વડોદરા શહેરમાં ભાડાના મકાનમાં રહેવા આવેલા મહારાજે વિધિ કરવાના બહાને મકાન માલિકના યુવકના લગ્ન થતા ન હોય તેમને ગ્રહ નડે છે, તેમ કહીને વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ યુવક પાસેથી 3.60 લાખના દાગીના લીધા હતા અને 1 લાખમાં ગીરવી મૂકી દીધા હતા. આ ઉપરાંત અન્ય બે લોકોને તાંત્રિક વિધિ કરવાનું કહી રૂ.2.30 લાખના દાગીના લઈ સોની પાસે ગીરવી મૂકી દીધા હતા અને કુલ 5.90 લાખના દાગીના અને રોકડા પરત નહીં આપતા મહારાજ વિરુદ્ધ ઠગાઈની વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદીને ઘર ભાડે આપવાનું હોવાથી પાડોશી સાથે વાત થઈવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી રાધે રત્નમ સોસાયટીમાં રહેતા કૃમિલ ભરતકુમાર ગાંધી ફરિયાદ નોંધાવી છે કે, મારું બીજું મકાન હરણી રોડ પર વિજયનગર સોસાયટી આવેલું છે, જે મકાન ભાડે આપવાનું હતું. અમારા પડોશમાં રહેતા કૌશલભાઈ ચોક્સીએ મને ફોન કરી એક પતિ-પત્ની ભાડેથી ઘર શોધે છે, તમારૂ મકાન ખાલી છે તે મકાન તમારે ભાડે આપવું હોય તો તમે તેમને મળી શકો છો તેમ જણાવ્યુ હતું. જેથી હું બીજા દીવસે અમારૂં વિજયનગરના મકાન પર પિતા ભરતકુમાર ગાંધી સાથે ગયો હતો. આરોપી સાથે વાત બાદ ભાડું નક્કી થયુંમકાન પર જઈને મકાન ભાડેથી લેવા ઈચ્છા ધરાવતા હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજને મળવા બોલાવ્યા હતા. જેથી તેઓ ત્યાં આવતા મકાનની ડિપોઝિટ બાબતે વાત કરી હતી. હિતેષભાઈ મકાન ભાડેથી લેવા સહમત થયા હતા અને મકાનનું માસીક ભાડુ રૂપિયા 5300 નક્કી કર્યું હતું. જેથી 10 માર્ચ, 2024થી રહેવા આવ્યા હતા. તેઓ તેમની પત્ની સાથે આ મકાનમાં ભાડેથી રહેતા હતા. ફરિયાદીના લગ્ન ન થતાં આરોપીએ વિધિ કરવા કહ્યુંઅમારે તેઓ સાથે અવારનવાર ફોનથી વાતચીત થતી હતી. વાતચીત દરમિયાન મારે લગ્ન કરવાના હોય લગ્ન બાબતે પણ હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ સાથે વાતો થતી હતી. ગત 1 જુલાઇના રાત્રિના રોજ ફોન કરી તમારા લગ્નમાં ગ્રહો નડે છે, જેથી તમારા લગ્ન નક્કી થતા નથી, તેમ કહેતા મેં તેઓને ગ્રહો દુર કરવા માટે ઉપાય પૂછતા તેઓને ગ્રહ દુર કરવા માટે તમારા ઘરમાં રહેલા સોનાના દાગીનાની વિધિવત પૂજા કરવાથી ગ્રહો દુર થશે. વિધી કરવા માટે તમારે મને તમારા દાગીના આપવા પડશે, તેમ કહેતા મેં મારી માતા સાથે વાત કરી હતી. ફરિયાદીએ દાગીના વિધિ માટે આરોપીને આપ્યાં2 જુલાઈના રોજ વિજયનગર ખાતે હિતેષ યાજ્ઞીકને મળવા ગયો હતો અને તેઓને મારી 1 સોનાની વીંટી, 1 સોનાની ચેઇન બન્નેનું વજન આશરે કિંમત 2.50 લાખના દાગીના મેં વીધી કરવા માટે આરોપી હિતેષ ઉર્ફે ઘનશ્યામ મહારાજને આપતા ત્યારે તેઓએ વિધિ કરીને 10 દિવસમાં દાગીના પરત આપવાની વાત મને કરી હતી. ઉપરાંત તે સિવાય મારા ક્રેડિટ કાર્ડ પર ફ્રીજ રૂ.40 હજાર, 40 હજારનું એસી તથા રોકડ રૂપિયા 30 હજાર મળી લીધા હતા. પરંતુ એસી, ફ્રીઝ અને રોકડા રૂપિયા અને વિધી માટે આપેલા સોનાના દાગીના મળી રૂ 3.60 લાખની મતા પરત હિતેષ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજે આપ્યા નથી. અમે અમદાવાદ ખાતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં મળવા ગયા હતા, ત્યાં તેઓની પૂછપરછ દરમ્યાન આ મારા દાગીના રૂપિયા 1 લાખમાં સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકેલ હોવાનું અમને જણાવ્યુ છે. અન્ય લોકો પણ વિધિના નામે છેતરપિંડીનો ભોગ બન્યાંઆ ઉપરાંત વિજયનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોનીના ઘરે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. રમેશભાઈ બાબુભાઈ સોની હેન્ડીકેપ હોવાથી તેઓની માનસિક સ્થિતી સારી રહેતી ન હોવાથી તેઓની માનસિક શાંતી તથા ગ્રહો સુધારવા માટે વિધિ કરવા માટે હિતેષ યાજ્ઞિક રમેશભાઈ સોનીના ઘરે જઈ સોનાના દાગીના આપો, આ દાગીના 27 દિવસની વીધી કર્યા બાદ પરત આપીશ તેમ કહ્યું હતું. જેથી રમેશભાઈ સોની પાસેથી રૂ.1.90 લાખના સોનાના દાગીના લીધા હતા. 27 દિવસ બાદ પણ રમેશભાઈ સોનીને દાગીના પરત આપ્યા ન હતા. આ દાગીના આરોપી હિતેષ યાજ્ઞિકે સોની તપન નવીનચંદ્ર શાહ પાસે રૂ.35 હજારમાં ગીરવે મુકેલા હોવાનું જણાવ્યું છે. તેવી જ રીતે આશિષભાઈ પ્રવિણભાઈ પરમારના ઘરે જઈ પોતે તાંત્રિક વિધિ કરે છે. તમારા ધંધામાં વધારો અને પ્રગતી કરવી હોય તો તમારે વિધિ કરાવવી પડશે, તેમ કહી તેમની પાસેથી રૂ.40 હજારની વીંટી સોની તપન નવીનચંદ્ર શાહ પાસે ગીરવે મુકી હતી. આ મામલે વારસિયા પોલીસે હિતેષભાઈ યાજ્ઞીક ઉર્ફે ઘનશ્યામ મહારાજ અને તપન નવીનચંદ્ર શાહ સામે પોલીસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠા SOGએ હિંમતનગરના કાટવાડ રોડ પરથી ચોરીના ગુનામાં નાસતા ફરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો અમદાવાદ શહેરના બાપુનગર, માધુપુરા અને હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ નોંધાયેલા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા. SOGના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બુધવારે તેમને બાતમી મળી હતી કે વિદ્યાનગરીથી કાટવાડ રોડ પર અવરજવર કરતા મયુર ઈશ્વરભાઈ ભાટ અને શનિ શિવરામ બારોટ વિરુદ્ધ વર્ષ 2022માં ચોરીના ગુના નોંધાયા હતા અને તેઓ નાસતા ફરતા હતા. આ બાતમીના આધારે SOG સ્ટાફે બંને શખ્સોને અટકાયતમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન તેમની ઓળખ મયુર ઈશ્વરભાઈ ભાટ (રહે. હરીનગર, કાટવાડ રોડ, હિંમતનગર) અને શનિ શિવરામ બારોટ તરીકે થઈ હતી. પોલીસે તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું કે પકડાયેલા મયુર અને શનિ અમદાવાદ તથા હિંમતનગરમાં થયેલી વિવિધ ચોરીઓમાં સંડોવાયેલા હોવા છતાં સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદો બાદ પણ તેઓ ફરાર હતા. SOGએ બંનેને ઝડપી પાડી વધુ તપાસ માટે હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સોંપ્યા છે.
મધ્યપ્રદેશના IAS અધિકારીની ટિપ્પણી સામે ગુજરાતમાં રોષ:પોલીસ ફરિયાદ અને નોકરીમાંથી બરતરફ કરવાની માંગ
મધ્યપ્રદેશના IAS અધિકારી સંતોષ વર્મા દ્વારા બ્રહ્મસમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતમાં પડ્યા છે. આ નિવેદનથી સમગ્ર ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રમુખ શૈલેશ ઠાકરે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, આવી મનોવૃત્તિ ધરાવતા અધિકારીઓ સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ મામલે આગામી રણનીતિ સ્પષ્ટ કરતા શૈલેશ ઠાકરે જણાવ્યું હતું કે, બ્રહ્મસમાજ દ્વારા કાયદાકીય પરામર્શ કરીને ટૂંક સમયમાં જ જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ ઉપરાંત, મધ્યપ્રદેશ સરકારને રજૂઆત કરી આ અધિકારીને તાત્કાલિક નોકરીમાંથી બરતરફ કરવાની માંગણી કરાશે. વિરોધને વધુ વેગ આપવા માટે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન પત્રો આપવામાં આવશે. ગુજરાત સરકારને પણ આ ગંભીર બાબતે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવશે. અંતમાં, તેમણે સામાજિક સમરસતા પર ભાર મૂકતા અપીલ કરી હતી કે, જવાબદાર અધિકારીના સમાજના આગેવાનોએ પણ આવા વર્ગવિગ્રહ ફેલાવતા તત્વોને જાહેરમાં વખોડવા જોઈએ અને સમાજથી દૂર રાખવા જોઈએ.
21 ઓગસ્ટ, 2025ના દિવસે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે વિધાનસભાની અંદર RSSની પ્રાર્થના 'નમસ્તે સદા વત્સલે..' ગાઈ હતી. ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેને કાન સરવા થઈ ગયા. બે મહિના પહેલાંથી જ ડીકે શિવકુમારે કોંગ્રેસને મેસેજ આપી દીધો હતો કે નવેમ્બરમાં મને મુખ્યમંત્રી નહિ બનાવો તો હું ભાજપ તરફ પણ ઢળી શકું તેમ છું. પણ કોંગ્રેસે ત્યારે એ વાતને ગંભીરતાથી લીધી નહિ. હવે કોંગ્રેસને પગ નીચે રેલો આવ્યો છે, કર્ણાટકમાં કોંગ્રેસમાં જ કકળાટ શરૂ થયો છે. નમસ્કાર, 2023માં જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર આવી ત્યારે બે બળિયા વચ્ચે CM બનવા માટે માથાકૂટ થઈ હતી. આ બે બળિયા એટલે સિદ્ધારમૈયા અને બીજા ડીકે શિવકુમાર. એ વખતે કોંગ્રેસે બેસીને તોડ કાઢ્યો કે, અઢી વર્ષ સિદ્ધારમૈયા CM રહેશે અને પછીના અઢી વર્ષ ડીકે શિવકુમાર CM બનશે. આ રીતે અઢી-અઢી વર્ષનાં ચોકઠાં ગોઠવાયાં. હવે સિદ્ધારમૈયાના અઢી વર્ષ 20 નવેમ્બરે પૂરા થઈ ગયા છે. શિવકુમારે હવે પોતે CM બનશે તેવી વાતને પાછલા બારણેથી હવા આપી ને કુકરી ગાંડી કરી છે. સિદ્ધારમૈયા ખુરશી છોડવા તૈયાર નથી ને શિવકુમારને જોઈએ છે. પેચ અહિ ફસાયો છે. વિવાદ શરૂ થયો કેવી રીતે?કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાનો વિવાદ 20 નવેમ્બરે શરૂ થયો. 20 નવેમ્બરે વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો કાર્યકાળ પૂરો થયો. કોંગ્રેસે કરેલા કમિટમેન્ટ મુજબ હવે પછીના અઢી વર્ષ માટે ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવામાં આવવાના હતા. શિવકુમાર અત્યારે નાયબ મુખ્યમંત્રી છે. શિવકુમારના સમર્થક ધારાસભ્યો 20 નવેમ્બરે દિલ્હી પહોંચ્યા અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને મળ્યા. તેમણે ડિમાન્ડ મૂકી કે શિવકુમારને CM બનાવો. ખડગેએ કહ્યું, જોશું... હું રાહુલ અને સોનિયાજીને મળીશ. પછી નક્કી કરીશું. એ પછીના બીજા દિવસે 21 નવેમ્બરે શિવકુમારે સોશિયલ મીડિયા પર લખ્યું કે, CM સિદ્ધારમૈયા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. CM અને હું અમે બંને હાઈકમાન્ડની વાત માનીશું. મારા લોહીમાં જૂથબાજી નથી. પણ આ પહેલાં શિવકુમારે 19 નવેમ્બરે જ ગુગલી નાખી હતી. તેમણે ઈન્દિરા ગાંધીની જયંતી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સમર્થકોને કહ્યું કે, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મને સાડાપાંચ વર્ષ થઈ ચૂક્યા છે. હમણાં છ વર્ષ થશે. હવે બીજા નેતાઓને પણ ચાન્સ મળવો જોઈએ. હું લીડરશિપમાં રહીશ. ચિંતા ન કરો, હું ફ્રન્ટલાઈનમાં જ રહીશ. મારો પ્રયાસ છે કે મારા કાર્યકાળમાં હું પાર્ટીની 100 ઓફિસ બનાવું. ડીકે શિવકુમાર ફ્રન્ટમાંથી ભલે અલગ વાત કરે પણ અત્યારે તે પડદા પાછળથી રમત રમી રહ્યા છે. એક અઠવાડિયાથી ચાલી રહેલા ખેલનો તોડ કોંગ્રેસ પાસે નથી?કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચેનો તણાવ એક અઠવાડિયાથી ચાલુ છે. શિવકુમારે મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસનું નાક દબાવ્યું છે તો સિદ્ધારમૈયા પણ મુખ્યમંત્રીની ખુરશી જાળવી રાખવા શક્તિ પ્રદર્શન શરૂ કરવા માટે તૈયાર છે. સિદ્ધારમૈયા અને ડી.કે. શિવકુમાર વચ્ચેનો સત્તા સંઘર્ષ દિલ્હી સુધી પહોંચી ગયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ મામલે એક્ટિવ થઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કર્ણાટક મુદ્દે મિટિંગ કરવાના છે. સિદ્ધારમૈયા અત્યારે તેલ જુઓ ને તેલની ધાર જુઓ એવી નીતિ અપનાવી રહ્યા છે. હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદમાં ફેરફાર કરવાના મૂડમાં છે પણ સિદ્ધારમૈયા ફાચર પાડે તેમ છે. જો કોંગ્રેસ શિવકુમારને મુખ્યમંત્રી બનાવે તો સિદ્ધારમૈયાના સંખ્યાબંધ ધારાસભ્યો દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી રહ્યા છે. શિવકુમારનું રહસ્યમય નિવેદનઆ દરમિયાન શિવકુમારે એક એવું નિવેદન આપ્યું છે જેને રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે ચાલી રહેલા ઝઘડા સાથે જોડવામાં આવી રહ્યું છે. શિવકુમારે કહ્યું કે વર્ડ પાવર ઈઝ વર્લ્ડ પાવર. (શબ્દોની તાકાત દુનિયાની તાકાત છે) શિવકુમાર બોલ્યા કે- ભલે તે ન્યાયાધીશ હોય, રાષ્ટ્રપતિ હોય, હું હોઉં, તમે હોવ કે તમારા પરિવારમાંથી કોઈ હોય, આ સૌથી મોટી તાકાત છે અને આપણે શબ્દોનું સન્માન કરવું જોઈએ. શિવકુમારે આ બધું મોઘમમાં કહ્યું છે. તેનો અર્થ શું થાય એ તો એ જ જાણે. કોણ છે ડીકે શિવકુમાર?ઉંમર : 63 વર્ષકર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષવ્યવસાય : બિઝનેસમેનઅભ્યાસ : પોસ્ટ ગ્રેજ્યુએટ1985 : કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર ચૂંટણી લડ્યા.27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા30 વર્ષની ઉંમરમાં જ રાજ્યમાં મંત્રી બન્યાસતત 7 ટર્મથી ધારાસભ્ય છે2023માં તેની સંપત્તિ 1400 કરોડ હતીવોક્કાલિંગા સમુદાયમાંથી આવે છે48 સીટો પર આ સમુદાયની અસર છે શું ડીકે કર્ણાટકમાં 'મહારાષ્ટ્રના શિંદે' બનશે?ડીકે વારંવાર કહી ચૂક્યા છે કે તેમના લોહીમાં વારેવારે પાર્ટી બદલવાની ટેવ નથી. 21 નવેમ્બરે કરેલા તેમના ટ્વીટ પરથી ખ્યાલ આવે છે કે તેઓ મંત્રીમંડળમાં ફેરફાર એટલે ઈચ્છે છે કે પોતાના સમર્થકોને એવું લાગે કે મને યોગ્ય જગ્યા મળી છે. સત્તા માટે સંઘર્ષ હંમેશા સરળ હોતો નથી. સત્તા માટે પક્ષ બદલતા પહેલા પણ નેતાઓએ આવા જ નિવેદનો આપ્યા છે. એ પણ સાચું છે કે સત્તાનો મોહ વ્યક્તિને બધું છોડી દેવા માટે મજબૂર કરી શકે છે.સવાલ એ થાય છે કે શું ડીકે મહારાષ્ટ્રના રાજકારણના એકનાથ શિંદે જેવા પગલાં લેશે? ડીકેના અગાઉના નિવેદનો અને વર્તન જોઈએ તો તે મનથી ભાજપની નજીક જઈ રહ્યા છે. એટલે જ તેમણે સંઘનું ગીત ગાયું હતું. ડીકે શિવકુમારે અયોધ્યા જઈ રામ લલ્લાના દર્શન કર્યા, મહાકુંભ મેળામાં પ્રયાગરાજ ગયા. ભાજપમાં તેમના ઘણા મિત્રો પણ છે. તેથી તેમાં કોઈ શંકા નથી કે એકનાથ શિંદેની જેમ ભાજપ પણ તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માટે સમર્થન આપે. રાજનીતિમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. કર્ણાટકમાં સરકાર ભાંગી પડવાની સંભાવના, ભાજપ આપદામાં અવસર શોધે છે..કર્ણાટકમાં કોંગ્રેસ પાસે 135 ધારાસભ્યો છે, તેથી સરકાર ખૂબ મજબૂત છે. જોકે, આંતરિક ઝઘડાને કારણે 20-25 ધારાસભ્યો નારાજ છે. જો શિવકુમાર 'શિંદે મોડેલ' અપનાવે છે, તો તે 30-40 ધારાસભ્યોને તોડી શકે છે.શક્ય છે કે મંત્રીમંડળમાં ફેરફાર થવાથી શિવકુમારના સમર્થકોને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે. છતાં ભાજપ પાસે હજુ પણ તક રહેશે. બીજું, જો સરકાર પડી ભાંગે તો ભાજપ મીડ-ટર્મ ચૂંટણી કરાવી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શનને જોતાં તે ક્યારેય મીડ ટર્મ ચૂંટણી ઈચ્છશે નહિ. ભાજપે MUDA કૌભાંડ અને હાઉસિંગ લાંચ જેવા મુદ્દાઓને ઉપાડી કર્ણાટકની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જો CBI અને ED એક્ટિવ થાય તો ધારાસભ્યો ડરી શકે છે. જો કોંગ્રેસ આ મુદ્દાઓને સમજે છે તો ડીકેને તાજ પહેરાવવામાં આવે તેવી સંભાવના છે. જો સિદ્ધારમૈયા બળવો કરવાનો પ્રયાસ કરે તો તેમને ભાજપનો ટેકો મળી શકે છે. એટલે જે નારાજ થાય તેને ભાજપ સપોર્ટ કરશે. અત્યારે ભાજપના બે હાથમાં લાડુ છે. સિદ્ધારમૈયાએ હાઈકમાન્ડને કહી દીધું, હું જ 5 વર્ષ પૂરાં કરીશકર્ણાટક કોંગ્રેસ માટે આ 'આપત્તિનો સમય' સિદ્ધારમૈયાની જીદ અને શિવકુમારની મહત્વાકાંક્ષાનું પરિણામ છે. શાસન ઠપ થઈ ગયું છે, વિકાસ અટકી ગયો છે અને જનતા ગુસ્સામાં છે. ભાજપને કોંગ્રેસ વિરુદ્ધ શક્ય તેટલું વધુ ટ્રોલિંગ કરવાની તક મળી છે. પરંતુ સરકાર વહેલા કે મોડા પડી જાય તેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસ હાઈકમાન્ડ સત્તા સંભાળવાની સ્થિતિમાં હોય તેવું લાગતું નથી. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ સિદ્ધારમૈયાને કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. થોડા દિવસો પહેલા તેમને કોંગ્રેસના ઓબીસી વિભાગની સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવાની ચર્ચા થઈ હતી. તે સમયે ભાજપે દાવો કર્યો હતો કે સિદ્ધારમૈયાને દિલ્હી આમંત્રણ આપીને કોંગ્રેસ બેંગલુરુમાં ડીકેને તાજ પહેરાવવા માંગે છે. OBC પેનલ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ સહિત 24 નેતાઓના નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, પરંતુ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેના સત્તા સંઘર્ષમાં તેમના નામથી લોકોને આશ્ચર્ય થયું. જોકે તે સમયે જ સિદ્ધારમૈયાએ કહી દીધું હતું કે મારે કોઈ પરિષદ-બરિષદમાં આવવું નથી. હવે સિદ્ધારમૈયા ખુલ્લેઆમ કહી રહ્યા છે કે મારે આગામી વર્ષનું બજેટ રજૂ કરવાનું છે. રાજ્યોના ઘણા કામો બાકી છે, એટલે મને જ પાંચ વર્ષ પૂરા કરવા દેવામાં આવે. રાહુલ ગાંધીએ શિવકુમારના ફોન ઉપાડ્યા નહિઅંગ્રેજી મીડિયા રિપોર્ટમાં એવા સમાચાર વહેતા થયા છે કે ડીકે શિવકુમાર એક અઠવાડિયાથી રાહુલ ગાંધી સાથે વાત કરવા માગતા હતા. તે ફોન કરતા હતા પણ રાહુલ તેમના ફોન ઉપાડતા નહોતા. અંતે અઠવાડિયા પછી રાહુલ ગાંધીએ ડીકે શિવકુમારને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો કે પ્લીઝ વેઈટ, આઈ વીલ કોલ યુ… બીજી તરફ દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ પર જાહેર મંચ પર ચર્ચા કરી શકાય નહિ. પાર્ટી પ્રમુખ ક્યાંય તેની ચર્ચા કરતા નથી. હું ચાર-પાંચ લોકોને મળીશ અને આ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરીશ. છેલ્લે,2017માં ગુજરાતમાં ત્રણ સીટ પર રાજ્યસભાની ચૂંટણી થવાની હતી. ભાજપ બે બેઠકો જીતશે તે નક્કી હતું, પરંતુ ત્રીજી બેઠક હચૂડચૂ હતી. ત્યારે અહેમદ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા. પટેલને જીતાડવા માટે ડીકે શિવકુમારે ગુજરાતના તમામ કોંગ્રેસના ધારાસભ્યોને ફ્લાઈટમાં બેંગલુરુ બોલાવી લીધા. પોતાની બધી તાકાત લગાવવા છતાં ભાજપ ત્રીજી બેઠક જીતી શક્યો નહીં. એવું કહેવાય છે કે ભાજપે ત્યારથી જ ઓપરેશન લોટસ માટે શિવકુમારની તાકાત જાણી લીધી હતી. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુ બનાવવા માટે દરરોજ 50 લીટરથી વધુ ખાદ્યતેલનો ઉપયોગ કરતી હોટલ- રેસ્ટોરન્ટ અને ફૂડ એકમોને નિયત કરવામાં આવેલી એજન્સીઓને કે જેઓ બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા હોય તેઓને જ આપવાનું હોય છે તેમજ આદ્ય તેલના આપવાથી લઈને વપરાશ વગેરે અંગેનો રેકોર્ડ રાખવાનો હોય છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આવા મોટા ફૂડ એકમોમાં તપાસ કરવામાં આવી હતી. ફુડ વિભાગના અધિકારી ડો.તેજસ શાહના જણાવ્યા મુજબ કેટલાક ફૂડ એકમો દ્વારા સાબુ બનાવનાર એજન્સી અથવા કંપનીને આ ખાદ્ય તેલ વેચવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું હતું. શહેરના 27 ફૂડ એકમો દ્વારા નિયમોનું પાલન કરવામાં ન આવતા તેમને નોટિસ આપવામાં આવી છે. એકમોને નોટિસ ફટકારી નક્કી કરાયેલી એજન્સીને જ ખાદ્યતેલ વેચવા જણાવાયુંકોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા મણિનગરમાં શ્રી મહેતા સ્વિટ્સ, લિજ્જત ખમણ, ગોતામાં અંબિકા દાલવડા, રાયપુર ભજીયા હાઉસ, નરોડામાં સમ્રાટ નમકીન પ્રા. લી, નરોડામાં ગ્વાલિયા સ્વીટ્સ, જૈન નમકીન, ન્યુ ઓસવાલ રેસ્ટોરન્ટ આઈસ્ક્રીમ, જય ભૈરવનાથ ચવાણા હાઉસ, રુચિ કેટર્સ, આસ્ટોડીયા ભજીયા હાઉસ સહિતના એકમોને નોટિસ આપી અને સાત દિવસમાં નિયત કરવામાં આવેલી એજન્સીઓને જ આ ખાદ્યતેલ વેચવા માટે તેમજ તેનું યોગ્ય રજીસ્ટર નિભાવવા જણાવવામાં આવ્યું છે. દરરોજ 50 લિટર કે તેથી વધુ તેલનો ઉપયોગ કરનાર એકમો માટે માર્ગદર્શિકાફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા અનુસાર, વારંવાર ખાદ્યતેલને ગરમ કરતાં તેમાં Total Polar Compounds (TPC) વધે છે. TPC 25% થી ઉપર જેટલા વધે ત્યારે ખાદ્ય તેલ માનવ સેવન માટે અસુરક્ષિત બની જાય છે. આવા ખાદ્ય તેલના સેવનથી હ્રદય રોગ, લિવર સંબંધિત રોગો થવાની સંભાવના વધી શકે છે. ફૂડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની દ્વારા દૈનિક 50 લીટર અથવા તેથી વધુ કુકિંગ ઓઈલ વાપરતા મોટા ફૂડ બિઝનેશ ઓપરેટર માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે જેમાં તેઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા ખાદ્ય તેલ ના ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC) 25 ટકાથી ન વધે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વોર્ડમાં દૈનિક 50 લીટરથી વધુ ખાદ્ય તેલનો ઉપયોગ કરતા યુનિટોની તપાસ કરવામાં આવી હતી. જેમાં કેટલાક ફૂડ એકમો દ્વારા સાબુ બનાવનાર કંપનીને ખાદ્યતેલ વેચવામાં આવ્યું હતું. ખાદ્ય તેલના વપરાશ અને તેને કેટલું વેચવામાં આવ્યું તે અંગેનું રજીસ્ટર નિભાવવાનું હોય છે પરંતુ તેનું રજીસ્ટર નિભાવવામાં આવ્યું ન હોવાનું સામે આવતા તેને નોટિસ આપવામાં આવી છે અને 7 દિવસમાં આ બાબતોના પાલન માટે સુચના આપવામાં આવી છે. વપરાશ કરેલા ખાદ્ય તેલ (Used Cooking Oil) અંગેની વધુ માહીતી https://eatrightindia.gov.in/ruco/index.php વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર માથાસુલિયા ગામ નજીક મોડી સાંજે એક કાર પલટી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ તમામ લોકો અમદાવાદના રહેવાસી છે. મૃતકો-ઇજાગ્રસ્તોની વિગત મૃતદેહોને ગાંભોઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયાઘાયલ વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મૃતકોના મૃતદેહોને ગાંભોઈની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યા છે. મૃતકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યુંગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શામળાજી તરફથી ગાંભોઈ તરફ આવી રહેલી હેરિયર કાર માથાસુલિયા ગામ પાસે પલટી ગઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર, મૃત્યુ પામેલા તમામ પુરુષોની ઉંમર આશરે 35 વર્ષ છે અને તેઓ અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના પરિવારજનોને પોલીસે જાણ કરીપોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે, જેઓ હાલ રસ્તામાં છે. પરિવારજનોના આવ્યા બાદ મૃતકોની ઓળખ અને અકસ્માત અંગેની વધુ વિગતો સ્પષ્ટ થશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળો 2025 શરૂ:જુનાગઢ રેન્જ IG નિલેશ જાજડીયાએ ઉદ્ઘાટન કર્યું
સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ કાર્તિકી પૂર્ણિમા મેળો–2025 જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશકુમાર જાજડીયાના હસ્તે શરૂ થયો છે. ભારે વરસાદને કારણે સમયપત્રકમાં ફેરફાર કરી આ મેળાનું આયોજન ૨૭ નવેમ્બરથી ૦૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં ૧૫૦થી વધુ પ્રકારની વાનગીઓનું ફૂડ બજાર, બાળકો માટે ૫૦થી વધુ મનોરંજન રાઇડ્સ, ૨૦૦ જેટલા ખાણી-પીણી, રમકડાં તથા હસ્તકલા સ્ટોલ્સ ઉપલબ્ધ છે. ગુજરાત સરકારનો સરસ મેળો અને જેલના કેદીઓ દ્વારા બનાવાયેલા ભજીયા સ્ટોલ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, 'સોમનાથ @૭૦' ચિત્ર પ્રદર્શની અને સનાતન સંસ્કૃતિને લગતા સેલ્ફી પોઇન્ટ્સ પણ લોકોમાં આકર્ષણ જગાવી રહ્યા છે. પાંચ દિવસ દરમિયાન કિર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, અપેક્ષાબેન પંડયા, હેમંત જોશી, હિતેશ અંટાળા, સાંત્વની ત્રિવેદી, રાજલ બારોટ, બહાદુરભાઈ ગઢવી સહિતના પ્રસિદ્ધ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. લાખોની સંખ્યામાં આવનારા ભાવિકોની સુરક્ષા માટે ક્લસ્ટર ઝોન વ્યવસ્થા, વોચ ટાવર, હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા, સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ફાયર ટેન્ડર અને સેન્ટ્રલ એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સમગ્ર મેળા દરમિયાન પોલીસ, ફાયર, આરોગ્ય વિભાગ અને ટ્રસ્ટ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવશે. કાર્તિકી પૂર્ણિમા મેળો ૧૯૫૫થી ચાલી આવતી એક લોકપરંપરા છે, જે આજે સૌરાષ્ટ્રનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક ગૌરવ બની ગયો છે. સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટ તંત્ર, જિલ્લા પોલીસ અને નગર સેવા સદનની સંયુક્ત કામગીરીથી આ વર્ષે પણ મેળો શાંતિ, સલામતી અને ભક્તિભાવના સાથે ઉજવાશે.
