી યોજનાઓનો લાભ અપાવવો એ સરપંચની નૈતિક જવાબદારી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ગામની સુવિધાઓ અને વંચિત વિસ્તારોની માહિતી મેળવીને સપનાનું ગામ સાકાર કરવા તેમણે સરપંચોને અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીએ ગામને ભવિષ્યમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે એક નવતર વિચાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બધા સરપંચોએ ફોરેસ્ટ વિભાગનનો સંપર્ક કરી તંત્રના સહયોગથી પંચાયતની જમીન પર 20 થી 25 વર્ષના લાંબા ગાળાના આયોજન સાથે વૃક્ષોનો ઉછેર કરે, તો ભવિષ્યમાં તેના વેચાણની આવકમાંથી ગામના વિકાસકામો થઈ શકશે અને સરકારની ગ્રાન્ટ પર નિર્ભર નહીં રહેવું પડે. આ સંદર્ભે તેમણે દાંતા તાલુકાના એક ગામનું ઉદાહરણ આપ્યું હતું જ્યાં નીલગીરીના વાવેતરની આવકથી ગામનો વિકાસ થયો હતો. આ ઉપરાંત, ગ્રામજનોના આર્થિક ભારણને ઘટાડવા માટે દર વર્ષે 10 ગામોમાં 'અટલવાડી' (સામુહિક પ્રસંગ વાડી) બનાવવાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, લગ્ન પ્રસંગોમાં મંડપ પાછળ થતા મોટા ખર્ચને રોકવા આ એક મજબૂત વિકલ્પ બનશે. અંતમાં તેમણે આગામી પેઢીનું વિચારીને સંવેદનશીલતા સાથે ભગવાનની સેવા સમજી જનસેવા કરવા તમામ સરપંચોને પ્રેરણા આપી હતી. એડિશનલ કલેક્ટર ડી. બી. ટાંકે સરપંચોની કામગીરીને બિરદાવતા કહ્યું કે, ગ્રામ્ય સ્તરે સરકારની તમામ યોજનાઓ જેવી કે 'સ્વચ્છતા ઝુંબેશ' અને 'બેટી બચાવો, બેટી પઢાવો'ના અમલીકરણની મુખ્ય જવાબદારી સરપંચની છે. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારી યોજનાઓમાં થયેલા સુધારાઓ વિશે માર્ગદર્શન આપી સ્વચ્છતા પર ભાર મૂકવા વિનંતી કરી હતી. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું હતું કે, 2047ના વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામ પંચાયત એ પ્રથમ સોપાન છે. સરપંચોમાં જાગૃતિ આવે અને તેઓ વધુ ઉત્સાહથી કામ કરે તે માટે દિવ્ય ભાસ્કરનો આ પ્રયાસ પ્રશંસનીય છે. પંચાયતી રાજનો મુખ્ય હેતુ લોકો દ્વારા, લોકો માટેની સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન સરપંચોએ પોતાના સંવાદમાં ગામડાઓમાં કરેલા વૃક્ષારોપણ, વ્યસનમુક્તિ, આધુનિક સુવિધા યુક્ત લાયબ્રેરીઓ, સોલર, નળ સે જળ યોજના, ગરીબોને આપેલા આવાસો, ગામમાં કરેલ ડિજિટલ સેવાઓ, સોલર સ્ટ્રીટ લાઈટો, નવી માધ્યમિક શાળાઓની મંજૂરી, નવા રોડ, સરકારી કોલેજની મંજૂરી, નર્મદાના પાણીથી કેનાલો ભરવાનું, આધુનિક પંચાયતોની મજૂરી, અંડર ગ્રાઉન્ડ લાઈટ, ખેતીમાં ડામરના રસ્તાઓની બનાવટ, જળ સંચયના જેવા ઘણાં વિકાસ કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમે અન્ય સરપંચો માટે પણ પ્રેરણાસ્ત્રોત પૂરો પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મંત્રી પ્રવિણ માળી, પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર, એડિશનલ કલેક્ટર ડી. બી ટાંક, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શેખ સાહેબ, દિવ્ય ભાસ્કર ગુજરાતના હેડ હિતેશ મોઢ, દિયોદરના આગવી ગજેન્દ્ર વાઘેલા, તલાટીઓ, સરપંચો અને તેમના પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સાબરકાંઠા જિલ્લાના લીંભોઈ પાઝકંપામાં એક ખેતરમાંથી 10 ફૂટ લાંબો અજગર મળી આવ્યો હતો. જીવદયા ટીમે તેને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત જંગલમાં છોડી મૂક્યો હતો.મંગાભાઈ સગરના વાવેતર કરેલા ખેતરમાં આ અજગર જોવા મળ્યો હતો. તેમણે તાત્કાલિક ગંભીરપુરા જીવદયા ટીમને જાણ કરી હતી.માહિતી મળતા જ જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમની સાથે ઇડર સિવિલના લાલાભાઈ અને જે.ડી. ભાઈ પણ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા.ટીમ દ્વારા અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને વન વિભાગની મદદથી નજીકના જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
મોરબીમાં યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી:માળીયા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ
મોરબીમાં એક યુવકના આપઘાત કેસમાં સ્યૂસાઇટ નોટ મળી આવી છે. આ નોટના આધારે માળીયા (મી) તાલુકા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. મૂળ મોરબીના લક્ષ્મીનગર ગામના અને હાલ ઉમા ટાઉનશિપમાં રહેતા હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા (49)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે આશિષભાઈ રમેશભાઈ પાડલીયા, હિતેશભાઈ વાસુદેવભાઈ દસાડીયા અને કમલેશભાઈ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયાને હાથ ઉછીના રૂ.1.26 લાખ આપ્યા હતા. આ રૂપિયા આરોપીઓ પરત આપતા ન હોવાથી હર્ષદભાઈએ આ બાબતે તેમના સાળા વિપુલભાઈ વિડજા સાથે વાત કરી હતી. ત્યારબાદ હર્ષદભાઈ અને વિપુલભાઈએ આરોપીઓ પાસેથી રૂપિયા પરત માંગ્યા હતા. રૂપિયાની માંગણી આરોપીઓને પસંદ ન આવતા, તેમણે પૈસા પરત ન આપવા પડે તે માટે પોલીસમાં ખોટી ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ત્રણેય આરોપીઓએ સાથે મળીને હર્ષદભાઈ અને તેમના સાળા વિપુલભાઈને ડરાવી-ધમકાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વિપુલભાઈને રૂબરૂ અને ફોન પર પણ સતત ધમકીઓ આપી હેરાન કરવામાં આવતા હતા. આ હેરાનગતિ અને ધમકીઓના કારણે વિપુલભાઈ વિડજાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. તેમના મૃતદેહ પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી આવી હતી, જેમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ હતો. આ સ્યૂસાઇટ નોટના આધારે, મૃતક વિપુલભાઈના બનેવી હર્ષદભાઈ લીખીયાની ફરિયાદ લઈને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ ચાલી રહી છે.
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરો માટે નવા વર્ષથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી નવું ટાઈમ-ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર 108 જેટલી ટ્રેન નિર્ધારિત સમય કરતા 1થી 42 મિનિટ વહેલા અને 17 ટ્રેનો 2થી 20 મિનિટ મોડી કરવામાં આવી છે. નિર્ધારિત સમય કરતા ટ્રેન વહેલા ઉપડશેરાજકોટ રેલવે ડિવિઝનની યાદીમાં જણાવ્યા મુજબ મડગાંવ- હાપા એક્સપ્રેસ, દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો, તિરુવનંતપુરમ- વેરાવળ એકસપ્રેસ, એર્નાકુલમ- ઓખા એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ- જામનગર હમસફર, રાજકોટ- વેરાવળ લોકલ અને દિલ્હી સરાઈ રોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ તેના નિર્ધારિત સમય કરતા 5 મિનિટ વહેલા ઉપડશે. જયારે રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ, પુરી-ઓખા એક્સપ્રેસ, દેહરાદુન-ઓખા, ઉતરાંચલ એક્સપ્રેસ, બિલાસપુર-ઓખા એક્સપ્રેસ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ, રાજકોટ-પોરબંદર એકસપ્રેસ, વેરાવળ-રાજકોટ લોકલ અને પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10 થી 20 મીનિટ વહેલા ઉપડશે. આ ટ્રેન નિર્ધારિત સમય કરતા મોડી ઉપડશેજ્યારે માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એકસપ્રેસ અને માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 27 મિનિટ વહેલા ઉપડશે. આજ રીતે પોરબંદર-રાજકોટ લોકલ, ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ, ઓખા-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-શાલીમાર એકસપ્રેસ, પોરબંદર-સાંતરાગાછી એકસપ્રેસ અને પોરબંદર-રાજકોટ લોકલ નિર્ધારિત સમય કરતા 5-5 મિનિટ મોડી ઉપડશે. આ સ્ટેશનોમાં આવતી-જતી ટ્રેનના સમયમાં ફેરફાર રાજકોટ ડિવિઝનમાં ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે, મુસાફરોએ ટાઈમ-ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલવે પૂછપરછ 139 નંબર અથવા www.r.indianrailways.gov. in પર વિગતો ચકાસી શકશે. રાજકોટ સ્ટેશન પર આવતી-જતી ટ્રેનનું ટાઈમ ટેબલ ટ્રેન નામ. આગમન પ્રસ્થાન રામેશ્વર-ઓખા-રામેશ્વર 04.59 05.09 પુરી-ઓખા એક્સપ્રેસ 04.47 04.57 દેહરાદૂન-ઓખા (ઉત્તરાંચલ એક્સપ્રેસ) 07.20 07.30 મડગાંવ-હાપા એક્સપ્રેસ 07.57 08.07 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50 મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો 08.30 08.40 તિરૂવનંતપુરમ-વેરાવળ એક્સપ્રેસ 11.00 11.10 ઓર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ 11.00 11.10 બાંદ્રા ટર્મિનસ-જામનગર હમસફર 11.56 12.06 બિલાસપુર-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ 13.30 13.40 વૈષ્ણવદેવી કટરા-હાપા એક્સપ્રેસ 16.15 16.25 વૈષ્ણવદેવી કટરા-જામનગર એક્સપ્રેસ 16.25 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ 16.00 રાજકોટ-વેરાવળ લોકલ 07.50 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ 10.20 દિલ્લી સરાઇ રોહિલ્લા-રાજકોટ એક્સપ્રેસ 07.50
મોરબીના 8 ઉદ્યોગકારો સાથે 1.62 કરોડની છેતરપિંડી:સરકારી યોજનાના વળતર ખોટા દસ્તાવેજોથી ઉપાડી લેવાયા
મોરબીના આઠ સિરામિક ઉદ્યોગકારોને ભારત સરકારની ICIGATE યોજના હેઠળ મળવાપાત્ર રૂ. 1,62,78,858નું વળતર ખોટા દસ્તાવેજોના આધારે ઉપાડી લેવામાં આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં રકમ જમા થઈ હતીવિદેશમાં ચીજવસ્તુઓની નિકાસ કરતા ઉદ્યોગકારોને ભારત સરકાર દ્વારા ICIGATE સ્કીમ મારફતે નિકાસ કરેલા માલની રકમ આધારિત વળતર આપવામાં આવે છે. મોરબીના યુવા ઉદ્યોગપતિ સહિત કુલ આઠ ઉદ્યોગકારોના ICIGATE યુઝર એકાઉન્ટમાં આ રકમ જમા કરવામાં આવી હતી. ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને છેતરપિંડીઅજાણ્યા ઠગબાજોએ ગુનાહિત કાવતરું રચીને ઉદ્યોગકારોની જાણ બહાર તેમના કીમતી દસ્તાવેજોનો ઇલેક્ટ્રોનિક માધ્યમથી દુરુપયોગ કર્યો હતો. તેમણે ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા ઈ-મેલ આઈડી અને ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કરીને ICIGATE પોર્ટલમાં યુઝર આઈડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ખોટા યુઝર આઈડી દ્વારા અન્ય ICIGATE યુઝર આઈડીમાં ટ્રાન્સફર કરીને કુલ રૂ.1,62,78,858ની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ નોંધાઈમોરબીના પંચાસર રોડ પર આવેલા ધરતી પાર્ક, પ્રયાગ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 માં રહેતા દીપકભાઈ વલમજીભાઈ પાંચોટિયા (ઉંમર 36) એ આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને સાક્ષીઓની પેઢીઓ તથા કંપનીઓ દ્વારા વિદેશમાં સિરામિક ચીજવસ્તુઓની નિકાસનો વ્યવસાય કરવામાં આવે છે. પોલીસે હવે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવા માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરો અને આંખલાઓને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની સૂચનાથી નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીના માર્ગદર્શનમાં સુધરાઈ સ્ટાફે આ કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહી તાજેતરમાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિના મોત બાદ કરવામાં આવી છે. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં રખડતા ઢોરો અને આંખલાઓનો ત્રાસ વ્યાપક બન્યો હતો. આ ઢોરોની અડફેટે લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, રસ્તા પર બેસી જતા ઢોરો ટ્રાફિકમાં પણ અવરોધ ઉભો કરે છે. શહેરમાં આશરે 1500 જેટલા રખડતા ઢોરો અને આંખલાઓ છે, જેમાંથી અડધાથી વધુ માલિકીના હોવાનું જાણવા મળ્યું છે. દૂધ દોહ્યા બાદ માલિકો દ્વારા ઢોરોને રખડતા છોડી દેવામાં આવે છે. આ ઉપરાંત, ઘાસચારો વેચતા વેપારીઓ જાહેર રસ્તાઓ પર ઘાસચારો નાખતા ઢોરો ત્યાં એકઠા થાય છે અને બાખડે છે, જેના કારણે શાળા પાસે વિદ્યાર્થીઓ અને બજારમાં લોકો અડફેટે આવે છે. આથમણા નાકા, અયોધ્યાપુરી, તિરુપતિ નગર, સલારી નાકા, પ્રાગપર ચોકડી, બગીચા પાસે, પાવર હાઉસ, ગુરુકુળ રોડ અને રતનપર જેવા વિસ્તારોમાં માલિકીના ઢોરો મોટી સંખ્યામાં જોવા મળે છે. આજથી રાત્રે શરૂ કરાયેલી આ કામગીરીમાં ઢોરોને પકડવા માટે પીંજરા અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ અનેક આંખલાઓને પકડીને પાંજરાપોળને હવાલે કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા અગાઉ પણ સમયાંતરે આવી કામગીરી કરવામાં આવતી રહી છે. પ્રમુખ ચાંદ ભીંડેએ જણાવ્યું હતું કે, માલિકીના ઢોરોના માલિકોને તેમના ઢોરોને બાંધી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં જો માલિકીના ઢોરો પકડાશે તો દંડાત્મક કાર્યવાહી અને જાહેર અડચણ ઉભી કરવા બદલ ગુનો નોંધવામાં આવશે. ઘાસચારાના વેપારીઓને પણ ગામથી એક કિલોમીટર દૂર, કોઈને નડતરરૂપ ન થાય તેવા સ્થળે વેચાણ કરવા સૂચના અપાઈ છે. નગરપાલિકા રાપર શહેરને રખડતા ઢોરો અને આંખલામુક્ત બનાવવા કડક કાર્યવાહી કરશે.