મરોલી-નવસારી રાજ્ય ધોરીમાર્ગ પર એક સિમેન્ટ મિક્સર ટ્રકે બે ભેંસોને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને ભેંસોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મરોલી-નવસારી સ્ટેટ હાઈવે પર આવેલી સાત ખાડી નજીક બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવેલી ટ્રક રોડ પર ચાલી રહેલી બે ભેંસો સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને ભેંસોનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક પશુઓના માલિકો અને સ્થાનિક રહીશો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, જ્યાં પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. બનાવની જાણ થતાં જ મરોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી હતી અને ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. આ મામલે પોલીસે સિમેન્ટ મિક્સર ટ્રકના ચાલકની અટકાયત કરી છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક આવેલી હરિ કૃપા સોસાયટીમાં ઓવરહેડ પાણીનો ટાંકો છલકાવવાની સમસ્યાથી રહીશો પરેશાન છે. 8 લાખ લિટરની ક્ષમતાનો આ ટાંકો દર બે દિવસે છલકાઈ જાય છે, જેના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે. રહીશો આ માટે બોર ઓપરેટરની બેદરકારીને જવાબદાર ઠેરવી રહ્યા છે. આ અંગે આજે સ્થાનિકો પાલિકા કચેરીમાં આવી રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆત મુજબ, સોસાયટીના પાછળના ભાગમાં આવેલો આ ટાંકો વારંવાર છલકાય છે. ટાંકો ઊભરાવાના કારણે સોસાયટીના રસ્તાઓ પર પાણી ફરી વળે છે, જેનાથી અવરજવર અને દૈનિક પ્રવૃત્તિઓમાં ભારે હાલાકી થાય છે. રહીશોએ આ સમસ્યા માટે બોર ઓપરેટરની ગંભીર બેદરકારીને જવાબદાર ગણાવી છે. તેમના જણાવ્યાં મુજબ, ફરજ પરના કર્મચારી પાણીની મોટર ચાલુ કરીને જતા રહે છે અને ટાંકો છલકાયા પછી પણ હાજર રહેતા નથી. રહીશો જાણ કરે ત્યારે અન્ય કોઈ વ્યક્તિને મોકલીને મોટર બંધ કરાવવામાં આવે છે. આ કાયમી સમસ્યાના ઉકેલ માટે રહીશોએ વહીવટી તંત્ર સમક્ષ બે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. પ્રથમ માંગણી ટાંકામાં પાણીની સપાટી નિયંત્રિત કરવા માટે તાત્કાલિક સેન્સર લગાવવાની છે, જેથી પાણીનો બગાડ અટકે અને રહીશોની પરેશાની દૂર થાય. બીજી માંગણીમાં જો સેન્સર ન લગાવી શકાય તો છલકાઈ જતા પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવાની છે. રહીશોએ સૂચન કર્યું છે કે, આ પાણીને ગટરમાં નાખવામાં આવે અથવા બાજુમાં આવેલા 10 લાખ લિટરની ક્ષમતાવાળા મોટા સમ્પમાં કનેક્શન આપીને તેનો ઉપયોગ કરવામાં આવે. પાટણ નગરપાલિકાના ઉપ પ્રમુખ હીનાબેન શાહે આ અંગે જણાવ્યું હતું કે, જાવેદભાઈને તાત્કાલિક સેન્સર લગાવવાની કાર્યવાહી કરવા અને સ્થળ પર હાજર રહીને બોર ઓપરેટરને બોલાવવા સૂચના અપાઈ છે. તંત્રએ ચેતવણી આપી છે કે જો ફરજ પરનો કર્મચારી યોગ્ય રીતે કામ નહીં કરે તો તેને બદલવાની કાર્યવાહી કરવામાં આવશે.
ભાવનગરમાં પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર દ્વારા દારૂ અને ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણ મુદ્દે ભાવનગર ડીવાયએસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમણે યુવાધનને નશામાં ધકેલવાની RSS અને ભાજપની નીતિ હોવાનું કહી આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. આનંદનગર તો દારૂનો દરિયો ગણાય તો તંત્ર કે સાંસદ-MLAને નથી દેખાતો? આ સાથે જ તેમણે કમલમ સુધી હપ્તો પહોંચતો હોવાનું જણાવ્યું હતું. બુટલેગરોએ અડ્ડા બનાવ્યા છે, ત્યાંના લોકેશન નાખ્યા છેઃ પ્રગતિબેન આહીરઆજરોજ ગુજરાત સેવાદળના અધ્યક્ષ અને પ્રવક્તા પ્રગતિબેન આહીર ભાવનગરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે સરકાર અને પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ વેચનારા બુટલેગરો સોશિયલ મીડિયા મેપ પર લોકેશન સાથે ખુલ્લેઆમ પોતાના દારૂના અડ્ડાની જાહેરાત કરે છે. દારૂના જ્યાં જ્યાં બુટલેગરોએ અડ્ડા બનાવ્યા છે, ત્યાંના લોકેશન અને મેપ નાખ્યા છે. એમાંનું એક એક સ્થળ ભાવનગર પણ છે. ‘આનંદનગર તો દારૂનો દરિયો ગણાય, જનતાને પણ ખબર છે’અહીંયા આવ્યા પછી મને લોકોની સાથે મળ્યા પછી ચર્ચા કર્યા પછી જાણવા મળ્યું છે કે, આનંદનગર તો દારૂનો દરિયો ગણાય છે. જો સામાન્ય જનતાને ખબર હોય કે આ દારૂનો દરિયો ગણાય છે તો શું અહીંયા તંત્રને નથી દેખાતું...? અહીંયા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્યોને નથી દેખાતો કે, અહીંયા દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે તો એને કેમ બંધ નથી કરાવતા? ‘આજે સામાન્ય પાનના ગલ્લા પર પણ ડ્રગ્સ મળી જાય છે’વધુમાં ઉમેર્યું કે, આપણી ગુજરાતીમાં કહેવત છે કે સરકાર આપણી માઇ બાપ છે. સરકારની પહેલી ફરજ યુવાધન બરબાદ થતું હોય તેને કેવી રીતે રોકવું. એની જગ્યાએ આ સરકારે પ્રાઇવેટ પોર્ટ આપી દીધા છે અને પ્રાઇવેટ પોર્ટ ઉપરથી ડ્રગ્સનો આટલો મોટો વેપલો કરવામાં આવી રહ્યો છે. આજે યુવાધનને સામાન્ય પાનના ગલ્લા પર પણ સીરપના નામે ડ્રગ્સ મળી જાય છે, ઇન્જેક્શનના નામે ડ્રગ્સ મળી રહ્યો છે અને પડિકાના નામે ડ્રગ્સ મળી રહ્યો છે. આમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે. ‘યુવાનોને નશાની અંદર પરોવી દયો, તો સવાલ ના ઉઠાવે’આ સરકારની પહેલેથી જ નીતિ છે. RSS અને ભાજપની વિચારધારા છે કે, યુવાનોને તમે નશાની અંદર પરોવી દયો, તો તમારી સામે સવાલ ના ઉઠાવે. સવાલ ન ઉઠાવે એના માટે આ સરકારને જ જીમ્મેદાર ગણું છું. સરકારે એમના તંત્રને અને પૂરેપૂરા પોલીસ તંત્રને તમામ તંત્રને પોતાના અંડરમાં લીધેલું છે અને એ કોઈ કામ ન કરી શકે અને ત્યાં સુધી કમલમ સુધી હપ્તો પહોંચે છે. ‘દેશના નિષ્ઠાવાન ઓફિસરોને અમે સેલ્યુટ કરીએ છીએ’મેં જ્યારે ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું ત્યારે કહ્યું છે કે, આ ખાલી કાગળનો કટકો જ છે એમ ન સમજતા. આમા કેટલી બધી મહિલાઓના અરમાન છે. કેટલા બધા યુવાનોની જિંદગીનો સવાલ છે. કેટલા પરિવારની વાત છે અને કાગળનો ટુકડો ન માનતા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને ભાવનગરમાં જિલ્લામાંથી અને શહેરમાંથી દારૂ ડ્રગ્સની નાબુદી થાય. કેમ કે, ઘણા બધા જે ઓફિસરો હપ્તાખોરીના લીધે ઘર ચલાવવા માંડ્યા છે, જનતાનો ભોગ લેતા હોય છે, એનો અમારો વિરોધ છે. જે આ દેશ માટે નિષ્ઠાવાન અને જે દેશ માટે પોતાનું સર્વસ્વ દઈ દેવા તૈયાર છે તે ઓફિસરો માટે સંવિધાન ધ્યાનમાં રાખીને નોકરી કરી રહ્યા છે, એવા ઓફિસરોને અમે સેલ્યુટ કરીએ છીએ. જે હપ્તા ખાય છે, એવા જે બુટલેગરો પોતાના બાંધમાં રાખીને ફરે છે એવા ઓફિસરોને કહીએ છીએ કે, આ દેશના સંવિધાન સોગંદ ખાધા હતા એને ધ્યાનમાં રાખી આ દેશની સેવા કરો. દારૂ અને ડ્રગ્સના દુષણથી યુવાધનને બચાવવા માગશહેર કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં મહિલા કોંગ્રેસના કાર્યકરોની ઉપસ્થિતિમાં તેમણે ડીવાયએસપીને આવેદનપત્ર આપી દારૂના દુષણ અને ડ્રગ્સથી યુવાધનને બચાવવા માગ કરી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચુડા તાલુકાના કોરડા ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલા સોનાના દાગીના, એક મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ ₹4,00,400/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે, કલ્પેશ હંસોરા (રહે. ખોડુ, વઢવાણ) નામના ઈસમને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ ₹4,00,400/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં સોનાનો હાર (₹2,20,000/-), સોનાની બુટ્ટીની પાંદડીઓ એક જોડ (₹51,600/-), સોનાની વીંટી નંગ 1 (₹37,000/-), સોનાના કાપ એક જોડ (₹56,800/-), એક બાઈક (₹30,000/-) અને મોબાઈલ ફોન નંગ 1 (₹5,000/-)નો સમાવેશ થાય છે. આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઈન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના I/C પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. રાયમા, ચુડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. એન.એ. ડાભી અને સ્ટાફના અજયવીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાઘેલા, અશ્વિન માથુકીયા, મહેન્દ્ર દાદરેસા, કપીલ સુમેરા, મેહુલ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આરોપીને વધુ કાર્યવાહી માટે જોરાવરનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
નખત્રાણા તાલુકાના સાયરા યક્ષ વચ્ચે આવેલી પાપડીમાંથી ગુમ થયેલા એક 55 વર્ષીય આધેડનો મૃતદેહ ત્રીજા દિવસે મળી આવ્યો છે. આ વિસ્તારમાં મગરની હાજરીને કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની હતી, અને અંતે તે નિષ્ફળ રહી હતી. મૃતક વેલજી મમુ ગરવા (ઉંમર 55) ગત 25મી તારીખે સવારે મજૂરી કામ માટે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યા ન હતા. તેમની શોધખોળ દરમિયાન તેમના સ્લીપર પાપડી નજીકથી મળી આવ્યા હતા, જેના આધારે તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. ભુજ ફાયર વિભાગની ટીમે બંધિયાર પાણીમાં હિંસક મગરની હાજરી હોવા છતાં જીવના જોખમે બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, મગરના ભય અને પાણીની સ્થિતિને કારણે મૃતદેહ શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી. ત્રણ સંતાનના પિતા એવા વેલજી ગરવાનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.
ભરૂચ શહેરના દહેગામ વિસ્તારમાં મ્યુઝિક સિસ્ટમનો અવાજ ધીમો રાખવા બાબતે થયેલી સામાન્ય તકરાર ઘાતક રૂપ ધારણ કરી હતી. આ તકરાર દરમિયાન થયેલી મારામારીમાં 62 વર્ષીય ઐયુબ ગુરજીનું હૃદય અને ફેફસા ફાટી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ બાદ પોલીસે ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે સૌપ્રથમ યુવતીના મંગેતર મહોમદસોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યો હતો, જ્યારે યુવતી ગજાલાબાનું ઈમરાનભાઈ મન્સુરી અને એક સગીરની ધરપકડ બાકી હતી. તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ માહિતી આપી હતી કે, ગતરોજ સગીરને કસ્ટડીમાં લઈ તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ યુવતી ગજાલાબાનું મન્સુરી સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ હતી. હોસ્પિટલમાંથી રજા મળતા આજે 27 નવેમ્બરે તેની પણ ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે. આ મામલે વધુ ચર્ચા એ કારણે પણ છે કે, 20 ડિસેમ્બરના રોજ ગજાલાબાનું અને મહોમદસોબાનનો નિકાહ થવાના હતા, પરંતુ હાલ બંને જેલમાં છે. આ પણ વાંચો-મ્યુઝિક સિસ્ટમ ધીમી કરવા બાબતે પાડોશી પર હુમલો, છાતીમાં ઢીંકાપાટુ મારતાં આધેડનાં હૃદય-ફેફસાં ફાટી ગયાં
ગુજરાત સરકારે વર્ષ 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે. આ વખતે કુલ 23 જાહેર રજાઓ, 33 મરજિયાત રજાઓ (જેમાંથી મહત્તમ 3 પસંદ કરી શકાય) તથા બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ નક્કી કરવામાં આવી છે. તદુપરાંત જો જાહેર રજા રવિવારે આવે તો તેની બદલે અલગ રજા મળશે નહીં, સતત બે દિવસની મરજિયાત રજા મંજૂર થશે નહીં અને આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરજિયાત રજા તાત્કાલિક મળશે નહીં – આવી સ્પષ્ટ સૂચનાઓ પણ વિભાગે આપી છે. જાન્યુઆરી, ડિસેમ્બર અને જૂનમાં 3 દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળશે. જ્યારે એપ્રિલથી લઈ ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો 5 લોંગ વીકેન્ડ મેળવી શકશો. જાહેર રજાઓની યાદીઆ જાહેર રજાઓમાં મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી), ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી), ધૂળેટી (4 માર્ચ), રમઝાન ઈદ (21 માર્ચ), રામનવમી (26 માર્ચ), ગુડ ફ્રાઈડે (3 એપ્રિલ), ડૉ. આંબેડકર જયંતી (14 એપ્રિલ), બકરી ઈદ (27 મે), મોહરમ (26 જૂન), સ્વતંત્રતા દિવસ-પારસી નવું વર્ષ (14 ઓગસ્ટ), ઈદ-એ-મિલાદ (26 ઓગસ્ટ), રક્ષાબંધન (28 ઓગસ્ટ), જન્માષ્ટમી (4 સપ્ટેમ્બર), ગાંધી જયંતી (2 ઓક્ટોબર), દશેરા (20 ઓક્ટોબર), સરદાર જયંતી (31 ઓક્ટોબર), વિક્રમ સંવત નવું વર્ષ (10 નવેમ્બર), ભાઈબીજ (11 નવેમ્બર), ગુરુ નાનક જયંતી (24 નવેમ્બર) અને નાતાલ (25 ડિસેમ્બર)નો સમાવેશ થાય છે. કર્મચારીઓ આ તારીખો પર લાંબા વીકેન્ડનું પ્લાનિંગ કરી શકેઅત્રે ઉલ્લેખનીય છે કે, મહા શિવરાત્રી (15 ફેબ્રુઆરી), પરશુરામ જયંતી (19 એપ્રિલ) અને દિવાળી (8 નવેમ્બર) રવિવારે આવતાં રજા ગણાશે નહીં. લાંબા વીકેન્ડની દૃષ્ટિએ જાન્યુઆરીમાં 24-26 (ત્રણ દિવસ), એપ્રિલમાં 3-5 તથા 12-14 (બંને વખત ત્રણ-ત્રણ દિવસ), જૂનમાં 26-28, ઓગસ્ટમાં 15-16 અને 26-28, સપ્ટેમ્બરમાં 4-6, ઓક્ટોબરમાં 2-3 તથા 31-1 નવેમ્બર અને ડિસેમ્બરમાં 25-27 સુધી સતત ત્રણ-ત્રણ દિવસના લાંબા વીકેન્ડ મળશે, જેનાથી કર્મચારીઓને ટૂંકી મુસાફરીનું આયોજન કરવામાં સરળતા રહેશે.
પાટણમાં શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં 700 વર્ષ પૂર્વેના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે શિવ કથાનું આયોજન કરાયું છે. આ કથા 27 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર લંકેશ બાપુ વ્યાસપીઠ પરથી શિવકથાનું રસપાન કરાવશે. કથાના પ્રારંભ પૂર્વે ગુરુવારે શહેરના નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે 518 પોથી યાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નગરજનો જોડાયા હતા. પોથી યાત્રામાં શિવ કથાકાર લંકેશ બાપુની સાથે મુખ્ય પોથી યજમાન ભરતભાઈ ગીરધરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાહ્યાલાલ કોન્ટ્રાક્ટર પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો, રાજકીય-સામાજિક આગેવાનો પણ આ યાત્રામાં જોડાયા હતા. નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામેલી આ પોથી યાત્રા દોશીવટ, હિંગળાચાચર, જુનાગંજ બજાર, નીલમ સિનેમા, મીરા દરવાજા, માધવનગર અને પદ્મનાભ ચોકડી થઈ પદ્મનાભ મંદિરે પહોંચી હતી. ત્યાં વિધિવત્ત રીતે પોથી પૂજન કરી દીપ પ્રાગટ્યથી શિવકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવ દિવસ ચાલનારી આ શિવકથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ હજારો શિવભક્તો લેશે.
અમદાવાદની યુવતીને લગ્નના એક મહિનામાં પતિએ ફ્લેટ, થાઇલેન્ડ પ્રવાસનો ખર્ચ, અને બેંક એકાઉન્ટમાં રહેલા 32 લાખ જોઈન્ટ એકાઉન્ટમાં મુકવાની માંગ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તરછોડી દેવામાં આવતા સમગ્ર મામલો મહિલા પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવ્યો છે. અમદાવાદની 30 વર્ષીય યુવતીએ મેટ્રીમોનીયલ સાઈટના માધ્યમથી લગ્ન કર્યા હતાઅમદાવાદ ચાંદખેડામાં રહેતી 30 વર્ષીય યુવતીએ મેટ્રીમોનીયલ સાઈટની પ્રોફાઇલ ઉપર એક યુવકનો બાયોડેટા જોયો હતો. બાદમાં મૂળ વડોદરાના સૂર્યભૂષણ કૃષ્ણકુમાર તિવારીએ રિકવેસ્ટ મોકલી હતી. બાદમાં બંને પક્ષના પરિવા૨ની સંમતિથી 20એપ્રિલ 2024ના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્નના એક મહિનામાં વસ્તુ અને નાણાંની માગણી શરૂ કરીલગ્ન પછી યુવતી પેથાપુર ખાતે પતિ સૂર્યભૂષણ અને સાસુ સસરા સાથે લગ્ન જીવન ગાળવા આવી હતી. લગ્નના એક માસ સુધી ઘર સંસાર સારો ચાલ્યા પછી પતિ કહેવા લાગેલો કે, તારે જે ચીજ વસ્તુ જોઈતી હોય પિયરમાંથી તારા માતા-પિતાની પાસેથી મંગાવ. તારા માતા -પિતા લગ્ન બાદ થાઇલેન્ડ જવાનો ખર્ચ આપવાનુ તેમજ ફ્લેટ લઈ આપવાનુ કહેતા હતા જે હજી સુધી આપ્યું નથી. બાદમાં ઉપરોક્ત માંગણીઓ નહીં સંતોષતા સુર્યભૂષણ શારિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો. આટલું ઓછું હોય એમ તે પત્નીના બેંક એકાઉન્ટમાં પડેલા 32 લાખ રૂપિયા જોઇન્ટ એકાઉન્ટ માં મૂકી દેવા દબાણ કરતો હતો. આ મુદ્દે ઘર કંકાસ થતા સૂર્યભૂષણ પત્નીને પિયર મૂકી આવ્યો હતો. જેના એક મહિના પછી પોતાની યુજીસી નેટની પરીક્ષા પૂર્ણ થતાં પરણિતા સાસરી ગઈ હતી. એ વખતે પતિ સુર્યભૂષણે થાઇલેન્ડ ફરવા જવાનો ખર્ચાના પૈસા તુ લાવી નથી અને 32 લાખ જોઇન્ટ એકાઉન્ટમાં મુક્યા નથી. જેથી મેરેજ સર્ટિ બનાવવાનો ઇનકાર કરી આપણા લગ્ન પણ નથી થયા કહીને આત્મહત્યા કરી જુઠા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી તેણીને તરછોડી દીધી હતી. આ અંગે મહિલા પોલીસ મથકમાં પીડિતા ની ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ઇતિહાસમાં પહેલીવાર બિનહરીફ સમરસ જાહેર થઈ છે. ડેરીના 15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. જે ડેરીના ચૂંટણી ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે. 15 બેઠકો પર 15 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેરચૂંટણી પ્રક્રિયામાં કુલ 63 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 4 ફોર્મ રદ્દ થયા બાદ 59 ફોર્મ માન્ય રહ્યા હતા. ફોર્મ પરત ખેંચવાના આખરી દિવસે 44 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા અંતે 15 બેઠકો પર માત્ર 15 ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હતા અને તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતોજિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું કે, આજે મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ એટલે દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણીની જે પ્રક્રિયા ચાલતી હતી એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકો અને પછી માન્ય થયા હતા 63 ઉમેદવારી પત્રકો ભરાયા હતા. એમાંથી 63 માંથી 15 લોકો એટલે એક સીટ પહેલા અશોકભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનહરીફ થઇ ચૂક્યા હતા. એના સિવાયની 14 એ 14 સીટ આજે બિનહરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્યો ચૂંટાઈ આવ્યા છે. 63 માંથી જે લોકો ફોર્મ પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો. દૂધસાગર ડેરી આગળ વધે અને દૂધસાગર ડેરીની પ્રગતિ થાય, પશુપાલકોના હિત માટે સૌએ ફોર્મ પાછા ખેંચી અને આજે સમરસ બનાવી છે. સમગ્ર દૂધ ઉત્પાદક સમાજનો આજે આભાર માનું છું, સાથે સાથે અભિનંદન પણ આપું છું. વધુમાં જણાવ્યું કે મેન્ડેટ આપ્યું અને 15 લોકો આજે એ મેન્ડેટના આધારે બાકીના લોકોએ પરત ખેંચ્યા. 'આગામી પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે'ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ કહ્યું કે, મેહસાણા દૂધસાગર ડેરીમાં સૌ અઢાર જિલ્લાના આગેવાનો, પશુપાલકો અને જેનો ઠરાવ થયો તો એમાં બધા જ અમારા પ્રતિનિધિઓ, બધા લોકોનો હું આભાર માનું છું કે જેમણે ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી અને બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોઅલ ફોર્મમાં સહી કરી આપી હતી. એના કારણે આજે આ સમરસ પેનલ બની છે. આખી સમરસ પેનલ બનવાના કારણે આવનારા પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે. આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીનો વિકાસ થાય પશુપાલકને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવધારો મળે એ દિશામાં અમે કામ કરતા રહીશું. વધુમાં જણાવ્યું કે, લગભગ 60 જેટલા ફોર્મ ભરાયા હતા. બધા જ લોકો ફોર્મ ભરી અને પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને બધાએ કહ્યું હતું કે જેને પસંદ કરશો એના સમર્થનમાં બાકીના લોકો ઉમેદવારી પરત ખેંચી અને આજે હું અભિનંદન આપું છું. ચૂંટાયેલા બધા લોકોને સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે, એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું છે એના માટે એમને પણ હું અભિનંદન આપું છું અને ખૂબ સરસ બધી જ જ્ઞાતિઓને સમાવતું ગુલદસ્તા પ્રમાણેનું આખું નિયામક મંડળ બન્યું છે.
પાટડીના જરવલા ગામે 5.23 લાખનો દારૂ ઝડપાયો:LCB એ વિદેશી અને દેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝરવલા ગામેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 5.23 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને દેશી દારૂનો સમાવેશ થાય છે. આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીના કબજા ભોગવટાવાળી ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1094 નાની-મોટી બોટલો, જેની કિંમત 4,01,100 રૂપિયા છે, તે જપ્ત કરી હતી. આ ઉપરાંત, 846 બિયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત 1,13,760 રૂપિયા થાય છે. દેશી દારૂ 42 લિટર, જેની કિંમત 8,400 રૂપિયા છે, તે પણ કબજે કરવામાં આવ્યો હતો. આમ, કુલ 5,23,260 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCBની ટીમને દારૂ અંગે બાતમી મળી હતી જે આધારે ઝરવલા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. આ કેસમાં પકડવાના બાકી આરોપી હર્ષદ ઠાકોર, રહે. ઝરવલા, તા. પાટડી, જી. સુરેન્દ્રનગર છે. તેની વિરુદ્ધ પાટડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
આણંદના પધારિયા વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે કરમસદ-આણંદ મહાનગરપાલિકા કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ લોકોએ ડેપ્યુટી કમિશનરની કેબિન બહાર ગટરનું ગંદુ પાણી ઢોળ્યું હતું તેમજ તેમના ટેબલ પર બંગડીઓ ફેંકી હતી. પધારિયા વિસ્તારની આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં લાંબા સમયથી ગટર ભરાઈ જવાની સમસ્યા છે. આ અંગે સ્થાનિકોએ મનપા કચેરીમાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, થોડા વર્ષો પહેલાં પધારિયા વિસ્તારમાં નવી ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે, આ લાઇન યોગ્ય સર્વે અને આયોજનના અભાવે બનાવવામાં આવી હોવાથી વારંવાર ગટર ઉભરાય છે. ગટરનું ગંદુ પાણી ઉભરાવાને કારણે સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી પરેશાન છે. આનાથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો ફેલાવવાનો ભય રહેલો છે, જે બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. સ્થાનિકોએ આવેદનપત્ર દ્વારા માંગ કરી છે કે, આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીની સમગ્ર ગટર લાઈનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય આયોજન સાથે નવી ગટર લાઇનનું પુનઃનિર્માણ કરવામાં આવે અને પાણી ઉભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. ઉપરાંત, સ્વચ્છતા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે. અમારી સોસાયટીમાં 7 વર્ષથી ગટર ઉભરાવવાની સમસ્યા- સ્થાનિકસ્થાનિક અંજનાબેન જણાવે છે કે, અમારા વિસ્તારમાં ગટરની સુવિધા તો છે પણ છેલ્લાં 7 વર્ષથી આ ગટરના પાણી ઉભરાઈ રહ્યાં છે. જેથી અમને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે. આ અંગે અમે વારંવાર મનપા કચેરીમાં રજૂઆતો કરી છે પરંતુ, આજદિન સુધી તંત્રના અધિકારીઓ કે કર્મચારીઓ અમારી સોસાયટીમાં ફરક્યાં જ નથી. પરમ દિવસે અમારી સોસાયટીમાં એક માજી ગુજરી ગયાં હતાં, દરમિયાન ડેડબોડી લઈ જવા માટે અમારે ત્રણ ટ્રેકટર માટી નંખાવવી પડી, જ્યાં ગટરનું છેલ્લું કનેક્શન છે ત્યાં આઉટલેટ છે જ નહીં. ડે.કમિશનર ના સ્ટાફના માણસોએ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું- હર્ષિલ દવેસામાજીક કાર્યકર હર્ષિલ દવે જણાવે છે કે, આ સત્તાધીશો જાડી ચામડીના થઈ ગયાં છે. અમે આજે રજૂઆત કરવા ગયાં તો ડે.કમિશનરના સ્ટાફના માણસોએ અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. માટે અમે ડે.કમિશનરની કચેરીની બહાર ગટરનું પાણી ઢોળી, તેમજ ડે.કમિશનરને બંગડીઓ આપી વિરોધ નોંધાવ્યો હતો. આવનાર દિવસોમાં જો ગટરનું પાણી ઉભરાતું બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 મો પદવીદાન સમારોહ કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે તા.25 ડિસેમ્બરના નાતાલના દિવસે યોજાશે. રાજયપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અઘ્યક્ષસ્થાને યોજાનારા કોન્વોકેશનમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાશાખાના 43,900 જેટલા દિક્ષાર્થીઓને પદવીઓ આપવામાં આવશે તો રાજ્યપાલના હસ્તે 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડ મેડલ અને 270 પ્રાઈઝ આપવામાં આવશે. દર વર્ષની જેમ આ વખતે પણ સુવર્ણચંદ્રક મેળવનારા દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા વધારે છે. આ વખતના પદવીદાન સમારોહમાં 56 દિકરીઓ સામે દીકરાઓ માત્ર 16 જ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ દિવ્ય ભાસ્કર ડિજિટલને જણાવ્યુ હતુ કે, રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની ઉપસ્થિતિમાં 25 મી ડિસેમ્બરે 60 મો પદવીદાન સમારોહ યોજાશે. જોગાનુજોગ આ વર્ષે યુનિવર્સિટી 60 મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. 60 મા પદવીદાન સમારોહમાં કુલ 16 વિદ્યાશાખાના 72 તેજસ્વી વિદ્યાર્થીઓને 175 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે 270 પ્રાઈઝ મળી કુલ 445 ગોલ્ડ મેડલ અને પ્રાઈઝ આપવામાં આવશે. જેમાં મેડિસનમાં સૌથી વધુ 79 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સુરેન્દ્રનગરની સી. યુ. શાહ મેડિકલ કોલેજની મેડિકલ ફેકલ્ટીની MBBS ની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિબેન દાતાઓ તરફથી 7 તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 ગોલ્ડ મેડલ ઉપરાંત યુનિવર્સિટી તરફથી 2 પ્રાઈઝ આપવામાં આવશે. જ્યારે અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની બી.એ.ની નિમાવત ગાયત્રી દિલીપભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને 7 પ્રાઈઝ જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 1 પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે જ ત્રીજા ક્રમે રાજકોટ ગવર્મેન્ટ કોલેજના મેડિકલના વિદ્યાર્થી પંડ્યા પાર્થ જયેશભાઈને દાતાઓ તરફથી 3 ગોલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 1 પ્રાઈઝ આપવામાં આવશે.
બોટાદમાં કવિ બોટાદકરની જન્મજયંતિ ઉજવાઈ:અરવિંદ બારોટ સહિત આગેવાનો ઉપસ્થિત, પ્રતિમાની જાળવણી પર ચિંતા
બોટાદમાં કવિ શ્રી બોટાદકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ પ્રસંગે કવિશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક, કવિ અને ગીતકાર અરવિંદ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કવિશ્રી બોટાદકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમની સાથે માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંયોજક ભાવેશભાઈ પરમાર અને અન્ય અગ્રણી આગેવાનોએ પણ ભાવવંદના કરી હતી. પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ, ગાયક અરવિંદભાઈ બારોટે પ્રતિમાની જાળવણી અને સાફ-સફાઈના અભાવ અંગે ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જે કવિએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે, તેમની પ્રતિમાની યોગ્ય જાળવણી થવી અનિવાર્ય છે. બારોટે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રતિમાની આસપાસની સફાઈ અને તેની દેખરેખ માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તેમણે આ મુદ્દે વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું હતું. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા કવિશ્રી બોટાદકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતૃભાષાના સંવર્ધન માટે સૌને સંકલ્પબદ્ધ થવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું.
ગીર પંથક, જે એશિયાઇ સિંહોનું ઘર છે, ત્યાંના ખેડૂતો હાલ એક કપરી અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે. પોતાના મોંઘા પાકને બચાવવા માટે આ ખેડૂતો હાથમાં માત્ર ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટેના સાધનો લઈને જીવના જોખમે રાતભર ખેતરના રખોપા (રક્ષણ) કરવા મજબૂર બન્યા છે. તેમની એકમાત્ર માંગણી છે કે, સરકાર દ્વારા ખેતરના સેઢે વિનામૂલ્યે તાર ફેન્સીંગ (વાડ) બનાવી આપીને તેમને આ બેવડા જોખમમાંથી મુક્તિ આપવામાં આવે. પેઢીઓથી કરાય છે, પણ ખેતી એટલે જીવનું જોખમઃ રમેશ કોરાટમેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ખેડૂત રમેશ કોરાટે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી નહીં, પણ પેઢી દર પેઢીથી ખેતરમાં પાકના રખોપા કરીએ છીએ. ખેડૂત ખેતરમાં મગફળીનું બિયારણ વાવે ત્યારથી જ રખોપાનું કામ શરૂ થઈ જાય છે. સુવર, ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓ ખેતરમાં આવીને પાકને ફેંદી નાખે છે. આ નુકસાનથી બચાવવા માટે અમે રાત-દિવસ જોયા વગર ખેતરના રખોપા કરીએ છીએ. ખેતરો ગીરની મધ્યમાં આવેલા હોવાથી હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાના સતત આંટાફેરા રહે છે, જેના કારણે ખેડૂતોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. વધુમાં રમેશભાઈએ કહ્યું કે, જ્યારે અમે ઘરેથી ખેતરે જઈએ અને ફરી સહી સલામત પાછા ઘરે પહોંચીએ, ત્યારે જ ઘરના સભ્યોને હાશકારો થાય છે. હવે ખેતી કરવી એ જીવનું જોખમ લેવા બરાબર છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.રાતભર ઠંડીમાં ટોળું બનાવી રખોપા કરીએ છીએઃ પરસોત્તમભાઈડેડકીયાળી ગામના અન્ય એક ખેડૂત પરસોત્તમભાઈ ઢોલરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, ગીર વિસ્તારના ખેડૂતો માટે રાતના સમયે ખેતરમાં રખોપા કરવા એ સીધું જીવનું જોખમ છે. હિંસક પ્રાણીઓની અવરજવર અને પશુઓ દ્વારા પાકને થતું નુકસાન, આ બે મુખ્ય કારણો છે. ખેડૂતોને ડર એટલો બધો છે કે, તેઓ એકલા ખેતરે જઈ શકતા નથી. છથી સાત ખેતરના ખેડૂતો ભેગા મળીને પોતાની સાથે ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટે અન્ય હથિયારો લઈને રખોપા કરવા જવું પડે છે. ખેડૂતો મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી કડકડતી ઠંડી વચ્ચે પોતાના પાકના રક્ષણ માટે જાગરણ કરે છે. પરસોત્તમભાઈએ સરકાર પાસે માંગણી કરી કે, જો ખેતરના શેઢા પર ફ્રીમાં ફેન્સીંગ વાડ બનાવી આપવામાં આવે તો ખેડૂતો ડરમુક્ત થઈને સારી રીતે ખેતી કરી શકે. ખેડૂત એકલો જાય તો હિંસક પ્રાણીઓનું જોખમ રહેઃ સંજયભાઈખેડૂત સંજયભાઈ ઢોલરીયાએ હાલની પરિસ્થિતિને ખૂબ જ કપરી ગણાવી હતી. તેમણે કહ્યું કે, અહીં એટલો ડર છે કે રાતના રખોપા કરવા જવા માટે સાતથી આઠ ખેડૂતોએ સાથે મળીને જવું પડે છે. રાત્રે 11 વાગ્યાથી લઈને સવાર સુધી બધા ખેડૂતો ભેગા થઈને વાવેલા પાકનું રક્ષણ કરે છે. જો એક કે બે ખેડૂત એકલા જાય તો હિંસક પ્રાણીઓના ડરથી જોખમ રહે છે, તેથી ટોળામાં જવું ફરજિયાત છે. ‘હિંસક પ્રાણીઓ ઘરમાંથી લોકોને શિકાર બનાવે છે’સંજયભાઈએ તાજેતરની એક ગંભીર ઘટનાને જણાવ્યું કે, બે દિવસ પહેલા ગીર ગઢડાના એક વિસ્તારમાં બે વર્ષની માસૂમ દીકરી તેના ઘરમાં રમતી હતી અને તેની માતા કામ કરતી હતી, ત્યારે સિંહે અચાનક હુમલો કરીને તેને શિકાર બનાવી હતી, જેમાં બાળકીનું મોત થયું હતું. તેમણે આતંકનો અહેસાસ કરાવતા કહ્યું કે, આવા હિંસક પ્રાણીઓ જો ઘરમાંથી લોકોને શિકાર બનાવતા હોય, તો ખેડૂતોને તો વાડીઓમાં ખુલ્લામાં રહેવું પડે છે, જેને કારણે અમારામાં ખૂબ જ ભયનો માહોલ છે. માત્ર હિંસક પ્રાણીઓ જ નહીં, પણ એકસાથે 20થી વધુ ભૂંડનું ટોળું ખેતરમાં ઘૂસીને પાકને ખેદાન-મેદાન કરી નાખે છે. આ ટોળાને હાકલા-પડકારા કરીને દૂર કરવામાં આવે છે, તે સમયે પણ પાકને મોટા પ્રમાણમાં નુકસાની થાય છે. ‘રાતના રખોપાથી સંતાનોથી દૂર રહેવાનો વારો’સંજયભાઈએ પોતાની અંગત પીડા વ્યક્ત કરતા કહ્યું કે, અમને તો એવું લાગે છે કે હવે અમારા સંતાનો પણ અમને ભૂલી જશે, કારણ કે દિવસે તે ભણવા માટે જાય છે અને રાતે અમે ખેતરના રખોપા કરવા આવી જઈએ છીએ, ત્યારે અમે તેમને મળી પણ શકતા નથી.ખેતી અને પરિવાર વચ્ચેના આ સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા માટે તેમણે ભારપૂર્વક માંગણી કરી કે, સરકાર દ્વારા ખેતરના સેઢે વિના મૂલ્ય તાર ફેન્સીંગ કરી આપવામાં આવે તેવી ગીરના ખેડૂતોની આ એકમાત્ર અને મુખ્ય માંગણી છે. ફેન્સીંગ માટે સરકાર પાસે 100% સહાયની અપેક્ષાગીર પંથકના ખેડૂતોની આ વેદના એક ગંભીર મુદ્દો છે, જ્યાં વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવન તથા ખેતીના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. ખેડૂતોની માંગણી છે કે, હાલની મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ફેન્સીંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જો સરકાર દ્વારા 100 % સહાય સાથે તેમના ખેતરના સેઢા પર મજબૂત તાર ફેન્સીંગ કરી દેવામાં આવે તો રાત્રિના રખોપામાંથી મુક્તિ મળે અને હિંસક પ્રાણીઓના હુમલાનો ભય ઓછો થાય.તેમજ ભૂંડ, રોઝ, અને હરણ જેવા પશુઓથી પાકને થતું નુકસાન અટકાવી શકાય. ખેડૂતો પોતાના પાકનું પૂરું ઉત્પાદન મેળવી શકે અને પોતાના પરિવારનું સારી રીતે ભરણપોષણ કરી શકે. હાલ કડકડતી ઠંડી, ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહેલા ગીરના આ ખેડૂતોની સમસ્યા પ્રત્યે વન વિભાગ અને રાજ્ય સરકાર ક્યારે સંવેદનશીલ બનીને નક્કર પગલાં લે છે, તે જોવું રહ્યું. તેમની માંગણી સંપૂર્ણપણે વ્યાજબી અને સમયની માગ છે.
સુરતની લાજપોર જેલમાં આરોપીઓને જમવાનું ટિફિન તથા વીઆઈપી સુવિધા આપવાના બહાને આરોપીઓના પરિવારજનો પાસે પૈસા પડાવનાર આધેડ વ્યક્તિ ઝડપાયા બાદ એક પછી એક ભોગ બનનાર વ્યક્તિઓ પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે. ગતરોજ પણ સુરતના કઠોદરા વિસ્તારમાં રહેતા બિલ્ડરે લસકાણા પોલીસ મથકમાં આરોપ સામે બળજબરીથી રૂપિયા 12 હજાર પડાવવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ તેમની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સચિન વિસ્તારમાં ઝડપાયેલો નકલી જેલર એવો રાજેશ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે. જેલમાં ટિફિન અને વીઆઈપી સુવિધાના નામે પૈસા પડાવતોશહેરમાં અલગ ગુનાઓમાં પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીઓને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવે છે. જોકે આ દરમિયાન માસ્ટર માઈન્ડ વ્યક્તિ એનકેન પ્રકારે આરોપીઓના પરિવારજનોના મોબાઈલ નંબર મેળવી તેમને ફોન કરી જેલમાં ટિફિન આપવાનું તથા વીઆઈપી સુવિધા આપવાનું કહીને પૈસા પડાવતો હતો. આરોપી ઝડપાયા બાદ હવે તેમની વિરુદ્ધમાં એક પછી એક ગુનાઓ નોંધાઈ રહ્યા છે. કાળુ પોશીયાની એક ગુનામાં ધરપકડમૂળ રાજકોટના વતની અને ગોંડલ તાલુકાના રાવણા ગામમાં રહેતા અને સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા કાળુભાઈ મગનભાઈ પોશીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ તેઓએ લસકાણા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પોલીસ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તારીખ 20 જુલાઈ 2025ના રોજ કાળુભાઈ મગનભાઈ પોશીયાની લસકાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં ધરપકડ થઈ હતી. વીઆઈપી બેરેકમાં રાખવા માટે પૈસા આપવા પડશેઆ સમયે કાળુભાઈને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારે અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના મિત્ર અનિલભાઈ અમરેલી અને ફોન કરી પોતાની ઓળખ જેલર તરીકે આપી હતી અને જેલમાં હાઈ સિક્યુરિટીમાં નહીં રાખવા તથા બહારના ટિફિનની સેવા માટે તથા વીઆઈપી બેરેકમાં રાખવા માટે પૈસા આપવા પડશે તેવી માંગણી કરી હતી. જો પૈસા નહીં આપો તો જેલની હાય સિક્યુરિટીમાં રાખીશ અને જેલનું ટિફિન ખાવું પડશે તેમ કહ્યું હતું. ગૂગલ પે મારફતે રૂપિયા 12000 ટ્રાન્સફર કરાવી લીધાકાળુભાઇના મિત્રની પાસે ગૂગલ પે મારફતે રૂપિયા 12000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જોકે બાદમાં કાળુભાઈ બહાર આવ્યા બાદ તેમના મિત્રએ સઘળી હકીકત જણાવી હતી. જેથી તેઓને આ વાતને જાણ થતા તેઓએ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જેલર તરીકે ઓળખ આપી પૈસા પડાવનાર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરાશેલસકાણા પોલીસ સ્ટેશનના પી આઇ કે ચાવડાએ જણાવ્યું હતું કે, સચિન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલો નકલી જેલર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા જ બિલ્ડર કાળુભાઈ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ તો આરોપી રાજપુર જેલમાં બંધ છે. તેનો કબજો લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચિંતન શિબિર માટે વંદે ભારતથી પહોંચ્યા CM વલસાડમાં યોજાઈ રહેલી 12મી ચિંતન શિબિરમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારતમાં બેસીને પહોંચ્યા.. આ વર્ષે સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સરકારી વાહનને બદલે વંદે ભારતમાં બેસીને જ પહોંચ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો કેન્દ્ર સરકાર કરશે 20 હજાર કરોડની સહાય ગુજરાતમાં હાઈવેની મરમ્મત અને એક્પાન્શન માટે કેન્દ્ર સરકાર આપશે 20 હજાર કરોડ રુ.ની સહાય.. સુરતમાં નેશનલ હાઈવેના નિરીક્ષણ માટે આવેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મેવાણીના સમર્થનમાં રાજકોટમાં રેલી નીકળી પોલીસના પટ્ટા ઉતારવાના નિવેદન મામલે આજે રાજકોટમાં જીગ્રેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી. રેલીમાં આક્ષેપ કરાયો કે 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા માટે પોલીસ અને બુટલેગરો મારફત રજૂઆતો કરાવે છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો શહેરના ગેટ વે સમાન બ્રિજ નશાખોરોનો અડ્ડો સુરતનો સરથાણા બ્રિજ બન્યો ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો. બ્રિજ નીચે 10 વર્ષનો છોકરો ખાટલામાં સૂતા સૂતા ગાંજો વેચતો કેમેરામાં કેદ થયો. તો બ્રિજ નીચે મહિલાઓ સહિત કેટલાક શખ્સો જુગાર રમતા હતા.. ધારાસભ્ય કુમાર કાનાણીએ વર્ષોથી ચાલતા ન્યુસન્સ પર કાર્યવાહી કરવા પત્ર લખ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મોકા કેફેમાં રોટલીના બાસ્કેટમાંથી નીકળ્યા જીવડાં અમદાવાદના સીજી રોડ પર આવેલા મોકા કેફેમાં રોટલીના બાસ્કેટમાંથી જીવડા નીકળ્યા..AMCના ફૂડ વિભાગે કેફેમાં તપાસ કરી સ્વચ્છતાના અભાવ બદલ રુ 25,000નો દંડ ફટકાર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરોત્રણ કાર અને એક રિક્ષાને આગચંપી કરી દીધી વડોદરાના વારસિયા વિસ્તારમાં બુધવારે મોડી રાત્રે કેટલાક લોકોએ ત્રણ કાર અને રિક્ષા સળગાવી. સાંઈબાબા નગરના ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી થારને આગ ચાંપતા બાજુમાં પડેલી વેન્યુ અને ટ્રીબર પણ ઝપેટમાં આવી. તો અંજલિ સોસાયટીમાં રિક્ષા સળગાવી દીધી. પોલીસે બુટલેગર્સના ગેંગવોરમાં ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો 200થી વધુ BLOએ મેપિંગની પ્રક્રિયા સામે ધરણાં કર્યા અમદાવાદમાં કે.કા. શાસ્ત્રી કોલેજમાં અમરાઈવાડી વિસ્તારના 200થી વધુ બીએલઓએ ધરણાં કર્યા. મેપિંગની પ્રક્રિયાને લઈને અધિકારીઓ સતત દબાણ કરતા હોવાને લઈને આજે ધરણાં કરવામાં આવ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસના દરોડા અમદાવાદના પોશ વિસ્તારમાં આવેલા સ્પામાં પોલીસે દરોડા પાડ્યા. છેલ્લા બે દિવસમાં બોપલ-આંબલી રોડ, એલિસબ્રિજ અને આનંદનગરના ત્રણ અલગ-અલગ સ્પા પર દરોડા પાડીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી યથાવત આજે સતત બીજા દિવસે ભાવનગરમાં ડિમોલિશનની કાર્યવાહી. ફૂલસરમાં 70થી વધુ કાચા-પાકા મકાનો અને 3 ધાર્મિક સ્થાનો સહિતના ગેરકાયદે દબાણો દૂર કરી 60 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો રેની જોશીલ્ડાના જામીન મંજૂર અમદાવાદમાં હાઈકોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ , સહિત અલગ અલગ સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેનાર રેની જોશીલ્ડાને હાઈકોર્ટે જામીન આપ્યા. હાઈકોર્ટે કહ્યું કે તે પર્સનલ સંબંધોને લઈને ડિસ્ટર્બ વ્યક્તિ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના હિંમતનગરને જોડતા નારોલ-નરોડા હાઇવે પર કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધીના 2.5 કિલોમીટર સુધીના અમદાવાદના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી ફરી ઝડપી બનશે. ઓવરબ્રિજ બનાવવાની કામગીરીમાં નડતરરૂપ ફોરેસ્ટ વિભાગની જમીન પરના વૃક્ષો દૂર કરવાના કારણે કામગીરી અટકી પડી હતી. 146 વૃક્ષો દૂર કરી તેના માટે હાથીજણ અને ઓઢવ વિસ્તારમાં આવેલા 12 જેટલા પ્લોટની કુલ 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય આજે સ્ટેન્ડિંગ કમિટી લેવામાં આવ્યો છે. જોકે જંગલની જમીન આપવાના નિર્ણયના કારણે છ મહિના કામને અસર રહેતા બ્રિજ મોડો બનશે. આ બ્રિજથી 10 લાખથી વધારે વાહનચાલકોને ફાયદોસ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નરોડા સ્મશાનથી રિંગ રોડ તરફ જવાના રોડ પર પણ ફોરેસ્ટ વિભાગના 46 વૃક્ષો દૂર કરવા માટે ઇસનપુર વિસ્તારમાં આવેલા બે પ્લોટ પણ ફાળવવામાં આવશે. કુલ 13.72 હેક્ટર જેટલી જમીન ફોરેસ્ટ વિભાગને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવશે. આ બ્રિજ બનવાના કારણે 10 લાખથી વધારે વાહનચાલકોને ફાયદો થશે. છેલ્લા 10 મહિનાથી જમીન ફાળવવા કોઈ નિર્ણય ન લેવાયોઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓને કન્સલ્ટન્ટની ભૂલના કારણે અમદાવાદના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરીમાં નડતરરૂપ 146 જેટલા વૃક્ષો જે જંગલ ખાતાની જમીન પર આવેલા હતા. જેને દૂર નહીં કરવા જંગલ ખાતા દ્વારા પરવાનગી આપવામાં આવી નહોતી. જંગલ ખાતા દ્વારા અન્ય જગ્યાએ પ્લોટ ફાળવવા માટેની માંગણી કરવામાં આવી હતી. છેલ્લા 10 મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જંગલ ખાતા દ્વારા જમીન ફાળવવાને લઈને કોઈ નિર્ણય કરવામાં આવ્યો નહોતો. જેના કારણે નરોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી અટકી પડી હતી. કૃષ્ણનગરથી લઈને નરોડા પાટિયા સુધી અને પાટીયાથી બેઠક અને ગેલેક્સી તરફ ઓવરબ્રિજની અડધી કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, વૃક્ષોના કારણે કામગીરી બંધ થઈ ગઈ હતી. 10 પ્લોટની 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય લેવાયોસૌથી લાંબા અને વ્યસ્ત હાઇવે ઉપર બની રહેલા ઓવરબ્રિજની કામગીરી બંધ થવાના કારણે નાગરિકોને અલગ અલગ રોડ પરથી પસાર થવું પડી રહ્યું છે અને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના હાથીજણ 3, હાથીજણ-રોપડા અને ઓઢવ ટીપી સ્કીમમાં આવેલા 10 જેટલા પ્લોટની 13.42 હેક્ટર જમીન ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાથીજણના તમામ પ્લોટ બગીચા હેતુ માટે અને ઓઢવના સ્કૂલ અને સેલ ફોર રેસિડેન્સિયલ માટેના પ્લોટ ફાળવવામાં આવશે. નરોડા સ્મશાનથી રિંગરોડ સુધી આઇકોનિક રોડ બનાવાઈ રહ્યો છેશહેરના નરોડા સ્મશાનથી રિંગરોડ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યો છે જેમાં 46 જેટલા વૃક્ષો જંગલ ખાતાની જમીન પર આવેલા છે જેને લઈને પણ જંગલ વિભાગ દ્વારા આ વૃક્ષો દૂર કરવા માટે જમીન માંગવામાં આવી હતી જેના માટે ઇસનપુર વેસ્ટ ટીપી સ્કીમના કુલ 13086 ચોરસ મીટરના બે પ્લોટ આપવા માટેનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
ભુજમાં ગીતા જયંતિ મહોત્સવની તૈયારીઓ શરૂ:1 ડિસેમ્બરે ભવ્ય ઉજવણી, ગીતા ગ્રંથ યાત્રાનું આયોજન
ભુજમાં અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર અને આર્ષ અધ્યયન કેન્દ્ર દ્વારા ભગવદ્ ગીતા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આર્ષ અધ્યયન કેન્દ્ર છેલ્લા 20 વર્ષથી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ વર્ષે 1 ડિસેમ્બર, માગશર સુદ એકાદશીના રોજ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવશે. કેન્દ્રના સંત પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, આ મહોત્સવ કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આયોજિત થઈ રહ્યો છે. ઉજવણીના ભાગરૂપે વ્યક્તિત્વ વિકાસ, માનસિક શાંતિ અને ગીતા ગ્રંથની ઉપયુક્તતા પર ભાર મૂકવામાં આવશે. ગીતા જયંતિના પૂર્વ દિવસે, 30 નવેમ્બરે બપોરે 3:30 કલાકે રામધૂન મંદિરથી ટાઉનહોલ સુધી એક ભવ્ય ગીતા ગ્રંથ યાત્રા નીકળશે. આ યાત્રામાં કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાંથી સનાતન હિન્દુ જ્ઞાતિઓના પ્રમુખો, મહિલા મંડળના પ્રમુખ અને કારોબારી સભ્યો જોડાશે. નાના બાળકોથી લઈને વડીલો સુધીના ધર્મપ્રેમી ભાઈ-બહેનો ઉત્સાહભેર ભાગ લેશે. યાત્રા બાદ ટાઉનહોલ ખાતે સર્વ હિન્દુ સમાજના પ્રમુખોનું સન્માન કચ્છના વિવિધ તાલુકાઓમાંથી પધારેલા સાધુ-સંતો અને મહંતોના હસ્તે કરવામાં આવશે. ત્યારબાદ પૂજ્ય સ્વામીજી દ્વારા ભગવદ્ ગીતા પર મનનીય પ્રવચન આપવામાં આવશે. કાર્યક્રમના અંતે, સનાતન હિન્દુ સમાજના અઢાર વર્ણોના ભાઈ-બહેનો એક સાથે મહાપ્રસાદનો લાભ લેશે. ગીતા જયંતિના મુખ્ય દિવસે, 1 ડિસેમ્બરે બપોરે 3:30 થી 6 વાગ્યા સુધી ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પારાયણ એક સાથે કરવામાં આવશે. આ ઉપરાંત, 1 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર સુધી દરરોજ સાંજે 5 થી 6:30 વાગ્યા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સમયગાળા દરમિયાન, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી દ્વારા ભગવદ્ ગીતાના અધ્યાય-2 'સાંખ્યયોગ'માં સ્થિતપ્રજ્ઞના લક્ષણો (લાઇફ મેનેજમેન્ટ સેમિનાર) પર પ્રવચનો આપવામાં આવશે. ડો. શરદ ઠાકર અને હાસ્ય કલાકાર તથા સાહિત્યકાર ડો. જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ ધાર્મિક, સાંસ્કૃતિક અને રાષ્ટ્રધર્મને લગતા વિષયો પર વક્તવ્ય આપશે, સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આર્ષ અધ્યયન કેન્દ્ર-ભુજ દ્વારા ભુજની ધર્મપ્રેમી જનતાને આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીમાં બે જુદા બનાવમાં બેના મોત:યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, આધેડ મહિલાનું ઘરે મૃત્યુ
મોરબીમાં બે જુદા જુદા બનાવમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. ત્રાજપર પાસે નીલકંઠ સોસાયટીમાં એક યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે વાવડી રોડ પર મીરાપાર્કમાં એક આધેડ મહિલાનું ઘરે બેભાન અવસ્થામાં મૃત્યુ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રાજપર નજીક નીલકંઠ સોસાયટીમાં રહેતા સુરજભાઈ રાજુભાઈ મેસરીયા (ઉં.વ. 25) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનામાં તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. હાલ એ.એન. ઝાપડિયા આ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બીજા બનાવમાં, મોરબી શહેરના વાવડી રોડ પર આવેલા મીરાપાર્ક વિસ્તારમાં રહેતા સગુણાબેન કરસનભાઈ ફુલતરીયા (ઉં.વ. 52) પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે સગુણાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદના વોર્ડ 9માં દારૂડિયાઓનો ત્રાસ:સ્થાનિકો પરેશાન, કોર્પોરેટરે પોલીસ બોલાવી; દારૂડિયાઓને પકડાવ્યા
બોટાદ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા અવેડા ગેટ વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધ્યો હતો. સ્થાનિક રહીશો દારૂડિયાઓની હરકતોથી ભારે પરેશાન હતા. આ દારૂડિયાઓ નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટના વાયર વારંવાર કાઢી નાખતા હતા, જેના કારણે વિસ્તારમાં અંધારપટ છવાઈ જતો હતો. આ ઉપરાંત, તેઓ સ્થાનિક રહીશો પાસેથી બળજબરીથી પૈસા પણ ઉઘરાવતા હતા. દારૂડિયાઓના આ ત્રાસથી કંટાળીને સ્થાનિક લોકોએ વિસ્તારના કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલનો સંપર્ક કર્યો અને તેમને સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કર્યા. માહિતી મળતા જ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પોલીસને બોલાવીને દારૂડિયાઓને પકડાવ્યા હતા, જેનાથી સ્થાનિકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવ્યો હતો.
આર્થિક વિકાસના માર્ગે અગ્રેસર સુરત શહેર હાલ ગંભીર હવા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના વાયુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેના કારણે દિવસભર ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે. શહેરીજનોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આ પ્રદૂષણ વધારવામાં સુરત મહાનગરપાલિકા (SMC)નો ગાર્ડન વિભાગ જ કથિત રીતે સામેલ છે. આ મામલે લોકો દ્વારા અરજીઓ પણ કરવામાં આવી રહી છે. જેમાં મનપાને લીધે મારા લગ્નની વાતોમાં તીરાડો પડતી હોવાનું પણ લખવામાં આવે છે. ગાર્ડન વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નીકાલ કરવાના બદલે સળગાવાતો હોવાનો આક્ષેપનિયમો અનુસાર, શહેરના બાગ-બગીચાઓમાંથી નીકળતા 'ગાર્ડન વેસ્ટ'નો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખાતર બનાવીને અથવા અન્ય ઈકો-ફ્રેન્ડલી માર્ગે થવો જોઈએ. જોકે, પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યો છે. રાંદેર વિસ્તારના એક કોમન પ્લોટમાં SMC દ્વારા મોટા પ્રમાણમાં ગાર્ડન વેસ્ટ ભેગો કરવામાં આવે છે. આ ભેગા કરાયેલા કચરાને પ્રતિદિન મોટા પાયે સળગાવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાર્ડન વેસ્ટના આ ઢગલાઓથી કોમન પ્લોટ હવે ડમ્પિંગ યાર્ડ જેવો ભાસી રહ્યો છે. આ પ્રવૃત્તિને કારણે નીકળતો ધુમાડો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઘૂસી જાય છે, જે સ્થાનિક નાગરિકોના આરોગ્ય માટે સીધો ખતરો ઊભો કરી રહ્યો છે. સ્થાનિક લોકોએ આ પ્રદૂષણકારી પ્રવૃત્તિ વિરુદ્ધ અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઓનલાઈન અરજીઓ કરી છે. જોકે, આટલી બધી ફરિયાદો છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા સમસ્યાનો કોઈ નક્કર નિકાલ લાવવામાં આવ્યો નથી. અધિકારીઓની નિષ્ક્રિયતા અથવા બેદરકારીના કારણે ગેરકાયદેસર રીતે ગાર્ડન વેસ્ટ સળગાવવાનું ચાલુ છે. આ બાબતે જ્યારે ગાર્ડન વિભાગના અધિકારી ગજેન્દ્ર ચૌહાણનું ધ્યાન દોરવામાં આવ્યું, ત્યારે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તેમનો વિભાગ આ રીતે કચરો નિકાલ કરે છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું કે ગાર્ડન વેસ્ટને સળગાવીને નિકાલ કરવો અયોગ્ય છે. આ ઘટના મહાનગરપાલિકાના આંતરિક વહીવટ પર પણ ગંભીર સવાલો ઊભા કરે છે. શું ઉચ્ચ અધિકારીઓને તેમના નીચેના કર્મચારીઓ દ્વારા થતા કાર્યોની જાણ નથી? અથવા શું આ બેદરકારી જાણી જોઈને કરવામાં આવી રહી છે? હાલમાં સુરત શહેરમાંથી રોજેરોજ આશરે 50 મેટ્રિક ટન જેટલો ગાર્ડન વેસ્ટ નીકળે છે, અને તેમાંથી મોટા ભાગના કચરાનો નિકાલ આ જ ગેરકાયદેસર રીતે કોમન પ્લોટમાં સળગાવીને કરવામાં આવે છે. ગાર્ડન વેસ્ટના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વાત કાગળ પર રહી ગઈસૌથી ગંભીર મુદ્દો એ છે કે હાલ SMC પાસે ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ પણ પ્રકારની પૂરતી અને વૈજ્ઞાનિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. બે વર્ષ પહેલાં 2023માં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી કે SMC ગાર્ડન વેસ્ટમાંથી બાયો-કોલ અને બ્રિક્સ (ઈંટો) બનાવીને ઉદ્યોગોને તેનું વેચાણ કરશે. આ યોજનાથી ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ થવાની અને આવક થવાની મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે તેમ છતાં આ મોટી વાતોનો જમીની સ્તરે કોઈ અમલ થયો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કાં તો અધિકારીઓને વૈજ્ઞાનિક ઢબે ગાર્ડન વેસ્ટનો નિકાલ કરવામાં રસ નથી, અથવા તો માત્ર કાગળ પરની યોજનાઓ ઘડાઈ છે અને તેનું અમલીકરણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા નિયમોની અવગણના કરીને ગાર્ડન વેસ્ટ સળગાવવામાં આવતો હોવાથી શહેરનું પ્રદૂષણ વધી રહ્યું છે અને નાગરિકોના આરોગ્ય જોખમાઈ રહ્યા છે. ઓનલાઈન અરજીઓ છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. હવે જોવું રહ્યું કે SMC ક્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરીને તેના બે વર્ષ જૂના વચનોનો અમલ કરે છે અને સુરતને સ્વસ્થ હવા આપે છે. મેં 100 અરજી કરી હોવા છતા સમસ્યાનો ઉકેલ નથી આવ્યો- સ્થાનિકસ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી આ લોકો જે સુરત મહાનગરપાલિકામાં બાગ ખાતાના, આરોગ્ય ખાતું અને ગટર ખાતું ત્રણે ત્રણ છે ને અમારા ખેતર પાસે કોમન પ્લોટ છે એસ.એમ.સી.નો, બરાબર છે, એમાં એ લોકો આવીને ગંદકી કરી જાય છે ને અમે ફરિયાદ કરવા છતાં કોઈ નિકાલ કરતા જ નથી. બાગ ખાતાના આ લોકો આખા સુરતનો કચરો અહીંયા લાવે છે ને એનો નિકાલ નથી કરતા ને આગ લગાવે છે. એના લીધે 24 કલાક ધુમાડો જ ધુમાડો રહે છે. વધુમાં જણાવ્યું હતું કે, ગંદકીમાં અમે બાજુમાં ખેતી કરીએ છીએ, બધા પાકોમાં નુકસાન થાય છે ને પ્લાસ્ટિક બધું ઉડીને અમારા ખેતરોમાં આવે છે. આજુબાજુમાં લોકો રહે છે. લોકોને બહુ તકલીફ પડે છે પણ એસ.એમ.સી.વાળા કંઈ કામ જ કરતા નથી. મેં ઓછામાં ઓછી 100 અરજી કરી છે. પાલિકા કહે કે અમારી પાસે મશીન આવે ત્યારે સાફ કરાવશું અને અમે પછી આર.ટી.આઈ. માંગીને જવાબ માંગ્યો ત્યારે એમ કહેવામાં આવે છે કે ભાઈ, અમે પાલિકાએ કમિશનર અમને કચરો નાખવા માટે જગ્યા ફાળવેલી છે. એક યુવકે જણાવ્યું હતું કે,લોકો દ્વારા કરવામાં આવેલી અરજીઓમાં અલગ અલગ સમસ્યાઓ પણ લખવામાં આવે છે. જે પૈકી એક અરજીમાં લખ્યું છે કે, વારંવાર રજૂઆત કરવા છતા પણ કચરાનો નિકાલ થતો નથી. SMCને લીધે મારા લગ્નની વાતોમા તીરાડો પડે છે. છોકરીવાળા ખેતરોમાં જોવા આવે છે ને SMCની ગંદકીના લીધે ના પાડે છે. બીજી અરજીમાં લખ્યું છે કે, સુરત મહાનગરપાલિકાના કચરો રસ્તા પર હોવાથી ગંદકીના લીધે અમારા ખેતરોમાં નુકસાન થાય છે અને બાગ ખાતાનો કચરો ગંદકીના લીધે અમારા ખેતરોને પણ વધારે નુકસાન થાય છે. પૂર્વ કોર્પોરેટરે પણ સુરત મનપાની કામગીરી પર સવાલ ઉઠાવ્યાપૂર્વ કોર્પોરેટર વિજય પાંસરીયાએ જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટ બાબતે હાલમાં સુરત મહાનગરપાલિકાએ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવી છે. સુરત શહેરમાંથી જેટલો પણ બાગ-બગીચાનો કે હોર્ટીકલ્ચરનો જે ગાર્ડન વેસ્ટ આવે છે, એનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એને જે સેગ્રીગેશન કરી અને યોગ્ય જગ્યાએ ડમ્પ કરી અને એનો સાયન્ટિફિક વે નિકાલ કરવાનો હોય છે, પરંતુ એ કરવામાં નથી આવતો અને દરેક ઝોનમાં સુરત મહાનગરપાલિકાના પ્લોટમાં આ રીતે ડમ્પ કરવામાં આવે છે, ત્યાં ને ત્યાં એને સળગાવવામાં આવે છે. જેને લીધે આજુબાજુમાં જેટલા રહેવાસીઓ હોય છે, સોસાયટીના રહેવાસીઓ હોય, એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સામે આવે છે. વધુમાં જણાવ્યું હતું કે, કચરાને સળગાવવાને લીધે પર્યાવરણ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં નથી આવ્યા. આજથી અઢી વર્ષ પહેલા એવું કહેવામાં આવેલું હતું કે આ જે પણ બાગ-બગીચાનો કે હોર્ટીકલ્ચરનો કચરો નીકળશે, એનાથી અમે બાયોફ્યુઅલ અને બાયો વેસ્ટમાંથી ઇંટો બનાવીને એનો ઉપયોગ કરશું. પણ આ વાતો ફક્ત કાગળ પર છે, જમીનની હકીકત તો તદ્દન વિપરીત છે. આ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નથી આવતો, એ જમીનની હકીકત છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આગામી 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ બંને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કલેક્શન દિવસ દરમિયાન, 29 નવેમ્બરે બપોરે 12:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી અને 30 નવેમ્બરે સવારે 10:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી કામગીરી ચાલશે. સંબંધિત મતદાર વિભાગના મતદારો પોતાના ગણતરી ફોર્મ (EF) અને ફોર્મના પાછળના ભાગમાં દર્શાવેલ 1 થી 11 પુરાવાઓમાંથી લાગુ પડતા પુરાવા રજૂ કરી શકશે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ ખાસ નોંધ લેવા જણાવ્યું છે કે, જે મતદારો મતદારયાદીમાં નોંધાયેલા પોતાના સરનામે રહેતા નથી, તેવા સ્થળાંતરીત મતદારોએ આ કેમ્પનો લાભ લઈને પોતાના ગણતરી પત્રક અને પુરાવા રજૂ કરવા. મતદારોની સુવિધા માટે વિવિધ સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે. 07 વાવ વિધાનસભા માટે મામલતદાર કચેરી વાવ, ભાભર નગરપાલિકા અને સુઈગામ મામલતદાર કચેરી ખાતે કામગીરી થશે. 08 થરાદ વિધાનસભા માટે મામલતદાર કચેરી થરાદ ખાતે, જ્યારે 09 ધાનેરા વિધાનસભા માટે મામલતદાર કચેરી ધાનેરા અને મામલતદાર કચેરી દાંતીવાડા ખાતે વ્યવસ્થા છે. 10 દાંતા વિધાનસભા માટે મામલતદાર ઓફિસ દાંતા, જનસેવા કેન્દ્ર હડાદ (ગ્રામ પંચાયત કચેરી) અને મામલતદાર ઓફિસ અમીરગઢમાં વ્યવસ્થા કરાઈ છે. 11 વડગામ વિધાનસભા માટે મામલતદાર ઓફિસ વડગામમાં સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, 12 પાલનપુર વિધાનસભા માટે મામલતદાર કચેરી પાલનપુર તેમજ પાલનપુર નગરપાલિકામાં સેવાઓ ઉપલબ્ધ છે. 13 ડીસા વિધાનસભા માટે મામલતદાર કચેરી ડીસામાં, 14 દિયોદર વિધાનસભા માટે મામલતદાર કચેરી દિયોદરમાં અને 15 કાંકરેજ વિધાનસભા માટે મામલતદાર કચેરી કાંકરેજ તથા મામલતદાર કચેરી લાખણી ખાતે તમામ કામગીરી કરવામાં આવશે.