ગુજરાતમાં બાળલગ્ન અને નાની ઉંમરે માતૃત્વની ગંભીર સમસ્યા ફરી એકવાર સામે આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર 2025 દરમિયાન કરાયેલા સત્તાવાર સર્વેમાં ખુલાસો થયો છે કે રાજ્યમાં 13થી 16 વર્ષની કુલ 1633 દીકરીઓ સગર્ભા છે. આ ચોંકાવનારા આંકડાઓએ મહિલા-બાળ સુરક્ષા, આરોગ્ય અને શિક્ષણ તંત્રની કાર્યક્ષમતાને લઈને અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. ઘણા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાસર્વે મુજબ વલસાડ જિલ્લામાં સૌથી વધુ 190 દીકરીઓ સગર્ભા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ દાહોદ (133), જામનગર (90), મહેસાણા (78), સાબરકાંઠા (76), આણંદ અને ડાંગ (70-70), ખેડા (67) તથા અમદાવાદ શહેર (63) જેવા જિલ્લાઓમાં પણ મોટી સંખ્યામાં નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ નોંધાઈ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ સગર્ભાવસ્થાઓ મોટા ભાગે બાળલગ્ન સાથે જોડાયેલી હોવાની શક્યતા છે, જે દીકરીઓ અને તેમના સંતાન માટે ગંભીર આરોગ્ય જોખમ ઉભું કરે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળઆ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, NFHS-5ના આંકડાઓ મુજબ રાજ્યમાં બાળલગ્નનો દર 21.8 ટકા છે અને કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 30થી 49 ટકા સુધી પહોંચ્યું છે. “બાળલગ્ન પ્રતિબંધક કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા નારા જમીન પર નિષ્ફળ સાબિત થયા છે,” તેમ તેમણે કહ્યું હતું. 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈબીજી તરફ, બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મષ્ઠાબેન ગજ્જરે સરકારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, જાહેર થયેલા આંકડાઓની વિગતવાર તપાસ કરવામાં આવશે. 'દરેક કેસ બાળલગ્નનો જ છે કે કેમ તેની ખરાઈ કર્યા બાદ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં ‘બાળ વિવાહ મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ ટ્રાયબલ અને પછાત વિસ્તારોમાં સતત જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે,” તેમ તેમણે જણાવ્યું. સામાજિક પ્રથાઓ, આર્થિક દબાણ અને કાયદાની અજ્ઞાનતા બાળલગ્નનું મુખ્ય કારણ છે. સરકાર દ્વારા સરપંચો, તલાટીઓ, સમાજના આગેવાનો અને શાળાના વિદ્યાર્થીઓને જોડીને બાળલગ્ન રોકવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક તરફ સરકાર કાર્યવાહી અને જાગૃતિની વાત કરે છે, તો બીજી તરફ 1633 નાની ઉંમરની સગર્ભાવસ્થાઓ તંત્રની નબળાઈ દર્શાવે છે. બાળલગ્ન અટકાવવા મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસોગજ્જરનું કહેવું છે કે, બાળલગ્ન અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય, શિક્ષણ અને મહિલા-બાળ વિકાસ વિભાગ મારફતે સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ઘણા વિસ્તારોમાં માતા-પિતા પૈસાની લાલચ, સામાજિક રીવાજો અને પરંપરાઓ, તેમજ બાળલગ્ન પ્રતિબંધક કાયદાની પૂરતી જાણકારી ન હોવાના કારણે દીકરા-દીકરીઓના નાની ઉંમરે લગ્ન કરાવી દે છે. ખાસ કરીને ટ્રાયબલ અને શ્રમજીવી પરિવારોમાં આર્થિક તંગી અને સમાજના દબાણને કારણે બાળકોની ઇચ્છા વિરુદ્ધ પણ લગ્ન કરાવવાના બનાવો સામે આવી રહ્યા છે. ગજ્જરના જણાવ્યા મુજબ, જ્યાં સુધી માતા-પિતા અને સમાજમાં વ્યાપક જાગૃતિ નહીં આવે, ત્યાં સુધી બાળલગ્ન પર સંપૂર્ણ રોક લગાવવી પડકારરૂપ રહેશે. હવે જોવાનું રહ્યું કે, આ ચોંકાવનારા આંકડાઓ બાદ સરકાર માત્ર તપાસ સુધી સીમિત રહેશે કે બાળલગ્ન સામે ખરેખર કડક કાર્યવાહી કરશે.
સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ-2025માં જાણીતી ગુજરાતી ગાયિકા ઈશાની દવેના કાર્યક્રમે સંગીતમય માહોલ સર્જ્યો હતો. તેમના મધુર અને શક્તિશાળી અવાજે લોક તથા આધુનિક સંગીતની અનોખી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રવાસીઓ આનંદમાં ઝૂમી ઉઠ્યા હતા, જેનાથી ફેસ્ટિવલ યાદગાર બન્યો હતો. ઈશાની દવે ગુજરાતી લોક અને આધુનિક સંગીત ક્ષેત્રે જાણીતું નામ છે. તેઓ ગુજરાતી સંગીત ઉદ્યોગમાં પોતાની અનોખી ગાયકી અને સંગીત માટે વિશેષ ઓળખ ધરાવે છે. અમદાવાદ, ગુજરાતમાં જન્મેલા ઈશાની દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તેઓ ગુજરાતી સંગીત જગતમાં એક અગ્રણી ગાયિકા તરીકે સ્થાપિત થયા છે. નવરાત્રી દરમિયાન તેમના ગરબા અને લોકગીતો ખાસ લોકપ્રિય બને છે. કાનુડા જેવા ગીતો દ્વારા તેમણે શ્રોતાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંપરાગત ગુજરાતી લોકસંગીતને આધુનિક શૈલીમાં રજૂ કરવાની તેમની કળા યુવા પેઢીમાં ખૂબ આકર્ષણ જગાવે છે. સાપુતારા ફેસ્ટિવલમાં પણ તેમણે લોકગીતો અને ગરબાની પ્રસ્તુતિ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિવિધ લાઈવ સ્ટેજ શો અને ગરબા ઇવેન્ટ્સમાં તેમની ઊર્જાવાન રજૂઆત માટે ઈશાની દવે જાણીતા છે. તેમના કાર્યક્રમ દરમિયાન સમગ્ર મેદાન તાળીઓ અને નૃત્યથી ગુંજી ઉઠ્યું હતું. પ્રવાસીઓ, સ્થાનિક નાગરિકો અને સંગીતપ્રેમીઓએ એકસાથે સંગીતનો આનંદ માણ્યો હતો. સાપુતારા વિન્ટર ફેસ્ટિવલમાં ઈશાની દવેની ઉપસ્થિતિએ કાર્યક્રમને નવી ઊંચાઈ બક્ષી હતી. સંગીત, નૃત્ય અને ઉત્સાહથી ભરપૂર આ સાંજ પ્રવાસીઓ માટે યાદગાર બની રહી હતી, જ્યાં ઈશાની દવેના મધુર સ્વરે સૌના દિલ જીતી લીધા.