મુળધરાઈ શાળામાં ક્લસ્ટર કલા ઉત્સવ યોજાયો:વિકસિત ગુજરાત@2047 થીમ પર બાળકોએ કલાનું પ્રદર્શન કર્યું
જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર પ્રેરિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવની ઉજવણી મુળધરાઈ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી. આ ઉત્સવ વિકસિત ગુજરાત@2047ની થીમ પર આધારિત હતો, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં મુખ્ય ચાર સ્પર્ધાઓ યોજાઈ હતી: સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા. નિર્ણાયક મિત્રોએ ખૂબ ચીવટપૂર્વક પરિણામો તૈયાર કર્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. પી.એમ. શ્રી શાળા નસીતપુરના આચાર્ય મનીષભાઈ જોગરાણાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું, જ્યારે મુળધરાઈના સી.આર.સી. મહેશભાઈ મકવાણાએ પ્રેરક પ્રવચન આપ્યું હતું. બાળકોએ ચિત્ર, કાવ્ય અને ગીતો દ્વારા ગુજરાતના ગૌરવનું ગાન કર્યું હતું. તેમણે કલાના માધ્યમથી ગુજરાતના વર્તમાન અને ભવિષ્ય વિશેના પોતાના વિચારોની અભિવ્યક્તિ કરી હતી. આ કાર્યક્રમમાં મુળધરાઈ, પીપરીયા, મોણપુર, નવાગામ, શાહપુર, મેવાસા, રતનપુર અને નસીતપુર ગામની શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકો હવે તાલુકા કક્ષાએ ભાગ લેશે. દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું, અને પ્રથમ ત્રણ નંબર મેળવનારને રોકડ ઇનામી રકમ આપવામાં આવી હતી. ક્લસ્ટરની શાળાઓના શિક્ષકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાની ભૂમિકા સારી રીતે અદા કરી હતી. આભારવિધિ પાટણા સી.આર.સી.ના ધર્મેશભાઈ વેગડે કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન મુળધરાઈ શાળાના શિક્ષક જીતેન્દ્રસિંહ ચૌહાણે કર્યું હતું. કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સાથેનો આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો.
મણિનગર સ્થિત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર, કુમકુમ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અધ્યક્ષોએ મુલાકાત લીધી હતી. તેમણે સ્વામિનારાયણ ભગવાન, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કેન્દ્રીય પ્રબંધક સમિતિ સદસ્ય અશોકભાઈ રાવલ અને ઉત્તર ગુજરાત પ્રાંત કોષાધ્યક્ષ શશીકાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંતોએ હાર પહેરાવી અને સાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું હતું. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા ગુજરાતના ગામડે વિચરણ કરીને ધર્મ અને સદાચારનો ઉપદેશ આપ્યો હતો. તેમણે સદાચારી અને વ્યસનમુક્ત સમાજ નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે આવા જ કાર્યો કરવામાં આવી રહ્યા છે, જે પ્રશંસનીય છે. તેમણે આ કાર્યોની વૃદ્ધિ માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી.
શાળા નં. 295 (પી.એમ.શ્રી) માં બંધારણ દિવસની ઉજવણી:વિદ્યાર્થીઓએ આમુખ વાંચી, બંધારણના મૂલ્યો સમજ્યા
રતુભાઈ મુળશંકર અદાણી શાળા નં. 295 (પી.એમ.શ્રી) માં ભારતીય લોકશાહીના પવિત્ર પર્વ 'બંધારણ દિવસ'ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવા અને લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવાનો હતો. આ વિશેષ કાર્યક્રમનું આયોજન શાળાના સવારના પ્રાર્થના સંમેલન દરમિયાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન અને સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી બિંદિયાબેન બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને બંધારણનું મહત્વ સમજાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે સામૂહિક રીતે ભારતીય બંધારણના 'આમુખ' (Preamble) નું વાંચન કર્યું હતું. આ સાથે, સૌએ બંધારણને વફાદાર રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. શાળાના મુખ્ય શિક્ષક પંકજભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓને બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જીવન અને સંઘર્ષ વિશે પ્રેરણાદાયી માહિતી આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણું બંધારણ માત્ર કાયદાનું પુસ્તક નથી, પરંતુ તે આપણી સ્વતંત્રતા અને અધિકારોનું રક્ષક છે. શિક્ષિકા બિંદિયાબેન બારોટે વિદ્યાર્થીઓને નાગરિક તરીકેના મૂળભૂત અધિકારો અને ફરજો વિશે ખૂબ જ સરળ અને રસપ્રદ શૈલીમાં સમજણ આપી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ બંધારણ વિશે વક્તવ્યો રજૂ કર્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. અંતમાં, રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેના થકી વિદ્યાર્થીઓને ભારતીય લોકશાહી અને બંધારણ વિશે અમૂલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
IPGA રાજકોટ ચેપ્ટરના પ્રમુખ ડો. ધાર્મિક મહેતાને 'પ્રોમિસિંગ ફાર્માસિસ્ટ 2025' નો ખિતાબ એનાયત થયો છે. આ સન્માન તાજેતરમાં 8 નવેમ્બર 2025ના રોજ લખનઉ ખાતે યોજાયેલી IPGA (ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન) ની 37 મી વાર્ષિક કોન્ફરન્સમાં કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત ખિતાબ માટે સમગ્ર દેશમાંથી નામાંકિત થયેલા ફાર્માસિસ્ટ્સની પ્રોફેશનલ પ્રોફાઇલ અને તેમના યોગદાનનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમાંથી એક નામની પસંદગી કરવામાં આવે છે. આ વર્ષે ડો. મહેતાની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડો. ધાર્મિક મહેતાએ IPGAના પદાધિકારીઓ, કોન્ફરન્સના મહાનુભાવો અને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા ડો. રાજીવસિંહ રઘુવંશીની ઉપસ્થિતિમાં આ ખિતાબ સ્વીકાર્યો હતો. આ બહુમાન મેળવવા બદલ ડો. મહેતાએ તમામ શુભેચ્છકો, સહાયકો અને પસંદગી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદન બાદ હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પોલીસ સામે કરાયેલી ટીકા બાદ જાણે રાજ્યમાં 'પોલીસ વર્સીસ વિપક્ષ' જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ સિલસિલામાં હવે કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સુરતની મુલાકાત લઈ સરકાર અને પોલીસ વિભાગના કેટલાક અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. આજે સુરતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દૂધાતે ડ્રગ્સ, ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્રોને ટાંકીને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઉડતા ગુજરાત નહીં, આ તો ઝૂમતા ગુજરાત છેઃ પ્રતાપ દૂધાતગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ડ્રગ્સ અને નશાના કારોબારનો મુદ્દો ટોચ પર છે. આ મુદ્દે સરકારને ઘેરતા સુરત આવેલા પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે, પંજાબ ડ્રગ્સના કારણે 'ઉડતા પંજાબ' તરીકે ઓળખાતું હતું અને ત્યાંની યુવાની બરબાદ થઈ હતી. આજે ગુજરાતની સ્થિતિ તેનાથી પણ બદતર બની રહી છે. ગુજરાત હવે 'ઉડતા ગુજરાત' નહીં પરંતુ 'ઝૂમતા ગુજરાત' બની ગયું છે. ‘શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે?’તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પહેલા સુરત અને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં રેવ પાર્ટીઓના કિસ્સા સંભળાતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી છે કે ગામડાઓ સુધી ડ્રગ્સના ઇન્જેક્શન અને પડીકીઓ પહોંચી ગઈ છે. દારૂ અને ડ્રગ્સ એ કોઈ એક પક્ષનો નહીં પણ સમગ્ર જનતા અને આવનારી પેઢીના ભવિષ્યનો પ્રશ્ન છે. શું સરકાર ડ્રગ્સથી ગુજરાતને નષ્ટ કરવા માંગે છે? તેવો વેધક સવાલ તેમણે ઉઠાવ્યો હતો. ‘ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી?’રાજ્ય પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા દૂધાતે કહ્યું હતું કે, ગુજરાત પોલીસ સંસ્કારી અને વિવેકી હોવી જોઈએ, પરંતુ અત્યારે પોલીસ 'લાજવાને બદલે ગાજવાનું' કામ કરી રહી છે. તેમણે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, હું ગુજરાત પોલીસને ચેલેન્જ કરું છું કે જો તમારામાં હિંમત હોય તો નિર્દોષ લોકોને કે કોન્સ્ટેબલોને દબાવવાને બદલે ડ્રગ્સ માફિયાઓને પકડો. જો તમે ડ્રગ્સ માફિયાઓને પકડશો તો કોંગ્રેસ તમારું જાહેર સન્માન કરશે.તેમણે ઉમેર્યું કે, ડ્રગ્સ પકડાય છે પણ ડ્રગ્સ માફિયા કેમ પકડાતા નથી? આ ડ્રગ્સ કોણે મંગાવ્યું અને કોને આપવાનું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ કેમ થતી નથી? આ પ્રશ્નો શંકા ઉપજાવે છે. ‘અમુક અધિકારીઓ વર્દીની ગરિમા ભૂલી પાર્ટીના એજન્ટ બની ગયા’પોતાના આક્રમક તેવર માટે જાણીતા પ્રતાપ દૂધાતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને આડે હાથ લીધા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, અમુક અધિકારીઓ વર્દીની ગરિમા ભૂલીને રાજકીય પાર્ટીના એજન્ટ બની ગયા છે. દૂધાતે માંગ કરી હતી કે, કેટલાક IPS અધિકારીઓની સંપત્તિની તપાસ થવી જોઈએ. કયા સોર્સથી અને કયા 'બે નંબર'ના ધંધાથી આ પૈસા આવ્યા છે, તેની એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, પોલીસને કહેવા માગુ છું કે સરકાર આજે છે અને કાલે નથી. ખોટા લોકોના પટ્ટા આજે નહીં તો કાલે ઉતરવાના જ છે. કોંગ્રેસે અંગ્રેજોને હટાવ્યા હતા, તો તમારા જેવા મુઠ્ઠીભર અધિકારીઓથી અમે ડરવાના નથી. પ્રતાપ દુધાતે કુમાર કાનાણીના વખાણ કર્યાપ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસ નેતાએ ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના વખાણ કર્યા. પ્રતાપ દૂધાતે કહ્યું કે, કુમારભાઈ એક નીડર અને જાંબાઝ વ્યક્તિ છે. તેઓ જનતાના પ્રશ્નો માટે અવારનવાર સરકારને પત્રો લખે છે અને જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે સરકાર તેમના જ ધારાસભ્યના પત્રોની કોઈ 'વેલ્યુ' કરતી નથી. સરકાર પત્રનો જવાબ આપવાનું કે સમસ્યા ઉકેલવાનું ભૂલી ગઈ છે. જનતા રેડ અને આઈસોલેશન સેન્ટરનો મુદ્દોઅંતમાં દૂધાતે ડ્રગ્સના દૂષણને ડામવા માટે સરકાર પાસે માંગ કરી હતી કે ડ્રગ્સની લતમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા સરકારે કેટલા 'આઈસોલેશન સેન્ટર' ખોલ્યા છે? તેનો હિસાબ આપે. તેમણે જાહેરાત કરી હતી કે વ્યસની લોકોને મદદ કરવા માટે કોંગ્રેસ હેલ્પ સેન્ટર શરૂ કરવાનો પ્રયાસ કરશે. સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ હવે કાયદાકીય લડત લડશે અને જરૂર પડ્યે 'જનતા રેડ' પણ કરશે.
ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં. 76માં સમન્વય ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે 'સરદાર વંદના' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ માટેના ઉદ્ઘાટન કાર્યક્રમ તરીકે યોજાયો હતો. રાજ્ય સમન્વય ગ્રુપ દ્વારા ગુજરાતની ૫૬૫ શાળાઓમાં, ભાવનગર સમન્વય ગ્રુપ દ્વારા જિલ્લાની ૧૫૦ શાળાઓમાં, અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, ભાવનગરની 40 શાળાઓમાં આવા 'સરદાર વંદના' કાર્યક્રમો યોજાશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં સમન્વયના સાથી અને શાળાના પૂર્વ આચાર્ય ડો. હરેશ રાજ્યગુરુએ સમન્વય ગ્રુપ અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપી સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેરમેન નિકુંજભાઈ મહેતાનું સમન્વય સાથી પરેશભાઈ ત્રિવેદી, સંજયભાઈ દેસાઈ અને બળદેવસિંહ ગોહિલે પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. બળદેવસિંહ ગોહિલે સરદાર વલ્લભભાઈ પટેલે ૫૬૫ રજવાડાઓને એક કરવાના મહાન કાર્ય વિશે વાત કરી હતી. પરેશભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓમાં જીવનઘડતર અને દેશભક્તિના ગુણોનું સિંચન થાય તેવા સરદાર સાહેબના જીવનપ્રસંગો રજૂ કર્યા હતા. વેલજીભાઈ કણકોટિયાએ સરદાર ક્વિઝ અંગે માહિતી આપી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતાએ સમન્વય ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ સાર્ધ શતાબ્દિ ઉજવણી અંતર્ગત આયોજિત 'સરદાર વંદના' કાર્યક્રમને આવકારી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને વિશેષ વાંચન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સમન્વય ગ્રુપ દ્વારા શાળાને સરદાર સાહેબનો મોમેન્ટો અને પુસ્તકોનો સેટ ભેટ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કિર્તીબેન ભટ્ટ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. સમન્વય ગ્રુપના પરેશભાઈ ત્રિવેદી, બળદેવસિંહ ગોહિલ, વેલજીભાઈ કણકોટિયા, સંજયભાઈ દેસાઈ, હરેશભાઈ રાજ્યગુરુ અને ભરતભાઈ ભટ્ટ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
પાટણ કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ યોજાયો:360 વિદ્યાર્થીઓએ રક્ત તપાસ કરાવી, સ્વાસ્થ્ય જાગૃતિ અપાઈ
પાટણની સરકારી ઈજનેરી કોલેજ, કતપુરમાં વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવા અને વારસાગત થેલેસેમિયા રોગના વહેલા નિદાન માટે થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ એન.એસ.એસ. યુનિટ અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. મંગળવાર, 25 નવેમ્બર, 2025ના રોજ યોજાયેલા આ કેમ્પમાં કુલ 360 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની રક્ત તપાસ કરાવી હતી. રેડક્રોસ સોસાયટીની ટીમે તમામ તબીબી સાવચેતી, સેનિટાઈઝેશન અને સલામતીના પ્રોટોકોલનું પાલન કરીને ટેસ્ટ કર્યા હતા. કોલેજના આચાર્ય પ્રોફે. (ડૉ.) બી. જે. શાહ અને એન.એસ.એસ. કાર્યક્રમ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે જાગૃત કર્યા હતા અને સ્વાસ્થ્ય પરીક્ષણોના મહત્વ, વારસાગત બીમારીઓના નિદાન તેમજ વિદ્યાર્થી જીવનમાં આરોગ્ય સજાગતાની ભૂમિકા સમજાવી હતી.
2002ના ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં લઘુમતી કોમના ટ્રક ડ્રાઈવરની સળગાવીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં 9 આરોપીને સાબરકાંઠા કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. જેની સામે સરકારે હાઇકોર્ટમાં અપીલ કરતા કોર્ટે સરકારની અપીલ નકારી દીધી છે. ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003માં સાબરકાંઠા સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા સામે અપીલ કરવામાં આવી હતી. જેમાં સેશન્સ કોર્ટે હત્યાના આરોપસર 09 વ્યક્તિઓને નિર્દોષ છોડ્યા હતા. હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા ઉપરોક્ત અપીલ નકારી નાખી છે. રમખાણ સમયે ઇકબાલ ટ્રક લઈ અમદાવાદ જવા નીકળ્યા હતાવર્ષ 2002માં ગોધરા સાબરમતી એક્સપ્રેસને સળગાવતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને રાજ્યમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. હજારો લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. આ સમયે મોડાસાના ઇકબાલ બાકરેલીયા કંડકટર મોહમ્મદ સાહિદ સાથે અમદાવાદ આવવા નીકળ્યા હતા. તેઓ જ્યારે તાજપુર સ્ટેન્ડ, પ્રાંતિજ ખાતે પહોંચ્યા, ત્યારે ટોળાએ તેમને રોક્યા હતા. ટોળાએ ટ્રક ડ્રાઇવર પાસે લાયસન્સ જોવા માંગ્યું હતું. ટોળાએ માર મારી મૃતદેહ સળગાવી દીધો હતોપરંતુ પરિસ્થિતિ પારખી જઈને ટ્રક ડ્રાઇવર ઇકબાલે ટ્રક રોડની બાજુમાં આવેલી જગ્યામાં ઉતારીને ભાગવાની કોશિશ કરી હતી. પરંતુ તેમાં તે સફળ ન થતા ટોળાએ તેને પકડીને માર માર્યો હતો. જેમાં ઈકબાલનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ટ્રક સાથે જ તેના મૃતદેહને સળગાવી દેવાયો હતો. સાથે રહેલ કન્ડક્ટર સાહીદને પણ પાઈપ વાગી હતી. પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. આ ઘટનાનો પોલીસ કંટ્રોલને મેસેજ મળતા પોલીસની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં 06 લોકો ટ્રકની પાસે ઊભા હતા. પોલીસે તેમને પોલીસ મથકે લઈ જઈને ટ્રક ચાલકને મારીને, ટ્રક સળગાવવાનો ગુન્હો નોંધ્યો હતો. જો કે સાબરકાંઠા સેશન્સ કોર્ટે 14 સાક્ષી અને 06 પુરાવાઓ તપાસીને આરોપીઓને નિર્દોષ છોડતા નોંધ્યું હતું કે માત્ર ઘટનાસ્થળે હાજરીથી આરોપીઓ ટોળાનો ભાગ હતા કે તેમને જ આ કૃત્ય કર્યું છે તેમ કહી શકાય નહીં. ટોળાના ભાગ હતા કે નહીં તેનો કોઈ ખુલાસો કરાયો નથી: હાઇકોર્ટઆરોપીના વકીલે હાઇકોર્ટમાં કહ્યું હતું કે ભારત બંધનું એલાન અને આવી ઘટના ઘટવાથી ગામડાના લોકો ભેગા થાય, એનો મતલબ એમ નથી કે તેઓએ ડ્રાઇવરને માર્યો કે તેઓ ટોળાનો ભાગ હતા. હાઇકોર્ટે સરકારની અપીલ નકારતા નોંધ્યું હતું કે ડ્રાઇવરની હત્યા વિશે શંકા નથી. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ઘટના બની ચૂકી હતી. ઘટના સમયે ટોળું મોટું હતું. આરોપીઓ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો કે તેઓ ટોળાના ભાગ હતા, તેનો કોઈ ખુલાસો કરાયો નથી. રમખાણો સમયે ઘણી જગ્યાએ ટોળા ભેગા થતા હતા. કુતુહલવશ ગામડાના લોકો તે ઘટનાસ્થળે જોવા ગયા હોય તેવું બની શકે. કોઈ નિર્દોષને સજા થવી જોઈએ નહીં.
થરાદના દારૂના દૂષણને બંધ કરવા માટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી લોકો સાથે પોલીસ મથક પહોંચ્યા હતા. જે દરમિયાન જીગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતારી દેવાની વાત કરતા પોલીસ પરિવારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેની સામે મહિલા કોંગ્રેસ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં આવી છે. ગાંધીના ગુજરાતમાં દારૂના અડ્ડા જ નહીં દારૂની હોમ ડિલિવરી થતી હોવાના મહિલા કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે તેમજ જીગ્નેશ મેવાણીનો વિરોધ કરનાર પોલીસ પરિવારના બહેનો નહીં ભાજપના કાર્યકર્તાઓ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેની સામે મહિલા કોંગ્રેસ 29મીએ રેલી યોજી વિરોધ નોંધાવશે. દારુ-જુગાર અને ડ્રગ્સના અડ્ડાઓ પર જનતા રેડ કરવાની મહિલા કોંગ્રેસ તૈયારીઆગામી 29મીએ મહિલા કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂની કમિશનર કચેરીથી કલેક્ટર કચેરી સુધી મહિલા કોંગ્રેસ રેલી યોજાશે. અમદાવાદમાં ચાલતા દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ બંધ કરવા માટે મહિલા કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપશે. મહિલા કોંગ્રેસની રેલીમાં પ્રદેશના નેતાઓ સામાજિક સંગઠન, સમાજની મહિલાઓ, NSUIના કાર્યકર્તાઓએ જોડાવાના છે તેમજ આવેદનપત્ર આપ્યા બાદ પણ દારૂ, ડ્રગ્સ અને જુગાર બંધ નહીં થાય તો અડ્ડાઓ પર જનતા રેડ કરવાની મહિલા કોંગ્રેસ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. ગુજરાતમાં ઘરે દારૂ જોઈએ તો પણ મળી જાય એવી સ્થિતિ સર્જાઈઅમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં જન આક્રોશ યાત્રા ચાલી રહી છે. જે દરમિયાન દારૂ અને ડ્રગ્સના અડ્ડા ખુલ્લેઆમ ચાલે છે તેની સામે લોકોનો આક્રોશ છે છતાં કોઈ પગલા લેવાતા નથી. ઉડતા પંજાબની જેમ ઊડતું ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે, પોલીસનો ડર અત્યારે જોવા મળે છે, જેથી કોઈ બોલવા તૈયાર નથી. ગાંધીના ગુજરાતમાં ઘરે દારૂ જોઈએ તો પણ મળી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. યુવાનો અત્યારે ડ્રગ્સનાં રવાડે ચડી ગયા છે. જેથી, બાળકો ખોટા રવાડે ચડી રહ્યા છે. ગુજરાતમાં આટલું બધું ડ્રગ્સ આવે છે ક્યાંથી તે સૌથી મોટો સવાલ છે. ડ્રગ્સ પકડાય છે પરંતુ કોને મંગાવ્યું હતું તે સામે આવતું નથી. પોલીસ રેડ નથી કરતી હોવાથી હવે કોંગ્રેસ જનતા રેડ કરશેવધુમાં સોનલ પટેલે જણાવ્યું હતું કે, હપ્તા ગાંધીનગર સુધી જતા હોવાથી કોઈ પકડાતું નથી. ગુજરાતમાં ડ્રગ્સ અને દારૂનો ધંધો બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. જેનો સ્ત્રીઓ સૌથી વધુ ભોગ બની રહી છે, તેમજ ઘરેલું હિંસાનો ભોગ બની રહી છે. ચારે તરફથી જીગ્નેશ મેવાણીને સમર્થન મળી રહ્યું છે. સામાજિક અને લોકોનો મુદ્દો હોવાથી આટલો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપ સામે અત્યારે તમામ લોકો પરેશાન છે. જેની સામે મહિલા કોંગ્રેસ રેલી યોજી વિરોધ કરશે. આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો જનતા રેડ કરવાની પણ કોંગ્રેસ તૈયારી કરાશે. પોલીસ રેડ નથી કરતી હોવાથી હવે કોંગ્રેસ દારૂ અને ડ્રગ્સનું દૂષણ બંધ કરવા માટે જનતા રેડ કરશે. 2021થી 2025 સુધી 16 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયુ છેગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, વિરોધ થતો નથી વિરોધ કરાવવામાં આવી રહ્યો છે. હિંમતનગરમાં પોલીસ પરિવારની બહેનો આગળ આવીને બહેનો વિરોધ કરી રહી હતી. પરંતુ સ્થાનિક લોકોએ જોયું તો સામે આવ્યું કે આમાં પોલીસ પરિવારની બહેનો કરતા ભાજપના લોકો વધારે છે. મંદિરની આજુબાજુ અને બધે જ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. જેનો અવાજ લઈને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. વિપક્ષ તરીકે વિરોધ કરીએ તો પણ તેમની સામે અવાજ ઉઠાવવામાં આવે છે. 2021થી 2025 સુધી 16 હજાર કરોડનું ડ્રગ્સ પકડાય છે. આટલું મોટું ડ્રગ્સ પકડાય તેવું બતાવવા ખાતર છે તેની સામે લોકોને ઉલ્લુ બનાવીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ગુજરાતને ડ્રાય રાજ્ય કહેવાય છે છતાં પણ સૌથી વધુ દારૂ ગુજરાતમાં વહેંચાય છે અને પહોંચી રહ્યું છે. જો આ બદીઓ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મહિલા કોંગ્રેસ જનતા રેડ કરવામાં આવશે.
રેડ ક્રોસ કમિટીની બેઠક યોજાઈ:ગૌશાળાના લાભાર્થે ગૌ ભાગવત કથાને સમર્થન આપ્યું
આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા ઇન્ડિયન રેડ ક્રોસની ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક ગૌશાળાના લાભાર્થે યોજાઈ હતી. આ બેઠકમાં ચેરમેન અને સેક્રેટરીએ ગૌ ભાગવત કથાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગઈકાલે રાત્રે સુભાષ ચોક સ્થિત રેડ ક્રોસ ભવન ખાતે મળેલી આ બેઠકમાં શ્રી અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત પાટણ ખાતે યોજાનાર ગૌ ભાગવત કથામાં સેવાકીય પ્રવૃત્તિઓ માટે રેડ ક્રોસ સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સ સહિત કાર્યકર્તાઓ સમયદાન આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.પાટણ શહેરની હરિઓમ ગૌશાળા અને અનાવાડા ગૌ હોસ્પિટલના લાભાર્થે ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાની ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી રેડ ક્રોસ દ્વારા અપાઈ હતી.ગૌ ભાગવત કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું જણાવતા ભીખાભાઈ પટેલે કહ્યું કે, અનેક સંસ્થાઓ સેવાઓ આપવા માટે આગળ આવી રહી છે, જે પાટણની આગવી વિશેષતા છે. તેમણે ઉમેર્યું કે, પુરી પીઠના શંકરાચાર્ય સહિત અનેક સંતો, મહાત્માઓ અને મહાનુભાવો સાથે હજારો લોકો આ કથાનો લાભ લેશે.આ કથા દ્વારા વિશાળ ગૌ હોસ્પિટલ ગાય માતાને બિમારીમાંથી મુક્ત કરશે, જેના આશીર્વાદ સમગ્ર પાટણ અને પંથકને મળશે. ભીખાભાઈ પટેલે તારીખ 29મીના રોજ બપોરે બે વાગ્યે નીકળનારી પોથી યાત્રા અને કથામાં પાટણના લોકો વધુમાં વધુ જોડાય તેવો પ્રયાસ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે તમામ પ્રકારનો સહયોગ કરવા બદલ કારોબારી સભ્યોનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે, લાયન્સ લીઓ, રોટરી ક્લબ, ભા.વી.પ. સિદ્ધહેમ શાખા, ભા.વી.પ. પાટણ શાખા, જાયન્ટ ક્લબ, ફત્તેસિંહ રાવ પુસ્તકાલય, સિનિયર સિટીઝન, પદ્મનાભ ટ્રસ્ટ અને પ્રજાપતિ સમાજ જેવી અનેક સંસ્થાઓની બેઠકો યોજાઈ ગઈ છે. આગામી સમયમાં પાટણની અન્ય સેવાકીય સંસ્થાઓ પણ આ પ્રકારે બેઠકોનું આયોજન કરી ગૌશાળા અને ગૌ સેવકોને પ્રોત્સાહન પૂરું પાડશે.આજની બેઠકમાં ચેરમેન શ્રી મહેશભાઈ ગાંધી, સેક્રેટરી શ્રી ડો. મોનીષ ચીનુભાઈ શાહ, ડો. શંકરભાઈ પટેલ, ડો. રાજુભાઈ શાહ, ડો. ગોવિંદભાઈ ચૌધરી, ડો. વિરલભાઈ શાહ, શ્રી કીરીટભાઈ ખમાર, શ્રી કમલેશભાઈ આચાર્ય, શ્રી મનસુખભાઈ પટેલ, શ્રી હરેશભાઈ શાહ, શ્રી મેહુલભાઈ પરમાર અને શ્રી જયેશભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા.
સિલ્વર ઓક લૉ કોલેજે રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા યોજી:સંવિધાન દિવસ પર ખોટી માહિતીના પડકારો પર ચર્ચા
સંવિધાન દિવસ નિમિત્તે, સિલ્વર ઓક લૉ કોલેજે સોશિયલ હાર્મની ફાઉન્ડેશનના સહયોગથી રાષ્ટ્રીય સ્તરની નિબંધ લેખન સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ કાર્યક્રમ હમારા સંવિધાન - હમારા સ્વાભિમાન થીમ હેઠળ યોજાયો હતો. સ્પર્ધાની થીમ ખોટી માહિતી અને બંધારણ: ચોથા સ્તંભ માટે જોખમો અને તેને મજબૂત બનાવવાની રીતો હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતભરના વિદ્યાર્થીઓને ખોટી માહિતીના પડકારોનું વિવેચનાત્મક વિશ્લેષણ કરવા પ્રેરિત કરવાનો હતો. દેશભરના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જે બંધારણીય મૂલ્યો અને મીડિયા સાક્ષરતા પ્રત્યે તેમની ઊંડી જાગૃતિ દર્શાવે છે. સંવિધાન દિવસના કાર્યક્રમ દરમિયાન, વિજેતાઓને મહાનુભાવોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા. મહાનુભાવોએ સહભાગીઓના પ્રયાસોની પ્રશંસા કરી અને ખોટી માહિતીના વધતા જોખમ સામે લોકશાહીના ચોથા સ્તંભ – પ્રેસની સ્વતંત્રતાનું રક્ષણ કરવાના મહત્વ પર ભાર મૂક્યો. આ રાષ્ટ્રીય નિબંધ સ્પર્ધા વિદ્યાર્થીઓ માટે ખૂબ સફળ સાબિત થઈ. સહભાગીઓએ લોકશાહીના ચોથા સ્તંભના મહત્વ અને ખોટી માહિતીની અસર વિશે ઊંડી સમજ મેળવી, તેમજ તેમની વિવેચનાત્મક વિચારસરણી અને વિશ્લેષણાત્મક ક્ષમતામાં વધારો થયો. સ્પર્ધાએ મીડિયા નીતિશાસ્ત્ર, જવાબદાર પત્રકારત્વ અને ખોટી માહિતીના ઉકેલો પ્રત્યે જાગૃતિ ફેલાવી, જેનાથી યુવાનોમાં બંધારણીય સાક્ષરતા મજબૂત બની. સિલ્વર ઓક લૉ કોલેજ અને સોશિયલ હાર્મની ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ કાયદાકીય જાગૃતિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપનારો સાબિત થયો.
રાહે પબ્લિક સ્કૂલમાં ફ્રૂટ ડે ઉજવાયો:બાળકોએ ફળો લાવ્યા, શિક્ષકોએ માહિતી આપી
નારોલ વિસ્તારમાં આવેલી રાહે પબ્લિક સ્કૂલ દ્વારા ફ્રૂટ ડેની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં બાળકો ઘરેથી વિવિધ ફળો લઈને આવ્યા હતા. શિક્ષકોએ બાળકોને ફળોના પોષક મૂલ્યો અને સ્વાસ્થ્ય માટેના ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ભારતના ચૂંટણી પંચના પત્ર અનુસાર, 01/01/2026ની લાયકાત તારીખના આધારે ખાસ સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મતદાર ગણતરી ફોર્મનું વિતરણ અને સંગ્રહ કાર્ય 04/11/2025 થી 04/12/2025 સુધી હાથ ધરવામાં આવી રહ્યું છે. મતદારોને સેવા વધુ સરળતાથી મળી રહે તે હેતુસર, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 29 અને 30 નવેમ્બર, 2025ના રોજ બે દિવસ માટે યોજાશે. આ વિશેષ કેમ્પોમાં મતદારો પોતાના ગણતરી ફોર્મ (EF) જમા કરાવી શકશે. ઉપરાંત, તેઓ જરૂરી દસ્તાવેજોની વિગતો અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ અપીલ કરી છે કે, જે મતદારોના ગણતરી ફોર્મ હજુ બાકી છે, તેઓ આ વિશેષ કેમ્પનો ઉપયોગ કરી ફરજિયાત રીતે ફોર્મ જમા કરાવે. 29 અને 30 નવેમ્બર, 2025ના વિશેષ કેમ્પોની વિગતો નીચે મુજબ છે, જે સવારે 11:00 થી સાંજે 05:00 વાગ્યા સુધી કાર્યરત રહેશે: 1.16 – રાધનપુર વિધાનસભા મતવિભાગ: 2. 17 – ચાણસ્મા વિધાનસભા મતવિભાગ: 3. 18 – પાટણ વિધાનસભા મતવિભાગ: 4. 19 – સિધ્ધપુર વિધાનસભા મતવિભાગ: જિલ્લા ચૂંટણી અધિકારી, પાટણ દ્વારા તમામ મતદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નક્કી કરાયેલા કેમ્પ સ્થળે હાજરી આપી પોતાના મતાધિકાર માટે આવશ્યક ગણતરી ફોર્મ (EF) જમા કરાવે અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં સહભાગી બને.
ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાની અંડર-૧૪ બહેનોની ટીમે દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. ટીમે ઉત્તમ રમતકૌશલ્યનું પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન ટીમે જબરદસ્ત સંકલ્પ, સઘન તાલીમ અને ઉત્કૃષ્ટ ટીમવર્કનો પરિચય આપ્યો હતો. અંતિમ રાઉન્ડ સુધી પહોંચીને બહેનોએ દમદાર મુકાબલો આપ્યો અને કઠિન હરીફાઈ છતાં રનર-અપનું ગૌરવ હાંસલ કર્યું. વિજેતા બહેનોને શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થિનીઓની મહેનત, કોચ ચેતનાબહેન પટેલનું માર્ગદર્શન અને વાલીઓના સહકારથી આ સફળતા શક્ય બની છે. શાળા પરિવારે વોલીબોલ ટીમને ભવિષ્યમાં પણ રમતોમાં વધુ સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન કરવા પ્રોત્સાહન આપ્યું છે. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે.
તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે BLO (બૂથ લેવલ ઓફિસર) તરીકેની કામગીરીના ઓર્ડર રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી રજૂઆત કરી હતી. રાજ્યભરમાં ચૂંટણી પંચ દ્વારા હાલમાં SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) કામગીરી અંતર્ગત આંગણવાડી વર્કરોને BLO તરીકેના ઓર્ડર આપવામાં આવ્યા છે. આ ઓર્ડરના વિરોધમાં તાપી જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘે જિલ્લા સેવાસદન ખાતે એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવતી મિશન સક્ષમ આંગણવાડી અને મિશન પોષણ જેવી મુખ્ય કામગીરી પર BLOની ફરજને કારણે અસર પડી રહી છે. આથી, તેમણે BLOના ઓર્ડર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે. આ વિરોધ પ્રદર્શનમાં તાપી જિલ્લાના વિવિધ તાલુકાઓની આંગણવાડી બહેનો જોડાઈ હતી. તેમણે સૂત્રોચ્ચાર કરીને અને બેનરો પ્રદર્શિત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાની કોશિશ,લૂંટ,મારામારી, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાના આરોપીને 2 તમંચા અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યો હતો. આરોપીને પોતાની હત્યા થવાના ડરના કારણ સાથે હથિયાર રાખતો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બાપુનગર મણીલાલની ચાલી પાસેથી મોહમ્મદ સિકંદર નામના આરોપીની બે ગેરકાયદેસર તમંચા અને ચાર જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી સહિતના 23 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. આરોપીના ભાઈ તનવીરની 15 વર્ષ પહેલા સન્માન શેખ નામના વ્યક્તિ હત્યા કરી હતી. સલમાન શેખને આજીવન કેદની સજા થઈ હતી. સલમાન શેખ પેરોલ પર જેલ બહાર આવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરુ કરીસલમાન દ્વારા આરોપી પર હુમલો કરવામાં આવશે તેવો આરોપીને ડર હતો, જે ડરના કારણે આરોપીએ યુપીથી બે તમંચા લાવ્યો હતો. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો જ રહેવાસી છે. આરોપી બાપુનગરમાં દરગાહમાં સાફ-સફાઈનું કામ કરે છે. આરોપીએ હથિયાર કોની પાસેથી કેટલામાં ખરીદ્યું તે અંગે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકીય ઘમસાણ ચાલુ છે.મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અધિકારીઓના 'પટ્ટા ઉતારવા'ની વાત કરતા વિવાદ સર્જાયો હતો. આ નિવેદનના વિરોધમાં પાટણ પોલીસ પરિવારે 21 નવેમ્બરના રોજ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. હવે પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢી જિલ્લા પોલીસ વડા કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.પાટણ જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના સભ્યો વિવિધ બેનરો સાથે SP કચેરી બહારથી રેલી સ્વરૂપે કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન ભાજપ વિરુદ્ધ હાય હાય, દારૂના અડ્ડા બંધ કરો, સસ્તા દારૂ મહેંગા તેલ મોદી તારા કેવા ખેલ જેવા નારા લગાવવામાં આવ્યા હતા. જ્યારે જિજ્ઞેશ મેવાણી હમ તુમ્હારે સાથ હૈ ના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કોંગ્રેસ મહિલા સમિતિએ DYSP મહેન્દ્ર સિંહ સોલંકી ને આવેદનપત્ર આપીને જિલ્લામાં ધમધમતા દારૂના અડ્ડા તાત્કાલિક બંધ કરવા રજૂઆત કરી હતી. સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આ અડ્ડાઓ બંધ નહીં થાય તો જનતા રેડ કરવામાં આવશે. જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જયા ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં 800થી વધુ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને તેમની પાસે આ અંગેના ઓન રેકોર્ડ પુરાવા છે. તેમણે પોલીસ સ્ટેશન વિસ્તાર મુજબ દારૂ અને NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) ને લગતા આરોપીઓ/બુટલેગરોની સંખ્યા જાહેર કરી હતી. આ આંકડાઓ મુજબ: રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 250 થી 300, પાટણ સિટી વિસ્તારમાં દારૂ, જુગાર તથા NDPS ના 350 થી 375, સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ, જુગાર તથા NDPSના 175 થી 225, ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPS ના 75 થી 100, શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPSના 125 થી 150, અને હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા NDPS ના 125 થી 135 ચાલુ ધંધાવાળા બુટલેગરો છે. જયા ઠાકોરે ઉમેર્યું હતું કે દારૂ ખુલ્લેઆમ વેચાય છે, જેના કારણે પાટણ જિલ્લામાં મહિલાઓ અને બાળકોને લગતી ઘટનાઓ વધી રહી છે. તેમણે પોલીસને સરકારનો હાથો ન બનવા અને બુટલેગરોના ધંધા બંધ કરાવવા અપીલ કરી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જીગ્નેશ મેવાણી સ્ત્રી સશક્તિકરણ અને યુવાનો દારૂના રવાડે ન ચડે તે માટે જાગૃતિનું કામ કરી રહ્યા હોવાથી કોંગ્રેસ તેમના સમર્થનમાં છે. કોંગ્રેસ મહિલા સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે જરૂર પડશે તો જિલ્લામાં ધમધમતા જુગારના અડ્ડા અને બુટલેગરોનું લિસ્ટ પણ જાહેર કરવાની તેમની તૈયારી છે.
અમદાવાદને કોમનવેલ્થ-2030 ગેમ્સનું યજમાનપદ મળ્યું હોવાની ખુશીમાં ઈશનપુર ઘોડાસર કેનાલ પાસે આવેલા આલોક બંગ્લોઝ અને પુષ્પક બંગ્લોઝના રહેવાસીઓએ દેશભક્તિના જુસ્સા સાથે તિરંગા ઝૂમાવી, બેનરો લહેરાવી અને એકમેકને મીઠાઈ વહેંચીને આ સિદ્ધિની અનોખી ઉજવણી કરી હતી. 12:39ના વિજય મુહૂર્તમાં મોટી સંખ્યામાં લોકો જોડાયારંગબેરંગી ફટાકડા અને આતશબાજી સાથે રહેવાસીઓએ અમદાવાદને મળેલા ગૌરવને વધાવી લીધું. આજે એટલે કે, 27 નવેમ્બર ગુરુવારે બપોરે 12:39ના વિજય મુહૂર્તે લોકો મોટી સંખ્યામાં જોડાઈને ભારત સરકાર તથા ગુજરાત સરકાર ખાસ કરીને ગુજરાતના ગૃહપ્રધાન અને રમતગમત પ્રધાન હર્ષ સંઘવી દ્વારા હાંસલ કરેલી આ સફળતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો. મેયર સહિતના લોકો હાજર રહ્યાંઉજવણીમાં મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ, પૂર્વ મેયર બીજલ પટેલ તેમજ ઈશનપુરના ભાજપ કોર્પોરેટર શંકર ચૌધરી સહિત અનેક આગેવાનોની હાજરી રહી હતી. બધાએ ગુજરાતને મળેલી આ ઇન્ટરનેશનલ સિદ્ધિને હર્ષભેર વધાવી હતી. અમદાવાદને હેરિટેજ સિટીથી હવે ગ્લોબલ સ્પોર્ટ્સ હબ તરફ આગળ વધતું શહેર ગણાવીને લોકોએ ખાસ ઉજવણી કરી હતી.
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. આજે રાત્રે 8.05 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-2168/5138 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા રાત્રે 8.05 કલાકે આવે છે અને પરત વડોદરાથી 8.40 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે. મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે. આજે વડોદરાથી મુંબઈ જનાર એર ઈન્ડિયાની ફ્લાઈટ AI2892 સમય કરતા અડધો કલાક લેટ ઉપાડી હતી. જ્યારે વડોદરાથી દિલ્હી જનાર એર ઇન્ડિયાની ફલાઇટ નંબર AI808 પણ સમય કરતા વીસથી પચીસ મિનિટ લેટ થતા મુસાફરો અટવાયા હતા.
રાજ્યમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસારને વેગ આપવા અને ભારતીય સંસ્કૃતિના પાવન ગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતાના અભ્યાસને વ્યાપક બનાવવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘યોજના પંચકમ’ની શરૂઆત કરવામાં આવી છે. યોજનામાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ થાય છે. ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15ના શ્લોકોનું સામૂહિક પારાયણ કરશેગીતા જયંતિના પાવન દિવસે, 1 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યના 34 જિલ્લાના સ્થળોએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના પ્રતિભાગીઓ શ્રીમદ્ ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15ના શ્લોકોનું સામૂહિક પારાયણ કરશે. ઉપરાંત વિવિધ સ્થળોએ સંસ્કૃત પ્રદર્શની, સંસ્કૃત સુભાષિતોનું પાઠ, ભગવદ ગીતા પર વિદ્વાનોના વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાશેકાર્યક્રમ અંતર્ગત ગીતા કંઠપાઠ અને સુભાષિત કંઠપાઠ યોજનામાં જોડાયેલા પ્રતિભાગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવશે. આવનારા સમયમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે યુનિવર્સિટી કક્ષાએ સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજનાની સમીક્ષા થશે. સમીક્ષામાં પ્રતિભાગીઓના શ્લોકોના ઉચ્ચારણ, લય-છંદની સુશ્રુતા, કંઠપાઠની નિપૂણતા, ભાવ-ભક્તિ અને આત્મવિશ્વાસભરી પ્રસ્તુતિ જેવા માપદંડોનો સમાવેશ થશે. ગીતા મહોત્સવનું આ આયોજન રાજ્યમાં સંસ્કૃત ભાષાની પેનોરામિક સમૃદ્ધિને પુનર્જીવિત કરવા અને યુવાપેઢી વચ્ચે આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક જાગૃતિ ફેલાવવા મહત્વપૂર્ણ બનશે.
GIFT સિટી ટૂંક સમયમાં રોકાણકારો, બિઝનેસ અને આર્થિક હબમાં કામ કરતા પ્રોફેશનલોને એક જ સ્થળે તમામ માર્ગદર્શન અને સહાય મળે તે માટે સમર્પિત ફેસિલિટેશન સેન્ટર અને લાઉન્જ શરૂ કરવા જઈ રહી છે. આ સેન્ટર GIFT સિટીમાં માહિતી, પ્રક્રિયા અથવા માર્ગદર્શિકા માગતા દરેક માટે સંપર્ક સેન્ટર તરીકે કાર્ય કરશે. ડિસેમ્બરના મધ્ય પછી સેન્ટર કાર્યરત થશેસુત્રોના જણાવ્યા મુજબ, આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય તાજેતરમાં લેવાયો છે અને ડિસેમ્બરના મધ્ય પછી સેન્ટર કાર્યરત થઈ જશે. સિંગલ બેકએન્ડ ઇન્ટરફેસ તરીકે ડિઝાઇન કરાયેલ આ ફેસિલિટેશન સેન્ટર કંપનીઓને IFSCમાં યુનિટ શરૂ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વધુ સરળ બનાવશે. રહેઠાણ, સ્કૂલ, હોસ્પિટલ સહિતની તમામ માહિતી એક જ સ્થળેસેન્ટર દ્વારા બિઝનેસોને નિયમનકારી માર્ગદર્શિકા, એપ્લિકેશન સપોર્ટ અને ઓપરેશન શરૂ કરવા માટેની અન્ય જરૂરી પ્રક્રિયામાં મદદ મળશે. સાથે જ GIFT સિટીમાં નવા જોડાતા કર્મચારીઓ અને પ્રોફેશનલોને સ્કૂલ, હોસ્પિટલ, રહેઠાણ અને અન્ય સુવિધાઓ વિશેની માહિતી પણ મળશે. ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ પણ તૈયાર કરાશેGIFT સિટી મેનેજમેન્ટ જમીનસ્તરની સેવાઓ ઉપરાંત તેને ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલ એપ દ્વારા વિસ્તૃત કરવાની તૈયારીમાં છે. આ ડિજિટલ પ્લેટફોર્મ જાન્યુઆરી મધ્ય સુધી લાઈવ થવાની શક્યતા છે, જે વપરાશકર્તાઓને માહિતી મેળવવા અને સંબંધિત વિભાગો સાથે વર્ચુઅલ રીતે જોડાવા સગવડ આપશે. આ પહેલ GIFT સિટીને વધુ સુલભ બનાવવાની અને ‘Ease of Doing Business’ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. GIFT સિટીમાં ઝડપથી વધતા ઇન્વેસ્ટર્સ અને વર્કફોર્સને શ્રેષ્ઠ સહાય સિસ્ટમ ઉપલબ્ધ થાય તે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
રાજકોટમાં વધુ એક પરિણીતાને સાસરિયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા અંગે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. લગ્ન બાદ થોડા સમય પછી પતિ ખોટી શંકાઓ કરતો અને માનસિક ત્રાસ આપતો હતો આ પછી પરિણીતા પ્રેગ્નેટ હોવા છતાં પતિએ માર માર્યો હતો અને પછી ત્રણેય સંતાનોને લઇ ઘરે પરત ન આવતા સાસરિયાઓ દ્વારા પતિ અને ત્રણેય સંતાનોને કોઈ જગ્યાએ મોકલી દીધા હોવાની જાણ થતા કંટાળી પરિણીતાએ પતિ સંદિપ દાવડા, સસરા બિપીનભાઈ, સાસુ રંજનબેન, જેઠ પીનાકીન અને જેઠાણી પૂનમબેન સામે ત્રાસ ગુજાર્યાની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વર્ષ 2013માં લગ્ન થયા હતા પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન 2013માં થયા હતા. પતિ બાંધકામ અને જમીન લે-વેચનું કામ કરે છે. લગ્નના થોડા સમય બાદથી પતિએ ખોટી શંકાઓ કરવાનું શરૂ કર્યું હતું અને સાંજે ઘરે આવતા સાસુ-સસરા ચડામણી કરતા હતા. સંતાનમાં પુત્રનો જન્મ થતા હોળીના તહેવારમાં ભાઈ તેને હોળીના ફેરા ફેરવવા આવ્યા હતાં પરંતુ સસરા અને પતિએ તારો ભાઈ હોળીના ફેરા નહીં ફેરવે પીનાકીન ફેરવશે કહેતા મારો ભાઈ મામા થાય છે આથી તે ફેરા ફેરવશે કહેતા સસરા અને જેઠ સાથે બોલાચાલી થઇ હતી જેના કારણે ભાઈ સાથે પરત મોરબી પિયર જતા રહ્યા હતા. પતિને અવારનવાર તેડી જવા ફોન કરતી હતી પરંતુ તેના માતા-પિતા વિશે અપશબ્દો બોલી ત્રાસ આપતો હતો. અરસપરસ સમજાવટથી તે ફરીવાર રાજકોટ આવી ગઈ હતી તે પ્રેગનન્ટ હોવાથી સસરા અને પતિએ પ્રત્યક્ષને નણંદના ઘરે જવા માટે તૈયાર કર્યો હતો. પરંતુ પુત્રને જવું ન હોવાથી નથી જવું તો શું કામ મોકલો છો કહેતા પતિએ મારકૂટ કરી હતી. પ્રેગનન્સીનો આઠમો મહિનો ચાલતો હોવા છતાં માર માર્યો હતો સાસરિયા પક્ષનો વ્યવહાર બરાબર ન હોવાથી તે માવતરે જતી રહી હતી. પ્રેગનન્સીનો આઠમો મહિનો ચાલતો હોવા છતાં સાસરિયાઓએ કોઈ ખબર અંતર પૂછ્યા ન હતાં તેમજ ત્રાસ આપતાં કંટાળી ગયા હતાં. પતિએ મોરબી ફેમિલી કોર્ટમાં પુત્રની કસ્ટડી મેળવવા અરજી કરી હતી આ સમયે બીજા પુત્રનો જન્મ થયો હોવા છતાં સાસરિયાઓ ખબર અંતર પૂછવા આવ્યા ન હતાં. જેથી સાસરિયાઓ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ અંગેની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં સમાધાન થઈ ગયું હતું. કોર્ટની સૂચના મુજબ સાસુ-સસરા અને જેઠ-જેઠાણીને અલગ રહેવાનું કહેતા તે હેરિટેજ એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા હતાં. સાસરિયાઓએ પતિને બાળકો સહિત ક્યાંક મોકલી ત્રીજી પ્રેગનન્સી વખતે દીકરીનો જન્મ થયો હતો. આ સમયે ઓપરેશન આવ્યું હોવાથી તે કામકાજ કરી શકે તેમ ન હોવા છતાં સાસુ સારસંભાળ રાખવાને બદલે પતિને ચડામણી કરી ઝગડા કરાવતા હતા. પતિ ત્રણેય બાળકોને પ્લોટિંગ બતાવવા જાવ છું, તું જમવાનું બનાવી રાખજે, ઘરે પરત આવી સાળંગપુર જવું છે કહી નીકળ્યા બાદ ઘરે પરત આવ્યા ન હતાં. ફોન કરતાં બંધ આવતો હતો આ સમયે સસરાએ તેમને નાસ્તો આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આમ સાસરિયાઓએ તેના પતિને બાળકો સહિત ક્યાંક મોકલી આપી ત્રાસ ગુજારતા ફરિયાદ નોંધાવી હતી જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદલોડિયામાં કપડાની દુકાનમાંથી લેડીઝ ડ્રેસ ચોરી થયા છે. દુકાનમાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ ડ્રેસ ટ્રાયલ કરવા ટ્રાયલ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન છુપાવીને બીજો ડ્રેસ પણ સાથે લઈ ગઈ હતી. ત્રણ મહિલાએ દુકાનમાંથી 5 ડ્રેસની ચોરી કરી હતી. આ અંગે દુકાનમાલિકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવીમાં મહિલાઓ ડ્રેસ લઈ જતી દેખાઈવાડજમાં રહેતા કૃણાલ શાહ ચાંદલોડિયામાં રેડીમેડ કાપડનો ધંધો કરે છે. 25 નવેમ્બરે તેઓ દુકાને આવ્યા, ત્યારે સાંજે તેઓ સ્ટોક તપાસતા હતા. સ્ટોકમાં પાંચ પંજાબી ડ્રેસ ઓછા હતા, જેથી તેમણે સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. સીસીટીવીમાં તેમની દુકાનમાં ત્રણ મહિલાઓ સાંજના સમયે આવી હતી, જે ગ્રાહક બનીને ડ્રેસ ટ્રાયલ રૂમમાં લઈ જઈ ચેક કરતી હતી. આ મહિલાઓ ટ્રાયલ રૂમમાં જતી ત્યારે એક જોડીના બદલે બે જોડી સાથે લઈને જતી હતી. દુકાનદારે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવીટ્રાયલ લીધા બાદ એક જ જોડી સ્ટાફને પરત આપતી હતી, જ્યારે બાકીની એક જોડી છુપાવી દેતી હતી. ત્રણે મહિલાઓ દુકાનમાંથી ખરીદી કર્યા વિના જતી રહી હતી અને ત્રણે મહિલાઓએ જ દુકાનમાંથી પાંચ પંજાબી ડ્રેસની ચોરી કરી હતી. કૃણાલભાઈએ પાંચ પંજાબી ડ્રેસ ચોરી થયા અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાલનપુર તાલુકાના મડાણા ખાતે આવેલી નૂતન ભારતી સંસ્થામાં લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા 28મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 21 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. પૂર્વ મંત્રી અને હાલના જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા ધારાસભ્ય જયેશ રાદડિયાએ દીકરીઓને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, દીકરીઓએ પોતાના પિતાની પાઘડીનું સન્માન જાળવવું જોઈએ અને તેને નીચી ન નમવા દેવાની જવાબદારી દીકરીઓની છે. 'બાપ-દાદાની પાઘડી સંસ્કારની નિશાની'રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા બાપ-દાદા જે પાઘડી પહેરતા હતા તે આપણા સંસ્કાર અને વારસાની નિશાની છે. આ પાઘડી એ આપણા વડીલોનું પ્રતીક છે અને દીકરીઓનું કર્તવ્ય છે કે તેઓ આ સન્માનને જાળવી રાખે. દીકરીનો બાપ હંમેશા પોતાની દીકરી માટે સારું જ વિચારે છે. દીકરીઓએ જે ઘરમાં જન્મ લીધો છે અને જે સમાજમાં ઉછરી છે, ત્યાં તેમના માતા-પિતાએ કરેલી મહેનત અને કમાયેલા નામ-આબરૂનું મૂલ્ય સમજવું જોઈએ. 'સમાજની સંસ્થા ખોલવાનું પ્રયત્ન કરીશું'ધારાસભ્ય જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું કે, આપણે વધુ એક જગ્યાએ સમાજની સંસ્થા ખોલવાનું પ્રયત્ન કરીશું તો સમાજની દીકરીઓને મદદરૂપ થઇ શકીશું. હું રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ કે પાલનપુરમાં સમાજ હોસ્પિટલ બનાવવા માટેનું સપનું વિચારે છે, એ આપણા માટે જરૂરી છે. કેમ કે એવી રીતે સમાજની અંદર વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે. 'પોતાના બાપ પર અને લેઉવા પટેલ સમાજ પર ભરોષો રાખજો'રાદડિયાએ જણાવ્યું કે, લેઉવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ-દાદાએ આપેલો વારસો જાળવી રાખજો. આપણા બાપ-દાદા પાઘડી પહેરતા હતા ને એ આપણા સંસ્કારની નિશાની છે. દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી નીચી ન નમી જાય એ જોવાની જવાબદારી દીકરીઓની છે. ઘરમાં તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય, એનો પરિવાર હોય, કુટુંબ હોય, સગાવાલા હોય તોય ઘરનો વડીલ એનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનું કોઈ દિવસ એનો બાપ ખરાબ ન વિચારે. બાપ ઉપર ભરોષો રાખજો અને લેઉવા પટેલ સમાજ પર.. આ સમૂહ લગ્ન સમારોહમાં પટેલ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જયેશ રાદડિયાએ દીકરીઓને તેમના પિતાના ભરોસા પર વિશ્વાસ રાખવા અને સમાજની ગરિમા જાળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે નવસારી જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેની 'ઓન-રોડ' મુલાકાત લઈને કામગીરીનું જાતનિરીક્ષણ કર્યું હતું. તેમણે નેશનલ હાઈવે નંબર 48 અને 54ની સ્થિતિ અંગે પણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રી નીતિન ગડકરીએ નવસારીના ખારેલ અને ચીખલી નજીક આવેલા ગણદેવા ગામ પાસે નિર્માણ પામેલા એક્સપ્રેસ હાઈવેની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓને હાઈવેની કામગીરી ઝડપી અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. આ મુલાકાત વેળાએ કેન્દ્રીય મંત્રીની સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ જોડાયા હતા. સાંસદ ધવલ પટેલે ખારેલ પાસે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું સ્વાગત કર્યું હતું અને પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે કેન્દ્ર સરકારનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ હાઈવે સંપૂર્ણ રીતે કાર્યરત થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું પરિવહન અત્યંત મજબૂત બનશે. તેનાથી વાહનચાલકો માટે પ્રવાસના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે અને ઈંધણની પણ બચત થશે. આ પણ વાંચો- કેન્દ્ર સરકાર ગુજરાતમાં હાઇવે માટે 20,000 કરોડ આપશે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત
ફિલ્મી દુનિયામાં ‘બંટી અને બબલી’ની જોડી ભલે મનોરંજન પૂરતી સીમિત હોય, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં વાસ્તવિક જીવનમાં પણ આવી જ એક ઠગ જોડી સક્રિય હતી. વેપારીઓનો વિશ્વાસ જીતી, કરોડો રૂપિયાનો માલ સગેવગે કરી ભૂગર્ભમાં ઉતરી જવાની ટેવ ધરાવતા પતિ-પત્નીની જોડીને આખરે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસથી પત્નીને બચાવવા પતિએ પત્નીને ‘એડ્સ’નું બહાનું બનાવ્યું હતું. આ દંપતીએ સુરત અને મુંબઈના વેપારીઓને અંદાજે 2.45 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને ‘મોડસ ઓપરેન્ડી’આ ઠગ દંપતીની ઓળખ રાકેશ ચંદ્રરામ કુમાવત (ઉં.વ. 35) અને તેની પત્ની મમતાદેવી (ઉં.વ. 30) તરીકે થઈ છે. આ બંને આરોપીઓની કામ કરવાની પદ્ધતિ અત્યંત શાતિર અને પૂર્વયોજિત હતી. તેમની મોડસ ઓપરેન્ડી મુખ્યત્વે ‘વિશ્વાસ મેળવવા’ પર આધારિત હતી. સૌ પ્રથમ, આ દંપતી સુરત શહેર અથવા બહારના રાજ્યોમાં મોટા કાપડ માર્કેટોમાં ભાડે દુકાનો રાખતા હતા. શરૂઆતમાં તેઓ પોતાની પેઢીની મજબૂત શાખ ઉભી કરવા માટે વેપારીઓ પાસેથી નાના પાયે માલ ખરીદતા અને કાપડ માર્કેટના વણલખાયેલા નિયમો મુજબ સમયસર પેમેન્ટ ચૂકવી દેતા હતા. આ પ્રક્રિયા તેઓ ત્યાં સુધી ચાલુ રાખતા જ્યાં સુધી સામેવાળા વેપારીને તેમના પર પૂરેપૂરો ભરોસો ન બેસી જાય. એકવાર વેપારીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ, તેઓ મોટો દાવ ખેલતા હતા. શાખના આધારે તેઓ કરોડો રૂપિયાનો ઉધાર માલ ખરીદી લેતા અને ત્યારબાદ રાતોરાત દુકાનો બંધ કરી, મોબાઈલ સ્વીચ ઓફ કરી ફરાર થઈ જતા હતા. પોલીસ પકડથી બચવા માટે તેઓ વારંવાર પોતાના રહેણાંક બદલતા રહેતા હતા, જેથી પોલીસ તેમના સુધી પહોંચી ન શકે. પત્નીને બચાવવા પતિએ રચ્યું હતું ‘એડ્સ’નું નાટકઆ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી રાકેશની ચાલાકી હતી. રાકેશ કુમાવત અગાઉ સલાબતપુરા અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાઈ ચૂક્યો હતો, પરંતુ તેની પત્ની અને ગુનામાં ભાગીદાર મમતાદેવી પોલીસના હાથમાં ન આવે તે માટે તેણે એક નવતર કીમિયો અજમાવ્યો હતો. જ્યારે રાકેશ અગાઉ પકડાયો હતો, ત્યારે તેણે પોલીસને અને સમાજને એવું જણાવ્યું હતું કે, તેની પત્ની મમતાદેવીને ‘એડ્સ’ની ગંભીર બીમારી છે, જેના કારણે તેણે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી છે. આ સહાનુભૂતિ અને ડરનું મિશ્રણ હતું, જેના કારણે પોલીસ અને તપાસ એજન્સીઓ મમતાદેવીની તપાસમાં ઢીલ મૂકે અથવા તેનાથી દૂર રહે. હકીકતમાં, મમતાદેવી તંદુરસ્ત હતી અને તેઓએ પોલીસને થાપ આપવા માટે તેનું નામ બદલીને ‘ભારતાદેવી’ રાખી દીધું હતું અને બંને સાથે જ રહેતા હતા. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચનો સપાટોસુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, વેપારીઓ સાથે છેતરપિંડી કરનારું આ દંપતી હાલ ગોડાદરા વિસ્તારમાં આવેલ હરીઓમ નગરમાં મકાન નંબર-72માં રહે છે અને ખોટા નામે વસવાટ કરી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી રાકેશ અને તેની પત્ની મમતાદેવીને ઝડપી પાડ્યા હતા. દંપતી વિરુદ્ધ નીચે મુજબના પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા1. ડી.સી.બી. પોલીસ સ્ટેશન (સુરત)2. સલાબતપુરા પોલીસ સ્ટેશન (સુરત)3. લોકમાન્ય તિલક પોલીસ સ્ટેશન (મુંબઈ)આ બંનેએ મળીને કુલ 3 ગુનામાં અંદાજે રૂ. 2,45,04,623 ની છેતરપિંડી આચરી છે. ખાસ કરીને મુંબઈના લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં તેઓ વોન્ટેડ હતા. વર્ષથી માથાનો દુખાવો બની ગયેલા ‘બંટી-બબલી’નો ખેલ ખતમક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની અટકાયત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં આરોપી મમતાદેવીનો કબજો સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યારે આરોપી રાકેશ કુમાવતનો કબજો મુંબઈની લોકમાન્ય તિલક માર્ગ પોલીસને સોંપવામાં આવ્યો છે. આમ, એક વર્ષથી નાસતા ફરતા અને વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગયેલા આ ‘બંટી-બબલી’ દંપતીનો ખેલ આખરે પૂરો થયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025ની મુલાકાત લીધી હતી. જે દરમિયાન અલગ-અલગ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં એક વિદ્યાર્થિનીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે બાદ અમિત શાહે વિદ્યાર્થિની તમામ વિગતો અને એડ્રેસ ઓફિસ પર મોકલવાની સૂચના આપી હતી. જેથી, શાળા દ્વારા તમામ વિગતો અને એડ્રેસ સાથેની માહિતી અમિત શાહની ઓફિસે પહોંચાડવામાં આવી છે પરંતુ, વિદ્યાર્થિનીએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કેમ કરી? તેને લઈને દિવ્ય ભાસ્કરે વિદ્યાર્થિની પ્રગતિ સાથે વાતચીત કરી છે. વિદ્યાર્થિની કે પરિવારને ખબર નહિ તેને અમિત શાહના હસ્તે સન્માનિત કરાશેપ્રગતિ ચૌહાણ નામની વિદ્યાર્થિની પુરુષોત્તમ નગર શાળા નંબરમાં ધોરણ-5માં અભ્યાસ કરે છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓની અલગ-અલગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સંગીતની સ્પર્ધામાં પ્રગતિ નામની વિદ્યાર્થિનીનો પહેલો નંબર આવ્યો હતો. જેથી, અલગ-અલગ સ્પર્ધામાં જે પણ લોકો વિજેતા થયા હતા તેમને ઇનામ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેથી, પ્રગતિ ચૌહાણને પણ ઇનામ લેવા માટે બોલાવવામાં આવી હતી પરંતુ, તેને કે તેના પરિવારને ખબર નહિ કે ઇનામ અમિત શાહના હસ્તે સન્માનિત કરવામાં આવશે. પરિસ્થિતિના કારણે વિદ્યાર્થિનીએ ક્લાસીસ બંધ કર્યાજ્યારે પ્રગતિ ચૌહાણ તેના પરિવાર સાથે ઈનામ લેવા માટે જ્યારે ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે આજે તેને ઇનામ અમિત શાહ આપવાના છે. એક બાદ એક અમિત શાહના હસ્તે તમામ વિજેતા વિદ્યાર્થીઓને હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે પ્રગતિ ચૌહાણને ઇનામ લેવા માટે બોલાવવામાં આવી હતી. ત્યારે ઇનામ આપતા સમયે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સહજતાથી સવાલ કરતા પૂછ્યું કે, ક્લાસ કરવા માટે જાય છે કે નહીં ત્યારે પ્રગતિ ચૌહાણે જવાબ આપતા કહ્યું હતું કે, ના સર પહેલા કરતી હતી પરંતુ, પરિસ્થિતિના કારણે બંધ કરવા પડ્યા છે. પ્રગતિ ચૌહાણે એડવાન્સ ક્લાસ કર્યા વગર હાર્મોનિયમ વગાડવામાં મહારથ હાંસલ કરીવિદ્યાર્થિની પ્રગતિ ચૌહાણનો ભાવુક જવાબ સાંભળતા જ અમિત શાહે હાજર અધિકારીઓને વિદ્યાર્થિનીની વિગતો અને એડ્રેસ ઓફિસ પહોંચાડવા માટે સૂચના આપી હતી. જો તે બાદ શાળા દ્વારા વિદ્યાર્થિનીની વિગતો અને એડ્રેસ અમિત શાહની ઓફિસ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થિની પ્રગતિ 4 વર્ષની હતી ત્યારથી હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું હતું. થોડા વર્ષ સુધી આર્થિક સ્થિતિ સારી હોવાથી દીકરીની ઈચ્છા પૂર્ણ કરવા માટે પિતાએ તમામ પ્રયાસ કર્યા હતા પરંતુ, એક સમય બાદ આર્થિક સ્થિતિ સારી ન હોવાથી પિતાએ દીકરીના હાર્મોનિયમના ક્લાસ બંધ કરાવવા પડ્યા હતા. અત્યારે પ્રગતિ ચૌહાણના પિતા નાનું-મોટું કામ કરીને દીકરીને અભ્યાસ કરાવે છે અને ઘરનું ગુજરાન ચલાવે છે પરંતુ, પ્રગતિ ચૌહાણે કોઈપણ એડવાન્સ ક્લાસ કર્યા વગર એટલી મહારથ હાંસલ કરી છે કે અત્યારે તમામ જિલ્લામાંથી હાર્મોનિયમ વગાડવા માટે ઓર્ડર આવી રહ્યા છે. પ્રગતિએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતીપૈસા માટે નહીં પરંતુ દીકરી હજારો લોકો સામે પરફોર્મન્સ કરી શકે તે માટે ઓર્ડર લેવાના શરૂ કર્યા છે. એકવાર પ્રગતિનું સંગીત અને તેનો અવાજ સાંભળ્યા બાદ અન્ય લોકો પણ ભાવુક થઈ જાય છે. નાની ઉંમરમાં પણ આટલી સારી ચાહના મેળવી હોવાથી પ્રગતિને વધુ અભ્યાસ માટે સારી જગ્યાએ ક્લાસ લેવા જરૂરી છે પરંતુ, પિતાની પરિસ્થિતિ જોતા તે શક્ય થઈ શકતું નથી. જેથી, પ્રગતિએ અમિત શાહ પાસે હાર્મોનિયમ શીખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રગતિની ઈચ્છા છે કે, સારા ક્લાસ કરીને વિદેશમાં પણ પરફોર્મન્સ કરી પરિવારનું અને ગુજરાતનું નામ રોશન કરી શકે. જે માટે અમિત શાહ પ્રગતિને હાર્મોનિયમ શીખવવા માટેના ક્લાસની વ્યવસ્થા કરી તેની ઈચ્છા પૂરી કરશે. અમિત શાહે પૂછ્યું હતું કે, તારે ક્લાસ કરવા છે? વિદ્યાર્થિની પ્રગતિ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે ખબર નહતી કે અમિત શાહ આવવાના છે. અમને એટલી જ ખબર હતી અમારે ત્યાં જવાનું છે. જે બાદ પહોચ્યા ત્યારે કહેવામાં આવ્યું હતું કે અમિત શાહ આવવાના છે. અમિત શાહે બધા લોકો સાથે વાતચીત કરી હતી. મારો નંબર આવ્યો ત્યારે મને પૂછ્યું કે, તું ક્લાસ કરે છે કે નહીં ? પરંતુ મેં કહ્યું કે ના સર ક્લાસ નથી કરતી પહેલા કરતી હતી પરંતુ પરિસ્થિતિના કારણે બંધ કરવા પડ્યા છે. જેથી અમિત શાહે પૂછ્યું હતું કે તારે ક્લાસ કરવા છે ? તો ક્લાસ કરવાની હા પાડી હતી. તો અમિત શાહે કીધું સારું તને ક્લાસ કરાવીશ. ઘણી બધી જગ્યાએ પ્રોગ્રામ કર્યા છે, પરંતુ હજુ પણ પ્રોફેશનલ ક્લાસ શીખવાની જરૂરી છે. દીકરીને આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મહેનત કરીએ છીએવિદ્યાર્થિનીના પિતા નાગજીભાઈ ચૌહાણે કહ્યું હતું કે, મારી દીકરી 7 વર્ષથી સંગીત શીખે છે તેમજ હાર્મોનિયમ પણ ચાર વર્ષથી વગાડે છે પરંતુ, હજુ પણ તેને હાર્મોનિયમ શીખવું પડે તેવું છે. મારો ધંધો ઓછો ચાલી રહ્યો છે, તેમજ તેની પાછળ હોવાથી અન્ય કામ કરી શકતા નથી. જેથી આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. અમિત શાહે મારી દીકરીને કહ્યું હતું કે, તારે હાર્મોનિયમ શીખવું હોય તો હું તને સપોર્ટ કરીશ. જો સપોર્ટ મળશે તો તે આગળ વધી શકે છે. અલગ-અલગ 350 જેટલા પ્રોગ્રામ પણ ર્ક્યા છે. શાળા દ્વારા વિગતો માંગવામાં આવી હતી જે આપી દીધી છે. વધુમાં નાગજીભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, મોટા સ્ટેજ પર તેને પરફોર્મન્સ કરવાની તક મળે છે. ભવિષ્યમાં પણ તે દેશ અને વિદેશમાં પ્રોગ્રામ કરીને પરિવાર અને ગુજરાતનું નામ રોશન કરે તેવી અમારી ઈચ્છા છે. ઘણા બધા રૂપિયાનો ખર્ચ દીકરીના ક્લાસ પાછળ કર્યો છે. એક દિવસના પ્રોગ્રામ કરાવવા માટે પણ ધંધો છોડીને જવું પડે છે, જેના કારણે મારું કારખાનું પણ બંધ થઈ ગયું છે. પૈસા મળે કે ન મળે તેની અમે કોઈ પણ અપેક્ષા રાખી નથી. માત્ર આ ક્ષેત્રમાં આગળ વધારવા માટે મહેનત કરીએ છીએ.