બોટાદ સુધારણા યોજના હેઠળ બોટાદ તાલુકાના ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોની પીવાના પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો અંત આવ્યો છે. આ ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થાનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.રાજ્ય સરકાર દ્વારા બોટાદ જિલ્લાની જનતાને સુનિશ્ચિત અને સતત પીવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી બોટાદ સુધારણા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કારિયાણી હેડવર્ક્સથી પાણી પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ઉપરોક્ત ત્રણેય ગામોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની તીવ્ર અછત હતી. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગ્રામજનોને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેના કારણે દૈનિક જીવન પર અસર થતી હતી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બોટાદ સુધારણા યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી. આ ઉપરાંત, જરૂરી ટેકનિકલ વ્યવસ્થાઓ અને પાણી પુરવઠા સંબંધિત માળખાકીય કામગીરી પણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી હતી. હાલમાં હાથ ધરવામાં આવેલું ટેસ્ટિંગ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. આ સફળતા સાથે હવે ઝમરાળા, રતનવાવ અને કેરિયા-૨ ગામોને નિયમિત અને પૂરતો પીવાનો પાણીનો પુરવઠો શરૂ કરવામાં આવશે, જેનાથી તેમની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ ભાજપ અધ્યક્ષ અને યુવા નેતા માનસિંગ પરમારને ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ ઓબીસી સમાજને સંગઠિત કરીને રાજકીય રીતે વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી પરમારને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. નિમણૂક બાદ માનસિંગ પરમાર સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, યુવા નેતા હાર્દિકસિંહ ઝાલા, શહેર મહામંત્રી મૌલિક વૈયાટા, તાલુકા પંચાયત સદસ્ય નારણ બારડ, કેતન બારડ અને હરેશ સોલંકી સહિત ભાજપ સંગઠનના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરમારનું અભિવાદન કર્યું હતું. આ અવસરે માનસિંગ પરમારે જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજે 60 ટકા જેટલી ઓબીસી વસ્તી છે. પાર્ટીએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કરીને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. તેમણે ઉમેર્યું કે, આગામી દિવસોમાં સૌને સાથે રાખીને ઓબીસી સમાજને સંગઠિત કરવામાં આવશે. માનસિંગ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ ગામડાથી લઈને શહેર સુધી વધારવાનો સતત પ્રયાસ કરાશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, ત્યારબાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં ભાજપને વધુ મજબૂત બનાવવામાં આ મોરચો મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે સંગઠન, સમર્પણ અને સેવા ભાવના સાથે કાર્ય કરીને પાર્ટીને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના માંકણજ ગામે સાંથલ પોલીસ દ્વારા ક્રૂડ ઓઇલની ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. વરચંદ અને તેમનો સ્ટાફ રાત્રિ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકના ટાંકામાં ભરી રહ્યો હતો ને ઝડપાયોપોલીસને મળેલી બાતમી મુજબ માંકણજ ગામનો રહેવાસી શૈલેષસિંહ ઉર્ફે શલુભા નવલસિંહ ઝાલા,જે ઓ.એન.જી.સી.ના ક્રૂડ ઓઇલ ભરેલા ટેન્કરમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે પોતાના ગામમાં ટેન્કર ઊભું રાખી તેમાંથી ઓઇલની ચોરી કરી રહ્યો હતો. આ શખ્સ પોતાના મળતીયાઓ સાથે મળીને ટેન્કરમાંથી ઓઇલ કાઢી ટ્રકમાં ગોઠવેલા ટાંકામાં ભરી રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે માંકણજ ગામે દરોડો પાડ્યો હતો. 24 લાખનો મુદ્દામાલ જપ્તઆ રેઇડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી ચોરીનું 10,000 લિટર ક્રૂડ ઓઇલ ઝડપી પાડ્યું હતું, જેની કિંમત અંદાજે 4 લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે 5 લાખની કિંમતની ટ્રક નંબર GJ-09-Y-8245 15 લાખની કિંમતનું ટેન્કર નંબર GJ-18-BW-3562 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ 24,03,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક શખ્સ ઝડપાયો, વોન્ટેડ આરોપીઓની શોધખોળઆ કાર્યવાહીમાં પોલીસે નંદાસણના સૈયદવાસમાં રહેતા અસદુલ્લા મહંમદહુસૈન ગુલાબનબી સૈયદ નામના એક શખ્સની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય આરોપી શૈલેષસિંહ ઝાલા, મંડાલીનો ઇમરાન રહીમખાન પઠાણ અને નંદાસણનો અસલમ યુનુસભાઇ સૈયદ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
નવસારીમાં પ્રથમવાર મહાનગરપાલિકા દ્વારા કાઈટ ફેસ્ટિવલ:10 થી 14 જાન્યુઆરી, વિજેતાઓને મળશે આકર્ષક ઇનામ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત 'કાઈટ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં પતંગ રસિયાઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે તેવી અપેક્ષા છે. દક્ષિણ ગુજરાતની ઉત્સવપ્રિય જનતા માટે ઉતરાયણનો તહેવાર હંમેશા ખાસ રહ્યો છે. આ વર્ષે નવસારી મહાનગરપાલિકાએ આ મહોત્સવના માધ્યમથી શહેરના સાંસ્કૃતિક વારસા અને તહેવારોની રોશનીને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કર્યો છે. આ આયોજનને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ મહોત્સવમાં સહભાગી થવા ઈચ્છુક પતંગબાજો માટે નવસારી મહાનગરપાલિકાએ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરીજનોએ નિયત કરેલી લિંક પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ ફેસ્ટિવલમાં માત્ર પતંગ ચગાવવા જ નહીં, પરંતુ પોતાની કળા પ્રદર્શિત કરનાર પતંગબાજોને પ્રોત્સાહિત કરવા માટે પણ યોજના રાખવામાં આવી છે. શ્રેષ્ઠ દેખાવ કરનાર ટોપ-3 વિજેતાઓને આકર્ષક ઇનામો આપી સન્માનિત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ઉતરાયણનો ક્રેઝ જોતાં, નવસારીનો આ પ્રથમ કાઈટ ફેસ્ટિવલ સ્થાનિકો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે તેવી શક્યતા છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પક્ષના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ મુંબઈની ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં થઈ હતી. કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી પક્ષના પ્રથમ પ્રમુખ હતા, જ્યારે નિવૃત્ત અંગ્રેજ અધિકારી એ.ઓ. હ્યુમ સ્થાપક સભ્યોમાંના એક હતા. સ્થાપના દિવસ નિમિત્તે આગેવાનોએ દેશની આઝાદીમાં કોંગ્રેસના યોગદાનને યાદ કર્યું હતું અને લોકશાહી મૂલ્યોને મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં કાગળ પર દારૂબંધી છે, પરંતુ સુરતની વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં જે રીતે લોકોએ કાયદો હાથમાં લઈને દારૂના બે અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી છે, તેણે પોલીસની કામગીરી સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે. હાલમાં જ મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પતરાના શેડમાં ચારેતરફ પડદા બાંધીને રીતસરનું દારૂનું બાર બનાવવામાં આવ્યું છે. અહીં દારૂ, પાણી-શોડા, બાઈટિંગથી લઈને લોકોને પીવા માટેની સુવિધા આપવામાં આવી રહી છે. એક તરફ સુરત પોલીસ ડ્રોન ઉડાવીને કાયદો-વ્યવસ્થાને જાળવવાના તાયફાવો કરે છે, પરંતુ શહેરનું ધમધમતા દારૂનો અડ્ડાઓ નજરે નથી પડતાં! મહીધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ એન. એચ. બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, આ વીડિયો હાલ જ મારા સુધી પહોંચ્યો છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના જુના વીડિયો પણ ફરતા હોય છે, જેથી તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી થશે. 3 દિવસમાં બે મોટી ‘જનતા રેડ’ કરી લોકોએ પોલીસની પોલ ખોલી31st પહેલા સુરતમાં પોલીસની રહેમનજર હેઠળ ચાલતા દારૂના વ્યવસાયની પોલ સામાન્ય જનતા ખોલી રહી છે. 23 ડિસેમ્બરના રોજ ભેસ્તાનના ભગવતીનગર વિસ્તારમાં લોકોએ દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, લોકોએ ગુનો પકડ્યો હોવા છતાં પોલીસ કર્મચારીએ જનતા રેડ કરનારાઓને જ ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી, જે પોલીસ અને બુટલેગર વચ્ચેની મિલીભગત તરફ ઈશારો કરે છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) 25 ડિસેમ્બર: પાલ પોલીસ સ્ટેશનની હદમાં બાળકો સાથે મહિલાઓની દારૂના અડ્ડા પર રેડસુરતના પાલનપુર ગામમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી કંટાળેલી મહિલાઓએ પોલીસની રાહ જોયા વગર જાતે જ મેદાનમાં ઊતરી ‘જનતા રેડ’ કરી બૂટલેગરોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. મહાદેવ ફળિયામાં ચાલતા દેશી દારૂના અડ્ડાને કારણે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાથી મહિલાઓ રણચંડી બની ત્રાટકી હતી. બૂટલેગરે જ્યારે 'તમને શું નડે છે?' કહી ઉદ્ધતાઈ કરી ત્યારે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દઈ અડ્ડાનો સોથ વાળી દીધો હતો. કાખમાં માસૂમ બાળકને તેડીને પણ મહિલા આ સાહસિક અભિયાનમાં જોડાઈ હતી. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) બુટલેગર યજ્ઞેશ સામે 3થી વધુ ગુના છતાં ધંધો ચાલુ!પાલ વિસ્તારમાં જનતા રેડ બાદ પોલીસે જ્યારે બુટલેગર યજ્ઞેશની અટકાયત કરી અને તપાસ કરી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બુટલેગર વિરુદ્ધ અગાઉ 3થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સવાલ એ થાય છે કે રીઢો ગુનેગાર હોવા છતાં તે પોલીસની નાક નીચે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહ્યો હતો? મહિધરપુરાનો વીડિયો થયો વાઇરલહજુ આ ઘટનાઓ શાંત નથી થઈ ત્યાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા વસ્તા દેવડી રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયોમાં બુટલેગર કોઈપણ ડર વગર વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાનું સ્પષ્ટ નજરે આવી રહ્યું છે. ગ્રાહકો માટે ત્યાં જ બેસીને દારૂ પીવાની (સિટિંગ) સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે. જાહેરમાં ચાલતી આ પ્રવૃત્તિ જોઈને લાગે છે કે બુટલેગરોને પોલીસ પ્રશાસનનો કોઈ જ ખોફ રહ્યો નથી. પોલીસની કામગીરી પર ઉઠતા સવાલો31 ડિસેમ્બરની ઉજવણી પહેલા જ સુરત પોલીસની આબરૂના લીરા ઉડી રહ્યા છે. જે કામ પોલીસે કરવાનું હોય છે, તે કામ હવે સામાન્ય જનતા અને મહિલાઓએ કરવું પડી રહ્યું છે. શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? શું ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારના જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેશે? સ્થાનિક લોકોનો આક્રોશ જણાવી રહ્યો છે કે જો પોલીસ કડક હાથે કામગીરી નહીં કરે, તો આગામી દિવસોમાં જનતા રેડના કિસ્સાઓ હજુ વધી શકે છે.
44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ ખાતે યોજાનાર છે, જેમાં ગુજરાત ટીમના ખેલાડી ભાઈઓ અને બહેનો આજ રોજ વડોદરા રેલવે સ્ટેશનથી બેંગલુરુ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા રવાના થયા છે. AKFFGના જનરલ સેક્રેટરી, અશોક ગરુડ એ જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે તા. 31-12-2025 થી 4-01-2026ના રોજ યોજાનાર છે, જેમાં ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી 36 ટીમ આવવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો ખેલાડીઓ ભાગ લેવાના છે, જે ખુબ આનંદની લાગણી અનુભવાય છે. જેમાં ગુજરાત રાજ્યના ભાઈઓ અને બહેનો ખેલાડી પણ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાના છે. ગુજરાત રાજ્યના 30 ખેલાડી અને 2 કોચ, 2 મેનેજર, 1 ફિઝિયો ભાગ લેવા માટે વડોદરાથી રવાના થયા છે.
પીજીવીસીએલ દ્વારા આજરોજ તા.28.12.2025ના રોજ કુલ 15 કેન્દ્રો પર 7330 ઉમેદવારો માટે વિદ્યુત સહાયકની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત રીઝર્વ કેટેગરીની ખાલી જગ્યાઓ માટે 3 કેડર કે જેમાં નાયબ અધિક્ષક વહીવટ, નાયબ અધિક્ષક હિસાબ તેમજ સીનીયર ટેકનીશીયનની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પરીક્ષાના સંચાલન માટે પીજીવીસીએલનાં ક્લાસ 1 અને ક્લાસ 2 કક્ષાના કુલ 30 અધિકારીઓની ફાળવણી તમામ 15 કેન્દ્રો પર જરૂરી સુપરવિઝન અર્થે કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 અધિકારીઓને દરેક કેન્દ્રો પર મોનીટરીંગના હેતુસર ફલાયિંગ સ્કોડ તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્રો પર 2 SRPની ફાળવણી પણ કરવામાં આવી છે અને પરીક્ષા સી.સી.ટી.વી. ધરાવતા ક્લાસરૂમની અંદર આયોજિત કરવામાં આવી છે. પરીક્ષાર્થી પરેશ બારૈયાએ જણાવ્યું હતું કે, આજે PGVCL ની પરીક્ષા છે હું ઘણા સમયથી તૈયારી પણ કરી રહ્યો છું. જયારે કોલ લેટર લેવા ગયો ત્યારે મારો અકસ્માત થયો છે જેથી ડાબા હાથે ઇજા પહોંચી છે. નોકરીની જરૂરિયાત છે એટલે આજે કોઈ પણ રીતે પરીક્ષા આપવા માટે પહોંચ્યો છે. હું છેલ્લા 3-4 વર્ષથી દરેક સરકારી પરીક્ષા આપી રહ્યો છું. આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ આ ભરતીમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી જે સાંભળી પોતાને પણ દુઃખ થયું છે કારણ કે આટલા સમયથી મહેનત કરતા હોય અને એવું થાય તો દુઃખ જરૂર થાય છે. સૌરાષ્ટ્રભરમાંથી આજે આ ભરતી માટે ઉમેદવારો પરીક્ષા આપવા આવી પહોંચ્યા હતા. 10 વાગ્યાથી પરીક્ષાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ 11 વાગ્યાથી શરૂ કરી 1 વાગ્યા સુધી સીસીટીવી કેમેરા હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષા PGVCL દ્વારા એજન્સીને લેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. જો કે આ પરીક્ષાઓમાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવે છે તો ઉમેદવારો દ્વારા આ પરીક્ષા પણ ગૌણ સેવા આયોગ દ્વારા લેવામાં આવે તેવી અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે આજ રોજ લેવાઈ રહેલ પરીક્ષામાં કૌભાંડ થવાની આશંકા આપ નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે કેટલાક હિંદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. 27 ડિસેમ્બરના રોજ શહેરના એસજી હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેના દ્વારા ડેકોરેશન તોડી નુકસાન કરી વિરોધ કરવા બદલ પાંચ લોકો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલ ખાતે પહોંચી ગયા હતા અને મોલમાં લગાવવામાં આવેલા ક્રિસમસ ટ્રીને નીચે પાડી દેવામાં આવ્યા હતા. જેને લઈને સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકો સાથે બોલાચાલી કરી હતી. એ બાદમાં ક્રિસમસ ટ્રીને નીચે પાડી નુકસાન કરતા પોલીસ આવી ગઈ હતી. આ મામલે પાંચ લોકો વિરુદ્ધ પેલેડિયમ મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: અમદાવાદમાં ભગવા સેનાએ ક્રિસમસ ટ્રી ઉતારીને ફેંક્યાં, સૌથી મોટા પેલેડિયમ મોલમાં ઘૂસી ધમાલ મચાવી ભગવા સેનાના કાર્યકર્તાઓ પેલેડિયમ મોલમાં તોડફોડ કરીમળતી માહિતી મુજબ શહેરમાં 25 ડિસેમ્બરથી લઇ 31 ડિસેમ્બર સુધી નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઈને અલગ અલગ જગ્યાઓ મોલ પર ક્રિસ્મસ ટ્રી અને શાંતાક્લોઝ, લાઈટિંગ સહિતના શણગાર કરવામાં આવતા હોય છે. કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે 27 ડિસેમ્બર એસજી હાઇવે પર થલતેજ પાસે આવેલા પેલેડિયમ મોલમાં ભગવા સેનાના કાર્યકર્તાઓ પહોંચી ગયા હતા. મોલમાં જેટલા પણ ક્રિસમસ ટ્રી લગાવવામાં આવેલા હતા અને સાન્તાક્લોઝની ટોપી સહિત વગેરે જે ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેને નીચે પાડી દેવામાં આવ્યું હતું અને દૂર કરી દેવામાં આવ્યું હતું. ક્રિસ્મસ ટ્રીને નીચું પાડી દઈ 5 હજાર જેટલું નુકસાન પહોંચાડ્યું હતુંઆ સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદ તમામ કાર્યકરોની અટકાયત કરી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મોલના સિક્યુરિટી સુપરવાઇઝર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા અનુપસિંહ રાજપુત, રાહુલ વર્મા, ધ્રુવસિંહ રાજપુત, પ્રજ્વવલ ઝા અને બોબીસિંહ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પાંચ શખ્Sસો પેલેડિયમ મોલમાં ત્રીજા અને ચોથા માળે જે ક્રિસ્મસ ટ્રી અને અન્ય ડેકોરેશન હતું તેને નીચે પાડી દીધું હતું અને 5000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી બળ વાપર્યું હતું.