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ખાસ કરીને હાઇવે પર સરળતાથી વેચાણ થઈ શકે તેવા અને કિંમતી ધાતુઓ ધરાવતા કારના સાયલેન્સર ચોરતી ગેંગ સક્રિય થઈ છે. તાજેતરમાં શહેરના સેક્ટર-4 વિસ્તારમાં બનેલી એક ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. મોડી રાત્રે એક મારુતિ ઈકો કારને નિશાન બનાવી ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઇ જૂનું ફીટ કરીને ગેંગ કારમાં નાસી જતાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અત્રેના વિસ્તારમાં એક પછી એક ચારથી વધુ ચોરીને સાયલેન્સર ચોર ગેંગ ધ્વારા અંજામ આપવામાં આવ્યો હોવાની સ્થાનિકોમાં બુમરાણ ઉઠવા પામી છે. ઈકો કારમાંથી સાયલન્સની ચોરી કરી તસ્કરો ફરારશહેરના સેક્ટર-4 વિસ્તારમાં બનેલી એક ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઊભા કર્યા છે. મોડી રાત્રે એક મારુતિ ઈકો કારને નિશાન બનાવી ઓરિજિનલ સાયલેન્સર કાઢી લઇ જૂનું ફીટ કરીને ગેંગ કારમાં નાસી જતાં સમગ્ર ઘટના આસપાસના વિસ્તારમાં લાગેલા CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. મધરાતે ચોર ગેંગના બે ઇસમો કાર લઈને સેક્ટર-4 વિસ્તારમાં પ્રવેશ્યા હતા. આ તસ્કરોએ ઠંડા કલેજે અને બિન્દાસ રીતે પાર્ક કરેલી ઈકો કારમાંથી ઓરિજિનલ સાયલેન્સરને ગણતરીની મિનિટોમાં કાઢી લીધું હતું. કારચાલકને ખબર ન પડે તે માટે ઓરિજિનલ સાયલેન્સર કાઢી જૂનું ફીટ કરી દેતાઆ ગેંગની મોડસ ઓપરેન્ડી સૌથી આશ્ચર્યજનક છે. ઓરિજિનલ અને કિંમતી સાયલેન્સરની ચોરી કર્યા બાદ પકડાઈ ન જવાય તે હેતુથી તેજ જગ્યાએ નકલી (જૂનું) સાયલેન્સર ફિટ કરીને ફરાર થઈ ગયા હતા. આ પદ્ધતિનો ઉપયોગ કરીને તેઓ ચોરીનો ગુનો છુપાવવાનો પ્રયાસ કરે છે, જેથી વાહન માલિકને તાત્કાલિક ચોરીની જાણ ન થાય અને ગેંગને પોલીસ પકડથી બચવાનો વધુ સમય મળી શકે. આ ચોરીનો ભોગ બનેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે સેક્ટર-7 પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ઈકો કારના સાયલેન્સરમાં પ્લેટિનમ, પેલેડિયમ અને રહોડિયમ જેવી મોંઘી ધાતુઓ હોય છે, જેની બ્લેક માર્કેટમાં ઊંચી કિંમત મળે છે, આ જ કારણે આ ગેંગ માત્ર ઈકો કારને જ નિશાન બનાવી રહી છે.શહેરના શાંત અને સુરક્ષિત ગણાતા સેક્ટરોમાં રાત્રિના સમયે આવી બિન્દાસ ચોરી થતા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને CCTV ફૂટેજના આધારે આ સક્રિય સાયલેન્સર ચોર ગેંગને તાત્કાલિક પકડી પાડવાની સખત માંગણી કરી છે.
વડોદરા શહેરમાં તાજેતરમાં ગુજસીટોક કેસમાં જેલમાંથી જામીન પર છૂટેલા કાસમઆલા ગેંગના સભ્ય સાહીદ ઉર્ફે ભુરીયો ઝાકીરભાઈ શેખ(ઉં.વ. 32)ને મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે અને સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ટીમે વડોદરા શહેરના હુઝરાત ટેકરા વિસ્તારમાં શેરઅલીબાવાની દરગાહ પાસે આવેલા આરોપીના ઘરે દરોડો પાડ્યો હતો. અંગ ઝડતી લેતાં આરોપી પાસેથી 2.80 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (બજારકિંમત રૂ. 6,240), એક મોબાઇલ ફોન (રૂ.5,000) તથા ઘરનું લાઇટબીલ મળી આવ્યું હતું. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 11,240 થાય છે. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે, તે આ ડ્રગ્સ સુરતના અમરોલી વિસ્તારે રહેતા સાજીદ પટેલ પાસેથી લાવ્યું હતું અને નાની પડીકીઓ બનાવી વડોદરામાં છુટક વેચાણ કરતો હતો. આરોપી સાહીદ ઉર્ફે ભુરીયો કાસમઆલા ગેંગનો સક્રિય સભ્ય છે. વર્ષ 2025ની શરૂઆતમાં ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જેલહવાલે કર્યા હતા. જામીન પર છૂટ્યા બાદ પણ આરોપીએ ડ્રગ્સનો ધંધો ચાલુ રાખ્યો હતો, જેની સતત નજર રાખવામાં આવી રહી હતી. આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. સુરતના સાજીદ પટેલની શોધખોળ ચાલુ છે. આરોપી સામે 14 ગુના - ચોરી, મારામારી, જુગાર, પ્રોહિબિશન સહિતના ગુના નોંધાયેલા છે - 2025માં ગુજસીટોક હેઠળ પણ જેલવાસ ભોગવ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વિરુધ્ધ સરકાર કિન્નાખોરી દાખવી રહી હોવાના આક્ષેપ સાથે રાજકોટ આવેલા કોંગી નેતા પરેશ ધાનાણીએ જન આક્રોશ રેલી બાદ દેશની આવનાર પેઢીને બરબાદ કરતા માફિયાઓ સામે અવાજ ઉઠાવી અખાએ ગુજરાતમાં આંદોલન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ફરી તેમને એક તળપદી ભાષામાં વિવાદિત નિવેદન આપી જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થવાની છે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે. પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકીય ઈશારે નાચનારા, સંવિધાનના સોગંધ ખાનારાઓની જોવા જેવી થવાની છે. દરેકના પટ્ટા ઉતરી જવાના છે અને પટ્ટા ઉતરી જશે તો પેન્ટ પણ નહિ સચવાય જેના કારણે બધા ઉઘાડા થઇ જવાના છે. જે લોકો દારૂ અને ડ્રગસના દુષણને પ્રોત્સાહન આપે છે અને પોતાની ફરજ ચુકી રહ્યા છે તેવા તમામ સામે જન આંદોલન થશે તો આગેવાની પરેશ ધાનાણી સંશિત આખો કોંગ્રેસ પક્ષ લેવા તૈયાર છે. કાયદાકીય લડાઈ લડવાની પણ અમારી તૈયારી છે. જનતા આશીર્વાદ મળશે તો આવતા દિવસોમાં આવા તમામ ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, મિલ્કત માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દેશું. ગુજરાતના તમામ લોકો યજમાનીને આવકારી રહ્યા છે ગુજરાતને કોમન વેલ્થ ગેમની યજમાની મળતા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગાંધી અને સરદારના ગુજરાતમાં યજમાની મળી એ સારી વાત છે કોંગ્રેસ પરિવાર સહિત ગુજરાતના તમામ લોકો યજમાનીને આવકારી રહ્યા છે. પરંતુ સત્તાધારી પક્ષને એટલી જ અપીલ છે કે જે રીતે રમત ગમતમાં ખેલદિલી રાખવામાં આવે તેવી જાહેર જીવનમાં પણ રાખવામાં આવે. ગુજરાતની જનતાને પડતી મુશ્કેલી સાંભળો તેનો અવાજ દબાવવાનો પ્રયાસ ન કરવામાં આવે. રમત ગમતની જેમ ખેલદિલી રાખવામાં આવે. પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવશે. મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દારૂ ડ્રગ્સ અને ગંજાનું દુષણ ખુબ વધી રહ્યું છે. પોલીસ મોટ ભાગના કેસમાં આરોપીઓને પકડી પણ શક્તિ નથી બે દિવસ પહેલા પણ પોલીસ કમિશનરને રજુઆત મળી હતી કે દારૂના નશામાં ધૂત શખ્સ વિસ્તાર વાસીઓને હેરાન કરે છે જો કે તેની સામે કોઈ કાર્યવાહ હજ સુધી થઇ નથી. માત્ર દારૂ જ નહિ પરંતુ ડ્રગ્સ, ગાંજો, ચરસ, તેમજ ટ્રાફિક સહિતના પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે જે તમામ બાબતે આગામી દિવસોમાં પોલીસ કમિશનર સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવશે.
બોટાદમાં કવિ બોટાદકરની જન્મ જયંતી નિમિત્તે 'સ્વરાંજલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના જાણીતા ગાયક, કવિ અને ગીતકાર અરવિંદ બારોટ રહ્યા હતા. તેમણે કવિ બોટાદકરની રચનાઓને સ્વરબદ્ધ કરીને રજૂ કરી, જેનાથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા.આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, બોટાદના પૂજ્ય માધવસ્વરૂપ સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે કવિ બોટાદકરના સાહિત્યિક યોગદાનને બિરદાવ્યું હતું. માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંચાલક પ્રા. વૈશાલીબેન દવેએ કવિ બોટાદકરની અમર રચનાઓ, ખાસ કરીને 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' અને ગુજરાતી સાહિત્યમાં તેમના પ્રદાન વિશે વક્તવ્ય આપ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું આયોજન માતૃભાષા શિક્ષણ કેન્દ્ર-બોટાદના સંયોજક ભાવેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે કવિ બોટાદકરના સાહિત્યિક વારસાને જીવંત રાખવાના આ પ્રયાસ બદલ સૌનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમ માતૃભાષા અને સાહિત્ય પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવામાં સફળ રહ્યો.
છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પીપળસટ ગામ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતીએ પોતાની આઠ માસની દીકરીને પાણીના હોજમાં ડૂબાડીને મોતને ઘાટ ઉતારી દીધી અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પ્રેમલગ્નને કારણે પિયરપક્ષ સમાજની રીતે છૂટાછેડા કરાવી પાછા લઈ જશે તેવા ડરને કારણે મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ છે. માતાએ 8 માસની દીકરીને હોજમાં ડૂબાડી, પોતે ફાંસો ખાધોપ્રાપ્ત માહિતી અનુસાર, સંખેડાના પીપળસટ ગામની એક વાડીમાં ગિરીશભાઈ ભૂરિયાભાઈ ભીલ તેમની પત્ની સંગીતાબેન અને 8 માસની દીકરી હંસિકા સાથે રહીને ખેતમજૂરી કરતા હતા. ગિરીશભાઈએ સંગીતાબેન સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્ન કર્યા હોવાને કારણે સંગીતાબેનને હંમેશા એક ડર સતાવતો હતો કે, તેમના પિતા સમાજની રીતે ભેગા થઈને તેમને છૂટાછેડા કરાવીને પાછા લઈ જશે. આ સતત ડર અને ભય હેઠળ તેઓ જીવન જીવી રહ્યા હતા. પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ડરથી યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાનઆ ડરને કારણે સંગીતાબેને ગઈકાલે (26 નવેમ્બર) સવારે લગભગ આઠેક વાગ્યાના અરસામાં તેમના પતિ ગિરીશભાઈને બાળકી માટે બિસ્કિટ લેવા બજારમાં મોકલ્યા હતા. ગિરીશભાઈ બજારમાંથી દૂધ, બિસ્કિટ અને પાપડી લઈને પાછા ફર્યા ત્યારે તેમને પત્ની સંગીતાબેન અને દીકરી હંસિકા ઘરમાં જોવા મળ્યા નહોતા. ગિરીશભાઈએ શોધખોળ શરૂ કરતાં ઓરડીની પાછળ આવેલા પાણીના હોજમાં તેમની 8 માસની દીકરી હંસિકા પાણીમાં મૃત્યુ પામેલી હાલતમાં તરતી મળી આવી હતી. પોતાની દીકરીને મૃત હાલતમાં જોઈ ગિરીશભાઈ ગભરાઈ ગયા અને તરત જ પત્ની સંગીતાબેનને શોધવા લાગ્યા. લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ફાંસો ખાધોઆજુબાજુ તપાસ કરવા છતાં સંગીતાબેનની કોઈ ભાળ ન મળતાં ગિરીશભાઈ નજીકમાં રહેતા તેમના કાકા પાસે પહોંચ્યા અને સમગ્ર હકીકત જણાવી. ગિરીશભાઈ અને તેમના કાકાએ સાથે મળીને સંગીતાબેનની શોધખોળ આદરી. આજુબાજુના ખેતરોમાં તપાસ કરતાં, નજીકના જ એક ખેતરમાં આવેલા લીમડાના ઝાડની ડાળી ઉપર સૂતરની દોરી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં સંગીતાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂઆ કરુણ બનાવની જાણ થતાં સંખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બાળકી અને મહિલાના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પોલીસે હાલ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાના આપઘાત તથા બાળકીની હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. પ્રેમલગ્ન બાદ છૂટા પડવાના ભયના કારણે આ યુવતીએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું પોલીસ માની રહી છે.
ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોને ખાતર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના વાદીયોલ ગામે પણ યુરિયા ખાતરની તંગી વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે. હાલમાં ઘઉંનું વાવેતર થઈ ગયું છે અને પાકને પાણી આપવાનો સમય થયો છે. આ સમયે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને કારણે ખેડૂતો ચિંતિત છે. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહે છે. ઘરના કામકાજ છોડીને મહિલાઓ પણ ખાતર માટે લાઈનમાં જોડાઈ રહી છે. સવારથી લાઈનમાં ઊભા રહ્યા પછી પણ અનેક ખેડૂતોને ખાતર મળતું નથી. ખેડૂતોની માંગ છે કે તેમને સમયસર પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી તેમના પાકને નુકસાન ન થાય.
નવસારી મહિલા પોલીસ મથકે કૌટુંબિક ઝઘડામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. નિવેદન આપવા આવેલા કાકા સંગમ ત્રિપાઠી પર તેમના ભત્રીજાએ હુમલો કર્યો હતો અને તેમનો કાન કરડી ખાધો હતો, જેના કારણે કાન છૂટો પડી ગયો હતો. આ ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં સંગમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબોએ તાત્કાલિક શસ્ત્રક્રિયા કરીને કાનને ફરીથી જોડ્યો હોવાનું જાણવા મળ્યું છે. નવસારીના રૂસ્તમવાડી વિસ્તારમાં રહેતા સંગમ ત્રિપાઠીનો તેમની ભાભી અને ભત્રીજા સાથે કૌટુંબિક વિખવાદ ચાલી રહ્યો છે. આ મામલે તેઓ મહિલા પોલીસ મથકે નિવેદન આપવા આવ્યા હતા. સંગમે જણાવ્યું કે, નિવેદન આપતી વખતે ભત્રીજો આવ્યો અને તેમની સાથે ગાળાગાળી કરીને માર મારવા લાગ્યો, અને અચાનક કાન પાસે બચકું ભરી લીધું હતું. આ ઘટના બાદ હુમલા અંગેની ફરિયાદ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ કૌટુંબિક ઝઘડાને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જેના કારણે પરિવારમાં વિવાદ વધુ વકર્યો છે.
રાજકોટવાસીઓ માટે હવે સાવધાન થવાનો સમય આવી ગયો છે, કારણ કે વિકાસની સાથે સાથે શહેરની હવા પણ ઝેરી બની રહી છે. રાજકોટમાં દિવસ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300ને પાર કરી ગયો છે, જે હવાની ગુણવત્તાને 'સામાન્ય ખરાબથી વધુ ખરાબ' શ્રેણીમાં મૂકે છે. સૌરઠિયાવાડી, આરએમસી સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તાર, જામ ટાવર, નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી સહિત શહેરના પાંચ વિસ્તારોમાં AQI 300થી વધુ નોંધાયો છે, જેના કારણે આ વિસ્તારો જોખમી બની ગયા છે. અહીં દિવસ દરમિયાન કેટલાક કલાકો માટે તો પ્રદૂષણનું સ્તર ઉચ્ચતમ રહે છે. રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના 20 અલગ-અલગ વિસ્તારોમાં દર બે કલાકે હવા પ્રદૂષણના આંકડાઓ એકત્રિત કરવામાં આવે છે. આમાંના કેટલાક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ સરેરાશ 75 થી 125 પોઇન્ટને બદલે કાયમ 150 થી 175થી વધુ એવરેજમાં નોંધાયું છે. જેમાં સૌરઠિયા વાડી નજીક સૌથી વધુ 322 પોઇન્ટ, મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી વિસ્તારમાં 312 પોઇન્ટ, જામટાવર ચોકમાં 312 પોઇન્ટ, નાનામૌવા સર્કલ પાસે 310 પોઇન્ટ અને રામાપીર ચોકડીએ 306 પોઇન્ટનો મહત્તમ AQI જોવા મળે છે. આંકડાઓ દર્શાવે છે કે આ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB), રાજકોટના પ્રાદેશિક અધિકારી, ટી.કે લકુમએ આ પ્રદૂષણના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે સામાન્ય રીતે શિયાળાના સમયમાં તાપમાનના ઘટાડાને કારણે થતા ઇન્વર્ઝનને લીધે નીચેના સ્તરે પ્રદૂષણની સમસ્યા ઊભી થતી હોય છે. જે વિસ્તારોમાં પ્રદૂષણનો આંકડો ઊંચો આવ્યો છે, તે બધા ટ્રાફિકલ એરિયા છે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક પ્રદૂષણ નહીં, પરંતુ મુખ્યત્વે વાહનોની અવરજવર અને રોડ ડસ્ટને કારણે પ્રદૂષણ વધી રહ્યું હોવાનું કહી શકાય. શહેરના મુખ્ય માર્ગો પર મહત્તમ ટ્રાફિક, અવારનવાર ટ્રાફિક જામ થવો અને ટ્રાફિક નિયંત્રણનો અભાવ હવા પ્રદૂષિત થવાના મુખ્ય કારણો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા માટે રાજકોટ મનપા દ્વારા નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCAP) હેઠળ ઈબસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત, સઘન વૃક્ષારોપણ અને રોડ-રસ્તાઓના રિપેરિંગ જેવા કામો પણ હાથ ધરવામાં આવ્યા છે. લકુમે પ્રદૂષણ ઘટાડવા માટે જનજાગૃતિને સૌથી જરૂરી ગણાવી હતી. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને શિયાળામાં તાપણા કરવા કે રોડ સાઇડ પર કચરો સળગાવવાનું ટાળવા અપીલ કરી છે. રાજકોટ શહેરનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને વસતીની સાથે વાહનોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. એક પરિવારમાં સામાન્ય રીતે બે-ત્રણ વાહનો હોવા સામાન્ય બની ગયું છે. મહાનગરપાલિકાની પાર્કિંગ પોલિસી મુજબ વર્ષ 2018-19માં રાજકોટમાં 5,84,37 વાહનોનો અંદાજ હતો. જોકે, આરટીઓ દ્વારા 2023માં પોલીસ વિભાગ સાથેની બેઠકમાં રાજકોટ જિલ્લામાં 30 લાખ વાહનો હોવાનું જણાવાયું હતું. શહેરના રસ્તાઓ ટૂંકા, સાંકડા અને દબાણયુક્ત હોવાથી વાહનો વારંવાર ટ્રાફિકમાં અટવાય છે, જેના કારણે ધુમાડાનું પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો શહેરમાં વાહનોની સરેરાશ ગતિ 16 કિલોમીટર પ્રતિ કલાક જેટલી ઓછી છે, અને આંતરિક શેરીઓમાં જંકશનોને કારણે આ ગતિ 10 કિમી પ્રતિ કલાક સુધી ઘટી જાય છે. જેના કારણે પણ પ્રદુષણમાં વધારો થાય છે. રાજકોટમાં હવા પ્રદુષિત થવાનાં કારણો - માર્ગો પર મહત્તમ ટ્રાફિક રહે છે - અવારનવાર ટ્રાફિક જામ થયા કરે છે - ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ અને નિયમનનો અભાવ રાજકોટમાં જોવા મળે છે - ગ્રિન કવર એટલે કે, વૃક્ષ આચ્છાદિત માર્ગો ઓછા છે હવાનું પ્રદૂષણ કેટલું સારું કેટલું ખરાબ? શુન્ય થી 50 પોઇન્ટ: ખુબ જ સારું (જે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં, જંગલ વિસ્તારમાં કે હિલ સ્ટેશન પર હોય છે) 51થી 100 પોઇન્ટ: સંતોષકારક 101થી 200 પોઇન્ટ: એવરેજ ( સારૂં પણ નહીં ખરાબ પણ નહીં) 201થી 300 પોઇન્ટ: ખરાબ 301થી 400 પોઇન્ટ : સામાન્યથી વધુ ખરાબ 401થી 500 પોઇન્ટ: ખુબ જ ખરાબ, અતિ ગંભીર
જામનગર કોંગ્રેસની દારૂ-ડ્રગ્સ વિરુદ્ધ રેલી:કલેક્ટર-SPને રજૂઆત કરી ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી
જામનગર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક (SP)ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનમાં જામનગર જિલ્લામાં ચાલતા દારૂ અને ડ્રગ્સના વેપલાને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ગૃહમંત્રીના રાજીનામાની પણ માંગ કરી હતી. જામનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિએ સમગ્ર રાજ્યમાં દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી બદીઓ અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવાની રજૂઆત કરી હતી. પૂર્વ સાંસદ વિક્રમ માડમની આગેવાની હેઠળ, કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિવિધ દુષણો ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક પગલાં લેવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂ, ગાંજા અને ડ્રગ્સ જેવા દુષણો વધી રહ્યા છે, અને સંબંધિત અધિકારીઓની કથિત મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ આવા હાટડા ધમધમી રહ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ અગાઉ આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેના કારણે તેમનો વિરોધ થઈ રહ્યો હોવાનું પણ કોંગ્રેસે જણાવ્યું હતું. આવેદનપત્રમાં મહિલા સુરક્ષા અને દારૂબંધીની કડક અમલવારીની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે નશાબંધીના કાયદાનું સાચી રીતે અને કડકપણે અમલ કરવા, નશાનો બેરોકટોક વેપલો બંધ કરવા અને ગુજરાતના યુવાધનને બચાવવા પર ભાર મૂક્યો હતો. કોંગ્રેસ પક્ષે તમામ ઈમાનદાર અને કાર્યક્ષમ પોલીસકર્મીઓને બિરદાવવાની સાથે, લાંચિયા, હપ્તાખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવાની જનલક્ષી કામગીરી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, પૂર્વ કોંગી સાંસદ વિક્રમ માડમ સહિત કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા આર.ટી.ઓ. કચેરી દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોના પસંદગીના ગોલ્ડન, સિલ્વર અને અન્ય સિલેક્ટેડ નંબરોની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્શનની શરૂઆત કરવામાં આવશે. આ અંગેની નવી સિરીઝ GJ06SN ના નંબરો માટે આગામી તારીખ 02/12/2025થી ઈ-ઓક્શન શરૂ થશે. ઈચ્છુક વાહન માલિકો પોતાના ટુ-વ્હીલર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને http://parivahan.gov.in/fency પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. ઈ-ઓક્શનની મહત્વની તારીખો અને સૂચનાઓ - રજિસ્ટ્રેશન અને અરજીનો સમયગાળો: 02/12/2025 બપોરે 4:00 વાગ્યાથી 04/12/2025 બપોરે 3:59:59 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ રજિસ્ટ્રેશન અને અરજી કરવાની રહેશે. - બિડિંગનો સમયગાળો: 04/12/2025 બપોરે 4:00 વાગ્યાથી 06/12/2025 બપોરે 4:00 વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે. - મહત્વની સૂચના: ફક્ત એવા અરજદારો જ હરાજીમાં ભાગ લઈ શકશે કે જેમના વાહનના સેલ લેટરની તારીખથી 7 દિવસની અંદર CNA ફોર્મ જમા કરાવવામાં આવ્યું હશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે. વધુ માહિતી અને ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે http://parivahan.gov.in/fency પર મુલાકાત લો.
ભુજ શહેરના ભીડભાળથી અતિ વ્યસ્ત રહેતા સ્ટેશન રોડ પર આજે સવારે આગ લાગવાની ઘટના બની હતી. અહિંના જાહેર માર્ગે આવેલી કૃપા ઓટો પાર્ટ્સ નામની દુકાન અને તેના ઉપરના ગોડાઉનમાં આજે ગુરુવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાના બનાવથી આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને ઘટના અંગેની જાણ તંત્રમાં કરાઈ હતી. જેના પગલે કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આ અંગે ફાયર વિભાગની ટીમે જાહેર કરેલી વિગતો મુજબ આજે સવારે આગ લાગી હતી. ઇમરજન્સી કોલ મળતા બનાવ સ્થળે આગ બુઝાવની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. ભુજ ફાયર બ્રિગેડને સવારે 7:45 વાગ્યે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ કામગીરીમાં ફાયર બ્રિગેડના જિગ્નેશ જેઠવા, યશપાલસિંહ વાઘેલા, ઈસ્માઈલ જત, જય ઠક્કર, રુદ્ર જોશી અને મોહન રબારી સહિતના કર્મચારીઓ જોડાયા હતા. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાય છે. આગમાં થયેલી નુકસાની અને કારણ જાણવા દુકાન માલિક કુલદીપ કાંતિલાલ ગોરનો મોબાઈલ ફોન ઉપર સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત થઈ શકી ન હતી.
બનાસકાંઠાના પેન્શનરો કલેક્ટર કચેરીએ એકઠા થયા:લઘુતમ પેન્શન રૂ. 7500 કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું
બનાસકાંઠાના પેન્શનરો આજે પાલનપુર કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. તેમણે EPS પેન્શનરોનું લઘુતમ પેન્શન રૂ. 1000- રૂ. 2000થી વધારીને રૂ,7500 કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. નિવૃત પેન્શનર સેવા મંડળના નેજા હેઠળ બનાસકાંઠાના સેવા નિવૃત EPS કર્મચારી પેન્શનરોએ આ માંગ કરી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી લઘુતમ પેન્શનની રકમમાં વધારો કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. જિલ્લાના પેન્શનરો દ્વારા છેલ્લા 15 વર્ષથી સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી છે, છતાં તેમની માંગણીઓ પૂરી થઈ નથી. સેવા નિવૃત કર્મચારીઓનું કહેવું છે કે, હાલમાં મળતા પેન્શનથી મોંઘવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. ઘર ખર્ચ પણ નીકળતો નથી અને વૃદ્ધાવસ્થાને કારણે તેઓ બીજે ક્યાંય કામ કરી શકતા નથી. પેન્શનરોએ જિલ્લા કલેક્ટર, શ્રમ રોજગાર મંત્રી અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે વહેલી તકે તેમની પડતર માંગણીઓનો ઉકેલ લાવવાની અપીલ કરી હતી, અન્યથા આગામી સમયમાં ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ અંગે પ્રતાપરાય, GSRTC ડેપો મેનેજર વર્ષ 2006 ની અંદર નિવૃત્ત પેન્શનરે જણાવ્યું હતું કે, ઇપીએસ-95 કેન્દ્ર સરકારની યોજના 1995 થી છે, એમાં અમે 1995થી સંકળાયેલા નિવૃત્ત પેન્શનરો છીએ અને અમારી રજૂઆત એ છે કે, અમને 1995થી આજ દિવસ સુધી અને જ્યાં સુધી અમારું મૃત્યુ થાય ત્યાં સુધી અમને 1,000 થી શરૂ કરી ન્યૂનતમ 3,500 પેન્શન મળે છે, એ પેન્શનથી જીવન નિર્વાહ કરી શકાય એમ નથી. એટલે એ વધારવા માટે અમે છેલ્લા 15 વર્ષથી અમારી રજૂઆતો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરીએ છીએ. વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આવા પેન્શનરોની સંખ્યા 10 લાખ જેટલી છે. ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરોને ન્યૂનતમ પેન્શન 9,000 મળે છે, એનાથી અમને આનંદ છે. કેન્દ્ર સરકારના કર્મચારીને 2016 થી ન્યૂનતમ પેન્શન મળે છે, એનાથી પણ અમને આનંદ છે. અમારો કોઈ વિરોધ નથી. પણ અમે અમે અમારી જિંદગીના 36 થી 40 વર્ષ દેશને સમર્પિત કર્યા છે, ત્યારે અત્યારે અમારી પરિસ્થિતિ જે છે એ 1,000 થી 3,500 માં સાવ મામૂલી અને નિર્માલ્ય છે. એનાથી અમારે જીવન કેમ ચલાવવું . અમારા બાળકો પણ અમને સંઘરી શકતા નથી. વૃદ્ધાશ્રમમાં પણ અમને સ્થાન મળતું નથી. અમારી પરિસ્થિતિ અત્યંત દયનીય અને કષ્ટદાયક છે. આ અંગે અમે મુખ્યમંત્રી, વડાપ્રધાન, શ્રમ મંત્રી અને નાણા મંત્રીને અનેક વખત રજૂઆત કરી છે. અનેક સાંસદોએ અમારી વાચા ત્યાં સુધી પહોંચાડી છે. પણ અમને નડે છે EPFOનું તંત્ર. એ અમારી બાબતમાં અમારા વિરોધી છે, સરકારમાં સાચી રજૂઆત કરતા નથી, અને EPF મારફત અમને જે પેન્શન ચૂકવવામાં આવે છે, એટલે EPFO એ હવે ધ્યાન રાખીને અમારા બાબતમાં કંઈક વિચારણા કરવી પડશે. સરકારે પણ અમારા મારફત વિચારણા કરવી પડે, એટલા માટે અમે અમારો અવાજ પહોંચાડવા માટે અહીં ભેગા થયા છીએ.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓએ સુરતથી વલસાડ સુધીના NH-48 ઉપર ચોમાસામાં બિસ્માર રોડ ઉપર કરવામાં આવેલા કામનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેઓ વલસાડના રોલા ગામથી હેલિકોપ્ટરથી મહારાષ્ટ્રના પાલઘર તરફ જવા રવાના થવાના હતા. જોકે, હેલિકોપટરમાં ટેકઓફ સમયે ટેક્નિકલ ક્ષતિ સર્જાતા રોડ માર્ગે સુરત જવા રવાના થયા છે, જ્યાંથી મહારાષ્ટ્ર જશે. સુરત બાદ વલસાડની મુલાકાત કરીગુજરાતમાંથી પસાર થઈ રહેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને અન્ય નેશનલ હાઈવેની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા માટે બે દિવસથી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે હતા. બુધવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે ગડકરી સુરત બાદ વલસાડ જિલ્લાની મુલાકાતે ગયા હતા. મુખ્યમંત્રીએ રજૂઆત કરી હતીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના હાઈવેઝ પર 35 ટકા કરતાં વધુનાં વાહન ભારણને ધ્યાને લઈને હાઈવેના મરામત અને વિસ્તૃતિકરણના કાર્ય સતત ચાલુ રહે તે જરૂરિયાત અંગે રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને અમદાવાદ-મુંબઈ, રાજકોટ–ગોંડલ–જેતપુર તથા અમદાવાદ–ઉદયપુર પ્રોજેક્ટના કામો ઝડપથી પૂરાં થાય તે બાબતે પણ અનુરોધ કર્યો હતો. 20 હજાર કરોડની મંજૂરી આપીમુખ્યમંત્રીની રજૂઆતને તાત્કાલિક પ્રતિસાદ આપતા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ગુજરાતમાં NHAI હેઠળના હાઈવે અને અન્ય પ્રોજેક્ટ માટે રૂ. 20 હજાર કરોડની મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે એવી ખાતરી આપી હતી. આ બેઠકમાં NHAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા આગામી સમયમાં હાથ ધરાનારા પ્રોજેક્ટ્સના પ્રેઝન્ટેશન સાથે વર્તમાન પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તરફેણમાં આજે રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર મારફત રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં દારૂ - ડ્રગ્સ બંધ કરો, ભ્રષ્ટ પોલીસને જેલમાં નાખો તેવી નારેબાજી કરવામાં આવી હતી તો 8 પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેવાણીના અવાજને દબાવવા માટે પોલીસ પરિવાર અને બુટલેગરો મારફત રજૂઆતો કરાવે છે તે નિંદનીય છે. જેથી ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યપાલ દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને સરકારને પ્રતિભુતિ સાથે રજૂઆત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. રાજકોટ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેકટર મારફત રાજ્યપાલને આપવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વડગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં વધતા દારૂ, ડ્રગ્સ, નશીલા પદાર્થો તેમજ તેની પાછળ રહેલી પોલીસની શંકાસ્પદ ભૂમિકા વિષે અત્યંત ગંભીર મુદ્દાઓ ઉપર જાહેર મંચો પર ઉઠાવ્યા છે.મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નો રાજ્યના યુવાનોના ભવિષ્ય, કાયદો અને વ્યવસ્થા, તથા સમાજમાં ફેલાતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે અત્યંત જરૂરી અને લોકહિતમાં છે. પરંતુ દુઃખ સાથે નોંધવું પડે છે કે આ મુદ્દાઓ ઉઠાવ્યા બાદ ગૃહમંત્રી સહિત પોલીસે વિરોધરૂપ રજુઆતો કરી ધારાસભ્ય પર દબાણ લાવવાનો અત્યંત બેહૂદો અને સભ્ય સમાજને છાજે નહીં તેવો પ્રયાસ કરાયો હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતના નાગરિકોના મતે ગુજરાતના હાલના તમામ ધારાસભ્યો જો ગુજરાત બહાર જાય તો તેઓની ઓળખ સીમિત થઈ જાય એમ છે.જ્યારે જીજ્ઞેશ મેવાણીની ઓળખ એક આંતરરાષ્ટ્રીય સ્તરની છે. જેથી તેઓનું સન્માન જળવાય તેના માટે મેટ્રિક પાસ પણ ન હોય તેવા માણસો સવાલો ઉઠાવે ત્યારે ગુજરાતને ધક્કો અને ઠેસ પહોંચે છે. મેવાણી દ્વારા ઉઠાવેલા પ્રશ્નો પુરાવા આધારિત, લોકહીતકારી અને જનવિભાગના કલ્યાણ માટેના જ રહ્યા છે.ઘણીવાર તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઉઠી ગુજરાતના નાગરિકોના કલ્યાણ માટે હુકાર ભરતા રહે છે. કોઈપણ જનપ્રતિનિધિએ ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દારૂ-ડ્રગ્સ માફિયા અને સંકળાયેલા તંત્ર પર પ્રશ્ન કરવો એ લોકશાહીનો મહત્વપૂર્ણ ઘટક છે.આવા પ્રશ્નોને દબાવવા બદલે, સરકારે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારી નક્કી કરવી જોઈએ.તેની જગ્યાએ પોલીસ ઉપર દબાણ ઊભું કરી જીજ્ઞેશ મેવાણીની વિરુદ્ધ અપપ્રચાર શરૂ કરાવ્યો છે. જે અત્યંત નિંદનીય અને અકુદરતી પ્રકારનું વર્તન છે. પોલીસ વિભાગનો આ પ્રયાસ ઘાતક છે. આવી રજુઆતનું સ્વરૂપ એક ચૂંટાયેલા પ્રતિનિધિને મૌન કરાવવાનો પ્રયાસ ગણાય શકે છે. જે લોકશાહી વ્યવસ્થાને અનુકૂળ નથી.જેથી અમારી ગુજરાતની જાહેર જનતાને હિતમાં માંગણી છે. જે આ મુજબ છે. 1. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવેલા દારૂ-ડ્રગ્સ સંબંધિત મુદ્દાઓની સ્વતંત્ર, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ શરૂ કરાવવા માટે સરકારને ભલામણ કરશો. 2. પોલીસ વિભાગ દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ કરવામાં આવેલી રજુઆતોનું કાનૂની અને નૈતિક મૂલ્યાંકન કરીને તેનો હેતુ અને નક્કરતા અંગે તપાસ કરશો. 3. જનપ્રતિનિધિ દ્વારા લોકહિતમાં પૂછાયેલા પ્રશ્નોને રાજકીય દબાણ કે શાસકીય પ્રતિક્રિયા દ્વારા દબાવવામાં ન આવે તે માટે માર્ગદર્શિકા/સૂચનાઓ જારી કરવામાં આવે. 4. રાજ્યમાં દારૂ-ડ્રગ્સના નેટવર્ક, તેના સંરક્ષકો અને સંકળાયેલા અધિકારીઓ અંગે ખાસ મોનિટરિંગ અને કડક કાર્યવાહી કરાવવા સુચના કરવામાં આવે. 5. હાલમાં ચૂંટણીપંચ દ્વારા મતદારી યાદીની કામગીરી ચાલુ કરેલ છે જેમાં BLO ને મોટી જવાબદારી આપવામાં આવેલી છે,ઘણા સમયથી BLO ની હેરાનગતિઓ અંગે પ્રચાર માધ્યમોમાં અહેવાલો પ્રગટ થયેલા હતા જેમાં સરકાર બરબર ભીંસમાં આવી ગયેલ હતી તે મુદ્દાને ડાયવર્ટ કરવા ગૃહમંત્રી દ્વારા પોલીસ પરિવારનો દુરુપયોગ કરીને મુદ્દા દબાવવાનો પ્રયત્ન કરવા માંગે છે. 6. ગૃહમંત્રી દ્વારા જાહેર સોગંદનામું આપવામાં આવે કે, બનાસકાંઠા સહિત રાજ્યના કોઈપણ જિલ્લામાં તેમજ મારા પોતાના મતવિસ્તારમાં દારૂ અથવા ડ્રગ્સના નેટવર્કને હું, મારું મંત્રાલય અથવા કોઈપણ તંત્ર સીધી અસીધી રીતે પ્રોત્સાહન આપતો નથી. આ જાહેર સ્પષ્ટીકરણ પારદર્શક શાસન અને જનવિશ્વાસ બંને માટે અનિવાર્ય છે. 7. જો મિસ્ટર હર્ષ સંઘવીને પોલીસ પરિવારની ખરેખર ચિંતા હોય તો હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ રેન્ક માટે યુનિયન બનાવવાની કાયદેસર મંજૂરી આપવામાં આવે. જેથી તેઓને તેમના અધિકારો, પડકારો અને વહીવટી અન્યાયને પ્રત્યક્ષ રીતે રજૂ કરવાની લોકશાહી સુવિધા મળે.અરજદારોને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યપાલ આ સંપૂર્ણ મામલાને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈને લોકહિતને અનુરૂપ જરૂરી વહીવટી કાર્યવાહી કરશે અને સરકાર સમક્ષ યોગ્ય પ્રતિભૂતિ સાથે રજૂઆત કરશે. આવી કાર્યવાહીથી ગુજરાતની લોકશાહી વધુ મજબૂત બનશે અને નાગરિકોના અધિકારોનું રક્ષણ થશે.
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં બેટી બચાવો, બેટી પઢાવો અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ચડોતરના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીનીઓને સારા અને ખરાબ સ્પર્શને ઓળખવા માટે ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની શી ટીમની કામગીરી અને પેટ્રોલિંગ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં મહિલાઓ માટે ઉપલબ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને બાળકો માટે 1098 હેલ્પલાઇનનો કઈ પરિસ્થિતિમાં સંપર્ક કરવો તે અંગે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વાહલી દીકરી યોજના, વિધવા સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે પણ વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત મહિલાઓને માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય અને સ્વચ્છતા અંગે પણ વિશેષ સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને લીલા શાકભાજી, કઠોળ અને દૂધ જેવા પૌષ્ટિક આહાર લેવા તથા જરૂર જણાયે ડોક્ટરનો સંપર્ક કરવા અંગે વિસ્તૃત સમજણ અપાઈ હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, શી ટીમ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, વુમન એમ્પાવરમેન્ટ હબ અને 1098 ટીમ સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શાળાના તમામ શિક્ષકગણે પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો.
મોરબીના ઋષભનગર સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આજે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ મહાપાલિકા કચેરીએ રેલી યોજી રામધૂન કરી હતી. સનાળા રોડ પર આવેલી ઋષભનગર સોસાયટીમાં પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા નિયમિત અને પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ અંગે અગાઉ નગરપાલિકા અને ત્યારબાદ મહાપાલિકામાં અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પ્રશ્નનો કાયમી ઉકેલ આવ્યો ન હતો. પાણીના પ્રશ્ને રોષે ભરાયેલા સપનાબેન કાવર, પ્રભાબેન શાંતિભાઈ અને કવિતાબેન ભાટિયા સહિતની મહિલાઓ અને અન્ય રહીશોએ પોતાની સોસાયટીથી મહાપાલિકા કચેરી સુધી વાજતે-ગાજતે રેલી કાઢી હતી. કચેરી ખાતે કમિશનર કે ડેપ્યુટી કમિશનર હાજર ન હોવાથી, મહિલાઓએ 'શ્રીરામ જય રામ જય જય રામ'ની ધૂન અને 'રસિયો રૂપાળો પાણી આપો ઘેર જાવું ગમતું નથી' જેવા ફટાણા ગાઈ વિરોધ નોંધાવ્યો હતો. બાદમાં ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ રજૂઆત સાંભળી હતી. તેમણે એકાંતરા પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી. સોનીએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે નવી પાઇપલાઇનનો પ્રોજેક્ટ સરકારમાંથી મંજૂર થઈ ગયો છે અને મોરબીના અન્ય વિસ્તારોની જેમ આ વિસ્તારને પણ નિયમિત અને પૂરતું પાણી મળશે. કાનજીભાઈ સંઘાણી સહિતના રજૂઆતકર્તાઓએ તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી કચેરી છોડીને ઘરે ન જવાનો નિર્ધાર કર્યો હતો. આથી, રજૂઆત કરવા આવેલા લોકો માટે આગેવાનો દ્વારા મહાપાલિકાના પટાંગણમાં પૂરી, શાક અને ગાંઠિયાના નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લોકોએ લાભ લીધો હતો.
અમદાવાદમાં પરિણીતાએ કરેલી આત્મહત્યાની કોશિશના મામલામાં ડાઈંડ ડેકલેરેશન લેવામાં ગંભીર બેદરકારી દાખવનારા એક્ઝિક્યુટિવી મેજિસ્ટ્રેટનો હાઈકોર્ટે શાંતિપૂર્વક ઉધડો લીધો હતો. કોર્ટે અઠવાડિયામાં ખુલાસો માગ્યો છે અને કહ્યું છે કે, જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીતુકમારને કોર્ટમાં બોલાવવામાં આવશે. કોર્ટે એ પણ નોંધ્યું કે, પોતાના કેરિયરમાં આવી વર્તણૂંક ક્યારેય જોઈ નથી. પરિણીતાએ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ મરણોન્મુખ લેવામાં ગંભીર બેદરકારી દાખવીસોલા હાઇકોર્ટ પોલીસ મથકે સપ્ટેમ્બર મહિનામાં દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત 30 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ રદ્દ કરવા પતિએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્ન 12 વર્ષ પહેલા થયા હતાં, તેને બે સંતાન પણ છે. મહિલા અને તેના સાસરિયા મૂળ સુરેન્દ્રનગરના છે, પરંતુ મહિલાનું સાસરું મહેસાણા અને પિયર અમદાવાદમાં છે. આ કેસમાં મહિલાને દહેજની માંગ સાથે સાસુ અને પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી તેને પિયરમાં આવીને ફિનાઇલ પીધું હતું. જેથી તેની માતાએ 108 મારફતે તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાએ આત્મહત્યાની કોશિશ કરતા સોલા પોલીસના તપાસ અધિકારીએ હોસ્પિટલમાં પહોંચીને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને ડાઇંગ ડેક્લેરેશન લેવા યાદી મોકલી આપી હતી. જેમાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સહદેવ સગરને તેનું ડાઇંગ ડેક્લેરેશન લેવા જવાનું હતું. પરંતુ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે હોસ્પિટલમાં જઈને ડાઇંગ ડેક્લેરેશન લેવાની જગ્યાએ ઓફિસમાં બેસીને જ એન્ડોર્સમેન્ટ આપ્યું હતું કે મહિલાનું ડાઇંગ ડેક્લેરેશન નોંધવાની જરૂર નથી. તે મરણ પથારીએ નથી, વળી હોસ્પિટલને જણાવ્યું હતું કે જો મહિલા મરણ પથારીએ આવે તો મેજિસ્ટ્રેટને જાણ કરવામાં આવે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેક દ્વારા કોર્ટ સમક્ષ માફીની માગ કરવામાં આવીઆ અંગે હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને કોર્ટમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા હુકમ કર્યો હતો. જ્યાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે સ્વીકાર્યું હતું કે તે હોસ્પિટલમાં રૂબરૂ ગયા નહોતા અને તેમને માફ કરવામાં આવે. જો કે હાઈકોર્ટે શાંતિપૂર્વક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો ઉધડો લીધો હતો. સાથે જ આવા અસંવેદનશીલ લોકોને, આવી સંવેદનશીલ કામગીરી સોંપવા બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તેઓએ કદી પોતાના કેરિયરમાં આવી વર્તણૂક જોઈ નથી. સુનાવણી દરમિયાન કોર્ટે ગંભીર સવાલ ઉઠાવ્યોહાઇકોર્ટે કહ્યું હતું કે એ તો સારું છે કે મહિલા જીવિત છે, જો તે મૃત્યુ પામી હોય તો શું થાત ? કોર્ટનું કાર્ય નિર્દોષને સજા થાય નહીં તે જોવાનું છે, સાથોસાથ ગુન્હેગાર છટકી ન જાય તે પણ જોવાનું છે. હાઇકોર્ટે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટને પોતાની આ કામગીરી ઉપર એક અઠવાડિયામાં ખુલાસો આપવા કહ્યું છે. જો ખુલાસો સંતોષકારક નહીં હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુજીત કુમારને કોર્ટમાં બોલાવવામાં આવશે.
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના સીટો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 17 વર્ષીય કિશોર આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં સિટી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વેદમાતા ગાયત્રી કૃપા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ગોવિંદભાઈ વણઝારા (ઉંમર વર્ષ 17) આજે વહેલી સવારે કિશોરે પોતાના ઘરમાં પંખા પર સાડી વડે ગળેફાંસો ખાઇ લેતા તાત્કાલિક પરિવારજનો સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જો કે હાજર તબીબે કિશોરને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. મૃતક કિશોર જીગ્નેશ વણઝારા ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના પરિવારજનોનું કહેવું છે કે તે રાત્રે બહાર ગયો હતો અને ત્યારબાદ આવ્યો હતો. વહેલી સવારે ગળેફાંસો ખાઇ લીધો હતો અને જીવન ટૂંકાવ્યું હતું. આ શા માટે કર્યું તે બાબતે હાલમાં પરિવાર અજાણ છે. આ મામલે હાલમાં સિટી પોલીસે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તપાસ કરનાર સિટી પોલીસ મથકના અધિકારી વિજયભાઈએ જણાવ્યું હતું કે, હાલમાં આ કિશોરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેને આ પગલું શા માટે ભર્યું તે બાબતે હાલ પરિવાર અજાણ છે. પરંતુ તેનો મોબાઈલની FSL તપાસ કરવામાં આવશે જો તેમાં કઈ જાણશે તો કાર્યવાહી કરવામાં આવશે.
પાટડી તાલુકાની સેડલા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8ના 197 વિદ્યાર્થીઓ માત્ર બે શિક્ષકોના ભરોસે અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોની આ ગંભીર અછતને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો આગામી 15 દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. શાળામાં કુલ પાંચ શિક્ષકોનું મહેકમ છે, પરંતુ તેમાંથી બે શિક્ષકો બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે અને એક શિક્ષક BLO સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આથી, વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર બે જ શિક્ષકો ઉપલબ્ધ છે, જેના કારણે બાળકોના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. થોડા સમય અગાઉ સેડલા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્થાનિક ધારાસભ્યને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. પંચાયતની રજૂઆત મુજબ, શાળામાં 215 વિદ્યાર્થીઓ માટે 8 શિક્ષકો અને 1 આચાર્ય સહિત 9 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલું છે. જોકે, છેલ્લા છ મહિનાથી માત્ર પાંચ જ શિક્ષકો કાર્યરત હતા. તેમાંથી પણ એક શિક્ષિકા 31 મે, 2025ના રોજ નિવૃત્ત થવાના છે, જેના કારણે કાર્યરત શિક્ષકોની સંખ્યા ચાર થઈ ગઈ છે. સેડલા ગામના સરપંચ મોબતખાન મલેકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 1 થી 5 માં ત્રણ શિક્ષકો ફરજ બજાવે છે અને બે શિક્ષકોની ઘટ છે, જ્યારે ધોરણ 6 થી 8 માં બે શિક્ષકો ફરજ બજાવે છે અને એક શિક્ષકની ઘટ છે. આમ, શાળામાં કુલ ત્રણ શિક્ષકો અને એક આચાર્યની જગ્યા ખાલી છે. સરપંચ મોબતખાન મલેક સહિત ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી 15 દિવસમાં આ શિક્ષક અછતની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ ઢોલ-નગારા સાથે શાળાને તાળાબંધી કરશે, જેથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ન થાય.
અમદાવાદના પોશ વિસ્તારમાં સ્પાની આડમાં ગેરકાયદેસર દેહવ્યાપારના ધંધા ધમધમી રહ્યા હોવાનું સામે આવતા, પોલીસે છેલ્લા બે દિવસમાં બોપલ આંબલી રોડ, એલિસ બ્રિજ અને આનંદનગર સહિતના વિસ્તારોમાં આવેલા ત્રણ અલગ-અલગ સ્પા પર દરોડા પાડીને કુટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્રણેય કેસમાં મેનેજર અને ફરાર માલિકો વિરુદ્ધ 'ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ' હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યોઅમદાવાદના પોશ વિસ્તાર સ્પાની આડમાં કુટણખાના ચાલી રહ્યા છે ત્યારે 2 દિવસમાં પોલીસે 3 અલગ અલગ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર રેડ કરી હતી. આનંદનગરના હરણ સર્કલ નજીક આવેલા દેવ ઓરમ કોમ્પલેક્ષમાં 'ન્યૂ અરીસ્તા વેલ સ્પા'માં બાતમી આધારે પોલીસે દરોડો પાડીને મેનેજરને રંગેહાથ ઝડપ્યો હતો, જ્યારે સ્પાનો માલિક ફરાર થઈ ગયો હતો. બોડી મસાજની આડમાં ચાલતા આ કુટણખાના બદલ મેનેજર અને ફરાર માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડમી ગ્રાહક મોકલીને કૂટણખાનાનો પર્દાફાશ કર્યોબીજી તરફ 2 દિવસ અગાઉ સરખેજ પોલીસે બોપલ આંબલી રોડ પર આવેલા વનવર્લ્ડ વેસ્ટ કોમ્પલેક્સમાં 'ધ ઝીરો સ્પા'માં રેડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને અહીં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો અને સ્પા સેન્ટરના મેનેજર સાઉદમીયા શેખ (રહે. ખાનપુર)ની ધરપકડ કરી હતી. મેનેજર અહીં ત્રણ માસથી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે સ્પા સેન્ટરની માલિક ટીના ઉર્ફે કાવ્યા મહેતા (રહે. શ્રીજી બંગ્લો, નારોલ)હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન એક ગ્રાહક કઢંગી હાલતમાં ઝડપાયોએલિસબ્રિજ પોલીસે આંબાવાડીમાં આવેલા શ્રી ક્રિષ્ના કોમ્પલેક્સના 'લેમન આયુર્વેદિક સ્પા'માં રેડ દરમિયાન પોલીસે એક ગ્રાહકને કઢંગી હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્પા સંચાલક અને માલિક પૂજા મખીજાની શોધખોળ હાથ ધરી છે. જ્યારે બોપલ આંબલી રોડ અને એલિસબ્રિજના સ્પા સેન્ટરના ઓથા હેઠળ કેટલા સમયથી કૂટણખાનું ચાલતું હતું તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરત શહેર ભાજપના મુખ્ય કાર્યાલય, ઉધના ખાતે દક્ષિણ ઝોનના આઠ જિલ્લામાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝનની કામગીરીની સમીક્ષા કરવા માટે એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકનો મુખ્ય હેતુ SIRની કામગીરીમાં આવી રહેલી ખામીઓ અને વિલંબનું વિશ્લેષણ કરવાનો હતો. BLOની ધીમી કાર્યવાહી અને ફોર્મ સમયસર જમા ન થવાની રાવઆ બેઠકમાં આઠ જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને શહેર ભાજપના પદાધિકારીઓ સહિત વિવિધ અપેક્ષિત સભ્યોનો મત લેવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બોલાવવાનું મુખ્ય કારણ SIRની કામગીરી અંગે મળેલી અનેક ફરિયાદો હતી, જેમાં મુખ્યત્વે કામગીરીની નબળી ગુણવત્તા, BLOની ધીમી કાર્યવાહી અને ફોર્મ સમયસર જમા ન થવાની રાવ સામેલ હતી. આ ઉપરાંત, વિધાનસભા કક્ષાએ સોંપવામાં આવેલી કામગીરીની વહેંચણી અને તેના અસરકારક ફોલોઅપને લઈને પણ પ્રશ્નો ઉભા થયા હતા, જેના કારણે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો હતો. તમામ અવરોધો દૂર કરી સમયમર્યાદામાં લક્ષ્ય પૂર્ણ કરવા પદાધિકારીઓને આદેશબેઠકમાં SIR કામગીરીના ઇન્ચાર્જ, સહ-ઇન્ચાર્જ, જિલ્લાના પ્રમુખો અને મહાનગરના પ્રમુખો સહિતના તમામ મહત્ત્વના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન, રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ધાનકરે વિધાનસભા કક્ષાએથી કામગીરી સુધારવા માટે સૂચનો મંગાવ્યા હતા અને આખી પ્રક્રિયા ઝડપભેર થાય તે માટે સખત સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ભાજપ દ્વારા આ ચૂંટણીલક્ષી પ્રક્રિયાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહી છે, તેથી પદાધિકારીઓને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કામગીરીમાં આવતા તમામ અવરોધો દૂર કરીને સમયમર્યાદામાં લક્ષ્ય પૂર્ણ કરે. આ બેઠકનો હેતુ નબળી કામગીરીને સુધારીને આગામી ચૂંટણીઓની તૈયારીઓ માટે મજબૂત પાયો નાખવાનો છે.
પાટણ નજીક આવેલા નોરતા ગામના સંત દોલતરામ બાપુને ત્રીજા ઇન્ડિયન રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. છેલ્લા 49 વર્ષથી તેમણે પાટણ પંથક સહિત ગુજરાતમાં 11,950 જેટલા સત્સંગ કાર્યક્રમો દ્વારા અંદાજે 5 લાખથી વધુ લોકોને વ્યસનમુક્ત બનાવ્યા છે. આ સન્માન રાજસ્થાનના રણુજા ખાતે ગુજરાતના 150થી વધુ ગામના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રણુજા સ્થિત સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયાના પ્રેસિડેન્ટ નીતિન ધોતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દોલતરામજી બાપુના આધ્યાત્મિક અને સામાજિક યોગદાનને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. પ્રેસિડેન્ટ ધોતિયાએ જણાવ્યું કે, છેલ્લા 49 વર્ષમાં બાપુએ ગુજરાતના વિવિધ સ્થળોએ, જેમાં પાટણ નજીકના નોરતા, સૌરાષ્ટ્રના જૂનાગઢ, ધામડી, રામદેવરા સહિત અસંખ્ય શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રામધૂન સાથે કુલ 11,950 જેટલા સત્સંગ કાર્યક્રમો યોજ્યા છે. આ આધ્યાત્મિક મેળાવડાઓ દ્વારા પાંચ લાખથી વધુ વ્યક્તિઓને વ્યસનમુક્ત બનાવવામાં આવ્યા છે. દોલતરામ બાપુના અનુયાયી રવિરામ મહારાજે જણાવ્યું કે, બાપુને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. પાટણ પંથકના નોરતાના સંત શિરોમણીને આ ત્રીજો ઇન્ડિયન રેકોર્ડ મળતા તેમના લાખો સેવકોએ ગૌરવ અનુભવ્યું છે અને તેમના આધ્યાત્મિક તથા સામાજિક યોગદાનની સરાહના કરી છે.