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા આજે મોરબીના શનાળા રોડ પર આવેલા સરદાર બાગમાં ધમાલ ગલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શેરી રમતોને ફરી જીવંત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના અધિકારીઓ પણ બાળકો સાથે બાળક બનીને રમતોમાં જોડાયા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ લંગડી, સાપ સીડી અને ભમરડા ફેરવવા જેવી રમતો બાળકો સાથે રમી હતી. વર્તમાન મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી ગયા છે. અગાઉના સમયમાં બાળકો લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો અને ભમરડા ફેરવવા જેવી રમતો રમીને આનંદ કરતા હતા, જે હવે શેરીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. આ ભુલાઈ ગયેલી રમતોને ફરીથી લોકપ્રિય બનાવવાના પ્રયાસરૂપે, ધમાલ ગલીમાં બાળકોએ કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, લખોટી, સાપસીડી અને દોરડા કૂદ જેવી વિવિધ શેરી રમતોનો આનંદ માણ્યો હતો. સિનિયર સિટીઝનોએ પણ પોતાનું બાળપણ યાદ કરીને મજા માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 30 ડિસેમ્બર, 2025ના રોજ છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર - ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર - સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ ગુજરાતભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધાનો પ્રારંભ સવારે 7 કલાકે થશે, જ્યારે વિજેતા ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યો શામજીભાઈ ચૌહાણ, પી. કે. પરમાર, કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. સુરેન્દ્રનગર કલેકટર કે.એસ. યાજ્ઞિક અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પણ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહેશે. 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 7 કલાકે મહાનુભાવો દ્વારા સ્પર્ધકોને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ સવારે 10 કલાકે વિજેતા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. સ્પર્ધાના દિવસે, 30 ડિસેમ્બર, 2025ના રોજ સવારે 6 થી 10 કલાક દરમિયાન ચોટીલા ડુંગર પર યાત્રાળુઓને ચડવા-ઉતરવા કે સ્પર્ધાના રૂટમાં આવતા પગથિયાઓ પર અવર-જવર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર અને આયોજકો દ્વારા ચોટીલા આવતા તમામ યાત્રાળુઓ, ભક્તજનો અને નાગરિકોને આ અંગે જાણ કરી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.
અમરેલીમાં 31 ડિસેમ્બર માટે 31 ચેકપોસ્ટ ઊભી કરાશે:નશાખોરી રોકવા ફાર્મ હાઉસ, રિસોર્ટ પર પણ પોલીસની વોચ
અમરેલી જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ નશાખોરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ અને ફાર્મ હાઉસ તેમજ રિસોર્ટ પર વોચ રાખવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું કે, 31 ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને નશાખોરી અટકાવી શકાય તે માટે ખાસ બંદોબસ્ત યોજના બનાવવામાં આવી છે. આ અંતર્ગત સમગ્ર જિલ્લામાં 31 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે. આ ચેકપોસ્ટ પર રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વાહનચાલકો નશાની હાલતમાં છે કે કેમ, તેની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમરેલી સિટી પોલીસે પણ મોડી રાત્રે DYSP ચિરાગ દેસાઈ અને PI ડી.કે. વાઘેલાના નેતૃત્વ હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર ચેકિંગ શરૂ કર્યું છે. જિલ્લા પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, અમરેલી જિલ્લાને દરિયાઈ અને જંગલ વિસ્તાર અડીને આવેલો છે, તેમજ નજીકમાં કેન્દ્રીય શાસિત પ્રદેશ પણ છે. આ કારણોસર 31 ડિસેમ્બરની ઉજવણીના બહાને કેફી પીણાં કે ડ્રગ્સનું સેવન વધવાની શક્યતા રહે છે, જેને રોકવા માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. પોલીસ દ્વારા હોટલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટ પર SOG અને LCBની ટીમો દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ પરિવાર સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરે, પરંતુ કેફી પીણાં કે ડ્રગ્સ જેવી બાબતોથી દૂર રહે. નશાખોરી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચમાં અયૈપ્પા ભગવાનની 47મી વાર્ષિક શોભાયાત્રા યોજાઈ:કેરાલીયન સમાજના હજારો લોકો ભક્તિભાવથી જોડાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા કેરાલીયન સમાજ દ્વારા ભગવાન અયૈપ્પાના 47મા વાર્ષિક પૂજા મહોત્સવ અંતર્ગત શનિવારે સાંજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ સમાજના લોકો વાદ્યોના સંગીત સાથે ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતી આ પરંપરાગત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં કેરાલીયન સમાજના ભક્તો ઉમટી પડે છે. આ વર્ષે શોભાયાત્રા શહેરના કસક સર્કલથી શરૂ થઈ હતી. જેમાં પરંપરાગત વાદ્યોનો નાદ, હાથી, તૈયમ, તાલાપોલી (પૂજાની થાળી) અને આકર્ષક લાઇટિંગ જેવી ભવ્ય વ્યવસ્થા સાથે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી. શોભાયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભગવાન અયૈપ્પાના વિવિધ રૂપો ધારણ કરીને જોડાયા હતા. આનાથી સમગ્ર શહેરમાં ઉત્સવમય અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ ભજન, મહાપ્રસાદી અને મહાઆરતીનું આયોજન કરાયું હતું. આ પહેલા સવારે મંદિર પરિસરમાં ગણપતિ હોમ અને અભિષેક વિધિ પણ ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે સંપન્ન થઈ હતી.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ મોરચાની નિમણૂકોમાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા ખેડૂત નેતા હિરેન હીરપરાને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. હિરેન હીરપરાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખેડૂત નેતા તરીકેની ઓળખ ઊભી કરી છે. તેમણે ખેડૂતોના પ્રશ્નોને સરકાર અને સંગઠન સમક્ષ સતત અને હકારાત્મક રીતે રજૂ કર્યા છે. રાજ્યભરમાં ખેડૂતોની મુલાકાત લઈ, વિવિધ ખેતી પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતા તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર જોવા મળતા હતા. તેમની નિમણૂકથી ખેડૂતો અને કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હીરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. તેમની રાજકીય કારકિર્દી વર્ષ 2009માં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. ત્યારબાદ, 2013માં અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી, 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અને 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકે તેમણે સેવા આપી હતી. 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતોએ ઉમળકાભેર આવકારી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેઓ હાલ ફરજ બજાવી શકતા નથી. તબીબી સલાહ અનુસાર તેઓ આરામ અને સારવાર હેઠળ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જવાબદારી તાત્કાલિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવી છે. તમામ જવાબદારી-નિર્ણય મુખ્યમંત્રી લેશેસરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગની રોજિંદી કામગીરી, મહત્વના નિર્ણય અને ચાલી રહેલી યોજનાઓ પર કોઈ અસર ન પડે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ યથાવ્ રીતે ચાલુ રહેશે અને તમામ વહીવટી નિર્ણય મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવશે. તબિયતમાં સુધારા બાદ ફરી પાનસેરિયા ફરજ સંભાળશેમંત્રી પ્રફુલ પાનસેરિયાની તબિયતમાં સુધારો આવ્યા બાદ તેઓ ફરી ફરજ સંભાળશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગનું સંચાલન મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ રહેશે.
અમદાવાદના કાંકરિયા ખાતે યોજાઈ રહેલા કાંકરિયા કાર્નિવલ 2025માં સહેલાણીઓની ભારે ભીડ વચ્ચે સુરક્ષાને લઈને પોલીસ સતર્ક બની છે, શરૂઆતના માત્ર ત્રણ જ દિવસમાં 52 જેટલા બાળકો ભીડમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. જોકે, અમદાવાદ પોલીસની સતર્કતા અને હાઈટેક સર્વેલન્સને કારણે ગણતરીના કલાકોમાં જ આ તમામ બાળકોને શોધી કાઢી તેમના માતા-પિતા સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. 6 અત્યાધુનિક ડ્રોન અને 3 હાઈ-ટેક કંટ્રોલ રૂમ દ્વારા થઈ રહેલા મોનિટરિંગને પગલે બાળકો જ નહીં, પરંતુ ખોવાયેલા કિંમતી વસ્તુ પણ મુલાકાતીઓને પરત અપાવવામાં આવી છે. મનપા અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, ભારે ભીડમાં પોતાના બાળકો અને કિંમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. ત્રણ દિવસમાં 52 બાળકો માતા-પિતાથી વિખૂટા પડ્યાકાંકરિયા કાર્નિવલમાં રોજના 50 હજારથી વધારે લોકો આવી રહ્યા છે. જેમાં 25 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધીના 3 દિવસમાં કાંકરિયા કાર્નિવલ ખાતે કુલ 52 જેટલા બાળકો વિખૂટા પડી ગયા હતા. ત્યારે માતા-પિતા દ્વારા કાંકરિયા કાર્નિવલ ખાતે શરૂ કરવામાં આવેલા પોલીસ કંટ્રોલરૂમમાં પોતાનું બાળક વિખૂટું પડી ગયું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે કાંકરિયા પરિસર ખાતે હાજર મિસિંગ સેલના અને અન્ય પોલીસકર્મીઓ અને સીસીટીવી કેમેરાની મદદથી વિખૂટા થયેલા બાળકોને શોધીને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. મુલાકાતીઓની કિંમતી ચીજ વસ્તુ પણ સુપરત કરાઈકાર્નિવલમાં ડ્રોન અને સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવતી હોય છે. કાંકરિયા કાર્નિવલમાં કેટલાક લોકોની કિંમતી ચીજ વસ્તુઓ પણ ખોવાઈ ગઈ હતી. પોલીસની સતર્કતાને કારણે ભીડમાં ખોવાયેલા 1 કિંમતી આઇફોન (IPHONE) અને 2 પર્સ (જેમાં રોકડ રકમ અને મહત્વના દસ્તાવેજો હતા) મળી આવ્યા હતા. પોલીસે તેના અસલ માલિકોની શોધખોળ કરી અને ખાતરી કર્યા બાદ આ સામાન પરત સોંપ્યો હતો. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સશહેર પોલીસની ઝોન 6ની પોલીસ અને મણીનગર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આખા પરિસરમાં ઠેર-ઠેર પોલીસ કર્મચારીઓ અને સહાયતા કેન્દ્ર મુકવામાં આવ્યા છે. 6 અત્યાધુનિક ડ્રોનથી આકાશમાંથી 350 ડિગ્રી સર્વેલન્સ દ્વારા ભીડ પર સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. 3 હાઇ-ટેક કંટ્રોલ રૂમ: સી.સી.ટીવી કેમેરા નેટવર્ક દ્વારા સમગ્ર વિસ્તારનું સતત મોનિટરિંગ થાય છે. મુલાકાતીઓની ત્વરિત મદદ માટે 24 કલાક પોલીસ સહાયતા કેન્દ્ર કાર્યરત કરાયું છે. વિખૂટા પડેલા લોકોને શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોમહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાદા ડ્રેસમાં 11 શી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કાંકરિયા પરિસરમાં કરવામાં આવે છે. જ્યારે વિખૂટા પડેલા બાળકો અને વ્યક્તિઓને તાત્કાલિક શોધવા માટે ખાસ બે સમર્પિત ટીમોની રચના કરી છે. જે ખૂબ જ ભીડમાં નાના બાળકો પરિવારથી વિખૂટા થઈ જતા હોય છે. તેને પોલીસ દ્વારા શોધીને તેના માતા-પિતાને પરત આપવામાં મદદ કરે છે.