વડોદરા શહેરના વારસિયાના સાંઈબાબા નગરમાં ગત મોડી રાત્રે 4 અજાણ્યા શખ્સોએ 3 કાર અને એક રીક્ષા સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ કૃત્ય બુટલેગરોના ગેંગ વોરમાં સળગાવી હોવાની આશંકા છે. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ અજાણ્યા શખ્સોએ પહેલા થારમાં આગ લાગી અને પછી વેન્યુ અને ટ્રીબર કારમાં આગ ફેલાઈ હતી. જેમાં 2 નિર્દોષ લોકોની કાર પણ સળગી ગઈ હોવાનું પ્રાથમિક સૂત્રો જણાવી રહ્યા છે. રીક્ષા ચાલકે કહ્યું કે, બાજુ વાળાની રીક્ષા સળગાવવાની હતી, ભૂલથી મારી રીક્ષા સળગાવી દીધી છે. આ મામલે ફાયર વિભાગને મોડી રાત્રે આગ લાગવાનો કોલ મળ્યો હતો. ત્યાર બાદ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સમગ્ર મામલો વારસિયા અને સિટી પોલીસ મથકમાં પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાન કરડવાના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં આવતા આંકડાઓ ચિંતાજનક છે. વર્ષ 2025 દરમિયાન અહીં કુલ 17,226 ડોગ બાઇટના કેસ નોંધાયા છે. આમાં 3,557 નવા અને 13,669 ફોલો-અપ કેસોનો સમાવેશ થાય છે. ફોલો-અપ કેસો તેઓ છે જેઓને ડોગ બાઇટ બાદ આપવામાં આવતા 4 ડોઝમાંથી બીજા કે બાદના કોઈ ડોઝ માટે હોસ્પિટલમાં આવવું પડે છે.
ભારતના આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ એવા ઓખા-કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયેલા આ નિર્ણયથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આર્થિક અને આધ્યાત્મિક વિકાસના નવા દ્વાર ખુલશે. આ 159 કિલોમીટર લાંબા ડબલ ટ્રેકના નિર્માણ માટે અંદાજિત રૂ. 1,457 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે, જે ક્ષેત્રની કનેક્ટિવિટીમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે. આ મહત્ત્વાકાંક્ષી પરિયોજનાનું આયોજન પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ કરવામાં આવ્યું છે. આ માસ્ટર પ્લાનનો મુખ્ય ઉદ્દેશ સંકલિત આયોજન અને હિતધારકો સાથે પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સની કાર્યક્ષમતા વધારવાનો છે. ઓખા- કાનાલુસ વિભાગનું ડબલિંગ કાર્ય માલસામાન, લોકો અને સેવાઓની અવરજવર માટે અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરીને વડાપ્રધાનના 'નવા ભારત' વિઝનને અનુરૂપ છે, જેનો હેતુ આ ક્ષેત્રમાં વ્યાપક વિકાસ કરવાનો છે. રાજકોટ ડિવિઝનના DRM ગિરિરાજકુમાર મીનાએ આ અંગે જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ 11 મિલિયન ટનની વધારાની માલ પરિવહન ક્ષમતા વિકસિત થશે. આનાથી ખાદ્ય મીઠા સહિત અન્ય ઔદ્યોગિક વસ્તુઓના માલ પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે અને સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને સીધો લાભ મળશે. ડબલિંગ કાર્ય પૂર્ણ થવાથી આવનારા દિવસોમાં આ રૂટ પર પેસેન્જર ટ્રેનોની સંખ્યામાં વધારો થવાની પણ શક્યતા છે. જેના દ્વારા મુસાફરોને વધુ સારી અને ઝડપી સુવિધા મળશે. પર્યાવરણ અને લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટી બચત આ પ્રોજેક્ટ માત્ર આર્થિક જ નહીં, પણ પર્યાવરણીય દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે. ડબલ લાઇનના કારણે રેલવેની કાર્યક્ષમતા વધશે, જેના પરિણામે દર વર્ષે 14 કરોડ કિલોગ્રામ CO_2 ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 56 લાખ વૃક્ષો વાવવા બરાબર છે. તો દર વર્ષે આશરે 2.8 કરોડ લીટર ડીઝલની બચત થશે. એટલું જ નહીં લોજિસ્ટિક્સ ખર્ચમાં પણ દર વર્ષે આશરે રૂ. 311 કરોડનો ઘટાડો થશે. આ બચત રેલવેની ટકાઉપણું અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના લક્ષ્યોમાં મોટો ફાળો આપશે. દેવભૂમિ દ્વારકા વિશ્વના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, અને ઓખા–કાનાલુસ વિભાગ આ પવિત્ર ધામ સુધી પહોંચવાનો મુખ્ય રેલ માર્ગ છે. કેન્દ્ર સરકારે આ નિર્ણય લેતી વખતે દેવભૂમિ દ્વારકા ક્ષેત્રના આધ્યાત્મિક અને લોજિસ્ટિક્સ વિકાસને ખાસ ધ્યાનમાં રાખ્યો છે. ત્યારે આ યોજના પૂર્ણ થતા દ્વારકા આવતા તીર્થયાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધાઓ મળશે. આ રેલ લાઇન પ્રવાસીઓની વધતી માંગને સંતોષવામાં મદદરૂપ થશે અને દ્વારકાના પર્યટનને વધુ પ્રોત્સાહન આપશે. પ્રોજેક્ટની વિગતો અને સ્ટેશન મોડીફીકેશન 159 કિલોમીટર લાંબા આ ડબલિંગ પ્રોજેક્ટમાં જટિલ એન્જિનિયરિંગ કાર્યનો સમાવેશ થાય છે, જેમાં 7 મુખ્ય અને 143 નાના પુલનું નિર્માણ સામેલ છે. આ રૂટ ઉપર આવરી લેવામાં આવેલા કુલ 12 સ્ટેશનોનું મોડીફીકેશન કરવામાં આવશે. આ તમામ સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. જેમાં મીઠાપુર, ઓખા, દ્વારકા, ગોરિંજા, ઓખામઢી, ભાટિયા, ભાટેલ, ભોપલકા,ખંભાળિયા, મોડપુર અને કાનાલુસનો પણ સમાવેશ થાય છે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજકુમાર મીનાએ વધુમાં માહિતી આપી હતી કે, હાલ રાજકોટ-કાનાલુસ વિભાગ (111 કિમી) પર ડબલિંગ કાર્ય રૂ. 1,080 કરોડના ખર્ચે ઝડપથી પ્રગતિ પર છે અને આશરે 70% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. આ કાર્ય જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. ઓખા-કાનાલુસ વિભાગનું કાર્ય પૂર્ણ થતાંની સાથે સમગ્ર પશ્ચિમ રેલવેમાં એક મજબૂત અને કાર્યક્ષમ ડબલ લાઇન નેટવર્ક તૈયાર થઈ જશે. ઓખા-કાનાલુસ રેલ ડબલ લાઇન પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે પરિવહન, ઉદ્યોગ, તીર્થ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણના મોરચે મોટો બદલાવ લાવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ કમિટી (CCEA)એ તાજેતરમાં ઓખા–કાનાલુસ વિભાગના ડબલ લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ પરિયોજનાને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ આયોજિત કરવામાં આવી છે, જેનું મુખ્ય ધ્યાન સંકલિત આયોજન અને હિતધારકોની સલાહ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર છે. આ પરિયોજના લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'નવા ભારત'ના વિઝનને અનુરૂપ છે, જેનો હેતુ આ ક્ષેત્રમાં વ્યાપક વિકાસ કરવાનો છે. દ્વારકા ક્ષેત્રના આધ્યાત્મિક, આર્થિક અને લોજિસ્ટિક્સ વિકાસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દ્વારકા વિશ્વના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે, અને દેવભૂમિ દ્વારકામાં આવેલો ઓખાકાનાલુસ વિભાગ આ પવિત્ર ધામ સુધી પહોંચવાનો મુખ્ય રેલ માર્ગ છે. આ રેલ સેક્શન સૌરાષ્ટ્ર ક્ષેત્રની બંદર કનેક્ટિવિટી અને ઔદ્યોગિક ગતિવિધિઓ માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને તે જામનગર અને દ્વારકા જિલ્લાઓમાંથી પસાર થાય છે. મુસાફરો તેમજ માલગાડીઓની વધતી માગને જોતાં આ પરિયોજનાનું મહત્વ વધુ વધી જાય છે. 159 કિલોમીટર લાંબા આ ડબલિંગ પ્રોજેક્ટની કુલ કિંમત 1,457 કરોડ રૂપિયા છે. આમાં 7 મુખ્ય અને 143 નાના પુલનો સમાવેશ થાય છે અને કુલ 12 સ્ટેશનો—ઓખા, મીઠાપુર, દ્વારકા, ગોરિંજા, ઓખામઢી, ભાટિયા, ભોપલકા, ભાટેલ, ખંભાળિયા, મોડપુર, અને કાનાલુસ—આ રૂટમાં આવરી લેવામાં આવશે. પરિયોજના પૂર્ણ થવા પર દ્વારકા આવતા તીર્થયાત્રીઓને ઝડપી, સુરક્ષિત અને અવિરત મુસાફરીની સુવિધા મળશે. આ ઉપરાંત, ખાદ્ય મીઠા સહિત વિવિધ વસ્તુઓના માલ પરિવહનમાં પણ મહત્વપૂર્ણ વધારો થશે. આ પ્રોજેક્ટ ઓખા પોર્ટ અને સલાયા પોર્ટ જેવા મુખ્ય આર્થિક કેન્દ્રોને વધુ મજબૂત રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે, જેનાથી લગભગ 11 મિલિયન ટન વધારાની માલ પરિવહન ક્ષમતા વિકસિત થશે. તેનાથી દર વર્ષે આશરે 14 કરોડ કિલોગ્રામ CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે લગભગ 56 લાખ વૃક્ષો વાવવાની સમકક્ષ છે. સાથે જ, દર વર્ષે 2.8 કરોડ લીટર ડીઝલની બચત અને આશરે 311 કરોડ રૂપિયાની લોજીસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે.વર્તમાનમાં રાજકોટ–કાનાલુસ વિભાગ (111 કિમી) પર ડબલિંગ કાર્ય 1,080 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પ્રગતિ પર છે અને આશરે 70 ટકા કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જેને જૂન 2026 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર ક્ષેત્રની કનેક્ટિવિટી, ઉદ્યોગ, પોર્ટ લોજિસ્ટિક, તીર્થ પ્રવાસન અને પર્યાવરણ સંરક્ષણમાં મોટો બદલાવ લાવનારો છે.
બોટાદની શ્રી સંસ્કાર તીર્થ પ્રાથમિક શાળામાં 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો હતો.કાર્યક્રમનું માર્ગદર્શન બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઇ. આઇ. મન્સૂરી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ચડોતરે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.કાર્યક્રમ દરમિયાન, નિષ્ણાતોએ વિદ્યાર્થીનીઓને 'ગુડ ટચ' અને 'બેડ ટચ' જેવી મહત્વપૂર્ણ બાબતો વિશે જીવંત ડેમો દ્વારા સમજાવ્યું હતું. આનાથી બાળકીઓ સારા અને ખરાબ સ્પર્શને સરળતાથી ઓળખી શકે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.આ પ્રસંગે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની 'શી-ટીમ' દ્વારા તેમની કામગીરી, પેટ્રોલિંગ અને બાળ સુરક્ષા સંબંધિત પગલાં વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને ખાસ કરીને મુશ્કેલીના સમયે 1098 બાળ સહાય હેલ્પલાઇનનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે પણ માર્ગદર્શન અપાયું. જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વાહલી દીકરી યોજના, વિધવા સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે પણ વિદ્યાર્થીનીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીનીઓને સ્વચ્છતા, લીલા શાકભાજી, કઠોળ અને દૂધ જેવા પૌષ્ટિક આહારના મહત્વ વિશે પણ સમજાવવામાં આવ્યું, તેમજ જરૂર પડ્યે ડોક્ટરનો સંપર્ક કરવા અંગે સચોટ માર્ગદર્શન અપાયું.કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું. આ આયોજનમાં પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, શી ટીમ, 181 અભયમ હેલ્પલાઇન, વુમન એમ્પાવરમેન્ટ હબ અને 1098 ટીમ સક્રિય રીતે હાજર રહી હતી. શાળાના સમગ્ર શિક્ષકવૃંદે પણ ઉપસ્થિતિ નોંધાવી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ જાગૃતિ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીનીઓમાં સુરક્ષા, સાવચેતી અને સ્વસંરક્ષણ અંગે મહત્વપૂર્ણ જાગૃતિ ફેલાઈ હતી.
અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસના બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો, તેમાંથી જીવડા નીકળીને ટેબલ પર ફરવા લાગ્યા હતા. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતા આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. રોટલીનું બાસ્કેટ ટેબલ પર મુકતા અંદરથી જીવડાં નીકળ્યાશહેરના પાલડી વિસ્તારમાં અને એડવોકેટનો વ્યવસાય કરનાર દુષ્યંતસિંહ રાઠોડ 18 નવેમ્બરના રોજ તેમના પરિવાર સાથે સીજી રોડ ઉપર આવેલા MOCHA રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. તેઓએ જમવાનું ઓર્ડર આપ્યો હતો ત્યારબાદ રોટલીનો ઓર્ડર રિપીટ કરતા ત્યાંના વેઇટર રોટલી વાંસના બાસ્કેટમાં લઇને લાવ્યા હતા. જે બાસ્કેટ રોટલી સાથે ટેબલ પર મૂકતા વાંસના બાસ્કેટમાં ભરાઈ રહેલા બહુજ બધા જીવડાઓ બાસ્કેટની બહાર નીકળ્યા હતા અને તેઓના જમવાના ટેબલ પર ફરવા લાગ્યા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ગંભીર બેદરકારીદુષ્યંતસિંહે જણાવ્યું હતું કે, મેં રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવી રજૂઆત કરી હતી અને આવી નામચીન મોટી અને મોંઘી રેસ્ટોરન્ટમાં આટલી મોટી ગંભીર બેદરકારી કરી રેસ્ટોરન્ટ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી ગંભીર બેદરકારી દાખવતા હોવાની રજૂઆત કરી હતી. મેનેજર દ્વારા બીજુ ભાણું મંગાવી દવ છું તેવું જણાવ્યું હતું. બાદમાં ત્યાં મેનેજર પાસે બિલ માંગ્યું તો બિલ પણ આપ્યું નહીં. જે બાદ તેમના કોઈ ઉપરી અધિકારીનો ફોન આવ્યો હતો. બે દિવસ બાદ તમને આવીને મળીશ એવી વાત કરી હતી, પરંતુ કોઈ ફોન આવ્યો નહીં અને તેમને પણ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. મોંઘીદાટ રેસ્ટોરન્ટમાં પણ સફાઈની ગુણવત્તા અંગે સવાલવધુમાં તેમણે જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટમાં આવેલા રસોડામાં તપાસ કરવા માટે હું જતો રહ્યો હતો પરંતુ તરત જ તેમનો સ્ટાફ આવી અને બહાર નીકળો આપણે બહાર વાત કરીએ એમ કહીને રસોડાની પણ તપાસ કરવા દેવામાં આવી ન્હોતી. MOCHA રેસ્ટોરન્ટ ખૂબ જ મોંઘી રેસ્ટોરન્ટ છે, જ્યાં જમવાનું મોંઘુ મળે છે છતાં પણ ત્યાં સફાઈની ગુણવત્તા જળવાઈ નહોતી. જે બાબતે તેમના ઉપરી અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી હતી, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે ફૂડ વિભાગે સેમ્પલ લઈ તપાસ કરી છે. AMCએ તપાસ હાથ ધરી 25000નો દંડ ફટકાર્યોમ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ફરિયાદ મળતા તેઓએ સીજી રોડ પર આવેલા MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી. રસોડા અને હોટલ વગેરે જગ્યાએ તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ તેઓને રૂપિયા 25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. મોંઘી અને સૌથી સારી ગણાતી રેસ્ટોરન્ટમાં આવી સ્વચ્છતાનો અભાવ જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.
ભારતના બંધારણના મહત્ત્વને યાદ કરવા અને નાગરિકોમાં તેના વિશે જાગૃતિ લાવવા માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરીની સૂચના મુજબ ગાંધીનગર ખાતે સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરની કચેરી દ્વારા સેક્ટર-12 ના ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાના કાયદા અમલ અને વહીવટી તંત્રના તમામ અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વંદે માતરમનું ગાન કરાયુંઆ કાર્યક્રમની શરૂઆત એક વિશિષ્ટ રીતે કરવામાં આવી હતી. ભારતના રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂર્ણ થતાં ઉપસ્થિત તમામ અધિકારીગણ, વકીલો, પોલીસ કર્મચારીઓ અને સ્ટાફ સભ્યોએ ઉભા થઈને સામૂહિક રીતે વંદે માતરમ્ ગાન કર્યું હતું. ત્યારબાદ મુખ્ય મહેમાનો અને જિલ્લા સરકારી વકીલ હિતેશ એન. રાવલના હસ્તે બાબાસાહેબ આંબેડકરના ફોટા પાસે દીપ પ્રાગટ્ય કરીને બંધારણના નિર્માતાને વંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને કચેરીના સભ્યોની મોટી ઉપસ્થિતિએ દર્શાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં બંધારણનું શું મહત્ત્વ છે, અને તેના અમલ માટે પોલીસ, વહીવટી તંત્ર અને ન્યાયતંત્ર એકસૂત્રે જોડાયેલા છે. જિલ્લાના ઉચ્ચ્ અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાઆ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે અને પોલીસ વડા એસપી રવિતેજા વાસમ શેટ્ટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગાંધીનગર બાર એસોસિયેશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ, ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ લાલસિંહ ગોહિલ અને એમ.એ.સી.ટી. બાર એસોસિયેશનના પ્રમુખ આર.ડી. જાની સહિત ન્યાય જગતના અનેક વરિષ્ઠ વકીલોએ હાજરી આપી હતી.
અમદાવાદના અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLO ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLO દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. બીએલઓ ઓફિસર્સના ધરણા, મેપિંગ પ્રક્રિયા મામલે વિરોધઅમદાવાદ: અમરાઈવાડી વિધાનસભા ક્ષેત્રના 200થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) આજે ખોખરા ખાતેની કે. કે. શાસ્ત્રી કોલેજમાં ધરણા પર બેસી ગયા છે. આ કોલેજ અમરાઈવાડી વિધાનસભાનું સેન્ટર છે, જ્યાં BLOs ફિલ્ડનું કામ પતાવીને ઓનલાઈન ડેટા અપલોડ કરવા આવે છે. BLOs દ્વારા વિરોધનું મુખ્ય કારણ તેમને સોંપવામાં આવેલી 'મેપિંગ'ની જટિલ કામગીરી છે, જેને તેઓ અવ્યવહારુ ગણાવી રહ્યા છે. પહેલા ASD, હવે 'મેપિંગ'નો બોજપ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણી પંચ દ્વારા શરૂઆતમાં BLOsને ફક્ત ASD (Absent, Shift, Death) મતદારોના ફોર્મ સબમિટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, હવે આ કામગીરીમાં મોટો ફેરફાર કરીને તેમને દરેક મતદારનું 'મેપિંગ' કરવાની સૂચના આપવામાં આવી છે. શું છે મેપિંગ?મેપિંગ પ્રક્રિયા અંતર્ગત, BLOને મતદાર દ્વારા ભરવામાં આવેલા ફોર્મની નીચે, 2002ના એસઆઈઆર (Service Identity Register) પ્રમાણેની વિગતો ભરવાની હોય છે. મતદારો ફોર્મમાં માત્ર બેઝિક માહિતી ભરીને આપી દે છે, પરંતુ ફોર્મની નીચેની જટિલ 2002ની વિગતો હવે BLOએ જાતે ભરવાની છે. આ પણ વાંચો... વડોદરામાં SIRની કામગીરી દરમિયાન શિક્ષકાનું મૃત્યુ, 4 દિવસમાં 4નાં મોતઓનલાઈન વિગતો શોધવી બની મુશ્કેલBLOનું કહેવું છે કે, આ પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમને ચૂંટણીપંચની વેબસાઈટ પર જઈને ઓનલાઈન નામ શોધીને વિગતો ભરવાની હોય છે. આમાં સૌથી મોટી સમસ્યા આઈડેન્ટિફિકેશનની છે. જો કોઈ મતદાર પોતાના માતાનું નામ માત્ર 'કૈલાશબેન' લખાવે, તો BLO જ્યારે ઓનલાઈન ડેટામાં 'કૈલાશબેન' નામ સર્ચ કરે છે, ત્યારે તેમને અનેક સમાન નામો જોવા મળે છે. આવા સંજોગોમાં, ચોક્કસ વ્યક્તિની ઓળખ કરીને 2002ની વિગતો ફોર્મમાં ભરવી એ એક મોટો પડકાર છે. ઓફિસર્સ પર દબાણ અને નોટિસની ધમકીધરણા પર બેઠેલા BLOના જણાવ્યાં અનુસાર, તેમને કામ ઝડપથી પૂરું કરવા માટે વહીવટી અધિકારીઓ તરફથી સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. તમામ બીએલઓ ઓફિસર બપોરે 1:00 વાગ્યા સુધી કે.કે. શાસ્ત્રી કોલેજમાં હોય છે. એક વાગે ફિલ્ડમાં જવા માટે નીકળી જાય છે, બાદમાં બપોરે ત્રણ વાગે કોઈ પણ સંજોગોમાં તેમને કે. કે. શાસ્ત્રી કોલેજમાં હાજર થવા માટે કહેવામાં આવે છે. જો 3 વાગ્યે હાજર ન થાય તો નોટિસ આપવાની ધમકી આપવામાં આવે છે. આવા વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. તેમને વ્હોટ્સએપ ગ્રુપમાં પણ નાયબ મામલતદાર અને મામલતદાર સહિતના અધિકારીઓ ઝડપથી કામ કરવા માટે દબાણ કરે છે.આ પણ વાંચો: દાહોદમાં ચક્કર આવતાં BLO ઢળી પડ્યા: હોસ્પિટલમાં સારવાર ચાલુ, પુત્રએ કહ્યું '4–5 દિવસથી સતત કામગીરી અને અધિકારીઓના દબાણથી તબિયત બગડી' SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો: સુસાઇડ નોટમાં લખ્યું, માનસિક થાક-તણાવ અનુભવું છુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ આજે (21 નવેમ્બર) સવારે આત્મહત્યા કરી લીધી છે. તેમણે પોતાના વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીનાં કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાથી શિક્ષણ વિભાગની સતત કામગીરીના ભાર અને તણાવની શિક્ષક વર્ગ પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) પાદરામાં BLOની તબિયત લથડી: ચૂંટણી કામગીરી દરમિયાન છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલ ખસેડાય પાદરામાં ચૂંટણી સંબંધિત SIR કામગીરી કરી રહેલા એક BLOની તબિયત લથડી હતી. ભોજ પી.આર. પટેલ હાઈસ્કૂલના શિક્ષક ઝુલ્ફીકાર પઠાણને મોડી સાંજે છાતીમાં દુખાવો અને બેચેની થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.(વાંચો સંપૂર્ણ સમાચાર) કપડવંજમાં SIRની કામગીરીના દબાણ વચ્ચે શિક્ષકનું હાર્ટ-એટેકથી મોત કપડવંજના જાંબુડી ગામમાં રહેતા અને નવાપુરા ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્યનું હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ બીએલઓની કામગીરીને કારણે ખૂબ તણાવમાં અને દોડધામમાં હોવાનું તેમજ ઉજાગરા પણ કરતા હોવાને લઇને તેમને હૃદયરોગનો હુમલો આવવાથી તેમનું અવસાન થયું હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ અહેવાલ વાંચો) આ પણ વાંચો... SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત, શિક્ષણના ભોગે કરાવાતી BLOની કામગીરીમાંથી મુક્તિ આપવા માગBLOને પડી રહેલી મુશ્કેલીઓ આ પણ વાંચો... 19 દિવસમાં 6 રાજ્યોમાં 15 બીએલઓના મોત આ પણ વાંચો... ‘BLOની કામગીરી શિક્ષકોની ફરજ છે, એ એમને કરવું જ પડશે’, ‘ધીમી ગતિએ કામ ચાલે છે, 7 ફેબ્રુઆરી સુધીમાં મતદાર યાદી બહાર પાડવાની છે, ઝડપી કામ કરવું પડશે’ મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચના ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો મુખ્ય આરોપી સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહ પંડ્યા 9 વર્ષ બાદ મોરબીમાંથી ઝડપાયો છે. તે 2016થી પેરોલ જમ્પ કરીને ફરાર હતો. ભરૂચ એલ.સી.બી.એ તેને પકડી પાડ્યો છે. રાજ્યમાં પેરોલ અને ફર્લો જમ્પ થયેલા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. વાળાએ તેમની ટીમોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.કે. ટોરાણીની ટીમને માહિતી મળી હતી કે, 2013માં થયેલા સુનિલ તાપીયાવાલા મર્ડર કેસનો આરોપી સચિન પંડ્યા 2016માં પેરોલ રજા દરમિયાન ફરાર થઈ ગયો હતો. આ માહિતીના આધારે, એલ.સી.બી.ની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી. મોરબીમાં સતત રેકી કર્યા બાદ, પોલીસે આરોપી સચિન પંડ્યાને મહેન્દ્રનગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા-2023ની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તેને વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવામાં આવશે.
રાજકોટ શહેરના આમ્રપાલી પાસે અન્ડરબ્રિજની ખરાબ હાલત અને મહાપાલિકાના 'સૂતેલા' તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ પક્ષના કાર્યકરોએ આજે એક અનોખું પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરો પાવડા અને તગારા જેવા સફાઈના સાધનો લઈને અન્ડરબ્રિજની સફાઈ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જોકે પોલીસે તેમને તરત જ અટકાવી દીધા હતા. અને આ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જોકે આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 15 જેટલા કાર્યકરો જ જોડાયા હતા, જે શહેરના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ગુજરાત પ્રદેશ શક્તિ સભાના ચેરમેન વૈશાલી શિંદેએ જણાવ્યું હતું કે, રાજકોટને રેસકોર્સના કારણે એક હબ કહી શકાય છે, પરંતુ શહેરની દશા અત્યારે ખરાબ થઈ રહી છે. અન્ડરબ્રિજનું કામ પ્રોપર રીતે થયું નથી અને તંત્ર તદ્દન સૂતું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે કોઈપણ પ્રકારનું કામ થતું નથી અને રસ્તાઓ સ્લિપરી થઈ રહ્યા છે. મુખ્યમંત્રી આવે ત્યારે જ રોડ-રસ્તા સાફ થાય છે, અને બીજા દિવસે ફરી કાદવ-કિચડ થઈ જાય છે. ત્યારે જો તંત્ર સફાઈ નહીં કરે તો કોંગ્રેસના કાર્યકરો પોતે રોડ-રસ્તાની સફાઈ કરશે. તેમણે ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરો અને એમએલએને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, આપ પ્રજાના પ્રતિનિધિ છો અને આપે પ્રજાનું કામ કરવાનું છે, નહીં કે આપના નેતાઓની સેવા કરવાનું કામ કરવાનું છે. કોંગ્રેસની ઓછી સંખ્યા અંગે તેમણે જણાવ્યું કે, આ માત્ર વોર્ડ લેવાલનો કાર્યક્રમ હોવાથી કોંગ્રેસના વોર્ડ નંબર-2નાં આગેવાનો અને કાર્યકરો જ આ વિરોધમાં જોડાયા છે. કોંગ્રેસમાં કોઈપણ આંતરિક વિવાદ હોવાનો તેમણે ઇનકાર કર્યો હતો. રાજકોટ શહેરના ઉપપ્રમુખ અને પ્રદેશના પ્રવક્તા સંજય લાખાણીએ ભાજપના રાજમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. સંજય લાખાણીના મતે, કરોડોના ખર્ચે બનેલા આ અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે આજે પણ પાણી ભરાયેલું હોય તો સ્કૂટર પર કે ચાલીને જતા લોકો માટે મુશ્કેલી પડે છે અને અકસ્માતોની શક્યતા વધી જાય છે. રાજકોટમાં ટ્રાફિકની પણ કોઈ સમસ્યાનું નિરાકરણ નથી અને કોઈ વ્યવસ્થા નથી, તો આ બ્રિજ કેવી રીતે ચાલી શકે? વધુમાં તેમણે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે તેઓ તગારા અને પાવડા લઈને સફાઈ કરીને લોકોને બચાવવા માંગે છે. કોંગ્રેસ પક્ષ એકજૂટ, એક્ટિવ છે અને લોકો માટેના કામ કરે છે, માત્ર દેખાવ કરવા માટે કે ભ્રષ્ટાચાર માટે નહીં. ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે આ મિશન લઈને આવ્યા છીએ અને જ્યાં સુધી આ નિકાલ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આગામી સમયમાં પણ તંત્રને જાગૃત કરવા કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે કોંગ્રેસના કાર્યકરો આમ્રપાલી બ્રિજ પાસે સફાઈનો કાર્યક્રમ શરૂ કરે તે પહેલાં જ, ટ્રાફિક જામની સ્થિતિને રોકવા માટે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તમામ 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. આ વિરોધ પ્રદર્શનનું આયોજન શહેર સમિતિ દ્વારા વોર્ડ-વિસ્તારના પ્રશ્નને લઈને કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ જણાવ્યું હતું કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે અને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) સુધી પત્ર લખવામાં આવશે. તેઓ કોઈપણ સંજોગોમાં આ રસ્તાની સમસ્યાનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે.
જામનગરની પ્રખ્યાત વિશાલ હોટલના બે ભાગીદારો વચ્ચેના ઝઘડામાં એકાઉન્ટન્ટ પર જીવલેણ હુમલો થયો છે. આ મામલે હોટલના એક ભાગીદાર સહિત 13 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત એકાઉન્ટન્ટ હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવની વિગત મુજબ, જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા 48 વર્ષીય અમિત ચંદુભાઈ ચુડાસમા, જે વિશાલ હોટલ ઇન્ટરનેશનલમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે, તેમણે ફરિયાદ નોંધાવી છે. તેમણે મિલન હંજળા, અનિલ ભદ્રા, કિરીટભાઈ ભદ્રા અને અન્ય 10 અજાણ્યા શખ્સો સામે લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને લાકડીઓ જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી અમિત ચુડાસમા હોટલના બે ભાગીદારો મિતેશભાઈ કનખરા અને કિરીટભાઈ ભદ્રા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ફસાયા હતા. આ વિવાદના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે ફરિયાદી યુવાન પોતાના ઘેર સૂતો હતો ત્યારે મિલન હંજળાનો ફોન આવ્યો હતો. ફોન કરનારે અમિત ચુડાસમાને 'કાલથી નોકરી પર નથી જવું' તેવી ધમકી આપી હતી. જ્યારે અમિત ચુડાસમાએ તેનું કારણ પૂછ્યું, ત્યારે તેને જામનગરના સત્યમ કોલોની અન્ડરબ્રિજ પાસે બોલાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે અમિત ચુડાસમા ત્યાં પહોંચ્યા ત્યારે કુલ 13 જેટલા આરોપીઓ હથિયારો સાથે ઊભા હતા. તેમણે અમિતને ધાકધમકી આપી નોકરી છોડવા દબાણ કર્યું હતું. જ્યારે અમિતે તેમની વાત ન માની, ત્યારે તમામ આરોપીઓએ તેના માથામાં અને શરીરના જુદા-જુદા ભાગોમાં લાકડીઓ અને લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હુમલા દરમિયાન દેકારો થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાને પોતાની પત્નીને ફોન કરીને સ્થળ પર બોલાવી હતી અને એક ખાનગી વાહન મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. આ મામલે પોલીસને જાણ થતાં સીટી સી-ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે અને ત્યારબાદ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

30 C