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા તાજેતરમાં ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા કેડેટ્સની શારીરિક સહનશક્તિ, ચપળતા, હિંમત અને ટીમવર્કનું પરીક્ષણ કરવા માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં પાંચ સિનિયર હાઉસના ધોરણ 9 થી 11ના કેડેટ્સે ભાગ લીધો હતો. કેડેટ્સે સ્ટ્રેટ બેલેન્સ, ગેટ વોલ્ટ, એલ્બો લિફ્ટ, ઝિગ-ઝેગ બેલેન્સ, ડબલ ડિચ, બર્મા બ્રિજ, એઇટ ફીટ વોલ, સ્ક્રેમ્બલ નેટ, મંકી રોપ, વર્ટિકલ રોપ, ક્રોલ અને રેમ્પ જેવા પડકારજનક અવરોધોનો સામનો કર્યો હતો. લગભગ તમામ કેડેટ્સે તેમની કઠોર તાલીમ અને શિસ્તને પ્રતિબિંબિત કરતા અવરોધોને સફળતાપૂર્વક પાર કર્યા. ખૂબ જ સ્પર્ધાત્મક ઇવેન્ટ પછી, શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ ઓબ્સ્ટેકલ કોમ્પિટિશન 2025-26માં વિજય પ્રાપ્ત કર્યો. તેમણે 17 મિનિટ અને 04 સેકન્ડના પ્રભાવશાળી સમયમાં કોર્સ પૂર્ણ કરીને ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી. આંગ્રે હાઉસે રનર્સ-અપ સ્થાન મેળવ્યું. વ્યક્તિગત કેટેગરીમાં, કેડેટ પંકજે પ્રથમ સ્થાન મેળવ્યું, ત્યારબાદ કેડેટ રુદ્ર બીજા સ્થાને અને કેડેટ સુજલે ત્રીજા સ્થાને રહ્યા. સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ વિજેતા હાઉસને ચેમ્પિયનશિપ ટ્રોફી આપી. આ પ્રસંગે, અધિકારીઓ અને સ્ટાફે વિજેતાઓને અભિનંદન આપ્યા અને તમામ કેડેટ્સના ઉત્સાહપૂર્ણ ભાગીદારી અને પ્રશંસનીય પ્રયાસોની પ્રશંસા કરી.
નાતાલ અને 31મી ડિસેમ્બરના મીની વેકેશન દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે દેશ-વિદેશના ભાવિકોનો મોટો પ્રવાહ ઉમટી પડ્યો છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 25 થી 27 ડિસેમ્બર સુધીના ત્રણ દિવસમાં સોમનાથમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા છે. 31 ડિસેમ્બર સુધીમાં આ આંકડામાં હજુ વધારો થવાની શક્યતા છે. ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિર ખાતે દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે, સોમેશ્વર પૂજાના સ્લોટ વધારાયા છે અને લાઈટ એન્ડ સાઉન્ડ શોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. યાત્રિકો માટે પાર્કિંગ સહિતની અન્ય સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનું અનેરું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની હોટેલો ઉપરાંત આસપાસની તમામ હોટેલો અને ગેસ્ટહાઉસો સંપૂર્ણપણે બુક થઈ ગયા છે. ગુજરાત બહારના પરપ્રાંતિય પ્રવાસીઓએ આ મીની વેકેશન ગાળવા સૌરાષ્ટ્રભણી પ્રયાણ કર્યું છે. પ્રવાસીઓ માત્ર સોમનાથ જ નહીં, પરંતુ દ્વારકા, સાસણગીર અને સંઘ પ્રદેશ દીવ જેવા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન સાથે સાસણગીરમાં સિંહ દર્શન અને દીવના પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. દર વર્ષે નાતાલ અને નવા વર્ષના મીની વેકેશન દરમિયાન હજારો અને લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સોરઠના પર્યટન સ્થળોની મુલાકાત લે છે. સોરઠ પ્રદેશ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે, જ્યાં વર્ષના અનેક તહેવારો અને વેકેશન સમયે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે. પરપ્રાંતીય પ્રવાસીઓ ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષનો શુભારંભ કરવા ઉમટ્યા છે.
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન ગોધરા સુધી આંશિક રદ:ડેરોલ યાર્ડમાં ROB ગર્ડર લોન્ચિંગ માટે ૩ કલાકનો બ્લોક
વડોદરા-દાહોદ મેમુ ટ્રેન આજે વડોદરા અને ગોધરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ડેરોલ યાર્ડમાં રોડ ઓવર બ્રિજ (ROB) ના ગર્ડર લોન્ચિંગના કામ માટે રેલવે દ્વારા ત્રણ કલાકનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. વડોદરા રેલવે ડિવિઝન દ્વારા જારી કરાયેલી માહિતી અનુસાર, ડેરોલ યાર્ડમાં લેવલ ક્રોસિંગ નંબર 32 પર બની રહેલા રોડ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગનું કાર્ય હાથ ધરાશે. આ માટે આજે બપોરે ૧:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી અપ અને ડાઉન એમ બંને લાઇન પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ ત્રણ કલાકના બ્લોકની સીધી અસર ગાડી સંખ્યા 69117 વડોદરા – દાહોદ મેમુ ટ્રેન પર પડશે. આ ટ્રેન આજે વડોદરાથી ગોધરા વચ્ચે દોડશે નહીં, એટલે કે આ રૂટ પર તે આંશિક રીતે રદ રહેશે. રેલવે પ્રશાસને મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ટ્રેનના સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર તપાસ કરી લે. આનાથી મુસાફરીમાં થતી અગવડ ટાળી શકાય છે.
સુરત શહેરના રામપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પિતાએ કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય રત્નકલાકારે બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. એકના એક દીકરાના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજકોટમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. દાનિશ કામ વગર અહીં-તહીં ફરતા પિતાએ ઠપકો આપ્યો હતોરામપુરા રામવાડી પાસે આવેલા 'હમ્દપાર્ક' બિલ્ડિંગમાં મોહમ્મદ મુનાફ મોતીપાણી તેમના પરિવાર સાથે વસવાટ કરે છે. મોહમ્મદભાઈ હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો 23 વર્ષીય પુત્ર દાનિશ મોતીપાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. મળતી માહિતી મુજબ, દાનિશ અવારનવાર કામ વગર અહીં-તહીં ફરતો રહેતો હતો, જેને લઈને પિતાએ તેને ઠપકો આપ્યો હતો. પિતાની આ શિખામણ દાનિશને મન પર લાગી ગઈ હતી. સારવાર માટે ખસેડાયો પણ ન બચ્યો26 ડિસેમ્બરને શુક્રવારે રાત્રે દાનિશે આવેશમાં આવીને પોતાના બિલ્ડિંગના ચોથા માળેથી પડતું મૂક્યું હતું. તેને ગંભીર હાલતમાં તાત્કાલિક લોખાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. CCTVમાં કેદ થયા મોતના દૃશ્યોઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, દાનિશ ચોથા માળેથી નીચે કૂદે છે અને નીચે ઉભેલા એક 'છોટા હાથી' ટેમ્પાના પાછળના ભાગે જોરદાર ધડાકા સાથે અથડાઈને જમીન પર પટકાય છે. અવાજ સાંભળીને આસપાસના લોકો અને રાહદારીઓ હેબતાઈ ગયા હતા અને તરત જ તેની મદદ માટે દોડી આવ્યા હતા. પરિવાર પર આભ ફાટ્યુંમૃતક દાનિશ તેના પિતાનો એકનો એક પુત્ર હતો અને તેને એક બહેન પણ છે. ઘરના વડીલે પુત્રના સારા ભવિષ્ય માટે આપેલો ઠપકો આટલો મોટો આઘાત આપશે તેવી કલ્પના પરિવારે કરી ન હતી. લાલગેટ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 27 ડિસેમ્બરે રાજકોટમાં યુવકે ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો રાજકોટ શહેરના રૈયા ચોક ઓવરબ્રિજ પરથી એક યુવાને છલાંગ લગાવી આત્મહત્યાની કોશિશ કરી હતી. આ ઘટનામાં યુવકને માથાના અને પગના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકનું નામ હરેશ જેઠવા (ઉં.વ.41) હોવાનું અને તે રૈયા રોડ પર આવેલ શ્યામનગર વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું .છે તેને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવ્યો હતો. ગઈકાલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ઉગ્ર બોલાચાલી બાદ માઠું લાગી આવતા યુવકે ઓવરબ્રિજ પરથી ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
કોડીનારના વેળવા ગામમાં ખેડૂત અને પોપટની અનોખી મિત્રતા:ખેડૂતના ખભે બેસી તેમની સાથે ફરે છે 'મીતુ' પોપટ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામમાં માનવતા અને પ્રેમનું અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. સામાન્ય રીતે લોકો શ્વાન-બિલાડી કે પશુઓ સાથેની મિત્રતા જુએ છે, પરંતુ અહીં એક માનવી અને પોપટ વચ્ચે એવી આત્મીય દોસ્તી જોવા મળી છે કે જે સૌને આશ્ચર્યમાં મૂકી દે છે. વેળવા ગામના ખેડૂત નારણભાઈ સાર્દુલભાઈ સાવધરીયા અને ‘મીતુ’ નામના પોપટ વચ્ચેનો સંબંધ હવે આખા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે. નારણભાઈ પગપાળા ચાલે કે મોટરસાયકલ લઈને નીકળે, ત્યારે મીતુ તરત જ તેમના ખભા ઉપર આવી બેસી જાય છે. બંનેનું આ દ્રશ્ય જોતા લોકો થોભી જાય છે. આ અનોખી મિત્રતાની શરૂઆત આશરે છ માસ પહેલાં થઈ હતી. નારણભાઈની વાડીએ તેમને એક પોપટનું બચ્ચું મળ્યું હતું, જે કદાચ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આસપાસ ઘણી શોધખોળ કરવા છતાં માતા પોપટ ન મળતાં, નારણભાઈએ માનવતાના દાવ સાથે તેને પોતાના ઘરે લઈ જઈ સાચવવાનું નક્કી કર્યું. નારણભાઈએ પોપટના બચ્ચાને ખોરાક આપ્યો, પાણી પાવડ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી. સમય જતાં આ લાગણી વધુ ગાઢ બની અને આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહી શકતું નથી. છ માસના સમયગાળામાં આ સંબંધ મજબૂત મિત્રતામાં પરિવર્તિત થયો છે. રાત્રિના સમયે નારણભાઈ મીતુને પાંજરામાં રાખે છે, જ્યારે દિવસ દરમિયાન તેને સંપૂર્ણપણે ખુલ્લું મૂકે છે. ખેતીના કામે જાય ત્યારે પણ મીતુ નારણભાઈ સાથે જ રહે છે. માણસ અને પોપટ વચ્ચેની આ નિસ્વાર્થ દોસ્તી આજે વેળવા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે અને માનવતા હજુ જીવંત છે તેવો સુંદર સંદેશ આપે છે.
ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી
Image: Freepik
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આયોજિત 'સરદાર@150 સ્વદેશી પદયાત્રા – 2025' તેના બીજા દિવસે, 27 ડિસેમ્બરે યાત્રાધામ કાગવડ પહોંચી હતી. રાજકોટથી શરૂ થયેલી આ પદયાત્રાએ 27 કલાકમાં 65 કિલોમીટરથી વધુનું અંતર કાપી સરદાર સાહેબના વિચારો લોકો સુધી પહોંચાડ્યા છે. 28 ડિસેમ્બર, રવિવારના રોજ સવારે કાગવડ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ 'સરદાર વલ્લભભાઈ પટેલ અમર રહો' અને 'જય સરદાર'ના નારા સાથે પદયાત્રા ખોડલધામ મંદિર તરફ આગળ વધી હતી.
અમદાવાદના સોલા વિસ્તારમાં ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાયો છે. આગામી 31 ડિસેમ્બર સુધી લુપ્ત થતી અલગ અલગ વાનગીઓનો સ્વાદ અમદાવાદીઓ લઈ શકશે. ખાવા માટેના શોખીન હોવ અને રોજ કંઈક નવું ટેસ્ટ કરવાની ઈચ્છા હોય તો ચોક્કસથી આ જગ્યા તમારા માટે પસંદગીની બની રહેવાની છે. વિસરાતી વાનગીઓમાં અનેક વાનગીઓ એવી હશે જેના નામ અત્યારની પેઢીએ તો સાંભળ્યા પણ નહીં હોય. શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસોઅત્યારના યુવાનો માટે રોજબરોજના જીવનમાં ઇન ઓર્ગેનિક પદાર્થો અને ફાસ્ટ ફૂડ ખાવા માટે ટેવાઈ ગયા છે. ફાસ્ટ ફૂડનો ટ્રેન્ડ એ પ્રકાર વધ્યો છે કે અમદાવાદમાં કોઈ નવી રેસ્ટોરન્ટ કે કાફે ખુલે અને યુવાનો તેમાં એક વખત જમવા માટે ન ગયા હોય તેવું ભાગ્યેજ બની શકે. કારણ કે નવો ટ્રેન્ડ યુવાનોને ખૂબ પસંદ આવી રહ્યો છે, કઈક અલગ વેરાયટી સાથે વાનગીઓ યુવાનો પસંદ કરી રહ્યા છે. જેથી હવે અમદાવાદીઓએ 31 ડિસેમ્બર સુધી શરીરની ચિંતા છોડી ટ્રેનિંગ વાનગીઓની મજા મળી શકશે. ટ્રેન્ડિંગ વાનગીઓ સાથે પોષણયુક્ત ખાવાના શોખીનો માટે વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જલસો પડી જવાનો છે. આ પણ વાંચો: જરા હટકે ખાવાના શોખીન હોવ તો અમદાવાદમાં ચાલી રહેલા 'વીસરાતી વાનગી મહોત્સવ'માં પહોંચી જજો ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યાયુવાનોના અત્યાર પેઢીની પસંદને ધ્યાનમાં રાખીને ફાસ્ટ ફૂડમાં જે જે વાનગીઓ આવે છે તેમાં વિસરાતી વાનગીઓને કઈ રીતે જોડી શકાય તે પ્રયાસ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં જોવા મળી રહ્યું છે. રગડા પેટીસ, આલુ ટિક્કીની દુકાન જોઈને ભલભલાનું મન તે ખાવા માટે આકર્ષાઈ જાય છે, પરંતુ તે શરીર માટે કેટલું સારું છે તે તરફ કોઈ ધ્યાન આપતું નથી. વિસરાતી વાનગીઓના મહોત્સવમાં તેને અલગ રીતે બનાવવામાં આવે છે. પ્રાચીબેને બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસનો સ્ટોલ કર્યો છે. આલુ ટિક્કીમાં બટાકામાં એટલા પોષણયુક્ત તત્વો હોતા નથી. જેથી અત્યારના ટ્રેન્ડ સાથે પોષણયુક્ત બીટ રૂટ રોલ અને રતાળુ પેટીસ બનાવવામાં આવ્યા છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે લોકો વિચારતા નથીમેદાનો ઉપયોગ અત્યારે મોટા ભાગની તમામ વાનગીઓમાં થવા લાગ્યો છે. વ્યસ્ત જીવનમાં શું ખાવું, શરીર માટે યોગ્ય છે તે આપણે વિચારતા પણ નથી. મેંદો ખાવાથી કેટલું નુકસાન થાય છે તે વિચારવાનો પણ લોકો પાસે સમય નથી. કારણ કે નવી વાનગીઓ ખાવાના ઉત્સાહ સાથે શરીરની ચિંતા કરવાનું આપડે ભૂલી ગયા છીએ. જે વાનગીઓ ટ્રેડિંગ છે તે બજારમાં મેંદામાં બને છે તે વાનગીઓ અહીં પ્રાકૃતિક રીતે તૈયાર થયેલા મિલેટ્સમાં બનાવવામાં આવી છે. કેક કે જે કોઈપણ વ્યક્તિનો જન્મ દિવસ તે જોવા મળતી હોય છે, પરંતુ વિસરાતી વાનગીઓના મહોત્સવમાં રાગી, જુવાર, મધ અને કેળા સાથે કેક બનાવવામાં આવી છે, કે જે યુવાનોને આકર્ષે છે અને ન્યુટ્રિશિયનની પણ ચિંતા કરે છે. પ્રાચીબેને વધુમાં જણાવ્યું હતું કે, વાનગીઓમાં અમે ઓર્ગેનિક કલર એડ કરીએ છીએ જેથી યુવાનો માટે આકર્ષણરૂપ બની રહે છે. આમાં અમે રતાળુ, બીટ રૂટ અને થોડા જ માત્રામાં બટાકા અને ઘરમાં બનાવવામાં આવેલું પનીર સાથે ચાટ બનાવીને અહીંયા આપીએ છીએ. બટાકામાં પૂરતા પોષણયુક્ત તત્વો હોતા નથી પરંતી બીટરૂટ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. હીમોગ્લોબિન પણ આના કારણે ઇન્ક્રિશ થાય છે. રુચિબેને વધુમાં જણાવ્યું હતું કે, જાવરુમાં અલગ અલગ મેટેસ્ટ એડ કરીને તેને વેજિટેબલ સાથે પીરસવામાં આવે છે. તેમજ આ વખતે રાગી પેનકેકનું નવું ઇનોવેશન બનાવવામાં આવ્યું છે. પેનકેકમાં 80 ટકા રાગી અને 20 ટકા જુવાર સાથે મધ અને કેળા સાથે બનાવવામાં આવે છે. અત્યારે મેદાને વધારે મહત્વ આપવામાં આવે છે. પરંતુ આપણી પાસે એવા ઘણા બધા મિલેટ્સ છે જે આપણે ઘણું બધું ન્યુટ્રિશિયન પણ પૂરા પાડે છે. અત્યારના સમયમાં લોકો મેદાથી દૂર થઈ મિલેટ્સ પર આકર્ષાય તેવો પ્રયાસ છે. ચંદ્રિકાબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાગીનો ઉપયોગ કરીને દૂધથી બનાવવામાં આવે છે, જેથી આ ખાવાથી બાળકને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી. બાળક મિલેટ્સ કેક ગમે એટલી ખાય પરંતુ તેનાથી શરીરને કોઈ નુકસાન થશે નહીં.
જૂનાગઢના આંગણે GEB એન્જિનિયર્સ એસોસિએશન (GEA)ના 27માં વાર્ષિક અધિવેશનનો 27 ડિસેમ્બરના રોજ ભવ્ય પ્રારંભ થયો છે. 27 અને 28 ડિસેમ્બર એમ બે દિવસીય ચાલનારા આ અધિવેશનના પ્રથમ દિવસે રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ તકે સમગ્ર ગુજરાતમાંથી 3000થી વધુ ઈજનેરો અને તેમના પરિવાર મળી અંદાજે 5000થી વધુ લોકોની ઉપસ્થિતિથી જૂનાગઢમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે. આજે ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની અધિવેશનમાં હજારી આપશે. અધિવેશનમાં નાઈટ શોમાં 'હની બેન્ડ'ની જમાવટ અધિવેશનના પ્રથમ દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાત્રિના સમયે ભુજના સુપ્રસિદ્ધ 'હની બેન્ડ' દ્વારા મ્યુઝિકલ નાઈટ શો યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઈજનેરો અને તેમના પરિવારો સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ પણ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી ઈજનેરોનો ઉત્સાહ વધાર્યો હતો. પારિવારિક માહોલ વચ્ચે યોજાયેલા આ સુંદર આયોજનને બિરદાવ્યું હતું. ત્રિ-વાર્ષિકને બદલે વાર્ષિક મિલન યોજોઃ વેકરિયારાજ્ય ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ઈજનેરોને સંબોધતા જણાવ્યું હતું કે, GEB એન્જિનિયર એસોસિએશન દ્વારા જૂનાગઢમાં ખૂબ જ ભવ્ય અને પારિવારિક આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આ ઉત્સવ દર ત્રણ વર્ષે યોજાતો હોય છે, પરંતુ મારી અપીલ છે કે ઈજનેરો વચ્ચે પારિવારિક સંબંધો જળવાઈ રહે તે માટે આ સ્નેહમિલન વાર્ષિક ધોરણે યોજવામાં આવે. તેમણે ગુજરાતના વિકાસમાં ઈજનેરોના ફાળાને બિરદાવી તેમને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. આજે એસો.ના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશેઃ હરેશ વઘાસિયાએસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે તમામ કંપનીઓના એમડી (MDs), પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે (28 ડિસેમ્બર) અધિવેશનના બીજા દિવસે રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જીબીઆ (GBA)ના પ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે આજે એસોસિએશનના આગામી ટર્મ માટેના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. ઈજનેરોએ સરકાર સાથે ખભેખભા મિલાવી રાજ્યના ઉર્જા ક્ષેત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ પણ આ તકે વ્યક્ત કર્યો હતો.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય બજારમાં સ્વચ્છતા જાળવવા માટે સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કરી જાહેરમાં કચરો ફેંકનારા ત્રણ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. ધીવટાના નાકે આવેલી ત્રણ પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. પાલિકાના મુખ્ય અધિકારી હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ સેનીટેશન ટીમે 'સેગ્રેગેટેડ ટુડે, શાઈન ટુમોરો' થીમ સાથે વહેલી સવારથી સફાઈ કામગીરી શરૂ કરી હતી. મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આસમાનભાઈ અને તેમની ટીમે મેન બજારમાં સફાઈ કામદારોની હાજરી ચકાસી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું. તપાસ દરમિયાન ધીવટાના નાકે આવેલી અપ્સરા, રૂપસાગર અને નરેન્દ્રકુમાર કાપડની દુકાનો બહાર કચરો ફેંકાયેલો જોવા મળ્યો હતો. પાલિકાની ટીમે સ્થળ પર જ આ ત્રણ વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો હતો. વહેલી સવારે જ દંડાત્મક કાર્યવાહી થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાયો હતો. ઝુંબેશ દરમિયાન પાલિકાની ટીમે વેપારીઓ અને નાગરિકોને જાહેરમાં ગંદકી ન કરવા અને દરેક એકમે ફરજિયાત ડસ્ટબિન રાખવા કડક સૂચના આપી હતી. રોડ-રસ્તા પર પાણી ઢોળીને ગંદકી ન કરવા પણ તાકીદ કરવામાં આવી હતી. પાલિકા પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે સ્વચ્છતા જાળવવામાં સહયોગ નહીં મળે તો આગામી સમયમાં પણ કડક દંડ વસૂલવામાં આવશે. શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં કાયમી ધોરણે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સેનીટેશન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આકસ્મિક તપાસ અને સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.
ગુજરાત ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર:અરવિંદ પટેલ ઉપપ્રમુખ, સોનલ સોલંકી મંત્રી બન્યા
ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જાહેરાત બાદ શનિવારે મોડી રાત્રે તેમની સંગઠન ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખોની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત, અનિરુદ્ધ દવે, ડો. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને અજય બ્રહ્મભટ્ટને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, પ્રદેશ ઉપપ્રમુખ પદે અનુભવી અને સંગઠનક્ષમ નેતાઓને સ્થાન અપાયું છે. મહામંત્રી અને મંત્રી પદે સંતુલિત તથા પ્રતિનિધિત્વ ધરાવતી ટીમ રચીને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરાયો છે. કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા, એસસી-એસટી, ઓબીસી અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે. નવી સંગઠન રચનામાં જ્ઞાતિ સમીકરણને વિશેષ ધ્યાનમાં લેવાયું છે. પ્રદેશ ઉપપ્રમુખ પદે ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, અનુસૂચિત જાતિ, આદિવાસી તેમજ ઓબીસી સમાજના પ્રતિનિધિઓને સ્થાન અપાયું છે. 2026ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સમાજોને સાથે લઈને ચાલવાની સ્પષ્ટ રણનીતિ તરીકે આ નિમણૂકોને જોવામાં આવી રહી છે. વલસાડ જિલ્લા માટે મહત્વપૂર્ણ રીતે, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને પ્રદેશ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને CWCના પૂર્વ ચેરપર્સન સોનલબેન સોલંકીને પ્રદેશ મંત્રી તરીકે નિમણૂક અપાઈ છે. આ નિમણૂકોને પગલે વલસાડ જિલ્લામાં ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર આવેલી બે ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ફેરવી દીધું છે. આ કાર્યવાહીમાં આશરે 10 એકર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ હોટલો ગેરકાયદેસર બાંધકામ ઉપરાંત પ્રોહીબિશન અને કેમિકલ ચોરી જેવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી. રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાં ગંભીર ગુનાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારીના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકીએ ચોટીલા વિસ્તારમાં નેશનલ હાઈવે પરની હોટલો અને ધાબાઓની ખરાઈ કરી માહિતી એકત્રિત કરી હતી. જે હોટલોમાં અગાઉ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, તેવી હોટલોના માલિકો અને સંચાલકો પાસેથી આધાર-પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. નાની મોલડી ગામ પાસે આવેલી 'ન્યુ નાગરાજ હોટલ' અને 'જય વડવાળા હોટલ' દ્વારા કોઈ આધાર-પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. આ બંને હોટલો મહેસૂલ વિભાગની મંજૂરી વિના સરકારી જમીનમાં આશરે 10 એકર જેટલું દબાણ કરીને ઊભી કરવામાં આવી હતી. 'જય વડવાળા હોટલ'ના સંચાલક સંજયભાઈ અનકભાઈ ખાચર પર ગેરકાયદેસર રીતે પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો રાખી કટિંગ કરાવવાનો આરોપ હતો, જ્યાં રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે 'ન્યુ નાગરાજ હોટલ'માં અગાઉ ગેરકાયદેસર કેમિકલ/ડિઝલ ચોરી ઝડપાઈ હતી. આ બંને હોટલો ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં બાંધકામ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી હોવાનું જણાતા, સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે કુલ 10 એકર સરકારી જમીન પરથી દબાણ દૂર કર્યું છે. આ કામગીરીમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી અને પી.આઈ. જે.એન. સોલંકી સહિત ચોટીલા પોલીસ ટીમે ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં નવી નિમણૂક પામેલી આંગણવાડી કાર્યકર મહિલાઓ સાયબર છેતરપિંડીનો ભોગ બની છે. સાયબર ગઠિયાઓએ 'પગાર જમા થયો નથી' તેમ કહીને અનેક કાર્યકરોના બેંક ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હતા. આ મામલે ભોગ બનનાર કાર્યકરો દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગત 4 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યની 9,000 આંગણવાડી કાર્યકરો અને તેડાગર મહિલાઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નિમણૂક મળ્યાના એક મહિનાની અંદર જ દસાડા તાલુકાના શેડલા, કામલપુર અને મજેઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોની નવી કાર્યકર મહિલાઓ આ છેતરપિંડીનો શિકાર બની છે. દસાડા તાલુકાના શેડલા ગામના આંગણવાડી મહિલા કાર્યકરને એક મોબાઈલ નંબર પરથી ગાંધીનગરથી બોલતા હોવાનું જણાવીને ફોન આવ્યો હતો. તેમને પગાર જમા ન થયો હોવાનું કહી, તેમના પરિવારના મોહીબખાન કરીમખાનના ખાતામાંથી રૂ. 3,700 ઉપાડી લેવામાં આવ્યા હતા. બાદમાં જ્યારે મહિલાએ ફોન કર્યો ત્યારે સામેથી ગાળો બોલવામાં આવી હતી. આવી જ રીતે, દસાડા તાલુકાના કામલપુર ગામની એક નવી આંગણવાડી કાર્યકરને પણ સાયબર ગઠિયાએ ફોન કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ સફળ ન થતાં, ગઠિયાએ તે જ ગામના એક લાભાર્થીને કોન્ફરન્સ કોલમાં લઈને તેમના ખાતામાંથી રૂ. 5,000 ઉપાડી લીધા હતા. આ કાર્યકરને પણ ફરી ફોન કરતા અપશબ્દો સાંભળવા મળ્યા હતા. મોટી મજેઠી ગામની નવી આંગણવાડી કાર્યકર સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડી થઈ હતી. સાયબર ગઠિયાએ તેમને વાતોમાં ભોળવી, અમદાવાદમાં કારખાનામાં કામ કરતા તેમના દીકરાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. દીકરા સાથે વાત કરીને તેના ખાતામાંથી રૂ. 10,000 સેરવી લેવામાં આવ્યા હતા. દસાડા તાલુકાની અન્ય નવી આંગણવાડી કાર્યકરો પણ આ પ્રકારે સાયબર ક્રાઈમનો ભોગ બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાઓને કારણે કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે.
દીકરીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો:બોટાદ જિલ્લામાં દીકરીઓની સુરક્ષા તેમજ સ્વાવલંબન માટે મહા-અભિયાન
બોટાદ જિલ્લાના હડદડ ખાતે આવેલી કષ્ટભંજન વિદ્યા મંદિરમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' અભિયાન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને જાતીય ગુનાઓ અને ડિજિટલ યુગના જોખમો સામે સજ્જ કરવાનો હતો. ગુડ ટચ-બેડ ટચ અને કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો સામેના જાતીય ગુનાઓ (POCSO Act-2012) અંગે સમજણ આપવામાં આવી હતી. અજાણી વ્યક્તિની લોભ-લાલચમાં ન આવવા અને શાળાએ આવતી-જતી વખતે સતર્ક રહેવા સૂચના અપાઈ, 'ગુડ ટચ' અને 'બેડ ટચ' વચ્ચેનો તફાવત સમજાવી, મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે તાત્કાલિક પગલાં લેવા તે અંગે માર્ગદર્શન અપાયું. આજના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના સુરક્ષિત ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને ઇન્ટરનેટના જોખમોથી બચવા માટે મહત્વપૂર્ણ ટિપ્સ આપવામાં આવી હતી. સરકારી યોજનાઓ અને હેલ્પલાઇનનો વ્યાપક પ્રચાર કાર્યક્રમમાં મહિલા અને બાળ સુરક્ષા માટે કાર્યરત વિવિધ સેવાઓ અને યોજનાઓની માહિતી અપાઈ હતી. આ તકે શાળાના પ્રમુખ વિનોદભાઈ કાલસરીયા, ટ્રસ્ટી જગદીશભાઈ કાલસરીયા અને આચાર્ય અરવિંદભાઈ બાવળીયા સહિતના સ્ટાફે મહિલા અભયમ અને સાયબર ક્રાઇમ ટીમની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.
SOGની કાર્યવાહી:દુબઇના સાઇબર માફિયાના કહેવાથી આણંદના 5 એકાઉન્ટની બેંક કીટ લેવા આવેલા 2 ઝડપાયા
આણંદ એસઓજીની ટીમેશુક્રવારે મોડી રાત્રે બાતમી મુજબઆણંદ શહેરની સામરખા ચોકડીપાસે આવેલી કારને રોકી લઈ બેકારમાં સવાર બે શખસોને ઝડપીપાડ્યા હતા. પોલીસ પૂછપરછમાંડ્રાઇવિંગ કરનારો શખસ ઉમંગવિનોદ જોષી અને તે સાણંદનોરહેવાસી જ્યારે તેની બાજુમાં જયરોહિત ઠક્કર અને તે રાધનપુરનોરહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બાતમીના આધારે કારમાંતપાસ કરતા અલગ અલગબેંકની પાસબુક, એટીએમ કાર્ડ,મોબાઈલ મળી આવ્યા હતા. જોકે,આ બાબતે પૂછપરછ કરતા બંનેકોઈ સંતોષકારક જવાબો આપીશક્યા ન હતા. જેથી તેમની સઘનપુછપરછ કરતાં કરતા ઉમંગછેલ્લાં ત્રણ વર્ષથી રૂપિયા 15હજારમાં મણીપ્રભુ એપાર્ટમેન્ટનવરંગ સ્કૂલની સામે નવરંગપુરાઅમદાવાદ ખાતે રહેતા જૈમીન ઉર્ફેગોલુ ઈશ્વરલાલ ઠક્કરને ત્યાંનોકરી કરતો હોવાનું જણાવ્યુંહતું. જયમીન ઉર્ફે ગોલું તેનોબનેવી થાય છે અને તે હાલમાંછેલ્લાં ચારેક વર્ષથી દુબઈ છે.જયમીનના કહેવાથી તે ચારવખત બેન્કની કીટો લઈ ગયોહોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેપાસેથી રૂપિયા 76 હજારનીકિંમતના 15 જેટલા અલગ અલગકંપનીના મોબાઈલ, બેન્કનીસામગ્રી તેમજ કાર મળી રૂપિયા10.76 લાખનો મુદ્દામાલ કબજેકરી બંનેની અટકાયત કરી હતી.જોકે, જયમીન ઠક્કર નામનોશખસ હાલ દુબઈમાં હોઈ વોન્ટેડછે. જોકે, પોલીસ દ્વારા કબજેકરાયેલી તમામ પાસબુકમાં કુલથયેલા નાણાકીય વ્યવહારોનેવેરીફાય કરવાની પ્રક્રિયા કરવામાંઆવી રહી છે. જેમાં પ્રાથમિકતબક્કે લાખો રૂપિયાની નાણાકીયવ્યવહાર થયાનું લાગી રહ્યું છે.જોકે, આ ગુનો જામીનપાત્ર હોયબંને શખસને કોર્ટમાં રજૂ કરાયા નહોવાનું પોલીસસૂત્રો દ્વારા જાણવામળ્યું છે. જોકે, આગામી સમયમાંજે પણ ખાતાધારકો છે તે તમામનેબોલાવીને તમામની પૂછપરછકરવામાં આવશે. જૈમીન ઠક્કરહાલમાં દુબઈમાં છે અને ત્યાંથી જતે સમગ્ર નેટવર્ક ચલાવતો હતો.તેનો સાળો ગુજરાતમાં રહીનેલોકોને કમિશનની લાલચઆપીને બેન્ક એકાઉન્ટની ડિટેઈલલઈને તેમાંથી તેમના જે મોબાઈલપર ઓટીપી આવે તે આપતો હતો. જય ઠક્કર ગુજરાતમાં રહેતો હોઈઅલગ-અલગ જિલ્લાઓમાંજઈને લોકો સાથે મળીને વાતચીતકરીને વિશ્વાસ જીતતો હતો. જુદીજુદી બેન્કની કીટ લઇ આવીનેખાતાઓમાં છેતરપિંડી કરીનેમેળવેલા ઓનલાઇન ફ્રોડ અનેગેમીંગના નાણાં જમા કરાવ્યાબાદ તેઓની બેંક કીટવાળામોબાઈલ ફોન પર ઓટીપીમેસેજમાં આવે તે ઓટીપી મેસેજપાસવર્ડ જૈમીનને મોકલી આપતોહતો.
સન્ડે ફોટો સ્ટોરી:બુલેટ ટ્રેન : ચરોતરમાં સ્લેબ બેલાસ્ટ લેસ સિસ્ટમથી ટ્રેક નાખવાનું શરૂ
નડિયાદ અને આણંદ વચ્ચે તૈયાર થઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. માળખાકીય ઢાંચો તેમજ સ્ટીલ વર્ક કોન્સર્સ સ્લેબ અને ટ્રેક સ્લેબ નાખવાની પણ કામગીરી પૂર્ણ થયા બાદ હવે ટ્રેકની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વીજળીકરણ અને લિફ્ટની ફિનિશિંગની કામગીરી પણ પૂર્ણ થવા પર છે. 415 મીટર લાંબા પ્લેટફોર્મ અને 44,073 ચોરસ મીટરનો કુલ બિલ્ટઅપ વિસ્તાર સાથે ટ્રેક સ્લેબ સહિત હાઈ સ્પીડ રેલ માટે વિશિષ્ટ માળખાગત સુવિધાઓ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. આણંદમાં એક વિશિષ્ટ ટ્રેક સ્લેબ ફેક્ટરી ટી - 3 પેકેજ માટે ફ્રી કાસ્ટ રી ઇન્ફોર્સ્ડ કોન્ક્રીટ ટ્રેક સ્લેબનું ઉત્પાદન કરી રહી છે. રોજના 60 સ્લેબનું ઉત્પાદન કરી, આશરે 175 ટ્રેક કિલોમીટરના સમકક્ષ સ્લેબ તૈયાર થયા છે. આ પ્રોજેક્ટમાં જાપાનીઝ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્લેબ બેલાસ્ટ લેસ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં અહીં ટ્રેક ઇન્સ્ટોલેશનની કામગીરી હાલમાં ચાલી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બાંધકામ ક્ષેત્રે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોમનાથ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (SUDA) અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી બાંધકામ સંબંધિત તમામ મંજૂરી પ્રક્રિયા સંપૂર્ણપણે અટકી પડી છે. આના કારણે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોનો વ્યવસાય ઠપ્પ થઈ ગયો છે. આ મુદ્દે વેરાવળ ખાતે બિલ્ડરો, ડેવલોપરો અને એસ્ટેટ બ્રોકરોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરાર, ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા અને પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ માનસિંગ પરમાર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ પોતાની મુશ્કેલીઓ રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે દોઢ વર્ષથી મંજૂરી ન મળવાને કારણે આર્થિક સંકટ ઊભું થયું છે અને રોજગાર પર પણ તેની સીધી અસર પડી રહી છે. વેરાવળ સોમનાથ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ બાદલ હુંબલ અને ઉપપ્રમુખ અશોક ગદા સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, આ અંગે રાજ્ય સરકાર સાથે અનેક વખત બેઠકો યોજાઈ હોવા છતાં હજી સુધી કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી. તેમણે આગામી સમયમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકારી જનપ્રતિનિધિઓએ ફરી એકવાર હૈયાધારણ આપી હતી કે, આ મુદ્દે રાજ્ય સરકાર સાથે આગામી દિવસોમાં ફરી વાટાઘાટો કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કરાશે. સાંસદ અને પ્રદેશ ભાજપ મંત્રી સહિતના પ્રતિનિધિઓએ પણ સ્વીકાર્યું હતું કે, યોગ્ય નિર્ણયના અભાવે હાલ પરિસ્થિતિ વિકટ બની છે. ખાસ કરીને, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા દિશા-નિર્દેશ પરિપત્રથી વેરાવળ-સોમનાથને કોઈ ખાસ ફાયદો થતો નથી. પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરી ઠકરારે ખુદ જાહેર મંચ પરથી આ બાબત સ્વીકારી હતી, જેના કારણે સ્થાનિક બાંધકામ ક્ષેત્રમાં વધુ નિરાશા જોવા મળી રહી છે. હવે તમામની નજર રાજ્ય સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે. વહેલી તકે સ્પષ્ટ અને અસરકારક નિર્ણય લેવાય તો જ વેરાવળ-સોમનાથનું બાંધકામ ક્ષેત્ર ફરી ગતિ પકડી શકે, અન્યથા આ મુદ્દો આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.
હુમલો:આમરોલમાં જમણવારમાં અથડાવવા બાબતે 2 ભાઇઓ પર સશસ્ત્ર હુમલો
આંકલાવ તાલુકાના આમરોલ ગામે રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તારમાં રામદેવપીરના પાઠ દરમ્યાન રાખેલ જમણવારમાં અથડાવવા અને જમતી વખતે બોલાચાલી કેમ કરેલ તેમ કરી ત્રણ શખ્સોએ આસરમાં ગામના બે પિતરાઈ ભાઈઓને ચપ્પુ, લાકડી અને હાથમાં પહેરવાના કડાથી ઇજા કરી ધમકી આપ્યાની ફરિયાદ આંકલાવ પોલીસ મથકમાં નોંધાઈ છે. આંકલાવ તાલુકાના આસરમા ગામે રામપુરા સીમ સરકારી ટ્યુબેલ પાસે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયાર રહે છે. ગત ગુરુવારે નજીકમાં આવેલ આમરોલ ગામે સર્વોદય નગર સીમ વિસ્તારમાં રહેતા સંજયભાઈ ભાઈલાલભાઈ પરમારને ત્યાં રામદેવપીરનો પાઠ હોઈ અને જમવાનુ આમંત્રણ હોવાથી રાત્રે આઠ વાગે વિરેનદ્રસિંહ પોતાના પિતરાઈ હાર્દીકભાઈ સાથે આમરોલ ગામે પાઠમાં ગયા હતા. અને જમતા હતા ત્યારે હાર્દીકભાઈને જમતી વખતે આમરોલ ગામના જગદીશભાઈ, દીશાંગભાઈ અને અજયભાઈ સાથે અથડાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમ્યાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં વિરેન્દ્રસિંહ અને તેઓના પિતરાઈ હાર્દિકભાઈ પરત ઘરે જતા હતા ત્યારે આમરોલ ગામે રહેતા જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઇ પરમાર, દીશાંગ ગણપતભાઈ પરમાર અને અજય વિક્રમભાઈ ઠાકોરે ભેગા મળી આમરોલ રામપુરા રોડ સર્વોદય નગર વિસ્તાર પાસે હાર્દિકે જમતી વખતે અમારી સાથે કેમ બોલાચાલી કરી હતી તેમ કહી અપશબ્દો બોલતા વિરેન્દ્રસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા જગદીશભાઈએ લાકડીની ઝાપોટ માથાની પાછળના ભાગે મારી તેમજ દીશાંગ પરમારે ચપ્પાથી ડાબી આંખ ઉપરની સાઈડે ઇજા કરી હતી. જ્યારે અજય ઠાકોરે હાથમાં પહેરવાના કડાથી હાર્દિકભાઈને માથાની પાછળના ભાગે તેમજ બરડામાં મારી ઇજા કરી હવે પછી અમારા ગામમાં આવશો તો હાથ પગ ભાંગી નાખીશું તેમ કહી ધમકીઓ આપી હતી. આ બનાવ અંગે વિરેન્દ્રસિંહ મુકેશભાઈ પઢીયારની ફરિયાદ લઈ આંકલાવ પોલીસે જગદીશભાઈ ઉર્ફે ફલુ લક્ષ્મણભાઈ પરમાર સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં બીએલઓની કામગીરી કરતાં બે શિક્ષકોના મોત નિપજયા છે.ત્યારે આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીએ પરિવારને શાંત્વના ભાગરૂપે રૂ.18 લાખની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમજ શ્રધ્ધાજંલી શિક્ષક ગણ દ્વારા અર્પણ કરવામાં આવી હતી. આણંદના મેઘવા પ્રાથમિક સાળામાં શિક્ષક રાજુલકુમાર અનિલભાઇ ગુર્જર અને નાપાડ પ્રાથમિક શાળાના શિક્ષક રજનીકાંન્ત જયંતિભાઇ પરમાર જેઓ આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ હતો.તે બંને શિક્ષકના શનિવાર મોત નિપજયા છે.જેથી શિક્ષક ગણ દ્વારા શ્રદ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીના સભાસદ યોજના અંતર્ગત રૂ.18 લાખની સહાય મંડળીના ચેરમેન નરેન્દ્રસિંહ મહિડા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.તેમજ મંડળીના તમામ સભ્યો વતી શ્રદ્ધાજંલી આપવામાં આવી હતી
કરમસદ આણંદ મનપા વિસ્તારો વ્યાપ વધી રહ્યો છે.તેની સાથે વસ્તી વધતાં વાહનોની અવરજવર વધી ગઇ છે. જેના કારણે કરમસદ ગામે સોજિત્રા રોડ પર આવેલી ચોકડી પર ટ્રાફિક સમસ્યા નગરજનો માટે માથાના દુ:ખાવા રૂપ બની ગઇ છે. હાલમાં પેટલાદ,સોજિત્રા અને તારાપુર તરફ આવતા નોકરિયાત વાહનો સવાર અને સાંજ મોટી સંખ્યામાં પસાર થાય છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. વાહનચાલકો એક કલાક સુધી અટવાઇ જાય છે. શનિવાર સાંજના તો ટ્રાફિકમાં કરમસદ હોસ્પિટલમાં દર્દીને લઇને જતી 108 એમ્બ્યુલન્સ વાન ફસાઇ ગઇ હતી. મહા મહેનતે 20 મિનિટ બાદ બહાર નીકળી શકી હતી.જેને લઇને સ્થાનિકોએ તાત્કાલિક ચોકડી પર ટ્રાફિક પોઇન્ટ બનાવવાની માંગ કરી રહ્યાં છે. આણંદમાં મુખ્યત્વે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે તે બોરસદ ચોકડી, ગ્રીડ ચોકડી, ભાઈકાકા ચોકડી, ભાલેજ ચોકડી, કરમસદ ચોકડી, મોટા બજાર, ટાઉનહોલ વગેરે છે. ટીઆરબીના અને પોલીસના જવાનોના અપૂરતા બંદોબસ્તને લીધે સાંજના સમયે ખૂબ જ ટ્રાફિકજામ થઈ જાય છે અને આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને પણ જવા માટે જગ્યા મળતી નથી. તો તંત્ર દ્વારા લોકોના સહયોગથી અને લોકજાગૃતિથી આનો ઉકેલ લાવે એવું પ્રજાજનો ઈચ્છે છે.
હત્યાનો મામલો:ખંભાતના વત્રામાં પરિણીતાની હત્યા કરેલી લાશ ખેતરમાંથી મળી,આડા સંબંધની શંકા
ખંભાત તાલુકના વત્રા ગામે દરબાર ફળિયામાં રહેતી 37 વર્ષની પરિણીતા શુક્રવાર રાતથી ગુમ થઇ હતી.શનિવાર સવારે ગામની સીમમાં આવેલા તમાકુના ખેતરમાંથી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.પોલીસ ઘટનાસ્થળે જઇને તપાસ કરતાં માથાના પાછળના ભાગે અને નાકે તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકને ગામના જ શખ્સ સાથે આડા સંબંધ હોવાને લઇને પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની શંકા સેવાઇ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એસ બી કુંપાવતે જણાવ્યું હતું કે, વત્રા ગામમાં રહેતા ધર્મેન્દ્રભાઈ કાંતિભાઈ પટેલ ઉંમર વર્ષ 45 ખેતી કરે છે. તેઓ પોતાની પત્ની સારિકા પટેલ ઉંમર વર્ષ 37 અને બે બાળકો સાથે ગામમાં રહે છે. તે દરમિયાન શુક્રવારના રોજ સાંજના સમયે ધર્મેન્દ્રભાઈ પટેલના પત્ની સારિકા પટેલ ઘરેથી નજીકમાં રહેતાં પાડોશીના ઘરે બેસીને આવું છું. તેમ કહીને નીકળ્યાં હતાં. ઘણો સમય થવા છતાં પરિણીતા સારિકા પટેલ ઘરે પરત ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતાં અને સારિકા પટેલની શોધખોળ કરવા છતાં ક્યાંય મળી આવી ન હતી. મોડી રાત થઇ જતાં સવારે તપાસ કરીશું કોઇ સબંધી ત્યાં ગઇ હશે. તે માની લીધુ હતું. તે દરમિયાન શનિવાર સવારના સમયે ખંભાતના વત્રા ખોડિયાકુવા નજીક સીમ વિસ્તારમાં આવેલા તમાકુનાં ખેતરમાંથી તેણીની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતાં પરિણીતા સારિકા પટેલના માથાના પાછળના ભાગે અને નાકના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ત્રણથી વઘુ ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં જણવા મળ્યું હતું. કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.જેને લઇને પોલીસે સારિકા પટેલના મૃતદેહનો કબજો લઈ જરૂરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. ખંભાત રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને એલસીબી સાથે મળીને ત્રણ ટીમો બનાવીને સારીકા પટેલના હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટનાસ્થળેથી એક મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે.જે પોલીસે કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

28 C